Feeds:
Posts
Comments

Archive for October, 2010

Shiva & Shakti

Shiva & Shakti

રામ સીતાને કરાવી કાલયંત્રમાં યાત્રા

  

 

હાજી મોરારી બાપુએ રામસીતાને ટાઈમ મશીનમાં યાત્રાકરાવી અને ભૂતકાળમાં લઈ ગયા. એટલું જ નહીં પણ રામસીતાએ એક યુગ પાછળના ભૂતકાળમાં જઈ ભાગ પણ ભજવ્યો.

 

 

આમ તો વૈજ્ઞાનિકો માને છે કે કદાચ મનુષ્યનું વિજ્ઞાન એ હદે પહોંચશે કે મનુષ્ય  ભૂતકાળને જોઈ શકશે. પણ તેમાં ભાગ ભજવી શકશે નહીં. તેઓ એ વાતમાં સર્વ સંમત છે કે મનુષ્ય ટાઈમ મશીન બનાવી શકશે ખરો અને ભૂતકાળના બનાવોનું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકશે પણ તેમાં તે ભાગ નહીં લઇ શકે.

 

 

જો તમારું વાહન પ્રકાશ કરતાં પણ વધુ ઝડપથી ગતિ કરતું હોય તો તમારા નેત્ર પટ ઉપર ભૂતકાળના બનાવો વખતે નિકળેલા પ્રકાશના કિરણો ભટકાય અને તમને ભૂતકાળના બનાવોનું તાદ્રશ્ય જોવા મળે. તમે જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ વધુ ને વધુ દૂરના ભૂતકાળને જુઓ. પણ તમે તેમાં કુદી પડીને ભાગ ન લઈ શકો.

 

 

ભાગ લે તો શું થાય? ધારોકે રાવણનો કોઈ વંશજ ભૂતકાળમાં જાય અને રામ-રાવણનું યુદ્ધ જુએ. અને રામે જેમ વાલીને માર્યો હતો તેમ તે રાવણનો વંશજ રામને જ મારી નાખે તો શું થાય? અથવા તો રામનો કોઈ વંશજ ભૂતકાળમાં જઈ જ્યારે રાવણસીતાનું હરણ કરતો હોય ત્યારે જ રાવણને મારી નાખે તો? રામાયણનું શું થાય?

 

 

વૈજ્ઞાનિકો આવી વાતને ગ્રાન્ડફાધર્સ પેરેડૉક્સ કહે છે. એટલે કે એક વ્યક્તિ નામે રોબર્ટ ભૂતકાળમાં જઈને તેના દાદાનું ખૂન કરી નાખે તો શું થાય? રોબર્ટના દાદા કે જે રોબર્ટના પિતાના પણ પિતા છે, તેના પૂત્રનો જન્મ સંભવી ન શકે. રોબર્ટના પિતા ન જન્મી શકે. તેથી રોબર્ટ પોતે પણ જન્મી ન શકે. પણ તે તો જન્મેલો જ છે. અને તેણે તો ખૂન કર્યું છે.

 
આ કોઈ શબ્દોની રમત નથી. સીધી સાદી સમજણની વાત છે.

 

 

આપણે મૂળવાત ઉપર આવીએ.

 

રામ અને સીતાએ કેવીરીતે ટાઈમ મશીનમાં યાત્રા કરી અને દૂરના ભૂતકાળમાં ગયા અને વળી તેમાં ભાગ પણ ભજવ્યો. આમાં મોરારીબાપુનો વાંક નથી. જોકે સાવ એવું તો નજ કહી શકાય. જ્યારે અહોભાવની અંધતા તમારા મગજનો કબજો લઈલે  અને તમે ઇતિહાસમાં ક્રમવાર બનેલા બનાવો ને ઉલ્ટાસુલ્ટી કરી નાખો છો. આના પરિણામે કાળનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આવું થવાથી તમારી ફિલોસોફી અવિસ્વસનીય થઈ જાય છે. અને તમારા ઈતિહાસના જ નહીં પણ જ્ઞાનમાત્ર ઉપર મોટું પ્રશ્નાર્થ ચિન્હ લાગી જાય છે. અથવા તો દળી દળીને ઢાંકણીમાં એવો ઘાટ થાય છે.

 

 

મોરારી બાપુના “ચ”ના ક્રમની વાતનું મૂળ શું છે? તુલસીદાસ છે. તુલસી દાસ એક ઉત્કૃષ્ટ કવિ હતા. સંસ્કૃતમાં કવિ એટલે સર્વજ્ઞાનિ થાય છે. પણ કાળક્રમે આ વ્યાખ્યા લુપ્ત થઈ. અને તેથી કરીને તુલસીદાસ ઇતિહાસમાં સર્વજ્ઞ નહીં પણ અભણ હોય તો પણ ક્ષમ્ય ગણી લેવું. તેમની મૂલવણી તે રીતે થાય. અને ગાંધીજી એ પણ એમ જ કહ્યું છે કે ઐતિહાસિક રીતે તુલસીદાસના રામાયણનું મૂલ્ય ઉકરડામાં ફેંકવા જેવું છે. પણ તેનું સાહિત્યિક અને સામાજિક મૂલ્ય અપાર છે.

 

Gandhibapu

Gandhibapu

 

ગાંધીજીને મન રામ એ દશરથનો પુત્ર અને રાવણને મારનાર રામ ન હતો, પણ તેમનો રામ દરેકના હૃદયમાં રમતો રામ છે એ એક પરમબ્રહ્મ છે.

 

Hari & Hara

Hari & Hara

 

જે ભગવાન હોય તે “મોળા” શા માટે હોય?

 

 

તુલસીદાસના રામ તો વિષ્ણુના પૂર્ણ અવતાર પણ છે અને દશરથના પુત્ર પણ છે.

 
તમે જે વ્યક્તિ ઉપર પારાવાર ભક્તિ, શ્રદ્ધા અને પૂજ્યભાવ રાખતા હો અને વળી તેને ભગવાન માનવાની હોય અને મનાવવાની પણ હોય ત્યારે તે વ્યક્તિને સર્વ ગુણ સંપન્ન, સર્વ શક્તિમાન અને સર્વજ્ઞ ચિતરવી જ પડે. હવે આવું કરવા માટે તેને કોઈ મોટા પૌરાણિક કે ઐતિહાસિક ઘટનાક્રમમાં વણી લેવો જોઇએ. કોઇ એવા બનાવના મૂળમાં તેણે યોગદાન આપવું જ જોઇએ. તો પછી ફેકોં ને એક પ્રક્ષેપ.

 

 

આમ તો શ્રી કૃષ્ણના ભક્તો, શ્રી કૃષ્ણની કોઈ વાતમાં મોળાશ રાખતા નથી. પણ તેમને મહાભારતના કૃષ્ણ કરતાં ગોકુળના કૃષ્ણ વધુ પસંદ પડે છે. કારણ કે વયસ્ક કૃષ્ણની વાત કરીએ તો ગીતાની વાત કરવી કરવી પડે અને ભેજાનું દહીં કરવું પડે. તેના બદલે બાલકૃષ્ણની વાત સારી. એ … ય …  ગોપીઓ અને તેની લીલા …  અને રાધા …અને … માખણ …  મટુકીઓ … છેડછાડ … રંગીન હોળીઓ … અને કલરફુલ વાતો …. આપણા મનની બધી જ   રોમાંચક એષણાઓનું તાદાત્મ્ય કરી શકાય. આવું બધું હોય એટલે ઈતિહાસની ઘટનાક્રમની કડીઓને આઘી પાછી કરવાનો સમય ન રહે. બહુબહુ તો બાળ લીલામાં બધાને દર્શન કરવાના પ્રસંગોનો પ્રક્ષેપ કરી દેવો.

 

Rama the Great

Rama the Great

 

પણ એ વાત જવા દો. આપણી વાત છે રામની. અને તે પણ તુલસીદાસ અને મોરારીદાસના રામની. તુલસીદાસને થયું મારા ભગવાન પણ “મોળા” શા માટે? એ પણ સોળે કળાએ સંપૂર્ણ પૂર્ણાવતાર બનાવવા જોઇએ.

 

 

રામને વિષ્ણુના અવતાર માનવાનું બહુ મોડું ચાલુ થયેલ. વાયુ પુરાણના જુના પાઠમાં રામને વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા નથી. રામ વિષે એક જ વાક્ય છે કે દશરથના તે પરાક્રમી પુત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. વાત પૂરી.

 

 

વાયુ પુરાણના આ જ જુના પાઠમાં શ્રી કૃષ્ણને જોકે વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે પણ તેમના વિષે ફક્ત શ્યમંતક મણી ચોરાઈ જવાનું જે આળ આવેલું તે તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાતને જ મહત્વ ની ગણી તેનો એક પૅરાગ્રાફ લખ્યો છે. કૃષ્ણને લગતી કોઇ દૈવી વાતો લખી નથી. વસુદેવના બધા પુત્રોના નામ આપ્યા છે. અને કંસ તેમને ઠીક ઠીક મોટા થયા પછી યુદ્ધ કરી મારી નાખતો હતો. એટલે વસુદેવ પોતાના પુત્ર કૃષ્ણ ને તેમના મિત્ર નંદને ઘરે મુકી આવે છે.

 

 

આ વાયુપુરાણની સંસ્કૃતભાષા “પાણીની”એ વ્યાકરણ રચ્યું એ પહેલાંની સંસ્કૃતભાષા છે. વાયુપુરાણમાં બુદ્ધભગવાન વિષે કશો ઉલ્લેખ નથી. જોકે આ પુરાણમાં પાછળથી ઉમેરણ થયાં છે અને પ્રકાશકોએ તે વિષે ફુટ-નોંધ આપીને દર્શાવ્યું છે.

 

 

કુલ અઢાર પુરાણ છે. વાયુપુરાણ શિવજીને મુખ્ય આરાધ્ય દેવ માનીને લખાયેલા દશ પુરોણોમાનું એક છે અને કદાચ પ્રથમ પણ હોઇ શકે.

 

Maha Mrityunjaya

Maha Mrityunjaya

अष्टादश पुराणेषु, दशभीः गीयते शिवः
चतुर्भीः गीयते विष्णुः द्वाभ्यां शक्ति च विघ्नपः

 

પુરાણ અઢારમાંના તો દશ સ્તવે છે શિવજીને,
ચાર સ્તવે છે વિષ્ણુને તે તો, બબ્બે શક્તિ ગણેશને

 

 

શિવની ઉપાસના મૂળ અગ્નિની ઉપાસનામાંથી નીપજી છે. તેવીજ રીતે વિષ્ણુની ઉપાસના સૂર્યની ઉપાસનામાંથી નીપજી છે. અગ્નિ, રુદ્ર અને શિવની એકરુપતા વિષે ભારતીય તત્વવેત્તઓને કશો વિસંવાદ કે વિરોધ લાગ્યો નથી. જુના ઉપનિષદોને અને જુના પુરાણ વાયુ પુરાણને વાંચવાથી વેદિક સંસ્કૃતિ, સરસ્વતિ સંસ્કૃતિ અને પૌરાણિક સંસ્કૃતિની એકસૂત્રતા નજરે પડે છે.

 

 

હવે આ શિવ કોણ છે? શિવનું સ્વરુપ એક રુપક છે. ઋગવેદ વાક્ય પ્રમાણે પહેલાં કશું જ ન હતું. દેવો પણ ન હતા અને બ્રહ્માણ્ડ પણ નહતું. અને પછી તે બ્રહ્મમાં થી અગ્નિ સર્વ પ્રથમ ઉત્પન્ન થયો. તે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો તેથી તે બ્રાહ્મણ (બ્રાહ્મણ જાતિ નહીં સમજવી) કહેવાયો. આ અગ્નિ વૈશ્વાનર છે. એટલે કે બ્રહ્માણ્ડરુપી પુરુષ છે. તે વિશ્વ દેવ રુદ્ર છે. તે જ્યોતિર્મય છે. અને આ જ્યોતિર્મય રુદ્ર છે. રુદ્રનું શરીર અગ્નિનું બનેલું છે. रुद्रस्य तनुः अग्निः

 

Bharga Deva

Bharga Deva

 

ઋગવેદમાં વાસ્તવમાં જુદાજુદા દેવોને વિશ્વદેવના એક અંશ તરીકે ઉપાસવામાં આવ્યા છે. વિશ્વદેવ એ રુદ્ર છે. રુદ્ર અગીયાર છે પણ જ્ઞાનિઓ જાણે છે કે તે એક જ છે. રુદ્ર આઠ વસુઓમાં જુદા જુદા નામે વસે છે. સૂર્યમાં તે રુદ્રના નામે વસે છે.

 

 

ભારતીય સંસ્કૃતિમાં કદાચ આકાશીય યંત્રશાસ્ત્ર નો વિકાસ થયો નહતો તેથી સૂર્યને વિશ્વનું કેન્દ્ર માનેલ. અને તે હિરણ્યગર્ભ (સૂર્ય) માંથી વિશ્વ અને તેના પદાર્થો ઉત્પન્ન થયા.

 

 

આ બધી ઈશ્વરની વાતો છે. રુદ્ર એ ઈશ્વર છે. સૂર્ય એ ભગવાન છે. મૂઠી ઉંચેરા માનવીને કે વ્યક્તિત્વને સૂર્યનો અવતાર ગણવામાં આવતો. એટલેકે ભગવાન માનવામાં આવતા. સૂર્ય કે જે જગતનું પાલન કરે છે. જ્યારે આ સૂર્ય પૂષ્ય નક્ષત્રમાં હોય છે ત્યારે પૃથ્વીના જીવો ખાસ કરીને માણસો ઠંડીથી થરથરતાં હોય છે. ત્યારે તેમને સૂર્યનું મહત્વ સમજાય છે. આ સૂર્યને વિષ્ણુ ના નામથી ઓળખાય છે. એટલે મહામાનવોમાંના કેટલાકને સૂર્યનો (વિષ્ણુનો) અવતાર માનવામાં આવતો એવી પ્રણાલી હતી. આ પ્રણાલી વિશ્વવ્યાપી હતી. ઈજીપ્તમાં પણ રાજાઓ વિષે આ માન્યતા પ્રચલિત હતી. જાપાનમાં આજની તારીખમાં પણ આ માન્યતા છે.

 

 

પણ વેદોમાં અવતારવાદ ને માન્યતા નથી. પુનર્જન્મને પણ માન્યતા નથી. સ્વર્ગ અને નર્કને પણ માન્યતા નથી. ભૂત પ્રેત પણ માન્ય નથી. ભવિષ્યમાટેની આગાહીઓ પણ માન્ય નથી.

આત્મા અમર છે ખરો. પણ તે પોતાના (સંતાનોના સ્વરુપે) ફરજંદોના સ્વરુપે અમર છે.

સ્વપ્ન કશી આગાહી કરતું નથી. તમે તમારી વિતેલી જીંદગીમાં જે કંઈ જોયું હોય અને વિચાર્યું હોય  તેનું તેમાં અસ્પષ્ટ પ્રતિબિંબ હોય છે.

 

 

વિશ્વનો દરેક કણ સજીવ છે. જે નાનામાં નાનો છે તે પરમ કણ (સુપર સ્ટ્રીંગ કે સુપર મેમ્બ્રેન), સૌથી મોટામાં મોટા એટલે કે બ્રહ્માણ્ડ તે સૌમાં ઈશ્વર છે. “ઈશાવાસ્યમ્‌ ઈદં સર્વમ્‌”.

 

 

આ પરમ કણ નો ગુણ આકર્ષણ છે. અને આ ગુણ એ “શક્તિ” છે. તે જ આત્મા છે. અને તેનો સમુચ્ચય પરમાત્મા છે. તે જ બ્રહ્માણ્ડ છે, તે જ ઈશ્વર છે અને તેજ વિશ્વદેવ છે તેજ રુદ્ર છે અને તેજ અગ્નિ છે. ભારતીય સંસ્કૃતિમાં આ તત્વ જ્ઞાન હતું. અને આને બ્રાહ્મણ ધર્મ કહેવાતો.

 

 

પણ કાળક્રમે પુરાણોનો ઉદય થયો. પુરાણોનો મૂળ હેતુ ઈતિહાસ છે. પણ તેને રસપ્રદ બનાવવા તેમાં દેવો, ઈશ્વર, ભગવાન અને ચમત્કારોને ઉમેરવામાં આવ્યા. રુપકો અને દંતકથાઓ અને ઉપદેશો પણ નાખ્યા. કવિત્વ અને રોમાંચ પણ નાખ્યા.વળી એમાં અવતારવાદ આવ્યો. ક્યારેક એવું લાગ્યું કે આ બોડી બામણીનું ખેતર તો નથી?  દયાનંદ સરસ્વતીએ પુરાણો ઉપર આક્રોષ ઠાલવ્યો છે.

 

 

હવે જ્યારે તમે અવતાર વાદ ઉપર જાઓ એટલે કે માણસને ભગવાન બનાવો એટલે ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય.

 

 

માણસ મર્યાદિત શક્તિવાળો છે. એટલે માનવીય મર્યાદા આપણા ભગવાનમાં આવે. હવે ભક્તોએ તેનો જવાબ શોધવો પડે. એક જુઠને છૂપાવવા અનેક જુઠ ઉમેરવા પડે. એટલે બીજા પ્રશ્નો અને વિસંવાદો ઉભા થાય. તેના સમાધાન માટે ગલાતલ્લા અને વિતંડાવાદ કરવો પડે. તર્કહીન વાતો કરવી પડે. તમારા અંધભક્તો તો બુદ્ધિને ઝાડ ઉપર મુકીને આવ્યા હોય એટલે તેઓને તો તમારી વાતો ગ્રાહ્ય બને. પણ જેઓ તમારા વિરોધીઓ છે તેમને તમારી વાતો તર્કહીન લાગે અને તે ગ્રાહ્ય ન બને. તમારી વાતોની તેઓ મજાક ઉડાવે અને તમારુ બધું લખેલું દંતકથાઓ છે, કશું ઐતિહાસિક નથી અને બધું અસત્ય છે.

 

 

ભારતીય ધર્મ વિષે પણ આવું જ થયું છે. રામ અને કૃષ્ણને પરમાત્મા માન્યા એટલે તેમાં ચમત્કારો ઉમેરવા પડ્યા. ચમત્કારો ઉમેર્યા એટલે બીજાઓ માટે (મુસ્લિમ અને ખ્રીસ્તી લોકો માટે)અગ્રાહ્ય બન્યા. તેમને માટે તમે મજાક બન્યા. તમારા ઐતિહાસિક મહામાનવો દંતકથા થઇ ગયા અને તેમણે તેમનું અસ્તિત્વ ગુમાવ્યું. તમારા મહાપુરુષો ધર્મનો વિષય થૈ ગયા. તમે કહ્યું ધર્મ એ શ્રદ્ધાનો અને આસ્થાનો વિષય છે.

 

 

પણ ભાઇ તમારો સનાતન ધર્મ શ્રદ્ધાનો અને આસ્થાનો નથી. ભારતીય પ્રણાલી એ રહી છે કે તમે જો સત્ય, ઈશ્વર અને આત્માનું તત્વજ્ઞાન ફાડતા હો તો તે વાતને તાર્કિક ચર્ચાનો વિષય પરાપૂર્વથી ગણવામાં આવ્યો છે. આદિશંકરાચાર્યે પોતાના ટાંટીયા પોતાના અદ્વૈતના પ્રસાર માટે ઘસી નાખેલા. તેમની મહેનત ઉપર તમે શા માટે પાણી ફેરવો છો?

 

 

હવે જુઓ. તુલસીદાસે શું કર્યુ? મહામાનવ રામ પિતાના વચનની આબરુ રાખવા વનમાં ગયા. સીતા પણ સાથે ગઈ. રામના ભાઇએ સુપર્ણખાનું ઈવટીઝીંગ કર્યું. એટલે સુપર્ણખા ખીજાઈ અને મારવા દોડી. લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. એટલે તેનો ભાઇ રાવણ રામની બૈરી સીતાને ઉપાડી ગયો.

 
હવે પોતાની સ્ત્રીને શોધવી ક્યાં?
રામ દુઃખી દુઃખી થઇ ગયા.

 
કોઇ એક રામાયણની વાતમાં એવું આવે છે કે રામને હતાશામાંથી બહાર કાઢવા માટે શિવજી આવે છે. જેમ મહાભારત યુદ્ધના સમયે અર્જુન પોતાના બાંધવોને મારવાના છે તે વિચારીને હતાશા અનુભવે છે ત્યારે કૃષ્ણ ભગવાન તેને ગીતાનો બોધપાઠ આપે છે, તેવી રીતે શિવજી રામને ઉપદેશ આપે છે. આ ઉપદેશને શિવ-ગીતા કહેવાય છે. પણ આ એક પ્રક્ષેપ છે. આ પ્રક્ષેપ તુલસીદાસને પસંદ ન હતો. કારણ કે રામ તો વિષ્ણુના અવતાર હતા. તેમને વળી પાનો ચઢાવવાની જરુર શેની પડે!

 

 

તો પછી આ બધું શું છે? અરે ભાઈ આતો બધી રામભગવાનની લીલા છે. રામને વનમાં જવાનું થયું એટલે મૂળ લક્ષ્મી રુપી સીતા તો વૈકુણ્ઠમાં પાછા સિધાવી ગયા. રામ સાથે જે રહ્યાં એ તો છાયારુપી સીતા રહ્યા. બાકી રાવણની શું દેન છે કે મહામાયા સીતાનું હરણ કરી શકે? રામે પણ લીલા જ કરી છે.

હવે તુલસીદાસે શું કર્યું?

 

 

શિવજીના પૂર્વ પત્ની સતી હતાં. સતીને થયું મારો પતિ તો મહાદેવ છે. તે રામના શું કામ ગુણગાન ગાય છે?

 

 

સતી રામની પરીક્ષા કરવા સીતાનું રુપ ધારણ કરે છે. અને રામની પાસે જાય છે. હવે તુલસીદાસના રામ તો સાક્ષાત વિષ્ણુ ભગવાનના પૂર્ણ અવતાર છે. રામ તો સીતાના રુપમાં રહેલાં સતીને ઓળખી જાય છે અને તેમને વંદન કરે છે.

 

 

સતીજી ભોઠાં પડીને પાછા કૈલાસ જતાં રહે છે. શિવજીને આ વાત ની ખબર પડે છે. શિવજીએ જોકે વાયુ પુરાણમાં આમ કહ્યું છે. શિવજી એક સમયે બ્રહ્મા, વિષ્ણુ અને સમગ્ર દેવગણને એમ કહે છે કે “ભક્તોનો ભગવાન, ભક્તિ અને ભક્ત પણ હું જ છું … ભોજન કરનાર પણ હું જ છું, ભોજ્ય અને ભોજન પણ હું જ છું …” આવું  કહેનાર શિવજીને  હવે તુલસીદાસના રામાયણમાં પોતાની પત્ની સતી ઉપર ખોટું લાગી જાય છે. એટલે તેઓ સતીનો ત્યાગ કરે છે.

 

 

સતી ઉદ્વિગ્ન મને, પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ઘરે જાય છે. ત્યાં દક્ષ પ્રજાપતિએ  એક યજ્ઞનું આયોજન કર્યું હોય છે. પણ શિવજીને આમંત્રણ ન હોવાથી સતીને પોતાના પિતા ઉપર ખોટું લાગે છે. અને સતીજી યજ્ઞના કુંડમાં પોતાની આહુતિ આપી દે છે.

 

 

આ સતી ના પિતા દક્ષ કોણ હતા? દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના માનસ પુત્ર હતા. તેમણે પોતાની પુત્રી સતીને શિવ સાથે વરાવેલી.

 

 

કાળક્રમ જુઓઃ
અસુરોનું જોર વધી જતાં દેવોને ત્રાસ થયો. અસુરોને હરાવવા માટે દેવોને એક નેતાની જરુર હતી. અને તે શિવનો પુત્ર જ હોઈ શકે. હવે શિવને તો પત્ની હતી નહીં. તેથી પાર્વતી સાથે તેમનો વિવાહ કરવામાં આવ્યો. અને કાર્તિકેયનો જન્મ થયો. આ કાર્તિકેય દેવોનો સેનાપતિ થયો. અને દેવોએ વિજય મેળવ્યો. કાર્તિકેય ગણેશના મોટાભાઇ હતા.

 

SadaShiva

SadaShiva

 

સહસ્રાર્જુન નામે એક બળવાન રાજા થયો. તેણે જમદગ્નિ ઋષિ સાથે બળજબરી કરી. એટલે જમદગ્નિના પુત્ર પરશુરામે સહસ્રાર્જુનનો વધ કર્યો. અને બીજા ઉદ્દંડ એવા ૨૧ રાજાઓને પણ મારી નાખ્યા.

 

 

Kartikeya

Kartikeya

એક વાર તેઓ કૈલાસ ગયા ત્યારે તેમને ગણેશે રોક્યા. એટલે તેમણે ગણેશ સાથે યુદ્ધ કર્યું. તેમાં ગણેશજીનો એક દાંત તુટી ગયો. ત્યારથી ગણેશ એકદંત કહેવાયા. પછી શિવજીએ પાર્વતીને કહ્યું કે પરશુરામ પણ આપણા પુત્રતુલ્ય જ છે. માટે તેમને માફ કરી દેવાય. સહસ્રાર્જુન પછી તો કેટલાય વિસુ રાજાઓ થઇ ગયા. અને પછી રામચંદ્રજીના પિતા દશરથ રાજા થયા.

 

Ganesha

Ganesha

 

દશરથ રાજા થયા ત્યારે પાર્વતીજી વિદ્યમાન હોવાજ જોઇએ અને હતા જ. અને ગણેશજી પણ વિદ્યમાન હતા. તો હવે વનમાં ગયેલા રામને ભઠાવવા સતિ ક્યાંથી આવ્યા? આનો અર્થ તો એવો જ થાય કે તુલસીદાસજી રામને ટાઇમ મશીનમાં બેસાડીને પહેલા ચરણના સતયુગમાં લઈ ગયા.

ટૂંકમાં જ્યારે ભક્ત અહોભાવમાં ભાન ભૂલી જાય છે ત્યારે આવા હાસ્યાસ્પદ ાને લજ્જાસ્પદ ગોટાળાઓ સર્જાય છે.૧૮૫૭ના બનેલા બનાવની ૧૯૫૭ના કોઇ એક બનાવ ઉપર અસર પડે. પણ ૧૯૫૭માં બનેલો બનાવ ૧૮૫૭ ઉપર અસર ન કરે.

 

 

તુલસીદાસને ઈતિહાસનું અજ્ઞાન હોય તે સમજી શકાય તેમ છે. પણ મોરારીદાસ કે જેને લોકો આધુનિક કક્ષાના સંત માનવામાં આવે છે તેમણે આવા ભક્તિના અતિરેકમાં આવી પુરાણોના પ્રતિકાત્મક દંત કથામાં ભાગ લેતા ઈશ્વરની બુરાઇ ન કરવી જોઇએ.

 

 

શિવ એ ઈશ્વર છે. અને તેમનું સ્વરુપ અને કથાઓ પ્રતિકાત્મક છે. પણ મોરારીદાસ તો કૈલાસ માનસરોવર જઈને પણ ઈશ્વરની બુરાઈ કરી આવ્યા.

 

 

ભાઇ મોરારીદાસ તમે ગુરુદ્વારામાં જઈને તુલસીદાસની રામાયણ કરી આવો તો ખરા. શિખભાઈઓ તમને ત્યાં રામનો ફોટો પણ મુકવા નહીં દે. ગુરુદ્વારામાં ગુરુગ્રંથસાહેબ જ સર્વોચ્ચ  છે. તેવી રીતે કૈલાસ માનસરોવર કે બધા જ્યોતિર્લિંગોમાં અને શિવ મંદિરોમાં ઈશ્વર જ (શિવ જ) સર્વોચ્ચ છે.

 

 

માણસને માણસ જ રહેવા દો. માણસને ભગવાન કે ઈશ્વર બનાવી ભગવાનનું કે ઇશ્વરનું અવમુલ્યન ન કરો.

 

 

આપણી ભારતીય સંસ્કૃતિ અને તેનું તત્વજ્ઞાન એ શ્રદ્ધા કે આસ્થાનો વિષય નથી. આપણી ભારતીય સંસ્કૃતિ અને તેનું તત્વજ્ઞાન એ બુદ્ધિગમ્ય છે. અને તેથી બુદ્ધિને અને તર્કને વિશ્વસનીય હોય તેવી જ વાતો કરો.

 

 

કૃષ્ણ અને રામના વ્યક્તિત્વ ઘણાજ મહાન હતા. તેમના ચમત્કારોની બાદબાકી કરશો તો પણ તેમનું વ્યક્તિત્વ અકબંધ રહે છે. ચમત્કારો કોઇ  કરી શકતું નથી અને કોઇએ ચમત્કારો કર્યા નથી અને કરી શકશે નહીં. ભારતીય તત્વજ્ઞાન આમ જ કહે છે. તે કર્મના સિદ્ધાન્તમાં માને છે. અને જગતના બધા દેશોનું ન્યાય તંત્ર પણ આજ વાત માને છે. જગતનો સુજ્ઞ સમાજ પણ કર્મના સિદ્ધાંતને જ અનુરુપ રાજ્ય બંધારણ બનાવે છે.

 

 

ચમત્કૃતિઃ

 

રમણભાઈ નિલકંઠની “ડૉન કિહોટે એન્ડ સાંકોપાન્જાની” ગુજરાતી આવૃતિ જેવી “ભદ્રંભદ્ર” નવલકથામાં  પણ ભદ્રંભદ્રની આવી હાલત થાય છે.  ભદ્રંભદ્રના એક ઐતિહાસિક ક્રમમાં કરેલા ગોટાળાને જ્યારે શાન્તારામ તેમના ધ્યાન ઉપર લાવે છે ત્યારે ભદ્રંભદ્ર, શાન્તારામને ઠંડે કલેજે જવાબ આપે છે કે “દેવોને કાળનું બંધન હોતું નથી.”

 

શિરીષ મો. દવે

 

 

ટેગઃ ટાઇમ મશીન, સીતા રામ, તુલસીદાસ, મોરારીદાસ, વાયુ પુરાણ, અગ્નિ રુદ્ર વિશ્વદેવ શિવ, સૂર્ય વિષ્ણુ, દક્ષ સતી, પાર્વતી

Read Full Post »

 

KHADI AND COTTAGE INDUSTRIES : SOLUTION OF ALL PROBLEMS

KHADI AND COTTAGE INDUSTRIES : SOLUTION OF ALL PROBLEMS

“આંધળાઓ અને હાથી”  બહુ જુની રમુજી વાર્તા છે. અને પુનરાવર્તનની જરુર નથી.

સ્વામી સચ્ચીદાનંદ નો અંધશ્રદ્ધા ઉપરનો પૂણ્ય પ્રકોપ પ્રસંશનીય છે.

પણ તેમની વાતો કંઈક અંશે આંધળાઓના હાથીના આકાર ઉપરના ખ્યાલો સાથે સરખાવી શકાય.

ભારતનું પછાતપણું એક હાથી છે.અને સુજ્ઞલોકો આંધળા ન હોવા છતાં પણ જાણે અજાણે આંધળાની જેમ વર્તે છે.
  
મહાત્મા ગાંધી શિવાય ભાગ્યેજ કોઈ ભારતના પછાતપણાના હાર્દને   ને સમજી શક્યું છે.
નિરક્ષરતા, બેકારી અને ગરીબાઈ એ પછાતપણા માટે કારણભૂત છે.
નિરક્ષરતા નાબુદ થશે તો મનુષ્યમાં કામકરવાની ક્ષમતા આવશે.
ગાંધીજીએ તે માટે ગૃહ ઉદ્યોગો અને ખાસ કરીને કાંતણ, વણાટ અને ખાદીને સ્વિકારવાની વાત કરેલી અને તેમાટે તેમણે નેટવર્ક પણ આપેલું.
  
જ્યારે ગાંધીજી સામે બદલતા વિશ્વની અને ટેક્નોલોજીના સંદર્ભમાં ખાદી કેટલી સુસંગત છે … એવી  વાતો આવતી ત્યારે તેમનો જવાબ હતો કે “મારી સામે મારા દેશના ગરીબ માણસો છે. તમે તેમના હાથને શું કામ આપી શકશો? જો હજારને રોજી આપીને તમે એકલાખને બેકાર કરી શકતા હો તો તે ટેક્નોલોજીમાં માનવીયપણું કેટલું?”.
  
ટૂંકમાં ગાંધીજીની વાત એપ્રોપ્રીએટ ટેક્નોલોજીની હતી.
મોટે ભાગે ગાંધીજીને યોગ્ય રીતે સમજવામાં આવતા નથી. અને તેમને યંત્રના વિરોધી તરીકે ચિત્રિત કરવામાં આવે છે. અને આમાં ભલભલા મૂર્ધન્યો અને મહારથીઓ સામેલ છે. મારા ખ્યાલ પ્રમાણે આચાર્ય રજનીશ અને સ્વામી સચ્ચીદાનંદ પણ સામેલ છે.
મોરારજી દેસાઈની સરકારે ખાદીને પ્રાથમિકતા આપવાની વાત કરેલી. અને સરકારી ઓફીસોમાં અને ગણવેશોમાં ખાદીને સ્વિકારવાના પરિપત્રો મોકલવામાં આવ્યા હતા.
ખાદીના ઉત્પાદનમાં અને વિતરણમાં વૃદ્ધિ થઇ હતી. પણ તે યોગ્ય રીતે સ્વિકૃત થઇ નહતી.
ઘણી ઓફીસોએ “અમે વિજાણુ ઉપકરણો વાપરીએ છીએ એટલે ખાદીના રેસાઓ અમારા ઉપકરણોને નુકશાન કરી શકે છે એટલે અમે તે પૂરતો ખાદીનો ઉપયોગ નહીં કરીએ અને મીલનું કાપડ વાપરીશું.” એવી ‘નોટ’ સાથે મીલનું કાપડ પડદા અને ગાઉન, એપ્રન માટે વાપરતા. (જો કે એક અધિકારીએ કહ્યું  કે હું ખાદીના કપડાં જ પહેરું છું અને બીજા કપડાં પહેરતો નથી. અને ખાદીમાં પણ પૉલી વસ્ત્ર આવે છે. તેનો જ એપ્રન પહેરીશ. અને તેને મૌખિક મંજુરી આપવામાં આવેલી.)
ઈન્દીરા ગાંધીની કોંગ્રેસના માણસો તો ખાદીમાં માનતાજ નથી. આરએસએસ વાળને મેં એમ કહેતા સંભળ્યા છે કે “ખાદીમાં હવે ‘ભાવના’ જ ક્યાં રહી છે.” હવે તેમનો આ ‘ભાવના’ શબ્દનો અર્થ તેઓ શું કરે છે અને તે તેમને ખાદી પહેરતાં કેવી રીતે રોકી શકે છે તે સંશોધનનો વિષય છે.
“એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં તમારે લોકોને રેંટીયો લઈને કાંતાવવું છે અને હાથશાળથી ખાદીનું કાપડ બનાવવું છે? તમે યાર કયા યુગમાં જીવો છો?”
આવું અને આવી મતલબનું સાંભળવા બહુ મળે છે. અને સચ્ચીદાનંદજી પણ આવું જ કહેછે.
પણ હવે જુઓ; ‘જ્યારે એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં અખૂટ કુદરતી સંપત્તિ હોય છતાં ૭૦ ટકા માણસો ગરીબીની રેખામાં કેમ જીવે છે?’

ઉપરોક્ત પરિસ્થિતી એ એક હકિકત છે અને ગરીબીનો તાત્કાલિક ઉપાય ખાદી જ છે. ખાદી પહેરવાથી એસી ટ્રેનો, મર્સીડીસ ગાડીઓની ઝડપ, કે આકાશમાં ઉડતા વિમાનો અને રૉકેટો તૂટી પડવાના નથી. તો પછી માણસોને બેકાર રાખી ભૂખે શામાટે મારો છો?
  
તમે દેશમાટે થોડું ખરબચડું અને ઓછી ફેશનવાળું કાપડ પહેરશો તો કંઈ મોટો ત્યાગ તો નહીં જ કર્યો ગણાય પણ જે કંઈ નાની સાદાઈ અપનાવી હશે તે દેશની બેકારીને દૂર કરિ શકશે.
પણ દંભી સેક્યુલારીસ્ટો કરતા ખાદીના અજ્ઞાતપણે વિરોધ કરનારાઓની વાચાળતા વધુ છે.
જ્યારે મોરારજી દેસાઈની સરકારે ખાદીનો વિસ્તાર કર્યો ત્યારે મીડીયા દ્વારા એવા લેખો પ્રગટ થવા માંડેલા કે જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું થશે?  જોકે તેનો જવાબ હતો કે તે મીલના કાપડનો એક્ષ્પોર્ટ થશે અને હુંડીયામણ મળશે. તો સામે સવાલ થતો કે પણ આ હુંડીયામણના ભરાવાને તમે કરશો શું? હુંડીયામાણ કંઈ ખાવાની વસ્તુ છે?
વાસ્તવમાં ખાધેપીધે સુખી અને અર્ધદગ્ધ જ્ઞાતાઓ સમજે છે કે ગરીબી તો  ગરીબોને કોઠે પડી ગઇ છે. જેમ છે તેમ ચાલવા દો.
  
યાર! વસ્ત્રનું પણ મહત્વ છે. “પીતામ્બરં વિક્ષ્ય દદૌ સ્વ કન્યાં, ચર્માંબરં વિક્ષ્ય વિષઃ સમૂદ્રઃ” [સમુદ્રએ પીતાંબર જોઇને (વિષ્ણુને) પોતાની કન્યા આપી અને ચર્માંબરધારી (શિવ) ને વિષ આપ્યું.]
સાચેસાચ ગરીબોને ગરીબાઈ કેટલી ગોઠી ગઈ છે તે આપણે જાણતા નથી. તેઓ ગુન્હાહિત પ્રવૃત્તિમાં જલ્દી જોડાઈ શકે છે. અને રોજ હજારોની સંખ્યામાં ઉત્તરભારતમાંથી મનુષ્યો જીવતા રહેવામાટે ગુજરાતમાં અને મુંબઇમાં ઠલવાય છે અને સ્થાનિક કર્મીઓના વ્યવસાયમાં ભાગ પડાવે છે. અને શિવસેના અને એમએનએસ જેવા ને તો મતના રાજકારણમાં જ રસ હોવાથી, પરિસ્થીતિમાટે જવાબદાર કોંગીનેતાઓને ટીપવાને બદલે ઉત્તરભારતીયોને ટીપે છે. કોંગી જનોને કેમ ટીપાય? તેઓતો તેમના ભાઇઓ છે.
  
સિંહ અને કુતરામાં આ ફેર છે. સિંહને પત્થર મારો તો તે પત્થર મારનાર તરફ દોડશે. કુતરાને પત્થર મારશો તો તે પત્થર તરફ દોડશે.
બીજા મુર્ધન્યો, દેશમાં કોઈપણ જગ્યાએ જવાનો ભારતીય નાગરિકને હક્ક છે અને દેશપ્રેમની વાત કરનારાઓની  (શિવસેના અને એમએનએસ ની) સંકુચિતતા લાંછનને પાત્ર છે… વિગેરે વિગેરે… જેવી સુફીયાણી વાતો કરવામાંડે છે કારણકે તેમનો પોતાનો માખણસાથે નો રૉટલો સલામત છે.
મારા એક મિત્ર અને સહકર્મચારી શ્રી નલીનભાઇ સી. મોદી આ બધા લોકોને “ચોક્ખું ઘી” એ નામ થી ઓળખે છે.
  
આ બધા “ચોક્ખા ઘી” ને ભારતના ગરીબોની ગરીબાઈ, વ્યાપક અસંસ્કારિતા, કોંગી નેતાઓનું વોટનું રાજકારણ, કાયદાની અવગણના, સરકારી નોકરોની અનીતિના પૈસા કમાવાની વૃત્તિ વિગેરે વિગેરે સદી ગયું છે. તેથી તેઓ સમસ્યાઓનું સામાન્યી કરણ કરી આમ જનતા ઉપર દોષનો ટોપલો ઢોળી દેછે.
 
વાસ્તવમાં “ચોક્ખા ઘી” ને કશું મોળું ન ખપે. એક ગ્રામ પણ સુખ સાહ્યેબી ઓછી ન ખપે.
“ચોક્ખુ ઘી” ખાદી માટે તૈયાર નથી. “ચોક્ખું ઘી” મોટા પરિવર્તન માટે પણ તૈયાર નથી.
કોંગીને તો હેલમેટ માટે પણ વાંધો પડે છે.
લારી વાળાઓ લારીઓ ફેરવે, ગલ્લાવાળા ગલ્લા ચલાવે, ઝુંપડી વાળા ઝુંપડીમાં રહે, પાથરણાવાળા પાથરણા પાથરે, ઉકરડા ફેંદવાવાળી બાઈઓ કોથળા લઈને ભંગાર પ્લાસ્ટીક ભરે, અગરીયાઓ ખારાપાટમાં સડે, જંગલવાળા ભટકી ભટકીને જંગલની પેદાશો એકઠી કરીને સરકારી ઠેકેદારોના અને સરકારી નોકરોના ખીસ્સા ભરે અને જંગલની પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરે જેથી સુજ્ઞજનો ધરોહરની રક્ષાની વાતોના વડા કરી ગરીબોને ગરીબોની રક્ષા અને સંસ્કૃતિની અને પર્યાવરણની રક્ષા કર્યા નો ગર્વ લઈ શકે. વળી “ધા”, “તા” અને “તી” (“તી” એટલે અરુન્ધતી) દેવીઓને મીડીયામાં કવરેજ મળી શકે.
જો તમે આ ગરીબોને ભણાવશો અને ખાધે પીધે સુખી કરશો તો તેમની જંગલની સંસ્કૃતિનું  શું થશે? વનવાસીઓની, ફેરીયાઓની, મદારીઓની વિગેરે વિગેરે આપણી સંસ્કૃતિઓનું શું થશે? ભારતની ગ્રામ્ય સંસ્કૃતિનું શું થશે? માટે બધા ભલે અભણ અને ગરીબ રહે. પણ ઉપરોક્ત “ચોક્ખા ઘી”એ કદી આ ગરીબોને પૂછ્યું છે કે તેમને શું ગરીબ જ અને યાતનાભરી જીંદગી જ જીવવી છે?
 
પાથરણાવાળા, કચરો એકઠોકરવાવાળા, લારીવાળા, ગલ્લાવાળા વિગેરેનું ભવિષ્ય શું? તેમના સંતાનોના ભવિષ્યનું શું? તેમના વૃદ્ધત્વનું શું?
 
આ “ચોક્ખા ઘી” ને લાંબી, તત્વજ્ઞાનની વાતો કરવી ગમે છે, સામાન્યીકરણની વાતો કરવી ગમે છે, ગ્રામીણ સંસ્કૃતિના રક્ષણની વાતો કરવી ગમે છે. કારણકે તેમનો રૉટલો ચોક્ખા ઘી વાળો છે.
 
ખાદી કોઇને ગમતી નથી અને તેને સ્વિકારવી નથી. ગ્રામીણ સંસ્કૃતિને ટકાવવી છે. પોતાને પ્લેનમાં ઉડવું છે. પણ વનવાસીઓને, ગરીબોને અને ગ્રામીણ પ્રજાને સંસ્કૃતિના અને પર્યાવરણની ફોગટ વાતો કરી ગરીબ રાખવા છે.
 
પ્રજા જ્યારે ગાંધી માર્ગ ઉપર ચાલવા તૈયાર ન હોય તો નરેન્દ્ર મોદી ક્યાં સુધી રાહ જુએ?
 
તેથી કદાચ નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક વિકાસ અને ભણતર દ્વારા પ્રગતિ એ વાતને આગળ ધપાવી છે.
 
આ માર્ગ મહાત્મા ગાંધીના માર્ગ કરતાં લાંબો માર્ગ છે. પણ મહાત્મા ગાંધીનો માર્ગ જ્યારે કોંગી ને અને મૂર્ધન્યોને પસંદ જ ન હોય અને ૬૦ વર્ષને અંતે પણ તેઓ ”ગુ ગુ છી છી” કર્યા કરતા હોય  અને થોડાક હજાર ગરીબોને ૧૦૦ દિવસની મજુરીની રોજીની અબજોરુપીયાની જાહેરાતો આપી ને પોતાની પીઠ થાબડતા હોય અને ગર્વ લેતા હોય ત્યાં તમે મહાત્માગાંધીના માર્ગ ઉપર આ લોકો ચાલે તેની વધુ રાહ જોઈ ન શકો.
  
સારી નેતાગીરી કેટલી અસરકારક બની શકે છે તે માટે “સલ્તનત એ ઓમાન”ના સુલ્તાન કાબુસ અને ગુજરાતના નરેન્દ્ર મોદીની કામગીરી જોવી જોઇએ.
 
જ્યારે જીંદગીમાં મોડ ઉપર અનિશ્ચિતતા હોય ત્યારે અંધશ્રદ્ધા અને વહેમ ફુલે ફાલે.
 
પરીક્ષાના પરિણામ, વ્યવસાય, વ્યવસાયમાં બઢતી, પૈસાની આવક, તંદુરસ્તી, સાંસારિક સુખની સમજ એ બધું અનિશ્ચિત છે. તેને માટે વાસ્તવમાં તો મોટેભાગે દેશની ઉન્નતિની દીશા કારણભૂત છે.
તે નેતાગીરી ઉપરજ આધાર રાખે છે. પણ જો મૂર્ધન્યો માં (“ચોક્ખા ઘી” માં) સંદર્ભની સમજ અને પ્રમાણભાવનો અભાવ હોય તો સમાજ અધોગતિને જ પામે. અને તેઓ “હાથી” ને સમજવામાં ગોથાં જ ખાય.
 
શિરીષ દવે
 
મૂર્ધન્યો, ચોક્ખું ઘી, નરેન્દ્ર મોદી, નલીનભાઈ મોદી, કોંગી, ખાદી, મીલનું કાપડ, ગાંધી માર્ગ, બેકારી,
GANDHI BAPU SAYS HOW PROMPTLY YOU CAN HELP POOR

GANDHI BAPU SAYS HOW PROMPTLY YOU CAN HELP POOR

Read Full Post »

Footpath kiske Baapki he

Footpath kiske Baapki he

 
હે બીજેપીના કોર્પોરેટરો!! તમને શા માટે ચૂંટ્યા છે?
 
આપ સૌ આટલું યાદ રાખોઃ
 
આપ સૌ કેવી રીતે ચૂંટાયા?
 
 
બીજેપી પક્ષે તમને ટીકીટ આપી અને તમારી પાસે નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વનું પીઠ બળ હતું તેથી તમે ચૂંટાયા છો.
 
 
તમારા મોટાભાગનાને મોટાભાગના મતદારો ઓળખતા નથી.
 
 
તમારામાંના કેટલાકે જો તેઓ અગાઉ ચૂંટાએલા હશે અને સારું કામ કર્યું હશે અને તેથી કરીને જો બીજેપીએ ટીકીટ આપી હશે તો તમે કદાચ તમે થોડી સરળતાથી ચૂંટાયા હશો.
 
 
જ્યારે તમારી ઉમેદવારી નક્કી થવાની અણી ઉપર હતી ત્યારે એક જોરદાર અફવા હતી.
તે અફવા સાચી પણ હોય અને ખોટી પણ હોય.
 
 
તે અફવા એ હતી કે તમે ૫ થી ૧૦ લાખ રુપીયા પક્ષને આપીને ટીકીટ ખરીદી છે.
જો તમે એમ માનતા હો કે તમને હવે પૈસા કમાવાનું લાઇસન્સ મળી ગયું છે તો તમે અચૂક અંધારામાં છો.
 
 
જો તમે ૫ થી ૧૦ લાખ રુપીયા પક્ષને આપ્યા ન હોય અને પક્ષે તમારામાં વિશ્વાસ મૂકીને ટીકીટ આપી હોય તો તમારે પક્ષ અને જનતાનો વિશ્વાસ સંપાદન કરવાનો છે.
 
 
જો તમે નીતિમાન રહી શકશો તો તમે રુપીયા આપ્યાના અક્ષેપનું કલંક આપોઆપ ભૂંસાઇ જશે.પણ જો તમે કોંગી કલ્ચર પ્રમાણે વર્તશો તો તમે પૈસા નહીં આપ્યા હોય તો પણ જનતા માનશે કે તમે પૈસા કમાવા આવ્યા છો.
 
 
તમારી ફરજ શું છે?
 
તમારી ફરજ નિરીક્ષકની છે. તમે રુપીયા દશની અરજી ફી આપ્યા વગર અને સ્ટેશનરી ફી આપ્યા વગર મ્યુનીસીપાલીટીની કામગીરી વિષે માહિતી મેળવી શકો છો. અને મ્યુનીસીપલ કર્મચારીઓને સન્માર્ગે દોરી શકોછો.
 
તમે સમજી લો કે જો તમે નીતિમાન હશો તો જ તમે કર્મચારીઓને (જેમાં મ્યુનીસીપલ કમીશ્નર પોતે પણ આવી જાય છે) ફરજનું ભાન કરાવવામાં સફળ થઈ શકશો.
 
તમે બીજી વાત સમજી લો કે સરકારી નોકરો હમેશા લાગમળે ત્યારે બે નંબરી પૈસા બનાવવા તત્પર હોય છે. આમાં મ્યુનીસીપલ કમીશ્નર પોતે પણ સામેલ છે. જેમ હોદ્દો મોટો એમ બે નંબરી પૈસા કમાવવાની વૃત્તિ વધુ અને શક્તિ પણ વધુ.
 
દરેક સરકારી ખાતામાં અને તેથી કરીને મ્યુનીસીપાલીટીમાં પણ બે નંબરી પૈસા કમાવવાનું એક સડયંત્ર હોય છે. અને સૌ સૌએ યુક્તિપૂર્વક પોતપોતાના વિભાગો નક્કી કર્યા હોય છે.
 
 
નાના કામોઃ
 
ફુટપાથ બનાવવી, ટેલીફોન કેબલ માટે રસ્તો ખોદવાની અને તે પછી તેને ભાગને પૂનર્સ્થાપિત કરવાની કામગીરી. આ બધા કામોનો સરવાળો કરવામાં આવે તો અબજો રુપીયા થાય. અને જો તેનું આખા શહેર માટેનું એક જ ટેન્ડર બહાર પાડવામાં આવે તો ખૂબ મોટી કંપની જ ટેન્ડર ભરી શકે. અને તેની મંજુરી પણ સૌથી મોટો સાહેબ જ આપી શકે અને તે માટે તેની જવાબદારી બને.
 
મજુર કાયદા પ્રમાણે તેણે મજુરોને બધી સગવડ આપવી પડે. જેમાં રહેઠાણ, સંડાસ, બાથરુમ, ઘોડીયાઘર, કાયદેસરની રજાઓ, વિમો, સીપીએફ, અને ટ્રાન્સપોર્ટ આવે છે. અને મોટી કંપનીને આમાં વાંધો પણ ન હોય. તેના કામની ગુણવત્તાની ચકાસણી માટે એક વ્યવસ્થા અને પ્રણાલી નક્કી કરવી પડે. મોટી રકમ, એટલે મોટા ઓફીસરો અને મોટી ચાર આંખો અને મોટાઓની જવાબદારી.
 
 
તેથી ટેન્ડરના નાના નાના ભાગ કરી નાખવામાં આવે જેના નાની નાની કિમતના ટેન્ડરો બને અને નાના નાના અધિકારિઓ નાના નાના અનેક કોન્ટ્રાક્ટરોની તરફમાં પાસ કરે. એટલે નાના નાના અધિકારિઓ નિયંત્રણ કરે અને નાના નાના બીલો બને સૌ કોઇને અધૂરા કામના અને નબળા કામના પણ પૂરા પૈસા મળે. મ્યુનીસીપલ કમીશ્નર સાહેબની તેમના હિસાબે જવાબદારી બનતી નથી જનતાને ભણાવી શકાય.
 
 
એક પણ ફૂટપાથ ચાલી શકાય તેવી નથી.
અમદાવાદ શહેરમાં એક પણ એવી ફૂટપાથ નથી કે જેની ઓછામાં ઓછી ૨૫૦ મીટરની એવી એક લંબાઈ હોય જેમાં તમે ઉપર નીચે ચડ ઉતર કર્યા વગર ચાલી શકો કે સીધી લીટીમાં ચાલી શકો અથવા તેની ઉપર દુકાનનું કે લારી વાળાનું કે પાથરણા વાળાનું કે મારુતિવાનમાં ખાણીપીણી વેચનારનું કે, ગેરેજવાળાનું કે કબાડીનું કે રબારીનું દબાણ ન હોય.
 
 
પોલીસવાળા પોતાના ગુન્ડા એજન્ટો મારફત બધા પાસેથી વસુલાત કરે છે. કશું મફતમાં મળતું નથી.
 
 
તમને કોર્પોરેટરપણું વગર પૈસે મળ્યું હશે. હવે તમે તમારા કોર્પોરેટરપણાને શોભાવો. તો તમે પણ શોભશો. કોર્પોરેટરપણાને ભોગવો નહીં.
 
 
જવાબદારી લેવી ગમતી નથી
 
સરકારી મોટા ઓફીસરોને જવાબદારી લેવી ગમતી નથી. એટલે કાંતો તેઓ ક્ષતિવાળી પ્રણાલીઓ અપનાવે છે જેથી જવાબદારી નક્કી જ ન કરી શકાય. અથવા તો નક્કી કરવામાં એટલો સમય વીતી જાય કે જવાબદાર ઓફીસરોની બદલી થઈ ગઈ હોય કે તેઓ નિવૃત્ત થઇ ગયા હોય.
 
 
સી.જી રોડ અમદાવદની મહાગાથા
 
ખાયકીનું શ્રેષ્ઠ ઉદાહરણ અમદાવાદનો સી.જી.રોડ છે. કોણ કોણ પૈસા કમાયા અને હજુ પણ કોણ કોણ પૈસા કમાય છે તે ઘણા લોકો જાણે અને જે નહીં જાણતા હોય તેવા અજ્ઞાની લોકો પણ હવે જાણી શકશે.
 
૧૯૮૦ સુધી સી.જી. રોડ નામકરણ થયાનું ખ્યાલમાં નથી. ૧૯૭૯માં જનતાપાર્ટીનું પતન થયું. અને કોંગી સત્તા ઉપર આવી. અને સી.જી. રોડ ૧૯૮૫ માં કોમર્સીયલ બની ગયો. કેવી રીતે થયું તે ખબર નથી. પણ અમદાવાદના મ્યુનીસીપલ કમીશ્નરે છૂટછાટો આપી હશે તેવું માનવું પડશે.
 
 
પંચવટી થી સરદાર પટેલ સ્ટેડીયમ ક્રોસરોડ સુધીનો વિસ્તાર એક જંગી ધંધાદારી વિસ્તાર બની ગયો. જ્યાં સ્વતંત્ર બંગલાઓ હતા ત્યાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર, મેઝનીન એક, મેઝનીન બે, પહેલો માળ, બીજો માળ, …. અને નવમો માળ કે દશમાળસુધી કોમર્સીયલ કોંપ્લેક્સો બાંધવાની પરમીશન આપવામાં આવી.
 
 
બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર વાહનોના પાર્કીંગમાટે છે. મેઝનીન-એક, મેઝનીન-બે નાનીમોટી દુકાનો માટે અને ઉપરના મજલાઓ રહેણાક કે ઓફીસો માટે છે.
 
 
દુકાનદાર, ઓફીસના માણસો અને રહેવાસીઓને વાહન હોય જ અને તેને માટે પાર્કીંગની જગ્યા જોઇએ જ. એટલું તો અબુધમાણસ પણ સમજી શકે. એટલે મ્યુનીસીપલ કમીશ્નર કે જેની પાસે મદદનીશોની ફોજ છે તે ન સમજી શકે એવું માની તો ન જ શકાય.
 
 
ભૂખ્યો બીપીએલ(ગરીબી રેખાની નીચે જીવતો) માણસ અત્યારનું વિચારે, ગરીબ માણસ આજનું વિચારે, સામાન્ય માણસ આવતી કાલનું વિચારે, સામાન્ય અધિકારી પરમ દિવસનું વિચારે, અને ઉચ્ચ અધિકારી કાયમનું કમસેકમ સો વર્ષનું વિચારે. એફ એસ આઇ તેના પ્રમાણે નક્કી થાય. નગરનું પ્લાનીંગ પણ એ રીતે નક્કી થાય કે જેથી કરીને જનતાને ભીડભાડ અને અસુવિધાથી બચાવી શકાય.
 
 
 
બેઝમેન્ટ (ભોંયતળીયું) કોના માટે છે?
 
 
કોંપ્લેક્સમાં જે ખરીદદારો કે વપરાશકારો કે જેઓએ મેઝનીન એક, મેઝનીન બે માં કે તેની ઉપરના રહેઠાણ કે ઓફીસના મજલાઓ ખરીદ્યા છે તેમના વાહનોના પાર્કીંગ માટે છે. પણ બીલ્ડરોએ તેમાં દિવાલો ચણીને પાર્ટીશન બનાવીને બીજા જ માણસોને વેચી દીધા. એટલે કે બેઝમેન્ટ કે જે વાહનોના પાર્કીંગ માટે નિશ્ચિત કરવામાં આવ્યા હતા તેમાં  જેઓએ મેઝનીન એક, મેઝનીન બે માં કે તેની ઉપરના રહેઠાણ કે ઓફીસના મજલાઓ ખરીદ્યા છે તેમનો કોઈ લાગો રહ્યો નહીં.
 
 
ગ્રાઉન્ડ ફ્લોર શા માટે છે?
 
ગ્રાઉન્ડ ફ્લોર  દુકાનોના ગ્રાહકોના વાહનો માટે અને ઓફીસ કે રહેઠાણના મુલાકાતીઓ ના વાહનોના પાર્કીં માટે છે.
 
 
પણ બીલ્ડર ભાઇઓએ અહીં પણ દિવાલો અને શટરો કરીને બીજા જ માણસોને વેચી દીધા.

 


એટલે કે અહીં પણ જેઓએ મેઝનીન એક, મેઝનીન બે માં કે તેની ઉપરના રહેઠાણ કે ઓફીસના મજલાઓ ખરીદ્યા છે તેમનો કોઈ લાગો રહ્યો નથી.

 
 
ચારે બાજુની ખૂલ્લી જગ્યાઃ
 
બાય લોઝ પ્રમાણે મકાનની ચારે બાજુ ૧૫ ફૂટની ખૂલ્લી જગ્યા રાખવી પડે છે. આ જગ્યા શા માટે છે? આ જગ્યા કબજેદારોના અને મુલાકાતીઓની અવરજવર માટે અને તેમના વાહનોની અવરજવર માટે છે.
 
 
બાંધકામના બાય-લૉઝ પ્રમાણે તો બધા હેતુઓ સ્પષ્ટ છે. પણ હેતુ અને પૈસાની લેવડ દેવડ એ બંનેના સંબંધને વિષે આપણા કમીશ્નર સાહેબો અજ્ઞાનગ્રસ્ત છે એવું લાગે છે. જાગતા માણસનો ઉંઘવાનો ઢોંગ છે.
 
 
બીલ્ડરભાઇએ શું કર્યું તે આપણે જાણ્યું. તેમણે બધીજ પાર્કીંગની જગ્યા બીજા માણસોને વેચી દીધી. એ ખરીદનાર ભાઇઓએ ત્યાં દુકાનો કરી દીધી. હવે કમીશ્નર ભાઇ અને તેમની સેનાએ શું કર્યું? યુદ્ધ કર્યું?
 
ના ભાઈ ના.
 
 
જ્યારે કોઈપણ બાંધકામ થતું હોય તો તેના પ્લાન મંજુર કરાવવા પડતા હોય છે. અને મ્યુનીસીપલ કમીશ્નરભાઇના સેનાનીઓએ તેનું સતત નીરીક્ષણ અને તબક્કાવાર ચકાસણી કરીને તબકાવાર આગળ બાંધકામ કરવા દેવાની છૂટ આપવાની હોય છે. એટલે કે જો કોઈ પણ કારણસર કશી અનીયમીતતા દેખાય તો કામ અટકાવી દઇને કામને કાયદેસર રીતે જ આગળ ધપવા દેવાનું હોય છે.
 
 
 
ગાંધીજીના ફોટાઓ
બીલ્ડરભાઈઓ યોગ્ય કિમતના ગાંધીજીના ફોટાઓ (ગાંધીજીના ફોટાવાળી ચલણી નોટો) બંધકવરમાં પહોંચતી કરતા રહે એટલે કમીશ્નરભાઈ અને તેના સેનાનીઓ ટેબલ ઉપર બેઠે બેઠે જ પેનવડે લીટોડા કરતા રહે છે. અને જરુર પડે લીટોડા વાળા કગળીયા ગૂમ કરતા રહે છે.
 
 
હવે જુઓ કેટલી સીધી વાત છે. એક કોમર્સીયલ કોંપ્લેક્સ. તેના બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર જે ફક્ત પાર્કીંગ માટે છે. ત્યાં દુકાનો બંધાઈ જાય છે અને તે કોઇકને જ વેચાઇ પણ જાય છે. અને આપણા કમીશ્નરભાઈ અને તેમની સેના ઘોર નિદ્રામાં હોય. આ શું માની શકાય તેવી વાત છે?
 
પણ ભાઇ, અહીં તો ટેબલની નીચે ડીલ થઇ છે. અને તે પણ કરોડોમાં.
 
 
અને હવે જુઓ કુંભકર્ણ રુપી આ કમીશ્નરભાઈ અને તેની સેનાનીઓ પોતાનું લપોડશંખી ભેજું ચલાવે છે.
 
 
આ કમીશ્નરભાઈ, તેઓ શું કહે છે?
 
ઓકે. તમે લોકોએ પાર્કીંગના હેતુ માટેની જમીન ઉપર ધંધો કરો છો એમ વાત છેને?
તો અમે તમારી ઉપર ધંધાદારીને લાગુ પડે એવો કર નાખીને તેને વસુલ પણ કરીશું.
કમીશ્નરભાઈ પોતાની પીઠ થાબડે છે કે અમે કેવી મ્યુનીસીપાલીટીની આવકમાં વૃદ્ધિ કરી!! હી … હી …  હી … હી …
અરે સાહેબ તમે જો ત્યાં દુકાન ન થવા દીધી હોત તો તે માણસ બીજી કોઇ કાયદેસરની જગ્યાએ દુકાન કરીને ધંધો કરત. તો ત્યાંથી પણ તમને આવક થાત જ.
 
 
હે કોર્પોરેટર ભાઇઓ તમારા પૂર્વજ કોર્પોરેટરભાઇઓ તો આ કમીશ્નરભાઇ થકી બેવકુફ બનવા તૈયાર જ હતા. કારણ કે કમીશ્નર સાહેબે તેમની સાથે ધંધાપાણી કરેલા.
 
 
 
પણ વાત અહીં અટકતી નથી.
 
બીલ્ડર ભાઇઓ અને કમીશ્નરભાઇ અને તેમના સેનાનીઓએ પાર્કીંગની જગ્યાના “ઉપયોગની હેરાફેરીમાં” તો મીલી ભગત કરી અબજોમાં રુપીયા બનાવ્યા. અને જેઓએ મેઝનીન એક, મેઝનીન બે માં કે તેની ઉપરના રહેઠાણ કે ઓફીસના મજલાઓ ખરીદ્યા છે તેમને કાયદેસરના પાર્કીંગમાંથી વંચીત કર્યા.
 
 
હવે પાર્કીંગનું શું થયું?
 
 
કમીશ્નરભાઇ અને તેમના સેનાનીઓએ કહ્યું તમ તમારે જે ૧૫ ફૂટની જગ્યા ચારે બાજુ ખૂલ્લી રાખવામાં આવી છે ત્યાં તમે તમારા વાહનો પાર્ક કરો. ખોડીયાર માના સમ અમે આંખો મીંચેલી જ રાખીશું.
 
 
એટલે હવે જે મુલાકાતીઓ અને વાહનોના અવરજવર માટેની જગ્યા હતી તે “હાઉસફુલ” થઇ ગઈ. તમારે જવું હોય તો તમારે આડા પગે, ડાબા જમણી થઈ તમારી જાતને સંભાળતા સંભાળતા અને તમારા કપડાની ચાળ ક્યાંય ફસાય નહીં તેનું ધ્યાન રાખતા રાખતા આગળ ધપવાનું છે. ધોતીયું પહેરતા હો તો સીવેલું નાડી બટનવાળું ધોતીયું પહેરવું હિતાવહ છે જેથી સુરુચિનો ભંગ થાય તેવી દશામાં તમે ન આવી શકો.
 
 
 
હવે મ્યુનીસીપલ કમીશ્નરભાઈની ધંધાપાણીની વાતને આગળ ધપાવીએ.
 
 
કમીશ્નરભાઈ ઉવાચઃ “વહેંચીને ખાઓ… જીવો અને જીવવા દો. લુંટો અને લુંટવા દો. સૈનિક લોગ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ”
 
 
પાર્કીંગની જગ્યામાં દુકાનો થઈ ગઈ. અને કમીશ્નરભાઇ તો સેનાનીઓ સહિત ઘોર નિદ્રામાં હતા. એટલે દુકાનો તો એફ. એસ. આઈ. માં આવે. એટલે એફ. એસ. આઈ. ના નિયમનો ભંગ થયો. કમીશ્નરભાઈના મગજમાં બત્તી થઈ. તેમણે કહ્યું  હે સેક્રેટરી સાહેબ, હે ચીફ સેક્રેટરી સાહેબ આપણે તો સૌ ભાઇ ભાઇ છીએ. આપણે એમ કરીએ ઈમ્પેક્ટફી ઠોકી દઈએ. કોઈ ફાલતુ જણ કોર્ટમાં જઈને સ્ટે લૈ આવશે. આપણે કંઈ કેવીએટ દાખલ કરીશું નહીં. એટલે વાત લાંબે પડશે.
 
 
કમીશ્નર સાહેબો અને સેક્રેટરી સાહેબોએ તો ભેગા મળીને નિયમો કર્યા હોય છે એટલે કાણાં કે બાકોરા નહીં પણ મોટા મોટા દરવાજાઓ રાખ્યા હોય છે જેથી બીલ્ડરભાઇઓ જ નહીં પણ બધા જ સાહેબો છટકી જઈ શકે.
 
 
 
ઈમ્પેક્ટ ફી શું કામ નાખી?
 
કમીશ્નરભાઈ અને સેક્રેટરીશ્રી ઉચતુઃ (બે જણ્યા બોલ્યાને એટલે ઉવાચ ને બદલે ઉચતુઃ કહ્યું છે. ત્રણ જણ હોત તો ઉચુઃ કહેવાત)
 
 
હે જગ્યાના માલિકો, આ મોંઘવારીનો અને અછતનો જમાનો છે તે તો અમે પણ જાણીએ છીએ. તમે તમારી પરસેવાની કમાણીમાંથી આ જગ્યાઓ વેચાતી લીધી છે. હવે અમે બધા મહાપુરુષો છીએ. તમે લોકો સામાન્ય જંતુઓ છો.
 
 
બિલ્ડરોને તો અમે કંઈ કરી શકીએ તેમ નથી. સાલા બ્રીટીશ જમાનાના કાયદાઓ જ એવા છે કે અમે બિલ્ડરોને પકડી શકીએ તેમ નથી. વળી તેઓ ની વગ બહુ મોટી હોય છે તેથી કોર્ટના લફરામાં પણ અમે પડવા માગતા નથી. તમને તો ખબર જ છે કે કોર્ટના કામા કેવા હોય છે.
 
 
એટલે અમે ખૂબ વિચારીને એવા નિર્ણય પર આવ્યા છીએ કે ભૂલ તો તમે પણ કરી છે. તમે તમારા દસ્તાવેજો તપાસ્યા નથી. ભલે બેંકે તમને લોનુ આપી, પણ તેથી તમે કંઈ એમ ન માની શકો કે બીલ્ડરના કાગળીયા બધા બરાબર હતા. એટલે હવે આપણે કુલડીમાં ગોળ ભાંગીએ. એટલે અમને પણ નિરાંત અને તમને પણ નિરાંત.
 
 
તમે સૌ કોઇ આટલી આટલી ઈમ્પેક્ટ ફી ભરી દો. પછી અમે તમને કનડીશું નહીં. પછી એય તમે મોજથી રહો.
 
 
કોઇક બોલ્યું; પણ અમે તો રહેણાકવાળા છીએ અને વધારાની એફ એસ આઈ અમે વાપરતા નથી. તો અમારે શેની ઇમ્પેક્ટ ફિ ભરવાની?
 
 
કમીશ્નરભાઈ અને સેક્રેટરીશ્રી ઉચતુઃ (બે જણ્યા બોલ્યાને એટલે)
 
 
હે જગ્યાના માલિકો, આ બધું તો સંકેલવાની વાત છે. અમે ગેરકાયદેસર કુલબાંધકામને કુલ રહીશોમાં વહેચી દીધું છે. અને આ બધું અમે ફલાણી કોર્ટના ફલાણા ફલાણા ચૂકાદાના આધારે લેવાયેલા ફલાણા નિર્ણયને અનુરુપ બધું નક્કી કર્યું છે માટે શાણા થઈને ચૂપચાપ ઈમ્પેક્ટ ફી ભરી દો. અમારા હાથ તો કેટલા લાંબા છે તે તો તમે જાણો જ છો.
 
ઈતિ સિદ્ધમ્‌
 
 
“સમરથકો નહીં દોષ ગુંસાઈ.”
 
 
 
કમીશ્નરશ્રીએ વળી એક વધુ કમાણીની તક ઝડપીઃ
 
 
 
શ્રી કમીશ્નર ઉવાચઃ
મારા વહાલા સેનાનીઓ, આ સીજી રોડ ૪ પ્લસ ૪ એટલે કે આઠ લેનનો છે. જોકે ક્યાંક ૩ પ્લસ ૩ એટલે કે છ લેનનો પણ છે.
 
 
ભવિષ્યની વાત છોડો. આજ ની વાત કરો. અને બને તો રવિવારની જ વાત કરો. ટ્રાફીકની અવરજવર પ્રમાણે ૨ પ્લસ ૨ એટલે કે ૪ લેનની જ જરુર છે. ૬ લેનની જરુરત જ નથી.
 
 
પણ કોઈ આપણને આંગળી ન ચિંધે એટલે આપણે તેને ૩ પ્લસ ૩ એટલે કે ૬ લેનનો કરી નાખીએ. જો કે કેટલીક જગ્યાએ તે ૨ પલ્સ ૨ એટલે કે ચાર લેનનો થઈ જઈ જશે. પણ એ તો ઠીક છે. બધું ચાલશે.
 
 
આપણે બંને બાજુની એક એક લેનને પાર્કીંગમાં ફેરવી દઈએ. જો કે થોડો ખર્ચો થશે. પણ આપણે પાર્કીંગનું ભાડું લઈશું એટલે કમાણી પણ થશે.
 
 
કમાણી મૂખ્ય વસ્તુ છે. શું કહ્યું મેં? કમાણી મૂખ્ય વસ્તુ છે, સમજ્યા કે નહીં? ફરીથી કહું છું…  કમાણી મૂખ્ય વસ્તુ છે. મ્યુનીસીપાલીટી માટે કમાણી મૂખ્ય વસ્તુ છે. અને આપણે મ્યુનીસીપાલીટીમાં આવી જઈએ છીએ.
 
 
એક મ્યુનીસીપલ સેનાની વદ્યો; સાહેબ કમાણી કેવી રીતે થશે?
 
 
શ્રી કમીશ્નર ઉવાચઃ હે સેનાની વત્સ, તું નવો આવ્યો લાગે છે. તને આપણી પ્રણાલીઓથી મહિતગાર કરવો મારો ધર્મ છે. આપણે આ પાર્કીંગની જગ્યાનું ટેન્ડર બહાર પાડીશું. એટલે ટેન્ડર પાસ કરવાવાળાને કમાણી થશે. વળી જેનું ટેન્ડર પાસ થશે તેઓ નોકરો રાખશે જેઓ પાર્કીંગની ટીકીટો ચીપકાવશે. અને ગાડી સ્કુટરવાળા પાસેથી પાર્કીંગ ફી વસુલ કરશે. પછી, તેના ઉપર નિરક્ષકો મૂકીશું એટલે તે આપણા ભાઈઓને કમાણી થશે.
 
 
વળી તમે જાણો છો કે ટ્રાફિકના આંકડાઓ તો આપણા ભાઈઓએ રામાધુળાની હોટલમાં બેસીને જ તૈયાર કરેલા છે અને તે પણ રવિવારે. એટલે વાસ્તવમાં તો આજની તારીખમાં પણ પાર્કીંગ માટે જે જગ્યા આપણે રસ્તો કાપીને ફાળવવાના છીએ તે ઓછી જ છે. તેથી ઘણા બધા વાહન ધારકો પોતાના વાહન આફુડા રસ્તા ઉપર પાર્ક કરશે.
 
 
આપણે પોલીસડીપાર્ટમેન્ટને કહીશું કે તેઓ ટોઈંગનું ટેન્ડર બહાર પાડે કારણ કે આમાં કમાણીની ઠીક ઠીક ગુંજાઇશ છે. તેઓ પણ પૂરતું શાણપણ ધરાવે છે. જેઓનું ખોટું પાર્કીંગ હશે તેમના વાહનોનું ટોઈંગ કરવામાં આવશે. ટોઈંગવાળા તેમની સાથે ધંધાપાણીનો હિસાબ સમજી લેશે.
 
બોલો છે ને આઈડીયા ફાઈન.
 
 
(તડ તડ તડ … તાળીઓનો ગડગડાટ)
 
 
 
બોલો સાહેબ ૧૯૮૦ થી શરુ કરી ૧૯૯૨ સુધીમાં કોંગીજનો અને બીલ્ડરો સાથેની મીલી ભગતમાં કમીશ્નરસાહેબે અને તેમની સેનાએ સી.જી રોડમાંથી કેટલી કમાણી કરી હશે? ને તેમના અનુગામીઓને પણ લીલા લહેર છે.
 
 
કમીશ્નર સાહેબો આઈ એ એસ કેડરના ઓફીસરો છે. તેમના કોન્ફીડેન્સીયલ રેકોર્ડ ભરવાના થાય ત્યારે તેમની વહીવટી નિપૂણતા, દીર્ઘ દ્રષ્ટિ, આર્ષ દ્રષ્ટિ, નિર્ણય લેવાની ઝડપ,  વિવેકશિલતા વિષે અને વિશ્વસનીયતાની શંકાસ્પદતા વિષે પણ લખવાનું હોય છે. આ દરેકમાં તેમને એક મહાશૂન્ય જ મળે જ. શું કામ?
 
તેઓ કેવીરીતે નોકરીમાં આવ્યા છે?
અરે ભાઈ, પબ્લિક સર્વીસ કમીશનના એક ચેરમેનના ઘરની દિવાલોને તોડવામાં આવી તો દશ કરોડની રોકડ રકમ મળેલી.
 
 
તો કોર્પોરેટર ભાઇઓ, તમારે આ ખાઇ બદેલી નોકરશાહી થી ચેતવાનું છે. અને તમારી ઉપરાંત આ કમીશ્નરસાહેબોની અને તેમના સેનાનીઓની લાલસઓનું દમન કરવાનું છે.
 
નરેન્દ્રભાઇ મોદીએ તમારી ઉપર નિરીક્ષણની જવાબદારી નાખી છે. તમારે તેને લાયક બનવાનું છે.તમારે કોર્પોરેટરપદ શોભાવવાનું છે. તમારે કોર્પોરેટરપદ ભોગવવાનું નથી.
 
 
 
ચમત્કૃતિઃ
 
 
ચક્રેશ ઈન્દ્રપદમ્, સુરપતિ બ્રાહ્મમ્‌ પદમ્‌ વાંચ્છતિ,
બ્રહ્મા વિષ્ણુપદમ્‌, હરિઃ હરપદમ્‌, આશાવધિં કઃ ગતઃ?
 
 
(ધનલાલસા વધતાં વધતાં) જ્યારે તમે ધનપતિ થાઓ ત્યારે તમને નગરશેઠ થવાની લાલસા થાય છે. તે પ્રાપ્ત કર્યા પછી તમને રાજા થવાની આશા(લાલસા) રાખો છો. રાજા થાઓ તો તમે ચક્રવર્તિ રાજા થવાની આશા(લાલસા)  રાખો છો. ચક્રવર્તિ રાજા થયા પછી તમે ઈન્દ્ર રાજા થવાની આશા(લાલસા)  રાખો છો. ઈન્દ્ર થયા પછી તમે બ્રહ્મા અને તે પછી વિષ્ણુ અને તે પછી રુદ્ર થવાની આશા(લાલસા)  સેવો છો. આશાના (લાલસાના) અંતને કોણ પામ્યું છે?
 
 
 
શિરીષ મોહનલાલ દવે
 
ટેગઃ મ્યુનીસીપલ કમીશ્નર, કોંગીજનો, કોર્પોરેટર, મીલીભગત, બે નંબરી પૈસા, ઈમ્પેક્ટ ફી, ફુટપાથના કોન્ટ્રાક્ટ, પૈસા ઉઘરાવો,
I am Municiple Commissioner Son in Law of X Pradesh Congress President

I am Municiple Commissioner Son in Law of X Pradesh Congress President

Read Full Post »

WE KNOW THIS MUCH THAT MOTHER HAS CALLED US THAT IS ALL

WE KNOW THIS MUCH THAT MOTHER HAS CALLED US THAT IS ALL

 
जनताने की महानगरोंमें
बीजेपी की जयजय कार
और
दैत्यकोंगी को
पहोंचाया पाताल
 
कोंगीजनोने गुजरातके महानगर पालिकाओंके चूनावके प्रचारके समय क्या बोला था?
 
मोदीसरकार भ्रष्ट है,
मोदी सरकारने इन्फ्रास्ट्रक्चरका काम नहीं किया है,
मोदीसरकारमें सडकोंकी हालत खराब है,
मोदीसरकारमें गुन्डागरदी है, 
मोदीसरकार हप्तावसुली (खंडणीखोरोंकी) की सरकार है,
मोदीसरकारमें स्त्रीयोंकी और बच्चोंकी हालत बदतम है,
मोदीसरकार जनताके पैसेका व्यय करती है,
मोदीसरकार विकासका भ्रम पैदा करती है
मोदीसरकारने शिक्षणका व्यापारीकरण कीया है
मोदी सरकार निकम्मी सरकार है
इसलिये आप हमे कोंग्रेस (कोंगी) को वॉट दें
हम साफसुथरा शासन देंगे,
हम पीनेका पानी देंगे,
हम ड्रेनेज सुविधा बहेतर करेंगे
हम मार्ग व्यवस्थामें सुधार लएंगे
हम बहेतर बिजली लायेंगे
————-
 
कोंगीने गुजरातके महानगरोंमें २५ सालसे ज्यादा काम किया, लेकिन उसने जो वादे किये है वह उसने अपने शासनमें क्यों पूरा  नहीं किया? उसको किसने रोका था?
 
—————–
  
नरेन्द्रमोदीके शासनमें और बीजेपीके महानगर पलिकाओंके शासन दरम्यान
 
शहरोंकी और ग्राम्य क्षेत्रोंकी सूरत काफी सुधर गई है.
 
रणप्रदेशमें पानी पहोंचाया है,
हरेक गांवमें बीजली है,
हरेक गांवमें मार्ग सुविधा है,
सडकोंकी हालत कोंगीके जमानेसे कइ गुना अच्छी है,
नगरोंमें अनेक फ्लाइओवर बने हैं,
रास्ते चौडे हुए है,
तालब और उजड भूमि थी सबको विकसित कीया है और पीकनीक प्लेस जैसा कर दीया है,
नर्मदा और सरस्वतीका संगम करवाया है,
 
पब्लिक ट्रान्सपोर्ट में असाधारण सुधार हुआ,

जनमार्ग बने,

और कईसारी योजनाएं पाईपलाईनमें है
नये नये विश्वविद्यालय बने है, स्कुलोंमें सुधार हुआ है,
बच्चोंमें ड्रोप आउप रेशीयो बिलकुल कम होगया है,
कन्या शिक्षणमॅं अतिसुधार हो गया है,
मुस्लिमोंको भी अहेसास हो गया है कि, बीजेपी का शासन सुविधा बढाने वाला सुशासन है.
 
अगर अंधी कोंग्रेसको नहीं दिखाइ देता है तो जनता क्या करे?
 
जनता तो विश्वास हो गया है कि,
 
कोंग्रेस से भ्रष्ट कोई हो नहीं शकता,
 
प्रत्यक्ष प्रमाण के आधार पर जनताने बीजेपी को अत्यंत भारी बहुमतसे जिताय है. इसमें मुस्लिम जनताने साथ दिया है. ईसलिये कोंगीके पैरकी नीचेकी जमीन खीसक रही है.
 
जनता जनार्दनने ठान लिया है कि ये कोंगी दैत्यों का स्थान पातालमें हैं.
        
गुजरात की जित विकासकी  है
अब भारतकी बारी है
 
गुजरातमें कोंगीको पीटी है
पूरे देशमें उसको पीटना है.

THE PEOPLE OF GUJARAT HAS RESPONDED FIRMLY THE CALL OF MOTHER INDIA

CRUSH CONGI

CRUSH CONGI

   
 बीजेपीकी जयजयकार, कोंगीदैत्य गया पाताल, महानगर चूनाव, गुजरातकी जित, भारतकी बारी

Read Full Post »

 
 WEALTH IS WEALTH

WEALTH IS WEALTH

બીજેપીના માથાં દશ અને કોંગીનું માથું એક
  
નહેરુવીયન કોંગ્રેસની એક જાહેરાત ટીવી ઉપર તમે તેની મજા માણી શકો તે કરતાં અનેક વખત રીપીટ થયા કરે છે.
  
“ભાજપના માથાં દશ …. ” અને પછી દશ દૂર્ગુણો એક એક કરીને એક એક માથું વધારતા જઈને દર્શાવવામાં આવે છે.
  
હવે જો કોંગીજનોએ બીજું કંઇ પણ આત્મખોજ કરી હોત તો તેમને હજી પણ વધુ દુર્ગુણોના નામ મળી શક્યા હોત.
  
સચોટ નામવાળા દુર્ગુણો જો ગણાવ્યા હોત તો માથાંની સંખ્યા ઓછી પણ કરી શક્યા હોત. પણ આમાં ગેરસમજ થવાની મુશ્કેલીઓ હતી.
  
ધારોકે બીજેપીને બે માથાવાળા વાળો કહ્યો હોત તો સાહિત્યિક રીતે આ ચૂંટણી  જાહેરાત વધુ રસિક બનાવી શકાઈ હોત.
  
કોંગીજનો જેમનું માથાનું મગજ તો દિલ્હીમાં હોય છે અને “મોતનો સોદાગર”વાળી થાય તો મોદીકાકા “ભારે કરી” નાખે. વળી દીલ્હીને થોડી અમથી પાર્લામેન્ટની સીટવાળા પણ વીંછીના દાબડા જેવા ગુજરાતમાં હસ્તક્ષેપ કરવામાં ખાસ રસ નથી. પણ ગુજરાતના મોદીને વગોવવાથી બિહાર યુપી જેવામાં આડકતરી અસર ઉભી કરી ફાયદો કરી શકાય તો સારી વાત છે. અને કોંગીનેતાગીરીને એટલો જ રસ છે. મોદીકાકાની બુરાઈ થાય એટેલે બસ.
  
  
અનંત દુર્ગુણો વાળો
વાત હતી માથાઓની. દુર્ગુણો તો એક થી અનંત ગણાવી શકાય.
એક દુર્ગુણ તો ઓછો પડે. અનંત દુર્ગુણો વાળો કહેવો હોય હજાર દુર્ગુણ છે એમ કહેવાય. એટલે કે હજાર માથાવાળો કહેવાય.
  
બીજેપી હજાર માથાવાળો તો કેમ કહેવાય?
હજારમાથા વાળો અને હજાર હાથવાળો તો ઈશ્વર છે. તેથી દુર્ગુણ તો દુર્ગુણને ઠેકાણે રહે અને હજારમાથાવાળો અને હજાર હાથવાળો વધારે પ્રચલિત થઈ જાય.
  
  
“બે માથાવાળો બીજેપી” એમ કહીએ તો ઠીક રહે?
તારક મહેતાના “ઉંધા ચશ્મા”વાળા લેખોમાં “બે માથાળા બોસ”ની વાતો આવે છે. કોંગી જનો “બે માથાળા” ઉપર ઘણો સારો પ્રકાશ પાડી શકે.
  
પણ પછી એવું પણ બની શકે કે “વજ્રાદપિ કઠોરાણી મૃદુનિ કુસુમાદપી” (વજ્રજેવા કઠોર અને પૂષ્પ જેવા મૃદુ) એવો અર્થ શ્રી મોદી કાકા, કવિ હોવાના નાતે વહેતો કરે તો તે અર્થ વધુ પ્રચલિત અને લોકપ્રીય થઈ જાય.
  
  
“ત્રણ માથાં વાળો બીજેપી” એમ કહે તો ત્રણ દુર્ગુણો કહી શકાય. જોકે તે ઓછા પડતા હોય એવું કોંગીજનોને લાગે. વળી ત્રણ માથાં તો શિવને અને દત્તાત્રેયને પણ છે. એટલે એને પણ જવા દો.
  
  
“ચારમાથાંવાળો બીજેપી” એમ કહીએ તો દુર્ગુણ તો ઓછાપડે. પણ જો સચોટ પસંદગી કરીએ તો ચાલે. પણ ચારમાથાંવાળા તો બ્રહ્માજી છે.એટલે વિશ્વકર્માજીના ઉપાસકો નારાજ થાય. નાતજાતના ભેદભાવ ઉત્પન્ન કરનારા કોંગી જનોને મતગુમાવવાનો ડર તો રહે જ. કારણ કે ધર્મ સાથે સાંકળવામાં આવતા બીજેપીને બ્રહ્માજીની જરાક પણ નજીક ન લઈ જવાય. કારણકે વિશ્વકર્માની જેમ બીજેપીના સમયમાં ભારતમાં પૂરજોશમાં માળખાકીય કામો થતા હતા અને ગુજરાતમાં તો ચાલુ જ છે. અને આ વાતને જો બીજેપીવાળા ચગાવે તો “ભારે થાય”.
  
  
“પાંચમાથા વાળો બીજેપી” એમ કહીએ તો દુર્ગુણોને બદલે પંચેશ્વર અને પંચાનન એવું ઈશ્વરીય તત્વ દાખલ થઈ જાય.
  
  
“છ માથાંવાળો બીજેપી” એમ કહીએ તો કર્તિકસ્વામી સાથે બીજેપીનું તાદાત્મ્ય સધાઈ જાય. એટલે દક્ષિણભારતીયોનો તો એક પણ મત કોંગીને ન મળે.
  
  
“સાતમાથાંવાળો બીજેપી” એમ કહીએ તો સપ્તર્ષિ થઈ જાય.
  
“આઠ માથાંવાળો બીજેપી” કહીએ “માં” ભગવતીઓ થઈ જાય. અને તો તો કોંગીજનો ની “ભારે થાય”. વળી નવરાત્રી પણ ચાલે છે.
  
  
“નવમાથાં વાળો” બીજેપી કહીએ તો “નવરાત્રી”માં કોંગ્રેસને નવડાવો એવો પ્રચાર થઈ જાય.
  
  
“દશમાથાં વાળો બીજેપી” એ કોંગીજનોને ઠીક લાગ્યું. જોકે આમાં પણ તકલીફ તો છે.
અકબરને “નવ રત્નો હતા”. એટલે કે નવ સલાહકારો હતા. અને એક અકબર પોતે.
  
અકબર પોતે એટલા માટે કે અકબરને પણ એક માથું હતું અને અકબર પોતાના માથાનો ઉપયોગ કરતો હતો.   અકબરને માટે “મૌતકા સોદાગર”વાળીના જેવી સ્થિતી ઉત્પન્ન થઇ ન હતી. કારણ કે તેવી સ્થિતી ઉત્પન્ન થઈ હોય એવું સાંભળવામાં આવ્યું નથી.       
   
પણ કોંગીજનોને લાગ્યું કે નવરાત્રી છે, દશેરા પણ આવશે. દશમી તારીખ પણ છે. અને દશ માથાંવાળો રાવણ પણ હાથ વગો છે. મોદીકાકા દશ – દશ – દશ એટલે કે મોદીકાકા ના શાસનનો દશમા વર્ષમાં પ્રવેશ, (બે હજાર) દશની સાલની દશમી તારીખ એવો જે પ્રચાર કરે છે તેના કરતાં આપણે જો દશમાથાંવાળા  રાવણ જેવા બીજેપી, તેના દશ દુર્ગુણો અને દશમી તારીખનો વિલાયતી દશેરો, એમ એ દશ – દશ -દશ ના દિવસે આપણા આ રાવણનો વધ એવી વાત ચલાવીએ.
  
બીજેપીને ઘણા માથાં
બીજેપીને આમ તો ઘણા માથાં છે. અને હોય જ. લોકશાહીમાં એક માથાનું જ જો ચાલે તો એને લોકશાહી ન કહેવાય.
  
કોંગીજનોનો શબ્દકોષ અલગ જ છે. કોંગી એટલે કે ઇન્દીરા ગાંધીની કોંગ્રેસ જેમાં ઇન્દીરાગાંધીની ટર્મીનોલોજીએ નક્કી કરેલા અર્થો ચાલે છે. કોંગીની વ્યાખ્યાઓને જયપ્રકાશ નારાયણ હમ્ટી-ડમ્ટી કહેતા હતા. હવે આ વાતની વિગતમાં જવું હોય તો એક અલગ લેખ લખવો પડે.
  
  
એક માથાવાળા ને એક દુર્ગુણ
હવે વાત રહી દશમાવાળા ના દુર્ગુણોની. દશમાથાવાળાને દશ દુર્ગુણ હોય અને એક માથાવાળા ને એક દુર્ગુણ હોય એવું આવા તર્કથી નિસ્પન્ન થાય. અને જેને એક પણ દુર્ગુણ નહોય તેને માથું જ નહોય. કોંગી જનો આ હિસાબે જો દુર્ગુણ રહિત હોય તો તેમને માથું જ ન હોઈ શકે.
  
  
માથા અને દુર્ગુણોની વચ્ચે શું સમીકરણ છે તેની શોધ કરવામાં કોંગી જનોને નાપાસ જ કરવા પડે. પણ એકવાત સૌ કોઇ જાણે છે કે કોંગીને એક જ માથું છે. અને તે માથું દિલ્હીમાં ૧૦ સફરદગંજમાં નહેરુવંશના નિશ્ચિત ફરજંદ પાસે રાખવામાં આવે છે. અલબત્ત એ માથું ફર્યા કરે છે પણ ખરું અને તેમાં રહેલા સ્મૃતિદોષો અને સમજણદોષો અવારનવાર જનતાના ખ્યાલમાં આવતા રહે છે.
 

 
તો હવે આ માથામાં ગુણ અને દોષ વિષે શું છે?

  

અમારે ભાવનગરમાં એક શ્યામસુંદરભાઇ હતા. અને રમૂજી ટૂચકાઓમાં તેમનો જોટો જોયો નથી.
  
  
  
“કશું મોળું ન ખપે”
  
એક મુરતીયાભાઇ હતા. તેમને એક કન્યા જોવા જવાનું હતું. મુરતીયાભાઇના પિતાશ્રીને થયું કે પોતાનો સૂપુત્ર જો મુંગો રહેશે અને તેને બદલે તેનો મિત્ર તેના વિષે માહિતીઓ આપશે તો ઠીક રહેશે. મુરતીયાના મિત્રને સૂચના આપી કે જો ભાવી વેવાઈને ઘરે જાઓ છો તો કશું મોળું ન બોલવું. વધારી ચડાવીને બોલવું.
બંને જણા કન્યાના પિતાને ઘરે પહોંચ્યા.
  

કન્યાના પિતાએ પૂછ્યું “શું ભણ્યા છો?”
 
મુરતીયાના મિત્રે કહ્યું “કોલેજ પૂરી કરી નાખી છે”
 
કન્યાના પિતાએ પૂછ્યું ” તો તો નોકરી કરતા હશે?”
 
મુરતીયાના મિત્રે કહ્યું; “હૉવઅ, બેંકમાં નોકરી કરે છે ને ..”
  
કન્યાના પિતાએ પૂછ્યું “કયા પદ ઉપર છે ..?”
  
મુરતીયાના મિત્રે કહ્યું; ” મેનેજર છે ને …  મેનેજર… બેંકમાં મેનેજર છે.”
  
કન્યાના પિતાએ પૂછ્યું ” તો તો સારો પગાર હશે!”
 
મુરતીયાના મિત્રે કહ્યું; ” પૉન્સ ઑકડામાં છે … પૉન્સ”
 
આમ વાત આગળ ચાલી …

ત્યાં મુરતીયા ભાઇ એ થોડા ઉધરસ ખાધી.
કન્યાના પિતાએ પૂછ્યું; “શું શરદીની ઉધરસ છે કે સાદી ઉધરસ છે?”
મુરતીયાના મિત્રે કહ્યું; ” અરે ટી.. બી..   છે.”
 

 

મુરતીયાભાઈના મિત્રને થયું હશે કે કોઈપણ વાતમાં મોળું શું કામ હોય!!
 
 
આપણા કોંગીજનોને પણ કંઇક આવું જ છે.
 
 
ચીન સાથે ના યુદ્ધ સમયે અને તે પછી સંરક્ષણ જરુરીયાતોને પહોંચીવળવા લોકોએ સોનાના ઘરેણાં દાનમાં આપ્યા તે ચાંઉ થઈ ગયા,
 
પ્રતિજ્ઞા પાલનની વાત કરોછો? ચીન સાથેના યુદ્ધમાં ગુમાવેલા પ્રદેશને પાછો લેવાની અમારી પ્રતિજ્ઞાની વાત કરો? ગાંડા થયા લાગો છો?
 
૧૯૬૯ના અરસામાં વડાપ્રધાનના કહેવાતા ફોન કરવાથી ઉપર બેંકમાંથી ૬૦લાખ રુપીયા  ઉપાડાયા.
 
કોણ હતું? વડાપ્રધાનનો એકવખતનો સીક્યોરીટી ઑફીસર નગરવાલા. જેલમાં એ મરી ગયો,
 
તપાસ અધીકારી પણ તપાસ કરતાં કરતાં રહસ્યમય રીતે મરી ગયો,

એલ એન મીશ્રાનું ખૂન થયું,

 

સંજય શર્મા નામનો શખ્ક્ષ એટલો જોરદાર કે કંઇક સ્ત્રીઓ ઉપર રેપ કર્યા, અને કેરોનનો સુપૂત્ર પણ કે એવા બીજા ઘણા કંઇક કમ ન હતા, જગ્ગુબાબુના સૂપુત્રના તો ફોટા પણ છપાયેલા.
 
 
કટોકટીની તો વાત જ જવા દો. બધા જ દુરાચારોની ઋતુઓ એક જ જગ્યાએ જોવી હોય તો કટોકટીનું સેવન કરો.
 
 
જૂઠની વાત કરોછો? અરે ભાઇ સાચું ક્યારે બોલ્યા જ છે.
 
 
વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર,
શૂરા બોલ્યા ન ફરે, પશ્ચિમ ઊગે સૂર.
 
૧૯૫૨માં પણ બોલેલા કે ગરીબી હઠાવો, અને ૨૦૦૮ માં અને અત્યારે પણ બોલીએ છીએ કે ગરીબી હઠાવો. હા જી .. તમારી કૃપા છે…
 
 
ભગવા આતંકવાદની વાત કરો છો? અરે ભાઈ ભીંદરાણવાલેને કોણે જન્માવ્યો હતો. એ તો ઈન્દીરામાઈ નો (અમારો) માનસ પુત્ર હતો.
 
 
ખંડણી ઉઘરાવવાની વાત કરો છો? અરે ભાઈ દાઉદથી મોટો ખંડણી ઉઘરાવનારો નથી જન્મ્યો અને નથી જન્મવાનો. આજની તારીખમાં પણ અમારા મિત્રોની મદદથી તેના ધંધા ચાલે છે.
 
પકિસ્તાનમાં તે હિન્દુસ્તાનનો આજની તારીખનો પણ બેતાજબાદશાહ ગણાય છે. અને અહિં પણ બધા તેના સાગરીતો કોણ છે એ વિષે અમુક લોકો ઘણું બધું જ જાણે છે.
 
 
કટકી અને ખાયકીની અને પૈસાની હેરાફેરી ની વાત કરીએ તો કોંગ્રેસનો નહેરુવિયનના ફરજંદો સહિતનો જોટો નથી એ વાત તો આખી દુનિયા જાણે છે. સિમલા કરારની ઇન્દીરા ગાંધીની અંડરટેબલ ડીલ હોય કે બોફોર્સસોદાની કટકી હોય કે એન્ડરસન અને દાઉદને ભાગી જવાનો રસ્તો કરી આપવાની વાત હોય, કે યુએસના એરપોર્ટ ઉપર કરોડોની કેશ સાથે પકડાઈ જવાની વાત હોય હવે કાંઈ ખાનગી વાત રહી નથી.
 
 
વાત રહી ખોટું બોલવું અને તેપણ શપથપૂર્વક એને માટે તો સ્વામી સુબ્રહ્મનીયમ અને ઇલેક્સન કમીશન અને હવે આપણે પણ  સ્વામી સુબ્રહ્મણીયમ થકી જાણીએ છીએ.
 
 
હવે વાતો કરીએ એ કોંગી લટકાઓની.
 
જમવામાં જગલો અને કુટાવામાં ભગલો
 
જમવામાં જગલો એટલે કે નહેરુ અને તેના ફરજંદો. દા.ત. ચીન સામે હાર તો જવાબદારી વીકે મેનન. અને પાકિસ્તાન સાથે યુદ્ધના વિજયની વાત હોય તો જગજીવનરામ ને ક્રેડીટ નહીં પણ ક્રેડીટ આપવાની ઈન્દીરામાઈને.
 
 
પ્રપંચ કરવો હોય તો વી.પી. સીંઘ ઉપર લગાવેલા બનાવટી અક્ષેપ માટે સેન્ટ કીટ નું ચેપ્ટર વાંચો.
 
 
એકભાઈએ પોતાના બધા ગુણો ગણાવ્યા. સામાવાળા ભાઇને લાગ્યું કે આ તો સર્વગુણસંપન્ન છે.
 
 
એટલે સામે વાળાએ તેના સાગરીતને પૂછ્યું શું તમારા મિત્રમાં એક પણ દુર્ગુણ નથી?
 
 
સાગરીત ભાઈએ કહ્યું ” છે ને વળી .. એક દુર્ગુણ પણ છે.
એમને ખોટું બોલવાની ટેવ છે.
 
 
ઇન્દીરાઈ કોંગ્રેસવાળા કદાચ માનતા હશે, કે અમારામાં ભલે હજાર દુષણો હશે. પણ અમારા બધા દુષણો ને અમે અમારા ધન થકી ઢાંકી દઈ શકીએ છીએ.
 
 
હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય અપિહિતં મુખમ્‌
 
સત્યનું મોઢું સોનાના પાત્ર વડે ઢાંક્યું છે. (જોકે ઉપનિષ‌દ્‌ નું આ ઉચ્ચારણ અનેક અર્થો ધરાવે છે તેથી સુજ્ઞજનોએ ઉત્તેજીત ન થવું)
 
 
શિરીષ મોહનલાલ દવે
 
 
ચમત્કૃતિઃ
 
ઊંટ (કોંગ્રેસ) કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુને પક્ષીઓ અપાર છે,

બગલાની ડોકવાંકી, પોપટની ચાંચવાંકી,
વારણની (હાથીની) સુંઢવાંકી, ભેંસના તો શીંગવાંકા,કુતરાની પૂંછ વાકી, વાંકો વિસ્તાર છે,
સાંભળી શિયાળ બોલ્યું દાખે દ લ પ ત રા મ,

અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે.
 

 

 

After all Wealth is Wealth

After all Wealth is Wealth

Read Full Post »

CONG-I WANTS MUSLIMS OUT OF MAIN STREAM

CONG-I WANTS MUSLIMS OUT OF MAIN STREAM

 
સેક્યુલર  સુરોની સા રે ગ મ
  
અલ્હાબાદ હાઈકૉર્ટનો ચૂકાદો આવ્યો તે પહેલાં અને તે પછીના જે સૂરો જે જે જત્થાઓએ વહેતા કર્યા તે ઉપરથી તેઓ ક્યાં છે તે સુજ્ઞ જનો જાણી શકે છે.
 
 
નહેરુવીયન કોંગ્રેસે ધાર્યું હોત તો અયોધ્યાની સમસ્યા હલ કરી શકી હોત. પણ આપણે જાણીએ છીએ કે નહેરુવીયન કોંગ્રેસી લીડરોમાં એવી વૃત્તિનો અભાવ છે.
 
ખૂના મરકી થાય, છૂરીબાજીઓ થાય … બોંબ ધડાકા થાય તો ભલે થાય, દેશને નુકશાન થાય તો ભલે થાય પણ આપણું વોટ પોલીટીક્સ ચાલુ રહે અને આપણે લઘુમતિઓના વૉટ ઝબ્બે કરી શકીએ તો તેથી વધુ રુડું શું? કોંગીની આવી ચાલ રહી છે અને તે તેને ઠીક ઠીક ગોઠી ગઈ છે.
 
૮૦ ટકા બહુમતિ હિન્દુઓની છે. અને તો પણ કૉગી તેમની વિરુદ્ધ જઈને સત્તા ભોગવી શકતા હોય તો આ કોંગી જનો ની અક્કલને દાદ દેવી ન પડે?
 
જો તમે ચાલાકીપૂર્વક જેઓ ગરીબ, અભણ અને બેકાર અને પ્રચંડ બહુમતીમાં છે તેમને છૂટક રોટલા ફેકીંને તેમને તેવી જ સ્થિતીમાં રાખો અને ઉપરાંત વર્ગવિગ્રહ કરીને ભેદ ઉભા કરો અને તેમને છેતરી શકો તો ૮૦ ટકા વાળી વાતનું કોઇ મહત્વ રહેતું નથી.
 
આ અયોધ્યાની સમસ્યાવાળી જ વાતને લો ને. કોંગી પાસે નિરપેક્ષ બહુમતિ હતી. પહેલા દશકામાં નહેરુ પાસે સંનિષ્ઠ નેતાગણ હતું. પણ નહેરુ આ સમસ્યાને હલ કરવા માગતા જ ન હતા. સરકાર પાસે કાયદાકીય સલાહકારો હોય છે. અયોધ્યાની સમસ્યાની કાયદાકીય રીતે શી પરિસ્થિતિ છે અને ન્યાયાલયમાં શું હલ આવી શકે તેમ છે તે સરકાર અચૂક જાણી શકે.
 
 
બીજો વિકલ્પ
 
બીજો વિકલ્પ એ પણ હતો કે અયોધ્યામાં ઘણા આ ટીંબાઓ છે ત્યાં ઉત્ખનન કરો.
 
જો એકવાર પૂરાતત્વ ખાતાએ ખોદકામ કરતાં કરતાં પૂરા અયોધ્યાનો કબજો તબક્કાવાર લેવામાંડ્યો હોત તો પૂરાતત્વીય અવશેષોની વણઝાર ઉપસી આવત. અને યોગ્ય જગ્યાએ મસ્જીદને ખસેડીને તેની નીચે પણ ખોદકામ કરી શકાત. પ્રાચીન મંદીર જે પૂરાતત્વ સ્થાપત્યની દ્રષ્ટિએ મહત્વના હતા તેવા મંદિરને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડાયાના દાખલા ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. તેથી જો બાબરી મસ્જીદ જે ૫૦૦ વર્ષ જુની હતી તેને આવી રીતે ખસેડવામાં આવી હોત અને તેથી વધુ જુનું સ્થાપત્ય જે તેની નીચે વિદ્યમાન હતું તેને ખૂલ્લું કરવા માટે ઉત્ખનન કરવામાં આવ્યું હોત તો કોઈને વાંધો નહોત.
 
પણ કોંગી નેતાગીરી આવું શું કામ કરે? તેને તો હિન્દુઓ અને મુસ્લિમો ઝગડે એજ પ્રિય હતું અને છે. હિન્દુઓમાં પણ બૌદ્ધો, જૈનો, શીખો અને સનાતનીઓ ઝગડે તોજ તેમની સત્તા ટકી રહે.
 
સનાતનીઓમાં પણ સવર્ણ, અસવર્ણ, ગ્રામ્ય, શહેરી, ભણેલા, અભણ, મધ્યમ વર્ગ, નીચલો વર્ગ એવા ભેદ પાડી શકાય છે અને પાડ્યા છે. ભણેલાઓમાં પણ તટસ્થતાની ઘેલછાવાળા, પાશ્ચિમાત્ય સંસ્કૃતિની ઉત્કૃષ્ટતા સમજવાળા એવી જમાતો ઉભી કરી શકાય છે. ઐતિહાસિક ભ્રષ્ટતા ઉત્પન્ન કરી વિખવાદ ઉભો કરી શકાય છે. અને આવું બધું કરીને તેઓમાં “હું મરું પણ તને રાંડ કરું” એવી ભાવના વિકસાવી શકાય છે.
 
 
તમે જુઓ. બીજેપીને અને નેતાઓને કેવી રીતે ઉલ્લેખવામાં આવે છે.
 
 
નરેન્દ્ર મોદીને સતત વગોવાય છે:
૧૯૬૯ માં પણ હુલ્લડ થયું હતું. ૨૦૦૨ કરતાં પણ મોટું અને લાંબુ. તે હુલ્લડ પ્રત્યાઘાત રુપે પણ ન હતું. પણ તે વાતની ખોજ શું કામ કરવી? અને શામાટે મગજને તસ્દી આપવી?
 
નરેન્દ્ર મોદી ના સમયમાં ૨૦૦૨ માં હુલ્લડ થયું.
 
શા માટે?
 
૫૯ હિન્દુ પ્રવાસીના રેલ ડબ્બાને સળગાવી દેવાનું કાવતરું થયું અને તે પાર પડ્યું. તેના પ્રત્યાઘાત રુપે આખું ગુજરાત સળગ્યું (ધર્મ નિરપેક્ષ ગણાતા અંગ્રેજી સમાચાર પત્રો અને ટીવી ચેનલોના તે સમયે કહેવા મુજબ). મુસ્લિમો અને હિન્દુઓ મર્યા. પોલીસ ગોળીબારમાં પણ મર્યા. અને તેજ વાજીન્ત્રો આજ સુધી નરેન્દ્ર મોદીને વગોવ્યા કરે છે.
 
 
ગાંધીજીએ શું કહ્યું હોત?
 
 
ગાંધીજીએ “મોપલાઓ” જે મુસ્લિમ હતા તેઓએ સદંતર એકતરફી રીતે કરેલી ખૂનામરકી વિષે શું કહ્યું હતું? મોપલાઓ શાંત છે, ધર્મ ભીરુ છે અને પ્રેમાળ છે. તેઓએ જે કંઈ પણ કર્યું તેમાં તેમને નિરપેક્ષરીતે દોષિત ઠેરવાની જરુર નથી. પણ એ વાતની ઉંડી તપાસ કરો કે આવું તેમણે કયા કારણથી કર્યું. તેમના આચરણ વિષે સહાનુભૂતિ પૂર્વક વિચારો.
 
 
ગુજરાતીઓ પણ શાંતિપ્રિય છે, પ્રેમાળ છે અને ધર્મભીરુ છે. તમે હા કે ના કહો. પણ તમે જાણો જ છો કે અહીં બધા પરપ્રાંતીઓને આદરપૂર્વક રાખવામાં આવે છે. અને કાયદાનું સરખામણીએ સારુ શાસન છે. ગુજરાતીઓના ૨૦૦૨ ના હુલ્લડ વિષે પણ આરીતે જ વિચારવું જોઇએ.
 
ઈન્દીરાગાંધીના સમયમા:
 
૧૯૬૯નું હુલ્લડ ઈન્દીરાગાંધીના સમયમાં  હિન્દુઓને અને મુસ્લિમોને વિખૂટા પાડવા માટે થયું હોય તે કોંગી લક્ષણોને અનુરુપ છે. કારણકે તે વખતે કોઈ પણ એવો બનાવ બનેલ નહીં કે જેના પ્રત્યાઘાતરુપે હિન્દુઓ હુલ્લડ કરે. જમાલપુરમાં જગન્નાથના મંદીરની ગાયોને દોડાવી અને અફવાઓ ફેલાવી અને હુલ્લડ શરુ થઈ ગયું એ બનવા જોગ નથી. અને તમે જુઓ, ઇન્દીરાગાંધીએ તપાસ પણ ન કરાવી. અમુક સમયને અંતરે શ્રી હિતેન્દ્રભાઇ દેસાઈ કોંગ્રેસ (ઈન્દીરા) ને શોભાવવા માંડ્યા હતા.
 
 
ભારતીય પ્રજાને અંદર અંદર લડાવવી અને પોતાની સત્તા મેળવવી અને ટકાવવી તે કોંગી જનોનું ધ્યેય રહ્યું છે.
 
 
હવે બીજો દાખલો લો અડવાણીનો:
તટસ્થાતાનો અભરખો ધરાવતા મીડીયા મૂર્ધન્યો, અડવાણીનો ઉલ્લેખ જ્યારે ક્યારેય પણ કરે ત્યારે ૧૯૮૪ની રથયાત્રાનો વ્યંગાત્મક ઉલ્લેખ ન કરે તો તેમને “ફટ રે ભૂંડા” કહેવાય. ધાર્મિકતા નામે તેમને મરાય એટલા ગોદા મારી લો.
 
 
હિન્દુઓએ એક બહુ મોટો ગુનો કર્યો છે કે રામને તેમણે ભગવાન માન્યા. રામ કે જેઓ આદર્શ રાજા તરીકે વર્ત્યા અને લોકોએ કાળક્રમે તેમને ભગવાન માન્યા એ રામનો પણ ગુનો છે.
 
ઐતિહાસિક વ્યક્તિને અને તે મુઠી ઉંચેરા માનવીના જન્મ સ્થળને ધાર્મિક ખપાવી દો એટલે પત્યું. તમે તેઓનો પક્ષ લેનારા હિન્દુઓને પેટ ભરીને ભાંડી શકો છો. સામાન્ય માનવી તો શું પણ મૂર્ધન્યો પણ આ અસત્યની પરંપરામાં લપેટાઈ જાય છે તે દુઃખદ છે.
 
૧૯૯૯માં બીજેપીને પાર્લામેંટમાં વધુ સીટો મળી. માટે એક એવું ગતકડું વહેતું મૂકો કે બીજેપીને રથયાત્રા થકી સત્તા લાભ થયો. પછી ભલે ને એક જનરેશન પહેલાં ૧૯૮૪માં રથયાત્રા થઇ હોય. આમ તો આપણા મીડીયા મૂર્ધન્યો ખૂદ ૧૯૮૪ના ભોપાલના ગેસ કાંડને પર્યાપ્ત મહત્વ આપવાનું તે પછીની તાત્કાલિક થયેલી ચૂંટણીમાં ભૂલી ગયેલા, અને રાજીવ ગાંધીને અભૂતપૂર્વ બહુમતિ અપાવેલી. પણ મીડીયા મૂર્ધન્યો તો દૈવી વ્યક્તિઓ છે અને તેમને બનાવોને સાંકળવાની બાબતમાં કાળનું બંધન હોતું નથી. વાંચો રમણભાઈ નીલકંઠનું ભદ્રંભદ્ર.
 
 
અડવાણીને અવારનવાર ગોદા મારી લેવાનું બીજું પણ એક હાથવગું શસ્ત્ર છે. તેઓશ્રી પાકિસ્તાનમાં જીન્નાની કબર ઉપર માથું ટેકવી આવ્યા.
 
 
દૂર્યોધન (કે સુયોધન) મર્યો એટલે કૃષ્ણ અને યુધિષ્ઠિરે પણ તેનો માનસાથે અંતિમસંસ્કાર કર્યો. રામે પણ રાવણ વિષે તેમજ કર્યું.નહેરુ ગુજરી ગયા, તે વખતે રામમનોહર લોહિયા અમેરિકા હતા. શ્રી લોહિયા આમ તો નહેરુના પ્રખર ટીકાકાર હતા. તેમને નહેરુ વિષે અજુગતો સવાલ કરવામાં આવ્યો. તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે આ યોગ્ય સમય નથી. તેઓ ભારતના માન્ય નેતા હતા.  આ ભારતીય સંસ્કાર છે. અડવાણીએ ભારતીય સંસ્કાર નીભાવ્યો. પણ મતિભ્રષ્ટ નેતાઓ અને મીડીયા મૂર્ધન્યો આ સંસ્કાર ન સમજી શકે. તેમના માપદંડ વ્યક્તિનિષ્ઠ હોય છે.
 
 
અડવાણી વિષે આવા ત્રણ ચાર વિવાદોને ચગાવો. આમેય એ ભાઇ સિન્ધી છે અને સિન્ધીઓની મથરાવટી મેલી ગણવામાં આવે છે. તેનો પણ ઠીક ઠીક લાભ મળશે. પ્રમાણ ભાન, સંદર્ભ એ બધું બકવાસ છે.
 
કોંગી માટે બધું સુપેરે ચાલતું હતું. જોકે થોડી થોડી અડચણો હતી. પણ તેના તો જવાબો પણ હતા.
 
જેમકેઃ
 
ભાવ વધારોઃ
 
એતો તમે શરદપવાર ઉપર ઢોળી દો. પણ એણે તો કહ્યું કે આતો સામુહિક જવાબદારી છે. વડાપ્રધાન પણ જવાબદાર છે. હવે આપણા વડાપ્રધાન તો કેટલા સુશીલ, નમ્ર અને ભણેલ છે. તેમને કંઈ વાંકમાં લેવાય. એતો વરસાદ થશે અને પાક થશે એટલે ભાવ વધતા અટકશે તેને આપણે સસ્તાઈ તરીકે પ્રસારિત કરીશું.
 
કોમનવેલ્થ ગેમના બેસુમાર કૌભાન્ડઃ
 
કોમનવેલ્થમાં વેલ્થ છે. ગોકીરો નાહકનો છે. બાબલાઓને સફાઇમાં લગાવી દો. લશ્કરને લગાવી દો. લશ્કર તો “ફટકે” બધું કામ કરી નાખશે. ૫૫ કરોડને બદલે ૭૦ હજાર કરોડ ખરચ્યા છે તે કંઈ ઓછો ભભકો નહીં દેખાડે. ભલેને ૬૯ હજાર કરોડ ચાવી ગયા હોઇએ. બાકી રહ્યા હઝાર કરોડ પણ અધધ છે, એ કંઇ એળે નહીં જાય. ઝાકઝમાળ બધું ભૂલાવી દેશે. હાલ તૂર્ત કલમાડીની ઉપર દોષનો ટોપલો ભલે રહ્યો.
 
રેલ અકસ્માતોઃ અરે ભાઇ, એતો મમતા બેનરજીનું ખાતુ છે. અને રેલ્વેમાં બેસવાવાળા બધા ક્યાં મરી જાય છે? જીવે છે એની વાત કરોને?
 
 
હાઈ કૉર્ટે નાખ્યું હવનમાં હાડકું:
 
હાઈકોર્ટના ચૂકાદા પહેલાં તો કોંગી અને દંભી મીડીયા અને મૂર્ધન્યોએ જીભ કચરેલી. કે ચૂકાદો બધાએ માન્ય રાખવો. આ લોકો એવું માનતા હતા કે ન્યાયમૂર્તિઓ પણ આપણા જેવા જ મૂર્ધન્યો છે. અને તેમના અવલોકનો પણ આપણા જેવા જ રહેશે. વળી તેમને પ્રમોશનો અને ચેરમેન પદો પણ જોઇતા જ હશે એ વાતનો ખ્યાલ ન્યાયમૂર્તિશ્રીઓ જજમેન્ટ આપવામાં રાખતા જ હશે.
 
વળી તેઓમાં બે હિન્દુ છે અને એક મુસ્લિમ છે. હવે મુસ્લિમ જજસાહેબ તો આપણી ભેળમાં જ હોય. બે હિન્દુમાંથી એક માડી જાયો આપણી ભેળમાં રહેશે જ.
 
પણ ન્યાયલયનું સિંહાસન ઘણીવાર ઉજ્જૈનના પરદુઃખભંજન વિક્રમાદિત્યનું બની જાય છે.
અને ન્યાયમૂર્તિઓ કાયદામાં રહેલી જોગવાઈઓ અને પ્રણાલીઓના આધારે ચૂકાદાઓ આપે છે. આ કોંગી અને મીડીયા મૂર્ધન્ય મહાનુભાવો જેઓ પોતાને અતિશ્રુત સુજ્ઞ માનતા હતા, તેઓશ્રીઓ ઉપરોક્ત વાતથી અજ્ઞ હતા. હવે કોંગીજનો માટે તો થુંકેલું ગળવામાં છોછ નથી પણ મીડીયા મૂર્ધન્યો માટે તો અઘરું છે.
 
 
શું તેઓ સમયને દર્દની દવા માનશે?
 
પણ વાત એટલી સહેલી નથી. કોંગી જનો માટે તો કપરાં ચઢાણ છે.
કૉર્ટ અને તે પણ વાળી હાઇકોર્ટના ચૂકાદાઓ દીશાસૂચક પણ હોય છે. એટલે કે કોઇ સમસ્યાને કાયદાકીય રીતે કેવા સંદર્ભમાં જોવાય છે તે દર્શાવે છે.
 
રામ અને તેમના જન્મસ્થળ વિષે શું નિસ્કર્ષ હોઈ શકે?
મસ્જીદની નીચે ખોદતાં જે અવશેષ મળ્યા તેથી શું સમજી શકાય?
ધાર્મિક માન્યતાના પરિપેક્ષ્યમાં શું નિર્ણય લઇ શકાય?
 
આ બધી બાબત વિષે વધુ કઈ દીશામાં વિચારી શકાય તેનો હાઇકોર્ટ નિર્દેશ કરે છે.
 
 
કૉર્ટે એક ના બે કર્યા. હાજી. તેણે એક દડાના બે દડા કર્યા:
 
હવે દડો મુસ્લિમભાઇઓના ચોકમાં અને બીજો દડો કોંગીના ચોકમાં આવ્યો છે. કોંગીના ચૉકમાં દડો એટલા માટે છે કે તે રાજ કરે છે.
 
દડો તો એક જ હતો. પણ કોંગી અને તેના સાથીઓ તેનો ઉકેલ લાવવા મગતા ન હતા. કોંગી અને તેના મળતીયાને મન મુસ્લિમોને સામાન્ય પ્રવાહથી અલગ રાખવાથી તેમના મત ઝબ્બે કરી શકાતા હતા. અને તેમને માનીલીધેલ હિન્દુવાદી પક્ષોથી ડરાવી શકાતા હતા. કૉર્ટના ચૂકાદાથી હવે કાયદેસર શું કરી શકાય છે તે ઠીક ઠીક સ્પષ્ટરીતે બહાર આવ્યું છે.
 
 
કોંગીએ ભોગવવાની છે ગર્ભધાન વગરની પ્રસૂતિની પીડા:
કોંગી હવે બે હાથમાં લાડુ રાખી શકે તેમ નથી. લાડુની વાત જવા દો હવે તો ગર્ભધાન વગરની પ્રસૂતિની પીડા ભોગવવાનું ભાગે આવ્યું છે.
 
હવે જો મુસ્લિમ ભાઇઓ સર્વોચ્ચ અદાલતમાં જાય તો ચૂકાદો પાછો ઠેલાય પણ તેથી મુસ્લિમભાઇઓને કંઈ વધુ લાભ થાય તેવી શક્યતા જોવાતી નથી. વળી સુજ્ઞ મુસ્લિમભાઇઓ અળખામણા થવા માટે કંઈ સર્વોચ્ચ અદાલતમાં જવાનો વિચાર ન કરે.
 
કોંગીએ જો અગાઉ આ પ્રશ્ને સમાધાનકારી વલણ અપનાવ્યું હોત તો ૫૦=૫૦ માં પતી જાત. પણ કોંગીને તો એમ કે આપણું શું જાય છે? ભલેને બે લડે, આપણે તો મુસ્લિમોના કેવા મજાના વૉટ અંકે કરી શકીએ છીએ! અને હવે મુસ્લિમોને ભાગે ૧/૩ એટલે કે ૩૩.૩૩ ટકા આવ્યા.
 
 
મુસ્લિમભાઇઓ કોંગીની છેતરામણી ચાલ સમજી ગયા છે અને જાગૃત થયા છે:
મુસ્લિમભાઇઓને ખ્યાલ આવિ ગયો છે કે આ કોંગી તેમને હિન્દુઓથી અળગા રાખીને આપણને ઉલ્લુ બનાવે છે.
 
ગુજરાતના મુસ્લિમભાઇઓ તો આ વાત ખાસ સમજી જ ગયા છે. અને તેથી અત્યાર સુધી આ પ્રવાહ બીજા રાજ્યોમાં ન ફેલાય તે માટે કોંગી જનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. કઠલાલ ના ચૂકાદા અને હવે હાઈકોર્ટના ચૂકાદાથી કોંગીની પગનીચેની ધરતી સરકવા લાગી છે.
 
હવે કોઇ એવા આંચકાઓ કોંગીના થેલામાં રહ્યા નથી કે તે આપીને પ્રજાને ભ્રમિત કરી શકે.
હાજી સામ્યવાદીઓની આ એક પ્રપંચવાળી ચાલ હોય છે કે આંચકાઓ આપો અને રાજ કરો.
 
પકિસ્તાનનો (કે ઓસામા બીન લાદેનનો)  હેતુ ભારતમાં અરાજકતા ફેલાવવાનો છે. આતંકવાદીઓ   પોતાની વ્યુહ રચનાઓ બદલે છે. પહેલાં તેણે ખાલીસ્તાની આતંકવાદ ચલાવ્યો. પછી હિન્દુઓની કાશ્મિરમા કત્લેઆમ કરી અને જે જીવી ગયા તેમણે કાશ્મિર છોડ્યું. પછી તેમણે ભારતમાં મુસ્લિમ આતંકવાદ ફેલાવ્યો.
 
પણ બધા મુસ્લિમભાઇઓને મરવું હોતું નથી. તેથી આતંકવાદી જુથોએ હવે નક્સલીઓની સાથે સહયોગ કર્યો. નક્સલીઓ સ્થાનિક લોકો છે. અને જ્યાં ભ્રષ્ટ સરકારો હોય ત્યાં તેઓ વધુ સક્રીય થઇ શકે છે. હવે તેમનું કામ સરળ થઈ ગયું છે. કારણ કે જો તેઓ ખુદ મુંબઈ જેવા બોંબ ધડાકા કરે તો મુસ્લિમો પણ મરે. અને ભારતીય મુસ્લિમભાઇઓ શુંકામ આપત્તિ વહોરે?
 
કોંગી એવો પ્રચાર કરે છે કે અમારા પ્રયત્નો થી આતંકવાદ ઓછો થઇ ગયો છે. પણ આ વાત બેવકુફી ભરેલી છે. આતંકવાદે એક નવું સ્વરુપ પ્રગટ કર્યું છે. તે છે નક્સલવાદ. પહેલાં પણ નક્સલવાદ હતો. પણ હવે તે વકર્યો છે. હવે તેને દંભી એવી કોંગી અને તેના મળતીયા પક્ષોએ પોતાના લાભ માટે અને સામેવાળાને હેઠો પાડી દેવા માટે સમર્થન આપવા માંડ્યું છે. જેમ ઈન્દીરા ગાંધીએ ભીન્દરાણવાલેને સમર્થન આપીને પંજાબમાં અરાજકતા સર્જી હતી તેમ હવે તેના મળતીયાઓ વિરોધીઓને પછાડવા નક્સલીઓનો લાભ લેવા માંડ્યા છે.
 
પણ કોંગીની આ બધી રમતો ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી ગુજરાત બહારના મુસ્લિમો નરેન્દ્ર મોદીની શાંતિ, સુરક્ષા અને વિકાસની વાતો સમજશે નહીં ત્યાં સુધી.
 
 
અયોધ્યાનો ચૂકાદો મુસ્લિમોને સામાન્ય પ્રવાહમાં જોડવાનું એક મહાકદમ છે.
 
નહેરુવીયન કોંગ્રેસ જો તેની વૉટબેંકની, વિભાજનની અને કૌટુમ્બિક એકાધિકારની રાજનીતિ નહીં છોડે તો તેનો વિનાશ નિશ્ચિત છે.
 
 
મીડીયા મૂર્ધન્યો તેને આ વાત સમજાવી નહીં શકે.
   
ચમત્કૃતિઃ
 
 
તક્ષકસ્ય વિષં દંતે, મક્ષિકાયાશ્ચ મસ્તકે,
વૃશ્ચિકસ્ય વિષં પૂચ્છે, સર્વાંગે દુર્જનસ્ય તત્‌
 
 
સાપનું ઝેર તેના દાંતમાં છે,
માખીનું તેના માથામાં છે,
વિંછીનું તેની પૂંછડીમાં છે,
અને તે દૂર્જનના આખા શરીરે છે.
 
 
નહેરુવીયન કોંગીજનો વિષે પણ એમ જ સમજો.
CONDITION OF KIDS AFTER 55+ YEARS OF RULE OF NEHRUVIANS

CONDITION OF KIDS AFTER 55+ YEARS OF RULE OF NEHRUVIANS

Read Full Post »

NEHRUVIAN CONGRESS WANTS TO GO SLOW (CWG OR AYODHYA ISSUE)

NEHRUVIAN CONGRESS WANTS TO GO SLOW (CWG OR AYODHYA ISSUE)

NEHRUVIANS AND ITS CONGRESS IN TROUBLE BY THE VERDICT OF HIGH COURT

 

I AM SMARTER

 

 THAN THOU” Says HC

 

It is an open secret that Nehruvian Congress wanted to delay the judgement on Ayodhya issue as much as possible.

This was mainly for the reason that it can safely play its game of Vote Politics.

 

STRATEGY OF NEHRUVIAN CONGRESS, ITS ALLIES AND PSEUDO SECULAR MEDIA: 

Advani has to be linked with his Rath Yatra, and whenever you spell Advani, you are supposed to spell Rath Yatra (This Rath Yatra he had conducted in 1984). Further it was a fashion and that fashion still prevails that you are supposed to link the success of BJP to power though it could be as late as a generation (even then) with that Rath Yatra. You have not to apply your mind on the characteristic of people to have a desire for change.

 

For pseudo secularists, so-called neutral media and for most of the learned media columnists and anchors this was the fashion. Off course some learned columnists were innocently adopting this line.

 

Rama means a religious, religious and religious character only. This too was not enough. Once you spell the name of Rama, it has to be labeled as saffron. The “saffron” label is an un-detachable label. If you talk on Rama more seriously you are to be taken en-par with terrorists as Saffron terrorists.

 

It was a great offence of Advani that he organized Rath Yatra from Somnath to Ayodhya in 1984. Because unfortunate to Nehruvian Congress, he and his party voted to power in 1999. All fault lies with this leader of Saffron fundamentalists. This was the all time coverage and conclusion of pseudo secularists.

 

It is a matter of research as to how much weightage should be given to Advani’s Rath Yatra of 1984 for the victory of BJP in 1999. Even the learned media could not give appropriate weightage to Bhopal Gas Hazard and Easy passage to Anderson in 1984 in the succeeding general election how a common mass can be so smart to possess a long term memory of Rath Yatra?

 

AFTER ALL POLITICS IS POLITICS:

 

 Who can spell any falsehood with louder and frequently prolonged sound would be taken as truth. E.g. A prominent Congress leader had said that to maintain simplicity of Mahatma Gandhi the government has to spend a hundred thousand rupees. Unfortunately the Gandhian reply was not heard against the sound of Nehruvians.

 

Leave it aside. Our point is where and why did the Nehruvian Congress fail in handling the Ayodhya Issue in the interest of our nation?

 

The leaders of Nehruvian Congress do not agree that they have been failed. On the contrary they are happy that they could take full advantage of the situation. Because they and their allies have successfully or sufficiently defamed BJP by affixing a saffron label. But this was at what cost? CongI has prevented minorities from the main stream is the great harm to the nation.

 

FOLLY FOR PEACE AND NOT FOR POLITICS.

Whenever Nehruvians are in trouble they pronounce “be peaceful … do not make it a political issue …. this is not a political issue …  etc … etc…” Recall all time Inflation … Bhopal gas hazard … terrorists attacks …. Bombay blasts … Delhi blasts …. Common Wealth Game loots … and the very recent is High Court Judgement on Ayodhya Issue.

 

Off course Nehruvian Congress has liberty to take political advantage on any damn event like “Ranga Billa rape case of a school girl in 1978 in Dlehi”, “As for price rise in gold in 1979 Indira had said Janata Front has made Mangal Sutra of brides costlier … ”, “ Price rise in onion” …  

 

Nehruvian Congress wanted Ayodhya issue to remain unsettled forever, so that they can curse its main opponent BJP eternally. This is easy in Indian Court of Law where you can through the ball in a Court of Law and live peacefully.

The ball was in the court of Court of Law. Congress was peacefully taking the pleasure of the situation.

 

HIGH COURT SAID, “I AM SMARTER THAN THOU” !!!

 

BUY ONE GET ONE FREE

 

Court of Law had one ball. Court of Law threw two balls. One ball in the court of Nehruvian Congress who has the rein of the government. The other ball in the court of a minority (Muslim Mullahs).

 

Court could have said that beneath the table land of the Babri mosque when excavated a Hindu temple has been noticed. The area acquired by the government does appear as a plateau. Not only 30 feet by 40 feet of tableland contained archeological antiquities but also whole of the larger plateau is likely to have many archeological antiquities and structures at large scale. Thereby the government should excavate whole of the area.

 

But the High Court avoided to over read the case.

 

Off course the option is still open to the government.  High Court converted one ball into two and put the burden on the government as well as upon the minority lot.

 

High Court appears to have been determined to settle the issue. Verdict is accepting the birthplace of Rama. This may be a technical decision. But it is unanimous. The Central portion belongs to Rama is also unanimous. The area is to be divided in three equal parts is also unanimous.

 

Now Congress has to decide whether it want a solution by using its so believed good offices with Mullahs or it wants to see that the case goes to SC.

 

NEHRUVIANS ARE IN TROUBLE:

If the case goes to SC, the Nehruvians and pseudo secularists would not be in position to take political advantage of the issue. If the case does not go to SC and the same gets settled with Hindus, the credit will go to BJP and its allies as they open heartedly welcome the Muslims. And hereafter there would be any issue between BJP and Muslims and thereby Nehruvians will face a big loss of vote bank.

 Nehruvian Congress has already lost its vote bank in Gujarat.

        

 

AN OTHER OPTION IS OPEN

AN OTHER OPTION IS OPEN

Read Full Post »

%d bloggers like this: