“આંધળાઓ અને હાથી” બહુ જુની રમુજી વાર્તા છે. અને પુનરાવર્તનની જરુર નથી.
સ્વામી સચ્ચીદાનંદ નો અંધશ્રદ્ધા ઉપરનો પૂણ્ય પ્રકોપ પ્રસંશનીય છે.
પણ તેમની વાતો કંઈક અંશે આંધળાઓના હાથીના આકાર ઉપરના ખ્યાલો સાથે સરખાવી શકાય.
ભારતનું પછાતપણું એક હાથી છે.અને સુજ્ઞલોકો આંધળા ન હોવા છતાં પણ જાણે અજાણે આંધળાની જેમ વર્તે છે.
મહાત્મા ગાંધી શિવાય ભાગ્યેજ કોઈ ભારતના પછાતપણાના હાર્દને ને સમજી શક્યું છે.
નિરક્ષરતા, બેકારી અને ગરીબાઈ એ પછાતપણા માટે કારણભૂત છે.
નિરક્ષરતા નાબુદ થશે તો મનુષ્યમાં કામકરવાની ક્ષમતા આવશે.
ગાંધીજીએ તે માટે ગૃહ ઉદ્યોગો અને ખાસ કરીને કાંતણ, વણાટ અને ખાદીને સ્વિકારવાની વાત કરેલી અને તેમાટે તેમણે નેટવર્ક પણ આપેલું.
જ્યારે ગાંધીજી સામે બદલતા વિશ્વની અને ટેક્નોલોજીના સંદર્ભમાં ખાદી કેટલી સુસંગત છે … એવી વાતો આવતી ત્યારે તેમનો જવાબ હતો કે “મારી સામે મારા દેશના ગરીબ માણસો છે. તમે તેમના હાથને શું કામ આપી શકશો? જો હજારને રોજી આપીને તમે એકલાખને બેકાર કરી શકતા હો તો તે ટેક્નોલોજીમાં માનવીયપણું કેટલું?”.
ટૂંકમાં ગાંધીજીની વાત એપ્રોપ્રીએટ ટેક્નોલોજીની હતી.
મોટે ભાગે ગાંધીજીને યોગ્ય રીતે સમજવામાં આવતા નથી. અને તેમને યંત્રના વિરોધી તરીકે ચિત્રિત કરવામાં આવે છે. અને આમાં ભલભલા મૂર્ધન્યો અને મહારથીઓ સામેલ છે. મારા ખ્યાલ પ્રમાણે આચાર્ય રજનીશ અને સ્વામી સચ્ચીદાનંદ પણ સામેલ છે.
મોરારજી દેસાઈની સરકારે ખાદીને પ્રાથમિકતા આપવાની વાત કરેલી. અને સરકારી ઓફીસોમાં અને ગણવેશોમાં ખાદીને સ્વિકારવાના પરિપત્રો મોકલવામાં આવ્યા હતા.
ખાદીના ઉત્પાદનમાં અને વિતરણમાં વૃદ્ધિ થઇ હતી. પણ તે યોગ્ય રીતે સ્વિકૃત થઇ નહતી.
ઘણી ઓફીસોએ “અમે વિજાણુ ઉપકરણો વાપરીએ છીએ એટલે ખાદીના રેસાઓ અમારા ઉપકરણોને નુકશાન કરી શકે છે એટલે અમે તે પૂરતો ખાદીનો ઉપયોગ નહીં કરીએ અને મીલનું કાપડ વાપરીશું.” એવી ‘નોટ’ સાથે મીલનું કાપડ પડદા અને ગાઉન, એપ્રન માટે વાપરતા. (જો કે એક અધિકારીએ કહ્યું કે હું ખાદીના કપડાં જ પહેરું છું અને બીજા કપડાં પહેરતો નથી. અને ખાદીમાં પણ પૉલી વસ્ત્ર આવે છે. તેનો જ એપ્રન પહેરીશ. અને તેને મૌખિક મંજુરી આપવામાં આવેલી.)
ઈન્દીરા ગાંધીની કોંગ્રેસના માણસો તો ખાદીમાં માનતાજ નથી. આરએસએસ વાળને મેં એમ કહેતા સંભળ્યા છે કે “ખાદીમાં હવે ‘ભાવના’ જ ક્યાં રહી છે.” હવે તેમનો આ ‘ભાવના’ શબ્દનો અર્થ તેઓ શું કરે છે અને તે તેમને ખાદી પહેરતાં કેવી રીતે રોકી શકે છે તે સંશોધનનો વિષય છે.
“એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં તમારે લોકોને રેંટીયો લઈને કાંતાવવું છે અને હાથશાળથી ખાદીનું કાપડ બનાવવું છે? તમે યાર કયા યુગમાં જીવો છો?”
આવું અને આવી મતલબનું સાંભળવા બહુ મળે છે. અને સચ્ચીદાનંદજી પણ આવું જ કહેછે.
પણ હવે જુઓ; ‘જ્યારે એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં અખૂટ કુદરતી સંપત્તિ હોય છતાં ૭૦ ટકા માણસો ગરીબીની રેખામાં કેમ જીવે છે?’
પણ હવે જુઓ; ‘જ્યારે એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં અખૂટ કુદરતી સંપત્તિ હોય છતાં ૭૦ ટકા માણસો ગરીબીની રેખામાં કેમ જીવે છે?’
ઉપરોક્ત પરિસ્થિતી એ એક હકિકત છે અને ગરીબીનો તાત્કાલિક ઉપાય ખાદી જ છે. ખાદી પહેરવાથી એસી ટ્રેનો, મર્સીડીસ ગાડીઓની ઝડપ, કે આકાશમાં ઉડતા વિમાનો અને રૉકેટો તૂટી પડવાના નથી. તો પછી માણસોને બેકાર રાખી ભૂખે શામાટે મારો છો?
તમે દેશમાટે થોડું ખરબચડું અને ઓછી ફેશનવાળું કાપડ પહેરશો તો કંઈ મોટો ત્યાગ તો નહીં જ કર્યો ગણાય પણ જે કંઈ નાની સાદાઈ અપનાવી હશે તે દેશની બેકારીને દૂર કરિ શકશે.
પણ દંભી સેક્યુલારીસ્ટો કરતા ખાદીના અજ્ઞાતપણે વિરોધ કરનારાઓની વાચાળતા વધુ છે.
જ્યારે મોરારજી દેસાઈની સરકારે ખાદીનો વિસ્તાર કર્યો ત્યારે મીડીયા દ્વારા એવા લેખો પ્રગટ થવા માંડેલા કે જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું થશે? જોકે તેનો જવાબ હતો કે તે મીલના કાપડનો એક્ષ્પોર્ટ થશે અને હુંડીયામણ મળશે. તો સામે સવાલ થતો કે પણ આ હુંડીયામણના ભરાવાને તમે કરશો શું? હુંડીયામાણ કંઈ ખાવાની વસ્તુ છે?
જ્યારે મોરારજી દેસાઈની સરકારે ખાદીનો વિસ્તાર કર્યો ત્યારે મીડીયા દ્વારા એવા લેખો પ્રગટ થવા માંડેલા કે જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું થશે? જોકે તેનો જવાબ હતો કે તે મીલના કાપડનો એક્ષ્પોર્ટ થશે અને હુંડીયામણ મળશે. તો સામે સવાલ થતો કે પણ આ હુંડીયામણના ભરાવાને તમે કરશો શું? હુંડીયામાણ કંઈ ખાવાની વસ્તુ છે?
વાસ્તવમાં ખાધેપીધે સુખી અને અર્ધદગ્ધ જ્ઞાતાઓ સમજે છે કે ગરીબી તો ગરીબોને કોઠે પડી ગઇ છે. જેમ છે તેમ ચાલવા દો.
યાર! વસ્ત્રનું પણ મહત્વ છે. “પીતામ્બરં વિક્ષ્ય દદૌ સ્વ કન્યાં, ચર્માંબરં વિક્ષ્ય વિષઃ સમૂદ્રઃ” [સમુદ્રએ પીતાંબર જોઇને (વિષ્ણુને) પોતાની કન્યા આપી અને ચર્માંબરધારી (શિવ) ને વિષ આપ્યું.]
સાચેસાચ ગરીબોને ગરીબાઈ કેટલી ગોઠી ગઈ છે તે આપણે જાણતા નથી. તેઓ ગુન્હાહિત પ્રવૃત્તિમાં જલ્દી જોડાઈ શકે છે. અને રોજ હજારોની સંખ્યામાં ઉત્તરભારતમાંથી મનુષ્યો જીવતા રહેવામાટે ગુજરાતમાં અને મુંબઇમાં ઠલવાય છે અને સ્થાનિક કર્મીઓના વ્યવસાયમાં ભાગ પડાવે છે. અને શિવસેના અને એમએનએસ જેવા ને તો મતના રાજકારણમાં જ રસ હોવાથી, પરિસ્થીતિમાટે જવાબદાર કોંગીનેતાઓને ટીપવાને બદલે ઉત્તરભારતીયોને ટીપે છે. કોંગી જનોને કેમ ટીપાય? તેઓતો તેમના ભાઇઓ છે.
સિંહ અને કુતરામાં આ ફેર છે. સિંહને પત્થર મારો તો તે પત્થર મારનાર તરફ દોડશે. કુતરાને પત્થર મારશો તો તે પત્થર તરફ દોડશે.
બીજા મુર્ધન્યો, દેશમાં કોઈપણ જગ્યાએ જવાનો ભારતીય નાગરિકને હક્ક છે અને દેશપ્રેમની વાત કરનારાઓની (શિવસેના અને એમએનએસ ની) સંકુચિતતા લાંછનને પાત્ર છે… વિગેરે વિગેરે… જેવી સુફીયાણી વાતો કરવામાંડે છે કારણકે તેમનો પોતાનો માખણસાથે નો રૉટલો સલામત છે.
મારા એક મિત્ર અને સહકર્મચારી શ્રી નલીનભાઇ સી. મોદી આ બધા લોકોને “ચોક્ખું ઘી” એ નામ થી ઓળખે છે.
આ બધા “ચોક્ખા ઘી” ને ભારતના ગરીબોની ગરીબાઈ, વ્યાપક અસંસ્કારિતા, કોંગી નેતાઓનું વોટનું રાજકારણ, કાયદાની અવગણના, સરકારી નોકરોની અનીતિના પૈસા કમાવાની વૃત્તિ વિગેરે વિગેરે સદી ગયું છે. તેથી તેઓ સમસ્યાઓનું સામાન્યી કરણ કરી આમ જનતા ઉપર દોષનો ટોપલો ઢોળી દેછે.
વાસ્તવમાં “ચોક્ખા ઘી” ને કશું મોળું ન ખપે. એક ગ્રામ પણ સુખ સાહ્યેબી ઓછી ન ખપે.
“ચોક્ખુ ઘી” ખાદી માટે તૈયાર નથી. “ચોક્ખું ઘી” મોટા પરિવર્તન માટે પણ તૈયાર નથી.
કોંગીને તો હેલમેટ માટે પણ વાંધો પડે છે.
“ચોક્ખુ ઘી” ખાદી માટે તૈયાર નથી. “ચોક્ખું ઘી” મોટા પરિવર્તન માટે પણ તૈયાર નથી.
કોંગીને તો હેલમેટ માટે પણ વાંધો પડે છે.
લારી વાળાઓ લારીઓ ફેરવે, ગલ્લાવાળા ગલ્લા ચલાવે, ઝુંપડી વાળા ઝુંપડીમાં રહે, પાથરણાવાળા પાથરણા પાથરે, ઉકરડા ફેંદવાવાળી બાઈઓ કોથળા લઈને ભંગાર પ્લાસ્ટીક ભરે, અગરીયાઓ ખારાપાટમાં સડે, જંગલવાળા ભટકી ભટકીને જંગલની પેદાશો એકઠી કરીને સરકારી ઠેકેદારોના અને સરકારી નોકરોના ખીસ્સા ભરે અને જંગલની પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરે જેથી સુજ્ઞજનો ધરોહરની રક્ષાની વાતોના વડા કરી ગરીબોને ગરીબોની રક્ષા અને સંસ્કૃતિની અને પર્યાવરણની રક્ષા કર્યા નો ગર્વ લઈ શકે. વળી “ધા”, “તા” અને “તી” (“તી” એટલે અરુન્ધતી) દેવીઓને મીડીયામાં કવરેજ મળી શકે.
જો તમે આ ગરીબોને ભણાવશો અને ખાધે પીધે સુખી કરશો તો તેમની જંગલની સંસ્કૃતિનું શું થશે? વનવાસીઓની, ફેરીયાઓની, મદારીઓની વિગેરે વિગેરે આપણી સંસ્કૃતિઓનું શું થશે? ભારતની ગ્રામ્ય સંસ્કૃતિનું શું થશે? માટે બધા ભલે અભણ અને ગરીબ રહે. પણ ઉપરોક્ત “ચોક્ખા ઘી”એ કદી આ ગરીબોને પૂછ્યું છે કે તેમને શું ગરીબ જ અને યાતનાભરી જીંદગી જ જીવવી છે?
પાથરણાવાળા, કચરો એકઠોકરવાવાળા, લારીવાળા, ગલ્લાવાળા વિગેરેનું ભવિષ્ય શું? તેમના સંતાનોના ભવિષ્યનું શું? તેમના વૃદ્ધત્વનું શું?
આ “ચોક્ખા ઘી” ને લાંબી, તત્વજ્ઞાનની વાતો કરવી ગમે છે, સામાન્યીકરણની વાતો કરવી ગમે છે, ગ્રામીણ સંસ્કૃતિના રક્ષણની વાતો કરવી ગમે છે. કારણકે તેમનો રૉટલો ચોક્ખા ઘી વાળો છે.
ખાદી કોઇને ગમતી નથી અને તેને સ્વિકારવી નથી. ગ્રામીણ સંસ્કૃતિને ટકાવવી છે. પોતાને પ્લેનમાં ઉડવું છે. પણ વનવાસીઓને, ગરીબોને અને ગ્રામીણ પ્રજાને સંસ્કૃતિના અને પર્યાવરણની ફોગટ વાતો કરી ગરીબ રાખવા છે.
પ્રજા જ્યારે ગાંધી માર્ગ ઉપર ચાલવા તૈયાર ન હોય તો નરેન્દ્ર મોદી ક્યાં સુધી રાહ જુએ?
તેથી કદાચ નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક વિકાસ અને ભણતર દ્વારા પ્રગતિ એ વાતને આગળ ધપાવી છે.
આ માર્ગ મહાત્મા ગાંધીના માર્ગ કરતાં લાંબો માર્ગ છે. પણ મહાત્મા ગાંધીનો માર્ગ જ્યારે કોંગી ને અને મૂર્ધન્યોને પસંદ જ ન હોય અને ૬૦ વર્ષને અંતે પણ તેઓ ”ગુ ગુ છી છી” કર્યા કરતા હોય અને થોડાક હજાર ગરીબોને ૧૦૦ દિવસની મજુરીની રોજીની અબજોરુપીયાની જાહેરાતો આપી ને પોતાની પીઠ થાબડતા હોય અને ગર્વ લેતા હોય ત્યાં તમે મહાત્માગાંધીના માર્ગ ઉપર આ લોકો ચાલે તેની વધુ રાહ જોઈ ન શકો.
સારી નેતાગીરી કેટલી અસરકારક બની શકે છે તે માટે “સલ્તનત એ ઓમાન”ના સુલ્તાન કાબુસ અને ગુજરાતના નરેન્દ્ર મોદીની કામગીરી જોવી જોઇએ.
સારી નેતાગીરી કેટલી અસરકારક બની શકે છે તે માટે “સલ્તનત એ ઓમાન”ના સુલ્તાન કાબુસ અને ગુજરાતના નરેન્દ્ર મોદીની કામગીરી જોવી જોઇએ.
જ્યારે જીંદગીમાં મોડ ઉપર અનિશ્ચિતતા હોય ત્યારે અંધશ્રદ્ધા અને વહેમ ફુલે ફાલે.
પરીક્ષાના પરિણામ, વ્યવસાય, વ્યવસાયમાં બઢતી, પૈસાની આવક, તંદુરસ્તી, સાંસારિક સુખની સમજ એ બધું અનિશ્ચિત છે. તેને માટે વાસ્તવમાં તો મોટેભાગે દેશની ઉન્નતિની દીશા કારણભૂત છે.
તે નેતાગીરી ઉપરજ આધાર રાખે છે. પણ જો મૂર્ધન્યો માં (“ચોક્ખા ઘી” માં) સંદર્ભની સમજ અને પ્રમાણભાવનો અભાવ હોય તો સમાજ અધોગતિને જ પામે. અને તેઓ “હાથી” ને સમજવામાં ગોથાં જ ખાય.
શિરીષ દવે
મૂર્ધન્યો, ચોક્ખું ઘી, નરેન્દ્ર મોદી, નલીનભાઈ મોદી, કોંગી, ખાદી, મીલનું કાપડ, ગાંધી માર્ગ, બેકારી,
હું આપની વાત સાથે સંમત નથી થતો. આ વિષયમાં સચ્ચિદાનંદ સ્વામિની વાત સાચી લાગે છે.
ગાંધીજીએ તે સમય પ્રમાણૅ ખાદી એક શસ્ત્ર તરીકે વાપર્યુ હતુ અને એ સફળ પણ રહ્યુ. પણ કાયમ માટે લોકો ગૃહઉદ્યોગોમાં જ રોકાયેલા રહે અને મોટા ઉદ્યોગો ના વિકસે તેમાં દેશનો કોઇ ભલિવાર ના આવે. ભારતના પછાતપણા માટે મુખ્ય જવાબદાર આપણી સરકારો છે (અને તે માટે જવાબદાર આપણે પોતે છીએ). હજારને રોજી આપીને લાખને બેકાર કરવાને બદલે લાખને રોજી આપવાની તરફ આપણું લક્ષ્ય હોવુ જરૂરી છે.
LikeLike
બહુ જ સરસ વાત છે .ઊંડાણ પૂર્વક સમજવા જેવી છે .પરંતુ સારી વાત પણ વધુ સારી બનાવવી હોય તો મેહનત વધુ કરવી પડે
હાલ, પરિસ્થિતિ એવી છે કે ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે ધનવાન વધુ ધનવાન બનતો જાય છે તો શું આપણી નીતિ કૈક ખોટું તો નથી ને ? તે જોવાની જવાબદારી સભ્ય સમાજ ની છે .સભ્ય સમાજ ક્યારેય હા એ હા ન કરે તે તર્ક સાથે અને જમીની હકીકત સાથે રહે તે કડી પણ કોઈના બહેકાવવામાં ન આવે તેને તો સર્વ સમભાવ માંજ રસ હોય છે
ગરીબ નક્ષ્લી અથવા આતંકી ન બની જાય તે જોવાની જવાબ ડરી સભ્ય સમાજ ની છે ન કે કોઈ નેતા ની ,નેતા ને કાર્ય કરવાની સમાજ આપનાર સભ્ય સમાજ ની છે
વિકાસ નો મતલબ એ નથી કે આપણે આપનું જ પતન તરફ જૈયે .ઉદ્યોગો કરીને પર્યાવરણ નુકસાન કરનારા આપણેજ છીએ તેમનું પણ સંતુલન જોઈએ .ફક્ત મૂડી બધે જ કામ આવતી નથી .જીવન ના મુલ્યો ચોકસ હોય છે .જમણું જતન કરવું એ સભ્ય સમાજ ની જવાબદારી છે જમ્નાતરફ દયાન દોરવું તે નૈતિક જવાબદારી છે .
ઉકરડા,પાથરના,લારી ,ઝુપડા,એ ગરીબી ની નિશાની નથી એતો પર્યાવરણ ને બચાવવાની નિશાની પણ છે જેવી દ્રષ્ટિ થી જુઓ તેવું દેખાય
સુપર સોનિક જેટ હોય,ચ્ન્દ્રપાર યાન મોકલતા હોય,આકાશ માં રોકેટ ઉડતા હોય તે ફક્ત પ્રગતી ની નિશાની જ છે એવું માની લેવાની જરૂર નથી તે તો કેટલું પ્રદુષણ ઓકે છે તે કડી માનવ જતી માટે વિચાર કર્યો છે બધું સંતુલિત હોવું જરૂરી છે હવે આપણે ચંદ્ર પર પગ મુકીને ત્યાં પણ પ્રદુષણ ફેલાવવાની શરૂઆત કરી દીધી છે .આતો સુપર પાવર ની હોડ છે
વાત રહી,મેગ્નેટ ટ્રેનો હોય,મર્સિડીઝ હોય તે શું પ્રદુષણ નથી ફેલાવતું, શું તે વાતાવરણ ને pradushit નથી kartu તો તેના માટે આપણે શું praytno kariye છીએ ?kashu જ nahi bas ,apane તો technology ની pachhal aandhli dot muki છે કડી પર્યાવરણ nu vicharyu છે કડી manv જતી ના astitva vishe vicharyu છે કે bas aapne bijani aagl tehnology અને aarthik વિકાસ જ દેખાય છે
aapno bharat desh jem આપણે manie છીએ કે pachhal છે teto bhul છે bharat desh બહુ જ aagl છે તે સિક્કા ની બંને બાજુ વિચારે છે જે સંસ્કૃતિ નું પણ વિચારે છે અને વિકાસ પણ કરે છે એટલે પાછળ છે બાકી ભારત દેશ બધી બાજુ થી સંતુલિત છે અહી સંસ્કૃતિ છે અહી પર્યાવરણ છે અહી વિકાસ છે અહી વિનાસ નથી અહી સંત છે અહી મંદિર છે અહી ઈશ્વર છે ? ઈશ્વર એટલે મૂર્તિ પૂજા નહિ ઈશ્વર એટલે બધી જ રીતે સંતુલિત પ્રવાહ જે તમને બીજે ક્યાય નહિ મળે
LikeLike
કેટલાક પ્રશ્નોના ઉત્તરો રીપ્રોડ્યુસ કરું છું.
વનવાસીઓને, ગરીબોને અને ગ્રામીણ પ્રજાને સંસ્કૃતિના અને પર્યાવરણની ફોગટ વાતો કરી ગરીબ રાખવા છે.
કદી આ ગરીબોને પૂછ્યું છે કે તેમને શું ગરીબ જ અને યાતનાભરી જીંદગી જ જીવવી છે?
પાથરણાવાળા, કચરો એકઠોકરવાવાળા, લારીવાળા, ગલ્લાવાળા વિગેરેનું ભવિષ્ય શું? તેમના સંતાનોના ભવિષ્યનું શું? તેમના વૃદ્ધત્વનું શું?
પ્રજા જ્યારે ગાંધી માર્ગ ઉપર ચાલવા તૈયાર ન હોય તો નરેન્દ્ર મોદી ક્યાં સુધી રાહ જુએ?
તેથી કદાચ નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક વિકાસ અને ભણતર દ્વારા પ્રગતિ એ વાતને આગળ ધપાવી છે.
આ માર્ગ મહાત્મા ગાંધીના માર્ગ કરતાં લાંબો માર્ગ છે. પણ મહાત્મા ગાંધીનો માર્ગ જ્યારે કોંગી ને અને મૂર્ધન્યોને પસંદ જ ન હોય અને ૬૦ વર્ષને અંતે પણ તેઓ ”ગુ ગુ છી છી” કર્યા કરતા હોય અને થોડાક હજાર ગરીબોને ૧૦૦ દિવસની મજુરીની રોજીની અબજોરુપીયાની જાહેરાતો આપી ને પોતાની પીઠ થાબડતા હોય અને ગર્વ લેતા હોય ત્યાં તમે મહાત્માગાંધીના માર્ગ ઉપર આ લોકો ચાલે તેની વધુ રાહ જોઈ ન શકો.
—————–
વિજ્ઞાન અને ટેક્નોલોજી માં ભેદ છે.
ગાંધીજીની વાત એ એપ્રોપ્રિએટ ટેક્નોલોજીની વાત છે. અને તેમાં પર્યાવરણ પણ આવી જાય છે.
રોજી પૂરી પાડવામાં વિજ્ઞાનના વિકાસમાં વપરાતી ટેક્નોલોજીનો બાધ ન હોવો જોઇએ. ઉપભોક્તાવાદને બઢાવો આપતી ટેક્નોલોજી પર્યાવરણના પ્રશ્નો ઉભા કરી શકે છે. પણ તેના ઉપાયો પણ થઈ શકે છે. પણ ઉપભોક્તા વાદ સામાજીક ચારિત્ર્યને શિથીલ કરે છે. તેથી પ્રાથમિકતા વિજ્ઞાનને આપવી જોઇએ. રોજગારી માટે તેમાં કોઇ સીમા નથી.
LikeLike
દવેભાઈ
બજારવાદની એક કડવી સચ્ચાઈ એ છે કે કોઇ પણ દેશનો વિકાસ શોષણ વગર નથી થયો. સરકારો ભલે ગરીબી નાબૂદી ના નારા ચલાવે એ બધા ખોટા હોય છે. ગરીબોની મહેનત પર જ અમિરોના મહેલ ઉભા થયા છે. ગરીબને જો બેપાંદડે થવા દેવામાં આવે તો પોતાનું જીવન ધોરણ ઉચુ કરી બેસે, પગાર વધારે માંગે. જે ઉધ્યોગપતિ કે સરકાર સહન ના કરે.
ભારતની ગરીબી પાછળ આર્થિક કરતા પોલિટિકલ કારણો વધુ છે એમ મારુ માનવું છે. જે પણ થોડોઘણો વિકાસ થયો, લોકો પાસે પૈસા આવ્યો અને ખોટી રીતે મોંઘવારી ભડકાવી એને વેલ્યુ જ છીનવી લિધી છે. છતા પૈસે માણસ ગરીબ. ગરીબ જ ઉત્તમ ગુલામ, ગમે તેવી મજુરી કરાવે લો. એને અમિરની જેમ સરકારો ઉથલાવી દેવાના સપના પણ ના આવે.
તમેં પેલા ઇલુમિનિટી વાળાનો ત્રિકોણ જોઈ લેજો. ભારતમાટે તો એનો ત્રિકોણ સાચોજ છે. ટોચપર બીરાજેલા ૩% માણસોને ઘીકેળા છે બાકીના ૯૭% એમની સેવામા. આખા ભારતની સંપત્તી આ ૩ ટકા વસ્તી પચાવીને બેઠી છે.
LikeLike
તમને ગુજરાતમા ખેતીનો ખ્યાલ હોય તો અત્યારે ખેડુતોને ખેતી કરવી નથી ગમતી. અમારા ભાવનગર જીલ્લાની વાત છે. મજુરો વડોદરાના આદીવાસી યેરિયા નસવાડી તરફ થી લાવવામાં આવેછે. અને થોડા ઓરિસ્સાના પણ આવે છે. પંજાબની સ્થિતી, ખેતી બાબતે આજ છે, ભારતનો સર્વાંગી વિકાસ જો થઈ ગયો તો મજુરો વગર શું થાય. સુરતની વાત કરુ તો દરેક ગુજરાતી હજી ધંધો શિખ્યો નથી ત્યાંજ પોતાનું એકમ શરુ કરી દે. ગુજરાતીને મજુર બની રહેવું નથી ગમતું . મજુરો બિહારી અને ઓરિસ્સાના. ડાયમંડ અને સાડી ઉદ્યિગની વાત હતી. આપણા આદર્શવાદ કરતા વિકાસનું ગણિત સાવ ઉલ્ટુ જ છે.
LikeLike
[…] https://treenetram.wordpress.com/2010/10/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%96%E0%AB%81%E0… […]
LikeLike
[…] https://treenetram.wordpress.com/2010/10/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%96%E0%AB%81%E0… […]
LikeLike