Feeds:
Posts
Comments

Archive for July, 2011

નહેરુવીયન કોંગ્રેસના મીથ્યા વિજય પછી પરાજયો અને જનતા ઉપર લદાતી કટોકટીઓ ભાગ – ૨

મીડીયા મૂર્ધન્યો કહે છે કે તમે નહેરુવીયન કોંગ્રેસ ઉપર આશા રાખો

મહાત્મા ગાંધી વ્યક્તિને સુધરવાની તક આપતા હતા અને તે માટે ધિરજ રાખતા હતા. તેમની ધિરજ નહેરુવાદીઓ જેવી પ્રલંબ અને સ્વકેન્દ્રીય ન હતી.

સ્વાતંત્ર્યની ચળવળ વખતે નહેરુનું ઘર સ્વાતંત્ર્ય સેનાનીઓમાટે ધર્મશાળા જેવું હતું.

કેટલાક કે જેઓ પોતાને રાજકીય વિશ્લેષક સમજે છે તેઓ એમ માને છે કે ગાંધીએ જવાહરલાલને પ્રધાનમંત્રી બનાવીને મહાન ભૂલ કરી હતી. તેઓને ખબર ન હતી અને આજે પણ નથી કે નહેરુને મોટું પીઠબળ હતું. આ પીઠબળ આમ જનતા અને સામાન્ય કાર્યકરોનું હતું.

મારે માથે પણ કંઈ ઉગતું નથી

મારે માથે પણ કંઈ ઉગતું નથી


નહેરુ અષ્ટકુટ હતા અને મહાત્મા ગાંધી શિવાય ભલભલાને હરાવી શકે તેમ હતા. તમે યાદ કરો. નહેરુને દારુ, સીગરેટ અને માંસનો છોછ નહતો. પણ ગાંધી તેમને કશું કહી શકતા ન હતા. નહેરુએ સુભાષને અને જીન્નાને દૂર કર્યા હતા. વલ્લભભાઇને તેઓ બદનામ કરાવી શકતા હતા. પણ વલ્લભભાઇ ની ઘરઆંગણાના પ્રશ્નોને હલકરવાની કૂનેહથી તેઓ પરાજીત થયેલ. વલ્લભભાઈની પ્રાથમિકતા ઘરઆંગણાના પ્રશ્નો હતી. નહેરુની પ્રાથમિકતા તેઓ ખુદ હતા.

જવાહરલાલ નહેરુનું પ્રચ્છન્ન ઇન્દીરાગાંધી જેવું હતું
ઇન્દીરા ફિરોજનહેરુ ગાંધીએ ૧૪ અગ્રણી બેન્કોના રાષ્ટ્રીય કરણ કર્યા તે આમ તો તેમનો વિજય હતો જ નહીં. ૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટઈયકરણ એ પણ વિજય તો હતો જ નહીં. બેન્કોના રાષ્ટ્રીય કરણને કારણે થયેલી અરાજકતા તો ભારતની જનતાએ પેટ ભરીને માણી.

તેવીજ રીતે ભૂતપૂર્વ રાજવીઓના વિશેષ અધિકારોની અને સાલીયાણાઓની નાબુદી એ પણ કોઇ વિજય હતો નહીં. ભૂતપૂર્વ રાજવીઓના સાલીયાણા રદ કરવા એ તો એક કરાર ભંગ હતો. નબળા સાથેનો કરાર ભંગ એ કંઈ શૂરવીરતા ન ગણાય.

એવો કરાર ભંગ રશીયા, અમેરિકા કે ચીન સાથે કર્યો હોય તો લેખે લાગે. પણ એ બધું ગયા ભાગમાં ટૂંકમાં જોયું.

કટોકટીના કાળા કામો અને કોંગ્રેસની દેશના પ્રજાતંત્ર ઉપર લાગેલી કાલીમા ભારતની જનતાએ ૧૮ માસમાં દૂર કરી અને ભારતે પોતાની નિહિત શક્તિ બતાવી અને નહેરુવીયન કોંગ્રેસને પરાસ્ત કરી.

નહેરુએ પણ કટોકટી જાહેર કરેલી
આ પૂર્વે નહેરુ વિષે પણ કંઈક આવું જ થયેલું. તેમણે પણ કટોકટી જાહેર કરેલી. પણ નહેરુએ લાદેલી કટોકટી જુદી હતી. નહેરુએ આઝાદી પૂર્વે લોકશાહીના સ્તોત્રો ગાયેલા એટલે ગુલાબ જાંબુ ખવડાવવાની વાતો કરનારા કોલસાની સિફારીસ કેવી રીતે કરી શકે? થૂંકેલુ ગળાય કેમ? અને સ્વાતંત્ર્ય પૂર્વેની તેમની કારકીર્દી નોંધનીય હતી. એટલે તેમને કંઈ ઈન્દીરા ગાંધી જેવી પાર્શ્વભૂમિ હતી નહીં કે “નાગાને ન્હાવું શું અને નીચોવવું શું!

આ બીજા ભાગમાં નહેરુના મીથ્યા વિજયના અને પછી તેમણે સર્જેલી પરાજયોની હારમાળા અને પછી લાદેલી કટોકટીની વાત કરીશુ.

૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટે અંગ્રેજો ગયા. અંગ્રેજો આર્ષદૃષ્ટા હતા અને તેમને ખબરતો હતી જ કે ભારતને ગમે ત્યારે છોડવું તો પડશે જ. તેઓએ અફઘાનીસ્તાન, બરમા અને સીલોનને અગાઉથી જ જુદું કરી લીધું હતું. ભારતને બને તેટલું મોડું આઝાદ કરવું હતું.

મહાત્મા ગાંધી ના “ભારત છોડો” આંદોલન, સ્વદેશી આંદોલન અને તેમાં ભારતીય જનતાએ ભજવેલા ભાગ અને ભારતીય નેવીના બળવા પછી અંગ્રેજ સરકારને લાગ્યું કે ભારતને હવે પહોંચી વળાય તેમ નથી. એટલે તેમણે અનેક રમતો રમી. પકિસ્તાન અલગ કર્યું. દ્રવિડીસ્તાન, દલિતસ્તાન, ખાલીસ્તાન ના બીજ વાવ્યાં અને દેશી રાજ્યોને કહ્યું તમે સ્વતંત્ર છો અને તમારે જે કરવું હોય તે કરી શકો છો.

વલ્લભભાઇ પટેલ અને મહાત્મા ગાંધી અંગ્રેજોની વિભાજન વાદી વ્યુહરચનાઓ સમજી શકેલા એટલે તેમણે ભાંગ્યું તુટ્યું તો ભાંગ્યું તુટ્યું, સ્વતંત્ર ભારત તાત્કાલિક સ્વિકારી લીધું. વલ્લભભાઈ પટેલે કાશ્મિર સહિતનું એક વિશાળ ભારત અંકે કર્યું.

ગાંધીજીને જોકે આવા ભારતથી સંતોષ ન હતો. પણ જે અંગ્રેજી માધ્યમોએ અને સરકારે કોમવાદનું ઝેર પ્રસરાવેલું તેણે પોતાનું પોત પ્રકાસ્યું અને મોટી ખૂનામરકી ન રોકી શકાણી.મહાત્મા ગાંધીએ કોમી એકતાને અને કોમી એખલાસને સ્થાપવાની વાતને પ્રાથમિકતા આપી કે જેથી ભારત પકિસ્તાનને ફરીથી ભેગા કરી શકાય. પણ તેમનું ખૂન થયું.

આવી સ્વતંત્રતાને મોટો સંતોષકારક વિજય તો ન ગણાય. પણ વિજય તો હતો જ કારણ કે ભેદ ભરમ વાળી દંભી સરકારની નાગચૂડમાંથી ભારતની જનતા પોતાની શક્તિ અને બલીદાન વડે મૂક્ત થઈ હતી. આ ખરેખર જનતાનો વિજય હતો.

પણ નહેરુવીયન કોંગ્રેસે તેને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે પોતાનો વિજય ગણાવ્યો. કોંગ્રેસ તેને માટે લાયક ન હતી.

કોંગ્રેસની સત્તા લાલસાને મહાત્મા ગાંધી તેઓ કોંગ્રેસમાંથી છૂટા થયા ત્યારથી જ ઓળખી ગયા હતા. મહાત્માગાંધીમાં સંકલન શક્તિ અદભૂત હતી તેથી તેઓ કોંગ્રેસ સંગઠન પાસેથી ઠીક ઠીક કામ લઈ શકતા હતા. પાણ સ્વતંત્રતા મળી કે  તેમણે જોયું કે જે ત્યાગ અને બલિદાનની તેઓ કોંગ્રેસના નેતાઓ પાસેથી આશા રાખતા હતા તેનો કોંગ્રેસમાં અભાવ હતો.

ગાંધીવાદીઓની સ્ટાઈલ અલગ હોય છેઃ
ગાંધી અને વિનોબા ભાવે માં એક સામ્યતા એ હતી કે તેઓ પોતાની સ્ટાઇલની ભાષા બોલતા હતા. દા.ત. વિનોબા ભાવે એ ઈન્દીરાની કટોકટી વિષે કહેલું “કટોકટી એ અનુશાસન પર્વ છે” તેનો અર્થ તેમણે એકવર્ષ પછી તેમના આચાર્ય સંમેલનમાં કહેલો કે “શાસન” એટલે શાસકોનું શાસન,  “અનુશાસન” એટલે વિદ્વાનોનું શાસન. જો દેશની સ્થિતી  કટોકટીમાં હોય તો શાસકોએ શાસન છોડી દેવું જોઇએ અને વિદ્વાનો કહે તેમ વર્તવું જોઇએ.

હવે મારી ભાષા જવાહર બોલશે”

ગાંધીજીએ કહેલ કે “હવે મારી ભાષા જવાહર બોલશે.” તેનો અર્થ એ જ થતો હતો કે “હું જે વિચારું છું તે બોલું છું અને જે બોલું છું તે પ્રમાણે વર્તું છું. હવે મારી ભાષા જવાહર બોલશે. એટલે કે હું જેમ કોંગ્રેસની બહાર રહી સલાહ આપું છું તેમ જવાહર પણ એવું જ કરશે. હું જેમ સાદગીમાં જીવું છું તેમ જવાહર પણ સાદગી અપનાવશે. હું જેમ પારદર્શીપણું રાખું છું તેમ જવાહર પણ પોતાનું અષ્ટકુટ રાજકારણ છોડશે અને સત્તાથી વિમુખ બનશે. હું જેમ લોકસેવામાં અને જનજાગૃતિના સામાજીક એકતાના કામમાં રહું છું તેમ જવાહર પણ રાજકારણ છોડી લોકસેવા કરશે”.

જો મહાત્મા ગાંધીએ જવાહરને એમ કહ્યું હોય કે “હવે મારી ભાષા જવાહર બોલશે.” તો તેનો અર્થ મહાત્મા ગાંધીની સ્ટાઇલમાં આવો જ થાય.

જો આવો ન થતો હોત તો તેમણે વિનોબા ભાવે વિષે જ એમ કહ્યું હોત કે “હવે વિનોબા મારી ભાષા બોલશે” મહાત્મા ગાંધીએ આવું શું કામ ન કહ્યું?

મહાત્મા ગાંધી એ આવું ન કીધું કારણ કે વિનોબા ભાવે તો ગાંધીજીની ભાષા બોલતા જ હતા. જે મહાત્માગાંધીની ભાષા બોલતા જ હોય તેને એવું કહેવાની જરુર જ ન પડે કે તમે મહાત્મા ગાંધીની ભાષા બોલો. જેઓ મહાત્મા ગાંધીની ભાષા ન બોલતા હોય તેને જ કહેવું પડે કે તમે મહાત્મા ગાંધીની ભાષા બોલો. જે વ્યક્તિ ટ્રાફિકના નિયમ ન પાળતો હોય તેને જ પોલીસ સીટી મારે.

પણ મહાત્મા ગાંધી પોતાનું કશું સ્પષ્ટીકરણ આપે અને જવાહરને મઠારવાની પ્રક્રીયા ચાલુ કરે તે પહેલાં જ તેમનું ખૂન થઈ ગયું.

જીન્ના, સુભાષ, મહાત્મા ગાંધી અને વલ્લભભાઇ ગયા પછી જવાહરલાલ નહેરુએ કોઇને ગાંઠવું પડે એવી વ્યક્તિ રહી નહીં. તેમની ગર્વિષ્ઠતાએ તેમને અનેક પરાજયો આપ્યા.

વૈજ્ઞાનિક યુગમાં સામ્યવાદ એ ભ્રમ છે.
સામ્યવાદ પરત્વે અર્ધદગ્ધ લોકો હમેશા ભ્રમમાં જ રહ્યા છે. સામ્યવાદ એ સરમુખત્યારશાહી અને આત્યંતિક મૂદીવાદનો દુર્ભગ સમન્વય છે. આત્યંતિક મૂદીવાદ એ સાચો શબ્દ છે કે નહીં તે મને ખબર નથી. મૂર્ધન્ય શ્રી પ્રકાશભાઇ ન. શાહ તે માટે સાચો શબ્દ આપી શકે.

આ વૈજ્ઞાનિક યુગમાં માનવીયપણું + જ્ઞાન + ટેક્નોલોજી = પ્રગતિ

આ વૈજ્ઞાનિક યુગમાં માનવીયપણું + જ્ઞાન + ટેક્નોલોજી = પ્રગતિ


અંગ્રેજીમાં કદાચ આ મૂડીવાદને એક્સ્ટ્રીમ કેપીટાલીઝમ કહેવાતું હશે. રાજકીય સત્તા અને દેશની મૂડી જો એક જગ્યાએ કેન્દ્રિત થાય તો તેને સામ્યવાદ કહેવાય. એક કરોડ કે દશ કરોડ કે વીસ કરોડ ચાલીસ કરોડ કે એક અબજની વસ્તી વાળા દેશમાં પાંચ, દશ, પચાસ કે સો વ્યક્તોઓના હાથમાં સત્તા અને મુડી કેન્દ્રિત થાય તો તેથી સામાન્ય જનતાને શો ફેર પડે? આમ આદમીનો તો ક્યારેય વારો આવે જ નહીં અને તેનો તો અવાજ સંભળાય જ નહીં. પારદર્શીપણું ન હોય એટલે શાસક કેટલો બગડેલો છે તેની પણ ખબર નપડે અને બગડેલાને સુધરવાની ફરજ પણ ન પડે. આ બગડેલો હમેશા સત્તા ટકાવી રાખવાના જ કાવાદાવામાં રચ્યો પચ્યો રહે.

જવાહરલાલ નહેરુનું કંઇક આવું જ થયેલું.

ગાંધીજીનો હતો સર્વોદયવાદ.

ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપો. કોંગ્રેસે હસ્ત ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું

ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપો. કોંગ્રેસે હસ્ત ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું

સર્વોદયવાદ એટલે જે સૌથી નીચેનો માણસછે તેનાથી વિકાસની શરુઆત કરવાની. એટલેકે તેને પહેલાં કામ આપો. તેને પ્રાથમિક શિક્ષણ આપો કે જેથી તે પગભર થવાની કક્ષાએ પહોંચે. મહાત્માગાંધીએ શિક્ષણને ઉદ્યોગ સાથે સાંકળવાની વાત કરેલ. જેથી એક ઘાએ બે પક્ષી મરે.

સર્ટીફીકેટો થી તમે દેશ ઉપર રાજ કરવાની લાયકાત કેળવી શકતા નથી. વિશાળ વાચન તમને માહિતી સભર કરે. પણ તમે સ્વકેન્દ્રી હો તો આર્ષદૃષ્ટિ તમારામાં ન આવે. સ્વકેન્દ્રીપણું એટલે તમે તમારા મન સામે પરાજય પામ્યા.

જે શાસક પોતાના મનથી પરાજય પામે તેનો દેશ પરાજય માપે છે
તમે શાસક છો અને તમારા મન સામે તમે પરાજય પામ્યા એટલે તમે દેશનો પરાજય પણ નોતરવાના જ.

દેશનો પરાજય ક્યારે થાય? તમે કાંતો દબાણમાં આવો છો અને અમૂક નિર્ણય લેવા મજબુર બનો છો. અથવા તમે સાપેક્ષે બેવકુફ છો અને સામી વ્યક્તિની કૂટીલ ચાલને સમજી શકતા નથી. અથવા તો તમે તમારો લાભ જુઓ છો એટલે કે સ્વકેન્દ્રી છે એટલે કે તમે તમારા મનથી પરાજીત છો.

તીબેટ એક સ્વતંત્ર દેશ હતો. ચીને તેના ઉપર દાવો કર્યો. તીબેટનો વિરોધ હતો. કોઈ કાળે ચીનના કોઇ રાજાની તેના ઉપર હકુમત હશે અથવા ન પણ હોય. એમ તો હિન્દુ રાજાઓ પણ ઈશુની પહેલી સદી સુધી ઉત્તરમાં તીબેટ, પશ્ચિમે ઓમાન અને ઈરાન, પૂર્વમાં  વીએટનામ, કંબોડીયા, મલેસીયા, થાઈ લેન્ડ, ઈન્ડોનેશીયા અને દક્ષિણમાં સીલોન સુધી રાજકરતા હતા.

સીલોન, અફઘાનીસ્તાન, બર્મા તો અંગ્રેજોએ છૂટા કર્યા.  તીબેટ બીન જોડાણવાદી દેશોના સમૂહનો એક સભ્ય હતો. અને સ્વતંત્ર દેશ હતો. તેણે આ સમૂહના દેશોના અધિવેશન માં ૧૯૫૦માં ભાગ પણ લીધેલો. ચીને કહ્યું અને રશિયા એ પરોક્ષ રીતે દબાણ કર્યું એટલે જે તીબેટ “બીન જોડાણવાદી અને સ્વતંત્ર દેશ તરીકે ઓળખાતો હતો” તે દેશ ઉપર જવાહરલાલે ચીનની સત્તા મંજુર રાખી.

આ એક હાર જ હતી. નહેરુને સરદાર પટેલે ૧૯૫૦માં જ પત્ર લખીને ચેતવ્યા હતા. પણ આ ચેતવણીને નહેરુએ ગણકારી ન હતી. અને આમજનતાને આ વાતની ખબર પણ નહતી. નહેરુએ તીબેટ ઉપર ચીનનું સાર્વભૌમત્વ માન્ય રાખ્યું એ એક અક્ષમ્ય ભૂલ હતી. આપણા મૂર્ધન્યો પણ ચૂપ રહેલ. કારણ કે તેઓ પણ આમ તો સામાન્ય કોટીના જ હોય છે.

ચીનની લશ્કરી ઘુસણખોરી

મૂર્ધન્યો તરફથી વળી જવાહરને ભારતનું અમૂલ્ય જવાહર (ઝવેરાત) માનવામાં આવતા. અને જ્યાં સુધી આગ મહેલના છેલ્લા માળ સુધી ન પહોંચે ત્યાં સુધી તેઓ અંધ હતા. તીબેટ કબજે કર્યા પછી ચીને ભારતીય સરહદમાં લશ્કરી થાણા નાખવા ચાલુ કર્યા અને ઘુસણ ખોરી પણ ચાલુ કરી.

ભારતીય લશ્કરના સેનાપતિઓ જ્યારે બંને લશ્કરના સેનાપતિઓની વચ્ચે થતી રુટીન મીટીંગોમાં આ ઘુસણખોરીનો પ્રશ્ન ઉઠાવતા ત્યારે ચીની અમલદારો નહેરુના પાર્લામેન્ટમાં કરેલા ઘુસણખોરીના ઈન્કારને ટાંકીને ભારતીય લશ્કરના સેનાપતિઓને મુંગા કરી દેતા.

થતું એવું કે આ ચીની ઘુસણઘોરીની વાતો લશ્કરના માણસો દ્વારા અખબારોને અને વિપક્ષના અમુક સભ્યોને પહોંચતી અને તેથી વિપક્ષી સભ્યો તે વિષે સરકાર પાસે સ્પષ્ટીકરણ માગતા. ત્યારે નહેરુ પોતે ચીનની ઘુસણખોરીને “મસ્જીદમાં ગર્યો છે જ કોણ?” એ અદા પૂર્વક ચીની ઘુસણ ખોરીને નકારતા. પણ જ્યારે વાત હદબહાર ગઈ અને ઘણા વિશ્વસનીય સમાચારો આવવા માંડ્યા ત્યારે નહેરુએ સામાન્યીકરણ જેવી ફિલસુફી હાંકવા માંડી જે કંઇક આપ્રમાણે હતી.

નહેરુઃ “એ પ્રદેશો એવા છે કે જ્યાં કશું ઉગતું જ નથી.”

મારે માથે પણ ટાલ ઉપર કંઈ ઉગતું નથી

મારે માથે પણ ટાલ ઉપર કંઈ ઉગતું નથી


મહાવીર ત્યાગીઃ “એમ તો મારા માથે પણ કશું ઉગતું નથી. તોશું હું તેનો કબજો બીજાને આપી દઈશ?” મહાવીર ત્યાગીને માથે ટાલ હતી. તેમનો ઈશારો નહેરુની ટાલ તરફ પણ હતો. મહાવીર ત્યાગીની માર્મિક વાત જેઓ ગહેરાઈથી વિચારશે તો તેઓ તેમાં રહેલી ટકોરને સમજી શકશે.

આચાર્ય ક્રિપલાની નહેરુની ફીલોસોફી થી તંગ થઈ ગયા હતા

આચાર્ય ક્રિપલાની નહેરુની ફીલોસોફી થી તંગ થઈ ગયા હતા


ક્રિપલાણીઃ સરહદ ઉપર આપણા લશ્કરનું નિયંત્રણ મજબુત કરો.

નહેરુઃ એવી કોઇ સરહદ છે જ નહીં.

ક્રિપલાણીઃ લાઇન ઓફ કન્ટ્રોલ તો છે જ ને.

નહેરુઃ લાઇન ઓફ કન્ટ્રોલની કોઇ વ્યાખ્યા નથી.

ક્રિપલાણીઃ તો પછી આ સમસ્યાને યુનોમાં લઈ જાવ.

નહેરુઃ યુનો એ અત્યાર સુધીમાં કઈ સમસ્યા ઉકેલી છે?

ક્રિપલાણીઃ ભારતે ચીની થાણા ઉપર બળ જબરીથી પણ કબજો લઈ લેવો જોઇએ.
નહેરુઃ યુદ્ધથી કોઇ પ્રશ્નો ઉકેલાતા નથી.

જવાહરલાલ નહેરુ સામે આવેલી કટોકટી જનતા તરફથી ન હતી પણ જે કંઈ થોડા સિદ્ધાન્તવાદીઓ પક્ષમાં બચેલા તેઓએ ન છૂટકે કરેલો વિરોધનો વંટોળ હતો. તે પણ તેમની સામેના વિરોધકરતાં તેમના સંરક્ષણ મંત્રી વિ. કે. મેનન પરત્વે હતો. તેઓની મમત એટલે હદ સુધી હતી કે  ચીનની તરફેણમાં ચાપલુસી ઉપરાંત સીમા ક્ષેત્ર ઉપરની બેદરકારીને કારણે બીજા નેતાઓ અને પ્રજા તરફથી પણ વિરોધ થયેલો અને તેમનું રાજીનામું લઈ લેવાનું દબાણ ઉત્પન્ન થયેલું જે નહેરુએ નકારવાનું ચાલુ રાખેલું. પણ પછી જ્યારે તે સમયના સાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણએ તેમને કહ્યું કે જો તમે સંરક્ષણ મંત્રી નહીં બદલો તો અમારે પ્રધાન મંત્રી બદલવા વિષે વિચારવું પડશે. ત્યારે નહેરુએ એક નવું ખાતું ખોલેલ જેનું નામ આપેલ સંરક્ષણ ઉત્પાદન અને તેમાં મેનનને મંત્રી તરીકે રાખવામાં આવ્યા અને યશવંતરાવ ચવાણને નહેરુએ સંરક્ષણ મંત્રી બનાવેલ.

મારા એક મિત્ર કે જે બ્રીગેડીયર હતા તેમને મેં જ્યારે પૂછ્યું કે આપણે શું લશ્કરીબળમાં એટલા નબળા હતા કે ઘડીના છઠ્ઠા ભાગમાં ચીની આક્રમણ સામે હારી ગયા?
તેમણે કહ્યું વાસ્તવમાં આપણી સરહદ જ નોંધારી હતી અને લશ્કરી દળોની હાજરી જ નહીં જેવી હતી. આપણુ સંરક્ષણદળ જો આપણે ચીનસાથેની સરહદ પર ગોઠવવું હોય તો છ માસનો સમય જોઇએ.

આ દરમ્યાન બીજા પ્રશ્નો પણ ઉત્પન્ન થયેલ.

હોળીનું નાળીયેર "મોરારજી દેસાઈ"

હોળીનું નાળીયેર "મોરારજી દેસાઈ"


ભાષાવાર પ્રાંતરચનાઃ
કોંગ્રેસની મહાસભાની નીતિ હતી કે ભાષાવાર પ્રાંત રચના કરવી જેથી લોકેને પોતાની ભાષામાં વહીવટ મળે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત નું એક રાજ્ય, મુંબઈનું એક રાજ્ય અને મહારાષ્ટ્રનું એક રાજ્ય કરવું. પણ મહારાષ્ટ્રને મુંબઈ સહિતનું મહારાષ્ટ્ર જોઇતું હતું. ગુજરાતને મહારાષ્ટ્ર સાથે રાખવાથી અન્યાય થતો હતો હતો એવી લાગણી હતી. પણ જેમ નરેન્દ્ર મોદીએ કરેલી ગુજરાતની પ્રગતિને ગુજ્જુ કોંગીઓ દ્વારા નકારવામાં આવે છે તેમ ગુજરાતને થતો અન્યાય પણ તે વખતના કોંગ્રેસ તરફી અખબારો તરફથી નકારવામાં આવતો હતો.
મુંબઈના વિકાસમાં કચ્છીઓ, કાઠીયાવાડીયો, પારસીઓ મતલબકે ગુજરાતીઓનો ફાળો બહુમૂલ્ય હતો. ૯૦ટકા ધંધા ઉદ્યોગો ઉપર ગુજરાતીઓનો હતો. ૭૫ ટકા મિલ્કત ગુજરાતીઓની હતી. અને ૩૦ટકા વસ્તી ગુજરાતીઓની હતી. મરાઠી ભાષી લોકો ૪૦થી ૪૫ ટકા હતા. બાકીના બધા કન્નડ, મલબારી, ગોવાનીઝ અને ભૈયાજીમાં આવતા. સવાલ મુંબઈને અલગરાખવું કે મહારાષ્ટ્રમાં રાખવું એજ હતો.
પણ નહેરુ એમ આસાનીથી મહારાષ્ટ્રને મુંબઈ આપી દેવામાં માનતા ન હતા. તેથી ૧૯૫૬માં કચ્છ, સૌરાષ્ટ્ર, વિદર્ભ અને મહારાષ્ટ્રને મેળવીને દ્વીભાષી મુંબઈ રાજ્ય કર્યું.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અલગ સ્થાનિક પક્ષો ઉદભવ્યા. અને ૧૯૫૭ની ચૂંટણીમાં મહારાષ્ટ્ર માં કોંગ્રેસને માર પડ્યો. ગ્રામ્યવિસ્તારોમાં ખેડે એની જમીન એ સિધ્ધાંતનો ઠીક ઠીક અમલ થયો હતો તેથી સમગ્ર રીતે જોતાં કોંગ્રેસને બહુમતિ મળી.
લોકસભા કુલ બેઠક ૬૬.
કોંગ્રેસ ગુજરાત ૧૬/૨૧,
કોંગ્રેસ મહારાષ્ટ્ર ૨૨/૪૫

વિધાનસભાઃ કુલ બેઠક  ૩૯૬.
કોંગ્રેસ ગુજરાત ૮૪/૧૧૮,
વિદર્ભ સહિત મહારાષ્ટ્ર કોંગ્રેસ ૧૫૦/૨૭૮

કોંગ્રેસ માટે મહારષ્ટ્રમાં હાર હતી.

નહેરુએ એક વડાપ્રધાનને ન શોભે તેવું નિવેદન કર્યું કે જો મહારાષ્ટ્રને મુંબઈ મળશે તો તેઓ ખુશ થશે. આના ઘણા સૂચિતાર્થો હતા. જેમાંનો મુખ્ય હેતુ મોરારજી દેસાઈને બદનામ કરવાનો હતો. મુંબઈમાં ગુજરાતીઓ સામે તોફાનો થયા. જે મરાઠી અને ગુજરાતી પ્રજા સૈકાઓથી હળી મળીને રહેતી હતી, અને જેના કવિઓ “શિવાજીનું હાલરડું” ગાતા હતા તે ગુજરાતીઓને મારવામાં આવ્યા. અને ગુજરાતીઓએ મુંબઈમાંથી હિજરત ચાલુ કરેલી. અંતે ૧૯૬૦માં દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થયેલું.

મોરારજી દેસાઇને ઘણા બદનામ કરવામાં આવ્યા. આપણા ગુજ્જુ મૂર્ધન્યોમાંના ઘણા લોકો પણ મોરારજી દેસાઇને બદનામ કરવામાંથી બકાત નહતા. મોરારજી દેસાઈનું જોર તોડવા દ્વિભાષી મુંબઈરાજ્યના મુખ્ય મંત્રી જીવરાજ મહેતાને કરેલ. પણ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોરારજી દેસાઈનું સંગઠન મજબુત હતું.

૧૯૬૨ ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસમાં ડખો થયેલ.

જીવરાજ મહેતા નહેરુના વળના હતા અને ગુજરાતના આંતરિક વિખવાદમાં બળવંતરાય મહેતા અને જાદવજી મોદી પીએસપી ના ઉમેદવારો સામે હારી ગયેલ. આજ પીએસપીઓને પાછળથી નહેરુએ સમાજવાદને નામે પોતાનું ગ્રુપ મજબુત કરવા માટે કોંગ્રેસમાં ભેળવી દીધેલ. પણ બળવંતરાય મહેતા ગાંધીવાદી હતા. અને પેટાચૂંટણી માં જીતીને સર્વાનુ મતે મુખ્ય મંત્રી બની ગયેલ. જીવરાજ મહેતા રસીકભાઇ પરિખ એન્ડ કંપનીના હાથ હેઠા પડેલ.

મોરારજી દેસાઈ વડાપ્રધાનપદના દાવેદાર હતા. આ નહેરુને પસંદ ન હોય તે સ્વાભાવિક હતું. મોરારજી દેસાઇને કાઢવા માટે કામરાજ પ્લાન અમલમાં મૂક્યો.
કામરાજ પ્લાન
કામરાજ નાદર મદ્રાસી હતા. કોંગ્રેસના પ્રમુખ હતા. નહેરુએ એક સીન્ડીકેટ બનાવેલી હતી. જેમાં રાજ્યોના બોસ હતા. અતુલ્ય ઘોષ, કમલાપતિ ત્રીપાઠી, સાદોબા પાટીલ, મોહનલાલ સુખડીયા અને કામરાજ મુખ્ય હતા. “ડૂબવું તો સાથે ડૂબવું અને તરવું તો સાથે તરવું પણ નહેરુવંશ રાજ કરે તે જોવું એ હેતુ સાથે નહેરુએ આ સીન્ડીકેટની રચના કરેલી.
યોજના પ્રમાણે કામરાજે કહ્યું કે દેશને મજબુત કરવો હોય તો કોંગ્રેસને મજબુત કરવી પડશે.  સીનીયર નેતાઓએ પક્ષને મજબુત કરવા માટે પક્ષના સંગઠનમાં લાગી જવું અને તે માટે પોતાના હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપી દેવું. નહેરુની કેબીનેટના બધા પ્રધાનોએ અને નહેરુએ પણ રાજીનામુ પક્ષ પ્રમુખને આપી દીધું. મોરારજી દેસાઈને કાવતરાની ગંધ તો હતી જ. પણ નહેરુનો દાવ એવો હતો કે તેમણે પણ રાજીનામુ આપવું પડ્યું. ફક્ત મોરારજી દેસાઇ સિવાય બધાના રાજીનામા ના મંજુર થયા.
આ પ્રમાણે નહેરુએ ચાલાકીથી કોઠળામાં પાંચશેરી નાખીને મોરારજી દેસાઈનો કાંટો કાઢ્યો.
અત્યારે જેમ સમાચાર માધ્યમો નરેન્દ્ર મોદીની કોઇ વિવાદાસ્પદ વાત ઉપર પણ ટીકાનો મારો ચલાવવાની ફેશન ચલાવે છે તેમ તે વખતે મોરારજી દેસાઈને વગોવવાની ફેશન હતી. અને આ ફેશન ૧૯૭૩ના નવનિર્માણના આંદોલન સુધી ચાલુ રહેલી.
નહેરુએ લાદેલી બાહ્ય કટોકટી ક્યારે ખતમ થઈ તેની ભાગ્યે જ કોઇએને ખબર હશે.

આ પ્રમાણે નહેરુ કેવા હતા?
નહેરુ અષ્ટકુટ હતા,
નહેરુ ઉસ્તાદ હતા અને રજમાત્ર પણ ગાંધી વાદી ન હતા છતાં પણ ગાંધીના નામે તરી ગયેલા હતા. તેમાં અખબારોનો અને તેમના ચેલકાઓનો ફાળો નાનોસૂનો ન હતો.
તેઓનો રોજનો ખર્ચો તે વખતાના રુપીયા ૨૫૦૦૦ હતો. હાલના એ પચીસ લાખથી વધુ કહેવાય.
તેઓ સીગરેટ પીતા હતા
તેઓ દારુ પીતા હતા,
તેઓ માંસાહારી હતા,
તેમની મરઘી ફક્ત બદામ ખાતી અને બ્રાન્ડી પીતી. આ મરઘી જે બચ્ચાં આપે તેની જ ચીકન તેઓ ખાતા હતા.
તેઓ નાટકીય અદાઓ રાખતા,
દંભી તો હતા જ.

નહેરુની અહિંસા કાયરની અહિંસા હતી. ૧૯૪૯ જ્યારે એક વખત વલ્લભભાઇ પટેલ નેવીનો એક બેડો લઈને ગોવા પાસેથી પસાર થતા હતા ત્યારે તેમણે કમાન્ડોને પૂછ્યું શું અત્યારે આપણે ગોવા ઉપર હુમલો કરીએ તો તેને જીતી શકીએ? કમાન્ડોએ કહ્યું હા. આપણે જીતી શકીએ. તો કરો હુમલો. નેવીનો કમાન્ડો કમાન્ડો છક થઈ ગયો. પણ બીજી ક્ષણે વલ્લભભાઈ પટેલે કહ્યું. રહેવા દો. હુમલો નથી કરવો. જવાહરને નહીં ગમે.

પણ પછી એજ જવાહરલાલ નહેરુએ ૧૯૬૧ દીવ દમણ અને ગોવાને લશ્કરી બળથી આઝાદ કર્યાં. આ વિજયે કોંગ્રેસને ૧૯૬૨માં ફરીથી સત્ત્તા ઉપર બેસાડવામાં થોડી ઘણી મદદ તો કરી.

જવાહરલાલ નહેરુએ જે એક વાત મહાત્મા ગાંધી વિષે કરેલી તે આઘાતજનક છે. પણ કોઇ સમાચાર માધ્યમોએ કે તેમના ચેલાકાઓએ આ વાતને પ્રસિદ્ધિ આપી નથી. તેમના વિરોધીઓને કદાચ ખબર પણ ન હતી.
પણ જેમ હાલના નહેરુવીયન કોંગ્રેસીઓને ધોળી ચામડીવાળાઓ સામે “ખુલકર બાતકરનેકી આદત” અને જર્ક આપે તેવી વાતો પરમસત્યને નામે કરવાની ટેવ છે તેમ નહેરુ પણ તેમાંથી બકાત નહતા.

ચમત્કૃતિઃ

नहेरु की दृष्टिमें महात्मा गांधीः
गांधी जी के सर्वाधिक प्रिय व खण्डित भारत के प्रथम प्रधानमंत्री जवाहर लाल नेहरू ने कहा – ” ओह दैट आफुल ओल्ड हिपोक्रेट Oh, that awful old hypocrite – ओह ! वह ( गांधी ) भयंकर ढोंगी बुड्ढा । यह पढकर आप चकित होगे कि क्या यह कथन सत्य है – गांधी जी के अनन्य अनुयायी व दाहिना हाथ माने जाने वाले जवाहर लाल नेहरू ने ऐसा कहा होगा , कदापि नहीं । किन्तु यह मध्याह्न के सूर्य की भाँति देदीप्यमान सत्य है – नेहरू ने ऐसा ही कहा था । प्रसंग लीजिये – सन 1955 में कनाडा के प्रधानमंत्री लेस्टर पीयरसन भारत आये थे । भारत के प्रधानमंत्री जवाहर लाल नेहरू के साथ उनकी भेंट हुई थी । भेंट की चर्चा उन्होंने अपनी पुस्तक ” द इन्टरनेशनल हेयर्स ” में की है –
सन 1955 में दिल्ली यात्रा के दौरान मुझे नेहरू को ठीक – ठीक समझने का अवसर मिला था । मुझे वह रात याद है , जब गार्डन पार्टी में हम दोनों साथ बैठे थे , रात के सात बज रहे थे और चाँदनी छिटकी हुई थी । उस पार्टी में नाच गाने का कार्यक्रम था । नाच शुरू होने से पहले नृत्यकार दौडकर आये और उन्होंने नेहरू के पाँव छुए फिर हम बाते करने लगे । उन्होंने गांधी के बारे में चर्चा की , उसे सुनकर मैं स्तब्ध हो गया । उन्होंने बताया कि गांधी कैसे कुशल एक्टर थे ? उन्होंने अंग्रेजों को अपने व्यवहार में कैसी चालाकी दिखाई ? अपने इर्द – गिर्द ऐसा घेरा बुना , जो अंग्रेजों को अपील करे । गांधी के बारे में मेरे सवाल के जबाब में उन्होंने कहा – Oh, that awful old hypocrite । नेहरू के कथन का अभिप्राय हुआ – ” ओह ! वह भयंकर ढोंगी बुड्ढा ” ।( ग्रन्थ विकास , 37 – राजापार्क , आदर्शनगर , जयपुर द्वारा प्रकाशित सूर्यनारायण चौधरी की ‘ राजनीति के अधखुले गवाक्ष ‘ पुस्तक से उदधृत अंश )

नेहरू द्वारा गांधी के प्रति व्यक्त इस कथन से आप क्या समझते है?

Read Full Post »

જય પરાજય અને તે પછીની કાળી રાત્રીઓ ભાગ – ૧

વાત છે કટોકટીની.

વડાપ્રધાનની ગાદી પર કોણ બેસે?

લાલબહાદુર શાસ્ત્રીને સીન્ડીકેટે રાજગાદી પર બેસાડ્યા. પણ તેમનું તાસ્કંદમાં અવસાન થયું. એટલે સીનીયોરીટી પ્રમાણે મોરારજી દેસાઈનો નંબર લાગવો જોઇએ. પણ ગાંધીવાદી કહેડાવવામાં પોતાને ગર્વ છે અને કોંગ્રેસને ગાંધીજીનો વારસો છે એવું બતાવી લોકોના મતમાગતી કોંગ્રેસના નેતાગણને અને ઘણા મૂર્ધન્યોને પણ વાસ્તવમાં અને અંદરખાને ગાંધીવાદ લગીરે પસંદ નહતો. તેવીજ રીતે ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ પણ પસંદ ન હતા. ૧૯૬૬માં મોરારજી દેસાઇ કે જેઓ રાજકીય હોદ્દાનો સન્યાસ ભોગવતા હતા તેમણે સીન્ડીકેટના સભ્યોની અનિચ્છા છતાં  નેતા પદ માટે ઈન્દીરા ગાંધી સામે ઉમેદવારી નોંધાવી અને સૌના આશ્ચર્ય વચ્ચે ૧૬૯ મત મેળવ્યા. સીન્ડીકેટના નેતાઓ માનતા હતા કે મોરારજી દેસાઇને ૬૯ મત પણ નહીં મળે. પણ સીન્ડીકેટને મોરારજી દેસાઇ હારી ગયા તેનો સંતોષ હતો.


૧૯૬૭ની સામાન્ય ચૂંટણી આવી. કોંગ્રેસે ખરાબ દેખાવ કર્યો. ૧૯૬૬ થી ૧૯૬૭ સુધીની ઈન્દીરાગાંધીની સરકારની  કર્મ કહાણી નબળી રહી હતી એટલે પ્રજા વિમુખ બની હતી. સબળ નેતાની જરુર દેખાતી હતી. એટલે જો મોરારજી દેસાઇ ફરી નેતાપદ માટે કોંગ્રેસના સંસદીય પક્ષમાં ઉમેદવારી કરે તો જીતી પણ જાય. યેનકેન પ્રકારે મોરારજી દેસાઇને ઉપવડાપ્રધાન પદ માટે મનાવી લીધા. અને ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન બનાવ્યાં.

કોંગ્રેસના નૈતિક પરાજયના બીજ વવાયાં.

 

જો સાહેબ કરતાં તેમની નીચેની રેન્કનો અધિકારી વહિવટમાં વધારે કુશળ હોય તો સાહેબનો પ્રભાવ ઓછો રહે અને નીચેના સાહેબનો પ્રભાવ વધુ રહે. કદાચ સરકારી નોકરીમાં આ વાત મોટો સાહેબ નભાવી લે. ખાનગી કંપનીમાં “ઈટ ડીપેન્ડ્ઝ” કે મોટા સાહેબને કઈ કડીઓ છે. પણ રાજકારણ અને તે પણ પક્ષીય રાજકારણમાં આ પરિસ્થિતી જરાય ન ચાલે. એટલે ઈન્દીરા ગાંધીને પણ લાગ્યું કે મોરારજી દેસાઇની હાજરીમાં પોતે પક્ષમાં અને લોકોમાં ઝાંખી પડી જશે અને સીન્ડીકેટના આશ્રયે કાયમ માટે જીવાશે નહીં. એટલે પછી ઘણા બનાવો બન્યા. કોંગ્રેસના ભાગલા થયા. નવા ઈલેક્ષનો થયા અને ઈન્દીરા ગાંધીને પ્રચંડ વિજય મળ્યો કારણકે ઈન્દીરા ગાંધીએ જણાવ્યું હતું કે મારે ગરીબો માટે ઘણું ઘણું કરવું છે. મારા બાપાને પણ ગરીબો માટે ઘણું ઘણૂં કરવું હતું. પણ આ બુઢ્ઢાઓ (સીન્ડીકેટના સભ્યો અને મોરારજી દેસાઇ) તેમને કરવા દેતા ન હતા. સમાચાર પત્રો અને પોતાને બુદ્ધિજીવી, મહાન વિશ્લેષકો અને અભ્યાસુઓ ગણાવતા કટાર લેખકો અને ધૂરંધર પત્રકારોએ પણ ઈન્દીરા ગાંધીના કથનોને અને ઈન્દીરા ગાંધીને વધાવ્યા. આમાંના કોઇને પણ કોઈપણ માહિતી માગવાની કે એવું કોઇ સંશોધન કરવાની જરુર જ ન લાગી, એટલે ગુણ દોષની કોઇ તંદુરસ્ત ચર્ચાને અવકાશ જ ન રહ્યો. કોંગ્રેસની અંદર ભાગલા પડે અને મોટા નેતાઓ એકબીજાની વિરુદ્ધ બોલે એજ વાત તેમને માટે એવો દમદાર મુદ્દો હતો કે બૌધ્ધિક ચર્ચાઓ જ તેમણે અપ્રસ્તૂત બનાવી દીધી. અત્યારે જેમ લાલુ પ્રસાદ યાદવ મજાકનું પાત્ર છે તેમ મોરારજી દેસાઇને ગુજરાતના મૂર્ધન્યોએ પણ મજાકનું પાત્ર બનાવી દીધા હતા. “ભ્રમણ સહર્ષિ” એક નાટકનું પાત્ર હતું તે મોરારજી દેસાઇની પ્રતિકૃતિ તરીકે જોવાનું હતું.

મેડમનો ઉપાડ તો આખી બેન્ક જ હોય છે

જો તમે શ્રમવગર બાપિકી મિલ્કત મેળવો અને યોગ્યતા ન હોય તો મુશ્કેલીઓ તો આવે જ. ૧૯૬૬થી જ મોટી સંખ્યામાં નિરાશ્રીતો અને ઘુસણખોરો આવવાના ચલુ થયેલા જ હતા થયા. મોંઘવારી, ઘરવપરાશની સહિતની દરેક વસ્તુઓની કમી, લાંચરુશ્વત, દાણચોરી, ગુન્ડાગીરી અને રાજકીય પક્ષપલ્ટાઓ એવા ફુલ્યાફાલ્યા કે બાંગ્લાદેશ વિજયની વાતો ધોવાઈ ગયી. વળી ઘુસણ ખોરોને પાછા મોકલવામાં પણ ઈન્દીઈરા ગાંધીને સરેઆમ નિસ્ફળતા મળેલ. રશીયાની મુસદ્દીગીરી ઈન્દીરા ગાંધીને રાજકારણના દાવ ખેલવામાં મદદગાર થાય પણ રશીયા આપણા ઘરઆંગણાંના પ્રશ્નો કંઈ ઉકેલી ન આપે. કોમ્યુનીષ્ટોની તો કાર્યશૈલી હોય છે કે જનતાને હંમેશા તંગ જ રાખો અને જનતા હમેશા સરકાર ઉપર જ નિર્ભર રહે તેવી પરિસ્થિતી રાખો. ચૂંટણી વખતે અવનવા મુદ્દાઓ ચગાવી જનતાને ભ્રમમાં નાખો.

અમે કંઇ જેવા તેવા નથી

અમે કંઇ જેવા તેવા નથી

બેંકોના રાષ્ટ્રીય કરણે કરી બેંકોની અને દેશની નીતિમત્તાની પાયમાલી

 

રશીયામાં તો એક જ પક્ષ હોય. એટલે બુદ્ધિજીવીઓ પણ પક્ષના જ કાર્યકર્તા હોય. ભારતમાં તો એવું નહોય. ૧૯૭૩માં ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે નવનિર્માણ આંદોલન થયું અને તેણે ગુજરાતની નહેરુવીયન કોંગ્રેસનો ભોગ લીધો. જયપ્રકાશ નારાયણે તેમાંથી પ્રેરણા લઈ દેશવ્યાપી આંદોલન ચાલુ કર્યું. રશીયામાં તો નેતાગણ, સરકાર અને અધિકારી એવા સ્પ્ષ્ટ ભેદ હોતા નથી. ભારતમાં તો ભેદ હોય છે. ઈન્દીરા ગાંધીએ તો રશીયન માઈબાપની સલાહ પ્રમાણે કામ કરેલ અને તેથી તેમના સેક્રેટરીએ ૧૯૭૦ ઈન્દીરા ગાંધીના પ્રચારતંત્રમાં સામેલ હતા. જોકે તેમણે રાજીનામું આપી દીધેલ. પણ ભારતીય સેવાના કાયદા પ્રમાણે જ્યાં સુધી રાજીનામું મંજુર નથાય ત્યાં સુધી તે સરકારી નોકર જ ગણાય. ઈન્દીરાગાંધીની ચૂંટણીને તેમના ઉમેદવાર રાજનારાયણે કોર્ટમાં પડકારેલી અને તેનો ચૂકાદો તેમના વિરોધી ઈન્દીરાગાંધીની ચૂંટણીને તેમની સામેના ઉમેદવાર રાજનારાયણે કોર્ટમાં પડકારેલી અને તેનો ચૂકાદો ઈન્દીરા ગાંધીની વિરોધમાં આવેલ. ઈન્દીરા ગાંધીની ચૂંટણી રદ થઈ એટલું જ નહીં પણ તેમને ૬ વર્ષ માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા.


૧૨મી જુન ૧૯૭૫ ના દિવસે અલ્હાબાદ હાઇ કોર્ટે ચૂકાદો આપેલો. એટલે ઈન્દીરા ગાંધીએ તે અગાઉથી જ લાખોની સંખ્યામાં પોસ્ટરો છપાવીને રાખેલા કે “માનનીય ઈન્દીરા ગાંધી પ્રધાન મંત્રીના પદ પર ચાલુ જ છે” ઑલ ઈન્દીરા રેડીઓ દર ૧૫ મીનીટે આ સમાચારનું પૂનરાવર્તન કરતો. અને ઠેક્ઠેકાણેથી અલગ અલગ જાણીતા અને અજાણ્યા નેતાઓ ઈન્દીરા ગાંધીમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તેવા સમાચારોનું પણ પૂનરાવર્તન થતું હતું.

 

જયપ્રકાશનારાયણનું આંદોલનને જનતાનો સહકાર મળી રહ્યો હતો. એટલે ઈન્દીરા ગાંધીએ કટોકટી જાહેર કરી.

 

લોકતંત્ર એટલે જે અમે કહીએ તે

લોકતંત્ર એટલે જે અમે કહીએ તે

લોકતંત્ર એટલે જે અમે કહીએ તે

કટોકટીના સમય ગાળા દરમ્યાનઃ

બંધારણીય અધિકારો રદ ગણવામાં આવ્યા.

સમાચાર પત્રો એવા સમાચાર કે મંતવ્યો છાપી ન શકે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ સરકાર વિરોધી કે ટીકાત્મક હોય. જે કંઈ સામાન્ય પણ છાપવું હોય તે પણ અધિકૃત સરકારી અધિકારીને બતાવી અને તેની પરવાનગી મળ્યા પછી જ છપાય.

કોઇ લેખક તખલ્લુસથી કશું પણ લખી ન શકે

પોલીસ પોતાની મુનસફ્ફી પ્રમાણે પકડી શકે

માનવીય અધિકારો પણ સ્થગિત થયા છે તેમ કહેવામાં આવ્યું

જોવા શું મળ્યું?

વિરોધ પક્ષોના અને આંદોલનકારી નેતાઓને પકડવામાં આવ્યા.

એટલે મોરારજી દેસાઇ, અડવાણી, બાજપાઇ તો ખરા જ પણ સર્વોદય કાર્યકરો અને ગાંધીવાદી નેતાઓ અને કાર્યકરો જેવાકે જયપ્રકાશ નારાયણ જેવા ગાંધીજીના અંતેવાસીઓને પણ પકડીને જેલભેગા કરેલા.

શામાટે કટોકટી લાગુ કરવામાં આવી હતી?

ઈન્દીરા ગાંધીના કહેવા પ્રમાણે અને જાહ્વેર કર્યા પ્રમાણેઃ
આર્થિક ક્ષેત્રે કટોકટી હતી,

ઉત્પાદન ક્ષેત્રે કટોકટી હતી,

કાયદાકીય અંધાધુંધી હતી,

લોકો કાયદો હાથમાં લેતા હતા,

વહીવટી ક્ષેત્રે કટોકટી હતી,

વિરોધ પક્ષોના નેતાઓ, વહીવટી અધિકારીઓને સરકાર વિરુદ્ધ અને કાયદા વિરુદ્ધ ઉશ્કેરતા હતા,

એક વરિષ્ઠ આંદોલનકારી નેતા (જયપ્રકાશ નારય) લશ્કરને સરકારી હૂકમ ન માનવા માટે ઉશ્કેરતા હતા.

કાયદાનું શાસન પડી ભાંગ્યુ હતું.

૧૨ મી જુનથી ૨૫મી જુનસુધીના ગાળામાં અવનવી જાતના પોસ્ટરો પણ છપાઈ ગયેલા.

અને જેવી કટોકટી જાહેર થઈ કે બધે રાતોરાત લાગી ગયા.

“જ્યારે દેશ ઉપર આપત્તિ આવી ત્યારે તે પાષાણ બનીને ઉભી રહી અને દેશને બચાવી લીધો”

“પ્રધાન મંત્રીનો ૨૦ મુદ્દા નો કાર્યક્રમ”,

“મહામંત્રીનો ૪ મુદ્દાનો કાર્ય ક્રમ”

“અમારો મંત્ર સૌ સાથે નમ્ર વ્યવહાર”,

આવા તો સેંકડો જાતના પોસ્ટરો છપાવેલા.

દરેકની નીચે ઈન્દીરા ગાંધી અને અથવા સંજય ગાંધીની તસ્વીર તો ખરી જ.

વળી જેવી કટોકટી જાહેર થઈ કે દરેક સરકારી ટ્રેડ યુનીયનોના સેક્રેટરીઓ અને પ્રમૂખોને સૂચના હતી કે તેઓ કટોકટીને આવકારે છે તેવા નિવેદનો કરે. જે કોઇ મીટીંગ થાય તેમાં પણ સૌ પ્રથમ આ જાતનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવાની સૂચના હતી. અને કટોકટી વિષે કોઇ પણ ચર્ચા કરવાની બંધી હતી અને તેનું પાલન થાય છે કે નહીં તે જોવાતું. તેથી કરીને યુનીયન લીડરોને અને સૌ કોઇને એ ડર રહેતો કે આપણને બરતરફ કરશે અને કોર્ટમાં જઈ શકાશે નહીં કારણ કે બંધારણીય નાગરિક અધિકારો રદ થયા છે. એટલે દોઢડહ્યા થવાને બદલે કજીયાનું મોં કાળું કરો.

વિનોબા ભાવેને પકડ્યા ન હતા. કારણકે તેમણે કહ્યું કે “કટોકટી એ અનુશાસન પર્વ છે”

અને તેનો અર્થ એ કરવામાં આવ્યો કે કટોકટીમાં બધાએ કશી ગરબડ કરવી નહીં અને શાંતિ રાખવી.

અનુશાસન એટલે વિદ્વાનોનું શાસન.  શાસકોનું શાસન નહીં

અનુશાસન એટલે વિદ્વાનોનું શાસન. શાસકોનું શાસન નહીં

અલબત્ત ગુજરાતમાં બાબુભાઇ જશભાઇ પટેલનુ એટલે કે જનતા મોરચાનું રાજ હતું એટલે જ્યાં સુધી જનતા મોરચાનું રાજ રહ્યું ત્યાં સુધી કશો વાંધો ન આવ્યો. જ્યાં કોંગી સરકારો હતી ત્યાં સભા સરઘસ, ધરણા, દેખાવો વિગેરેની બંધી હતી. અને તે બધું ઈન્દીરાઇ કોંગ્રેસના નેતાઓના નિવેદનો પ્રમાણે અને તેમને શરણે ગયેલા સમાચાર માધ્યમો ના કહેવા પ્રમાણે દેશવિરોધી પ્રવૃત્તિઓ હતી. પણ ગુજરાતમાં આ જ ઈન્દીરાઇ નેતાઓ બાબુભાઇ પટેલની સરકાર સામે સભા, સરઘસ, ધરણા, દેખાવો વિગેરે બધું જ કરતી. જેમ અત્યારે કોંગ્રેસના કપિ સિબ્બલ, (ક)પી. ચિદમ્બરમ, મોઇલી, હાલનું નહેરુવીયન ફરજંદ જે મહામંત્રીનો હોદ્દો પણ ધરાવે છે તે અને પ્રણવ મુખર્જિ જેવા નેતાઓ તેમના અન્નદાતા ના ઈશારે બેફામ વર્તન અને નિવેદનો કરે છે તેવું તે વખતે કોંગી નેતાઓ કરતા.

 

ફેર એટલો હતો કે અત્યારે ભાષાની સમસ્યાને કારણે જેમ એન્ટોનીયા માઇનો ખાસ કશું બોલી શકતા નથી અને બોલતા નથી અને મનમોહનજીને એવી ફાવટ નથી, પણ તે વખતે ઈન્દીરા ગાંધી અને તેમના પક્ષના પ્રમૂખ શ્રી દેવકાંત બરુઆ, બંસીલાલ, આખા દેશમાં બેફામ હતા. તેમને અને તેમના ઉપાસકોને માપદંડોની કશી નડતર ન હતી.

 

બાબુભાઇ જશભાઇ પટેલ એટલે રણમાં વીરડી

બાબુભાઇ જશભાઇ પટેલ એટલે રણમાં વીરડી

બાબુ ભાઇ પટેલની સરકાર તેમને આંખના કણાની જેમ ખૂંચતી હતી. સમાચાર માધ્યમો એક તરફી હોવા છતાં પણ બાબુભાઇ જશભાઇ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટાણીઓ કરાવેલ. એમાં અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પણ આવેલી. કોંગીઓએ એડી ચોટીનું જોર લાગવેલ. પણ  જનતા મોરચો અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી ચાર સીટે જીતી ગયેલ. પણ કોંગીઓ તાલુકા અને જીલ્લા પંચાયતોની મોટાભાગની ચૂંટણીઓ જીતી ગયેલ. ગામડાઓમાં એવી ધાક ફેલાવેલી કે આજકાલમાં જ બાબુભાઇ જશભાઇ પટેલની સરકાર જશે. પછી તમને કોણ બચાવશે?

પક્ષપલ્ટો

ઈન્દીરા ગાંધી અને તેના સવાયા ઉપાસકોને સાધન શુદ્ધિનો બાધ ન હોવાથી કેટલાક વિધાન સભાના સભ્યોને ડરાવી ને પક્ષપલ્ટો કરાવીને સરકારને તોડી જેમાં ચિમનભાઇ પટેલની પાર્ટીના સભ્યો મુખ્ય હતા. રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું. તે પછી ધરપકડનો દોર ગુજરાતમાં ચાલુ થયો હતો. નાનુભાઇ, કાન્તિભાઇ, હસમુખભાઇ, હર્શદભાઇ માવાણી, પ્રકાશભાઇ જેવા નિડર સર્વોદયવાદી કાર્યકરોને પણ પકડવામાં આવ્યા. જનસંઘ અને આરએસએસના તાલુકા અને મહાલ કક્ષાના હોદ્દેદારો અને બીજા બોલકા કાર્યકરોને પણ જેલ ભેગા કરેલા. જેઓ રાજકારણમાં રસ લેતા હતા તેવા વકીલોને પણ જેલ ભેગા કરેલા.


રવિશંકર મહારાજને પકડ્યા ન હતા. કારણ કે તેઓ પથારીવશ હતા અને કોઇએ ઈન્દીરા ગાંધીને સલાહ આપેલી કે છાણે વીંછી ચડાવવા જેવો નથી. જે કર્યું છે તે પૂરતું છે.

રવિશંકર મહારાજ એટલે ગુજરાતનો આત્મા

રવિશંકર મહારાજ એટલે ગુજરાતનો આત્મા

ભૂમિપૂત્ર જે સર્વોદય સમાજનું મૂખ પત્ર છે તેના ઉપર ધોંસ પડેલી. એક પછી એક મુદ્રણાલયોને સીલ કરવામાં અવેલ અને હોદ્દેદારોને જેલ ભેગા કરેલ. જે પણ મહાત્માગાંધીવાદી તંત્રીઓ હતા તે બધા જેલમાં હતા.

ગોરવાલા જેઓ “ઑપીનીયન” ચલાવતા હતા તેના પ્રેસને સીલ લગાઇ ગયાં. એટલે શ્રી ગોરવાલાએ તેમનું પીરીયોડીકલ સાઈક્લોસ્ટાઈલ કોપીઓના સ્વરુપમાં તેમના ગ્રાહકોને પહોંચતું કરવા માંડ્યું. તો તે સાઈક્લોસ્ટાઇલ મશીન જપ્ત થયું. તો શ્રી ગોરવાલાએ કાર્બન કોપીઓ બનાવીને તેમનું “ઓપીનીયન” ચાલુ રાખ્યું. અંતે તેમને પણ જેલ ભેગા કર્યા. શ્રી ગોરવાલા જ્યારે ૧૯૭૭માં છૂટ્યા ત્યારે  તેમણે તેમના ગ્રાહકોને લવાજમ પરત કર્યું. શ્રી ગોરવાલા એક આઈ.સી.એસ. અધિકારી હતા ને તેઓશ્રી પચાસના દાયકામાં સરકારની નીતિઓ સાથે અસંમત હોવાથી રાજીનામુ આપીને છૂટા થયેલ.

 

ગુજરાતમાં કટોકટીના સમયમાં “જનતા છાપું” અને “જનતા સમાચાર” એમ બે ભૂગર્ભ છાપા મારા જોવામાં આવેલ. જે અનિયમિતરીતે બહાર પડતા હતા. પૈસા ખૂટી જવાથી અને લોકો તે વાંચવા માટે પણ ડરતા હોવાથી બંધ થયેલ. હવા એવી ફેલાવવામાં આવી હતી કે આવું કોઈ પણ સાહિત્ય હાથમાં હોવું તે પણ દેશદ્રોહ ગણાશે. હાઈકોર્ટનો કોઈ ચૂકાદો પણ જો એવો હોય કે જેમાં સરકાર કેસ હારી ગઈ હોય તો તે ચૂકાદો પણ છાપી ન શકાય.

 

સાદી કોર્ટનો એક કેસ જોઇએ.

કેટલાક લોકોને પોલીસે પકડ્યા.

 

ન્યાયાધીશ સામે રજુ કર્યા. રજુ કર્યા એટલે ન્યાયધીશ સાહેબે પૂછ્યું કેમ પકડ્યા છે?

પોલીસે કહ્યું “સાહેબ આ લોકો બોલતા હતા. “ભારતમાતાકી જય”, “મોંઘવારી દૂર કરો”, “કટોકટી દૂર કરો”. આવું સરકાર વિરુદ્ધમાં બોલાતું હશે? આતો દેશદ્રોહ થયો કહેવાય?

 

ન્યાયધીશે કહ્યું  “ભારતમાતાકી જય” બોલે તેમાં તમને શો વાંધો છે? એ સરકાર વિરુદ્ધ કેવીરીતે થયું?

પોલીસે કહ્યું પણ સાહેબ, તેઓ મોંઘવારી દૂર કરો એવું પણ બોલે છે.

ન્યાયધીશે કહ્યું . “એ તો તેમની માગણી છે. તમારે પૂરી કરવી હોય તો કરો. ન કરવી હોય તો ન કરો. આવી માગણી કરવી એ કંઈ દેશદ્રોહ ન કહેવાય.”

પોલીસે કહ્યું ” પણ સાહેબ આ લોકો તો કટોકટી દૂર કરો તેમ પણ કહે છે”

ન્યાયધીશ સાહેબે કહ્યું ” આ પણ માગણી જ છે ને! એમાં દેશદ્રોહ ક્યાં આવ્યો?”

 

કેટલાક રાજકીય કાર્યકરો ભૂગર્ભમાં ચાલ્યા ગયેલ.

 

જેઓ ભૂગર્ભમાં ગયેલ તેમની શોધખોળ પોલીસ તેમની રાહે ચલાવતી. જો ઉપરથી દબાણ હોય તો તે ભૂગર્ભવાસીના કોઇ પણ ઉમરના સગાને પકડીને પોલીસ જેલમાં પૂરી દેતી. પછી ભલે ને તે વ્યક્તિ લુલી કે લંગડી કેમ ન હોય.

આવા તો ઘણા સમાચાર “જનતા છાપાં”માં આવતા. જેમણે “જનતા છાપાં”ની નકલો જાળવી રાખી હશે તેના ઘણા ભાવ ઉપજશે.

જયપ્રકાશ નારાયણ

 એવું કહેવાય છે કે જ્યારે જયપ્રકાશ નારાયણને પકડ્યા ત્યારે તેમના દવાદારુ ચાલુ હતા. તેમને પકડ્યા પછી થોડા દિવસ પછી તેમને હતઃપ્રભ કરવા બંધ રીફ્લેક્ટીવ કાચવાળી ગાડીમાં એટલે કે કારની અંદર બેઠેલા બહારનું બધું જોઇએ શકે પણ બહારના કોઇ કારની અંદરનાને ન જોઇ શકે તેવા કાચવાળી ગાડીમાં તેમને બેસાડી દિલ્હીમાં રસ્તાઓ ઉપર ફેરવ્યા હતા. અને તેમને બતાવ્યું હતું કે જુઓ અમારી વાતને જનતાએ કેવી સ્વિકારી લીધી છે અને ક્યાંય પણ કશો ઉહાપોહ કે અશાંતિ નથી. વાસ્તવમાં તમને કોઇ સપોર્ટ કરતું નથી. તમે નાહકના જ લડત ચલાવતા હતા.

 

જયપ્રકાશ નારાયણ ને આઘાત લાગ્યો કે નહીં તેની ખબર નથી. પણ તેમની તબિયત બગડતી જતી હતી. એટલું જ નહીં પણ સરકાર ગુન્હાહિત બેદરકારી બતાવી રહી હતી.

લોકનાયક જયપ્રકાશ નારાયણ

લોકનાયક જયપ્રકાશ નારાયણ

કાયદેસરતો જે કોઇ વ્યક્તિને તમે કેદ કરો તો તેની સૌ પ્રથમ શારીરિક તંદુરસ્તીની ડોક્ટરી તપાસ થવી જોઇએ.

 

જો કોઇ વ્યક્તિને કેદ કરવામાં આવે અને જો તે વખતે અગર તે વ્યક્તિને દવાદારુ ચાલતા હોય તો તેનો રીપોર્ટ મંગાવી તે પ્રમાણે તેની આગળ ઉપર ચિકિત્સા કરવી જોઇએ.

 

તેના ખોરાકમાં કોઇ પરેજી આવતી હોય તો તે પ્રમાણે તેને ખોરાક આપવો જોઇએ.

 

અને જો જયપ્રકાશનારાયણ જેવા મોટાગજાના નેતા હોય તો તેમના સ્વાસ્થ્યની બાબતમાં વડાપ્રધાને ખુદ રોજબરોજની તેમની શારીરિક હાલત વિષે માહિતગાર રહે એવી શિષ્ટતા દાખવવી જોઇએ અને તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

 

પણ ઈન્દીરા ગાંધી અને તેમના ઉપાસકોએ આવું કંઈજ કર્યું નહીં. એટલે કે તેમને જેલમાં પૂર્યા પછી તેમની કોઇ દાક્તરી તપાસ ન થઈ, ન તો તેમને જે દવાદારુ અને ભોજનમાં પરેજી રાખવાની હતી તેનો કોઇ રીપોર્ટ મંગાવવામાં આવ્યો કે ન તો તે વિષે દરકાર કરવામાં આવી.

 

જયપ્રકાશ નારાયણ ને કીડની ની દવા ચાલતી હતી. અને તેમને ખોરાકમાં મીઠું આપવાનું ન હતું.

 

પણ આવી કોઇ ચકાસણી કે ધ્યાન રાખવામાં ન આવ્યું કારણ કે ઈન્દીરા ગાંધી અને તેના સાગરિતો અને સરકારી નોકરો એમ માનતા કે બધા જ અધિકારો રદ થયા છે.

 

જયપ્રકાશ નારાયણ ની હાલત ઉત્તરોત્ત્ર બગડતી જતી હતી.

 

સર્વોદય કાર્યકર શ્રી દેશપાંડે અમદાવાદની મુલાકાતે આવેલા. તેમને શાંતિસેનાના કાર્યાલયમાં મળવાનું થયું. તેમણે જયપ્રકાશ નારયણની તબિયત વિષે વર્ણન કર્યું અને દુઃખ વર્ણવ્યું. હું તો કોઇ પત્રકાર હતો નહીં. પણ મેં અમૂક સવાલો પૂચ્છ્યા જે તેમને ગમ્યા કે નગમ્યા તે ખબર નથી.

 

સવાલઃ જયપ્રકાશ નારાયણને જ્યારે કેદ કરવામાં આવ્યા ત્યારે તેમની દાક્તરી તપાસ થઈ હતી?

જવાબઃ ના. એવું લાગતું નથી.

સવાલઃ જયપ્રકાશ નારાયણની તબિયત ખરાબ થવાનું કારણ શું છે?

જવાબઃ તેમને મીઠું ખાવાની બંધી હતી અને તો પણ તેમને મીઠાવાળો ખોરાક આપવામાં આવતો હતો.

સવાલઃ જયપ્રકાશ નારાયણની તબિયત વિષે ઈન્દીરા ગાંધી તરફથી કોઇ વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઇ વ્યક્તિ તેમને નિયમિત રીતે તેમની તબિયતના સમાચારો મોકલે?

જવાબઃ ના. એવું લાગતું નથી.

સવાલઃ ઈન્દીરા ગાંધીએ કદી જયપ્રકાશ નારયણ ની તબિયતવિષે પૃચ્છા કરી છે?

જવાબઃ ના તેમણે કદી આવું પૂછાવ્યું નથી.

સવાલઃ શું સર્વોદય મંડળ તરફથી એવી કોઇ વ્યવસ્થા થઈ છે કે  ઇન્દીરા ગાંધીને જયપ્રકાશ નારાયણની તબિયતના અહેવાલો કોઇ રીતે મોકલવામાં આવે?

જવાબઃ ના ના એવી કોઇ વાતની મને ખબર નથી. પણ મને શું કામ આવું પૂછો છો?

તમે કોણ છો. …?” પણ મારા ખાદીના કપડા જોઇને વાત વાળી દીધી અને બહારના બીજા પ્રોગ્રામમાં નિકળી ગયા.

 

રાક્ષસોમાં કોઇ એવો રાક્ષસ પણ નિકળી આવે કે જે પોતાના કમનસીબે કે કરમની કઠણાઇએ ઈન્દીરાઇ કોંગ્રેસમાં આવી ગયો હોય. અથવા તો કોઇ મતિભ્રમ થયો હોય અને ઈન્દીરાઇ કોંગ્રેસમાં આવી ગયો હોય. તેને ખબર પડી કે જયપ્રકાશ નારાયણની તબિયત બગડવા ઉપર છે, તેથી તેણે કોઇ મોટાનેતાને ગંભીરતા પૂર્વક વાત કરી. પણ એ મોટા નેતાની ઈન્દીરાગાંધીને કહેવાની હિંમત ન હતી. એટલે તેમણે વિનોબા ભાવે ને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે તમે ઈન્દીરાગાંધીને વિનંતિ કરો કે જયપ્રકાનારાયણની તબીયત નાજુક હોવાથી તેમને કેદમાંથી છોડે. વિનોબા ભાવેએ ઈન્દીરા ગાંધીને કશો પત્ર તો ન લખ્યો પણ જે પત્ર તેમના ઉપર આવેલો તેના “તમે ઈન્દીરાગાંધીને વિનંતિ કરો કે જયપ્રકાનારાયણ ની તબીયત નાજુક હોવાથી તેમને કેદમાંથી છોડે” એ વાક્ય નીચે લીટી દોરી એ પત્ર ઈન્દીરા ગાંધીને મોકલી આપ્યો. ઇંદીરા ગાંધીએ આવો પત્ર વિનોબા ભાવે ને લખવા બદલ પહેલાં તો તે કોંગી હોદ્દેદારને પક્ષમાંથી કે હોદ્દા ઉપરથી ફારગતી આપી.

 

જય પ્રકાશ નારાયણની તબિયત અતિશય બગડી હતી અને તેઓ લગભગ બેભાન હતા. તેમની પાસે એક કાગળ પર સહી કરાવીને જાહેર કર્યું કે તેમને પેરોલ છોડવામાં આવ્યા છે. પછી જયપ્રકાશ નારાયણના અંગત ડૉક્ટરની નિગરાની હેઠળ તેમની સારવાર ચાલુ થઈ. આ અગાઉ એવી જાહેરાતો થતી હતી કે જો જયપ્રકાશ નારાયણ મરી જશે તો તેમને ભવ્ય વિદાય અપાશે અને તે માટે સરકારે બધી તૈયારી કરી છે. પણ ઈન્દીરા ગાંધીના અને ઈન્દીરાઈ કોંગ્રેસના કમ નશીબે જયપ્રકાશ નારાયણ બચી ગયા. પણ તેમની બંને કીડનીઓ બગડી ગઈ હતી. અને તેમને દર આઠવાડીયે એકવાર ડાયાલીસીસ પર રાખવા પડે એમ હતું. એ રીતે તેમની ચિકિત્સા ચાલુ થઈ. પછી તો તેમની તબીયતનું રોજ એક બુલેટીન આવતું. જેમાં તેઓએ સવારમાં નાસ્તામાં એક ઈન્ડુ લીધું એ વાત જરુર આવતી, જેથી મારા જેવા અનેક ગુજરાતીઓને આઘાત લાગે કે “અરે! શું જયપ્રકાશ નારાયણ ઈન્ડા પણ ખાય છે?”

 

એકાદ વર્ષ પછી જનતા કટોકટીથી કંટાળી ગઈ હતી. અને બધા સવાલો પૂછતા કે મોરારજી દેસાઈ કેમ આમરાંત ઉપવાસ ઉપર ઉતરતા નથી?

મોરારજી દેસાઇ

મોરારજી દેસાઇ વિષે અખબારોમાં તેમનું નામ લીધા વગર એવા અહેવાલો આવતા કે ” એક વયોવૃદ્ધ નેતા કે જે ફક્ત ફળાહાર જ કરે છે તેમને માટે રોજના ૨૦ કીલો ફળોનો ખર્ચ થાય છે.

 

મોરારજી દેસાઇઃ જવાનને શરમાવે તેવા વયોવૃદ્ધ

મોરારજી દેસાઇઃ જવાનને શરમાવે તેવા વયોવૃદ્ધ

મોરારજી દેસાઇઃ જવાનને શરમાવે તેવા વયોવૃદ્ધ ભડવીર

 

મોરારજી દેસાઇને ૧૨ ફુટ બાય ૧૨ ફુટ ની રુમમાં એક ખાટલો પાથરી રાખવામાં આવ્યા હતા. તેમને બારણાના દરવાજાની બહાર જવાની છૂટ ન હતી. રુમનો દરવાજો સાદી રીતે બંધ રાખવામાં આવતો. એક વખત તેમના રુમના દરવાજાને બહાર થી સ્ટોપર મારવામાં આવી અને તાળું મારવામાં આવ્યું એટલે મોરારજી દેસાઇએ ખોરાકપાણી બંધ કરી દીધા. એટલે પછી તૂર્ત જ તાળું અને સ્ટોપર ખોલી દેવામાં આવ્યા. મોરારજી દેસાઈને મોર્નીંગ અને ઈવનીંગ વૉક કરવાની ટેવ હતી. પણ તેમને રુમની બહાર નીકળવાની બંધી હતી તેથી તેઓ ખાટલાની ફરતા આંટામારતા અને એ પ્રમાણે તેઓ તેમની મોર્નીંગ વૉક અને ઈવનીંગ વૉક પૂરી કરતા. શરુઆતમાં તેમને છાપાં આપવામાં ન આવ્યા એટલે તેમણે માગણી કરી. પણ તેને માન્ય રાખવામાં ન આવી. એટલે તેમણે ઉપવાસ ઉપર ઉતરવાની ધમકી આપી હતી. એટલે તેમને છાપાં આપવાનું ચાલુ થયેલ.

 

જેલમાં ઘણા કેદીઓની હાલત બગડવા માંડેલી. અને કેટલાક “અમે રાજકીય પ્રવૃત્તિમાં હવે નહીં પડીએ એવું લેખિત આપીને છૂટી ગયેલ. પણ તેવા બહુ ઓછા હતા. અટલ બિહારી બાજપાઈને પણ કમર અને ઘૂંટણની તકલીફો ચાલુ થયેલ.  

 

વિનોબા ભાવે શતરંજ (ચેસ) રમવામાં હોંશીયાર છે.

“કટોકટી એટલે અનુશાસનપર્વ” એવું કહ્યું ખરું પણ તેનો વિચિત્ર અર્થ સરકારે તારવેલ. આ વિષે ગયા વર્ષનું મારું લખાણ વાંચવું.

 

ગૌ-રક્ષા એટલે માત્ર ગાય નહીં પણ સમગ્ર પશુ સૃષ્ટિ જેની ઉપર માનવજાત આધાર રાખે છે તેની રક્ષા પણ શરુઆત ગાયથી કરો

ગૌ-રક્ષા એટલે માત્ર ગાય નહીં પણ સમગ્ર પશુ સૃષ્ટિ જેની ઉપર માનવજાત આધાર રાખે છે તેની રક્ષા પણ શરુઆત ગાયથી કરો

વિનોબા ભાવે ગૌવધબંધી માટૅ સરકારને પત્ર લખ્યો કે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર શે. જોકે છાપાંઓમાં આવું કશું આવે નહીં પણ કોઇ કોંગી નેતાએ વિનોબાની ટીકા કરી. “અપન” વાલો બોલ્યો છે એ હિસાબે તે વાત છાપાંમાં (અંગ્રેજી છાપામાં) આવી.


ઈન્દીરા ગાંધીએ વિનોબા ભાવેને સરકાર તરફથી મૂદત આપી. એટલે વિનોબાને લાગું કે હજી આ બાઇનું સાવ તો ખસી ગયું નથી. એટલે આ કટોકટી લાંબી ચાલે એ વાતમાં માલ નથી.


વળી વિનોબા ભાવે આચાર્યોનું સંમેલન યોજ્યું અને તેમાં બધાને ગભરાયા વગર સૂચનો કરવાનું કહ્યું. ઠરાવ પાસ થયો:

“જો કટોકટી એ વાસ્તવમાં કટોકટી હોય તો તે દેશનો પ્રશ્ન છે અને દેશની સમસ્યા છે. એટલે તેને કોઇ એક પક્ષ કે કોઇ એક વ્યક્તિની સમસ્યા ન જ ગણાય.


“દેશ જો કટોકટીમાં હોય” તો તેની સમસ્યાનો ઉકેલ બધાએ સાથે મળીને શોધવો જોઇએ. જે તે ક્ષેત્રના નિષ્ણાતો એટલે કે આચાર્યો (આચાર્ય એટલે એવા નિષ્ણાતો કે જેની પાસે રાજકીય સત્તા નથી પણ નૈતિક સત્તા છે) ભેગા મળીને તેના ઉપાયો શોધવા પડશે અને શોધવા જોઇએ. સત્તાધારીઓ જે કરે તે શાસન અને આચાર્યો જે કરે તે અનુશાસન છે. એટલે જો કટોકટી હોય તો શાસકોએ સત્તા છોડીને આચાર્યોની સલાહ પ્રમાણે કામ કરવું જોઇએ.

જેમને પકડ્યા છે તેમને અચોક્કસ સમય સુધી કેદમાં ન રખાય. તેમને જેમ બને તેમ જલ્દી છોડી દેવા જોઇએ.”

“કટોકટી પણ અચોક્કસ સમય સુધી ન રખાય અને તેની મૂદત નક્કી કરવી જોઇએ.”

 

આ દરમ્યાન અખબારોમાં એવા અહેવાલો વહેતા થતા કે સરકાર બધા રાજકીય કેદીઓને એક સાથે છોડશે નહીં. તેમજ તેમને જ્યારે છોડવામાં આવે ત્યારે “હીરો તરીકે” તેમનું સ્વાગત ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. તે બધાને એ રીતે એક એક કરીને છેડવામાં આવશે.

 

સરમૂખત્યારી એ વાઘ ઉપરની સવારી છે. દેશની આાર્થિક પરિસ્થિતીને સુધારવામાં  કટોકટીની નિરર્થકતા અને નિસ્ફળતા દેખાવા માંડ્યા હતા. ઈન્દીરા ગાંધીના પ્રશંસકો ઇન્દીરા ગાંધીનો બચાવ કરવા એવી વાતો વહેતા મૂકતા કે કટોકટી મૂકવામાં ઈન્દીરા ગાંધીને જરાય રસ ન હતો. તેઓ તેનાથી જરા પણ ખુશ ન હતા. તેઓ હંમેશાં ચિન્તા ગ્રસ્ત રહેતા હતા. કેટલાક એવી અફવા ફેલાવતા કે ચંડાળ ચોકડી જ જવાબદાર હતી. અને તેમણે જ ઈન્દીરા ગાંધીને કટોકટી લાદવા માટે ફરજ પાડેલી.

જનતા છાપાંમાં એવા સમાચારો આવતા કે ઈન્દીરા ગાંધી ખૂબ ડરપોક છે અને ઘરની બહાર પણ રાત્રે નિકળતાં નથી. ઘરની બહાર ઝાડવું ખખડે તો પણ ઝબકીને જાગી જાય છે. અને ડરી જાય છે.

ચંડાળ ચોકડી અને ઈન્દીરા ગાંધી સહિત સૌએ આતંક ફેલાવેલો. સરકારી અધિકારીઓને બિભત્સ ગાળો આપવામાં આવતી હતી. અને પ્રધાનોને લાફા મારવામાં આવતા હતા. આ વાતોની પૂષ્ટિ કરતા અહેવાલો પણ આવેલા. કટોકટીનો ભાર વધતો જતો હતો.

 

કટોકટી દરમ્યાન ઈન્દીરા ગાંધીના અનુયાયીઓએ વર્ગ વિગ્રહ એટલે કે સવર્ણ અને અસવર્ણના ભેદ બહુ ઉત્પન્ન કરી દીધેલા. અસવર્ણોને કહેવામાં આવતું કે આ કટોકટી તો સવર્ણો ઉપર થોડા વર્ષોથી જ છે. પણ હે પછાત વર્ગના દલિત લોકો, તમને તો આ લોકોએ હજારો વર્ષથી કટોકટીથી પણ બદતર હાલતમાં રાખ્યા છે. હવે જુઓ આપણી ઈન્દીરા માઈ તેમને કેવા પાઠ ભણાવી રહી છે.

 

અને એટલે જ કટોકટી ઉઠી ગયા પછી જે લોકસભાની ચૂંટણી થઈ તેમાં ઉત્તરભારતમાં બધી જ બેઠકો ગુમાવનાર ઈન્દીરાઇ કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં આઠ બેઠકો ઉપર જીતી ગયેલ.

કટોકટી દરમ્યાન મોટો ઘાટો ગુજરાતને એ પડ્યો કે ગુજરાતે હિતેન્દ્ર દેસાઇએ પક્ષ પલટો કરી ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયા.

ઈન્દીરાગાંધી અને તેમની કહેવાતી ચંડાળ ચોકડી ખુદ પોતાની બેઠક પર ચૂંટણીમાં ગંજાવર મતોથી હારી ગયેલ.

 

એક બીજા સમાચાર પણ હતા કે ઈન્દીરાગાંધી ભારતીય લશ્કરના હેડને કહેલ કે તેઓ દેશનો કબજો લઈ લે. પણ તેમણે ના પાડી હતી અને કહ્યું કે લોકશાહીને આવવા દો. અમે રાજકારણમાં પડતા નથી.

 

ઈન્દીરા ગાંધીએ તેઓ જેવા હારી ગયાં એટલે કટોકટી પાછી ખેંચી લીધી. હવે સૈધાંતિક રીતે જો ઈન્દીરા ગાંધી માનતા હોય કે દેશ માટે કટોકટી જરુરી હતી તો તેમણે પોતે તો કટોકટીને પાછી ખેંચી લેવા જેવી હતી જ નહીં. નવી સરકાર ઉપર જ નિર્ણય છોડી દેવા જેવો હતો. કટોકટી લાદવી એ એક નીતિ વિષયક નિર્ણય હતો અને હારેલી સરકારે આવા નીતિવિષયક નિર્ણયો લેવા ન જોઇએ. નીતિ વિષયક નિર્ણયો નવી સરકાર જ લઈ શકે. પણ ઈન્દીરા ગંધી એવી કોઇ સૈધાંતિક બાબતોમાં માનતા ન હતા.

 

કટોકટી પછીની ચૂંટણીમાં ઈન્દીરાઇ કોંગ્રેસની હાર થઈ. જનતા મોરચાનો જ્વલંત વિજય થયો. મોરારજી દેસાઈ વડાપ્રધાન થયા. તેમણે કોંગ્રેસ (સંસ્થા) નો વિલય કર્યો. અને જનતા પાર્ટી બની.

 

આમ જનતાએ બનાવેલી પાર્ટીની લડતને સ્વતંત્રતા માટેની લડત નંબર – ૨. કહેવામાં આવી. ભારતને સરમુખત્યારીમાંથી ૧૮માસમાં જ મૂક્તિ મળી. જગતના બીજા દેશોને આવી સ્થિતીમાં આવ્યા પછી લોકશાહીની પુનઃસ્થાપના માટે વર્ષો વિતી ગયેલ. મોરારજી દેસાઇની સરકારે નીતિવિષયક અને લોકશાહીની રક્ષા વિષયક ઘણા સારા નિર્ણયો લીધા. અને દેશ પ્રગતિના પંથે પણ પડ્યો.

 

ઊત્તરભારત, ખાસ કરીને બિહાર અને યુપી નું રાજકારણ ગુજરાત કરતાં અલગ છે. ચરણ સિંહ જેઓ પોતાને ગાંધીવાદી ગણાવતા હતા તેમણે ઇન્દીરા ગાંધીના જે રડ્યા ખડ્યા સભ્યો હતા તેમનો, જનતા પાર્ટીના તેમના સમર્થકોનો અને યશવંત રાવ ચવાણની કોંગ્રેસનો સહારો લઈ સરકારને ૧૯૭૯ના અંતમાં તોડી. અને પછી અખબારી પ્રચાર કે જેનામાં પ્રમાણભાન ની પ્રજ્ઞાનો અભાવ અને સંદર્ભને સમજવાની પ્રજ્ઞાનો અભાવ હતો તેને કારણે ઇન્દીરા ગાંધીની સરકારનો ફરી થી ઉદય થયો.


જયપ્રકાશ નારયણે કહ્યું “પૂરા બાગ ઉજાડ દીયા”. બાજપાઇએ તેમને કહ્યું અમે તેને ફરી ખીલવી દઈશું.

કોંગ્રેસ (સંસ્થા)નો વિલય થઈ ગયો હોવાથી ચંદ્ર શેખર, વીપી સિંહ વિગેરે એ નવા પક્ષો રચ્યા. ગુજરાતના મોરારજીના સાથીદારો ઈન્દીરાઇ કોંગ્રેસમાં ભળી ગયા. જેમાં ઢેબરભાઇ, કૃષ્ણવદન જોષી મૂખ્ય હતા. સંશોધનનો વિષય છે કે તેમના જેવાને પક્ષ પલટો કરવાની શું જરુર પડી? મોરારજી દેસાઇની જેમ માનભેર નિવૃત્ત થઈ શક્યા હોત. પણ ઈન્દીરાગાંધીએ ફરીથી સત્તા ઉપર આવ્યા પછી દરેક સર્વોદય અને કોંગ્રેસ (સંસ્થા) ના જે કોઇ સેવકો લોકસેવા અર્થે જે કંઈ સંસ્થાઓ ચલાવતા હતા તે સૌ કોઇ ઉપર તપાસ રુપી દમનનો કોરડો વીંઝ્યો હતો.

 

ખરાબ રીતે હાર્યા પછી એક વંશપરંપરાગત રીતે ચાલતો પક્ષ આખા દેશ ઉપર કેવી રીતે હાવી જાય છે તેને માટે જુઓ વિશ્વબંધુ ગુપ્તાનો “ચૌથી દુનિયા” સાથેનો વાર્તાલાપ

તે માટે અહીં સીલેક્ટ, કોપી કરી બ્રાઉઝર ઉપર પેસ્ટ કરી ક્લીક કરો.

http://www.youtube.com/watch?v=LhU7MZgf2RA&feature=player_embedded

ગાંધીબાપુ જીવતા હતા ૧૯૭૭માં

ગાંધીબાપુ જીવતા હતા ૧૯૭૭માં

એક પાદરીએ કહ્યું મેં સ્વર્ગમાં જીસસ પાસે એક માણસને જોયો જે જીસસ ની સૌથી નજીક હતો… તે ક્રીશ્ચીયન ન હતો. તે હતો એમકે ગાંધી

કોંગ્રેસ ઉપર જ્યારે આફત ન હોય ત્યારે તે પૈસા બનાવે છે. પૈસા બનાવે એટલે તે મુશ્કેલીમાં આવે છે અને તેથી દેશ ની જનતા ઉપર કટોકટી લદાય છે.
જવાહરલાલ નહેરુએ કટોકટી લાદેલ.
પછી ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદેલી
અને હવે કેવીરીતે હૅટ્રીક થશે તે માટે આગળ વાંચતા રહો.
જે પ્રજા ભૂતકાળ ભૂલે છે તે ભૂતકાળનું પૂનરાવર્તન જુએ છે.

શિરીષ મો. દવે

 

Read Full Post »

%d bloggers like this: