સવાલઃ તમે કેટલો ઇન્કમટેક્સ ભરો છો?
જવાબઃ ઓછામાં ઓછો. (કાયદેસર શબ્દ અધ્યાહાર છે).
કાયદો એટલે શું?
જે પાળવાનો હોય તે કાયદો.
પણ કાયદાની ઘણી કેટેગરીઓ હોય છે.
કાયદા જે કદી પાળવા માટે હોતા નથી.(પોલીસની હાજરી વગરના ટ્રાફીક સીગ્નલો)
કાયદા ન પાળવા હોય તો ન પાળો પણ પકડાઈ ન જવાય તેમ ન પાળો (લાયસન્સ વગરના કામો)
કાયદા પાળવા હોય તો પાળો અને ન પાળવા હોય તો ન પાળો (પ્રોપર્ટીની લે વેચની ખરી કિમત)
કાયદા ન પાળવા હોય તો ન પાળો (જાહેર સ્વાસ્થ્યને લગતા)
કાયદા ન પાળવા હોય તો લાગતા વળગતાને પૈસા ખવડાવતા રહો અને કાયદા ન પાળો (સરકારી જમીન ઉપર કામચલાઉ દબાણ)
કાયદા ન પાળવા હોય તો ન પાળો પણ લાગતા વળગતાઓને ઠીક ઠીક પૈસા ખવડાવો, તો લાગતા વળગતાઓ તમારો કૉર્ટમાં બચાવ કરશે. (ગેરકાયદેસર બાંધકામ),
કાયદા ન પાળવા હોય તો ન પાળો પણ લાગતા વળગતાઓને ભાગીદાર બનાવો અથવા તેમની અંગત શરતોને માન્ય રાખો, લગતા વળગતાઓ તેને મંજુરી આપી દેશે (વિદેશી બેંકોમાંના પૈસા),
કાયદા પાળવા જ પડશે. (લાગતા વળગતાની સામે પડ્યા છો?)
કાયદેસર જ બધું કરવું છે? અને અમે એવા લાગતાવળગતાઓ પાસે થી મફતમાં જ કામ કરાવી દેશને પ્રગતિને રસ્તે ચડાવવો છે? (ઢીશુમ્ ઢીશુમ્) (ન્યુઝ લાઇન અકસ્માતે મૃત્યુ)
કાયદો તો પળાય જ કેમ? (ફક્ત નહેરુવંશીઓ અને તેમના ખાસમખાસ ભક્તો)
શિરીષ મોહનલાલ દવે
Leave a Reply