Feeds:
Posts
Comments

Archive for June, 2013

શિલા લિખિત નહેરુવીયન આતંકવાદ

ઈતિહાસના કેટલાક પ્રકરણો એવા હોય છે જે હજારો વર્ષસુધીમાં પણ ન ભૂંસી શકાય. અલબત્ત જો તે વંશીય શાસકોનું શાસન ચાલુ રહે તો તે શાસકો જરુર તે પ્રકરણોને ભૂંસી નાખવાની કોશિસ કરે.   પ્રજા જો મૂર્ખ હોય તો હોય તો તે વંશીય શાસકોને આ પ્રકરણો ભૂંસી નાખવામાં સરળતા પણ રહે. હાજી લોકશાહીમાં પણ આવું થઈ શકે.

જેઓ સુજ્ઞ છે અને જેઓને સત્તાની ઝંખના નથી અને જેઓને ખ્યાતિની ભૂખ નથી અને જેઓને પોતાના અસ્તિત્વની પડી નથી તેઓ જો જાતના ગુણધર્મો પ્રતિ આદર ધરાવતા હોય અને તેવી તેમની દીશા હોય, તો તેઓએ કદી આ નહેરુવીયન આતંકવાદ ભૂલવો ન જોઇએ.

હાજી. નહેરુવંશીય એક ફરજંદે પોતાની ગેરકાયદેસર સત્તા ચાલુ રાખવા દેશ ઉપર કટોકટી લાદેલી. તેની આ વાત છે.

કટોકટીમાં શું હતું?

આ કટોકટીમાં આ નહેરુવીયન ફરજંદે પોતાની વિરુદ્ધ જે કંઈ હોય, પછી તે વિરોધ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે હોય કે તે વિરોધ મનમાની શંકા માત્રના આધારે  હોય તેવા વિરોધી સમાચારો માત્રને પ્રગટ થતા અટકાવી શકાતા હતા. જો કોઈ છાપાં આવા વિરોધી લાગે તેવા સમાચાર છાપે તો તેના પ્રેસને તાળા મારી શકાતા હતા અને તે વ્યક્તિઓને અનિયતકાળ માટે જેલમાં રાખવામાં આવતી હતી.

જેઓ કટોકટીમાં ટટાર ઉભા રહ્યા અને માથું ઉંચું રાખ્યું તેમની પ્રત્યે આ નહેરુવીયન ફરજંદના સેવકોએ આ નહેરુવીયન ફરજંદના પુરસ્કૃત આજ્ઞાઓને આધારે આતંકીઓને શોભે તેવા વર્તનો કરેલાં.

સર્વોદયનું મુખપત્ર “ભૂમિ પૂત્ર”ના પ્રેસને તાળાં લાગી ગયાં હતાં અને તેના સંપાદક તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ જેલમાં શોભતા હતા.

“ઓપીનીયન” ના તંત્રી સંપાદક ગોરવાલાના પણ ક્રમે ક્રમે એવા જ હાલ કરેલા.

રોજીંદા છાપાંના તંત્રી, માલિકો અને કટારીયાઓએ (કટાર લેખકોએ) શું કર્યું?

 

“સેન્સર થયેલા સમાચારોની જગ્યા કોરી રાખો” એક સૂચન

જૂજ માલિકો અને કેટલાક તેમની સાથે સંકળાયેલા હતા તેમણે સૂચવ્યું કે સમાચારો જે કંઈ છપાવવા માટે આવે છે તે સૌપ્રથમ તો આ નહેરુવીયન ફરજંદે નિમેલા સેવકોની ચકાસણી અને મંજુરી પછી જ છપાય છે માટે આપણે ટકી રહેવા માટે એવું કરીએ કે જે સમાચારોને મંજુર ન કરવામાં આવ્યા, તે સમાચારો છાપાંમાં જે જગ્યા રોકવાના હતા, તે જગ્યા આપણે કોરી રાખવી. આવું કરવાથી કમસે કમ જનતાને ખબર પડશે કે કેટલા સમાચારોનો અને કેટલા લખાણોનો જત્થો રોકવામાં આવ્યો છે.

પણ આવી વર્તણુંકનો અર્થ એવો કરવામાં આવ્યો કે આ તો નહેરુવીયન ફરજંદની પરોક્ષ નિંદા થઈ કહેવાય. એટલે દેશની પણ નિંદા થઈ કહેવાય, એટલે દેશદ્રોહ પણ થયો કહેવાય. એટલે આવું કરનારા તો જેલમાં જ શોભે. અમે તો દેશની ભલાઈ માટે જ કામ કરીએ છીએ. એટલે અમારી સેન્સર શીપ સમાચાર અટકાવે છે એવો સંદેશ પણ જનતામાં જવો જ ન જોઇએ. સરકારની કોઈપણ વાત નકારાત્મક છે તે ઈન્દીરામાઈનું અપમાન છે. અને ઈન્દીરામાઈનું અપમાન એટલે દેશનું અપમાન. ઈતિ સિદ્ધમ્‌.

નમવાનું કહો છો? અમે તો તમારા પગમાં આળોટવા માંડ્યા છીએ.

મોટાભાગના સમાચાર પત્રોના માલિકો, તંત્રીઓ, સંપાદકો અને કટાર લેખકોને ખબર પડી ગઈ કે સરકાર માબાપ નમવાનું કહે છે. એટલે તેઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયા એટલું જ નહીં સરકારની ભાટાઈ અને વિપક્ષી નેતાઓની નિંદા કરતા થઈ ગયા. અરે આ બાબતમાં સ્પર્ધા કરતા પણ થઈ ગયા. 

અફવાઓ ફેલાવવાનો સરકારનો અબાધિત હક્કઃ

દેશદ્રોહીઓને અમે પકડ્યા છે. કાળાબજારીયાઓને અમે પકડ્યા છે, ચોરોને અમે પકડ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરનારાઓને અમે પકડ્યા છે. ગરીબોને અમે પાકા રહેઠાણો આપી દીધા છે, રેલગાડીઓ નિયમિત દોડતી કરી દીધી છે, મોંઘવારીનું નામ નિશાન નથી, જનતા ખુશહાલ છે. બધે આનંદ મંગળ છે. જે કોઈ કર્મચારીની સામે ફરિયાદ આવે તેને અમે સસ્પેન્ડ કરી દઈએ છીએ, અને કાર્યવાહી ચાલુ કરી દઈએ છીએ. એટલે સરકારી કર્મચારીઓમાં લાંચરુશ્વત નાબુદ થઈ ગઈ છે. સૌ કોઈ નિષ્ઠાવાન અને પ્રજાપ્રેમી થઈ ગયા છે. બધે કાયદાનું શાસન છે.

એક વયોવૃદ્ધ નેતા (મોરારજી દેસાઈ)ની પાછળ તેની (આદતને પોષવા માટે) રોજ વીસ કીલોગ્રામ ફળો આપાય છે.

એક પોતાને સર્વોદયવાદી ગણાવતો નેતા (જયપ્રકાશ નારાયણ) લશ્કરને બળવો કરવા ઉશ્કેરતો હતો.

એક વયોવૃદ્ધ સર્વોદયવાદી નેતાના (રવિશંકર મહારાજના) ઘરમાં સ્ફોટક પદાર્થોનો જત્થો રખાયો હતો. જોકે અમે તેને તેની ઉંમરને લક્ષ્યમાં લઈ પકડ્યો નથી (ઘરકેદમાં રાખ્યો છે).

અમારું ધ્યેય (ઈન્દીરાઈ સરકારનું ધ્યેય) “સબસે નમ્ર વ્યવહાર” (કામ જેલમાં પુરવાનું).

વિનોબા ભાવે કામકરતી સરકાર ઉપર ગૌવધબંધીને લગતો કાયદો ઘડવાની ભલામણ કરી રહ્યા છે અને આ માટે આમરણાંત ઉપવાસની ધમકી આપી રહ્યા છે. વિનોબાભાવેએ સુધબુધ ગુમાવી દીધી છે. શું આ “અનુશાસન પર્વ” રુપી દેશની કટોકટીના સમયે આવી ક્ષુલ્લક વાતો કરવી તેમને શોભે છે? જોકે કોઈ પણ સમાચારપત્રમાં વિનોબા ભાવેએ કરેલી ઉપરોક્ત વાત આવી ન હતી. પણ નહેરુવીયન કોંગ્રેસના કોઈ એક નેતાએ વિનોબા ભાવેની ટીકા કરી એને તો સેન્સર કરી ન જ શકાય એ આધારે સરકારી સેવકે સમાચાર છપાવા દીધા.

સૌથી મોટું કૌભાણ્ડ અને ફ્રૉડ એટલે કટોકટી

૧૯૭૫ની ૨૫મી જુને, ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી અને તે માટે કયા કારણો હતા અને કયા કારણો પ્રસારિત કરવામાં આવ્યા તે ઉપર પુસ્તકો લખાયા છે કે નહીં તે વિષે બહુ ચર્ચા થતી નથી.

કટોકટી લાદવાની આખી પ્રક્રિયા, તેની જાહેરાત, તેના કારણો, તેના આચારો અને અત્યાચારો, માન્યતાઓ એક શિલા લિખિત આતંકવાદ જ નહીં પણ જનતા ઉપર સતત લટકતી આતંકવાદી સરકારી ધમકી હતી.

ઈન્દીરા ગાંધીની સરકાર એક સુસ્થાપિત લગભગ સાર્વત્રિક રીતે વ્યાપક (એક બે અપવાદિત રાજ્યોને બાદ કરતાં) સરકાર હતી, ઈન્દીરા ગાંધીએ ખુદ એવા મંત્રી, મુખ્યમંત્રીઓ નિયુક્ત કરેલા કે જે હાજી હા કરવા વાળા હોય. કેન્દ્રમાં, રાજસભા તથા લોકસભામાં ઈન્દીરાઈ નહેરુવીયન કોંગ્રેસને માત્ર બહુમતી નહીં પણ સંપૂર્ણ બહુમતિ (બે તૃતીયાંશ બહુમતિથી પણ વિશેષ) હતી.

ઈન્દીરા ગાંધીનો કારભાર જ અરાજકતા ભર્યો હતો એટલે તેનો અસલ ચહેરો ૧૯૭૩થી જ ખુલવા માંડ્યો હતો. ગુજરાતમાં ૧૯૭૨ની વિધાનસભાની ચૂંટણીમાં નહેરુ-ઈન્દીરાઈ કોંગ્રેસને ૧૬૨ બેઠકોમાંથી ૧૪૦ બેઠકો મળી. ચિમનભાઈ પટેલને બહુમતિ સભ્યોનો સપોર્ટ હતો. પણ ઈન્દીરા ગાંધીને તો હાજી હા કરનારા જ મુખ્ય મંત્રી જોઇએ. એટલે ચિમનભાઈને બદલે ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્ય મંત્રી બનાવ્યા. ચિમન ભાઈએ તેમની રીતે લડત આપી અને ધરાર ઈન્દીરાગાંધીની ઈચ્છાની ઉપરવટ જઈ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.

બે રાક્ષસો એક બીજા સામે લડે તો બંને નબળા પડે. અરાજકતા હોય એટલે કારણો શોધવા ન પડે. એટલે નવનિર્માણ આંદોલન થયું અને વિધાનસભાનું વિસર્જન થયું. ૧૯૭૫માં બાબુભાઈ જશભાઈએ પાતળી બહુમતિ વાળી જનતા મોરચાની સરકાર બનાવી. બીજીબાજુ ઈન્દીરા ગાંધી જે કશા નીતિ નિયમો વ્યવહારમાં માનતી ન હોવાથી, તેની ચૂંટણી અલ્હાબાદ ઉચ્ચાદાલતે રદબાતલ કરી. અને ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી.

જોકે ઈન્દીરા ગાંધીમાં યોગ્યતા, કાબેલીયત અને નિષ્ઠા હોત તો તે દેશની ભલાઈ માટે ચમત્કાર સર્જી શક્યાં હોત. પણ તેમને સંસદમાં અને રાજ્યોમાં સંપૂર્ણ બહુમતિ, નિર્વિરોધ નેતાગીરી ઓછાં પડ્યાં. એટલે લોકશાહીનું ખુન કર્યું અને આપખુદ શાહી લાદી અને સૌ વિરોધીઓને જ નહીં પણ તેમના લાગતા વળગતાનેય વિના વાંકે જેલ ભેગા કર્યા અને સમાચાર પત્રો ઉપર સંપૂર્ણ અંકુશ મુક્યો અને રેડીયો ઉપર સરકારી વાહવાહ, વાહ ભાઈ વાહ અને વિરોધીઓ ઉપર થૂથૂ ચાલુ કર્યું.

અત્યારે ઢ’વાળીયા જેવા, તેમના મળતીયાઓ, કોંગી જનો અને જેમને નરેન્દ્ર મોદી પોતાના આગવા કારણોસર પસંદ નથી, તેઓ નરેન્દ્ર મોદીને આપખુદ, સરમુખત્યાર અને સત્તા લાલચુ કહે છે આ લોકોમાંના કોઈપણ કટોકટી વખતે ભાંખોડીયા ભરતા ન હતા અને અથવા કટોકટીના ઇતિહાસથી અજ્ઞાન નથી, છતાં પણ કટોકટીના આતંકવાદની નિંદા કરવાનું ટાળે છે.

કટોકટી એ સરકારી આતંકવાદ હતોઃ

આતંકવાદ એટલે શું?

તમે મનુષ્યને તેના બંધારણીય હક્કો ન ભોગવવા દો તેને શું આતંકવાદ ન કહેવાય? જો કાશ્મિરના હિંદુઓને તેમના ખુદના કોઈ ગુના વગર, તેમના ઘરમાંથી બળજબરીથી બહાર કાઢી નાખો તો આ કૃત્ય ને આતંક વાદી કૃત્ય કહેવાય કે ન કહેવાય?

તમે કોઈ મનુષ્યને તેના કોઈ ગુનાના અસ્તિત્વ વગર જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય  કહેવાય કે નહીં?

જો તમે કોઈ બિમાર વ્યક્તિ કે જેનો ઉપચાર ચાલતો હોય તેને જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જો કોઈ બિમાર વ્યક્તિની બિમારીને અવગણીને તમે તેને મરણતોલ કક્ષાએ પહોંચાડો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જે વ્યક્તિનું આતંકવાદીઓ અપહરણ કરે છે તેને તેઓ વાણીસ્વાતંત્ર્ય આપે છે? શું આતંકવાદીઓ અપહૃત વ્યક્તિને પોતાની માન્યતા રજુ કરવાની સ્વતંત્રતા આપે છે?

જો સરકાર જ આવું બધું કરે તો તેને શા માટે આતંકવાદી ન કહી શકાય?

મનુષ્યના કુદરતી અને બંધારણીય અધિકારોનું હનન જો આતંકવાદીઓ કરતા હોય અને તેને તમે આ કારણસર આતંકવાદી ઘોષિત કરતા હો તો, જો સરકાર જ આવાં કામો કરે તો તેને શામાટે આતંકવાદી ન કહેવાય?

શું ધર્મને નામે જ અત્યાચાર કરીએ તેને જ આતંકવાદ કહેવાય?

નહેરુવીયન કોંગ્રેસનું અર્થઘટન એવું જ રહ્યું છે કે જો કોમી દંગાઓ થાય તો ભારતમાં તેને ભગવા આતંકવાદમાં ખપાવી દેવામાં પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો. તેવી જ રીતે જ્ઞાતિવાદી સંઘર્ષો પણ કરાવવા. જ્ઞાતિવાદ, ધંધા, ધર્મ, પ્રદેશ, ભાષા વિગેરે દ્વારા માનવસમાજ વિભાજીત છે અને આ વિભાજીત લોકોને એક બીજા સામે તિરસ્કાર ઉત્પન્ન કરાવવો અને નબળાને નબળો રાખવા માટે પ્રયુક્તિઓ કરવી અને અંદરખાને થી સબળાને સબળો બનાવવો. આવી જ વ્યુહરચના નહેરુવીયન કોંગ્રેસની રહી છે. ઉપરોક્ત બધા જ જુથો પછી ભલે તે જ્ઞાતિને અધારે બનેલા હોય કે, ધંધાને આધારે બનેલા હોય, ધર્મને અધારે બનેલા હોય, પ્રદેશને આધારે બનેલા હોય, ભાષાને આધારે બનેલા હોય કે રાજકીય પક્ષને આધારે બનેલા હોય. આમ તો માનવના જ બનેલા છે. અને તેઓમાંના કોઈપણ જુથમાં રહેલા માનવોના કુદરતી કે બંધારણીય હક્કોનું જો કોઈપણ બીજા જુથદ્વારા હનન કરવામાં આવે તો તે આતંકવાદ જ કહેવાય. અને આ પ્રમાણે નહેરુવીયન કોંગ્રેસે તેમના વિરોધીઓના કુદરતી અને બંધારણીય માનવ અધિકારોનું હનન કરી ૧૯૭૫થી ૧૯૭૮સુધી આતંકવાદ આચરેલો. આતંકવાદ અક્ષમ્ય જ ગણાય.

આપણા અખબારી મૂર્ધન્યો શું કરે છે?

પોતાને વિષે પોતાને “તડ અને ફડ” કહેનારા માનતા એક અખબારી મૂર્ધન્ય શું કહેછે?  કટોકટી ના સમયમાં ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસો દોરડાના છેડાઓ પકડી લાલ-લીલી લાઈટ અનુસાર ટ્રાફિકનું સંચાલન કરતા જોઇ, આ મૂર્ધન્યભાઈ ગદગદ થઈ ગયેલ. અને કટોકટીને બિરદાવેલ.

એક કટારીયા મૂર્ધન્ય એવું લખતા કે તમે તેમના વાક્યોનું વિભાજન કરીને પણ કશો અર્થ ન તારવી શકો.

કેટલાક કટારીયા મૂર્ધન્યોએ રાજકારણને છોડીને કાંદા બટેકાને લગતા લેખો લખવા માંડેલ. સાલુ કટાર પણ એક જાગીર જ છે ને. તેનો કબજો હોવો જ મુખ્ય વસ્તુ છે.

મોટાભાગના કટારીયા મૂર્ધન્યોને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે સાલુ આપણે અત્યાર સુધી શિર્ષાસન કરતા હતા. આપણે હવે સીધા થઈએ. ઈન્દીરા માઈ જ ખરી દેવી છે. તેના ગુણગાન જ કરો.

૧૯૭૬-૭૭ સમયે કરવટ બદલી.

સંપૂર્ણ બહુમતી, નિર્વિરોધ નેતાગીરી, અંતે આપખુદશાહી અને સરકારી આતંકવાદ પણ (જે દેશના ભલા માટે ઘોષિત રીતે પ્રયોજાયેલા), તે કશું કામમાં ન આવ્યું. સમાચાર માધ્યમોએ કરેલી માત્ર અને માત્ર એક તરફી, ઈન્દીરાઈ પ્રગતિ વિષેની ભાટાઈ પણ કામમાં ન આવી. જનતાએ જે પ્રત્યક્ષ જોયું તેને જ પ્રમાણભૂત માન્યું અને સ્વિકાર્યું. કટોકટીનો આતંકવાદ તેના ભારથી જ તૂટી ગયો.

૧૯૭૭માં ચૂંટણી આપવી પડી. નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસનો ઘોર પરાજય થયો. દહીંદૂધીયા, “જિસકે તડમેં લડ્ડુ ઉસમેં હમ” જેવા, અને ડરપોક એવા યશવંતરાવ જેવા નેતાઓ ઈન્દીરાને છોડી ગયા.

“લોકશાહી હોય તો બધા દુરાચારો અમને ખપે” મૂર્ધન્યો બોલ્યા

મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી જનતા પાર્ટીની સુચારુ રુપે કામકરતી સરકાર ટકી નહીં. ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં રાજકીય અનીતિમત્તા, નાણાંકીય અનીતિમત્તા, વફાદારી અને જ્ઞાતિવાદી વિભાજન અધમ કક્ષા હતું અને હજી છે.

એટલે નહેરુવીયન કોંગ્રેસ આ અનીતિવાદી સમીકરણો થી હજુ પણ શાસન કરે છે. જ્યાં સુધી મૂર્ધન્યો શિક્ષિત બનશે નહીં ત્યાં સુધી આપણા દેશ ઉપર આ એક સમયે અપ્રચ્છન્ન રીતે આતંકવાદી બનેલી નહેરુવીયન કોંગ્રેસ અને અત્યારની પ્રચ્છન્ન આતંકવાદી સરકાર તરીકે શાસન કરશે.

નહેરુવંશીઓ કોઈને છોડતા નથી

આ નહેરુવીયન કોંગી નેતાઓ કોઈ એક બાજપાઈ નામના વ્યક્તિએ ૧૯૪૨ની ચળવળ વખતે સરકારની માફી માગીને જેલ માંથી છૂટકારો મેળવેલ, તેને અટલ બિહારી બાજપાઈ તરીકે ખપાવી ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીસુધી અને તે પછી પણ યાદ કરીને બાજપાઈ અને બીજેપીની બદબોઈ કરતા હતા.

૨૦૦૨માં નહેરુવીયન કોંગ્રેસના ગોધરાના એક સ્થાનિક મુસ્લિમ નેતાની આગેવાની હેઠળ સાબરમતી એક્સપ્રેસના હિન્દુયાત્રીઓને ડબા સહિત જીવતા બાળી દીધેલ. આના બચાવમાં નહેરુવીયન કોંગી આગેવાનોએ કહેલ કે “એ તો નરેન્દ્ર મોદીએ એમ કહીને મુસ્લિમભાઈઓને ઉશ્કેરેલ કે “અમારા બીજેપીના રાજમાં હિન્દુ મુસ્લિમ દંગાઓ થતા બંધ થઈ ગયા છે. આવું  કહેવાતું હશે?”

તેમજ આજ નહેરુવીયન કોંગીના નેતાઓ, તેમના મળતીયાઓ અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ઉપરોક્ત બનાવની પ્રતિક્રિયાના ભાગ રુપે ફાટી નિકળેલ તોફાનો પર રાજકીય રોટલો શેકવા માટે નરેન્દ્ર મોદીને આજની તારીખ સુધી વગોવ્યા કરે છે અને કોમવાદને સક્રીય રાખવાની કોશિસ કર્યા કરે છે.

બીજેપીના નેતાઓ અને અખબારી મૂર્ધન્યો શામાટે નહેરુવંશીય ઈન્દીરાઈ કટોકટીને યાદ કરતા નથી? આ કટોકટી તો ભારતના ઈતિહાસનું અને ભારતના ગૌરવને લાંછન અપાવે તેવું એક સૌથી કાળું પ્રકરણ હતું. શાસકે આચરેલો નગ્ન આતંકવાદ હતો. તો પણ તેને કેમ ભૂલી જવાય છે?

દંભીઓ શું કહે છે?

નહેરુવીયન કોંગી નેતાઓ, મહાનુભાવો, અખબારી મૂર્ધન્યો જેઓ વાસ્તવમાં પ્રચ્છન્ન રીતે નહેરુવીયન કોંગ્રેસના હિતેચ્છુઓ છે અથવા તો તટસ્થતાનો ઘમંડ ધરાવે છે તેમની દલીલો કંઈક આવી છે.

નહેરુવીયન કોંગીના નેતાઓઃ “ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્ય તરફ જુઓ.” (ડાકુઓ આવું કહેતો તેને દેશની ધૂરા આપી દેશો શું? કાયદામાં આવી જોગવાઈ છે?)

યશવંતરાવ ચવાણ અને તેમના ચેલકાઓ જેઓ અત્યારે એનસીપીને શોભાવી રહ્યા છે તેઓ આમ કહે છે. કટોકટીને ભૂલી જાવ. અમે ભૂલ કરી હતી અને તેના ફળ પણ મેળવી લીધા છે. બસ વાત પુરી. (ડાકુ ચૂંટણી હારી ગયો એટલે તેને સજા મળી ગઈ. વાત પુરી.)

હુસેન ચિત્રકારઃ કટોકટી એક છીંક હતી. હવે બધું સામાન્ય છે. કટોકટીની વાતને એક છીંકની જેમ ભૂલી જાઓ. (જે રાક્ષસી છીંકે હજારો લોકોના કુટુંબીઓને યાતના ગ્રસ્ત કર્યા તેને ભૂલી જાઓ એમ જ ને?)

બચ્ચન (હિન્દીના ખ્યાતનામ કવિ); “ અમારે તો નહેરુ સાથે કૌટુંબિક સંબંધ છે” (ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ એતો એમના માટે પોથીમાંના રીંગણા છે)

કેટલાક સર્વોદય બંધુઓઃ સારું સારું યાદ કરો અને ખરાબ વાતો ભૂલી જાવ. (શેતાન એના પાપો ચાલુ રાખે તો તમે શું કરશો? નરેન્દ્ર મોદીનું પણ સારું સારું જુઓને તો પછી…)

કેટલાક સર્વોદય નેતાઓઃ (મનમાં) આ બીજેપી વાળા તો અમારો ભાવ પણ નથી પૂછતા તો લોકોની નજરમાં ટકી રહેવા માટે અને કંઈક કરી રહ્યા છીએ એવું બતાવવા માટે અમારે નહેરુવીયન કોંગ્રેસને સાથ આપ્યા વગર છૂટકો નથી. હવે ક્યાં કટોકટી છે?

તડફડવાળા મૂર્ધન્યઃ બાઈ જોરદાર હતી.

જો બાઈ જોરદાર હતી તો તે પક્ષ માટે જોરદાર હતી. વહીવટમાં અને દેશ હિત માટે નહીં. એમ તો નરેન્દ્ર ભાઈ પણ જોરદાર છે જ ને. અને નરેન્દ્રભાઈનો તો કોઈ રેકોર્ડેડ ગુનો પણ નથી. તેમને વિષે તો બધું ધારણાઓના આધારે (હાઇપોથેટીકલ) છે. હાઈપોથેટીકલી તમે કોઈને ગુનેગાર ઠેરવી ન શકો અને તેની બુરાઈ પણ ન કરી શકો.

“આસપાસ”વાળા કટારીયાઃ ઈન્દીરા ગાંધીએ તો કટોકટી બદલ ઘરે ઘરે જઈને માફી માગેલી.

આસપાસ વાળા ભાઈ, તમે રામ ભરોસે બોલ્યા કરો છો. બકરીની ત્રણ ટાંગ જેવી વાત છે. કોણ જોવા ગયું છે? છાપામાં અને ઈન્દીયન ન્યુઝમાં તો એવી કોઈ વીડીયો જેવા મળી ન હતી, કે છાપામાં પણ એવા કોઈ ફોટા આવ્યા ન હતા. “જંગલમેં મોર નાચા કિસીને ના દેખા”.

મૂર્ધન્યોએ સમજવું જોઇએ કે જે સરકારી તપાસપંચ પ્રમાણે ફોજદારી ગુનેગાર છે તેની સજા માફી માગવાથી માફ થઈ જઈ શકતી નથી. કેસ તો ચલાવવો જ પડે.

માફી માગવાથી કયા કયા ગુનાઓ માફ થઈ શકે?

જે તમારા દૂરના પૂર્વજો કે જેને તમે જાણતા નથી તેમણે કરેલા ગુના તમે માફી માગીને કહી શકો કે અમે તેમના કૃત્યોથી શરમ અનુભવીએ છીએ . અમને માફ કરી દો.

પણ જે પૂર્વજોની તમને શરમ ન હોય, પણ ગર્વ હોય, તો તેના ગુનાઓ માફી માગવાથી પણ માફ ન થઈ શકે.

દા.ત. યુરોપીય પ્રજાએ અમેરિકાની રેડ ઈન્ડીયન પ્રજાની કત્લેઆમ કરેલી. તેમને આ કત્લેઆમની શરમ છે અને હાલની પ્રજાએ પ્રાયશ્ચિત રુપે રેડ ઈન્ડીયન પ્રજાને વિશેષ સવલતો આપી અને માફી પણ માગી.

બ્રીટીશ શાસકોએ જલીયાનવાલા બાગની ઘટના બાબતે હાલ શરમ અનુભવી અને માફી માગી. જોકે ભારતીય પ્રજાએ માફી આપી નથી.

કોને વિશ્વાસ પાત્ર માનેલા?

મમતા બેનર્જી જેણે પશ્ચિમ બંગાળમાં જયપ્રકાશનારાયણની લડતમાં પોતાનું યોગદાન આપેલું. અને જયપ્રકાશનારાયણની જીપ ના હુડ ઉપર નાચ કરેલો. લાલુ યાદવ, મુલાયમ, ચરણસીંગ,  નીતીશકુમાર, શરદ યાદવ, જનસંઘી નેતાઓ અને ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના,  વિગેરેના નેતાઓ પણ પૂરજોશથી સામેલ હતા.

ગાંધીજી અને જયપ્રકાશ નારાયણનું ધોતીયું

ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના કેટલાક પરોક્ષ રીતે તો કેટલાક પ્રત્યક્ષરીતે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

મમતા પોતાની સત્તા ખાતર નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે.

માયાવતી, લાલુપ્રસાદ, મુલાયમ, ચરણસીંગના સુપુત્ર પણ જરુર પડે નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે. કારણ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટથવાને કાબેલ છે.

નીતીશકુમાર પણ સત્તાનો સ્વાદ ચાખ્યા વિતંડાવાદ દ્વારા પોતે પોતાનો દંભ છૂપાવી શકે છે તેવું માનતા થઈ ગયા છે. નીતીશ કુમાર એવું માને છે કે દસ્તાવેજોદ્વારા સિદ્ધ થયેલો નહેરુવીયન પક્ષનો આતંકવાદ ને અસ્પૃષ્ય ન માનવો પણ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માનવો.

નીતીશકુમાર માને છે કે જો અડવાણી પોતેજ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માને છે તેવી હવા ચલાવાતી હોય તો રાજકીય નીતિમત્તા જાય ચૂલામાં. નીતીશકુમાર માને છે કે નરેન્દ્ર મોદી જેવો લોખંડી નેતા જો વડાપ્રધાન તરીકે આવી જશે તો આપણા જાતિવાદી વોટબેંકનું જે રાજકારણ આપણે છ દાયકાથી ચલાવીને જે કંઈ સુખડી ખાઈએ છીએ તેનો અંત આવી જશે. તેથી કરીને ટકી રહેવા માટે નરેન્દ્ર મોદી વિષે ફાવે તેમ ધારણાઓ વહેતી મુકો અને મોદીની બુરાઈ કરો.

જો સમાચાર માધ્યમોના ખેરખાંઓ જ નહેરુવંશીય રાજકીય આતંકવાદને ન સમજી શકતા હોય અને નરેન્દ્રમોદી-બીજેપીની ધારણાઓ ઉપર આધારિત અને કપોળ કલ્પિત બુરાઈઓ ફેલાવતા હોય તો આપણે પણ એ જ ફેશન અપનાવવી જોઇએ. આપણા ઉચ્ચારણોને પણ ચાર ચાંદ લાગશે.

જો જેએલ નહેરુ જેવા લીડરો સત્તા માટે ગાંધીજીનું ધોતીયું પકડીને આગળ આવ્યા હતા. તેમને સત્તા મળ્યા પછી, તેમણે ગાંધીજીના (સિંદ્ધાંતો રૂપી) ધોતીયાના લીરે લીરા ઉડાડી દીધા.

મમતા, મુલાયમ, લાલુ, નીતીશ, ચરણના સપુત વિગેરે પણ જયપ્રકાશ નારાયણનું ધોતીયું પકડીને આગળ આવેલા. અને હવે તેઓ પણ જયપ્રકાશ નારાયણના (રાજકીય નીતિમત્તાના સિદ્ધાંતો રુપી) ધોતીયાના લીરેલીરા ઉડાડી રહ્યા છે.

સિદ્ધાંત વિહોણાઓને ઓળખી લો.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

નહેરુવંશી, ઈન્દીરા, કટોકટી, દંભ, ફ્રૉડ, વિરોધ, જેલ, સરકારી, અફવા, આતંકવાદ, અધિકાર, કટારીયા, મૂર્ધન્યો, જાગીર, સાષ્ટાંગ, દંડવત, નમન, શિર્ષાસન, ગાંધીજી, જયપ્રકાશ, ધોતીયું, લીરે લીરા

Read Full Post »

“I WANT YOU TO SUFFER MISERABLY EVEN AT THE COST OF MY OWN DEATH (hun marun pan tane raand karun = હું મરું પણ તને રાંડ કરું)” SAYS ADVANI

It is hardly possible that somebody can agree to the stand taken by Advani.

Discipline in Party is irrespective of post

The contents of the resignation letter which has been made public by Advani, contradicts his own advice which he had given to other leaders long back. This advice was that internal matter should not be made public to prevent harming situation to the party. Otherwise also, Advani is mature enough to understand that what he has mentioned in his letter is an internal matter of BJP. This is because he has not resigned from BJP.

Had Advani resigned from BJP, he had liberty to make his letter public.

Double standards

Now the message is that Advani has no value of his words. Or he wants double standards. One is for himself. Other is for other leaders. One for himself means he has full liberty to make anything public irrespective of that could be harmful to BJP or not. The other standard for other leaders is that, that the others should to be disciplined in the party and not to disclose internal matters. Advani has given this message only.

Baseless Allegations on members

Now Advani says that he has noticed that some leaders are working for personal interest. To glorify and emphasize his point, he has further linked the names of other founder leaders of Jan Sangh to his statement. Shyama Prasad Mukharjee, Din Dayal Upadhyay and many others.

Advani’s statement looks not only funny but also ridiculous to even common mass. Advani is doing emotional blackmailing. Advani has linked great names in specific but the alleged persons without specifying the names.

It is also not clear as to how old his observations are. It must be not old but be very recent.

Is it that is, he did not like Modi and he did like those leaders who favored Modi?

Now suppose this is not true. Advani’s observations are older than the last three days, then what had he done so far to prevent alleged leaders for not becoming self centered?

There is a rumor that all this happened because Advani does not like Modi.

Advani had praised the CM of Madhya Pradesh. He had said that Gujarat was OK from the beginning and Modi had made it better, but MP had been a sick state. Shivraj Sinh Chauhan has made it healthy.

A message was concluded by many that Advani wanted Shivraj Sinh Chauhan to be promoted as PM for next Lok Sabha election campaign. Had he discussed this matter with his executive colleagues before making such announcement provided he really wanted so? Because this is a matter of policy of party. Advani or no body enjoys power to make arbitrary announcement on party’s policy unless the party’s authorized body has taken such decision.

Is it that Advani wanted to give a message to the public that this was his personal opinion and he wanted to make it public? Off course this line of action cannot be considered as a fair one. This is because he had not even discussed this point with Shivraj Sinh Chauhan. Because when message taken as a view point of Advani and it spread out and Shivraj Sinh had been taken as substitute of Modi, Shivraj Sinh Chauhan clarified and said “ I amnot a candidate of PM’s post. I do not stand even for number third”.

What action had been taken by Advani? He is not supposed to be mum like a Nehruvian, because he is not supposed to adopt a well condemned practice of Nehruvians.

Now suppose Advani does not like Modi. If this is true, then what are the points? Had he discussed those points with Modi? Had he conveyed such points to Modi? Had he conveyed such points to his colleagues?

Further why had Advani not clarified that since when had he made his dislike for Modi functional?  Off course it must be only long after 2002 riots. This is because on explanation from Narendra Modi about his roll which he had played to discharge his duties, all the people and the members in the conference wanted Narendra Modi to continue as CM of Gujarat.   

Now suppose Advani likes Modi, but he does not like Modi as a candidate for PM post. Has Advani discussed this matter along with its ground with his Colleagues?

Now suppose Advani wants to give a message to his colleagues those have favored Modi by accepting him as the chief of election council, are all self centered because they favored Narendra Modi for the reason that Narendra Modi can fetch votes and power for BJP.  What is wrong if somebody desire to gain power with democratic means within his own party, when he/she is not aware of any points even not conveyed by a leader like Advani? How can Advani allege his colleagues arbitrarily?

There is also a rumor that Advani wants to be a candidate of BJP for the post of PM. If this is correct he should have conveyed to his colleagues. Why should Advani play unfair games within his own party?

Wherever you put your figure, you find fault with Advani in this matter.

In Gujarati there is a proverb I want you to suffer even at the cost of my death.

In democracy the people’s voice has to be honored. Advani failed miserably to honor people’s desire.

Shirish M. Dave

Tags: Advani, resignation, Modi, BJP, Lok Sabha, elections, Committee, chairman, great names, unfair, game, self centered, members

Read Full Post »

શું નરેન્દ્ર મોદી હજી ચાની કીટલી લઈને ફરે છે?

નરેન્દ્ર મોદી એક ભણેલો, વિચારવંત, કુશળ, દેશપ્રેમી અને ભેદભાવરહિત ગુજરાતી નેતા છે. ફક્ત ગુજરાતમાં જ નહીં, પુરા દેશમાં અને વિદેશમાં વસતા ભારતીયોમાં પણ તે એક માત્ર લોકપ્રિય નેતા છે. હવે જો કાયદેસરની વાત કરીએ તો તેણે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ ના ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પોતાની આગવી સુઝબુઝથી અને પરિશ્રમથી જીતીને બતાવી છે.

નરેન્દ્ર મોદીની રાજકીય કુશળતાને ગણનાહીન અને અપ્રસ્તુત્ય કરવામાટે નહેરુવીયન કોંગેસના સામાન્ય કાર્યકરો અશિષ્ટ શબ્દ પ્રયોગ કરે તે સમજી શકાય છે કારણ કે સામાન્ય જનતામાં  સામાન્ય બુદ્ધિનો, સામાન્ય રીતે  અભાવ હોય છે. તેથી તેઓ અશિષ્ટ શબ્દો વાપરે કે આધાર હીન વાતો કરે કે અદ્ધર અદ્ધર વાતો કરે તે સમજી શકાય. પણ જેઓ પોતાને નેતા ગણાવે અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના હોદ્દેદાર પણ હોય, તેઓ પણ જાહેરમાં અશિષ્ટ અને અપમાન જનક ભાષા એક મુખ્ય મંત્રીની માટે ટીકા કરવામાં વાપરે તે અક્ષમ્ય જ ગણાય.

સંચાર માધ્યમોનું કામ લોક જાગૃતિનું અને લોક શિક્ષણનું કામ છે. પૈસા કમાવવાના કાયદેસરના રસ્તાઓ છે. સંચાર માધ્યમાના સંચાલકો કે માલિકો જો એમ જ માનતા હોય કે અમારું કામ ફક્ત પૈસા કમાવાનું છે અને તે માટે લોકોને આંચકાઓવાળા સમાચારો અને અભિપ્રાયો પ્રગટ કરવાનું છે તો તેઓ આ વાત જાહેરમાં કબુલ કરે. જો આટલા સંસ્કાર તેમનામાં ન હોય તો પાળેલા શ્વાન અને તેમનામાં શું ફેર છે?

નહેરુવીયન વંશજોની વાત જવા તો ન જ દેવાય. પણ જે એલ નહેરુ કંઈક તો સભ્ય પુરુષ હતા. વાચન વિશાળ હતું પણ આવતી કાલને સમજવા માટેની સમજણ શક્તિ ઓછી હતી તેથી આવડત ઓછી હતી અને તેમણે હિમાલય જેવડી ભૂલો કરેલી જેનું ફળ અને તેમણે સ્થાપેલા પ્રણાલીગત વ્યવહારો આ જે પણ આપણે ભોગવી રહ્યા છીએ.

તેમની પુત્રીની પાસે કશીજ પાર્શ્વભૂમિ હતી જ નહીં અને બધીરીતે એક સામાન્ય કક્ષાની સ્ત્રી હતી સિવાય કે સત્તા કેવી રીતે મેળવવી, તેને કેવી રીતે  ટકાવી અને પોતાના પક્ષના સભ્યોને કેવીરીતે કાબુમાં રાખવા તે માટેની કળા તે જાનતી હતી. આ આવડત તેણે તેના પિતાજી પાસેથી અને રશિયા પાસેથી શિખી લીધેલી. સાધનશુદ્ધિનો રાજકીય મૂલ્યોનો સદંતર અભાવ હતો. તેણે પણ પોતાના પિતાજી કરતાં પણ બમણી ભૂલો કરેલી જેને સુધારવાની શક્યતા કોઈ એક વ્યક્તિ કરી શકે તે વાત જ અશક્ય બની ગઈ છે. પણ આ બાઈએ એક એવી પણ રાજકીય પ્રણાલી સ્થાપી કે વિરોધીઓને તો બધું જ કહી શકાય. તેઓ ગમે તેટલા મહાન હોય કે ગમે તેટલા શુદ્ધ હોય તો પણ તેમને વિવાદો ઉત્પન્ન કરીને અને આ વિવાદોને રટ રટાવીને તેમને  તેઓ સાચેસાચ એવા જ છે તેવું જનતાના મગજમાં ઠોકી બેસાડી શકાય છે.

ઇન્દીરા ગાંધીના પિતાજીએ, ઈન્દીરા ગાંધીને પોતાના વારસ બનાવવા માટે, સીન્ડીકેટની રચના કરેલી અને આ સિન્ડીકેટે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન પદ આપ્યું પણ ખરું. પણ ગરજ પતી એટલે ઈન્દીરા ગાંધીએ તેમને હરાવ્યા અને પ્રચાર એવો કર્યો કે તેઓ તેમને તો શું પણ તેમના પિતાજીને પણ કામ કરવા દેતા ન હતા. મોરારજી દેસાઈ ત્રાગાંઓ કરે છે, તેમના પુત્ર મોરારજી દેસાઈના પદનો ગેરલાભ લે છે, વિરોધ પક્ષ સત્તા લાલચી છે, બહુગુણા, એલ એન મિશ્રા, વીર બહાદુર સિંહ સ્વકેન્દ્રી છે,  વી.પી સિંગ વિદેશી બેંકમાં ખાતુ ધરાવે છે, આવાં તો અગણિત જુઠાણાઓ ફેલાવવાના સંસ્કારો નહેરુવીયન કોંગ્રેસમાં અને સંચાર માધ્યમોમાં ઘુસી ગયેલા. હવે આ સંસ્કારો નિકળવાનું નામ લઈ શકે તેમ નથી. કારણ કે આ નેતાઓ અને મૂર્ધન્યોને માટે શૈક્ષણિક અને વિવેકશીલ ચર્ચા કરવાની લાયકાત, એ તેમની હેસીયત રહી નથી.

રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી અને તેના સુપુત્રની વાત જવા દો, કારણ કે તેઓ તો અતિ સામાન્ય કોટીના જણ જણી છે. તેમની નહેરુવંશના સંબંધી હોવાની અને અઢળક પૈસા વારસામાં મળ્યો એ સિવાયની બીજી કોઈ લાયકાત નથી. સામાન્ય કક્ષા હોવાને કારણે મૌતના સોદાગર અને ગોડસે કહે તે સમજી શકાય છે.

પણ આ નહેરુવીયન કોંગ્રેસના બીજા નેતાઓ વિષે શું છે? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને પણ શું મૂલ્ય હીન બનાવી દીધા છે?  તેમણે તેમના માલિકોને ખુશ કરવા ભાટાઈના એક ભાગ રુપે કે પોતાની સત્તા જાળવી રાખવા શા માટે જુઠાણા ચલાવવા પડે છે? તેઓને એ ખ્યાલ તો છે જ નહીં કે તેમનું પોતાનું અસ્તિત્વ છે અને સ્વયંની સજ્જનતા પણ હોઈ શકે છે.      

મોઢવાડીયા કહે છે,

૨૦મી ડીસેમ્બરે મોદી બીજી દિવાળી ઉજવવાના સપના જુએ છે પણ ૨૦મી ડીસેમ્બરે તો બીજેપીની હોળી હશે.

મોદી તો મુંગેરીલાલ છે. અને તે વડાપ્રધાન થવાના સપના જુએ છે.

દિવાળી કોની થઈ અને હોળી કોની થઈ એ વાત જવા દો, પણ શું નરેન્દ્ર મોદી, મુંગેરીલાલની કક્ષામાં આવે છે? એ વાત સાચી કે તેઓ એક વખત ચાની કીટલી લઈને રેલ્વે પ્લેટફોર્મ ઉપર ફરતા હતા. પણ અત્યારે તેમ નથી.

એમ તો જ્યારે ભારત સુસંસ્કૃત હતું ત્યારે યુરોપીયનો જંગલી અવસ્થામાં અને અસંસ્કૃત હતા. પણ હવે તેઓ તેમ નથી. અત્યારે તેઓ, આપણા આડેધડ બાઈકો અને બીજા વાહનો ચલાવતા તથા રસ્તેચાલતા ગંદકી કરતા ભારતીયો કરતાં હજાર ગણા સુસંસ્કૃત છે.

નરેન્દ્ર મોદીએ પણ ચાની કીટલી ફેરવતાં ફેરવાતાં અને તે પછી ઘણો અભ્યાસ કર્યો છે. ઘણું વાચન કર્યું છે. ઘણું ચિંતન કર્યું છે. અને ઘણો પરસેવો પણ પાડ્યો છે. આત્મબળ અને કાર્ય શક્તિથી આગળ આવ્યા છે. તેમણે કદી કોઈ દિવસ માગણી કરી હોય તેવું કશું રેકોર્ડ ઉપર નથી. રેકોર્ડ ઉપર તો એજ છે કે તેમને જે કામ સોંપવામાં આવ્યું તે તેમણે કર્યું.

તો હવે મુંગેરી લાલ કોણ ઠરે છે? નરેન્દ્ર મોદી કે મોઢવાડીયા પોતે?

જુઓ હજીપણ મોઢવાડીયા નરેન્દ્ર મોદીને અવારનવાર મુંગેરી લાલ કહે છે. આ શબ્દ તેમને તેમના પક્ષના એક કેન્દ્રીય નેતા પાસેથી અધિગત થયો છે. જે પક્ષના દિગ્ગજ નેતાઓને ભ્રષ્ટ થવાનું લખાયું હોય તેના વામણા નેતાઓનું આથી વિશેષ શું ગજું હોય?

શંકર સિંહ શું કહે છેઃ

નરેન્દ્ર મોદીએ જેનો સાથ લઈને તેઓ આગળ આવેલા તેમને તેણે અળગા કરી દીધા. આ શંકરસિંહ કોણ છે? આ એ શંકરસિંહ છે જેઓ એ બીજેપીમાંથી પોતાના સાથીઓને લઈ બળવો કરેલ. અને તેમને ખજુરાહો લઈ ગયેલ. એટલે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે તેમને ખજુરીયા કહેલ. અને જેઓ કેશુભાઈ સાથે રહેલ તેમને આ શંકરસિંહે હજુરીયા કહેલ. એટલે કે બીજેપીમાં જેઓ હજુરીયા ન હતા તેઓ શંકરસિંહ સાથે હતા એવું શ્રી શંકરસિંહ માનતા હતા.  ચૂંટણી પ્રચાર દરમ્યાન જો કે કેશુભાઈ અને શંકરસિંહ સાથે હતા. સુરેશ મહેતાનો એક વખત નંબર લાગ્યો પણ બીજી વખત તેમનો નંબર ન લાગત, જો શંકર સિંહે ૨૦૦૨ સુધી ધિરજ રાખી હોત તો તેઓ અચૂક મુખ્ય મંત્રી બની શકત. કારણ કે વહીવટ ક્ષેત્રે કેશુભાઈ ખાસ અસરકારક કામગીરી બજાવી ન શકેલ.

કેશુભાઈ ની નિસ્ફળતાઓ સમાચાર માધ્યમો યાદ કરતા નથી.

આર એસએસના કેટલાક કાર્યકરો, સરકારી નોકરો પાસેથી લોકોના કામ કરાવવા માટેના એજન્ટો બની ગયેલ. બીજા પેટા ચૂંટણીના પરાજયો ઉપરાંત, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન જેવી મહત્વની ચૂંટણીમાં પણ બીજેપીનો પરાજય થયેલ. તે ઉપરાંત ૨૦૦૧માં આવેલા ધરતીકંપ પછી જે રાહત કામગીરી હતી તે નિભવવામાં કેશુભાઈ સદંતર નિસ્ફળ ગયેલ. કેશુભાઈ એક મજાકનું પાત્ર બની ગયેલ. તે વખતે બીજેપીના મોવડી મંડળ પાસે મોટાગજાનો નેતા હતો નહીં. જો શંકરસિંહે પક્ષ પલ્ટો ન કર્યો હોત અને ધીરજ રાખી હોત તો મોવડી મંડળે તેમની મુખ્ય પ્રધાન પદ માટે જરુર વરણી કરી હોત.

કેશુભાઈને નરેન્દ્ર મોદીએ હટાવ્યા ન હતા.

જ્યારે કેશુભાઈને હટાવાયા અને નરેન્દ્ર મોદીને લવાયા ત્યારે કે તે પહેલાં કોઈ એવા સમાચારો કે વક્તવ્યો જાણવામાં આવ્યા ન હતા કે નરેન્દ્ર મોદીએ મોવડી મંડળમાં જઈને કેશુભાઈની વિરુદ્ધ કાન ભંભેરણી કરેલ અને પોતાનો દાવો રજુ કરેલ. આપણે જાણીએ છીએ કે બીજેપીની છાવણીમાં રહેલી રાઈ જેવડી વાતને પણ સમાચાર માધ્યમો પહાડ બનાવીને પ્રસિદ્ધિ આપે છે અને તે પણ મીઠું મરચું ભભરાવીને અશક્ય ધારણાઓ પણ વહેતી મુકે છે.

મોદીએ મોવડી મંડળનો સંપર્ક પણ કરેલો એવી પણ કોઈ વાત અફવા સ્વરુપે પણ અસ્તિત્વ ધરાવતી ન હતી.  પણ જ્યારે ૨૦૧૨માં કેશુભાઈ રઘવાયા થયા અને એક છેલ્લો ચાન્સ લઈ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે આવી કાનભંભેરણીવાળી વાત વહેતી મુકી. ૨૦૦૧માં પણ કેશુભાઈએ બીજેપીમાં રહીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિયાન ચલાવેલ. તે વખતે પણ તેમણે ઉપરોક્ત કાનભંભેરણી વાળી વાત કરી ન હતી. તે વખતે પણ જનતાની નજરે નરેન્દ્ર મોદી એક શ્રેષ્ઠ મુખ્ય મંત્રી હતા.

શ્રી ગુણવંતભાઈ શાહે સંદેશમાં એક અપીલ બહાર પાડેલી.

સંદેશે પણ એક ફોર્મ છાપેલ કે જનતા પોતાની પસંદગી આપે કે નરેન્દ્ર મોદીની કામગીરી કેવી છે અને તેમણે મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહેવું જોઇએ કે નહીં.

આ ફોર્મ જનતાએ પોતાના ગાંઠના ખર્ચે પોસ્ટ કરવાનું હતું. ૮૭ ટકા જનતાએ તે વખતે પણ નરેન્દ્ર મોદીની ઉપર જ પસંદગી ઉતારેલ. ૨૦૦૨ની ચૂંટણી વખતે પણ કેશુભાઈએ કાનભંભેરણીની વાત કરી ન હતી. આ કેશુભાઈના નવા નવા તુક્કાઓ ઉપર વિશ્વસનીયતા કેવી રીતે રાખી શકાય?

શરદ પવાર શું કહે છે?

શરદ પવાર કહે છે કે મોદી તો ફુગ્ગો છે. ફુગ્ગો જેટલો જલદી ફુલે તેટલો તે જલ્દી ફુટી જાય છે. નરેન્દ્ર મોદીનો ફુગ્ગો પણ જલ્દી ફુટી જશે.

આ શરદ પવાર કોણ છે? માણસ પોતાના દેશ માટે પ્રપંચો કરે તે ક્યારેક ક્ષમ્ય ગણાય છે. પણ જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પ્રપંચો કરે તે ક્ષમ્ય નથી. જોકે નહેરુવીયન કોંગ્રેસે અને તેના કલરફુલ (પીળા) મીડીયાએ આવા પ્રપંચોને પણ ક્ષમ્ય જ નહીં પણ વખાણવા યોગ્ય માની લીધા છે. શરદ પવારે કેટલા પક્ષ બદલ્યા એ ગણાવવા માટે તો તેમને ખુદને પણ આંખો બંધ કરીને ગણત્રી કરવી પડે. અસામાજીક તત્વો, ખાંડના કારખાનાની લોબી અને હાલમાં સિંચાઈના કામોમાં થયેલી ખાયકી ઓમાં થયેલી નહેરુવીયન કોંગ્રેસ સાથેની મીલીભગતની ભગતની અફવાઓ વિશ્વસનીય લાગે છે. શિવસેના વાળા ટકી રહેવા માટે મધ્યમ વર્ગના માણસોને ક્યારેક સ્વેચ્છા પૂર્વક વિનંતિ કરીને કે થોડી ધાકધમકીથી તેમની પાસેથી પૈસા ઉઘરાવે છે. શરદના માણસો તો મોટા પાયે જમીનના ઝગડાઓ કોર્ટ બહાર જમીન માફીયા રાહે દાઉદના નેટ વર્કના હિસ્સા રુપ બનીને ઉકેલે છે. આ વાત મુંબઈમાં નાનુ બાબલું પણ જાણે છે.

કપિલ સિબ્બલ શું કહે છે? “મોટો ખુલાસો”

કપિલ સિબ્બલે કહેલ કે થોડા વખતમાં અમે નરેન્દ્ર મોદી બાબતમાં મોટો ખુલાસો કરીશું. આ વાત તેમણે એક બે મહિના પહેલાં કરેલી. આ ખુલાશો શું છે? સમાચાર માધ્યમોએ કહેલું કે નરેન્દ્ર મોદીને ૨૦૦૨ ના દંગાઓના કેસમાં ફસાવી દેવામાટે ચોકઠું ગોઠવાઈ ગયું છે. સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં અથવા તો ઇસરત જહાં કેસમાં તેને ફસાવી દેવામાં આવશે.

ક્લીક કરોઃ

 https://www.youtube.com/watch?feature=player_embedded&v=YJudO8FjPj4 Madhu Keshvar on Narendra Modi.

લાલ કૃષ્ણ અડવાણી તેમની માંદગીઃ

અડવાણી મોદીની વિરુદ્ધમાં છે. કારણ કે તેમને હજુ વડાપ્રધાન થવાની ઈચ્છા છે. મોદીની લોકપ્રિયતા તેમને કઠે છે. સમાચાર માધ્યમોએ આ વાતને બહુ ચગાવી છે. એટલી ચગાવી છે કે આપણને જ નહીં પણ અડવાણીને ખુદને એવું લાગે કે તે મોદી લોકપ્રિય બને અને લોકો મોદીને  વડાપ્રધાનપદના દાવેદાર સમજે તે તેમને પસંદ નથી. દરેક વ્યક્તિને પોતાની મહેચ્છાઓ હોય. પણ તે માટે સુજ્ઞ જનો અંતે તો જનતાની ઈચ્છાને જ મહત્વ આપે છે.

નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી નથી.

જ્યારે વ્યક્તિ પોતે, ઈચ્છતો હોય પણ જાહેર કરવા માગતો ન હોય તો તે પોતાની ઈચ્છા તેના સાથીઓ દ્વારા જાહેર કરે છે. (મોરારજી દેસાઈ જેવા પુરુષો વિરલ હોય છે જેઓ પોતાનો હક્ક જાહેર રીતે વ્યક્ત કરે છે), પણ બીજેપીના કોઈ નેતાએ પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થવા જોઇએ એવી કોઈ વાત કરી નથી. તો પછી નરેન્દ્ર મોદીને વડા પ્રધાન થવું છે તે વાત ઉગી કેવી રીતે?

અડવાણી જીન્ના ની કબર ઉપર માથું ટેકવી આવ્યા એટલે આરએસએસ વાળા કંઈક વધારે પડતા નારાજ થયા. જીન્નાની વાત ઉપર તો નહેરુવીયન કોંગ્રેસીઓએ પણ અડવાણી ઉપર માછલા ધોયાં. મીડીયાએ આ વાત ને અતિશય ચગાવી. બીજેપીના નેતા ઉપર કોઈ વિવાદ ઉભો થાય તો મીડીયા વાળા અને કોંગ્રેસી નેતાઓ ઝાલ્યા ન રહે. અને આતો હિન્દુત્વનો સવાલ એટલે આરએસએસવાળા ગાંડાતૂર થયા. ૧૯૫૪માં પાકિસ્તાનના પ્રમુખ ઈસ્કંદર મીર્ઝાએ ભારત અને પાકિસ્તાનનું સમવાય તંત્રની માગણી મુકેલ. જવાહરલાલ નહેરુએ તેમની આ માગણીને તૂચ્છતા પૂર્વક નકારી નાખેલ. અખંડ ભારતની વાતો કરીને મહાત્મા ગાંધીને જવાબદાર ઠેરવનાર અને તેથી કરીને પોતે કેવા પરમ દેશભક્ત છે, તેવા આ  આરએસએસવાળા મહાનુભાવોએ તે વખતે જવાહરલાલ નહેરુ ઉપર તૂટી પડવા જેવું હતું. પોતાનો પરમ દેશપ્રેમ વ્યક્ત કરવાનો આ સુંદર મોકો હતો. પણ તેમના નેતાઓને ખબર છે કે અખંડ ભારતની વાત એક બનાવટ છે વાસ્તવમાં જો આ વાત ચગત તો નહેરુના ચેલકાઓ આરએસએસના દિગ્ગજ નેતાઓ ભાગલાની તરફના હતા તે વાત બહાર લાવી દેત. તેથી બાંધી મુઠ્ઠી લાખની એમ વિચારીને આર એસ એસના નેતાઓ મૌન રહેલ. વિનોબા ભાવેએ ઈસ્કંદર મીર્ઝાની સમવાય તંત્રની વાતને આવકારી હતી. વિનોબા ભાવેએ જવાહરલાલ નહેરુના કારણોને ગેરવાજબી ઠેરવેલ. સમાચાર માધ્યમો તે વખતે પણ નહેરુના પ્રશંસક હતા તેથી તેમણે સમવાય તંત્રની વાતને ચર્ચાના ચગડોળે ચલાવી ન હતી.

આરએસએસ ના નેતાઓનું મુખ્ય ધ્યેય પક્ષ ઉપર પકડ રાખવાનું છે, બીજેપીના નેતાઓને વખતો વખત દબાવવાનું છે. પણ અડવાણીની સ્થિતિ છૂટેલા તીર જેવી હતી. અને આરએસએસવાળા હવે જો અડવાણી ઉપર વિશ્વાસ રાખે તો તેઓ ડબલ કાટલા વાળા થાય એવી વાત સમાચાર માધ્યમો વાળા ફેલાવે ને ફેલાવે જ. એટલે તેમની સ્થિતિ પણ છૂટેલા તીર જેવી હતી.

જશવંત સિંહ પણ જીન્નાની વાતમાં ફસાયેલા છે. જોકે જશવંત સિંઘ અને અડવાણી સાચે સાચ માંદા લાગે જ છે છતાં પણ મીડીયાને તેને પોલીટીકલ માંદગી ખપાવવામાં ખાસ રસ છે. જશવંત સિંઘ એક સારા વહીવટકર્તા છે અને તેઓ આવા પોલીટીક્સમાં પડતા નથી.

સુષ્મા સ્વરાજઃ

તે એવાં શક્તિશાળી નથી. તેઓ જો સોનીયા ગાંધીને ન જીતી શકે તો બીજાને તો જીતાડી જ કેવીરીતે શકે. વળી તેઓ પણ દુશ્મનો ઉપર દયા રાખનારા છે. એક વખત ૨૦૦૦-૨૦૦૪ના અરસામાં નહેરુવીયન કોંગ્રેસ કાર્યાલયનો ટેલીફોન પૈસા ન ભરવાથી કપાઈ ગયેલ. તે વખતે સુષ્મા સ્વરાજ ટેલીકોમ્યુનીકેશન મીનીસ્ટર હતા. તેમણે તે ટેલીફોન ચાલુ કરાવી દીધેલ. એટલું જ નહીં જે અધિકારીએ તે ટેલીફોન કાપી નાખેલ તેની સામે વળતા પગલાં લીધેલ.વાસ્તવમાં સુષ્માસ્વરાજે નહેરુવીયન કોંગ્રેસની બેદરકારીને ચગાવવા જેવી હતી. પણ સુષ્માસ્વરાજે બાજપેયીવાળી કરી, એટલે કે દયાના દેવી બન્યાં અને વિપક્ષ આગળ ભલાં બન્યાં. આરએસએસ વાળા આવી મહિલાને પસંદ ન જ કરે.

તોગડીયા અને આર એસ એસ

તોગડીયાએ કહ્યું કે વિકાસનો મુદ્દો તો બીજા પણ ઉઠાવી શકે છે અને તેમાં તો વિવાદો પણ ઉત્પન્ન કરી શકાય છે તેથી બીજેપીએ હિન્દુઓના મત લેવા માટે અને હિન્દુઓની એકતા સ્થાપિત કરવા માટે હિન્દુત્વનો જ મુદ્દો જ ઉઠાવવો જોઇએ. એટલે કે નરેન્દ્ર મોદી જે વિકાસનો મુદ્દો ઉઠાવે છે તે બરાબર નથી. જોકે તોગડીયા એ વાત ભૂલી જાય છે કે જનસંઘ હિન્દુત્વના મુદ્દા ઉપર જ ચૂંટણી લડતો હતો. અને ૧૯૮૪ની ચૂંટણીમાં બીજેપીની પાસે હિન્દુત્વ સિવાય મુદ્દો હતો જ નહીં. પણ આપણા આરએસએસના ભાઇઓએ રાજીવ ગાંધીમાં તારણહાર જોયેલો. વિશ્વબંધુ ગુપ્તાના કહેવા પ્રમાણે કેટલાક આરએસએસવાળાઓએ રાજીવ ગાંધીનો પ્રચાર કરેલ. ટૂંકમાં પડઘી વગરના લોટા જેવા આરએસએસવાળાઓનું કહેવું માની નરેન્દ્ર મોદી “આ બૈલ મુઝે માર જેવું તો નજ કરે.”

જો કે આરએસએસવાળા દેશભક્ત છે અને આપત્તિના સમયે સેવાનું સારું કામ કરે છે. તે માટે તેમને સલામ કરવી જોઇએ. પણ તેમણે જ્ઞાન અને માહિતિ માટે બધી દીશાની બારીઓ ખુલ્લી રાખવી જોઇએ. મુસ્લિમ જનતાએ અને મુસ્લિમ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ સમજેલ અને જેમ બીજા રાજાઓ વર્તેલ તેમ તેઓ પણ વર્તેલ. તેમનો સમય એ દેશની ગુલામીનો સમય હતો તે મનોદશામાંથી તેમણે બહાર આવવું જોઇએ. મુસ્લિમોમાં જે કંઈ દુર્ગુણો દેખાય છે તે બ્રીટીશ રાજ અને નહેરુવીયન કોંગ્રેસ રાજની પેદાશ છે.

આરએસએસને માટે નરેન્દ્ર મોદીને સપોર્ટ કર્યા વગર છૂટકો નથી. જેમ કેટલાક ગાંધીવાદીઓને માટે નહેરુવીયન કોંગ્રેસીઓનો સહારો લેવા સિવાય કે તેમને સહારો આપવા સિવાય છૂટકો નથી, તેમ જ સમજવું.

મીડીયાના ડબલ કાટલા

ઈન્દીરા ગાંધીએ કામકર્યાવગર તેના વિરોધીઓને ભૌતિક રીતે દૂર કરેલ. અને પક્ષ ઉપર બ્લેકમેલ દ્વારા મજબુત પકડ જમાવેલ તે બાઈને આ જ સમાચાર માધ્યમવાળા મજબુત બાઈ તરીકે ઓળખાવતા અને આજની તારીખમાં પણ તેની બુરાઈ કરતા નથી. આનાથી ઉંધું વલણ જુઓ. નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધીઓને કેવા દૂર કર્યા તેમાં બધાના નામ આપવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીએ કામ કરીને નામના મેળવી છે. નરેન્દ્ર મોદીએ તો કદી તેમનું નામ પણ લીધું નથી. છતાં પણ નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં આવી છે. તમે આજનું (૯મી જુન ૨૦૧૩નું) દિવ્ય ભાસ્કર જોશો તો તમને નરેન્દ્ર મોદીના વિષેની વાતો અને સમાચાર, નરેન્દ્ર મોદીની વિષે નકારાત્મક વાતાવરણ બને એ રીતે જ આપવામાં આવ્યા છે. કેશુભાઈને દૂર કર્યા, શંકરસિંહને દૂર કર્યા, સુરેશ મહેતાને દૂર કર્યા, દીલીપ પરિખને દૂર કર્યા, સંજય જોષીને દૂર કર્યા, નીતિન ગડકરીને દૂર કર્યા અને અડવાણીને દૂર કર્યા. આપણે જાણતા નથી કે નરેન્દ્ર મોદી ક્યારે માંદા પડ્યા અને કઈ મીટીંગમાં માંદગીને કારણે ગેરહાજર રહ્યા. પણ આપણા આ અખબારી આલોચક કહે છે કે મોદી વિરોધીઓએ માંદગીનું મોદીનું શસ્ત્ર મોદી સામે જ વાપર્યું. મોદી કેવા કૃતઘ્ન છે કે તેઓ પોતાને મદદ કરનારાઓનો જ કાંટો કાઢી નાખે છે.

પક્ષના પ્રમુખે નક્કી કરવાનું હતું કે ચૂંટણી માટેની સમિતિનો નેતા કેવો હોવો જોઇએ?

નેતાઓને ગમે એવો કે જનતાને ગમે તેવો?

મોટાભાગના નેતાઓ એવા મતના હતા કે જનતામાં જે લોક પ્રિય હોય તેનો નેતા હોવો જોઇએ. અને જનતા નરેન્દ્ર મોદીને પસંદ કરે છે તે જગ જાણીતી વાત છે. પણ કેટલાક નેતા નરેન્દ્ર મોદીમાં પોતાનું અહિત જોતા હતા કારણ કે અખબારી અફવાઓ પ્રમાણે નરેન્દ્ર મોદીએ કેશુભાઈ, સુરેશ મહેતા, દિલીપ પરિખ અને સંજય જોષી જેવાને રાજકીય રીતે ખતમ કરેલ. કેશુભાઈ વિષે તો ગુજરાતની જનતા જાણે છે કે તેમણે કેવા પરાક્રમો કરેલ. સુરેશ મહેતા, શંકર સિંહ, વિગેરેની અધિરાઈ અને પક્ષ પ્રત્યેની અનિષ્ઠા વિષે પણ જનતા જાણે છે. સંજય જોષી તો અખબારોએ  ઉપજાવેલી મહાન વિભૂતિ છે.

નેતાએ પક્ષને વફાદાર રહેવું જોઇએ અને પોતાના પક્ષના હોદ્દેદારની જાહેરમાં ટીકા ન કરવી જોઇએ. સત્તા માટે ધિરજ ધરવી જોઇએ. સત્તાવગર ઘાંઘાં થવું ન જોઇએ. મોદીએ કોઈને કાપ્યા નથી. પણ અખબારોએ પોતાના પત્રકારત્વના (પીળા) રંગને અનુરુપ આ વાત ચગાવી અને ચાલુ રાખી.     

હવે મોદીએ શું કર્યું અને કેવી રીતે ક્યારે કર્યું તે કશું ક્યારેય આ અખબારી ઉંદરો કાતરી શક્યા નથી. પણ એક અફવા વહેતી મુકી દેવી અને તેને અવાર નવાર કીધા કરવી એટલે તે સત્ય બની જશે.

મીડીયાની માનસિકતાઃ

મીડીયાની માનસિકતા ઉપર નહેરુવીયન કોંગ્રેસ સંસ્કારનો લગભગ ન ભૂંસી શકાય તેવો લાગે એવો પ્રભાવ છે. નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર એવા રહ્યા છે કે નંબર વન સત્તાકેન્દ્ર નહેરુવંશનો જ હોવો જોઇએ. આટલું સ્વિકારો તો જ તમે નહેરુવીયન કોંગ્રેસમાં રહી શકો. આવું જેમણે ન માન્યું તેઓ ને બદનામ કરવાના કવતરાં રચાયા અને દૂર કરાયા. એટલે જ્યારે નહેરુવીયન કોંગ્રેસની વાત કરીએ ત્યારે વિરોધી સૂર સંભળાતા નથી. પહેલા વડાપ્રધાનો પણ નહેરુવંશના આવતા અને તેઓને નંબર વન નો દરજ્જો મળતો. તે પછી વડાપ્રધાનનો દરજ્જો બીજો થઈ ગયો. હવે ત્રીજો થઈ ગયો છે. જેઓ હોદ્દેદારો છે તેઓ એવા છે કે તેમને બ્લેકમેલ કરી શકાય અને જનતામાં તેમના મૂળ નથી.

મીડીયાની એક વિશેષતા એ છે કે પાયાની વાતની ચર્ચા કરવી જ નહીં. જેમકે પ્લાનીંગ કમીશન જેના પ્રમુખ વડાપ્રધાન પોતે છે. તો પછી નેશનલ એડવાઈઝરી બોર્ડની રચના (કે જેના પ્રમુખ સોનીયા ગાંધી છે) શા માટે કરવામાં આવી? આ સવાલ પૂછાયો છે. નહેરુવંશનો કોઈ ફરજંદ આ પ્રશ્નનો ઉત્તર આપે તેવી અપેક્ષા રાખવી એ મીડીયાના સંસ્કારમાં નથી. પણ નહેરુવીયન કોંગ્રેસ ની સરકારના કોઈ હોદ્દેદારને આ પ્રશ્ન પૂછી શકાય તે પણ મીડીયા મૂર્ધન્યોના સંસ્કાર નથી. આવી તો અનેક વાતો છે.

ટૂંકમાં એમ કહી શકાય કે લોકશાહીમાં અનેક સૂર હોઈ શકે અને પછી જ ચર્ચા વિચારણાના અંતે પરિણામી એક સૂર નીકળે અથવા તો બહુમતિનો સૂર માન્ય થાય છે, આ વાત મીડીયા મૂર્ધન્યોના ગળે ઉતરતી નથી. આના ઘણા કારણો હોઈ શકે. અને સુજ્ઞ જનતા આ બધાં કારણો જાણે છે. અમેરિકામાં પણ ઓબામાને પોતાના પક્ષમાંના પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડ્યો હતો. પણ તેનો અર્થ “મહાભારત” એવો કરવામાં આવ્યો ન હતો. કારણ કે ત્યાં આ પ્રક્રીયા ને લોકશાહી પ્રણાલીનો એક ભાગ સમજવામાં આવે છે.

રાજનાથ સિંઘે શું કર્યું?

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ અને તેમના સાથી પક્ષો જેઓ સંસ્કારમાં નહેરુવીયન કોંગ્રેસ ની કાર્બન કોપી જેવા છે તેઓ લોકશાહી નું હાર્દ ન સમજી શકે તે વાત સમજી શકાય છે. પણ ભારતીય મીડીયાના મૂર્ધન્યો પણ લોકશાહીનું હાર્દ સમજી ન શકે તે દુઃખદ, લોકશાહીમાટે ઘાતક અને દેશ માટે હાની કારક છે.

પક્ષના બંધારણમાં કે દેશના બંધારણમાં જે કંઈ લખ્યું હોય તેને જ પવિત્ર માની શકાય એવું નથી હોતું. જનતા સર્વોપરી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. બંધારણ નહીં. જ્યાં જનતાનો અવાજ સંભળાય અને જનતાના અવાજનો આદર થાય તે લોકશાહીનું હાર્દ છે.

બીજેપી મોવડી મંડળ પાસે બે પસંદગી હતી. જેઓ મોદીને વડાપ્રધાન પદ માટે યોગ્ય ગણતા હતા તેઓની વાતને માન્ય રાખવી કે અડવાણીને વધુ એક વખત વડાપ્રધાન પદ માટે નંબર વન ગણવા. બંને જુથો લગભગ ૫૦ટકા પ્રમાણમાં વહેંચાઈ ગયેલ. ચર્ચા દરમ્યાન કેટલાક સભ્યોને મોદીનું મહત્વ સમજાયું. અને તેઓ મોદીની તરફેણમાં આવી ગયા. જે કારણસર મોદીની તરફમાં આવી ગયા તેનું પણ એક મહત્વનું કારણ હતું કે વિભીન્ન એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે થી એજ પ્રતિપાદિત થતું હતું કે જો મોદી પ્રચારની ધૂરા સંભાળે અને તે જ વડાપ્રધાન પદનો બીજેપી દ્વારા પ્રસ્તૂત ઉમેદવાર હોય તો વધુ લોકસભાની બેઠકો આવે. સાથી પક્ષોમાં પણ એવા પ્રચ્છન્ન નેતાઓ છે (જેડીયુ સહિત) જેઓ મોદીને પસંદ કરે છે.

સર્વ સંમતિથી નિર્ણય લેવાયો. બે ત્રણ દિવસ લાગ્યા તેને મહાભારત ન કહેવાય. આ પ્રક્રીયાને એક લોકશાહી પ્રક્રીયા ગણવી જોઇએ.

જેઓ નહેરુવીયન કોંગ્રેસના વંશવાદના સંસ્કાર જે માનસિકતા જ્ઞાતિવાદી માનસિકતાથી પણ વધુ પછાત કક્ષાની છે તેઓને બીજેપીની ક્રીયાઓ પસંદ પડશે નહીં. તેઓ બીજેપીને વિભીન્ન મતો વાળી પાર્ટી, અને નરેન્દ્ર મોદીને ગંભીર આરોપોવાળા નેતા તરીકે ઉલ્લેખવાનું ચાલુ રાખશે. ૧૯૭૫માં ભારત દેશ ઉપર કટોકટી સ્થાપીને પોતાની સર્વ ક્ષેત્રીય નિસ્ફળતાનું પ્રદર્શન કરનાર અને તેને તાબે થનાર વ્યક્તિઓ, પક્ષો અને સંસ્થાઓ પાસેથી તમે લોકશાહીના આદરના સંસ્કારની અપેક્ષા ન રાખી શકો.    

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અડવાણીનું ભવિષ્ય શું?

બીજેપી સત્તામાં આવે એટલે તે શાહ કમીશનના રીપોર્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે. કોંગીના જે કોઈ સભ્યો સંડોવાયેલા હોય અને જીવિત હોય તેમની ધરપકડ કરીને જેલમાં મોકલે. પ્રણવ મુખર્જી પણ સંદોવાયેલા છે એટલે તેઓ પદચ્યૂત થાય. અને તેમને સ્થાને અડવાણીની નિમણુંક થાય.

ટેગ્ઝઃ નરેન્દ્ર, મોદી, કેશુભાઈ, શંકર સિંહ, સુરેશ મહેતા, સંજય જોષી, સુષ્મા સ્વરાજ, જશવંત સિંઘ, અડવાણી, અખબારી, ઉંદરો, સમાચાર માધ્યમો, મીડીયા, અફવા, પીળો, જનતા, પસંદ, નેતા, નહેરુવીયન, અશિષ્ટ, બુરાઈ, આરએસએસ, હિન્દુત્વ, નહેરુ, ઈન્દીરા, કટોકટી,

 

 

Read Full Post »

%d bloggers like this: