Feeds:
Posts
Comments

Archive for December, 2014

Fake Disputes on declaration of Geeta as National book. Is it sustainable? (Part – 2)

Look at the point and the content of Geeta.

No body can find any mandatory for mankind.

Nothing is mandatory

How to activate your mind

Krishna does not say that you perform this rituals, that rituals, this God that God, or whatsoever. Nothing is mandatory. He says, this is my suggestion. You do what you feel OK. (यथा योग्यं तथा कुरु).

Is it that anything written in verse would become religious? No. it cannot be.

What has been narrated by Krishna through Geeta?

First Chapter is about displeasure of Arjun. He wanted to show the redundancy and uselessness of war.

(1) It was not good to fight with relatives and elder ones.

(2) A lot people are getting killed. Why should one kill a lot for its own benefit?

(3) The fighting itself is bad.

Krishna says; “Is the philosophy your subject? Had you chosen this subject matter for living your life.?

No. It was not.

Arjun had fought many battles in his past. He had also fought with his relatives.

This was his dishonesty in his reasoning. It was his misconception on understanding the situation and his duty.

The aptitude of Arjun had never been remained non-violent so far battle is concern.

In reality, Arjun wanted a good reason to run away from the war.

Was it OK?

Krishna says to Arjun;

“by birth (or otherwise), you have selected and chosen the duties of Kshatriya”,

“you never so far has tried to runway from you these duties.”

“you very well know that whenever there is a war, lot soldiers are killed.”

“How can you run away from the war, which hitherto has remained a part of your life .”

Vinoba Bhave explains this situation somewhat like this.

After completing education in school, a person selects the medical profession. The person undergoes the course of surgery. He gets qualified. He performs operations.

Now suppose at an instance, when an operation is fixed, a day and time is fixed, patient has been brought to the operation theater, the tools are ready, nurses and other doctors are also ready, anesthesia is given to the patient, the surgeon comes to the operation table, and that surgeon suddenly declares says;

“I will not perform this surgery.

“I know that if operation would be successful, all would be pleased,

“but the operation could be also be unsuccessful,

“This patient could die also,

“There is no certainty,

“No body knows what is going to happen !!

“You know, while learning surgery we do a lot experiments on innocent creatures,

“we do experiments even on humankind too,

“the whole job is not only violent but inhuman too,

“there are a lot evils involved,

“Naturopathy is far better,

“We should live with nature,

“What is wrong if we die in a natural course,

“I am not going to perform this operation,

“I don’t care for any money

etc… etc…

Just like Arjun, he made controversy on the surgical job, which he hitherto had been remained of his choice and he had performed a lot operations. His duty was to perform this operation.

This surgeon had not studied naturopathy, but he favored naturopathy, just like Arjun who had not studied philosophy and non-violence, but he had started favoring them.

Krishna tells about the social philosophy.

He says;

Nature has produced four types of categories in humankind, according to their aptitudes of selecting work. (चातुर्वणं मया सॄष्टं, गुणकर्म विभागसः).

स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः

To perform the work which you have selected, acquired knowledge is your duty.

If you perform your said duties till you die, is better advisable for you and for the society.

The other work which you select to perform without acquiring knowledge is harmful for you and the society.

Arjun asks as to how to be efficient in the work.

Krishna says: Go on performing the work repeatedly. (अभ्यासेन)

Arjun says: But how to be successful.

Krishan says: Don’t expect favorable result out of your work. You can control your own work only, whereas the result is the resultant effect of the work of many others too. But for that reason you should not give up the work. (कर्मण्येव अधिकारस्ते, मा फलेषु कदाचन, मा कर्मफलहेतुः भु, मा ते संगः तु अकर्मणी.)

Arjun: How to create that type of mentality?

Krishna says; “perform your work without associating your emotions to the work. Associate your brain as if you are a third party. (स्थितप्रज्ञ)

Lord Krishna, also tells, about how the cosmos is (विश्वरुप). How the cosmic soul is (विश्वात्मा). How everybody is a part of it (शिवः अहम्‌).

Lord Krishna also narrates the ways of achieving happiness. etc… etc… A book can be written on every chapter of Geeta. Geeta is absolutely a book of psychology with some philosophical idea on Cosmos, God and soul.

The most powerful point is the realization of unity with Cosmic soul with an aptitude to unite yourself for eternal pleasure. (ईशावास्यवृत्ति).  Mahatma Gandhi had become crazy on this.

There is not a single hymn by which one can link Geeta with a Religion that fall under a category of traditionally defined religion.

Shirish Mohanlal Dave

Tags: Geeta, Krishna, Arjun, work, duty, selected, aptitude, category, experience, performance, efficiency, successful result, surgeon, operation

Read Full Post »

Fake Disputes on declaration of Geeta as National book. Is it sustainable? (Part – 1)

GEETA

Why India should not have a National book?

If India has, National Bird, National symbol, National animal and also National flag, then there is no reason to prevent the government from selecting and declaring a national book.

Yes. We cannot prevent the Government.

Now suppose, the Government declares a book as the national book to which one group does not agree then what should the government do!!

WHAT SHOULD BE THE PROCESS?

Discussion is the process recognized in democracy.

What matter can be discussed in democracy?

If two parties, do not agree to a matter, then the disputes should be decided.

Here the two parties are: One Party is the Government. The other part is the group made of who does not like to declare Bhagvad Geeta as the National Book.

What are the disputes between two parts?

The other part appears to be not interested in logical discussion. But suppose it wants a logical discussion then it can raised following points:

(1) The other part says that Geeta is a religious book.

(2) In democracy all the religions are equal before the Government.

(3) Declaring a book belonged to a religion would give a message that government has declared a religion superior to other religion by way of recognizing its book as the National Book.

(4) For a democratic government, all the religions are equal, thereby government should not hurt the feeling of other’s faith.

The pro-declaration part and the Government says Geeta is a well-recognized and accepted book for improvement of mind-set. Dealing with a mind is a subject of philosophy provided it is with logical technics.

What comes in a way is the word “Religion”.

What is the definition of a religion?

Is it the definition of a religion as under?:

(1) Faith in a specified God by a book recognized by a promoter of that faith?

(2) Faith in the so-made authentication of the Event and Events and eventual characters made by the promoter of that faith?

(3) Faith in the rituals, line of actions, interactions, rules of law etc… directed by the promoter of that faith in the book/s?

(4) Faith in any such thing related with that book/s by the promoter of the faith as mandatory?

JUDAISM –CHRISTIANITY-ISLAM

Judaism is a religion. It has a book Torah. The God Jehovah had directed human kind to follow the guide lines given in Torah.

Christians says no. The Torat is not OK totally. God had sent his Son to provide better guide line to mankind. It is the bible which is OK.

Muslims say no. Neither The Torat and nor the Bible is OK in toto. Because there are lots of interpolations and versions. Nothing is authentic and thereby they are not acceptable. God cannot have sons and daughters etc… God had sent a prophet. Directives had been given to that prophet through an angel. Koran Contains those directives in pure form. That is why Koran is the final and ultimate.

What is about Hindu?

As for the meaning of the word “Religion”, the meaning cannot be applies to the Hinduism. Our concepts are different. We have not that type of religion. Ours is the Dharma that is knowledge, selection of duties and liberty to select the ways to have pleasure of individuals and the society. We call this combination as “Sanatan Dharma”. The main principle us “Truth, Non-violence and happiness to all”.

The directives as defined/described as mandatory in the specified book/s, of the specified religion, are being applied in non-Hindu religions to be a part of that religion,

As for “Santana” no such provisions or reasons or directives are applicable. It is not falling under the definition and directives prescribed for traditionally called Jew, Christian, Muslims and other religion with similar binding characteristic.

Recall the supremacy of the Church on Science.

Nothing should recognized that goes against the events and characters narrated, that contradicts what is mentioned in the Bible. Galileo was punished for that. Later it was decided that religion and science are separate subjects. Religion is based on faith. Science is based on logic. A religious group cannot permit deviation from the beliefs as directed in a book. But as for the science, the deviation from the beliefs will be permitted.

Newton had written on Mass, Space and Time in “Philosophy of Nature”. Einstein and others contradicted in course of time. Einstein wrote on Mass, Space and Time in “The Universe”. There was no problem. While dealing with ordinary machines we follow Newton. While dealing with very high speed machines we follow Einstein.

“SANTANA” IS LIKE SCIENCE

Sanatana does not cover physical Universe only. It covers Universe, Mind, Soul and to some extent social behavior too. It is more or less applied technics to step up mind of individuals and the society/societies. Everything is related with the mind only.

Since by the definition, “Santana” differs, the word “Religion” cannot be applied to “Santana”. “Sanatana” is a way of life to have pleasure, harmony and peace in the society and to step up the individuals and the societies.

“Sanatana” is a philosophy of mankind as to how to deal with our mind to step it up and how to look at the universe.

Plato was a philosopher. He wrote a book “Theory of Forms”. This was a philosophical approach.

Now suppose the government of Greece declares this book as the National Book, would the Christians oppose this?

No. Because Plato was not a head of any religion. Now suppose a group immerged and said we have a Plato-Religion. It is a different matter that wether we may follow his principles or not. Don’t ask us about it. But we and declare that we have faith in Plato’s book. We have formed a herd named PLATO. Plato was son of God or a prophet sent by the God, or whatsoever we may call him or not, we and you should not mind. But we belong to Platonisms. That is all.

Would it be proper to derecognize the Plato’s book “Theory of Forms” from the category of Philosophy?

SIMILAR IS THE CASE WITH KRISHNA.

Krishna was knowledgeable, thinker, yogi and philosopher. He narrated Geeta. Incidentally he narrated Geeta before Arjuna, before the war Maha Bharata started. This lecture on philosophy on how to deal with the mind was given by Krishna. It is a different matter whether it was an interpolation or not. But one cannot negate its category.

What is the fault of “Geeta” if the discoverer and orator Krishna, is termed as an incarnation of Sun (Vishnu)? Even today there are more than 1000 persons recognized as God. Will you de-recognize their rights of citizenship?

No. You will not. Because they are human being too. similar is the case with Krishna and his Geeta.

Geeta is a book on philosophy. One cannot de-recognized it from its category.

Let us look at the origin of Geeta.

VEDAS HAS UNIVERSAL PHILOSOPHY.

What is eternal?

Who is eternal?

How was the universe created?

What are the ways to acquire the pleasure?

How to step up mind?

How is the cosmos?

The language of Vedas is in old Sanskrit. The text of Vedas have multiple meanings. They have literal meaning, indirect meaning and hidden meaning. Those who have any doubt on this point, they may read Aurobindo Ghose on Vedas.

There are Upanishadas. All these are difficult for common mass to understand. It is just like to study in college after completing qualifying final year of school.

WHAT HAS BEEN SAID ABOUT GEETA?

Upanishadas are Cows (philosophy of survival). Krishna milked them. He prepared curd and butter milk and then stirred it. The butter got floated on the surface. Krishna took it out and he presented it before Arjun (Bharata).

Is there anything wrong with Geeta so far as philosophy is concern?

No. There is nothing wrong, nothing misguiding, nothing discriminating mankind or harming mankind.

Yes. There are some people who have misinterpreted Geeta willfully to satisfy their ego and selfish means associated with their hypocrisy and vote bank politics.

Let us see some of the misconceptions.

(Continued … )

Shirish Mohanlal Dave

Tags: Geeta, Philosophy, science, mind, cosmos, soul, Newton, Einstein, Plato, Church, Jewism, Christianity, Islam, prophet, son, Sun, religion, faith, logic, incarnation, God, Krishna, Veda, Butter

Read Full Post »

શમશદભાઈની સાયકલ

મારું નામ શમશદ અને મારા મોટાભાઈનું નામ અલ્તાફ. મારા મોટાભાઈએ આમ પીટીસી કરેલું. પણ તેમનો ધંધો મીકેનીકનો. એટલે કાર પણ રીપેર કરે અને સાયકલ પણ રીપેર કરે. હા અમારે ઈશ્વરપુરામાં કાર, સ્કુટર, સાયકલ, પ્રાયમસ વિગેરે રીપેર કરવાની દુકાન એક જ. તડાકો પડે એવી ઘરાકી નહીં પણ ગાડું ગબડ્યું જાય. હું તો ગણેશપુરામાં રહું. મારા મોટાભાઈ એકલા હતા.

હવે વાત શરુ થાય છે.

હું ઉઠ્યો અને પાછળના વાડામાં ગયો. અરે આ શું છે? આ તો મોટાભાઈએ બનાવેલી ત્રણ પૈડાવાળી સાયકલ છે. આમ તો આને સાયકલ પણ ન કહેવાય અને રીક્ષા પણ ન કહેવાય. સાયકલ લારી તો કહેવાય જ નહીં.

આ સાયકલ ઉપર બેસીએ તો બે પૈડાવાળી સાયાકલ પણ લાગે અને ત્રણ પૈડાવાળી સાયકલ પણ લાગે. પાછળ હસિનાને બેસાડી પણ શકાય. હા હસિના મારી બૈરીનું નામ. હસિના રુપાળી તો હતી જ. એટલે તો હું તેને પરણેલો. હજી પણ રુપાળી તો લાગે જ છે મને તો.

સાયકલ આવી ક્યારે? સાયકલ વાડામાં કેમ કોણે મુકી? કદાચ હસિનાએ મુકી હશે. ચોરાઈ ન જાય ને એટલા માટે.

આ સાયકલ અફલાતુન છે. મને થયું તેના ઉપર બેસીને થોડું ફરી આવું. રસ્તા ઉપર લઈ ગયો. અને બેઠો. આતો આમ તો સ્કુટર જેવી હતી. પેડલ તો ફક્ત પગ રાખવા માટે હતા. તેના હેન્ડલ અસ્સલ સ્કુટર જેવા હતા. હેન્ડલ ઉપર આગળના અને પાછળના પૈડાઓ માટેની બ્રેકો પણ હતી. સાયકલ તો સ્કુટરની જેમ દોડવા માંડી. મેં હેંડલને ઉંચુ કર્યું તો સાયકલ તો હવામાં ઉંચી થઈ. ઉડવા લાગી. મને શી ખબર, પણ આ ટ્રાયસિકલ તો હવામાં બહુ ઉંચી આવી ગઈ અને આગળને આગળ ધપવા લાગી.

તમને આશ્ચર્ય થશે. પણ મને આશ્ચર્ય ન થયું. કારણ કે મારા મોટાભાઈ અલ્તાફભાઈ બહુમોટા કારીગર હતા. તેઓ પેટ્રોલ વગર અને બેટરી વગર પણ ચાલે એવી સાયકલ બનાવે તેનું મને તો આશ્ચર્ય ન જ થાય. હવે હસિનાને લઈને બધે ફરવા જવાશે. અને તે પણ મફતમાં. મેં હેંડલ ઉપર દબાણ કર્યું તો સાયકલ ધીમે ધીમે મારી ઇચ્છા પ્રમાણે નીચે આવવા માંડી.  મને બહુ મજા આવી.

સારું થયું કે રોડ ઉપર કોઈ હતું નહીં. નહીં તો લોકોને કૌતૂક થાત અને ભીડ જમા થઈ જાત.

મારે આ અદ્‌ભૂત સાયકલના રહસ્યો ખાનગી રાખવા પડશે. જો હું જાહેરમાં ચલાવીશ તો બધા છાપાવાળા અને ચેનલો વાળા મારો જીવ ખાઈ જશે. મારી બધી નિરાંત જતી રહેશે. વળી આ સાયકલનો કોઈ પૂર્જો બજારમાં મળવાનો નથી. મેં નક્કી કર્યું કે હું આ સાયકલને જમીનથી માંડ અડધો સેન્ટીમીટર જેટલી જ ઉંચી ચલાવીશ. એટલે ટાયરોને ઘસારો ન થાય. આટલી ઓછી ઉંચાઈએ ચલાવવાથી કોઈનું ધ્યાન પણ નહીં જાય. હાયવે ઉપર તો ટ્રાફિક ન હોય એટલે પૂરપાટ ચલાવીશ.

હસિનાએ કહ્યું આ સાયકલને આપણે આગળની ઓસરીમાં નહીં રાખીએ. આપણે આ સાયકલને વાડામાં જ રાખીશું. જેથી ચોરાઈ ન જાય. અરે હા. આ વાત પર તો મારું ધ્યાન જ ન ગયું. અત્યાર સુધીમાં મારી બે સાયકલો ચોરાઈ ગઈ છે. આ સાયકલને તો બરાબર સાચવવી પડશે. વાડામાં રાખવાથી તે ઘરમાંથી તો નહીં ચોરાય. પણ ધારો કે બહારગામ જઈએ ત્યારે શું કરીશું? બધાના ઘરે વાડા તો ન જ હોય ને!.

મને વિચાર આવ્યો. આનો એક ઉપાય થઈ શકે. આને રજીસ્ટ્રર કરાવી દઉં. રજીસ્ટર કરાવી દઈશ એટલે સાયકલને ગાડીની જેમ એક નંબર મળશે. અને જો ચોરાઈ જશે તો પોલીસ ફરીયાદમાં સાયકલનો નંબર આપીને ફરીયાદ થઈ શકશે.

એટલે હું હસિનાને લઈને આરટીઓમાં ગયો.

આરટીઓમાં ક્લાર્કને મળ્યો. ક્લાર્કે કહ્યું તમે તો સીનીયર સીટીઝન છો. એટલે સીધા મંકોડી સાહેબને જ મળો. હું મંકોડી સાહેબને મળ્યો.

મંકોડી સાહેબે કહ્યું; સાહેબ, સાઈકલનું તો રજીસ્ટ્રેશન થતું નથી. તમે રજીસ્ટ્રર કરાવ્યા વગર જ વાપરી શકો છો.

મેં કહ્યું; નહીં સાહેબ એવું નથી. સાયકલનું પણ રજીસ્ટ્રેશન થાય છે અને સાયકાલને પણ એક નંબર મળે છે. અને તે રજીસ્ટ્રેશન નંબરની પ્લેટ સાયકલને લગાવી શકાય છે.

સાહેબે કહ્યું; મેં તો એવું સાંભળ્યું નથી.

મેં કહ્યું; સાહેબ તમને ખબર નહીં હોય. અમારે ભાવનગરમાં તો સાયકલને નંબર પ્લેટ લગાવવી પડતી હતી. એટલે કે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું.           

સાહેબે કહ્યું; એમ !! તો હું તપાસ કરી લઉં.

સાહેબે કોઈને ફોન કર્યો. શું વાત કરી તે મને સંભળાયું નહીં. પણ પછી તેમણે મને કહ્યું.

સાહેબે કહ્યું; જુઓ સાહેબ, તમે, તમારી સાયકલને પેટ્રોલ એન્જીન લગાવ્યું છે?

મેં કહ્યું; ના. એવું કશું જ લગાવ્યું નથી. બેટરી પણ નથી. ગીયરો પણ નથી. આમ જ ચાલે છે. ત્રણ પૈડાં ઉપર ચાલે છે. પાછળની સીટ ઉપર એક જણ બેસી પણ શકે.

સાહેબે કહ્યું; લો બસ. અરે સાહેબ હવે તો બેટરીથી ચાલતા સ્કુટરનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડતું નથી.

મેં કહ્યું; સાહેબ, મેં સાંભળ્યું છે કે ત્રણ પૈડાવાળી મોટી સાયકલ હોય તો રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.   

સાહેબે કહ્યું; જુઓ સાહેબ, જુના વખતમાં સાયકલનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું. સાયકલને પણ નંબર પ્લેટ લગાવવી પડતી હતી. પણ હવે એવું નથી. હવે તમે આમ જ સાયકલ ફેરવી શકો છો.

મેં કહ્યું; નરેન્દ્ર મોદીએ તો કહ્યું છે કે પાર્ટીના કાર્યકરોએ ના પાડતા શિખવું પડશે. અને કર્મશીલો એટલે કે સરકારી નોકરોએ હા પાડતાં શિખવું પડશે. તમે શું કામ ના પાડો છો? તમારી વાત સાચી છે કે હવે સાયકલનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું નથી. પણ તેનો અર્થ એવો તો નથી જ કે સાયકલના રજીસ્ટ્રેશન ઉપર બાન હોય. તમને મારી સાયકલનું રજીસ્ટ્રેશન કરવામાં વાંધો શું છે?

સાહેબે કહ્યું; ઓકે … ઓકે … પણ સાહેબ તમે મને કહો કે તમારે સાયકલનું રજીસ્ટ્રેશન શું કામ કરાવવું છે?

મેં કહ્યું; જુઓ સાહેબ મારી સાયકલ એક સ્પેસીયલ સાયકલ છે. મારા મોટાભાઈએ મને આપી છે. તે આખે આખી વન પીસ છે. હવે ધારો કે મારી આ સાયકલ જો ચોરાઈ જાય અને હું ફરીયાદ કરવા પોલીસ સ્ટેશને જાઉં એટલે પોલીસ તો મને પૂછે કે તમારી સાયકલનું બીલ લાવો. હવે મારી પાસે બીલ તો હોય નહીં. કારણ કે આ સાયકલ તો મારા મોટાભાઈએ આપી છે. વળી મારા મોટાભાઈએ કંઈ ખરીદીને તો મને આ સાયકલ આપી નથી. તેમણે તો બનાવીને આપી છે. બીલ તો મારી પાસે હોય જ નહીં ને !! તો બોલો સાહેબ, મારે પોલીસને શું કહેવું? પણ જો મારી સાયકલ રજીસ્ટર્ડ કરાવેલી હોય. તેને નંબર પ્લેટ હોય તો હું પોલીસને કહી શકું કે જુઓ આ મારી સાયકલનો રજીસ્ટ્રેશન નંબર છે અને તેનો માલિક હું છું.

સાહેબે કહ્યું; હા, એ વાત ખરી. પણ જો તમારા ભાઈએ આ સાયકલ મેન્યુફેક્ચર કરી છે અને વળી ત્રણ પૈડા વાળી છે. એટલે તેનું તો પાસીંગ કરાવવું પડશે. અને તમે જાણો છો ને કે સરકાર પાસીંગ કરે એટલે તેને આખીને આખી ખોલી નાખે અને પછી દરેક પુરજાને ચકાશે. અને પછી આખી સાયકલના પુર્જાઓનું પોટલું બનાવીને તમને પરત કરે. તમારી સાયકલ કઈ કેટેગરીમાં આવે તેની મારે તપાસ કરવી પડશે.

મેં કહ્યું; જુઓ સાહેબ, મારા મોટા ભાઈ તો આ દુનિયામાં નથી. અમને આ સાયકલના પુર્જાઓ પોટલાના સ્વરુપમાં મળે તો અમને તેમાંથી સાયકલ બનાવતાં આવડે પણ નહીં. વળી આ સાયકલ ખુલે એવી પણ નથી. આ તો વન પીસ સાયકલ છે. અને અમારે કંઈ આવી સાયકલ બનાવવાનો ધંધો પણ કરવો નથી. તેથી આવું કશું જ કરવું પડશે નહીં. અમારે તો અમારા અંગત ઉપયોગ માટે જ વાપરવાની છે. આ સાયકલ ઉડે પણ છે. પણ અમારે તેને ઉડાડવી નથી. અમારે માટે તેને ઉડાડવી જરુરી નથી. અમારે તો તેને બહુબહુ તો ભાવનગર લઈ જવાની હોય કે વડોદરા લઈ જવાની હોય.

સાહેબે વળી બીજે ક્યાંક ફોન ઉપર વાતચીત કરી. મને કશું સંભળાયુ નહીં.

પછી સાહેબે કહ્યું; હા તમારી વાત સાચી છે. તમે કહો છો કે તમારી સાયકલ ઉડે એવી છે તો તમારે “એવીએશન” નું ક્લીઅરન્સ લેવું પડશે. પણ તમે કહો છો કે તમે ઉડાડશો નહીં તેથી તમે એવીએશન નું ક્લીઅરન્સ નહીં લો તો ચાલશે. પણ રોડ ટેસ્ટ તો લેવો જ પડશે. કેવી ચાલે છે અને કેવી બ્રેક લાગે છે … એ બધું જોવું પડશે.

મેં કહ્યું; સાહેબ, તમે મારી સાયકલની પાછળની સીટ ઉપર બેસી જ જો. હું તમને રોડ ઉપર ફેરવીશ.

સાહેબે કહ્યું; નાના હું નહીં. તમે અમારા હાથીભાઈને પાછલી સીટ બેસાડજો !!

મેં કહ્યું; શું વાત કરો છો સાહેબ? મારી સાયકલ કંઈ એટલી મજબુત નથી કે હું હાથીભાઈને બેસાડી શકુ. હા. હું હસિનાને બેસાડી શકું. એનું વજન ૫૧ કીલો જેવું હોય છે.

સાહેબે વળી કોઈને ફોન કર્યો.

પછી સાહેબે કહ્યું; જુઓ. અમારા બુચ સાહેબ કહે છે કે કોઈ સુંદરીને બેસાડીને રોડ ટેસ્ટ કરવાની જોગવાઈ કાયદામાં નથી.

મેં કહ્યું; અરે સાહેબ હસિના એટલે મારી પત્ની. મારી પત્નીનું નામ હસિના છે. અને દિકરીનું નામ ખુશ્બુ છે. તમે કહો તેને બેસાડું.

સાહેબે વળી કોઈને ફોન કર્યો;

પછી સાહેબે મને કહ્યું; જુઓ તમારાં પત્ની અને દિકરી તો તમારા ઘરના જ માણસો કહેવાય. એટલે એ તો ટેસ્ટમાં ન જ ચાલે. એટલે તો હું તમને કહું છું કે તમે હાથીને પાછળ બેસાડો.

મેં કહ્યું; ના સાહેબ હાથી ને નહીં.

સાહેબે કહ્યું; તો શું તમે માંકડને પાછળ બેસાડશો?

મેં કહ્યું; શું સાહેબ મશ્કરી કરો છો. એની વે, જો માંકડથી ચાલી જતું હોય તો મને વાંધો નથી.

સાહેબે કહ્યું; તમે પણ ગજબ છો.

મેં કહ્યું; કેમ?

સાહેબે કહ્યું; તમે માંકડને ઓળખતા નથી. માંકડ તો હાથી થી પણ ડબલ છે. જુઓ પેલા સામેના ટેબલ ઉપર જે છે તે હાથી છે. અને ડાબી બાજુ જે બેઠા છે એ માંકડ છે.

મેં કહ્યું; ઓહ એમ વાત છે… તમે તમારા સ્ટાફની વાત કારો છો, તો તો હાથીભાઈ ને જ બેસાડીશ. 

મંકોડી સાહેબે કહ્યું; જુઓ અમારા બુચ સાહેબે કહ્યું છે કે લોડ ટેસ્ટ પણ લેવો પડશે.

મેં પૂછ્યું; લોડ ટેસ એટલે શું?

મંકોડી સાહેબે કહ્યું; લોડ ટેસ્ટ એટલે કે ઓવરલોડ ટેસ્ટ. તમારે પાછળની સીટ ઉપર કશો માલ ભરવો પડશે. ઓવરલોડેડ કન્ડીશનમાં તેનો રોડ ટેસ્ટ લેવો પડશે.

મેં કહ્યું; સાહેબ. મારી સાયકલ ભલે ત્રણ પૈડા વાળી હોય પણ તે કંઈ ત્રણ પૈડાવાળી સાયકલ લારી નથી. તેના ઉપર મારે કદી સામાન ભરવાનો નથી. ઉગરચંદભાઈએ ટેસ્ટ આપેલા કારણ કે ઉગરચંદ ભાઈની તો હાથ લારી હતી.

મંકોડી સાહેબે કહ્યું; કોણ ઉગરચંદ?

મેં કહ્યું; ઉગરચંદભાઈ મારા મોટાભાઈના પાક્કા મિત્ર હતા. તેમણે પતિ પત્ની ભેગા થઈને ખેંચી શકે તેવી બ્રેકવાળી અને ટાયર વ્હીલ વાળી હાથલારી બનાવેલી. તેમને તે લારી પાસ કરવતાં નાકે દમ આવી ગયેલો.  તેમને તો હાથલારીઓ બનાવીને વેચવી હતી. અમારે કંઈ આ સાયકલ વેચવી નથી કે ભાડે પણ ફેરવવી નથી. આ તો તમે જાણો જ છો.

મંકોડી સાહેબે કહ્યું; એ વાત ખરી હશે કદાચ. મને જોકે ખબર નથી. પણ તમારી સાયકલ અમારા લીસ્ટની કોઈ કેટેગરીમાં આવતી નથી. એટલે નજીકની કેટેગરી તો ત્રણ પૈડાવાળી સાયકલ લારી જ છે. એટલે તેના જે ટેસ્ટ છે તે અમે તમારી સાયકલને લાગુ પાડીશું. ક્યાં છે તમારી સાયકલ?

મેં કહ્યું; સાહેબ સાયકલ તો તમારી આરટીઓ ઓફીસના કંપાઉન્ડના દરવાજા બહાર મારી પત્ની પાસે છે. અંદર લાવ્યો નથી. કારણ અંદર કોઈ વસ્તુ લાવવી હોય તો ગેટ ઉપર એન્ટ્રી કરાવવી પડે. વળી ગેટમેન હજાર સવાલ પૂછે. તમે ચીઠ્ઠી લખી આપો તો તેજ ચીઠ્ઠી થી સાયકલ અંદર પણ લાવી શકાય અને બહાર પણ લઈ જઈ શકાય. વળી અહીં તમારા મકાનની દિવાલ પાસે જ રસ્તાની મેટલ પડી છે તેને ભરી લોડ ટેસ્ટ પણ કરી શકાય.

સાહેબે કહ્યું; ના …. ના … એ મેટલ ન લેવાય. એ માટે વળી તમારે અરજી આપવી પડે. ગેટપાસ બનાવવો પડે. વળી એ મેટલ તો કોન્ટ્રાક્ટરની છે એટલે કોન્ટ્રાક્ટર દ્વારા અરજી કરવી પડે. કોન્ટ્રાક્ટરે વળી તમારા નામનો ઓથોરીટી લેટર બનાવવો પડે. તેને માટે વળી તમારે સ્ટેમ્પ પેપર ખરીદવો પડે. એ ઓથોરીટી લેટરને નોટરી પાસે રજીસ્ટર્ડ કરાવવો  પડે. એ બહુ લાંબુ થઈ પડશે. એટલે એમ કરો તમે અત્યારે કંપાઉન્ડ બહાર જ્યાં સાયકલ રાખી છે ત્યાં જ ઘણી મેટલ પડી છે. તે મેટલ જ ભરી લેજો.

મેં કહ્યું; પણ સાહેબ, એ મેટલ પણ કોઈને કોઈ કોન્ટ્રાક્ટરની જ હશે ને !! અને કોઈ વિઘ્ન સંતોષી જઈને કોન્ટ્રાક્ટરને કહી આવશે કે પેલો તમારી મેટલ લઈ જાય છે .. તે કોંન્ટ્રાક્ટર જો પોલીસમાં જઈને ફરીયાદ કરશે અને જો પોલીસ મારી પાસે એ મેટલનું બીલ માગશે તો હું બીલ ક્યાંથી લાવીશ?

મંકોડી સાહેબે મને કહ્યું; અરે સાહેબ, પોલીસ તો પહેલાં ફરીયાદી પાસે જ બીલ માગશે કે એ મેટલ એની જ છે એ વાત પુરવાર કરે. અને તમારે ક્યાં ચોરી જવી છે? તમે તો તમારું કામ પતે એટલે પાછી મુકી દેજો.  

મેં કહ્યું; સાહેબ, પોલીસનું કશું ખાત્રી પૂર્વક કહેવાય નહીં. પોલીસ બધા એનીગ્મેટિક હોય છે. તેઓ શું કરશે તે વિષે આપણે કશું પૂર્વાનુમાન ન કરી શકીએ. પોલીસ તો કોન્ટ્રાક્ટરનો ઓળખીતો પણ હોય. તો એની પાસે બીલ ન પણ માગે. અથવા મારી પાસે બીલ પહેલાં માગે. કોન્ટ્રાક્ટર પાસે તો ઘણા બીલ હાથવગાં હોય. તે તો કોઈ પણ બીલ આપી જ દે. અરે એ તો બીલ લઈને જ પોલીસ પાસે જાય. એટલે જ હું કહું છું ને કે આ તમારી ઓફીસના મકાન પાસે જે મેટલ પડેલી છે. તે તમારી કસ્ટડીમાં કહેવાય. એટલે તમે મને તે આપી શકો.

મંકોડી સાહેબે કહ્યું; જુઓ… આ મેટલ છે તે મારી કસ્ટડીની ન કહેવાય. આ તો એસ્ટેટ ખાતાની કહેવાય. એટલે તમે જે અરજી આપો તે મારે એસ્ટેટ ઓફીસરને ભલામણ માટે મોકલી આપવાની. એટલે તેનો ક્લાર્ક તેને ઈનવર્ડ રજીસ્ટરમાં લખશે. પછી ફાઇલ ઉપર ચડાવે. સેક્સન ક્લાર્ક એને લાગતી વળગતી ફાઈલમાં ચડાવશે. નોટપેજ માં નોંધ કરશે અને મારી ભલામણનો ઉલ્લેખ કરશે. પછી ફાઈલ સુપરવાઈઝર પાસે જશે. પછી સુપરવાઈઝર કોન્ટ્રાક્ટરના વર્કફાઈલના સ્ટોક પેજ ઉપર જાંગડ ઈસ્યુની ભલામણ બતાવશે અને એસ્ટેટ ઓફીસર ગેટ પાસ ઈસ્યુ કરવાની રજા આપશે. પછી સુપરવાઈઝર સ્ટોર રેકોર્ડ કીપરને ગેટપાસ બનાવવાનું કહેશે. પછી સ્ટોર રેકોર્ડ કીપર ગેટપાસ બનાવશે. પછી સ્ટોર કીપર તે ગેટ પાસના આધારે તમને તે મેટલ લેવા દેશે. આ મેટલ જમા કરાવતી વખતે તમારે આજ ક્રિયા ઉંધેથી કરવી પડે. એટલે મારું સજેશન છે તે બરાબર છે. તમે બહારથી જ મેટલ લઈ લો. અને ધારો કે તમને પોલીસ પૂછે કે બીલ ક્યાં છે તો તમે કહે જો કે આ મેટલ ઉપર તમને ફરીયાદ મળી હોય તો તમે સાબિત કરો કે આ મેટલ એની જ છે.

મેં કહ્યું; સાહેબ, પોલીસનું એવું કશું ન હોય. … પોલીસ તો એમ જ કહે કે કોણ કોનું શું છે એ બધું કોર્ટ નક્કી કરશે … હમણા તો તમે તમારી પાસે જે કાગળીયા હોય તે લાવો. નહીં તો અમે તમને એરેસ્ટ કરીએ છીએ…

  …. “ઉઠો હવે … શનિવાર હોય એટલે કંઈ મોડું જ ઉઠવું એવું જરુરી નથી. હરડે ચૂર્ણ હજુ લીધું લાગતું નથી. હ્યુસ્ટન જવું હોય તો બાર વાગે તો નિકળી જ જવું પડે” હસિનાએ કહ્યું.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સાયકલ, ટ્રાયસિકલ, હાથલારી, સાયકલ લારી, મંકોડી, સાહેબ, હાથી, માંકડ, બુચ, આરટીઓ, ઓફીસ, હસિના, મોટાભાઈ, નરેન્દ્ર મોદી

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સાયકલ, ટ્રાયસિકલ, હાથલારી, સાયકલ લારી, મંકોડી, સાહેબ, હાથી, માંકડ, બુચ, આરટીઓ, ઓફીસ, હસિના, મોટાભાઈ, નરેન્દ્ર મોદી

Read Full Post »

નવ્યસર્વોદયવાદ એટલે સમસ્યાઓનું સમાધાન  – ૮ નરેન્દ્ર મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

હાલની કેળવણી અને નવ્યસર્વોદયવાદમાં સૂચિત કરેલી કેળવણીમાં ફેર શો છે?

ભારવાળું ભણતર

ગયા લેખમાં આપણે શિક્ષણના સ્તરો જોયા.

માતા પિતા ગુરુ

આપણા શિક્ષણના સ્તરો બાળક જન્મે કે તરત જ ચાલુ થાય છે.

દોઢ વર્ષનું થાય ત્યાં સુધી તે માતા પિતાની પાસે જ રહે છે. માતા પિતા તેના ગુરુ છે. માતા પિતા બંનેને બાળમાનસની કેળવણી આપવામાં આવી છે. દરેક સ્ત્રીને તેની પ્રાથમિક કક્ષાના શિક્ષણ દરમ્યાન બાળ ઉછેરની ઘનિષ્ઠ કેળવણીનું એટલે કે બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી તેને કેવી રીતે કેળવવું તેનું શિક્ષણ આપવામાં આવ્યું છે. જો સ્ત્રી વધુ ઉચ્ચકક્ષાની એટલે કે જો વધુ આવક વાળી નોકરી કરતી હોય તો તે આયા રાખી શકે. એટલે કે જે બાળા હજુ ભાણતી હોય પણ તેના માતા પિતાને મદદરુપ થવા નોકરી કરવા ઈચ્છતી હોય તો તે આયાની નોકરી સ્વિકારી શકે.

ભારવાળા ભણતરને ભારવિહીન ભણતર કરો.

હાલનું ભણતર બાળકના માનસિક વલણ સાથે જોડાયેલું નથી. પરીક્ષામાં મેળવેલા ગુણાંકના આધારે પ્રવેશ આપવામાં આવે છે. આ ગુણાંક તમારી યાદ શક્તિ અને મહેનતના કલાકોના સમન્વય ઉપર આધાર રાખે છે. શિક્ષણનું ખાનગીકરણ હોવાથી શાળા ચલાવતી સંસ્થાઓએ શિક્ષણને પૈસા કમાવાનો એક ધંધો બનાવી દીધો છે. ભણતર ભારવાળું થઈ ગયું છે. બાળકને મુક્ત રીતે વિચારવાનો સમય હોતો નથી. વળી શિક્ષણનું માધ્યમ માતૃભાષા ન હોવાથી, તેના વિષયો પરત્વેના વિચારો સ્પષ્ટ હોતા નથી. ઇતરવાચન અને ઈતર વિચારોનો વિદ્યાર્થીની પાસે સમય નથી.

શાળાઓ અને ટ્યુશનક્લાસો બબ્બે પાળીઓમાં ચાલે છે. વાસ્તવમાં વિદ્યાર્થીને સમયનું બંધન નડવું ન જોઇએ. ભણતર ક્રમે ક્રમે સ્વયંસંચાલિત હોવું જોઇએ. પુસ્તકો બધાં શાળામાં જ હોવા જોઇએ. વિદ્યાર્થી મુક્ત હાથે શાળામાં આવવો જોઇએ. શાળા છોડ્યા પછી તેના ઉપર અભ્યાસનો કોઈ ભાર ન હોવો જોઇએ. વિદ્યાર્થીને જો મુક્ત રીતે વિચાર કરતો કરવામાં આવ્યો હશે તો તે ફક્ત અભ્યાસશીલ નહીં પણ સંશોધનશીલ પણ બનશે.

ખેલ કુદ, વ્યાયામ, કળા, ગૃહ ઉદ્યોગ અને કારીગીરી (સ્કીલ)ની અનિવાર્ય પ્રાધાન્યઃ

દેશી રમતો, ઓલંપિક્સ માન્ય રમતો, યોગ સહિતના વ્યાયામ અને કળાઓની પસંદગી વિદ્યાર્થી માટે અનિવાર્ય બનાવવી જોઇએ. આ બધું શરીર અને મનની કસરતો છે.

પ્રાથમિક શિક્ષણ આઠ વર્ષનું છે અને તે દરેક વ્યક્તિમાટે અનિવાર્ય છે.

કારીગીરીનું ભણતર (સ્કીલ ડેવેલપમેન્ટ)

પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવે તે જરુરી છે. તેથી ઓછામાં ઓછો એક ગૃહઉદ્યોગ અને એક કારીગીરી તો વિદ્યાર્થીને આવડવા જ જોઇએ. નરેન્દ્ર મોદીએ ૫૦૦ ઉપરના સ્કીલ ડેવેલપમેન્ટના વિષયો શોધાવડાવ્યા છે. જેઓને જેમાં રુચિ છે તેમાં તે નૈપૂણ્ય મેળવશે. તાલુકા કક્ષાએ દરેક કારીગીરીનું ભણતર ઉપલબ્ધ હશે. અઠવાડીયાનો એક સળંગ દિવસ એક કારીગીરી માટે ફાળવવામાં આવશે. જે કારીગીરીનો વિષય ગ્રામ્યક્ષેત્રે ઉપલબ્ધ નહીં હોય તે કારીગીરી શિખવા વિદ્યાર્થી તાલુકા કક્ષાએ ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સરકાર બસની વ્યવસ્થા કરશે. સરકાર તેમને રોજી અપાવશે.

આકાશ દર્શનઃ

નવ્ય સર્વોદયવાદી શિક્ષણમાં આપણે ખગોળ શાસ્ત્ર (આકાશ દર્શન) ઉમેર્યું છે. વિશ્વની વિશાળતા અને મનુષ્યની અલ્પતા સમજવા અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે આ બહુ જરુરી છે. તેવીજ રીતે વિદ્યાર્થીમાં પોતાની માનવ સમાજ પ્રત્યેની ફરજ સમજવા અને વૈશ્વિક ભાવના ઉત્પન્ન કરવા માટે સંસ્કૃતના નીતિશાસ્ત્રના શ્લોકો કંઠસ્થ કરાવવાનો સમાવેશ કરાવ્યો છે. ચિત્રવાર્તાઓ બાલવાર્તાઓનો સમાવેશ કરાવ્યો છે જેથી વિદ્યાર્થીની વિચાર શક્તિ ખીલે. વિદ્યાર્થી સકુ્ચિત મનનો ન થાય અને ધર્માંધ પણ ન થાય તે જરુરી છે.

ઈતિહાસ અને સંસ્કૃતિઃ

પૂર્વ પ્રાથમિક કક્ષાઓમાં ભારતના પ્રાચીન અને મધ્યયુગી ઈતિહાસને વાર્તાઓના સ્વરુપમાં, ચિત્રકથાઓના સ્વરુપમાં અને ચલચિત્રોના સ્વરુપમાં ભણાવાવામાં આવશે. આર્યોનું આગમન અને અનાર્યો સાથેના તેના યુદ્ધો જેવી બનાવટી વાતોને ખોટી ઠેરવવામાં કરવામાં આવશે. ઉત્તર પ્રાથમિક કક્ષાએ વેદિક કાળની સંસ્કૃતિ, ઉપનિષત્ અને દર્શનકાળ ની સંસ્કૃતિ, પૌરાણિક કાળ અને સરસ્વતી નદીની સંસ્કૃતિ, અને આ બધાની એકસૂત્રતા જે સહેલાઈથી સમજાવી શકાય છે તેને સમજાવવામાં આવશે.

આર્યોના આક્રમણ અને અનાર્ય ઉપરના વિજયને લગતી વાતોમાં જે વિરોધાભાસો છે તે સમજાવવામાં આવશે. પ્રાચીન ભારતની સંસ્કૃતિમાં રહેલી પ્રતિકાત્મક શૈલીને સમજાવવામાં આવશે. સંસ્કૃતના શ્લોકોમાં રહેલા ગુઢ અર્થોને સમજાવવામાં આવશે. પણ આ બધું ફક્ત જાણકારી તરીકે આપવામાં આવશે જેથી વિદ્યાર્થીને ભારતીય સંસ્કૃતિ વિષે ગૌરવ થાય.

ભાષાઓઃ

ઉત્તર પ્રાથમિક શાળામાં માતૃભાષા ઉપરાંત એક વધુ દેશી ભાષાનો ઉમેરો થાય છે. જે ફક્ત બોલવા પૂરતી અને વાંચવા પૂરતી શિખવવામાં આવશે.

શિક્ષણ પદ્ધતિઃ

ઉત્તર પ્રાથમિક શાળાથી ભણતર નાના નાના જુથો બનાવીને આપવામાં આવશે. એક અર્ધગોળાકાર ટેબલની આસપાસ વિદ્યાર્થીઓ કોઈ એક વિષયના અભ્યાસ માટે બેસશે. એક જ વિષયના અનેક જુથો હશે. કોઈ એક વિષયની ભણવાની શરુઆત કેવી રીતે કરવી અને આગળ કેવી રીતે વધાવું તેનું માર્ગદર્શન જે તે વિષયનો નિષ્ણાત શિક્ષક કરશે. ત્યાર બાદ નિષ્ણાત શિક્ષક આ જુથો કેવી રીતે અભ્યાસ કરે છે અને કેવી રીતે પ્રગતિ કરે છે તેનું ધ્યાન રાખશે. સલાહ સૂચન કરશે. શિક્ષક વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને વિદ્યાર્થીઓના જુથ બનાવશે. એક જુથ, છ વિદ્યાર્થીઓથી વધુ મોટું નહીં હોય. દરેક વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર આપવામાં આવશે. જે કંઈ લખવાનું હશે તે સ્લેટ પેનથી લખવાનું થશે. કાગળ નો વપરાશ કરવા દેવામાં આવશે નહીં. એવા આઈ પેડ વિકસવાની તૈયારીમાં છે જેમાં તમે સ્ક્રીન ઉપર ડમી પેનથી લખી શકો છો. લખવાની ટેવ પાડવી એટલા માટે જરુરી છે કે તમારા અક્ષરો સુધરે. તમે ટેવોના ગુલામ ન થઈ જાઓ.  

સભ્યતા અને સ્વસ્થતા

ઘણા વિદ્યાર્થીઓ શરમાળ અને ડરપોક હોય છે. તેઓ શિક્ષકોને સાચી વાત કહી શકતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ તોફાની, પરપીડનવૃત્તિવાળા અને અસભ્ય હોય છે. આ પરિસ્થિતિ શિક્ષણની કચાશ અને શિક્ષકસાથેની સંવાદહીનતા કે સંવાદની ઉણપને કારણે હોય છે. વિદ્યાર્થીમાં સહયોગથી કામ કરવાની અને ભણવાની પદ્ધતિ જન્મે અને વિકસે એ શિક્ષકનું કર્તવ્ય છે. સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો એક બીજાને માનથી બોલાવે અને શિક્ષક પણ વિદ્યાર્થીઓને માનથી બોલાવે તો સભ્યવર્તન વિકસશે. તેવીજ રીતે ભૂલ કેવી રીતે સ્વિકારવી, ભૂલ થઈ જાય તો માફી કેવી રીતે માગવી. લેખિત કે મૌખિક ફરિયાદ કેવી રીતે કરવી, વિગેરે નાગરિક સભ્યતા માટે શિક્ષકે વિદ્યાર્થીઓ ઉપર ભાર મુકવો પડશે. ટ્રાફિકના નિયમો અને તેના પાલનની અનિવાર્યતા આત્મસાત કરાવવી પડશે. ફરજો બજાવવી, સભતા દાખવવી, સુખડતાનું અને સુવ્યવસ્થાનું પાલન કરવું, નીતિમત્તા રાખવી એ બધું દેશસેવા, દેશપ્રેમ અને દેશના ગૌરવમાં આવે છે તે બધું આત્મસાત કરાવવું પડશે.

પૂર્વ અને ઉત્તર (ઉચ્ચ) માધ્યમિક શાળાઓઃ

આ શિક્ષણ અનિવાર્ય નથી. પણ જેમને આગળ ભણવું છે તેઓ ભણી શકશે. અહીં જે ભાષાઓ ભણાવવામાં આવશે તે વાંચવા, સમજવા ઉપરાંત લખતાં અને સામાન્ય વાતચીત કરતાં પણ આવડે એટલી ભણાવવામાં આવશે.

શિક્ષા પદ્ધતિ પણ ઉત્તર પ્રાથમિક શિક્ષણ જેવી રહેશે. એટલે કે વિદ્યાર્થીઓ નાના જુથમાં ભણશે. જે તે વિષયનો નિષ્ણાત શિક્ષક તેમને માર્ગ દર્શન આપશે.

માધ્યમિક શિક્ષણમાં ક્રમશઃ વિષયો, વધુ ઘનિષ્ટતાથી ભણાવવામાં આવશે.

દરેક વિષયના અનેક સ્તર (પાઠ ચેપ્ટર) હશે. એક સ્તરનો અભ્યાસ કર્યા પછી તેની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા એક સ્વતંત્ર સંસ્થા લેશે. આ કોમ્પ્યુટરાઈઝ્ડ હશે. તેમાં ઉત્તીર્ણ થવું પડશે. પણ આ પહેલાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની પ્રાથમિક પરીક્ષા લેશે.

માધ્યમિક શિક્ષણનો હેતુ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તૈયાર કરવાનો છે.

માધ્યમિક શિક્ષણ ૪+૨ = ૬ વર્ષનું છે.

પહેલા વર્ષે બધાજ વિષયોની રુપરેખા અને તેના કાર્યક્ષેત્ર વિષે સમજ આપવામાં આવશે. બીજા વર્ષથી પોતાને ગમતા વિષયોની પસંદગી કરવાની રહેશે.

પણ કળા અને ખેલકુદમાં પહેલા વર્ષથી જ એક કળા અને એક ખેલકુદની પસંદગી કરવાની રહેશે.

૧     ત્રણે અનિવાર્ય

૧.૧    માતૃભાષા,

૧.૨    સંસ્કૃત ભાષા

૧.૩    બીજી એક દેશી ભાષા

૨     કોઈપણ બે

૨.૧    ગણિત અને ભૌતિક શાસ્ત્ર

૨.૨    ગણિત અને રસાયણ શાસ્ત્ર

૨.૩    ગણિત અને કારીગીરી

૨.૪    શરીર શાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર

૨.૫    ખગોળ શાસ્ત્ર

૩ કોઈપણ બે

૩.૧    સમાજશાસ્ત્ર અને ઈતિહાસ,

૩.૨    ભૂગોળ અને પ્રવાસન

૩.૩    નાગરિક શાસ્ત્ર

૩.૪    સુરક્ષા અને વ્યવસ્થાશાસ્ત્ર

૩.૫    શિક્ષણ શાસ્ત્ર

૩.૬    તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર      

૪     કોઈપણ એક

કળાઃ સુગમ સંગીત, શાસ્ત્રીય સંગિત, ગ્રામ્ય નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, નાટ્ય લેખન, અભિનય, દિગ્દર્શન, ચિત્રકામ, સુશોભન, વક્તૃત્વ કળા,  

૫     કોઈપણ એક

ખેલકુદઃ વ્યાયામ, યોગ, દેશી રમતો, વિદેશી રમતો, તરણ, દોડ, પર્વતારોહણ, અન્વેષણ, વિગેરે

દરેક શાળામાં જે તે વિષયની પ્રયોગશાળાઓ હશે.

પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મળશે. પણ તેને ક્યારે પુરું કરવું તે વિદ્યાર્થી ઉપર આધાર રાખશે. જેમ જેમ એક સ્તરીય પરીક્ષા (ચેપ્ટર)માં ઉત્તિર્ણ થવાતું જશે તેમ તે પછીના ચેપ્ટરોના અભ્યાસમાં પ્રવેશ મળતો જશે.

જે તે વિષયના નિષ્ણાત પોતાના વિષયની ઑન-લાઈન શાળા ચલાવી શકશે. પણ પ્રયોગશાળા માટે તેમણે સ્કુલ સાથે ગોઠવણ કરવી પડશે. ઉદ્યોગોને પણ આવી શાળા ચલાવવી હશે તો ચલાવી શકશે. પણ બધી શાળાઓના વર્ગ ખંડો અને પ્રયોગશાળાના સ્થાન જે તે વિસ્તારના વિદ્યાર્થીઓને અનુકુળ પડે તેમ એક જ સંકુલમાં રાખવામાં આવશે. પરીક્ષા એક સ્વતંત્ર વ્યવસ્થા હોવાથી, પરીક્ષા માટેની ગોઠવણ સરકાર કરશે.

માધ્યમિક શાળાના અભ્યાસક્રમો, તેને લગતા પુસ્તકો, શિક્ષકો, શાળાઓના સ્થાનની વિગતો, વિગેરે બધું જ ઑન-લાઈન ઉપલબ્ધ કરવામાં આવશે.

વિશ્વવિદ્યાલય કક્ષાનું શિક્ષણ જે તે વિશ્વ વિદ્યાલયો નક્કી કરશે. પણ સરકાર પોતાના નક્કીકરેલા ન્યૂનતમ ધારાધોરણ તેમજ જે તે વિશ્વવિદ્યાલયોએ સરકાર સાથે સમજુતી પૂર્વક નક્કી કરેલા વધારાના ધારાધોરણોનું બરાબર પાલન થાય છે કે નહીં તેનું ધ્યાન રાખશે. સંશોધન ક્ષેત્રે વિશ્વવિદ્યાલયો ઉદ્યોગો સાથે સમજુતી કરશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ પૂર્વ પ્રાથમિક, ઉત્તર પ્રાથમિક, પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક, ભાષા, સંસ્કૃત, માતૃભાષા, સહયોગ, નાગરિક, સભ્યતા, નીતિમત્તા, દેશપ્રેમ, દેશસેવા, ઈતિહાસ, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, કળા, વ્યાયામ, ખેલકુદ

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૭. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારત અને શિક્ષણ

સૌ પ્રથમ આપણે જોયું કે મનુષ્યનું અને સમાજનું ધ્યેય શું હોય છે.

સૌનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું હોય છે.

આનંદ એટલે શું? આ વાત ભૌતિક રીતે “અદ્વૈતની માયાજાળમાં સમજાવી છે.” એટલે કે આનંદનો ભૌતિક અર્થ શું થાય છે તેની વિસ્તૃત રીતે વાત કરી છે.

ટૂંકમાં એમ કહીએ કે આનંદ બે રીતે મળે છે.

એક શારીરિક આનંદ જે સગવડો ભોગવાથી મળે છે. બીજો આનંદ માનસિક આનંદ જે સુરક્ષા અને જ્ઞાન પ્રાપ્તિથી મળે છે.

સુરક્ષા સહજીવનમાં હોય છે. તેથી સમાજ બને છે. સહજીવનથી જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. મનુષ્ય મરી જાય છે પણ તેણે મેળવેલું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. તેથી સમાજ ઉતરોત્તર વિકાસ કરતો હોય છે.

જ્ઞાન એટલે શું?

વિશ્વ અને તેના ઘટકો કેવીરીતે વર્તે છે તે સમજવું તે જ્ઞાન. મનુષ્ય બીજા પ્રાણીથી આ રીતે જુદો પડે છે. એટલે મનુષ્યનું મૂળ ધ્યેય જ્ઞાન પ્રાપ્તિનું હોવું જોઇએ. પણ વિશ્વના અનેક ઘટકો હોય છે. જેને આપણે શાસ્ત્ર અને કળા તરીકે ઓળખીએ છીએ.

શારીરિક સુખ કે માનસિક સુખ, વાસ્તવમાં માનસિક સુખ જ હોય છે. કારણ કે જે અનુભૂતિ હોય છે તે બંને બાબતોમાં માનસિક જ હોય છે.

મનુષ્યની જ્ઞાન પ્રાપ્તિની પસંદગી એક સમાન હોતી નથી. ભારતીય શાસ્ત્રોમાં મનુષ્યના વલણોના ચાર ભાગ પાડ્યા છે. જો કે આ વલણો વચ્ચે કોઈ એક પાતળી રેખા હોતી નથી. પણ એક કે બે વલણોનું પ્રાધાન્ય હોય છે. એટલે જો તે વ્યક્તિ તે વલણને લગતું જ્ઞાન મેળવે તો તે વધુ સુખી થઈ શકે અને સમાજને પણ સુખ તરફ આગળ ધપાવી શકે.

આ જ્ઞાન પ્રાપ્તિને આપણે શિક્ષણ કહીશું.

આ શિક્ષણ કેવું હોવું જોઇએ?

અદ્વૈત વાદમાં આપણે જોયું કે મનુષ્ય માત્ર એક સજીવ નથી. બધું જ સજીવ છે. અને સમાજ પણ સજીવ છે. મનુષ્ય સમાજને પણ સુખી થવાનું હોય છે. તેથી મનુષ્યની વ્યક્તિગત શક્તિઓનો સમાજને નુકશાન ન થાય તે રીતે વિકાસ થવો જોઇએ. મનુષયના વલણોનો (એપ્ટીટ્યુડ)નો યથા યોગ્ય ઉપયોગ થવો જોઇએ.

મનુષ્યને તેના પ્રભાવકારી વલણોના આધારે ભારતીય શાસ્ત્રજ્ઞોએ ચાર રીતે વહેંચ્યા છે.

(૧) જેઓ ચિંતન કરે છે અને વિશ્વના ઘટકોના વર્તનને સમજે છે અને સમજાવે છે. તે શાસ્ત્રીઓ કે વૈજ્ઞાનિકો કે બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. આમાં વૈજ્ઞાનિકો, તત્વવેત્તાઓ, સમાજશાસ્ત્રીઓ, શિક્ષકો, વિદ્યાધરો (અભિયન્તાઓ એટલે કે એન્જીનીયરો), ન્યાયધીશો વિગેરેનો સમાવેશ થાય છે,

(૨) જેઓ સમાજને સુરક્ષા આપે છે અને જે તે શાસ્ત્રીઓએ તે માટે કરેલા સંશોધનો અને ઉપકરણોનો સમાજની સુરક્ષા માટે ઉપયોગ કરે છે, તેમાં મેનેજરો, રાજકારણીઓ, જનપ્રતિનિધિઓ ક્ષત્રિયોનો સમાવેશ થાય છે.

(૩) જેઓ સમાજ માટે અને વ્યક્તિઓમાટે ઉપકરણો અને ખાદ્યપદાર્થનું ઉત્પાદન અને વહેંચણી કરે છે તેને ઉદ્યોગપતિઓ, મેનેજરો, વેપારીઓ, સંગ્રાહકો, વિતરકો કે વણિક કહેવાય છે.

(૪) જેઓ આ ઉપરોક્ત ત્રણેને તેમના ક્ષેત્રમાં ચીંધ્યું કામ કરવું ગમે છે તેઓ નોકરો, પટાવાળા, કાર્યકરો, મજુરો કે શુદ્રો કહેવાય છે.

પણ દરેક વ્યક્તિમાં પોતાના વલણને અનુરુપ કામમાં સંશોધન કરવાનું પણ હોય છે. એટલે એક વ્યક્તિમાં વલણો મિશ્રરુપે હોય છે. પ્રાથમિક શિક્ષણના ગાળા દરમ્યાન આ વલણોમાં વત્તા ઓછા ફેરફાર થાય છે અને તેને નકારી ન શકાય. એટલે વ્યક્તિઓના વલણો તપાસવાની વ્યવસ્થા અવારનવાર કરવી જોઇએ અને વ્યક્તિને અને અથવા તેના માતાપિતાને વડિલોને તેની જાણ કરવી જોઇએ.

સ્ત્રીઓ માટે વિશેષ સગવડ

સમાજ, સ્ત્રીઓ અને પુરુષો અને બાળકોનો બનેલો હોય છે. સ્ત્રીઓ અને પુરુષો બંનેને કામ કરવું હોય છે. અને બધાં જ કામ ઘરે બેઠાં થઈ શકતા નથી. સ્ત્રીઓને પણ કામ માટે ઘરની બહાર જવું પડે છે. સ્ત્રીઓ ઉપર શિશુ ઉછેરની શરીરશાસ્ત્રીય જવાબદારી હોય છે. સ્ત્રીઓ પોતાના અન્યવલણનો પણ ઉપયોગ કરવા માગતી હોય છે. તેથી સ્ત્રીઓના પ્રાથમિક શિક્ષણમાં બાળ ઉછેરનું પ્રાધાન્ય તો રહેવું જ જોઇએ. પુરુષને પણ આ શિક્ષણ યોગ્ય માત્રામાં આપવું જોઇએ.

પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય ગણાશે. પ્રાથમિક શિક્ષણમાં બાળ ઉછેર, બાળ માનસ, કળા (જેમાં રમત ગમત, યોગ, વ્યાયામ, સંગીત વિગેરેનો પણ સમાવેશ થઈ જાય છે), સભ્ય વર્તન, વાહનના નિયમો, સ્ત્રી દાક્ષિણ્ય, માનવ અધિકારો, કુદરતી અધિકારો, નીતિમત્તા, નાગરિક શાસ્ત્ર, સભ્યતા, સ્વચ્છતા, કાંતણ, વણાટ, અંક ગણિત, વિશ્વ રચના, દેશનો પ્રાચીન ઇતિહાસ, દેશાભિમાન અને દેશપ્રેમ અને પ્રાથમિક શિક્ષણ-વિદ્યા (ટીચીંગ ટેક્નીક) અનિવાર્ય રહેશે.

શિક્ષણ વિદ્યા એટલે શું?

શિક્ષણ વિદ્યા એટલે ટીચીંગ ટેક્નીક. પ્રાથમિક શિક્ષણ વિદ્યા એટલે સામાન્ય કક્ષાની શિક્ષણ આપવાની આવડત આવે તે વિદ્યા. વિદ્યાર્થી ને જે કંઈ આવડે છે, તે તેનાથી નીચેની શ્રેણીના વિદ્યાર્થીને પોતાના આ જ્ઞાનથી શિખવાડી શકશે. જરુર પડે તે નિષ્ણાત શિક્ષકની સહાય લેશે.

મનુષ્યની શિક્ષણ લેવાની અવસ્થાઓઃ

દુગ્ધપાન અવસ્થા (૦ થી ૧ ૧/૨ વર્ષ), ગાળો …. ૧.૫ વર્ષ માતૃ છાયા

દરેક સ્ત્રીને તેની ગર્ભધાન સમયના સાતમાસથી શરુ કરી બાળક એકવર્ષનું થાય ત્યાં સુધીની સંપૂર્ણ વેતન સાથે રજા આપવી જોઇએ. સ્ત્રીએ જે બાળકને જન્મ આપ્યો તે દેશનું નાગરિક છે. અને તે માતા પોતાના બાળકને શિક્ષણ લેવા સક્ષમ બને તે માટે તેનો ઉછેર કરી રહી હોવાથી તેને પણ દેશની સેવા જ ગણાય. એક વર્ષની સવેતન રજા આપ્યા પછી જો શક્ય હોય તો ઘરે બેઠાં કોમ્પ્યુટર ઉપર કરી શકે તેવાં કામ આપવાં. તેનું વિશેષ વેતન આપવું.

દરેક સ્ત્રીઓને બાળ ઉછેરનું શિક્ષણ અને દરેક વ્યક્તિને બાળમાનસનું શિક્ષણ પ્રાથમિક શાળામાં આપવું.

(૧) શિશુ (૧ ૧/૨ થી ૩ વર્ષ), ગાળો .. ૧.૫ વર્ષ પૂર્વ બાળ સંભાળ(આયા) વ્યવસ્થિતતા, સફાઈ, કળા અને નાગરિક વિદ્યા

સ્ત્રીઓને પુરુષ જેટલા જ અને કેટલાક કિસ્સાઓમાં પુરુષ કરતાં વધુ હક્કો આપ્યા હોવાથી, તે તેના અભ્યાસ દરમ્યાન આયાના કામ પણ કરી શકશે. બાળક આ ઉમરમાં ઘણું જિજ્ઞાસાવાળું હોય છે. તેથી તેની વિચાર શક્તિ ખીલે તેવા પ્રશ્નો પૂછવા અને તેના દરેક પ્રશ્નનો ઉત્તર આપવો અને તેને પ્રશ્નો પૂછવા ઉત્તેજવું. તેને વાર્તાઓ કહેવી, ચિત્રવાર્તાઓ સમજાવવી. વસ્તુઓને ગોઠવવી વિગેરે કામ શિખવાડી શકાય અને કરાવી શકાય.

(૨) બાળક (૩ થી ૬ વર્ષ), ગાળો .. ૩ વર્ષ ઉત્તર બાળ સંભાળ (આયા), બાલ વાર્તાઓ, જોડકણા, બાલ કાવ્યો, સંસ્કૃત શ્લોકો, સભ્યતા, વ્યવસ્થા, કળા અને નાગરિક વિદ્યા. અહિંસા, યોગ, લેન્ડલાઈન અને મોબાઈલ ઓપરેશન, કોમ્પ્યુટર સર્ચીંગ.

સ્ત્રીઓને અને પુરુષોને બાળ માનસનું શિક્ષણ આપ્યું હોવાથી તે બાળકની રુચિ પણ જાણી શકશે. આ શિક્ષણ બાલ મંદિરમાં આપવામાં આવશે.

(૩) બાલ (૬ થી ૧૦ વર્ષ), ગાળો .. ૪ વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષા, કળા, ઉદ્યમ, નાગરિક વિદ્યા અને રોજગાર. વાર્તા સ્વરુપમાં ઇતિહાસ, પ્રયોગો દ્વારા અંક ગણિત, ભૂમિતિ, પ્રવાસ વર્ણન અને પ્રવાસ, માતૃભાષા, નીતિ શતક અને બીજા સંસ્કૃત શ્લોકો, અહિંસા અને સ્વાવલંબન, યોગ, પ્રાથમિક કોંપ્યુટર ઓપરેશન અને ઇમેલીંગ અને લેખન.

(૪) કિશોર (૧૦થી ૧૪ વર્ષ), ગાળો .. ૪ વર્ષ ઉત્તર પ્રાથમિક શિક્ષા, ઉચ્ચતર ગણિતઃ વ્યાવહારિક અંકગણિત, બીજ ગણિત, ભૂમિતિ, ત્રીકોણમિતિ, માતૃભાષા, અન્ય એક દેશી ભાષા, સંસ્કૃત વાર્તાઓ માતૃ ભાષામાં, ગીતાના અને ઉપનિષદના શ્લોકો, ખગોળ શાસ્ત્ર ની સમજણ, અહિંસા અને સ્વવલંબન, પ્રાચિન ભારતનો ગૌરવ ભર્યો ઇતિહાસ, યોગ, કોમ્પ્ટ્યુટર દ્વારા સ્વશિક્ષણ, વક્તૃત્વ, કળા, નાગરિક વિદ્યા, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૫) તરુણ (૧૪થી ૧૮ વર્ષ), ગાળો .. ૪ વર્ષ પૂર્વ માધ્યમિક શિક્ષા, પૃથ્વી ની સામાન્ય ભૂગોળ, ભારતનો ઈતિહાસ અને ગૌરવ અને તેના પ્રતિકો, ભારતનું વૈશ્વિક દર્શન, માતૃભાષા, સંસ્કૃતભાષા, ત્રીજી એક ભાષા (હિન્દીભાષીઓ માટે દક્ષિણ ભારતની ભાષા, અને દક્ષિણ ભાષીઓ માટે હિન્દી કે બીજી કોઈ ઉત્તરભારતની ભાષા), પરિચય ગીતા, ખગોળ શાસ્ત્ર, વિશ્વનું વર્તન અને હેતુ, આંકડાશાસ્ત્ર, ઉચ્ચતર અંકગણિત અને નામાપદ્ધતિઓ, સેટ થીએરી, બાયનરી, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, કલનશાસ્ત્ર, વિકલન શાસ્ત્ર, યોગ, કોમ્પ્ટ્યુટર દ્વારા સ્વશિક્ષણ, કળા, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૬) નવ યુવક (૧૮ થી ૨૦ વર્ષ), ગાળો .. ૨ વર્ષ ઉત્તર માધ્યમિક શિક્ષા, પસંદગીના વિષયો, પસંદગીની ભાષામાં નૈપૂણ્ય, સાહિત્ય, માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સમાજવિદ્યા, ઉચ્ચ વ્યાવહારિક ગણિત (એપ્લાઈડ ગણિત), કળા, યોગ, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૭) યુવક (૨૦ થી ૨૫ વર્ષ), ગાળો …. ૫ વર્ષ ઉચ્ચ શિક્ષા, વિશ્વ વિદ્યાલય નિવાસીય શિક્ષણ, પસંદગીના વિષયો, એક કે બે વિદેશી ભાષા, ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત, તકનિકી વિદ્યાઓ, વ્યવહારો, કળા અને રોજગાર

દરેક વિદ્યાર્થી માટે બે કળા અને એક ઉદ્યમ અનિવાર્ય રહેશે. ઉદ્યમ આર્થિક સ્વાવલંબન માટે છે. કળા એટલે ગેય સંગીત, વાદ્ય સંગીત, નાટ્ય, દિગ્દર્શન, ફોટોગ્રાફી, સુશોભન, ચિત્રકામ જેવા વિષયો હશે.

બીજી કળા છે વ્યાયામ, ખેલ-કૂદ, એક આમાંથી પસંદ કરવું પડશે.

ઉદ્યમ માં કાંતણ, વણાટ, માટીકામ, ધાતુકામ લોહારી કામ અને વેલ્ડીંગ, મોચીકામ, સિલાઈકામ, પર્ણ અને રેસા, રંગકામ, સુતારીકામ, વિગેરે જેવા અન્ય ગૃહ ઉદ્યોગો.

શિક્ષણ નો હેતુ એ હોય છે કે, વ્યક્તિ વિચારશીલ, નીતિમાન, સુશીલ, ભદ્ર, સ્વચ્છ, સમાસ્યાઓને સમજી શકનાર, નિડર, દેશપ્રેમી અને સ્વાવલંબી બને.

શિક્ષણ કોણ આપશે?

શિક્ષણ ક્રમશઃ સ્વાવલંબી અને સ્વશિક્ષણ બનશે. એટલે ઉત્તર પ્રાથમિક શિક્ષણના સ્તરથી સ્વશિક્ષણ તબક્કાવાર શરુ થશે. જે ગાઈડ હશે તે જે તે ઉત્તરોત્તર સ્તરે વિષયનો નિષ્ણાત હશે અને ટીચીંગ ટેક્નીકમાં પણ નિષ્ણાત હશે.

ઉદ્યોગો પ્રાથમિક શિક્ષણની જવાબદારી લેશેઃ

જે તે ગામની આસપાસ જે ઉદ્યોગો હશે તે ઉત્તર પ્રાથમિક કક્ષાના શિક્ષણનો આર્થિક અને કંઈક અંશે વહીવટી જવાબદારી ઉપાડશે.

સરકાર દ્વારા નિયમન અને નિયંત્રણ રહેશે. ઉદ્યોગો વિદ્યાર્થીઓ પાસેથી શ્રમ લઈ શકશે. પૂર્વ પ્રાથમિક કક્ષાએ બે કલાકનો શ્રમ લઈ શકશે, અને ઉત્તર પ્રાથમિક કક્ષાએ ચાર કલાક થી વધુ નહીં એવો શ્રમ વિદ્યાર્થીઓ પાસે કરાવી શકશે. પોતાના ઉદ્યોગને અનુરુપ વધારાનો વિષય શિખવી શકશે. અને જો વિદ્યાર્થી ઈચ્છે તો ઉત્તર પ્રાથમિક કક્ષાએ તે વિદ્યાર્થીઓની નિયૂક્તિ માટે પસંદગી કરી શકશે. વિદ્યાર્થી અને તેના વાલીઓ સાથે મસલત કરી પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક અને વિશ્વવિદ્યાલયના શિક્ષણ માટે શાખાની પસંદગી કરી શકશે.

શિક્ષણ ફી વગરનું અને ભાર વગરનું રહેશે.

જે લોકોને પોતાની શાળાઓ સ્થાપવી હશે તેઓ સ્થાપી શકશે. પણ તેઓ વિદ્યાર્થી પાસેથી ફી વસુલ કરી શકશે નહીં. ચાર કલાકનો શ્રમ લઈ શકશે. આ માટેના નીતિ નિયમો સરકાર બનાવશે.

વિશ્વવિદ્યાલયના શિક્ષણ પછી, સરકાર અને ઉદ્યોગો પોતાને યોગ્ય લાગે તે વિદ્યાર્થીઓને સંશોધનમાં લઈ શકશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ પૂર્વ પ્રાથમિક, ઉત્તર પ્રાથમિક, પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક, ઉચ્ચ શિક્ષા, ગણિત, કળા, યોગ, વિશ્વનું વર્તન, અહિંસા, અદ્વૈત, ગીતા, ઉદ્યોગ, શ્રમ, વિદ્યાર્થી, ખેલ-કૂદ, શ્રમ

Read Full Post »

%d bloggers like this: