Feeds:
Posts
Comments

Archive for March, 2016

અન્નદાતાને વફાદાર રહો

હાજી, આ બ્લોગ સમાચાર માધ્યમોના કટારીયા મૂર્ધન્યો અને ચર્ચા સંચાલકોને ને અર્પણ છે.

તેમનો મુદ્રાલેખ છે કે અન્નદાતાને વફાદાર રહો.

અન્નદાતા કોણ છે?

શું તમે જગતના તાત ખેડૂતની વાત કારો છો?

નાજી.

અન્નદાતા એટલે આપણને જે લખવાના પૈસા આપે છે તે સમાચાર માધ્યમના માલિકો.

આ લોકો માને છે કે “સમાચાર માધ્યમના માલિકો આપણને જે પૈસા આપે છે તે જો કે આમતો આપણા માટે ચા-પાણી જેટલા હોય છે. પણ તે આપણને જે ખ્યાતિ આપે છે તે અણમોલ છે. તે ખ્યાતિ આપણા પુસ્તકોનું વેચાણ વધારવામાં ભાગ ભજવે છે. આ ખ્યાતિને આપણે કીર્તિ સમજવાની છે. સામાન્ય વ્યક્તિ કીર્તિ અને ખ્યાતિમાં રહેલા ભેદને સમજતી નથી. એટલે આપણા પુસ્તકોની ખપત વધશે. આપણે જો પુસ્તકોના લેખકો ન હોઇએ અને ફક્ત કટારીયા કે તંત્રીશ્રી કે ચર્ચાઓના સંચાલક હોઇએ તો પણ આપણી ખ્યાતિના મૂલ્યને આપણે રજમાત્ર પણ નકારી ન શકીએ.”

હે વાચક તમે જાણો છો કે અમારે અમારા માલિકના એજન્ડા ને અનુરુપ લખવાનું હોય છે. અને અમે “ગુણવંતભાઈ શાહ” જેવા ઉંચેરા માનવી નથી કે ચંદ્રકાન્ત બક્ષી જેટલા નીડર નથી. અમારી માનસિકતા “મોટા નામમાં નાનો જીવ” જેવી છે. અમારી પ્રાથમિકતાની પ્રજ્ઞા અને પ્રમાણભાનની પ્રજ્ઞા કાંતો અમારે અવગણવાની હોય છે અથવા તો તેવી પ્રજ્ઞાનો અમે વામણા હોવાથી અમારામાં સદંતર અભાવ હોય છે.

તમારે અમારી કાયરતાને દાદ આપવી જોઇએ.

ઇન્દિરા ગાંધી, અમારા સમાચાર માધ્યમના માલિકો ઉપર ધોંસ લાવ્યા એટલે અમારા માલિકો ૧૯૭૫-૧૯૭૭માં સમગ્ર નહેરુવીયન કોંગ્રેસના પ્રત્યેક સભ્યને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ થઈ ગયા હતા. અમે પણ માલિકોના એજન્ડાનો અમલ કરતા થઈ ગયા હતા”. અમે કંઈ ગોરવાલા જેવા વેદિયા ન હતા. અમે તો સમજતા હતા જ કે “જાન બચી તો લાખો પાયે”. જગ્ગુ દાદા ખૂદ કહેતા હતા કે જો તેઓશ્રી ઇન્દિરાનું કહ્યું ન કરત તો તેમની જાનને ખતરો હતો. અમે પણ અમારી કટારોનો ત્યાગ કરી જેલવાસી થવા માગતા ન હતા. ભલુ થજો મોરારજી ભાઈનું કે તેમણે બંધારણમાં એવી જોગવાઈ કરી કે કોઈ ગાંડો શાસક ફરીથી કટોકટી ન લાદી શકે. એટલે તો હવે અમે સુરક્ષિત છીએ અને અમારા અન્નદાતાની ઇચ્છા પ્રમાણે બીજેપી સરકારની વિરુદ્ધ અને દેશવિરોધી સુત્રોચ્ચાર કરનારાની તરફમાં બેફામ પણ લખી શકીએ છીએ. અને કહી શકીએ છીએ કે મોદીના રાજમાં કોઈ સુરક્ષિત નથી. જો કે કોંગીના રાજમાં આતંકવાદી હુમલાઓ વધુ થયા હતા. પણ અમારે ક્યાં આંકડાઓ આપવાના છે? અમે તો જે એનયુ ના સુત્રોચારોને પણ ઉદ્ધૃત કર્યા વગર જે એનયુના વિદ્યાર્થીઓની તરફમાં બોલી શકી તો આંકાડાઓ વળી કઈ ચીજ છે. હવે અમે અમારા અન્નદાતા એવા માલિક કહે કે “રાત કહો” તો અમે પણ ઉછળીને ઉછળીને દિવસને પણ “રાત” કહીએ છીએ.

હવે તમે કહેશો કે અમારા અન્નદાતા આવા કેવા કે અમને દિવસને રાત કહેવાનું કહે છે?

અરે ભાઈ સાહેબનો પણ સાહેબ હોય છે તેમ માલિકનો પણ માલિક હોય છે.

ખબરપત્રી ખબર આપે તેને તેનો સાહેબ એટલે કે તંત્રીશ્રી તે ખબરને માલિકના એજંડાને અનુરુપ શૈલીમાં લખે. કંઈક આંચકો આપે એવી આવેગાત્મક “શિર્ષ રેખા” (હેડલાઈન) બનાવે. “ગુહ્યં જ ગુહ્યતિ” એટલે કે જે સમાચાર છૂપાડવાના છે તે છૂપાવે જેથી અમારા તંત્રી શ્રીઉપર તેમના માલિક ખુશ રહે.

કોઈ દાખલો આપોને?

અરે ભાઈ ડગલે ને પગલે દાખલાઓ છે. જેમ નહેરુવીયન કોંગ્રેસમાં જ્યાં હાથ નાખો ત્યાં એક કૌભાણ્ડ મળે તેમ આપણા સમાચારોમાં પણ જ્યાં હાથ નાખો ત્યાં જુઠ મળૅ. જેમકે છેડછાડ વાળી (ડોક્ટર્ડ) વીડીયો ટેપ. ડોક્ટર્ડ વીડીયો ટેપને આધારે કન્હૈયાલાલ અને તેના સાગરિતોની ધરપકડ કરી અને નરેન્દ્ર મોદીની અસહિષ્ણુ સરકારે કેસ ઠોકી દીધો છે.

આ વીડીયો ક્લીપ ડોક્ટર્‌ડ છે એમ કહ્યું કોણે? કોઈએ તપાસ એજન્સીપાસે તપાસ કરાવી છે? કઈ તપાસ એજન્સી પાસે તપાસ કરાવી? અરે ભાઈ માલેતુજાર અંગ્રેજીના સમાચાર પત્ર અને ટીવી ચેનલવાળા આવું કહે તે તો આપણે વર્નાક્યુલર ભાષાવાળા સમાચાર માધ્યમોએ બ્રહ્મ વાક્ય સમજી લેવાનું હોય છે. અંગ્રેજી સમાચાર માધ્યમ વાળા લોકો આવું કહે તો આપણે વળી કોણ? “શું ગોલા કરતાં ગધેડા ડાહ્યા?”

પણ હેં, આપણા માલિક આવો દેશને નુકશાન કરે તેવો એજન્ડા શું કામ રાખે છે?

સમાચાર માધ્યમોના માલિકના પણ માલિક છે. ફોર્ડ ફાઉન્ડેશન જેવા એનજીઓ, આઈએસઆઈ, આતંકવાદી સંગઠનો, દાઉદ નેટવર્ક, નહેરુવીયન કોંગ અને તેના સાંસ્કૃતિક સાથીઓ, સીપીઆઈએમ, આમાંના કોઈક ને કોઈક આપણા માલિકની વાહેં ને વાંહે બેગો લઈને પડતા હોય છે. આપણા માલિકને કોઈની પદૂડી કાઢવી ગમતી નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવતી હોય તો મોઢું થોડું જવાય છે?

Fraudulent Affidavits

 

ઉપરોક્ત વિષય પર ચર્ચા કરવાની મનાઈ છે.

તો આપણા અન્નદાતા કેવું કેવું કરે છે?

દાદ્રી ઘટના.

થયું શું? ખૂન થયું.

ઘટનાનો પ્રકારઃ કાયદો અને વ્યવસ્થા

સ્થળઃ દાદ્રી ગામડું

મરનારની જાતિઃ મુસલમાન.

રાજ્યના શાસક કોણઃ નહેરુવીયન કોંગ્રેસના સાથી પક્ષ “એસ.પી.”

ભારે કરી… તો તો આપણા માલિકના માલિક જ વાંકમાં આવ્યા.

ના જી. અક્કલ કોના બાપની? કોઈ આપણને કાણો કહે એ પહેલાં આપણે સામાવાળાને કાણો કહી દો.

માંસ નાખો. મરનાર મુસલમાન છે તેથી ડૂક્કરનું માંસ નાખી શકાશે નહીં. માટે તથાકથિત ગાયનું માંસ રાખો. મારનાર ટોળું છે. હિન્દુ જ હોય ને. માટે આરએસએસ અને બજરંગ દલને નાખો.

કાયદો ભલે હોય ગૌવંશ હત્યા બંધીનો, પણ આ માનવ હત્યાને ચગાવવાની છે. એટલે ચગાવો ચર્ચા “ભાવતી વાનગીઓની પસંદગીની સ્વતંત્રતાના હક્ક”ની.

બાકી બધું જ છૂપાવો.

૪૦લાખ રુપીયા પીડિત કુટૂંબને આપો અને મુલાયમની ધર્મ નિરપેક્ષતાને બહાલી આપો.

અરે ભાઈ! આ બીજેપીની સરકાર વાળા તો કશું બોલતા નથી. એમ વાત છે? તો ઘટ્નાને વધુ ચગાવો. અને એ વાતને પણ ચગાવો કે “બીજેપી વાળાની બોલતી બંધ … આરએસએસ સામે બીજેપીવાળાની બોલતી બંધ ….”

“ … નરેન્દ્ર મોદી તેમના ભક્તોને કંઈ કહેતા નથી … નરેન્દ્ર મોદીના ભક્તો બેફામ બન્યા છે …. નરેન્દ્ર મોદી જવાબ આપે …. નરેન્દ્ર મોદી જવાબ આપે … નરેન્દ્ર મોદી પોતાના મનની વાત કરવાને બદલે ગરીબના મનની વાત કરે …. નરેન્દ્ર મોદી મૌનનો ત્યાગ કરે …. નરેન્દ્ર મોદી બોલતા કેમ નથી ? ….. “

વેમુલાની આત્મહત્યાઃ

વેમુલા કોણ છે?

વેમુલા એક વિદ્યાર્થી નેતા છે. આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. તો આ સહાનુભૂતિની વાતની ચર્ચા ન કરો. “વેમુલાએ આત્મહત્યા કરી” એ વાતને ચગાવો.

પણ અરે ભાઈ … આત્મહત્યા કર્યા પૂર્વે તેણે પોતાને જ જવાબદાર ગણાવ્યો. કોઈના ઉપર આક્ષેપ કર્યા નહીં એનું શુ?

એ બધું છૂપાવો. તેની ચર્ચા જ ન કરો.

ઘટના શું છે?

સ્થળઃ કોંગ્રેસી રાજ્યના શાસનવાળું સ્થળ.

“અરે આતો આપણે ફસાયા…” નહેરુવીયન કોંગ્રેસે કહ્યું.

તો હવે આપણે આમ કરો.

આ વેમુલા આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. તો આ સહાનુભૂતિની વાતની ચર્ચા ન કરો. તેણે આત્મહત્યા કરી છે. પણ આત્મહત્યા કર્યા પૂર્વે તેણે પોતાને જ જવાબદાર ગણાવ્યો. કોઈના ઉપર આક્ષેપ કર્યા નથી. તો હવે તેની આત્મહત્યાને જ ચગાવો. અને તેણે અત્માહત્યા પૂર્વે જે કંઈ લખ્યું તેની ચર્ચા ન કરો. વેમુલાને એક હોનહાર ઘોષિત કરી દો. તે નેતા હતો એટલે નેતા તો હોનહાર જ હોય એટલે આ હોનહાર વાળી વાત બહુ સરળ રહેશે. વેમુલાને દલિત ઘોષિત કરી દો. નહેરુવીયન કોંગ્રેસના સ્થાનિક શાસને શું કર્યું તેને વિષે મૌન રહો. તેની વાત જ ન કરો.

અરે ભાઈ! આ બીજેપીની સરકાર વાળા તો કશું બોલતા નથી. એમ વાત છે? તો ઘટ્નાને વધુ ચગાવો. અને એ વાતને પણ ચગાવો કે બીજેપી વાળાની બોલતી બંધ. આરએસએસ સામે બીજેપીવાળાની બોલતી બંધ.

નરેન્દ્ર મોદી તેમના ભક્તોને કંઈ કહેતા નથી. નરેન્દ્ર મોદીના ભક્તો બેફામ બન્યા છે. નરેન્દ્ર મોદી જવાબ આપે …. નરેન્દ્ર મોદી જવાબ આપે … નરેન્દ્ર મોદી પોતાના મનની વાત કરવાને બદલે ગરીબના મનની વાત કરે. નરેન્દ્ર મોદી મૌનનો ત્યાગ કરે. નરેન્દ્ર મોદી બોલતા કેમ નથી? તેમના ભક્તોએ વેમુલાને આત્મહત્યા કરવા માટે પ્રેર્યો એવી વાત ચગાવો. સાબિતિઓ આપવાની જરુર નથી. સાબિતીઓ આપવી એ આપણા સંસ્કારમાં નથી. અને આપણે એવા સંસ્કારી થવાનું જરુરી નથી. જો આપણી સદાકાળની પૂજનીયા દેવી માતા ઇન્દિરા, હજારો લોકોને કારણ આપ્યા વગર અનિયતકાલ માટે જેલમાં પૂરી શકતી હોય તો આપણે વળી સાબિતિઓ આપવાની જરુર જ શી? ગોલા કરતાં શું ગધેડા ડાહ્યા?

બિહારનો ચૂંટણી પ્રચારઃ

સાલુ … જ્યાં સુધી આ મોદી વિકાસની વાતો કરશે ત્યાં સુધી આપણી જ્ઞાતિવાદી શસ્ત્ર શંકાસ્પદ રહેશે. બિહારની આપણી ચૂંટણી અસ્તિત્વ માટેની લડાઇ છે. માટે જાતિવાદ ઉપર જ જાઓ.

“અનામત ઉપર પૂનર્‍ વિચારણા થવી જોઇએ” મોહન ભાગવતથી બોલતા બોલાઈ ગયું

હવે મોહન ભાગવત આરએસએસના છે. આર એસ એસ પ્રો-બીજેપી છે. માટે આ નિવેદનને ઉછાળો. જો કે પૂનર્‍ વિચારણાનો અર્થ ફેરતપાસ જેવો થાય છે. તેનો એક અર્થ એવો પણ થાય કે જેઓ અનામત માટે લાયક છે તેમને અનામતનો લાભ મળે છે કે નહીં? અને જેઓ અનામતને લાયક નથી અને સક્ષમ છે તેમને તો આ લાભ મળી જતો હોય તેવું તો નથી થતું ને? આ માટે અનામતની લાભાર્થી જાતિઓને મળતા લાભોનું વિશ્લેષણ કરો.

પણ સમાચાર માધ્યમે આ વાતની તો ચર્ચા જ ત્યાજ્ય સમજી. મહા મૂર્ધન્યો અને મહા વિશ્લેષકોને આવી ચર્ચામાં રસ ન હોય તે તેમના એજન્ડાના અન્વયે સમજી શકાય તેમ છે. તેથી તેમણે એ વાત ચગાવી કે બીજેપીની સરકાર અનામતના કાયદાને નાબુદ કરવા માગે છે.

મોહનભાગવત બીજેપી સરકારના કોઈ પ્રધાન નથી. મોહનભાગવત બીજેપી પક્ષના કોઈ પ્રવક્તા નથી. મોહન ભાગવત બીજેપીના સંસદ સદસ્ય નથી. મોહન ભાગવત બીજેપી પક્ષના સભ્ય પણ નથી. મોહન ભાગવત ના ઉચ્ચારણનું ધરાર ખોટું અર્થ ઘટન કરવામાં આવ્યું ચગાવવામાં આવ્યું, એટલું જ નહીં પણ મોહન ભાગવત બીજેપીની સરકારની નીતિના પ્રવક્તા હોય તે રીતે તેની ઉપર ચર્ચાઓનો દોર સમાચાર માધ્યમો ઉપર શરુ થઈ ગયો. કટારીયા મૂર્ધન્યો અને વિશ્લેષક વિદ્વાનો બીજેપીની સરકાર નામતના કાયદાને નાબુદ કરવા માગે છે એવા અર્થઘટન સાથે તૂટી પડ્યા.

જેડીયુ, આરજેડી, અને નહેરુવીયન કોંગ્રેસીઓ કંઈ થોડા ઝાલ્યા રહે? તેઓને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. અનિયત કાળ સુધી આ ચર્ચા ચાલ્યા કરી. નરેન્દ્ર મોદી જવાબ આપે …. નરેન્દ્ર મોદી જવાબ આપે … નરેન્દ્ર મોદી પોતાના મનની વાત કરવાને બદલે દલિતોના મનની વાત કરે. નરેન્દ્ર મોદી મૌનનો ત્યાગ કરે. નરેન્દ્ર મોદી બોલતા કેમ નથી?

આવું બધું થયા પછી ન છૂટકે નરેન્દ્ર મોદીને જવાબ આપવો પડ્યો કે ભાઇ એવું કશું છે જ નહીં. યાવત ચંદ્ર દિવાકરૌ અનામત રહેશે જાઓ બસ. બાબા સાહેબ ને છેહ નહીં દેવાય. બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. દલિતકી બાત કરની હૈ તો બાબા સાહેબકા નામ લેના હી પડેગા.

જો કે બાબા સાહેબે તો અસ્પૃષ્યો પૂરતી જ અનામત રાખવાની વાત કરેલી. જ્યાં સુધી જ્ઞાતિવાદની તરફમાં બોલવા વિરુદ્ધ કાયદો નહીં આવે ત્યાં સુધી અનામતની તરફેણ આપણા મીડીયા મૂર્ધન્યો કર્યા કરશે.

આજ મીડીયા મૂર્ધન્યોનું વલણ નહેરુવીયન કોંગ્રેસના પપ્પુ ના આચરણ વિષે જુઓ.

નહેરુવીયન કોંગ્રેસની સરકારે એક બીલ બનાવ્યું, ચર્ચાને અંતે નહેરુવીયન કોંગ્રેસના પ્રધાન મંડળે આ બીલ સંસદમાં પસાર કરાવ્યું. હવે તેને રાષ્ટ્રપતિ પાસે તેમની સહી લેવા માટે મોકલવાનું હતું. આપણા આ પપ્પુ મહાશયે તેને ફાડી નાખ્યું. પણા આપણા મીડીયા મૂર્ધન્યોએ આ બનાવની ચર્ચા જ ન કરી. અરે ભાઈ આની ચર્ચા થતી હશે. નહેરુવીયન કોંગ્રેસમાં તો નહેરુવીયનોની આપખુદી અને અસહિષ્ણુતાને સહજ માનવામાં આવે છે. નહેરુવીયન કોંગ્રેસ તો આપણી અન્નદાતા છે. અન્નદાતાની વિરુદ્ધ કંઈ ચર્ચા ન કરાય.

મીડીયાવાળા માને છે કે જો કંઈ ન મળે તો અ સહિષ્ણુતા સમાજમાં વધી ગઈ છે તે મુદ્દો તો હાથ વગો થઈ જ ગયો છે. તેને “ફીલર” (filler) તરીકે ચગાવ્યા કરો.

હાજી. અમે એવા. નરેન્દ્ર મોદીએ જે હેતુ પુરસ્સરની વિદેશયાત્રાઓ કરી અને જે કઈં કરારો ઉપર સહી સીક્કા થયા તેના ઉપર અભ્યાસપૂર્ણ ચર્ચાઓ કદી નહીં કરીએ. કારણ કે એ અમારો એજન્ડા નથી. અમારો એજન્ડા તો એજ છે કે એવી ચર્ચા જ ન થાય. કારણ કે એવી ચર્ચા થાય તો બીજેપી તરફથી કોઈને બોલાવવા પડે અને જનતા અભ્યાસપૂર્ણ ચર્ચાઓ સમજતી થાય તો અમે સુક્કા ભઠ્ઠ થઈ જઈએ. અમારા અન્નદાતાનો એજન્ડા આખો ખોરવાઈ જાય. આ અમને પોષાય નહીં. અમારું કામ સમાચારો થકી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવાનું છે. જાહેરાતો થકી મળતી લક્ષ્મી તો ધોળી છે. લક્ષ્મીને માન આપવામાં તેનો રંગ ન જોવાય. એવું હશે તો રીઅલ એસ્ટેટની એક સ્કીમ ઠોકી દઈશું. અમારું કામ તો આડે પાટે ગાડી ચલાવવાનું છે.

મારા ગળા ઉપર છરી રાખો તો પણ હું “ભારતમાતાની જય નહીં બોલુંઃ

હાજી આ શબ્દો અસ્સુદીન ઓવૈસીના છે.

પણ આ શબ્દોને ચગાવનારા આપણા મીડીયા મૂર્ધન્યો છે.

મોહન ભાગવતે કહ્યું કે “હવે તો બધાને ભારતમાતાની જય બોલવાનું પણ શિખવાડવું પડે છે”

ઓવૈસી ભાઈ ખ્યાતિના ભૂખ્યા છે કદાચ તેમની નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથે સમજૂતિ છે કે તેઓ આરએસએસવાળા કે બીજેપી વાળા કંઈપણ બોલે એટલે તેને પોતાના ધર્મ સાથે સાંકળી તેનો વિરોધ કરવો કે જેથી મુસલમાનોને સંદેશ જાય કે હે હિન્દુઓ અમે તમારાથી જુદા છીએ અને જુદા જ રહેવા માગીએ છીએ.

આવા નેતાઓ વાસ્તવમાં ઇસ્લામને જ બદનામ કરે છે. આ એ જ ઓવૈસી છે કે જેણે કહેલું કે જો ભારત ઉપર પાકિસ્તાન આક્રમણ કરે તો “હે હિન્દુઓ તમે એમ ન માનશો કે ભારતના મુસલમાનો ભારતના પક્ષમાં રહેશે. ભારતના મુસલમાનો પાકિસ્તાની સૈન્યને જ મદદ કરશે.”

આ ઓવૈસીભાઈને ભારતવાસીઓએ ઇતિહાસ ભણાવવો પડશે કે ઇતિહાસ્ના પાઠ યાદ કરવાવા પડશે કે મધ્ય યુગમાં હિન્દુ રાજાઓના સૈન્યમાં મુસ્લિમ સૈનિકો જ નહીં પણ મુસ્લિમ સરદારો હતા. તેમજ મુસ્લિમ રાજાના સૈન્યમાં હિન્દુ સૈનિકો અને સરદારો હતા. હિન્દુ રાજાના સૈન્ય મુસ્લિમ રાજાના સૈન્ય સાથે લડતા. જે શિવાજી મહારાજને કટ્ટર હિન્દુવાદી રાજા ગણવામાં આવે છે તેમના સૈન્યમાં મુસ્લિમ સેનાપતિઓ હતા. આપણા આ ઓવૈસીભાઈ મુસ્લિમોને ગદ્દારીના પાઠ ભણાવવા માગે છે.

મુસ્લિમો નેતાઓની આ માનસિકતા નહેરુવીયન કોંગ્રેસની છ દશકાના શાસનની નીપજ છે. મુસ્લિમભાઈઓને હિન્દુઓથી જુદા પાડવાની શરુઆત નહેરુ અને ઇન્દિરા ગાંધીએ કરેલી.

નહેરુએ ૧૯૫૪માં ઇસ્કંદર મિર્ઝા ની યુનીયન ફેડરલ ની દરખાસ્તને તુચ્છકાર પૂર્વક ફગાવી દીધેલી. જો નહેરુની માનસિકતા જનતંત્રવાદી હોત તો તેમણે કમસે કમ પ્રધાનમંડળમાં ચર્ચા કરીને ઠરાવ પસાર કરાવી શક્યા હોત. જો કે આ એક બંધારણીય બાબત હતી તેથી તેમણે વ્યાપક ચર્ચા ચલાવી જનમત લેવો જોઇતો હતો. ફેડરલ યુનીયન માટે તે યોગ્ય સમય હતો. ભારત અને પાકિસ્તાનની મૈત્રી માટે યોગ્ય વાતવરણ હતું. કઈ શરતોએ ફેડરલ યુનીયન કરવું તે વિગતનો વિષય હતો. પણ આગળ વધી શકાત. પણ નહેરુએ કહ્યું કે એક લશ્કરી શાસક દ્વારા શાસિત દેશ અને એક લોકશાહી દેશ વચ્ચે ફેડરલ યુનીયન સંભવી ન શકે. જો કે આ એક તકલાદી દલીલ હતી. ગાંધીવાદી વિનોબા ભાવે એ યુનીયન ફેડરલની દરખાસ્તને આવકારી હતી. નહેરુએ સતત કરેલી પાકિસ્તાની શાસકોની ટીકાને કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધ કાયમ માટે બગડી ગયા. તે વખતનું મીડીયા પણ નહેરુથી અભિભૂત હતું એટલે તેણે પણ વૈચારિક ચર્ચા ન ચલાવી.

ઇન્દિરા ગાંધીએ ભારતમાં હિન્દુ મુસલમાનો વચ્ચે પોતાના રાજકીય લાભ માટે હુલ્લડો કરાવ્યા. એટલે ભારતીય મુસ્લિમો પ્રત્યે હિન્દુઓ શંકાની નજરે જોવા માંડ્યા.

અમુક મુસ્લિમ નેતાઓ ઇતિહાસમાંથી કશું શિખવા માગતા નથી. અને હવે તો તેમને ટૂંકી દૃષ્ટિના સમાચાર માધ્યમોનો સહયોગ મળ્યો એટલે દેશ દ્રોહી ઉચ્ચારણોને પણ સ્વતંત્રતાની અભિવ્યક્તિઓની સ્વતંત્રતા સાથે તેઓ જોડે છે.

મીડીયાએ તાત્વિક ચર્ચા અને તે પણ માહિતિ ઉપર આધારિત ચર્ચા કરવી જોઇએ. પણ મીડીયા અણઘડની જેમ (પોતાના એજન્ડાને), અસંબંદ્ધ ચર્ચા ચલાવે છે. કેટાલક કહેવાતા ગાંધીવાદીઓ પણ દુશ્મનનો દુશ્મન મિત્ર (આરએસએસ ને આ કહેવાતા ગાંધીવાદીઓ દુશ્મન ગણે છે એટલે જે આરએસએસની વિરુદ્ધ હોય તે તેમના મિત્ર એટલે કે નહેરુવીયન કોંગ્રેસના અને તેમના સાંસ્કૃતિક સાથી પક્ષો તેમના મિત્ર) એ ગણત્રીએ ટૂંકી દૃષ્ટિ અપનાવી વિતંડાવાદી ચર્ચા કરે છે પછી ગાંધીજી ભલે સ્વર્ગમાં રડ્યા કરે.

એક કટારીયા ભાઈએ મુગલાઈ થી માંડીને વાત કરી કે  “કઈ ભારત માતાની જય હો?”

અરે ભાઈ, આપણું બંધારણ જોઇ લો એમાં કહ્યું છે કે આ ઈન્ડિયા એટલે કે ભારત. આજ સમજવાનું હોય. પણ કટારીયા ભાઈ સીધો અર્થ કરે તો કટારીયા શેના કહેવાય?

જય એટલે શું?

જય એટલે સફળતા. ભારત એટલે ભારતની ભૂમિ તેના માણસો, સજીવ સૃષ્ટિ, પર્વતો નદીઓ તળાવો ખીણો સહિત. વન્દે માતરમ્‌ ના ગીતમાં તેનું વર્ણન છે. તેમાં જે દુર્ગા છે તે પર્વતની ઉપર નિવાસ કરવા વાળી દેવી છે. ભારતીય સંસ્કૃતિના દેવદેવીઓ સર્વવ્યાપી છે. આ એક સાંસ્કૃતિક માન્યતાની પરંપરા છે. હવે આ દુર્ગા ભારતીયોનું રક્ષણ કરે એમાં કોઈને વાંધો ન હોવો જોઇએ. જન્મ ભૂમિ એટલે આખી જન્મ્ભૂમિની સૃષ્ટિ. અને તે બધા ક્ષેત્રોમાં સફળ થાય એવી અભિલાષા “ભારતમાતાની જય હો” માં સેવવામાં આવી છે. પણ કેટાલાક મૂર્ધન્ય અને કટારીયાઓ સંસ્કૃતના શબ્દોના અર્થ સમઇજવામાં અંગુઠા છપ હોય તો ઓવૈસીનો શું વાંક? મૂળ મિયાં ગાંડા અને વળી પાછી ભાંગ પીધી.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

નરેન્દ્ર મોદી એ કહ્યુંઃ પેશાબ કર્યા પછી સાબુથી હાથ જરુર ધોવા જોઇએ.

દિગ્વિજય સિંહઃ મેં તો ક્યારેય ધોયા નથી. આ તો આરએસએસની ચાલ છે. આરએસએસ પોતાની વિચાર ધારા જનતા ઉપર લાદવા માગે છે.

અકબરુદ્દીન ઓવેસીઃ જો મોદીમાં હિમત હોય તો તે હૈદરાબાદ આવીને હાથ ધોઈને બતાવે.

સોનીયાઃ આ સરકાર ગરીબ વિરોધી છે. ગરીબો પાસે સાબુ ક્યાંથી હોય કે તે સાબુથી હાથ ધોઈ શકે. આ સરકારે જનતાને એટલી ગરીબ રાખી છે કે તેઓ સાબુ પણ ન ખરીદી શકે. સરકાર રાજીનામુ આપે. અમે સંસદ ચાલવા નહીં દઈએ.

લાલુઃ મોદી સરમુખત્યાર થઈ ગયો છે. હાથ ધોવા કે ન ધોવા અમારી મરજીની વાત છે. જાઓ અમે હાથ જ નહીં ધોઈએ. શું કરી લેશો?

માયાવતીઃ સાબુથી હાથ ધોવાથી જંતુઓ મરી જાય છે. ઝારખંડમાં આદિવાસી લોકો જંતુઓને દેવતા માને છે. નરેન્દ્ર મોદીની સરકાર મનુવાદી સરકાર છે. અમને હજારો વર્ષથી જંતુઓની જેમ આ મનુવાદીઓ મારતા આવ્યા છે. હવે અમે તેમને છોડીશું નહીં.

સમાચાર માધ્યમના મૂર્ધન્યો, કટારીયાઓ વિશ્લેષકોઃ લઘુશંકા કર્યા પછી હાથ ધોવા શું જરુરી છે? શું આવી ફરજ પાડવી એ લોકતંત્રનું અપમાન નથી? શું આ અસહિષ્ણુતા નથી? સાંજે છ વાગે જુઓ “બડી બહસ” , “આમને સામને”, “પડદાની પાછળનું રહસ્ય” ,,, ચર્ચા નો વિષય પ્રશ્ન “હાથ ઉપર પેશાબ કરવો જ કેમ જોઇએ?”

Go to the site to have the information as to why media is like this. http://wwwDOTindia-forumDOTcom/forums/indexDOTphp?showtopic=2209 Replace DOT by “.”

 

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસ બેઠી છેલ્લે પાટલે ભાગ-૩
રાષ્ટ્રવાદીઓની દૃષ્ટિએ રાષ્ટ્ર-વિરોધની વાત સહન કરવાની એક નિશ્ચિત સીમા છે. આવું જ ધર્મ વિષે કહી શકાય અને આવું જ સરકારના વહીવટ વિષે કહી શકાય.

જો કોઈ માણસ ઉંઘતો હોય તો તેને જગાડી શકાય. પણ જો કોઈ ઉંઘવાનો ઢોંગ કરતો હોય તો તેને તમે જગાડી ન શકો. કારણ કે આ ઢોંગી માણસે નક્કી કર્યું છે કે આપણે ઉઠવાનું નથી. ન ઉઠવા પાછળનો તેનો કોઇ હેતુ કે સ્વાર્થ હોય છે.

આપણે થોડી આડવાત કરી લઈએ.

પાશ્ચાત્ય ઇતિહાસકારોના ભણાવેલ ઇતિહાસ અને મોટાભાગના ભારતીયોએ આંખો બંધ કરીને સ્વિકારેલ તે ઇતિહાસ પ્રમાણે, ભારત ૨૨૦૦ ૨૩૦૦ વર્ષથી ગુલામ છે. જો કે કેટલા વર્ષ સુધી ભારત ગુલામ રહ્યું તે માન્યતા વિષે ભીન્ન ભીન્ન સમય ગાળો સમજવામાં આવે છે.

સિકંદરની સામે (૩૨૭ બીસી), મહમ્મદ બીન કાસીમની સામે (૭૧૨), બાબરની સામે (૧૫૨૬), અંગ્રેજોની સામે ૧૭૫૭, ભારત હારી ગયું. એટલે લગભગ ૨૩૦૦ વર્ષથી ભારત ગુલામ છે. આવો ઇતિહાસ ફક્ત ભારતમાં જ નહીં પણ ભારતની બહારના દેશોમાં પણ ભણાવવામાં આવે છે. આ માન્યતા નરેન્દ્ર મોદીની પણ છે. કારણકે તેઓશ્રી પણ ભારતમાં જ ભણ્યા છે.

કેટલાક શબ્દ એવા છે જેના સમાનાર્થી શબ્દ (ખાસકરીને સંસ્કૃતમાંના શબ્દો)અને સમજણ ભારતની બહારની ભાષાઓમાં નથી. આમાં ધર્મ, ધર્મ નિરપેક્ષ, સંસ્કૃતિ, સંસ્કાર, આતંક, તત્વજ્ઞાન, ઇતિહાસ, ઇશ્વર, કર્મ, અધિકાર, વિકાસ, દેશ, સત્, અસત્, આનંદ, પરતંત્રતા, વિગેરે શબ્દો મુખ્ય છે. પણ પાશ્ચાત્ય વિદ્વાનો આ શબ્દોના અર્થ જે કંઈ સમજ્યા અને આ શબ્દોના જે અર્થો તેમને ગોઠ્યા તે તેમણે કર્યા અને ભારતીય સાક્ષરોએ તેમાં રહેલા વિરોધાભાષોને સમજ્યા વગર અને વિચાર્યા વગર ફક્ત સ્વિકાર્યા નહીં પણ આત્મસાત્ કરી લીધા.

આવું બધું હોવા છતાં પણ “પ્રણાલીગત ધર્મ (પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલ છે તે), એટલે કે હિન્દુ ધર્મ ૨૩૦૦ વર્ષની ગુલામી પછી પણ આપણા દેશમાં જીવતો રહ્યો અને હજી જીવે છે તે પણ ૬૫થી ૮૦ ટકા. આ પૃથ્વી પર ક્યાંય ન બનેલી એક અભૂતપૂર્વ ઘટના છે.

ભારત ઉપરના આક્રમકો આતતાયીઓ હતા. તેઓ લૂટ, અત્યાચાર અને નીતિહીન હતા. પણ જે આક્રમકો ભારતમાં સ્થાયી થયા તે પછી તેઓ કેટલેક અંશે બદલાયા. શક, હુણ, પહલવ તો ભારતીય જ થઈ ગયા. મુસ્લિમોએ પણ ભારતીય પરંપરાઓ મોટા ભાગે સ્વિકારી. શેરશાહ, મોહમદ બેઘડો અને મોટાભાગના મુગલો આનું ઉદાહરણ છે. તેઓએ આ દેશને પોતાનો દેશ માન્યો. જો આવું ન હોત તો બહાદુરશાહ જફર કે જે નામમાત્રનો રાજા હતો તેની નેતાગીરી, ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વિકારાઈ ન હોત. અંગ્રેજો અલગ હતા. તેમણે ભારતીયતા ન સ્વિકારી. એટલે ખરી રાજકીય ગુલામી બહુબહુ તો ૧૮૨૫ થી ચાલુ થઈ જે ૧૯૪૭ સુધી રહી.

ભારતીય સંસ્કૃતિની કે ભારતીય તત્વજ્ઞાનની મથામણ આનંદ પ્રાપ્ત કરવા માટેની છે. જે આનંદ સૌથી વધુ લાંબા ગાળાનો હોય તે

આનંદ કેમ પ્રાપ્ત થાય?

આમાં બે મુખ્ય માન્યતાઓ છે.

શાશ્વત આનંદઃ
શાશ્વત આનંદ એટલે કે મોક્ષ. આ આનંદ આત્માનો જ હોઈ શકે. એક એવી કલ્પના થઈ કે થઈ કે આત્મા એક તત્વ છે અને તે શરીરથી ભીન્ન છે. એટલે જ્યાં સુધી શરીરની સાથે આત્માનું જોડાણ છે ત્યાં સુધી શાશ્વત આનંદ મળશે નહીં કારણ કે શરીરની સાથે દુઃખ તો રહેવાનું જ છે. એટલે એવું ધારો કે શરીરને છોડ્યા પછીના આનંદને

કેવી રીતે પ્રાપ્ત કરવો?

શરીર સાથેનો આનંદઃ

શરીર છોડ્યા પછી શું છે, તે કોઈએ જાણ્યું નથી. માટે શરીરમાં આત્મા હોય ત્યારે પણ આનંદ તો મળવો જ જોઇએ. આ આનંદ ભલે શાશ્વત ન હોય પણ સાપેક્ષે તો સાપેક્ષે પણ આનંદ હોવો તો જોઇએ જ.

વાસ્તવમાં મનુષ્ય જાતિની જ નહીં પણ સજીવ માત્રનું વલણ આનંદ માટેનું હોય છે.

શાશ્વત આનંદ ભલે ગમે તેટલો ઉચ્ચ કક્ષાનો ધારી લીધો હોય પણ શરીર સાથેના આનંદ માટેનું માણસનું વલણ તો રહેવાનું જ. જો કે શાશ્વત આનંદની વાત મનુષ્ય જાતિએ પડતી મુકી નથી.

શારીરિક આનંદની વ્યાખ્યા આપણે “અદ્વૈતની માયાજાળ” અને “નવ્ય સર્વોદયવાદ” માં કરી છે. શરીરનું એકત્વ જાળવી રાખવું અને વિઘટન સામે ઝઝુમવું આ વાત સજીવોમાં સહજ છે.
આપણા હિન્દુધર્મમાં આનંદ મેળવવાની ચાર રીત છે. કર્મદ્વારા, ભક્તિદ્વારા, જ્ઞાન દ્વારા, અને યોગદ્વારા.

કર્મ પ્રત્યેનું વલણ, ભક્તિ પ્રત્યેનું વલણ, જ્ઞાન પ્રત્યેનું વલણ અને યોગ પ્રત્યેનું વલણ સૌનું એક સરખું હોતું નથી. અને આ વલણનું મિશ્રણ બધામાં હોય છે. એકાદું વલણ જે બીજા વલણો ઉપર હામી થતું હોય છે.

પ્રથમ ત્રણ વલણો સામુહિક રીતે પણ થાય અને અંગત રીતે પણ થાય. એક સાથે, કે લય બદ્ધ રીતે લોકો કર્મ કરે, ભક્તિ કરે કે જ્ઞાન મેળવે અને આનંદ મેળવે છે. યોગ એટલે કે શ્વાસની કસરત પણ લોકો સામુહિક રીતે કરે છે. યોગની કસરત શરીરના કોષોને શુદ્ધ કરે છે તેથી કોષો તેમના કાર્યમાં કુશળતા લાવે છે.

કર્મ અને જ્ઞાન એવાં વલણ છે કે જેમાં ફળ (આનંદ) ભવિષ્યમાં મળશે એવી ગોઠવણ સમાજમાં કરવામાં આવી છે.

આનંદ માત્ર શારીરિક છે.

આપણે આનંદને અનેક પ્રકારોમાં વિભાજિત કરીએ છીએ. શારીરિક આનંદ, માનસિક આનંદ અને બૌદ્ધિક આનંદ. આનંદ હમેશા શારીરિક જ હોય છે. મન અને બુદ્ધિ પણ શરીરનો જ હિસ્સો છે. મન અને બુદ્ધિ જુદા નથી. મન એ આપણી પસંદગી તરફનું વલણ હોય છે. બુદ્ધિ એક પ્રક્રિયા છે જે નિર્ણય લેવા પ્રેરે છે. પણ બુદ્ધિનો નિર્ણય હમેશા આપણું મન કબુલ રાખતું નથી. તેવી જ રીતે જે મનને પસંદ પડ્યું તેને જ અનુસરવું તેમ પણ મનુષ્ય હમેશા આચરતો નથી. મનુષ્યનો આચાર મનુષ્યમાં રહેલા રસાયણો ઉપર આધારિત છે. આ રસાયણોનો આધાર સ્મૃતિ, વિચાર, કાર્ય, સામાજિક પરિબળો અને વારસાગત મળેલા વલણોનું મિશ્રણ હોય છે.
હવે આપણે મૂળવાત ઉપર આવીએ.

આનંદ “સ્વ”ની બીજાઓ દ્વારા ઓળખ અને અથવા માન્યતા દ્વારા પણ મળે છે.

“દોડ”ની સ્પર્ધામાં બધાનું ધ્યાન આગળ કોણ છે તેની ઉપર હોય છે. આ “ધ્યાન ખેંચાવા”ની વાત તે વ્યક્તિની ઓળખ અને માન્યતા છે. તેથી દોડવીરને આનંદ આવે છે.

નાટકમાં પ્રેક્ષકોનું ધ્યાન પાત્રો ઉપર હોય છે. આ નાટકના પાત્રની ઓળખ હોય છે.

આગળનું સ્થાન ઓળખ બને છે.

વક્તૃત્વમાં વક્તાની છટા અને તેનું જ્ઞાન તેની ઓળખ અને માન્યતા બને છે.

વ્યક્તિનું ધન, વ્યક્તિનો વંશ અને વ્યક્તિનો હોદ્દો (સત્તા) પણ તેની ઓળખ બને છે.

આવી અનેક વાતો હોય છે.

આધુનિક યુગમાં ધ્યાન આકર્ષવાની રીતો વધી છે.

પશ્ચિમી દેશોમાં (અને હવે ભારત જેવા દેશમાં પણ), નગ્ન થઈ દોડવું, અસંબદ્ધ બોલવું, ચમત્કારિક બોલવું, બીજાને ક્ષોભ જનક સ્થિતિમાં મુકવો આવું બધું કરીને લોકોની નજરમાં આવવું એ એક પ્રણાલી પડી ગઈ છે.

પહેલાંના જમાનામાં જ્ઞાનના તેજ દ્વારા વ્યક્તિની ઓળખ બનતી હતી. હવે એવું છે કે કે પહેલાં પ્રચાર દ્વારા વ્યક્તિને ઓળખ આપો અને પછી વિતંડાવાદ કરી વધુ પ્રચાર કરી તેની ઓળખને માન્ય કરાવો અને તેમ કરવામાં પોતાની પણ એવી જ ઓળખ બનાવો.
સમાજમાં દૃષ્ટિગોચર થતા આવા વલણો બીજી યોગ્ય વ્યક્તિની થતી સુયોગ્ય ઓળખને દબાવી દેવામાં પણ વપરાય છે.

કન્હૈયા, ઉમર ખાલીદ વિગેરે

કન્હૈયા, ઉમર ખાલીદ વિગેરે જેવી નિમ્નસ્તરની વ્યક્તિઓની ખ્યાતિ આ પ્રકારમાં આવે છે. આ બધાને હવે આપણે “અફઝલ-પ્રેમી ગેંગ” તરીકે ઓળખીશું. આ નામાભિધાન તેને ઝી-ટીવીએ આપેલું છે.

અફઝલની વરસીને દિવસે જીન્ના નહેરુ યુનીવર્સીટીના અને તેની બહારના તેના પ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યા. અને સૂત્રોચ્ચાર કર્યો. તેના વિરોધીઓએ તેની વીડીયો ક્લીપ બનાવી. સોસીયલ મીડીયા ઉપર ને ટીવી ચેનલો ઉપર પ્રદર્શિત થઈ. દેશપ્રેમીઓમાં ખળભળાટ થયો. કારણકે તેમાં “કશ્મિર માગે આઝાદી, કેરલ માગે આઝાદી, બંગાળ માગે આઝાદી, પૂર્વોત્તર રાજ્ય માગે આઝાદી, ગોલીસે લેંગે આઝાદી, ભારત તેરે ટૂકડે હોગે, અફઝલ હમ શરમિંદા હૈ, તેરે કાતીલ જીંદા હૈ, હર ઘરસે અફઝલ નિકલેગા, એવા અનેક દેશદ્રોહી સૂત્રો પોકારાયા.

આમ તો ઉપરોક્ત સૂત્રો, માત્ર અને માત્ર સૂત્રો છે. આ સૂત્રો, બોલનારની માનસિકતાનું પ્રદર્શન કરે છે. આ સૂત્રો દેશ પ્રત્યેનો પ્રેમ તો પ્રકટ કરતા નથી જ નથી જ. અફઝલને ભારતના ન્યાય તંત્રે મૃત્યુદંડ બધીજ પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી આપ્યો હતો. તે વખતે નહેરુવીયન કોંગ્રેસની સરકાર હતી. જો સૂત્રોને સરકારની સામેના ગણાવાતા હોય તો જે અફઝલને લગતા સૂત્રો હતા તેતો નહેરુવીયન કોંગ્રેસ સરકારની સામેના હતા એમ ગણાવવું જોઇએ.

સંસદ ઉપર થયેલા આતંકી હુમલામાં અફઝલ સંડોવાયેલો હતો. મોટા ભાગની ન્યાયિક પ્રણાલી નહેરુવીયન કોંગ્રેસની સરકારે પૂરી કરેલ અને સજાની જાહેરાત અને અમલ પણ નહેરુવીયન કોંગ્રેસની સરકારના સમય દરમ્યાન થયેલ. એટલે અગર આ સૂત્રોચ્ચાર અન્વયે કોઈએ જવાબ આપવાનો હોય તો નહેરુવીયન કોંગ્રેસે આપવાનો હતો. પણ સૂત્રો તો દેશ વિરોધી હતા એટલે દેશપ્રેમી જનતા તેને વખોડવા માટે આગળ આવી.

તો બીજેપી-મોદી-ફોબીયા પીડિત ગેંગે શું કર્યું?

તેમણે આ વિવાદને બીજેપી અને નહેરુવીયન કોંગી યુક્ત તેના સાંસ્કૃતિક સાથી વચ્ચેનો ગણાવીને તેને મોળો પાડવાની કોશિસ કરી.

આ નહેરુવીયન કોંગની પ્રણાલીગત જુની પરંપરા છે. તેમને ખબર છે કે તેઓના કબજામાં સમાચાર માધ્યમો છે. સમાચાર માધ્યમો માને છે કે પૈસો મૂખ્ય છે. ચીકન બીર્યાની અને દારુ, નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ જ આપી શકશે. મોદી તો ઘાસપુસ જેવી વેજ વાનગીઓ જ આપશે. કદાચ તે પણ ન આપે.
નહેરુવીયન કોંગ અને તેના સાથીઓને કોઈ વાતનો કશો છોછ હોતો નથી તે પોતાની પત્રકાર પરિષદમાં પૈસાવાળા કવરો પણ આપશે. દેશપ્રેમ અને દેશદ્રોહની વાતો તો બધી ધત્તીંગ છે, કામ ચલાઉ છે. જનતા અભણ છે. જનતાને માથાફોડીની વાતો યાદ રહેતી નથી અને તાર્કિક વાતો પણ માથાફોડીની જ હોય છે. ચૂંટણીના સમયે આપણે દેશપ્રેમના હેડીંગ વાળી અનેક વાતો કરીશું એટલે આપણી આબરુ પાછી આવી જશે. પાંચ ટકા ભણેશરીઓ આગળ આપણી આબરુ જાય તો પણ ક્યાં કશો ફેર પડે છે?

આ ઈન્દિરા ગાંધીએ હજારોને જેલમાં નાખ્યા તો પણ તેના નામે અગણિત યોજનાઓ, બાંધાકામો, સંસ્થાઓ, ઈનામો છે. અરે શું શું નથી તેની વાત કરો? નહેરુએ હિમાલય જેવડી ભૂલો કરી અને લાખો સૈનિકો બેમોત મર્યા, તો પણ નહેરુના નામને ક્યાં કશી આંચ આવી છે.

માટે પૈસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

યસ્યાસ્તિ વિત્તં, સ નરઃ કુલિનઃ સ શ્રુતવાન સ ચ ગુણજ્ઞઃ
સ એવ વક્તા, સ ચ દર્શનીયઃ, સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે

જેની પાસે પૈસા છે, તે કુળવાન છે, તે જ જ્ઞાની છે અને તે જ ગુણોને જાણનારો છે.
તે બોલે તે જ સંભળાય છે, તે જ દર્શન કરવાને યોગ્ય છે. બધા ગુણો સુવર્ણ(સોનું, પૈસા)ના આશ્રયે છે.

01 securedownload

નહેરુવીયન કોંગ્રેસ પાસે તેમના પૈસા અને તેમનો જનતાને બેવકુફ બનાવવાનો અનુભવ છે. સામ્યવાદીઓ પાસે છળ કપટ અને હિંસા છે. પથભ્રષ્ટ મુસલમાનો પાસે આતંકવાદી સંગઠન છે, લાલચુ પત્રકારો અને કટારીયા મૂર્ધન્યો છે. જ્ઞાતિવાદી પક્ષો છે. બધી ગદ્દારીઓ જો ભેગી થઈ જાય તો બીજેપી શી ચીજ છે?

આ લોકોથી દેશને બચાવવાનો ઉપાય શો?

ધારો કે એક સંસ્કૃતિ બુદ્ધિજીવી છે. અને એક સંસ્કૃતિ ભક્તિ માર્ગી (શ્રદ્ધા ઉપર આધાર રાખનારી) છે. કઈ સંસ્કૃતિ લાંબા કાળ સુધી જીવશે?

બુદ્ધિવાદી સંસ્કૃતિ તર્ક ઉપર આધાર રાખતી હોવાથી તે પોતાના જ્ઞાન પ્રાપ્તિના દરવાજા ખૂલ્લા રાખે છે. ભક્તિમાર્ગી સંસ્કૃતિ ફક્ત શ્રદ્ધા ઉપર આધાર રાખતી હોવાથી ચર્ચામાં માનતી નથી.

પણ હવે તમે જુઓ. બુદ્ધિ વ્યક્તિના જ્ઞાન ઉપર આધાર રાખે છે. જ્ઞાન માહિતિ ઉપર આધાર રાખે છે. માહિતિ કાંતો વ્યક્તિને આપવી પડે છે કે કાંતો વ્યક્તિએ પ્રયત્ન પૂર્વક મેળવવી પડે છે. માહિતિ આપનારો ઠગ હોય તો તે બુદ્ધિવાદીઓને યા તો માહિતિ ન આપે યા તો ખોટી માહિતિ પણ આપે. તર્ક શક્તિ એ વિચાર કરવાની વૃત્તિ ઉપર આધાર રાખે છે. આ વૃત્તિ આનુવંશિક હોઈ શકે છે અથવા એ ભૌતિક શાસ્ત્ર ભણવાથી આવે છે.

બુદ્ધિ હોય, માહિતિ હોય, પણ તર્ક શક્તિ ન હોય તો વ્યક્તિ ખોટા નિર્ણયો લે. દાખલા તરીકે પાશ્ચાત્ય ઇતિહાસકારોએ આપણને ખોટો ઇતિહાસ અને ખોટી વ્યાખ્યાઓ ભણાવી. વિરોધાભાષો છૂપાવ્યા. આપણા વિદ્વાનોએ ભારતને આર્યો અને દ્રવિડોની જાતિમાં વિભાજિત કરતી આર્યોના આક્ર્મણ વાળી થીએરી આત્મસાત્ કરી બુદ્ધિજીવીઓ પોતાનાથી ઓછી બુદ્ધિવાળાનો, જો ઓછી બુદ્ધિવાળાઓ પાસે ઓછી માહિતિ હોય તો, તેમનો પરાભવ કરી શકે છે.

જો વ્યક્તિ શ્રદ્ધાના આધારે હોય તો તે તર્કને આધિન થતો નથી. આમ પાશ્ચાત્ય ધર્મગુરુઓએ શ્રદ્ધાવાળો ધર્મ ફેલાવ્યો. પણ તેમણે વિજ્ઞાન અને ધર્મને અલગ રાખ્યા. ધર્મને શ્રદ્ધાનો વિષય બનાવ્યો. એટલે ધર્મની બાબતમાં તર્ક નહીં વાપરવાનો.

વાસ્તવિક રીતે જોઇએ તો સ્વર્ગ, નર્ક, પૂનર્જન્મ અને ઇશ્વરના અવતાર જેવું કશું છે જ નહીં. સારા કામો થી સ્વર્ગ મળે છે અને ખરાબ કામોથી નર્ક મળે છે, એ બધા જુઠ છે.

આત્મા અને શરીર જુદા છે તે પણ એક જુઠ છે. વેદ અને અદ્વૈતની દૃષ્ટિએ પણ આમ જ છે. બ્રહ્માણ્ડ બહુ વિશાળ છે.

હાલની તારીખમાં તે કેવડું છે તે જો પ્રકાશની ગતિના ૯૯.૯૯ ….. ૫૫ નવડા એટલા ટકા થી ગતિ કરીએ તો બ્રહ્માણ્ડના છેડે પહોંચતાં ૫૪ વર્ષ થાય. પણ તે ગતિ કરનારના વર્ષ ગણવાના હોય છે. પૃથ્વી ઉપર તો તે વર્ષ ૧૫ અબજ વર્ષ થી પણ વધુ થાય. આ બ્રહ્માણ્ડ પ્રકાશની ગતિએ (દર સેકંડે એક લાખ છ્યાસી હજાર માઈલ ની ગતિથી) વિકસતુ જ રહે છે.

બ્રમ્હાણ્ડનું ભવિષ્યમાં શું થશે તે કોઈ જાણતું નથી. જો ડાર્ક મેટરનું પ્રમાણ વધુ હશે તો તે અમુક હદે પહોંચ્યા પછી આ બ્રહ્માણ્ડ સંકોચાતું જશે. બ્રહ્માણ્ડની બહાર શું છે તે સમજવા માટે “અવકાશ”ની વ્યાખ્યા સમજવી પડે. સમયની વ્યાખ્યા સમજવી પડે. પદાર્થની વ્યાખ્યા સમજવી પડે. પ્રકાશ એ શું છે તે સમજવું પડે, પરિમાણો શું છે તે સમજવું પડે, (આપણા કહેવાતા સજીવો અને સુક્ષ્મ કણોને સમજવા પડે અને આ સુક્ષ્મ કણો ૨૨+૪ ના પરિમાણોમાં અસ્તિત્વ ધરાવે છે જ્યારે આપણે ચાર પરિમાણોમાંની જ અનુભૂતિ કરી શકીએ છીએ), સજીવની વ્યાખ્યા સમજવી પડે. આ બધું સમજ્યા વગર આપણે સ્વર્ગ, નર્ક, આત્મા, અમરતા, પાપ, પૂણ્ય, ઈશ્વર, અવતાર, પેગમ્બર વિગેરેનું દે ધનાધન કરીએ છીએ તે બેવકુફી માત્ર છે.

આપણે આ બેવકુફીને બેવકુફી તરીકે સ્વિકારવી જોઇએ. આપણા અનંદ માટે આપણે આવું બધું માનીએ ત્યાં સુધી ઠીક છે પણ ઈશ્વરની પૂજા સિવાય ઉદ્ધાર નથી, ઇશ્વર દયાળુ છે અને માટે અવતારો કે પેગંબરોની શરણાગતિ સ્વિકારી લો અને તેમને ત્યાં બુદ્ધિને ગીરો મૂકીને તેમણે બતાવ્યા માર્ગે સ્વર્ગ પ્રાપ્ત કરવા આ દૂનિયામાં જીવો … આ બધું ખોટા ભ્રમમાં જીવવા બરાબર છે.

વિજ્ઞાન જ મનુષ્યને સત્ય તરફ લઈ જાય છે પણ સત્ય સુધી પહોંચી શકાતું નથી અને પહોંચી શકાશે નહીં. કારણ કે આ બ્રહ્માણ્ડ અનિર્વચનીય છે. બ્રહ્માણ્ડના સત્યને પામી શકાશે નહીં. પણ જ્ઞાનની દિશા તો એજ રાખવાની છે. જો તમારું વલણ આ દિશામાં ન હોય તો સમાજે તમને તમારું મનપસંદ કામ સોંપ્યું છે તે કરો. આનંદ કરો.

તમને રીંગણા ભાવે તો રીંગણા ખાવ, બટેકા ભાવે તો બટેકા ખાવ, લાડુ ભાવે તો લાડુ ખાઓ, ગુલાબ જાંબુ ભાવે તો ગુલાબ જાંબુ ખાવ. ઈશ્વરને જે રીતે પૂજવામાં આનંદ આવતો હોય તે રીતે પૂજો. ન પૂજવો હોય તો ન પૂજો. ઈશ્વરને તમારી પૂજામાં રસ નથી.

ઈશ્વર કેવો છે તેની કોઈને ખબર નથી. ઈશ્વર પણ અનીર્વચનીય છે. હિન્દુઓ બ્રહ્માણ્ડને સજીવ માને છે. બ્રહ્માણ્ડ ઈશ્વરનું શરીર છે.

“તેન ત્યક્તે ન ભૂંજિથાઃ, મા ગૃધઃ કસ્યશ્ચિત્ ધનમ્”. આ વિશ્વરુપી ઈશ્વરે જે તમારા માટે છોડ્યું છે તેને (તમારી બુદ્ધિનો ઉપયોગ કરી) ત્યાગ પૂર્વક બધું ભોગવો અને બીજાનું પડાવી લો નહીં. જે સમજી શકાય તેવું છે તે આટલું જ છે. ઈશાવાસ્ય વૃત્તિ કેળવો અને આ પૃથ્વી ઉપર આનંદથી કમ કરતાં કરતાં ૧૦૦ વર્ષ જીવો. પરલોક જેવું કશું છે જ નહીં. જે કંઈ છે તે આ બ્રહ્માણ્ડમાં જ છે. તમે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્યની અનુભૂતિ કરી શકો છો ત્યાં સુધી તેમનું અસ્તિત્વ છે. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા.

સ્વર્ગ અને નર્ક જેવું કશું છે જ નહીં છતાં પણ મૃત્યુ પછીના સુખની કલ્પનાના ઘોડાઓ દોડાવ્યા કરવા એ મૂર્ખતા સિવાય કશું નથી. ઈશ્વર ના ન્યાયના દિવસની કલ્પનાઓ બધી ફરેબી વાતો છે. આજે આવા જ ધર્મો વધુ ફેલાયેલા દેખાય છે. આતંકવાદ ફેલાવવાની માનસિકતામાં આ જ ધર્મો સંડોવાયેલા છે. પ્રાચીન વિકસિત સંસ્કૃતિઓને નષ્ટ કરવામાં અને નર સંહાર કરવામાં આ જ ધર્મો આગળ પડતા છે.

તો શું તર્ક ઉપર આધારિત હિન્દુ ધર્મ નષ્ટ થશે?

ના જી. હિન્દુ ધર્મના ચાર અંગો છે. કર્મ, ભક્તિ, જ્ઞાન અને યોગ. આ બધાનું મિશ્રણ એટલે હિન્દુ ધર્મ. શંકરાચાર્યે અદ્વૈતવાદ જેવા કેવળ તર્ક પર આધારિત વાદનો પ્રચાર કર્યો અને બધા તત્કાલિન ધર્મોને પરાસ્ત કર્યા. શંકરાચાર્યનો અદ્વૈતવાદ, આઈનસ્ટાઇનના સાપેક્ષતાવાદ જેવો છે. તે સમજવાની બધામાં વૃત્તિ અને ક્ષમતા ન હોય. એટલે તેમણે “ભજ ગોવિંદમ”, શિવાષ્ટક, લલિતાસ્તોત્ર જેવા ભક્તિમાર્ગી સ્તોત્ર પણ લખ્યા. તેમણે વાદો વચ્ચે ઘૃણા ન ફેલાવી. એટલે ભારત ઉપર મુસ્લિમોનું આક્રમણ થયું ત્યારે અનેકાનેક ભક્તિમાર્ગી કવિઓ ઉગી નિકળ્યા અને તેમણે હિન્દુ ધર્મની રક્ષા કરી.

એટલે જો તમે સમાચાર માધ્યમો થકી થતા નરેન્દ્ર મોદી, બીજેપી અને દેશ દ્રોહી પ્રચારોમાં ગુંચવાઈ જતા હો તો તમે મોદીના અને દેશના ભક્ત બની જાઓ. જો બુદ્ધિ તમને નહીં બચાવે તો ભક્તિ તમને જરુર બચાવશે. અને દેશ પણ બચશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ, સમાચાર માધ્યમો, કટારીયા, મૂર્ધન્યો, પાશ્ચાત્ય ઇતિહાસકારો, ભારત, ગુલામ, સિકંદર, મહમ્મદ બીન કાસીમ, બાબર, મુગલ, વિરોધાભાષો, આક્રમકો આતતાયીઓ,
શાશ્વત આનંદ, સ્વર્ગ, નર્ક, મોક્ષ, કર્મ, ભક્તિ, જ્ઞાન, યોગ, સ્વની ઓળખ અને માન્યતા, દેશ વિરોધી સૂત્રો, શંકરાચાર્ય, અદ્વૈત, સાપેક્ષતા

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસ બેઠી છેલ્લે પાટલે ભાગ-૨

સંસ્કૃતમાં એક શ્લોક છે.

(૧) પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાંગમુખઃ, ગંગા બ્રૂતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ?

ગંગા કહે છે કે બીજાની સ્ત્રી, બીજાના ધન અને બીજાના દ્વેષ થી અલિપ્ત એવો મનુષ્ય ક્યારે આવીને મને પવિત્ર કરશે? એટલે કે આ ત્રણે ગુણોવાળો મનુષ્ય મારા કરતાં વધુ પવિત્ર છે.

પરદાર

નહેરુવીયન કોંગ્રેસના નેતાનું પરસ્ત્રી તરફ કેવું વલણ રહ્યું છે તે આપણે

એનડી તીવારી,

અભિષેક મનુ સિંઘવી

અને

૧૯૬૯ના નાગપુરના યુવક અધિવેશનમાં વેશ્યાવાડે ઉમટી પડેલા નહેરુવીયન કોંગીના યુવાનોના ઓવરલોડ ટ્રાફિકને કારણે વેશ્યાઓને ભાગી જવું પડેલું તે, તે વખતના સમાચાર પત્રોમાં પ્રકાશિત થયેલ. નહેરુવીયનો ખુદ કેવા છે તેના ઉપર સોસીયલ મીડીયામાં આવે છે અને લખનારા હજી મૂક્ત છે. એટલે પરસ્ત્રીની વાતો જવા દઈએ.

પરદ્રવ્ય

પ્રજાના દ્રવ્યની ભૂખ નહેરુવીયન કોંગ્રેસી માટે કેવી અને કેટલી અપાર છે કે તેમને સાત પેઢી ચાલે એટલું દ્રવ્ય નહીં, પણ ૭૧ પેઢી ચાલે એટલું દ્રવ્ય જોઇતું હોય એવું લાગે છે. કોર્ટમાં કેસ ચાલે છે. અને નહેરુવીયનોને કૉર્ટમાં હાજર રહેવામાંથી મૂક્તિ જોઇએ છે. આની મીડીયા દ્વારા ચર્ચા થતી નથી કે વિશ્લેષણ થતું નથી. એ મીડીયાની બલીહારી છે. નરેન્દ્ર મોદીની વાત અલગ છે. તેને તો નોટિસ મળે તે પહેલાં જ ધારણા બાંધી લેવામાં આવે કે તેણે જવું જ જોઇએ એવી ચર્ચા ચાલુ થઈ જાય અને ગાલીપ્રદાન ચાલુ થઈ જાય.

પરદ્રોહ

બનાવટી “અસહિષ્ણુતા”ની વાત કરનારી આ નહેરુવીયન કોંગ્રેસ પોતે કેટલી અસહિષ્ણુ છે તે આપણે અન્યત્ર જોયું છે. સામેવાળો તમને “કાણો” કહે તે પહેલાં તમે તેને “કાણો” કહી દો એ ઈન્દિરાઈ વલણ આજે પણ નહેરુવીયન કોંગ્રેસના સંસ્ક્રારમાં છે. એટલે “અસહિષ્ણુતા” ની ચર્ચા ચગાવાઈ છે.

(૨) મનુષ્ય કીર્તિ પાછળ દોડે છે પણ કિર્તી ઋષિઓ પાછળ દોડે છે. પણ ઋષિઓને તેની પડી નથી. કીર્તિ આજે પણ કુંવારી છે.

નહેરુવીયનોએ કીર્તિ માટે જે વલખાં માર્યા છે તેનો જોટો દુનિયામાં મળે નહીં. નહેરુના ફરજંદોને ખબર હોવી જોઇએ કે બ્રીટીશ સામ્રાજ્ય એટલું મોટું હતું કે તેના ઉપર સૂરજ ક્યારેય આથમતો નહતો. એટલે તેમણે ઠેક ઠેકાણે બાવલાં મુકાવેલ અને કેટલાય લેન્ડમાર્કને પોતાના નામો આપેલાં. પણ જેમ જેમ રાષ્ટ્રો સ્વતંત્ર થતાં ગયાં તેમ તેમ સ્વતંત્ર રાષ્ટ્રોએ “આ તો ગુલામીના પ્રતિકો છે તેમ કહીને બાવલાઓ ખસેડ્યા અને લેન્ડમાર્કોને નવા નામ આપવા માંડ્યા. પણ નહેરુવીયનોએ આમાંથી કશો બોધપાઠ લીધો નથી. ભારતમાં બાવલાંને તો છોડો, પણ લેન્ડમાર્ક, શેરીઓના નામ, યોજનાઓના નામ, નદીઓ ઉપરના પૂલોના નામ, જંગલોના નામ, બગીચાઓના નામ, મ્યુઝીયમોના નામ, માર્ગો અને મહામાર્ગોના નામ, મકાનોના નામ, સ્પર્ધાઓના નામ, ઈનામોના નામ, ટાઉનશીપોના નામ વિગેરે અનેક નામો, નહેરુવંશીઓના નામે કર્યા છે તે પણ પોતાના ખિસ્સામાંથી એક પાઈ પણ ખર્ચ્યા વગર.

નહેરુવંશીઓ એમ સમજે છે કે તેઓ યાવદ્ ચંદ્ર દિવાકરૌ (જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આકાશમાં છે ત્યાં સુધી) તેમના નામો અમર રહેશે.

નહેરુએ સ્વાતંત્ર્યની લડતમાં જે યોગદાન આપ્યું તેના કરતાં ૧૦૦૦ ગણું વધારે વળતર ભોગવી લીધેલું. તેમના ફરજંદોએ તો કશો ભોગ પણ આપ્યો નથી તો પણ બાપાના નામે ચરી લીધું અને દેશને લૂંટી લીધો. તો પણ તેમનો અમર થવાનો અભરખો ઓછો થયો નહીં.

નહેરુવંશીઓના નામાભિધાનવાળાં લેન્ડમાર્ક, શેરીઓના નામ, યોજનાઓના નામ, નદીઓ ઉપરના પૂલોના નામ, જંગલોના નામ, બગીચાઓના નામ, મ્યુઝીયમોના નામ, માર્ગો અને મહામાર્ગોના નામ, મકાનોના નામ, સ્પર્ધાઓના નામ, ઈનામોના નામ, ટાઉનશીપોની જો સૂચી બનાવીએ તો તે ક્રમ પાંચ આંકડામાં થાય.
આ બધું હોવા છતાં નહેરુવીયન કોંગ્રેસ દુનિયામાં સૌથી બદનામમાં બદનામ પક્ષ છે. મીડીયા તેને છૂપાવવા લાખ પ્રયત્ન કરે પણ પાપ તો છાપરે ચડીને પોકારે જ છે.

નહેરુવીયન કોંગ્રેસના કપાળે અપકીર્તિની ટીલી શા માટે લાગી છે?

પરિશ્રમ અને ત્યાગ વગર તમે જે કંઈ મેળવો તે ટકાઉ બનતું નથી. અફવાઓ ફેલાવવાથી મહાન થવાતું નથી.

દેશે નહેરુવીયનોને શું આપ્યું નથી? એક રાજાનો દેહાંત થાય એટલે તેના પુત્રનો રાજ્યાભિષેક થાય તેવી પ્રણાલી નહેરુવીયન કોંગ્રેસમાં સ્થાપિત છે.

ઈન્દિરાના દેહાંત પછી રાજીવનો આ રીતે રાજ્યાભિષેક થયેલ. રાજીવ ગાંધીએ આ બનાવને સ્વાભાવિક ગણી સ્વિકારી લીધેલ. જો તેનામાં નીતિમત્તા હોત તો તે વખતે જ તેણે અસ્વિકાર કરતાં કહ્યું હોત કે “હે મહાન ભારતને શોભાવતા રાષ્ટ્રપ્રમુખશ્રી, મારા કરતાં મારા પક્ષમાં ઘણા જ્યેષ્ઠ ક્રમે પ્રતિષ્ઠિત, સક્ષમ અનેક મહાનુભાવ વિદ્યમાન છે. તેથી મારો ક્ર્મ લાગતો નથી. આપ કાં તો મારા પક્ષ પ્રમુખની કે મોવડીમંડળની કે પ્રધાન મંડળની સૂચનાની રાહ જુઓ, કે પ્રધાનમંડળના સૌથી વયસ્ક પ્રધાનને આ પદભાર સોંપો કે ગૃહપ્રધાનને આ પદભાર સોંપો કે સંસદની બેઠક બોલાવો.

હું આવા પદભારને સ્વિકારવા જ્યેષ્ઠતા ક્રમમાં આવતો નથી.

પણ આપણા રાજીવજીએ વડા પ્રધાન પદનો સ્વિકાર કર્યો. ભારતીય મીડીયાએ પણ સ્વિકાર કર્યો. એટલું જ નહીં, ભારતીય મીડીયા મૂર્ધન્યોએ તેને મીસ્ટર કલીન ની ઉપાધીથી નવાજ્યા અને તાળીઓ પાડેલ. આ આપણા મહાનદેશના સમાચાર માધ્યમોની કક્ષા છે.

વ્યક્તિ કઈ કક્ષાનો છે તે તૂર્ત જ ખબર પડી જાય છે.

તમે તમારી જાતને નીતિમાન માનતા હો છો. પણ જ્યારે દબાણ આવે ત્યારે તમે તેને વશ થઈ જાઓ તો તમારી કક્ષા જણાઈ આવે છે. નહેરુવીયન કોંગ્રેસે પોતાની અસહિષ્ણુતાને અનુરુપ હજારો નિર્દોષ શિખોની કતલ કરી. આપણા મીસ્ટર ક્લીને કહ્યું કે એક વૃક્ષ પડે તો ધરતી ધ્રુજે જ. ભોપાલ ગેસ દુર્ઘટના થઈ તો તે દુર્ઘટના માટે જવાબદાર એન્ડરસનને આપણા રાજીવભાઈએ સરળ રસ્તો કરી આપ્યો. આપણા મીડીયા મૂર્ધન્યોએ ચર્ચા ન જ કરી.
આ બધું હોવા છતાં આ નહેરુવીયનો ઉપર આપણા દેશે એટલા ઉપકાર કર્યે જ રાખ્યા કર્યે જ રાખ્યા કર્યા છે. પણ તેઓએ સીધી રીતે રાજ જ ન કર્યું.

તેઓ કોણ છે તે અમે જાણતા નથી

(૩) તેઽમી માનવરાક્ષસા પરહિતં સ્વાર્થાય નિઘ્નન્તિ યે, યેતુ ઘ્નન્તિ નિરર્થકં પરહિતં તે કે ન જાનિમહે

“જેઓ પોતાના સ્વાર્થ માટે બીજાનું અહિત કરે છે તેઓ માનવરાક્ષસ છે. પણ જેઓ વ્યર્થ જ બીજાનું અહિત કરે છે તેઓ કોણ છે તે અમે જાણતા નથી.”

જે દેશે આ નહેરુવીયનો ઉપર ઉપકાર જ કર્યા છે અને તે દેશે તેમનું કશું બગાડ્યું તો છે જ નહીં, તો પણ આ નહેરુવીયનોએ દેશ ઉપર અપકાર જ કર્યા છે. ૬૦ વર્ષના આપખુદ શાસન પછી પણ દેશને ગરીબ અને સરકારે ફેંકેલા ટૂકડાઓ ઉપર નભતો જ રાખ્યો. પોતે તો પોતાના ઘર ભર્યા પણ તેમને સંતોષ નથી, તેમને તો યેન કેન પ્રકારેણ સત્તા જોઇએ ભલે દેશ પાયમાલ થાય.
“તો આવા પક્ષને કેવો કહેવો તે અમે જાણતા નથી.”

(૪) પણ આ પૂર્ણ વિરામ નથી.

હાજી. આ નહેરુવીયન કોંગ્રેસ માટે પૂર્ણ વિરામ નથી. આ તો અલ્પ વિરામ છે. આવાં તો બે ત્રણ અલ્પવિરામો આવ્યા છે.

પરિણામો કેવા આવ્યા છે?

ભારતના મૂર્ધન્યોએ વંશવાદ સ્વિકાર્યો. ભારતના મોટાભાગના મૂર્ધન્યોએ અને મીડીયા મૂર્ધન્યોએ “જો જીતા વહ સિંકંદર” એ વાત પણ સ્વિકારી.

આવું થાય, પછી સત્તા લાલચુ નેતાઓ શેના ઝાલ્યા રહે?

વંશવાદ વાળા અનેક પક્ષો ઉત્પન્ન થયા. બીએસપી, આરજેડી, ડીએમકે, એડીએમકે, એનસીપી, શિવસેના, એમએનએસ, ટીએમસી. એલજેપી, કોણ જાણે કેટલાય હશે.

“બાવો નાચ્યો એટલે બાવી નાચી”

કેટલાક સત્તા લાલચુઓને નહેરુવીયન કોંગ્રેસના આચારોથી ખબર પડી ગઈ કે, વચનોથી કે સારાં કામો કરવાથી ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી, “વ્યૂહરચનાઓ”થી જીતાય છે.

સમાજને ધર્મ, જાતિ અને ભાષાવાદથી વિભાજીત કરો. સામાવાળાના મતમાં ગાબડાં પાડો. ભણેલાઓને લાલચુ બનાવો, ગરીબી હટાવવાની બાંગો પુકારો અને અફવા ફેલાવો. “જૈસે થે વાદી રહો” પણ તમે આવા છો તે કોઈને ખબર ન પડવી જોઇએ. “જો જીતા વહ સિકંદર” એ વાત સર્વસ્વિકૃત છે તે ખ્યાલમાં રાખો. મીડીયા મૂર્ધન્યો આપણા જેવા જ “જૈસે થે વાદી” છે કે આપણાથી પણ બદતર છે તે ધ્યાનમાં રાખો.

આ બધા કારણસર જ નહેરુવીયન કોંગ્રેસ હવે ઉઘાડે છોગ દેશદ્રોહીઓ સાથે પંગતમાં બેસી ગઈ. તેના સાંસ્કૃતિક પક્ષો પણ “બાવો નાચ્યો એટલે બાવી નાચી” એ ન્યાયે નહેરુવીયન કોંગ્રેસની પંગતમાં બેસી ગઈ.

નહેરુવીયન કોંગ્રેસની ગદ્દારીના મૂળ ઉંડા છે.

ગદ્દારી એટલે શું? દેશને નબળો પાડવો એટલે ગદ્દારી એવો આપણે અર્થ કરીએ. મારા આ કાર્યથી દેશ નબળો પડશે કે નહીં તે ધારણાનો વિષય છે. પણ કેટલીક વાતો એવી હોય છે કે જે પ્રત્યક્ષ પ્રમાણિત હોય છે.

ભારતમાં જો કોઈ “પાકિસ્તાન જીંદાબાદ” એમ કહે તો તેને ગદ્દાર કહેવો કે નહીં?

જો કે પાકિસ્તાને ભારત ઉપર ત્રણ વખત આક્રમણ કર્યું. ત્રણ યુદ્ધ પછી તેણે આતંકવાદીય સતત પરોક્ષ યુદ્ધ કર્યું. વચ્ચે એક કારગીલનું યુદ્ધ પણ કરી લીધું. આતંકવાદી યુદ્ધ ચાલુ જ છે. આવા દેશ માટે અગર કોઈ “પાકિસ્તાન જીંદાબાદ કહે તો સહજ રીતે જ વિવાદ તો ઉત્પન્ન થાય જ. કદાચ ભારતીય બંધારણીય હિસાબે શંકાનો લાભ અપાય ખરો.

કારણ કે અલ્હાબાદ ઉચ્ચ અદાલતનું ઇન્દિરા ગાંધીના ચૂંટણી કેસને લગતું રુલીંગ એમ હતું કે “જો ઈન્દિરા ગાંધી સોળ વખત જુઠ્ઠું બોલ્યા હોય તો તેથી તેમણે જે સત્તરમું નિવેદન ન્યાયાલય સમક્ષ કર્યું હોય તે આપોઆપ જુઠ્ઠું સાબિત થઈ જતું નથી.

તે રીતે જ “પાકિસ્તાન જીંદાબાદ” જો કોઈ વ્યક્તિ/વ્યુઅક્તિ સમૂહ બોલે અને તે બોલનાર વ્યક્તિના સંબંધ ભારત-વિરોધીઓ સાથે ન હોય તો કોઈ ગુનો બની શકે નહીં. પણ જો આજ વ્યક્તિ/વ્યક્તિ સમૂહ “પાકિસ્તાન જીંદાબાદ” ની સાથે સાથે “ભારત તેરે ટૂકડે હોગે” તો તે માટે વધુ સાબિતીની જરુરત રહેતી નથી.

સામ્યવાદીઓની વાત છોડો. સામ્યવાદીઓ તો “ગૉન કેસ” છે.

પણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ “સૂત્રોચ્ચારની વિગતોનો હવાલો આપ્યા વગર જ” અધ્ધર અધ્ધર કહે છે કે સૂત્રોચ્ચાર કરવાથી દેશદ્રોહ સાબિત થતો નથી. તેઓ વળી એમ કહે છે કે એ સૂત્રોચ્ચાર તો દેશની સરકાર વિરુદ્ધ હતા.

“ભારત તેરે ટૂકડે હોગે” તેને શું સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કહી શકાશે?

આખો દેશ જાણે છે કે કેવા સૂત્રોચ્ચાર થયા હતા. પણ મીડીયા મૂર્ધન્યો પણ સૂત્રોચ્ચારોની વિગતોનો હવાલો આપ્યા વગર તર્કહીન વિતંડાવાદ કરે છે.

આટલી ગદારી કરવાની હિંમત આ લોકોમાં આવી કેવીરીતે?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના કેટલાક સાંસ્કૃતિક પક્ષોને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ છે તેવો તો એક કમિટિનો રીપોર્ટ છે જ.

ખાલિસ્તાન ચળવળમાં નહેરુવીયન કોંગ્રેસ ભાગીદાર હતી. તે આતંકવાદી ચળવળમાં ફેરવાઈ ગઈ તેની નહેરુવીયન કોંગ્રેસને ખબર હતી જ. “લાલો લાભ વગર ન લોટે” એ ન્યાયે આ સંબંધ ચાલુ રહ્યો. તેનું પરિણામ નહેરુવીયન કોંગ્રેસે ભોગવ્યું. પણ તે ચળવળ સીમાપારથી ચાલતી હતી અને અફઘાનીસ્તાનમાં ચાલતી બે આતંકી જુથોના ફાજલ પડેલ આતંકીઓએ ભારતમાં તેમનું નેટવર્ક ૧૯૮૮ સુધીમાં વિસ્તાર્યું. તેને પરિણામે ભારતના કાશ્મિરમાં અલગાવ વાદીઓને બળ મળ્યું અને કાશ્મિરમાં ૩૦૦૦+ હિન્દુઓની કતલ થઈ અને ૫૦૦૦૦૦+ હિન્દુઓને કાશ્મિરમાંથી ખદેડ્યા.

આમાં ભારતના વર્તમાન પત્રો, તેના કટારીયા મૂર્ધન્યો, ટીવી ચેનલો અને તેના મૂર્ધન્યો મૂંગા રહ્યા. અંધકાર પટ જ છવાયેલો રહ્યો. કાશ્મિરના કોંગી અને સાથી પક્ષો જેઓ અવારનાવર પોતાના બાપાઓના ભોગની અને ત્યાગની વાતો કરનારા જેવા કે ફારુખ અને કેન્દ્રના કોંગી નેતાઓ, લગાતાર દશકાઓ સુધી મૌન રહ્યા. આ વાત બહુ લાંબી છે અને અન્યત્ર કરેલી છે.

“કાશ્મિરી હિન્દુઓને કાશ્મિરમાંથી ભગાડવાનું કામ આરએસએસની યોજના પ્રમાણે હતું.” થરુર ઉવાચ

પણ હવે તમે જુઓ આપણા નહેરુવીયન કોંગ્રેસી નેતા, શશીથરુર પાકિસ્તાનની એક ચેનલના વાર્તાલાપમાં એક પાકિસ્તાની ચર્ચાકારને કહે છે કે “હા તમારી વાત સાચી છે કે કાશ્મિરી હિન્દુઓને કાશ્મિરમાંથી ભગાડવાનું કામ આરએસએસની યોજના પ્રમાણે હતું.”
દાઉદની સાથે કોંગીઓનો અને એનસીપીઓનો ઘનીષ્ઠ સંબંધ છે. તેની વાત અન્યત્ર કરાયેલી છે. દાઉદ મુંબઈમાં બોંમ્બબ્લાસ્ટ કરી પાકિસ્તાન સરળતાથી ભાગી શક્યો.

શું મુંબઈના બોમ્બબ્લાસ્ટની યોજના વિષે ભારતનું જાસૂસી ખાતું સદંતર અંધારામાં હતું?

ના જી. પણ દાઉદની પોલિસ ખાતામાં અને સરકારમાં સાંઠગાંઠ હતી. જો દાઉદને પકડ્યો હોત અને ન જવા દીધો હોત તો દાઉદના રહસ્યોદ્ઘાટન નિવેદનો રુપી બોંમ્બથી કોંગી અને એનસીપી ખતમ થઈ જાત અને કેટલાય પોલીસ અધિકારીઓ જેલના સળીયા ગણતા હોત.

દાઉદના પાકિસ્તાન ભાગી જવાથી કુલડીમાં ગોળ ભંગાયો.

દાઉદ જ નહીં પણ દાઉદના પાકિસ્તાન જવાથી નહેરુવીયન કોંગ્રેસ અને એનસીપી બંને ખુશ થયા એટલું જ નહીં પણ તેમને ફાયદો થવા માંડ્યોં. દાઉદનું નેટવર્ક બૃહદ મુંબઈમાં કેવું છે તે અજાણ્યું નથી. ટીવી ચેનલ ઉપર તેની વીડીયોક્લીપ આવેલી છે. આજના ઈન્ટરનેટ યુગમાં કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈપણ ભાગ ઉપરથી જ તેનું નેટવર્ક હોય તો તે ચલાવી શકે છે. કોંગી અને તેના સાથી પક્ષને દાઉદને પકડવામાં રસ જ ન હતો. કોંગીએ તો રેડકોર્નર નોટીસ પણ ઈસ્યુ કરાવી ન હતી. એનડીએ દ્વારા જ, ૧૯૯૯-૨૦૦૪ દરમ્યાન જ ૨૦ આતંકવાદીઓનું લીસ્ટ પાકિસ્તાનને સોંપવામાં આવેલ.

ઈસરત જહાં

જો મરે તો

ઈસરત જહાંનો કેસ વિષે વિગતો ઝી ટીવી ન્યુઝ, દુરદર્શન અને સુદર્શન ચેનલ પર આવે છે. બીજી ચેનલો કાંતો મૂંગી છે અથવા બભમ બભમ બોલે છે. વર્તમાન પત્રોના મીડીયા મૂર્ધન્યોનો કોઈ શોર બકોર નથી. જો ન જાણતા હો તો યુટ્યુબ (UPA’s-conspiracy to kill Narendra Modi exposed) ઉપર અથવા મારા ફેસબુક પેજ Shirish Dave ની ટાઈમ લાઈન પર જુઓ.

અક્ષર ધામ પર આતંકવાદી હુમલો, પાર્લામેન્ટ પર હુમલો અને મુંબઈ અને અન્ય જગ્યાઓ ઉપર બોમ્બ બ્લાસ્ટ આ બધું શું સતત યુદ્ધ ન કહેવાય? કશ્મિરી હિન્દુઓને પોતાના દેશમાં દશકાઓ સુધી યાતનાઓ ભરી જીંદગી આપવી એ પણ યુદ્ધ જ કહેવાય. હવે તમે જુઓ, થરુરે અને પાકિસ્તાને કાશ્મિરમાં હિન્દુઓની કત્લેઆમ થાય અને તેઓ નિર્વાસિત થાય તે આરએસએસની યોજના પ્રમાણે થયું હતું એમ કહ્યું છે.

“મુંબઈ બ્લાસ્ટસ આર એસ એસ નું કાવત્રું” કોંગી પુસ્તક વિમોચન કાર્યક્રમ

મુંબઈબ્લાસ્ટ ના હુમલા માટે એક કોંગી નેતાએ “મુંબઈ બ્લાસ્ટ” એ આરએસએસનું સુનિયોજિત કાવત્રુ હતું તે સાબિત કરતું પુસ્તક લખીને તૈયાર રાખેલું. આ પુસ્તકનું વિમોચન કોંગી (નહેરુવીયન કોંગ્રેસ)ના સર્વોચ્ચ નેતા ધામધૂમથી કરવાના હતા. નહેરુવીયન કોંગ્રેસના કમનસીબે અજમલ કસાબ જીવતો પકડાઈ ગયો અને પાકિસ્તાનની સંડોવણી પકડાઈ ગઈ અને નહેરુવીયન કોંગ્રેસની યોજના ધૂળમાં મળી ગઈ. આ વાત આ બ્લોગલેખકની શોધ નથી. ભારતની “રૉ”ના ભૂતપૂર્વ અધિકારી અને નિવૃત્ત સુરક્ષા સલાહકારે આ વાત ઉઘાડે છોગ કરી છે. તેમની આ વાત નહેરુવીન કોંગીના પેઈડ સમાચાર માધ્યમો નહીં પ્રસારે. તેઓએ અનેક સમાચારો છૂપાવ્યા છે તેમ આ પણ છૂપાવશે જ.

મોદી મરવો જોઇએ

બિહારમાં પટનામાં ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદીને ખતમ કરવાનું એક બોમ્બ બ્લાસ્ટનું કાવત્રું આઈએસઆઈ અને કોંગી અને સાંસ્કૃતિક સાથીઓ દ્વારા રચાયું હતું. ઉપરોક્ત નિવૃત્ત સુરક્ષા સલાહકારે તે ગાંધી મેદાનની આગાઉને દિવસે રાત્રે મુલાકાત લીધેલી. તેમને કોઈએ અટકાવેલા ન હતા. તેમના કહેવા પ્રમાણે મેદાનના વર્તુળમાં ક્લોકવાઈસ બોમ્બ રોપવામાં આવ્યા હતા. એક સ્યુસાઈડ બોમ્બર સભા વખતે નરેન્દ્ર મોદીને ભેટવાનો હતો. અને નરેન્દ્ર મોદી ખતમ થવાના હતા. પણ આ સ્યુસાઈડ બોંબરનો બોમ્બ ધાર્યા કરતાં વહેલો ફૂટી ગયો. બીજા બધા બોંબ સમય પ્રમાણે જ ફૂટ્યા. વર્તુળ ઉપર ફૂટેલા બોમ્બ ફટાકડા તરીકે ખપાવવામાં આવેલ. ભગવાન જ જાણે આની તપાસ કેટલે પહોંચી.

કોંગી મંત્રી પાકિસ્તાન ચેનલને કહે છે કે “અબ તો આપકો હી મોદીકો હટાના પડેગા તભી પાકિસ્તાન ઔર ભારતકે રીસ્તે સુધરેંગે.”

વિદેશી શબ્દોના ધતિંગ

સેક્યુલરીઝમ, કોમ્યુનીઝમ, સોસીયાલીઝમ, લેફ્ટીસ્ટ, રાઈટીસ્ટ, સેન્ટર ટુ લેફ્ટ, સેન્ટર ટુ રાઈટ, આર્યન ઈન્વેઝન … આ બધા આયાતી શબ્દો છે. તે બધા અર્થહીન છે. આર્યન ઇન્વેઝન એ દેશને તોડવા માટેની અને ભારતીયોને નીચા દેખાડવાની ચાલ છે. બાકીના શબ્દો આજના ગ્લોબલ વીલેજમાં બેવકુફી અને અજ્ઞાનથી ભરેલા છે.

અરે ભાઈ તમારી પાસે એક કામ છે. મેનેજમેન્ટના સિદ્ધાંત પ્રમાણે તે પ્રોજેક્ટને કેવી રીતે પૂરો કરશો કે જેથી બીજાને નુકશાન ન થાય. વાત પૂરી.

આમાં કોમ્યુનીઝમ ક્યાં આવ્યો કે સમાજવાદ ક્યાં આવ્યો?

જો કોમ્યુનીસ્ટોની સમાજવાદની વ્યાખ્યા તેમના આચારો હોય તો પશ્ચિમ બંગાળને જ જોઇ લો.

જો તેઓ જનતંત્રમાં માનતા હોય તો કેરાલામાં કેટલા આર એસએસ ના ખૂન કર્યા તેને જોઈલો.

જો નહેરુવીયન કોંગીનો સમાજવાદ તમારે જોવો હોય તો તેના નેતાઓ કેટલા પૈસાદાર છે તે જોઈ લો.

નહેરુવીયન કોંગીના છ દશકાના શાસન પછી, ભારતના ૭૫ ટકા કુટૂંબોની આવક રૂ. ૫૦૦૦/- થી ઓછી છે તે તમને સમાજવાદની વ્યાખ્યા શિખવાડે છે.

નહેરુવીયન કોંગ્રેસની લોકશાહી પ્રત્યેનો અભિગમ જોવો હોય તો કટોકટી યાદ કરો.

નહેરુવીયન કોંગ્રેસની સહિષ્ણુતા જોવી હોય તો તેમનો વંશવાદ જોઈ લો.

નહેરુવીયન કોંગ્રેસની અસહિષ્ણુતા જોવી હોય તો તેમના કોઈ નેતાને કહો કે “ભાઈ એકવાર તો તમે કોઈપણ એક નહેરુવીયન વંશજ વિષે થોડું ઘસાતું બોલોને યાર! અમારે જોવું છે તમારું શું થાય છે.”

જે દેશદ્રોહી છે તે કહેશે “તમે જુદા, તેઓ જુદા, તમે આમ કરો છો, તેઓ આમ કરે છે, તમારા બાપદાદાઓ ઉપર તેઓએ આમ કરેલું અને તેમ કરેલું, વિગેરે વિગેરે જેવી અલગતાની વાત કરશે.”

દેશ પ્રેમી સમાનતાની વાતો કરશે. પુરાણોમાં ભારત વર્ષ આવું હતું. હજીપણ આ સારીવાત ચાલે છે. સંસ્કૃતભાષા ભારતમાં સર્વત્ર છે. અહીં સાડીનું ચલણ દેશવ્યાપી છે. આપણી લિપિ અક્ષર લિપિ છે. આપણે સૌ કોઈ હાથ જોડીને માન આપીએ છીએ.”

વસુધૈવ કુટૂંબકમ્

અયં નિજઃ (તત્) પરઃ વેત્તિ, ગણના લઘુચેતસાં, ઉદાર ચરિતાનાં તુ વસુધૈવ કુટૂંબકમ્

આ આપણો છે, (પેલો) જુદો છે આવા લોકો(ને) નિમ્ન માનસિકતા વાળામાં ગણાય છે. જેઓ વિશાળ મનવાળા છે તેમને માટે તો સમગ્ર ધરતી એક કુટૂંબ સમાન છે.

નહેરુવીયન કોંગ્રેસમાં રહેલી કોમવાદી અને જાતિવાદી માનસિકતાનો ચેપ, તેના સાંસ્કૃતિક સાથીઓને લાગી ગયો છે. કેટલાક “તથા કથિત સુજ્ઞ લોકો” પોતાનો ઉલ્લુ સીધો કરવા દેશને વિભાજિત કરી રહ્યા છે. આ બધાથી સાવધાન.

નહેરુવીયન કોંગ્રેસ, સામ્યવાદીઓ અને કેટલાક મીડીયા મૂર્ધન્યોનો એજન્ડા એવો છે કે સંસદ ચાલે જ નહીં, નરેન્દ્ર મોદી કામ જ ન કરી શકે, ખોટા અને બનાવટી વિવાદો ઉભા કરવા, જાતિવાદને ઉશ્કેરવો, મુસ્લિમ ભાઈઓના અમુક વર્ગને ઉશ્કેરવો, તેમના નેતાઓ પાસે થી ધિક્કાર ફેલાવતા નિવેદનો કરાવવા, એટલે પ્રતિકાર રુપે હિન્દુ ધાર્મિક નેતા પણ કંઈક કહેશે, તેના નિવેદનને આપણે ઘોર અને ઘાતક ગણાવીને તેમની બદબોઈ કરીશું, અને અંતે ગૃહ યુદ્ધ થાય એવું વાતાવરણ ઉભું કરીશું.

પછી આપણે કહીશું કે જુઓ નરેન્દ્ર મોદીના રાજમાં કેવી અશાંતિ અને અસહિષ્ણુતા છે. અમે હતા ત્યારે કેવી શાંતિ હતી.

મુસ્લિમ ભાઈઓ ઉપર બોજો છે.

જે મુસ્લિમભાઈઓ સમજુ છે તેઓ બધું જાણે છે કે નરેન્દ્ર મોદી “સૌનો સાથ સૌનો વિકાસ” પ્રમાણે વર્તે છે. આવા મુસ્લિમ ભાઈઓ ૨૫ ટકા હશે.

૫૦ ટકા મુસ્લિમ ભાઈઓ કન્ફ્યુઝ છે. તેઓ બંને બાજુ નમી શકે છે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને સામ્યવાદીઓનું કામ તેમને ઉશ્કેરવાનું છે. મુસ્લિમ આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતી ઉત્પન્ન કરાવી તેમના મત ખેચવાનું કામ તેઓ કરી શકે છે.

બાકીના ૨૫ ટકા મુસ્લિમભાઈઓ કમીટેડ છે. પણ તેમાં સક્રીય તો ભાગ્યે જ કોઈ હશે. નહેરુવીયન કોંગ્રેસ તેમને ઉશ્કેરી ને આતંકવાદ તરફી વાતાવરણ ઉભું કરી શકે છે. જે એન યુ માં તેમણે આજ કામ કર્યું છે. આવા જ કામ તેઓ કેરાલા, તામિલનાડુ, અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કરી શકે છે.

જે મુસ્લિમભાઈઓ સમજુ છે તેઓ જાણે છે કે નરેન્દ્ર મોદી “સૌન સાથ સૌનો વિકાસ” પ્રમાણે વર્તે છે. આવા ૨૫ ટકા મુસ્લિમ ભાઈઓએ હિન્દુઓના હક્કોની સુરક્ષા માટે સક્રીય થઈ આગળ આવવું પડશે. જો તેઓ હિન્દુઓના હક્ક અને હિન્દુઓની ઉપર થતા અન્યાયો માટે કાશ્મિર, કેરાલા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં સક્રીય રીતે આગળ આવશે અને અકબરુદ્દીન જેવાઓ સામે બાંયો ચડાવશે તો (આરએસએસ સહિતના) હિન્દુઓ તેમની કડવાશ ભુલી જશે. ભારતીય સંસ્કૃતિ એક કૃતજ્ઞ સંસ્કૃતિ છે. હિન્દુઓ તો પશુઓના ઉપકાર પણ ભૂલતા નથી અને તેમનો પણ આદર કરે છે.

શિરીષ મોહનલાલ દવે

 

 

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસ બેઠી છેલ્લે પાટલે

નેહરુવીયન કોંગ્રેસ એકલી જ શું કામ તે તેના સાંસ્કૃતિક સાથીઓ સાથે છેલ્લે પાટલે બેઠી છે.

12 image007પણ આ “છેલ્લે પાટલે” શું?

જો તમને લાગે કે તમે સુરક્ષિત છો તો તમે ફાવે તેમ કરી શકો. રશિયાએ ૧૯૪૨માં બીજા વિશ્વયુદ્ધ વખતે મૂડીવાદી દેશો સાથે જોડાણ કર્યું એટલે તેને મૂડીવાદી દેશો તરફથી આક્રમણ નહીં હોવાની સુરક્ષા મળી ગઈ. એટલે ભારતના સામ્યવાદીઓ મહાત્મા ગાંધીની ચળવળના વિરોધી થઈ ગયા અને તેઓ ગાંધીજીના બ્રીટીશ સરકાર સામેની અસહકારની ચળવળના પણ વિરોધી થઈ ગયા. આ સામ્યવાદીઓએ જુના વિશેષણોને કામચલાઉ કોરણે મૂકી નવા ગાલીપ્રદાન વિશેષણો થી મહાત્મા ગાંધીને નવાજવા માંડ્યા. આપણે તેમને પાંચમા કતારીયા તરીકે ઓળખ્યા હતા.

આવું જ તેમણે ૧૯૬૨માં ભારત ઉપર થયેલા ચીની આક્ર્મણ વખતે કર્યું હતું. સામ્યવાદીઓ અહિંસામાં અને સાધન શુદ્ધિમાં માનતા નથી અને અત્યારે તેઓ નબળા પડી ગયા છે એટલે તેમને વગોવવામાં બહુ સમયનો વ્યય ન કરીએ.

દુઃખ એક વાતનું છે. એક પક્ષ જે સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં અગ્રણી મનાતો હતો, તે કોંગ્રેસ પક્ષ હતો તેની ધરોહરનો લાભ આજે આજનો નહેરુવીયન કોંગ્રેસ પક્ષ લેવા માગે છે અને કેટલેક અંશે લેતો પણ રહે છે, તે હવે છેલ્લે પાટલે બેઠો છે.

હાલ જે વિવાદ ચગ્યો છે તે “જે.એન.યુ. માં (જીન્ના નહેરુ યુનીવર્સીટીમાં) થયેલા દેશ વિરોધી સુત્રોચ્ચારોને લગતો છે.

વધુ એકવાર “જે. એન. યુ. માં (જીન્ના નહેરુ યુનીવર્સીટીમાં) પોકારાયેલા સૂત્રો તરફ નજર નાખી લો જેથી સુજ્ઞ જનોને તકલીફ ન થાય.

“કિતને અફજ઼લ મારોગે હર ઘરસે અફજ઼લ નિકલેગા,

તુમ કિતને મકબૂલ મારોગે, હર ઘરસે મકબૂલ નિકલેગા,

ભારતકી બરબાદી તક જંગ રહેગી જંગ રહેગી,

કશ્મિરકી આજ઼ાદી તક જંગ રહેગી જંગ રહેગી,

કેરલકી આજ઼ાદી તક જંગ રહેગી જંગ રહેગી,

પાકિસ્તાન જિંદાબાદ, જિંદાબાદ,

અફજ઼લ હમ શરમિંદા હૈ, તેરે કાતિલ જીંદા હૈ,

અફજ઼લ હમ તુમ્હારે અરમાનોંકો, મંજ઼િલ તક પહુંચાયેંગે,

ભારત તેરે ટૂકડે હોગે, ઇન્શાહ અલ્લાહ ઇન્શાહ અલ્લાહ,

અફજ઼્લ હમ શરમિંદા હૈ તેરે કાતિલ જીન્દા હૈ,

આજ઼ાદી આયેગી આયેગી, અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર,

હમ માંગે આજ઼ાદી, કેરલ માંગે આજ઼ાદી, કશ્મિર માંગે આજ઼ાદી,

નાગા લૈન્ડ માંગેં આજ઼ાદી, મણીપુર માંગે આજ઼ાદી,”

જે સૂત્રો બોલાયેલા હતા તેમાં આ સૂત્રો હતા.

નહેરુવીયન ફરજંદ કહે છે કે બીજેપી ““જે.એન.યુ. માં (જીન્ના નહેરુ યુનીવર્સીટીમાં)”ના વિદ્યાર્થીઓની બોલવાની આઝાદીને દબાવી દે છે. કેજરીવાલ પણ કંઈક આવું જ કહે છે. કેજરીવાલે એક જાંચ કમિટી (તપાસ સમિતિ) પણ બેસાડી છે. આ જાંચ કમિટી વીડીયો ટેપની ખરાઈની તપાસ કરશે. કોંગી નેતાઓ શરુઆતમાં એમ કહેતા હતા કે તપાસ કરો પણ બીજેપી રાહે તપાસ નહીં. પણ બીજેપી રાહ એટલે શું અને અ-બીજેપી રાહ એટલે શું તે બાબત ઉપર ફોડ પાડવું જરુરી ન માન્યું. સૂત્રોચ્ચારના મુદ્દાને મોળો કરી દેવાની આ એક ચાલ હતી અને માનસિકતા હતી.

પહેલાં તો “મસ્જીદમાં ગર્યો તો જ કોણ” થી શરુઆત કરો એટલે વીડીયો ક્લીપ જ બનાવટી છે તેનાથી શરુઆત કરો. અને જો કદાચ આમાં સફળ ન થવાય તો ફીલોસોફીકલી સામાન્યીકરણના તારતમ્ય બતાવો.

જેમકે

કોંગીના સાંસ્કૃતિક સાથીઓ કહે છે કે સૂત્રો પોકારવાથી કોઈ ગુનો બનતો નથી. એટલે કે સૂત્રો તો ગમે તે પોકારાય. તેથી કંઈ ગુનેગાર ઠેરવી ન શકાય.

યાદ કરોઃ જીન્નાએ ૧૯૪૬-૪૭ સૂત્ર આપેલ “ડારરેક્ટ એક્સન”. આ “ડાયરેક્ટ એક્સન“ સૂત્રનો અર્થ એટલે “ખૂનરેજી” એવો જ હતો. આની અસર પણ એવી જ થઈ. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓના માનવા પ્રમાણે “ખૂન ખરાબા” થાય ત્યારે જ ઉપરના સૂત્રોને “પાશ્ચાત્ય દિનાંક”થી (બેક ડેટથી) લાગુ પાડી શકાય.

જો પોતાને ફાયદો થતો હોય તો દેશને ભલે નુકશાન થાય

આ પ્રણાલી નહેરુવીયન કોંગ્રેસ બરાબર નિભાવે છે. સમાજવાદ અને સામ્યવાદીઓને એક ગોત્રના સમજવામાં આવે છે. કેટલાકની માન્યતા પ્રમાણે તે એક જ છે. આ સામ્યવાદીઓને અને નહેરુને વૈચારિક રીતે ઘનિષ્ઠ સંબંધ હતો. કદાચ આચારમાં પણ હોઈ શકે.

નહેરુએ ગાંધીજીના સાંનિધ્યમાં લોકશાહીના હિરા ચાવેલા (બણગાં બહુ ફૂંકેલા) એટલે તેઓશ્રી સામ્યવાદી આપખુદાઈના કોલસા ચાવી શકે તેમ ન હતું. પણ તેમના મનમાં તો આપખુદી પ્રચૂર માત્રામાં હશે જ. તેમની સાથે પડછાયાની જેમ સાથે રહેનારી તેમની જ પૂત્રી, તેમને ખૂબ નજીકથી ઓળખનારી હતી. તેમની પાસેથી જ રાજકારણના પાઠ શિખનારીએ ૧૯૭૫માં કટોકટી લાદી અને કટોકટી દરમ્યાન શું કર્યું તે આપણે સુપેરે જાણીએ છીએ.

આપણા કટાર લેખક શ્રી કાન્તિભાઈ ભટ્ટને ઇન્દિરાનો “હેવા” છે. અને તેઓશ્રી તેણીનો બચાવ કરેછે. તેઓશ્રીના કહેવા પ્રમાણે કટોકટી લાદીને ઇન્દિરા ગાંધી ખુશ ન હતી. તે ઘણી અસ્વસ્થ રહેતી હતી. (આનો અર્થ આપણે તેનો પસ્તાવો ગણવાનો છે.) તેથી ચૂંટણી વખતે તેણે ઘરે ઘરે જઈને માફી માગેલ. (માટે બધું માફ માફ).

“વાહ કાન્તિભાઈનો શું સુંદર બચાવ છે.” ૬૬૦૦૦+ લોકોને તેમના વાંકના અસ્તિત્વ વગર અને કેસ ચલાવ્યા વગર જેલમાં બંધક બનાવ્યા, ૬૬૦૦૦+ કુટૂંબોના જનજીવનને યાતનામય કરી દીધું, એ બધું એક કહેવાતી માફી થી પતાવી દીધું. અરે ભાઈ તમે એક વ્યક્તિને પણ ગોંધી રાખો તો પણ તમને દશવર્ષની જેલની સજા થાય. અને કાંતિભાઈ તો અહીં “હાથ જોડી માફી” (જંગલમેં મોર નાચા કિસીને ન દેખા) માગી એટલે બધું માફ માફ. વાહ કાન્તિભાઈનું પત્રકારિત્વ!!

ટૂંકમાં નહેરુવીયન સમાજવાદ અને કોમ્યુનીસ્ટોના સામ્યવાદ વચ્ચે સત્તાલાલસાની માનસિકતા સમાન છે. ચીનના અને રશિયાના સામ્યવાદીઓ તેમના દેશના ઉદ્ધાર માટે શુદ્ધ નિયતવાળા ખરા, અને આ વાતનો નહેરુવીયનોમાં સદંતર અભાવ.

ભારતના સામ્યવાદીઓ વિષે મહાત્મા ગાંધીએ શું કહ્યું હતું તે જરા જાણી લેવા જેવું છે.

“સામ્યવાદીને એક ધંધો હાથમાં આવી ગયો છે. સામ્યવાદ તો ભાગ્યે જ હજારે એક માણસ પાળતો હશે. જ્યાં ત્યાંથી કજીયા ટંટા શોધી કાઢી લોકોમા ઉશ્કેરાટ ફેલાવવો, હડતાળો પડાવવી, એ એમને માટે પરમ ધર્મ અને પરમ સેવા કરી મનાય છે. પણ એ હડતાલ ઉશ્કેરાટથી નુકશાન કોને છે તે એ જોતા નથી. અધુરુજ્ઞાન એ ખરાબમાં ખરાબ ચીજ છે. કાંતો પૂરું જ્ઞાન અથવા તદ્દન અભણ સારું. …. પોતાને અમુકવાદી સમજવામાં કહેવડાવવામાં મગરુબી સમજે છે. તેઓ રશિયામાંથી જ્ઞાન અને સૂચનાઓ મેળવે છે. આ એક દયાજનક સ્થિતિ છે. દયાજનક એટલામાટે કહું છું કે મારે મન તેઓ બિચારા છે. …. અંગ્રેજો અંદરોઅંદર વિગ્રહ નો વારસો મૂકી ગયા છે તેને આવા કાચા “વાદી”ઓ ફૂંક મારી મારીને ચેતાવે છે. અંતે તે આગ તેમના કાબુમાં રહેતી નથી. …” ૨૫-૧૦-૧૯૪૭ નવી દિલ્હી. “દિલ્હીમાં ગાંધીજી ભાગ-૨.”

મુસલમાનો વિષે ગાંધીજી શું કહે છે? જાણો અને જણાવો.

“હજુ મારી પાસે ફરીયાદો આવે છે કે મુસલમાન ભાઈઓ પાસે પુષ્કળ હથિયારો છે. અને બીજી તૈયારી છે. તમારે (મુસ્લિમ નેતાઓએ) આ બધું શોધવું જોઇએ. જેઓની પાસે છે તેમને સમજાવીને, સરકારને સોંપવા જોઇએ. આ કામ રાષ્ટ્રીય મુસલમાનો જ કરી શકશે. ગુજરાતીમાં એક સરસ કહેવત છે. “મારું મારા બાપનું.તારું મારું સહિયારું. આ કહેવત જેવું જો મુસલમાનો કરશે તો હું તમને કહું છું કે હિન્દુસ્તાનમાં એકપણ મુસલમાન નહીં રહેવા પામે. પણ મુસ્લિમ ધર્મ નાબુદ થઈ જશે. ….” બિરલા હાઉસ નવી દિલ્હી ૨૧-૧૦-૧૯૪૭ “દિલ્હીમાં ગાંધીજી ભાગ-૨.”

દલિત નેતા આંબેડકર સામ્યવાદીઓ અને મુસ્લિમનેતાઓ વિષે શું માનતા હતા તે જે.એન.યુ. ના પ્રોફેસર શ્રી બેનર્જીએ સારી રીતે કહ્યું છે અને તે યુ-ટ્યુબ ઉપર તેમજ ઝી-ટીવી ની વીડીયો ઉપર ઉપલબ્ધ છે. એટલે ક્ન્હૈયાલાલે જનતાને ભ્રમમમાં નાખવાથી બચતા રહેવું જોઇએ. કન્હૈયાલાલ નહેરુવીયનોની જેમ અફવાઓ ફેલાવવાનું કામ કરે છે.

આ કન્હૈયાલાલ કોણ છે? નહેરુવીયન કોંગીના સાંસ્કૃતિક સાથી કહે છે તે ગરીબ છે. રુપીયા ૩૦૦૦/- માં તેનું કુટૂંબ ચાલે છે. એટલે તેને બધો પરવાનો છે એવું નહેરુવીયન સાંસ્કૃતિક સાથીઓ માને છે.

પ્રશ્નો ઘણા ઉત્પન્ન થાય છે. ૨૯ વર્ષે કોઈપણ યુવાન કામ ધંધે લાગી જાય. ગરીબ તો વહેલો કામધંધે લાગી જાય. બહુ બહુ તો કમાતા કમાતા ભણે. આ ભાઈ શું કરે છે? ગોરખધંધા કે ખાઈપીને ખેરસલ્લા? તેના પિતાશ્રીની માસિક કમાણી રુપીયા ૩૦૦૦/- છે. આ આંકડા વિષે પણ અનેક પ્રશ્ન ઉભા થાય છે. પણ તે વાત જવા દઈએ તો આ ભાઈને હિરોગીરી કરવા સિવાય કંઈ કામ લાગતું નથી. ઉચ્ચ ન્યાયાલયે તેમને સશર્ત જામીન આપ્યા પણ તેતો ન્યાયાધીશે પોતાના આત્માની તૂષ્ટિ માટે આપ્યા હોય તેવો તેનો અર્થ કરવામાં આવ્યો છે.

સમાચાર માધ્યમના કેટલાક મૂર્ધન્યો નહેરુવીયનના ઈશારે કામ કરતા હોય તેવું લાગે છે. જો આમ ન હોય તો તેમની માનસિક પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે.

આ પથભ્રષ્ટ મૂર્ધન્યો આ સૂત્રોચ્ચારવાળા બનાવને અને તે પછીના પ્રત્યાઘાતોને “બીજેપી અને બીજેપી-વિરોધી વચ્ચેનો વિખવાદ” એ રીતે ઓળખાવવા માગે છે. વાસ્તવમાં આ વિખવાદ દેશ દ્રોહીઓ અને દેશપ્રેમીઓ વચ્ચેનો છે. બીજેપી આમાં કૂદી પડનારો એક સમૂહ છે. અનેક અને અગણિત લોકો છે જેઓ આ દેશવિરોધી સૂત્રોચ્ચારને દેશદ્રોહી જ ગણે છે અને તે રીતે જ પ્રતિભાવ આપે છે. બીજેપી કે આર એસએસનું લેબલ લગાવી દેવું એ નહેરુવીયન કોંગ્રેસીઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની ફેશન છે.

આપણા દિવ્યભાસ્કરના તંત્રીશ્રીએ પણ આ પથભ્રષ્ટ જુથમાં પોતાનું નામ હોંશે હોંશે ક્યારનુંય નોંધાવ્યું છે. પ્રકાશભાઈ શાહ, પ્રકાશભાઈ કોઠારી, ચેતન ભગત અને કેટલાક અનામતીયા પાટીદારો (દુશ્મનનો દુશ્મન મિત્ર, ભલે પછી એ દેશદ્રોહી જ કેમ ન હોય એ ન્યાયે) સૌ સાથી બની ગયા છે. કોઈને મુદ્દાની વાત કે તર્કની વાત કરવી નથી પણ સૂત્રોચારની ક્રીડામાં રહેલી દેશવિરોધી ગંધને “ઑડો-નીલ” કે પોતે માની લીધેલા પોતાના વિતંડાવાદ રુપી તર્કને “અત્તર” મનાવી લેવાનો પ્રયત્ન કરે છે. આ તેમનો એક વ્યંઢ પ્રયત્ન છે. સુજ્ઞ જનતા તેમને ઓળખી ગઈ છે અને સામાન્ય જનતા પણ તેમને ઓળખી જશે એ દિવસ દૂર નથી.

જવાનો અને જવાનોની શહિદી એ શસ્ત્ર કે ઢાલ

ભારતીય સંવિધાનના માળખામાં રહી આપણા સર્વોચ્ચ ન્યાયાલયે અમુક પકડાયેલા ત્રાસવાદીઓને સાંભળવાની પૂરતી તક આપીને લાંબા ગાળે સજા કરી. આ એવા આતંકવાદી હતા જેઓ દેશની વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી દેવાના પ્રચૂર પ્રયત્નો કરતા હતા. આમાં કેટલાક ઘૂસણખોરો પણ હતા. આ આતંકવાદીઓ સાથે આપણા લશ્કરના જવાનોને મૂઠભેડ થાય છે. ઘણા જવાનો તેમાં શહિદ થાય છે. હવે આ જવાન શહિદોને અને સુરક્ષામાં કાર્યરત જવાનોને દેશપ્રેમી જનતા યાદ કરે તે આપણા પથભ્રષ્ટ મીડીયા મૂર્ધન્યને પસંદ પડતું નથી. એક બાજુ પાકિસ્તાની આતંકવાદીઓ આપણા દેશમાં ઘૂસણખોરી કરે છે, બીજીબાજુ આપણા જ દેશના અમુક લોકો તેને આશરો આપે અને મદદ કરે છે. દેખીતી રીતે જ આવા કૃત્યો દેશવિરોધી કહેવાય. ભારતની ઉચ્ચ અદાલતે પણ આ જાતના કૃત્યોને દેશના સુરક્ષા જવાનોનું અપમાન ગણાવ્યું છે. પણ ડીબી કહે છે કે બીજેપીએ હવે આપણા જવાનોને અને તેમની શહિદીને પોતાની ઢાલ બનાવી છે.

વાસ્તવમાં આ વિવાદ બીજેપીનો છે જ નહીં. આ વિવાદ દેશપ્રેમીઓ અને દેશ વિરોધીઓ વચ્ચેનો છે. દેશ પ્રેમીઓને ઢાલની જરુરત છે જ નહીં. ઢાલ તો આવા પથભ્રષ્ટ મીડીયા મૂર્ધન્યો બન્યા છે અને તે પણ દેશદ્રોહીઓની ઢાલ. આ એક શરમ જનક વાસ્તવિકતા છે.         

મીડીયા મૂર્ધન્યોને પથભ્રષ્ટ કહેવાથી દેશપ્રેમીઓને સંતોષ ન જ થાય. આ મીડીયા મૂર્ધન્યો એટલા બેવકુફ નથી કે દેશવિરોધી સૂત્રો પોકારનારાઓના બચાવમાં અને તેમની સૂત્રો પોકારવાની સ્વતંત્રતાના માટે ખાલી ખાલી જ ઉમટી પડે.

ભારત માટે આ એક અસ્વાભાવિક ઘટના છે. ભારત સિવાયના બીજા જનતંત્રવાદી દેશમાં પણ ત્યાંના મીડીયા મૂર્ધન્યો દેશદ્રોહીઓના બચાવમાં ઉતરી આવવાની હિમત ન કરી શકે. પણ ભારતમાં કે જ્યાં જે કાયર મીડીયાએ કટોકટીને મૌન રહીને આવકારી હતી ત્યાં મીડીયા દેશદ્રોહીઓની પડખે ઉભુ રહ્યું છે અને તે પણ બોલવાની આઝાદીને નામે.

જો તમે તમારી બોલવાની આઝાદીનો ઉપયોગ દેશ માટે કરો તો તેને તમારી આઝાદી નહીં પણ તમારી અસહિષ્ણુતા તરીકે ખપાવવામાં આવે છે અને તમને વગોવવામાં આવે છે અને તે પણ આ જ મીડીયા મૂર્ધન્યો દ્વારા.

અંદરખાને શું રંધાઈ રહ્યું છે?

આ એક વિશાળ વ્યુહ રચનાનો એક હિસ્સો લાગે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, છેલ્લે પાટલે, મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, સૂત્રોચ્ચાર, આઝાદી, અસહકારની ચળવળ, ગાલીપ્રદાન, પાંચમા કતારીયા, ચીની આક્રમણ, મૂક્તિસેના, સાધન શુદ્દિ, અહિંસા, જે.એન.યુ., જીન્ના નહેરુ યુનીવર્સીટી, ભારતકી બરબાદી, ભારત તેરે ટૂકડે હોગે, મસ્જિદમાં ગર્યો’તો જ કોણ, દેશપ્રેમી અને દેશવિરોધી, ડાયરેક્ટ એક્શન, પથભ્રષ્ટ મીડીયા મૂર્ધન્યો

 

Read Full Post »

जे.एन.यु. जीन्ना नहेरु युनीवर्सीटी, मार दिया जाय, न कि, छोड दिया जाय. पार्ट – ५
यह सिर्फ कन्हैयालालने ही नहीं पूरे गद्दार और दंभी मीडीयाने सरकारको खूला आहवाहन किया है कि हम खुलं खुल्ला गदारी करेंगे आप चाहे वह कर लो. हम देखना चाहते हैं कि आप क्या कर सकते हैं?

 

भारतमां हम शर्मिन्दा तेरे पर

कन्हैया लालको उच्चन्यायालयने सशर्त जमानत पर छे मासकी अवधितक रिहा किया है. उसने बाहर आकर अपना गद्दारीका एजन्डा लागु कर दिया है. न्यायालयकी शर्तोंका मजाक बना दिया है.

कन्हैयाने जी.एन.यु. में (जीन्ना नहेरु युनीवर्सीटीमें) जाके सभाएं करने लगा. उसने बोला की देशविरोधी नारे उसने नहीं लगाये थे. उसने तो केवल गरीबी भ्रष्टाचार आदि से आज़ादीकी बात कही है.

इसी लेखश्रेणीमें हमने देखा है कि इस कन्हैयाका हेतुस्पष्ट था कि देशविरोधी ह्वा बनायी जाय. इसी लिये उसने कश्मिरसे और देशस्थ कई स्थानोंसे गद्दारोंको आयोजन पुरस्सर आमंत्रित किया और उनसे देशविरोधी नारे बुलवायें. वह खुद उसका मजा ले रहा दिखाई देता है. यदि इस कन्हैयाका एजन्डा देश विरोधी नारा बुलाना न होता तो वह देशविरोधी नारे लगते देखकर अवश्य चकित हो जाता और उन गदारोंको या तो पीटता या रोकता. किन्तु उसने ऐसा कुछ किया नहीं क्योंकि वह उन लोंगोंका समर्थन करता था. देशविरोधी नारे लगते हो और कोई देशप्रेमी उसको रोके नहीं ऐसा “न भूतो न भविष्यति”. इस बातकी चर्चा हमने विस्तारसे की है. उसका पुनरावर्तन नहीं करेंगे.

किन्तु मीडीयाके मूर्धन्योंका क्या किया जाय?

ये लोग कन्हैयासे भी अधिक अपराधी है.
मीडीया मूर्धन्य कैसे अपराधी है?

जिन्होंने दिनांक ३, एप्रील २०१६को झी-टीवीमे “डी.एन.ए” देखा है उनको पूर्णरुपसे अनुभूति हो जाती है कि ख्यातनाम टीवी चेनलोंने प्रमुख अखबारोंमेंसे कुछ अखबारोंने कैसे इस कन्हैयाकी जमानत पर की गयी मूक्तिको किस प्रकारसे कवरेज दिया है?

उच्चन्यायालयने जिन शर्तोंपर जमानत दी है उन शर्तोंके उपर या तो वे चूप रहें या तो अंदरके पन्नोंपर छोटे अक्षरोंमें उसका सीमित विवरण दिया.

कन्हैयाको जमानत पर मूक्त (सीमित समयके लिये) किया उसको मानो आरोपोंसे मूक्त किया इस प्रकारसे कवरेज दीया.

कन्हैयाने जी.एन.यु. में जाके सभाएं की और उसके निवेदनोंको वह निर्दोष था ऐसा सिद्ध हुआ है वैसा मान लिया,
कन्हैयाके मित्रों द्वारा उसका स्वागत किया गया ऐसा कवरेज भी दिखायी देता है,
अपना बेटा कैसे निर्दोष है इस प्रकारसे कन्हैयाके मातापिताको कवरेज देके एक इमोशनल हवा पैदा करनेका भरपूर प्रयास किया गया.

विश्वविद्यालय कोई सियासत करनेका अड्डा नहीं है इस बातकी संपूर्णतः उपेक्षा की गयी.
अफज़ल-प्रेमी गेंगोंके महारथीयोंने शैक्षणिक दृष्टिसे निवेदनोंकी श्रेणी प्रसारित की और इस समाचार माध्यमोंने उनको भरपूर कवरेज दिया.

देशद्रोहकी परिभाषा पर अनेक प्रश्नचिन्ह लग सकते है.

दिव्यभास्करने और क्या किया?

दिव्य भास्करने राजदीपका लेख प्रकट किया है. इसका हम विष्लेषण करेंगे.

उनके अनेक कटारीया महानुभाव है. जैसे कि चेतन भगत, राजदीप सरदेसाई और विद्युत जोशी.
इन महाशयोंने भी दंभी शिक्षणविदकी तरह अपनी तथाकथित विद्वत्ताका अपने लेखसे परिचय करवाया.
चेतन भगतभाईका तो हमने इस श्रेणीमें पूर्वलेखमें देख लिया है. विद्युतभाई अभी समाजवाद और मूडीवादमें उलझे हुए है.

डीबीने राजदीप सरदेसाईको क्या कहेना है उसको यदि प्रकाशित न करें तो देशप्रेमीयोंके पूर्वपक्षको जिसको कवरेज देना समाचार माध्यमका एजंडा ही नहीं किन्तु धर्म भी है ऐसा मानके उसका लेख भी प्रकाशित किया है. इससे भी आपको इस प्रकाशनकी मानसिकताका पता चल जाता है.

राजदीपने क्या किया?

राजदीपने लिखा कि “मैं राष्ट्रद्रोही हूँ क्यों कि भारतीय संविधानके अनुच्छेद १९में दिये गयी मुज़े बोलने कि आज़ादीकी व्यापक परिभाषामें विश्वास है.” इसका अर्थ यह हुआ कि बोलनेकी आज़ादीकी व्यापक परिभाषामें जे. एन. यु. के छात्र, जिन्होंने नारे लागाये और मैनें उनकी इस आज़ादीका समर्थन किया इस कारण यदि मुज़े राष्ट्रद्रोही माना जाता है तो मुज़े राष्ट्रद्रोही होना मंजूर है. इसका निष्कर्श यह हुआ कि आज़ादीकी व्यापक परिभाषामें आप कश्मिरको भारतसे अलग कर सकते हो, आप केरलको भारतसे अलग कर सकते हो, आप पश्चिम बंगालको भारतसे अलग कर सकते हो, आप पूर्वोत्तर राज्योंको भारतसे अलग कर सकते हो, आप तमिलनाडुको भारतसे अलग कर सकते हो, आप भारतके टूकडे टूकडे कर सकने वाले नारे लगा सकते हो, तल्वारकी नोंक पर ये सब कर सकते हो और भारतकी संसद पर हमला करके भारतके संविधानका मजाक बनानेवालेको कह सकते हो कि तुम्हे सज़ा देनेवाले जिन्दा है उसके लिये हम शर्मींदा है. अब हम घर घर जाके हर घरमें अफज़ल पैदा करने वाले है. ये सब नारे आज़ादीकी व्यापक परिभाषामें आते हैं. और चूँकि हम व्यापक आज़ादी चाहते है हम सिर्फ नारे लगानेमें ही मानते है. संवादमें नहीं. संवादका हमारे पास कोई स्थान नहीं है. हम संवादमें मानते नहीं है क्यों कि हम ये सब तल्वारकी नोंक पर लेंगे.

आगे चलकर ये कहा जाता है कि, आज़ादीकी मांग और आतंकीके प्रति सहानुभूति रखनेवाले युवा वर्ग को क्या देशद्रोही कह सकते है? उनका हेतु तो केवल सरकारकी टीका करनेका है. (क्या सरकारकी टीका करनेकी आज़ादी

आप छीन लेना चाहते हैं?) क्या इनको हमें राज्यद्रोही समज़ना चाहिये?

ये महाशय “तर्क” और “तर्कसे शुद्ध” इन दोनोंमें क्या भेद है वह समते नहीं है.
चलो इनको समज़ावें

देशद्रोही = दे + श + द्रो + ही

“दे” इज़ नोट ईक्वल टु देशद्रोही
“श” इज़ नोट ईक्वल टु देशद्रोही
“द्रो” इज़ नोट ईक्वल टु देशद्रोही
“ही” इज़ नोट ईक्वल टु देशद्रोही

धेट इज़ व्हाय दे + श + द्रो + ही इज़ नोट ईक्वल टु देशद्रोही

“देशद्रोही” इज़ नोट ईक्वल टु “देशद्रोही’

आज़ादी क्या है?

आज़ादी मतदाताओंके प्रतिनिधियों द्वारा सूचित संविधानके अनुसार चलनेवाली व्यवस्था है.
कश्मिरकी या कोई अन्य राज्य यदि वे आज़ादी मांगे तो उसकी तुलना भारतकी युकेसे आज़ादीकी लडाई के साथ नहीं हो सकती.

ब्रीटनकी पार्लामेन्टमें भारतका सप्रमाण प्रतिनिधित्व था? नहीं जी.
ब्रीटनका और भारत समकक्ष माने जाते थे? नहीं जी,
ब्रीटनका प्रधानमंत्री भारतसे बन सकता था? नहीं जी,
ब्रीटन अपनी विदेश नीति और व्यापार नीति भारतकी जनताके अभिप्रायसे निश्चित होती थी? नहीं जी.
ब्रीटन और भारतको समान कानून लागू होते थे? नहीं जी.
ब्रीटनका अपना मनमानी शासन था.

अब जो महानुभाव आज़ादीके नारोंकी आज़ादीकी बात करते है और वह भी एक शिक्षणसंस्थामें, उनका तर्क क्या शुद्ध माना जा सकता है? कदापि नहीं.

कश्मिर कहां परतंत्र है? भारतके अन्य राज्योंकी तुलना में कश्मिरको उतना ही हक्क है या कहो कि कुछ ज्यादा ही हक्क है. वैसा ही मामला अन्य राज्योंका है. इसमें कौनसी आज़ादी चाहिये? आज़ादी तो है ही. यदि कोई कानून कमजोर है तो यह बताओ कि कौनसा कानून कमजोर है? आप इसका पूर्वलेख बनाओ और सरकारको प्रस्तूत करो और जनतामें उसकी चर्चा करो. अन्ना हजारेने जन लोकपाल बीलके बारेमें ऐसा ही तो किया था!!

यह राजदीप महाशय नथुरामकी गांधीकी हत्याकी तुलना अफज़ल की फांसीसे करते है. अभी देखो उनका यह

उदाहरण कितना ठगविद्यासे भरपूर उदाहरण है.

नथुराम गोडसे आरएसएसका सभ्य भी नहीं था. न तो आरएसएसने ऐसा कोई अधिकार पत्र दिया था कि नथुराम गोडसे गांधीको मारे. न तो आरएसएसने ऐसा ठराव पास किया था कि गांधीजीको मारा जाय. नरेन्द्र मोदी जो खूद आर एस एस वादी है वह गांधीजीका लगातार आदर करता है. यदि कुछ बात करना है तो आरएसएसके गणमान्य नेताकी बात करो. एक असंबंद्ध आदमी नथुरामको क्यों बीचमें घसीट लाते हो?

आतंकवादीयोंका तो भारतके विरुद्ध एजन्डा है

एलएटी और अन्य आतंकवादी संस्थाओंका एजन्डा है कि भारतको तोड दें और उसको इस्लामिक देश बना दें. अफज़ल उसका सदस्य था उसका उससे अनुसंधान था. कन्हैयाका अनुसंधान भी उससे है जो उसके नारोंसे सिद्ध होता है चाहे उसने खूदने लगाये हो या नहो किन्तु उसकी सहमति थी. इसके उपरांत कन्हैयाका अनुसंधान कोम्युनीस्ट पार्टीसे है जो साम्यवादी पक्षके कार्यकर्ता लोगने चीनके भारतके उपर आक्रमण के समय “मूक्ति सेना”का स्वागत किया करते थे. इसका अर्थ यह ही हुआ कि ये लोग अहिंसा वादी तो है ही नहीं. ये लोग लोकतंत्रीय प्रणालीयोंमें विश्वास करते ही नहीं है. ये लोग मानवता वादी भी नहीं है. कश्मिरमें ३०००+ हिन्दुओंका कत्लेआम हुआ तब इनके बापाओंके कानोंमें जू तक नहीं रेंगती थी. ५०००००+ कश्मिरी हिन्दुओंको बेघर किया और उनको २५ सालके बाद आज तक बेघर रक्खा तब उनको, इन हिन्दुओंकी आज़ादीकी बातें याद नहीं आती है. तो ये लोग किसकी आज़ादीकी बातें करते हैं? इनको पहेले चाहिये कि वे कश्मिरी, पाकिस्तानी और बंग्लादेशी हिन्दुओंके कुदरती अधिकारोंकी बात करें. इनको लडाई तो पाकिस्तान और बंग्लादेशमें जाके लडनी चाहिये.
किन्तु ये लोग कायर है. यहां वे नारे लगा सकते हैं क्यों कि हिन्दु सहिष्णु है. आवश्यकतासे कुछ अधिक मात्रामें ही सहिष्णु है.

इस राजदीप महाशय को “ओसामा वध” के बारेमें क्या कहना है? जिनसे हमने जनतंत्रके पाठ शिखे (ऐसा यही मानसिकता से गुलाम लोग मानते है) वैसे पश्चिमी देशोंमें यदि “अफज़ल हम शर्मिन्दा है तेरे कातिल जिन्दा है” ऐसा बोलनेवालोंका क्या हाल होता है? इस बातसे राजदीपको शर्मिन्दा होना चाहिये?

बुद्धिभ्रष्ट लोगोंकी समस्याका उपायः

देशको किसीभी तरहसे चाहे वह प्रत्यक्ष रुपसे या परोक्ष रुपसे विभाजित करनेके लिये प्रेरित करनेवाले प्रत्येक नारेको या नारोंके समूहको देश विरोधी ही घोषित करना चाहिये,
इससे जातिवादी वृत्तियों वाले और सांप्रदायिक वृत्तियों वाले अपने आप देशद्रोहीयोंकी व्याख्यामें आ जायेंगे.
स्वयंकी जातिके लिये आरक्षण मांगनेवालोंको दंडित होना पडेगा.
आज कई समाचार माध्यमवाले जातिवादको उत्तेजित करते है और उसको परोक्ष रीतसे बढावा देते हैं. आज ही दिव्यभास्करने बेधडक एक पाटीदारकी तथा-कथित स्युसाईड नोट जिसमें एक मालदार पाटीदारने अनामतके सपोर्टमें आत्महत्या की है ऐसा बताया है. पैसेवाला पाटीदार वैसे भी सर्वोच्च न्यायालयके अर्थघटनके अनुसार अनामतका हक्कदार नहीं बनता यदि वह दलित होता तो भी नहीं बन सकता, तो भी दिव्यभास्करने बिना झीझक कोई भी प्रश्नचिन्ह लगाये बिना लिखा है कि “एक और पाटीदार” अनामतके लिये शहिद बना. इसके पहेले एक पैसेवाले मालदार पाटीदारने अपनी स्युसाईड नोटमें अपनी मोटरकार पाटीदार आंदोलनकारीयोंको डोनेट की थी. अब सोचो कारवाले और मालदार पाटीदार क्या अनामतके लिये आत्महत्या करेंगे? दालमें अनिवार्यरुपसे कुछ काला है.
ये समाचार माध्यमवाले या तो बेवकुफ है या तो ठग और विघातक एजंडावाले है. इन दोनोंमेसे एक तो वे है ही. इस बातको तो अनपढ भी समज़ सकता है.

प्रत्येक देशप्रेमीको इस देशके टूकडे करनेकी प्रच्छन्न और अप्रच्छन्न कामना रखनेवालोंसे सावधान रहेना पडेगा. ये लोग जैसे थे वादी है और वे बीजेपी सरकार द्वारा चलायी गई भ्रष्टाचार नष्ट करनेकी मोहिमसे त्रस्त है. यह बात स्वयं सिद्ध है और आप देख रहे हैं कि कौन लोग सक्रीय है.

शिरीष मोहनलाल दवे

टेग्ज़ः कन्हैया, जीना नहेरु युनीवर्सीटी, जे.एन.यु., आज़ादी, व्यापक परिभाषा, राजदीप, कटारीया, महानुभाव, समाचार माध्यम, झी टीवी, नथुराम, गांधीजी, कश्मिरी हिन्दु, आतंकवादी, मुस्लिम

Read Full Post »

%d bloggers like this: