Feeds:
Posts
Comments

Archive for December, 2017

કહેવાતું ગાંધીવાદી મુખ પત્ર કયે માર્ગે?

આધ્યાત્મ, લોક નીતિ, લોક વિજ્ઞાન, લોક આંદોલન, પર્યાવરણ જાગૃતિ, માનવ અધિકાર, વૈશ્વિક પ્રવાહોનું આકલન અને અહિંસક સમાજના સર્જનની દિશાઓ ખોજતું પાક્ષિક એટલે ભૂમિપુત્ર. બધાંનું સંક્ષિપ્ત એટલે ભૂદાનમૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર એટલે ભૂમિપુત્ર.

SELF CERFIED GANDHIAN

બધી પરિભાષાભૂમિપુત્રેતેના પ્રથમ પાના ઉપર લખી છે.

ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા શી?

વિશ્વ કેવીરીતે વર્તે છે, વિશ્વમાં પ્રવર્તનમાન પરિબળો ક્યા છે અને તે પરિબળોના નિયમો શું છે બધું સમજવા માટેના પ્રયત્નો સેંકડો કે હજારો વર્ષોથી સુજ્ઞજનો કરતા આવ્યા છે. આલ્બર્ટ આઈનસ્ટાઈનને સ્ફુરેલુ કે વિશ્વ ઘણા બધા સંકિર્ણ પદાર્થોનું અને ઘણા બધા બળ (કે ક્ષેત્રોનું) બનેલું હોઈ શકે. આઈન્સ્ટાઈ એક એવા સમીકરણની ખોજમાં રહેલ કે જે દ્વારા બધા બળોને (ક્ષેત્રોને) સાંકળી શકાય. માન્યતાનેયુનીફાઈડ થીએરી ઓફ ફીલ્ડનામ આપેલ. માટેનું સમીકરણ તો રામાનુજમે ઓગણીસમી સદીના અંતની આસપાસ શોધી કાઢેલ પણ કોઈના ખ્યાલમાં આવેલ. વીસમી સદીના અંતમાં સ્ટીફન હોકીંગના ખ્યાલમાં વાત આવી. જો કે વાત બહુ લાંબી છે. આપણે તેની ચર્ચા નહીં કરીએ.

આપણને વિશ્વને સમજવામાં સરળતા રહે એટલે આપણે વિશ્વને સમજવાના ક્ષેત્રોનુ વિભાગીકરણ કર્યું. ભૌતિકશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. પૃથ્વી ઉપરના સજીવો એટલે કે માણસો, બીજા પ્રાણીઓ, વનસ્પતિઓ અને પૃથ્વી સાથેના તેમના સંબંધોને સુખમય બનાવવા માટેનું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. આમાં વળી પેટાવિભાગો પડ્યા જે વિભાગોની રેખાઓ ક્યાંથી શરુથાય છે અને ક્યાં પૂરી થાય છે તે કોઈને ખબર નથી.

ગાંધીજીએ આને સમજવા માટે એક સ્વસ્થ સમાજ કેવીરીતે સ્થાપવો કે જેથી સૌ કોઈ સુખી રહી શકે. જેમ ભૌતિક શાસ્ત્રમાં સાપેક્ષવાદ છે. તેમ સમાજશાસ્ત્રમાં અહિંસક સમાજ છે. જો ટૂંકમાં સમજવું હોય તો સર્વોદયનો ખ્યાલ અહિંસક સમાજની રચના માટેનો છે.

જેમ ભૌતિકશાસ્ત્રમાં પરિબળોના એકમો સાપેક્ષ હોય છે અને તેની દીશા હોય છે. તેમ સમાજશાસ્ત્રમાં અહિંસા પણ સાપેક્ષ છે. અને તમારા કદમ કઈ દીશામાં છે તે સમજવું જરુરી હોય છે. શાસ્ત્ર સમજવા માટે તર્કશાસ્ત્ર સમજવું જરુરી છે.

ગાંધી ટાઈમસર જન્મ્યા. નહીંતર તેમની રેવડી દાણાદાર થાત. અત્યારે તો પ્રમાણપત્રધારીઓને દંડવત પ્રણામ કરવાનો જમાનો છે જો કે તમે નહેરુવીયન હો તો તમને પણ પેરી પન્ના.

ગાંધીજી અર્થશાસ્ત્રી હતા. એટલે કે માન્ય વિશ્વ વિદ્યાલયોના પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત અર્થશાસ્ત્રી હતા. પણ તેઓશ્રી સમાજશાસ્ત્રી અવશ્ય હતા. જોકે અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્રનું અભીન્ન અંગ છે. બધાં શાસ્ત્રો તર્ક ઉપર અવલંબે છે.

શું તર્ક પણ સાપેક્ષ છે?

નાજી અને હાજી.

તર્ક પરિસ્થિતિને આધિન છે. જે તર્ક પરિસ્થિતિને લક્ષમાં લેતો હોય તે પ્રમાણમાં શુદ્ધ હોય તો પણ અશુદ્ધ કહેવાય. કારણ કે તેને અમલમાં મૂકીએ તો ધાર્યું પરિણામ મળે. તર્ક બે જાતના હોઈ શકે શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ અને અશુદ્ધ સાપેક્ષ છે. સાપેક્ષના પરિબળને સમજી શકવાથી વિતંડાવાદી ચર્ચાઓ, યુદ્ધો અને પીડાઓ થાય છે.

જો ગાંધીજીના વલણોની ચર્ચા કરવી હોય એમ કહેવાય કે તે અહિંસક સમાજની રચનાની દિશામાં હતા.

જ્ઞાતિ પ્રથાઃ

ગાંધીજી જ્ઞાતિ પ્રથામાં માનતા હતા. પણ ફલાણી જ્ઞાતિ ઉચ્ચ છે અને ફલાણી જ્ઞાતિ નીચી છે, એમ માનતા હતા. કારણ કે જ્ઞાતિ કામધંધાનું વર્ગીકરણ છે. અને બધાં કામ સમાજ માટે જરુરી છે.

ગાંધીજીને વાંધો હતો અસ્પૃશ્યતા પ્રત્યે. તેમણે માનવ માનવ વચ્ચેના ભેદભાવને અનુભવ્યા હતા. અને તેમને તે વખતની પરિસ્થિતિ જોતાં લાગ્યું કે સમાજના સુજ્ઞ વર્ગને માટે અસ્પૃશ્યતા નિવારણ”ની વાત ગ્રાહ્ય છે. પણ જુદી જુદી જ્ઞાતિના માણસોએ એકબીજાની સાથે રોટી બેટીનો વ્યવહાર કરવો જોઇએ કે નહીં તે વાત ગાંધીજી ચીપીયો ઠોકીને કહેવા માટે તૈયાર હતા. કારણ કે મોટાભાગના સુજ્ઞજનો તે વખતે તૈયાર હતા તેથી ગાંધીજીએ કહેલ કે તો અંગત વાત છે. કોણે ક્યાં ખાવું અને ક્યાં લગ્નસંબંધ બાંધવા તે વિષે દબાણ લાવી શકાય. જો કે તેમની વાત વ્યાપકતાના સંદર્ભમાં સૈદ્ધાંતિક રીતે અશુદ્ધ હતી. પણ તેઓ આવી વાતોને સમસ્યા બનાવવા માગતા હતા.

ગૃહ ઉદ્યોગઃ

ગાંધીજી યંત્રોની વિરુદ્ધ હતા તેવું મોટાભાગના સુજ્ઞજનો માને છે. પણ જો અહિંસક સમાજની વાત કરીએ તો એવા યંત્રોનો વિરોધ કરી શકાય કે જે યંત્રો બીજાને બેકાર કરી શકતા હોય. માટે તેમણે ખાદીનો પ્રચાર કરેલ. અને વિદેશી કાપડનો બહિષ્કાર કરવાનું કહેલ. જો કે તે વખતના કેટલાક જાણીતા સુજ્ઞ જનો વિદેશી કાપડના બહિષ્કારને યોગ્ય કદમ માનતા હતા.

અહિંસક સમાજની રચના માટે તેમણે જોયું કે અંગ્રેજ સરકારના કાયદા એવા હતા કે સમાજમાં શોષણ અને કે પીડા ઉત્પન્ન થાય. એટલે ગાંધીજીએ સવિનય કાનૂનભંગની વાત કરેલ. માટે તેમણે પ્રક્રિયા નક્કી કરેલ કે નોટીસ આપો, સમય આપો, ચર્ચા માટે ખૂલ્લા રહો અને સજામાટે તૈયાર રહો. ગાંધીજીની સવિનય કાનૂનભંગની ચળવળને અયોગ્ય માનનારા ઘણા સુજ્ઞ જનો હતા.

ખાદી તાત્કાલિક રોજીનું સાધન છે. યંત્રોનો વિરોધ તેની પાર્શ્વ ભૂમિમાં નથી જ નથી. આમ તો દરેક ગૃહ ઉદ્યોગ રોજીનું સાધન છે. પણ જનતામાં ગૃહ ઉદ્યોગના ઉત્પાદનની ઉપયોગીતાની માનસિકતા કેળવાય તો તેને માટે જવાબદાર કોણ? ત્રણ વર્ષ જુની સરકાર કે પાંસઠ વર્ષ જે સરકારે રાજ કર્યું તે.

નરેન્દ્ર મોદીએ જ ગૃહૌદ્યોગને વધુ મહત્વ આપ્યું છે.

ગૃહઉદ્યોગને જો કોઈએ સૌથી વધુ મહત્વ આપ્યું હોય, સ્વરોજગારીને સૌથી જો કોઇએ વધુ મહત્વ આપ્યું હોય, રોજગારીની કુશળતાના શિક્ષણને જો કોઇએ સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તો તેનું શ્રેય નરેન્દ્ર મોદીની સરકારોને જાય છે. પણ ગાંધીવાદીઓ તેની નોંધલેવામાં માનતા નથી. જો જોવા જાઓ તો નહેરુવીયન કોંગ્રેસ દેશની સમસ્યાને સમજી શકી નથી અને સમજવા માગતી હતી. નહેરુવીયન કોંગ્રેસના ૧૯૪૭ પછીના ઉછેરને કારણે નહેરુવીયન કોંગ્રેસ પોતે એક સમસ્યા બની છે. નહેરુવીયન કોંગ્રેસ પોતે જો દિશાહીન, વ્યક્તિ કેન્દ્રી અને આત્મકેન્દ્રી હોય તો જનતા એવી બને.

સુજ્ઞ લોકો જ્યારે અયોગ્ય બને ત્યારે 

નહેરુવીયન કોંગ્રેસની સમસ્યા આપણે સમજી શકીએ છીએ. પણ જેઓ સમાજમાં જાગૃતિ લાવવા માગે છે તેવા સુજ્ઞ લોકો જ્યારે દિશા સૂચન કરવાની યોગ્યતા ગુમાવી બેસે ત્યારે દુઃખ થાય છે.

આમ આદમીપક્ષ, અન્ના હજારેના આંદોલનમાંથી ઉત્પન્ન થયો હતો. અન્ના હજારે ગાંધીવાદી હતા. જો કે ગાંધીવાદ સાપેક્ષશબ્દ છે. આમ આદમી પક્ષનું સૂકાન એવા નેતાઓના હાથમાં આવ્યું જેઓ નણાયા હતા. જો નણાયેલા લોકો પણ સત્તા આવતાં ભ્રષ્ટ થઈ જાય તો સામાન્ય કક્ષાના નણાયા નેતાઓ તો મોટે ભાગે ભ્રષ્ટ થાય .

અમદાવાદના એક સમયના મેયર કૃષ્ણવદન જોષીએ મનુષ્યના ચાર કક્ષાના દુશ્મનોની વાત કરેલ.

ચોથી કક્ષાનો દુશ્મન તમારો દુશ્મન દેશ છે. તેના ઉપર તમે કોઈપણ કારણ વગર હલ્લો કરીને પરાજિત કરી શકો છો, જેવી જેની તાકાત.

ત્રીજી કક્ષાનો દુશ્મનઃ કક્ષાના દુશ્મન તમારા કેટલાક દેશવાસીઓ છે. તેમના ગુનાની તપાસ તમારે કરવી પડે. કોર્ટમાં કેસ ચલાવવો પડે છે. તેમનો ગુનો તમારે સાબિત કરવો પડે છે. તેને બચાવની તક આપવી પડે છે. તમે લગાવેલા આરોપો સાચા છે કે ખોટા તેનો નિર્ણય તમે નહીં પણ ન્યાયાલય કરશે.

બીજી કક્ષાનો દુશ્મનઃ  કક્ષાના દુશ્મન તમારા સગાં કે મિત્રો છે. તેમને તમે કશું કરી શકતા નથી. તેમને તમે બહુ બહુ તો ખાનગીમાં ધમકી, લાલચ કે પ્રેમ દ્વારા સમજાવી શકો છો. તે માને તો ઠીક છે નહીં તો રામ ભરોસે.

પ્રથમ કક્ષાનો દુશ્મનઃ એવો દુશ્મન છે કે તમે તેની ઉપર કેસ કરી સકતા નથી, તમે તેને દંડિત કરી શકતા નથી, તે બધી બારીઓ બંધ રાખે છે. તેથી તમે તેને સમજાવી શકતા નથી. કારણ કે તે તમે પોતે છો.

જેઓ પોતાને સુજ્ઞ અને ગાંધીવાદી માને છે તેમણે પ્રથમ કક્ષાના દુશ્મનને સમજવો પડશે. તેઓ જો “પૂર્વ પક્ષની દિશાની સમજવાની બારીઓ બંધ રાખશે તો તેઓ અવિશ્વસનીય બનશે. જો કે મને લાગે છે કે તેમના કરતાં મોદીગાંધીજીનીવધુ નજીક છે.

ભૂમિપુત્રની દિશા

સામયિક ભૂમિપુત્રકઈ દિશામાં જઈ રહ્યું છે? શું તે દંભી થઈ રહ્યું છે? શું તે અનાભ્યાસી થઈ રહ્યું છે એટલે કે તે વિરોધી વિચારને સમજવા માગતું નથી? “પૂર્વપક્ષને સમજવો ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. પણ આપણે જોઇએ છીએ કે તેપૂર્વપક્ષના વિચારોને વાચકો સમક્ષ મૂકવા માગતું નથી. તે એકાંગી થઈ ગયું છે.

મોદી-વિરોધી હોવું અને મોદીના નિર્ણયોને સામાન્ય કક્ષાના સમાચાર પત્રોની જેમ મનમાની રીતે અમાન્ય ઠેરવવા અને નહેરુવીયન કોંગ્રેસીઓની જેમ નિશ્ચિત વર્ગનું/વર્ગોનું તુષ્ટિકરણ કરવું એવી માનસિકતા ભૂમિપુત્રે કેળવી લીધી છે.

() કાળું નાણુઃ કોઈ એક વખત નરેન્દ્ર મોદીએ કાળાંનાણાં (સ્થાવર જંગમ મિલ્કત)ના જત્થા વિષે કહેલ કે તે જત્થો એટલો છે કે જો તેને વહેંચવામાં આવે તો દરેકના ખિસ્સામાં ૧૫ લાખ (?) રૂપીયા આવે. નરેન્દ્ર મોદીની તે વખતે પ્રવર્તમાન ચીલાચાલુ ધારણા હતી. આનો અર્થ એવો કરવામાં આવે છે કે તેઓ (નરેન્દ્ર મોદી) જો સત્તા ઉપર આવશે તો દરેક ભારતવાસીના ખિસ્સામાં ૧૫ લાખ રૂપીયા આપી દેશે. નહેરુવીયન કોંગ્રેસવાળા તેનો આવો અર્થ કરે તો તે સમજી શકાય તેમ છે, કારણ કે નહેરુવીયન કોંગ્રેસને મીથ્યા પ્રાલાપો કરવાની ટેવ ગળથુથીમાંથી મળી છે. પણ ભૂમિપુત્ર આવું કહે તો તે તેની વિશ્વસનીયતા ગુમાવે છે.

આપણે જોયું છે કે જેઓ નોટો બદલાવવા લાઈનમાં ઉભા હતા તેમના ખિસ્સામાં/ખાતામાં પૈસા તો જમા થયા હતા અને તે પણ ૨૫૦૦૦ થી માંડીને કમસે કમ ૨૫૦૦૦૦/-. નરેન્દ્ર મોદીએ ગરીબ માણસોને તક તો આપી હતી. પણ ભારતનો ગરીબ માણસ વિશ્વાસઘાતી નથી. જે માલિકે તેને ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બદલવા આપી હતી તે તેણે પરત કર્યા. કદાચ થોડું કમીશન લીધું હશે. વાત આપણે આની પહેલાંના લેખમાં જોયેલી છે.

() નોટ બંધીનું કદમઃ તેને ભૂમિપુત્રમાં કેવી રીતે ઓળખાવાયેલું છે? ક્રૂર છે, પ્રપંચ વાળું છે, અને હિંસાવાળું છે. વીસલાખ લોકો બેકાર બની ગયા, રીઝર્વબેંક પાસે પૂરતી નોટો હતી, ચોવીસે કલાક વિમાનો ઉડાડ્યા, સરકારના અલગ અલગ ખાતાંઓએ ભીન્ન ભીન્ન આંકડાઓ ગગડાવ્યા, પૂર્વ તૈયારી વગરનું કદમ, રઘવાટીયું પગલું, અધકચરું પગલું, અબાલ વૃદ્ધોના પ્રાણ હર્યા, સો એક માણસો મરી ગયા, ટુજી, કોમનવેલ્થ, કોલગેટને સ્થાને નવા નામો બહાર આવ્યાં (જો કે લેખકશ્રીએ નવું કોઈ નામ જાહેર કર્યું નથી), પક્ષ પલટાને ઉત્તેજન મળ્યું, લોકોએ જીવનના સુખચૈન ગુમાવ્યાં, ગરીબી અને બેકારી વધી, ગાંધીજીના અગિયાર મહાવ્રતનું હનન થયું,(લેખકશ્રી,  ગાંધીજીને વચ્ચે શા માટે લાવે છે તે સમજી શકાતું નથી.) 

લેખકશ્રી આગળ જતાં લખે છે કે નોટ બંધીના પગલા પાછળનો નરેન્દ્ર મોદી સરકારનો હેતુ અને વચન (“વચન” એ ભૂમિ-પુત્ર”ના લેખકનું ઉમેરણ છે)  એ હતું કે નોટબંધીથી કાળાંનાણાનો ખાત્મો થશે, ભ્રષ્ટાચારનો ખાત્મો થશે, આતંકવાદનો ખાત્મો થશે, નક્ષલવાદનો ખાત્મો થશે, ટેરર ફંડીંગનો ખાત્મો થશે, ઉત્પાદનમાં વૃદ્ધિ થશે, નોકરીઓમાં વૃદ્ધિ થશે. પણ આમાનું કશું થયું નહીં.

જો કે ઉપરોક્ત વાતો લેખકશ્રીએ ઈમોશનલ ભાષામાં લખી છે. આપણે તેનેસીધા સમાચારલેખે અવતરિત કરી છે.

MINE OF JAYA

આમ થાઓઅને તેમ થયું …”

બાયબલમાં આવે છે કે ઈશ્વરે કહ્યું પ્રકાશ થાઓ. એટલે પ્રકાશ થયો. ઈશ્વરે કહ્યું પાણી થાઓ એટલે પાણી થયું. ઈશ્વરે કહ્યું જમીન થાઓ એટલે જમીન થઈ. ઈશ્વરને ફક્ત કહેવાની જરુર પડે છે. અને ઈશ્વર કહે તે પ્રમાણે બધું થઈ જાય છે. એમ આપણા ભૂમિપૂત્રના લેખકશ્રી જે કંઈ કહે તેને સત્ય માની લેવાનું.

આમ તો સમાચાર માધ્યમોવહાં ઝાડીમેં સૌ સાંપ થે હી થેએવું કહેવામાં પારંગત છે. અત્યારે ટેક્નોલોજીના જમાનામાં તોપીપલી લાઈવજેવી ઘટનાઓ બનતી રહે છે.

આવા જમાનામાં પણ બે ઘટનાઓ પ્રકાશમાં આવેલી

લાઈનમાં ઉભેલી એક વ્યક્તિ વૃદ્ધ હતી, અને તે હાર્ટ એટેકથી મરી ગયેલી. તે વ્યક્તિના સંતાનોના કહેવા પ્રમાણે તેમને પહેલેથી હાર્ટ પ્રોબ્લેમ હતો.

બીજી ઘટનામાં, લાઈનમાં ઉભેલા એક વૃદ્ધ રડવા માંડ્યા. તેનું કારણ તે વૃદ્ધભાઈએ પોતે આપેલ કે, એક બહેનનો પગ તેમના પગ ઉપર પડેલ એટલે તે દુઃખના માર્યા રડી પડેલ.

કેટલી વીશુએ સો થાય?

આ પ્રમાણે આપણા “ભૂમિ-પુત્ર”ના આ લેખકશ્રી આમ તો રા.ગા.થી બહુ દૂર કહેવાય. કારણ કે રા.ગા. તો એમ પણ કહી શકે કે દરેક લાઈનમાં એક કરોડ માણસો મરી ગયા. યાદ કરો કે એક ઉદ્યોગપતિને નરેન્દ્ર મોદીએ ૪૫૦૦૦ કરોડ એકર જમીન દાનમાં આપી છે. કેટલી વીશુએ સો થાય તે આપણા રા.ગા.ભાઈને ખબર નથી.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમસ્યાનું કારણ કોઈ એક માત્ર હોય. દરેક સમસ્યાના અનેક કારણો હોય. તેથી કોઈ પણ એક કદમ કોઈ પણ એક સમસ્યાને સંપૂર્ણ ખતમ કરી શકે. આવો કોઈ દાવો પણ કરે. પણ જેમનું ધ્યેય નિંદા કરી અસંતોષનું વાતાવરણ પેદા કરવાનું છે તેઓ બેફામ અર્થઘટનો કરી શકે છે. લોકશાહીમાં રોકી શકાય તેવા અધિકારો છે.

કાશ્મિરની સમસ્યામાં પણ ચાંચ ખોસો

લેખકશ્રીએ એમ પણ કહ્યું કે બીજેપીને લાગ્યું કે કાશ્મિરની ચૂંટણી જીતવી હોય તો ૩૭૦ની કલમ ખતમ કરવી પડશે. એટલે એનો સંકલ્પ રજુ થયો”.

વળી તેઓશ્રી આગળ જતાં કલમ ૩૭૦ને કાશ્મિરીઓ માટેનો અતિસંવેદન શીલ મુદ્દો ગણાવે છે. એટલે કે કાશ્મિરની જનતા, કલમ ૩૭૦ને દૂર કરવાની વિરુદ્ધ છે. હવે જો બીજેપી કલમ ૩૭૦ને દૂર કરવાનો સંકલ્પ કરે તો તે ચૂંટણી હારવા માટેનું કદમ બની જાય. વિરોધાભાસ લેખકશ્રી કેમ સમજી શકે તે વાચકને તો સમજાય.

ધારો કે કાશ્મિરને એક રાજ્ય ગણતાં એક વિસ્તાર ગણીએ અને જમ્મુકાશ્મિરના રાજ્યમાં જમ્મુમાં રહેલા હિન્દુઓના મત લેવા આમ કહ્યું એમ માનીએ, તો જમ્મુમાં મુસ્લિમો પણ રહે છે. જે કાયદાઓ કાશ્મિરમાં લાગુ પડે છે તે કાયદાઓ જમ્મુમાં પણ લાગુ પડે છે. મુદ્દાથી  જમ્મુમાંના મુસ્લિમોના મત ગુમાવવાનો વારો આવે . બીજેપીને પોષાય નહીં. અને આમેય જમ્મુના હિન્દુઓના મત તો બીજેપીના ગણાય છે. જો કે એક વાત નોંધવા જેવી છે કે લેખકશ્રીએ મુસ્લિમશબ્દ નહીં પણ કાશ્મિરી શબ્દ વાપર્યો છે. અને તેથી સમગ્ર કાશ્મિર જનતા કલમ ૩૭૦ પરત્વે સંવેદનશીલ છે એવો અર્થ થાય. અને જ્યારે આમ કહીએ ત્યારે કાશ્મિરનો અર્થ જમ્મુકાશ્મિર રાજ્ય થાય છે. એટલે કે સંવેદનશીલતાની વ્યાપકતા વધે છે. અને જ્યારે વાત રીતની હોય ત્યારે બીજેપીનો કલમ ૩૭૦ પરત્વેનો અભિગમઆવ પથરા પગ ઉપર એવો થાય. પણ આપણા લેખકશ્રીની તારવણીવદતો વ્યાઘાતજેવી છે. નરેન્દ્ર મોદીએ એમ કહ્યું હતું કે કલમ ૩૭૦થી રાજ્યને શો લાભ થયો તેની ચર્ચા થવી જોઇએ.

જો કે ભૂમિપુત્રમાં માત્ર એક લેખ આવો પૂર્વગ્રહ યુક્ત વલણ ધરાવે છે તેમ નથી. મોટાભાગના લેખો હાલની સરકારના નિંદારસમાં ગળાડૂબ હોય તેવું લાગે છે.

નહેરુવંશના ૬૫ વર્ષના શાસનના શાસનમાં તો જાણે લીલા લહેર હતી. પણ છેલ્લા ત્રણ વર્ષમાં , મોંઘવારી વધી, બેકારી વધી, કાળુંનાણું વધ્યું, કાળી સંપત્તિ વધી, ગરીબો વધુ ગરીબ થયા, ખેડૂતો વધુ ગરીબ થયા, ઉદ્યોગોને લહાણી થઈ, ખેડૂતોની જમીન છીનવાઈ, ગોચરની જમીન ગઈ, ખેડૂતોને વળતર મળ્યું, ખેડૂતો પાયમાલ થયા, ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા, ચૂંટણીઓમાં ગોલમાલ થઈ, લઘુમતિ ઉપર અત્યાચારો થયા, દલિતો ઉપર અત્યાચારો થયા, પત્રકારોની હત્યાઓ થઈ, પાકિસ્તાન સાથેના સંબંધો બગડ્યા, આતંકવાદ મજબુત થયો, ધાર્મિક અસહિષ્ણુતા વધી, વૈચારિક અસહિષ્ણ્યુતા વધી, હિંસા વધી  …. વિગેરે વિગેરે પ્રકારના પ્રાલાપો બહુ સામાન્ય થઈ ગયા છે.

એક વિઘાતક વલણ છે. આવું વલણ એક ઋણાત્મક વાતાવરણ કરે છે જે સામાન્ય કક્ષાના માણસને મુંઝવણમાં મૂકે છે. જો સુજ્ઞ લોકો વિકલ્પ આપી શકતા હો તો તેઓ મૌન રહે તે શોભનીય છે.

ગાંધીજી કોઈને અસ્પૃશ્ય માનતા હતા. પણ ગાંધીવાદીઓ આરએસએસને અસ્પૃશ્ય માને છે. અને આરએસએસ વાદીઓ ગાંધીવાદને અસ્પૃશ્ય માને છે. સામસામો છેદ ઉડી જાય છે.

પણ મને લાગે છે કે સામાન્ય આરએસએસવાદીઓ ગાંધીજીને અસ્પૃશ્યમાનતા નથી. જો તમે વ્યક્તિગત રીતે તેમને સમજાવો તો તેઓ સમજી જાય છે. તે વાત ખરી છે કે તેમના કેટલાક નેતાઓ સમજવા માગતા નથી. પણ સામાન્ય કાર્યકરની ગાંધીજી તરફની બારી તમારે ખોલવાની હોય છે.

તેની સામે કેટલાક ગાંધીવાદી સુજ્ઞ જનોવિષે આવું નથી. તેમણે તો નરેન્દ્ર મોદીબીજેપીની દીશામાં ચણતર કરી દીધું છે. તેથી તે દિશાની બારી ખોલવાની શક્યતા રાખી નથી. તેઓ પૂર્વગ્રહોને કારણે બીજેપીની તરફમાં બોલવા માગતા  નથી.

દૂર દૂર ક્ષિતિજમાં પણ બીજેપીનો વિકલ્પ નથી

એક વાત સ્પષ્ટ છે કે બીજેપીનો વિકલ્પ દૂરદૂર ક્ષિતિજમાં પણ દેખાતો નથી. જે યુવાધન પાસે તમે ક્રાંતિની આશા રાખો છો તે યુવાધન નકલખોરીથી દાઢી વધારીને ફરે છે, લગ્નના પ્રસંગ વખતે હજારો લાખો રૂપીયા ખર્ચી પિતાજીની મૂડીનું પાણી કરે છે, જ્ઞાતિવાદી અનામત આંદોલન કરે છે, અને તે પણ વલ્લભભાઈ પટેલને નામે કરે છે, દહેજ લે છે, ભ્રષ્ટાચાર કરે છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મીડીયા સહિતના સાંસ્કૃતિક સાથીઓ તેને ઉત્તેજન આપે છે અને ફૂંકી ફૂંકીને જાતિવાદની બુઝાતી આગને ઝગાવે છે. આવા યુવાધન પાસેથી તમે કેવી રીતે ક્રાંતિની આશા રાખી શકો? નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓની સાથે સાથે અમુક કહેવાતા ગાંધીવાદીઓ પણ આગ સાથે રમી રહ્યા છે. આપણને ખબર નથી કે તેમને ખબર છે કે નહીં

પણ આશાનું કિરણ નરેન્દ્ર મોદીની સરકાર છે અને તેમના આદિત્યનાથ યોગી, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર પરિકર,  દેવેન્દ્ર ફડનવીશ, જેવા મુખ્ય મંત્રીઓ છે. મોદી પોતે પોતાના સગાંઓને પોતાની પાસે ઢૂંકવા દેતા નથી. પોતે અઢાર અઢાર કલાક કામ કરે છે. તે અણીશુદ્ધ છે. જો તમે તેમને નહીં ઓળખો તો ઇતિહાસમાં  જેઓગાંધી વધના પુરસ્કર્તા છે તેમની યાદીમાં તમારું નામ આવી જશે.

૧૯૮૯-૯૦માં કાશ્મિરમાંથી પાંચ લાખ હિન્દુઓને ત્યાંના સ્થાનિક મુસ્લિમોના સહયોગ દ્વારા બેઘર કરવાં આવેલા જે આજ પર્યંત વિસ્થાપિત અવસ્થામાં  છે. ત્રણલાખ હિન્દુઓની કતલ કરવામાં આવેલી. તે પછી પણ આ પ્રક્રિયા ચાલુ રહેલી. આવા દરેક વિસ્થાપિત વ્યક્તિની પાછળ એક કથા હોય છે. પાંચ લાખ લોકોની પાછળ પાંચ લાખ લોકોની કથા હોય છે. પણ અહીં ભૂમિ-પુત્રમાં શું છે?

પહેલાં હરિશ્ચંદ્રની ટૂંકી વાર્તા, ભૂમિ-પુત્રના છેલ્લા પાને આવતી હતી. હવે આશા-વિરેન્દ્રની ટૂંકી વાર્તા આવે છે. આઘાતજનક વાત એ છે કે આશા-વિરેન્દ્રએ એક આતંકવાદ(કહેવાતા હિન્દુ આતંકવાદ) એટલે કે મક્કા મસ્જીદ બોંબ પ્લાસ્ટ થકી  પીડિત મુસ્લિમ કુટૂંબની કથા લખી છે.

જો તમે માનવતા વાદી હો તો તમારે કમસે કમ પાંચ લાખ કથાને તો વાચા આપવી જોઇએ.  જો દર પખવાયે એક કથાને વાચા આપો તો પણ તે માટે તમે વીસ હજાર વર્ષ સુધી લખી શકો. પણ ના. તમે આ નહીં લખો. કારણ કે તો તો તમે અસહિષ્ણુમાં ખપી જાઓ. આ કારણથી જ કાશ્મિરી હિન્દુઓની વ્યથા ને વાચા આપવાનું આ ગાંધી વાદીઓને સુઝતું નથી. કદાચ તેઓ કહેશે કે અમે કશ્મિર જઈશું (જમ્મુ નહીં જઈએ) અને લઘુમતિની (જે કશ્મિરમાં પ્રચંડ બહુ મતિમાં છે) તેમની વ્યથા જાણીશું અને તેને વાચા આપીશું.

ગાંધીજી બધી બારીઓ ખૂલ્લી રાખતા હતા

આ ગાંધીવાદીઓએ સમજવું જોઇએ કે ગાંધીજી તો બધી જ બારીઓ ખુલ્લી રાખતા હતા. ગાંધીજીએ તો એમ પણ કહેલ કે જો પાકિસ્તાનની સરકાર હિન્દુઓનું રક્ષણ ન કરી શકે તો હિન્દુસ્તાને તેના ઉપર આક્ર્મણ કરવું જોઇએ.

નિંદારસનું પાન કરાવવાથી તો કોઈ વિકલ્પ આવે છે તો કોઈ ક્રાંતિ આવે છે.

ચૂંટણી આવે છે એટલે હવે મોદીબીજેપી વિરોધીઓ વધુ ચગશે. વધુ સમાચાર પત્રો અને વધુ ચેનલો રામ, હિન્દુ, પાટીદાર, સોમનાથ, બાબર, મસ્જીદ, મુસલમાન, જાતિઓ વિગેરેના મુદ્દાઓને બીજેપીમોદી વિરુદ્ધની શિર્ષ રેખાઓ આપશે. તેઓ ભૂલી જશે કે રામ એક ઐતિહાસિક વ્યક્તિ હતા અને તેમનો પણ હક્ક બને છે. પણ આ લોકો તો રામને ધર્મ સાથે સાંકળશે. જાણે કે હિન્દુ સિવાયના ભારતીયોને રામ સાથે લેવા દેવા જ નથી. પણ જો જરુર પડશે તો તેઓ પોતાને વિષે એમ પણ કહેશે કે અમે પણ રામ ભક્ત છીએ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ વધુ રામ રામ રામ કરે છે. પણ વાસ્તવમાં તેઓ રામને “રામ રામ” કરે છે. પણ જ્યારે જરુર પડે ત્યારે તેઓ ખાનગીમાં પોતે કહે છે કે નહેરુએ બાબરી મસ્જીદના દરવાજા ખોલી રામની મૂર્તિ મૂકવાની રજા આપી, રાજીવ ગાંધીએ મૂર્તિઓની પૂજાની રજા આપી, નરસિંહરાવે બાબરી મસ્જીદ તોડાવા દીધી. બધી વાતો નહેરુવીયન કોંગ્રેસની બનાવટી વાતો છે. પહેલી બે વાતમાં તો ન્યાયાલયના હૂકમ હતા. અને છેલ્લી વાતમાં નરસિંહ રાવ અને સીતરામ કેસરીને કયો નહેરુવીયન કોંગ્રેસી માથું ટેકવે છે? નહેરુવીયન કોંગ્રેસીઓએ તો સીતારામ કેસરીને ઉંચકીને બહાર નાખ્યા હતા.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઘોડેસવારી કદાચ આવડતી હોય તો થોડી મહેનત પડે. પણ તેથી કરીને ગધેડા ઉપર સવારી કરાય. (સાચા ગધુભાઈઓ માફ કરે)

જો કે ગુજરાતે ૧૯૭૦થી ૧૯૭૫ અને ૧૯૮૦થી ૧૯૯૫ નહેરુવીયન કોંગ્રેસનું ઈન્દિરામાઈ અને તેના ભક્તોનું શાસન જોયું છે. તે અછત અને અરાજકતા પણ કેવી કે તમને દૂધ મળે (દૂધના કાર્ડ આવતા હતા. દૂધ લેવા દૂધકેન્દ્રના સ્થળ પર જવું પડે. જરાપણ મોડા જાઓ તો તમારું દૂધ ગાયબ થઈ જાય. તમને જવાબ મળે કે હવે દૂધ નથી), ગોળ મળે, કોલસા મળે, રેશનમાં અનાજ મળે, ખાંડ મળે (ખાંડનું રેશન કાર્ડ આવતું હતું), સીમેન્ટ મળે, લોખંડના સળીયા ન મળે, કેરોસીન મળે, મકાન માટે લોન લેવામાં નાકે દમ આવી જાય, સ્કુટર માટે પ્રતિક્ષા યાદી હોય (મેં ૧૯૬૬માં સ્કુટર બુક કરાવેલ, ૧૯૭૪માં રીબુક કરાવેલ, મને ક્યારેય કશો જવાબ મળ્યો નથી. ૧૯૯૮માં મેં લ્યુના લીધેલ. ભલુ થજો નરસિંહ રાવનું કે મને લ્યુના તો મળ્યું), તમે પ્રતિક્ષા યાદીમાં ક્યાં છો તે જાણી શકતા  હતા, ટેલીફોન કનેક્સનમાં તમારો નંબર પાંચથી દશ વર્ષે લાગે, રસ્તાઓ કાચા, ટ્રેનમાં અને બસમાં ઘુસવાની પણ જગ્યા મળે. (ટ્રેનમાં લીમીટેડ આરક્ષણ. રેલ્વેના દાદાઓ જગ્યા રોકીને વેચે) ગેસના બાટલાના નવા કનેક્સનની તો વાત જવા દો, પણ તમારી એક ગામથી બીજે ગામ બદલી થઈ હોય તો તમારું કનેક્સન ગયું સમજો.

જય ઇન્દિરા માઈ. નહેરુવીયન સંતાન ઘોડીયામાં હોય ત્યારથી તેના વખાણ ચાલુ થઈ જાય. વાહ રા.ગા.ભાઈ કેવા તરવરીયા છે…. 

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

પપ્પુભાઈની રામાયણ

 વિકાસ ગાંડો થયો છે. એ પતંગીયું કેવું ઉડ્યું તે આપણે જાણીએ છીએ. બીજેપી વિરોધીઓ અને તેથી કરીને સાથે સાથે આવા લોકો મોદી વિરોધી પણ હોય છે. જ્યારે તેમનો ટકલો કામ ન કરે ત્યારે પતંગીયા ઉડાડે અને બીજું કંઈક લખતા હોય તો પણ વચ્ચે વચ્ચે મોદી-બીજેપીને ગોદા પણ મારી લે.

મૂર્ખ અને ડાહ્યો

“ફેંકુ” પતંગીયુ બહુ જીવી શક્યું નહીં. પણ બીજેપી સમર્થકોએ ઉડાડેલું “પપ્પુ” હજી ઉડે છે. તે એટલી હદ સુધી કે ચૂંટણી આયુક્તે તેને બાન કરવું પડ્યું. આમ તો પપ્પુ એ કંઈ ખરાબ શબ્દ નથી. સિંધી મારવાડીઓમાં “પપન”, પરમાનન્દ, પુરુષોત્તમ વિગેરે નામ વાળાને “પપ્પુ” એવા ટૂંકા નામથી બોલાવે છે, જેમ સરોજ, સરયુ, સરસ્વતીને “સરુ” એવા ટૂંકા નામથી બોલાવવામાં આવે છે. પણ જેનું નામ પપન, પુરુષોત્તમ, પરમાનન્દ ન હોય ત્યારે અને તે પણ ગુજરાતમાં પપ્પુ શબ્દ રાહુલ ગાંધી માટે પ્રયોજાયા પછી તે શબ્દનો  અર્થ બદલાઈ ગયો છે. પપ્પુ શબ્દને ઢબ્બુનો અને બુદ્ધુનો સમાનાર્થી શબ્દ ગણવાનું ચાલુ થયું. કદાચ સુબ્રહ્મનીયમ સ્વામીએ બુદ્ધુ શબ્દને રાહુલ ગાંધી માટે પ્રયોજેલો તે પછી આવું થયું છે. પણ બુદ્ધુ શબ્દ સુચારુતા અન્વયે અપ્રમાણિત હોવાથી, રાહુલ ગાંધી માટે કદાચ પપ્પુ શબ્દ વપરાશમાં આવ્યો હોય. પપ્પુ, ઢબ્બુ અને બુદ્ધુ આમ તો ગુજરાતમાં સમાનાર્થી ગણવામાં આવે છે. આ “પપ્પુ” શબ્દને જ્યા સુધી સુચારુતા માટે અપ્રમાણિત ઘોષિત કરવામાં ન આવે ત્યાં સુધી આ પપ્પુ શબ્દ ગુજરાતની બહાર પણ એટલો જ અસુચારુ થઈ ગયો. ચૂંટણી આયુક્તે “પપ્પુ” શબ્દનો અર્થ જે ગુજરાતીમાં છે તે અર્થને માન્ય રાખ્યો અને તેને અપ્રમાણિત ઘોષિત કર્યો.

ટુથપેસ્ટ છે તો ટુથપાવડર શા માટે?

જુના વખતમાં રેડિયો ઉપર કોલગેટ ટુથપાવડરની એક જાહેરાત આવતી હતી. જો કોલગેટની ટુથપેસ્ટ આવે છે તો પછી ટુથપાવડર શા માટે? જવાબ એ હતો કે “જેમને ટુથપાવડર પસંદ છે ખાસ તેમને માટૅ…”

પપ્પુ શબ્દ વિષે પણ આમ જ સમજવું જોઈએ. પણ હવે આ શબ્દ બાન થઈ ગયો છે.

પપ્પુ શબ્દ વધુ શા માટે ચાલ્યો?

કેટલાક શબ્દો એવા હોય છે કે તેમાં આવતા પ્રાસાનુપ્રાસને લીધે સમાનાર્થી ગણી લેવામાં આવે છે. જો કે ક્યારે તેઓ વિરુદ્ધ અર્થવાળા કે વિશિષ્ઠ અર્થવાળા પણ હોય છે.  જેમકે નીતિ અને નિયત. નીતિ જાહેર કરેલી પણ તે નીતિને લાગુ કરવાની નિયત નહેરુવીયન કોંગ્રેસમાં ન હતી. આવું કહેતા આપણે નરેન્દ્ર મોદીને સાંભળીએ છીએ.  પણ આપણે વિરોધાભાષી અર્થવાળા પ્રાસાનુપ્રાસ શબ્દોની વાતો નહીં કરીએ. પપ્પુ, ઢબ્બુ, બુદ્ધુ આ શબ્દો ગુજરાતીમાં સમાનાર્થી બની ગયા છે.

શું ભારતમાં એક જ પપ્પુ છે?

ના ભાઈ ના. અનેકાનેક પપ્પુઓ છે.

અનેકાનેક પપ્પુઓ કેવીરીતે છે?

પણ પપ્પુની વ્યાખ્યા શી?

જે પપ્પુભાઈઓ અસંબદ્ધ ઉપમાઓ આપે (સરખામણીઓ કરે) કે હાસ્યાસ્પદ સરખામણી કરે તો તેવી સરખામણી કરવા વાળાઓને પપ્પુ કહી શકાય. અથવા તો હાસ્ય (રમૂજ) ઉત્પન્ન કરવા માટે તમે સરખામણી કરો પણ તેનો કોઈ આધાર ન હોય તો પણ સરખામણી કરવાવાળાની બુદ્ધિને પપ્પુભાઈની બુદ્ધિની સમકક્ષ ગણી શકાય. કારણ કે સામેવાળો તેને બુમરેંગ બનાવી શકે.

મૌતકા સોદાગર, ફેંકુ, સફ્રોન આતંકવાદ, વિકાસ ગાંડો થયો, સુવ્યવસ્થિત લૂંટ (ઓર્ગેનાઈઝ્ડ લૂટ) વિગેરેની જો તાર્કિક ચર્ચા કરીએ તો તે “અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી બિલાડી”ને શોધવા જેવું થાય.

વિવાદાસ્પદ બાબતો વિષે તમે, તમને પસંદ ધારણાઓને આધારે નિષ્કર્ષો તારવી ન શકો. તમે તમારે માટે અલગ અને તમારા વિરોધીઓ માટે અલગ માપદંડ રાખી ન શકો. જો તમે આવું કરો તો કાંતો તમે કાવત્રાખોર છો એટલે તમારો હેતુ જન જાગૃતિનો કે શૈક્ષણિક નથી પણ સ્વહિત નો છે. સ્વહિત એટલે કમસે કમ આત્મ ખ્યાતિનો કે ગુંચવાડો ઉભો કરવાનો હોઈ શકે. જો કે તેના પરિણામ સ્વરુપ તમે અવિશ્વસનીય બનો છો. અને તેથી કરીને તમે એવી સ્થિતિ પર પણ પહોંચી જાઓ કે “હું મરું પણ તને રાંડ કરું” અથવા તો “ભલે મારું નાક કપાય પણ તને તો અપશુકન કરાવું જ.”

અંતે તો ઉપરોક્ત વલણવાળા બધા પપ્પ્પુ ભાઈઓ જ ગણાય પછી ભલે તે તમે હો કે પપ્પુભાઈ પોતે હોય, કે પપ્પુભાઈના મળતીયા હોય કે બીજેપી-મોદીને યેનકેન પ્રકારેણ પછાડવાના હેતુવાળા કટારીયા લેખકો હોય બધા પપ્પુભાઈ જ કહેવાય.

તમને ક્યારે દુઃખ થાય?

જે વ્યક્તિ વિષે તમારો સારો અભિપ્રાય હોય તે જ્યારે આવા પપ્પુભાઈની નજીક પહોંચે તો તમને દુઃખ થાય.

આ “પપ્પુભાઈની નજીક” એટલે શું?

એક પાદરી એ કહ્યુઃ “હું સ્વર્ગમાં ગયો. ત્યાં મેં જીસસ જોયા. જીસસની આસપાસ ઘણા માણસો બેઠા હતા. પણ એક માણસ જીસસની ખૂબક નજીક હતો. મેં તેને ધારીને જોયો. અરે આ માણસ તો નોન-ખ્રીસ્તી હતો. અને તે તો જીસસની સાવ જ નજીક હતો. હા જી. આ માણસ નોન-ક્રીશ્ચીયન હતો અને તે જીસસની ખૂબ જ નજીક બેઠો હતો. જીસસ અને તે “નજીકનો માણસ” એ બંને લળી લળીને વાતો કરતા હતા. તે માણસ કોણ હતો? તે માણસ ગાંધી હતો. મહાત્મા ગાંધી. માણસની મહાનતાને ધર્મ સાથે લેવા દેવા નથી. માણસની મહાનતાને માનસિકતાની સાથે સંબંધ છે.

જો કોઈ જીસસની નજીક હોઈ શકે તો કોઈ પપ્પુભાઈની નજીક પણ હોઈ શકે.

નીતિ, નિયત અને નિષ્ઠાઃ

નરેન્દ્ર મોદી આવા શબ્દ પ્રયોગ કરે છે. દાખલાઓ છે; આતંકવાદ સામેની લડત, બનાવટી ચલણી નાણું, કાળાનાણાં અને બેનામી સંપત્તિ ઉપર અંકૂશ, કરચોરી ઉપર અંકૂશ, કરવેરાનું સરળીકરણ વિગેરે જેવા અનેક દાખલાઓ આપી શકાય. નહેરુવીયન કોંગ્રેસ પણ કહેતી હતી કે અમારી આ નીતિ છે. પણ તેની નિયત ન હતી. તો જનતાને ચોક્કસ નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા ઉપર શંકા જાય જ.

આતંકવાદસામેની લડતઃ

 હમાણાં આવેલ સમાચાર પ્રમાણે ભારતીય સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવેલ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસના શાસન કાળમાં એક સમયે સર્જીકલ સ્ટ્રાઈક માટે સજ્જ હતા પણ તે સમયના વડા પ્રધાન મનમોહન સિંહે તેમને રોક્યા હતા. નહેરુવીયન કોંગ્રેસના આવા વલણના નિયત અને નિષ્ઠા ઉપરાંતના અનેક સૂચિતાર્થો નિકળી શકે છે.

બનાવટી નોટો સરકારી બેંકોં દ્વારા સંચાલિત એટીએમ મશીનમાંથી પણ નિકળતી હતી. આ બાબત બનાવટી નોટોની વ્યપકતા દર્શાવે છે. રીઝર્વબેંકે કેટલી નોટો છાપી અને દેશમાં કેટલી નોટો ફરે છે તે રીઝર્વબેંકના ગવર્નરને ખબર હોય જ. બનાવટી નોટો કંઈ ભૂતિયા નોટો નથી કે તે અદૃશ્ય રહીને ફરતી હોય. બનાવટી નોટો ક્યાંથી આવે છે તે બાબતથી ભારતનું જાસુસી તંત્ર અજાણ હોય તેવું ન બની શકે.

“બનાવટી નોટોનું અસ્તિત્વ” અને “વિમુદ્રીકરણ” શબ્દ પ્રયોગો, નહેરુવીયન કોંગ્રેસ માટે અજાણ્યા ન હતા. પણ નહેરુવીયન કોંગ્રેસમાં નિયતની અને નિષ્ઠાની ખોટ હતી.

બજારમાં ફરતી નોટોને હિસાબ કિતાબમાં લાવવા માટે વિમુદ્રીકરણ જરુરી હતું. આ કામ નરેન્દ્ર મોદીની સરકારે કરી બતાવ્યું. કારણ કે તેમની નીતિ વિષે તેમની નિયત હતી અને તેમની નિષ્ઠા પણ હતી. તેમને ભારતની જનતામાં પણ નિષ્ઠા હતી કે જનતા તેમને સાથ આપશે જ. અને તેમજ થયું.

સરકારી કાર્યવાહી ચાલુ થઈઃ

ભારતમાં કેટલાક ધંધા ૬૦ ટકા થી લઈને ૯૫ ટકા બીલ વગર જ થતા હતા. આ વાત ઓછામાં ઓછી ૬૦ વર્ષ જુની છે. બીલ વગરના ધંધા થાય એટલે સરકારને કર (ટેક્ષ) તો ન જ મળે. સ્થાવર મિલ્કતના હસ્તાંતરણમાં કાળું નાણું ૪૦ ટકાથી ૬૦ ટકા હોય છે. કાળા નાણાંની આ હેરફેર એક સામાન્ય વાત છે. આ નાણાંની હેરફેર સરકારી ચોપડે નોંધાતી નથી. એટલે તે દ્વારા થતી આવક પણ ન જ નોંધાય. નોટબંધી દ્વારા સરકારને ખબર તો પડી જ કે ક્યાં અને કેટલું આવું નાણું કોઈ એક ક્ષણે કોની પાસે કેટલું હતું. એટલે લાખો માણસો ચોપડે નોંધાયા. એટલે સરકારી કાર્યવાહી ચાલુ થઈ.

આ નોટબંધીને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત અર્થશાસ્ત્રી એવા આપણા ભૂતપૂર્વ  વડાપ્રધાને “આયોજન પૂર્વકની લૂંટ” તરીકે ઓળખાવી. આવી વ્યક્તિ અવિશ્વસનીય બને તો શું બને? કાં તો આવી વ્યક્તિ પોતાની જાતને ધૂર્ત સિદ્ધ કરે છે કાંતો પોતાને પપ્પુ સિદ્ધ કરે છે. આપણા પપ્પુ ભાઈ ગુડ્ઝ સર્વીસ ટેક્ષને ગબ્બર સિંહ ટેક્ષ તરીકે ઓળખાવે છે. કારણ કે તેમાં જી.એસ.ટી.નો પ્રાસ છે. પ્રાસ મળતો હોય તો અર્થ પણ સમાનાર્થી જ ગણી લેવાનો. સાધ્યં ઈતિ સિદ્ધં . આપો આપ સિદ્ધ થઈ જાય છે એટલે સિદ્ધ કરવાની ભાંજગડ નહીં. એવો તર્ક અમુક સુજ્ઞ જનોમાં પ્રવર્તે છે.

આ રીતના સાધ્યં ઈતિ સિદ્ધમાં માનવાવાળા બીજા સુજ્ઞ લોકો કોણ છે?

રજ્જુ અને સર્પ

અદ્વૈતની માન્યતાનું પ્રતિપાદન કરનારા શંકરાચાર્યે એક “રજ્જુ સર્પ” નો દાખલો આપતા હતા.

“રજ્જુ અને સર્પ” એ વળી શું છે?

જો કોઈ એક જગ્યાએ દૂર એક દોરડું પડ્યું હોય તો કોઈ દોરડાને સાપ માની લે અને તેનાથી ભય પામે. પણ જ્યારે એને ખબર પડે કે આ તો દોરડું છે ત્યારે તેનો તે ભય દૂર થઈ જાય. એટલે કે ફક્ત બાહ્ય અને તેપણ દૂરના દેખાવ ઉપરથી ધારણા બાંધી લેવી તે અતાર્કિક અને અજ્ઞાન છે. જ્યારે આ અજ્ઞાન દૂર થાય ત્યારે હકિકતનું ભાન થાય છે અને ભય દૂર થાય છે.

આ તો શંકરાચાર્યના વખતની ચર્ચા છે. તે વખતે પણ હાલના કટારીયા મૂર્ધન્યોની જેમ વિતંડાવાદીઓ હતા. તેમાંના એકે એવી દલીલ કરી કે જો દોરડા ઉપરથી સર્પની કલ્પના થઈ કે જે સર્પ અસ્તિત્વ ધરાવતો ન હતો. પણ ક્યાંક બીજે તો સર્પ અસ્તિત્વ ધરાવતો હતો જ. એટલે દોરડું અને સર્પ બંને અસ્તિત્વ તો ધરાવે જ છે. તેથી જો “બે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય” તો અદ્વૈત-વાદનો ધ્વંસ થાય છે. શંકરાચાર્યે કહ્યું કે ઉપરોક્ત સરખામણીમાં ઉપમાને સરખાવી છે. ઉપમા જે છે તે અજ્ઞાનની છે. ભયનું કારણ અજ્ઞાન છે. અભયનું કારણ જ્ઞાન છે.

પણ જો કોઈ લોકો દોરડાને, સર્પ જ સમજાવવામાં માનતા હોય તો?

જો કે એવા વિદ્વાનો શંકરાચાર્યના યુગમાં હતા કે નહીં તે આપણે સચોટ રીતે જાણતા નથી. કારણ કે જેમણે જેમણે શંકરાચાર્યે ચર્ચા કરી તેમણે પોતાનો પરાજય સ્વિકારી લીધેલ. પણ હાલના જમાનામાં વિદ્વાનોમાં આવી માનસિકતા નથી. હાલના વિદ્વાનો તો કદાચ પોતે તો સમજતા પણ હોય, પણ તેઓ એવું ઈચ્છતા નથી કે જનતા આ સમજે. તેઓ એવું ઈચ્છતા નથી કે જનતા સમજે કે વિમુદ્રીકરણ અને જી.એસ.ટી. રુપી દોરડાને દોરડું માને અને સમજે કે આ દોરડાથી પાણીની સગવડ થશે અને ચોરોને બાંધી શકાશે. આજના વિદ્વાનો તો જનતાને એમ જ સમજાવવા માગે છે કે આ વિમુદ્રીકરણ અને જી.એસ.ટી. તો કાળોતરો વિષધર નાગ છે અને તે સમાજને ભરખી જશે.

એક કટારીયા લેખકની માનસિકતા જુઓ

વિમુદ્રી કરણ વિષે એક કટારીયા વિદ્વાનની નિમ્નલિખિત સમજણ વાંચો કે તેઓશ્રી જનતાને કેવો સંદેશ આપે છે.

એક તળાવ હતું. તેમાં મોટી સંખ્યામાં માછલીઓ રહેતી હતી. આ તળાવમાં મગરમચ્છ પણ હતા. મગરમચ્છને મારવાના હતા. એટલે તળાવનું પાણી કાઢી નાખ્યું. તો હવે શું થયું? પાણીના અભાવે માછલીઓ મરી ગઈ. મગરમચ્છો તો બીજે ચાલ્યા ગયા.

આને જો તાર્કિક ભાષામાં લખીએ તો એમ લખાય કે એક તળાવમાં રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-ના ચલણરૂપી પાણીમાં ગરીબો રૂપી માછલીઓ અને કાળાનાણાંધારી મગરમચ્છો રહેતા હતા.

હેતુ પાણીને શુદ્ધ કરવાનો અને મગરમચ્છોને પકડવાનો હતો. પાણીને શુદ્ધ કરવા માટે દુષિત પાણીને કાઢી નાખ્યું. એટલે ગરીબો મરી ગયા. અને મગરમચ્છોએ પોતાનો રસ્તો કરી લીધો.

પાણી=૫૦૦ અને ૧૦૦૦ ચલણી નોટો.

માછલીઓ=ગરીબ માણસો

મગરમચ્છો=કાળાનાણાંવાળાઓ

નહેરુવીયન કોંગ્રેસીઓની સરકારે આપેલા આંકડા પ્રમાણે ભારતના ૯૫% માણસોની માસિક આવક રૂ.૫૦૦૦થી ઓછી છે. અને શૂન્ય પછીના આવતા દશાંશ બિન્દુ પછી એક થી વધુ શૂન્ય લખીને (૦.૦૦… ટકા )આંકડો પાડીએ તેટલા લોકો આવકવેરાના ફોર્મ ભરે છે. આવકવેરો તો તેથી પણ ઓછા લોકો ભરે છે. એટલે વાસ્તવમાં જે લોકો નોટો બદલાવવા ઉભા હતા તેઓમાંના મોટાભાગના તો કોઈકની સેવા કરતા હતા.

ગળાડૂબ કાદવમાં રહેલા પાડાઓ

એટલે આમ જુઓ તો તળાવના ચારે તરફના કિનારાઓ ના કાદવમાં જે પાડાઓ હતા તે કાદવને કાઢી નાખ્યો એટલે કે જે પાડાઓ બધા કાદવમાં પડ્યા પાથર્યા ગળાડૂબ રહેતા હતા અને મસ્તી કરતા હતા તે બધા દેખાતા થઈ ગયા. કાદવ કરતાં પાતળું પાણી (રૂ.૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ચલણી નોટો) હતું તેમાં રહેલી માછલીઓને તો કશો વાંધો ન આવ્યો.  

હવે તમે જુઓ. પાણી એટલે  ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો નથી. પાણીમાં રૂ. ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ ની નોટો પણ આવે. ગરીબ માણસોની પાસે તો આવી જ નોટો હોય. તેમની પાસે કદીય ૨૫૦૦૦ રૂપીયા અને તેપણ ૫૦૦ની કે ૧૦૦૦ની ચલણી નોટોમાં અને તે પણ મહિનાની આખર તારીખના દિવસોમાં હોય જ નહીં. અમારા જેવા ગ્રુપ-એમાં આવતા કેન્દ્રીય કર્મચારી નિવૃત્ત થયા ત્યાં સુધી રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટોમાં પગાર મેળવવા ભાગ્યશાળી થયા નથી. તેમજ નિવૃત્ત થયા પછી પણ દશ પંદર વર્ષ સુધી (૨૦૧૨સુધી) નોકરી કરી તો પણ રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટોમાં પગાર મેળવવા ભાગ્યશાળી થયા નથી. હવે જો હાલના ગરીબો મહિનાના આખરના દિવસોમાં પણ ૨૫૦૦૦થી વધુ મૂલ્યની  રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટો રાખી શકતા હોય તો નહેરુવીયન કોંગ્રેસના નેતાગણે અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ નરેન્દ્ર મોદીને સલામ ભરવી જોઇએ કે જે નરેન્દ્ર મોદીએ ભારતના ગરીબોની હાલત આટલી બધી સારી અને તેપણ ફક્ત ત્રણ વર્ષમાં જ કરી દીધી.

કટારીયા વિદ્વાનો કે જેઓ તળાવ, માછલાં અને મગરમચ્છના ઉદાહરણ કે તેને સમકક્ષ ઉદાહરણો આપતા હોય તેઓ કાંતો ઠગ છે કે કાં તો તેઓ પપ્પુભાઈ છે. આ બે માંથી એક વાત તો તેમણે કબુલ કરવી જ પડશે.

નહેરુને જનોઈ આપ્યું

મૂંગા રહ્યા હોત તો પણ ચાલત. પણ પપ્પ્પ્પુ ભાઈઓ થોડા મૂંગા રહી શકે?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એક ભાઈ વિદેશથી આવેલા. તેમની સાથે તેમના મિત્ર પણ હતા. મિત્રભાઈએ કહ્યું “હું તારી સાથે નહીં આવું. કારણ કે તું ગપ્પાં બહુ મારે છે. એટલે વિદેશથી આવેલ ભાઈએ કહ્યું, કે જ્યારે તને એવું લાગે કે હું ગપ્પું મારું છું ત્યારે તારે મને ચેતવવા “છીસ…” એમ સિસકારો કરવો એટલે હું મારું મારું ગપ્પું સુધારી દઈશ.

વિદેશથી આવેલા આ ભાઈ અને તેમના મિત્ર, એક મંડળીમાં બેઠા હતા. વિદેશથી આવેલા ભાઈ બોલ્યા કે “અમારે ત્યાં તો સો સો માઈલ લાંબા સાપ હોય છે.”

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યાઃ” પણ આવા લાંબા સાપ તો અમે જોયેલા નથી. પણ અમારા વિસ્તારમાં તો એકાદ માઈલ લાંબા જ સાપ હોય”.

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યાઃ જો કે આવા સાપ પણ આમ તો દૂર દૂર. પણ અમારા પોતાના વિસ્તારમાં તો એકાદ ફર્લાંગ જેટલા લાંબા જ સાપ થતા હતા.

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યા “છીસ.. ને બીસ…, હવે તો હું એક તસુ પણ ઓછું નહીં કરું”

આપાણા પપ્પુભાઈ બોલ્યાઃ “નરેન્દ્ર મોદીએ ૪૫૦૦૦ કરોડ એકર ભૂમિ ઉદ્યોગપતિને દાનમાં આપી દીધી.” આ “જીભ લપસી ગઈ” એમ નથી. તેઓશ્રી બે સભામાં આવું બોલ્યા હતા. હવે આપણા પપ્પુભાઈને “છીસ … કારો” કરવા વાળા તો હોવા જોઇએ કે નહીં? પણ નથી. કારણ કે બધા પપ્પુભાઈઓ જ છે.

Read Full Post »

%d bloggers like this: