Feeds:
Posts
Comments

Archive for September, 2019

“પાયામાં તું પુરાઈ જાજે … કળશના ચમકારા”

પાયામાં તું પુરાઈ જાજેકળશના ચમકારા

એક ભાઈ વાત લાવ્યા કે ભારતને સ્વતંત્રતા કોણે અપાવી? ચર્ચા ચાલતી હતી અને એક નવા ભાઈએ પ્રવેશ કર્યો. એમણે કહ્યું કે ભારતને સ્વતંત્રતા ઇન્દિરા ગાંધીએ અપાવી. અને તેમણે સાબિત કરી દીધું કે ઇન્દિરા ગાંધીએ(*) ભારતને સ્વતંત્રતા કેવી રીતે અપાવી. જો કે જમાનો હતો કે બધી કહેવાતી સફળતાઓ ઈન્દિરાને નામ કરવી.

જ્યારે કટોકટી ચાલતી હતી, ત્યારે ભારતની અધોગતિના કારણો ઉપર ચર્ચા ચાલતી હતી. ભારતની અધોગતિનું સૌથી મોટું કારણ શુ? એક ભાઈએ કહ્યુંઈશ્વરચંદ્ર વિદ્યાસાગર”.

ઉપરોક્ત બે મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા નહીં કરીએ. પણ જેને બે કારણો જાણવા હોય તેઓ મને અંગત રીતે લખે કારણ કે કારણો જરા સુરુચિનો ભંગ કરે એવા છે.

નર્મદા પરિયોજનાનો યશ કોને આપવો?

BHAIKAKA AND SARDAR PATEL

તેથી પણ વિશેષ, કે નર્મદા યોજનાનો યશ કોને આપવો? તમે અવશ્ય જોઇ શકો છો કે બીજેપી તરફી ગ્રુપ, યોજના પૂર્ણ કર્યાનો  યશ કોંગ્રેસને મળે એમ અભિપ્રાય આપશે. તેવી રીતે જે કેટલાક કટારીયા  મૂર્ધન્યોનો કોંગી (કોંગ્રેસ તો કહેવાય) તરફનો ભ્રમ ભાંગ્યો નથી, તેઓ યોજના પૂર્ણ કરવાનો યશ બીજેપી ને જેમ બને તેમ ઓછો મળે તે માટે માથાફોડ કરશે. તે માટે સરદાર પટેલના નામનો ભોગ આપવો પડે તો આપવો.

હાલની નવી જનરેશન માટે તો બધુંબકરીકી તીન ટાંગની વાત જેવું છે.

બકરીકી તીન ટાંગએટલે શું?

એક સ્ટેજ હતું. સ્ટેજ ઉપર થોડા અગ્રણીઓ બેઠેલા. બે વક્તાઓ હતા. અને પ્રેક્ષકો હતા. વિષય હતો કે બકરીને કેટલી ટાંગ (પગ) હોય. એક વક્તા હતા તેણે બકરી જોયેલી. તેમણે કહ્યું કે બકરીને ચાર ટાંગ હોય. બીજા વક્તાએ બકરી નામનું પ્રાણી  જોયેલું નહીં પણ તેમનો દાવો હતો કે તેમણે બકરીઓ જોયેલી છે. જે અગ્રણીઓ હતા તેમણે બકરી નામના પ્રાણીને જોયેલું નહીં. પણ અગ્રણીઓ બીજા વક્તાના વળના હતા. અગ્રણીઓએ બકરી નામના પ્રાણીને જોયું હોય તો પ્રેક્ષકોએ તો ક્યાં થી જોયેલું હોય?

ચર્ચાને અંતે સિદ્ધ થયેલું માનવામાં આવ્યું કે બકરી નામના પ્રાણીને ત્રણ ટાંગ હોય.

૧૯૪૨માં જેઓ યુવાન હતા તેઓ અત્યારે કાં તો પ્રભુના પ્યારા થઈ ગયા છે કે વાર્ધક્યમાં પહોંચી ગયા છે. તેમનો સ્મૃતિદોષ હોય તો પણ સુજ્ઞ જનથી સભ્યતાને ખાતર તે તરફ આંગળી ચીંધી શકાય. પણ હવે ક્યારેકન્યાયાર્થે નિજ બંધું કો ભી દંડ દેના યોગ્ય હૈ હિસાબે કોણ કેટલું સાચું છે તે સમજીએ.

શું વાર્ધાક્યે પહોંચેલા પણ માહિતિને અભાવે ખોટા તારણો પર આવતા નથી?

હાજી. વિદ્વાન અને બહુશ્રુત વ્યક્તિઓ પણ માહિતિના અભાવે ખોટા તરણો પર આવે છે.

જેમકે મોરારજી દેસાઈએ કહેલ કે પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે મહાત્મા ગાંધી ઉપવાસ ઉપર બેઠા હતા.

માન્યતા અનેક લોકોની છે.

જેઓ ને ગાંધીજીના નિયમોની અને પ્રણાલી ખબર છે તેઓમાંથી કેટલાકે બરાબર તપાસ કરી નથી. “પ્રણાલીશબ્દને બદલે ગાંધીજીનોસિદ્ધાંતકહેવો વધુ ઠીક કહેવાશે. પ્રણાલી સિદ્ધાંત ઉપર નિયમિત છે. જ્યારે પણ ગાંધીજી સત્યાગ્રહની ઘોષણા કરતા ત્યારે તેઓ તે પૂર્વે જેની સામે સત્યાગ્રહ કરવાનો હોય, તેને પહેલાં ચર્ચા માટે માગણી કરતો લેખિત સંદેશો મોકલતા. તેમની પત્રિકામાં પણ છાપતા. જો સત્યાગ્રહ સરકાર સામે હોય કે હોય તો પણ સરકારને તો અવશ્ય જાણ કરતા. જો ચર્ચાનો અસ્વિકાર થાય અથવા ચર્ચા અસફળ થાય અને ચર્ચા બંધ થાય અથવા સરકાર મુદત પણ માગે તો પછી સત્યાગ્રહની નોટીસ આપતા. નોટીસમાં બધું વિવરણ આપતા.

ઉપરોક્ત કિસ્સામાં ગાંધીજીએ જે નોટીસ આપેલી તેમાં ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા બાબતનો કોઈ મુદ્દો હતો નહીં. વાસ્તવમાં ગોડસે પોતાના બચાવમાં ન્યાયાલયમાં તત્કાલિન હાથવગો મુદ્દો ઉમેરેલો.

અગાઉ એટલે કે જ્યારે ગોડસે ગાંધીજીની હત્યા કરવામાં સફળ થયો તે પહેલાં, જ્યારે ૫૫ કરોડનો મુદ્દો અસ્તિત્વ ધરાવતો હતો, ત્યારે પણ ગોડસેએ, ગાંધીજીની હત્યા કરવાના બે નિસ્ફળ પ્રયત્ન કરી ચૂક્યો હતો. હવે જો મોરારજી દેસાઈ જેવા પણ ગેરસમજણ ધરાવવામાંથી મુક્ત રહી સકે તો આપણા સમાચાર પત્રોના મૂર્ધન્યો વળી કઈ વાડીના મૂળા?

નર્મદા યોજનાની વાત કરીએ.

MORARJI DESAI AND OTHERS STRUGGLED FOR NARMADA PROJECT

૧૯૫૦ થી ૧૯૬૯ સુધીનો સમય કોંગ્રેસની આંતરિક અંધાધુધીનો સમય હતો. સરદાર પટેલ ગુજરી ગયા પછી નહેરુનીલોકપ્રિયતાની કક્ષાનોકોઈ નેતા કોંગ્રેસમાં રહ્યો હતો. જો કે મૌલાના આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, ચક્રવર્તી રાજ ગોપાલાચારી જેવા નેતાઓ હતા ખરા પણ ખાસ કરીને સમાચાર માધ્યમોને લીધે અને નહેરુના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનની પ્રસિદ્ધિઓને લીધે લોકપ્રિયતામાં નહેરુનો આંક ઉંચો હતો. બધું હોવા છતાં પણ ૧૯૫૨માંની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને જે પ્રચંડ બહુમતિ મળી તે ગોલમાલથી ભરેલી હતી. કોંગ્રેસ સંગઠન નહેરુનું ખાસ તાબેદાર હતું. જોકે, કોંગ્રેસ સંગઠન (કેન્દ્રીય કારોબારી મંડળ)ના સદસ્યો પણ બધી વાતોમાં એકમત હતા. નહેરુએ આનો લાભ લીધેલો. નહેરુ બધી પોતાની ધોરાજી ચલાવ્યા કરતા અને જરુર પડ્યે  નહેરુ અવારનવાર રાજીનામાની ધમકી આપી પોતાનું મનધાર્યું કરાવી લેતા.

ગુજરાતની વાત કરીઓ મોરારજી દેસાઈ સૌથી મોટા અને કાબેલ નેતા હતા.

જેમ વલ્લભભાઈની બદબોઈ નહેરુના પીઠ્ઠુઓ કરતા, તેમ તે પછી પીઠ્ઠુઓ મોરારજી દેસાઈની તેમના પુત્રને ફાયદો કરાવ્યાની અધ્ધરતાલ વાતો કરી મોરારજી દેસાઈની બદબોઈ કર્યા કરતા.

જો કે ગુજરાતના કેટલાક વર્તમાન પત્રો ગાંધીવાદી હતા તે બધા મોરરજી દેસાઈની તરફમાં લખતા પણ વર્તમાન પત્રો નહેરુની વિરુદ્ધમાં લખવાનું ટાળતા.

૧૯૪૭માં કચ્છ અને સૌરાષ્ટ્ર અને મુંબઈ અલગ રાજ્ય હતા. મુંબઈની અંદર ગુજરાત,રાજસ્થાન નો કેટલોક ભાગ, મહારાષ્ટ્ર કોંકણ અને કર્ણાટક હતા. કચ્છ એક મોટું  દેશી રાજ્ય હતું એટલે તે અલગ હતું, જેવી રીતે હૈદરાબાદ, મ્હૈસુર અને જમ્મુકાશ્મિર અલગ રાજ્ય હતાં.

૧૯૫૭ની સામાન્ય ચૂટણીમાં  કોંગ્રેસનો મહારાષ્ટ્રમાં ધબડકો થયો. અને સત્તા ટકાવી રાખવા કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર ને જોડીને મોટું રાજ્ય બનાવ્યું.

નહેરુ જ્યાં સુધી પોતાની ખૂરસી ને આંચ આવે ત્યાં સુધી ઇન્દિરાની જેમ અનિર્ણાયકતાના કેદી હતા.

નર્મદા યોજનાની કલ્પના ૧૯૩૦માં થયેલી એમ ભાઈકાકાએ (ભાઈલાલ ભાઈ પટેલ , સરદાર વલ્લભભાઈ પટેલ શૈક્ષણિક નગરના સ્થાક) કહેલું.

આમ તો ભાકરા નાંગલ અને નર્મદા યોજનાની કલ્પના સ્મકાલિન હતી. પણ નહેરુને નર્મદા યોજનામાં રસ હતો. કારણ કે યોજના સરદાર પટેલે અને ભાઈકાકાની ટીમે બનાવી હતી.  

ગુજરાતની નર્મદા યોજના ઉપરાંત બારગી, તવા અને પુનાસા જેવી કુલ સાત યોજનાઓ પણ નર્મદા નદી ઉપર હતી.

૧૯૬૧માં નહેરુચાચાએ શીલા રોપણ કર્યું. ગુજરાત અલગ રાજ્ય થયું અને મધ્ય પ્રદેશ અલગ રાજ્ય થયું. એટલે રાજ્યોને ઝગડાવવામાં તો નહેરુની કોંગ્રેસ માહેર હતી. મધ્ય પ્રદેશ અને ગુજરાતના મુખ્ય પ્રધાનો વચ્ચે સમજુતી થઈ કે તબક્કા વાર નર્મદા ડેમની ઉંચાઈ ૪૨૫ ફુટ સુધી વધારવી. પણ પછી મધ્યપ્રદેશ સમજુતીમાંથી ફરી ગયું.

હજુ ગુજરાત કોંગ્રેસ, “ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસબની હતી. એટલે મોરારજી દેસાઈના પ્રેસરથી ખોસલા કમીટી બનાવાઈ અને તેણે એક વર્ષમાં તો પોતાનો રીપોર્ટ આપી દીધો. બંધની ઉંચાઈ તબકાવાર ૫૦૦ફુટની કરવી એમ નિષ્ણાતોનો અભિપ્રાય હતો.  

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં નર્મદા યોજના પણ કે મુદ્દો હતો. ૫૦૦ ફુટની ઉંચાઈ સુધી લઈ જઈ શકાય તેમ હતું. તે ખરું પણ મધ્યપ્રદેશ તે વાતને કન્ફર્મ કરતું હતુંભાઈ કાકા કહેતા હતા કે જેટલી યોજનાઓ નર્મદા નદી ઉપર કરવી હોય તેટલી યોજનાઓ મધ્યપ્રદેશ ભલે કરે. નર્મદામાં પુષ્કળ પાણી છે. એટલે નર્મદાની નવાગામ ડેમની ઉંચાઈ ઘટવી જોઇએ.

૧૯૬૭ની ચૂંટણીમાં કોંગ્રેસ હારતાં હારતાં બચી ગઈ હતી.

નર્મદા યોજનામાં ત્રણ રાજ્યો સંડોવાયેલા છે. ત્રીજું રાજ્ય હતું મહારાષ્ટ્ર. “ઉસકા ડીચ તો મેરા ભી ડીચકરીને મહારાષ્ટ્ર પણ કુદી પડ્યું હતું.

ત્રણ કિલોમીટરની લંબાઈમાં, નર્મદા નદી, ઉત્તરમાં મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્રને વિભાગે છે, અને ગુજરાતમાં દાખલ થાય છે.

યોજનાઓમાં રાજકારણ ઘુસે અને તેમાં પણ જ્યારે એક પક્ષ કોંગ્રેસ હોય, તો પછી જે થવાનું હોય તે થાય. આંતરિક ખટપટોમાં યોજનાઓનો પણ ભોગ લેવાય ત્યારે જનતાએ તે પક્ષને ઓળખી લેવો જોઇએ.

ગુજરાતના સદ્ભાગ્યે ગુજરાતમાં મોરારજી દેસાઈ વાળું ગ્રુપ  સંસ્થા કોંગ્રેસ સત્તા ઉપર હતું. એટલે તેણે ૧૯૬૯માં ટ્રીબ્યુનલની સ્થાપના કરાવી દીધી.

કોંગ્રેસ પક્ષ વિભાજિત થઈ ગયો. ઇન્દિરા ગાંધીનો જ્વલંત વિજય થયો.

ત્રણે રાજ્યોમાં ઇન્દિરાએ પોતાના મનપસંદ મુખ્ય મંત્રીઓ રાખ્યા હતા.

જો ઇન્દિરા ગાંધી ધારત તો ત્રણે રાજ્યોની સરકારો વચ્ચે સમજુતી કરાવી શકત અથવા તો ટ્રીબ્યુનલ પાસે જલ્દી ચૂકાદો લેવડાવી શકે તેમ હતું. પણ ઇન્દિરા નહેરુ ગાંધી જેનું નામ. પોતે સત્તા ઉપર હતી તે દરમ્યાન કોઈ ચૂકાદો આવવા દીધો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અને તેનો પક્ષ હાર્યા. જનતા પાર્ટી આવી અને ટ્રીબ્યુનલનો ચૂકાદો ૧૯૬૮માં આવ્યો.

ઇન્દિરા ગાંધીએ પર્યાવરણ મંત્રાલય ઉભું કરેલું. અને પછીતો એનજીઓ, પર્યાવરણના રક્ષકો, વિસ્થાપિતોની પુનર્વસવાટ અને તેના ખર્ચા અને અમલએવી અનેક બાબતોના પ્રશ્નો ચગાવવામાં આવ્યા. વિશ્વબેંકને થયું કે સંઘ કાશીએ પહોંચે તેમ નથી. એટલે તેણે લોનનો અમુક હિસ્સો પાછો ખેંચી લીધો. ગુજરાતમાં વળી પાછી ઇન્દિરા કોંગ્રેસ આવી ગઈ હતી. યોજનાનો અને તેના આનુસંગિક ખર્ચાઓ નો મોટો ભાગ ગુજરાતની કેડ ઉપર લાદ્યો. નર્મદા યોજના ખોડંગાતી ખોડંગાતી ચાલી.

જો નિર્ણાયક યોગદાનના ભાગીદારોની સૂચિ બનાવીએ તો તેમાં વલ્લભભાઈ પટેલ, ભાઈલાલ ભાઈ પટેલ, હિતેન્દ્ર દેસાઈ (સંસ્થા કોંગ્રેસના વળના), બાબુભાઈ જશભાઈ પટેલ, મોરારજી દેસાઈ,  જનતાદલ (જી) ના ચિમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી, બધાં નામો આવે.

માધવભાઈ સોલંકી, અમરસિંહ ચૌધરી, શંકર સિંહ વાઘેલા, દિલીપ પરીખ, સુરેશ મહેતા, શોભાના ગાંઠીયા હતા. કેટલાક તો પણ હતા

નહેરુવીયનોનો ગુજરાત પ્રત્યેનો દ્વેષ જાણી તો છે.

૧૯૫૦ના દશકામાં સૌરાષ્ટ્ર  રાજ્ય હતું ત્યારે સૌરાષ્ટ્રમાં જે પાકા રાજમાર્ગો થયા તે થયા. દ્વીભાષી રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કોઈ રસ્તા પાકા થયા હતા. બીજા રાજ્યો તો કોલંબોપ્લાન થી પણ આગળ નીકળી ગયેલ. જ્યારે ગુજરાતમાં કોલંબો પ્લાનથી પણ ઓછા રસ્તા થયેલ. ૫૦ના દશકામાં હમેશા વાત ઉઠતી કેગુજરાતને અન્યાયથાય છે. તે વખતે પણ કેટલાક હૈયા ફુટ્યા વર્તમાન પત્રો વાતને જૂઠી સાબિત કરવા મથામણ કરતા.

ગુજરાતમાં એક પણ કેન્દ્રીય જાહેર ઉપક્રમ સ્થપાયા હતા. ભાવનગરતારાપુર, મશીન ટુલ્સ નું કારખાનુંબધું ઇલ્લે ઇલ્લે રહ્યું હતું. મીઠાપુરના તાતાના ઉપક્રમને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાતમાં મોટેભાગે જે કંઈ થયું તે ગુજરાતીઓએ પોતાના બાહુબળ થકી કરેલ.

૨૦૦૪ થી ૨૦૧૪ ના કોંગી શાસન દરમ્યાન પણ સરદાર ડેમ ઉપર દરવાજા લગાવવાની મંજુરી મનમોહન સરકારે આપી હતી. જ્યારે વાત નરેન્દ્ર મોદીએ, કોંગ્રેસ વિરુદ્ધ  જાહેર કરી ત્યારે મનમોહને આપેલ ઉત્તર કેટલો હાસ્યાસ્પદ હતો, તે વાત કોંગીયોની માનસિકતા છતી કરે છે.

જો કોંગીઓના હૈયે ગુજરાત અને દેશનું હિત હોત તો તાતાની મીઠાપુરની બહુયામી યોજના અને કલ્પસર યોજના ક્યારનીય પુરી થઈ ગઈ હોત.

ક્યાં ૧૯૪૬ થી ૧૯૬૪ અને ક્યાં ૧૯૪૬થી ૨૦૧૬?

જે કોંગીએ ભાખરા નાંગલ અને નર્મદા યોજના એક સાથે પરિકલ્પિત કરેલી તેમાં ભાખરા નાંગલને કશી મુશ્કેલી આવવા દીધી, અને તે ૧૯૬૪માં પુરી થઈ ગઈ. અને નર્મદા યોજના ૧૯૬૬માં પૂરી થવાને બદલે ૨૦૧૬માં પણ પુરી થવા દીધી, તે કોંગીઓને નર્મદા યોજનામાં તેમનો સિંહફાળો હતો તેમ કહેતાં લાજ આવતી નથી.

૧૯૭૫માં મોરારજી દેસાઈએ સાચું કહેલું કે ઇન્દિરા ગાંધીએ નર્મદા યોજના બાબતે ગુજરાતના પેટમાં છરી ખોસી છે.

નરેન્દ્ર મોદી; અર્વાચીન યુગનો ભગીરથ

NARMADA AVATARANAM

નર્મદા યોજના પુરતી નથી. નર્મદાના નીર અને સૌરાષ્ટ્રની નદીઓને જોડવાની યોજના પણ જરુરી છે. આ છે નર્મદા અવતરણમ્‌. આ બધું પુર ઝડપે ચાલે છે. નર્મદામાં અખૂટ પાણી છે. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન થયા પછી સૌપ્રથમ કામ નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવાનું કર્યું એટલે જ્યારે ઠીક ઠીક વરસાદ પડે તો નર્મદા ડેમમાં વધુને વધુ પાણી ભરી શકાય.

શિરીષ મોહનલાલ દવે

https://www.treenetram.wordpress.com

Read Full Post »

ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?

કોણ તોડશે મિલીભગત?

ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?

સરકારી કાર્યાલયોમાં મોટે ભાગે ગાડી આગળ હોય અને પાછળ ઘોડો હોય છે. આનો અર્થ ફક્ત એટલો છે કે જે કામ પહેલાં કરવાનું હોય તે પહેલાં નહીં કરવાનું પણ જે કામ પહેલાં કરવાનું હોય તે કામ પહેલાં કરવાનું. અને જે કામ પહેલાં કરવાનું હોય તે થોડું ઘણું કરવાનું અને પછી હરિ હરિ. એટલે કે નહીં કરવાનું.

તમને આશ્ચર્ય લાગશે કે ૧૯૮૩ના ચોમાસામાં મુંબઈમાં ભારે વરસાદ પડેલો. હાઈ કોર્ટે દખલ કરેલી કે માસમાં ખાડાઓ પૂરી તો. કામ વીસ વર્ષ સુધી ચાલેલ. જેટલા રસ્તા સીમેંટ કાંકરેટના કર્યા તે ખાડા વગરના થયા. પણ આપણા કમીશ્નરો એવા ડાહ્યા કે ડાબી બાજુની  ફુટપાથ ના એન્ડથી જમણી બાજુની ફુટપાથના એન્ડ સુધી ને રસ્તો ગણ્યો. એટલે મુંબઈને ખાડા વગરનું કરવાની તેમની દાનત નહતી.

આમેય મુંબઈમાં વરસાદ તો ઘણો પડે છે. એટલે જો ક્યારેક દિવસમાં ઘણા કલાક જોરદાર  સતત વરસાદ પડે  તો રસ્તાઓ બંધ થઈ જાય અને રેલ્વે ટ્રેનો પણ બંધ થઈ જાય.

રસ્તાઓ શું કામ બંધ થઈ જાય?

રસ્તાઓ એટલા માટે બંધ થઈ જાય (એટલે કે ગોઠણ જેટલા પાણી ભરાઈ જાય) કારણ કે ગટરો બરાબર સાફ હોય એટલે પાણીને જવાની જગ્યા હોય.

ગટરો શા માટે બંધ થઈ જાય?

કારણ કે ગટરોમાં કચરો હોય.

ગટરોમાં કચરો શા માટે હોય?

કારણ કે રસ્તો સાફ કરવાવાળા અને કચરો ઉપાડવાવાળા ભીન્ન ભીન્ન હોય. રસ્તો સાફ કરવાવાળા/વાળી કચરાની ઢગલીઓ કરે અને કચરો ઊઠાવવા વાળા યોગ્ય સમયે (ફાવે ત્યારે) હાથ લારી લઈને આવે અને કચરો ઉઠાવે.

રસ્તો સાફ કરવાવાળી તો હિરોઈનો જેવી સ્ટાઈલીસ્ટ (અદાઓવાળી)  હોય. તેમની અદાઓથી રસ્તો સાફ કરે. ગટરની નજીકમાં નો કચરો તો જો ઢાંકણું ખુલ્લું હોય અને અથવા ગટર ખુલ્લી હોય તો ગટરમાં નાખે. જેટલી ઢગલીઓ ઓછી બને એટલું સારુંને? આપણા ભાઈઓને એટલી ઓછી ઢગલીઓ ઉપાડવી પડે. આપણા મ્યુનીસીપલ કમીશ્નરો આવી કર્મચારીઓની દગડાઈને કારણે, કચરો ભરેલી ગટરો સાફ કરવા માટે, વધારાના કરોડો રુપીયાની જોગવાઈ કરે છે. અને પોતાની પીઠ થાબડે છે. વધારાનો ખર્ચો તેમની સપ્લીમેન્ટરી ખાયકી થઈ. કોન્ટ્રાક્ટર વળી પાછો આમાંથી પણ પૈસા બનાવે. ગટરોની સફાઈ પણ્ ઢગલીસીસ્ટમ થી થાય છે. ઢગલીઓ કરવાનો સમય અને ઢગલીઓ ઉઠાવવા વચ્ચે નો સમય, કલાકો થી દિવસો સુધીનો હોઈ શકે.

પણ આમાં ઘોડો અને ગાડી ક્યાંથી આવ્યા?

ઉપરોક્ત અફલાતુન પ્રણાલી ફક્ત મુંબઈની વાત નથી. પ્રત્યેક મહાનગર, નગર, ગામ અને  ગામડાં,  બધાની આવી રીતરસમો છે.

રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહે એટલે નગરપાલિકાના લાગતા વળગતા કર્મચારી (અધિકારીઓ સહિત)ને ઘી કેળાં થઈ જાય છે. રસ્તો ગમે ત્યારે બનાવ્યો હોય પણ તેમાં નબળો બન્યો હોય તો પણ સબળામાં ખપાવી શકાય.

ટેન્ડર ના સ્પેસીફીકેશન એટલા નબળાં અને ક્ષતિપૂર્ણ હોય કે ખાડાઓને અવકાશ રહે . રીસરફેસીંગનું ટેન્ડર પણ રસ્તાની સમગ્ર પહોળાઈને અનુલક્ષીને આવરે. કારણ કે આવું કરે તો કટકી ક્યાંથી મળે? ફુટપાથોને રસ્તાનો હિસ્સો ગણવો તે પણ કટકી માટે આવશ્યક છે. રસ્તાની કિનારીઓ ફુટપાથ સુધી અડાડવાની જરુર નથી. ફુટપાથ રસ્તાનો ભાગ હોવાથી તેને સમતલ કે પાકી કરવાની જરુર નથી. આવી અણઘડતા તો તમને જ્યાં પગ મુકો ત્યાં જોવા મળશે.

એવા અગણિત સ્પોટ હશે કે જ્યાં તમને ખબર પડે કે તમારે બીજા વાહન સવારોની અરાજકતા થી તમારા વાહન ને બચાવવું કે રસ્તાના ખાડાઓથી તમારા વાહનને બચાવવું!

વાહનવ્યવહારને સરકાર નિયંત્રિત કરે તે આવકાર્ય છે. વાહન ચાલકની અનિયંત્રિતતા બદલ તેનો દંડ કરે તે પણ આવકાર્ય છે. દંડ પ્રમાણ અતિ ભારે હોય તે પણ આવકાર્ય છે.

વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરે અને તમે એટલે કે સરકાર માઈબાપ તેનો દંડ વસુલ કરો પહેલાં તમે પોતે વાહનવ્યવહારના તમારે પોતાને પાળવાની જોગવાઈઓનો તો અમલ કરો. તમે કદાચ કહેશો કે અમે કરીએ છીએ પણ શું થાય સાલો વરસાદ બધું બગાડી નાખે છે. જો કે અમે હવે કૃતનિશ્ચયી છીએ અને અમે અઠવાડીયામાં બધું ઠીક કરી દઈશું.

તમારી આદતો જનતા સુપેરે જાણે છે.

જનતાને ખબર છે કે સરકાર % કામ કરશે. બાકીના ૯૫ટકા કામો તો વર્ષો સુધી અધિકારીઓને દેખાશે પણ નહીં. છાપામાં સમાચાર છપાવશે અમે આટલા હજાર ખાડા પૂર્યા. અમે જનજારુતિ માટે આટલા બોર્ડ લગાડ્યા …. આટલી માનવ સાંકળો કરી અને  કરાવડાવીઆટલી મેરેથોન દોડ કરી…. આટલા જનજાગૃતિના સંવાદો ગોઠવ્યા …. આટલી સોસાઈટીઓમાં જઈને લોકોને સમજાવ્યાહે જનતા, અમે તમારે માટે શું શું નથી કરતા …. !!!

હા ભાઈ કમીશ્નર, તમે બધું કરશો , સિવાય કે તમને જે માટે પગાર મળે તે કામ.

મ્યુનીસીપાલીટીનું બીજું નામ છેશહેર સુધરાઈ”. ગામને સાફ સુથરું રાખવામાં સફાઈ, સુધરાઈ, દબાણ હટાવ, ગેરકાયદેસર બાંધકામ થાય, લોકોની તંદુરસ્તી …. બધું આવી જાય.

ભાઈ કમીશ્નર (કમીશ્નર એટલે આખી નગરપાલિકા નો સ્ટાફ), તમારે બીજું કશું કરવાની જરુર નથી. તમે ફક્ત તમને જે માટે ના પગાર મળે છે તે કામ તેના નિયમો અનુસાર કરો તો તે પૂરતું છે.

સરકારી ટ્રાફિક કંટ્રોલની સીસ્ટમ કેવી છે?

શું તમે જે ૧૦૦ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોને ભંગ કર્યો છે તે સોએ સોને દંડિત કરી શકો છો? વાહન ચાલક ગમે ત્યાં હોય, તેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો એટલે પકડાયો , એવી સીસ્ટમ તમે ઉત્પન્ન કરી છે? ના જી.

૧૦૦ ટકા અસરકારક સીસ્ટમ ઉભી કરવી અશક્ય છે?

ના જી, અશક્ય તો કશું નથી.

તમે દર અર્ધા કિલોમીટરે અને દરેક ચાર રસ્તે સીસીટીવી કેમેરા મુકી શકો છો? મુક્યા છે? ના જી.

જે વાહન ચલાવવાના નિયમ ભંગ કરે તે પકડાય અને પકડાય તેવી સીસ્ટમ બનાવી શકો છો? હાજી. પણ અમે જાણી જોઈને આવું કરતા નથી. કારણ કે અમારે સરકારી નોકરોને પૈસા ખાવા છે.

અમદાવાદમાં અમુક જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. વાહન ચાલકે  સીગ્નલનો ભંગ કર્યો કે તરત સીસ્ટમ દ્બારા આપોઆપ ઉત્પન્ન થયેલો મેમો, વાહન ચાલક્ને મેલ દ્વારા મોકલાઈ જાય. દંડ ભરવાની જવાબદારી વાહન ચાલકની છે. જો તેણે ૧૫ દિવસમાં વિરોધ પણ કર્યો અને પૈસા પણ ભર્યા તો બીજો પેનલ્ટીનો મેમો ઉત્પન્ન થશે.. અને થવો જોઇએ. જો આટલેથી પણ વાહન ચાલક સમજે તો એવી સીસ્ટમ ગોઠવી શકાય કે વાહન ચાલક જ્યારે તે વાહન લઈને રોડ ઉપર નિકળે તો ટ્રાફિક પોલીસના કન્ટ્રોલ રુમમાં એલાર્મ વાગે અને કન્ટ્રોલ રુમના ઓપરેટરને વાહનનું લોકેશન અને નંબરની જાણ કરે.

અમને પૈસા ખાવા દો” 

પણ આવું થયું. કારણ કે જે કંઈ પણ અધકચરી અને મર્આયાદિત ઑટોમેટિક સીસ્ટમ હતી તેને પણ સરકારી અધિકારીઓ નિસ્ફળ બનાવવા માગતા હતા. કારણ કે તેમની ડાબા હાથની કમાઈને ઘાટો પડતો હતો. અમુક વાહન ચાલકોએ પૈસા ભર્યા અને બાકીના વાહન ચાલકોએ પૈસા ભર્યા. ભર્યાનો આંકડો લાખો રુપીયામાં પહોંચી ગયો.

સરકારી અધિકારીઓએ કહ્યું કેવાહન ચાલકો પૈસા નથી ભરતા તો અમે શું કરીએ?” અધિકારીઓના અધિકારીઓને અને મંત્રીઓને વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ.

જૈસા થા વૈસા હી રખ્ખો (જૈસે થે વાદી હોના હમારી પ્રકૃતિ હૈ)”

પહેલાંની જેમ ,  ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર દંડ વસુલ કરે એવું ઠેરવ્યું. સાલા વાહન ચાલકો મેલ દ્વારા મોકલેલ મેમો ની કદર નથી કરતા. અમે શું કરીએ? અમે તે કંઈ મરીએ?

ધારો કે,

ધારો કે કોઈ એક ટ્રાફિક પોલીસે એક વાહન ચાલક કે જેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો તેનો મેમો ફાડ્યો. અને તે વાહન ચાલકે તે પૈસા આપવાની ના પાડી. તો તે ટ્રાફિક પોલીસ શું કરશે? તે ટ્રાફિક પોલીસ તે વાહન ચાલકનું વાહન જપ્ત કરશે. અને કહેશે કે તમે પહેલા પૈસા ભરો પછી તમને તમારું જપ્ત કરેલું  વાહન પરત મળશે.

મેમોના કેસમાં પણ આવું થઈ શકે.

સરકારી માણસ (ટ્રાફિક પોલીસકહેશે કે આવા તો લાખો મેમો ફાટ્યા છે. અમે ક્યાં લાખો ઘરો માં જઈએ. અમારી પાસે એટલો સ્ટાફ ક્યાં છે!!!

અરે ભાઈ, મેમોની લાખોની સંખ્યા તો તમારી લાંબા સમયની નિસ્ક્રીયતાને કારણે થઈ. તમે જો બે પાંચના વાહન ચાલકોને ઘરે જઈને વાહનો જપ્ત કર્યા હોત તો બાકીના અચૂક દંડની રકમ ભરી જાત. પણ ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓને આવું કશું કરવું નથી. એટલે તો અરાજકતા વધતીને વધતી જાય છે.

અમારો વટ પડવો જોઇએ ને !!” સરકાર ઉવાચ.

ટ્રાફિક પોલીસ ગુન્હાસ્થળે પૈસા વસુલ કરે તો તેનો વટ પડે. ટ્રાફિક પોલીસને દંડ કરવાની તો ઠીક, પણ દંડ કરવાની પણ સત્તા મળી જાય છે.

ઘમંડી કે માલેતુજાર વાહન ચાલકોનો પણ વટ પડે. “મને તું ઓળખતો નથી? હું કોણ છું ખબર છે? મને કાયદો અડતો નથી. તને ખબર નથી?” 

ટ્રાફિક પોલિસના સાહેબોને પણ નિરાંત. તેઓ ટ્રાફિક પોલીસ ને કહેશે કે તારે આટલા કેસો લાવવાના, આટલા લખવાના અને આટલા અમને રોકડા આપવાના. તારો ટાર્જેટ. જલસા કર બેટા. તારું પણ ભલું અને મારું પણ ભલું અને આપણા સાહેબોનું પણ ભલું.

સ્થાનિક સરકારની ટ્રાફિકના નિયંત્રણ માટે શું ફરજ છે.

સૌ પ્રથમ તો માર્ગને લગતી વ્યાખ્યાઓ બદલોઃ

() રસ્તો એટલે ફુટપાથ સહિતનો રસ્તો. નાનામાં નાની ફુટપાથ પણ પહોળાઈમાં દોઢ મીટરથી નાની હોવી જોઇએ. આટલી  જગ્યા વ્હીલચેર માટે જરુરી છે. ભલે કમીશ્નરના ભેજાની બહારની વસ્તુ હોય.

() મકાન એટલે રહેણાક કે દુકાન, કે સંકુલ કે જેની રોડ સાઈડ તરફ નિયમ અનુસાર પાંચ મીટર ખુલ્લી, પાકી અને ક્લીયર જગા હોય.

() મકાનના નામ, દુકાનના નામ, સંકુલના નામના સાઈન બોર્ડ ની સાઈઝ અને સ્થાન સુનિશ્ચિત કરો. સંકુલ ના નિયમો બનાવો. દરેક સંકુલમાં અને ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં વોશરુમના નિયમો અને  સાઈન બોર્ડ બનાવોમકાનની બહાર પાર્કીંગના બોર્ડ બનાવો જેથી પાર્કીંગ શોધવું પડે.

() દુકાનો કરવાના નિયમો કડક કરો. દુકાન જેટલા ચોરસ ફુટ ની હોય તેના પ્રતિ સો ચોરસફુટના હિસાબે પાંચ વાહન પાર્કીંગની જગ્યા હોય તો તેને દુકાન કરવાની પરમીશન આપોપાર્કીંગની જગ્યા હોવી તે દુકાનદાર માટે આવશ્યક ગણાવવું જોઇએ. વાસ્તવમાં તો કોમર્સીઅલ કોંપ્લેક્સને મંજુરી આપવી જોઇએ. છૂટક દુકાનોને મંજુરી આપવી જોઇએ. મકાનના અમુક માળ પાર્કીંગ માટે હોવા જોઇએ. પાર્કીંગની દીશા બતાવતા સાઈન બોર્ડ હોવા જોઇએ અને સરળતાથી ધ્યાનમાં આવે  એમ રાખવા જોઇએ. રસ્તા ઉપર એક પણ વાહન  કે લારી ગલ્લો કે પાથરણાવાળો હોવો જોઇએ. રસ્તાની વ્યાખ્યામાં ફુટપાથ પણ આવી જાય.

પાર્કીંગની જગ્યા પાકી, અને પાકી  માર્કીંગ લાઈનો વાળી હોવી જોઇએ. રસ્તા ઉપર પાર્કીંગના દિશાસૂચક બોર્ડ હોવા જોઇએ.

() સ્પીડ લીમીટના સાઈન બોર્ડ ઓછામાં ઓછા એક કિલોમીટરે અને દરેક વળાંકે હોવા જોઇએ, પછી રોડ, હાઈવે હોય કે શહેરી રોડ હોય કે ગલીનો રોડ હોય.

() રોડ ઉપર ઝીબ્રા ક્રોસીંગ, સ્ટોપ લાઈન અને લેન માર્કીંગ પાકા હોવા જોઇએ.            

() રોડ ડીવાઈડર એક લેન જેટલાં પહોળાં હોય અને તેના ઉપર ઓછામાં ઓછાં ચાર ફુટ ઉંચા ફુલના છોડ  હોવા જોઇએ. જ્યાં રોડ ડીવાઈડરની જગ્યા એક લેન જેટલી પહોળાઈ રાખવી શક્ય હોય ત્યાં ચાર ફૂટ ઉંચી દિવાલ હોવી જોઇએ.

() આવનારા રોડ અને જગ્યાના નામોના ડીસ્પ્લે બોર્ડ સમાન રીતે અને સુનિશ્ચિત સમાન કદના હોવા જોઇએ. તેના સ્ટાન્ડર્ડ નક્કી કરવા જોઇએ.

(૧૦) રસ્તા ઉપર વળાંક, રોડ બાઈફર્કેશન, રોડ સીમા, યલો લાઈન, ઓવરટેક બંધીછૂટ્ટીજેવા સાઈન બોર્ડ અને માર્કીંગ અચૂક રાખવા જોઇએ

ટ્રાફિક નિયમોના ભંગ

() બે પૈડા વાળા વાહન ચાલકે અને સાથે બેઠેલાએ  હેલમેટ પહેરવી, અને ચાર પૈડા કે તેથી વધુ પૈડા વાળા વાહન ચાલકે અને પાસે બેઠેલાએ સીટબેલ્ટ બાંધવો.

() મોબાઈલ કાને લગાડવો.

() માન્ય કરતાં વધુ સવારી બેસાડવી,

() અવારનવાર લેન બદલવી,

() સ્પીડ લીમીટનો ભંગ કરવો, અને અથવા વાહન ઉપર સ્ટંટ કરવા

() ખાસ પ્રયોજન વગર, લેનની મધ્યમાં વાહન ચલાવવુ.

() લેનમાં બીજા વાહનને તેની ડાબી બાજુથી ઓવરટેક કરવું

() આગળના વાહન સાથે કે જમણી બાજુના વાહન સાથે ભટકાઈ જવું,

() ખોટી લેનમાં આવી જવું. અને ટ્રાફિકને અડચણ રુપ થવું. દા.. ડાબી બાજુની છેલ્લી લેન ડાબી બાજુના રસ્તે જવા માટે હોય છે. બાઈક અને ગાડીવાળાને સીધા જવું હોય તો પણ જગ્યા રોકી લે છે અને રસ્તો બ્લોક કરી દે છે.

(૧૦) સીગ્નલનો ભંગ કરવો,

(૧૧) ટ્રાફિક સીગ્નલ પાસે, સ્ટોપ માર્કીંગ લાઈનથી આગળ નિકળી જવું

(૧૨ખોટા અવાજવાળા હોર્ન રાખવાં. કેટલાક લોકો બાઈકમાં કારના અવાજવાળા હોર્ન રાખે છે.

(૧૩) આગળના વાહન ચાલકની મજબુરી જાણ્યા વગર હોર્ન વગાડ્યા કરવું.

(૧૪) જ્યાં ટ્રાફિક સીગ્નલ હોય ત્યાં ઝીબ્રાક્રોસીંગ આગળ વાહન રોક્યા વગર અને આજુબાજુ જોયા વગર વાહનને આગળ લઈ જવું,

(૧૫)આગળની બેઠકવાળાઓએ સીટ બેલ્ટ બાંધવો.

(૧૬) એમ્બ્યુલન્સને કે એવા વાહનોને જગા આપવી

(૧૭) ગાડીને પાર્કીંગ પ્લેસની સેન્ટર લાઈન પર પાર્ક કરવી

(૧૮) સીગ્નલ આપવું

 (૧૯) રાત્રે શહેરની અંદર વાહન ચાલકે ફુલલાઈટ અને લોંગ લાઈટ રાખવી,

(૨૦) ફેન્સી નંબર પ્લેટ રાખવી,

(૨૧) સ્ટાન્ડર્ડ નંબર પ્લેટને, ઢાંકવી અને અથવા  ડેમેજ્ડ  કંડીશનમાં રાખવી,

(૨૨) પોતાનું વાહન ગંદુ રાખવું અને પીયુસી ચેક કરાવવું.

(૨૩) વાહનમાં ફર્સ્ટ એઈડના સાધનો રાખવા,

(૨૪) સ્પેર વ્હીલ રાખવું.

(૨૫) ગાડીને ગોબાવાળી અથવા ભાંગી તૂટી રાખવી

હમણાં હમણાં આરટીઓમાં ભીડ શું કામ થાય છે?

અરે ભાઈ કહેવાની જરુર નથી. લાઈસન્સ વગર, વીમા વગર અને પીયુસી વગર ઘણું બધું ચાલતું હતું. જાહેર માર્ગની જમીન ઉપર ઠાઠથી રેસ્ટોરાંઓનો ખાણી પીણીનો ચાલતા ધંધાઓ પણ કમીશ્નરને દેખાતો હોય તો બીજું તો એમને શું દેખાય?

જો સરકારી નોકરો જવાબદાર બનશે તો તેઓ જનતાને સુસંસ્કૃત કરી શકશે. જનતાનો મોટો વર્ગ માને છે કે કાયદાનો ભંગ કરનારાઓને તમે જેલ ની સજા કરો તો પણ ચાલશે.

શિરીષ મોહનલાલ દવે

 

Read Full Post »

મારો ભગવાન મોટો

આજની તારીખમાં ૧૦૦૦+ જીવતા ભગવાનો છે.

આજની તારીખના જીવતા ભગવાનના ભક્તોમાં વાગ્‍યુદ્ધનો અવકાશ નથી. કારણ કે આ જીવતા ભગવાનો આવા સંજોગો ઉભા થવા દેતા નથી.

એક કાળે જે ભગવાનો વિદ્યમાન હતા તેમના ભક્તો વિષે શું?

sahajananda swami janmya

ઘનશ્યામ મહારાજ જન્યા એટલે આકાશમાંથી ઈશ્વરોએ નમસ્તે કર્યા અને ફુલ અર્પણ કર્યા.

તેમના ભક્તોના ભક્તો કે ભક્તો ક્યારેક જાણ્યે અજાણ્યે વાગ્‍યુદ્ધ ઉપર ઉતરી પડે છે કે મારો ભગવાન સૌથી મોટો.

કેટલાક બાવાઓને ભગવાન માનવામાં આવતા નથી, પણ તેમના ભક્તો તેમના આ બાવા-ગુરુને  ભગવાન માનતા હોય છે. આ બધા ગુરુઓ આમ તો તેમના ભક્તોમાં કો-ઓર્ડીનેટર  એટલે કે આપસી તાલમેલ કરવાનું કામ કરતા હોય છે. કેટલાક ગુરુઓ તેમના શિષ્યોની સાંસારિક સમસ્યાઓનું સમાધાન પણ કરતા હોય છે. આ ગુરુ ભગવાનોમાં કામ કઢાવવાની કળા અસાધારણ હોય છે. આ વાત તો આપણે કબુલ કરવી જ રહી. જો આ વાત સાચી ન હોય તો તેમનું સામ્રાજ્ય કેવી રીતે વિકસે? તેમનો વારસો તેમના પટ્ટ શિષ્યોમાં ઉતરે છે, અને એ પરંપરામાં ગુણાત્મક રીતે વધતા શિષ્યોમાં પણ આ પ્રબંધનનો ગુણ ઠીક ઠીક હોય છે.

અર્વાચીન યુગમાં ભારતમાં દિવંગત ભગવાનોમાં ઘનશ્યામ મહારાજ ઉર્ફે સ્વામીનારાયણ ભગવાન, સાંઈબાબા, દાદા ભગવાન, ભગવાન રજનીશ, બાબા બ્રહ્મા (લેખરાજજી), મા આનંદમયી, રંગ અવધુત, સ્વામી સમર્થ, રાધેમા, ઓશો આસારામ, સત્ય સાંઈ બાબા એવા અગણિત મહાપુરુષો છે.

આ ભગવાનોમાં બધા કંઈ પોતાને ભગવાન મનાવતા ન હતા. પણ લગભગ બધા જ સ્વયં પ્રમાણિત અસાધારણ વ્યક્તિત્વ વાળા હતા/છે.

ભગવાન ની પરંપરા કેવી રીતે શરુ થઈ હશે? આમ તો આ સંશોધનનો વિષય છે. ચાલો આપણે પણ થોડું સંશોધન કરીએ.

આપણા દેશ મહાન માં વેદકાલિન તત્વજ્ઞાન અને વેદકાલિન પ્રણાલીઓ પ્રાચીન માનવામાં આવે છે.

વેદના તત્ત્વજ્ઞાનમાં અંતિમ સત્ય શું છે તે કોઈ જાણતું નથી. પણ તે અંતિમ સત્યમાંથી (શૂન્યમાંથી, બ્રહ્મમાંથી) અગ્નિ આપોઆપ પ્રકટ થયો. આ વિશ્વ આખું અગ્નિમય છે. અગ્નિ એ આ બ્રહ્માણ્ડની બધી શક્તિઓમાં પુરોહિત એટલે કે અગ્ર છે. એટલે કે બધા દેવોમાં તે મહોદેવઃ છે. બધા દેવોનો તે પોષક છે. આપણે જે કંઈ અગ્નિમાં  હોમીએ તે વિશ્વદેવોને પહોંચે છે. આ વિશ્વદેવને પણ એક દેવ માનવામાં આવ્યો છે. વિશ્વદેવના અંગો સૂર્ય, ચંદ્ર, વાયુ, વર્ષા, ધરતી, આકાશ વિગેરે છે. વિશ્વના બળોને  માનવ અંગો સાથે સરખાવવાં આવ્યા છે. રુદ્રયાગમાં આ વિશ્વદેવનું વર્ણન કરવામાં આવે છે. આ રુદ્ર વાસ્ત્વમાં આગ્નિ છે. વિશ્વદેવ રુદ્ર છે. અને તેમને ત્રણ નેત્રો છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. અગ્નિના પણ પ્રકાર છે. પણ આ બધી વાતો લાંબી છે. તે જવા દઈએ. ટૂંકમાં અગ્નિ એ મૂખ્ય દેવ છે. ઈન્દ્ર પણ અગ્નિ છે. મરુત્  પણ અગ્નિ છે, રુદ્ર પણ અગ્નિ છે. સૂર્ય પણ અગ્નિ છે. અગ્નિ બધા સાથે જોડાએલો છે. વાસ્તવમાં અગ્નિ એ શિવનું ર્પોટોટાઈપ સ્વરુપ છે. જે અનુક્રમે અગ્નિ-રુદ્ર-શિવ એમ પૂજાયું  છે. અગ્નિનું નામ બ્રાહ્મણ છે. કારણ કે બ્રહ્મ (શૂન્ય કે જે શૂન્ય પણ નથી) માંથી આપમેળે ઉત્પન્ન થયેલો. ઋગ્વેદમાં સૌથી વધુ અગ્નિના સુક્તો છે. સૌ પ્રથમ સુક્ત પણ અગ્નિનું છે. બીજા વેદોમાં તેના અનુગામી સ્વરુપોના શ્લોકો છે.

વેદોમાં “દ્યાવાભૂમિ જનયન્‌ દેવ એકઃ” એટલે કે એકેશ્વર વાદ છે ખરો, પણ તેના અંગોને પ્રતિકાત્મ આકૃતિ સ્વરુપ આપવાની બંધી ન હતી.

વેદકાળ પછી આ પ્રતિકોને ઈશ્વર તરીકે પૂજવાની પ્રણાલી શરુ થઈ.

વૈદિક ઋષિઓને બ્ર્હ્માણ્ડ અને નક્ષત્રો શું છે તે વિષે કેટલી ખબર હતી તે આપણે જાણતા નથી. પણ સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોની ગતિઓ વિષે ઠીક ઠીક ખ્યાલ હતો. સૂર્યને બ્રહ્માણ્ડ નું કેદ્ર માનતા હતા અને અગ્નિની વ્યાપકતા સમજતા હતા. એટલે અગ્નિ અને સૂર્ય એ પ્રોટો-ટાઇપ શિવ અને વિષ્ણુ હતા. આ ઐક્ય વેદાંત અને પુરાણો (જૂના પુરાણો)ના કથાનકમાં જોઈ શકાય છે. જો કે પાશ્ચાત્ય ઇતિહાસકારોને આ દેખાતું નથી કારણ કે એવું ન જોવું એ તેમનો એજન્ડા હતો અને છે.

         શિવના અવતારો વિષે કોઈ આધારભૂત પ્રાચીન માહિતિ મળતી નથી. જોકે દુર્વાસા,  હનુમાન, શંકરાચાર્ય,  શિવાજી, કૌટીલ્ય … વિગેરેને શિવના અવતાર માનવામાં આવે છે.  સૂર્યના (વિષ્ણુના) અવતારો ની કથાઓ પુરાણો થકી બહુ પ્રચલિત છે. જાપાન અને ઇજીપ્તમાં રાજાઓને સૂર્યનો અવતાર માનવામા આવતા હતા.

ભારતમાં વિષ્ણુના અવતારો વધુ પ્રચલિત છે.

સંકટ વખતે બચાવનારને વિષ્ણુનો અવતાર માનવામાં આવતો. અપૂર્વ વિરતા દાખવનારને પણ વિષ્ણુનો અવતાર માનવામાં આવતો હતો.

ભગવાનોને જુદા જુદા માનવામાં આવે એટલે ઝગડો તો થાય જ.

દરેકને પોતાની ચોઈસ હોય કે પરંપરા હોય. કાળક્રમે  વેપાર ધંધા વિકસ્યા એટલે લાંબી દરિયાઈ સફરો શરુ થઈ. હવે દરિયામાં ક્યારેક તોફાન પણ થાય. પણ જો સૂર્ય દેખાય એટલે તોફાન સમી જાય. આમ તો તોફાન સમી જાય એટલે સૂર્ય દેખાય. પણ એ જે હોય તે, કૃષ્ણ ભગવાન અપરાજિત રહ્યા. વૃત્રાસુર એટલે વાદળાં અને વિજળી એટલે વજ્ર. ઈન્દ્રે વજ્રદ્વારા વૃત્રાસુરને માર્યો અને તેના કટકા થયા અને ધરતી ઉપર પાણીના ખાબોચીયા થયાં. ઈન્દ્ર એ પણ સૂર્ય છે. 

 કૃષ્ણ ભગવાને સમગ્ર ભારતના દરિયા કિનારે વર્ચસ્વ સ્થાપ્યું. દરિયો સુરક્ષિત કરી દીધો. એટલે તે વિષ્ણુના અવતાર ગણાયા. વણિક સમાજ અર્થ સાથે વધુ સંકળાયેલ હોય એટલે વણિકો બધા વૈષ્ણવ હોય છે. જો કે તેઓ જૈન પણ હોય છે. કારણ કે મહાવીર સ્વામીનું તત્ત્વજ્ઞાન ભીન્ન હતું આમ તો વૃષભ દેવ સ્વામી વિષ્ણુનો અવતાર મનાય જ છે.

મહાપુરુષ પાકે એટલે તેમની પાછળ દંતકથાઓ પણ આવે જ. પછી એ રામ હોય કે કૃષ્ણ હોય કે ઘનશ્યામ મહારાજ (સ્વામી નારાયણ ભગવાન) હોય કે સાંઇબાબા હોય. કોઈકની વાતો કોઈને નામે પણ ચડી જાય.

આ દંત કથાઓમાં ચમત્કારો પણ ઉમેરાય, વળી જો મહાપુરુષ તેમના શિષ્યો કરતાં થોડા વધુ જ્ઞાની હોય એટલે તેમને ભગવાન થતાં વાર ન લાગે.

કોણ કોને માને?

વેદની (ઉપનિષદ્‌ સહિતની) ફિલોસોફી સામાન્ય માણસને પલ્લે ન પડે. આની ચર્ચા બહુ રસમય છે. પણ આ વિષયાંતર થઈ જશે. અને તેથી આરએસએસના કેટલાક નેતાઓની જેમ જે કહેવાનું હશે તે રહી જશે અને ન કહેવાનું હશે તે કહેવાઈ જશે. અને લાગતા વળગતા ભળતા અર્થ કાઢશે.

આમ તો જેમ ભૌતિકશાસ્ત્ર છે તેમ વેદ ઉપનિષદ્‌ છે. તમે સીધા ભૌતિકશાસ્ત્રના અનુસ્નાતક કે આચાર્ય ન થઈ શકો. તમે પ્રાથમિક ધોરણથી ભૌતિક શાસ્ત્ર ભણી આગળ વધતાં વધતાં અને સમજતાં સમજતાં ભૌતિક શાસ્ત્રના વિદ્વાન થઈ શકો. જો કે આપણા ભગવાન રજનીશે કશું પણ ગ્રહ્યા વગર સબ બંદરકે વહેપારીની જેમ તત્ત્વજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રને બંદર માની “ઓશો”ની સ્વયં પ્રમાણિત ઉપાધિ લઈ લીધેલી. તેમનો એજન્ડા જ ભીન્ન હતો.

ભારતની સંસ્કૃતિમાં આનંદને મુખ્ય માનવામાં આવ્યો છે. વાસ્ત્વમાં પણ આનંદ જ મુખ્ય વસ્તુ છે. સમાજમાં જુદા જુદા માનસિક વલણનું પ્રભૂત્વ જુદી જુદી વ્યક્તિઓમાં જુદું જુદું હોય છે. આવા લોકોમાં સંતુલન જાળવવું એ એક સમસ્યા હોય છે.

વિશ્વ કેવી રીતે વર્તે છે તે માટે ભૌતિક શાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર છે. પણ જેઓ સમાજશાસ્ત્ર ભણે છે તેઓ ભૌતિકશાસ્ત્ર ભણતા નથી એટલે તર્કને શુદ્ધ રીતે સમજી શકતા નથી. એટલે વાદોને લગતા યુદ્ધો થયાં છે.

જેઓ વેદ (ભૌતિકશાસ્ત્ર) જાણે છે તેઓ ચર્ચા કરે છે પણ તલવાર ઉપાડતા નથી. શંકરાચાર્યે તલવાર ઉપાડી ન હતી. પણ વેદના સહુકોઈ અધિકારી ન બની શકે તે આપણે ઉપર જોયું.

જેઓ ચર્ચા કરે છે તેઓ સત્યની શોધમાં હોય છે.

ધર્મ એ એક અલગવસ્તુ છે અને ભગવાન એ એક અલગ વસ્તુ છે. ધર્મ એ તમે પસંદ કરેલો અને સમાજસેવા માટે હાથ પર લીધેલો વ્યવસાય છે. તમને જે કામ પસંદ છે તેની વિદ્યા હસ્તગત કરો અને સમાજનો વિકાસ કરો. તે જ તમારે માટે ઉત્તમ છે. જે વિદ્યા તમને હસ્તગત નથી તેમાં તમે ચાંચ ન મારો. પ્રકૃતિનો આ જ નિયમ છે અને આજ શ્રેય છે. (ગીતા)

 કેટલાક ભગવાનો એવા છે કે જેઓ તેમના ચમત્કારો થકી ભગવાન બન્યા. પણ આપણે અત્યારે બે વૈષ્ણવોની જ વાત કરીશું.

ભક્તિ માર્ગી ગુરુઓથી, તાનમાં ને તાનમાં કશુંક આંચકો લાગે તેવું કહેવાઈ જાય છે. વાગ્બાણ છોડ્યા પછી તે પાછું આવતું નથી. એટલે જેણે વાગ્બાણ છોડ્યું છે તેણે કે તેના ભક્તોએ ઢાલ તરીકે બચાવમાં આવવું પડે છે.

આપણા એક કથાકારે કહેતાં તો કહી દીધું કે વિષનું પાન કરે છે તે નીલકંઠ કહેવાય. મગજ ની લાડુડી ખાય તે નીલકંઠ ન કહેવાય. આવું કંઈક કહ્યું. કથાકાર રામભક્ત છે. ખાસ કરીને તુલસીદાસવાળા રામના ભક્ત. રામ તો ભગવાન છે. અથવા તો ભગવાનના પણ ભગવાન છે. ભગવાન એટલે શંકર ભગવાન. અને તેમના પણ ભગવાન એટલે રામ.

રામ તો મહાપુરુષ હતા જ. જો કે જ્યારે વાયુપુરાણ લખાયું ત્યારે રામને વિષ્ણુના અવતારની સૂચિમાં રાખવામાં આવ્યા ન હતા. વળી તે વખતે સૂચિમાં વિષ્ણુ ભગવાનના અવતાર તરીકે કૃષ્ણ ભગવાન અને બળદેવજી બંને હતા. વિષ્ણુ ભગવાન ડબલ રોલમાં હતા.

ભક્તિ માર્ગ ની ઉત્પત્તિ આમ તો શૈવો એ કરી. પણ એને વિકસાવ્યો વૈષ્ણવોએ.

એક વખત કોઈ વ્યક્તિને ભગવાન બનાવ્યા હોય પછી કંઇ તેમને મોળા તો રખાય જ નહીં. આપણા કૃષ્ણ  ભગવાન એ એક અભૂતપૂર્વ અદ્ભૂત  વ્યક્તિ છે. વૃન્દાવનના કૃષ્ણ ને શેં ભૂલાય? કૃષ્ણ એક પ્રેમી છે, નટખટ છે. ઈવ ટીઝર છે, એક યોદ્ધા છે, એક સલાહકાર છે, એક જ્ઞાની છે. અને એક યોગી છે અને અહિંસાના વ્રતધારી પણ છે. જો રજનીશ ભગવાન હોય તો કૃષ્ણ તો ભગવાન હોય જ હોય. કૃષ્ણ ભગવાને ઘણા ચમત્કાર કર્યા. જો કે ચમત્કાર ન કર્યા હોત તો પણ તે ભગવાન તો કહેવાત જ. તેમને વિષે ભાવનાત્મક ઘણું બધું લખાયું. કવિઓ દ્વારા, લેખકો દ્વારા અને મૂર્ધન્યો દ્વારા પણ ઘણી કથાઓ લખાઈ. સહુ કોઈ મૂર્ધન્યોએ પોતાની અતૃપ્ત માનસ ને કૃષ્ણના મનગઢંત વિવરણો અને તારણો દ્વારા તૃપ્ત કર્યું.

ચાલો હવે ભગવાનને શબ્દોથી શણગારો. તેમનામાં એવી મહાનતા મુકો કે તેમનાથી કોઈ મોટું હોઈ જ ન શકે. વિષ્ણુ ભગવાન હરિ છે તો કૃષ્ણ ભગવાન પણ હરિ છે. ૐ કાર શબ્દ થી વિશ્વ ઉત્પન્ન થયેલું. આ ૐ તે બ્રહ્મ સ્વરુપ છે. પણ હરિ તો બ્ર્હ્મ ની પણ ઉપર છે.  ૐ નમઃ શિવાય કહેવાય પણ ૐ હરિ ન કહેવાય. હરિ ૐ કહેવાય. કારણ કે હરિ તો ૐના પણ જનક છે. કૃષ્ણ ભગવાન જન્મ્યા અને ગોકુળમાં ગયા એટલે બધા દેવોને ખબર પડી. એટલે બધા દેવો વારા ફરતી તેમના દર્શન કરવા ગોકુળમાં ગયા. બ્ર્હ્માજી ગયા. શંકર ભગવાન ગયા, દેવો ગયા,   ….  તેમને પગે પડ્યા. 

ફિલમમાં જેમ ગાયન આવવાનુ હોય એટલે હીરા ભાઈ અને હીરીબેન કંઈક અસંબદ્ધ વાત કરે અને આપણને ખબર પડી જાય કે હવે ગીત શરુ થશે. અને ગીત શરુ થાય. આમ આપણા ભીન્ન ભીન્ન કવિઓએ ભીન્ન ભીન્ન સમયે પોતાને જે ઉચિત લાગ્યું તે ઉમેર્યું. સૌએ પોતપોતાની માનસિક વૃત્તિઓનું પોતાની રીતે તૂષ્ટીકરણ કર્યું. વાછૂટ કરી.

રામ વિષે પણ આવું જ થયું. તેમના જન્મ પહેલાં દેવો બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને રાક્ષસો થકી થતી હેરાનગતીની કંપ્લેન કરી.

દેવોએ કહ્યું કે, બ્રહ્માએ ઓલ્યાને વરદાન આપ્યું છે કે દેવ દાનવ કે ગાંધર્વથી આ મરે નથી. તમે કંઈક કરો. એટલે ભગવાન માનવ રુપે જન્મ્યા.   તેઓ જન્મ્યા એટલે બધા દેવો, મહાદેવો અને ઈશ્વરો તેમના દર્શન કરવા અયોધ્યામાં આવ્યા. જો કે કાલીદાસે આવું લખ્યું નથી. પણ તુલસીદાસે લખ્યું છે. તુલસીદાસે તો કાળની પણ પરવા કરી નથી. દક્ષરાજાને રામનો સમકાલિન ગણાવી દક્ષ કન્યાને પાર્વતી બનાવી પાર્વતીને સતી બનાવી જે મનમાં આવ્યું તે લખ્યું. સીતાની અગ્નિ-પરીક્ષાનો બનાવ લંકામાં ઉભો કરી દીધો. જો રાજપૂતોની રાણીઓ પોતાના શિયળની રક્ષા માટે અને પવિત્ર રહેવા માટે અગ્નિમાં ઝંપલાવી દે તો અમારી સીતા માતા શું કામ પોતાની પવિત્રતા સિદ્ધ કરવા માટે ચિતા ઉપર ચઢીને પોતાની પવિત્રતા સિદ્ધ ન કરે? અમારા સીતા માતા તો લક્ષ્મીનો અવતાર છે. એ કંઇ જેવા તેવા થોડા છે. તમે સમજો છો શું?

 પાશ્ચાત્ય વિદ્વાનોને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. તેમણે કહ્યું આખી વાતો જ દંતકથાઓ છે. સત્ય કશું નથી. સત્ય શૂન્ય છે. આમાંથી ઇતિહાસ શોધવાનો પ્રયત્ન, એ મીથ્યાચાર છે.

 જેમને ભેજું ચલાવવાનું ન હતું તેમણે કહ્યું કે આ અમારી શ્રદ્ધાનો વિષય છે.

આમેય ભક્તો થોડા ચક્રમ તો હોય જ. ટકલો ન ચાલે એટલે શ્રદ્ધા ની વાત કરે.

શંકર ભગવાન, ઝેર પીવું અને નીલ કંઠ થવું આ બધી પ્રતિકાત્મક ઘટનાઓ છે. શિવ લિંગ એ આમ તો અગ્નિની જ્યોતિ છે. અને જ્યોતિર્લિંગ એ શિવનું પ્રતિકાત્મક સ્વરુપ છે. જ્યોતિની ઉપર જે કાળાશ છે તે શિવની જટા છે. અને જ્યોતિનો નીચેના ભાગમાં જે અર્ધ દહનનો ભૂરો ભાગ  દેખાય છે તે શિવનો કંઠ ગણાયો. અગ્નિમાં બધાનો નાશ થઈ જાય છે. જ્યોતિ, અજ્ઞાન રુપી માનસિક ઝેર અને હવામાં રહેલા ભૌતિક ઝેરનો નાશ કરે છે. સમૂદ્ર મંથન (દરિયાપારની ભૂમિની શોધ)માં સુર-અસુરો નિકળ્યા હશે. તે વખતે કોઈ ઝેરી વનસ્પતિ વાળો ટાપુ મળ્યો હશે અને તેને અગ્નિમાં નાખીને નિકાલ કર્યો હશે.

સહજાનંદ સ્વામીની વાત કરીએઃ

સહજાનન્દ સ્વામી ના ઘણા ચમત્કારો છે. સાંઈબાબાના પણ તેઓ વિદ્યમાન હતા ત્યારના અને તેમના ગુજરી ગયા પછીના પણ ઘણા ચમત્કારો છે. ભગવાનના ચમત્કારો આપણે ક્ષમ્ય ગણી લઈએ. કારણકે આ શ્રદ્ધાનો વિષય છે એમ ભક્તો માને છે. પણ બે ભગવાનની તુલના કરી તેમાંના એક ભગવાનનો કચરો બનાવી દેવો તે ક્ષમ્ય નથી. પણ વૈષ્ણવોની આ જુની ટેવ છે.  ઘાણી કરી. હનુમાનને જે રામના સલાહકાર હતા તેમને રામના ભક્ત બનાવી દીધા અને વળી તેમને શંકરના અવતાર બનાવી દીધા એટલે એક કાંકરે બે પક્ષી માર્યા. એક તો રામને શ્રેષ્ઠ બનાવી દીધા. તો હવે આપણે શું કરીશું? કૃષ્ણ ભક્તોએ કહ્યું … તો આપણે રાધાજીને શંકર બનાવી દો. એક કૃષ્ણ મંદિરમાં એક શિવલિંગ પર “રાધા” લખેલું વાંચેલ.

ચાલ્યા કરે ….

અષ્ટાદશપુરાણેષુ દશભિઃ ગીયતે શિવ,

ચતુર્ભિર્ગીયતે વિષ્ણુ, દ્વાભ્યાં શક્તિઃ ચ વિઘ્નપઃ

૧૮ પુરાણોમાં દશ પુરાણ શિવનું ગાન કરે છે.

ચાર પુરાણ વિષ્ણુનું ગાન અને બે બે પુરાણો શક્તિ અને ગણેશનુ ગાન કરે છે.

આ પુરાણોમાં પણ વૈષ્ણવી પુરાણો શિવનો કચરો કરી નાખે છે. જો કે શૈવી પુરાણોમાં શિવને સૌથી મોટા અવશ્ય માનવામાં આવે છે પણ તેમાં વિષ્ણુનો કચરો કરવામાં આવતો નથી. તેમને શિવની સમકક્ષ પણ માનવામાં આવે છે.

રામના ભક્ત એવા શિવને, જો ઘનશ્યામ મહારાજથી મહાન કરી દઈએ તો ઘણું, એવો કોઈ ખ્યાલ મોરારી બાપુમાં હોય. ઘનશ્યામ મહારાજનું સંન્યાસ વખતે નીલકંઠ નામ હતું. એવું પણ હોય કે સ્વામીનારાયણ સંપ્રદાયની જાહોજલાલી મોરારી બાપુ ને પસંદ ન હોય. તેથી તેમનાથી આવું એકાદ “મીસફાયર” થઈ જાય. આ એક સ્વાભાવિક ક્રિયા છે.

યુ.એસ.માં એક કૃષ્ણ મંદિરમાં એક મહારાજને મેં કહેતા સાંભળ્યા હતા કે કોઈએ કૃષ્ણ ભગવાન સિવાય કોઈની પૂજા ન કરવી જોઇએ. તેમણે એક નામ બ્રહ્માનું લીધું. પછી થોડા થોભ્યા. શંકરભગવાનનું નામ લેવાના હતા. પણ તેમને મનમાં થયું હશે કે “જવા દો ને … “ અને તેમણે વાત બદલી નાખી.

સાંઇબાબાના ભક્તો પણ સાંઈબાબાની તુલનામાં બીજા ભગવાનોને નિમ્ન માને છે. આવું એક સાંઇબાબાના પુસ્તકમાં મેં વાંચેલું. સાંઈબાબાની જીવનકથામાંથી તમે ચમત્કારો કાઢી નાખો તો શૂન્ય બાકી રહે છે.

ઘનશ્યામ મહારાજની જીવન કથામાંથી ચમત્કારો કાઢી નાખો તો તેમણે લાખો માણસોને વ્યસનમુક્ત કર્યા, તેમના લાખો અનુયાયીઓને ખાસ કરીને ગરીબોને માંસાહારથી અને લસણ-ડૂંગળીથી પણ દૂર રાખ્યા તે જેવી તેવી સિદ્ધિ ન કહેવાય.

શંકર ભગવાન રામના પગમાં પડી ગયા,

શંકર ભગવાન બાણાસુર ની મદદે આવ્યા પણ કૃષ્ણ ભગવાને તેમને બગાસાં ખાતા કરી દીધા,

સહજાનંદસ્વામી ગિરનાર ગયા તો દત્તાત્રેય ભગવાન તેમને પગે લાગ્યા,

અરે સહજાનન્દ સ્વામીએ તો વીલીયમ બેન્ટીકને કંઠી પહેરાવી હતી. કંઠી પહેરવી એટલે સ્વામી નારાયણ સંપ્રદાયી થવું. આમ વિલીયમ બેન્ટીક સત્સંગી હતો એટલે કે સ્વામીનારાયણ સંપ્રદાયી હતો. એટલે કે કર્યો હતો.

કૃષ્ણ ભગવાનની જીવનકથામાંથી ચમત્કારોને કાઢી નાખો તો પણ કૃષ્ણ ભગવાન અકબંધ રહે છે. રામ વિષે પણ એમજ છે. બીજા કોઈ ભગવાનને નાના કરવાની આવશ્યકતા નથી. ભગવાન એ ભગવાન છે અને ઈશ્વર એ ઈશ્વર છે. ઈશ્વર એ ભગવાન છે પણ ભગવાન એ ઈશ્વર નથી. જેઓ જ્ઞાન અને બળથી તેજસ્વી છે તે ભગવાન છે. જે બ્રહ્માણ્ડનું  સંચાલન કરે છે તે ઈશ્વર છે. કૃષ્ણ ભગવાન બોલે તો “ભગવાન ઉવાચ” એમ કહેવાય. શંકર ભગવાન બોલે તો “ઈશ્વરઃ ઉવાચ” એમ કહેવાય.   

ઋગ્વેદમાં પણ જે દેવની સ્તુતિ થતી હોય તે દેવને મુખ્ય ગણવામાં આવે. પણ બીજાને નાના ગણવામાં ન આવે.

ઈશાવાસ્યં ઇદમં સર્વં

આ બધું જ ઈશ્વરથી વ્યાપ્ત છે.

ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્‍દેશેર્જુન તિષ્ઠતિ,

ભ્રામયન્‍ સર્વભૂતાની યંત્રારુઢેન સ્વમાયયા

હે અર્જુન, ઈશ્વર જ બધાના હૃદયમાં રહીને બધા ભૂતોને પોતાની માયાથી ભમાવે છે.

સ્ટિફન હોકીન્સ પણ એમ જ કહે છે કે બધું જ નિશ્ચિત છે. પણ શું નિશ્ચિત છે તે કોઈ કહી શકશે નહીં. મોરારજી દેસાઈ પણ આમ જ કહેતા હતા.

શિરીષ મોહનલાલ દવે ના

જય મહાદેવ, જયશ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામીનારાયણ, હરિ ૐ, ૐ શાંતિ, જય જીનેન્દ્ર, વાહે ગુરુ, જય ઈશુ, અલ્લા હો અકબર (અને બીરબલ. જો લાગુ પડતું હોય તો), જય જગત, રાધે રાધે, બુદ્ધં શરણં ગચ્છામિ,

તા.ક. કોણે કેવા ચમત્કારો કેવી રીતે કર્યા તે માટે વાંચો દયાનંદ સરસ્વતી.

ચમત્કૃતિઃ

કમલે કમાલા શેતે, હર શેતે હિમાલયે,

ક્ષિરાબ્ધૌ ચ હરિ શેતે, મન્યે મત્કુણ શં ક યા

લક્ષ્મી કમળમાં પોઢે, શિવ પોઢે હિમાલયે

મહાસાગરે તો હરિ પોઢે, માંકણથી બચવા જ તો (માંકડથી બચવા જ તો)

Read Full Post »

“કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા

કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા

હાજીવાત તોઅનુચ્છેદ ૩૭૦ અને અને ૩૫એને મોદી સરકાર દ્વારા રદ કરવાની વાત છે.

જો કે આમાં કંઈ નવું નથી. દેશનો વાચાળ વર્ગ ત્રણ ચાર ભાગમાં વહેંચાઈ ગયો છે. દેશની જનતા ખુશ છે. સરકારી તંત્ર દ્વારા પ્રકાશિત થતી માહિતિઓને બનાવટી કહેવું શક્ય નથી. કાશ્મિરમાં શાંતિ તો દેખાય છે તે એક તથ્ય છે.

OTHER SIDE OF THECOIN

“(આમને પૂછો કે આમના જેવાને પૂછો કે આર્ટીકલ ૩૭૦/૩૫એ રાખવા કે નહીં.)” મૂર્ધન્યાઃ ઉચુઃ

હવે શાંતિને કેવી રીતે જોવી તે ઉપર રાજકીય નેતાગણ અને તેમના પળીતા સમાચાર માધ્યમો પોતાના એજન્ડાને અનુરુપ વિશ્લેષણ કરવા માથાફોડ કરી રહ્યા છે. તેમનો અધિકાર છે. પણ તે કેટલો શ્રેય છે તેની ચર્ચા કરવી પણ આવશ્યક છે.

હકીકત (ખરાઈ, ખરું), સત્ય અને શ્રેયઃ

હકીકત, સત્ય અને શ્રેય ત્રણેયના અર્થમાં ફેર છે. તેની સીમારેખા ધુંધળી હોઈ શકે છે. પણ તે સીમા રેખા ધુંધળી પણ હોઇ શકે છે. હકીકતને અવગણી શકાય છે. જો સત્યમાં શ્રેય હોય તો તેને પણ અવગણી શકાય છે, પણ તેમાં તમે કેવો માર્ગ અપનાવો છો તેની ઉપર નિર્ભર છે.

 કાશ્મિરમાં હકીકત શું છે?

કાશ્મિરમાં હકીકતમાં શાંતિ છે. શાંતિ શા માટે છે? કારણ કે સીમાપારથી ઘુસેલા આતંકવાદીઓ અને તેમના અહીંના પેઈડ મળતીયાઓ, દુકાનદારોને ધમકી આપી રહ્યા છે કે જો તમે દુકાનો ખોલશો તો મોતને ઘાટ ઉતરશો. આતંકવાદીઓનુ જોર ઓછું થયું છે. પણ તેમનું જોર નષ્ટ થયું નથી. સુરક્ષા દળોનુંઓલ આઉટઅભિયાન ચાલુ છે. અભિયાન આવતા પાંચ વર્ષોમાં પુરું થશે તેમાં શક નથી. હવે જમ્મુકાશ્મિર રાજ્યમાં ભારતીય બંધારણના ફોજદારી કાયદાઓ લાગુ પડશે, એટલે દેખીતી રીતે કાશ્મિરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરશે.

પણ સુધરતી પરિસ્થિતિ, કાશ્મિરની અંદર અને કાશ્મિર બહારની અમુક ટોળકીઓને પસંદ નથી. કારણકે કાશ્મિરમાં જો શાંતિ સ્થપાઈ જાય તો તેમની રાજકીય અને આર્થિક સ્થિતિને પારાવાર નુકશાન થાય છે.

કાશ્મિરની પરિસ્થિતિ એક શસ્ત્રઃ

કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ વાત સુપેરે જાણે છે કે પરિસ્થિતિ સુધરી રહી છે. તેથી તેઓ આંધળા થઈને નરેન્દ્ર મોદીની સરકારનો દરેક મુદ્દે વિરોધ કરે છે. અને તેમાં કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ પાસેકાશ્મિરની સ્થિતિભારતીય જનતાને અસમંજસમાં મુકવા માટેનું સૌથી મોટું અસરકારક શસ્ત્ર હતું. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ટોળકીના શસ્ત્ર ઉપર નરેન્દ્ર મોદીની સરકારે મોટો મિસાઈલ પ્રહાર કર્યો છે.

કોંગીઓનો અનુભવઃ

કોંગીઓને અને તેમની સહાયક ટોળકીઓને આમ જનતાને ગુમરાહ કરવાનો કમસે કમ દાયકાઓનો અનુભવ છે. સરકારી શસ્ત્રોથી ટોળકીઓ હવે અફવાઓ ફેલાવી શકે તેમ નથી. પણ મોટા ભાગના સમાચાર માધ્યમો ઉપર તેમનો કબજો છે, તેથી અને તેમજ વળી કેટલાક મૂર્ધન્યો, કટારીયાઓ અને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્ર ધારકોએ તેમનું લુણ ખાધું છે. તટસ્થતાની ધૂન પણ ઘણા કટારીયાઓને માથે સવાર થઈ હોય છે. એટલે ભલે નરેન્દ્ર મોદીને સમર્થન કરીએ તો પણઅમે કંઈ નરેન્દ્ર મોદીના ભક્ત નથી પ્રદર્શિત કરવા એક ગોદો તો મોદીને પણ મારો. વિવાદાસ્પદ મુદ્દા ઉપર નરેન્દ્ર મોદીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક કે વધુ ગોદા મારી લેવા જોઇએ.

દા..

નોટ બંધીઆમ તો બરાબર હતી, પણ તેને પૂરી તૈયારી કર્યા વગર લાગુ કરવા જેવી હતી.

  “જીએસટીસૈધાંતિક રીતે બરાબર છે, પણ તેનાથી લોકોને હાડમારી પડે તેનું ધ્યાન રાખવા જેવું હતું.

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એનાબુદ કર્યા સારી વાત છે. પણ કાશ્મિરની જનતાને વિશ્વાસમાં લેવા જેવી હતી. કાશ્મિરમાં અત્યારે જે શાંતિ દેખાય છે તે તો ફરેબી છે. સુરક્ષાબળોની ઉપસ્થિતિને કારણે શાંતિ છે. એટલે સાચી શાંતિ નથી. લોકશાહીને અનુરુપ શાંતિ નથી વિગેરે વિગેરે

જો કે કોંગી અને તેની સાંસ્કૃતિક ટોળકીએ તો પાકિસ્તાનનો અનેઅમુક પાશ્ચાત્ય પંડિતોના બ્રેકીંગ ઈન્ડિયાએજન્ડા વાળા સમાચાર માધ્યમોનો સહયોગ લઈદેશદ્રોહની હદ સુધી જવાનું વલણ અપનાવ્યું છે. સ્થિતિ અક્ષમ્ય છે.

તમે યાદ કરો. નરેન્દ્ર મોદી તો વર્ષથી કહેતા આવ્યા છે કે રાજકીય પક્ષોએ અને સમાચાર માધ્યમોએઅનુચ્છેદ ૩૭૦/૩૫એથી કશ્મિરને શું ફાયદો થયો તેની ચર્ચા કરવી જોઇએ. મોદીનું કહેવું તો સ્પષ્ટ છે કે અનુચ્છેદો ૩૭૦/૩૫એલોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. અનિયત કાલ સુધી તેને ચાલુ રાખી શકાય નહી.

અનુચ્છેદ ૩૭૦/૩૫એ નો વિરોધ થતો આવ્યો છે.

કાશ્મિરના મહારાજાના દેશી રાજ્યનું ભારત સાથેનું જોડાણ અન્ય 565 દેશી રાજ્યો જેવું હતું. બધાં રાજ્યોને પોતાના કાયદાઓ હતા. ભારતનું પ્રભૂત્વ સ્વિકાર્યા પછી તેમની બંધારણ સભા હોય કે હોય તેનું મહત્વ રહેતું નથી. તેનું મહત્વ રહેવું પણ જોઇએ. ઉપરાંત આપણે પણ સમજવું જોઇએ કે અનુચ્છેદોનો ઉમેરો કરવામાં લોકશાહી પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી. તેમજ તે લોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. તેનો ઉમેરોહંગામીશબ્દ સાથે કરવામાં આવ્યો છે, તે શું સૂચવે છે તેનું હાર્દ પણ સમજવું જોઇએ.

અનુચ્છેદોનો શો પ્રભાવ છે.

() ૧૯૪૪ થી ૧૯૫૦ સુધી પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને રાજ્યમાં મતાધિકાર નથી.

() નિરાશ્રિતોને કાશ્મિરમાં વ્યવસાય કરવાનો કે નોકરી કરવાનો કે શિક્ષણ લેવાનો હક્ક નથી,

() નિરાશ્રિતોમાં જેઓ દલિત હિન્દુ છે તેમને ફક્ત ઝાડુવાળાની નોકરી કરવાની છૂટ્ટી છે. એટલે કે તેઓ ગમે તેટલી યોગ્યતા અને માન્ય સંસ્થાઓના પ્રમાણ પત્રો ધરાવતા હોય તો પણ તેઓ વ્યવસાય કે નોકરી કરી શકતા નથી. એટલે કે તેમની ઓળખ તેમના ધર્મ અને જ્ઞાતિને આધારે કરવી ફરજીયાત છે.

() નિરાશ્રિતો ૧૯૪૪થી રહેતા હોય તો પણ તેમને અને તેમના સંતાનોને લોકશાહીના અધિકાર નથી. તેઓ કોઈ સ્થાવર મિલ્કત પણ ખરીદી શકતા નથી.

() જો નિરાશ્રિત મુસ્લિમ હોય તો તેને કાશ્મિરી નાગરિકતાના બધા અધિકાર મળે છે.

() જો કાશ્મિરી સ્ત્રી, બિનકાશ્મિરી પાકિસ્તાની મુસ્લિમ પુરુષ સાથે પણ લગ્ન કરે તો તેના બધા નાગરિક હક્ક ચાલુ રહે છે પણ જો તે બિનકાશ્મિરી હિન્દુ સાથે લગ્ન કરે તો તે પોતાના કાશ્મીરી નાગરિક હક્કો ગુમાવે છે.

Image may contain: text

ગાંધીજીએ શું કહેલ?

જમ્મુ અને કાશ્મિરનું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાઈ શકે. કારણ કે પાકિસ્તાનની પોલીસી ખૂબ ખરાબ છે. દેશી રાજ્ય સ્વતંત્ર રહે તે શક્ય નથી. આવા સંજોગોમાં તે ભારત સાથે જોડાઈ શકે.”

(ગાંધીજીના અંતિમ ત્રણ માસની રોજનીશી તા. ૧૦૧૯૪૭દિલ્હીમાં ગાંધીજીપૃષ્ઠ ૯૪. લેખિકા મનુબેન ગાંધી. નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ૧૪)

ગાંધીજીને તે વખતે શેખ અબ્દુલ્લા અને નહેરુ ઉપર વિશ્વાસ હતો. ગાંધીજીને વાતની પણ ખબર હતી કે સરદાર પટેલને શેખ અબ્દુલ્લા ઉપર જરાપણ વિશ્વાસ હતો. ગાંધીના વિશ્વાસનો નહેરુએ અને શેખ અબ્દુલ્લાએ બંનેએ ગાંધીજીના મૃત્યુ પછી ભંગ કરેલો. લિયાકત અલી પર ગાંધીજીને જરાપણ વિશ્વાસ હતો. કારણ કે લિયાકત અલી, કાશ્મિરના મહારાજાને સ્વતંત્ર રહેવા દબાણ કરતા હતા. એટલે ગાંધીજીએ ઉપરોક્ત વાત કરી હતી.

અત્યારે આપણે જોઇએ છીએ કે પાકિસ્તાન પણ સ્વતંત્ર રહી શકે તેમ નથી. ભલે જીન્નાએ ધર્મનિરપેક્ષ દેશ સ્થાપવાના સ્વપ્ન જોયાં હોય પણ જે દેશ ધર્મના નામ પર રચાયો હોય તે દેશ અનેક રીતે પાયમાલ થઈ શકે છે.  પાકિસ્તાનની લોકશાહી ખોડંગાતી ચાલે છે. આતંકવાદીઓ અને સૈન્ય ઉપર સરકારનો જરાપણ કાબુ નથી. તેની ગુપ્તચર સંસ્થા પણ સેનાના કબજામાં છે. જે મુસ્લિમોએ પાકિસ્તાનના સ્વપ્નાઓ જોયાં હતા, તેમણે સ્વાતંત્ર્યની લડતમાં કશો ભોગ આપ્યો નથી. તેઓ પોતે જ કહે છે કે “રો કે લિયા થા પાકિસ્તાન … લડકે લેંગે હિન્દુસ્તાન. પાકિસ્તાને ભારત સાથે ચાર યુદ્ધ કર્યા. ચારેય યુદ્ધમાં તે હાર્યું. છેલ્લાં ૩૫ વર્ષથી પાકિસ્તાન ભારત સામે અપ્રત્યક્ષ  યુદ્ધ  કરી રહ્યું છે. અને ભારતમાં બીજેપીનું મજબુત  શાસન આવવાથી તે હારવા ની અણી ઉપર છે.

નરેન્દ્ર મોદીએ તો ચર્ચા માટે આહવાહન આપેલ અને પણ ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાંથી.

શેખ અબ્દુલ્લાના ફરજંદ એવા ફારુખ અબ્દુલ્લાએ શું વાત કરેલ?

જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કાઢશો તો સમજી લો કે અમે પાકિસ્તાન સાથે જોડાઈ જઈશું. પૂરો સંભવ છે કે ફારુખે, શેખ અબ્દુલ્લાની મનની વાત દોહરાવી. કારણ કે આવા કારણસર શેખ અબ્દુલ્લાને જેલમાં પૂરવામાં આવેલ.

મહેબુબા મુફ્તીએ શું કહેલ કે જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરશો તો કાશ્મિરમાં બળવો થઈ જશે, તમે કાશ્મિરને ભૂલી જજો. તમને શબની ઉપર ભારતનો ત્રીરંગો પણ ઢાંકવા મળશે નહીં. આવા નેતાઓ સાથે શી મસલત થઈ શકે?

નરેન્દ્ર મોદી પૂછે છે કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ થી કાશ્મિરને શું ફાયદો થયો? તો ઉપરોક્ત બંને નેતાઓ કાશ્મિરમાં હિન્દુઓને થનારા અને ભારતની ભૂગોળનેકપોળ કલ્પિતથનારા નુકશાનની વાત કરે છે.

જો કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ હોવા છતાં પણ કાશ્મિરના બંને નેતાઓએ અને તેમના સહયોગીઓએ કશ્મિરના નાગરિક એવા હિન્દુઓને નુકશાન કરવામાં કશું બાકી રાખ્યું નથી. ખૂલ્લેઆમ ૩૦૦૦+ હિન્દુઓની કતલ કરી છે. ૧૦૦૦૦+ હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટી છે. અને ૫૦૦૦૦૦+ કશ્મિરી હિન્દુઓને ઘરમાંથી હિજરત કરાવી છે. મુસ્લિમોની બહુમતિ ધરાવતા પ્રદેશમાં હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવી છે અને તેમને પીડવામાં કશું બાકી રાખ્યું નથી. આવા અત્યાચારો તેમની હાજરીમાં અને તેમના સત્તાના સમયમાં થયા હોવા છતાં તેમને તેનો અફસોસ નથી અને જવાબદારી નથી. આવા અતિ નિમ્ન કક્ષાના નેતાઓ પાસેથી તમે તર્ક્યુક્ત ચર્ચાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? હિન્દુઓ ઉપર થયેલા કત્લેઆમ વિષે જેટલા મુસ્લિમ નેતાઓ જવાબદાર છે તેટલા કોંગીના નેતાઓ પણ જવાબદાર છે.

સરવાળે ફલિત થાય છે કે

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કારણેઃ

અમારા રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને અમે ધર્મથી ઓળખીએ છીએ, અને અમે બિનમુસ્લિમોને સમાન નાગરિક અધિકાર આપતા નથી અને મતાધિકાર પણ આપતા નથી,

બિનમુસ્લિમ નિરાશ્રીતોને અમે નોકરી અને વ્યવસાય ના હક્ક આપતા નથી,

અમે જ્ઞાતિવાદમાં માનતા નથી. હિન્દુઓના જ્ઞાતિવાદની અમે ભર્ત્સના કરીએ છીએ. તો પણ અમે તો તેમને તેમના દલિતોને જ્ઞાતિને આધારે ઓળખીશું.

બિનમુસ્લિમ નિરાશ્રિતોને અમે સ્થાવર સંપત્તિનો હક્ક આપતા નથી,

કશ્મિરી મહિલાઓને અમે સમાન નાગરિક અધિકાર આપતા નથી,

હાઅમે કંઈ જેવા તેવા નથી. અમે કશ્મિરીયતમા માનીએ છીએ, અમે લોકશાહીમાં માનીએ છીએ અમે માનવાતામાં માનીએ છીએ. કારણ કે અમે ધર્મનિરપેક્ષ અને જનતંત્ર વાદી છીએ.

આવો વદતઃ વ્યાઘાત તમને ક્યાં જોવા મળશે?

આજ નેતાઓ તેમની કોંગીઓ સાથેની મિલી ભગતથી, કશ્મિરના વિભાજનવાદી નેતાઓને ભારતની જનતાએ ભરેલા કરવેરા દ્વારા સરકારે કરેલી કમાણીમાંથી બાદશાહી સગવડો અને સુરક્ષા આપે છે. તેઓ સૌ તાગડધિન્ના કરે છે. (જોકે મોદીકાકાએ કેટલીક સગવડો બંધ કરી છે).  મુસ્લિમ નેતાઓને આવી મફતની અને દેશને નુકશાન કરવાની સગવડો ભોગવામાં છોછ હોય. પણ કોંગીઓને પણ જરાપણ લજ્જા કે શરમ નથી.

 સુરક્ષાદળ જો પત્થરબાજને જીપ ઉપર બાંધી પોતાની સુરક્ષા કરે તો મુફ્તી, ફારુખ, ઓમર, અને કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની આંખમાંથી દડ દડ આંસુ વહેવા માંડે છે. પણ કાશ્મિરમાં ૧૯૭૯૮૦માં આતંકવાદીઓએ ત્યાંના સ્થાનિક મુસ્લિમો અને નેતાઓના સહયોગથી હજારો હિન્દુઓની કત્લેઆમ કરેલી. બાકીનાઓને બેઘર કરી દશકાઓ સુધી નિરાશ્રિત બનાવ્યા.  તેમના પેટનું પાણી પણ હાલતું નથી.

કોંગી અને તેના સાંસ્કૃતિક સહયોગીઓની લોકશાહીની પરિભાષાઃ

આજ કોંગ્રેસીઓ જ્યારે કાશ્મિરમાં સાચા અર્થમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના થાય છે ત્યારે દેકારા પડકારા સાથે કૂદંકૂદા કરે છે.   કોંગીઓનું વલણ તેમના સાથીઓની જેમ દંભી, કોમવાદી અને લોકશાહી મૂલ્યોથી વિરોધી દિશામાં છે. કોંગીને ૧૦૦+ વર્ષ જુનો પક્ષ કહેવો તે મૂળ કોંગ્રેસીઓએ આપેલ ત્યાગ અને બલિદાનોનું અપમાન છે. જો મૂર્ધન્યો બીજું કશું ન કરે પણ જો તેઓ આ કોંગીઓના પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ન માને અને ન મનાવે તો તેમનું વાર્ધક્ય ઉજળું રહેશે. નહીં તો તેમના ધોળામાં ધૂળ જ પડશે.

મૂર્ધન્યો સમજવા માગતા હોય તો સમજેઃ

જો કોઈ એક પ્રદેશ, દેશનો એક હિસ્સો હોય, અને ત્યાં કોઈ પણ કારણસર લોકશાહી મૂલ્યોની રક્ષા થતી હોય, તો કેન્દ્ર સરકારની ફરજ છે કે ત્યાં લોકશાહીની સ્થાપના થાય. બાબતમાં જેઓ સ્થાનિક લોકોને કેમ પૂછ્યું એવો જે મુદ્દો ઉઠાવે છે તે અસ્થાને છે. સ્થાનિક લોકોને શું પૂછવાનું છે?

જે વખતે દેશી રાજ્યનું જોડણ થયું હતું, તે વખતે જે કંઈ પ્રક્રિયા બીજા દેશી રાજ્યો સાથે અપનાવેલી તેવી પ્રક્રિયા દેશી રાજ્ય પરત્વે અપનાવેલી. જે કંઈ ખોટું થયું તે શેખ અબ્દુલ્લા અને નહેરુને કારણે થયું, અને તે પણ લોકશાહી પ્રક્રિયા અપનાવ્યા વગર થયું, ગાંધીજી અને વલ્લભભાઈના મૃત્યુ પછી થયું.

તમે યાદ કરો. શું રાજાના સાલિયાણાં અને વિશેષ અધિકારો રાજાઓ સાથે ચર્ચા કરી નાબુદ થયેલા? રાજાઓ સાથે તો સહમતિ-કરારનામું પણ થયેલ. તો પણ તે રાષ્ટ્રપતિના અધ્યાદેશ દ્વારા તાત્કાલિક અસરથી લાગુ પાડેલ. અહીં તો આવું કશું કરારનામું અસ્તિત્વ ધરાવતું પણ નથી. ભારતની સંસદ, લોકશાહીમાં સર્વોચ્ચ છે. સંસદને પણ માનવ અધિકારોનું હનન કરવાની સત્તા નથી. વાતની, કટોકટીફેમ અને શાહબાનોફેમ કોંગીને ખબર હોય કે તેના સંસ્કારમાં ન હોય તે સમજી શકાય તેમ છે. પણ સમાચાર માધ્યમોના મૂર્ધન્યો તેને સમજી શકે તે વિધિની વક્રતા છે, કે ભારતીય સમાચાર માધ્યમોના અમુક મૂર્ધન્યો સાંસ્કૃતિક ગુલામી થી મૂક્ત થયા નથી. તેથી તેઓ બીબીસી, ન્યુ યોર્ક ટાઇમ્સમાં જે સમાચારો કે લેખો આવે તેને બ્રહ્મ સત્ય માને છે. આને પણ વિધિની વક્રતા કહેવાયને.

હા જી, કોંગીઓ અને તેના પ્રચ્છન્નઅપ્રચ્છન્ન સહયોગીઓ ઘણા ગતકડાં ઉત્પન્ન કરશે અને તેને ટ્રોલ (ચગાવશે) કરશે.

“જીડીપી વર્ષને તળીયે છે, અર્થતંત્ર પાયમાલ થયું છે”વદ્યા મૌની બાબા એમએમએસ. તેમને તો એ રાજા ઓ પેદા કરવા છે,

સુખાકારી ઈન્ડેક્સમાં ભારત ૧૦૫ થી ૧૫૫ના નંબરે, ફીટનેસમાં ભારત પંદર અંક ડાઉન, કુપોષણમાં ભારત ૧૨૫માં નંબરે ગબડ્યું, બેરોજગારી ઉચ્ચસ્તર પર, આનંદ પ્રાપ્તિમાં વિશ્વમાં ભારત ૧૨૪મા નંબરે, જલવાયુ માં ભારત ૨૪મે નંબરે ગબડ્યું, ૨૪ લાખ કંપનીઓ બંધ થઈ, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. ફક્ત ૨૪ લાખ ઘુસણખોરો પકડાયા તે પણ શંકાસ્પદ, ચિદંબરસામેના કેસમાં બીજેપી સરકારનો ફિયાસ્કો દિવસને બદલે ચાર દિવસ સીબીઆઈને પૂછપરછ કરવા માટે આપ્યા. સરકારને ૩૩ ટકા ઘાટો.

ઉપરોક્ત આંકડાઓ સાચા નથી. રમૂજ માટે લખ્યા છે. કારણ કે જનતાને આવા આંકડાઓથી કશો ફેર પડતો નથી. જનતા તો પોતાને શું થાય છે અને પોતાને શું પ્રત્યક્ષ દેખાય છે તેની સમજણ પડે છે.

શિરીષ મોહનલાલ દવે

https://www.treenetram.wordpress.com

Read Full Post »

%d bloggers like this: