Feeds:
Posts
Comments

Archive for May, 2020

“પૂર્વતૈયારી વગર ….. કર્યું ને … એટલે …”

પૂર્વતૈયારી વગર ….. કર્યું એટલે …”

જો આપણે મૂર્ધન્ય હોઈએ, તદ્‌ ઉપરાંત કટાર લેખક પણ હોઈએ,અને વળી પાછી આપણા ઉપર તટસ્થતાની ધૂન સવાર હોય તો, સરકારના કોઈપણ નિર્ણયને આપણે વખોડી શકીએ છીએ. આ બહુ સહેલું છે.

કેવીરીતે સહેલું છે?

લે વળી … ખબર નથી? આપણે એમ કહેવાનું કે સરકારે જે પગલું લીધું,  તે, પૂર્વ તૈયારી વગરનું હતું.

હવે આપણે તો જાણીએ છીએ કે સરકાર કોઈ પગલું લે એટલે કંઈક મુશ્કેલી તો આવે જ. એક કરતાં વધુ મુશ્કેલીઓ પણ આવે. એટલે આવી મુશ્કેલીઓ ગણાવવી … એનું વર્ણન કરવું. જો આપણો  તટસ્થતા દર્શાવવા સિવાયનો, બીજો કોઈ એજન્ડા ન હોય તો જનતાને પડતી મુશ્કેલીઓ ગણાવી દઈએ તે પૂરતું છે. પણ જો આપણો રા.ગા.ની જેમ  એજન્ડા હોય તો અતિશયોક્તિમાં કચાશ ન રાખવી.

દા.ત. સરકારે વિમુદ્રીકરણ નું પગલું લીધું તે પૂર્વ તૈયારી વગર લીધેલું. લોકોને બીજા કામ છોડીને લાઈનમાં ઉભા રહેવું પડ્યું …  બેંકોમાં રોકડ ખલાસ થઈ ગઈ … માણસોને પેન કાર્ડ શોધવા પડ્યાં … આધાર કાર્ડ શોધવા પડ્યા … ફોર્મ ભરવા પડ્યા …

જો આપણો નિશ્ચિત એજ્ન્ડા હોય તો આપણે લખવાનું … માણસોને ભૂખ્યા તરસ્યા લાંબી લાંબી લાઈનો માં ઉભા રહેવું પડ્યું … કેટલાકને તો વૃદ્ધ કાકા દાદાઓને લાઈનમાં ઉભા રાખવા પડ્યા …  કેટલાય માણસો બેભાન થઈ ગયા … કેટલાય માંદા પડી ગયા … કેટલાય મરી ગયા …

અને ફાયદો શું થયો? કાળું નાણું ઘટ્યું ? કાળાનાણાંવાળા પકડાયા? આતંક વાદ બંધ થયો? … ના ભાઈ ના … એવું કશું થયું નહીં.

તો હવે …

તાજેતરનો દાખલો લઈએ તો “લૉક-ડાઉન” છે.

લોકડાઉન પૂર્વ તૈયારી કર્યા વગર કર્યું … એટલે …

… એટલે આ બધી સમસ્યાઓ ઉભી થઈ. પ્રવાસી  મજુરો અટવાઈ ગયા … વાહનની સગવડ સરકારે ન કરી તેથી તેઓ ચાલતા નિકળી પડ્યા … તેઓ ભૂખ્યા હતા … તેઓ તરસ્યા હતા …  તેઓમાં સ્ત્રીઓ હતી … કેટલીક સગર્ભા હતી … વૃદ્ધો હ્તા … બાળકો હતા …. તેમના પગમાં ચંપલ પણ ન હતા … જેવું લોક ડાઉન જાહેર થયું કે તૂર્ત જ … આવું બધું થયું … કેટલાકે કહ્યું અમે તો કોરોના થી નહીં પણ આમ જ મરી જઈશું!!!

“આ પગલું અવિચારી હતું … આ પગલું ઉતાવળીયું હતું … અર્થ તંત્રની કેડ ભાંગી નાખી …”  હા જી આપણા તડ – ફડ વાળા મૂર્ધન્યે લખ્યું છે … અરે ભાઈ વિશ્વવિખ્યાત ફોર્બ્સે આપણી ટીકા કરી હોય તો તેને સાચી જ ગણવી જોઇએ ને … ફોર્બ્સ કંઈ જેવો તેવો છે? અરે બીજું કંઇ નહીં તો ચામડી તો ધોળી છે જ ને!! ફોર્બ્સે તેની ચામડી કંઈ તડકામાં ધોળી કરી છે? (મૈંને મેરે બાલ કહીં ધૂપમેં સફેદ નહીં કિયા હૈ … સમઝે … ન સમઝે?)

તડ-ફડ વાળા ભાઈ આગળ જતાં લખે છે કે “ થોડો સમય આપવા જેવો હતો … ફાજલ પડેલા મજુરો વતન પહોંચી શક્યા હોત…. કારખાનામાંના માલની વ્યવસ્થા ગોઠવાઈ શકી હોત. .. જે વિસ્તારોમાં રોગચાળાનું નિશાન ન હતું તેને આવરી લેવાની જરુર ન હતી …

વાસ્તવિકતા શું છે?

સરકારને શા માટે સક્રીય થવું પડ્યું.

ચીનમાં વુહાન શહેર્માં આપણા નાગરિકો ફસાયા હતા. તેમને લાવવાની અનેક દેશોની જેમ આપણે પણ તૈયારી કરી. આપણે આપણા નગરિકોને લાવ્યા. તેમનું ચેક અપ કર્યું   તેમના માંથી કેટલાક  કોરોના પોઝીટીવ મળ્યા. તેમને ક્વારોન્ટાઈનમાં રાખ્યા.

આ દરમ્યાન સમાચાર મળ્યા કે આ જ અરસામાં દિલ્લીના નીજામ્મુદીનના  મર્કઝ માં તબલીઘી જમાતે સરકારી બંધી ને અવગણીને  કોન્ફરન્સ કરેલી. અને તેમાં કેટલાક ગુમ થઈ ગયા છે. બીન સત્તાવાર પણ વિશ્વાસલાયક સમાચાર પ્રમાણે ૬૦૦૦ જ્માતીઓએ ભાગ લીધેલો આમાં ૪૦૦ જેટલા વિદેશીઓ હતા. આમાંના મોટા ભાગના મર્કઝમાંથી નિકળી ગયા છે. એટલે આ ઘટના સંશોધન અને તપાસ ની થઈ ગઈ. જો તમે આમાં એક જ દિવસ મોડું કરો તો ખાનાખરાબી થઈ જાય. જે મર્કઝમાં રહી ગયા હતા તેઓ, પોલીસ તો શું, શ્રી અજીત દોવલના કહ્યામાં પણ ન હતા. તો જે ભાગી ગયા હતા તેમની તો વાત જ શી કરવી? સરકારને  મર્કઝની મહાસભાના સમાચારની વિગતો મળી કે તરત જ લોકડાઉન ની જાહેરાત કરી દેવામાં આવી. જેથી જમાતીઓનું પગેરુ સહેલાઈથી કાઢી શકાય. નરેન્દ્ર મોદીએ મોટું મન રાખી મુસ્લિમ જમાતના સહાયકો અને  સત્તાધરી પ્રચ્છન્ન વિદ્રોહીઓ ઉપર કાર્યવાહી ન કરી.

લોક ડાઉન જાહેર થયા પછી  જો તે સમયનો વિચાર કરીએ તો જે કંઈ લોકો ગુમ થયા હતા પણ જેમની ભાળ મળી હતી તેમના કારણે ૪૦થી ૯૦ ટકા કોરોના પોઝીટીવ કેસ, જમાતીઓને કારણે થયા હતા. હવે જો ૨૪મી માર્ચે લોકડાઉન જાહેર ન થયું હોત અને અઠવાડીયાનો સમય પણ રાખ્યો હોત તો, આ જમાતીઓમાંના બધા જ વિદેશીઓ પોબારા ગણી ગયા હોત. તેમના સંસર્ગો કદી ન જાણી શકાયા હોત.

પહેલો લોકડાઉન ૨૧ દિવસનો હતો.

આ સમયનો ઉપયોગ કમસે કમ દિલ્લીના  કેજ્રીવાલભાઈ અને મુંબઈના ઉદ્ધવભાઈ તેમના રાજ્યમાં રહેલા પ્રવાસી મજુરોની ગણત્રી કરી શક્યા હોત. તે અઘરું નથી. આ વાત આપણે અગાઉના એક બ્લોગમાં જોઇ ગયા છીએ. કેજ્રીવાલભાઈ નો તો એજન્ડા જુદો હતો, એટલે તેમણે તો ૨૪મી માર્ચે અડધી  રાત્રે જ મજુરોને જગાડી બસ પકડવાની જાહેરાત કરી. નરેન્દ્રમોદીએ તો કહેલું કે જેઓ જ્યાં છે ત્યાં જ રહે. પણ કેજ્રીવાલભાઈ તો વાડ્રા-કોંગ્રેસની  બી-ટીમના શિર્ષનેતા છે. તેમનો તો ધર્મ હતો કે કોરોના મહામારી વધુમાં વધુ ફેલાય અને નરેન્દ્ર મોદીને નીચા જોણું થાય.

થોડા દિવસ પછી મુંબઈના બાંદ્રા (પશ્ચિમ) રેલ્વે સ્ટેશન પાસેની મસ્જીદ પાસે પણ અનિલ દુબે દ્વારા ફેલાવેલી અફવાઓ દ્વારા, કહેવાતા પ્રવાસી મજુરો નિયમોનો ભંગ કરી એકઠા થયા હતા. લોક ડાઉન દરમ્યાન પણ અનેક જગ્યાએ જાણી જોઇને ટોળાં એકઠા થવાના અનેક બનાવો બન્યા છે. આમાં લુટ્યેન ગેંગોનો મોટો હાથ છે.

આમ મોદી વિરોધીઓ લોકડાઉન થયા પછી પણ અંદરખાને કેટલા સક્રીય થઈ, કોરોનાનો ફેલાવો કરી શકે તેમ છે, તે છાનું રહી શક્યું નથી.  તો પછી જો અગાઉથી જ, પ્રવાસી મજુરોની ઓળખ કર્યા વગર રેલવે ટ્રેનો ચલાવી હોત, બસો ચલાવી હોત. તો જમાતીઓ સહેલાઈથી છટકી જાત, અને તે ઉપરાંત મોટે પાયે થયેલા સોસીયલ ડીસ્ટન્સીસના ભંગને કારણે ભારતમાં અમેરિકાના ન્યુયોર્કથી પણ વધુ કોરોનાનો ફેલાવો થાત.

જેઓ આ વાત, ન સમજી શકતા હોય તેમણે ૐ નમઃ શિવાય નો જપ જપવો જેથી ઈશ્વર તેમને જરુરી પ્રજ્ઞા આપે.

પસંદગી શું હતી અને શું ન હતી?

“સમસ્યા ઉત્પાદનને ફટકો પડવા દેવો અથવા મનુષ્યના જીવ બચાવવા” એ બે વચ્ચે એક ની પસંદગી કરવી એ નથી. મૂળ હેતુ મનુષ્યના જીવનને પ્રાથમિકતા આપવી અને ઉત્પાદનને પછીની પ્રાથમિકતા આપવી, એમ હતો. જાન ભી ઔર જહાન ભી.

આપણા તડ – ફડ વાળા મૂર્ધન્યે એક દાખલો આપ્યો છે, કે; “એક રાજાએ એક ગુનેગારને સજા ભોગવવાના બે વિકલ્પ આપ્યા. કાંતો સો ચાબુકના ફટકા ખાવા અથવા તો સો કાચી ડૂંગળી ખાવી. થોડી ડૂંગળી ખાધા પછી તેણે ફટકા ખાવાનો વિકલ્પ પસંદ કર્યો. પણ થોડા ફટકા ખાધા પછી વળી પાછો ડૂંગળી ખાવાનો વિકલ્પ પસં કર્યો. આમ વારાફરતી થયં. આ પ્રમાણે એણે સો કાચી ડૂંગળી ખાવાની સજા ભોગવી અને સો ફટકા પણ ખાધા.”  આ રીતે આપણા દેશે માનવ જીવ પણ ગુમાવ્યા અને ઉત્પાદન પણ ગુમાવ્યું.”

વાસ્તવમાં જોઇએ તો આવું તો નથી જ. આપણે લાખો જીવ બચાવ્યા છે. અને હવે આપણે ઉત્પાદન માટે સજ્જ છીએ. જો આપણા મૂર્ધન્યશ્રી અમેરિકા, ઈટાલી કે સ્પેન સાથે દર દશ લાખ માનવની વસ્તીએ કેટલા માનવ મરણ થયા તે પ્રમાણને સરખાવસે તો ખબર પડશે. પ્રમાણભાનની પ્રજ્ઞા પણ એક પ્રજ્ઞા છે.       

ભારતનો નંબર વિશ્વમાં ૧૦૧મો છે અને ભારતમાં દર દશ લાખે 3.36 મૃત્યુ થયા છે. જ્યારે પશ્ચિમના વિકસિત દેશોમાં આ આંકડો ૧૦૦ થી ૮૧૯ નો છે. આ ભેદ આપણે સમજવો જોઇએ.

આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય કહે છે કે; “ચીન આપણા કરતાં શાણું છે. ચીને વુહાનની બહાર કોરોના  ન ફેલાય તેની પૂરતી નાકાબંધી કરી. જ્યારે આપણે એવું ન કર્યું.”

ચીન જે કોરોનાનું જન્મ દાતા છે અને જે પ્રયોગો કરી રહ્યું હતું તેથી તે આવું કરી શક્યું. તે આપણે સમજવું જોઇએ.

તડ-ફડવાળા ભાઈ કહે છે કે  “અમેરિકા કોરોનાને ચાઈનીઝ વાયરસ કહે તે ખોટું છે. સદ્દામ હુસેનની ઉપર પણ અમેરિકાએ આવો આક્ષેપ કર્યો હતો. પણ તે ખોટો નિકળ્યો હતો. માટે આ આક્ષેપ પણ ખોટો છે.”

વાસ્તવમાં આ કોઈ તર્ક નથી. અમેરિકા એક વાર, બે વાર કે ત્રણ વાર પણ ખોટું બોલે તો તે ચોથી વાર પણ જે કંઈ બોલે તે ખોટું છે તેમ ન કહી શકાય. અલ્લાહાબાદ ઉચ્ચન્યાયાલયે નોંધ્યું હતું કે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ ૧૪ વખત ઇન્દિરા ગાંધી જુઠ્ઠું બોલ્યાં હતાં. તો પણ કૉર્ટે કહ્યું હતું કે તે ૧૫મી વખત પણ જે કંઈ બોલે તેને ખોટું ન માની શકાય.

સમય આવે સાચું બહાર આવશે. તે માટે થોભો અને રાહ જુઓ. પણ પ્રયોગો ચીનમાં થતા હતા તેની નોંધ લેવી જોઇએ. એ પણ નોંધલેવી જોઇએ કે યુએસએ એક લોકશાહી વાળો દેશ છે. ચીન એ એક સામ્યવાદી દેશ છે. કોણ કેટલા પ્રમાણમાં સાચું કે ખોટું બોલે છે તે વાત તે દેશ કેવો છે તેના ઉપરથી નક્કી કરી શકાય. વધુ વિશ્વસનીય તો લોકશાહીવાળો દેશ જ ગણી શકાય. ચીન કેટલું ખોટું બોલે છે તે આપણા અનુભવથી અજાણ્યું નથી.

હાલ તૂર્ત તો ભારતમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે અને સાજા થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને મુંબઈ, અમદાવાદ, દિલ્લી, પ.શ્ચિમ બંગાળ અને તામીલનાડુની પરિસ્થિતિ ચિંતા જનક છે. તેના આગવા કરણો પણ છે.

જ્યારે ભારતનો આ સંક્રમણમાં મૃત્યુના દરને હિસાબે  નંબર ૧૦૧મો હોય ત્યારે ભારતે ૧૦૦ ડૂંગળી પણ ખાધી અને ૧૦૦ ફટકા પણ ખાધા એમ કહેવું કોઈ એજન્ડાવાળું કહેવાશે.

તમે પહેલાં નિમ્ન લિખિત સંજોગો જુઓ.

(૧) પશ્ચિમના દેશો વિકસિત છે.

(૨) ત્યાંની વસ્તિ ભારત જેટલી ગીચ નથી.

(૩) સામાન્ય સંજોગોમાં પણ તેઓ સોસીયલ ડીસ્ટન્સ જાળવે છે. એટલે તેઓ અડોઅડ ઉભા રહેતા નથી. ધક્કાધુક્કી કરવાનો તો પ્રશ્ન જ નથી.

(૪) ટ્રાફિકના નિયમો શિસ્ત પૂર્વક પાળે છે. અકસ્માત થાય તો પણ તેઓ ઝગડો કે મારામારી ઉપર ઉતરી પડતા નથી.

(૫) ટ્રાફિકપોલીસને લાંચ આપતા નથી. ટ્રાફિક પોલીસ પણ કોઈ ભેદભાવ રાખતા નથી.

(૬) વિપક્ષ જવાબદાર રીતે વર્તે છે.

હવે ભારતમાં જુઓઃ

(૧) દેશ હજી પશ્ચિમી દેશો જેવો વિકસિત થયો નથી.

(૨) ભારતની વસ્તિ અનેક ગણી ગીચ છે.

(૩) કતારમાં ઉભા રહેવામાં, ખાસ કરીને ગામડાઓમાં, કતારમાં ઉભા રહેવામાં કોઇ માનતું જ નથી. શહેરોમાં કોરોના થી થોડો ફેર પડ્યો છે.

(૪) શહેરમાં પણ હાલની તારીખમાં, ત્રણ ત્રણ જણા સ્કુટર, બાઈક ઉપર બેસીને જાય છે.

(૫) નિયમો નું પાલન કરવું એ વાત, જેઓ પોતાને મહાનુભાવ માને છે તે મહાનુભવોને લાગુ પડતું નથી. તેઓ મારા મારી ઉપર પણ ઉતરી આવે છે.

ભારત જાય ખાડમાં

(૬) સોસીયલ ડિસ્ટન્સીંગનું પાલન ન થાય અને લૉકડાઉન નિસ્ફળ જાય તે માટે વિપક્ષીનેતાઓ કૃતસંકલ્પ છે. પાલઘર ની ઘટના, બાંદ્રા (પશ્ચિમ) રેલ્વે સ્ટેશન ની નજીકની મસ્જીદ પાસે ટોળું જમા કરાવવાની ઘટના, દિલ્લીની  નીજામુદ્દીનની તબલીઘી જમાતની  મહા અધિવેશનની ઘટના, જમાતના સભ્યોની ગુમ થઈ જવાની ઘટનાઓ, તેમની આડોડાઈની કરવાની ઘટનાઓ, મુસ્લિમોની ટોળે મળી કોરોના વોરીઅર્સને મારવાની ઘટનાઓ …. તમે ગણી જ ન શકો તેટલી ઘટનાઓ બની છે અને વિપક્ષે હમેશા અફવાઓ ફેલાવવામાં કસર રાખી નથી અને આવા અમુક કોમના તત્ત્વોને સહકાર અને સહયોગ આપ્યો છે અને બચાવ પણ કર્યો છે.

(૭) ભારતની બ્યુરોક્રસી ઉપર સિવાયકે સત્તામાં બેઠેલા નેતાઓ કડક ન થાય, તો કોઈ પણ પ્રકારે પૈસા બનાવવામાં જ રસ ધરાવે છે.

વાસ્તવમાં ભારતના સંજોગો અને સંસ્કાર જોઇએ તો વિકસિત દેશો કરતાં સો ગણો કોરોના ફેલાય તેવી પરિસ્થિતિ છે.

હા જી.  એક સારી વાત એ છે ભારત પાસે નરેન્દ્ર મોદી અને અમિતશાહ ની કુશળ ટીમ છે. ભારતમાં સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ છે. આ સંસ્થાઓએ અને વ્યક્તિઓએ ભારતની બ્યુરોક્રસીથી નીપજથી ઉણપને,  કોરોના-સંક્રમણના સમયમાં મહદ્‌ અંશે ભરપાઈ કરી છે.

એ પણ એક પરિબળ શક્ય છે કે ભારતમાં ક્યારેક કેટલાક લોકો ફેશનમાં માંસ મટન ખાઈ લેતા હશે. તે સિવાય પણ મોટેભાગે લોકો શાકાહારી છે. આ વાત પણ કોરોના વધારે પ્રમાણમાં ન ફેલાવાનું એક કારણ હોઈ શકે. જો કે આ સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એક ભાઈ યુનીવર્સીટી ના સ્નાતક થયા. તેમને થયું માર્કસ મગાવીએ.

તેનો ચાર્જ આમ હતો. ખંડ પ્રમાણે ₹૧૦૦/- હતો.  પ્રશ્ન પત્ર પ્રમાણે ₹૨૦૦/- હતો

સેક્સન પ્રમાણે ₹૩૦૦/-

એટલે ભાઈએ પ્રથમ ખંડ પ્રમાણે પૈસા ભર્યા. પછી તેમને થયું કે પ્રશ્ન-પત્ર  પ્રમાણે મગાવીએ. એટલે તેમણે તેના પૈસા ભર્યા. પછી તેમને થયું કે ચાલોને સેક્સન પ્રમાણે જ મગાવીએ. એમ કરી તેના પૈસા ભર્યા. આમ તેમણે ક્રમે ક્રમે કુલ ₹ ૬૦૦/- ભર્યા. પહેલેથી જ જો ₹૩૦૦/- ભરી દીધા હોત તો તેમને સેક્સન, પ્રશ્નપત્ર અને ખંડ પ્રમાણે ત્રણે ના માર્ક મળી ગયા હોત.

ડૂંગળી અને કોરડા બંને ખાધા 

Read Full Post »

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.

આમ તો સમાજ શાસ્ત્રના નિયમો પણ સાપેક્ષ હોય છે. જેમકે ગાંધીજીએ અહિંસાને પણ સાપેક્ષ જ ગણાવેલી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિસા.

આઇન્સ્ટાઈનની બીજી પણ એક થીએરી હતી તે “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” હતી.

સંભવ છે કે આ થીએરી આઈન્સ્ટાઈને આદિ શંકરાચાર્યની અદ્વૈતવાદ માંથી કલ્પી હોય. આ અદ્વૈતવાદ, શંકરાચાર્યે વેદોમાંથી પુનર્‍પ્રસારિત કર્યો હતો એમ તેઓ કહેતા હતા.

અદ્વૈતવાદ આમ તો પ્રચ્છન્ન “યુનીફાઈડ થીએરી ઓફ એન્ટીટી” હતો.

આઈન્સ્ટાઈન પોતાની આ થીએરીને સિદ્ધ કરી શક્યા ન હતા. શંકરાચાર્ય અદ્વૈત વાદને સિદ્ધ કરવામાં માનતા ન હતા. પણ તેમણે તે સમયના અસ્તિત્ત્વ ધરાવતા બધા જ વાદોને પરાજિત કર્યા હતા. પણ આપણે આ બધી વાતો  નહીં કરીએ.

સ્વદેશી

મોદી સાહેબે કહ્યું કે આપણે સ્વદેશી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઉત્પાદન આપણે આપણા દેશમાં જ કરીએ અને વિદેશો ઉપર અવલંબન ન રાખીએ. મેક ઈન ઈન્ડિયા નો સિંહ યાદ કરો.

આમ તો ગાંધીજી પણ સ્વદેશી માં માનતા હતા. તેમણે ખાદી અને ગ્રામોદ્યોગોને મહત્વ આપ્યું હતું. જોકે તે વખતે કેટલાક મહાનુભાવોએ તેનો વિરોધ કરેલ. પણ જ્યારે સ્વદેશીના પ્રચારથી જે જનજાગૃતિના પરિણામો આવ્યા તે પછી આ મહાનુભાવોએ તેનો વિરોધ બંધ કરેલ.

આજના જમાનામાં જો મૂર્ધન્યો, સ્વદેશીનો ગાંધીજીના નામ હેઠળ વિરોધ કરે તો તો ભારે ટીકા થાય. કારણકે જમાનો બદલાઈ ગયો છે. કેટલાક મોડર્ન બાવાઓ સ્વદેશી અને અહિંસાનો વિરોધ કરે છે. પણ તેમની વાત આપણે અહીં  નહીં કરીએ. પણ જો કોઈ “તડ અને ફડ”વાળા સુપર વાર્ધક્યમાં પહોંચેલાને જો “સ્વદેશી”નો વિરોધ કરવો હોય તો કેવી રીતે કરે?

નરેન્દ્ર મોદીને ભાંડવાની ફેશન હજુ આઉટ ઓફ ડેટ થઈ નથી, એમ ઘણા લોકો માને છે. આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય તેઓમાંના એક હોય એવું લાગે છે.

જો બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. એ નાતે, તટસ્થ બન્યા હૈ તો મોદી કે વિરુદ્ધ તો કભી ન કભી તો બોલના હી પડેગા.

“સ્વદેશી” ભલે ગાંધીજીએ પુરસ્કૃત કરેલો આઇડિયા હોય. પણ આર.એસ.એસ.વાળા પણ સ્વદેશીમાં માને છે. જો કે તેઓ કેટલી ખાદી પહેરે છે કે પહેરતા હતા તેની આપણે ચર્ચા નહીં કરીએ. પણ નરેન્દ્ર મોદી તો ખાદીમાં અને ગૃહ ઉદ્યોગમાં માને છે. સખી મંડળો કરોડો રુપીયાનો ટર્ન ઓવર કરે છે.

સ્વદેશી એટલે શું?

“સ્વદેશી” પણ અહિંસાની જેમ સાપેક્ષ છે. વિદેશમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે દેશમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. બંગાળમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ગુજરાતમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. સૂરતમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ભાવનગરમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. વડવા માં થયેલા ઉત્પાદનની સાપેક્ષે કોબડીમાં રહેતા માણસો માટે કોબડીમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. કોબડીમાં થયેલા ઉત્પાદન કરતાં તમારા ઘરમાં જ થયેલું ઉત્પાદન સ્વદેશી છે. પણ ઉત્પાદિત આઈટેમ એ જ હોવી જોઇએ. એટલે ગાંધીજી પૂછતા કે તમે કેટલા ગામોને ખાદી પહેરતા કર્યા એટલે કે ખાદી માટે સ્વાવલંબી કર્યા.

“જે વસ્તુ તમારા દેશમાં ન બનતી હોય કે ન બની શકતી હોય, તમે તેને વિદેશથી આયાત કરી શકો છો.” એમ ગાંધીજી કહેતા.

પણ કઈ વસ્તુનું સ્વદેશી કરણ કરવું તે તેની માંગ ઉપર અવલંબે છે.

મોરારજી દેસાઈની જનતા પાર્ટી અને ઇન્દિરાની કોંગી

ઇન્દિરા ગાંધી પોલીયસ્ટર યાર્નમાંથી ગૃહૌદ્યોગ દ્વારા કાપડ તયાર કરવામાં માનતાં ન હતાં. પણ મોરારજી દેસાઈ પોલીયસ્ટર ખાદીમાં માનતા હતા.

વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી, અને આયાત પણ કરતી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના જોર્જ ફર્નાડીસે ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ ટેલીફોન એક્સચેન્જનું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિત નું ગ્લોબલ ટેન્ડર બનાવ્યું અને બહાર પણ પાડ્યું. જનતા પાર્ટીની સરકાર પડી ગઈ. પણ આ ટેન્ડરમાં પરોઠા પગલાં ભરવા શક્ય ન હતું તેથી ૧૯૮૦-૮૨માં આ ટેન્ડરોને ઇવેલ્યુએટ કરી ફ્રાન્સની અલ્કાટેલ કંપનીની તરફેણમાં ફાયનલ કરેલ અને તેને ૪૦/૬૦ લાખ લાઈન ટેલીફોન એક્સચેન્જ માટેના ઓર્ડર આપેલ. ૧૯૮૩ની શરુઆતથી જ વર્લી-મુંબઈમાં તેનું ઇન્સ્ટોલેશન પણ ચાલુ થઈ ગયેલ.

યાદ રાખો, તે વખતે આપણા રાજિવ ભાઈ કે તેના મિત્ર સામ પિત્રોડાજી, ક્ષિતિજ ઉપર પણ ક્યાંય દેખાતા ન હતા. ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ તો ૧૯૭૯-૮૦મં અંકૂરિત થઈ ગયા હતા. પણ આપણા મહાનુભાવોએ તેનો યશ રાજિવભાઈને આપ્યો. આની ચર્ચા આપણે આ જ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર કરી ચૂક્યા છીએ. એટલે આ વાતને લંબાવીશું નહીં.

મહાત્મા ગાંધીને કે તેમના યથાર્થ અનુયાયીઓને અને ગાંધીજીના માનસપુત્ર વિનોબા ભાવેને વિદેશીમાલનો છોછ ન હતો. તેઓ કોઈ વાદમાં પણ માનતા ન હતા

નરેન્દ્ર મોદીને પણ વિદેશી ઉત્પાદનનો છોછ નથી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેથી કરીને સ્વદેશી ઉત્પાદનની વાત કરવી અને તેને અનુલક્ષીને પગલાં લેવાં એ કંઈ ગુનો નથી.

નોકરી અને ધંધામાં ફેર શો?

નોકરીમાં આપણે આપણા પૈસાનું રોકાણ કરવું ન પડે. એટલે નોકરીમાં, નોકરીમાંથી ફારેગ થવા સિવાય બીજું કશું ખાસ રીસ્ક હોતું નથી.

ચીલા ચાલુ અર્થમાં, ધંધા બે જાતના હોય છે. ઉત્પાદન કરવાનો ધંધો. ઉત્પાદિત માલની વહેચણીનો ધંધો.

ખાસ કરીને તમે ઉત્પાદન કરવામાં શી રીત રસમો અપનાવો છો અને વહેંચણીમાં પણ કઈ રીત રસમો અપનાવો છો તેની ઉપર તમારું (સમાજનું) ચારિત્ર્યનું ઘડતર અવલંબે છે.

અર્થશાસ્ત્રમાં ઘણા વાદો છે. અને આ વાદોના નિષ્ણાતો હોય છે. આ નિષ્ણાતો, અર્થશાસ્ત્રના પરિબળોને ઓળખતા હોય છે આ પરિબળોને કન્ટ્રોલમાં રાખવા માટે, તેમની પાસે પોતાની માન્યતાઓ અને પોતાની વ્યુહરચનાઓ હોય છે. તમે આ સમજણને જેટલી વધુ ક્લીષ્ટ અને અમૂર્ત (એબસ્ટ્રેક્ટ) બનાવી શકો તેટલા તમે વધુ નિષ્ણાત ગણાવ. આવું ઘણા બધા લોકો (મૂર્ધન્યો સહિત) માનતા હોય છે. દેશના અર્થતંત્રને ખાડે લઈ જનાર, મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી મનાય છે. ભણેલ ગણેલ પણ અનીતિમત્તાનો છોછ નહીં, તેથી દોષનો ટોપલો બેક સીટ ડ્રાઈવર સોનિયા ગાંધી ઉપર નાખી દેવામાં આવે છે.

નરેન્દ્ર મોદી તે કંઈ અર્થશાસ્ત્રી છે!!

“સાલુ … નરેન્દ્ર મોદીએ ખરું કર્યું. ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. સ્વદેશીનું ભાષણ આપી દીધું તે જુદું. મોંઘા અને બ્રાન્ડેડ ગોગલ્સ પહેરે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. આ મોદીનો તો કચરો કરી નાખવો છે.

મોદીને કેવીરીતે વગોવીશુ?

આ મોદી …. એક તો મગન માધ્યમમાં ભણેલો છે. અને તેપણ ગામડાની કોલેજમાં ભણેલો છે. કોને ખબર શું ભણ્યો હશે.

આપણને પ્રધાન મંત્રી તો, હાર્વર્ડ, કેમ્બ્રીજ કે કમસે કમ જીન્ના નહેરુ યુનીવર્સીટી (જે.એન.યુ.)માં ભણેલો હોય એવો જ ખપે. ભલે આપણે મહાત્મા ગાંધીજીની સ્વદેશીની વાતો કરીએ. ગાંધીજી પોતે જ ઈંગ્લેન્ડમાં જ બાર એટ લૉ થયેલા હતા ને!! હાલનો પ્રધાન મંત્રી તો સાવ ગધુભાઈ જેવો છે.

“તડ-ફડ”વાળા મૂર્ધન્ય બોલ્યા;

“મોદી બોલ્યા એમાં મુદ્દા ઓછા અને શબ્દો વધુ હતા” એવું ઠોકો. (આને સિદ્ધ કરવાની જરુર નથી). “ગાંધીજી તો વહેવારુ હતા”….  (એટલે કે નરેન્દ્ર મોદી વહેવારુ નથી એ વાત આપોઆપ સિદ્ધ થઈ ગયેલી માનો).

સ્વદેશીને સાપેક્ષવાદના પરિપેક્ષ્યમાં ન જુઓ. આપણે તો મહા વિદ્વાન અને તટસ્થ છીએ એટલે નિરપેક્ષતામાં માની છીએ, પણ શબ્દોની રમત ચાલુ રાખો. “સ્વદેશી, આત્મનિર્ભરતા, જમાનાની જરુરીયાતો, જમાનાના સંજોગો, ભણતર બધું જે કંઈ સવાસો વર્ષ પહેલાં હતું તેમાંનું આજે બધું બદલાઈ ગયું છે. ગાંધીજીએ કોમ્પ્યુટર ક્યાં જોયું હતું? … “હેં?

“ગાંધીજીનું સ્વદેશીનું સૂત્ર આજના જમાનામાં અસરકારક ન ગણાય. બધું જ પરિવર્તનશીલ છે… ” એવું ઠોકો. “આજના જમાનામાં સ્વદેશી રહેવું પોષાય નહીં. આધુનિક શસ્ત્રો અમેરિકા પાસે થી લેવા જ પડે. અને અમેરિકાએ આપણી પાસે દવાની ભીખ માંગવી પડે. હે મોદી સાહેબ, તમને સત્તા મળી ગઈ એટલે બધું જ્ઞાન પણ મળી ગયું એવું ન માનો. …”.

હવે આપણે થોડી રાજીવ ગાંધીભાઈની પ્રશંસા કરી નાખીએ. તેમની આર્ષ દૃષ્ટિનું વિવરણ નહીં કરીએ. કારણકે એમાં તો ક્યાંક આપણે જ ફસાઈ જઈએ એવી શક્યતા છે. આપણે કંઈક બભમ બભમ કહીએઃ

“આવતી કાલનું ભારત કેવું હોય અને કેવું હોવું જોઇએ તે બાબતનો સૌથી સચોટ અને સૌથી વધારે સ્વિકાર્ય ખ્યાલ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં આપ્યો હતો. આજે ભલે એક પેઢી પૂરી થઈ ગઈ હોય. પણ રાજીવ ગાંધીનું આ ઉદ્‌બોધન આજે ય એટલું જ ચોટડૂક (ચોંટેલું) અને એટલું જ પ્રેરણાદાઈ છે…..”

આમાં આપણે સમજવું શું?

આ તો ૧૯૮૫ની વાતો છે. મીસ્ટર ક્લીને યુનીયન કાર્બાઈડના એન્ડરસનને સરકારી વાહનમાં બેસાડી ભગાડી દીધેલ. તે વાતને દબાવી દીધેલી. પણ અહીં એ વાત અસ્થાને છે. જો કે આમ તો આર્ષદૃષ્ટા માણસ માટે અનીતિના દુષ્પરિણામોની આર્ષ દૃષ્ટિ હોવી જોઇએ. પણ એ વાતને જવા દો. રાજીવભાઈએ કરેલું શું? તેમના આઈડીયાઓ કેવા હતા?

તેઓ દેશમાં ડીજીટલ ઈલેક્ટ્રોનિક્સની ક્રાંતિ લાવેલા?  તેઓ દેશમાં કોમ્પ્યુટર લાવેલા? તેઓ દેશમાં સોફ્ટવેર લાવેલા?

ના જી.  ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ના ઓર્ડર નો પાયો તો ૧૯૭૮માં નંખાયેલો. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ સોફ્ટવેર પ્રોગ્રામ આધારિત હોય છે. સ્ટ્રોર્ડ પ્રોગ્રામ કન્ટ્રોલની ટ્રેનીંગ ૧૯૭૮માં “એડવાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર” ગાઝીયાબાદમાં શરુ થઈ ગયેલી. સોફ્ટવેર વગર ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ચાલે જ નહીં. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ માટે ડેડીકેટેડ કોમ્પ્યુટર એક ટેસ્ટીંગ પેરીફેરલ હોય છે. એટલે કોમ્પ્યુટર પણ તાજા જન્મેલા બાળક જેવા ન હતા. તમે જ્યારે ડીજીટલ ઈલેક્ટ્રોનીક્સને લાવો એટલે પર્સનલ કોમ્પ્યુટર આવેલા જ હોય છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે જ. પહાડો ઉપર ધોધ પડવા શરુ થાય જ. સમયનો સવાલ છે. પણ જે આવવાનું છે તે આવવાનું જ છે.

વાત એમ છે કે રાજીવભાઈએ કોમ્પ્યુટર માટે કેટલીક છૂટછાટ આપેલી. જે આમ તો હાસ્યાસ્પદ હતી. રાજીવભાઈની કોમ્પ્યુટર વિષેની અજ્ઞાનતા દર્શાવતી હતી.

શું હતી આ છૂટ છાટ?

computer paper

તે વખતે ભારતમાં કદાચ મોટેભાગે, પ્રીન્ટર સાથે કન્ટીન્યુઅસ (સળંગ) અને ડાબી-જમણી કિનારીઓ ઉપર પરફોરેટેડ (કાણાવાળો) પેપર વપરાતા હતા. કદાચ રાજીવભાઈનો અને સરકારી અફસરો નો ખ્યાલ એવો હતો કે આવો સળંગ પેપર જ કોમ્પ્યુટરયુગની ઓળખ છે. આ પેપરની રચના એવી હોય છે કે, એક તો તે સળંગ હોય, તેની બંને કિનારઓ ઉપર કાણાઓ હોય છે, જેથી જ્યારે પ્રીંટ થતો હોય ત્યારે તે પેપર સીધો રહે. આવા પેપરને ટેક્ષમાંથી મૂક્તિ આપવામાં આવી હતી. હજી પણ બેંકો આવા પેપર વાપરે છે. બેંકોના કર્મચારીઓને કે સાહેબોને એટલું પ્રાથમિક જ્ઞાન પણ હોતું નથી કે પેપર ના માર્જીન (હાંસીયા) સેટ કરી શકાય છે.  ફોન્ટને પણ સેટ કરી શકાય છે.. આમ કરશું તો જે પ્રીન્ટ થયું છે તેનો અર્થ સરશે. પણ આ તો અલગ વાત છે. આપણા રાજીવ ભાઈ ના કોમ્પ્યુટરના ખ્યાલ કંઈક આવા હતા.

ટેક્નોલોજી હમેશા વિકસતી જ હોય છે. જેઓ તેના ઉપયોગ સાથે સંકળાયેલા હોય છે તેમને ટેક્નોલોજીની નવી નવી ક્ષમતાઓની ખબર હોવી જ જોઇએ. આ ક્ષમતાના ક્ષેત્ર વિષે વિચારીએ તો આપણે અચૂક કહી શકીએ કે રાજીવભાઈ તેમના જમાનામાં રહેલી ટેક્નોલોજીની ક્ષમતા જેટલી હતી અને તે ક્ષમતા વિષે તેમનું જે જ્ઞાન હતું, તેના કરતાં નરેન્દ્ર મોદી હાલમાં પ્રવર્તમાન ટેક્નોલોજીની જે ક્ષમતા છે તેના વિષે વધુ જાણે છે.

આ એક બહુ જ મહત્ત્વની વાત છે. સામાન્ય રીતે મોટા મોટા અધિકારીઓ પણ, ભલે પછી તે કોઈ પણ ક્ષેત્રના હોય, તેઓ પોતે પોતાને શું જોઇએ છે તે વિષે જાણતા હોતા નથી. તકનિકી ક્ષમતાની તો વાત ક્યાં કરવી! આવા અધિકારીઓમાં ઉચ્ચ સરકારી અફસરો સહિતના, અફસરો પ્રથમ ક્રમે આવે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબનઃ

આની કલ્પના તો નહેરુને ચીનના ભારત ઉપરના સરળ વિજય પછી લાધી હતી. તે માટે તેમણે સંરક્ષણ ખાતાને બે વિભાગમાં વહેંચ્યું હતું. તેમાનું એક સંરક્ષણ ઉત્પાદન ખાતું હતું. આ તો લાંબી વાત છે. પણ તડ-ફડ વાળા ભાઈ ભૂલી ગયા લાગે છે. નહેરુનો આ રાજકારણીય નિર્ણય હતો. ઓળઘોળ કરીને યુદ્ધની હારનો દોષનો ટોપલો મેનનને માથે નાખી દીધેલો. પણ મેનન તો એમના પાકા ગલગલતા મિત્ર હતા. મેનનને હટાવવાના દબાણને કારણે કેવીરીતે હેમખેમ બહાર આવવું એ નહેરુની સમસ્યા હતી. આ વાત લાંબી છે અને અહીં અપ્રસ્તુત છે. સંરક્ષણ બાબતમાં સ્વાવલંબન સિદ્ધ કરવાનો સંકલ્પ ૧૯૬૨નો છે.

સંરક્ષણ બાબતમાં કેટલું સ્વાવલંબન સિદ્ધ થયું તે બાબત, આ શતાબ્દીના પ્રથમ દશકામાં સેનાએ જ્યારે સંરક્ષણ યંત્રોના સ્પેરપાર્ટ્સની તંગીની વાત રજુ કરી, તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે.

ભારતમાં બૌધિક ગરીબાઈ છે?

આપણો દેશ બૌધિક સંપત્તિમાં (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં) ગરીબ નથી. નવી શોધખોળો માટે સક્ષમ છે. “ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે જોઇએ તેવું ઉત્પાદન કરવા સક્ષમ છે.

ભારત માટે ખાટલે ક્યાં ખોટ છે.

ભારતમાં સામાજીક અને રાજકીય સમસ્યાઓ અને તે પણ “કોંગી”એ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓએ તેઓની પ્રાથમિકતા સ્વકેન્દ્રી હોવાને કારણે ઉભી કરેલી છે.

ગાંધીજી, વિનોબા અને નરેન્દ્ર મોદીના સ્વદેશી (સ્વાવલંબનમાં) ભીન્નતા શું છે?

સૈદ્ધાંતિક રીતે કશી જ નહીં. ગાંધીજી પણ સંરક્ષણ ક્ષેત્રે સ્વવલંબનમાં માનતા હતા. તેઓ એ કહ્યું હતું કે જ્યારે બીજા દેશો અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય ત્યારે આપણે અહિંસાની વાત ન કરી શકીએ. જ્યારે પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું ત્યારે સરદાર પટેલ અને નહેરુ ગાંધીજીની સલાહ લેવા ગયા. ગાંધીજીએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું કે કાશ્મિરનુ રક્ષણ કરવું આપણી ફરજ છે.

ગાંધીજી લોકોની અપેક્ષાઓને સમજતા હતા. વિનોબા ભાવે થોડા નિરપેક્ષતા વાદી હતા. કેટલાકના મત પ્રમાણે, વિનોબા ભાવે પ્રત્યે, લોકોની અપેક્ષા શું છે તે વાત તેઓ સમજતા ન હતા. તો કેટલાકના અભિપ્રાય પ્રમાણે લોકોની અપેક્ષાઓને તેઓ સમજતા હતા પણ તે પ્રમાણે તેઓ પોતાની જાતને ઢાળવા માગતા ન હતા. ગાંધીજી અને વિનોબા બંને, કોઈ વાદમાં માનતા ન હતા. વિનોબા ભાવે “વાદ”ને બૌદ્ધિક પછાતપણુ માનતા હતા.

નરેન્દ્ર મોદી, ગાંધીજીના “સ્વદેશી”થી અજ્ઞાત નથી. અને લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓને પણ તેઓ સમજે છે. નરેન્દ્ર મોદી પોતાના કામના પ્રચારમાં પણ માને છે. જ્યારે જનતાનો પ્રાભાવિક હિસ્સો અજ્ઞાની અને ગરીબ હોય ત્યારે પ્રચાર જરુરી બની જાય છે. જો તમે આમ ન કરો તો તમારા વિરોધીઓ તેનો લાભ લઈ જઈ શકે છે. આ વાતની અનુભૂતિ આપણને ૨૦૦૪ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. સમાચાર માધ્યમોનો વ્યાપ અતિ વિશાળ હોવા છતાં કોંગીઓ કેવી કેવી અફવાઓ ફેલાવે છે તે આપણે જાણીએ જ છીએ. ટકી રહેવા માટે પણ  પ્રચાર આવશ્યક બની જાય છે.

શું ૧૦૦ ટકા સ્વદેશી વાપરવું આવશ્ય્ક છે?

૧૯૭૭માં જ્યારે જનતા પક્ષની સરકાર આવી ત્યારે મોરારજી દેસાઈએ ખાદીને સરકારી સંસ્થાઓ માટે ફરજીયાત બનાવી હતી. આ વાત ઘણા અર્થશાસ્ત્રીઓને પસંદ ન હતી. તેઓ કહેતા હતા કે જો બધા જ ખાદી પહેરશે તો પછી મીલનું કાપડ વાપરશે કોણ. જવાબ હતો, કે તેની નિકાસ કરો. હુંડીયામણ મળશે. વળતો સવાલ હતો, કે તો પછી આટલા બધા હુંડીયામણને દેશ કરશે શું? આ બેહુદો સવાલ હતો.

નરેન્દ્ર મોદી પણ ખાદી ગ્રામોદ્યોગના ઉત્પાદનના વપરાશને સરકારી ખર્ચાઓમાં ફરજીયાત બનાવી શકે છે. સરકારી નોકરો તેમજ જે સંસ્થાઓ સરકારી સબ્સીડીઓ લે છે તે સૌ માટે પણ સ્વૈચ્છિક રીતે ખાદી પહેરવાની અને ગ્રામોદ્યોગ-વપરાશની ભલામણ કરી શકે છે. ગરીબીને તાત્કાલિક રીતે દૂર કરવાનો આ એક માત્ર રસ્તો છે. કોંગી માટે આ રસ્તો હાથવગો હતો. પણ તેને તો માત્ર દંભ કરવો હતો અને તેની પ્રાથમિકતા માત્ર સત્તા જ હતી.

અન્ન વસ્ત્ર અને રહેઠાણમાં જો ફરજીયાત સ્વાવલંબી થઈએ તો બાકી શું રહેશે?  સરકાર માટે તો ઘણું બાકી રહેશે. પણ જો જનતા સ્વાવલંબી બનશે તો જનતામાંથી આવતા નોકરો જેઓ સરકાર ચલાવે છે તેઓમાં સ્વાવલંબનની ધગશ ઉત્પન્ન થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

(તાતસ્ય કૂપોયમીતિ બ્રુવાણા ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ) અર્થાત્‌

તાતસ્ય કૂપઃ અયમ્‌ ઈતિ બ્રુવાણાઃ

ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ

(આ કૂવો તો બાપાનો છે. માટે ભલે આ કૂવાનું પાણી ખારું હોય તો પણ પીવો. આવું કાપુરુષ કરે છે.)

દાખલોઃ

૧૯૭૦ના દશકામાં વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી,(અને આયાત પણ કરતી હતી).

Read Full Post »

कोरोना कोंग्रेस और उसके सांस्कृतिक सहयोगी

वैसे तो इस ब्लोग साईट पर इस विषय पर चर्चा हो गई है कि क्या हर युगमें वालीया लूटेरा, वाल्मिकी ऋषि बन सकता है?

वालीया लूटेरा

वालीया लुटेरा वैसे तो वाल्मिकी ऋषी बन सकता है, किन्तु ऐसी घटनाकी शक्यता के लिये भी किंचित पूर्वावस्थाकी भी पूर्वावस्था पर, अवलंबित है. हमारे रामायणके रचयिता वाल्मिकी ऋषिकी वार्तासे तो हम सर्व भारतीय अवगत है कि ये वाल्मिकी ऋषि अपनी पूर्वावस्थामें लूटेरा थे. फिर एक घटना घटी और उनको पश्चाताप हुआ. उन्होंने सुदीर्घ एकान्तवास में मनन किया और वे वाल्मिकी ऋषि बन गये.

प्रवर्तमान कोंगी (कोंग्रेस)

इस आधार पर कई सुज्ञ लोग मानते है कि भारतकी वर्तमान कोंग्रेस जिनको हम कोंग (आई), अर्थात्‌ कोंगी, अथवा इन्दिरा नहेरुगाँधी कोंग्रेस (आई,एन.सी.) अथवा इन्डीयन नहेरुवीयन कोंग्रेस के नामसे जानते है, यह कोंग्रेस पक्ष क्या , भारतीय जनता पक्ष (बीजेपी) का  एक विकल्प बन सकता है. कुछ सुज्ञ महाशय का विश्वास अभी भी तूटा नहीं है.

जिस कोंग्रेसने भारतके स्वातंत्र्य संग्रामकी आधारशीला रक्खी थी औस उसके उपर एक प्रचंड महालय बनाया था उसको हम “वाल्मिकी ऋषि” कहेंगे. इस वाल्मिकी ऋषिके पिता अंग्रेज थे.

“वसुधैव कुटूंबम्‌” विचारधाराको माननेवाले भारतवासीयोंको, इससे कोई विरोध नहीं है.

अयं निजः अयं परः इति वेत्ति, गणनां लघुचेतसां, उदारचरितानां तु वसुधैव कुटूंबकम्‌.

अर्थात्‌

यह हमारा है, यह अन्य है, अर्थात्‌ यह हमारा नहीं है, ऐसी मनोवृत्ति रखनेवाला व्यक्ति संकुचित मानस वाला है. जो उदारमानस वाला है, उसके लिये तो समग्र पृथ्वि के लोग अपने ही कुटूंबके है.

इस भारतीय मानसिकताको महात्मा गांधीने समग्र विश्वके समक्ष सिद्ध कर दिया था. भारतमें ऐसे विशाल मन वाले महात्मा गांधी अकेले नहीं थे. कई लोग हुए थे.

हाँ जी, उस समय कोंग्रेस वाल्मिकी ऋषिके समान थी.

फिर क्या हुआ?

१९२८में मोतिलालजीने कहा कि मेरे बेटे जवाहरलालको कोंग्रेसका प्रेसीडेन्ट बनाओ. उस समय मोतिलाल नहेरु कोंग्रेसके प्रेसीडेन्ट थे. उनका अनुगामी उनका सुपुत्र बना.

महात्मा गांधीने सोचा कि ज्ञानीको एक संकेत ही पर्याप्त होना चाहिये. १९३२में गांधीजीने कोंग्रेसके प्राथमिक सदस्यता मात्रसे त्यागपत्र दे दिया. महात्मा गांधी कोंग्रेसके शिर्षनेताओंको यह संदेश देना चाहते थे कि हमारे पदके कारण हमारे विचारोंका प्रभाव सदस्यों पर एवं जनता पर पडना नहीं चाहिये. हमारे विचारसे यदि वे संतुष्ट है तभी ही उनको उस विचारको अपनाना चाहिये.

१९३६में भी जवाहरलाल  प्रेसीडेन्ट बने. और १९३७में भी वे कोंग्रेसके प्रेसीडेन्ट बने.

महात्मा गांधीको लगा कि,  कोंग्रेस वाल्मिकी ऋषिमेंसे वालिया लूटेरेमें परिवर्तित होनेकी संभावना अब अधिक हो गयी है.  महात्मा गांधीने संकेत दिया कि जनतंत्रकी परिभाषा क्या है और जनतंत्र कैसा होता है. उन्होंने ब्रीटन, फ्रान्स, जर्मनीके जनतंत्र प्रणालीको संपूर्णतः नकार दिया था. गांधीजीने कहा कि हमे हमारी संस्कृतिके अनुरुप हमारी जनताके अनुकुल शासन प्रणाली स्थापित करना होगा. हमारी शास्न प्रणाली का आधार संपूर्णतः नैतिक होना चाहिये. (हरिजन दिनांक २-१-१९३७). भारतकी शासन प्रणाली कैसी होनी चाहिये. महात्मा गांधीने एक उत्कृष्ट उदाहरण दिया था. वह था “राम राज्य”. “राम राज्य”में राजाका कर्तव्य  सामाजिक क्रांतिको पुरस्कृत करना नहीं था. सामाजिक क्रांति करना या उसमें सुधार लाना यह काम तो ऋषियोंका था. ऋषियोंके पास नैतिक शासन धुरा थी.

पढिये “कहाँ खो  गये हाडमांसके बने राम”.

किन्तु गांधीजीके इस विचारका कोई प्रभाव नहेरु और उनके प्रशंसक युथ पर पडा नहीं. वे तो तत्कालिन पाश्चात्य देशोंमे चल रहे, “समाजवाद”की विचारधारामें रममाण थे.

सत्तामें जब त्यागकी भावनाका अभाव होता है तब वह सत्ता, जनहितसे विमुख ही हो जाती है. १९४७ आते आते कोंग्रेसके नेताओमें सत्ता लालसाका आविर्भाव हो चूका था. शासन करना कोई अनिष्ट नहीं है. किन्तु सत्ता पानेके लिये अघटित हथकंडे अपनाना अनिष्ट है.

“सत्ता पाना” और “सत्तासे हठाना” इन दोनोंमें समान नियम ही लागु पडते है. वह है साधन शुद्धिका नियम.

साधन शुद्धिका अभाव सर्वथा अनिष्ट को ही आगे बढाता है. कई सारे लोग इस सत्यको समज़ नहीं सकते है वह विधिकी वक्रता है.

चाहे बीज १९२९/३०में पडे हो, और अंकुरित १९३५-३६में हो गया हो, कोंग्रेसका  वाल्मिकी ऋषि से वालीया-लूटेरा बननेका प्रारंभ १९४६से प्रदर्शित हो गया था. १९५०मे तो वालीया लुटेरा एक विशाल वटवृक्ष बन गया.

वर्तमानमें तो आप देख रहे ही है कि वालीया लुटेरारुप अनेक वटवृक्ष विकसित हो गये है. वे इतने एकदुसरेमें हिलमिल गये है कि उनका मुख्य मूल कहां है इस बातका किसीको पता ही नहीं चलता है. अतः क्यूँ कि, नहेरुकी औलादें वर्तमान कोंग्रेस नामके पक्षमें विद्यमान है उस कोंग्रेसको ही मूल कोंग्रीसकी धरोहर मानी जाय. ऐसी मान्यता रखके मूल कोंग्रेसका थप्पा हालकी कोंगी पर मार दिया जाता है. इससे सिर्फ सिद्ध यही होता है कि ये महानुभाव जनतंत्रमें भी वंशवादको मान्यता दे दे सहे हैं. क्या यह भी विधिकी वक्रता नहीं है? छोडो इन बातको.

क्या निम्न लिखित शक्य है?

गुलाम –> वाल्मिकी ऋषि –>वालीया-लुटेरा –>वाल्मिकी ऋषि (?)

यह संशोधनका विषय है कि हमारे कुछ सुज्ञ महानुभाव लोग आश लगाके बैढे कि यह वालीया लुटेरा फिरसे वाल्मिकी ऋषि बनेगा. जिन व्यक्तियोंने एक ब्रीटीश स्थापित संस्थाको “गुलाम”मेंसे  वाल्मिकी ऋषि बनाया था, वे सबके सब १९५०के पहेले ही चल बसे. जो गुणवान बच भी गये थे उनको तो कोंग्रेससे बाहर कर दिया. तत्‌ पश्चात्‌  तो वालीया-लुटेरे गेंगमें तो चोर, उचक्के, डाकू, असत्यभाषी, ठग, आततायी, देशद्रोही … ही बचे है? इस पक्षको सुधरनेकी एक धुंधलीसी किरण तक दिखायी नहीं देती है.

कोरोना कालः

यह एक महामारीवाली आपत्ति है. भारतवासीयोंका यह सौभाग्य है कि केन्द्रमें और अधिकतर राज्योमें  बीजेपी का शासन है. भारतवासीयोंका कमभाग्य भी है कि चार महानगरोंमें बीजेपीका शासन नहीं है. खास करके दिल्ली, मुंबई (महाराष्ट्र), कलकत्ता और चेन्नाई.

दिल्लीका केज्रीवालः

कई विदेश, कोरोनाके संक्रमणसे आहत थे और उन देशोंमें हमारे नागरिक फंसे हुए थे. उनको वापस लाना था. केन्द्र सरकारने उन नागरिकोंको भारत लानेकी व्यवस्था की. और पुर्वोपायकी प्रक्रियाके आधार पर उनको संगरोधनमें (क्वारन्टाईन) कुछ समय के लिये रक्खा.

जब केन्द्रको पता चला कि तबलीघीजमातका महा अधिवेशन दिल्लीमें हो गया है और उस अधिवेशनके सहस्रों लोग विदेशी थे और उनमेंसे कई कोरोना ग्रस्त होनेकी शक्यता थी. उनमेंसे कई इधर उधर हो गये थे. ऐसी स्थिति में केन्द्र सरकारके लिये लॉकडाऊन घोषित करना अनिवार्य हो गया था. २३ मार्च को केन्द्र सरकारने २४ मार्चसे तीन सप्ताहका लॉकडाउन घोषित कर दिया. प्रधान मंत्रीने सभी श्रमजिवीयोंको कहा कि आप जहां हो, वहीं पर ही रहो.

लुट्येन गेंगके दिल्लीके हिरो थे केज्रीवाल. उन्होंने २४ मार्च की रातको ही श्रमजिवीयोंकों उदघोषित करके बताया कि आप लोगोंके लिये आपके राज्यमें परत जानेके लिये  बसें तयार है.

केज्रीवालने न तो कोई राज्य सरकारोंसे चर्चा की, न तो केन्द्र सरकारसे चर्चा की, न तो लेबर कमीश्नरसे कोई पूर्वानुमानके लिये चर्चा की कि, श्रमजीवीयोंकी क्या संख्या हो सकती है! बस ऐसे ही आधी रातको घोषणा कर दी  कुछ बसें रख दी है. आप लोग इन बसोंसे चले जाओ. केज्रीवालका यह आचार, प्रधान मंत्रीकी सूचनासे बिलकुल विपरित ही था और प्रधान मंत्रीकी सूचनाका निरपेक्ष उलंघन था. केज्रीवालको मुख्यमंत्री पदसे  निलंबित करके गिरफ्तार किया जा सकता है, कारावासमें भेजा सकता है और न्यायिक कार्यवाही हो सकती है. किन्तु प्रधान मंत्रीकी प्राथमिकता लोगोंके प्राण बचाना था.

वास्तवमें दो सप्ताहका समय देनेका प्रयोजन यही था कि सभी राज्य आगे क्या करना है उसका आयोजन कैसे करना है, यदि किसीको अपने राज्यमें जाना है तो उसके लिये योजना करना या और भी कोई प्रस्ताव है तो हर राज्य दे सकें.

ये सब बातें प्रधान मंत्रीने राज्योंके मुख्य मंत्रीयों पर छोडा था और प्रधान मंत्री हर सप्ताह मुख्य मंत्रीयोंके साथ ऑन-लाईन चर्चा कर रहे थे. यदि कोई मुख्य मंत्रीको कोई मार्गदर्शन चाहिये तो वह प्रधान मंत्रीसे सूचना भी ले सकता था.

श्रमजिवीयोंकी संख्याका पूर्वानुमान कैसे लगाया जा सकता है?

(१) घरेलु कामके श्रम जीवीः ये तो स्थानिक लोग ही होते है. वे अपने घरमें या अपनी झोंपडपट्टीमें रहेते है. उनको कहीं जाना होता नहीं है. ये लोग डोमेस्टीक सर्वन्ट कहे जाते है.

(२)  कुशल और अकुशल श्रमजीवीः ये श्रम जीवीमें जो कुशल है वे तो अपने कुटूंब के साथ ही रहेते है. जो अकुशल है उनमेंसे कुछ लोगोंको अपने राज्यमें जाना हो सकता है. ये दोनों प्रकारके श्रमजीवी अधिकतर मार्गके काम, संरचनाके काम, मूलभूत भूमिगत संरचनाके काम करते है. ये काम वे उनके छोटे बडे कोन्ट्राक्टरोंके साथ जूडे हुए होते है. कोन्ट्राक्टर ही उनको भूगतान करता है.

इन श्रमजीवीयोंके कोंन्ट्राक्टरोंको हरेक कामका श्रम-आयुक्तसे अनुज्ञा पत्र लेना पडता है, और इसके लिये हर श्रमजीवीका आधारकर्ड, प्रवर्तमान पता, कायमी पता  और बीमा सुरक्षा कवच, कार्यका स्थल … आदि अनेक विवरण, आलेख, लिखित प्रमाण, देना पडता है. राज्य सरकार चाहे तो एक ही दिन में श्रमजीवीयोंका वर्गीकरण और गन्तव्य स्थानकी योजना बना सकती है. श्रम आयुक्त के पास सभी विवरण होता है. श्रम आयुक्त कोंट्राक्टरोंको सूचना दे सकता है कि श्रमजीवी अधीर न बने.

(३) तीसरे प्रकारके श्रमजीवी ऐसे होते है कि वे छोटे कामके कोंट्रक्टरोंके साथ काम करते है. इन कोंट्राक्टरोंको कामके लिये श्रमआयुक्तसे अनुज्ञापत्र लेनेकी आवश्यकता नहीं होती है. लेकिन हर कोंट्राक्टरको सरकारमें पंजीकरण करवाना पडता है. सरकार इन कोंट्राक्टरोंसे उनके श्रमजीवीयोंका आवश्यक विवरण ले सकता है.

ये सबकुछ ऑन-लाईन हो सकता है और अधिकसे अधिक एक ही सप्ताहमें कहाँ कहाँ कितने श्रमजीवीयोंको किन राज्योंमें कहाँ जाना है उसका डेटाबेज़ बन सकता है.

एक राज्य दुसरे राज्यसे ऑन-लाईन डेटाबेज़का आदानप्रदान करके अधिकसे अधिक उपरोक्त ७ दिन को मिलाके भी, केवल दश दिनमें प्रत्येक श्रमजीवीको उसके गन्तव्यस्थान पर कैसे पहोंचाना उसका आयोजन रेल्वे और राज्यके परिवहन विभाग कर सकते है. इस डीजीटल युगमें यह सब शक्य तो है ही किन्तु सरल भी है.

तो यह सब क्यूँ नहीं हुआ?

राज्यके मुख्यमंत्रीयोंमें और उनके सचिवोंमे आयोजन प्रज्ञाना अभाव है. मुख्य मंत्री और संलग्न सचिव हमेशा कोम्युनीकेशन-गेप रखना चाहते है ताकि वे आयोजनकी अपनी सुविचारित (जानबुज़ कर) रक्खी हुई त्रुटीयोंमें अपना बचाव  कर सकें.

अधिकतर उत्तरदायित्व तो सरकारी सचिवोंका ही है. वे हमेशा नियमावली क्लीष्ट बनानेमें चतूर होते है. और मंत्री तो सामान्यतः  अपने क्षेत्रके अपने जनप्रभावके आधार पर सामान्यतः मंत्री बना हुआ होता है.

सरकारी अधिकारीयोमें अधिकतम अधिकारी सक्षम नहीं होते है. अधिकतर तो चापलुसी और वरिष्ठ अधिकारीयोंके बंदोबस्त (वरिष्ठ अधिकारीयोंके नीजी काम) करनेके कारण उनके प्रिय पात्र रहेते है. सरकारी अधिकारीयों पर काम चलाना अति कठिन है. अधिकसे अधिक उनका स्थानांतरण (तबादला) किया जा सकता है. लेकिन जब कमसे कम ९९ प्रतिशत अधिकारी अक्षम होते है तो विकल्प यही बचता है कि चाहे वे अक्षम हो, उनकी प्रशंसा करते रहो और काम लेते रहो. सरकारी अधिकारीयोंको सुधारना लोहेके चने चबानेके समकक्ष कठिन है. प्रणाली को बदलनेमें १५ वर्ष तो लग ही जायेंगे.

कोंगी ने  केवल मुस्लिम मुल्लाओंको और मुस्लिम नेताओंको ही बिगाडके नहीं रक्खा है. उसने कर्मचारी-अधिकारीयोंको भी बिगाडके रक्खा है. कोंगीयोंका और उनके सांस्कृतिक साथीयोंका  एक अतिविस्तृत और शक्तिमान जालतंत्र है. जिनमें देश और देशके बाहरके सभी देशद्रोही और असामाजिक तत्त्व संमिलित है.

ईश्वरका आभार मानो कि हमारे पास नरेन्द्र मोदी जैसा कुशलनेता, अथाक प्रयत्नशील प्रधानमंत्री है. उनके साथी भी शुद्ध है. ऐसा नहीं होता तो यह कोंगी उनका हाल मोरारजी देसाई और बाजपाई जैसा करती. अडवाणीको २००४ और २००९ के चूनावमें ऐसे दो बार मौका मिला, किन्तु वे सानुकुल परिस्थितियां होने पर भी, सक्षम व्युहरचनाकार  और आर्षदृष्टा  नहीं होनेके कारण बीजेपीको बहुमत नहीं दिलवा सकें.

कोंगी और उसके सांस्कृतिक साथी वाल्मिकी ऋषि तो क्या, एक आम आदमी भी बननेको तयार नहीं है. हाँ वे ऐसा प्रदर्शन अवश्य करेंगे कि वे निस्वार्थ देश प्रेमी है. अफवाएं फैलाना या/और जूठ बोलना उनकी वंशीय प्रकृति है. निम्न दर्शित लींक पर क्लीक करो और देख लो.

युपीके मुख्य मंत्री  श्रमजीवीयों की यातना पर कितने असंवेदनशील है और  कोंगीकी एक शिर्ष नेत्रीने श्रम जीवीयोंकी यातनाओंसे स्वयं कितनी  संवेदनशील और आहत है यह प्रदर्शित करने के लिये युपीके मुख्य मंत्रीको,  १००० बसें भेजनेका प्रस्ताव दे दिया. युपीके मुख्य मंत्रीने उसका सहर्ष स्विकार भी कर लिया और बोला के आप बसोंका रजीस्ट्रेशन नंबर, ड्राईवरोंका नाम और लायसन्स नंबर आदिकी सूचि भेज दो.

अब क्या हुआ?

वह शिर्षनेत्रीने सूचि भेज दी. जब योगीजीने पता किया तो उसमें स्कुटर, रीक्षा, छोटीकार, बडीकार, अवैध नंबर, प्रतिबंधित नंबर, फर्जी नंबर, अलभ्य नंबर … आदि निकले. ये सब राजस्थानसे थे.

इसके अतिरिक्त ये कोंगी नेत्रीने (प्रियंका वाईड्रा) ने कहा कि “हम ये बसें आपके लखनौमें लानेमें असमर्थ है. हमारी बसें दिल्लीमें कबसे लाईनमें खडी है.” ऐसा दिखानेके लिये बसोंकी लंबी लाईन की तस्विर भी भेजी. वह भी फर्जी. जो तस्विर थी, वह तो कुम्भके मेलेकी बसोंकी कतारकी तस्विर थी. युपीके मुख्य मंत्रीने बसें लखनौ को भेजनेकी तो बात ही नहीं की थी.

कमसे कम इस कोंगी नेत्रीको खुदको  हजम हो सके इतना जूठ तो बोलते. “केपीटल टीवी” निम्न दर्शित वीडीयो देखें.

https://www.youtube.com/results?search_query=%23%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%BF%E0%A4%AF%E0%A4%82%E0%A4%95%E0%A4%BE_%E0%A4%95%E0%A4%BE_%E0%A4%B2%E0%A4%BF%E0%A4%B8%E0%A5%8D%E0%A4%9F_%E0%A4%98%E0%A5%8B%E0%A4%9F%E0%A4%BE%E0%A4%B2%E0%A4%BE

कोंगी और उनके सांस्कृतिक साथी कैसा फरेब करते है उनका इन्डिया स्पिक्स का यह वीडीयो भी देखें

https://www.youtube.com/watch?v=oCRssuW7ywQ

आप इन सबको सत्य का सन्मान करनेके लिये और आसुरी शक्तियोंके नाश के लिये अवश्य अपने मित्रोंमें प्रसारित करें. यही तो हमारा आपद्‌ धर्म है.

शिरीष मोहनलाल दवे

चमत्कृतिः

कोंगीके प्रमुखने कहा हमारा पक्ष श्रमजीवीयोंके रेलका किराया देगा.

इसके उपर स्मृति ईरानीजीने कहा कि

 श्रमजीवीयोंके लिये  रेलवे ट्रेन चलानेकी घोषणा करनेके समय ही यह सुनिश्चित हो गया था कि ८५ प्रतिशत किराया केन्द्र सरकार देगी और १५ प्रतिशत किराया राज्य सरकार रेल्वेको देगी. इसके बाद कोंगी कहेती है कि किराया हमारा पक्ष देगा, लेकिन किराया बचा ही कहाँ है? यह तो ऐसी बात हुई कि शोलेमें असरानी कहेता है कि आधे पोलीस लोग इधर जाओ, आधे उधर जाओ. जो बचे वे मेरे साथ रहो.

सोनिया गांधीकी बात भी ऐसी ही है. ८५ प्रतिशत किराया केन्द्र देगा, १५ प्रतिशत किराया राज्य देगा. जो बचा वह कोंगी देगा.

Read Full Post »

%d bloggers like this: