ઈશ્વરને કોંગી સાથે કેમ બનતું નથી?
“હાજી, એવું લાગે છે કે ઈશ્વરને કોંગી (કોંગ્રેસ નહીં. પણ નહેરુવીયન કોંગ્રેસ એટલે કે ઇન્દિરા નહેરુ કોંગ્રેસ) પાર્ટી સાથે બનતું નથી.
“અરે એવું હોય!!! ઈશ્વરે આ કોંગીને ૬૦ વર્ષ સુધી રાજ કરવા દીધું અને તેમાં પણ ૪૦ વર્ષ પૂર્ણ બહુમતિથી, બે વર્ષ આપખુદ રીતે, લગભગ ૧૫ વર્ષ તેમના સાંસ્કૃતિક સાથીઓની ભરપુર સહાયથી અને ૨ વર્ષ આમને આમ જ રાજ કરવા દીધું અને તમે કહો છો કે ઈશ્વર એમની વિરુદ્ધ છે.
“અમને તો લાગે છે કે લખનારનું ખસી ગયું છે કે ઈશ્વરનું ખસી ગયું છે. કોંગીએ આટલા આટલા ભવાડા કર્યા અને દેશને પાયમાલ કર્યો … અને પછી પણ, ઈશ્વરે કોંગીને રાજ કરવા દીધું અને તમે પ્રશ્ન કરો છો કે ઈશ્વર એમની વિરુદ્ધ કેમ છે? તમે આવું કહો એટલે પછી અમારે કહેવું જ પડેને કે ઈશ્વરનું ખસી ગયું છે કે લખનારનું ખસી ગયું છે. બે માંથી એકનું તો ખસી જ ગયું છે. આ વાત તો કબુલ કરવી જ પડશે.
“અરે ભાઈ ઈશ્વરનું ખસી ગયું છે એમ કહેશો તો મુસલમાનો ના મુલ્લાઓ સાગમટે ફતવા બહાર પાડશે કે ઈશ્વરનું ખસી ગયું છે એમ કહેવું એ તો ઈશ્વરની નિંદા થઈ. ઈશ્વરની નિંદા એ એક જઘન્ય અપરાધ છે. આ અપરાધની સજા, “સજા એ મોત છે”. પછી કોઈ કોઈને સોપારી આપશે કે આ ઈશ નિંદા કરવાવાળાનું ધડ વગરનું માથું તાસક ઉપર મને આપો. હું તેને એક કરોડ રુપીયા (બ્લેકમાં) આપીશ.
“અરે ભાઈ એવું નથી… આ લેખક તો હિન્દુ છે એટલે હિન્દુઓના ઈશ્વરની નિંદા કરવી એ ગુનો બનતો નથી. મુસલમાન કલાકારો અને હિન્દુ કલાકારો ભરપેટ હિન્દુઓના ભગવાનોની નિંદા કર્યા જ કરે છે. તમે ફિલમો જોતા લાગતા નથી. એટલે આવું કહો છો….. યાર તમે થોડી ફિલમો જોતા રહો … તો તમને ખબર પડશે… કે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. ફિલમમાં હિરાભાઈ કે હિરાબેન, પોતાને દુઃખ પડે ત્યારે કેવા ભગાવાનને વાંકમાં લે છે!! અને કેવા કેવા સવાલો કરે છે. દા.ત. ‘હે ઈશ્વર, મેં તારું શું બગાડ્યું છે? … મેં તારા ચંદ્ર કે અને તારાઓ ક્યાં તોડ્યા છે !! તો પછી તેં મારી જીંદગી કેમ ઉજાડી દીધી બોલ?’
“ભગવાનને સવાલ કરવા એ કંઈ તેમની નિંદા ન કહેવાય …
“અરે વાહ !!! … એક તો પોલીસની જેમ ભગવાનને સવાલો કરવા … કે જેથી ભગવાનને નીચા જોણું થાય … ભગવાનને નીચાજોણું થાય અને ભગવાનને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે એ નિંદા ન કહેવાય શું? …. અરે એ વાત જવા દો … ચિત્રકાર કલાકારોએ તો ઘણા અપમાન જનક ચિત્રો પણ બનાવ્યા છે એનું શું?
“જુઓ ભાઈ … એક વાત સમજો … હિન્દુઓના ભગવાનને ફાવે એવા સવાલો પૂછી શકાય છે. સવાલો પૂછીએ એટલે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થાય. જેમ જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેમ આપણે ભગવાનની નજીક ને નજીક પહોંચીએ… હિન્દુઓનું આ તત્ત્વજ્ઞાન છે. સમજો જરા …
“તેથી શું થઈ ગયું? ભગવાન એ ભગવાન છે. એમને પણ સ્વમાન જેવું હોય કે નહીં?
“હવે મારે તમને કેવીરીતે સમજાવવા? માણસ કશું કરતો નથી. ભગવાન જ બધું કરે છે. ઈશ્વર સર્વવ્યાપી છે. અને બધું એ જ કરે છે. એટલે કે એજ ક્રિયા છે, એ જ કર્તા છે અને એ જ ભોક્તા છે … સમજ્યા કે નહીં?
“એમાં ભોક્તા ક્યાં થી આવ્યો?
“ભોક્તા એટલે કર્મફળનો ભોક્તા. ક્રિયા કર્મ અને તે કર્મનું ફળ ભોગવનાર એ બધું જ ઈશ્વર છે.
“એ બધી ફિલોસોફી જવા દો. આપણું તત્વ જ્ઞાન કહે છે કે કર્મનું ફળ કોઈને છોડતું નથી. તો પછી આ કોંગીઓએ સેંકડો ભવાડા અને કૌભાન્ડો કર્યા … તો પણ ઈશ્વરે, આ કોંગીઓને રાજ કેમ આપ્યું? અને ઈશ્વરે તેમને દશકાઓ સુધી રાજ કેમ કરવા દીધું? બોલો!
“જુઓ … નહેરુએ સ્વાતંત્ર્યની લડાઈમાં પોતાનું ઠીક ઠીક યોગદાન આપેલ. ભલે બાપ કમાઈ તો બાપ કમાઈ… પણ તેમણે પોતાના ઘરને બીજી કક્ષાના સ્વાતંત્ર્ય સેનાની સુધી ધર્મ શાળા બનાવી દીધી હતી. તેમનું અંતીમ ધ્યેય કંઈ પણ હોય. પણ સારું કામ એ સારું કામ છે. સારું કામ એ કદી ખરાબ કામ બની જતું નથી. ઈશ્વરે પણ પોતે બનાવેલા નિયમો પાળવા પડે છે. અગ્નિના રુપમાં રહેલો ઈશ્વર જો શેતાન “ચા” કરે તો તે થવા દે છે. ઈશ્વર એવું કહેતો નથી કે તું તો રાક્ષસ છે એટલે હું તારી ચા ને થવા જ નહીં દઉં. બધા ભલે મને ભોળો કહે પણ હું તો મારા નિયમો પાળીશ જ.” આમ ઈશ્વરે, આ નહેરુને વડા પ્રધાન થવા દીધા. જોકે તેમને થોડા બદનામ પણ કર્યા. પણ એ બધું દબાઈ ગયું. કારણ કે જનતા અભણ હતી અને ભણેલાને થયું કે ભલેને નહેરુ થાય. આપણે શો ફેર પડે છે? નહેરુના યુવા ભક્તો, સરદાર પટેલની “મૂડીવાદીઓનો પીઠ્ઠુ કહીને બુરાઈ કરતા હતા. પણ ૧૯૪૭-૪૮માં સરદાર પટેલે જે રીતે ભારતને અનેક ટૂકડાઓમાં ખંડિત થતું અટકાવ્યું તેથી નહેરુભક્તોની હવા નિકળી ગઈ.
સજીવ ની વ્યાખ્યા ઈશ્વરની રીતે ભીન્ન છે. કોંગ્રેસ પક્ષ પણ એક સજીવ છે. વિશ્વના બનાવો, શક્યતાના સિદ્ધાંતને પણ અનુસરે છે. ક્યારેક ચારણી માંથી નાના ચોખા ચળાઈ જાય છે ત્યારે પણ બે ત્રણ નાના ચોખાના દાણા ચારણીમાં રહી જાય છે. તેમ સુજ્ઞ લોકોની વાસ્તવિક સ્થિતિ સમજવાની અક્ષમતા અને જનતાની અજ્ઞાનતાને કારણે તેમજ સરદાર પટેલના મૃત્યુને કારણે નહેરુ પોતાના પક્ષના સર્વેસર્વા બની ગયા અને ૧૯૫૨ ની ચૂંટણી જીતી ગયા. ૧૯૫૭માં તેઓ ભાષાવાદી ભાગલા પડાવી ચૂંટણી જીતી ગયા. ૧૯૬૨માં ગોવાને જીતી, ચૂંટણી જીતી ગયા.
પણ કર્મફળ તો ભોગવવું જ પડે છે. તેથી નહેરુના જૂઠાણા તેમને નડ્યાં. ચીને આસાનીથી ૯૧૦૦૦ ચોરસમાઈલ ભારતની ધરતી જીતી લીધી. એટલે નહેરુ નંખાઈ ગયા. અને નહેરુ નષ્ટ પામ્યા. પણ ભારતની જનતાને સત્તાનું રાજકારણ કેવું હોય છે તે સમજવાની જરુર હતી.
સુજ્ઞ લોકો અજ્ઞ હોઈ શકે છે. અભણ લોકોને પણ કાયમ માટે છેતરી શકાતા નથી. ૧૯૬૭ની ચૂંટણીમાં કોંગીને ફટકો પડ્યો પણ જીતી ગઈ. ભારતની જનતાને સત્તાનું રાજકારણ કેવું હોય છે તે સમજવાની હજુ જરુર હતી. એટલે ઈન્દિરાએ જુઠાણા ચલાવ્યા. પોતાના જ પક્ષના, પોતે જ નામાંકિત કરેલા ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને પોતાના જ જુથદ્વારા હરાવ્યા. અને ભારતના મોટા ભાગના સુજ્ઞ લોકોએ તાળીઓથી ઇન્દિરાને વધાવ્યા એટલે ઈશ્વરને ચિંતા થઈ. ઈન્દિરાની ખામીઓ આગળ આવી. આ ખામીઓથી પોતાને બચાવવા ઇન્દિરાએ કટોકટી લાદી અને ભગવાને તેને હરાવીને ભારતના લોકતંત્રને મજબુત કર્યું.
પણ જુઓ. બિનકોંગી પક્ષોનો સમૂહ પણ એક સજીવ છે. ચરણસિંહ અને રાજનારાયણના ગુટના કરતૂતો આ સજીવને નડ્યા. મોરારજી દેસાઈ ભલે નીતિમાન હોય પણ તેમના સાથીઓના પાપ પણ તેમને પણ નડે જ. જનતા પક્ષ તૂટી પડ્યો. ૧૯૮૦માં ફરી કોંગી સત્તા ઉપર આવી.
હવે વળી પાછી ઈશ્વરને ભારતની ચિંતા થઈ. એટલે ઈશ્વરે ઈન્દિરાને મૃત્યુદંડની સજા કરી. પણ ભારતની જનતા તો ઈશ્વરની ઈચ્છા સમજવાને સક્ષમ ન હતી. તેથી તેણે રાજિવ ગાંધીને જીતાડ્યો. સુજ્ઞ લોકોએ તેને નાણ્યાં વગર જ મીસ્ટર ક્લીનની ઉપાધી આપી દીધી. વળી પાછી ઈશ્વરને ભારતની ચિંતા થઈ. અને તેમણે રાજિવ ગાંધીને મૃત્યુદંડ ની સજા કરી.
“જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે?
કોંગી હારી પણ તેના ગુણો (એટલે કે અવગુણો) કેટલાક બિનકોંગી પક્ષોમાં ઉતર્યા હતા. એકવાર નરસિંહરાવ વડાપ્રધાન બન્યા અને ઈશ્વરે ભારતની જનતાને સમજાવ્યું કે બિન નહેરુવીયન વડાપ્રધાન, નહેરુવીયન વડાપ્રધાન કરતાં સારું શાસન કરી શકે છે. પણ જનતાએ હજુ વધુ સમજવાની જરુર હતી. એટલે ઈશ્વર, બિનકોંગી સરકારને સત્તાપર લાવ્યા. બાજપાઈની નેતાગીરી હેઠળ બીજેપી સત્તા ઉપર આવી. તેણે વિકાસ ની વ્યાખ્યા ભારતની જનતાને શિખવી. પણ જનતાએ હજુ રાજકારણ કેવીરીતે ચાલે છે તે સમજવાની જરુર હતી. એટલે કે કોંગીઓ સત્તા માટે કેટલી હદ સુધી નિમ્ન સ્તર સુધી પહોંચી શકે છે, તે માટે ઈશ્વરે ભારતીય જનતાને દશવર્ષની ટ્રેનીંગ આપી. અને કોંગીને વધુ ખુલ્લી કરી.
ઈશ્વર, ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળ બીજેપીને સત્તા ઉપર લાવ્યા. ઈશ્વરને હવે લાગે છે કે મેં મારાથી બનતું બધું કર્યું છે.
ઈશ્વર ઉવાચઃ
હે ભારતીયજનો, મેં તમારી સમક્ષ બધું ખુલ્લુ કરી દીધું છે. કોંગ્રેસના અને તેના સાંસ્કૃતિક સાથીઓના બધા દાવપેચ તમારી સમક્ષ ખુલ્લા છે. કોંગ્રેસ શું શું કરી શકે છે તે તમે જાણો છો.
“કોંગી ભારતને અને ભારતની જનતાને કેવી જાતના પ્રયત્નો કરે છે, તે તમે જાણો છો,
“કોંગી વિકાસ કેવીરીતે અવરોધી શકે છે તે તમે જાણો છો,
કોંગી, આપત્તિઓ વખતે તે કેવી રીતે વર્તી શકે છે. કેવા અવરોધો તે ઉભા કરી શકે છે, તે તમે જાણો છો.
નરેન્દ્ર મોદીએ પણ તમને બતાવી દીધું છે કે
નીતિમત્તા એટલે શું,
વિદેશનીતિ કેવી રીતે થાય છે,
દેશના દુશ્મનો કોણ કોણ છે,
દેશના દુશ્મનો કેવી કેવી વ્યુહ રચના કરી, દેશના ટૂકડાઓ કરી શકે છે,
ભારતનો સાચો ઇતિહાસ કેવો છે,
સનાતન ધર્મ કેવો છે,
તમારાથી શું શું કોંગીઓએ છૂપાવેલું છે,
કોંગીઓએ કેવી રીતે અને શા માટે છૂપાવેલું,
ભારત વિરોધી કઈકઈ ગેંગો કામ કરે છે ….
આ બધું મેં ઈશ્વરે,તમારી સમક્ષ ખુલ્લું કરી બતાવી દીધું છે.
હવે તમારે શું કરવું તે તમારી ઉપર છોડું છું.
ઈશ્વર કહે છે કે હવે તેઓ તમને કેટલી મદદ કરીશ તે તેમને પણ ખબર નથી. તમને ખબર જ છે કે ઈશ્વર તેમને જ મદદ કરું છું જેઓ પોતાને મદદ કરે છે.
શિરીષ મોહનલાલ દવે
આગામી આકર્ષણઃ
અહો કૌતુકમ્ “અમદાવાદ સ્વચ્છતામાં દશની અંદર આવ્યું”
Leave a comment