Feeds:
Posts
Comments

Archive for July, 2022

“અમે આ તો થવા જ નહીં દઈએ. તમે સમજતા કેમ નથી?” સરકાર વદી

“અમે કોણ?

અમે એટલે સરકારી નોકરો. હાજી અધિકારીઓ સહિતના સરકારી નોકરો.

અમે એટલે નગર પાલિકાના, મહાનગર પાલિકાના, પંચાયતના કે ક્યાંયના પણ જનપ્રતિનિધિઓ એવા કે જેઓને  જન-નિધિ (પબ્લીકફંડ) માંથી ચૂકવણું થાય છે તેવા  પાર્ષદો, મંત્રીઓ, ન્યાયાધીશો, … … સમજી જાઓને !!!

અમે એટલે કોણ સમાચાર માધ્યમોના માલિકો, વિશ્લેષકો, કટારીયાઓ, પગારદારો, …. અમે કદી અપ્રચ્છન રીતે સરકારી અધિકારીઓને દોષ નહીં ઠેરવીએ, કારણ કે તેમના થકી તો અમારા ઓળખીતાઓના કાયદેસર સહિતના કામો કરાવી લઈએ છીએ. હાજી. આપલે વાળા અને આપલેવગર પણ. અધિકારીઓને કેમ દોષ દેવાય!

હાજી અમે બને ત્યાં સુધી જનપ્રતિનિધિઓને પણ વાંકમાં લેવામાં માનતા નથી. કારણ કે આ જન પ્રતિનિધિઓ જ્યારે આંખ આડા કામ કરે ત્યારે તો સરકારી નોકરો ગેરકાયદેસર કામો પ્રત્યે આંખ આડા કામ કરી શકે છે. સમજો ભાઈ સમજો …

હા પણ તમે કોણ?

“અમે છીએ સામાન્યબુદ્ધિવાળા સામાન્ય માણસ જેના કર દ્વારા જન-નિધિ (પબ્લિક ફંડ)નું નિર્માણ થાય છે. અને ફંડમાંથી તમને તમારી ફરજો બજાવવા બદલ, તેમ જ તમારી ફરજો ન બજાવવા છતાં પણ, ભૂગતાન થાય છે. સમજ્યા તમે? અરે હા … એ વાત તો કહો કે તમે કહ્યું કે તમે “આ તો અમે નહીં જ થવા દઈએ”. એ કઈ કઈ સમસ્યાઓ છે જેનું નિરાકરણ તો છે, તો પણ તમે તેને નહીં થવા દો.

“અમે નિમ્નલિખિત સમાસ્યાઓનું નિરાકરણ નહીં થવા દઈએ.

(૧) ગેરકાયદેસરના બાંધકામ

(૨) સરાકારી સંપત્તિ ઉપર કબજો/દબાણ

(૩) વાહન વ્યવહારમાં અરાજકતા

(૪) રસ્તે રખડતા ઢોર

(૫) રસ્તે રખડતા કુતરાઓ,

(૬) અસ્વચ્છતા નિવારણ,

(૭) રસ્તાઓ ઉપરના ખાડાઓ

(૮) કોઈપણ કામ વ્યવસ્થિત રીતે ન કરવું,  પછી તે આયોજન હોય, તેનો અમલ હોય, કાયદાનું પાલન હોય, ન્યાયાલયનો ચૂકાદો હોય, બજવણી હોય, જનતા સાથે પત્રવ્યવહાર હોય … આ સરખી રીતે થાય એવું અમે માનતા નથી.

 (૯) દસ્તાવેજોનું ફાટી જવું કે અદૃશ્ય થવું

“પણ હે “સરકારી અફસર સાહેબ” ભાઈ, આમાં તમને ફાયદો શો?

“અરે ભૈયા, યહી તો હી હૈ હમારી બાંયે હાથકી કમાઈકા આધાર! ચલો મૈં આપકો એક એક કરતે સંક્ષિપ્તમેં ગુજરાતીમેં બતાતા હું.

(૧) ગેરકાયદેસરના બાંધકામને અમે સમયે સમયે ઈંપેક્ટ ફી દ્વારા કાયદેસર કરી દઈએ છીએ. તેથી અમને અને સરકારને પણ કમાણી. જો વાહન-પાર્કીંગની જગ્યાનો કોમર્સીયલ ઉપયોગ હોય તો અમે સૌ પ્રથમ તો અમે કોમર્સીયલ ટેક્ષ વસુલ કરવાનું ચાલુ કરી દઈએ, એટલે કામ પત્યું. સરકારને તો કમાણી કરાવી જ.

(૨) સરકારી જમીન ઉપર કબજો એટલે કે ઝોંપડ પટ્ટી, ફૂટપાથ ઉપર લારી ગલ્લા, પાથરણા, વેચાણના તંબુ, ગેરેજમાં આવેલા સર્વીસીંગ અને સફાઈ માટે વાહનો,  

અમે આ દબાણ હટાવવાનો કોંટ્રાક્ટ આપી દઈએ. તેથી કોંટ્રાક્ટ આપવામાં અમારા સાહેબોને પૂર્વ-કમાણી થઈ જાય. અને અમે, થોડા છૂટક એજંટો રાખીએ, જે પૈસા ઉઘરાવી, અમારા નાના મોટા કર્મચારીને જાળવી લે. ઝોંપડપટ્ટીવાળાઓ બાબતમાં જનપ્રતિનિધિઓ લોક્લ ગુંડાઓ સાથે હળીમળીને કામ કરે. સવાલ ઉભો થાય તો અમે કહી દઈએ કે અમે અમે આ વર્ષ દરમ્યાન ૫૨૪૦ દબાણ હટાવ્યા, અને ૪૩૨૬૨૮ રૂપીયા દંડપેટે વસુલ કર્યા. તો … પછી … અમે કંઈ નવરા બેસી રહેતા નથી! અમે કંઈ જેવા તેવા છીએ?

(૩) વાહનવ્યવહારમાં અરાજકતા

અમે વાત તો સ્માર્ટ સીટીઓની કરીએ. પણ વાહનવ્યવહારના કાયદાનો ભંગ કરનારાઓ પાસેથી રોકડે થી પૈસા ચરકાવવાની મજા જ કંઈ ઑર છે.

સીસીટીવી કેમેરાઓ ઠેર ઠેર લગાવી શકાય છે. વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિના વાહનને સોફ્ટવેર દ્વારા ચિન્હિત કરી તેને ગમે ત્યાંથી પકડી શકાય છે. તેના ખાતામાંથી બારોબાર પૈસા વસુલ કરી શકાય છે. પણ એવું કરીએ તો અમારા ડાબા હાથનું કામ જ શું રહે? પૈસા તો ભાઈ, રોકડે થી જ સારા. થોડામાં ઘણું … સમજી જાઓને ભાઈ…

અરે તમને ખબર નથી, મોટી મોટી બીલ્ડર કંપનીઓ પણ વાહનપાર્કીંગ પ્લાન અને અમલમાં અરાજકતા ફેલાવે છે અને તેના કેસ પણ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં મજેથી કોર્ટની પ્રકૃતિએ ચાલે છે. જનતાને શું? ઘા ભેગો ઘસરકો …

(૪) રસ્તે રખડતા ઢોર

ઉપાયો તો ઘણા છે. વાહનોને નંબર અપાય તો ઢોરોને પણ નંબર આપી શકાય. રસ્તા ઉપર લાગેલા સીસીટીવી કેમેરાથી તેમને ઓળખી શકાય. ઢોરને બદલે ભરવાડ/રબારી ને પકડીને દંડ વસુલ કરી શકાય. અરે ગૌશાળાઓ ખોલી શકાય. જમીન અને પશુપાલનને લગતા નવા કાયદાઓ ઘડી શકાય.

પણ સાહેબ મોરા, ભરવાડ /રબારી સાથે બાખડાય? એ તો જંગલની પ્રજા કહેવાય. આપણે તો અણીશુદ્ધ સંસ્કારી, ભણેલા ગણેલા કહેવાઈએ.

“તો પછી થઈ શું શકે?

“અરે ભાઈ એજ કહેવાનું કે અમે ૮૪૦૪૨૦ રુપીયા ઢોર પકડવા વિષે વસુલ કર્યા. લ્યો હાઉં!

(૫) રસ્તે રખડતા સારમેયો (કુક્કુરાઃ અર્થાત્ કુતરાઓ)

“ઉપાય તો છેઃ કુતરાઓની ખસી કરો. અથવા કુતરીઓને આંકડી પહેરાવો. અથવા બંને કરો.

પણ અમારો ઉત્તર છે, આ કામ સો એ સો ટકા ન થઈ શકે. હવે ધારો કે અમે ૯૫ ટકા સફળ થયા, તો જે ૫ ટકા કુતરા કુતરીઓ બચી ગયા તેનું શું? એક કુતરી ચાર બચ્ચાંને જન્મ આપે છે. તો બે વર્ષમાં તો કુતરાંઓની વસ્તી હતી તેટલી ને તેટલી જ થઈ જાય. પણ અમે આ કામ ના પણ કોંટ્રાક્ટ આપીએ છીએ તેથી અમારી સાથે કોંટ્રાક્ટરોને પણ કમાણી થાય. હવે ધારો કે કોઈ કોંટ્રાક્ટર ઈમાનદર નિકળે અને ૧૦૦ ટકા સફળતા પ્રાપ્ત કરે તો તો અમારી કામાણીને ફટકો પડે ને. તમે સમજતા કેમ નથી?

(૬) અસ્વચ્છતા નિવારણઃ

જે ઉડીને આંખે વળગે એવી કોઈ અરાજકતા હોય તો તે અસ્વચ્છતા. કચરો, ધૂળ, પથરા, કાગળના ટૂકડા, પ્લાસ્ટિકના ટૂકડા, પ્લાસ્ટીકની થેલીઓ, ખાદ્ય પણ અખાદ્ય પદાર્થો, વિષ્ટા, છાણ, તૂટેલા રસ્તા, ન બનાવેલી ફૂટપાથો, ફૂટપાથો જો બનેલી હોય તો તૂટેલી ફૂટપાથો, પાણીના રેલાઓ અને ખાબોચીયા, ખાડા ટેકરા, સાંકડી ફૂટપાથ અને તેના ઉપર રોપેલા થાંભલાઓ,  …

સફાઈવાળીઓ કહે કે “આમાં અમારે સફાઈ કેવી રીતે કરવી?

રાવ સાહેબ ભલે રાતની ડ્યુટી લગાવે. બધે કંઈ રાવ સાહેબ ન હોય. આયોજન કરનારા અધિકારીઓને તો કહેવાય ક્યાંથી? તેમણે તો ૨૦ વર્ષ પહેલાં આયોજન કરેલું. ભલે અંગ્રેજોએ ૧૦૦ વર્ષ પહેલાં આયોજન કર્યું હોય અને તે રસ્તાઓની પહોળાઈઓ અને ફુટપાથોની પહોળાઈઓએ સો વર્ષ સુધી મુંબઈમાં કામ આપ્યું હોય. પણ આપણે અંગ્રેજ થોડા છીએ?

(૭) રસ્તાઓના ખાડાઓ

જુઓ ડામરના રસ્તાઓ સસ્તા પડે. વળી એમાં કમાણી પણ ઠીક ઠીક. ખાડાઓની બૂમ ઉઠી છે? દોડો … દોડો … દોડો … અમે એક માસમાં ખાડાઓ પૂરી દઈશું. છાપામાં છપાવો “કમીશ્નર સાહેબે એંજીનીયરોને ખખડાવ્યા… “

થોડી સુકી અને થોડી ડામરથી કાચીપાકી ભીની કરેલી કપચી નાખી દો. થોડી દબાવો પણ ખરા. બહુ દબાવવાની જરુર નથી. એના ઉપર વાહનો તો ચાલવાના જ છે. એટલે દબાઈ તો જવાની જ છે. બધા ખાડાઓ પૂરવાની જરુર નથી. નવા ખાડાઓ પડ્યા એવું કેમ કરીને કહીશું?

જો ચોમાસા પહેલાં કામ કરો તો સારું. … શરુ કરીદો. … પૂરું ક્યારે કર્યું તે નહીં કહીએ. ચોમાસામાં “વરસાદ ધાર્યા કરતાં વહેલો” આવ્યો … નવા ખાડા પડ્યા … વરસાદમાં તો ખાડા પડે જ ને.

[જગતપુરથી સી.જી. રોડને જોડતો રોડ જ્યાં સી.જી. રોડને મળે છે ત્યાં ઓછામાં ઓછા સાત વર્ષથી ડાબી બાજુએ ખાડાઓ  પડેલા છે. મ્યુનીસીપલ ચોપડે કેટલીવાર પૂરાયા તે સંશોધનનો વિષય છે. આ ખાડાઓ ઓછામાં ઓછા સાત વર્ષે પણ વિદ્યમાન છે. અને કડે ધડે છે.

મોદીકાકા કહે છે કે “એક ટેબલ ઉપર આર્ધો ભરેલો પાણીનો કપ છે. એક જણે કહ્યું આ કપ અર્ધો ખાલી છે. બીજાએ કહ્યું આ અર્ધો ભરેલો છે.” હમેશા હકારાત્મક બનો. હમેશા બોલો કે કપ અર્ધો તો અર્ધો પણ ભરેલો તો છે જ.

તો અમે પણ એમ કહીએ છીએ કે આ વર્ષે અમે ૮૪૪૨૦ ખાડાઓ પૂર્યા. કેટલા બાકી રાખ્યા અને હાલ હાલત શું છે એ નહીં કહેવાનું.

(૮)   કોઈપણ કામ વ્યવસ્થિત રીતે ન કરવું,  પછી તે આયોજન હોય, તેનો અમલ હોય, કાયદાનું પાલન હોય, ન્યાયાલયનો ચૂકાદો હોય, બજવણી હોય, જનતા સાથે પત્રવ્યવહાર હોય…

જેમ કોંગીની ઓળખ જૂઠ, દંભ અને લૂંટ છે. તેવી રીતે સામાન્ય સરકારી નોકરોની એક ઓળખ અધુરા કામની છે. અસામાન્ય કર્મચારી કેટલા

શતેષુ જાયતે શૂરઃ, સહસ્રેષુ ચ પંડિતઃ ।

વક્તા દશસહસ્રેષુ, (દાતા ભવતિ વા ન વા) ॥

આર્ષદૃષ્ટા (અસામાન્યકર્મચારી) શતસહસ્રેષુ,  

“ફાર્મ ફેશ”નું કેંદ્ર ઉભું કરવું છે? સરકારી જમીન પણ છે? તો “મોદ” ના છાપરાવાળી અને “કંતાન”ની દિવાલો વડે, વીસ પચીસ કોલાઓ બનાવી દો. દરવાજો બનાવી  ત્યાં મોટું બેનર લગાવી દો. આ બધું કોંટ્રાક્ટરને આપી દો. છાપામાં એક વાર જાહેરાત આપી દો. કોલાઓ ભાડે આપી દો.

જમીનને સમતલ કરવી જરુરી નથી. મોટા પત્થરો પડ્યા હોય, મોટા ખાડાઓ હોય તો પણ વાંધો નહીં. વાહન પાર્કીંગની સગવડ બનાવવાની જરુર નથી. કોંટ્રાક્ટર  અને ખેડૂતવચ્ચે વિવાદ ઉભોથાય તો વાંધો નહીં. વિગત માટે અહીં ક્લીક કરો

  https://treenetram.wordpress.com/2017/08/05/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%b8%e0%ab%80%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%aa%ad%e0%aa%ae-%e0%aa%ac%e0%aa%ad%e0%aa%ae/

(૯) દસ્તાવેજોનું ફાટી જવું. અદ્રશ્ય થવું.

આને માટે કો ઓપરેટીવ સોસાઈટીના રજીસ્ટ્રારની ઓફીસો કુખ્યાત છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અમારે અમારા શહેરને સફાઈની બાબતમાં એક થી દશની અંદરના રેંકમાં લાવવું છે તો શું કરવું?

(૧) તમે કચરાના ડબ્બાઓ વહેંચો,

(૨) તમે કચરાના ડબ્બાઓનું વર્ગીકરણ કરો, સૂકા કચરાના ડબા, અને ભીના કચરાના ડબ્બા.

(૩) ડબ્બાઓ ચોરાઈ ન જાય તે માટે પાંજરાઓ બનાવો.

(૪) પાંજરાઓને બંધ કરવામાટે તેમાં દરવાજાની ગોઠવણ કરો. દરવાજાને બંધ કરવા માટે તેને તાળા લગાવો,

(૫) ડબ્બાઓની હેરફેર માટે કર્મચારીને હાથ લારી આપો,

(૬) કચરો ઉઠાવવા માટે કંટેનર રાખો,

(૭) કચરો ઉઠાવવા માટે ટ્રકમાં કચરો ભરવાની છૂટ આપો

(૮) સૂકોકચરો અને ભીનો કચરો નાખવામાટે અલગ અલગ ડંપ એરીઆ સુનિશ્ચિત કરો,

(૯) ડંપ એરીઆમાંથી કચરાના નિકાલની વ્યવસ્થા બનાવો,

(૧૦) બીલ્ડરોના કચરાના નિકાલ માટે અલગ વ્યવસ્થા કરો.

[અધિકારીભાઈઓને ડાબા હાથની કમાણી પણ કરવી છે? તો જ્યા શક્ય હોય ત્યાં કોંટ્રાક્ટ સીસ્ટમ લાગુ કરો]

હવે જુઓ તમે દશ દશ તો વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. તેથી અમે એવી આકલનની વ્યવસ્થા કરીશું કે તમારી વ્યવસ્થાના આધારે તમારું મૂલ્યાંકન થાય. નહીં કે વાસ્તવમાં તમે શહેરને કેટલું સ્વચ્છ કર્યું!!

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

“आतंकवादीयोंकी भावना अमर रहो” सर्वोच्च न्याय उवाच

हमारे “डीबी”भाई भी सर्वोच्च न्यायालयके न्याय की कद्र करते है. उन्होंने भी एक भावनात्मकतासे प्लावित शिर्षरेखासे उपरोक्त कद्र करते कहा कि, “नूपुर अब शरम कर”.

चलो कुछ संक्षेपाक्षर भी अवगत कर लें;

“डीबी” भाई – दिव्यभास्कर (हम गुजराती लोग), सबके पीछे भाई और बहेन लगाते है. और कभी कभी तो बोलते है केवल भाई …

स.न्या.क. भाई – सर्वोच्च न्यायालयका कथन.

बस इससे अधिक “शब्द समूहका” हम संक्षेपाक्षर नहीं करेंगे. क्योंकि नहेरुवीयन वंशके फरजंदोंको अधिक शब्द-समूहों का संक्षेपाक्षर याद नहीं रहेता, और फिर वे गलती कर देतें हैं. जैसे जी.एस.टी. का वे “गब्बर सिंह टेक्ष” करते है.

वाचक; “डीबीभाईने नूपुर शर्माको शर्म करो ऐसा क्यूं कहा?

डीबीभाई; “प्यारे वाचक मित्र. हमारा अखबार, जनताकी ईच्छाके अनुसारका अखबार है ऐसा हम कहेते है. इसके उपर आप विवाद कर सकते है. इससे तो हमारा वाचक वृंद बढेगा. हम हमारी पोलीसीके कारण “भाववाही संरचनात्मक शिर्ष रेखा” बनाते है. जब न्यायालय स्वयं अपनी भावना प्रकट करनेमें मानता है और अपनेको रोक नहीं पाता है, तो हम कौनसी कृषि-क्षेत्रका मूलम् है?

स.न्या.क. भाई; “सही कहा डीबी भाई तुमने. अरे हम तो जिन (सत्‌ जनोंने) पाकिस्तान जाकर आतंकवादका प्रशिक्षण लिया है उनकी भावनाओंकी भी कद्र करते है.

वाचक; “किंतु, पाकिस्तान जाके आतंकवाद का प्रशिक्षण लेना भी तो अपराध है?

स.न्या.क. भाई; “अरे भैया तुम्हे ज्ञात नहीं है कि यत्  प्रर्यंत, आतंकीके उपर “प्रक्षेपित अपराध”, हमारे जनक, हमारे शरीर द्वारा, प्रकटीकरण नहीं करते, तत् पर्यंत, ये आतंकवादसे प्रशिक्षित जनोंकी सेवामें, हमारे जनक मध्यरात्रीको भी, उनका पक्ष सूननेके लिये एवं हमें जन्म देनेके लिये जाग्रत हो जाते है. जब मेरे शरीर द्वारा ये जनयुग्म (दो आतंकी) अपराधी सिध्ध हुए ही नहीं, तो हम उन्हे सत् जन ही कहेंगे. हमें उनकी भावनाओंका भी खयाल रखना पडता है न !!! समज़े न समज़े?

वाचक; “लेकिन हिंदुओंकी भावनाओंका क्या?

स.न्या.क. भाई; “क्या ये सब, बकवास कर रहे हो? हिंदुओंकी भावना? क्या बात है? वे तो सहनशीलताकी मूर्त्ति है. उनका तो धर्म ही, यही शिखाता है कि संवाद करो … चर्चा करो … उत्तेजित होना कोई बात है क्या? यह कोई सुसंस्कार है क्या?

वाचक; जब एक हुसैन नामके ख्यातनाम चित्रकारने, सीता और हनुमान के नग्न शरीरके चित्र बनाये, जिनमें न तो ऐतिहासिकता थी, न तो तथ्य था, न तो सत्य था, न तो कला थी, न तो बोध था, न तो सौंदर्य था … उस समय भी तो हिंदुओंकी भावना आहत हुई थी. उसका क्या?

स.न्या.क. भाई; “उस समय क्या हिंदुओंने मुस्लिमोंका संहार किया था? जब कुछ हिंदुओंको कुछ वर्षोंके बाद पता चला कि ऐसे चित्र बने है तो वे थोडा बहोत अन-रेस्ट हुए थे. लेकिन उन्होंने क्या एक भी मुस्लिम का संहार किया था?

वाचकः मतलब यह है कि, आपने हिंदुओंकी सहिष्णुताकी कद्र करनेके बदलेमें उनको प्रताडित किया. और हिंदुओंके आराध्योंको अपमानित करने की चेष्टा करनेवाले हुसैनके चित्रोंके समर्थनमें जो  लोग आये उनके उपर संज्ञान ही नहीं लिया. क्यो कि वे लोग तो लुट्येन गेंगके सदस्य थे. आपकी संरचना कभी इस वीडीयो-क्लीप जिसमे प्रोलुट्येन गेंगवाला न चर्चा, न तर्क, न संवाद करता है, वह केवल वाणी-विलास करता है और असंबध्ध तारतम्य प्रदर्शित करता है. कहेता है कि “एम.एफ. हुसैन- जिनकी अश्लीलताओं के आरोपों के जवाब अजंता की गुफाओं में हैं”. लेकिन वक्त्री (महिला है)ने, जो चित्र, हिंदुओंकी  भावनाओंको आहत करनेवाले थे, वे तो दिखाये ही नहीं. केवल हुसैनकी वाह वाहके गान ही गाये.

स.न्या.क. भाई; “देखो, हमे भारतमें लॉ एंड ऑर्डरका भी ध्यान रखना है. समज़े न समज़े?

वाचक; “वह तो राज्य सरकारका दाईत्त्व/उत्तरदायित्त्व है. आपको तो आपकी संरचनामें सत्य, तथ्य और न्याय को उजागर करना है. आपके जनकको अंधा किस लिये कहा जाता है? “सत्यका आदर होता हो, ऐसी आपकी संरचना हो” यही तो जनतंत्रका लक्षण है.

स.न्या.क. भाई; “नहीं नहीं … हमें तो ये भी देखना है कि देशमें शांति बनी रहे.

वाचक; “तो फिर राज्य सरकार क्या करेगी? क्या अपने पक्ष/क्षोंके लिये पैसे ही बनायेगी?

स.न्या.क. भाई; “हमारे जनकके सामने जो लाया जाएगा उसके उपरसे हमारी संरचना होती है.

वाचक; “ऐसा होता है तो, आपके जनकको कैसे पता चला कि राजस्थानमें आतंकीयोंने हत्या की, उसकी वजह नूपुर शर्मा थी!! और उस घटनाका हिस्सा आपकी संरचनाको बनाया?

स.न्या.क. भाई; “हमारे जनककी मरजी है. किस घटनाको संज्ञानमें लेना और किस घटनाको संज्ञानमें न लेना, यह हमारे जनककी मुनसफ्फी है.

वाचक; “भैया मोरे, मुनसफ्फी नहीं, शुध्धबुध्धि (डीस्क्रीशन) कहो. सहीं शब्दोंका प्रयोग करें. क्या आपके पास दिमाग नहीं है?

स.न्या.क. भाई; “नहीं. मेरे पास दिमाग नहीं है. दिमाग तो मेरे जनकके पास होता है और आपके पास. मैं तो स्वर और व्यंजनोंसे बना होता हूँ.

वाचकः “आपके पिताने बोला कि ‘नूपुरके कथन परेशान करनेवाले है. उद्देश्य क्या था’? जब नूपुरने बताया कि उसने तो अपना कथन वापस ले लिया है. फिर भी उनको धमकीयां मिल रही थीं. लेकिन तब आपने बताया कि ‘नूपुरके कारण देश उबल रहा है. उसकी अनियंत्रित जीभने सांप्रदायिक भावनाओंको भडकाया है. ….’ क्या आपके पिताको पता नहीं है कि नूपुरका यह कथन एक प्रत्याघात था? यदि आपके पिता, नूपुरको लगातार मिल रही धमकीयों कि वजह एक अन्य (असहनशील और असंस्कृत) समाजकी सांप्रदायिक भावनाओंको आहत करना है, तो नूपुरके कथन की भी तो वजह हो सकती है. आपके पिता ने इसको जाननेका प्रयत्न क्यों नहीं किया? जब नूपुरने कहा कि मेरा कथन एक आघातका प्रत्याघात है. तब आपके जनकने उसकी बात उडा दी. और कहा कि नूपुर धार्मिक नहीं है. ब्ला ब्ला ब्ला … टीवीके एंकरके उपर भी केस दर्ज होना चाहिये. ब्ला ब्ला ब्ला … ऐसा लगता है कि आपके जनक समज़ते है कि ‘वाणीस्वातंत्र्यका अधिकार हरेक के लिये भीन्न भीन्न है’. पार्टीके प्रवक्ताका ऐसा हक्क नहीं है. ब्ला ब्ला ब्ला.   …  वैसे तो पार्टीने अपना फर्ज निभाया है, लेकिन आपके जनकने अपने इस ज्ञानको गुह्य रख्खा. और नूपुर शर्माको मार डालने की धमकीयां और उदेपुर नरसंहारकी घटना तो उसके बादकी घटनाएं हैं. फिर भी आपके जनकने इसको संज्ञानमें नहीं लिया. ऐसा क्य़ूँ?

स.न्या.क. भाई; “मैं तो मेरे जन्म दाताकी मनगढंत शब्दसृष्टिका एक हिस्सा हूँ. मैं क्या करुं?

वाचक; “नॉट ध लास्ट एन्ड नॉट ध लीस्ट … जो दो मुस्लिम व्यक्तिओंने एक निर्दोष की उदयपुरमें हत्या कि, वह निर्दोषकी हत्याके लिये आपके जनकने नूपुरको संपूर्ण रुपसे जिम्मेवार बताया. आपके जनक यह भी न समज़ सके कि जो दो व्यक्तिने निर्दोषकी हत्या की है, उन्होंने तो पाकिस्तान जाके आतंकवादका प्रशिक्षण लिया था, और वह प्रशिक्षण की क्या वजह थी? क्या उसकी वजह भी नूपुर शर्मा थी? वे दो व्यक्ति तो कई साल पहेले ही आतंकवादके प्रशिक्षण के लिये पाकिस्तान गये थे. उनका तो काम ही था कि कोई भी वजह ढूंढके किसीकी भी हत्या करके आतंकवादको भारतमें फैलाना. जिन व्यक्तिओंका काम ही सुनिश्चित है कि हिंदुओंको मारना है. कोई भी वजह ढूंढके मारना. उनके दुष्कर्मकी वजह के लिये येन केन प्रकारेण नूपुर शर्माको बनाना, यह बात किसी भी स्तर पर मान्य हो सकती है?

याद करो

कृषि-कानूनके विरोधमें उतरे हुए गुट जिन्होंने महीनों तक पूरारास्ता ब्लोक कर दिया था, चर्चा करनेके लिये भी तयार नहीं थे. उनके लिये एस.सी.जे.ने यह बात अवश्य कही थी कि, उनमें स्त्रीयाँ है, बच्चे हैं, सब ठंडीमें मर रहे हैं, बिमार पड रहे हैं, उनका भी तो खयाल करो … ब्ला ब्ला ब्ला … हम जानते है कि विरोध करना उनका संविधानीय अधिकार है. … ब्ला ब्ला ब्ला …

लेकिन उस समय एस.सी.जे.को यह बात मालुम नहीं पडी कि यह विरोध असंविधानिक है. महात्मा गांधीके आदेशोंके विरुध्ध है. ऐसा कोई भी विरोध जिससे आम आदमीको असुविधा हो और उनको काम पर जानेके लिये हजारो रुपये खर्च करने पडे, वह अवैध है, यह बात उनके संज्ञानमें नहीं आयी कि वे आदेश करें.

एक निवृत्त एस.सी.जे. ने ठीक ही तो कहा था कि, जब तक इनके उपर लुट्येन गेंगका प्रभाव रहेगा तब तक ये लोग स्वतंत्रतापूर्वक न्याय दे पायेंगे नहीं.

सही कहा. एस.सी.जे. लोगोंके कथनोंमें उनकी तथाकथित एवं अर्थहीन भावनाओंको प्रदर्शन अधिक रहेगा. एक बडा प्रश्न उठता है, कि सर्वोच्च न्यायालयका कथन जो नूपुर शर्माको उदेपुरकी हिंसाके लिये जीम्मेवार ठहेराता है, इससे आतंकवादीयोंका उत्साह नहीं बढेगा? कूछ हत्याएं और हो गयी तो उसके लिये जीम्मेवार स्वयं एस.सी.जे. नहीं होगे?

भावनाकी आडमें सत्यको अवमानना करना कहाँ का न्याय है?

शिरीष मोहनलाल दवे

Read Full Post »

%d bloggers like this: