Feeds:
Posts
Comments

Archive for the ‘માનવીય સમસ્યાઓ’ Category

શું આપણે જ્ઞાતિ પ્રથા તરફ ગતિ કરી રહ્યા છીએ? – ૨

“બીજેપીએ કેટલા અસવર્ણોને ગુજરાતમાં મુખ્ય મંત્રી બનાવ્યા?

“શું તમે અત્યારની સ્થિતિથી સંતુષ્ટ છો? મુખ્ય મુદ્દો સામાજિક સમરસતા છે. અને તેને માટે સંવાદ હોય છે. સંવાદમાટે શિક્ષણ અને માહિતિ જ્ઞાન આવશ્યક છે. ગાંધીજી હૃદય પરિવર્તનની વાત કરતા હતા. આરક્ષણ જ્ઞાતિ આધારિત ન હોવું જોઇએ. પણ સામજિક સમજણ જ એવી હોવી જોઇએ કે આરક્ષણ આર્થિક સ્થિતિ પર અવલંબિત હોય….

“તો તો પછી આનો બધો લાભ સવર્ણોજ લઈ જાય. કારણકે તેમના તો સંપર્કો પણ સરકારમાં હોય !!

“તમારી વાત ખરી છે. આમાં નીતિમત્તા પણ એક અવયવ (ફેક્ટર) છે. પણ જો ચકાસણીની ચોક્કસ પદ્ધતિ સ્થાપિત કરવામાં આવે તો આ અશક્ય નથી.

“નીતિમત્તા અને તે પણ ભારતમાં … શું વાત કરો છો…? આકાશમાં ફુલો ઉગી શકે પણ ભારતમાં નીતિમત્તા ન સ્થાપી શકાય.

“ એવું બનવું જરુરી નથી. પદ્ધતિઓ જ એવી સ્થાપીએ કે તે પારદર્શી હોય અને સ્પષ્ટ હોય.

“કોઈ દાખલો આપી શકશો?

“જો દાનત હોય બધું થઈ શકે. જો સરકારની માનસિકતા અને વહીવટ, જનતાના હિત લક્ષી હોય તો બધું થઈ શકે. જેમ કે નરેંદ્ર મોદીએ ખરી નકલ માટે દસ્તાવેજની  સેલ્ફ એટ્ટેસ્ટેડ કોપીને માન્યતા આપી, તો અરજદારનું કામ કેટલું સરળ થયું. પહેલાં આ કામ માટે સરકારી અધિકારીની સહી લેવી પડતી હતી.  જો શાસક પોતેજ ભ્રષ્ટ હોય અને વળી તેણે ભ્રષ્ટ ફોજ જ તૈયાર કરી હોય અને ચાર પેઢી વંશવાદ જ ચલાવ્યો હોય તો કશું ન થઈ શકે. હવે તો ઘણું બધું “ઓન લાઈન” થઈ શકે છે. જો કે સૌમાં સુધારાને અવકાશ છે. … તમે જોઇ શકો છો કે હવે સરકારી સંસ્થાઓના અધિકારીઓ માટે ગેરરીતિઓને પકડવી સરળ થઈ ગઈ છે. પણ તમે એ પણ જોઇ શકો છો કે હાલના વિપક્ષો જે ક્યારેક સત્તામાં હતા ત્યારે તેમણે જે અનીતિઓ આચરેલી તેઓ કેવા ઉઘાડા પડી ગયા છે?

“એથી દલિતોને શો ફાયદો?

“ફાયદો દેશને  છે.  દલિતો દેશનો તો એક હિસ્સો છે.

“ તો દલિતોનો ઉદ્ધાર કેમ થયો નથી?

“કારણ કે લુટ્યેન ગેંગ એવું ઈચ્છતી જ નથી કે દલિતો ઉંચા આવે અને ખમતીધર બને. લુટ્યેન્સ એવું ઈચ્છે છે કે જો ગરીબો, મધ્યમ વર્ગમાં આવી જશે તો તેમનામાં સાચા ખોટાની સમજણ પડી જાય, અને આવું થય તો તેમની એટલે કે લુટ્યેનોની દુકાનો બંધ થઈ જાય?

“એવું કેમ બને? અત્યારે પણ દલિતોમાંના, આરક્ષણને લીધે ૧૦% દલિતો તો ઉત્કર્ષ પામ્ય જ હશે ને? એ ૧૦% આગળ વધેલાઓને લીધે તો અમે બાકીના ૯૦ % નું બ્રેન વોશ કરી શકીએ છીએ. અમે એમને અનેક રીતે ઉઠાં ભણાવી શકીએ છીએ, કે આ બીજેપીવાળાઓથી તમને જે ૧૦% નું આરક્ષણ મળે છે તે પણ તેમને ખૂંચે છે. એટલે જ આર.એસ.એસ. ના નેતા ભાગવત, આરક્ષણની નીતિ ઉપર પુનર્વિચાર થવો જોઇએ. એવું બોલે છે.

“એમાં ખોટું શું છે? ખબર તો પડવી જ જોઇએ ને કે એનાથી દલિતોને કેટલો અને ક્યાં લાભ થયો છે?

“એવું અમે શેના વિચારીએ? અમે તો એમ જ કહીએ ને કે આર.એસ.એસ. એ બીજેપીને આધિન છે. અને જે આર.એસ.એસ. ના નેતા આજે કહે છે તે કાલે  બીજેપી કરશે. જુઓને આર.એસ.એસ. ગઈ કાલે કહેતું હતું ૩૭૧ અને ૩૫ એ.  કલમો નાબુદ કરો. તો બીજેપી એ કલમ ૩૭૧ અને  ૩૫ એ. નાબુદ કરી જ ને?

“ અરે એમાં તમને શું વાંધો છે. આ બંને કલમો થકી ૧૯૪૪માં જે ૪૦૦૦૦+ દલિતો જમ્મુ-કાશ્મિરમાં આવેલા તેમના જે નાગરિક અધિકારો છીનવાઈ ગયા હતા તે અપાવ્યા. તે પછી પણ જેઓ ભારતના વિભાજન થવાથી પાકિસ્તાનથી આવેલા હતા તેમને પણ કાશ્મિરીઓ જેટલા જ અધિકારો અપાવ્યા. પહેલાં તેમને માટે જમ્મુ-કાશ્મિરમાં શિક્ષણ બંધી હતી. સરકારી નોકરીઓ માટે પણ બંધી હતી. તેઓ ગમે તેટલા ભણેલા હોય તો પણ તેઓ કેવલ સફાઈ કામદાર જ થઈ શકતા હતા. આ બધું તો કોંગીઓની સરકારોએ જ કરેલું. મોદી સરકારે આ ધાર્મિક અને જાતીય ભેદભાવ દૂર કર્યા. તેમાં તમને વાંધો શું છે? શું તમે કૃતઘ્ન છો? અને વળી જુઓ. ધારો કે એક ગામ છે. તેમાં ૧૦૦ દલિત કૂટુંબો છે. આરક્ષણના કાયદા પ્રમાણે ધારો કે ૧૦ દલિતોને નોકરી મળી. એટલે તેઓ ધીમે ધીમે તો ઉંચે આવ્યા. પણ આ દરમ્યાન જ્યારે જ્યારે નવી નોકરીઓ આવી ત્યારે મોટે ભાગે આ ઉંચે આવેલા દલિતોના સંતાનોને જ નોકરીઓ મળતી કારણ કે તેઓ જ યોગ્યતા ધરવાતા હતા. અને તેઓ દલિતને મળતા આરક્ષણના હક્ક છોડવા માગતા ન હતા. આથી કરીને  જે કંઈ ઉદ્ધાર થયો તે ૬૫ વર્ષના આરક્ષણ ના નિયમનો લાભ ૧૦થી ૧૨ ટકા દલિત કૂટુંબોને જ મળ્યો. અને તમને ખબર છે કે દલિત જો ગવર્નર બને તો પણ તે પોતાના સંતાનો માટે આરક્ષણનો લાભ લેવામાં માને છે. આ લાભ છોડવા તે તૈયાર થતો નથી. સામાન્ય દલિતની તો વાત જ શું કરવી? તમને ખબર છે? ઓગણીસો ૮૦ના દશકામાં ગુજરાતમાં દલિત અને સવર્ણ (મોટે ભાગે પટેલો) વચ્ચે હિંસક ઘર્ષણ થયેલ. તેનું કારણ પણ લગભગ આવું જ હતું. (તમને જાણ હશે જ કે દલિતો ઉપરની આ હિંસાના વિરોધમાં જેઓ ગાંધી આશ્રમમાં ઉપવાસ ઉપર ઉતરેલા તેઓમાં મોટા ભાગના બ્રાહ્મણ જ હતા.)

હવે જો દલિત ગવર્નર કક્ષાનો માણસ પણ અનામતનો લાભ ન છોડવા માગતો હોય તો બાકી રહેલા ગરીબ કે આરક્ષણનો લાભ લેનાર સામાન્ય કક્ષાનો દલિત, શા માટે પોતાનો લાભ છોડે? ૭૦વર્ષથી ચાલ્યા આવતી આરક્ષણની જોગવાઈ છતાં પણ જો મોટા ભાગના દલિતો ગરીબ જ રહે તેનું આ પણ એક મોટું કારણ છે. વાસ્તવિકતા જોઇએ તો આરક્ષણ, દલિતોને ઉંચે લાવવાને બદલે રાજકીય પેચદાવનો  હિસ્સો બની ગયું છે. અને લુટ્યેનોને આ ફાવી ગયું છે. કારણ કે જે મુઠ્ઠીભર દલિતો ઉંચે આવ્યા છે તેમને ભ્રમિત કરવા, ભ્રષ્ટ કરવા આસાન છે. તેમના દ્વારા, કારણ કે તેઓ તેમની કોમ્યુનીટીના નેતા છે, ગરીબ દલિતોની વૉટ બેંક અકબંધ રાખી શકે છે. અને અફવાઓ પણ ફેલાવી શકે છે.

“ હા જી, તમને ઘણી બાબતોનો ખ્યાલ નથી. દાખલા તરીકે હવે અમારું કામ બીજેપી સામે એક નવો મોરચો ખોલવાનું છે. જો મુસ્લિમો, કે જેમણે, દેશ ઉપર ભલે એકચક્રી શાસન ન કર્યું, પણ જ્યાં ક્યાંય પણ છૂટક છૂટક શાસન કર્યું, મંદિરો તોડી મસ્જીદો અને દરગાહો બનાવી, તેમ અમે દલિતો પણ એમ કહેવાના છીએ કે હિંદુઓએ પણ અમારા બૈદ્ધ સ્થાપત્ય તોડી, તેમના દેવોના મંદિરો બનાવ્યા છે. અરે એકલા મથુરામાં જ અમારા ૫૦૦૦ બૌદ્ધ ધર્મસ્થાનો તોડી કૃષ્ણના સ્થાનકો બનાવ્યા છે. ફક્ત મથુરામાં જ નહીં આખા બૃહદ ભારતમાં અમારા બૌદ્ધ મંદિરો તોડી, હિંદુઓએ પોતાના મંદિરો બનાવ્યા છે. તીબેટથી લઈ ઈંડોનેશિયા અંને ઈરાનથી લઈ કંબોડીયા ચાઈના બધે જ હિંદુઓએ આવું કર્યું છે.

“પણ તમે ઐતિહાસિક પૂરાવાઓ તો આપશોને?

“પૂરાવાઓની જરુરત જ નથી. એક જૂઠ સો વાર બોલવાથી તે સત્ય સિદ્ધ થઈ જાય છે.

“એટલે કે તમે હવે બૌદ્ધ ધર્મને હિંદુ ધર્મ સાથે સંઘર્ષ કરાવશો? હિંદુ ધર્મ અત્યારે મુસ્લિમ ધર્મ સામે મંદિરોના ધ્વંસ બાબતમાં સંઘર્ષ કરી રહ્યો છે, તેમાં તમે હિંદુ ધર્મને નબળો પાડી, મુસ્લિમ ધર્મને મદદ કરશો? તમે જાણો છો કે બાબા સાહેબે મુસ્લિમો વિષે શું કહ્યું છે? અને તમે પણ જાણો કે તમારા માનવ અને નાગરિક અધિકારોનું જમ્મુ અને કાશ્મિરની કોંગી સમર્થક સરકારોએ શું કર્યું હતું?

“એ તો પડશે એવા દેવાશે.

“આમાં બુદ્ધ ભગવાનના સિદ્ધાંતોનો હિસ્સો કેટલો? સિદ્ધાંતોનો ભોગ લેવાયો. જો કે કનિષ્ક રાજા પોતે જ સર્વધર્મ સમભાવ વાળો હતો. તેના સિક્કા ઉપર હિંદુ, બૌદ્ધ, ગ્રીક, સુમેરિયન, એલેમાઇટ અને પારસી દેવદેવીઓ જેવાં કે શિવ, શાક્ય-મુનિ બુદ્ધ, વાયુદેવ, આતશ, મિત્ર કે મિથ્ર, યુદ્ધદેવતા બહરામ, નૈના દેવી, ચંદ્ર વગેરેની મુદ્રાઓ અંકિત છે. કોઈ પણ ધર્મ, કહેવા માત્ર થી ભીન્ન ધર્મ બની જતો નથી. જો તમે સહિષ્ણુ અને સુસંસ્કૃત હો તો તમે હિંદુ (સનાતન ધર્મી જ છો). એકમ્ સત્, વિપ્રા બહુધા વદન્તિ.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ ઈશુ નો જન્મ ગોપાલકને ત્યાં થયો હતો, કૃષ્ણને પણ ગોપાલકો સાથે ઘનીષ્ઠતા છે. કૃષ્ણને એક ભાઈ હતો, ઈશુને પણ એક ભાઈ હતો, કૃષ્ણને લાંબાવાળ હતા, ઈશુને પણ લાંબા વાળ હતા, કૃષ્ણને એક બહેન અને એક બહેનપણી હતી,  ઈશુને બહેનપણી હતી એવું કેટલાક માને છે. કૃષ્ણે ટોળાઓ વચ્ચે ઉપદેશ આપેલો. ઈશુએ પણ ઉંચી જગ્યાએથી નીચે ઉભેલા ટોળાને ઉપદેશ આપેલો. કૃષ્ણનું  મૃત્યુ ધારદાર વસ્તુથી થયેલું. ઈશુનું મૃત્યુ પણ ધારદાર ખીલાઓથી થયેલું. માટે કૃષ્ણ અને ઈશુ એક જ હતા. અથવા કૃષ્ણના ભક્તોએ ઈશુની વાતો ચોરી, કૃષ્ણને નામ કરી દિધેલી. સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્

Read Full Post »

ઈશ્વરને કોંગી સાથે કેમ બનતું નથી?

હાજી, એવું લાગે છે કે ઈશ્વરને કોંગી (કોંગ્રેસ નહીં. પણ નહેરુવીયન કોંગ્રેસ એટલે કે ઇન્દિરા નહેરુ કોંગ્રેસ) પાર્ટી સાથે બનતું નથી.

“અરે એવું હોય!!! ઈશ્વરે આ કોંગીને ૬૦  વર્ષ સુધી રાજ કરવા દીધું અને તેમાં પણ ૪૦ વર્ષ પૂર્ણ બહુમતિથી, બે વર્ષ આપખુદ રીતે,  લગભગ ૧૫ વર્ષ તેમના સાંસ્કૃતિક સાથીઓની ભરપુર સહાયથી અને ૨ વર્ષ આમને આમ જ રાજ કરવા દીધું અને તમે કહો છો કે ઈશ્વર એમની વિરુદ્ધ છે.

“અમને તો લાગે છે કે લખનારનું ખસી ગયું છે કે ઈશ્વરનું ખસી ગયું છે. કોંગીએ આટલા આટલા ભવાડા કર્યા અને દેશને પાયમાલ કર્યો … અને પછી પણ, ઈશ્વરે કોંગીને રાજ કરવા દીધું અને તમે પ્રશ્ન કરો છો કે ઈશ્વર એમની વિરુદ્ધ કેમ છે? તમે આવું કહો એટલે પછી અમારે કહેવું જ પડેને કે ઈશ્વરનું ખસી ગયું છે કે લખનારનું ખસી ગયું છે. બે માંથી એકનું તો ખસી જ ગયું છે. આ વાત તો કબુલ કરવી જ પડશે.

“અરે ભાઈ ઈશ્વરનું ખસી ગયું છે એમ કહેશો તો મુસલમાનો ના મુલ્લાઓ સાગમટે ફતવા બહાર પાડશે કે ઈશ્વરનું ખસી ગયું છે એમ કહેવું એ તો ઈશ્વરની નિંદા થઈ. ઈશ્વરની નિંદા એ એક જઘન્ય અપરાધ છે. આ અપરાધની સજા, “સજા એ મોત છે”. પછી કોઈ કોઈને સોપારી આપશે કે આ ઈશ નિંદા કરવાવાળાનું ધડ વગરનું માથું તાસક ઉપર મને આપો. હું તેને એક કરોડ રુપીયા (બ્લેકમાં) આપીશ.

“અરે ભાઈ એવું નથી… આ લેખક તો હિન્દુ છે એટલે હિન્દુઓના ઈશ્વરની નિંદા કરવી એ ગુનો બનતો નથી. મુસલમાન કલાકારો અને હિન્દુ કલાકારો ભરપેટ હિન્દુઓના ભગવાનોની નિંદા કર્યા જ કરે છે. તમે ફિલમો જોતા લાગતા નથી. એટલે આવું કહો છો….. યાર તમે થોડી ફિલમો જોતા રહો … તો તમને ખબર પડશે… કે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. ફિલમમાં હિરાભાઈ કે હિરાબેન, પોતાને દુઃખ પડે ત્યારે કેવા ભગાવાનને વાંકમાં લે છે!! અને કેવા કેવા સવાલો કરે છે. દા.ત. ‘હે ઈશ્વર,   મેં તારું શું બગાડ્યું છે? … મેં તારા ચંદ્ર કે અને તારાઓ ક્યાં તોડ્યા છે !! તો પછી તેં મારી જીંદગી કેમ ઉજાડી દીધી બોલ?’

“ભગવાનને સવાલ કરવા એ કંઈ તેમની નિંદા ન કહેવાય …

“અરે વાહ !!! …  એક તો પોલીસની જેમ ભગવાનને સવાલો કરવા … કે જેથી ભગવાનને નીચા જોણું થાય …  ભગવાનને  નીચાજોણું થાય અને ભગવાનને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે એ નિંદા ન કહેવાય શું? …. અરે એ વાત જવા દો … ચિત્રકાર કલાકારોએ તો ઘણા અપમાન જનક ચિત્રો પણ બનાવ્યા છે એનું શું?

“જુઓ ભાઈ … એક વાત સમજો … હિન્દુઓના ભગવાનને ફાવે એવા સવાલો પૂછી શકાય છે. સવાલો પૂછીએ એટલે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થાય. જેમ જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેમ આપણે ભગવાનની નજીક ને નજીક પહોંચીએ… હિન્દુઓનું આ તત્ત્વજ્ઞાન છે. સમજો જરા …

“તેથી શું થઈ ગયું? ભગવાન એ ભગવાન છે. એમને પણ સ્વમાન જેવું હોય કે નહીં?

“હવે મારે તમને કેવીરીતે સમજાવવા? માણસ કશું કરતો નથી. ભગવાન જ બધું કરે છે. ઈશ્વર સર્વવ્યાપી છે. અને બધું એ જ કરે છે. એટલે કે એજ ક્રિયા છે, એ જ કર્તા છે અને એ જ ભોક્તા છે … સમજ્યા કે નહીં?

“એમાં ભોક્તા ક્યાં થી આવ્યો?

“ભોક્તા એટલે કર્મફળનો ભોક્તા. ક્રિયા કર્મ અને તે કર્મનું ફળ ભોગવનાર એ બધું જ ઈશ્વર છે.

“એ બધી ફિલોસોફી જવા દો. આપણું તત્વ જ્ઞાન કહે છે કે કર્મનું ફળ કોઈને છોડતું નથી. તો પછી આ કોંગીઓએ સેંકડો ભવાડા અને કૌભાન્ડો કર્યા … તો પણ ઈશ્વરે, આ કોંગીઓને રાજ કેમ આપ્યું? અને ઈશ્વરે તેમને દશકાઓ સુધી રાજ કેમ કરવા દીધું? બોલો!

“જુઓ … નહેરુએ સ્વાતંત્ર્યની લડાઈમાં પોતાનું ઠીક ઠીક યોગદાન આપેલ. ભલે બાપ કમાઈ તો બાપ કમાઈ… પણ તેમણે પોતાના ઘરને બીજી કક્ષાના સ્વાતંત્ર્ય સેનાની સુધી ધર્મ શાળા બનાવી દીધી હતી. તેમનું અંતીમ ધ્યેય કંઈ પણ હોય. પણ સારું કામ એ સારું કામ છે. સારું કામ એ કદી ખરાબ કામ બની જતું નથી. ઈશ્વરે પણ પોતે બનાવેલા નિયમો પાળવા પડે છે. અગ્નિના રુપમાં રહેલો ઈશ્વર જો શેતાન “ચા” કરે તો તે થવા દે છે. ઈશ્વર એવું કહેતો નથી કે તું તો રાક્ષસ છે એટલે હું તારી ચા ને થવા જ નહીં દઉં. બધા ભલે મને ભોળો કહે પણ હું તો મારા નિયમો પાળીશ જ.” આમ ઈશ્વરે, આ નહેરુને વડા પ્રધાન થવા દીધા. જોકે તેમને થોડા બદનામ પણ કર્યા. પણ એ બધું દબાઈ ગયું. કારણ કે જનતા અભણ હતી અને ભણેલાને થયું કે ભલેને નહેરુ થાય. આપણે શો ફેર પડે છે? નહેરુના યુવા ભક્તો, સરદાર પટેલની “મૂડીવાદીઓનો પીઠ્ઠુ કહીને બુરાઈ કરતા હતા. પણ ૧૯૪૭-૪૮માં સરદાર પટેલે જે રીતે ભારતને અનેક ટૂકડાઓમાં ખંડિત થતું અટકાવ્યું તેથી નહેરુભક્તોની હવા નિકળી ગઈ.

સજીવ ની વ્યાખ્યા ઈશ્વરની રીતે ભીન્ન છે. કોંગ્રેસ પક્ષ પણ એક સજીવ છે. વિશ્વના બનાવો,  શક્યતાના સિદ્ધાંતને પણ અનુસરે છે. ક્યારેક ચારણી માંથી નાના ચોખા ચળાઈ જાય છે ત્યારે પણ બે ત્રણ નાના ચોખાના દાણા ચારણીમાં રહી જાય છે. તેમ સુજ્ઞ લોકોની વાસ્તવિક સ્થિતિ સમજવાની અક્ષમતા અને જનતાની અજ્ઞાનતાને કારણે તેમજ સરદાર પટેલના મૃત્યુને કારણે નહેરુ પોતાના પક્ષના સર્વેસર્વા બની ગયા અને ૧૯૫૨ ની ચૂંટણી જીતી ગયા. ૧૯૫૭માં તેઓ ભાષાવાદી ભાગલા પડાવી ચૂંટણી જીતી ગયા. ૧૯૬૨માં ગોવાને જીતી, ચૂંટણી જીતી ગયા.

પણ કર્મફળ તો ભોગવવું જ પડે છે. તેથી નહેરુના જૂઠાણા તેમને નડ્યાં. ચીને આસાનીથી ૯૧૦૦૦ ચોરસમાઈલ ભારતની ધરતી જીતી લીધી. એટલે નહેરુ નંખાઈ ગયા. અને નહેરુ નષ્ટ પામ્યા. પણ ભારતની જનતાને સત્તાનું રાજકારણ કેવું હોય છે તે સમજવાની જરુર હતી.

સુજ્ઞ લોકો અજ્ઞ હોઈ શકે છે. અભણ લોકોને પણ કાયમ માટે છેતરી શકાતા નથી. ૧૯૬૭ની ચૂંટણીમાં  કોંગીને ફટકો પડ્યો પણ જીતી ગઈ. ભારતની જનતાને સત્તાનું રાજકારણ કેવું હોય છે તે સમજવાની હજુ  જરુર હતી. એટલે ઈન્દિરાએ જુઠાણા ચલાવ્યા. પોતાના જ પક્ષના, પોતે જ નામાંકિત કરેલા ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને પોતાના જ જુથદ્વારા હરાવ્યા. અને ભારતના મોટા ભાગના સુજ્ઞ લોકોએ તાળીઓથી ઇન્દિરાને વધાવ્યા એટલે ઈશ્વરને ચિંતા થઈ. ઈન્દિરાની ખામીઓ આગળ આવી. આ ખામીઓથી પોતાને બચાવવા ઇન્દિરાએ કટોકટી લાદી અને ભગવાને તેને હરાવીને ભારતના લોકતંત્રને મજબુત કર્યું.

પણ જુઓ. બિનકોંગી પક્ષોનો સમૂહ  પણ એક સજીવ છે. ચરણસિંહ અને રાજનારાયણના ગુટના કરતૂતો આ સજીવને નડ્યા. મોરારજી દેસાઈ ભલે નીતિમાન હોય પણ તેમના સાથીઓના પાપ પણ તેમને પણ નડે જ.  જનતા પક્ષ તૂટી પડ્યો. ૧૯૮૦માં ફરી કોંગી સત્તા ઉપર આવી.

હવે વળી પાછી ઈશ્વરને ભારતની ચિંતા થઈ. એટલે ઈશ્વરે ઈન્દિરાને મૃત્યુદંડની સજા કરી. પણ ભારતની જનતા તો ઈશ્વરની ઈચ્છા સમજવાને સક્ષમ ન હતી. તેથી તેણે રાજિવ ગાંધીને જીતાડ્યો. સુજ્ઞ લોકોએ તેને નાણ્યાં વગર જ મીસ્ટર ક્લીનની ઉપાધી આપી દીધી. વળી પાછી ઈશ્વરને ભારતની ચિંતા થઈ. અને તેમણે રાજિવ ગાંધીને મૃત્યુદંડ ની સજા કરી.

જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે?

કોંગી હારી પણ તેના ગુણો (એટલે કે અવગુણો)  કેટલાક  બિનકોંગી પક્ષોમાં ઉતર્યા હતા. એકવાર નરસિંહરાવ વડાપ્રધાન બન્યા અને ઈશ્વરે ભારતની જનતાને સમજાવ્યું કે બિન નહેરુવીયન વડાપ્રધાન, નહેરુવીયન વડાપ્રધાન કરતાં સારું શાસન કરી શકે છે. પણ જનતાએ હજુ વધુ સમજવાની જરુર હતી. એટલે ઈશ્વર, બિનકોંગી સરકારને સત્તાપર લાવ્યા. બાજપાઈની નેતાગીરી હેઠળ બીજેપી સત્તા ઉપર આવી. તેણે વિકાસ ની વ્યાખ્યા ભારતની જનતાને શિખવી.  પણ જનતાએ હજુ રાજકારણ કેવીરીતે ચાલે છે તે સમજવાની જરુર હતી. એટલે કે કોંગીઓ સત્તા માટે કેટલી હદ સુધી નિમ્ન સ્તર સુધી પહોંચી શકે છે, તે માટે ઈશ્વરે ભારતીય જનતાને દશવર્ષની ટ્રેનીંગ આપી. અને કોંગીને વધુ ખુલ્લી કરી.    

 ઈશ્વર, ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળ બીજેપીને સત્તા ઉપર લાવ્યા. ઈશ્વરને હવે લાગે છે કે મેં મારાથી બનતું બધું કર્યું છે.

ઈશ્વર ઉવાચઃ

હે ભારતીયજનો, મેં તમારી સમક્ષ બધું ખુલ્લુ કરી દીધું છે. કોંગ્રેસના અને તેના સાંસ્કૃતિક સાથીઓના બધા દાવપેચ તમારી સમક્ષ ખુલ્લા છે. કોંગ્રેસ શું શું કરી શકે છે તે તમે જાણો છો.

“કોંગી ભારતને અને  ભારતની જનતાને  કેવી જાતના પ્રયત્નો કરે છે, તે તમે જાણો છો,

“કોંગી વિકાસ કેવીરીતે અવરોધી શકે છે તે તમે જાણો છો,

કોંગી, આપત્તિઓ વખતે તે કેવી રીતે વર્તી શકે છે. કેવા અવરોધો તે ઉભા કરી શકે છે, તે તમે જાણો છો.

નરેન્દ્ર મોદીએ પણ તમને બતાવી દીધું છે કે

નીતિમત્તા એટલે શું,

વિદેશનીતિ કેવી રીતે થાય છે,

દેશના દુશ્મનો કોણ કોણ છે,

દેશના દુશ્મનો  કેવી કેવી વ્યુહ રચના કરી, દેશના ટૂકડાઓ કરી શકે છે,

ભારતનો સાચો ઇતિહાસ કેવો છે,

સનાતન ધર્મ કેવો છે,

તમારાથી શું શું કોંગીઓએ છૂપાવેલું છે,

કોંગીઓએ કેવી રીતે અને શા માટે છૂપાવેલું,

ભારત વિરોધી કઈકઈ ગેંગો કામ કરે છે ….

આ બધું મેં ઈશ્વરે,તમારી સમક્ષ ખુલ્લું કરી બતાવી દીધું છે.

હવે તમારે શું કરવું તે તમારી ઉપર છોડું છું.

ઈશ્વર કહે છે કે હવે તેઓ તમને કેટલી મદદ કરીશ તે તેમને પણ ખબર નથી. તમને ખબર જ છે કે ઈશ્વર  તેમને જ મદદ કરું છું જેઓ પોતાને મદદ કરે છે.

શિરીષ મોહનલાલ દવે

આગામી આકર્ષણઃ

અહો કૌતુકમ્‌ “અમદાવાદ સ્વચ્છતામાં દશની અંદર આવ્યું”

Read Full Post »

હિન્દુઓને બદનામ કોણ કરે છે?

હિન્દુઓને બદનામ કોણ કરે છે?

કેટલાક મીડીયા મૂર્ધ્નયો પોતાને તટસ્થતાના પ્રદર્શનની  ધૂનમાં હિન્દુઓની બુરાઈ કરતા હશે. પણ તેનો પ્રભાવ હિન્દુઓ પર કેટલો પડતો હશે એ સંશોધનનો વિષય છે. પણ જેઓ પોતાને સુજ્ઞ હિન્દુ માને છે તેમણે મોરારી બાપુના બચાવમાં આવવું જોઇએ જ.

આ વાત ઉપર આપણે ચર્ચા કરીએ તે પહેલાં આપણે સંસ્કૃતિ અને સંસ્કાર એ વિષે કેટલુંક વિચારીએ.

એક અમિબામાંથી કહેવાતા સજીવોની ઉત્ક્રાંતિ થઈ. ધીમે ધીમે ચોપગા સસ્તન ધારી પ્રાણીઓ થયા. અંતે આપણા મનુષ્યની ઉત્પત્તિ થઈ.

મનુષ્ય બીજા પ્રાણીઓથી કેમ જુદો પડે છે?

માણસનું મગજ (સ્મૃતિ સહિતનું) એક વધુ જટીલ અંગ છે. આમ તો બીજા પ્રાણીઓના મગજમાં પણ આગવી જટીલતા હશે. પણ મનુષ્ય વધુ પ્રમાણમાં સ્મૃતિનો સંચય કરી શકે છે, આંખ, કાન નાક, ચામડી, મોઢું, જીભ,  દ્વારા નવી સ્મૃતિઓ મેળવી શકે છે અને સંચિત થયેલી સ્મૃતિઓમાંથી સાનુકુળ સ્મૃતિઓને બોલાવી તેને  સરખાવી શકે છે અને તારવણીઓ કરી શકે છે. ટૂંકમાં મનુષ્ય વિચારો કરી શકે છે. આ વિચારોને પણ તે સંચિત કરી, તેને આવશ્યકતા અનુસાર  સુનિશ્ચિત સ્મૃતિઓને  બોલાવી વ્યુહ રચનાઓ કરી શકે છે.

બીજા પ્રાણીઓ આટલા પ્રમાણમાં આવું કરી શકતા નથી. સિંહ લાખો વર્ષ પહેલાં જે રીતે શિકાર કરતો હતો તે પ્રમાણે આજે પણ કરે છે. જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં રહેતા સિંહોમાં નજીવો ફેર હોઈ શકે.

 આપણે હવે દાખલા માટે એક કૂતરાની વાત કરીએ

(કૂતરાભાઈ માફ કરે)

એક શેરીમાં (વિસ્તારમાં) રહેતા કૂતરાઓ  જો બીજી શેરીનો કૂતરો (કે કૂતરાઓ આવી ચડે તો આ કૂતરાઓ તેની સામે  ભસવાનું શરુ કરી દે છે. આક્રમણ કરવા પણ ધસી જાય છે. માત્ર બીજી શેરીનો, કૂતરો જ નહીં, કોઈ અજાણ્યું પ્રાણી પણ જો શેરીમાં આવે તો તેઓ ભસવાનું શરુ કરી દે છે. જો આ અજાણ્યું પ્રાણી નિર્બળ હોય તો તેની ઉપર આક્રમણ પણ કરી દે છે.

ધારો કે પાળેલું કૂતરું  છે અને  તેને કેળવ્યું પણ છે. અને તમે તેને લઈને ફરવા નિકળ્યા છો તો તમને આ અનુભવ થયો હશે. તમારું કૂતરું ભસશે નહીં. કારણ કે તે કેળવાયેલું છે.

જો શેરીમાં દાખલ થતું અજાણ્યું કૂતરું સશક્ત હશે અને એકલું હશે તો તેને શેરીના કુતરા ભસશે તો ખરા જ.. આ સશક્ત કૂતરું શેરીના કૂતરાઓ ઉપર આક્રમણ પણ કરશે. પોતાના ઉપર આક્રમણ થવાથી શેરીના કૂતરાઓ થોડી પીછે હઠ કરશે પણ ભસવાનું ચાલુ રાખશે. જ્યાં સુધી આ અજાણ્યું કૂતરું  દૃષ્ટિગોચર હશે ત્યાં સુધી ભસવાનું ચાલુ રાખશે.

બે નજીક નજીકના વિસ્તારના કુતરાઓ થાકે નહીં ત્યાં સુધી ઘણીવાર ભસ્યા કરતા હોય છે. આ ભસવાના કારણો પણ કૂતરા પાસે હોય છે. આપણે તેની ચર્ચા નહીં કરીએ.

માણસની ઉત્ક્રાંતિ

માણસ કૌટૂંબિક જુથમાં રહેતો. પછી કાળક્રમે  જંગલમાં  માણસોમાં નેતાગીરી વાળા જુથ ઉત્પન્ન થયા અને આ ગુટોમાં  પણ આવું જ બનતું. એકલ દોકલ માણસ જો અજાણ્યા વિસ્તારમાં જાય તો તેને મારી  નાખતા.  કાળ ક્રમે તેમની બુદ્ધિ વિકસી અને અનુભવે તેમણે જોયું કે  સલાહ સંપથી રહીયે સારું.

અજાણ્યા સામેનો વિરોધ અંતે વૈચારિક વિરોધમાં પરિણમ્યો. આમ સંસ્કૃતિ નો જન્મ થયો. બે સંસ્કૃતિઓ વચ્ચે લડાઈઓ થઈ.

જે સંસ્કૃતિઓનો વધુ વિકાસ થયો તે કંઈક અંશે સહિષ્ણુ બની.

આપણે એક દાખલો લઈએ

પશ્ચિમના દેશોમાં ધારો કે બે મોટરકાર વચ્ચે અકસ્માત થાય તો તેઓ પોલીસને બોલાવે છે. ભારતમાં જો બે મોટરકાર વચ્ચે અકસ્માત થાય તો બે કારના ડ્રાઈવરો અને તેના મુસાફરો પણ વાગ્‌યુદ્ધ અને અથવા મારામારી પર ઉતરી પડે.

આપણા દેશમાં જો વાહનવ્યવહાર સ્થગિત થઈ જાય તો કારના ડ્રાઈવરો હોર્ન ઉપર હોર્ન વગાડવા માંડે. પોતાની કાર કે બાઈક આગળ લઈ જવા માટે પણ હોર્ન વગાડવા માંડે. હોર્ન વગાડવા વાળાને ખબર હોય કે આગળ વાળા વાહન ચાલક માટે બાજુપર ખસી જવાની જગ્યા નથી, તો પણ પાછળની કારનો ચાલક હોર્ન વગાડ્યા જ કરે. આપણની પાછળની કાર વાળો કે બાઈકવાળો, એક મીટર આગળ જવા મળે તો પણ, આપણને ઓવરટેક કરે છે. આ શું દર્શાવે છે?

આવું શા માટે થાય છે?

 ભારતની જનતામાં સહિષ્ણુતા નથી, ભારતની જનતામાં અધીરાઈ છે, અજાણ્યા પ્રત્યે વર્તવાની સભ્યતા નથી. કૂતરું જેમ અજાણ્યાને જોઈને ભસે તેમ ભારતીયો અજાણ્યા સાથે “પોતે કંઈક છે” એ બતાવવાનો પ્રયત્ન કરે છે. આવું  વલણ અપનાવવામાં જનપ્રતિનિધિઓ પણ અપવાદરુપ નથી.

આપણો હિન્દુધર્મ સહિષ્ણુ છે તે માટે આમ જોઇએ તો હિન્દુધર્મનું તત્ત્વજ્ઞાન કારણભૂત છે. આ આપણો ઐતિહાસિક વારસો છે. હિન્દુઓએ આ વારસાને જાળવવો જોઇએ. આપણે આપણા ધર્મનું ઇસ્લામીકરણ કે ખ્રીસ્તીકરણ ન કરવું જોઇએ. ખ્રીસ્તીઓ પણ હવે તો સહિષ્ણુ થતા જાય છે. વોરાજીઓ અને ખોજાજીઓ જેવા મુસ્લિમો મહદ્‍ અંશે સહિષ્ણુ હોય છે. પણ તેઓ સક્રિય નથી.

હિન્દુધર્મનો મૂખ્ય સિદ્ધાંત શું છે

“ઈશાવાસ્યં ઈદમ્‌ સર્વમ્‌” એટલે ઈશ્વર સર્વવ્યાપી છે. અલ્લાહ માં પણ ઈશ્વર છે અને જીસસમાં પણ ઈશ્વર છે. ભગવાનમાં પણ ઈશ્વર છે.

કેટલાક હિન્દુઓ આળા છે. અને વાચાળ પણ છે. એવી જ રીતે કેટલાક બાબાઓ, ગુરુઓ, સ્વામીઓ અને ઓશો-ઓ … પોતે ધર્મના ભેખધારી હોવાથી, પુરાણોમાં, આરતીઓમાં, પોતાની કડીઓ ઉમેરે છે. તમને ખબર હશે કે શિવાનંદ સ્વામીએ અંબાજીની આરતી લખેલી. “ભણે શિવાનંદ સ્વામી …”  વાળી કડી થી આ આરતી પુરી થાય છે. પણ કેટલાક મહારાજ તેમાં પોતાની કડીઓ ઉમેરે છે અને પછી નવા જન્મેલાઓને આ કડીઓ પ્રક્ષેપિત હોવાની ખબર ન હોવાથી તેને આરતીનો હિસ્સો જ સમજે છે. સત્યનારાયણની કથા પુરી થયા પછી તેમની આરતીમાં કેટાલાક મહારાજ “જય કૃષ્ણ કાળા ….” એવી આરતી કરે છે.

આ કશું નવું નથી. પુરાણોમાં જે વિકૃતિઓ જોવા મળે છે તે પણ આવા જ કારણે છે. એટલે જ પુરાણોને અધિકૃત માનવામાં આવ્યા નથી. પુરાણ અને મહાકાવ્યો ઇતિહાસ તારવવા માટે છે અને મનોરંજન માટે છે. બોધાત્મક જ્યાં લાગે, તો ત્યાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી લઈ લેવો.  

આપણા કેટલાક બાબાઓ, ગુરુઓ, સ્વામીઓ, ઓશો-ઓ અસંપ્રજ્ઞાતમનમાં ભૂલી જાય છે કે હિન્દુ ધર્મના તત્ત્વજ્ઞાનનું હાર્દ શું છે. તેઓ પોતે જુદા છે. તેઓ માને છે કે પોતાના શિષ્યો્એ આ ભીન્નતા સમજવી જોઇએ. પોતાનો મંત્ર જુદો છે.  હરિ ૐ … ૐ શાંતિ … રાધે રાધે …  આવા આવા મંત્રો તેઓ પોતાના શિષ્યોને આપે છે અને જ્યારે એકબીજાને મળે ત્યારે આવા મંત્રથી તેમનું સ્વાગત કરે છે જેથી બીજાને ખબર પડે કે આ લોકોના ગુરુ કોણ છે. પોતે સ્વાધ્યાયી છે … પોતે સત્સંગી છે … પોતે ગાયત્રી પરિવાર વાળા છે … પોતે બ્રહ્માકુમારી વાળા છે …

પોતે હિન્દુ નથી એવું સાબિત કરવા માટે કેટલાક બાવાઓ ન્યાયાલયના ચક્કર પણ લગાવી આવ્યા છે.

કોંગીઓ લાગ જોઈને જ બેઠા છે

કોંગીઓ તો લાગ જોઇને જ બેઠા છે કે અમને સત્તા કેમ મળે. ભલે એકવાર તો  દેશના ટૂકડા થઈ જાય. પણ આ હિન્દુઓને તો પાડી દેવા જ જોઇએ. હિન્દુઓને પાડવા  માટે હિન્દુઓના ટૂકડા પણ થવા જોઇએ. હે લિંગાયતો, તમે અમને સહયોગ આપો અમે તમને આરક્ષણનો લાભ આપીશું.  

મોરારી બાપુએ કશું ખોટું કર્યું નથી. કેટલાક મહાનુભાવોએ વિરોધ કર્યો છે અને તેમની કથાનો બહિષ્કાર કરવાના ફતવા બહાર પાડ્યા છે. આપણા હિન્દુ ધર્મમાં ધાર્મિક  ફતવાઓ બહાર પાડવાની પ્રણાલી નથી. આ પ્રણાલી કદાચ ઇસ્લામ ધર્મમાં હશે. તેઓ અવારનાવર હોર્ન વગાડ્યા કરે છે.

આપણને કેવા ફતવાઓ શોભે?

આપણે હિન્દુઓએ તો  દેશહિતના  ફતવાઓ જેવા કે “ચીની માલનો બહિષ્કાર કરો”, “ટૂકડે ટૂકડે ગેંગને જેલમાં નાખો”, “કોંગીમુક્ત ભારત કરો”, “ગદ્દરોને ઠાર કરો”, સ્વદેશી અપનાવો, “ગૃહ ઉદ્યોગોને પ્રાધાન્ય આપો” … વિગેરે વિગેરે જેવા ફતવા બહાર પાડવાના છે. આવું આપણને શોભશે

આપણે હિન્દુ ધર્મનું ઇસ્લામીકરણ કરવાની જરુર નથી. આમ તો મોટા ભાગના મુસ્લિમો પણ ક્યારેક હિન્દુ જ હતા. પણ તેઓ ત્યારે મુસ્લિમ થયા જ્યારે તેમને લાલચ આપવામાં આવી કે ડર બતાવવામાં આવ્યો. વળી તે વખતના બ્રાહ્મણોએ તેમને હિન્દુ ધર્મમાં પાછા ફરવાના રસ્તા જ બંધ કરી દીધા. તેથી તેઓ સમસમીને બેસી રહ્યા. પછી તો નવો મુસલમાન સાતવાર નમાજ પઢે તેવો હાલ થયો. તેઓ તેમના મુલ્લાઓએ જેવું શિખડાવ્યું તેવા થયા.

આપણે પેલા કુંભારની વાત સમજવી જોઇએ કે ચમત્કારિક ગધેડો પણ, આખરે તો ગધેડો જ છે  ને. અને પેલા વાણિયાની વાત પણ સમજવી જોઇએ કે “બાપુ” નો ધડો ન કરાય.

આપણા હિન્દુ ધર્મમાં મુખ્ય ત્રણ શબ્દોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

આનંદ, શિવ (કલ્યાણ)  અને શાંતિ.

કોઈને દુઃખી કર્યા વગર આનંદ કરો. જેની જે અપેક્ષા હોય, તે અપેક્ષા શ્રેયકર હોય, અને તમે તેની તે અપેક્ષા પુરી કરી શકો તેમ હો તો તમે તે પુરી કરો (એટલે કે તમે તમારી શક્તિ પ્રમાણે બીજાનું કલ્યાણ કરો). તો દુનિયામાં શાંતિ જ રહેશે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

“પૂર્વતૈયારી વગર ….. કર્યું ને … એટલે …”

પૂર્વતૈયારી વગર ….. કર્યું એટલે …”

જો આપણે મૂર્ધન્ય હોઈએ, તદ્‌ ઉપરાંત કટાર લેખક પણ હોઈએ,અને વળી પાછી આપણા ઉપર તટસ્થતાની ધૂન સવાર હોય તો, સરકારના કોઈપણ નિર્ણયને આપણે વખોડી શકીએ છીએ. આ બહુ સહેલું છે.

કેવીરીતે સહેલું છે?

લે વળી … ખબર નથી? આપણે એમ કહેવાનું કે સરકારે જે પગલું લીધું,  તે, પૂર્વ તૈયારી વગરનું હતું.

હવે આપણે તો જાણીએ છીએ કે સરકાર કોઈ પગલું લે એટલે કંઈક મુશ્કેલી તો આવે જ. એક કરતાં વધુ મુશ્કેલીઓ પણ આવે. એટલે આવી મુશ્કેલીઓ ગણાવવી … એનું વર્ણન કરવું. જો આપણો  તટસ્થતા દર્શાવવા સિવાયનો, બીજો કોઈ એજન્ડા ન હોય તો જનતાને પડતી મુશ્કેલીઓ ગણાવી દઈએ તે પૂરતું છે. પણ જો આપણો રા.ગા.ની જેમ  એજન્ડા હોય તો અતિશયોક્તિમાં કચાશ ન રાખવી.

દા.ત. સરકારે વિમુદ્રીકરણ નું પગલું લીધું તે પૂર્વ તૈયારી વગર લીધેલું. લોકોને બીજા કામ છોડીને લાઈનમાં ઉભા રહેવું પડ્યું …  બેંકોમાં રોકડ ખલાસ થઈ ગઈ … માણસોને પેન કાર્ડ શોધવા પડ્યાં … આધાર કાર્ડ શોધવા પડ્યા … ફોર્મ ભરવા પડ્યા …

જો આપણો નિશ્ચિત એજ્ન્ડા હોય તો આપણે લખવાનું … માણસોને ભૂખ્યા તરસ્યા લાંબી લાંબી લાઈનો માં ઉભા રહેવું પડ્યું … કેટલાકને તો વૃદ્ધ કાકા દાદાઓને લાઈનમાં ઉભા રાખવા પડ્યા …  કેટલાય માણસો બેભાન થઈ ગયા … કેટલાય માંદા પડી ગયા … કેટલાય મરી ગયા …

અને ફાયદો શું થયો? કાળું નાણું ઘટ્યું ? કાળાનાણાંવાળા પકડાયા? આતંક વાદ બંધ થયો? … ના ભાઈ ના … એવું કશું થયું નહીં.

તો હવે …

તાજેતરનો દાખલો લઈએ તો “લૉક-ડાઉન” છે.

લોકડાઉન પૂર્વ તૈયારી કર્યા વગર કર્યું … એટલે …

… એટલે આ બધી સમસ્યાઓ ઉભી થઈ. પ્રવાસી  મજુરો અટવાઈ ગયા … વાહનની સગવડ સરકારે ન કરી તેથી તેઓ ચાલતા નિકળી પડ્યા … તેઓ ભૂખ્યા હતા … તેઓ તરસ્યા હતા …  તેઓમાં સ્ત્રીઓ હતી … કેટલીક સગર્ભા હતી … વૃદ્ધો હ્તા … બાળકો હતા …. તેમના પગમાં ચંપલ પણ ન હતા … જેવું લોક ડાઉન જાહેર થયું કે તૂર્ત જ … આવું બધું થયું … કેટલાકે કહ્યું અમે તો કોરોના થી નહીં પણ આમ જ મરી જઈશું!!!

“આ પગલું અવિચારી હતું … આ પગલું ઉતાવળીયું હતું … અર્થ તંત્રની કેડ ભાંગી નાખી …”  હા જી આપણા તડ – ફડ વાળા મૂર્ધન્યે લખ્યું છે … અરે ભાઈ વિશ્વવિખ્યાત ફોર્બ્સે આપણી ટીકા કરી હોય તો તેને સાચી જ ગણવી જોઇએ ને … ફોર્બ્સ કંઈ જેવો તેવો છે? અરે બીજું કંઇ નહીં તો ચામડી તો ધોળી છે જ ને!! ફોર્બ્સે તેની ચામડી કંઈ તડકામાં ધોળી કરી છે? (મૈંને મેરે બાલ કહીં ધૂપમેં સફેદ નહીં કિયા હૈ … સમઝે … ન સમઝે?)

તડ-ફડ વાળા ભાઈ આગળ જતાં લખે છે કે “ થોડો સમય આપવા જેવો હતો … ફાજલ પડેલા મજુરો વતન પહોંચી શક્યા હોત…. કારખાનામાંના માલની વ્યવસ્થા ગોઠવાઈ શકી હોત. .. જે વિસ્તારોમાં રોગચાળાનું નિશાન ન હતું તેને આવરી લેવાની જરુર ન હતી …

વાસ્તવિકતા શું છે?

સરકારને શા માટે સક્રીય થવું પડ્યું.

ચીનમાં વુહાન શહેર્માં આપણા નાગરિકો ફસાયા હતા. તેમને લાવવાની અનેક દેશોની જેમ આપણે પણ તૈયારી કરી. આપણે આપણા નગરિકોને લાવ્યા. તેમનું ચેક અપ કર્યું   તેમના માંથી કેટલાક  કોરોના પોઝીટીવ મળ્યા. તેમને ક્વારોન્ટાઈનમાં રાખ્યા.

આ દરમ્યાન સમાચાર મળ્યા કે આ જ અરસામાં દિલ્લીના નીજામ્મુદીનના  મર્કઝ માં તબલીઘી જમાતે સરકારી બંધી ને અવગણીને  કોન્ફરન્સ કરેલી. અને તેમાં કેટલાક ગુમ થઈ ગયા છે. બીન સત્તાવાર પણ વિશ્વાસલાયક સમાચાર પ્રમાણે ૬૦૦૦ જ્માતીઓએ ભાગ લીધેલો આમાં ૪૦૦ જેટલા વિદેશીઓ હતા. આમાંના મોટા ભાગના મર્કઝમાંથી નિકળી ગયા છે. એટલે આ ઘટના સંશોધન અને તપાસ ની થઈ ગઈ. જો તમે આમાં એક જ દિવસ મોડું કરો તો ખાનાખરાબી થઈ જાય. જે મર્કઝમાં રહી ગયા હતા તેઓ, પોલીસ તો શું, શ્રી અજીત દોવલના કહ્યામાં પણ ન હતા. તો જે ભાગી ગયા હતા તેમની તો વાત જ શી કરવી? સરકારને  મર્કઝની મહાસભાના સમાચારની વિગતો મળી કે તરત જ લોકડાઉન ની જાહેરાત કરી દેવામાં આવી. જેથી જમાતીઓનું પગેરુ સહેલાઈથી કાઢી શકાય. નરેન્દ્ર મોદીએ મોટું મન રાખી મુસ્લિમ જમાતના સહાયકો અને  સત્તાધરી પ્રચ્છન્ન વિદ્રોહીઓ ઉપર કાર્યવાહી ન કરી.

લોક ડાઉન જાહેર થયા પછી  જો તે સમયનો વિચાર કરીએ તો જે કંઈ લોકો ગુમ થયા હતા પણ જેમની ભાળ મળી હતી તેમના કારણે ૪૦થી ૯૦ ટકા કોરોના પોઝીટીવ કેસ, જમાતીઓને કારણે થયા હતા. હવે જો ૨૪મી માર્ચે લોકડાઉન જાહેર ન થયું હોત અને અઠવાડીયાનો સમય પણ રાખ્યો હોત તો, આ જમાતીઓમાંના બધા જ વિદેશીઓ પોબારા ગણી ગયા હોત. તેમના સંસર્ગો કદી ન જાણી શકાયા હોત.

પહેલો લોકડાઉન ૨૧ દિવસનો હતો.

આ સમયનો ઉપયોગ કમસે કમ દિલ્લીના  કેજ્રીવાલભાઈ અને મુંબઈના ઉદ્ધવભાઈ તેમના રાજ્યમાં રહેલા પ્રવાસી મજુરોની ગણત્રી કરી શક્યા હોત. તે અઘરું નથી. આ વાત આપણે અગાઉના એક બ્લોગમાં જોઇ ગયા છીએ. કેજ્રીવાલભાઈ નો તો એજન્ડા જુદો હતો, એટલે તેમણે તો ૨૪મી માર્ચે અડધી  રાત્રે જ મજુરોને જગાડી બસ પકડવાની જાહેરાત કરી. નરેન્દ્રમોદીએ તો કહેલું કે જેઓ જ્યાં છે ત્યાં જ રહે. પણ કેજ્રીવાલભાઈ તો વાડ્રા-કોંગ્રેસની  બી-ટીમના શિર્ષનેતા છે. તેમનો તો ધર્મ હતો કે કોરોના મહામારી વધુમાં વધુ ફેલાય અને નરેન્દ્ર મોદીને નીચા જોણું થાય.

થોડા દિવસ પછી મુંબઈના બાંદ્રા (પશ્ચિમ) રેલ્વે સ્ટેશન પાસેની મસ્જીદ પાસે પણ અનિલ દુબે દ્વારા ફેલાવેલી અફવાઓ દ્વારા, કહેવાતા પ્રવાસી મજુરો નિયમોનો ભંગ કરી એકઠા થયા હતા. લોક ડાઉન દરમ્યાન પણ અનેક જગ્યાએ જાણી જોઇને ટોળાં એકઠા થવાના અનેક બનાવો બન્યા છે. આમાં લુટ્યેન ગેંગોનો મોટો હાથ છે.

આમ મોદી વિરોધીઓ લોકડાઉન થયા પછી પણ અંદરખાને કેટલા સક્રીય થઈ, કોરોનાનો ફેલાવો કરી શકે તેમ છે, તે છાનું રહી શક્યું નથી.  તો પછી જો અગાઉથી જ, પ્રવાસી મજુરોની ઓળખ કર્યા વગર રેલવે ટ્રેનો ચલાવી હોત, બસો ચલાવી હોત. તો જમાતીઓ સહેલાઈથી છટકી જાત, અને તે ઉપરાંત મોટે પાયે થયેલા સોસીયલ ડીસ્ટન્સીસના ભંગને કારણે ભારતમાં અમેરિકાના ન્યુયોર્કથી પણ વધુ કોરોનાનો ફેલાવો થાત.

જેઓ આ વાત, ન સમજી શકતા હોય તેમણે ૐ નમઃ શિવાય નો જપ જપવો જેથી ઈશ્વર તેમને જરુરી પ્રજ્ઞા આપે.

પસંદગી શું હતી અને શું ન હતી?

“સમસ્યા ઉત્પાદનને ફટકો પડવા દેવો અથવા મનુષ્યના જીવ બચાવવા” એ બે વચ્ચે એક ની પસંદગી કરવી એ નથી. મૂળ હેતુ મનુષ્યના જીવનને પ્રાથમિકતા આપવી અને ઉત્પાદનને પછીની પ્રાથમિકતા આપવી, એમ હતો. જાન ભી ઔર જહાન ભી.

આપણા તડ – ફડ વાળા મૂર્ધન્યે એક દાખલો આપ્યો છે, કે; “એક રાજાએ એક ગુનેગારને સજા ભોગવવાના બે વિકલ્પ આપ્યા. કાંતો સો ચાબુકના ફટકા ખાવા અથવા તો સો કાચી ડૂંગળી ખાવી. થોડી ડૂંગળી ખાધા પછી તેણે ફટકા ખાવાનો વિકલ્પ પસંદ કર્યો. પણ થોડા ફટકા ખાધા પછી વળી પાછો ડૂંગળી ખાવાનો વિકલ્પ પસં કર્યો. આમ વારાફરતી થયં. આ પ્રમાણે એણે સો કાચી ડૂંગળી ખાવાની સજા ભોગવી અને સો ફટકા પણ ખાધા.”  આ રીતે આપણા દેશે માનવ જીવ પણ ગુમાવ્યા અને ઉત્પાદન પણ ગુમાવ્યું.”

વાસ્તવમાં જોઇએ તો આવું તો નથી જ. આપણે લાખો જીવ બચાવ્યા છે. અને હવે આપણે ઉત્પાદન માટે સજ્જ છીએ. જો આપણા મૂર્ધન્યશ્રી અમેરિકા, ઈટાલી કે સ્પેન સાથે દર દશ લાખ માનવની વસ્તીએ કેટલા માનવ મરણ થયા તે પ્રમાણને સરખાવસે તો ખબર પડશે. પ્રમાણભાનની પ્રજ્ઞા પણ એક પ્રજ્ઞા છે.       

ભારતનો નંબર વિશ્વમાં ૧૦૧મો છે અને ભારતમાં દર દશ લાખે 3.36 મૃત્યુ થયા છે. જ્યારે પશ્ચિમના વિકસિત દેશોમાં આ આંકડો ૧૦૦ થી ૮૧૯ નો છે. આ ભેદ આપણે સમજવો જોઇએ.

આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય કહે છે કે; “ચીન આપણા કરતાં શાણું છે. ચીને વુહાનની બહાર કોરોના  ન ફેલાય તેની પૂરતી નાકાબંધી કરી. જ્યારે આપણે એવું ન કર્યું.”

ચીન જે કોરોનાનું જન્મ દાતા છે અને જે પ્રયોગો કરી રહ્યું હતું તેથી તે આવું કરી શક્યું. તે આપણે સમજવું જોઇએ.

તડ-ફડવાળા ભાઈ કહે છે કે  “અમેરિકા કોરોનાને ચાઈનીઝ વાયરસ કહે તે ખોટું છે. સદ્દામ હુસેનની ઉપર પણ અમેરિકાએ આવો આક્ષેપ કર્યો હતો. પણ તે ખોટો નિકળ્યો હતો. માટે આ આક્ષેપ પણ ખોટો છે.”

વાસ્તવમાં આ કોઈ તર્ક નથી. અમેરિકા એક વાર, બે વાર કે ત્રણ વાર પણ ખોટું બોલે તો તે ચોથી વાર પણ જે કંઈ બોલે તે ખોટું છે તેમ ન કહી શકાય. અલ્લાહાબાદ ઉચ્ચન્યાયાલયે નોંધ્યું હતું કે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ ૧૪ વખત ઇન્દિરા ગાંધી જુઠ્ઠું બોલ્યાં હતાં. તો પણ કૉર્ટે કહ્યું હતું કે તે ૧૫મી વખત પણ જે કંઈ બોલે તેને ખોટું ન માની શકાય.

સમય આવે સાચું બહાર આવશે. તે માટે થોભો અને રાહ જુઓ. પણ પ્રયોગો ચીનમાં થતા હતા તેની નોંધ લેવી જોઇએ. એ પણ નોંધલેવી જોઇએ કે યુએસએ એક લોકશાહી વાળો દેશ છે. ચીન એ એક સામ્યવાદી દેશ છે. કોણ કેટલા પ્રમાણમાં સાચું કે ખોટું બોલે છે તે વાત તે દેશ કેવો છે તેના ઉપરથી નક્કી કરી શકાય. વધુ વિશ્વસનીય તો લોકશાહીવાળો દેશ જ ગણી શકાય. ચીન કેટલું ખોટું બોલે છે તે આપણા અનુભવથી અજાણ્યું નથી.

હાલ તૂર્ત તો ભારતમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે અને સાજા થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને મુંબઈ, અમદાવાદ, દિલ્લી, પ.શ્ચિમ બંગાળ અને તામીલનાડુની પરિસ્થિતિ ચિંતા જનક છે. તેના આગવા કરણો પણ છે.

જ્યારે ભારતનો આ સંક્રમણમાં મૃત્યુના દરને હિસાબે  નંબર ૧૦૧મો હોય ત્યારે ભારતે ૧૦૦ ડૂંગળી પણ ખાધી અને ૧૦૦ ફટકા પણ ખાધા એમ કહેવું કોઈ એજન્ડાવાળું કહેવાશે.

તમે પહેલાં નિમ્ન લિખિત સંજોગો જુઓ.

(૧) પશ્ચિમના દેશો વિકસિત છે.

(૨) ત્યાંની વસ્તિ ભારત જેટલી ગીચ નથી.

(૩) સામાન્ય સંજોગોમાં પણ તેઓ સોસીયલ ડીસ્ટન્સ જાળવે છે. એટલે તેઓ અડોઅડ ઉભા રહેતા નથી. ધક્કાધુક્કી કરવાનો તો પ્રશ્ન જ નથી.

(૪) ટ્રાફિકના નિયમો શિસ્ત પૂર્વક પાળે છે. અકસ્માત થાય તો પણ તેઓ ઝગડો કે મારામારી ઉપર ઉતરી પડતા નથી.

(૫) ટ્રાફિકપોલીસને લાંચ આપતા નથી. ટ્રાફિક પોલીસ પણ કોઈ ભેદભાવ રાખતા નથી.

(૬) વિપક્ષ જવાબદાર રીતે વર્તે છે.

હવે ભારતમાં જુઓઃ

(૧) દેશ હજી પશ્ચિમી દેશો જેવો વિકસિત થયો નથી.

(૨) ભારતની વસ્તિ અનેક ગણી ગીચ છે.

(૩) કતારમાં ઉભા રહેવામાં, ખાસ કરીને ગામડાઓમાં, કતારમાં ઉભા રહેવામાં કોઇ માનતું જ નથી. શહેરોમાં કોરોના થી થોડો ફેર પડ્યો છે.

(૪) શહેરમાં પણ હાલની તારીખમાં, ત્રણ ત્રણ જણા સ્કુટર, બાઈક ઉપર બેસીને જાય છે.

(૫) નિયમો નું પાલન કરવું એ વાત, જેઓ પોતાને મહાનુભાવ માને છે તે મહાનુભવોને લાગુ પડતું નથી. તેઓ મારા મારી ઉપર પણ ઉતરી આવે છે.

ભારત જાય ખાડમાં

(૬) સોસીયલ ડિસ્ટન્સીંગનું પાલન ન થાય અને લૉકડાઉન નિસ્ફળ જાય તે માટે વિપક્ષીનેતાઓ કૃતસંકલ્પ છે. પાલઘર ની ઘટના, બાંદ્રા (પશ્ચિમ) રેલ્વે સ્ટેશન ની નજીકની મસ્જીદ પાસે ટોળું જમા કરાવવાની ઘટના, દિલ્લીની  નીજામુદ્દીનની તબલીઘી જમાતની  મહા અધિવેશનની ઘટના, જમાતના સભ્યોની ગુમ થઈ જવાની ઘટનાઓ, તેમની આડોડાઈની કરવાની ઘટનાઓ, મુસ્લિમોની ટોળે મળી કોરોના વોરીઅર્સને મારવાની ઘટનાઓ …. તમે ગણી જ ન શકો તેટલી ઘટનાઓ બની છે અને વિપક્ષે હમેશા અફવાઓ ફેલાવવામાં કસર રાખી નથી અને આવા અમુક કોમના તત્ત્વોને સહકાર અને સહયોગ આપ્યો છે અને બચાવ પણ કર્યો છે.

(૭) ભારતની બ્યુરોક્રસી ઉપર સિવાયકે સત્તામાં બેઠેલા નેતાઓ કડક ન થાય, તો કોઈ પણ પ્રકારે પૈસા બનાવવામાં જ રસ ધરાવે છે.

વાસ્તવમાં ભારતના સંજોગો અને સંસ્કાર જોઇએ તો વિકસિત દેશો કરતાં સો ગણો કોરોના ફેલાય તેવી પરિસ્થિતિ છે.

હા જી.  એક સારી વાત એ છે ભારત પાસે નરેન્દ્ર મોદી અને અમિતશાહ ની કુશળ ટીમ છે. ભારતમાં સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ છે. આ સંસ્થાઓએ અને વ્યક્તિઓએ ભારતની બ્યુરોક્રસીથી નીપજથી ઉણપને,  કોરોના-સંક્રમણના સમયમાં મહદ્‌ અંશે ભરપાઈ કરી છે.

એ પણ એક પરિબળ શક્ય છે કે ભારતમાં ક્યારેક કેટલાક લોકો ફેશનમાં માંસ મટન ખાઈ લેતા હશે. તે સિવાય પણ મોટેભાગે લોકો શાકાહારી છે. આ વાત પણ કોરોના વધારે પ્રમાણમાં ન ફેલાવાનું એક કારણ હોઈ શકે. જો કે આ સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એક ભાઈ યુનીવર્સીટી ના સ્નાતક થયા. તેમને થયું માર્કસ મગાવીએ.

તેનો ચાર્જ આમ હતો. ખંડ પ્રમાણે ₹૧૦૦/- હતો.  પ્રશ્ન પત્ર પ્રમાણે ₹૨૦૦/- હતો

સેક્સન પ્રમાણે ₹૩૦૦/-

એટલે ભાઈએ પ્રથમ ખંડ પ્રમાણે પૈસા ભર્યા. પછી તેમને થયું કે પ્રશ્ન-પત્ર  પ્રમાણે મગાવીએ. એટલે તેમણે તેના પૈસા ભર્યા. પછી તેમને થયું કે ચાલોને સેક્સન પ્રમાણે જ મગાવીએ. એમ કરી તેના પૈસા ભર્યા. આમ તેમણે ક્રમે ક્રમે કુલ ₹ ૬૦૦/- ભર્યા. પહેલેથી જ જો ₹૩૦૦/- ભરી દીધા હોત તો તેમને સેક્સન, પ્રશ્નપત્ર અને ખંડ પ્રમાણે ત્રણે ના માર્ક મળી ગયા હોત.

ડૂંગળી અને કોરડા બંને ખાધા 

Read Full Post »

કળીયુગી શિવગીતા તૃતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા તૃતીયોધ્યાયઃ

સુરક્ષા યોગ 

નરેન્દ્રઃ ઉવાચ ; હે મહાનલ, આપે મને એમ કહ્યું કે દેશ ની સુરક્ષા સર્વપ્રથમ હોવી જોઇએ. પણ હે જ્ઞાનેશ્વર, શ્રેય અને સત્યમાં કોની પસંદગી કરવી જોઈએ?

મહેશ્વરઃ ઉવાચ ; હે વિકાસપુરુષ, શ્રેય એ એક વ્યક્તિગત અભિપ્રાયનો પ્રશ્ન છે. કોઈક, એક અભિપ્રાયને શ્રેય માને છે તો કોઈક, અન્ય અભિપ્રાયને શ્રેય માને છે. શ્રેય શું છે તે તો ભવિષ્યનો સમય જ કહી શકે. પણ જે આર્ષદૃષ્ટા છે, તે શ્રેયને ઓળખી શકે છે. શ્રેય એટલે આમ તો સામાન્ય જનતાનું હિત એટલે કે સાંપ્રત કાળે જ્યારે દેશ, દશકાઓથી આતંકવાદીઓના આક્ર્મણથી પીડિત  હોય ત્યારે  દેશનું હિત એ જ શ્રેય છે.

નરેન્દ્રઃ ઉવાચ ; હે વૈશ્વાનર, હું અને મારો પક્ષ, જે કંઈ પગલાં લે છે તે ભારતીય સંવિધાન અને જનતંત્રને અનુરુપ જ પગલાં હોય છે. પણ મારા વિરોધીઓ તેને વિષે ઉંધો જ પ્રચાર કરે છે. વળી તેઓ કોઈ ચર્ચામાં માનતા જ નથી. મેં વર્ષો પહેલાં કહેલું કે જમ્મુ-કાશ્મિર રાજ્યને અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ થી શું ફાયદો થયો તેની ચર્ચા થવી જોઇએ. તો મારા વિરોધીઓ ફાયદાની તો ચર્ચા જ કરતા ન હતા. તેઓ તો એમ કહેતા હતા કે જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે જમ્મુ-કાશ્મિર રાજ્ય ભારતમાંથી ગયું.   જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે અમે અમારા રાજ્યને પાકિસ્તાન સાથે ભેળવી દઈશું. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે અહી લોહીની નદીઓ વહેશે. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે જે પરિસ્થિતિ સર્જાશે તેમાં, ભારતના સૈનિક ના શબને રાષ્ટ્ર ધ્વજ ઓઢાડવા વાળું કોઈ નહીં મળે. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે એ લોકશાહીની હત્યા ગણાશે.

“હે પંચાનન, આને શું ચર્ચા કહેવાય? જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે સ્ત્રીઓને પુરુષ સમકક્ષ અધિકાર ન હતો. શું આને લોકશાહી કહેવાય?

જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે ૧૯૪૪થી સ્થાયી થયેલા હિન્દુઓના દલિત કુટુંબોને વિધાન સભામાં મતાધિકાર ન હતો. શું આને લોકશાહી કહેવાય?

જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે આ દલિત હિન્દુઓ ને શિક્ષણ લેવાના હક્ક ન હતા. શું આને શું લોકશાહી કહેવાય?

 જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે તેમને બીજા રાજ્યમાં શિક્ષણ માટે જવું પડતું હતું. આને શું લોકશાહી કહેવાય?

જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે ઉપરોક્ત દલિત હિન્દુ, સફાઈકામ સિવાયની કોઈ નોકરી જ કરી શકતો ન હતો. આને શું લોકશાહી કહેવાય?

વળી હે પરમેશ્વર, મારા વિરોધીઓ એમ કહેતા હતા કે જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થવાના કારણે રાજ્યમાં લોહીની નદીઓ વહેશે. એટલે કે મારા વિરોધીઓની માન્યતા પ્રમાણે, આવી જનતંત્રની ઘાતક વ્યવસ્થાને કારણે, એટલે કે જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે રાજ્યમાં શાંતિ છે. જો આવું જ હોય તો આતંકવાદીઓના હુમાલાઓ શા માટે થતા હતા? નિર્વાસિત હિન્દુઓનો પુનર્વાસ કેમ થતો ન હતો? હિન્દુઓનો નરસંહાર શા માટે થયેલો? હિન્દુ સ્ત્રીઓ ઉપર સામુહિક બળાત્કાર શા માટે થયા હતા? મારા વિરોધીઓએ આ બધા અત્યાચારીઓ ઉપર ન્યાયિક પગલાં કેમ ન લીધાં? શું તેમની કોઈ ફરજ જ ન હતી?  શું મારા વિરોધીઓ સત્તા સ્થાને હોવા છતાં, આ રીતે સતત મૌન, નિસ્ક્રિય અને અસંવેદનશીલ રહ્યા તે શું અક્ષમ્ય અપરાધ નથી? મારે હિસાબે તો તેઓ આજીવન કારાવાસને લાયક જ છે.

મેં જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ કરીને જમ્મુ-કાશ્મિરમાં લોકશાહી સ્થાપી, તો મારા વિરોધીઓ મેં જમ્મુ-કાશ્મિરમાં લોકશાહીનું હનન કર્યું એમ કહે છે. કહેતા બી દિવાના ઔર સૂનતા ભી દિવાના!

મહેશ્વરઃ ઉવાચ ; “હે ધુરંધર, તું સત્ય અને શ્રેયના માર્ગે જ જઈ રહ્યો છે. ભારતની જનતા તારી સાથે છે પછી તારે શા માટે ચિંતા કરવી? ધારો કે તારા વિરોધીઓ, જનતામાં રહેલા, વાચાળ પણ અર્ધદગ્ધ, બુદ્ધિશાળી પણ દંભી, ચાલાક પણ સ્વકેન્દ્રી, વિદ્વાન પણ પોતાની તટસ્થતા દર્શાવવાના ધૂની મહાનુભાવોને લપટાવી શકે છે તો પરિસ્થિતિ ગંભીર અને સ્ફોટક છે. જો તેમના મનસુબા સિદ્ધ થવા દઈશ તો તારે સમજવું કે ભારતનું ભવિષ્ય પણ અંધકારમય છે.

હે સમદર્શી, તારો ધર્મ તું જાણે છે. ગીતામાં મેં શ્રી કૃષ્ણના મોઢે કહેડાવ્યું જ છે, કે તારે તારું કર્મ કરવાનું જ છે. અકર્મણ્યતા તરફ જવાનું નથી. “ભારતદેશ” જેમને માટે પ્રથમ છે, તેઓ ફક્ત તારી ઉપર જ આશાભરી દૃષ્ટિથી જોઇ રહ્યા છે. તે તારે સતત યાદ રાખવાનું છે.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિધાતા, હું જાણું છું કે જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. મેં હજી ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાની આશા મુકી નથી અને મુકીશ પણ નહીં. પણ ભારતના મતિભ્રષ્ટ મૂર્ધન્યો લોકશાહીને નામે, પાકિસ્તાન અને બંગ્લાદેશથી આવેલા ઘુસણખોરોને નાગરિકતા આપવાની વાતો કરે છે. હું ભારતસ્થ પાકિસ્તાની-બંગ્લાદેશની લઘુમતિ એવા નિરાશ્રિતોને  નાગરિકતા આપવાની વાત કરું છું તો મારા વિરોધીઓ, મેં ધાર્મિક ભેદભાવ રાખ્યો એવું તારણ કાઢે છે, અને પાછા ગાંધીજીનું નામ લઈ મારો વિરોધ કરે છે. વળી તેઓ ગાંધીજીના ફોટાઓ સાથે દેશહિતમાં લેવાયેલા નિર્ણયો વિરુદ્ધ પ્રદર્શન કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રજ્ઞાવાન, તારાથી વિશેષ ગાંધીજીને કોઈ સમજ્યું નથી. કારણ કે તારા વિરોધીઓ ફક્ત ગાંધીનું નામ જ લે છે, પણ ગાંધીના તારણો ટાંકતા નથી. આ બાબત જ તેઓ કેટલા કપટી છે તે દર્શાવે છે.

પુનર્જન્મ

નરેન્દ્રઃ ઉવાચ ; હે આદિગુરુ, મારા પ્રચ્છન્ન અને અપ્રચ્છન્ન  વિરોધીઓને તો હું સારી રીતે ઓળખું છું. પણ જેઓ પોતે તટસ્થ છે એવું પ્રદર્શિત કરતા રહેવાની ઘેલછામાં તટસ્થતાની  ડબલ ઢોલકી વગાડે છે. તેથી હું ચિંતિત છું. હે ઈશ્વર, તમે તો જાણો જ છો કે હું જ નવ્યગાંધી (મહાત્મા ગાંધીનો પુનર્‌ જન્મ) છું. પણ મારાથી તો એવું ન જ કહેવાય ને. જો કહું તો મને વગોવવાનો એક નવો મુદ્દો તેઓને મળી જાય.

મહેશ્વરઃ ઉવાચ ; હે વિવેકશીલ, તારા વિરોધીઓ મુખ્યત્વે એરીસ્ટોક્રેટ અને પૈસા થકી વિદેશોમાં કે દેશની ખ્યાતનામ વિશ્વવિદ્યાલયોમાં ભણેલા છે. તું એક તો ગુજ્જુ છે અને વળી ગામડાની નિશાળ અને ગામડાની કોલેજમાં ભણેલ છે. તેઓ તને મગન-માધ્યમ (માતૃભાષા ગુજરાતી) માં ભણેલ, સાવ દેશી માને છે. તું ઇસ્ત્રીટાઈટ કપડાં પહેરે છે તેનો તેઓ અવળો અર્થ કરે છે. જો કે તું તે વસ્ત્રો હરાજી કરી વેચીને મહિલાઓના ઉત્થાન માટે ખર્ચે છે, તારા આ સત્કર્મની તેઓ નોંધ પણ લેતા નથી  અને ઉપરથી તારા ખર્ચાની વગોવણી કરે છે. હે નવ્ય ગાંધી, તું તો ગાંધીજીની જેમ સાદાઈથી રહેવા તૈયાર છે પણ ધારો કે તું તેમ કરે તો તારી પોતડીના હરાજીમાં કેટલા પૈસા આવે? તારા હાલના વસ્ત્રોના તો લાખો રુપીયા આવે છે. કદાચ તારી પોતડીના તો પાંચશો રુપીયા પણ ન આવે. તું વિદેશી સફર રાત્રે કરે છે અને સરકારના લાખ્ખો રુપીયા બચાવે છે, તે ઉપરાંત તારી બધી જ વિદેશ યાત્રાઓ સફળ અને અત્યંત લાભપ્રદ હોય છે, પણ તારા વિરોધીઓ તો તેમના કુસંસ્કાર પ્રમાણે તને વગોવ્યા જ કરશે તે તું જાણી લે. તટસ્થતાની ઘેલછાવાળા તથા કથિત મહાનુભાવો પણ, સામાન્ય જનતાને મુંઝવણમાં મુક્યા કરશે. હે અક્લાંત (જેને કદી થાક ન લાગે તેવો), અને ઉદ્યમી પુરુષ, તું કશી જ ચિંતા કર્યા વગર તારું નિર્ધારિત કર્મ કર્યે જા. શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આ જ રાજમાર્ગ છે.

નરેન્દ્રઃ ઉવાચ ; હે વિશ્વરહસ્યજ્ઞ, ભારતના પાડોશી દેશો જેઓ સ્વતંત્રતા પૂર્વે બ્રીટીશ હિંદનો ભાગ હતા, તે મુસ્લિમ દેશોમાં રહેતા હિન્દુઓની વસ્તી ૧૯૫૦ પછી પણ્ સતત ઘટતી રહી છે. આ કારણ થી નહેરુ અને લિયાકત અલી વચ્ચે ૧૯૫૪માં કરાર થયેલ. પણ પાકિસ્તાનના મુસ્લિમો અને પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે કશા જ પગલાં લેતી નથી, તે ઉપરાંત હિન્દુઓની સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરે છે અને હિન્દુઓની હત્યા પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; હે સમદૃષ્ટિ, તેં જે હિન્દુઓને નાગરિકત્ત્વ આપવાની જોગવાઈ કરી છે તે યોગ્ય જ છે. તેઓ પોતાનો જીવ બચાવવા અને અથવા ધર્મ બચાવવા ભારતમાં આશ્રય લેવા આવે છે. તેમને નાગરિકતાના હક્ક આપવા તે ભારત સરકારનું કર્તવ્ય છે. તારા વિરોધીઓ જે કામો ન કરી શક્યા, તે કામો તેં કર્યા, તારા વિરોધીઓ જે સમસ્યાઓ  ન ઉકેલી શક્યા, તે સમસ્યાઓ તેં ઉકેલી. આ વાત જ તારા વિરોધીઓને કઠે છે.

નરેન્દ્રઃ ઉવાચ ; પણ હે ભોલેનાથ, મારા વિરોધીઓ અનુચ્છેદ ૧૪નો આધાર આપી મને કહે છે કે મેં ભારતીય સંવિધાનનું અપમાન કર્યું છે. હવે એ પ્રભુ, હું પાકિસ્તાનની લઘુમતિઓને તો પીડિત હોવાને કારણે, અને પાકિસ્તાનની સરકારો દ્વારા, નહેરુ-લિયાકત અલી કરારની અવગણના કરી હોવાના કારણે, ભારતની નાગરિકતા આપું પણ મુસ્લિમ ઘુસણખોરોને કેવીરીતે સામૂહિક રીતે નાગરિકતા આપું? જો પાકિસ્તાનના મુસ્લિમો પણ પાકિસ્તાનની સરકાર સરકારથી પીડિત હોય તો તે ત્યાંનો કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. પાકિસ્તાનનો મુસ્લિમ નાગરિક કંઈ નહેરુ-લિયાકત અલી કરારનો હિસ્સો નથી. નહેરુએ આ કરારના પાલનનો આગ્રહ ન રાખ્યો એ કંઈ મારી સરકારનો અપરાધ નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે વિશ્વ માનવ, તારે તારા આવા વિરોધીઓને ઉત્તર આપવાની જરુર જ નથી, પાકિસ્તાન તેના બંધારણીય આધાર થકી એક મુસ્લિમ દેશ છે. તેના મુસ્લિમો ભારતમાં ઘુસણખોરી કરી અહીં આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે. આના અનેક ઉદાહરણો છે. આમ છતાં પણ જો કોઈ સજ્જન મુસ્લિમને, ભારતનું નાગરિકત્ત્વ જોઈતું હોય તો તેને માટે કંઈ ભારત સરકારે ભારતીય નાગરિકતા મેળવવા માટેના દ્વાર બંધ કર્યા નથી. ભારત સરકાર, ભારતની સુરક્ષા માટે વિદેશીઓનું અને ખાસ કરીને મુસ્લિમોનું વર્ગીકરણ કરી જ શકે. વર્ગીકરણ કરવું તે ભારતીય બંધારણની જોગવાઈઓને અનુરુપ છે. ભારત સરકારે દેશની સુરક્ષા માટે આવા વર્ગીકરણ કરવા જ જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; પણ દીનેશ્વર પ્રભુ, મારા વિરોધીઓ તો મુસ્લિમ મહિલાઓના પ્રદર્શન દ્વારા પાકિસ્તાનના મુસ્લિમોને, ભારતમાં તેમને નાગરિક હક્ક માટેની લડાઈ લડે છે. વળી મુસ્લિમ નેતાઓ જ નહીં પણ કોંગીઓની ટોળકીઓ પણ તેમનું સમર્થન કરી રહી છે. મુસ્લિમો તો ખુલ્લં ખુલ્લા એમ કહે છે કે અમે સૌ પ્રથમ મુસ્લિમ છીએ અને જો પાકિસ્તાન આક્રમણ કરશે તો અમે તેમની તાકત બનીશું. હે પંચાનન, તમે જાણો છો, કે મુસ્લિમોએ ભારતમાં જ જ્યારે હજારો હિન્દુઓની હત્યા કરી હોય, કેટલાય દશહાજારો હિન્દુ મહિલાઓ ઉપર બળાત્કાર કર્યા હોય, લાખો હિન્દુઓને ઘર વિહોણા કર્યા હોય અને કેટલાય દૂર સુદૂર સુધી હજારો બોમ્બ બ્લાસ્ટ કર્યા હોય, ત્યારે મારી સરકારે ચેતવું તો જોઇએ જ ને? હે ત્રિગુણેશ્વર, દેશને બેવફા નિવડનારાઓને માથે કંઈ શીંગડા નથી ઉગતા કે મારી સરકાર તેમને ઓળખી કાઢે.  

મહેશ્વરઃ ઉવાચ ; જો મુસલમાન ભારતને વફાદાર નહીં રહે તો ભારત સરકાર તેમને મોતને ઘાટ ઉતારશે (“દિલ્લીમાં ગાંધી”, પાના નંબર ૫૪).  આ વાત ભારતના મુસ્લિમોએ સમજવી   જોઈએ. ગાંધીજીએ આ વાત તા. ૨૫-૦૯-૧૯૪૭ના રોજ કહેલી જ છે. તે તું જાણે છે.

નરેન્દ્રઃ ઉવાચ ; “જી પ્રભુ, ગાંધીજીએ તો એમ પણ કહેલું કે જો મુસલમાન પાછળથી છૂપી રીતે છરો ભોંકતો રહેશે … પોતાનું જંગલીપણુ દાખવશે  … દગાબાજ રહેશે અને પવિત્ર નહીં રહે તો ઇસ્લામ પોતે જ દુનિયામાંથી ખતમ થઈ જશે. (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૫૩, તા. ૨૫-૦૯-૧૯૪૭).

મહેશ્વરઃ ઉવાચ ; “પ્રિય વત્સ નરેન્દ્ર, તારી વાત સાચી છે. શાણા મુસ્લિમોએ હવે સમજી જવું જોઇએ કે કરોડો મુસલમાન ભારતમાં છે.  તેઓ બધા કંઈ અરબસ્તાનથી નથી આવ્યા (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૬૫ તા. ૩૦-૦૯-૧૯૪૭).  જો તેઓ જો ચેતશે નહીં તો તેમનો સર્વનાશ નિશ્ચિત છે. હિન્દુઓએ સમજવું જોઇએ કે ન્યાય માટેની આ લડાઈમાં તેઓ નાસીપાસ ન થાય.

નરેન્દ્રઃ ઉવાચ ;  હે ઈશ્વર, ગાંધીબાપુએ એ તો ૭-૧૦-૧૯૪૭ની પ્રાર્થના સભામાં કહેલું જ કે પાકિસ્તાનમાં વસતા હિન્દુઓની સલામતી નથી તે વાતને હિન્દુસ્તાનમાં વસતા મુસલમાનોની સલામતી નથી તે વાત સાથે જોડીને બે ખોટી સરખામણી ન કરી શકાય. ગાંધીજીએ ૮-૧૦-૧૯૪૭ ના રોજ સુહરાવર્દી અને મુજીબુર રહેમાનને હિન્દુઓની અસલામતી અને અન્યાયની  બાબતમાં ટોક્યા હતા. અને વિનાશકાળે વિપરિત બુદ્ધિનો શબ્દ પ્રયોગ કર્યો હતો. સુહરાવર્દીને ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી પછીનો માર્ગ પતન છે. તમે કહો છો કે જીન્ના, નહેરુના વખાણ કરે છે. પણ તે દંભ છે. તે જાહેરમાં કેમ વખાણ કરતા નથી? તમે સિંધની હાલત જુઓ. અને પછી કહો કે જીન્ના જે એમ કહે છે કે સિંધમાંથી હિન્દુઓએ જવાની જરુર નથી. આ બાલીશ વાતો છે. ગુજરાન વાલામાં ૫૦૦૦ હિન્દુઓનો રક્તપાત થયો પણ લિયાકત આલી કે જીન્ના સહેબ કેમ કશું બોલતા નથી? આને શું તમારું પીસ મીશન કહેવાય? બંને સરકારોએ સહકારથી યોગ્ય કરારો કરી તેનો અમલ કરવો જોઈએ. જો આમ નહીં થાય તો યુદ્ધ સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. (હું ભલે યુદ્ધની વિરુદ્ધ હોઉં) પણ મીલીટરી અને હથીયારથી સજ્જ સૈન્ય રાખનારી સરકાર, બીજી કોઈ રીતે ચાલી શકે નહીં (“દિલ્લીમાં ગાંધી” તા. ૯-૧૦-૧૯૪૭). આવું આવું તો ઘણું જ ગાંધીજીએ તેમના છેલ્લા ત્રણ મહિનાની રોજનીશીમાં પથભ્રષ્ટ અને મતિભ્રષ્ટ મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ જનતા વિષે જણાવ્યુ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સુજ્ઞ ગાંધીપ્રેમી, તું જે કહે છે તે સત્ય છે અને તારા તારતમ્યો પણ યોગ્ય અને દેશના હિતમાં જ છે. પાકિસ્તાનના પ્રધાનો સુદ્ધાં ગાંધીજીને દગાબાજ કહેતા હતા. પણ ગાંધીજી ગુસ્સે થયા ન હતા. ગાંધીજીએ કબુલ કર્યું હતું કે કોંગ્રેસ નીચે ને નીચે ઊતરતી જાય છે. કોંગ્રેસ હક્કોની વાતો કરે છે. તે પોતાની ફરજ ભૂલી ગઈ છે. મેં મારો જન્મારો કોંગ્રેસને તેની ફરજ શિખવાડવામાં વિતાડ્યો. (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૧૦૬-૧૦૭ તા. ૧૪-૧૦-૧૯૪૭) તો હે ભારતીય સંસ્કૃતિ-પ્રેમી તું ગુસ્સો કર્યા વગર તારું સુનિશ્ચિત કર્મ કર્યા કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અવલોકિતેશ્વર, મેં  ગાધીજી અને ગાંધીજીના સિદ્ધાંતો વિષે ઘણું જ વાંચ્યુ છે. આ માટે મેં “વાંચે ગુજરાત” નામનું દર વર્ષે અભિયાન પણ ચલાવેલું. હું ગાંધીજીના માર્ગે ચાલવા પ્રયત્નો તો કરું જ છું. અને કોંગીના કરતાં તો મોટો  જ ગાંધીવાદી છું અને તેમના સિદ્ધાંતોનું પાલન કરું છું. આ બધાનું તો તમે અવલોકન કર્યું જ હશે. મારા પ્રયત્નો કેટલાકને અધુરા લાગતા હશે પણ હે કલ્યાણકારી, તે માટૅ જનમાનસ અને જન શક્તિ પણ તૈયાર હોવી જોઇએ. મારી પાસે સત્તા હોવાથી જો હું સંપૂર્ણ રીતે ગાંધીજીના બધા જ સિદ્ધાંતોનો અમલ કરું તો મારા વિરોધીઓ વિતંડાવાદ દ્વારા અરાજકતા ફેલાવી દે.

હે પ્રભુ, જ્યારે ન્યાયાલય પણ પોતાની પ્રાથમિકતા ન સમજી શકતું હોય, જ્યાં ન્યાયાલયે આદેશ આપવાનો હોય ત્યાં તે જાણે પોતે વિપક્ષી રાજકારણી હોય તેમ સુનવણી લંબાવવા દે, અને અથવા મુદતો પાડે છે, તેમજ મીથ્યા નિવેદનો કરે છે. હે પ્રભુ, જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે મારે ચારે બાજુનો વિચાર કરી કદમ ઉઠાવવા પડે. શાહીન બાગની ઘટના તો તમે જાણો જ છો.

પરમેશ્વરઃ ઉવાચ ; હે કૂટનીતિજ્ઞ, તું સમજદાર છે. હું જાણું છું કે જો તું ગાંધીજીના સિદ્ધાંતોને ખાતર બાંધછોડ કર્યા વગર જો શાસન કરે તો તારા વિરોધીઓ તને અને તારા પક્ષને ઘડીના છઠ્ઠા ભાગમાં સત્તાથી વિમુખ કરી નાખે. જનતાના મોટા ભાગને ગાંધીજીના સિદ્ધાંતોમાં ગતાગમ પડતી નથી અને તેમને એ વાતની ચિંતા પણ નથી. આવા સંજોગોમાં તારે બંધારણીય રીતે પણ ચાણક્ય નીતિ દ્વારા જ શાસન કરવું જોઇએ. જો તારી પાસે સત્તા હશે તો તું શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર કરી શકી. તારે તારી સત્તા, વિપક્ષ એવા “[વરુઓને હવાલે (ભેડીયોંકે હવાલે)]” ન કરવી જોઇએ.

ઇતિ શ્રી ત્રીનેત્રચર્ચાક્ષેત્રે શ્રી કળીયુગી શિવગીતાયાઃ તૃતીયોધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ કે સંપૂર્ણમ્‌ ખબર નથી. કદાચ મોદી સાહેબ ફરીથી કોઈવાર યોગ નિદ્રામાં બેસે પણ ખરા)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ વિષે કોંગી ગેંગ ની માગણી છેઃ

“નિમ્ન લિખિત સુવિધાઓ મફતમાં આપો. અહીંની દરેક મહિલા તથા શિશુને ;

એક ડઝન સેનીટરી પેડ, નાક લુછવા છ નેપકીન અથવા રોજના બે ટીસ્યુપેપર બોક્સ,   ત્રણ પડવાળા બે માસ્ક, બે સેનીટરી લીક્વીડની બોટલ, એક લીટરવાળી ૧૦ મીનરલ વોટરની બોટલો, બે એક્ટીવેટેડ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ આઈ.એસ.ડી. ફેસીલીટી સાથે

કોમન સગવડઃ

જમ્યા પછી હાથ ધોવાના એક ડઝન ટબ અને ૨૦૦૦૦ લીટરની પાણી ભરેલી બે ટાંકીઓ, એક ડઝન પાણીપુરીની લારીઓ, એક ડઝન રગડા પેટીસની લારીઓ, એક ડઝન ભેળપુરીની લારીઓ, એક ડઝન લીલી આમલીની લારીઓ, એક ડઝન ખમણ ઢોકળાંની લારીઓ

ચોવીસ કલાક ની સેવા માટે માટે દરેક સીફ્ટમાં, એક ડઝન પરિચારિકાઓ, અડધો ડઝન એમ.બી.બી.એસ. લેડી ડોક્ટરો, એક એમ.ડી. લેડી ડોક્ટર, બે ડઝન મે’તરાણીઓ અને બે અમ્બ્યુલન્સ. પ્રદર્શનકારીનું રોજ બે વાર મેડીકલ ચેક અપ અને મફત ચિકીત્સા.

પ્રદર્શનના અંત પછી બાળક સહિત દરેકને ₹ ૫૦૦૦૦/- નું બેઝીક પેન્શન વત્તા મોંઘવારી અને જીંદગી પર્યંત ફ્રી મેડીકલ ટ્રીટમેન્ટ.

કારણ કે પ્રદર્શનકારી બાલ-મહિલાઓને પણ માનવીય અને બંધારણીય અધિકારો હોય છે.

Read Full Post »

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

દેશદ્રોહ આશંકા યોગઃ

આપણા નરેન્દ્ર  મોદી સાહેબ પદ્માસનવાળી ધ્યાનસ્થ થયા. પદ્માસન એ સેલ્ફ સપોર્ટેડ બેલેન્સ્ડ આસન છે.

નરેન્દ્ર મોદી સમાધિ અવસ્થામાં  કૈલાશ ગયા કે દેવાધિદેવ મહાદેવે નરેન્દ્ર મોદીને દર્શન આપ્યા કે સમાધિ અવસ્થામાં નિદ્રાધીન થઈ નરેન્દ્ર ભાઈએ સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કર્યો, તેની ચર્ચા આપણે નહીં કરીએ.

Dakshina Murtti

નરેન્દ્રભાઈ મોદીને લાગ્યું કે તેમની સમક્ષ મહેશ્વર પ્રગટ થયા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે દામોદરપુત્ર, તું આટલો ચિંતાગ્રસ્ત શા માટે છે?

નરેન્દ્ર ઉવાચઃ “ભક્તસ્તેહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ (હુ તમારો ભક્ત છું અને આપને શરણે આવેલા એવા મને બોધ આપો)

મહેશ્વરઃ ઉવાચ ; “હે હિરાનંદન,  શી વાત છે?

 નરેન્દ્ર ઉવાચ ;  “હે પ્રભુ, ભારતવર્ષમાં અત્યારે કેટલાક પરિબળો અશાંતિ સ્થાપવા કૃતસંકલ્પ થયા છે અને સમાચાર માધ્યમો એટલે કે કેટલાક  વર્તમાન પત્રો અને કેટલીક  ટીવી ચેનલો સમાચારોને પોતાના એજન્ડાને અનુરુપ શબ્દોની ગોઠવણી કરીને એવા રુપે રજુ કરે છે કે ઘટનાઓનું મૂળ સ્વરુપ નષ્ટ થાય અને વિકૃત સ્વરુપ સામે આવે છે. આનો લાભ લઈને દેશના વિભાજન વાદી પરિબળો વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે પરિશ્રમી, તારે તો તારો રાજધર્મ બજાવવાનો છે.

નરેન્દ્ર ઉવાચ ; “હે પ્રભુ, હું મારા રાજ ધર્મને જાણું છું. હું  હમેશા મારો રાજધર્મ બાજાવતો આવ્યો છું. ૨૦૦૧ થી જ્યારથી મારા પક્ષ દ્વારા મને શાસનની ધૂરા સોંપવામાં આવી ત્યારથી શરુ કરી રાજ ધર્મ જ બજાવતો આવ્યો છું. હે પરમેશ્વર તમે તો જાણો જ છો કે ૨૦૦૨ના હુલ્લડોથી મને અમુક પ્રકારના તત્ત્વો બદનામ કરતા જ આવ્યા છે. હું એ પણ જાણું છું કે તેમની તો આદત છે. પણ જ્યારથી, ૨૦૧૯ની ચૂંટણી હું અને મારો પક્ષ જીત્યા છે ત્યારથી આ હુલ્લડવાદી તત્ત્વો મરણીયા થયા  છે. અફવાઓ તો તેઓ પહેલાં પણ ફેલાવતાં હતાં. પણ એ અફવાઓ ખોટી હતી અથવા વિવાદાસ્પદ હતી તેથી મને ખાસ વાંધો ન હતો.

મહેશ્વરઃ ઉવાચ ; “ હે સમાજશાસ્ત્રી, તો શું તું એમ કહેવા માગે છે કે હાલમાં પ્રવર્તમાન અફવાઓમાં સત્ય છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “ના પ્રભુ ના… હવે મારા વિરોધીઓ રસ્તા ઉપર આવી ગયા છે અને ધરણાઓ કરવા માંડ્યા છે. એટલું જ નહીં તેઓ મુસ્લિમ સ્ત્રીઓ દ્વારા ધરણા અને પ્રદર્શનો કરવવા માંડ્યા છે. એટલે મારી દશા શિખંડીએ ભિષ્મ પિતામહની કરી હતી તેવી થઈ છે. મુસ્લિમ સ્ત્રીઓ ઉપરાંત બાળકો પણ છે. બાળકોની પાસે “મોદીને ગોળી મારો” એવા સૂત્રો પણ બોલાવે છે. …

મહેશ્વરઃ ઉવાચ; ” હે અષ્ટકૂટ, મને લાગતું નથી કે તું આવી વાતોથી ગભરાઈ જાય !! અને તારા ધ્યેય થી વિચલિત થાય !!

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અંતર્‌યામી, હું તો આપની સલાહ લેવા આવ્યોં છું કે હું સાચા માર્ગે છું કે મારે કશોક ફેરફાર કરવાની જરુર છે?

મહેશ્વરઃ ઉવાચ ; “હે મહાધૈર્યવાન, તું જાણે જ છે કે શાહીન બાગ પ્રદર્શનનો હેતુ શો હતો? આવા પ્રદર્શનો તો તું પણ કરાવી શકે છે, અને તે પણ વધુ સારી રીતે. પણ હે પ્રજાપ્રિય, તું તો જાણે જ છે કે આ પ્રદર્શન એક પ્રયોગ હતો અને આ પ્રયોગમાં જો તું કંઈપણ સકારાત્મક પગલુ  ભરે, તો તેઓ હુલ્લડ કરાવે. હુલ્લડ કરાવવામાં તો તારા વિરોધીઓ નિપૂણ છે. જો તેઓ ૨૦૦૮ના આતંકવાદી હુમલાને પણ તારે નામ કરવાનું કાવતરું રચી શકતા હોય તો તેઓ શું ન કરી શકે?  

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વમૂર્ત્તિ, આપ તો જાણો જ છો કે મારા વિરોધીઓ શું શું કરી શકે છે !! કારણ કે તેમને માટે આ બધું મહદ્‌ અંશે સરળ છે. કારણ કે તે સૌ “જૈસે થે વાદી છે … લૂટો અને લૂટવા દો, ગરીબોને ખેરાતના વચનો આપો, તેમને અશક્ત તથા સરકાર ઉપર અવલંબિત જ રાખો … મારા વિરોધીઓ એવું ઈચ્છે છે કે “કાળું નાણું ઉત્પન્ન થવા દો, તેના થકી આપણે વિદેશોમાં રોકાણ કરી શકીશું, વિદેશોમાં સંપત્તિ ખરીદી શકીશું, વિદેશોમાં ટાપુઓ ખરીદી શકીશું અને તેના ઉપર અફલાતૂન બંગલાઓ બાંધી શકીશું …” હે સર્વજ્ઞ, આ બધાં કારણોથી જ મોદી તેમને નડે છે. મારા વિરોધીઓ મારા ઉપર ભૂરાયા થયા છે. મેં વિદેશો સાથે આપણા દેશના સંબંધો સુધાર્યા …, આપણા  દેશની આબરુને ટોચ ઉપર લઈ ગયો … આવું બધું તેમને નડે છે. એટલે જ ટ્રમ્પ આવવાના સમયે તેમણે શાહીન બાગનો પ્રપંચ પ્રાયોજિત કર્યો. તોફાનો કરાવ્યા, જનતાની સંપત્તિને બાળી, અને આ બધું આર.એસ.એસ.વાળાએ કરાવ્યું એવો વિદેશોમાં પ્રચાર કર્યો. મને તો દૃઢ વિશ્વાસ છે કે આ બધું એક મહાપ્રપંચનો ભાગ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સહસ્રબુદ્ધે, તું સઘળું તો જાણે જ છે. તો પછી મારી પાસે કેમ આવ્યો છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વવ્યાપી, મારે ફક્ત આપની પાસેથી લીલી ઝંડી જોઇએ. અને જો આપના તરફથી કોઈ સૂચન હોય તો તે જોઇએ. ક્યારેક મને એવું લાગે છે કે જો બધું નિશ્ચિત જ છે તો મને જે કંઈ સુઝે તે મારે કરવું જોઇએ. જે થવાનું છે તે તો થવાનું જ છે, તો પછી મારે “શું થશે?” એવી ચિંતા કે વિચાર પણ શા માટે કરવો જોઇએ? હે વિશ્વ નિયંતા, તમે વિશ્વના નિયમો બનાવ્યા, મનુષ્યને પ્રજ્ઞા આપી, તો પછી તમે મતિભ્રષ્ટ મૂર્ધન્યો અને મતિ ભ્રષ્ટ વિશ્લેષકો કેમ ઉત્પન્ન કર્યા?

મહેશ્વરઃ ઉવાચ ; હે મેઘાવી, માનવ સમાજની બૌધિક અને કર્મકૌશલ્યની  ઉન્નતિ માટે સમાજ વિરોધી તત્ત્વો હોવા જરુરી પણ છે. કારણ કે શાણો મનુષ્ય આવા લોકોના વિચારોનો અને વર્તણુંકનો અભ્યાસ કરે છે અને તેમ કરતાં કરતાં પોતાની બુદ્ધિનો અને કૌશલ્યનો વિકાસ કરે છે. જો વિરોધી તત્ત્વો જ ન હોય તો મનુષ્યની વિચાર શક્તિ વિકસે જ કેવી રીતે? સમાજ આગળ જ કેવીરીતે વધી શકે? ચર્ચા દ્વારા સામેના માણસના વિચાર અને વિચાર પદ્ધતિ જાણે છે, વિચારનું આદાનપ્રદાન થાય, વિરોધીઓના વિચારોની ચકાસણી થાય છે અને તેથી મનુષ્યના મગજનો  વિકાસ થાય છે.   કર્મ કરવામાં પણ તેને વધુસારું કઈ રીતે કરી શકાય તે વિષે વિચારવાથી અને એક જ કર્મને અવારનવાર કરવાથી (અભ્યાસથી) કર્મ કરવામાં કૌશલ્ય અને ઝડપ આવે છે.  

 નરેન્દ્રઃ ઉવાચ ; “હે ઈશ્વર, તમે તો સર્વ શક્તિમાન છો … તમારી ઈચ્છાવગર પાંદડું પળ હલી શકતું નથી. તો તમે સર્વજ્ઞતા અને પરિપૂર્ણતા મનુષ્યમાં પહેલેથી જ કેમ મુકી દેતા નથી?

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રચેતસ્‍, હું અનિર્વચનીય છું. વિશ્વની સરખામણીમાં એક કણ જેટલો નાનો છે, તે કણના કણથી પણ નાની આ પૃથ્વિ છે. તમે જે વિશ્વમાં રહો છો તે જેવું છે, તેવું કેમ છે, તે મૂળભૂત તત્ત્વ અને ઉર્જાના ઐક્યત્વને જોડતા પ્લેંક અચળ ની સંખ્યા ઉપર આધારિત છે. જે  ૬.૬૨૬૦૭૦૦૪ x [૧/(૧૦ x … ૩૪ વખત)]જુલ સેકન્ડ છે. એ જરુરી નથી કે પ્લેંકના અચળ અંક હમેશા આ જ હોઈ શકે. એવાં હજારો કરોડો વિશ્વ હોઈ શકે જેમાં પ્લેન્કનો અચળાંક શૂન્ય થી અનંત સુધીનો હોઈ શકે. હું આ બધા વિશ્વોનો સમુચ્ચય છું. તમે અત્યાર સુધી ત્રણ પરિમાણને જાણતા હતા. તમે જેમ જેમ વિચારતા ગયા, પ્રયોગો કરતા ગયા તેમ તેમ તમને જાણવા મળતું ગયું કે પરિમાણો તો ૧૧+૧૧+૪=૨૬ (૪=લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય) છે. …

નરેન્દ્રઃ ઉવાચ ; “હે પ્રભુ, હું આ બધું સમજતો નથી. અને મારે સમજવું પણ નથી. અત્યારે તો મારા વિરોધીઓ મને બંધારણનો ઘાતક, લોક શાહીનો દુશ્મન, કોમવાદી, કટ્ટર હિન્દુત્વ વાદી … અને  અહિંસાને નેવે મુકનારો … એવું બધું કહે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિસ્પૃહી, તું એક વાત સમજ. જેમ મનુષ્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તે સમજતો ગયો કે “બળીયાના બે ભાગ” ઉપર કશુંક તો નિયમન લાવવું જ પડશે. એટલે તે નિયમો બનાવતો ગયો. આ નિયમો બનાવવા પાછળની વૃત્તિનું પ્રેરક બળ, ઓછામાં ઓછી હિંસા એટલે કે અહિંસા છે. આ નિયમો બનાવનારને કેટલાક પેગમ્બર કહેતા, કેટલાક ઈશ્વરનો પુત્ર કહેતા, તો કેટલાક ઈશ્વરનો અવતાર કહેતા. ભારતમાં આવું ન હતું. જેમને ઈશ્વરનો અવતાર કહેતા તે એક વિશેષણ જ હતું. ભારતમાં તો નિયમો ઋષિઓએ બનાવ્યા. તેઓ જ્ઞાની, દાર્શનિક,  મનનશીલ અને ચિંતનશીલ હતા. તેઓ ધ્યાની હતા. તેમણે આને “શાસ્ત્ર” નામ આપ્યું. તેમણે દરેક ક્ષેત્રમાં શાસ્ત્રો રચ્યાં. ભારતમાં શાસ્ત્રો પ્રમાણે શાસન અને જન-વ્યવહાર થતો હતો. આમાં ફેરફાર કરવાનો હક્ક ફક્ત તજજ્ઞનોને જ હતો. તેટલું જ નહીં તેના ઉપર ચર્ચા કરવાનો હક્ક સૌ કોઈનો હતો. પણ ચર્ચા વિવેકશીલ હોવી જોઇએ. ચર્ચા વિતંડાવાદી અને હિંસક ન હોવી જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; “પણ હે વિશ્વેશ્વર, ભારતમાં તો ચર્ચા ને તો બાજુપર મુકો પણ જે પ્રદર્શનો થાય છે તે હિંસાને જન્મ આપે છે અને તેને ફેલાવે પણ છે. તેનું શું?

મહેશ્વરઃ ઉવાચ ; હે કૃતનિશ્ચયી, તેં જે વાત કરી, તે નિયમ અને તેના પાલન કરાવવાની સમસ્યા છે. જો જનતાને અનુભૂતિ થશે કે નિયમનો ભંગ કર્યો એટલે સજા થવાની શક્યતા સો ટકા છે. મોટો ચમરબંધી પણ આપણને બચાવી શકશે નહીં. તો દરેક વ્યક્તિ નિયમબદ્ધ બનશે જ.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે કલ્યાણકારી, હું તો પ્રયત્ન કરું જ છું. પણ ખબર નથી પડતી કે ન્યાયાલય ને કેમ અમુક બનાવોની ગંભીરતાની ખબર પડતી નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે આર્ષદર્શી, આમાં મારે તને કશું કહેવાની જરુર નથી. પણ તું જે સીસ્ટમ બદલવાની વાત કરે છે તે બરાબર છે. પણ તે સીસ્ટમ બદલવાની વાતમાં કોઈ સામાન્ય માણસને પણ લે, કારણ કે સામાન્ય માણસની મુશ્કેલીઓ તારા અધિકારીઓ સમજવા માગતા નથી. સરકારી પોર્ટલ માં શું ખામી છે અને ખાસ કરીને સરકારને પોતાની વાત પહોંચાડવામાં શું ખામી છે અને તેથી શી  મુશ્કેલી છે તે સામાન્ય સુજ્ઞ માણસ જ કહી શકશે.  સરકારી નોકરો  હમેશા પોતાની સગવડતા જોતા હોય છે. આ ઉપરાંત તારા વિરોધીઓ ઉપરના  જે કંઈ કેસ ચાલે છે તેને ઝડપથી ચલાવવાની સીસ્ટમ ગોઠવ. તારા વિરોધીઓ અત્યારે નવરા છે એટલે તેઓ ન્યાયાલયમાં ફાલતુ અરજીઓ કર્યા કરે છે. ન્યાયધીશોને પણ તારે દુધે ધોયેલા માનવા નહીં.

નરેન્દ્રઃ ઉવાચઃ હે કરુણામય, હું તો આ મારા વિરોધીઓની ગેંગો થી ત્રસ્ત છું. એક તરફ તેઓ હિંસા ફેલાવે છે અને બીજી તરફ મને નાઝી વાદી કહે છે. વિદેશોમાં પણ મને તેમના નેટવર્ક દ્વારા બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ;  “હે પરદુઃખભંજક, તું આવી બધી સમસ્યાઓ તારા અનુયાયીઓને સોંપી દે અને એક તંત્ર પણ બનાવ. જનતામાં તારા પ્રશંસકો છે  તેઓ તો હોંશે હોંશે તને મદદ કરવા આતુર છે. અને તેઓ તારા નિર્ણયોની યોગ્યતાનો પ્રચાર પણ કરે છે. તું સોસીયલ મીડીયા ઉપર સક્રિય રહે. પલાયનવાદી વૃત્તિનો જો તારામાં જન્મ થયો હોય તો તેનો ત્યાગ કર. જનતામાં તું જ સૌથી વધુ વિશ્વસનીય છે. અને તારા ઉપર જ દેશપ્રેમીઓ આશાની ઉમ્મીદ લઈને બેઠા છે. એટલે તેમની સાથેના સંવાદને તું બંધ ન કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “ હે હરિહર, હું ખંતથી, સ્વાર્થહીન રીતે, અથાક મહેનતથી અને નીતિમત્તાથી કામ કરું છું. આથી પણ જો સારી રીતે કામ થઈ શકતું હોય તો હું તે માટે તૈયાર છું. તો પણ મારા વિરોધીઓ મને તો એલફેલ બોલે તેમાં મને બહુ વાંધો નથી પણ મારા વિરોધ કરતાં કરતાં તેઓ દેશના હિતનો ખ્યાલ રાખતા કેમ નથી? શું કર્મનો સિદ્ધાંત ખોટો છે? જ્યારે દેશને તોડનારી તાકાતો દેશ વિરુદ્ધ અદ્ધર અદ્ધર જ ઉચ્ચારણો કરે છે, ત્યારે મારા પ્રશંસકો દેખીતી રીતે તેમને ગદ્દાર કહેવાના જ. તો આ લોકો એમ કહે છે કે હવે તો સરકારની વિરુદ્ધ બોલનારાઓને પણ દેશના ગદ્દારો કહેવાની પ્રણાલી મોદીએ પાડી છે. અને આવી વાતો દેશના કેટલાક પ્રતિષ્ઠિત કહેવાતા મૂર્ધન્યો પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિષ્કામકર્મી, તું જાણે છે કે કર્મનું ફળ સર્વત્ર અને સર્વદા, વ્યક્તિગત કર્મફળ હોતું નથી. સમાજ, જેમાં કુદરત પણ આવી જાય, તેની પરિસ્થિતિ, સમાજજન્ય કર્મ અને વ્યક્તિગત કર્મના પરિણામી કર્મફળ મળે છે. જેમ કે તું ચા બનાવવા ઇચ્છે  તો, ચા, તો જ થાય, જો તપેલીવાળાએ તપેલી બનાવી હોય, પ્રાયમસવાળાએ પ્રાયમસ બનાવ્યો હોય, અને બીજા અનેક આનુસંગિક કર્મો, પદાર્થો હોય કે થયાં હોય તો જ તું  ચા બનાવી શકે. અને જો તું ચા કરી શકતો હોય તો રાક્ષસ પણ ચા કરી શકે. “આ રાક્ષસ છે એટલે હું નહીં સળગું, અથવા રાક્ષસને જ સળગાવી દઈશ” એમ અગ્નિ કહી ન શકે. આવા કારણો થકી કેટલાક મને ભોલેનાથ કહે છે. પણ હે દેશસુરક્ષાના ક્રાંતિવીર,  જો તું  સુરક્ષાને ધ્યાનમાં નહી લે તો તું ભલે શ્રેયના માર્ગે છે તેમ માનતો હોય તો પણ તારા દેશનો નાશ કે પરાજય થઈ શકે છે.

ત્રીનેત્રક્ષેત્રે કળીયુગ ગીતા દ્વિતીય અધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

કળયુગી શિવગીતા પ્રથમોધ્યાયઃ

કળયુગી શિવગીતા પ્રથમોધ્યાયઃ

નરેન્દ્ર વિષાદ આશંકા યોગઃ

મોદી-શાહયોઃ સંવાદઃ

સી.એ.એ. , એન.આર.સી., અને એન.આર.પી. ના સમર્થકો અને વિરોધીઓ ના વિવાદો અને વિતંડાવાદના વમળમાં જ્યારે કેટલાક ધૂરંધરો પણ ગોથાં ખાઈ રહ્યા છે, ત્યારે આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ  મોદી પણ ક્ષણભર આવાક થઈ ગયા. સી.એ.એ. , એન.આર.સી., અને એન.આર.પી. ના વિરોધીઓની દલીલોથી તો નરેન્દ્ર ભાઈને કોઈ મૂંઝવણ ન થઈ, પણ  બુરખાધારી બહેનોના લગાતાર ચાલતા ધરણાથી અને સર્વોચ્ચ ન્યાયાલયના આશ્ચર્યકારક વલણથી એટલે કે વચગાળાનો આદેશ આપવામાં ઠાગાઠૈયા કરતા હોય, તો નરેન્દ્ર ભાઈ મોદીને થયું કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશ પણ જો આ કેસમાં ખાસ કરીને શાહીનબાગના સી.એ.એ. , એન.આર.સી., અને એન.આર.પી. ના વિરોધીઓ પ્રદર્શન કેસમાં  અસમંજસમાં હોય   તો શું એવું તો ન બને કે મારા નિર્ણયમાં જ ક્યાંક દાળમાં  આખું નહીં તો અડધું કે પા, કોળું ગયું હોય!!

અમિત શાહ પ્રવેશ કરે છે.

અમિત શાહ  ઉવાચઃ

આવું કે સાહેબ?

નરેન્દ્રભાઈ ઉવાચઃ

આવો આવો અમિતભાઈ … તમારે વળી “આવું?” એમ પૂછવાનું હોય?

અમિત શાહ ઉવાચઃ

બોલો સાહેબ મારું શું કામ પડ્યું?

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

અરે અમિતભાઈ, તમને એવું લાગતું નથી કે આપણાથી સી.એ.એ. ના વિરોધના અનુસંધાનમાં થઈ રહેલા આ શાહીનબાગવાળા કેસને ડીલ કરવામાં કંઈ કાચું કપાયું હોય, અથવા તો દાળમાં આખું નહી તો અર્ધું કે પા કોળું ગયું હોય?

અમિત શાહ ઉવાચઃ

ના સાહેબ ના. એવું કશું નથી. આ બધો વિરોધ કંઈ સૈધ્ધાંતિક વિરોધ નથી. સાહેબ, તમે કોંગીઓને તો મારાથી પણ વધુ ઓળખો છો. તેઓને ગરજ હોય તો ગધેડાને તો શું ડુક્કરને પણ પોતાનો બાપ બનાવે એવા છે. વળી સાહેબ, તમે જાણો જ છો કે આ બધું કંઈ મફત થતું નથી. પૈસાની જે હેરફેર થાય છે અને કોના પૈસા ક્યાંથી આવ્યા, એ બધાની તપાસ તો ચાલુ જ છે.

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

પણ અમિત ભાઈ, આ બધી બહેનો અને તે પણ અનેક મહિનાઓથી ધરણાં ઉપર બેઠી છે. તો તેમનામાં આટલું સક્રિયપણું કેવીરીતે આવ્યું? મને લાગે છે કે આપણી કદાચ ભૂલ ન થતી હોય.

અમિત શાહ ઉવાચઃ

અરે સાહેબ. તમને ખબર નથી. આ બધી બહેનો કંઈ ઉપવાસ ઉપર બેઠી નથી. જો તમે મને છૂટ આપો તો હું આનાથી પણ બમણી બહેનો, અને તે પણ રોકડમાં પૈસા આપ્યા વગર ભેગી કરી શકું. અને “જમાનત વાળા જેલમાં જાઓ” એના સમર્થનમાં એટલે કે આ જમાનત ઉપર રહેલા કોંગી નેતાઓ જેલમાં જવાને બદલે “જમાનત ઉપર, જેલની બહાર રહે છે” તેમના વિરોધમાં બહેનોના ધરણા જરુર પડે તો વર્ષો સુધી કરાવી શકું.

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

એ વળી કેવી રીતે?

અમિત શાહ ઉવાચઃ

જુઓ સાહેબ,  મારી વાતમાં તો સિદ્ધાંત જ છે. ગાંધીજીનો પાયાનો સિદ્ધાંત હતો, કે કોઈ કોંગ્રેસીએ અથવા સાચા માણસે જમાનત માગવી જ ન જોઇએ. હવે આ કોંગીઓ જો પોતાને સાચા માનતા હોય તો તેમના ઉપર જે કૌભાન્ડોના આરોપો લાગેલા છે, તેના અનુસંધાનમાં તેઓએ ન્યાયાલયમાં જમાનતની માગણી જ શા માટે કરી? જો તેઓ પોતાને  મહાત્મા ગાંધીના અનુયાયી માનતા હોય અને મનાવતા હોય તો તેમણે જમાનતની માગણી જ ન કરવી જોઇએ. કારણ કે જમાનતની માગણી કરવી એ જ મહાત્મા ગાંધીના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

અરે અમિતભાઈ, હું કોંગીઓની એ વાત કરતો નથી. એ તો નાનું તાજું જન્મેલું બચ્ચું પણ જાણે છે કે આ કોંગી પક્ષને કે તેના નેતાઓને, મહાત્મા ગાંધીના સિદ્ધાંત સાથે નાહવા નીચોવવાનો પણ સંબંધ નથી. હું તો આ શાહીનબાગમાં ધરણા ઉપર બેઠેલી બહેનો વિષે વાત કરતો હતો. તમે કહેલું ને, કે તમે તો રોકડા પૈસા આપ્યા વગર પણ આના થી ડબલ બહેનોને ધરણા ઉપર બેસાડી શકો. એ કેવી રીતે?

અમિત શાહ ઉવાચઃ

જુઓ, બહેનોને ચટપટું ખાવાનું બહુ જ ગમે. જેમ કે ભીની ભેળ, રગડો પેટીશ …. અને સૌથી વિશેષ તો પાણી પુરી. તમે જશોદા બેનની સલાહ લેવામાં માનતા નથી તે વાત હું સમજી શકું છું. પણ મારે તો તમારા જેવું બંધન નથી. એટલે હું આ બધું જાણી શક્યો છું.

પાણી પુરી અને બહેનો

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

પણ અમિત ભાઈ, જો બહેનોને દિવસમાં ચાર ચાર વખત આવું ચટપટું ખવડાવીએ તો તેઓ માંદી ન પડે? સંભવ છે કે અમુક બહેનો તો માંદી પડે જ પડે.

અમિત શાહ ઉવાચઃ

શું સાહેબ તમે પણ મજાક કરો છો. આપણે બહેનોને ચાર વખત ચટપટું ખવડાવવું એમ હું કહેતો નથી. પણ બહેનોના ચાર જત્થા રાખવાના. શિફ્ટ-ડ્યુટીમાં બહેનોને બોલાવવાની. અને તેમની ડ્યુટી પુરી થાય એટલે તેમને ઠીક ઠીક ખાવા દેવું. વચ્ચે વચ્ચે પણ ખાય તો વાંધોં નહીં. પણ ડ્યુટી પુરી થાય એટલે જ તેમનો ક્વોટા પુરો કરવા દેવાનો.

નરેન્દ્ર મોદી ઉવાચઃ

હું સમજ્યો નહી.

અમિત શાહ ઉવાચઃ

… જુઓ … આપણે ધારોકે  નક્કી કર્યું કે ૪૦ પાણી પુરી એક બહેનનો ક્વોટા છે. તો ૨૦ પાણી-પુરી તેમને વચ્ચે ખાવા દેવી. પણ છેલ્લી ૨૦ પાણી-પુરી તો તેમની ડ્યુટી પુરી થાય પછી જ આપવાની. એટલે કોઈ બહેનો અધવચ્ચે થી ભાગી નહીં જાય. એટલું જ નહીં પણ ડ્યુટી ઉપર પણ સમયસર હાજર થઈ જશે. અને સાહેબ તમે જાણી લો કે ચટપટી ખાટ્ટી ખાટ્ટી વાનગીઓ બહેનોને અવનવી સાડીઓ, અવનવા ડ્રેસ અને અવનવી ડીઝાઈનવાળી સેંડલો/ચંપલો  જેટલી જ પ્રિય હોય છે. એટલે તમને જેટલા બહેનોના જત્થાઓ જોઈતા હશે તેટલા જત્થા મળી રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.

નરેન્દ્રભાઈ ઉવાચઃ

તો ભાઈઓને કેવીરીતે ભેગા કરવા?

અમિત શાહ ઉવાચઃ

જુઓ સાહેબ બહેનો ચટપટી વાનગીઓ અને ખાસ કરીને પાણી-પુરી ની શાનદાર દુકાન આગળ ખુશીની ચીચીયારી કરી મુકે છે. અને ભાઈઓ પણ અફલાતુન દારુની દુકાન જોઇને (જો પીવા મળવાનો હોય તો) ખુશીની  ચીચીયારી કરી મુકે છે. પણ ભાઈઓને એ રીતે ભેગા ન કરી શકાય. કારણકે કેટલાક ભાઈઓ પીવા ઉપર કટ્રોલ ન રાખે અને ભાઈઓને દારુ ચડે કે ન ચડે પણ તેઓ દારુ માટે અથવા દારુ ચડવાથી   તોફાન પણ કરી નાખે છે. આ પ્રમાણે ભાઈઓને ભેગા કરવા કરતાં બહેનોને ભેગી કરવી સહેલી છે. નજીવા પ્રમાણમાં શાણા ભાઈઓ ને પણ રાખવા. કારણ કે જો ભાઈઓ હોય તો થોડી ઓછી  દેખાવડી બહેનો હોય તો પણ ચાલ્યું જાય. કારણ કે ભાઈઓની હાજરીમાં તેમનું ઓછું દેખાવડાપણું ઢંકાઈ જશે. અને બધી બહેનો શોભી ઉઠશે. કારણ કે હવે ભાઈઓ દાઢી રાખતા થયા છે તેથી તેઓ ઠીક ઠીક કદરુપા લાગે છે.             

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

અમિતભાઈ એ બધું તો ઠીક છે. શાહીન બાગ જેવા પ્રદર્શનો કંઇ મફતમાં થતા નથી. કોંગીભાઈઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ શાહીનબાગમાં બહેનોને રોજી પુરી પાડે છે.  હું એ પણ જાણું છું કે આપણા વિરોધીઓનો આ પ્રયોગ છે. આ પ્રયોગ ઠેક ઠેકાણે થશે તો બહેનોને વધુ રોજી મળશે તે પણ હું જાણું છું. પણ અમિતભાઈ, અત્યારે કોરોનાનો વાવડ ચાલે છે. આ રીતે બહેનોને કોરોનાનો ચેપ લાગે અને રોગીઓનું પ્રમાણ વધે તેમ તમને લાગુતું નથી?

અમિત શાહ ઉવાચઃ

પણ સાહેબ, આ બધું થોડું લાબું ચાલવાનું છે?

નરેન્દ્રભાઈ ઉવાચઃ

જો કે આપણા નિર્ણયો તો સાચા જ છે. પાછા ફરવાનો સવાલ જ નથી. આપણા વિરોધીઓ તેમના સ્વાર્થ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે તે પણ આપણે જાણીએ છીએ. એટલે આપણે તેમની અને દેશમાં અશાંતિ અને અરાજકતા ઉભી કરનારા તત્ત્વોની શક્તિ ઉપર અને આપણે તેમની ઉપર જે નીતિ અપનાવી રહ્યા છે તેની ઉપર જરા નજર નાખી લેવી જોઇએ એમ તમને લાગતું નથી?

અમિત શાહ ઉવાચઃ

એતો સાહેબ, … પડશે એવા દેવાશે.

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

મને લાગે છે કે મારે ધ્યાન ધરવું જોઈએ !!

અમિત શાહ ઉવાચઃ

હાજી સાહેબ. તમે ધ્યાન યોગમાં જાઓ. તેથી તમને નવી ઉર્જા મળશે …

નરેન્દ્રભાઈ પદ્માસન વાળી ધ્યાનસ્થ થયા … ૐ નમઃ શિવાય … ૐ નમઃ શિવાય … ૐ નમઃ શિવાય …

ઈતિશ્રી ત્રીનેત્રબ્લોગક્ષેત્રે પ્રથમોધ્યાયઃ સમાપ્તઃ

કળયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

મોદી-મહેશ્વરયોઃ સંવાદઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

कहीं भी, कुछ भी कहेनेकी सातत्यपूर्ण स्वतंत्रता – २

कहीं भी, कुछ भी कहेनेकी सातत्यपूर्ण स्वतंत्रता – २

नज़ारा ए शाहीन बाग

कोंगी लोग सोच रहे है कि अब हम मर सकते है. अब हमे अंतीम निर्णय लेना पडेगा. इसके सिवा हमारा उद्धार नहीं है. यदि हम ऐसे ही समय व्यतीत करते रहे … नरेन्द्र मोदी और बीजेपी को गालियां देतें रहें तो ये सब प्रर्याप्त नहीं है.

यह तो हमने देख ही लिया कि, जो न्यायिक प्रक्रिया चल रही है उसमें हमारी लगातार हार हो रही है.  हमारे लिये कारावासके अतिरिक्त कोई स्थान नहीं. यदि हम सब नेतागण कारावासमें गये तो कोई हमारा ऐसा नेता नहीं बचा है जो हमारे पक्षको जीवित रख सकें और हमे कारावाससे बाहर निकाल सके. हमने पीछले ७० सालमें जो सेक्युलर, जनतंत्र और भारतीय इतिहास को तो छोडो, किन्तु जो नहेरु और नहेरुवीयनोंके विषयमें जूठ सिखाया है और पढाया है, उसका पर्दा फास हो सकता है.

अब हमारे पास तीन रास्ते है.

नवजोत सिध्धु, मणीशंकर अय्यर और शशि थरुर जैसे लोग यदि भारत में काममें न आये तो वे पाकिस्तानमें तो काममें आ ही सकते है. हमारे मुस्लिम लोगोंके कई रीस्तेदार पाकिस्तानमें है. इस लिये पाकिस्तानके उन रीस्तेदारों द्वारा हम भारतके मुस्लिमोंको उकसा सकते है. बोलीवुडके कई नामी लोग हमारे पक्षमें है और वे तो दाउदके पे रोल पर है. इस लिये ये लोग भी बीजेपीके विरुद्धमें वातावरण बनानेमें काममें आ सकते है. इस परिबल को हमें उपयोगमें लाना पडेगा. अभी तक तो हमने इनका छूटपूट उपयोग किया है लेकिन यह छूटपूट उपयोगसे कुछ होने वाला नहीं हैं.    

(१) मुस्लिम जनतासे हमें कुछ बडे काम करवाना है.

(२) जिन समाचार माध्यमोंने हमारा लुण खाया है उनसे हमे किमत वसुल करना है. यह काम इतना कठिन नहीं है क्यों कि हमारे पास उनकी ब्लेक बुक है. हमने इनको हवाई जहाजमें बहूत घुमाया है … विदेशोंकी सफरोंमे शोपींग करवाया है, फाईवस्टार होटलोंमें आरामसे मजा करवाया है, जो खाना है वो खाओ, जो पीना है वह पीओ, जहां घुमना हैं वहा घुमो … इनकी कल्पनामें न आवे ऐसा मजा हमने उनको करवाया है और इसी कारण वे भी तो नरेन्द्र मोदी से नाराज है तो वैसे भी हम उनका लाभ ले सकते है. और हम देख भी रहे है कि वे बीजेपीकी छोटी छोटी माईक्रोस्कोपिक तथा कथित गलतीयोंको हवा दे रहे है जैसे की पीएम और एच एम विरोधाभाषी कथन बोल रहे है, अर्थतंत्र रसाताल गया है, अभूत पूर्व बेकारी उत्पन्न हो गयी है, जीडीपी खाईमें गीर गया है, किसान आत्म हत्या कर रहा है, देश रेपीस्तान बन गया है …. और न जाने क्या क्या …?

(३) क्या मूर्धन्य लोगोंको हम असंजसमें डाल सकते हैं? जी हाँ. यदि मुसलमान लोग अपना जोर दिखाएंगे और हला गुल्ला करेंगे तो ये लोग अवश्य इस निष्कर्स पर पहोंचेंगे कि यह सब अभी ही क्यों हो रहा है …? पहेले तो ऐसा नहीं होता था …!! कुछ तो गडबड है …!! गुजरातीमें एक कहावत है “हलकुं लोहीं हवालदारनुं” मतलब की हवालदार ही जीम्मेवार है.

शशि थरुर और राजदीप सरदेसाई के वाणी विलासको तो हम समज़ सकते है कि उनका तो एक एजन्डा है कि नरेन्द्र मोदी/बीजेपीके बारेमें अफवाहें फैलाओ और एक ॠणात्मक हवा उत्पन्न करो तो जनता बीजेपीको हटाएगी. इन लोगोंसे जनता तटस्थता की अपेक्षा नहीं रखती.

अब देखो हमारे मूर्धन्य कटारीया लोग [कटारीया = कटार (कोलम) अखबारकी कोलमोंमें लिखने वाला यानी कोलमीस्ट)] क्या लिखते है?

प्रीतीश नंदीः

“घर छोडके विकास तो भाग गया है” “बीजेपी द्वारा हररोज मुश्केलियां उत्पन्न की जाती है”, यह मुश्केलियां हिंसक भी होती है”, “आखिरमें हमने इस सरकारको वोट क्यों दिया?” “हर महत्त्वकी बातको सरकार भूला देती है” “पागलपन, बेवकुफी भरी उत्तेजना सरकार फैला रही है”, “बीजेपीने चूनावमें बडे बडे वचन दिये थे”, “बीजेपीने चूनावमें युपीएके सामने कुछ सही और कुछ काल्पनिक कौभाण्ड  उजागर करके  सत्ता हांसिल की थी,” “प्रजाकी हालत “हिरन जैसी थी” … “नरेन्द्र मोदीके आक्रमक प्रचारमें जनता फंस गई थी”, “नरेन्द्र मोदीने इस फंसी हुई जनताका पूरा फायदा उठाया” और “मनमोहन जैसे सन्मानित और विद्वान व्यक्तिको  ऐसा दिखाय मानो वे दुष्ट और भ्रष्टाचारी …” “ कारोबारीयोंका संचालन कर रहे हो” “छात्रोंके नारोंकी ताकतको कम महत्त्व नहीं देना चाहिए.”

इस प्रीतीश नंदीकी अक्लका देवालीयापन देखो. वे पाकिस्तानके झीया उल हक्कके कालका एक कवि जो झीयाके विरुद्ध था, उसकी एक कविताका  उदाहरण देते है “हम देखेंगे …”. इसका नरेन्द्र मोदीके शासनके कोई संबंध नहीं. फिर भी यह कटारीया [कटारीया = कटार (कोलम) अखबारकी कोलमोंमें लिखने वाला कोलमीस्ट)] उसको उद्धृत करते है और मोदीको भय दिखाता है कि इस कविकी इस कवितासे लाखो लोग खडे हो जाते है.

यह कटारीयाजी इस काव्यका विवरण करते है. और कहेते है कि हे नरेन्द्र मोदी तुम्हारे सामने भी लाखो लोग खडे हो जायेंगे. फिर यह कटारीयाजी ढाकाके युवानोंका उदाहरण देते है. उनका भी लंबा चौडा विवरण देते है.

क्या बेतुकी बात करते है ये कटारीया नंदी. नंदी कटारीया का अंगुली निर्देश जे.एन.यु. के युवाओंके प्रति है. नंदी कटारीया, जे.एन.यु. के किनसूत्रोंको महत्त्व देना चाहते है? क्या ये सूत्र जो अर्बन नक्षल टूकडे टूकडे गेंग वाले थे?  क्या जे.एन.यु. अर्बन नक्षल वाले ही युवा है? बाकिके क्या युवा नहीं है? अरे भाई अर्बन नक्षल वाले तो ५% ही है. और वे भी युवा है या नहीं यह संशोधनका विषय है. ये कौनसी चक्कीका आटा खाते है कि उनको चालीस साल तक डॉक्टरेट की डीग्री नहीं मिल पाती? जरा इसका भी तो जीक्र करो, कटारीयाजी!!! 

नंदी कटारीयाजीका पूरा लेख ऐसे ही लुज़ टोकींगसे भरा हुआ है. तर्ककी बात तो अलग ही रही, लेकिन इनके लेखमें किसी भी प्रकारका मटीरीयल भी आपको मिलेगा नहीं.

यदि सही ढंगसे सोचा जाय तो प्रीतीश नंदीके इस लेखमें केवल और केवल वाणी विलास है. अंग्रेजीमें इनको “लुज़ टोकींग”कहा जाता है. कोंगी नेतागण लुज़ टॉकींग करे, इस बातको तो हम समज़ सकते है क्यों कि उनकी तो यह वंशीय आदत है.

शेखर गुप्ता (कटारीया)

शेखर गुप्ता क्या लिखते है?

मोदीने किसी प्रदर्शनकारीयोंके जुथको देखके ऐसा कहा कि “उनके पहेनावासे ही पता लग जाता है कि वे कौन है?”

यदि कोई मूँह ढकके सूत्र बाजी या तो पत्थर बाजी करता है तो;

एक निष्कर्ष तो यह है कि वह अपनी पहेचान छीपाना चाहता है, इससे यह भी फलित होता है कि वह व्यक्ति जो कर रहा है वह काम अच्छा नहीं है किन्तु बूरा काम कर रहा है.

दुसरा निष्कर्ष यह निकलता है कि वह अपराधवाला काम कर रहा है. अपराध करनेवालेको सज़ा मिल सकती है. वह व्यक्ति सज़ासे बचनेके लिये मूँह छीपाता है.

तीसरा निष्कर्ष में पहनावा है.  पहनावेमें तो पायजामा और कूर्ता आम तौर पर होता ही है. यह तो आम जनता या कोई भी अपनेको आम दिखानेके लिये पहेनेगा ही.

लेकिन हमारे शे.गु.ने यह निष्कर्ष  निकाला की नरेन्द्र मोदीने मुस्लिमोंके प्रति अंगूली निर्देश किया है. इस लिये मोदी कोम वादी है और मोदी कोमवादको बढावा देता है. शे.गु. कटारीयाका ऐसा संदेश जाता है.

शे.गु.जी ऐसा तारतम्य निकालनेके लिये, अरुंधती रोय और माओवादी जुथके बीचके डीलका उदाहरण देते है. गांधीवाद और माओवाद का समन्वय किस खूबीसे अरुंधती रोय ने किया है कि शे.गु.जी आफ्रिन हो गये. शे.गु.जी कहेते है कि, क्यूं कि प्रदर्शनकारी पवित्र मस्जिदमेंसे आ रहे है, क्यूँ कि उनके हाथमें त्रीरंगा है, क्यूँ कि वे राष्ट्रगान गा रहे है, क्यूँ कि उनके पास महात्मा गांधीकी फोटो है, क्यूं कि उनके पास आंबेडकर की फोटो है … आदि आदि .. शे.गु. जी यह संदेश भी देना चाहते है कि ये बीजेपी सरकार लोग चाहे कितनी ही बहुमतिसे निर्वाचित सरकार क्यूँ न हो इन (मुस्लिमों)के प्रदर्शनकी उपेक्षा नहीं करना चाहिये.

वास्तवमें शे.गु.जीको धैर्य रखना चाहिये. रा.गा.की तरह, बिना धैर्य रक्खे, शिघ्र ही कुछ भी बोल देना, या तो बालीशता है या तो पूर्वनियोजित एजन्डा है. तीसरा कोई विकल्प शे.गु. कटारीयाके लिये हो ही नहीं सकता.

शे.गु.जी ने आगे चलकर भी वाणी विलास ही किया है.

चेतन भगतः

चेतन भगत भी एक कटारीया है. वे लिखते है कि

“उदार मानसिकतासे ही विकास शक्य है.”

“हम चोकिदार कम और भागीदार अधिक बनें, इससे देश शानदार बनेगा”

श्रीमान चे.भ. जी (चेतन भगत जी), भी एक बावाजी ही है क्या? बावाजी से मतलब है संत रजनीश मल, ओशो आसाराम. बावाजी है तो उदाहरण तो देना ही आवश्यक बनता है न!! वे अपने बाल्यावस्थाका उदाहरण देते है. वे फ्रीज़ और नौकरानीका और बील गेट्सका उदाहरण देते है. परोक्ष में “चे.भ.”जी मोदीजी की मानसिकता अन्यों के प्रति अविश्वासका भाव है. फिर उन्होंने कह दिया कि, नरेन्द्र मोदीने कुछ नियम ऐसे बनाये कि लोग भारतमें निवेश करने से डरते है. कौनसे नियम? इस पर चे.भ.जी मौन है. शायद उनको भी पता नहीं होगा.

चे.भ.जी अपनी कपोल कल्पित तारतम्य को स्वयं सिद्ध मानकर मोदीकी बुराई करते है.

“मुस्लिमोके विरुद्ध हिन्दुओंमें गुस्सा है. इसका कारण हिन्दुओंकी संकुचित मानसिकता है.

“अप्रवासीयोंपर हुए हमले भी हिन्दुओंकी संकुचित मानसिकता कारण भूत है,

“मुस्लिमोंको बहुत कुछ दे दिया है, अब वह वापस ले लेना चाहिये,

“मुस्लिमोंका बहुत तुष्टीकरण किया है अब उनको लूट लेना चाहिये

चे.भ.जी इस बातको समज़ना नहीं चाहते कि, किसी भी जनसमुदायमें कुछ लोग तो कट्टर विचारधारा वाले होते ही है. लेकिन किस समुदायमें इस कट्टरतावादी लोगोंका प्रमाण क्या है? इतनी विवेकशीलता तो मूर्धन्य कटारीयाओंमें होना आवश्यक है. लेकिन इन कटारीयाओंमे विवेक हीनता है. तुलनात्मक विश्लेषणके लिये ये कटारीया लोग अक्षम ही नहीं अशक्त है. वे समज़ते है “… वाह हमने क्या सुहाना शब्द प्रयोग किया है. फिलोसोफिकल वाक्य बोलो तो हमारी सत्यता अपने आप सिद्ध हो जाती है…”चे.भ.जी जैसे लोगोंको तुलनात्मक सत्य दिखायी ही नहीं देता है.

कोंगी और उनके सांस्कृतिक साथी

कोंगी और उनके सांस्कृतिक साथी पक्षोंके शिर्ष नेताओंके उच्चारणोंको देख लो. “चोकिदार चोर है, नरेन्द्र मोदी नीच है, नरेन्द्र मोदीको डंडा मारो, नरेन्द्र मोदी फासीस्ट है, नरेन्द्र मोदी हीटलर है, नरेन्द्र मोदी खूनी है, बीजेपी वाले आर.एस.एस.वादी है, वे गोडसे है…” न जाने क्या क्या बोलते है. पक्षके प्रमुख और मंत्री रह चूके और सरकारी  पद पर रहेते हुए भी उन्होंने ऐसे उच्चारण किये है. लेकिन ये उपरोक्त मूर्धन्य कटारीया लोग इन उच्चारणों पर मौन धारण करते है. उनका जीक्र तक नहीं करतें.

आखिर ऐसा क्यूँ वे लोग ऐसा करते हैं?

यदि बीजेपीके या तो आर.एस.एस.के तृतीय कक्षाके लोग उपरोक्त उच्चारणोसे कम भी बोले तो ये लोग बडे बडे निष्कर्ष निकालते है. अपना कोरसगान (सहगान) चालु कर देते हैं.     

अपराध कब सिद्ध होता है?

“आप अपनी धारणाओंके आधार पर किसीको दोषी करार न ही दे सकते. न्यायिक प्रक्रियाके सिद्धांतोसे यह विपरित है. किसीको भी दोषी दिखानेके लिये आप अपनी मनमानी और धारणाओंका उपयोग नहीं कर सकते. किन्तु महान नंदीजी, शे.गु.जी, चे.भ. जी … आदि क्यूँ कि उनका एजन्डा कुछ और ही है, वे ऐसा कर सकते है. कोंगी लोग यही तो चाहते है.

इन कटारीया लोगोंको वास्तवमें पेटमें दुखता है क्या?

वास्तवमें कोंगी लोग और उनके सहयोगी लोग समज़ गये है कि,

नरेन्द्र मोदी, और भी समस्याएं हल कर सकता है. वैसे तो, जी.एस.टी. तो हमारा ही प्रस्ताव था, “विमुद्रीकरण करना” इस बातको तो हम भी सोच रहे थे, पाकिस्तानमें अल्पसंख्यकों की सुरक्षा हो और वे पीडित होके भारतमें आवे तो, हमे उनको नागरिकता देनी है, यह बात भी हमारे नहेरु-लियाकत अली समज़ौताका हिस्सा था, १९७१के युद्धसे संबंधित जो शरणार्थी प्रताडित होकर भारतमें आये उनमें जो पाकिस्तानके अल्पसंख्यक थे उनको नागरिकता देना, और बांग्लादेशके आये बिहारी मुस्लिमोंको वापस भेजना यह तो हमारे पक्षके प्रधान मंत्रीयोंका शपथ था.  किन्तु हममें उतनी हिंमत और प्रज्ञा ही नहीं थी कि हम अपने शपथोंको पुरा करे. मोदीके विमुद्रीकरण और जी.एस.टी.के निर्णयोंको तो हमने विवादास्पद बनाके विरोध किया और जूठ लगातार फैलाते रहे. बीजेपी के हर कदमका हम विरोध करेंगे चाहे वह मुद्दे हमारे शासनसे संलग्न क्यूँ न हो?

कोंगी और उनके साथी लोगोंको अनुभूति हो गई है कि, “अब तो मोदीने उन समस्याओंको हाथ पे ले लिया है जो हमने दशकों और पीढीयों तक अनिर्णित रक्खी”.

कोंगीने उनके सांस्कृतक साथी पक्षके नेतागणको आत्मसात्‌ करवा दिया है कि “मोदी सब कुछ कर सकता है. अब तक हम उसको हलकेमें ले रहे थे. किन्तु मोदी आतंकी गतिविधियोंको अंकूशमें रख सकने के अतिरिक्त और सर्जीकल स्ट्राईकके अतिरिक्त, अनुछेद ३७० और ३५ऍ तकको खतम कर सकता है. वह जम्मु – कश्मिर राज्यश्रेणी भी बदल सकता है. हमे खुलकर ही मुस्लिम नेताओंको और मुस्लिमोंको अधिकसे अधिक बहेकाना पडेगा.”

कोंगीके सांस्कृतिक साथी कौन कौन है?

कोंगी पक्ष कैसा है?

कोंगी वंशवादी है, वंशवादको स्थायी रखने के लिये अवैध मार्गोंसे संपत्तिकी प्राप्त करना पडता है, शठता करनी पडती है,

सातत्यसे जूठ बोलना पडता है,

असामाजिक तत्त्वोंको हाथ पर रखना पडता,

दुश्मनके दुश्मनको मित्र बनाना पडता है,

जनताको मतिभ्रष्ट और पथ भ्रष्ट करना पडता. और कई समस्याओंको अनिर्णायक स्थितिमें रखना पडता है चाहे ये अनिर्णायकता देशके लिये और आम जनताकाके लिये कितनी भी हानिकारक क्यूँ न हो!!

अनीतिमत्ता वंशवादका एक आनुषंगिक उत्पादन है.

कोंगी जैसा सांस्कृतिक चरित्र और किनका है?

 ममताका TMC, शरदका NCP, लालुका RJD, बाल ठकरे का Siv Sena, मुल्लायमका SP, शेख अब्दुल्लाके फरजंद फारुक अब्दुल्लाका N.C. और सबसे नाता जोडने और तोडने वाले साम्यवादी. अब हम इन सभी पक्षोंके समूह को कोंगी ही कहेंगे. क्योंकि इन सभीका काम येन केन प्रकारेण, बिना साधन शुद्धिसे, बिना देशके हितकी परवाह किये नरेन्द्र मोदी/बीजेपी को फिलहाल को बदनाम करो.

संवाद मत करो और तर्कयुक्त चर्चा मत करो केवल शोर मचाओ

संवाद करेंगे तो सामनेवाला तर्क करेगा. इस लिये संवाद मत करो, बार बार जूठ बोलो, असंबद्ध उदाहरण दो, सब नेता सहगान करो.

कहो… मोदी चोर है. अपने अनपढ श्रोताओंसे सूत्रोच्चार करवाओ मोदी चोर है. मोदीको चोरे सिद्ध करनेके लिये सबूत सामग्री की आवश्यकता नहीं.

मोदी हीटलर है.  सिद्ध करनेके लिये सबूत सामग्री की आवश्यकता नहीं.

मोदी खूनी है… सिद्ध करनेके लिये सबूत सामग्री की आवश्यकता नहीं.

बीजेपी लोग गोडसे है. चाहे गोडसे आर.एस.एस. का सदस्य न भी हो तो भी. हमें क्या फर्क पडता है!!!  सिद्ध करनेके लिये सामग्री की आवश्यकता नहीं.

विमूद्रीकरणमें मोदीने सेंकडो लोगोंको लाईनमें खडा करके मार दिया. बोलनेमें क्या हर्ज है? (वचनेषु किं दरिद्रता?). सिद्ध करनेके लिये सामग्री की आवश्यकता नहीं.

जी.एस.टी. गब्बर सींग टेक्ष है. (चाहे वह हमारा ही प्रस्ताव क्यों न हो. किन्तु हममें उतना नैपूण्य कहाँ कि हम उसको लागु करें). यह सब चर्चा करना कहाँ आवश्यक है? सिद्ध करनेके लिये सबूत सामग्री की आवश्यकता नहीं.

“भारतीय संविधान”को हमारे पक्षमें घसीटो, “मानव अधिकार और फ्रीडम ऑफ एक्सप्रेशन” को भी हमारे पक्षमें घसीटो, रास्ता रोको, लगातार रास्ता रोको, आग लगाओ, फतवे निकालो, जनताको हो सके उतनी असुविधाओंमें डालो, कुछ भी करो और सब कुछ करो … मेसेज केवल यह देना है कि यह सब मोदीके कारण हो रहा है.

यदि इतना जूठ बोलते है तो “महात्मा गांधी”को भी हमारे पक्षमें घसीटो. गांधीजीका नाम लेके यह सब कुछ करो.

कोंगीयों द्वारा गांधीका एकबार और खून

कोंगीओंको, उनके सांस्कृतिक साथीयों और समाचार माध्यमोंके मालिकोंको भी छोडो, भारतमें विडंबना यह है कि अब मूर्धन्य कटारीया लोग भी ऐसा समज़ने लगे है कि अहिंसक विरोध और महात्मा गांधीके सिद्धांतों द्वारा विरोध ये दोनों समानार्थी है.

महात्मा गांधीके अनुसार विरोध कैसे किया जाता है?

(क्रमशः)

शिरीष मोहनलाल दवे

https://www.treenetram.wordpress.com 

Read Full Post »

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો./તટસ્થતાની ધૂનમાં હવે કેટલાક મૂર્ધન્યોએ બધી સીમા પાર કરી દીધી છે.

વંશવાદી કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગી વિપક્ષો બેફામ ઉચ્ચારણો કરે તેનાથી સુજ્ઞ લોકોની વિચારધારાને અસર થતી નથી. પણ જ્યારે સત્તાની લાલસા વગરના, અને જેમના પ્રત્યે જનતા નો સામાન્ય જણ, માન ધરાવે છે, તેઓ જ્યારે તટસ્થતાની ધૂનમાં બે બાજુ ઢોલકી વગાડે છે ત્યારે, આ સામાન્ય જણ, કાં તો ભ્રમમાં પડે છે, કે કાં તો મુંઝવણમાં પડે છે./દંભી સેક્યુલરોની ગેંગો, એમ જ ઇચ્છે છે કે, સામાન્ય માણસ તેમને સાથ ન આપે તો કંઈ નહીં, પણ તે મૂંગો રહે તો પણ ઘણું. આ સામાન્ય જણ “કંઈક ખોટું તો થયું છે” એટલું વિચારતો થાય તો આપણે “ગંગા નાહ્યા”.

બીજેપી એટલે એક માત્ર હિન્દુધર્મીઓના હિત માટેનો પક્ષ.

બીજેપી હિન્દુઓનો કોમવાદી પક્ષ છે. એવું માનવાની અને મનાવવા માટેની નહેરુવીયન કોંગ્રેસની જ નહીં પણ મોટાભાગના મૂર્ધન્યોની પણ ફેશન છે. આ વરણાગીપણાથી સુજ્ઞ મૂર્ધન્યો મુક્ત થાય તે દેશના હિત માટે અત્યંત જરુરી છે. નહેરુ જીવતા હતા ત્યારથી નહેરુ સ્વયં, કોમવાદી હતા. કેરલની નાંબુદ્રીપાદની સરકારને ઉથલાવવામાં તેમનો સહયોગ હતો. અને સૌ પ્રથમ હળાહળ કોમવાદી પક્ષ સાથે ગઠબંધન કરનાર પક્ષ પણ, નહેરુવીયન કોંગ્રેસ જ હતી. જે નેહરુવીયન કોંગ્રેસ, ગઈ કાલ સુધી શિવ સેનાને હળાહળ કોમવાદી પક્ષ માનતી હતી તે નહેરુવીયન કોંગ્રેસ, સત્તા માટે તેની સાથે જોડાણ કરે છે.

યહ તો હોના હી થા

શિવસેનાને જન્મ આપનાર તો કોંગ્રેસ જ હતી. મજદુર યુનીયનો ઉપરની સામ્યવાદીઓની પકડને તોડવા, નહેરુવીયન કોંગ્રેસે જ ક્ષેત્રવાદ અને ભાષાવાદને ઉત્તેજન આપવા શિવસેનાને જન્મ આપ્યો હતો. જ્યારે જ્યારે નહેરુવીયન કોંગ્રેસને જરુર પડી ત્યારે શિવસેનારુપી ગર્દભે તેને દોડીને મદદ કરી જ છે. એટલે ટૂંકમાં નહેરુવીયન કોંગ્રેસ દૂધથી ધોયેલી તો શું, ગંદા પાણીથી ય નહી, પણ ગટરના ઘટ્ટ પાણીથી ખરડાયેલી છે.

નહેરુવીયન કોંગ્રેસને, તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષ, અને મોટા ભાગના મૂર્ધન્યો સહિત, કોઈને ખબર નથી કે લોકશાહી માર્ગ એટલે શું? ગાંધીવાદી માર્ગ એટલે શું?

રાજમોહન ગાંધી શું કહે છે?

રાજમોહન ગાંધી કોણ છે?

રાજમોહન ગાંધી, મહાત્મા ગાંધીના પૌત્ર છે. હવે તેઓશ્રી એક મહાનુભાવના પૌત્ર થયા એટલે તેઓશ્રી બોલે તો વજન તો પડે જ. તેઓશ્રીએ કહ્યું કે ગાંધીજી “હેટ નોટ” નું મહત્વ સમજાવવામાં નિસ્ફળ ગયા હતા. “ફિયર નોટ” સમજાવવામાં સફળ થયા હતા.

કોઈ વ્યક્તિ, જો કોઈ મહાપુરુષ વિષે કોઈક બાબતમાં બોલે તો તે કંઈક અંશે સાપેક્ષે વધુ અસરકારક બને. તેમાં પણ જો તે વ્યક્તિ, જે તે મહાપુરુષનો નજદીકી સંબંધ ધરાવતો હોય તો તો તેના બોલનું વજન પડે જ પડે. વળી તે વ્યક્તિ જો નકારાત્મક બોલે, તો તે, ખાસ સમાચારનું હેડીંગ બને.

હેટ નોટ અને ફિયર નોટમાં વધુ ઉચ્ચ સ્તરે શું છે?

બેશક “હેટ નોટ”નું સ્તર વધુ ઉચ્ચ છે. અને આ સ્તરે તો સ્થિતપ્રજ્ઞ જ જઈ શકે. આ સ્તરે સમજાવવામાં તો રામથી શરુ કરી કૃષ્ણ સહિતના, બુદ્ધ અને મહાવીર પણ નિસ્ફળ ગયેલ એટલે ગાંધીને જ નિસ્ફળ માનવા તે અપ્રસ્તુત છે.

“ફિયર નોટ” એ બે વ્યક્તિ, કે એક જુથ અને એક વ્યક્તિ, કે બે જુથ વચ્ચેની, માનસિકતાના સ્તર ઉપર અવલંબે છે. “ફીયર-લેસ વ્યક્તિની વ્યાખ્યા નારાયણભાઈ દેસાઈએ આમ કરી છે. “જે વ્યક્તિ કોઈથી ડરે નહીં, અને કોઈ આ વ્યક્તિથી ડરે નહીં”.

કોઈ વ્યક્તિ ગાંધીજીને પ્રશ્ન કરવાથી ડરતું ન હતું. પણ અઘટિત કામ કરવામાં, વ્યક્તિને, ગાંધીજી નો ડર લાગતો હતો. આ એક નૈતિક ડર હતો. તે આવશ્યક છે. આચાર્યનું (ઋષિઓનું) શાસન એ અનુશાસન છે.

“ફિયર નોટ” એ ગાંધીજીના અંતેવાસીઓ માટે અને  વિચારકો માટે લાગુ પડતું હતું. પણ જીન્ના જેવા, ગાંધી વિરોધીઓને લાગુ પડતું ન હતું. કારણ કે તેઓ ગાંધીજીને ઓળઘોળ કરીને હિન્દુઓના નેતા જ માનતા હતા./હાજી જેમ અત્યારે નરેન્દ્ર મોદીને, કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ હિન્દુવાદી ખપાવે છે તેમ જ. જીન્ના અને મોદી વિરોધીઓની ભાષા એક જ છે.

નરેન્દ્ર મોદી વિષે શું છે?

મોદીના વિરોધીઓ મોદીથી “ફિયર નોટ” છે. તેમને, મોદીને પણ હિન્દુઓના નેતા જ માનવામાં અને મનાવવામાં, ડર લાગતો નથી. હાજી કેટલાક પ્રચ્છન્ન વિરોધીઓ પણ છે કે જેમને મોદીને હિન્દુઓના નેતા માનવામાં અને મનાવવામાં ડર લાગતો નથી. મોદી તો સત્તા ઉપર છે અને આવા જુથના હિટલર પણ છે છતાં પણ તેમને ડર લાગતો નથી. શું આ વિરોધાભાસ નથી?

“ભારત પ્રથમ હિન્દુઓનો દેશ છે, અને રાષ્ટ્રીય ઓળખ કોઈ ખાસ ધર્મ અને વંશ ઉપર આધારિત હોવી જોઇએ. એમ ‘કેટલાક’ માને છે.” એમ શ્રી રાજ મોહન ગાંધી માને છે. અને એને નકારે છે.

આવી માન્યતા જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે જનતા એવો જ સંદેશ ગ્રહે છે કે આ વાત આરએસએસ અને બીજેપીને લાગુ પડે છે અને તેમણે આમાંથી શિખ લેવાની છે, એવી રાજમોહન ગાંધીની મંછા છે.

એક સમય હતો કે જ્યારે આર.એસ.એસ./બીજેપી (જનસંઘ) તેઓ હિંદુ(ધર્મ)વાદી હતા. કારણકે તેમનો જન્મ, હિન્દુઓ ઉપર થતા હિંસક પ્રહારના આઘાતના,  પ્રત્યાઘાતના રુપમાં થયો હતો. પણ તે પછી તો ગંગા-જમનામાં ઘણા પાણી વહી ગયાં. ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણે પણ આર.એસ.એસ./જનસંઘને પોંખ્યા હતા.

ઘણા જુથો છે કે જેઓ અ-ગાંધીવાદી હોવા છતાં અને આચારે તદ્‌ન અ-ગાંધીવાદી હોવા છતાં, તેમણે પોતાનું આર.એસ.એસ./બીજેપી પરત્વેના વિરોધનું સહગાન પૂર્વવત ચાલુ રાખ્યું છે.

ઉપરોક્ત સહગાન/વિચારોનું વરણાગીપણું દશકાઓથી ચાલ્યું આવે છે. પણ આ વરણાગીપણાને પુરસ્કૃત કરનારાઓ, ગાંધી વિચારધારાથી ઉંધી દીશામાં જનારાઓ વિષે લગભગ મૌન જ રહે છે. ખચીત રીતે જ આમાં લઘુમતિ એટલે કે મુસ્લિમ પણ છે. આ મુસ્લિમ લઘુમતિએ પોતાનો ઇન્ડિયન મુસ્લિમ લીગ પક્ષ ચાલુ રાખ્યો, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાન નેતાઓએ પાકિસ્તાનમાં પાકિસ્તાની રાષ્ટ્રીય કોંગ્રેસ ચાલુ રાખી નહીં કારણકે આ નેતાઓ તેમના કહેવા પ્રમાણે પોતાના પ્રાણોની રક્ષા કાજે ભારતમાં નાશી આવ્યા. ગાંધીજીએ આ કોંગ્રેસીઓને ઠીક ઠીક ઠપકો આપેલ … “તમે ત્યાં મરી કેમ ન ગયા? મેં તો તમને મરતાં શિખવ્યું હતું. જરુર પડી ત્યારે તમને મરતાં ન આવડ્યું. તમે તો ડરપોકની જેમ અહીં જીવ બચાવવા ભાગી આવ્યા. જો તમે મરી ગયા હોત તો હું ખૂબ ખુશ થાત. એટલો ખુશ થાત કે હું ખુશીમાં નાચત. ખૂબ નાચત … ખુબ નાચત … ખુબ નાચત.”

ગાંધીજીએ પોતે કબુલ કરેલી કોંગીઓની નિસ્ફળતા આ હતી. પણ આ ગાંધીજીની નિસ્ફળતા ન હતી. ગાંધીજી તો દિલ્લી શાંત થાય એટલે પાકિસ્તાન જવાના જ હતા. વાસ્તવમાં તો કોંગ્રેસના શિર્ષ નેતાઓની “ફિયર નોટ”ની નિસ્ફળતા હતી. મોટા નામ હેઠળ છુપાયેલું આ તેમનું વામનપણું હતું. આવું અને આથી પણ વિશેષ કોંગીનેતાઓનું વામનપણું આપણને સ્વતાંત્ર્ય પ્રાપ્તિ પછી અવારનવાર જોવા મળ્યું છે. પોતાના વ્યક્તિગત કે પક્ષીય સ્વાર્થ માટે કોંગી નેતાઓ દેશને ધરાશાયી કરવા હમેશા તૈયાર જ હોય છે./મહાત્મા ગાંધીએ મુસ્લિમોની કે એમના નેતાઓની ક્યારેય તરફદારી કરી નથી. જો કોઈને ખબર ન હોય તો તેના હજાર દાખલા છે. “દિલ્લીમેં ગાંધીજી ભાગ-૧ અને ભાગ-૨” વાંચો. પણ કોંગીનેતાગણનો એક પણ માઈનો લાલ નિકળશે નહીં કે જે આ પુસ્તક વાંચે. કારણકે તેને દેશહિતની ક્યાં પડી છે!

નાગરિકતા સુધારણા કાયદોઃ

cartoonists’ curtsy

હાલમાં જે હિંસાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને માટે જવાબદાર કોંગીનેતાઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ છે. આ વાત દિવા જેવી સ્પષ્ટ છે. કારણ કે આ કાયદામાં વિરોધને કોઈ અવકાશ નથી.

જે કર્તવ્ય પ્રત્યે કોંગી-સરકારે ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી પ્રમાદ કર્યો હતો તે અધુરું કામ બીજેપી સરકારે પુરું કર્યું. બીજેપીને બંને ગૃહોમાં સ્પષ્ટ બહુમતિ મળી ત્યારે તેણે પોતાની ફરજ બજાવી. કોંગીનેતાઓ પોતે કરેલા પ્રમાદને ધર્મનિરપેક્ષતાના વાઘા પહેરાવી, ભારતીય મુસ્લિમોને ઉશ્કેરે છે. મુસ્લિમો અને તેમના કેટલાક નેતાઓ પણ અભણ અથવા/અને અસામાજિક તત્ત્વોનો સાથ લઈ હિંસા ઉપર ઉતરી આવે છે.

નહેરુ-લિયાકત અલી કરાર

કોંગીનેતાઓ પોતે જ અભણ અને અસંસ્કારી જેવું વર્તન કરે છે. કોંગીનેતાઓએ નહેરુ લિયાકત અલી સમજુતી વાંચવી જોઇએ. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે પાકિસ્તાન પોતાની લઘુમતિ કોમોને સુરક્ષા પ્રદાન કરશે. અને તેમાં જો પાકિસ્તાનની સરકાર કોઈ પણ કારણસર નિસ્ફળ જશે તો ભારત સરકાર તે લઘુમતિને આશ્રય અને નાગરિકતા આપશે. આ જોગવાઈ ભારતને પણ લાગુ પડે છે. પણ ભારતમાં મુસ્લિમો અતિસુરક્ષિત છે.

તમે જુઓ છો કે ભારતની જનતાએ મુસ્લિમોને સુરક્ષિત રાખ્યા છે. આને સિદ્ધ કરવાની જરુર નથી. આ સત્ય ૧૯૫૧ની જનગણના અને ૨૦૧૧ની જનગણના જ સિદ્ધ કરે છે. આનાથી ઉલ્ટું પાકિસ્તાન અને બંગ્લાદેશ પોતાને ત્યાં રહેલી લઘુમતિને સુરક્ષા આપી શક્યા નથી.

કોંગીનેતાગણ, તેમના સાંસ્કૃતિક સાથીઓ સહિત, અને મુસ્લિમો નેતાઓ સહિત, જાણીજોઈને મુસ્લિમોને અને પોતે પણ ભ્રમમાં રહેવા માગે છે, અથવા એવો ઢોંગ કરે છે. કોંગી નેતાગણ ઉપર તો ન્યાયિક કાર્યવાહી કરવી જોઇએ. અફવા ફેલાવવી અને હિંસા માટે મુસ્લિમોને ઉશ્કેરવા તે ગેર બંધારણીય છે, અને ગુનો પણ બને છે.

કોંગીનેતાઓના પેટમાં શું છે?

કોંગી સરકારોએ ખંધાઇપૂર્વક દશકાઓ સુધી સમસ્યાઓને અનિર્ણિત રાખેલી, તે સમસ્યાઓને બીજેપીએ ઉકેલી છે. કોંગી સરકારનું વલણ અનૈતિક અને જનતંત્રની વિરુદ્ધ હતું. પણ નહેરુથી શરુ કરી ઇન્દિરા સહિતની, અને સોનિયા-મનમોહન સરકારોને આવી અનિર્ણાયકતાનો છોછ નથી. પછી તે, પાકિસ્તાન હસ્તક રહેલો જમ્મુ-કાશ્મિરના હિસ્સા ઉપર  યુનોના ઠરાવનો અમલ હોય, કે અલોકતાંત્રિક કલમ ૩૭૦/કલમ ૩૫એ હોય, કે નહેરુ-લિયાકત અલી સમજુતીનો અમલ હોય, કે સંસદ સામે ચીનસાથેના યુદ્ધમાં ૭૧૦૦૦ ચોરસ માઈલ ભારતીય ભૂમિ પાછી લેવાની હોય, કે ઇન્દિરાએ લીધેલી એક કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરોને પાછા મોકલવાની પ્રતિજ્ઞા હોય કે, ભારતીય બંધારણને સુરક્ષા આપવાની વાત હોય કે, મુસ્લિમ સ્ત્રીઓને માનવીય અધિકાર આપવાનો મુદ્દો હોય, કે આતંકવાદી આક્રમણ નો ઉત્તર આપવાની વાત હોય કે જનતાની ગરીબી હટાવવાની વાત હોય, કે ભ્રષ્ટાચાર હઠાવવા માટે ફુલપ્રુફ સીસ્ટમ બનાવવાની વાત હોય … આ બધું જ અવગણી શકાય છે. કારણ કે કોંગીનેતાઓનું એકમાત્ર ધ્યેય, દેશના કોઈપણ ભોગે, સત્તા પ્રાપ્ત કરો અને લૂટ ચલાવો. અને આમ કરવા માટે વોટબેંક બનાવો./કરમની કઠણાઈ અને કોંગીની વિચારધારા/

કોંગીનેતાઓ માટે કરમની કઠણાઈ એ થઈ કે ૨૦૧૪માં અને ૨૦૧૯માં તે કેન્દ્રમાં ચૂંટણી હારી ગઈ. હવે સત્તા પાછી કેવી રીતે મેળવવી?/અરે ભાઈ, આપણે કોંગી છીએ. માન ન માન આપણી પાસે સ્વાતંત્ર્યની લડતની ધરોહર છે, ભલે આપણા આચાર તદ્‌ન ભીન્ન હોય. આપણને સાધન-અશુદ્ધીનો કશો છોછ નથી. આપણા વિરોધીઓને કોઈપણ ગાળ આપવી અને તેમની ઉપર કોઈ પણ આરોપ મુકવો એ આપણી ગળથુથીમાં છે. માટે આપણે આપણા એજન્ડા ને આગળ ચલાવો.

“આ મોદી સરકાર, પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુઓની જ ચિંતા કરે તે ન ચાલે. ભલે તેઓ પાકિસ્તાનમાં ધર્મના આધાર પર પ્રતાડિત થયેલા હોય અને ઘરબાર છોડી અહીં શરણાર્થી થયેલા હોય. તમે તેમને નાગરિકતા બક્ષો એ ન ચાલે.

“પાકિસ્તાનમાં તો આતંકવાદી મુસ્લિમો પણ લઘુમતિમાં છે. ભલે મુસ્લિમ લોકો પાકિસ્તાનમાં બહુમતિમાં હોય. આ બહુમતિ આતંકવાદમાં સક્રિય નથી એટલે સક્રિય આતંકવાદીઓ પણ લઘુમતિમાં જ ગણાવા જોઇએ. જુઓને હાફિજ઼ મહમ્મદ સઈદનો પક્ષ પાકિસ્તાનની ચૂંટણીમાં હારી ગયો એટલે તેનો પક્ષ બહુમતિમાં તો કહેવાય જ નહીં. આવા તો અનેક પક્ષો છે, જે બધા જ લઘુમતિમાં છે. જો આ બધા બહુમતિમાં હોત તો તેઓ પોતેજ સરકાર ચલાવતા ન હોત શું? તેઓ પોતે સરકાર ચલાવતા નથી એટલે સિદ્ધ થાય છે કે તેઓ લઘુમતિમાં જ છે.

“બીજેપી વાળા અક્કલ માં ઝીરો છે. તેઓ લઘુમતિ એટલે શું, એ સમજ઼તા જ નથી. ધર્મના આધારે તેઓ પાકિસ્તાનને પણ છોડતા નથી.

આ બીજેપી વાળા તો પાકિસ્તાનની પ્રજાની અંદર પણ તેઓને ધાર્મિક આધાર પર ભેદભાવ ઉત્પન્ન કરવા માગે છે. આ રીતે પાકિસ્તાનના નાગરિકોને ધર્મના આધાર પર ઓળખવા તે શું આપણા જનતંત્રને શોભે ખરું?

“માટે ભારતના અને પાકિસ્તાનના હે મુસ્લિમો, અમે તમારી સાથે છીએ. એક વખત તો તમારી શક્તિ, બીજેપી સરકારને બતાવી દો. અમે તમને માર્ગદર્શન આપીશું કે તમારે (દેશમાં આગ લગાવવાની) તમારી શક્તિ ક્યારે ક્યારે બતાવવાની છે. અમે તમારી કોમવાદી અને અસામાજિક શક્તિઓને ખીલવતા આવ્યા છીએ, અને હિન્દુઓને તેમના માનવ અધિકારોથી તમારા થકી વંચિત રાખતા આવ્યા છીએ તે તમે સુપેરે જાણો જ છો.

“હિન્દુઓ તમારી એક મસ્જીદ તોડે અને તેના પ્રત્યાઘાતમાં કે પ્રત્યાઘાત વગર પણ તમે હજાર મંદિર તોડો તો કોઈની મજાલ છે કે તમને કોઈ નોન-સેક્યુલર કહી શકે? હિન્દુઓએ તોડી પાડેલી એક મસ્જિદના વિરોધમાં તો અમે તેમને બતાવી દઈએ કે કેટલી વિશે સો થાય છે.

“હે મુસ્લિમ ભાઈઓ, અમે તો તમારા ગુન્ડાઓની પણ વહારે આવીએ. ગુન્ડાઓ જ નહીં આતંકવાદીઓની વહારે પણ આવીએ છીએ, અને તેમના માનવ અધિકારની સુરક્ષા માટે અમે તત્પર હોઇએ છીએ. તમારા આતંકવાદીઓને ભૂલે ચૂકે ભારત સરકારે પકડ્યા હોય તો અમે અમારા ગૃહમંત્રીના લોહીના સગાંઓનું અપહરણનું નાટક કરાવી, બદલામાં તમારા રકમબંધ આતંકવાદીઓને છોડાવીએ. મુફ્તિ મહંમદ સઈદનો જ દાખલો લો ને!

“આ બધી વાતો તો તમે જાણો જ છો. હા પણ, અમે આ બધું ત્યારે જ કરી શકીએ જ્યારે તમે અમને સત્તા પર રાખો.

“હે મુસ્લિમ ભાઈઓ, કેટલાક સુજ્ઞ મુસ્લિમ ભાઈઓ, તમારા વિરોધનો વિરોધ કરશે. પણ તમારે તેમને ગણકારવાના નથી. અમે તમારી સાથે છીએ. તમારે દશ હિંસક વિરોધ કરવાની સાથે એક શાંત વિરોધ પણ કરવો. જો કે નહીં કરો તો પણ ચાલશે. અમે કહીશું કે સરકારની પોલીસે શાંત વિરોધકર્તાઓ પર દમનનો કોરડો વીંઝ્યો છે. લઘુમતિઓના અવાજને રુંધ્યો છે. લઘુમતિઓના બંધારણીય અધિકારોને સરકારે નકાર્યા છે. બીજેપી સરકારે બંધારણનું ખૂન કર્યું છે. આ સરકાર નાઝીવાદી છે. અમે યુનોમાં આ સરકારને પડકારીશું.

“હે મુસ્લિમ બંધુઓ, તમે યાદ રાખો કે તમે પણ જેવા તેવા નથી. ચંગીજ઼ખાન, તૈમૂર, મોહમ્મદ ઘોરી, મોહમ્મદ ગજ઼નવી … વિગેરે અનેક મહાનુભાવોના સંતાન છો. વારસદાર છો.

મુસ્લિમોને કશું મોળું ખપે

“હે મુસ્લિમ બંધુઓ, અમે જાણીએ છીએ કે તમને કશું મોળું ન ખપે. તમે નાના પાયે કશું કરવામાં માનતા નથી. અમે તમને આ વાત જ શિખવી છે. તમારે તો આખા રેલ્વેના ડબાને બાળવાનો હોય છે.  તમે હજારો કાશ્મિરી હિન્દુઓની કત્લ કરો, હાજારો કશ્મિરી હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટો, અને પાંચ લાખ કાશ્મિરી હિન્દુઓને ખૂલ્લંખૂલ્લી બિન્ધાસ્ત ધમકીઓ આપી તેમના ઘરોમાંથી તગેડી મુકો, અને દશકાઓ સુધી તેમને નિરાશ્રિત રાખો, તો પણ તેમાંના એક પણ હિન્દુની મજાલ છે કે તે આતંકવાદી બને? એટલું જ નહીં દેશના એક અબજ હિન્દુઓમાં પણ એક પણ આતંકવાદી ન પાકે એવો અમારો કડપ છે. અરે! એટલું જ નહીં, હિન્દુઓ આતંકવાદી ન હોય તો પણ અમે આ હિન્દુઓ વિષે “હિન્દુ આતંકવાદ”થી ભારતને બચાવો એવી કાગારોળ અને ઘોષણાઓ દેશ વિદેશમાં કર્યા કરીએ છીએ. હે મુસ્લિમ બંધુઓ, તમને અમારા જેવા (ખાવિંદ, હમસફર) મળવા અશક્ય છે. આ વાત તમે મહેસુસ કરો.

“હે મુસ્લિમ બંધુઓ, તમે એક કશ્મિરમાં જ હિન્દુઓને હતા ન હતા કરી શકો એટલું પુરતું છે એમ ન માનતા. અમે તમને ભારતમાં છૂટક છૂટક અનેક છોટે કાશ્મિર બનાવવાની છૂટ આપી છે અને તમને એનો લાભ લેવા સશક્ત કર્યા છે. એટલે તમે બેફામ બનો. તમે રેલ્વેના પાટા ઉખેડો, બસો બાળો, વાહનો બાળો, પોલીસ ચોકીઓ બાળો, પોલીસો અને સુરક્ષા દળો ઉપર પત્થર મારો કરો … આખા દેશમાં હા હા કાર મચાવી દો. એટલે દુનિયાને પણ ખબર પડશે કે આ બીજેપી સરકારે કંઇક તો એવું કર્યું છે કે જે આ શાંત, અમન પ્રિય, સાચાબોલી અને ઇમાનદાર ધર્મ પાલન કરનારી મુસ્લિમ પ્રજા વિરુદ્ધ છે. અને તેથી જ તો તે ન્યાયની યાચના માટે રસ્તા ઉપર આવી ગઈ છે.”

તડ અને ફડ વાળા

કેટલાક તડ અને ફડ વાળા મૂર્ધન્યો પોતે તટસ્થ છે, તે બતાવવાની ઘેલછામાં નાગરિકતા સંશોધન કાયદાને (સી.એ.એ.)ને અ-જનતાંત્રિક અને ભારતીય સંવિધાનની બિનસાંપ્રદાયિક જોગવાઈના હનન તરીકે ઠેરવે છે. જો સાચેસાચ આમ જ હોય તો તેમણે “નહેરુ-લિયાકત અલી સમજુતી”ને પણ સાંપ્રદાયિક ગણાવવી જોઇએ. એટલે કે નહેરુની ઉપર આ સમજુતીનો આધાર લઈ માછલાં ધોવા જોઇએ. પણ આ ઘેલા લોકોમાં આ હિમત નથી. અથવા તો તેમની સ્મૃતિમાંથી આ ઘટનાનો લોપ થયો છે. જો આવું ન હોય તો તેમની દૃષ્ટિએ કરાર કરવો અને પછી ભૂલી જવો તે સેક્યુલર છે. પણ તે કરારનો અમલ કરવો તે એક દુષ્કૃત્ય છે અને અક્ષમ્ય છૅ. એટલે કે નહેરુ અને લિયાકત અલી વચ્ચે કરાર થયો તે વાત તો ઠીક છે મારા ભાઈ. નહેરુ/ઇન્દિરાએ તે કરારની રુએ પ્રતાડિત હિન્દુઓની તરફમાં પગલાં લેવામાં પ્રમાદ કર્યો તે માટે તેમને ધન્ય છે. અને લિયાકત અલીએ કે તેમના અનુગામીઓએ તો હિન્દુઓની સુરક્ષા પણ ન કરી. તેથી તે સૌ નેતાઓને સલામ છે. આ મૂર્ધન્યોની વક્રતા જુઓ. મોદીને કોઈ પણ તાર્કિક આધાર વગર કોમવાદી, નાઝીવાદી કહેશે, પણ જે નહેરુએ કાશ્મિરમાં બિનલોકશાહીયુક્ત કલમ ૩૭૦/૩૫એ, દાખલ કરી તે વિષે મૌન રહેશે. વળી તેઓ, કાશ્મિરની સ્વાયત્તતા નરેન્દ્ર મોદીએ નષ્ટ કરી તેમ કુદી કુદીને કહેશે. ૧૯૪૮માં જમ્મુ કાશ્મિર ઉપર યુનોએ ઠરાવ પાસ કર્યો, પણ તેના અમલ માટે નહેરુએ પાકિસ્તાન ઉપર દબાણ ન કર્યું. નહેરુવંશવાદીઓના આવા તો અગણિત પ્રમાદો ઇતિહાસના પર્ણો ઉપર લખાયેલા છે.

દરેક દેશનું કર્તવ્ય છે અને તે પણ જનતાંત્રિક રાષ્ટ્રો માટે તો ખાસ, કે પોતાના નગરિકોની નોંધ રાખે. જો આવું તે ન કરે તો લાંબે ગાળે દેશ ઘુસણખોરોથી ખદબદવા લાગે. દરેક રાષ્ટ્ર આવી નોંધણી રાખે છે. વળી ભારતમાં તો સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ કર્યો છે. નહેરુવંશવાદી સરકારોએ કદી ન્યાયિક આદેશોને ગંભીરતાથી લીધા જ નથી. તેના અનેક ઉદાહરનો નોંધાયેલા છે. આ પણ એક પ્રમાદમાં ભૂલાયેલો આદેશ છે./આપણા મૂર્ધન્યોને બીજેપી જેવી પ્રતિબદ્ધ સરકાર પસંદ નથી. આપણા મૂર્ધન્યોને તો કોંગી જેવી એદી સરકાર જ પસંદ પડે છે. વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડમાં ૪૦ કરોડ રુપીયા, મીડીયાનું મોં બંધ રાખવા આપ્યા હતા. આ શું દર્શાવે છે? જોકે કેટલાક મૂર્ધન્યોને પાઈ પણ નહીં મળી હોય પણ આવા મૂર્ધન્યોને તો આ કૌભાંડોની ખબર પણ નહીં હોય.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

What is the full form of I.N.C.?

Who does represent the opposition in Indian Parliament?

The leader of opposition in the Indian parliament is Adhir Ranjan Chaudhary. He is also the leader of the Congi (I.N.C.) party in the Parliament

Congi = Congress which was led by India Gandhi, was known as Congress (I), Short form is Cong(I) i.e. Congi.

This party had been made a dynastic party by J. L. Nehru.

Indira Gandhi’s full name as per the Election Commission Record, was Indira NehruGandhi, where the word “NehruGandhi” stands for the surname of Indira Gandhi. That is why the real cultural name of this party is Indira NehruGandhi Congress party i.e. I.N.C. party.

In 1977 the real Congress declared dead and cremated by the then leader of the Congress party Morarji Desai. No Claim was lying with EC or SC as to who should get the heritage other than the Congi in 1981. So any verdict given by any authority, was uncalled besides null and void in 1981.

Who is Adhir Ranjan Chaudhary?

This fellow has been elected from Behrampore seat of West Bengal. He is being elected from West Bengal since 1999 as the Member of Parliament. In general in West Bengal TMC and INC plus CPIM they do not like any opposite view. They generally do not believe in democracy as and when they are in power. And this point is recorded in its History. Still at this moment such records are being supplemented by the TMC under its culture.

The fellow viz. Adhir is currently the leader of Congi in the 17th Lok Sabha alias 17th Parliament). He was also the President of West Bengal State Congi party Committee.

This fellow is constitutionally recognized a top leader of Congi party and designated as one of the top leader of Congi party.

This fellow is designated and authorized spokesperson of Congi in the Parliament and thereby also outside the parliament.

This means, this fellow viz. Adhir Ranjan Chaudhary is more than the Spokesperson of all the opposition parties. If the other parties of the opposition deny his role and or speaks against his statement, even then this person remains the Spokesperson of Congi.

What statement has this fellow viz. “Adhir Ranjan Chaudhary” given in the Indian Parliament in the current session?

The subject of the discussion was NRC and the MoS.

NRC is the National Register of Citizens which is a part of Indian Constitutional provisions.

MoS is the Memorandum of Settlement, which is a legal document where the Central Government is the main party. The document was signed by the then Prime Minister Government of India to execute to meet the demand of the agitating Students of Assam in 1986, on the matter of cross border infiltrators. The infiltrators had paralyzed the normal lives of the people, economy of the Assam States and law and Order Conditions of Assam and other states. Infiltration was continuous in a large scale before and after 1968 till the MoS was signed in 1986.

The ruling party at the Center was Congi. It was Rajiv Gandhi, a son of Indira NehruGandhi, who had signed the said undertaking document.

But as usual the Congi was lethargic in execution of any type of its undertaking for which it was liable to act.

Recall Abrogation of Article 370 and 35A. This was introduced in the Indian Constitution by JL Nehru in 1954 with view to oblige his friend Sheikh Abdullah. This was introduced with a specific wording as a “Temporary Provision”. This Temporary Provision remained in the Indian Constitution for Seven Decades despite of the provisions were absolutely undemocratic and hurting the human rights. Modi lead Government removed them in 2019.

This shows the value of words/promises of the Congi and its cultural allied parties. Practically the value of their word has always remained nil.

Let us understand the implications of the statement of Adhir Ranjan Chaudhary.

First of all let us look at the Statement of Adhir Ranjan Chaudhary.

Adhir Ranjan Chaudhary stated in the Indian Parliament on 1st December 2019,

“the REAL INFILTRATORs in India is Narendra Modi & Amit Shah.

What is the logic of this fellow i.e. the logic behind the statement of Adhir Ranjan Chaudhary?

(1) Narendra Modi and Amit Shah though they are Prime Minister and Home Minister respectively in the Central Government of India, are the Real infiltrator. The rest infiltrators being narrated by the BJP Government are not the real infiltrators. This implies by the word “REAL” used by Adhir Ranjan Chaudhary while making the statement into the statement.

(2) Why Narendra Modi and Amit Shah are REAL Infiltrator in India? B’casue Narendra Modi and Amit Shah has their home in Gujarat but they have come to New Delhi. This means, those who are coming from one Indian State to other Indian State e.g. From Gujarat State to New Delhi are the Real Infiltrators. But the persons  coming from another country into India even without INDIAN VISA inclusive of terrorists are not REAL INFILTRATORS, but they are “simple” INFILTRATORs. They are supposed to have more rights than the PM Narendra Modi and the HM Amit Shah because these people are REAL INFILTRATORs.  

(2.1)This fellow Adhir Ranjan Chaudhary himself becomes a REAL INFILTRATOR on his own logic. But he ignores his own logic for himself.

(2.2)This fellow [this fellow means Adhir Ranjan Chaudhary] does not recognize Indian Constitution. He does not know or he does not want to know that in accordance to Indian Constitution the elections were held time to time. Narendra Modi and Amit Shah had lawfully met with the qualifying conditions stipulated under Election Act, and they had contested elections. They won. They accordingly had taken the oath before the constitutional authorities. But this fellow in our subject matter, does not recognize the qualification stipulated under the constitution, and he further does not recognize the authority.     

(3)On the other hand and on the contrary “this fellow” believes that India is for all and thereby the infiltrators inclusive of terrorists from across the border have right to live in India, despite of the law of the land does not support the infiltrators.

(4) This fellow further says, that the “India is not the property of anybody”.  This fellow points the finger at Narendra Modi (PM) and Amit Shah (HM), that India is not the property of Narendra Modi and Amit Shah.

(4.1) Hence Narendra Modi and Amit Shah have neither the right to update National Register of Citizens nor to execute to implement the qualifying conditions.

(4.2) It further implies from the statement of “this Fellow”, that the Memorandum of Settlement was signed by the then Prime Minister Rajiv Gandhi of Congi Party in 1986.

Since Rajiv Gandhi is dead the document is deemed to be dead. Because Rajiv Gandhi had signed the memorandum document as the PM of India. India is to be taken as the property of Rajiv Gandhi. That is why he had signed the memorandum document. Rajiv Gandhi is dead. The memorandum document is also dead.

How is it?

Recall Nehru’s oath on “lost land to China in 1962 Indo-China war”. China had achieved cake walk victory over India and captured 71000 Sqaure miles of Indian land of its CLAIM. Nehru had taken an Oath before the Indian Parliament that he and his party would not take rest till the lost land of India is not recaptured. Nehru died when he came to Delhi after taking rest in Dehradoon. Indira died. Rajiv died. The oath also had been taken as died. Now we Congis never talk on the lost land. We never considered it, that it is an issue. Off course we had never considered any issue/problem as an issue/problem. We had only considered the only issue as an issue, as how to capture power and how to make money by any means and at any cost to Nation.

(5) “This fellow further says “Narendra Modi and Amit Shah are recognizing citizens under Muslims and non-Muslims”. We Congis are recognizing only Muslims. We want to show the Muslim community that we may be making money through unauthorized and illegal means whenever we are in power, but we are for the Muslims, we are of the Muslims, thereby we want to give the Muslims of India and Pakistan and Bangladesh, a message that we are here to protect you and also we are here to protect your every new entrant in India. We well come you always. You can take citizenship at your free will, because India is for all. This “all” means Muslims.      

Look at the media coverage on this matter:

“Divya Bhaskar” is at low profile. It publishes this news on an inner page viz. page – 14, in small size characters on RHS end, in line with less important news.

No question of trolling the statement.

To allege a Prime Minister and Home Minister infiltrator in a democratic country is hurting the feeling of the people of the nation and further it is degrading prestige of the Nation.

Had been it made an equivalent statement even by a third grade RSS leader (not even BJP), the news would have been published on front page with large and bold characters.

TOI has off course published the news, but not as a Top News Item. No trolling.  

Recall. How much the statement of a third grade leader of BJP, viz. Sadhvi Pragya was trolled by the media and oppositions.

What action is required against “this fellow” Adhir.

Adhir is not a Badhir. He spoke everything thing in his total sense.

He was not drunk when he spelled out the statement.  

Neither he nor his party president has said that it was the statement in his personal capacity. Thereby this was the official statement. Thereby it was in accordance to the policy of his party. His party is Congi. Whatever we have charged  Adhir in this blog, the same charges go on Congi too. Media has kept mum. Let us watch as to what political analysts react and troll.

But at a prima facie;

(1) “this fellow viz. Mr. Adhir” and Congis are anti-nationals and does not pay regards to the Indian constitution.

(2) “Adhir’s” membership of parliament must be terminated, and his citizenship must be withdrawn.

(3) HC/SC must take a note of Congi party’s and “Adhir’s” behavior.

(4) HC/SC should call Congi’s party President, for clarification, call for explanation and HC/SC should order of arrest of all the MPs who supported “Adhir”, and “Adhir” should be kept in jail till the judgement of FINAL ORDERs

(5) Meanwhile the recognition of Congi Party should be suspended till further order.   

(6) No apology from the end of Sonai, RaGa, Priyanka etc… can be made acceptable. Adhir and Congis cannot say that they do not know Hindi in proper sense. They are liar.

Shirish M. Dave

https://www.treenetram.wordpress.com

Read Full Post »

Older Posts »

%d bloggers like this: