Feeds:
Posts
Comments

Archive for the ‘Uncategorized’ Category

Be aware, O! Sanatanists and Nationalists, all these are either Congi-s’ and/or supporters their cultural allies, with mask of nationalists. Identify them.

I call them Lutyen Gangs. These are always ready to divert the attention of public, from current culprits and traitors, from the current national issues, towards dead and controversial issue of Gandhi.  These people want to divide Hindus on every way possible, by cursing and creating negative atmosphere against present Central Government.

JUMP TO OTHER TOPIC

They will not concentrate on strategy. Even if, someone asks questions to the point on the dead issue they are activating. They will not reply to the point.
If someone ask a logical question (just for an academic reasons as they say “to study the history for the reason, it does not get repeated”) they will not answer. Because their agenda is to help Lutyen leaders. They either curse you, with the same irrelevant dead topic or they would jump to other similar subject.

DO NOT WRITE TO THE GOVERNMENT

If someone will point out that if they want the result of their choice, they could exert the pressure on the Central Government by writing to the Central Government? This facility is available on social media. Criticizing with negative approach towards BJP/Modi is not the way and it cannot be a part of strategy. If they are not capable to understand about the strategy, better they keep mum.

ACADEMICAL INTEREST?

If they feel, they are correct, they should come up with logic and reply to the questions put up to them.

Why their forefathers did not kill Jinna, Mujiboor Rehaman, Liyakat Ali, JL Nehru, Iskander Mirza, Suharavardi Noon, …?

These Lutyen people were responsible for partition. Why did they chose a soft target MK Gandhi? Even after killing MK Gandhi, they could have continued to kill these rest leaders!

WERE THEY COWARD?

Why they did not continue the incomplete work of killing? Were their forefathers, coward? Were they interested to take up the soft target only? That is all. Their job finished. Now put full point?

COWARDS REMAIN INACTIVE

Nehru had committed a lot of blunders. Such blunders a fool or chitter/fraud/anti-national only can do. But these people did not even defeated the Nehru/Congi. What to talk and expect killing Nehru by these cowards, even after allowing the China to enjoy the Cake Walk Victory over India.

I say, Nehru had nearly donated 91000 Square miles land to China.

Nehru took an oath before the parliament that he/his party, will not rest, till they would re-capture the lost land.

WHAT DID THESE COWARDS DO?

They simply awarded a Victory to Congis in all the elections for decades.

If these cowards’ forefather had supported MK Gandhi, when he said partition would be on my dead body, then partition could had been avoided. If these people would had gone on fast, Gandhi definitely could have taken up fast.

But nobody of them come up at any scale to support MK Gandhi.

British did their job of dividing India mentally and geographically. MK Gandhi did his job of sacrificing his life after independence, and opened up a way to eliminate Nehru, by advising congis, and suggesting people, to dissolve Congi. But these cowards and their forefathers had no principles, no sense of relevance and no sense of significance.

LOOK AT THE LATEST SITUATION.

The Kejri, is openly active in full swing,   with his communal mind and enhancing communal mind-set. He is alive, even after blazing and killing through his gangs.

WHO IS TO BE BLAMED FULLY? ANNA HAZARE?

Yes?
 
It looks ridiculous.

Would these Cowards say the responsibilities lies with Anna Hazare?

No only Kejri and his gang is alive, but Mamata with her gang who executed genocides on who did not voted to her,  is alive,  Mullayam died with his natural death but his cultural, biological and ideological son Akhilesh with his gang is alive, Farukh  with his gang is alive, Mehbooba with his gang alive, CPMI leaders with its gangs are alive, Nehruvian biological and ideological progenies with their gangs are alive, Uddhav and his gang is alive, Sharad and his gang is alive,  …. And what not …. ?  

Fortunately Anna Hazare is help-less and ready to explain how he is helpless.

Is there any crack pot available here?

Social Media helps Congi Lutyens too, to divert the attention of public.

Ayyo yo …. Where are you … Madhuji, Chavdaji, Sudhirji, Prakharji, Gayatriji, Col. Bakshiji …

Read Full Post »

Dear Mr. Abhijit Chavda,

I used to watch your video with a lot interest. I found you credible. But when I watched your video “ Was Gandhi Really a Mahatma? Or was Gandhi a British Agent ? | Favouring British Over India | Abhijit Chavda.”

What is the definition of Mahatma?

I think first we should understand the meaning of Mahatma.

मनस्येकं, वचस्येकं कर्मण्येकं महात्मनाम्

A great soul would spell out what is in he thinks, what is in his mind and the same he would put to work.

Can you give any example where MK Gandhi worked to the contrary to his principles?

Was Gandhi a British Agent?

Matter off course can be very well treated as controversial. To my opinion this is due to mislead perceptions.

Who was the great nationalists among British in Britain, who held power post as Prime Minister?

I think it was Churchill. He had said I am the last person to award freedom to India. He had bitterly criticized Indians including MK Gandhi. He never granted permission to MK Gandhi for a personal meeting with him. Was Churchill a fool cheating himself? The PM who treats a person an enemy number one can be treated as an agent? Was Churchill a fool or a cheater for himself? 

Fortunately you have not objected (I am not sure whether I am right or wrong) to the word “Father of Nation” on the ground that India is a 20000 years old civilization how can its father could be a 79 years old person?

Congress which was formed by Hume was off course functioning as a British Agent. This was the very purpose for what it was formed to Act between British Government and the people of India. The duty of the Congress members was to communicate people’s feeling to British Government. But in the early twentieth Century it was divided in two groups. i.e.  This was in about 1920 and the Congress passed a resolution for self governance. Thereafter by 1930 passed a resolution of total freedom. Then in 1942 “Quit India Now”. We will not cooperate you in your war.

You have narrated uncalled, non-comparable stories. The geographical and political situations were quite different that prevailed in India and the nations of your stories of some other leaders, who embarrassed violence and converted their nation into a prosperous country.

You raised a question as to Why Gandhi could not do this?

According to you, Gandhi could have done this by Guerrilla wars with the help of the support of Indian military.

It is much more significant question if we ask our self as to why MK Gandhi could not act as per Chanakya.

I agree that, initially MK Gandhi was of the opinion that Britishers are eligible to rule India. According to MK Gandhi, British Government by its principle, respectful towards Law & Order. British believed in humanity and Human rights, despite, it failed at many/some incidents.

Why the Indians failed to judge the British intentions in correct way?

Indians had seen Mogul rule of Aurangzeb and his atrocities. But when Aurangzeb was in the last days of his life, the Mogul empire was totally broken up. Subedars (सुबेदार) of Mogul, Riyasatdar (रीयासतदार) of Marathas and Peshvas, were after looting the traders of cities. There are books written during the period of middle of eighteenth and first quarter of nineteenth century, where the kings, irrespective of Hindu or Muslim or Pindhara, only interested in looting wealthy people, during their small spans of rein. In short, it was period of anarchy.

Kings were fighting among each other. This was a period of total anarchy prevailed for nearly 50 to 75 years i.e. upto 1825.

British somehow got a chance to establish their rule. It is a long story, we will not discuss.

British established peace and rule of law. But Dalhousie started derecognizing the successors of some of the Indian kings. Thereby the kings united irrespective of Hindu or Muslims, under the leadership of Bahadur shah Jaffar. 

Bentick had introduced English in administration. Gurukuls were destroyed systematically. Conversion started in tribal area. Craftsmanship was getting destroyed.

After the defeat of 1857 war, some reformers started re-thinking as to why we lost 1857.

Dayanand Saraswati thought it was due to, we forgot Vedas and our culture which is actually far more  superior to British.

But there was another trend too.  That was consisting many elite and political leaders. These people were certified by British. They had been educated in English Schools and universities.

Raja Ram Mohan Roy, Ishvar Chandra Vidya Sagar, Ravindra Nath Tagor, Lokmanya Tilak, Gopalkrishna Gokhale,  … Many of these people believed that British people are worthy by their culture and knowledge to rule India. This was a very common belief among Elites of India. So was the case with MK Gandhi.

MK Gandhi was of the opinion that it is possible to get justice through court of law or with a non-violent movement. Condition applies that faith should be on both the sides.

Mr. Abhijit ji, you have ignored this valuable theory of non-violence which was put forward by Leo Tolstoy, before passing blame on MK Gandhi.

MK Gandhi was doing experiment once he satisfied himself on what Leo Tolstoy put forward.

MK Gandhi was having an ordinary calibre, with his family back ground. His mother and a maid servant had put great impact on him about the religion, will power and to always avoid telling lies. Off course once upon a time, he wanted to be physically stronger. He ate mutton too. Then his belief was changed. Then he confess before his father what he did.  His friend Rajchandra had given him a lot spiritual knowledge. This had great impact on him.

MK Gandhi was not from a well to do family. Once his father died, the condition of the family was like a common family. He went to England by selling out jewellery of his wife and some monetary help of his elder brother.  

MK Gandhi created good contacts in England who were interested in love, spirituality and religion.

We must know that his father was serving the Porbandar kingdom as a family court, for resolving the family issues. He never experienced and felt any difference and discrimination between Hindus and Muslims. That is the political culture had  not  become strong enough to divide. One of the reasons could be due to weak media.

MK Gandhi had given successful fight for providing justice to Indians in South Africa. His Socio-political service was started from South Africa. i.e. Experiment on truth.

After coming to India he was advised by Gopalkrishna Gokhle to carryout extensive tour of rural area for nearly two years.

His biggest service to the nation was that, he opened up the doors of Congress for common mass. He organised Congress and its structure. He organized Swadeshi movement, he organized social reforms. Off course he believed in castes but had not believed in its different levels. He believed in Naturopathy and Ayurved. He had made several experiments on them and they were successful at large.

He believed in democracy. He believed that reformers should have no political power nor even of any type. That is why he was not even holding a membership of Congress from 1933.

It is the public who suggest and demand the reforms. That is, the public (common mass) should be ready to percept the reforms. Individual have full rights of expression without harming others.

According to MK Gandhi “non-violence” was a relative term. For him, least possible violence is a non-violence.

Why human society has made rules and regulation? Rules and regulations are the first step towards least violence.

An authority can only punish a guilty. Nobody can take law in his/her hand.

“Government will shoot who is not faithful to the nation. If you will make me the authority, I will shoot the unfaithful to the nation.” said MK Gandhi.

Awareness of the common mass was the great contribution of MK Gandhi. He was not against machines. He asked “what is the immediate job you can give to these poor mass. The earliest solution of poverty was Khadi-Gramodyoga.”

Independence of India was a peaceful transfer of power.

There has to be a document (Rule Book). Once Indian public representatives appointed a team to prepare a constitution and when they pass it with its majority, India has to be in a dominion status. How can a culprit during an interim period can be punished? There has to be some law.

Pakistan has achieved independence through violence of “Direct action”. You can see its conditions. Everybody cannot have spiritual mind-set. Even a person having talked of morality, cannot remain spiritual unless he is not being watched. Look at Kejri, Mamata, Sharad, Uddhav, Stalin, Lalloo, Mullayam…. 

The socialists (Communists), by their principles of “need not have any principle to achieve power”, are not that successful countries.

Dear Abhijit, it hurt me a lot, when you abused Gandhiji falsely.

Many persons are having false understanding on MK Gandhi. It could be due to their ill reading, ill understanding, lacking of common sense or prejudice mind or suffering from Anti-Gandhi phobia. Some of them are spreading fake news too.

I used to give them challenge to prove what they believe at least for their one conclusive opinion. Mostly they run away. i.e. they do not accept the challenge. Or they abuse me and run away.

But when I heard you against Gandhi,   I am really hurt a lot. To me, you are falling under a category of rare to rarest intelligent and logical persons on narrating ancient Indian historical facts with logical proof.

I had a very great opinion about you. Why did you break my heart?

Are you ready to discuss? Are you ready to take up a challenge? Only on one topic of your choice which is most significant for you that put India to irreparable harm. … Take your time.

Regards,

Shirish Dave

https://www.treenetram.wordpress.com

Read Full Post »

“એન. આર. આઇ. ઓ અને તેમના સંબંધીઓની સમસ્યા” રાહુલ ગાંધી જવાબ આપે

“ એન. આર. આઈ.ઓની સમસ્યા? અરે ભાઈ, એન. આર. આઈ. ઓને સમસ્યા હોય તો તેઓ , જે તે દેશના દૂતાવાસ ને લખે, કે ભારતા  વિદેશ મંત્રી શિવ શંકરને લખે, કે નરેંદ્ર મોદીને લખે, કે ન્યાયાલયમાં એક પી. એલ. આઇ દાખલ કરે. રાહુલ ગાંધી ને શા માટે કષ્ટ આપે? આવી બાબતોમાં રાહુલ ગાંધીને શું લાગે વળગે?

“ જુઓ. રાહુલ ગાંધી જી ની અટક ગાંધી છે, અને જેમ પ્રિયંકા ગાંધી પોતાની “ઈશ્વર દત્ત નાસિકા, ઈંદીરા ગાંધી જેવી હોવાથી, પોતે વડા પ્રધાન બનવાની યોગ્યતા ધરાવે છે એમ માને છે,  તેમ રા.ગા. જી પણ પોતાની અટક ગાંધી હોવાને કારણે પોતાનામાં મહાત્મા ગાંધીના બધા ગુણો છે અને પોતે પોતાને સવાઈ વડા પ્રધાન માને છે  (સવાઈ વડા પ્રધાન એટલે વન પોઈંટ ટુ ફાઈવ ૧.૨૫ વડા પ્રધાન માને છે) આ વાત તમે  સમજો.

તમે આ જુઓ;

જ્યારે કોંગીની નેતાગીરીનું શાસન હતું ત્યારે સંવિધાન પ્રમાણિત વડા  પ્રધાન શ્રી મનમોહન સિંહ ના મંત્રી મંડળે પસાર કરેલા સંવિધાનને લગતા એક પ્રાવધાનના અધ્યાદેશના પ્રારુપ (ડ્રાફ્ટ)ના, રા.ગા.જી એ, લીરે લીરા કરી દીધેલા, અને મનમોહન સિંહે તેનો કશો વિરોધ પણ કર્યો ન હતો. એટલું જ નહીં પણ રા.ગા. જી ની ઈચ્છાને માન આપ્યું હતું. આ ઉપરાંત, મનમોહન સિંહ જી એ એમ પણ કહ્યું હતું કે રા.ગા. જી, જો આદેશ કરે તો હું રા.ગા.જી માટે (ઝાડુ લગાવવા નહીં પણ) વડાપ્રધાન પદ ખાલી કરવા પણ તૈયાર છું. જો કે તે સમયે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી હતાં,  તે છતાં પણ રા.ગા. જી પોતાનું મંતવ્ય આ રીતે પ્રદર્શિત કરી રહ્યા હતા. આ તેમનો મોરલ – પાવર હતો અને છે. અરે સોનિયા જી પણ કશો વિરોધ કરી શક્યા ન હતા. જો કે આ બાબત અંગે જુદા જુદા મંતવ્યો અસ્તિત્વ ધરાવે છે. કેટલાક કહે છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જી ની આ અદા ઉપર વારી ગયેલા. કેટલાક કહે છે કે સોનિયા ગાંધીએ તે સમયે રા.ગા. જીને બીજા રુમમાં લઈ જઈ, “બટ” ઉપર ચીંટીયો ભરી દિધેલો. કેટલાક કહે છે કે અધ્યાદેશ ને ફાડી નાખવાની ઘટના ને દિવસે ચીંટીયો ભર્યો ન હતો પણ જ્યારે વર્તમાન પત્રોમાં આ ઘટના ચગી કે ચગાવવામાં આવી, તે પછી  સોનિયાજીએ રા.ગા.જી ને ચીંટીયો ભર્યો હતો. આપણા  હેલ્પેશભાઈને આ વિષે જાણ નથી. પણ એટલું ખરું કે આ બાબતમાં કંઈક તો મહાત્મા ગાંધી અને રા.ગા. જી વચ્ચે સમાનતા છે. એ ખરુ કે ગાંધીજી જે કંઈ કરતા તે સૌમ્ય રીતે કરતા. જ્યારે રા.ગા. જી પોતાને શોભે એ રીતે કરે છે.

“ અરે ભૈય્યાજી તમે તો આડી વાત ઉપર ઉતરી ગયા. અને વળી પાછા કોઈની વક્ર-નાસિકાનો ઉલ્લેખ કરી તેણીની વડા-પ્રધાન પદ ની દાવેદારીને સાંકળવા લાગ્યા. આ તે કંઈ રીત છે? તેણીએ કદી વડા પ્રધાન પદની દાવે દારી કરી નથી.

“ અરે મહાશય, તમે રાજકારણને સમજવામાં ઢબુ પૈસાના ઢ છો. રાજકારણમાં કદી સીધે સીધી દાવેદારી કરાતી નથી. દાવે દારી કંઈ સીતાનો, કે દ્રૌપદીનો કે દમયંતીનો સ્વયંવર નથી કે સૌ કોઈ ફોર્મલ રીતે લાઈનસર બેસી જાય. અહીં તો પહેલાં  “દાણો ચાંપી” જોવાનો. અને આ દાણો ચાંપવાની ક્રિયા પણ બીજા મારફત કરાવવાની. આથી પણ વિશેષ તો એ કે થોડાક કમીટેડ ભક્તો રાખવાના, કે જેઓ આપણી પ્રચ્છન મહેચ્છાઓને, સ્વયં પ્રજ્ઞાથી જાણી જાય અને દાણો ચાંપી જુએ. તમને ખબર નથી, આપણા ગુજરાતમાં એક કાંતિ ભટ્ટ નામે કરીને એક લેખક હતા તેમણે પ્રિયંકા વાંઈદરા માટે દાણો ચાંપી જોયો હતો કે હવે દેશને …

“ તમે આ બધું શું કરો છો …યાર … ? ગાડીને આડે પાટે કેમ ચડાવો છૉ?  અને વળી પાછા “પ્રિયંકા વાડ્રા”ને બદલે ‘પ્રિયંકા વાંઈદરા’ બોલો છો …  યાર … આપણી વાત હતી કે   ‘એન. આર. આઈ. ઓની સમસ્યા ન ઉકેલવા બદલ રા.ગા.જી ઉત્તર આપે … એની વાત કરો ને?

“જુઓ ભાઈ … અમે રહ્યા કાઠીયાવાડી. અમે તો આવી જ રીતે ઉચ્ચારો કરીએ. તમે કહો “કટકો” અમે તે જ શબ્દને “કઈટક્યો” એમ જ કહીએ. ક્યારેક અમારામાં કુદરતી ઉચ્ચારણ આવી જ જાય ને?… તમે કેમ ક્યારેક ‘હા’ ને બદલે  ‘હૉવ…અ …’ એમ બોલી નાખો છો તેનું શું??

“મુકોને પૈડ … હવે લાઈન ઉપર આવો …

“જુઓ …  વાત જાણે એમ છે કે આપણે જે પ્રભાવશાળી શબ્દનો ઉપયોગ કરવાના હોઈએ, તે શબ્દની આપણે વ્યાખ્યા એટલે કે પરિભાષા આપવી જોઇએ.

“ હા … ઓકે … તો શું?

રાહુલ ગાંધીજી એ કહ્યું કે; આપણી સ્વાતંત્ર્યની લડતમાં બધા “એન. આર. આઈ.” ઓએ જ મહત્વનો ભાગ ભજવેલ. મહાત્મા ગાંધી  “એન. આર. આઈ.” હતા, વલ્લભભાઈ પટેલ “એન. આર. આઈ.” હતા, સરોજીની નાયડુ “એન. આર. આઈ.” હતાં, લોકમાન્ય ટીળક “એન. આર. આઈ.” હતા, આંબેડકર  “એન. આર. આઈ.” હતા. ઇંદિરા ગાંધી “એન. આર. આઈ.” હતાં. … બધા જ “એન. આર. આઈ.” હતા.

“તમે કહેવા શું માગો છો?

“તો પછી તેનો અર્થ એમ જ થયો કે “એન. આર. આઈ.” જ વડા પ્રધાન થઈ શકે. જેમ કે “ હું “… જો “એન. આર. આઈ.” સ્વાતંત્ર્યની લડત સફળતા પૂર્વક ચાલાવી શકે તો “એન. આર. આઈ.” જ સફળ વડા પ્રધાન બની શકે. “ચા વાળા”ની કોઈ હેસીયત છે?

“હે ભગવાન … તમારી “એન. આર. આઈ.” ની વ્યાખ્યાને શું કહેવું … ? “એન. આર. આઈ.” એટલે નોન રેસીડંટ ઈંડીયન. “એન. આર. આઈ.” એટલે ‘વિદેશ વસતા ભારતીય’. વિદેશથી પરત આવેલા ભારતીય નહીં. વિદેશથી ભણીને કે ભણ્યા વગર આવેલા ભારતીય ને ફોરીન રીટર્ન્ડ ઈંડીયન એટલે કે એફ. આર. આઈ. એમ કહેવાય. જેમકે ઈંદીરા …ગાં ..

“ એ જે હોય તે. અમારા રા.ગા.જી એ કહ્યું એટલે અમારે માનવું પડે.

“જેવી તમારી મરજી … પણ “એન. આર. આઈ.”ઓની સમસ્યાના ઉકેલ માટે રા.ગા.જી જ ઉત્તર આપે.  ઓ કે. પહેલાં સમસ્યા સમજો.

વાત એમ છે કે અમેરિકામાં (યુ. એસ. એ. માં) ચાર ચાર તો સ્ટાંડર્ડ ટાઈમ છે. આ વળી પાછું અધુરું હોય તેમ તેઓ વર્ષમાં બબ્બેવાર ટાઈમ આગળ પાછળ કરે. ઘણા એન. આર. આઈ. ઓ અને તેમના ભારતમાં રહેતા સંબંધીઓ મુંઝવણમાં મુકાઈ જાય છે. જેમ કે ક્યારે ફોન કરવો?

“ હા … એ વાત ખરી

“પહેલાં વિલાયત વાળાઓએ આપણી ઉપર રાજ કર્યું. એટલે તેમણે લંબાઈના માપ દંડો ના એકમો આપણા ઉપર ઠોક્યા. લંબાઈના માપદંડો એટલે કે માઈલ, ફર્લાંગ,  વા’ર, ઈંચ, દોરા ના માપદંડોમાં આપણા ઉપર ઠોકી દીધા . એતો ઠીકછે કે તેમણે ઉંચાઈ અને પહોળાઈ માટે પણ તે જ માપ દંડોના એકમો રાખ્યા. નહીં તો તેમનું તો ભલું પૂછવું. તેના માપ દંડના એકમો પણ અલગ રાખે. પણ એ વાત જવા દો. પણ કાલ ખંડ ના એકમો ને કલાક અને મીનીટ અને સેકંડમાં રાખ્યા. અને તે પણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા વાગે. જેમ કે ભારતમાં સૂરજ ઉગે એટલે ભારતમાં પાંચ વાગે અને વિલાયતમાં શૂન્ય વાગે. ચાલો એ તો આપણે સમજ્યા કે ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલી પ્રમાણે સુરજ ઉગે એટલે નવો દિવસ ચાલુ થાય. પણ ભારતમાં શૂન્ય વાગવાને બદલે પાંચ શા માટે વાગે? ચાલો એ પણ માફ. પણ અમેરિકાવાળા ઘાણી કરે છે. તેમણે તો ચાર ચાર ટાઈમ રાખ્યા છે. એટલે કે  અમેરિકાની અંદર જ જુદી જુદી જગ્યાએ  જુદા જુદા વાગ્યા હોય. એટલે એન. આર. આઈ. ઓ ને ભારતમાં તેમના સંબંધીઓને ફોન કરવા હોય તો “ભારતમાં અત્યારે દિવસ/રાત ના કેટલા વાગ્યા હશે”  તેની ગણત્રી કરવી પડે.  આ જ સમસ્યા ભારતમાં રહેતા “એન. આર. આઈ.”ઓના સંબધીઓને અમેરિકામાં રહેતા “એન. આર. આઈ.”ઓને ફોન કરવામાં “અમેરિકામાં અત્યારે કેટલા વાગ્યા હશે” એની ગણત્રી કરવામાં નડે.

“પણ તે તો બધુ નક્કી છે કે દિવસ અને રાત ઉલટ સુલટ હોય. કારણ કે પૃથ્વી ગોળ છે.

“અરે પૃથ્વી ગોળ છે અને પૃથ્વી સૂર્યની આસ પાસ ફરે છે. આપણે પૃથ્વી ઉપર છીએ તેથી આપણને સૂર્ય, પૃથ્વીનું ચક્કર લગાવે છે એમ લાગે છે. એટલે કે ઉગે છે , માથા ઉપર આવે છે અને આથમે છે. એટલે સાંજ પડીને રાત શરુ થાય છે. આ બધું તો સમજ્યા. પણ સમય શા માટે જુદા રાખ્યા?

“જુઓ, અંગ્રેજોનું વિશાળ સામ્રાજ્ય હતું.  તેમને પોતાના તાબાના દેશોના વહીવટ માટે ટાઈમ ટેબલ બનાવવાનું હતું. એટલે કે છ વાગે ઉઠવું, આઠ વાગ્યા સુધીમાં કુદરતી કાર્યો પતાવી લેવા, નવ ની આસપાર બ્રેકફાસ્ટ કરવો અને ૧૦ વાગ્યા પહેલાં તૈયાર થઈ ઓફીસ પહોંચવું. અને દશ વાગે ઓફીસનું કામ ચાલું કરવું. તેમના તાબાના જુદા જુદા દેશોમાં  સૂર્ય તો જુદે જુદે સમયે ઉગે એટલે અંગ્રેજોને જુદા જુદા દેશો માટે જુદા જુદા સમય પત્રક બનાવવા પડે. અને જો તેઓ એવું કરવા જાય, આ તો કાહટી કરવી કરવી પડે. પોતે જ ગુંચવાઈ જાય. તેમને જ ખબર ન હોય કે કયો દેશ ક્યાં છે? એટલે તેમણે દરેક દેશ માટે સ્ટાંડર્ડ ટાઈમ નક્કી કર્યા. પહેલાં વિલાયતવાળા અંકલ સેમ હતા. હવે અમેરિકાવાળા અંકલ સેમ છે.

“અરે ભાઈ, પણ આ સમયને વર્ષમાં બે વાર આઘો પાછો કરવો એ શું કરવા? વર્ષના અમુક દિવસથી ઘડિયાળના કાંટાને એક કલાક આગળ કરો અને અમુક દિવસથી વળી પાછા એક કલાક પાછા કરી દો. વળી અમેરિકામાં તો ચાર ચાર ટાઈમ. આ ચાર ચાર ટાઈમને વર્ષમાં બે વાર આગળ પાછળ કરવાના. એટલે આઠ વાર સમયના ગોટા કરવાના. આપણે ભારતમાં જુઓ. ભારતમાં પણ સૂર્ય જુદી જુદી જગ્યાઓએ  જુદે જુદે સમયે ઉગે છે. જેમકે નોર્થ – ઈસ્ટના રાજ્યોમાં સૂર્ય માં પાંચ વાગે ઉગે અને ધોળાવીરામાં સાત વાગે ઉગે. ઓફીસ જવાનો સમય તો એક જ. દા.ત. ૧૦ વાગ્યાનો. મેઘાલયમાં તમે ૧૦ વાગે પોસ્ટ ઑફિસમાં જાઓ તો પ્રવેશ દ્વાર ઉપર તાળું જોવા મળે. સૂર્ય વહેલો ઉગ્યો તો શું થઈ ગયું? અમે તો ૧૧ વાગે જ ઑફિસ ખોલીશું.  સૌરાષ્ટ્રમાં તમને ઑફીસોમાં બપોરે એક વાગ્યા થી ચાર વાગ્યા સુધી કાગડા ઉડતા જોવા મળે. જો કે પોસ્ટ ઑફિસમાં એવું ન હોય. આ તો ભાઈ સ્થાનિક આદતોની વાત છે. તમે પણ સમય જતાં ટેવાઈ જાઓ. પણ તમે એ સમજો. કે હવે તો પૃથ્વી એક ગામડું બની ગયું છે. હવે બધા એક જગ્યાએ રહેતા હોય તેવું નથી.

“ તમે શું એમ માનો છો કે અમેરિકાના માણસોને આ ખબર નથી?

“એમને ખબર છે કે નહીં તેથી અમને કંઈ ફેર પડતો નથી. પણ અમને કઠે છે તેનું શું? અમારા  સર પ્રભાશંકર પટ્ટણી ઇંસ્ટિટ્યુટ ઓફ સાયંસ ભાવનગર , ના હેડ ઓફ ધ ફીઝીક્સ ડીપાર્ટમેંટ, કે. એલ. નરસિંહમ સાહેબ કહેતા હતા કે,  અંગ્રેજોનો સમય, શૂન્યકાળ થી શરુ થાય. એટલે કે ૦, ૧, ૨, ૩, ૪,  એ રીતે ચાલુ થાય છે. એટલે કે જો ઓફીસનો ટાઈમ ૧૦ વાગ્યાનો હોય તો ૧૦ને ટકોરે તમે ઓફીસમાં હોવા જોઇએ.

ઈંડિયાનો સમય શૂન્ય વત્તા અડધો કલાક કે એક કલાકથી શરુ થાય. એટલે કે તમે ૧૧ = ૩૦, કે ૧૨ વાગે ઓફીસમાં હોવા જોઇએ. તમે ઘરેથી નિકળો એટલે તમે ડ્યુટી પર ચડી ગયા એમ સમજવાનું

પણ ભારતનો સમય (ભારતનો સાંસ્કૃતિક સમય), માઈનસ થી શરુ થાય. એટલે કે ૧.૫, -૧, ૦, ૧, ૨, ૩, ૪, … બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્ય ઉગે તે પહેલાંના દોઢ કલાકથી શરુ થાય. આ અંગ્રેજોએ પોતાની જનરેટ કરેલી સીસ્ટમો તો અમારા ઉપર ઠોકી, પણ તેઓ જે બીજાની સીસ્ટમોનો અમલ કરતા હતા તે પણ અમારા ઉપર ઠોકી.

“ ચાલો એ બધું સ્વિકાર્યું. પણ રાહુલ ગાંધી આમાં શું કરે?

“  કેમ વળી રાહુલ ગાંધી જવાબ આપે કે આવું કેમ કર્યું?

“પણ રાહુલ ગાંધીએ ક્યાં આ કર્યું છે?

“તેથી શું થઈ ગયુ? જવાબ તો આપવો જ પડે ને?

“ ગજબના છો તમે તો …?

“અથવા તો એ  જાહેરમાં જાહેર કરે કે તે યુ.કે, ના નાગરિક નથી. નાગરિક તરીકે તેમની ફરજ ખરી કે નહીં?

“અરે પણ તમારી ફરિયાદ તો અમેરિકા સામે છે. રાહુલ ગાંધી યુ. કે.ના નાગરિક હોય તો પણ અમેરિકાએ ઉભી કરેલી સમસ્યા માટે રાહુલ ગાંધીને શા માટે જવાબદાર ગણી શકાય?

“ અરે વાહ ! રાહુલ ગાંધી, કોઈ એક ત્રાહિત વ્યક્તિનું સ્વમાન ઘવાય, તેની આખી કોમ્યુનીટીને ચોર જાહેર. તેના પરિણામ સ્વરુપ તે વ્યક્તિ  રાહુ;લ ગાંધી ઉપર ન્યાયાલયમાં  કેસ કરે, ન્યાયાલય રાહુલ ગાંધીને પોતાનો પક્ષ રજુ કરવા પૂરતો સમય આપે, સજા નો આદેશ આપતાં પહેલાં રાહુલ ગાંધીને માફી માગવાનું કહે, રાહુલ ગાંધી માફીની ધરાર ના પાડે, એટલે ન્યાયાધીશ  રાહુલ ગાંધીને સજા કરે, એટલે રાહુલ ગાંધી અને તેમના પક્ષના સદસ્યો નરેંદ્ર મોદીની સામે પ્રદર્શન કરે, અને કહે કે નરેંદ્ર મોદી જવાબ આપે. સજા કરવામાં નરેંદ્ર મોદી કેવીરીતે આવે? મારા ભાઈ.

“ તેથી શું થઈ ગયું? નરેંદ્ર મોદીએ જવાબ આપવો જ જોઇએ. રાહુલ ગાંધીએ અદાણી ઉપર આક્ષેપ કર્યા તેના પરિણામે જ નરેંદ્ર મોદીએ રાહુલ ગાંધીને સજા અપાવી.

“તો તમે ન્યાયાલયમાં જાઓ અને સાબિત કરો. તમને કોણે રોક્યા છે?

“અમે શું કામ જઈએ? નરેંદ્ર મોદી જાય ને! અમે તો અમારું શાસન હતું અને સર્વોચ્ચ અદાલતે સજા કરી હતી તો પણ અમારા અપ્રચ્છન્ન મિત્રો એમ કહેતા હતા “ અફઝલ હમ શર્મીંદા હૈ તુમ્હારે કાતિલ જિંદા હૈ.” અમે તો, તેઓ અમારા સાંસ્કૃતિક સાથીઓ હોવાને નાતે,  તેમની પાસે જઈને તેમની પીઠ થાબડતા હતા. અને અમે તેમને કહેતા હતા કે “તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.” બોલો હવે કંઈ કહેવું છે? અમે તો તેમને વિધાન સભાની તો શું, સંસદની પણ ટીકીટ પણ આપીએ. અમારી તો આ વારસા ગત સંસ્કૃતિ છે. ઈંદિરા ગાંધીએ પણ વિમાનનું અપહર કરનારાઓને ટીકીટ આપી હતી ને. તેમને જીતાડ્યા પણ હતા. તમે જાણો છો કે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું છડે ચોક ખૂન કરીએ છીએ, છતાં પણ અમે એવો વર્ગ ઉભો કર્યો કે જે અમારી અટક માત્ર ગાંધી હોવાને કારણે અમને મત આપે છે. સિદ્ધાંતોને કોણ ગણે છે? અમારા મીડીયાની કમાલ જુઓ છો ને ! હમ હૈ લુટ્યેન ગેંગ વાલે. હોની કો અનહોની કર દે, અનહોની કો હોની, હમ જૂઠ બોલે, કૌઆ આપકો કાટે,  ક્યોં કિ કૌઆ ભી તો હમ હૈ.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

दुनिया में तीन काम बहुत ही मुश्किल है …पहला हाथी को गोद में उठाना दूसरा चींटी को नहलाना तीसरा जो सबसे मुश्किल है कांग्रेसीयो को समझाना ….. 🤣🤣

इसे समझिये अपशब्द राहुल गाँधी ने बोले, केस OBC समाज ने किया, सजा कोर्ट ने दी, संसद सदस्यता कांग्रेस।द्वारा बनाये कानून से खत्म हुई । पर इन सबका जिम्मेदार कौन ? मोदी । है ना आश्चर्य ?

Read Full Post »

હેલ્પેશભાઈ અને જ્યોતીષી

હેલ્પેશભાઈની ઘાત ગઈ!

“શું હેલ્પેશભાઈને કોરોના થયો હતો અને તેઓશ્રી કોરોનામાંથી બચી ગયા?

“ના ભાઈ ના …

“ તો પછી … શું તેમને બીજી કોઈ માંદગી થઈ હતી … અને તેઓશ્રી, તે માંદગીમાંથી બચી ગયા?

“ ના ભાઈ ના … એમને એવું કશું થયું નથી અને એવું કશું થયું ન હતું …

“ તો પછી શું તેઓશ્રી ડ્રાઈવ કરતા હતા અને જરાક માટે અકસ્માત થવામાંથી બચી ગયા?

“ ના ભાઈ ના … તેઓશ્રી ગાડી ચલાવવામાં એવી કશી ઉતાવળ કરતા નથી અને જાળવીને જ ગાડી ચલાવે છે.

“ તો પછી … તેઓશ્રી કોઈને મદદ કરતાં કરતાં કોઈ ઘાતમાંથી બચી ગયા?

“ના ભાઈ ના … પણ હવે તમે જાણી લો કે હેલ્પેશ ભાઈ કોઈને હેલ્પ કરતા નથી.

“તો પછી નામ “હેલ્પેશ” કેમ રાખ્યું છે?

“હેલ્પેશ ભાઈની એવી ઈચ્છા ખરી કે તેઓ બીજાને મદદ કર્યા કરે. પણ તમે જાણો છો ને કે … મનુષ્યને તેની દરેક ક્ષેત્રમાં સીમાઓ હોય છે. આ સીમાઓ ક્ષમતાને લગતી હોય છે, એમાં સામાજીક, કૌટૂંબિક અને  આર્થિક ક્ષમતા પણ આવી જાય. પણ તે વિષે વળી ક્યારેક પછી વાત કરી શું.

“ જ્યારે હેલ્પેશભાઈ ‘ટીન એજ’માં હતા અને તે પછી પણ તેઓ જ્યોતીષીને/જ્યોતીષીઓને અને હસ્તશાસ્ત્રીઓને પોતાની જન્મતારીખ અને હથેળી બતાવતા. જ્યોતિષશાસ્ત્રીઓ તેમના જ્ઞાનપ્રમાણે અને અથવા રામભરોસે આગાહીઓ કરતા.

“ તો શું હેલ્પેશભાઈ જ્યોતિષ શાસ્ત્રમાં માને છે?

“ આમ તો હેલ્પેશભાઈના પિતામહ એક ગણમાન્ય જ્યોતિષ શાસ્ત્રી અને સંસ્કૃતભાષાના પ્રકાંડ પંડિત હતા. હેલ્પેશભાઈને તેમના પિતાશ્રી પાસેથી જાણવા મળેલ કે જ્યોતિષશાસ્ત્ર દ્વારા  પણ ભવિષ્ય ભાખી શકાતું નથી. એમ તેમને તેમના પિતાશ્રી પાસેથી જાણવા મળ્યું હતું. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા દરેક વ્યક્તિની  કુંડળી બનાવવી એ, એના કૌટુંબિક ઇતિહાસમાંનું એક પૃષ્ઠ છે. ભવિષ્યવાણીને એક આશિર્વાદ-શુભેચ્છાના રુપમાં ગણવી. નક્ષત્ર અને ગ્રહોનો અભ્યાસ કર્યો હોય અને ભારતીય ધર્મશાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હોય તે વ્યક્તિ જ્ઞાની તો હોય જ. તેનું કામ જ આ સંસ્કૃતિને જિવિત રાખવાનું છે. તેથી તેને જીવન નિર્વાહ માટે કંઈક યથા શક્તિ આપવું તો પડે જ ને.  હેલ્પેશભાઈના પિતાએ આમ કહેલ. હેલ્પેશભાઈના પિતાશ્રી પણ સૌરાષ્ટ્ર રાજ્યના એક વરિષ્ઠ અધિકારી ઉપરાંત  સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. તેમણે ભારતના બંધારણનું સંસ્કૃતમાં ભાષાંતર કરેલ. ભારત સરકાર તરફથી તેમને પુરસ્કાર મળેલ. હેલ્પેશભાઈ એવું માનતા કે પિતાશ્રી ખોટું બોલે જ નહીં. … આ પ્રમાણે હેલ્પેશભાઈ જ્યોતિષશાસ્ત્રીઓ કે હસ્તશાસ્ત્રીઓની ભવિષ્યવાણીઓને માનતા નહીં.

“ તો પછી હેલ્પેશભાઈ, જ્યોતિષશાસ્ત્રીઓ પાસેથી પોતાનું ભવિષ્ય જાણવાની ઈચ્છા કેમ રાખતા હતા?

“ ઉત્સુકતા ખાતર અને ચકાસવા ખાતર … સૌ કોઈ પોતાના વિષે જાણવા ઉત્સુક તો હોય જ ને? વળી હેલ્પેશભાઈ પોતાને સામાન્ય માણસ માને છે ને એટલે પણ. કારણ કે સામાન્ય માણસમાં આવા દુર્ગુણો હોવા આવશ્યક છે.

હાલ તૂર્ત આપણે આર્થિક, શૈક્ષણિક, સાંસારિક, સામાજિક, સહચારિણીને લગતા જીવન વિષે ચર્ચા નહીં કરીએ.

જ્યોતિષીઓ ક્યાં ક્યાં હોય અને કેવીરીતે આવે છે?

જ્યોતિષીઓ, કોઈ ઓળખીતાઓ મોકલે છે,

જ્યોતિષીઓ  ઓફીસોમાં સ્વયં સ્ફુરણાથી આવે છે,

જ્યોતિષીઓ કોલેજની હોસ્ટેલોમાં પણ એવી જ રીતે આવે છે,

જ્યોતિષીઓ ક્યારેક આપણા સંબંધી કે સહકાર્યકર પણ હોય છે.

તો હવે મૂળ વાત પર આવીએ કે જ્યોતિષ શાસ્ત્રીઓએ હેલ્પેશભાઈ વિષે શું ભવિષ્યવાણી કરેલી?

(૧) એક મહાન જ્યોતિષ શાસ્ત્રી, હેલ્પેશભાઈને ઘરે આવેલા. એટલે કે જ્યારે હેલ્પેશભાઈ ભાવનગરમાં શાળાકક્ષાએ ભણતા હતા ત્યારે.

આ જ્યોતિષી-ભાઈને જ્યારે હેલ્પેશભાઈના માતુશ્રીએ પૂછેલ કે “હેલ્પેશનું સ્વાસ્થ્ય કેવું રહેશે? માતા હમેશા સંતાનના સ્વાસ્થ્યની ચિંતા કરતી હોય છે. હેલ્પેશ ભાઈનું વજન ૧૦૪ રતલ જ રહેતું હતું. એટલે હેલ્પેશભાઈની માતાને હેલ્પેશભાઈના સ્વાસ્થ્ય અંગે હમેશા ચિંતા રહેતી હતી.

જ્યોતિષીએ જણાવેલ કે “રાતીરાણ જેવું …”

જોકે રાતીરાણ શબ્દ સ્વસ્થ અને તંદુરસ્ત સ્ત્રી જાતિ માટે વપરાય છે. પણ અહીં લક્ષ્યાર્થ લેવાનો છે.

હેલ્પેશભાઈની માતાએ વળતો પ્રશ્ન કર્યો કે હેલ્પેશભાઈનું આયુષ્ય કેટલું છે? તો જ્યોતિશભાઈએ કહ્યું કે જાતકના આયુષ્ય વિષે કહેવાનો જ્યોતિશ શાસ્ત્રમાં નિષેધ છે.

(૨) ૧૯૬૨ના કાલખંડમા જ્યારે હેલ્પેશભાઈ કોલેજની હોસ્ટેલમાં હતા ત્યારે એક જ્યોતિષી આવેલ. તે જ્યોતિષીએ પણ હેલ્પેશભાઈનું આયુષ્ય કહ્યું ન હતું.

(૩) ૧૯૭૨ના કાલખંડમાં જ્યારે હેલ્પેશભાઈ દૂરસંચાર વિભાગના પ્રશિક્ષણકેદ્રમાં સેવા આપી રહ્યા હતા, ત્યારે એક જ્યોતિષી આવેલ. તેમણે હેલ્પેશભાઈનું આયુષ્ય ૭૭ વર્ષ કહ્યું હતું.

હેલ્પેશભાઈ એ કહ્યું “બસ… મારું આયુષ્ય ફક્ત ૭૭ વર્ષ જ છે?” પણ આના ઉત્તરમાં સહકર્મીઓએ કહેલ કે ૭૭ વર્ષ તો ઘણા કહેવાય. આજના જમાનામાં ક્યાં કોઈ એથી વધુ જીવે જ છે!

મનુષ્યનું આયુષ્ય આમ તો શક્યતાના સિદ્ધાંત અનુસાર ઠીક ઠીક નિશ્ચિત હોય છે. માતા પિતા જો કુદરતી રીતે જ મૃત્યુ પામ્યા હોય તો તેમના બંનેના આયુષ્યનો સરવાળો કરી તેને બે એ વિભાજિત કરો એ તમારું આયુષ્ય છે. જોકે આમાં તમારી જીવન શૈલી કે જેમાં તમારી ભોજનની આદતો અને તમારો કેળવેલો સ્વભાવ, આચરણ ઉછેરનો સમાવેશ થાઈ જાય છે આ તમારા આયુષ્યને ૨૦ પ્રતિશત સુધી અસર કરી શકે છે. જો તમે  તમાકુ, દારુ અને બજરના વ્યસની હો અને તમે શાકાહારી માતા – પિતાના માંસાહારી સંતાન હો, તો તેની શારીરિક  અને માનસિક ઋણાત્મક ત્મક અસર પડે છે. જો આનાથી ઉલટું હોય તો ધનાત્મક અસર પડે છે. આવું હેલ્પેશભાઈ પણ માને છે.

જ્યોતિષીઓને ક્ષતિમાટેનો લાભ આપી શકાય કે નહીં?

“હા જી, આપી શકાય.

“કેટલા ટકા?

“તમે જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગ કરો તો જો પરિણામમાં ૪ % ની ભૂલ હોય તો તેને અવગણવામાં આવે છે.

તો આ હિસાબે ૭૭ ના ૪% એટલે કે ૩.૦૮ વર્ષ ઉમેરી દો. જો હેલ્પેશભાઈ ૮૦.૦૮ વર્ષે ઉકલી ગયા હોત તો જ્યોતિષ-શાસ્ત્રી ભાઈ સાચા પડ્યા ગણાત. કોરોના-મહામારી પણ આવી, પણ તેણે જ્યોતિષ શાસ્ત્રીને હેલ્પેશભાઈ માટેની ભવિષ્યવાણીને સાચી પાડવા માટે મદદ ન કરી.

તો હવે હેલ્પેશભાઈ શું માને છે?

“હેલ્પેશભાઈને વાર્ધક્ય સ્પર્શ્યું નથી.” એમ હેલ્પેશભાઈ માને છે.

“શું હેલ્પેશભાઈ દોડીને બસ પકડી શકે છે?

“જી હા. હેલ્પેશભાઈ દોડીને, ઉભેલી બસને પકડવા ધારે તો પકડી શકે છે. ૧૯૭૭ના અરસામાં એક વખત હેલ્પેશભાઈ દોડીને ચાલતી બસ પકડવા ગયેલા, અને ઉંધાપાટ પડી ગયેલા ત્યારથી તેમણે ઉભી રહેલી બસને જ (દોડવાની જરુર પડે તો જ) દોડીને પકડવાનો નિયમ રાખ્યો છે. અને આ નિયમ હેલ્પેશભાઈએ મુંબઈની લોકલ ટ્રેનો માટે પણ ૧૯૮૨ થી રાખ્યો છે. કારણ કે તે વિષયે પણ તેઓ ઉંધાપાટ તો નહીં પણ ચાર પગે (હાથને પણ પ્રાણીશાસ્ત્રની ભાષામાં પગ જ કહેવાય છે) પડી ગયેલા.

“હેલ્પેશભાઈ દ્રુત ગતિએ ચાલી શકે છે?

“હાજી, તેઓ જે ગતિએ પ્રાતઃકાળમાં ચાલે છે તે દ્રુત ગતિ જ છે તેમ હેલ્પેશભાઈ માને છે.

“શું હેલ્પેશભાઈની દંતપંક્તિઓ ચાવવા માટે સક્ષમ છે.

“હા જી. કારણ કે તે વિશિષ્ઠ અને સશક્ત પ્લાસ્ટીકના રુપમાં ચોકઠા તરીકે છે. હેલ્પેશભાઈ તેને વાર્ધક્યની સૂચના તરીકે જોતા નથી. કારણ કે દંતોના પૃથક પૃથક પતનની ક્રિયાનો પ્રારંભ ૧૯૮૧થી થયેલ. ૪૧વર્ષની વયે થયેલું કંઈ, વાર્ધક્યનું સૂચન કહેવાય? ન જ કહેવાય.

“શું હેલ્પેશભાઈના વાળ સફેદ થઈ ગયા છે કે આછા થઈ ગયા છે કે તાલ પડી છે?

“હેલ્પેશભાઈ આમાંથી એક પણ અવસ્થાને વાર્ધક્યનું સૂચન માનતા નથી. કારણકે નહેરુને ૨૫ વર્ષે તાલ પડી ગયેલી. હેલ્પેશભાઈ સાથે ૮મી શ્રેણીમાં ભણતા એક સહાધ્યાયીના વાળ ધોળા હતા. એટલે હેલ્પેશભાઈ પોતાના આછા વાળને અને સફેદવાળને વાર્ધક્યનું સૂચન ગણતા નથી.

“શું હેલ્પેશભાઈ, વ્યક્તિઓને ઓળખવાનું ભૂલી જાય છે?

“પોતાને અવારનવાર મળતી વ્યક્તિઓના મુખારવિંદને ભૂલી જવું એ કંઈ નવી વાત નથી. હેલ્પેશભાઈ જ્યારે સ્કુલમાં ૮મી શ્રેણીમાં ભણતા હતા ત્યારે તેમને બળવંત નામે એક ક્લાસ-મિત્ર હતો. તે હેલ્પેશભાઈને સ્કુલે જતી વખતે બોલાવવા આવતો. તેની સાથે મોટે ભાગે બળવંતનો એક અન્ય મિત્ર પણ આવતો. હેલ્પેશભાઈને તે મિત્રના મિત્ર સામે જોઇને કદી વાત કરવાની ટેવ નહીં. તેથી જ્યારે તે મિત્રના મિત્ર, બીજા કોઈ સમયે એક બીજા મિત્રસાથે મળી ગયા ત્યારે તે બીજા મિત્રે હેલ્પેશભાઈને પૂછ્યું કે આને ઓળખો છો? હેલ્પેશભાઈએ ઉત્તરમાં ના પાડી. તો સ્કુલમાં જવામાં સાથ આપનારે કહ્યું કે “ આ લે …લે .. આપણે બળવંત સાથે રોજ સ્કુલમાં તો જઈએ છીએ!! … ના શેનો પાડે છે?” આ પ્રમાણે અન્યનું મુખારવિંદ ભૂલી જવાની ક્રિયાને હેલ્પેશભાઈ, વાર્ધક્યનું સૂચન માનતા નથી. કારણ કે ૧૪ વર્ષ કંઈ વૃદ્ધત્વ કહેવાય!

“અજ્ઞાત કે જ્ઞાત વ્યક્તિ જ્યારે હેલ્પેશભાઈને મળે ત્યારે શું કહીને બોલાવે છે? હેલ્પેશભાઈ, હેલ્પેશ કાકા કે હેલ્પેશ દાદા?

(હવે આવી ગાડી પાટા ઉપર ?)

“જ્યારે હેલ્પેશભાઈ ૫૦ વર્ષના હતા ત્યારે તેમને જો કોઈ “ … ‘કાકા” (અંકલ) કહીને સંબોધે તો હેલ્પેશભાઈને પસંદ પડતું ન હતું. ક્યારેક તેઓ પ્રતિભાવ રુપે સામેવાળી વ્યક્તિને અંકલ (કાકા) કહીને સંબોધતા. હેલ્પેશભાઈ જ્યારે ૭૦ વર્ષના થયા ત્યારે જો કોઈ તેમને “ ….’દાદા” કહીને બોલાવે તો તેઓ ગુસ્સે થઈ જતા. અને સામેવાળાને આંટી કે અંકલ કહીને સંબોધન કરતા … (જેઓ અત્યારે વરિષ્ઠ નાગરિકો છે તેમને ખબર હશે કે જુના જમાનામાં કાળું વસ્ત્ર જોઇએને કુતરાઓ ભસતા. પણ પછી જમાનો બદલાયો અને કાળું પાટલુન, કાળો કોટ, કાળો ચણીયો, … આવું પહેરવાવાળા વધી ગયા. એટલે કુતરાઓને થયું “આમ ક્યાં સુધી આપણે આપણી શક્તિનો વ્યય કર્યા કરીશું? … જાવા દ્યોને … હવે નથી ભસવું …” આવો નિર્ણય હેલ્પેશભાઈએ પણ “દાદા” વિષે લાગુ કર્યો.

તો હવે તો ૮૩ વર્ષના હેલ્પેશભાઈ સુખી હશે?

ના. એવું તો ન કહેવાય.  કારણ કે કોરોના તેમના અનેક પ્રિય પાત્રોને ભરખી ગયો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

કેટલાક એવું માને છે કે વૃદ્ધ દંપતિઓ કરકસરમાટે એક બીજાના ચોકઠાં વાપરતા હોય છે. પણ વાસ્તવમાં પોતાનું ચોકઠું જ બરાબર ફીટ ન થતું હોય ત્યાં કોમન ચોકઠાની તો વાત જ ક્યાં કરવી!!

Read Full Post »

The people of Pakistan are going to play a big role to re-unite India – 2

Should Hindus afraid of Muslims, if the Pakistan unites with India?

A BIG NO. But Conditions apply.

CAN PAKISTAN GET RID OF MILITARY RULE?

It is next to impossible.

Why is it next to impossible?

Army controls the economy of Pakistan. The Army is not only dealing with weapons but it deals with production and supply of the commodities too. Miscellaneous items are also supplied by the soldiers or persons (i.e. relatives)  linked with the soldiers. The network of the army is strong and they have the support of radical Muslims and terrorists gangs including ISI and ISIS.

Yes. But there is an elite group that knows the truth that why and how the Pakistan administration and economy has gone to dogs.

The elite group of Pakistan wants a Prime Mister like Modi. They openly praise Modi for his efficiency and his way of dealing with home affairs and foreign affairs. Actually they are longing for that. They have realized that had the partition could been avoided, the army would never been in the position to take over the rein. They have also realised that only under democracy a nation can do progress in all the fields. viz.,   Defence, production, education and social reforms. But this elite group of Pakistan is not organized one.

WHY WAS THE PROGRESS SLOW?

Why under the Nehruvian rules the progress in Defence sectors, Production Sectors, Infrastructure sectors, Education Sectors, Research Sectors was poor?

Not only this, on the other hand the progress on social reforms was highly negative. i.e. The India was getting more and more divided under Castes, Regions, Languages and Religions.

Nehru was autocrat, non-democratic and also nepotistic beyond any doubt. But when a person wants to present itself as democratic, the person has to be hypocrite. The ultimate result is the generation of widespread corruption and non-transparency in administration. Nehruvian Congress had no other option to divide the people of India by every means to retain its power.

BUT HOW LONG ONE PARTY CAN USE THE WEAPON OF DIVIDING PEOPLE?

Till the other parties start to use the same weapon.

After 1980 Indira used Khalistanis in her favour by Supporting Bhandaranvale, then she throw him out like what she did for Chaudhary Charan Singh. But terrorists are different than politicians. Indira paid the price of her sin. Rajiv Gandhi was of a person of ordinary calibre like all other Nehruvians. He became weak and Mayavati, VP Singh, Charan Singh, Lalloo, Mullayam … all used the weapon of dividing people. Thereby the weapon became weak.

This situation caused them to unite against BJP when Modi took the rein of Gujarat and then India. In the Gujarat state the weapon failed first in 1999, and then in India in 2014.

Though oppositions and their pet media tried their level best, to curse Modi, by alleging Modi that Modi  was uniting Gujaratis against non-Gujaratis in Gujarat. But such propaganda could not work due to its falsehood. On the other hand Modi said he is thankful to all non-Gujaratis for their valuable contribution in the progress of Gujarat. This also helped him in becoming PM. Similar is the case with many Muslims of Banaras. Off course one should not forget, that in Gujarat, many Muslims do vote for BJP.

CAN MAJORITY MUSLIMS VOTE FOR BJP?

Why Muslims are interested to reside in India than to reside in Pakistan or Bangladesh where they had opted previously?

Muslims are safe in India under comparatively better condition of Law and Order. They have better scope of progress in India than in Pakistan and Bangladesh. Further they know that in India there are political parties, who are ready to help them by laws. These parties are also ready, to save their all types of interest, till the Muslims remains their vote bank. Thereby many parties use to woo them for their votes.

The wise and elite persons understand that such discriminative policy cannot bring happiness as an ultimate goal into the society. Sooner or later it would create the anarchy. i.e. This can create the situation what now prevails in Pakistan.

The policy of India is decided by Indian Government of its own. But the similar situation does not and cannot be with Pakistan. Pakistani media too knows this fact. That supplements the deterioration of Pakistan.

WHAT ARE THE CAUSES?

Military’s political control,

Radical Islam, which strengthens the terrorism, and that creates the anarchy in law and order maintenance.

No choice to admire the heritage

WHAT DO THE PAKISTANI MUSLIMS NEED?

ADMIRE THE HERITAGE BY HEART

The big question to answer “For what they can take pride of their heritage?

Islamic heritage belongs to Arabs, victory belonged to Mongols, and what Mogul did in India as Moguls were not their forefathers. The worst to worst is, that the Muslims are treated as secondary Muslims by others.

Pakistani Muslims are not ready to admire their real ancestors’ heritage, because it is the heritage of the Indian civilization for which they are taught to hate.

But they have to learn from Indonesia, Malaysia …   that even being Muslims these Muslims can admire their forefathers’ heritage which is greater India.   They have to adopt the mind-set of M. C. Chagla, Abdul Kalam, Tarek Fatah, Arif Mohammed Khan, or even Bahadurshah Jaffar who wanted to die in India.

Even Muslims of Muslim Countries like Egypt and Iran admire their historical heritage. There are innumerable examples.

ACCEPT COMMON CIVIL CODE

It cannot be accepted that Muslims of Pakistan cannot accept Common Civil Code if brought in Indian Constitution. Because if they cannot accept this then they do not have faith in democracy. West Germany was more developed than East Germany, South Korea is much advanced than North Korea, USA is more advanced than USSR, West European countries are more advanced than East European countries, and India is much advanced than Pakistan. All advanced countries are facing issue of infiltration. India has problem of crores of infiltrators and most of them are Muslims.

STRICT ENFORCEMENT OF LAW AND ORDER

Only in democracy a nation can do progress. This must be very much clear to all. But democracy alone is not enough. There must be strict enforcement of Law and Order. The Law and Order condition that existed in Congi and their cultural allied parties’ rule, is not acceptable in a democracy.

MUSLIMS SHOULD JOIN BJP AND RSS

If Muslims will have a tendency to honour Indian heritage and would discard intolerance and terrorism they will find no problem with the people of India. Only the British rule and thereafter the Nehruvians rule, divided Indians as Hindus and Muslims. Off course the Muslims rulers have done atrocities on Hindus. But they are all out siders and they are all dead. People of India had forgotten and unanimously decided to fight under the leadership of Bahadurshah Jaffer, the last Mogul Emperor whose empire was limited boundary of the wall of the Red Fort.

Now it is high time for the Pakistani Muslims to accept the Indian heritage. Muslims have to be tolerant and respectful towards others.

50% of middle class Muslims are like 80% of Middle Class Hindus. But 3.5 % can play havoc. And they are making havoc in the regions of undivided India.

Everybody can be set right with strict enforcement of Law and Order of modified Indian Constitution.

Any person demanding directly or indirectly, special rights benefits based on religion, region, language, caste at the cost of others, the person must be arrested and put to jail, and its citizenship to be suspended, and then if proved guilty its citizenship should be suspended for 6 years or permanently depending upon the size of the guilt.

In 1954 the ball of making undivided India was in the court of Nehru, but he willfully failed. Now the situation has come again, where the possibility has come for the Muslims of Pakistan to re-unite India. The conditions apply. 

Shirish Mohanlal Dave

Read Full Post »

વિરોધ પક્ષ ની યોગ્યતા શી હોઈ શકે ?

ગુજરાતમાં બીજેપી અઢી દશકાથી રાજ કરે છે. નરેંદ્ર મોદી મુખ્ય મંત્રી થયા પછી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ ઘણો મજબુત થઈ ગયો છે.

ગુજરાતમાં શું ક્યારેક વિરોધ પક્ષ મજબુત હતો?

પહેલાં એ સમજવું જોઇએ કે વિરોધ પક્ષ ક્યારે સત્તા પક્ષનો વિકલ્પ બની શકે?

૧૯૬૭માં સ્વતંત્ર પક્ષ એક મજબુત વિરોધ પક્ષ તરીકે ચૂંટાઈ આવેલ.  ૧૯૭૫માં જનતા મોરચો સત્તા ઉપર પણ આવેલો. ઘણી બધી રીતે તે કોંગ્રેસ કરતાં શ્રેયકર હતો. પણ તેનું સંગઠન કોંગ્રેસની સરખામણીમાં વધુ વ્યાપક અને મજબુત ન હતું.

ભાઈલાલ ભાઈ પટેલ

સ્વતંત્ર પક્ષ  પાસે કર્તવ્યનીષ્ઠ ભાઈલાલભાઈ પટેલનું નેતૃત્વ હતું. સ્વતંત્ર પક્ષ સત્તાની નજીક હતો. કોંગ્રેસના કાયદેસર ભાગલા પડ્યા ન હતા. પણ કોંગ્રેસની નેતાગીરીમાં ભાગલા પડી ગયેલા. આપણે આ સીંડીકેટ (જે નહેરુએ તેની પુત્રી ઇંદિરાને પોતાની અનુગામી બનાવવા માટે બનાવી હતી) અને તે પછી જન્મેલી ઈંડિકેટની (ઇંદિરા નહેરુગાંધી કોંગ્રેસની) વાત નહીં કરીએ.

જેમ ૧૯૪૭ પહેલાં નહેરુના કહેવાતા સમાજવાદી ગ્રુપના જુવાન નેતાઓ સરદાર પટેલની બુરાઈ કરવામાં વ્યસ્ત રહેતા હતા તેવી રીતે ઇંદિરા ગાંધીના ગ્રુપના નેતાઓ મોરારજી દેસાઈની બુરાઈ કર્યા કરતા હતા. મોટા ભાગના સમાચારપત્રો, આ ઈંદિરાઈ ગ્રુપના વાણી વિલાસને પ્રસિધ્ધિ આપતા હતા.  મોરારજી દેસાઈ એક નીતિવાન અને સિધ્ધાંતપ્રિય નેતા હતા. એટલે તેમની વિરુદ્ધ તો કંઈ કહી શકાય તેવું ન હતું પણ આ લોકો તેમના પુત્ર કાંતિભાઈને નિશાન બનાવીને અધ્ધર અધ્ધર નિંદા કરતા હતા.

નહેરુ અને તેમના ભક્તો જે પછી ઇંદિરાના ભક્તો થઈ ગયેલ તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને કે જેના ઉપર મોરારજી દેસાઈનું વર્ચસ્વ હતું, તેને ઘણું નુકશાન કર્યું હતું. મોરારજી દેસાઈને નબળા પાડવામાં આ કહેવાતા સમાજવાદીજુથે કશી કમી રાખી ન હતી.

સ્વતંત્ર પક્ષ કેવીરીતે અસ્તિત્વમાં આવ્યો?

કોંગ્રેસ અને દેશનું રાજકારણ અનેક જુથમાં વહેંચાઈ ગયેલ. નહેરુનું સમાજવાદી ગ્રુપ, જમણેરી ગ્રુપ, નહેરુ વિરોધી સમાજવાદી ગ્રુપ, હિંદુત્વવાદી જમણેરી ગ્રુપ, કિસાન પક્ષો, અને સામ્યવાદીઓ.

પચાસના દશકામાં ચક્રવર્તી રાજગોપાલાચારીએ સ્વતંત્ર પક્ષ સ્થાપ્યો હતો. આ પક્ષ જમણેરી હતો. દિલ્લીની મહાનગર નગરપાલિકા તેણે કબજે કરેલી. વિરોધપક્ષો વહેંચાયેલા હતા. તેમનું સંગઠન કોંગ્રેસ જેટલું વ્યાપક ન હતું. એટલે ૧૯૬૨ સુધી કોંગ્રેસને ચૂંટણીઓ જીતવામાં વાંધો ન આવ્યો. જો કે ૧૯૫૨ની ચૂટણીમાં વ્યાપક રીતે ગોલમાલ થયેલી એવું કહેવાય છે. પણ નહેરુ એક રાક્ષસી પ્રપંચકારી હતા અને જનતાને ભ્રમમાં રાખવામાં નિષ્ણાત હતા.

નહેરુની સોવિયેટ રશિયા અને ચીનમાં, જે પ્રચંડ આગતા સ્વાગતા થઈ હતી તેનો તેમને ઘણો લાભ મળ્યો. “ચાઈના પીક્ચોરીયલ” અને “સોવિયેટ દેશ” ભારતની જનતાને મફત મળતા હતા. ત્યાંની પ્રજા કેટલી બધી આનંદિત અને સુખી છે, ચાઈના પીક્ચોરીયલ અને સોવીયેટ દેશ દ્વારા ભારતીય જનતાને તેમની સુખ સમૃધ્ધિથી વાકેફ કરાતી હતી. પણ ૧૯૬૨ના યુદ્ધ પછી આ અસર નાબુદ થઈ. આની અસર ૧૯૬૭ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી.

સ્વતંત્ર પક્ષ એક સબળ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો. સીંડીકેટ જે અત્યારસુધી ઇંદિરાગાંધીની સમર્થક હતી, તે હવે મોરારજી દેસાઈને મહત્વ આપવા લાગી અને મોરારજી દેસાઈને નાણાખાતું અપાવ્યું.

ઈંદિરાએ ઘણા પ્રપંચો કર્યા અને ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડ્યા. ૧૯૭૧માં કોંગી (કોંગ્રેસ ઇંદિરાનહેરુગાંધી) ને પ્રચંડ બહુમતિ મળી. અને તેથી કોંગ્રેસ (સંસ્થા)ના નેતાઓમાં અને જનપ્રતિનિધિઓમાં નાસભાગ શરુ થઈ ગયી. સ્વતંત્ર પક્ષે કોંગ્રેસ (સંસ્થા)ને સપોર્ટ કર્યો પણ સરકાર ટકી નહીં. ૧૯૭૦ની શરુઆતમાં જ ભાઈકાકાનું અવસાન થયું હતું અને સ્વતંત્ર પક્ષનો કોઈ ધણી ધોરી રહ્યો ન હતો એટલે પાકિસ્તાન સાથેના યુદ્ધના વિજય પછી ઇંદિરાએ વિધાનસભા ની ચૂંટણીઓ કરાવી અને તેમાં કોંગીને ૧૪૦ સીટ મળી. સ્વતંત્ર પક્ષ રહ્યો જ નહીં.

પણ સ્વતંત્ર પક્ષ હતો ત્યારે તેના નેતાઓ, શાસક કોંગી કરતા ઉચ્ચ કક્ષાના, સુસંસ્કૃત અને કુશળ હતા.

ગુજરાતનો જનતા મોરચો

૧૯૭૫ની ચૂંટણીમાં ગુજરાતમાં બધા પક્ષોએ કોંગીની સામે ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધનનું નામ “જનતા મોરચો” હતું. આ જનતા મોરચાના બાબુભાઈ જશભાઈ પટેલ, નેતા હતા. જનતા મોરચો ચૂંટણી જીત્યો પણ ખરો. પણ વિપક્ષમાં બેઠેલી કોંગીની કેંદ્રસ્થ નેતા ઇંદિરા ગાંધી હતી. અને ઇંદિરાએ કટોકટી જાહેર કરી. વિધાનસભાના કેટલાક સભ્યોનો પક્ષ પલટો કરાવ્યો, અને ગુજરાતની સત્તા હાંસલ કરી.

જ્યારે પણ કોંગી સત્તાની સામે જે વિરોધ પક્ષ રહ્યો ત્યારે તે વિપક્ષના નેતાઓ સત્તાધારી પક્ષ કોંગી કરતાં અનેક ગણા વધુ નીતિમત્તા વાળા રહ્યા છે. પણ આ વાત ૧૯૮૦ સુધી જ સાચી રહી. તે પછી બીજેપી સિવાય બધા જ પક્ષ લગભગ કોંગી જેવા જ થઈ ગયા હતા. આ દરમ્યાન વિપક્ષના પ્રથમ કક્ષાના મોટાભાગના નેતા અવસાન પામતા ગયા. એટલે મુલાયમ, લાલુ, માયાવતી, મમતા, જયલલિતા, ફારુખ, ઓમર, મુફ્તિ મોહમ્મદ, જેવા નેતાઓ જે સાંસ્કૃતિક રીતે કોંગીની વધુ નજીક હતા તેમનો ઉદય થયો.

હાલનો વિપક્ષ સત્તા લક્ષી છે.

સત્તાલક્ષી હોવું તેનો રાજકારણમાં નિષેધ નથી. પણ તે માટે સાધનશુધ્ધતા હોવી જોઇએ. જે પક્ષ સાધન શુદ્ધિમાં માનતો નથી તેનું નૈતિક પતન નિશ્ચિત હોય છે. નૈતિક પતનને લીધે તે નષ્ટ પણ પામે છે.

કોંગીમાં સાધન-અશુદ્ધિના બીજ નહેરુએ નાખેલા અને છોડને પરોક્ષ રીતે ઉછેર્યો હતો. ઈંદિરા ગાંધીનું સ્વાતંત્ર્યની લડતમાં કશું યોગદાન હતું જ નહીં (નાગાને નાહવું શું અને નીચોવવું શું?) તેથી તેણીએ તો કશી શરમ રાખ્યા સિવાય સાધન-અશુદ્ધિનો ઉપયોગ કરેલો. તેના અનુગામીઓએ પણ એવું જ કર્યું. અને ભ્રષ્ટ વિપક્ષીઓ તેમાં ભળી ગયા. આજે આ સાધન-અશુદ્ધિ નું અનેક ભૂમિગત વડવાઈઓવાળું વટવૃક્ષ બનીગયું છે.

અશુદ્ધ સાધનો કયા છે?

(૧) સૌથી મોટું અશુદ્ધ સાધન જાણીજોઇને જુઠ્ઠુ બોલવું.

પ્રવાસી મજુરોને તેમના રાજ્યમાં જવા માટે ૧૦૦ બસો દિલ્લીના બસ સ્ટેશન ઉપર તૈયાર છે, બાંદરા સ્ટેશને મહારાષ્ટ્રમાંના પ્રવાસી મજુરો માટે, સ્પેશીયલ  ટ્રેન બિહાર યુ.પી. જવા માટે ઉપડશે, સૌથી મોટો દેશદ્રોહી મોદી છે, બીજા રાજ્યના લોકો દિલ્લી આવી મફત દવા કરાવી જાય છે. અમારે ઓક્સીજનની તંગી નથી. અમારી પાસે ઓક્સીજન નથી. નરેંદ્ર મોદીએ ૫૦૦૦ કરોડ એકર જમીન અંબાણીને દાનમાં આપી દીધી. …

(૨) ધર્મ, જ્ઞાતિ, ભાષા અને ક્ષેત્રનો આધાર લઈ જનતામાં ભાગલા પડાવવા;

અમે મુલ્લાઓને માસિક ૧૦૦૦૦+ પગાર આપીશું, વક્વ્ફ બોર્ડને જેટલા પૈસા જોઇશે તેટલા આપીશું (આમ આદમી પક્ષ), મુસ્લીમ જનતાનો ભારતની સંપત્તિ ઉપર પહેલો અધિકાર છે કારણકે તેમના શબને ભારતની ભૂમિમાં દાટવામાં આવે છે (કોંગી પક્ષ), અમારું દિલ લીલું છે (ઉધ્ધવ સેના), આમચી મુંબઈ મરાઠી મુંબઈ (શિવસેના), તમીલ સંસ્કૃતિનું અમે રક્ષણ કરીશું, અમે લિંગાયત ને અલગ ધર્મની માન્યતા આપીશું (કોંગી પક્ષ), હું સ્વીટ ખાલીસ્તાની છું, હું મહારાણા પ્રતાપનો વંશજ છું (આમ આદમી પક્ષ), હું જનોઈધારી દત્તાત્રેય ગોત્રનો બ્રાહ્મણ છું (કોંગી પક્ષ), મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો હું ખુશ થઈશ (કોંગી નહેરુ), … આવા તો અનેક વિભાજનવાદી ઉચ્ચારણો કોંગી અને તેના સાથી પક્ષોના નેતાઓના છે જે ભૂંસી શકાય તેમ નથી.

(૩) ભ્રષ્ટાચાર;

વિપક્ષના પ્રથમ કક્ષાના નેતાઓ વિરુધ્ધ પ્રથમદર્શી પૂરાવાઓ છે, તેઓ તપાસના ક્ષેત્રમાં છે. તેમાંના કેટલાક જેલમાં છે, કેટલાક જામીન ઉપર છે અને કેટલાક પેરોલ પર પણ છે. દારુની નીતિમાં પૈસા કેવીરીતે બનાવ્યા, કેટલી સ્કુલો બનાવી અને કેટલી સ્કુલોના રુમો વધાર્યા, કેટલી પરાળીના ખાતર બનાવ્યા, કેંદ્રે આપેલા પૈસા ક્યાં ગયા, … અરે ભાઈ આ બધા કોંગી, એસ.પી., ટી.એમ.સી., આર.જે.ડી., ઉધ્ધવસેના, હપ્તાવસુલી અને કટકી બાજીમાં એકબીજા સાથે સ્પર્ધા કરે છે. ફારુખ ઓમર મુફ્તીમોહમ્મદની રોશની સ્કીમ તો સૌ કરતાં ચડે એવી છે. તગેડી મુકેલા હિંદુઓની જમીન/સંપત્તિને કેવીરીતે કબજે કરી લેવી તેનું મોટુંમસ કાવતરું છે.

(૪) જે કોંગી પહેલાં શાસક પક્ષ હતો ત્યારે, અને આજે જ્યારે વિપક્ષમાં છે ત્યારે પણ, તેના નેતાઓ, પોતાના વિરોધીઓ ઉપર બેબુનિયાદ આક્ષેપો કરે છે.

દા.ત. મોરારજી દેસાઈ સી. આઈ. એ. ના પેરોલ પર હતા,  વીપી સિંહનું સેંટકીટ્સ ની બેંકમાં ખાતું હતું, કાશ્મિરી હિંદુઓને ભગાડવામાં આર.એસ.એસ. નો હાથ હતો, હિંદુઓ મુસ્લિમો કરતા મોટા આતંકવાદી છે, વેસ્ટ લેંડ હેલીકોપ્ટર સ્કેમ, ગાંધીજીનું ખૂન આર.એસ.એસ.એ કરેલું, મોદી મોતનો સોદાગર છે, … અગણિત…

(૫) ગુંડાગીરી કરવી અને ગુંડાઓનો બચાવ કરવો.

૧૯૫૨ ની ચૂંટણી કોંગીએ બુથકેપ્ચરીંગ કરીને જીતેલી, ઇંદિરાના સમયમાં તો બુથકેપ્ચરીંગ એક સામાન્ય વાત હતી. ૧૯૬૯ના અરસામાં યુવક કોંગ્રેસની નાગપુરમાં અધિવેશન થયેલું, તે સમયે ટીકીટ ચેકરની હિમત ન હતી કે તે કોંગીયુવક પાસે ટીકીટ માગે, તે વખતે નાગપુરની વેશ્યાઓ યુવા-કોંગીઓથી ત્રસ્ત થઈ નાસી ગયેલી, ૧૯૭૫ની કટોકટી સમય ઇંદિરા ગાંધીમાટે ગુંડાગીરી કરવા માટેનો સુવર્ણસમય હતો. તેની ગુંડાગીરીને સીમા ન હતી. ભારતના વિપક્ષના અનેક નેતાઓ કેવી રીતે મૃત્યુપામેલા તે રહસ્ય છે. સિખોનો કરેલો નરસંહાર કોંગીની ગુંડાગીરી સિવાય કશું ન હતું, મમતાએ તો એના સરકારી અધિકારીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવેલી કે તેઓ એ વાતનો ખ્યાલ રાખશે કે ટી.એમ.સી. ની તરફમાં જ મત પડે. મમતા તો તેના રાજપાલને ખૂલ્લી ધમકીઓ પણ આપે છે. અને પોતે ખૂદ કેંદ્રીય સંસ્થાઓના કામમાં ખલેલ કરતી હતી. મમતાને વોટ ન આપનાર દલિતોની ઉપર તેણે આતંક ફેલાવી તેમના હજારો કૂટુંબોની હિજરત રોહિંગ્યાઓ દ્વારા કરાવેલી છે. મમતાના રાજ્યમાં અને કોમ્યુનીસ્ટોના રાજ્યમાં બીજેપીના નેતાઓના ખૂન થવા તે નવાઈની વાત નથી. જયશ્રી રામ બોલનારની ધરપકડ કરવાના હુકમ મમતા પોતે આપે છે. પોતાના વિરોધીઓના ઘર પણ તે સળગાવે છે. મમતાની ગુંડાગીરીની કોઈ સીમા નથી.

આમ આદમી પક્ષના ગુંડાગીરી સહુ કોઈ જાણે છે. તેના નેતાઓ ગુંડાગીરીને કારણે જેલમાં છે અને છતાં પણ સરકારી હોદ્દો ભોગવેછે. અને આજ પક્ષનો નેતા પોતાને અને પોતાના સહયોગીઓને અણીશુધ્ધ નીતિમાન ગણે છે. મમતા સેના, ઉધ્ધવ સેના, મુલાયમ સેના, લાલુસેના, સોનિયા સેના, દાઉદ સેના (શરદ સેના), ના કુકર્મો તો છાપરે ચડીને દેકારા પડકારા કરે છે.

આવા કોઈ પણ પક્ષને બીજેપીનો વિકલ્પ બનાવી શકાય ખરો? ખાટલે મોટી ખોડ આ જ છે. આ વિપક્ષો સુધરી શકે તેમ છે જ નહીં. જો કોઈ એમ સિધ્ધ કરી આપે કે તેઓ સુધરી શકે તેમ છે તો તેને નોબેલપ્રાઈસ આપવું જોઇએ. આપણે તે માટે ભલામણ પણ કરીએ.

ઈંદિરા ગાંધી સામે પણ વિપક્ષો એકજુટ

ઈંદિરા ગાંધી સામે પણ વિપક્ષો એકજુટ થયેલા. પણ તે વખતે વિપક્ષો નૈતિક રીતે અણિશુધ્ધ હતા. ક્યાં આચાર્ય કૃપલાણી અને ક્યાં કેજ્રીવાલ, ક્યાં ચક્રવર્તી રાજગોપાલાચારી અને ક્યાં સ્ટેલીન, ક્યાં મોરારજી દેસાઈ અને ક્યાં સોનિયા ગાંધી, ક્યાં રામમનોહર લોહિયા અને ક્યાં મુલાયમ કે અખિલેશ, ક્યાં કર્પુરી ઠાકુર અને ક્યાં લાલુ /તેજસ્વી યાદવ, ક્યાં પીલુ મોદી અને ક્યાં રાહુલ ગાંધી, ક્યાં તરકેશ્વરી સિંહા અને ક્યાં પ્રિયંકા વાંઈદ્રા, ક્યાં અમારા ઈબ્રાહિમ ભાઈ હેંડલ અને ક્યાં હાલનો કેવળ કોમવાદી ઓવૈસી? ક્યાં અમારા કનુભાઈ ઠક્કર અને ક્યાં અશોક મોઢવાડીયા,

મોદી/બીજેપીનો વિકલ્પ  મોદી/બીજેપી જ છે.

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એજ મોદીનો મંત્ર ઘણું બધું કહી જાય છે.

બીજેપીનો વિકલ્પ બનાવવાની ઘેલછામાં આપણે દેશને વિભાજનવાદીઓના ખપ્પરમાં હોમી ન દેવાય.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

धर्म परिवर्तन के लिये प्रतिज्ञा लेनी पडती है क्या? – ३

आम आदमी पक्ष जो पक्ष नहीं है, किंतु एक गुट है.

पक्ष एक विचार होता है, और अपने विचारको कार्य द्वारा समाजको सुखमय और समृध्धिकी ओर ले जाता है. जो झुण्ड होता है वह एक समूह  होता है. आजका भारतका विपक्ष विभीन्न गुटोंका ही बना हुआ.

ये बौध्ध बावाजी भी इस बातको सामज़ नहीं पा रहे कि जहाँ असत्य भाषण हो रहा हो वहां पर यदि शक्य हो तो उसी समय उसका विरोध करना चाहिये. यदी मामला आपकी सुरक्षासे जूडा हुआ है तो बादमें उस भाषणकी निंदा करना आवश्यक है. यदि आपने ऐसा नहीं किया तो आप इसमें सहमत है ऐसा ही माना जायेगा. और वास्तवमें ऐसा ही सत्य सिध्ध हुआ. वह गुट यानी झुंडके गोपालने वही किया, जिसकी संभावना और प्रतिक्षा थी. उसने भारतके प्रधानमंत्रीको ही नहीं उनकी माताजी की भी भर्त्सना की, और गुजरातकी जनताके विषयमें बिभत्स भाषाका उपयोग किया. लेकिन हम उसके विषयमें चर्चा नहीं करेंगे.

हम  इस बौध्ध बावाजी की बात करेंगे.

क्या बौध्ध धर्म क्या एक संस्कृति है?

नहीं है और नहीं हो सकती है.

सनातन धर्ममें आत्म तत्त्वको जाननेके लिये  कई पंथ (विचार शाला) है. ब्राह्मण, अद्वैत, द्वैत, त्रैत, शुध्धाद्वैत, चार्वाक, बार्हस्पत्य, सांख्य, योग, पाशुपत, वैष्णव, वाम मार्ग, …  ये सब वैदिक संस्कृतिकी नीपज है.

जैन, बौध्ध, सिख पंथ भी वैदिक संस्कृतिकी ही नीपज है. इन सभी पंथोंमे भी ईंद्र है, यम है, गांधर्व है, किन्नर है, यक्ष है … ह्यु एन संग जब भारत आया था उस समय साम्राट अशोकका महल अस्तित्वमें था. अशोकके महलको देख कर उसने बोला था कि “ऐसा महल कोई मनुष्य नहीं बना सकता. यह तो यक्ष, गांधर्व और किन्नर ही बना सकते है”.

क्या बौध्ध धर्ममें ज्ञातिवाद था?

अवश्य था. यदि सनातन धर्ममें जन्मजात ज्ञातिवाद था तो बौध्धमें भी जन्मजात ज्ञातिवाद था. यदि सनातन धर्ममें जन्मजात ज्ञातिवाद नहीं था तो बौध्धोंमे भी जन्मजात ज्ञातिवाद नहीं था.

वर्तमान बौध्ध नेता मानते है कि सम्राट अशोकने कलिंगको युध्धमें पराजित करनेके बाद वह हिंसासे व्यथित हुआ और वह बौध्ध बना.

वास्तवमें यह जूठ है.

ऐतिहासिक प्रमाण तो ऐसे है कि वह कलिंगके युध्धसे पहेले ही बौध्ध बना था. और कलिंगके युद्धके बाद भी उसने कई हिंसक काम किये थे.

उसने चांडालिकको पीडा दे दे कर मार डाला.

उसने एककी गलतिके कारण १८००० विधर्मीयोंकी, सामुहिक हत्या की थी,

उसने जैनोंके विरुद्ध हिंसक अभियान चलाया था. एक शिर लाओ और निश्चित धन ले जाओ.

(ज्होन स्ट्रोंग की पुस्तक “अशोककी कथाएं” पृष्ठ – १४९).

कहेना तात्पर्य यह है कि बौध्ध धर्मका अंगिकार करनेसे मनुष्यकी संस्कृतिमें परिवर्तन नहीं आ जाता.

अशोकके कारण और उसके पश्चात् बौध्ध धर्मका प्रसरण अधिकाधिक हुआ. पूरे जंबुद्विपमें वह फैल गया था. और ऐसी स्थिति ८००/९०० वर्ष तक रही.

अब प्रवर्तमान आंबेडकरके बौध्ध अनुयायी मानते है कि;

“बौध्ध धर्म मानवमात्रका ही नहीं पशुमात्रका हित चाहने वाला है और उसमें ज्ञातिवाद नहीं हो सकता.”

“हम दलितों पर ५००० सालसे अत्याचार हो रहा है”

यह बात तो ‘वदतः व्याघात्’ इससे भी सिध्ध होता है कि बौध्ध धर्ममें भी जन्मजात ज्ञातिवाद था.

इ.सा. पूर्व ३०० से लेकर इ.सा ७०० तक यदि बौध्ध धर्म भारतमें प्रधान धर्म था तो उस अंतरालमें तो ज्ञाति प्रथा नष्ट हो गई ही होगी. तो इ.सा. ७००में कैसे उन दलितोंको ढूंढ निकाला जो इ.सा. पूर्व ३००में जन्मजात दलित ज्ञातिके थे.

८००/९०० सालका अंतराल तो क्या, इस वर्तमान सुलिखित कालमें भी अधिक से अधिक ८ पीढी तक पूर्वजके नाम बडी मुश्किलसे  याद होता है. जैसे कि जे.एल. नहेरुके चौथे पांचवे पूर्वज कौन थे वह भी किसीको मालुम नहीं. इतिहासकार भी नहीं बता सकते है. तो इशा ७००के आसपास ऐसा कौनसा अभियान चलवाया गया कि बौध्धोमेंसे दलितोंको ढूंढ निकाला गया? और उन सबको कैसे उनकी ज्ञातिमें स्थापित किया गया? यह केवल असंभव है.

इससे यही सिध्ध होता है कि बौध्ध धर्ममें भी ज्ञाति प्रथा थी और दलितों पर अत्याचार चालु थे यदि पहेले भी अत्याचार होते थे तो.

लेकिन सनातन धर्मवाले इतिहासकार मानते है कि अस्पृष्यताका आरंभ इस्लामके आने से हुआ और उच-नीच वाली ज्ञाति-प्रथा ब्रीटीश शासनमें शुरु हुई. इशा १८वी शताब्दी में भी भारतमें कई पाठशालाएं पूर्वभारतमें भी विद्यमान थी जो पूरे युरोपकी पाठशालाएंसे भी संख्यामें अधिक थी. लेकिन जब भारतके अर्थतंत्रको नष्ट किया गया तो कारीगर लोग बेकार हो गये. उनका पढना छूट गया और विद्यासंगी, क्षत्रीय एवं वेपारी ही बच गये.

पाश्चात्य इतिहास कारोंने फरेबी इतिहास पढाके हिंदुओंको विभाजित किया. नहेरुवीयन कोंगीयोंने ब्रीटीशों द्वारा लिखा गया इतिहास मान्य रक्खा, इतना ही नहीं उसी फरेबी विचार धारा “विभाजित करो और शासन करो” को आगे बढाया. भारतके कई विद्वानोंने इस पूरा प्रपंचका,पर्दाफास किया है और वह ऑन – लाईन पर उपलब्ध है.

महापुरुष भी गलती करते है. और उन्होंने ऐसी गलती. लेकिन ऐसी एकमात्र गलतीसे उनके पूरे योगदानको धराशायी नहीं कर सकते और उनके नामको लांछित नहीं कर सकते. उनके समग्र जीवनके योगदान को देखकर उनका मूल्यांकन करना चाहिये.

यदि बाबा साहेब आंबेडकरने “गीता जलाने” को कहा था तो वह उनकी एक गलती थी.

गीता (भगवत् गीता), मे एक जगह पर लिखा है,

चातुर्वणम् मया सॄष्टम् गुणकर्म विभागसः

चातुर्वर्ण मैंने (मनुष्यकी) गुण कर्म के आधार पर बनाया है.

यदि व्यासजी (कृष्णके मुखसे) चाहते तो इन शब्दोंका प्रयोग कर सकते थे कि

चातुर्वर्णम् मया सृष्टम् जन्म – लग्न संबंधनात्

किंतु व्यासजीने ऐसा लिखा नहीं. क्यूँकी ऐसी प्रणाली नहीं थी. सचमें ही ज्ञाति परिवर्तन शील थी. इस बातके अनेक उदाहरण थे.

लेकिन बाबा साहेबने “चातुर्वर्णम् मया सृष्टम्”में मया का अर्थ “ईश्वर” ले लिया. क्योंकि कृष्ण तो ईश्वर थे.

किंतु ईश्वर कौन है?

आदित्यानां अहं विष्णु, प्रकृति भी तो ईश्वर है. सब कुछ भी तो ईश्वर है.

वायुः यमः अग्निः वरुणाः, शशांक, प्रजापतिः त्वं, प्रपितामहः च, (गीता-अध्याय – ११, ऋचा-३१).

बाबा साहेबने ईश्वरकी परिभाषा, उनको जो पाश्चात्य प्रणाली के अनुसार जो अर्थघटन पढाया गया था उसको ही लिया.

गलत अर्थघटन करो, और फिर वह गलत अर्थघटनको सही मानो (और वह जो सही है उसको गलत मानो और मनवाओ या उसके उपर बिलकुल मौन रहो), और सामनेवाले को अपराधी मानो.

ऐसा क्य़ूँ भला?

अरे भाई यही तो हमारा मकसद है. यही तो हमने मध्ययुगी पाश्चात्य संस्कृतिसे सिखा है. दंभ ऐसा करो कि दुश्मन देखता ही रह जाय.

हम आपसे भीन्न है,

हमें भारतकी संस्कृति उपर  कोई गर्व नहीं,

क्योंकि आप हम पर ५०००+ वर्षोंसे अत्याचार करते आये है,

आपने हमें दास बनाके रक्खा था, अभी भी आप हम पर अत्याचार कर रहे है,

आपने हमारे बौध्ध धर्मको और उसके ८०००० मंदिरोंको ध्वस्त कर दिया और उसके उपर आपने अपने मंदिर बना दिये.

चाहे हम पर मुसलमानोंने अत्याचार किये हो और चाहे आपके नरेंद्र मोदीने हमें ३७० एवं ३५ए को रद करके संविधानक मानव अधिकार दिलाये हो, हम तो कृतघ्न ही रहेंगे.

हमारे लिये तुम्हारा विपक्ष हमारा मित्र है. चाहे परिणाम कुछ भी हो. चाहे भारतका भावी अंधकारमय बन जाय. हमें क्या फर्क पडता है. हम तो आपके पूर्वजोंने ५०००+ अत्याचार किये है वही याद रक्खेंगे. आप नष्ट हो जाय वही हम चाह्ते है, चाहे हमारा कुछ भी हो जाय. हमें मंजुर है.

जय बुध्ध, जय संविधान, जय कर्ण, जय शंबुक, जय रावण, जय एकलव्य, जय भीम, जय नकुल, जय सहदेव, जय अशोक,

शिरीष मोहनलाल दवे

Read Full Post »

धर्म परिवर्तन के लिये प्रतिज्ञा लेनी पडती है क्या? – २

हमने प्रकरण – १ में देखा कि ये बौध्ध बावाजी कहेते है कि;

बौध्ध धर्म एक कल्चर है.

उपरोक्त कथनोंका खंडन हो सकता है.

(१) बौध्ध धर्म एक कल्चर है क्या?

बावाजी, पहेले आप कल्चर की परिभाषा तो करो? यदि आप कल्चरकी परिभाषा नहीं करोगे तो शब्दकोषका अर्थ ही माना जायेगा.

कल्चर एक वैचारिक प्रणाली है. बुध्ध भगवान मानवजात ही नहीं अन्य पशु-पक्षी आदिके उपर भी दया और करुणा रखनेका सिध्धांत रखते थे.

यदि बौध्ध धर्म एक संस्कृति है तो आप लोग मांसाहार क्यों करते है? जापानमें तो एक शिल्पमें बुध्ध को हाथीका शिकार करते दिखाय गया है. एक हाथीको मारनेसे एक जीवकी ही हिंसा होती है. मछली खानेके लिये अनेक मछलीयोंकी हिंसा करना पडता है. चीनके लोग तो पृथ्वि और आकाशके बीचके सभी सजीवोंको खाते है.   

आपने दलितोंको ही निशाना क्यों बनाया? अरे बावाजी यदि आप प्रज्ञायुक्त चर्चामें मानते है तो पहेले दलितोंको कमसे कम यह तो समज़ाओ कि ब्रह्मा, विष्णु, महेश … आदि आपके हिसाबसे कौन है. हम हिंदुओंको पता है कि आप स्वयं इनका सही स्वरुप जानते नहीं है. आपमें इनके बारेमें ज्ञान नहीं है कि ब्रह्मा, विष्णु, महेश, गणेश … कौन है.

हिंदु धर्ममें पुराण इतिहासकी पुस्तक है. इतिहासको सुगम्य और रोचक बनानेनेके लिये, इनमें समय समय पर भगवान की और देवीयोंकी काल्पनिक कथाएं एवं आकाशीय घटनाओंका प्रतिकात्मक विवरण भी प्रक्षिप्त है. पुराणोकी रचना कमसे कम ईशा.पू. १००० वर्षसे ईशा मसीह संवत्सरकी १२वीं शताब्दी तक होती रही. उनमें प्रक्षेप होते रहे है.

आपने जो पुस्तकें तत्त्वज्ञानके लिये मान्य नहीं है उनको ही उधृत किया. आपने ऐसा क्यूँ किया? ऐसा ही है न कि अन्यमें आपकी चॉंच डूबती ही नहीं? क्या हिंदु तत्त्वज्ञानका अध्ययन करनेकी आपके पास  क्षमता नहीं है?

आपने पुराणोंको क्यों पकडा? उपनिषदोंको क्युँ नहीं पकडा? आप वेद और उपनिषदोंके तत्त्वज्ञान पर कोई हिंदु ज्ञाता से चर्चा करते तो आपका अंतर्मन स्वच्छ है ऐसा प्रतीत होता.

हिंदु धर्म “प्रश्न करो और उत्तर पाओ.” मतलब की हिंदुधर्म संवाद द्वारा वर्णित होता है? हिंदुधर्ममें तत्त्वज्ञान भी प्रतिकोंसे समज़ाया जाता है.

बौध्ध धर्मको मानने वाले हमारे एक मित्र कहेते है कि “लव धाय एनीमी (शत्रुसे भी प्रेम करो)”, यह सिध्धांत भी बुध्ध भगवानका है, ऐसा उनके अनुयायी लोग मानते है. अच्छी बात है. यदि आप कुछ अच्छी बात मानते है तो किसीको कोई कष्ट नहीं.

यदि आप बौध्ध है, तो हिंदु आपका पडौशी है. “पडौशीसे प्रेम रक्खो” ऐसा कथन ईसा मसीहका था. बुध्ध भगवानने उससे भी उच्च सिध्धांत बनाके रक्खा कि दुश्मनसे भी प्यार करो.

लेकिन अय बावाजी, आप आगे चलकर कहेते है “हम पुनर्जन्म, आत्मा, ईश्वर और परमेश्वरमें मानते नहीं है”. चलो यह भी ठीक है. लेकिन जब आप यह आदेश देते हैं कि …

बावाजी! यदि ऐसा है तो जातक कथाओंमें बुध्धके कई जन्मोंका विवरण कैसे है? आप को शायद मालुम नहीं कि कि दलाई लामा को बुध्धका “विद्यमान अवतार” माना जाता है.

हिंदुओंका धर्म कैसा है आपने कभी समज़नेका प्रयत्न किया है? चलो एक उदाहरणसे आपको अवगत करें;

गणेशः

इसका अर्थ है “गणानां ईशः इति गणेशः”

समूह का नेता.

गणेशको सूंढ होती है. मतलब परिस्थितिको दूरसे सूंघ लेता है.

गणेशको बडे कर्ण होते है, मतलब नेताके कर्ण विशाल होते है ताकि वह सबकी बातें दूरसे जब चाहे तब सून लेता है,

नेताका उदर मोटा होता है ताकि वह सभीकी बातें अपने पेटमें समावेश कर सकता है,

नेताकी आंखे तीक्ष्ण होती है,

नेताके पास लड्डू होते है, ता कि उसको मिलनेके बाद व्यक्ति संतुष्ट हो के जाता है,

नेता बैठा हुआ होता है, मतलब कि वह हमेशा उपलब्ध होता है,

गणेश एलीफंट गोड नहीं है, लेकिन एलीफंट-हेड गोड है. यहां ईशका अर्थ संचालक मतलब नेता है जिनकी बात सब गणसदस्य मानते है.

बावाजी, क्या यह प्रतिकात्मक विवरण आपकी समज़में आया? नहीं आया? चलो आगे समज़ाते है.

इसको दो पत्नियां है; रिध्धि और सिध्धि

इसका मतलब है समृध्धि और सफलता

इनके दो पुत्र है,

शुभ और लाभ. मतलब सुष्ठु (अच्छा) और उत्कर्ष (अच्छा भविष्य)

अब तो बावाजी आपकी समज़में आगया होगा. यदि अब भी नहीं आया हो तो आप “गॉन केस” (हाथसे गया हुआ केस) है.

(क्रमशः)

शिरीष मोहनलाल दवे

Read Full Post »

 નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ તો જુના ભદ્રંભદ્રનું શું થશે

ગયા પ્રકરણમાં આપણે જોયું કે વાડાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. જો સત્તા હોય અને/અથવા હોય, તે માટે જો કોઈ વાડામાં ફાયદો મળતો હોય તો તે લેવા માટે તે વાડામાં જવું અને તેનો  ઉપયોગ કરવો અને કર્યા કરવો. સિવાય કશું નહીં.

પણ આમાં ભદ્રંભદ્ર ક્યાં આવ્યા?

ભદ્રંભદ્રઓ વિષે ચર્ચા કરીએ તે પહેલાં આદિભદ્રંભદ્ર કોણ અને કેવા હતા તે આપણે જાણી લેવું જોઇએ. કારણ કે હાલની શિશુ, યુવા, પ્રૌઢ્ તેમજ કેટલીક વયોવૃદ્ધ વિદ્યમાન વ્યક્તિઓને ખ્યાલ ન પણ હોય કે આદિ ભદ્રંભદ્ર કોણ હતા, કેવા હતા અને ક્યારે પ્રગટ થયા હતા.

પણ ભદ્રંભદ્ર એટલે શું તે આપણે જાણી લેવું જોઇએ.

ભદ્રમ્ એટલે કલ્યાણ. ભદ્રંભદ્ર એટલે ભદ્રાણામ્ અપિ ભદ્રઃ એટલે કે મહાભદ્રમ્. જેમ દેવાનામ્ દેવઃ એટલે દેવદેવ મહાદેવ હોય છે તેમ.

ભદ્રંભદ્ર આમ તો ડૉન કિહોટેનું કટ્ટર ભારતીયત સંસ્કરણ છે.

યુરોપીય મધ્યયુગ હિરોવર્શીપ નો જમાનો હતો. જાત જાતના હિરો (નાઈટ) જન્મ લેતા. દરેકને એક વિશેષ પ્રેમિકા રહેતી અને પોતાની એ વીરતા તેની પ્રેમિકાને અર્પણ કરતો. જે વ્યક્તિ દ્વંદ્વમાં પરાજિત  થતો તેણે હિરોની પ્રેમિકા આગળ ગોઠણભેર નમન કરી પોતાની હાર કબુલ કરવી પડતી.

આપણા આદિ-ભદ્રંભદ્ર થોડા જુદા પડતા. તેઓ ચુસ્ત અને તે અંગ્રેજોના સમયના સાપેક્ષે અંધકાર યુગની પ્રણાલીઓના પાલનમાં માનનારા હતા. આ સમય આમ તો ગાંધીયુગ હતો. “સુધારા”નો પવન વા’તો  હતો. ભારતમાં એક ગ્રુપ હતું જે “સુધારા” (સામાજિક સુધારા)ઓમાં થોડું ઘણું સક્રીય હતું. ભદ્રંભદ્ર ને લાગતું હતું કે “ભારતની સનાતન સંસ્કૃતિની” વિરુદ્ધનું  આ એક કાવત્રું છે અને તેની સામે લડવું એ તેમનું પરમ કર્તવ્ય છે.

આ ભદ્રંભદ્ર પ્રગટ કેવી રીતે થયા?

જો કે વાત બહુ લાંબી છે પણ કહ્યા વગર ચાલશે નહીં.

દોલતશંકર નામે એક ભાઈ હતા. તેમને એક દિવસ સ્વપ્ન આવ્યું. તેમના સ્વપ્નમાં  શંકર ભગવાન આવ્યા. તેમણે દોલતશંકરને એવા મતલબનો પ્રશ્ન કર્યો કે હે વત્સ, તેં મારા નામને બગાડ્યું કેમ છે?  તારા નામમાં દોલત અને શંકર એમ કેમ છે? દોલત એ તો મ્લેચ્છ શ્બ્દ છે. દોલત શબ્દ સાથે મારા નામને જોડીને તેં મારા નામને અપવિત્ર કર્યું છે. તેં મહા અપરાધ કર્યો છે.

દોલત શંકરે જવાબ આપ્યો કે હે મહાદેવ, આ કર્મ વિષે તો હું તદ્દન નિર્દોષ છું. મારું નામ પાડવાનું કર્મ તો મારા પિતૃસ્વસા (ફોઈ), મારો કોઈ અપરાધ નથી…

આ ઉત્તર શંકરભગવાને   સાંભાળ્યો કે નહી, આ ઉત્તર થકી તેઓ સંતુષ્ટ થયા કે નહીં … કે જે કંઈ હોય તે, પણ દોલતશંકરે જોયું કે શંકર ભાગવાન દોલતશંકર સામે ત્રીશૂળ ઉગામવાની તૈયારી કરી રહ્યા હતા …

તે જ ક્ષણે દોલતશંકર સ્વપ્નલોક સૃષ્ટિમાં થી મૃત્યુલોકની સૃષ્ટિમાં આવી ગયા. દોલતશંકરે આ સ્વપ્નની તેમના  સાથી, અંબારામ (જેમ ડોન કીહૉટે પાસે સાન્કોપાંઝા હતો તેમ) સ્વપ્નની વાત કરી. અને પછી તેમણે ધામધુમ સાથે નામકરણ કર્યું અને સનાતન ધર્મના વિજય માટે પ્રયાણ કર્યું.

ભદ્રંભદ્ર વાંચીએ ત્યારે શું શું દૃષ્ટિગોચર થાય છે?

(૧) ભદ્રંભદ્રની શુદ્ધ અને મ્લેચ્છ/આંગ્લ ના શબ્દો રહિત સંસ્કૃતમય ગુજરાતી ભાષા.

(૨) ભદ્રંભદ્રની આત્મવંચના,

(૩) ભદ્રંભદ્રનો દંભ,

(૪) સનાતન શાસ્ત્રના કથનમાં જે કહ્યું હોય તેમાં ફેરફાર કરી ખોટું બ્લોલવું. એટલે કે જો સનાતન ધર્મમાં બાળવિવાહ પ્રચલિત હોય તો શાસ્ત્ર માં કહ્યું હોય કે અષ્ટાવર્ષે ભવેત્ ગૌરી. તો તેમાં ફેરફાર કરીને કહેવું કે અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી. અને વર્ષાંગે એટલે માસ. એટલે કે આઠમાસે જ કન્યાના લગ્ન કરવા. તે વખતે થતા ઘોડીયા લગ્નની આ રીતે શાસ્ત્રપ્રમાણ આપવું.

(૫) અસંબદ્ધ ભાષણ કરવું

(૬) દરેક વાતમા “સુધારાવાળાઓ”નો પ્રપંચ જોવો.

આદિ-ભદ્રંભદ્ર કમસેકમ સ્વાર્થી ન હતા અને પ્રપંચો કરતા ન હતા. આદિભદ્રંભદ્ર પાસે સત્તા ન હતી.

હાલના ભદ્રંભદ્રો ક્યાં છે અને શું કરે છે?

હાલના ભદ્રંભદ્રો, કોંગીઓમાં અને તેના સાંસ્કૃતિક સાથીપક્ષોમાં ખદબદે છે. તેમને તેમના જ નહીં પણ વિદ્યમાન અંગ્રેજી (પાશ્ચાત્ય) ઇતિહાસકારોના માનસિક સંતાનોનું  પીઠબળ છે. તેમજ કેટલાક દેશી/પડોશી/વિદેશી મીડીયા કર્મીઓનો પણ સહારો છે.

આ નવ્ય ભદ્રંભદ્રોને બીજેપી/મોદી-ટીમ/આર.એસ.એસ. ના વિરોધ કરવા સિવાય બીજું બોલવાનું સુઝતું નથી.

વિદ્યમાન ભદ્રંભદ્રોની કેટલીક પ્રચલિત પરિભાષાઓઃ

લેફ્ટીસ્ટ (વામપંથી) એટલે ધર્મનિરપેક્ષ (એટલે કે બીનહિંદુઓ પ્રત્યે કોમળ અને દયાળુ, પણ હિંદુઓ પ્રત્યે વાંકદેખુ અને અસહિષ્ણુ), લોકશાહીવાદી, સમાજવાદી, ગરીબોના ઉદ્ધારમાટે સમર્પિત, નીતિમાન.

રાઈટીસ્ટ (દક્ષિણ પંથી) એટલે કોમવાદી, બીનલોકશાહીવાદી, રંગભેદમાં માનનારા, જ્ઞાતિવાદમાં માનનારા, મુડીવાદી, હિંસાને સમર્પિત, ઓળઘોળ કરીને આર.એસ.એસ. ઉપર ઠીકરુ ફોડે છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

નવ્ય-ભદ્રંભદ્રાઃ કિં ઉચુઃ

તેષાં એકઃ ઉવાચ

“પણ આ નરેંદ્ર મોદી આટલી બધી કામકર્યાની જાહેરાતો કેમ કરે છે?

તેષાં અન્યઃ એકઃ ઉવાચ

“શિયાળામાં બાળકોને માટલાના પાણીથી નવરાવવા શું યોગ્ય છે?

તેષાં અન્યઃ એકઃ ઉવાચ

“હું જાણું છું કે હું સાચો છું અને તેઓ ખોટા છે. પણ અંદરથી હું જાણું છું કે હું ખોટો છું અને તેઓ સાચા છે પણ વાસ્તવમાં મનથી મને ખબર છે કે હું સાચો છું અને તેઓ ખોટા છે.”

Read Full Post »

નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ તો જુના ભદ્રંભદ્રનું શું થશે

ડીબીભાઈના (દિવ્ય ભાસ્કર ભાઈના) છાપામાં એક રીતે જોઇએ તો બે વિરોધાભાસી માહિતિઓ હતી.

પાના-૨ ઉપર સમાચાર હતા કે કચ્છના નખત્રાણામાંના બ્રાહ્મણોએ દશેરાના રાવણ દહનના કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ કરવાના છે. કારણ કે રાવણ તો બ્રાહ્મણ હતો. રાવણ મહાન શિવભક્ત હતો. રાવણ વેદોમાં પારંગત હતો. આજે જે સ્વરુપમાં વેદો, આપણી સમક્ષ છે, તે સ્વરુપના વેદોનો જન્મદાતા રાવણ હતો. આવા મહાન રાવણના પુતળાનું દહન કરવું અને તે પણ દરવર્ષે, દહન કરવું તે બ્રાહ્મણ જાતિનું અપમાન છે. અમે બ્રાહ્મણો આ ચલાવી નહીં લઈએ. અમે બહિષ્કાર કરીશું.

ભારતના દલિતો ને પણ આ રાવણ-દહન પસંદ નથી.

હાજી, સાવ સાચી વાત છે. પણ કારણ તદ્દન ભીન્ન છે. કારણ કે તેમના હિસાબે રાવણ તો દલિત હતો. ખૂબ વખત પહેલાં આવી એક ફિલમ પણ ઉતરી હતી. એમ તો દશાવતારની ફિલમ પણ ઉતરી હતી. (જેમાં ગાંધીજી અને બુદ્ધ બન્નેને વિષ્ણુના અવતાર બતાવવામાં આવ્યા હતા. પણ તે વખતે બાબા સાહેબે પોતાનો ધર્મથકીનો વાડો, જુદો બનાવ્યો ન હતો. પણ તે વિષે વળી ક્યારેક ચર્ચા કરીશું)

રામે એક દલિતને માર્યો અને પછી આ રામના માણસો, દશેરાના (શુક્લ અશ્વિન દસમના) દિવસે રાવણનું પુતળું બાળે છે અને દર વર્ષે બાળ્યા જ કરે તે અમારાથી સહન જ કેમ થાય?

આ મનુવાદીઓને તો સીધા કરવા જ પડશે.

તો શું હવે મુલ્લાયમ – અખિલેશે ચલાવેલા સૂત્ર  “મુસ્લિમ, યાદવ ભાઈ ભાઈ”, ની જેમ એક નવું સૂત્ર રચાવા તરફ જઈ રહ્યું છે કે “દલિત, બ્રાહ્મણ ભાઈ ભાઈ”?

સૂત્રોની તો બહુ મોટી માયા જાળ છે.

“તિલક, તરાજુ ઔર તલવાર, ઉસકો મારો જુતે ચાર” આ સૂત્રની જન્મદાત્રી માયાવતી કે તેના ગુરુ કાંશીરામ હતા.

પણ પછી માયાવતીએ “આ હાથી નહીં …  ગણેશ છે” એવું સૂત્ર પ્રચલિત કરી બ્રાહ્મણ – દલિત ને એકસૂત્રમાં બાંધવા પ્રયત્ન કરેલ. પણ “મુસ્લિમ – યાદવ ભાઈ ભાઈ” આગળ આ સૂત્ર પરાજિત થયેલ.   

દલિત બ્રાહ્મણ ભાઈ ભાઈ

દલિત બ્રાહ્મણ ભાઈ ભાઈ જેવું સૂત્ર તો લુટ્યનોને (કોંગી, આર.જે.ડી., સી.પી.એમ., અને વામમાર્ગીઓને) કોઈ કાળે ન ખપે.

કેમ?

ચંદ્રગુપ્ત મૌર્ય (મુરા દાસીનો છોકરો) અને કૌટીલ્યએ ભેગા મળીને ધનનંદના સામ્રાજ્યને ઉથલાવીને, નંદના સામ્રાજ્યથી  પણ મોટું સામ્રાજ્ય સ્થાપેલ. તેમ જ સેલ્યુકસ નીકેતર કે જે બધે જ જીતતો જીતતો આવતો હતો તેને પણ પરાજિત કરેલ. આ વાત તો ભલાભોળા નાજુક લીબરલ  વામમાર્ગીઓને પસંદ ન જ પડે ને!! વામમાર્ગી = વામપંથી = લેફ્ટીસ્ટ લીબરલ, આ એવા લીબરલ કે સત્તામાટે તેમણે લાખો માણસોની દરેક જગ્યાએ કતલ કરેલી.

“આર્યન ઈન્વેઝન થીએરી” જેણે પુરસ્કૃત કરેલી તે મેક્સમુલરે તેની પાછલી જીંદગીના દિવસોમાં પાછી ખેંચી લીધેલી. તે થીએરી એક બનાવટી થીએરી હતી. તેને કશો આધાર ન હતો. ન તો તે થીએરી ભૂસ્તરશાસ્ત્રથી સિદ્ધ થતી હતી, ન તો તે ખગોળશાસ્ત્રથી સિદ્ધ થતી હતી, કે ન તો તે ભાષાશાસ્ત્રથી સિદ્ધ થતી હતી. તેમાં તુક્કાઓ સિવાય કશું ન હતું. અને જો તુક્કાઓ લગવવાની છૂટ હોય તો તમે કોઈપણ વાત સિદ્ધ કરી શકો.

દા.ત.

વેદ સમયના ભારતીયો કુતરા સિવાયના પ્રાણીઓની વિષે જાણતા ન હતા. સંસ્કૃતમાં કુતરાને “શ્વા” કહે છે. સંસ્કૃતમાં “અ” એટલે “નહીં” એવો અર્થ થાય છે. કારણકે વેદકાળના લોકો કુતરા સિવાય બીજા પ્રાણીઓને જાણતા નહીં, તેથી તેઓ બીજા બધાને “ અ   શ્વ “ એમ કહેતા હતા. એટલે કે અશ્વ. આવી તો પાશ્ચાત્ય પંડિતોની અનેક વાતો છે.

વાર્તા વિષય, આર્ય અને અનાર્યના ભેદવિષેનો હતો.

આપણા હેલ્પેશભાઈ, તેઓશ્રી જ્યારે ભાવનગરની પ્રાથમિક શાળા “ધ ભૂતા ન્યુ ઈંગ્લીશ સ્કુલ”માં (૧૯૫૨) હતા ત્યારે જ તેમણે તેમના વર્ગ શિક્ષક અમુભાઈને પ્રશ્ન કરેલ; જો આર્યો ગાયને પૂજતા હોય અને અનાર્યો સાંઢને પૂજતા હોય તો આને વિરોધાભાસ કેમ કહેવાય? આ તો સમાનતા કહેવાય. જેઓ ગાયને પૂજતા હોય તે સાંઢને પૂજતા પણ હોઈ શકે.

ત્યારે અમુભાઈએ કહ્યું કે આ તો બધી બનાવટ છે. વાસ્તવમાં આ યુરોપીઅનોને આપણે પ્રાચીન સમયમા અસ્પષ્ટ ઉચ્ચારણોને કારણે હાંકી કાઢેલા અને પછી તેઓ પાછા આવ્યા. આપણે ક્યાંય બહારથી આવ્યા નથી.

પણ આપણે આની ચર્ચા નહીં કરીએ. કારણકે તે વિષયાંતર થશે.

પણ કોમળ લેફ્ટીસ્ટ લીબરલોને નહીં ગમે તેનું શું?

“આર્ય અને અનાર્ય, સવર્ણ અને અસવર્ણ, શ્વેત અને સ્યામ, માલિક અને દાસ, વેદજ્ઞાતા અને અજ્ઞાની, સુખી અને પીડિત, … આવા ભેદભરમ અને કળાઓ ઉપર તો આપણી દુકાન ચાલે છે. આપણે કંઈ આ અનાર્ય, દલિત, પીડિત, … નો  ઉદ્ધાર કરવાનો ઠેકો લીધો નથી. આ અનાર્ય, દલિત, પીડિત  જાય ચુલ્હામાં. આ શસ્ત્રના આધારે તો આપણે રશિયા અને ચીન કબજે કર્યા. અર્ધું જર્મની કબજે કર્યું. આપણા અમેરિકન બંધુઓ પણ આવી થીએરીને આધારે તો ત્યાં સત્તા ઉપર આવેલા અને બધાને ખ્રીસ્તી બનાવેલ. તે ઉપરાંત ભારતમાં આ શસ્ત્રનો ઉપયોગ કરી આપણે ઘણું મેળવ્યું છે. બીજાઓને વિભાજિત કરવા, એ પણ આપણા માટે પ્રાપ્ત કર્યું જ કહેવાય.” લેફ્ટીસ્ટ લીબરલ એન્ડ કું. ઉવાચ.

દયાનંદ સરસ્વતી, વિવેકાનંદ, સાતવળેકર અને હાલના રાજિવ મલહોત્રા, શ્રીની કલ્યાણરામન અને બીજા અગણિત વિદ્વાનોએ અથાગ મહેનત કરી આર્યન ઈન્વેઝન થીએરીને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી છે. તો પછી હજીપણ કેટલાક કટારીયા  એટલે કે છાપામાંના  કોલમીસ્ટો હજી “આર્ય – અનાર્ય” ના ભેદભાવની વાતો કેમ કરે છે.?

શું આ સંશોધનનો વિષય છે?

સંશોધનનો વિષય એટલે શું?   હેલ્પેશ ભાઈના હિસાબે દાળમાં કંઈ કાળું શોધવાની જરુર જ નથી. આખી દાળ જ કાળી છે.

જો બાબાસાહેબ આંબેડકર જેવા પણ અંગ્રેજી ઇતિહાસકારોએ લખેલા ભારતના ઇતિહાસથી સંતુષ્ટ હોય તો અક્ષરજ્ઞાન ધરાવતા (“સાક્ષર” શબ્દના આવા અર્થમાં), જન્મે દલિત એવા જનો, બાબા સાહેબથી શા માટે અસંતુષ્ટ રહે? અને જો જરા અક્કલ ચલાવે અને અસંતુષ્ટ રહે તો કહે પણ કોને? … તો પછી શું કરીશું? બસ એજ કે “બુદ્ધ ભગવાન કહે તે બ્રહ્મ વાક્ય. બાબા સાહેબ કહે તે બ્રહ્મ વાક્ય.”. બાબા સાહેબે કીધું કે આપણે બૌદ્ધ. અને બુદ્ધ ભગવાન હિંદુ નહીં એટલે આપણે પણ માની લેવાનું કે બુદ્ધ ભગવાન હિંદુ નહીં એટલે અમે હિંદુઓથી જુદા. અમારો વાડો જુદો. જેમ મુસ્લિમોનો વાડો જુદો છે, જેમ ખ્રીસ્તીઓનો વાડો જુદો છે, જેમ સિખ લોકોને અંગ્રેજોએ સિખોને તેમનો જુદોવાડો બનાવી આપેલ કારણ કે ૧૯૫૭ના સંગ્રામ વખતે સિખ લોકોએ અંગ્રેજોને મદદ કરેલી અને તેના ઇનામ તરીકે, જેમ જૈનોને કોંગી સરકારે અલગવાડો બનાવી આપેલ તેમ અમને પણ બાબા સાહેબે નહેરુને પટાવી અમારો અલગ વાડો બનાવેલ.

આ અલગવાડો શું છે?

આ વસ્તુનું સચોટ જ્ઞાન હેલ્પેશભાઈના ખાસમ ખાસ મિત્ર સ્વ. ડાહ્યાભાઈ એન. સોલંકી પાસે હતું. પણ ટૂંકમાં એવું છે કે બધું પોથીમાંના રીંગણા જેવું છે. “કહ્યું કશું … અને લહ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું.” સાવ આવું તો નહીં પણ ઘણું ઘણું તો ખરું.

વાડાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. જો સત્તા હોય અને અથવા ન હોય, તે માટે જો વાડામાં ફાયદો મળતો હોય તો તે લેવા માટે તેનો ઉપયોગ કરવો કે લીધા કરવો. એ સિવાય કશું નહીં.

પણ આમાં ભદ્રં ભદ્ર ક્યાં આવ્યા?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

Older Posts »

%d bloggers like this: