Archive for the ‘Uncategorized’ Category
The people of Pakistan are going to play a big role to re-unite India – 2
Posted in Uncategorized on November 13, 2022| 1 Comment »
વિરોધ પક્ષ ની યોગ્યતા શી હોઈ શકે ?
Posted in Uncategorized on November 8, 2022| 1 Comment »
વિરોધ પક્ષ ની યોગ્યતા શી હોઈ શકે ?
ગુજરાતમાં બીજેપી અઢી દશકાથી રાજ કરે છે. નરેંદ્ર મોદી મુખ્ય મંત્રી થયા પછી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ ઘણો મજબુત થઈ ગયો છે.
ગુજરાતમાં શું ક્યારેક વિરોધ પક્ષ મજબુત હતો?
પહેલાં એ સમજવું જોઇએ કે વિરોધ પક્ષ ક્યારે સત્તા પક્ષનો વિકલ્પ બની શકે?
૧૯૬૭માં સ્વતંત્ર પક્ષ એક મજબુત વિરોધ પક્ષ તરીકે ચૂંટાઈ આવેલ. ૧૯૭૫માં જનતા મોરચો સત્તા ઉપર પણ આવેલો. ઘણી બધી રીતે તે કોંગ્રેસ કરતાં શ્રેયકર હતો. પણ તેનું સંગઠન કોંગ્રેસની સરખામણીમાં વધુ વ્યાપક અને મજબુત ન હતું.
ભાઈલાલ ભાઈ પટેલ
સ્વતંત્ર પક્ષ પાસે કર્તવ્યનીષ્ઠ ભાઈલાલભાઈ પટેલનું નેતૃત્વ હતું. સ્વતંત્ર પક્ષ સત્તાની નજીક હતો. કોંગ્રેસના કાયદેસર ભાગલા પડ્યા ન હતા. પણ કોંગ્રેસની નેતાગીરીમાં ભાગલા પડી ગયેલા. આપણે આ સીંડીકેટ (જે નહેરુએ તેની પુત્રી ઇંદિરાને પોતાની અનુગામી બનાવવા માટે બનાવી હતી) અને તે પછી જન્મેલી ઈંડિકેટની (ઇંદિરા નહેરુગાંધી કોંગ્રેસની) વાત નહીં કરીએ.
જેમ ૧૯૪૭ પહેલાં નહેરુના કહેવાતા સમાજવાદી ગ્રુપના જુવાન નેતાઓ સરદાર પટેલની બુરાઈ કરવામાં વ્યસ્ત રહેતા હતા તેવી રીતે ઇંદિરા ગાંધીના ગ્રુપના નેતાઓ મોરારજી દેસાઈની બુરાઈ કર્યા કરતા હતા. મોટા ભાગના સમાચારપત્રો, આ ઈંદિરાઈ ગ્રુપના વાણી વિલાસને પ્રસિધ્ધિ આપતા હતા. મોરારજી દેસાઈ એક નીતિવાન અને સિધ્ધાંતપ્રિય નેતા હતા. એટલે તેમની વિરુદ્ધ તો કંઈ કહી શકાય તેવું ન હતું પણ આ લોકો તેમના પુત્ર કાંતિભાઈને નિશાન બનાવીને અધ્ધર અધ્ધર નિંદા કરતા હતા.
નહેરુ અને તેમના ભક્તો જે પછી ઇંદિરાના ભક્તો થઈ ગયેલ તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને કે જેના ઉપર મોરારજી દેસાઈનું વર્ચસ્વ હતું, તેને ઘણું નુકશાન કર્યું હતું. મોરારજી દેસાઈને નબળા પાડવામાં આ કહેવાતા સમાજવાદીજુથે કશી કમી રાખી ન હતી.
સ્વતંત્ર પક્ષ કેવીરીતે અસ્તિત્વમાં આવ્યો?
કોંગ્રેસ અને દેશનું રાજકારણ અનેક જુથમાં વહેંચાઈ ગયેલ. નહેરુનું સમાજવાદી ગ્રુપ, જમણેરી ગ્રુપ, નહેરુ વિરોધી સમાજવાદી ગ્રુપ, હિંદુત્વવાદી જમણેરી ગ્રુપ, કિસાન પક્ષો, અને સામ્યવાદીઓ.
પચાસના દશકામાં ચક્રવર્તી રાજગોપાલાચારીએ સ્વતંત્ર પક્ષ સ્થાપ્યો હતો. આ પક્ષ જમણેરી હતો. દિલ્લીની મહાનગર નગરપાલિકા તેણે કબજે કરેલી. વિરોધપક્ષો વહેંચાયેલા હતા. તેમનું સંગઠન કોંગ્રેસ જેટલું વ્યાપક ન હતું. એટલે ૧૯૬૨ સુધી કોંગ્રેસને ચૂંટણીઓ જીતવામાં વાંધો ન આવ્યો. જો કે ૧૯૫૨ની ચૂટણીમાં વ્યાપક રીતે ગોલમાલ થયેલી એવું કહેવાય છે. પણ નહેરુ એક રાક્ષસી પ્રપંચકારી હતા અને જનતાને ભ્રમમાં રાખવામાં નિષ્ણાત હતા.
નહેરુની સોવિયેટ રશિયા અને ચીનમાં, જે પ્રચંડ આગતા સ્વાગતા થઈ હતી તેનો તેમને ઘણો લાભ મળ્યો. “ચાઈના પીક્ચોરીયલ” અને “સોવિયેટ દેશ” ભારતની જનતાને મફત મળતા હતા. ત્યાંની પ્રજા કેટલી બધી આનંદિત અને સુખી છે, ચાઈના પીક્ચોરીયલ અને સોવીયેટ દેશ દ્વારા ભારતીય જનતાને તેમની સુખ સમૃધ્ધિથી વાકેફ કરાતી હતી. પણ ૧૯૬૨ના યુદ્ધ પછી આ અસર નાબુદ થઈ. આની અસર ૧૯૬૭ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી.
સ્વતંત્ર પક્ષ એક સબળ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો. સીંડીકેટ જે અત્યારસુધી ઇંદિરાગાંધીની સમર્થક હતી, તે હવે મોરારજી દેસાઈને મહત્વ આપવા લાગી અને મોરારજી દેસાઈને નાણાખાતું અપાવ્યું.
ઈંદિરાએ ઘણા પ્રપંચો કર્યા અને ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડ્યા. ૧૯૭૧માં કોંગી (કોંગ્રેસ ઇંદિરાનહેરુગાંધી) ને પ્રચંડ બહુમતિ મળી. અને તેથી કોંગ્રેસ (સંસ્થા)ના નેતાઓમાં અને જનપ્રતિનિધિઓમાં નાસભાગ શરુ થઈ ગયી. સ્વતંત્ર પક્ષે કોંગ્રેસ (સંસ્થા)ને સપોર્ટ કર્યો પણ સરકાર ટકી નહીં. ૧૯૭૦ની શરુઆતમાં જ ભાઈકાકાનું અવસાન થયું હતું અને સ્વતંત્ર પક્ષનો કોઈ ધણી ધોરી રહ્યો ન હતો એટલે પાકિસ્તાન સાથેના યુદ્ધના વિજય પછી ઇંદિરાએ વિધાનસભા ની ચૂંટણીઓ કરાવી અને તેમાં કોંગીને ૧૪૦ સીટ મળી. સ્વતંત્ર પક્ષ રહ્યો જ નહીં.
પણ સ્વતંત્ર પક્ષ હતો ત્યારે તેના નેતાઓ, શાસક કોંગી કરતા ઉચ્ચ કક્ષાના, સુસંસ્કૃત અને કુશળ હતા.
ગુજરાતનો જનતા મોરચો
૧૯૭૫ની ચૂંટણીમાં ગુજરાતમાં બધા પક્ષોએ કોંગીની સામે ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધનનું નામ “જનતા મોરચો” હતું. આ જનતા મોરચાના બાબુભાઈ જશભાઈ પટેલ, નેતા હતા. જનતા મોરચો ચૂંટણી જીત્યો પણ ખરો. પણ વિપક્ષમાં બેઠેલી કોંગીની કેંદ્રસ્થ નેતા ઇંદિરા ગાંધી હતી. અને ઇંદિરાએ કટોકટી જાહેર કરી. વિધાનસભાના કેટલાક સભ્યોનો પક્ષ પલટો કરાવ્યો, અને ગુજરાતની સત્તા હાંસલ કરી.
જ્યારે પણ કોંગી સત્તાની સામે જે વિરોધ પક્ષ રહ્યો ત્યારે તે વિપક્ષના નેતાઓ સત્તાધારી પક્ષ કોંગી કરતાં અનેક ગણા વધુ નીતિમત્તા વાળા રહ્યા છે. પણ આ વાત ૧૯૮૦ સુધી જ સાચી રહી. તે પછી બીજેપી સિવાય બધા જ પક્ષ લગભગ કોંગી જેવા જ થઈ ગયા હતા. આ દરમ્યાન વિપક્ષના પ્રથમ કક્ષાના મોટાભાગના નેતા અવસાન પામતા ગયા. એટલે મુલાયમ, લાલુ, માયાવતી, મમતા, જયલલિતા, ફારુખ, ઓમર, મુફ્તિ મોહમ્મદ, જેવા નેતાઓ જે સાંસ્કૃતિક રીતે કોંગીની વધુ નજીક હતા તેમનો ઉદય થયો.
હાલનો વિપક્ષ સત્તા લક્ષી છે.
સત્તાલક્ષી હોવું તેનો રાજકારણમાં નિષેધ નથી. પણ તે માટે સાધનશુધ્ધતા હોવી જોઇએ. જે પક્ષ સાધન શુદ્ધિમાં માનતો નથી તેનું નૈતિક પતન નિશ્ચિત હોય છે. નૈતિક પતનને લીધે તે નષ્ટ પણ પામે છે.
કોંગીમાં સાધન-અશુદ્ધિના બીજ નહેરુએ નાખેલા અને છોડને પરોક્ષ રીતે ઉછેર્યો હતો. ઈંદિરા ગાંધીનું સ્વાતંત્ર્યની લડતમાં કશું યોગદાન હતું જ નહીં (નાગાને નાહવું શું અને નીચોવવું શું?) તેથી તેણીએ તો કશી શરમ રાખ્યા સિવાય સાધન-અશુદ્ધિનો ઉપયોગ કરેલો. તેના અનુગામીઓએ પણ એવું જ કર્યું. અને ભ્રષ્ટ વિપક્ષીઓ તેમાં ભળી ગયા. આજે આ સાધન-અશુદ્ધિ નું અનેક ભૂમિગત વડવાઈઓવાળું વટવૃક્ષ બનીગયું છે.
અશુદ્ધ સાધનો કયા છે?
(૧) સૌથી મોટું અશુદ્ધ સાધન જાણીજોઇને જુઠ્ઠુ બોલવું.
પ્રવાસી મજુરોને તેમના રાજ્યમાં જવા માટે ૧૦૦ બસો દિલ્લીના બસ સ્ટેશન ઉપર તૈયાર છે, બાંદરા સ્ટેશને મહારાષ્ટ્રમાંના પ્રવાસી મજુરો માટે, સ્પેશીયલ ટ્રેન બિહાર યુ.પી. જવા માટે ઉપડશે, સૌથી મોટો દેશદ્રોહી મોદી છે, બીજા રાજ્યના લોકો દિલ્લી આવી મફત દવા કરાવી જાય છે. અમારે ઓક્સીજનની તંગી નથી. અમારી પાસે ઓક્સીજન નથી. નરેંદ્ર મોદીએ ૫૦૦૦ કરોડ એકર જમીન અંબાણીને દાનમાં આપી દીધી. …
(૨) ધર્મ, જ્ઞાતિ, ભાષા અને ક્ષેત્રનો આધાર લઈ જનતામાં ભાગલા પડાવવા;
અમે મુલ્લાઓને માસિક ૧૦૦૦૦+ પગાર આપીશું, વક્વ્ફ બોર્ડને જેટલા પૈસા જોઇશે તેટલા આપીશું (આમ આદમી પક્ષ), મુસ્લીમ જનતાનો ભારતની સંપત્તિ ઉપર પહેલો અધિકાર છે કારણકે તેમના શબને ભારતની ભૂમિમાં દાટવામાં આવે છે (કોંગી પક્ષ), અમારું દિલ લીલું છે (ઉધ્ધવ સેના), આમચી મુંબઈ મરાઠી મુંબઈ (શિવસેના), તમીલ સંસ્કૃતિનું અમે રક્ષણ કરીશું, અમે લિંગાયત ને અલગ ધર્મની માન્યતા આપીશું (કોંગી પક્ષ), હું સ્વીટ ખાલીસ્તાની છું, હું મહારાણા પ્રતાપનો વંશજ છું (આમ આદમી પક્ષ), હું જનોઈધારી દત્તાત્રેય ગોત્રનો બ્રાહ્મણ છું (કોંગી પક્ષ), મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો હું ખુશ થઈશ (કોંગી નહેરુ), … આવા તો અનેક વિભાજનવાદી ઉચ્ચારણો કોંગી અને તેના સાથી પક્ષોના નેતાઓના છે જે ભૂંસી શકાય તેમ નથી.
(૩) ભ્રષ્ટાચાર;
વિપક્ષના પ્રથમ કક્ષાના નેતાઓ વિરુધ્ધ પ્રથમદર્શી પૂરાવાઓ છે, તેઓ તપાસના ક્ષેત્રમાં છે. તેમાંના કેટલાક જેલમાં છે, કેટલાક જામીન ઉપર છે અને કેટલાક પેરોલ પર પણ છે. દારુની નીતિમાં પૈસા કેવીરીતે બનાવ્યા, કેટલી સ્કુલો બનાવી અને કેટલી સ્કુલોના રુમો વધાર્યા, કેટલી પરાળીના ખાતર બનાવ્યા, કેંદ્રે આપેલા પૈસા ક્યાં ગયા, … અરે ભાઈ આ બધા કોંગી, એસ.પી., ટી.એમ.સી., આર.જે.ડી., ઉધ્ધવસેના, હપ્તાવસુલી અને કટકી બાજીમાં એકબીજા સાથે સ્પર્ધા કરે છે. ફારુખ ઓમર મુફ્તીમોહમ્મદની રોશની સ્કીમ તો સૌ કરતાં ચડે એવી છે. તગેડી મુકેલા હિંદુઓની જમીન/સંપત્તિને કેવીરીતે કબજે કરી લેવી તેનું મોટુંમસ કાવતરું છે.
(૪) જે કોંગી પહેલાં શાસક પક્ષ હતો ત્યારે, અને આજે જ્યારે વિપક્ષમાં છે ત્યારે પણ, તેના નેતાઓ, પોતાના વિરોધીઓ ઉપર બેબુનિયાદ આક્ષેપો કરે છે.
દા.ત. મોરારજી દેસાઈ સી. આઈ. એ. ના પેરોલ પર હતા, વીપી સિંહનું સેંટકીટ્સ ની બેંકમાં ખાતું હતું, કાશ્મિરી હિંદુઓને ભગાડવામાં આર.એસ.એસ. નો હાથ હતો, હિંદુઓ મુસ્લિમો કરતા મોટા આતંકવાદી છે, વેસ્ટ લેંડ હેલીકોપ્ટર સ્કેમ, ગાંધીજીનું ખૂન આર.એસ.એસ.એ કરેલું, મોદી મોતનો સોદાગર છે, … અગણિત…
(૫) ગુંડાગીરી કરવી અને ગુંડાઓનો બચાવ કરવો.
૧૯૫૨ ની ચૂંટણી કોંગીએ બુથકેપ્ચરીંગ કરીને જીતેલી, ઇંદિરાના સમયમાં તો બુથકેપ્ચરીંગ એક સામાન્ય વાત હતી. ૧૯૬૯ના અરસામાં યુવક કોંગ્રેસની નાગપુરમાં અધિવેશન થયેલું, તે સમયે ટીકીટ ચેકરની હિમત ન હતી કે તે કોંગીયુવક પાસે ટીકીટ માગે, તે વખતે નાગપુરની વેશ્યાઓ યુવા-કોંગીઓથી ત્રસ્ત થઈ નાસી ગયેલી, ૧૯૭૫ની કટોકટી સમય ઇંદિરા ગાંધીમાટે ગુંડાગીરી કરવા માટેનો સુવર્ણસમય હતો. તેની ગુંડાગીરીને સીમા ન હતી. ભારતના વિપક્ષના અનેક નેતાઓ કેવી રીતે મૃત્યુપામેલા તે રહસ્ય છે. સિખોનો કરેલો નરસંહાર કોંગીની ગુંડાગીરી સિવાય કશું ન હતું, મમતાએ તો એના સરકારી અધિકારીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવેલી કે તેઓ એ વાતનો ખ્યાલ રાખશે કે ટી.એમ.સી. ની તરફમાં જ મત પડે. મમતા તો તેના રાજપાલને ખૂલ્લી ધમકીઓ પણ આપે છે. અને પોતે ખૂદ કેંદ્રીય સંસ્થાઓના કામમાં ખલેલ કરતી હતી. મમતાને વોટ ન આપનાર દલિતોની ઉપર તેણે આતંક ફેલાવી તેમના હજારો કૂટુંબોની હિજરત રોહિંગ્યાઓ દ્વારા કરાવેલી છે. મમતાના રાજ્યમાં અને કોમ્યુનીસ્ટોના રાજ્યમાં બીજેપીના નેતાઓના ખૂન થવા તે નવાઈની વાત નથી. જયશ્રી રામ બોલનારની ધરપકડ કરવાના હુકમ મમતા પોતે આપે છે. પોતાના વિરોધીઓના ઘર પણ તે સળગાવે છે. મમતાની ગુંડાગીરીની કોઈ સીમા નથી.
આમ આદમી પક્ષના ગુંડાગીરી સહુ કોઈ જાણે છે. તેના નેતાઓ ગુંડાગીરીને કારણે જેલમાં છે અને છતાં પણ સરકારી હોદ્દો ભોગવેછે. અને આજ પક્ષનો નેતા પોતાને અને પોતાના સહયોગીઓને અણીશુધ્ધ નીતિમાન ગણે છે. મમતા સેના, ઉધ્ધવ સેના, મુલાયમ સેના, લાલુસેના, સોનિયા સેના, દાઉદ સેના (શરદ સેના), ના કુકર્મો તો છાપરે ચડીને દેકારા પડકારા કરે છે.
આવા કોઈ પણ પક્ષને બીજેપીનો વિકલ્પ બનાવી શકાય ખરો? ખાટલે મોટી ખોડ આ જ છે. આ વિપક્ષો સુધરી શકે તેમ છે જ નહીં. જો કોઈ એમ સિધ્ધ કરી આપે કે તેઓ સુધરી શકે તેમ છે તો તેને નોબેલપ્રાઈસ આપવું જોઇએ. આપણે તે માટે ભલામણ પણ કરીએ.
ઈંદિરા ગાંધી સામે પણ વિપક્ષો એકજુટ
ઈંદિરા ગાંધી સામે પણ વિપક્ષો એકજુટ થયેલા. પણ તે વખતે વિપક્ષો નૈતિક રીતે અણિશુધ્ધ હતા. ક્યાં આચાર્ય કૃપલાણી અને ક્યાં કેજ્રીવાલ, ક્યાં ચક્રવર્તી રાજગોપાલાચારી અને ક્યાં સ્ટેલીન, ક્યાં મોરારજી દેસાઈ અને ક્યાં સોનિયા ગાંધી, ક્યાં રામમનોહર લોહિયા અને ક્યાં મુલાયમ કે અખિલેશ, ક્યાં કર્પુરી ઠાકુર અને ક્યાં લાલુ /તેજસ્વી યાદવ, ક્યાં પીલુ મોદી અને ક્યાં રાહુલ ગાંધી, ક્યાં તરકેશ્વરી સિંહા અને ક્યાં પ્રિયંકા વાંઈદ્રા, ક્યાં અમારા ઈબ્રાહિમ ભાઈ હેંડલ અને ક્યાં હાલનો કેવળ કોમવાદી ઓવૈસી? ક્યાં અમારા કનુભાઈ ઠક્કર અને ક્યાં અશોક મોઢવાડીયા,
મોદી/બીજેપીનો વિકલ્પ મોદી/બીજેપી જ છે.
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એજ મોદીનો મંત્ર ઘણું બધું કહી જાય છે.
બીજેપીનો વિકલ્પ બનાવવાની ઘેલછામાં આપણે દેશને વિભાજનવાદીઓના ખપ્પરમાં હોમી ન દેવાય.
શિરીષ મોહનલાલ દવે
धर्म परिवर्तन के लिये प्रतिज्ञा लेनी पडती है क्या? – ३
Posted in Uncategorized on October 18, 2022| Leave a Comment »
धर्म परिवर्तन के लिये प्रतिज्ञा लेनी पडती है क्या? – ३
आम आदमी पक्ष जो पक्ष नहीं है, किंतु एक गुट है.
पक्ष एक विचार होता है, और अपने विचारको कार्य द्वारा समाजको सुखमय और समृध्धिकी ओर ले जाता है. जो झुण्ड होता है वह एक समूह होता है. आजका भारतका विपक्ष विभीन्न गुटोंका ही बना हुआ.
ये बौध्ध बावाजी भी इस बातको सामज़ नहीं पा रहे कि जहाँ असत्य भाषण हो रहा हो वहां पर यदि शक्य हो तो उसी समय उसका विरोध करना चाहिये. यदी मामला आपकी सुरक्षासे जूडा हुआ है तो बादमें उस भाषणकी निंदा करना आवश्यक है. यदि आपने ऐसा नहीं किया तो आप इसमें सहमत है ऐसा ही माना जायेगा. और वास्तवमें ऐसा ही सत्य सिध्ध हुआ. वह गुट यानी झुंडके गोपालने वही किया, जिसकी संभावना और प्रतिक्षा थी. उसने भारतके प्रधानमंत्रीको ही नहीं उनकी माताजी की भी भर्त्सना की, और गुजरातकी जनताके विषयमें बिभत्स भाषाका उपयोग किया. लेकिन हम उसके विषयमें चर्चा नहीं करेंगे.
हम इस बौध्ध बावाजी की बात करेंगे.
क्या बौध्ध धर्म क्या एक संस्कृति है?
नहीं है और नहीं हो सकती है.
सनातन धर्ममें आत्म तत्त्वको जाननेके लिये कई पंथ (विचार शाला) है. ब्राह्मण, अद्वैत, द्वैत, त्रैत, शुध्धाद्वैत, चार्वाक, बार्हस्पत्य, सांख्य, योग, पाशुपत, वैष्णव, वाम मार्ग, … ये सब वैदिक संस्कृतिकी नीपज है.
जैन, बौध्ध, सिख पंथ भी वैदिक संस्कृतिकी ही नीपज है. इन सभी पंथोंमे भी ईंद्र है, यम है, गांधर्व है, किन्नर है, यक्ष है … ह्यु एन संग जब भारत आया था उस समय साम्राट अशोकका महल अस्तित्वमें था. अशोकके महलको देख कर उसने बोला था कि “ऐसा महल कोई मनुष्य नहीं बना सकता. यह तो यक्ष, गांधर्व और किन्नर ही बना सकते है”.
क्या बौध्ध धर्ममें ज्ञातिवाद था?
अवश्य था. यदि सनातन धर्ममें जन्मजात ज्ञातिवाद था तो बौध्धमें भी जन्मजात ज्ञातिवाद था. यदि सनातन धर्ममें जन्मजात ज्ञातिवाद नहीं था तो बौध्धोंमे भी जन्मजात ज्ञातिवाद नहीं था.
वर्तमान बौध्ध नेता मानते है कि सम्राट अशोकने कलिंगको युध्धमें पराजित करनेके बाद वह हिंसासे व्यथित हुआ और वह बौध्ध बना.
वास्तवमें यह जूठ है.
ऐतिहासिक प्रमाण तो ऐसे है कि वह कलिंगके युध्धसे पहेले ही बौध्ध बना था. और कलिंगके युद्धके बाद भी उसने कई हिंसक काम किये थे.
उसने चांडालिकको पीडा दे दे कर मार डाला.
उसने एककी गलतिके कारण १८००० विधर्मीयोंकी, सामुहिक हत्या की थी,
उसने जैनोंके विरुद्ध हिंसक अभियान चलाया था. एक शिर लाओ और निश्चित धन ले जाओ.
(ज्होन स्ट्रोंग की पुस्तक “अशोककी कथाएं” पृष्ठ – १४९).
कहेना तात्पर्य यह है कि बौध्ध धर्मका अंगिकार करनेसे मनुष्यकी संस्कृतिमें परिवर्तन नहीं आ जाता.
अशोकके कारण और उसके पश्चात् बौध्ध धर्मका प्रसरण अधिकाधिक हुआ. पूरे जंबुद्विपमें वह फैल गया था. और ऐसी स्थिति ८००/९०० वर्ष तक रही.
अब प्रवर्तमान आंबेडकरके बौध्ध अनुयायी मानते है कि;
“बौध्ध धर्म मानवमात्रका ही नहीं पशुमात्रका हित चाहने वाला है और उसमें ज्ञातिवाद नहीं हो सकता.”
“हम दलितों पर ५००० सालसे अत्याचार हो रहा है”
यह बात तो ‘वदतः व्याघात्’ इससे भी सिध्ध होता है कि बौध्ध धर्ममें भी जन्मजात ज्ञातिवाद था.
इ.सा. पूर्व ३०० से लेकर इ.सा ७०० तक यदि बौध्ध धर्म भारतमें प्रधान धर्म था तो उस अंतरालमें तो ज्ञाति प्रथा नष्ट हो गई ही होगी. तो इ.सा. ७००में कैसे उन दलितोंको ढूंढ निकाला जो इ.सा. पूर्व ३००में जन्मजात दलित ज्ञातिके थे.
८००/९०० सालका अंतराल तो क्या, इस वर्तमान सुलिखित कालमें भी अधिक से अधिक ८ पीढी तक पूर्वजके नाम बडी मुश्किलसे याद होता है. जैसे कि जे.एल. नहेरुके चौथे पांचवे पूर्वज कौन थे वह भी किसीको मालुम नहीं. इतिहासकार भी नहीं बता सकते है. तो इशा ७००के आसपास ऐसा कौनसा अभियान चलवाया गया कि बौध्धोमेंसे दलितोंको ढूंढ निकाला गया? और उन सबको कैसे उनकी ज्ञातिमें स्थापित किया गया? यह केवल असंभव है.
इससे यही सिध्ध होता है कि बौध्ध धर्ममें भी ज्ञाति प्रथा थी और दलितों पर अत्याचार चालु थे यदि पहेले भी अत्याचार होते थे तो.
लेकिन सनातन धर्मवाले इतिहासकार मानते है कि अस्पृष्यताका आरंभ इस्लामके आने से हुआ और उच-नीच वाली ज्ञाति-प्रथा ब्रीटीश शासनमें शुरु हुई. इशा १८वी शताब्दी में भी भारतमें कई पाठशालाएं पूर्वभारतमें भी विद्यमान थी जो पूरे युरोपकी पाठशालाएंसे भी संख्यामें अधिक थी. लेकिन जब भारतके अर्थतंत्रको नष्ट किया गया तो कारीगर लोग बेकार हो गये. उनका पढना छूट गया और विद्यासंगी, क्षत्रीय एवं वेपारी ही बच गये.
पाश्चात्य इतिहास कारोंने फरेबी इतिहास पढाके हिंदुओंको विभाजित किया. नहेरुवीयन कोंगीयोंने ब्रीटीशों द्वारा लिखा गया इतिहास मान्य रक्खा, इतना ही नहीं उसी फरेबी विचार धारा “विभाजित करो और शासन करो” को आगे बढाया. भारतके कई विद्वानोंने इस पूरा प्रपंचका,पर्दाफास किया है और वह ऑन – लाईन पर उपलब्ध है.
महापुरुष भी गलती करते है. और उन्होंने ऐसी गलती. लेकिन ऐसी एकमात्र गलतीसे उनके पूरे योगदानको धराशायी नहीं कर सकते और उनके नामको लांछित नहीं कर सकते. उनके समग्र जीवनके योगदान को देखकर उनका मूल्यांकन करना चाहिये.
यदि बाबा साहेब आंबेडकरने “गीता जलाने” को कहा था तो वह उनकी एक गलती थी.
गीता (भगवत् गीता), मे एक जगह पर लिखा है,
चातुर्वणम् मया सॄष्टम् गुणकर्म विभागसः
चातुर्वर्ण मैंने (मनुष्यकी) गुण कर्म के आधार पर बनाया है.
यदि व्यासजी (कृष्णके मुखसे) चाहते तो इन शब्दोंका प्रयोग कर सकते थे कि
चातुर्वर्णम् मया सृष्टम् जन्म – लग्न संबंधनात्
किंतु व्यासजीने ऐसा लिखा नहीं. क्यूँकी ऐसी प्रणाली नहीं थी. सचमें ही ज्ञाति परिवर्तन शील थी. इस बातके अनेक उदाहरण थे.
लेकिन बाबा साहेबने “चातुर्वर्णम् मया सृष्टम्”में मया का अर्थ “ईश्वर” ले लिया. क्योंकि कृष्ण तो ईश्वर थे.
किंतु ईश्वर कौन है?
आदित्यानां अहं विष्णु, प्रकृति भी तो ईश्वर है. सब कुछ भी तो ईश्वर है.
वायुः यमः अग्निः वरुणाः, शशांक, प्रजापतिः त्वं, प्रपितामहः च, (गीता-अध्याय – ११, ऋचा-३१).
बाबा साहेबने ईश्वरकी परिभाषा, उनको जो पाश्चात्य प्रणाली के अनुसार जो अर्थघटन पढाया गया था उसको ही लिया.
गलत अर्थघटन करो, और फिर वह गलत अर्थघटनको सही मानो (और वह जो सही है उसको गलत मानो और मनवाओ या उसके उपर बिलकुल मौन रहो), और सामनेवाले को अपराधी मानो.
ऐसा क्य़ूँ भला?
अरे भाई यही तो हमारा मकसद है. यही तो हमने मध्ययुगी पाश्चात्य संस्कृतिसे सिखा है. दंभ ऐसा करो कि दुश्मन देखता ही रह जाय.
हम आपसे भीन्न है,
हमें भारतकी संस्कृति उपर कोई गर्व नहीं,
क्योंकि आप हम पर ५०००+ वर्षोंसे अत्याचार करते आये है,
आपने हमें दास बनाके रक्खा था, अभी भी आप हम पर अत्याचार कर रहे है,
आपने हमारे बौध्ध धर्मको और उसके ८०००० मंदिरोंको ध्वस्त कर दिया और उसके उपर आपने अपने मंदिर बना दिये.
चाहे हम पर मुसलमानोंने अत्याचार किये हो और चाहे आपके नरेंद्र मोदीने हमें ३७० एवं ३५ए को रद करके संविधानक मानव अधिकार दिलाये हो, हम तो कृतघ्न ही रहेंगे.
हमारे लिये तुम्हारा विपक्ष हमारा मित्र है. चाहे परिणाम कुछ भी हो. चाहे भारतका भावी अंधकारमय बन जाय. हमें क्या फर्क पडता है. हम तो आपके पूर्वजोंने ५०००+ अत्याचार किये है वही याद रक्खेंगे. आप नष्ट हो जाय वही हम चाह्ते है, चाहे हमारा कुछ भी हो जाय. हमें मंजुर है.
जय बुध्ध, जय संविधान, जय कर्ण, जय शंबुक, जय रावण, जय एकलव्य, जय भीम, जय नकुल, जय सहदेव, जय अशोक,
शिरीष मोहनलाल दवे
धर्म परिवर्तन के लिये प्रतिज्ञा लेनी पडती है क्या? – २
Posted in Uncategorized on October 18, 2022| Leave a Comment »
धर्म परिवर्तन के लिये प्रतिज्ञा लेनी पडती है क्या? – २
हमने प्रकरण – १ में देखा कि ये बौध्ध बावाजी कहेते है कि;
बौध्ध धर्म एक कल्चर है.
उपरोक्त कथनोंका खंडन हो सकता है.
(१) बौध्ध धर्म एक कल्चर है क्या?
बावाजी, पहेले आप कल्चर की परिभाषा तो करो? यदि आप कल्चरकी परिभाषा नहीं करोगे तो शब्दकोषका अर्थ ही माना जायेगा.
कल्चर एक वैचारिक प्रणाली है. बुध्ध भगवान मानवजात ही नहीं अन्य पशु-पक्षी आदिके उपर भी दया और करुणा रखनेका सिध्धांत रखते थे.
यदि बौध्ध धर्म एक संस्कृति है तो आप लोग मांसाहार क्यों करते है? जापानमें तो एक शिल्पमें बुध्ध को हाथीका शिकार करते दिखाय गया है. एक हाथीको मारनेसे एक जीवकी ही हिंसा होती है. मछली खानेके लिये अनेक मछलीयोंकी हिंसा करना पडता है. चीनके लोग तो पृथ्वि और आकाशके बीचके सभी सजीवोंको खाते है.
आपने दलितोंको ही निशाना क्यों बनाया? अरे बावाजी यदि आप प्रज्ञायुक्त चर्चामें मानते है तो पहेले दलितोंको कमसे कम यह तो समज़ाओ कि ब्रह्मा, विष्णु, महेश … आदि आपके हिसाबसे कौन है. हम हिंदुओंको पता है कि आप स्वयं इनका सही स्वरुप जानते नहीं है. आपमें इनके बारेमें ज्ञान नहीं है कि ब्रह्मा, विष्णु, महेश, गणेश … कौन है.
हिंदु धर्ममें पुराण इतिहासकी पुस्तक है. इतिहासको सुगम्य और रोचक बनानेनेके लिये, इनमें समय समय पर भगवान की और देवीयोंकी काल्पनिक कथाएं एवं आकाशीय घटनाओंका प्रतिकात्मक विवरण भी प्रक्षिप्त है. पुराणोकी रचना कमसे कम ईशा.पू. १००० वर्षसे ईशा मसीह संवत्सरकी १२वीं शताब्दी तक होती रही. उनमें प्रक्षेप होते रहे है.
आपने जो पुस्तकें तत्त्वज्ञानके लिये मान्य नहीं है उनको ही उधृत किया. आपने ऐसा क्यूँ किया? ऐसा ही है न कि अन्यमें आपकी चॉंच डूबती ही नहीं? क्या हिंदु तत्त्वज्ञानका अध्ययन करनेकी आपके पास क्षमता नहीं है?
आपने पुराणोंको क्यों पकडा? उपनिषदोंको क्युँ नहीं पकडा? आप वेद और उपनिषदोंके तत्त्वज्ञान पर कोई हिंदु ज्ञाता से चर्चा करते तो आपका अंतर्मन स्वच्छ है ऐसा प्रतीत होता.
हिंदु धर्म “प्रश्न करो और उत्तर पाओ.” मतलब की हिंदुधर्म संवाद द्वारा वर्णित होता है? हिंदुधर्ममें तत्त्वज्ञान भी प्रतिकोंसे समज़ाया जाता है.
बौध्ध धर्मको मानने वाले हमारे एक मित्र कहेते है कि “लव धाय एनीमी (शत्रुसे भी प्रेम करो)”, यह सिध्धांत भी बुध्ध भगवानका है, ऐसा उनके अनुयायी लोग मानते है. अच्छी बात है. यदि आप कुछ अच्छी बात मानते है तो किसीको कोई कष्ट नहीं.
यदि आप बौध्ध है, तो हिंदु आपका पडौशी है. “पडौशीसे प्रेम रक्खो” ऐसा कथन ईसा मसीहका था. बुध्ध भगवानने उससे भी उच्च सिध्धांत बनाके रक्खा कि दुश्मनसे भी प्यार करो.
लेकिन अय बावाजी, आप आगे चलकर कहेते है “हम पुनर्जन्म, आत्मा, ईश्वर और परमेश्वरमें मानते नहीं है”. चलो यह भी ठीक है. लेकिन जब आप यह आदेश देते हैं कि …
बावाजी! यदि ऐसा है तो जातक कथाओंमें बुध्धके कई जन्मोंका विवरण कैसे है? आप को शायद मालुम नहीं कि कि दलाई लामा को बुध्धका “विद्यमान अवतार” माना जाता है.
हिंदुओंका धर्म कैसा है आपने कभी समज़नेका प्रयत्न किया है? चलो एक उदाहरणसे आपको अवगत करें;
गणेशः
इसका अर्थ है “गणानां ईशः इति गणेशः”
समूह का नेता.
गणेशको सूंढ होती है. मतलब परिस्थितिको दूरसे सूंघ लेता है.
गणेशको बडे कर्ण होते है, मतलब नेताके कर्ण विशाल होते है ताकि वह सबकी बातें दूरसे जब चाहे तब सून लेता है,
नेताका उदर मोटा होता है ताकि वह सभीकी बातें अपने पेटमें समावेश कर सकता है,
नेताकी आंखे तीक्ष्ण होती है,
नेताके पास लड्डू होते है, ता कि उसको मिलनेके बाद व्यक्ति संतुष्ट हो के जाता है,
नेता बैठा हुआ होता है, मतलब कि वह हमेशा उपलब्ध होता है,
गणेश एलीफंट गोड नहीं है, लेकिन एलीफंट-हेड गोड है. यहां ईशका अर्थ संचालक मतलब नेता है जिनकी बात सब गणसदस्य मानते है.
बावाजी, क्या यह प्रतिकात्मक विवरण आपकी समज़में आया? नहीं आया? चलो आगे समज़ाते है.
इसको दो पत्नियां है; रिध्धि और सिध्धि
इसका मतलब है समृध्धि और सफलता
इनके दो पुत्र है,
शुभ और लाभ. मतलब सुष्ठु (अच्छा) और उत्कर्ष (अच्छा भविष्य)
अब तो बावाजी आपकी समज़में आगया होगा. यदि अब भी नहीं आया हो तो आप “गॉन केस” (हाथसे गया हुआ केस) है.
(क्रमशः)
शिरीष मोहनलाल दवे
નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ તો જુના ભદ્રંભદ્રનું શું થશે – ૨
Posted in Uncategorized on October 6, 2022| 2 Comments »
નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ તો જુના ભદ્રંભદ્રનું શું થશે – ૨
ગયા પ્રકરણમાં આપણે જોયું કે વાડાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. જો સત્તા હોય અને/અથવા ન હોય, તે માટે જો કોઈ વાડામાં ફાયદો મળતો હોય તો તે લેવા માટે તે વાડામાં જવું અને તેનો ઉપયોગ કરવો અને કર્યા કરવો. એ સિવાય કશું નહીં.
પણ આમાં ભદ્રંભદ્ર ક્યાં આવ્યા?
ભદ્રંભદ્ર–ઓ વિષે ચર્ચા કરીએ તે પહેલાં આદિ–ભદ્રંભદ્ર કોણ અને કેવા હતા તે આપણે જાણી લેવું જોઇએ. કારણ કે હાલની શિશુ, યુવા, પ્રૌઢ્ તેમજ કેટલીક વયોવૃદ્ધ વિદ્યમાન વ્યક્તિઓને ખ્યાલ ન પણ હોય કે આદિ ભદ્રંભદ્ર કોણ હતા, કેવા હતા અને ક્યારે પ્રગટ થયા હતા.
પણ ભદ્રંભદ્ર એટલે શું તે આપણે જાણી લેવું જોઇએ.
ભદ્રમ્ એટલે કલ્યાણ. ભદ્રંભદ્ર એટલે ભદ્રાણામ્ અપિ ભદ્રઃ એટલે કે મહાભદ્રમ્. જેમ દેવાનામ્ દેવઃ એટલે દેવદેવ મહાદેવ હોય છે તેમ.
ભદ્રંભદ્ર આમ તો ડૉન કિહોટેનું કટ્ટર ભારતીયત સંસ્કરણ છે.
યુરોપીય મધ્યયુગ હિરોવર્શીપ નો જમાનો હતો. જાત જાતના હિરો (નાઈટ) જન્મ લેતા. દરેકને એક વિશેષ પ્રેમિકા રહેતી અને પોતાની એ વીરતા તેની પ્રેમિકાને અર્પણ કરતો. જે વ્યક્તિ દ્વંદ્વમાં પરાજિત થતો તેણે હિરોની પ્રેમિકા આગળ ગોઠણભેર નમન કરી પોતાની હાર કબુલ કરવી પડતી.
આપણા આદિ-ભદ્રંભદ્ર થોડા જુદા પડતા. તેઓ ચુસ્ત અને તે અંગ્રેજોના સમયના સાપેક્ષે અંધકાર યુગની પ્રણાલીઓના પાલનમાં માનનારા હતા. આ સમય આમ તો ગાંધીયુગ હતો. “સુધારા”નો પવન વા’તો હતો. ભારતમાં એક ગ્રુપ હતું જે “સુધારા” (સામાજિક સુધારા)ઓમાં થોડું ઘણું સક્રીય હતું. ભદ્રંભદ્ર ને લાગતું હતું કે “ભારતની સનાતન સંસ્કૃતિની” વિરુદ્ધનું આ એક કાવત્રું છે અને તેની સામે લડવું એ તેમનું પરમ કર્તવ્ય છે.
આ ભદ્રંભદ્ર પ્રગટ કેવી રીતે થયા?
જો કે વાત બહુ લાંબી છે પણ કહ્યા વગર ચાલશે નહીં.
દોલતશંકર નામે એક ભાઈ હતા. તેમને એક દિવસ સ્વપ્ન આવ્યું. તેમના સ્વપ્નમાં શંકર ભગવાન આવ્યા. તેમણે દોલતશંકરને એવા મતલબનો પ્રશ્ન કર્યો કે હે વત્સ, તેં મારા નામને બગાડ્યું કેમ છે? તારા નામમાં દોલત અને શંકર એમ કેમ છે? દોલત એ તો મ્લેચ્છ શ્બ્દ છે. દોલત શબ્દ સાથે મારા નામને જોડીને તેં મારા નામને અપવિત્ર કર્યું છે. તેં મહા અપરાધ કર્યો છે.
દોલત શંકરે જવાબ આપ્યો કે હે મહાદેવ, આ કર્મ વિષે તો હું તદ્દન નિર્દોષ છું. મારું નામ પાડવાનું કર્મ તો મારા પિતૃસ્વસા (ફોઈ), મારો કોઈ અપરાધ નથી…
આ ઉત્તર શંકરભગવાને સાંભાળ્યો કે નહી, આ ઉત્તર થકી તેઓ સંતુષ્ટ થયા કે નહીં … કે જે કંઈ હોય તે, પણ દોલતશંકરે જોયું કે શંકર ભાગવાન દોલતશંકર સામે ત્રીશૂળ ઉગામવાની તૈયારી કરી રહ્યા હતા …
તે જ ક્ષણે દોલતશંકર સ્વપ્નલોક સૃષ્ટિમાં થી મૃત્યુલોકની સૃષ્ટિમાં આવી ગયા. દોલતશંકરે આ સ્વપ્નની તેમના સાથી, અંબારામ (જેમ ડોન કીહૉટે પાસે સાન્કોપાંઝા હતો તેમ) સ્વપ્નની વાત કરી. અને પછી તેમણે ધામધુમ સાથે નામકરણ કર્યું અને સનાતન ધર્મના વિજય માટે પ્રયાણ કર્યું.
ભદ્રંભદ્ર વાંચીએ ત્યારે શું શું દૃષ્ટિગોચર થાય છે?
(૧) ભદ્રંભદ્રની શુદ્ધ અને મ્લેચ્છ/આંગ્લ ના શબ્દો રહિત સંસ્કૃતમય ગુજરાતી ભાષા.
(૨) ભદ્રંભદ્રની આત્મવંચના,
(૩) ભદ્રંભદ્રનો દંભ,
(૪) સનાતન શાસ્ત્રના કથનમાં જે કહ્યું હોય તેમાં ફેરફાર કરી ખોટું બ્લોલવું. એટલે કે જો સનાતન ધર્મમાં બાળવિવાહ પ્રચલિત હોય તો શાસ્ત્ર માં કહ્યું હોય કે અષ્ટાવર્ષે ભવેત્ ગૌરી. તો તેમાં ફેરફાર કરીને કહેવું કે અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી. અને વર્ષાંગે એટલે માસ. એટલે કે આઠમાસે જ કન્યાના લગ્ન કરવા. તે વખતે થતા ઘોડીયા લગ્નની આ રીતે શાસ્ત્રપ્રમાણ આપવું.
(૫) અસંબદ્ધ ભાષણ કરવું
(૬) દરેક વાતમા “સુધારાવાળાઓ”નો પ્રપંચ જોવો.
આદિ-ભદ્રંભદ્ર કમસેકમ સ્વાર્થી ન હતા અને પ્રપંચો કરતા ન હતા. આદિભદ્રંભદ્ર પાસે સત્તા ન હતી.
હાલના ભદ્રંભદ્રો ક્યાં છે અને શું કરે છે?
હાલના ભદ્રંભદ્રો, કોંગીઓમાં અને તેના સાંસ્કૃતિક સાથીપક્ષોમાં ખદબદે છે. તેમને તેમના જ નહીં પણ વિદ્યમાન અંગ્રેજી (પાશ્ચાત્ય) ઇતિહાસકારોના માનસિક સંતાનોનું પીઠબળ છે. તેમજ કેટલાક દેશી/પડોશી/વિદેશી મીડીયા કર્મીઓનો પણ સહારો છે.
આ નવ્ય ભદ્રંભદ્રોને બીજેપી/મોદી-ટીમ/આર.એસ.એસ. ના વિરોધ કરવા સિવાય બીજું બોલવાનું સુઝતું નથી.
વિદ્યમાન ભદ્રંભદ્રોની કેટલીક પ્રચલિત પરિભાષાઓઃ
લેફ્ટીસ્ટ (વામપંથી) એટલે ધર્મનિરપેક્ષ (એટલે કે બીનહિંદુઓ પ્રત્યે કોમળ અને દયાળુ, પણ હિંદુઓ પ્રત્યે વાંકદેખુ અને અસહિષ્ણુ), લોકશાહીવાદી, સમાજવાદી, ગરીબોના ઉદ્ધારમાટે સમર્પિત, નીતિમાન.
રાઈટીસ્ટ (દક્ષિણ પંથી) એટલે કોમવાદી, બીનલોકશાહીવાદી, રંગભેદમાં માનનારા, જ્ઞાતિવાદમાં માનનારા, મુડીવાદી, હિંસાને સમર્પિત, ઓળઘોળ કરીને આર.એસ.એસ. ઉપર ઠીકરુ ફોડે છે.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
નવ્ય-ભદ્રંભદ્રાઃ કિં ઉચુઃ
તેષાં એકઃ ઉવાચ
“પણ આ નરેંદ્ર મોદી આટલી બધી કામકર્યાની જાહેરાતો કેમ કરે છે?
તેષાં અન્યઃ એકઃ ઉવાચ
“શિયાળામાં બાળકોને માટલાના પાણીથી નવરાવવા શું યોગ્ય છે?
તેષાં અન્યઃ એકઃ ઉવાચ
“હું જાણું છું કે હું સાચો છું અને તેઓ ખોટા છે. પણ અંદરથી હું જાણું છું કે હું ખોટો છું અને તેઓ સાચા છે પણ વાસ્તવમાં મનથી મને ખબર છે કે હું સાચો છું અને તેઓ ખોટા છે.”
નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ, તો જુના ભદ્રંભદ્રનું શું થશે? – ૧
Posted in Uncategorized on September 30, 2022| Leave a Comment »
નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ તો જુના ભદ્રંભદ્રનું શું થશે
ડીબીભાઈના (દિવ્ય ભાસ્કર ભાઈના) છાપામાં એક રીતે જોઇએ તો બે વિરોધાભાસી માહિતિઓ હતી.
પાના-૨ ઉપર સમાચાર હતા કે કચ્છના નખત્રાણામાંના બ્રાહ્મણોએ દશેરાના રાવણ દહનના કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ કરવાના છે. કારણ કે રાવણ તો બ્રાહ્મણ હતો. રાવણ મહાન શિવભક્ત હતો. રાવણ વેદોમાં પારંગત હતો. આજે જે સ્વરુપમાં વેદો, આપણી સમક્ષ છે, તે સ્વરુપના વેદોનો જન્મદાતા રાવણ હતો. આવા મહાન રાવણના પુતળાનું દહન કરવું અને તે પણ દરવર્ષે, દહન કરવું તે બ્રાહ્મણ જાતિનું અપમાન છે. અમે બ્રાહ્મણો આ ચલાવી નહીં લઈએ. અમે બહિષ્કાર કરીશું.
ભારતના દલિતો ને પણ આ રાવણ-દહન પસંદ નથી.
હાજી, સાવ સાચી વાત છે. પણ કારણ તદ્દન ભીન્ન છે. કારણ કે તેમના હિસાબે રાવણ તો દલિત હતો. ખૂબ વખત પહેલાં આવી એક ફિલમ પણ ઉતરી હતી. એમ તો દશાવતારની ફિલમ પણ ઉતરી હતી. (જેમાં ગાંધીજી અને બુદ્ધ બન્નેને વિષ્ણુના અવતાર બતાવવામાં આવ્યા હતા. પણ તે વખતે બાબા સાહેબે પોતાનો ધર્મથકીનો વાડો, જુદો બનાવ્યો ન હતો. પણ તે વિષે વળી ક્યારેક ચર્ચા કરીશું)
રામે એક દલિતને માર્યો અને પછી આ રામના માણસો, દશેરાના (શુક્લ અશ્વિન દસમના) દિવસે રાવણનું પુતળું બાળે છે અને દર વર્ષે બાળ્યા જ કરે તે અમારાથી સહન જ કેમ થાય?
આ મનુવાદીઓને તો સીધા કરવા જ પડશે.
તો શું હવે મુલ્લાયમ – અખિલેશે ચલાવેલા સૂત્ર “મુસ્લિમ, યાદવ ભાઈ ભાઈ”, ની જેમ એક નવું સૂત્ર રચાવા તરફ જઈ રહ્યું છે કે “દલિત, બ્રાહ્મણ ભાઈ ભાઈ”?
સૂત્રોની તો બહુ મોટી માયા જાળ છે.
“તિલક, તરાજુ ઔર તલવાર, ઉસકો મારો જુતે ચાર” આ સૂત્રની જન્મદાત્રી માયાવતી કે તેના ગુરુ કાંશીરામ હતા.
પણ પછી માયાવતીએ “આ હાથી નહીં … ગણેશ છે” એવું સૂત્ર પ્રચલિત કરી બ્રાહ્મણ – દલિત ને એકસૂત્રમાં બાંધવા પ્રયત્ન કરેલ. પણ “મુસ્લિમ – યાદવ ભાઈ ભાઈ” આગળ આ સૂત્ર પરાજિત થયેલ.
દલિત બ્રાહ્મણ ભાઈ ભાઈ
દલિત બ્રાહ્મણ ભાઈ ભાઈ જેવું સૂત્ર તો લુટ્યનોને (કોંગી, આર.જે.ડી., સી.પી.એમ., અને વામમાર્ગીઓને) કોઈ કાળે ન ખપે.
કેમ?
ચંદ્રગુપ્ત મૌર્ય (મુરા દાસીનો છોકરો) અને કૌટીલ્યએ ભેગા મળીને ધનનંદના સામ્રાજ્યને ઉથલાવીને, નંદના સામ્રાજ્યથી પણ મોટું સામ્રાજ્ય સ્થાપેલ. તેમ જ સેલ્યુકસ નીકેતર કે જે બધે જ જીતતો જીતતો આવતો હતો તેને પણ પરાજિત કરેલ. આ વાત તો ભલાભોળા નાજુક લીબરલ વામમાર્ગીઓને પસંદ ન જ પડે ને!! વામમાર્ગી = વામપંથી = લેફ્ટીસ્ટ લીબરલ, આ એવા લીબરલ કે સત્તામાટે તેમણે લાખો માણસોની દરેક જગ્યાએ કતલ કરેલી.
“આર્યન ઈન્વેઝન થીએરી” જેણે પુરસ્કૃત કરેલી તે મેક્સમુલરે તેની પાછલી જીંદગીના દિવસોમાં પાછી ખેંચી લીધેલી. તે થીએરી એક બનાવટી થીએરી હતી. તેને કશો આધાર ન હતો. ન તો તે થીએરી ભૂસ્તરશાસ્ત્રથી સિદ્ધ થતી હતી, ન તો તે ખગોળશાસ્ત્રથી સિદ્ધ થતી હતી, કે ન તો તે ભાષાશાસ્ત્રથી સિદ્ધ થતી હતી. તેમાં તુક્કાઓ સિવાય કશું ન હતું. અને જો તુક્કાઓ લગવવાની છૂટ હોય તો તમે કોઈપણ વાત સિદ્ધ કરી શકો.
દા.ત.
વેદ સમયના ભારતીયો કુતરા સિવાયના પ્રાણીઓની વિષે જાણતા ન હતા. સંસ્કૃતમાં કુતરાને “શ્વા” કહે છે. સંસ્કૃતમાં “અ” એટલે “નહીં” એવો અર્થ થાય છે. કારણકે વેદકાળના લોકો કુતરા સિવાય બીજા પ્રાણીઓને જાણતા નહીં, તેથી તેઓ બીજા બધાને “ અ શ્વ “ એમ કહેતા હતા. એટલે કે અશ્વ. આવી તો પાશ્ચાત્ય પંડિતોની અનેક વાતો છે.
વાર્તા વિષય, આર્ય અને અનાર્યના ભેદવિષેનો હતો.
આપણા હેલ્પેશભાઈ, તેઓશ્રી જ્યારે ભાવનગરની પ્રાથમિક શાળા “ધ ભૂતા ન્યુ ઈંગ્લીશ સ્કુલ”માં (૧૯૫૨) હતા ત્યારે જ તેમણે તેમના વર્ગ શિક્ષક અમુભાઈને પ્રશ્ન કરેલ; જો આર્યો ગાયને પૂજતા હોય અને અનાર્યો સાંઢને પૂજતા હોય તો આને વિરોધાભાસ કેમ કહેવાય? આ તો સમાનતા કહેવાય. જેઓ ગાયને પૂજતા હોય તે સાંઢને પૂજતા પણ હોઈ શકે.
ત્યારે અમુભાઈએ કહ્યું કે આ તો બધી બનાવટ છે. વાસ્તવમાં આ યુરોપીઅનોને આપણે પ્રાચીન સમયમા અસ્પષ્ટ ઉચ્ચારણોને કારણે હાંકી કાઢેલા અને પછી તેઓ પાછા આવ્યા. આપણે ક્યાંય બહારથી આવ્યા નથી.
પણ આપણે આની ચર્ચા નહીં કરીએ. કારણકે તે વિષયાંતર થશે.
પણ કોમળ લેફ્ટીસ્ટ લીબરલોને નહીં ગમે તેનું શું?
“આર્ય અને અનાર્ય, સવર્ણ અને અસવર્ણ, શ્વેત અને સ્યામ, માલિક અને દાસ, વેદજ્ઞાતા અને અજ્ઞાની, સુખી અને પીડિત, … આવા ભેદભરમ અને કળાઓ ઉપર તો આપણી દુકાન ચાલે છે. આપણે કંઈ આ અનાર્ય, દલિત, પીડિત, … નો ઉદ્ધાર કરવાનો ઠેકો લીધો નથી. આ અનાર્ય, દલિત, પીડિત જાય ચુલ્હામાં. આ શસ્ત્રના આધારે તો આપણે રશિયા અને ચીન કબજે કર્યા. અર્ધું જર્મની કબજે કર્યું. આપણા અમેરિકન બંધુઓ પણ આવી થીએરીને આધારે તો ત્યાં સત્તા ઉપર આવેલા અને બધાને ખ્રીસ્તી બનાવેલ. તે ઉપરાંત ભારતમાં આ શસ્ત્રનો ઉપયોગ કરી આપણે ઘણું મેળવ્યું છે. બીજાઓને વિભાજિત કરવા, એ પણ આપણા માટે પ્રાપ્ત કર્યું જ કહેવાય.” લેફ્ટીસ્ટ લીબરલ એન્ડ કું. ઉવાચ.
દયાનંદ સરસ્વતી, વિવેકાનંદ, સાતવળેકર અને હાલના રાજિવ મલહોત્રા, શ્રીની કલ્યાણરામન અને બીજા અગણિત વિદ્વાનોએ અથાગ મહેનત કરી આર્યન ઈન્વેઝન થીએરીને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી છે. તો પછી હજીપણ કેટલાક કટારીયા એટલે કે છાપામાંના કોલમીસ્ટો હજી “આર્ય – અનાર્ય” ના ભેદભાવની વાતો કેમ કરે છે.?
શું આ સંશોધનનો વિષય છે?
સંશોધનનો વિષય એટલે શું? હેલ્પેશ ભાઈના હિસાબે દાળમાં કંઈ કાળું શોધવાની જરુર જ નથી. આખી દાળ જ કાળી છે.
જો બાબાસાહેબ આંબેડકર જેવા પણ અંગ્રેજી ઇતિહાસકારોએ લખેલા ભારતના ઇતિહાસથી સંતુષ્ટ હોય તો અક્ષરજ્ઞાન ધરાવતા (“સાક્ષર” શબ્દના આવા અર્થમાં), જન્મે દલિત એવા જનો, બાબા સાહેબથી શા માટે અસંતુષ્ટ રહે? અને જો જરા અક્કલ ચલાવે અને અસંતુષ્ટ રહે તો કહે પણ કોને? … તો પછી શું કરીશું? બસ એજ કે “બુદ્ધ ભગવાન કહે તે બ્રહ્મ વાક્ય. બાબા સાહેબ કહે તે બ્રહ્મ વાક્ય.”. બાબા સાહેબે કીધું કે આપણે બૌદ્ધ. અને બુદ્ધ ભગવાન હિંદુ નહીં એટલે આપણે પણ માની લેવાનું કે બુદ્ધ ભગવાન હિંદુ નહીં એટલે અમે હિંદુઓથી જુદા. અમારો વાડો જુદો. જેમ મુસ્લિમોનો વાડો જુદો છે, જેમ ખ્રીસ્તીઓનો વાડો જુદો છે, જેમ સિખ લોકોને અંગ્રેજોએ સિખોને તેમનો જુદોવાડો બનાવી આપેલ કારણ કે ૧૯૫૭ના સંગ્રામ વખતે સિખ લોકોએ અંગ્રેજોને મદદ કરેલી અને તેના ઇનામ તરીકે, જેમ જૈનોને કોંગી સરકારે અલગવાડો બનાવી આપેલ તેમ અમને પણ બાબા સાહેબે નહેરુને પટાવી અમારો અલગ વાડો બનાવેલ.
આ અલગવાડો શું છે?
આ વસ્તુનું સચોટ જ્ઞાન હેલ્પેશભાઈના ખાસમ ખાસ મિત્ર સ્વ. ડાહ્યાભાઈ એન. સોલંકી પાસે હતું. પણ ટૂંકમાં એવું છે કે બધું પોથીમાંના રીંગણા જેવું છે. “કહ્યું કશું … અને લહ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું.” સાવ આવું તો નહીં પણ ઘણું ઘણું તો ખરું.
વાડાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. જો સત્તા હોય અને અથવા ન હોય, તે માટે જો વાડામાં ફાયદો મળતો હોય તો તે લેવા માટે તેનો ઉપયોગ કરવો કે લીધા કરવો. એ સિવાય કશું નહીં.
પણ આમાં ભદ્રં ભદ્ર ક્યાં આવ્યા?
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
શું આપણે જ્ઞાતિવાદ તરફ ગતિ કરી રહ્યા છીએ – ૩
Posted in Uncategorized, tagged અસ્પૃષ્ય, આદિવાસી, જય આંબેડકર, જય એકલવ્ય, જય ધમ્મ, જય ભીમ, જય રાવણ, જય શંબુક, જય શકુની. જય સહદેવ, જ્ઞાતિવાદ, બ્રાહમણવાદી, મનુવાદી, લુટ્યેન ગેંગ, સેંકડો વર્ષ પૂર્વ on September 18, 2022| Leave a Comment »
(ઈતિ સિદ્ધમ્)
શું આપણે જ્ઞાતિ પ્રથા તરફ ગતિ કરી રહ્યા છીએ? – ૧
Posted in Uncategorized on August 25, 2022| 1 Comment »
શું આપણે જ્ઞાતિ પ્રથા તરફ ગતિ કરી રહ્યા છીએ? – ૧
ક્યાંથી વિચારવું શરુ કરીશું?
મહાત્મા ગાંધીથી શરુ કરીશું?
હા જી, મહાત્મા ગાંધીથી શરુ કરીશું, તો અમુક ધાર્મિક વાડાવાળાઓ, ગાંધી-ફોબીયાથી પીડિત સોસીયલ મીડીયાના કેટલાક વાચાળ લોકોની લાળ ટપકવા માંડશે.
આમાં કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ અને વામ માર્ગીઓ તો ખરા અને ખરા જ. કોંગી એટલે કોંગ્રેસ નહીં જ. કારણ કે કોંગ્રેસ તો, મહાત્મા ગાંધીએ જ્યારે કહ્યું કે “કોંગ્રેસનું અંગ્રેજોના શાસન થી મૂક્તિવાળું સ્વરાજ્ય મળી ગયું છે. હવે આ કોંગ્રેસનો વિલય કરી દો.”
એટલે એક રાજકીય અર્થની પરિભાષા પ્રમાણે કોંગ્રેસ મરી ગઈ છે. આ વાત અવારનવાર આ બ્લોગ સાઈટ પર કરવામાં આવી છે, એટલે તે વિષય પર ચર્ચા નહીં કરીએ.
આપણે (મોદી/શાહ/યોગી)-ફોબીયાથી પીડિત, બીજેપી-ફોબીયાથી પીડિત, આર.એસ.એસ.-ફોબીયાથી પીડિત, વિશ્વ હિંદુ પરિષદ-ફોબીયા થી પીડિત, હિંદુ-ફોબીયાથી પીડિત, ભારતીય સનાતન સંસ્કૃતિ-ફોબીયાથી પીડિત, શ્યુડો સેક્યુલર, ટૂકડે ટૂકડે ગેંગ વાળા … તે ઉપરાંત જાણ્યે અથવા અજાણ્યે આ લાઈન પર ચાલનારા સૌને, લુટ્યેન ગેંગ વાળા કહીશું. તે ઉપરાંત જેઓ ભારતને ભાષા, ક્ષેત્ર, જાતિ, જ્ઞાતિ અને ધર્મના અતિરેક દ્વારા વિભાજિત કરવા પણ કરવા માગે છે તેમને પણ આમાં સમાવીશું.
તો ચાલો હવે જોઇએ.
“ગાંધીજીને કેમ વાંકમાં લેવા છે?
“કારણ કે ગાંધીજી જ્ઞાતિપ્રથામાં માનતા હતા. એટલે એનો અર્થ એમ જ ને કે જ્ઞાતિપ્રથા યોગ્ય જ છે. તેઓ વેદમાં પણ માનતા હતા. અને વેદમાં તો જ્ઞાતિ પ્રથા હતી જ.
“અરે ભાઈ વેદમાં તો જ્ઞાતિ પ્રથા, “ડીવીઝન ઓફ વર્ક” તરીકે હતી. મહાત્મા ગાંધીએ એમ કહ્યું હતું કે જ્ઞાતિ પ્રથાને “ડીવીઝન ઓફ વર્ક” તરીકે ગણો. તેમનું કહેવું એમ હતું કે કારીગરના દિકરાને જો પિતાજીના ધંધામાં રસ પડતો હોય, તો તેને માટે તે ધંધો વધુ સરળ હોય છે. તેમાં તે સારો વિકાસ કરી શકે. વાણિયાનો દિકરો વેપારમાં સારો વિકાસ કરી શકે. બધા વ્યવસાયોમાં ધંધાની સમજણ અને સંબંધો એક આવશ્યક અંગ ગણાય છે. યોગઃ કર્મષુ કૌશલમ્, બાપિકા ધંધામાં સંબંધો અને સમજણ સરળતા થી ઉપલબ્ધ હોય છે. બાપિકા ધંધાની ફેરબદલીનો નિષેધ ન હતો. તેમ જ ગાંધીજીને ચડતી ઉતરતી કક્ષા પણ માન્ય ન હતી. વળી તેઓ અસ્પૃષ્યતા નિવારણના તો હામી હતા. તેઓ જ્યા સુધી બને ત્યાં સુધી હરિજનવાસમાં જતા અને સભા કરતા હતા.
“તમને ખબર છે ને કે ગાંધીજી ગીતાના મહાપ્રશંસક હતા?
“હા જી. તો તેથી શું?
“ગીતા તો જ્ઞાતિપ્રથાનું સમર્થન કરે છે. કૃષ્ણ ભગવાન પોતે જ કહે છે કે જ્ઞાતિપ્રથાને મેં બનાવી છે.
“તમારી સમજણ ખોટી છે. કૃષ્ણ ભગવાન કહે છે કે ‘ચાતૂર્વર્ણમ્ મયા સૃષ્ટમ્ ગુણ કર્મ વિભાગસઃ’ એટલે કે જેની જે કામ કરવાની પસંદગી હોય તે તેનું કામ કરે છે. તેના ગુણો પણ એ જ પ્રકારે બને છે. જેમકે સરકારી નોકરો, કારીગરો, વેપારી વાણીયાઓ, ડૉક્ટરો, વકીલો, અને જનપ્રતિનિધિઓ ના ગુણોમાં જે કંઈ દેખાય છે તેમાં તેમના ધંધાને કારણે આવતા ગુણોની અસર અધિક હોય છે. આમ થવું કુદરતી છે. કુદરતમાં ઈશ્વરને જોવો એ ભારતવાસીઓની દૃષ્ટિ રહી છે. ગીતા, કૃષ્ણ અને અર્જુન એ બધા નિમિત્ત છે. આ પ્રમાણે ચર્ચા કરી જ્ઞાન મેળવવું અને અથવા જ્ઞાનનો પ્રચાર કરવ એ ભારતીય પ્રણાલી છે. જો લેખક પોતે જ જ્ઞાતિને ચડતી ઉતરતી અને જન્મજાત માનતા હોત તો તેઓએ એમ કહ્યું હોત કે ચાતુર્વર્ણમ્ મયા સૃષ્ટમ્ જન્મ-લગ્ન સંબંધનાત્.
“અમે તો એવું બધું માનીશું નહીં. કારણ કે અમને અમારા ધ્યેયની પ્રાપ્તિ માટે આવું માનવું અનુકુળ નથી.
“હાજી … તમે સાચું જ કહ્યું છે. તમે કાં તો લુટ્યેન ગેંગના છો અથવા તો સાચી વાત સમજવા માગતા જ નથી. વાસ્તવમાં જ્ઞાતિઓને લુટ્યેનો જીવતી રાખવા માગે છે. અસ્પૃશ્યતા મરી ગયી છે. જ્ઞાતિઓ મરણાસન્ન છે. પણ કેટલાક વિભાજનવાદીઓ ૧૧મી સદીમાંના તથા કથિત અત્યાચારોના દૃષ્ટાંતો આપી ઘૃણા ફેલાવવાનું કામ કરે છે.
વીસમી સદીના પૂર્વાર્ધ ના અંત સુધીમાં અસ્પૃષ્યતા પંચમહાલ જેવા પછાત જીલ્લામાં નષ્ટ થઈ ગયેલી. તે ઉપરાંત અસ્પૃષ્યતા ભોજન વ્યવહારમાં પણ નષ્ટપ્રાય અવસ્થામાં હતી. બ્રાહ્મણોમાં ઇતર જ્ઞાતિમાં લગ્નવ્યવહાર ૨% માંડ હતો.
વીશમી સદીના ઉત્તરાર્ધમાં ઘણું પરિવર્તન આવી ગયું. અમારી જ કોમ્યુનીટીમાં ઇતર ધર્મ માં લગ્ન ૨ ટકા, ઇતરજ્ઞાતિમાં લગ્ન ૩૦ટકા, અને અત્યારે એકવીશમી સદીના પૂર્વાર્ધમાં આ પ્રમાણ ઇતર ધર્મ માં લગ્ન ૧૦%, ઇતર જ્ઞાતિમાં લગ્ન ૮૦ ટકા છે. એટલે કે જ્ઞાતિ પ્રથા નષ્ટ થઈ ગઈ છે. અને દલિત (હરિજન) સાથેના લગ્ન પણ અવતા દશકામાં વધી જશે. શિખ, જૈન અને બૌદ્ધ ધર્મને અલગ ધર્મ ગણ્યા નથી. તેને અનુક્રમે પંજાબી, વાણિયા, અને દલિત ગણ્યા છે. ગામડાઓમાં કદાચ આવી સ્થિતિ આવતાં બે દશકા વધુ થશે. ખ્રીસ્તી આમ જનતા, ધર્માંધ ન હોવાથી તેમની સાથેનું લગ્ન પ્રમાણ મુસ્લિમો કરતાં વેગવાન હશે. વાસ્તવમાં જે ભેદ છે તે આર્થિક અને શૈક્ષણિક અસમાનતાને કારણે છે અથવા તો આ એક મોટું અવયવ (ફેક્ટર) છે.
“ચાલો તમે એ વાત છોડો. પણ જ્યારે અમારા બાબા સાહેબ આંબેડકરે આરક્ષણની વાત કરી અને પ્રસ્તાવ રાખ્યો તો ગાંધીજીએ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા. અને બાબા સાહેબને પ્રસ્તાવ પાછો ખેંચી લેવા વિવશ કર્યા. તેમણે કહ્યું કે એક મહાત્માનો ભોગ ન લેવાય તે ખાતર હું મારા બંધુઓના હિતનુ બલીદાન આપું છું. આ વિષે તમે શું કહો છો?
“તમારી વાત અધૂરી છે. બાબા સાહેબે એક કહ્યું હતું કે ગાંધીજીને હૈયે દલિતોનું હિત વસેલું છે તે હું સમજી શક્યો છું. પણ હું મારી વાત ગાંધીજીને સમજાવી શક્યો નથી. આ પછીનું તમે જે કહ્યું તે બરાબર છે. તમે એ પણ જુઓ. એક વખત ગાંધીજીએ એવો નિયમ કરાવ્યો હતો કે જેને કોંગ્રેસના સભ્ય થવું હોય તેમણે ફરજ્યિાત ખાદીવણાટ (કે ખાદી કાંતણ) કરવું જ પડે.
પણ એમની મરજી વિરુદ્ધ, એમની જાણ બહાર, તેઓ જેલમાં હતા ત્યારે મોતીલાલ નહેરુ વગેરેએ ભેગા મળીને એ નિયમને લૂલો બનાવવા ‘ખાદી વણે’ તે નહીં, પરંતુ ‘ખાદી લાવે’ તે કોંગ્રેસ સભ્ય બને, એવું ઠરાવીને ગાંધીના વિચારોનું સૂરસૂરીયુ કરી દીધું હતું.
જેમ ગાંધીજીના રચનાત્મક કાર્યો કદી કોંગ્રેસે સ્વીકાર્યા નહીં, જેમ ગાંધીજીની ખાદીની ચળવળ ઢીલી પડી ગઇ, તેમ ગાંધીજીએ દેશભરમાં દલિતયાત્રા યોજીને, ઉપવાસો કરીને, અસ્પૃશ્યતા નિવારવાના જે પ્રયત્નો કરેલા, તેને પણ કદી (તે વખતના) હિંદુ લોકોએ અને કોંગ્રેસ પક્ષે સાથ ઓપેલો નહીં. આથી ગાંધીજી જે હૃદયપરિવર્તનના માર્ગે માનવ-માનવ વચ્ચેનો ભેદ ભૂંસવા માંગતા હતા, એવો આદર્શ સમાજ આપણે ત્યાં કદી બની શક્યો જ નહીં. આ કારણે જ આઝાદી આવ્યા પછી પણ આપણી દશા અને મનોદશા સુધરવાને બદલે બગડવા માંડી હતી. જે રીતે ગાંધીજી મુસ્લિમ તરફી હોવાની ગેરસમજને કારણે તેમની હત્યા થઇ, એ જ રીતે ગાંધી દલિત વિરોધી હોવાની માન્યતાએ ગાંધીમાર્ગ અને ગાંધીસિદ્ધાંતોનું ખૂન કર્યું છે. આખો દલિત સમાજ ‘પૂના કરાર’ની જગમશહૂર કડવાશનું ઝાંખરું પકડીને આજે પણ બેઠો છે. આજે પણ કેટલાક દલિતો એમ માને છે કે અસ્પૃશ્ય સમાજનું ભાવિ ગાંધીજીએ ચકનાચૂર કરી દીધું, બાબાસાહેબ આંબેડકરને દબાણમાં લાવીને ગાંધીજીએ દલિતોને ઊંચા ન આવે તે રીતે કચડી દીધા, ગોળમેજી પરિષદમાં પણ દલિતોના અધિકારોનો વિરોધ કર્યો, આવી આવી ગેરસમજોથી આજે પણ દલિત સમાજ ગાંધીને પ્રણામ કરતી વખતે મનનો રોષ પૂરેપૂરો ઓગાળી શક્તો નથી. ( આ પેરાગ્રાફ શ્રી હસિત મહેતાના લેખમાં થી ઉધૃત)
“તમે ભલે ગમે તે કહો. પણ કોંગ્રેસને (નહેરુવીયન કોંગીને) કારણે અમને આરક્ષણ મળ્યું. અને અમે આજે તમારી સામે સમકક્ષ રીતે વાત કરીએ છીએ તે પણ આંબેડકર સાહેબને કારણે જ. આ જ કોંગ્રેસે અમારા અમરસિંહ ચૌધરીને મુખ્ય મંત્રી પણ બનાવ્યા.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
Which one is the real Shiv Sena? – 2
Posted in Uncategorized, tagged 2G, Aditya Thakare, Ajit Pawar, Big brother, Central Executive Committee, Congi, delegates, Dynastic parties, Fadanvish, General Body meeting, Hapta Vasuli gang, judiciary, kickback, morality, NCP, Office bearers, Party President, policy, political party, principles, protection money, Ram Mandir, Sena, Sharad Pawar, Shiv Sena, SUO MOTTO, Tender, Uddhav Thakare, values, weapon of BJP on August 7, 2022| Leave a Comment »
Which one is the real Shiv Sena? – 2
The second part of the story is dismissal of the MLAs who had already sworn in, i.e. taken an oath before the Governor.
Speaker did not carry the trust of the majority members. When the speaker knows this, the speaker should resign from his post.
To not follow the whip by a MLA a non-member is not a democratic decision and it is against the freedom of the member. When the party’s line of action itself is undemocratic and it becomes the matter controversial, one cannot decide the matter by simply YES or NO.
First of all the matter is to be decided as to who represent the verdict of the people. What verdict had been given by the people in the assembly elections?
Is it the party or its member?
Do people elect a person, or a party by casting votes?
If the party, is the verdict of the people, then why the name is incorporated on the list of the Voting Machine? It can be said vice versa, as the symbol pertains to the party.
But if we take this way;
A party is proposing a person, who would authorized to act as per the principles of the party in the assembly if elected. So if the people, likes the policy of the party, the people may elect him/her who has been proposed by a party.
The policy is the part and parcel of the principles of a party. Change in policy, if the same has not been processed properly, and that too not in a democratic way, the person who received the verdict of the people is entitled to act as per the original policy. Because the people had elected him on that Ground. Further, the party has not asked the person’s opinion or his desire before making change in the policy.
Thus neither the dismissal of a person from its party nor the dismissal from the assembly- membership of the person, is possible in a democratic set up.
The judiciary is supposed to decide the matter in a whole and with a broader view in a democratic way. It is not important as to how the matter took place technically. The importance has to be given to the moral and democratic value.
Right to Call Back the people’s representative
If there is no provision of the procedure to use “the right to recall” by the people, in the Indian Constitution, it does not mean that the people can be deprived of their right to recall. There are always general principles for any procedure.
e.g. How much strength is required for a meeting?
(1) In a regular meeting, more than 20% presence is required. Why 20 % presence of Members?
20% are supposed to be out of station. 50% will have some vivid mind and or some other work or priorities than to attend the meeting. We left with 20%. If after serving a notice of the meeting to be held, less than 20% are present in the meeting the meeting has to be postponed. Meeting has to be recalled, by issuing a Notice indicating the reason the last meeting could not be held. If with this notice also, less than 20% members turn up, then this has to be recorded in the minute of the meeting. The meeting’s proceedings should be conducted even with this less than 20% presence of the members.
(2) Similar is a case with floating a tender. There are general principles of calling for the competitive rates. First of all, it has to be decided as to what exactly we want and for what purpose and for which usage. This is called specification of the item. We may also contact experts if needed. Or we may call for opinion as to what should we purchase to meet the requirement to meet with our purpose.
E.g. We may also prepare a Contract Agreement to avoid could be loss. We may also consult a lawyer. If we receive rates only from two parties, we have to extend the date of submitting tender. If thereafter also we receive only two or less tenders, we may opt for retendering or extending the date again or we can open out the tender with the discretion of the competent authority. Then market rate should be ascertained. If any officer does not follow the general condition of the tender, he/she is liable to undergo disciplinary proceedings. It was a matter of surprise as to how the judiciary did not take cognizance while giving the judgement on 2G scam of Congi..
(3) Everywhere there are general rules and special rule. Similarly in absence of special rule or prescribed rule, right to Call Back the representative of the people by the people can be availed. If 20% of voters submit on affidavit to the EC, saying that they have no faith in their representative, the Election Commissioner can call for the re-verdict as Yes/No. If the previously elected person receives majority votes in favour, then the cost should be borne by the persons who voted against in the affidavit. If majority voters votes against, then the re-election should be conducted. This way we can avail the freedom of Right to Call Back.
We can also compare the division of Congress in 1969. There the Judiciary had given its verdict in favour of Congress (Indira).
The brief story is like this:
Indira had called emergency meeting with the members who became member after she was dismissed by the Central Executive Committee of Congress. Off course she had sizable original members too.
Both the Congress were claiming for the original Congress title. Technically the Congress (O) had a control over the Congress organisation. Matter need to be decided based on the position prevailed before the status of Congress membership and the public representatives (i.e. MLA-s, MP of LS and RS of Congress who voted for the Congress party’s official candidate in the presidential election in 1969). But the judiciary gave its verdict on the basis of the public representatives elected in 1980 on Congress ticket. The judiciary stated, “In democracy the public is supreme.”
The great parliamentarian Piloo Modi remarked on the judgement, “ It is funny. If this is the line of giving judgement, then, in case in future, the judgement will FLIP-FLOP based the election result.
The case of Shiv Sena, is little different.
Here the point is about the change of policy without calling the General Body meeting, after the election results. The public had elected the representatives based on the then existed alliance. If the judiciary believes in the same principles, related with the Indira Gandhi’s Claim to be the original Congress, the Shiv Sena of Shinde should be the real Shiv Sena.
Further the Judiciary should not deny the “right to call back” in the absence of the system in Indian Constitution. Let us hope, the judiciary is not confused.
Shirish Mohanlal Dave
“અમે આ તો થવા જ નહીં દઈએ. તમે સમજતા કેમ નથી?” સરકાર વદી
Posted in Uncategorized on July 24, 2022| 2 Comments »
“અમે આ તો થવા જ નહીં દઈએ. તમે સમજતા કેમ નથી?” સરકાર વદી
“અમે કોણ?
અમે એટલે સરકારી નોકરો. હાજી અધિકારીઓ સહિતના સરકારી નોકરો.
અમે એટલે નગર પાલિકાના, મહાનગર પાલિકાના, પંચાયતના કે ક્યાંયના પણ જનપ્રતિનિધિઓ એવા કે જેઓને જન-નિધિ (પબ્લીકફંડ) માંથી ચૂકવણું થાય છે તેવા પાર્ષદો, મંત્રીઓ, ન્યાયાધીશો, … … સમજી જાઓને !!!
અમે એટલે કોણ સમાચાર માધ્યમોના માલિકો, વિશ્લેષકો, કટારીયાઓ, પગારદારો, …. અમે કદી અપ્રચ્છન રીતે સરકારી અધિકારીઓને દોષ નહીં ઠેરવીએ, કારણ કે તેમના થકી તો અમારા ઓળખીતાઓના કાયદેસર સહિતના કામો કરાવી લઈએ છીએ. હાજી. આપલે વાળા અને આપલેવગર પણ. અધિકારીઓને કેમ દોષ દેવાય!
હાજી અમે બને ત્યાં સુધી જનપ્રતિનિધિઓને પણ વાંકમાં લેવામાં માનતા નથી. કારણ કે આ જન પ્રતિનિધિઓ જ્યારે આંખ આડા કામ કરે ત્યારે તો સરકારી નોકરો ગેરકાયદેસર કામો પ્રત્યે આંખ આડા કામ કરી શકે છે. સમજો ભાઈ સમજો …
હા પણ તમે કોણ?
“અમે છીએ સામાન્યબુદ્ધિવાળા સામાન્ય માણસ જેના કર દ્વારા જન-નિધિ (પબ્લિક ફંડ)નું નિર્માણ થાય છે. અને ફંડમાંથી તમને તમારી ફરજો બજાવવા બદલ, તેમ જ તમારી ફરજો ન બજાવવા છતાં પણ, ભૂગતાન થાય છે. સમજ્યા તમે? અરે હા … એ વાત તો કહો કે તમે કહ્યું કે તમે “આ તો અમે નહીં જ થવા દઈએ”. એ કઈ કઈ સમસ્યાઓ છે જેનું નિરાકરણ તો છે, તો પણ તમે તેને નહીં થવા દો.
“અમે નિમ્નલિખિત સમાસ્યાઓનું નિરાકરણ નહીં થવા દઈએ.
(૧) ગેરકાયદેસરના બાંધકામ
(૨) સરાકારી સંપત્તિ ઉપર કબજો/દબાણ
(૩) વાહન વ્યવહારમાં અરાજકતા
(૪) રસ્તે રખડતા ઢોર
(૫) રસ્તે રખડતા કુતરાઓ,
(૬) અસ્વચ્છતા નિવારણ,
(૭) રસ્તાઓ ઉપરના ખાડાઓ
(૮) કોઈપણ કામ વ્યવસ્થિત રીતે ન કરવું, પછી તે આયોજન હોય, તેનો અમલ હોય, કાયદાનું પાલન હોય, ન્યાયાલયનો ચૂકાદો હોય, બજવણી હોય, જનતા સાથે પત્રવ્યવહાર હોય … આ સરખી રીતે થાય એવું અમે માનતા નથી.
(૯) દસ્તાવેજોનું ફાટી જવું કે અદૃશ્ય થવું
“પણ હે “સરકારી અફસર સાહેબ” ભાઈ, આમાં તમને ફાયદો શો?
“અરે ભૈયા, યહી તો હી હૈ હમારી બાંયે હાથકી કમાઈકા આધાર! ચલો મૈં આપકો એક એક કરતે સંક્ષિપ્તમેં ગુજરાતીમેં બતાતા હું.
(૧) ગેરકાયદેસરના બાંધકામને અમે સમયે સમયે ઈંપેક્ટ ફી દ્વારા કાયદેસર કરી દઈએ છીએ. તેથી અમને અને સરકારને પણ કમાણી. જો વાહન-પાર્કીંગની જગ્યાનો કોમર્સીયલ ઉપયોગ હોય તો અમે સૌ પ્રથમ તો અમે કોમર્સીયલ ટેક્ષ વસુલ કરવાનું ચાલુ કરી દઈએ, એટલે કામ પત્યું. સરકારને તો કમાણી કરાવી જ.
(૨) સરકારી જમીન ઉપર કબજો એટલે કે ઝોંપડ પટ્ટી, ફૂટપાથ ઉપર લારી ગલ્લા, પાથરણા, વેચાણના તંબુ, ગેરેજમાં આવેલા સર્વીસીંગ અને સફાઈ માટે વાહનો,
અમે આ દબાણ હટાવવાનો કોંટ્રાક્ટ આપી દઈએ. તેથી કોંટ્રાક્ટ આપવામાં અમારા સાહેબોને પૂર્વ-કમાણી થઈ જાય. અને અમે, થોડા છૂટક એજંટો રાખીએ, જે પૈસા ઉઘરાવી, અમારા નાના મોટા કર્મચારીને જાળવી લે. ઝોંપડપટ્ટીવાળાઓ બાબતમાં જનપ્રતિનિધિઓ લોક્લ ગુંડાઓ સાથે હળીમળીને કામ કરે. સવાલ ઉભો થાય તો અમે કહી દઈએ કે અમે અમે આ વર્ષ દરમ્યાન ૫૨૪૦ દબાણ હટાવ્યા, અને ૪૩૨૬૨૮ રૂપીયા દંડપેટે વસુલ કર્યા. તો … પછી … અમે કંઈ નવરા બેસી રહેતા નથી! અમે કંઈ જેવા તેવા છીએ?
(૩) વાહનવ્યવહારમાં અરાજકતા
અમે વાત તો સ્માર્ટ સીટીઓની કરીએ. પણ વાહનવ્યવહારના કાયદાનો ભંગ કરનારાઓ પાસેથી રોકડે થી પૈસા ચરકાવવાની મજા જ કંઈ ઑર છે.
સીસીટીવી કેમેરાઓ ઠેર ઠેર લગાવી શકાય છે. વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિના વાહનને સોફ્ટવેર દ્વારા ચિન્હિત કરી તેને ગમે ત્યાંથી પકડી શકાય છે. તેના ખાતામાંથી બારોબાર પૈસા વસુલ કરી શકાય છે. પણ એવું કરીએ તો અમારા ડાબા હાથનું કામ જ શું રહે? પૈસા તો ભાઈ, રોકડે થી જ સારા. થોડામાં ઘણું … સમજી જાઓને ભાઈ…
અરે તમને ખબર નથી, મોટી મોટી બીલ્ડર કંપનીઓ પણ વાહનપાર્કીંગ પ્લાન અને અમલમાં અરાજકતા ફેલાવે છે અને તેના કેસ પણ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં મજેથી કોર્ટની પ્રકૃતિએ ચાલે છે. જનતાને શું? ઘા ભેગો ઘસરકો …
(૪) રસ્તે રખડતા ઢોર
ઉપાયો તો ઘણા છે. વાહનોને નંબર અપાય તો ઢોરોને પણ નંબર આપી શકાય. રસ્તા ઉપર લાગેલા સીસીટીવી કેમેરાથી તેમને ઓળખી શકાય. ઢોરને બદલે ભરવાડ/રબારી ને પકડીને દંડ વસુલ કરી શકાય. અરે ગૌશાળાઓ ખોલી શકાય. જમીન અને પશુપાલનને લગતા નવા કાયદાઓ ઘડી શકાય.
પણ સાહેબ મોરા, ભરવાડ /રબારી સાથે બાખડાય? એ તો જંગલની પ્રજા કહેવાય. આપણે તો અણીશુદ્ધ સંસ્કારી, ભણેલા ગણેલા કહેવાઈએ.
“તો પછી થઈ શું શકે?
“અરે ભાઈ એજ કહેવાનું કે અમે ૮૪૦૪૨૦ રુપીયા ઢોર પકડવા વિષે વસુલ કર્યા. લ્યો હાઉં!
(૫) રસ્તે રખડતા સારમેયો (કુક્કુરાઃ અર્થાત્ કુતરાઓ)
“ઉપાય તો છેઃ કુતરાઓની ખસી કરો. અથવા કુતરીઓને આંકડી પહેરાવો. અથવા બંને કરો.
પણ અમારો ઉત્તર છે, આ કામ સો એ સો ટકા ન થઈ શકે. હવે ધારો કે અમે ૯૫ ટકા સફળ થયા, તો જે ૫ ટકા કુતરા કુતરીઓ બચી ગયા તેનું શું? એક કુતરી ચાર બચ્ચાંને જન્મ આપે છે. તો બે વર્ષમાં તો કુતરાંઓની વસ્તી હતી તેટલી ને તેટલી જ થઈ જાય. પણ અમે આ કામ ના પણ કોંટ્રાક્ટ આપીએ છીએ તેથી અમારી સાથે કોંટ્રાક્ટરોને પણ કમાણી થાય. હવે ધારો કે કોઈ કોંટ્રાક્ટર ઈમાનદર નિકળે અને ૧૦૦ ટકા સફળતા પ્રાપ્ત કરે તો તો અમારી કામાણીને ફટકો પડે ને. તમે સમજતા કેમ નથી?
(૬) અસ્વચ્છતા નિવારણઃ
જે ઉડીને આંખે વળગે એવી કોઈ અરાજકતા હોય તો તે અસ્વચ્છતા. કચરો, ધૂળ, પથરા, કાગળના ટૂકડા, પ્લાસ્ટિકના ટૂકડા, પ્લાસ્ટીકની થેલીઓ, ખાદ્ય પણ અખાદ્ય પદાર્થો, વિષ્ટા, છાણ, તૂટેલા રસ્તા, ન બનાવેલી ફૂટપાથો, ફૂટપાથો જો બનેલી હોય તો તૂટેલી ફૂટપાથો, પાણીના રેલાઓ અને ખાબોચીયા, ખાડા ટેકરા, સાંકડી ફૂટપાથ અને તેના ઉપર રોપેલા થાંભલાઓ, …
સફાઈવાળીઓ કહે કે “આમાં અમારે સફાઈ કેવી રીતે કરવી?
રાવ સાહેબ ભલે રાતની ડ્યુટી લગાવે. બધે કંઈ રાવ સાહેબ ન હોય. આયોજન કરનારા અધિકારીઓને તો કહેવાય ક્યાંથી? તેમણે તો ૨૦ વર્ષ પહેલાં આયોજન કરેલું. ભલે અંગ્રેજોએ ૧૦૦ વર્ષ પહેલાં આયોજન કર્યું હોય અને તે રસ્તાઓની પહોળાઈઓ અને ફુટપાથોની પહોળાઈઓએ સો વર્ષ સુધી મુંબઈમાં કામ આપ્યું હોય. પણ આપણે અંગ્રેજ થોડા છીએ?
(૭) રસ્તાઓના ખાડાઓ
જુઓ ડામરના રસ્તાઓ સસ્તા પડે. વળી એમાં કમાણી પણ ઠીક ઠીક. ખાડાઓની બૂમ ઉઠી છે? દોડો … દોડો … દોડો … અમે એક માસમાં ખાડાઓ પૂરી દઈશું. છાપામાં છપાવો “કમીશ્નર સાહેબે એંજીનીયરોને ખખડાવ્યા… “
થોડી સુકી અને થોડી ડામરથી કાચીપાકી ભીની કરેલી કપચી નાખી દો. થોડી દબાવો પણ ખરા. બહુ દબાવવાની જરુર નથી. એના ઉપર વાહનો તો ચાલવાના જ છે. એટલે દબાઈ તો જવાની જ છે. બધા ખાડાઓ પૂરવાની જરુર નથી. નવા ખાડાઓ પડ્યા એવું કેમ કરીને કહીશું?
જો ચોમાસા પહેલાં કામ કરો તો સારું. … શરુ કરીદો. … પૂરું ક્યારે કર્યું તે નહીં કહીએ. ચોમાસામાં “વરસાદ ધાર્યા કરતાં વહેલો” આવ્યો … નવા ખાડા પડ્યા … વરસાદમાં તો ખાડા પડે જ ને.
[જગતપુરથી સી.જી. રોડને જોડતો રોડ જ્યાં સી.જી. રોડને મળે છે ત્યાં ઓછામાં ઓછા સાત વર્ષથી ડાબી બાજુએ ખાડાઓ પડેલા છે. મ્યુનીસીપલ ચોપડે કેટલીવાર પૂરાયા તે સંશોધનનો વિષય છે. આ ખાડાઓ ઓછામાં ઓછા સાત વર્ષે પણ વિદ્યમાન છે. અને કડે ધડે છે.
મોદીકાકા કહે છે કે “એક ટેબલ ઉપર આર્ધો ભરેલો પાણીનો કપ છે. એક જણે કહ્યું આ કપ અર્ધો ખાલી છે. બીજાએ કહ્યું આ અર્ધો ભરેલો છે.” હમેશા હકારાત્મક બનો. હમેશા બોલો કે કપ અર્ધો તો અર્ધો પણ ભરેલો તો છે જ.
તો અમે પણ એમ કહીએ છીએ કે આ વર્ષે અમે ૮૪૪૨૦ ખાડાઓ પૂર્યા. કેટલા બાકી રાખ્યા અને હાલ હાલત શું છે એ નહીં કહેવાનું.
(૮) કોઈપણ કામ વ્યવસ્થિત રીતે ન કરવું, પછી તે આયોજન હોય, તેનો અમલ હોય, કાયદાનું પાલન હોય, ન્યાયાલયનો ચૂકાદો હોય, બજવણી હોય, જનતા સાથે પત્રવ્યવહાર હોય…
જેમ કોંગીની ઓળખ જૂઠ, દંભ અને લૂંટ છે. તેવી રીતે સામાન્ય સરકારી નોકરોની એક ઓળખ અધુરા કામની છે. અસામાન્ય કર્મચારી કેટલા
શતેષુ જાયતે શૂરઃ, સહસ્રેષુ ચ પંડિતઃ ।
વક્તા દશસહસ્રેષુ, (દાતા ભવતિ વા ન વા) ॥
આર્ષદૃષ્ટા (અસામાન્યકર્મચારી) શતસહસ્રેષુ,
“ફાર્મ ફેશ”નું કેંદ્ર ઉભું કરવું છે? સરકારી જમીન પણ છે? તો “મોદ” ના છાપરાવાળી અને “કંતાન”ની દિવાલો વડે, વીસ પચીસ કોલાઓ બનાવી દો. દરવાજો બનાવી ત્યાં મોટું બેનર લગાવી દો. આ બધું કોંટ્રાક્ટરને આપી દો. છાપામાં એક વાર જાહેરાત આપી દો. કોલાઓ ભાડે આપી દો.
જમીનને સમતલ કરવી જરુરી નથી. મોટા પત્થરો પડ્યા હોય, મોટા ખાડાઓ હોય તો પણ વાંધો નહીં. વાહન પાર્કીંગની સગવડ બનાવવાની જરુર નથી. કોંટ્રાક્ટર અને ખેડૂતવચ્ચે વિવાદ ઉભોથાય તો વાંધો નહીં. વિગત માટે અહીં ક્લીક કરો
(૯) દસ્તાવેજોનું ફાટી જવું. અદ્રશ્ય થવું.
આને માટે કો ઓપરેટીવ સોસાઈટીના રજીસ્ટ્રારની ઓફીસો કુખ્યાત છે.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
અમારે અમારા શહેરને સફાઈની બાબતમાં એક થી દશની અંદરના રેંકમાં લાવવું છે તો શું કરવું?
(૧) તમે કચરાના ડબ્બાઓ વહેંચો,
(૨) તમે કચરાના ડબ્બાઓનું વર્ગીકરણ કરો, સૂકા કચરાના ડબા, અને ભીના કચરાના ડબ્બા.
(૩) ડબ્બાઓ ચોરાઈ ન જાય તે માટે પાંજરાઓ બનાવો.
(૪) પાંજરાઓને બંધ કરવામાટે તેમાં દરવાજાની ગોઠવણ કરો. દરવાજાને બંધ કરવા માટે તેને તાળા લગાવો,
(૫) ડબ્બાઓની હેરફેર માટે કર્મચારીને હાથ લારી આપો,
(૬) કચરો ઉઠાવવા માટે કંટેનર રાખો,
(૭) કચરો ઉઠાવવા માટે ટ્રકમાં કચરો ભરવાની છૂટ આપો
(૮) સૂકોકચરો અને ભીનો કચરો નાખવામાટે અલગ અલગ ડંપ એરીઆ સુનિશ્ચિત કરો,
(૯) ડંપ એરીઆમાંથી કચરાના નિકાલની વ્યવસ્થા બનાવો,
(૧૦) બીલ્ડરોના કચરાના નિકાલ માટે અલગ વ્યવસ્થા કરો.
[અધિકારીભાઈઓને ડાબા હાથની કમાણી પણ કરવી છે? તો જ્યા શક્ય હોય ત્યાં કોંટ્રાક્ટ સીસ્ટમ લાગુ કરો]
હવે જુઓ તમે દશ દશ તો વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. તેથી અમે એવી આકલનની વ્યવસ્થા કરીશું કે તમારી વ્યવસ્થાના આધારે તમારું મૂલ્યાંકન થાય. નહીં કે વાસ્તવમાં તમે શહેરને કેટલું સ્વચ્છ કર્યું!!
શિરીષ મોહનલાલ દવે