Feeds:
Posts
Comments

Posts Tagged ‘અધિકારીઓ’

કકળાટ, વૃત્તિ કે એજન્ડા

ઘસાયેલો વિષય છે. ખબર નથી આપણા કાંતિભાઈ કટારીયા (ભટ્ટ)ભાઈએ જ્યારે ડીમોનીટાઈઝેશન કર્યું ત્યારે કંઈ લખેલું કે નહીં !!

આમ તો આપણા આ કટારીયાભાઈ “સબબંદરકા વ્યાપારી” છે એટલે લખ્યું તો કદાચ હોય પણ ખરું. પણ અમે તે વખતે ઇન્ડિયામાં ન હતા એટલે આપણા ડીબીભાઈના (દિવ્યભાસ્કરના) નિયમિત સંપર્કમાં રહેતા ન હતા. યુ-ટ્યુબ ઉપર ભારતની ઝી-ન્યુઝ, દૂરદર્શન, ટાઈમ્સ નાઉ (?) સુદર્શન ચેનલ છૂટક છૂટક જોતા હતા.

કકળાટ

જ્યારે આપણે કંઈ પણ લખીએ ત્યારે અમુક શબ્દોની આપણી વ્યાખ્યા લખી દેવી જોઇએ. કકળાટ એટલે જે વસ્તુ તમને તકલીફ આપતી હોય અને જો તમે પત્રકાર હો (કટારીયા) હો તો જો તમને એવું લાગતું હોય કે જાહેર જનતાને અસાધરણ તકલીફ પડે છે તો આ તકલીફને સતત વાચા (પુનરાવર્તનની છૂટ છે) આપ્યા કરવી તેને કકળાટ કહેવાય છે.

વૃત્તિઃ

તમારું જે વલણ હોય છે તે. આ વલણ તમારા અવલોકન, શ્રવણ અને વિચારો ઉપર આધારિત હોય અને તેના પરિણામે તે તમને કાર્યવાહી કરવા પ્રેરે છે તેને વલણ કહેવાય છે.

એજન્ડાઃ

તમારા અન્નદાતા (અહીં આપણે ડીબીભાઈને કટારીયા ભાઈઓના અન્નદાતા કહીશું) કે જેઓની વૃત્તિ તદ્દન પોતાની બુદ્ધિ (તર્ક) ઉપર અધારિત ન હોય પણ પરોક્ષ કે પ્રત્યક્ષ “લડ્ડુ” આપવાની શક્યતા કોની પાસેથી વધુ છે તેના ઉપર ઘડયેલી હોય છે. તેઓ તે પ્રમાણે વર્તતા હોય છે. તેમના વલણને આપણે એજન્ડા કહીશું. કારણ કે સમાચાર માધ્યમનું કામ આમ તો જનતાને કેવળ માહિતિ આપવાનું છે પણ સાથે સાથે માહિતિ છૂપાવવાનું પણ હોય છે. કારણ કે આપણી વૃત્તિ આપણા અન્નદાતાની વૃત્તિ ઉપર આધારિત છે.

જો કે બધા કટારીયા ભાઈઓ કુતર્કમાં માનતા હોય તે જરુરી નથી. કારણ કે સમાચાર માધ્યમોએ પોતે તટસ્થ છે તેવો પણ દેખાવ કરવો જરુરી છે જેથી ભારતના વિશાળ અજ્ઞજનોને અને અલ્પજ્ઞ જનોને  આપણા એજન્ડા પ્રમાણે દોરી શકાય.

આપણા કટારીયા ભાઈએ કદાચ જ્યારે ડીમોનીટાઈઝેશન (વિમુદ્રીકરણ) થયું તે સમયના ગાળામાં તે વિષે અભિપ્રાય ન આપવાનું વલણ લીધું હશે. અને તે યોગ્ય પણ ગણી શકાય કારણ કે, તે સમય, સમગ્ર રીતે વિમુદ્રીકરણને મુલવવા માટે અપરિપક્વ સમય હતો. અને હવે કદાચ વિમુદ્રીકરણને મુલવવાનો સમય પાકી ગયો છે એમ તેઓશ્રી માનતા હોય.

વિમુદ્રીકરણ ના સરકારે ગણાવેલા ફાયદાઓ

10 long term goals of demonetization

કાળાનાણાની ઉપર ઋણાત્મક અસરઃ

જો કે આપણો એજન્ડા કંઈક જુદો હોય તો આપણે આ “ઋણાત્મક” શબ્દનો અર્થ નાબૂદી એવો પ્રચાર કરી શકીએ.

કાળાં નાણાં કોની પાસે છે?

નહેરુવીયન કોંગ્રેસના આંકડાઓ પ્રમાણે ભારતના ૯૫ ટકા માણસોની આવક માસિક આવક રૂ. ૫૦૦૦/- થી ઓછી છે. એટલે એમની પાસે રૂ.૫૦૦/- અને રૂ. ૧૦૦૦/- ની નોટો કેટલી હોય તે કોઈ સંશોધનનો વિષય નથી. કારણ કે ઈન્કમ ટેક્ષ ભરનારાઓની સંખ્યા અર્ધો ટકો પણ નથી. વળી જ્યાં મોંઘવારીની બુમો પડતી હોય તેમાં લોકો પાસે આખરી તારીખે કે અઠવાડીયા પછી કેટલી નોટો બચે તે વિષે સુજ્ઞ જનોએ વિચારવું જોઇએ.

આપણો એજન્ડા અલગ છે તો?

જો આપણો એજન્ડા અલગ હોય અને આપણી વાતને સામાન્ય જનતા માટે અસરકાર રીતે રજુ કરવી હોય તો વિમુદ્રીકરણની અસરોની ચર્ચાને આપણે ભાવનાત્મક બનાવવી અનિવાર્ય છે. આમેય જો ક્ષુલ્લક વાતોને પણ જો આપણે ભાવનાત્મક શબ્દોનો ઉપયોગ કરી રજુ કરતા હોઈએ તો વિમુદ્રીકરણ જેવી ઘટનાની અસરોને તો ભાવનાત્મક શબ્દોમાં રજુ કરવી આપણો ધર્મ બને છે.

ભારતની વાસ્તવિકતા શું છે?

ભારતમાં ૧૫૦૦૦ માણસ દીઠ એક બેંક બ્રાન્ચ આવે. ઘણાને એક કરતાં વધુ બેંક માં પોતાના ખાતાં હોય તેને આપણે અહીં અવગણીએ છીએ. હવે જો એક ટકો માણસ ઈન્કમ ટેક્ષ ભરતો હોય તો તેની પાસે રૂ.૫૦૦/-ની અને રૂ.૧૦૦૦/- નોટો હોય તેમ માની લઈએ તો ૧૫૦ માણસની એવરેજ એક બેંક દીઠ આવે. આપણે આમાં ૧૦૦ ટકાની ક્ષતિ ગણીએ તો પણ ૩૦૦ માણસની એક બેંક દીઠ એવરેજ આવે. હવે જો આઠમી નવેમ્બરથી ડી-મોનીટાઇઝેશન લાગુ કરવામાં આવ્યું હોય એટલે જેઓ પાસે કાળા નાણાં નથી તેમનો ૩૩ ટકા પગાર તો વપરાઈ જ ગયો હોય. આ વાત પણ આપણે અવગણીએ છીએ. આ ઉપરાંત એટીએમ, ક્રેડીટ કાર્ડ ડેબીટ કાર્ડ વિગેરેનો  ઈન્કમ ટેક્ષ ભરનારાઓની દ્વારા થતા ઉપયોગકારોની સંખ્યા પણ આપણે અવગણીએ છીએ. એટલે કોઈ પણ બેંક દીઠ ૩૦૦ માણસની સંખ્યાથી વધે નહીં.

નોટો બદલવા માટે ૫૦ દિવસો આપેલા. એટલે રોજના એવરેજ વધુમાં વધુ ૧૦ માણસ થાય. એટલે લાઈનમાં એવરેજ ૧૦ માણસ થાય. આમાં આપણે વેપારીઓની સંખ્યા ઉમેરીએ.

જો બેંકો ૧૫૦૦૦ વ્યક્તિએ એક હોય તો વેપારીઓની સંખ્યા તેનાથી સોગણી ગણીએ. એટલે કે ૧૫૦ વ્યક્તિએ એક વેપારી એવરેજ થાય. પણ એક ટકા પાસે રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો હોવાને કારણે, એક દુકાન દીઠ એક બેંકમાં એક દિવસની એવરેજે ૧.૫ વ્યક્તિ લાઈનમાં વધે. હવે જો વેપારી દશ દિવસે એક વાર બેંકમાં પૈસા જમા કરાવતો હોય તો એક બેંક દીઠ રોજની લાઈનમાં ૧૫ વ્યક્તિ વધે. એટલે કે ૨૫ માણસની લાઈન બેંકમાં થાય તે પણ ક્યારે કે બધા જ માણસો ૧૦ વાગે બેંકમાં આવી જાય તો.

પણ આપણને બેંક દીઠ ૨૫થી વધુ વ્યક્તિઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી. તેનો અર્થ એમ થયો કે મોટા ભાગના લોકો, બીજા માટે લાઈનમાં ઉભારહ્યા હતા એટલે કે બીજાની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-  નોટો બદલાવવા ઉભા હતા.

જેઓ પોતાના કાળાંનાણાંની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો બદલાવી પડે તેમાં કોણ કોણ આવી શકે.

બીલ્ડરો, જેમણે પોતાની સ્થાવર મિલ્કત કાળાં નાણાંમાં આંશિક રીતે વેચી હોય તેવી વ્યક્તિઓ, અમુક વેપારીઓ, અમુક હોટલના માલિકો, સરકારી અધિકારીઓ, ડોક્ટરો, ખાનગી ચિકિત્સાલયો, કંપનીના અધિકારીઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને મોટાપાયે ટ્યુશન ચલાવનારી સંસ્થાઓ, અને રાજકીય પક્ષોના હોદ્દેદારો અને ચૂંટાએલા જનપ્રતિનિધિઓ.

નોટો બદલવા માટે જે લાંબી લાઈનો લાગેલી તેમાં ઉપરોક્ત પ્રકારની વ્યક્તિઓના માણસો લાઈનમાં ઉભા હતા.

એમ કહી શકાય કે ટકાવારી પ્રમાણે દોઢ થી બે ટકા ઓછી નોટો આવી. એટલે કે રીઝર્વ બેંકે ચલણમાં જેટલી રૂ.૫૦૦/-ની અને રૂ. ૧૦૦૦/-ની જે ચલણી નોટો બજારમાં મૂકી હતી તેની મોટાભાગની નોટો બેંક પાસે પાછી આવી ગઈ. એટલે આપણા કટારીયાભાઈ નું માનવુ/મનાવવું છે કે કાળું નાણું નજીવું જ ચલણમાંથી બહાર થઈ ગયું. માટે આ તો ખોદ્યો પહાડ અને કાઢ્યો ઉંદર એમ જ થયું.

જો કે એક વાત આપણા સમાચાર માધ્યમોના સુજ્ઞ જનો ભૂલી જાય છે.

કઈ વાત આપણા સુજ્ઞજનો ભૂલી જાય છે?

ધારો કે ૪૮ લાખ કરોડની નોટો સરકારે છાપી હતી. અને ૪૮ લાખ કરોડથી ઓછી નોટો આવે તો તો એમ કહી શકાય કે કમસે કમ જેટલી કિમતની નોટો ઓછી પાછી આવી તેટલું કાળું નાણું નષ્ટ થયું.  પણ ધારોકે ૪૮ લાખ કરોડની રૂ. ૫૦૦/- ની ચલણી નોટોને બદલે ૫૦ લાખ કરોડની કિમતની રૂ. ૫૦૦/- નોટો પાછી આવી હોત તો?

જો આવું થયું હોત તો?

કેટલાક વિદ્વાનો કૂદીકૂદીને કહેત કે આ તો બનાવટી નોટો સરકારે બદલી દીધી.

આ તો થઈ કાળાંનાણાં બદલાવવા માટેની લાઈનો વિષે. પણ બનાવટી નોટોનું શું? શું બનાવટી નોટો બદલાવવામાં આવી નથી?

બનાવટી નોટોની કથા (કથા એટલે હકિકત)

૨૦૦૪માં નવી આવેલી નહેરુવીયન કોંગ્રેસે રૂ.૫૦૦/- ની ચલણી નોટો છાપવાનું ગ્લોબલ ટેન્ડર ફ્લોટ કરેલ. ટેન્ડર એ કંપનીનું માન્ય રાખવામાં આવેલ જે કંપની બીજા કેટલાક દેશોમાં બ્લેક લીસ્ટ થયેલી કારણ કે તેના સંબંધો આતંકવાદી સંસ્થાઓ સાથે હતા. વળી આ ચલણી નોટોની ખરાઈ કરવાના મશીનોનો કોન્ટ્રાક્ટ પણ એ જ કંપનીને આપવામાં આવેલો.

એટલે આ તો એવું થયું કે ઈન્દિરા ગાંધીને સંજયગાંધીની મારુતિ ગાડીનું કૌભાન્ડ તપાસવાનું કામ પોતાને હસ્તક લીધું. પછી ઇન્દિરા ગાંધી કહે કે “સંજય તો નિર્દોષ છે. જો સંજય ગાંધીનો દોષ હોત તો મેં એને સજા કરી હોત!! મેં તેને કશી સજા કરી નથી તેથી જ સિદ્ધ થાય છે કે સંજય ગાંધી નિર્દોષ.” વળી તેણી ઉમેરત કે “શું હું જુઠું બોલું છું? એક મહાન દેશના વડાપ્રધાન ઉપર આક્ષેપો કરતાં તમને શરમ નથી આવતી?”

એટલે કે કોઈ આપણને બેશર્મ કહે તે પહેલાં જ આપણે તેને બેશરમ કહી દેવો. આ ઈન્દિરાઈ કોંગ્રેસની પ્રણાલી છે.

બનાવટી નોટોની વ્યાપકતા

રૂ. ૫૦૦/-ની બનાવટી નોટોની  વ્યાપકતા એટલી બધી હતી કે રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમમાંથી પણ બનાવટી નોટો નિકળેલી. ઉપરોક્ત નોટોના ખરાઈ કરનારા મશીનો નોટોની “૧૬” જાતની ખરાઈ ચેક કરતા. જ્યારે વાસ્તવમાં ૧૮ થી ઉપર ખરાઈ ચેક કરવાની ક્ષમતા મશીનમાં હોવી જોઇએ. આ બાબત અમેરિકાની એક કંપનીને જ્યારે ખરાઈ ચેક કરવા આપી ત્યારે બહાર આવેલી.

આપણે સુપેરે જાણીએ છીએ કે નહેરુવીયન કોંગ્રેસ સરકારે ઓગણીશો નેવુંમાં નિમેલી એક કમીટીના રીપોર્ટ પ્રમાણે પોલીસ, રાજકીય પક્ષના નેતાઓ, અને અસામાજીક તત્વો વચ્ચે સાંઠગાંઠ છે. આપણે જાણીએ છીએ કે એન્ડરસન અને કવૉટ્રોચી કેવી રીતે સરળતા પૂર્વક ભાગી ગયા હતા.

સુજ્ઞજનો જ નહીં પણ સામાન્ય કક્ષાનો વ્યક્તિ પણ આવી ઘટનાઓ સમજે છે. એટલે સરકારી બેંકોના એટીએમમાંથી બનાવટી નોટો નિકળે તેમાં બનાવટી નોટો ઘુસાડ્યાની બાબતમાં કયા પક્ષની સંડોવણી હોઈ શકે તેનું આનુમાન કરી શકાય છે. અલબત્ત નહેરુવીયન કોંગ્રેસ આવી જવાબદારીમાંથી છટકી ન જ શકે. તેણે કેટલા પૈસા બનાવ્યા તે સંશોધનનો વિષય છે.

ટૂંકમાં બનાવટી નોટો પણ બેંકોએ બદલી આપી હશે જ તેમાં શક ન કરવાનું કોઈ કારણ નથી. પણ જે બનાવટી નોટો કાળાંનાણાંવાળા બદલાવી ન શક્યા તેને નફો ગણવો જોઇએ. આતંકવાદીઓ ખાસ કરીને કાશ્મિરના આતંકવાદને પોષકનારા દેશી વિદેશી તત્વો અને નક્ષલવાદી માર્ક્સવાદીઓને સહાય કરનારા તત્વો ને બહુ મોટો ફટકો પડ્યો છે.  

બે લાખ બોગસ કંપનીઓઃ

એન.જી.ઓ. ઉપર તવાઈ આવી એ ઉપરાંત આશરે બે લાખ કંપનીઓ બનાવટી માલુમ પડી છે અને તેમનું રજીસ્ટ્રેશન રદ થયું. હવે આ બધાની તપાસ ચાલુ છે. એ ઉપરાંત આટલા જ કે તેથી વધુ લેવડ દેવડ કરનારા શંકામાં આવ્યા છે અને તેમની ઉપર તપાસ ચાલુછે. હવાલા કાંડોની તપાસ પણ ચાલુ છે.

બોગસ કંપનીઓ વિષે સરકારને પહેલાં કેમ ખબર ન પડી?

(જો કે આ મુદ્દો કટારીયા ભાઈએ ઉઠાવ્યો નથી.)

બેનામી પાસપોર્ટ, બેનામી પાનકાર્ડ  અને બેનામી વ્યક્તિને નામે સ્થાવર મિલ્કત હોવી એ આપણા દેશમાં એક સામાન્ય વાત છે. નહેરુવીયન કોંગ્રેસે સ્થાપેલી સીસ્ટમ અને અધિકારીઓના સંસ્કાર જ એવા છે કે “ગાંધી-વૈદ્યનું” સહીયારું અને “ચોર-કોટવાલ”નું સહિયારું એવો ઘાટ છે. જો આ બાબત માટે તપાસ કરવાનું કામ પહેલાં કરવામાં આવ્યું હોત તો તે કામ સરકારી ગધેડાઓને ઉપર હાથીનો બોજ ઉપાડવાનું કહ્યા બરાબર હતો. જ્યારે ૯૫ ટકા તંત્ર બગડેલું હોય ત્યારે તેની ખરાઈ કરવી કરવી પણ મુશ્કેલ બને છે. પણ હવે જે કિસ્સાઓ સામે આવ્યા તે બેંકો દ્વારા ગળાઈને આવ્યા છે. એટલે હવે તપાસ સરળ રહેશે.

તો હવે જેઓ નોટો બદલાવવાની લાઈનોમાં મરી ગયા તેમનું શું?

તેમજ

નરેન્દ્ર મોદીએ કહેલ કે “અમે કાળું નાણું લાવીશું અને દરેકના ખિસ્સામાં પંદર લાખ મૂકીશું તેનું શું?

જો કે નરેન્દ્રભાઈએ આ શબ્દો વાપર્યા નથી. પણ તેમણે એક ધારણા પ્રમાણે કાળાંનણાંના જત્થાનો અંદાજ આપેલો કે એક વ્યક્તિને ભાગે ૧૫ લાખ રૂપીયા આવે. પણ આ બધાં નાણાં ચલણી નોટોમાં છે તે તો વિપક્ષીનેતાઓનું ખાસ કરીને રાહુલ ગાંધીનું અર્થઘટન છે.

જો ઉપરોક્ત કથનને મહત્વ ન આપીએ તો આપણે જોયું કે કાળાંનાંણાંવાળાઓએ ૫% કે જે કંઈ હોય તે, કમીશનને આધારે પોતાના માણસોને નોટો જમા કરાવવા/બદલાવવા મોકલેલ. આ માણસોએ પોતાના ખાતાં ન હોય તો ખોલાવીને તેમાં જમા કરેલ ને પછી તેમના અન્નદાતાઓને પરત કરેલ.

આ બધા આમ તો વફાદાર હતા એટલે તેમણે નાણાં પરત કર્યાં. પણ એક વખતતો તેમના ખિસ્સામાં બે/ત્રણ લાખતો આવી ગયા જ કહેવાય. હવે તેઓ જો આવા આવી ગયેલા પૈસાને પરત કરે તો “બિચારા મોદીકાકા શું કરે?”   

આપણા કટારીયા ભાઈએ, કેટલા માણસો લાઈનમાં લાગવાને કારણે મરી ગયા તેના કોઈ આંકડા આપ્યા નથી. આપણી પાસે બોગસ આંકડા પણ નથી. તેમજ કેજ્રીવાલે કે કોઈ કોંગી નેતાએ કે પોતાને લોકાભિમુખ માનનારા બીજા કોઈપણ નેતાએ કૉર્ટમાં પીઆઈએલ (જનહિતની અરજી) ફાઈલ કરી નથી. એક વૃદ્ધભાઈ મરી ગયેલ પણ તેમના જ સુપુત્રે કહેલ કે તેમનું મૃત્યુ લાઈનમાં ઉભા રહેવાને કારણે થયું ન હતું.   

તમે તટસ્થ ક્યારે કહેવાઓ?

તમે જો ગટરના કીડા હો તો ફક્ત ગટરની જ વાત કરો. જો તમે તટસ્થ હો તો, અને જો તમે સુજ્ઞ હો તો તમારે “બનાવટી ચલણી” નોટોની વાત પણ કરવી જોઇએ. જે બોગસ કંપનીઓ પકડાઈ હોય તેની પણ વાત કરવી જોઇએ. હવાલા મારફત આતંકવાદીઓના સબંધીઓ ઉપર તવાઈ આવી છે તેની વાત પણ કરવી જોઇએ. આ બધા કંઈ તમારી માટે અજાણી વાતો નથી. જો તમે આ બધી વાતોને છૂપાવો એટલું જ નહીં પણ ઉપરોક્ત દુષણોનું નિર્મૂલન કરવાના ઉપાયો પણ ન સૂચવો તો તમારામાં અને નેશનલ કોન્ફરન્સ અને માંદી ધર્મ નિરપેક્ષવાદી નેતાઓમાં ફેર શો? આ નેતાઓ કે જેઓ એક પત્થરબાજને સુરક્ષાદળોએ જીપ ઉપર બાંધ્યો તે ઘટના ઉપર કૂદી કૂદીને બોલે, પણ હજારોની સંખ્યામાં કતલ થયેલા કાશ્મિરી હિન્દુઓ અને લાખોની સંખ્યામાં બેઘર કરવામાં આવેલા કાશ્મિરી હિન્દુઓ વિષે મૌન ધારણ કરે. એટલું જ નહીં પણ દશકાઓ સુધી રાજ કર્યા પછી પણ તેમને એવી નિરાધાર સ્થિતિમાં જ રાખે અને નિસ્ક્રીય રહે. જો તમે આવા હો તો તમારા માટે દુનિયાની બધી જ ગાળો યોગ્ય છે.

આ કટારીયા ભાઈએ કરેલો “ગરીબની હાય” શબ્દ પ્રયોગ ભ્રામક અને હાસ્યાસ્પદ છે.

જો અમારા જેવા ખાધે પીધે સુખી એવા નિવૃત્ત ઉંમર લાયક ની વાત કરીએ કે અમારા જેવાના કમાતા ધમાતા સંતાન અને સન્માર્ગે જ ચાલનારાની વાત કરીએ તો મને કદી પગારમાં ૫૦૦ની નોટ મળી નથી. પેન્શન ખાતામાં જમા થાય છે. જ્યારે નોટબંધી થઈ ત્યારે અમે ઈન્ડિયામાં ન હતા. ઉંમરને કારણે જે કંઈ રોકડા રાખેલા તે પંદરેક નોટો અમે બેંકમાં ડીસેમ્બરના પહેલા અઠવાડીયામાં જમા કરાવેલી. યુબીઆઈમાં કશી જ ભીડ ન હતી. અમે તો એક ટકામાં આવીએ. અમારા કોઈ સગાંઓને પણ તકલીફ પડી ન હતી. તેમાં ઘણા લોકો ધંધાદારી પણ છે.

તમને તકલીફ પડી? તો તમે ખેડૂતોનું નામ લો, જાટનું નામ લો, પાટીદારોનું નામ લો, ગરીબોનું નામ લો, રોજે રોજનું ખાનારાઓનું નામ લો ….  આવા બધાનું નામ લેવાની ફેશન છે. ફક્ત તમે તમારું નામ ન લો.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

આત્મવત્‌ સર્વભૂતેષુ યઃ પશ્યતિ સઃ પંડિતઃ

(જે બધાને પોતાના જેવા જુએ છે તે પંડિત છે)

Read Full Post »

વ્યાપમ કઈ હિમશિલાની ટોચ?

વ્યાપમછાપાં અને ટીવી ચેનલો માટેનો ગરમા ગરમ ટોપિક છે.

નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નર પણ એક આરોપી છે. ૨૦૧૪ ના મે માસ માં ભાજપ સત્તા સ્થાને આવ્યું ત્યારે ઘણા રાજ્યોમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરો હતા. કેટલાકનો કાર્યકાળ પુરો થયો અને કેટલાકે ભલામણથી રાજીનામું આપ્યું. પણ આપણા મધ્યપ્રદેશના ગવર્નરે રાજીનામું આપ્યું. મધ્યપ્રદેશના મુખ્ય મંત્રીએ પણ વિચાર્યું હશે કેજવા દો નેરાજીનામાનો વિવાદ ક્યાં ઉભો કરવો !!”

વ્યાપમ

વ્યાપમની રોપણી નહેરુવીયન કોંગ્રેસે કરી હતી.

વ્યાપમ કૌભાંડ બહાર આવ્યું. એમાં ઘણાના નામ સંડોવણીમાં આવ્યાં. ૨૫૦૦ જેટલા નામ આવ્યાં. અને એમાંના કેટલાક શક્યતાના સિદ્ધાંતને હિસાબે મરવા લાગ્યા કેટલાક આત્મઘાત કરીને મરવા લાગ્યા અને કેટલાક હત્યા થી મરવા લાગ્યા. આવા મૃત્યુઓમાં ગવર્નર સાહેબનો પુત્ર પણ સામેલ છે. કોણ કયા કારણથી મર્યું તેના ઉપર અપાર સંવાદ, વિવાદ અને વિખવાદ પણ છે.

નહેરુવીયન કોંગ્રેસીઓને તો ગોળનું ગાડું મળી ગયું છે. શિક્ષણ મંત્રી શું કામ, મુખ્ય મંત્રી પણ રાજીનામું આપે. અરે મુદ્દા ઉપર તો નરેન્દ્ર મોદી પાસે પણ રાજીનામું માગી શકાય. નહેરુવીયન કોંગ્રેસ તો આમેય પ્રદર્શન પ્રિય છે. તેને તો દોડવું હતું અને ઢાળ મળ્યો.

ટીવી ચેનલનો ખોરાક

ટીવી ચેનલોને હવે વિષય શોધવા માટે મહેનત કરવાની જરુર રહી નહીં. “મનોરંજનની સીરીયલોમાં કોઈ પાત્ર એક વાક્ય બોલે એટલે એક પછી એક દરેક પાત્રોનાડાચાઉપર બબ્બે ત્રણ ત્રણ વાર કેમેરો ફરે છે. આમ કરવાથી ઓછા સંવાદો થી વધુ એપીસોડ બને છે. દર્શકોને વધુ લહેજ્જત આવે છે કે કેમ તે તો ખબર નથી પણ પાત્રોને અને તે પણ શૃંગારપ્રિય સ્ત્રી પાત્રોને અને પ્રેક્ષિકાઓને વધુ લહેજત આવે છે.

તાજ સીગરેટની જાહેરાતમાં એક વાક્ય આવતું હતું. “ધીમી બળે છે અને વધુ લહેજ્જત આપે છે.” તેમ સીરીયલો ધીમે ચાલે છે અને પાત્રોને લેખકોને, દિગદર્શકોને, કેમેરામેનને, ચેનલવાળાને વધુ લહેજ્જત આવે છે. ઓછા માલે વધુ વેપાર. પણ બધી વાતો જવા દો. આપણી વાતવ્યાપમની છે.

બહુ આયામી બહુ પરિમાણી મસાલો

ટીવી ચેનલો વાળાને બહુ વખતે એક એવું કૌભાંડ મળ્યું કે જેને ઘણા પરિમાણો છે. આમ તો કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા અનેક બહુઆયામી કૌભાંડો  હતા. પણ યાર એમાં એવું હતું ને કે બધાંમાં આપણી નહેરુવીયન કોંગ્રેસનીબટનીચે રેલો આવતો હતો. રેલો ઠેઠ આપણી વિદેશી અને તે પણ મહાન દેશ ઈટાલી સુપુત્રી અને આપણા મીસ્ટર કલીન રાજીવ ગાંધીની વહુની નીચે રેલો આવતો હતો. હવે જો આપણે પ્રગતિશીલ વિચારધારામાં માનતા હોઈએ અને સુસંસ્કૃત હોઈએ તો કોઈ પાશ્ચાત્ય મૂળની વ્યક્તિની બુરાઈ તો કરી શકીએ. એટલે આપણે કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં બહુ ચાર્મફુલ બની શકીએ. હા છૂટકે જે કરવું પડે તે તો કરવું પડે. પણ એમાં બહુ મજા નહીં. વળી જે કોંગ્રેસ જ્યારે સત્તા ઉપર હતી ત્યારે કોને કયો મંત્રી કરવો તેને લગતી ભલામણો અપણે ટીવીવાળા કરી શકતા હતા અને કોંગ્રેસ આપણને દાદ પણ આપતી હતી એટલે કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં આપણાથી નગુણા થવાય. કમસે કમ નહેરુવીયન વંશની તો આમન્યા રાખવી જોઇએ.

પણ હવે જ્યારે વ્યાપમ જેવું બહુ આયામી બહુ પરિમાણી કૌભાંડ અને તે પણ, બીજેપી શાસિત મધ્યપ્રદેશમાં કે જ્યાં છેલ્લા ૧૦ વર્ષથી સાતત્યપૂર્ણ બીજેપીના શિવરાજ સિંહ ચૌહાણનું શાસન છે એવા રાજ્યમાં ખૂલે છે. આમાં તો આપણા માટે આકાશ સીમા છે. ભલે કૌભાંડમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરની સંડોવણી હોય અને કદાચ તેના મૂળીયામાં આપણા નહેરુવીયન કોંગ્રેસના અમુક નેતા સુધી પહોંચતા હોય તો પણ વાંધો નથી. આપણે એટલા કુશળ તો છીએ કે બધું લોપ્રોફાઈલમાં રાખી શકીએ.

અડવાણી જેમને પ્યાદુ બનાવવા માગતા હતા તે

એજ શિવરાજ સિંહ છે જેમને વડાપ્રધાન તરીકે પ્રસ્તૂત કરવા માટે એલ કે અડાવણીએ દાણો ચાંપેલો. પણ શિવરાજ સિંહ જાણતા હતા કે લોકપ્રિયતામાં નરેન્દ્ર મોદીની સમકક્ષ તેઓ નથી. આરએસએસે મોદી માટે દબાણ કર્યું હશે તેના મૂળમાં જનતામાં રહેલી નરેન્દ્ર મોદીની લોક પ્રિયતા હતી. વાતને અડવાણી કદાચ પોતાની ઉંમરને કારણે કે અન્ય કોઈ કારણે સમજી શકતા હોય તે અલગ વાત છે પણ શિવરાજ પાટિલ તો સમજી શક્યા હતા. જો શિવરાજ પાટિલ વડા પ્રધાન થયા હોત અને કદાચ બીજેપી પૂર્ણ બહુમત તો નહીં પણ એનડીએ તરીકે સંયુક્ત રીતે બહમતિમાં આવ્યું હોત અને કૌભાંડ બહાર આવ્યું હોત તો ટીવી ચેનલો અને બીજેપી વિરોધીઓએ ભેગા થઈને બીજેપી સરકારને પદભ્રષ્ટ કરી નાખી હોત.

હવે અત્યારે સમાચાર માધ્યમો વાતને લઈને અડવાણીને લપેટમાં લેવાના મુડમાં હોય. કારણકે તેમનાં ફક્ત ચાર લક્ષ્ય હોઈ શકે.

પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી

બીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી  

ત્રીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી.

ચોથું લક્ષ્ય બીજેપી

પાંચમું લક્ષ્ય હિન્દુઓ.

તમે કહેશોઅરે શું !! નરેન્દ્ર મોદી ત્રણ વાર અને તે પણ પહેલા, બીજા અને ત્રીજા લક્ષ્ય તરીકે?

અહો !! ચાલો એને જુદી રીતે લખીએ.

પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી

બીજું લક્ષ્ય બીજેપી સરકાર, જેના નેતા નરેન્દ્ર મોદી વિષે નકારાત્મક વલણ  એટલે કે ગમે તેમ કરીને કોઈ પણ શંકાસ્પદ બનાવને મોદી સાથે સાંકળી દેવો.

ત્રીજું લક્ષ્ય નહેરુવીયન કોંગ્રેસની હૈયાવરાળને સકારાત્મક રીતે રજુ કરવી. જેમકે રાહુલ ગાંધી (કે બીજું કોઈ પણ જે હાથવગું હોય તે)… તેને સકારાત્મક રીતે આવી રીતે રજુ કરવાના. “ઘોડો જો ઘોડો …. ઘોડાની ડોક જોઘોડાની કેશવાળી જો, ઘોડો કેવો દોડે છેઘોડો કેવો હણ હણે છેઘોડો જો ઘોડો જો… “ રાહુલ ગાંધી આવા છે. આવું કહેવાથી, કાન્તિભાઈ ભટ્ટ (સબ બંદરના વેપારી એવા કટાર લેખક) ના લોજીક પ્રમાણે નરેન્દ્ર મોદી ઘોડો નથી પણ શિયાળ છે. નરેન્દ્રમાં કશું વખાણવા લાયક નથી. તેમને દોડતાં પણ નથી આવડતું અને હણહણતાં પણ નથી આવડતું.

તમે કહેશોઅરે ભાઈ આમાં તમે કાન્તિભાઈ ભટ્ટને શેના ગોદા મારો છો? કાન્તિભાઈ ભટ્ટે, વ્યાપમમાં એમ દલીલ કરી કે જો પૈસા વેરીને વડાપ્રધાન થઈ શકાતું હોય તો પૈસા વેરીને (વ્યાપમ મારફત), ડોક્ટર કે અફસર કેમ થવાય?”  બોલોઆમાંથી તમને શો સંદેશો મળે છે?

લક્ષ્ય ભેદવાની વ્યૂહરચના !!

એક વખત જો ત્રણ લક્ષ્ય સિદ્ધ થઈ જાય તો બાકીના લક્ષ્યો સિદ્ધ કરવા સરળ છે. ૧૯૬૯માં એમ થયેલું. ૧૯૬૭માં વિપક્ષ ને મજબુત થયો જોયો એટલે સમાચાર માધ્યમોએ ચગાવ્યું. ઇન્દિરા ગાંધીએ મોરારજીને કેવા બટેકા, રીંગણાની જેમ હાંકી કાઢ્યા, બેંકોનું કેવું જોરદાર રાષ્ટ્રીયકરણ થયું, રાજાઓના પ્રીવી પર્સ કેવા ખતમ કર્યા. આવી ઘણી બીન ઉપજાઉ વાતો એટલી બધી ચગાવીકે વિરોધપક્ષ અને જનતા પણ હતઃપ્રભ થઈ ગઈ. ૧૯૬૯-૭૦માં ઇન્દિરા કોંગ્રેસને જ્વલંત વિજય મળ્યો. એમાં વળી ૧૯૭૧માં પોતાના ગૃહયુદ્ધોથી ત્રસ્ત એવા બેવકુફ પાકિસ્તાનને હરાવ્યું એટલે વિપક્ષ રાજ્યોમાંથી પણ નેસ્ત નાબુદ થઈ ગયો.

પણ પારકાના જોરે તમે સુશાસન ચલાવી શકો. ભલે તમે ઘુસણખોર મુસ્લિમો મારફત વોટબેંક બનાવો, દલિતોને ઉશ્કેરો, જાતિવાદને ઉશ્કેરો, પણ તેથી બેકારી દૂર થાય કે ઉત્પાદન પણ વધે. હા લઘુમતિઓની સંખ્યા વધે. તમે જુઓ ઉત્તરપૂર્વી રાજ્યો, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત પશ્ચિમી રાજસ્થાન કાંતો તેઓ જાતિવાદથી ત્રસ્ત છે અથવા તો ધર્મવાદથી ત્રસ્ત છે. વાત સ્વયંબળને બદલે, બીજાના ખભા અને બીજાની બુદ્ધિ (કેજીબી)થી વડાપ્રધાન  થયેલી ઇન્દિરા ગાંધી સમજી શકે. એટલે તેનો ૧૯૭૭માં કારમો પરાજય થયો. પણ પરાજયથી તે એટલું શીખી ગઈ કે ચૂંટણીઓ કેવી રીતે જીતાય છે.

ગરીબોની કસ્તૂરી અને મંગળસૂત્ર

એટલે ૧૯૭૭માં જનતા પક્ષની સરકાર વખતે આ સરકારે તો ગરીબોની કસ્તૂરી એવી ડૂંગળીનો ભાવ વધારી દીધો … બહેનોના મંગળસુત્રો મોંઘા કરી દીધા, લૉ અને ઓર્ડર ખાડે ગયા છે …  રંગાબીલ્લાઓ પેદા થયા છે. બાળકો સુરક્ષિત નથી. રંગા બીલ્લાએ કરેલા દુસ્કર્મનો કેસ સમાચાર પત્રોએ બહુ ચગાવ્યો.  સોનાનો ભાવ દાણ ચોરી ની સાથે પણ સંબંધ ધરાવે છે. મૂળ તો દાણ ચોરીને ઇન્દિરાએ બહુ ફાલવા દીધી હતી. જનતા પાર્ટીએ દાણચોરી ઘટાડી દીધી. દાણચોરી ઘટી ગયી હતી તેથી સોનાના ભાવ વધ્યા હતા. એમાં વળી ચરણ સીંગ જેવાને વડા પ્રધાનપદની લાલચ આપીને ફોડ્યા એટલે ૧૯૮૦માં જનતાપાર્ટી હારી ગઈ. આમ ઇન્દિરા ગાંધી એટલું શીખી ગઈ કે સમાચાર માધ્યમોને અને લઘુમતિઓને યેનકેન પ્રકારેણ હાથમાં રાખવા. તેમને હાથમાં રાખવા હોય તો સમાચાર માધ્યમોની માલિકી કરી લેવી. અત્યારે સમાચાર માધ્યમો લઘુમતિના હાથમાં છે. અને તેઓ કદી બીજેપીના થાય નહીં. કારણ કે નહેરુના જમાનાથી કે જ્યારે જનસંઘની કશી રાજકીય સત્તા હતી કે ન તો કશો જનાધાર હતો, તે વખતે પણ નહેરુ જનસંઘને ભાંડતા રહેતા હતા. તેમનો હેતુ પોતે બહુ પ્રગતિશીલ માનસવાળા છે તે પ્રદર્શિત કરવાનો હતો. આવી માનસિકતા ઘણા હિન્દુ મૂર્ધન્યોમાં પણ છે. એટલે હિન્દુઓને તો સહેલાઈ થી ભેદી શકાય છે. પણ આપણી વાત વ્યાપમ ની છે.

વ્યાપમની વ્યાપકતા કેટલી?

જો ૨૫૦૦ ઉપરાંત વ્યક્તિઓની ધરપકડ થઈ હોય તો સમજી શકાય એમ છે કે તે મધ્યપ્રદેશમાં ઠીક ઠીક પ્રમાણમાં વ્યાપક હોઈ શકે.

સરકારી નોકરીઓ માટે પરીક્ષા લેવી વાત અનીતિની છે.

કૌભાંડનો પાયો પરીક્ષાઓ છે.

જનતા માટે સરકાર એ એક વ્યક્તિ છે. પછી તે ભલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય.

ધારો કે તમે વ્યક્તિ ને કંઈક વાત કરી. તે વ્યક્તિ તેમાં સંમત થાય. પણ પછી તે ફરી જાય. અને તે કહે કે તમે જે વાત વાત કરી હતી તે તો તમે મારા ડાબા કાનને કહી હતી. મારા જમણા કાનને નહીં. તમે કહેલી વાત વિષે નિર્ણય તો જમણા કાન દ્વારા સાંભળવામાં આવી હોય તો જ થઈ શકે છે.

તમે મહેનત કરી એક સુંદર ચિત્ર બનાવ્યું. સામેની વ્યક્તિને ગમ્યું. તેણે લીધું પણ પૈસા ન આપ્યા. તમે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે એતો મેં ડાબી આંખે જ જોયું હતું. જમણી આંખે જોયું નહતું. પૈસા કેવા ને વાત કેવી.

યુનીવર્સીટીઓ ને માન્ય કોણે ગણી?

સરકારે.

સરકારે આ યુનીવર્સીટીઓને કયા અધારે માન્ય કરી?

સરકારે યુનીવર્સીટી માટે ધારાધોરણો ના માપદંડ બનાવેલા. આ માપદંડોના આધારે સરકારે યુનીવર્સીટીઓને માન્ય કરી.

શું યુનિવર્સીટીઓ દ્વારા અપાતું શિક્ષણ સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત નથી?

શું આ યુનીવર્સીટીઓ દ્વારા લેવાતી પરીક્ષાઓ સરકારને માન્ય નથી?

જો યુનીવર્સીટીઓ સરકાર માન્ય હોય અને તેના દ્વારા યોગ્ય અભ્યાસક્રમો ચાલતા હોય તો પછી બીજી પરીક્ષાઓ લેવાની જરુર શી રીતે હોઈ શકે. તો સરકાર પોતે પોતાને અમાન્ય કરે છે એવું  ફલિત થાય છે. કાં તો સરકાર દંભી છે કાં તો સરકાર ઠગ છે.

પરીક્ષાઓની ઠગાઈ કોણે ચાલુ કરી?

આમ તો અંગ્રેજોએ આઈ સી એસ ની પરીક્ષા ચાલુ કરેલી. કારણ કે તેમને એવા અફસરો જોઇતા હતા કે જેઓ અંગ્રેજીથી અભિભૂત હોય અને દેશી લોકો સાથે સંવાદ કરી શકે. ખાસ પ્રકારની ટોળકી ઉભી કરવા માટે આઈસીએસ પરીક્ષા રાખેલી. પણ ગાંધીજીએ જે લડત ચલાવી અને અંગ્રેજસરકારના દંભનો પર્દાફાસ કર્યો તેનાથી ઘણા સ્કુલી અને કોલેજી ભણેલા ઉપરાંત આઈસીએસ અધિકારીઓનો ભ્રમ પણ ભાંગ્યો. જો કે નહેરુ જેવાઓનો અંગ્રેજીયત તરફનો ભ્રમ ભાંગ્યો હતો. સરદાર પટેલને લાગેલ કે વહીવટમાં આઈસીએસ જેવા પણ સંસ્કારે ભારતીય (પોતાના જેવા ) અધિકારીઓ ભારતમાં પકવી શકીશું. પણ નહેરુના દંભની પ્રાકૃતિક અસર ભારતીય નેતાઓની ઉપર વ્યાપક રીતે પડશે તે વાતનો તેમને ખ્યાલ નહીં.

વાસ્તવમાં યોગ્ય રહેશે કે સરકાર આવી ફાલતુ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ આવા અભ્યાસક્રમો ચલાવે. અને પછી વિદ્યાર્થીના ક્ર્માંક પ્રમાણે તેને નોકરીમાં રાખે.

અમારા એક સાહેબ ૧૯૭૩માં એક વાત કહેતા હતા કે ભારત એક એવો દેશ છે કે જો તમે ઢીલું મુકો તો કૌભાંડ જન્મે અને અક્કડ રહો તો ફરીયાદ થાય. પાણીમાં રહેતી માછલી બહુ પાણી પી જાય છે. માછલી પાણી પી ગઈમાછલી પાણી પી ગઈએવી બુમો શરુ થઈ જાય.

આપણી શાળાઓ, કોલેજો અને યુનીવર્સીટીઓ કેવી છે?

સ્વતંત્રતા પછી જો સૌથી વધુ દુર્લક્ષ્ય સેવાયું હોયા તો તે શિક્ષણ છે. સરકારે પુરતી શાળાઓ ખોલી નહીં. પીટીસી અને બીટી (હવે બીએડ) ની શાળાઓ પણ નહીંવત. કોઈપણ સરકારી શાળામાં પ્રવેશ મુશ્કેલ હતો. જે ખાનગી શાળાઓ હતી તેમાં જે ગાંધીવાદી પ્રવાહવાળા હતા તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમની શાળાઓ સારી ચાલી. જેમકે ભાવનગર ની ઘરશાળા, સનાતન, રાજકોટની સૌરાષ્ટ્ર (બહાદુરભાઈ ધોળકીયા) હાઈસ્કુલ, ચૌધરી હાઈ સ્કુલ. પણ પછી બધી શાળાઓએ શિક્ષણને ઉદ્યોગ કરી દીધો.

શાળાઓ મેદાન વગરની થઈ ગઈ, કેટલીક શાળાઓ ભાડાના મકાનમાં બીજે માળ કે ભોંયરામાં ચાલતા ઉદ્યોગો જેવી થઈ ગઈ. અમદાવાદમાં તો કોલેજો પણ ભોંયરામાં ચાલે છે. ચિમનભાઈની એક કોલેજ ભર બજારે દુકાનોની ઉપરના બીજા માળે ચાલે છે. યુપી બિહારમાં યુનીવર્સીટીઓ ભાડેના મકાનના બીજે માળ ચાલે.

દશમું ધોરણ અને બારમું ધોરણ. પરસન્ટેજ અને પરસન્ટાઈલ ના તૂત નિકળ્યા. વળી પાછા કોમન એન્ટરન્સ ટેસ્ટ નિકળ્યા.

આ બધું શું કામ છે. ઘણાને પરસન્ટેજ અને પર્સન્ટાઈલના ભેદની ખબર નથી. પરસન્ટાઈલ એટલે બધા ધોરણોમાં થયેલ સમગ્ર રીતનું મૂલ્યાંકન. આ પણ એક વ્યાપમ છે. જો મૂલ્યાંકન અલગ અલગ સંસ્થાઓ કે વ્યક્તિઓ કરતી હોય અને સર્વથા ભીન્ન ભીન્ન હોય, પરીક્ષાર્થી માટે પૂનઃ મૂલ્યાંકનનો વિકલ્પ ન હોય તો આ પદ્ધતિ અન્યાયકારી છે. આ એક લાંબી ચર્ચાની વાત છે.

મૂળ વાત એ જ છે કે જેમ કાર્ય ની પસંદગી એ વ્યક્તિની સ્વતંત્રતા અને હક્ક છે. તેમ જેને તમે એક ધોરણમાં પાસ કર્યો અને તે વાત તેણે કબુલ રાખી તો તેનો ક્રમ તેણે પ્રાપ્ત કરેલા ગ્રેડ ઉપર જ નિશ્ચિત કરી શકાય. જો તે વિદ્યાર્થી પાસ થયો હોય પણ તેને તેનો ગ્રેડ કબુલ ન હોય તો તે ફરીથી પરીક્ષા આપી શકે.

એક માત્ર પરીક્ષાના ગ્રેડના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન અને યોગ્યતા નક્કી ન કરી શકાય. વાસ્તવમાં તેનું રોજબરોજનું મૂલ્યાંકન થવું જોઇએ.

પણ શિક્ષકો, આચાર્યો અને સચિવો અને મંત્રીઓ કહેશે કે એક વર્ગમાં ૪૦ વિદ્યાર્થીઓ હોય એટલે દરેકનું રોજ બરોજનું મૂલ્યાંકન ન કરી શકાય. પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ કોણે સ્થાપી?  તમે તો સ્થાપી છે. કારણ કે શાળાને ઉદ્યોગવાળી બનાવવાને બદલે શિક્ષણને તમે ઉદ્યોગ બનાવ્યો છે. ઓછા શિક્ષકો અને ભૂતિયા શિક્ષકો રાખી તમારે નફો કરવો છે. ઉદ્યોગશાળા ને બદલે શાળાઉદ્યોગ ચાલુ થયો.

વ્યાપના સ્વરુપો

Vyam is everywhere

બિહારમાં એક પરીક્ષા ના સ્થળે ચોથામાળની બારીના છજા સુધી માણસો ચડી પરીક્ષાર્થીઓને નકલ કરાવતા હતા. પોલીસ કહે અમારું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. પરીક્ષામાં થતી ચોરી અટકાવવાનું કામ સંચાલકોનું છે. એટલે કે પરીક્ષામાં ચોરી કરવી એ કાયદાની વિરુદ્ધ નથી. ટીવી ચેલનવાળા પહોંચી શકતા હોય અને આખો દેશ જોતો હોય પણ સરકારનું શિક્ષણ ખાતું અજાણ હોય તે આપણા દેશને ગોઠી ગયું છે. આ એકલ દોકલ દાખલો નથી. આ વ્યાપમથી પણ વ્યાપક છે.

પંજાબના સર્વીસ કમીશનના ચેરમેનના ઘરે દરોડો પડ્યો તો એક કરોડની ચલણી નોટો મળી. શું પંજાબમાં વ્યાપમમાં નથી? ઠેર ઠેર વ્યાપમ છે. જ્યાં જ્યાં પ્રવેશ પરીક્ષાઓ છે ત્યાં ત્યાં વ્યાપમ છે. પ્રવેશ પરીક્ષા નું ધ્યેય જ વ્યાપમ પ્રવેશી શકે તે માટેનું છે.

આપણે એવું ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી બધી પ્રવેશ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ બધી જાતના અભ્યાસક્રમો રાખે. તબક્કે તબક્કે એપ્ટીટ્યુડ ટેસ્ટ પણ લેવાતા રહે. પરીક્ષાર્થીને એપ્ટીટ્યુડ બદલવો હોય તો ગીતા વાંચે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વ્યાપમ, વ્યાપક, આઈસીએસ, પ્રવેશ પરીક્ષા, અધિકારીઓ, નહેરુ, નહેરુવીયન, સરકાર, યુનીવર્સીટી, શાળા, શિક્ષક, આચાર્ય, વિદ્યાર્થી, પરીક્ષાર્થી, ગ્રેડ, મૂલ્યાંકન, ક્રમાંક,  કૌભાંડ, ખાનગી, બહાદુરભાઈ ધોળકીયા, રાજકોટ, ઘરશાળા, ભાવનગર, સૌરાષ્ટ્ર હાઈ સ્કુલ, સરકારી શાળા, પીટીસી, બીએડ, બીટી, ઉદ્યોગશાળા, શાળાઉદ્યોગ

Read Full Post »

જમીનના હક્કો અને ગાંધીવાદની માયા જાળ

નરેન્દ્ર મોદીની સરકાર ઉદ્યોગો માટે જમીન સંપાદન કરે અને ઉદ્યોગોને આપે એટલે કેટલાકને ન ગમે તે સ્વાભાવિક છે. કોઈપણ કામ સારું હોય કે ખરાબ હોય તેનો અમુક જુથ તરફથી વિરોધ તો થવાનો જ. ઔદ્યોગિક ગૃહો કે વ્યક્તિગત ઉદ્યોગો સ્થાપવાની ઈચ્છા ધરાવનારાઓ પણ જ્યારે ઉદ્યોગ સ્થાપવા માટે અરજી કરે ત્યારે સરકાર પોતે પણ એટલે કે સરકારી અધિકારીઓ પણ વાંધા વચકા પાડે. ઉદ્યોગસ્થાપનારાઓ સરકારી અધિકારીઓના સંસ્કાર અને આદતોથી જાણકાર હોવાથી, તેમના લાગાઓને પણ એક પરિબળ માની તેને ખર્ચની ગણત્રીમાં લેતા હોય છે. આ ખર્ચને નાબુદ કરવા અનેક નરેન્દ્ર મોદીઓની સરકારને જરુર પડશે. જો કે આપનાર અને લેનાર સંપીને આ સમસ્યાનો નીવેડો લાવતા હોય છે તેથી આવી વાતો બહાર આવતી નથી. છૂટા છવાયા પકડાઈ જવાના બનાવો છાપામાં આવે છે. પણ તેની વિગતો બહાર આવતી નથી.

પણ જ્યારે સરકાર પોતે પોતાની આતુરતા ઉદ્યોગ સ્થાપવા માટે બતાવે ત્યારે તેનાથી જનતાને થતા લાંબા અને ટૂંકા ગાળાના લાભોને ધારોકે આપણે અવગણીએ અને જમીન સંપાદનની ક્રિયામાં જે વાડાઓ અને જુથો તરફથી અવરોધો ઉત્પન્ન થાય છે અને થવાના છે તેને સરકારી અધિકારીઓ લક્ષમાં લેતા હોય તેવું લાગતું નથી.

ગાંધીજીએ કહેલું કે તમે સારું કામ કરો તો પણ તેના અમુક ખરાબ પરિણામો પણ મળવાના જ. આનું કારણ લોકોની કે તેમના જુથોની કાર્ય કે સિદ્ધાંતોની અધૂરી સમજણ હોય છે. અને જો આમાં દૂન્યવી રાજકારણ કે જેમાં સ્વખ્યાતિ કે “ટકો લે પણ મને ગણ” એવી માનસિકતા ભળે એટલે કેટલીક ચર્ચાઓ, સંવાદો, અસંવાદો, વિસંવાદો અને વિતંડાવાદો પણ ઉજાગર થાય.આમાં ભલભલા ગોથાં ખાય તો સામાન્ય જનતાનું તો ગજું જ શું!

સત્યાગ્રહનો સીધો સાદો દાખલો

ગાંધીજીએ આપેલું હથીયાર એટલે કે સત્યાગ્રહ દ્વારા વિરોધ કરવો. એટલે કે આત્મપીડન (ઉપવાસ કે સજા સહિતની તૈયારી સાથે સવિનય કાનુન ભંગ) માટે તૈયાર રહી કોઈ બાબતનો વિરોધ કરવો. આ એક અહિંસક કાર્ય છે. ગાંધીજી અહિંસામાં માનતા હોવાથી તેમણે સત્યાગ્રહને સામુહિક હિતના આધારે પુરસ્કૃત કરેલ. જો કે સત્યાગ્રહ કરતાં પહેલાં તેની અમુક શરતો ગાંધીજીએ પ્રસ્તૂત કરી છે. પણ જો આ શરતો પ્રત્યે સત્યાગ્રહી અજ્ઞાન હોય, અથવા આત્મખ્યાતિ સહિતના બદઈરાદાવાળો હોય તો આપણને સત્યાગ્રહના પણ ખરાબ પરિણામો જોવા મળે.

જેમકે જેના અસંખ્ય ભક્તો છે તેવા રજનીશે પોતે કેવા જ્ઞાની છે અને મહાત્માગાંધીથી પણ કેટલા બધા આગળ વધેલા મહાન વિચારક છે તે દર્શાવવા તેમણે ગાંધીજીના સત્યાગ્રહની ટીકા ચાલુ કરીને સ્વખ્યાતિ માટે મેદાનમાં કૂદી પડેલ. તેમણે દાખલો આપેલ કે એક વેશ્યાએ કે જેનો પ્રેમ એક તરફી હતો તેણે પોતાને મનપસંદ વ્યક્તિને પોતાને પરણવા માટે સત્યાગ્રહ (ઉપવાસ)નો આશરો લીધો. “મને પરણ નહીં તો હું તારા ઘરની સામે ઉપવાસ કરીને મરી જઈશ”.

આ એક બળજબરી થઈ. બળ જબરી એક હિંસા છે. એટલે સત્યાગ્રહની એક આડ પેદાશ હિંસા હોય છે. એટલે સત્યાગ્રહમાં પણ હિંસાનું તત્વ છે. આમ રજનીશે ગાંધીજીના સત્યાગ્રહના નિયમોનો અભ્યાસ કર્યા વગર જ પોતાને અહિંસાના ગાંધી કરતાં વધુ જ્ઞાની સાબિત કરી દીધેલ. તેમણે નિરપેક્ષ અહિંસાની વાત કરેલ. કે જેમાં પોતાની પરાશક્તિ દ્વારા એક પાદરીએ બીજી વ્યક્તિનું દૂરદૂર રહ્યે વિચાર પરિવર્તન કરી દીધેલ. એવો એક કપોળકલ્પિત દાખલો પણ આપેલ. મૂળ વાત એમ છે કે જ્યારે તર્કશાસ્ત્રનું અધકચરું જ્ઞાન હોય, સમજણ પણ ઓછી હોય, વાચન પણ અધૂરું હોય અને તમારા શ્રોતાગણ કે વાચકગણ તમારી કક્ષાથી પણ ઉતરતી કક્ષાના હોય ત્યારે તમે તમારી ખ્યાતિ વાણી વિલાસ દ્વારા વધારી શકો છે.

જેમણે બકરી જોઇ નથી તેવા શ્રોતા ગણ આગળ તમે બકરીને ત્રણ ટાંગ હોય છે એટલું જ નહીં તેને ટાંગ વગરની પણ સાબિત કરી શકો છો. જો તમે સત્યાગ્રહના આધારરુપ સ્તંભોને ન જાણતા હો તો તમે સત્યાગ્રનો અયોગ્યરીતે ઉપયોગ કરી, ખરાબ પરિણામો ઉત્પન્ન કરી શકો છો.

સત્યાગ્રહની પૂર્વ શરતો છે.

અહિંસક આંદોલન આચરતાં પૂર્વે, તે દરમ્યાન અને તે પછી પણ, આ બાબતો તો અસ્તિત્વ ધરાવતી હોવી જ જોઇએ. સમાજનું ભલું (નિસ્વાર્થી પણું), તાર્કિક સંવાદ અને તેનું સાતત્ય, પરસ્પર પ્રેમ અને પરસ્પર વિશ્વાસ આ હોવાં જરુરી છે.

જો કે ગાંધીજીએ કહેલ કે તમે સારું અને શુદ્ધબુદ્ધિથી કામ કરો તો પણ અમુક દુસ્પરિણામ તો આવી શકે છે. પણ આવા દુસરિણામોનું પ્રમાણ ઓછું રહેશે અને સુપરિણામોનું પ્રમાણ ઘણું વધુ રહેશે. તેથી સરવાળે ઘણો લાભ જ થશે.

જેવું રજનીશનું હતું તેવું કેટલેક અંશે સરકાર દ્વારા ઔદ્યોગિક જગતમાટે જમીન સંપાદનની બાબતમાં તેનો વિરોધમાં આંદોલન કરનારા રાજકીય નેતાઓ, કહેવાતા કર્મશીલો, કેટલાક અખબારી મૂર્ધન્યો, ગાંધીવાદી અને ખુદ સરકારી અમલદારોના વલણ વિષે પણ આવું જ કહી શકાય.

જમીન સંપાદન ના દરેક કિસ્સાને એક એક કરીને જ જોઇ શકાય. જમીન સંપાદનમાં જમીનના દરેક કિસ્સાની કથા અલગ અલગ હોય છે. જો બંને પક્ષે સામાજીક હિતની સમજણ, અન્યાય ન થાય તેવી વૃત્તિ ધરાવતા હોય અને સંવાદમાં જો તર્ક શુદ્ધતા રાખતા હોય તો જમીન સંપાદન એ કોઈ અશક્ય કામ નથી અને આંદોલનનો વિષય પણ નથી.

તર્કની અશુદ્ધતાઃ

અમારે જમીન આપવી જ નથી.

અમારે ખેતી જ કરવી છે.

અમે જમીન નહીં આપીએ કારણ કે

જમીન ઉપર અમારો હક્ક છે.

જમીન આપી દઈએ તો અમે કરીશું શું?

તમે જે વળતર આપશો તે કંઈ અમારે જીંદગી ભર ચાલશે નહીં. એ પૈસા તો વપરાઈ જશે. તે પછી અમે શું કરીશું?

તમે અમારી પાસેથી સસ્તાભાવે જમીન લઈ ઉદ્યોગોને (પાણીના મુલે) જમીન આપો છો. અમને (જમીનના) માલિકમાંથી (કરખાનાના) મજુર બનાવી દો છો.

અમે શું કામ અમારું ગામ છોડીએ?

ગામની જમીન ઉપર ગામનો જ હક્ક છે.

જો ગ્રામ પંચાયત મંજુર ન કરે તો તમે ગૌચર કે ખરાબાની કે પડતર જમીન પણ ન લઈ શકો.

અમારા ઢોર ચરશે ક્યાં?

માલધારીઓનું શું થશે?

ગાંધીજીએ પ્રબોધેલા ગ્રામ સ્વરાજ ની ભાવનાનો અહીં ધ્વંશ થાય છે.

ઉદ્યોગો થી પર્યાવરણનો નાશ થશે,

ગ્રામ્ય જનતાનું શોષણ થશે.

અમારે તો ખેતી જ કરવી છે. જમીન આપવી જ નથી.

શું આ શાશ્વત નિર્ણય છે?

ધારો કે “હા” એમ છે.

આપણે અમદાવાદની જ વાત કરીએ. કારણ કે અમદાવાદને જે લાગુ પડે છે તે બધા શહેરો, કસ્બાઓ અને ગામને પણ લાગુ પડશે.

૧૯૪૨માં મોટાભાગની વસ્તી કોટ વિસ્તારમાં જ વસતી હતી. ચારે બાજુ નાના ગામડાઓ હતા. ૧૯૪૮ સુધી પણ લગભગ આજ સ્થિતિ હતી. ચારે બાજુ ખેતરો હતાં. રાયપુર દરવાજાથી કાંકરીયા જોઇ શકાતું હતું. કાંકરીયાથી મણીનગર જવાના રસ્તા ઉપરથી મણીનગર સ્ટેશન જોઈ શકાતું હતું. ૧૯૫૨માં પણ ગીતા મંદીરથી વેદ મંદીર જોઇ શકાતું હતું. શાહઆલમનો રોજો જોઇ શકાતો હતો. હજારો ખેડૂતો ખેતી કરતા હતા. આજે અમદાવાદ કોટની રાંગથી ચારે બાજુ ૧૦થી પણ વધુ કીલોમીટર સુધી બાંધકામો થઈ ગયાં છે. અહીં હજારો ખેતરો હતાં. આ હજારો ખેતરોમાંથી એક પણ ખેતર બચ્યું નથી. આ બધા ખેડૂત ભાઈઓમાંથી કેમ એવા કોઈ જ ન નિકળ્યા કે જેમણે કહ્યું અને કર્યું કે અમારે તો અમારી જમીન વેચવી જ નથી અને માત્રને માત્ર ખેતી જ કરવી છે. તે વખતે શું ખેડૂત ભાઈઓ વધુ ભણેલ હતા? તે વખતે શું ખેડૂતભાઇઓ બીજો ધંધો કરવાની વધુ આવડત ધરાવતા હતા?

નાજી આવું કશું જ ન હતું. તે વખતે તો ખેડૂતો વધુ ગરીબ હતા.

શું ૨૦૦૨ પછી જ ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાયા? નાજી ઉદ્યોગો ગુજરાતમાં પહેલાં પણ સ્થપાતા હતા.

શું પહેલાંના સ્થપાયેલા ઉદ્યોગો પર્યાવરણને હાની કારક ન હતા? ચોક્કસ હતા. અને હજી પણ છે.

પહેલાંના ઉદ્યોગો ચોક્કસ પર્યાવરણને હાનીકારક હતા. અને તે વખતે તો પર્યાવરણને લગતા કાયદાઓ બહુ નબળા હતા. તો પણ મનુભાઈ શાહે દરેક તાલુકા સ્તરે ઔદ્યોગિક વસાહતો સ્થાપેલ અને આ બધી જમીનો ખેતરાઉ જમીનો જ હતી. આ બધી જ ઔદ્યોગિક વસાહતો ગામેગામ હતી અને તેનો વિસ્તાર ગામને સમકક્ષ હતો. આખું ગાંધીનગર શહેર ખેતરોને ઉખેડીને બનાવેલ.

આજે ડાહી ડાહી વાતો કરનારા તે વખતના કોંગ્રેસીઓ અને તે વખતના નૂતન કોંગ્રેસીઓ તે વખતે ક્યાં હતા? સનત મહેતા જેવા પ્રજાસમાજવાદીઓને મહુવામાં “નૂતન કોંગ્રેસીઓ” એ નામની ઓળખવામાં આવતા હતા, અને અત્યારે આજ સનત મહેતા એક સમાચાર પત્રમાં કટારીયા મૂર્ધન્ય બની ગયા છે અને ડાહી ડાહી વાતો લખે છે.

૧૯૪૮ થી ૧૯૯૫ સુધીમાંનો સમય લક્ષ્યમાં લઈએ તો બધાં શહેરો, સરવાળે હજારો ચોરસ કીલોમીટર વિકસ્યા અને ગામડાને ગળી ગયાં. તો તે હજારો ગામડાંઓની હજારો ગોચરની જમીનો ક્યાં ગઈ?

બગીચો કેવી રીતે ઉકરડો બન્યો?

૧૯૮૧ પછી ગુજરાતમાં નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસ સોળે કળાએ વિકસી. ઉદ્યોગો અને સરકારી અફસરો વચ્ચેની ખાઈકી નો ધંધો પણ સોળેકળાએ વિકસ્યો. મનુભાઈ શાહે સ્થાએલી ઔદ્યોગિક વસાહતો (જી આઈ ડી સી), જે બગીચા જેવી લાગતી હતી તે બધી ગંદકીથી ખદબદવા લાગવાનું શરુ થયું. જો તમે દા.ત. વટવા જી. આઈ. ડી. સી.ના સરકારી કે ખાનગી ચિકીત્સકોને મળશો તો તેઓ તમને “ઑફ ધ રેકોર્ડ” આરોગ્ય ખાતાના અધિકારીઓની, પર્યાવરણના અધિકારીઓની અને ઔદ્યોગિક એકમના માલિકો વચ્ચેની મીલીભગતની ચોંકાવનારી વાતો કરશે. હાલ પર્યાવરણને લગતા કાયદા ઘણા કડક છે. ૧૯૮૧થી ચાલુ થયેલો ખાયકીના ધંધાનું ઉઠમણું થઈ શકે છે પણ તેને માટે નરેન્દ્ર મોદીએ ફુલ ટાઈમ અને તે પણ આ એક માત્ર પર્યાવરણનું જ કામ કરવું જોઇએ.

આરોગ્ય ખાતા પાસે અમર્યાદ સત્તા છે. પણ જેમ પોલીસ તંત્ર જેમ દારુબંધીનો અમલ કરવામાં ઠાગા ઠૈયા કરે છે, જેમ લેબર કમીશ્નર મજુરકાયદાના અમલમાં ઠાગા ઠૈયા કરે છે, જેમ મ્યુનીસીપલ કમીશ્નરો ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવામાં ઠાગાઠૈયા કરે છે, અને નહેરુવીયન કોંગ્રેસ જેમ વિદેશી બેંકોમાં રહેલું કાળું-લાલ નાણું પકડવામાં અને ગરીબી હટાવવામાં ઠાગાઠૈયા કરે છે તેમ આરોગ્ય ખાતાવાળા (પર્યાવરણવાળા સહિત) પ્રદૂષણ અટકાવવામાં ઠાગા ઠૈયા કરે છે.

ગંગા મૈલી ક્યું? તમે ગંગામાં કચરો નાખવો બંધ કરો તો એક ચોમાસું ગયા પછી આપોઆપ ચોક્ખી થયેલી જોવા મળશે.

અહીં ગાંધીવાદ અને ગાંધી વાદીઓની વાત ક્યાં આવી?

જમીન બચાવોના આંદોલનમાં ઈન્દીરાઈ કોંગ્રેસીઓ, નૂતન કોંગ્રેસીઓ, કહેવાતા કર્મશીલો, અખબારી મૂર્ધન્યો, સાથે ગાંધીવાદીઓ પણ સામેલ છે. નહેરુવીયન કોંગ્રેસીઓના વલણમાં વિરોધાભાસ હોય તે સિદ્ધ કરવાની જરુર નથી. તે સ્વયં સિદ્ધ છે. ૧૯૭૫-૧૯૭૭ સુધી ઈન્દીરા ગાંધીએ ચલાવેલી કટોકટી સ્વયંસિદ્ધ દંભી અને વિરોધાભાષી અને ગુન્હાહિત વલણોવાળી આતંકવાદી રહી હતી. એ પહેલાંના અને તે પછીના નહેરુવીયન કોંગ્રેસના વલણો પણ દંભી અને વિરોધાભાષી રહ્યા છે પણ તે બધા વિતંડા વાદ કરીને વિવાદાસ્પદ બનાવી શકાય તેમ હતા અને તેમ છે. પણ ૧૯૭૫-૧૯૭૭ તો ન્યાયાલય સંસ્થાના દસ્તાવેજો ઉપર છે. તેથી તેને અવગણી શકાય નહીં.

કેટલાક ગાંધી વાદીઓ મૂંગા રહેલ પણ ઘણા ગાંધી વાદીઓએ લડત અને ભોગ આપેલા. તેઓ સલામને પાત્ર છે. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એ કૃષ્ણ ભગવાનની અને કૌટીલ્યની ફિલોસોફી પ્રમાણે અમુક ગાંધીવાદીઓની ટીકા કરવી જોઇએ.

ભૂમિપુત્ર એ સર્વોદય વાદીઓનું મુખ પત્ર છે. તે ગાંધીવાદી હોય તે અપેક્ષા આપણે રાખવી જોઇએ. જો સરકારની ટીકા ન કરીએ તો સરકારને સુધરવાનો ચાન્સ ન મળે તેવું નરેન્દ્ર મોદી પણ કહે છે. તેથી ભૂમિપુત્ર પણ ગાંધીવાદમાંથી ચલિત ન થાય તે આપણી અપેક્ષા હોવી જોઇએ. કમસે કમ ભૂમિપુત્ર એક તરફી વાતો ન કરે તે જરુરી છે. કારણ કે માત્ર એક પક્ષી વાતો રજુ કરવી તે ગાંધીવાદી પ્રણાલી નથી.

જમીન બચાવો એટલે શું?

ખેતી માટેની જમીન અને જંગલોની જમીન ઓછી ન થવી જોઇએ.

ધારોકે ખેતી માટેની જમીન બીજા હેતુ માટે વાપરી તો તેટલી જ જમીન ખેડાણને લાયક કરવી જોઇએ. એટલે કે જે જમીન પડતર છે અને ખરાબાની છે તેને નવસાધ્ય કરવી જોઇએ. જંગલો ન કપાવાં જોઇએ. નહેરુવીયન કોંગ્રેસના રાજમાં પુસ્કળ જંગલો કપાયાં અને હજુ પણ કપાય છે. ૧૯૯૩-૧૯૯૫ના અરસામાં શિલોંગથી ચેરાપૂંજીના રસ્તે આવતા પહાડો અને ટેકરીઓ વૃક્ષો વિહીન થઈ ગઈ હતી. શિલોંગથી ગુવાહટ્ટી જવાના રસ્તે જંગલો માં ઝાડને ગેરકાયદેસર રીતે આગ લગાડી ખેતર માટે કે બીજા હેતુ માટે જમીન નો ટૂકડો બનાવમાં આવતો હતો એ મેં નજરે જોયું છે. આવી જ ક્રિયા સહ્યાદ્રીના ડૂંગરોમાં ચાલે છે. ૯૫ ટકા પંચમહાલનું જંગલ ૧૯૬૫ સુધીમાં નષ્ટ કરીદેવામાં આવેલ. ગોધરાથી લુણાવાડા વચ્ચે ઘટાદાર જંગલ હતું તે વાત કોઈ આજે માને પણ નહીં. ૧૯૪૭ પહેલાં પંચ મહાલના જંગલોમાં ૯૦” વરસાદ પડતો હતો તે વાત પણ કોઈ માને નહીં. જો કે સર્વોદય વાદીઓનો જંગલો નષ્ટ કરવાની બાબતમાં ચણભણાટ ચાલુ હતો.

જમીન બચાવવી હોય તો જમીન ઉદ્યોગોને આપવી ન જોઇએ. કારણ કે ખેતીમાટે એટલી જમીન ની ઘટ પડે છે. અને જો ઉદ્યોગોને અપાતી જમીનો સામે આંદોલનો આપણે કરતા હોઈએ તો આપણે જ્યાં જ્યાં ખેતીની જમીનમાં બીજી કોઈપણ રીતે ઘટ પાડવામાં આવતી હોય ત્યાં ત્યાં વિરોધ પ્રદર્શિત કરી આંદોલન ચલાવવા જોઇએ.

જમીનની ઘટ કઈ કઈ રીતે પડે છે?

જમીનના ટૂકડાઓની ખેરાત કરવાથી જમીનની ઘટ પડે છે. આવી ખેરાતોનો ચીલો ઈન્દીરા ગાંધીએ પાડેલો છે. રહેણાંક માટે સરકારી નોકરોને, પત્રકારોને, ન્યાયધીશોને, જનપ્રતિનીધિઓને ગરીબોને, પછાત વર્ગોને જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વ્યક્તિઓને જમીનના ટૂકડા ફાળવા એ જમીનનો વ્યય છે.

ઝોંપડ પટ્ટીઓ ઉભી થવાથી જમીનની ઘટ પડે છે,

લારી ગલ્લાઓ અને પાથરણાઓ જમીન રોકે છે, તેથી જમીનની ઘટ પડે છે,

રો-હાઉસ વાળી દુકાનો કરવાથી જમીનની ઘટ પડે છે,

સ્વતંત્ર બંગલાઓ અને રો-હાઉસો વાળી હાઉસીંગ સોસાઈટીઓ અને ફાર્મ હાઉસોવાળી હાઉસીંગ સોસાઈટીઓ અને સંકુલો થવાથી જમીનની ઘટ પડે છે,

ઓછામાળવાળી (બે, ત્રણ કે ચાર) બહુ માળી સોસાઈટીઓ કે સંકુલો કરવાથી જમીનની ઘટ પડે છે,

જુના ખખડધજ પડુ પડુ થતાં મકાનો પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પાડે છે.

ખુલ્લી જગ્યામાં પાર્કીંગ માટે જમીન ફાળવવાથી જમીનની ઘટ પડે છે.

રસ્તાઓ ઉપર વાહન પાર્કીંગ ઉભા કરવાથી પણ જમીનની પરોક્ષ રીતે ઘટ પડે છે.

આમ તો પહોળા રસ્તાઓ અને રેલ્વે કરવાથી પણ જમીનની ઘટ પડે છે. નહેરો કરવાથી પણ જમીનની ઘટ પડે છે. ખેતરોના નાના ટૂકડાઓ કરવાથી પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પડે છે, નદી ઉપર બંધ બાંધવાથી પણ જમીન ડૂબમાં જાય છે. આના પણ ઉપાયો છે. પણ તે લાંબા ગાળાના ઉપાયો છે. પણ તેની ચર્ચા પછી કરીશું.

આ બધી જે કોઈપણ રીતે જમીનની ઘટ પડે છે તેને દૂર કરી શકાય છે. એટલું જ નહીં પણ  પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે જમીન ઉત્પન્ન કરી શકાય છે.

જમીનની માલિકી

જમીનની માલિકી કોઈ એક વ્યક્તિની હોઈ જ ન શકે. જમીનની માલિકી ગામની પણ ન હોઈ શકે. એટલે કે ગામડાની પણ ન હોઈ શકે.  જો ભારતના દરેક નાગરિકને દેશમાં ગમે ત્યાં જવાનો અને સ્થાયી થવાનો હક્ક હોય તો જમીનનો વ્યવહાર રાષ્ટ્રીય રીતે જ થઈ શકે. જો જમીનમાંથી થતું ઉત્પાદન દેશમાં બધી જગ્યાએ વેચાઈ શકતું હોય તો કોઈ ગામડું, ગામ કે શહેર ઉપર સૌનો સરખો હક્ક હોવો જોઇએ. જો દેશની કેન્દ્રસ્થ સત્તા દેશ માટે એક વ્યાપક જમીનને લગતી નીતિ ન ઘડી શકતી હોય તો સક્ષમ રાજ્ય સત્તા પોતાના રાજ્ય પૂરતી નીતિ ઘડી શકે. કારણ કે જમીનને લગતી નીતિના વ્યાપક પરિમાણો હોય છે. એટલે જમીનને લગતી નીતિ ઘડવાના અધિકારો ગ્રામ પંચાયતને અબાધિત રીતે ન આપી શકાય. ગ્રામ પંચાયતના વાંધા વચકાનું જરુર નિરાકરણ લાવી શકાય. પણ હવે ગ્રામસ્વરાજ અને ખેડૂત જગતનો તાત કે જંગલ ની સંપત્તિ ઉપર વનવાસીઓનો અધિકાર તે બાબતો ઉપર પુનર્‌ વિચારણા થવી જોઇએ. હાલના ઈન્ટરનેટ યુગમાં વિશ્વ આખું એક ગામડું થઈ જવાની તૈયારીમાં છે. ત્યારે કમસે કમ આપણે આપણા રાજ્યને એક ગામડું સમજવાના અને બનાવવાના પ્રયત્નો કરીએ. આ ત્યારે જ બને જ્યારે આપણે આપણા રાજ્યમાં એક સૂત્રતા લાવીએ અને રાજ્યના હિતનો વિચાર કરીએ. જુના જમાનામાં એક ગામડું ૫૦ ખોરડાથી ૫૦૦ ખોરડાનું રહેતું. આજે એક સંકુલ એક હજાર કુટુંબોને સમાવતું હોય છે. એટલે ગામડાને આપણે એક સંકુલ સમજવું પડશે અને તેને એક વાસ્તવિક સંકુલ બનાવવું પડશે. જો આમ કરીશું તો જ જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.

જો જમીન બચાવવાનો હેતુ રાજકીય કે સ્વખ્યાતિનો ન હોય અને ફક્ત ખેતીની અને જંગલની જમીન બચાવવાનો હોય તો જ્યાં જ્યાં જમીનનો દુરુપયોગ થાય છે ત્યાં ત્યાં આંદોલનો થવા જોઇએ અને કરવા જોઇએ. જેઓનું ધ્યેય રાજકીય નથી અને સ્વખ્યાતિનું નથી તેવા ગાંધીવાદીઓએ આ વાત સમજવી પડશે. નહીં તો જનતામાં તેમની વિશ્વસનીયતા નહીં રહે.

જ્યારે કેન્દ્રીય સરકારની નીતિઓની બુરાઈની અને ગેર વહીવટની વાત કરવી હોય ત્યારે “નહેરુવીયન કોંગ્રેસનું નામ લઈને કે જે એલ નહેરુ, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી કે મનમોહન સિંઘનું નામ લઈને ટીકા થતી નથી. પણ “સરકાર” અને “રાજકારણીઓ” એવો શબ્દ પ્રયોગ કરાય છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને નહેરુવંશીઓના નામ ન લઈને તેમના દુરાચારોને છૂપાવીને હળવા કરી દેવાય છે. જ્યારે ગુજરાતની બીજેપી સરકારની વાત આવે ત્યારે બીજેપી અને નરેન્દ્ર મોદીનું નામ લઈ નરેન્દ્ર મોદી ઉદ્યોગોને જમીનની લાણી કરે છે, નરેન્દ્ર મોદી ખેડૂતોને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વનવાસીઓને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વિકાસને નામે ગામડાંઓને ઉજાડી રહી છે, નરેન્દ્ર મોદી વિકાસની વાતોના જુઠાણાઓ ફેલાવે છે.  નરેન્દ્ર મોદી સરદાર પટેલનું બાવલું મુકી જનતાના ખર્ચે ખ્યાતિ મેળવવા માગે છે. ગાંધીવાદી નેતાઓએ નરેન્દ્ર મોદીના ગાંધીનગરના મહાત્મા મંદીર સામે પણ વિરોધ નોંધાવેલ. તમે ગાંધીજી ના સ્મારકને મંદીર નામ આપો કે આશ્રમ નામ આપો કે સ્મૃતિ નામ આપો તેથી શો ફેર પડે છે? નરેન્દ્ર મોદી ગાંધીજીના વિચારોના સ્મૃતિ ચિન્હ તરીકે કે સરદાર પટેલની સ્મૃતિ માટે કંઈ પણ કરે તેમાં જો પોતાને ગાંધીવાદી ગણાવતા મહાનુભાવો મોદીની ટીકા કરે તે ગાંધીજીના સિદ્ધાંતોને અનુરુપ તો નથી જ અને નથી જ.

આ પણ જાણે અધુરું હોય તેમ તેઓ નરેન્દ્ર મોદીના સદ્‍ભાવના પ્રસારના કાર્યક્રમોની પણ ટીકા કરે છે, નરેન્દ્ર મોદીની સરકારે કરેલા ઉર્જાના કુદરતી શ્રોતોના વિકાસ અને ખરાબાની જમીનને નવસાધ્ય કરી હોય તેને લક્ષમાં ન લે, પશુમેળા, કૃષિમેળા, સખી મંડળ, પાણી મંડળીઓની રચના જેવા અનેક કામોને લક્ષ્યમાં ન લે તો આ બધું પૂર્વગ્રહ યુક્ત જ ગણાય. જો આ બધું યોગ્ય ન હોય તો તેની મુદ્દા સર ટીકા કરે તો તે પણ આવકાર્ય ગણાય. જો સરકારની ક્ષતિઓ જો સરકારના ધ્યાનમાં લાવવામાં આવે તો સરકારને સુધરવાની તક મળે. નરેન્દ્ર મોદી વિષે જો ગાંધીવાદીઓ પણ ગુજરાતની આજની સરકાર વિષે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ જેવા વિશેષણો વાપરશે તો તેમને ખુદને માટે યોગ્ય નહીં કહેવાય.

કાયદાકીય લડાઈઓ

જમીન સંપાદન ના મુદ્દે ગાંધીવાદીઓ જે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે તે આવકાર્ય છે. કારણ કે કાયદાકીય લડાઈ તો સરકારી નોકરોની ખામી યુક્ત કાર્યવાહીને સુધારવા માટે છે. કેટલાક સરકારી અધિકારીઓમાં પ્રણાલીગત આપખુદી અને અહંકાર હોય છે. તેને ન્યાયાલય દ્વારા સુધારી શકાય છે.

જમીન, જંગલ, પાણી, ઉર્જા, શિક્ષણ, રોજગાર એવા કોઈ પ્રશ્નો હોઈ જ ન શકે. વિજ્ઞાન અને વિદ્યા (ટેક્નોલોજી) ના ક્ષેત્રમાં અસીમ તકો અને રોજગારીઓ પડેલી છે.

જમીન ઉપરની કૃષિ ઉપર કેટલું ભારણ મુકીશું? ઉદ્યોગો દ્વારા વધતી સુખસગવડો ને કેટલી હદ સુધી લઈ જઈશું?

ક્યાં કેટલો રોજગાર ઉભો કરીશું.

જ્ઞાન, શ્રમ અને વહીવટદારોને કેટલું વળતર આપીશું?

દરેક જગ્યાએ શ્રમ પડેલો છે તેને શ્રમને બદલે સેવામાં પરિવર્તિત કરવો પડશે. જો સેવાનું વળતર એવું હશે કે માનવીઓ એકબીજાથી વિમુખ નહીં બને પણ હળી મળીને રહેશે તો સૌને સુખ મળશે.

આ બધું જ થઈ શકે તેમ છે. કાયદાઓ છે. પણ તેનું માનવીય અને સામાજીક હિતને અનુરુપ અર્થઘટન નથી તેનો અમલ નથી. (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીવાદીઓ, નરેન્દ્ર મોદી, વિશેષણ, અફસરો, અધિકારીઓ, આપખુદ, અહંકારી, સત્યાગ્રહ, આત્મપીડન, રજનીશ, દંભ, સ્વખ્યાતિ, કાયદાકીય, લડાઈ, જમીન, હક્ક, માલિકી, ગામડું, શહેર,

Read Full Post »

%d bloggers like this: