Feeds:
Posts
Comments

Posts Tagged ‘અનામત’

પ્રેસ્ટીટ્યુટ અને જ્ઞાતી વાદી રાક્ષસો અભણ સમાજમાં શું શું કરી શકે? ભાગ-૧

પ્રેસ્ટીટ્યુટનો અર્થ તો આપણને ખબર જ છે. આપણા વીકે સીંઘે તેનું અર્થ ઘટન કર્યું છે. અને આપણે તે અર્થ ઘટનને માન્ય રાખીશું. વાચકવર્ગ પ્રેસ્ટીટ્યુટના ગ્રાહકો છે. પણ આ ગ્રાહકો અભણ અને સ્વાર્થી હોય ત્યારે તેમનો રોટલો શેકાય છે અને તેઓ પોતાનો ધંધો ધમધોકાર ચલાવે છે.

ગાંધીજીનું ખૂન

ગાંધીજીનું ખૂન ગોડસેએ કર્યું. પણ આતો શરીરનું ખૂન હતું. ગાંધીજીને ૧૨૦ વર્ષ જીવવું હતું. કદાચ તેઓ તેટલું ન પણ જીવી શકત. કારણકે દરેક વ્યક્તિનું આયુષ્ય નિશ્ચિત હોય છે. દરેક વ્યક્તિ તેના માતા પિતાના સરેરાશ આયુષ્ય થી અથવા તો માતાના અને પિતાના કોઈપણ એકના આયુષ્ય થી ૨૦ટકા ઓછાવત્તા આયુષ્ય જેટલું જીવે છે. અલબત્ત આમાં તેમનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે થયું હોવું જોઇએ. અકસ્માત કે ખૂન થી નહીં. ૨૦ટકા ઓછું એટલા માટે કે વ્યક્તિની ખરાબ આદતો તેના આયુષ્યને ઘટાડે છે. આ વાતની ચર્ચા વધુ નહીં કરીએ. પણ ગાંધીજીના મૃત્યુથી દેશને જેટલું નુકશાન થયું તેથી વધુ તેમના વિચારોના ખૂનથી દેશને ક્યાંય વધુ નુકશાન થયું છે. જોકે વિચારોનું આયુષ્ય ઘણું લાબું હોય છે. પણ વિચારોનું ખૂન થયા પછી પણ તે તો જીવતા રહે છે પણ્સ જ્યારે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ તેનું ખૂન કરે ત્યારે સમાજને ઘણું નુકશાન થાય છે.

હાલ આપણે ગુજરાત પૂરતી જ વાત કરીશું. અને તે પણ આંદોલનકારીઓ પૂરતી અને સ્થાનિક સમાચાર માધ્યમો સુધી મર્યાદિત રાખીશું.

આમાં કશું નવું નથી. સૌ કોઈ જાણે છે. છતાં પણ તેની વાત કરવી જરુરી બને છે. કોઈ પણ વાત ક્યારે જરુરી બને છે તે આમ તો વ્યક્તિગત અભિપ્રાયનો સવાલ છે. પણ જો નીતિ મત્તા સંકળાયેલી હોય તો અને વિરોધાભાસવાદી વર્તન હોય તો આવું વર્તન સમાજને નુકશાન કરે છે.

અનામતની ગાજરની પિપૂડી

અનામત એ એક સમાજિક સમસ્યા છે અથવા હતી. અને આ સમસ્યાને નહેરુવંશી કોંગ્રેસે રાજકીય મુદ્દો બનાવી દીધો છે. અનામતની જોગવાઈના પુરસ્કર્તા આંબેડકર હતા. સામાજિક રીતે પછત જાતિસમૂહ અને સાથે સાથે અછૂત પણ હોય તેઓ માટે આંબેડકરે અનામતને પુરસ્કૃત કરેલી. જો સરકાર ગરીબોને લક્ષ્યમાં રાખીને પોતાની વિકાસ યોજનાઓ બનાવે તો ગરીબોને તો વાંધો ન આવે. પણ અછૂતોને તો વાંધો આવે જ. કારણકે સામાજિક માનસિકતા એટલી વિકસી ન હતી. જો કે ગાંધીજીએ વિરોધ કરેલ. કારણ કે તેમની માન્યતા હતી કે સમાજની માનસિકતાને સુધાર્યા વગર જે કંઈ કરીશું  હિંસા ગણાશે. માટે સઘળી શક્તિઓ સમાજની માનસિકતાને સુધારવા તરફ કેન્દ્રિત કરો. નેતાઓ જો આવી આચાર સંહિતા અપનાવશે તો તેના તાત્કાલિક પરિણામો મળશે જ. તમે જુઓ છો કે તે વખતની કોંગ્રેસમાં વગર અનામતે ઘણા હરિજન નેતાઓ હતા. આંબેડકરને આ રસ્તો લાંબો લાગ્યો. પણ પચાસના દાયકાના મધ્યમાં નહેરુને આમાં રાજકીય લાભ જણાયો. શરુઆતમાં હરિજનો સુધી જ અનામત સીમિત હતી. આંબેડકરના મરીગયા પછી આ અનામત નું ક્ષેત્ર વિસ્તારવામાં આ અનામતનું ક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું. આ ક્ષેત્ર નહેરુની સુપુત્રીના સમયમાં એટલી હદે વિસ્તારવામાં આવ્યું કે એક મંડળ રચવામાં આવ્યું કે જે ફાવે તે કોમ પોતાનો પક્ષ રજુ કરે અને અનામતમાં પોતાની કોમને આવરી લે.

પણ આ કોમ એટલે શું?

આમ તો કોમ, જન્મથી જ મળે છે. ધર્મ પણ જન્મ થી જ મળે છે. પણ તમે ધર્મ બદલી શકો છો. તમે તમારી જન્મથી મળેલ કોમને બદલી શકતા નથી. આ ભારતીય બંધારણની પ્રચ્છન્ન કે અપ્રચ્છન્ન વક્રતા છે. ભારતીય બંધારણ જ્ઞાતિપ્રથામાં માનતું નથી. પણ કોઈ કોમ પોતાને અમુક તમુક કોમમાં માને તો રોકતું પણ નથી. પણ જો તમે બીજાને નુકશાન કરીને પોતાની કોમનું હિત સાધો તો ભારતીય બંધારણ નડે ખરું. પણ આ નડતરને નિરસ્ત્ર કરવા માટે એક મંડળ રચવામાં આવ્યું. બંધારણ આમ તો સૌને સમાન હક્ક આપે છે. પણ જેમ સામ્યવાદમાં સૌ સમાન છે. પણ અમુક વર્ગ ખાસ સમાન છે. એવું જ નહેરુવંશની કોંગ્રેસે મંડળની સ્થાપના કરીને કર્યું.

વીપી સિંઘને થયું કે આ મંડળનો લાભ નહેરુવંશીય કોંગ્રેસ જ લઈ જાય તેતો બરાબર ન કહેવાય.

નેતાનો ધર્મ સમાજને દોરવણી આપવાનો હોય છે. સમાજને દોરવણી આપવી હોય તો અમુક અધિકારો જોઇએ.

સમાજસુધારક નેતાઓ અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના મળતીયાઓને સમાજની માનસિકતા સુધારવાને બદલે તેમને મળતી સત્તા સાચવવામાં જ રસ રાખ્યો છે. અને તેથી તેઓએ અનામતનો ઉપયોગ ગરીબ લોકોને કહેવાતા સવર્ણોથી અલગ કરી દેવાનું કામ કરવા માટે મત બેંકો ઉભી કરવાના ભરપુર પ્રયાસો કર્યા અને તેમાં મહદ અંશે સફળ પણ થયા. બિહારની ચૂંટણીના પરિણામો તાજેતરનો તેનો ઉત્તમ દાખલો છે. સમાજને વિભાજિત કરવાના કામના શ્રીગણેશ સૌ પ્રથમ નહેરુએ કર્યા. તેમણે ભાષાના આધારે લોકોને વિભાજિત કર્યા. જે ગુજરાતી લોકો શિવાજીને “ધણણ ડૂંગરા બોલે શિવાજીને નિદરું નાવે …” એમ કહી શિવાજીની પ્રસંશા કરતા હતા, જે સૂરતના વેપારીઓના મહાજને શિવાજીને બોલાવીને સ્વેચ્છાએ પોતે કરેલા દાનને લૂંટમાં ખપાવવા કહ્યું હતું, જે ગુજરાતીઓ મરાઠી લોકો સાથે હળી મળીને સેંકડો વર્ષોથી રહેતા હતા, નહેરુએ તે ગુજરાતીઓની વિરુદ્ધ મરાઠી લોકોને ભડકાવ્યા અને કહ્યું કે “જો મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો મને ખુશી થશે.” આવું કહીને નહેરુએ મરાઠી લોકોને એવો સંદેશો આપ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને મળે તે વાતમાં ગુજરાતીઓ આડા આવે છે. (વાસ્તવમાં તો કોંગી મોવડી મંડળનો નિર્ણય હતો કે મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યો બને). આમ કહી નહેરુએ મુંબઈમાં મરાઠી અને ગુજરાતીઓ વચ્ચે દંગા કરાવ્યા હતા અને ગુજરાતીઓએ મહારાષ્ટ્રમાંથી હિજરત કરવી પડેલી. ઇન્દિરા ગાંધીએ સવર્ણ અને અસવર્ણ વચ્ચે વિગ્રહ ફેલાવ્યો અને ખાલિસ્તાની આતંકવાદને પરોક્ષ-પ્રત્યક્ષ રીતે પોષી મુસ્લિમ આતંકવાદનો છોડ રોપ્યો. આમ નહેરુવંશી કોંગ્રેસના આચારો દ્વારા દેશના માનવ સમાજને પારવિનાનું નુકશાન કર્યું છે, એટલે નહેરુવંશની કોંગ્રેસના સુધરવાની અપેક્ષા, સુજ્ઞજનો ન રાખી શકે તે સ્વાભાવિક છે.

પણ આખા દેશની જનતા સુજ્ઞ ન હોઈ શકે. તો પછી દેશની જનતાને સમજાવશે કોણ?

આ કામ સમાચાર માધ્યમોનું છે. આ સમાચાર માધ્યમો કોણ છે અને કોણ ચલાવે છે?

આ સમાચાર માધ્યમો ટીવી ચેનલો છે અને  સમાચાર પત્રો છે.

ટીવી ચેનલોમાં આપણે સમાચારો ઉપરાંત મહાનુભાવોની ચર્ચાઓ અને મહાનુભાવોના સાક્ષાત્કાર (ઈન્ટર્વ્યુઓમાં) હોય છે.

સમાચારોને કેમ કરી સંવેદનશીલ બનાવવા તેની મોટાભાગની ચેનલો સ્પર્ધા કરતી હોય છે. ફક્ત દૂરદર્શન તેમાં બકાત હોય તેમ લાગે છે. મહાનુભાવોની ચર્ચાઓમાં યુ.પી.એ. સંગઠિત પક્ષોના, મહાનુભાવો અને તેમાં પણ ખાસ કરીને નહેરુવંશી પક્ષના મહાનુભાવો બીજા કોઈને બોલવા દેતા નથી અને અસંબદ્ધ રસ્તે ચર્ચાને લઈ જાય છે. આમાં ચેનલના ચાલકનો સહકાર હોય છે. મહાનુભાવો સાથેના સાક્ષાત્કારમાં ચાલતા વાર્તાલાપમાં જો બીજેપીના મહાનુભાવ હોય તો તેમને એવા પ્રશ્નો પૂછવામા આવે છે કે જે પ્રશ્નોમાં ચેનલ ચાલકના પ્રશ્નોનો ઇચ્છિત ઉત્તર પણ સામેલ હોય. દા.ત. “તમને રામ મંદિર, ચૂંટણીના સમયે જ કેમ યાદ આવે છે? તમે મુસ્લિમોની ભાવનાનો ખ્યાલ રાખ્યા વગર કેમ નિર્ણયો લો છો? રામ મંદિર શીલાન્યાસ કરીને તમે શું સિદ્ધ કરવા માગો છો? …”

બાકી રહ્યા સમાચાર પત્રો.

“નો નેગેટીવ” ન્યુઝ

આમાં સમાચારોની હેડ લાઈનો, તેના અક્ષરોની સાઈઝો અને તેની શબ્દ ગોઠવણ એ રીતે રાખવામાં આવે છે કે બીજેપી વિષે નેગેટીવ વાતાવરણ તૈયાર થાય.

એક ગણમાન્ય ગુજરાતી અખબાર કેટલાક વખત થી એવો દાવો કરે છે કે તે અઠવાડિયામાં એક દિવસ (સોમવાર), “નો નેગેટીવ” ન્યુઝ આપશે. એનો અર્થ શું થાય છે તે આપણે જોઇએ.

(૧) અઠવાડીયાના સાત દિવસોમાંથી છ દિવસો, આ સમાચાર પત્ર, નેગેટીવ ન્યુઝ આપવાનો પોતાનો હક્ક અબાધિત રાખશે. એટલે કે આ સમાચર પત્ર છ દિવસ, નેગેટીવ ન્યુઝ આપશે.

(૨) હમેશા “નો નેગેટીવ” ન્યુઝ આપવા શક્ય નથી.

(૩) અરે તમે ભૂલો છો. અમે અઠવાડીના એક દિવસ એવા ન્યુઝ આપીશું જે વાચકોને પ્રેરણા આપે. એટલે કે ફલાણા ભાઈએ કેવું રીસ્ક લીધું અને કેવા આગળ આવી ગયા. માટે હે વાચકો તમે પણ રિસ્ક લો અને તમે આગળ આવી શકશો.

“અરે દિવ્યભાસ્કર ભાઈ, અસાધારણ સફળતા, સંજોગો અને શક્યતાના સિદ્ધાંતો ઉપર આધારિત છે.”

હા એ ખરું. પણ હે વાચકો તમે રિસ્કની જીદ લેશો તો સફળ તો થશો જ. મોટી નહીં તો નાની સફળતા પણ મળશે જ. માટે મચી પડો.

(૪) અરે હે વાચકો, વળી પાછી તમે ભૂલ કરી. અમે “નો નેગેટીવ” ન્યુઝ આપીશું તે તો ફક્ત એવા સમાચારોને લાગુ પડે છે કે જે રાજકારણ સાથે સંબંધિત ન હોય. રાજકારણ સાથે સંબંધિત સમાચારો તો “નો નેગેટીવ” ની શ્રેણીમાં ન જ આવી શકે. ખાસ કરીને બીજેપી ને લગતા સમાચારોને અમારે વક્ર દૃષિથી જ ઘડવા પડે. અને જનતાને બીજેપી વિષે નેગેટીવ સંદેશો મળે એ તો અમારે જોવું જ રહ્યું. હા વંશવાદી પક્ષોની અમે નેગેટીવ ટીકા ન થાય તેનો ખ્યાલ રાખીશું. (કારણ કે વંશવાદી પક્ષો અને ખાસ કરીને નહેરુવંશી પક્ષ અમને સતત સમજાવે છે કે ઇનામ દૂંટી ઉપર મુકાય છે અને દૂંટી તો પેટ સાથે જોડાયેલી હોય છે. સર્વ જનોને પેટ હોય છે. બે વાંસા કોઈને હોતા નથી).

હવે તમે કહેશો કે દાખલો તો આપો…

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

પ્રેસ્ટીટ્યુટ, વાચકવર્ગ, ગાંધીજીનું ખૂન, શરીરનું ખૂન, ગાંધી વિચારનું ખૂન, દેશને નુકશાન, આંદોલન પ્રિય, ગાજરની પિપૂડી, નહેરુવંશી કોંગ્રેસ, આંબેડકર, અનામત, મંડળ, જન્મ, ધર્મ, કોમ, જ્ઞાતિપ્રથા, ભારતીય બંધારણ, નિરસ્ત્ર, નેતાઓનો ધર્મ, દોરવણી, અધિકારો, સમાજસુધારક, આતંકવાદ, યુ.પી.એ., પેટ, દૂંટી, પૈસા,

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨

આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.

પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?

૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.

સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.

પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.

લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.

જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.

જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.

મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.

સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.

મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે.  એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.

મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે.  સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.

એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.

સત્યનો આદર ક્યારે થાય?

જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.

પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?

જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.

આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.

શાસક ઉપર નજર કોણ રાખી શકે?

શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.

આ સમય દરમ્યાન શું થઈ શકે?

આ જવાબદારી  નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.

ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”

નોકરે કહ્યું “શું લાવું?”

શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”

નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”

શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”

નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”

શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”

લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).

શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા.  એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.

લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.

હવે તમે જુઓ કે શું થાય છે !!

ન્યાયાલયમાં એક કેસ આવ્યો.

હજી દાખલ થયો નથી.

વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.

ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.

ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.

ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”

ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.

ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”

ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?

નાજી ન્યાયધીશ એવું નહીં કહે.

પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.

તેમણે કહ્યું

“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,

પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.

પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).

સંસદ શા માટે છે?

સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?

આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.

તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?

વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.

એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ  નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.

લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.

નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે

ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.

જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.

જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.

આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.

આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.

બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ

નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.

આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.

પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે

સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.

સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ

રીતઃ

આટલું નકારાત્મક કરોઃ

કદી મટીરીયલ ન આપો.

કદી ચર્ચા ન કરો,

કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,

જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.

સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.

જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!

કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.

થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!!  તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.

આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો,  પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.

થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.

૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,

અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા  મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.

આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.

જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને,  અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?

(ક્રમશઃ)

શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)

Date 2015 11 07

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત

Read Full Post »

ફુગ્ગાઓ કોના સંતાન છે અને તેમને કોણ કેમ ઉડાડે છે?

ફુગ્ગાઓ એટલે ફુક્કાઓ (કાઠીયાવાડીમાં). તે ફેક્ટરીઓમાં બને. મોટા લોકો તેમાં હવા ભરે અને બાબલાઓ તેને આકાશમાં ઉડાડે.

KITES  &  BALOONS

ફુક્કા અને પતંગ

આમ તો પતંગ પણ આકાશમાં ઉડે.

પણ પતંગ તો ગૃહ ઉદ્યોગમાં આવે. પતંગ બનાવવામાં શ્રમ કરવો પડે. પતંગ ઉડાડવાનું અનુભવે આવડે. બધાને પતંગ ઉડાડતા આવડે. પતંગ આકારના ફુક્કા બનાવી શકાય. અને ફુક્કા આકારના પતંગ બનાવી શકાય. પણ ફુક્કાને કોઈ પતંગ કહે અને પતંગને કોઈ ફુક્કો કહે.

પતંગ અને ફુક્કા બંનેને દોરી બાંધી ઉડાડી શકાય, પતંગને હવાથી વધુમાં વધુ ૮૯. અંશ આઘોપાછો કરી શકાય. પણ ફુક્કો તો હવાની દીશામાં ઉડે. કારણ કે પતંગ પતંગ છે અને ફુક્કો ફુક્કો છે.

પતંગ ક્યાં સુધી ઉડ્યા કરે?

પતંગનું ડ્ડાયન, પતંગની ઉડાણની સમ સીમા, તેની પોતાની મજબુતાઈ અને દોરીની મજબુતાઈ અને કન્ના બાંધવાની તેમજ ઉડાડનારાની કુશળતા ઉપર આધાર રાખે છે. જો કાપનારો હોય તો તે જ્યાં સુધી તેનું કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધી ઉડ્યા કરશે. દોરી પકડનારા બદલાશે પણ પતંગ ઉડશે.

પણ ફુક્કાનું તેમ નથી. તેતો  પવન ને સમર્પિત છે અને જ્યાં સુધી તેની અંદરની હવા ઉડાડવાને સક્ષમ પ્રમાણમાં હોય, હવાનું લીકેજ હોય ત્યાં સુધી ઉડશે. પણ હજુ સુધી હવા લીક થાય તેવા ફુક્કા શોધાયા નથી.

આમ તો વિમાન પણ આકાશમાં ઉડાડવામાં આવતા હોય છે. પણ તે બનાવવા માટે સમુહગત નિષ્ણાતો અને સમુહગત વ્યવસ્થા જોઇએ. પણ આપણે તેની વાત નહીં કરીએ. આપણે ફક્ત ફુક્કાઓની વાત કરીશું.

ફુક્કાઓની કોઈ સમસ્યા નથી. તેના આકારો બદલી શકાય છે. પણ સમાચાર માધ્યમો દરેક સમસ્યાને ફુક્કો માને છે અને જ્યાં સુધી ફુક્કામાં હવા હોય અને પવન પણ હોય ત્યાં સુધી તેને ઉડાડ્યા કરે છે. ફુકામાંથી હવા નિકળી જાય એટલે તેને ઉડાડવો બંધ કરી બીજો ફુક્કો ઉડાડે. તમે જો તેમને પૂછો તો કે પેલો ફુક્કો કેમ મુકી દીધો. તો તેઓ કહેશે કે હવે તેમાં હવા નથી. સમાચાર માધ્યમો હમેશા ફુક્કાઓની શોધમાં હોય છે. સમાચાર માધ્યમો કોઈપણ બનાવને મનગમતા આકારનો ફુક્કો બનાવી શકે છે. પોતાના ફુક્કાનેઅમારો તો પતંગ છે”  એમ પણ એમના ફુક્કા ઉપર પ્રદર્શિત કરી શકે છે. આટલું નહીં તેઓ તેમણે માનેલા દુશ્મનના ઉડતા પતંગને પણ તો ફુક્કો છેએવા લખાણ વાળો ફુક્કો ઉડાડી શકે છે. પતંગની ક્યાં વાત કરો છો, તેઓ તો ઉડતા વિમાનને પણ ફુક્કો કહી શકે છે અથવા તો એમ પણ કહી શકે છે કેક્યાં છે વિમાન? ક્યાં છે વિમાન? વિમાન બિમાન જેવું કશું નથી

પણ બધું શું છે? તો બધા ફુક્કા છે.

ફુક્કાને અંગ્રેજીમાં બલુન કહે છે. શિખ લોકોને ભારતીયો સરદારજી કહે છે તેમ કોલેજમાં અમે પટેલો, પટેલોને બલૂન કહેતા. શિખ લોકોએસરદારજીશબ્દ સંપૂર્ણ પણે સ્વિકારી લીધો છે. એટલું નહીંબાર વાગ્યાનીરમૂજોને પણ હાસ્યવૃત્તિના કારણે સ્વિકારી લીધી છે અને તેઓ પોતે પણ પોતાની રમૂજો કરે છે.

અમારા પટેલ બલૂનોએ પોતે બલૂન છે એટલું તો સ્વિકારેલ પણ તેમને બહુ પસંદ પડતું નહીં. હૉવઅ.

અમારે ડેરોલ(પંચમહાલ)ની પ્રાથમિક શાળામાં અને અમારે અમદાવાદની એમ.જી.ની કોલેજમાં અને હોસ્ટેલમાં બધે બલૂન બલૂન હતા. એટલે બલૂન અને બલૂન વચ્ચે વિખવાદ હતો.

પણ એમ જી ની હૉસ્ટેલમાં ઉત્તર ગુજરાતના બલૂન અને ખેડા જીલ્લાના બલૂન એમ બે પ્રકારના બલૂન હતા. અમને કાઠીયાવાડીઓનેબાપુકહેવાય. બલૂન ઉડે એમ કહેવાય. પતંગ ચગે એમ કહેવાય છે. બાપુને ચગાવી શકાય ખરા. બાપુ ખુશ થાય.

બલૂનોમાં જુથ હતા. અમે કાઠીયાવાડીઓ જે દિશામાં જઈએ તેનું પલ્લું ભારે થતું. વાતની મારા જેવાને ખબર નહીં. પણ હોસ્ટેલમાં ચૂંટણી થઈ તેમાં ખેડા જીલ્લાના બલૂનની હાર થઈ. અને ઉત્તર ગુજરાતના બલૂનની જીત થઈ. કદાચ મારા મતને કારણે . મારે તો બંને જુથોના બલૂનો સાથે મૈત્રી હતી. મારા પડોશી બાપુ (કાઠીયાવાડી છોકરો) હતો. ખેડા જિલ્લાના ઉમેદવારનો ખાસ મિત્ર હતો. એટલે ખેડા જીલ્લાના બલુનને એમ કે મારો મત તો તેને પડશે. પણ મેં તો જે યોગ્ય લાગ્યો તેને મત આપ્યો. જો કે કોઈ મારામારી થઈ. જોકે મારો એવો કોઈ પ્રભાવ હતો કે મારાથી કોઈ ડરે.  “બાપુને વતાવવા નહીંએવું કદાચ ખેડા જીલ્લાના બલૂન ઉમેદવારે માન્યું હોય. અમારે અમદાવાદ ટેલીફોન્સમાં પણ ઘણા બલૂન. અને રાણીપમાં એકબલોલનગર નામની સોસાઈટી પણ છે. એને અમે બલૂનનગર કહીએ છીએ. આમ તો અમદાવાદ આખું બલૂનોથી ખદબદે છે.

પણ હે બલૂનભાઈઓ તમે બલૂન છો તે સિદ્ધ કરવાનો પ્રયત્ન તમે કેમ ચાલુ કર્યો છે?

કૃષ્ણ ભગવાને કહેલ કે ચાર વર્ણોની રચના, (પ્રકૃતિરુપી મેં) શ્રમવિભાજન અને તેને કારણે થતી વૃત્તિઓના આધારે કરી છે. વૃત્તિઓ આનુવંશિક હોય શકે છે. પણ બાહ્યપરિબળો અને કર્મ મુખ્ય ભાગ ભજવે છે એટલે કૃષ્ણભગવાનેઅનુવંશને અવગણ્યો. જો કૃષ્ણભગવાન વંશવાદમાં માનતા હોત તો તેઓ જરુર વંશવાદને અનુરુપ કહેત. જેઓ પોતાને હિન્દુ (સનાતન ધર્મી) માને છે તેઓએ આ બાબતમાં શંકા ન કરવી.

અનામતની વાત

અનામતની આ કે તે સ્વરુપની વાત, સ્વાતંત્ર્યની ચળવળ જેટલી જુની છે. ડૉ. આંબેડકરે અનામતની વાત કરેલી. અનામતનો તેમણે આગ્રહ પણ રાખેલો. તેમની વાતમાં થોડો તો થોડો, પણ દમ હતો. પણ ગાંધીજી કોઈપણ જાતની કે પ્રકારની અનામતના સજ્જડ વિરોધી હતા. એટલે ગાંધીજી તેના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા. અંતે આંબેડકરે “એક મહાન નેતાના જીવને બચાવવા હું મારી પછાત જાતિના હિતનું બલિદાન આપું છું”. પણ આંબેડકરે કબુલ રાખેલ કે પછાત લોકોની પ્રત્યે ગાંધીજીને અપાર સહાનુભૂતિ છે. આંબેડકરને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ ન હતો.

અનામત એટલે ફક્ત વરવું રાજકારણ

ગાંધીજી અને સરદાર પટેલ ગયા પછી નહેરુએ અનામતની પ્રથા બીજે સ્વરુપે દાખલ કરી. તે ક્ષમ્ય પણ હતી. પણ નહેરુએ અને ખાસ કરીને તેના ઔરસ સંતાન ઇન્દિરાએ તેને “મતબેંક”ના સ્વરુપમાં ફેરવી નાખી તેથી આખા રાજકારણની દિશા અને સંસ્કાર બદલાઈ ગયા.

નહેરુએ પરોક્ષ રીતે ધર્મ અને ભાષાવાદને પુરસ્કૃત કરતી રાજનીતિ અપનાવી.  ચૂંટણી પ્રચારમાં “જનસંઘને ભાંડવો” અને બીજી તરફ “મરાઠી લોકોને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ” એમ કહેવું એ નહેરુની રાજનીતિની દિશા અને નહેરુના સંસ્કાર બતાવે છે. નહેરુએ કદાચ વાણી ઉપર કાબુ રાખ્યો હશે કારણકે સ્વાતંત્ર્યની લડતમાં તેમણે કરેલું યોગદાન તેમની આ પાર્શ્વભૂમિકાને “લુલીને છૂટી મુકી દેવામાંથી” રોકતું હશે.

તેમની પુત્રીને એવી  કશી પાર્શ્વભૂમિકા ન હોવાને કારણે, તે બેફામ બોલી શકતી હતી. ૧૯૬૯માં મોરારજી દેસાઈના હિતેન્દ્ર દેસાઈના રાજ્યમાં કોમી હુલ્લડ થયું. અને તેમનો પક્ષ નબળો કર્યો. તે પછી ગરીબી હટાવોના નારા આપ્યા પછી સવર્ણ-અસવર્ણ વચ્ચે ભેદ કર્યા. આ વાતાવરણ તેણે નવનિર્માણના આંદોલન ના અંતિમ તબક્કામાં કર્યું. નવનિર્માણનું આંદોલન તો ખાધે પીધે સુખી લોકોનું આંદોલન છે અને આમાં શ્રમજીવીઓનો કોઈ હિસ્સો નથી. કંઈક અંશે આ વાત સાચી હતી. પણ આંદોલન કર્તાઓનો હેતુ કદીય શ્રમજીવીઓને અવગણવાનો ન હતો. નવનિર્માણનું આંદોલન વાસ્તવિક રીતે વિશાળ હિત માટે ભ્રષ્ટાચાર હટાવવા માટે હતું. જોકે ભ્રષ્ટાચાર હટાવવા માટેની સર્વમાન્ય બ્લ્યુપ્રીંટ ન હતી. તેમજ આ આંદોલન કોઈ એક જુથના જાતિના લાભ માટે પણ ન હતું. તેમાં પણ બલુનો હતા. પણ બલુનો કોઈ જાતિના લાભ માટે આંદોલનમાં ભાગ લેતા ન હતા.

કોઈ પણ આંદોલનમાં હેતુ મુખ્ય હોય છે. સ્વતંત્રતા માટેનું આંદોલન સર્વજન હિતાય હતું. નવનિર્માણનું આંદોલન પણ સર્વજન હિતાય હતું. તેમાં કોઈ સ્વજાતિવાદ કે સ્વધર્મવાદની દુર્ગંધ ન હતી.

કેવળ અને કેવળ વિભાજનવાદી આંદોલન

હાલમાં બલૂનો દ્વારા (પાટીદારો દ્વારા) ચાલતું આંદોલન પાટીદારોના લાભના ધ્યેય માટે ચાલી રહ્યું છે.  આ વાતને કોઈએ નકારી નથી અને કોઈ નકારી શકે તેમ નથી.

સરદાર વલ્લભભાઈ પટેલ આર્ષદૃષ્ટા હતા. આ બાબતમાં બલુનભાઈઓને કે કોઈને પણ શક હોવો જોઇએ. લ્લભભાઈ પટેલે તીબેટ પ્રત્યેની અને ચીન પ્રત્યેની નહેરુની વિદેશ નીતિ વિષે નહેરુને ચેતવણી આપેલ. નહેરુએ તે ચેતવણીને પોતાની સંકુચિત વૃત્તિને કારણે અવગણી. તેવું કશ્મિર વિષે થયું. આજે આપણી ૯૦ ટકા સમસ્યાનું મૂળ નહેરુઈન્દિરાના કુત્સિત કર્મો છે. પણ જેઓને બલૂનોને ઉડાડવા છે અને પોતાને પણ ઉડવું  છે તેમને વાતનો સાક્ષાતકાર નહીં થાય.

સરદાર પટેલને જોડાનો હાર

બલૂનવાદને ચલાવનારાઓએ સૌપ્રથમતો સરદાર વલ્લભભાઈ પટેલને જોડાનો હાર પહેરાવવો જોઇએ. કારણ કે આ વલ્લભભાઈ પટેલ પાટીદાર હોવા છતાં અને આર્ષદૃષ્ટા હોવા છતાં તેમના જાતભાઈઓ માટે અનામતની વાત કરી ન હતી. જેમ નહેરુવીયન કોંગ્રેસીઓએ મહાત્માગાંધીનું ખૂન કર્યું છે તેમ બલૂનવાદીઓએ પણ સરદાર પટેલનું ખૂન કર્યું છે. ગાંધીજીનું ધ્યેય હતું, અંતિમછેડાના આદમી થી (ઓન ટુ ધ લાસ્ટ થી) શરુઆત કરવી. જો આમ કરીએ તો અનામતનો પ્રશ્ન જ ન રહે.

પણ આવું તો કેમ થાય!! ખાદી અને ગૃહ ઉદ્યોગતો અપનાવાય જ કેમ !! દારુ તો છોડાય જ કેમ!! સાદગી તો અપનાવાય જ કેમ !! ગરીબોની ગરીબાઈ દૂર કરવા માટે આપણાથી આવા ભોગ, કામચાલાઉ પણ અપાય જ કેમ!! નહેરુવીયન કોંગ્રેસનું ધ્યેય રહ્યું છે “સ્વ”ના હિતથી થી શરુઆત કરવી. પ્રધાનોને મોટા પગારો આપો, સગવડો આપો … ૨૦ લાખ રુપીયા ખર્ચીને ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓને પણ પગારો, ભત્થાઓ, સગવડો આપો અને નિવૃત્તિવેતન પણ આપો.

યોગ્યતા ઉપલબ્ધ કર્યા વગરના, શ્રમહીનતા થી મળતા કે અપાતા લાભો અને નિરર્થક લાભો આવા સૌ લાભો “અનામત –આરક્ષણ”ના લાભને સમકક્ષ જ છે. આ સ્વને મળતા લાભો મેળવનારાઓમાં રાષ્ટ્રપતિથી શરુ કરી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધીનો સમાવેશ થાય છે. આમાંના કોઈપણ પોતાને મળતા વિશેષ અધિકારો છોડવા તૈયાર નથી.

૧૯૭૩-૭૪ના અરસામાં ઇન્દિરા ગાંધીએ સવર્ણ-સવર્ણના ભેદ ઉભા કરેલ. પણ ૧૯૮૦ પછી ફરીથી સત્તા ઉપર આવતાંની સાથે વર્ગવિગ્રહ ચાલુ કરાવેલ.

તે વખતે આ જ પટેલ ભાઈઓનો “અનામતનો મૃત્યુ ઘંટ વગાડવામાં” હિસ્સો હતો. અનામતના લાભ નિરર્થક છે. તે વાત સાચી છે. પણ અછૂતોએ પોતે કદી તે માટે આંદોલનલો ચલાવ્યા હોય તે જાણમાં નથી. તેમના નેતાઓએ બંધારણીય માર્ગે તેમને અપાવ્યા છે. આ નિર્ણયો અયોગ્ય હોઈ શકે. તેનો વિરોધ થઈ શકે પણ તે માટે પછાતવર્ગોને એમ ન કહી શકાય કે તમે આ લાભ છોડી દો નહીં તો અમે તમારા ઉપર હુમલો કરીશું. હોદ્દેદારોને અપાતી વિશેષ સગવડ પણ અનામતને સમકક્ષ જ છે. એટલે જો આંદોલન કરવું જ હોય તો તેની પ્રાથમિકતાનું લક્ષ્ય રાષ્ટ્રપતિથી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓથી શરુ થવું જોઇએ.

૮૦ના દશકામાં અનામતનો ભરપુર વિરોધકરનારા આ પટેલભાઈઓ આજે પોતાની જાતિમાટે અનામત માગે છે. આ લોકોને બલૂન નહીં તો શું કહેવું?

હે પટેલ ભાઈઓ જો તમને તમારી માગણી સિદ્ધાંતયુક્ત લાગતી હોય તો તમે તમારા અદાઓને, ભાભાઓને, બાપાઓને કે જેમણે તમારાથી ઉંધું આંદોલન કરેલ તેમને જોડાના હાર પહેરાવો અને તેનું સરઘસ કાઢો. જો તમે આવું કરો તો તમે ખરા ભડના દિકરા, બાકી મોરીદાર (મોળીદાળ) નહીં કે પાટીદાર. “સર્વપ્રથમ ભારત” (ઈન્ડીયા ફર્ષ્ટ)વાળા તો તમે નહીં જ નહીં.      

 આ “સ્વ”ને ( આ “સ્વ” પોતે ખુદ હોય કે પોતાની જાતિ હોઈ શકે છે) કેન્દ્રમાં રાખી કરતા  આંદોલનોને આવકાર્ય પણ ન ગણાય અને ક્ષમ્ય પણ ન ગણાય.

પીળાપત્રકારત્વવાળા સમાચાર માધ્યમો

પીળાપત્રકારત્વવાળા સમાચાર માધ્યમોને, આંદોલનને તેના ધ્યેયના વ્યાજબીપણાને આધારે મુલવવાને બદલે આંદોલન વકરે એમાં જ રસ છે.

પટેલ ભાઈઓ કોણ છે? પટેલભાઈઓ ક્યાં ક્યાં છે? પટેલભાઈઓ કઈ કઈ જગ્યાએ કેટલી સંખ્યામાં છે? પટેલભાઈઓનું જોર ક્યાં ક્યાં કેટલું છે? પટેલભાઈઓ કેવા છે? પટેલભાઈઓમાં કેટલી જાતિઓ છે? પટેલભાઈઓના સ્વભાવ કેવા છે? પટેલભાઈઓનો ઈતિહાસ શો છે? પટેલભાઈઓના પૂર્વજો કોણ હતા? પટેલભાઈઓના પૂર્વજોએ શું શું કરેલ? પટેલ ભાઈઓ શું શું કરી શકે છે? પટેલભાઈઓ સંપી જશે તો શું શું થશે?

ઘોડો જો … ઘોડો જો … ઘોડાની ડોક જો … ઘોડાની કેશવાળી જો … ઘોડે કેવો ચાલે છે … ઘોડો કેવો દોડે છે … ઘોડો કેવો  હણહણે છે …  ઘોડો જો … ઘોડો જો..

હવે પટેલભાઈઓ શું કરશે? શું તે અન્યાય સહન કરી લેશે.. ? પટેલભાઈઓના નેતા કોણ કોણ છે…. આ નેતાઓ કેવા છે …. આંદોલન કેવું વ્યાપક હતું …. આંદોલન કેવું સ્વયંભૂ હતું … સ્વયંભૂ આંદોલનો કેવા હોય છે … આવા આંદોલનો શું શું કરી શકે છે … આવા આંદોલનો સામે જેઓ પડ્યા અને જે સરકારો પડી તેના કેવા હાલ થયા …. આનંદીબેનનું શું થશે … શું આનંદીબેનને જવું પડશે … આર એસ એસ માં તડાં પડશે … શું બીજેપી આ આંદોલનના જુવાળમાં ડૂબી જશે… શું બીજેપીનું કાઉન્ટ ડાઉન ચાલું થઈ ગયું છે … નરેન્દ્ર મોદીનું નાક કપાયું … બીજેપી હતઃપ્રભઃ છે … બીજેપીના નેતાઓને મોઢે તાળાં છે… હવે પટેલભાઈઓ આગળ તેમની ખેર નથી. હવે પટેલભાઈઓ બીજેપીના નેતાઓને ઉઘાડા કરશે…. બીજેપીની પોલો ખૂલ્લી પડશે … વિકાસના ફુગ્ગાની વાત કેવી પોલંપોલ છે તેની જનતાને ખબર પડશે. 

ફુગ્ગાઓ ઉડાડવાની ફાવટ

સમાચાર માધ્યમોને આવા ફુગ્ગાઓ ઉડાડવામાં ફાવટ છે. આ બધું તેઓ નહેરુવીયન ફરજંદ ઇન્દિરા ગાંધી (કે જેના સલાહકાર સીમાપારના કેજીબી સામ્યવાદીઓ હતા) પાસેથી શિખેલા કે અફવાઓ, વિસંવાદો અને અસત્યોને કેવી રીતે ફેલાવી શકાય. વિરોધીઓને મુક્કાઓ કેવી રીતે મારી શકાય છે.

અમરીતભાઈ પાસે કામ લઈને આવેલા મુલાકાતીને અમરીતભાઈએ કહ્યું “મેં તમને પૈસા આપ્યા. તમે મને મત આપ્યો. હું ચૂંટાયો. વાત પુરી. હિસાબ પુરો. મારી પાસે કામ માટે આવવું નહીં.” આજની ઘડી ને કાલનો દિ….

“અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જ્યાં સુધી ચીને કબજે કરેલા ભારતીય ભૂખંડો અમે પાછા મેળવીશું નહીં ત્યાં સુધી જંપીને બેસીશું નહીં.” સંસદમધ્યે નહેરુ ઉવાચ.

આજની ઘડીને કાલનો દિ…

તેમિ માનવરાક્ષસા પરહિતં સ્વાર્થાય નિઘ્નન્તિ યે,

યે તુ ઘ્નન્તિ નિરર્થકં પરહિતં, તે કે ન જાનિમહે

આ શ્લોકનો અર્થ સમજતાં પહેલાં આપણે સમાચાર માધ્યમના સંચાલકો શું કહે છે તે સાંભળીએ.

સમાચાર માધ્યમના સંચાલકો એમ કહે છે કે અમે “પેઈડ” સમાચાર છાપતા નથી. જો તમે સાબિતી આપશો તો અમે તમને ઈનામ આપીશું.

પણ તમે જુઓ. “હાથ કંગન કો આરસી ક્યા”. સમાચારોના શિર્ષકો અને કથાઓ જ તમને કહી દે કે સમાચારોના માલિકોની માનસિકતા કેવી છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આવા શિર્ષકો અને કથાબંધોની સંરચના કરવા માટે પૈસા લીધા છે કે નહીં?

જો તેમનો ઉત્તર “હા” હોય તો તે તેમનો સ્વાર્થ થયો. તેથી ઉપરના શ્લોકની પહેલી કડી તેમને લાગુ પડે છે કે “જેઓ પોતાના સ્વાર્થ માટે બીજાનું (દેશનું) અહિત કરે છે તેઓ માનવરાક્ષસો છે.

જો તેમનો ઉત્તર “ના” હોય તો, એવો અર્થ થયો કે તેમણે નિરર્થક જ દેશનું અહિત કર્યું. ઉપરના શ્લોકની બીજી કડી એમ કહે છે “જેઓ નિરર્થક જ બીજાના (દેશના) હિતને હાનિ કરે છે તેઓ (તો રાક્ષસથી પણ બદતર છે અને તેમના માટે કયો શબ્દ વાપરવો તે) અમે જાણતા નથી. કોઈ કહેશે કે આમાં દેશના હિતની કે અહિતની વાત ક્યાં આવી?

અરે ભાઈ આ તો તમે “સીતાનું હરણ તો થયું પણ હરણની સીતા થઈ કે નહીં” તેના જેવી કરી. જે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો અને તેમ કરવામાં પોતાની નાદુરસ્ત તબિયતનો પણ ખ્યાલ ન કર્યો. આજે એજ સરદાર પટેલના ફરજંદો પોતાના વંશીયલાભ માટે બસો સળગાવે છે, બસસ્ટેંડો તોડે છે, રેલ્વે ટ્રેનો બંધ કરે છે … રેલ્વેના પાટાઓ ઉખેડી નાખે છે,  દુકાન બંધ કરાવે છે, વાહનવ્યવહાર બંધ કરાવે છે.. શું નથી કરતા તે પૂછો…

આંદોલન, ફક્ત સમગ્રદેશના હિત માટે હોઈ શકે.

ગાંધી-સરદારે જે આંદોલનો કરેલા તે જનતાના વિશાળ હિત માટે કરેલા. મીઠાના સત્યાગ્રહ માટે અમદાવાદથી દાંડી સુધીની દાંડી કૂચ કરેલી જેથી જનતાને કરમૂક્તિ વાળું મીઠું મળે અને સમગ્ર ભારતની જનતા મીઠાવાળી થાય.

આ બલૂનોના નેતાઓની બધી જ વાતો, ગાંધી-સરદારથી ઉંધી છે. તેમની માગ, જાતિવાદી જ નહીં પણ તેમની માગની આડઅસરો જનતાને વિભાજિત કરે છે અને વર્ગવિગ્રહ કરાવે છે.  તેથી જ તેમની દાંડી યાત્રા પણ ઉંધી દિશાની છે.

લોકશાહીમાં જો અન્યાય થતો હોય તો તેને માટે ન્યાયાલય છે.

મહાત્મા ગાંધી કહેતા હતા કે સમાચાર પત્રો (માધ્યમોનું) કામ જનતાને કેળવવાનું છે. સમાચાર માધ્યમો કબુલ કરે કે ન કરે પણ તેઓ સહુ બિકાઉ છે અને “વેચાઈ ગયેલો માલ છે”.

અખબારી મૂર્ધન્યો

સમાચાર માધ્યમોના મૂર્ધન્યોનું શું છે? એટલે કે કટારીયા લેખકો અને ચર્ચા ચલાવતા એંકરોનું શું છે? બલૂનોના આંદોલનમાં તેમના પ્રતિભાવો કેવા છે?

આ આંદોલન ગુણવત્તા હીન છે. તેમાં કોઈને શક ન હોવો જોઇએ. આ આંદોલનને કમનસીબ ગણવું જોઇએ. પટેલ જેવા પ્રતિષ્ઠિત સમાજ ઉપર લાંબા ગાળા સુધી ન ભૂંસાય તેવો એક કાળો ડાઘ લાગી ગયો છે. પણ બધા મૂર્ધન્યો આ આંદોલનને તેના સુયોગ્ય સંદર્ભમાં મુલવતા નથી. કેટલાક મૂર્ધન્યો તેમના પ્રતિભાવ અને મુલવણીમાં તેમના પૂર્વગ્રહોનું મિશ્રણ કરે છે. એક ભાઈશ્રીએ પટેલોનો ૧૦૦૦૦ થી માંડીને આજ સુધીનો ઇતિહાસ લખ્યો. અને પટેલોને બિરદાવ્યા. બીજા એક વિદ્વાન ગ્રામસ્વરાજ્ય મિત્રે યેન કેન પ્રકારેણ સરસ્વતી દેવીને પણ સમજવામાં મુંઝવણ થાય તે રીતે શબ્દોનો ગુંચવાડો ઉભો કરીને નરેન્દ્ર મોદી, બીજેપી અને આરએસએસને ગોદા માર્યા.

નરેન્દ્ર મોદી અને બીજેપીની વિરુદ્ધમાં હવા ચલાવવી એ તો અમુક લોકોનો શોખ છે. આરએસએસ પાસે બીજેપીનો રીમોટ કન્ટ્રોલ છે. અફવા ચલાવવી એ ફેશન છે. શૌક ભી કોઈ ચીજ હૈ ભાઈ!! જો આવા શોખ રાખીશું તો જ બીજેપીના સારા કામોની વાતો માટે સમાચાર માધ્યમોમાં સમય બચશે જ નહીં. અને બીજેપી વિષે નકારાત્મક હવા ફેલાવવાનું આપણું લક્ષ્ય સિદ્ધ થશે. ભલેને મોદી ગમે તેટલો વિકાસ કરે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ અનામત, આરક્ષણ, પટેલ, પાટીદાર, બલૂન, પતંગ, પછાત વર્ગ, મહાત્મા ગાંધી, ડૉ. આંબેડકર, નહેરુ, નહેરુવીયન ફરજંદ, વંશવાદ, માગ, આંદોલન, સ્વ, મૂર્ધન્યો, સમાચાર માધ્યમ,

ચમત્કૃતિઃ ઈદી અમીન કહેતો હતો કે હિટલર બહુ ક્રૂર હતો. માણસોને મારી નાખતો હતો. મારીને તેમને ખાતો પણ ન હતો. ખાલી ખાલી જ મારતો હતો. તમે જેને ખાતા નથી તેને ખાલી ખાલી મારવાનો શું અર્થ? આ તો નરી ક્રૂરતા જ કહેવાય.  નહેરુવીયનો માટે પણ આવું કહી શકાય.

Read Full Post »

જ્ઞાતિવાદના નામે ધૂણતા અને ધૂણાવતા ભૂવાઓને ડામ દો.

એક હતો ભારતીય ભૂવો.

એને બે ગુરુ. એક નું નામ રશીયા અને બીજાનું નામ ચીન. આ બંને ગુરુ પોત પોતાને બીજાથી મોટો ગુરુ માને. બંને પાસે સમાજવાદના નામનું ભુત. આ ભૂત આપણા ભારતીય ભૂવામાં ઘુસેલું. ક્યારે ઘુસ્યું હતું તેતો આપણા ભારતીય ભૂવાને પણ ખબર ન હતી. આ ભારતીય ભૂવાનું નામ હતું જવાહરલાલ નહેરુ.

નહેરુએ ૧૯૫૦ના દયકામાં ભાષાવાદના ભૂવાઓને ધૂણાવેલા.

બાલ ઠાકરે જીવ્યા ત્યાં સુધી ધુણેલા. અને આજે તેમના બે ચેલકા પણ ભૂવા બની ધૂણી રહ્યા છે. આ બધા જ ભુવાઓની ખાસીયત એ છે કે તેઓ ભૂત ઉતારવાને બદલે ભૂતને દાખલ કરે છે.

નહેરુ આમેય નાટકબાજ હતા. પહેલાં નહેરુ સમાજવાદના નામે ધૂણ્યા હતા. ચીને તેમને ૧૯૬૨માં એક ધોલ મારી એટલે જવાહરલાલ નહેરુ નામના ભૂવાની અંદર રહેલું સમાજવાદી ભૂત તેમને ધૂણાવતું બંધ થયું. રશીયાની કેજીબી નામના મોટા ભૂવાએ તે ભૂતને ઈન્દિરામાં ઉતાર્યું. ઈન્દિરા પણ ખૂબ ધૂણી. તે વખતે સમાચાર પત્રોમાં પણ એ ભૂત પેઠું અને સમાચાર પત્રો પણ સમાજવાદના “અહો રુપ અહો ધ્વનિ” ના નાદે ધૂણવા લાગ્યા.

નહેરુવંશી ભૂવાઓ પોતે પણ ધૂણે છે અને તેમના પક્ષના સભ્યો કે જેઓ અશરીરી  છે તેમને પણ ધૂણાવે છે. અને તેઓ દેશના અબુધ, સ્વકેદ્રી કે બેવકુફ લાલચી લોકોને પણ ધૂણતા કરી દે છે.

નહેરુવંશી ઇન્દિરાએ ૧૯૬૯થી ધર્મના ભૂતને પણ ગુજરાતમાં ઘુસાડેલ.

પોતાની નિસ્ફળતાઓને ઢાંકવા ૧૯૭૦થી અનામતનુ ભૂત પણ પછાતવર્ગના નેતાઓ રુપી ભૂવાઓમાં દાખલ કરી તેમને ધૂણતા ચાલુ કરી દીધેલા. આજે પણ એ લોકો ધૂણે છે.

૨૦૦૩-૪માં નહેરુવીયન કોંગના ભૂવાઓએ રાજસ્થાનમાં નીનામા અને ગુજ્જરોમાંના નેતાઓ રુપી ભૂવાઓમાં અનામતના ભૂતોને ઘુસાડેલ. નીનામા અને ગુજ્જરોના નેતા રુપી ભૂવાઓમાં આ ભૂતો એવા ધૂણ્યા એવા ધૂણ્યા કે આમ જનતાનો ખુરદો થઈ ગયો.

આ ભુવાઓ ધૂણ્યા અને સરપાવ પણ પામ્યા.

જમ ઘર ભાળી ગયો એના જેવું થયું. બીજેપી ના નેતાઓને ધૂણતા આવડે નહીં અને ભૂતને ઓળખતા પણ ન આવડે. એટલે તેમણે રાજસ્થાન પણ ગુમાવ્યું અને કેન્દ્ર પણ ગુમાવ્યું. આ અનામતનું ભૂત ઘણી જ્ઞાતિના ભૂવાઓને ધૂણાવતું આવ્યું છે. ભૂતને કોઈ જાતિ હોતી નથી. તેને શરીર પણ હોતું નથી. આ નહેરુવીયન કોંગ્રેસના ભૂવાઓને ધૂણવાની અને ધૂણાવવાની ફાવટ આવી ગઈ છે.

ભૂતો અત્યારે ધૂણી રહ્યા છે

આ નહેરુવીયન ભૂવાઓ કેજીબીની સલાહ પ્રમાણે અવનવા ભૂતો ઉત્પન્ન કરે છે અને પોતાના સભ્યોમાં અને બીજા બેવકુફોમાં દાખલ કરી તેમને ધૂણાવે છે. નહેરુવીયન કોંગ્રેસે ભારતમાં લઘુમતિ-ભૂત, દલિત ભૂત, બાંગ્લા ભૂત, મરાઠી-ભૂત, માઓવાદી-ભૂત, ઇસ્લામી-ભૂત, પર્યાવરણી ભૂત, કિસાન-ભૂત, ધર્મનિરપેક્ષ-ભૂત, મોદી-ફોબીયા–ભૂત, વિગેરે અનેક ભૂતોને તેમના ભૂવાઓમાં અને અબુધ જનતામાં ઘુસાડેલ છે. આ બધા ભૂતો અત્યારે ધૂણી રહ્યા છે.

મહાન પટેલોના વામણા સંતાનો

પાટીદાર ઉર્ફે પટેલ અનામત-ભૂત

હમણાં એક નવું ભૂત નહેરુવીયન કોંગ્રેસના પ્રચ્છન્ન ભૂવાઓએ ઉત્પન્ન કર્યું છે જેનું નામ છે “પાટીદાર ઉર્ફે પટેલ અનામત-ભૂત”.

મને બરાબર યાદ છે કે ૧૯૮૦ થી શરુ કરી ૧૯૮૫ સુધી આ દલિત અનામતનું ભૂત ગુજરાતમાં બહુ ધૂણવા માંડેલ.

આ નહેરુવીયન ભૂવાઓનો કોઈ ઉદ્ધાર ભૂત વગર કોઈ કરી શકે તેમ નથી.

આ પટેલોએ, દલિતોને અનામતથી વંચિત કરો અને અનામત માત્ર દૂર કરોના ટંકાર સાથે શંખનાદ અને ઘંટ નાદ પણ કરેલ. શાસને અનામતનો અધિકાર અમુક જ્ઞાતિઓને દલિત હોવાના કારણે અને હિન્દુઓની અમુક અંશે ચાલુ રહેલી સામાજીક માનસિકતાને કારણે આપેલો.  

અનામતનો મૃત્યુ ઘંટ વગાડનારા આ પટેલો આજે પોતાના માટે અનામતની માગણી કરી રહ્યા છે.  જે સમુદાયે વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ ભાઈલાલભાઈ પટેલ જેવા ઉચ્ચકક્ષાના નેતા આપ્યા, જેઓ અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર જ નહીં પણ ગુજરાતનું મુખ્ય મંત્રી પદ પણ ભોગવી રહ્યા છે. પટેલો ઠેઠ અમેરિકામાં મોટેલો ઉપર પ્રભૂત્વ ધરાવે છે. તે પટેલો આજે જન્મના આધાર ઉપર અનામત માટે માગણી કરી રહ્યા છે. શું પટેલોને  સમાજ  દલિત, અછૂત કે પતિત માને છે અને તેમના ઉપર અન્યાય કરે છે?

જો ખેડૂતોની વાત હોય તો તે એક અલગ વિષય છે. ખેતી એક વ્યવસાય છે. દરેક વ્યવસાયના લોકો પોતાની સંસ્થા ચલાવે છે અને સહકારથી કામ કરે છે. આજે તો ૭૫ટકા રાજકારણીઓ, હિરાભાઈઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ જમીનવાળા છે. એ બધા રજીસ્ટર્ડ થયેલા ખેડૂતો છે. તો ખેડૂતો સહેલાઈથી સહકાર કરીને આત્મનિર્ભર બની શકે.

જો પટેલભાઈઓ ખેડૂતની વાત ન કરતા હોય અને જન્મે પટેલ છે, એવા સમુદાઈની વાત કરતા હોય તો કાયદો તેમને ઓળખતો નથી.

જેમ જભ્ભાવાળા, જેમ લેઘાંવાળા, જેમ ધોતીયા વાળા, જેમ ટાઈવાળા, જેમ બટેકાનું શાક ભાવવાવાળા, જેમ ભીંડાનું શાક ભાવવાવાળા, તલવાર કટ મૂંછો રાખવાવાળા,  હિટલર કટ મૂંછો રાખવાવાળા, બ્રશકટ મૂંછો રાખવા વાળા, આ બધા પોતપોતાનું મંડળ રચી શકે છે અને સહકાર કરી શકે છે. સરકાર તેમાં આડે આવશે નહીં. પણ આ લોકો વિશેષ સવલતો માગી ન શકે. કાલે નાકમાં ચૂનીવાળી મહિલાઓ અને ચોરણા વાળા પુરુષો કહેશે કે અમે મોટાભાગના ગરાસીયા છીએ એટલે અમને ગરાસીયાઓને અનામત આપો. (ચરણ સીંગે એવી જાહેરાત કરેલી કે ધોતીયા વાળાને ફાઈવસ્ટાર હોટેલમાં ૨૦ ટકા ડિસકાઉન્ટ આપવામાં આવશે. ગાંડપણની પણ કંઈ હદ હોય છે !!)

 અસ્પૃષ્યોની અને દલિતોની વાત અલગ છે. કારણકે તેમને સામાજીક માનસિકતાના સંદર્ભમાં જોવામાં આવ્યા હતા. જો કે આ લેખનો હેતુ તેમની અનામત યાવતચંદ્રદિવાકરૌ સુધી રહે કે ૨૦ વર્ષથી વધુ સમય સુધી રહે એવો નથી. જે શાસક પક્ષ ૨૦ વર્ષ શાસન કરે અને છતાં અનામતને ચાલુ રાખવી પડે અને  તે તેવી ભલામણ પણ કરે તો તેની માન્યતા રદ કરવી જોઇએ અને તેની સંપત્તિ જપ્ત કરવી જોઇએ.

ભૂતને “મરવા પણું હોતું નથી” કારણ કે જેને શરીર હોય તેનો જન્મ અને નાશ હોય. ભૂતને તો શરીર હોતું નથી. પણ એ જે જે શરીરોમાં જાય તે તે શરીર રાજા પાઠમાં આવી જાય. “હું મરું પણ તને રાંડ કરું” એવા મમત ઉપર આવી જાય. આ ભૂત કેશુભાઈ અને અડવાણીમાં પણ ઘુસેલ. અડવાણીએ શિવરાજ ચૌહાણમાં ઘુસાડવાનો પ્રયત્ન કરેલ. પણ અડવાણી નિસ્ફળ નિવડેલ.

કેશુભાઈને તો દરેક ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી વિરુદ્ધ “ખહ” (ખજવાળ, વલુળ) ઉપડે છે અને પાડાની જેમ સમાચાર માધ્યમ રુપી ઝાડના થડ સાથે એટલું બધું શરીર ઘસે છે કે ચામડીમાંથી લોહીની ટશેરો ફૂટે અને શરીર લોહી લુહાણ થઈ જાય. સમાચાર માધ્યમ રુપી ઝાડને કશું થતું નથી કારણ કે આ ઝાડ તો બધા બનાવટી છે અને પ્લાસ્ટિકના છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ અનામત, ભૂત, લઘુમતિ-ભૂત, દલિત ભૂત, બાંગ્લા ભૂત, મરાઠી-ભૂત, માઓવાદી-ભૂત, ઇસ્લામી-ભૂત, પર્યાવરણી ભૂત, કિસાન-ભૂત, ધર્મનિરપેક્ષ-ભૂત, મોદી-ફોબીયા–ભૂત, વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, ભાઈલાલભાઈ પટેલ, મોટેલ, કેશુભાઈ પટેલ, હું મરું પણ તને રાંડ કરું

   

Read Full Post »

%d bloggers like this: