Posts Tagged ‘અનુભૂતિ’
અદ્વૈતની માયાજાળ અને આપણે બધા … ભાગ – ૫
Posted in માનવીય સમસ્યાઓ, tagged અચળ, અનુભૂતિ, આનંદ, આવૃત્તિ, ઉર્જા, એકમ, કુદરતી પસંદગી, ક્વૉન્ટમ, જીવ, જ્ઞાન, પ્લેન્કનો કોન્સ્ટંટ, ભૌતિકશાસ્ત્રી, મહાવિસ્ફોટ, વૃત્તિ, શક્યતાનો સિદ્ધાંત, શોષણવિહીન, સહજીવ, સુખ on October 6, 2012| Leave a Comment »
આ પ્લેન્ક કોન્સ્ટન્ટ શું છે?
ઉર્જા = (પ્લેન્ક કોન્સ્ટન્ટ)(કંપનની આવૃત્તિ)
E = hv
આ (એચ) એક અચળ છે. અને ક્વાન્ટમ થીએરી અને ક્વાન્ટમ ગણિતશાસ્ત્રમાં મૂળભૂત ભાગ ભજવે છે.
ક્વાન્ટમ એટલે નાનામાં નાનું. નાનામાં નાનું એટલે શું? નાનામાં નાનું એટલે જેનાથી નાનું કશું ન હોઈ શકે તેવું, પણ શૂન્ય નહીં.
જો નાનામાં નાની ઉર્જાને એકમ ગણીએ તો તો ક્વોન્ટમ થીયેરી પ્રમાણે તેનાથી નાની ઉર્જા ન હોઈ શકે. આપણા શસ્ત્રમાં એક માન્યતા વારંવાર ઉચ્ચારવામાં આવી છે. તે એ છે કે “જે પિણ્ડે તે બ્રહ્માણ્ડે.
શું મહત્વનું છે? “કેવીરીતે થાય છે તે?” કે “શામાટે થાય છે તે?
ભૌતિક શાસ્ત્રીઓ અને ભારતીય તત્વશાસ્ત્રીઓ નો હેતુ શો હતો અને છે? મનુષ્ય રુપી સજીવ સમુહનું ધ્યેય શું છે? જીવ માત્રનું ધ્યેય શું છે? વિશ્વનું ધ્યેય શું છે?
મનુષ્ય એક જ એવું પ્રાણી છે જે બ્રહ્માણ્ડ વિષે વિચાર કરે છે અને તેને સમજવા માગે છે. ભૌતિક શાસ્ત્રીઓ બ્રહ્માણ્ડ કેવી રીતે વર્તે તે સમજવા પ્રયત્નો કરેછે. ભારતીય તત્વજ્ઞો બ્રહ્માણ્ડ શું કામ અથવા કયા કારણ થી આમ વર્તે છે એ વાત જાણવાનો પ્રયત્ન કરે છે.
વૈજ્ઞાનિકો સમજાવી શકે છે કે મહાવિસ્ફોટ પછી બ્રહ્માણ્ડ કેવી રીતે વિસ્તર્યું, કેવીરીતે આકાશ ગંગાઓ, નિહારિકાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો વિગેરે બન્યા. કેવી રીતે અમૂક ગ્રહો ઉપર જીવન પાંગર્યું હશે.
દાખલા તરીકે, મીથેન, એમોનીયા, જેવા ગેસ પૃથ્વિ ઉપર હશે અને તેમાં સ્પાર્ક કરવાથી (વીજળી પડવાથી) હાઈડ્રોકાર્બના જટીલ અણુઓ બન્યા હશે. સમય જતાં પ્રાથમિક કક્ષાના પ્રોટીન એમીનો એસીડના અણુઓ અને સેન્દ્રીય અણુઓ બન્યા હશે. અને એ રીતે સમય મળતાં પ્રાથમિક જીવન પાંગર્યું અને તેનું કુદરતી પસંદગી અને શક્યતાના સિદ્ધાંત પ્રમાણે ઉત્ક્રાંતિ થઈ.
ભારતીય તત્વ વેત્તાઓ અને હવે ભૌતિકશાસ્ત્રીઓ પણ આ વિષે વિચાર કરે છે કે આ બધું શા માટે થાય છે?
ભારતીય તત્વજ્ઞાનીઓ માને છે કે આ જે કંઈ થાય છે તે સુખ માટે થાય છે, આનંદ માટે થાય છે.
સુખ એટલે શું?
શરીરને સારું લાગે તે સુખ. શરીરને ક્યારે સારું લાગે? જ્યારે શરીરને વિઘટનમાટે ની પરિસ્થિતિની અનુભૂતિનો ભય ન હોય ત્યારે. એટલે કે શરીરમાં કશી ત્રુટી
ન હોય. શરીર નું સુખ અને એક જાતનો આનંદ છે. જેમ શરીરની અનૂભૂતિ વિશાળમાત્રામાં થાય તેમ સુખની અનૂભૂતિ વધુ થાય. અને આ અનુભૂતિ ઇન્દ્રીયો થકી થાય છે. જ્ઞાન તંતુઓ તે અનુભૂતિઓને પહોંચતી કરે છે. જ્યારે લોકલ અનેસ્થેસીયા આપવામાં આવે ત્યારે શરીરના તે વિસ્તારની અનુભૂતિ કપાઈ જાય છે. જો ફક્ત મસ્તિષ્કને જ સક્રીય રાખવામાં આવે અને આખા શરીરના જુદા જુદા વિસ્તારોને લોકલ એનેસ્થેસીયા આપવામાં આવે તો આપણું શારીરિક સુખ કમી થઈ જાય છે અને આપણને આપણી જાત ક્ષીણ થયેલી લાગે છે.
આનંદ એટલે શું?
શરીરને સારુ લાગે એ શરીરનો આનંદ. અને મગજને સારું લાગે એ મગજનો આનંદ. મગજ એ શરીરનો એક ભાગ છે. અને અંતે તો મનને જ આનંદ થવાનો હોય છે. મન એ આપણી અનુભૂતિ છે જે મગજ અને શરીરના આનંદનો સમન્વય છે.
સરવાળે મનુષ્ય (સજીવો)ની વૃત્તિ આનંદ પ્રાપ્ત કરવાની હોય છે.
વિદ્યા અને અવિદ્યા. સાચો અને શ્રેય આનંદ કયો?
જે બીજાને નુકશાન ન કરે તે શ્રેય આનંદ છે. એટલે સમાજ શોષણવિહીન હોવો જોઇએ.
બીજો આનંદ જ્ઞાનનો આનંદ હોય છે.
તર્ક વગર જ્ઞાન ન મળે. અને તર્ક વગર સમાજ વ્યવસ્થા શોષણવિહીન ન બની શકે.
તર્કનું પણ એક શાસ્ત્ર હોય છે.
એટલે જ્ઞાનની વૃદ્ધિ સમાજ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર બંનેમાં કરવી જોઇએ.
સમાજ શાસ્ત્ર એટલે કે શોષણ વિહીન સમાજ ના નિયમો માં મહાત્મા ગાંધીના સર્વોદય સમાજની વાતો શ્રેષ્ઠ છે.
મહાત્મા ગાંધીના સર્વોદય સમાજને સમજવામાં મૂર્ધન્ય મનુષ્યોમાંના મોટા ભાગના ગોથાં ખાય છે. સ્થાપિત હિતોનું પરિબળ, અહંકાર અને સામાજીક પ્રણાલીઓ પ્રત્યેનું જડ વલણ મનુષ્યને શોષણ હીન સમાજ બનાવવામાં આડખીલી રુપ બને છે. તે એક અલગ જ વિષય છે.
મનુષ્ય, એ જગતનું અંતીમ વિકસિત સર્જન છે. મનુષ્ય બે દિશાઓમાં વિકાસ કરે છે. મનુષ્ય સગવડ અને સુવાધાઓ વધારવામાં વિકાસ કરેછે. મનુષ્ય એક માત્ર એવો જીવ છે જે વિશ્વ કેવીરીતે વર્તે છે તે વિષે જ્ઞાન મેળવા મથેછે. તે દિશામાં જ્ઞાનને વિકાસવા માટે મથે છે. એટલે કે વિજ્ઞાનનો વિકાસ કરે છે. બંનેના વિકાસમાં ટેક્નોલોજીની જરુર પડે છે. ભારતીય તત્વવેત્તાઓ (શારીરિક) સુખ સગવડની ટેક્નોલોજીને અવિદ્યા કહે છે. અને વિજ્ઞાનની ટેક્નોલોજીને વિદ્યા છે.
સુખ સગવડની અવિદ્યા એ અનિત્ય છે. એટલે કે અધૃવં છે. કારણ કે કોઈ એક ટેક્નોલોજીના એક રુપ (વર્સન) હોય અને તે પછી તેની ઉપર તેની પછીનું રુપ આવે એટલે પહેલું રુપ ભંગારમાં જાય છે. જેમકે મોબાઈલ ટેલીફોનનું એક રુપ પછી નવી સુવિધાઓ વાળો મોબાઈલ ટેલીફોન આવે એટલે જુનો ટેલીફોન જે કરોડોની સંખ્યામાં હોય તો પણ તે ભંગારમાં જાય. પણ આજ ઉપકરણો જ્યારે વિજ્ઞાનમાં વપરાતા હોય ત્યારે તેની સંખ્યા કરોડોને બદલે હજારોમાં હોય અને તે વિદ્યાર્થીઓને વિકાસના એક પગથીયાની સમજણ માટે કામ લાગે. એટલે તે જુનો ટેલીફોન નષ્ટ થતો નથી.
એટલે ભારતીય તત્વ વેત્તાઓ એમ કહે છે કે જેઓ ધૃવ વિદ્યાને છોડીને અધૃવ એવી અવિદ્યાની પ્રત્યે આસક્તિ રાખે છે તેઓ એ ધૃવને સ્વિકાર્યું જ નથી તેથી તે તો તેમને માટે નષ્ટ થયેલું જ છે અને જે અધૃવ છે તે તો વહેલું મોડું નષ્ટ થવાનું જ છે માટે તેને નાશ પામેલું જ ગણો.
જો તમે ટેક્નોલોજીનો (વિદ્યાનો) ત્યાગ કરો તો વિજ્ઞાનનો વિકાસ ન થઈ શકે. કારણ કે જાતજાતના ઉપકરણો ટેક્નોલોજી દ્વારા જ મળે. ગણિત શાસ્ત્રની ગણત્રીઓ પણ ઉપકરણોથી થાય છે. અને સંશોધનો પણ ઉપકરણોથી થાય છે.
મહાત્મા ગાંધીજી કહે છે, ટેક્નોલોજીને માનવીય બનાવો. માણસ ટેક્નોલોજીનો ગુલામ ન થવો જોઇએ. ટેક્નોલોજી માણસને માણસથી વિમુખ ન કરે. ટેક્નોલોજી માણસોમાં ભેદભાવ ઉભા ન કરે. ટેક્નોલોજી માનવ સમાજમાં વિસંવાદ અને ઘર્ષણો ઉભા ન કરે. ટેક્નોલોજી માણસમાં એવી અસમાનતા ઉભી ન કરે કે જેથી માણસ માણસ વચ્ચે અસંવાદ, ઈર્ષા, અસંતોષ અને અન્યાયની ભાવના ઉત્પન્ન થાય.
આપણા હાથની પાંચે આંગળી સાવ સરખી નથી. તેઓ વચ્ચે વિસંવાદ નથી. તેઓ ભેગા મળીને કામ કરી શકે છે અને અલગ અલગ પણ જુદા જુદા કામો કરે છે. મનુષ્ય સામાજીક પ્રાણી છે અને તેથી દરેક મનુષ્ય સમાજની એક આંગળી છે કે અંગ છે. સમાજશાસ્ત્રમાં થી જ્યારે અહંકાર, રાક્ષસી વૃત્તિ અને કહેવાતી “સ્વ”ની સ્વતંત્રતા ની ઉપર ભૌતિકશાસ્ત્રની પરિભાષા હામી થશે, ત્યારે સર્વોદયનીવાત સમજાશે અને અમલમાં મુકાશે.
કેટલાક સમાજશાસ્ત્રીઓ કહે છે કે જે સમાજ સ્થિર હોય છે અને પરિવર્તન કરતો નથી તે સમાજ નષ્ટ પામે છે. આ લોકોની તારવણી એ છે કે જો સમાજ એકધારી સુવિધાઓથી જીવે તો તે નષ્ટ પામે છે. આ તારવણી ખોટી છે. મૂળ સિદ્ધાંત સામે ધારોકે વાંધો ન લઈએ, તો પણ સમાજમાં રહેલું જ્ઞાન, વૈજ્ઞાનિક આવિષ્કારોને લીધે સતત વૃદ્ધિશીલ હોય છે. તેથી સમાજ ને સ્થિર કહી શકાશે નહીં. વળી ટેક્નોલોજીનો સમાજ માટેનો ઉપયોગ સાર્વત્રિક રખાશે જેથી અસમાનતા, શોષણ, અસંતોષ, અન્યાય, વિસંવાદ વિગેરે જેવા દુષણો ઉત્પન્ન ન થાય.
ઈશ્વર શું છે? ઈશ્વરનો હેતુ શો છે?
ઈશ્વર એ વિશ્વ છે. જે સજીવ છે. પણ આપણું વિશ્વ એ એક માત્ર વિશ્વ નથી. આપણું વિશ્વ પ્લેંકના અચળની કોઈ એક મુલ્ય વડે બનેલું છે. તેના આધારે મૂળભૂત કણો, પરમાણુઓ, અણુઓ, આકાશ ગંગાઓ, નિહારિકાઓ, સૂર્યો, પૃથ્વીઓ, વિગેરેની રચનાઓ આપણે જે જોઇએ છે તેવી થઈ છે. આપણા સૂર્યમંડળમાં આપણી પૃથ્વીના વિશિષ્ઠ સ્થાનને કારણે આવું સંકીર્ણ જીવન પાંગરી શક્યું છે. પણ આપણે જાણતા નથી કે સંકીર્ણ જીવન આવી જ સ્થિતિમાં થઈ શકે છે કે બીજી પણ કોઈ એક નિશ્ચિત સ્થિતિમાં પણ થાય?
પ્લેંકના આ અચળની કિંમત શૂન્યથી અનંત હોઈ શકે. તેને અનુરુપ બીજા અનેક વિશ્વો હોઈ શકે. આપણા જેવા પણ અનેક વિશ્વો હોઈ શકે. આ બધા વિશ્વોનો સમૂહ એટલે ઈશ્વર. ક્યાં ક ને ક્યાંક તે પોતાના સુવિકસિત વિશ્વો થકી સર્વજ્ઞ છે. તે સર્વ શક્તિમાન નથી. આપણા ભારતીય તત્વવેત્તાઓ પણ આજ વાત કહે છે. પ્રતિકાત્મક વાતો આવે છે કે કોઈ એક રાક્ષસ તપ-યોગ કરે અને ઈશ્વર પ્રસન્ન થાય. વરદાન માગવાનું કહે. અને રાક્ષસ કહે “હું કોઇ થી મરું નહીં”. ત્યારે ઈશ્વર એમ કહે કે “ના એ શક્ય નથી”. હવે જો ઈશ્વર સર્વ શક્તિમાન હોય તો આવું શું કામ કહે?
મનુષ્ય ને સર્વજ્ઞ થતાં કેટલી વાર લાગશે? મનુષ્ય સમાજ ની ઉત્પત્તિ જો ત્રણ લાખ વર્ષ પહેલાં થઈ એમ ગણીએ, અને જે અવશેષો મળ્યા છે તે ના આધારે વિકાસ ગણીએ અને વિકાસનો વેગ અને પ્રવેગ અને પ્રપ્રવેગ ગણીએ તો સર્વજ્ઞ થવામાં હજી બીજા ૨૦લાખ વર્ષ થશે. આ દરમ્યાન કોઈ ભારત પાકિસ્તાનમાં હતા, છે અને કદાચ થાય તેવા શાસકો ન આવે અને “સ્વ” ના વિકાસને બદલે સમાજનો વિકાસ માનવીયતાના સંદર્ભમાં કરશે તો જ આ આગાહી સાચી પડે. આ આગાહી “મીશીઓ કાકુ”એ કરી છે. આ સર્વજ્ઞતા પણ આપણા પ્લેન્કના અચળનું જે મૂલ્ય છે તે જ મૂલ્યવાળા વિશ્વો પૂરતી જ લાગુ પડશે. આ અચળના બીજા મૂલ્યો વાળા વિશ્વોને આપણે ક્યારેય પામી શકીશું નહીં. કદાચ ગણિતના સૂત્રો દ્વારા સમજી શકીએ. જે ઇશ્વર છે તે સર્વ વિશ્વોનો સમૂહ છે એટલે કે અતિબૃહદ બ્રહ્માણ્ડ છે, તેને તો ક્યારેય આ શરીરથી સમજી શકીશું નહીં કે પામી શકીશું નહીં. એટલે જ કદાચ પુષ્પદંતે શિવ મહિમ્ન સ્ત્રોત્રમાં કહ્યું છે કે જો જ્ઞાનની દેવી સરસ્વતી પણ જો સદાકાળ માટે તારા મહિમા વિષે લખ્યા કરે તો પણ તે તેને પાર ન પામી શકે (લિખતિ યદિ ગૃહિત્વા શારદા સર્વકાલં, તદપિ તવ ગુણાનાં ઈશ પારં ન યાતિ).
સામાજીક વિકાસ કોને કહેવો?
મનુષ્યની અંદર રહેલું જ્ઞાન તેના શરીર સાથે નષ્ટ થાય છે. તે તેના વંશજોમાં ઉતરતું નથી. પણ સમાજ પણ એક એવો જીવ છે જે તેનામાં રહેલા જ્ઞાનને જીવતું રાખે છે. અને આરીતે સામાજના જ્ઞાનનો વિકાસ થાય છે. સંવેદન શીલતાની સમજ અને તેમાં થતી વૃદ્ધિ એ સમાજનો માનસિક વિકાસ સૂચવે છે.
મનુષ્ય સમાજનો વિકાસ પડતો આખડતો એટલે કે શેરબજારના શેરના ભાવોની જેમ વધે છે. કોઈ કંપની ગોટાળા કરે અને તેનું ઉઠમણું થઈ જાય તેમ કોઈ પૃથ્વીનો વિકસિત સમાજ વૈશ્વિક મૂલ્યોને સમજે નહીં તો તેનો વિનાશ પણ થાય. પણ ઈશ્વરને તેની કોઈ ચિંતા નથી. કારણ કે શક્યતાના સિદ્ધાંત પ્રમાણે બધા જ સુવિકસિત સમાજમાં રાક્ષસી તત્વો બધી જ પૃથ્વીઓ ઉપર હામી ન થઈ શકે.
જો ઈશ્વરને સુવિકસિત સમાજના ભલાની પડી નહોય એટલે કે આ ઈશ્વર નિર્ગુણ હોય, સુખ દુઃખથી રહિત હોય, તો બધા તેને દયાળુ અને કલ્યાણકારી કેમ કહે છે?
આ ઈશ્વરે ૧૧+૧૧+૪=૨૬ પરિમાણો આયામો સર્જ્યા, પરમ તત્વ સર્જ્યું, તેના ગુણ, બળ, પરિબળો વિગેરે નિપજાવ્યાં. પછી તેમના ભરોસે છોડી દીધા જેથી શક્યતાના સિદ્ધાંતે અને યોગ્યતાના આધારે વિકસિત સમાજ/જો બન્યા કે જેઓ પોતાનું ભલું બુરું સમજી શકે. તેઓ સુવિકસિત થઈ શકે. જેઓ વૈશ્વિક સંવેદનાને સમજે તો અતિવિકસિત થઈને પરમવિકસિત થઈ શકે. મનુષ્ય સમાજ કાળક્રમે જ્ઞાન દ્વારા વધુને વધુ આનંદ તરફ જઈ શકે. જો માણસ સ્વહિત વિષે જ વિચારે તો તે રાક્ષસી વૃત્તિ કહેવાય. રાક્ષસી વૃત્તિઅનો અભાવ એજ કલ્યાણ કારી છે. મનુષ્ય સમાજ માટે આજ વાત કલ્યાણ કારી છે તેમ દરેક મનુષ્યે સમજવું જોઇએ.
શું ઈશ્વર ભોળો છે?
ઈશ્વરે કર્મફળ સર્જ્યા છે. તે દરેકને વ્યક્તિગત કૃત્ય/કૃત્યો અને સામૂહિક કૃત્ય/કૃત્યો અસર/અસરોના પરિણામ તરીકે ભોગવા પડે છે. વ્યક્તિગત કૃત્યો માટે આનો સ્વિકાર સમાજ (સરકાર) દ્વારા પણ થયો છે. એટલે જ બંધારણ અને કાયદાઓ ઘડાયા, સજાઓ નક્કી થઈ અને વ્યવસ્થાઓ ગોઠવાઈ. અગ્નિ, અગ્નિનું કામ કરશે. વર્ષા, વરસવાનું કામ કરશે. રાક્ષસ જો અગ્નિ પર પોતાની ચા કરશે, તો તે ચા પણ બનશે. સમાજે જંગલ બનાવ્યું હશે તો ત્યાં વધુ વરસાદ પડશે, વચ્ચે ક્યાંક રાક્ષસનું ઘર હશે તો ત્યાં પણ વરસાદ પડશે. જે વિદ્યાનો નો અભ્યાસ કરશે તે વિદ્યાવાન થશે. ઈશ્વર ભેદ કરશે નહીં. ઈશ્વર કહે છે કે હું તો આવો છું. તમારે મને ભોળો ગણવો હોય તો ગણો. તમારે મને જેવો ગણવો હોય તેવો ગણો. તમારે મને પૂજવો હોય તો પૂજો. તમારે મને ન પૂજવો હોય તો ન પૂજો. મને કોઈ ફેર પડતો નથી. હું તમને પણ એ બાબત થકી કોઈ ફેર પાડીશ નહીં. તમારા કર્મોના ફળો તો મારા નિયમોને આધિન રહેશે.
શિવ (રુદ્ર) એ સ્વયં મહેશ છે છતાં ભિક્ષાટન કરે છે. એવી કલ્પના શા માટે છે?
જુના જમાનામાં અગ્નિને દરેક ઘરમાં પ્રજ્વલિત રાખવામાં આવતો હતો. અગ્નિને તુષ્ટ કરવા ઘી કે કાષ્ટ આપવા પડે. એટલે એવી કવિકલ્પના થઈ કે ઈશ્વર ભિક્ષાટન કરે છે. યજ્ઞના અગ્નિને (રુદ્રને) શાંત કરવા પાણીનો અભિષેક કરવામાં આવે છે. શિવ લિંગ એ જ્યોતિર્ લિંગ છે. અને તેના ઉપર જળાભિષેક કરવો એવી પ્રણાલી સ્થાપિત થઈ. પણ ગૃહ્યાગ્નિને તો ઘી જ અપાય. જે અગ્નિનું આહવાન થયું છે તેને ખાદ્ય પ્રવાહીઓ અપાય. પણ અંતે તેની વિદાય વખતે પાણીથી શાંત કરવાનો હોય છે.
શિવે દક્ષપ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કર્યો તે શું છે?
વેદોના સમયમાં પ્રાકૃતિક શક્તિઓને આહુતિ આપવામાં આવતી. દરેક પ્રાકૃતિક શક્તિની પાછળ એક દેવ સમજવામાં આવતો, તે અદૃષ્ટ રહેતો. દૃષ્ટ અને અદૃષ્ટ વચ્ચેનો આ વિસંવાદ હતો. જેમકે કૃષ્ણે કહ્યું “ગોવર્ધન તો દેખાય છે, ઈન્દ્ર તો દેખાતો નથી. ઈન્દ્રને શા માટે પૂજવો? ગોવર્ધનને પૂજો.” દક્ષ પ્રજાપતિની વાત કૃષ્ણથી ઉંધી હતી. કે કદાચ અગ્નિ પૂજકો અને સૂર્ય પૂજકો વચ્ચેનો એક રાજાનો ભ્રમ હતો એવું લાગે છે.
પૂર્વ જન્મ અને પુનર્જન્મ શું છે?
વેદોમાં પૂર્વ જન્મ અને પુનર્જન્મ વિષે કશું લખ્યું નથી. પણ ગીતામાં આ સ્વિકારાયું છે. પણ આત્મા તો નિર્વિકારી છે. દરેક પદાર્થ પ્રાણ તત્વનો બનેલો છે. કહેવાતા સજીવો કેવીરીતે ઉત્પન્ન થાય છે તે આપણે જોયું. શંકરાચાર્ય કહે છે, મૃતદેહ બળી જાય છે. પ્રાણ આકાશમાં જાય. વૃષ્ટિ થાય અને તે વૃષ્ટિ મારફતે વનસ્પતિમાં જાય અને અન્ન રુપે વિર્યમાં જાય અને પુનર્જન્મ થાય. પણ આ વાત માં શક્યતા તો સિદ્ધાંત લાગુ પડે છે. અને શક્યતા શૂન્ય બરાબર છે. કારણકે વરસાદના બિન્દુંમાં અગણિત અણુઓ છે અને તેમાં કોઈ એક અણુમાં મૃતમનુષ્યનું બ્રહ્મરંધ્રનું કણ હોય. આ કણ વનસ્પતિમાં જાય અને ન પણ જાય. ધારો કે તે વનસ્પતિમાં ગયું તો તે વનસ્પતિ ખાદ્ય હોય અને ન પણ હોય. હવે આ કણ વનસ્પતિના કોઈ પણ હિસ્સામાં જાય અને ન પણ જાય. ધારોકે તે કણ બીજમાં ગયું તો પછી તેને કોઈ પણ ખાય. માણસના ભાગે આવે કે ન પણ આવે. ધારોકે તે માણસના ભાગે આવ્યું તો તે વિર્યમાં જાય અને ન પણ જાય. ધારો કે તે વિર્યમાં ગયું તો તેવા તો દરેક ટીપામાં દશ લાખ શુક્રાણુઓ હોય છે. તેનો નંબર ન પણ લાગે. એટલે કે પુનર્જન્મની વાત શૂન્ય બરાબર જ ગણાય. પૂર્વ જન્મ વિષે પણ તેવું જ સમજવું. પૂર્વ જન્મ અને પુનર્જન્મ એક હકારાત્મક અભિગમ કે વીશફુલ વિચાર તરીકે રાખવામાં આવ્યો હશે. તર્કથી તે સિદ્ધ કરી શકાતો નથી.
ભૂત પ્રેત શું હોય છે?
ભૂત એટલે મૃતાત્મા જેવું કશું હોતું નથી. આત્મા અમર છે અને તે મૂળભૂત રીતે તો પ્રાથમિક રીતે એક સુપરસ્ટ્રીંગ છે. જે સમુહમાં એક પરમાણુ, અણુ, સંકીર્ણ અણુમાં હોય છે. શરીરનું વિઘટન થઈ ગયા પછી તે ઉપરોક્ત માંથી કયા સ્વરુપમાં હશે, તે કહી શકાય નહીં. તે કોઈ ચમત્કારો ન કરી શકે. શૂન્યમાં થી તે સર્જન ન કરી શકે, કે તે એનાથી ઉલ્ટું પણ ન કરી શકે.
પ્રેત એ વાસ્તવમાં જુના સમયમાં જંગલમાં વસતા માંસ ભક્ષી લોકો હશે. શિવની સાથે આ લોકોની કલ્પના કરવા પાછળ અધાર એ છે કે અગ્નિ એ શિવનું નામરુપ છે અને મૃતદેહ, અગ્નિને અર્પીને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
સ્વપ્ન શું છે અને સ્વપ્ન કોઈ બનાવની આગાહી કરે છે?
સ્વપ્ન એ દિવસ દરમ્યાન કરેલા અનુભવો અને વિચારોનું જે સ્મૃતિમાં સચવાયું છે તે રી-કૉલ થાય છે. એટલે કે આ એક જાતના વિચાર જ છે. તેને ભવિષ્યની આગાહી સાથે કશો સંબંધ નથી.
માણસનું ભવિષ્ય ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. પણ આ પરિબળોની સંખ્યા અબજોની છે. તે પરિબળો અને તેની માત્રા આપણે જાણતા નથી તેથી ભવિષ્ય નિશ્ચિત છે છતાં તેની ભવિષ્યવાણી ન થઈ શકે.
જો કે સમય, અવકાશ અને વિશ્વ એ સૌ બહુ સંકીર્ણ અને જટીલ છે છે. ૧૧+૧૧+૪=૨૨ પરિમાણોવાળા વિશ્વ અને તેના કણો સમજી શકાય તેવા નથી. એક જ કણ એક જ સાથે એક જ સમયે અનેક સ્થળે હોઈ શકે છે. વિશ્વના દરેક બિન્દુઓ વિશ્વના કોઈ એક બિન્દુથી શૂન્ય અંતરે છે. સમય વહેતો નથી પણ તેના પડ છે. સમયમાં ઉંધી ગતિ કરી શકાય છે. પણ તેમાં ભાગ લઈ શકાતો નથી. આપણે અનેક જગ્યાએ જીવતા હોઇએ તેવું બની શકે. આપણી અને આપણા વિશ્વની પ્રતિકૃતિ હોઈ શકે.
એટલે શંકરાચાર્ય કહે છે કે જે અનુભવાય (પ્રત્યક્ષ) તે પ્રમાણ સત્ય છે. પણ અનુભવ તો સાધનો (ઉપકરણો અને અંગો) ઉપર આધાર રાખે છે.
માનવ સમાજે કયે રસ્તે જવું?
માણસે સમજવું જોઇએ કે તે સમાજની ઉન્નતિ માટે છે. સાથે સાથે બીજાને નુકશાન કર્યાવગર આનંદ મેળવવા માટે છે.
શિરીષ એમ દવે