Feeds:
Posts
Comments

Posts Tagged ‘અફવા’

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

દેશદ્રોહ આશંકા યોગઃ

આપણા નરેન્દ્ર  મોદી સાહેબ પદ્માસનવાળી ધ્યાનસ્થ થયા. પદ્માસન એ સેલ્ફ સપોર્ટેડ બેલેન્સ્ડ આસન છે.

નરેન્દ્ર મોદી સમાધિ અવસ્થામાં  કૈલાશ ગયા કે દેવાધિદેવ મહાદેવે નરેન્દ્ર મોદીને દર્શન આપ્યા કે સમાધિ અવસ્થામાં નિદ્રાધીન થઈ નરેન્દ્ર ભાઈએ સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કર્યો, તેની ચર્ચા આપણે નહીં કરીએ.

Dakshina Murtti

નરેન્દ્રભાઈ મોદીને લાગ્યું કે તેમની સમક્ષ મહેશ્વર પ્રગટ થયા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે દામોદરપુત્ર, તું આટલો ચિંતાગ્રસ્ત શા માટે છે?

નરેન્દ્ર ઉવાચઃ “ભક્તસ્તેહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ (હુ તમારો ભક્ત છું અને આપને શરણે આવેલા એવા મને બોધ આપો)

મહેશ્વરઃ ઉવાચ ; “હે હિરાનંદન,  શી વાત છે?

 નરેન્દ્ર ઉવાચ ;  “હે પ્રભુ, ભારતવર્ષમાં અત્યારે કેટલાક પરિબળો અશાંતિ સ્થાપવા કૃતસંકલ્પ થયા છે અને સમાચાર માધ્યમો એટલે કે કેટલાક  વર્તમાન પત્રો અને કેટલીક  ટીવી ચેનલો સમાચારોને પોતાના એજન્ડાને અનુરુપ શબ્દોની ગોઠવણી કરીને એવા રુપે રજુ કરે છે કે ઘટનાઓનું મૂળ સ્વરુપ નષ્ટ થાય અને વિકૃત સ્વરુપ સામે આવે છે. આનો લાભ લઈને દેશના વિભાજન વાદી પરિબળો વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે પરિશ્રમી, તારે તો તારો રાજધર્મ બજાવવાનો છે.

નરેન્દ્ર ઉવાચ ; “હે પ્રભુ, હું મારા રાજ ધર્મને જાણું છું. હું  હમેશા મારો રાજધર્મ બાજાવતો આવ્યો છું. ૨૦૦૧ થી જ્યારથી મારા પક્ષ દ્વારા મને શાસનની ધૂરા સોંપવામાં આવી ત્યારથી શરુ કરી રાજ ધર્મ જ બજાવતો આવ્યો છું. હે પરમેશ્વર તમે તો જાણો જ છો કે ૨૦૦૨ના હુલ્લડોથી મને અમુક પ્રકારના તત્ત્વો બદનામ કરતા જ આવ્યા છે. હું એ પણ જાણું છું કે તેમની તો આદત છે. પણ જ્યારથી, ૨૦૧૯ની ચૂંટણી હું અને મારો પક્ષ જીત્યા છે ત્યારથી આ હુલ્લડવાદી તત્ત્વો મરણીયા થયા  છે. અફવાઓ તો તેઓ પહેલાં પણ ફેલાવતાં હતાં. પણ એ અફવાઓ ખોટી હતી અથવા વિવાદાસ્પદ હતી તેથી મને ખાસ વાંધો ન હતો.

મહેશ્વરઃ ઉવાચ ; “ હે સમાજશાસ્ત્રી, તો શું તું એમ કહેવા માગે છે કે હાલમાં પ્રવર્તમાન અફવાઓમાં સત્ય છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “ના પ્રભુ ના… હવે મારા વિરોધીઓ રસ્તા ઉપર આવી ગયા છે અને ધરણાઓ કરવા માંડ્યા છે. એટલું જ નહીં તેઓ મુસ્લિમ સ્ત્રીઓ દ્વારા ધરણા અને પ્રદર્શનો કરવવા માંડ્યા છે. એટલે મારી દશા શિખંડીએ ભિષ્મ પિતામહની કરી હતી તેવી થઈ છે. મુસ્લિમ સ્ત્રીઓ ઉપરાંત બાળકો પણ છે. બાળકોની પાસે “મોદીને ગોળી મારો” એવા સૂત્રો પણ બોલાવે છે. …

મહેશ્વરઃ ઉવાચ; ” હે અષ્ટકૂટ, મને લાગતું નથી કે તું આવી વાતોથી ગભરાઈ જાય !! અને તારા ધ્યેય થી વિચલિત થાય !!

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અંતર્‌યામી, હું તો આપની સલાહ લેવા આવ્યોં છું કે હું સાચા માર્ગે છું કે મારે કશોક ફેરફાર કરવાની જરુર છે?

મહેશ્વરઃ ઉવાચ ; “હે મહાધૈર્યવાન, તું જાણે જ છે કે શાહીન બાગ પ્રદર્શનનો હેતુ શો હતો? આવા પ્રદર્શનો તો તું પણ કરાવી શકે છે, અને તે પણ વધુ સારી રીતે. પણ હે પ્રજાપ્રિય, તું તો જાણે જ છે કે આ પ્રદર્શન એક પ્રયોગ હતો અને આ પ્રયોગમાં જો તું કંઈપણ સકારાત્મક પગલુ  ભરે, તો તેઓ હુલ્લડ કરાવે. હુલ્લડ કરાવવામાં તો તારા વિરોધીઓ નિપૂણ છે. જો તેઓ ૨૦૦૮ના આતંકવાદી હુમલાને પણ તારે નામ કરવાનું કાવતરું રચી શકતા હોય તો તેઓ શું ન કરી શકે?  

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વમૂર્ત્તિ, આપ તો જાણો જ છો કે મારા વિરોધીઓ શું શું કરી શકે છે !! કારણ કે તેમને માટે આ બધું મહદ્‌ અંશે સરળ છે. કારણ કે તે સૌ “જૈસે થે વાદી છે … લૂટો અને લૂટવા દો, ગરીબોને ખેરાતના વચનો આપો, તેમને અશક્ત તથા સરકાર ઉપર અવલંબિત જ રાખો … મારા વિરોધીઓ એવું ઈચ્છે છે કે “કાળું નાણું ઉત્પન્ન થવા દો, તેના થકી આપણે વિદેશોમાં રોકાણ કરી શકીશું, વિદેશોમાં સંપત્તિ ખરીદી શકીશું, વિદેશોમાં ટાપુઓ ખરીદી શકીશું અને તેના ઉપર અફલાતૂન બંગલાઓ બાંધી શકીશું …” હે સર્વજ્ઞ, આ બધાં કારણોથી જ મોદી તેમને નડે છે. મારા વિરોધીઓ મારા ઉપર ભૂરાયા થયા છે. મેં વિદેશો સાથે આપણા દેશના સંબંધો સુધાર્યા …, આપણા  દેશની આબરુને ટોચ ઉપર લઈ ગયો … આવું બધું તેમને નડે છે. એટલે જ ટ્રમ્પ આવવાના સમયે તેમણે શાહીન બાગનો પ્રપંચ પ્રાયોજિત કર્યો. તોફાનો કરાવ્યા, જનતાની સંપત્તિને બાળી, અને આ બધું આર.એસ.એસ.વાળાએ કરાવ્યું એવો વિદેશોમાં પ્રચાર કર્યો. મને તો દૃઢ વિશ્વાસ છે કે આ બધું એક મહાપ્રપંચનો ભાગ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સહસ્રબુદ્ધે, તું સઘળું તો જાણે જ છે. તો પછી મારી પાસે કેમ આવ્યો છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વવ્યાપી, મારે ફક્ત આપની પાસેથી લીલી ઝંડી જોઇએ. અને જો આપના તરફથી કોઈ સૂચન હોય તો તે જોઇએ. ક્યારેક મને એવું લાગે છે કે જો બધું નિશ્ચિત જ છે તો મને જે કંઈ સુઝે તે મારે કરવું જોઇએ. જે થવાનું છે તે તો થવાનું જ છે, તો પછી મારે “શું થશે?” એવી ચિંતા કે વિચાર પણ શા માટે કરવો જોઇએ? હે વિશ્વ નિયંતા, તમે વિશ્વના નિયમો બનાવ્યા, મનુષ્યને પ્રજ્ઞા આપી, તો પછી તમે મતિભ્રષ્ટ મૂર્ધન્યો અને મતિ ભ્રષ્ટ વિશ્લેષકો કેમ ઉત્પન્ન કર્યા?

મહેશ્વરઃ ઉવાચ ; હે મેઘાવી, માનવ સમાજની બૌધિક અને કર્મકૌશલ્યની  ઉન્નતિ માટે સમાજ વિરોધી તત્ત્વો હોવા જરુરી પણ છે. કારણ કે શાણો મનુષ્ય આવા લોકોના વિચારોનો અને વર્તણુંકનો અભ્યાસ કરે છે અને તેમ કરતાં કરતાં પોતાની બુદ્ધિનો અને કૌશલ્યનો વિકાસ કરે છે. જો વિરોધી તત્ત્વો જ ન હોય તો મનુષ્યની વિચાર શક્તિ વિકસે જ કેવી રીતે? સમાજ આગળ જ કેવીરીતે વધી શકે? ચર્ચા દ્વારા સામેના માણસના વિચાર અને વિચાર પદ્ધતિ જાણે છે, વિચારનું આદાનપ્રદાન થાય, વિરોધીઓના વિચારોની ચકાસણી થાય છે અને તેથી મનુષ્યના મગજનો  વિકાસ થાય છે.   કર્મ કરવામાં પણ તેને વધુસારું કઈ રીતે કરી શકાય તે વિષે વિચારવાથી અને એક જ કર્મને અવારનવાર કરવાથી (અભ્યાસથી) કર્મ કરવામાં કૌશલ્ય અને ઝડપ આવે છે.  

 નરેન્દ્રઃ ઉવાચ ; “હે ઈશ્વર, તમે તો સર્વ શક્તિમાન છો … તમારી ઈચ્છાવગર પાંદડું પળ હલી શકતું નથી. તો તમે સર્વજ્ઞતા અને પરિપૂર્ણતા મનુષ્યમાં પહેલેથી જ કેમ મુકી દેતા નથી?

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રચેતસ્‍, હું અનિર્વચનીય છું. વિશ્વની સરખામણીમાં એક કણ જેટલો નાનો છે, તે કણના કણથી પણ નાની આ પૃથ્વિ છે. તમે જે વિશ્વમાં રહો છો તે જેવું છે, તેવું કેમ છે, તે મૂળભૂત તત્ત્વ અને ઉર્જાના ઐક્યત્વને જોડતા પ્લેંક અચળ ની સંખ્યા ઉપર આધારિત છે. જે  ૬.૬૨૬૦૭૦૦૪ x [૧/(૧૦ x … ૩૪ વખત)]જુલ સેકન્ડ છે. એ જરુરી નથી કે પ્લેંકના અચળ અંક હમેશા આ જ હોઈ શકે. એવાં હજારો કરોડો વિશ્વ હોઈ શકે જેમાં પ્લેન્કનો અચળાંક શૂન્ય થી અનંત સુધીનો હોઈ શકે. હું આ બધા વિશ્વોનો સમુચ્ચય છું. તમે અત્યાર સુધી ત્રણ પરિમાણને જાણતા હતા. તમે જેમ જેમ વિચારતા ગયા, પ્રયોગો કરતા ગયા તેમ તેમ તમને જાણવા મળતું ગયું કે પરિમાણો તો ૧૧+૧૧+૪=૨૬ (૪=લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય) છે. …

નરેન્દ્રઃ ઉવાચ ; “હે પ્રભુ, હું આ બધું સમજતો નથી. અને મારે સમજવું પણ નથી. અત્યારે તો મારા વિરોધીઓ મને બંધારણનો ઘાતક, લોક શાહીનો દુશ્મન, કોમવાદી, કટ્ટર હિન્દુત્વ વાદી … અને  અહિંસાને નેવે મુકનારો … એવું બધું કહે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિસ્પૃહી, તું એક વાત સમજ. જેમ મનુષ્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તે સમજતો ગયો કે “બળીયાના બે ભાગ” ઉપર કશુંક તો નિયમન લાવવું જ પડશે. એટલે તે નિયમો બનાવતો ગયો. આ નિયમો બનાવવા પાછળની વૃત્તિનું પ્રેરક બળ, ઓછામાં ઓછી હિંસા એટલે કે અહિંસા છે. આ નિયમો બનાવનારને કેટલાક પેગમ્બર કહેતા, કેટલાક ઈશ્વરનો પુત્ર કહેતા, તો કેટલાક ઈશ્વરનો અવતાર કહેતા. ભારતમાં આવું ન હતું. જેમને ઈશ્વરનો અવતાર કહેતા તે એક વિશેષણ જ હતું. ભારતમાં તો નિયમો ઋષિઓએ બનાવ્યા. તેઓ જ્ઞાની, દાર્શનિક,  મનનશીલ અને ચિંતનશીલ હતા. તેઓ ધ્યાની હતા. તેમણે આને “શાસ્ત્ર” નામ આપ્યું. તેમણે દરેક ક્ષેત્રમાં શાસ્ત્રો રચ્યાં. ભારતમાં શાસ્ત્રો પ્રમાણે શાસન અને જન-વ્યવહાર થતો હતો. આમાં ફેરફાર કરવાનો હક્ક ફક્ત તજજ્ઞનોને જ હતો. તેટલું જ નહીં તેના ઉપર ચર્ચા કરવાનો હક્ક સૌ કોઈનો હતો. પણ ચર્ચા વિવેકશીલ હોવી જોઇએ. ચર્ચા વિતંડાવાદી અને હિંસક ન હોવી જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; “પણ હે વિશ્વેશ્વર, ભારતમાં તો ચર્ચા ને તો બાજુપર મુકો પણ જે પ્રદર્શનો થાય છે તે હિંસાને જન્મ આપે છે અને તેને ફેલાવે પણ છે. તેનું શું?

મહેશ્વરઃ ઉવાચ ; હે કૃતનિશ્ચયી, તેં જે વાત કરી, તે નિયમ અને તેના પાલન કરાવવાની સમસ્યા છે. જો જનતાને અનુભૂતિ થશે કે નિયમનો ભંગ કર્યો એટલે સજા થવાની શક્યતા સો ટકા છે. મોટો ચમરબંધી પણ આપણને બચાવી શકશે નહીં. તો દરેક વ્યક્તિ નિયમબદ્ધ બનશે જ.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે કલ્યાણકારી, હું તો પ્રયત્ન કરું જ છું. પણ ખબર નથી પડતી કે ન્યાયાલય ને કેમ અમુક બનાવોની ગંભીરતાની ખબર પડતી નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે આર્ષદર્શી, આમાં મારે તને કશું કહેવાની જરુર નથી. પણ તું જે સીસ્ટમ બદલવાની વાત કરે છે તે બરાબર છે. પણ તે સીસ્ટમ બદલવાની વાતમાં કોઈ સામાન્ય માણસને પણ લે, કારણ કે સામાન્ય માણસની મુશ્કેલીઓ તારા અધિકારીઓ સમજવા માગતા નથી. સરકારી પોર્ટલ માં શું ખામી છે અને ખાસ કરીને સરકારને પોતાની વાત પહોંચાડવામાં શું ખામી છે અને તેથી શી  મુશ્કેલી છે તે સામાન્ય સુજ્ઞ માણસ જ કહી શકશે.  સરકારી નોકરો  હમેશા પોતાની સગવડતા જોતા હોય છે. આ ઉપરાંત તારા વિરોધીઓ ઉપરના  જે કંઈ કેસ ચાલે છે તેને ઝડપથી ચલાવવાની સીસ્ટમ ગોઠવ. તારા વિરોધીઓ અત્યારે નવરા છે એટલે તેઓ ન્યાયાલયમાં ફાલતુ અરજીઓ કર્યા કરે છે. ન્યાયધીશોને પણ તારે દુધે ધોયેલા માનવા નહીં.

નરેન્દ્રઃ ઉવાચઃ હે કરુણામય, હું તો આ મારા વિરોધીઓની ગેંગો થી ત્રસ્ત છું. એક તરફ તેઓ હિંસા ફેલાવે છે અને બીજી તરફ મને નાઝી વાદી કહે છે. વિદેશોમાં પણ મને તેમના નેટવર્ક દ્વારા બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ;  “હે પરદુઃખભંજક, તું આવી બધી સમસ્યાઓ તારા અનુયાયીઓને સોંપી દે અને એક તંત્ર પણ બનાવ. જનતામાં તારા પ્રશંસકો છે  તેઓ તો હોંશે હોંશે તને મદદ કરવા આતુર છે. અને તેઓ તારા નિર્ણયોની યોગ્યતાનો પ્રચાર પણ કરે છે. તું સોસીયલ મીડીયા ઉપર સક્રિય રહે. પલાયનવાદી વૃત્તિનો જો તારામાં જન્મ થયો હોય તો તેનો ત્યાગ કર. જનતામાં તું જ સૌથી વધુ વિશ્વસનીય છે. અને તારા ઉપર જ દેશપ્રેમીઓ આશાની ઉમ્મીદ લઈને બેઠા છે. એટલે તેમની સાથેના સંવાદને તું બંધ ન કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “ હે હરિહર, હું ખંતથી, સ્વાર્થહીન રીતે, અથાક મહેનતથી અને નીતિમત્તાથી કામ કરું છું. આથી પણ જો સારી રીતે કામ થઈ શકતું હોય તો હું તે માટે તૈયાર છું. તો પણ મારા વિરોધીઓ મને તો એલફેલ બોલે તેમાં મને બહુ વાંધો નથી પણ મારા વિરોધ કરતાં કરતાં તેઓ દેશના હિતનો ખ્યાલ રાખતા કેમ નથી? શું કર્મનો સિદ્ધાંત ખોટો છે? જ્યારે દેશને તોડનારી તાકાતો દેશ વિરુદ્ધ અદ્ધર અદ્ધર જ ઉચ્ચારણો કરે છે, ત્યારે મારા પ્રશંસકો દેખીતી રીતે તેમને ગદ્દાર કહેવાના જ. તો આ લોકો એમ કહે છે કે હવે તો સરકારની વિરુદ્ધ બોલનારાઓને પણ દેશના ગદ્દારો કહેવાની પ્રણાલી મોદીએ પાડી છે. અને આવી વાતો દેશના કેટલાક પ્રતિષ્ઠિત કહેવાતા મૂર્ધન્યો પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિષ્કામકર્મી, તું જાણે છે કે કર્મનું ફળ સર્વત્ર અને સર્વદા, વ્યક્તિગત કર્મફળ હોતું નથી. સમાજ, જેમાં કુદરત પણ આવી જાય, તેની પરિસ્થિતિ, સમાજજન્ય કર્મ અને વ્યક્તિગત કર્મના પરિણામી કર્મફળ મળે છે. જેમ કે તું ચા બનાવવા ઇચ્છે  તો, ચા, તો જ થાય, જો તપેલીવાળાએ તપેલી બનાવી હોય, પ્રાયમસવાળાએ પ્રાયમસ બનાવ્યો હોય, અને બીજા અનેક આનુસંગિક કર્મો, પદાર્થો હોય કે થયાં હોય તો જ તું  ચા બનાવી શકે. અને જો તું ચા કરી શકતો હોય તો રાક્ષસ પણ ચા કરી શકે. “આ રાક્ષસ છે એટલે હું નહીં સળગું, અથવા રાક્ષસને જ સળગાવી દઈશ” એમ અગ્નિ કહી ન શકે. આવા કારણો થકી કેટલાક મને ભોલેનાથ કહે છે. પણ હે દેશસુરક્ષાના ક્રાંતિવીર,  જો તું  સુરક્ષાને ધ્યાનમાં નહી લે તો તું ભલે શ્રેયના માર્ગે છે તેમ માનતો હોય તો પણ તારા દેશનો નાશ કે પરાજય થઈ શકે છે.

ત્રીનેત્રક્ષેત્રે કળીયુગ ગીતા દ્વિતીય અધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 3

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – 3

માદાઓને પટાવવી કે કમજોરીનો લાભ લેવો

ઓશો આશારામ અને સંત રજનીશમલ વિષે આપણે જોયું.

ઓશો આશારામ રસાયણ અને અથવા હિપ્નોટીઝમના ઉપયોગ દ્વારા માદાઓને પોતાના માટે પટાવી શકતા હતા.

સંત રજનીશમલ એવા હતા કે તેમના તર્કને ભૌતિક શાસ્ત્રીઓ માન્ય ન રાખે પણ જેઓ જાતીય રીતે અસંતુષ્ટ હોય તેવા પોતાના (અક્કલ વગરના) તર્કદ્વારા પોતાની વાત રજુ કરતા અને તેમનો અનુયાયી વર્ગ ઉપરોક્ત રીતે સંવેદના અને આર્થિક ક્ષમતાના માપ દંડ દ્વારા ગળાયેલો હોવાથી આ વર્ગને સંત રજનીશમલનો તર્ક શીરાની જેમ ગળે ઉતરી જતો હતો.

SOCIAL REFORMERS

સાહેબ તરુણ તેજપાલની વાત

ઓફીસમાં સ્ત્રી ન હોય તો એ ઓફિસ સ્ત્રીપાત્ર વગરના નાટક જેવી ગણાય. ઓફિસ એટલે દુકાનો પણ આવી જાય. મનુષ્યમાં રહેલી આવડતને વધારવા અને તેના મગજને સક્રીય બનાવવા તેમજ ઘરાકી વધારવા પુરુષો સાથે સ્ત્રીઓને પણ રાખવામાં આવે છે. આની પાછળ માનસ શાસ્ત્રીય કારણો હોય છે. અને તે ક્ષમ્ય પણ છે.

સ્ત્રી અને પુરુષ એક સાથે કામ કરે એટલે જાતીય આકર્ષણથી નીપજતા બનાવો બને તે કુદરતી છે. બે માંથી એક કે બંને પરણેલા હોય તેથી કોઈ ખાસ ફેર પડતો નથી. જો બંને કુંવારા હોય તો થોડો ઘણો ફેર પડે ખરો. આ બધું કોઈ પણ રીતે હોય પણ જો બે વિજાતીય વ્યક્તિ વચ્ચે કશું અંગત અંગત હોય તો તે છાનું રહેતું નથી. અને ન હોય તો પણ જો બે વિજાયતીય વ્યક્તિઓનો સંપર્ક સામાન્ય કરતાં થોડો વધુ પ્રમાણમાં હોય તો મોટે ભાગે અફવાઓ તો ઉડે જ છે.

સદા જુવાન નરભાઈઓ

ખાસ કરીને નરભાઈઓ સદા જુવાન હોય છે. એટલે કેટલાક અને ખાસ કરીને સાહેબ કે શેઠ સમાજમાં લાગુ પડતા ઉમરના તફાવતને ધ્યાનમાં લીધા વગર માદાઓને ફસાવવાના પેંતરાઓ કરતા હોય છે. આમાં આર્થિક મદદ, ભેટસોગાદ, બૉડી, બૉડી લેંગ્વેજ, બઢતીની પ્રત્યક્ષ કે પરોક્ષ લાલચ વિગેરેનો તેઓ ઉપયોગ કરે છે. કોઈએક માદાને કેટલી ફસાવી શકાય એમ છે તે પ્રમાણે તેને ફસાવવામાં આવે છે. નરસાહેબ જો પરિણિત હોય અને તેઓ એક કે એક કરતાં વધુ માદાઓને ફસાવવાની કોશિસ કરતા હોય કે ફસાવતા હોય તો અફવાઓ જોર પકડે છે. કાર્યાલયમાં જો કોઈ જોરદાર નર કે માદા અસહિષ્ણુ હોય તો સાહેબભાઈ ફસાય છે પણ ખરા.

મોટે ભાગે તો અફવાઓ વધુ હોય છે અને વાસ્તવિકતા ઓછી હોય છે. પણ દરેક જગ્યાએ વાસ્તવિકતા શૂન્ય હોતી નથી.

જેમ સહકાર્યકર સાહેબ હોદ્દાની રુએ કે આર્થિક રીતે કે આવડતમાં મોટા તેટલું ઈચ્છુક સાહેબને માદાને ફસાવવાનો ઓછો શ્રમ કરવો પડે છે. જો માદા ફસાય અને જો  તે ફસામણી જાહેર થાય તો માદાની ટીકા વધુ થાય એટલે મોટા ભાગે માદાઓ કોઈ ફસામણી જાહેર કરતી નથી. આવા સંજોગોમાં સાહેબ અફવાઓ દ્વારા બદનામ જરુર થાય છે. પણ નરભાઈને આ બદનામી કે ટીકા ખાસ નડતી નથી. માદાઓ આવા સાહેબનરથી ચેતીને ચાલે છે.

તેજપાલ સાહેબો તરુણ ન હોય તો પણ તેમની કામેચ્છાને તેઓ પોતાની પત્ની સિવાયની માદાઓ દ્વારા સંતોષવા આતુર હોય છે. આ બાબત (માદાઓ પણ નરની હિંમત એવો શબ્દ પ્રયોગ કરેછે) સાહેબમાં રહેલી હિંમત, પ્રબળતા અને માદાની પ્રતિકારહીનતાના પ્રમાણ અને માનસિકતા ઉપર આધાર રાખે છે.

માદાબહેનો સહયોગીભાઈ કે સાહેબભાઈ સાથે જાતીય સંબંધ બાબતે અમુક શારીરિક સીમા રાખે છે.  આ સીમા કેટલી છે તે નરભાઈ તત્કાલિન કે સ્મૃતિમાં પડેલા અનુભવથી સમજતો હોય છે. વળી આ સહયોગી ભાઈ કે સાહેબભાઈ પશુ તો હોતા નથી, પણ બુદ્ધિશાળી હોય છે અને મુશ્કેલીઓની આગાહીઓ કરવા માટે સક્ષમ હોય છે છતાં પણ તેઓ ભાવિ પરિણામોથી ડર્યાવગર જાતીય વલણોમાં સ્ખલન કેમ અનુભવે છે?

સહયોગી ભાઈઓ કે સાહેબભાઈઓ સામે પક્ષે રહેલી માદાની પ્રતિકાર કરી શકવાની ક્ષમતાને કેમ સમજી શકતા નથી?

કુદરત શું કહે છે? અથવા તો કુદરતી વ્યવસ્થા શું છે?

ભારતીય સંસ્કૃતિ શું કહે છે

આહાર, નિદ્રા, ભય અને મૈથુન સહજ છે. વૈજ્ઞાનિકો આને “આવેગ” એમ કહે છે. માણસની કેટલીક ક્રિયાઓનો આધાર આવેગો હોય છે જે કુદરતી હોય છે. આપણા શાસ્ત્રો કહે છે કે  આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે.

આ વૃત્તિઓ મનુષ્યમાં શા માટે સહજ હોય છે?

અદ્વૈતની માયાજાળમાં આપણે જોયું કે દરેક વસ્તુ સજીવ છે. સુપરસ્ટ્રીંગ મૂળભૂત સજીવ છે. આ સજીવ ભૌતિક ક્રિયા દ્વારા એક બીજા સાથે જોડાઈને બીજા કણો બનાવે છે. આ કણોમાં ક્વાર્ક, ગોડ કણ, ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ન્યુટ્રીનો, ફોટોન, પરમાણુ, અણુ, સંયોજનો, વિગેરે આવે છે. તેઓ સૌ ભૌતિક સાનુકુળતાઓ પ્રમાણે બને છે અને આંતરિક બળોથી ટકે છે. આ પ્રમાણે શક્યતાઓ ઉભી થઈ ત્યારે વધુ સંકીર્ણ કણો ઉત્પન્ન થયા જેઓને આપણે સજીવ કહ્યા કારણકે તેઓ પોતાના જેવા બીજા કણો ઉત્પન્ન કરતા હતા. આપણે કણો માટેની વ્યાખ્યાની એક સીમા બાંધી અને જેઓ વંશવૃદ્ધિ કરે છે તેને જ સજીવ ગણ્યા.

સજીવોનો સમૂહ

સજીવોનો સમૂહ પણ એક જાતનો સજીવ છે. મનુષ્ય સજીવ છે તેમ મનુષ્યનો સમૂહ પણ સજીવ છે. સજીવમાં જીવવાની (ટકી રહેવાની) ઈચ્છા હોય છે. આ માટે જે કંઈ કરવાનું હોય તે તેની ઈંદ્રીયો દ્વારા કરે છે કે નીતિ-નિયમ દ્વારા કરાવે છે. વ્યક્તિગત રીતે આ કાર્યશક્તિ સજીવના ડીએનએ-આરએનએ ના બંધારણ ઉપર આધાર રાખે છે.

એક જ જાતના સજીવોનો સમૂહ પણ સજીવ હોવાથી તેનામાં પણ જીજીવિષા હોય છે. અને તેને પરિણામે કુદરતી વ્યવસ્થા પ્રમાણે અમુક પ્રકારના સજીવો વિભક્ત થઈને વંશવૃદ્ધિ કરે છે. તો અમુક પ્રકારના સજીવો મૈથુની ક્રિયા દ્વારા વંશવૃદ્ધિ કરે છે. સમાજ પણ ટકી રહેવા માટે પોતાના વર્તનમાં ભૌગોલિક કે વૈચારિક પરિમાણોને આધારે બદલાવ લાવે છે અથવા વિભક્ત થાય છે અને ટકવાની કોશિસ કરે છે.

જાતીય વૃત્તિનું આરોપણ

સજીવને વિભક્ત થવું હોય તો તેણે ભૌતિકરીતે વૃદ્ધિ પણ કરવી જોઇએ. એટલે તેણે ખોરાક પણ લેવો પડે. ખોરાકમાં હવા અને પાણી પણ આવી જાય. ખોરાકમાંથી યોગ્ય તત્વોને શોષવા પડે અને આ જુદા જુદા તત્વોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા પડે. આ માટે પ્રાકૃતિક વ્યવસ્થા હોય છે. આ પ્રાકૃતિક વ્યવસ્થા પણ ડીએનએ-ઓ દ્વારા ગોઠવાય છે. આ વ્યવસ્થા માદાના શરીરમાં થાય છે. અને તેમાં કુદરતી વ્યવસ્થા પ્રમાણે નરનો શુક્રકણ પણ ભાગ ભજવે છે. એ પછી માદામાંથી તે નવો જીવ નિકળી આવે છે. આમ જીવસમુહ એક જીવ તરીકે ટકી રહે છે. આ મૈથુની સૃષ્ટિ કહેવાય છે. આ મૈથુની સૃષ્ટિના જીવોમાં ઈશ્વરે જાતીય વૃત્તિ મુકી છે.

જીવને ટકાવી રાખવા માટે આહાર છે. જીવ અનેક અંગોનો અને અંગો જાત જાતના કોષોનો બનેલા  છે. સૌ પોતપોતાનું કામ અગમ્ય રીતે હળી મળીને કરે છે. મનુષ્યનું એક અંગ મગજ છે જેમાં એક વિશિષ્ઠ કાર્ય એટલે કે બૌદ્ધિક કાર્ય થાય છે. આ ક્રિયામાં બ્રહ્મરંધ્ર છે જે કેવીરીતે શરીરનું સંચાલન કરે છે તે સંશોધનનો વિષય છે. બ્રહ્મરંધ્રમાં બેઝીક ટાઈમ હોય છે જે સીગ્નલો મોકલે છે. બીજા અનેક વિભાગો છે. આ વિભાગો અનેક પ્રકારના કોષોના બનેલા છે જેમાં ન્યુરોન પણ આવી જાય. બુદ્ધિ સ્મૃતિના કોષોથી જોડાયેલી હોય છે. સ્મૃતિ અંગોદ્વારા મળેલી માહિતિઓનો સંગ્રહ કરે છે અને જ્યારે મગજ માગે ત્યારે તેને આપે. બુદ્ધિ,  સ્મૃતિસમૂહોનું સંકલન કરી સરખામણી કરી નિર્ણયો કરે છે. આ ક્રિયાને બૌદ્ધિક ક્રિયા ગણાય. જોકે આ ક્રિયા બધા સજીવોમાં વત્તા ઓછા પ્રમાણમાં હોય છે. મનુષ્યમાં વિશેષ હોય છે. તેથી મનુષ્ય બુદ્ધિદ્વારા વિચારશીલ બને છે અને ભાવી યોજનાઓ ઘડે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નર, માદા, પટાવવી, ઓશો, સંત, હિપ્નોટીઝમ, તર્ક, ભૌતિકશાસ્ત્ર, જાતીય, આકર્ષણ, સ્ત્રી, પુરુષ, અફવા, સદા જુવાન, નરભાઈ, સાહેબ, મદદ, લાલચ, કાર્યાલય, હોદ્દો, તેજપાલ, હિંમત, પ્રતિકાર, કુદરતી વ્યવસ્થા, ભારતીય, સંસ્કૃતિ, આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, સમૂહ, કણ

 

Read Full Post »

શિલા લિખિત નહેરુવીયન આતંકવાદ

ઈતિહાસના કેટલાક પ્રકરણો એવા હોય છે જે હજારો વર્ષસુધીમાં પણ ન ભૂંસી શકાય. અલબત્ત જો તે વંશીય શાસકોનું શાસન ચાલુ રહે તો તે શાસકો જરુર તે પ્રકરણોને ભૂંસી નાખવાની કોશિસ કરે.   પ્રજા જો મૂર્ખ હોય તો હોય તો તે વંશીય શાસકોને આ પ્રકરણો ભૂંસી નાખવામાં સરળતા પણ રહે. હાજી લોકશાહીમાં પણ આવું થઈ શકે.

જેઓ સુજ્ઞ છે અને જેઓને સત્તાની ઝંખના નથી અને જેઓને ખ્યાતિની ભૂખ નથી અને જેઓને પોતાના અસ્તિત્વની પડી નથી તેઓ જો જાતના ગુણધર્મો પ્રતિ આદર ધરાવતા હોય અને તેવી તેમની દીશા હોય, તો તેઓએ કદી આ નહેરુવીયન આતંકવાદ ભૂલવો ન જોઇએ.

હાજી. નહેરુવંશીય એક ફરજંદે પોતાની ગેરકાયદેસર સત્તા ચાલુ રાખવા દેશ ઉપર કટોકટી લાદેલી. તેની આ વાત છે.

કટોકટીમાં શું હતું?

આ કટોકટીમાં આ નહેરુવીયન ફરજંદે પોતાની વિરુદ્ધ જે કંઈ હોય, પછી તે વિરોધ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે હોય કે તે વિરોધ મનમાની શંકા માત્રના આધારે  હોય તેવા વિરોધી સમાચારો માત્રને પ્રગટ થતા અટકાવી શકાતા હતા. જો કોઈ છાપાં આવા વિરોધી લાગે તેવા સમાચાર છાપે તો તેના પ્રેસને તાળા મારી શકાતા હતા અને તે વ્યક્તિઓને અનિયતકાળ માટે જેલમાં રાખવામાં આવતી હતી.

જેઓ કટોકટીમાં ટટાર ઉભા રહ્યા અને માથું ઉંચું રાખ્યું તેમની પ્રત્યે આ નહેરુવીયન ફરજંદના સેવકોએ આ નહેરુવીયન ફરજંદના પુરસ્કૃત આજ્ઞાઓને આધારે આતંકીઓને શોભે તેવા વર્તનો કરેલાં.

સર્વોદયનું મુખપત્ર “ભૂમિ પૂત્ર”ના પ્રેસને તાળાં લાગી ગયાં હતાં અને તેના સંપાદક તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ જેલમાં શોભતા હતા.

“ઓપીનીયન” ના તંત્રી સંપાદક ગોરવાલાના પણ ક્રમે ક્રમે એવા જ હાલ કરેલા.

રોજીંદા છાપાંના તંત્રી, માલિકો અને કટારીયાઓએ (કટાર લેખકોએ) શું કર્યું?

 

“સેન્સર થયેલા સમાચારોની જગ્યા કોરી રાખો” એક સૂચન

જૂજ માલિકો અને કેટલાક તેમની સાથે સંકળાયેલા હતા તેમણે સૂચવ્યું કે સમાચારો જે કંઈ છપાવવા માટે આવે છે તે સૌપ્રથમ તો આ નહેરુવીયન ફરજંદે નિમેલા સેવકોની ચકાસણી અને મંજુરી પછી જ છપાય છે માટે આપણે ટકી રહેવા માટે એવું કરીએ કે જે સમાચારોને મંજુર ન કરવામાં આવ્યા, તે સમાચારો છાપાંમાં જે જગ્યા રોકવાના હતા, તે જગ્યા આપણે કોરી રાખવી. આવું કરવાથી કમસે કમ જનતાને ખબર પડશે કે કેટલા સમાચારોનો અને કેટલા લખાણોનો જત્થો રોકવામાં આવ્યો છે.

પણ આવી વર્તણુંકનો અર્થ એવો કરવામાં આવ્યો કે આ તો નહેરુવીયન ફરજંદની પરોક્ષ નિંદા થઈ કહેવાય. એટલે દેશની પણ નિંદા થઈ કહેવાય, એટલે દેશદ્રોહ પણ થયો કહેવાય. એટલે આવું કરનારા તો જેલમાં જ શોભે. અમે તો દેશની ભલાઈ માટે જ કામ કરીએ છીએ. એટલે અમારી સેન્સર શીપ સમાચાર અટકાવે છે એવો સંદેશ પણ જનતામાં જવો જ ન જોઇએ. સરકારની કોઈપણ વાત નકારાત્મક છે તે ઈન્દીરામાઈનું અપમાન છે. અને ઈન્દીરામાઈનું અપમાન એટલે દેશનું અપમાન. ઈતિ સિદ્ધમ્‌.

નમવાનું કહો છો? અમે તો તમારા પગમાં આળોટવા માંડ્યા છીએ.

મોટાભાગના સમાચાર પત્રોના માલિકો, તંત્રીઓ, સંપાદકો અને કટાર લેખકોને ખબર પડી ગઈ કે સરકાર માબાપ નમવાનું કહે છે. એટલે તેઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયા એટલું જ નહીં સરકારની ભાટાઈ અને વિપક્ષી નેતાઓની નિંદા કરતા થઈ ગયા. અરે આ બાબતમાં સ્પર્ધા કરતા પણ થઈ ગયા. 

અફવાઓ ફેલાવવાનો સરકારનો અબાધિત હક્કઃ

દેશદ્રોહીઓને અમે પકડ્યા છે. કાળાબજારીયાઓને અમે પકડ્યા છે, ચોરોને અમે પકડ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરનારાઓને અમે પકડ્યા છે. ગરીબોને અમે પાકા રહેઠાણો આપી દીધા છે, રેલગાડીઓ નિયમિત દોડતી કરી દીધી છે, મોંઘવારીનું નામ નિશાન નથી, જનતા ખુશહાલ છે. બધે આનંદ મંગળ છે. જે કોઈ કર્મચારીની સામે ફરિયાદ આવે તેને અમે સસ્પેન્ડ કરી દઈએ છીએ, અને કાર્યવાહી ચાલુ કરી દઈએ છીએ. એટલે સરકારી કર્મચારીઓમાં લાંચરુશ્વત નાબુદ થઈ ગઈ છે. સૌ કોઈ નિષ્ઠાવાન અને પ્રજાપ્રેમી થઈ ગયા છે. બધે કાયદાનું શાસન છે.

એક વયોવૃદ્ધ નેતા (મોરારજી દેસાઈ)ની પાછળ તેની (આદતને પોષવા માટે) રોજ વીસ કીલોગ્રામ ફળો આપાય છે.

એક પોતાને સર્વોદયવાદી ગણાવતો નેતા (જયપ્રકાશ નારાયણ) લશ્કરને બળવો કરવા ઉશ્કેરતો હતો.

એક વયોવૃદ્ધ સર્વોદયવાદી નેતાના (રવિશંકર મહારાજના) ઘરમાં સ્ફોટક પદાર્થોનો જત્થો રખાયો હતો. જોકે અમે તેને તેની ઉંમરને લક્ષ્યમાં લઈ પકડ્યો નથી (ઘરકેદમાં રાખ્યો છે).

અમારું ધ્યેય (ઈન્દીરાઈ સરકારનું ધ્યેય) “સબસે નમ્ર વ્યવહાર” (કામ જેલમાં પુરવાનું).

વિનોબા ભાવે કામકરતી સરકાર ઉપર ગૌવધબંધીને લગતો કાયદો ઘડવાની ભલામણ કરી રહ્યા છે અને આ માટે આમરણાંત ઉપવાસની ધમકી આપી રહ્યા છે. વિનોબાભાવેએ સુધબુધ ગુમાવી દીધી છે. શું આ “અનુશાસન પર્વ” રુપી દેશની કટોકટીના સમયે આવી ક્ષુલ્લક વાતો કરવી તેમને શોભે છે? જોકે કોઈ પણ સમાચારપત્રમાં વિનોબા ભાવેએ કરેલી ઉપરોક્ત વાત આવી ન હતી. પણ નહેરુવીયન કોંગ્રેસના કોઈ એક નેતાએ વિનોબા ભાવેની ટીકા કરી એને તો સેન્સર કરી ન જ શકાય એ આધારે સરકારી સેવકે સમાચાર છપાવા દીધા.

સૌથી મોટું કૌભાણ્ડ અને ફ્રૉડ એટલે કટોકટી

૧૯૭૫ની ૨૫મી જુને, ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી અને તે માટે કયા કારણો હતા અને કયા કારણો પ્રસારિત કરવામાં આવ્યા તે ઉપર પુસ્તકો લખાયા છે કે નહીં તે વિષે બહુ ચર્ચા થતી નથી.

કટોકટી લાદવાની આખી પ્રક્રિયા, તેની જાહેરાત, તેના કારણો, તેના આચારો અને અત્યાચારો, માન્યતાઓ એક શિલા લિખિત આતંકવાદ જ નહીં પણ જનતા ઉપર સતત લટકતી આતંકવાદી સરકારી ધમકી હતી.

ઈન્દીરા ગાંધીની સરકાર એક સુસ્થાપિત લગભગ સાર્વત્રિક રીતે વ્યાપક (એક બે અપવાદિત રાજ્યોને બાદ કરતાં) સરકાર હતી, ઈન્દીરા ગાંધીએ ખુદ એવા મંત્રી, મુખ્યમંત્રીઓ નિયુક્ત કરેલા કે જે હાજી હા કરવા વાળા હોય. કેન્દ્રમાં, રાજસભા તથા લોકસભામાં ઈન્દીરાઈ નહેરુવીયન કોંગ્રેસને માત્ર બહુમતી નહીં પણ સંપૂર્ણ બહુમતિ (બે તૃતીયાંશ બહુમતિથી પણ વિશેષ) હતી.

ઈન્દીરા ગાંધીનો કારભાર જ અરાજકતા ભર્યો હતો એટલે તેનો અસલ ચહેરો ૧૯૭૩થી જ ખુલવા માંડ્યો હતો. ગુજરાતમાં ૧૯૭૨ની વિધાનસભાની ચૂંટણીમાં નહેરુ-ઈન્દીરાઈ કોંગ્રેસને ૧૬૨ બેઠકોમાંથી ૧૪૦ બેઠકો મળી. ચિમનભાઈ પટેલને બહુમતિ સભ્યોનો સપોર્ટ હતો. પણ ઈન્દીરા ગાંધીને તો હાજી હા કરનારા જ મુખ્ય મંત્રી જોઇએ. એટલે ચિમનભાઈને બદલે ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્ય મંત્રી બનાવ્યા. ચિમન ભાઈએ તેમની રીતે લડત આપી અને ધરાર ઈન્દીરાગાંધીની ઈચ્છાની ઉપરવટ જઈ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.

બે રાક્ષસો એક બીજા સામે લડે તો બંને નબળા પડે. અરાજકતા હોય એટલે કારણો શોધવા ન પડે. એટલે નવનિર્માણ આંદોલન થયું અને વિધાનસભાનું વિસર્જન થયું. ૧૯૭૫માં બાબુભાઈ જશભાઈએ પાતળી બહુમતિ વાળી જનતા મોરચાની સરકાર બનાવી. બીજીબાજુ ઈન્દીરા ગાંધી જે કશા નીતિ નિયમો વ્યવહારમાં માનતી ન હોવાથી, તેની ચૂંટણી અલ્હાબાદ ઉચ્ચાદાલતે રદબાતલ કરી. અને ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી.

જોકે ઈન્દીરા ગાંધીમાં યોગ્યતા, કાબેલીયત અને નિષ્ઠા હોત તો તે દેશની ભલાઈ માટે ચમત્કાર સર્જી શક્યાં હોત. પણ તેમને સંસદમાં અને રાજ્યોમાં સંપૂર્ણ બહુમતિ, નિર્વિરોધ નેતાગીરી ઓછાં પડ્યાં. એટલે લોકશાહીનું ખુન કર્યું અને આપખુદ શાહી લાદી અને સૌ વિરોધીઓને જ નહીં પણ તેમના લાગતા વળગતાનેય વિના વાંકે જેલ ભેગા કર્યા અને સમાચાર પત્રો ઉપર સંપૂર્ણ અંકુશ મુક્યો અને રેડીયો ઉપર સરકારી વાહવાહ, વાહ ભાઈ વાહ અને વિરોધીઓ ઉપર થૂથૂ ચાલુ કર્યું.

અત્યારે ઢ’વાળીયા જેવા, તેમના મળતીયાઓ, કોંગી જનો અને જેમને નરેન્દ્ર મોદી પોતાના આગવા કારણોસર પસંદ નથી, તેઓ નરેન્દ્ર મોદીને આપખુદ, સરમુખત્યાર અને સત્તા લાલચુ કહે છે આ લોકોમાંના કોઈપણ કટોકટી વખતે ભાંખોડીયા ભરતા ન હતા અને અથવા કટોકટીના ઇતિહાસથી અજ્ઞાન નથી, છતાં પણ કટોકટીના આતંકવાદની નિંદા કરવાનું ટાળે છે.

કટોકટી એ સરકારી આતંકવાદ હતોઃ

આતંકવાદ એટલે શું?

તમે મનુષ્યને તેના બંધારણીય હક્કો ન ભોગવવા દો તેને શું આતંકવાદ ન કહેવાય? જો કાશ્મિરના હિંદુઓને તેમના ખુદના કોઈ ગુના વગર, તેમના ઘરમાંથી બળજબરીથી બહાર કાઢી નાખો તો આ કૃત્ય ને આતંક વાદી કૃત્ય કહેવાય કે ન કહેવાય?

તમે કોઈ મનુષ્યને તેના કોઈ ગુનાના અસ્તિત્વ વગર જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય  કહેવાય કે નહીં?

જો તમે કોઈ બિમાર વ્યક્તિ કે જેનો ઉપચાર ચાલતો હોય તેને જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જો કોઈ બિમાર વ્યક્તિની બિમારીને અવગણીને તમે તેને મરણતોલ કક્ષાએ પહોંચાડો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જે વ્યક્તિનું આતંકવાદીઓ અપહરણ કરે છે તેને તેઓ વાણીસ્વાતંત્ર્ય આપે છે? શું આતંકવાદીઓ અપહૃત વ્યક્તિને પોતાની માન્યતા રજુ કરવાની સ્વતંત્રતા આપે છે?

જો સરકાર જ આવું બધું કરે તો તેને શા માટે આતંકવાદી ન કહી શકાય?

મનુષ્યના કુદરતી અને બંધારણીય અધિકારોનું હનન જો આતંકવાદીઓ કરતા હોય અને તેને તમે આ કારણસર આતંકવાદી ઘોષિત કરતા હો તો, જો સરકાર જ આવાં કામો કરે તો તેને શામાટે આતંકવાદી ન કહેવાય?

શું ધર્મને નામે જ અત્યાચાર કરીએ તેને જ આતંકવાદ કહેવાય?

નહેરુવીયન કોંગ્રેસનું અર્થઘટન એવું જ રહ્યું છે કે જો કોમી દંગાઓ થાય તો ભારતમાં તેને ભગવા આતંકવાદમાં ખપાવી દેવામાં પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો. તેવી જ રીતે જ્ઞાતિવાદી સંઘર્ષો પણ કરાવવા. જ્ઞાતિવાદ, ધંધા, ધર્મ, પ્રદેશ, ભાષા વિગેરે દ્વારા માનવસમાજ વિભાજીત છે અને આ વિભાજીત લોકોને એક બીજા સામે તિરસ્કાર ઉત્પન્ન કરાવવો અને નબળાને નબળો રાખવા માટે પ્રયુક્તિઓ કરવી અને અંદરખાને થી સબળાને સબળો બનાવવો. આવી જ વ્યુહરચના નહેરુવીયન કોંગ્રેસની રહી છે. ઉપરોક્ત બધા જ જુથો પછી ભલે તે જ્ઞાતિને અધારે બનેલા હોય કે, ધંધાને આધારે બનેલા હોય, ધર્મને અધારે બનેલા હોય, પ્રદેશને આધારે બનેલા હોય, ભાષાને આધારે બનેલા હોય કે રાજકીય પક્ષને આધારે બનેલા હોય. આમ તો માનવના જ બનેલા છે. અને તેઓમાંના કોઈપણ જુથમાં રહેલા માનવોના કુદરતી કે બંધારણીય હક્કોનું જો કોઈપણ બીજા જુથદ્વારા હનન કરવામાં આવે તો તે આતંકવાદ જ કહેવાય. અને આ પ્રમાણે નહેરુવીયન કોંગ્રેસે તેમના વિરોધીઓના કુદરતી અને બંધારણીય માનવ અધિકારોનું હનન કરી ૧૯૭૫થી ૧૯૭૮સુધી આતંકવાદ આચરેલો. આતંકવાદ અક્ષમ્ય જ ગણાય.

આપણા અખબારી મૂર્ધન્યો શું કરે છે?

પોતાને વિષે પોતાને “તડ અને ફડ” કહેનારા માનતા એક અખબારી મૂર્ધન્ય શું કહેછે?  કટોકટી ના સમયમાં ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસો દોરડાના છેડાઓ પકડી લાલ-લીલી લાઈટ અનુસાર ટ્રાફિકનું સંચાલન કરતા જોઇ, આ મૂર્ધન્યભાઈ ગદગદ થઈ ગયેલ. અને કટોકટીને બિરદાવેલ.

એક કટારીયા મૂર્ધન્ય એવું લખતા કે તમે તેમના વાક્યોનું વિભાજન કરીને પણ કશો અર્થ ન તારવી શકો.

કેટલાક કટારીયા મૂર્ધન્યોએ રાજકારણને છોડીને કાંદા બટેકાને લગતા લેખો લખવા માંડેલ. સાલુ કટાર પણ એક જાગીર જ છે ને. તેનો કબજો હોવો જ મુખ્ય વસ્તુ છે.

મોટાભાગના કટારીયા મૂર્ધન્યોને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે સાલુ આપણે અત્યાર સુધી શિર્ષાસન કરતા હતા. આપણે હવે સીધા થઈએ. ઈન્દીરા માઈ જ ખરી દેવી છે. તેના ગુણગાન જ કરો.

૧૯૭૬-૭૭ સમયે કરવટ બદલી.

સંપૂર્ણ બહુમતી, નિર્વિરોધ નેતાગીરી, અંતે આપખુદશાહી અને સરકારી આતંકવાદ પણ (જે દેશના ભલા માટે ઘોષિત રીતે પ્રયોજાયેલા), તે કશું કામમાં ન આવ્યું. સમાચાર માધ્યમોએ કરેલી માત્ર અને માત્ર એક તરફી, ઈન્દીરાઈ પ્રગતિ વિષેની ભાટાઈ પણ કામમાં ન આવી. જનતાએ જે પ્રત્યક્ષ જોયું તેને જ પ્રમાણભૂત માન્યું અને સ્વિકાર્યું. કટોકટીનો આતંકવાદ તેના ભારથી જ તૂટી ગયો.

૧૯૭૭માં ચૂંટણી આપવી પડી. નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસનો ઘોર પરાજય થયો. દહીંદૂધીયા, “જિસકે તડમેં લડ્ડુ ઉસમેં હમ” જેવા, અને ડરપોક એવા યશવંતરાવ જેવા નેતાઓ ઈન્દીરાને છોડી ગયા.

“લોકશાહી હોય તો બધા દુરાચારો અમને ખપે” મૂર્ધન્યો બોલ્યા

મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી જનતા પાર્ટીની સુચારુ રુપે કામકરતી સરકાર ટકી નહીં. ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં રાજકીય અનીતિમત્તા, નાણાંકીય અનીતિમત્તા, વફાદારી અને જ્ઞાતિવાદી વિભાજન અધમ કક્ષા હતું અને હજી છે.

એટલે નહેરુવીયન કોંગ્રેસ આ અનીતિવાદી સમીકરણો થી હજુ પણ શાસન કરે છે. જ્યાં સુધી મૂર્ધન્યો શિક્ષિત બનશે નહીં ત્યાં સુધી આપણા દેશ ઉપર આ એક સમયે અપ્રચ્છન્ન રીતે આતંકવાદી બનેલી નહેરુવીયન કોંગ્રેસ અને અત્યારની પ્રચ્છન્ન આતંકવાદી સરકાર તરીકે શાસન કરશે.

નહેરુવંશીઓ કોઈને છોડતા નથી

આ નહેરુવીયન કોંગી નેતાઓ કોઈ એક બાજપાઈ નામના વ્યક્તિએ ૧૯૪૨ની ચળવળ વખતે સરકારની માફી માગીને જેલ માંથી છૂટકારો મેળવેલ, તેને અટલ બિહારી બાજપાઈ તરીકે ખપાવી ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીસુધી અને તે પછી પણ યાદ કરીને બાજપાઈ અને બીજેપીની બદબોઈ કરતા હતા.

૨૦૦૨માં નહેરુવીયન કોંગ્રેસના ગોધરાના એક સ્થાનિક મુસ્લિમ નેતાની આગેવાની હેઠળ સાબરમતી એક્સપ્રેસના હિન્દુયાત્રીઓને ડબા સહિત જીવતા બાળી દીધેલ. આના બચાવમાં નહેરુવીયન કોંગી આગેવાનોએ કહેલ કે “એ તો નરેન્દ્ર મોદીએ એમ કહીને મુસ્લિમભાઈઓને ઉશ્કેરેલ કે “અમારા બીજેપીના રાજમાં હિન્દુ મુસ્લિમ દંગાઓ થતા બંધ થઈ ગયા છે. આવું  કહેવાતું હશે?”

તેમજ આજ નહેરુવીયન કોંગીના નેતાઓ, તેમના મળતીયાઓ અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ઉપરોક્ત બનાવની પ્રતિક્રિયાના ભાગ રુપે ફાટી નિકળેલ તોફાનો પર રાજકીય રોટલો શેકવા માટે નરેન્દ્ર મોદીને આજની તારીખ સુધી વગોવ્યા કરે છે અને કોમવાદને સક્રીય રાખવાની કોશિસ કર્યા કરે છે.

બીજેપીના નેતાઓ અને અખબારી મૂર્ધન્યો શામાટે નહેરુવંશીય ઈન્દીરાઈ કટોકટીને યાદ કરતા નથી? આ કટોકટી તો ભારતના ઈતિહાસનું અને ભારતના ગૌરવને લાંછન અપાવે તેવું એક સૌથી કાળું પ્રકરણ હતું. શાસકે આચરેલો નગ્ન આતંકવાદ હતો. તો પણ તેને કેમ ભૂલી જવાય છે?

દંભીઓ શું કહે છે?

નહેરુવીયન કોંગી નેતાઓ, મહાનુભાવો, અખબારી મૂર્ધન્યો જેઓ વાસ્તવમાં પ્રચ્છન્ન રીતે નહેરુવીયન કોંગ્રેસના હિતેચ્છુઓ છે અથવા તો તટસ્થતાનો ઘમંડ ધરાવે છે તેમની દલીલો કંઈક આવી છે.

નહેરુવીયન કોંગીના નેતાઓઃ “ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્ય તરફ જુઓ.” (ડાકુઓ આવું કહેતો તેને દેશની ધૂરા આપી દેશો શું? કાયદામાં આવી જોગવાઈ છે?)

યશવંતરાવ ચવાણ અને તેમના ચેલકાઓ જેઓ અત્યારે એનસીપીને શોભાવી રહ્યા છે તેઓ આમ કહે છે. કટોકટીને ભૂલી જાવ. અમે ભૂલ કરી હતી અને તેના ફળ પણ મેળવી લીધા છે. બસ વાત પુરી. (ડાકુ ચૂંટણી હારી ગયો એટલે તેને સજા મળી ગઈ. વાત પુરી.)

હુસેન ચિત્રકારઃ કટોકટી એક છીંક હતી. હવે બધું સામાન્ય છે. કટોકટીની વાતને એક છીંકની જેમ ભૂલી જાઓ. (જે રાક્ષસી છીંકે હજારો લોકોના કુટુંબીઓને યાતના ગ્રસ્ત કર્યા તેને ભૂલી જાઓ એમ જ ને?)

બચ્ચન (હિન્દીના ખ્યાતનામ કવિ); “ અમારે તો નહેરુ સાથે કૌટુંબિક સંબંધ છે” (ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ એતો એમના માટે પોથીમાંના રીંગણા છે)

કેટલાક સર્વોદય બંધુઓઃ સારું સારું યાદ કરો અને ખરાબ વાતો ભૂલી જાવ. (શેતાન એના પાપો ચાલુ રાખે તો તમે શું કરશો? નરેન્દ્ર મોદીનું પણ સારું સારું જુઓને તો પછી…)

કેટલાક સર્વોદય નેતાઓઃ (મનમાં) આ બીજેપી વાળા તો અમારો ભાવ પણ નથી પૂછતા તો લોકોની નજરમાં ટકી રહેવા માટે અને કંઈક કરી રહ્યા છીએ એવું બતાવવા માટે અમારે નહેરુવીયન કોંગ્રેસને સાથ આપ્યા વગર છૂટકો નથી. હવે ક્યાં કટોકટી છે?

તડફડવાળા મૂર્ધન્યઃ બાઈ જોરદાર હતી.

જો બાઈ જોરદાર હતી તો તે પક્ષ માટે જોરદાર હતી. વહીવટમાં અને દેશ હિત માટે નહીં. એમ તો નરેન્દ્ર ભાઈ પણ જોરદાર છે જ ને. અને નરેન્દ્રભાઈનો તો કોઈ રેકોર્ડેડ ગુનો પણ નથી. તેમને વિષે તો બધું ધારણાઓના આધારે (હાઇપોથેટીકલ) છે. હાઈપોથેટીકલી તમે કોઈને ગુનેગાર ઠેરવી ન શકો અને તેની બુરાઈ પણ ન કરી શકો.

“આસપાસ”વાળા કટારીયાઃ ઈન્દીરા ગાંધીએ તો કટોકટી બદલ ઘરે ઘરે જઈને માફી માગેલી.

આસપાસ વાળા ભાઈ, તમે રામ ભરોસે બોલ્યા કરો છો. બકરીની ત્રણ ટાંગ જેવી વાત છે. કોણ જોવા ગયું છે? છાપામાં અને ઈન્દીયન ન્યુઝમાં તો એવી કોઈ વીડીયો જેવા મળી ન હતી, કે છાપામાં પણ એવા કોઈ ફોટા આવ્યા ન હતા. “જંગલમેં મોર નાચા કિસીને ના દેખા”.

મૂર્ધન્યોએ સમજવું જોઇએ કે જે સરકારી તપાસપંચ પ્રમાણે ફોજદારી ગુનેગાર છે તેની સજા માફી માગવાથી માફ થઈ જઈ શકતી નથી. કેસ તો ચલાવવો જ પડે.

માફી માગવાથી કયા કયા ગુનાઓ માફ થઈ શકે?

જે તમારા દૂરના પૂર્વજો કે જેને તમે જાણતા નથી તેમણે કરેલા ગુના તમે માફી માગીને કહી શકો કે અમે તેમના કૃત્યોથી શરમ અનુભવીએ છીએ . અમને માફ કરી દો.

પણ જે પૂર્વજોની તમને શરમ ન હોય, પણ ગર્વ હોય, તો તેના ગુનાઓ માફી માગવાથી પણ માફ ન થઈ શકે.

દા.ત. યુરોપીય પ્રજાએ અમેરિકાની રેડ ઈન્ડીયન પ્રજાની કત્લેઆમ કરેલી. તેમને આ કત્લેઆમની શરમ છે અને હાલની પ્રજાએ પ્રાયશ્ચિત રુપે રેડ ઈન્ડીયન પ્રજાને વિશેષ સવલતો આપી અને માફી પણ માગી.

બ્રીટીશ શાસકોએ જલીયાનવાલા બાગની ઘટના બાબતે હાલ શરમ અનુભવી અને માફી માગી. જોકે ભારતીય પ્રજાએ માફી આપી નથી.

કોને વિશ્વાસ પાત્ર માનેલા?

મમતા બેનર્જી જેણે પશ્ચિમ બંગાળમાં જયપ્રકાશનારાયણની લડતમાં પોતાનું યોગદાન આપેલું. અને જયપ્રકાશનારાયણની જીપ ના હુડ ઉપર નાચ કરેલો. લાલુ યાદવ, મુલાયમ, ચરણસીંગ,  નીતીશકુમાર, શરદ યાદવ, જનસંઘી નેતાઓ અને ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના,  વિગેરેના નેતાઓ પણ પૂરજોશથી સામેલ હતા.

ગાંધીજી અને જયપ્રકાશ નારાયણનું ધોતીયું

ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના કેટલાક પરોક્ષ રીતે તો કેટલાક પ્રત્યક્ષરીતે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

મમતા પોતાની સત્તા ખાતર નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે.

માયાવતી, લાલુપ્રસાદ, મુલાયમ, ચરણસીંગના સુપુત્ર પણ જરુર પડે નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે. કારણ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટથવાને કાબેલ છે.

નીતીશકુમાર પણ સત્તાનો સ્વાદ ચાખ્યા વિતંડાવાદ દ્વારા પોતે પોતાનો દંભ છૂપાવી શકે છે તેવું માનતા થઈ ગયા છે. નીતીશ કુમાર એવું માને છે કે દસ્તાવેજોદ્વારા સિદ્ધ થયેલો નહેરુવીયન પક્ષનો આતંકવાદ ને અસ્પૃષ્ય ન માનવો પણ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માનવો.

નીતીશકુમાર માને છે કે જો અડવાણી પોતેજ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માને છે તેવી હવા ચલાવાતી હોય તો રાજકીય નીતિમત્તા જાય ચૂલામાં. નીતીશકુમાર માને છે કે નરેન્દ્ર મોદી જેવો લોખંડી નેતા જો વડાપ્રધાન તરીકે આવી જશે તો આપણા જાતિવાદી વોટબેંકનું જે રાજકારણ આપણે છ દાયકાથી ચલાવીને જે કંઈ સુખડી ખાઈએ છીએ તેનો અંત આવી જશે. તેથી કરીને ટકી રહેવા માટે નરેન્દ્ર મોદી વિષે ફાવે તેમ ધારણાઓ વહેતી મુકો અને મોદીની બુરાઈ કરો.

જો સમાચાર માધ્યમોના ખેરખાંઓ જ નહેરુવંશીય રાજકીય આતંકવાદને ન સમજી શકતા હોય અને નરેન્દ્રમોદી-બીજેપીની ધારણાઓ ઉપર આધારિત અને કપોળ કલ્પિત બુરાઈઓ ફેલાવતા હોય તો આપણે પણ એ જ ફેશન અપનાવવી જોઇએ. આપણા ઉચ્ચારણોને પણ ચાર ચાંદ લાગશે.

જો જેએલ નહેરુ જેવા લીડરો સત્તા માટે ગાંધીજીનું ધોતીયું પકડીને આગળ આવ્યા હતા. તેમને સત્તા મળ્યા પછી, તેમણે ગાંધીજીના (સિંદ્ધાંતો રૂપી) ધોતીયાના લીરે લીરા ઉડાડી દીધા.

મમતા, મુલાયમ, લાલુ, નીતીશ, ચરણના સપુત વિગેરે પણ જયપ્રકાશ નારાયણનું ધોતીયું પકડીને આગળ આવેલા. અને હવે તેઓ પણ જયપ્રકાશ નારાયણના (રાજકીય નીતિમત્તાના સિદ્ધાંતો રુપી) ધોતીયાના લીરેલીરા ઉડાડી રહ્યા છે.

સિદ્ધાંત વિહોણાઓને ઓળખી લો.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

નહેરુવંશી, ઈન્દીરા, કટોકટી, દંભ, ફ્રૉડ, વિરોધ, જેલ, સરકારી, અફવા, આતંકવાદ, અધિકાર, કટારીયા, મૂર્ધન્યો, જાગીર, સાષ્ટાંગ, દંડવત, નમન, શિર્ષાસન, ગાંધીજી, જયપ્રકાશ, ધોતીયું, લીરે લીરા

Read Full Post »

શું નરેન્દ્ર મોદી હજી ચાની કીટલી લઈને ફરે છે?

નરેન્દ્ર મોદી એક ભણેલો, વિચારવંત, કુશળ, દેશપ્રેમી અને ભેદભાવરહિત ગુજરાતી નેતા છે. ફક્ત ગુજરાતમાં જ નહીં, પુરા દેશમાં અને વિદેશમાં વસતા ભારતીયોમાં પણ તે એક માત્ર લોકપ્રિય નેતા છે. હવે જો કાયદેસરની વાત કરીએ તો તેણે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ ના ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પોતાની આગવી સુઝબુઝથી અને પરિશ્રમથી જીતીને બતાવી છે.

નરેન્દ્ર મોદીની રાજકીય કુશળતાને ગણનાહીન અને અપ્રસ્તુત્ય કરવામાટે નહેરુવીયન કોંગેસના સામાન્ય કાર્યકરો અશિષ્ટ શબ્દ પ્રયોગ કરે તે સમજી શકાય છે કારણ કે સામાન્ય જનતામાં  સામાન્ય બુદ્ધિનો, સામાન્ય રીતે  અભાવ હોય છે. તેથી તેઓ અશિષ્ટ શબ્દો વાપરે કે આધાર હીન વાતો કરે કે અદ્ધર અદ્ધર વાતો કરે તે સમજી શકાય. પણ જેઓ પોતાને નેતા ગણાવે અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના હોદ્દેદાર પણ હોય, તેઓ પણ જાહેરમાં અશિષ્ટ અને અપમાન જનક ભાષા એક મુખ્ય મંત્રીની માટે ટીકા કરવામાં વાપરે તે અક્ષમ્ય જ ગણાય.

સંચાર માધ્યમોનું કામ લોક જાગૃતિનું અને લોક શિક્ષણનું કામ છે. પૈસા કમાવવાના કાયદેસરના રસ્તાઓ છે. સંચાર માધ્યમાના સંચાલકો કે માલિકો જો એમ જ માનતા હોય કે અમારું કામ ફક્ત પૈસા કમાવાનું છે અને તે માટે લોકોને આંચકાઓવાળા સમાચારો અને અભિપ્રાયો પ્રગટ કરવાનું છે તો તેઓ આ વાત જાહેરમાં કબુલ કરે. જો આટલા સંસ્કાર તેમનામાં ન હોય તો પાળેલા શ્વાન અને તેમનામાં શું ફેર છે?

નહેરુવીયન વંશજોની વાત જવા તો ન જ દેવાય. પણ જે એલ નહેરુ કંઈક તો સભ્ય પુરુષ હતા. વાચન વિશાળ હતું પણ આવતી કાલને સમજવા માટેની સમજણ શક્તિ ઓછી હતી તેથી આવડત ઓછી હતી અને તેમણે હિમાલય જેવડી ભૂલો કરેલી જેનું ફળ અને તેમણે સ્થાપેલા પ્રણાલીગત વ્યવહારો આ જે પણ આપણે ભોગવી રહ્યા છીએ.

તેમની પુત્રીની પાસે કશીજ પાર્શ્વભૂમિ હતી જ નહીં અને બધીરીતે એક સામાન્ય કક્ષાની સ્ત્રી હતી સિવાય કે સત્તા કેવી રીતે મેળવવી, તેને કેવી રીતે  ટકાવી અને પોતાના પક્ષના સભ્યોને કેવીરીતે કાબુમાં રાખવા તે માટેની કળા તે જાનતી હતી. આ આવડત તેણે તેના પિતાજી પાસેથી અને રશિયા પાસેથી શિખી લીધેલી. સાધનશુદ્ધિનો રાજકીય મૂલ્યોનો સદંતર અભાવ હતો. તેણે પણ પોતાના પિતાજી કરતાં પણ બમણી ભૂલો કરેલી જેને સુધારવાની શક્યતા કોઈ એક વ્યક્તિ કરી શકે તે વાત જ અશક્ય બની ગઈ છે. પણ આ બાઈએ એક એવી પણ રાજકીય પ્રણાલી સ્થાપી કે વિરોધીઓને તો બધું જ કહી શકાય. તેઓ ગમે તેટલા મહાન હોય કે ગમે તેટલા શુદ્ધ હોય તો પણ તેમને વિવાદો ઉત્પન્ન કરીને અને આ વિવાદોને રટ રટાવીને તેમને  તેઓ સાચેસાચ એવા જ છે તેવું જનતાના મગજમાં ઠોકી બેસાડી શકાય છે.

ઇન્દીરા ગાંધીના પિતાજીએ, ઈન્દીરા ગાંધીને પોતાના વારસ બનાવવા માટે, સીન્ડીકેટની રચના કરેલી અને આ સિન્ડીકેટે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન પદ આપ્યું પણ ખરું. પણ ગરજ પતી એટલે ઈન્દીરા ગાંધીએ તેમને હરાવ્યા અને પ્રચાર એવો કર્યો કે તેઓ તેમને તો શું પણ તેમના પિતાજીને પણ કામ કરવા દેતા ન હતા. મોરારજી દેસાઈ ત્રાગાંઓ કરે છે, તેમના પુત્ર મોરારજી દેસાઈના પદનો ગેરલાભ લે છે, વિરોધ પક્ષ સત્તા લાલચી છે, બહુગુણા, એલ એન મિશ્રા, વીર બહાદુર સિંહ સ્વકેન્દ્રી છે,  વી.પી સિંગ વિદેશી બેંકમાં ખાતુ ધરાવે છે, આવાં તો અગણિત જુઠાણાઓ ફેલાવવાના સંસ્કારો નહેરુવીયન કોંગ્રેસમાં અને સંચાર માધ્યમોમાં ઘુસી ગયેલા. હવે આ સંસ્કારો નિકળવાનું નામ લઈ શકે તેમ નથી. કારણ કે આ નેતાઓ અને મૂર્ધન્યોને માટે શૈક્ષણિક અને વિવેકશીલ ચર્ચા કરવાની લાયકાત, એ તેમની હેસીયત રહી નથી.

રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી અને તેના સુપુત્રની વાત જવા દો, કારણ કે તેઓ તો અતિ સામાન્ય કોટીના જણ જણી છે. તેમની નહેરુવંશના સંબંધી હોવાની અને અઢળક પૈસા વારસામાં મળ્યો એ સિવાયની બીજી કોઈ લાયકાત નથી. સામાન્ય કક્ષા હોવાને કારણે મૌતના સોદાગર અને ગોડસે કહે તે સમજી શકાય છે.

પણ આ નહેરુવીયન કોંગ્રેસના બીજા નેતાઓ વિષે શું છે? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને પણ શું મૂલ્ય હીન બનાવી દીધા છે?  તેમણે તેમના માલિકોને ખુશ કરવા ભાટાઈના એક ભાગ રુપે કે પોતાની સત્તા જાળવી રાખવા શા માટે જુઠાણા ચલાવવા પડે છે? તેઓને એ ખ્યાલ તો છે જ નહીં કે તેમનું પોતાનું અસ્તિત્વ છે અને સ્વયંની સજ્જનતા પણ હોઈ શકે છે.      

મોઢવાડીયા કહે છે,

૨૦મી ડીસેમ્બરે મોદી બીજી દિવાળી ઉજવવાના સપના જુએ છે પણ ૨૦મી ડીસેમ્બરે તો બીજેપીની હોળી હશે.

મોદી તો મુંગેરીલાલ છે. અને તે વડાપ્રધાન થવાના સપના જુએ છે.

દિવાળી કોની થઈ અને હોળી કોની થઈ એ વાત જવા દો, પણ શું નરેન્દ્ર મોદી, મુંગેરીલાલની કક્ષામાં આવે છે? એ વાત સાચી કે તેઓ એક વખત ચાની કીટલી લઈને રેલ્વે પ્લેટફોર્મ ઉપર ફરતા હતા. પણ અત્યારે તેમ નથી.

એમ તો જ્યારે ભારત સુસંસ્કૃત હતું ત્યારે યુરોપીયનો જંગલી અવસ્થામાં અને અસંસ્કૃત હતા. પણ હવે તેઓ તેમ નથી. અત્યારે તેઓ, આપણા આડેધડ બાઈકો અને બીજા વાહનો ચલાવતા તથા રસ્તેચાલતા ગંદકી કરતા ભારતીયો કરતાં હજાર ગણા સુસંસ્કૃત છે.

નરેન્દ્ર મોદીએ પણ ચાની કીટલી ફેરવતાં ફેરવાતાં અને તે પછી ઘણો અભ્યાસ કર્યો છે. ઘણું વાચન કર્યું છે. ઘણું ચિંતન કર્યું છે. અને ઘણો પરસેવો પણ પાડ્યો છે. આત્મબળ અને કાર્ય શક્તિથી આગળ આવ્યા છે. તેમણે કદી કોઈ દિવસ માગણી કરી હોય તેવું કશું રેકોર્ડ ઉપર નથી. રેકોર્ડ ઉપર તો એજ છે કે તેમને જે કામ સોંપવામાં આવ્યું તે તેમણે કર્યું.

તો હવે મુંગેરી લાલ કોણ ઠરે છે? નરેન્દ્ર મોદી કે મોઢવાડીયા પોતે?

જુઓ હજીપણ મોઢવાડીયા નરેન્દ્ર મોદીને અવારનવાર મુંગેરી લાલ કહે છે. આ શબ્દ તેમને તેમના પક્ષના એક કેન્દ્રીય નેતા પાસેથી અધિગત થયો છે. જે પક્ષના દિગ્ગજ નેતાઓને ભ્રષ્ટ થવાનું લખાયું હોય તેના વામણા નેતાઓનું આથી વિશેષ શું ગજું હોય?

શંકર સિંહ શું કહે છેઃ

નરેન્દ્ર મોદીએ જેનો સાથ લઈને તેઓ આગળ આવેલા તેમને તેણે અળગા કરી દીધા. આ શંકરસિંહ કોણ છે? આ એ શંકરસિંહ છે જેઓ એ બીજેપીમાંથી પોતાના સાથીઓને લઈ બળવો કરેલ. અને તેમને ખજુરાહો લઈ ગયેલ. એટલે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે તેમને ખજુરીયા કહેલ. અને જેઓ કેશુભાઈ સાથે રહેલ તેમને આ શંકરસિંહે હજુરીયા કહેલ. એટલે કે બીજેપીમાં જેઓ હજુરીયા ન હતા તેઓ શંકરસિંહ સાથે હતા એવું શ્રી શંકરસિંહ માનતા હતા.  ચૂંટણી પ્રચાર દરમ્યાન જો કે કેશુભાઈ અને શંકરસિંહ સાથે હતા. સુરેશ મહેતાનો એક વખત નંબર લાગ્યો પણ બીજી વખત તેમનો નંબર ન લાગત, જો શંકર સિંહે ૨૦૦૨ સુધી ધિરજ રાખી હોત તો તેઓ અચૂક મુખ્ય મંત્રી બની શકત. કારણ કે વહીવટ ક્ષેત્રે કેશુભાઈ ખાસ અસરકારક કામગીરી બજાવી ન શકેલ.

કેશુભાઈ ની નિસ્ફળતાઓ સમાચાર માધ્યમો યાદ કરતા નથી.

આર એસએસના કેટલાક કાર્યકરો, સરકારી નોકરો પાસેથી લોકોના કામ કરાવવા માટેના એજન્ટો બની ગયેલ. બીજા પેટા ચૂંટણીના પરાજયો ઉપરાંત, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન જેવી મહત્વની ચૂંટણીમાં પણ બીજેપીનો પરાજય થયેલ. તે ઉપરાંત ૨૦૦૧માં આવેલા ધરતીકંપ પછી જે રાહત કામગીરી હતી તે નિભવવામાં કેશુભાઈ સદંતર નિસ્ફળ ગયેલ. કેશુભાઈ એક મજાકનું પાત્ર બની ગયેલ. તે વખતે બીજેપીના મોવડી મંડળ પાસે મોટાગજાનો નેતા હતો નહીં. જો શંકરસિંહે પક્ષ પલ્ટો ન કર્યો હોત અને ધીરજ રાખી હોત તો મોવડી મંડળે તેમની મુખ્ય પ્રધાન પદ માટે જરુર વરણી કરી હોત.

કેશુભાઈને નરેન્દ્ર મોદીએ હટાવ્યા ન હતા.

જ્યારે કેશુભાઈને હટાવાયા અને નરેન્દ્ર મોદીને લવાયા ત્યારે કે તે પહેલાં કોઈ એવા સમાચારો કે વક્તવ્યો જાણવામાં આવ્યા ન હતા કે નરેન્દ્ર મોદીએ મોવડી મંડળમાં જઈને કેશુભાઈની વિરુદ્ધ કાન ભંભેરણી કરેલ અને પોતાનો દાવો રજુ કરેલ. આપણે જાણીએ છીએ કે બીજેપીની છાવણીમાં રહેલી રાઈ જેવડી વાતને પણ સમાચાર માધ્યમો પહાડ બનાવીને પ્રસિદ્ધિ આપે છે અને તે પણ મીઠું મરચું ભભરાવીને અશક્ય ધારણાઓ પણ વહેતી મુકે છે.

મોદીએ મોવડી મંડળનો સંપર્ક પણ કરેલો એવી પણ કોઈ વાત અફવા સ્વરુપે પણ અસ્તિત્વ ધરાવતી ન હતી.  પણ જ્યારે ૨૦૧૨માં કેશુભાઈ રઘવાયા થયા અને એક છેલ્લો ચાન્સ લઈ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે આવી કાનભંભેરણીવાળી વાત વહેતી મુકી. ૨૦૦૧માં પણ કેશુભાઈએ બીજેપીમાં રહીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિયાન ચલાવેલ. તે વખતે પણ તેમણે ઉપરોક્ત કાનભંભેરણી વાળી વાત કરી ન હતી. તે વખતે પણ જનતાની નજરે નરેન્દ્ર મોદી એક શ્રેષ્ઠ મુખ્ય મંત્રી હતા.

શ્રી ગુણવંતભાઈ શાહે સંદેશમાં એક અપીલ બહાર પાડેલી.

સંદેશે પણ એક ફોર્મ છાપેલ કે જનતા પોતાની પસંદગી આપે કે નરેન્દ્ર મોદીની કામગીરી કેવી છે અને તેમણે મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહેવું જોઇએ કે નહીં.

આ ફોર્મ જનતાએ પોતાના ગાંઠના ખર્ચે પોસ્ટ કરવાનું હતું. ૮૭ ટકા જનતાએ તે વખતે પણ નરેન્દ્ર મોદીની ઉપર જ પસંદગી ઉતારેલ. ૨૦૦૨ની ચૂંટણી વખતે પણ કેશુભાઈએ કાનભંભેરણીની વાત કરી ન હતી. આ કેશુભાઈના નવા નવા તુક્કાઓ ઉપર વિશ્વસનીયતા કેવી રીતે રાખી શકાય?

શરદ પવાર શું કહે છે?

શરદ પવાર કહે છે કે મોદી તો ફુગ્ગો છે. ફુગ્ગો જેટલો જલદી ફુલે તેટલો તે જલ્દી ફુટી જાય છે. નરેન્દ્ર મોદીનો ફુગ્ગો પણ જલ્દી ફુટી જશે.

આ શરદ પવાર કોણ છે? માણસ પોતાના દેશ માટે પ્રપંચો કરે તે ક્યારેક ક્ષમ્ય ગણાય છે. પણ જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પ્રપંચો કરે તે ક્ષમ્ય નથી. જોકે નહેરુવીયન કોંગ્રેસે અને તેના કલરફુલ (પીળા) મીડીયાએ આવા પ્રપંચોને પણ ક્ષમ્ય જ નહીં પણ વખાણવા યોગ્ય માની લીધા છે. શરદ પવારે કેટલા પક્ષ બદલ્યા એ ગણાવવા માટે તો તેમને ખુદને પણ આંખો બંધ કરીને ગણત્રી કરવી પડે. અસામાજીક તત્વો, ખાંડના કારખાનાની લોબી અને હાલમાં સિંચાઈના કામોમાં થયેલી ખાયકી ઓમાં થયેલી નહેરુવીયન કોંગ્રેસ સાથેની મીલીભગતની ભગતની અફવાઓ વિશ્વસનીય લાગે છે. શિવસેના વાળા ટકી રહેવા માટે મધ્યમ વર્ગના માણસોને ક્યારેક સ્વેચ્છા પૂર્વક વિનંતિ કરીને કે થોડી ધાકધમકીથી તેમની પાસેથી પૈસા ઉઘરાવે છે. શરદના માણસો તો મોટા પાયે જમીનના ઝગડાઓ કોર્ટ બહાર જમીન માફીયા રાહે દાઉદના નેટ વર્કના હિસ્સા રુપ બનીને ઉકેલે છે. આ વાત મુંબઈમાં નાનુ બાબલું પણ જાણે છે.

કપિલ સિબ્બલ શું કહે છે? “મોટો ખુલાસો”

કપિલ સિબ્બલે કહેલ કે થોડા વખતમાં અમે નરેન્દ્ર મોદી બાબતમાં મોટો ખુલાસો કરીશું. આ વાત તેમણે એક બે મહિના પહેલાં કરેલી. આ ખુલાશો શું છે? સમાચાર માધ્યમોએ કહેલું કે નરેન્દ્ર મોદીને ૨૦૦૨ ના દંગાઓના કેસમાં ફસાવી દેવામાટે ચોકઠું ગોઠવાઈ ગયું છે. સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં અથવા તો ઇસરત જહાં કેસમાં તેને ફસાવી દેવામાં આવશે.

ક્લીક કરોઃ

 https://www.youtube.com/watch?feature=player_embedded&v=YJudO8FjPj4 Madhu Keshvar on Narendra Modi.

લાલ કૃષ્ણ અડવાણી તેમની માંદગીઃ

અડવાણી મોદીની વિરુદ્ધમાં છે. કારણ કે તેમને હજુ વડાપ્રધાન થવાની ઈચ્છા છે. મોદીની લોકપ્રિયતા તેમને કઠે છે. સમાચાર માધ્યમોએ આ વાતને બહુ ચગાવી છે. એટલી ચગાવી છે કે આપણને જ નહીં પણ અડવાણીને ખુદને એવું લાગે કે તે મોદી લોકપ્રિય બને અને લોકો મોદીને  વડાપ્રધાનપદના દાવેદાર સમજે તે તેમને પસંદ નથી. દરેક વ્યક્તિને પોતાની મહેચ્છાઓ હોય. પણ તે માટે સુજ્ઞ જનો અંતે તો જનતાની ઈચ્છાને જ મહત્વ આપે છે.

નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી નથી.

જ્યારે વ્યક્તિ પોતે, ઈચ્છતો હોય પણ જાહેર કરવા માગતો ન હોય તો તે પોતાની ઈચ્છા તેના સાથીઓ દ્વારા જાહેર કરે છે. (મોરારજી દેસાઈ જેવા પુરુષો વિરલ હોય છે જેઓ પોતાનો હક્ક જાહેર રીતે વ્યક્ત કરે છે), પણ બીજેપીના કોઈ નેતાએ પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થવા જોઇએ એવી કોઈ વાત કરી નથી. તો પછી નરેન્દ્ર મોદીને વડા પ્રધાન થવું છે તે વાત ઉગી કેવી રીતે?

અડવાણી જીન્ના ની કબર ઉપર માથું ટેકવી આવ્યા એટલે આરએસએસ વાળા કંઈક વધારે પડતા નારાજ થયા. જીન્નાની વાત ઉપર તો નહેરુવીયન કોંગ્રેસીઓએ પણ અડવાણી ઉપર માછલા ધોયાં. મીડીયાએ આ વાત ને અતિશય ચગાવી. બીજેપીના નેતા ઉપર કોઈ વિવાદ ઉભો થાય તો મીડીયા વાળા અને કોંગ્રેસી નેતાઓ ઝાલ્યા ન રહે. અને આતો હિન્દુત્વનો સવાલ એટલે આરએસએસવાળા ગાંડાતૂર થયા. ૧૯૫૪માં પાકિસ્તાનના પ્રમુખ ઈસ્કંદર મીર્ઝાએ ભારત અને પાકિસ્તાનનું સમવાય તંત્રની માગણી મુકેલ. જવાહરલાલ નહેરુએ તેમની આ માગણીને તૂચ્છતા પૂર્વક નકારી નાખેલ. અખંડ ભારતની વાતો કરીને મહાત્મા ગાંધીને જવાબદાર ઠેરવનાર અને તેથી કરીને પોતે કેવા પરમ દેશભક્ત છે, તેવા આ  આરએસએસવાળા મહાનુભાવોએ તે વખતે જવાહરલાલ નહેરુ ઉપર તૂટી પડવા જેવું હતું. પોતાનો પરમ દેશપ્રેમ વ્યક્ત કરવાનો આ સુંદર મોકો હતો. પણ તેમના નેતાઓને ખબર છે કે અખંડ ભારતની વાત એક બનાવટ છે વાસ્તવમાં જો આ વાત ચગત તો નહેરુના ચેલકાઓ આરએસએસના દિગ્ગજ નેતાઓ ભાગલાની તરફના હતા તે વાત બહાર લાવી દેત. તેથી બાંધી મુઠ્ઠી લાખની એમ વિચારીને આર એસ એસના નેતાઓ મૌન રહેલ. વિનોબા ભાવેએ ઈસ્કંદર મીર્ઝાની સમવાય તંત્રની વાતને આવકારી હતી. વિનોબા ભાવેએ જવાહરલાલ નહેરુના કારણોને ગેરવાજબી ઠેરવેલ. સમાચાર માધ્યમો તે વખતે પણ નહેરુના પ્રશંસક હતા તેથી તેમણે સમવાય તંત્રની વાતને ચર્ચાના ચગડોળે ચલાવી ન હતી.

આરએસએસ ના નેતાઓનું મુખ્ય ધ્યેય પક્ષ ઉપર પકડ રાખવાનું છે, બીજેપીના નેતાઓને વખતો વખત દબાવવાનું છે. પણ અડવાણીની સ્થિતિ છૂટેલા તીર જેવી હતી. અને આરએસએસવાળા હવે જો અડવાણી ઉપર વિશ્વાસ રાખે તો તેઓ ડબલ કાટલા વાળા થાય એવી વાત સમાચાર માધ્યમો વાળા ફેલાવે ને ફેલાવે જ. એટલે તેમની સ્થિતિ પણ છૂટેલા તીર જેવી હતી.

જશવંત સિંહ પણ જીન્નાની વાતમાં ફસાયેલા છે. જોકે જશવંત સિંઘ અને અડવાણી સાચે સાચ માંદા લાગે જ છે છતાં પણ મીડીયાને તેને પોલીટીકલ માંદગી ખપાવવામાં ખાસ રસ છે. જશવંત સિંઘ એક સારા વહીવટકર્તા છે અને તેઓ આવા પોલીટીક્સમાં પડતા નથી.

સુષ્મા સ્વરાજઃ

તે એવાં શક્તિશાળી નથી. તેઓ જો સોનીયા ગાંધીને ન જીતી શકે તો બીજાને તો જીતાડી જ કેવીરીતે શકે. વળી તેઓ પણ દુશ્મનો ઉપર દયા રાખનારા છે. એક વખત ૨૦૦૦-૨૦૦૪ના અરસામાં નહેરુવીયન કોંગ્રેસ કાર્યાલયનો ટેલીફોન પૈસા ન ભરવાથી કપાઈ ગયેલ. તે વખતે સુષ્મા સ્વરાજ ટેલીકોમ્યુનીકેશન મીનીસ્ટર હતા. તેમણે તે ટેલીફોન ચાલુ કરાવી દીધેલ. એટલું જ નહીં જે અધિકારીએ તે ટેલીફોન કાપી નાખેલ તેની સામે વળતા પગલાં લીધેલ.વાસ્તવમાં સુષ્માસ્વરાજે નહેરુવીયન કોંગ્રેસની બેદરકારીને ચગાવવા જેવી હતી. પણ સુષ્માસ્વરાજે બાજપેયીવાળી કરી, એટલે કે દયાના દેવી બન્યાં અને વિપક્ષ આગળ ભલાં બન્યાં. આરએસએસ વાળા આવી મહિલાને પસંદ ન જ કરે.

તોગડીયા અને આર એસ એસ

તોગડીયાએ કહ્યું કે વિકાસનો મુદ્દો તો બીજા પણ ઉઠાવી શકે છે અને તેમાં તો વિવાદો પણ ઉત્પન્ન કરી શકાય છે તેથી બીજેપીએ હિન્દુઓના મત લેવા માટે અને હિન્દુઓની એકતા સ્થાપિત કરવા માટે હિન્દુત્વનો જ મુદ્દો જ ઉઠાવવો જોઇએ. એટલે કે નરેન્દ્ર મોદી જે વિકાસનો મુદ્દો ઉઠાવે છે તે બરાબર નથી. જોકે તોગડીયા એ વાત ભૂલી જાય છે કે જનસંઘ હિન્દુત્વના મુદ્દા ઉપર જ ચૂંટણી લડતો હતો. અને ૧૯૮૪ની ચૂંટણીમાં બીજેપીની પાસે હિન્દુત્વ સિવાય મુદ્દો હતો જ નહીં. પણ આપણા આરએસએસના ભાઇઓએ રાજીવ ગાંધીમાં તારણહાર જોયેલો. વિશ્વબંધુ ગુપ્તાના કહેવા પ્રમાણે કેટલાક આરએસએસવાળાઓએ રાજીવ ગાંધીનો પ્રચાર કરેલ. ટૂંકમાં પડઘી વગરના લોટા જેવા આરએસએસવાળાઓનું કહેવું માની નરેન્દ્ર મોદી “આ બૈલ મુઝે માર જેવું તો નજ કરે.”

જો કે આરએસએસવાળા દેશભક્ત છે અને આપત્તિના સમયે સેવાનું સારું કામ કરે છે. તે માટે તેમને સલામ કરવી જોઇએ. પણ તેમણે જ્ઞાન અને માહિતિ માટે બધી દીશાની બારીઓ ખુલ્લી રાખવી જોઇએ. મુસ્લિમ જનતાએ અને મુસ્લિમ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ સમજેલ અને જેમ બીજા રાજાઓ વર્તેલ તેમ તેઓ પણ વર્તેલ. તેમનો સમય એ દેશની ગુલામીનો સમય હતો તે મનોદશામાંથી તેમણે બહાર આવવું જોઇએ. મુસ્લિમોમાં જે કંઈ દુર્ગુણો દેખાય છે તે બ્રીટીશ રાજ અને નહેરુવીયન કોંગ્રેસ રાજની પેદાશ છે.

આરએસએસને માટે નરેન્દ્ર મોદીને સપોર્ટ કર્યા વગર છૂટકો નથી. જેમ કેટલાક ગાંધીવાદીઓને માટે નહેરુવીયન કોંગ્રેસીઓનો સહારો લેવા સિવાય કે તેમને સહારો આપવા સિવાય છૂટકો નથી, તેમ જ સમજવું.

મીડીયાના ડબલ કાટલા

ઈન્દીરા ગાંધીએ કામકર્યાવગર તેના વિરોધીઓને ભૌતિક રીતે દૂર કરેલ. અને પક્ષ ઉપર બ્લેકમેલ દ્વારા મજબુત પકડ જમાવેલ તે બાઈને આ જ સમાચાર માધ્યમવાળા મજબુત બાઈ તરીકે ઓળખાવતા અને આજની તારીખમાં પણ તેની બુરાઈ કરતા નથી. આનાથી ઉંધું વલણ જુઓ. નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધીઓને કેવા દૂર કર્યા તેમાં બધાના નામ આપવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીએ કામ કરીને નામના મેળવી છે. નરેન્દ્ર મોદીએ તો કદી તેમનું નામ પણ લીધું નથી. છતાં પણ નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં આવી છે. તમે આજનું (૯મી જુન ૨૦૧૩નું) દિવ્ય ભાસ્કર જોશો તો તમને નરેન્દ્ર મોદીના વિષેની વાતો અને સમાચાર, નરેન્દ્ર મોદીની વિષે નકારાત્મક વાતાવરણ બને એ રીતે જ આપવામાં આવ્યા છે. કેશુભાઈને દૂર કર્યા, શંકરસિંહને દૂર કર્યા, સુરેશ મહેતાને દૂર કર્યા, દીલીપ પરિખને દૂર કર્યા, સંજય જોષીને દૂર કર્યા, નીતિન ગડકરીને દૂર કર્યા અને અડવાણીને દૂર કર્યા. આપણે જાણતા નથી કે નરેન્દ્ર મોદી ક્યારે માંદા પડ્યા અને કઈ મીટીંગમાં માંદગીને કારણે ગેરહાજર રહ્યા. પણ આપણા આ અખબારી આલોચક કહે છે કે મોદી વિરોધીઓએ માંદગીનું મોદીનું શસ્ત્ર મોદી સામે જ વાપર્યું. મોદી કેવા કૃતઘ્ન છે કે તેઓ પોતાને મદદ કરનારાઓનો જ કાંટો કાઢી નાખે છે.

પક્ષના પ્રમુખે નક્કી કરવાનું હતું કે ચૂંટણી માટેની સમિતિનો નેતા કેવો હોવો જોઇએ?

નેતાઓને ગમે એવો કે જનતાને ગમે તેવો?

મોટાભાગના નેતાઓ એવા મતના હતા કે જનતામાં જે લોક પ્રિય હોય તેનો નેતા હોવો જોઇએ. અને જનતા નરેન્દ્ર મોદીને પસંદ કરે છે તે જગ જાણીતી વાત છે. પણ કેટલાક નેતા નરેન્દ્ર મોદીમાં પોતાનું અહિત જોતા હતા કારણ કે અખબારી અફવાઓ પ્રમાણે નરેન્દ્ર મોદીએ કેશુભાઈ, સુરેશ મહેતા, દિલીપ પરિખ અને સંજય જોષી જેવાને રાજકીય રીતે ખતમ કરેલ. કેશુભાઈ વિષે તો ગુજરાતની જનતા જાણે છે કે તેમણે કેવા પરાક્રમો કરેલ. સુરેશ મહેતા, શંકર સિંહ, વિગેરેની અધિરાઈ અને પક્ષ પ્રત્યેની અનિષ્ઠા વિષે પણ જનતા જાણે છે. સંજય જોષી તો અખબારોએ  ઉપજાવેલી મહાન વિભૂતિ છે.

નેતાએ પક્ષને વફાદાર રહેવું જોઇએ અને પોતાના પક્ષના હોદ્દેદારની જાહેરમાં ટીકા ન કરવી જોઇએ. સત્તા માટે ધિરજ ધરવી જોઇએ. સત્તાવગર ઘાંઘાં થવું ન જોઇએ. મોદીએ કોઈને કાપ્યા નથી. પણ અખબારોએ પોતાના પત્રકારત્વના (પીળા) રંગને અનુરુપ આ વાત ચગાવી અને ચાલુ રાખી.     

હવે મોદીએ શું કર્યું અને કેવી રીતે ક્યારે કર્યું તે કશું ક્યારેય આ અખબારી ઉંદરો કાતરી શક્યા નથી. પણ એક અફવા વહેતી મુકી દેવી અને તેને અવાર નવાર કીધા કરવી એટલે તે સત્ય બની જશે.

મીડીયાની માનસિકતાઃ

મીડીયાની માનસિકતા ઉપર નહેરુવીયન કોંગ્રેસ સંસ્કારનો લગભગ ન ભૂંસી શકાય તેવો લાગે એવો પ્રભાવ છે. નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર એવા રહ્યા છે કે નંબર વન સત્તાકેન્દ્ર નહેરુવંશનો જ હોવો જોઇએ. આટલું સ્વિકારો તો જ તમે નહેરુવીયન કોંગ્રેસમાં રહી શકો. આવું જેમણે ન માન્યું તેઓ ને બદનામ કરવાના કવતરાં રચાયા અને દૂર કરાયા. એટલે જ્યારે નહેરુવીયન કોંગ્રેસની વાત કરીએ ત્યારે વિરોધી સૂર સંભળાતા નથી. પહેલા વડાપ્રધાનો પણ નહેરુવંશના આવતા અને તેઓને નંબર વન નો દરજ્જો મળતો. તે પછી વડાપ્રધાનનો દરજ્જો બીજો થઈ ગયો. હવે ત્રીજો થઈ ગયો છે. જેઓ હોદ્દેદારો છે તેઓ એવા છે કે તેમને બ્લેકમેલ કરી શકાય અને જનતામાં તેમના મૂળ નથી.

મીડીયાની એક વિશેષતા એ છે કે પાયાની વાતની ચર્ચા કરવી જ નહીં. જેમકે પ્લાનીંગ કમીશન જેના પ્રમુખ વડાપ્રધાન પોતે છે. તો પછી નેશનલ એડવાઈઝરી બોર્ડની રચના (કે જેના પ્રમુખ સોનીયા ગાંધી છે) શા માટે કરવામાં આવી? આ સવાલ પૂછાયો છે. નહેરુવંશનો કોઈ ફરજંદ આ પ્રશ્નનો ઉત્તર આપે તેવી અપેક્ષા રાખવી એ મીડીયાના સંસ્કારમાં નથી. પણ નહેરુવીયન કોંગ્રેસ ની સરકારના કોઈ હોદ્દેદારને આ પ્રશ્ન પૂછી શકાય તે પણ મીડીયા મૂર્ધન્યોના સંસ્કાર નથી. આવી તો અનેક વાતો છે.

ટૂંકમાં એમ કહી શકાય કે લોકશાહીમાં અનેક સૂર હોઈ શકે અને પછી જ ચર્ચા વિચારણાના અંતે પરિણામી એક સૂર નીકળે અથવા તો બહુમતિનો સૂર માન્ય થાય છે, આ વાત મીડીયા મૂર્ધન્યોના ગળે ઉતરતી નથી. આના ઘણા કારણો હોઈ શકે. અને સુજ્ઞ જનતા આ બધાં કારણો જાણે છે. અમેરિકામાં પણ ઓબામાને પોતાના પક્ષમાંના પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડ્યો હતો. પણ તેનો અર્થ “મહાભારત” એવો કરવામાં આવ્યો ન હતો. કારણ કે ત્યાં આ પ્રક્રીયા ને લોકશાહી પ્રણાલીનો એક ભાગ સમજવામાં આવે છે.

રાજનાથ સિંઘે શું કર્યું?

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ અને તેમના સાથી પક્ષો જેઓ સંસ્કારમાં નહેરુવીયન કોંગ્રેસ ની કાર્બન કોપી જેવા છે તેઓ લોકશાહી નું હાર્દ ન સમજી શકે તે વાત સમજી શકાય છે. પણ ભારતીય મીડીયાના મૂર્ધન્યો પણ લોકશાહીનું હાર્દ સમજી ન શકે તે દુઃખદ, લોકશાહીમાટે ઘાતક અને દેશ માટે હાની કારક છે.

પક્ષના બંધારણમાં કે દેશના બંધારણમાં જે કંઈ લખ્યું હોય તેને જ પવિત્ર માની શકાય એવું નથી હોતું. જનતા સર્વોપરી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. બંધારણ નહીં. જ્યાં જનતાનો અવાજ સંભળાય અને જનતાના અવાજનો આદર થાય તે લોકશાહીનું હાર્દ છે.

બીજેપી મોવડી મંડળ પાસે બે પસંદગી હતી. જેઓ મોદીને વડાપ્રધાન પદ માટે યોગ્ય ગણતા હતા તેઓની વાતને માન્ય રાખવી કે અડવાણીને વધુ એક વખત વડાપ્રધાન પદ માટે નંબર વન ગણવા. બંને જુથો લગભગ ૫૦ટકા પ્રમાણમાં વહેંચાઈ ગયેલ. ચર્ચા દરમ્યાન કેટલાક સભ્યોને મોદીનું મહત્વ સમજાયું. અને તેઓ મોદીની તરફેણમાં આવી ગયા. જે કારણસર મોદીની તરફમાં આવી ગયા તેનું પણ એક મહત્વનું કારણ હતું કે વિભીન્ન એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે થી એજ પ્રતિપાદિત થતું હતું કે જો મોદી પ્રચારની ધૂરા સંભાળે અને તે જ વડાપ્રધાન પદનો બીજેપી દ્વારા પ્રસ્તૂત ઉમેદવાર હોય તો વધુ લોકસભાની બેઠકો આવે. સાથી પક્ષોમાં પણ એવા પ્રચ્છન્ન નેતાઓ છે (જેડીયુ સહિત) જેઓ મોદીને પસંદ કરે છે.

સર્વ સંમતિથી નિર્ણય લેવાયો. બે ત્રણ દિવસ લાગ્યા તેને મહાભારત ન કહેવાય. આ પ્રક્રીયાને એક લોકશાહી પ્રક્રીયા ગણવી જોઇએ.

જેઓ નહેરુવીયન કોંગ્રેસના વંશવાદના સંસ્કાર જે માનસિકતા જ્ઞાતિવાદી માનસિકતાથી પણ વધુ પછાત કક્ષાની છે તેઓને બીજેપીની ક્રીયાઓ પસંદ પડશે નહીં. તેઓ બીજેપીને વિભીન્ન મતો વાળી પાર્ટી, અને નરેન્દ્ર મોદીને ગંભીર આરોપોવાળા નેતા તરીકે ઉલ્લેખવાનું ચાલુ રાખશે. ૧૯૭૫માં ભારત દેશ ઉપર કટોકટી સ્થાપીને પોતાની સર્વ ક્ષેત્રીય નિસ્ફળતાનું પ્રદર્શન કરનાર અને તેને તાબે થનાર વ્યક્તિઓ, પક્ષો અને સંસ્થાઓ પાસેથી તમે લોકશાહીના આદરના સંસ્કારની અપેક્ષા ન રાખી શકો.    

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અડવાણીનું ભવિષ્ય શું?

બીજેપી સત્તામાં આવે એટલે તે શાહ કમીશનના રીપોર્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે. કોંગીના જે કોઈ સભ્યો સંડોવાયેલા હોય અને જીવિત હોય તેમની ધરપકડ કરીને જેલમાં મોકલે. પ્રણવ મુખર્જી પણ સંદોવાયેલા છે એટલે તેઓ પદચ્યૂત થાય. અને તેમને સ્થાને અડવાણીની નિમણુંક થાય.

ટેગ્ઝઃ નરેન્દ્ર, મોદી, કેશુભાઈ, શંકર સિંહ, સુરેશ મહેતા, સંજય જોષી, સુષ્મા સ્વરાજ, જશવંત સિંઘ, અડવાણી, અખબારી, ઉંદરો, સમાચાર માધ્યમો, મીડીયા, અફવા, પીળો, જનતા, પસંદ, નેતા, નહેરુવીયન, અશિષ્ટ, બુરાઈ, આરએસએસ, હિન્દુત્વ, નહેરુ, ઈન્દીરા, કટોકટી,

 

 

Read Full Post »

દરેક દેશને કાળો યુગ આવે છે. પછી ભલે તે દેશ કોઈએક સમયે કે મોટાભાગના સમય માટે ગમે તેટલો મહાન વિકસિત, વિદ્વાન અને ઉત્તમ રાજનીતિ વાળો કેમ નહોય. 

ભારતની સમાજવ્યવસ્થા ખામીવાળી હતી પણ તે વિકેન્દ્રિત, એકમેકને પૂરક અને વ્યવસ્થિત હતી તેથી ઔરંગઝેબના સમયસુધી ઠીક ઠીક સફળ રીતે ચાલી. જોકે કેટલાક લોકો સનાતનધર્મ ઉપરના પ્રેમને કારણે કે મુસ્લિમ અને ખ્રીસ્તી ધર્મના લોકોએ કરેલા કથિત અત્યાચારોને કારણે ભારતના સુવર્ણયુગનો અંત અને ગુલામીની શરુઆત મહમ્મદ ગઝનીના સમયથી એટલે કે ૧૧મી સદીથી ગણી લે છે.

એમ તો કેટલાક પાશ્ચાત્ય વાદીઓ સિકંદરે પોરસને હરાવ્યો ત્યારથી ભારતને હારની પરંપરા વાળો ગણી લે છે. પણ એની ચર્ચા આપણે નહીં કરીએ.

જેઓ અહીં આવ્યા અને ભારતને પોતાનો દેશ ગણ્યો અને રાજ કરીને તેનો વિકાસ પણ કર્યો તેના રાજમાં આપણે ગુલામ હતા તે વાત સ્વિકારી ન શકાય. જો આમ ન માનીએ તો અમેરિકા આજે ઈન્ડોનેસીયાનું ગુલામ કહેવાય કારણ કે ઓબામા ઈન્ડોનેસીયાના મુસ્લિમ છે.

પૃથ્વીના ઈતિહાસનો અર્વાચિન યુગ પણ ભારતનો કાળો યુગ

આપણી ગુલામી અને કાળાયુગનો પ્રારંભ મોગલ સામ્રાજ્યના અંતની સાથે થયો. સાંસ્કૃતિક અને આર્થિક રીતે ગુલામી અંગ્રેજોના શાસનથી આવી. અને કદાચ તે હજુપણ ચાલુ છે. વૈચારિક અને નૈતિક કંગાળતા તો નહેરુવીયન શાસન જ લાવ્યું.

૧૯૬૯માં જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી જેવા વૈચારિક રીતે પ્રતિકૃતિવાળા બે ત્રણ ગાંધી જો સાથે આવે તો જ આપણને આ અંધાકાર યુગમાંથી કદાચ બચાવી શકે.

ચીન સાથેના પરાજય પછી જવાહાર નહેરુની ખુરસી ડગમગવા માંડી અને તેમણે  સીન્ડીકેટની રચના કરી.

આ રચનાનો હેતુ એજ હતો કે ભારતની વિદેશ નીતિના રહસ્યો દબાયેલા જ રહે અને તેના હાડપિંજરો કદી બહાર જ ન આવી શકે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે વડાપ્રધાનનું પદ વંશપરંપરાગત બને. આ એક અનીતિ હતી. લોકશાહીમાં  વંશવાદની અભિલાષા ન રાખી શકાય. પણ દેશના અંગ્રેજી સમાચાર પત્રોને ભારતીય સાંસ્કૃતિક ધરોહરમાં રસ ન હતો. અર્થહીન પાશ્ચાત્યવાદો જેવા કે મુડીવાદ, ઉપભોગતાવાદ, પ્રબંધક સમાજવાદ, સામ્યવાદ, વિગેરે તેમને માટે  પ્રકાશના કેન્દ્રો હતા.

તેમને માટે અને નહેરુમાટે પણ, ગાંધીજીનો ભારતીય સંસ્કૃતિ ઉપર આધારિત સર્વોદયવાદ પોથીમાંના રીંગણા જેવો હતો. ગાંધીજી ખુદ તેમને માટે પોથીમાંના રીંગણા જેવા હતા. ચૂંટણી વખતે ગાંધીજી ગાજરની પીપુડી હતા. દેશી એટલે કે વર્નાક્યુલર સમાચાર પત્રોના માલિકોને જવાહરલાલના નામની શરમ નડતી હતી. કારણ કે જવાહરલાલ ની, સ્વાતત્ર્યની ચળવળમાં કારકિર્દી ઉલ્લેખનીય હતી.

તિબેટ-ચીન-રશીયા-બર્મા સાથેના સંબંધો, અર્થનીતિ, બિનજોડાણવાદની નીતિ, સમાજવાદી સમાજરચના, લોકશાહી સમાજવાદી સમાજ રચના,   પંચશીલ વિગેરે એવા વિષયો હતા કે જેમાં સામાન્ય માણસોને કંઈ ગમ ન પડે અને મોટાભાગના અખબારી કટારોના મૂર્ધન્યો પણ ગોથાં ખાય. મૂળમાં આ બધું તાત્વિક વધુ અને આચારમાં દુધ-દહીં જેવું હતું.

સ્વતંત્ર ભારતની અંધકાર યુગની ઘોર રાત્રીના મંડાણ.

પણ ઇન્દીરા ગાંધીના આવ્યા પછી એક નવું તત્વ રાજકારણમાં ઉમેરાયું જે હતું રાજકીય મૂલ્યોનો પ્રત્યક્ષ વિનાશ. દલીલ વગરનું અને તથ્યવગરનું વાગ્‌યુદ્ધ. કોઈપણ ભોગે સત્તા. પક્ષપલ્ટો કરવો અને અથવા કરાવવો. લાલચો આપવી. વિશ્વાસઘાત કરવો. લાંચ લેવી. લાંચ આપવી. કામ ન કરવું. પૈસા આપી ટોળાં એકઠા કરવા. ટ્રકોમાં લોકોને લઈ જવા. વિરોધીઓને ખોટી રીતે હેરાન કરવા. અફવાઓ ફેલાવવી. નામવગરના અર્થઘટનો કરવાં. આ દરેક દુરાચારોના પ્રસંગો ઈન્દીરાગાંધીની ખુદની બાબતમાં પણ લખી શકાય એમ છે.

આવું બધું જ્યારે રાજકીય સફળતાના મૂળમાં હોય ત્યારે દેશ પાયમાલ ન થાય તો શું થાય?

૧૯૭૦ માં ઈન્દીરાએ કેન્દ્રમાં નિરપેક્ષ સફળતા મેળવી. ૧૯૭૧માં રાજ્યોમાં નિરપેક્ષ સફળતા મેળવી. આ સફળતા તો એવી કે મુખ્ય મંત્રીઓની નીમણૂંક પણ ઈન્દીરા ગાંધીની આજ્ઞા પ્રમાણે થાય. આટલા મોટા જનાધાર અને આપખુદી હોવા છતાં પણ દેશ પ્રગતિને બદલે પાયમાલ થવા માંડ્યો.

આનો પ્રતિકાર સૌપ્રથમ ગુજરાતમાં થયો. એમ કહી શકાય કે તેનું પ્રથમ દર્શન પુરષોત્તમ ગણેશ માવલંકર ના ચૂંટણી યુદ્ધથી થયું. ૧૯૭૨ માં ઈન્દુલાલ યાજ્ઞિકના અવસાનથી ખાલી પડેલી લોકસભાની બેઠક માટે પી.જી.માવલંકરે અપક્ષ ઉમેદવાર તરીકે નામ નોંધાવ્યું. સંસ્થા કોંગ્રેસે તેમનું સમર્થન કર્યું. ૧૯૭૧માં તો ગુજરાતમાં ચારે બાજુ ઈન્દીરા કોંગ્રેસનો જયજયકાર હતો. વિધાન સભામાં ઈન્દીરા કોંગ્રેસને ૧૬૪માંથી ૧૪૦ સીટો મળેલી. જોકે લોકોને અસંતોષ હતો. પણ “ગરીબી હઠાવો”ના નારાએ અને હોદ્દાઓની ખેરાત કરવામાં ઇન્દીરા ગાંધીએ દલિત નેતાઓને ન્યાલ કરેલા, એટલે દલિત લોકોમાં ભ્રમ ઉભો થયેલો કે “આ ગમિષ્યતિ યત્‌ પત્રં, તત્‌ તારિષ્યતિ અસ્માન્‌”.

પંચતંત્રની એક વાતમાં ચાર મુર્ખ પંડિતોની વાર્તા આવે છે. જેમાં નદી ઓળંગવાનો પ્રસંગ ઉભો થાય છે.  એક પંડિત પોથી ઉઘાડીને વાંચે છે કે જે પાંદડું આવશે તે તમને તારી દેશે.. અને એક પાંદડું તરતું તરતું આવે છે તેના ઉપર એક પંડિત કુદી પડે છે.

 હવે આપણા દેશના ગુજરાત સહિતના મૂર્ધન્યો જ જો, ઈન્દીરા ગાંધીની “મારા બાપાને પણ આ લોકો કામ કરવા દેતા ન હતા” એવી વેતા વગરની વાતોમાં આવી જાય અને તાબોટા પાડે તો ગુજરાતની ગરીબ પ્રજાને શું ગમ પડે! તેમને તો એમ જ હતું કે હવે તો આપણે પણ બે પાંદડે થાશું.

આમ તો આવાત “આજની ઘડી અને કાલનો દી” જેવી હતી. ઈન્દીરા ગાંધીના કરતાં વધુ કર્મનિષ્ઠ અને વધુ હોંશીયાર એવા તેના પિતાશ્રી જવાહર લાલ નહેરુએ પણ આવી જ પ્રતિજ્ઞાઓ લીધેલી. અને આ બધી “જલે લિખિતં અક્ષરં” (પાણી ઉપર લખેલા પ્રતિજ્ઞાપત્ર) જેવી સાબીત થયેલી. જેવી કે “ચીને કબજે કરેલો ભારતીય પ્રદેશ પાછો મેળવ્યા વગર જંપીને બેસીશું નહીં” એ પ્રતિજ્ઞા  ભારતીય સંસદ સમક્ષ તેમણે અને તેમના પક્ષે લીધેલી હતી. ભારતના અખબારી મૂર્ધન્યો નહીં તો કમસે કમ ગુજરાતના અખબારી અને સાહિત્યિક મૂર્ધન્યોએ તો આવી પ્રપંચી પ્રતિજ્ઞાઓ ને સમજી જવા જેવી હતી. પણ ઈન્દુલાલ યાજ્ઞિક જેવા પણ દુર્ભાગ્યના માર્યા  જો ઈન્દીરા કોંગ્રેસમાં ભળી જાય તો ગરીબોનો તો વિશ્વાસ બંધાય જ ને! હવે આ ઈન્દુલાલ યાજ્ઞિક જેઓ આખી જીંદગી કોંગ્રેસને ફીટકારતા રહ્યા હ્તા, તેઓ તેમની જીવન યાત્રાની અંતિમ ક્ષણોમાં ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયા, તેનાથી વધુ રાજકીય મૂલ્યોના હ્રાસ ની વાત બીજી કઈ હોઈ શકે?

મહમ્મદ ગઝની અને તૈમૂરલંગના સેનાપતિઓને હરાવી શકાય છે.

મોરારજી દેસાઈ અને તેમના સાથીઓ ઈન્દીરા ગાંધીની કાર્યશૈલીને ઓળખતા જ હતા. અને ગુજરાતી સુજ્ઞ જનો પણ સમજી ગયા કે નહેરુવીયન કોંગ્રેસમાં નીતિમત્તાના મામલે ખાટલે મોટી ખોડ છે. તે વખતે અખબારો નહેરુવીયન કોંગ્રેસના આંતર વિગ્રહની વાતોને છૂપાવવામાં માનતા ન હતા કારણ કે તેમાટે તેમને કદાચ પૈસા મળવાનું ચાલુ થયું નહીં હોય. તેથી ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસની આંતરવિગ્રહની વાતો છાપે ચડવા માંડેલી. એમાં વળી અમદાવાદની લોકસભાની બેઠકની ચૂંટણી આવી અને પી. જી. માવલંકર આ ચૂંટણી ૨૦૦૦૦ મતે જીતી ગયા એટલે શહેરી જનતાના જીવમાં જીવ આવ્યો કે તૈમૂરલંગના સેનાપતિને પણ હરાવી શકાય છે.

નવનિર્માણનું આંદોલનઃ

નહેરુવીયન કોંગ્રેસની શાસકીય અણઅવડત છતી થવા માંડી અને અખબારોએ સાથ આપ્યો એટલે નવનિર્માણનું આંદોલન શરુ થયું. પી.જી. માવલંકરે અને ગુજરાતના સાહિત્યિક મૂર્ધન્યોએ આ આંદોલનને સાથ આપ્યો. રાજકારણથી સામાન્ય રીતે દૂર રહેનારા ગુજરાતી સર્વોદય કાર્યકરો અને સર્વોદય ઉપર શ્રદ્ધા ધરાવતા નેતાઓ પણ આ આંદોલનમાં ભળ્યા. “૧૪૦ કોણ છે, ઈન્દીરાના ચમચા છે” જેવા અનેક સૂત્રો સાથે આંદોલનની પરાકાષ્ઠા આવી અને નહેરુવીયન કોંગ્રેસી મુખ્યમંત્રીએ રાજીનામુ આપ્યું.

 પણ જનતાને વિધાન સભાના વિસર્જનથી ઓછું ખપતું ન હતું એટલે આંદોલન વ્યાપકરીતે ઘણું આગળ ચાલ્યું.   જોકે આ નહેરુવીયન કોંગ્રેસે ઘણા ગોળીબારો કર્યા અને સો થી વધુ લોકોએ જાન ગુમાવ્યા. અંતે ઈન્દીરાગાંધીએ વિધાન સભાને સુસુપ્ત કરી. પણ તેથી જનતાને સંતોષ ન થયો કારણ કે જનતા ઈન્દીરા ગાંધીના જુઠાણાઓને જાણતી હતી. જનતાએ વિધાનસભાના સભ્યોના રાજીનામા માંગવા માંડ્યા. મોરારજી દેસાઈ જે કોંગ્રેસમાં હતા તે કોંગ્રેસ, સંસ્થા કોંગ્રેસને નામે ઓળખાતી હતી.  કોંગ્રેસ(સંસ્થા)ના સભ્યોએ તો તૂર્ત જ રાજીનામા આપી દીધા. જનસંઘના સભ્યોએ પણ રાજીનામાં આપ્યા. અને ન છૂટકે કેટલાક નહેરુવીયન કોંગ્રેસી સભ્યોએ પણ રાજીનામાં આપ્યાં. પણ ઇન્દીરા ગાંધીની ઈચ્છા હતી કે વિધાનસભાનું વિસર્જન ન કરવું. સમય વ્યતિત કરવો. કાળક્રમે બધું બધું ટાઢું પડે એટલે વિધાનસભાની ખાલી સીટોની ચૂંટણી કરાવી લેવી.

ઈન્દીરા ગાંધીએ અવાર નવાર “નવનિર્માણ આંદોલન”ના નેતાઓને દિલ્લી તેડાવેલા. લાલચો આપેલી. પણ સદભાગ્યે કોઈ વિદ્યાર્થી નેતા ટસના મસ થયા ન હતા. સંભવ છે કે ગણ્યાગાંઠ્યા કોઈ ઈન્દીરાની વાતમાં આવી ગયા હોય પણ બીજા નેતાઓના પ્રબળ વિરોધને કારણે તેઓ કોઈ ફૂટ્યા નહીં. આવું એટલા માટે કહેવું પડ્યું કે એક બે નેતાઓ એ કહ્યું હતું “જેને નવનિર્માણનું આંદોલન પાછું ખેંચવું હોય તે ખેંચી લે. ભલે હું એકલો રહી જાઉં. હું મરતાં સુધી આ આંદોલન ચલાવતો રહીશ અને કોંગ્રેસ (આઈ) સામે એકલો એકલો લડતો રહીશ.” જો કે સખેદ કહેવું પડે કે આજની તારીખમાં કેટલાક નવનિર્માણીય નેતાઓ ઈન્દીરાઈ કોંગ્રેસને શોભાવી રહ્યા છે. પણ જેઓ જેલમાં ગયેલા અને પરિપક્વ હતા તેઓ પણ જો આ જે ઈન્દીરાઈ કોંગ્રેસને પ્રત્યક્ષ કે પરોક્ષરીતે શોભાવી રહ્યા હોય તો આ નવનિર્માણ ખ્યાત નેતાઓ પોતાની તત્કાલિન પ્રસિદ્ધિને “કૅશ કરે” તો તેમને તેમના આવા પરિપેક્ષ્યમાં જોવા જોવા જોઇએ.

આવું બધું ભવિષ્યમાં ન થાય તેમાટે, તે સમયે પીજી માવલંકરે એક પક્ષ બનાવવાની અગમ બુદ્ધિની વાત કરેલી. પણ તે વખતે વિદ્યાર્થી નેતાઓ ઉપર “પક્ષ હીન” રાજકારણનું ભૂત સવાર થયેલું. એટલે કોઈએ તેમની વાત માની નહીં. પક્ષનું મોવડી મંડળ, પક્ષના સભ્યોની પૂંછડીને પકડીને અંકૂશમાં રાખી શકે તે કોઈના ધ્યાન માં ન આવ્યું. જો પક્ષનું મોવડી મંડળ નીતિમાન હોય તો તે પોતાના પક્ષના લાલચુસભ્યોને અંકૂશમાં રાખી શકે છે. આ વાત પક્ષીય રાજકારણનું એક હકારાત્મક પાસું છે. જો પક્ષને નીતિના સિદ્ધાંતો ન હોય તો ખાઉકડ સભ્યોથી જ લોકસભા/વિધાન સભા ખદબદી ઉઠે. જે આપણે હાલ કેન્દ્રમાં ભરપૂર માત્રામાં જોઇએ છીએ. આ વિષય લાંબી ચર્ચા માગી લે છે. આ બ્લોગનો આ વિષય નથી.

મોરારજી દેસાઈ, આ બધી નહેરુવંશીય ફરજંદોની ચાલબાજી જાણતા હતા. એટલે તેઓ વિધાનસભાના વિસર્જન માટે આ મરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા. મોરારજી દેસાઈ રાષ્ટ્રીય નેતા હતા. એટલે આખા દેશમાં ભારે ઉહાપોહ થયો. ઈન્દીરા ગાંધી એ બેહદ ખંડિત અને નિષ્પ્રાણ વિધાન સભાને વિસર્જીત ન કરી પણ મોરારજી ની તબિયત લથડી એટલે ટીકા થવા માંડી. અંતે ઈન્દીરા ગાંધીએ ન છૂટકે વિધાનસભાનું  વિસર્જન કર્યું. વિધાન સભાના વિસર્જન પછી ઇન્દીરા ગાંધીની ઈચ્છા ન હતી કે ગુજરાતમાં ફરીથી ચૂંટણી યોજાય. ગુજરાતની ચૂંટણીમાં વિલંબ થવા લાગ્યો. એટલે ફરીથી મોરારજી દેસાઈ આમરાંત ઉપવાસ ઉપર ઉતર્યા. તેમની તબિયત લથડી. અંતે ગુજરાત વિધાન સભાની ચૂંટણી જાહેર થઈ. જનતા મોરચાના નેજા હેઠળ બધા વિરોધ પક્ષો ભેગા થયા. ચિમનભાઈ પટેલે “કિમલોપ” નવો પક્ષ રચ્યો. તેઓ પોતે હારી ગયા પણ તેમના પક્ષે જનતા મોરચાને બેઠકોની બાબતમાં નુકશાન કર્યું. જનતા મોરચો  નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસથી થોડોક જ આગળ નિકળી શક્યો. કોંગ્રેસ નામશેષ ન થઈ તેનું મૂખ્ય કારણ તેની જાતિવાદી ભેદભાવ ઉત્પન્ન કરવાની નીતિ હતી. પણ સરવાળે જનતા મોરચાના નેતા બાબુભાઈ જશભાઈ પટેલ સરકાર રચી શક્યા. ઈન્દીરાના પેટમાં તેલ રેડાયું.  

લોકઆંદોલન દ્વારા સરકારને ગબડાવી શકાય છે. લોક આંદોલન દ્વારા વિધાન સભાનું વિસર્જન થઈ શકે છે તે વાતથી જયપ્રકાશ નારયણને ઉત્સાહ સાંપડ્યો. પ્રાદેશિક લાભ માટે બીજા રાજ્યના લોકો ભારતમાં આંદોલનો કરતા હતા. સરકારી સાહસો  ગુજરાતમાં આવતા જ નહતા. નર્મદા યોજના જેવી ૧૯૩૦ની સાલની યોજના પણ ઈન્દીરાઈ રાજકારણ થકી ટલ્લે ચડતી હતી. નવી રેલ્વે લાઈનો નખવાની તો વાત કરવા જેવી નહતી. કારણ કે “બાપુઓ”એ નાખેલી રેલ્વે લાઈનોને અપગ્રેડ કરવાને બદલે જ ઇન્દીરાઈ સરકાર તેને એક પછી એક બંધ કરતી જતી હતી. ભાવનગર તારાપુર રેલ્વે યોજના તો ટલ્લે જ ચડી ગઈ હતી. મશીન ટૂલ્સના કારખાનાનો પ્રકલ્પ પણ હવામાં ઓગળી ગયો હતો. પણ ગુજરાતે કદી આવી બાબતો માટે આંદોલન કર્યું ન હતું. પણ આ જ ગુજરાતની જનતાએ ભ્રષ્ટાચાર હટાવોનું વ્યાપક અને દીર્ઘકાલીન આંદોલન સફળતા પૂર્વક કર્યું તેથી જયપ્રકાશ નારાયણ બહુ પ્રભાવિત થયા. તેમણે દેશ વ્યાપી આંદોલન ઉપાડ્યું તેથી ઈન્દીરા ગાંધીની દેશવ્યાપી સરકાર તકલીફમાં આવી.

ઈન્દીરા ગાંધી દલા તરવાડી

ચીફ ઈલેક્ષન કમીશ્નર શ્રી શેષન જ્યાં સુધી  ચીફ ઈલેક્ષન કમીશ્નર થયા ન હતા ત્યાં સુધી એટલે કે નહેરુ ઈન્દીરાના સમયમાં ચૂંટણી લક્ષી દરેક બાબતોમાં લાલીયાવાડી ચાલતી હતી. તેનો લાભ નહેરુવીયન કોંગ્રેસ પુસ્કળ લેતી હતી. ઈન્દીરાગાંધીએ પણ ૧૯૭૦ની ચૂંટણી લડવામાં અનેક ગેરરીતીઓ આચરેલી. ઈન્દીરાના પ્રતિસ્પર્ધી રાજનારયણે આ ચૂંટણીને અલ્હાબાદ ઉચ્ચ અદાલતમાં પડકારેલી. એક બાજુ જયપ્રકાશ નારાયણનું આંદોલન ચાલતું હતું અને બીજી તરફ ૨૩મી જુને અલ્હાબાદ ઉચ્ચ અદાલતનો ચૂકાદો આવ્યો. આ અદાલતે ઈન્દીરા ગાંધીની લોકસભાની સદસ્યતા ગેરરીતીઓને કારણે રદ કરી. આ ઉપરાંત ગેરરીતીઓ આચરવા બદલ ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ગેર લાયક ઠેરવ્યાં.

એવું લાગે છે કે ઈન્દીરા ગાંધીને તેના જાસુસી સુત્રોથી આ આવનારા ચૂકાદાની માહિતી હશે. કારણ કે જેવો ચૂકાદો જાહેર થયો તેના ગણત્રીના કલાકોમાં દેશ ભરની દિવાલો ઉપર પોસ્ટરો લાગી ગયાં કે “ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર ચાલુ છે.” “જનતાની ઈચ્છાને માન આપીને  ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર ચાલુ છે”. ઓલ ઈન્ડીયા રેડીયો કે જે “ઓલ ઈન્દીરા રેડીયો” તરીકે ઓળખાતો હતો તેની ઉપર દરેક રાજ્યની નહેરુવીયન કોંગ્રેસ પ્રદેશ સમિતિએ કરેલા ઠરાવો નો મારો પ્રસારિત થવા લાગ્યો કે “ઈન્દીરાગાંધીમાં પક્ષને સંપૂર્ણ વિશ્વાસ છે અને તે વડાપ્રધાન પદ ઉપર ચાલુ રછે.” ઈન્દીરા ગાંધીની આ વાત દલા તરવાડી જેવી હતી. ૨૫મીએ મધ્ય રાત્રીએ દેશવ્યાપી કટોકટી લાદવામાં આવી. અને પછી તો કોના બાપની દિવાળી. ઈન્દીરા ગાંધીની ભાટાઈ કરતા પોસ્ટરો ઉપર પોસ્ટરો  લાગવા માડ્યાં.

કટોકટીના જાહેર કરેલા કારણો એ હતાં કે દેશના અહિત ઈચ્છનારાઓ લશ્કરને બળવો કરતા ઉશ્કેરતા હતા. વિપક્ષી નેતાઓ સરકારી નોકરોને કાયદાના ભંગ માટે ઉશ્કેરાતા હ્તા.  વિપક્ષી નેતાઓમાં અશિસ્ત હતી. વિપક્ષી નેતાઓ પ્રજાને અશિસ્ત માટે ઉશ્કેરતા હતા. સર્વત્ર અરાજકતા ફેલાવવામાં આવી હતી. ઔદ્યોગિક ક્ષેત્રે અને વહીવટી ક્ષેત્રે અશિસ્ત હતી. વિપક્ષી નેતાઓ વિદેશી તત્વોના હાથા બની ગયા હતા.  આ બધા કારણોથી દેશમાં બાહ્ય અને આંતરિક કટોકટી લાદવામાં આવેલી.

આ કટોકટી લાદવા જે વટહુકમ તૈયાર કરવમાં આવેલો તે માટે કેબીનેટની મંજુરી લેવામાં આવી નહતી. તેને સીધો જ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી ફકરુદ્દીન અલી અહેમદ પાસે લઈ જવામાં આવ્યો હતો. તે વખતે રાષ્ટ્રપતિ સ્નાન કરી રહ્યા હતા. એક કાર્ટૂન એ પ્રમાણે હતું કે બાથરુમના અધખુલ્લા બારણામાંથી વટહુકમના કાગળને રાષ્ટ્રપતિ તરફ અંબાવીને કાગળ ઉપર સહી લેવામાં આવેલી. 

આ કટોકટી અંતર્ગત બંધારણીય અધિકારો રદ કરવામાં આવ્યા. સભા, સરઘસ કે પ્રદર્શન કે સરકાર વિરોધી કોઈપણ વાત પર સંપૂર્ણ બંધી હતી. કોઈપણ સમાચાર સરકારની ચકાસણી  વગર અને મંજૂરી વગર છાપવાની બંધી હતી. તેથી સમાચારની બાબતમાં અંધારપટ હતો. વિપક્ષી નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં ઈન્દીરાઈ કોંગ્રેસની સરકાર હતી (જે ગુજરાત માં ન હતી) ત્યાં જે કોઇ પણ વિરોધ કરતા હતા તે સૌને શોધી શોધીને જેલમાં પૂરવામાં આવ્યા. ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર હતી. પણ ચીમનભાઈ પટેલ ઉપર તવાઈ આવી. તેમણે એક પુસ્તિકા લખેલી કે ગુજરાતના તેલીયા રાજાઓ પાસે થી ઈન્દીરા ગાંધીએ કેવીરીતે પૈસા પડાવેલ. ચીમનભાઈ પટેલે ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલન ને કારણે મુખ્યપ્રધાનપદ ગુમાવેલું અને નવો પક્ષ રચેલ. આ પક્ષના ટેકાથી જનતા મોરચાની સરકાર ચાલતી હતી. કટોકટીમાં ચીમનભાઈએ ઈન્દીરાઈ કોંગ્રેસની ધમકીઓથી ડરી જઈને ટેકો પાછો ખેંચ્યો. એટલે બાબુભાઈ જશભાઈ પટેલની જનતા મોરચાની સરકાર ગબડી પડી. એટલે ગુજરાતમાં ઈન્દીરાકોંગ્રેસના વિરોધીઓને જેલમાં પૂરવાનો દોર ચાલુ થયો.

સરકાર કોને જેલમાં પૂરી શકે?

જેણે કોઇના જાનમાલને નુકશાન પહોંચાડવાનો ગુનો કર્યો હોય.

જે ઉપરોક્ત ગુનો કરવાની વૃત્તિ ધરાવે છે. પણ આ માટે પ્રથમદર્શી પૂરાવો પોલીસ પાસે હોવો જોઇએ.

કટોકટી માં બંધારણીય અધિકારો સ્થગિત થાય છે. પણ કુદરતી અધિકારો સ્થગિત થતા નથી. આ અધિકારો યુનોના માનવીય અધિકારોમાં આવે છે. જ્યાં સુધી કોઈ એક દેશ યુનો નો સભ્ય છે ત્યાં સુધી તે દેશે માનવીય અધિકારોનું રક્ષણ કરવું કરવું જોઇએ.

ધારોકે તમારી સરકારે કોઇને તેની તથાકથિત ગુનાઈત પ્રવૃત્તિના આરોપસર જેલમાં તો પૂર્યો છે. તો તમારે તે વ્યક્તિને તેના બંધારણીય હક્ક પ્રમાણે જણાવવું તો જોઇએ જ કે તેને કયા કારણથી જેલમાં પૂર્યો છે. હવે ધારોકે તમે તેના બંધારણીય હક્કો નાબુદ કર્યા છે તો તેનો અર્થ એ નથી કે તમે તેને વગર ગુનાએ કે વગર પ્રથમદર્શી પુરાવાએ પણ જેલમાં પૂરી શકો. કારણ કે જો આવું થાય તો તો જીવવાનો અધિકાર પણ નષ્ટ થાય છે.

એક જગ્યાએ કોઈની ધરપકડ થઈ. એટલે એક વકીલે કોર્ટમાં કેસ કર્યો.

વકીલે કહ્યું મારા અસીલ નો શું ગુનો છે અને તે માટે પ્રથમદર્શી પૂરાવો શું છે?

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે અત્યારે બંધારણીય અધિકારો રદ થયા છે.

ન્યાયધીશે કહ્યું; એટલે તમે શું કહેવા માગો છો?

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે બધા અધિકારો રદ થયા છે.

ન્યાયધીશે કહ્યું કે શું તમે કોઈને મારી નાખી પણ શકો?

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે હા, અમે કોઈપણ નાગરિકને મારી નાખી પણ શકીએ.

ન્યાયધીશે કહ્યું; જીવવાનો અધિકાર એ કુદરતી અધિકાર છે. એ તમે ક્યારેય છીનવી ન શકો.

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે; અમે તો તેને ફક્ત જેલમાં જ પૂર્યો છે.

ન્યાયધીશે કહ્યું; હા પણ તેને માટે પૂરાવો હોવો જરુરી છે.

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે હા આપ કહો છો તે જરુરી હોય તો પણ,  એ વાત આરોપીને બતાવવી જરુરી નથી.

ન્યાયધીશે કહ્યું કે બંધારણીય અધિકારો રદ નથી થયા. પણ સ્થગિત થયા છે. તેથી પ્રથમ દર્શી પૂરાવાઓ હોવા તો જોઇએ જ.

સરકારી વકીલે કહ્યું,; હા પણ આરોપીને બતાવવા જરુરી નથી. એટલે ન હોય તો પણ ચાલે.

ન્યાયધીશે કહ્યું; આરોપીને બતાવવા જરુરી નથી એનો અર્થ એવો નથી કે પ્રથમ દર્શી પૂરાવા ન હોય તો પણ ચાલે. તેનું અસ્તિત્વ તો હોવું જ જોઇએ. અને તે કૉર્ટને તો બતાવવા જ જોઇએ.

કૉર્ટ નક્કી કરશે કે પ્રથમદર્શી પૂરાવા યોગ્ય છે કે નહીં.

આવી તો ઘણી જ પોલીસની (સરકારની) મનમાની ની વાતો છે. ગયા વર્ષના બ્લોગને અનુસંધાનમાં વાંચો.

https://treenetram.wordpress.com/2011/07/

ધુળાભાઈ ગોત્યા ન જડે

કટોકટી દરમ્યાન ઑલ ઈન્ડીયા રેડીયો તો ઈન્દીરાઈ જાગીર હોય તેમ જ વર્તતો હતો. ઈન્દીરા ગાંધીના પૂત્રના ૪ મુદ્દાનો કાર્યક્રમ અને ઈન્દીરા ગાંધીનો ૨૦ મુદ્દાનો કાર્યક્રમ એટલે કે ૪ અને ૨૦ નો કાર્યક્રમ ૪૨૦ જેવો જ હતો. રેડીયો ઉપર આ જાહેરાત અવારનવાર આવતી; “અહા હા ધૂળાભાઈ, તમે તો કંઈ બહુ જ ખુશમાં લાગો છો?” ધુળાભાઈનો અવાજ; “તે હોઈએ જ ને! જુઓને આ ૨૦ મુદ્દાના કાર્યક્રમમાં એય અમને પાકુ ધાબા વાળું ઘર મળ્યું છે. … અને એય … અમારે તો લીલા લહેર છે…” વિગેરે વિગેરે.

પણ ધુળાભાઈ વાસ્તવમાં કોઈ ગામમાં ગોત્યા ન જડે. પણ તમે એમ કહી ન શકો. આમ જનતા ભયભીત હતી. સૌ રાજકારણ થી ડરતા હતા. સૌને એવો ડર હતો કે લોકલ ઈન્ટેલીજન્સ વાળા ક્યાંક છૂપાઈને બેઠા હશે અને આપણી વાત સાંભળી જશે તો આપણને જેલમાં ઠોકી દેશે. રાજકારણની વાતને એક અછૂત વિષય બનાવી દીધો હતો. રાજકારણે અને તેના લગતા આંદોલનોએ દેશને કેટલું બધું નુકશાન પહોંચાડ્યું તેની અખબારી મૂર્ધન્યો ચર્ચા કરતા હતા.

સરકાર વિષે પરોક્ષ રીતે પણ બોલવામાં લોકો ડરતા હતા. વિપક્ષના લોકો તો કાંતો જેલમાં હતા અથવા તો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. કટાર લેખકો પોતાની કટારો બચાવવા રાજકારણના કે સમાજ શાસ્ત્રના વિષયો છોડી, ફાલતુ વિષયો ઉપર ચર્ચા કરવા માંડ્યા હતા. કોઈપણ વિષયમાં ચર્ચા થાય ત્યારે એ વાત ખાસ ધ્યાનમાં રખાતી કે સરકારની વિરુદ્ધમાં પરોક્ષ રીતે પણ કંઈ લખાઈ જતું તો નથી ને!

એક અખબારે લખ્યું “કટોકટીને એક વર્ષ પૂરું થયું” તો તેની ઉપર સરકારી પસ્તાળ પડી. સમાચાર પત્રોના તંત્રીઓ અને માલિકો ને નમવાનું કહેલ તો તેઓ ચત્તાપાટ સાષ્ટાંગ દણ્ડવત્‌ નમસ્કાર કરવા લાગ્યા. જેઓ એ આવું ન કર્યું તેના કેવા હાલ કર્યા તે માટે ઉપરોક્ત ગયા વર્ષના બ્લોગપોસ્ટ ઉપર લખ્યું છે.

કેશુભાઈ હાલ ભયભીત છે કે ઈન્દીરાઈ કટોકટી માં વધુ ભયભીત હતા તેનો ફોડ પાડશે?

“હાલ બધા ભયભીત  છે ભયભીત છે” એવી વાતો કરનાર કેશુભાઈ પટેલ છાસવારે બૂમો પાડે છે હાલ કટોકટી છે કટોકટી છે. સૌ કોઈ નિડર બનો. હવે વધુ સાંખી લેવાય તેમ નથી. વિગેરે વિગેરે  બુમબરાડા પાડે છે. અખબારો પણ તેમની વાતને અનુમોદન આપતા હોય તેમ પાર વિનાની પ્રસિદ્ધિ આપે છે.

શું કેશુભાઈ અને અખબારોના ખેરખાંઓ કંઈ કટોકટીના સમયે ભાંખોડીયા ભરતા હોય એવડા જ હતા?

કેશુભાઈ, સુરેશ મહેતા, કે જે કોઈ તેમના સાગરીતો છે તેમને તો ખબર જ હશે જ કે “વાસ્તવિક કટોકટી ૧૯૭૫-૭૬” વખતે તેમના શા હાલ હતા? તેઓ જો વાસ્તવમાં ભાંખોડીયા ભરતા હોય તો પણ ઇતિહાસની વાસ્તવિકતાથી તેઓ અજાણ રહી શકે નહીં. કેશુભાઈ અને સુરેશભાઈ તો કડે ધડે હતા. બીજા પણ જેઓ શોરબકોર કરે છે તેઓ પણ બાબાગાડી ચલાવતા ન હતા.

કેશુભાઈએ તેમના તે સમયનો હિસાબ આપવો જોઇએ અને વિસ્તારથી કહેવું જોઇએકે તે વખતે સમાચાર પત્રોનો અભિગમ શું હતો? અને હાલ કેવો છે?. તેમણે તે વખતે કેવી હિંમત બતાવેલી અને શું કર્યું હતું?

શું તેઓ તે વખતે, હાલ કરે છે તેવા ઉચ્ચારણો કરી શકતા હતા?

શું તેઓએ હાલ કરે છે તેવા સંમેલનો કરી શકતા હતા?

ના જી જરા પણ નહીં.

આનું હાજારમા ભાગનું કરવાની પણ તેમનામાં હિમત ન હતી. તે વખતે સમાચાર પત્રોમાં સરકાર વિરુદ્ધ સાચી વાત કહેવાની પણ હિંમત નહતી. તો મોદી સરકાર વિરુદ્ધ હાલના જેવી અદ્ધર અદ્ધર ગપગોળા ચલાવવાની હિંમત તો ક્યાંથી હોય?

તે વખતે તો ઈન્દીરાની સરકારના પોલીસો ગાંધીજીના ફોટાવાળા “નિર્ભય બનો”ના પોસ્ટરો પણ ફાડી નાખતી હતી. બાબુભાઇ ની સરકાર પડી પછી તો લોકો “જનતા છાપું” વાંચવાથી પણ ડરતા હતા. ભોગીભાઈ ગાંધીએ તેમની જીંદગીની કમાણી લોકોને કટોકટીમાં નિડર બનાવવા ખરચી નાખેલી. હિંમત કોને કહેવાય તે તો કેશુભાઈએ  સર્વોદયવાદીઓ પાસે થી શિખવું જોઇએ. ચૂંટણીની મોસમ આવે એટલે શોર બકોર કરવા દેડકાઓ નિકળી પડે એમ દર વખતે કેશુભાઈ અને તેમના સાથીઓ અખબારી ખભા ઉપર બેસીને નિકળી પડે છે. આ કેશુભાઈ, તેમના સાથીઓ અને અખબારોએ કટોકટીના શબ્દ ઉપર અત્યાચાર કરવો ન જોઇએ.

આપણે મૂળવાત ઉપર પાછા આવીએ.

“કટોકટી” ના સમયમાં સરકારે ફેલાવેલી અફવાઓનું જોર હતું.

“એક ફરિયાદ આવે એટલે પહેલાંતો કર્મચારીને સસ્પેન્ડ જ કરવામાં આવે છે.”

“જે ત્રણ વખત મોડો આવે તેને પણ સપ્સેન્ડ કરવામાં આવે છે.”

“જે અરજી વગર અને રજા વગર ગેરહાજર રહે તેને ડીસમીસ કરવામાં આવે છે.

“ટ્રેનો સમયસર દોડે છે.” જો ટ્રેન મોડી પડે તો ડ્રાઈવર અને ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવે છે.”

અમદાવાદના ઈન્કમટેક્સ ટ્રાફિક સર્કલ ઉપરના ચાર રસ્તા ઉપર, દરેક રસ્તા ઉપર બંને બાજુએ એક એક પોલીસ સામસામે દોરડાનો એક એક છેડો પકડી વાહન ટ્રાફિકને લાલ લાઈટ હોય ત્યારે ઝીબ્રા માર્કીંગથી આગળ વધતો રોકતા હતા. અને લીલી લાઈટ થાય ત્યારે જ જવા દેતા હતા.

આવા દૃષ્યો જોઈને આપણા એક ગુજરાતી “તડફડ”વાળા કટાર મૂર્ધન્ય લેખક અતિપ્રભાવિત થયેલ. અને કટોકટીને બિરદાવેલ કે જુઓ કટોક્ટી છે તો પોલીસો જનતાને કેવા શિસ્તમાં રાખી શકે છે.

એટલે કે અમદાવાદના ઈન્કમટેક્સ સર્કલ પાસે ટ્રાફિકનું દોરડાઓથી નિયમન કરવા માટે કટોકટી લાદવી જરુરી હતી. હવે જે દેશમાં કટારો લખતા મૂર્ધન્યોની આ કક્ષા હોય તે દેશમાં કટોકટી લાદવાની હિંમત ગાંગલી ઘાંચણ (ઘાંચી ભાઈઓ માફ કરે. આ ફક્ત મુંહાવરાનો ઉપયોગ માત્ર છે) પણ કરી શકે.

સરકાર કે સરકારમાં બેઠેલ પક્ષનો (ઈન્દીરાઈ કોંગ્રેસનો) કોઈ વ્યક્તિ અશિસ્ત કરે એ વાત કરી શકાય જ નહીં. જગજીવન રામે ખુદ કહેલું કે જો હું કટોકટી વિરુદ્ધ બોલું તો મારે માથે જાનનું જોખમ હતું. વાતો એવી ઉડતી આવતી કે યશવંતરાવ ચવાણ (શિવાજી -૨) કટોકટીની વિરુદ્ધમાં હતા. તેમનો ભય પણ જગજીવનરામ જેવો જ હતો. પણ આવી કોઈ વાતોને લગતો કોઈપણ અંદેશો આપવાની અખબારોમાં હિમત ન હતી.  કટોકટી વખતે આમ જનતાને કાને અવારનવાર અથડાતો શબ્દ હતો “ઈન્‌ડીસીપ્લીન” એટલે કે “અશિસ્ત”. ફક્ત પ્રજાની અશિસ્તને જ અશિસ્ત ગણવી એવો શિરસ્તો હતો.    

એક દાખલોઃ

કટોકટીનું પ્રથમ વર્ષ ચાલતું હતું. મુંબઈની લોકલ ટ્રેન ટર્મીનલ સ્ટેશન ઉપર આવે એટલે લોકો બારી પાસેની સીટ લેવા દોડાદોડી કરે. એક ભાઈ એ બારીમાંથી ટોપી સીટ ઉપર નાખી. પણ તેભાઈ દરવાજેથી દાખલ થઈ બારીની પોતાની ટોપીવાળી સીટ  પાસે આવે તે પહેલાં એક ભાઇ તે ટોપી હટાવીને તે સીટ ઉપર બેસી ગયા. પછી બંને વચ્ચે બોલાચાલી થઈ. ટોપી વાળા ભાઈએ બીજા ભાઈનું ગળું પકડ્યું. એટલે બીજા લોકો વચ્ચે પડ્યા. અને ટોપીવાળા ભાઇને શાંત કર્યા. અને ગળું છોડાવ્યું. જેમનું ગળું છોડાવ્યું એ ભાઇ એ પછી કહ્યું “શું અશિસ્ત આવી છે. લોકો ટોપી ફેંકીને સીટને રીઝર્વ માને છે. આવી અશિસ્ત બહુ વધી ગઈ લાગે છે. વિગેરે વિગેરે.” એટલે તૂર્ત જ બે ત્રણ ભાઈઓ બોલી ઉઠ્યા. બસ બંધ કરો. નો પોલીટીક્સ. નો પોલીટીક્સ.

પણ  એ પછી એક વર્ષે લોકોનો પ્રતિભાવ બદલાઈ ગયેલ. ક્યાંક ક્યાંક “આનાબાની દૂર કરો” અને “કટોકટી હટાવો” તેવાં લખાણો રડીખડી દિવાલો ઉપર કદિક જોવા મળતા હતાં. જનતા ને ખબર પડી હતી કે કટોક્ટીએ કોઈ ચમત્કાર કર્યો ન હતો.

બીજો દાખલોઃ

ગુજરાત એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી. બધા મુસાફરો ગોઠવાઈ ગયા હતા. એટલે વાતચીત નો દોર ચાલુ થયો. એક ભાઇએ વાત શરુ કરી.

એક વખત નારદમુનિ વિષ્ણુભગવાન પાસે બેઠા હતા. અને તેમણે ભગવાનને પૂચ્છ્યું કે હે ભગવાન “સત્સંગનો મહિમા શો?”

એટલે ભગવાને નારદને કહ્યું તમે ફલાણા જંગલમાં ફલાણી જગ્યાએ ફલાણા વૃક્ષ ની ફલાણી ડાળી ઉપર એક કીડો છે તેને આ સવાલ પૂછો.”

નારદ મુનિ તે જગ્યાએ ગયા તે કીડાને પૂછ્યું તો તે કીડો મરી ગયો.

નારદ મુની પાછા આવ્યા અને ફરી ભગવાનને સવાલ કર્યો. એટલે ભગવાને કહ્યું કે તમે ફલાણા ગામમાં એક ગાયને વાછરડો જન્મ્યો છે તેને આ સવાલ પૂછો.

નારદમુની ત્યાં ગયા. અને વાછરડાને સવાલ પૂછ્યો. વાછરડો મરી ગયો. નારદમુની તો ત્યાંથી ભાગ્યા. અને ભગવાન પાસે આવ્યા અને કહ્યું હે ભગવન આવું થયું . મને વાછરડો કશું કહી શક્યો નથી. તમે જ મને સત્સંગનો મહિમા કહો.  આ પ્રમાણે ભગવાને નારદને વાણીયાને થયેલા પુત્ર પાસે, પછી બ્રાહ્મણના ઘરે જન્મેલા પુત્ર પાસે અને રાજાને  ઘરે જન્મેલા કુંવર પાસે અનુક્રમે મોકલ્યા. અને દર વખતે તાજુ જન્મેલ મરી જતું અને નારદમુનિ જાન બચાવી ભાગી છૂટતા. નારદમુની ને થયું ભગવાન મારા ઉપર નારાજ છે. એટલે તેમણે કહ્યું તમારે સત્સંગનો મહિમા ન કહેવો હોય તો ન કહેશો. પણ આવી રીતે મારી મશ્કરી ન કરો. એટલે ભગવાને કહ્યું અરે તમે તો મહા મુનિ છો અને બ્રહ્મદેવના પુત્ર છો. આમ લીધેલો સવાલ પડતો મુકો એ કેમ ચાલે. જાઓ ઈન્દ્ર રાજા તમને જવાબ આપશે.

એટલે નારદ મુનિ ઇન્દ્ર રાજા પાસે ગયા. અને પૂછ્યું સત્સંગનો મહિમા શો?

ઈન્દ્ર રાજએ કહ્યું; શું નારદજી તમે મને દર વખતે એકનો એક સવાલ કરો છો.? આ તમારા સત્સંગથી તો હું કીટકમાંથી ક્રમે ક્રમે ઈન્દ્ર થયો. એજ તો સત્સંગનો મહિમા છે.

એટલે નારદજી વિષ્ણુ ભગવાન પાસે ગયા અને પૂછ્યું ભગવાન સત્સંગનો મહિમા તો હું સમજ્યો. પણ હવે તમે મને “કુસંગ નો મહિમા કહો”

એટલે ભગવાને કહ્યું જુઓ નારદજી અત્યારે ભારતમાં સ્વાતંત્ર્યની ચળવળ ચાલે છે. તમે ત્યાં જાઓ આટલા માણસોના શા હાલ છે તે જાણી લાવો.

નારદજી ભારતમાં આવ્યા અને તપાસ કરિ તો નીચે પ્રમાણે પ્રતિભાવો મળ્યા.

ઢેબરભાઈઃ અરે એતો મહાન સંત પુરુષ છે.

જગજીવન રામઃ અરે એતો અંગ્રેજોની ગોળીથી પણ ડરતા નથી.

યશવંતરાવ ચવાણઃ અરે એતો મોરારજી દેસાઈ ના ખાસ વિશ્વાસુ છે. અને જુઓ શિવાજી-૨ તરીકે ઓળખાશે.

વિનોબા ભાવે; અરે એતો ગાંધી બાપુના માનીતા અને પ્રથમ સત્યાગ્રહી છે.

નારદજીએ આ રીપોર્ટ લીધો અને ભગવાન પાસે આવી ગયા. પછી ભગવાને કહ્યું હવે નારદજી અત્યારે ભારતમાં તમે જશો ત્યાં ૧૯૭૫-૭૫ ચાલે છે. હવે આ માણસોનો પત્તો લગાવો.

નારદ મૂની ભારતમાં આવ્યા અને એક જણ ને પૂછ્યું કે ઢેબરભાઇ ક્યાં છે? જવાબ મળ્યો. કોણ ઢેબર. મને ઢેબરાં નથી ભાવતાં.

નારદમૂનીએ બીજાને પૂછ્યું જગજીવનરામ ક્યાં છે? જવાબ મળ્યો. કોણ પેલો જગ્ગુ. જે ઈન્દીરા ગાંધીના ઈશારાથી પણ ડરે છે? છી…

નારદમૂનીએ ત્રીજાને પૂછ્યું યશવંત રાવ ક્યાં છે? જવાબ મળ્યો કોણ પેલો જે પોતાને શિવાજી-૨ તરિકે ઓળખાવતો હતો અને કહેતો હતો કે ચીનાઓને પાછા હટાવી દઈશું. અને આજે એક બૈરીથી ડરીને મૂંગો થઈ ગયો છે તે? છી…

નારદમૂનીએ ચોથાને  પૂછ્યું  વિનોબા ક્યાં છે? જવાબ મળ્યો કોણ પેલો સરકારી સંત. છી…

આમ નારદ મુનિને કુસંગનો મહિમા સમજાયો. કે કુસંગ કરવાથી મહાન વ્યક્તિ પણ બદનામ થઈ જાય છે.

અને આ વાત સાંભળી મુસાફરો ખૂબ આનંદ પામ્યા. વિલંબિત કટોકટીના સમયનો આ પ્રભાવ હતો.

લોકશાહીના મૂળીયાં ભારતમાં ઊંડા છે.

આ ભારત દેશ છે જેના લોકશાહીના વૃક્ષના મૂળીયાં હજારો વર્ષ જુના છે. મહાત્મા ગાંધીએ તે મરતાં મૂળીયાના વૃક્ષને નવપલ્લવિત કર્યાં છે.  જે તાનાશાહીને દૂર કરવામાં ફ્રાન્સ જેવા દેશને ૧૮ વર્ષ લાગેલ તેનાથી વધુ ઉગ્ર અને બેફામ ઈન્દીરાઈ તાનાશાહીને ભારતની પ્રજાએ ૧૮ માસમાં ફગાવી દીધેલ.

ગુજરાતના નવનિર્માણ આંદોલન એટલે કે ૧૯૭૩થી ૧૯૭૫ અને તે પછી કટોકટી દરમ્યાન, અને ખાસ કરીને ગુજરાતમાં, ઈન્દીરા ગાંધીના અનુયાયીઓએ વર્ગ વિગ્રહ એટલે કે સવર્ણ અને અસવર્ણના ભેદ બહુ ઉત્પન્ન કરી દીધેલા. અસવર્ણોને કહેવામાં આવતું કે આ નવનિર્માણ તો ખાધે પીધે સુખી લોકોનું આંદોલન છે. તેમાં નુકશાન તો જુઓ તમને જ થશે. તેવી રીતે કટોકટી વિષે પણ એવો જ પ્રચાર થતો કે આ કટોકટી તો તો સવર્ણો ઉપર થોડાંક વર્ષોથી જ છે. પણ હે પછાત વર્ગના દલિત લોકો, તમને તો આ લોકોએ હજારો વર્ષથી કટોકટીથી પણ બદતર હાલતમાં રાખ્યા છે. હવે જુઓ આપણી ઈન્દીરા માઈ તેમને કેવા પાઠ ભણાવી રહી છે.

અને એટલે જ કટોકટી ઉઠી ગયા પછી જે લોકસભાની ચૂંટણી થઈ તેમાં ઉત્તરભારતમાં બધી જ બેઠકો ગુમાવનાર ઈન્દીરાઇ કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં ૨૪માંથી આઠ બેઠકો ઉપર જીતી ગયેલ.

કટોકટી દરમ્યાન મોટો ઘાટો ગુજરાતને એ પડ્યો કે ગુજરાતના સન્માનનીય ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઇ પક્ષ પલટો કરી ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયેલા. (જોકે તેમણે કેશુભાઈ જેવી કોઈ ભાડણ લીલા કરી નહતી). ઈન્દીરાગાંધી અને તેમની કહેવાતી ચંડાળ ચોકડી ખુદ પોતાની બેઠક પર ચૂંટણીમાં ગંજાવર મતોથી હારી ગયેલ.

આ કટોકટી ભૂતકાળ થઈ ગઈ છે. તેને શા માટે યાદ કરવી?

આ વાત કરવા જેવી છે. અને સદાકાળ યાદ રાખવા જેવી છે. કારણકે આ નહેરુવીયન કોંગ્રેસીઓ પોતે જોડી કાઢેલી વિવાદાસ્પદ વાતો પણ ચગાવે છે. ૧૯૪૨ની ચળવળમાં કોઈ બીજો બાજપાઈ માફી પત્ર આપીને જેલમાંથી પેરોલ પર આવેલ. અટલ બિહારી બાજપાઈએ આ વાતનું સ્પષ્ટિકરણ કરેલ કે ભાઈ એ હું ન હતો. તો પણ ૧૯૯૯ માં કોંગીઓએ આ વાત ચગાવેલ.

મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાનની સ્પર્ધામાં હતા ત્યારે તેમના પુત્રના નામે અનેક અફવાઓ ફેલાવવામાં આવતી. મોરારજી દેસાઈને ખોટી રીતે  બદનામ કરવામાં આવતા હતા. મોરારજી કાપડની મીલ ના માલિક મોરારજી દેસાઈ છે તેવી વાત ગરિબોમાં ફેલાવાતી હતી. વીપી સીંઘ ને તેમનું સેન્ટ કીટમાં (વિદેશમાં) ગેરકાયદેસર ખાતું છે. તેવી અફવા ફેલાવેલી. નરેન્દ્ર મોદી એ સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવેલ અને તોફાનો કરાવેલ તેવી અફવા આજે પણ કોંગ્રેસીઓ અને તેમના દંભી સાગરીતો ફેલાવે છે. મોદીનો ૨૦૦૨ ની વાતથી કેડો મુકતા નથી. કારણ કે મતોનું રાજકારણ અને લોકોમાં વિભાજન કરવામાં જ તેમની સત્તાનો રોટલો શેકાય છે.

આરએસએસના એક સભ્યે ગાંધીજીનું ખુન કર્યું. ગાંધીજીને મારી નાખવા એવો આરએસએસનો કોઈ પ્રસ્તાવ ન હતો કે ન કોઈ યોજના હતી. તો પણ આરએસએસને ગોડસેને કારણે બદનામ કરવામાં આવે છે. હવે જો આ તર્ક આગળ ચલાવીએ કે ન ચલાવીએ તો પણ નહેરુવીયન કોંગ્રેસના વડાપ્રધાન સહિતના ઉચ્ચ હોદ્દેદારો તો દુનિયાના ઈતિહાસમાં થયેલા બધા જ ગુના કરી ચૂક્યા છે. તો આ કટોકટીની સાચી વાત કેમ ભૂલાય?

નહેરુવીયન કોંગ્રેસનો વિતંડાવાદ જુઓ

ઈન્દીરા ગાંધીની ૧૯૭૦ની ચૂંટણી રદબાતલ થઈ. એટલે એ સંસદ સદસ્ય મટી ગયાં. વળી તે ચૂંટણી માટે ૬ વર્ષ માટે ગેર લાયક ઠર્યાં. હવે કાયદેસર એવી જોગવાઈ છે કે વડાપ્રધાન સંસદનો સભ્ય હોવો જોઇએ. જો નહોય તો તેણે ૬ માસમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવવું જોઇએ. પણ જે  વ્યક્તિ ચૂંટણી માટે ૬ વર્ષ સુધી ગેરલાયક હોય તે વ્યક્તિ એક ક્ષણ માટે પણ કેવી રીતે વડાપ્રધાન પદ પર ચાલુ રહી શકે? છતાં ઈન્દીરા ગાંધી ધરાર વડાપ્રધાન પદે રહ્યાં. આથી વધુ સત્તાની ભાખાવળ વાત કઈ હોઈ શકે?

શાહ કમીશન

૧૯૭૭માં શાહ કમીશન નિમાયું અને કટોકટીના કાળમાં થયેલા ગુનાઓની તપાસ થઈ. પણ જે ઈન્દીરાને શૂરવીર ગણવામાં તેના ભક્તો પોતાની જીભનો કુચો કરે છે તે ઈન્દીરા ગાંધી પાસે એટલી હિંમત ન હતી કે તે શાહ કમીશન પાસે આવી ને પોતાનો કેસ રજુ કરે.

આ હિસાબે નરેન્દ્ર મોદી ભડવીર છે, જે તેને જ્યારે બોલાવવામાં આવે ત્યારે સરકારી સત્તાઓ પાસે હાજર થાય છે.

જે ગુનેગાર ન હોય તે શેનો ડરે? જે ગુનેગાર હોય તે જ ડરે.

જો મોદીના બનાવટી ગુનાઓ નહેરુવીયન કોંગ્રેસ અને તેના મળતીયાઓ ચગાવવામાં માનતા હોય તો ઈન્દીરા ગાંધી અને તેના ફરજંદોના તથા મળતીયાઓના રેકોર્ડ થયેલા ગુનાઓ કેવીરીતે ભૂલી શકાય?

સુબ્રહ્મણીયમ સ્વામીએ દેશને આકરી લાગે તેવું, દેશનું નીચાજોણું થાય તેવું અને સુજ્ઞ જનોને પણ આઘાતજનક લાગે તેવું નહેરુવીયન કોંગ્રેસના કાળા કરતૂતોને લગતું નીવેદન કર્યું છે.

આ  વાત નહેરુવીયન કોંગ્રેસમાં ચલાવવામાં આવતા શરમજનક રીતે,  ચકાસ્યા તપાસ્યા વગર અને ઉઘાડેછોગ થતા કાળા નાણાં ની હેરફેર ને લગતું છે. પ્રણવ મુખર્જી આ કામ ફીરંગી મેડમને માટે કરી રહ્યા છે.

કયા હીરો નહેરુવીયન કોંગ્રેસના આ કામના એજન્ટ છે?  હસન અલી છે.

હસન અલીને જામીન અપાવવા કાર્યકારી નિર્દેશકનું લુચ્ચાઈ ભર્યું વલણ  નાણાપ્રધાન મુખર્જીની આજ્ઞા અનુસાર હતું. પ્રણવ મુખર્જી, મેડમનો નાણાંવ્યવહાર  અને હવાલા દ્વારા હેરફેર ઘણા લાંબા સમયથી સંભાળે છે. હસન અલી આ નાણાંવ્યવહારની પાઈપલાઈન  છે. સુબ્રહ્મનીયન સ્વામીએ તો પ્રણવ મુખર્જીના રાજીનામાની માગણી કરી છે. એહમદ પટેલ, સોનીયા ગાંધી, પ્રણવ મુખર્જી અને હસન અલી, આ સૌની જુગલબંધીની વાત બીજી કોઈવાર કરીશું.  હાલ તો કટોકટીને સમયે અનેકોમાંના એક એવા પ્રણવમુખર્જીએ શું કર્યું હતું તેનો અનેકોમાંનો એક નાનો દાખાલો જોઇએ.

કટોકટી દરમ્યાન  શ્રી પ્રણવ મુખર્જી ડરપોક ડીરેક્ટર ઈન્દીરા અને સંજય ગાંધીના કહ્યાગરા કિંકર(ઑર્ડર્લી) હતા. ખાસ કરીને સંજય ગાંધીના ગોલ્ડન ચમચ  હતા. કટોકટીના સમયમાં સંજય ગાંધી ગેરકાયદેસર રીતે બેતાજ બાદશાહ હતા. વહીવટદારો થકી કામપારપાડવામાટે નવીન ચાવલા અને પ્રણવમુખર્જી એ મધ્યસ્થી હતા.  આ લોકોએ ઈન્દીરા ગાંધી અને સંજય ગાંધીની મૌખિક આજ્ઞાઓ થકી અનેક નિર્દોષ અને નિષ્કપટ અને નિરુપદ્રવી સ્ત્રી – પુરુષોને તિહાર જેલ ભેગા કરેલ. અને જેલમાં તેમને ત્રાસ આપેલો.  

આમ તો પ્રણવ મુખર્જી કાયદેસરના રેવન્યુ અને ખર્ચ  ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન  હતા. અને તેમણે કાયદેસરની પ્રણાલીઓનો અને નિયમોનો છડે ચોક  બેજવાબદારીપૂર્વક ભંગ કરતા રહેવાનો અભિગમ દાખવેલો. આવાં કરતૂતો ખરેખર ફોજદારી ગુન્હા હેઠળ આવે છે. જેમાનું એક એ હતું કે વરદાચારીને  નેશનલાઈઝ્ડ બેંકોના મેનેજીંગ  ડાઇરેક્ટર અને ચેરમેન  નીમેલા. આ કામ ખરેખર તો રીઝર્વબેંક ની અનુમતિથી થવું જોઇએ. પણ રીઝર્વબેંકને શોર્ટ સરકીટ કરેલી.  આ બધું  ઈન્દીરા ગાંધી, સંજય ગાંધી અને પ્રણવમુખર્જીના સમીકરણના ભાગરુપે હતું.  તત્કાલિન નાણાં પ્રધાન સી. સુબ્રહ્મનીયમને અળગા કરી દીધેલ.

કટોકટીના સમયમાં આમ તો વિભાગોપૂર્વકની જવાબદારી એવું કશું નહતું. પ્રણવ મુખર્જીએ જયપુરના મહારાણી ગાયત્રીદેવી અને ગ્વાલીયરના રાજમાતા  વિજયરાજે સિંધીયાને તિહાર જેલ ભેગા કરાવેલ. ઈન્દીરા ગાંધીએ તેનો શિરપાવ તેમને ૧૯૮૨માં નાણાંમંત્રી બનાવીને આપેલ.

શાહ તપાસ પંચે ઘણાજ સરકાર દ્વારા થયેલા ગુન્હાઈત કાર્યોની નોંધ કરી છે. ઈન્દીરા ગાંધીની બાહ્ય અને આંતરિક બન્ને કટોકટી ના કાળમાં રાજ્યદ્વારા (સરકારના હોદ્દેદરો, પ્રધાન મંત્રી , મંત્રી સહિત દ્વારા થયેલા) ગુન્હાઈત, કાયદાભંગના દસ્તાવેજો નું ઉત્ખનન એક પૂર્વ સંસદ સદસ્ય કરી રહ્યા છે.  જેમના પુસ્તકનું નામ છે. “શાહ કમીશન  રીપોર્ટ (ખોવાયો અને પુનઃપ્રાપ્ત થયો)”

ગાયત્રી દેવી અને વિજયારાજેની ધરપકડ અને જેલવાસ ગેરકાયદેસર હતો. તિહાર જેલની કંડીશન નિયમ પ્રમાણે ન હતી અને બદતમ હતી. તેમને સિદ્ધ-દોષિત કક્ષાના કેદીઓને જ્યાં રખાય હે તે” ફાંસી કોઠી સેલ”ની પાસે રાખવામાં આવેલ. ગાયત્રી દેવીને બ્લડપ્રેસર રહેતું હતું. પણ સરકાર ને તેની નોંધ લેવાની દરકાર ન હતી. ગાયત્રી દેવીએ ૧૦ કીલો વજન ગુમાવેલ. કર્નલ ભાવાની સિંગના પણ આજ હાલ હતા. આ બધી બાબતમાં જેલ સુપરીન્ટેન્ડન્ટે નિવેદન રેકોર્ડ કરાવ્યું છે. 

પ્રણવ મુખર્જીએ લખ્યું છે નોટ ઉપર લખ્યું હતું કે પેરોલ પર છોડવા પણ વડાપ્રધાનની મંજુરી લેવી. પણ પછી ની નોંધો ઉપર ચેકચાક અને ઓવર રાઈટીંગ અને વ્હાઈટનર સ્ટીક લગાવીને લખેલું ગરબડ વાળું છે. શાહ કમીશને આ બધાની ગંભીર નોંધ લીધેલી છે અને આકરી ટીકા અને ગુન્હાઈત ગણી છે. પ્રણવ મુખર્જીને સંપૂર્ણ બેજવાબદાર અને ગુન્હાઈત ગણ્યા હે.

દુનિયામાં આતતાઈઓએ જે કંઈ ગુનાઓ કરેલા હતા તે બધા જ ગુનાઓ કટોકટી દરમ્યાન ઈન્દીરા ગાંધીની અને તેના મળતીયાઓની મૌખિક આજ્ઞાઓથી થયેલા છે.

જ્યાં સુધી નહેરુવંશના પુતળાઓ, તેમના નામની સરકારી યોજનાઓ, રસ્તાઓ, પુલો, બાગ બગીચાઓ અને ભવનો રહેશે અને જ્યાં સુધી તેમના હૈયાફુટ્યા ભક્તો તેમના પોસ્ટરો લઈને  તેમના પ્રતિ અહોભાવ પ્રગટ કરતા રહેશે ત્યાં સુધી કટોકટી ના કાળા કરતૂતો પણ ચર્ચાતા રહેવા જોઇએ.

વૉટનું રાજકારણ શા માટે રમાય છે. શું સત્તા એ ખેરાતનું અને કમાણીનું સાધન છે? સત્તા તો વાસ્તવમાં સામાજીક ન્યાયનું સાધન છે.  નહેરુવંશીઓએ તેને વોટનું રાજકારણ રમીને ભેદભાવ, અન્યાય અને અરાજકતાને ઉત્તેજન આપ્યું છે. કટોકટી અને સેન્સરશીપ એક અંધાકાર પટ હતો. જેથી સરકાર પોતે અફવાઓ ફેલાવીને ગરીબોને ભ્રમમાં રાખતી હતી. અને ગેરમાર્ગે દરોડા પાડી પૈસા એકઠા કરતી હતી. જો સરકાર પ્રજાના હિત માટે હોય તો કટોકટી કે સેન્સરશીપ નો અંધકાર ફેલાવવાની શી જરુર હતી.? જનતાને અંધકારમાં રાખવી એ પણ એક વોટનું રાજકારણ છે. સામ્યવાદીઓને એટલા માટે પારદર્શિતા પસંદ હોતી નથી. આપખુદી અને સામ્યવાદમાં આ વાત સમાન છે જેમાં રાજ્ય પોતાના દુરાચરો અને નિસ્ફળતાને ઢાંકી શકે છે.

આ લોકો કરતાં નરેન્દ્ર મોદી લાખ ગણો સારો છે. છાપાંવાળા અને ચેનલો વાળા નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેફામ લખે છે તો પણ તે વ્યાપક રીતે ચૂંટણીઓ જીતે છે. જનતા સબકુછ જાનતી હૈ.

૨૫ જુન ૧૯૭૫ મધ્યરાત્રીએ કટોકટી લાદવામાં આવેલી. આપણા પીળા સમાચાર માધ્યમો કદાચ તેને યાદ પણ નહીં કરે. કેટલાક પોતે તટસ્થ છે તે બતાવવાની ઘેલાછામાં વ્યંઢ રીતે તેનો ઉલ્લેખ કરશે. અને સાથે સાથે પરોક્ષ રીતે આડું અવળું પીષ્ટપેષણ કરી શબ્દોની રમત વડે બીજેપી કે નરેન્દ્ર મોદીને એક બે ગોદા પણ મારી લેશે. તેમને માટે ખુદનું અસ્તિત્વ મુખ્ય વસ્તુ છે, નહીં કે જનતા.

ઈન્દીરાઈ વહીવટે કરી પાયમાલી

ઈન્દીરાઈ વહીવટે કરી પાયમાલી

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ કટોકટી, ઈન્દીરા, નિસ્ફળતા, સરકારી, અફવા, વોટ, નરેન્દ્ર મોદી, કેશુભાઈ, બાબા ગાડી, નીચા નમો, સાષ્ટાંગ દંડવત, સેન્સર, અંધકાર યુગ, અદાલત

Read Full Post »

%d bloggers like this: