વ્યાપમ એ કઈ હિમશિલાની ટોચ?
“વ્યાપમ” છાપાં અને ટીવી ચેનલો માટેનો ગરમા ગરમ ટોપિક છે.
નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નર પણ એક આરોપી છે. ૨૦૧૪ ના મે માસ માં ભાજપ સત્તા સ્થાને આવ્યું ત્યારે ઘણા રાજ્યોમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરો હતા. કેટલાકનો કાર્યકાળ પુરો થયો અને કેટલાકે ભલામણથી રાજીનામું આપ્યું. પણ આપણા મધ્યપ્રદેશના ગવર્નરે રાજીનામું ન આપ્યું. મધ્યપ્રદેશના મુખ્ય મંત્રીએ પણ વિચાર્યું હશે કે “જવા દો ને … રાજીનામાનો વિવાદ ક્યાં ઉભો કરવો !!”

વ્યાપમની રોપણી નહેરુવીયન કોંગ્રેસે કરી હતી.
વ્યાપમ કૌભાંડ બહાર આવ્યું. એમાં ઘણાના નામ સંડોવણીમાં આવ્યાં. ૨૫૦૦ જેટલા નામ આવ્યાં. અને એમાંના કેટલાક શક્યતાના સિદ્ધાંતને હિસાબે મરવા લાગ્યા કેટલાક આત્મઘાત કરીને મરવા લાગ્યા અને કેટલાક હત્યા થી મરવા લાગ્યા. આવા મૃત્યુઓમાં ગવર્નર સાહેબનો પુત્ર પણ સામેલ છે. કોણ કયા કારણથી મર્યું તેના ઉપર અપાર સંવાદ, વિવાદ અને વિખવાદ પણ છે.
નહેરુવીયન કોંગ્રેસીઓને તો ગોળનું ગાડું મળી ગયું છે. શિક્ષણ મંત્રી જ શું કામ, મુખ્ય મંત્રી પણ રાજીનામું આપે. અરે આ મુદ્દા ઉપર તો નરેન્દ્ર મોદી પાસે પણ રાજીનામું માગી શકાય. નહેરુવીયન કોંગ્રેસ તો આમેય પ્રદર્શન પ્રિય છે. તેને તો દોડવું હતું અને ઢાળ મળ્યો.
ટીવી ચેનલનો ખોરાક
ટીવી ચેનલોને હવે વિષય શોધવા માટે મહેનત કરવાની જરુર રહી નહીં. “મનોરંજન” ની સીરીયલોમાં કોઈ પાત્ર એક વાક્ય બોલે એટલે એક પછી એક દરેક પાત્રોના “ડાચા” ઉપર બબ્બે ત્રણ ત્રણ વાર કેમેરો ફરે છે. આમ કરવાથી ઓછા સંવાદો થી વધુ એપીસોડ બને છે. દર્શકોને વધુ લહેજ્જત આવે છે કે કેમ તે તો ખબર નથી પણ પાત્રોને અને તે પણ શૃંગારપ્રિય સ્ત્રી પાત્રોને અને પ્રેક્ષિકાઓને વધુ લહેજત આવે છે.
“તાજ સીગરેટની જાહેરાતમાં એક વાક્ય આવતું હતું. “ધીમી બળે છે અને વધુ લહેજ્જત આપે છે.” તેમ સીરીયલો ધીમે ચાલે છે અને પાત્રોને લેખકોને, દિગદર્શકોને, કેમેરામેનને, ચેનલવાળાને વધુ લહેજ્જત આવે છે. ઓછા માલે વધુ વેપાર. પણ એ બધી વાતો જવા દો. આપણી વાત “વ્યાપમ”ની છે.
બહુ આયામી બહુ પરિમાણી મસાલો
ટીવી ચેનલો વાળાને બહુ વખતે એક એવું કૌભાંડ મળ્યું કે જેને ઘણા પરિમાણો છે. આમ તો કોલગેટ, ૨–જી, કોમનવેલ્થ વિગેરે જેવા અનેક બહુ–આયામી કૌભાંડો હતા. પણ યાર એમાં એવું હતું ને કે એ બધાંમાં આપણી નહેરુવીયન કોંગ્રેસની “બટ” નીચે રેલો આવતો હતો. એ રેલો ઠેઠ આપણી વિદેશી અને તે પણ મહાન દેશ ઈટાલી સુપુત્રી અને આપણા મીસ્ટર કલીન રાજીવ ગાંધીની વહુની નીચે રેલો આવતો હતો. હવે જો આપણે પ્રગતિશીલ વિચારધારામાં માનતા હોઈએ અને સુસંસ્કૃત હોઈએ તો કોઈ પાશ્ચાત્ય મૂળની વ્યક્તિની બુરાઈ તો ન જ કરી શકીએ. એટલે આપણે કોલગેટ, ૨–જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં બહુ ચાર્મફુલ ન બની શકીએ. હા ન છૂટકે જે કરવું પડે તે તો કરવું જ પડે. પણ એમાં બહુ મજા નહીં. વળી જે કોંગ્રેસ જ્યારે સત્તા ઉપર હતી ત્યારે કોને કયો મંત્રી કરવો તેને લગતી ભલામણો અપણે ટીવીવાળા કરી શકતા હતા અને કોંગ્રેસ આપણને દાદ પણ આપતી હતી એટલે કોલગેટ, ૨–જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં આપણાથી નગુણા ન થવાય. કમસે કમ નહેરુવીયન વંશની તો આમન્યા રાખવી જ જોઇએ.
પણ હવે જ્યારે વ્યાપમ જેવું બહુ આયામી બહુ પરિમાણી કૌભાંડ અને તે પણ, બીજેપી શાસિત મધ્યપ્રદેશમાં કે જ્યાં છેલ્લા ૧૦ વર્ષથી સાતત્યપૂર્ણ બીજેપીના જ શિવરાજ સિંહ ચૌહાણનું શાસન છે એવા રાજ્યમાં ખૂલે છે. આમાં તો આપણા માટે આકાશ એ જ સીમા છે. ભલે આ કૌભાંડમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરની સંડોવણી હોય અને કદાચ તેના મૂળીયામાં આપણા નહેરુવીયન કોંગ્રેસના અમુક નેતા સુધી પહોંચતા હોય તો પણ વાંધો નથી. આપણે એટલા કુશળ તો છીએ જ કે એ બધું લો–પ્રોફાઈલમાં રાખી શકીએ.
અડવાણી જેમને પ્યાદુ બનાવવા માગતા હતા તે
આ એજ શિવરાજ સિંહ છે જેમને વડાપ્રધાન તરીકે પ્રસ્તૂત કરવા માટે એલ કે અડાવણીએ દાણો ચાંપેલો. પણ શિવરાજ સિંહ જાણતા હતા કે લોકપ્રિયતામાં નરેન્દ્ર મોદીની સમકક્ષ તેઓ નથી. આરએસએસે મોદી માટે દબાણ કર્યું હશે તેના મૂળમાં જનતામાં રહેલી નરેન્દ્ર મોદીની લોક પ્રિયતા જ હતી. આ વાતને અડવાણી કદાચ પોતાની ઉંમરને કારણે કે અન્ય કોઈ કારણે સમજી ન શકતા હોય તે અલગ વાત છે પણ શિવરાજ પાટિલ તો સમજી જ શક્યા હતા. જો શિવરાજ પાટિલ વડા પ્રધાન થયા હોત અને કદાચ બીજેપી પૂર્ણ બહુમત તો નહીં પણ એનડીએ તરીકે સંયુક્ત રીતે બહમતિમાં આવ્યું હોત અને આ કૌભાંડ બહાર આવ્યું હોત તો ટીવી ચેનલો અને બીજેપી વિરોધીઓએ ભેગા થઈને બીજેપી સરકારને પદભ્રષ્ટ કરી નાખી હોત.
હવે અત્યારે સમાચાર માધ્યમો આ વાતને લઈને અડવાણીને લપેટમાં લેવાના મુડમાં ન જ હોય. કારણકે તેમનાં ફક્ત ચાર જ લક્ષ્ય હોઈ શકે.
પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી
બીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી
ત્રીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી.
ચોથું લક્ષ્ય બીજેપી
પાંચમું લક્ષ્ય હિન્દુઓ.
તમે કહેશો … અરે આ શું !! નરેન્દ્ર મોદી ત્રણ વાર અને તે પણ પહેલા, બીજા અને ત્રીજા લક્ષ્ય તરીકે?
અહો !! ચાલો એને જુદી રીતે લખીએ.
પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી
બીજું લક્ષ્ય બીજેપી સરકાર, જેના નેતા નરેન્દ્ર મોદી વિષે નકારાત્મક વલણ એટલે કે ગમે તેમ કરીને કોઈ પણ શંકાસ્પદ બનાવને મોદી સાથે સાંકળી દેવો.
ત્રીજું લક્ષ્ય નહેરુવીયન કોંગ્રેસની હૈયાવરાળને સકારાત્મક રીતે રજુ કરવી. જેમકે રાહુલ ગાંધી (કે બીજું કોઈ પણ જે હાથવગું હોય તે)… તેને સકારાત્મક રીતે આવી રીતે રજુ કરવાના. “ઘોડો જો ઘોડો …. ઘોડાની ડોક જો … ઘોડાની કેશવાળી જો, ઘોડો કેવો દોડે છે … ઘોડો કેવો હણ હણે છે … ઘોડો જો ઘોડો જો… “ રાહુલ ગાંધી આવા છે. આવું કહેવાથી, કાન્તિભાઈ ભટ્ટ (સબ બંદરના વેપારી એવા કટાર લેખક) ના લોજીક પ્રમાણે નરેન્દ્ર મોદી ઘોડો નથી પણ શિયાળ છે. નરેન્દ્રમાં કશું વખાણવા લાયક નથી. તેમને દોડતાં પણ નથી આવડતું અને હણહણતાં પણ નથી આવડતું.
તમે કહેશો … અરે ભાઈ આમાં તમે કાન્તિભાઈ ભટ્ટને શેના ગોદા મારો છો? કાન્તિભાઈ ભટ્ટે, વ્યાપમમાં એમ દલીલ કરી કે “જો પૈસા વેરીને વડાપ્રધાન થઈ શકાતું હોય તો પૈસા વેરીને (વ્યાપમ મારફત), ડોક્ટર કે અફસર કેમ ન થવાય?” બોલો … આમાંથી તમને શો સંદેશો મળે છે?
લક્ષ્ય ભેદવાની વ્યૂહરચના !!
એક વખત જો ત્રણ લક્ષ્ય સિદ્ધ થઈ જાય તો બાકીના લક્ષ્યો સિદ્ધ કરવા સરળ છે. ૧૯૬૯માં એમ જ થયેલું. ૧૯૬૭માં વિપક્ષ ને મજબુત થયો જોયો એટલે સમાચાર માધ્યમોએ ચગાવ્યું. ઇન્દિરા ગાંધીએ મોરારજીને કેવા બટેકા, રીંગણાની જેમ હાંકી કાઢ્યા, બેંકોનું કેવું જોરદાર રાષ્ટ્રીયકરણ થયું, રાજાઓના પ્રીવી પર્સ કેવા ખતમ કર્યા. આવી ઘણી બીન ઉપજાઉ વાતો એટલી બધી ચગાવીકે વિરોધપક્ષ અને જનતા પણ હતઃપ્રભ થઈ ગઈ. ૧૯૬૯-૭૦માં ઇન્દિરા કોંગ્રેસને જ્વલંત વિજય મળ્યો. એમાં વળી ૧૯૭૧માં પોતાના ગૃહયુદ્ધોથી ત્રસ્ત એવા બેવકુફ પાકિસ્તાનને હરાવ્યું એટલે વિપક્ષ રાજ્યોમાંથી પણ નેસ્ત નાબુદ થઈ ગયો.
પણ પારકાના જોરે તમે સુશાસન ન ચલાવી શકો. ભલે તમે ઘુસણખોર મુસ્લિમો મારફત વોટબેંક બનાવો, દલિતોને ઉશ્કેરો, જાતિવાદને ઉશ્કેરો, પણ તેથી બેકારી દૂર ન થાય કે ઉત્પાદન પણ ન વધે. હા લઘુમતિઓની સંખ્યા વધે. તમે જુઓ ઉત્તરપૂર્વી રાજ્યો, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત પશ્ચિમી રાજસ્થાન કાંતો તેઓ જાતિવાદથી ત્રસ્ત છે અથવા તો ધર્મવાદથી ત્રસ્ત છે. આ વાત સ્વયંબળને બદલે, બીજાના ખભા અને બીજાની બુદ્ધિ (કેજીબી)થી વડાપ્રધાન થયેલી ઇન્દિરા ગાંધી ન જ સમજી શકે. એટલે તેનો ૧૯૭૭માં કારમો પરાજય થયો. પણ આ પરાજયથી તે એટલું શીખી ગઈ કે ચૂંટણીઓ કેવી રીતે જીતાય છે.
ગરીબોની કસ્તૂરી અને મંગળસૂત્ર
એટલે ૧૯૭૭માં જનતા પક્ષની સરકાર વખતે આ સરકારે તો ગરીબોની કસ્તૂરી એવી ડૂંગળીનો ભાવ વધારી દીધો … બહેનોના મંગળસુત્રો મોંઘા કરી દીધા, લૉ અને ઓર્ડર ખાડે ગયા છે … રંગા–બીલ્લાઓ પેદા થયા છે. બાળકો સુરક્ષિત નથી. રંગા બીલ્લાએ કરેલા દુસ્કર્મનો કેસ સમાચાર પત્રોએ બહુ ચગાવ્યો. સોનાનો ભાવ દાણ ચોરી ની સાથે પણ સંબંધ ધરાવે છે. મૂળ તો દાણ ચોરીને ઇન્દિરાએ બહુ ફાલવા દીધી હતી. જનતા પાર્ટીએ દાણચોરી ઘટાડી દીધી. દાણચોરી ઘટી ગયી હતી તેથી સોનાના ભાવ વધ્યા હતા. એમાં વળી ચરણ સીંગ જેવાને વડા પ્રધાનપદની લાલચ આપીને ફોડ્યા એટલે ૧૯૮૦માં જનતાપાર્ટી હારી ગઈ. આમ ઇન્દિરા ગાંધી એટલું શીખી ગઈ કે સમાચાર માધ્યમોને અને લઘુમતિઓને યેનકેન પ્રકારેણ હાથમાં રાખવા. તેમને હાથમાં રાખવા હોય તો સમાચાર માધ્યમોની માલિકી કરી લેવી. અત્યારે સમાચાર માધ્યમો લઘુમતિના હાથમાં છે. અને તેઓ કદી બીજેપીના થાય જ નહીં. કારણ કે નહેરુના જમાનાથી કે જ્યારે જનસંઘની કશી રાજકીય સત્તા ન હતી કે ન તો કશો જનાધાર હતો, તે વખતે પણ નહેરુ જનસંઘને ભાંડતા રહેતા હતા. તેમનો હેતુ પોતે બહુ પ્રગતિશીલ માનસવાળા છે તે પ્રદર્શિત કરવાનો હતો. આવી માનસિકતા ઘણા હિન્દુ મૂર્ધન્યોમાં પણ છે. એટલે હિન્દુઓને તો સહેલાઈ થી ભેદી શકાય છે. પણ આપણી વાત વ્યાપમ ની છે.
વ્યાપમની વ્યાપકતા કેટલી?
જો ૨૫૦૦ ઉપરાંત વ્યક્તિઓની ધરપકડ થઈ હોય તો સમજી શકાય એમ છે કે તે મધ્યપ્રદેશમાં ઠીક ઠીક પ્રમાણમાં વ્યાપક હોઈ શકે.
સરકારી નોકરીઓ માટે પરીક્ષા લેવી એ વાત જ અનીતિની છે.
કૌભાંડનો પાયો જ આ પરીક્ષાઓ છે.
જનતા માટે સરકાર એ એક વ્યક્તિ છે. પછી તે ભલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય.
ધારો કે તમે વ્યક્તિ ને કંઈક વાત કરી. તે વ્યક્તિ તેમાં સંમત થાય. પણ પછી તે ફરી જાય. અને તે કહે કે તમે જે વાત વાત કરી હતી તે તો તમે મારા ડાબા કાનને કહી હતી. મારા જમણા કાનને નહીં. તમે કહેલી વાત વિષે નિર્ણય તો જમણા કાન દ્વારા સાંભળવામાં આવી હોય તો જ થઈ શકે છે.
તમે મહેનત કરી એક સુંદર ચિત્ર બનાવ્યું. સામેની વ્યક્તિને ગમ્યું. તેણે લીધું પણ પૈસા ન આપ્યા. તમે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે એતો મેં ડાબી આંખે જ જોયું હતું. જમણી આંખે જોયું નહતું. પૈસા કેવા ને વાત કેવી.
યુનીવર્સીટીઓ ને માન્ય કોણે ગણી?
સરકારે.
સરકારે આ યુનીવર્સીટીઓને કયા અધારે માન્ય કરી?
સરકારે યુનીવર્સીટી માટે ધારાધોરણો ના માપદંડ બનાવેલા. આ માપદંડોના આધારે સરકારે યુનીવર્સીટીઓને માન્ય કરી.
શું આ યુનિવર્સીટીઓ દ્વારા અપાતું શિક્ષણ સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત નથી?
શું આ યુનીવર્સીટીઓ દ્વારા લેવાતી પરીક્ષાઓ સરકારને માન્ય નથી?
જો યુનીવર્સીટીઓ સરકાર માન્ય હોય અને તેના દ્વારા યોગ્ય અભ્યાસક્રમો ચાલતા હોય તો પછી બીજી પરીક્ષાઓ લેવાની જરુર શી રીતે હોઈ શકે. આ તો સરકાર પોતે પોતાને જ અમાન્ય કરે છે એવું ફલિત થાય છે. કાં તો સરકાર દંભી છે કાં તો સરકાર ઠગ છે.
આ પરીક્ષાઓની ઠગાઈ કોણે ચાલુ કરી?
આમ તો અંગ્રેજોએ આઈ સી એસ ની પરીક્ષા ચાલુ કરેલી. કારણ કે તેમને એવા અફસરો જોઇતા હતા કે જેઓ અંગ્રેજીથી અભિભૂત હોય અને દેશી લોકો સાથે સંવાદ કરી શકે. આ ખાસ પ્રકારની ટોળકી ઉભી કરવા માટે આઈસીએસ પરીક્ષા રાખેલી. પણ ગાંધીજીએ જે લડત ચલાવી અને અંગ્રેજસરકારના દંભનો પર્દાફાસ કર્યો તેનાથી ઘણા સ્કુલી અને કોલેજી ભણેલા ઉપરાંત આઈસીએસ અધિકારીઓનો ભ્રમ પણ ભાંગ્યો. જો કે નહેરુ જેવાઓનો અંગ્રેજીયત તરફનો ભ્રમ ભાંગ્યો ન હતો. સરદાર પટેલને લાગેલ કે વહીવટમાં આઈસીએસ જેવા પણ સંસ્કારે ભારતીય (પોતાના જેવા જ) અધિકારીઓ ભારતમાં પકવી શકીશું. પણ નહેરુના દંભની પ્રાકૃતિક અસર ભારતીય નેતાઓની ઉપર વ્યાપક રીતે પડશે તે વાતનો તેમને ખ્યાલ નહીં.
વાસ્તવમાં યોગ્ય એ જ રહેશે કે સરકાર આવી ફાલતુ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ જ આવા અભ્યાસક્રમો ચલાવે. અને પછી વિદ્યાર્થીના ક્ર્માંક પ્રમાણે તેને નોકરીમાં રાખે.
અમારા એક સાહેબ ૧૯૭૩માં એક વાત કહેતા હતા કે ભારત એક એવો દેશ છે કે જો તમે ઢીલું મુકો તો કૌભાંડ જન્મે અને અક્કડ રહો તો ફરીયાદ થાય. પાણીમાં રહેતી માછલી બહુ પાણી પી જાય છે. માછલી પાણી પી ગઈ … માછલી પાણી પી ગઈ… એવી બુમો શરુ થઈ જાય.
આપણી શાળાઓ, કોલેજો અને યુનીવર્સીટીઓ કેવી છે?
સ્વતંત્રતા પછી જો સૌથી વધુ દુર્લક્ષ્ય સેવાયું હોયા તો તે શિક્ષણ છે. સરકારે પુરતી શાળાઓ ખોલી નહીં. પીટીસી અને બીટી (હવે બીએડ) ની શાળાઓ પણ નહીંવત. કોઈપણ સરકારી શાળામાં પ્રવેશ મુશ્કેલ હતો. જે ખાનગી શાળાઓ હતી તેમાં જે ગાંધીવાદી પ્રવાહવાળા હતા તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમની શાળાઓ સારી ચાલી. જેમકે ભાવનગર ની ઘરશાળા, સનાતન, રાજકોટની સૌરાષ્ટ્ર (બહાદુરભાઈ ધોળકીયા) હાઈસ્કુલ, ચૌધરી હાઈ સ્કુલ. પણ પછી આ બધી શાળાઓએ શિક્ષણને ઉદ્યોગ કરી દીધો.
શાળાઓ મેદાન વગરની થઈ ગઈ, કેટલીક શાળાઓ ભાડાના મકાનમાં બીજે માળ કે ભોંયરામાં ચાલતા ઉદ્યોગો જેવી થઈ ગઈ. અમદાવાદમાં તો કોલેજો પણ ભોંયરામાં ચાલે છે. ચિમનભાઈની એક કોલેજ ભર બજારે દુકાનોની ઉપરના બીજા માળે ચાલે છે. યુપી બિહારમાં યુનીવર્સીટીઓ ભાડેના મકાનના બીજે માળ ચાલે.
દશમું ધોરણ અને બારમું ધોરણ. પરસન્ટેજ અને પરસન્ટાઈલ ના તૂત નિકળ્યા. વળી પાછા કોમન એન્ટરન્સ ટેસ્ટ નિકળ્યા.
આ બધું શું કામ છે. ઘણાને પરસન્ટેજ અને પર્સન્ટાઈલના ભેદની ખબર નથી. પરસન્ટાઈલ એટલે બધા ધોરણોમાં થયેલ સમગ્ર રીતનું મૂલ્યાંકન. આ પણ એક વ્યાપમ છે. જો મૂલ્યાંકન અલગ અલગ સંસ્થાઓ કે વ્યક્તિઓ કરતી હોય અને સર્વથા ભીન્ન ભીન્ન હોય, પરીક્ષાર્થી માટે પૂનઃ મૂલ્યાંકનનો વિકલ્પ ન હોય તો આ પદ્ધતિ અન્યાયકારી છે. આ એક લાંબી ચર્ચાની વાત છે.
મૂળ વાત એ જ છે કે જેમ કાર્ય ની પસંદગી એ વ્યક્તિની સ્વતંત્રતા અને હક્ક છે. તેમ જેને તમે એક ધોરણમાં પાસ કર્યો અને તે વાત તેણે કબુલ રાખી તો તેનો ક્રમ તેણે પ્રાપ્ત કરેલા ગ્રેડ ઉપર જ નિશ્ચિત કરી શકાય. જો તે વિદ્યાર્થી પાસ થયો હોય પણ તેને તેનો ગ્રેડ કબુલ ન હોય તો તે ફરીથી પરીક્ષા આપી શકે.
એક માત્ર પરીક્ષાના ગ્રેડના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન અને યોગ્યતા નક્કી ન કરી શકાય. વાસ્તવમાં તેનું રોજબરોજનું મૂલ્યાંકન થવું જોઇએ.
પણ શિક્ષકો, આચાર્યો અને સચિવો અને મંત્રીઓ કહેશે કે એક વર્ગમાં ૪૦ વિદ્યાર્થીઓ હોય એટલે દરેકનું રોજ બરોજનું મૂલ્યાંકન ન કરી શકાય. પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ કોણે સ્થાપી? તમે તો સ્થાપી છે. કારણ કે શાળાને ઉદ્યોગવાળી બનાવવાને બદલે શિક્ષણને તમે ઉદ્યોગ બનાવ્યો છે. ઓછા શિક્ષકો અને ભૂતિયા શિક્ષકો રાખી તમારે નફો કરવો છે. ઉદ્યોગશાળા ને બદલે શાળાઉદ્યોગ ચાલુ થયો.
વ્યાપના સ્વરુપો

બિહારમાં એક પરીક્ષા ના સ્થળે ચોથામાળની બારીના છજા સુધી માણસો ચડી પરીક્ષાર્થીઓને નકલ કરાવતા હતા. પોલીસ કહે અમારું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. પરીક્ષામાં થતી ચોરી અટકાવવાનું કામ સંચાલકોનું છે. એટલે કે પરીક્ષામાં ચોરી કરવી એ કાયદાની વિરુદ્ધ નથી. ટીવી ચેલનવાળા પહોંચી શકતા હોય અને આખો દેશ જોતો હોય પણ સરકારનું શિક્ષણ ખાતું અજાણ હોય તે આપણા દેશને ગોઠી ગયું છે. આ એકલ દોકલ દાખલો નથી. આ વ્યાપમથી પણ વ્યાપક છે.
પંજાબના સર્વીસ કમીશનના ચેરમેનના ઘરે દરોડો પડ્યો તો એક કરોડની ચલણી નોટો મળી. શું પંજાબમાં વ્યાપમમાં નથી? ઠેર ઠેર વ્યાપમ છે. જ્યાં જ્યાં પ્રવેશ પરીક્ષાઓ છે ત્યાં ત્યાં વ્યાપમ છે. પ્રવેશ પરીક્ષા નું ધ્યેય જ વ્યાપમ પ્રવેશી શકે તે માટેનું છે.
આપણે એવું ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી બધી પ્રવેશ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ બધી જાતના અભ્યાસક્રમો રાખે. તબક્કે તબક્કે એપ્ટીટ્યુડ ટેસ્ટ પણ લેવાતા રહે. પરીક્ષાર્થીને એપ્ટીટ્યુડ બદલવો હોય તો ગીતા વાંચે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વ્યાપમ, વ્યાપક, આઈસીએસ, પ્રવેશ પરીક્ષા, અધિકારીઓ, નહેરુ, નહેરુવીયન, સરકાર, યુનીવર્સીટી, શાળા, શિક્ષક, આચાર્ય, વિદ્યાર્થી, પરીક્ષાર્થી, ગ્રેડ, મૂલ્યાંકન, ક્રમાંક, કૌભાંડ, ખાનગી, બહાદુરભાઈ ધોળકીયા, રાજકોટ, ઘરશાળા, ભાવનગર, સૌરાષ્ટ્ર હાઈ સ્કુલ, સરકારી શાળા, પીટીસી, બીએડ, બીટી, ઉદ્યોગશાળા, શાળાઉદ્યોગ
Like this:
Like Loading...
Read Full Post »