Posts Tagged ‘આઠવલેજી’
નિંદારસમાં રહેલો ઈશ્વર
Posted in માનવીય સમસ્યાઓ, tagged અંધશ્રદ્ધા, અન્ના, આઠવલેજી, ઈન્દીરા ગાંધી, ઈશ્વર, ઋષિ મૂનિઓ, ચાણક્ય, નહેરુવંશ, પ્ર્રચીન, ભારત, મહાત્મા ગાંધી, મોરારજી દેસાઈ, મોરારી બાપુ, રજનીશ, રામદેવ on January 11, 2012| 3 Comments »
ईशावास्यमीदं सर्वम् यत्किन्चित् जगत्यां जगत्
तेन त्यक्तेन भूंजिथा मा गृधः कस्यस्चित् धनम्
નિંદારસમાં રહેલો ઈશ્વર
એવું લાગે છે કે આપણે ઈશાવાસ્ય વૃત્તિ કેળવવી જોઇએ. ગાંધીજીએ આ વાત કરી છે. જેને વિષે જે સાચુ લાગે તે કહીએ પણ તે વાતને કશી કડવાશ વગર કહીએ.
ઈશાવાસ્યં ઈદં સર્વં યત્ કિંચિત્ જગત્યાં જગત્,
તેન ત્યક્તેન ભૂંજિથાઃ
આ જગતમાં જે કંઈ પણ છે તે સર્વેમાં, “ઈશ્વર (શિવ)”,નો વાસ છે. એટલે કે દરેકમાં તે રહેલો છે. તેથી ત્યાગ પૂર્વક (આપણી પ્રાજ્ઞા રુપી સંપત્તિને) ભોગવીએ.
ઈશ્વરે મૂળભૂત તત્વ કે જેની આ દુનિયા બનેલી છે તેનો ગુણધર્મ નક્કી કરેલો છે. તેના અવનવા સમૂચ્ચયોના ગુણો તે મૂળભૂત ગુણના પરિણામી ગુણો છે. દરેક વ્યકિત તે આવી પડેલા પોતાના ગુણો પ્રમાણે વર્તે છે.
આ ગુણોમાં વિચારવાની અને સમજવાની શક્તિ પણ એક ગુણ છે. જે કેટલેક અંશે આનુવંશિક, અવલોકનો અને વિચારોના પરિણામ સ્વરુપ હોય છે. માણસ નિર્ણયો લેવામાં કેટલો સ્વતંત્ર છે તે આપણે જાણતા નથી. અગાઉ મોરારજી દેસાઈએ કહેલું કે બધું નિશ્ચિત છે. પણ ભવિષ્યના ગર્ભમાં કોઇ જોઈ શકતું નથી. આ જ વાત હાલનો આધુનિક વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ્સ પણ કહે છે.
હવે તમે કહેશો કે જો બધું ઈશ્વર જ કરતો હોય તો ગુસ્સો કેમ આવે છે?
તેનું કારણ એ હોઈ શકે કે ઈશ્વરે એવી વ્યવસ્થા ગોઠવી છે કે સમાજ ક્યારેક સરળ રીતે ક્યારેક ખોડંગાતો ખોડંગાતો અને ક્યારેક પાછળ ડગલાં ભરીને પણ ઉન્નતિ માટે જ્ઞાની બને અને વ્યક્તિગત રીતે મનુષ્યના આનંદમાં વૃદ્ધિ થાય. કારણ કે અન્તે તો ઈશ્વરની ઈચ્છા આનંદ આપવાની છે.
જ્યારે કોઈની પણ ટીકા થાય ત્યારે તેની પાછળનો હેતુ જેની ટીકા થાય છે તેને સુધારવાની તક મળે એ હોય છે. પોતાનામાં કેવીરીતનો સુધારો થયો તેનું તેને જ્ઞાન થાય. તે જ્ઞાન થકી તે આનંદ પામે. અને જેણે ટીકા કરી છે તે વ્યક્તિ પોતે પોતાની ફરજ બજાવ્યાનો આનંદ મેળવે, આવીરીતની ગોઠવણ ઈશ્વરે કરી છે.
પણ જેઓ પાસે શરીર છે તેઓ જ ટીકાકરનારને સમજીને પોતાના મગજને સુધારી શકે.
એટલે ટૂંકમાં જો ઈશાવાસ્ય વૃત્તિ કેળવીએ તો કમસે કમ જેઓ ઈશ્વર પાસે પહોંચી ગયા છે તેમની ટીકા ન કરીએ તો સારું.
સૌ કોઈ પોતાની રીતે યોગ્ય હોય છે. તેઓ વિચારોના આદાનપ્રદાન થકી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે અથવા નથી પણ કરતા. પણ ઈશ્વર ની ગોઠવણ એવી છે કે સમાજ આગળ વધતો જાય. ક્યારેક બે ડગલા આગળ જવાના મૂળમાં એક ડગલું કે વધુ ડગલાં પાછળ પણ ગયો હોય છે. સંભવ છે કે આપણે ઘણી પીછે હઠ કરી હોય અને તે હાલ ચાલુ પણ હોય પણ ઈશ્વરની ગોઠવણ આપણને પતન વિષે વધુ સમજણ પાડવાની હોય એ વાત આપણે નકારી ન શકીએ.
આઠવલેજીના વિચારો અને કાર્યશૈલી વિષે વિચાર ભેદ હોય. પણ આઠવલેજીની પ્રવૃત્તિ નિસ્વાર્થ હતી. જો તેમને કિર્તિની અપેક્ષા હોય તો તે ક્ષમ્ય છે. તેમને દાન આપવું કે ન આપવું તે સ્વૈચ્છિક હતું. હવે તમે જો દાન આપ્યું હોય તો તમે તેમાં તમારી શરતો મુકી ન શકો. તમારે તેમની શુદ્ધબુદ્ધિ પર જ બધું છોડી દેવું જોઇએ. જો દાન ન આપ્યું હોય તો તો તમે તેમની કાર્ય પધ્ધતિની ટીકા કરી જ ન શકો. કારણ કે તેમણે ઉઘરાવેલા પૈસા કંઈ સરકારના લાગાઓની જેમ ફરજીયાત ઉઘરાણું ન હતું. જો આવું હોત તો તમને તેમની ટીકા કરવાનો હક્ક મળત કે જેથી તમે તેમની ટીકા કરી શકો.
પણ એક વાત સમજવા જેવી છે કે જ્યારે મિલ્કત અને તેની ઉપર સત્તા ચલાવવાની વાત આવે ત્યારે ભલભલા મહાપુરુષો શિષ્યોને સમજવામાં ગોથાં ખાઈ જાય છે. અને પછી મહાપુરુષોની બદબોઈ કરવાની ઘણાને લાલચ થાય છે.
દાખલા તરીકે મહાત્મા ગાંધી. તેમણે કહેલ “જવારહર વડાપ્રધાન થાય.” આ વાત ૧૯૪૭ ની છે. અને ૧૯૪૭ થી ૧૯૫૨ સુધી લાગુ પડે. જવાહરલાલ નહેરુ સત્તાભૂખ્યા હોય તે કદાચ સમજી શકાય. પણ જો તેઓ બંધારણીય માર્ગે સત્તા હાંસલ કરે પછી ગાંધીજીને દોષ ન દઈ શકાય. પણ કેટલાક આરએસએસ બંધુઓ આ વાત ઉપર ગાંધીજી ઉપર પારાવાર માછલાં ધૂએ છે. જાણે કે ૧૯૫૨માં અને તે પછી પણ, આવા આરએસએસ બંધુઓ અને તેમના જેવા વિચારવાળાઓનું કોઈ કર્તવ્ય જ ન હતું. જાણે કે ૧૯૪૭ થી ૧૯૫૨ સુધીના સમયે અને તે પછીના સમય માટે તેમને વ્યંઢ કરી દીધા ન હોય!
ભારત જેવી ગરીબ પ્રજા હોય તે ભૂલ કરે તે સમજી શકાય પણ નહેરુવંશનું શાસન છ છ દશકા સુધી દેશ ઉપર ચાલુ રહે તેમાં આરએસએસ જ નહીં પણ જે જે બુદ્ધિજીવીઓએ નહેરુને આવકાર્યા તે સૌ ગુનેગાર છે. કારણ કે તીબેટ ઉપર ચીનનું સાર્વભૌમત્વ સ્વિકારવું, ચીન સાથેની સરહદ રેઢી મૂકવી, સંસદમાં શઠતા પૂર્વકના ઉચ્ચારણો કરવા અને ચીન સામે હારી ગયા પછી વ્યંઢ પ્રતિજ્ઞાઓ લેવી આમાંનું દરેક કાર્ય તેમને હરાવવા માટે વિદ્વાનોએ આમરણાંત પ્રયત્નો કરવા જરુરી હતા. પણ તેમણે તેવું ન કર્યું.
ખ્યાતિ અને સત્તા ઘણાને પ્રિય હોય છે. અને યથાયોગ્ય રીતે શુભ્ર રસ્તે મેળવેલી ખ્યાતિ અને સત્તા ક્ષમ્ય છે. પણ નહેરુએ શઠતા પૂર્વક એટલે કે વિરોધીઓને વગોવડાવીને અને કાવાદાવા (કામરાજ પ્લાન)દ્વારા વિરોધીઓને દૂર કરીને પક્ષમાં સર્વેસર્વા રહેલા તે યોગ્ય ન કહેવાય. અને તેમાં પણ પોતાની પુત્રીને તેની કોઈ યોગ્ય્તા વગર આગળ કરવી અને બધો કારભાર સોંપવો અને પોતાની અનુગામી સ્થાપવાની ભલામણ કરવી યોગ્ય ન જ કહેવાય. આ વાતની લાલબહાદુર શાસ્ત્રીએ પૂષ્ટી કરેલી છે.
ઈન્દીરાગાંધીના કુકર્મો વિષે તો મહાભારત લખાય. પણ તેના અનુયાયીઓ જ્યારે તેના જ માર્ગે ચાલે ત્યારે તેમની સાત પેઢીને વગોવવામાં આનંદ મેળવવો તેના યોગ્ય સ્થાને છે.
કારણ કે આપણે તો કંઈ ખ્યાતિ મેળવવી નથી. કે નથી આપણે સત્તા મેળવવી. આપણને પૈસા તો મળે એમ છે જ નહીં. કદાચ સ્વીસબેંકના પૈસા ઉપર નજર બગાડીએ અને નહેરુવંશી કોંગ્રેસના વખાણ કરીએ તો જુદીવાત છે. હાલમાં કેટલાક ગુર્જરભાષાના ખ્યાતનામ મૂર્ધન્ય અને વિશ્લેષકોની જેમ તેના કુકર્મોની ચર્ચાને આડે માર્ગે લઈ જઈએ કે વિસંવાદ ઉભો કરીએ તો ધનપ્રાપ્તિના સંજોગો ઉભા થતા હશે.
આપણા ઘણા બાવાજીઓ આપાણા ધર્મ અને સાહિત્ય વિષે આપણે સંમત ન થઈએ તેવી વાતો કરે છે. વળી કેટલાક બાવાજીઓ તો પોતાને આધુનિક કહેવડાવવા માટે ભૂતકાલિન મહાપુર્ષોને વગોવીને સમાચાર પત્રોમાં એન્ટ્રી મારે છે.
આમાં રજનીશ પ્રથમ સ્થાને આવે છે.
મારી જાણ પ્રમાણે ૧૯૬૦ના અરસામાં રજનીશે મહાત્માગાંધીની ટીકાઓ કરીને જાહેર જીવનમાં એન્ટ્રી મારેલ (માથું મારીને પ્રવેશ કરેલ)
શું હતી આ વાતો?
ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી. ગાંધીજીની અહિંસામાં પણ હિંસા રહેલી છે.
કેવીરીતે?
તમે તમારી વાત સમાજાવવા ચર્ચા કરો છો અને ચર્ચામાં દાખલા દલીલ કરો છો. હવે દાખલા અને દલીલ કરવામાં તો એવું છે કે જે વધારે ભણેલું હોય અને વધુ માહિતિ હોય તે દલીલો કરીને પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરીને સામે વાળાને પરાસ્ત કરી દે.
સામે વાળાને પરાસ્ત કરવો એ પણ એક હિંસા છે. ખોટી વાતને સાચી કરી બતાવવી એ પણ હિંસા છે. સાચી અહિંસા એ છે કે તમે સામી વ્યક્તિના દિલનું પરિવર્તન કરો.
દા.ત. ફલાણા ફલાણા એક પાદરીએ પોતે એક વ્યક્તિથી સેંકડો માઈલ દૂર હોવા છતાં પણ પોતાની ગુઢશક્તિથી તેના વિચારોનું પરિવર્તન કરી તેને સન્માર્ગે દોરેલ. તો આને સાચી અહિંસા કહેવાય.
(હવે આ વાતને ચકાસીએ તો પેલા પાદરી ભાઈને એટલે કે સાધક્ને, પેલા સેંકડો માઇલ દૂર રહેલાને (સાધ્યને) અને ગુઢ શક્તિને (સાધન) ગોતવા જવું પડે. અને તે આપણને હાથવગા ક્યારે થશે તે વિષે આપણે જાણતા નથી અને જાણી શકીશું કે કેમ તે વિષે આપણા રજનીશભાઈ કદીયે ફોડપાડ્યો નથી. તેમના શિષ્યો ફોડ પાડવાનું જરુરી માનશે પણ નહીં (સાહેબ કંઈ થોડું ખોટું બોલતા હોય? હેં?).
રજનીશની બીજી વાતઃ
ગાંધીજીનો સત્યાગ્રહ એ પણ એક દબાણ અને દુરાચાર છે અને તેથી એક હિંસા છે.
એક વેશ્યા હતી. તેણે એક ભાઈ પાસે લગ્નની માગણી કરી. પેલા ભાઇએ ના પાડી. ઍટલે પેલી વેશ્યાએ ઉપવાસની ધમકી આપી. અને ઉપવાસ ઉપર બેઠી અને કહ્યું તું જ્યાં સુધી લગ્ન માટે હા નહીં પાડે ત્યાં સુધી હું ઉપવાસ કરીશ.
જ્યારે રજનીશભાઈ આવી વાત કરે ત્યારે એમ જ લાગે કે તેમણે કદી ગાંધીજીને વાંચ્યા જ નથી. ગાંધીજીએ ઉપવાસ માટે ના નીતિ નિયમો અને લાયકાતો ઘડી છે. ઉપવાસનું શસ્ત્ર ઉગામીએ તેમાં પોતાનો અંગત સ્વાર્થ તો ત્યાજ્ય જ છે. તે મુખ્ય મુદ્દો જ રજનીશભાઈને ખબર ન હોય તો તેમના શિષ્યોએ તો નાહી નાખવું જ પડે. ગુરુને દાળમાં કોળું જાય તો પછી શિષ્યોની દશા શું થાય?
રજનીશભાઈ ની ખાદી વિષે અને સગવડોના ઉપભોગ ના ખ્યાલો વિષે પણ કંઈક આવું જ છે. તે વિષે તો ગાંધીજીને વાંચવા જ જોઇએ. માણસના મૂળભૂત અધિકારો અને માનવીય અધિકારો અને માનવીય મૂલ્યો વિષે રજનીશભાઇ ની સમજણ આત્મવંચના જેવી હતી. ઉપભોગની બાબતમાં ગાંધીજી અને ઔરંગઝેબ સમાન વિચારના હતા. અન્ના હજારે કહે છે તેમ સૌ સૌની મર્યાદામાં રહે અને દેશના ગરીબને હંમેશા નજરમાં રાખે. સૌ કોઇ આપણા ઋષિ-મૂનીઓ, ચાણક્ય, ઔરંગઝેબ, ગાંધીજી, જૈન મહરાજ સાહેબો અને વિનોબાભાવે જેવા કદાચ ન બની શકે પણ દીશા તો એ જ હોવી જોઇએ.
ત્રીજી વાતઃ એક માણસ હતો. તેને કોયલનો ટહૂકો ગમતો એટલે કોયલ બહુ ગમતી હતી. તેણે કોયલના બચ્ચાં જોયાં એટલે તે પકડીને લઈ ગયો. આગળ જતાં તે બોલ્યાં કૉ કૉ કૉ કૉ. એટલે તેને ખબર પડી કે આ તો કાગડા છે. તેણે તેમને મુક્ત કર્યા. શું સમજ્યા તમે? “બોલવાથી મુક્તિ મળે છે.”
આત્મનઃ મુખદોષેણ બધ્યન્તે સુખસારિકા, બકાસ્તત્ર ન બધ્યન્તે મૌનં સર્વાર્થ સાધનં
પોતાના (સુરીલા) મુખના અપરાધથી પોપટ અને મેના બંધનમાં આવે છે. બગલાને કોઈ પાળતું નથી. માટે મૌન બધા ફળનું સાધન છે. આ શ્લોકની રજનીશભાઇને ખબર નહીં હોય. શું થાય?
ચોથીવાતઃ
રજનીશજી બોલ્યાઃ “માણસ જીવતો હોય ત્યારે મરવાના વિચારો કરે છે અને મરતો હોય ત્યારે જીવવાના વિચારો કરે છે.”
રાજા શું કે કલમાડી શું? નરેન્દ્ર મોદી પણ જીવે છે અને મરવાના વિચારો કરતા નથી.
અગણિત લોકો છે જેઓ જિંદગીને જીવી જાણે છે. તે પછી ચાર્વકઋષિની જેમ કે ચાણક્ય ઋષિની જેમ. રજનીશભાઈએ કોને જોયા હશે તે આપણે જાણતા નથી.
પાંચમી વાતઃ
સંભોગથી સમાધિઃ
આ વિષય જરા એવો છે કે જે સુરુચિનો ભંગ કરે તેવો છે. પણ ઘણાને ગમે એવો છે. કારણ કે આમ તો આવા વિષયને પ્રણાલિગત રીતે જોઈએ તો તેઓ બિભત્સ ગણાય. પણ વર્તમાન કાળમાં શરીરના અંગોના નામને બિભત્સ માનવા આવે છે તેમ સંસ્કૃત સાહિત્યમાં તેવું ન હતું.
રજનીશભાઈની વાત કરતાં પહેલાં આપણે સંસ્કૃતભાષા જ્યારે પ્રચલિત હતી ત્યારે શું હતું? તે જોઇએ.
યોનીઃ જ્યાંથી નિકળ્યું તે. બ્રહ્મયોની. અગ્નિ એ બ્રહ્મમાંથી પ્રગટ થયો. તેથી બ્રહ્મ એ બ્ર્હ્મ યોની કહેવાય છે. અને અગ્નિને વેદોમાં બ્રાહ્મણ પણ કહેવાય છે.
અણ્ડઃ જેમાંથી સજીવ બને છે. બ્રહ્માણ્ડ. બ્રહ્મે ઈન્ડું મુક્યું અને તે ઈન્ડામાં બધું ઉત્પન્ન થયું. તે આ બ્રહ્માણ્ડ. બ્રહ્મનું અણ્ડ.
શિશ્નઃ જે રસ-પ્રવાહી-વિર્ય છોડે છે અને જ્યાં પડે છે ત્યાં ઉગી નિકળે છે. વ્યોમ એ ઈશ્વરનું શિશ્ન છે.
સ્તનઃ પર્વતો તે ધરતી માતાના સ્તન છે. તેમાંથી નદી રુપી ધારા થી મીઠું પાણી નિકળે છે અને વનસ્પતિઓ અને પ્રાણીઓ તુષ્ટિ પામે છે.
વીર્ય, તેના સ્ખલન વિષે અને સંગ્રહ વિષે સંસ્કૃતના પુરાણોમાં અને વૈદકમાં ઘણી વાતો કરી છે. પુરાણોની વાતો જવા દઈએ. કારણ કે પુરાણોને ભારતીય તત્વજ્ઞાનમાં આધાર માનવામાં આવતા નથી. પણ આયુર્વેદ કહે છે કે તેને વેડફવું ન જોઇએ.
શાસ્ત્ર એમ કહે છે “પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાંગમુખઃ ગંગા બ્રુતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ.
ગંગા એ કહ્યું; “પારકાની પત્નિ, પારકાના ધન અને પારકાના દ્રોહ થી મોઢું ફેરવાનાર મારી પાસે આવીને મને ક્યારે પવિત્ર કરશે.”
આ વાતને જો આત્મસાત કરવામાં આવે અને તેની શક્તિ જ્યારે અનુભવવામાં આવે ત્યારે જ તમે જાતીય આવેગ ઉપરના તમારા પ્રભૂત્વને સમજી શકો.
આ થઈ ભારતીય શાસ્ત્રની વાત. હવે રજનીશ શું કહે છે?
રજનીશ એમ કહે છે જેનો તમે ત્યાગ કરવા પ્રયત્ન કરો તેમ તમને તેનું આકર્ષણ વધશે. આવું કહીને તેઓ એક બે ટૂચકા કહી સંભળાવશે. અને વાતે વાતે પ્રાસ મેળવવા માટે શિશકારા બોલાવશે. અને તેમના શ્રોતાઓને સમજાવશે સાધ્યં ઈતિ સિદ્ધં.
કદ્દચ ફ્રૉઈડના દાખલા આપશે.
પણ કૃષ્ણ અને ફ્રોઈડની કોઈ તુલના નથી. જેઓ ફ્રોઈડને વાંચે છે તે કૃષ્ણને વાંચતા નથી. અને જેણે કૃષ્ણને વાંચ્યા છે તેના ઉપર ફ્રોઈડ અસર કરતો નથી. રજનીશે કદાચ ફ્રોઈડને વાંચ્યો હશે. પણ કૃષ્ણને ધૌમ્ય ઋષિ એ કહેલા “વાંચવા”ના અર્થમાં વાંચ્યા નહીં હોય. જો આમ ન હોત તો રજનીશને દાળમાં કોળું ન જાત.
જાતીય વૃત્તિ ની બાબતમાં એક વસ્તુ સમજી લેવી જોઇએ કે આપણું શરીર અસંખ્ય અને અસંખ્ય જાતના કોષોનું બનેલું છે. આ કોષો આપણને જેનેટીકલી વારસામાં મળેલા હોય છે. કોષો બધા રસાયણોના બનેલા છે. એટલે આપણા શરીરને આપણે રસાયણોનું બનેલું કહીએ તો ખોટું નથી. આ રસાયણોને આધારે આપણો સ્વભાવ બને છે. આપણો ખોરાક, આપણી પ્રવૃત્તિ અને આપણા વિચારો આ રસાયણો ઉપર વત્તા ઓછા પ્રમાણમાં અસર કરે છે. કોણ કેટલું અસર કરે છે તે આપણે હજુ શોધી શક્યા નથી. સૌ કોઈ પોતાની વૃત્તિઓ ઉપર ખોરાકથી, ક્રિયાઓ થી અને વિચારોથી કેટલો વિજય મેળવશે તે કહી શકાય નહીં.
અર્જુને પૂચ્છ્યું કે ” માણસ પોતાની વૃત્તિઓ ઉપર કાબુ કેવી રીતે મેળવી શકે? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું “અભ્યાસથી માણસ તેની વૃત્તિઓ ઉપર કાબુ મેળવી શકે.” અભ્યાસ એટલે શું? વારંવાર કરવું તે અભ્યાસ. યાદ નથી રહેતું? વારંવાર યાદ કરો એટલે એ વાત યાદ રહી જશે. નાનપણની વાતો શા માટે યાદ છે અને મોટપણની વાતો શામાટે ભૂલાઈ જાય છે? કારણ કે નાનપણની વાતો વારંવાર યાદ કરી હોય છે. અભ્યાસ થી ટેવ પડી શકે છે. બુદ્ધિવડે મનને જીતી શકાય છે. મનની આદતો ટેવ પાડવાથી બદલી શકાય છે. મન ઉપરના તમારા પ્રભૂત્વ ઉપર તમે શ્રદ્ધા રાખો. મન તો તમારું નોકર છે. નોકરે તો તમે કહો તેમ જ કરવું જોઇએ. શું તમે તમારા નોકરના કહેવા પ્રમાણે કરશો? વિનોબાએ કહ્યું.
ગાંધીજી વિલાયત ગયા ત્યારે તેમને બાફેલું અને મસાલા વગરનું જમવાનું ફાવતું ન હતું. પણ ધીમે ધીમે આદત પડી એટલે ફાવી ગયું. કોઈપણ બાબતમાં તમે બુદ્ધિથી અને મનથી પ્રયત્ન કરો તો તે સિદ્ધ થઈ શકે છે.
હસ્તદોષ એ ફક્ત ભૌતિક ક્રિયા નથી. દરેક ક્રિયા મન ઉપર અસર કરે છે. હસ્ત દોષથી આત્મવિશ્વાસ ઘટે છે. હસ્તદોષ એ સંભોગનું એક દિવાસ્વપ્ન છે. અને દિવાસ્વપ્ન ખતમ થતાં તમે વાસ્તવિકતા ઉપર પછડાઓ છો. અને પછડાટ એક જાણ્યા અજાણ્યા આઘાતની અસર ઉભી કરે છે. એકથી વધુ સંગી સાથેનો સંભોગ એ પણ તેના જેવો જ બને છે અને તે તમારા નીતિમત્તાના મૂલ્યોને આઘાત પહોંચાડે છે.
પણ જાતીય વૃત્તિનું દમન કરવા ઉપર વ્યક્તિનું પોતાનુ પ્રભૂત્વ કેટલું? અને વિચારોનું પ્રભૂત્વ કેટલું? આ વાત તેના રસાયણિક બંધારણ ઉપર આધાર રાખે છે. વિચારો તેને ક્રમશઃ આગળ કે પાછળ લઈ જાય છે. અને વિચારો તમારી પ્રવૃત્તિ અને અભ્યાસ ઉપર આધાર રાખે છે. જે વાત તમે બુદ્ધિ અને અભ્યાસ વડે આત્મસાત કરી તેની ઉપર ફ્રૉઈડભાઇની અને રજનીશભાઈની ફીલોસોફી અને તારણો કામ કરતા નથી.
શું સંભોગ એ યોગ છે?
સંભોગથી આનંદ મળે છે. શરીરમાં એક આનંદની લહેર પ્રસરે છે. અને આ આનંદથી કોઈને નુકશાન થતું નથી. તો તેને યોગ શા માટે ન કહેવો. તમારા જીવનસાથી સાથેનો સંભોગ શાસ્ત્રીઓએ બ્ર્હ્મચર્ય સમાન જ ગણ્યો છે. જો પરસ્પરના આનંદ માટે હોય તો કદાચ નુકશાન કારક ન પણ હોય. પણ આને યોગ ન કહેવાય. કારણ કે વ્યસન અને નિદ્રા પણ એમતો આનંદ આપે છે પણ તેનો અતિરેક તમને નુકશાન કરે છે. જો આ બધું યોગ હોય તો કશું નુકશાન થતું ન હોત.
જો આમ ન હોય તો?
ખંજ યોગ પણ એક યોગ છે. ખરજવું થાય અને જો તેને ખંજોળીએ તો તેના જેવો આનંદ
ભાગ્યે જ બીજો કોઈ હોય છે. જો આનંદ માત્ર યોગ હોય તો ખંજવાળને પણ યોગ જ ગણાય. ખંજ યોગ. કોઈ આ વાતને નકારશે નહીં.
જે સત્ય નથી તેને સત્ય ઠેરવવું અને તેનો પ્રચાર કરવો તેને માન્યતા અપાવવી આ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે. અને ભલભલા મૂર્ધન્યો તેમાં ડૂબેલા છે.
વાસ્તવમાં સૌનું ધ્યેય આનંદ પ્રાપ્ત કરવાનું હોય છે. માર્ગો અનેક છે પણ ધ્યેય તો એક જ છે. પણ સમગ્ર સમાજને આનંદ પ્રાપ્ત થાય તે ઈશ્વરની યોજના છે.
મૂર્ધન્યો ભૂલા પડે અને બીજા લોકો તેમાંથી કંઈક શિખે જેથી ભવિષ્યના મૂર્ધન્યો વધુસારું વિચારી શકે અને સમાજને આદર્શ અને સુખી સમાજ તરફ દોરી શકે.
ભણેલાઓ આપણે હિસાબે અંધશ્રદ્ધા ફેલાવે છે. પણ અંધશ્રદ્ધા ની વ્યાખ્યા અઘરી છે. ઘણા લોકોને મન રાષ્ટ્રપ્રમુખ અને બીજા મહાનુભાવોને મળતી અને માન્ય રખાતી સગવડો અને વિશેષ અધિકારો પણ એક જાતની અંધશ્રદ્ધા જ હોઈ શકે છે. અને વળી આવી અંધ શ્રદ્ધાનું પાલન તો આપણા ખર્ચે થાય છે.
જેઓ ઉપરવાસી (પરલોકવાસી નહીં કહું કારણ કે પરલોક જેવું કશું છે જ નહીં) થઈ ગયા તેમની નિંદા ન કરીએ. તે વાત પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઋષિ-મુનીઓની છે. દા.ત. આઠવલેજીની નિંદા ન કરીએ અને કાર્યશૈલીની ટીકા ન કરીએ. કાર્ય શૈલીની જો ટીકા કરવી હોય તો આઠવલેજીને અલિપ્ત રાખીને ટીકા કરીએ તો તે ક્ષમ્ય છે. ઋષિ મુનીઓને જે તે સમયે જે યોગ્ય લાગ્યું તે કર્યું. હાલ તેઓ જવાબ આપી શકે તેમ નથી.
મોરારીબાપુની પણ નિંદા ન કરીએ. જોકે તેમણે કહ્યું કે મારો રામ વાલીને મારે નહીં. પણ રામ તો મોરારીબાપુ નો હતો જ નહીં. તુલસીદાસનો પણ ન હતો. અને રામ, વાલ્મિકી કે બીજા કોઈનો પણ ન હતો. રામ તો હાડમાંસ નો બનેલો અને દશરથ નો પુત્ર હતો. અને ઐતિહાસિક હતો. એટલે આજના સમયના મૂલ્યો માટે તે ભૂલો કરે તો તેમાં રામનો વાંક નથી. અને રામની ભૂલ પણ નથી. રામની પાસે ઈશ્વરને જે કરાવવું હતું તે કરાવ્યું. રામે કયા કારણસર વાલીને કેવી રીતે માર્યો તે રામ જાણે. હરિ હરિ કરો અને મંજીરા વગાડો. હરહર મહાદેવ કરીને તૂટી પડવાની જરુર નથી.
પ્રાચીન ઋષિ-મુનીઓની જે પૌરાણિક વાતોના વર્ણનોમાં અને સંવાદોમાં શું તથ્ય છે તે જાણવું અશક્ય છે. તેથી જે સારુ છે તે માટે તેમને બિરદાવવા અને ખોટું લાગે તે ભૂલી જવું. પણ જે ખોટું લાગે તેમાં તેમના અનુયાયીઓની જો તેઓ તેનો આધાર લઈ શૈક્ષણિક બચાવ કરે તો અનુયાયીની શૈક્ષણિક ટીકા કરવી. ઋષિ-મુનીઓની અને રાજાઓની ઘણી વાતો તો દંત કથાઓ પણ હોઈ શકે.
દા.ત. શંકરાચાર્ય મંડનમિશ્ર ના ઘરે ગયા ત્યારે નીચે પ્રમાણેની રમૂજ પ્રચલિત છે.
મંડનમિશ્ર ઉવાચઃ “કુતઃ મુણ્ડી”
[મંડનમિશ્ર બોલ્યાઃ આ મુંડ્યો (ટકલુ) ક્યાંથી (આવ્યો)?]
શંકરાચાર્યઃ ઉવાચઃ “આગલાત્ મુણ્ડી”
[શંકરાચર્ય બોલ્યાઃ ગળાથી શરુ કરીને (માથા ઉપરસુધી મુંડન કરાવ્યું છે)]
મંડનમિશ્ર ઉવાચઃ માર્ગં તે પૃચ્છતે મયા. [મંડનમિશ્ર બોલ્યાઃ હું તો તારા રસ્તાને (વિષે) પૂછું છું.
શંકરાચાર્ય ઉવાચઃ કિં આહ માર્ગં [શંકરાચાર્ય બોલ્યાઃ (જો તમે રસ્તાને પૂચ્છ્યું તો રસ્તાએ શું કહ્યું?]
મંડનમિશ્ર ઉવાચઃ માતા તે મુણ્ડી ઈતિ આહ માર્ગં. [મંડનમિશ્ર બોલ્યાઃ માર્ગે તો કહ્યું તારી (શંકરાચાર્યની) માતા મુંડી.
શંકરાચાર્ય ઉવાચઃ સત્યં બૃતે માર્ગં. ત્વયા માર્ગં પૃચ્છિતં, માર્ગં તુભ્યં અબ્રવિત્ યત્ તે માતા મૂણ્ડી. તસ્માત્ તે માતા મૂણ્ડી ઈતિ સિદ્ધં.
શંકરાચાર્ય બોલ્યાઃ તેં માર્ગને પૂચ્છ્યું અને માર્ગે તને કહ્યું કે તારી માતા મુણ્ડી. માર્ગ સાચું જ કહે છે કે તારી માતા મુણ્ડી.
…………
………….
સંવાદ તો આગળ ઘણો લાંબો છે. પણ આ કંઈ સાચી વાત નથી. રમૂજ ખાતર દંત કથાઓ જોડવાની આપણી પ્રણાલી ઘણી જુની છે. અને કટાક્ષ ચિત્રો ઘણી વખત એક પ્રકારની દંતકથા જેવા જ હોય છે.
દેવ દાનવ અને માનવ બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું અમને બોધ આપો.
બ્રહ્માજીએ કહ્યું; દ દ દ
દેવ સમજ્યા આપણે ભોગવિલાસમાં છીએ એટલે આપણે “દ” એટલે કે દમન. આપણી વૃત્તિઓનું દમન કરવું જોઇએ.
દાનવો સમજ્યા કે “દ” એટલે દયા. આપણે ક્રૂર ન બનવું અને દયા કરવી.
માનવો સમજ્યા (તે વખતના) કે આપણે સંગ્રહ કરવાને બદલે “દ” એટલે દાન કરવું જોઇએ.
સૌએ લાગુ પડતો શ્રેષ્ઠ અર્થ લીધો.
ટૂંકમાં એમ કહેવાય કે નિંદારસ આનંદ માટે છે. સારસારકો ગ્રહણ કરે થોથા દે ઉડા. જે
સારુ છે તે ગ્રહણ કરવું અને નકામુ છે તેને ભૂલી જવું.
પણ જો આપણે આવો નિયમ માન્ય રાખીએ તો દરેક નિયમને અપવાદ પણ હોય છે. તો આમાં અપવાદ શું. નહેરુવંશી કોંગ્રેસ એક અપવાદ છે. આપણે સ્વતંત્રતા મેળવી તે શા માટે? અંગ્રેજો શું ખોટા હતા! હાજી. તેમનો વાંક હતો.
૧ આપણો કાચોમાલ બહાર જતો હતો
૨ વિદેશથી તૈયાર માલ આપણા દેશમાં વેચાતો હતો.
૩ દેશનો પૈસો બહાર જતો હતો.
૪ કાયદાઓ અન્યાયકારી હતા અને સરકાર દંભી હતી.
૫ જનતા ગરીબ હતી.
૬ જનતા બેકાર હતી.
૭ ગરીબીથી અંધશ્રદ્ધા હતી.
૮ રાજાઓનું વંશપરંપરાગત શાસન હતું.
૯ અંગ્રેજો ભારતમાં વેપારી હતા. તેથી પ્રજા ભીખારી હતી.
આજે શું છે?
૧ આપણો કાચો માલ આજે પણ નિકાસ થાય છે. ખાણોમાં માફીયા રાજ છે.
૨ આપણી સરકાર વૈશ્વીકરણના નામે વિદેશથી આયાત કરે છે તેથી રુપીયો ગગડે છે. ડોલર તકલીફમાં હોવા છતાં પણ રુપીયો ગગડે છે.
૩ આપણા નહેરુવંશના શાસકો અને તેના મળતીયાના વિદેશી બેંકોમાં ખાતા છે. અને તે પૈસો દેશમાં ન આવે તે માટે આ નહેરુવંશની સરકાર તનતોડ પ્રયત્નો કરી રહી છે.
૪ કાયદાઓ અને પ્રણાલીઓ આજે પણ અન્યાય કારી છે. લોકપાલ ને લગતા કાયદાના શા હાલ કર્યા. અન્ના હજારે અને બાબા રામદેવ ના શા હાલ આ સરકારે કર્યા તે આપણે જાણીએ છીએ. અને છતાં પણ છાતી ઠોકીનેઆ સરકાર કહે છે કે “અમે ભ્રષ્ટાચાર સામે પ્રતિબદ્ધ છીએ.” આ સરકાર તો દંભી જ નહીં પણ નીંભર પણ છે. અને તેના શબ્દોના અર્થ શબ્દકોષના અર્થો સાથે મેળખાતા નથી.
૫ આજે ૬૦ વર્ષના શાસન બાદ પણ ૮૫ કરોડ જનતા ગરીબ છે. અને સરકારે જનતાને સરકારી ખેરાતોના મોહતાજ રાખ્યા છે.
૬ પાયાની સગવડોના અભાવે આજે પણ બેકારી છે. અને મોટાભાગનાનું ભવિષ્ય સુનિશ્ચિત નથી.
૭ ભણેલાઓ પણ અંધશ્રદ્ધાવાળા છે.
૮ નહેરુવંશનું શાસન ચાલે છે. તેના જેવા બીજા વંશપરંપરાગત શાસનવાળા પક્ષો ઉત્પન્ન થયા છે. અને મૂર્ધન્યો પણ તાટસ્થ્યના દંભ અને ઘેલછામાં જનતાને સચોટ માર્ગદર્શન આપવામાં પારાવાર ઉણા ઉતર્યા છે અને શાસકોના પાપના ભાગીદાર બન્યા છે.
૯ આપણી આ સરકાર પણ વેપારી છે અને તેથી પ્રજા ભીખારી છે. સંસદના સભ્યો પ્રજાના પ્રતિનીધિ છે પણ તેઓ જવાબદારી વગરના છે. કોઈ પણ સરકારી સંસદ લોકપાલ બીલની ઉપર ગુણદોષની ચર્ચા માટે તૈયાર નથી. એટલું જ નહીં સરકાર મતદાન કરાવવા પણ તૈયાર નથી. જો સરકારી સંસદો પોતાની જવાબદારી નીભાવતા નથી તો પણ પોતાની આવકો અને સગવડો વધારે જ જાય છે.
માટે ખુલ્લા દીલથી આ નહેરુવંશી સરકાર અને તેના ભૂતપૂર્વ અને વર્તમાન મળતીયાઓની ભરપેટ નિંદા કરો.
જય જગત જય હિંદ
શિરીષ મોહનલાલ દવે
ટેગ; ઋષિ મૂનિઓ, પ્ર્રચીન, ભારત, નહેરુવંશ, ચાણક્ય, મહાત્મા ગાંધી, અન્ના, રામદેવ, મોરારજી દેસાઈ, ઈન્દીરા ગાંધી, રજનીશ, આઠવલેજી, મોરારી બાપુ, અંધશ્રદ્ધા, ઈશ્વર