Feeds:
Posts
Comments

Posts Tagged ‘આતંકવાદ’

પ્રેસ્ટીટ્યુટ અને જ્ઞાતી વાદી રાક્ષસો અભણ સમાજમાં શું શું કરી શકે? ભાગ-૧

પ્રેસ્ટીટ્યુટનો અર્થ તો આપણને ખબર જ છે. આપણા વીકે સીંઘે તેનું અર્થ ઘટન કર્યું છે. અને આપણે તે અર્થ ઘટનને માન્ય રાખીશું. વાચકવર્ગ પ્રેસ્ટીટ્યુટના ગ્રાહકો છે. પણ આ ગ્રાહકો અભણ અને સ્વાર્થી હોય ત્યારે તેમનો રોટલો શેકાય છે અને તેઓ પોતાનો ધંધો ધમધોકાર ચલાવે છે.

ગાંધીજીનું ખૂન

ગાંધીજીનું ખૂન ગોડસેએ કર્યું. પણ આતો શરીરનું ખૂન હતું. ગાંધીજીને ૧૨૦ વર્ષ જીવવું હતું. કદાચ તેઓ તેટલું ન પણ જીવી શકત. કારણકે દરેક વ્યક્તિનું આયુષ્ય નિશ્ચિત હોય છે. દરેક વ્યક્તિ તેના માતા પિતાના સરેરાશ આયુષ્ય થી અથવા તો માતાના અને પિતાના કોઈપણ એકના આયુષ્ય થી ૨૦ટકા ઓછાવત્તા આયુષ્ય જેટલું જીવે છે. અલબત્ત આમાં તેમનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે થયું હોવું જોઇએ. અકસ્માત કે ખૂન થી નહીં. ૨૦ટકા ઓછું એટલા માટે કે વ્યક્તિની ખરાબ આદતો તેના આયુષ્યને ઘટાડે છે. આ વાતની ચર્ચા વધુ નહીં કરીએ. પણ ગાંધીજીના મૃત્યુથી દેશને જેટલું નુકશાન થયું તેથી વધુ તેમના વિચારોના ખૂનથી દેશને ક્યાંય વધુ નુકશાન થયું છે. જોકે વિચારોનું આયુષ્ય ઘણું લાબું હોય છે. પણ વિચારોનું ખૂન થયા પછી પણ તે તો જીવતા રહે છે પણ્સ જ્યારે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ તેનું ખૂન કરે ત્યારે સમાજને ઘણું નુકશાન થાય છે.

હાલ આપણે ગુજરાત પૂરતી જ વાત કરીશું. અને તે પણ આંદોલનકારીઓ પૂરતી અને સ્થાનિક સમાચાર માધ્યમો સુધી મર્યાદિત રાખીશું.

આમાં કશું નવું નથી. સૌ કોઈ જાણે છે. છતાં પણ તેની વાત કરવી જરુરી બને છે. કોઈ પણ વાત ક્યારે જરુરી બને છે તે આમ તો વ્યક્તિગત અભિપ્રાયનો સવાલ છે. પણ જો નીતિ મત્તા સંકળાયેલી હોય તો અને વિરોધાભાસવાદી વર્તન હોય તો આવું વર્તન સમાજને નુકશાન કરે છે.

અનામતની ગાજરની પિપૂડી

અનામત એ એક સમાજિક સમસ્યા છે અથવા હતી. અને આ સમસ્યાને નહેરુવંશી કોંગ્રેસે રાજકીય મુદ્દો બનાવી દીધો છે. અનામતની જોગવાઈના પુરસ્કર્તા આંબેડકર હતા. સામાજિક રીતે પછત જાતિસમૂહ અને સાથે સાથે અછૂત પણ હોય તેઓ માટે આંબેડકરે અનામતને પુરસ્કૃત કરેલી. જો સરકાર ગરીબોને લક્ષ્યમાં રાખીને પોતાની વિકાસ યોજનાઓ બનાવે તો ગરીબોને તો વાંધો ન આવે. પણ અછૂતોને તો વાંધો આવે જ. કારણકે સામાજિક માનસિકતા એટલી વિકસી ન હતી. જો કે ગાંધીજીએ વિરોધ કરેલ. કારણ કે તેમની માન્યતા હતી કે સમાજની માનસિકતાને સુધાર્યા વગર જે કંઈ કરીશું  હિંસા ગણાશે. માટે સઘળી શક્તિઓ સમાજની માનસિકતાને સુધારવા તરફ કેન્દ્રિત કરો. નેતાઓ જો આવી આચાર સંહિતા અપનાવશે તો તેના તાત્કાલિક પરિણામો મળશે જ. તમે જુઓ છો કે તે વખતની કોંગ્રેસમાં વગર અનામતે ઘણા હરિજન નેતાઓ હતા. આંબેડકરને આ રસ્તો લાંબો લાગ્યો. પણ પચાસના દાયકાના મધ્યમાં નહેરુને આમાં રાજકીય લાભ જણાયો. શરુઆતમાં હરિજનો સુધી જ અનામત સીમિત હતી. આંબેડકરના મરીગયા પછી આ અનામત નું ક્ષેત્ર વિસ્તારવામાં આ અનામતનું ક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું. આ ક્ષેત્ર નહેરુની સુપુત્રીના સમયમાં એટલી હદે વિસ્તારવામાં આવ્યું કે એક મંડળ રચવામાં આવ્યું કે જે ફાવે તે કોમ પોતાનો પક્ષ રજુ કરે અને અનામતમાં પોતાની કોમને આવરી લે.

પણ આ કોમ એટલે શું?

આમ તો કોમ, જન્મથી જ મળે છે. ધર્મ પણ જન્મ થી જ મળે છે. પણ તમે ધર્મ બદલી શકો છો. તમે તમારી જન્મથી મળેલ કોમને બદલી શકતા નથી. આ ભારતીય બંધારણની પ્રચ્છન્ન કે અપ્રચ્છન્ન વક્રતા છે. ભારતીય બંધારણ જ્ઞાતિપ્રથામાં માનતું નથી. પણ કોઈ કોમ પોતાને અમુક તમુક કોમમાં માને તો રોકતું પણ નથી. પણ જો તમે બીજાને નુકશાન કરીને પોતાની કોમનું હિત સાધો તો ભારતીય બંધારણ નડે ખરું. પણ આ નડતરને નિરસ્ત્ર કરવા માટે એક મંડળ રચવામાં આવ્યું. બંધારણ આમ તો સૌને સમાન હક્ક આપે છે. પણ જેમ સામ્યવાદમાં સૌ સમાન છે. પણ અમુક વર્ગ ખાસ સમાન છે. એવું જ નહેરુવંશની કોંગ્રેસે મંડળની સ્થાપના કરીને કર્યું.

વીપી સિંઘને થયું કે આ મંડળનો લાભ નહેરુવંશીય કોંગ્રેસ જ લઈ જાય તેતો બરાબર ન કહેવાય.

નેતાનો ધર્મ સમાજને દોરવણી આપવાનો હોય છે. સમાજને દોરવણી આપવી હોય તો અમુક અધિકારો જોઇએ.

સમાજસુધારક નેતાઓ અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના મળતીયાઓને સમાજની માનસિકતા સુધારવાને બદલે તેમને મળતી સત્તા સાચવવામાં જ રસ રાખ્યો છે. અને તેથી તેઓએ અનામતનો ઉપયોગ ગરીબ લોકોને કહેવાતા સવર્ણોથી અલગ કરી દેવાનું કામ કરવા માટે મત બેંકો ઉભી કરવાના ભરપુર પ્રયાસો કર્યા અને તેમાં મહદ અંશે સફળ પણ થયા. બિહારની ચૂંટણીના પરિણામો તાજેતરનો તેનો ઉત્તમ દાખલો છે. સમાજને વિભાજિત કરવાના કામના શ્રીગણેશ સૌ પ્રથમ નહેરુએ કર્યા. તેમણે ભાષાના આધારે લોકોને વિભાજિત કર્યા. જે ગુજરાતી લોકો શિવાજીને “ધણણ ડૂંગરા બોલે શિવાજીને નિદરું નાવે …” એમ કહી શિવાજીની પ્રસંશા કરતા હતા, જે સૂરતના વેપારીઓના મહાજને શિવાજીને બોલાવીને સ્વેચ્છાએ પોતે કરેલા દાનને લૂંટમાં ખપાવવા કહ્યું હતું, જે ગુજરાતીઓ મરાઠી લોકો સાથે હળી મળીને સેંકડો વર્ષોથી રહેતા હતા, નહેરુએ તે ગુજરાતીઓની વિરુદ્ધ મરાઠી લોકોને ભડકાવ્યા અને કહ્યું કે “જો મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો મને ખુશી થશે.” આવું કહીને નહેરુએ મરાઠી લોકોને એવો સંદેશો આપ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને મળે તે વાતમાં ગુજરાતીઓ આડા આવે છે. (વાસ્તવમાં તો કોંગી મોવડી મંડળનો નિર્ણય હતો કે મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યો બને). આમ કહી નહેરુએ મુંબઈમાં મરાઠી અને ગુજરાતીઓ વચ્ચે દંગા કરાવ્યા હતા અને ગુજરાતીઓએ મહારાષ્ટ્રમાંથી હિજરત કરવી પડેલી. ઇન્દિરા ગાંધીએ સવર્ણ અને અસવર્ણ વચ્ચે વિગ્રહ ફેલાવ્યો અને ખાલિસ્તાની આતંકવાદને પરોક્ષ-પ્રત્યક્ષ રીતે પોષી મુસ્લિમ આતંકવાદનો છોડ રોપ્યો. આમ નહેરુવંશી કોંગ્રેસના આચારો દ્વારા દેશના માનવ સમાજને પારવિનાનું નુકશાન કર્યું છે, એટલે નહેરુવંશની કોંગ્રેસના સુધરવાની અપેક્ષા, સુજ્ઞજનો ન રાખી શકે તે સ્વાભાવિક છે.

પણ આખા દેશની જનતા સુજ્ઞ ન હોઈ શકે. તો પછી દેશની જનતાને સમજાવશે કોણ?

આ કામ સમાચાર માધ્યમોનું છે. આ સમાચાર માધ્યમો કોણ છે અને કોણ ચલાવે છે?

આ સમાચાર માધ્યમો ટીવી ચેનલો છે અને  સમાચાર પત્રો છે.

ટીવી ચેનલોમાં આપણે સમાચારો ઉપરાંત મહાનુભાવોની ચર્ચાઓ અને મહાનુભાવોના સાક્ષાત્કાર (ઈન્ટર્વ્યુઓમાં) હોય છે.

સમાચારોને કેમ કરી સંવેદનશીલ બનાવવા તેની મોટાભાગની ચેનલો સ્પર્ધા કરતી હોય છે. ફક્ત દૂરદર્શન તેમાં બકાત હોય તેમ લાગે છે. મહાનુભાવોની ચર્ચાઓમાં યુ.પી.એ. સંગઠિત પક્ષોના, મહાનુભાવો અને તેમાં પણ ખાસ કરીને નહેરુવંશી પક્ષના મહાનુભાવો બીજા કોઈને બોલવા દેતા નથી અને અસંબદ્ધ રસ્તે ચર્ચાને લઈ જાય છે. આમાં ચેનલના ચાલકનો સહકાર હોય છે. મહાનુભાવો સાથેના સાક્ષાત્કારમાં ચાલતા વાર્તાલાપમાં જો બીજેપીના મહાનુભાવ હોય તો તેમને એવા પ્રશ્નો પૂછવામા આવે છે કે જે પ્રશ્નોમાં ચેનલ ચાલકના પ્રશ્નોનો ઇચ્છિત ઉત્તર પણ સામેલ હોય. દા.ત. “તમને રામ મંદિર, ચૂંટણીના સમયે જ કેમ યાદ આવે છે? તમે મુસ્લિમોની ભાવનાનો ખ્યાલ રાખ્યા વગર કેમ નિર્ણયો લો છો? રામ મંદિર શીલાન્યાસ કરીને તમે શું સિદ્ધ કરવા માગો છો? …”

બાકી રહ્યા સમાચાર પત્રો.

“નો નેગેટીવ” ન્યુઝ

આમાં સમાચારોની હેડ લાઈનો, તેના અક્ષરોની સાઈઝો અને તેની શબ્દ ગોઠવણ એ રીતે રાખવામાં આવે છે કે બીજેપી વિષે નેગેટીવ વાતાવરણ તૈયાર થાય.

એક ગણમાન્ય ગુજરાતી અખબાર કેટલાક વખત થી એવો દાવો કરે છે કે તે અઠવાડિયામાં એક દિવસ (સોમવાર), “નો નેગેટીવ” ન્યુઝ આપશે. એનો અર્થ શું થાય છે તે આપણે જોઇએ.

(૧) અઠવાડીયાના સાત દિવસોમાંથી છ દિવસો, આ સમાચાર પત્ર, નેગેટીવ ન્યુઝ આપવાનો પોતાનો હક્ક અબાધિત રાખશે. એટલે કે આ સમાચર પત્ર છ દિવસ, નેગેટીવ ન્યુઝ આપશે.

(૨) હમેશા “નો નેગેટીવ” ન્યુઝ આપવા શક્ય નથી.

(૩) અરે તમે ભૂલો છો. અમે અઠવાડીના એક દિવસ એવા ન્યુઝ આપીશું જે વાચકોને પ્રેરણા આપે. એટલે કે ફલાણા ભાઈએ કેવું રીસ્ક લીધું અને કેવા આગળ આવી ગયા. માટે હે વાચકો તમે પણ રિસ્ક લો અને તમે આગળ આવી શકશો.

“અરે દિવ્યભાસ્કર ભાઈ, અસાધારણ સફળતા, સંજોગો અને શક્યતાના સિદ્ધાંતો ઉપર આધારિત છે.”

હા એ ખરું. પણ હે વાચકો તમે રિસ્કની જીદ લેશો તો સફળ તો થશો જ. મોટી નહીં તો નાની સફળતા પણ મળશે જ. માટે મચી પડો.

(૪) અરે હે વાચકો, વળી પાછી તમે ભૂલ કરી. અમે “નો નેગેટીવ” ન્યુઝ આપીશું તે તો ફક્ત એવા સમાચારોને લાગુ પડે છે કે જે રાજકારણ સાથે સંબંધિત ન હોય. રાજકારણ સાથે સંબંધિત સમાચારો તો “નો નેગેટીવ” ની શ્રેણીમાં ન જ આવી શકે. ખાસ કરીને બીજેપી ને લગતા સમાચારોને અમારે વક્ર દૃષિથી જ ઘડવા પડે. અને જનતાને બીજેપી વિષે નેગેટીવ સંદેશો મળે એ તો અમારે જોવું જ રહ્યું. હા વંશવાદી પક્ષોની અમે નેગેટીવ ટીકા ન થાય તેનો ખ્યાલ રાખીશું. (કારણ કે વંશવાદી પક્ષો અને ખાસ કરીને નહેરુવંશી પક્ષ અમને સતત સમજાવે છે કે ઇનામ દૂંટી ઉપર મુકાય છે અને દૂંટી તો પેટ સાથે જોડાયેલી હોય છે. સર્વ જનોને પેટ હોય છે. બે વાંસા કોઈને હોતા નથી).

હવે તમે કહેશો કે દાખલો તો આપો…

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

પ્રેસ્ટીટ્યુટ, વાચકવર્ગ, ગાંધીજીનું ખૂન, શરીરનું ખૂન, ગાંધી વિચારનું ખૂન, દેશને નુકશાન, આંદોલન પ્રિય, ગાજરની પિપૂડી, નહેરુવંશી કોંગ્રેસ, આંબેડકર, અનામત, મંડળ, જન્મ, ધર્મ, કોમ, જ્ઞાતિપ્રથા, ભારતીય બંધારણ, નિરસ્ત્ર, નેતાઓનો ધર્મ, દોરવણી, અધિકારો, સમાજસુધારક, આતંકવાદ, યુ.પી.એ., પેટ, દૂંટી, પૈસા,

Read Full Post »

હિન્દુઓ ૧૦ સંતાનો ઉત્પન્ન કરે: એક ચર્ચા

હિન્દુઓ ૧૦ સંતાનો ઉત્પન્ન કરે
જ્યારે ભારતની વાત કરીયે અને તેમાં પણ ભારતમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તિ એ ત્રણ ધર્મને સાંકળતી અને વસ્તી વધારાના સંદર્ભમાં વાત કરીએ ત્યારે તેને એકાંગી રીતે ન વિચારી શકાય. આ બાબતને તેની સમગ્રતા જોવી જોઇએ.

હિન્દુધર્મના નેતાઓ

જો ભારતમાં મુસ્લિમ વસ્તીવધારાની વાત કરીએ અને મુસ્લિમ આક્રમણની વાત કરીએ તો આ મુસ્લિમ આક્રમણને પણ વસ્તીવધારાના સંદર્ભ પુરતું મર્યાદિત રાખવું જોઇએ. લવ જેહાદને વસ્તીવધારા સાથે સાંકળી ન શકાય. લવ જેહાદ અલગ વિષય છે.
જે હિન્દુ નેતાઓ મુસ્લિમ વસ્તીવધારા રુપી આક્રમણની વાત કરે છે અને તેઓને આપણે ખોટા પાડવા છે તો તેમની પ્રત્યે પૂર્વગ્રહ રાખીને અને પરોક્ષ રીતે નિમ્ન દર્શાવીને ચર્ચા ન ચલાવવી જોઇએ.
આપણે સહુ જાણીએ જ છીએ કે કે જેને આપણે પ્રણાલીગત રીતે હિન્દુ ધર્મ કહીએ છીએ તેને એવા કોઈ ધર્મગુરુ નથી કે તેઓશ્રી જે કંઈ કહે તે હિન્દુ ધર્મનું ફરમાન છે એવું સ્વિકારવામાં આવે. વળી આ નેતાઓને “હિન્દુઓના કહેવાતા નેતાઓ” એમ કહીને ઉલ્લેખવા તે પણ તેમની પ્રત્યેની અવમાનના જ સૂચવે છે. વિવેચકની એક પૂર્વગ્રહવાળું તારણ કાઢવાની મનોવૃત્તિ હોય તેવું પણ ફલિત થાય છે. વિવેચકની અવિશ્વસનીયતા પણ ઉભી થાય છે. આ હિન્દુ નેતાઓ તેઓ જે કંઈ છે અને જેવા છે તેવા રાખીને ઉપરોક્ત જેવું કશું કહ્યા વગર તેમના વક્તવ્યની ગુણદોષના આધાર ઉપર ચર્ચા કરીએ તો તે યોગ્ય ગણાશે.

ખ્રિસ્તીઓ અને મુસલમાનો

ખ્રિસ્તીઓએ અને મુસલમાનોના શાસકોએ મધ્યકાલિન અને તાજેતરના ભૂતકાળમાં શું કર્યું તે પેઢીઓને ભૂલી જઈએ તો તે સાવ અયોગ્ય નહીં ગણાય. છેલ્લા સો વર્ષની તવારિખ જ ને જ ધ્યાનમાં રાખીશું. અને શો બદલાવ આવ્યો છે અને તે બદલાવની ઝડપ શું છે. ભવિષ્યમાં આ બદલાવની ઝડપ શું અંદાજી શકાય તે વિષે વિચારવું પડશે.

ખ્રિસ્તીઓમાં ફક્ત ધર્મ ગુરુઓ જ પછાત રહ્યા છે કે જેઓ એમ માને છે કે વિશ્વને આખાને ખ્રિસ્તી કરી દેવું જોઇએ એ ઈશ્વરનો આદેશ છે. ખ્રિસ્તી ધર્મ એક સુગ્રથિત બંધારણવાળો ધર્મ છે અને પૉપ જે કહે તેને અંતિમ કહેવાય. વળી તેની પાસે મોટું ફંડ છે. સરકારોનું તેને પીઠબળ હોય છે. એટલે જે ખ્રિસ્તી સરકારો પોતાને ધર્મનિરપેક્ષ માને છે અને વિશ્વને મનાવે છે, પણ જ્યારે તેમને જરુર પડે તેમના ધર્મસંસ્થાઓ દ્વારા બીજા દેશોમાં થતી બળજબરી બાબતે આંખ મિંચામણા કરે છે. સમાચાર માધ્યમો આવી બાબતોને ચગાવવામાં માનતા નથી.

ખ્રિસ્તી અને મુસ્લિમ આતંકવાદ
ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો એક જ છે. મુસ્લિમોમાં એક વધારાનું તત્વ છે તે એ કે તેનો વિસ્તીર્ણ આતંકવાદ. આમ તો ખ્રિસ્તીઓનો પણ ખ્રિસ્તિ ધર્મગુરુઓના પ્રત્યક્ષ અને પરોક્ષ સહાકર દ્વારા પોષાતો આતંકવાદ છે પણ તે છૂટક છૂટક છે. ખ્રિસ્તીઓનો આ આતંકવાદ તમે ઉત્તર-પૂર્વી રાજ્યોમાં મોટા પાયે અને કેરાલા, તામિલનાડુ અને ઓરિસ્સામાં છૂટો છવાયો જોઈ શકો છે. પણ આની નોંધ લેવાતી નથી આના ઘણા કારણો છે. પણ તેની ચર્ચા નહીં કરીએ કારણ કે તેની ચર્ચા એક વિષયાંતર થઈ જશે.

મુસ્લિમો પુરતી ચર્ચા મર્યાદિત રાખીએ તો હિન્દુ નેતાઓની વાત સાવ નાખી દેવા જેવી નથી. હિન્દુઓ નેતાઓ જે વાત કરે છે તે કંઈ તેમનું આગવું સંશોધન નથી. ભારત સહિત આખા વિશ્વમાં મુસ્લિમ વસ્તી વધારા સામે એક સમસ્યા રુપી પ્રશ્નચિન્હ ઉત્પન્ન થયું છે. આપણા કેટલાક સુજ્ઞ લોકો કદાચ આનાથી માહિતગાર ન પણ હોય અને કદાચ હોય તો પણ તેમને કોઈપણ કારણસર તે વાતને લિપ્ત ન પણ કરવી હોય.

DO NOT DEMAND HUMAN RIGHTS

સાંપ્રત સામાજીક અને રાજકીય માનસિકતા

ભારતની સાંપ્રત સામાજીક અને રાજકીય માનસિકતાના સંદર્ભને અવગણીને આપણે જો કોઈ તારતમ્ય ઉપર આવીશું તો તે યોગ્ય ગણાશે નહીં. એટલું જ નહી પણ સાંપ્રત વિશ્વ આખાની સામાજીક અને રાજકીય માનસિકતાના સંદર્ભોને પણ લક્ષમાં લેવા પડશે. જાપાન, ચીન અને ઓસ્ટ્રેલીયા આ બાબતમાં શું વિચારે છે? અને શા માટે વિચારે છે? તેમના નાગરિક કાયદાઓ શું છે, અને આપણા કેવા છે તે બધું પણ લક્ષમાં લેવું પડશે. મુસ્લિમ દેશો કે જ્યાં મુસ્લિમો બહુમતિમાં છે ત્યાં વિધર્મ અને વિધર્મીઓની સ્થિતિ શું હતી અને શું છે? આ બધું એટલા માટે સંદર્ભમાં લેવું પડે કારણ કે પ્રસાર માધ્યમના કારણે વિશ્વ નાનું ને નાનું બનતું જાય છે. આવે સમયે આપણે છૂટક આંકડાઓ દ્વારા ભ્રમ ઉત્પન્ન કરીએ તે યોગ્ય નહીં ગણાય. જે પ્રત્યક્ષ છે તે સત્ય છે. કશ્મિરી હિન્દુઓ તંબુઓમાં છે તે સત્ય છે. ઉત્તર-પૂર્વ રાજ્યોમાં હિન્દુઓ નામશેષ છે તે સત્ય છે.
હિન્દુ નેતાઓ, સર્વમાન્ય હિન્દુ નેતા હોય કે ન હોય તે ચર્ચાનો વિષય નથી. વાસ્તવમાં તેઓ પણ ભારતના નાગરિક છે અને નાગરિક તરીકે તેઓ પોતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર ભોગવી શકે છે. આ સંદર્ભમાં તેમને મુલવવા જોઇએ.

આપણા હિન્દુ નેતાઓએ તો મુસ્લિમવસ્તી વિસ્ફોટને જીરવવા માટે એક રસ્તો પ્રસ્તુત કર્યો. પણ તેમનો હેતુ શું છે અને શા માટે આવો રસ્તો બતાવ્યો તે તેમણે છૂપાવ્યું નથી અને આપણે તેમની આ વાત છૂપાવવી ન જોઇએ. ચર્ચા કરવી હોય તો સમસ્યાને સમગ્રતામાં મુલવવી જોઇએ.

મુસ્લિમો તરફ થી આપણને શો ભય છે?
જ્યાં મુસ્લિમો તદન અલ્પમતમાં છે ત્યાં તેઓ તાબે થાય છે. જ્યાં તેઓ નગણ્ય નથી ત્યાં તેઓ વિશેષ અધિકારો માગ્યા કરે છે. જ્યાં તેઓ બહુમતિમાં છે ત્યાં તેઓ બળજબરી કરે છે અને પરધર્મીઓને કાં તો ધર્મ પરિવર્તન કરાવે છે અથવા તો તેમને નષ્ટ કરે છે. આના તાજા ઉદાહરણો મોટી માત્રામાં ઉપલબ્ધ છે. પાકિસ્તાન, બંગ્લાદેશ અને કશ્મિરમાં હિન્દુઓ કેટલા હતા? હવે કેટલા છે? જો આ સંદર્ભને તમે અવગણશો તો તમે માનવધર્મની જ અવગણના જ કરી ગણાશે.

ગરીબી અને નિરક્ષરતા બચાવ નથી
મુસ્લિમોની ધાર્મિક કટ્ટરતાવાળી માનસિકતા શું નિરક્ષરતા અને ગરીબી છે? જો આપણે એમ માનતા હોઇએ કે મુસ્લિમોની ધાર્મિક કટ્ટરતા અને વસ્તીવધારાનું મૂળ મુસ્લિમોની નિરક્ષરતા અને ગરીબી છે તો તે આપણી જાત સાથેની એક છેતરપીંડી ગણાશે. જો આમ હોત તો યુરોપના દેશો પોતાના દેશોમાં મુસ્લિમોના વસ્તીવિસ્ફોટને સમસ્યા ન માનતા હોત. અને સાઉદી અરેબિયામાં કે બીજા વિકસિત અને સુશિક્ષિત દેશોમાં ધર્મનિરપેક્ષતા પ્રસરી ગઈ હોત. પણ તેમ થયું નથી.

પ્રત્યાઘાતને સમજો
હિન્દુ નેતાઓએ ૧૦ બાળકો પેદા કરવાની જે વાત કરી તે વાતને પકડીને તે વાતને બીજા સંદર્ભોથી અલિપ્ત રાખીને ૧૦ બાળકોની વાતને જ આપણે નિશાન બનાવીએ તે બરાબર નથી. મુસ્લિમ વસ્તી બે રીતે વધે છે. એક છે મોટા પાયે થતી વિદેશી ઘુસણખોરી અને બીજી છે તેમનો સ્થાનિક વસ્તી વિસ્ફોટ. ત્રીજું પણ એક કારણ છે તે છે તેમનો અલગ નાગરિક કાયદો. આ નાગરિક કાયદા હેઠળ તમે તેમને લાભ આપી શકો પણ તેમને નાગરિક લાભોથી વંચિત ન કરી શકો. એટલે જો તેમની વસ્તી વધે તો દેખીતી રીતે જ ગરીબી પણ વધે અને ગરીબી વધે એટલે સરકાર મુસ્લિમોની અવગણના કરે છે તેમ પણ આંકડાઓ દ્વારા ફલિત થાય. તમારે તમારી મુસ્લિમ નાગરિક કૂટનીતિઓ દ્વારા ઉભી કરેલી ગરીબી રાહતો જાહેર કરવી પડે. આ રાહતોના નાણાં તમારે સામાન્ય નાગરિક નિધિ (પબ્લીકફંડ)માંથી ફાળવવા પડે. વિકાસના કામોમાં એટલો ઘાટો પહોંચે અને એટલે ગરીબી વધે. આમ એક વિષચક્ર ચાલ્યા કરે.

તો શું હિન્દુઓ ૧૦ બાળકો ઉત્પન્ન કરે તે યોગ્ય છે?
વાસ્તવમાં હિન્દુઓની આ એક પ્રતિક્રિયા છે.
પશ્ચિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનને અન્યાય કર્યો એટલે બંગાળીભાષી મુસ્લિમોએ પ્રતિકાર કર્યો. તેના પ્રતિકાર રુપે પાકિસ્તાની સરકારે હિન્દુઓને અને અ-બંગાળી મુસ્લિમોને બંગાળમાંથી ખદેડ્યા. પાડાને વાંકે પખાલીને ડામ દેવાયો. પૂર્વ ભારતમાં અરાજકતા ફેલાઈ એટલે જનાક્રોષ થયો અને ભારત ઉપર યુદ્ધ લદાયું. આ યુદ્ધ ભારત જીત્યું એટલે કે પાકિસ્તાન ૧૯૭૧નું યુદ્ધ હાર્યું. ભારતીય લશ્કર ગમે તેવું મજબુત હોય. પણ ભારતીય અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ સ્વકેન્દ્રી હોય છે. તેઓ પાકિસ્તાન માટે સોફ્ટ ટાર્જેટ હોય છે. એટલે સિમલા કરાર દ્વારા ઈન્દીરા ગાંધીને મૂર્ખ બનાવી, ગુમાવેલું બધું પાછું મેળવી લીધું. પણ લશ્કરી હાર તો હાર હતી અને પાકિસ્તાની લશ્કર તે હાર જીરવી ન શક્યું. એટલે પાકિસ્તાની લશ્કરે તેની ગુપ્તચર સંસ્થા અને રશીયા-અમેરિકાના ઠંડાયુદ્ધની સમાપ્તિએ ફાજલ પડેલા આતંકી સંગઠનોની મીલી ભગતે પ્રત્યાઘાત તરીકે આતંકવાદ ચાલુ કર્યો. પહેલું ભક્ષ્ય કશ્મિરને બનાવ્યું. ત્યાં હિન્દુઓને ખુલ્લે આમ ધમકીઓ આપી ૩૦૦૦ હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા. સાતલાખ હિન્દુઓને ભગાડ્યા. કશ્મિરની સરકારે અને ભારતની દંભી સેક્યુલર સરકારે પણ આંખ મીંચામણા કર્યા. હિન્દુઓ માટે આ અન્યાય થયો. એક મસ્જીદ તૂટી. એની સામે હજાર મંદીરો તૂટ્યા અને આતંકવાદીઓએ હજારોને મરણને શરણ કર્યા. એક રેલ્વે કોચને ઘેરીને સળગાવ્યો અને હિન્દુઓને જીવતા સળગાવ્યા. ગુજરાતમાં દંગાઓ થયા. મુસ્લિમો વધુ મર્યા. પછી તો મુસ્લિમોએ અનેક જગ્યાએ બોંબબ્લાસ્ટ કર્યા અને હ્જારો માણસ મર્યા.
મૂળ વાત જે હતી તે બંગ્લાભાષીઓને ૧૯૫૬થી કે તે પહેલાંથી થયેલા અન્યાયની હતી. તેમાં પાકિસ્તાનોના હિન્દુઓનો અને બીનબાંગ્લાભાષી મુસ્લિમોની ઉપરાંત પડોશી દેશ ભારતનો પણ ખૂડદો બોલી ગયો. આ વાત ભારતના દંભી ધર્મ નિરપેક્ષીઓને સમજવી નથી.

આ વાત ફક્ત પાકિસ્તાનના અને બંગ્લાદેશના મુસ્લિમોની માનસિકતાની જ નથી. સમગ્ર વિશ્વના મુસ્લિમોની માનસિકતા આવી છે અને આ માનસિકતાને સાક્ષરતા કે ગરીબી સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી.

હિન્દુઓએ ૧૦ બાળકો ઉત્પન કરવા એવી વાત શા માટે કરી?
ભારતની સરકારો દંભી ધર્મનિરપેક્ષતામાંથી બહાર આવી શકતી નથી. એટલે મુસ્લિમો અને ખ્રિસ્તી લોકો મનમાની કરે છે. તેઓ જે વિસ્તારોમાં પોતે બહુમતિમાં છે ત્યાં બળજબરી કરે છે, અને સમગ્ર ભારતમાં તેઓ લઘુમતિમાં છે તે ધોરણે તેઓ લઘુમતિના નામે અને ધાર્મિક સ્વતંત્રતાને નામે વિશેષાધિકારો ભોગવે છે.
હિન્દુઓ બહુમતિમાં છે. આ બહુમતિ તેમનો ગુનો બને છે. સરકાર જો ભેદભાવ વાળા વલણમાંથી બહાર ન નિકળી શકતી હોય તો હિન્દુઓએ શું કરે? આ સંદર્ભમાં હિન્દુઓએ પણ પોતાની બહુમતિ જાળવી રાખવા ૧૦ સંતાનો ઉભા કરવા જોઇએ એમ હિન્દુ નેતાઓએ કહ્યું.

મુસ્લિમ બનો અથવા ખતમ થાઓ
ટૂંકમાં એમ કહી શકાય કે હિન્દુઓ કુટૂંબ નિયોજન કરે આર્થિક રીતે સક્ષમ થાય પણ તે પછી મુસ્લિમો બહુમતિમાં આવે ત્યારે કાંતો તેઓ મુસ્લિમ થાય અથવા ખતમ થાય. કારણ કે કશ્મિરી હિન્દુઓ તો ભાગીને ભારતમાં આવી જાય. પણ ભારતના હિન્દુઓને ભાગી જવા માટે બીજો કોઈ દેશ નથી, એટલે તેમણે તો કાંતો મુસ્લિમ થવું પડે અથવા ખતમ થવું પડે.

હજી આગળ વિચારો.

જો હિન્દુઓ ખતમ થશે તો બે જ પ્રજા બચશે. એક ખ્રિસ્તી અને બીજી મુસ્લિમ.

ખ્રિસ્તીઓ અત્યાર સુધી ભલે અજેય રહ્યા હોય પણ મુસ્લિમો, ખ્રિસ્તીઓને ખતમ કરી દેશે. અપાર સંખ્યાના બળ આગળ શસ્ત્રોનું કશું ચાલ્યું નથી. અને મુસ્લિમો પણ કંઈ શસ્ત્ર વિહીન નથી. આખી પૃથ્વી મુસ્લિમ થશે પછી શું થશે. પછી મુસ્લિમો અંદર અંદર લડશે અને માનવ જાતનો નાશ થશે.
૧૦૦ અબજ વર્ષ પછીના બીજા બીગબેંગની રાહ જુઓ. તે દરમ્યાન મુસ્લિમોને અને ખ્રિસ્તીઓને સમજાઈ ગયું હશે કે જે અદૃષ્ટ સ્વર્ગની આશામાટે અને નર્કના ભયને કારણે, જે ખૂન ખરાબા કરેલ તે સ્વર્ગ અને નર્ક તો વાસ્તવમાં હતા જ નહીં. માટે હવે તો જો કોઈ ઇશ્વરના પુત્રના નામે કે પયગંબરના નામે આવે તો તેની ખેર નથી.

શું આ શક્ય છે?

હિન્દુ પુરાણો કહે છે કે એક બીગ બેંગ પછીના બીજા બેંગમાં ઐતિહાસિક સંસ્કૃતિમાં ૨૦% જેટલો બદલાવ આવે છે.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઇસ્લામ, ધર્મ, ૧૦ સંતાન, લઘુમતિ, બહુમતિ, આતંકવાદ, ધર્મ નિપેક્ષ, માનસિકતા, ખૂનામરકી, ભારત, પાકિસ્તાન, બંગ્લાદેશ

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસનું કલ્ચર અને કટોકટીનો કાળોકેર – ૨

૨૫ જુન ૧૯૭૫

Encountered

૨૫ જુન ૧૯૭૫ એ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે.

આ દિવસે નહેરુવીયન ફરજંદ શ્રીમતી ઇન્દીરા ગાંધીએ ભારતીય જનતાના બંધારણીય હક્કો સ્થગિત કર્યા. જોકે નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સરકારી ચમચાઓ એમ માનતા હતા કે ભારતીય જનતાના સર્વે અધિકાર નાબુદ થયા છે. અને આ મતલબનું ઈન્દીરામાઈના એડવોકેટ જનરલે ન્યાયાલય સમક્ષ નિવેદન આપેલું.

“કટોકટી દરમ્યાન ભારતીય જનતાના અધિકાર માત્ર એટલે કે સર્વ અધિકારો સમાપ્ત થયા છે. અને તેથી તેનો જીવવાનો અધિકાર પણ સમાપ્ત થાય છે. એટલે કટોકટીના સમય દરમ્યાન સરકાર કોઈપણ વ્યક્તિને મારી નાખી પણ શકે. તે વ્યક્તિના સગા સંબંધીઓ કશી પૂછતાછ ન કરી શકે કારણકે તેમણે આવા હક્કો કટોકટીમાં ગુમાવ્યા છે.

કુદરતી અધિકાર શું છે? કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. કુદરતી અધિકાર એ સ્વરક્ષણનો અધિકાર છે. કુદરતી અધિકાર તમારા સંબંધીઓના રક્ષણનો છે.

માનવીય અધિકાર શું છે? માનવીય અધિકાર કુદરતી અધિકાર ઉપરાંતના અધિકાર છે. તમારી જગ્યામાં રહેવાનો છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી. તમારા ઉપર આરોપ હોય તો તે જાણવાનો અધિકાર છે. ન્યાય માટે પોતાનો અને બીજાનો પક્ષ રજુકરવાનો અધિકાર છે.

બંધારણીય અધિકાર શું છે? બંધારણમાં દર્શાવેલ અધિકારો પ્રણાલીઓ દ્વારા સ્થાપિત થયેલા અધિકારો અન્યાયકારી કાયદાઓ, આદેશો અને પ્રક્રિયાઓ રદબાતલ અને અસરહીન કરવાનો અધિકાર જનહિત ધરાવતી તમામ જોગવાઈઓ અને કાર્યવાહીઓ, તેના કારણો અને આધારોમાં પારદર્શિતા જાણવાનો અધિકાર, જનહિત માટેનો વાણી સ્વાતંત્ર્યનો અધિકાર, પ્રતિનિધિત્વનો અધિકાર

કટોકટીનો ઉપયોગ ઈન્દીરાએ કેવી રીતે કર્યો?

ઈન્દીરાએ માન્યું કે કોઈપણ વ્યક્તિને કે જેણે અપરાધ કર્યો હોય કે અપરાધ કરવાનો હોય, કે અપરાધ કરશે તેવી શક્યતા હોય કે અપરાધ કરશે તેમ સરકારને લાગતું હોય તો સરકાર તેને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી ધરપકડ કરી શકશે અને જેલમાં પુરી શકશે અને ન્યાયાલયમાં રજુ કરવો કે ન કરવો, કેસ ચલાવવો કે ન ચલાવવો તે સરકાર નક્કી કરી શકશે. ન્યાયાલયને પણ ગુના વિષે કે તેના પ્રકાર વિષે કે તેના અસ્તિત્વ વિષે જાણવાનો હક્ક રહેશે નહીં.

ઈન્દીરા ગાંધીએ હજારોની સંખ્યામાં નેતાઓની અને લોકોની ધરપકડ કરી. જેમાં સરકારની વિરુદ્ધમાં બોલનારા બધા જ નેતાઓ, કેટલાક પત્રકારો અને વકિલોનો પણ સમાવેશ થતો હતો. રૉ, એલ.આઈ.બી અને સેન્ટ્રલ ઈન્ટેઈજન્સ નું કામ જ દેશની અંદર જનતાની જાસુસી કરવાનું હતું.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના નેતા કપિલ સીબ્બલે ગયે વર્ષે જાહેરાત કરેલી કે તે નરેન્દ્ર મોદી વિષે એક મોટો ખુલાસો કરવાના છે.

જોકે આ ખુલાસાનું તેમણે નામ દીધું ન હતું. આ ખુલાસો સંભવતઃ જાસુસીનો હતો. આ કોંગી નેતાઓએ વાત વહેતી મુકેલી કે નરેન્દ્ર મોદીએ (સફેદ દાઢીએ) તેના ગૃહ મંત્રીને (કાળી દાઢીને), કોઈ એક યુવતીની હિલચાલ ઉપર નજર રાખવાના મૌખિક આદેશ આપેલ. આ ગૃહમંત્રીએ કોઈ અધિકારીને ફોન ઉપર આ મતલબની વાત કરેલ. આ વાતની ટેપ પકડાયેલી. આ ટેપ કોંગીનેતા પાસે આવી અને કોંગીએ ઉપરોક્ત હવા ફેલાવી કે આ વ્યક્તિગત ખાનગીપણાના અધિકારનો ભંગ છે એટલે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવશે. આ બનાવનું મટીરીયલ એકઠું કરવા માટે એક સ્પેશીયલ તપાસ પંચ બનાવવામાં આવ્યું. આ માટે મનમોહન સિંહના મંત્રીમંડળે એક સ્પેશીયલ બેઠક બોલાવી હતી અને ઠરાવ પાસ કરેલ.

ધારો કે આ જાસુસી પ્રકરણમાં થોડુંક પણ સત્ય હોય તો પણ શું?

કટોકટીમાંના સમયમાં તો શંકાસ્પદ વ્યક્તિની અને દરેક સંમેલનોમાં જાસુસી થતી હતી. જેમ કે દરેક કર્મચારી યુનીયનોને આદેશો હતા કે સૌ પ્રથમ કટોકટીને આવકારતો ઠરાવ પસાર કરવો. જો કોઈ કર્મચારી યુનીયનની મીટીંગમાં કટોકટીને બહાલી આપતો ઠરાવ પસાર ન કરે તો તેના હોદ્દેદારોને ધમકી મળતી અને ઠરાવ પસાર કરાવવો પડતો. કર્મચારી યુનીયન કે કોઈપણ યુનીયનના હોદ્દેદારો ધરપકડથી બચવા આવો કટોકટીને બહાલી આપતો ઠરાવ અચૂક પસાર કરતા અને તેની નકલ આઈબીને આપતા. કોઈપણ મીટીંગ કરવી હોય તો એલઆઈબીને જાણ કરવી પડતી.

ઈન્દીરાઈ જાસુસી

ઈન્દીરા ગાંધીના એક અનુયાયી નામે મોઈલી, તેના ટેપ પ્રકરણની વાત છોડો. સીન્ડીકેટના નેતાઓ કે જેમણે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાનપદ ઉપર બેસાડેલ. સમય જતાં ઈન્દીરા ગાંધીના ખરાબ પરફોર્મન્સ અને એરોગન્સને કારણે આ સીન્ડીકેટના નેતાઓ તેણીની વિરુદ્ધ ગયેલ. તો આ જ કોંગીઓની દેવીએ આ બધાના જ ફોન ટેપ કરાવેલ. અને મોરારજી દેસાઈને સંભળાવેલ. આવી કોંગ્રેસ જ્યારે નરેન્દ્ર મોદી ઉપરની કથા કથિત જાસુસી માટે હોબાળો મચાવે ત્યારે વરવી જ લાગે છે.

વળી જુઓ, નરેન્દ્ર મોદીવાળા આ જાસુસી પ્રકરણમાં કોઈ ફરીયાદ આવી નથી. શક્ય છે કે એક પિતાએ તેની પૂત્રીને કોઈ ગુમરાહ ન કરે તે માટે પોતાની વગ ચલાવેલ હોય. યુવાન પુત્રીની બેઈજ્જતી ન થાય તે માટે કોઈ પણ પિતા પોતાથી બનતો પ્રયાસ કરે. પણ આપણી આ નહેરુવીયન કોંગ્રેસને સ્ત્રીઓ ભરમાય કે બે ઈજ્જતીને પામે તેનો છોછ નથી. કોઈ હિસાબે નરેન્દ્ર મોદી બદનામ થાય તેમાં જ તે રચીપચી રહે છે. સત્તા લેવા અને ટકાવી રાખવા બધી નીતિમત્તા અને સામાજીક સ્વસ્થતાને નેવે મુકો એવા આ કોંગી નેતાઓના સંસ્કાર છે.

અભિષેક સિંઘવીના એક વકીલ સ્ત્રીની સાથે દુસ્કર્મની ટેપ પકડાયા છતાં નહેરુવીયન કોંગ્રેસે તે ટેપ અને અભિષેક સિંઘવી મામલે કશી જ કાર્યવાહી કરવાનું યોગ્ય માન્યું નથી. પોતાની દ્વારા કરવામાં આવતો વ્યભીચાર કોંગીઓ માટે ગુનાઈત નથી. આવા તો અનેક સામાજીક વિનીપાતના નહેરુવીયન કોંગ્રેસના ઈતિહાસના પ્રકરણો છે.

આ બધા પ્રકરણોની વાત જવા દો. ઈન્દીરાઈ કટોકટીનો મહાગ્રંથ ભારતના ઈતિહાસમાં એક ન અવગણી શકાય તેવો કાળો ગ્રંથ છે.

શું ફોજદારી ગુનાઓ માફ થઈ શકે?

ના જી. કોઈને ગુના વગર પકડવા, તેમને ગોંધી રાખવા, તેમને તેમના કૂટુંબીઓથી વિખુટા પાડવા, તેમના કૂટુંબીઓને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે યાતનાઓ આપવી, પકડેલા ઉપર કેસ ન ચલાવવા આ બધા ફોજદારી ગુના છે.

ધારોકે કટોકટી દરમ્યાન અમુક અધિકારો છીનવી લેવાયા. પણ તે રદ થયા ન હતા. તેથી કટોકટી રદ થતાં તે અધિકારો અમલમાં આવે છે. એટલે જે ગુનાઓ સરકારે કર્યા થયા અને જે અધિકારીઓએ અને જેના આદેશ થકી જે તે ગુનાઈત કાર્યવાહી કરી હતી, તે સૌને સર્વ પ્રથમ તો ગિરફતાર કરવા જોઇએ. અને જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

આ ઉપરાંત ઈન્દીરા ગાંધી અને તેની સરકારના મંત્રી અને અધિકારીઓએ “શાહ કમીશન”ના તમામ દસ્તાવેજોનો અને કાર્યવાહીના કાગળોનો નાશ કરાવ્યો છે. આવો કોઈ સરકારને અધિકાર નથી. આ પણ એક ગુનાઈત કાર્ય છે. જે જે અધિકારીઓએ અને કોંગી નેતાઓએ આમાં ભાગ લીધો હોય તેમને ગિરફ્તાર કરી જેલમાં મોકલવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

સૌથી મોટી ગુનેગાર ઈન્દીરા ગાંધી છે.

શું સરકાર પોતાની યોજનાઓ અને સ્કીમોને દાઉદનું નામ આપશે? શું સરકાર પોતાના બંધ, પુલ, એરપોર્ટ, બસસ્ટેન્ડ, મકાન, વિગેરેને દાઉદ અને તેના સગાંઓના નામ આપશે?

ઈન્દીરા ગાંધી જ નહીં, જવાહર, રાજીવ અને સોનીયા પણ ગુનેગાર તો છે જ.

જવાહરે તીબેટની ઉપર ચીનનું સાર્વભૌમત્વ સ્વિકારીને, ચીનને ભારતની ઉપર આક્રમણ કરવાની તક પુરી પાડી હતી. જવાહારે ચીન સાથેની સરહદ રેઢી મુકીને આપણા દેશના હજારો જવાનોને મોતના મુખમાં ધકેલી મોતને ઘાટ ઉતારેલ.

ઈન્દીરાએ જે સિમલા કરાર કરેલ તે દેશ સાથેની એક છેતરપીંડી હતી.

ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડ સાથે ક્ષતિયુક્ત કરાર કરી ભોપાલ ગેસ કાંડમાં હજારો લોકોને મોતને ઘાટ ઉતારેલ અને લાખો ઈજાગ્રસ્ત થયેલ.

ભારતમાં આતંકવાદના ફેલાવા માટે ઈન્દીરા ગાંધી જવાબદાર છે. કારણકે તેણે જ ભીંદરાણવાલેને મોટોભા અને સંત ઘોષિત કરેલ. આ સંત તેના લાવા લશ્કર અને શસ્ત્ર-અસ્ત્ર સાથે સતત સુવર્ણ મંદિરમાં અવરજવર કરતો હતો છતાં પણ કોઈને રોકવામાં આવ્યા ન હતા અને તે કારણે હજારો નિર્દોષ લોકોની હત્યા થયેલ. આ માટે ઈન્દીરા ગાંધી જવાબદાર છે.

રાજીવ ગાંધીએ યુનીયન કાર્બાઈડના એન્ડરસનને માટે ભાગી જવાનો માર્ગ મોકળો કરી આપેલ. આ પ્રમાણે એક ગંભીર આરોપીને ભાગી જવામાં મદદ કરેલ. ક્વાટ્રોચીની ઉપર પણ ફોજદારી ગુનાના આરોપ હતા. તેને ભાગાડી દેવામાં રાજીવ ગાંધી અને સોનીયા ગાંધીની સંડોવણી નકારી ન શકાય.

કોંગીએ ભલે જનતાની માફી માગી હોય પણ આવા ફોજદારી ગુનાઓ માફી માગવાથી રદ થતા નથી. સરકાર ફોજદારી ગુનાઓ માફ કરી શકતી નથી.

બનાવટી એનકાઉન્ટરઃ

નહેરુવીયન કોંગી નેતાઓ કહે છે નરેન્દ્ર મોદીની સરકારે એનકાઉન્ટર કરાવ્યા છે. અને આ બાબત ઉપર મોટો ઉહાપોહ કરવામાં આવે છે. વાત ખંડણીખોરોના કહેવાતા એનકાઉન્ટરની છે જેને માટે અમિત શાહ અને સાથે સાથે નરેન્દ્ર મોદીને ભીડવવાની કોશિસ કરવામાં આવે છે. તેવીજ રીતે ૨૦૦૨માં નરેન્દ્ર મોદીની કહેવાતી સંડોવણી બાબત પણ નરેન્દ્ર મોદીને ભીડવવાની ભરપુર કોશિસ થઈ છે. સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે હજુ નરેન્દ્ર મોદીનું નિવેદન લેવાની નોટીસ મોકલી ન મોકલી ત્યાંતો સમાચાર માધ્યમો અને આપણા ગુજ્જુ નેતાઓ કહેવા માંડ્યા કે નરેન્દ્ર મોદી કેમ હાજર થતા નથી? જો નરેન્દ્ર મોદી પોતાને નિર્દોષ માનતા હોય તો તેમણે એસઆઈટી સમક્ષ હાજર થવું જ જોઇએ. તેઓ હાજર થતા નથી તે જ દર્શાવે છે કે નરેન્દ્ર મોદી ગુનેગાર છે. નિવેદન આપવા માટેની નોટીસને આ કોંગીઓએ એફઆઈઆર ની નોંધણી સમકક્ષ ગણી લીધેલ. સમાચાર માધ્યમો પણ આવા વહિયાત આક્ષેપોને બેસુમાર પ્રસિદ્ધિ આપતા હતા.

ઈન્દીરા ગાંધી ધરાર અને નિર્લજ પણે શાહ કમીશન સમક્ષ હાજર થઈ ન હતી. આ નહેરુવીયન કોંગીઓની દેવી ઈન્દીરા ગાંધીમાં શાહ કમીશન સામે નોટીસ મળ્યા છતાં અને અવાર નવાર બોલાવ્યા છતાં નિવેદન આપવાની હિમત ન હતી.

જયપ્રકાશ નારાયણનું એનકાઉન્ટર?

જો તમે કોઈને આત્મ હત્યા માટે મજબુર કરો તો તમે ખૂનીને સમકક્ષ ગુનેગાર ગણાવ. અને તમારી ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જયપ્રકાશ નારાયણને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે તેઓનો ઉપચાર ચાલતો હતો. તેમની કીડની ફેઈલ થઈ ન હતી પણ તેનો ઉપચાર ચાલુ હતો અને ડોક્ટરની દવા ચાલતી હતી. તેમના ખોરાકમાં મીઠું નાખવાની મનાઈ હતી. જયપ્રકાશ નારાયણની ધરપકડ કર્યા પછી તેમના મેડીકલ રીપોર્ટની અવગણના કરવામાં આવી હતી. તેમને આપવામાં આવતા ખોરાક બાબતમાં કોઈ સાવચેતી લેવાઈ ન હતી. જેલવાસ દરમ્યાન તેમની ચિકિત્સામાં ગુનાઈત બેદરકારી દાખવવામાં આવી હતી. જયપ્રકાશ નારાયણ મોટા ગજાના નેતા હતા. તેઓને જવાહરલાલ નહેરુ સમકક્ષ માનવામાં આવતા હતા.

ઈન્દીરા ગાંધીની ફરજ હતી કે તે પોતે અથવા તો કોઈ સક્ષમ નેતા કે અધિકારીને જયપ્રકાશ નારાયણના સ્વાસ્થ્ય બાબત તકેદારી રાખવાનું કહે અને પોતાને માહિતગાર રાખ્યા કરે. પણ એવી શંકા અસ્થાને નથી કે ઈન્દીરા ગાંધીની સરકારે અને ઈન્દીરા ગાંધીએ પોતે જયપ્રકાશ નારાયણને મોતના મુખમાં ધકેલ્યા હતા.

ખાસ વાત એ પણ છે કે જ્યારે જયપ્રકાશ નારાયણ મોતની નજીક આવી ગયા ત્યારે કોંગીના એક નેતાના હૃદયમાં રામ આવ્યો, અને તેણે વિનોબા ભાવે ને એક પત્ર લખ્યો કે તેઓ ઈન્દીરા ગાંધી ને કહે કે જયપ્રકાશ નારાયણને જેલમુક્ત કરે, કારણ કે તેમનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક તબક્કામાં છે.

આ પત્ર વાંચીને વિનોબ્વા ભાવેએ “જયપ્રકાશ નારાયણને મુક્ત કરે” તે શબ્દો નીચે લીટી દોરી, અને તે જ પત્ર તેમણે, ઈન્દીરા ગાંધીને મોકલી આપ્યો.

કહેવાય છે કે આ પત્ર વાંચીને ઈન્દીરા ગાંધીએ તે કોંગી નેતાને પદચ્યુત કર્યા. પણ સમય જતાં ઈન્દીરા ગાંધીને લાગ્યું કે હવે જયપ્રકાશ નારાયણ બચે તેમ નથી. ત્યારે તેમણે સમાચાર માધ્યમોમાં એવા સમાચાર વહેતા મુક્યા કે એક નેતાની તબીયત ગંભીર છે. પણ સરકાર રાષ્ટ્રીય માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરશે. જોકે જનતાને ભાગ લેવા દેવામાં આવશે નહીં.

જેમજેમ સમય જતો ગયો તેમ તેમ બાજી બગડતી ગઈ. ઈન્દીરા ગાંધી ઉપર જયપ્રકાશ નારાયણને મુક્ત કરવા માટે આંતરિક દબાણ વધવા માંડ્યું હશે. જેલમાં જ જો જયપ્રકાશ નારાયણ ગુજરી જાય તો ઈન્દીરા ગાંધી ફસાઈ જાય તેમ બને તેમ હતું. તત્કાલ નહીં તો ભવિષ્યમાં આ વાત શક્ય હતી. કારણકે કોઈ જેલમાં મરી જાય તો સરકાર વાંકમાં આવે ને આવે જ. જય પ્રકાશ નારાયણ લગભગ બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા. ઈન્દીરા ગાંધીના મળતીયાઓએ તેમની પેરોલ પર છોડવાની અરજી બનાવી અને તેની ઉપર હસ્તાક્ષર લઈ લીધા. ઈન્દિરા ગાંધીએ જાહેર કર્યું કે જયપ્રકાશ નારાયણના પેરોલ મંજુર કરવામાં આવ્યા છે.

આ અર્ધબેભાન જયપ્રકાશ નારાયણનની તેમના એક અંગત ડોક્ટરે ચિકિત્સા શરુ કરી. તેમની બંને કીડનીઓ જેલના ખોરાકને કારણે સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જયપ્રકાશ નારાયણને ડાયાલીસીસ પર રાખવામાં આવ્યા. તેમને શરુઆતમાં દર અઠવાડીયે એકવાર ડાયાઈસીસ કરવું પડતું હતું. જયપ્રકાશ નારાયણ સંપૂર્ણ ભાનમાં આવી ગયા.

ઈન્દીરા ગાંધીને ગુનેગાર એટલા માટે પણ ઠેરવી શકાય કે જે ઉપચાર જેલની બહાર કરવામાં આવ્યો તે ઉપચાર તેઓ બંદીવાન હતા તે વખતે કેમ ન કરી શકાયો?

જો જય પ્રકાશ નારાયણના સ્વાસ્થ્યના મેડીકલ પેપર તેમને જેલમાં પુર્યા તે વખતે જ તપાસવામાં આવ્યા હોત, અને અથવા તેમના શરીરનું ચેક-અપ જેલવાસ દરમ્યાન તરત જ કરવામાં આવ્યું હોત અને જો, જે ચિકિત્સા ચાલતી હતી તે ચાલુ રાખવામાં આવી હોત, અથવા તો ચેક-અપ રીપોર્ટ પ્રમાણે જરુરી ચિકિત્સા કરવામાં આવી હોત તો જયપ્રકાશ નારાયણની બંને કિડનીઓ બચાવી શકાઈ હોત.

આ એક ઈન્દીરા ગાંધીએ કરેલું બનાવટી એનકાઉન્ટર જ કહેવાય.

નરેન્દ્ર મોદીની સરકારે શાહ કમીશનના અહેવાલને પુનર્જિવિત કરવો જોઇએ. જેઓ જીવિત છે તેમને ગિરફ્તાર કરી તેમને જેલ ભેગા કરવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે આ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ ક્ષમાને પાત્ર નથી. તેમને અગર ક્ષમા આપવામાં આવે તો પણ તે કાયદેસર નથી. જો નરેન્દ્ર મોદી, કાયદાના રાજમાં માનતા હોય તો આ સૌ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.

નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે દેશને અત્યારે કૌટીલ્યની જરુર છે જે દેશને પાયમાલ કરનારને માફી બક્ષે નહીં. જો પૃથ્વીરાજ ચૌહાણે મહમ્મદ ઘોરીને માફી ન આપી હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત.

યાદ કરો. પર્વતરાજ (પોરસ) જેણે સિકંદરને તોબા પોકરાવીને સંધિમાટે ફરજ પાડેલ અને તેને ભારતમાં ઘુસતા રોકેલ, તે પોરસ રાજાનો અનુગામી તેનો ભત્રીજો જ્યારે સેલ્યુકસ નીકેતર સાથે ભળી ગયો ત્યારે કૌટીલ્યએ પોરસની શરમ રાખ્યા વગર તેના ભત્રીજાને હાથીના પગ નીચે ચગદાવી માર્યો હતો.

નહેરુવીયન કોંગ્રેસ ભારતદેશનું કલંક છે. તેનો નાશ કર્યે જ છૂટકો છે. સ્વતંત્રતા અપાવનાર કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસ વચ્ચે કોઈ સંબંધ નથી.

સ્વતંત્રતાની લડત ચલાવનાર કોંગ્રેસ, સાદગી, ત્યાગ, નીતિમત્તા અને દેશદાઝનું બીજું નામ હતી. આ નહેરુવીયન કોંગ્રેસ, નીતિમત્તાહીન, સત્તાલોલુપ, સ્વકેન્દ્રી, કૌભાન્ડી, ઠગાઈ આચરનાર, દુરાચારી, દારુ, હિંસા અને ગદ્દારીનું પ્રતિક છે. આ નહેરુવીયન કોંગ્રેસના મોતને ભારતીય જનતાએ સૌથીમોટા તહેવાર તરીકે ઉજવવો પડશે.

શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ ૨૫મી જુન, કટોકટી, ઈન્દીરાઈ, આતંકવાદ, સરકારી, કટોકટી, ધરપકડ, કુદરતી અધિકાર, માનવીય અધિકાર, બંધારણીય અધિકાર, વાણી સ્વાતંત્ર્ય, જયપ્રકાશ નારાયણ, કીડની, ચિકિત્સા, ડાયાલીસીસ, એનકાઉન્ટર

Read Full Post »

શિલા લિખિત નહેરુવીયન આતંકવાદ

ઈતિહાસના કેટલાક પ્રકરણો એવા હોય છે જે હજારો વર્ષસુધીમાં પણ ન ભૂંસી શકાય. અલબત્ત જો તે વંશીય શાસકોનું શાસન ચાલુ રહે તો તે શાસકો જરુર તે પ્રકરણોને ભૂંસી નાખવાની કોશિસ કરે.   પ્રજા જો મૂર્ખ હોય તો હોય તો તે વંશીય શાસકોને આ પ્રકરણો ભૂંસી નાખવામાં સરળતા પણ રહે. હાજી લોકશાહીમાં પણ આવું થઈ શકે.

જેઓ સુજ્ઞ છે અને જેઓને સત્તાની ઝંખના નથી અને જેઓને ખ્યાતિની ભૂખ નથી અને જેઓને પોતાના અસ્તિત્વની પડી નથી તેઓ જો જાતના ગુણધર્મો પ્રતિ આદર ધરાવતા હોય અને તેવી તેમની દીશા હોય, તો તેઓએ કદી આ નહેરુવીયન આતંકવાદ ભૂલવો ન જોઇએ.

હાજી. નહેરુવંશીય એક ફરજંદે પોતાની ગેરકાયદેસર સત્તા ચાલુ રાખવા દેશ ઉપર કટોકટી લાદેલી. તેની આ વાત છે.

કટોકટીમાં શું હતું?

આ કટોકટીમાં આ નહેરુવીયન ફરજંદે પોતાની વિરુદ્ધ જે કંઈ હોય, પછી તે વિરોધ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે હોય કે તે વિરોધ મનમાની શંકા માત્રના આધારે  હોય તેવા વિરોધી સમાચારો માત્રને પ્રગટ થતા અટકાવી શકાતા હતા. જો કોઈ છાપાં આવા વિરોધી લાગે તેવા સમાચાર છાપે તો તેના પ્રેસને તાળા મારી શકાતા હતા અને તે વ્યક્તિઓને અનિયતકાળ માટે જેલમાં રાખવામાં આવતી હતી.

જેઓ કટોકટીમાં ટટાર ઉભા રહ્યા અને માથું ઉંચું રાખ્યું તેમની પ્રત્યે આ નહેરુવીયન ફરજંદના સેવકોએ આ નહેરુવીયન ફરજંદના પુરસ્કૃત આજ્ઞાઓને આધારે આતંકીઓને શોભે તેવા વર્તનો કરેલાં.

સર્વોદયનું મુખપત્ર “ભૂમિ પૂત્ર”ના પ્રેસને તાળાં લાગી ગયાં હતાં અને તેના સંપાદક તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ જેલમાં શોભતા હતા.

“ઓપીનીયન” ના તંત્રી સંપાદક ગોરવાલાના પણ ક્રમે ક્રમે એવા જ હાલ કરેલા.

રોજીંદા છાપાંના તંત્રી, માલિકો અને કટારીયાઓએ (કટાર લેખકોએ) શું કર્યું?

 

“સેન્સર થયેલા સમાચારોની જગ્યા કોરી રાખો” એક સૂચન

જૂજ માલિકો અને કેટલાક તેમની સાથે સંકળાયેલા હતા તેમણે સૂચવ્યું કે સમાચારો જે કંઈ છપાવવા માટે આવે છે તે સૌપ્રથમ તો આ નહેરુવીયન ફરજંદે નિમેલા સેવકોની ચકાસણી અને મંજુરી પછી જ છપાય છે માટે આપણે ટકી રહેવા માટે એવું કરીએ કે જે સમાચારોને મંજુર ન કરવામાં આવ્યા, તે સમાચારો છાપાંમાં જે જગ્યા રોકવાના હતા, તે જગ્યા આપણે કોરી રાખવી. આવું કરવાથી કમસે કમ જનતાને ખબર પડશે કે કેટલા સમાચારોનો અને કેટલા લખાણોનો જત્થો રોકવામાં આવ્યો છે.

પણ આવી વર્તણુંકનો અર્થ એવો કરવામાં આવ્યો કે આ તો નહેરુવીયન ફરજંદની પરોક્ષ નિંદા થઈ કહેવાય. એટલે દેશની પણ નિંદા થઈ કહેવાય, એટલે દેશદ્રોહ પણ થયો કહેવાય. એટલે આવું કરનારા તો જેલમાં જ શોભે. અમે તો દેશની ભલાઈ માટે જ કામ કરીએ છીએ. એટલે અમારી સેન્સર શીપ સમાચાર અટકાવે છે એવો સંદેશ પણ જનતામાં જવો જ ન જોઇએ. સરકારની કોઈપણ વાત નકારાત્મક છે તે ઈન્દીરામાઈનું અપમાન છે. અને ઈન્દીરામાઈનું અપમાન એટલે દેશનું અપમાન. ઈતિ સિદ્ધમ્‌.

નમવાનું કહો છો? અમે તો તમારા પગમાં આળોટવા માંડ્યા છીએ.

મોટાભાગના સમાચાર પત્રોના માલિકો, તંત્રીઓ, સંપાદકો અને કટાર લેખકોને ખબર પડી ગઈ કે સરકાર માબાપ નમવાનું કહે છે. એટલે તેઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયા એટલું જ નહીં સરકારની ભાટાઈ અને વિપક્ષી નેતાઓની નિંદા કરતા થઈ ગયા. અરે આ બાબતમાં સ્પર્ધા કરતા પણ થઈ ગયા. 

અફવાઓ ફેલાવવાનો સરકારનો અબાધિત હક્કઃ

દેશદ્રોહીઓને અમે પકડ્યા છે. કાળાબજારીયાઓને અમે પકડ્યા છે, ચોરોને અમે પકડ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરનારાઓને અમે પકડ્યા છે. ગરીબોને અમે પાકા રહેઠાણો આપી દીધા છે, રેલગાડીઓ નિયમિત દોડતી કરી દીધી છે, મોંઘવારીનું નામ નિશાન નથી, જનતા ખુશહાલ છે. બધે આનંદ મંગળ છે. જે કોઈ કર્મચારીની સામે ફરિયાદ આવે તેને અમે સસ્પેન્ડ કરી દઈએ છીએ, અને કાર્યવાહી ચાલુ કરી દઈએ છીએ. એટલે સરકારી કર્મચારીઓમાં લાંચરુશ્વત નાબુદ થઈ ગઈ છે. સૌ કોઈ નિષ્ઠાવાન અને પ્રજાપ્રેમી થઈ ગયા છે. બધે કાયદાનું શાસન છે.

એક વયોવૃદ્ધ નેતા (મોરારજી દેસાઈ)ની પાછળ તેની (આદતને પોષવા માટે) રોજ વીસ કીલોગ્રામ ફળો આપાય છે.

એક પોતાને સર્વોદયવાદી ગણાવતો નેતા (જયપ્રકાશ નારાયણ) લશ્કરને બળવો કરવા ઉશ્કેરતો હતો.

એક વયોવૃદ્ધ સર્વોદયવાદી નેતાના (રવિશંકર મહારાજના) ઘરમાં સ્ફોટક પદાર્થોનો જત્થો રખાયો હતો. જોકે અમે તેને તેની ઉંમરને લક્ષ્યમાં લઈ પકડ્યો નથી (ઘરકેદમાં રાખ્યો છે).

અમારું ધ્યેય (ઈન્દીરાઈ સરકારનું ધ્યેય) “સબસે નમ્ર વ્યવહાર” (કામ જેલમાં પુરવાનું).

વિનોબા ભાવે કામકરતી સરકાર ઉપર ગૌવધબંધીને લગતો કાયદો ઘડવાની ભલામણ કરી રહ્યા છે અને આ માટે આમરણાંત ઉપવાસની ધમકી આપી રહ્યા છે. વિનોબાભાવેએ સુધબુધ ગુમાવી દીધી છે. શું આ “અનુશાસન પર્વ” રુપી દેશની કટોકટીના સમયે આવી ક્ષુલ્લક વાતો કરવી તેમને શોભે છે? જોકે કોઈ પણ સમાચારપત્રમાં વિનોબા ભાવેએ કરેલી ઉપરોક્ત વાત આવી ન હતી. પણ નહેરુવીયન કોંગ્રેસના કોઈ એક નેતાએ વિનોબા ભાવેની ટીકા કરી એને તો સેન્સર કરી ન જ શકાય એ આધારે સરકારી સેવકે સમાચાર છપાવા દીધા.

સૌથી મોટું કૌભાણ્ડ અને ફ્રૉડ એટલે કટોકટી

૧૯૭૫ની ૨૫મી જુને, ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી અને તે માટે કયા કારણો હતા અને કયા કારણો પ્રસારિત કરવામાં આવ્યા તે ઉપર પુસ્તકો લખાયા છે કે નહીં તે વિષે બહુ ચર્ચા થતી નથી.

કટોકટી લાદવાની આખી પ્રક્રિયા, તેની જાહેરાત, તેના કારણો, તેના આચારો અને અત્યાચારો, માન્યતાઓ એક શિલા લિખિત આતંકવાદ જ નહીં પણ જનતા ઉપર સતત લટકતી આતંકવાદી સરકારી ધમકી હતી.

ઈન્દીરા ગાંધીની સરકાર એક સુસ્થાપિત લગભગ સાર્વત્રિક રીતે વ્યાપક (એક બે અપવાદિત રાજ્યોને બાદ કરતાં) સરકાર હતી, ઈન્દીરા ગાંધીએ ખુદ એવા મંત્રી, મુખ્યમંત્રીઓ નિયુક્ત કરેલા કે જે હાજી હા કરવા વાળા હોય. કેન્દ્રમાં, રાજસભા તથા લોકસભામાં ઈન્દીરાઈ નહેરુવીયન કોંગ્રેસને માત્ર બહુમતી નહીં પણ સંપૂર્ણ બહુમતિ (બે તૃતીયાંશ બહુમતિથી પણ વિશેષ) હતી.

ઈન્દીરા ગાંધીનો કારભાર જ અરાજકતા ભર્યો હતો એટલે તેનો અસલ ચહેરો ૧૯૭૩થી જ ખુલવા માંડ્યો હતો. ગુજરાતમાં ૧૯૭૨ની વિધાનસભાની ચૂંટણીમાં નહેરુ-ઈન્દીરાઈ કોંગ્રેસને ૧૬૨ બેઠકોમાંથી ૧૪૦ બેઠકો મળી. ચિમનભાઈ પટેલને બહુમતિ સભ્યોનો સપોર્ટ હતો. પણ ઈન્દીરા ગાંધીને તો હાજી હા કરનારા જ મુખ્ય મંત્રી જોઇએ. એટલે ચિમનભાઈને બદલે ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્ય મંત્રી બનાવ્યા. ચિમન ભાઈએ તેમની રીતે લડત આપી અને ધરાર ઈન્દીરાગાંધીની ઈચ્છાની ઉપરવટ જઈ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.

બે રાક્ષસો એક બીજા સામે લડે તો બંને નબળા પડે. અરાજકતા હોય એટલે કારણો શોધવા ન પડે. એટલે નવનિર્માણ આંદોલન થયું અને વિધાનસભાનું વિસર્જન થયું. ૧૯૭૫માં બાબુભાઈ જશભાઈએ પાતળી બહુમતિ વાળી જનતા મોરચાની સરકાર બનાવી. બીજીબાજુ ઈન્દીરા ગાંધી જે કશા નીતિ નિયમો વ્યવહારમાં માનતી ન હોવાથી, તેની ચૂંટણી અલ્હાબાદ ઉચ્ચાદાલતે રદબાતલ કરી. અને ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી.

જોકે ઈન્દીરા ગાંધીમાં યોગ્યતા, કાબેલીયત અને નિષ્ઠા હોત તો તે દેશની ભલાઈ માટે ચમત્કાર સર્જી શક્યાં હોત. પણ તેમને સંસદમાં અને રાજ્યોમાં સંપૂર્ણ બહુમતિ, નિર્વિરોધ નેતાગીરી ઓછાં પડ્યાં. એટલે લોકશાહીનું ખુન કર્યું અને આપખુદ શાહી લાદી અને સૌ વિરોધીઓને જ નહીં પણ તેમના લાગતા વળગતાનેય વિના વાંકે જેલ ભેગા કર્યા અને સમાચાર પત્રો ઉપર સંપૂર્ણ અંકુશ મુક્યો અને રેડીયો ઉપર સરકારી વાહવાહ, વાહ ભાઈ વાહ અને વિરોધીઓ ઉપર થૂથૂ ચાલુ કર્યું.

અત્યારે ઢ’વાળીયા જેવા, તેમના મળતીયાઓ, કોંગી જનો અને જેમને નરેન્દ્ર મોદી પોતાના આગવા કારણોસર પસંદ નથી, તેઓ નરેન્દ્ર મોદીને આપખુદ, સરમુખત્યાર અને સત્તા લાલચુ કહે છે આ લોકોમાંના કોઈપણ કટોકટી વખતે ભાંખોડીયા ભરતા ન હતા અને અથવા કટોકટીના ઇતિહાસથી અજ્ઞાન નથી, છતાં પણ કટોકટીના આતંકવાદની નિંદા કરવાનું ટાળે છે.

કટોકટી એ સરકારી આતંકવાદ હતોઃ

આતંકવાદ એટલે શું?

તમે મનુષ્યને તેના બંધારણીય હક્કો ન ભોગવવા દો તેને શું આતંકવાદ ન કહેવાય? જો કાશ્મિરના હિંદુઓને તેમના ખુદના કોઈ ગુના વગર, તેમના ઘરમાંથી બળજબરીથી બહાર કાઢી નાખો તો આ કૃત્ય ને આતંક વાદી કૃત્ય કહેવાય કે ન કહેવાય?

તમે કોઈ મનુષ્યને તેના કોઈ ગુનાના અસ્તિત્વ વગર જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય  કહેવાય કે નહીં?

જો તમે કોઈ બિમાર વ્યક્તિ કે જેનો ઉપચાર ચાલતો હોય તેને જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જો કોઈ બિમાર વ્યક્તિની બિમારીને અવગણીને તમે તેને મરણતોલ કક્ષાએ પહોંચાડો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જે વ્યક્તિનું આતંકવાદીઓ અપહરણ કરે છે તેને તેઓ વાણીસ્વાતંત્ર્ય આપે છે? શું આતંકવાદીઓ અપહૃત વ્યક્તિને પોતાની માન્યતા રજુ કરવાની સ્વતંત્રતા આપે છે?

જો સરકાર જ આવું બધું કરે તો તેને શા માટે આતંકવાદી ન કહી શકાય?

મનુષ્યના કુદરતી અને બંધારણીય અધિકારોનું હનન જો આતંકવાદીઓ કરતા હોય અને તેને તમે આ કારણસર આતંકવાદી ઘોષિત કરતા હો તો, જો સરકાર જ આવાં કામો કરે તો તેને શામાટે આતંકવાદી ન કહેવાય?

શું ધર્મને નામે જ અત્યાચાર કરીએ તેને જ આતંકવાદ કહેવાય?

નહેરુવીયન કોંગ્રેસનું અર્થઘટન એવું જ રહ્યું છે કે જો કોમી દંગાઓ થાય તો ભારતમાં તેને ભગવા આતંકવાદમાં ખપાવી દેવામાં પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો. તેવી જ રીતે જ્ઞાતિવાદી સંઘર્ષો પણ કરાવવા. જ્ઞાતિવાદ, ધંધા, ધર્મ, પ્રદેશ, ભાષા વિગેરે દ્વારા માનવસમાજ વિભાજીત છે અને આ વિભાજીત લોકોને એક બીજા સામે તિરસ્કાર ઉત્પન્ન કરાવવો અને નબળાને નબળો રાખવા માટે પ્રયુક્તિઓ કરવી અને અંદરખાને થી સબળાને સબળો બનાવવો. આવી જ વ્યુહરચના નહેરુવીયન કોંગ્રેસની રહી છે. ઉપરોક્ત બધા જ જુથો પછી ભલે તે જ્ઞાતિને અધારે બનેલા હોય કે, ધંધાને આધારે બનેલા હોય, ધર્મને અધારે બનેલા હોય, પ્રદેશને આધારે બનેલા હોય, ભાષાને આધારે બનેલા હોય કે રાજકીય પક્ષને આધારે બનેલા હોય. આમ તો માનવના જ બનેલા છે. અને તેઓમાંના કોઈપણ જુથમાં રહેલા માનવોના કુદરતી કે બંધારણીય હક્કોનું જો કોઈપણ બીજા જુથદ્વારા હનન કરવામાં આવે તો તે આતંકવાદ જ કહેવાય. અને આ પ્રમાણે નહેરુવીયન કોંગ્રેસે તેમના વિરોધીઓના કુદરતી અને બંધારણીય માનવ અધિકારોનું હનન કરી ૧૯૭૫થી ૧૯૭૮સુધી આતંકવાદ આચરેલો. આતંકવાદ અક્ષમ્ય જ ગણાય.

આપણા અખબારી મૂર્ધન્યો શું કરે છે?

પોતાને વિષે પોતાને “તડ અને ફડ” કહેનારા માનતા એક અખબારી મૂર્ધન્ય શું કહેછે?  કટોકટી ના સમયમાં ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસો દોરડાના છેડાઓ પકડી લાલ-લીલી લાઈટ અનુસાર ટ્રાફિકનું સંચાલન કરતા જોઇ, આ મૂર્ધન્યભાઈ ગદગદ થઈ ગયેલ. અને કટોકટીને બિરદાવેલ.

એક કટારીયા મૂર્ધન્ય એવું લખતા કે તમે તેમના વાક્યોનું વિભાજન કરીને પણ કશો અર્થ ન તારવી શકો.

કેટલાક કટારીયા મૂર્ધન્યોએ રાજકારણને છોડીને કાંદા બટેકાને લગતા લેખો લખવા માંડેલ. સાલુ કટાર પણ એક જાગીર જ છે ને. તેનો કબજો હોવો જ મુખ્ય વસ્તુ છે.

મોટાભાગના કટારીયા મૂર્ધન્યોને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે સાલુ આપણે અત્યાર સુધી શિર્ષાસન કરતા હતા. આપણે હવે સીધા થઈએ. ઈન્દીરા માઈ જ ખરી દેવી છે. તેના ગુણગાન જ કરો.

૧૯૭૬-૭૭ સમયે કરવટ બદલી.

સંપૂર્ણ બહુમતી, નિર્વિરોધ નેતાગીરી, અંતે આપખુદશાહી અને સરકારી આતંકવાદ પણ (જે દેશના ભલા માટે ઘોષિત રીતે પ્રયોજાયેલા), તે કશું કામમાં ન આવ્યું. સમાચાર માધ્યમોએ કરેલી માત્ર અને માત્ર એક તરફી, ઈન્દીરાઈ પ્રગતિ વિષેની ભાટાઈ પણ કામમાં ન આવી. જનતાએ જે પ્રત્યક્ષ જોયું તેને જ પ્રમાણભૂત માન્યું અને સ્વિકાર્યું. કટોકટીનો આતંકવાદ તેના ભારથી જ તૂટી ગયો.

૧૯૭૭માં ચૂંટણી આપવી પડી. નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસનો ઘોર પરાજય થયો. દહીંદૂધીયા, “જિસકે તડમેં લડ્ડુ ઉસમેં હમ” જેવા, અને ડરપોક એવા યશવંતરાવ જેવા નેતાઓ ઈન્દીરાને છોડી ગયા.

“લોકશાહી હોય તો બધા દુરાચારો અમને ખપે” મૂર્ધન્યો બોલ્યા

મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી જનતા પાર્ટીની સુચારુ રુપે કામકરતી સરકાર ટકી નહીં. ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં રાજકીય અનીતિમત્તા, નાણાંકીય અનીતિમત્તા, વફાદારી અને જ્ઞાતિવાદી વિભાજન અધમ કક્ષા હતું અને હજી છે.

એટલે નહેરુવીયન કોંગ્રેસ આ અનીતિવાદી સમીકરણો થી હજુ પણ શાસન કરે છે. જ્યાં સુધી મૂર્ધન્યો શિક્ષિત બનશે નહીં ત્યાં સુધી આપણા દેશ ઉપર આ એક સમયે અપ્રચ્છન્ન રીતે આતંકવાદી બનેલી નહેરુવીયન કોંગ્રેસ અને અત્યારની પ્રચ્છન્ન આતંકવાદી સરકાર તરીકે શાસન કરશે.

નહેરુવંશીઓ કોઈને છોડતા નથી

આ નહેરુવીયન કોંગી નેતાઓ કોઈ એક બાજપાઈ નામના વ્યક્તિએ ૧૯૪૨ની ચળવળ વખતે સરકારની માફી માગીને જેલ માંથી છૂટકારો મેળવેલ, તેને અટલ બિહારી બાજપાઈ તરીકે ખપાવી ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીસુધી અને તે પછી પણ યાદ કરીને બાજપાઈ અને બીજેપીની બદબોઈ કરતા હતા.

૨૦૦૨માં નહેરુવીયન કોંગ્રેસના ગોધરાના એક સ્થાનિક મુસ્લિમ નેતાની આગેવાની હેઠળ સાબરમતી એક્સપ્રેસના હિન્દુયાત્રીઓને ડબા સહિત જીવતા બાળી દીધેલ. આના બચાવમાં નહેરુવીયન કોંગી આગેવાનોએ કહેલ કે “એ તો નરેન્દ્ર મોદીએ એમ કહીને મુસ્લિમભાઈઓને ઉશ્કેરેલ કે “અમારા બીજેપીના રાજમાં હિન્દુ મુસ્લિમ દંગાઓ થતા બંધ થઈ ગયા છે. આવું  કહેવાતું હશે?”

તેમજ આજ નહેરુવીયન કોંગીના નેતાઓ, તેમના મળતીયાઓ અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ઉપરોક્ત બનાવની પ્રતિક્રિયાના ભાગ રુપે ફાટી નિકળેલ તોફાનો પર રાજકીય રોટલો શેકવા માટે નરેન્દ્ર મોદીને આજની તારીખ સુધી વગોવ્યા કરે છે અને કોમવાદને સક્રીય રાખવાની કોશિસ કર્યા કરે છે.

બીજેપીના નેતાઓ અને અખબારી મૂર્ધન્યો શામાટે નહેરુવંશીય ઈન્દીરાઈ કટોકટીને યાદ કરતા નથી? આ કટોકટી તો ભારતના ઈતિહાસનું અને ભારતના ગૌરવને લાંછન અપાવે તેવું એક સૌથી કાળું પ્રકરણ હતું. શાસકે આચરેલો નગ્ન આતંકવાદ હતો. તો પણ તેને કેમ ભૂલી જવાય છે?

દંભીઓ શું કહે છે?

નહેરુવીયન કોંગી નેતાઓ, મહાનુભાવો, અખબારી મૂર્ધન્યો જેઓ વાસ્તવમાં પ્રચ્છન્ન રીતે નહેરુવીયન કોંગ્રેસના હિતેચ્છુઓ છે અથવા તો તટસ્થતાનો ઘમંડ ધરાવે છે તેમની દલીલો કંઈક આવી છે.

નહેરુવીયન કોંગીના નેતાઓઃ “ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્ય તરફ જુઓ.” (ડાકુઓ આવું કહેતો તેને દેશની ધૂરા આપી દેશો શું? કાયદામાં આવી જોગવાઈ છે?)

યશવંતરાવ ચવાણ અને તેમના ચેલકાઓ જેઓ અત્યારે એનસીપીને શોભાવી રહ્યા છે તેઓ આમ કહે છે. કટોકટીને ભૂલી જાવ. અમે ભૂલ કરી હતી અને તેના ફળ પણ મેળવી લીધા છે. બસ વાત પુરી. (ડાકુ ચૂંટણી હારી ગયો એટલે તેને સજા મળી ગઈ. વાત પુરી.)

હુસેન ચિત્રકારઃ કટોકટી એક છીંક હતી. હવે બધું સામાન્ય છે. કટોકટીની વાતને એક છીંકની જેમ ભૂલી જાઓ. (જે રાક્ષસી છીંકે હજારો લોકોના કુટુંબીઓને યાતના ગ્રસ્ત કર્યા તેને ભૂલી જાઓ એમ જ ને?)

બચ્ચન (હિન્દીના ખ્યાતનામ કવિ); “ અમારે તો નહેરુ સાથે કૌટુંબિક સંબંધ છે” (ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ એતો એમના માટે પોથીમાંના રીંગણા છે)

કેટલાક સર્વોદય બંધુઓઃ સારું સારું યાદ કરો અને ખરાબ વાતો ભૂલી જાવ. (શેતાન એના પાપો ચાલુ રાખે તો તમે શું કરશો? નરેન્દ્ર મોદીનું પણ સારું સારું જુઓને તો પછી…)

કેટલાક સર્વોદય નેતાઓઃ (મનમાં) આ બીજેપી વાળા તો અમારો ભાવ પણ નથી પૂછતા તો લોકોની નજરમાં ટકી રહેવા માટે અને કંઈક કરી રહ્યા છીએ એવું બતાવવા માટે અમારે નહેરુવીયન કોંગ્રેસને સાથ આપ્યા વગર છૂટકો નથી. હવે ક્યાં કટોકટી છે?

તડફડવાળા મૂર્ધન્યઃ બાઈ જોરદાર હતી.

જો બાઈ જોરદાર હતી તો તે પક્ષ માટે જોરદાર હતી. વહીવટમાં અને દેશ હિત માટે નહીં. એમ તો નરેન્દ્ર ભાઈ પણ જોરદાર છે જ ને. અને નરેન્દ્રભાઈનો તો કોઈ રેકોર્ડેડ ગુનો પણ નથી. તેમને વિષે તો બધું ધારણાઓના આધારે (હાઇપોથેટીકલ) છે. હાઈપોથેટીકલી તમે કોઈને ગુનેગાર ઠેરવી ન શકો અને તેની બુરાઈ પણ ન કરી શકો.

“આસપાસ”વાળા કટારીયાઃ ઈન્દીરા ગાંધીએ તો કટોકટી બદલ ઘરે ઘરે જઈને માફી માગેલી.

આસપાસ વાળા ભાઈ, તમે રામ ભરોસે બોલ્યા કરો છો. બકરીની ત્રણ ટાંગ જેવી વાત છે. કોણ જોવા ગયું છે? છાપામાં અને ઈન્દીયન ન્યુઝમાં તો એવી કોઈ વીડીયો જેવા મળી ન હતી, કે છાપામાં પણ એવા કોઈ ફોટા આવ્યા ન હતા. “જંગલમેં મોર નાચા કિસીને ના દેખા”.

મૂર્ધન્યોએ સમજવું જોઇએ કે જે સરકારી તપાસપંચ પ્રમાણે ફોજદારી ગુનેગાર છે તેની સજા માફી માગવાથી માફ થઈ જઈ શકતી નથી. કેસ તો ચલાવવો જ પડે.

માફી માગવાથી કયા કયા ગુનાઓ માફ થઈ શકે?

જે તમારા દૂરના પૂર્વજો કે જેને તમે જાણતા નથી તેમણે કરેલા ગુના તમે માફી માગીને કહી શકો કે અમે તેમના કૃત્યોથી શરમ અનુભવીએ છીએ . અમને માફ કરી દો.

પણ જે પૂર્વજોની તમને શરમ ન હોય, પણ ગર્વ હોય, તો તેના ગુનાઓ માફી માગવાથી પણ માફ ન થઈ શકે.

દા.ત. યુરોપીય પ્રજાએ અમેરિકાની રેડ ઈન્ડીયન પ્રજાની કત્લેઆમ કરેલી. તેમને આ કત્લેઆમની શરમ છે અને હાલની પ્રજાએ પ્રાયશ્ચિત રુપે રેડ ઈન્ડીયન પ્રજાને વિશેષ સવલતો આપી અને માફી પણ માગી.

બ્રીટીશ શાસકોએ જલીયાનવાલા બાગની ઘટના બાબતે હાલ શરમ અનુભવી અને માફી માગી. જોકે ભારતીય પ્રજાએ માફી આપી નથી.

કોને વિશ્વાસ પાત્ર માનેલા?

મમતા બેનર્જી જેણે પશ્ચિમ બંગાળમાં જયપ્રકાશનારાયણની લડતમાં પોતાનું યોગદાન આપેલું. અને જયપ્રકાશનારાયણની જીપ ના હુડ ઉપર નાચ કરેલો. લાલુ યાદવ, મુલાયમ, ચરણસીંગ,  નીતીશકુમાર, શરદ યાદવ, જનસંઘી નેતાઓ અને ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના,  વિગેરેના નેતાઓ પણ પૂરજોશથી સામેલ હતા.

ગાંધીજી અને જયપ્રકાશ નારાયણનું ધોતીયું

ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના કેટલાક પરોક્ષ રીતે તો કેટલાક પ્રત્યક્ષરીતે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

મમતા પોતાની સત્તા ખાતર નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે.

માયાવતી, લાલુપ્રસાદ, મુલાયમ, ચરણસીંગના સુપુત્ર પણ જરુર પડે નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે. કારણ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટથવાને કાબેલ છે.

નીતીશકુમાર પણ સત્તાનો સ્વાદ ચાખ્યા વિતંડાવાદ દ્વારા પોતે પોતાનો દંભ છૂપાવી શકે છે તેવું માનતા થઈ ગયા છે. નીતીશ કુમાર એવું માને છે કે દસ્તાવેજોદ્વારા સિદ્ધ થયેલો નહેરુવીયન પક્ષનો આતંકવાદ ને અસ્પૃષ્ય ન માનવો પણ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માનવો.

નીતીશકુમાર માને છે કે જો અડવાણી પોતેજ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માને છે તેવી હવા ચલાવાતી હોય તો રાજકીય નીતિમત્તા જાય ચૂલામાં. નીતીશકુમાર માને છે કે નરેન્દ્ર મોદી જેવો લોખંડી નેતા જો વડાપ્રધાન તરીકે આવી જશે તો આપણા જાતિવાદી વોટબેંકનું જે રાજકારણ આપણે છ દાયકાથી ચલાવીને જે કંઈ સુખડી ખાઈએ છીએ તેનો અંત આવી જશે. તેથી કરીને ટકી રહેવા માટે નરેન્દ્ર મોદી વિષે ફાવે તેમ ધારણાઓ વહેતી મુકો અને મોદીની બુરાઈ કરો.

જો સમાચાર માધ્યમોના ખેરખાંઓ જ નહેરુવંશીય રાજકીય આતંકવાદને ન સમજી શકતા હોય અને નરેન્દ્રમોદી-બીજેપીની ધારણાઓ ઉપર આધારિત અને કપોળ કલ્પિત બુરાઈઓ ફેલાવતા હોય તો આપણે પણ એ જ ફેશન અપનાવવી જોઇએ. આપણા ઉચ્ચારણોને પણ ચાર ચાંદ લાગશે.

જો જેએલ નહેરુ જેવા લીડરો સત્તા માટે ગાંધીજીનું ધોતીયું પકડીને આગળ આવ્યા હતા. તેમને સત્તા મળ્યા પછી, તેમણે ગાંધીજીના (સિંદ્ધાંતો રૂપી) ધોતીયાના લીરે લીરા ઉડાડી દીધા.

મમતા, મુલાયમ, લાલુ, નીતીશ, ચરણના સપુત વિગેરે પણ જયપ્રકાશ નારાયણનું ધોતીયું પકડીને આગળ આવેલા. અને હવે તેઓ પણ જયપ્રકાશ નારાયણના (રાજકીય નીતિમત્તાના સિદ્ધાંતો રુપી) ધોતીયાના લીરેલીરા ઉડાડી રહ્યા છે.

સિદ્ધાંત વિહોણાઓને ઓળખી લો.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

નહેરુવંશી, ઈન્દીરા, કટોકટી, દંભ, ફ્રૉડ, વિરોધ, જેલ, સરકારી, અફવા, આતંકવાદ, અધિકાર, કટારીયા, મૂર્ધન્યો, જાગીર, સાષ્ટાંગ, દંડવત, નમન, શિર્ષાસન, ગાંધીજી, જયપ્રકાશ, ધોતીયું, લીરે લીરા

Read Full Post »

%d bloggers like this: