Feeds:
Posts
Comments

Posts Tagged ‘આનંદ’

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૩

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ

જો કે ૯૯.૯૯૯૯૯૯ટકા લોકો એવું માને છે કે આત્મા અસ્તિત્વ ધરાવે છે અને તે શરીરથી ભીન્ન છે.

ગાંધીજી જેવા પ્રખર તર્કવાદી મનુષ્ય પણ આત્માને શરીરથી ભીન્ન માનતા હતા.

તેનું મુખ્ય કારણ આપણું મગજ છે જે આપણને આપણા ઐક્યની અને અસ્તિત્વની અનુભૂતિ કરાવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે આપણે શરીરથી ભીન્ન છે તેની સાબિતી આપણે સ્વયં છીએ.

શંકરાચાર્ય સમજાવે છે

શંકરાચાર્ય કંઈક આવું સમજાવે છે કે શરીરને બાળીએ એટલે પ્રાણતત્વ આકાશમાં જાય. વર્ષાઋતુમાં વાદળાંના પાણીસાથે તે જમીન ઉપર આવે અને તે અન્નના બીજમાં જાય. અન્નને મનુષ્ય ખાય એટલે તે વિર્યમાં જાય અને મનુષ્યનો પુનર્જન્મ થાય. પણ એવું લાગે છે કે શંકરાચાર્યની થીયેરી તેમની ઈચ્છાદ્વારા મંડિત વિચારધારા હતી. આપણા વિષયનો હેતુ પુનર્જન્મ ને લગતો નથી. શંકરાચાર્યની વાત શક્યતાના સિદ્ધાંતની સાથે બંધ બેસતી નથી. આની ચર્ચા આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

સજીવ એટલે શું, નિર્જીવ એટલે શું, સજીવનો ગુણધર્મ શું, સુખ એટલે શું, દુઃખ એટલે શું, આનંદ એટલે શું, સ્મૃતિ એટલે શું, અનુભૂતિ એટલે શુ, આત્મા એટલે શું, કર્મ એટલે શું, કર્મફળ એટલે શું, વિશ્વ એટલે શું, વિશ્વ કેવીરીતે વર્તે છે …  વિગેરે બાબતોની વ્યાખ્યા અને સમજણ આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

બધામાં આપણે તર્કથી સ્વિકાર્યું છે કે આત્મા અને શરીર જુદા હોઈ શકે.

પૂનર્જન્મ સ્વિકારીએ એટલે પૂર્વજન્મ સ્વિકારવો પડે. સ્વિકારીએ એટલે સ્મૃતિ અને શરીર જુદા છે એમ સ્વિકારવું પડે. કારણ કે જેઓએ પુનર્જન્મ ધારણ કર્યો હોય છે તેમાંના કેટલાક પોતાના પૂર્વ જન્મની વાતો યાદ કરીને પોતાના પૂર્વજન્મની ખાત્રી કરાવે છે. ઘટનાને પ્રત્યક્ષ પ્રમાણ કહી શકાય. પણ જો હકિકત હોય તો આયુર્વેદ ચિકિત્સા પ્રમાણે અમુક જડી બુટ્ટીઓ સ્મૃતિને અને મગજ શક્તિને વિકસાવે છે. એટલે આયુર્વેદ પ્રમાણે તો સ્મૃતિ અને મગજ, શરીર સાથે જોડાયેલા છે. શરીર ભસ્મ થઈ જાય છે, એટલે મગજ ભસ્મ થઈ જાય અને સ્મૃતિ તો મગજનો ભાગ છે એટલે સ્મૃતિ પણ નષ્ટ પામે. એટલે ધારો કે પુનર્જન્મ હોય તો પણ તેને કોઈ યાદ કરી શકે નહીં. કારણ કે આત્મા જો શરીરથી જુદો હોય તો પણ, સ્મૃતિ આત્માનો હિસ્સો નથી. એટલે જો પુનર્જન્મને સ્વિકારીએ તો, આયુર્વેદનો નહીં પણ એલોપથીનો પણ ઈન્કાર કરવો પડે. કારણ કે એલોપથીમાં પણ આવી દવાઓ છે.

હવે આપણે અન્વેષક ભાઈએ ન કરેલી દલીલો પણ કરીશું. ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય.

એક એવી દલીલ કરવામાં આવે છે કેઃ

દરેક કણને એક પ્રતિ-કણ હોય છે. તેમ શરીરને એક પ્રતિ-શરીર હોય છે.

શરીર સંખ્ય એવા, એક મૂળભૂત કણોનું બનેલું છે. દરેક મૂળભૂત કણને તેનું પ્રતિકણ એટલે કે એન્ટીકણ હોય છે. એટલે કે મેટરની સાથે એન્ટી મેટર પણ હોય છે. એટલે કે દરેક શરીરની સાથે એક એન્ટી-શરીર હોય છે. આપણા મગજ અને સ્મૃતિની સાથે એન્ટી-મેટરના બનેલા મગજ અને સ્મૃતિ હોય છે. આપણું શરીર ભસ્મ થાય છે પણ એન્ટીમેટરના બનેલા મગજ અને સ્મૃતિ અકબંધ રહે છે. અને તે આત્મા સાથે રહે છે. એટલે આત્મા એવા શરીર સાથે જોડાય છે કે જેને યોગ્ય પ્રકારનું મગજ હોય.

એ વાત સાચી કે દરેક મૂળભૂત તત્વ સાથે એક પ્રતિતત્વ હોય છે. જેમ કે ઈલેક્ટ્રોન સાથે પોઝીટ્રોન, ક્વાર્ક સાથે એન્ટીક્વાર્ક હોય છે. ફોટોનનું (પ્રકાશનો કણ) પ્રતિકણ ફોટોન પોતે છે.

કણ અને પ્રતિ-કણ અથવા મેટર અને એન્ટી-મેટર

એક ફોટોનનું કંપન  એક્સએક્સીસમાં હોય તો તેના પ્રતિકણનું કંપન તેને લંબ એવી વ્હાયએક્સીસમાં હોય. એટલે જો કોઈ બાહ્ય ચૂમ્બકત્વથી તે ફોટોનનું કંપન બદલીને  વ્હાય એક્સીસમાં કરી દઈએ તો તત્ક્ષણે તેના પ્રતિકણ ફોટોનનું કંપન વ્હાય એક્સીસમાંથી એક્સ એક્સીસમાં આપમેળે આવી જાય છે પછી ભલે તે કોઈ પણ જગ્યાએ હોય. આ એક અવલોકન છે અને તેથી તેને નકારી ન શકાય.

બ્ર્હમાણ્ડમાં તત્ક્ષણ છે

“જે ઘરના સૌનું થાય તે વહુનું થાય”

જો પ્રકાશ નો પ્રતિ-કણ પોતાના કંપનની દિશા આપો આપ બદલતું હોય તો શરીર ભસ્મ થાય તેમ એન્ટી-શરીર પણ આપોઆપ ભસ્મ થાય.

જો આવું ન થતું હોય તો જ્યારે આપણને લોકલ એનેસ્થેશીયા આપવામાં આવે છે ત્યારે જ્યાં વાઢકાપ કરવામાં આવે છે તે જ્ઞાન તંતૂઓનો મગજ  સાથેનો સંપર્ક તોડી નાખે છે. એટલે કે જે હિસ્સામાં વાઢકાપ થતી હોય ત્યાં રહેલા શરીરના કોષોને જે દુઃખ થાય તે આપણા મગજ સુધી પહોંચતું નથી.

હવે જો શરીર અને પ્રતિ-શરીર એટલે કે મગજ અને પ્રતિ-મગજ એકબીજાના સ્ટેન્ડ-બાય (હૉટ સ્ટેન્ડ-બાય)  હોય છે એટલે જેવી એનેસ્થેશીયાની અસરનો સમય પૂરો થાય કે તરત જ આપણને નવેસરથી બધી પીડાનો અનુભવ થવો જોઇએ. કારણ કે પ્રતિ-મગજ તેની બધી જ માહિતી (દુઃખાવા સહિતની) આપણા મગજને  અપડેટ કરવા થવા માટે આપે. અને જો આવું ન હોય તો જે શરીરનું થાય તે મગજનું થાય.

હવે આપણે મૂળ વાત ઉપર આવીએ.

અન્વેષક ભાઈના ભૂત સાથેના વાર્તાલાપમાં એ ભાઈએ પોતાનું મગજ ચલાવ્યું લાગે છે.

અન્વેષક ભાઈએ ન કરેલી દલીલ પણ આપણે કરીશું ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય. જેમ કે અદૃશ્ય થવું.

એક એવું જળચર શોધાયું છે કે જે અદૃશ્ય થાય છે. જો કે વાત એમ છે કે તે જળચર પારદર્શક બની જાય છે.

આ વાત સાચી પણ છે. પારદર્શક થવું એ અલગ ઘટના છે અને અદૃષ્ય થવું તે અલગ ઘટના છે. જેમણે ઈનવિઝીબલ મેન જોયું હશે તેમને ખબર હશે કે અદૃષ્ય માણસમાંથી કોઈ પસાર થઈ શકતું નથી. જ્યારે ભૂતભાઈની વાત એવી છે કે તેઓશ્રી ત્યાં હોતા નથી અથવા તો, જો તેઓશ્રી, હોય તો તેમનામાંથી પસાર થઈ શકાય છે.

ભૂતભાઈ પોતાનો આકાર બદલે છે તો તેને સિદ્ધ કરવા તેમના શરીરને વાદળના ગોટા જેવું બનાવી દો. એટલે કે આત્માને શક્તિનો વાદળ જેવો પૂંજ બનાવી દો. વાદળ જેમ પોતાના આકારો બદલે છે તેમ આ આત્મારૂપી વાદળ, પૂંજની જેમ સ્વેચ્છાએ પોતાનો આકાર બદલશે. વળી આમાં અદૃશ્યપણું જોડાશે કારણ કે વાદળમાંથી આપણે પસાર થઈ શકીએ છીએ.

ભૂતભાઈના ખોરાક વિષે કે ભૂતભાઈ દ્વારા લેવાતા મનુષ્યના ભોગ વિષે આપણે ચર્ચા નહીં કરીએ.

ભૂતભાઈ શૂન્યમાંથી સર્જન કરે છે અને સર્જનને શૂન્ય કરી દઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે ઉર્જા અને પદાર્થ એ બંનેની એક સમીકરણથી તુલના કરી શકાય છે. જે સમીકરણ આમ છે. ઉર્જા = પદાર્થનું દળ ગુણ્યા પ્રકાશની ગતિના વેગનો બે વખત તેની સાથે ગુણાકાર એટલે કે બે વખત ત્રણલાખ થી ગુણો.

પણ ઉર્જા શક્તિને ગણવી કેવી રીતે?

ઉર્જા=(એક અચળ અંક જેને પ્લેંકનો અચળ અંક કહેવાય છે) ગુણ્યા કંપનની આવૃત્તિ.

ભૂતભાઈ શું બગીચામાંથી ફૂલો ચૂટે છે?

અન્વેષક ભાઈએ વિચાર્યું હશે કે મૂળવાત વાનગી બનાવવાની છે. એટલે કે તેનું સર્જન કરવાનું છે એ વાનગી એક પદાર્થ છે. પદાર્થ આમ તો ઉર્જાનો બનેલો છે. અને ઉર્જા તો બધે જ હોય છે. એટલે ભૂતભાઈ પોતાની આસપાસ રહેલી ઉર્જાને એકઠી કરીને તેનો પદાર્થ બનાવે છે. એકવાર પદાર્થ બની જાય એટલે “વાનગી ક્યા ચીજ઼ હૈ?”. એટલે કે પદાર્થમાંથી વાનગી બનવવી કંઈ અઘરી વાત નથી.

તો હવે પદાર્થ બનાવવા માટે આસપાસ રહેલી ઉર્જાને પકડો. કારણ કે ઉર્જામાંથી પદાર્થ બનાવી શકાય છે. અન્વેષક કદાચ સમજતા હશે કે ઉર્જામાંથી પદાર્થ લેવો એટલે બગીચામાંથી ફૂલો ચૂંટવા જેટલું સહેલું છે. ફૂલો ચૂંટાઈ જાય પછી હાર બનાવવો જેમ સરળ છે તેમ પદાર્થમાંથી વાનગી બનાવવી પણ સરળ છે.

કેટલી મેટર (દળ) બરાબર કેટલી ઉર્જા?

હવે જાણી લો કે હિરોશીમા ઉપર જે બોંબ ઝીંકાયો હતો તેમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ હતી તેમાં કેટલા પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું?

જે પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું તે પદાર્થનું દળ ૦.૭૦૦ ગ્રામ હતું. એટલે કે લગભગ પોણો ગ્રામ.

પોણો ગ્રામ દળ જ્યારે એક મોટા શહેરને નષ્ટ કરી શકે તો એ પણ સમજી શકાય કે એક શહેરને નષ્ટ કરવા માટેની જે ઉર્જા હોય તે કેટલા દળવાળો પદાર્થ બનાવી શકે!!

એક ૫૦૦ ગ્રામ વજનની વાનગીયુક્ત થાળી જેટલું દળ (મેટર) બનાવવા માટે કદાચ પુરા વાયુમંડળ સહિતના ગુજરાતને થીજવી નાખે તેટલી ગરમી શોષવી પડે કે તેથી પણ અનેક ગણી વધારે.

વિજ્ઞાન (સાયન્સ) અને વિદ્યા (ટેક્નોલોજી)માં નિરંતર નવી નવી શોધખોળો થતી હોય છે. હવે જો ભૂતભાઈ પરકાયા પ્રવેશ કરી શકતા હોય, અને પરકાયાના મગજ નો કબજો લઈ શકતા હોય, જાદુગરને મદદ કરી શકતા હોય અને વળી ભૂવાના મંત્ર તંત્ર થકી ભૂવાને વશ થતા હોય અને આ બધી હકીકત હોય તો આમાં પણ શોધખોળો થવી જોઇએ. તેનું પણ એક સાયન્સ હોવું જોઇએ. કોઈ સાયન્સ પ્રેમી ભૂવાભાઈએ આવું કામ કરવું જોઇએ. ડૉ. કુવુરનું ઈનામ કોઈ ભૂવાભાઈએ સત્યની પ્રતિષ્ઠા માટે આગળ આવવા જેવું હતું. પણ કોઈ માયના લાલ ભૂવાભાઈ કે જાદુગર, આ ઇનામ લેવા પધાર્યા ન હતા.

મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે

જો કે કેટલાક બનાવટી મંડળીવાળા લોકો મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે ભૂતભાઈની વાતો વાળા નિર્જન સ્થળે કે ખંડેરોમાં વિદ્યુત-ચૂમ્બકીય ઉપકરણો સાથે નિકળી પડે છે અને ખંડેરમાં જઈ અર્ધ રાત્રીએ ભૂતભાઈને નમ્રતા પૂર્વક વિનંતી કરતા નજરે પડતા હોય છે “હે ભૂતભાઈ … અમે તમને પરેશાન કરવા નથી આવ્યા. અમે ફક્ત તમારા અસ્તિત્વને સિદ્ધ કરવા આવ્યા છીએ… માટે હે ભૂતભાઈ તમે નારાજ ન થશો. તમે જો હો તો, આ મીટરના કાંટાને  આંચકો આપશો.” અને ભૂતભાઈ એ વિદ્યુત-ચૂંબકીય મીટરના કાંટાને હલાવી નાખે છે.

આ ભાઈઓ એમ સમજતા હોય છે કે ભૂતાત્માભાઈ, પારદર્શી વાદળ જેવી ઉર્જા છે. તેને બધી ભાષાઓ સમજાય છે. તેને કાન, આંખ, મગજ અને સ્પર્શ કરવાનું અંગ પણ છે એટલે તે મીટરમાં ઘુસી તેના કાંટાને ધક્કો મારી હલાવે છે.

બાવાઓ અને આવી મંડળીઓને કઈ બૌધિક કક્ષામાં ગણવી?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

મારા એક ખાસમખાસ મિત્ર અરવિન્દભાઈ કે. રાવળે એક જોક કરેલીઃ

એક ભૂતબેન બીજી ભૂતબેનને કહેતા સંભળાયા, “અલી, ફલાણી જગ્યાએ ન જઈશ…. ત્યાં તો માણસ થાય છે …”

Read Full Post »

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૨

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૨

ઈશ્વર આપણને દેખાતા નથી અને અનુભવાતા પણ નથી. ઘણા બાવાઓ ઝીકાઝીક કરે છે કે તેમણે જોયા છે એટલે કે અનુભવ્યા છે. આવા અનેક પોતાને બ્ર્હ્મજ્ઞાની માનતા થઈ ગયા છે, હાલ પણ અસ્તિત્વમાં છે અને એવા થતા રહેશે.

આ બાવાજીઓ પોતાના શિષ્યો દ્વારા પોતાને સંત, મહાત્મા, ઓશો, ભગવાન, ઇશ્વરાનન્દ જેવા લેબલો લગાવશે અથવા તો તેમના શિષ્યો જ હરખપદુડા થઈને આવા લેબલો પોતાના ગુરુને લગાવી દેશે.

પણ હિન્દુઓ શું કહે છે?

હિન્દુઓ કહે છે કે આ વિશ્વ પોતે જ એક સજીવ છે. તે ન કળી શકાય તેવું છે એટલે કે અનિર્વચનીય છે.  આ વિશ્વ એ ઈશ્વરનું શરીર છે. એટલે આપણે બધા અને જે કંઈ આ વિશ્વમાં છે તે બધું ઈશ્વરનો અંશ છે. ઈશ્વર પોતે નિર્ગુણ અને નિરાકાર છે, અને તે અજ, અવિનાશી, અપરિવર્તનીય (અવિકારી) બ્રહ્મસ્વરુપે છે તે આપમેળે જ બ્ર્હ્મને વિકૃત (બ્રહ્મમાં ફેરફાર) કર્યા વગર બ્રહ્મમાંથી વિશ્વરુપે પ્રગટ થાય છે. તેણે વિશ્વના વર્તનના નિયમો નક્કી કર્યા છે અને તે પ્રમાણે વિશ્વ વર્તે છે. બધું જ સજીવ છે અને આપણે પણ સજીવ છીએ.

what-is-produced

પણ આપણે શા માટે છીએ?

આપણે આનંદ માટે છીએ.

આપણને આનંદ ક્યારે થાય?

આપણને સગવડો અને સુવિધાઓથી શારીરિક આનંદ થાય. આપણને જ્ઞાનથી માનસિક આનંદ થાય, આપણને વાર્તાલાપથી માનસિક આનંદ થાય, આપણને પ્રસંગો યાદ કરવાથી આનંદ થાય છે. આપણને ચમકી જવાથી આનંદ થાય છે. આપણને વિચિત્રતાથી આનંદ થાય છે. આપણને બીજાને આપણી ઓળખ થાય તેનાથી આનંદ થાય છે. આપણને લયબદ્ધ જીવન અને લયબદ્ધ દિનચર્યાથી આનંદ થાય છે. આપણને સમૂહમાં વધુ આનંદ થાય, આપણને આનંદની ગેરેન્ટીથી (સુરક્ષાથી) આનંદ થાય.  તહેવારો અને પ્રસંગો એ બધું સામુહિક આનંદ માટે છે. બીજાને આનંદ થાય તો આપણને પણ આનંદ થાય. શરીર હોય તો મન છે એટલે માનસિક આનંદ પણ એક રીતે તો શારીરિક આનંદ છે. શરીર બરાબર કામ આપતું હોય તો બરાબર આનંદ થાય. એટલે ભોજનથી આનંદ થાય. સમૂહ ભોજનથી વધુ આનંદ થાય.

(૫) તો શું મૃત્યુ પાછળનું જમણ આનંદ માટે હોય છે?

ના જી … મૃત્યુ પાછળનું ભોજન આનંદ માટે હોતું નથી. પણ મૃતાત્માની તૃપ્તિ માટે હોય છે. આ ભોજન નાનાઓ માટે હોય છે. વળી મૃત્યુની તારીખ યાદ રાખવા માટેનો આ એક માનશાસ્ત્રીય એપ્રોચ પણ છે. શ્રાદ્ધના દિવસનું જમણ પણ આ માટે જ હોય છે. જો કે આ બધું હવે બંધ થવા માડ્યું છે. અને ધીમે ધીમે તે સાવ બંધ થઈ જશે. કદાચ ગીતા પાઠન ચાલુ રહેશે કારણ કે ગીતા એક એવો માનસશાસ્ત્રીય ગ્રંથ છે કે જે શાશ્વત રહી શકે તેવો છે.

આપણો હિન્દુ ધર્મ અદ્ભૂત છે. હિન્દુધર્મે, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, કાવ્ય અને ભૌતિકશાસ્ત્ર નો સમન્વય કરી લોકભોગ્ય બનાવી તેમને અમર કરી દીધા છે. વિશ્વમૂર્ત્તિ ઈશ્વરને આપણે આપણા સામાજિક જીવનમાં વણી લીધા છે.

we-are-all-the-part-and-parcel-of-him

હિન્દુઓએ સમાજને, ફક્ત માનવ સમાજ તરીકે જાણ્યો નથી. આપણે સમાજને વૈશ્વિક સમાજ કે જેની અંદર, પ્રકૃતિ, તેની શક્તિઓ, પ્રાણીઓ, જીવ જંતુઓ, પશુઓ, વનસ્પતિઓ નક્ષત્રો, આકાશ, અને મનુષ્ય એ બધાં આવી જાય છે.

હિન્દુઓમાં માણસના નામમાં કે વિશેષણના પ્રત્યય તરીકે કુદરત વણાયેલી છે. આકાશ, સિંહ, મોર, કોયલ, વૃક્ષ, ગાય, પ્રકાશ, આશા, અશ્વ, ચોખા, ધન, ધાન, આનંદ, વડ, ઝાકળ, વિગેરે સારું સારું બધું જ આવે.  તમે કોઈ યુરોપીયનનું નામ પિકૉક, સ્કાય, પ્લેઝર કે વીશ કે એન્ટોનીજીસસ, જહોનગોડ, રોબર્ટયાકુબ કે જેનીમેરી એવું કંઈક સાંભળ્યું છે? પણ હિન્દુઓમાં તુષાર, ચંદ્રમોહન, વિજયશંકર, આત્મારામ, કંચનગૌરી,  શશિકલા … એવાં નામ હોય છે.

હા જી પશ્ચિમ એશિયાના દેશો સુધી આપણી વિશ્વભાવનાની અસર ખરી. મુસ્લિમોમાં તમને શબનમ નામ જોવા મળશે. પણ મયુરી નામ નહીં મળે.

હિન્દુઓના ઇતિહાસમાં ભગવાન પણ પોતાનો રોલ અદા કરે છે.

આપણા તત્ત્વજ્ઞાનમાં કાવ્યો આવે. ખગોળશાસ્ત્ર ને આપણે જ્યોતિષશાસ્ત્રના સ્વરુપે જીવિત રાખ્યું. હવે જે વિદ્વાનોએ મહેનત પૂર્વક જ્યોતિષ શાસ્ત્રના ગણિતને ભણ્યા છે, તમારે તેમને  રોટલા પૂરા પાડવા પડશે. શું તમારી એટલે કે સમાજની આ ફરજ નથી? 

આથી સમાજે જન્મ કૂંડળીને ઈન્ટ્રોડ્યુસ કરી. ફલાદેશને ઈન્ટ્રોડ્યુસ કર્યો. ફલાણા ઇતિહાસ (પુરાણ) ભણ્યા છે તો જનતાને કહો કે તે પારાયણ બેસાડે.

ખેતરમાં પાક ઉગી નિકળ્યો છે. પણ કમાણીની વાર છે. તો તમે “પૉરો” ખાવ અને ભાગવત સપ્તાહ બેસાડો. પાક તૈયાર થઈ ગયો છે અને લણી પણ લીધો છે તો તમે દાંડીયા રાસ રમો. પાકના પૈસા પણ આવી ગયા તો તો તમારે દિવાળી આવી ગઈ છે. નવા વરસની ઉજવણી કરો. બહેનને પણ અવારનવાર મજા કરાવો.

તમે તમારા સંતાનનું લગન લીશું છે. તો ઉત્સવ કરો. સગાંઓને બોલાવો. ખમતીધર હો તો ચોરાસી કરો. ચાદર જેટલી સોડ તાણો.

શિયાળુ પાક આવી ગયો છે? તો હવે વિશ્વદેવને યાદ કરો અને ઠંડીને વિદાય આપો. વસંતને વધાવો. અને જે કંઈ સૂકું છે તેને બાળી નાખો. બધાને રંગી નાખો. આ પ્રમાણે આપણા હિન્દુ પૂર્વજોએ બારે માસ આનંદમય અને આનંદને લયબદ્ધ કરી દીધો.

(૬) પણ ભાઈ આ બધા બગાડ થાય છે તેનું શું?

અરે બગાડ બગાડ શું કરો છો? તમે જે કંઈ કરો છો તે આનંદ માટે કરો છો. તમે આનંદની કિમત આંકો અને પછી સરવાળો કરો …. તમને નફો અને નફો નફો જ દેખાશે. વહેમમાં પણ આનંદ મળતો હોય તો વહેમ પણ રાખો. ફેશનમાં આનંદ મળતો હોય તો ફેશન પણ રાખો. ફેશન પણ વહેમ છે, કાવ્ય પણ એક વહેમ, કળા પણ એક વહેમ છે અને નૃત્ય પણ એક વહેમ છે.

તમે કેટલાક કહેવાતા પરાવિજ્ઞાનીઓને ઇલેક્ટ્રોનિક યંત્રો લઈ કોઈ એકાંત સ્થળે અંધારામાં કે ખંડેરમાં ભૂત (મૃતાત્મા, અતૃપ્તાત્મા કે પ્રેતાત્મા)ના અસ્તિત્વની શોધ કે સંશોધન માટે જોયા હશે. તેઓ બોલતા હશે “હે આત્મા, અમે તમને કોઈ હાનિ કરવા આવ્યા નથી, અમે તમને દુભવવા આવ્યા નથી પણ જો તમે અહીં હો તો તમે આ મીટરના કાંટા ઉપર ડીફ્લેક્સન આપો.” અને પછી આપણને કાંટો ઝટકો મારે છે તે બતાવવામાં આવે છે.

આવી જ રીતે એક સંશોધક બેન, કોઈ એક ભાઈને સુવાડી તેમને કહેવાતી રીતે હિપ્નોટાઈઝ કરે કે બનાવટ કરે અને પછી તેમને તેમના પાછલા અનેક જન્મોમાં લઈ જાય. તેમને સવાલો કરે. જેમકે “ઓહ! તમે એરપોર્ટ ઉપર છો? ક્યા દેશમાં છો? એર ટિકિટનો નંબર શો છે…” પેલા ભાઈ આ બધા સવાલના જવાબ આપે. તમે જાણી લો, કોઈ પણ જન્મમાં બનાવોનો ક્ર્મ હોય છે. એક વખત એ જન્મનું ચક્ર પૂર્ણ થયું પછી તેના ક્ર્મમાં ફેરફાર થાય નહીં. જો હવે તમે જાતકને કહો કે તમે એર ટિકિટનો નંબર પૂછો અને તે જવાબ આપે તો તેનોઅર્થ એમ થયો કે તમે અને તેણે પણ તેના બનાવના ક્રમમાં ભાગ ભજવ્યો. ધારો કે પૂર્વ જન્મ હોય તો પણ તમે તેના પૂર્વ જન્મના બનેલા બનાવોના નાનામાં નાના ક્રમમાં ફેરફાર કરી શકતા નથી. એટલે કે જાતકે જે બનાવોના ક્રમમાં જીવન પસાર કર્યું હોય તેમાં તમે ખલેલ પાડી શકો નહીં.

ટૂંકમાં આ બધું ભણેલાઓનું ધત્તીંગ છે.

પહેલાના કિસ્સામાં આપણે જોયું કે અન્વેષક ટીમ એમ કહે છે કે “હે આત્મા, અમે તમને કોઈ હાનિ કરવા આવ્યા નથી, અમે તમને દુભવવા આવ્યા નથી પણ જો તમે અહીં હો તો તમે આ મીટરના કાંટા ઉપર ડીફ્લેક્સન આપો.”

energy-is-always-associated-with-matter

મીટરના કાંટાને જે હલતો બતાવવામાં આવે છે તે કેવળ અને કેવળ ધત્તીંગ છે. પ્રેક્ષકોએ સમજવું જોઇએ કે “ઉર્જા”, “શક્તિ” કે “એનર્જી” એ કોઈ અદૃષ્ય વાદળ જેવું નથી. ઉર્જા કે શક્તિનું કોઈ સ્વતંત્ર અસ્તિત્ત્વ નથી. ઉર્જા કે શક્તિ કે એનર્જી હમેશા જડ પદાર્થ સાથે સંકળાયેલી છે. જેમકે ગતિ શક્તિ (કાઈનેટિક એનર્જી), સ્થિતિ શક્તિ (પોટેન્શીયલ એનર્જી) (તમે પત્થરને ઉંચે ફેંક્યો હોય ત્યારે જેમ ઉંચે જાય તેમ તેનામાં સ્થિતિ શક્તિ વધે છે) આ બધી શક્તિઓ ગુરુત્ત્વાકર્ષણ ક્ષેત્રને લીધે છે. આવું જ બીજા ક્ષેત્રો વિષે હોય છે. ટૂંકમાં ઈલેક્ટ્રિક મીટરના કાંટાને હલતો બતાવવામાં આવે છે આ બધા ધત્તીંગ છે. એટલું જ નહીં પણ ઉર્જા એટલે શું તે વિષેની તેમની સમજ ભૂલભરેલી છે.

પૂનર્જન્મ અને પૂર્વ જન્મ અને તેમાં ભાગ લેવો એ બધું જ ધત્તીંગ છે. પૂનર્જન્મ જેવું કશું હોતું નથી. પૂનર્જન્મની શક્યતા શૂન્ય બરાબર છે. આપણું અસ્તિત્ત્વ અને તેની અનુભૂતિ આપણી સ્મૃતિઓને લીધે છે. મગજ નષ્ટ પામે એટલે આપણી અનુભૂતિ પણ નષ્ટ થાય. જેમકે આપણું મગજ સુઈ જાય ત્યારે આપણે સ્વપ્નવિહીન નિદ્રામાં હોઈએ છીએ. આપણને આપણા અસ્તિત્ત્વની અનુભૂતિ થતી નથી. એટલે અસ્તિત્ત્વ હોવું અને તેની અનુભૂતિ થવી તે બંને અલગ અલગ વસ્તુ છે.

જ્ઞાન છે તે સત્ય છે. તે સમાજમાં જળવાઈ રહે છે. અને સમાજ વધુ ને વધુ સુખ તરફ ગતિ કરે છે.

અષ્ટાદશપુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયં, પરોપકારઃ પુણ્યાય, પાપાય પરપીડનમ્ 

અઢાર પુરાણો દ્વારા (ઇતિહાસ) બતાવે છે કે તમે જે બીજાના ભલા માટે કરો છો તે શ્રેય છે અને બીજાને દુઃખ આપો છો તે અશ્રેય છે.

આલોક જે દૃષ્યમાન છે તેને અવગણી જે લોક (પરલોક) દેખાતો નથી, તેના સુખમાટે બીજાના ખૂન કરવા તે પાપ જ છે અને તે અક્ષમ્ય છે. માટે તેવા લોકોની ચિંતા કરો અને જનતાને આનંદ આપો. જનતાને આનંદ ન આપો તો કંઈ નહીં, પણ તે જો આનંદ કરતી હોય તો તેને રોકો નહીં.

જનતાએ પણ ઈશાવાસ્યવૃત્તિ અપનાવી “મા ગૃધઃ કસ્યશ્વિત્‍ ધનં”ને અનુસરવું.

તો શું આપણે

“ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કથં ભવેત્‌ , તસ્માત્‌ યાવત જિવેત્‌ સુખં જીવેત્‍ , ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌” (જે શરીર ભસ્મ થઈ ગયું તેનું પુનરાગમન કેવી રીતે થાય? માટે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેવું કરો અને ઘી પીઓ.) એ અસત્ય છે એમ સમજવુ?

મૂળ વાત હવે આવે છે. જો આત્મા શરીરમાં હોય અને તે કાળ ક્રમે નિકળી જતો હોય તો સવાલ એ થાય છે કે એ શરીરમાં જાય છે જ શા માટે? અને પછી નિકળી શા માટે જાય છે? આ વાત ચાર્વાક ઋષિ સમજાવી શકતા નથી. માણસ મરી જાય અને તેનું જડ શરીર નાશ પામે. માણસનું શરીર તો જડ જ છે. જ્યારે તે જીવતો હતો ત્યારે પણ જડ જ હતું અને મરી ગયો ત્યારે પણ જડ જ હતું. માણસ અનેક અબજ કોષોનો બનેલો છે. આ બધા કોષ જડ જ છે. તમે જડ પદાર્થોને અબજો કે પરાર્ધોની સંખ્યામાં પરસ્પર અબજો કે પરાર્ધો રીતે ગોઠવો, તમારી કોઈ પણ ગોઠવણ તેને સજીવ ન બનાવી શકે છે. ચાર્વાક ઋષિ કે બૃહસ્પતિ ઋષિ કે અન્ય કોઈ પણ ઋષિ જડમાંથી ચેતન કેવી રીતે પ્રગટ્યું તે સમજાવી શક્યા નથી અને સમજાવી શકે તેમ નથી.

આ વસ્તુ સમજવી હોય તો સૌથી નાનામાં નાનું જે એકમ છે જેનું આ વિશ્વ બનેલું છે તે સજીવ હોવું જોઇએ. જેમ અમીબામાંથી મનુષ્ય ઉત્ક્રાંતિ દ્વારા એક અબજ વર્ષે નીપજ્યો, તેમ આ સુક્ષ્માતિ સુક્ષ્મ પદાર્થ આપસી સંયોજનો દ્વારા ક્વાર્કસ, સબ એટમિક કણો, પરમાણુ, અણુ અને સંકીર્ણ સંયોજનોમાં પરિણમ્યો. 

તો હવે “ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કથં ભવેત્‌ , તસ્માત્‌ યાવત જિવેત્‌ સુખં જીવેત્‍ , ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌” એ વિષે શું સમજવુ?

કૂર્મ પુરાણમાં એક શ્લોક છે. આ શ્લોક મહા ભારતમાં પણ છે.

આત્મનઃ પ્રતિકુલાનિ, પરેષાં ન સમાચરેત્  જે (પરિસ્થિતિ) તમારે માટે પ્રતિકુળ છે તે બીજા ઉપર ન લાદવી.

એટલે કે જો તમે બીજા પાસેથી પૈસા ઉધાર લો અને તેનું ઘી પીઓ, તો બીજાએ તમને જે ગુડ ફેથમાં પૈસા આપ્યા, તેનું શું થશે? જો કોઈ તમારી સાથે આવું કરે તો તમને ગમશે?

જો સમાજમાં આવી સ્થિતિ સર્જવામાં આવશે તો તે સમાજનું ભાવી શું?

જે કંઈ પ્રણાલીઓ છે જે કંઈ વિધિઓ છે તે સમાજમાં સામાજીક પરિસ્થિતિને અનુરુપ દાખલ થયેલી હોય છે કે જેથી સમાજમાં લય અને સંતુલન જળવાઈ રહે. સગાંઓ અને મિત્રો જ નહીં પણ પશુ, પક્ષીઓ, જીવ જંતુઓ સાથે પણ સંતુલન અને સંબંધો જળવાઈ રહે અને સાથે સાથે સામુહિક આનંદ પણ પ્રાપ્ત થયા કરે. જે પ્રણાલીઓ ઉપયોગી ન હોય તેને શાંતિ પૂર્વક છોડી દો.

કુદરત પાસેથી લીધેલું કુદરતને પાછું આપો. યજ્ઞના હોમ પાછળ પણ આ જ ભાવના છે.  હોમમાં દરેક સ્વાહામાં બે દાણા જ નાખવાના હોય છે.

વૃક્ષ ઉપરથી પક્વ ફળ પડે છે, તે વૃક્ષે ત્યજેલું છે. તેન (વૃક્ષેણ) ત્યક્તેન, ભૂંજિથાઃ (ખાઓ). વૃક્ષે જે ફળ (તમારા માટે) ત્યાગ્યું છે તે તમે ખાઓ. તમે ચૂંટીને કશું લેશો નહીં. (મા ગૃધઃ કસ્યશ્વિત્‍ ધનં).

જે ફળ તમે લીધું તેનો ગોટલો કે ઠળીયો જમીનને પાછો આપો.

એટલે હિન્દુઓ એમ કહે છે કે

સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયા,

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત્‍ દુઃખભાગ્‍ ભવેત્‍

બધા જ સુખી થાય. બધા જ તંદુરસ્ત થાય, બધા જ કલ્યાણને પામે, કોઈ પણ દુઃખી ન થાય.

શિરીષ મોહનલાલ દવે

તા.ક.

“૧૬ સંસ્કાર અને રીત-રિવાજો” ઉપર અંજલીબેન પંડ્યાએ (anjaleepandya@gmail.com) બહુ મહેનત કરીને એક પુસ્તક લખ્યું છે. જો કે આ નાગર બ્રાહ્મણ માટે છે. પણ દરેક જ્ઞાતિને કામ લાગે એવું છે. અંજલી બેને આ સંકલન “સ્કંદપુરાણ” અને અનેક ગોર મહારાજાઓને મળીને કર્યું છે. સૌ કોઈએ વાંચવા અને વસાવવા જેવું છે.

sam_2216

ટેગ્ઝઃ વિશ્વ સજીવ, અનિર્વચનીય, શરીર, નિર્ગુણ, નિરાકાર, અવિનાશી, બ્રહ્મ, વિશ્વરુપ, આનંદ, સગવડ, સુવિધા, માનસિક આનંદ, શારીરિક આનંદ, લયબદ્ધ, ભોજન, મૃત્યુની તારીખ, માનસશાસ્ત્રીય, વૈશ્વિક સમાજ, આકાશ, સિંહ, મોર, કોયલ, વૃક્ષ, ગાય, પ્રકાશ, આશા, અશ્વ, ચોખા, ધન, ધાન, આનંદ, વડ, ઝાકળ, ચંદ્રમોહન, વિજયશંકર, કંચનગૌરી, તત્ત્વજ્ઞાન, કાવ્ય, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, જન્મ કૂંડળી, ફલાદેશ, પારાયણ, પરાવિજ્ઞાની, હિપ્નોટાઈઝ, પૂર્વ જન્મ, ધત્તીંગ, ઈશાવાસ્યવૃત્તિ, જડ શરીર, ચાર્વાક ઋષિ, બૃહસ્પતિ, ક્વાર્કસ, સબ એટમિક કણો, પરમાણુ, અણુ, સંકીર્ણ સંયોજન, લય, સંતુલન

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૬. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારતમાં તેના ભવિષ્યની આવશ્યકતાનો ખ્યાલ રાખી તેમજ રહેણાંક, વ્યવસાય અને શિક્ષાને ખ્યાલમાં રાખી કેવા મકાન-સંકુલો બનાવવા જોઇએ, હાલના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના રહેઠાણોના અને વ્યવસાયોના મકાનોને કેવીરીતે નવસંચના કરી વધારાની જમીનને ઉપલબ્ધ કરી શકાય અને ઉપલબ્ધ જમીન ફાજલ થતેનો સદઉપયોગ કરી શકાય તે આપણે “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૫” માં જોયું.

ઉત્પાદન અને રોજગાર ની વ્યવસ્થા કેવી હોવી જોઇએ

ખુલ્લી જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો માટે થશે. અથવા તો તે આપણી દિશા હશે.

એક સંકુલની આસપાસની જગ્યા ફળાઉ અને ઉપજાઉ વૃક્ષો માટે થશે. તેથી તે ઉત્પાદન ઉપર નભતા નાના ઉદ્યોગો તે સંકુલમાં જ ગોઠવી શકાય.

જો શક્ય અને જરુરી હોય તો એક સંકુલની પાસે બીજું એક ઔદ્યોગિક સંકુલ પણ બનાવી શકાય. જો ગામ મોટું હોય તો અને નાના ઉદ્યોગો ભારે યંત્ર સામગ્રીવાળા અને અવાજનું પ્રદુષણ ફેલાવે તેવા હોય તો ઔદ્યોગિક સંકુલ અલગ રાખી શકાય. ગૃહ ઉદ્યોગો તો રહેઠાણના અને વ્યવસાયના સંકુલમાં હોવા જોઇએ.

કયા ઉદ્યોગોને સરકારે વધુ ઉત્તેજન આપવું જોઇએ?

ધરતીને આપણે વનસ્પતિ, હવા અને પાણી સિવાય કશું પાછું આપી શકતા નથી. એટલે કે જ્યારે આપણે ધરતીમાંથી ઉત્ખનન કરીને કાચોમાલ કાઢીએ ત્યારે ધરતીને આપણે તે માલ પાછો આપઈ શકતા નથી. જે કાચામાલનો આપણી પાસે અખૂટ ખજાનો છે તેને આપણે વાપરીએ તે એક વાત છે પણ તે પણ લાંબા ગાળે ખૂટી જશે. તેથી તે વાતને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો જોઇએ. જ્યાં કાચો માલ છે ત્યાંજ તેના ઉદ્યોગો થાય તેમ હોવું જોઇએ. વપરાશી માલનું કદ અને દળ ઓછું હોવાથી હેરફેરનો ખર્ચ ઘટશે. કાચા માલની હેરફેરમાં થતો ખર્ચ ઘટશે.

ઉર્જા ઉત્પાદન

ખનિજ કોલસાનો આપણી પાસે અખૂટ ખજાનો છે. તો પણ કુદરતી ઉર્જાસ્રોતોના વિકાસ અને સંશોધન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળપ્રવાહ ઉર્જા, ભરતી ઓટ ની ઉર્જા નો બહોળો ઉપયોગ કરી શકાય તેમ છે. જોકે લાકડાને અને કોલસાને બાળીને પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તે બાબતમાં કેટલાક લોકોની માન્યતા છે કે પૃથ્વી ગરમ થઈ જશે. લાંબી તરંગલંબાઈ વાળા પ્રકાશના કિરણો આયનોસ્ફીયરને ભટકાઇને પાછા આવે છે. આ ગરમીના કિરણો ધરતીનું ઉષણતામાન વધારે છે. ધૂમ્રહીન બોઈલરો બનાવી શકાય છે. કોલસી અને મેશનો ઉપયોગ થઈ શકે છે. આ બધી તકનીકી સમસ્યાઓ છે અને તેનો ઉકેલ થઈ શકે.

૫૦૦ વૉટ ની અને ૫૦૦ કિલોવૉટની પવન ચક્કીઓ બને છે. ડૂંગરો ઉપર પવન વધુ હોય છે. જે મકાનો ડુંગર ઉપર હોય છે અથવા તો જ્યાં પવન વધુ હોય છે, ત્યાં ૫૦૦વૉટની એક થી વધુ પવનચક્કીઓના મોડ્યુલોના ઉપયોગ કરી, ચાલુ પ્રણાલીની ઉર્જામાં બચત કરી શકે છે. જ્યાં વધુ ઉર્જાની જરુર હોય ત્યાં ૫૦૦ કિલોવોટ પવનચક્કીનો ઉપયોગ થઈ શકે.

જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ હોય છે તેવા રાજસ્થાન, કચ્છ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં મકાનોની બહારની દિવાલો ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે. દરેક મોટી ઓફિસ અને ઉદ્યોગોના મકાનોની દિવાલો અને અગાશીઓ કે છાપરાઓ ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે.

ઉર્જા સંગ્રાહકો

નિકલ કેડમીયમ અને નિકલ આયર્નના વિદ્યુત સંગ્રાહકોમાં સંશોધન કરી ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે. સીસું-સલ્ફ્યુરિક એસીડના વિદ્યુત કોષ વજનમાં ભારે હોય છે અને તેનું આયુષ્ય ઓછું હોય છે. તેથી લાબાં આયુષ્ય વાળા નિકલ કેડમીયમ અને નિકલ આયર્ન વિદ્યુત સંગ્રાહકકોષમાં સંશોધન કરી તેને આર્થિક રીતે પોષાય તેવા કરવા જોઇએ. જો કે આ બધી તકનિકી બાબતો છે અને તેના ઉપાયો પણ છે.  

ગ્રામ્ય સંકુલમાં કયા ઔદ્યોગિક ઉત્પાદનો કરવા જોઇએ?

સંકુલમાં જાતજાતના ઘાસ, અનાજ, શાકભાજી, કંદમૂળ છોડ, ફુલો,

માટીનો ઉદ્યોગ, ફળોના રસનો ઉદ્યોગ, પેકેજ ઉદ્યોગ, માલ પેક કરવાનો ઉદ્યોગ, મુદ્રણ ઉદ્યોગ, કાગળનો ઉદ્યોગ, વણાટકામ, ભરતકામ, છપાઈ કામ, દરજીકામ, મોચીકામ, તેલ ઘાણી, મધમાખી ઉછેર, ગોબર ગેસ, ખાતર, દૂધ અને તેની બનાવટો, બેકરી,

ઘાસ, દૂધ, શાકભાજી, કાંતણ, વણાટકામ અને માટીકામ (ગ્લેઝવાળા માટીના વાસણો) એ મહત્વના ઉદ્યોગ ગણવા જોઇએ. કારણકે આ સ્વાવલંબનમાં તે મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનો વપરાશ સ્થાનિક કક્ષાએ પણ છે અને નિકાસ પણ થાય છે.

કાંતણ અને વણાટને પ્રાધાન્યઃ

જો ગામમાં ગરીબી હોય તો કાંતણ તાત્કાલિક રોજગારી પૂરી પાડે છે. જો પાંચ ત્રાકનો અંબર ચરખો વાપરવામાં આવે તો એક વ્યક્તિ રૂ. ૩૦૦૦ થી રૂ. ૫૦૦૦ ની માસિક આવક જરુર મેળવી શકે છે. આ ઉપરાંત તેની પોતાની કાપડની જરુરીયાત લગભગ મફતમાં પૂરી પડે છે. આ માટે ગાંધીજીએ ચરખાસંઘની રચનાની પ્રણાલી ગોઠવવાની વાત કરેલી. જો સ્થાનિક કક્ષાએ કાંતણ અને વણાટકામ થશે તો તો ખાદીને નામે ગોલમાલ થતી બંધ થશે.

ખાદીમાં હવે ઘણા સંશોધનો થયા છે. અને ખાદીનું કાપડ મીલના કાપડને લગભગ સમકક્ષ જ હોય છે.

જો દરેક કુટુંબ ગોદડા, ગાદલા, કવરો (ખોળો), હાથરુમાલ, ગમછા, પડદા, ટુવાલ, પગલુછણીયા જો ખાદીના વાપરે તો કાંતનારા અને વણનારાને ઘણી રોજી મળે.

ખાદીની ખપત કેવીરીતે વધારી શકાય?

કોણે કયા અને કેવા કપડાં પહેરવા તે વ્યક્તિની મુનસફ્ફીની વાત છે. પણ રોજગારી આપનાર સંસ્થા કે વ્યક્તિ પોતાના કર્મચારીઓને ડ્રેસકોડની ફરજ પાડી શકે છે. જેમકે પોલીસ ને અમુક જ ડ્રેસ પરિધાન કરવાની ફરજ પડાય છે. આવી જ રીતે કેટલીક ખાનગી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને માટે ડ્રેસ કોડ માટે ફરજ પાડે છે.

ડ્રેસકોડ

સરકારે ખાદીને પ્રોત્સાહન આપવું જોઇએ. અને તે માટે સરકારે દરેક સરકારી કર્મચારીનો એક યુનીફોર્મ કોડ એટલે કે વસ્ત્ર પરિધાનની આચાર સહિંતા નક્કી કરવી જોઇએ. જ્યારે સરકારી કર્મચારી જે કોઈપણ હોદ્દો ધરાવતો હોય તો પણ તેણે ડ્રેસ કોડનો અમલ કરવો જ પડશે. જ્યારે તેને નોકરીએ રાખવામાં આવે ત્યારે જ તેની પાસેથી તેની સંમતિ લઈ લેવી જોઇએ. સૌ કર્મચારીઓને સરકાર ત્રણ સેટ વસ્ત્રોનું કપડું સરકાર ખરીદીને આપશે. એક સેટમાં પાટલુન, ખમીશ, બનીયન, કોટ અને સ્વેટર આપશે. જેમને ધોતીયું, જભ્ભો, બંડી, લોંગકોટ જોઇતા હશે તેમને તે આપશે. બે જોડી બુટ અને બે જોડી ચપ્પલ આપશે. કશું મફત મળશે નહીં. જરુર હશે તો વર્ગ -૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને ચાર ટકાના વ્યાજે લોન આપશે. ખાદીના કાપડની ગુણવત્ત સરકાર નક્કી કરશે.

દરેક શાળા અને કોલેજો પણ પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડ્રેસકોડ રાખશે.

આમ થવાથી ખાદીના કાંતણ કામ, વણાટકામ, અંબર ચરખા બનાવનાર અને તેને રખરખાવ અને સમારકામ કરવાવાળાઓને રોજી મળશે. દરજીઓને પણ વધુ રોજી મળશે. કારણ કે અત્યારે રેડીમેડ વસ્ત્રોને જે જત્થાબંધ ધોરણે સીવવામાં આવે છે તેમાં કારીગરોનું શોષણ થાય છે.

જ્યારે મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે તે સરકારે, સરકારી કાપડની ખરીદીમાં ખાદીને ફરજીયાત કરેલી. પણ સરકારી ઉચ્ચ અધિકારીઓની મનોવૃત્તિ “સર્વ પ્રથમ ભારતનું હિત (ઈન્ડીયા ફર્સ્ટ)”ની ન હતી એટલે તેમાં બારીઓ ખોલીને સરક્યુલરનો અનાદર કરેલ.

તો પછી જત્થાબંધ રીતે ઉત્પન્ન થતા કાપડનું શું થશે? આપ્ણો દેશ, મીલના કાપડની વિદેશમાં નિકાસ કરશે.

જો ઘાસની ખેતી સંકુલોમાં થશે તો બળદોનું શું થશે?

સાંઢને બળદ કરવો એ આપણો હક્ક નથી. સાંઢ પાસેથી પણ કામ તો લઈ જ શકાય. તેલ ઘાણીના યંત્રમાં, લીફ્ટના યંત્રમાં, વિદ્યુત જનરેટર ના યંત્રમાં, સામાન્ય હેરફેરને લગતા માલવાહકોની રચનામાં યોગ્ય ફેરફારો કરી પશુઓનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ગૌવંશના પ્રાણીઓ આપણને શ્રેષ્ઠ અને અમૂલ્ય ખાતર આપે છે.

પશુ સંચાલિત તેલઘાણીઓથી તેલનું ઉત્પાદન ઘટશે, પણ જો તમે સંકુલો બનાવશો તો જમીનની વૃદ્ધિની સીમા અમાપ છે. તમે કદાચ કહેશો કે વનસ્પતીને તો સૂર્ય પ્રકાશ જોઇએ અને સંકુલોમાંની અકુદરતી જમીનને સૂર્યપ્રકાશ તો મળશે નહીં તેથી સંકુલોમાં ઉત્પાદન નહીં થઈ શકે. જો કે આ એક તકનિકી સમસ્યા છે. અને તેનો ઉકેલ આવી શકે. જેમકે તમે દર્પણોને એવી રીતે ગોઠવો કે દરેક માળ ઉપર સૂર્ય પ્રકાશ આવે. આ ઉપરાંત, વિદ્યુત દ્વારા કૃત્રિમ સૂર્યપ્રકાશ ઉત્પન્ન કરી શકાય છે. આ વિદ્યુત કરવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય.

તેલઘાણીઓ શા માટે? પશુ દ્વારા ચાલતી તેલઘાણીઓ શા માટે?

તેલીબીયાંઓના છોડવાઓ ને સંકુલોમાં ઉગાડી શકાય છે. એટલે તેલીબીયાનું ઉત્પાદન વધારીને તેલનું ઉત્પાદન વધારી શકાય છે. પશુથી ચાલતી તેલઘાણીના તેલના ઉત્પાદનમાં આપણને “ખોળ” અને “સાની” મળે છે. તે પશુઓ અને મનુષ્ય માટે એક સારો અને પૌષ્ટિક ખોરાક છે. આ લાભને અવગણી શકાય નહીં.

તેલની મીલોનું શું થશે?

જો તેલીબીયાંનુ ઉત્પાદન વધુ હોય તો તેના તેલોની નિકાસ કરો.

જો માટીના વાસણોનો ઘરવપરાશના, પ્યાલાઓ, થાળીઓ, કટોરાઓ, ગરમાઓ, તપેલાઓ, માટલાઓ, વિગેરેમાં ઉપયોગ થશે તો, ધાતુના વાસણોની ખપત ઘટી જશે તો તેના કારીગરો અને કારખાનાઓનું શું થશે?

ધાતુ એ એક કિમતી વસ્તુ છે. તે ધરતીમાં નવી ઉત્પન્ન થતી નથી. ધાતુઓનો વિદ્યુત ઉર્જાના વિતરણમાં બહુ જરુરી ઉપયોગ હોય છે. તેથી ધાતુના ઉદ્યોગમાં જેમકે તાર, ખીલીઓ, સ્ક્રુ, પટીઓ, પતરાઓ, યંત્રોની બનાવટ, તેના પૂર્જાઓ, સુશોભનની કળાકૃતિઓ બનાવવામાં ધાતુનો ઉપયોગ કરી શકાય. વૈજ્ઞાનિક સંશોધનોના ઉપકરણોમાં ધાતુનો અમાપ ઉપયોગ હોય છે જ. તેથી કારીગરોએ કારીગરી બદલવી પડશે. કોઈ બેકાર થશે નહીં.

માટીના વાસણો તો અવારનવાર તૂટી જશે. માટીના વાસણો બરાબર સાફ થઈ શકતા નથી. આથી શું સરવાળે તે મોંઘાં નહીં પડે શું?

ના. તે સરવાળે ખાસ મોંઘા નહીં પડે. માટીના વાસણો ઉપર ગ્લેઝ (સીરામીકના વાસણોને હોય છે તેમ) હોવાથી તે સરળતાથી સાફ થઈ શકશે. સ્થાનિક ઉત્પાદન હોવાથી તે વ્યાજબી ભાવે મળશે.

દરેક વ્યક્તિની વૃત્તિઓ અલગ અલગ હોય છે.

વૈજ્ઞાનિક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

તત્વજ્ઞાની બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ચિકિત્સક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

કર્મચારી બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ઘણાને ફક્ત ચિલાચાલુ કામ કરવાની જ વૃત્તિ હોય છે. નવું કામ કે અવનવું કામ કરવાની વૃત્તિ હોતી નથી. જેઓ કચરો વાળે છે તેમને જમીન ખોદવાનું કામ કરવું ગમતું નથી. જો કે કેટલીક વૃત્તિઓ શિક્ષણ દ્વારા બદલી શકાય છે.

દરેક વ્યક્તિમાં આનંદ પામવાની વૃત્તિ અચૂક હોય છે.

આનંદની પ્રાપ્તિ એ દરેકનું મુખ્ય ધ્યેય હોય છે. એટલે સરકારે અને અન્ય સંસ્થાઓએ કર્મચારીઓનો અપ્ટીટ્યુડ ટેસ્ટ એટલે કે માનસિક વલણની ચકાસણી કરતા રહેવું જોઇએ. અનુસંધાન માટે ”… નવ્ય સર્વોદય વાદ ભાગ-૧” અને “શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે? જુઓ

આ ફક્ત રુપરેખા છે. શક્ય રીતે સ્વાવલંબન તરફ જવાની દિશા છે. સ્વાવલંબનનો હેતુ, ઉત્પાદન અને વહેંચણીમાં પારદર્શિતા અને રસ્તાઓ ઉપર ઉત્પાદન ની હેરફેરને શક્ય રીતે ઓછામાં ઓછી કરવાનો છે જેથી ઉર્જા ઓછામાં ઓછી વપરાય.

સ્થાનિક ઉત્પાદનને કારણે વપરાશની ચીજોની વૈવિધતા ઓછી થશે તેનું શું?

અવારનવાર થતા મેળાઓ આ સમસ્યાનો આંશિક ઉકેલ છે. વપરાશની ચીજોની વૈવિધતા એ ખરો આનંદ નથી. ખરો આનંદ પર્યટન, જ્ઞાન અને તંદુરસ્તી છે.

ચમત્કૃતિઃ

કિશોરીલાલ મશરુવાળા જ્યારે નાના હતા ત્યારની વાત છે.

અમદવાદથી મુંબઈ બે રેલ્વેગાડી જતી હતી.

એક વહેલી સવારે જાય. તે ગાડી બધા જ સ્ટેશનોએ ઉભી રહે. અને મોડી સાંજે મુંબઈ પહોંચે. આ ટ્રેનમાં ટિકિટભાડું ઓછું.

બીજી એક ટ્રેન રાત્રે ઉપડે. અમુક સ્ટેશનોએ જ ઉભી રહે. સવારે મુંબઈ પહોંચે. એટલે કે ઓછો સમય લે. આ ટ્રેનમાં ટિકિટભાડું વધારે.

બાળ કિશોરીલાલ મશરુવાળાને આ વિચિત્ર લાગ્યું.

જે ટ્રેન દિવસે ઉપડે છે તે બધા જ સ્ટેશનોએ ઉભી રહે છે. તમને સ્ટેશને સ્ટેશને ઉતરવા મળે છે. દરેક સ્ટેશનને જોવાનો આનંદ લઈ શકો છો. દિવસના સમયમાં ચાલુ ગાડીએ તમે બહાર બધું જોઇ શકો છો. તમને વધુ સમય ટ્રેનમાં બેસવા મળે છે. આ બધા ફાયદાઓ હોવા છતાં પણ તેનું ટિકિટભાડું ઓછું છે.

જે ટ્રેન રાત્રે ઉપડે છે. અમુક સ્ટેશનો ઉપર જ ઉભી રહે છે, સ્ટેશને સ્ટેશને ઉતરવા મળતું નથી, તમને રાત્રે ન તો સ્ટેશનો કે નતો ખેતરો કે જંગલ કે ગામના મકાનો કે માણસો કે કશું પણ જોવા મળતું નથી, રાત્રે કશો આનંદ મળતો નથી. ઓછો સમય ટ્રેનમાં બેસવા મળે છે, છતાં પણ આ ટ્રેનનું ટિકિટભાડું વધારે છે. આવું કેમ?

આનંદ માટેની મુસાફરી આવકાર્ય હોવી જોઇએ.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ કાચો માલ, સ્રોત, મકાન, વ્યવસાય, સંકુલ, રહેઠાણ, ગ્રામ્ય, શહેરી, નવસંરચના, જમીન, ફાજલ, ઉત્પાદન, વૃક્ષ, બહુમાળી, ઔદ્યોગિક, ઉત્પાદન, ઉર્જા, પશુ, કોલસો, પવનચક્કીઓ, સૂર્યપ્રકાશ, ખાદી, કાંતણ, વણાટ, ડ્રેસકોડ, મોરારજી દેસાઈ, ઈન્ડીયા ફર્સ્ટ, તેલઘાણી, માટી, વાસણ, વૃત્તિ, આનંદ

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૨. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

INDIA OF OUR DREAM

જ્યારે સ્વપ્નના ગામ વિષે વિચારીએ ત્યારે એ પણ જાણી લેવું જોઇએ કે ગામ માટે કોણે કેવા સ્વપ્નો જોયા છે! અને તેના બદલાતા સમાજ સાથે કદમ મિલાવી શકે અને એટલે કે સ્થાયીપણા માટેની તેની ક્ષમતા કેટલી હતી!
આ લેખને વાંચતા પહેલાં
“સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ – ૧” ના શિર્ષક વાળો લેખ વાંચવો.

ગાંધીજીના સમયે શું પરિસ્થિતિ હતી?

ગાંધીજી હિન્દુસ્તાનના સાત લાખ ગામડાઓની વાત કરતા હતા. તે અખંડ હિન્દુસ્તાન હતું. હવે કદાચ પાંચ લાખ ગામડાં હશે. એ જે હોય તે. આપણે તેની સમસ્યાઓ અને નિવારણની શક્યતાઓ ગાંધીવાદની રીતે વિચારીશું.

(૧) ગાંધીજીનું સ્વપ્ન એ હતું કે ગામડાં સ્વાવલંબી હોય,
(૨) રહેવાને માટે સૌને સુંદર અને સગવડવાળું ઘર હોવું જોઇએ.
(૩) સૌને સુખી અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટેની જરુરીયાતો સરળતાથી ઉપલબ્ધ હોવી જોઇએ. આ માટે પ્રાથમિક શિક્ષણ, સક્ષમ અને ફરજીયાત હોવું જોઇએ. સહયોગ અને મદદ કરવાની વૃત્તિ, સામાજીક વર્તનમાં સંસ્કારિતા અને નાગરિક ફરજો (સીવીક સેન્સ) એ પ્રાથમિક શિક્ષણનું અભિન્ન અંગ હોવું જોઇએ.
(૪) સમાજમાં શોષણ ન હોય, એટલે કે માલિક, મજુરનું શોષણ ન કરે.
મશીન મનુષ્યનું ગુલામ હોવું જોઇએ. મનુષ્ય મશીનનો ગુલામ ન હોવો જોઇએ.
(૫) ગામડાંમાં થતું ઉત્પાદન અને શહેરમાં થતું ઉત્પાદન એકબીજાને પૂરક હોય,
(૬) જ્ઞાનના દરવાજા સૌને માટે ખુલ્લા હોવા જોઇએ.
(૭) સરકારી દખલ ન્યૂનતમ હોવી જોઇએ. અને સરકારી વ્યવહારમાં પારદર્શિતા હોવી જોઇએ.
(૮) સમાજના વર્ગો વચ્ચે અને વ્યક્તિઓ વચ્ચે સંવાદ હોવો જોઇએ મનુષ્ય મનુષ્ય વચ્ચે સંવાદ હોવો જોઇએ.
(૯) બહ્માન્ડ ના વર્તનની અને નિયમોની સમજણને વિજ્ઞાન સમજવું અને તેના ઉપકરણોને યંત્ર સમજવા. આ યંત્રનો ઉપયોગ લાંબાગાળાના સુખ માટે કરીએ તેને ત્યાજ્ય ન ગણવું. પણ ધ્યાન એ રાખવું કે તેમાં સામાજીક અને પ્રાકૃતિક લય જળવાઈ રહે.
(૧૦) મનુષ્ય જીવનનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું છે. આનંદ, નિરોગી શરીરથી મળે છે. આનંદ, જ્ઞાન અને “સ્વ”ની ઓળખ(આઈડેન્ટીફીકેશન અને વિશેષતાને મળતી સામાજીક માન્યતા) અને બીજાને મદદરુપ થવાને ને કારણે મળે છે. સ્વના આનંદ માટે સ્પર્ધા કે બીજાને પરાજય આપવો જરુરી હોતો નથી. કળા અને જ્ઞાનના વિકાસ દ્વારા પણ “સ્વ”ની ઓળખ મળે છે.

જ્યાં સુધી ઉપરોક્ત બાબતો સમજવામાં ન આવે અને તેનો સ્વપ્નના ગામાની સંરચના કે પૂનર્રચનામાં સમાવેશ ન કરવામાં આવે ત્યાં સુધી તે આદર્શ, સુખી અને સુઘડ ગામ બની ન શકે.

ગામડાનું સ્વવલંબનઃ

આ એક બહુ છેતરામણો શબ્દ છે. અને આ બાબત ઉપર ઘણું રાજકારણ ખેલાય છે અને અનીતિઓ આચરાય છે.

ગામડું એટલે શું?

(૧) ગામડું એટલે સૌ નજીક નજીક રહેતા હોય,

(૨) ગામડામાં સૌ એકબીજાને ઓળખતા હોય એટલે કે સંવાદ કરવાનીઅવસ્થામાં હોય,

(૩) સૌ કામ કરતા હોય, અને કૌટૂંબિક ભાવનાથી જીવતા હોય,

(૪) મોટાભાગની વસ્તુઓ ગામડામાં જ ઉપલબ્ધ હોય એટલે મનુષ્ય અને માલના પરિવહનનો ખર્ચ લઘુતમ હોય.

(૫) સૌને હવા ઉજાસ વાળું અને સગવડવાળું ઘર હોય,

(૬) રમવાને અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવા માટે મોકળાશ હોય,

(૭) કુદરતી સૌંદર્ય એટલે કે ઝાડપાન સહજ હોય,

જો આ બધી બાબતોની સમગ્રતાને ધ્યાનમાં રાખીએ તો ગામડું, કસ્બો, મધ્યમ કક્ષાનું ગામ કે શહેરના વિસ્તારો જેવા કે પોળ, શેરી, સોસાઈટી, લત્તો, એ બધાને જ આપણે “ગામડું” એવી વ્યાખ્યામાં લઈ શકીએ અને તે પ્રમાણે તેની સંરચના/પૂનર્ રચના કરી શકીયે.

આમાં કયા એકમો અને પરિબળો અને નિયમો ભાગ લે છે તે પહેલાં સમજી લેવું જોઇએ. અને તે વિષેના આપણા ખ્યાલો સુધારવા જોઇએ.

આપણે શહેરોને તોડી શકવાના નથી. પણ હયાત શહેરોમાં સુધારા કરી શકીશું.

જમીન, મકાન, ઉત્પાદકો, કાચોમાલ, ઉત્પાદન, ઉત્પાદનની પ્રક્રિયાઓ, સુખસગવડના સાધનો, માલિકીના હક્કો અને મનુષ્યના વલણો વિષે ચર્ચા કરવી જોઇએ અને તેમાં ફેરફાર કરવા જોઇએ.

જમીન અને જમીનના ભોગવટાના હક્કોઃ

વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીના કહેવા પ્રમાણે પણ જમીનની માલિકી કોઈ વ્યક્તિની ન હોઈ શકે. જમીન એ ધરતી છે. ધરતી એ સૌ સજીવોની સામુહિક માતા છે. તે સૌની છે. અને સૌ સૌનો જુદી જુદી રીતે ભોગવટાનો હક્ક છે. પણ મનુષ્ય સમાજ આ ભોગવટાનું નિયંત્રણ કરશે.

મહાત્મા ગાંધીનો સમય એ એવો સમય હતો કે જ્યારે અખંડ ભારત બહુ વિશાળ દેશ હતો. વસ્તિ વધારાની સમસ્યા ન હતી. ગામડાઓ મહદ અંશે સ્વાવલંબી હતા જો કે તેની ભાંગવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ હતી. પણ તે રોકી શકાય એમ છે તેમ માનવામાં આવતું હતું.

ગામડાંને સ્વાવલંબી કરવા માટેની કાર્યવાહી થઈ શકે તેવી ઈચ્છા શક્તિ ન હતી. મૂડીવાદ અને અતિ-મૂડીવાદ (સામ્યવાદ) ની વિચાર સરણીઓ અને તેની ચાહના પ્રત્યેની વૃત્તિઓ પ્રબળ અને વિકાસશીલ બનતી જતી હોવાથી, સ્વતંત્ર ભારતના રાજકર્તાઓ કોઈ દૂરદર્શિતા અપનાવી શક્યા નહીં. આ ઉપરાંત સર્ચોચ્ચ શાસક દ્વારા પોતાના સ્વકેન્દ્રી (જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી), વંશ કેન્દ્રી (સત્તાનું કેન્દ્ર નહેરુવંશી માટે જ આરક્ષિત) સત્તાલાલસાને કારણે નીતિમત્તાને જાણી જોઈને અવગણવામાં આવી. કાયદાના રાજનું પતન થયું અને સમાજ નો મોટોભાગ નીતિહીન બન્યો.

જે રીતે શહેરોનો વિકાસ કરવામાં આવ્યો તેમાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહીં ને જે કંઈ આયોજન થયું તેનો અધિકારીઓની (ન્યાયાલય અને જનપ્રતિનિધિઓ સહિતની) અનીતિમત્તાએ અમલ ન કર્યો એટલે જમીનના વહીવટમાં અરાજકતા આવી. જમીન અને તેના ઉપયોગે દેશને દિશાહીન કર્યો.
વસ્તિવધારો અંકુશમાં રાખી શકાયો નથી. અને અથવા માનવ શક્તિનો તેના સુયોગ્ય શ્રોત તરીકે ઉપયોગમાં લેવામાં ન આવ્યો તેથી પણ જમીન અને તેના ઉપયોગમાં પાયમાલી આવી.

આવી પરિસ્થિતિનો સુયોગ્ય સામનો કઈ રીતે થઈ શકે?

જમીનની માલિકી દેશની ગણવી પડશે.

આનો અર્થ એ થયો કે જમીનની માલિકી રાજયની રહેશે. કેન્દ સરકાર તેના ઉપયોગના નિયમો બનાવશે. સ્થાનિક કક્ષાએ તેનો અમલ થશે. અને કેન્દ્ર સુધીના સત્તાધીશો તેની ઉપર નજર રાખશે.

સૌ પ્રથમ સમજી લો કે જમીન અને વનસ્પતિ અમૂલ્ય છે. વનસ્પતિમાં વૃદ્ધિ કરી શકાય છે. પણ જમીન વિષે શું છે?

જમીન વધી શકે છે?

હાજી જમીન વધી શકે છે.

જમીન કેવી રીતે વધી શકે?

ખરાબાની જમીનને નવસાધ્ય કરોઃ ખરાબાની જમીન એ એક કાચો માલ છે. તેને એક માનવશક્તિના ઉપયોગનો અવસર સમજો.

જે જમીન છે, તેનો વ્યય ન કરો.

(૧) ઝોંપડ પટ્ટી એ જમીનનો વ્યય છે,

(૨) એકમાળી કે ચાર-પાંચમાળી મકાનો એ પણ જમીનનો વ્યય છે.

(૩) ફળદ્રુપ જમીન ઉપરની ખેતી એ પણ જમીનનો વ્યય છે કારણ કે અનાજના ઉત્પાદન માટે આપણે બે ઈંચથી છ ઈંચના ઉંડાણ સુધીની જમીનનો જ ઉપયોગ કરીએ છીએ. અનાજનું ઉત્પાદન એક માળી ઉત્પાદન છે. વૃક્ષ ઉપર થતું ઉત્પાદન બહુમાળી ઉત્પાદન છે. બહુ માળી ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને જમવાની આદતો બદલો.

(૪) ખારાશવાળી જમીનને નવસાધ્ય કરીને યોગ્ય માવજત દ્વારાઅનાજનું ઉત્પાદન કરી શકાય. ઉત્પાદન મકાનની અગાશીમાં, ગેલેરીઓમાં કે ખાસરીતે ખેતી માટે જ બનાવેલા બહુમાળી મકાનોમાં કે તેના હિસ્સાઓમાં અનાજનું ઉત્પાદન કરી શકાય છે.

(૫) ગોચરની માટે જમીન અલગ ફાળવવી એ પણ જમીનનો વ્યય છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું એ જમીનનો વ્યય છે. ઘાસનું ઉત્પાદન પણ ઉપરોક્ત અનાજના ઉત્પાદનની જેમ કરી શકાય.

(૬) વાહનો ના પાર્કીગ માટે જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વાહનોના પાર્કીંગં માટે ભોંય તળીયા અને અન્ય માળ ઉપર આયોજન સાથે જગ્યા ફાળવી શકાય.

(૭) વિમાનતળ ની જગ્યા એ જમીનનો વ્યય છેઃ આજના ઝડપી જમાનામાં કે તે સિવાય પણ આપણે વિમાનોને નષ્ટ કરી શકીશું નહીં. વિમાન ના ઉતરાણ માટે રનવે જોઇએ. જ્યાં સુધી નવી શોધ ન થાય ત્યાં સુધી આપણા વિમાની મથકો અસ્તિત્વમાં રહેશે અને તે ઉપરાંત નવા વિમાન મથકો પણ બનાવવા પડશે. વિમાનના રનવે માટે લાંબી જમીનની સખત પટ્ટી ઓ જોઇએ. વિમાનની મહત્તમ પહોળાઈ જેટલી તો જોઇએ જ. બાકીની જગ્યામાં તમે ઘાસ અને અનાજ ઉગાડી શકો. જો કે પક્ષીઓનો ઉપદ્રવ થાય. પણ પક્ષીઓને અને તીડોને ભગાડવા માટે અમૂક કંપનો વાળો અશ્રાવ્ય અવાજ આ સમસ્યાને ઉકેલી શકે છે.

(૮) શું તળાવ અને નદીઓ જમીનનો વ્યય છે?

નાજી. તળાવ અને નદીઓ જમીનનો વ્યય નથી. પણ નહેરોને તમે ભૂગર્ભ કરી ને કે તેના ઉપર સોલર પેનલો રાખીને બનાવી શકો.

(૯) શું રસ્તાઓ જમીનનો વ્યય છે?

હા અને ના.

જો આયોજન વગર રસ્તાઓ બનાવ્યા હોય તો તે ખર્ચાળ અને મુશ્કેલીઓ ઉભા કરનારા બને છે.
રસ્તાઓ માટે વપરાતી જમીનનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો?

(૧) રસ્તાઓ પણ ભૂગર્ભ અને બહુમાળી બનાવી શકાય છે.

(૨) જળમાર્ગો બનાવી શકાય, જેથી જળ વધુ જમીનમાં ઉતરે અને સંચય થાય.

(૩) ઉત્પાદનને અને ખાસ કરીને અન્ન, શાકભાજી અને ફળફળાદિના ઉત્પાદનને વધુને વધુ પ્રમાણમાં સ્થાનિક બનાવીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૪) વાહનોની ગતિને અવરોધતા ઓછામાં ઓછી કરીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૫) રસ્તાઓ બનાવવા માટે આસપાસનીની બંને બાજુએથી માટી લઈ રસ્તાની જમીનને ઉંચી કરવી પડે છે. રસ્તાઓ અને રેલ્વે માર્ગને સમાંતર રાખી તેની બંને બાજુએ નહેરોને બનાવી શકાય. તે ઉપરાંત ફ્ળોના વૃક્ષોની હરોળો રાખી ફળ અને ઘાસનું ઉત્પાદન કરી શકાય.

(૬) રસ્તાઓની બંનેબાજુ ટ્રાન્સમીશન ટાવરો અને તેની ઉપર પવન ચક્કીઓ રાખીને પ્રાકૃતિક ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.

(૭) ટ્રાન્સમીશન ટાવરો ના ફ્રેમવર્ક ઉપર સોલરપેનલો ગોઠવી વિદ્યુત ઉર્જા બનાવી શકાય.

(૮) સંભવ છે કે વખત જતાં રસ્તા ઉપરના આ ઉર્જાશ્રોતો વાહનો માટે ઉર્જા આપનારા બની રહે.

(૯) હાલનો જમાનો ઈન્ટરનેટનો જમાનો છે. તેથી ઘણા જ કર્મચારીઓને તમે તેઓ ઘરે બેઠા બેઠા કામ કરે તેવી વ્યવસ્થા ઉત્પન કરી શકાય તેમ છે. આમ કરવાથી વાહન વ્યવહારનો રસ્તા ઉપરનો બોજો ઘટશે.

(૧૦) રસ્તાઓ અને ઝડપ ઘણા ઉપયોગી છે અને જ્ઞાન, સંવાદ, આદાનપ્રદાન, પ્રવાસન ઉદ્યોગને બહુ ઉપયોગી છે. તે ઉપરાંત વિપત્તિના સમયે તે બહુ ઉપકારક બને છે.

જમીનને નવસાધ્ય કેવી રીતે કરી શકાય?

 Saline land to be converted to furtile land

ખરાબાની જમીન જો તે સામાન્ય ક્ષારવાળી હોય તો તેને સેન્દ્રીય અને જૈવિક ખાતરોથી ફળદ્રુપ બનાવી શકાય છે. ખરાબાની જમીન પણ આવા પ્રકારમાં આવે છે. તેને ફળદ્રુપ કરવા માટેના હજાર રસ્તાઓ છે.

દરીયાઈ ક્ષારવાળી રણની જમીનઃ આ જમીનને ફળદ્રુપ કરી શકાય છે અને તકનિકી દ્વારા મીઠું (નમક), શુદ્ધ પાણી, ખેત તલાવડી, ખેતી, ઘાસ, ઉર્જા આપે તેવા પાક, વૃક્ષ, અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાય છે. કાળક્રમે તેનું જંગલમાં રુપાંતર કરી શકાય છે.

તળાવ અને નદીના કિનારાઓને વિકસાવી ત્યાં ઉત્પાદન, પ્રવાસન અને રહેણાકના ક્ષેત્રો સુયોગ્ય આયોજન દ્વારા બનાવી શકાય છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, જમીન, ભૂમિ, ભોગવટા, હક્ક, માલિકી, સોલર સેલ, પવન ચક્કી, વસ્તિ, ગામડાં, સ્વાવલંબી, ઉત્પાદન, રસ્તા, ભારણ, આનંદ, સુખ સગવડ, પ્રાથમિક, શિક્ષણ, સહયોગ, શોષણ, જ્ઞાન, સરકાર, સંરચના, નાગરિક, નદી, તળાવ, વિકાસ

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧

વાદ વિષે વાત કરવી એટલે એક શુષ્ક વિષય વિષે વાત કરવી એવું લાગે છે. અને એટલે સામાન્ય માણસ અને મોટેભાગે જેને આપણે મૂર્ધન્ય એટલે કે જ્ઞાની કે સુજ્ઞ કહીએ છીએ તેમને પણ થોડે કે ઘણે અંશે આ વાત લાગુ પડે છે. પણ આપણે એની વિગતો માં નહીં જઈએ. કારણ કે આ લેખમાળાનું તે ક્ષેત્ર રાખ્યું નથી.

વાદ એ શું છે?

વૈજ્ઞાનિક સાહિત્યનું એક વલણ છે કે જ્યારે તમે કોઈ એક શબ્દ વાપરો તેનો અર્થ તમે શું કરો છો તેની વાચકને જાણ કરી દેવી જોઇએ. જેથી વાચક, તે અર્થને ધ્યાનમાં રાખી લેખકના વિચારોને સમજે.

શબ્દના અર્થને ક્યારેક વ્યાખ્યા કહેવામાં આવે છે. વ્યાખ્યા એટલે આમ તો ટૂંકામાં ટૂંકામાં ટૂંકું વર્ણન. એટલે આપણે ફક્ત વાદનું વર્ણન જ કરીશું. અને તે પણ સામાજીક સમસ્યાના પરિપેક્ષ્યમાં જ વર્ણન કરીશું

વાદ ત્રણ જાતના છે. મૂડીવાદ, સામ્યવાદ અને સર્વોદયવાદ. આ ત્રણેયનું ધ્યેય સમગ્ર સમાજને તંદુરસ્ત અને સુખી  કરવાનું છે. દરેક વાદ ની અંતર્ગત જે પ્રણાલીઓને પ્રબોધવામાં આવી છે. તે પ્રણાલીઓ ની સમજણ એટલે જે તે વાદ એમ સમજવું.

વાદ એ એક સંક્રાંત વ્યવસ્થા છે.

સંક્રાંત અને વ્યવસ્થા એટલે શું?

સંસ્ક્રાંત એટલે વચ્ચેનો ગાળો.

કોની વચ્ચેનો ગાળો?

પરિસ્થિતિ અને ધ્યેય ને જોડતી  વ્યવસ્થા એટલે સંક્રાંત. જેને આપણે ઈન્ટરફેસ કહી શકીએ.

આ ઈન્ટરફેસ કે સંસ્ક્રાંત વાસ્તવમાં શું છે?

ધારોકે બે વ્યક્તિ છે. પાસે પાસે છે. બંનેને વિચારનો વ્યવહાર કરવો છે તો વિચારનો વ્યવહાર એ તેમનું ધ્યેય થયું. અને તેમની ભૌતિક ઉપસ્થિતિ એ તેમની પરિસ્થિતિ થઈ. અને સમાન ભાષા એ એક સંક્રાંત પ્રણાલી કે ઇન્ટરફેસ સીસ્ટમ થઈ. જોકે ભૌતિક માધ્યમ એટલે કે હવા પણ તેની અંતર્ગત આવી જાય છે હવા ઈશ્વર દત્ત છે.

હવે ધારો કે બે વ્યક્તિ એક બીજાથી ઘણી દૂર છે. તો હવાનું માધ્યમ કામ લાગતું નથી. એટલે ટેલીફોન ની વ્યવસ્થા કરવામાં આવી.

ટેલીફોન શું કરે છે?

એક વ્યક્તિ બોલે એટલે હવામાં સ્પંદન થાય. આ સ્પંદનોને આપણે બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાના છે. માણસે બોલવું તો પડશે. તે હવામાં બોલશે. હવામાં સ્પંદનો થશે. હવે આ સ્પંદનોને દૂર સુધી પહોંચાડવા શું કરવું જોઇએ?

આ એક બીજું ધ્યેય કે ઉપધ્યેય થયું.

આપણા જ્ઞાનનો આપણે ઉપયોગ કર્યો. એક ચૂંબક લીધું અને તેની આગળ એક સ્પંદિત થઈ શકે તેવી પાતળી લોખંડની પતરી લીધી. એ સ્પંદિત થઈ. ચૂંબક અને આ લોખંડની પતરીની વચ્ચેના અંતરમાં વધઘટ થઈ. આ બે વચ્ચે વિદ્યુત ભાર મુક્યો. તાર દ્વારા જોડીને મુક્યો. એટલે આ તારમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં સ્પંદનો રુપાંતરિત થયા. ધાતુના તારને બીજી વ્યક્તિ સુધી લંબાવી દીધા કારણ કે વિદ્યુત તરંગો ધાતુના તારમાં આગળ ગતિ કરી શકશે. બીજી વ્યક્તિ પાસે વિદ્યુત પ્રવાહના સ્પંદનો પહોંચી ગયા. પણ બીજી વ્યક્તિ આ વિદ્યુત પ્રવાહના સ્પંદનોને સમજી ન શકે. તેટલે એક વ્યક્તિ આગળ જે પ્રક્રિયા કરવામાં આવી તેથી ઉંધી ક્રિયા કરવાની જરુર પડી. આ તારને એક ચૂંબક સાથે વિંટાળ્યા અને તેની સામે લોખંડની પતરી રાખી. આમ વિદ્યુત પ્રવાહના સ્પંદનો લોખંડની પતરીમાં રુપાંતરિત થયા અને તે પતરીએ હવામાં સ્પંદનો ઉત્પન્ન થયાં આમ બીજી વ્યક્તિ પાસે સ્પંદનો પહોંચી ગયા અને તે બધું સાંભળવા લાગ્યો. આ ટેલીફોન વ્યવસ્થાને આપણે આપણા ધ્યેયને પામવા માટેનું ઈંન્ટરફેસ કહી શકે. આ ઇન્ટરફેસ નું કામ પરિસ્થિતિ અને ધ્યેયને જોડવાનું છે.

વિચારો મગજમાં ઉત્પન્ન થાય છે. વિચારોને વ્યક્ત કરવા માટે આપણું મોઢું કે જેમાં જીભ, હોઠ, દાંત છે. આપણા વિચારો મોઢાદ્વારા વ્યક્ત કરીએ છીએ. આ મોઢું એ આપણા વિચારો અને હવા વચ્ચેનો ઈન્ટરફેસ છે. આ હવાના સ્પંદનોને મોઢું સમજી શકતું નથી. તેને માટે કાન છે. જે હવાના સ્પંદનોને મગજમાં મોકલે છે. અને સમાન ભાષા તેને ઉકેલે છે. આ ઈશ્વરીય ઇન્ટરફેસ છે.

દરેક વ્યવસ્થાઓમાં અનેક ઉપપ્રણાલીઓ હોય છે. ટેલીફોન પ્રણાલીમાં પણ અનેક પ્રણાલીઓ વિકસી છે. મોઢાથી મગજ અને મગજ થી કાન સુધી પણ ઈશ્વરે અનેક પ્રણાલીઓ મુકી છે.

ઈશ્વરની પ્રણાલીમાં ક્ષતિ આવે તેને આપણે રોગ તરીકે ઓળખીએ છીએ. તેને માટે ઉપચાર કરીએ છીએ. આ ઉપચાર એક ઈન્ટરફેસ છે.

મનુષ્યનું ધ્યેય શારીરિક તંદુરસ્તીનું છે. અને જ્યારે ક્ષતિ આવે ત્યારે ઉપચાર કરીએ, આ ઉપચારની પ્રક્રિયાને આપણે “પથી” કે “શાસ્ત્ર” કહીએ છીએ.

જે પ્રક્રિયા કે પ્રણાલી, આપણને ધ્યેય સુધી પહોંચાડે તે પ્રક્રિયાને આપણે વાદ કે શાસ્ત્ર કહી શકીએ. ટૂંકમાં વાદ એક ઈન્ટરફેસ છે. અને તેની વિગતો એ એક પ્રણાલી છે. ઇન્ટરફેસ એ એક એવી પ્રણાલી છે જે ધ્યેય અને વ્યક્તિ બંનેને સમજે છે.

એક સવાલ ઉભો થશે.

આપણે આ સાધન કે વ્યવસ્થા કે શાસ્ત્રને સંક્રાંત વ્યવસ્થા કેમ કહીએ છીએ?

એવી તે શી જરુર પડી કે આપણે તેને સંક્રાંત કે ઈન્ટરફેસ કહેવી પડે? શું આમાં કોઈ ભાષા ક્ષતિ છે?

હોઈ શકે છે. વિદ્વાનો તેની ઉપર વિચાર કરી શકે છે. કારણ કે શબ્દનો અર્થ એ વર્ણન છે. અને આપણે વર્ણન તો કર્યું જ છે. એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જ્યારે જઈએ ત્યારે વચ્ચેના સમયને સંક્રાંતસમય કહેવામાં આવે છે. અને સંસ્ક્રાંત સમય એ એક એવો સમય છે જે તમને એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં લઈ જાય છે. આ સંક્રાત સમયને આપણે રસ્તો, શાસ્ત્ર, પ્રણાલી કે સાધન કહીએ તો શું ખોટું છે? રસ્તો એ એક અંતર છે. અંતર અને સમય જુદા નથી. અંતરને શરીર માપે છે. સમયને મગજ માપે છે. શરીર અને મગજ એક જ છે.

તો હવે કહો કે નવ્ય ગાંધીવાદને કેવી રીતે સમજીશું?

આ વસ્તુ સમજતાં પહેલાં આપણે બહુ જ ટૂંકામાં ત્રણે વાદને સમજી લેવા જોઇએ.

ત્રણેનું ધ્યેય શું છે?

ત્રણેયનું ધ્યેય તંદુરસ્ત અને સુખી સમાજ તરફ જવાનું છે.

તંદુરસ્ત એટલે શું અને સુખી એટલે શું?

શરીરને ક્યારે તંદુરસ્ત કહેવાય?

જો શરીરમાં કશી ક્ષતિ ન હોય અને તેના અંગ ઉપાંગો બરાબર કામ કરતા રહે તો તેને તંદુરસ્ત કહેવાય. જેમ શરીર તંદુરસ્ત તેમ તેનું ટકાઉપણું વધારે. એટલે કે આયુષ્ય વધારે.

INTERFACIAL HYPOTHESIS

સુખી એટલે શું?

સુખ એટલે આનંદ. આનંદ શારીરિક પણ હોય અને બૌદ્ધિક પણ હોય. અંતે તો મન જ આનંદિત થાય છે. બુદ્ધિ પણ શરીરનું અંગ છે. બુદ્ધિનું કામ જ્ઞાન મેળવવાનું છે. એટલે જેમ જ્ઞાન વધારે તેમ આનંદ વધારે.

જે પરિસ્થિતિ ઉભી કરવાથી વધુ આનંદ અને લાંબા સમયનો આનંદ મળે તે પરિસ્થિતિએ પહોંચવા માટે જે સામાજિક વ્યવસ્થા શાસ્ત્ર કામ લાગે તેને વાદ કહેવાય.

મૂડીવાદ શું કહે છે?

માનવ સમાજ માનવોનો બનેલો છે. પણ બધા માનવોના વલણો એક સમાન ન હોવાથી, દરેક માનવ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્યની પસંદગી કરે. કાર્યની પસંદગીની સ્વતંત્રતા દરેક માનવને હોવી જોઇએ. કાર્ય દ્વારા તેને બદલો મળે છે. જે વધુ ઉપયોગી કાર્ય (જેની માંગ વધુ હોય તેને વધુ ઉપયોગી ગણવું) કરશે તેને વધુ બદલો મળશે. આ બદલાનો સંચય કરવાની પણ તેને સ્વતંત્રતા રહેશે.

એક માનવ બીજા માનવને નુકશાન ન કરી શકે તે માટે માનવોનો સમૂહ નીતિ નિયમો બનાવી તેને નિયંત્રિત કરશે.. જનપ્રતિનિધિઓ, માનવની ક્ષમતા વધે તે માટેની વ્યવસ્થા પ્રણાલીઓ સ્થાપશે અને તેનું  નિયંત્રણ કરશે. જનપ્રતિનિધિની દ્વારા થતી વહીવટી વ્યવસ્થા પારદર્શક રહેશે.

સામ્યવાદ શું કહે છે?

માનવ એ સામાજીક પ્રાણી છે. અને તે સમાજને આધિન છે. તેથી સમાજને કેન્દ્રમાં રખાશે. આ વિચાર ધારાને માન્ય રાખનારાઓનું જનપ્રતિનિધિત્વ બનશે. તે વ્યવસ્થા ગોઠવશે. આ વ્યવસ્થા, ઉપયોગી વસ્તુનું ઉત્પાદન અને વહેંચણી કરશે. તે માટેની પ્રણાલીઓ અને વ્યવસ્થા ગોઠવાશે. કામની વહેંચણી કરાશે, ઉત્પાદન અને વિતરણ ઉપર નિયંત્રણ રાખાશે. વહીવટી વ્યવસ્થા જનહિતમાં, સ્થાપિત હિતોને ડામવા માટે હોવાથી, આ વહીવટી વ્યવસ્થાઓને પારદર્શક રાખવામાં આવશે નહીં

સર્વોદયવાદ શું કહે છે?

માનવ એ સમાજનો એક અંશ છે. સમાજમાં ફક્ત મનુષ્ય જ નહીં પરંતુ એક બીજાના આધાર ઉપર નભતી સમગ્ર ઈશ્વરીય સૃષ્ટિના દરેક સજીવ નિર્જીવ પદાર્થો ઈશ્વરીય વ્યવસ્થાનો અંશ છે. આ ઈશ્વરીય વ્યવસ્થા એ સમાજ છે. આ એક વૈશ્વિક સમાજ છે. આ સમાજનું સંતુલન જળવાઈ રહે અને મનુષ્ય સૌની સાથે સામુહિક આનંદ ભોગવી શકે તેવી જ વ્યવસ્થા ગોઠવાવી જોઇએ.

અત્યાર સુધીની દરેક વ્યવસ્થાઓએ સૃષ્ટિમાં અને માનવસમાજમાં પણ માનસિક અને ભૌતિક અસમાનતા સર્જી છે. તેથી વ્યવસ્થા અહિંસક અને શોષણહીન હોવી જોઇએ. ઉત્પાદન અને વહેંચણીના એકમોનો વહીવટ જેટલો વિકેન્દ્રિત રખાશે તેટલો અનુત્પાદક ખર્ચ ઘટશે.

ગામડાઓને મોટા અંશે સ્વાવલંબી બનાવવા પડશે. તેથી માનવ અને માલનો સ્થળાંતર કરવા માટેનો અનુત્પાદક ખર્ચ ઘટશે. વ્યવસ્થા એવી ગોઠવવી પડશે કે શહેરો અને ગામડાં એક બીજાના પૂરક બને. અસમાનતા એટલી હદે નહીં વધવા દેવામાં આવે કે જેથી એક માનવનો બીજા માનવ વચ્ચે કે અને એક  માનવનો સંસ્થા સાથે કે અને સંસ્થાનો માનવ  સાથે અસંવાદ કે વિસંવાદ ઉત્પન્ન થાય.

માનવના ઉત્કર્ષની શરુઆત છેવાડેના માણસના હિતને પ્રાથમિકતા ઉપર રાખી કરવામાં આવશે.

મનુષ્ય શું છે? ઉત્કર્ષ શું છે? સમાજ શું છે? ધ્યેય શું છે? સુખ શું છે? આનંદ શું છે? આ બધું જો વિસ્તારથી સમજવું હોય તો આજ બ્લોગ સાઈટ ઉપર ગાંધીવાદ અને અદ્વૈતવાદ ઉપરના લેખો સમય મળે તો વાંચવા.

હાલની પ્રવર્તમાન સ્થિતિને તંદુરસ્ત અને સુખી સમાજ તરફ કેવી રીતે લઈ જવો તે નવ્ય ગાંધીવાદ બતાવશે.

હાલ કેટલાક મૂર્ધન્યો “નવ્ય મૂડીવાદ” વિષે વિચારી રહ્યા છે. આપણા સામ્યવાદી ભાઈઓ “નવ્ય સામ્યવાદ” અમલમાં મુકી રહ્યા છે એમ કહી રહ્યા છે. તો આપણે નવ્ય ગાંધીવાદ વિષે વિચારીશું.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જ્ઞાન, સુખ, આનંદ, સમાજ, વાદ, ઉત્કર્ષ, તંદુરસ્ત, મૂડીવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ, પ્રણાલી, સાંપ્રત, ઈન્ટરફેસ, સમય, અંતર, વ્યાખ્યા, વર્ણન, ઉત્પાદન, વહેંચણી,  ઈશ્વરીય, વ્યવસ્થા

Read Full Post »

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૫

અગાઉ આપણે જોયું કે ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ આપી હોવાથી તે શક્યતાના સિદ્ધાંત અનુસાર સ્વચ્છંદી થઈને છકી ન જાય તે માટે સમાજની સામુહિક બુદ્ધિ દ્વારા નીતિનિયમો ઘડાયા. સમયે સમયે અનુકુળતાની શક્યતા અનુસાર મહાપુરુષો પણ પેદા કર્યા. આ મહાપુરુષો કંઈ સર્વ ક્ષેત્રોમાં જ્ઞાની હોય તે જરુરી નથી. કારણ કે જ્ઞાનનો સીધો સંબંધ સ્મૃતિ અને વિચાર હોય છે. જો તમે દરેક વિષયમાં તમારા અંગો દ્વારા માહિતિનો સંચય કરવા જાઓ અને તે દ્વારા તર્ક કરીને નિર્ણયો કરવા જાઓ તો તમને અપાર આયુષ્ય પણ ઓછું પડે. એટલે બધી જ બાબતો માં કોઈ વ્યક્તિ નિપૂણ થઈ ન શકે. દરેક વ્યક્તિ જે તે વિષયના પોતાને સ્વિકૃત લાગે તે નિષ્ણાતોના નિર્ણયોને સ્વિકારતો થયો. જેઓ સમાજશાસ્ત્રમાં નિષ્ણાત હતા તેમાં ગાંધીજીની ગણના થાય. પણ દરેક શાસ્ત્રને સમજવા માટે તર્કની તો જરુર પડે.

પ્રયોગો અને ઉપકરણો

તર્ક એ પણ એક શાસ્ત્ર છે. દરેક શાસ્ત્રમાં ઉપકરણો અને પ્રયોગો કરવા પડે. કોઈ પણ જાતના પ્રયોગોમાં ઉપકરણો પ્રયોગથી અલિપ્ત રહેવા જોઇએ. જેમકે ગતિ માપવાનું જે ઉપકરણ હોય તે જે પદાર્થની ગતિ માપવાની હોય તેની ગતિમાં ફેરફાર કરી નાખે અથવા તો જે પદાર્થ ગતિમાં હોય તે આ ઉપકરણના કામકાજ ઉપર અસર કરતું થઈ જાય તો આપણને સાચા અવલોકનો ન મળે.

સમાજશાસ્ત્રમાં સામાન્યરીતે સમાજશાસ્ત્રી વ્યક્તિ પોતે એક ઉપકરણ બની જાય છે. આમાં ઓશો આશારામ, સંત રજનીશમલ, સમાજ સુધારક તરુણ તેજપાલ વિગેરે અનેક લોકો વિષે આવું જ થયું છે. જોકે સમાજ સુધારક તરુણ તેજપાલ પોતે કોઈ સમાજશાસ્ત્રી નથી. પણ તેમની મુખ્ય પ્રવૃત્તિનો હેતુ તો સમાજ સુધારણા નો છે.

ઈશ્વરે મૈથુની સૃષ્ટિમાં કરેલું સર્જન, આ નર અને માદા શું છે?

મનુષ્યેતર પ્રાણીઓમાં એક સંવનન કાળ હોય છે. તેઓ આ સંવનન કાળ સિવાય નર કે માદા તરીકે વર્તતા નથી. તેમજ શિકાર કે ભોજન પ્રાપ્તિ માટે પણ નર કે માદા તરીકે વર્તતા નથી. જો કે દરેક પ્રાણી માટે આ વાત સાચી નથી. પ્રજોત્પત્તિ માટે શારીરિક રીતે બળદ નપુંસક છે. પણ ગૌશાળામાં ગાય અને બળદને અલગ રાખવા પડે છે. આ નરો બીજા નરને પ્રતિસ્પર્ધી માને છે. પણ એ સિવાય તેમનું વર્તન તેઓ પોતાને નર સમજે એવું હોતું નથી.

મનુષ્યમાં હમેશા આમ નથી. મનુષ્ય પોતે, આહાર લેવો, નિદ્રા લેવી અને મૈથુન કરવું એ સિવાય અનેક જાતના અગણિત કર્મો કરે છે. તે કર્મો કરવામાં તે પોતાની જાતિ પ્રદર્શિત કર્યા કરે એ જાતનું વર્તન કરવું તેને માટે જરુરી હોતું નથી. મોટે ભાગે તેવું હોતું પણ નથી.

ફિલ્મી નર માદાઓ

પણ તમે ફિલમોમાં (ફિલમમાં ટીવી સીરીયલો પણ આવી જાય) શું થાય છે તે જુઓ. ફિલમ એ સમાજનું પ્રતિબિંબ હોવું જોઇએ. પણ તેમ નથી. મોટે ભાગે હિરીઓની (હિરોઈનોની) સ્ટાઈલો અદાઓ, પોતે માદા છે તે સભાનપણે દર્શાવતી હોય છે. હિરાભાઈઓ પણ, પોતે નર છે તે સભાનપણે બતાવતા હોય છે. હિરાભાઈ અને હિરીબેનો જવલ્લેજ અભિનેતા/અભિનેત્રી તરીકે કામ કરતા હોય છે. તમે એ પણ જોઈ શકશો કે તેમનું વિજ્ઞાપન પણ એજ રીતે થતું હોય છે. આખો સમાજ અને સમાચાર માધ્યમો પણ આ હિરાભાઈ/હિરીબેનોને આજ રીતે જોતા હોય છે. પહેલાં સમાચાર પત્રોમાં ફક્ત શુક્રવારે જ ફિલમને લગતું એક પાનુ આવતું હતું. આજે રોજ એક પાનુ આવે છે અને શુક્રવારે હિરાભાઈ/હિરીબેનો માટે એક ચાર/છ પાનાની પૂર્તિ આવે છે. આ પાનાઓમાં પણ અભિનયને લગતી ચર્ચા જવલ્લે જ હોય છે. તેમની અંગત વાતો અને જાણીજોઈને ચલાવાયેલી અફવાઓ વધુ હોય છે. આ નર અને માદાઓમાં એક પતિત્વ/પત્નિત્વ ની પ્રણાલી જોવી કે આડા સંબંધો ન જોવા તે હાસ્યાસ્પદ ગણાય છે.

શું વાસ્તવમાં સમાજમાં આવું છે?

અપવાદ રુપે કેટલાક કિસ્સોમાં થોડીક વ્યક્તિઓ એવી હશે. પણ સમાજ એવો તો નથી જ. પણ ફિલમ નિર્માતાઓ પોતાના મનોગત જગતને આ રીતે પ્રતિબિંબિત કરે છે. એક બીજું કારણ એ પણ હોય છે કે ફિલમ નિર્માતાઓ જનતાની માનસિક જાતીય અતૃપ્તિને આ રીતે સંતોષવાના અને પ્રેક્ષકોને આકર્ષવાના એક પરિબળ તરીકે તેનો ઉપયોગ કરે છે.

નરમનુષ્ય, માદામનુષ્યને શું કરવા માગે છે? જે રીતે માદા પોતાના મનમાં નર પોતાને શું કરે તો ગમે એ ક્રિયા નરના મનમાં આપોઆપ રીતે ઉત્પન્ન થાય છે. જેમકે માદાને પોતાને મનગમતો નર તેને દબાવે, તેને ઉચકી લે તેને ગોળ ગોળ ફેરવે વિગેરે વિગેરે ઈચ્છાઓ કરે છે. નરના મનમાં પણ માદા માટે એવી ઈચ્છા ઉભી થાય છે કે તે માદાને દબાવે અને ઉચકે લે વિગેરે વિગેરે. નરના મનમાં એવી ઈચ્છા ઉત્પન થતી નથી કે માદા તેને ઉચકી લે અને ગોળ ગોળ ફેરવે. આ એક કુદરતી વ્યવસ્થા છે. આ વાત મનુષ્ય માદા દરેક મનુષ્ય નર વિષે વિચારતી નથી, પણ ભય જરુર રાખે છે. અતૃપ્ત નરમનુષ્ય, બાધ્ય માદાઓ (બાધ્ય સગાંઓ) સિવાય લગભગ બધી જ માદાઓ વિષે આવું વિચારે છે.

નરમનુષ્ય અતૃપ્ત શા માટે છે? તેનું કારણ મોટે ભાગે તેની નવિનતાની ઈચ્છા અને જે માદાને તે પરણ્યો છે તેનો અપૂરતો સહકાર કારણભૂત હોય છે. મનુષ્ય સમાજમાં નર મનુષ્યો એક બીજા સાથે કોઈ એક માદા માટે લડીને કપાઈ ન મરે તે માટે સમાજે તેના ઉપર નિયંત્રણો મુક્યા. અને આ નિયંત્રણો ને લીધે માદા પોતાનામાં ઉભી થયેલી સુરક્ષાની ભાવનાના પરિણામ સ્વરુપે બહુગામી થતી નથી. પણ માદામાં એક સુસુપ્ત ભાવના હોઈ શકે કે કોઈ મનગમતો નર તેના ઉપર બળજબરી કરે. આ વાત સાવજ નકારી ન શકાય. મોહે પનઘટપે નંદલાલ છેડ ગયો રે.

નરસિંહ મહેતા, મીરાંબાઈ, તુલસીદાસ, કાલીદાસ વિગેરેની રચનાઓ માદામનુષ્યોમાં પણ મનપસંદ હોય છે.

ગાંધીજીનો પણ મુખ્ય હેતુ સમાજ સુધારણા માટેનો હતો

સમાજ રહેતી વ્યક્તિઓ સુખ, શાંતિ અને એક બીજાને પરોક્ષકે પ્રત્યક્ષ શારીરિક હાનિ પહોંચાડ્યા વગર રહે તે માટે સમાજે નિયમો અને નીતિઓ ઘડી. આહાર, નિદ્રા, ભય (અપૂરતી સુરક્ષા) અને મૈથુન વિષે સંશોધનો થયા અને તેના પણ ફરજીયાત અને મરજીયાત નિયમો થયાં. સમાજશાસ્ત્રીઓએ આવા નિયમો બનાવતી વખતે આહાર, નિદ્રા, ભય અને મૈથુનના હેતુઓ વિષે પણ વિચાર્યું.

ગાંધીજીને પ્રશ્ન થયો કે મૈથુન નો હેતુ શો છે? તેમને લાગ્યું કે મૈથુનનો હેતુ સંતાનની ઉત્પત્તિ માટે છે.

શું મૈથુનનો હેતુ ફક્ત અને ફક્ત સંતાનની ઉત્પત્તિ માટેનો જ છે?

ગાંધીજીએ બ્રહ્મચર્યને તેની સાથે સાંકળ્યું. અગાઉના લોકોએ કરેલા પ્રયોગોના તારણો પ્રમાણે બ્રહ્મચર્યનો અપાર મહિમા છે. એટલે તેમને લાગ્યું કે પરાપૂર્વથી ચાલ્યું આવતું અને અનુભવે માન્યતા પ્રાપ્ત કરતું આ તારણ ખોટું તો ન જ હોઈ શકે. તો તેનો અર્થ એમ થયો કે સામાન્ય સંજોગોમાં મનુષ્યે નપુંસક રહેવું જોઇએ.

બ્રહ્મચર્ય ફક્ત શારીરિક રીતે જ હોય તો બ્રહ્મચર્ય અસરકારક બનતું નથી. એટલે કે બ્રહ્મચર્યના લાભ મળતા નથી. એટલે મનુષ્યે મનથી પણ બ્રહ્મચર્ય પાળવું જોઇએ. મનથી પણ બ્રહ્મચારી બનવા માટે વિચારોમાં પણ વિજાતીય વ્યક્તિ સાથે શારીરિક સુખની ઈચ્છા ઉત્પન્ન જ ન થવી જોઇએ.

એક નવો પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે. જો અદ્વૈતવાદ પ્રમાણે મનુષ્યનો હેતુ આનંદ પ્રાપ્ત કરવાનો છે. આનંદ તો,  શારીરિક સુખ, સગવડ, અને જ્ઞાનથી મળે છે. તો પછી જો વિજાતીય વ્યક્તિસાથે શારીરિક સુખથી જે આનંદ મળે છે તેને સીમિત શા માટે કરવો? એટલે કે તે આનંદ ફક્ત સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા પૂરતો મર્યાદિત શા માટે રાખવો?

ગાંધીજી ગીતા પ્રમાણે સમજ્યા કે સાચો આનંદ અને કાયમી આનંદ એ જ્ઞાનથી પ્રાપ્ત થતો આનંદ છે. આહારથી જે આનંદ પ્રાપ્ત થાય છે તેને સમય મર્યાદા હોય છે. નિદ્રા ખપ પૂરતી હોવી જોઇએ. ભય નો અભાવ એ ભયને નાબુદ કરનારી સુરક્ષા માટેની સમજ છે. એટલે કે તે જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. એટલે જ્ઞાનથી પ્રાપ્ત થતો આનંદ સાચો આનંદ છે.

સાચો આનંદ એટલે શું?

જે આનંદ સ્થાઈ છે તે સાચો આનંદ. જે આનંદ અસ્થાઈ છે તે ખોટો આનંદ હોવો જરુરી નથી, પણ તે આનંદ કાયમી એટલે કે સ્થિર નથી તેથી તે આપણું ધ્યેય ન હોવું જોઈએ.

ખોટો આનંદ એટલે શું?

બીજાને નુકશાન કરીને જે આનંદ પ્રાપ્ત થાય તે ખોટો આનંદ છે. આ આનંદ પણ અસ્થાઈ હોય છે.

એટલે જેઓ સ્થાયીને છોડીને અસ્થાયીની પાસે જાય છે (સ્વિકારે છે), તેને માટે સ્થાયી તો નાશ પામ્યા બરાબર છે (કારણ કે તેણે સ્થાયી તો સ્વિકાર્યું જ નથી) અને જે અસ્થાયી સ્વિકાર્યું છે તેતો નાશ પામવાનું જ છે. યો ધૃવાણિ પરિત્યજ્ય અધૃવં પરિસેવતે, ધૃવાણી તસ્ય નશ્યંતિ, અધૃવં નષ્ટં એવ ચ. (ગીતા).

આહાર થી મળતો આનંદ અસ્થાયી છે. જો કે આહાર જરુરી છે. તેથી તેને તેનો હેતુ સરે તે પૂરતો  સીમિત રાખવો. નિદ્રા પણ અસ્થાયી છે. જો કે નિદ્રા જરુરી છે. તેથી તેને તેના હેતુ પૂરતી સિમિત રાખવી. શરીર થકી મળતા સુખોને નિયંત્રિત અને સીમિત રાખવા જેથી મન ઉપર કાબુ વધે. આ જ વાત વિજાતીય વ્યક્તિ સાથેના શારીરિક સુખને પણ લાગુ પડે છે. જે આ કરી શકે છે તેને પવિત્ર જાણવો.

પરદાર પરદ્વવ્ય પરદ્રોહ પરાંગમુખઃ

ગંગાબૃતે કદાગત્ય માં અયં પાવયિષ્યતિ?

પરસ્ત્રી, પરધન અને બીજાએ કરેલા દ્રોહથી જે વિમુખ હોય છે તેને વિષે ગંગા કહે છે કે તે આવીને મને ક્યારે પવિત્ર કરશે?

ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે મનને કેવીરીતે તાબે કરવું?

આહાર લેવાથી રસાયણો બને છે. વિચાર કરવાથી રસાયણો બને છે. અને આ રસાયણો વળી મન અને વિચારોને નિયંત્રિત કરે છે. તેથી આહાર અને મન ઉપર નિયંત્રણ રાખવા માટેની પ્રક્રિયા  સતત ચાલુ રાખવી જોઇએ. એટલે કે અભ્યાસ કરવો જોઇએ.  

મહાત્મા ગાંધીએ મનને કાબુમાં રાખવા ઘણા પ્રયોગો કર્યા. આ પ્રયોગોમાંનો એક પ્રયોગ, વિજાતીય વ્યક્તિ સાથે નપુંસક મન રાખી સહશયન કરવું એ હતો.

મહાત્મા ગાંધીનો પ્રયોગ, સંતરજનીમલ થી તદ્દન વિરોધી હતો. જાતીય સુખ ભોગવવાની મનોવૃત્તિથી તદ્દન વિરુદ્ધ હતો.

ગાંધીજી તેમના પ્રયોગમાં સફળ થયા હતા ખરા. પણ તેમણે આની જાહેરાત ન કરી. કારણ કે ગાંધીજી, આ પ્રયોગના ભયસ્થાનો જાણતા હતા.

કેટલાકને ગાંધીજીના બે સ્ત્રીઓના ખભાનો સહારો લઈને ચાલતા હોય એવા ફોટાઓ જોઇએને કરંટ લાગે છે. અને તેઓ આ ફોટાઓને આધારે ગાંધીજીને વ્યભિચારી કહેવાની ઘૃષ્ટતા કરતા હોય છે.  તેમણે જાણવું જોઇએ કે તે ગાંધીને માતા માનતા હતા.

બાપુ મારી મા

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ  શક્યતા, સિદ્ધાંત, ગાંધીજી, સમાજશાસ્ત્ર, પ્રયોગ, ઉપકરણ, વિજાતીય, શારીરિક, સુખ, આનંદ, સીમિત, મૈથુન, હેતુ, બ્રહ્મચર્ય, મહિમા, ગીતા, જ્ઞાન, કાયમી, મર્યાદિત, અસ્થાયી, નપુંસક

Read Full Post »

This is about Rape on Female by Saints and Controversy on Mahatma Gandhi  

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ

માદાઃ

માદા એટલે નારી જાતિ. પણ આપણે ખાસા કરીને સ્ત્રીઓને માદા તરીકે ગણીને વર્તતા સંતો વિષે વિશ્લેષણ કરીશું.

શિયળઃ

શિયળ એટલે સ્ત્રીની માદા હોવાને નાતે કુદરતે આપેલી શારીરિક, બાહ્ય, આંતરિક, માનસિક અને વ્યવહારિક સંપત્તિ. સંપત્તિનો અમુક વ્યક્તિઓ સિવાય કોઈ બીજો ઉપયોગ કરી શકે. અને જો સ્ત્રીની માનસિક ઈચ્છા વિરુદ્ધ અને ખાસ કરીને તે સ્ત્રીના પતિ સિવાય જો કોઈ ઉપયોગ કરે તો તે સ્ત્રીનો શિયળ ભંગ થયો ગણાય. અને તે વ્યક્તિ અને બીજી વ્યક્તિઓએ જેણે વ્યક્તિને મદદ કરી હોય તે કાનૂની રીતે ગુનેગાર ગણાય. આમ આ બનાવને સ્ત્રીનું શિયળ લૂંટ્યું ગણાય અને લૂંટમાં મદદ કરી ગણાય.

સંતઃ

સંત એટલે મહાનુભાવ. જે પોતાને જ્ઞાની માને છે અને સમાજને સુધારવાની પોતે કોશિસ કરે છે એવું પોતાનું ધ્યેય છે તેમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે માને છે તે સંત કહેવાય. આપણે ફક્ત પુરુષો પુરતી ચર્ચા કરીશું. સંત પુરુષોમાં પ્રણાલીગત રીતે ઓળખાતા સંતો અને બીજા સમાજ સુધારકો આવે છે. સંતો પરિણિત અને અપરિણિત હોય છે. જેઓ અપરિણિત છે તે બ્રહ્મચારી ગણાય છે. અને જેઓ પરિણિત છે પણ ફક્ત પોતાની પત્ની સાથે શારીરિક સુખ ભોગવે છે તેમને પણ સંત કહેવાની પ્રણાલી છે.

બ્રહ્મચારીઃ

જે વ્યક્તિ કોઈપણ વિજાતીય વ્યક્તિ સાથે મનથી, વાણીથી અને કર્મ થી શારીરિક સંબધ રાખતી નથી અને જે પરમ તત્વને પામવા જ્ઞાનની ઉપાસના કરે છે તે બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મચારીને પણ સંત કહેવું હોય તો કહી શકાય.

સમાજ સુધારકોઃ

સમાજ સુધારકો એટલે જેઓ સમાજને સમાજની અંદર પ્રવર્તતા તેમને સમજાયેલા દુષણોને દૂર રવાનો પ્રયત્ન કરનારા, સમાજને  ઉચ્ચ કક્ષાએ લઈ જનારા અને સમાજમાં શાંતિ, સુખ અને જ્ઞાન પ્રવર્તે તે માટે કર્મ કરનારા, ખ્યાતિ પામેલા ઉપરોક્ત સંત અને વ્યક્તિઓ  હોય છે.

આપણે આપણી ચર્ચા ત્રણ ચાર સંતો પુરતી મર્યાદિત રાખીશું.

SOCIAL REFORMERS

સંતો છે; ઓશો આશારામ, સંત રજનીશ, સમાજ સુધારક તરુણ તેજપાલ અને મહાત્મા ગાંધી.

શિયળની લૂંટઃ

આમ તો કશું ભૌતિક રીતે કશું લૂંટાતું નથી. પણ એક વ્યક્તિને સુખ થાય છે અને બીજી વ્યક્તિને પહેલી વ્યક્તિના આચારથી દુઃખ થાય છે. લૂંટ, ચોરી અને છેતરપીંડી ભૌતિક વસ્તુઓ બાબતની હોય છે. પણ અહીં તે માનસિક અને સામાજીક હોય છે.

સ્ત્રી સાથેનું જાતીય સુખ કઈ રીતે પામી શકાય છે?

સમાજની સ્વિકૃતિના નિયમો પ્રમાણે સ્ત્રી સાથેનું જાતીય સુખ મેળવાય છે.

સ્ત્રી સાથે બળ દ્વારા પણ જાતીય સુખ ભોગવી શકાય છે. બળમાં બૌધિક બળ પણ આવે છે.

સ્ત્રી પ્રતિકાર કરી શકે તેવા  સંજોગોમાં સ્ત્રી સાથે જાતીય સુખ ભોગવી શકાય છે.

સ્ત્રી ને કામ ચલાઉ રીતે પ્રતિકાર હીન કરીને બૌધિક બળથી સ્ત્રીને મોહિત કરીને સ્ત્રી સાથે જાતીય સુખ માણી શકાય છે. જોકે કામચલાઉ સમયકેટલો હોઈ શકે સાપેક્ષ છે. તે શૂન્ય થી જીવન પર્યંત સુધીનો હોઈ શકે.

સ્ત્રીને પ્રતિકાર હીન કઈ રીતે કરાય છે?

કેટલીક સ્ત્રીઓના મનને સમજીને તેને પ્રતિકાર હીન કરી શકાય છે.

 

કેટલીક સ્ત્રીઓને ભેટ સોગાદો આપીને કે લાલચો આપીને કે અમુક વચનો આપીને પ્રતિકારહીન કરી શકાય છે.

એવા સંજોગો ઉત્પન્ન કરીને કે આવી પડવાથી કેટલીક સ્ત્રીઓને પ્રતિકારહીન કરી શકાય છે.

વિશ્લેષણ શું કરી શકાય?

ઓશો આશારામઃ

ઓશો આશારામ એવા સંજોગો ઉભા કરતા હશે કે સ્ત્રી પ્રતિકાર કરી શકે. સ્ત્રીની ધાર્મિક અંધતાનો લાભ, લાલચ, ભેટ સોગાદ વિગેરેનો ઉપયોગ કરીઠગ વિદ્યા અપનાવતા હશે. તેઓ રસાયણોનો પણ ઉપયોગ પણ કરતા હશે. વાત કારી શકાય. જરુર પડે બળજબરી પણ કરતા હશે. પણ ઓશો આશારામ પાસે મહાનુભાવ હોવાનું વ્યક્તિબળ હોવાથી પીડિતા પ્રતિકાર કરતી નહીં હોય અથવા પ્રતિકાર કરવામાં નિસ્ફળ જતી હશે.

ઓશો આશારામ વિષે એમ કહેવાય છે કે તેઓ તેમના પૂર્વાશ્રમમાં ગાંધીજીના ગુજરાતમાં દારુ પહોંચતો કરવાનું કામ કરતા હતા. જેમ દારુની લત અને પરસ્ત્રી સંગની લત નજીકના સંબંધો ગણાવાય છે, તેમ કદાચ ઓશો આશારામની બાબતમાં બન્યું હોય. એવું ન પણ હોય.

ઉત્તરભારતના બાવા-ક્ષેત્રમાં એક માન્યતા પ્રચલિત છે કે ગુજરાત એ બાવાઓ માટે સ્વર્ગ છે. આ માન્યતાના આધારે ઓશો આશારામે મંદિરના વ્યવસાયમાં ઝંપલાવ્યું હશે. થોડી ઇંટો ગોઠવવીને દેરીનો આભાસ કેવી રીતે ઉત્પન્ન કરવો અને પછી સાચે સાચ દેરી બનાવી દઈને તેને વિકસાવતા વિકસાવતા મંદિર કેવીરીતે કરી દેવું તે બાવાઓ, પોલીસભાઈઓ અને જનપ્રતિનિધિઓ જાણે છે. જો ગામ શહેરની બહાર આ ક્રિયા કરી હોય તો જમીનનો વધુ અને વધુ કબજો કેવી રીતે જમાવતા જવું અને અન્ય સુવિધાઓ કેવી રીતે ઉભી કરવી તે પણ આજ લોકો જાણે છે અને તેમાં રેવન્યુ ખાતાના ભક્તો પણ સામેલ થાય કે ભાગબટાઈ કરી લે છે. પૂર્વાશ્રમના મિત્રો નું મિલન સ્થળ કે ગુફતેગુ-સ્થળ પણ આજ હોય છે. ધીમે ધીમે નવા સભ્યો દાખલ થાય છે. ઉત્તર ભારતના થોડા નવા સવા લોકો પણ આવે જ્ઞાનની વાતો પણ થાય અને આપણા મૂળ બાવાજીના જ્ઞાનમાં વૃદ્ધિ પણ થાય. ધંધો વિકાસ પામે અને નવા ધંધાઓનો પણ સમાવેશ થાય. કેટલાક શાખાઓ ખુલે અને સામ્રાજ્ય થાય. સંપત્તિ, ધન અને ભક્તો આવે એટલે સ્ત્રી ભક્તો આવે. સ્ત્રી ભક્તો આવે એટલે મદદ વાંચ્છું સ્ત્રીઓ પણ આવે. સ્ત્રી એક વાર બાવાજીને શરણે આવે એટલે બાવાજીની દાઢ ન સળકે તો જ નવાઈ કહેવાય. દવાઓ અને રસાયણો આવે. એટલે ભલભલીઓ વશ થઈ જાય. કારણ કે દારુ કરતાં પણ રસાયણો વધુ જોરદાર હોય છે.  

સંત રજનીશમલઃ

સંત રજનીશમલ ની વાત થોડી અલગ છે. તેમની કાર્ય શૈલી થોડી અલગ છે. જૈન સાધુમહારાજ કંઈક ભણેલા હોય છે. તેઓ મર્યાદા બાંધીને કાર્ય આગળ ધપાવે છે અને તેમાં પણ મર્યાદા નક્કી કરે છે.

સંત રજનીશમલને થયું કે આ ચીલાચાલુ રીતે મહારાજ સાહેબ થઈને રહીશું તો મનુષ્ય દેહ કોઈ ખાસ આનંદ આપી શકશે નહીં. વળી આપણે આપણું કાર્યક્ષેત્ર જૈન ધર્મીઓ અને અપાસરા પુરતું મર્યાદિત રાખીશું તો આપણે પણ તેના નિયમો અને કર્તવ્યોના ગુલામ થઈને રહેવં પડશે. માટે જો મુક્ત બનવું હશે તો કંઈક બોલવું પડશે. (બોલવાથી મુક્તિ મળે છે). વળી એક જ પંથના શિષ્યો થકી દી વળશે નહીં. માલેતુજારો તો જૈન ઉપરાંત વૈષ્ણવ વણિકોમાં પણ હોય છે. એટલે મહાવીર સ્વામીને છોડ્યા વગર કૃષ્ણ ભગવાનને પણ પકડો.

સંત રજનીશમલને ખબર હતી કે એમ કંઈ વૈષ્ણવો આવશે નહીં. પહેલાં થોડી ખ્યાતિ મેળવો. પછી અહિંસા, પ્રેમ, આનંદ, તત્વ જ્ઞાન અને યોગની વાતો કરો.

છાપાંવાળાઓનું કેવું હોય છે? કુતરું માણસને કરડે તો તે “સમાચાર” ન કહેવાય. પણ જો માણસ કુતરાને કરડે તો સમાચાર કહેવાય. કારણ કે માણસ કુતરાને કરડે તે અસામાન્ય બનાવ કહેવાય. અસામાન્ય બનાવ “સમાચાર” માટે પ્રસિદ્ધિને લાયક બને છે.

ઓગણીસસો પચાસના દાયકાનો ઉત્તરાર્ધ

ઓગણીસસોપચાસના દાયકાના અંતિમ વર્ષોમાં આપણા સંત રજનીશમલ ગુજરાતના પટમાં આવેલ. અને તેમણે મહાત્મા ગાંધી ઉપર સૈધાંતિક વૈચારિક આક્રમણ કરેલ.   આમ સંત રજનીશમલે પહેલાં મહાત્મા ગાંધીની અહિંસામાં રહેલા હિંસક તત્વ ઉપર હુમલો કર્યો. ક્યારેક ગાંધીજીની હિંસાને અપૂર્ણ અહિંસામાં ખપાવી. તો ક્યારેક તેને કાયરતામાં ખપાવી. તમને થશે કે તો તો સંત રજનીશમલે ગાંધીજી વિષે ઘણું વાંચ્યું હશે. ના … જી. ના … જી. જો શબ્દોની રમત આવડતી હોય અને શ્રોતાગણ કે મુદ્રકગણ (છાપાંવાળા), અલ્પજ્ઞ હોય તો આ રમત અમુક ખાસ લોકોને ઠીક ઠીક ખ્યાતિ અપાવી શકે. આમ તો પોતે જબલપુરના હોવા છતાં આ સંત રજનીશમલે જબલપુઅરના ગાંધી ચોકના ગાંધીજીના બાવલા નીચે લખેલ ગાંધીજીના વાક્યો પણ વાંચેલ નહીં. પણ ગુજરાતના છાપાંવાળાને આવી બધી ખબર ક્યાંથી હોય? વળી એ જમાનો એવો હતો કે સાધુ મા’તમાઓ તો સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે. એવા જમાનામાં જો સંત રજનીશમલ જેવા મા’તમા જો મા’તમા ગાંધી વિષે કંઈ અજુગતું તો બોલે તો છાપાંવાળા કંઈ થોડા ઝાલ્યા રહે?

આમ સંત રજનીશમલે જરુરી ખ્યાતિ મેળવી લીધી. પછી વાણીવિલાસમાં કૃષ્ણ ભગવાનને રંગે ચંગે ભેળવ્યા. પોતે યુનીવર્સલ છે તે બતાવવા બુદ્ધ ભગવાનને ભેળવ્યા. અને માખીઓ બણબણે તેવી આકર્ષક વાનગીઓ તૈયાર કરી. કૃષ્ણ ભગવાન એક સર્વ સ્વિકૃત પાત્ર છે. જેમ “નાટ્યં ભિન્નરુચેઃ જનસ્ય એકં સમારાધનમ્‌” (નાટક ભિન્ન ભિન્ન રુચિના લોકોને પ્રસન્ન કરવાનું એક સાધન છે), તેમ કૃષ્ણભગવાન વિષે પણ તેવું જ છે. ભિન્ન ભિન્ન પુરુષો અને સ્ત્રીઓ બંનેને કૃષ્ણભગવાનની ભિન્ન ભિન્ન વાતો થી પ્રસન્ન કરી શકાય છે. આમ તો શિવ અને પાર્વતિ પણ છે. પણ તેઓ તો પ્રતિકાત્મક છે. જ્યારે કૃષ્ણ અને રાધા તો હાડમાંસના હતા. (જોકે રાધા વિષે વિવાદ છે). પણ વિવાદો તો ક્યાં નથી?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શિયળ, લૂંટ, સ્ત્રી, માદા, પુરુષ, જાતીય, આનંદ, બળજબરી, અનિચ્છા, પ્રતિકાર, બાવા, સંત, મહાનુભાવો, ઓશો, આશારામ, સંત રજનીશ, તેજપાલ, ઠગ, જૈન, મહારાજ, વૈષ્ણવ, વાણિયા, માલેતુજાર, બ્રહ્મચર્ય, આનંદ

Read Full Post »

શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે?

હાજી ઘણા મૂર્ધન્યો અને દંભી માનવ અધિકાર વાદીઓ આવું જ કરવા માગે છે જેથી તેમને ખરીદી શકાય અને પોતાની સંસ્થાનો કારભાર ચાલુ રાખી શકાય.

આમ તો માંદગી અને ગરીબી કોઈને ન ગમે. પણ ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેમને પોતાની માંદગીની વાતો કરીને અપાર આનંદ મળતો હોય છે. ઘણા પૈસાપાત્ર લોકોનો આ એક શોખ હોય છે કે તેઓ પોતાની માંદગી અને દવાઓની વાતો સંભળાવ્યા કરે. પણ આ બધી માંદગીની વાતોમાં માંદગી ની વાત મૂખ્ય નથી હોતી. તેમાં થતા ખર્ચા પ્રત્યે પોતે કેવા સદ્ધર છે તે બતાવવું મુખ્ય હોય છે. જ્યારે માંદગી અતિગંભીર હોય ત્યારે તેજ વ્યક્તિમાં માંદગીની ચર્ચા કરવાના હોંશ રહેતા નથી.

આવું જ ગરીબીનું છે. ખાધે પીધે બહુ તકલીફ ન હોય તેવા સરખે સરખા લોકો પણ મોંઘવારીની વાતો કરતા હોય છે. પણ જ્યારે પૈસાની અત્યંત તકલીફ હોય ત્યારે તેમને હર્ષપૂર્વક પૈસાની તંગીની વાતો કરવાના હોંશ હોતા નથી.

અંગ્રેજોના સમયમાં ગુજરાતમાં અને દેશમાં ગરીબી હતી તે સમજી શકાય છે.કારણ કે તેઓ આપણો કાચો માલ દેશમાંથી નિકાલ કરતા હતા અને બનાવેલો માલ દેશમાં લાવીને વેચતા હતા. દેશનો પૈસો બહાર ઢસડાઈ જતો હતો. એ વાત ઉપર ભાર દઈને મહાત્મા ગાંધીએ સ્વદેશીની ચળવળ ચલાવેલ. વિદેશી માલનો બહિસ્કાર કરવાની પણ ઝૂંબેશ ચલાવેલ. વિદેશી માલના બહિષ્કારની ચળવળ તે વખતના ઘણા મૂર્ધન્યોના અને મહાન નેતાઓના સમજમાં ન આવેલ. તેઓના નામ આપવા જરુરી નથી. પણ તેમને અંતે તો એ વાતનો ખ્યાલ આવેલ કે મહાત્મા ગાંધીમાં આજનું, કે કાલનું જ નહીં પણ આવનારા ભવિષ્યના અનેક દિવસોનું દેશનું હિત વિચારવાની દૃષ્ટિ હતી.

ગાંધીજીનું અર્થશાસ્ત્ર એક સાંકળ જેવું છે. તે સાંકળને તમારે સ્વિકારવી હોય તો તેને તમારે આખે આખી સ્વિકારવી જોઇએ. જો તમે આમ કરો તો જ તમને તેના ઉત્કૃષ્ટ ફળ મળે. જો તમે તેની અમુક કડીઓને ન સ્વિકારો તો તે સાંકળ તૂટી જાય અને તમને ઉપયોગી ન જ થાય. તમને ખરાબ પરિણામો મળે અને અંધાધુંધી પણ મળે.

ભૂતકાળની વાત કરવાનો કશો અર્થ નથી. પણ ભૂતકાળની ભૂલોને યાદ ન રાખીએ અને તેને દૂર ન કરીએ તો તેનું પુનરાવર્તન થાય. જો આર્ષ દૃષ્ટિ હોય તો નવી ભૂલો ન થાય.

કુદરતી અધિકાર શું છે?

જીવવાનો અધિકારઃ મારો, તમારો અને સૌનો. સૌનો એટલે વધુ વિશાળતાથી અને પરિપક્વ સંવેદનાથી વિચારીએ તો પશુ, પક્ષીઓ, જીવ, જંતુઓ  અને વનસ્પતીઓ પણ આવી જાય. જોકે પ્રાથમિકતા મનુષ્યના જીવવાના અધિકારની આવે છે. બને ત્યાં સુધી મનુષ્ય સમાજને આપત્તિ ન આવે ત્યાં સુધી બીજા સૌ પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે. તેથી મનુષ્ય જાતિએ સજીવોના જીવવાના અધિકારને રક્ષવો જોઇએ.

આનંદનો અધિકારઃ મારો તમારો અને સૌનો. પણ મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં આનંદ માટે ખોરાક છે અને ક્યાં ક્યાંક ખોરાક અને પ્રેમ છે. વસુધૈવ કુટુંબકમ્‌.

અયં નિજઃ (અયં) પરઃ વેત્તિ, ગણના લઘુચેતષામ્‌

ઉદારચરિતાનાં, તુ વસુધૈવ કુટુંબકમ્‌

(આ મારો છે, આ પારકો છે, આવું જે વિચારે છે તે સંકુચિત મન વાળો છે. જેનું મન વિશાળ છે તેને માટે તો આખી ધરતી ઉપરના સૌ કોઈ કુટુંબીજન છે.)

સુરક્ષા અને જ્ઞાનઃ

મનુષ્ય એક એવું પ્રાણી છે જે વિશ્વ અને તેમાં બનતા બનાવો વિષે વિચારે છે. અને તેને સમજવાની કોશિસ કરે છે.

એટલે મનુષ્યને માટે બીજી બે વસ્તુઓ છે જે તેને આનંદ આપે છે.

(૧)સગવડ અને સુરક્ષિતતા, (૨) જ્ઞાન.

સગવડ અને સુરક્ષિતતા માં અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આવી જાય. અને જ્ઞાનમાં શિક્ષણ અને સંશોધન આવી જાય.

સગવડ અને સુરક્ષિતતા માટે માનવ સમાજે કાળક્રમે ઠેરવ્યું કે રાજ્ય આનું ધ્યાન રાખશે જેથી સમાજમાં સુલેહ શાંતિ જળવાઈ રહેશે. અને જ્ઞાન (શિક્ષણ) પણ જો સમાજ આપશે તો તેની વૃદ્ધિમાં વેગ આવશે. કારણ કે ફક્ત વિચારો કરવાથી વિશ્વને સમજવાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને તેમાં વૃદ્ધિ થઈ શકતી નથી. તેને માટે બીજા જ્ઞાનીઓની મદદ લેવી પડે છે. ઉપકરણોની પણ જરુર પડે છે.

જ્ઞાન માટેના ઉપકરણોનો પણ વિકાસ

જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના ઉપકરણો આપણી સુખ સગવડો અને સુવિધાઓ વધારવા માટે પણ વાપરી શકીએ છીએ. થયું એવું કે આ ઉપકરણોનો મોટાભાગનો ઉપયોગ સુખસગવડો અને સુવિધાઓ વધારવા માટે થયો.

એવી જાતની સમાજ રચના મંજુર રાખી કે જેમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને રહ્યો અને કાયદાઓ પણ એવા થયા કે જે મનુષ્યેતર પ્રાણી સૃષ્ટિમાં અલિખિત રુપે ચાલે છે કે જે પ્રાણી સક્ષમ હશે તે જ ટકી શકશે એટલે કે સક્ષમ પ્રાણીની પ્રજાતિ જ જીવન રુપી આનંદ મેળવી શકશે.

મનુષ્ય સૃષ્ટિમાં પણ એવું થયું કે જે સક્ષમ હશે તે જ સુખસગવડ ભોગવી શકશે. કાયદાઓ પણ ક્ષતિયુક્ત એવા થયા કે સિદ્ધાંત એવો થયો કે મનુષ્યની સ્વતંત્રતાને હાની થશે નહીં, સિવાય કે તેની સ્વતંત્રતા ભોગવવાની પદ્ધતિથી બીજાના અધિકારને નુકશાન થતું હોય.

ક્ષતિયુક્ત અર્થઘટનો અને પ્રણાલીઓ

તમે જુઓ સેંકડો ઉદ્યોગો પર્યાવરણના સંતુલનને, જમીનને, જળને  અને હવાને નુકશાન પહોંચાડી આસપાસના લોકોના આરોગ્યને નુકશાન પહોંચાડી રહ્યા છે. તમારે ઉદ્યોગ કરવો હોય તો હજાર જાતની મંજુરીઓ લેવી પડે છે. અને આ મંજુરીઓ પણ હંગામી હોય છે. જે તમારે બે પાંચ વર્ષે ફરીથી મંજુર કરાવવી પડે છે. આવું હોવાં છતાં જમીન, પાણી અને હવા દુષિત કર્યા કરવામાં આવે છે.

દુષિત હવા, પાણી ઉપર જીવનારાઓના આરોગ્ય ઉપર જોખમાય છે. તેમના જીવવાના હક્કને હાની પહોંચે છે. પણ આરોગ્ય ખાતું ઉદ્યોગપતિની ધરપકડ કરીને જેલમાં પૂરીને સજા નક્કી કરાવવાને બદલે તેને નોટીસ આપે છે અને કાર્યવાહી પ્રલંબિત કરે છે. જ્યાં સુધી કોઈ મોટો કાંડ ન થાય ત્યાં સુધી કશું અસરકારક થતું નથી. આમાં આરોગ્ય ખાતાના સરકારી નોકરો, પોલીસ, લેબર કમીશ્નર, ન્યાયાલય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીલીભગત હોય છે.

ઉદ્યોગપતિ શામાટે માનવીય આચાર સંહિતાનો ભંગ કરે છે?

ઉદ્યોગપતિ સમજે છે કે સક્ષમ બનવું એટલે વધુ પૈસા કમાવા અને વધુ પૈસા વાપરવા. પૈસા હશે તો કાયદાના અર્થઘટનોમાં ગુંચવાડો ઉભો કરી શકાશે. પૈસા હશે તો સરકારી નોકરો પાસે કાયદાકીય પ્રણાલીઓમાં છીંડા ઘુસાવી, દંડમાંથી છટકી શકાશે. પૈસા હશે તો પ્રતિસ્પર્ધીઓની સામે ટકી શકાશે. એટલે જો પૈસા કમાવા હોય તો વધુ ને વધુ નફો કરો. વધુ નફો કરવાના અનેક અમાનવીય રસ્તાઓ છે.

પૈસાનું મહત્વ અને સમસ્યાની સ્થિતિ “જૈસે થે” જેવી

સુખસગવડ અને સુવિધાઓ અને પૈસા કેટલા વધારવા જોઇએ તેની કોઈ કાયદાકીય સીમા નથી. કારણ કે આવી સીમા વ્યક્તિની સ્વતંત્રતાને હાની પહોંચાડે છે. કાયદાનો જે ભંગ થાય છે તેને અટકાવવા તો પ્રજાએ જ જાગૃત થવું પડશે. કાયદો કાયદાનું કામ કરે તે પ્રજાએ જોવું પડશે. સરકારી નોકરો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કામ નહીં કરે કારણ કે તેઓ પણ પ્રજામાંથી જ આવે છે. એટલે ઓળાઘોળ કરી સમગ્ર પ્રજા ઉપર દોષનો ટોપલો નાખી પ્રસાર માધ્યમના વિશ્લેષકો, મૂર્ધન્યો, વિવેચકો, રાજનીતિજ્ઞો પોતાની જાત પ્રત્યે ધન્યતા અનુભવે છે. એટલે મૂળવાત જ્યાં હતી ત્યાંની ત્યાં જ રહે છે.

જો સત્તાધારીઓ પાસે માનવીય અભિગમ હોય તો કોઈપણ પ્રણાલી કામ કરશે. પણ જો સત્તાધારીઓ પાસે માનવીય અભિગમ નહીં હોય તો કોઈ પણ પ્રણાલી કામ કરી શકશે નહીં. આનો જીવતો જાગતો દાખલો માહિતિ અધિકારને લગતો છે. કાયદો તો ભૂલભૂલમાં થઈ ગયો. પણ હવે તેને કેવી રીતે તદન નહોર વગરનો કરવો અને તે પણ રાજકીય પક્ષો માટે, એ આપણે જોઈ રહ્યા છીએ.

પણ આનો ઉપાય શું?

શ્રમનું મૂલ્ય અને ઉત્પાદનનું મૂલ્ય

આનો ઉપાય છે. બે ઉપક્રમ છે.

એક તો ઓછીને ઓછી દોષયુક્ત સરકાર લાવ્યા કરવી. અને શ્રમનું મહત્તમ અને લઘુતમ મૂલ્ય નક્કી કરવું.

નહેરુવીયન કોંગ્રેસ સરકારે ૫૬+ વર્ષના શાસન પછી પણ શ્રમનું લઘુતમ અને મહત્તમ મૂલ્ય કે કોઈપણ મૂલ્ય નક્કી કર્યું નથી. જો માનવીય શ્રમનું જ મૂલ્ય નક્કી થતું ન હોય તો બીજા ઉત્પાદનના મૂલ્યોની તો વાત જ શી થાય?

કોલસાના ક્ષેત્રો અપાયા અને શરતો નક્કી થઈ પણ તે ક્ષેત્રો એવી વ્યક્તિઓને અપાયા જેની કોઈ યોગ્યતા ન હતી. અને આ ક્ષેત્રો એ વ્યક્તિઓ દ્વારા બારોબાર વેચાઈ ગયા. કોલસો નિકળ્યો નહીં અને ૪૦૦ વર્ષ ચાલે એટલો કોલસો હોવા છતાં પણ કોલસાની આયાત કરવાની પરવાનગીઓ આપવામાં આવી. ૨-જી સ્પેક્ટ્રમ જે માટે વધુ તકનિકી જાણકારીની યોગ્યતા ખાસ જરુરી હતી પણ એવી પૂર્વ શરત રાખવામાં ન આવી અને ટોમ-હેરી-ડીકને વહેંચી દેવામાં આવી અને તેમણે બારોબાર ત્રીજાને વેચી દીધી.

 શું કાયદામાં આવી જોગવાઈ છે કે તમે મનફાવે તેમ ગમે તેને કોન્ટ્રાક્ટ આપી શકો? નાજી આવું કશું નથી. આમ તો મૂડીવાદી પ્રક્રિયામાં જો ટેન્ડર બહાર પાડો ત્યારે તેને ભરનારાની યોગ્યતા નક્કી કરવી પડે છે. તેનો અનુભવ લક્ષમાં લેવો પડે. તેની પાસેથી બાનાની રકમ લેવી પડે. અને આ બધું કર્યા પછી પણ આવેલા ભાવ જો બજારભાવ સાથે સરખામણી કરવા યોગ્ય ન હોય તો એને સ્વિકારી શકાતા નથી. વળી જો આવા જ કામ માટે એક વરસ પહેલાં ભાવ મગાવ્યા હોય અને તે ભાવનું ટેન્ડર અમલમાં હોય તો પણ સરકારી અધિકારી તે ભાવને મંજુર ન કરી શકે કારણ કે બજારભાવ જો ઓછા કે વધુ થઈ ગયા હોય તો જનતાનું હિત જળવાય તે પ્રમાણે ભાવ મંજુર કરવા જોઇએ. આ તો બહુ સામાન્ય સિદ્ધાંત છે. જો કોઈ સરકારી અધિકારી આ નિયમને અવગણો તો તે ગુનેગાર જ ગણાય. પણ આપણા મનમોહન સિંહ કે જેઓ દરેક ખાતા માટે ઉત્તરદેય અને જવાબદાર છે તેમણે સામાન્ય નિયમની પણ અવગણના કરી.

અધિકારીને પોતાના હોદ્દા અનુસાર કામ અને વસ્તુઓના સંપાદન-વહીવટ કરવા માટે આર્થિક સત્તા હોય છે પણ આ સત્ત્તા મનફાવે તેમ ઉપયોગ કરવાની હોતી નથી. આ સત્તા શુદ્ધ બુદ્ધિ અને વિવેકશીલતાના આધારે વાપરવાની હોય છે.

આખરે બધી સત્તા પ્રધાન અને વડાપ્રધાન સહિતના પ્રધાનમંડળ પાસે હોય છે. આ સત્તા થકીના નિર્ણયો પણ શુદ્ધ બુદ્ધિ અને વિવેકશીલતાના  આધારે કરવાના હોય છે. વડાપ્રધાન પાસે એવી સત્તા નથી કે તે તેના કોઈ પ્રધાનને મુનસફ્ફી પ્રમાણે નિર્ણયો કરવાની સત્તા આપી શકે. જો વડાપ્રધાન આવી સત્તા આપે તો ગેરબંધારણીય ગણાય. વડાપ્રધાન તેની બંધારણીય જવાબદારીમાંથી છટકી ન શકે. વળી જો તેના પ્રધાને શુદ્ધબુદ્ધિ અને વિવેકશીલતા વાપર્યા વગર નિર્ણય કર્યો હોય તો તેવા કિસ્સામાં વડાપ્રધાન પણ તે પ્રધાન જેટલો જ ગુનેગાર ગણી શકાય. જે કાર્યવાહી અને સજા પ્રધાનને થાય તેજ કાર્યવાહી અને સજા વડાપ્રધાનને થાય. આમાં કોઈ શક નથી. ૨-જીમાં અને કોલસા કૌભાંડમાં દિવા જેવી સ્પષ્ટ ગેરરીતિ થઈ તો પણ વડાપ્રધાનને આંચ ન આવી તે જ બાબત સિદ્ધ કરે છે કે અર્થઘટનમાં બેઈમાની આચરવામાં આવી. એટલે કે પ્રણાલી પોતે ક્ષતિહીન હોવા છતાં પણ પ્રણાલીને લાગુ કરવાની બાબતમાં રહેલી આચાર હીનતાને સમાચાર માધ્યમોએ અને સૌ કોઈએ વિવાદાસ્પદ બનાવી દીધી.

કામમાં રહેલા શારીરિક શ્રમના વપરાશ, જ્ઞાનરુપી શ્રમના વપરાશનું મૂલ્ય કેવી રીતે નક્કી કરશો?

પહેલાં તો આપણે એ નક્કી કરવું પડે કે માણસને સુખ સગવડ, આનંદ અને સુરક્ષા સહિત જીવવા માટે ઓછામાં ઓછા કેટલા પૈસા જોઇએ. આના આધારે મનુષ્યના આઠ કલાકના કામના શ્રમનું લઘુતમ મૂલ્ય નક્કી કરવું જોઇએ.

માણસને શું શું જોઇએઃ

રહેવાને ઘર જોઇએ. કેવડું ઘર જોઇએ? એક બેઠક રુપ, એક બેડરુમ, એક વાચન અને બાળકો માટેનો રુમ. એક મહેમાન માટેનો બેડ રુમ, રસોડું બાથરુમ અને સંડાસ. જો તમે સ્ટન્ડર્ડાઈઝ બાંધકામ કરો તો ૧૫’બાય૧૫’ ના ચાર રુમમાં બધો સમાવેશ થઈ જાય. એટલે કે ૧૦૦ ચોરસ મીટરનું મકાન (ફ્લેટ એટલે કે એપાર્ટમેન્ટ) જોઇએ. જો કોઈની પાસે આનાથી નાનું હોય તો તેના હાલના ઘરનો કબજો લઈ તેને સરકારે આવડું એપાર્ટમેન્ટ આપવું જોઇએ.

જો તમે ફેબ્રીકેટેડ ટાવર (બહુમાળી મકાન) બનાવો તો ઉપરોક્ત રહેઠાણ ઓછામાં ઓછું ૧૦ લાખ રુપીયામાં પડે. આમાં દિવાલો અને પેસેજ આવી જાય. સરકાર ફક્ત બહારની દિવાલો સાથે ૧૫’x૧૫’ ના ચાર ગાળાઓ જ આપશે.

એક કુટુંબમાં કોણ કોણ હોઈ શકે. પતિ પત્ની, બે બાળકો, અને માતા પિતા. પતિ-પત્ની બંને કમાતા હશે. અને માતા પિતાને પેન્શન આવતું હશે.

એક વ્યક્તિની આવક કેટલી હોવી જોઇએ? એક વ્યક્તિની માસિક આવક ઓછામાં ઓછી રૂ.૧૦,૦૦૦/- હોવી જોઇએ. એટલે એક કુટુંબની આવક રૂ.૩૦૦૦૦/- થઈ.

જોકે ઘણાને આ આવક વધારે પડતી લાગશે. પણ સુખપૂર્વક અને આનંદથી જીવવા માટે આ કંઈ વધારે ન જ કહેવાય. વળી આમાં પણ કામ પર જવા માટેના વાહનવ્યવહાર, માંદગીનો ખર્ચ અને ભણતરનો ખર્ચ સરકાર કે કામ આપનાર માલિક જ ભોગવશે.

પણ આટલા પૈસા લાવીશું ક્યાંથી?

ભારતમાં કુદરતી શ્રોતોની કમી નથી. માળખા કીય કામ તો ન બરાબર છે. આપણી પાસે વૃક્ષ વગરના પર્વતો છે. અફાટ સમુદ્ર છે. બાંધેલા કિનારા વગરની (રીવર ફ્રન્ટ વગરની) નદીઓ છે, કે જેમાંની ઘણી છીછરી છે, ઝોંપડ પટ્ટીઓ છે, પડું પડું થતા જુના મકાનો છે. સુકા, છીછરા બાંધ્યા વગરની કિનારી વાળા તળાવો છે, ન ખતમ થાય તેવી સૂર્ય અને પવન ઉર્જા છે, અફાટ રણ છે. રેલ્વે અને રસ્તાની બંને બાજુએ જોવા મળતા, વપરાયા વગરના જમીનના ટૂકડાઓ છે. વિકસાવ્યા વગરના અને વિકસાવી શકાય તેવા અગણિત પર્યટન સ્થળો છે. પોતાના પૂરથી લોકોને તબાહ કરતી નદીઓ અને સાથે સાથે મોટેભાગે કાયમ સૂકી રહેતી નદીઓ છે. પાણીની તંગી છે, જનતા ટ્રેનોમાં દબાઈને લટકીને મુસાફરીઓ કરેછે, ભણેલા બેકાર છે અને કામવગરના અભણ પણ છે. અનેક સમસ્યાઓ છે. પણ વાસ્તવમાં જોઇએ તો સમસ્યા એ પણ એક શ્રોત(કાચોમાલ)  અને કામ છે. વિજ્ઞાન ના વિકાસ માટે અસીમિત કામ છે. જ્યાં નજર દોડાવો ત્યાં કામ અને કામ છે.  એટલે જો કોઈ એમ કહે કે કામ નથી તો તે સૌથી મોટું જુઠાણું છે અથવા તો તે જૈસે થે ની સ્થિતિ ચાલુ રાખવામાં માને છે એટલે કે ભાગ લેતો કે ન લેતો જાણે અજાણે ઠગ છે.

તમે કહેશો કે કામ માટે પૈસા જોઇએ. પૈસા ક્યાં છે? પણ અર્થ શાસ્ત્રીઓ કહે છે કે કામની સામે તમે કરન્સી છાપી શકો છો. અને જેમ કરન્સીની પ્રવાહિતા વધે તેમ ઓછી કરન્સી જોઇએ. એક માણસની પાસે રહેલા ૧૦૦ રૂપીયા, જો ફરતા રહે તો કમસે કમ ૫૦૦૦ રૂપીયાનું કામ કરી શકે. વળી તમે જુઓ, વિદેશી બેંકોમાં ભારતીયોના ચારસો લાખ કરોડ રૂપીયા પડ્યા છે. આ બધા રૂપીયા આવ્યા ક્યાંથી?

શ્રમનું મહત્તમ મૂલ્ય કેટલું રાખવું જોઇએ?

આમ તો મારા સર્વોદયી મિત્ર બંસીભાઈ પટેલ ના કહેવા પ્રમાણે થોડી અસમાનતા તો રહેવાની જ. પણ આ અસમાનતા સંવાદહીન  બને તેટલી ન જ હોવી જોઇએ. એટલે કે હાથની આંગળીઓની જેમ અલગ અલગ તથા હળીમળીને પણ કામ કરી શકે તેટલી અસામનતામાં ખાસ વાંધો નથી. વ્યક્તિઓ સંવાદહીન કેવી રીતે બને છે. એકલતા (આઈસોલેશન) માણસને સંવેદનહીન પણ કરે છે. પહેલાંના સમયમાં જીવનની મોટાભાગની જરુરીયાતો માટે ગામ સ્વાવલંબી હતા એટલે ભાવો વધતા ન હતા. હવે માણસ આઈસોલેટેડ બન્યો હોવાથી સંવેદનહીન બન્યો છે. વસ્તુનું મૂલ્ય, લેનારની ગરજ અને વેચનારની ગરજના પરિણામી સ્વરુપ ઉપર આધાર રાખતું થયું છે. આનું એક શાસ્ત્ર તૈયાર થયું છે. વેચાણ વૃદ્ધિ પ્રબંધન શાસ્ત્ર. અને તેની સામે ઉપભોગતા હિત પ્રબંધન શાસ્ત્ર. અને આ બે બિલાડીઓને ન્યાય આપનાર સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલ વાનર ન્યાય પ્રબંધન પ્રણાલી છે.

શ્રમનું મૂલ્ય અને ઉત્પાદનનું? મૂલ્ય કોની ગરજ વધારે છે?

ટૂંકમાં જો તમે મહત્તમ શ્રમ મૂલ્ય નક્કી કરો તો ગેરમાર્ગે જતી કરન્સીની સ્થગિતતાને કે ગેરમાર્ગે જતી કરન્સીની પ્રવાહિતાને નાથી શકો છો અને તેને યોગ્ય દીશામાં વાળી શકો છો.

એટલે કે સમસ્યાની મૂળ વાત એ છે કે શ્રમનું મહત્તમ મૂલ્ય શું હોવું જોઇએ?

આ નક્કી કરવા માટે કેટલાક પરિબળોને લક્ષ્યમાં લેવા પડે.

કોણ લૂંટ કરે છે? અને કોને અમાપ પૈસા જોઇએ છે?

ઉત્પાદન કરનારા માલિઓને વધુને વધુ નફો જોઇએ છે કે જેથી તેઓ ધંધાનો વિકાસ કરી શકે અને સુખ સગવડો પણ ભોગવી શકે અને તેમના સંતાનો પણ આમ જ કરી શકે. તેઓ સંતાનોને તેની આવતી પેઢીઓને પણ નિશ્ચિંતતા બક્ષી શકે એટલું કમાવા માગે છે.

માણસે કેટલો નફો કરવો જોઇએ?

જો તમે ધંધો કરતા હો તો, આયકર વિભાગવાળા તમારી આવક ઉપર ૮ ટકા નફો તો ગણી જ લે છે. તમે કહેશો કે જો પૈસા ઉપર વરસે ૧૦ ટકા વ્યાજ મળતું હોય તો ૮ ટકા વાળો ધંધો કરશે જ કોણ?

પણ વાસ્તવમાં જો તમારી પાસે રૂ. ૧૦૦ હોય અને તમે તેને ઉત્પાદનમાં પ્રવાહિત કરો તો તમને ૮ ટકા મળે છે. એટલે તમારી ધંધાકીય સીમાની અંદર ભલે તે પ્રવાહિતા સમગ્ર દેશના પૈસાની પ્રવાહિતા જેવી એટલે કે ૫૦ ગણી ન હોય. પણ તે ૪ ગણી તો હોય જ. એટલે કે રૂ.૧૦૦૦ ના ટર્નઓવર ઉપર ઉત્પાદકને ૮૦ રૂપીયા મળે.

કરન્સીની પ્રવાહિતતા ચાર ગણી કઈ રીતે?

આપણે કેટલા માનવ દિન વપરાય છે તે જોઇએ

૧      માનવ અને કાચામાલ નું પ્લાનીંગ અને હેરફેર       ૫

૨      કામનું પ્લાનીંગ અને કામની વહેંચણી                ૧

૩      કામ ચાલુ   ૧૨x૭                                  ૮૪

૪      કામની ચકાસણી                                       ૭

૫      કામનું બીલ અને તેની ચૂકવણી માટે રજુઆત        ૧

( ૬ દિવસ બીલની ચૂકવણીની રાહ જુઓ)

કુલ દિવસ મજુર દિવસ                                    ૯૬ દિવસ

આમાં ૧૨ દિવસ મુકાર્દમના છે, જેમાં ૫ દિવસ મજુરની ગોઠવણના છે. ૬ દિવસ કામની દેખરેખના છે. ૧ દિવસ રજાનો છે. બાર મજુરો એક અઠવાડીયા માટે અને એક દિવસ રજાનો એટલે ૧૨ મજુરો સાત દિવસ માટે એમ ચુકવણી માટે ૮૪ દિવસ થયા.

મેનેજરના બે દિવસ છે. અને ૧૨ માનવ ના અઠવાડીયાના લેબર ૮૪ દિવસ છે.

આ વધુમાં વધુ સમય છે. ૧૨+૨ =૧૪ દિવસ અનુત્પાદક અને વહીવટી કામમાં ગયા. જે બીજા કામોમાં વપરાઈ શકે છે. તો પણ ૧૪ એટલે કે ૧૭ ટકા માણસો નિરીક્ષણ અને નિપૂણતામાં રોક્યા. જે બુદ્ધિનો ઉપયોગ કરે છે તે ઓછામાં ઓછા ૧૨ કલાક કામ કરે છે. જે મેનેજર છે તે બુદ્ધિનો ઉપયોગ સુવાના સમયને બાદ કરતાં બધા સમય માટે કરે છે. છતાં આપણે સમજો કે તે ૧૫ કલાક કામ કરે છે.

એટલે જો લેબરને ૧૦ હજાર મળે તો નિરીક્ષકને ૨૦ હજાર સુધી આપી શકાય. મેનેજરને ૪૦ હજાર આપી શકાય. જનરલ મેનેજરને ૬૦ હજાર આપી શકાય. અને પ્રમુખ મેનેજરને ૮૦ હજાર સુધી આપી શકાય. જેમણે પૈસા અને સાહસ રોક્યાં છે તેમને એક લાખ રૂપીયા આપી શકાય અને તેની ઉપર નફો પૈસા રોકાણકર્તાઓમાં વહેંચી શકાય. 

ધારો કે સ્ટેજ હજી એક વધુ છે તો ૧૭ ટકાના ૧૭ ટકા એટલે કે ૧ ટકો જનરલ મેનેજરનો ઉમેરાય. એટલે કે ૧૮ ટકા માનવ શક્તિ થાય. એટલે કે ૨૦ ટકા સમય વહીવટી કામમાં ગયો. આ ગાળો સમયનું પ્રબંધન યોગ્ય રીતે કરીને ઘટાડી શકાય છે. જો કામ મોટું હોય તો પણ આ પ્રમાણ ઘટે. એટલે કે જેમ સંસ્થા મોટી તેમ વહીવટ ખર્ચ ઘટે અને પગાર સારો આપી શકાય.

જોકે સરકારના ધારાધોરણ અલગ છે. સરકાર જો પોતે કોઈ એક કામ કોન્ટ્રાક્ટ ઉપર લે અને બીજાને તે જ કામ સબકોન્ટ્રાક્ટ આપે તો તે વ્યક્તિગત કેસમાં સરકાર, ૪૦ ટકા ચૂકવણું પોતાની પાસે રાખે અને અને સબકોન્ટ્રાક્ટરને ૬૦ ટકા આપે. પણ જો તે કોઈ સંસ્થાને આ કામ આપે તો તેને ૮૦ ટકા આપે. અને ૨૦ ટકા ચૂકવણું પોતાની પાસે રાખે.

કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી કમાણી કરી શકે? કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ કેટલા મોટા ઘરમાં રહી શકે?

જો કમાણીમાં નીચેની સીમા હોય તો ઉપરની સીમા પણ હોવી જોઇએ.

માણસની શ્રમ મૂલ્ય ઉપર આધારિત કમાણી માસિક એક લાખ કરતાં વધુ ન હોવી જોઇએ. જો કે આ એક લાખમાં ઘરનું ભાડું, કામ અર્થે કરાતો વાહનવ્યવહાર, દૂરસંચાર, વીજળી, પાણી, કુકીંગ ગેસ, ફર્નીચર અને રસોઈના ઉપકરણોનો સમાવેશ ન થવો જોઇએ. એટલે કે નોકરીની શરતોમાં આ સગવડ મફતમાં મળતી હોય તો તેને આવકમાં ન ગણવી જોઇએ. તેવીજ રીતે જેને આ સગવડો મફતમાં ન મળતી હોય તેની આવકમાં તેને કર ઉપર આવકના ૨૦ટકાની કર રાહત મળવી જોઇએ. પણ કરમાળખાની વાતો પછી કરીશું

એક માણસ મોટામાં મોટું કેવડું ઘર રાખી શકે અને વાપરી શકે?

એક માણસને બે એન્ટ્રી રુમ, એક બેઠક ખંડ, એક પ્રતિક્ષા ખંડ, એક ચર્ચા ખંડ, એક વાચન ખંડ, એક પુસ્તક ખંડ, એક લેખન ખંડ, એક શયન ખંડ, તેના બે બાળકો માટે એક એક ખંડ, ત્રણ મહેમાન ખંડ, તેના માતા પિતા માટે બે ખંડ, બે કિચન ખંડ, બે ભોજન ખંડ, બે પ્રસાધન ખંડ, એક વ્યાયામ ખંડ, એક ઉપાસના ખંડ, એક સફાઈ ખંડ – વોશરુમ (ત્રણ વોશીંગ મશીનો અને ત્રણ ડીશ વોશર મશીનો), એક એસી રુમ, ત્રણ ગેરેજ, ત્રણ ગેલેરી. આમ ૨૪ રુમ થયા. ત્રણ ગેરેજ અને ત્રણ ગેલેરી એ ત્રણ દીશા ખુલ્લી હોય એવા એપાર્ટમેન્ટની આ વાત છે. પાંચ માળથી કોઈ ઓછામાળ વાળું મકાન બાંધવાની છૂટ્ટી ન હોવી જોઇએ. અને પાર્કીંગ ની સગવડ ફ્રન્ટ યાર્ડ કે બેક યાર્ડમાં ન હોવી જોઇએ. પાર્કીંગ મકાનની અંદર જ હોવું જોઇએ.ગેસ્ટકાર પાર્કીંગ પણ મકાનની અંદર જ હોવું જોઇએ.

આ મહત્તમ વ્યક્તિગત મકાનની વાત થઈ.

કોઈ કંપની તેના કામદારને મોટામાં મોટું કેવડું મકાન ભાડે આપી શકે?

એક પ્રવેશ ખંડ, એક પ્રતિક્ષા ખંડ, એક બેઠક ખંડ, એક ચર્ચા ખંડ, એક શયન ખંડ, એક સંતાન શયન ખંડ, એક મહેમાન ખંડ, એક કીચન, એક સફાઈ ખંડ, એક પ્રસાધન ખંડ, એક ગેલેરી, બે કાર પાર્કીંગ. એટલે કે ૧૦ ખંડ ગેલેરી અને કાર પાર્કીંગ થયા. બધા ખંડ ફુલ્લી ફર્નીશ્ડ રહેશે. નવા આગંતુકને કિચન નવું ફર્નીશ્ડ મળશે. પણ બીજા બધા રુમ માં ફક્ત કવરો જ બદલાવીને અપાશે. કંપની કે સરકાર બે કાર આપશે અને બે શોફર આપશે.

ખંડનું કદ કેટલું  રહેશે?

કોઈ પણ ખંડ ૧૫’ બાય ૧૫’ થી મોટો એટલે કે ૨૫ ચોરસ મીટર થી મોટો નહીં હોય. ૧૫’x૧૫’ ના ગાળાઓ જ આપાશે. તેને તમે એક વખત માટે મરજી પ્રમાણે વિભાગો પાડો. આમાં ફેરફાર કરાવવો હશે તો તેનો ખર્ચ કંપની કે સરકાર આપશે નહીં.

આથી મોટું રહેઠાણ કોઈને પણ ન તો સરકાર કે ન તો કંપની ભાડે આપી શકશે. એટલે કે કોઈને સ્વતંત્ર બંગલો મળશે નહીં. સંકુલમાં જ એપાર્ટમેન્ટ આપી શકાશે. આ સંકુલો બધી રીતે સુરક્ષિત હશે. આ પ્રમાણે, મોટા સરકારી અફસરો, પ્રધાનો, પ્રમુખો, ગવર્નરો, વિગેરે સૌ કોઈ આથી મોટા મકાનોમાં રહી શકશે નહીં. 

હવે બીજી વાત ને જોઇએ.

એક નિપૂણ કારીગર છે.

તે ૩૩.૩૩ ટકા માલની કિમત ઉપર મજુરી લે છે. તે રૂપીયા ૧૦૦૦૦/- ના કાચામાલ ઉપર ૩૩૩૩ રૂપીયા મજુરી લે છે.

એટલે કે બની ગયેલી આઈટેમની કિમત ૧૩૩૩૩ ઉપર મજુરીની કિમત ૩૩૩૩/- થઈ.

આ કામ તેણે ત્રણ દિવસમાં કર્યું. આમાં તેને એક મદદનીશ રાખવો પડ્યો. નિપૂણ કારીગરનો રોજ રૂ. ૧૧૧૧ થયો.

તેણે તેના મદદનીશને ૧/૩ ભાગ આપ્યો. એટલે કે મદદનીશનો રોજ ૩૭૦.૩૩ થયો. ૨૫ દિવસની તેની આવક ૨૫ ગુણ્યા ૩૭૦.૩૩ થઈ. એટલે કે રૂ. ૯૨૫૮.૩૩ થઈ. આને ૧૦ હજાર કરવા માટે ૭૪૨ ઉમેરવા પડે.

રૂ. ૧૩૩૩૩ માં ૭૪૨ ઉમેરો એટલે કે ૧૪૦૭૫ પાકા માલની કિમત થઈ. આમ પાકામાલની કિમતમાં લઘુતમ વેતન લાગુ પાડવા માટે માલની કિમતમાં સાડા પાંચ ટકાનો વધારો કરવો પડે. આ એક ટેબલ કે શેટી બનાવવાની વાત છે. જે હાલના બજાર ભાવ પ્રમાણે છે.

નિપૂણ કારીગરને શું મળે છે?  નિપૂણ કારીગરને રૂ. ૨૨૨૨/- ત્રણ દિવસના મળે છે. પણ તેનો એક દિવસ ગણત્રી કરવામાં, પ્લાનીંગ કરવામાં, મજુર નક્કી કરવામાં, લાકડું લાવવામાં ગયો. એટલે કે તેના ચાર દિવસ ગયા. તેને જે ૨૨૨૨ મળ્યા તેને ૪થી ભાગવા પડશે. એટલે કે તેને રૂ. ૫૫૫.૫ નો રોજ મળ્યો. એટલે કે માસિક ૧૩૮૮૮ મળ્યા કહેવાય. આ નિપૂણ કારીગર સમયનો પ્રબંધ યોગ્ય રીતે કરીને રૂ. ૧૫૦૦૦ કમાઈ શકે. જો તે ત્રણ કારીગર રાખે તો એક દિવસમાં કામ પૂરું થાય. તે દરેક કારીગરને ૩૭૦ લેખે ૧૧૧૧ રૂપીયા આપે. તો તેને પોતાને ૨૨૨૨ મળે. અને તેનો એક દિવસ માલસામાનની ગણત્રી અને હેરફેરમાં ગયેલ. એટલે તેને રોજના ૧૧૧૧ મળ્યા કહેવાય. એટલે કે ૨૫ દિવસના એને ૨૭૭૭૫ રૂપીયા મળ્યા. એટલે કે મહિનાના ૨૭૭૭૫ રૂપીયા મળ્યા.

પણ આ દરેક માટે હમેશમાટે શક્ય નથી. કારણ કે એવા પણ દિવસો આવે કે મજુર કારીગરને કામ ન પણ મળે. જો સરકાર એક નિરીક્ષક અને કામની વહેંચણીની એજન્સી તરીકે વ્યવસ્થા ગોઠવે તો છૂટક કામોમાં મજુરોને અને નિપૂણ મજુરોને કારીગરોને ફાયદો થાય. સરકાર ગુણવત્તાના ધોરણો નક્કી કરે તો ઘરેલુ કામોમાં કારીગરોને આજના બજાર પ્રમાણે પણ ફાયદો થાય. કારણકે મજુરોના પડતર દિવસો ઘટે.

આળસુ અને હળવા કામ જ પસંદ કરવાવાળા માણસોનું શું કરવું?

પાથરણા વાળા, લારી વાળા, સાવરણાવાળા, કોથળાવાળા, પૉલીશવાળા, અર્ધ ભિક્ષુકો અને પૂર્ણ ભિક્ષુકો જેવા લોકોને કેવી રીતે ઉંચા લાવવા?

ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આ લોકો મહેનત કરવા માગતા નથી. જેઓ સાવરણાવાળા/ળી કે કોથળાવાળા/ળી છે તેમને પાવડા-ત્રીકમ ઉઠાવવા ગમતા નથી. જેઓ વેચાણ વાળા પાથરણાવાળા અને લારીવાળા છે તેમને પણ પોતાનું મહેનત વગરનું કામ બહુ ગમે છે. તેમને કોઈ આકાંક્ષા નથી, સિવાય કે વગર મહેનતે જે કંઈ પાંચ દશ પચીસ રુપીયા મળે તે તેમને પુરતું લાગે છે.

આમાંના જેઓ પરપ્રાંતના હોય છે તેઓ પાર્ટટાઇમ આ ધંધો કરે છે. અથવા તો કોઈ દુકાનદાર કે ફેક્ટરીનો માલ વેચે છે. જેઓના માબાપ અભણ છે તેમના અભણ સંતાનો પણ આ કામ કરીને માબાપને મદદરૂપ થાય છે. આ લોકો દ્વારા મોટા ભાગે ફેક્ટરીઓનો રીજેક્ટેડ કે ચોરેલો માલ વેચાય છે. તેઓ ફેક્ટરીઓના કે વેપારીઓના અર્ધકામગાર હોય છે. તેમને આ મહેનત વગરની નોકરી પસંદ હોય છે. અમુક રોંજીન્દી આઈટેમો દુકાનવાળાઓ, ફેક્ટરીવાળાઓ કે કબાડીઓ પાસેથી રોકડે કે ઉધાર લેવી, અને પછી તેને ફેલાવીને બેસી જવું અને આરામથી ઘરાકની રાહ જોવી અને તેના માલિકે કહેલા ભાવે કે થોડા વધારે ભાવે વેચવી. આવી નોકરી કોને ન ગમે? પોલીસવાળાને રોડનો કે એરિયાનો ગુન્ડો સંભાળી લે અને ગુન્ડાને માલિક સંભાળી લે, અને છાપાંવાળાને ગરીબીના બેલી માનવહિત રક્ષકો સંભાળી લે. અને કહે કે “… ભાઈ … આ લોકો ચોરી તો નથી કરતાને … પછી શું છે? સરકાર એમને નોકરી તો આપતી નથી તેથી નાનો નાનો ધંધો કરીને પેટનો ખાડો પૂરે છે…  તેઓ લૂંટફાટ નથી કરતા માટે તેમનો આભાર માનો….” 

આ લોકોને કેવીરીતે થાળે પાડી શકાય?

આ લોકોને જો ભણાવવામાં આવે તો તેઓ દેખા દેખીમાં ચોક્કસ સન્માર્ગે વળે.

જ્યાં પણ નવા વ્યાપારી સંકુલો બને તેમાં ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર અલગ રીતે તેમના લારી ગલ્લા અને પાથરણા માટે સંક્રાન્તિ સમયપૂરતી જગ્યા ફાળવવી જોઇએ. તેમજ તેમને ભણાવવાની અને સુઈ જવા પુરતી જગ્યા આપવી જોઇએ. (જુઓ લારી ગલ્લા વિષેનો લેખ …… )

જેઓ પરપ્રાંતમાંથી હરાયા ઢોરની જેમ આવે છે તેમની ઉપર લઘુતમ વેતન નો નિયમ લાગુ પડશે નહીં. તેઓ ઘર વગર (ખરીદીને કે ભાડે લીધા વગર) બેકાર તરીકે પરપ્રાંતમાં પ્રવેશી શકશે નહીં. તેઓ તેમના ઘરવાળા મિત્રની પાસે મહેમાન તરીકે જ આવી શકશે. જો કે એવો કોઈ કાયદો નથી કે તમે પરપ્રાંતના લોકોને રોકી શકો. પણ તમે તેમને અને કોઈને પણ ગેરકાયદેસર કબજો કરતા રોકી શકો છો. તમે તેમને રોજના રૂ. ૫ કે રૂ. ૧૦ લઈ સુવાની સગવડ આપી શકો.

જો તેઓ આ પૈસા પણ ન ભરી શકે તો તમે તેને ભિક્ષુક ગૃહમાં મોકલી શકો છો. અહીં તેમની પાસે મજુરીનું કામ કરાવાશે અને જમવાની અને સુવાની સગવડ મળશે. ભણવાની સગવડ મળશે નહીં. લઘુતમ વેતનની સગવડ પણ મળશે નહીં. કારણકે તે તેમના માતૃપ્રાંતના રાજ્યની જવાબદારી છે. જો તેઓ ગુજરાતી ભાષા ભણીને ૧૦મી શ્રેણી પાસ કરશે તો તેમને ગુજરાતના લઘુતમ રોજીના અને બીજા બધા જ હક્કો મળશે.

ઘરકામ કરનારા કામગારોનું શું કરવું?

ઘરકામ કરનારાઓ અને ચોકીદારો મોટેભાગે અભણ હોય છે.  આ લોકો કાંતો ડુંગરપુરીયા, કે અભણ રબારણ, વાઘરી, ભરવાડણ, ઠાકરણ, કોળી કે એવા સમકક્ષ હોય છે. તેમને આવી હળવી નોકરી જ કરવી હોય છે. ડુંગર પુરીયાઓ હોળીમાં અને વરસાદની ઋતુમાં  રાજસ્થાન કે પંચમહાલમાં પોતાના ખેતરમાં કામ કરવા પહોંચી જાયછે. હવે જોકે તેઓ ઓછા થઈ ગયા છે કારણ કે તેઓ નોકરીએ લાગી ગયા છે. પણ સ્થાનિક ઘરકામ કરનારા/રીઓ ને સારી સ્થિતિમાં લાવવાનો કોઈ ખાસ ઉપાય હોય તો તે એ છે કે તેમના સંતાનોને કોઈપણ રીતે શિક્ષણ આપો. ગામડામાં અને શહેરમાં રહેતા ગરીબો વહેમ અને લેવડ દેવડના ખોટા રીત રીવાજોમાં બહુ માને છે. તેઓ દેવું પણ કરે છે અને દારુ પણ પીવે છે. લોનના પૈસા પોતાના વ્યવસાયમાં વાપરવાને બદલે બીજા સામાજીક કામોમાં વાપરી નાખે છે. પછી દેવું ન ભરી શકતાં આત્મહત્યા કરે છે.

મધ્યમ વર્ગના અને ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ માટે ઘરકામ કરનાર એક વ્યાપક અનિવાર્યતા બની ગયેલી છે. આ ઘરકામ કરવા વાળા સ્થાનિકોને વધુમાં વધુ ૫ થી ૬ હજાર મળે છે. તેઓ છકડામાં બેસીને આવે છે. એટલે ૫૦૦ રૂપીયા તો તેમના આમાં જ જતા. તેઓ તેમના સંતાનોને પણ આમાં જોતરે છે. આ લોકોને ગૃહ ઉદ્યોગશાળામાં દાખલ કરી દેવા જોઇએ જ્યાં તેઓ ભણી પણ શકે અને કમાઈ પણ શકે. ચાની લારીવાળાઓને ત્યાં પણ નાના બાબલાઓ કામ કરતા હોય છે. તેમને પણ ગૃહ ઉદ્યોગ શાળા દાખલ કરી દેવા જોઇએ. ગૃહ ઉદ્યોગની બનાવટ વાપરવી, સરકારી ઓફિસો અને કોર્પોરેશનની ઓફિસોમાં ફરજીયાત કરી દેવી જોઇએ.

જો આવું કરીશું તો ગૃહિણીઓ અને ચાની લારીવાળા કે ગલ્લાવળા શું કરશે?

લારીવાળા, ગલાવાળા, ખુમચાવાળા, પાથરણાવાળા એ દબાણ છે. અને તેમને જાહેર સ્થળો ઉપરથી દૂર કરી, સંકુલોમાં ખસેડી દેવા જોઇએ. તેઓને ભણાવીને નિકાલ કરી દેવો જોઇએ.

ગૃહિણીઓના પ્રશ્નો આળસના છે. તેમણે સફાઈના મશીનો વસાવી લેવા જોઇએ. રહેવાની આદતો બદલવી જોઇએ. ધૂળ કેમ ઓછી થાય.? શહેરની કે ગામડાની ધૂળ ૯૯ ટકા ઓછી કરી શકાય.છે અને ઉષ્ણતામાન ૧૦ ડીગ્રી ઓછું કરી શકાય. આ એક અલગ વિષય છે.   

સરકારી ઓફિસોમાં, સરકારી દવાખાનાઓમાં અને સંકુલોમાં જે સફાઈવાળા રાખવામાં આવે છે તેઓ કામ કરવામાં દગડા હોય છે. સંડાસ તીવ્ર વાસ મારતાં હોય. સાહેબો પોતાની કેબિનમાં અલગ સંડાસ રાખતા હોવાથી તેઓ આ ગંદકી પ્રત્યે બેધ્યાન રહે છે. તેથી કાંતો તેમના અલગ સંડાસ દૂર કરવા જોઇએ અથવા તેમનો ગંદકી બદલ દંડ થવો જોઇએ. ઘણી જગ્યાએ સરકાર કોઈ એજન્સીને સફાઈનો કોન્ટ્રાક્ટ આપે છે. તે કામદારોને પાર્ટ ટાઈમ રાખે છે અને પગાર ઓછો આપે છે. જે એજન્સીઓ લઘુતમ વેતન ન આપતી હોય કે સફાઈ બરાબર ન થતી હોય તો તેને અસરકારક પેનલ્ટી લાગુ પાડવી જોઇએ. અને ત્રીજી વખત ગેરરીતી થાય તો તેનું લાયસન્સ રદ થવું જોઇએ. એજન્સીઓ પોલીસ વેરીફીકેશન થયેલા કામદારોને જ રજીસ્ટર્ડ કરશે.

શિક્ષણ પદ્ધતિમાં ફેરફારઃ

કામનો તૂટો નથી. ઉદ્યોગોને શિક્ષણની જવાબદારી સોંપો. તેઓ તેમના કર્મચારીઓના બાળકોને અને આસપાસના વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપે અને તેમને તેમની ફેક્ટરીને કામ લાગે તેવું કામ પણ શિખવે. ફેક્ટરી ઉદ્યોગોવાળા સ્થાનિકોને રોજગારમાં પ્રાથમિકતા આપે. તેઓનો શૈક્ષણિક ઉદ્ધાર પણ તેઓ જ કરે.

પ્રાથમિક શિક્ષણ ફરજીયાત છે. તેની સાથે ગૃહ ઉદ્યોગ શિખડાવવા જોઇએ. ખાદી પહેરવી ફરજીયાત કરી દે તો શાળાઓ કંઈક અંશે આત્મનિર્ભર બને. ગરીબ વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાઓ ખોલવી જોઇએ. તેથી ગરીબના સંતાનો સહેલાઈથી ભણવા આવી શકે. બાબલાંઓને અંગ્રેજી પણ ઘનિષ્ઠતા પૂર્વક શિખડાવવું જોઇએ. જેથી તેઓ પૈસાદારોના બાળકો પાસે નાનમ ન અનુભવે. પ્રાથમિક શિક્ષણ માં જ સફાઈ, સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સૌજન્યતા, નિયમિતતા, નીતિમત્તા, બચત અને શ્રમના મહિમાના પાઠ ભણાવવા જોઇએ. શ્રેષ્ઠ શિક્ષકો પ્રાથમિકશાળામાં જ હોવા જોઇએ. પ્રાથમિક શિક્ષણ દરમ્યાન તેમના અવારનવાર મનોવૃત્તિની ચકાસણી જુદી જુદી સંસ્થાઓ દ્વારા થતી રહેવી જોઇએ. જેથી તેઓ આગળ જતાં યોગ્ય વિષયની લાઈન પકડી શકે.

ગરીબી ચાલુ ન રાખવી હોય તો

ખેતી ઉપરનું ભારણ ઓછું કરવું જ પડશે. વનવાસીઓએ પણ ભણીગણીને નવા કામો શોધવા પડશે. જો આવું કરવામાં ન આવે તો ગરીબી હઠે નહીં. આપણી ગ્રામ્ય સંસ્કૃતિ, વનસંસ્કૃતિ, ગોપાલ, ગોચર, ગોધૂલી, પનિહારી, વિગેરેની કવિતાઓનો આનંદ લેવો સારો લાગે છે. પણ મૂર્ધન્યોનો આ આનંદ તો ગરીબોને ગરીબ રાખવાનું જ કાવતરું કહો તો કાવતરું, રાજકારણીય ખંધાઈ કહો તો ખંધાઈ અને ટૂંકી દૃષ્ટિ કહો તો ટૂંકી દૃષ્ટિ જ છે. જો ખેડૂ જગતનો તાત એવી વાતો કર્યા કરીશું તો આર્થિક અસમાનતાના પરિણામો થી દેશમાં અનેક સમસ્યાઓ ઉમેરાશે. એટલું જ નહીં અરાજકતા અને ખૂનામરકી ફેલાઈ જશે.

આ બધું રોકવા, મોટા મોટા બહુમાળી સંકુલો જ બનાવવા પડશે, ગ્રામ્યવિસ્તારોને સંકુલોમાં ફેરવી જમીન ખેતી કે ફસલ માટે ઉપલબ્ધ કરવી પડશે, પડું પડું થતા શહેર અને ગામના મકાનોને તોડીને સંકુલો બનાવવા પડશે, મકાનના બાંધકામમાં વપરાયેલી જમીન ઉપર જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ ટેક્ષ લગાવવો પડશે. બહુમાળી મકાનો કરવાથી ટેક્ષ ઓછો થશે. સ્વતંત્ર બંગલાઓ અને ફાર્મ હાઉસો ઉપર અપાર ટેક્ષ નાખવો પડશે. જો આમ કરીશું તો જ જમીન ફાજલ પડશે. કોઈ પણ જમીનને બીનઉપયોગી ત્રણ માસથી વધુ રાખી શકાશે નહીં. તેના ઉપર ઉત્પાદન કરવું પડશે. પડતર જમીન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કબજો લેવો પડશે, આ જમીનનો ઉપયોગ શાકભાજી વાવવા કરવો પડશે.

ખેડૂતોએ ભેગા થઈ અનાજને પેક કરવા માટેના સહિયારા મશીનો વસાવવા પડશે અને શહેરમાં વેચવા માટેની સહીયારી દુકાનો ખોલવી પડશે. સ્વાવલંબી વિસ્તારો આંકવા પડશે, શાક ભાજીને ગેલેરીમાં અને અગાશીમાં ઉગાડવા પડશે. મલ્ટીલેયર ખેતી કરવી પડશે. જમવાની આદતો બદલવી પડશે. શાકભાજી અને ફળોનો વપરાશ વધે તેવી આદતો કેળવવી પડશે. કારણ કે આ મલ્ટીલેયર ઉત્પાદન છે. કારણ કે તે વૃક્ષ છે અથવા ઓછી ઉંચાઈના છોડ છે. જે ઓછી ઉંચાઈના છોડ છે તેને મોટા ઝાડ નીચે કે ગેલેરીમાં ઉગાડી શકાય છે. તેને મલ્ટીલેયર બનાવીને પણ ઉત્પાદન કરી શકાય છે. માંસાહાર બંધ કરવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ વનસ્પત્યાહારી પ્રાણીઓને જ ખાય છે અને તેમને ઉછેરવા તેમના ખોરાક માટે મનુષ્ય કરતાં છ ગણી જમીન વપરાય છે.

આ બધું કરવા ઉપરાંત સુવિધાઓના ઉપકરણોના નાવિન્ય ઉપર અંકૂશ મુકવા પડશે. એટલે કે જે ઝડપે ટેક્નોલોજીનો વિકાસ થાય છે તે જુના મોડલોને રદબાતલ કરે છે. જુના મોડલો ભંગારમાં જાય છે. આ એક વ્યય છે. વિજ્ઞાન ના વિકાસ માટેના ઉપકરણો અને માનવની સુવિધા, સગવડ અને શોખ માટે ઉપકરણોમાટેના ફંડમાં ક્યાંક ભેદ કરવો પડશે. પ્રધાન્ય વિજ્ઞાન, માળખાકીય સગવડો અને આનંદ (પ્રવાસન અને કળા) ને આપવું પડશે.

આપણે સમજવું પડશે કે માણસ અંતે તો આનંદ માટે છે. આ આનંદ, જ્ઞાન, સુરક્ષા અને સુખસગવડ, સંવાદ, કલા પ્રદર્શન, રમતગમત અને પ્રવાસ દ્વારા મળે છે. સ્પર્ધા અને અસંવેદનશીલતાથી નહીં.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શ્રમ, ઉત્પાદન, મૂલ્ય, મહત્તમ, લઘુતમ, એપાર્ટમેન્ટ, વધુમાં વધુ, સગવડ, સુખ, આનંદ, સ્પર્ધા, પડતર, જમીન, બહુમાળી, સંકુલ, મલ્ટીલેયર, ફળ, શાકભાઈ, માળખાકીય, કામ, ઉપકરણો, વિજ્ઞાન, પ્રણાલી, ક્ષતિયુક્ત, માનવીય

 

Read Full Post »

જાહોજલાલીમાં પૂર્ણ વિરામ  કે અલ્પવિરામની શોધ કરો

જાહોજલાલીની વ્યાખ્યા શું?

જો કડક વ્યાખ્યા એટલે કે જેને આપણે નિરપેક્ષ વ્યાખ્યા કહીયે તેવી વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે જો એક કુટુંબની જરુરીયાત એક ગાયની હોય અને તેની પાસે બે ગાય હોય અને બીજા પાસે એક પણ ગાય ન હોય તો બે ગાયવાળો  માલેતુજાર કહેવાય.  એટલે પહેલા કુટુંબે બીજા કુટુંબને એક ગાય કોઈ એક નક્કી કરેલી પ્રણાલી પ્રમાણે બીજા કુટુંબને આપી દેવી જોઇએ.

હવે ધારો કે પહેલા કુટુંબે એક ગાય જે વધારાની ગણાઈ હતી તે બીજા કુટુંબને આપી દીધી.

પણ હવે એવું થયું કે પહેલા કુટુંબની પરિસ્થિતિ બદલાઈ, તેનું કુટુંબ વધ્યું કે તેના કુટુંબમાં કોઈ માંદુ પડ્યું કે જે એક ગાય હતી તે એક ગાયે દુધ આપવાનું બંધ કર્યું કે દુધ ઓછું આપવાનું શરુ કર્યું કે એ ગાય મરી ગઈ, તો હવે શું કરવું?

પણ હવે આ સમસ્યા આ રીતે ઉકેલી નહીં શકાય.

આપણે ફક્ત બે કુટુંબનું એકમ લીધું. આપણે એક ગામને એકમ લેવું જોઇએ. ગામમાં ઘણી ગાયો હોઈ શકે. બધાને એક એક ગાય કદાચ આપી પણ ન શકાય. ધારોકે આપી શકાય તેમ હોય તો ઉપર જણાવેલ સમસ્યા તો ઉભી થવાની જ. માટે ઉત્પાદના કે સુખસગવડના બીજા કામો ઉભા કરો. અને અમુક લોકોને એમાં રોકો. દા.ત. ખેતી.

કામની વહેંચણી અને વર્ગનું સર્જન

ખેતી માટે ઓજારો જોઈશે, એટલે અમુક લોકોને ઓજારો બનાવવાનું કામ સોંપો. એટલે ઓજારો બનાવનારા માણસો, ખેતી કરનારા માણસો અને ગાયનું દુધ ઉત્પન્ન કરનારા માણસો એવા ત્રણ વર્ગ પડશે. આ બધાની વહેંચણી કરવામાં ગણત્રીઓ કરવી પડશે. એટલે અમુક લોકોને ગણત્રી કરવાનું ગમતું હશે. અને તે કેવી રીતે કરવી તે શિખવવાનું પણ ગમતું હશે. આવું બધું વિસ્તરે એટલે એક શિક્ષક વર્ગ પણ ઉભો થશે. હવે ગણત્રી કરવામાં જરુરીયાતો અને નિયમો નક્કી કરવા પડે એટલે કેટલાક સમજુ અને વિવેક કરવા વાળા સર્વ સ્વિકૃત વિશ્વસનીય માણસો જોઇશે. એટલે શિક્ષકોમાં એક વિભાગ પડશે જેને ન્યાયનું કામ આપવામાં આવશે. પણ દેશમાં એક ગામ તો હોય નહીં. એટલે બીજા ગામવાળા તમારા ગામમાં હસ્તક્ષેપ કરે તો તેની સામે રક્ષણ માટે વળી પાછો એક વર્ગ બનાવવો પડશે. પણ આ તો રક્ષણની વાત થઈ. તેમાં તો વ્યુહ રચનાઓ કરવી પડે. જેમ ઝાઝા રસોયા રસોઈ બગાડે તેમ એક કરતા વધુ વ્યુહરચનામાંથી શ્રેષ્ઠ રચના કઈ એ નક્કી કરવું પડે. એટલે એક નેતા નક્કી કરવો પડે જે રક્ષણ કરવા અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય.

કાળ ક્રમે ઉત્પાદકો, કારીગરો, શિક્ષકો, ન્યાયધીશો કે અને રાજાઓ, સૈનિકો અને મજુરોના વર્ગો અસ્તિત્વમાં આવ્યા હશે. એક કરતાં વધુ ગામો હોય અને સલાહ સંપથી રહી શકવાના પ્રયત્નોના ભાગ રૂપે  રાજાઓ, મહારાજાઓ અને ચક્રવર્તી રાજાઓ બન્યા હશે. નિયમો જટીલ બનાવવા પડ્યા હશે. અને અન્યાયો પણ ચાલુ થયા હશે. અને સુખાકારી માટે જુદી જુદી પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી હશે અને વિકસી હશે.

સવાલ એ છે કે આ બધું શું કામ થાય છે?

માણસને જોઇએ છે શું?

માણસે શા માટે સમૂહમાં રહેવાનું નક્કી કર્યું?

સમૂહમાં રહેવાથી મનુષ્યની શક્તિમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થાય છે. એટલે સુરક્ષા પણ મળે છે. અને નિશ્ચિંતતા પણ મળે છે. ટૂંકમાં માણસની બુદ્ધિએ માણસને સામાજીક પ્રાણી તરીકે રહેવાનું શિખવ્યું.

સમુહમાં જીવવાથી માણસ શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકે છે જેથી તે વધુ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય તો મરી જાય, સમાજ તો જીવતો રહે છે. એટલે મનુષ્યનું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. સમાજ એક એકમ તરીકે સુધરતો સુધરતો સદાકાળ (?), જીવતો રહી શકે. આવા સાતત્યને લીધે પેઢી દર પેઢીના મનુષ્યો વ્યક્તિગત રીતે વધુ આનંદપૂર્વક જીવી શકે.

સમાજનો મુખ્ય ગુણ ધર્મ શો?

સંવાદ, કામની વહેંચણી, સહયોગ અને સહકાર આ સમાજના મુખ્ય ગુણધર્મ હોવા જોઇએ. સહયોગ અને સહકારમાં ફેર શો? સહયોગ એ પ્રણાલી બદ્ધ છે. જ્યારે સહકારમાં મનોભાવ સંકળાયેલો છે. મુખ્ય ગુણધર્મ તો સંવાદ માત્ર છે. સંવાદના કારણે કામની વહેંચણીની સ્વિકૃતિ, સહયોગ અને સહકારની ભાવનાઓ ઉત્પન્ન થઈ. ટૂંકામાં સંવાદ સિવાયના બાકીના બધા તો આનંદ પ્રાપ્તિની ખોજના પ્રયાસોની આડ પેદાશ છે. વધુને વધુ સંવાદ માટે ભાષાનો વિકાસ થયો.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. સમાજનું એકમ મનુષ્ય છે. જો મનુષ્યનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. અને જો સમાજ વિકસિત થતો હશે તો મનુષ્યને વધુ સરળ રીતે આનંદ મળતો થશે .

તો પછી કેન્દ્રમાં કોણ હોવું જોઇએ? સમાજ કે મનુષ્ય?

જ્યાં મનુષ્યને કેન્દ્રમાં રખાયો તેને મુડીવાદ કહેવામાં આવ્યો. જ્યાં સમાજને કેન્દ્રમાં રખાયો તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાયો.

જ્યારે મનુષ્ય પોતાના સુખને કે પોતાના કુટુંબના સુખને કેન્દ્રમાં રાખે અને બુદ્ધિનો તેમાં ઉપયોગ કરે ત્યાં દંભ ઉભો થાય છે. જ્યારે મુડીવાદમાં અને સમાજવાદમાં દંભનું મિશ્રણ થાય ત્યારે તે પોતાનું સૈધાન્તિક પોત ગુમાવે છે. એવું જ થયું છે.

મુડીવાદે અને સમાજવાદે (સામ્યવાદે) માણસોને અળગા, સંવાદહીન અને કંઈક અંશે સંવેદનહીન  કર્યા.

સામ્યવાદ સંવાદહીનતાને કારણે અપારદર્શક બન્યો અને લગભગ નષ્ટ થયો.

મૂડીવાદી સમાજ અસ્થિરતામાં ફસાયેલો રહે છે. એટલે કે મંદીના મોજાંઓ આવ્યા કરે અને માણસો, આર્થિક અને માનસિક યાતનાઓના ભોગ બનતા રહે. આ મંદીઓ અક્ષમ્ય છે. જે દેશપાસે, અતિવિદ્વાન એવા અર્થશાસ્ત્રીઓ હોય, હિસાબો ત્રણ ત્રણ મહિને ચકાસાતા હોય, ચાલુ નિયમોને અવારનવાર સમજણ પૂર્વક અને પરિણામી અસરોને અનુલક્ષીને મઠારવવામાં આવતા હોય, આવી જ્યાં વ્યવસ્થાઓ હોય, ત્યાં રાતોરાત મંદી આવી જય અને હજારો લાખો લોકો યાતનાઓમાં ડૂબી જાય, અને આવું થયા પછી પણ કોઈની જવાબદારી પણ નક્કી ન થઈ શકે અને કોઈને કશો દંડ પણ ન થઈ શકે, તે મૂડીવાદને કેવીરીતે યોગ્ય ગણાવી શકાય? આમાં વ્યાપક રીતે અપારદર્શિતા તો છે જ, અને દંભ પણ છે.

ક્ષતિ ક્યાં છે?

ખાટલે મોટી ખોડ એ છે કે સમાજને કેન્દ્રમાં રખાયો તો નથી જ. પણ ગણીગાંઠી વ્યક્તિઓએ તત્કાલિન સત્તા અને સુખાકારી માટે દંભ આચર્યો અને અપારદર્શિતા રાખી અને અથવા જનતાને ગુમરાહ કરી. ખેરખાંઓ એ જાહેર કર્યું કે અવારનવાર મંદીઓ તો આવ્યાજ કરશે. આ તો મુડીવાદનું લક્ષણ છે. ઈતિ સિદ્ધમ્‌ તથા પૂર્ણમ્‌.

નફાનું ધોરણ શું અને શ્રમનું મૂલ્ય શું?

નફાનું ધોરણ મનસ્વી. શ્રમનું મૂલ્ય પણ લગભગ મનસ્વી.

શા માટે આ બધું મનસ્વી રીતે છે?

ઉત્પાદનમાં કોઈ સીમા રાખી નથી અને જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. તેથી સ્પર્ધા થશે અને નફા ઉપર આપોઆપ અંકૂશ આવશે. શ્રમના મૂલ્ય નક્કી કરવામાં પણ આવું જ થશે. શ્રમજીવીઓ પોતાનું સંગઠન કરશે અને માલિક ઉપર દબાણ લાવી શ્રમનું મૂલ્ય વધારશે.

શ્રમ એક એવી વપરાશની વસ્તુ બનશે. તેનો કામચલાઉ રીતે અભાવ ઉત્પન્ન કરવામાં આવે તો માલિક તેના પ્રતિસ્પર્ધિઓ સામે ટકી ન શકે. આમ માલિક અને શ્રમજીવી (બુદ્ધિ જીવી સહિત) સૌ કોઈ વપરાશની વસ્તુ તરીકે પોતાનું મૂલ્ય નક્કી કરાવશે. માલિક પણ એક ખરીદનાર તરીકે તે વસ્તુના બજારી જત્થાના વેચનારની/વેચાનારની ગરજના  વ્યસ્ત પ્રમાણમાં અને પોતાની જરુરીયાતના સમપ્રમાણના આધારે તેનું મૂલ્ય નક્કી કરશે. આ પ્રક્રિયામાં કુદરતી અને માનવીય મૂલ્યોનો નાશ થશે. છતાં બધું કાયદેસર ગણાશે.

દા.ત.

સરકારી નોકરોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ જવાબદારીઓ દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી. આ સેવાઓની સામે તેમના કામના નક્કી કરાયેલા શ્રમના મૂલ્ય પ્રમાણે તેમને વેતન મળે છે. જ્યારે આ નોકરો સેવા બજાવતા હતા ત્યારે તેમને અન્ય બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ ન હતી. આ સરકારી નોકરોને વૃદ્ધાવસ્થા આવે અને શારીરિક રીતે (માનસિક રીતે અશક્ત થાય) તે માટે એક વય નક્કી કરવામાં આવી અને તે સમયે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું.

WHO IS DRIVING THE TRAIN

આ સરકારી નોકરોના કામ ઉપર નીગરાની રાખવા અને તેમને કામદ્વારા થતી ધ્યેય પ્રાપ્તિમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોઠવવામાં આવ્યા. આ પ્રતિનિધિઓ કહે અમને પણ વેતન જોઇએ. તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે મંત્રી મંડળ સિવાય કોઈપણ પ્રતિનિધિની કોઈ જવાબદારી ન હતી. તેટલું જ નહીં પણ તેમને પોતાના બીજા એક કે અનેક વ્યવસાય કરવાની છૂટ પણ હતી. તો પણ તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમની મૂદત પાંચ વર્ષ ની હતી. પાંચ વર્ષ પછી જો તેઓ ફરીથી ચૂંટાઈને ન આવે તો પણ તેમને પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ જો વિધાન સભા કે સંસદ, મૂદત પહેલાં બરખાસ્ત થાય તો પણ તેમને તેટલું જ પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ ખમતીધર હોવાં છતાં તેમને ભત્થાં, રહેણાંક, સુરક્ષા અને અત્યંત ઓછા ભાવે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સમાજ સેવા માટે કઈ પદ્ધતિ સારી એ વાત ઉપર ખૂરસીઓ અને માઈર્કોફોન અને પેપરો, પેપરવેટ ફેંકીને પોતે પોતાના સૈધાંતિક વિરોધમાં કેટલા પ્રબળ છે તે દર્શાવતા આ પ્રતિનિધિઓ વેતન, પેન્શન અને સગવડો માટે હાથ મિલાવતા થયા.

જો પોતાની સુખસગવડોને વધારવા માટે ભૌતિક રીતે લડનારા આ પ્રતિનિધિઓ જેમના હલન ચલન અને વ્યવહારો પારદર્શક બનાવવામાં આવ્યા છે તેઓ પણ જો સંપીને કામ કરતા હોય તો ઉત્પાદન અને વહેંચણીના માલિકો કેમ સંપી ન શકે? તેઓ પણ સંપી જ જાય છે. જો ક્ષેત્ર વિશાળ બને તો સંપી જવાની શક્યતાઓ ઘટે. જો સંવાદના ઉપકરણો વધે તો વળી સંપીને નફો રળવાની શક્યતાઓ વધે.

જો દરેક જગ્યાએ પારદર્શિતાને લાવવામાં આવે તો જનતાને ખબર પડે કે પોતે ક્યાં છેતરાય છે. પણ જેમ દરેક વ્યક્તિને પોતાની અમુક બાબતો ખાનગી રાખવાનો હક્ક હોય છે. તેમ સંસ્થાઓને પણ આવા હક્ક આપવામાં આવ્યા હોય છે.

ટૂંકમાં સમાજનું મુખ્ય લક્ષણ સંવાદ છે અને આનંદ તેનું ધ્યેય છે. પણ સમાજનું પોત એવું બને છે કે ત્યાં સંવાદની વ્યાપકતામાં ખામી ઉત્પન્ન થાય છે. સુખના પ્રમાણમાં દુઃખ વધુ ઉત્પન્ન થાય છે.

સંવાદ માટે હાનિકારક શું છે?

સુખ સગવડોના ભોગવટામાં અસાધારણ અસમાનતા, મનુષ્યમાં અસંતોષની લાગણી ઉત્પન્ન કરેછે. અસંતોષ દુઃખ દાયક હોય છે. આ અસમાનતા મનુષ્યને એકલો પાડી દે છે. તેને વિસંવાદ અને અસંવાદની સ્થિતિ ઉપર લાવી મુકે છે. આથી મનુષ્યમાં રહેલી સહકાર અને સહયોગની ભાવનાને અપાર ક્ષતિ પહોંચે છે. એટલે થાય છે એવું કે જેઓ સમાન સગવડો ભોગવે છે તેઓ સંવાદ અને સહયોગ કરી શકે છે પણ અસમાન જુથો વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ થાય તો સહયોગ તો થાય જ કેવી રીતે?

WHO WERE INSIDE CONFIDENTIAL

જો સમાજના પોતમાં સંવાદ, સહકાર, સહયોગ ક્ષતિયુક્ત હોય તો કામનું યોગ્ય મૂલ્ય રોગિષ્ટ થાય છે.

આવી પરિસ્થિતિમાં સમાજનું શું થશે?

અંતે તો વ્યક્તિની સુખાકારી સમાજની તંદુરસ્તી ઉપર જ અવલંબે છે. જો સમાજ જ તંદુરસ્ત ન હોય તો તે નષ્ટ જ થાય. જેમ વ્યક્તિનું થાય તેવું જ સમાજનું થાય. જો તમે વ્યક્તિના હક્ક માન્ય રાખો, સંસ્થાના હક્કો માન્ય રાખો તો સમાજના હક્કો પણ માન્ય રાખવા જ જોઇએ.

કુદરતે શું નક્કી કર્યું છે?

કુદરત પણ એક વ્યક્તિ છે. તે એક વૈશ્વિક સમાજ છે. આનું બંધારણ અલગ જ છે. આના ઘટકોમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, પાણી, પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશ ગંગા અને ખુદ બ્રહ્માણ્ડ અને અનંત કોટિ બ્રહ્માણ્ડોના સમૂહયુક્ત મહાબ્રહ્માણ્ડ ખુદ છે. આ અનંત કોટિ બ્રહ્માણ્ડો જેનું શરીર છે તે વિશ્વમૂર્તિ શિવ પાસે પારવિનાની શક્યતાઓ પડેલી છે. તેને એક રજકણના પણ અતિસુક્ષ્મ કદની પૃથ્વી ઉપરના થોડા હજાર વર્ષ જુના માનવ સમાજની ખાસ પડી ન પણ હોય. તેણે તો નિયમો બનાવીને માનવજાતને તેમના કર્મના ભરોસે છોડી દીધી. માનવજાતને બુદ્ધિ આપી કે જેથી તે પોતાની સામુહિક બુદ્ધિ દ્વારા પોતાની સમસ્યાઓ દૂર કરી  સુખપ્રાપ્તિ કરી શકે છે.

સમાજ તેના કર્મોને આધારે શેરબજારની જેમ વાંકો ચૂકો પડી આખડી આગળ વધે પણ ખરો અને નષ્ટ પણ થાય. જો જણનારીમાં જોર ન હોય તો ઈશ્વર બિચારો શું કરે?

જો આપણે સમસ્યાઓ જ વર્ણવીએ અને તેના જ રોદણાં જ રોઈએ તો એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય.                 

મહાત્મા ગાંધીએ સમન્વયનો રસ્તો બતાવ્યો. છે. સ્વમાં અને સંસ્થામાં અને સરકારમાં પારદર્શિતા લાવો. શ્રમનું મૂલ્ય નિશ્ચિત કરો. જે સગવડો બધા ન ભોગવી શકે તે ઉપર અંકુશ લાવો. તમે જે કંઈ પ્રપ્ત કર્યું તેના ઉપર સમાજનો પણ અધિકાર છે. માટે તમે તેના ટ્રસ્ટી બનો. આ ટ્રસ્ટીશીપને તમે તમારી ઓળખ માનો. તેજ તમારું ફળ છે. આ વાતે તમે સંતુષ્ટ બનો.

ત્યક્તેન ભૂંજીથાઃ

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “તેન ત્યક્તેન ભૂંજીથાઃ”  તેથી કરીને એટલે કે ત્યાગીને ભોગવો. ત્યાગ થકી જે આનંદ પ્રાપ્ત થાય તે આનંદને ભોગવો. ભોગવી તો જુઓ. જો તમે આવા આનંદને ભોગવશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે આવેલો આનંદ કેટલો બધો આનંદ દાયક હોય છે. રવિશંકર મહારાજે તો તે હદ સુધી કહ્યું કે તમે ઘસાઈને ઉજળા બનો. બીજાને ઉપયોગી થાઓ.

તો આ બધા માટે કેવી પ્રણાલી કઈ રીતે ગોઠવવી? (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જાહોજલાલી, વિરામ, પૂર્ણ વિરામ, સમસ્યા, કુટુંબ, એકમ, ગામ, દેશ, સમાજ, સામાજીક, ઉત્પાદન, વહેંચણી, સુખ સગવડ, ખેતી, ઓજારો, વર્ગ, શિક્ષક, ન્યાય, નેતા, રાજા, સૈનિકો, સહકાર, સહયોગ, સંવાદ, આનંદ, વિકાસ, કેન્દ્ર, મનુષ્ય, બુદ્ધિ, પોત, દંભ, મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, મંદી, પારદર્શિતા

Read Full Post »

શું દેશને બદલવો છે? ગાંધીજી એ રસ્તો તો બતાવ્યો છે

પણ આપણે કેટલા તૈયાર છીએ ગાંધીજીને સમજવા માટે?

તાત્કાલિક ઉપાય જરુરી હતોઃ

ગાંધીજીના વખતમાં દેશની ૮૫ ટકા તેથી પણ વધુ વસ્તી ગામડામાં વસતી હતી. જમીનદારી અને જાગીરદારી પ્રચલિત હતી. લગભગ બધાજ ગરીબ હતા. સરકારી નોકરીઓ નહીં જેવી હતી. લાંચ રુસ્વત તે વખતે પણ હતી. ઉદ્યોગો નહીંવત હતા. ભણેલા પણ વર્ષો સુધી બેકાર રહેતા હતા.  તેથી ભણતર પણ ઓછું હતું. જીવન સાદું હતું. પણ જ્ઞાતિવાદ હતો અને તેના નીતિ નિયમોને કારણે કંકાસ ઓછા હતા. રાજવાડાઓમાં કેટલાક રાજા અત્યાચારો કરતા પણ પ્રમાણ ઓછું હતું. રાજવાડાઓમાં ચોરી ચપાટી અને દંગાઓ ઉપર અંકુશ સારો હતો.

કુદરતી આફતો વખતે લોકો લાખોની સંખ્યામાં મરતા. કારણ કે ચિકિત્સા ક્ષેત્ર એટલું વિકસિત ન હતું અને પ્રચલિત પણ નહતું. બાળમરણ ઘણું હતું તેથી વસ્તીવધારાનો પ્રશ્ન ન હતો.

આવા સંજોગોમાં તાત્કાલિક અસરકારક ઉપાય એજ હતો કે ગામડાઓ ગૃહ ઉદ્યોગો દ્વારા સ્વાવલંબી બને જેથી દરેકને રોજી મળે. યંત્રો સાદા હોય જેથી ઓછું ભણેલા પણ તેનું સમારકામ કરી શકે. ગાંધીજીએ વ્યક્તિગત શ્રમને ઘટાડનાર અને બીજાને બેકાર ન કરનાર યંત્રોનો વિરોધ કર્યો ન હતો. આનું ઉદાહરણ સીલાઈ મશીન છે.  તેઓ માળખાકીય વિકાસ કામોના વિરોધી ન હતા. તેઓ એપ્રોપ્રીએટ ટેક્નોલોજીમાં માનતા હતા. સગવડો જો બધાને જ મળતી હોય તો તેઓ સગવડોના વિરોધી ન હતા.

માનવશક્તિના સંશાધનોનો યથા યોગ્ય ઉપયોગ થાય અને માનવીય મન બગડે નહીં તેવી ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા એવી ગોઠવાય કે જેથી શોષણ અને માનવીય મૂલ્યોને નુકશાન ન પહોંચે. આવું ગાંધીજી માનતા હતા. તે સમયે જે પરિસ્થિતિ હતી અને તેના ઝડપી નિવારણ માટે અને તેને અનુલક્ષીને તેમણે સૂચનો કરેલ.

હવે જો આપણા જે એલ નહેરુ માનવીય અભિગમો અને માનવીના મનને અવગણીને વિકાસ સાધવાનો પ્રયત્ન કરે તો વિકાસ તો પ્રમાણમાં ઓછો થાય પણ દુરાચાર વધુ થાય. જેમનું મન યોગ્યરીતે શિક્ષિત નથી અને જે વ્યક્તિઓ જે હોદ્દાને અને કામને લાયક નથી તેઓ ને એવા હોદ્દા, કામ અને સત્તાઓ આપવામાં આવે અને તેમની ઉપર નીગરાની રાખવાવાળા પ્રજાના પ્રતિનીધિઓ નીગરાની રાખવાને બદલે પૈસાને જોરે ચૂંટાઈ આવેલા હોવાથી ભ્રષ્ટ થાય તો દુરાચારો જ ફેલાય. ઉત્પાદનના અને વિતરણનું કેન્દ્રીકરણ કરણ અને અપારદર્ષિતા એ બધાનો સમન્વય દેશને અરાજકતાના રસ્તે જ લઈ જાય.

ગાંધીજીએ કહેલ જ કે હું કાપડની મીલોનો નાશ કરવાની વાત કરતો નથી પણ જો કાપડની મીલો તેમના દુરાચારોને કારણે બંધ પડે તો સ્વદેશી સરકાર તેને મદદ કરવા આવશે નહીં. આ વાત તેમણે એવે સમયે કરેલી કે જ્યારે મીલો ધૂમ કમાણી કરતી હતી. મીલો બંધ પડી શકે તેવી કલ્પના તે વખતના મૂડીવાદી મહાન અર્થશાસ્ત્રીઓ પણ કરી શકતા ન હતા.

અપાત્રે સત્તા એટલે લૂંટો અને લૂંટવા દોઃ

અને તમે જુઓ શું થયું? સ્વતંત્ર ભારતના નહેરુવીયન કોંગ્રેસના નિર્વિરોધ શાસના પહેલા દશકાના અંત ભાગથી જ મીલો બંધ પડવા લાગી. આ સરકારે આ સમસ્યા એવી તો ટલ્લે ચડાવી કે અગણિત કામદારો પાયમાલ થયા. માલિકો અને સરકારી નોકરો મલાઈ ખાઈ  ગયા.         

મહાત્મા ગાંધીએ કહેલું કે ભિખારીઓ અને કરોડપતિઓ એક જ રોગના બે ચાંદાઓ છે. એટલે જ એક વ્યક્તિ પાસે મહેલ જેવા રહેણાક/રહેણાકો હોય છે જે કાયદેસર રીતે હોય છે, જ્યારે બીજો વ્યક્તિ ઝોંપડપટ્ટીમાં રહેતો હોય છે અને તે પણ ગેરકાયદેસર રીતે રહેતો હોય. આવી પરિસ્થિતિ શા માટે છે?

આપણે સૌ કબુલ કરીશું કે હાલની પરિસ્થિતિ આમૂલ પરિવર્તન માગી રહી છે. આના ઉકેલ માટે જુદાજુદા ઉપાયો સૂચવવામાં આવે છે.

એક સૂચન એ છે કે ઉત્પાદન વધવું જોઈએ.* એટલેકે કારખાનાઓમાં ઉત્પાદન વધારવું જોઇએ, વધુ મોટા કારખાનાઓને વિકસાવીને કારખાનાઓમાં પાળીઓ વધારીને ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પન્ન થયેલ માલને વધુ જગ્યાએ પહોંચાડીને, અને વપરાશને વધારીને ઉત્પાદનનો નિકાલ કરી શકાય છે.

માલ પેદા થવો અને તેને વાપરનાર સુધી પહોંચાડવો, એ બંને ક્રિયાઓમાં, માલિકો, પ્રબંધકો અને શ્રમ જીવીઓ સંકળાયેલા છે.  જો કે તેની ઉપર નીગરાની રાખનારા (સરકારી કર્મચારીઓને) અને પ્રણાલીને નિયમનમાં રાખવા માટે નિયમો ઘડનારા કર્મચારીઓ ઉપર નીગરાની રાખનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાલતૂર્ત ન ગણીએ તો ઉપરોક્ત. ત્રણેયના જીવનધોરણ સમાન નથી. સુવિધાઓ ભોગવવાની આકાંક્ષાઓ અને બીજી આકાંક્ષાઓ સમાનપણે વિકસી રહી હોય છે. આ આકંક્ષાઓ સમાન પણ બનતી જશે. આથી કરીને તેઓ વચ્ચે ઘર્ષણ ચાલે છે. પગારદારોને વધુ પગાર જોઇએ છે. માલિકોને તેમનું જીવનધોરણ નીચું લાવવું હોતું નથી, બલ્કે વધુ સુવિધાઓ અને વધુ સારી સુવિધાઓ ભગવવી હોય છે. આ માટે ઉત્પન્ન થયેલ માલની કિંમત વધારવી પડે છે. માલની કિમત વધારવામાં બીજાં ઘણાં પરિબળો પણ ભાગ ભજવે છે. પરિસ્થિતિ જ આવી રાખવામાં આવી હોવાથી એક યા બીજા કારણોસર ભાવ વધે છે.

ઉત્પાદન અને વહેંચણીનું આખું માળખું જ એવું એવું ચેઈન એક્સન જેવું છે કે કોઈપણ એક કડી નબળી પડે કે તૂટી જાય તો માલની અછત ઉત્પન્ન થાય અને સ્વિકારી લીધેલા સિદ્ધાંત પ્રમાણે વળી પાછો ભાવ વધારો થાય છે. આ આખી વ્યવસ્થા એવું વાતાવરણ સરજે છે કે જેમાં કોઈ પોતાની જવાબદારી જોતું નથી અને બીજાને નીતિમાન થવાનું કહેવામાં આવે છે.

કેટલાક એમ પણ કહે છે કે સમાજને અનીતિમાન કરવા માટે હાલનું શિક્ષણ જવાબદાર છે. માટે શિક્ષણના માળખામાં ફેરફાર કરવો જોઇએ.

ચોક્કસ રીતે શિક્ષણ તો ખામી યુક્ત છે, કારણ કે તે સ્વાવલંબી નાગરીકો ઉત્પન્ન કરતું નથી. પણ સમાજની નીતિમત્તા તો સમાજમાં ઉત્પાદન અને વિતરણની પ્ર્ણાલી જ ઘડે છે. જો દોષયુક્ત પ્રણાલી હોય તો સમાજ દોષવાળો જ હોય. એવું અન્ન તેવો ઓડકાર.

વધુ જાતની વસ્તુઓ અને વસ્તુઓના વધુ જથ્થાઓ માટે વધુ કારખાનાઓ કરવા, ચાલુ કારખાનાઓને વધુ મોટા કરવા, વધુ મજુરોને રોજગારી આપવી, માલને દૂરદૂર સુધી પહોંચાડવો, તે માટે વધુ વાહકો, વધુ રસ્તાઓ, વધુ લાંબા, વધુ પહોળા બનાવવા વિગેરે વિગેરે થી કદાચ લાંબે ગાળે ભારતમાં ભૂખમરો અને બેકારી નાબુદ થાય પણ ખરી, પણ સમાજમાં અસમાનતા અને બીજા દુષણો રહે છે જ. એટલું જ નહીં વધુ વિકસે છે અને વધુ બળવત્તર બને છે. આ ગાંધીજીના સ્વપ્નનું ભારત નથી.

એક વખત એક ખાદી ગ્રામોદ્યોગ કાર્યકરે ગાંધીજીને જણાવ્યું કે આ વખતે તેમના કેન્દ્રે ગયાવર્ષની સરખામણીમાં આટલી વધુ ખાદી ઉત્પન્ન કરી અને આટલી વધુ ખાદી વેચી. ત્યારે ગાંધીજીએ તેમને જણાવ્યું કે તમે કેટલી ખાદી ઉત્પન્ન કરી અને કેટલી ખાદી વેચી તેમાં મને રસ નથી. પણ તમે કેટલાં ગામડાને ખાદી પહેરતાં કર્યાં તે તમે મને કહો. જો તમે એક ગામને પણ ખાદી પહેરતું કરી સ્વાવલંબી કર્યું હશે તો હું ખુશ થઈશ.

ખાદી અને ગ્રામોદ્યોગ, એ ઉત્પાદનનું વિઘટીકરણ નથી. ગાંધીજીની આદૃષ્ટિ ન હતી. ખાદી અને ગ્રામોદ્યોગોને ગાંધીજી વિકેન્દ્રીકરણ અને સ્વાવલંબનનું સ્વરુપ આપવા માગતા હતા. આ વાત સદંતર વિસરાઇ ગઈ છે. આપણી કાર્ય પદ્ધતિઓ આમ જ કહે છે.

દેશમાં ખૂબ માલ ઉત્પન્ન કરવો અને ખપાવી દેવો તે મહત્વનું નથી. પણ આપણે માલ કેવી રીતે ઉત્પન્ન કરીએ છીએ અને કેવીરીતે વહેંચીએ છીએ તે વસ્તુ મહત્વની છે. અને આજ વસ્તુ રાષ્ટ્રના ચારિત્ર્યનું નિર્માણ કરે છે.

ગાંધીજીના સ્વપ્નનું ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક છે. તે પોતાની મહત્વની જરુરીયાતો માટે પાડોશના ગામોથી સ્વતંત્ર હશે. તે પોતાની જરુરીયાત જેટલું ધાન, કાપડ માટેનો કપાસ જાતે જ ઉગાડશે. પોતાના ઢોરને ચરવા માટે, બાળકોને રમતગમત માટે અને મોટેરાઓને આનંદ પ્રમોદ માટે જમીન અલગ રાખશે. તે પછી જ ગામ પાસે ફાજલ જમીન હશે તો તેમાં ઉપયોગી બજારમાં વેચી શકાય તેવો પાક લેશે. ગાંજો, તમાકુ, અફીણ, વિગેરે જેવા પાકો નહીં જલે. દરેક ગામને પોતાનું નાટકઘર, પોતાની નિશાળ, સભાગૃહ, નભાવશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજીયાત રહેશે. બની શકે ત્યાં સુધી દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. ચડતી ઉતરતી શ્રેણીઓવાળી જ્ઞાતિવ્યવસ્થા ત્યાં નહીં હોય. ગામની ચોકી માટે વારાપ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. ગામને ધારાસભા હશે. સર્વ નિર્ણયો સર્વસંમતિથી લેવાશે. પોતાના ગામના અને તેની આબરુના રક્ષણને સારુ, દરેક ગ્રામવાસી મરણને ભેટવા તૈયાર હોય એ નિયમથી બધા ગ્રામવાસી બંધાયેલા હશે. ઉદ્યોગને કેળવણીથી જુદો ગણવામાં આવશે નહીં. ગાંધીજીના ગામડાની આ રુપરેખા છે.

ગાંધીજીના સ્વપ્નના ભારતમાં ઉપરોક્ત પ્રકારના ગામડાઓ હશે. હાલના ગમડાઓ આનાથી ઘણા ભીન્ન છે. હાલના ગામડાઓને સુધારવા પડે. તે માટે તેમને સ્વાવલંબી બનાવવા પડે. ગામે સૌ પ્રથમ પોતાની જરુરીયાતો જ ઉત્પન્ન કરવી પડે. આમાં સ્થાપિત હિતો અચૂક આડા આવે. આ નિવારવા ઘણા પ્રયત્નો થયા છે. પણ સફળતા મળી નથી. સ્વાવલંબન વગરનું શિક્ષણ મોંઘું પડે છે. સ્વાવલંબનહીન શિક્ષણ બેકારી દૂર કરી શકતું નથી. ગામડાઓમાં સુવિધાઓ વધતી નથી. ગામડામાં જે કંઈ ઉત્પન્ન થાય છે તેનું ફળ ગણ્યાગાંઠ્યાને મળે છે. બાકીના ગરીબ રહે છે. જેઓ ગરીબ છે તેમની પાસે જમીન નથી. અને જો જમીન હોય તો તેને તેઓ સાચવી શકતા નથી. તેઓ સેવેલી આશાઓની નિસ્ફળતાઓમાં જીવે છે. તેઓને એક યા બીજા પ્રકારની શોષણખોરોની વચ્ચે જ જીવવાનું હોય છે. તેઓ પોતાની જાતને રાજકારણીઓ, અમલદારો, સ્થાપિત હિતો અને સામાજીકવાડાની બદીઓ અને તેમાંથી નિપજતા અહંકારોથી પોતાને બચાવી શકતા નથી અને ટકી શકતા નથી.

જમીન માલિકો અને ઉદ્યોગપતિઓ, યંત્રોનો  ઉપયોગ કરીને મજુરોને શોષી શકે છે. તેઓ મજિરોવગર ભૂખે મરવા બેસતા નથી. જો મજુરો કામ બંધ કરી દેતો, મજુરોને જ ભૂખે મરવાનો વારો આવે છે. પરાવલંબી મજુરો તેમના માલિકસામે શુદ્ધ લડત આપી શકતા નથી અને ટકી પણ શકતા નથી. માલિકોને સરકારની મદદ અને પીઠબળ હોય છે જ. કારખાનુ બંધ થવા થી માલિકો રસ્તે રખડતા થઈ જતા નથી. હાલની વિસંવાદી અને વિષયી પરિસ્થિતિમાં માલિક અને મજુર વચ્ચે તંદુરસ્ત સ્થાઈ અને વ્યાપક સંબંધો સ્થાપવા અત્યંત કઠીન લાગે છે.

આ બધાનો વિકલ્પ સર્વોદય ગ્રામ/નગર હોઇ શકે?

સર્વોદયગ્રામ, હાલના ગામડાઓથી અલગ હશે. તે વસાવવામાં આવ્યું હશે. તે સ્વાવલંબી હશે. તેમાં કોઈ નોકર નહીં હોય. કોઇને નોકરીએ રાખવાનો કોઇને અધિકાર નહીં હોય. ગ્રામવાસી કાર્યદ્વારા પોતે ગામની સેવા કરી રહ્યો છે એમ સમજશે અને માનશે. ગામ પોતે, તેનાગ્રામવાસીઓને જીવન જરુરીયાતો પૂરી પાડીને તેમની સેવા કરશે. ગામમાં બદલાની ભાવનાથી કોઈ કામ થશે નહીં.

સર્વોદય ગ્રામની વ્યાખ્યાઓ અને ધ્યેયઃ

શોષણ વિહીનતાઃ એકના માનવીય હિતનો ભોગ લેવાય તો તેનામાં અન્યાય થયાની ભાવના ઉત્પન્ન થાય. શોષણના મૂળમાં માનવીય હિતોની અવગણના હોય છે. સૌને પુરતું કામ મળી રહે અને કુટુંબ સ્વમાનભેર જીવી શકે તે જરુરી છે. કામને અંતે આરામ પણ મળવો જોઇએ. ભવિષ્ય માટેની નિશ્ચિંતતા હશે. વધુ જ્ઞાન માટેના રસ્તા ખુલ્લા હશે.

સ્વાવલંબન 

            અન્ન વસ્ત્ર અને રહેઠાણની બાબતમાં મોટાભાગની ચીજો ગામમાં ઉત્પન્ન થવી જોઇએ. કમસે કમ અન્ન અને વસ્ત્રની બાબતમાં આમ હોવું જોઇએ. ચૂનો, સીમેન્ટ અને લોખંડ ગામમાં ઉત્પન્ન ન કરી શકાય. તે વાત સમજી શકાય છે. આમ તો જો કુટીર ટાઈપ વનસ્પતીજન્ય છાપરા, ઈંટ અને ગારાના મકાન બનાવો તો આ શક્ય છે. પણ જો બહુમાળી મકાનો ન બનાવીએ તો જમીનનો વ્યય થાય અને ખેતીમાટે જમીન ઓછી રહે. જોકે કેટલાક ગાંધીવાદીઓ માને છે કે માણસને રહેવા માટે પૃથ્વી ઉપર પૂરતી જમીન ઉપલબ્ધ છે. પણ આપણે પૃથ્વીને એકમ તરીકે ન લઈ શકીએ. ભારતમાં અને તેના રાજ્યોમાં જમીન ઓછી છે અને જો ગરીબી કાયમ રહેવાની ન હોય તો, જેઓ ભૂખ્યા સૂઈ જાય છે તેમને કામ આપીશું અને તેમને વ્યવસ્થિત આનંદ પૂર્વક જીવવાની તકો આપીશું તો તેઓ માટે વધુ અનાજની જરુર પડશે. અને તેથી જમીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. હાલનો અનાજનો ભરાવો અને સડો, ગરીબોનો ભૂખમરો એ વાસ્તવમાં સરકારની નીતિ ની સાથે સાથે ચૂંટાયેલા સત્તાધારી પ્રતિનીધિઓ અને ભ્રષ્ટ અમલદારોની મીલીભગત છે.

સમાનતાઃ

ગામમાં સહુ સમાન ગણાશે. સહુને સરખી સગવડો મળશે. કોઈ કોઈને નોકર તરીકે રાખશે નહીં. જે કામ મોટા પાયે અને બહારની એજન્સીઓ પાસેથી કરાવવાના હશે તે સૌ કામો કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટથી કરાવવા પડશે. જો કે આવા કામો રાજ્યની સરકાર કરાવી શકશે અથવા ગ્રામ સભા સાથે મસલત કરી નક્કી કરી શકશે.

વર્ગવિગ્રહ હીનતાઃ કોઈપણ કામને નાનું કે મોટું સમજવામાં આવશે નહીં. સહુને સરખી સગવડો મળશે જે તેમના કામને અનુકુળ હોય. વ્યક્તિ કામ કરીને ગામની સેવા કરી છે તેમ માનશે. તેવી જ રીતે ગામ તેની જરુરીયાતો પૂરી કરીને અને નિશ્ચિંતતા બક્ષીને તેની સેવા કરશે.

સહયોગ, સહકાર અને સેવા પરાયણતાઃ

કોઈ બીજાને નોકર રાખી શકતું નહીં હોવાથી, જુદા જુદા ઉત્પાદન કામની વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી કામમાં પોતા પણું રાખી શકાય અને છતાં કામ સહયોગથી થાય. ખેતીની જુદી જુદી મોસમોમાં, અકૃષકો પણ કૃષકોને મદદ કરશે. ખેતી અને બીજાં ઉત્પાદનો માટે આયોજન કરવામાં આવશે. દરેકને સરખી રીતે વૈવિધ્યતા મળશે. વ્યક્તિની મુશ્કેલીમાં સહુ પ્રેમ રાખશે અને સેવાપરાયણતાથી મદદ કરશે.

સાદગીઃ

દેશની મોટાભાગની જનતા જ્યારે ગરીબીમાં સબડતી હોય ત્યારે ગ્રામવાસીઓ અવગણી શકાય તેવી સુવિધાઓથી દૂર રહેશે. જે સગવડો સમાનતાથી મળતી હશે તેનાથી ગ્રામવાસીઓ સંતુષ્ટ રહેશે.

વૈજ્ઞાનિક અભિગમઃ

ધર્મને આત્મસુધારણા અને સેવાપરાયતાનું સાધન માનવામાં આવ્શે. સામાજીક રીતરીવાજોમાં ઉપયોગીતા જોવામાં આવશે. તેવા સંદર્ભમાં પાળાવામાં આવશે. ઉત્પાદનમાં શોષણ કરાવનાર અને કુદરતી ચક્રને તોડતાં યંત્રોનો ઉપયોગ ન છૂટકે જ અને ખાસ સંજોગોમાં કરવામાં આવશે. મનુષ્યના શ્રમને ઘટાડનાર અને જ્ઞાનની ક્ષિતીજોને વિસ્તારનાર યંત્ર અને સાધનોનો ઉપયોગ થશે.

બહારની દુનિયા સાથે સંબંધ જાળવી રખાશે. અધ્યયન મંડળ તેની ચર્ચા કરશે.

અનિરક્ષરતાઃ

ગામમાં દરેકને લખતા વાંચતા આવડતું હશે. ગામમાં વાચનાલય અને ગ્રામ પત્રિકા હશે. આનો લાભલેવા સૌને ઉત્તેજવામાં આવ્શે. સહુને દરેક કામનું સામાન્ય જ્ઞાન હશે. સૌ પોતાના કામમાં હોંશીયાર હશે.

સભાનતાઃ

દુનિયાના બનાવો અને પ્રશ્નોથી સહુ માહિતગાર હશે જે કામ કરશે તે સમજ પૂર્વક કરશે. પોતાના ગામના વિકાસ, પ્રશ્નો, અને ભય સ્થાનોથી પૂરા સભાન હશે.

ગૌરવપ્રદતાઃ

પોતાને બીજા ગામના માણસોથી હીન કે ઉચ્ચ માનશે નહીં. પોતે જે કામ કરે છે તે પોતાના ગામ અને દેશમાટે કરેછે તેનો સતત ખ્યાલ રાખશે. પોતે અને પોતાનું ગામ કોઈ વિષચક્રમાં ન ફસાય તેનું હમેશા ધ્યાન અને ગૌરવ રાખશે.

દેશાભિમાનઃ

દુનિયાની ઘણીય મોટી સંસ્કૃતિઓ, કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ, પણ ભારતીય સંસ્કતિ તેના મૂળભૂત મૂલ્યોને યાદ રાખતી અને જાળવતી હજુ પણ ટકી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ નાના મોટા દુષણો કાળક્રમે ઘુસીગયા હોય તેમ લાગે તો તેને દૂર કરી વધુ સમૃદ્ધ સંસ્કૃતિ તરફ જવાની ભાવના સાથે કામ કરવામાં આવશે. ગામની કમાણીનો ઉપયોગ પોતાની અવાંચ્છિત સગવડો વધારવામાં નહીં પણ નવા સર્વોદય ગ્રામ/નગર બનાવવામાં કરવામાં આવશે.

કુદરતી જીવન અને પૌષ્ટિક આહારઃ

એવી આદતો પોષવામાં નહીં આવે કે જેથી આદતો ભાર રુપ થાય કે આદતોના ગુલામ થઈ જવાય. એવી આદતો કેળવામાં આવ્શે કે જેથી ઉત્પાદન સાથે સાથે શરીરને યોગ્ય કસરત મળે. આહારમાં શાક ભાજી, ફળો અને અન્નની યોગ્ય માત્રા રાખવામાં આવશે. જીવન શૈલી એવી રાખવામાં આવશે કે જેથી રોગો સામેની પ્રતિકારાત્મક શક્તિ વધે.

લયતાઃ

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેથી જીવન ચર્યા માં લયતા તેનું એક અંગ છે. દિનચર્યા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી આખું ગામ લયબદ્ધ રીતે જીવતું હોય તેમ લાગે. ઉત્પાદનના કામો, શિક્ષણ, સફાઈ, પ્રાર્થના, પ્રવચન, સંવાદ વિગેરેને દિનચર્યામાં એવીરીતે ગોઠવવામાં આવશે કે જેથી જીવન રસપ્રદ લાગે.

આનંદમયતાઃ

વ્યક્તિ ના જીવનનો મુખ્ય હેતુ સામાજીક ઉન્નતિનો છે. મનુષ્યો તો આવે છે, જ્ઞાન મેળવે છે, કામ કરે છે અને જાય છે. વ્યક્તિનું જ્ઞાન નષ્ટ થાય છે પણ સમાજમાં તેના સ્થુળ અને સુક્ષ્મ કાર્યો અને જ્ઞાનની આપલે કરી તે સમાજમાં અકબંધ રહે છે અને સમાજ એક કદમ આગળ વધે છે.

વ્યક્તિ પોતે જ્ઞાન, કર્મ અને પ્રેમ થકી આનંદ પામે છે. મનુષ્ય નો મૂળ હેતુ આનંદ પ્રાપ્તિનો હોય છે. આ આનંદ નિર્ભેળ અને બિન નુકશાન કારક હોવો જોઇએ. મનુષ્ય પોતે એવું ઇચ્છતો હોય છે કે તેના સ્વમાં રહેલી વિશેષતા બીજા જાણે અને તેને ઓળખે. આવું થવાથી તેને આનંદ થાય છે. પણ તેને માટે સ્પર્ધા એ તેની આવશ્યકતા નથી. લોકોનો પ્રેમ અને લોકોમાં તેની ઓળખ અને લોકો સાથેનો સંવાદ તેને આનંદ આપે છે. લયતા પણ વાસ્તવમાં આનંદ નીપજાવે છે.

વૈવિધ્યતાઃ

માણસનું મન એકની એક વાત થી, કામથી અને સૃષ્ટિથી કંટાળી જાય છે. જો તે શોખ ખાતર કરતો હોય તો તેને કંટાળો આવતો નથી કારણ કે તેમાં તે કંઇકને કંઇક જાણકારી મેળવતો હોય છે તેની જીજ્ઞાસા સંતોષાતી હોય છે અથવા તો તેની તેને આશા હોય છે. વળી તેને તેની સ્વઓળખ બનશે તેનો પણ આનંદ હોઈ શકે. આ બધું પ્રચ્છન્ન હોય છે. કેટલાક કામો તેના શોખના ન હોય તો પણ સમાજ માટે કરવા પડતા હોય છે. આમાં વૈવિધ્યતા લાવવી જોઇએ. તેવી જ રીતે નવાસ્થળો ની મુલાકાત લેવી, નવા માણસોને મળવું, રમતો રમવી, ખેલદીલી પૂર્વકની સ્પર્ધાઓ કરવી, મનોરંજન કાર્યક્રમો કરવા અને જોવા, આવું બધું પણ જીવનમાં આનંદ માટે સામેલ હોય છે.

નિડરતાઃ

માણસ તેના શરીરનુમ મહત્વ સમજે તે રીતે તેને કેળવવામાં આવશે. ગાંધીજીના વિચારોને સમજવાથી જ નહીં પણ આચરવાથી જ આત્મવિશ્વાસ અને નિડરતા આવશે.

સર્વોદય ગ્રામની રૂપરેખાઃ

આ એક વસાવેલું ગામ હશે.

આ ગામ યોજના બદ્ધરીતે તબક્કાવાર બાંધવામાં આવશે

ભૂમિપુત્ર અને બેકાર, મજૂરો અને કારીગરોને તાલીમ અને શિક્ષણ આપીને ગામમાં વસાવવામાં આવશે. શા માટે ભૂમિપુત્રને જ વસાવવા? આ યોજના દરેક રાજ્યમાં થઈ શકે. એટલે એક રાજ્યમાં બીજા રાજ્યોમાંથી ગરીબોને વસાવી દેવા તે બરાબર નથી. “સન ઓફ ધ સોઈલ” લઈએ તો જ તેની અસર દેખાય.

અહીં કોઈ માલિક નહીં હોય અને સૌ સેવા અને ત્યાગ ભાવનાથી કામ કરશે

સહુએ પોતાનું સૂતર પોતે કાંતવું પડશે.

સહુ કોઈએ ઉદ્યોગ કે ખેતી કે શિક્ષણનું કામ કરવું પડશે

જેમને ઉદ્યોગ કરવા હશે તેમને તેને અનુરુપ ગાળા મળશે.

શાકભાજી સૌએ વાવવા પડશે.

જેઓ ખેતી કરવી હશે તેમને જમીન મળશે

દરેક કૃષકની જમીનના ત્રણ હિસ્સા હશે. એક હિસ્સો સહકારી કૃષિનો, એક હિસ્સો મનપસંદ કૃષિનો અને એક હિસ્સો બાગાયતનો.

જેઓ કૃષક હશે તેમનો બળદ ગૌશાળામાં હશે.

જેઓ અકૃષક હશે તેમની ગાય ગૌશાળામાં હશે.

જેમને બકરી કે ઘેટા જોઇતા હશે તેને તે મળશે. તે પણ ગૌ શાળામાં રહેશે. સૌ પોતાના પશુધનની માવજત કરશે.

ગૌશાળા ગામના બિલ્ડીંગ સંકુલના ગ્રાઉન્ડ ફ્લોરની જગામાં હશે.

ગૌશાળાની સાથે ગોબર ગેસ પ્લાંટ સંલગ્ન હશે. અને સૌના રસોડામાં આ ગેસ પહોંચતો કરવામાં આવશે.

ગામની ફરતે બોગનવેલ, થોર, બોરડી કુબાબુલ કે એવી કોઈ કુદરતી અને ગીચ ઝાડીવળી વાડ હશે. ગામની અંદર જતા રસ્તા દ્વારાજ ગામમાં પ્રવેશ થઈ શકશે. ગામની વાડની અંદરની બાજુએ લીમડાની હરોળ હશે. જેમાં લીમડાના વૃક્ષો ઉપરાંત અન્ય જંગલી ફળાઉ કે ઔષધીય વૃક્ષો હશે. લીંબોડીનો ઉપયોગ સાબુ બનાવવા માટે કરવામાં આવશે.

લીમડાની હરોળમાં અને ગામની વાડની વચ્ચે ગોચર અને ઘાસચારો બનાવવાની જગ્યા હશે.

ગામની નીચાણ વાળી જગ્યામાં ખેત તલાવડી અને કે કુવો હશે.

ગામમાં પાંચ ગ્રામસેવકો હશે.

આ ગ્રામ સેવકો ગ્રામવાસીઓની પસંદગી અને શિક્ષણ, પ્રશિક્ષણ વિગેરે કામ કરશે.

ગ્રામ સેવકો સહકાર અને સદ્‍ભાવનાથી ગામની રચનાનું આયોજન, રચના, તેની પ્રવૃત્તિઓ, વિકાસ અને સમસ્યાઓનું સમાધાન વિગેરે ગ્રામવાસીઓને વિશ્વાસમાં લઈ કરશે.

ગામમાં નીચેની પ્રવૃત્તિઓમાંથી જે થઈ શકતી હશે તે કરવામાં આવશે.

જમીનને નવસાધ્ય કરવી, ગ્રામ રચનાનું આયોજન અને વિકાસ,

ખેતી કરવી, ખાતર બનાવવા, ખેતી અને ખેત ઉત્પાદનને લગતા ગૃહઉદ્યોગો સ્થાપવા, ખેત તલાવડી, સીંચાઈ, જાતજાતના જરુરી અને ફળાઉ સહિતના વૃક્ષો વાવવાં, શાકભાજી વાવવાં, ફુલો વાવવાં, મધ ઉછેર કરવો, માટીકામ, તેલઘાણી, પશુપાલન, દુધ ઉત્પાદન, સફાઈ, ચોકી, શિક્ષણ, પ્રશિક્ષણ, કાંતણ, વણાટકામ, સીલાઈ, ચર્મ ઉદ્યોગ, આયાત, નિકાસ વિગેરે

શું તમે સર્વોદય ગ્રામની રચનામાં માનો છો? સૂચનો મોકલો.

સમૂહ પ્રાર્થના, પ્રવચન, વાચન, સંવાદ, રમતો, મનોરંજનના કાર્યક્રમો, ગ્રામ પત્રિકા, ગ્રામસભા, ગ્રામકોષ, વહેંચણી અને સહભોજનના કાર્યક્રમો:

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, ગરીબ, સાદગી, ખાદી, ગૃહ ઉદ્યોગ, સ્વાવલંબન, સર્વોદય ગ્રામ, ગૌશાળા, ગ્રામસેવક, સેવા, સફાઈ, ખેતી, રહેણાંક, સંકુલ, ઉત્પાદન, વપરાશ, વિકેન્દ્રી, વિતરણ, સ્પર્ધા, સ્વની ઓળખ, આનંદ

 

 

 

 

Read Full Post »

Older Posts »

%d bloggers like this: