Posted in માનવીય સમસ્યાઓ, tagged અંતરાત્મા, અપહરણ, આત્મનિંદા, આરક્ષણ, આળા, ઇન્દિરા, એમએનએસ, ઐતિહાસિક પાત્ર, કટારીયા, ખજુરાહો, ગૌહત્યા, ઝનૂન, દેશપ્રેમ, નહેરુ, નહેરુવીયન કોંગ્રેસ, પંચવટી, પશ્ચિમ બંગાળ, પાકિસ્તાન, પ્રગતિશીલતા, પ્રતિક્રિયાત્મક, પ્રમાણભાન, બંગ્લાદેશ, બળાત્કાર, બહુમતિ, ભારતવાસી, ભૂમિપૂત્ર, મતબેંક, મુંબઈ, મુસ્લિમો, મૂર્ધન્યો, રામ, રીસોર્ટ, લઘુમતિ, લિપિ, વિજાણુ ઉપકરણો, શિવસેના, સંસ્કૃતિ, હરણ, હિજરત, હિન્દુ on July 31, 2017|
2 Comments »
દેશપ્રેમ, ભ્રમણાઓ અને ઝનૂનો
પોતાને (મૂર્ધન્યોને અને કટારીયાઓને) બકાત રાખી બાકીની સમગ્ર જનતાની નિંદા કરવી તેને આપણે આત્મનિંદા કહીશું. આત્મનિંદા એ એક ફેશન છે અને આ ફેશન મૂર્ધન્યોની અને કટારીયાઓની વૈચારિક સ્વયંપ્રમાણિત પ્રગતિશીલતાની નિશાની છે.
સમાજની માનસિકતાને મૂલવવી એ અજ્ઞ આંધળાઓ દ્વારા હાથીને સમજવા જેવી છે. જ્યારે સુજ્ઞ (કેટલાક મૂર્ધન્યો અને કટારીયા લોકો) લોકો સમાજને મુલવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રમાણભાન અને પ્રાથમિકતા અને સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરતા નથી.
કેટલાક મૂર્ધન્યો અને કટારીયાઓ દ્વારા કહેવામાં આવે છે કે “ભારતવાસીઓ દંભી છે, ઝનુની છે, અપ્રામણિક છે, વાસ્તવમાં દેશપ્રેમી નથી, પ્રાંતવાદી છે, ભાષાવાદી છે, વિરોધી વિચાર પ્રત્યે અસહિષ્ણુ છે, જ્ઞાતિવાદી છે … .”
જો કે આ બધાં જે વિશેષણો વપરાયા તે ખાસ કરીને હિન્દુઓના સંદર્ભમાં જ છે એવો સંદેશ છે. ભારતની અને તે પણ ખાસ ભારતની હિન્દુ જનતા જે ૮૦ ટકા વસ્તી ધરાવે છે તેનું સમાજમાં પ્રતિબિંબ પડતું હોય તેને સહજ માનવું જોઇએ, અને તેને વસ્તીના પ્રમાણમાં મૂલવવી જોઇએ.
કોણ કોને બહેકાવી રહ્યું છે?
ભારતીય હિન્દુઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? ભીન્ન ભીન્ન પક્ષના રાજકારણીઓ તેમને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? જે તે દિશામાં સમાજને લઈ જવામાં ભીન્ન ભીન્ન રાજકીય પક્ષોનું કેટલું યોગદાન છે? આ રાજકીય પક્ષોની પ્રાથમિકતા કઈ છે તેમજ સમાજની સંરચનામાં કયા પરિબળો ભાગ ભજવી શકે છે અને ભજવે છે? આ સઘળી વાતોના ઉત્તરોને આપણે અવગણી ન શકીએ.
સમાજનું ચારિત્ર્ય કોણ ઘડે છે?

ઉત્પાદન અને વહેંચણીના તંત્ર દ્વારા સમાજનું ચારિત્ર્ય ઘડાય છે. ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કોણ બનાવે છે? ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કેન્દ્ર સરકાર ઘડે છે. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસે ૨૫ વર્ષ સંપૂર્ણ ૨/૩ બહુમતી થી રાજ કર્યું. તેમાં પણ ૧૮ માસ તો મનમાની રીતે રાજ કર્યું. ૧૫ વર્ષ સૌથી મોટા પક્ષ તરીકે રાજ કર્યું. આ પક્ષે ભારતીય જનતાનું ચારિત્ર્ય ઘડવામાં સિંહ ફાળો આપ્યો છે તેને આપણે અવગણી ન શકીએ.
ભારતીયો દંભી છે?
જ્યારે જનતાનો મોટો ભાગ અભણ હોય, બેકાર હોય અને ગરીબ હોય ત્યારે તેમના માર્ગદર્શક કોણ હોય છે? સુજ્ઞ જનો, મૂર્ધન્યો અને સમાચાર માધ્યમો અને રાજકારણીઓ તે પણ ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ તેમના માર્ગદર્શક હોય છે. જો તમે દંભી વ્યક્તિઓની સૂચી બનાવો તો આ વાત તમને આપો આપ સમજાઈ જશે. એટલે આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ. જનતામાં રહેલા દેશપ્રેમી તત્વને આપણે અલગ રીતે ચર્ચીશું.
ભારતવાસીઓ ઝનૂની છે?
ઝનૂન ઘણી જાતના હોય છે. એક ઝનૂન સ્વયંભૂ હોય છે. એક ઝનૂન ગેરસમજૂતી થી ઉત્પન્ન થયું હોય છે એટલે કે અફવાઓથી પેદા થયેલું હોય છે. એક ઝનૂન પ્રતિક્રિયાના રુપમાં હોય છે. પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિન્દુઓની જે હકાલપટ્ટી થઈ તેને આપણે મુસ્લિમોના ધાર્મિક ઝનૂન સાથે સરખાવી શકીએ. આ ઝનૂન મુસ્લિમોએ કરેલું સ્વયંભૂ ઝનૂન હતું. ૧૯૪૭ થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં અફવાઓ દ્વારા પ્રતિક્રિયાત્મક ઝનૂને ભાગ ભજવ્યો હશે. પણ તે પછી ત્યાંની સરકારના આ ઝનૂનને આશિર્વાદ મળ્યા હતા અને મળ્યા છે. અને તેનું કારણ આજ સુધી ચાલી રહેલી પાકિસ્તાનમાંથી હિન્દુઓની હિજરત છે, આ ઝનૂનને આપણે પ્રતિકારાત્મક ઝનૂન ન કહી શકીએ. પૂર્વપાકિસ્તાન અને બંગલાદેશમાંથી હિન્દુઓની હિજરત પણ આવી જ છે. મુસ્લિમોના ઝનૂનની સામે હિન્દુઓનું ઝનૂન શૂન્ય બરાબર કહેવાય.
કાશ્મિરમાં હિન્દુઓની કત્લેઆમ કરી અને લાખોની સંખ્યામાં હિજરત કરાવવી, એ કાશ્મિરી મુસ્લિમોના ઝનૂનને, ભારતભરના મુસ્લિમોએ મૂક સંમતિ આપી છે. આ ઘટનાઓને તેના પ્રમાણના સંદર્ભમાં જોતાં સમાચાર માધ્યમોના કટારીયાઓએ, નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ મૌન ધારણ કરી મૂક સંમતિ આપી એમ જ કહી શકાય. આવા વલણની પાછળ તેમની મુસ્લિમોને થાબડભાણા કરવાની નીતિ જવાબદાર છે.
ગૌહત્યા વિરુદ્ધના હિન્દુઓના ઝનૂન વિષે શું કહીંશું?
શું એકના ઝનૂનની પ્રતિક્રિયાના રુપે ઉત્પન્ન થયેલા બીજા ઝનૂનને વ્યાજબી ઠેરવી શકાય?
ના જી.
અસામાજીક તત્વો અને ઝનૂની લોકો બધા જ ધર્મોમાં હોય છે. સવાલ ફક્ત પ્રમાણનો છે. સદભાગ્યે બીજેપી શાસિત સરકારોએ કાયદો અને વ્યવસ્થાને લગતા પગલાં લીધા છે અને પોતાની નીતિ-રીતિ સ્પષ્ટ કરી છે. સરકારે લીધેલા પગલાઓનું સમાચાર પત્રોએ વિવરણ કરવું જોઇએ અને તેના ઉપર નિરીક્ષણ કરી તેનો અહેવાલ સતત આપતા રહેવું જોઇએ. જનતંત્રમાં સરકારને સુધારવાનું આ એક પરિબળ છે. ભૌગોલિક વિસ્તારોમાં જ્યાં હિન્દુઓ લઘુમતિમાં હોય અને તેમને બહુમતિમાં રહેલી લઘુમતિ તરફથી જો કનડગત થતી હોય તો તેના વિવરણ પણ સમાચાર પત્રોમાં આવવા જોઇએ. સમાચાર માધ્યમોના માપદંડ સમાન હોવા જોઇએ. પણ આવું નથી. કેરેનામાં, કેરાલાના, મદ્રાસના, આંધ્રના, કર્નાટકના અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં જ્યાં લઘુમતિ પોતે બહુમતિમાં હોય છે અથવા તો તે અસામાજિક રીતે બહુમતિમાં હોય છે અને જો તે હિન્દુઓને કનડતી હોય છે તો તેના વિવરણો તો શું સમાચારો પણ આવતા નથી સિવાયકે કોઈ સંસદ તે અંગે પ્રશ્ન કરે ત્યારે જનતાને ખબર પડે છે કે આવું કશુંક થયું છે. વાસ્તવમાં આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ગણવી જોઇએ.
મૂર્ખ કે બેવકુફ નેતાઓ કે આત્મકેન્દ્રીઓ ફક્ત નહેરુવીયન કોંગી સમાજમાં જ હોય છે તેવું નથી. મોટાભાગની સંસ્થાઓમાં આવા નેતાઓ હોય છે. તેઓ જાણે અજાણે એવા ઉચ્ચારણો કરતા હોય છે કે સમાચાર માધ્યમો અને આ નેતાઓના વિરોધીઓ ચગાવી શકે છે. મોહન ભાગવત ક્યારેક ક્યારેક એવા ઉચ્ચારણો કરે છે કે તેને બીજેપી વિરોધીઓ ચગાવી શકે છે. બીજેપીના જન્મજાત વિરોધીઓ કોણ છે તે આપણે જાણીએ છીએ. એવું પણ બને કે કે મોહન ભાગવતના નિવેદનનો અર્થ કોઈ જાતિવિશેષ માટે ન હોય પણ મારી મચડીને તેમના ઉચ્ચારણનું લાગતા વળગતા નેતાઓ જાતિ વિશેષને સાંકળીને અર્થઘટન કરે છે. જેમ કે “જ્ઞાતિ આધારિત અનામતની અસરોની ફેરવિચારણા કરવી જોઇએ”, “ભારત માતાની જય બોલવાનું પણ હવે શિખવાડવું પડે છે”, આ બધા આમ તો સામાન્ય પ્રકારના “બાવાઓ બોલે” એવા ઉચ્ચારણો છે. પણ કારણ કે, તેમની સંસ્થા હિન્દુધર્મ સાથે સંકળાયેલી છે અને બીજેપીની તથા કથિત મત બેંક છે તેટલે તેને હદબહાર ચગાવી “પ્રધાનમંત્રી સ્પષ્ટીકરણ કરે” એવી માગણી પણ ચગાવવામાં આવે છે. કેટલાક જાતિગત નેતાઓ તો આવા કોઈ ઉચ્ચારણોની રાહ જ જોતા હોય છે. કારણકે તેમને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ મેળવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થતો હોય છે. સમાચાર માધ્યમો પણ આ માટે ટાંપીને બેઠા હોય છે. “મેરા ગલા કાટોગે તો ભી મૈં ભારતમાતાકી જય બોલુંગા નહીં”….. “મૈં કોઈ ભી હાલતમેં જયશ્રી રામ બોલુંગા નહીં….” વાસ્તવમાં જુઓ તો આવા કોઈ મુદ્દા જ હોવા ન જોઇએ. આવા મુદ્દાઓ જો ચર્ચવા હોય તો શૈક્ષણિક હેતુ માટે અનામત રાખવા જોઇએ. પણ મુસ્લિમ નેતાઓ પોતે હિન્દુઓથી અલગ છે અને પોતે આળા પણ છે તે લક્ષણ પ્રદર્શિત કરવા આતુર હોય છે. રામને ઈશ્વર માનવા તે હિન્દુઓ માટે પણ અનિવાર્ય નથી. પણ જયશ્રી રામ કહેવાથી રામ ને ઈશ્વર માન્યા તેવું સિદ્ધ થતું નથી. રામ એ ભારતનું એક મહાન ઐતિહાસિક પાત્ર છે. જેમ શિવાજી છે, જેમ મહાત્મા ગાંધી છે તેમ રામ છે. “રામના વિચારોનો જય હો, કે રામનો જય હો, કે રામદ્વારા કે રામના સિદ્ધાંતો દ્વારા અમારો જય હો…” આમાં કશું વિરોધ કરવા જેવું નથી, કે કમસે કમ પ્રસિદ્ધિ આપી ચગાવવા જેવું નથી. પણ એક મુસ્લિમ નેતાએ જયશ્રી રામ કહ્યું એટલે મુસ્લિમ ધર્મ ગુરુએ ફતવો જારી કરી પોતાના ધર્મના લોકો કેટલા આળા છે તેનું પ્રદર્શન કર્યું.
તમે કોઈની નજીવી તથા કથિત ભૂલોને દરગુજર ન કરો અને તેને ચગાવો તે શું દેશપ્રેમ છે? સમાચાર માધ્યમોએ સમાચારોને સંવેદનશીલ શબ્દોમાં ગોઠવવામાંથી બચવું જોઇએ. ભાષા ઉપર બળાત્કાર ન થવો જોઇએ. દેશને વિભાજિત કરવો એ દેશપ્રેમ નથી.
પ્રદેશ દ્વારા અને ભાષા દ્વારા વિભાજન
ભાષાવાર પ્રાંત-રચના (રાજ્ય રચના) કરવાનો ગાંધીજીનો હેતુ એ હતો કે જે તે પ્રદેશનો વહીવટ, તે પ્રદેશની આમજનતાની ભાષામાં થાય અને આમ જનતા વહીવટમાં હિસ્સો બની શકે. શિક્ષણનું માધ્યમ પણ આમ જનતાની જ ભાષા હોય. ગાંધીજીને એ ખ્યાલ પણ હતો કે બીજા પ્રદેશોના લોકો કોઈ એક પ્રદેશમાં પોતાનું પ્રભૂત્ત્વ સ્થાપી શકે છે. જો આવું થાય તો જે તે પ્રદેશની આગવી ઓળખ જાળવી ન શકાય. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ અને પ્રણાલીઓ હોય છે. એટલે તેને જાળવવી જોઇએ. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિ અને મહારાષ્ટ્રમાં મરાઠી સંસ્કૃતિનું રક્ષણ થવું જોઇએ. એટલે કે ભૂમિપૂત્રોને માટે આરક્ષણ હોવું જોઇએ. આવા આરક્ષણનું પ્રમાણ યથા યોગ્ય રીતે નક્કી કરવું જોઇએ. જો તમે કોઈ એક પ્રદેશમાં કાયમી વ્યવસાય કે રાજ્યની નોકરી કરવા જાઓ તો તમને તે પ્રદેશની ભાષા આવડવી જોઇએ. આ ભાષાની કક્ષા બારમા ધોરણ જેટલી હોવી જોઇએ.
જ્યારે કોઈ એક નગર અમુક હદથી વધુ વિકસી જાય ત્યારે સ્થાનિક લોકો જોઈતા પ્રમાણમાં મળતા નથી. ક્યારેક એવું પણ હોય કે કોઈએક પ્રદેશમાં બહારના લોકોએ જ તે શહેરને વસાવ્યું હોય અને પહેલેથી જ સ્થાનિક લોકો લઘુમતિમાં હોય. ભાષાવાર પ્રાંતરચના ગ્રામ્યવિસ્તારોને આધાર લઈને નક્કી કરવામાં આવેલી. આ કારણથી મુંબઈ મહારાષ્ટ્રને મળેલું. જ્યારે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન થયેલ ત્યારે એવું નક્કી થયેલ કે “મુંબઈનું પચરંગીપણું” જાળવી રાખવામાં આવશે. પણ નહેરુવીયન કોંગ્રેસે આ વચન નિભાવ્યું નથી. જ્યારે આમ જ હોય, તો શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે જેની રચના, ભાષાકીય ભેદભાવ ઉત્પન્ન કરી મતબેંક માટે જ થઈ હોય, તે તો આવું વચન નિભવવામાં માને જ ક્યાંથી.
૧૦૦ વર્ષ પહેલાં મુંબઈમાં દુકાનોના અને રસ્તાઓના નામ ગુજરાતીમાં હતા. રેલ્વે સ્ટેશનના બોર્ડ પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં લખેલા જોવા મળતાં હતાં.
પણ હવે?
મરાઠીભાષાની લિપિ દેવનાગરી છે તેમ છતાં પણ રેલ્વે સ્ટેશનના નામ દેવનાગરીના જુદા ફોન્ટ વાપરી, તેને મરાઠીમાં ખપાવી, ગુજરાતી ભાષાને લુપ્ત કરી દીધી છે. દુકાનોના બોર્ડ જે ક્યાંક ક્યાંક ગુજરાતી લિપિમાં જોવા મળતા હતા તેમાં પણ હવે આ મરાઠી નેતાઓને વાંધો પડવા માંડ્યો છે.
જો વાસ્તવમાં જોઇએ તો મહારાષ્ટ્રની મરાઠીભાષી આમજનતા અને ખાસ કરીને ભણેલી જનતા આવી નથી. પણ તેની જે નેતાગીરી છે તે આવી સંકૂચિત છે. સંકૂચિત હોવું એ નબળા મનની નિશાની છે અને સંકૂચિત મનવાળી વ્યક્તિ સૌ પ્રથમ ભ્રષ્ટ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શિવસેનાએ અને એમએનએસે પોતે દેશપ્રેમી થવાની જરુર છે. “નરેન્દ્ર મોદીએ આમ કરવું જોઇએ અને નરેન્દ્ર મોદીએ તેમ કરવું જોઇએ” એવા દેકારા પડકારા કરવાથી દેશપ્રેમ સિદ્ધ થતો નથી. જેમ દેશમાં અનેક ધર્મ હોય છે તેમ દેશમાં અનેક ભાષા હોય છે. જેમ બીજા ધર્મો પ્રત્યે આદાર હોવો જોઇએ તેમ બીજી ભાષા પ્રત્યે પણ આદર હોવો જોઇએ. જો તમે બીજી ભાષાનો અનાદર કરો તો તમારી દેશભક્તિમાં સાચે જ કચાસ છે.
જો કે આ બંને ભાષાના ઝનૂનપક્ષો કોંગ્રેસની પહેલાં નષ્ટ પામી જશે.
નબળા મનની ગુજરાત નહેરુવીયન કોંગ્રેસ
૧૯૭૨માં ચિમનભાઈ પટેલનો “પંચવટી”વાળો કિસ્સો પ્રપંચવટી તરીકે ઓળખાયો હતો. આ સમયમાં ઇન્દિરા ગાંધીનો ચડતો સિતારો હતો. જેમ પાકિસ્તાનની રચના જુઠાણા ઉપર થઈ છે તેમ ઇન્દિરાગાંધીના કોંગ્રેસ (આઈ) એટલે કે કોંગીની રચના જુઠાણા ઉપર થઈ હતી. રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસના ઉમેદવાર સંજીવરેડ્ડી હતા. પણ ઇન્દિરા ગાંધીને તે પસંદ ન હતા. એટલે તેમણે વીવી ગિરીને ઉભા કરેલ અને પક્ષમાં “અંતરાત્માના અવાજ પ્રમાણે” મત આપવો એ શબ્દ પ્રયોગ કરી વીવી ગિરીનો પ્રચાર કરેલ. વીવી ગિરી જીતી પણ ગયા હતા. આવા અંતરાત્માઓથી નહેરુવીયન કોંગ્રેસ ફાટ ફાટ થાય છે. ૧૯૪૬માં નહેરુએ પોતે ખૂદ પોતાના અંતરાત્માના અવાજને માન આપીને વડાપ્રધાન પદની દાવેદારી કરી હશે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ રોગે બધી સીમાઓ પાર કરી દીધી. ચિમનભાઈ પટેલે પોતાના વિધાનસભ્યોને પંચવટી ફાર્મમાં હરણ કરી રાખ્યા હતા. એ પછી આપણા શંકરસિંહે ધારાસભ્યોના હરણ કરી ખજુરાહોમાં રાખ્યા હતા. હાલમાં ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સદસ્યોને શક્તિસિંહ ગોહેલે બેંગલોર નજીકના કોઈ રીસોર્ટમાં હરણ કરી રાખ્યા છે. “અપહરણ” શબ્દ આપણે નથી વાપરતા. કારણ કે સીતાનું હરણ થાય તો તેને સીતાનું અપહરણ થયું એમ કહેવાય. પણ સુભદ્રાનું હરણ થાય તો તેને સુભદ્રાનું અપહરણ થયું એમ ન કહેવાય. અપહરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોતી નથી. હરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોય છે. પણ ઉપરોક્ત નહેરુવીયન કોંગ્રેસી હરણોમાં પરસ્પર પ્રેમની ભાવના તો નથી પણ હરણ પામેલા આત્માઓ તેમના “અંતરાઅત્માના અવાજ પ્રમાણે” રાજસભાની ચૂંટણીમાં મતદાન કરશે તો …? આ ભય છે.
આમ તો આમાં બે બાપુઓ આમને સામને છે. જો કે પ્રોક્સી યુદ્ધમાં બીજેપી સામેલ છે. વિધાન સભાના છ સભ્યો ઑલરેડી બીજેપીમાં ભળી ગયા. નહેરુવીયન કોંગ્રેસને પોતાના પક્ષના વિધાન સભ્યો ઉપર વિશ્વાસ નથી. પણ આવું જાહેરમાં તો કહેવાય કેમ?
જે પક્ષ પોતાને (લેવા દેવા વગર) દેશની સ્વાતંત્ર્યની લડતને પોતાની ધરોહર માને છે તે પક્ષના પ્રમુખને પોતાના સાદા સદસ્ય ઉપર નહીં પણ વિધાનસભાના સદસ્યની નીતિમત્તા ઉપર અને નિડરતા ઉપર એટલી બધી શંકા છે કે ….
ઇન્દિરા ગાંધીનો જમાનામાં વિજાણું ઉપકરણો એવા ન હતા કે તમે ધમકી આપનારને કે લલચાવનારના ઉચ્ચારણોને અને મુલાકાતોને વિજાણું ઉપકરણોની મદદથી દ્ર્ષ્ય શ્રાવ્યમાં રેકૉર્ડ કરી શકો. જો કે ઇન્દિરા ગાંધી, પોતાના વિરોધીઓના શ્રાવ્ય સંવાદો ગેરકાયદેસર રેકૉર્ડ કરવતી હતી. “મોઈલી પ્રકરણ” પ્રકાશમાં આવેલ.
હાલના સમયમાં હવે તો તમે તમારી ઉપર આવતા ફોનકૉલ અને તમને રુબરુમાં મળતા માણસોની વાતો અને પ્રસંગોને રેકૉર્ડ કરી શકો છો. ધારો તો તેમને બહુ સહેલાઈથી ઉઘાડા પાડીને યુ-ટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર ઉપર અને તમારી માનીતી ટીવી ચેનલો ઉપર પણ ફેલાવી શકો છો. આ બધું એક દમ સરળ છે. તમે બીજેપીવાળાઓની અને તેમના સહાયકોની રેવડી દાણાદાણ કરી શકો છો. જો કોઈ પોલીસ અધિકારી સંડાવાયેલો હોય તો તેને ઉઘાડો પાડીને બરતરફ કરાવી શકો છો. ન્યાયતંત્ર એટલું બધું તો ખાડે ગયું જ નથી કે તમે આવું કશું ન કરી શકો.
પણ આ નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત ઉપર મૌન છે. એ લોકો તો માને છે કે કે જો તેમના વિધાન સભાના સદસ્યો ગુજરાતમાં ક્યાંય પણ હશે તો તે ફૂટી જશે. તેથી આવા એક કે બે નહીં પણ … પૂરા ૪૨ સદસ્યોને બેંગલોર ભેગા કરવા પડ્યા કે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનું રાજ ચાલે છે. વળી આ સદસ્યોના મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા જેથી કોઈ (બીજેપીવાળા) તેઓને ફોન ઉપર ધમકી કે લાલચ આપી ગભરાવી કે લલચાવી ન શકે. અમારા નહેરુવીયન કોંગ્રેસના સદસ્યો તો બિચારા ગભરુ હરણ જેવા છે. હા જી, અમે ગુજરાત વિધાનસભા માટે એવા જ ઉમેદવારો પસંદ કરીએ છીએ.
આવા ડરપોક અને દહીં-દુધીયા નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સભ્યો પાસેથી તમે દેશપ્રેમની શી આશા રાખી શકો છો?
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, tagged અનામત, આંદોલન, આરક્ષણ, ડૉ. આંબેડકર, નહેરુ, નહેરુવીયન ફરજંદ, પછાત વર્ગ, પટેલ, પતંગ, પાટીદાર, બલૂન, મહાત્મા ગાંધી, માગ, મૂર્ધન્યો, વંશવાદ, સમાચાર માધ્યમ, સ્વ on September 5, 2015|
4 Comments »
ફુગ્ગાઓ કોના સંતાન છે અને તેમને કોણ કેમ ઉડાડે છે?
ફુગ્ગાઓ એટલે ફુક્કાઓ (કાઠીયાવાડીમાં). તે ફેક્ટરીઓમાં બને. મોટા લોકો તેમાં હવા ભરે અને બાબલાઓ તેને આકાશમાં ઉડાડે.

ફુક્કા અને પતંગ
આમ તો પતંગ પણ આકાશમાં ઉડે.
પણ પતંગ તો ગૃહ ઉદ્યોગમાં આવે. પતંગ બનાવવામાં શ્રમ કરવો પડે. પતંગ ઉડાડવાનું અનુભવે આવડે. બધાને પતંગ ઉડાડતા ન આવડે. પતંગ આકારના ફુક્કા બનાવી શકાય. અને ફુક્કા આકારના પતંગ બનાવી શકાય. પણ ફુક્કાને કોઈ પતંગ ન કહે અને પતંગને કોઈ ફુક્કો ન કહે.
પતંગ અને ફુક્કા બંનેને દોરી બાંધી ઉડાડી શકાય, પતંગને હવાથી વધુમાં વધુ ૮૯.૯ અંશ આઘોપાછો કરી શકાય. પણ ફુક્કો તો હવાની દીશામાં જ ઉડે. કારણ કે પતંગ એ પતંગ છે અને ફુક્કો એ ફુક્કો છે.
પતંગ ક્યાં સુધી ઉડ્યા કરે?
પતંગનું ઉડ્ડાયન, પતંગની ઉડાણની સમય સીમા, તેની પોતાની મજબુતાઈ અને દોરીની મજબુતાઈ અને કન્ના બાંધવાની તેમજ ઉડાડનારાની કુશળતા ઉપર આધાર રાખે છે. જો કાપનારો ન હોય તો તે જ્યાં સુધી તેનું કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી ઉડ્યા કરશે. દોરી પકડનારા બદલાશે પણ પતંગ ઉડશે.
પણ ફુક્કાનું તેમ નથી. તેતો પવન ને સમર્પિત છે અને જ્યાં સુધી તેની અંદરની હવા ઉડાડવાને સક્ષમ પ્રમાણમાં હોય, હવાનું લીકેજ ન હોય ત્યાં સુધી ઉડશે. પણ હજુ સુધી હવા લીક ન થાય તેવા ફુક્કા શોધાયા નથી.
આમ તો વિમાન પણ આકાશમાં ઉડાડવામાં આવતા હોય છે. પણ તે બનાવવા માટે સમુહગત નિષ્ણાતો અને સમુહગત વ્યવસ્થા જોઇએ. પણ આપણે તેની વાત નહીં કરીએ. આપણે ફક્ત ફુક્કાઓની જ વાત કરીશું.
ફુક્કાઓની કોઈ સમસ્યા નથી. તેના આકારો બદલી શકાય છે. પણ સમાચાર માધ્યમો દરેક સમસ્યાને ફુક્કો માને છે અને જ્યાં સુધી ફુક્કામાં હવા હોય અને પવન પણ હોય ત્યાં સુધી તેને ઉડાડ્યા કરે છે. ફુકામાંથી હવા નિકળી જાય એટલે તેને ઉડાડવો બંધ કરી બીજો ફુક્કો ઉડાડે. તમે જો તેમને પૂછો તો કે પેલો ફુક્કો કેમ મુકી દીધો. તો તેઓ કહેશે કે હવે તેમાં હવા નથી. સમાચાર માધ્યમો હમેશા ફુક્કાઓની શોધમાં હોય છે. સમાચાર માધ્યમો કોઈપણ બનાવને મનગમતા આકારનો ફુક્કો બનાવી શકે છે. પોતાના ફુક્કાને “અમારો તો આ પતંગ છે” એમ પણ એમના ફુક્કા ઉપર પ્રદર્શિત કરી શકે છે. આટલું જ નહીં તેઓ તેમણે માનેલા દુશ્મનના ઉડતા પતંગને પણ “એ તો ફુક્કો છે” એવા લખાણ વાળો ફુક્કો ઉડાડી શકે છે. પતંગની જ ક્યાં વાત કરો છો, તેઓ તો ઉડતા વિમાનને પણ ફુક્કો કહી શકે છે અથવા તો એમ પણ કહી શકે છે કે “ક્યાં છે વિમાન? ક્યાં છે વિમાન? વિમાન બિમાન જેવું કશું નથી
પણ આ બધું શું છે? આ તો બધા ફુક્કા છે.
ફુક્કાને અંગ્રેજીમાં બલુન કહે છે. શિખ લોકોને ભારતીયો સરદારજી કહે છે તેમ કોલેજમાં અમે અ–પટેલો, પટેલોને બલૂન કહેતા. શિખ લોકોએ “સરદારજી” શબ્દ સંપૂર્ણ પણે સ્વિકારી લીધો છે. એટલું જ નહીં “બાર વાગ્યાની” રમૂજોને પણ હાસ્યવૃત્તિના કારણે સ્વિકારી લીધી છે અને તેઓ પોતે પણ પોતાની રમૂજો કરે છે.
અમારા આ પટેલ બલૂનોએ પોતે બલૂન છે એટલું તો સ્વિકારેલ પણ તેમને એ બહુ પસંદ પડતું નહીં. હૉવઅ.
અમારે ડેરોલ(પંચમહાલ)ની પ્રાથમિક શાળામાં અને અમારે અમદાવાદની એમ.જી.ની કોલેજમાં અને હોસ્ટેલમાં બધે બલૂન બલૂન જ હતા. એટલે બલૂન અને અ–બલૂન વચ્ચે વિખવાદ ન હતો.
પણ એમ જી ની હૉસ્ટેલમાં ઉત્તર ગુજરાતના બલૂન અને ખેડા જીલ્લાના બલૂન એમ બે પ્રકારના બલૂન હતા. અમને કાઠીયાવાડીઓને “બાપુ” કહેવાય. બલૂન “ઉડે” એમ કહેવાય. પતંગ “ચગે” એમ કહેવાય છે. બાપુને ચગાવી શકાય ખરા. બાપુ ખુશ થાય.
બલૂનોમાં જુથ હતા. અમે કાઠીયાવાડીઓ જે દિશામાં જઈએ તેનું પલ્લું ભારે થતું. આ વાતની મારા જેવાને ખબર નહીં. પણ હોસ્ટેલમાં ચૂંટણી થઈ તેમાં ખેડા જીલ્લાના બલૂનની હાર થઈ. અને ઉત્તર ગુજરાતના બલૂનની જીત થઈ. કદાચ મારા મતને કારણે જ. મારે તો બંને જુથોના બલૂનો સાથે મૈત્રી હતી. મારા પડોશી બાપુ (કાઠીયાવાડી છોકરો) હતો. એ ખેડા જિલ્લાના ઉમેદવારનો ખાસ મિત્ર હતો. એટલે ખેડા જીલ્લાના બલુનને એમ કે મારો મત તો તેને જ પડશે. પણ મેં તો જે યોગ્ય લાગ્યો તેને મત આપ્યો. જો કે કોઈ મારામારી ન થઈ. જોકે મારો એવો કોઈ પ્રભાવ ન હતો કે મારાથી કોઈ ડરે. “બાપુને વતાવવા નહીં” એવું કદાચ ખેડા જીલ્લાના બલૂન ઉમેદવારે માન્યું હોય. અમારે અમદાવાદ ટેલીફોન્સમાં પણ ઘણા બલૂન. અને રાણીપમાં એક “બલોલનગર નામની સોસાઈટી પણ છે. એને અમે બલૂનનગર કહીએ છીએ. આમ તો અમદાવાદ આખું બલૂનોથી ખદબદે છે.
પણ હે બલૂનભાઈઓ તમે બલૂન જ છો તે સિદ્ધ કરવાનો પ્રયત્ન તમે કેમ ચાલુ કર્યો છે?
કૃષ્ણ ભગવાને કહેલ કે ચાર વર્ણોની રચના, (પ્રકૃતિરુપી મેં) શ્રમવિભાજન અને તેને કારણે થતી વૃત્તિઓના આધારે કરી છે. વૃત્તિઓ આનુવંશિક હોય શકે છે. પણ બાહ્યપરિબળો અને કર્મ જ મુખ્ય ભાગ ભજવે છે એટલે કૃષ્ણભગવાને “અનુવંશ” ને અવગણ્યો. જો કૃષ્ણભગવાન વંશવાદમાં માનતા હોત તો તેઓ જરુર વંશવાદને અનુરુપ કહેત. જેઓ પોતાને હિન્દુ (સનાતન ધર્મી) માને છે તેઓએ આ બાબતમાં શંકા ન કરવી.
અનામતની વાત
અનામતની આ કે તે સ્વરુપની વાત, સ્વાતંત્ર્યની ચળવળ જેટલી જુની છે. ડૉ. આંબેડકરે અનામતની વાત કરેલી. અનામતનો તેમણે આગ્રહ પણ રાખેલો. તેમની વાતમાં થોડો તો થોડો, પણ દમ હતો. પણ ગાંધીજી કોઈપણ જાતની કે પ્રકારની અનામતના સજ્જડ વિરોધી હતા. એટલે ગાંધીજી તેના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા. અંતે આંબેડકરે “એક મહાન નેતાના જીવને બચાવવા હું મારી પછાત જાતિના હિતનું બલિદાન આપું છું”. પણ આંબેડકરે કબુલ રાખેલ કે પછાત લોકોની પ્રત્યે ગાંધીજીને અપાર સહાનુભૂતિ છે. આંબેડકરને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ ન હતો.
અનામત એટલે ફક્ત વરવું રાજકારણ
ગાંધીજી અને સરદાર પટેલ ગયા પછી નહેરુએ અનામતની પ્રથા બીજે સ્વરુપે દાખલ કરી. તે ક્ષમ્ય પણ હતી. પણ નહેરુએ અને ખાસ કરીને તેના ઔરસ સંતાન ઇન્દિરાએ તેને “મતબેંક”ના સ્વરુપમાં ફેરવી નાખી તેથી આખા રાજકારણની દિશા અને સંસ્કાર બદલાઈ ગયા.
નહેરુએ પરોક્ષ રીતે ધર્મ અને ભાષાવાદને પુરસ્કૃત કરતી રાજનીતિ અપનાવી. ચૂંટણી પ્રચારમાં “જનસંઘને ભાંડવો” અને બીજી તરફ “મરાઠી લોકોને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ” એમ કહેવું એ નહેરુની રાજનીતિની દિશા અને નહેરુના સંસ્કાર બતાવે છે. નહેરુએ કદાચ વાણી ઉપર કાબુ રાખ્યો હશે કારણકે સ્વાતંત્ર્યની લડતમાં તેમણે કરેલું યોગદાન તેમની આ પાર્શ્વભૂમિકાને “લુલીને છૂટી મુકી દેવામાંથી” રોકતું હશે.
તેમની પુત્રીને એવી કશી પાર્શ્વભૂમિકા ન હોવાને કારણે, તે બેફામ બોલી શકતી હતી. ૧૯૬૯માં મોરારજી દેસાઈના હિતેન્દ્ર દેસાઈના રાજ્યમાં કોમી હુલ્લડ થયું. અને તેમનો પક્ષ નબળો કર્યો. તે પછી ગરીબી હટાવોના નારા આપ્યા પછી સવર્ણ-અસવર્ણ વચ્ચે ભેદ કર્યા. આ વાતાવરણ તેણે નવનિર્માણના આંદોલન ના અંતિમ તબક્કામાં કર્યું. નવનિર્માણનું આંદોલન તો ખાધે પીધે સુખી લોકોનું આંદોલન છે અને આમાં શ્રમજીવીઓનો કોઈ હિસ્સો નથી. કંઈક અંશે આ વાત સાચી હતી. પણ આંદોલન કર્તાઓનો હેતુ કદીય શ્રમજીવીઓને અવગણવાનો ન હતો. નવનિર્માણનું આંદોલન વાસ્તવિક રીતે વિશાળ હિત માટે ભ્રષ્ટાચાર હટાવવા માટે હતું. જોકે ભ્રષ્ટાચાર હટાવવા માટેની સર્વમાન્ય બ્લ્યુપ્રીંટ ન હતી. તેમજ આ આંદોલન કોઈ એક જુથના જાતિના લાભ માટે પણ ન હતું. તેમાં પણ બલુનો હતા. પણ બલુનો કોઈ જાતિના લાભ માટે આંદોલનમાં ભાગ લેતા ન હતા.
કોઈ પણ આંદોલનમાં હેતુ મુખ્ય હોય છે. સ્વતંત્રતા માટેનું આંદોલન સર્વજન હિતાય હતું. નવનિર્માણનું આંદોલન પણ સર્વજન હિતાય હતું. તેમાં કોઈ સ્વજાતિવાદ કે સ્વધર્મવાદની દુર્ગંધ ન હતી.
કેવળ અને કેવળ વિભાજનવાદી આંદોલન
હાલમાં બલૂનો દ્વારા (પાટીદારો દ્વારા) ચાલતું આંદોલન પાટીદારોના લાભના ધ્યેય માટે ચાલી રહ્યું છે. આ વાતને કોઈએ નકારી નથી અને કોઈ નકારી શકે તેમ નથી.
સરદાર વલ્લભભાઈ પટેલ આર્ષદૃષ્ટા હતા. આ બાબતમાં બલુનભાઈઓને કે કોઈને પણ આ શક હોવો ન જોઇએ. આ વલ્લભભાઈ પટેલે તીબેટ પ્રત્યેની અને ચીન પ્રત્યેની નહેરુની વિદેશ નીતિ વિષે નહેરુને ચેતવણી આપેલ. નહેરુએ તે ચેતવણીને પોતાની સંકુચિત વૃત્તિને કારણે અવગણી. તેવું જ કશ્મિર વિષે થયું. આજે આપણી ૯૦ ટકા સમસ્યાનું મૂળ નહેરુ–ઈન્દિરાના કુત્સિત કર્મો છે. પણ જેઓને બલૂનોને ઉડાડવા છે અને પોતાને પણ ઉડવું છે તેમને આ વાતનો સાક્ષાતકાર નહીં થાય.
સરદાર પટેલને જોડાનો હાર
બલૂનવાદને ચલાવનારાઓએ સૌપ્રથમતો સરદાર વલ્લભભાઈ પટેલને જોડાનો હાર પહેરાવવો જોઇએ. કારણ કે આ વલ્લભભાઈ પટેલ પાટીદાર હોવા છતાં અને આર્ષદૃષ્ટા હોવા છતાં તેમના જાતભાઈઓ માટે અનામતની વાત કરી ન હતી. જેમ નહેરુવીયન કોંગ્રેસીઓએ મહાત્માગાંધીનું ખૂન કર્યું છે તેમ બલૂનવાદીઓએ પણ સરદાર પટેલનું ખૂન કર્યું છે. ગાંધીજીનું ધ્યેય હતું, અંતિમછેડાના આદમી થી (ઓન ટુ ધ લાસ્ટ થી) શરુઆત કરવી. જો આમ કરીએ તો અનામતનો પ્રશ્ન જ ન રહે.
પણ આવું તો કેમ થાય!! ખાદી અને ગૃહ ઉદ્યોગતો અપનાવાય જ કેમ !! દારુ તો છોડાય જ કેમ!! સાદગી તો અપનાવાય જ કેમ !! ગરીબોની ગરીબાઈ દૂર કરવા માટે આપણાથી આવા ભોગ, કામચાલાઉ પણ અપાય જ કેમ!! નહેરુવીયન કોંગ્રેસનું ધ્યેય રહ્યું છે “સ્વ”ના હિતથી થી શરુઆત કરવી. પ્રધાનોને મોટા પગારો આપો, સગવડો આપો … ૨૦ લાખ રુપીયા ખર્ચીને ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓને પણ પગારો, ભત્થાઓ, સગવડો આપો અને નિવૃત્તિવેતન પણ આપો.
યોગ્યતા ઉપલબ્ધ કર્યા વગરના, શ્રમહીનતા થી મળતા કે અપાતા લાભો અને નિરર્થક લાભો આવા સૌ લાભો “અનામત –આરક્ષણ”ના લાભને સમકક્ષ જ છે. આ સ્વને મળતા લાભો મેળવનારાઓમાં રાષ્ટ્રપતિથી શરુ કરી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધીનો સમાવેશ થાય છે. આમાંના કોઈપણ પોતાને મળતા વિશેષ અધિકારો છોડવા તૈયાર નથી.
૧૯૭૩-૭૪ના અરસામાં ઇન્દિરા ગાંધીએ સવર્ણ-સવર્ણના ભેદ ઉભા કરેલ. પણ ૧૯૮૦ પછી ફરીથી સત્તા ઉપર આવતાંની સાથે વર્ગવિગ્રહ ચાલુ કરાવેલ.
તે વખતે આ જ પટેલ ભાઈઓનો “અનામતનો મૃત્યુ ઘંટ વગાડવામાં” હિસ્સો હતો. અનામતના લાભ નિરર્થક છે. તે વાત સાચી છે. પણ અછૂતોએ પોતે કદી તે માટે આંદોલનલો ચલાવ્યા હોય તે જાણમાં નથી. તેમના નેતાઓએ બંધારણીય માર્ગે તેમને અપાવ્યા છે. આ નિર્ણયો અયોગ્ય હોઈ શકે. તેનો વિરોધ થઈ શકે પણ તે માટે પછાતવર્ગોને એમ ન કહી શકાય કે તમે આ લાભ છોડી દો નહીં તો અમે તમારા ઉપર હુમલો કરીશું. હોદ્દેદારોને અપાતી વિશેષ સગવડ પણ અનામતને સમકક્ષ જ છે. એટલે જો આંદોલન કરવું જ હોય તો તેની પ્રાથમિકતાનું લક્ષ્ય રાષ્ટ્રપતિથી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓથી શરુ થવું જોઇએ.
૮૦ના દશકામાં અનામતનો ભરપુર વિરોધકરનારા આ પટેલભાઈઓ આજે પોતાની જાતિમાટે અનામત માગે છે. આ લોકોને બલૂન નહીં તો શું કહેવું?
હે પટેલ ભાઈઓ જો તમને તમારી માગણી સિદ્ધાંતયુક્ત લાગતી હોય તો તમે તમારા અદાઓને, ભાભાઓને, બાપાઓને કે જેમણે તમારાથી ઉંધું આંદોલન કરેલ તેમને જોડાના હાર પહેરાવો અને તેનું સરઘસ કાઢો. જો તમે આવું કરો તો તમે ખરા ભડના દિકરા, બાકી મોરીદાર (મોળીદાળ) નહીં કે પાટીદાર. “સર્વપ્રથમ ભારત” (ઈન્ડીયા ફર્ષ્ટ)વાળા તો તમે નહીં જ નહીં.
આ “સ્વ”ને ( આ “સ્વ” પોતે ખુદ હોય કે પોતાની જાતિ હોઈ શકે છે) કેન્દ્રમાં રાખી કરતા આંદોલનોને આવકાર્ય પણ ન ગણાય અને ક્ષમ્ય પણ ન ગણાય.
પીળાપત્રકારત્વવાળા સમાચાર માધ્યમો
પીળાપત્રકારત્વવાળા સમાચાર માધ્યમોને, આંદોલનને તેના ધ્યેયના વ્યાજબીપણાને આધારે મુલવવાને બદલે આંદોલન વકરે એમાં જ રસ છે.
પટેલ ભાઈઓ કોણ છે? પટેલભાઈઓ ક્યાં ક્યાં છે? પટેલભાઈઓ કઈ કઈ જગ્યાએ કેટલી સંખ્યામાં છે? પટેલભાઈઓનું જોર ક્યાં ક્યાં કેટલું છે? પટેલભાઈઓ કેવા છે? પટેલભાઈઓમાં કેટલી જાતિઓ છે? પટેલભાઈઓના સ્વભાવ કેવા છે? પટેલભાઈઓનો ઈતિહાસ શો છે? પટેલભાઈઓના પૂર્વજો કોણ હતા? પટેલભાઈઓના પૂર્વજોએ શું શું કરેલ? પટેલ ભાઈઓ શું શું કરી શકે છે? પટેલભાઈઓ સંપી જશે તો શું શું થશે?
ઘોડો જો … ઘોડો જો … ઘોડાની ડોક જો … ઘોડાની કેશવાળી જો … ઘોડે કેવો ચાલે છે … ઘોડો કેવો દોડે છે … ઘોડો કેવો હણહણે છે … ઘોડો જો … ઘોડો જો..
હવે પટેલભાઈઓ શું કરશે? શું તે અન્યાય સહન કરી લેશે.. ? પટેલભાઈઓના નેતા કોણ કોણ છે…. આ નેતાઓ કેવા છે …. આંદોલન કેવું વ્યાપક હતું …. આંદોલન કેવું સ્વયંભૂ હતું … સ્વયંભૂ આંદોલનો કેવા હોય છે … આવા આંદોલનો શું શું કરી શકે છે … આવા આંદોલનો સામે જેઓ પડ્યા અને જે સરકારો પડી તેના કેવા હાલ થયા …. આનંદીબેનનું શું થશે … શું આનંદીબેનને જવું પડશે … આર એસ એસ માં તડાં પડશે … શું બીજેપી આ આંદોલનના જુવાળમાં ડૂબી જશે… શું બીજેપીનું કાઉન્ટ ડાઉન ચાલું થઈ ગયું છે … નરેન્દ્ર મોદીનું નાક કપાયું … બીજેપી હતઃપ્રભઃ છે … બીજેપીના નેતાઓને મોઢે તાળાં છે… હવે પટેલભાઈઓ આગળ તેમની ખેર નથી. હવે પટેલભાઈઓ બીજેપીના નેતાઓને ઉઘાડા કરશે…. બીજેપીની પોલો ખૂલ્લી પડશે … વિકાસના ફુગ્ગાની વાત કેવી પોલંપોલ છે તેની જનતાને ખબર પડશે.
ફુગ્ગાઓ ઉડાડવાની ફાવટ
સમાચાર માધ્યમોને આવા ફુગ્ગાઓ ઉડાડવામાં ફાવટ છે. આ બધું તેઓ નહેરુવીયન ફરજંદ ઇન્દિરા ગાંધી (કે જેના સલાહકાર સીમાપારના કેજીબી સામ્યવાદીઓ હતા) પાસેથી શિખેલા કે અફવાઓ, વિસંવાદો અને અસત્યોને કેવી રીતે ફેલાવી શકાય. વિરોધીઓને મુક્કાઓ કેવી રીતે મારી શકાય છે.
અમરીતભાઈ પાસે કામ લઈને આવેલા મુલાકાતીને અમરીતભાઈએ કહ્યું “મેં તમને પૈસા આપ્યા. તમે મને મત આપ્યો. હું ચૂંટાયો. વાત પુરી. હિસાબ પુરો. મારી પાસે કામ માટે આવવું નહીં.” આજની ઘડી ને કાલનો દિ….
“અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જ્યાં સુધી ચીને કબજે કરેલા ભારતીય ભૂખંડો અમે પાછા મેળવીશું નહીં ત્યાં સુધી જંપીને બેસીશું નહીં.” સંસદમધ્યે નહેરુ ઉવાચ.
આજની ઘડીને કાલનો દિ…
તેમિ માનવરાક્ષસા પરહિતં સ્વાર્થાય નિઘ્નન્તિ યે,
યે તુ ઘ્નન્તિ નિરર્થકં પરહિતં, તે કે ન જાનિમહે
આ શ્લોકનો અર્થ સમજતાં પહેલાં આપણે સમાચાર માધ્યમના સંચાલકો શું કહે છે તે સાંભળીએ.
સમાચાર માધ્યમના સંચાલકો એમ કહે છે કે અમે “પેઈડ” સમાચાર છાપતા નથી. જો તમે સાબિતી આપશો તો અમે તમને ઈનામ આપીશું.
પણ તમે જુઓ. “હાથ કંગન કો આરસી ક્યા”. સમાચારોના શિર્ષકો અને કથાઓ જ તમને કહી દે કે સમાચારોના માલિકોની માનસિકતા કેવી છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આવા શિર્ષકો અને કથાબંધોની સંરચના કરવા માટે પૈસા લીધા છે કે નહીં?
જો તેમનો ઉત્તર “હા” હોય તો તે તેમનો સ્વાર્થ થયો. તેથી ઉપરના શ્લોકની પહેલી કડી તેમને લાગુ પડે છે કે “જેઓ પોતાના સ્વાર્થ માટે બીજાનું (દેશનું) અહિત કરે છે તેઓ માનવરાક્ષસો છે.
જો તેમનો ઉત્તર “ના” હોય તો, એવો અર્થ થયો કે તેમણે નિરર્થક જ દેશનું અહિત કર્યું. ઉપરના શ્લોકની બીજી કડી એમ કહે છે “જેઓ નિરર્થક જ બીજાના (દેશના) હિતને હાનિ કરે છે તેઓ (તો રાક્ષસથી પણ બદતર છે અને તેમના માટે કયો શબ્દ વાપરવો તે) અમે જાણતા નથી. કોઈ કહેશે કે આમાં દેશના હિતની કે અહિતની વાત ક્યાં આવી?
અરે ભાઈ આ તો તમે “સીતાનું હરણ તો થયું પણ હરણની સીતા થઈ કે નહીં” તેના જેવી કરી. જે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો અને તેમ કરવામાં પોતાની નાદુરસ્ત તબિયતનો પણ ખ્યાલ ન કર્યો. આજે એજ સરદાર પટેલના ફરજંદો પોતાના વંશીયલાભ માટે બસો સળગાવે છે, બસસ્ટેંડો તોડે છે, રેલ્વે ટ્રેનો બંધ કરે છે … રેલ્વેના પાટાઓ ઉખેડી નાખે છે, દુકાન બંધ કરાવે છે, વાહનવ્યવહાર બંધ કરાવે છે.. શું નથી કરતા તે પૂછો…
આંદોલન, ફક્ત સમગ્રદેશના હિત માટે હોઈ શકે.
ગાંધી-સરદારે જે આંદોલનો કરેલા તે જનતાના વિશાળ હિત માટે કરેલા. મીઠાના સત્યાગ્રહ માટે અમદાવાદથી દાંડી સુધીની દાંડી કૂચ કરેલી જેથી જનતાને કરમૂક્તિ વાળું મીઠું મળે અને સમગ્ર ભારતની જનતા મીઠાવાળી થાય.
આ બલૂનોના નેતાઓની બધી જ વાતો, ગાંધી-સરદારથી ઉંધી છે. તેમની માગ, જાતિવાદી જ નહીં પણ તેમની માગની આડઅસરો જનતાને વિભાજિત કરે છે અને વર્ગવિગ્રહ કરાવે છે. તેથી જ તેમની દાંડી યાત્રા પણ ઉંધી દિશાની છે.
લોકશાહીમાં જો અન્યાય થતો હોય તો તેને માટે ન્યાયાલય છે.
મહાત્મા ગાંધી કહેતા હતા કે સમાચાર પત્રો (માધ્યમોનું) કામ જનતાને કેળવવાનું છે. સમાચાર માધ્યમો કબુલ કરે કે ન કરે પણ તેઓ સહુ બિકાઉ છે અને “વેચાઈ ગયેલો માલ છે”.
અખબારી મૂર્ધન્યો
સમાચાર માધ્યમોના મૂર્ધન્યોનું શું છે? એટલે કે કટારીયા લેખકો અને ચર્ચા ચલાવતા એંકરોનું શું છે? બલૂનોના આંદોલનમાં તેમના પ્રતિભાવો કેવા છે?
આ આંદોલન ગુણવત્તા હીન છે. તેમાં કોઈને શક ન હોવો જોઇએ. આ આંદોલનને કમનસીબ ગણવું જોઇએ. પટેલ જેવા પ્રતિષ્ઠિત સમાજ ઉપર લાંબા ગાળા સુધી ન ભૂંસાય તેવો એક કાળો ડાઘ લાગી ગયો છે. પણ બધા મૂર્ધન્યો આ આંદોલનને તેના સુયોગ્ય સંદર્ભમાં મુલવતા નથી. કેટલાક મૂર્ધન્યો તેમના પ્રતિભાવ અને મુલવણીમાં તેમના પૂર્વગ્રહોનું મિશ્રણ કરે છે. એક ભાઈશ્રીએ પટેલોનો ૧૦૦૦૦ થી માંડીને આજ સુધીનો ઇતિહાસ લખ્યો. અને પટેલોને બિરદાવ્યા. બીજા એક વિદ્વાન ગ્રામસ્વરાજ્ય મિત્રે યેન કેન પ્રકારેણ સરસ્વતી દેવીને પણ સમજવામાં મુંઝવણ થાય તે રીતે શબ્દોનો ગુંચવાડો ઉભો કરીને નરેન્દ્ર મોદી, બીજેપી અને આરએસએસને ગોદા માર્યા.
નરેન્દ્ર મોદી અને બીજેપીની વિરુદ્ધમાં હવા ચલાવવી એ તો અમુક લોકોનો શોખ છે. આરએસએસ પાસે બીજેપીનો રીમોટ કન્ટ્રોલ છે. અફવા ચલાવવી એ ફેશન છે. શૌક ભી કોઈ ચીજ હૈ ભાઈ!! જો આવા શોખ રાખીશું તો જ બીજેપીના સારા કામોની વાતો માટે સમાચાર માધ્યમોમાં સમય બચશે જ નહીં. અને બીજેપી વિષે નકારાત્મક હવા ફેલાવવાનું આપણું લક્ષ્ય સિદ્ધ થશે. ભલેને મોદી ગમે તેટલો વિકાસ કરે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ અનામત, આરક્ષણ, પટેલ, પાટીદાર, બલૂન, પતંગ, પછાત વર્ગ, મહાત્મા ગાંધી, ડૉ. આંબેડકર, નહેરુ, નહેરુવીયન ફરજંદ, વંશવાદ, માગ, આંદોલન, સ્વ, મૂર્ધન્યો, સમાચાર માધ્યમ,
ચમત્કૃતિઃ ઈદી અમીન કહેતો હતો કે હિટલર બહુ ક્રૂર હતો. માણસોને મારી નાખતો હતો. મારીને તેમને ખાતો પણ ન હતો. ખાલી ખાલી જ મારતો હતો. તમે જેને ખાતા નથી તેને ખાલી ખાલી મારવાનો શું અર્થ? આ તો નરી ક્રૂરતા જ કહેવાય. નહેરુવીયનો માટે પણ આવું કહી શકાય.
Like this:
Like Loading...
Read Full Post »