Feeds:
Posts
Comments

Posts Tagged ‘ઈન્દીરાઈ’

નહેરુવીયન કોંગ્રેસનું કલ્ચર અને કટોકટીનો કાળોકેર – ૨

૨૫ જુન ૧૯૭૫

Encountered

૨૫ જુન ૧૯૭૫ એ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે.

આ દિવસે નહેરુવીયન ફરજંદ શ્રીમતી ઇન્દીરા ગાંધીએ ભારતીય જનતાના બંધારણીય હક્કો સ્થગિત કર્યા. જોકે નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સરકારી ચમચાઓ એમ માનતા હતા કે ભારતીય જનતાના સર્વે અધિકાર નાબુદ થયા છે. અને આ મતલબનું ઈન્દીરામાઈના એડવોકેટ જનરલે ન્યાયાલય સમક્ષ નિવેદન આપેલું.

“કટોકટી દરમ્યાન ભારતીય જનતાના અધિકાર માત્ર એટલે કે સર્વ અધિકારો સમાપ્ત થયા છે. અને તેથી તેનો જીવવાનો અધિકાર પણ સમાપ્ત થાય છે. એટલે કટોકટીના સમય દરમ્યાન સરકાર કોઈપણ વ્યક્તિને મારી નાખી પણ શકે. તે વ્યક્તિના સગા સંબંધીઓ કશી પૂછતાછ ન કરી શકે કારણકે તેમણે આવા હક્કો કટોકટીમાં ગુમાવ્યા છે.

કુદરતી અધિકાર શું છે? કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. કુદરતી અધિકાર એ સ્વરક્ષણનો અધિકાર છે. કુદરતી અધિકાર તમારા સંબંધીઓના રક્ષણનો છે.

માનવીય અધિકાર શું છે? માનવીય અધિકાર કુદરતી અધિકાર ઉપરાંતના અધિકાર છે. તમારી જગ્યામાં રહેવાનો છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી. તમારા ઉપર આરોપ હોય તો તે જાણવાનો અધિકાર છે. ન્યાય માટે પોતાનો અને બીજાનો પક્ષ રજુકરવાનો અધિકાર છે.

બંધારણીય અધિકાર શું છે? બંધારણમાં દર્શાવેલ અધિકારો પ્રણાલીઓ દ્વારા સ્થાપિત થયેલા અધિકારો અન્યાયકારી કાયદાઓ, આદેશો અને પ્રક્રિયાઓ રદબાતલ અને અસરહીન કરવાનો અધિકાર જનહિત ધરાવતી તમામ જોગવાઈઓ અને કાર્યવાહીઓ, તેના કારણો અને આધારોમાં પારદર્શિતા જાણવાનો અધિકાર, જનહિત માટેનો વાણી સ્વાતંત્ર્યનો અધિકાર, પ્રતિનિધિત્વનો અધિકાર

કટોકટીનો ઉપયોગ ઈન્દીરાએ કેવી રીતે કર્યો?

ઈન્દીરાએ માન્યું કે કોઈપણ વ્યક્તિને કે જેણે અપરાધ કર્યો હોય કે અપરાધ કરવાનો હોય, કે અપરાધ કરશે તેવી શક્યતા હોય કે અપરાધ કરશે તેમ સરકારને લાગતું હોય તો સરકાર તેને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી ધરપકડ કરી શકશે અને જેલમાં પુરી શકશે અને ન્યાયાલયમાં રજુ કરવો કે ન કરવો, કેસ ચલાવવો કે ન ચલાવવો તે સરકાર નક્કી કરી શકશે. ન્યાયાલયને પણ ગુના વિષે કે તેના પ્રકાર વિષે કે તેના અસ્તિત્વ વિષે જાણવાનો હક્ક રહેશે નહીં.

ઈન્દીરા ગાંધીએ હજારોની સંખ્યામાં નેતાઓની અને લોકોની ધરપકડ કરી. જેમાં સરકારની વિરુદ્ધમાં બોલનારા બધા જ નેતાઓ, કેટલાક પત્રકારો અને વકિલોનો પણ સમાવેશ થતો હતો. રૉ, એલ.આઈ.બી અને સેન્ટ્રલ ઈન્ટેઈજન્સ નું કામ જ દેશની અંદર જનતાની જાસુસી કરવાનું હતું.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના નેતા કપિલ સીબ્બલે ગયે વર્ષે જાહેરાત કરેલી કે તે નરેન્દ્ર મોદી વિષે એક મોટો ખુલાસો કરવાના છે.

જોકે આ ખુલાસાનું તેમણે નામ દીધું ન હતું. આ ખુલાસો સંભવતઃ જાસુસીનો હતો. આ કોંગી નેતાઓએ વાત વહેતી મુકેલી કે નરેન્દ્ર મોદીએ (સફેદ દાઢીએ) તેના ગૃહ મંત્રીને (કાળી દાઢીને), કોઈ એક યુવતીની હિલચાલ ઉપર નજર રાખવાના મૌખિક આદેશ આપેલ. આ ગૃહમંત્રીએ કોઈ અધિકારીને ફોન ઉપર આ મતલબની વાત કરેલ. આ વાતની ટેપ પકડાયેલી. આ ટેપ કોંગીનેતા પાસે આવી અને કોંગીએ ઉપરોક્ત હવા ફેલાવી કે આ વ્યક્તિગત ખાનગીપણાના અધિકારનો ભંગ છે એટલે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવશે. આ બનાવનું મટીરીયલ એકઠું કરવા માટે એક સ્પેશીયલ તપાસ પંચ બનાવવામાં આવ્યું. આ માટે મનમોહન સિંહના મંત્રીમંડળે એક સ્પેશીયલ બેઠક બોલાવી હતી અને ઠરાવ પાસ કરેલ.

ધારો કે આ જાસુસી પ્રકરણમાં થોડુંક પણ સત્ય હોય તો પણ શું?

કટોકટીમાંના સમયમાં તો શંકાસ્પદ વ્યક્તિની અને દરેક સંમેલનોમાં જાસુસી થતી હતી. જેમ કે દરેક કર્મચારી યુનીયનોને આદેશો હતા કે સૌ પ્રથમ કટોકટીને આવકારતો ઠરાવ પસાર કરવો. જો કોઈ કર્મચારી યુનીયનની મીટીંગમાં કટોકટીને બહાલી આપતો ઠરાવ પસાર ન કરે તો તેના હોદ્દેદારોને ધમકી મળતી અને ઠરાવ પસાર કરાવવો પડતો. કર્મચારી યુનીયન કે કોઈપણ યુનીયનના હોદ્દેદારો ધરપકડથી બચવા આવો કટોકટીને બહાલી આપતો ઠરાવ અચૂક પસાર કરતા અને તેની નકલ આઈબીને આપતા. કોઈપણ મીટીંગ કરવી હોય તો એલઆઈબીને જાણ કરવી પડતી.

ઈન્દીરાઈ જાસુસી

ઈન્દીરા ગાંધીના એક અનુયાયી નામે મોઈલી, તેના ટેપ પ્રકરણની વાત છોડો. સીન્ડીકેટના નેતાઓ કે જેમણે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાનપદ ઉપર બેસાડેલ. સમય જતાં ઈન્દીરા ગાંધીના ખરાબ પરફોર્મન્સ અને એરોગન્સને કારણે આ સીન્ડીકેટના નેતાઓ તેણીની વિરુદ્ધ ગયેલ. તો આ જ કોંગીઓની દેવીએ આ બધાના જ ફોન ટેપ કરાવેલ. અને મોરારજી દેસાઈને સંભળાવેલ. આવી કોંગ્રેસ જ્યારે નરેન્દ્ર મોદી ઉપરની કથા કથિત જાસુસી માટે હોબાળો મચાવે ત્યારે વરવી જ લાગે છે.

વળી જુઓ, નરેન્દ્ર મોદીવાળા આ જાસુસી પ્રકરણમાં કોઈ ફરીયાદ આવી નથી. શક્ય છે કે એક પિતાએ તેની પૂત્રીને કોઈ ગુમરાહ ન કરે તે માટે પોતાની વગ ચલાવેલ હોય. યુવાન પુત્રીની બેઈજ્જતી ન થાય તે માટે કોઈ પણ પિતા પોતાથી બનતો પ્રયાસ કરે. પણ આપણી આ નહેરુવીયન કોંગ્રેસને સ્ત્રીઓ ભરમાય કે બે ઈજ્જતીને પામે તેનો છોછ નથી. કોઈ હિસાબે નરેન્દ્ર મોદી બદનામ થાય તેમાં જ તે રચીપચી રહે છે. સત્તા લેવા અને ટકાવી રાખવા બધી નીતિમત્તા અને સામાજીક સ્વસ્થતાને નેવે મુકો એવા આ કોંગી નેતાઓના સંસ્કાર છે.

અભિષેક સિંઘવીના એક વકીલ સ્ત્રીની સાથે દુસ્કર્મની ટેપ પકડાયા છતાં નહેરુવીયન કોંગ્રેસે તે ટેપ અને અભિષેક સિંઘવી મામલે કશી જ કાર્યવાહી કરવાનું યોગ્ય માન્યું નથી. પોતાની દ્વારા કરવામાં આવતો વ્યભીચાર કોંગીઓ માટે ગુનાઈત નથી. આવા તો અનેક સામાજીક વિનીપાતના નહેરુવીયન કોંગ્રેસના ઈતિહાસના પ્રકરણો છે.

આ બધા પ્રકરણોની વાત જવા દો. ઈન્દીરાઈ કટોકટીનો મહાગ્રંથ ભારતના ઈતિહાસમાં એક ન અવગણી શકાય તેવો કાળો ગ્રંથ છે.

શું ફોજદારી ગુનાઓ માફ થઈ શકે?

ના જી. કોઈને ગુના વગર પકડવા, તેમને ગોંધી રાખવા, તેમને તેમના કૂટુંબીઓથી વિખુટા પાડવા, તેમના કૂટુંબીઓને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે યાતનાઓ આપવી, પકડેલા ઉપર કેસ ન ચલાવવા આ બધા ફોજદારી ગુના છે.

ધારોકે કટોકટી દરમ્યાન અમુક અધિકારો છીનવી લેવાયા. પણ તે રદ થયા ન હતા. તેથી કટોકટી રદ થતાં તે અધિકારો અમલમાં આવે છે. એટલે જે ગુનાઓ સરકારે કર્યા થયા અને જે અધિકારીઓએ અને જેના આદેશ થકી જે તે ગુનાઈત કાર્યવાહી કરી હતી, તે સૌને સર્વ પ્રથમ તો ગિરફતાર કરવા જોઇએ. અને જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

આ ઉપરાંત ઈન્દીરા ગાંધી અને તેની સરકારના મંત્રી અને અધિકારીઓએ “શાહ કમીશન”ના તમામ દસ્તાવેજોનો અને કાર્યવાહીના કાગળોનો નાશ કરાવ્યો છે. આવો કોઈ સરકારને અધિકાર નથી. આ પણ એક ગુનાઈત કાર્ય છે. જે જે અધિકારીઓએ અને કોંગી નેતાઓએ આમાં ભાગ લીધો હોય તેમને ગિરફ્તાર કરી જેલમાં મોકલવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

સૌથી મોટી ગુનેગાર ઈન્દીરા ગાંધી છે.

શું સરકાર પોતાની યોજનાઓ અને સ્કીમોને દાઉદનું નામ આપશે? શું સરકાર પોતાના બંધ, પુલ, એરપોર્ટ, બસસ્ટેન્ડ, મકાન, વિગેરેને દાઉદ અને તેના સગાંઓના નામ આપશે?

ઈન્દીરા ગાંધી જ નહીં, જવાહર, રાજીવ અને સોનીયા પણ ગુનેગાર તો છે જ.

જવાહરે તીબેટની ઉપર ચીનનું સાર્વભૌમત્વ સ્વિકારીને, ચીનને ભારતની ઉપર આક્રમણ કરવાની તક પુરી પાડી હતી. જવાહારે ચીન સાથેની સરહદ રેઢી મુકીને આપણા દેશના હજારો જવાનોને મોતના મુખમાં ધકેલી મોતને ઘાટ ઉતારેલ.

ઈન્દીરાએ જે સિમલા કરાર કરેલ તે દેશ સાથેની એક છેતરપીંડી હતી.

ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડ સાથે ક્ષતિયુક્ત કરાર કરી ભોપાલ ગેસ કાંડમાં હજારો લોકોને મોતને ઘાટ ઉતારેલ અને લાખો ઈજાગ્રસ્ત થયેલ.

ભારતમાં આતંકવાદના ફેલાવા માટે ઈન્દીરા ગાંધી જવાબદાર છે. કારણકે તેણે જ ભીંદરાણવાલેને મોટોભા અને સંત ઘોષિત કરેલ. આ સંત તેના લાવા લશ્કર અને શસ્ત્ર-અસ્ત્ર સાથે સતત સુવર્ણ મંદિરમાં અવરજવર કરતો હતો છતાં પણ કોઈને રોકવામાં આવ્યા ન હતા અને તે કારણે હજારો નિર્દોષ લોકોની હત્યા થયેલ. આ માટે ઈન્દીરા ગાંધી જવાબદાર છે.

રાજીવ ગાંધીએ યુનીયન કાર્બાઈડના એન્ડરસનને માટે ભાગી જવાનો માર્ગ મોકળો કરી આપેલ. આ પ્રમાણે એક ગંભીર આરોપીને ભાગી જવામાં મદદ કરેલ. ક્વાટ્રોચીની ઉપર પણ ફોજદારી ગુનાના આરોપ હતા. તેને ભાગાડી દેવામાં રાજીવ ગાંધી અને સોનીયા ગાંધીની સંડોવણી નકારી ન શકાય.

કોંગીએ ભલે જનતાની માફી માગી હોય પણ આવા ફોજદારી ગુનાઓ માફી માગવાથી રદ થતા નથી. સરકાર ફોજદારી ગુનાઓ માફ કરી શકતી નથી.

બનાવટી એનકાઉન્ટરઃ

નહેરુવીયન કોંગી નેતાઓ કહે છે નરેન્દ્ર મોદીની સરકારે એનકાઉન્ટર કરાવ્યા છે. અને આ બાબત ઉપર મોટો ઉહાપોહ કરવામાં આવે છે. વાત ખંડણીખોરોના કહેવાતા એનકાઉન્ટરની છે જેને માટે અમિત શાહ અને સાથે સાથે નરેન્દ્ર મોદીને ભીડવવાની કોશિસ કરવામાં આવે છે. તેવીજ રીતે ૨૦૦૨માં નરેન્દ્ર મોદીની કહેવાતી સંડોવણી બાબત પણ નરેન્દ્ર મોદીને ભીડવવાની ભરપુર કોશિસ થઈ છે. સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે હજુ નરેન્દ્ર મોદીનું નિવેદન લેવાની નોટીસ મોકલી ન મોકલી ત્યાંતો સમાચાર માધ્યમો અને આપણા ગુજ્જુ નેતાઓ કહેવા માંડ્યા કે નરેન્દ્ર મોદી કેમ હાજર થતા નથી? જો નરેન્દ્ર મોદી પોતાને નિર્દોષ માનતા હોય તો તેમણે એસઆઈટી સમક્ષ હાજર થવું જ જોઇએ. તેઓ હાજર થતા નથી તે જ દર્શાવે છે કે નરેન્દ્ર મોદી ગુનેગાર છે. નિવેદન આપવા માટેની નોટીસને આ કોંગીઓએ એફઆઈઆર ની નોંધણી સમકક્ષ ગણી લીધેલ. સમાચાર માધ્યમો પણ આવા વહિયાત આક્ષેપોને બેસુમાર પ્રસિદ્ધિ આપતા હતા.

ઈન્દીરા ગાંધી ધરાર અને નિર્લજ પણે શાહ કમીશન સમક્ષ હાજર થઈ ન હતી. આ નહેરુવીયન કોંગીઓની દેવી ઈન્દીરા ગાંધીમાં શાહ કમીશન સામે નોટીસ મળ્યા છતાં અને અવાર નવાર બોલાવ્યા છતાં નિવેદન આપવાની હિમત ન હતી.

જયપ્રકાશ નારાયણનું એનકાઉન્ટર?

જો તમે કોઈને આત્મ હત્યા માટે મજબુર કરો તો તમે ખૂનીને સમકક્ષ ગુનેગાર ગણાવ. અને તમારી ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જયપ્રકાશ નારાયણને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે તેઓનો ઉપચાર ચાલતો હતો. તેમની કીડની ફેઈલ થઈ ન હતી પણ તેનો ઉપચાર ચાલુ હતો અને ડોક્ટરની દવા ચાલતી હતી. તેમના ખોરાકમાં મીઠું નાખવાની મનાઈ હતી. જયપ્રકાશ નારાયણની ધરપકડ કર્યા પછી તેમના મેડીકલ રીપોર્ટની અવગણના કરવામાં આવી હતી. તેમને આપવામાં આવતા ખોરાક બાબતમાં કોઈ સાવચેતી લેવાઈ ન હતી. જેલવાસ દરમ્યાન તેમની ચિકિત્સામાં ગુનાઈત બેદરકારી દાખવવામાં આવી હતી. જયપ્રકાશ નારાયણ મોટા ગજાના નેતા હતા. તેઓને જવાહરલાલ નહેરુ સમકક્ષ માનવામાં આવતા હતા.

ઈન્દીરા ગાંધીની ફરજ હતી કે તે પોતે અથવા તો કોઈ સક્ષમ નેતા કે અધિકારીને જયપ્રકાશ નારાયણના સ્વાસ્થ્ય બાબત તકેદારી રાખવાનું કહે અને પોતાને માહિતગાર રાખ્યા કરે. પણ એવી શંકા અસ્થાને નથી કે ઈન્દીરા ગાંધીની સરકારે અને ઈન્દીરા ગાંધીએ પોતે જયપ્રકાશ નારાયણને મોતના મુખમાં ધકેલ્યા હતા.

ખાસ વાત એ પણ છે કે જ્યારે જયપ્રકાશ નારાયણ મોતની નજીક આવી ગયા ત્યારે કોંગીના એક નેતાના હૃદયમાં રામ આવ્યો, અને તેણે વિનોબા ભાવે ને એક પત્ર લખ્યો કે તેઓ ઈન્દીરા ગાંધી ને કહે કે જયપ્રકાશ નારાયણને જેલમુક્ત કરે, કારણ કે તેમનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક તબક્કામાં છે.

આ પત્ર વાંચીને વિનોબ્વા ભાવેએ “જયપ્રકાશ નારાયણને મુક્ત કરે” તે શબ્દો નીચે લીટી દોરી, અને તે જ પત્ર તેમણે, ઈન્દીરા ગાંધીને મોકલી આપ્યો.

કહેવાય છે કે આ પત્ર વાંચીને ઈન્દીરા ગાંધીએ તે કોંગી નેતાને પદચ્યુત કર્યા. પણ સમય જતાં ઈન્દીરા ગાંધીને લાગ્યું કે હવે જયપ્રકાશ નારાયણ બચે તેમ નથી. ત્યારે તેમણે સમાચાર માધ્યમોમાં એવા સમાચાર વહેતા મુક્યા કે એક નેતાની તબીયત ગંભીર છે. પણ સરકાર રાષ્ટ્રીય માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરશે. જોકે જનતાને ભાગ લેવા દેવામાં આવશે નહીં.

જેમજેમ સમય જતો ગયો તેમ તેમ બાજી બગડતી ગઈ. ઈન્દીરા ગાંધી ઉપર જયપ્રકાશ નારાયણને મુક્ત કરવા માટે આંતરિક દબાણ વધવા માંડ્યું હશે. જેલમાં જ જો જયપ્રકાશ નારાયણ ગુજરી જાય તો ઈન્દીરા ગાંધી ફસાઈ જાય તેમ બને તેમ હતું. તત્કાલ નહીં તો ભવિષ્યમાં આ વાત શક્ય હતી. કારણકે કોઈ જેલમાં મરી જાય તો સરકાર વાંકમાં આવે ને આવે જ. જય પ્રકાશ નારાયણ લગભગ બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા. ઈન્દીરા ગાંધીના મળતીયાઓએ તેમની પેરોલ પર છોડવાની અરજી બનાવી અને તેની ઉપર હસ્તાક્ષર લઈ લીધા. ઈન્દિરા ગાંધીએ જાહેર કર્યું કે જયપ્રકાશ નારાયણના પેરોલ મંજુર કરવામાં આવ્યા છે.

આ અર્ધબેભાન જયપ્રકાશ નારાયણનની તેમના એક અંગત ડોક્ટરે ચિકિત્સા શરુ કરી. તેમની બંને કીડનીઓ જેલના ખોરાકને કારણે સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જયપ્રકાશ નારાયણને ડાયાલીસીસ પર રાખવામાં આવ્યા. તેમને શરુઆતમાં દર અઠવાડીયે એકવાર ડાયાઈસીસ કરવું પડતું હતું. જયપ્રકાશ નારાયણ સંપૂર્ણ ભાનમાં આવી ગયા.

ઈન્દીરા ગાંધીને ગુનેગાર એટલા માટે પણ ઠેરવી શકાય કે જે ઉપચાર જેલની બહાર કરવામાં આવ્યો તે ઉપચાર તેઓ બંદીવાન હતા તે વખતે કેમ ન કરી શકાયો?

જો જય પ્રકાશ નારાયણના સ્વાસ્થ્યના મેડીકલ પેપર તેમને જેલમાં પુર્યા તે વખતે જ તપાસવામાં આવ્યા હોત, અને અથવા તેમના શરીરનું ચેક-અપ જેલવાસ દરમ્યાન તરત જ કરવામાં આવ્યું હોત અને જો, જે ચિકિત્સા ચાલતી હતી તે ચાલુ રાખવામાં આવી હોત, અથવા તો ચેક-અપ રીપોર્ટ પ્રમાણે જરુરી ચિકિત્સા કરવામાં આવી હોત તો જયપ્રકાશ નારાયણની બંને કિડનીઓ બચાવી શકાઈ હોત.

આ એક ઈન્દીરા ગાંધીએ કરેલું બનાવટી એનકાઉન્ટર જ કહેવાય.

નરેન્દ્ર મોદીની સરકારે શાહ કમીશનના અહેવાલને પુનર્જિવિત કરવો જોઇએ. જેઓ જીવિત છે તેમને ગિરફ્તાર કરી તેમને જેલ ભેગા કરવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે આ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ ક્ષમાને પાત્ર નથી. તેમને અગર ક્ષમા આપવામાં આવે તો પણ તે કાયદેસર નથી. જો નરેન્દ્ર મોદી, કાયદાના રાજમાં માનતા હોય તો આ સૌ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.

નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે દેશને અત્યારે કૌટીલ્યની જરુર છે જે દેશને પાયમાલ કરનારને માફી બક્ષે નહીં. જો પૃથ્વીરાજ ચૌહાણે મહમ્મદ ઘોરીને માફી ન આપી હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત.

યાદ કરો. પર્વતરાજ (પોરસ) જેણે સિકંદરને તોબા પોકરાવીને સંધિમાટે ફરજ પાડેલ અને તેને ભારતમાં ઘુસતા રોકેલ, તે પોરસ રાજાનો અનુગામી તેનો ભત્રીજો જ્યારે સેલ્યુકસ નીકેતર સાથે ભળી ગયો ત્યારે કૌટીલ્યએ પોરસની શરમ રાખ્યા વગર તેના ભત્રીજાને હાથીના પગ નીચે ચગદાવી માર્યો હતો.

નહેરુવીયન કોંગ્રેસ ભારતદેશનું કલંક છે. તેનો નાશ કર્યે જ છૂટકો છે. સ્વતંત્રતા અપાવનાર કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસ વચ્ચે કોઈ સંબંધ નથી.

સ્વતંત્રતાની લડત ચલાવનાર કોંગ્રેસ, સાદગી, ત્યાગ, નીતિમત્તા અને દેશદાઝનું બીજું નામ હતી. આ નહેરુવીયન કોંગ્રેસ, નીતિમત્તાહીન, સત્તાલોલુપ, સ્વકેન્દ્રી, કૌભાન્ડી, ઠગાઈ આચરનાર, દુરાચારી, દારુ, હિંસા અને ગદ્દારીનું પ્રતિક છે. આ નહેરુવીયન કોંગ્રેસના મોતને ભારતીય જનતાએ સૌથીમોટા તહેવાર તરીકે ઉજવવો પડશે.

શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ ૨૫મી જુન, કટોકટી, ઈન્દીરાઈ, આતંકવાદ, સરકારી, કટોકટી, ધરપકડ, કુદરતી અધિકાર, માનવીય અધિકાર, બંધારણીય અધિકાર, વાણી સ્વાતંત્ર્ય, જયપ્રકાશ નારાયણ, કીડની, ચિકિત્સા, ડાયાલીસીસ, એનકાઉન્ટર

Read Full Post »

વડાપ્રધાન પદનો ઉમેદવાર અને સમાચાર માધ્યમનું ફરજંદ

 “રાહુલ ગાંધીનું “મહાનુભાવપણું”

આમ તો રાહુલ ગાંધીનું “મહાનુભાવપણું” એ સમાચાર માધ્યમનું ફરજંદ છે. અને હવે આ સમાચાર માધ્યમો તેને વડાપ્રધાન પદે સ્થાપવા વિષે અપાર ચર્ચાઓ વહેતી મુકે છે.

રાહુલ ગાંધીમાં શું વિશેષતા છે તે વિષે કોઈ કશું જાણતું નથી. સમાચાર માધ્યમો પણ જાણતા નથી. રાહુલ ગાંધીમાં કોઈ વિશેષતા છે કે કેમ તે પણ એક શંકાનો વિષય છે. રાહુલ ગાંધી પ્રસિદ્ધિને લાયક છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બનાવી શકાય.

રાહુલ ગાંધીની નિસ્ફળતાઓ વિષે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ગુજરાતની તાજેતરની ચૂંટણીઓની વાત નકરીએ તો પણ, યુપી અને બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રાહુલ ગાંધીની  નિસ્ફળતાને પુરવાર કરેલી છે. રાહુલ ગાંધીમાં કોઈ આવડત નથી, આયોજન અને વ્યુહરચનાની બુદ્ધિ નથી. વહીવટી ક્ષમતા નથી. વૈચારિક ભાતુ નથી. દીર્ઘ દૃષ્ટિ નથી. નેતાગીરીના કોઈ ગુણ નથી. કોઈ ચિંતન નથી અને ખાસ કશું વાચન નથી. વડા પ્રધાન થવા માટે આ સઘળું હોવું જરુરી છે. જરુરી જ નહીં પણ સરવાળે તેમના પ્રતિસ્પર્ધી કરતાં વિશેષ હોવું આવશ્યક છે.

પરિસ્થિતિ આવી હોવાં છતાં પણ, સમાચાર માધ્યમો રાહુલ ગાંધીનો એકડો કાઢી નાખવાનું વલણ દાખવતા નથી. એટલું જ નહીં પણ આ રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો શ્રેષ્ઠ અને યોગ્ય ઉમેદવાર છે તેવું જનતાને મનાવવા અને ઠસાવવા માટે સઘન પ્રયાસ કરી રહ્યા છે. ખચીત આ ચર્ચાનો વિષય બનાવવામાં આવ્યો છે.

ચર્ચાને લાયક નથી

૧૯૭૫-૧૯૭૭ ના કટોકટીના સમયમાં સંજય ગાંધી હિરો હતો અને બેતાજ બાદશાહ ગણાતો. સુષ્ઠુ સુષ્ઠુ નિવેદનોની બોલબાલા હતી. ઈન્દીરાઈ કટોકટીના અંત કાળે ચૂંટણી જાહેર થઈ અને જનતા મોરચાએ પ્રચંડ વિજય મેળવ્યો ત્યારે પત્રકારોએ મોરારજી દેસાઈને સવાલ કર્યો કે “સંજય ગાંધીના કટોકટીના સમય દરમ્યાનના ફલાણા ફલાણા નિવેદન વિષે તમારું શું કહેવું છે?” મોરારજી દેસાઈએ તેમની લાક્ષણિક શૈલીમાં હાથ હલાવીને કહેલ કે “તે (સંજય ગાંધી) કોઈ જવાબને લાયક નથી.”. એટલે કે સંજય ગાંધી અને અથવા તેના નિવેદનો કોઈ જવાબને લાયક નથી. (જનતાએ અને પત્રકારોએ મોરારજી દેસાઈના આ જવાબને લાંબા સમયના તાળીઓના ગડગડાટ થી વધાવી લીધેલ)

કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ એક નેતાના પુત્ર હોવું એ પ્રસિદ્ધિ માટેની લાયકાત બનતી નથી. યુપી બિહારની ચૂંટણી વખતે ગરીબોના ઘરે ભોજન કરતા ફોટા અને પાસ્ટિકના તગારા ઉચકીને મજુરીના ફોટા પડાવી આ કહેવાતા પ્રીન્સ અને તેના પક્ષના કોંગીજનોએ ચૂંટણી પ્રચારમાં કશી કમી રાખી ન હતી. યુપી બિહારની ચૂંટણી જીતવાની વાત તો બાજુપર  રાખો, પણ જો નહેરુવીયન કોંગ્રેસ બીજા કે ત્રીજા સ્થાને પણ આવી હોત તો … તો … પ્રસાર માધ્યમો આ રાહુલગાંધીની ભાટાઈ કરવામાં ફાટીને ધૂમાડે જાત. પણ જ્યારે રાહુલ ગાંધીની નેતાગીરીના વ્યાપક પરાજય જોવા મળ્યો, ત્યારે તેમને મોં સંતાડવાના રસ્તાઓ શોધવા પડ્યા. “ફેસ સેવીંગ ફોર્મ્યુલા” તેમણે એ બનાવી કે “રાહુલ ગાંધી કેમ પત્રકારોને મળતા નથી અને નિસ્ફળતાની જવાબદારી લેવા કેમ બહાર આવતા નથી.?” આવી વાત ટીવી-સંવાદોમાં ટીવીના એંકરો (ઉદ્‌ઘોષકો=ડાચાની લુલી હલાવનારાઓ)એ અવારનવાર ઉઠાવી એટલે દિવસને અંતે રાહુલ ગાંધી અને તેની બહેન બહાર આવ્યાં અને રાહુલે કહ્યું કે “મારી નિસ્ફળતા હું સ્વિકારું છું.” વાત પૂરી. સમાચાર માધ્યમોએ પોતે દાખવેલી તટસ્થતા બદલ પોતાની પીઠ થાબડી.

પ્રસાર માધ્યમો એટલે સમાચાર ખાસ કરીને રાજકીય સમાચાર અને તેમાં પક્ષોના નેતાઓ, તેમના વલણો અને તે ઉપરની ટીકાઓ વિગેરે વિગેરે જેમાં કટાર લેખકો, તંત્રીઓ, ખબર પત્રીઓ, ઉદ્‌ઘોષકો અને વિશ્લેષકો, ટીકાકારો એ સૌને પણ સામેલ ગણવા.

આપણી પાસે સાધ્ય છે

“રાહુલ ગાંધીને વડા પ્રધાન પદ માટે યોગ્ય કેવીરીતે ઠેરવવા.”

રચનાઃ સમાચાર માધ્યમમાં રાહુલ ગાંધીને હકારાત્મક અને વ્યાપકરીતે પ્રસિદ્ધિ આપવી.

જો તેઓશ્રી કંઈપણ બોલે તો તેમનો તેમની તસ્વિરાત્મક અને ચલચત્રિત અનેક વિધ પ્રચાર પદ્ધતિ વડે પ્રચાર કરવો.

તેઓશ્રી ન બોલે તો તેઓ હવે પછી શું કરશે? શું કરવા ધારે? શું કરવું જોઇએ? જનતા તેમની પાસે શી અપેક્ષા રાખે છે? વિગેરે વિગેરે વિષે ધારણાઓ બાંધવી અને તે વિષે લાંબી ચર્ચાઓ ચલાવવી.

 દાખલા તરીકેઃ

મોટી જવાબદારી

જનતા અને ખાસ કરીને યુવા વર્ગ, રાહુલ ગાંધીને કોઈ મોટી જવાબદારી વાળું કામ સોંપાય તે માટે ઝંખી રહ્યો છે અને અપૂર્વ દબાણ કરી રહ્યો છે.

જનતા કાગડોળે રાહ જોઈ રહી છે કે રાહુલ ગાંધી હવે મોટી જવાબદારી ઉઠાવે.

હવે કષ્ટ નિવારક શ્રી ફલાણા ફલાણા … હવે તેઓ કષ્ટ નિવારકની ફરજ બજાવી શકે તેવા હોદ્દા ઉપર નથી તેથી રાહુલ ગાંધીને ધુરા હાથમાં લીધા વગર છૂટકો નથી.

હવે લોકસભાની સામાન્ય ચૂંટણીને એક જ વર્ષનો સમય રહ્યો છે અને ચાર મોટા રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાહુલ ગાંધીએ ઠોસ પગલા લેવાનો સમય આવી ચૂક્યો છે. અને તેથી જ મોવડી મંડળ રાહુલ ગાંધી પોતાના કરિશ્માનો ઉપયોગ કરે તે જોવા આતુર છે.

એટલે જ હવે મોવડી મંડળ ઈચ્છે છે કે રાહુલ ગાંધી કોઈ મોટો હોદ્દો સ્વિકારે.

યુપી, બિહાર ના ઘોર પરાજયની કળ વળે પછી નહેરુવીયન કોંગ્રેસ અને પ્રસાર માધ્યમોએ આવી વાતો ચગાવ્યા કરવાનો ઉપાડો લીધેલ છે.

રાહુલ ગાંધી ને પદનો મોહ નથી… મનમોહન સિંહ, રાહુલ ગાંધી માટે ગમે તે ઘડીએ વડાપ્રધાન પદ ખાલી કરવા તૈયાર છે. મન મોહન સિંહ, રાહુલ ગાંધીને પ્રધાન બનાવવા માટે આતુર છે. રાહુલ ગાંધીને પ્રધાન પદની તૃષ્ણા નથી…. જો કે પ્રધાન પદું કે મોટો હોદ્દો રાહુલ ગાંધીની વાંહેને વાંહે લાગી પડ્યો છે. હવે શું થશે?

જોકે જાણનારા જાણે છે કે રાહુલ ગાંધીના માતુશ્રી, અને રાહુલ ગાંધી પણ, પ્રધાન થવા માટેની ભારતની બંધારણીય  રીતે જરુરી  પ્રાથમિક યોગ્યતા ધરાવતા નથી. ભારતીય બંધારણ પ્રમાણે પ્રધાનપદની પ્રાથમિક લાયકાત એ છે કે જો કોઈ એક નાગરિક બીજા દેશનું નાગરિકત્વ મેળવવાનો અધિકાર ધરાવતો હોય તો તે વ્યક્તિ પ્રધાન પદના શપથ ન લઈ શકે. ઈટાલીના બંધારણ પ્રમાણે જે વ્યક્તિ ઈટાલીયન નાગરિક હોય અને જો તે બીજા દેશનું નાગરિકત્વ સ્વિકારે તો તે વ્યક્તિનો ઈટાલીયન નાગરિકત્વનો અધિકાર રદ થતો નથી. પણ નિલંબિત થાય છે. તે વ્યક્તિ ધારે ત્યારે ઈટાલીયન નગરિત્વનો અધિકાર મેળવી શકે છે. તે ઉપરાંત તેના સંતાન પણ આ જ અધિકાર ભોગવી શકે છે.  આવા કારણસર જ ૨૦૦૪માં નહેરુવીયન કોંગી પક્ષે રાહુલના માતુશ્રીનો “વડાપ્રધાન પદનો ભોગ આપ્યો”  એવો હાઈ પ્રોફાઈલ ડ્રામા કરવો પડેલ. આજ સમસ્યા રાહુલ ગાંધીને પણ પ્રધાનપદ માટેની પૂર્વ શરત તરીકે લાગુ પડી શકે છે. અને તેથી જ તેઓ પ્રદાન પદથી વંચિત છે.

વધુ માહિતી માટે યુટ્યુબ ઉપર સુબ્રહ્મણીયન સ્વામીનું ભાષણ સાંભળો.

હવે રાહુલ ગાંધી વિષે જે ભૂલભૂલમાં કે જાણી જોઇને જે “મહાન જવાબદારી” કે “મહત્વપૂર્ણ હોદ્દા” બાબત જે ગુબ્બારો ચલાવેલ તેને કેવીરીતે સાચવી લેવો?

બાર વરસે બાવો બોલ્યો ની જેમ રાહુલ ગાંધીને નહેરુવીયન કોંગ્રેસ પક્ષનું ઉપપ્રમુખપદ (વાઈસ પ્રેસીડૅન્ટ ની પોસ્ટ) સોંપાયું.

પક્ષના ઉપ પ્રમુખપદની મહાનતા કેવીરીતે સિદ્ધ કરવી?

“પક્ષ ના પ્રમુખપદ કરતાં પણ પક્ષનું ઉપપ્રમુખપદ મહત્વ પૂર્ણ છે. અર્જુન સિંહ પક્ષના ઉપપ્રમુખ  હતા. પક્ષના પ્રમુખપદે કમલાપતિ ત્રીપાઠી હતા. અર્જુનસિંહની સવારી સાથે સો મોટરગાડીઓનો કાફલો જતો. પક્ષ પ્રમુખ શ્રી કમલાપતિ ત્રીપાઠી રીક્ષા કરી ને આવતા જતા.” આવું છાપો.

વાત ખોટી નથી. અને સાચી પણ નથી. સ્વાતંત્ર્ય સંગ્રામના કાળમાં કમલાપતિ ત્રીપાઠી ક્યારેક રીક્ષામાં આવ જા કરતા હશે….  અને કાળક્રમે, અર્જુન સિંહની પાસે સો મોટરગાડીઓનો કાફલો હોઈ શકે. અહીં સુધી વાત સાચી છે. પણ કમલાપતિ ત્રીપાઠી ક્યારેય કોંગ્રેસ પ્રમુખ હતા નહીં. કમલાપતિ ત્રીપાઠી યુપીના મુખ્ય મંત્રી હતા અને તે પછી રેલ મંત્રી હતા. તે વખતે તેઓ રીક્ષામાં બેસીને આવજા કરતા હોય તો સમાચાર પત્રે મોટી શોધ કરી હોય તેમ લાગે છે (અથવા તો પછી “લાગે તો તીર નહીં તો તુક્કો” જેવી વાત લાગે છે)

તેવી જ વાત અર્જુન સિંહના કોંગ્રેસના ઉપપ્રમુખ પદની છે. હા જી. રાજીવ ગાંધી ક્યારેક નહેરુવીયન કોંગ્રેસના ઉપપ્રમુખ પદે હતા. તેમના સુપુત્રે જેમ પ્લાસ્ટીકનું તગારુ ઉચકીને ફોટો પડાવ્યો હતો તેમ કમલાપતિ ત્રીપાઠીએ કે રાજીવ ગાંધીએ રીક્ષામાં બેસવાનો ફોટો પડાવ્યો હોય તો આપણા ગુજ્જુ અખબાર કે આપણા ગુજ્જુ અખબારને જ્યાંથી સમાચાર લાધેલ હોય તે સિવાય કોઈએ આ વાત જાણી નથી કે ફોટો જોયો નથી.

સફળતાનો અભાવ અને નિઇસ્ફળતાઓ

પણ મૂળ સમસ્યા છે રાહુલ ગાંધીની સફળતાઓના અભાવની અને તેમણે મેળવેલી નિસ્ફળતાઓની.

આ નિસ્ફળતાઓને કેવી રીતે મીથ્યા કરવી? આપણા કાંતિભાઈ જેવા કટારીયાઓએ બીડું ઝડપ્યું લાગે છે.

“એવા કયા મહામાનવ છે કે જેઓ ક્યારેય નિસ્ફળ ગયા નથી?” કાંતિભાઈએ આવો પ્રશ્ન ઉભો કર્યો.

જોકે મને ખબર નથી કે જે રવિવારે ખાસ લેખ લખે છે તે કાંતિભાઈ, અને જેઓ રોજ લખે છે તે કાંતિભાઈ એક છે કે જુદા? કારણ કે રોજ રોજ લખવું એ સહેલું તો નથી. જો તમારે રોજ રોજ લખવાનું હોય તો તમે વિષય શોધીને લખો. વિષયને શોધીને લખો કે વિષય તમારી પાસે દોડીને આવે એ બંને માં ફેર તો છે જ. વિષય તમારી પાસે દોડીને આવે ત્યારે તેમાં અંતર્‌સ્ફુરણા હોય છે. સારું અને સચોટ પણ લખાય એવી શક્યતાઓ રહે છે. જો વિષય શોધીને લખીએ તો મગજને કસરત આપવી પડે. પણ આપણે આ ચર્ચા નહીં કરીએ. કટારભાઈનું ધ્યેય રાહુલ બાબાની નિસ્ફળતાઓને ગૌણ બનાવી દેવાનું છે.

તો વાત આ રીતે કહેવાની કે અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી, ઑપ્રાહ વિન્ફે, ચંદ્ર યાત્રી આર્મ સ્ટ્રોંગ, વિગેરે વિગેરે …. લેખકશ્રીએ તેમની આદત પ્રમાણે ઘણા પાશ્ચાત્ય મહાનુ ભાવોના ઉદાહરણો આપેલા છે. આપણે બે જ વિષે ચર્ચા કરીશું.

અબ્રાહમ લિંકન ની નિસ્ફળતાઓ રાહુલ ગાંધીની નિસ્ફળતાઓ એક સમાન નથી અને બંનેને એક ત્રાજવે તોલી ન શકાય. અબ્રાહમ લિંકન પાસે સ્પષ્ટ નીતિ હતી અને સ્પષ્ટ સંદેશ હતો. અબ્રાહમ લિંકન પાસે ચિંતન હતું અને ધ્યેય હતું. પક્ષની આંતરિક બાબતોમાં થતા વિવાદો કે સંઘર્ષ ને હજું આપણું પત્રકારિત્વ પચાવી શકતું  નથી. આપણા પત્રકારિત્વને વંશવાદ અને લોકશાહીના ફારસનો છોછ નથી, પણ પક્ષનો આંતરિક વિવાદ તેને કઠે છે. આવું શા માટે છે? વાસ્તવમાં આપણું પત્રકારિત્વ પીળું અને અથવા પૂર્વગ્રહ વાળું છે. પૂર્વસ્વાતંત્ર્ય કાળમાં લોકો ટી.ઓ.આઈ. વિષે જ આવો અભિપ્રાય ધરાવતા હતા પણ હવે લગભગ મોટા ભાગના પ્રસાર માધ્યમોના આવા હાલ છે. અબ્રાહમ લિંકન કોઈ પ્રીન્સ ન હતા. કે તેમને રાહુલ જેવો મીડીયા સપોર્ટ ન હતો. નિસ્ફળતાઓ શરમાળપણા કારણે હોતી નથી.  તેમને મળેલી નિસ્ફળતાઓ એ તે વખતની તેમના પક્ષ અને જનતાની ગુલામી નાબુદીના પ્રશ્ને રહેલી માનસિકતા સબબ હતી. તેમણે દેશને અખંડિત રાખી ગુલામી પ્રથા નાબુદ કરેલ. તેઓ આર્ષદૃષ્ટા હતા. આપણા કટારીયા ભાઈએ મેટરને વિકૃત કરીને લખી છે.

આવું જ કંઈક વધુ અંશે તેમણે ગાંધીજી વિષે લખ્યું છે. “ગાંધીજી, દક્ષિણ આફ્રિકામાં વકીલાત માં દલીલો કરતાં ખચકાતા હતા…”

આ વાતમાં હકિકત દોષ છે. વાસ્તવમાં ગાંધીજી બેરીસ્ટર થઈને મુંબઈમાં સ્થાઈ થવા માગતા હતા. પણ મુંબઈમાં તેમની વકીલાત ચાલતી ન હતી. એક કેસ મળ્યો તે પણ તે ચલાવી ન શક્યા. તે પછી તેઓ રાજકોટ સ્થાઈ થયા અને ત્યાં વકીલાત કરવા લાગ્યા. પણ ત્યાં તેઓ અરજીઓ કરવાનું જ કામ બીજા વકીલઓના સહકારમાં કરતા હતા. તેમના ભાઈનું વર્તુળ મોટું હતું એટલે તેમને માસિક ૩૦૦ રુપીયા જેવી કમાણી થતી. જે તે વખતમાં ખરાબ તો ન જ કહેવાય. તેમના ભાઈએ, ગાંધીજીને દાદા અબ્દુલ્લાના કેસમાં મદદ માટે મોકલી આપેલ. દાદા અબ્દુલ્લાના વકીલોને લખાપટ્ટી વાળા એક વકીલની જરુર હતી તેથી ત્યાં જવા માટે ગાંધીજીને સધિયારો હતો કે તેમને કૉર્ટમાં જવું પડશે નહીં. જો કે ગાંધીજીને કૉર્ટમાં કેસ લડવાની આવડત કેળવવાની મહાત્વાકાંક્ષા તો હતી જ. પણ તેમનામાં તે વખતે એટલું “પ્રેઝન્સ ઓફ માઈન્ડ” કેળવાયેલું હતું નહીં. તેથી તેઓ કૉર્ટમાં કેમ દલીલો કરવી તે જાણતા નહીં. બેરીસ્ટર થયા પછી તેમણે કાયદાઓ વાંચ્યા અને સમજ્યા. લોકોની અરજીઓ લખી લખીને તેઓ જ્ઞાતા થયેલ. અને આફ્રિકામાં તેમણે દાદા અદ્બુલ્લાના કેસનો વિગતવાર ઝીણાવટ પૂર્વક અભ્યાસ કર્યો અને તેમને લાધ્યું કે કેસનો વિગતથી અભ્યાસ કરવાથી આત્મવિશ્વાસ આવે છે. ગાંધીજીને કોઈએ ધક્કા મારીને મહાન બનાવ્યા ન હતા. ગાંધીજી પૈસાદાર કુટુંબના (ઉપલા મધ્યમ વર્ગની કક્ષાના) હતા જરુર. પણ તેઓ પ્રીન્સ ન હતા.

ટૂંકમાં વડાપ્રધાનના પુત્ર હોવાને કારણે, ગોરા કે સુંદર હોવાને કારણે, કે પ્રમાણપત્રો હોવાને કારણે કે,  વાચન ને કારણે, કે સફરો કરવાને કારણે યોગ્યતા આવતી નથી. યોગ્યતા માટે સાક્ષરતા એટલે કે સમસ્યાની માહિતી, સમજણ અને ઉકેલની સુઝ હોવાની પ્રજ્ઞા હોવી જરુરી છે. વાચન તો જે એલ નહેરુનું પણ હતું, સુંદરતા અને ગોરાપણ તો અનેકમાં હોય છે. પ્રમાણ પત્રો તો મનમોહન સિંહ પાસે પણ ઘણા છે. સફર તો સોનીયાજીએ પણ ઘણી કરી છે. સલાહકારો તો પૈસા હોય તો અનેક મળી રહે. પણ આ બધું લાંબા ગાળે તો નુકશાન જ કરે છે. વૈચારિક અને શારીરિક મહેનત કરનારા અને ફળની અપેક્ષા રાખ્યા વગરના પ્રજ્ઞાવાન લોકો જ અંતે દેશનું ભલું કરી શકવાની યોગ્યતા ધરાવતા હોય છે.

કાંતિભાઈના ડબલ કાટાલાં

જો શ્રી કાંતિભાઇ, રાહુલગાંધીની પ્રતિભાથી આટલા બધા અભિભૂત (પરાજીત) થઈ શકતા હોય તો નરેન્દ્ર મોદીથી તો પ્રભાવિત થવા જ જોઇએ. પણ તેમ નથી. તેથી શંકાઓ ઉત્પન્ન થાય છે. ખેર ૧૯૬૫-૬૬માં સમાચાર માધ્યમોનું વલણ નહેરુવંશીઓ પ્રત્યે આવું જ હતું. ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ માટે યોગ્ય હતા અને મોરારજી દેસાઈ અયોગ્ય હતા.   

કાંતિભાઈ ભટ્ટ આપણા જાણીતા કટાર લેખક છે. ચંદ્રકાંત બક્ષી ની જેમ કાંતિભાઈ ભટ્ટ પણ ગમે એવા છે. પણ કાંતિભાઈ ભટ્ટના ઘણા લખાણો કૃત્રિમ અથવા સહેતુક અથવા ન ગમે તેવા પણ હોય છે. મગજ ફોડીને પણ અષ્ટમ પષ્ટમ રીતે અમુક વ્યક્તિને કે માન્યતાને સિદ્ધ કરી દેવી એવું તેમનું ધ્યેય હોય એવી વાસ આવે છે. કેટલાક અળવીતરા લોકો “પેઈડ સમાચાર”નો એટલે કે ઠીકઠીક પેઈડ કરીને  પરાણે લખાવેલ લેખ હોય એવું પણ માનવા પ્રેરાય તો તેમને ક્ષમા કરી શકાય.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, લિંકન, નહેરુવીયન કોંગ્રેસ, રાહુલ, સોનીયા, વકીલાત, આફ્રિકા, દાદા અબ્દુલ્લા, નહેરુ, ઈન્દીરાઈ, કટોકટી, મોરારજી દેસાઈ, અર્જુન સિંહ, કમલાપતિ,   નરેન્દ્ર મોદી, પ્રમુખપદ, ઉપપ્રમુખપદ, કાંતિભાઇ ભટ્ટ               

Read Full Post »

%d bloggers like this: