Feeds:
Posts
Comments

Posts Tagged ‘ઈન્દીરા ગાંધી’

हम होंगे कामयाब एक दिन .... एक दिन ...

हम होंगे कामयाब एक दिन .... एक दिन ...

ચારસો લાખ કરોડ રુપીયા કેટલું કામ કરશે?

“પૈસા વેરો અને રાજ કરો” ની વ્યુહરચના

લોકોને આંચકાઓ આપો અને રાજ કરો એ વૈશ્વિક સામ્યવાદીઓની નીતિ છે. નહેરુવીયન કોંગ્રેસ, સત્તા ટકાવી રાખવા માટે સામ્યવાદીઓ પાસેથી ઘણું શીખી છે. પણ સામ્યવાદી દેશ અને ભારત અલગ છે. આ કોંગ્રેસની ઉત્પત્તિ ૧૯૪૭ ની પહેલાંની મહાત્મા ગાંધીની કોંગ્રેસમાંથી થઈ છે. મહાત્મા ગાંધીના સમયમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના અને ઘી દૂધની નદીઓ વહાવીશું વિગેરેને લગતા જે વચનો અને પ્રતિજ્ઞાઓ લીધેલી તે પાળવી નહેરુવીયન કોંગ્રેસ માટે અશક્ય તો નહીં પણ સાંસ્કારિક રીતે મુશ્કેલ હતી. આવી વાતોના જે નેતાઓએ જાંબુ ખાધા હોય તે હવે આસાનીથી કોલસા ખાઈ ન શકે. તેથી મુખવટો જરુરી હતો. વળી મહાત્મા ગાંધી એક એવી વૈશ્વિક વ્યક્તિ વિશેષ હતા કે તે ધરોહર વિષે નહેરુવીયન કોંગ્રેસ આંખ આડા કાન ન કરી શકે.

નહેરુવીયન કોંગ્રેસને સત્તા ગુમાવવા ની શંકા ૧૯૬૭ સુધી તો ન થઈ. પણ નહેરુની હિમાલયન ગુસ્તાખીઓ થકી ભારતીય આમજનતા તો ગરીબની ગરીબ રહી. તેથી નિરક્ષરની નિરક્ષર જ રહી. ગરીબોને સરકારી ખેરાતના મોહતાજ રાખવાના જ હતા. ૧૯૬૭માંની ચૂંટણીથી નહેરુવીયન કોંગ્રેસને લાગવા માંદ્યું કે તેનું કલેવર તૂટવા માંડ્યું છે.

યક્ષ પ્રશ્ન હતો પૈસાનો.

૧૯૬૭માં ચક્રવર્તી રાજગોપાલાચારીના સ્વતંત્ર પક્ષે કાઠુ કાઢ્યું હતું.. અને સમાજવાદ એ એક મજાકનો વિષય બન્યો હતો. આ તો સામ્યવાદીઓને પોષાય જ નહીં ને! નહેરુવીયન ફરજંદ ઈન્દીરા ગાંધી, જવાહર લાલ નહેરુ પાસેથી રાજકીય આટાપાટા, દંભ અને નીંભરતાના પાઠ તો ભણેલી જ. વળી સામ્યવાદી રશીયા તો પડખે હતું જ, અને દેશી સામ્યવાદીઓ લાગ જ જોતા હતા કે ક્યારે અમે ભાગીદાર બનીએ. “ગરીબી હટાવો” નો નવેસર થી નારો આપ્યો.  “મારા બાપા તો ગરીબી બહુએ દૂર કરવા માગતા હતા પણ આ લોકો (જવાહરલાલ નહેરુએ રચેલી કામરાજની સીન્ડીકેટ અને મોરારજી દેસાઈના વળના સીનીયર નેતાઓ) મારા બાપાને કશું કામ કરવા દેતા ન હતા અને વચ્ચે ટાંગ અડાવતા હતા.) જોકે આ સીન્ડીકેટના નેતાઓ જ ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન પદે લાવેલા. પણ રાજકારણમાં બધું ચાલે એ સામ્યવાદી ન્યાયે ઈન્દીરા ગાંધીએ જનતાને આંચકાઓ આપવાની નીતિ ચલાવી.૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને નાના માણસોને લોન આપવાના આદેશો આપ્યા. જો કે આ કામ રીઝર્વ બેંક ખાનગી બેંકો પાસે કરાવી શકે તેમ હતી કારણકે ધિરાણ-નીતિ તો રીઝર્વ બેંક જ નક્કી કરતી હતી. ખાનગી બેંકો તો નાના માણસોને લોન આપે તો ખરી, પણ આ લોન વ્યાજ સાથે વસુલ પણ કરે. વસુલ ન કરે તો ખોટમાં જાય અને દેવાળુ ફુંકવું પડે. બેંક જો સરકારી થઈ જાય તો લોન વસુલ ન કરે તો પણ ચાલે. અને આવું થાય તો  આથી વધુ રુડું શું? નહેરુવીયન કોંગ્રેસના સ્થાનિક નેતાઓ નાના માણસની લોન માટે ભલામણ કરે, સાથે સાથે ઠીક ઠીક કટકી પણ કરે. નાના મણસને કહેવાનું કે આ પૈસા તારે પરત કરવાના નથી અને વ્યાજ પણ આપવાનું નથી. સ્થાનિક નેતાને ઘી કેળા અને નાના માણસને મદદની મદદ. યાદ કરો નહેરુવીયન ફરજંદ (રાજીવ)નું ઉચ્ચારણ “અમારી દરેક રુપીયાની મદદમાંથી ફક્ત ૧૫ પૈસા જ ગરીબને પહોંચે છે. બાકીના ૮૫ પૈસા વચેટીયા ખાઈ જાય છે. હવે વિચારો નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ પાસે કેટલા બધા પૈસા આવી ગયા. આ બધું કરવા માટે નહેરુવીયન કોંગ્રેસનું વિભાજન કરવું જરુરી હતું. અને તે તો હાથવગું કરી જ શકાય. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે નહેરુવીયન કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે ઈન્દીરાનહેરુગાંધીએ (પડદા પાછળની રમતના એક ભાગ તરીકે)  પોતાના ઉમેદવાર વીવીગીરીને ઉભા રાખ્યા. સામ્યવાદીઓનો અને કેટલાક બેવકુફ વિપક્ષીઓનો સહારો લઈ વીવી ગીરીને જીત અપાવી. અને પછી સરકાર ચલાવી. પણ આ સરકાર લાબું ચાલે તેમ નહતી તેથી સંસદને વિખેરવી પડી. અને ૧૯૬૯માં સંસદની ચૂંટણી થઈ. સમાચાર માધ્યમના મૂર્ધન્યોના તાબોટા-સહકારથી અને સરકારી પૈસાની રેલમછેલ થી ઈન્દીરાનો જ્વલંત વિજય થયો.

ટૂંકમાં નહેરુવીયન કોંગ્રેસ માટે પૈસાની સમસ્યા દૂર થઈ.

પક્ષનું નાણા ખાતુ ઈન્દીરા ગાંધીએ પોતાને હસ્તક લીધું.

પણ લાખ રુપીયાનો સવાલ હતો સરકારી કામગીરીનો. જેમાં ઈન્દીરામાઈ “ઢ” હતા. રાજકીય આટા પાટામાં સાધન અશુદ્ધિનો છોછ નહીં. વળી જવાહરલાલ નહેરુને તો સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું લેબલ લાગેલું. એટલે થોડી ઘણી લોકશાહી શબ્દની શરમ નડતી હતી. ઈન્દીરા ગાંધીને એવું કશું વળગણ હતું નહીં. ઈન્દીરા માઈ માટે તો “નાગાને નહાવું શું અને નીચોવવું શું” એવું હતું. વળી એ બેન ખાસ કશું ભણેલા નહીં. અને વાચન પણ નહીં. જે કંઈ પૈસા મળે તેતો ગાંઠે કરવાના હતા. ગાંઠને પૈસે ચૂંટણીઓ જીતાય પણ ગાંઠના પૈસે કંઈ દેશનો ઉદ્ધાર ન થાય. સામ્યવાદીઓ ના ચાળે ચડવાથી મજદુર યુનીયનો ઉપર કબજો તો મેળવ્યો પણ વહીવટી નિસ્ફળતા મળી. સ્ટેટબેંક ઓફ ઈન્ડીયા, બનાવટી ડીમાન્ડ ડ્રાફ્ટ ની જ વાત કરીએ તો તેના થકી રોજની એક કરોડ રુપીયાની ખોટ કરતી હતી. બીજી ખોટો તો અનેક ગણી હતી.

તેમાં વળી ઈન્દીરા ગાંધીની સામે પોતાના પૂર્વ સીક્યોરીટી ઓફીસર થકી ઈન્દીરા ગાંધીના ફોન દ્વારા સ્ટેટબેંકમાંથી ઉપાડાયેલા ૬૦લાખ રુપીયાનું નગરવાલા કૌભાન્ડ બહાર આવ્યું. મીડીયા મૂર્ધન્યોની પણ આંખો ખુલી કે ખાટલે મોટી ખોડ છે. સર્વોદય નેતાઓ ઈન્દીરાની સામે પડ્યા. રાજા જો દુકાનમાંથી ચપટી મીઠું મફત લે તો તેના કર્મચારીઓ તો દુકાન જ લૂંટી લે. હવે તો રાજા જ દુકાન લૂંટે તો કર્મચારીઓ તો ગામને જ લૂંટે. દેશનો રાજા બેંકમાં ધાડ પાડે તો શું થાય?

પૈસો બધી જ જગ્યાએ બધો વખત કામ ન પણ કરે. વળી પૈસા વેરવામાં પણ વહીવટી વ્યવસ્થા-તંત્ર જોઇએ. એટલે જે પૈસા વેરવા માટે આપ્યા હોય તે બરાબર ન પણ પહોંચે અને ગજવે પણ થાય. અને બધું છાપે પણ ચડે.

બીજો યક્ષ પ્રશ્ન હતો સમાચાર માધ્યમો અને તેના મૂર્ધન્યો?

જીવિત મહાત્મા ગાંધીવાદીઓની સહન શક્તિ ખૂટી હતી. તેમાંના મોટાભાગના ઈન્દીરા ગાંધીની સામે પડ્યા. ૧૯૭૫માં નહેરુવીયન કોંગ્રેસે ગુજરાત ૧૯૭૫માં ગુમાવ્યું. પછી દેશવ્યાપી આંદોલન થયું. સત્તા બચાવવા ઈન્દીરા ગાંધીએ જનતા ઉપર કટોકટી લાદી. (કટોકટીના કૌભાન્ડો વિષે મહાભારતથી પણ વધુ દળદાર પુસ્તક લખાય.) સમાચાર માધ્યમો  ના લખાણો ઉપર સેન્સર શીપ લાગુ થઈ. ઘણાની ધરપકડ થઈ. તેઓ વગર ગુનાએ જેલમાં ગયા. કેટલાક વાચાળ લોકો પણ જેલમાં ગયા. આની ધારી અસર એ થઈ કે “જાન બચી તો લાખો પાયે” એ હિસાબે લગભગ બધા જ સમાચાર માધ્યમો અને મૂર્ધન્યો એ શરણાગતિ સ્વિકારી અને ઈન્દીરા ગાંધીને સાષ્ટાંગ દંડવત પ્રણામીમુદ્રામાં સ્થિર રહ્યા.

પણ જો તમારામાં વહીવટી આવડત ન હોય તો કોઈપણ સીસ્ટમ કામ ન કરે. કટોકટી પણ નિસ્ફળ ગઈ. પણ નિસ્ફળતાના સમાચાર બારોબાર સેન્સર થતા અને જ્યાં મહાત્માગાંધીએ જન્મ લીધેલો અને લોકશાહીનું વૃક્ષ ઉછરેલ ત્યાં લોકશાહી મૂલ્યોના અવસાન થી નહેરુવીયન કોંગ્રેસ અને ઈન્દીરામાઈ વિશ્વભરમાં બદનામ થયા. એટલે ચૂંટણી આપવી પડી. જોકે ઈન્દીરા ગાંધી ચૂંટણી હારી ગયાં. પણ ઈન્દીરા ગાંધીએ માપી લીધેલું કે કોણ ક્યાં છે. છાપાંની તંત્રીમંડળી અને કટાર લખતા મૂર્ધન્યો ક્યાં છે અને કેવડા છે અને કેવા છે.

ચૌધરી ચરણસિંહ જે તેમના દુશ્મન નંબર વન હતા તેને ઈન્દીરા ગાંધીએ કોણીએ ગોળ ચોંટાડ્યો અને તેમને ફોડ્યા. મોરારજી દેસાઈની સરકારને ઉથલાવી.

બધું પૈસા થી ખરીદી શકાય છે. માટે પૈસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

સિમલા કરારનું ડીલ, બાહુબળીઓ, અસામાજિક તત્વો, હપ્તા વસુલી, બ્લેકમેલ, દાણચોરી, યુનીયન કાર્બાઈડ ડીલ, કટકીઓ,  કટોકટી, બનાવટી નોટો, બનાવટી સ્ટેમ્પ પેપર,  એન્ડરસન મૂક્તિ, દાઉદ મુક્તિ વિગેરેનો મેસેજ ફક્ત લક્ષ્મી અને સત્તા જ છે. લક્ષ્મી થકી સત્તા અને સત્તા થકી લક્ષ્મી. એથી વધુ સારી વ્યવસ્થા નહેરુવીયન કોંગ્રેસના સંસ્કારમાં નથી. આ વાત અનુભવ સિદ્ધ છે.

વિદેશોની બેંકોં માં આપણા નહેરુવીયન કોંગી જનોએ અને તેમની કૃપા હેઠળ બીજા માલેતુજારોએ ગેરકાયદેસર રીતે ખાતાઓ ખોલાવ્યા અને તેમાં તેમણે ગેરકાયદેસર રીતે એકઠા કાળા અને લાલ પૈસા જમા કર્યા. મોટા ભાગના આ પૈસા નહેરૂવંશી કોંગ્રેસ પક્ષ ના શાસન દરમ્યાન જ થયા. જનતાના ધ્યાનમાં આ વાત બોફોર્સ કૌભાન્ડ બહાર આવ્યા પછી આવી. આ બનાવના અનુસંધાનમાં નહેરુવંશના એક ફરજંદે સત્તા ગુમાવી. પણ ૧૯૯૧ થી આ શાસન પૈસાના જોરે ફરી સત્તા પર આવ્યું. ફરીથી પૈસા જમા થવા શરુ થયા. સીબીઆઈ એ ફક્ત ૧૦મા ભાગથી પણ ઓછી રકમ જ જાહેર કરી છે. સીબીઆઈના આંકડા અને વાસ્તવિક આંકડા વચ્ચે આટલો મોટો ફેર હોવાનું કારણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને તેમના મળતીયાઓના પૈસા ગણત્રીમાં ન લેવાયા હોય એ હોઈ શકે. આ વાત નાનુ બાબલું પણ સમજી શકે.

વિશ્વબંધુ ગુપ્તા નામના એક પૂર્વ ઈન્કમટેક્ષ કમીશનરે કહ્યું છે કે તમે આમાં કંઈ કરી ન શકો. કારણ કે જેના ઉપર કશું કરવાની જવાબદારી છે તે તો આમાં સંડોવાયેલ છે. તે પોતાના પગ ઉપર કૂહાડા ન જ મારે. આ પક્ષ હારી જશે તો બીજી ચૂંટણીમાં ચૂંટાઈ આવશે. અને તેમની વાત સાચી છે. ૨૦૦૪ માં આવું જ થયું. બીજો પક્ષ જ્યાં સુધી ચૂંટણીમાંનું પૈસાનું પ્રભૂત્વ નાબુદ નહીં કરે ત્યાં સુધી આવું થતું જ રહેશે. બીજો પક્ષ નહેરુવીયન કોંગ્રેસ જેવી ગોલમાલો કરી શકશે નહીં. કારણ કે તે માટે અનુભવ અને વૈશ્વિક અસામાજીક નેટવર્ક જોઇએ. જે બીજો પક્ષ કદી કરી જ ન શકે.

પૈસો શું કરી શકે છે એ જુઓ.

ગુજરાતના એક ખ્યાતનામ બહોળી ખપત ધરાવતા એક સમાચાર દૈનિકે ૨૦૦૨ ના ગુજરાતના દંગાની દશમી વરસીએ ૨૦૦૨ ના દંગા વિષે એક ખાસ પૂર્તિ બહાર પાડી છે. તેના મધ્યમાં નરેન્દ્ર મોદીનો હતપ્રભઃ મુખ દર્શાવતો ફોટો પણ આપ્યો અને પોતાના તારણો દ્વારા એવો મેસેજ આપ્યો છે કે ૨૦૦૨ના કોમી દંગાઓને ભૂલી જ ન શકાય. દંગામાં લઘુમતિ ઉપર થયેલા અત્યાચારો વિષે પ્રચૂર મરી મસાલા છે.

દેશમાં અને ગુજરાતમાં પણ, ૨૦૦૨ થી પણ વિશેષ દંગાઓ તો ઘણા થયા. ૨૦૦૨ના દંગા તો ૫૯ રામ ભાક્તોને આગમાં ભૂંજી નાખ્યાના પ્રત્યાઘાત રુપે થયેલા. ૧૯૬૯માં જ્યારે હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે કોઈપણ દેખીતા કારણ વગર દંગા થયેલ. કટોકટીમાં જે માનવ હિંસાનું તાંડવ થયું તેને પણ ગણવાનું જ નહીં. ૧૯૮૪માં રાજીવ ગાંધીના સમયમં શિખોની કત્લેઆમ થયેલ. તેને પણ ગણવાની જ નહીં. ૧૯૯૩માં મોટેપાયે કત્લેઆમ થયેલ. આ યુપી બિહાર માં તો છૂટક છૂટક થતી કત્લે આમનો સરવાળો કરીએ તો ૨૦૦૨ ના કરતાં દશ ગણો થઈ જાય. પણ આ બધી કત્લેઆમો નહેરુવીયન કોંગ્રેસ શાસિત રાજ્યો માં થઈ તેથી આની વર્સીઓ ઉજવાતી નથી. પણ નરેન્દ્ર મોદી જે નહેરુવીયન કોંગ્રેસી નથી, કે તેનો સહયોગી નથી કે તે કદી નહેરુવીયન કોંગ્રેસને ભવિષ્યમાં ગૈરકાનુની કાર્યોમાં સહકાર આપવાનો નથી કે નહેરુવીયન કોંગ્રેસમં ભળી જવાનો નથી, તેના શાસનમાં થયેલ દંગાને તો ઉજવવા જ જોઇએ. તેને કેમ કરીને ભૂલી જવાય?

આ ગુજ્જુ અખબાર શું કહે છે?

૨૬મી ફેબ્રુઆરી?  રવિવાર? રવિવારની પૂર્તિ?

૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૨ના રવિવારની ચાલુ પૂર્તિને મૂકો બાજુપર. રવિવારના કટાર લેખકોને કહો કે પો’રો ખાય. દિવ્યભાસ્કરે પોસ્ટ ગોધરા દંગા બાબતે માંડીને વાત ચગાવવાનું નક્કી કર્યં છે.

આ ગુજ્જુ અખબારે બધા જ બનાવોનું પુનઃપ્રસારણ (પુનઃપ્રકાશન) કર્યું.

ભાઈ! દંગાની દશમી વરસી ને કંઈ ભૂલી જવાય? અને તે પણ મોદીકાકાના રાજમાં થયેલા દંગાની દશમી વરસીને તો ઉજવવી જ જોઇએ. મોદી કાકાએ એકતા માટે  સદભાવનાના ઉપવાસ કર્યા અને કોમી એકતા માટે મુસ્લિમ ભાઈઓ થોકબંધ આગળ આવ્યા એટલે આ દંભી ધર્મનિરપેક્ષોના પેટમાં તેલ રેડાયું છે. જનતાના હાલના પ્રતિભાવો નું પ્રતિબિંબ પાડવાનું જાય જાન્હમમાં.

દંભી ધર્મ નિરપેક્ષોના પ્રતિભાવોને પ્રતિબિંબિત કર્યા કરવું આર્થિક રીતે વધુ લાભદાઈ છે.  ૨૦૦૨ ના દંગાની દશમી વર્ષગાંઠને તો વિશિષ્ઠ રીતે ઉજવવી જ જોઇએ. ૧૯૬૯ના દંગાની વરસીને કે દશ વર્સીને કે રજ્જત જયંતિ ને ચાલીસીને આ રીતે ઉજવવાની ન હોય. કારણ કે ઈન્દીરા માઈએ કદાચ તે વખતે હિતેન્દ્ર દેસાઈ પાસેથી નહેરુવીયન કોંગ્રેસમાં ભળવાનું વચન લીધું હશે કારણ કે ઈન્દીરા ગાંધીએ વર્સી ઉજવવી એવો આદેશ પણ આપ્યો નહતો.

૧૯૮૪ની ના શીખ કત્લેઆમની પણ વર્સી કે પંચ વર્સી, કે દશવર્સી નહીં ઉજવવાની. કેજીબીવાળા ક્યારે ફરી વળે કહેવાય નહીં. અરે ભાઈ સોપારી લેવાવાળા પણ ઘણા છે.

૧૯૯૩ના દંગાની પણ વર્સી કે પંચવર્સી કે દશ વર્સી કે રજ્જત જયંતિ નહીં ઉજવાની. અરે ભાઈ શિવસેનાના પોઠીયા જોયા છે? વળી શિવસેના પિતાશ્રી તો યશવંતરાવ ચવાણ જ હતા. અને આ ચવાણ તો ઈન્દીરામાઈની મંડળીમાં જોડાઈ ગયેલ. હવે આ માઈ મંડળીના પાળાઓથી બચવા માટેની તો આ બધી પળોજણ આપણે કરી છીએ. જો કે તેમાં બે પૈસા રળીએ અને બે પાંદડે થઈએ એ વાત જુદી છે.

આપણે તો ચીઠ્ઠીના ચાકર બનવાનું છે. વળી સૌ કોઈ જાણે છે કે “લક્ષ્મી” દેખી મૂનીવર ચળે તો આપણે કોણ માત્ર? અને આતો એવી લક્ષ્મી કે જો તેને ન સ્વિકારો તો પાછળ સુદર્શન ચક્ર આવ્યું જ સમજો. માટે જાન બચી તો લાખો પાયે અને પહેલું સુખ તે પૈસા કમાયા. બીજું સુખ તે કોંગ્રેસમાં ભળ્યા.

એટલે ભાઈઓ અમે તો ૨૦૦૨ના દંગાની દશ વર્ષીય વર્સી તો ઉજવીએ જ ને! અમે તો દર વર્ષે ૨૬ ફેબ્રુઆરીના દિવસની વર્સી આવી રીતે ઉજવતા જ રહેવાના. અરે ભાઈ લક્ષ્મી  ચાંલ્લો કરવા આવે તો મોઢું ધોવા થોડું જવાય છે? એટલે અમે તો ૨૬મી તારીખના માસીયા  પણ ઉજવીશું અને સપ્તાહ પણ બેસાડી શું. અને ચાતુર્માસ પણ રાખી શું અને ૨૦૦૨ના દંગાઓ ને યાદ કરવા કોઈ એક વર્ષ ને દંગા નિર્મૂલન વર્ષ તરીકે ઉજવીશું. તેમાં નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ ભાંડીશું. 2002 દંગાના  ફોટાઓનું, મૂર્ધન્યોના લેખોનું, મહાનુભાવોના પ્રતિભાવોનું, સેક્યુલરોની કાર્યવાહીનું અને તેમને પડેલી કહેવાતી તકલીફોનું, વિગેરે વિગેરેનું પુનઃપ્રસારણ (પુનઃપ્રકાશન) કરીશું. નવેસર થી લેખો, વિશ્લેષણો, અને ચર્ચાઓ ચલાવીશું. અમે કંઈ જેવા તેવા નથી. એકવાર તો નરેન્દ્રમોદીને બતાવી દઈશું કે અમારી તાકાત કેવી છે. ભલે નરેન્દ્ર મોદીએ દરેક ચૂંટણી વખતે અમારા તેની વિરુદ્ધના કરેલા પ્રચારને અને અમારી ગોબ્બેલ્સ ટાઈપ અફવાઓને ઉંધેમાથે પછાડેલ પણ અમે તો મહમ્મદ ઘોરી જેવા છીએ. ભલે  મહમ્મદ ઘોરી સોળવખત પૃથ્વીરાજ ચૌહાણ સામે હાર્યો. અને દર વખતે માફી માગીને છૂટી ગયેલ. પણ અંતે તો તે વિજયી થયો જ. તેવી રીતે અમે પણ હિંમત હાર્યા વગર લડાઈ કર્યા કરીશું. અંતિમ વિજય અમારો છે. “હમ હોગે કામયાબ એક દિન … એક દિન…”

અને સાંભળો અમારા કટાર લેખકો યાની કિ, મૂર્ધન્યો, અમને છોડીને ક્યાંય જવાના નથી. ખ્યાતિ પણ એક ચીજ છે. અને કટાર રુપી જાગીર એક આધાર છે. કટોકક્ટીમાં પણ કટાર લેખકોએ કટારો છોડી ન હતી. તેમણે વિષયો બદલેલા. રાજકારણ ને બદલે સુષ્ઠુ સુષ્ઠુ બોલવા લાગેલા. તમે જુઓ છો, નરેન્દ્ર મોદીને અમે કેવા ખ્યાતિ ભૂખ્યા અને સત્તા ભૂખ્યા ચિતરીએ છીએ. તેઓ કેટલાકની નજરમાં સફળ મુખ્ય મંત્રી હશે. પણ તેઓ દેશની વાત કરે કે તરત અમે કેવા તેમને દિલ્હીનું સ્વપ્ન જોનારા કહી ઠેકડી ઉડાડીએ છીએ. હા નહેરુવીયન ફરજંદ ભલે તેમના ચમચાઓ દ્વારા વડાપ્રધાનપદના દાવેદાર બને અને અમે વધાવીએ પણ ખરા.

આ બધો પ્રતાપ છે ૪૦૦ લાખ કરોડ નાણાનો જ નહીં તે ઉપરાંત દેશમાં રોકડ અને જર જમીનમાં છે તે જુદો.

યસ્યાસ્તિ વિત્તં સ નરઃ કુલિનઃ, સ શ્રુતવાનઃ સ ચ ગુણજ્ઞઃ

સ એવ વક્તા સ ચ દર્શનીય સર્વે ગુણાઃ કાંચનં આશ્રયન્તે

 

જેની પાસે છે લક્ષ્મી,

તેનું કુળ શ્રેષ્ઠ છે,

તે જ વળી તો છે જ્ઞાની,

ગુણવાન પણ તે જ છે

જ્ઞાતા ગુણોનો તે જ છે,

વળી તે શ્રેષ્ઠ વક્તા છે

તે જ દર્શન યોગ્ય છે,

કારણ?

ગુણો લક્ષ્મીને આશ્રયે

 

શિરીષ મોહનલાલ દવે

 

ટેગ. લાલ કાળા નાણા, વિદેશી બેંકો, ગેરકાયદેસર ખાતાં, નહેરુવીયન, જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી, કટોકટી, કાળાં કરતુતો, એન્ડરસન, દાઉદ, અસામાજીક, સીબીઆઈ,

 

 

Read Full Post »

ईशावास्यमीदं सर्वम्‌ यत्किन्चित्‌ जगत्यां जगत्‌
तेन त्यक्तेन भूंजिथा मा गृधः कस्यस्चित्‌ धनम्‌

નિંદારસમાં રહેલો ઈશ્વર

 

એવું લાગે છે કે આપણે ઈશાવાસ્ય વૃત્તિ કેળવવી જોઇએ. ગાંધીજીએ આ વાત કરી છે. જેને વિષે જે સાચુ લાગે તે કહીએ પણ તે વાતને કશી કડવાશ વગર કહીએ.

 

ઈશાવાસ્યં ઈદં સર્વં યત્‌ કિંચિત્‌ જગત્યાં જગત્‌,

તેન ત્યક્તેન ભૂંજિથાઃ

 

આ જગતમાં જે કંઈ પણ છે તે સર્વેમાં, “ઈશ્વર (શિવ)”,નો વાસ છે. એટલે કે દરેકમાં તે રહેલો છે. તેથી ત્યાગ પૂર્વક (આપણી પ્રાજ્ઞા રુપી સંપત્તિને) ભોગવીએ.

 

ઈશ્વરે મૂળભૂત તત્વ કે જેની આ દુનિયા બનેલી છે તેનો ગુણધર્મ નક્કી કરેલો છે. તેના અવનવા સમૂચ્ચયોના ગુણો તે મૂળભૂત ગુણના પરિણામી ગુણો છે. દરેક વ્યકિત  તે આવી પડેલા પોતાના ગુણો પ્રમાણે વર્તે છે.

 

આ ગુણોમાં વિચારવાની અને સમજવાની શક્તિ પણ એક ગુણ છે. જે કેટલેક અંશે આનુવંશિક, અવલોકનો અને વિચારોના પરિણામ સ્વરુપ હોય છે. માણસ નિર્ણયો લેવામાં કેટલો સ્વતંત્ર છે તે આપણે જાણતા નથી. અગાઉ મોરારજી દેસાઈએ કહેલું કે બધું નિશ્ચિત છે. પણ ભવિષ્યના ગર્ભમાં કોઇ જોઈ શકતું નથી. આ જ વાત હાલનો આધુનિક વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ્સ પણ કહે છે.

 

હવે તમે કહેશો કે જો બધું ઈશ્વર જ કરતો હોય તો ગુસ્સો કેમ આવે છે?

તેનું કારણ એ હોઈ શકે કે ઈશ્વરે એવી વ્યવસ્થા ગોઠવી છે કે સમાજ ક્યારેક સરળ રીતે ક્યારેક ખોડંગાતો ખોડંગાતો અને ક્યારેક પાછળ ડગલાં ભરીને પણ ઉન્નતિ માટે જ્ઞાની   બને અને વ્યક્તિગત રીતે મનુષ્યના આનંદમાં વૃદ્ધિ થાય. કારણ કે અન્તે તો ઈશ્વરની ઈચ્છા આનંદ આપવાની છે.

 

 

જ્યારે કોઈની પણ ટીકા થાય ત્યારે તેની પાછળનો હેતુ જેની ટીકા થાય છે તેને સુધારવાની તક મળે  એ હોય છે. પોતાનામાં કેવીરીતનો સુધારો થયો તેનું તેને જ્ઞાન થાય. તે જ્ઞાન થકી તે આનંદ પામે. અને જેણે ટીકા કરી છે તે વ્યક્તિ પોતે પોતાની ફરજ બજાવ્યાનો આનંદ મેળવે, આવીરીતની ગોઠવણ ઈશ્વરે કરી છે.

    

પણ જેઓ પાસે શરીર છે તેઓ જ ટીકાકરનારને સમજીને પોતાના મગજને સુધારી શકે.

 

એટલે ટૂંકમાં જો ઈશાવાસ્ય વૃત્તિ કેળવીએ તો કમસે કમ જેઓ ઈશ્વર પાસે પહોંચી ગયા છે તેમની ટીકા ન કરીએ તો સારું.

 

સૌ કોઈ પોતાની રીતે યોગ્ય હોય છે. તેઓ વિચારોના આદાનપ્રદાન થકી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે અથવા નથી પણ કરતા. પણ ઈશ્વર ની ગોઠવણ એવી છે કે સમાજ આગળ વધતો જાય. ક્યારેક બે ડગલા આગળ જવાના મૂળમાં એક ડગલું કે વધુ ડગલાં પાછળ પણ ગયો હોય છે. સંભવ છે કે આપણે ઘણી પીછે હઠ કરી હોય અને તે હાલ ચાલુ પણ હોય પણ ઈશ્વરની ગોઠવણ આપણને પતન વિષે વધુ સમજણ પાડવાની હોય એ વાત આપણે નકારી ન શકીએ.

 

આઠવલેજીના વિચારો અને કાર્યશૈલી વિષે વિચાર ભેદ હોય. પણ આઠવલેજીની પ્રવૃત્તિ નિસ્વાર્થ હતી. જો તેમને કિર્તિની અપેક્ષા હોય તો તે ક્ષમ્ય છે. તેમને દાન આપવું કે ન આપવું તે સ્વૈચ્છિક હતું. હવે તમે જો દાન આપ્યું હોય તો તમે તેમાં તમારી શરતો મુકી ન શકો. તમારે તેમની શુદ્ધબુદ્ધિ પર જ બધું છોડી દેવું જોઇએ. જો દાન ન આપ્યું હોય તો તો તમે તેમની કાર્ય પધ્ધતિની ટીકા કરી જ ન શકો. કારણ કે તેમણે ઉઘરાવેલા પૈસા કંઈ સરકારના લાગાઓની જેમ ફરજીયાત ઉઘરાણું ન હતું. જો આવું હોત તો તમને તેમની ટીકા કરવાનો હક્ક મળત કે જેથી તમે તેમની ટીકા કરી શકો.  

 

પણ એક  વાત સમજવા જેવી છે કે  જ્યારે મિલ્કત અને તેની ઉપર સત્તા ચલાવવાની વાત આવે ત્યારે ભલભલા મહાપુરુષો શિષ્યોને સમજવામાં ગોથાં ખાઈ જાય છે. અને પછી મહાપુરુષોની બદબોઈ કરવાની ઘણાને લાલચ થાય છે.

 

દાખલા તરીકે મહાત્મા ગાંધી. તેમણે કહેલ “જવારહર વડાપ્રધાન થાય.” આ વાત ૧૯૪૭ ની છે. અને ૧૯૪૭ થી ૧૯૫૨ સુધી લાગુ પડે. જવાહરલાલ નહેરુ સત્તાભૂખ્યા હોય તે કદાચ સમજી શકાય. પણ જો તેઓ બંધારણીય માર્ગે સત્તા હાંસલ કરે પછી ગાંધીજીને દોષ ન દઈ શકાય. પણ કેટલાક આરએસએસ બંધુઓ આ વાત ઉપર ગાંધીજી ઉપર પારાવાર માછલાં ધૂએ છે. જાણે કે ૧૯૫૨માં અને તે પછી પણ, આવા આરએસએસ બંધુઓ અને તેમના જેવા વિચારવાળાઓનું કોઈ કર્તવ્ય જ ન હતું. જાણે કે ૧૯૪૭ થી ૧૯૫૨ સુધીના સમયે અને તે પછીના સમય માટે તેમને વ્યંઢ કરી દીધા ન હોય!

 

ભારત જેવી ગરીબ પ્રજા હોય તે ભૂલ કરે તે સમજી શકાય પણ નહેરુવંશનું શાસન છ છ દશકા સુધી દેશ ઉપર ચાલુ રહે તેમાં આરએસએસ જ નહીં પણ જે જે બુદ્ધિજીવીઓએ નહેરુને આવકાર્યા તે સૌ ગુનેગાર છે. કારણ કે તીબેટ ઉપર ચીનનું સાર્વભૌમત્વ સ્વિકારવું, ચીન સાથેની સરહદ રેઢી મૂકવી, સંસદમાં શઠતા પૂર્વકના ઉચ્ચારણો કરવા અને ચીન સામે હારી ગયા પછી વ્યંઢ પ્રતિજ્ઞાઓ લેવી આમાંનું દરેક કાર્ય તેમને હરાવવા માટે વિદ્વાનોએ આમરણાંત પ્રયત્નો કરવા જરુરી હતા. પણ તેમણે તેવું ન કર્યું.

 

ખ્યાતિ અને સત્તા ઘણાને પ્રિય હોય છે. અને યથાયોગ્ય રીતે શુભ્ર રસ્તે મેળવેલી ખ્યાતિ અને સત્તા ક્ષમ્ય છે. પણ નહેરુએ શઠતા પૂર્વક એટલે કે વિરોધીઓને વગોવડાવીને અને કાવાદાવા (કામરાજ પ્લાન)દ્વારા વિરોધીઓને દૂર કરીને પક્ષમાં સર્વેસર્વા રહેલા તે યોગ્ય ન કહેવાય. અને તેમાં પણ પોતાની પુત્રીને તેની કોઈ યોગ્ય્તા વગર આગળ કરવી અને બધો કારભાર સોંપવો અને પોતાની અનુગામી સ્થાપવાની ભલામણ કરવી યોગ્ય ન જ કહેવાય. આ વાતની લાલબહાદુર શાસ્ત્રીએ પૂષ્ટી કરેલી છે.    

 

ઈન્દીરાગાંધીના કુકર્મો વિષે તો મહાભારત લખાય. પણ તેના અનુયાયીઓ જ્યારે તેના જ માર્ગે ચાલે ત્યારે તેમની સાત પેઢીને વગોવવામાં આનંદ મેળવવો તેના યોગ્ય સ્થાને છે.

કારણ કે આપણે તો કંઈ ખ્યાતિ મેળવવી નથી. કે નથી આપણે સત્તા મેળવવી. આપણને પૈસા તો મળે એમ છે જ નહીં. કદાચ સ્વીસબેંકના પૈસા ઉપર નજર બગાડીએ અને નહેરુવંશી કોંગ્રેસના વખાણ કરીએ તો જુદીવાત છે. હાલમાં કેટલાક ગુર્જરભાષાના ખ્યાતનામ મૂર્ધન્ય અને વિશ્લેષકોની જેમ તેના કુકર્મોની ચર્ચાને આડે માર્ગે લઈ જઈએ કે વિસંવાદ ઉભો કરીએ તો ધનપ્રાપ્તિના સંજોગો ઉભા થતા હશે.

 

 

આપણા ઘણા બાવાજીઓ આપાણા ધર્મ અને સાહિત્ય વિષે આપણે સંમત ન થઈએ તેવી વાતો કરે છે. વળી કેટલાક બાવાજીઓ તો પોતાને આધુનિક કહેવડાવવા માટે ભૂતકાલિન મહાપુર્ષોને વગોવીને સમાચાર પત્રોમાં એન્ટ્રી મારે છે.

 

આમાં રજનીશ પ્રથમ સ્થાને આવે છે.

 

મારી જાણ પ્રમાણે ૧૯૬૦ના અરસામાં રજનીશે મહાત્માગાંધીની ટીકાઓ કરીને જાહેર જીવનમાં એન્ટ્રી મારેલ (માથું મારીને પ્રવેશ કરેલ)

 

શું હતી આ વાતો?

 

ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી. ગાંધીજીની અહિંસામાં પણ હિંસા રહેલી છે.

કેવીરીતે?

 

તમે તમારી વાત સમાજાવવા ચર્ચા કરો છો અને ચર્ચામાં દાખલા દલીલ કરો છો. હવે દાખલા અને દલીલ કરવામાં તો એવું છે કે જે વધારે ભણેલું હોય અને વધુ માહિતિ હોય તે દલીલો કરીને પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરીને સામે વાળાને પરાસ્ત કરી દે.   

સામે વાળાને પરાસ્ત કરવો એ પણ એક હિંસા છે. ખોટી વાતને સાચી કરી બતાવવી એ પણ હિંસા છે. સાચી અહિંસા એ છે કે તમે સામી વ્યક્તિના દિલનું પરિવર્તન કરો.

દા.ત. ફલાણા ફલાણા એક પાદરીએ પોતે એક વ્યક્તિથી સેંકડો માઈલ દૂર હોવા છતાં પણ પોતાની ગુઢશક્તિથી તેના વિચારોનું પરિવર્તન કરી તેને સન્માર્ગે દોરેલ. તો આને સાચી અહિંસા કહેવાય.

 

(હવે આ વાતને ચકાસીએ તો પેલા પાદરી ભાઈને એટલે કે સાધક્ને, પેલા સેંકડો માઇલ દૂર રહેલાને (સાધ્યને) અને ગુઢ શક્તિને (સાધન) ગોતવા જવું પડે. અને તે આપણને હાથવગા ક્યારે થશે તે વિષે આપણે જાણતા નથી અને જાણી શકીશું કે કેમ તે વિષે આપણા રજનીશભાઈ કદીયે ફોડપાડ્યો નથી. તેમના શિષ્યો ફોડ પાડવાનું જરુરી માનશે પણ નહીં (સાહેબ કંઈ થોડું ખોટું બોલતા હોય? હેં?).

 

રજનીશની બીજી વાતઃ

ગાંધીજીનો સત્યાગ્રહ એ પણ એક દબાણ અને દુરાચાર છે અને તેથી એક હિંસા છે.

એક વેશ્યા હતી. તેણે એક ભાઈ પાસે લગ્નની માગણી કરી. પેલા ભાઇએ ના પાડી. ઍટલે પેલી વેશ્યાએ ઉપવાસની ધમકી આપી. અને ઉપવાસ ઉપર બેઠી અને કહ્યું તું જ્યાં સુધી લગ્ન માટે હા નહીં પાડે ત્યાં સુધી હું ઉપવાસ કરીશ.

 

જ્યારે રજનીશભાઈ આવી વાત કરે ત્યારે એમ જ લાગે કે તેમણે કદી ગાંધીજીને વાંચ્યા જ નથી. ગાંધીજીએ ઉપવાસ માટે ના નીતિ નિયમો અને લાયકાતો ઘડી છે. ઉપવાસનું શસ્ત્ર ઉગામીએ તેમાં પોતાનો અંગત સ્વાર્થ તો ત્યાજ્ય જ છે. તે મુખ્ય મુદ્દો જ રજનીશભાઈને ખબર ન હોય તો તેમના શિષ્યોએ તો નાહી નાખવું જ પડે. ગુરુને દાળમાં કોળું જાય તો પછી શિષ્યોની દશા શું થાય?

 

રજનીશભાઈ ની ખાદી વિષે અને સગવડોના ઉપભોગ ના ખ્યાલો વિષે પણ કંઈક આવું જ છે. તે વિષે તો ગાંધીજીને વાંચવા જ જોઇએ. માણસના મૂળભૂત અધિકારો અને માનવીય અધિકારો અને માનવીય મૂલ્યો વિષે રજનીશભાઇ ની સમજણ આત્મવંચના જેવી હતી. ઉપભોગની બાબતમાં ગાંધીજી અને ઔરંગઝેબ સમાન વિચારના હતા. અન્ના હજારે કહે છે તેમ સૌ સૌની મર્યાદામાં રહે અને દેશના ગરીબને હંમેશા નજરમાં રાખે. સૌ કોઇ આપણા ઋષિ-મૂનીઓ, ચાણક્ય, ઔરંગઝેબ, ગાંધીજી, જૈન મહરાજ સાહેબો અને વિનોબાભાવે જેવા  કદાચ ન બની શકે પણ દીશા તો એ જ હોવી જોઇએ.

 

ત્રીજી વાતઃ એક માણસ હતો. તેને કોયલનો ટહૂકો ગમતો એટલે કોયલ બહુ ગમતી હતી. તેણે કોયલના બચ્ચાં જોયાં એટલે તે પકડીને લઈ ગયો. આગળ જતાં તે બોલ્યાં કૉ કૉ કૉ કૉ. એટલે તેને ખબર પડી કે આ તો કાગડા છે. તેણે તેમને મુક્ત કર્યા. શું સમજ્યા તમે? “બોલવાથી મુક્તિ મળે છે.”

 

આત્મનઃ મુખદોષેણ બધ્યન્તે સુખસારિકા, બકાસ્તત્ર ન બધ્યન્તે મૌનં સર્વાર્થ સાધનં

 

પોતાના (સુરીલા) મુખના અપરાધથી પોપટ અને મેના બંધનમાં આવે છે. બગલાને કોઈ પાળતું નથી. માટે મૌન  બધા ફળનું સાધન છે. આ શ્લોકની રજનીશભાઇને ખબર નહીં હોય. શું થાય?

 

ચોથીવાતઃ

 

રજનીશજી બોલ્યાઃ “માણસ જીવતો હોય ત્યારે મરવાના વિચારો કરે છે અને મરતો હોય ત્યારે જીવવાના વિચારો કરે છે.”

 

રાજા શું કે કલમાડી શું? નરેન્દ્ર મોદી પણ જીવે છે અને મરવાના વિચારો કરતા નથી.

અગણિત લોકો છે જેઓ જિંદગીને જીવી જાણે છે. તે પછી ચાર્વકઋષિની જેમ કે ચાણક્ય ઋષિની જેમ. રજનીશભાઈએ કોને જોયા હશે તે આપણે જાણતા નથી.

 

પાંચમી વાતઃ

 

સંભોગથી સમાધિઃ

 

આ વિષય જરા એવો છે કે જે સુરુચિનો ભંગ કરે તેવો છે. પણ ઘણાને ગમે એવો છે. કારણ કે આમ તો આવા વિષયને પ્રણાલિગત રીતે જોઈએ તો તેઓ બિભત્સ ગણાય. પણ વર્તમાન કાળમાં શરીરના અંગોના નામને બિભત્સ માનવા આવે છે તેમ સંસ્કૃત સાહિત્યમાં તેવું ન હતું.

 

રજનીશભાઈની વાત કરતાં પહેલાં આપણે સંસ્કૃતભાષા જ્યારે પ્રચલિત હતી ત્યારે શું હતું? તે જોઇએ.

 

યોનીઃ જ્યાંથી નિકળ્યું તે. બ્રહ્મયોની. અગ્નિ એ બ્રહ્મમાંથી પ્રગટ થયો. તેથી બ્રહ્મ એ બ્ર્હ્મ યોની કહેવાય છે. અને અગ્નિને વેદોમાં બ્રાહ્મણ પણ કહેવાય છે.

 

અણ્ડઃ જેમાંથી સજીવ બને છે. બ્રહ્માણ્ડ. બ્રહ્મે ઈન્ડું મુક્યું અને તે ઈન્ડામાં બધું ઉત્પન્ન થયું. તે આ બ્રહ્માણ્ડ. બ્રહ્મનું અણ્ડ.

 

શિશ્નઃ જે રસ-પ્રવાહી-વિર્ય છોડે છે અને જ્યાં પડે છે ત્યાં ઉગી નિકળે છે. વ્યોમ એ ઈશ્વરનું શિશ્ન છે.

 

સ્તનઃ પર્વતો તે ધરતી માતાના સ્તન છે. તેમાંથી નદી રુપી ધારા થી મીઠું પાણી નિકળે છે અને વનસ્પતિઓ અને પ્રાણીઓ તુષ્ટિ પામે છે.

 

વીર્ય, તેના સ્ખલન વિષે અને સંગ્રહ વિષે સંસ્કૃતના પુરાણોમાં અને વૈદકમાં ઘણી વાતો કરી છે. પુરાણોની વાતો જવા દઈએ. કારણ કે પુરાણોને ભારતીય તત્વજ્ઞાનમાં આધાર માનવામાં આવતા નથી. પણ આયુર્વેદ કહે છે કે તેને વેડફવું ન જોઇએ.

શાસ્ત્ર એમ કહે છે “પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાંગમુખઃ ગંગા બ્રુતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ.

 

ગંગા એ કહ્યું; “પારકાની પત્નિ, પારકાના ધન અને પારકાના દ્રોહ થી મોઢું ફેરવાનાર મારી પાસે આવીને મને ક્યારે પવિત્ર કરશે.”

 

આ વાતને જો આત્મસાત કરવામાં આવે અને તેની શક્તિ જ્યારે અનુભવવામાં આવે ત્યારે જ તમે જાતીય આવેગ ઉપરના તમારા પ્રભૂત્વને સમજી શકો.

 

આ થઈ ભારતીય શાસ્ત્રની વાત. હવે રજનીશ શું કહે છે?

 

રજનીશ એમ કહે છે જેનો તમે ત્યાગ કરવા પ્રયત્ન કરો તેમ તમને તેનું આકર્ષણ વધશે. આવું કહીને તેઓ એક બે ટૂચકા કહી સંભળાવશે. અને વાતે વાતે પ્રાસ મેળવવા માટે શિશકારા બોલાવશે. અને તેમના શ્રોતાઓને સમજાવશે સાધ્યં ઈતિ સિદ્ધં.  

 

કદ્દચ ફ્રૉઈડના દાખલા આપશે.

પણ કૃષ્ણ અને ફ્રોઈડની કોઈ તુલના નથી. જેઓ ફ્રોઈડને વાંચે છે તે કૃષ્ણને વાંચતા નથી. અને જેણે કૃષ્ણને વાંચ્યા છે તેના ઉપર ફ્રોઈડ અસર કરતો નથી. રજનીશે કદાચ ફ્રોઈડને વાંચ્યો હશે. પણ કૃષ્ણને ધૌમ્ય ઋષિ એ કહેલા “વાંચવા”ના અર્થમાં વાંચ્યા નહીં હોય. જો આમ ન હોત તો રજનીશને દાળમાં કોળું ન જાત.

 

જાતીય વૃત્તિ ની બાબતમાં એક વસ્તુ સમજી લેવી જોઇએ કે આપણું શરીર અસંખ્ય અને અસંખ્ય જાતના કોષોનું બનેલું છે. આ કોષો આપણને જેનેટીકલી વારસામાં મળેલા હોય છે. કોષો બધા રસાયણોના બનેલા છે. એટલે આપણા શરીરને આપણે રસાયણોનું બનેલું કહીએ તો ખોટું નથી. આ રસાયણોને આધારે આપણો સ્વભાવ બને છે. આપણો ખોરાક, આપણી પ્રવૃત્તિ અને આપણા વિચારો આ રસાયણો ઉપર વત્તા ઓછા પ્રમાણમાં અસર કરે છે. કોણ કેટલું અસર કરે છે તે આપણે હજુ શોધી શક્યા નથી. સૌ કોઈ પોતાની વૃત્તિઓ ઉપર ખોરાકથી, ક્રિયાઓ થી અને વિચારોથી કેટલો વિજય મેળવશે તે કહી શકાય નહીં.

 

અર્જુને પૂચ્છ્યું કે ” માણસ પોતાની વૃત્તિઓ ઉપર કાબુ કેવી રીતે મેળવી શકે? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું “અભ્યાસથી માણસ તેની વૃત્તિઓ ઉપર કાબુ મેળવી શકે.” અભ્યાસ એટલે શું? વારંવાર કરવું તે અભ્યાસ. યાદ નથી રહેતું? વારંવાર યાદ કરો એટલે એ વાત યાદ રહી જશે. નાનપણની વાતો શા માટે યાદ છે અને મોટપણની વાતો શામાટે ભૂલાઈ જાય છે? કારણ કે નાનપણની વાતો વારંવાર યાદ કરી હોય છે. અભ્યાસ થી ટેવ પડી શકે છે. બુદ્ધિવડે મનને જીતી શકાય છે. મનની આદતો ટેવ પાડવાથી બદલી શકાય છે. મન ઉપરના તમારા પ્રભૂત્વ ઉપર તમે શ્રદ્ધા રાખો. મન તો તમારું નોકર છે. નોકરે તો તમે કહો તેમ જ કરવું જોઇએ. શું તમે તમારા નોકરના કહેવા પ્રમાણે કરશો? વિનોબાએ કહ્યું.

 

ગાંધીજી વિલાયત ગયા ત્યારે તેમને બાફેલું અને મસાલા વગરનું જમવાનું ફાવતું ન હતું. પણ ધીમે ધીમે આદત પડી એટલે ફાવી ગયું. કોઈપણ બાબતમાં તમે બુદ્ધિથી અને મનથી પ્રયત્ન કરો તો તે સિદ્ધ થઈ શકે છે.       

 

હસ્તદોષ એ ફક્ત ભૌતિક ક્રિયા નથી. દરેક ક્રિયા મન ઉપર અસર કરે છે. હસ્ત દોષથી આત્મવિશ્વાસ ઘટે છે. હસ્તદોષ એ સંભોગનું એક દિવાસ્વપ્ન છે. અને દિવાસ્વપ્ન ખતમ થતાં તમે વાસ્તવિકતા ઉપર પછડાઓ છો. અને પછડાટ એક જાણ્યા અજાણ્યા આઘાતની અસર ઉભી કરે છે. એકથી વધુ સંગી સાથેનો સંભોગ એ પણ તેના જેવો જ બને છે અને તે તમારા નીતિમત્તાના મૂલ્યોને આઘાત પહોંચાડે છે.

 

પણ જાતીય વૃત્તિનું દમન કરવા ઉપર વ્યક્તિનું પોતાનુ પ્રભૂત્વ કેટલું? અને વિચારોનું પ્રભૂત્વ કેટલું? આ વાત તેના રસાયણિક બંધારણ ઉપર આધાર રાખે છે. વિચારો તેને ક્રમશઃ  આગળ કે પાછળ લઈ જાય છે. અને વિચારો તમારી પ્રવૃત્તિ અને અભ્યાસ ઉપર આધાર રાખે છે. જે વાત તમે બુદ્ધિ અને અભ્યાસ વડે આત્મસાત કરી તેની ઉપર ફ્રૉઈડભાઇની અને રજનીશભાઈની ફીલોસોફી અને તારણો કામ કરતા નથી.

 

શું સંભોગ એ યોગ છે?

 

સંભોગથી આનંદ મળે છે. શરીરમાં એક આનંદની લહેર પ્રસરે છે. અને આ આનંદથી કોઈને નુકશાન થતું નથી. તો તેને યોગ શા માટે ન કહેવો. તમારા જીવનસાથી સાથેનો સંભોગ શાસ્ત્રીઓએ બ્ર્હ્મચર્ય સમાન જ ગણ્યો છે. જો પરસ્પરના આનંદ માટે હોય તો કદાચ નુકશાન કારક ન પણ હોય. પણ આને યોગ ન કહેવાય. કારણ કે વ્યસન અને નિદ્રા પણ એમતો આનંદ આપે છે પણ તેનો અતિરેક તમને નુકશાન કરે છે. જો આ બધું યોગ હોય તો કશું નુકશાન થતું ન હોત.

 

જો આમ ન હોય તો?

ખંજ યોગ પણ એક યોગ છે. ખરજવું થાય અને જો તેને ખંજોળીએ તો તેના જેવો આનંદ

ભાગ્યે જ બીજો કોઈ હોય છે. જો આનંદ માત્ર યોગ હોય તો ખંજવાળને પણ યોગ જ ગણાય. ખંજ યોગ. કોઈ આ વાતને નકારશે નહીં.

 

જે સત્ય નથી તેને સત્ય ઠેરવવું અને તેનો પ્રચાર કરવો તેને માન્યતા અપાવવી આ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે. અને ભલભલા મૂર્ધન્યો તેમાં ડૂબેલા છે. 

 

વાસ્તવમાં સૌનું ધ્યેય આનંદ પ્રાપ્ત કરવાનું હોય છે. માર્ગો અનેક છે પણ ધ્યેય તો એક જ છે. પણ સમગ્ર સમાજને આનંદ પ્રાપ્ત થાય તે ઈશ્વરની યોજના છે.

 

મૂર્ધન્યો ભૂલા પડે અને બીજા લોકો તેમાંથી કંઈક શિખે જેથી ભવિષ્યના મૂર્ધન્યો વધુસારું વિચારી શકે અને સમાજને આદર્શ અને સુખી સમાજ તરફ દોરી શકે.

 

ભણેલાઓ આપણે હિસાબે અંધશ્રદ્ધા ફેલાવે છે. પણ અંધશ્રદ્ધા ની વ્યાખ્યા અઘરી છે. ઘણા લોકોને મન રાષ્ટ્રપ્રમુખ અને બીજા મહાનુભાવોને મળતી અને માન્ય રખાતી સગવડો અને વિશેષ અધિકારો પણ એક જાતની અંધશ્રદ્ધા જ હોઈ શકે છે. અને વળી આવી અંધ શ્રદ્ધાનું પાલન તો આપણા ખર્ચે થાય છે.

 

જેઓ ઉપરવાસી (પરલોકવાસી નહીં કહું કારણ કે પરલોક જેવું કશું છે જ નહીં) થઈ ગયા તેમની નિંદા ન કરીએ. તે વાત પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઋષિ-મુનીઓની છે. દા.ત.  આઠવલેજીની નિંદા ન કરીએ અને કાર્યશૈલીની ટીકા ન કરીએ. કાર્ય શૈલીની  જો ટીકા કરવી હોય તો આઠવલેજીને અલિપ્ત રાખીને ટીકા કરીએ તો તે ક્ષમ્ય છે. ઋષિ મુનીઓને જે તે સમયે જે યોગ્ય લાગ્યું તે કર્યું. હાલ તેઓ જવાબ આપી શકે તેમ નથી.

 

મોરારીબાપુની પણ નિંદા ન કરીએ. જોકે તેમણે કહ્યું કે મારો રામ વાલીને મારે નહીં. પણ રામ તો મોરારીબાપુ નો હતો જ નહીં. તુલસીદાસનો પણ ન હતો. અને રામ, વાલ્મિકી કે બીજા કોઈનો પણ ન હતો. રામ તો હાડમાંસ નો બનેલો અને દશરથ નો પુત્ર હતો. અને ઐતિહાસિક હતો. એટલે આજના સમયના મૂલ્યો માટે તે ભૂલો કરે તો તેમાં રામનો વાંક નથી. અને રામની ભૂલ પણ નથી. રામની પાસે ઈશ્વરને જે કરાવવું હતું તે કરાવ્યું. રામે કયા કારણસર વાલીને કેવી રીતે માર્યો તે રામ જાણે. હરિ હરિ કરો અને મંજીરા વગાડો. હરહર મહાદેવ કરીને તૂટી પડવાની જરુર નથી.

 

પ્રાચીન ઋષિ-મુનીઓની જે પૌરાણિક વાતોના વર્ણનોમાં અને સંવાદોમાં શું તથ્ય છે તે જાણવું અશક્ય છે. તેથી જે સારુ છે તે માટે તેમને બિરદાવવા અને ખોટું લાગે તે ભૂલી જવું. પણ જે ખોટું લાગે તેમાં તેમના અનુયાયીઓની જો તેઓ તેનો આધાર લઈ શૈક્ષણિક બચાવ કરે તો અનુયાયીની શૈક્ષણિક ટીકા કરવી. ઋષિ-મુનીઓની અને રાજાઓની ઘણી વાતો તો દંત કથાઓ પણ હોઈ શકે.

 

દા.ત. શંકરાચાર્ય મંડનમિશ્ર ના ઘરે ગયા ત્યારે નીચે પ્રમાણેની રમૂજ પ્રચલિત છે.

 

મંડનમિશ્ર ઉવાચઃ “કુતઃ મુણ્ડી”

[મંડનમિશ્ર બોલ્યાઃ આ મુંડ્યો (ટકલુ) ક્યાંથી (આવ્યો)?]

 

શંકરાચાર્યઃ ઉવાચઃ “આગલાત્‌ મુણ્ડી”

[શંકરાચર્ય બોલ્યાઃ ગળાથી શરુ કરીને (માથા ઉપરસુધી મુંડન કરાવ્યું છે)]

 

મંડનમિશ્ર ઉવાચઃ માર્ગં તે પૃચ્છતે મયા. [મંડનમિશ્ર બોલ્યાઃ હું તો તારા રસ્તાને (વિષે) પૂછું છું.

 

શંકરાચાર્ય ઉવાચઃ કિં આહ માર્ગં [શંકરાચાર્ય બોલ્યાઃ (જો તમે રસ્તાને પૂચ્છ્યું તો રસ્તાએ શું કહ્યું?]

 

મંડનમિશ્ર ઉવાચઃ માતા તે મુણ્ડી ઈતિ આહ માર્ગં. [મંડનમિશ્ર બોલ્યાઃ માર્ગે તો કહ્યું તારી (શંકરાચાર્યની) માતા મુંડી.

 

શંકરાચાર્ય ઉવાચઃ સત્યં બૃતે માર્ગં. ત્વયા માર્ગં પૃચ્છિતં, માર્ગં તુભ્યં અબ્રવિત્‌ યત્‌ તે માતા મૂણ્ડી. તસ્માત્ તે માતા મૂણ્ડી ઈતિ સિદ્ધં.

 

શંકરાચાર્ય બોલ્યાઃ તેં માર્ગને પૂચ્છ્યું અને માર્ગે તને કહ્યું કે તારી માતા મુણ્ડી. માર્ગ સાચું જ કહે છે કે તારી માતા મુણ્ડી.

 

…………

 

………….

 

સંવાદ તો આગળ ઘણો લાંબો છે. પણ આ કંઈ સાચી વાત નથી. રમૂજ ખાતર દંત કથાઓ જોડવાની આપણી પ્રણાલી ઘણી જુની છે. અને કટાક્ષ ચિત્રો ઘણી વખત એક પ્રકારની દંતકથા જેવા જ હોય છે.

 

દેવ દાનવ અને માનવ બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું અમને બોધ આપો.

બ્રહ્માજીએ કહ્યું; દ દ દ

 

દેવ સમજ્યા આપણે ભોગવિલાસમાં છીએ એટલે આપણે “દ” એટલે કે દમન. આપણી વૃત્તિઓનું દમન કરવું જોઇએ.

 

દાનવો સમજ્યા કે “દ” એટલે દયા. આપણે ક્રૂર ન બનવું અને દયા કરવી.

 

માનવો સમજ્યા (તે વખતના) કે આપણે સંગ્રહ કરવાને બદલે “દ” એટલે દાન કરવું જોઇએ. 

 

સૌએ લાગુ પડતો શ્રેષ્ઠ અર્થ લીધો.

 

ટૂંકમાં એમ કહેવાય કે નિંદારસ આનંદ માટે છે. સારસારકો ગ્રહણ કરે થોથા દે ઉડા. જે

 

સારુ છે તે ગ્રહણ કરવું અને નકામુ છે તેને ભૂલી જવું.

 

પણ જો આપણે આવો નિયમ માન્ય રાખીએ તો દરેક નિયમને અપવાદ પણ હોય છે. તો આમાં અપવાદ શું. નહેરુવંશી કોંગ્રેસ એક અપવાદ છે. આપણે સ્વતંત્રતા મેળવી તે શા માટે? અંગ્રેજો શું ખોટા હતા! હાજી. તેમનો વાંક હતો.

 

૧   આપણો કાચોમાલ બહાર જતો હતો

 

૨   વિદેશથી તૈયાર માલ આપણા દેશમાં વેચાતો હતો.

 

૩   દેશનો પૈસો બહાર જતો હતો.

 

૪   કાયદાઓ અન્યાયકારી હતા અને સરકાર દંભી હતી.

 

૫   જનતા ગરીબ હતી.

 

૬   જનતા બેકાર હતી.

 

૭   ગરીબીથી અંધશ્રદ્ધા હતી.

 

૮   રાજાઓનું વંશપરંપરાગત શાસન હતું.

 

૯   અંગ્રેજો ભારતમાં વેપારી હતા. તેથી પ્રજા ભીખારી હતી.

 

આજે શું છે?

 

૧   આપણો કાચો માલ આજે પણ નિકાસ થાય છે. ખાણોમાં માફીયા રાજ છે.

 

૨   આપણી સરકાર વૈશ્વીકરણના નામે વિદેશથી આયાત કરે છે તેથી રુપીયો ગગડે છે. ડોલર તકલીફમાં હોવા છતાં પણ રુપીયો ગગડે છે.

 

૩   આપણા નહેરુવંશના શાસકો અને તેના મળતીયાના વિદેશી બેંકોમાં ખાતા છે. અને તે પૈસો દેશમાં ન આવે તે માટે આ નહેરુવંશની સરકાર તનતોડ પ્રયત્નો કરી રહી છે.

 

૪   કાયદાઓ અને પ્રણાલીઓ આજે પણ અન્યાય કારી છે. લોકપાલ ને લગતા કાયદાના શા હાલ કર્યા. અન્ના હજારે અને બાબા રામદેવ ના શા હાલ આ સરકારે કર્યા તે આપણે જાણીએ છીએ. અને છતાં પણ છાતી ઠોકીનેઆ સરકાર કહે છે કે “અમે ભ્રષ્ટાચાર સામે પ્રતિબદ્ધ છીએ.” આ સરકાર તો દંભી જ નહીં પણ નીંભર પણ છે. અને તેના શબ્દોના અર્થ શબ્દકોષના અર્થો સાથે મેળખાતા નથી.

 

૫   આજે ૬૦ વર્ષના શાસન બાદ પણ ૮૫ કરોડ જનતા ગરીબ છે. અને સરકારે જનતાને સરકારી ખેરાતોના મોહતાજ રાખ્યા છે.

 

૬   પાયાની સગવડોના અભાવે આજે પણ બેકારી છે. અને મોટાભાગનાનું ભવિષ્ય સુનિશ્ચિત નથી.

 

૭   ભણેલાઓ પણ અંધશ્રદ્ધાવાળા છે.

 

૮   નહેરુવંશનું શાસન ચાલે છે. તેના જેવા બીજા વંશપરંપરાગત શાસનવાળા પક્ષો ઉત્પન્ન થયા છે. અને મૂર્ધન્યો પણ તાટસ્થ્યના દંભ અને ઘેલછામાં જનતાને સચોટ માર્ગદર્શન આપવામાં પારાવાર ઉણા ઉતર્યા છે અને શાસકોના પાપના ભાગીદાર બન્યા છે.

 

૯   આપણી આ સરકાર પણ વેપારી છે અને તેથી પ્રજા ભીખારી છે. સંસદના સભ્યો પ્રજાના પ્રતિનીધિ છે પણ તેઓ જવાબદારી વગરના છે. કોઈ પણ સરકારી સંસદ લોકપાલ બીલની ઉપર ગુણદોષની ચર્ચા માટે તૈયાર નથી. એટલું જ નહીં સરકાર મતદાન કરાવવા પણ તૈયાર નથી. જો સરકારી સંસદો પોતાની જવાબદારી નીભાવતા નથી તો પણ પોતાની આવકો અને સગવડો વધારે જ જાય છે.

 

 

 

માટે ખુલ્લા દીલથી આ નહેરુવંશી સરકાર અને તેના ભૂતપૂર્વ અને વર્તમાન મળતીયાઓની ભરપેટ નિંદા કરો.

 

જય જગત જય હિંદ

 

 

 

શિરીષ મોહનલાલ દવે

 

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે ખબર છે એટલી કે માત ની હાકલ પડી છે

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે ખબર છે એટલી કે માત ની હાકલ પડી છે

ટેગ; ઋષિ મૂનિઓ, પ્ર્રચીન, ભારત, નહેરુવંશ, ચાણક્ય, મહાત્મા ગાંધી, અન્ના, રામદેવ, મોરારજી દેસાઈ, ઈન્દીરા ગાંધી, રજનીશ, આઠવલેજી, મોરારી બાપુ, અંધશ્રદ્ધા, ઈશ્વર

Read Full Post »

%d bloggers like this: