Feeds:
Posts
Comments

Posts Tagged ‘ઈન્દીરા’

ફક્ત ભારતવર્ષ જ નહીં પણ જમ્બુ દ્વીપ સંઘની વાત કરો.

CHANAKYA 01

દેશને વિભાજીત કરનારા અર્થઘટનો અને વેદપ્રતાપ

જેઓને અફવાઓ ફેલાવવી છે, રાજકારણ રમવું છે, લાઈમ લાઈટમાં રહેવું છે અથવા અને જે સમાચાર માધ્યમો કે જેમને વ્યુઅરશીપ વધારવી (કે વાચકવર્ગ વધારવો) છે તેઓને જીવતા રહેવા અનર્થકારી અર્થઘટનો કર્યા સિવાય છૂટકો નથી.

આપણા આ કે તે ગુજરાતી સમાચાર પત્ર પણ તેમાંથી બકાત રહે એવું માનવું જરુરી નથી. કારણ કે કોઈ વાત અને કોઈ મુલાકાત ત્યારે જ ચગે જો તેને આંચકા આપે તેવા શબ્દોમાં ગોઠવવામાં આવે.

જો તમે વેદપ્રતાપનો આખો સંવાદ આંભળો તો તમને દેશ હિત વિરુદ્ધનો કોઈ સંદેશ મળશે નહીં તેમજ કોઈ વિભાજનવાદી સંદેશ પણ મળશે નહીં.

ધારો કે કોઈ એમ કહે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ વૈમનશ્ય હતું નહીં. પણ અંગ્રેજોએ તેમની વચ્ચે વૈમનશ્યને ઉત્પન્ન કર્યું. અંગ્રેજોએ કેવી રીતે આમ કર્યું તે આપણે સૌ હિન્દુઓ અને મુસ્લિમો સુપેરે જાણે છે અને સમજે છે. તેથી તેની ચર્ચાની જરુર નથી. એ કોઈ સાંસ્કૃતિક વિડંબણા ન હતી. પણ સત્તાની સાઠમારી હતી. દેશનું કમભાગ્ય હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ વહેલા મૃત્યુ પામ્યા. જો આ ન બન્યું હોત તો દેશ ફરીથી અખંડ થઈ ગયો હોત.

મોગલ યુગ પણ એક સુવર્ણ યુગ હતો
મોગલ યુગ એ કોઈ ગુલામી ન હતી. મુસ્લિમો હિન્દુઓ સાથે હળી મળી ગયા હતા. મુસ્લિમો ભારતને પોતાનો જ દેશ સમજતા હતા. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનશ્ય ન હતું એમ કહેનારા એક હજાર ઉદાહરણો આપી શકે છે અને છેલ્લે એક એવું ઉદાહરણ આપે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુઓ અને મુસ્લિમો એકજૂટ થઈ અંગ્રેજો સામે લડ્યા હતા. ઔરંગઝેબના અંતિમ વર્ષોથી મુગલ સામ્રાજ્યનું પતન શરુ થઈ ગયું હતું. મોગલવંશનો છેલ્લો બાદશાહ, બહાદુરશાહ જફર એક નામમાત્રનો બાદશાહ હતો. આ બાદશાહની સત્તા લાલકિલાની દિવાલો સુધીની હતી. આમ હોવા છતાં પણ સર્વે રાજાઓ કે જેમાં હિન્દુ રાજાઓ અને મુસલમાન રાજાઓ બંને સંમિલિત હતા, તે સૌએ સર્વાનુમતે નક્કી કરેલ કે મુગલવંશના સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવી અને સૌ રાજાએ બહાદુરશાહ જફરની આણમાં રહેવું. આ વાત દર્શાવે છે કે મુગલ સામ્રાજ્ય જે મુસલમાનોનું હતું અને મુગલયુગ ભારતના અનેક સુવર્ણયુગોમાંનો એક સુવર્ણયુગ હતો, અને હિન્દુઓ ઉપર અનેક અન્યાયો અને અત્યાચારો નોંધાયા હોવા છતાં પણ જ્યારે સારાખોટાનો સરવાળો કરીએ ત્યારે સુરાજ્યનું પલ્લું નીચે જતું હતું અને તેના પરિણામ સ્વરુપ ઓગણીસમી સદીની શરુઆતથી તેના મધ્યભાગ સુધી સૌ લોકોએ એક મતે મુગલવંશની પુનઃસ્થાપનાનો નિર્ણય લીધેલો. આમાં ફક્ત મુસ્લિમ રાજાઓ જ નહીં પણ મરાઠા અને રજપૂત રાજાઓ પણ સામેલ હતા. આથી એક નિશ્ચિત તારતમ્ય નિકળે છે કે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કશું વૈમનશ્ય હતું નહીં. હવે જો કોઈ આવી વાત કરે તો આજના સમાચાર માધ્યમો એવો વિવાદ ઉભો કરે કે ફલાણા ફલાણા (બીજેપીના) નેતા ભારતમાં મુગલ સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવા માગે છે. જે મુસલમાનોના અનેક આતંકી જુથો છે તેમના પ્રતિ તેઓશ્રી હળવું વલણ લેવા માગે છે. જે સમુદાયના આતંકીઓએ હજારો નિર્દોષોની હત્યા કરી છે અને લાખોના જીવન પાયમાલ કર્યા છે તેમને દેશનીધૂરા સોંપવા માગે છે. ભારતમાં તેઓ શરિયત અને મુલ્લાઓનું રાજ લાવવા માગે છે. બુરખાઓથી સ્ત્રીઓની સ્વતંત્રતા રોકવા માગે છે. આ ગદ્દારીનું કામ છે. તેમને ગિરફ્તાર કરી તેમની ઉપર દેશદ્રોહનો આરોપ ચલાવવો જોઇએ. આપણા નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના સાંસ્કૃતિક મળતીયા પક્ષના નેતાઓ પણ આવી જ વાત કરશે.

વેદ પ્રતાપ અને દંભી નેતાઓની માનસિકતા સમજો
દંભી નેતાઓની માનસિકતા કેવી છે?

જો કોઈ એક નેતાએ જો નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ વિષયક કાર્યવાહીની પ્રશંસા કરી હોય તો તે મુસ્લિમોને ભારતીય સામાન્યપ્રવાહમાં મેળવવાની વાત જ ન કરી શકે. તે મુસ્લિમો વિષે વાત કરવાની સઘળી લાયકાતો ગુમાવે છે. આવી વૈચારિક ધારાવાળા દંભી બીનસાંપ્રદાયિકોએ મુસ્લિમોના નેતાઓની ધર્મને નામે માનસિક તુષ્ટીકરણ કરીને ધર્માંધ નેતાઓને માનવધર્મથી વિમુખ કર્યા છે. આ બાબતમાં તેઓ પુનર્વિચાર કરવા જરાપણ તૈયાર નથી. સમાચાર માધ્યમો તો સમાચારોને વિકૃતરીતે રજુ કરી તેનો વ્યાપાર કરે છે.

દંભી બીનસાંપ્રદાયિકોની આવી વિકૃત માનસિકતા કેવી રીતે ઉત્પન્ન થઈ?

જો આના મૂળ શોધવા જઈએ તો જેમ દરેક રાજકીય અને સામાજીક વિકૃતિના મૂળ નહેરુ અને નહેરુવંશ તરફ દોરી જાય છે તેમ ઉપરોક્ત વૈચારિક વિકૃતિના મૂળ પણ નહેરુ અને નહેરુવંશ જ છે.

સમાજવાદને નામે ઉત્પાદન ઉપર નિયંત્રણ,

લાયસન્સ અને પરમીટનું રાજ રાખવું,

અછતગ્રસ્ત પરિસ્થિતિ જ રાખવી,

બને ત્યાં સુધી બધું સરકાર હસ્તક રાખવું,

બેકારી રાખવી શિક્ષણનો વિસ્તાર ન થવા દેવો, જેથી સામાન્ય જનતા પોતાની સમસ્યાઓમાં જ ગુંચવાયેલી રહે,

સમસ્યાઓ વિષે અગર જવાબ દેવાનું આવે તો ઓળઘોળ કરીને બધો દોષ “વસ્તી વધારા” ઉપર ઢોળી વિરોધાભાષી વાતો કરવી,

નહેરુ પોતે બદામ અને બ્રાન્ડી ઉપર જીવનારી મરઘીના ચિકનના શોખિન હતા, રોજના ૨૫૦૦૦ હજારનો તેમનો ખર્ચ હતો. ૧૯૫૫માં સોનું ૮૦ રુપીયે દશ ગ્રામ હતું. આજે ૨૭૦૦૦ રુપીયે દશગ્રામ છે. એટલે આજના હિસાબે તે ખર્ચ, રોજનો ૮૪ કરોડ ૪૦ લાખ રુપીયા થયો. આ નહેરુ, આખા દેશને સમાજવાદના પાઠ ભણાવતા હતા. સરદાર પટેલે પોતાના સરકારી ક્વાર્ટરમાં કોઈ રસોયો પણ રાખ્યો ન હતો અને રસોઈનું કામ મણીબેન કરતા હતા. સરદાર પટેલ રોટલો અને રીંગણાનું શાક ખાતા હતા. આ સરદાર પટેલને નહેરુના ચેલકાઓ મૂડીવાદના પીઠ્ઠુ કહેતા હતા.

મહાત્મા ગાંધીનો રોજનો ખર્ચ બે પૈસા હતો અને નહેરુને મન તે ડોસો દંભી અને નાટકીયો હતો. (આ બાબતનો સંદર્ભ આ વેબસાઈટ ઉપર અન્યત્ર આપેલો છે.)

ઈન્દીરા ગાંધીના વિરોધાભાસોનો તૂટો નથી.

આ સૌ દંભી બીનસાંપ્રદાયિકતાવાદીઓનો હેતુ ફક્ત એ જ હતો અને છે કે તેમના સિવાય અન્ય કોઈનો મુસ્લિમો સાથે સૂમેળ માટે સંવાદ કરવાનો અધિકાર નથી. બીજાઓ જો આવું કંઈપણ કરશે તો તેમને દેશદ્રોહી ગણવામાં આવશે. આમેય આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ બીજેપી અને નરેન્દ્ર મોદીને સમાજને તોડનારા અને દંગા ફસાદ કરનારા કહે જ છે. ઈન્દીરાઈ નીતિ એ રહી છે કે કોઈ આપણને કાણા કહે તે પહેલાં આપણે તેમને કાણા કહેવાનું શરુ કરી દેવું.

વેદપ્રતાપ એક એવા પત્રકાર અને રાજકીય વ્યક્તિ છે જેમનો સંબંધ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ સાથે બીજેપીના અને તેના નેતાઓ કરતાં અનેક ગણો વધારે નિકટનો રહ્યો છે. તેઓ ઈન્દીરા ગાંધી અને નરસિંહરાવની ઘણા નજીક હતા. આ વાતને નહેરુવીયન કોંગ્રેસીઓ નકારી શકતા નથી. પણ હાલના સમયમાં તેઓ તેને છૂપાવવામાં માને છે.

વેદપ્રતાપની સામે આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ કેમ પડ્યા છે?

કારણ ફક્ત એ જ છે કે આ ભાઈશ્રીએ નરેન્દ્ર મોદીની નીતિના વખાણ કરેલ. દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ની માનસિકતા એવી છે કે જો તમે નરેન્દ્ર મોદીના વખાણ કરો તો તમારા બધા જ સંચિત પૂણ્યો નષ્ટ થઈ જાય છે અને તેટલા જ જત્થામાં પાપનું પોટલું તમારા માથે આવી જાય છે.

દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ આ બાબતમાં તર્કને ગાંઠતા નથી. વારંવારનું ગાલીપ્રદાન એ જ એમનો તર્ક છે. એટલે વેદપ્રતાપે ઈન્દીરાથી શરુ કરી મનમોહન સુધીના જે પૂણ્ય કર્મો સંચિત કરેલા એ બધા પૂણ્ય કર્મો આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ભૂલી જઈ શકે છે.

અડવાણી જો જીન્નાની મજાર ઉપર માથું ટેકવે તો અડવાણીને “લઘુમતિનું તૂષ્ટિકરણ” સાથે જોડી દેવામાં આવે છે અને હિન્દુધર્માંધ લોકો અડવાણીની ઉપર છાણા થાપે છે તો પછી આ વેદપ્રતાપ વળી કઈ વાડીનો મૂળો.

વેદપ્રતાપની વાત શું છે?

એક કોંગી નેતા સાથે એક મંડળી પાકિસ્તાન ગઈ. તેમાં વેદ પ્રતાપજી પણ હતા. વેદપ્રતાપજી, કોંગી નેતાની મંજૂરીથી ત્યાં વધુ રોકાયા. તેમણે, એક આતંકવાદી જુથના નેતા સાથે મુલાકાત કરી અને સંવાદ કર્યો.

આમ તો રવિશંકર મહારાજ, જયપ્રકાશ નારાયણ જેવા ઘણા મહાનુભાવો થઈ ગયા જેમણે ડાકુઓની મુલાકાત લીધેલી અને સંવાદ કરેલા. પણ એ બધું આ દંભી લોકો જાણી જોઇને ભૂલી જાય છે.

આ દંભી બીનસાંપ્રદાયિકોનું કહેવું છે કે આ વેદપ્રતાપ કંઈ એવા કોઈ સંત નથી. વેદપ્રતાપ એવી લાયકાત પર ધરાવતા નથી કે એમણે એવું માનવું પણ ન જોઇએ કે તેમનામાં તેવા ગુણો છે કે તેઓ આ આતંકવાદીનેતાનું હૃદય પરિવર્તન કરી શકે.
એટલું જ નહીં વેદપ્રતાપ પોતે પણ કહે છે કે તેઓ આતંકવાદી નેતાને તેનું હૃદય પરિવર્તન કરવા માટે મળવા ગયા ન હતા.

હવે જો આમ જ હોય તો તેઓ શા માટે આ આતંકવાદીનેતાને મળવા ગયા હતા?
શું તેમને નરેન્દ્ર મોદીએ મોકલ્યા હતા?
તેઓ શું ભારત સરકારના દૂત હતા?
શું તેમને એવા અધિકાર હતા કે તેઓ આતંકવાદી નેતા સાથે વાટાઘાટો કરી કરી શકે?
એક એવી વ્યક્તિ કે જેની ઉપર ઈનામ રાખવામાં અવ્યું છે, તેની સાથેની આ મુલાકાત ખાનગી કેમ રાખી?
શું તેઓ એક પત્રકાર તરીકે ગયા હતા?
જો આમ હોય તો તેમણે તેનો અહેવાલ કેમ લખ્યો નથી અને આ અહેવાલ જો લખ્યો હોય તો કોને આપ્યો અને કયા સમાચાર પત્ર કે ટીવી ચેનલને આપ્યો.

આપણી એક ખ્યાતનામ ટીવી ચેનલના એક વરિષ્ઠ અને ખ્યાતનામ એંકરભાઈએ આવા અને આથી પણ બેહુદા સવાલો વેદપ્રતાપને પૂછ્યા. આ એંકરભાઈ (અર્ણવભાઈ), પોતાને બહુ હોંશિયાર માને છે તેઓશ્રી ખબરપત્રી અને પત્રકાર વચ્ચેનો ભેદ પણ સમજતા ન હતા. આ બાબતે તેઓ સકંજામાં આવી ગયેલ પણ વેદપ્રતાપના ટિકાકાર આમંતત્રિતોની બહુમતિમાં તેમનું પત્રકારિત્વનું પાયાનું અજ્ઞાન છૂપાવી દેવામાં આવ્યું.

ટીવી ચેનલ ઉપર ચર્ચા માટે આમંત્રિત દંભી બીનસાંપ્રદાયિકો જેમાં નહેરુવીયન કોંગ્રેસીઓ અચૂક હોય જ તેમણે પણ વેદપ્રતાપ ઉપર પસ્તાળ પાડવાની કોશિસ કરી.
આમાંના કોઈએ પણ વેદ પ્રતાપે વાસ્તવમાં અક્ષરસહ આતંકવાદી સાથે શું વાત કરી અને કયા સંદર્ભમાં વાત કરી, તેની જણકારીમાં રસ લીધો ન હતો. કદાચ તેમને એ અવગણવું જ વધુ પસંદ હતું.

ભારતીય જનતા પક્ષના નેતાઓ જેઓ ચર્ચા માટે આવેલ તેમને તો કશી માહિતિ પણ હોય તેવું લાગ્યું નહીં. તેથી તેઓ બચાવ પક્ષમાં આવી ગયા. શિવસેનાવાળા આમેય ચક્રમ છે અને તેઓ વધુ એકવાર ચક્રમ સાબિત થયા. અને આજની તારિખ સુધી ચક્ર્મ સાબિત થતા રહ્યા છે. મુદ્દાની સમજને બદલે મુદ્દાવગરની અને તર્ક વગરની ટીકા કરવામાં અને તારવણીઓ પ્રદર્શિત કરવામાં આપણા સમાચાર માધ્યમો અને દંભી બીનસાંપ્રદાયિકોને વધુ રસ હોય છે.

નહેરુએ એક બિનજોડાણ વાળા દેશોનું સંગઠન બનાવેલ. વળી તેમણે ચીન આથે પંચશીલનો કરાર પણ કરેલ.

તેવી જ રીતે ઈન્દીરા ગાંધીએ સાર્ક (સાઉથ એશિયા એસોસીએશન ઓફ રીજીઓનલ કો ઓપરેશ) સ્થાપેલું. આજ ઈન્દીરા ગાંધીએ રશિયા સાથે આંતરિક અને બાહ્ય સમસ્યાઓ માટે સલાહ સહકાર અને મસલતો માટે પણ એક કરાર કરેલ.

જેમ ચીન સાથેના કરારનો ફજેતો થયેલ તેમ રશીયા સાથેના કરારથી ભારત અને રશિયા વચ્ચે શી પરદર્શિતા થઈ તે ભગવાનને પણ ખબર નથી.

આ બધા નહેરુવીયન કરારો અને સંગઠનો આમ તો વર્તમાન પત્રોમાં વાહવાહ કરાવવા માટે હોય છે. વાસ્તવમાં શોભાના ગાંઠીયા જેવા પણ ન હોતા નથી. ફાયદો તો એ હોય છે કે નેતાઓ, પત્રકારો અને સરકારી અફસરો જનતાના પૈસે વિદેશની લટારો મારી શકે છે.

હવે નરેન્દ્ર મોદી આવ્યા છે.

નરેન્દ્ર મોદી કંઈક આવતી કાલનું કે પરમ દિવસનું જ નહીં પણ તેના પછીના દિવસોનું પણ વિચારે છે. આથી કેટલાક નરેન્દ્ર મોદીના પ્રશંસક બન્યા હોય અને તેમને કંઈક વધુ પાનો ચડી ગયો હોય તો તે વાતને નકારી ન શકાય.

વેદપ્રકાશજી આમાંના એક હોઈ શકે?

હાજી. તેઓશ્રી આમાંના એક હોઈ શકે, તે વાત નકારી ન શકાય. જોકે વેદપ્રકાશે જે કર્યું તેમાં કશું ખોટું નથી. જો તમારે તમારા દુશ્મનનું કે દોસ્તનું મન કે તેની વાત સમજવી હોય તો એક સમાન કંપન (ફ્રીક્વન્સી = વિચાર) પર આવવું પડે. સામેની વ્યક્તિના અસંતોષ કે અન્યાય કે સમસ્યા ને સમજવાની કોશિસ કરવી હોય તો તેની સાથે સહાનુભૂતિ રાખવી પડે કે તેવો ડોળ તો કરવો જ પડે. વેદપ્રકાશે થોડે ઘણે અંશે આ કામ તો કર્યું જ છે.

ધારો કે મુસ્લિમ નેતાઓ અને તેમાં પણ જેઓ ધર્માંધ છે અને આતંકી વિચારધારા રાખે છે તેઓ એમ કહે કે અમે વાસ્તવમાં તો સર્વધર્મ સમભાવમાં જ માનીએ છીએ, તો આવા અને બીજા મુસ્લિમો સહિતની મુસ્લિમ જનતા અને શાસકો સાથે ભારતને પાયાનો ભેદ શો છે?

જો મુસ્લિમો, તેઓ જે ભૂમિના અન્નજળ થી મોટા થયા છે તે ભૂમિને પોતાની માતૃભૂમિ માનતા હોય અને બીજાઓને તેમની ધાર્મિક, સામાજીક અને આર્થિક સહકાર આપવામાં સંમતિ દર્શાવતા હોય તો ભારતને તેમની સાથે બીજો કયો અને કેવો ભેદ હોઈ શકે?

સાર્કના બધાજ દેશોની સમસ્યાઓ સમાન છે.

આ સમસ્યાઓમાં, મૂખ્ય સમસ્યા ધર્મને નામે કરવામાં આવતા અત્યાચારો અને દુરાચારોની છે.

ભારત અને પાકિસ્તાન આઆ બે દેશો વચ્ચે આ સમસ્યા હોવાનું કારણ, અવિશ્વાસ છે. આ અવિશ્વાસનું કારણ એકબીજા સાથે થયેલા પ્રત્યક્ષ યુદ્ધો અને તે પછી સીમાપારના દેશોના મૂક સહકારથી ચાલુ થયેલા અપ્રત્યક્ષ યુદ્ધો છે. અપ્રત્યક્ષ યુદ્ધો સુરક્ષાની વહીવટીક્ષમતાથી અને ત્વરિત ન્યાય પ્રણાલીથી નાથી શકાય છે. પણ જનતામાં રહેલા અસંતોષના પાયામાં તો આર્થિક પરિસ્થિતિ જ હોય છે. શાસકો તેનો લાભ મતબેંકોનું રાજકારણ રમી તેને ફુલેફલાવે છે.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાણવાલેને સંત ઘોષિત કરી રાજકીય લાભ લીધેલો અને દેશને સ્વદેશી ખાલીસ્તાની આતંકવાદની ગર્તામાં ધકેલી દીધેલ. આ સ્વદેશી આતંકવાદે સીમાપારના સહકારથી સીમાપારના આતંકવાદને આપણા દેશમાં ભૌગોલિક રીતે જાળ બીછાવવામાં મદદ કરેલ. ભારતને આજે પણ આ આતંકવાદનો ભય રાખવો પડે છે.

૧૯૯૦માં કત્લેઆમનો ભોગ બનેલા ભારતીય ૫ લાખ કાશ્મિરી હિન્દુઓ, આજે પણ તેમના ઘરમાં જઈ શકતા નથી અને કાશ્મિરની બહાર તંબુઓમાં યાતનાભરી જીંદગી જીવી રહ્યા છે. આ જ કાશ્મિરના રાજકર્તાઓ સુરક્ષા સૈનિકો ઓછા કરવા માટે ભારત સરકાર ઉપર દબાણ કરી રહ્યા છે. આવા પડોશી અને દેશી મુસ્લિમનેતાઓ ઉપર ભારત કેવી રીતે વિશ્વાસ રાખી શકે?

હિન્દુ રાજાઓ

ઈશુની પહેલી સદી સુધી, હિન્દુ રાજાઓ પશ્ચિમમાં ઈરાન અને પૂર્વમાં કંબોડીયા વીયેટનામ સુધી, દક્ષિણમાં ઈન્ડોનેશિયા સુધી અને ઉત્તરમાં તિબેટ સુધી રાજ કરતા હતા. ભારતને ચીન અને ઈજીપ્ત સાથે વ્યાપારી સંબંધો હતા. આ દક્ષિણ એશિયા, પુરાણોમાં જંબુદ્વિપ તરીકે ઓળખાયો છે. ઈશુની ચોથી સદી સુધી અરબસ્તાનમાં હિન્દુ રાજાઓ રાજ કરતા હતા. ભારતવર્ષ એક દેશ તરીકે હજારો વર્ષથી ઓળખાય છે. આ ભારતવર્ષ એ બી સી ત્રીકોણ માં સમાયેલો છે જેમાં (એ) અફઘાનીસ્થાન કાશ્મિર તિબેટ, (બી) બ્રહ્મદેશ અને સીલોન (શ્રીલંકા) ને જોડતી રેખાઓથી બનેલો છે.

સુરક્ષા વ્યવસ્થા

જો અમેરિકા પોતાની સઘન સુરક્ષા વ્યવસ્થા બનાવીને આતંકી આક્રમણને ખાળી શકવામાં સફળ થઈ શકતું હોય તો નરેન્દ્ર મોદીની સરકાર પણ દેશને આતંકી હુમલાઓથી સુરક્ષિત કરી શકે છે. આ દક્ષતા તેણે ગુજરાતમાં સિદ્ધ કરી બતાવી છે. આ પછી, દેશ સામે જે પ્રશ્ન રહે છે તે ભણતર, બેકારી અને સુવ્યવસ્થાનો જ રહે છે. આ પ્રશ્નો તો તમારી દક્ષતા અને નિયત ઉપર જ અવલંબે છે. પ્રાકૃતિક અને માનવીય સંપદાથી ભરપૂર ભારત દેશમાં આ પ્રશ્ન હોઈ જ ન શકે.

બે દેશો વચ્ચેની રેખા એ એક અપ્રાકૃતિક રેખા છે. સાંસ્કૃતિક રીતે બે દેશોને કોઈ રેખા વિભાજીત કરે તેવું કશું રહ્યું નથી. જે થોડી ઘણી વાતો થાય છે તે જનતાની સમાસ્યાઓને સુલઝાવવાની નિસ્ફળતાને છૂપાવવા માટે થાય છે. જે પ્રણાલીઓ છે તે ભૌગોલિક સ્થિતિને કારણે અને વિરાસતમાં મળી હોવાને કારણે જીંદગી સાથે વણાઈ ગયેલી હોય છે. તે કદી માણસને જુદા કરતી નથી પણ આનંદમાં સહભાગી બનાવે છે. પતંગોત્સવ, નવરાત્રી, હોળી, નવુંવર્ષ, જેવા અનેક તહેવારો સહુ સાથે મળીને ઉજવે છે.

જો દરેકને પોતપોતાની રીતે ઈશ્વરની ઉપાસના કરવાની છૂટ્ટી કબૂલ રાખવામાં આવી હોય તો વિખવાદની કોઈ શક્યતા રહેતી નથી.

ધારો કે નરેન્દ્ર મોદીએ ભારતમાં બધા ક્ષેત્રોમાં વિકાસ કર્યો તો શું સમસ્યાઓમાં પૂર્ણ વિરામ આવી જશે?

નાજી.

તમે સુખી હો અને તમારો પડોશી દેશ દુખી હોય તે અમાનવીય અને અપ્રાકૃતિક છે. જો કોઈ દેશ આ વાત ને સ્વિકારશે નહીં તો તેના ઉપર આપત્તિ જરુર આવવાની છે. આ આપત્તિ ક્યારે આવશે, એ ફક્ત સમયનો જ સવાલ છે. પ્રકૃતિ બંનેને પાયમાલ કરશે.

જંબુ દ્વિપ

સમગ્ર જંબુદ્વિપ હજારો વર્ષ સુધી હળી મળીને રહ્યો છે. રાજાઓના રાજ્યની સીમા રેખાઓ આઘીપાછી થાય છે. દશરથને કૈકેયની પૂત્રી સાથે પરણવામાં વાંધો આવ્યો ન હતો. અશોકને સંઘમિત્રાને શ્રીલંકા મોકલવામાં વાંધો આવ્યો ન હતો. જનતાને તમે થોડો સમય એક બીજાથી અળગી કરી શકો પણ કાયમ માટે આ શક્ય નથી.
જ્ઞાન અને વિદ્યામાં થયેલા વિકાસને કારણે પૃથ્વિ નાની થતી જાય છે અને ટૂંક સમયમાં તે એક ગામડું થઈ જશે ત્યારે શાસકો પોતાની જનતાને બીજા દેશની જનતાથી અળગા રાખી શકશે નહીં.

પડોશી દેશોની જનતા વચ્ચે વિચાર અને આચારના સુમેળનો પ્રારંભ અત્યારથી જ થવો જોઇએ.

આમાં આતંર્ રાષ્ટ્રીય કક્ષાએ જંબુદ્વિપના દેશો પોતાનો સંઘ બનાવે તે પાશેરામાં પહેલી પૂણી છે.

આ બાબતનો દસ્તાવેજ ઘણી વિગતો માગી લે છે અને દરેક ભાષીઓના હિતોની સુરક્ષા માટે અને સમગ્ર દેશ અને સંઘની સુરક્ષા માટે ઘણી જોગવાઈઓ કરવી પડે. આ એક જટીલ કામ છે પણ તે અશક્ય નથી. જટીલ અને અઘરું હોવાના તેને છોડી દેવામાં આવશે તો પૃથ્વિ સુરક્ષિત રહેશે નહીં.

સરકારી વહીવટને અસરકારક બનાવવા માટે અને સુગમ કરવા માટે ભાષાવાર પ્રાંત રચના પૂરતી નથી. પણ રાજ્યોને થોડી વધુ સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપવી પડશે.

આ સ્વાયત્તતા, સ્વચ્છંદતા અને મનમાનીમાં પરિવર્તિત ન થાય (જેમ કાશ્મિરમાં સરકાર, હિન્દુઓના હિતની સુરક્ષા કરતી નથી, અને હિન્દુઓની સુરક્ષા તરફ સતત દુર્લક્ષ્ય સેવતી આવી છે) તે સામે સબળ કેન્દ્ર સરકાર પણ જોઇશે. નહેરુવીયન કોંગ્રેસની અને તેમના મળતીયા પક્ષોની સરકારોએ જનતામાં વિખવાદને પ્રોત્સાહન આપીને જનતાને તોડવાનું કામ કર્યું છે અને પ્રદેશો વચ્ચે ભેદભાવ રાખીને કામ કર્યું છે. ગુજરાત અને કેન્દ્રના થોડા અપવાદિત સરકારોના સમયને (૧૯૭૭-૮૯ અને ૧૯૯૯-૨૦૦૪) બાદ કરતા, ગુજરાત પ્રત્યે અન્યાય કરવામાં આવ્યો છે. આવી સ્વકેન્દ્રી અને સ્વપક્ષકેન્દ્રી કેન્દ્ર સરકારો દેશને પાયમાલ કરે છે આનો દેશને અનુભવ થઈ ચૂક્યો છે.

વેદપ્રતાપે જે સંઘ અને રાજ્યોની સ્વતંત્રતાની વાત કરી છે તે આ પરિપ્રેક્ષ્યમાં કરી છે. સમાચારોનો વેપાર કરનારા સમાચાર માધ્યમોને અને સ્વકેન્દ્રી શાસકોને આ વાત પસંદ ન પડે તે જનતાએ સમજી જવું જોઇએ.

ભારતવર્ષની બહુમતિ અત્યાર સુધી સહન કરતી જ આવી છે.

અફઘાનિસ્તાન ઉપર આતંકવાદી અને કટ્ટર પંથીઓનું મજબુત પરિબળ, હળી મળીને રહેવા તૈયાર થાય તેવી શક્યતા કેટલી?

પાકિસ્તાનમાંથી હિન્દુઓને ૧૯૪૭-૪૮માં બહુમોટી સંખ્યામાં ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?

૧૯૫૦ પછીના સમયમાં બ્રહ્મદેશમાંથી ભારતીયોએ ખએડી મુકવામાં આવ્યા તેનું શું?

સિલોનમાં ભારતીય અને સિંહાલી લોકો વચ્ચે વૈમનસ્ય છે અને તેણે ભારતના એક વડાપ્રધાનનો ભોગ લીધો છે, તેનું શું?

ખુદ ભારતની અંદરના કાશ્મિરમાં થી હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવેલી અને બધા જ ૫ થી ૭ લાખ હિન્દુઓને ત્યાંના મુસ્લિમ શાસકો દ્વારા ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?

પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વિદેશી મુસ્લિમો ભારતની જમીન ખરીદી રહ્યા છે અને નહેરુવીયન કોંગ્રેસી શાસકો તે ઘુસણખોરોને આર્થિક મદદ અને ભારતીય નાગરિકતા આપી રહ્યા છે તેનું શું?

ભારતના અનેક રાજ્યોમાં મુસ્લિમ બહુમતિવાળા પ્રદેશો છે જ્યાં તેઓ હિનુઓ ઉપર ભેદભાવની નીતિ અપનાવી રહ્યા છે, તેનું શું?

કેરાલામાં એક પ્રદેશમાં મુસ્લિમોની બહુમતિ હોવાને કારણે અને તેમના દબાણને કારણે તેને અલગ જીલ્લો આપવામાં આવેલ છે. આવી માગણીઓ ઠેર ઠેરથી ઉભરી રહી છે. તેનું શું?

જો ભારતના મુસ્લિમો જ અલગતા વાદી હોય તો આવા સંજોગોમાં જંબુદ્વિપના સંગઠનની વાત કેવી રીતે કરી શકાય?

આ બધું નહેરુ અને નહેરુવીયન કોંગ્રેસની મુસ્લિમ-તુષ્ટિ કરણની નીતિઓને કારણે થઈ રહ્યું છે.

કાયદાઓ તો ઘડાયા, પણ કાયદાનું રાજ ક્યાં છે? કાયદાનું રાજ લાવો

સૌ પ્રથમ ભારતને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથીઓથી મુક્ત કરવું પડશે.
આ કામ અઘરું નથી. નહેરુવીયન કોંગ્રેસે દેશને કાયદાના શાસનથી વિમુખ કરીને પાયમાલ કરેલો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મળતીયા નેતાઓ ભ્રષ્ટ છે અને તેઓ એક ય બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે, કાયદાના શાસન દ્વારા તેમની ઉપર કામ ચલાવો. તેઓની ધરપકડ કરી કોઈપણ સમયે તેમને જેલ ભેગા કરી શકાય તેમ છે.

કાશ્મિરની સ્થાનિક સરકારને પદચ્યુત કરો અને બધાજ નેતાઓને જેલ ભેગા કરો. કરણ કે તેઓએ હિન્દુઓ પ્રતિ માનવીય વર્તન કર્યું નથી.

શાહ કમિશનના અહેવાલને પુનર્જીવિત કરો અને નહેરુવીયન કોંગ્રેસીઓને વીણી વીણીને જેલ ભેગા કરો. જો ઈન્દીરા ગાંધી, વિરોધીસુરને ડામવા માટે “મીસા” અને “કટોકટી” લાવી શકે છે તો હાલની કેન્દ્ર સરકાર પણ દેશની જનતાને વિભાજીત કરનારા ગદ્દારોને સજા કરવા કાયદાઓને કડક બનાવી શકે છે. આ દેશ દ્રોહીઓ કોઈ પણ જાતની દયા માયાને પાત્ર નથી.

આ બધું કરવા માટે દેશની જનતાની સમસ્યાઓ ઉકેલવી પડશે. જનતાની સમસ્યાઓ મુખ્યત્વે કાયદાના રાજ ઉપર આધારિત છે. તેમને રોજગાર, શિક્ષણ, સારા આવાસ મળશે અને ગુનેગારો જેલભેગા થશે તો ૯૯ ટકા જનતા નરેન્દ્ર મોદીને સહકાર આપશે.

જો ભારતની શાસન વ્યવસ્થા સુધરશે તો પડોશી દેશો ઉપર પણ તેની અસર પડશે. વિઘાતક તત્વો આપોઆપ ઉગતા બંધ થઈ જશે.

આ બધા માટે નરેન્દ્ર મોદીએ ચાણક્ય નીતિ અપનાવવી પડશે.

દયા માયાની નીતિ ચાલશે નહીં.

ગેરકાયદેસર બાંધકામો, જનતાની જમીન ઉપરના દબાણો, સીમાપારથી અને સીમાની અંદર ચાલતા જમીન માફિયાના અને દાઉદના અસામાજીક નેટવર્કને નાબુદ કરવામાં નહીં આવે ત્યાંસુધી જનતાને સરકાર ઉપર વિશ્વાસ બેસશે નહીં.
મોદી સરકારે પોતાની પ્રાથમિકતાઓ સમજવી પડશે.

જો અત્યાર સુધીની ટેલીવીઝનની સીરીયલોમાંથી કોઈ શ્રેણીને શ્રેષ્ઠ ટીવી શ્રેણી કહેવી હોય તો તે “ચાણક્ય”ની શ્રેણીને શ્રેષ્ઠ કહી શકાય. આ શ્રેણીમાં દરેક રાજકીય સમસ્યાઓના સમાધાન અભિપ્રેત છે. આ શ્રેણી કોંગી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી હતી. પણ યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ છે. આ શ્રેણી જરુર જુઓ.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વેદપ્રતાપ, મુસ્લિમ, હિન્દુ, લઘુમતિ, સાર્ક, સંઘ, નહેરુવીયન, વંશ, કાશ્મિર, પૂર્વોત્તર, ભારત, જમ્બુદ્વિપ, ઈન્દીરા, નહેરુ, મોગલ, ૧૮૫૭, બહાદુરશાહ જફર, મરાઠા, રાજપૂત, સુવર્ણયુગ, ઈરાન, અરબસ્તાન, બિનસાંપ્રદાયિકતા, દંભી, આતંકવાદી

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૧

શનિવાર તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મહેદીનવાબજંગ હોલમાં એક સભામાં જવાનું થયું. આમાં વક્તાઓ પૂર્વનિશ્ચિત હતા. તેઓ સઘળા નરેન્દ્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના વિરોધી હતા. તેથી તેમને માટે નરેન્દ્ર મોદીની અમુક ચૂંટી કાઢેલી બાબતોની ટીકા કરવી સ્વાભાવિક હતી. સભાના પ્રમુખશ્રી (પ્રકાશભાઈ શાહ) હતા. સ્ટેજની પાસે ત્રણ બોર્ડ હતા જેમાં જે મુદ્દાઓ અને માગણીઓ હતી તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. મુદ્દાઓ કે માગણીઓની સંખ્યા ૨૭ જેટલી હતી. અને એક એવો ઠરાવ હતો કે ગુજરાતમાં પ્રવર્તતા ભય અને ગુજરાતની પ્રગતિના ભ્રમમાંથી ગુજરાતની અને ભારતની જનતાને મુક્ત કરવામાં આવે. માટે દેશવ્યાપી જાગૃતિ ફેલાવવામાં આવે.

વાત સ્વિકારી લેવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી આપખુદ છે, નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી, નરેન્દ્ર મોદી કોમવાદી છે, નરેન્દ્ર મોદી જુઠાણાનો પ્રચાર કરે છે. નરેન્દ્ર મોદીએ લોકશાહીને ભયમાં મુકી છે. એટલે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો ભારતના સમવાય તંત્ર અને ધર્મનિરપેક્ષતાનો નાશ થશે. માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા પડશે. નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વિરુદ્ધ વ્યવસ્થિત પ્રચાર કરવો પડશે. આ માટે સીવીલ સોસાઈટીઓએ આગળ આવી લોકોના જુથોને સંગઠિત કરવા જોઇશે. નરેન્દ્ર મોદી ગુજરાતના છે તેથી ગુજરાતમાંથી જનતાએ બીજા રાજ્યોમાં જઈ નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વાતોનો પ્રચાર કરી લોકોને સાચી(?) વાતો જણાવવી જેથી બીજા રાજ્યોમાં મોદીનો પ્રભાવ પડી શકે.

ક્યારે દલીલ અને તર્ક ની જરુર પડે

અને ક્યારે જરુર પડે?

આપણે સમાજશાસ્ત્ર પુરતી આપણી વાત મર્યાદિત રાખીશું. સમાજની સુખાકારી માટે અવનવા માર્ગોને વાદો તરીકે  માનવામાં આવે છે. ગઈ સદીના પ્રારંભમાં વાદો તેની પરાકાષ્ટાએ હતા. અમુક લોકો સામ્યવાદી રસ્તે સમાજની ઉન્નતિ અને કે સુખાકારી આવી શકે છે એમ માને છેબીજા અમુક લોકો મુડીવાદી રસ્તે ઉન્નતિ અને સુખાકારી આવી શકે છે તેમ માને છે. બંને વાદો આમ તો ભ્રામક છે. પણ બહુ લાબીં ચર્ચા છે.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન” ના વક્તાઓની દૃષ્ટિ પ્રમાણે મોદીશૈલી, મોદી મોડેલ અને મોદીની આરએસએસ ની કડીને કારણે, મોદી ધાર્મિક રીતે અસહિષ્ણુ પણ છે.  આપણે આપણી વાત નરેન્દ્ર મોદીની આ છબી પુરતી મર્યાદિત રાખીશું.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાગણ શું વિચારે છે?

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાઓના વક્તાઓના કહેવા પ્રમાણે;

મોદી એટલે એક સરમુખત્યાર, ગોબ્બેલ અને હિટલર ત્રણેના મિશ્રણ થી પણ ચડે એવો છે.

नरेन्द्र मोदी तो मुसोलीनी, गोबेल्स और हिटलरका मिश्रण है

સરમુખત્યાર એટલે શું?

સરમુખત્યાર એ હોય છે જે લોકશાહીમાં માનતો હોય અને વિરોધીઓને બોલવા દેતો હોય, અગર કોઈ બોલે તો તેને ગુમ કરાવી દેતો હોય, અથવા  ખોટા આરોપો લગાવી તેને યથેચ્છ જેલમાં પૂરી દેતો હોય.

હવે જુઓ તેની સામે ની દલીલો

મોદી તો ચૂંટાઈને આવે છે. કેન્દ્રમાં મોદીની વિરોધીની સરકાર હોય તો પણ મોદી લોકશાહી ઢબે ચૂંટાઈને આવે છે. એકવાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટાઈને આવે છે. પક્ષની અંદર અને પક્ષની બહાર, સમાચાર માધ્યમો ના સતત કલુષિત, વિકૃત અને વિરોધી પ્રચાર છતાં નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવે છે. હવે જો પ્રક્રિયામાંથી પસાર થઈને આવનાર નરેન્દ્ર મોદીને તમે સરમુખત્યાર કહો તો તેનો અર્થ થયો કે તમે અત્યાર સુધી ચાલતી આવતી લોકશાહી પ્રક્રિયાને માનતા નથી. એટલે કે તમે પોતે ખુદ લોકશાહીમાં માનતા નથી, અને તમને નરેન્દ્ર મોદીને બદલે કોઈ બીજાને કે જે વિકલ્પની તમને પણ ખબર નથી તેને  શાસક તરીકે તમારી મુનસફ્ફી મુજબ લોકો ઉપર ઠોકી બેસાડાવામાં માનો છો. કારણ કે તમે વાતની નોંધ જ લેતા નથી કે ચૂંટણી એક સંવિધાનિક પ્રક્રીયા છે, તમે સંવિધાનની પ્રક્રીયાને આદર આપતા નથી. હવે એવું પણ નથી કે વિરોધીઓને પ્રચાર અને પ્રસારની છૂટ નથી. વાસ્તવમાં ૨૦૦૨થી હાલ સુધી મોદીને ગાલીપ્રદાન કરવું અને તેના ઉપર ખોટા આરોપો મુકવા તો ફેશન છે. વાસ્તવમાં તો મોદીને બદનામ કરવામાં મોદીના વિરોધીઓએ કશું બાકી રાખ્યું નથી. છતાં જનતા મોદીને ચૂંટે છે, એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટે છે. અને જનતાના દબાણને વશ થઈ તેના પક્ષમાં તમે જ ફેલાવેલા આંતર વિરોધની અફવાઓ હોવા છતાં પણ પક્ષને મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરવા પડે છે. આમાં મોદીની સરમુખત્યારી ક્યાં આવી? એટલે તમારો સરમુખત્યારની શબ્દનો ઉપયોગ,  શબ્દકોષને બંધબેસતો નથી. જયપ્રકાશ નારાયણે કહેલું કે ઈન્દીરાના (સરમુખત્યારના) શબ્દોના અર્થ “હમ્ટી ડપ્ટી જેવા છે.

નરેન્દ્ર મોદીનો પ્રચાર ગોબેલ્સના પ્રચાર જેવો છેઃ

હવે તમે સમજી લો. ગોબેલ્સ નો પ્રચાર હતો તે હિટલરના રાજમાં હતો. તે યુદ્ધ વખતે હતો. તે પ્રચાર એક નિયત અને નાના સમય પૂરતો જ હતો. મુક્ત પ્રચારની તેના સમયમાં બંધી હતી. ગોબેલ્સ પ્રકારનો પ્રચાર ફક્ત સરમુખત્યારીમાં જ સંભવી શકે છે. નરેન્દ્ર મોદીના ચાલુ સમય કે ભૂતકાળના સમયને સરમુખત્યારી જેવો કોઈ રેકોર્ડ નથી.

ભારતીય જનતાએ અને તમે પણ, નહેરુવીયન કોંગ્રેસની ઈન્દીરાઈ સરમુખત્યારી અને તેણીની અને તેણીના પક્ષને લગતા પ્રત્યક્ષ, શંકાસ્પદ અને પરોક્ષ  વિરોધી  સમાચાર ઉપરની મનાઈ જોયેલી જ છે. તમારામાંના કેટલાક તેનો ભોગ પણ બનેલા છે. ઈન્દીરાગાંધીએ કટોકટી ચાલુ રાકઃઈને અને સેન્સરશીપ ચાલુરાખીને ચૂંટણીઓ કરાવેલી. ભારતની જનતાએ કટોકટીના સમયમાં જ ચૂંટણી  થયેલી તે છતાં પણ  અને સેન્સરશીપ હોવા છતાં પણ આ જ ઈન્દીરા ગાંધીને તેને હરાવેલી. એટલે તમારે ગુજરાતી જનતાને નપુંષક માનવાની જરુર નથી. વળી અત્યારે કટોકટી કે સેન્સરશીપ તો નથી જ નથી જ. કટોકટી અને ગોબેલ્સ પ્રકારનો પ્રચાર એટલે શું તે તમે સુપેરે જાણો છો જ. તમારે શબ્દો ઉપર બળાત્કાર કરવાની જરુર નથી.सही शब्दोंका प्रयोग करें”.

૧૯૮૦ની ચૂંટણી વખતે તમે કેમ ચૂપ રહ્યા?

ઈન્દીરાઈ સંસ્કારને ભૂલી જાઓ તેટલા બાલીશ તો તમે નથી જ. ઈન્દીરા ગાંધીની ૧૯૭૧ની ખુદની ચૂંટણીને ન્યાયાલયમાં પડકારવામાં આવેલી. તેમાં ન્યાયાલયે નોંધ લીધેલી કે ઈન્દીરા ગાંધી ૧૪ વખત ન્યાયાલય સમક્ષ (જે શપથ પૂર્વક બોલવામાં આવે છે કે “હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ અને સત્ય સિવાય કશું કહીશ નહીં) ખોટું બોલેલાં. ન્યાયાલયે તેણીની ચૂંટણી ગેરરીતીઓને કારણે રદ કરેલી. ઈન્દીરા ગાંધીને ન્યાયાલયે છ વર્ષમાટે ગેરલાયક ગણેલાં.  આ હતો  ઈન્દીરા ગાંધીનો કટોકટીની પહેલાંનો, કટોકટી અંતર્ગતનો અને તે પછીનો, સરમુખત્યારશાહીનો અને તેને સંલગ્ન સેન્સર શીપનો ટ્રેક રેકોર્ડ.

આ ઈન્દીરા ગાંધીએ, પોતાને ગાંધીવાદી માનતા એવા ચરણસિંઘને ફોડીને ગાંધીવાદી મોરારજી દેસાઈની, સુપેરે કામ કરતી સરકારને, ઉથલાવેલી. અને ૧૯૮૦માં ચૂંટણી જાહેર થયેલી. ઈન્દીરા ગાંધીનો ટ્રેક રેકોર્ડ આટલો શર્મનાક અને આતંકિત હોવા છતાં પણ તમે ૧૯૮૦ની ચૂંટણી વખતે ચૂપ રહેલા. શા માટે? નહેરુવીયન વંશની જે વ્યક્તિનો ટ્રેકરેકોર્ડ બિનલોકશાહી યુક્ત, માનવીય અધિકારોથી વિમુખ, એટલું જ નહીં કુદરતી અધિકારોથી પણ વિમુખ અને આપખુદી અને સરમુખત્યારીથી ભરપૂર હતો તેવી ઈન્દીરા સામે કે ઈન્દીરાઈ કોંગ્રેસ ની સામે તમે લોકો ૧૯૮૦ની ચૂંટણીમાં પડેલ નહીં. જનતા નથી માનતી કે તે વખતે તમે લોકો બાબાગાડી ચલાવતા હતા. અને તમારામાંના કોઈપણ ધારોકે તે સમયે બાબાગાડી ચલાવતા હોય તો પણ તમારા સૌમાં ઈતિહાસનું જ્ઞાન હોવું જરુરી છે કારણકે તમે અત્યારે બાબાગાડીના સહારે ચાલતા નથી.

નરેન્દ્ર મોદી હિટલર છેઃ

આમ તો જો કે એક ભાઈએ એમ કહેલ કે નરેન્દ્ર મોદી હિટલર થી પણ વિશેષ છે. કારણ કે તે સરમુખત્યાર, ગોબેલ્સ અને હિટલર ત્રણેનું મિશ્રણ છે.  ચાલો જવા દો. આપણે પહેલી બે ઉપમાઓ વિષે તો જોયું કે તે કેવી છે. હિટલરે તેના વિરોધીઓ પાસે ચૂંટણી કરાવેલી? હિટલરે કેટલીવાર ચૂંટણીઓ કરાવેલી અને કેવી રીતે? હિટલર કોણ હતો? અને હિટલરની રાજકીય પાર્શ્વ ભૂમિ શું હતી?

હિટલરની સામેના ગુનાઓ સાબિત થયેલા. તેને જેલ પણ જવું પડેલું. હિટલર  ૧૯૧૯માં જર્મનીની વર્કર્સ પાર્ટી માં દાખલ થયેલો અને બે વર્ષમાં જ લીડર તરીકે જાણીતો થયેલ. તેને તે પહેલાં પોતે કરેલા કાવતરા બદલ જેલમાં જવું પડેલ. જર્મન સમાજવાદી વર્કર્સ પાર્ટીનો તે ૧૯૩૩માં ચાન્સેલર થયો અને તેણે ડીક્ટેટરશીપ વાળી પાર્ટી બનાવેલી.

હવે આ વાત નરેન્દ્ર મોદી સાથે જરાપણ બંધ બેસતી નથી. નરેન્દ્ર મોદી ના બાળપણની વાતો જવા દઈએ અને ભણ્યા પછી તેના હિમાલય પ્રયાણની વાત જવા દઈએ અને તે પછી એક સામાન્ય કાર્યકર થયાની વાત પણ જવા દઈએ તો ૧૯૭૫થી કટોકટીના સમયથી તેની રાજકીય લડત શરુ થઈ કહેવાય. નરેન્દ્ર મોદીએ એક સામાન્ય વર્કર તરીકે કામ કર્યું છે. તેણે ઓછામાં ઓછું બે દશકા સુધી કોઈ રાજકીય હોદ્દો ભોગવ્યો નથી. તે બાદ તેની કાર્ય કુશળતાને કારણે તેને પક્ષમાં પ્રવક્તા અને પ્રભારી તરીકે રાખેલ. તેણે કદી જનપ્રતિનિધિ બનવા માટે માગણી મુકી નથી, કે તેને કદી રાજસભાનો સભ્ય કે કોઈ કોર્પોરેશનનો પ્રમુખ બનાવાયો નથી. તેણે આવી કોઈ માગણી મુકી હોય કે તેણે કોઈ દાવ ખેલ્યો હોય એવી કોઈ અફવાઓ પણ જે તે સમયે સમાચાર માધ્યમો દ્વારા ફેલાયેલી હોય તેવું પણ જાણવા મળ્યું નથી. કેશુભાઈને હટાવવામાં કે બીજા કોઈને હટાવવામાં કે પોતાને પ્રધાન કરવામાં તેણે કોઈ દોરી સંચાર કે લોબીયીંગ કર્યું હોય તેવા કોઈ સમાચારો ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીમાં, એટલે કે તે મુખ્યમંત્રી થયા ત્યાં સુધી, અને તે પછી પણ ૨૦૧૨ ના મધ્ય સુધી પણ, કોઈ પણ સમાચારપત્રોમાં અફવા રુપે પણ આવ્યા ન હતા. બીજેપીના સ્વકેન્દ્રી અને નરેન્દ્ર મોદીના વિકાસના કામોથી હતઃપ્રભ થયેલા નેતાઓએ અને અથવા નરેન્દ્ર મોદી-દ્વેષી સમાચાર માધ્યમોએ બધી જ જાતની અફવાઓ ફેલાવવાનું શરુ કર્યું છે.

હિટલરની ઉપમા કોને લાગુ પડે છે?

હિટલરની ઉપમા નહેરુવંશીઓને વધુ લાગુ પડે છે.

નહેરુ ભણવામાં (આઈસીએસ)માં નિસ્ફળ ગયા એટલે  મોતીલાલે મહાત્મા ગાંધી થકી જવાહરલાલને ઠેકાણે પાડ્યા. માલેતુજાર હોવાને કારણે તેમનો પક્ષમાં ઝડપથી ઉદય થયો. હિટલરની જેમ જવાહરને ગ્લોરીફાય કરવામાં આવ્યા. જવાહરની તે સમયની વાક્છટાને કારણે અને નાટકીયવેડાને કારણે તેઓ જનતામાં પ્રિય પણ થયા.

૧૯૪૭માં ગાંધીજીની અનિચ્છા હોવા છતાં પણ ગાંધીજી દ્વારા જ જવાહરલાલને  પક્ષના લીડર બનાવવા પડ્યા. ગાંધીજીને દેશના બેથી વધુ ભાગલા અટકાવવા માટે દેશના બે ભાગલા પણ સ્વિકારવા પડ્યા.

નહેરુએ પોતાની હિમાલય જેવડી બ્લન્ડરો છૂપાવવા સીન્ડીકેટની રચના કરી.

પોતાની પુત્રીને રાજગાદી મળે તેવી ગોઠવણ તેમણે સીન્ડીકેટ દ્વારા કરી. નહેરુવંશી સરમુખત્યારીના બીજ નહેરુએ વાવ્યા અને છોડ તૈયાર કર્યો. આ બાબત ઈતિહાસના પૃષ્ઠો ઉપર છે. ઈન્દીરા ગાંધીએ વંશ વેલાનું વૃક્ષ બનાવ્યું. રાજવંશમાં જેમ થાય તેમ ઈન્દીરાના અવસાન પછી પ્રધાનમંડળની અને સંસદની મંજુરી વગર જ કહ્યાગરા રાષ્ટ્રપ્રમુખે ઈન્દીરાના પુત્રને વડાપ્રધાન સ્થાપિત કર્યો અને તેની પાસે વડાપ્રધાનપદના શપથ લેવડાવ્યા. આ વંશીય રાજકારણની પ્રણાલી અંતર્ગત આજે તેના જમાઈને પણ ઝેડ સીક્યોરીટી મળે છે. આ કોઈ વાતનો તમે ઇન્કાર નહીં કરી શકો.       

નહેરુના સમયમાં અનેક લોકો વગર મોતે મર્યા

હિટલરે વિરોધીઓની કતલ કરેલી. ગેસ ચેમ્બરો બનાવેલી અને તેમાં નિર્દોષોને હોમી દીધેલ. નહેરુએ શું કરેલ.? દેશના ભાગલા થયા પછી દેશમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે સંજોગોને નહેરુ પોતાના “નંબરવન” પદની લાલસામાં સમજી શકેલ નહીં. હિન્દુ–મુસ્લિમ હુલ્લડો તે નવી વાત ન હતી. આ વાત નહેરુએ સમજવા જેવી હતી. વિભાજના કબુલાતનામામાં એક કોમ દ્વારા બીજી કોમને નુકશાન થાય તો તેના વળતરની જોગવાઈ કરવાની જરુર નહેરુએ સમજવા જેવી હતી. પણ નહેરુમાં આર્ષદૃષ્ટિનો સંપૂર્ણ અભાવ હતો. આમ દેશના ભાગલા પછીની કત્લેઆમ માટે નહેરુ જવાબદાર હતા.

ભારતીય સૈન્ય હમેશા અજેય રહ્યું છે. ચીન સાથેનું યુદ્ધ પણ ભારત જીતી શક્યું હોત જો નહેરુએ અગમ ચેતી વાપરીને ચીન સાથેની સરહદને રેઢી મુકી ન હોત તો. આ વાત મને એક એક બ્રીગેડીયરે કહેલી. નહેરુની ચીન સાથેની બેવકુફી ભરેલી નીતિ માટે અને ભારતના અજેય સૈન્યના જવાનોના મોત માટે પણ નહેરુ જવાબદાર હતા.

આવું જ ઈન્દીરા ગાંધી માટે હતું.

હિન્દીભાષી બંગ્લાદેશી (પૂર્વપાકિસ્તાની) ઘુસણખોરો કરોડોની સંખ્યામાં દેશમાં ઘુસી આવ્યા અને તેને ઈન્દીરા ગાંધી વચન બદ્ધ હોવા છતાં પણ ખદેડી શકેલ નહીં. પાકિસ્તાનને સમયસર લાલ આંખ બતાવેલ નહીં તેથી ભારતના હજારો સૈનિકો માર્યા ગયેલ. અને તાજેતરની માહિતિ પ્રમાણે હજુ આપણા સેંકડો સૈનિકો પાકિસ્તાની જેલોમાં સબડે છે, જ્યારે ઈન્દીરા ગાંધીએ ગાલાવેલી કરીને હૈયા ફુટ્યા થઈને ૯૨૦૦૦ પાકિસ્તાનના યુદ્ધ કેદીઓને મફતમાં મુક્ત કરી દીધેલ. સિમલા કરાર તો એક કૌભાન્ડ છે તેને નકારી ન શકાય.

ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી એક અક્ષમ્ય અપરાધ હતો. તેને માટે તો આખા પક્ષને દેશ નિકાલ કરી શકાય. તેને વિષે તો મહાભારત જેવડો ગ્રંથ લખાય.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાનવાલેને પોતાના રાજકીય સ્વાર્થ માટે સંત ઘોષિત કરેલ. આ સંતે પાકિસ્તાનની મિલી ભગતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરેલ. પંજાબના સામાજીક જીવનને લકવાગ્રસ્ત કરી નાખેલ. હજારો નિર્દોષ લોકો આતંકવાદમાં કતલ થયેલ. આતંકવાદીઓએ સ્વર્ણમંદિરનો શસ્ત્ર સરંજામ અને રહેઠાણ તરીકે ઉપયોગ કરેલ. દેશમાં એવો કોઈ કાયદો નથી કે ખૂની કે ચોરને તમે ધાર્મિકસ્થાનમાં ઘુસીગયો હોય તો ત્યાંથી તેને પકડી ન શકો. પણ અનિર્ણાયકતાની કેદી ઈન્દીરા ગાંધીએ આ આતંકવાદીઓને વકરવા દીધા. આ દરમ્યાન અનેક નિર્દોષોની કતલ થઈ. ઈન્દીરા ગાંધી પોતાની સ્વાર્થ વૃત્તિ અને વહીવટી અણઆવડતનો શિકાર બની. અને તેના ખૂનથી તેના પક્ષના માણસોએ હજારો નિર્દોષ શિખોની કતલ કરી.  ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડની સાથે ક્ષતિયુક્ત ડીલ કર્યું, હજારો માણસો ભોપાલ ગેસ દુર્ઘટનામાં માર્યા ગયા, અનેક ગણા કાયમી રીતે ક્ષતિગ્રસ્ત થયા અને  તેમને કશી અર્થપૂર્ણ નુકશાની પણ ન મળી. ઈન્દીરાના પુત્રે અર્જુનસિંઘની મીલી ભગતમાં એન્ડરસનને ભાગી જવા દીધો.

આ બધી જાન હાનિઓ માટે ઈન્દીરા ગાંધી અને તેના પુત્ર જવાબદાર છે.

તમે એ પણ જુઓ કે ઈન્દીરા ગાંધીએ વકરવા દીધેલા ખાલીસ્તાની આતંકવાદ થકી મુસ્લિમ આતંકવાદને ભારતમાં પાંગરવાની તક મળી. ૧૯૯૦ માં આ આતંકવાદે માઝા મુકી અને કાશ્મિરના છ લાખ હિન્દુઓને જાહેરમાં અને અખબારોમાં કાશ્મિર છોડી જવા માટે પોસ્ટરો દ્વારા ખૂલ્લે આમ ધમકીઓ આપી. ખૂનામરકી કરી અને ૧૦ હજારની સંખ્યામાં કતલ કરી. લાખો હિન્દુઓ ને તગેડી મુક્યા. તેમણે પોતાના રાજ્યની બહાર તંબુઓમાં આશરો લીધો. આજે ૨૩ વર્ષ ને અંતે પણ નહેરુવીયન કોંગ્રેસ અને ફારુખ ની કહેવાતી મીલીજુલી સેક્યુલર સરકાર આ હિન્દુઓને પુનર્‌સ્થાપિત કરી શકી નથી. નહેરુવીયન કોંગ્રેસીઓને, તેમના સાથીઓને અને દંભી સેક્યુલરોને આ હિન્દુઓની કશી પડી નથી. તેઓ ચર્ચા કરે છે ખરા પણ તે કાશ્મિરમાંથી સુરક્ષા દળોને હટાવવા માટે અને જે આતંકવાદીઓ સુરક્ષાદળો સાથે મુઠભેડમાં માર્યા ગયા તેમના કુટુંબી જનોને વધુ રાહતો આપવાની વાતો કરે છે. આતંકવાદીઓના કુટુંબી જનોને પેન્શન તો આપવા માંડ્યું જ છે! આ સેક્યુલરોને આપણે શું કહીશું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, સરમુખત્યાર, ગોબેલ્સ, હિટલર, દંગા, હુલ્લડ, ૨૦૦૨, હિન્દુ, મુસ્લિમ, નહેરુ, ઈન્દીરા, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, બાબાગાડી, મુખ્યમંત્રી, હતઃપ્રભ, રેઢી સરહદ, ઘુસણખોરી, અનિર્ણાયકતાની કેદી, સંત, ભિન્દરાનવાલે, સ્વર્ણમંદિર, સિમલાકરાર, કૌભાન્ડ, યુનીયન કાર્બાઈડ, એન્ડરસન, ભોપાલ ગેસ, કતલ, કાશ્મિર, પોસ્ટરો, ખૂનામરકી, સેક્યુલર

Read Full Post »

હા, અમે જુદા હૉ,

તેલંગણાનું જુદું રાજ થવાનું જાણી, સૌરાષ્ટ્ર-કચ્છ અથવા સૌરાષ્ટ્ર તથા કચ્છના અલગ રાજ્ય વિષે કેટલાકની દાઢ સળકી અને કદાચ વધુ સળકશે. કદાચ દાઢ ન પણ સળકે. એ જે હોય તે પણ આપણા રજનીશીયા તર્કવાળા કાન્તિભાઈ (ભટ્ટ) જેવા અખબારી મૂર્ધન્યો કે કટારીયા લેખકો ની તો દાઢ સળકવા માંડી છે (દિવ્યભાસ્કર ૧લી ઑગષ્ટ). હાજી, કેટલાક સ્થાનિક રાજકારણીયોની અને તેમાં પણ હોદ્દા વગરના રહી ગયેલા રાજકારણીઓની દાઢ ન સળકે તો જ આશ્ચર્ય કહેવાય.

તેલંગણનું થયું એટલે બીજા વિસ્તારો જેઓ અલગ રાજ્ય માગતા હતા તેમનો પણ  હવે હક્ક બનશે એવી શક્યતાઓ ને આધારે નવા રાજ્યોની રચના  ટીવી ચેનલો માટે હૉટ ટૉપિક બનશે, અને ન બને તો પણ બનાવવો જ જોઇએ કારણ કે આવી ચર્ચાઓથી નેતાઓ પણ ખુશ થશે અને આપણે પણ ખુશ.

અમુક કામો એવાં હોય છે જેને નીપટાવવા તમારે રાજ્યના પાટનગરમાં જવું પડે. જેમકે તમને અન્યાય થયો હોય અને જીલ્લા કક્ષાએ તમને ન્યાય મળ્યો નથી એવું લાગતું હોય તો તમારે સચિવાલયમાં જવું પડે અને જિલ્લાઅધિકારીથી પણ ઉંચા હોદ્દેદારને રૂબરૂ રજુઆત કરી શકાય. જોકે જીલ્લા કક્ષાએ ન્યાયાલયો હોય છે. પણ કૉર્ટના ચક્કરમાં ન પડવું હોય તો તમે અંદર અંદર પતાવટ કરવા માટે સચીવાલય જવાનું નક્કી કરી શકો. જો કે આ એક વહીવટી સમસ્યા છે અને તેને પ્રણાલીઓ સુધારીને નિવારી શકાય છે. હવે તો માહિતિ અધિકાર પણ મળ્યો છે અને ઈન્ટરનેટ પણ આવી ગયાં છે. એટલે તમે ઘરે બેઠાં બેઠાં પણ ઘણું બધું કરી શકો છો. જો આ બધી વિદ્યાઓનો ઉપયોગ કરવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓ નિવારી શકાય છે.

તો પછી પાટનગર શા માટે જવું પડે?

તમારે નાના મોટા ઉદ્યોગો સ્થાપવા હોય તો તમારે પાટનગર જવું પડે. તમારે મોટી લાગવગ લગાડવી હોય અને છૂટ છાટ જોઇતી હોય તો પાટનગર જવું પડે. સ્થાનિક સરકારી અધિકારીને દબાવવા હોય તો તમારે પાટનગર જવું પડે. અને ખાસ તો તમારે જો મંત્રી, કે મુખ્ય મંત્રી સામે આંદોલન કરવું હોય તો તમારે જરુર પાટનગર જવું પડે. અને આ બાબત આપણી આંદોલનપ્રિય ખાસ કરીને ગુજ્જુ નહેરુવીયન કોંગ્રેસનાનેતાઓને ખાસ લાગુ પડે છે. તેઓ નવરા ધૂપ છે અને કેન્દ્રમાં તેમના માઈબાપ પાસે ઘણા પૈસા છે.

નવા રાજ્યોનો મુખ્ય ફાયદો તો રાજકારણીઓ માટેનો છે. ચીફ મીનીસ્ટ્રરની પોસ્ટ વધે એટલે બીજા પ્રધાનો અને ઉપપ્રધાનો વધે, સ્પીકરો વધે. ગવર્નરો વધે. પાટનગરો પણ નવા થાય અને તેના હોદ્દેદારો પણ વધે. સ્થાનિક સંસ્થાઓની ઉપર નિગરાની રાખવા માટેના જનપ્રતિનિધિઓ વધે. જેને હોદ્દાઓ ન આપી શકાયા હોય તેને હોદ્દાઓની (દાખલા તરીકે ચેરમેનો)  લહાણી કરી શકાય. એટલે કે કામ તો એટલું ને એટલું જ. પણ જનપ્રતિનિધિઓ નો જનતા ઉપર ભાર વધે.       

   બીજો ફાયદો આઈએએસ અધિકારીઓને છે કારણ કે ચીફ સેક્રેટરીઓ વધે, જોઈન્ટ ચીફ સેક્રેટરીઓ વધે, સેક્રેટરીઓ વધે, રજીસ્ટ્રારો વધે, ચીફ રજીસ્ટ્રારો વધે. અને આ બધા અધિકારીઓ વધે એટલે પ્રમોશન પણ જલ્દી મળે.

નવું રાજ્ય થવાથી ઉચ્ચ ન્યાયાલયો વધે, ન્યાયાધીશો વધે. પણ આ બધાંનો તો વાંધો નહીં. નવાં રાજ્યો કર્યા વગર પણ તમે ઉચ્ચન્યાયાલયની બેન્ચ અલગ અલગ જગ્યાએ રાખી શકો છો.

અફસર સાહેબો કહે છે કે આ રાજકારણી લોકો અમે તેમના કહ્યામાં ન રહીએ તો અમારી બદલી કરી નાખે છે. વાપી થી તાપી કરે ત્યાં સુધી તો વાંધો નહીં પણ એ તો ઉમરગામથી ઉમરેઠ અને ગોધરાથી બગોધરા જ નહીં બગસરા પણ કરી નાખે છે. એટલે નાના રાજ્યો હોય તો કમસે કમ એ લોકો અમને નારાજ થાય તો પણ બહુ દૂર દૂર તો ન મુકી શકે.

જો કે આ વાત તદન બોગસ છે. સરકારી નોકરોના મોટાભાગના ચાલુ હોય છે. અને જો બચાવવા વાળો હોય તો લુંટ કરવામાં વાંધો શાનો એવી તેમની મનોવૃત્તિ હોય છે. જેઓ કાર્યકુશળ હોય છે તેમની હમેશા માંગ રહેતી હોય છે. જે મહેનતાણું અને માન મળે છે તેને માટે અને સત્ય માટે ભોગ આપવો જ પડે. નહિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિં તાત ગચ્છતિ. જે સારું કામ કરે છે તે કદી અપયશ ને પામતો નથી.    

સ્વાતંત્ર્ય પહેલાંના સમયમાં એટલે કે અંગ્રેજોના સમયમાં અને સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન, રાજ્યોની પૂનર્‌રચનાની વાત ગાંધીજીએ કરેલી. આ વાત શા માટે કરેલી?

ગાંધીજીએ રાજ્યોની પુનર્‌રચનાની વાત કરેલ. કારણ કે તે વખતે બધા ઢંગ ધડા વગરના રાજ્યો હતા. તેમાં મૂખ્યત્વે  દેશી રજવાડાંના વિસ્તારો અને અંગ્રેજ રેસીડન્સીના વિસ્તારો હતા. જેમકે ગુજરાતમાં સો ઉપરના દેશી રજવાડાં હતાં. તે સૌ અલગ અલગ રાજ્યો હતા. અને બાકી જે વિસ્તારો બચ્યા તે મુંબઈ પ્રોવીન્સમાં આવતા. આમાં રાજસ્થાનના વિસ્તારો, સિંધના વિસ્તારો, ગુજરાતના વિસ્તારો, મહારાષ્ટ્ર,  કોંકણ અને કર્ણાટક ના વિસ્તારો આવતા. ભાષાઓ પણ ઘણી હતી. પણ સરકારી ભાષા અંગ્રેજી હતી તેથી બધું ચાલ્યું જતું.

અંગ્રેજોએ પ્રજા સાથે સંવાદ થઈ શકે તે માટે કોંગ્રેસની સ્થાપના કરેલ

અંગ્રેજોએ પ્રજા સાથે સંવાદ થઈ શકે તે માટે કોંગ્રેસની સ્થાપના કરેલ જેમાં બધા વ્હાઈટ કોલરવાળા ખાધે પીધે સુખી નેતાઓ સભ્ય થઈ શકતા હતા.

ગાંધીજી આવ્યા અને તેમણે આમ જનતા માટે કોંગ્રેસના દ્વાર ખુલ્લા મુક્યા. એક સુતરની આંટી અથવા ચાર આના એમ સભ્ય પદની કિમત રાખી. પણ એ વાત જુદી છે. ઘણા રજવાડાંઓ તો સ્થાનિક ભાષામાં વહીવટ કરતા હતા. પણ અંગ્રેજ સરકાર સાથે તો અંગ્રેજીમાં વહીવટ કરવો પડતો હતો. ગાંધીજીને આ વાત કઠી હતી. જનતા ની ભાષામાં રાજ્ય સંવાદ કરી શકે તે માટે તેમણે ભાષાવાર પ્રાંત રચના ની વાત કરેલ અને કોંગ્રેસમાં આ પ્રમાણેનો ઠરાવ પણ પસાર કરાવેલ. આ ઉપરાંત ગાંધીજીએ ગ્રામ પંચાયતો બને અને આ પંચાયતોને પણ થોડી સ્વતંત્રતા મળે અને ગ્રામજનોની પણ વાત સંભળાય તેવા ઠરાવો પણ પાસ કરાવેલ.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તો તે વખતે પણ હતી. પણ સ્વતંત્રતા મળ્યા પછી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વધારો થયો, ફેરફારો પણ  થયા અને સત્તામાં વધારો પણ થયો. લોકપ્રતિનિધિત્વ પણ વધ્યું. જેમકે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકાઓ, મહાનગર પાલિકાઓ, રાજ્ય વિધાન સભાઓ, શહેરી વિકાસ પ્રાધિકરણો, રજીસ્ટ્રારો, સહયોગી સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, વિગેરે વિગેરે.

ભાષાવાર રાજ્ય રચના સમજી શકાય તેમ છે.

કારણ કે જો બહુભાષી રાજ્ય હોય તો સંવાદ બરાબર ન થાય.  સરકારમાં અરજી કરવા માટેના જાતજાતના અને અવનવી જાતના ફોર્મ હોય અને તેમાં સમયે સમયે વૃદ્ધિ કરવામાં આવતી હોય. આ બધા જ ફોર્મ બે કે ત્રણ ભાષામાં છાપવાં પડે. જો તમે અલગ અલગ ભાષાના અલગ અલગ ફોર્મ રાખો તો અમુક ભાષાના અમુક ફોર્મ અમુક જગ્યાએ ન પણ હોય અને તે જલ્દી ન પણ આવે અથવા તો નથી એવું બારોબાર કહી દેવામાં આવે તેવી પણ શક્યતા ન કારી ન શકાય. એટલે એક ફોર્મમાં બે કે ત્રણ ભાષામાં છપાવવાં પડે અને સ્ટેશનરી નો વ્યય થાય. અને જો આપણે પર્યાવરણવાદીઓની ભાષામાં કહીએ તો વધુ વૃક્ષો કપાય. ટૂંકમાં ભાષાવાર પ્રાંત રચના અનિવાર્ય ગણી શકાય.

પેટમાં દુખે છે પણ કૂટે છે માથું.

તો હવે નવા રાજ્યોની રચના માટે આધારો કયા કયા છે?

આપણા અમુક રાજકારણીઓ કહે છે કે અમે જુદા છીએ. અમારો પ્રદેશ અલગ છે. અમે અલગ જાતના છીએ. અમારો સ્વભાવ અલગ છે. અમારી સંસ્કૃતિ અલગ છે. અમારી બોલી (ભાષા નહીં હૉ!) અલગ છે. અમે કૈયે કે ન્યાં કણે ખાઈડ્યો સે અટલે લગીર ટપીને હાલ્યા આવજો. પણ ઈવડા ઈ, હઈમજ્યે તૈંયેં ને? માટે અમારે અલગ રાજ્ય જોઇએ.

આપણા એક કટારીયા ભાઈએ કેવાં કારણો આપ્યા છે?

ગુજરાતથી અલગ સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ, ખાનપાન ધરાવતું સૌરાષ્ટ્ર કેમ અલગ રાજ્ય નહીં? જો કે સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ વિગેરેમાં શું અલગતા છે તે વિષે કટારીયા ભાઈએ ફોડ પાડ્યો નથી. ખાનપાન તો જીલ્લે જીલ્લે પણ અલગ હોઈ શકે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે. ભાવનગરીઓને સવારે ચા સાથે ગાંઠીયા જોઇએ. અને એ તો અમને અમદાવાદમાં પણ મળે છે. અને અમેરિકામાં પણ મળે છે. સુરેન્દ્ર નગર વાળાને પરાઠાં જોઇએ. અમરેલીવાળાને જમણમાં અચૂક રૉટલા જોઇએ. જ્યારે હળવદ ધ્રાંગધ્રા વાળાને સાંજે અચૂક મગનીદાળની ખીચડી જોઇએ. પોરબંદરવાળાને નાસ્તામાં ખાજાં જોઇએ.

હવે રીત રિવાજ તો જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ હોય છે તેથી તેની વાત નહીં કરીએ. જો કે આ પણ રજણીશીયા તર્કના આધારે લક્ષ્યમાં લેવા જેવો મુદ્દો ખરો. એમ તો મહમદ અલી ઝીણા એ એમ જ કહ્યું હતું ને કે અમે મુસલમાનો અલગ સંસ્કૃતિ છીએ એટલે અમારે અલગ દેશ જોઇએ. જોકે તેમના પિતાજી અને દાદાશ્રી મજાના હળી મળીને રહેતા હતા.

વળી જો કાદુ મકરાણીને તેના વખતમાં ઝીણાભાઈ (મહમ્મદ અલી ઝીણા) જેવા કોઇએ જો કહ્યું હોત કે અલ્યા કાદુ, તું તો કંઈ કચ્છનો નથી. તું તો પાકિસ્તાની છે. આવી જા પકિસ્તાન ભેગો…. તો શું થાત? કાદુએ તો તેને ભડાકે દીધો હોત. આ વાત અવગણી શકાય તેમ નથી.

પણ આતો થઈ દેશ રાષ્ટ્રની વાત. સૌરાષ્ટ્ર માં રાષ્ટ્ર સમાયેલું છે. અને મહારાષ્ટ્રમાં એક રાજ્ય માત્ર સમાયેલું છે. મુંબઈ ઈલાકામાં રાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), મહા(રાષ્ટ્ર), રાજ(સ્થાન), સિન્ધુ(દેશ) સમાયેલા હતા. બધું જે તે સમયની સગવડતા પ્રમાણે હતું.

અમે કાઠીયાવાડીઓના દિલ અને અમારા દિલની વાત

હવે બાકી રહ્યા કળા વ્યવહાર અને રિવાજ. કળાને કોઇ બંધન હોતું નથી. વ્યવહાર ની વાત કરીએ. એટલે કે સંસ્કાર. આ વાતમાં થોડું તથ્ય ખરું. પણ એ તથ્ય તો આપણા કટારીયા ભાઈએ જે છે તેનાથી ઉંધું કહ્યું? તેમણે કહ્યું કે “ અમે તો તડ અને ફડ કહી દઈએ. દિલમાં એક વાત અને જીભ ઉપર બીજીવાત એવી બનાવટ અમને સૌરાષ્ટના લોકોને સદતી નથી. (એટલે કે અમે સૌરાષ્ટ્રના લોકો દિલનીવાત તડ અને ફડની રીતે કહી જ દઈએ).”

કાંતિ ભાઈ, તમે અહીં ભારે ભૂલ કરી છે. અમે કાઠીયાવાડીઓ ડીપ્લોમસીમાં ઉસ્તાદ છીએ. અમે અમારા મનની વાત કહેતા જ નથી. અમારા મનમાં શું છે એ જો અમે કહીએ તો અમે કાઠીયાવાડી નહીં. જેટલા અમારી પાઘડીમાં વળ તેનાથી વધુ અમારા પેટમાં વળ. આના તો અમે હજાર દાખલા આપી શકીએ. આ બાબતમાં તો ઓબામા અને ચર્ચીલ પણ અમારી આગળ પાણી ભરે હૉ! કોઈ મોટો અંગ્રેજ જેવો કે વાઈસરોય, ક્રીપ્સ, કે માઉન્ટ બેટન જ્યારે ભારત આવવા નિકળતા ત્યારે તેમને ઈંગ્લેન્ડમાં એક ખાસ શિખામણ અપાતી, કે જ્યારે તેઓ ગાંધી બાપુને મળે ત્યારે બોલવામાં બહુ સાવધ રહે. તેમની આગળ બહુ લાંબી ન ફાડે. કારણ કે એ ગાંધી બહુ અષ્ટકૂટ છે, એ તમને એવા સકંજામાં લેશે કે તમે છટકી નહીં શકો.

એટલે હું હમજ્યા તમે? આ ગાંધી ભલે વાણીયો પણ કાઠીયાવાડી ભાયડો હતો. જે અમારી સાથે કૂડ કપટ કરવા આવશે તેની સાથે જ અમે કાઠીયાવાડીઓ કૂડાકપટ કરીશું. જે અમારી સાથે કૂડ કપટ કરવા આવ્યો હોય, તેની સાથે અમે એવું કુડ કપટ કરીએ કે તે ભૉં ભેગો થઈ જાય.

હે કાન્તિભાઈ કટારીયા, જો તમને આ વાતની ખબર ન હોય તો તમે ભાવનગરનું બંદર પ્રભાશંકર પટ્ટણીએ કેવી રીતે બચાવ્યું તે વાત જાણી લેજો. વળી હા, અમારા બોલવામાં જરા પણ ગુજરાતી (અમદાવાદી-સુરતી) જેવું બરછટપણું (એગ્રીકલ્ચર) નહીં.. આ તો તમે અમારા મોઢામાં આંગળા નાખી બોલાવો છો એટલે તમને કહીએ છીએ. અમે આપબડાશ મારીએ નહીં.

કાન્તિભાઈએ તો જે તડ અને ફડ વાળી અમારા માટે વાત કરી એ તો એમની દાળમાં કોળું ગયું. આ “તડ અને ફડ” ના લખવાવાળા તો ગુજરાતી અને પાકા ગુજરાતી છે. આ “તડ અને ફડ” વાળા કટારીયા તો કટોકટી વખતે કઈ તડમાં પેસી ગયા હતા તે રામ જાણે. “તડ અને ફડ” તમ ગુજરાતીઓ ખાસ કરીને ઉત્તર ગુજરાત મેહાણા અને ચરોતર સુધીમાં વ્યાપક છે. હુર્તીઓ ગાળો બોલે ખરા પણ એ તો બહુ ભાઈબંધી થઈ ગઈ હોય તો, અથવા દુશ્મનાવટ થઈ હોય તો જ.

અમારા આ કટારીયા ભાઈ કહે છે કે  નરેન્દ્ર મોદીનું વડનગરી કલ્ચર એટલે હુક્કુ ભઠ્ઠ.

ભાઈ, કાન્તિ, આવું બધું તમે બોલો એ કાંતો મુંબઈ કે અમદાવાદની અસર છે. કાઠીયાવાડી કે કચ્છી આવી ભાષા ન વાપરે. અમે તો જેનું જે સારું હોય તે જ જોઇએ. અરે અમે તો કચ્છ વિષે પણ એમ જ કહીયે કે “કચ્છડો બારે માસ”( શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો કછડો બારે માસ). અમે મરતાને મર ન કહીયે.

અમે એવું માનતા નથી કે નરેન્દ્ર ભાઈ મોદી હુક્કા ભઠ્ઠ છે. અને જીવરાજ મહેતા કે જે સૌરાષ્ટ્ર હોવાના એક માત્ર કારણથી ભલા ભોળા અને પ્રેમાળ હતા એવું પણ અમે માનતા નથી.

જીવરાજ મહેતા ધારોકે કે ભલા કે અથવા ભોળા હતા, તેટલા માત્રથી તમે એમ સિદ્ધ થયેલું માની ન શકો કે નરેન્દ્ર ભાઈ તેનાથી ઉંધા છે. આ તમારું કેવી જાતનું લોજીક છે? અમારું કાઠીયાવાડી લોજીક આવું ન હોય. આ તો રજનીશીયા કે અંગ્રેજીયા લોજીક છે કે ભળતી વાત કરીને ભળતો આભાસ ઉભો કરવો અને પછી એ જ આભાસને અધાર માની મનફાવે તેવી તારવણી કરવી. જીવરાજ ભાઈ તો નહેરુના ખાસ માણસ હતા. મોરારજી દેસાઈએ નાણાપ્રધાન તરીકે ગુજરાતને નવું રાજ્ય થયા પછી સરકારી નોકરોના પગાર વધારવા માટે ગ્રાન્ટ આપેલી. આ ગ્રાન્ટ તેમણે કેન્દ્ર સરકારને પરત કરેલી. આવા તો તે ભલા હતા. વળી તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે (ઠાકોરભાઈ દેસાઈ) કહેલ કે તમે, જેઓ ઉપર આક્ષેપો છે તેવાઓને પ્રધાનમંડળમાં ન લેશો. પણ તેમણે તેમને ધરાર લીધેલા (રતુભાઈ અદાણી અને રસિકલાલ પરીખ), આવા તો એ ભોળા હતા. તમારી ભલા અને ભોળાની વ્યાખ્યા ઈન્દીરાઈ લાગે છે.

આમ પણ ગુજરાત રાજ્યે ઘણું ગુમાવ્યું છે. એ વાત ક્યારેક કરીશું.

નહેરુએ જીવરાજભાઈને પછી યુકે ના હાઈકમિશ્નર તરીકે મુકેલા. અને જ્યારે ઈન્દીરા ગાંધીએ બળવો કરીને પોતાની નહેરુવીયન કોંગ્રેસ રચી ત્યારે આ જ જીવરાજભાઈ અને રસિકભાઈ એન્ડ કું., તે કોંગ્રેસમાં કૂદી પડેલા. આને તમે શું કહેશો? ભોળપણ કે ભલાઈ?

કટારીયા ભાઈ, તમને ખબર નહીં હોય પણ નરેન્દ્રભાઈ બાળકોમાં અત્યંત પ્રિય છે. આ નરેન્દ્રભાઈ તો શાળાના બાળકો સાથે સીધી વાતો કરે છે. શાળા ઉત્સવો કરી તેઓ પોતે બાળકોને તેડીને લઈ જાય છે. આવું તો બાલદિનવાળા નહેરુએ પણ કર્યું ન હતું. જો કે ઓબામા બાળકો સાથે સીધી વાતો કરે છે. નહેરુ પણ કરી શક્યા હોત.

તો શું આ કટારીયા ભાઈ આ બધું નહીં જાણતા હોય?

જાણતા હોય પણ ખરા. પણ તેમનો પોતાનો જાત અનુભવ નથી ને, એટલે કદાચ એમ કહેતા હોય !!

પણ કટારીયા ભાઈ તો નરેન્દ્ર મોદીથી ઉંમરમાં ઘણા મોટા છે. એટલે જ્યારે કટારીયાભાઈ બાળક હતા ત્યારે નરેન્દ્ર મોદી તેમને કેવી રીતે આવો અનુભવ કરાવી શકે?

કટારીયાભાઈ શું કહે છેઃ “ એ હું કંઈ ન જાણું. મેં જે કહ્યું તે બ્રહ્મ સત્ય. અને સત્યને કાળનું બંધન હોતું નથી.” ઈતિ સિદ્ધમ્‌.

અરે ભાઈ તમારે જીવરાજ મહેતાને જે કહેવું હોય તે કહો. પણ જીવરાજ મહેતા અમુક હતા અને તેથી કરીને નરેન્દ્રભાઈ તે નથી એવું કહીને નરેન્દ્રભાઈ મોદીને ગોદા શા માટે મારી લો છો?

અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલા ચીફ મીનીસ્ટરો થયા? જીવરાજ મહેતા, ઘનશ્યામભાઈ ઓઝા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, માધવસિંહ, અમરસિંહ છબીલભાઈ મહેતા, સુરેશ મહેતા, દિલિપભાઈ પરિખ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી. આ તેરમાંથી  સાત ચીફ મીનીસ્ટરો તો સૌરાષ્ટ્ર-કચ્છના જ હતા. એટલે સૌરાષ્ટ્રને અન્યાય થાય તેવી કોઈ વાત કરીએ તો સૌરાષ્ટ્રની જ બુરાઈ કરી કહેવાય. અરે આખું ગાંધીનગર મંકોડી, મચ્છર, માંકડ, અન્જારીયા, અંધારીયા, સરવૈયા, ચૂડાસમા, દવે, રાવલ, બુચ, પરમાર, રાયજાદા, જાડેજા, ગોહેલ. વિગેરેથી ભરેલું છે. અને બધો વહીવટ તેઓ જ કરેછે. લ્યો હાઉં!

નરેદ્ન્ર મોદીએ કચ્છ અને સૌરાષ્ટ્રનો જે વિકાસ કર્યો છે તે ઉપરથી એમ તો ન જ કહેવાય કે નરેન્દ્ર ભાઈ ભેદભાવ રાખે છે. અમારે પડાણાના (જામનગર) ભાઈઓ તો ખુશખુશાલ છે.  અમારો મજોકૉઠો (મચ્છુ કાંઠો) પણ ખુશખુશાલ છે. અમારે ધોલેરાથી ઘોઘા થઈને એય સોમનાથ દાદા, દ્વારકા અને માંડવી સુધી અમારે ઘણી પ્રગતિ થઈ છે અને પવન ચક્કીઓ વીંઝોણા કરેછે. આવું કરતાં જીવાભાઈને કે હિતુભાઈને કે ચિમણરાવને કોણે રોક્યા હતા?

પણ એ બધી વાત્યું જાવા દ્યો. અમે કાઠીયાવડીઓ અને કચ્છીઓ દિલના ઉદાર છીએ. ભલાઈનો બદલો ભલાઈ જ વાળીએ છીએ. અમે એવા ન ગુણા નથી. અરે અમે તો દુશ્મની પણ વાત જે તે વાત પુરતી મર્યાદિત રાખીએ છીએ. જોગીદાસ ખુમાણની વાત તો તમે જાણી જ હશે. વહેવાર એટલે વહેવાર. અને વટના કટકા એટલે વટના કટકા.

ભારતી ભોમની વંદુ તનયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.

અમે મુંબઈ હોઈએ કે મોંબાસા, અમદાવાદ હોઈએ કે અમેરિકા, અમે અમારી ચાલ (ચરિત્ર) ન બદલીયે (રેલગાડીને ઉપડી જવું હોય તો ઉપડી જાય પણ અમે તેને પકડવા અમારી ચાલ ન બદલીયે). હા અમે વટના કટકા.

વસ્તીને અલગ રાજ્યનો શું આધાર બનાવી શકાય? નાજી. એક માત્ર વસ્તીને આધાર ન બનાવી શકાય. જો આવું કરીયે તો મુંબઈના જ અનેક ભાષા વાળા રાજ્યો થઈ જાય. વિસ્તાર અને વસ્તીના સુયોગ્ય માપદંડ વાપરીને એક ભાષા હોય તો પણ તેનું વિભાજન કરી શકાય. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યુ.પી. છે. પૂર્વ યુ.પી. અને પશ્ચિમ યુ.પી.

ભૌગોલિક સ્રોતો અને આધારે અને ભૌગોલિક અસમાનતાના આધારે શું અલગ રાજ્ય કરી શકાય? એટલે કે એક રાજ્ય નો એક વિસ્તાર પહાડી હોય અને બીજો મૈદાની હોય, એક હિસ્સમાં ઘણા ખનિજ તત્વોની ખાણ હોય અને બીજામાં કૃષિ ઉત્પાદન થતું હોય તો શું તેને અલગ કરી શકાય? નાજી આ આધારો વાહિયાત છે. જો આવો અલગતાવાદ પોષવામાં આવે તો જેમ નિતીશકુમારે અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાને ગુજરાતની મદદ લેવાની ના પાડી, તેમ એક રાજ્ય રાજકીય મડાગાંઠ ઉભી થાય ત્યારે બીજા રાજ્યનો બહિસ્કાર કરે. નહેરુવીયન કોંગ્રેસ જેવી જો કેન્દ્ર સરકાર હોય તો તે તેમાં સુર પણ પુરાવે. ઈન્દીરા ગાંધીએ જેમ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પ્રોજેક્ટને ટલ્લે ચડાવેલ તે આપણે જાણીએ છીએ.

ટૂંકમાં સંસ્કૃતિ, વ્યવહાર, ટેવ, ખાણી પીણી, રિવાજ જુદા હોય પણ જો ભાષા એક હોય તો એક રાજ્યમાં કશો વાંધો ન આવે. કારણ કે મુખ્ય સમસ્યા ભાષાની હોય છે. કચ્છી ભાઈઓની બોલી અલગ છે. પણ કચ્છી ભાષામાં કોઈ કાયદાઓ લખાયા નથી. તમે શું કરશો? તમે કચ્છીમાં કાયદા લખાવશો? પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપશો? સૌરાષ્ટ્રની તો ગુજરાતી ભાષા જ, ગુજરાતીઓ માત્ર કરતાં વધુ શુદ્ધ અને સમૃદ્ધ છે.  રાજ્યોનું અલગ પણું બોલીની રીત, કે રિવાજો વિગેરેથી અલગ ન પાડી શકાય. ગુજરાતના પૂર્વનો કિનારો આદિવાસી છે. દરિયા કિનારો માછીમારો નો છે. શું તમે તેમને પણ ગુજરાત, સૌરાષ્ટ્ર બનાવ્યા પછી અલગ રાજ્ય આપશો? તો તો તમારે જીલ્લે જીલ્લે અને જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ અલગ રાજ્યો કરવા પડશે.

વધુ માટે વાંચો આની અગાઉની પોસ્ટ જે મેં “THE INDIANS” તારીખ ૧૪ ડીસેમ્બર ૨૦૦૯ના રો જ લખેલી તે અહીં શૅર કરી છે. “હમારી ભી સૂનો … “

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

કચ્છમાં ડોંગરે મહારાજની કથા ચાલે છે.

ડોંગરે મહારાજઃ “અને મારા કાનાનું મુખારવિંદ જોઇને રાધાજી હસ્યાં.. “

“હેં! આ મુખારવિંદ એટલે શું?” એક બેને બીજા બેનને પૂછ્યું

“ઠાકોરજીજો ડાચો?” બીજા બેને જવાબ આપ્યો.

 

ટેગ્ઝઃ ભાષા, રાજ્ય, સૌરાષ્ટ્ર, કચ્છ, સોરઠ, ગુજરાત, વાગડ, અલગ, પૂનર્‌ રચના, આધાર, સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ, ખાનપાન, અખબારી કટારીયા, મૂર્ધન્ય, રજનીશીયા, ઈન્દીરા, નહેરુવીયન,

Read Full Post »

શિલા લિખિત નહેરુવીયન આતંકવાદ

ઈતિહાસના કેટલાક પ્રકરણો એવા હોય છે જે હજારો વર્ષસુધીમાં પણ ન ભૂંસી શકાય. અલબત્ત જો તે વંશીય શાસકોનું શાસન ચાલુ રહે તો તે શાસકો જરુર તે પ્રકરણોને ભૂંસી નાખવાની કોશિસ કરે.   પ્રજા જો મૂર્ખ હોય તો હોય તો તે વંશીય શાસકોને આ પ્રકરણો ભૂંસી નાખવામાં સરળતા પણ રહે. હાજી લોકશાહીમાં પણ આવું થઈ શકે.

જેઓ સુજ્ઞ છે અને જેઓને સત્તાની ઝંખના નથી અને જેઓને ખ્યાતિની ભૂખ નથી અને જેઓને પોતાના અસ્તિત્વની પડી નથી તેઓ જો જાતના ગુણધર્મો પ્રતિ આદર ધરાવતા હોય અને તેવી તેમની દીશા હોય, તો તેઓએ કદી આ નહેરુવીયન આતંકવાદ ભૂલવો ન જોઇએ.

હાજી. નહેરુવંશીય એક ફરજંદે પોતાની ગેરકાયદેસર સત્તા ચાલુ રાખવા દેશ ઉપર કટોકટી લાદેલી. તેની આ વાત છે.

કટોકટીમાં શું હતું?

આ કટોકટીમાં આ નહેરુવીયન ફરજંદે પોતાની વિરુદ્ધ જે કંઈ હોય, પછી તે વિરોધ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે હોય કે તે વિરોધ મનમાની શંકા માત્રના આધારે  હોય તેવા વિરોધી સમાચારો માત્રને પ્રગટ થતા અટકાવી શકાતા હતા. જો કોઈ છાપાં આવા વિરોધી લાગે તેવા સમાચાર છાપે તો તેના પ્રેસને તાળા મારી શકાતા હતા અને તે વ્યક્તિઓને અનિયતકાળ માટે જેલમાં રાખવામાં આવતી હતી.

જેઓ કટોકટીમાં ટટાર ઉભા રહ્યા અને માથું ઉંચું રાખ્યું તેમની પ્રત્યે આ નહેરુવીયન ફરજંદના સેવકોએ આ નહેરુવીયન ફરજંદના પુરસ્કૃત આજ્ઞાઓને આધારે આતંકીઓને શોભે તેવા વર્તનો કરેલાં.

સર્વોદયનું મુખપત્ર “ભૂમિ પૂત્ર”ના પ્રેસને તાળાં લાગી ગયાં હતાં અને તેના સંપાદક તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ જેલમાં શોભતા હતા.

“ઓપીનીયન” ના તંત્રી સંપાદક ગોરવાલાના પણ ક્રમે ક્રમે એવા જ હાલ કરેલા.

રોજીંદા છાપાંના તંત્રી, માલિકો અને કટારીયાઓએ (કટાર લેખકોએ) શું કર્યું?

 

“સેન્સર થયેલા સમાચારોની જગ્યા કોરી રાખો” એક સૂચન

જૂજ માલિકો અને કેટલાક તેમની સાથે સંકળાયેલા હતા તેમણે સૂચવ્યું કે સમાચારો જે કંઈ છપાવવા માટે આવે છે તે સૌપ્રથમ તો આ નહેરુવીયન ફરજંદે નિમેલા સેવકોની ચકાસણી અને મંજુરી પછી જ છપાય છે માટે આપણે ટકી રહેવા માટે એવું કરીએ કે જે સમાચારોને મંજુર ન કરવામાં આવ્યા, તે સમાચારો છાપાંમાં જે જગ્યા રોકવાના હતા, તે જગ્યા આપણે કોરી રાખવી. આવું કરવાથી કમસે કમ જનતાને ખબર પડશે કે કેટલા સમાચારોનો અને કેટલા લખાણોનો જત્થો રોકવામાં આવ્યો છે.

પણ આવી વર્તણુંકનો અર્થ એવો કરવામાં આવ્યો કે આ તો નહેરુવીયન ફરજંદની પરોક્ષ નિંદા થઈ કહેવાય. એટલે દેશની પણ નિંદા થઈ કહેવાય, એટલે દેશદ્રોહ પણ થયો કહેવાય. એટલે આવું કરનારા તો જેલમાં જ શોભે. અમે તો દેશની ભલાઈ માટે જ કામ કરીએ છીએ. એટલે અમારી સેન્સર શીપ સમાચાર અટકાવે છે એવો સંદેશ પણ જનતામાં જવો જ ન જોઇએ. સરકારની કોઈપણ વાત નકારાત્મક છે તે ઈન્દીરામાઈનું અપમાન છે. અને ઈન્દીરામાઈનું અપમાન એટલે દેશનું અપમાન. ઈતિ સિદ્ધમ્‌.

નમવાનું કહો છો? અમે તો તમારા પગમાં આળોટવા માંડ્યા છીએ.

મોટાભાગના સમાચાર પત્રોના માલિકો, તંત્રીઓ, સંપાદકો અને કટાર લેખકોને ખબર પડી ગઈ કે સરકાર માબાપ નમવાનું કહે છે. એટલે તેઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયા એટલું જ નહીં સરકારની ભાટાઈ અને વિપક્ષી નેતાઓની નિંદા કરતા થઈ ગયા. અરે આ બાબતમાં સ્પર્ધા કરતા પણ થઈ ગયા. 

અફવાઓ ફેલાવવાનો સરકારનો અબાધિત હક્કઃ

દેશદ્રોહીઓને અમે પકડ્યા છે. કાળાબજારીયાઓને અમે પકડ્યા છે, ચોરોને અમે પકડ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરનારાઓને અમે પકડ્યા છે. ગરીબોને અમે પાકા રહેઠાણો આપી દીધા છે, રેલગાડીઓ નિયમિત દોડતી કરી દીધી છે, મોંઘવારીનું નામ નિશાન નથી, જનતા ખુશહાલ છે. બધે આનંદ મંગળ છે. જે કોઈ કર્મચારીની સામે ફરિયાદ આવે તેને અમે સસ્પેન્ડ કરી દઈએ છીએ, અને કાર્યવાહી ચાલુ કરી દઈએ છીએ. એટલે સરકારી કર્મચારીઓમાં લાંચરુશ્વત નાબુદ થઈ ગઈ છે. સૌ કોઈ નિષ્ઠાવાન અને પ્રજાપ્રેમી થઈ ગયા છે. બધે કાયદાનું શાસન છે.

એક વયોવૃદ્ધ નેતા (મોરારજી દેસાઈ)ની પાછળ તેની (આદતને પોષવા માટે) રોજ વીસ કીલોગ્રામ ફળો આપાય છે.

એક પોતાને સર્વોદયવાદી ગણાવતો નેતા (જયપ્રકાશ નારાયણ) લશ્કરને બળવો કરવા ઉશ્કેરતો હતો.

એક વયોવૃદ્ધ સર્વોદયવાદી નેતાના (રવિશંકર મહારાજના) ઘરમાં સ્ફોટક પદાર્થોનો જત્થો રખાયો હતો. જોકે અમે તેને તેની ઉંમરને લક્ષ્યમાં લઈ પકડ્યો નથી (ઘરકેદમાં રાખ્યો છે).

અમારું ધ્યેય (ઈન્દીરાઈ સરકારનું ધ્યેય) “સબસે નમ્ર વ્યવહાર” (કામ જેલમાં પુરવાનું).

વિનોબા ભાવે કામકરતી સરકાર ઉપર ગૌવધબંધીને લગતો કાયદો ઘડવાની ભલામણ કરી રહ્યા છે અને આ માટે આમરણાંત ઉપવાસની ધમકી આપી રહ્યા છે. વિનોબાભાવેએ સુધબુધ ગુમાવી દીધી છે. શું આ “અનુશાસન પર્વ” રુપી દેશની કટોકટીના સમયે આવી ક્ષુલ્લક વાતો કરવી તેમને શોભે છે? જોકે કોઈ પણ સમાચારપત્રમાં વિનોબા ભાવેએ કરેલી ઉપરોક્ત વાત આવી ન હતી. પણ નહેરુવીયન કોંગ્રેસના કોઈ એક નેતાએ વિનોબા ભાવેની ટીકા કરી એને તો સેન્સર કરી ન જ શકાય એ આધારે સરકારી સેવકે સમાચાર છપાવા દીધા.

સૌથી મોટું કૌભાણ્ડ અને ફ્રૉડ એટલે કટોકટી

૧૯૭૫ની ૨૫મી જુને, ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી અને તે માટે કયા કારણો હતા અને કયા કારણો પ્રસારિત કરવામાં આવ્યા તે ઉપર પુસ્તકો લખાયા છે કે નહીં તે વિષે બહુ ચર્ચા થતી નથી.

કટોકટી લાદવાની આખી પ્રક્રિયા, તેની જાહેરાત, તેના કારણો, તેના આચારો અને અત્યાચારો, માન્યતાઓ એક શિલા લિખિત આતંકવાદ જ નહીં પણ જનતા ઉપર સતત લટકતી આતંકવાદી સરકારી ધમકી હતી.

ઈન્દીરા ગાંધીની સરકાર એક સુસ્થાપિત લગભગ સાર્વત્રિક રીતે વ્યાપક (એક બે અપવાદિત રાજ્યોને બાદ કરતાં) સરકાર હતી, ઈન્દીરા ગાંધીએ ખુદ એવા મંત્રી, મુખ્યમંત્રીઓ નિયુક્ત કરેલા કે જે હાજી હા કરવા વાળા હોય. કેન્દ્રમાં, રાજસભા તથા લોકસભામાં ઈન્દીરાઈ નહેરુવીયન કોંગ્રેસને માત્ર બહુમતી નહીં પણ સંપૂર્ણ બહુમતિ (બે તૃતીયાંશ બહુમતિથી પણ વિશેષ) હતી.

ઈન્દીરા ગાંધીનો કારભાર જ અરાજકતા ભર્યો હતો એટલે તેનો અસલ ચહેરો ૧૯૭૩થી જ ખુલવા માંડ્યો હતો. ગુજરાતમાં ૧૯૭૨ની વિધાનસભાની ચૂંટણીમાં નહેરુ-ઈન્દીરાઈ કોંગ્રેસને ૧૬૨ બેઠકોમાંથી ૧૪૦ બેઠકો મળી. ચિમનભાઈ પટેલને બહુમતિ સભ્યોનો સપોર્ટ હતો. પણ ઈન્દીરા ગાંધીને તો હાજી હા કરનારા જ મુખ્ય મંત્રી જોઇએ. એટલે ચિમનભાઈને બદલે ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્ય મંત્રી બનાવ્યા. ચિમન ભાઈએ તેમની રીતે લડત આપી અને ધરાર ઈન્દીરાગાંધીની ઈચ્છાની ઉપરવટ જઈ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.

બે રાક્ષસો એક બીજા સામે લડે તો બંને નબળા પડે. અરાજકતા હોય એટલે કારણો શોધવા ન પડે. એટલે નવનિર્માણ આંદોલન થયું અને વિધાનસભાનું વિસર્જન થયું. ૧૯૭૫માં બાબુભાઈ જશભાઈએ પાતળી બહુમતિ વાળી જનતા મોરચાની સરકાર બનાવી. બીજીબાજુ ઈન્દીરા ગાંધી જે કશા નીતિ નિયમો વ્યવહારમાં માનતી ન હોવાથી, તેની ચૂંટણી અલ્હાબાદ ઉચ્ચાદાલતે રદબાતલ કરી. અને ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી.

જોકે ઈન્દીરા ગાંધીમાં યોગ્યતા, કાબેલીયત અને નિષ્ઠા હોત તો તે દેશની ભલાઈ માટે ચમત્કાર સર્જી શક્યાં હોત. પણ તેમને સંસદમાં અને રાજ્યોમાં સંપૂર્ણ બહુમતિ, નિર્વિરોધ નેતાગીરી ઓછાં પડ્યાં. એટલે લોકશાહીનું ખુન કર્યું અને આપખુદ શાહી લાદી અને સૌ વિરોધીઓને જ નહીં પણ તેમના લાગતા વળગતાનેય વિના વાંકે જેલ ભેગા કર્યા અને સમાચાર પત્રો ઉપર સંપૂર્ણ અંકુશ મુક્યો અને રેડીયો ઉપર સરકારી વાહવાહ, વાહ ભાઈ વાહ અને વિરોધીઓ ઉપર થૂથૂ ચાલુ કર્યું.

અત્યારે ઢ’વાળીયા જેવા, તેમના મળતીયાઓ, કોંગી જનો અને જેમને નરેન્દ્ર મોદી પોતાના આગવા કારણોસર પસંદ નથી, તેઓ નરેન્દ્ર મોદીને આપખુદ, સરમુખત્યાર અને સત્તા લાલચુ કહે છે આ લોકોમાંના કોઈપણ કટોકટી વખતે ભાંખોડીયા ભરતા ન હતા અને અથવા કટોકટીના ઇતિહાસથી અજ્ઞાન નથી, છતાં પણ કટોકટીના આતંકવાદની નિંદા કરવાનું ટાળે છે.

કટોકટી એ સરકારી આતંકવાદ હતોઃ

આતંકવાદ એટલે શું?

તમે મનુષ્યને તેના બંધારણીય હક્કો ન ભોગવવા દો તેને શું આતંકવાદ ન કહેવાય? જો કાશ્મિરના હિંદુઓને તેમના ખુદના કોઈ ગુના વગર, તેમના ઘરમાંથી બળજબરીથી બહાર કાઢી નાખો તો આ કૃત્ય ને આતંક વાદી કૃત્ય કહેવાય કે ન કહેવાય?

તમે કોઈ મનુષ્યને તેના કોઈ ગુનાના અસ્તિત્વ વગર જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય  કહેવાય કે નહીં?

જો તમે કોઈ બિમાર વ્યક્તિ કે જેનો ઉપચાર ચાલતો હોય તેને જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જો કોઈ બિમાર વ્યક્તિની બિમારીને અવગણીને તમે તેને મરણતોલ કક્ષાએ પહોંચાડો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જે વ્યક્તિનું આતંકવાદીઓ અપહરણ કરે છે તેને તેઓ વાણીસ્વાતંત્ર્ય આપે છે? શું આતંકવાદીઓ અપહૃત વ્યક્તિને પોતાની માન્યતા રજુ કરવાની સ્વતંત્રતા આપે છે?

જો સરકાર જ આવું બધું કરે તો તેને શા માટે આતંકવાદી ન કહી શકાય?

મનુષ્યના કુદરતી અને બંધારણીય અધિકારોનું હનન જો આતંકવાદીઓ કરતા હોય અને તેને તમે આ કારણસર આતંકવાદી ઘોષિત કરતા હો તો, જો સરકાર જ આવાં કામો કરે તો તેને શામાટે આતંકવાદી ન કહેવાય?

શું ધર્મને નામે જ અત્યાચાર કરીએ તેને જ આતંકવાદ કહેવાય?

નહેરુવીયન કોંગ્રેસનું અર્થઘટન એવું જ રહ્યું છે કે જો કોમી દંગાઓ થાય તો ભારતમાં તેને ભગવા આતંકવાદમાં ખપાવી દેવામાં પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો. તેવી જ રીતે જ્ઞાતિવાદી સંઘર્ષો પણ કરાવવા. જ્ઞાતિવાદ, ધંધા, ધર્મ, પ્રદેશ, ભાષા વિગેરે દ્વારા માનવસમાજ વિભાજીત છે અને આ વિભાજીત લોકોને એક બીજા સામે તિરસ્કાર ઉત્પન્ન કરાવવો અને નબળાને નબળો રાખવા માટે પ્રયુક્તિઓ કરવી અને અંદરખાને થી સબળાને સબળો બનાવવો. આવી જ વ્યુહરચના નહેરુવીયન કોંગ્રેસની રહી છે. ઉપરોક્ત બધા જ જુથો પછી ભલે તે જ્ઞાતિને અધારે બનેલા હોય કે, ધંધાને આધારે બનેલા હોય, ધર્મને અધારે બનેલા હોય, પ્રદેશને આધારે બનેલા હોય, ભાષાને આધારે બનેલા હોય કે રાજકીય પક્ષને આધારે બનેલા હોય. આમ તો માનવના જ બનેલા છે. અને તેઓમાંના કોઈપણ જુથમાં રહેલા માનવોના કુદરતી કે બંધારણીય હક્કોનું જો કોઈપણ બીજા જુથદ્વારા હનન કરવામાં આવે તો તે આતંકવાદ જ કહેવાય. અને આ પ્રમાણે નહેરુવીયન કોંગ્રેસે તેમના વિરોધીઓના કુદરતી અને બંધારણીય માનવ અધિકારોનું હનન કરી ૧૯૭૫થી ૧૯૭૮સુધી આતંકવાદ આચરેલો. આતંકવાદ અક્ષમ્ય જ ગણાય.

આપણા અખબારી મૂર્ધન્યો શું કરે છે?

પોતાને વિષે પોતાને “તડ અને ફડ” કહેનારા માનતા એક અખબારી મૂર્ધન્ય શું કહેછે?  કટોકટી ના સમયમાં ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસો દોરડાના છેડાઓ પકડી લાલ-લીલી લાઈટ અનુસાર ટ્રાફિકનું સંચાલન કરતા જોઇ, આ મૂર્ધન્યભાઈ ગદગદ થઈ ગયેલ. અને કટોકટીને બિરદાવેલ.

એક કટારીયા મૂર્ધન્ય એવું લખતા કે તમે તેમના વાક્યોનું વિભાજન કરીને પણ કશો અર્થ ન તારવી શકો.

કેટલાક કટારીયા મૂર્ધન્યોએ રાજકારણને છોડીને કાંદા બટેકાને લગતા લેખો લખવા માંડેલ. સાલુ કટાર પણ એક જાગીર જ છે ને. તેનો કબજો હોવો જ મુખ્ય વસ્તુ છે.

મોટાભાગના કટારીયા મૂર્ધન્યોને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે સાલુ આપણે અત્યાર સુધી શિર્ષાસન કરતા હતા. આપણે હવે સીધા થઈએ. ઈન્દીરા માઈ જ ખરી દેવી છે. તેના ગુણગાન જ કરો.

૧૯૭૬-૭૭ સમયે કરવટ બદલી.

સંપૂર્ણ બહુમતી, નિર્વિરોધ નેતાગીરી, અંતે આપખુદશાહી અને સરકારી આતંકવાદ પણ (જે દેશના ભલા માટે ઘોષિત રીતે પ્રયોજાયેલા), તે કશું કામમાં ન આવ્યું. સમાચાર માધ્યમોએ કરેલી માત્ર અને માત્ર એક તરફી, ઈન્દીરાઈ પ્રગતિ વિષેની ભાટાઈ પણ કામમાં ન આવી. જનતાએ જે પ્રત્યક્ષ જોયું તેને જ પ્રમાણભૂત માન્યું અને સ્વિકાર્યું. કટોકટીનો આતંકવાદ તેના ભારથી જ તૂટી ગયો.

૧૯૭૭માં ચૂંટણી આપવી પડી. નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસનો ઘોર પરાજય થયો. દહીંદૂધીયા, “જિસકે તડમેં લડ્ડુ ઉસમેં હમ” જેવા, અને ડરપોક એવા યશવંતરાવ જેવા નેતાઓ ઈન્દીરાને છોડી ગયા.

“લોકશાહી હોય તો બધા દુરાચારો અમને ખપે” મૂર્ધન્યો બોલ્યા

મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી જનતા પાર્ટીની સુચારુ રુપે કામકરતી સરકાર ટકી નહીં. ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં રાજકીય અનીતિમત્તા, નાણાંકીય અનીતિમત્તા, વફાદારી અને જ્ઞાતિવાદી વિભાજન અધમ કક્ષા હતું અને હજી છે.

એટલે નહેરુવીયન કોંગ્રેસ આ અનીતિવાદી સમીકરણો થી હજુ પણ શાસન કરે છે. જ્યાં સુધી મૂર્ધન્યો શિક્ષિત બનશે નહીં ત્યાં સુધી આપણા દેશ ઉપર આ એક સમયે અપ્રચ્છન્ન રીતે આતંકવાદી બનેલી નહેરુવીયન કોંગ્રેસ અને અત્યારની પ્રચ્છન્ન આતંકવાદી સરકાર તરીકે શાસન કરશે.

નહેરુવંશીઓ કોઈને છોડતા નથી

આ નહેરુવીયન કોંગી નેતાઓ કોઈ એક બાજપાઈ નામના વ્યક્તિએ ૧૯૪૨ની ચળવળ વખતે સરકારની માફી માગીને જેલ માંથી છૂટકારો મેળવેલ, તેને અટલ બિહારી બાજપાઈ તરીકે ખપાવી ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીસુધી અને તે પછી પણ યાદ કરીને બાજપાઈ અને બીજેપીની બદબોઈ કરતા હતા.

૨૦૦૨માં નહેરુવીયન કોંગ્રેસના ગોધરાના એક સ્થાનિક મુસ્લિમ નેતાની આગેવાની હેઠળ સાબરમતી એક્સપ્રેસના હિન્દુયાત્રીઓને ડબા સહિત જીવતા બાળી દીધેલ. આના બચાવમાં નહેરુવીયન કોંગી આગેવાનોએ કહેલ કે “એ તો નરેન્દ્ર મોદીએ એમ કહીને મુસ્લિમભાઈઓને ઉશ્કેરેલ કે “અમારા બીજેપીના રાજમાં હિન્દુ મુસ્લિમ દંગાઓ થતા બંધ થઈ ગયા છે. આવું  કહેવાતું હશે?”

તેમજ આજ નહેરુવીયન કોંગીના નેતાઓ, તેમના મળતીયાઓ અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ઉપરોક્ત બનાવની પ્રતિક્રિયાના ભાગ રુપે ફાટી નિકળેલ તોફાનો પર રાજકીય રોટલો શેકવા માટે નરેન્દ્ર મોદીને આજની તારીખ સુધી વગોવ્યા કરે છે અને કોમવાદને સક્રીય રાખવાની કોશિસ કર્યા કરે છે.

બીજેપીના નેતાઓ અને અખબારી મૂર્ધન્યો શામાટે નહેરુવંશીય ઈન્દીરાઈ કટોકટીને યાદ કરતા નથી? આ કટોકટી તો ભારતના ઈતિહાસનું અને ભારતના ગૌરવને લાંછન અપાવે તેવું એક સૌથી કાળું પ્રકરણ હતું. શાસકે આચરેલો નગ્ન આતંકવાદ હતો. તો પણ તેને કેમ ભૂલી જવાય છે?

દંભીઓ શું કહે છે?

નહેરુવીયન કોંગી નેતાઓ, મહાનુભાવો, અખબારી મૂર્ધન્યો જેઓ વાસ્તવમાં પ્રચ્છન્ન રીતે નહેરુવીયન કોંગ્રેસના હિતેચ્છુઓ છે અથવા તો તટસ્થતાનો ઘમંડ ધરાવે છે તેમની દલીલો કંઈક આવી છે.

નહેરુવીયન કોંગીના નેતાઓઃ “ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્ય તરફ જુઓ.” (ડાકુઓ આવું કહેતો તેને દેશની ધૂરા આપી દેશો શું? કાયદામાં આવી જોગવાઈ છે?)

યશવંતરાવ ચવાણ અને તેમના ચેલકાઓ જેઓ અત્યારે એનસીપીને શોભાવી રહ્યા છે તેઓ આમ કહે છે. કટોકટીને ભૂલી જાવ. અમે ભૂલ કરી હતી અને તેના ફળ પણ મેળવી લીધા છે. બસ વાત પુરી. (ડાકુ ચૂંટણી હારી ગયો એટલે તેને સજા મળી ગઈ. વાત પુરી.)

હુસેન ચિત્રકારઃ કટોકટી એક છીંક હતી. હવે બધું સામાન્ય છે. કટોકટીની વાતને એક છીંકની જેમ ભૂલી જાઓ. (જે રાક્ષસી છીંકે હજારો લોકોના કુટુંબીઓને યાતના ગ્રસ્ત કર્યા તેને ભૂલી જાઓ એમ જ ને?)

બચ્ચન (હિન્દીના ખ્યાતનામ કવિ); “ અમારે તો નહેરુ સાથે કૌટુંબિક સંબંધ છે” (ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ એતો એમના માટે પોથીમાંના રીંગણા છે)

કેટલાક સર્વોદય બંધુઓઃ સારું સારું યાદ કરો અને ખરાબ વાતો ભૂલી જાવ. (શેતાન એના પાપો ચાલુ રાખે તો તમે શું કરશો? નરેન્દ્ર મોદીનું પણ સારું સારું જુઓને તો પછી…)

કેટલાક સર્વોદય નેતાઓઃ (મનમાં) આ બીજેપી વાળા તો અમારો ભાવ પણ નથી પૂછતા તો લોકોની નજરમાં ટકી રહેવા માટે અને કંઈક કરી રહ્યા છીએ એવું બતાવવા માટે અમારે નહેરુવીયન કોંગ્રેસને સાથ આપ્યા વગર છૂટકો નથી. હવે ક્યાં કટોકટી છે?

તડફડવાળા મૂર્ધન્યઃ બાઈ જોરદાર હતી.

જો બાઈ જોરદાર હતી તો તે પક્ષ માટે જોરદાર હતી. વહીવટમાં અને દેશ હિત માટે નહીં. એમ તો નરેન્દ્ર ભાઈ પણ જોરદાર છે જ ને. અને નરેન્દ્રભાઈનો તો કોઈ રેકોર્ડેડ ગુનો પણ નથી. તેમને વિષે તો બધું ધારણાઓના આધારે (હાઇપોથેટીકલ) છે. હાઈપોથેટીકલી તમે કોઈને ગુનેગાર ઠેરવી ન શકો અને તેની બુરાઈ પણ ન કરી શકો.

“આસપાસ”વાળા કટારીયાઃ ઈન્દીરા ગાંધીએ તો કટોકટી બદલ ઘરે ઘરે જઈને માફી માગેલી.

આસપાસ વાળા ભાઈ, તમે રામ ભરોસે બોલ્યા કરો છો. બકરીની ત્રણ ટાંગ જેવી વાત છે. કોણ જોવા ગયું છે? છાપામાં અને ઈન્દીયન ન્યુઝમાં તો એવી કોઈ વીડીયો જેવા મળી ન હતી, કે છાપામાં પણ એવા કોઈ ફોટા આવ્યા ન હતા. “જંગલમેં મોર નાચા કિસીને ના દેખા”.

મૂર્ધન્યોએ સમજવું જોઇએ કે જે સરકારી તપાસપંચ પ્રમાણે ફોજદારી ગુનેગાર છે તેની સજા માફી માગવાથી માફ થઈ જઈ શકતી નથી. કેસ તો ચલાવવો જ પડે.

માફી માગવાથી કયા કયા ગુનાઓ માફ થઈ શકે?

જે તમારા દૂરના પૂર્વજો કે જેને તમે જાણતા નથી તેમણે કરેલા ગુના તમે માફી માગીને કહી શકો કે અમે તેમના કૃત્યોથી શરમ અનુભવીએ છીએ . અમને માફ કરી દો.

પણ જે પૂર્વજોની તમને શરમ ન હોય, પણ ગર્વ હોય, તો તેના ગુનાઓ માફી માગવાથી પણ માફ ન થઈ શકે.

દા.ત. યુરોપીય પ્રજાએ અમેરિકાની રેડ ઈન્ડીયન પ્રજાની કત્લેઆમ કરેલી. તેમને આ કત્લેઆમની શરમ છે અને હાલની પ્રજાએ પ્રાયશ્ચિત રુપે રેડ ઈન્ડીયન પ્રજાને વિશેષ સવલતો આપી અને માફી પણ માગી.

બ્રીટીશ શાસકોએ જલીયાનવાલા બાગની ઘટના બાબતે હાલ શરમ અનુભવી અને માફી માગી. જોકે ભારતીય પ્રજાએ માફી આપી નથી.

કોને વિશ્વાસ પાત્ર માનેલા?

મમતા બેનર્જી જેણે પશ્ચિમ બંગાળમાં જયપ્રકાશનારાયણની લડતમાં પોતાનું યોગદાન આપેલું. અને જયપ્રકાશનારાયણની જીપ ના હુડ ઉપર નાચ કરેલો. લાલુ યાદવ, મુલાયમ, ચરણસીંગ,  નીતીશકુમાર, શરદ યાદવ, જનસંઘી નેતાઓ અને ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના,  વિગેરેના નેતાઓ પણ પૂરજોશથી સામેલ હતા.

ગાંધીજી અને જયપ્રકાશ નારાયણનું ધોતીયું

ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના કેટલાક પરોક્ષ રીતે તો કેટલાક પ્રત્યક્ષરીતે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

મમતા પોતાની સત્તા ખાતર નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે.

માયાવતી, લાલુપ્રસાદ, મુલાયમ, ચરણસીંગના સુપુત્ર પણ જરુર પડે નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે. કારણ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટથવાને કાબેલ છે.

નીતીશકુમાર પણ સત્તાનો સ્વાદ ચાખ્યા વિતંડાવાદ દ્વારા પોતે પોતાનો દંભ છૂપાવી શકે છે તેવું માનતા થઈ ગયા છે. નીતીશ કુમાર એવું માને છે કે દસ્તાવેજોદ્વારા સિદ્ધ થયેલો નહેરુવીયન પક્ષનો આતંકવાદ ને અસ્પૃષ્ય ન માનવો પણ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માનવો.

નીતીશકુમાર માને છે કે જો અડવાણી પોતેજ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માને છે તેવી હવા ચલાવાતી હોય તો રાજકીય નીતિમત્તા જાય ચૂલામાં. નીતીશકુમાર માને છે કે નરેન્દ્ર મોદી જેવો લોખંડી નેતા જો વડાપ્રધાન તરીકે આવી જશે તો આપણા જાતિવાદી વોટબેંકનું જે રાજકારણ આપણે છ દાયકાથી ચલાવીને જે કંઈ સુખડી ખાઈએ છીએ તેનો અંત આવી જશે. તેથી કરીને ટકી રહેવા માટે નરેન્દ્ર મોદી વિષે ફાવે તેમ ધારણાઓ વહેતી મુકો અને મોદીની બુરાઈ કરો.

જો સમાચાર માધ્યમોના ખેરખાંઓ જ નહેરુવંશીય રાજકીય આતંકવાદને ન સમજી શકતા હોય અને નરેન્દ્રમોદી-બીજેપીની ધારણાઓ ઉપર આધારિત અને કપોળ કલ્પિત બુરાઈઓ ફેલાવતા હોય તો આપણે પણ એ જ ફેશન અપનાવવી જોઇએ. આપણા ઉચ્ચારણોને પણ ચાર ચાંદ લાગશે.

જો જેએલ નહેરુ જેવા લીડરો સત્તા માટે ગાંધીજીનું ધોતીયું પકડીને આગળ આવ્યા હતા. તેમને સત્તા મળ્યા પછી, તેમણે ગાંધીજીના (સિંદ્ધાંતો રૂપી) ધોતીયાના લીરે લીરા ઉડાડી દીધા.

મમતા, મુલાયમ, લાલુ, નીતીશ, ચરણના સપુત વિગેરે પણ જયપ્રકાશ નારાયણનું ધોતીયું પકડીને આગળ આવેલા. અને હવે તેઓ પણ જયપ્રકાશ નારાયણના (રાજકીય નીતિમત્તાના સિદ્ધાંતો રુપી) ધોતીયાના લીરેલીરા ઉડાડી રહ્યા છે.

સિદ્ધાંત વિહોણાઓને ઓળખી લો.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

નહેરુવંશી, ઈન્દીરા, કટોકટી, દંભ, ફ્રૉડ, વિરોધ, જેલ, સરકારી, અફવા, આતંકવાદ, અધિકાર, કટારીયા, મૂર્ધન્યો, જાગીર, સાષ્ટાંગ, દંડવત, નમન, શિર્ષાસન, ગાંધીજી, જયપ્રકાશ, ધોતીયું, લીરે લીરા

Read Full Post »

શું નરેન્દ્ર મોદી હજી ચાની કીટલી લઈને ફરે છે?

નરેન્દ્ર મોદી એક ભણેલો, વિચારવંત, કુશળ, દેશપ્રેમી અને ભેદભાવરહિત ગુજરાતી નેતા છે. ફક્ત ગુજરાતમાં જ નહીં, પુરા દેશમાં અને વિદેશમાં વસતા ભારતીયોમાં પણ તે એક માત્ર લોકપ્રિય નેતા છે. હવે જો કાયદેસરની વાત કરીએ તો તેણે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ ના ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પોતાની આગવી સુઝબુઝથી અને પરિશ્રમથી જીતીને બતાવી છે.

નરેન્દ્ર મોદીની રાજકીય કુશળતાને ગણનાહીન અને અપ્રસ્તુત્ય કરવામાટે નહેરુવીયન કોંગેસના સામાન્ય કાર્યકરો અશિષ્ટ શબ્દ પ્રયોગ કરે તે સમજી શકાય છે કારણ કે સામાન્ય જનતામાં  સામાન્ય બુદ્ધિનો, સામાન્ય રીતે  અભાવ હોય છે. તેથી તેઓ અશિષ્ટ શબ્દો વાપરે કે આધાર હીન વાતો કરે કે અદ્ધર અદ્ધર વાતો કરે તે સમજી શકાય. પણ જેઓ પોતાને નેતા ગણાવે અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના હોદ્દેદાર પણ હોય, તેઓ પણ જાહેરમાં અશિષ્ટ અને અપમાન જનક ભાષા એક મુખ્ય મંત્રીની માટે ટીકા કરવામાં વાપરે તે અક્ષમ્ય જ ગણાય.

સંચાર માધ્યમોનું કામ લોક જાગૃતિનું અને લોક શિક્ષણનું કામ છે. પૈસા કમાવવાના કાયદેસરના રસ્તાઓ છે. સંચાર માધ્યમાના સંચાલકો કે માલિકો જો એમ જ માનતા હોય કે અમારું કામ ફક્ત પૈસા કમાવાનું છે અને તે માટે લોકોને આંચકાઓવાળા સમાચારો અને અભિપ્રાયો પ્રગટ કરવાનું છે તો તેઓ આ વાત જાહેરમાં કબુલ કરે. જો આટલા સંસ્કાર તેમનામાં ન હોય તો પાળેલા શ્વાન અને તેમનામાં શું ફેર છે?

નહેરુવીયન વંશજોની વાત જવા તો ન જ દેવાય. પણ જે એલ નહેરુ કંઈક તો સભ્ય પુરુષ હતા. વાચન વિશાળ હતું પણ આવતી કાલને સમજવા માટેની સમજણ શક્તિ ઓછી હતી તેથી આવડત ઓછી હતી અને તેમણે હિમાલય જેવડી ભૂલો કરેલી જેનું ફળ અને તેમણે સ્થાપેલા પ્રણાલીગત વ્યવહારો આ જે પણ આપણે ભોગવી રહ્યા છીએ.

તેમની પુત્રીની પાસે કશીજ પાર્શ્વભૂમિ હતી જ નહીં અને બધીરીતે એક સામાન્ય કક્ષાની સ્ત્રી હતી સિવાય કે સત્તા કેવી રીતે મેળવવી, તેને કેવી રીતે  ટકાવી અને પોતાના પક્ષના સભ્યોને કેવીરીતે કાબુમાં રાખવા તે માટેની કળા તે જાનતી હતી. આ આવડત તેણે તેના પિતાજી પાસેથી અને રશિયા પાસેથી શિખી લીધેલી. સાધનશુદ્ધિનો રાજકીય મૂલ્યોનો સદંતર અભાવ હતો. તેણે પણ પોતાના પિતાજી કરતાં પણ બમણી ભૂલો કરેલી જેને સુધારવાની શક્યતા કોઈ એક વ્યક્તિ કરી શકે તે વાત જ અશક્ય બની ગઈ છે. પણ આ બાઈએ એક એવી પણ રાજકીય પ્રણાલી સ્થાપી કે વિરોધીઓને તો બધું જ કહી શકાય. તેઓ ગમે તેટલા મહાન હોય કે ગમે તેટલા શુદ્ધ હોય તો પણ તેમને વિવાદો ઉત્પન્ન કરીને અને આ વિવાદોને રટ રટાવીને તેમને  તેઓ સાચેસાચ એવા જ છે તેવું જનતાના મગજમાં ઠોકી બેસાડી શકાય છે.

ઇન્દીરા ગાંધીના પિતાજીએ, ઈન્દીરા ગાંધીને પોતાના વારસ બનાવવા માટે, સીન્ડીકેટની રચના કરેલી અને આ સિન્ડીકેટે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન પદ આપ્યું પણ ખરું. પણ ગરજ પતી એટલે ઈન્દીરા ગાંધીએ તેમને હરાવ્યા અને પ્રચાર એવો કર્યો કે તેઓ તેમને તો શું પણ તેમના પિતાજીને પણ કામ કરવા દેતા ન હતા. મોરારજી દેસાઈ ત્રાગાંઓ કરે છે, તેમના પુત્ર મોરારજી દેસાઈના પદનો ગેરલાભ લે છે, વિરોધ પક્ષ સત્તા લાલચી છે, બહુગુણા, એલ એન મિશ્રા, વીર બહાદુર સિંહ સ્વકેન્દ્રી છે,  વી.પી સિંગ વિદેશી બેંકમાં ખાતુ ધરાવે છે, આવાં તો અગણિત જુઠાણાઓ ફેલાવવાના સંસ્કારો નહેરુવીયન કોંગ્રેસમાં અને સંચાર માધ્યમોમાં ઘુસી ગયેલા. હવે આ સંસ્કારો નિકળવાનું નામ લઈ શકે તેમ નથી. કારણ કે આ નેતાઓ અને મૂર્ધન્યોને માટે શૈક્ષણિક અને વિવેકશીલ ચર્ચા કરવાની લાયકાત, એ તેમની હેસીયત રહી નથી.

રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી અને તેના સુપુત્રની વાત જવા દો, કારણ કે તેઓ તો અતિ સામાન્ય કોટીના જણ જણી છે. તેમની નહેરુવંશના સંબંધી હોવાની અને અઢળક પૈસા વારસામાં મળ્યો એ સિવાયની બીજી કોઈ લાયકાત નથી. સામાન્ય કક્ષા હોવાને કારણે મૌતના સોદાગર અને ગોડસે કહે તે સમજી શકાય છે.

પણ આ નહેરુવીયન કોંગ્રેસના બીજા નેતાઓ વિષે શું છે? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને પણ શું મૂલ્ય હીન બનાવી દીધા છે?  તેમણે તેમના માલિકોને ખુશ કરવા ભાટાઈના એક ભાગ રુપે કે પોતાની સત્તા જાળવી રાખવા શા માટે જુઠાણા ચલાવવા પડે છે? તેઓને એ ખ્યાલ તો છે જ નહીં કે તેમનું પોતાનું અસ્તિત્વ છે અને સ્વયંની સજ્જનતા પણ હોઈ શકે છે.      

મોઢવાડીયા કહે છે,

૨૦મી ડીસેમ્બરે મોદી બીજી દિવાળી ઉજવવાના સપના જુએ છે પણ ૨૦મી ડીસેમ્બરે તો બીજેપીની હોળી હશે.

મોદી તો મુંગેરીલાલ છે. અને તે વડાપ્રધાન થવાના સપના જુએ છે.

દિવાળી કોની થઈ અને હોળી કોની થઈ એ વાત જવા દો, પણ શું નરેન્દ્ર મોદી, મુંગેરીલાલની કક્ષામાં આવે છે? એ વાત સાચી કે તેઓ એક વખત ચાની કીટલી લઈને રેલ્વે પ્લેટફોર્મ ઉપર ફરતા હતા. પણ અત્યારે તેમ નથી.

એમ તો જ્યારે ભારત સુસંસ્કૃત હતું ત્યારે યુરોપીયનો જંગલી અવસ્થામાં અને અસંસ્કૃત હતા. પણ હવે તેઓ તેમ નથી. અત્યારે તેઓ, આપણા આડેધડ બાઈકો અને બીજા વાહનો ચલાવતા તથા રસ્તેચાલતા ગંદકી કરતા ભારતીયો કરતાં હજાર ગણા સુસંસ્કૃત છે.

નરેન્દ્ર મોદીએ પણ ચાની કીટલી ફેરવતાં ફેરવાતાં અને તે પછી ઘણો અભ્યાસ કર્યો છે. ઘણું વાચન કર્યું છે. ઘણું ચિંતન કર્યું છે. અને ઘણો પરસેવો પણ પાડ્યો છે. આત્મબળ અને કાર્ય શક્તિથી આગળ આવ્યા છે. તેમણે કદી કોઈ દિવસ માગણી કરી હોય તેવું કશું રેકોર્ડ ઉપર નથી. રેકોર્ડ ઉપર તો એજ છે કે તેમને જે કામ સોંપવામાં આવ્યું તે તેમણે કર્યું.

તો હવે મુંગેરી લાલ કોણ ઠરે છે? નરેન્દ્ર મોદી કે મોઢવાડીયા પોતે?

જુઓ હજીપણ મોઢવાડીયા નરેન્દ્ર મોદીને અવારનવાર મુંગેરી લાલ કહે છે. આ શબ્દ તેમને તેમના પક્ષના એક કેન્દ્રીય નેતા પાસેથી અધિગત થયો છે. જે પક્ષના દિગ્ગજ નેતાઓને ભ્રષ્ટ થવાનું લખાયું હોય તેના વામણા નેતાઓનું આથી વિશેષ શું ગજું હોય?

શંકર સિંહ શું કહે છેઃ

નરેન્દ્ર મોદીએ જેનો સાથ લઈને તેઓ આગળ આવેલા તેમને તેણે અળગા કરી દીધા. આ શંકરસિંહ કોણ છે? આ એ શંકરસિંહ છે જેઓ એ બીજેપીમાંથી પોતાના સાથીઓને લઈ બળવો કરેલ. અને તેમને ખજુરાહો લઈ ગયેલ. એટલે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે તેમને ખજુરીયા કહેલ. અને જેઓ કેશુભાઈ સાથે રહેલ તેમને આ શંકરસિંહે હજુરીયા કહેલ. એટલે કે બીજેપીમાં જેઓ હજુરીયા ન હતા તેઓ શંકરસિંહ સાથે હતા એવું શ્રી શંકરસિંહ માનતા હતા.  ચૂંટણી પ્રચાર દરમ્યાન જો કે કેશુભાઈ અને શંકરસિંહ સાથે હતા. સુરેશ મહેતાનો એક વખત નંબર લાગ્યો પણ બીજી વખત તેમનો નંબર ન લાગત, જો શંકર સિંહે ૨૦૦૨ સુધી ધિરજ રાખી હોત તો તેઓ અચૂક મુખ્ય મંત્રી બની શકત. કારણ કે વહીવટ ક્ષેત્રે કેશુભાઈ ખાસ અસરકારક કામગીરી બજાવી ન શકેલ.

કેશુભાઈ ની નિસ્ફળતાઓ સમાચાર માધ્યમો યાદ કરતા નથી.

આર એસએસના કેટલાક કાર્યકરો, સરકારી નોકરો પાસેથી લોકોના કામ કરાવવા માટેના એજન્ટો બની ગયેલ. બીજા પેટા ચૂંટણીના પરાજયો ઉપરાંત, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન જેવી મહત્વની ચૂંટણીમાં પણ બીજેપીનો પરાજય થયેલ. તે ઉપરાંત ૨૦૦૧માં આવેલા ધરતીકંપ પછી જે રાહત કામગીરી હતી તે નિભવવામાં કેશુભાઈ સદંતર નિસ્ફળ ગયેલ. કેશુભાઈ એક મજાકનું પાત્ર બની ગયેલ. તે વખતે બીજેપીના મોવડી મંડળ પાસે મોટાગજાનો નેતા હતો નહીં. જો શંકરસિંહે પક્ષ પલ્ટો ન કર્યો હોત અને ધીરજ રાખી હોત તો મોવડી મંડળે તેમની મુખ્ય પ્રધાન પદ માટે જરુર વરણી કરી હોત.

કેશુભાઈને નરેન્દ્ર મોદીએ હટાવ્યા ન હતા.

જ્યારે કેશુભાઈને હટાવાયા અને નરેન્દ્ર મોદીને લવાયા ત્યારે કે તે પહેલાં કોઈ એવા સમાચારો કે વક્તવ્યો જાણવામાં આવ્યા ન હતા કે નરેન્દ્ર મોદીએ મોવડી મંડળમાં જઈને કેશુભાઈની વિરુદ્ધ કાન ભંભેરણી કરેલ અને પોતાનો દાવો રજુ કરેલ. આપણે જાણીએ છીએ કે બીજેપીની છાવણીમાં રહેલી રાઈ જેવડી વાતને પણ સમાચાર માધ્યમો પહાડ બનાવીને પ્રસિદ્ધિ આપે છે અને તે પણ મીઠું મરચું ભભરાવીને અશક્ય ધારણાઓ પણ વહેતી મુકે છે.

મોદીએ મોવડી મંડળનો સંપર્ક પણ કરેલો એવી પણ કોઈ વાત અફવા સ્વરુપે પણ અસ્તિત્વ ધરાવતી ન હતી.  પણ જ્યારે ૨૦૧૨માં કેશુભાઈ રઘવાયા થયા અને એક છેલ્લો ચાન્સ લઈ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે આવી કાનભંભેરણીવાળી વાત વહેતી મુકી. ૨૦૦૧માં પણ કેશુભાઈએ બીજેપીમાં રહીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિયાન ચલાવેલ. તે વખતે પણ તેમણે ઉપરોક્ત કાનભંભેરણી વાળી વાત કરી ન હતી. તે વખતે પણ જનતાની નજરે નરેન્દ્ર મોદી એક શ્રેષ્ઠ મુખ્ય મંત્રી હતા.

શ્રી ગુણવંતભાઈ શાહે સંદેશમાં એક અપીલ બહાર પાડેલી.

સંદેશે પણ એક ફોર્મ છાપેલ કે જનતા પોતાની પસંદગી આપે કે નરેન્દ્ર મોદીની કામગીરી કેવી છે અને તેમણે મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહેવું જોઇએ કે નહીં.

આ ફોર્મ જનતાએ પોતાના ગાંઠના ખર્ચે પોસ્ટ કરવાનું હતું. ૮૭ ટકા જનતાએ તે વખતે પણ નરેન્દ્ર મોદીની ઉપર જ પસંદગી ઉતારેલ. ૨૦૦૨ની ચૂંટણી વખતે પણ કેશુભાઈએ કાનભંભેરણીની વાત કરી ન હતી. આ કેશુભાઈના નવા નવા તુક્કાઓ ઉપર વિશ્વસનીયતા કેવી રીતે રાખી શકાય?

શરદ પવાર શું કહે છે?

શરદ પવાર કહે છે કે મોદી તો ફુગ્ગો છે. ફુગ્ગો જેટલો જલદી ફુલે તેટલો તે જલ્દી ફુટી જાય છે. નરેન્દ્ર મોદીનો ફુગ્ગો પણ જલ્દી ફુટી જશે.

આ શરદ પવાર કોણ છે? માણસ પોતાના દેશ માટે પ્રપંચો કરે તે ક્યારેક ક્ષમ્ય ગણાય છે. પણ જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પ્રપંચો કરે તે ક્ષમ્ય નથી. જોકે નહેરુવીયન કોંગ્રેસે અને તેના કલરફુલ (પીળા) મીડીયાએ આવા પ્રપંચોને પણ ક્ષમ્ય જ નહીં પણ વખાણવા યોગ્ય માની લીધા છે. શરદ પવારે કેટલા પક્ષ બદલ્યા એ ગણાવવા માટે તો તેમને ખુદને પણ આંખો બંધ કરીને ગણત્રી કરવી પડે. અસામાજીક તત્વો, ખાંડના કારખાનાની લોબી અને હાલમાં સિંચાઈના કામોમાં થયેલી ખાયકી ઓમાં થયેલી નહેરુવીયન કોંગ્રેસ સાથેની મીલીભગતની ભગતની અફવાઓ વિશ્વસનીય લાગે છે. શિવસેના વાળા ટકી રહેવા માટે મધ્યમ વર્ગના માણસોને ક્યારેક સ્વેચ્છા પૂર્વક વિનંતિ કરીને કે થોડી ધાકધમકીથી તેમની પાસેથી પૈસા ઉઘરાવે છે. શરદના માણસો તો મોટા પાયે જમીનના ઝગડાઓ કોર્ટ બહાર જમીન માફીયા રાહે દાઉદના નેટ વર્કના હિસ્સા રુપ બનીને ઉકેલે છે. આ વાત મુંબઈમાં નાનુ બાબલું પણ જાણે છે.

કપિલ સિબ્બલ શું કહે છે? “મોટો ખુલાસો”

કપિલ સિબ્બલે કહેલ કે થોડા વખતમાં અમે નરેન્દ્ર મોદી બાબતમાં મોટો ખુલાસો કરીશું. આ વાત તેમણે એક બે મહિના પહેલાં કરેલી. આ ખુલાશો શું છે? સમાચાર માધ્યમોએ કહેલું કે નરેન્દ્ર મોદીને ૨૦૦૨ ના દંગાઓના કેસમાં ફસાવી દેવામાટે ચોકઠું ગોઠવાઈ ગયું છે. સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં અથવા તો ઇસરત જહાં કેસમાં તેને ફસાવી દેવામાં આવશે.

ક્લીક કરોઃ

 https://www.youtube.com/watch?feature=player_embedded&v=YJudO8FjPj4 Madhu Keshvar on Narendra Modi.

લાલ કૃષ્ણ અડવાણી તેમની માંદગીઃ

અડવાણી મોદીની વિરુદ્ધમાં છે. કારણ કે તેમને હજુ વડાપ્રધાન થવાની ઈચ્છા છે. મોદીની લોકપ્રિયતા તેમને કઠે છે. સમાચાર માધ્યમોએ આ વાતને બહુ ચગાવી છે. એટલી ચગાવી છે કે આપણને જ નહીં પણ અડવાણીને ખુદને એવું લાગે કે તે મોદી લોકપ્રિય બને અને લોકો મોદીને  વડાપ્રધાનપદના દાવેદાર સમજે તે તેમને પસંદ નથી. દરેક વ્યક્તિને પોતાની મહેચ્છાઓ હોય. પણ તે માટે સુજ્ઞ જનો અંતે તો જનતાની ઈચ્છાને જ મહત્વ આપે છે.

નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી નથી.

જ્યારે વ્યક્તિ પોતે, ઈચ્છતો હોય પણ જાહેર કરવા માગતો ન હોય તો તે પોતાની ઈચ્છા તેના સાથીઓ દ્વારા જાહેર કરે છે. (મોરારજી દેસાઈ જેવા પુરુષો વિરલ હોય છે જેઓ પોતાનો હક્ક જાહેર રીતે વ્યક્ત કરે છે), પણ બીજેપીના કોઈ નેતાએ પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થવા જોઇએ એવી કોઈ વાત કરી નથી. તો પછી નરેન્દ્ર મોદીને વડા પ્રધાન થવું છે તે વાત ઉગી કેવી રીતે?

અડવાણી જીન્ના ની કબર ઉપર માથું ટેકવી આવ્યા એટલે આરએસએસ વાળા કંઈક વધારે પડતા નારાજ થયા. જીન્નાની વાત ઉપર તો નહેરુવીયન કોંગ્રેસીઓએ પણ અડવાણી ઉપર માછલા ધોયાં. મીડીયાએ આ વાત ને અતિશય ચગાવી. બીજેપીના નેતા ઉપર કોઈ વિવાદ ઉભો થાય તો મીડીયા વાળા અને કોંગ્રેસી નેતાઓ ઝાલ્યા ન રહે. અને આતો હિન્દુત્વનો સવાલ એટલે આરએસએસવાળા ગાંડાતૂર થયા. ૧૯૫૪માં પાકિસ્તાનના પ્રમુખ ઈસ્કંદર મીર્ઝાએ ભારત અને પાકિસ્તાનનું સમવાય તંત્રની માગણી મુકેલ. જવાહરલાલ નહેરુએ તેમની આ માગણીને તૂચ્છતા પૂર્વક નકારી નાખેલ. અખંડ ભારતની વાતો કરીને મહાત્મા ગાંધીને જવાબદાર ઠેરવનાર અને તેથી કરીને પોતે કેવા પરમ દેશભક્ત છે, તેવા આ  આરએસએસવાળા મહાનુભાવોએ તે વખતે જવાહરલાલ નહેરુ ઉપર તૂટી પડવા જેવું હતું. પોતાનો પરમ દેશપ્રેમ વ્યક્ત કરવાનો આ સુંદર મોકો હતો. પણ તેમના નેતાઓને ખબર છે કે અખંડ ભારતની વાત એક બનાવટ છે વાસ્તવમાં જો આ વાત ચગત તો નહેરુના ચેલકાઓ આરએસએસના દિગ્ગજ નેતાઓ ભાગલાની તરફના હતા તે વાત બહાર લાવી દેત. તેથી બાંધી મુઠ્ઠી લાખની એમ વિચારીને આર એસ એસના નેતાઓ મૌન રહેલ. વિનોબા ભાવેએ ઈસ્કંદર મીર્ઝાની સમવાય તંત્રની વાતને આવકારી હતી. વિનોબા ભાવેએ જવાહરલાલ નહેરુના કારણોને ગેરવાજબી ઠેરવેલ. સમાચાર માધ્યમો તે વખતે પણ નહેરુના પ્રશંસક હતા તેથી તેમણે સમવાય તંત્રની વાતને ચર્ચાના ચગડોળે ચલાવી ન હતી.

આરએસએસ ના નેતાઓનું મુખ્ય ધ્યેય પક્ષ ઉપર પકડ રાખવાનું છે, બીજેપીના નેતાઓને વખતો વખત દબાવવાનું છે. પણ અડવાણીની સ્થિતિ છૂટેલા તીર જેવી હતી. અને આરએસએસવાળા હવે જો અડવાણી ઉપર વિશ્વાસ રાખે તો તેઓ ડબલ કાટલા વાળા થાય એવી વાત સમાચાર માધ્યમો વાળા ફેલાવે ને ફેલાવે જ. એટલે તેમની સ્થિતિ પણ છૂટેલા તીર જેવી હતી.

જશવંત સિંહ પણ જીન્નાની વાતમાં ફસાયેલા છે. જોકે જશવંત સિંઘ અને અડવાણી સાચે સાચ માંદા લાગે જ છે છતાં પણ મીડીયાને તેને પોલીટીકલ માંદગી ખપાવવામાં ખાસ રસ છે. જશવંત સિંઘ એક સારા વહીવટકર્તા છે અને તેઓ આવા પોલીટીક્સમાં પડતા નથી.

સુષ્મા સ્વરાજઃ

તે એવાં શક્તિશાળી નથી. તેઓ જો સોનીયા ગાંધીને ન જીતી શકે તો બીજાને તો જીતાડી જ કેવીરીતે શકે. વળી તેઓ પણ દુશ્મનો ઉપર દયા રાખનારા છે. એક વખત ૨૦૦૦-૨૦૦૪ના અરસામાં નહેરુવીયન કોંગ્રેસ કાર્યાલયનો ટેલીફોન પૈસા ન ભરવાથી કપાઈ ગયેલ. તે વખતે સુષ્મા સ્વરાજ ટેલીકોમ્યુનીકેશન મીનીસ્ટર હતા. તેમણે તે ટેલીફોન ચાલુ કરાવી દીધેલ. એટલું જ નહીં જે અધિકારીએ તે ટેલીફોન કાપી નાખેલ તેની સામે વળતા પગલાં લીધેલ.વાસ્તવમાં સુષ્માસ્વરાજે નહેરુવીયન કોંગ્રેસની બેદરકારીને ચગાવવા જેવી હતી. પણ સુષ્માસ્વરાજે બાજપેયીવાળી કરી, એટલે કે દયાના દેવી બન્યાં અને વિપક્ષ આગળ ભલાં બન્યાં. આરએસએસ વાળા આવી મહિલાને પસંદ ન જ કરે.

તોગડીયા અને આર એસ એસ

તોગડીયાએ કહ્યું કે વિકાસનો મુદ્દો તો બીજા પણ ઉઠાવી શકે છે અને તેમાં તો વિવાદો પણ ઉત્પન્ન કરી શકાય છે તેથી બીજેપીએ હિન્દુઓના મત લેવા માટે અને હિન્દુઓની એકતા સ્થાપિત કરવા માટે હિન્દુત્વનો જ મુદ્દો જ ઉઠાવવો જોઇએ. એટલે કે નરેન્દ્ર મોદી જે વિકાસનો મુદ્દો ઉઠાવે છે તે બરાબર નથી. જોકે તોગડીયા એ વાત ભૂલી જાય છે કે જનસંઘ હિન્દુત્વના મુદ્દા ઉપર જ ચૂંટણી લડતો હતો. અને ૧૯૮૪ની ચૂંટણીમાં બીજેપીની પાસે હિન્દુત્વ સિવાય મુદ્દો હતો જ નહીં. પણ આપણા આરએસએસના ભાઇઓએ રાજીવ ગાંધીમાં તારણહાર જોયેલો. વિશ્વબંધુ ગુપ્તાના કહેવા પ્રમાણે કેટલાક આરએસએસવાળાઓએ રાજીવ ગાંધીનો પ્રચાર કરેલ. ટૂંકમાં પડઘી વગરના લોટા જેવા આરએસએસવાળાઓનું કહેવું માની નરેન્દ્ર મોદી “આ બૈલ મુઝે માર જેવું તો નજ કરે.”

જો કે આરએસએસવાળા દેશભક્ત છે અને આપત્તિના સમયે સેવાનું સારું કામ કરે છે. તે માટે તેમને સલામ કરવી જોઇએ. પણ તેમણે જ્ઞાન અને માહિતિ માટે બધી દીશાની બારીઓ ખુલ્લી રાખવી જોઇએ. મુસ્લિમ જનતાએ અને મુસ્લિમ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ સમજેલ અને જેમ બીજા રાજાઓ વર્તેલ તેમ તેઓ પણ વર્તેલ. તેમનો સમય એ દેશની ગુલામીનો સમય હતો તે મનોદશામાંથી તેમણે બહાર આવવું જોઇએ. મુસ્લિમોમાં જે કંઈ દુર્ગુણો દેખાય છે તે બ્રીટીશ રાજ અને નહેરુવીયન કોંગ્રેસ રાજની પેદાશ છે.

આરએસએસને માટે નરેન્દ્ર મોદીને સપોર્ટ કર્યા વગર છૂટકો નથી. જેમ કેટલાક ગાંધીવાદીઓને માટે નહેરુવીયન કોંગ્રેસીઓનો સહારો લેવા સિવાય કે તેમને સહારો આપવા સિવાય છૂટકો નથી, તેમ જ સમજવું.

મીડીયાના ડબલ કાટલા

ઈન્દીરા ગાંધીએ કામકર્યાવગર તેના વિરોધીઓને ભૌતિક રીતે દૂર કરેલ. અને પક્ષ ઉપર બ્લેકમેલ દ્વારા મજબુત પકડ જમાવેલ તે બાઈને આ જ સમાચાર માધ્યમવાળા મજબુત બાઈ તરીકે ઓળખાવતા અને આજની તારીખમાં પણ તેની બુરાઈ કરતા નથી. આનાથી ઉંધું વલણ જુઓ. નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધીઓને કેવા દૂર કર્યા તેમાં બધાના નામ આપવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીએ કામ કરીને નામના મેળવી છે. નરેન્દ્ર મોદીએ તો કદી તેમનું નામ પણ લીધું નથી. છતાં પણ નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં આવી છે. તમે આજનું (૯મી જુન ૨૦૧૩નું) દિવ્ય ભાસ્કર જોશો તો તમને નરેન્દ્ર મોદીના વિષેની વાતો અને સમાચાર, નરેન્દ્ર મોદીની વિષે નકારાત્મક વાતાવરણ બને એ રીતે જ આપવામાં આવ્યા છે. કેશુભાઈને દૂર કર્યા, શંકરસિંહને દૂર કર્યા, સુરેશ મહેતાને દૂર કર્યા, દીલીપ પરિખને દૂર કર્યા, સંજય જોષીને દૂર કર્યા, નીતિન ગડકરીને દૂર કર્યા અને અડવાણીને દૂર કર્યા. આપણે જાણતા નથી કે નરેન્દ્ર મોદી ક્યારે માંદા પડ્યા અને કઈ મીટીંગમાં માંદગીને કારણે ગેરહાજર રહ્યા. પણ આપણા આ અખબારી આલોચક કહે છે કે મોદી વિરોધીઓએ માંદગીનું મોદીનું શસ્ત્ર મોદી સામે જ વાપર્યું. મોદી કેવા કૃતઘ્ન છે કે તેઓ પોતાને મદદ કરનારાઓનો જ કાંટો કાઢી નાખે છે.

પક્ષના પ્રમુખે નક્કી કરવાનું હતું કે ચૂંટણી માટેની સમિતિનો નેતા કેવો હોવો જોઇએ?

નેતાઓને ગમે એવો કે જનતાને ગમે તેવો?

મોટાભાગના નેતાઓ એવા મતના હતા કે જનતામાં જે લોક પ્રિય હોય તેનો નેતા હોવો જોઇએ. અને જનતા નરેન્દ્ર મોદીને પસંદ કરે છે તે જગ જાણીતી વાત છે. પણ કેટલાક નેતા નરેન્દ્ર મોદીમાં પોતાનું અહિત જોતા હતા કારણ કે અખબારી અફવાઓ પ્રમાણે નરેન્દ્ર મોદીએ કેશુભાઈ, સુરેશ મહેતા, દિલીપ પરિખ અને સંજય જોષી જેવાને રાજકીય રીતે ખતમ કરેલ. કેશુભાઈ વિષે તો ગુજરાતની જનતા જાણે છે કે તેમણે કેવા પરાક્રમો કરેલ. સુરેશ મહેતા, શંકર સિંહ, વિગેરેની અધિરાઈ અને પક્ષ પ્રત્યેની અનિષ્ઠા વિષે પણ જનતા જાણે છે. સંજય જોષી તો અખબારોએ  ઉપજાવેલી મહાન વિભૂતિ છે.

નેતાએ પક્ષને વફાદાર રહેવું જોઇએ અને પોતાના પક્ષના હોદ્દેદારની જાહેરમાં ટીકા ન કરવી જોઇએ. સત્તા માટે ધિરજ ધરવી જોઇએ. સત્તાવગર ઘાંઘાં થવું ન જોઇએ. મોદીએ કોઈને કાપ્યા નથી. પણ અખબારોએ પોતાના પત્રકારત્વના (પીળા) રંગને અનુરુપ આ વાત ચગાવી અને ચાલુ રાખી.     

હવે મોદીએ શું કર્યું અને કેવી રીતે ક્યારે કર્યું તે કશું ક્યારેય આ અખબારી ઉંદરો કાતરી શક્યા નથી. પણ એક અફવા વહેતી મુકી દેવી અને તેને અવાર નવાર કીધા કરવી એટલે તે સત્ય બની જશે.

મીડીયાની માનસિકતાઃ

મીડીયાની માનસિકતા ઉપર નહેરુવીયન કોંગ્રેસ સંસ્કારનો લગભગ ન ભૂંસી શકાય તેવો લાગે એવો પ્રભાવ છે. નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર એવા રહ્યા છે કે નંબર વન સત્તાકેન્દ્ર નહેરુવંશનો જ હોવો જોઇએ. આટલું સ્વિકારો તો જ તમે નહેરુવીયન કોંગ્રેસમાં રહી શકો. આવું જેમણે ન માન્યું તેઓ ને બદનામ કરવાના કવતરાં રચાયા અને દૂર કરાયા. એટલે જ્યારે નહેરુવીયન કોંગ્રેસની વાત કરીએ ત્યારે વિરોધી સૂર સંભળાતા નથી. પહેલા વડાપ્રધાનો પણ નહેરુવંશના આવતા અને તેઓને નંબર વન નો દરજ્જો મળતો. તે પછી વડાપ્રધાનનો દરજ્જો બીજો થઈ ગયો. હવે ત્રીજો થઈ ગયો છે. જેઓ હોદ્દેદારો છે તેઓ એવા છે કે તેમને બ્લેકમેલ કરી શકાય અને જનતામાં તેમના મૂળ નથી.

મીડીયાની એક વિશેષતા એ છે કે પાયાની વાતની ચર્ચા કરવી જ નહીં. જેમકે પ્લાનીંગ કમીશન જેના પ્રમુખ વડાપ્રધાન પોતે છે. તો પછી નેશનલ એડવાઈઝરી બોર્ડની રચના (કે જેના પ્રમુખ સોનીયા ગાંધી છે) શા માટે કરવામાં આવી? આ સવાલ પૂછાયો છે. નહેરુવંશનો કોઈ ફરજંદ આ પ્રશ્નનો ઉત્તર આપે તેવી અપેક્ષા રાખવી એ મીડીયાના સંસ્કારમાં નથી. પણ નહેરુવીયન કોંગ્રેસ ની સરકારના કોઈ હોદ્દેદારને આ પ્રશ્ન પૂછી શકાય તે પણ મીડીયા મૂર્ધન્યોના સંસ્કાર નથી. આવી તો અનેક વાતો છે.

ટૂંકમાં એમ કહી શકાય કે લોકશાહીમાં અનેક સૂર હોઈ શકે અને પછી જ ચર્ચા વિચારણાના અંતે પરિણામી એક સૂર નીકળે અથવા તો બહુમતિનો સૂર માન્ય થાય છે, આ વાત મીડીયા મૂર્ધન્યોના ગળે ઉતરતી નથી. આના ઘણા કારણો હોઈ શકે. અને સુજ્ઞ જનતા આ બધાં કારણો જાણે છે. અમેરિકામાં પણ ઓબામાને પોતાના પક્ષમાંના પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડ્યો હતો. પણ તેનો અર્થ “મહાભારત” એવો કરવામાં આવ્યો ન હતો. કારણ કે ત્યાં આ પ્રક્રીયા ને લોકશાહી પ્રણાલીનો એક ભાગ સમજવામાં આવે છે.

રાજનાથ સિંઘે શું કર્યું?

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ અને તેમના સાથી પક્ષો જેઓ સંસ્કારમાં નહેરુવીયન કોંગ્રેસ ની કાર્બન કોપી જેવા છે તેઓ લોકશાહી નું હાર્દ ન સમજી શકે તે વાત સમજી શકાય છે. પણ ભારતીય મીડીયાના મૂર્ધન્યો પણ લોકશાહીનું હાર્દ સમજી ન શકે તે દુઃખદ, લોકશાહીમાટે ઘાતક અને દેશ માટે હાની કારક છે.

પક્ષના બંધારણમાં કે દેશના બંધારણમાં જે કંઈ લખ્યું હોય તેને જ પવિત્ર માની શકાય એવું નથી હોતું. જનતા સર્વોપરી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. બંધારણ નહીં. જ્યાં જનતાનો અવાજ સંભળાય અને જનતાના અવાજનો આદર થાય તે લોકશાહીનું હાર્દ છે.

બીજેપી મોવડી મંડળ પાસે બે પસંદગી હતી. જેઓ મોદીને વડાપ્રધાન પદ માટે યોગ્ય ગણતા હતા તેઓની વાતને માન્ય રાખવી કે અડવાણીને વધુ એક વખત વડાપ્રધાન પદ માટે નંબર વન ગણવા. બંને જુથો લગભગ ૫૦ટકા પ્રમાણમાં વહેંચાઈ ગયેલ. ચર્ચા દરમ્યાન કેટલાક સભ્યોને મોદીનું મહત્વ સમજાયું. અને તેઓ મોદીની તરફેણમાં આવી ગયા. જે કારણસર મોદીની તરફમાં આવી ગયા તેનું પણ એક મહત્વનું કારણ હતું કે વિભીન્ન એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે થી એજ પ્રતિપાદિત થતું હતું કે જો મોદી પ્રચારની ધૂરા સંભાળે અને તે જ વડાપ્રધાન પદનો બીજેપી દ્વારા પ્રસ્તૂત ઉમેદવાર હોય તો વધુ લોકસભાની બેઠકો આવે. સાથી પક્ષોમાં પણ એવા પ્રચ્છન્ન નેતાઓ છે (જેડીયુ સહિત) જેઓ મોદીને પસંદ કરે છે.

સર્વ સંમતિથી નિર્ણય લેવાયો. બે ત્રણ દિવસ લાગ્યા તેને મહાભારત ન કહેવાય. આ પ્રક્રીયાને એક લોકશાહી પ્રક્રીયા ગણવી જોઇએ.

જેઓ નહેરુવીયન કોંગ્રેસના વંશવાદના સંસ્કાર જે માનસિકતા જ્ઞાતિવાદી માનસિકતાથી પણ વધુ પછાત કક્ષાની છે તેઓને બીજેપીની ક્રીયાઓ પસંદ પડશે નહીં. તેઓ બીજેપીને વિભીન્ન મતો વાળી પાર્ટી, અને નરેન્દ્ર મોદીને ગંભીર આરોપોવાળા નેતા તરીકે ઉલ્લેખવાનું ચાલુ રાખશે. ૧૯૭૫માં ભારત દેશ ઉપર કટોકટી સ્થાપીને પોતાની સર્વ ક્ષેત્રીય નિસ્ફળતાનું પ્રદર્શન કરનાર અને તેને તાબે થનાર વ્યક્તિઓ, પક્ષો અને સંસ્થાઓ પાસેથી તમે લોકશાહીના આદરના સંસ્કારની અપેક્ષા ન રાખી શકો.    

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અડવાણીનું ભવિષ્ય શું?

બીજેપી સત્તામાં આવે એટલે તે શાહ કમીશનના રીપોર્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે. કોંગીના જે કોઈ સભ્યો સંડોવાયેલા હોય અને જીવિત હોય તેમની ધરપકડ કરીને જેલમાં મોકલે. પ્રણવ મુખર્જી પણ સંદોવાયેલા છે એટલે તેઓ પદચ્યૂત થાય. અને તેમને સ્થાને અડવાણીની નિમણુંક થાય.

ટેગ્ઝઃ નરેન્દ્ર, મોદી, કેશુભાઈ, શંકર સિંહ, સુરેશ મહેતા, સંજય જોષી, સુષ્મા સ્વરાજ, જશવંત સિંઘ, અડવાણી, અખબારી, ઉંદરો, સમાચાર માધ્યમો, મીડીયા, અફવા, પીળો, જનતા, પસંદ, નેતા, નહેરુવીયન, અશિષ્ટ, બુરાઈ, આરએસએસ, હિન્દુત્વ, નહેરુ, ઈન્દીરા, કટોકટી,

 

 

Read Full Post »

નેતાગીરીઃ મહાત્મા ગાંધીની, નહેરુવીયનોની અને નરેન્દ્ર મોદીની

આમ તો આપણને અવાર નવાર વાંચવા મળે છે કે નરેન્દ્ર મોદી આપખુદ છે, બધા નિર્ણયો પોતેજ કરે છે, બીજાઓને સાથે લઈને ફરતો નથી, કોઈને ઉપર આવવા દેતો નથી, પોતાના પક્ષના વિરોધીઓને પાડી દે છે વિગેરે વિગેરે.

એટલે કે નરેન્દ્ર મોદીની નેતાગીરી આદર્શ ન કહેવાય એવું પોતાને વિશ્લેષક માનનાર કેટલાક મીડીયા મૂર્ધન્યો માને છે.

આ વિશ્લેષકોએ શું કદી જે એલ નહેરુની નેતાગીરીનું આ પ્રમાણે વિશ્લેષણ કરેલું?

નેતાનું કર્તવ્ય

નેતાનું પોતાના સાથીઓ પ્રત્યે એક કર્તવ્ય હોય છે કે તે પોતાના સાથીઓને એક પગથીયું ઉપર ચડાવે. એટલે કે તેના સાથીઓનો, અનુયાયીઓનો પણ માનસિક અને બૌધિક વિકાસ કરે. માનસિક એટલે અહીં એવો અર્થ કે સમાજ પ્રત્યેના વ્યવહારની સમજણ શક્તિ અને બૌધિક એટલે કે નિર્ણયોને અમલમાં મુકવાની આવડત.

નેતાઓના ધ્યેય આમ તો સમાજને સુખી કરવાના હોય છે. પણા આતો વૈચારિક વાત થઈ.

તેના આડહેતુઓ “સ્વ”ની સત્તા અને “સ્વ”ની સુખસગવડો વધારવાના પણ હોય છે.

બીજો આડહેતુ એ પણ હોય કે પોતે એવો અનુગામી નેતા મુકે જે પોતે પ્રસ્તુત કરેલી નીતિઓ ચાલુ રાખે

જો નેતાનો મુખ્ય હેતુ સત્તાનો હોય (જે ઘણીવાર આડ અને પ્રચ્છન્ન  હોય છે) તો, તેનો અનુગામી તેનું સંતાન જ હોય છે.

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી સમાજમાં વૈચારિક પરિવર્તન લાવવા માગતા હતા. તેમ કરવામાં આમ જનતાની સામેલગીરી રાખવામાં માનતા હતા.

મહાત્મા ગાંધી જ્યારે કોંગ્રેસમાં દાખલ થયા ત્યારે કોંગ્રેસ, એરીસ્ટ્રોકેટ બૌધિકોની સંસ્થા હતી. પણ ગાંધીજીએ તેને બધા માટે ખુલ્લી કરી. મહાત્મા ગાંધીએ કોંગ્રેસને અહિંસક માર્ગે અને સ્વદેશપ્રેમને માર્ગે જતી એક સંસ્થા બનાવી.

એટલે કે જેઓ અહિંસા અને સ્વદેશપ્રેમ બંનેને સ્વિકારે તેઓ કોંગ્રેસમાં આવકાર્ય ગણાયા. સ્વદેશપ્રેમ અને અહિંસા એ બેમાંથી એકમાં જ વિશ્વાસ હોય તો ન ચાલે. બંનેમાં વિશ્વાસ હોવો જોઇએ અને આચરણ પણ તે જ હોવું જોઇએ. જો કે આ વાત અને આને લગતી ચળવળોને સમજવામાં ઘણા ધુરંધર નેતાઓને વાર લાગી હતી. સ્વદેશપ્રેમ એટલે સ્વદેશી વસ્તુઓના આગ્રહનો પણ સમાવેશ થતો હતો. અહિંસામાં સવિનય કાનુનભંગ અને સત્યાગ્રહનો પણ સમાવેશ થતો હતો.

જેઓ બરાબર સમજ્યા ન હતા તેઓએ સવિનય કાનુન ભંગ અને કે અથવા સત્યાગ્રહ અને કે અથવા સ્વદેશીના આગ્રહનો વિરોધ પણ કરેલો. તેમાં કોણ કોણ હતા તેની ચર્ચા ન કરીએ. પણ જેઓ અહિંસક આંદોલનમાં માનતા ન હતા તેમાં સુભાષ ચંદ્ર બોઝ મુખ્ય હતા. જોકે સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી વચ્ચે આ બાબતમાં કોઈ કડવાશ ન હતી. છતાં કેટલાક આ વાતને ચગાવે છે.

પક્ષ એક વખત એવું નક્કી કરે કે આપણે અહિંસક ચળવળ દ્વારા જ સ્વાતંત્ર્ય લાવવું છે, પણ જો એવું બને કે લોકો તાનમાં ને તાનમાં કોઈ એવી વ્યક્તિને ચૂંટી કાઢે કે જેને અહિંસામાં વિશ્વાસ ન હોય. જો આવું બને તો પક્ષે પોતાના સિદ્ધાંતો બદલ્યા છે એવો સંદેશો જનતાને જાય, તો પછી પક્ષે હવે આ પક્ષે ચળવળના સિદ્ધાંતો અને તેથી કરીને તેની પ્રણાલીઓ બદલશે તેવો ઠરાવ પસાર કરવો જોઇએ. પણ આવું કર્યા વગર તમે જુદા માર્ગે ન જઈ શકો. કોંગ્રેસમાં પક્ષપ્રમુખની ચૂંટણીમાં આવું થયું. સુભાષ બાબુ ચૂંટાઈ આવ્યા. કારોબારીના સભ્યો કે જેઓ પોતે પણ ચૂંટાયેલા હતા તેઓએ સામૂહિક રાજીનામા આપ્યાં. એટલે સુભાષબાબુએ નીતિમત્તાના ધોરણે રાજીનામું આપ્યું. સુભાષબાબુના દેશપ્રેમ વિષે ગાંધીજીને કે કોઈને પણ કશી શંકા ન હતી. પણ આ સૈધાંતિક મતભેદ હતો. તેથી સુભાષબાબુએ કોંગ્રેસના બંધારણનો આદર કર્યો.

આવી જ વાત જીન્નાની હતી. તેમને અસહકાર અને સત્યાગ્રહમાં વિશ્વાસ ન હતો. વખત જતાં તેમનો અહિંસા પરત્વેનો અવિશ્વાસ છતો થયો. તેઓ બંને કોંગ્રેસમાંથી વિદાય થયા હતા.

ગાંધીજીનો એક બીજો પણ સિદ્ધાંત હતો જે શોષણહીનતાનો હતો. આ વાત બહુ ઉચ્ચ સ્તરે આવી ન હતી કારણ કે આ વાત ઉત્પાદન અને તેની વહેંચણીની પ્રણાલીની હતી. આ મુદ્દો તો સ્વતંત્રતા આવે તે પછી ઉત્પન્ન થાય અને તે પછી અસરકારક બને તેમ હતો. પણ ગાંધીજીએ પોતાના સ્વપ્નના ભારતમાં આ વાતો લખી રાખેલ. જવાહરલાલ નહેરુને જોકે આ સિદ્ધાંતમાં બહુ વિશ્વાસ ન હતો. પણ તેઓએ આ વાત પ્રગટ ન કરેલી અને બધું મભમ રાખેલ. જો ગાંધીજી વધુ જીવ્યા હોત તો આ મુદ્દા ઉપર નહેરુનો વિરોધ કરત. અને મીલમાલિકોને બેફામ થવા ન દેત.

જો આવું થાત તો કોંગ્રેસના બે ભાગ પડી જાત. એક વલ્લભભાઈની કોંગ્રેસ અને બીજી નહેરુની કોંગ્રેસ.

આ શક્ય ન બન્યું કારણ કે ગાંધીજી અને સરદાર પટેલ વહેલા વિદાય પામ્યા. પણ એક વાત ચગી કે ગાંધીજીએ સુભાષબાબુને અન્યાય કર્યો. આનો લાભ પશ્ચિમ બંગાળે લીધો અને ત્યાં સામ્યવાદીઓ ફાવ્યા.

ગાંધીજીએ પોતાના વૈચારિક અનુયાયીઓ ગામે ગામ તૈયાર કરેલ. તેમના વિચાર થકી ઘણા બધા મીની-ગાંધીઓ તૈયાર થયેલ. અને આ મીની ગાંધીઓ પણ મીની-મીની-ગાંધીઓ તૈયાર કરી રહ્યા છે.

મીની ગાંધીઓ અને મીની-મીની-ગાંધીઓ એટલે શું?

મીની ગાંધીઓ એટલે જયપ્રકાશ નારાયણ, વિનોબાભાવે, દેશપાંન્ડે, રવીશંકર મહારાજ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચન્દ મેઘાણી, જુગતરામકાકા, ઢેબરભાઈ, આત્મારામભાઈ, શંભુશંકરભાઈ, બબલભાઈ, ચૂનીભાઈ, મનુબેન, મણીબેન, જેવા નાના મોટા ગાંધીવાદી નેતાઓ દરેક પ્રાંતોમાં પેદા થયા હતા. તેવીજ રીતે આ મીની ગાંધીઓએ પણ ગાંધીવાદી લોકોનો નવો ફાલ તૈયાર કરેલ જેમાં નારાયણભાઈ દેસાઈ, સુદર્શનજી, કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, હસમુખભાઈ, જગદીશભાઈ, હર્શદભાઈ માવાણી, બંસીભાઈ પટેલ, તુલસીભાઈ સોમૈયા, જેવા અનેક ગાંધીવાદીઓ આજની તારીખે પણ ત્યાગપૂર્વક ગાંધીજીનું કામ ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં કરી રહ્યા. દરેક રાજ્યમાં છેવાડેના પ્રદેશમાં પણ તમને ગાંધીવાદી લોકસેવક મળી જશે.

બધા ગાંધીજી જેવું કામ ન કરી શકે. પણ એક વિચાર તરીકે તે દીવો પ્રજ્વલિત રાખવા વાળા કોઈ ગાંધીવાદી ગુરુવગર પણ આપોઆપ ઉત્પન્ન થતા રહેશે. ગાંધી વિચારનો આ પ્રભાવ છે. ગાંધી યુગપુરુષ હતા જે હજાર બે હજાર વર્ષે જ પાકે.

જવાહરલાલ નહેરુની નેતાગીરીએ શું બીજી હરોળ ઉભી કરેલી?

નાજી. જવાહરલાલ નહેરુનો લોકશાહીવાદી સમાજવાદ ખરો પણ તેનું વૈચારિક સ્થુળત્વ શું છે તે કોઈ જાણતું ન હતું. ગાંધીજી પણ નહીં. અને ગાંધીજીના કહેવા પ્રમાણે કદાચ નહેરુ પોતે પણ નહીં.

જો નેતાગીરી વિષે આમ જ હોય તો તેમાં ખરાબ શું કહેવાય? ખરાબ વસ્તુ એ છે કે જે વાતને સિદ્ધાંત સાથે લેવા દેવા ન હોય પણ જો કોઇ વ્યક્તિ પ્રતિસ્પર્ધી બની જાય તો તેને બદનામ કરી દૂર કરવો, આ વાત ખરાબ કહેવાય.

સમાજવાદને જો એક વાડો બનાવી દેવામાં આવે તો તે સુપર કેપીટાલીઝમ થઈ જાય. જેમાં સરકાર પોતે જ મૂડીવાદી થઈ જાય. નેતાઓ વહીવટદારો સાથે મળીને પૈસાદાર થઈ જાય.. કારણ કે ઉત્પાદક, વિતરક અને તેના ઉપર નીગરાની રાખનાર નિરીક્ષક પણ એક જ સંસ્થા હોય એટલે ભેગા મળીને લૂંટ કરવાની વૃત્તિવાળા થઈ જાય. અને આવું જ થયું. એટલે રાજગોપાલાચારી જેવા કોંગ્રેસની સામે પડ્યા. જેઓ સામે પડ્યા તેઓને બદનામ કરવામાં આવ્યા. જો કે આ કોઈપણ ઔદ્યોગીકરણના વિરોધી ન હતા.

ગાંધીવાદીઓ વિરોધી હતા ખરા પણ તેઓની આ પ્રાથમિકતા ન હતી. તેઓ લોકસેવામાં પડી ગયા. અને નહેરુને ટાઢા પાણીએ ખસ ગઈ.

નહેરુને કોઈ નિશ્ચિત વિચારધારા ન હતી તેથી તેમના કોઈ વૈચારિક શિષ્યોનો ફાલ ઉત્પન્ન ન થયો. નહેરુને એવી જરુર પણ લાગી નહીં હોય એવું જ લાગે છે. નહેરુએ ફક્ત એ વાતનો ખ્યાલ રાખ્યો કે તેમની પુત્રી જ તેમનો રાજકીય વારસો લે.

JAY HO WAS PARTY SONG FROM AGES

ઈન્દીરા ગાંધી તેમના કહેવા પ્રમાણે સમાજવાદમાં માનતાં હતા. પણ તેમને માટે સમાજવાદનું નામ “ સત્તા પ્રાપ્ત કરવાનું અને ટકાવી રાખવાનું એક સાધન હતું. બેંકોના રાષ્ટ્રીયકરણને લેબર યુનીયનોને પોતાના પક્ષ માટે વોટ બેંક બનાવવાનું હથીયાર બનાવવામાં આવ્યું. ઈન્દીરા ગાંધીએ  પોતાના વિરોધીઓને બદનામ કરાવી પક્ષમાંથી દૂર કર્યા.

જો તમે લોકશાહીમાં માનતા હો તો પ્રતિસ્પર્ધીઓને દૂર કરવાની જરુર નથી. પણ જો તમે સરમુખત્યાર હો તો પ્રતિસ્પર્ધીને દૂર કરો જ કરો.

વી. પી. સીંગ, હેમવતીનંદન બહુગુણા નો શું વાંક હતો? એમનો એ વાંક હતો કે તેઓ પોતાના કામની ક્રેડીટ લેતા હતા. તેમની સામે ઈન્દીરા ગાંધીને સૈદ્ધાંતિક શું વાંધો હતો, તે ઈન્દીરા ગાંધી તરફથી જાણવા મળ્યો નથી. કે બીજા કોઈ તરફથી પણ જાણવા મળ્યો નથી.

ઈન્દીરા ગાંધી કંઈ એટલા કાબેલ વહીવટ કર્તા ન હતા. એવું પણ ન હતું કે બીજા નેતાઓ તેમનાથી કાબેલીયતમાં હજાર માઈલ પાછળ હતા. વાસ્તવમાં બહુગુણા, જગજીવનરામ, વીપી સીંગ વધુ કાબેલ હતા. આ સૌ કોઈ ઈન્દીરા ગાંધીની પ્રોડક્ટ પણ ન હતા. તેઓ સ્વબળે જ આગળ આવેલા.

ઈન્દીરાગાંધી કોઈ વૈચારિક વ્યક્તિ ન હતાં. તેમના કોઈ અનુયાયીને તેના વિચારોથી જોઈને તમે એમ ન કહી શકો કે તે ઈન્દીરા ગાંધીમાં જરુર શ્રદ્ધા ધરાવતો હશે. જેમકે ભજનલાલ, ચરણસીંગ, મુલાયમ, શરદપવાર, લાલુ યાદવ, માયાવતી, જયલલિતા, મમતા બેનર્જી, બંસીલાલ, જેવા અનેક નેતાઓ ક્યારે ક્યાં હશે તે તમે તેમના દ્વારા વ્યક્ત થતા વિચારોના આધારે કહી ન શકો. જોકે સત્તા હાંસલ કરવા માટે અને તેને ટકાવી રાખવા તેમની કાર્યશૈલીઓ ઈન્દીરા ગાંધી જેવી જ રહી છે છતાં પણ.

સ્વામીનારાયણની એક બોધકથામાં “સત્સંગના મહિમા”ની એક વાર્તા આવે છે જે આપણે અગાઉ ઈન્દીરાઈ કટોકટી ના એક લેખમાં જાણી છે. આ એ વાત છે કે નારદ મૂનીના સત્સંગને કારણે એક કીટક ઈન્દ્ર સુધીની ઉન્નતી કરે છે.

આનાથી ઉંધો કુસંગનો મહિમા છે જેમાં આવડતવાળો નિકમ્મો થઈ જાય. ઈન્દીરાના કુસંગનો મહિમા એવો રહ્યો કે આવડતવાળા મનુભાઈ શાહ, હિતેન્દ્ર દેસાઈ, જગજીવનરામ, વીપી સીંગ, બહુગુણા, ચિમનભાઈ પટેલ, મોહન ધારીયા, ચંદ્રશેખર જેવા અનેક ઈન્દીરાઈ કોંગ્રેસમાં રહ્યા અને બદનામ થયા. તેઓ ત્યારે જ સ્ટેપ અપ થઈ શક્યા જ્યારે તેઓ ઇન્દીરાઈ કોંગ્રેસની બહાર નિકળ્યા.

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નેતા જ્યારે પોતાના સાથીઓ કરતાં શક્તિમાં હજાર માઈલ આગળ હોય ત્યારે શું થાય?

જ્યારે નેતાની વિચાર શક્તિ અને આચારની વ્યુહ રચના પોતાના અનુયાયીઓથી અનેક ગણી વધુ હોય તો અનુયાયીઓ હમેશા તેના ઉપર નિર્ભર રહે છે. અનુયાયીઓ પોતાના નેતા ઉપર નિર્ભર રહેતા હોય તો તે નેતા વિષે તે સરમૂખત્યાર છે તેમ ન કહેવાય. દરેક નેતા જો તે સિદ્ધાંતવાદી હોય તો પોતાનાથી અલગ સિદ્ધાંતવાળાને પોતાના જુથમાંથી દૂર કરે ને કરે જ.

નરેન્દ્ર મોદી સેલ્ફ મેઈડ છે. તેઓ સમાજસેવા માટે કટી બદ્ધ છે તેમ કહે છે. આ નેતા તેની આર્ષદૃષ્ટિમાં, વહીવટી આવડતમાં, વિચારોમાં અને જ્ઞાનમાં તેના સાથીઓથી હજાર માઈલ આગળ છે. તેથી તેના સાથીઓ નરેન્દ્ર મોદી ઉપર નિર્ભર રહે તો તેને નરેન્દ્ર મોદીને સરમુખત્યાર ન કહી શકાય. નરેન્દ્ર મોદી તેના સાથીઓની આવડત વધારે, પણ નરેન્દ્ર મોદી બધાને પોતાના જેટલી આવડતવાળા બનાવી ન શકે. ગાંધીજીએ મીની ગાંધીજીઓ ઉત્પન્ન કરેલા પણ સૌ કોઈ ગાંધીજીની કક્ષામાં આવે એટલી આવડતવાળા થઈ શક્યા ન હતા. નેતા દીશા બતાવી શકે અને પ્રણાલીઓ સ્થાપી શકે. આવડત તો સૌ પોતાની શક્તિ પ્રમાણે જ વધારી શકે.

નરેન્દ્ર મોદીએ તેના કેટલાક સાથીઓને વૈચારિક રીતે સ્ટેપ અપ જરુર કર્યા છે. તે તો તમે વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે જાણી શકો છો. નરેન્દ્ર મોદીએ નવી પ્રણાલીઓ પણ સ્થાપી છે. ઓન લાઈન ઘણી બધી જાણકારીઓ તમે મેળવી શકો છો અને સંવાદ પણ કરી શકો છો. સુધારાઓ માટે અવકાશ તો હમેશાં રહેવાનો. અને હજુ ઘણું કરવાનું બાકી છે.

સમાજને પણ સ્ટેપ અપ કરવો જરુરી હોય છે. નરેન્દ્ર મોદીએ જનતાની આકાંક્ષાઓ જગાવી છે. ટીવી ચેનલો પણ આમાં અગત્યનો ભાગ ભજવે છે. નરેન્દ્ર મોદીએ કદી ચેનલો ઉપર વેરભાવ રાખ્યો નથી.

બધા રાજ્યોમાં નેતાઓનું વલણ સહનશીલ નથી. આ વાત મહારાષ્ટ્ર, આંધ્ર, તામીલનાડુ, યુપી, પશ્ચિમ બંગાળ અને આસામ ની સરાકારોએ સિદ્ધ કરી છે. તેનું કારણ કેન્દ્રની નહેરુવીયન કોંગ્રેસી સરકાર અને તેના અને તેના સાથીઓના વિવાદાસ્પદ વિદેશી બેંકોમાં રહેલા લાલ-કાળા નાણા ભાગબટાઈ પણ હોઈ શકે. એટીએમમાંથી બનાવટી કરન્સી નોટો નિકળે એ વાત જ, ઘણું બધું કહી જાય છે.

શું નરેન્દ્ર મોદીએ મીની-નરેન્દ્ર મોદીઓ ઉત્પન્ન કર્યા છે?

જો નેતા, એક વખત દરેક બાબતની પ્રણાલી સ્થાપી દે પછી કોઈ પણ વ્યક્તિ તેને ચલાવી શકે. હા, દરેક વ્યક્તિ મોદીની કાર્બન કોપી કે મીની-નરેન્દ્ર મોદી ન થઈ શકે.

નરેન્દ્ર મોદીના સુદ્ધાંતો શું છે?

આમ તો શંકરાચાર્યના અદ્વૈતવાદ પ્રમાણે સાચો આનંદ જ્ઞાનવડે મળતો આનંદ છે. ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાનપ્રાપ્તિ માટે થાય એ વાત શ્રેષ્ઠ છે. પણ મુડીવાદની આડપેદાશ સુખ સગવડોની વૃદ્ધિ, તેવી વૃત્તિનું બેફામ પોષણ  અને બધા ક્ષેત્રમાં અસમાનતા, આમ છે. તમે કોઈ પણ વાદવાળા સમાજને રાતોરાત બદલી ન શકો. જો બદલવા જાઓ તો ફેંકાઈ જાવ. વાદને બદલવા માટે સમાજની માનસિકતા બદલવી પડે છે. આમ કરવામાં બે ત્રણ પેઢીઓ પસાર થઈ જાય.

એક વાત નરેન્દ્ર મોદી સ્થાપિત કરી શક્યા છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રણાલીઓ બદલી શકાય છે. પ્રણાલીઓનો અમલ કરવામાં અને તેને વધુ સારી કરવા માટે જ્ઞાનમાં વૃદ્ધિ કરવી જોઇએ. શિક્ષણ દ્વારા જ્ઞાનમાં પ્રગતિ થઈ શકે.

ટેક્નોલોજીના વિકાસ માટે માળખાકીય સગવડોમાં વિકાસ કરવો જોઇએ. માળખાકીય સગવડો દ્વારા તમે બધા ક્ષેત્રોમાં વિકાસ કરી શકો.

માળખાકીય સગવડોમાં રસ્તા, શક્તિ (વીજળી અને યંત્ર શક્તિ) અને પાણી આવે. શક્તિ ઉત્પન્ન કરવામાં પર્યાવરણ (ખાસ કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ) નો ખ્યાલ રાખવો પડે. એટલે પ્રાકૃતિક શક્તિઓના ક્ષેત્રમાં સંશોધનો થાય તે ઈચ્છનીય બને છે. સૂર્ય, પવન અને જળપ્રવાહમાંથી જ આ કામ થઈ શકે.

નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે.

જનતાની સામેલગીરીઃ

નરેન્દ્ર મોદી આ દિશામાં ઠીક ઠીક પ્રયત્નો કરે છે પણ તેના વિરોધીઓ તેને ખોટા ખર્ચામાં ખપાવે છે.

નરેન્દ્ર મોદીનો સ્વભાવઃ

નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેને એડામેન્ટ, એરોગન્ટ અને આત્મશ્લાઘી કહે છે. આપણા માનનીય કાન્તિભાઈ ભટ્ટ ભાઈએ નરેન્દ્ર મોદીની પીએમ પદની લાયકાત વિષે આ વાંધો બતાવ્યો છે.

જો નેતા પોતાની માન્યતાઓમાં સ્પષ્ટ હોય ત્યારે તે દૃઢ નિશ્ચયી હોય છે. જો નેતાની માન્યતાઓ નેતાએ બધી બાજુનું વિચારીને આત્મસાત કરી હોય અને તેના સાથીઓએ અને અથવા વિરોધીઓએ પૂરતો અભ્યાસ ન કર્યો હોય અને કરવા માગતા પણ ન હોય તો તેઓ આ નેતાને એડામેન્ટ માનવાના જ.

જો કોઈ નેતાની પરિસ્થિતિને સમજ્યા વગર અને પોતાના રાજકીય લાભ માટે જ તે નેતાને  બદનામ કરવા માટે યમરાજ, મૌતકા સોદાગર, ખૂની એવા વિશેષણોથી નવાજે અને અથવા જુદા જુદા માપદંડ અપનાવે તો તે નેતાએ સત્યના બચાવ માટે તેના વિરોધીઓને તેમણે ધારણ કરેલા લેવલને અનુરુપ જવાબ આપવો જોઇએ. આ વાત જેટલી નરેન્દ્ર મોદીને લાગુ પડે છે તેટલી જ સરદાર પટેલને લાગુ પડતી હતી. એટલે જે મીડીયા મૂર્ધન્યોએ સરદાર પટેલને તેમના આખાબોલા-પણા માટે વગોવ્યા હોય તેમને જ નરેન્દ્ર મોદીને વગોવવા માટે આવો અધિકાર મળેછે.

એક વાત સૌ કોઈ મીડીયા મૂર્ધન્યોએ અને બુદ્ધિજીવીઓએ ખાસ સમજવાની છે કે મોદી પી.એમ. બને તે વાત ક્યાંથી ઉત્પન્ન થઈ છે?

નરેન્દ્ર મોદીએ કદી આવી ઈચ્છા વ્યક્ત કરી નથી. નરેન્દ્ર મોદીએ કદીય મુખ્યમંત્રી બનવાની પણ ઈચ્છા વ્યક્ત કરી ન હતી. મુખ્યમંત્રી તરીકે તેમની વરણી થઈ તે પૂર્વે મુખ્ય મંત્રી બનવા માટે નરેન્દ્ર મોદી, અંદરખાને દોરીઓ હલાવે છે તેવી અફવા પણ આપણા મીડીયા મૂર્ધન્યો ફેલાવી શક્યા ન હતા.

નરેન્દ્ર મોદી ચાની કીટલી ફેરવવા જેવા સાદા કામોથી શરુ કરી, ઘરબારનો ત્યાગ કરી, હિમાલય રખડી, બાવાઓનો સહવાસ ભોગવી, ગરીબી ભોગવી જાણનારા, બહુશ્રુત, ક્ષેત્રજ્ઞ, કુટુંબની જંજાળથી મુક્ત એવા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે બન્યા છે.

આવી પાર્શ્વ ભૂમિકાવાળા નેતા વિષે જ્યારે આપણો એક ગુજ્જુ અખબારનવીશ પણ જ્યારે એમ કહે કે નરેન્દ્ર મોદી મેગ્નેનીમસ (દરિયાદિલ) નથી એવો વિવાદ ઉત્પન્ન કરે. એટલું જ નહીં પણ જાણે કે દરિયા દિલ એકમાત્ર વડાપ્રધાનપદ માટેની લાયકાત છે એવું ઠસાવવા કોશિસ કરે ત્યારે  આપણા મૂર્ધન્યોની તર્ક બુદ્ધિની આપણને  શરમ આવે છે. ફલાણો કેટલો બધો દરિયાદીલ હતો. અને ફલાણા નાટકમાં આ પાત્રે ફલાણા હિરો દ્વારા કેવો ઉત્કૃષ્ટ અભિનય આપીને તેની દરિયાદિલી સિદ્ધ કરી બતાવેલી. આવું વર્ણન કરીને આ મૂર્ધન્ય શ્રીએ એ સિદ્ધકરવાનો પ્રયત્ન કર્યો કે નરેન્દ્રભાઈ દરિયાદિલ નથી. દશરથને ચાર પત્નીઓ હતી માટે તમે વાંઢા છો. એના જેવી આ વાત છે.

સિકંદરનો દાખલો

કટારીયા ભાઈએ આમ તો જોકે દાખલો સિકંદરનો આપેલો છે. જોકે સિકંદર કેટલો દરિયા દિલ હતો એ આખી બાબત વિવાદાસ્પદ છે. સિકંદર પોરસને જીતેલો કે કેમ તે પણ વિવાદાસ્પદ છે. કારણકે એક વિવાદ એવો પણ છે કે સિકંદર એટલો નબળી કક્ષાએ પહોંચી ગયેલ કે તેના બધી ઋતુઓમાં યુદ્ધ કરવાને કાબેલ એવું સૈન્યને માભોમ યાદ આવી ગયેલી. સિકંદરે અગાઉના હરાવેલા રાજાઓ સાથે જ નહીં પણ તેમની પ્રજા સાથે પણ ક્રૂર વર્તાવ કરેલ. એટલે સિકંદર દરિયાદિલ હતો તે વાત શંકાસ્પદ છે. પણ ધારો  સિકંદર દરિયા દિલ હતો. એટલે આપણા નરેન્દ્રભાઈ દરિયાદિલ નથી. નેલ્સન મંડેલા દરિયા દિલ હતા, એટલે નરેન્દ્ર મોદી દરિયા દિલ નથી. સાધ્યં ઈતિ સિદ્ધમ્‌. આવું જો કોઈ મૂર્ધન્ય કહે તો તેની મૂર્ધન્યતા ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય. જો કે આ મૂર્ધન્ય કટારીભાઈએ કશી માહિતિ આપી નથી કે ક્યાં આપણા નરેન્દ્રભાઈ ઉણા પડ્યા. જો તેમણે આ માહિતિ ઉજાગર કરી હોત તો વાચકોના અને મોદીભાઈના જ્ઞાનમાં વૃદ્ધિ થાત અને મોદી ભાઈને સુધરવાના ચાન્સ રહેત. સુધારવાનો ચાન્સ આપવો એતો લોકશાહીનો મુખ્ય આડગુણધર્મ છે.

નરેન્દ્રભાઈને હવે “ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉબકા આવ્યા છે…” નરેન્દ્ર મોદી, રાહુલની નીમ્ન સ્તરે જઈને ટીકા કરે છે. આવું પણ આપણા આ અખબારી કટારીયા મૂર્ધન્ય કહે છે. જોકે આ કટારીયા મૂર્ધન્ય, વિગતો આપવામાં માનતા નથી. તેમની વાતો અને તર્ક આપણે રજનીશની વાતો અને તર્ક સાથે સરખાવી શકીએ. રજનીશને તારણો કાઢવાની ટેવ હતી પણ તેમના તારણો પછી ભલે તે રાજકીય નેતાઓ સામે હોય કે કોઈ મહાન વિભૂતિ વિષે હોય, કે માનસશાસ્ત્રીય હોય, પણ તે સર્વ તારતમ્યો એ સત્ય અને સત્યમાત્ર છે. આ સત્ય કેવી રીતે છે તે વાચકોએ સિદ્ધ કરવાનું. “જેમકે બોલવાથી મુક્તિ મળે છે” અને મૂર્ધન્યોને સિદ્ધ કરવામાંથી મુક્તિ મળે છે.

આપણા દેશને ચાણક્યની જરુર છે, પૃથ્વીરાજ ચૌહાણની નહીં.

નરેન્દ્ર મોદીએ શું દરિયાદિલ રાખ્યું નથી. જોકે મારા જેવા તો એવું જ માને છે કે દેશને સુધારવો હશે તો નેતાએ ચાણક્ય જેવા થવું પડશે. પૃથ્વીરાજ જેવા થયે નહીં ચાલે. જેઓ ઈતિહાસને ભૂલે છે તેઓ ઈતિહાસનું પુનરાવર્તન કરે છે. કર્મના ફળ ભોગવવા એ ઈશ્વરીય વ્યવસ્થા છે.

એક વખત નરેન્દ્ર મોદીએ કહેલ પણ ખરું કે જો હું ધારું તો આ બધા કોંગી નેતાઓ ઉપર કામ ચલાવી શકું કારણ કે તેમણે તેમના ગુજરાત ઉપરના ૨૨ વર્ષના શાસનમાં અનેક કાળાંધોળાં કર્યાં છે.

નરેન્દ્ર મોદીની આ વાતને તમે શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસની વરીષ્ઠ નેત્રીએ ખેલદીલી પૂર્વક પદત્યાગ કરવાને બદલે  પોતાના વિરોધીઓને વગરવાંકે અનિયત કાળપર્યંત જેલમાં પૂરેલ, વી.પી. સીંગ સામે સેન્ટ કીટનો બનાવટી કેસ ઉભો કરેલ આને આપણા કટારીયા મૂર્ધન્ય શું ખેલદીલીમાં ખપાવશે?

અત્યારે પણ જુઓ. નરેન્દ્ર મોદીને  વિષે જો તમે માહિતિ આપ્યા વગર તેની વિરુદ્ધમાં કંઈ પણ કહો તે અફવા જ કહેવાય. જ્યારે અમિત શાહની ધરપકડની બાબતમાં, સંજય જોષીની સીડીની બાબતમાં, બીજેપીના ભૂતપૂર્વ પ્રમુખની સામે આક્ષેપોની બાબત કે એવી કોઈપણ બાબત હોય જેમાં કોઈ પદચ્યુત થતું હોય તો તેમાં નરેન્દ્ર મોદીની તથાકથિત સંડોવણીની વાત ચગાવવામાં આવે છે. જો કે માહિતીને નામે શૂન્ય હોય છે.  આવી અફવાઓ ફેલાવનારા સામે નરેન્દ્ર મોદી ખેલદીલી રાખે જ છે ને! આવી બાબતોને નેતાએ લક્ષમાં રાખવી જોઇએ કે નહીં તે વિવાદનો વિષય છે. પણ ચોક્કસ “હાથી પાછળ કુતરાં ભસે પણ હાથી તેની ચાલે આગળ ચાલ્યા જ કરે છે. આ બાબતમાં નરેન્દ્ર મોદીએ તાદાત્મ્ય સાધ્યું છે. આ વાત કદાચ કેટલાક મૂર્ધન્યોને કઠતી હોય તેવું બની શકે.

નરેન્દ્ર મોદીને કોણ પૂરસ્કૃત કરે છે?

આંખે ઉડીને વળગે એવી વાત છે કે કોંગી નેતાઓ અને અખબારી મૂર્ધન્યો રાહુલ ગાંધીને પી.એમ. પદના ઉમેદવાર તરીકે પુરસ્કૃત કરે છે. તેથી સાવ જ ઉંધી વાત નરેન્દ્ર મોદી વિષે છે. ભારતીય જનતા જ નરેન્દ્ર મોદીને પી.એમ. તરીકે પુરસ્કૃત કરે છે. બીજેપી, એનડીએ કે રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીને પી.એમ. પદ માટે પુરસ્કૃત કરતા નથી.

જનતા માટે મોદી એકમાત્ર હોટ ફેવરીટ છે તે વાત આ અખબારી અને રાજકીય ખેરખાંઓ અચૂક છૂપાવે છે અને તેથી જ જનતાના અવાજને દબાવવા માટે નરેન્દ્ર મોદી વિષે જ અવળો પ્રચાર કરે છે.

આવા અનેક દુષણો સામે ટકી રહેવું અને આગળ વધવું એજ ઉત્કૃષ્ટ નેતાનું લક્ષણ છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, નહેરુ, ઈન્દીરા, નરેન્દ્ર મોદી, પી.એમ., નેતાગીરી, વૈચારિક, પ્રણાલી, વિકાસ, મીડીયા મૂર્ધન્યો, કટારીયા, હોટ ફેવરીટ, બીજેપી, એનડીએ, દરિયાદિલ

Read Full Post »

ગુજરાત હાઉસીંગ બૉર્ડની મેલી મથરાવટી

હા ચોક્કસ ૧૯૭૧થી તો ગુજરાત હાઉસીંગ બૉર્ડની મેલી મથરાવટી ઉડીને આંખે વળગે તેવી છે.

આપણે એક દાખલો લઈએ.

લાલબહાદુર શાસ્ત્રી નગર, નારણપુરા અમદાવાદ-૩૮૦૦૧૩

નહેરુ નગર, વિજયનગર અને પ્રગતિનગર પછી શાસ્ત્રીનગરની સ્કીમ   ગુજરાત હાઉસીંગ બૉર્ડે નાખેલી. આ સ્કીમ બનતા સુધી ૧૯૬૯ કે ૧૯૭૦માં પ્લાન થઈ હશે. પણ બાંધકામ ૧૯૭૧માં ચાલુ થયેલ. ૧૯૭૫ના અરસામાં બાંધકામ પુરું થયું હશે. નહેરુનગરના ફ્લેટની કિમત બનતા સુધી રૂ. ૫૦૦૦ જેટલી રાખવામાં આવી હતી. તે પછી વિજયનગરના ફ્લેટની કિમત રૂ. ૧૨૦૦૦ જેટલી રાખવામાં આવી હતી. પ્રગતિ નગરના ફ્લેટની કિમત રૂ. ૨૫૦૦૦ ની આસપાસ હતી. આ બધી સ્કીમો વચ્ચે ત્રણ ચાર વર્ષનું અંતર હશે. બધી એમઆઈજી (મધ્યમ ઈન્કમ ગ્રુપ)ની હશે કારણ કે બાંધકામ લગભગ ૧૦૦ ચોરસવાર હતું.

બજારભાવ કરતા ક્યાંય વધારે કિમત

ગુજરાત હાઉસીંગ બૉર્ડની શાસ્ત્રીનગર ની સ્કીમમાં કિમત ૧૯૭૪-૭૫ના અરસામાં નક્કી કરવામાં આવેલી. તેમાં ત્રણ જાતના ફ્લેટ હતા. એલઆઈજી એલ-૩, એલઆઈજી એલ-૪ અને એમ આઈ જી એમ-૪ અને એમ-૫.

એમ-૫ની નીચે શોપ્સ રાખવામાં આવેલી. એમ-૪ની નીચે શોપને બદલે ફ્લેટ જ હતા, એટલો ફેર હતો.

દરેક ટાઈપના ફ્લેટની કિમત સરખી હતી. ફ્લેટના એલોટમેન્ટ માટે જનતા સામે ખુલ્લી રીતે ડ્રૉ દ્વારા ફળવણી કરવામાં આવેલી. બજારભાવ કરતાં કિમત ઠીક ઠીક વધારે રાખવામાં આવેલી.

ફ્લેટ એમ-૫ ટાઈપ

હવે દાખલા તરીકે આપણે એમ-૫ ટાઈપની વાત કરીશું.

આ ફ્લેટની કિમત રૂ. ૫૫૦૦૦/- રાખવામાં આવેલી. તેની ઉપર ૧૦% સ્ટેમ્પ ફી. જે વધારીને ૧૨.૫% કરવામાં આવેલી. જે આખા દેશમાં અનેક ગણી રીતે વધુમાં વધુ હતી. સરકારે વેચેલા હોવા છતાં પણ સ્ટેમ્પ ડ્યુટી આવી રીતે આઉટ ઓફ પ્રપોર્શન હતી..

આ રીતે એમ-૪ અને એમ-૫ ફ્લેટ ૬૦૫૦૦માં પડે તેમ હતું. ફ્લેટ પુરી રીતે તૈયાર થયા ન હતાં છતાં પણ એલોટમેન્ટ કરી દેવામાં આવેલ. અને જો તમે હાઉસીંગબોર્ડની ગુસ્તાખી અને વાંકને કારણે રજીસ્ટર્ડ કરાવવામાં મોડા પડ્યા હો તો તમારે રૂ. ૬૧૫૦૦ જેવી સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડે. આ કિમત તે વખત માટે રકમ અને ટકાની દૃષ્ટિએ ઘણી વધારે હતી.

આ કેવો એરિયા હતો? અંકુરથી શાસ્ત્રીનગર ચાલતા આવવું પડતું કારણકે રસ્તો કાચો હતો અને ચોમાસામાં (૧૯૭૬માં) શાસ્ત્રીનગર સુધી બસ આવતી ન હતી.

રૂ. ૫૫૦૦૦/- માં તો તમને આવા વિસ્તારમાં ૩૦૦ વારના પ્લૉટમાં ૧૦૦ ચોરસવારનું ટેનામેન્ટ મળી શકતું હતું. ૯૦૦ કે ૧૦૦૦ ના માસિક આવકવાળા કે તેથી વધુ માસિક આવકવાળા એમઆઈજીમાં આવતા હતા. પણ ભાડા ખરીદ પ્રમાણે રૂ.૬૫૦ નો માસિક હપ્તો. જેઓ પાસે કાળા બજારના પૈસા હોય અથવા તો ડાબા હાથની આવક હોય તેવો જ રૂ. ૯૦૦ની આવકવાળો કર્મચારી રૂ. ૬૫૦નો હપ્તો ભરી શકે.

પઝેશન આપવામાં લાલીયાવાડી

૧લી એપ્રીલના રોજ પઝેશન આપવાનો વાયદો હતો. પણ જ્યારે ૧લી એપ્રીલ ૧૯૭૬ના રોજ તપાસ કરી તો ખબર પડી કે ટાઇલ્સ પણ લાગી ન હતી અને ઈલેક્ટ્રીક ફીટીંગ પણ અધુરું હતું. મેં લેખીત જાણ કરી. પણ એ જમાનો એવો હતો કે સરાકારી માણસ તમને લેખિત જવાબ ન આપે. એક મહિના પછી તપાસ કરી તો પણ સ્થિતિ લગભગ એવી જ હતી. એટલે રુબરુ મુલાકાત લીધી. મને મૌખિક મુદત આપી. આમ કેટલાક ધક્કા થયા. અને મને મૌખિક સલાહ આપવામાં આવી કે મારે સીવીલ કામના સુપરવાઈઝરની સાથે ને સાથે રહી રુબરુમાં જ કામ પતાવવું તો જ કામ પતશે.

મેં પૂર્વ શરત અનુસાર કિમતના ૨૦ટકા તો ભરી જ દીધા હતા અને પઝેશન આપ્યું એટલે બાકીના પૂરા પૈસા આપી દીધા. વિલંબ કરવો પાલવે તેમ ન હતો. બે ત્રણ દિવસ સુપરવાઈઝર સાથે રહ્યો અને કામ પતાવ્યું. પણ પછી રજીસ્ટ્રેશનનો સવાલ ઉભો થયો એટલે કે ૧લી એપ્રીલ થી જેટલા મહિના હાઉસીંગ બોર્ડે મોડું પઝેશન આપ્યું તેનું વ્યાજ માગ્યું. અને રજીસ્ટ્રેશન ન કર્યું. ત્યાં વળી ઈન્દીરામાઈએ લેન્ડસીલીંગ એક્ટ નાખ્યો અને વર્ષો સુધી રજીસ્ટ્રેશનનું કામ પાછું ઠેલાયું કારણ કે ગવર્નમેન્ટના હાઉસીંગ બોર્ડે વેચેલા મકાનોને પણ લેન્ડ સીલીંગ એક્ટમાંથી બકાત રાખ્યા ન હતા. બેવકુફીની તો આ ઈન્દીરાઈ ગવર્નમેન્ટની હદ હતી.

મેં ઘણી લખાપટ્ટી કરી પણ મને મોડું પઝેશન આપ્યા બદલ મને કોઈ રાહત ન આપી. હાઉસીંગ બોર્ડનું કહેવું હતું કે ફ્લેટ તો તૈયાર જ હતો પણ મેં જ પઝેશન મોડું લીધું એટલે મારે તેટલા માસિક હપ્તા ભરવા જ જોઇએ. હું હાઉસીંગ બોર્ડના કમીશ્નરને મળ્યો અને બધી વાત કરી. એમણે કહ્યું કે સ્ટેમ્પ ડ્યુટી હજી કદાચ વધુ પણ થાય તેથી તમે રજીસ્ટ્રેશન તો ચાલુ ૧૨.૫% સ્ટેમ્પડ્યુટી લેખે ભરી જ દો અને પછી તમારો કેસ લડો. મેં તેમના ઉપર વિશ્વાસ રાખ્યો. ગુજરાત હાઉસીંગ બોર્ડના હિસાબે પૈસા ભરી દીધા. એ દરમ્યાન મારી મુંબઈ બદલી થઈ. મેં મુંબઈ થી પત્ર વ્યવહાર કર્યો પણ મને જવાબ આપ્યો કે કમીશ્નર સાથેની મુલાકત થકી આપનો કેસ પુરો થયો છે. મારામાં વધુ પત્રવ્યવહાર કરવાનો અને લડવાનો ટાઈમ જ ન હતો.

હવે તમને થશે કે રૂ. ૫૫૦૦૦ અને ૧૦%ની સ્ટેમ્પડ્યુટી એટલે કે   રૂ. ૬૦૫૦૦/- અથવા તો રૂ. ૬૫૦ના માસિક હપ્તા રૂ. ૧૦૦૦ની આસપાસની આવકવાળા કેવી રીતે ભરી શકે?. બેંકવાળા તો, ઈન્દીરા માઈના રાજમાં ૧૪.૫ ટકાએ લોન આપતા હતા અને હજારો જાતના કાગળીયા કરાવતા હતા. તે વ્યાજ અને લોન પોષાય નહીં. કારણ કે તો તો રૂ. ૬૫૦ નો ૧૦ વર્ષનો હપ્તો જ શું ખોટો!

ઈન્દીરાઈ કટોકટીનો લાભ એળે ગયોઃ

ઈન્દીરા માઈએ કટોકટી જાહેર કરેલી. એટલે એક એવી જાહેરાત પણ કરેલી કે એક માસમાં સરકારી હાઉસીંગ લોન મંજુર કરી દેવી. આ કેન્દ્રના કર્મચારીઓને લાગુ પડતું હતું. અને લોન કેન્દ્રની ઓફીસ મંજુર કરતી હતી. તે લોન માટે ગવર્નમેન્ટ હાઉસીંગ બોર્ડ નો એલોટમેન્ટ લેટર પુરતો હતો. એટલે મારી લોન રૂ. ૪૩૦૦૦/- જે ૮%ના દરવાળી હતી તે મંજુર થઈ ગઈ. પણ મારી લોકલ ડીસ્ટ્રીક્ટની ઓફીસે અનેક બહાનાઓ કાઢીને ત્રણ માસ લીધા. અમારા એકાઉન્ટ ઓફીસર સાહેબે “કો-લેટરલ” સીક્યોરીટી માગી. આ સીક્યોરીટી હાઉસીંગબોર્ડે આપવાની હતી. અને હાઉસીંગ બોર્ડ તો તમે જાણો જ છો કે કેટલી વીસે સો કરાવે છે? મારા ડીપાર્ટમેન્ટમાં મારું કેવું ચાલશે તે ચોક્કસ ન હતું. વળી એમ કરવામાં સમય પણ જાય તેમ હતું. અને તે પોષાય તેમ ન હતું. એટલે હાઉસીંગ બૉર્ડના ચેરમેનને જ સાધવો એવું નક્કી કર્યું.

પછી મને થયું કે આ કામ સહેલું નથી. મારા પિતાશ્રી, હાઉસીંગ બોર્ડના ચેરમેનને ઓળખતા હતા. તેઓ એડ્વોકેટ હોવાના નાતે એકબીજાને મળતા હતા. એ ચેરમેને કમીશ્નરને ફોન કર્યો. અને કમીશ્નરે એસ્ટેટ મેનેજરને ફોન કર્યો હશે. હું “કોલેટરલ સીક્યોરીટી”નો લેટર ટાઈપ કરીલો લઈને ગયો. સ્ટાફે બબડતાં બબડતાં એસ્ટેટ મેનેજરના સહી સીક્કા કર્યા. (મફતમાં બધું કરાવવું છે એવું કંઈક બબડ્યા હતા).

ફ્લેટો થાળે પાડવા રાહતો દાખલ કરી

મારા જેવી સગવડ બધાને ન હોય. અને આવા મોંઘા મકાન લેવા કોઈ આગળ પણ ન આવે. એટલે હાઉસીંગ બોર્ડે આવકની શરતો નાબુદ કરી. ૧૦ વર્ષને બદલે ૨૦ વર્ષના હપ્તા નક્કી કર્યા. જે ફ્લેટ ખાલી હતા તેને માટે વહેલો તે પહેલો ના ધોરણે આપવા શરુ કર્યા. તો પણ મોટાભાગના ફ્લેટ ખાલી રહ્યા એટલે ઓએનજીસી, ઈન્કમ ટેક્ષ વિગેરે ખાતાઓને વેચ્યા અને આ ખાતાઓએ તેનો ગવર્નમેન્ટ ક્વાર્ટર્સ તરીકે ઉપયોગ કર્યો. આમ માંડ માંડ એમ-૫ અને એમ-૪ ફ્લેટો થાળે પડ્યા. ઠીક ઠીક ખોટ હાઉસીંગ બોર્ડે ખાધી હશે.

૧૯૭૭ના અંત પછી મકાનના ભાવોમાં ઉ્છાળો આવ્યો. બાંધકામના મટીરીયલ ઉપરના અને પ્રોડક્ષન વધારવા ઉપરના રીસ્ટ્રીક્સનો દૂર થયા હતા અને તેથી મકાનની કિમતોમાં ઉછાળો આવ્યો હતો. હાઉસીંગબોર્ડના મકાનો તમે પૂરી કિમત ભર્યા વગર વેચી ન શકો કે ગેરકાયદેસર રીતે ભાડે ન આપી શકો. પણ જ્યારે બજાર કિમત ખુબ વધી જાય ત્યારે બધા દુરાચારો ચાલુ થાય છે. એટલે “ભાડા ખરીદ”ની સ્કીમો વાળા મકાનો ગેરકાયદેસર રીતે બારોબાર “વેલ વીશર” ના આધારે વેચાવા માંડ્યા.

હાઉસીંગ બોર્ડ, “ભાડા ખરીદ પદ્ધતિ”ની સ્કીમ હેઠળ આપેલા ફ્લેટોના માસિક હપ્તા વસુલીમાં લાલીયા વાડી ચલાવે છે. ૫૦ વર્ષને અંતે પણ તે આ માટેની કોઈ સ્કીમ બનાવી શકી નથી.

બારદાનોએ સુંદર સ્કીમ ને બદસુરત બનાવી    

ગુજરાત હાઉસીંગ બૉર્ડના આ શાસ્ત્રીનગરની સ્કીમની રચના સુંદર હતી. સ્કીમમાં બગીચા અને થીયેટરની જોગવાઈ હતી. જોકે આજની તારીખ સુધી કોઈ બગીચો કે થીયેટર કે એવું કશું થયું નથી. પણ ૧૯૭૭ના અરસામાં હાઉસીંગ બોર્ડનો શાસ્ત્રીનગર એરિયા એ અમદાવાદનો શ્રેષ્ઠ એરિયા હતો.

૧૯૮૦માં વળી પાછી ઈન્દીરાઈ સરકાર આવી. તેણે એફ એસ આઈ વધારી કે કેમ તે ખબર નથી. પણ વધારે કોઈ એક દિશામાં દશ ફુટ બાંધકામ વધારવાની છૂટ આપી. આ માટે તેણે કોઈ પદ્ધતિ કે નીતિ નિયમો કર્યા હતા કે કેમ તે ખબર પડતી નથી. આમ તો આગળની કે પાછળની કે કોઈપણ ખુલ્લી જમીન સામાન્ય ઉપયોગની ગણાય. હાઉસીંગ બ્લોકોના એસોસીએશને જનરલ બોડીની સભા બોલાવીને સામુહિક રીતે પ્લાન બનાવી, મંજુર કરાવી અને પૈસા ઉઘરાવી બાંધકામ કરાવવું જોઇએ. કોઈપણ બ્લોક મેમ્બર એસોસીએશન આવી કાયદેસરની પદ્ધતિ અપનાવે છે કે કેમ તેની દરકાર હાઉસીંગ બોર્ડ ન જ કરે. હાઉસીંગ બોર્ડ આવી માથાકુટમાં શું કામ પડે?

ગમે તે કોઈ મેમ્બર આવે, રૂ. ૧૦૦૦/- જમા કરે, થોડા ખવડાવે અને બાંધકામ કરે. એટલે હાઉસીંગબૉર્ડ માટે વાત પૂરી. ગ્રાઉન્ડ ફ્લોર વાળાઓએ આમેય જમીન કબ્જે કરેલી જ હતી. એટલે મોટાભાગના ગ્રાઉન્ડ ફ્લોર વાળાઓએ એક એક રુમ વધારી દીધો. કેટલાકે બે બાજુએ એક એક રુમ વધારી દીધો. ઉપરાંત હાઉસીંગ બોર્ડે પોતે જે જગ્યા ઓપન રાખવામાં આવનાર હતી ત્યાં ખોબલા જેવા બે માળીયા અને દુકાનો બાંધી દીધી. શાસ્ત્રીનગર જે એક સમયે શ્રેષ્ઠ અને સુંદર વિસ્તાર હતો, તે અત્યારે એક કુરુપ વિસ્તાર બની ગયો છે.

ગમે ત્યાં દુકાનો, ગલ્લાઓ થવા દેવામાં હાઉસીંગ બોર્ડ છોછ રાખતું નથી. જે સરકારી સંસ્થા ખાતેદારો પાસેથી મકાનના હપ્તા પણ ન ઉઘરાવી શકે, સંસ્થાને ગરીબ અને દેવાદાર રાખે પણ સ્ટાફ ગરીબ ન બને પણ અવારનવાર રાહતની સ્કીમો બહાર પાડ્યા કરે તેની પાસેથી તમે સુંદરતા કે સારા વહીવટની તો આશા જ ન રાખી શકો.

આ કોઈ શાસ્ત્રી નગર એકલાની વાત નથી.

શાહ આલમ રોજાવાળી કોલોનીઓની તો આનાથી પણ ખરાબ કથા છે. અર્બન ડેવેલપમેન્ટ ઑથોરીટી પણ કંઈ કમ નથી. તેનો ટેસ્ટ કરવો હોય તો ગરીબ શીડ્યુલ્ડ બેકવર્ડ ક્લાસને ફાળવેલી જમીનો ઉપર હાલ વાસ્તવિક કબજો કોનો છે તે જાણો તો ખબર પડશે કે માલેતુજાર લોકો જ આ જમીન ઉપર કબજો ધરાવે છે.  સરકારી કર્મચારીઓ પણ તે માટેના એજન્ટો હોય છે.

મ્યુનીસીપાલીટી હોય, ઔડા હોય, કે હાઉસીંગ બોર્ડ હોય સૌને પ્રજાની સુખ સગવડ કરતાં “કાયદાની ઐસી તૈસી” કરીને પૈસા ગજવે કરવામાં જ રસ હોય છે. જો દેશના સર્વોચ્ચ પણ જો વિશ્વસનીય અને વિવાદથી પર રહેવામાં માનતા ન હોય તો આ સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓ શામાટે કાયદાના રાજ માટે પ્રયત્ન કરે? પૈસા શા માટે ગજવે ન કરે? તેઓ જાણે છે કે જો આવું વ્યાપક બનશે એટલે ન છૂટકે સરકાર માઈબાપ રાહતો આપવાની સ્કીમો બહાર પાડશે. ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા “ઈમ્પેક્ટ ફી” લાગુ કરવાની સરકારી ભલામણ “સહીયારો પ્રપંચ” નથી તો બીજું શું છે? દેશને જરુર છે દરેક લેવલે એક ક્રેઝી ન્યાય મૂર્ત્તિ, ક્રેઝી મુખ્ય મંત્રી અને ક્રેઝી સરકારી અમલદાર જે વ્યાપક હિતમાં અર્થઘટન કરે, આદેશ આપે અને તેનો અમલ કરે અને કરાવે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગુજરાત હાઉસીંગ બોર્ડ, કમીશ્નર, એસ્ટેટ ઓફીસર, કર્મચારીઓ, ભાડા ખરીદ પદ્ધતિ, હપ્તા, લાલીયાવાડી, સ્કીમ, સુંદર, બદસુરત, શાસ્ત્રીનગર, કોલોની, એસોસીએશન, રૂ. ૧૦૦૦, બાંધકામ, ફાવેતેમ, બગીચો, થીયેટર, ઈન્દીરા, કટોકટી

Read Full Post »

દરેક દેશને કાળો યુગ આવે છે. પછી ભલે તે દેશ કોઈએક સમયે કે મોટાભાગના સમય માટે ગમે તેટલો મહાન વિકસિત, વિદ્વાન અને ઉત્તમ રાજનીતિ વાળો કેમ નહોય. 

ભારતની સમાજવ્યવસ્થા ખામીવાળી હતી પણ તે વિકેન્દ્રિત, એકમેકને પૂરક અને વ્યવસ્થિત હતી તેથી ઔરંગઝેબના સમયસુધી ઠીક ઠીક સફળ રીતે ચાલી. જોકે કેટલાક લોકો સનાતનધર્મ ઉપરના પ્રેમને કારણે કે મુસ્લિમ અને ખ્રીસ્તી ધર્મના લોકોએ કરેલા કથિત અત્યાચારોને કારણે ભારતના સુવર્ણયુગનો અંત અને ગુલામીની શરુઆત મહમ્મદ ગઝનીના સમયથી એટલે કે ૧૧મી સદીથી ગણી લે છે.

એમ તો કેટલાક પાશ્ચાત્ય વાદીઓ સિકંદરે પોરસને હરાવ્યો ત્યારથી ભારતને હારની પરંપરા વાળો ગણી લે છે. પણ એની ચર્ચા આપણે નહીં કરીએ.

જેઓ અહીં આવ્યા અને ભારતને પોતાનો દેશ ગણ્યો અને રાજ કરીને તેનો વિકાસ પણ કર્યો તેના રાજમાં આપણે ગુલામ હતા તે વાત સ્વિકારી ન શકાય. જો આમ ન માનીએ તો અમેરિકા આજે ઈન્ડોનેસીયાનું ગુલામ કહેવાય કારણ કે ઓબામા ઈન્ડોનેસીયાના મુસ્લિમ છે.

પૃથ્વીના ઈતિહાસનો અર્વાચિન યુગ પણ ભારતનો કાળો યુગ

આપણી ગુલામી અને કાળાયુગનો પ્રારંભ મોગલ સામ્રાજ્યના અંતની સાથે થયો. સાંસ્કૃતિક અને આર્થિક રીતે ગુલામી અંગ્રેજોના શાસનથી આવી. અને કદાચ તે હજુપણ ચાલુ છે. વૈચારિક અને નૈતિક કંગાળતા તો નહેરુવીયન શાસન જ લાવ્યું.

૧૯૬૯માં જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી જેવા વૈચારિક રીતે પ્રતિકૃતિવાળા બે ત્રણ ગાંધી જો સાથે આવે તો જ આપણને આ અંધાકાર યુગમાંથી કદાચ બચાવી શકે.

ચીન સાથેના પરાજય પછી જવાહાર નહેરુની ખુરસી ડગમગવા માંડી અને તેમણે  સીન્ડીકેટની રચના કરી.

આ રચનાનો હેતુ એજ હતો કે ભારતની વિદેશ નીતિના રહસ્યો દબાયેલા જ રહે અને તેના હાડપિંજરો કદી બહાર જ ન આવી શકે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે વડાપ્રધાનનું પદ વંશપરંપરાગત બને. આ એક અનીતિ હતી. લોકશાહીમાં  વંશવાદની અભિલાષા ન રાખી શકાય. પણ દેશના અંગ્રેજી સમાચાર પત્રોને ભારતીય સાંસ્કૃતિક ધરોહરમાં રસ ન હતો. અર્થહીન પાશ્ચાત્યવાદો જેવા કે મુડીવાદ, ઉપભોગતાવાદ, પ્રબંધક સમાજવાદ, સામ્યવાદ, વિગેરે તેમને માટે  પ્રકાશના કેન્દ્રો હતા.

તેમને માટે અને નહેરુમાટે પણ, ગાંધીજીનો ભારતીય સંસ્કૃતિ ઉપર આધારિત સર્વોદયવાદ પોથીમાંના રીંગણા જેવો હતો. ગાંધીજી ખુદ તેમને માટે પોથીમાંના રીંગણા જેવા હતા. ચૂંટણી વખતે ગાંધીજી ગાજરની પીપુડી હતા. દેશી એટલે કે વર્નાક્યુલર સમાચાર પત્રોના માલિકોને જવાહરલાલના નામની શરમ નડતી હતી. કારણ કે જવાહરલાલ ની, સ્વાતત્ર્યની ચળવળમાં કારકિર્દી ઉલ્લેખનીય હતી.

તિબેટ-ચીન-રશીયા-બર્મા સાથેના સંબંધો, અર્થનીતિ, બિનજોડાણવાદની નીતિ, સમાજવાદી સમાજરચના, લોકશાહી સમાજવાદી સમાજ રચના,   પંચશીલ વિગેરે એવા વિષયો હતા કે જેમાં સામાન્ય માણસોને કંઈ ગમ ન પડે અને મોટાભાગના અખબારી કટારોના મૂર્ધન્યો પણ ગોથાં ખાય. મૂળમાં આ બધું તાત્વિક વધુ અને આચારમાં દુધ-દહીં જેવું હતું.

સ્વતંત્ર ભારતની અંધકાર યુગની ઘોર રાત્રીના મંડાણ.

પણ ઇન્દીરા ગાંધીના આવ્યા પછી એક નવું તત્વ રાજકારણમાં ઉમેરાયું જે હતું રાજકીય મૂલ્યોનો પ્રત્યક્ષ વિનાશ. દલીલ વગરનું અને તથ્યવગરનું વાગ્‌યુદ્ધ. કોઈપણ ભોગે સત્તા. પક્ષપલ્ટો કરવો અને અથવા કરાવવો. લાલચો આપવી. વિશ્વાસઘાત કરવો. લાંચ લેવી. લાંચ આપવી. કામ ન કરવું. પૈસા આપી ટોળાં એકઠા કરવા. ટ્રકોમાં લોકોને લઈ જવા. વિરોધીઓને ખોટી રીતે હેરાન કરવા. અફવાઓ ફેલાવવી. નામવગરના અર્થઘટનો કરવાં. આ દરેક દુરાચારોના પ્રસંગો ઈન્દીરાગાંધીની ખુદની બાબતમાં પણ લખી શકાય એમ છે.

આવું બધું જ્યારે રાજકીય સફળતાના મૂળમાં હોય ત્યારે દેશ પાયમાલ ન થાય તો શું થાય?

૧૯૭૦ માં ઈન્દીરાએ કેન્દ્રમાં નિરપેક્ષ સફળતા મેળવી. ૧૯૭૧માં રાજ્યોમાં નિરપેક્ષ સફળતા મેળવી. આ સફળતા તો એવી કે મુખ્ય મંત્રીઓની નીમણૂંક પણ ઈન્દીરા ગાંધીની આજ્ઞા પ્રમાણે થાય. આટલા મોટા જનાધાર અને આપખુદી હોવા છતાં પણ દેશ પ્રગતિને બદલે પાયમાલ થવા માંડ્યો.

આનો પ્રતિકાર સૌપ્રથમ ગુજરાતમાં થયો. એમ કહી શકાય કે તેનું પ્રથમ દર્શન પુરષોત્તમ ગણેશ માવલંકર ના ચૂંટણી યુદ્ધથી થયું. ૧૯૭૨ માં ઈન્દુલાલ યાજ્ઞિકના અવસાનથી ખાલી પડેલી લોકસભાની બેઠક માટે પી.જી.માવલંકરે અપક્ષ ઉમેદવાર તરીકે નામ નોંધાવ્યું. સંસ્થા કોંગ્રેસે તેમનું સમર્થન કર્યું. ૧૯૭૧માં તો ગુજરાતમાં ચારે બાજુ ઈન્દીરા કોંગ્રેસનો જયજયકાર હતો. વિધાન સભામાં ઈન્દીરા કોંગ્રેસને ૧૬૪માંથી ૧૪૦ સીટો મળેલી. જોકે લોકોને અસંતોષ હતો. પણ “ગરીબી હઠાવો”ના નારાએ અને હોદ્દાઓની ખેરાત કરવામાં ઇન્દીરા ગાંધીએ દલિત નેતાઓને ન્યાલ કરેલા, એટલે દલિત લોકોમાં ભ્રમ ઉભો થયેલો કે “આ ગમિષ્યતિ યત્‌ પત્રં, તત્‌ તારિષ્યતિ અસ્માન્‌”.

પંચતંત્રની એક વાતમાં ચાર મુર્ખ પંડિતોની વાર્તા આવે છે. જેમાં નદી ઓળંગવાનો પ્રસંગ ઉભો થાય છે.  એક પંડિત પોથી ઉઘાડીને વાંચે છે કે જે પાંદડું આવશે તે તમને તારી દેશે.. અને એક પાંદડું તરતું તરતું આવે છે તેના ઉપર એક પંડિત કુદી પડે છે.

 હવે આપણા દેશના ગુજરાત સહિતના મૂર્ધન્યો જ જો, ઈન્દીરા ગાંધીની “મારા બાપાને પણ આ લોકો કામ કરવા દેતા ન હતા” એવી વેતા વગરની વાતોમાં આવી જાય અને તાબોટા પાડે તો ગુજરાતની ગરીબ પ્રજાને શું ગમ પડે! તેમને તો એમ જ હતું કે હવે તો આપણે પણ બે પાંદડે થાશું.

આમ તો આવાત “આજની ઘડી અને કાલનો દી” જેવી હતી. ઈન્દીરા ગાંધીના કરતાં વધુ કર્મનિષ્ઠ અને વધુ હોંશીયાર એવા તેના પિતાશ્રી જવાહર લાલ નહેરુએ પણ આવી જ પ્રતિજ્ઞાઓ લીધેલી. અને આ બધી “જલે લિખિતં અક્ષરં” (પાણી ઉપર લખેલા પ્રતિજ્ઞાપત્ર) જેવી સાબીત થયેલી. જેવી કે “ચીને કબજે કરેલો ભારતીય પ્રદેશ પાછો મેળવ્યા વગર જંપીને બેસીશું નહીં” એ પ્રતિજ્ઞા  ભારતીય સંસદ સમક્ષ તેમણે અને તેમના પક્ષે લીધેલી હતી. ભારતના અખબારી મૂર્ધન્યો નહીં તો કમસે કમ ગુજરાતના અખબારી અને સાહિત્યિક મૂર્ધન્યોએ તો આવી પ્રપંચી પ્રતિજ્ઞાઓ ને સમજી જવા જેવી હતી. પણ ઈન્દુલાલ યાજ્ઞિક જેવા પણ દુર્ભાગ્યના માર્યા  જો ઈન્દીરા કોંગ્રેસમાં ભળી જાય તો ગરીબોનો તો વિશ્વાસ બંધાય જ ને! હવે આ ઈન્દુલાલ યાજ્ઞિક જેઓ આખી જીંદગી કોંગ્રેસને ફીટકારતા રહ્યા હ્તા, તેઓ તેમની જીવન યાત્રાની અંતિમ ક્ષણોમાં ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયા, તેનાથી વધુ રાજકીય મૂલ્યોના હ્રાસ ની વાત બીજી કઈ હોઈ શકે?

મહમ્મદ ગઝની અને તૈમૂરલંગના સેનાપતિઓને હરાવી શકાય છે.

મોરારજી દેસાઈ અને તેમના સાથીઓ ઈન્દીરા ગાંધીની કાર્યશૈલીને ઓળખતા જ હતા. અને ગુજરાતી સુજ્ઞ જનો પણ સમજી ગયા કે નહેરુવીયન કોંગ્રેસમાં નીતિમત્તાના મામલે ખાટલે મોટી ખોડ છે. તે વખતે અખબારો નહેરુવીયન કોંગ્રેસના આંતર વિગ્રહની વાતોને છૂપાવવામાં માનતા ન હતા કારણ કે તેમાટે તેમને કદાચ પૈસા મળવાનું ચાલુ થયું નહીં હોય. તેથી ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસની આંતરવિગ્રહની વાતો છાપે ચડવા માંડેલી. એમાં વળી અમદાવાદની લોકસભાની બેઠકની ચૂંટણી આવી અને પી. જી. માવલંકર આ ચૂંટણી ૨૦૦૦૦ મતે જીતી ગયા એટલે શહેરી જનતાના જીવમાં જીવ આવ્યો કે તૈમૂરલંગના સેનાપતિને પણ હરાવી શકાય છે.

નવનિર્માણનું આંદોલનઃ

નહેરુવીયન કોંગ્રેસની શાસકીય અણઅવડત છતી થવા માંડી અને અખબારોએ સાથ આપ્યો એટલે નવનિર્માણનું આંદોલન શરુ થયું. પી.જી. માવલંકરે અને ગુજરાતના સાહિત્યિક મૂર્ધન્યોએ આ આંદોલનને સાથ આપ્યો. રાજકારણથી સામાન્ય રીતે દૂર રહેનારા ગુજરાતી સર્વોદય કાર્યકરો અને સર્વોદય ઉપર શ્રદ્ધા ધરાવતા નેતાઓ પણ આ આંદોલનમાં ભળ્યા. “૧૪૦ કોણ છે, ઈન્દીરાના ચમચા છે” જેવા અનેક સૂત્રો સાથે આંદોલનની પરાકાષ્ઠા આવી અને નહેરુવીયન કોંગ્રેસી મુખ્યમંત્રીએ રાજીનામુ આપ્યું.

 પણ જનતાને વિધાન સભાના વિસર્જનથી ઓછું ખપતું ન હતું એટલે આંદોલન વ્યાપકરીતે ઘણું આગળ ચાલ્યું.   જોકે આ નહેરુવીયન કોંગ્રેસે ઘણા ગોળીબારો કર્યા અને સો થી વધુ લોકોએ જાન ગુમાવ્યા. અંતે ઈન્દીરાગાંધીએ વિધાન સભાને સુસુપ્ત કરી. પણ તેથી જનતાને સંતોષ ન થયો કારણ કે જનતા ઈન્દીરા ગાંધીના જુઠાણાઓને જાણતી હતી. જનતાએ વિધાનસભાના સભ્યોના રાજીનામા માંગવા માંડ્યા. મોરારજી દેસાઈ જે કોંગ્રેસમાં હતા તે કોંગ્રેસ, સંસ્થા કોંગ્રેસને નામે ઓળખાતી હતી.  કોંગ્રેસ(સંસ્થા)ના સભ્યોએ તો તૂર્ત જ રાજીનામા આપી દીધા. જનસંઘના સભ્યોએ પણ રાજીનામાં આપ્યા. અને ન છૂટકે કેટલાક નહેરુવીયન કોંગ્રેસી સભ્યોએ પણ રાજીનામાં આપ્યાં. પણ ઇન્દીરા ગાંધીની ઈચ્છા હતી કે વિધાનસભાનું વિસર્જન ન કરવું. સમય વ્યતિત કરવો. કાળક્રમે બધું બધું ટાઢું પડે એટલે વિધાનસભાની ખાલી સીટોની ચૂંટણી કરાવી લેવી.

ઈન્દીરા ગાંધીએ અવાર નવાર “નવનિર્માણ આંદોલન”ના નેતાઓને દિલ્લી તેડાવેલા. લાલચો આપેલી. પણ સદભાગ્યે કોઈ વિદ્યાર્થી નેતા ટસના મસ થયા ન હતા. સંભવ છે કે ગણ્યાગાંઠ્યા કોઈ ઈન્દીરાની વાતમાં આવી ગયા હોય પણ બીજા નેતાઓના પ્રબળ વિરોધને કારણે તેઓ કોઈ ફૂટ્યા નહીં. આવું એટલા માટે કહેવું પડ્યું કે એક બે નેતાઓ એ કહ્યું હતું “જેને નવનિર્માણનું આંદોલન પાછું ખેંચવું હોય તે ખેંચી લે. ભલે હું એકલો રહી જાઉં. હું મરતાં સુધી આ આંદોલન ચલાવતો રહીશ અને કોંગ્રેસ (આઈ) સામે એકલો એકલો લડતો રહીશ.” જો કે સખેદ કહેવું પડે કે આજની તારીખમાં કેટલાક નવનિર્માણીય નેતાઓ ઈન્દીરાઈ કોંગ્રેસને શોભાવી રહ્યા છે. પણ જેઓ જેલમાં ગયેલા અને પરિપક્વ હતા તેઓ પણ જો આ જે ઈન્દીરાઈ કોંગ્રેસને પ્રત્યક્ષ કે પરોક્ષરીતે શોભાવી રહ્યા હોય તો આ નવનિર્માણ ખ્યાત નેતાઓ પોતાની તત્કાલિન પ્રસિદ્ધિને “કૅશ કરે” તો તેમને તેમના આવા પરિપેક્ષ્યમાં જોવા જોવા જોઇએ.

આવું બધું ભવિષ્યમાં ન થાય તેમાટે, તે સમયે પીજી માવલંકરે એક પક્ષ બનાવવાની અગમ બુદ્ધિની વાત કરેલી. પણ તે વખતે વિદ્યાર્થી નેતાઓ ઉપર “પક્ષ હીન” રાજકારણનું ભૂત સવાર થયેલું. એટલે કોઈએ તેમની વાત માની નહીં. પક્ષનું મોવડી મંડળ, પક્ષના સભ્યોની પૂંછડીને પકડીને અંકૂશમાં રાખી શકે તે કોઈના ધ્યાન માં ન આવ્યું. જો પક્ષનું મોવડી મંડળ નીતિમાન હોય તો તે પોતાના પક્ષના લાલચુસભ્યોને અંકૂશમાં રાખી શકે છે. આ વાત પક્ષીય રાજકારણનું એક હકારાત્મક પાસું છે. જો પક્ષને નીતિના સિદ્ધાંતો ન હોય તો ખાઉકડ સભ્યોથી જ લોકસભા/વિધાન સભા ખદબદી ઉઠે. જે આપણે હાલ કેન્દ્રમાં ભરપૂર માત્રામાં જોઇએ છીએ. આ વિષય લાંબી ચર્ચા માગી લે છે. આ બ્લોગનો આ વિષય નથી.

મોરારજી દેસાઈ, આ બધી નહેરુવંશીય ફરજંદોની ચાલબાજી જાણતા હતા. એટલે તેઓ વિધાનસભાના વિસર્જન માટે આ મરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા. મોરારજી દેસાઈ રાષ્ટ્રીય નેતા હતા. એટલે આખા દેશમાં ભારે ઉહાપોહ થયો. ઈન્દીરા ગાંધી એ બેહદ ખંડિત અને નિષ્પ્રાણ વિધાન સભાને વિસર્જીત ન કરી પણ મોરારજી ની તબિયત લથડી એટલે ટીકા થવા માંડી. અંતે ઈન્દીરા ગાંધીએ ન છૂટકે વિધાનસભાનું  વિસર્જન કર્યું. વિધાન સભાના વિસર્જન પછી ઇન્દીરા ગાંધીની ઈચ્છા ન હતી કે ગુજરાતમાં ફરીથી ચૂંટણી યોજાય. ગુજરાતની ચૂંટણીમાં વિલંબ થવા લાગ્યો. એટલે ફરીથી મોરારજી દેસાઈ આમરાંત ઉપવાસ ઉપર ઉતર્યા. તેમની તબિયત લથડી. અંતે ગુજરાત વિધાન સભાની ચૂંટણી જાહેર થઈ. જનતા મોરચાના નેજા હેઠળ બધા વિરોધ પક્ષો ભેગા થયા. ચિમનભાઈ પટેલે “કિમલોપ” નવો પક્ષ રચ્યો. તેઓ પોતે હારી ગયા પણ તેમના પક્ષે જનતા મોરચાને બેઠકોની બાબતમાં નુકશાન કર્યું. જનતા મોરચો  નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસથી થોડોક જ આગળ નિકળી શક્યો. કોંગ્રેસ નામશેષ ન થઈ તેનું મૂખ્ય કારણ તેની જાતિવાદી ભેદભાવ ઉત્પન્ન કરવાની નીતિ હતી. પણ સરવાળે જનતા મોરચાના નેતા બાબુભાઈ જશભાઈ પટેલ સરકાર રચી શક્યા. ઈન્દીરાના પેટમાં તેલ રેડાયું.  

લોકઆંદોલન દ્વારા સરકારને ગબડાવી શકાય છે. લોક આંદોલન દ્વારા વિધાન સભાનું વિસર્જન થઈ શકે છે તે વાતથી જયપ્રકાશ નારયણને ઉત્સાહ સાંપડ્યો. પ્રાદેશિક લાભ માટે બીજા રાજ્યના લોકો ભારતમાં આંદોલનો કરતા હતા. સરકારી સાહસો  ગુજરાતમાં આવતા જ નહતા. નર્મદા યોજના જેવી ૧૯૩૦ની સાલની યોજના પણ ઈન્દીરાઈ રાજકારણ થકી ટલ્લે ચડતી હતી. નવી રેલ્વે લાઈનો નખવાની તો વાત કરવા જેવી નહતી. કારણ કે “બાપુઓ”એ નાખેલી રેલ્વે લાઈનોને અપગ્રેડ કરવાને બદલે જ ઇન્દીરાઈ સરકાર તેને એક પછી એક બંધ કરતી જતી હતી. ભાવનગર તારાપુર રેલ્વે યોજના તો ટલ્લે જ ચડી ગઈ હતી. મશીન ટૂલ્સના કારખાનાનો પ્રકલ્પ પણ હવામાં ઓગળી ગયો હતો. પણ ગુજરાતે કદી આવી બાબતો માટે આંદોલન કર્યું ન હતું. પણ આ જ ગુજરાતની જનતાએ ભ્રષ્ટાચાર હટાવોનું વ્યાપક અને દીર્ઘકાલીન આંદોલન સફળતા પૂર્વક કર્યું તેથી જયપ્રકાશ નારાયણ બહુ પ્રભાવિત થયા. તેમણે દેશ વ્યાપી આંદોલન ઉપાડ્યું તેથી ઈન્દીરા ગાંધીની દેશવ્યાપી સરકાર તકલીફમાં આવી.

ઈન્દીરા ગાંધી દલા તરવાડી

ચીફ ઈલેક્ષન કમીશ્નર શ્રી શેષન જ્યાં સુધી  ચીફ ઈલેક્ષન કમીશ્નર થયા ન હતા ત્યાં સુધી એટલે કે નહેરુ ઈન્દીરાના સમયમાં ચૂંટણી લક્ષી દરેક બાબતોમાં લાલીયાવાડી ચાલતી હતી. તેનો લાભ નહેરુવીયન કોંગ્રેસ પુસ્કળ લેતી હતી. ઈન્દીરાગાંધીએ પણ ૧૯૭૦ની ચૂંટણી લડવામાં અનેક ગેરરીતીઓ આચરેલી. ઈન્દીરાના પ્રતિસ્પર્ધી રાજનારયણે આ ચૂંટણીને અલ્હાબાદ ઉચ્ચ અદાલતમાં પડકારેલી. એક બાજુ જયપ્રકાશ નારાયણનું આંદોલન ચાલતું હતું અને બીજી તરફ ૨૩મી જુને અલ્હાબાદ ઉચ્ચ અદાલતનો ચૂકાદો આવ્યો. આ અદાલતે ઈન્દીરા ગાંધીની લોકસભાની સદસ્યતા ગેરરીતીઓને કારણે રદ કરી. આ ઉપરાંત ગેરરીતીઓ આચરવા બદલ ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ગેર લાયક ઠેરવ્યાં.

એવું લાગે છે કે ઈન્દીરા ગાંધીને તેના જાસુસી સુત્રોથી આ આવનારા ચૂકાદાની માહિતી હશે. કારણ કે જેવો ચૂકાદો જાહેર થયો તેના ગણત્રીના કલાકોમાં દેશ ભરની દિવાલો ઉપર પોસ્ટરો લાગી ગયાં કે “ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર ચાલુ છે.” “જનતાની ઈચ્છાને માન આપીને  ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર ચાલુ છે”. ઓલ ઈન્ડીયા રેડીયો કે જે “ઓલ ઈન્દીરા રેડીયો” તરીકે ઓળખાતો હતો તેની ઉપર દરેક રાજ્યની નહેરુવીયન કોંગ્રેસ પ્રદેશ સમિતિએ કરેલા ઠરાવો નો મારો પ્રસારિત થવા લાગ્યો કે “ઈન્દીરાગાંધીમાં પક્ષને સંપૂર્ણ વિશ્વાસ છે અને તે વડાપ્રધાન પદ ઉપર ચાલુ રછે.” ઈન્દીરા ગાંધીની આ વાત દલા તરવાડી જેવી હતી. ૨૫મીએ મધ્ય રાત્રીએ દેશવ્યાપી કટોકટી લાદવામાં આવી. અને પછી તો કોના બાપની દિવાળી. ઈન્દીરા ગાંધીની ભાટાઈ કરતા પોસ્ટરો ઉપર પોસ્ટરો  લાગવા માડ્યાં.

કટોકટીના જાહેર કરેલા કારણો એ હતાં કે દેશના અહિત ઈચ્છનારાઓ લશ્કરને બળવો કરતા ઉશ્કેરતા હતા. વિપક્ષી નેતાઓ સરકારી નોકરોને કાયદાના ભંગ માટે ઉશ્કેરાતા હ્તા.  વિપક્ષી નેતાઓમાં અશિસ્ત હતી. વિપક્ષી નેતાઓ પ્રજાને અશિસ્ત માટે ઉશ્કેરતા હતા. સર્વત્ર અરાજકતા ફેલાવવામાં આવી હતી. ઔદ્યોગિક ક્ષેત્રે અને વહીવટી ક્ષેત્રે અશિસ્ત હતી. વિપક્ષી નેતાઓ વિદેશી તત્વોના હાથા બની ગયા હતા.  આ બધા કારણોથી દેશમાં બાહ્ય અને આંતરિક કટોકટી લાદવામાં આવેલી.

આ કટોકટી લાદવા જે વટહુકમ તૈયાર કરવમાં આવેલો તે માટે કેબીનેટની મંજુરી લેવામાં આવી નહતી. તેને સીધો જ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી ફકરુદ્દીન અલી અહેમદ પાસે લઈ જવામાં આવ્યો હતો. તે વખતે રાષ્ટ્રપતિ સ્નાન કરી રહ્યા હતા. એક કાર્ટૂન એ પ્રમાણે હતું કે બાથરુમના અધખુલ્લા બારણામાંથી વટહુકમના કાગળને રાષ્ટ્રપતિ તરફ અંબાવીને કાગળ ઉપર સહી લેવામાં આવેલી. 

આ કટોકટી અંતર્ગત બંધારણીય અધિકારો રદ કરવામાં આવ્યા. સભા, સરઘસ કે પ્રદર્શન કે સરકાર વિરોધી કોઈપણ વાત પર સંપૂર્ણ બંધી હતી. કોઈપણ સમાચાર સરકારની ચકાસણી  વગર અને મંજૂરી વગર છાપવાની બંધી હતી. તેથી સમાચારની બાબતમાં અંધારપટ હતો. વિપક્ષી નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં ઈન્દીરાઈ કોંગ્રેસની સરકાર હતી (જે ગુજરાત માં ન હતી) ત્યાં જે કોઇ પણ વિરોધ કરતા હતા તે સૌને શોધી શોધીને જેલમાં પૂરવામાં આવ્યા. ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર હતી. પણ ચીમનભાઈ પટેલ ઉપર તવાઈ આવી. તેમણે એક પુસ્તિકા લખેલી કે ગુજરાતના તેલીયા રાજાઓ પાસે થી ઈન્દીરા ગાંધીએ કેવીરીતે પૈસા પડાવેલ. ચીમનભાઈ પટેલે ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલન ને કારણે મુખ્યપ્રધાનપદ ગુમાવેલું અને નવો પક્ષ રચેલ. આ પક્ષના ટેકાથી જનતા મોરચાની સરકાર ચાલતી હતી. કટોકટીમાં ચીમનભાઈએ ઈન્દીરાઈ કોંગ્રેસની ધમકીઓથી ડરી જઈને ટેકો પાછો ખેંચ્યો. એટલે બાબુભાઈ જશભાઈ પટેલની જનતા મોરચાની સરકાર ગબડી પડી. એટલે ગુજરાતમાં ઈન્દીરાકોંગ્રેસના વિરોધીઓને જેલમાં પૂરવાનો દોર ચાલુ થયો.

સરકાર કોને જેલમાં પૂરી શકે?

જેણે કોઇના જાનમાલને નુકશાન પહોંચાડવાનો ગુનો કર્યો હોય.

જે ઉપરોક્ત ગુનો કરવાની વૃત્તિ ધરાવે છે. પણ આ માટે પ્રથમદર્શી પૂરાવો પોલીસ પાસે હોવો જોઇએ.

કટોકટી માં બંધારણીય અધિકારો સ્થગિત થાય છે. પણ કુદરતી અધિકારો સ્થગિત થતા નથી. આ અધિકારો યુનોના માનવીય અધિકારોમાં આવે છે. જ્યાં સુધી કોઈ એક દેશ યુનો નો સભ્ય છે ત્યાં સુધી તે દેશે માનવીય અધિકારોનું રક્ષણ કરવું કરવું જોઇએ.

ધારોકે તમારી સરકારે કોઇને તેની તથાકથિત ગુનાઈત પ્રવૃત્તિના આરોપસર જેલમાં તો પૂર્યો છે. તો તમારે તે વ્યક્તિને તેના બંધારણીય હક્ક પ્રમાણે જણાવવું તો જોઇએ જ કે તેને કયા કારણથી જેલમાં પૂર્યો છે. હવે ધારોકે તમે તેના બંધારણીય હક્કો નાબુદ કર્યા છે તો તેનો અર્થ એ નથી કે તમે તેને વગર ગુનાએ કે વગર પ્રથમદર્શી પુરાવાએ પણ જેલમાં પૂરી શકો. કારણ કે જો આવું થાય તો તો જીવવાનો અધિકાર પણ નષ્ટ થાય છે.

એક જગ્યાએ કોઈની ધરપકડ થઈ. એટલે એક વકીલે કોર્ટમાં કેસ કર્યો.

વકીલે કહ્યું મારા અસીલ નો શું ગુનો છે અને તે માટે પ્રથમદર્શી પૂરાવો શું છે?

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે અત્યારે બંધારણીય અધિકારો રદ થયા છે.

ન્યાયધીશે કહ્યું; એટલે તમે શું કહેવા માગો છો?

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે બધા અધિકારો રદ થયા છે.

ન્યાયધીશે કહ્યું કે શું તમે કોઈને મારી નાખી પણ શકો?

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે હા, અમે કોઈપણ નાગરિકને મારી નાખી પણ શકીએ.

ન્યાયધીશે કહ્યું; જીવવાનો અધિકાર એ કુદરતી અધિકાર છે. એ તમે ક્યારેય છીનવી ન શકો.

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે; અમે તો તેને ફક્ત જેલમાં જ પૂર્યો છે.

ન્યાયધીશે કહ્યું; હા પણ તેને માટે પૂરાવો હોવો જરુરી છે.

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે હા આપ કહો છો તે જરુરી હોય તો પણ,  એ વાત આરોપીને બતાવવી જરુરી નથી.

ન્યાયધીશે કહ્યું કે બંધારણીય અધિકારો રદ નથી થયા. પણ સ્થગિત થયા છે. તેથી પ્રથમ દર્શી પૂરાવાઓ હોવા તો જોઇએ જ.

સરકારી વકીલે કહ્યું,; હા પણ આરોપીને બતાવવા જરુરી નથી. એટલે ન હોય તો પણ ચાલે.

ન્યાયધીશે કહ્યું; આરોપીને બતાવવા જરુરી નથી એનો અર્થ એવો નથી કે પ્રથમ દર્શી પૂરાવા ન હોય તો પણ ચાલે. તેનું અસ્તિત્વ તો હોવું જ જોઇએ. અને તે કૉર્ટને તો બતાવવા જ જોઇએ.

કૉર્ટ નક્કી કરશે કે પ્રથમદર્શી પૂરાવા યોગ્ય છે કે નહીં.

આવી તો ઘણી જ પોલીસની (સરકારની) મનમાની ની વાતો છે. ગયા વર્ષના બ્લોગને અનુસંધાનમાં વાંચો.

https://treenetram.wordpress.com/2011/07/

ધુળાભાઈ ગોત્યા ન જડે

કટોકટી દરમ્યાન ઑલ ઈન્ડીયા રેડીયો તો ઈન્દીરાઈ જાગીર હોય તેમ જ વર્તતો હતો. ઈન્દીરા ગાંધીના પૂત્રના ૪ મુદ્દાનો કાર્યક્રમ અને ઈન્દીરા ગાંધીનો ૨૦ મુદ્દાનો કાર્યક્રમ એટલે કે ૪ અને ૨૦ નો કાર્યક્રમ ૪૨૦ જેવો જ હતો. રેડીયો ઉપર આ જાહેરાત અવારનવાર આવતી; “અહા હા ધૂળાભાઈ, તમે તો કંઈ બહુ જ ખુશમાં લાગો છો?” ધુળાભાઈનો અવાજ; “તે હોઈએ જ ને! જુઓને આ ૨૦ મુદ્દાના કાર્યક્રમમાં એય અમને પાકુ ધાબા વાળું ઘર મળ્યું છે. … અને એય … અમારે તો લીલા લહેર છે…” વિગેરે વિગેરે.

પણ ધુળાભાઈ વાસ્તવમાં કોઈ ગામમાં ગોત્યા ન જડે. પણ તમે એમ કહી ન શકો. આમ જનતા ભયભીત હતી. સૌ રાજકારણ થી ડરતા હતા. સૌને એવો ડર હતો કે લોકલ ઈન્ટેલીજન્સ વાળા ક્યાંક છૂપાઈને બેઠા હશે અને આપણી વાત સાંભળી જશે તો આપણને જેલમાં ઠોકી દેશે. રાજકારણની વાતને એક અછૂત વિષય બનાવી દીધો હતો. રાજકારણે અને તેના લગતા આંદોલનોએ દેશને કેટલું બધું નુકશાન પહોંચાડ્યું તેની અખબારી મૂર્ધન્યો ચર્ચા કરતા હતા.

સરકાર વિષે પરોક્ષ રીતે પણ બોલવામાં લોકો ડરતા હતા. વિપક્ષના લોકો તો કાંતો જેલમાં હતા અથવા તો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. કટાર લેખકો પોતાની કટારો બચાવવા રાજકારણના કે સમાજ શાસ્ત્રના વિષયો છોડી, ફાલતુ વિષયો ઉપર ચર્ચા કરવા માંડ્યા હતા. કોઈપણ વિષયમાં ચર્ચા થાય ત્યારે એ વાત ખાસ ધ્યાનમાં રખાતી કે સરકારની વિરુદ્ધમાં પરોક્ષ રીતે પણ કંઈ લખાઈ જતું તો નથી ને!

એક અખબારે લખ્યું “કટોકટીને એક વર્ષ પૂરું થયું” તો તેની ઉપર સરકારી પસ્તાળ પડી. સમાચાર પત્રોના તંત્રીઓ અને માલિકો ને નમવાનું કહેલ તો તેઓ ચત્તાપાટ સાષ્ટાંગ દણ્ડવત્‌ નમસ્કાર કરવા લાગ્યા. જેઓ એ આવું ન કર્યું તેના કેવા હાલ કર્યા તે માટે ઉપરોક્ત ગયા વર્ષના બ્લોગપોસ્ટ ઉપર લખ્યું છે.

કેશુભાઈ હાલ ભયભીત છે કે ઈન્દીરાઈ કટોકટી માં વધુ ભયભીત હતા તેનો ફોડ પાડશે?

“હાલ બધા ભયભીત  છે ભયભીત છે” એવી વાતો કરનાર કેશુભાઈ પટેલ છાસવારે બૂમો પાડે છે હાલ કટોકટી છે કટોકટી છે. સૌ કોઈ નિડર બનો. હવે વધુ સાંખી લેવાય તેમ નથી. વિગેરે વિગેરે  બુમબરાડા પાડે છે. અખબારો પણ તેમની વાતને અનુમોદન આપતા હોય તેમ પાર વિનાની પ્રસિદ્ધિ આપે છે.

શું કેશુભાઈ અને અખબારોના ખેરખાંઓ કંઈ કટોકટીના સમયે ભાંખોડીયા ભરતા હોય એવડા જ હતા?

કેશુભાઈ, સુરેશ મહેતા, કે જે કોઈ તેમના સાગરીતો છે તેમને તો ખબર જ હશે જ કે “વાસ્તવિક કટોકટી ૧૯૭૫-૭૬” વખતે તેમના શા હાલ હતા? તેઓ જો વાસ્તવમાં ભાંખોડીયા ભરતા હોય તો પણ ઇતિહાસની વાસ્તવિકતાથી તેઓ અજાણ રહી શકે નહીં. કેશુભાઈ અને સુરેશભાઈ તો કડે ધડે હતા. બીજા પણ જેઓ શોરબકોર કરે છે તેઓ પણ બાબાગાડી ચલાવતા ન હતા.

કેશુભાઈએ તેમના તે સમયનો હિસાબ આપવો જોઇએ અને વિસ્તારથી કહેવું જોઇએકે તે વખતે સમાચાર પત્રોનો અભિગમ શું હતો? અને હાલ કેવો છે?. તેમણે તે વખતે કેવી હિંમત બતાવેલી અને શું કર્યું હતું?

શું તેઓ તે વખતે, હાલ કરે છે તેવા ઉચ્ચારણો કરી શકતા હતા?

શું તેઓએ હાલ કરે છે તેવા સંમેલનો કરી શકતા હતા?

ના જી જરા પણ નહીં.

આનું હાજારમા ભાગનું કરવાની પણ તેમનામાં હિમત ન હતી. તે વખતે સમાચાર પત્રોમાં સરકાર વિરુદ્ધ સાચી વાત કહેવાની પણ હિંમત નહતી. તો મોદી સરકાર વિરુદ્ધ હાલના જેવી અદ્ધર અદ્ધર ગપગોળા ચલાવવાની હિંમત તો ક્યાંથી હોય?

તે વખતે તો ઈન્દીરાની સરકારના પોલીસો ગાંધીજીના ફોટાવાળા “નિર્ભય બનો”ના પોસ્ટરો પણ ફાડી નાખતી હતી. બાબુભાઇ ની સરકાર પડી પછી તો લોકો “જનતા છાપું” વાંચવાથી પણ ડરતા હતા. ભોગીભાઈ ગાંધીએ તેમની જીંદગીની કમાણી લોકોને કટોકટીમાં નિડર બનાવવા ખરચી નાખેલી. હિંમત કોને કહેવાય તે તો કેશુભાઈએ  સર્વોદયવાદીઓ પાસે થી શિખવું જોઇએ. ચૂંટણીની મોસમ આવે એટલે શોર બકોર કરવા દેડકાઓ નિકળી પડે એમ દર વખતે કેશુભાઈ અને તેમના સાથીઓ અખબારી ખભા ઉપર બેસીને નિકળી પડે છે. આ કેશુભાઈ, તેમના સાથીઓ અને અખબારોએ કટોકટીના શબ્દ ઉપર અત્યાચાર કરવો ન જોઇએ.

આપણે મૂળવાત ઉપર પાછા આવીએ.

“કટોકટી” ના સમયમાં સરકારે ફેલાવેલી અફવાઓનું જોર હતું.

“એક ફરિયાદ આવે એટલે પહેલાંતો કર્મચારીને સસ્પેન્ડ જ કરવામાં આવે છે.”

“જે ત્રણ વખત મોડો આવે તેને પણ સપ્સેન્ડ કરવામાં આવે છે.”

“જે અરજી વગર અને રજા વગર ગેરહાજર રહે તેને ડીસમીસ કરવામાં આવે છે.

“ટ્રેનો સમયસર દોડે છે.” જો ટ્રેન મોડી પડે તો ડ્રાઈવર અને ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવે છે.”

અમદાવાદના ઈન્કમટેક્સ ટ્રાફિક સર્કલ ઉપરના ચાર રસ્તા ઉપર, દરેક રસ્તા ઉપર બંને બાજુએ એક એક પોલીસ સામસામે દોરડાનો એક એક છેડો પકડી વાહન ટ્રાફિકને લાલ લાઈટ હોય ત્યારે ઝીબ્રા માર્કીંગથી આગળ વધતો રોકતા હતા. અને લીલી લાઈટ થાય ત્યારે જ જવા દેતા હતા.

આવા દૃષ્યો જોઈને આપણા એક ગુજરાતી “તડફડ”વાળા કટાર મૂર્ધન્ય લેખક અતિપ્રભાવિત થયેલ. અને કટોકટીને બિરદાવેલ કે જુઓ કટોક્ટી છે તો પોલીસો જનતાને કેવા શિસ્તમાં રાખી શકે છે.

એટલે કે અમદાવાદના ઈન્કમટેક્સ સર્કલ પાસે ટ્રાફિકનું દોરડાઓથી નિયમન કરવા માટે કટોકટી લાદવી જરુરી હતી. હવે જે દેશમાં કટારો લખતા મૂર્ધન્યોની આ કક્ષા હોય તે દેશમાં કટોકટી લાદવાની હિંમત ગાંગલી ઘાંચણ (ઘાંચી ભાઈઓ માફ કરે. આ ફક્ત મુંહાવરાનો ઉપયોગ માત્ર છે) પણ કરી શકે.

સરકાર કે સરકારમાં બેઠેલ પક્ષનો (ઈન્દીરાઈ કોંગ્રેસનો) કોઈ વ્યક્તિ અશિસ્ત કરે એ વાત કરી શકાય જ નહીં. જગજીવન રામે ખુદ કહેલું કે જો હું કટોકટી વિરુદ્ધ બોલું તો મારે માથે જાનનું જોખમ હતું. વાતો એવી ઉડતી આવતી કે યશવંતરાવ ચવાણ (શિવાજી -૨) કટોકટીની વિરુદ્ધમાં હતા. તેમનો ભય પણ જગજીવનરામ જેવો જ હતો. પણ આવી કોઈ વાતોને લગતો કોઈપણ અંદેશો આપવાની અખબારોમાં હિમત ન હતી.  કટોકટી વખતે આમ જનતાને કાને અવારનવાર અથડાતો શબ્દ હતો “ઈન્‌ડીસીપ્લીન” એટલે કે “અશિસ્ત”. ફક્ત પ્રજાની અશિસ્તને જ અશિસ્ત ગણવી એવો શિરસ્તો હતો.    

એક દાખલોઃ

કટોકટીનું પ્રથમ વર્ષ ચાલતું હતું. મુંબઈની લોકલ ટ્રેન ટર્મીનલ સ્ટેશન ઉપર આવે એટલે લોકો બારી પાસેની સીટ લેવા દોડાદોડી કરે. એક ભાઈ એ બારીમાંથી ટોપી સીટ ઉપર નાખી. પણ તેભાઈ દરવાજેથી દાખલ થઈ બારીની પોતાની ટોપીવાળી સીટ  પાસે આવે તે પહેલાં એક ભાઇ તે ટોપી હટાવીને તે સીટ ઉપર બેસી ગયા. પછી બંને વચ્ચે બોલાચાલી થઈ. ટોપી વાળા ભાઈએ બીજા ભાઈનું ગળું પકડ્યું. એટલે બીજા લોકો વચ્ચે પડ્યા. અને ટોપીવાળા ભાઇને શાંત કર્યા. અને ગળું છોડાવ્યું. જેમનું ગળું છોડાવ્યું એ ભાઇ એ પછી કહ્યું “શું અશિસ્ત આવી છે. લોકો ટોપી ફેંકીને સીટને રીઝર્વ માને છે. આવી અશિસ્ત બહુ વધી ગઈ લાગે છે. વિગેરે વિગેરે.” એટલે તૂર્ત જ બે ત્રણ ભાઈઓ બોલી ઉઠ્યા. બસ બંધ કરો. નો પોલીટીક્સ. નો પોલીટીક્સ.

પણ  એ પછી એક વર્ષે લોકોનો પ્રતિભાવ બદલાઈ ગયેલ. ક્યાંક ક્યાંક “આનાબાની દૂર કરો” અને “કટોકટી હટાવો” તેવાં લખાણો રડીખડી દિવાલો ઉપર કદિક જોવા મળતા હતાં. જનતા ને ખબર પડી હતી કે કટોક્ટીએ કોઈ ચમત્કાર કર્યો ન હતો.

બીજો દાખલોઃ

ગુજરાત એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી. બધા મુસાફરો ગોઠવાઈ ગયા હતા. એટલે વાતચીત નો દોર ચાલુ થયો. એક ભાઇએ વાત શરુ કરી.

એક વખત નારદમુનિ વિષ્ણુભગવાન પાસે બેઠા હતા. અને તેમણે ભગવાનને પૂચ્છ્યું કે હે ભગવાન “સત્સંગનો મહિમા શો?”

એટલે ભગવાને નારદને કહ્યું તમે ફલાણા જંગલમાં ફલાણી જગ્યાએ ફલાણા વૃક્ષ ની ફલાણી ડાળી ઉપર એક કીડો છે તેને આ સવાલ પૂછો.”

નારદ મુનિ તે જગ્યાએ ગયા તે કીડાને પૂછ્યું તો તે કીડો મરી ગયો.

નારદ મુની પાછા આવ્યા અને ફરી ભગવાનને સવાલ કર્યો. એટલે ભગવાને કહ્યું કે તમે ફલાણા ગામમાં એક ગાયને વાછરડો જન્મ્યો છે તેને આ સવાલ પૂછો.

નારદમુની ત્યાં ગયા. અને વાછરડાને સવાલ પૂછ્યો. વાછરડો મરી ગયો. નારદમુની તો ત્યાંથી ભાગ્યા. અને ભગવાન પાસે આવ્યા અને કહ્યું હે ભગવન આવું થયું . મને વાછરડો કશું કહી શક્યો નથી. તમે જ મને સત્સંગનો મહિમા કહો.  આ પ્રમાણે ભગવાને નારદને વાણીયાને થયેલા પુત્ર પાસે, પછી બ્રાહ્મણના ઘરે જન્મેલા પુત્ર પાસે અને રાજાને  ઘરે જન્મેલા કુંવર પાસે અનુક્રમે મોકલ્યા. અને દર વખતે તાજુ જન્મેલ મરી જતું અને નારદમુનિ જાન બચાવી ભાગી છૂટતા. નારદમુની ને થયું ભગવાન મારા ઉપર નારાજ છે. એટલે તેમણે કહ્યું તમારે સત્સંગનો મહિમા ન કહેવો હોય તો ન કહેશો. પણ આવી રીતે મારી મશ્કરી ન કરો. એટલે ભગવાને કહ્યું અરે તમે તો મહા મુનિ છો અને બ્રહ્મદેવના પુત્ર છો. આમ લીધેલો સવાલ પડતો મુકો એ કેમ ચાલે. જાઓ ઈન્દ્ર રાજા તમને જવાબ આપશે.

એટલે નારદ મુનિ ઇન્દ્ર રાજા પાસે ગયા. અને પૂછ્યું સત્સંગનો મહિમા શો?

ઈન્દ્ર રાજએ કહ્યું; શું નારદજી તમે મને દર વખતે એકનો એક સવાલ કરો છો.? આ તમારા સત્સંગથી તો હું કીટકમાંથી ક્રમે ક્રમે ઈન્દ્ર થયો. એજ તો સત્સંગનો મહિમા છે.

એટલે નારદજી વિષ્ણુ ભગવાન પાસે ગયા અને પૂછ્યું ભગવાન સત્સંગનો મહિમા તો હું સમજ્યો. પણ હવે તમે મને “કુસંગ નો મહિમા કહો”

એટલે ભગવાને કહ્યું જુઓ નારદજી અત્યારે ભારતમાં સ્વાતંત્ર્યની ચળવળ ચાલે છે. તમે ત્યાં જાઓ આટલા માણસોના શા હાલ છે તે જાણી લાવો.

નારદજી ભારતમાં આવ્યા અને તપાસ કરિ તો નીચે પ્રમાણે પ્રતિભાવો મળ્યા.

ઢેબરભાઈઃ અરે એતો મહાન સંત પુરુષ છે.

જગજીવન રામઃ અરે એતો અંગ્રેજોની ગોળીથી પણ ડરતા નથી.

યશવંતરાવ ચવાણઃ અરે એતો મોરારજી દેસાઈ ના ખાસ વિશ્વાસુ છે. અને જુઓ શિવાજી-૨ તરીકે ઓળખાશે.

વિનોબા ભાવે; અરે એતો ગાંધી બાપુના માનીતા અને પ્રથમ સત્યાગ્રહી છે.

નારદજીએ આ રીપોર્ટ લીધો અને ભગવાન પાસે આવી ગયા. પછી ભગવાને કહ્યું હવે નારદજી અત્યારે ભારતમાં તમે જશો ત્યાં ૧૯૭૫-૭૫ ચાલે છે. હવે આ માણસોનો પત્તો લગાવો.

નારદ મૂની ભારતમાં આવ્યા અને એક જણ ને પૂછ્યું કે ઢેબરભાઇ ક્યાં છે? જવાબ મળ્યો. કોણ ઢેબર. મને ઢેબરાં નથી ભાવતાં.

નારદમૂનીએ બીજાને પૂછ્યું જગજીવનરામ ક્યાં છે? જવાબ મળ્યો. કોણ પેલો જગ્ગુ. જે ઈન્દીરા ગાંધીના ઈશારાથી પણ ડરે છે? છી…

નારદમૂનીએ ત્રીજાને પૂછ્યું યશવંત રાવ ક્યાં છે? જવાબ મળ્યો કોણ પેલો જે પોતાને શિવાજી-૨ તરિકે ઓળખાવતો હતો અને કહેતો હતો કે ચીનાઓને પાછા હટાવી દઈશું. અને આજે એક બૈરીથી ડરીને મૂંગો થઈ ગયો છે તે? છી…

નારદમૂનીએ ચોથાને  પૂછ્યું  વિનોબા ક્યાં છે? જવાબ મળ્યો કોણ પેલો સરકારી સંત. છી…

આમ નારદ મુનિને કુસંગનો મહિમા સમજાયો. કે કુસંગ કરવાથી મહાન વ્યક્તિ પણ બદનામ થઈ જાય છે.

અને આ વાત સાંભળી મુસાફરો ખૂબ આનંદ પામ્યા. વિલંબિત કટોકટીના સમયનો આ પ્રભાવ હતો.

લોકશાહીના મૂળીયાં ભારતમાં ઊંડા છે.

આ ભારત દેશ છે જેના લોકશાહીના વૃક્ષના મૂળીયાં હજારો વર્ષ જુના છે. મહાત્મા ગાંધીએ તે મરતાં મૂળીયાના વૃક્ષને નવપલ્લવિત કર્યાં છે.  જે તાનાશાહીને દૂર કરવામાં ફ્રાન્સ જેવા દેશને ૧૮ વર્ષ લાગેલ તેનાથી વધુ ઉગ્ર અને બેફામ ઈન્દીરાઈ તાનાશાહીને ભારતની પ્રજાએ ૧૮ માસમાં ફગાવી દીધેલ.

ગુજરાતના નવનિર્માણ આંદોલન એટલે કે ૧૯૭૩થી ૧૯૭૫ અને તે પછી કટોકટી દરમ્યાન, અને ખાસ કરીને ગુજરાતમાં, ઈન્દીરા ગાંધીના અનુયાયીઓએ વર્ગ વિગ્રહ એટલે કે સવર્ણ અને અસવર્ણના ભેદ બહુ ઉત્પન્ન કરી દીધેલા. અસવર્ણોને કહેવામાં આવતું કે આ નવનિર્માણ તો ખાધે પીધે સુખી લોકોનું આંદોલન છે. તેમાં નુકશાન તો જુઓ તમને જ થશે. તેવી રીતે કટોકટી વિષે પણ એવો જ પ્રચાર થતો કે આ કટોકટી તો તો સવર્ણો ઉપર થોડાંક વર્ષોથી જ છે. પણ હે પછાત વર્ગના દલિત લોકો, તમને તો આ લોકોએ હજારો વર્ષથી કટોકટીથી પણ બદતર હાલતમાં રાખ્યા છે. હવે જુઓ આપણી ઈન્દીરા માઈ તેમને કેવા પાઠ ભણાવી રહી છે.

અને એટલે જ કટોકટી ઉઠી ગયા પછી જે લોકસભાની ચૂંટણી થઈ તેમાં ઉત્તરભારતમાં બધી જ બેઠકો ગુમાવનાર ઈન્દીરાઇ કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં ૨૪માંથી આઠ બેઠકો ઉપર જીતી ગયેલ.

કટોકટી દરમ્યાન મોટો ઘાટો ગુજરાતને એ પડ્યો કે ગુજરાતના સન્માનનીય ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઇ પક્ષ પલટો કરી ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયેલા. (જોકે તેમણે કેશુભાઈ જેવી કોઈ ભાડણ લીલા કરી નહતી). ઈન્દીરાગાંધી અને તેમની કહેવાતી ચંડાળ ચોકડી ખુદ પોતાની બેઠક પર ચૂંટણીમાં ગંજાવર મતોથી હારી ગયેલ.

આ કટોકટી ભૂતકાળ થઈ ગઈ છે. તેને શા માટે યાદ કરવી?

આ વાત કરવા જેવી છે. અને સદાકાળ યાદ રાખવા જેવી છે. કારણકે આ નહેરુવીયન કોંગ્રેસીઓ પોતે જોડી કાઢેલી વિવાદાસ્પદ વાતો પણ ચગાવે છે. ૧૯૪૨ની ચળવળમાં કોઈ બીજો બાજપાઈ માફી પત્ર આપીને જેલમાંથી પેરોલ પર આવેલ. અટલ બિહારી બાજપાઈએ આ વાતનું સ્પષ્ટિકરણ કરેલ કે ભાઈ એ હું ન હતો. તો પણ ૧૯૯૯ માં કોંગીઓએ આ વાત ચગાવેલ.

મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાનની સ્પર્ધામાં હતા ત્યારે તેમના પુત્રના નામે અનેક અફવાઓ ફેલાવવામાં આવતી. મોરારજી દેસાઈને ખોટી રીતે  બદનામ કરવામાં આવતા હતા. મોરારજી કાપડની મીલ ના માલિક મોરારજી દેસાઈ છે તેવી વાત ગરિબોમાં ફેલાવાતી હતી. વીપી સીંઘ ને તેમનું સેન્ટ કીટમાં (વિદેશમાં) ગેરકાયદેસર ખાતું છે. તેવી અફવા ફેલાવેલી. નરેન્દ્ર મોદી એ સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવેલ અને તોફાનો કરાવેલ તેવી અફવા આજે પણ કોંગ્રેસીઓ અને તેમના દંભી સાગરીતો ફેલાવે છે. મોદીનો ૨૦૦૨ ની વાતથી કેડો મુકતા નથી. કારણ કે મતોનું રાજકારણ અને લોકોમાં વિભાજન કરવામાં જ તેમની સત્તાનો રોટલો શેકાય છે.

આરએસએસના એક સભ્યે ગાંધીજીનું ખુન કર્યું. ગાંધીજીને મારી નાખવા એવો આરએસએસનો કોઈ પ્રસ્તાવ ન હતો કે ન કોઈ યોજના હતી. તો પણ આરએસએસને ગોડસેને કારણે બદનામ કરવામાં આવે છે. હવે જો આ તર્ક આગળ ચલાવીએ કે ન ચલાવીએ તો પણ નહેરુવીયન કોંગ્રેસના વડાપ્રધાન સહિતના ઉચ્ચ હોદ્દેદારો તો દુનિયાના ઈતિહાસમાં થયેલા બધા જ ગુના કરી ચૂક્યા છે. તો આ કટોકટીની સાચી વાત કેમ ભૂલાય?

નહેરુવીયન કોંગ્રેસનો વિતંડાવાદ જુઓ

ઈન્દીરા ગાંધીની ૧૯૭૦ની ચૂંટણી રદબાતલ થઈ. એટલે એ સંસદ સદસ્ય મટી ગયાં. વળી તે ચૂંટણી માટે ૬ વર્ષ માટે ગેર લાયક ઠર્યાં. હવે કાયદેસર એવી જોગવાઈ છે કે વડાપ્રધાન સંસદનો સભ્ય હોવો જોઇએ. જો નહોય તો તેણે ૬ માસમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવવું જોઇએ. પણ જે  વ્યક્તિ ચૂંટણી માટે ૬ વર્ષ સુધી ગેરલાયક હોય તે વ્યક્તિ એક ક્ષણ માટે પણ કેવી રીતે વડાપ્રધાન પદ પર ચાલુ રહી શકે? છતાં ઈન્દીરા ગાંધી ધરાર વડાપ્રધાન પદે રહ્યાં. આથી વધુ સત્તાની ભાખાવળ વાત કઈ હોઈ શકે?

શાહ કમીશન

૧૯૭૭માં શાહ કમીશન નિમાયું અને કટોકટીના કાળમાં થયેલા ગુનાઓની તપાસ થઈ. પણ જે ઈન્દીરાને શૂરવીર ગણવામાં તેના ભક્તો પોતાની જીભનો કુચો કરે છે તે ઈન્દીરા ગાંધી પાસે એટલી હિંમત ન હતી કે તે શાહ કમીશન પાસે આવી ને પોતાનો કેસ રજુ કરે.

આ હિસાબે નરેન્દ્ર મોદી ભડવીર છે, જે તેને જ્યારે બોલાવવામાં આવે ત્યારે સરકારી સત્તાઓ પાસે હાજર થાય છે.

જે ગુનેગાર ન હોય તે શેનો ડરે? જે ગુનેગાર હોય તે જ ડરે.

જો મોદીના બનાવટી ગુનાઓ નહેરુવીયન કોંગ્રેસ અને તેના મળતીયાઓ ચગાવવામાં માનતા હોય તો ઈન્દીરા ગાંધી અને તેના ફરજંદોના તથા મળતીયાઓના રેકોર્ડ થયેલા ગુનાઓ કેવીરીતે ભૂલી શકાય?

સુબ્રહ્મણીયમ સ્વામીએ દેશને આકરી લાગે તેવું, દેશનું નીચાજોણું થાય તેવું અને સુજ્ઞ જનોને પણ આઘાતજનક લાગે તેવું નહેરુવીયન કોંગ્રેસના કાળા કરતૂતોને લગતું નીવેદન કર્યું છે.

આ  વાત નહેરુવીયન કોંગ્રેસમાં ચલાવવામાં આવતા શરમજનક રીતે,  ચકાસ્યા તપાસ્યા વગર અને ઉઘાડેછોગ થતા કાળા નાણાં ની હેરફેર ને લગતું છે. પ્રણવ મુખર્જી આ કામ ફીરંગી મેડમને માટે કરી રહ્યા છે.

કયા હીરો નહેરુવીયન કોંગ્રેસના આ કામના એજન્ટ છે?  હસન અલી છે.

હસન અલીને જામીન અપાવવા કાર્યકારી નિર્દેશકનું લુચ્ચાઈ ભર્યું વલણ  નાણાપ્રધાન મુખર્જીની આજ્ઞા અનુસાર હતું. પ્રણવ મુખર્જી, મેડમનો નાણાંવ્યવહાર  અને હવાલા દ્વારા હેરફેર ઘણા લાંબા સમયથી સંભાળે છે. હસન અલી આ નાણાંવ્યવહારની પાઈપલાઈન  છે. સુબ્રહ્મનીયન સ્વામીએ તો પ્રણવ મુખર્જીના રાજીનામાની માગણી કરી છે. એહમદ પટેલ, સોનીયા ગાંધી, પ્રણવ મુખર્જી અને હસન અલી, આ સૌની જુગલબંધીની વાત બીજી કોઈવાર કરીશું.  હાલ તો કટોકટીને સમયે અનેકોમાંના એક એવા પ્રણવમુખર્જીએ શું કર્યું હતું તેનો અનેકોમાંનો એક નાનો દાખાલો જોઇએ.

કટોકટી દરમ્યાન  શ્રી પ્રણવ મુખર્જી ડરપોક ડીરેક્ટર ઈન્દીરા અને સંજય ગાંધીના કહ્યાગરા કિંકર(ઑર્ડર્લી) હતા. ખાસ કરીને સંજય ગાંધીના ગોલ્ડન ચમચ  હતા. કટોકટીના સમયમાં સંજય ગાંધી ગેરકાયદેસર રીતે બેતાજ બાદશાહ હતા. વહીવટદારો થકી કામપારપાડવામાટે નવીન ચાવલા અને પ્રણવમુખર્જી એ મધ્યસ્થી હતા.  આ લોકોએ ઈન્દીરા ગાંધી અને સંજય ગાંધીની મૌખિક આજ્ઞાઓ થકી અનેક નિર્દોષ અને નિષ્કપટ અને નિરુપદ્રવી સ્ત્રી – પુરુષોને તિહાર જેલ ભેગા કરેલ. અને જેલમાં તેમને ત્રાસ આપેલો.  

આમ તો પ્રણવ મુખર્જી કાયદેસરના રેવન્યુ અને ખર્ચ  ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન  હતા. અને તેમણે કાયદેસરની પ્રણાલીઓનો અને નિયમોનો છડે ચોક  બેજવાબદારીપૂર્વક ભંગ કરતા રહેવાનો અભિગમ દાખવેલો. આવાં કરતૂતો ખરેખર ફોજદારી ગુન્હા હેઠળ આવે છે. જેમાનું એક એ હતું કે વરદાચારીને  નેશનલાઈઝ્ડ બેંકોના મેનેજીંગ  ડાઇરેક્ટર અને ચેરમેન  નીમેલા. આ કામ ખરેખર તો રીઝર્વબેંક ની અનુમતિથી થવું જોઇએ. પણ રીઝર્વબેંકને શોર્ટ સરકીટ કરેલી.  આ બધું  ઈન્દીરા ગાંધી, સંજય ગાંધી અને પ્રણવમુખર્જીના સમીકરણના ભાગરુપે હતું.  તત્કાલિન નાણાં પ્રધાન સી. સુબ્રહ્મનીયમને અળગા કરી દીધેલ.

કટોકટીના સમયમાં આમ તો વિભાગોપૂર્વકની જવાબદારી એવું કશું નહતું. પ્રણવ મુખર્જીએ જયપુરના મહારાણી ગાયત્રીદેવી અને ગ્વાલીયરના રાજમાતા  વિજયરાજે સિંધીયાને તિહાર જેલ ભેગા કરાવેલ. ઈન્દીરા ગાંધીએ તેનો શિરપાવ તેમને ૧૯૮૨માં નાણાંમંત્રી બનાવીને આપેલ.

શાહ તપાસ પંચે ઘણાજ સરકાર દ્વારા થયેલા ગુન્હાઈત કાર્યોની નોંધ કરી છે. ઈન્દીરા ગાંધીની બાહ્ય અને આંતરિક બન્ને કટોકટી ના કાળમાં રાજ્યદ્વારા (સરકારના હોદ્દેદરો, પ્રધાન મંત્રી , મંત્રી સહિત દ્વારા થયેલા) ગુન્હાઈત, કાયદાભંગના દસ્તાવેજો નું ઉત્ખનન એક પૂર્વ સંસદ સદસ્ય કરી રહ્યા છે.  જેમના પુસ્તકનું નામ છે. “શાહ કમીશન  રીપોર્ટ (ખોવાયો અને પુનઃપ્રાપ્ત થયો)”

ગાયત્રી દેવી અને વિજયારાજેની ધરપકડ અને જેલવાસ ગેરકાયદેસર હતો. તિહાર જેલની કંડીશન નિયમ પ્રમાણે ન હતી અને બદતમ હતી. તેમને સિદ્ધ-દોષિત કક્ષાના કેદીઓને જ્યાં રખાય હે તે” ફાંસી કોઠી સેલ”ની પાસે રાખવામાં આવેલ. ગાયત્રી દેવીને બ્લડપ્રેસર રહેતું હતું. પણ સરકાર ને તેની નોંધ લેવાની દરકાર ન હતી. ગાયત્રી દેવીએ ૧૦ કીલો વજન ગુમાવેલ. કર્નલ ભાવાની સિંગના પણ આજ હાલ હતા. આ બધી બાબતમાં જેલ સુપરીન્ટેન્ડન્ટે નિવેદન રેકોર્ડ કરાવ્યું છે. 

પ્રણવ મુખર્જીએ લખ્યું છે નોટ ઉપર લખ્યું હતું કે પેરોલ પર છોડવા પણ વડાપ્રધાનની મંજુરી લેવી. પણ પછી ની નોંધો ઉપર ચેકચાક અને ઓવર રાઈટીંગ અને વ્હાઈટનર સ્ટીક લગાવીને લખેલું ગરબડ વાળું છે. શાહ કમીશને આ બધાની ગંભીર નોંધ લીધેલી છે અને આકરી ટીકા અને ગુન્હાઈત ગણી છે. પ્રણવ મુખર્જીને સંપૂર્ણ બેજવાબદાર અને ગુન્હાઈત ગણ્યા હે.

દુનિયામાં આતતાઈઓએ જે કંઈ ગુનાઓ કરેલા હતા તે બધા જ ગુનાઓ કટોકટી દરમ્યાન ઈન્દીરા ગાંધીની અને તેના મળતીયાઓની મૌખિક આજ્ઞાઓથી થયેલા છે.

જ્યાં સુધી નહેરુવંશના પુતળાઓ, તેમના નામની સરકારી યોજનાઓ, રસ્તાઓ, પુલો, બાગ બગીચાઓ અને ભવનો રહેશે અને જ્યાં સુધી તેમના હૈયાફુટ્યા ભક્તો તેમના પોસ્ટરો લઈને  તેમના પ્રતિ અહોભાવ પ્રગટ કરતા રહેશે ત્યાં સુધી કટોકટી ના કાળા કરતૂતો પણ ચર્ચાતા રહેવા જોઇએ.

વૉટનું રાજકારણ શા માટે રમાય છે. શું સત્તા એ ખેરાતનું અને કમાણીનું સાધન છે? સત્તા તો વાસ્તવમાં સામાજીક ન્યાયનું સાધન છે.  નહેરુવંશીઓએ તેને વોટનું રાજકારણ રમીને ભેદભાવ, અન્યાય અને અરાજકતાને ઉત્તેજન આપ્યું છે. કટોકટી અને સેન્સરશીપ એક અંધાકાર પટ હતો. જેથી સરકાર પોતે અફવાઓ ફેલાવીને ગરીબોને ભ્રમમાં રાખતી હતી. અને ગેરમાર્ગે દરોડા પાડી પૈસા એકઠા કરતી હતી. જો સરકાર પ્રજાના હિત માટે હોય તો કટોકટી કે સેન્સરશીપ નો અંધકાર ફેલાવવાની શી જરુર હતી.? જનતાને અંધકારમાં રાખવી એ પણ એક વોટનું રાજકારણ છે. સામ્યવાદીઓને એટલા માટે પારદર્શિતા પસંદ હોતી નથી. આપખુદી અને સામ્યવાદમાં આ વાત સમાન છે જેમાં રાજ્ય પોતાના દુરાચરો અને નિસ્ફળતાને ઢાંકી શકે છે.

આ લોકો કરતાં નરેન્દ્ર મોદી લાખ ગણો સારો છે. છાપાંવાળા અને ચેનલો વાળા નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેફામ લખે છે તો પણ તે વ્યાપક રીતે ચૂંટણીઓ જીતે છે. જનતા સબકુછ જાનતી હૈ.

૨૫ જુન ૧૯૭૫ મધ્યરાત્રીએ કટોકટી લાદવામાં આવેલી. આપણા પીળા સમાચાર માધ્યમો કદાચ તેને યાદ પણ નહીં કરે. કેટલાક પોતે તટસ્થ છે તે બતાવવાની ઘેલાછામાં વ્યંઢ રીતે તેનો ઉલ્લેખ કરશે. અને સાથે સાથે પરોક્ષ રીતે આડું અવળું પીષ્ટપેષણ કરી શબ્દોની રમત વડે બીજેપી કે નરેન્દ્ર મોદીને એક બે ગોદા પણ મારી લેશે. તેમને માટે ખુદનું અસ્તિત્વ મુખ્ય વસ્તુ છે, નહીં કે જનતા.

ઈન્દીરાઈ વહીવટે કરી પાયમાલી

ઈન્દીરાઈ વહીવટે કરી પાયમાલી

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ કટોકટી, ઈન્દીરા, નિસ્ફળતા, સરકારી, અફવા, વોટ, નરેન્દ્ર મોદી, કેશુભાઈ, બાબા ગાડી, નીચા નમો, સાષ્ટાંગ દંડવત, સેન્સર, અંધકાર યુગ, અદાલત

Read Full Post »

શું હાસ્યલેખકો હાસ્યાસ્પદ બની શકે?

હાસ્યલેખની તક ગુમાવી

હાસ્યલેખની તક ગુમાવી

હાસ્યરસઃ

આમ તો લેખકો માટે હાસ્યરસ નીપજાવવો સહેલો નથી. એટલું જ નહીં આ અઘરું પણ છે. મીમીક્રી અને અભિનયથી થી હાસ્ય નીપજાવી શકાય છે. મીમીક્રી પણ આમ તો સહેલી નથી. તેમાં શ્લેષ, યમક, પ્રાસ, વાણીના આરોહ-અવરોહ અને કટાક્ષ હોય અને આ બધું પ્રત્યક્ષ હોય તેથી ઠીક ઠીક હાસ્ય નીપજે છે. વળી અમારા ભાવનગરના શ્યામસુંદર હોય, જે અંદર સંગીત પણ ઉમેરે એટલે સોનામાં સુગંધ મળે. શ્યામસુંદરજી વિષે અમે એમ કહેતા કે જેમ સંસ્કૃતમાં કહેવાય છે કે “બાણોછિષ્ઠં જગત સર્વં.” જેમ મહાન કવિ બાણે સાહિત્યમાં કશું બાકી રાખ્યું નથી. જગત તો બાણનું એઠું ખાય છે અથવા બાણે જગતને એઠું કરી નાખ્યું છે. તેમ શ્યામ સુંદરભાઈએ દુનિયાની બધીજ જોક કહી નાખી છે.  

જોક્સથી પણ હાસ્ય નીપજાવી શકાય છે અને લેખો લખી ને હાસ્ય નીપજાવી શકાય છે. આપણે ફક્ત લેખોથી નીપજાવવામાં આવતા એક હાસ્યલેખકની વાત કરીશું.

ગુજરાતીમાં હાસ્યલેખકોનો દુકાળ છે એમ કહી શકાય.

જેમ સંસ્કૃતસાહિત્યમાં હાસ્યલેખકોનો અભાવ છે તેમ ગુજરાતી સાહિત્યમાં એટલો તો નહીં પણ ઠીક ઠીક અભાવ છે. સંસ્કૃત સાહિત્યમાં તો રમૂજ પૂરી પાડવા માટે ક્યાંક ક્યાં “ચમત્કૃતિ” હેઠળ મહાપુરુષો અને ભગવાનોની મશ્કરી કરતા શ્લોકો મળી આવે છે. પંચતંત્ર પણ રમૂજો પૂરી પાડે છે. પણ ગુજરાતી સાહિત્યમાં આટલા વ્યાપક ખેડાણ પછી હાસ્યલેખકોનો અભાવ સાલે છે. રણમાં મીઠીવીરડી સમા કેટલાક હાસ્ય લેખકો જરુર છે. જ્યોતીન્દ્ર દવે, રમણભાઈ નિલકંઠ, ધનસુખલાલ મહેતા, ફિલસુફ અને બકુલ ત્રીપાઠીના “ઉપર” ગયા પછી હાસ્યરસિક સાહિત્યની ખોટ તો સાલે છે જ. આમ તો વિનોદ ભટ્ટ, તારક મહેતા, “ગણપટ હુર્ટી”વાળા નિમેષ ઠાકર “છે” અને અથવા “બાકી રહ્યા” છે. ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે. વિનોદ ભટ્ટનું પેજ ફીક્સ હોવાથી બકુલત્રીપાઠીની જેમ ચૂકી જવાતું નથી.

એવું બને છે ક્યારેક કે જે લખવાનું હોય તે રહી જાય. જે ન લખવાનું હોય તે લખાઈ જાય.

આપણા વિનોદભાઈ ભટ્ટને લખવું હતું મમતા (બેનર્જી બેન) વિષે. તો ઈન્દીરાબેન વિષે પણ લખાઈ ગયું.

મમતાબેન-મનમોહન-દિનેશ ત્રીવેદી

મમતાબેન-મનમોહન-દિનેશ ત્રીવેદી ના તાજેતરના પ્રકરણ વિષે શ્રી વિનોદભાઈ ઠીક ઠીક રમૂજ ભર્યું લખી શક્યા હોત. એમને માટે બહુ સારો વિષય હતો. પણ જ્યારે ઉપસંહાર પૂર્વ નિશ્ચિત હોય ત્યારે લેખ “મોળો” પડી જાય છે. વળી શ્રી વિનોદભાઈએ મમતાબેનની સરખામણી ઈન્દીરા ગાંધી સાથે કરી અને બંન્નેની અયોગ્ય પ્રસંશા પણ કરી તેથી તેમના હાસ્યલેખે સત્વ સાવ જ ગુમાવ્યું એવું અમુકને તો લાગે જ.

રેલ્વે બજેટ અને પ્રધાનપદું

દિનેશ ત્રીવેદીએ રેલ્વે બજેટ બનાવ્યું મનમોહન સાથે મસલત કરી સંસદમાં રજુ કર્યું. મનમોહન સીંગે વખાણ પણ કર્યા. એટલે તેનો અર્થ એ થયો કે મનમોહનસીંગને દિનેશ ત્રીવેદીમાં વિશ્વાસ તો છે જ છે ને છે જ. એટલે ભારતીય બંધારણ પ્રમાણે તો મનમોહન સીંગ, દિનેશ ત્રીવેદીને દૂર કરી ન શકે.

દિનેશ ત્રીવેદીએ મમતાબેન સાથે રેલ્વે બજેટ વિષે ચર્ચા કરેલી કે નહીં, તેમની સાથે મસલત કરેલી કે નહીં, તેમની પરવાનગી લીધેલી કે નહીં અને આવું બધું કરવું તેમને માટે બંધારણીય રીતે જરુરી હતું કે નહીં અથવા બંધારણથી વિરુદ્ધ હતું કે નહીં, આ બધું સંશોધન અને ચર્ચા નો વિષય છે.

આ અગાઉ, અખીલેશ યાદવે કહેલ કે તેમનો પક્ષ સરકારને અસ્થિર કરવામાં માનતો નથી. તે અરસામાં કોઈપણ જાતના પ્રશ્નના અભાવમાં મનમોહન સીંગે નિવેદન આપેલ કે સરકાર પાસે બહુમતિની કોઈ સમસ્યા નથી. આ પછી રેલ્વે બજેટ દિનેશ ત્રીવેદીએ રજુ કર્યું. મનમોહન સીંગે તે બજેટના વખાણ કર્યા. લગભગ બધાએ જ વખાણ કર્યા. મમતાબેને ભાડા વધારાનો વિરોધ કર્યો. અને રેલ્વે મીનીસ્ટર તરીકે બીજાને રાખવા કહ્યું. પછી સામસામા નિવેદનો વિરોધી નિવેદનો થયા. આ બધાનો સરવાળો કરીને જોઇએ અને સંશોધનાત્મક ધારણાઓના ઘોડાઓ દોડાવીએ તો આપણા યુપીએના નેતાઓની માનસિક,  બૌધિક અને વ્યુહાત્મક તાકાતનો ભાંડો ફૂટી જાય છે. આ ભોપાળામાંથી ઘણી રમૂજ ઉત્પન્ન કરી શકાય.

સીંગ શબ્દના ત્રણ પ્રચલિત અર્થ છે. શીંગડા, શીંગ (દાખલા તરીકે ગવારશીંગ) અને સિંહ.  મનમોહન સીંગ વિષે એવી ધારણા રાખવામાં આવેલી (ખાસ તો મમતાબેનના વિરોધીઓ તરફથી અને ગુજ્જુઓ તરફથી પણ) કે, તત્કાલિન સમય મનમોહન સીંગમાટે સિંહત્વ (જો એક બે આની પણ હોય તો પણ), બતાવવા માટેનો શ્રેષ્ઠ સમય હતો. પણ મનમોહન સીંગ એ શીંગ (ગવાર શીંગની શીંગ) જ રહ્યા. મમતાબેન ધાર્યું કરી શક્યા.

“પરદે કે પીછે” શું વાતો હોઈ શકે? આ પણ રમૂજ કરવા માટે નો શ્રેષ્ઠ મસાલો હતો. પણ વિનોદભાઈ ભટ્ટ જેવા હાસ્ય લેખકની ધ્યાન બહાર કેમ ગયું તે સંશોધનનો વિષય છે.

મોટે ભાગે તો પડદા પાછળ એમ જ થયું હશે કે મનમોહન સીંગ, સોનીયા ગાંધી પાસે ગયા હશે. સોનીયા ગાંધી કે તેમના સલાહકારોએ કહ્યું હશે “મુલાયમ” અને “મમતા” એ બેમાંથી કોણ વધુ વિશ્વસનીય છે. આપણો દેખાનાર વિજય, આપણી મુત્સદ્દીગીરી અને અથવા દિનેશ ત્રીવેદીએ કહેલી દેશહિતની વાત મહત્વની નથી. આપણી નહેરુવીયન અને ઈન્દીરાઈ પ્રણાલી પ્રમાણે આપણી ખૂરસીઓ એટલે કે સત્તા જ મહત્વની છે. આપણે સત્તા મેળવવા માટે કે સત્તા જાળવી રાખવા માટે કંઈપણ અને બધું જ કરીએ છીએ. કૌભાન્ડો કરીએ છીએ, અફવાઓ ફેલાવીએ છીએ, બનાવટી ત્યાગ અને બલીદાનની વાતો કરીએ છીએ, ખોટા વચનો આપીએ છીએ, વિશ્વાસઘાત કરીએ છીએ, જનતાને અને સંસદને ગેરમાર્ગે દોરીએ છીએ, બનાવટી પ્રતિજ્ઞાઓ લઈએ છીએ, સંસદને અને અથવા વિધાનસભાઓને સ્થગિત, વિલંબિત, નિલંબિત, વિલયિત કરીએ છીએ, રાષ્ટ્રપતિ સંડાસમાં હોય ત્યારે વટહૂકમ ઉપર સહી કરાવીએ છીએ, આપણને જરુર પડે તો અર્ધી રાત્રે વટહૂકમો બહાર પાડીએ છીએ, જનતાના કુદરતી અધિકારોને પણ સ્થગિત કરીએ છીએ, જનતાને જ નહીં પણ ગાંધીવાદી શિર્ષ નેતાઓને પણ વગર ગુનાએ અનિયતકાલ માટે જેલમાં પૂરીએ છીએ વિગેરે વિગેરે આપણે ઘણું બધું કરીએ છીએ. ચીનાઓ જેમ આકાશ અને પૃથ્વીની વચ્ચે જે કંઈ હોય તે બધું જ ખાઈ શકે છે તેમ આપણે આકાશ ને પાતાળની વચ્ચે રહેલા શબ્દકોષોના જે કંઈ કર્મો (કુકર્મો), હોય એ બધા જ કરી શકીએ છીએ. પણ આ બધું આપણે સત્તા મેળવવા અને અથવા સત્તા ટકાવવા માટે કરીએ છીએ. આપણી સત્તા ભયમાં મૂકાય એવું આપણે કંઈ કરતા નથી. આપણે આપણા છેલ્લા ૬૨ વર્ષમાં આવું કશું કર્યું નથી અને કરીશું નહીં.

મમતાબેન આપખુદ હોય તેનો આપણને છોછ ન જ હોય. જેમ અમેરિકામાટે પાકિસ્તાનમાં આપખુદ સત્તા હોય તે જરુરી છે તેમ આપણા માટે પણ આપણા સહયોગીઓ પક્ષો આપખુદી વ્યક્તિ સર્વે સર્વા હોય એ જરુરી પણ છે. જેથી આપણે પણ એકનો જ ખ્યાલ રાખવો પડે. મમતાબેન આખાબોલા હોય કે ગુંગી ગુડીયા હોય તેથી આપણને ફેર પડતો નથી. આપણે આપણી નીંભરતા ઉપર ભરોસો રાખવો જોઇએ. ટૂંકમાં મુલાયમ કરતાં મમતાબેન આપણા માટે સારાં છે. એક વાત છે કે દિનેશભાઈ ત્રીવેદીને એમ લાગશે કે આપણે તેમને છેહ દીધો. આપણે તેમને મધ દરિયે લઈ ગયા અને ડૂબાડી દીધા. દિનેશભાઈ માટે આ વાત નવી છે પણ આપણા માટે આવું કરવું નવું નથી. માટે મમતાબેન કહે તેમ કરો. આપણા વિરોધીઓ તો બોલ્યા કરશે. આપણી જીભ સાબદી તો ઉત્તર ઝાઝા.

મમતાબેન અને ઈન્દીરાબેન વચ્ચે આપખુદીની સરખામણી જરુર થઈ શકે. પણ તેના ઉપર તાબોટા ન પાડી શકાય.

૧૯૬૫માં લાલબહાદુર શાસ્ત્રીના આકસ્મિક અવસાન પછી જે એલ નહેરુએ બનાવેલી સીન્ડીકેટની મદદથી ઈન્દીરા ગાંધીના નામની ભલામણ થઈ. પણ કોંગ્રેસના બંધારણ પ્રમાણે સંસદીય નેતાની ચૂંટણી થઈ શકે છે. સીન્ડીકેટના સભ્યો સત્તાધારી અને હોદ્દાધારી હતા. મોરારજી દેસાઈ કોઈ હોદ્દો ધરાવતા ન હતા. મોરારજી દેસાઈએ નેતાપદની ચૂંટણીનું ઉમેદવારી પત્રક ભર્યું. તેઓ ડબલ ફીગરમાં મત મેળવશે કે કેમ તેની શંકા હતી. કારણકે ૧૯૫૫ થી શરુ કરી ૧૯૬૫ સુધી તેમને ફક્ત બદનામ જ કરવામાં આવેલા. કોઈપણ જાતના તથ્યો વગર જ તેમને સમાચાર માધ્યમો દ્વારા બદનામ કરવામાં આવતા. આવું બધું હોવા છતાં પણ, મોરારજી દેસાઈ ૧૬૯ સંસદ સભ્યોના મત હાંસલ કરઈ લાવેલ. કામરાજે તો આશ્ચર્ય વ્યક્ત કરીને પૂછેલ કે ૧૬૯ મત તેમને મળ્યા છે કે ૬૯ મત?

૧૯૬૭ માં શું થયું?

૧૯૬૫ના અંતથી ૧૯૬૭ના સામાન્ય ચૂંટણી સુધી ઈન્દીરાએ નિસ્ફળતાઓ ભર્યો રાજકારભાર કર્યો. એટલે કોંગ્રેસ બહુ બદનામ થઈ. અને ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને પાતળી બહુમતિ મળી. વળી પાછો સંસદના નેતાની વરણીનો પ્રસંગ ઉભો થયો. અને મોરારજી દેસાઈએ નેતાપદની ઉમેદવારીનું પત્રક ભર્યું. આ વખતે જો ચૂંટણી થઈ હોત તો મોરારજી દેસાઈના ચૂંટાઈ આવવાના ચાન્સ ઉજ્વળ હતા. એટલે સીન્ડીકેટના નેતાઓએ ઈન્દીરા અને મોરારજી વચ્ચે સમાધાન કરાવ્યું અને એક અલિખિત કરાર થયો કે મોરારજી દેસાઇને નંબર-૨, ડેપુટી પ્રાઈમ મીનીસ્ટર કરવા અને તેમને જે ગમે તે ખાતુ આપવું. મોરારજી દેસાઈ નંબર-૨, ડેપ્યુટી પ્રાઈમ મીનીસ્ટર અને નાણાં પ્રધાન બન્યા.

જો અર્થ તંત્રને મજબુત કરવું હોય તો બેંકોને કામ કરતી બનાવવી જોઇએ. અને તેથી સૌ પ્રથમ તો સરકારી બેંકો અને ખાનગી બેંકો જનતા માટે કામકરતી થાય. ધીરાણ નીતિ રીઝર્વબેંક નક્કી કરે છે. પણ જો સરકારી બેંકો લોકાભિમુખ થાય તો ખાનગી બેંકો પણ તેની સાથે સ્પર્ધામાં ઉતરે. આ કારણથી મોરારજી દેસાઈએ બેંકોનું સામાજીકરણ કર્યું. જેથી સરકારી બેંકો ધિરાણમાં લોકાભિમુખ બને અને વહીવટમાં પણ ઉણી ન ઉતરી જાય. આ એક શ્રેષ્ઠ નિર્ણય હતો. પણ જો નંબર-૧ (ઈન્દીરાગાંધી) કરતાં નંબર-૨ (મોરારજી દેસાઈ), વહીવટી અને વૈચારિક દ્રષ્ટિએ વધુ હોશીયાર હોય તો જનતામાં નંબર-૨ જ વધુ લોકપ્રિય બની જાય.  એટલે ઈન્દીરા ગાંધીએ મોરારજી દેસાઈનું નાણાખાતું પાછું લઈ લીધું.

કેન્દ્રીય પ્રધાનો, વડાપ્રધાનની કેબીનેટ ના સભ્યો હોય છે. અને વડાપ્રધાન તેના પ્રમુખ હોય છે. પક્ષની નીતિઓ પક્ષના પ્રમુખ નક્કી કરે છે. મોરારજી દેસાઈનું પ્રધાનપદુ એ પક્ષનો નિર્ણય હતો. મોરારજી દેસાઈની રુખસદ એ વાત વડાપ્રધાન દ્વારા, વડાપ્રધાન, પક્ષ અને મોરારજી દેસાઈ સાથે થયેલી સમજુતીનો ભંગ હતો. ભારતીય બંધારણ આમાં વચ્ચે આવતું નથી. એટલે ભારતીય બંધારણના ભંગનો પ્રશ્ન ઉભો થતો નથી. પણ આ એક પક્ષીય અશિસ્ત તો જરુર કહેવાય.

વળી “પ્રધાનપદ” એક માનનીય હોદ્દો છે. તેની ગરિમા જળવાવવી જોઇએ. આ માટે નિશ્ચિત પ્રક્રીયા હોય છે. વડાપ્રધાન કોઈ વ્યક્તિને અપમાન જનક રીતે હોદ્દા ઉપરથી દૂર કરે તો તેનાથી તે વડાપ્રધાનના સંસ્કારની નીચતા પ્રગટ થાય છે અને વડાપ્રધાન પદની ગરિમા હણાય છે. મોરારજી દેસાઈએ કહ્યું કે “મને કાંદાબટાકાની જેમ દૂર કર્યો તે બરાબર નથી”.

આશ્ચર્ય સાથે કહેવું પડે કે ભારતીય મૂર્ધન્યોએ, વિશ્લેષકોએ ઈન્દીરા ગાંધીના આ વલણને વધાવ્યું. આ વાત ભારતીય રાજકારણના સંસ્કાર માટે જ નહીં પણ તેના રક્ષકો એવા મૂર્ધન્યો ની બૌદ્ધિક કક્ષા માટે પણ શર્મનાક હતું.

દિનેશ ત્રીવેદીના કિસ્સા બાબમાં મમતા બેનર્જી અને મનમોહન સિંહ ઉણા ઉતર્યા છે. તેમના વલણ ઉપર આપણે તાલીઓ પાડીએ કે પરોક્ષરીતે વખાણીએ તો તે દેશના રાજકારણની કક્ષા માટે ખચિત આપણે જ જવાબદાર છીએ એમ સિદ્ધ થાય છે.

ઈન્દીરા ગાંધી પોતાના પક્ષમાં સર્વે સર્વા હતાં. કારણ કે જેએલ નહેરુના વખતમાં જે નાણા -ઉઘરાણું થતું તે વિકેન્દ્રિત હતું. અને ઈન્દીરા ગાંધીએ તે પોતાને હસ્તગત કરેલું. આ એક લાંબો વિષય છે. ચિમનભાઈ પટેલે ૧૯૭૪ના અરસામાં આ ઉઘરાણા વિષે એક ચોપડી બહાર પાડેલ. રસિકજનોએ આ ચોપડી તેમના સુપૂત્ર જે અત્યારે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે તેમની પાસેથી હસ્તગત થાય તો કરવી.

જેની પાસે પૈસા છે કે પૈસાનો કારોબાર કે મંજુરી છે તેનું પક્ષમાં વધુ ચાલે. સિવાય કે તમારે તમારી ધરતીનો અને ચારિત્ર્યનો આધાર હોય. આ કારણથી કેટલાક સ્વાવલંબી, સ્વાશ્રયી અને સ્વાભિમાની નેતાઓ કોંગ્રેસમાંથી દૂર થેયેલ. પણ જે કચરો બાકી રહેલ તેની ઉપર સ્વાભાવિકરીતે જ ઈન્દીરા ગાંધીનો પ્રભાવ રહે જ. આ વાત રાજકારણનો નવો નિશાળીયો પણ સમજી શકે તેમ છે.

ઈન્દીરા ગાંધી અનિર્ણાયકતાના કેદી હતા. અને દેશની ગંભીર સમસ્યા હમેશા વણઉકલી રહેતી. ૧૯૬૬ થી ૧૯૭૧ (અને તે પછી પણ) બંગ્લાદેશી હિન્દુઓની હકાલ પટ્ટી અને બિહારી મુસ્લિમોની ભારતમાં હિજરત એ આ વાતના શ્રેષ્ઠ ઉદાહરણ છે. જયપ્રકાશ નારાયણે વિદેશની ખેપ મારીને ભારતની સમસ્યાની રજુઆત કરેલ. તેના પરિણામે અને પ્રભાવે વાત એટલીજ બનેલી કે જ્યારે પાકિસ્તાને ભારતની વિમાનપટ્ટીઓ ઉપર હવાઈ હુમલા કર્યા અને ભારતે ન છૂટકે વળતો જવાબ આપ્યો ત્યારે આ પશ્ચિમી ધરી વાળા દેશો ખાસ કરીને અમેરિકા ચૂપ રહ્યું. જોકે એવું કહેવાય છે કે અમેરિકા પણ ઇચ્છતું હતું કે બંગ્લાદેશ સ્વતંત્ર બને.

પાકિસ્તાન માટે ભૌગોલિક રીતે લશ્કરી વ્યુહરચના માટે પરિસ્થિતિ વિકટ હતી. બંગ્લાદેશી પ્રજા નો પાકિસ્તાનના સૈન્યને સપોર્ટ ન હતો. એ પણ એક મોટું માઈનસ પોઈન્ટ હતું. ભારત માટે સાનુકુળ પરિસ્થિતિ હતી અને યુદ્ધ જીત્યા સિવાય છૂટકો ન હતો. આ કોઈ ઈન્દીરા ગાંધીનો જવાબ ન હતો. પણ ભારતીય જનતા અને સૈન્યની બે વર્ષની ધિરજ, ઈન્દીરા ગાંધીની મજબુરી બની હતી. અને તમે જુઓ આ આખો વિજય ૧૯૭૩માં સિમલા કરાર હેઠળ ઘોર પરાજય માં પલટાઈ ગયો.

ઈન્દીરા ગાંધી કદી વિદેશ નીતિમાં કોઈ મોથ મારી શકી ન હતી. ખાલીસ્તાનની ચળવળ અને આતંકવાદનો દોર અને દોરીસંચાર પાકિસ્તાનથી થતો હતો. સિમલા કરારની ૧૯૭૩ના કરારની નિસ્ફળતા ઉડીને આંખે વળગે તેવી હતી. ખાલીસ્તાની આતંકવાદિઓ ઉઘાડે છોગ સુવર્ણમંદિરમાં શસ્ત્રો સહિત આવ જા કરે અને આતંક ફેલાવે તો પણ ઈન્દીરાગાંધી કોઈ કશો પાઠ ભણાવી ન શક્યાં. ગુનેગારને પકડવા માટે સુવર્ણ મંદિરમાં જઈ ન શકાય તેવો કોઈ કાયદો ન હતો. પણ વહીવટી નિસ્ફળતાએ ઢીલ કરાવી. ફાલતુ વટહુકમ ની ઘોષણા કરાવાઈ.

ભીંદરાણવાલેને મારવામાં જો કે ઘણું મોડું થઈ ગયું હતું. સુવર્ણ મંદિર ઉપરનો લશ્કરી હુમલો એ મોટો વિલંબ હતો. જો અગાઉથી સાવચેતના પગલાં ભર્યા હોત તો મોટી જાનહાની અને આતંક રોકી શકાયો હોત. અંતે વહીવટી નિસ્ફળતાએ ઈન્દીરા ગાંધીનો જાન લીધો. પાકિસ્તાનને ઈન્દીરાગાંધી કશો પાઠ ભણાવી શક્યા નથી.

૧૯૪૮-૪૯માં સરદાર પટેલને લીધે કાશ્મિર ગુમાવતા બચ્યા એ વાતને બાદ કરતાં   બહુ બહુ તો બીજેપીની સરકારે પશ્ચિમની સરહદ ઉપરથી પાકિસ્તાની લશ્કરને ૧૯૯૯માં મારી હઠાવ્યું તે જ એક પ્લસ પોઈન્ટ છે. આ સિવાય ભારતે અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસે કોઈને પાઠ ભણાવ્યા નથી.

૧૯૬૬ થી ૧૯૭૭નો સમય એ ભારત માટે રાજકીય અંધાધુંધીનો સમય હતો. અને આ અંધાધુંધીને ૧૯૮૦ થી ૧૯૮૯ માટે મંજુરીની મહોર મ્ળી.

ક્યારેક મતિ ભ્રમમાં પડી જાય અને બુદ્ધિ રુપી સોનાની જાળ પાણીમાં પડી જાય. સાદા લેખકો હોય કે હાસ્યલેખકો હોય ક્યારેક તો ભૂલ કરતા હોય છે કે ભૂલા પડી જતા હોય છે. સવારે ભૂલા પડીને સાંજે પાછા આવી જાય તો તેને કદાચ ભૂલા પડ્યા ન કહેવાય એવું ઘણા લોકો માને છે. એ જે કંઈ હોય પણ તેને ક્ષમ્ય તો તો કહેવાય જ.

બકુલ ત્રીપાઠીએ પણ ૧૯૭૩ના અરસામાં ભ્રમણ સહર્ષિનું પાત્ર રચેલું. આ પાત્ર મોરારજી દેસાઈની પ્રતિકૃતિ જેવું હતું. તે દ્વારા મોરારજી દેસાઈની ઠીક ઠીક ઠેકડી ઉતારવામાં આવેલી. પણ ૧૯૭૪માં ઘણાબધાનો ભ્રમ ભાંગી ગયેલ. જનસંઘ અને આરએસએસના નેતાઓ પણ ભ્રમમાં પડી જાય તો બીજા તે કોણ માત્ર. પણ ભ્રમમાં પડ્યા તો પડ્યા. પણ બહાર નિકળી જવું મૂખ્યવાત છે.

કાન્તિભાઈ ભટ્ટ અજુગતું લખે તો ચાલ્યું જાય. પણ વિનોદભાઈ ભટ્ટ એવું લખે તો કઠે છે.

 

શિરીષ મોહનલાલ દવે

 

ટેગઃ દિનેશ ત્રીવેદી, મનમોહન સીંગ, મમતા બેનર્જી, ઈન્દીરા, જેએલ નહેરુ, મોરારજી દેસાઈ, સીન્ડીકેટ, વડાપ્રધાન, નાણાપ્રધાન, પ્રધાનપદું, ગરિમા, સંસ્કાર, પ્રણાલી, બેફામ

Read Full Post »

જય પરાજય અને તે પછીની કાળી રાત્રીઓ ભાગ – ૧

વાત છે કટોકટીની.

વડાપ્રધાનની ગાદી પર કોણ બેસે?

લાલબહાદુર શાસ્ત્રીને સીન્ડીકેટે રાજગાદી પર બેસાડ્યા. પણ તેમનું તાસ્કંદમાં અવસાન થયું. એટલે સીનીયોરીટી પ્રમાણે મોરારજી દેસાઈનો નંબર લાગવો જોઇએ. પણ ગાંધીવાદી કહેડાવવામાં પોતાને ગર્વ છે અને કોંગ્રેસને ગાંધીજીનો વારસો છે એવું બતાવી લોકોના મતમાગતી કોંગ્રેસના નેતાગણને અને ઘણા મૂર્ધન્યોને પણ વાસ્તવમાં અને અંદરખાને ગાંધીવાદ લગીરે પસંદ નહતો. તેવીજ રીતે ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ પણ પસંદ ન હતા. ૧૯૬૬માં મોરારજી દેસાઇ કે જેઓ રાજકીય હોદ્દાનો સન્યાસ ભોગવતા હતા તેમણે સીન્ડીકેટના સભ્યોની અનિચ્છા છતાં  નેતા પદ માટે ઈન્દીરા ગાંધી સામે ઉમેદવારી નોંધાવી અને સૌના આશ્ચર્ય વચ્ચે ૧૬૯ મત મેળવ્યા. સીન્ડીકેટના નેતાઓ માનતા હતા કે મોરારજી દેસાઇને ૬૯ મત પણ નહીં મળે. પણ સીન્ડીકેટને મોરારજી દેસાઇ હારી ગયા તેનો સંતોષ હતો.


૧૯૬૭ની સામાન્ય ચૂંટણી આવી. કોંગ્રેસે ખરાબ દેખાવ કર્યો. ૧૯૬૬ થી ૧૯૬૭ સુધીની ઈન્દીરાગાંધીની સરકારની  કર્મ કહાણી નબળી રહી હતી એટલે પ્રજા વિમુખ બની હતી. સબળ નેતાની જરુર દેખાતી હતી. એટલે જો મોરારજી દેસાઇ ફરી નેતાપદ માટે કોંગ્રેસના સંસદીય પક્ષમાં ઉમેદવારી કરે તો જીતી પણ જાય. યેનકેન પ્રકારે મોરારજી દેસાઇને ઉપવડાપ્રધાન પદ માટે મનાવી લીધા. અને ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન બનાવ્યાં.

કોંગ્રેસના નૈતિક પરાજયના બીજ વવાયાં.

 

જો સાહેબ કરતાં તેમની નીચેની રેન્કનો અધિકારી વહિવટમાં વધારે કુશળ હોય તો સાહેબનો પ્રભાવ ઓછો રહે અને નીચેના સાહેબનો પ્રભાવ વધુ રહે. કદાચ સરકારી નોકરીમાં આ વાત મોટો સાહેબ નભાવી લે. ખાનગી કંપનીમાં “ઈટ ડીપેન્ડ્ઝ” કે મોટા સાહેબને કઈ કડીઓ છે. પણ રાજકારણ અને તે પણ પક્ષીય રાજકારણમાં આ પરિસ્થિતી જરાય ન ચાલે. એટલે ઈન્દીરા ગાંધીને પણ લાગ્યું કે મોરારજી દેસાઇની હાજરીમાં પોતે પક્ષમાં અને લોકોમાં ઝાંખી પડી જશે અને સીન્ડીકેટના આશ્રયે કાયમ માટે જીવાશે નહીં. એટલે પછી ઘણા બનાવો બન્યા. કોંગ્રેસના ભાગલા થયા. નવા ઈલેક્ષનો થયા અને ઈન્દીરા ગાંધીને પ્રચંડ વિજય મળ્યો કારણકે ઈન્દીરા ગાંધીએ જણાવ્યું હતું કે મારે ગરીબો માટે ઘણું ઘણું કરવું છે. મારા બાપાને પણ ગરીબો માટે ઘણું ઘણૂં કરવું હતું. પણ આ બુઢ્ઢાઓ (સીન્ડીકેટના સભ્યો અને મોરારજી દેસાઇ) તેમને કરવા દેતા ન હતા. સમાચાર પત્રો અને પોતાને બુદ્ધિજીવી, મહાન વિશ્લેષકો અને અભ્યાસુઓ ગણાવતા કટાર લેખકો અને ધૂરંધર પત્રકારોએ પણ ઈન્દીરા ગાંધીના કથનોને અને ઈન્દીરા ગાંધીને વધાવ્યા. આમાંના કોઇને પણ કોઈપણ માહિતી માગવાની કે એવું કોઇ સંશોધન કરવાની જરુર જ ન લાગી, એટલે ગુણ દોષની કોઇ તંદુરસ્ત ચર્ચાને અવકાશ જ ન રહ્યો. કોંગ્રેસની અંદર ભાગલા પડે અને મોટા નેતાઓ એકબીજાની વિરુદ્ધ બોલે એજ વાત તેમને માટે એવો દમદાર મુદ્દો હતો કે બૌધ્ધિક ચર્ચાઓ જ તેમણે અપ્રસ્તૂત બનાવી દીધી. અત્યારે જેમ લાલુ પ્રસાદ યાદવ મજાકનું પાત્ર છે તેમ મોરારજી દેસાઇને ગુજરાતના મૂર્ધન્યોએ પણ મજાકનું પાત્ર બનાવી દીધા હતા. “ભ્રમણ સહર્ષિ” એક નાટકનું પાત્ર હતું તે મોરારજી દેસાઇની પ્રતિકૃતિ તરીકે જોવાનું હતું.

મેડમનો ઉપાડ તો આખી બેન્ક જ હોય છે

જો તમે શ્રમવગર બાપિકી મિલ્કત મેળવો અને યોગ્યતા ન હોય તો મુશ્કેલીઓ તો આવે જ. ૧૯૬૬થી જ મોટી સંખ્યામાં નિરાશ્રીતો અને ઘુસણખોરો આવવાના ચલુ થયેલા જ હતા થયા. મોંઘવારી, ઘરવપરાશની સહિતની દરેક વસ્તુઓની કમી, લાંચરુશ્વત, દાણચોરી, ગુન્ડાગીરી અને રાજકીય પક્ષપલ્ટાઓ એવા ફુલ્યાફાલ્યા કે બાંગ્લાદેશ વિજયની વાતો ધોવાઈ ગયી. વળી ઘુસણ ખોરોને પાછા મોકલવામાં પણ ઈન્દીઈરા ગાંધીને સરેઆમ નિસ્ફળતા મળેલ. રશીયાની મુસદ્દીગીરી ઈન્દીરા ગાંધીને રાજકારણના દાવ ખેલવામાં મદદગાર થાય પણ રશીયા આપણા ઘરઆંગણાંના પ્રશ્નો કંઈ ઉકેલી ન આપે. કોમ્યુનીષ્ટોની તો કાર્યશૈલી હોય છે કે જનતાને હંમેશા તંગ જ રાખો અને જનતા હમેશા સરકાર ઉપર જ નિર્ભર રહે તેવી પરિસ્થિતી રાખો. ચૂંટણી વખતે અવનવા મુદ્દાઓ ચગાવી જનતાને ભ્રમમાં નાખો.

અમે કંઇ જેવા તેવા નથી

અમે કંઇ જેવા તેવા નથી

બેંકોના રાષ્ટ્રીય કરણે કરી બેંકોની અને દેશની નીતિમત્તાની પાયમાલી

 

રશીયામાં તો એક જ પક્ષ હોય. એટલે બુદ્ધિજીવીઓ પણ પક્ષના જ કાર્યકર્તા હોય. ભારતમાં તો એવું નહોય. ૧૯૭૩માં ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે નવનિર્માણ આંદોલન થયું અને તેણે ગુજરાતની નહેરુવીયન કોંગ્રેસનો ભોગ લીધો. જયપ્રકાશ નારાયણે તેમાંથી પ્રેરણા લઈ દેશવ્યાપી આંદોલન ચાલુ કર્યું. રશીયામાં તો નેતાગણ, સરકાર અને અધિકારી એવા સ્પ્ષ્ટ ભેદ હોતા નથી. ભારતમાં તો ભેદ હોય છે. ઈન્દીરા ગાંધીએ તો રશીયન માઈબાપની સલાહ પ્રમાણે કામ કરેલ અને તેથી તેમના સેક્રેટરીએ ૧૯૭૦ ઈન્દીરા ગાંધીના પ્રચારતંત્રમાં સામેલ હતા. જોકે તેમણે રાજીનામું આપી દીધેલ. પણ ભારતીય સેવાના કાયદા પ્રમાણે જ્યાં સુધી રાજીનામું મંજુર નથાય ત્યાં સુધી તે સરકારી નોકર જ ગણાય. ઈન્દીરાગાંધીની ચૂંટણીને તેમના ઉમેદવાર રાજનારાયણે કોર્ટમાં પડકારેલી અને તેનો ચૂકાદો તેમના વિરોધી ઈન્દીરાગાંધીની ચૂંટણીને તેમની સામેના ઉમેદવાર રાજનારાયણે કોર્ટમાં પડકારેલી અને તેનો ચૂકાદો ઈન્દીરા ગાંધીની વિરોધમાં આવેલ. ઈન્દીરા ગાંધીની ચૂંટણી રદ થઈ એટલું જ નહીં પણ તેમને ૬ વર્ષ માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા.


૧૨મી જુન ૧૯૭૫ ના દિવસે અલ્હાબાદ હાઇ કોર્ટે ચૂકાદો આપેલો. એટલે ઈન્દીરા ગાંધીએ તે અગાઉથી જ લાખોની સંખ્યામાં પોસ્ટરો છપાવીને રાખેલા કે “માનનીય ઈન્દીરા ગાંધી પ્રધાન મંત્રીના પદ પર ચાલુ જ છે” ઑલ ઈન્દીરા રેડીઓ દર ૧૫ મીનીટે આ સમાચારનું પૂનરાવર્તન કરતો. અને ઠેક્ઠેકાણેથી અલગ અલગ જાણીતા અને અજાણ્યા નેતાઓ ઈન્દીરા ગાંધીમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તેવા સમાચારોનું પણ પૂનરાવર્તન થતું હતું.

 

જયપ્રકાશનારાયણનું આંદોલનને જનતાનો સહકાર મળી રહ્યો હતો. એટલે ઈન્દીરા ગાંધીએ કટોકટી જાહેર કરી.

 

લોકતંત્ર એટલે જે અમે કહીએ તે

લોકતંત્ર એટલે જે અમે કહીએ તે

લોકતંત્ર એટલે જે અમે કહીએ તે

કટોકટીના સમય ગાળા દરમ્યાનઃ

બંધારણીય અધિકારો રદ ગણવામાં આવ્યા.

સમાચાર પત્રો એવા સમાચાર કે મંતવ્યો છાપી ન શકે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ સરકાર વિરોધી કે ટીકાત્મક હોય. જે કંઈ સામાન્ય પણ છાપવું હોય તે પણ અધિકૃત સરકારી અધિકારીને બતાવી અને તેની પરવાનગી મળ્યા પછી જ છપાય.

કોઇ લેખક તખલ્લુસથી કશું પણ લખી ન શકે

પોલીસ પોતાની મુનસફ્ફી પ્રમાણે પકડી શકે

માનવીય અધિકારો પણ સ્થગિત થયા છે તેમ કહેવામાં આવ્યું

જોવા શું મળ્યું?

વિરોધ પક્ષોના અને આંદોલનકારી નેતાઓને પકડવામાં આવ્યા.

એટલે મોરારજી દેસાઇ, અડવાણી, બાજપાઇ તો ખરા જ પણ સર્વોદય કાર્યકરો અને ગાંધીવાદી નેતાઓ અને કાર્યકરો જેવાકે જયપ્રકાશ નારાયણ જેવા ગાંધીજીના અંતેવાસીઓને પણ પકડીને જેલભેગા કરેલા.

શામાટે કટોકટી લાગુ કરવામાં આવી હતી?

ઈન્દીરા ગાંધીના કહેવા પ્રમાણે અને જાહ્વેર કર્યા પ્રમાણેઃ
આર્થિક ક્ષેત્રે કટોકટી હતી,

ઉત્પાદન ક્ષેત્રે કટોકટી હતી,

કાયદાકીય અંધાધુંધી હતી,

લોકો કાયદો હાથમાં લેતા હતા,

વહીવટી ક્ષેત્રે કટોકટી હતી,

વિરોધ પક્ષોના નેતાઓ, વહીવટી અધિકારીઓને સરકાર વિરુદ્ધ અને કાયદા વિરુદ્ધ ઉશ્કેરતા હતા,

એક વરિષ્ઠ આંદોલનકારી નેતા (જયપ્રકાશ નારય) લશ્કરને સરકારી હૂકમ ન માનવા માટે ઉશ્કેરતા હતા.

કાયદાનું શાસન પડી ભાંગ્યુ હતું.

૧૨ મી જુનથી ૨૫મી જુનસુધીના ગાળામાં અવનવી જાતના પોસ્ટરો પણ છપાઈ ગયેલા.

અને જેવી કટોકટી જાહેર થઈ કે બધે રાતોરાત લાગી ગયા.

“જ્યારે દેશ ઉપર આપત્તિ આવી ત્યારે તે પાષાણ બનીને ઉભી રહી અને દેશને બચાવી લીધો”

“પ્રધાન મંત્રીનો ૨૦ મુદ્દા નો કાર્યક્રમ”,

“મહામંત્રીનો ૪ મુદ્દાનો કાર્ય ક્રમ”

“અમારો મંત્ર સૌ સાથે નમ્ર વ્યવહાર”,

આવા તો સેંકડો જાતના પોસ્ટરો છપાવેલા.

દરેકની નીચે ઈન્દીરા ગાંધી અને અથવા સંજય ગાંધીની તસ્વીર તો ખરી જ.

વળી જેવી કટોકટી જાહેર થઈ કે દરેક સરકારી ટ્રેડ યુનીયનોના સેક્રેટરીઓ અને પ્રમૂખોને સૂચના હતી કે તેઓ કટોકટીને આવકારે છે તેવા નિવેદનો કરે. જે કોઇ મીટીંગ થાય તેમાં પણ સૌ પ્રથમ આ જાતનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવાની સૂચના હતી. અને કટોકટી વિષે કોઇ પણ ચર્ચા કરવાની બંધી હતી અને તેનું પાલન થાય છે કે નહીં તે જોવાતું. તેથી કરીને યુનીયન લીડરોને અને સૌ કોઇને એ ડર રહેતો કે આપણને બરતરફ કરશે અને કોર્ટમાં જઈ શકાશે નહીં કારણ કે બંધારણીય નાગરિક અધિકારો રદ થયા છે. એટલે દોઢડહ્યા થવાને બદલે કજીયાનું મોં કાળું કરો.

વિનોબા ભાવેને પકડ્યા ન હતા. કારણકે તેમણે કહ્યું કે “કટોકટી એ અનુશાસન પર્વ છે”

અને તેનો અર્થ એ કરવામાં આવ્યો કે કટોકટીમાં બધાએ કશી ગરબડ કરવી નહીં અને શાંતિ રાખવી.

અનુશાસન એટલે વિદ્વાનોનું શાસન.  શાસકોનું શાસન નહીં

અનુશાસન એટલે વિદ્વાનોનું શાસન. શાસકોનું શાસન નહીં

અલબત્ત ગુજરાતમાં બાબુભાઇ જશભાઇ પટેલનુ એટલે કે જનતા મોરચાનું રાજ હતું એટલે જ્યાં સુધી જનતા મોરચાનું રાજ રહ્યું ત્યાં સુધી કશો વાંધો ન આવ્યો. જ્યાં કોંગી સરકારો હતી ત્યાં સભા સરઘસ, ધરણા, દેખાવો વિગેરેની બંધી હતી. અને તે બધું ઈન્દીરાઇ કોંગ્રેસના નેતાઓના નિવેદનો પ્રમાણે અને તેમને શરણે ગયેલા સમાચાર માધ્યમો ના કહેવા પ્રમાણે દેશવિરોધી પ્રવૃત્તિઓ હતી. પણ ગુજરાતમાં આ જ ઈન્દીરાઇ નેતાઓ બાબુભાઇ પટેલની સરકાર સામે સભા, સરઘસ, ધરણા, દેખાવો વિગેરે બધું જ કરતી. જેમ અત્યારે કોંગ્રેસના કપિ સિબ્બલ, (ક)પી. ચિદમ્બરમ, મોઇલી, હાલનું નહેરુવીયન ફરજંદ જે મહામંત્રીનો હોદ્દો પણ ધરાવે છે તે અને પ્રણવ મુખર્જિ જેવા નેતાઓ તેમના અન્નદાતા ના ઈશારે બેફામ વર્તન અને નિવેદનો કરે છે તેવું તે વખતે કોંગી નેતાઓ કરતા.

 

ફેર એટલો હતો કે અત્યારે ભાષાની સમસ્યાને કારણે જેમ એન્ટોનીયા માઇનો ખાસ કશું બોલી શકતા નથી અને બોલતા નથી અને મનમોહનજીને એવી ફાવટ નથી, પણ તે વખતે ઈન્દીરા ગાંધી અને તેમના પક્ષના પ્રમૂખ શ્રી દેવકાંત બરુઆ, બંસીલાલ, આખા દેશમાં બેફામ હતા. તેમને અને તેમના ઉપાસકોને માપદંડોની કશી નડતર ન હતી.

 

બાબુભાઇ જશભાઇ પટેલ એટલે રણમાં વીરડી

બાબુભાઇ જશભાઇ પટેલ એટલે રણમાં વીરડી

બાબુ ભાઇ પટેલની સરકાર તેમને આંખના કણાની જેમ ખૂંચતી હતી. સમાચાર માધ્યમો એક તરફી હોવા છતાં પણ બાબુભાઇ જશભાઇ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટાણીઓ કરાવેલ. એમાં અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પણ આવેલી. કોંગીઓએ એડી ચોટીનું જોર લાગવેલ. પણ  જનતા મોરચો અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી ચાર સીટે જીતી ગયેલ. પણ કોંગીઓ તાલુકા અને જીલ્લા પંચાયતોની મોટાભાગની ચૂંટણીઓ જીતી ગયેલ. ગામડાઓમાં એવી ધાક ફેલાવેલી કે આજકાલમાં જ બાબુભાઇ જશભાઇ પટેલની સરકાર જશે. પછી તમને કોણ બચાવશે?

પક્ષપલ્ટો

ઈન્દીરા ગાંધી અને તેના સવાયા ઉપાસકોને સાધન શુદ્ધિનો બાધ ન હોવાથી કેટલાક વિધાન સભાના સભ્યોને ડરાવી ને પક્ષપલ્ટો કરાવીને સરકારને તોડી જેમાં ચિમનભાઇ પટેલની પાર્ટીના સભ્યો મુખ્ય હતા. રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું. તે પછી ધરપકડનો દોર ગુજરાતમાં ચાલુ થયો હતો. નાનુભાઇ, કાન્તિભાઇ, હસમુખભાઇ, હર્શદભાઇ માવાણી, પ્રકાશભાઇ જેવા નિડર સર્વોદયવાદી કાર્યકરોને પણ પકડવામાં આવ્યા. જનસંઘ અને આરએસએસના તાલુકા અને મહાલ કક્ષાના હોદ્દેદારો અને બીજા બોલકા કાર્યકરોને પણ જેલ ભેગા કરેલા. જેઓ રાજકારણમાં રસ લેતા હતા તેવા વકીલોને પણ જેલ ભેગા કરેલા.


રવિશંકર મહારાજને પકડ્યા ન હતા. કારણ કે તેઓ પથારીવશ હતા અને કોઇએ ઈન્દીરા ગાંધીને સલાહ આપેલી કે છાણે વીંછી ચડાવવા જેવો નથી. જે કર્યું છે તે પૂરતું છે.

રવિશંકર મહારાજ એટલે ગુજરાતનો આત્મા

રવિશંકર મહારાજ એટલે ગુજરાતનો આત્મા

ભૂમિપૂત્ર જે સર્વોદય સમાજનું મૂખ પત્ર છે તેના ઉપર ધોંસ પડેલી. એક પછી એક મુદ્રણાલયોને સીલ કરવામાં અવેલ અને હોદ્દેદારોને જેલ ભેગા કરેલ. જે પણ મહાત્માગાંધીવાદી તંત્રીઓ હતા તે બધા જેલમાં હતા.

ગોરવાલા જેઓ “ઑપીનીયન” ચલાવતા હતા તેના પ્રેસને સીલ લગાઇ ગયાં. એટલે શ્રી ગોરવાલાએ તેમનું પીરીયોડીકલ સાઈક્લોસ્ટાઈલ કોપીઓના સ્વરુપમાં તેમના ગ્રાહકોને પહોંચતું કરવા માંડ્યું. તો તે સાઈક્લોસ્ટાઇલ મશીન જપ્ત થયું. તો શ્રી ગોરવાલાએ કાર્બન કોપીઓ બનાવીને તેમનું “ઓપીનીયન” ચાલુ રાખ્યું. અંતે તેમને પણ જેલ ભેગા કર્યા. શ્રી ગોરવાલા જ્યારે ૧૯૭૭માં છૂટ્યા ત્યારે  તેમણે તેમના ગ્રાહકોને લવાજમ પરત કર્યું. શ્રી ગોરવાલા એક આઈ.સી.એસ. અધિકારી હતા ને તેઓશ્રી પચાસના દાયકામાં સરકારની નીતિઓ સાથે અસંમત હોવાથી રાજીનામુ આપીને છૂટા થયેલ.

 

ગુજરાતમાં કટોકટીના સમયમાં “જનતા છાપું” અને “જનતા સમાચાર” એમ બે ભૂગર્ભ છાપા મારા જોવામાં આવેલ. જે અનિયમિતરીતે બહાર પડતા હતા. પૈસા ખૂટી જવાથી અને લોકો તે વાંચવા માટે પણ ડરતા હોવાથી બંધ થયેલ. હવા એવી ફેલાવવામાં આવી હતી કે આવું કોઈ પણ સાહિત્ય હાથમાં હોવું તે પણ દેશદ્રોહ ગણાશે. હાઈકોર્ટનો કોઈ ચૂકાદો પણ જો એવો હોય કે જેમાં સરકાર કેસ હારી ગઈ હોય તો તે ચૂકાદો પણ છાપી ન શકાય.

 

સાદી કોર્ટનો એક કેસ જોઇએ.

કેટલાક લોકોને પોલીસે પકડ્યા.

 

ન્યાયાધીશ સામે રજુ કર્યા. રજુ કર્યા એટલે ન્યાયધીશ સાહેબે પૂછ્યું કેમ પકડ્યા છે?

પોલીસે કહ્યું “સાહેબ આ લોકો બોલતા હતા. “ભારતમાતાકી જય”, “મોંઘવારી દૂર કરો”, “કટોકટી દૂર કરો”. આવું સરકાર વિરુદ્ધમાં બોલાતું હશે? આતો દેશદ્રોહ થયો કહેવાય?

 

ન્યાયધીશે કહ્યું  “ભારતમાતાકી જય” બોલે તેમાં તમને શો વાંધો છે? એ સરકાર વિરુદ્ધ કેવીરીતે થયું?

પોલીસે કહ્યું પણ સાહેબ, તેઓ મોંઘવારી દૂર કરો એવું પણ બોલે છે.

ન્યાયધીશે કહ્યું . “એ તો તેમની માગણી છે. તમારે પૂરી કરવી હોય તો કરો. ન કરવી હોય તો ન કરો. આવી માગણી કરવી એ કંઈ દેશદ્રોહ ન કહેવાય.”

પોલીસે કહ્યું ” પણ સાહેબ આ લોકો તો કટોકટી દૂર કરો તેમ પણ કહે છે”

ન્યાયધીશ સાહેબે કહ્યું ” આ પણ માગણી જ છે ને! એમાં દેશદ્રોહ ક્યાં આવ્યો?”

 

કેટલાક રાજકીય કાર્યકરો ભૂગર્ભમાં ચાલ્યા ગયેલ.

 

જેઓ ભૂગર્ભમાં ગયેલ તેમની શોધખોળ પોલીસ તેમની રાહે ચલાવતી. જો ઉપરથી દબાણ હોય તો તે ભૂગર્ભવાસીના કોઇ પણ ઉમરના સગાને પકડીને પોલીસ જેલમાં પૂરી દેતી. પછી ભલે ને તે વ્યક્તિ લુલી કે લંગડી કેમ ન હોય.

આવા તો ઘણા સમાચાર “જનતા છાપાં”માં આવતા. જેમણે “જનતા છાપાં”ની નકલો જાળવી રાખી હશે તેના ઘણા ભાવ ઉપજશે.

જયપ્રકાશ નારાયણ

 એવું કહેવાય છે કે જ્યારે જયપ્રકાશ નારાયણને પકડ્યા ત્યારે તેમના દવાદારુ ચાલુ હતા. તેમને પકડ્યા પછી થોડા દિવસ પછી તેમને હતઃપ્રભ કરવા બંધ રીફ્લેક્ટીવ કાચવાળી ગાડીમાં એટલે કે કારની અંદર બેઠેલા બહારનું બધું જોઇએ શકે પણ બહારના કોઇ કારની અંદરનાને ન જોઇ શકે તેવા કાચવાળી ગાડીમાં તેમને બેસાડી દિલ્હીમાં રસ્તાઓ ઉપર ફેરવ્યા હતા. અને તેમને બતાવ્યું હતું કે જુઓ અમારી વાતને જનતાએ કેવી સ્વિકારી લીધી છે અને ક્યાંય પણ કશો ઉહાપોહ કે અશાંતિ નથી. વાસ્તવમાં તમને કોઇ સપોર્ટ કરતું નથી. તમે નાહકના જ લડત ચલાવતા હતા.

 

જયપ્રકાશ નારાયણ ને આઘાત લાગ્યો કે નહીં તેની ખબર નથી. પણ તેમની તબિયત બગડતી જતી હતી. એટલું જ નહીં પણ સરકાર ગુન્હાહિત બેદરકારી બતાવી રહી હતી.

લોકનાયક જયપ્રકાશ નારાયણ

લોકનાયક જયપ્રકાશ નારાયણ

કાયદેસરતો જે કોઇ વ્યક્તિને તમે કેદ કરો તો તેની સૌ પ્રથમ શારીરિક તંદુરસ્તીની ડોક્ટરી તપાસ થવી જોઇએ.

 

જો કોઇ વ્યક્તિને કેદ કરવામાં આવે અને જો તે વખતે અગર તે વ્યક્તિને દવાદારુ ચાલતા હોય તો તેનો રીપોર્ટ મંગાવી તે પ્રમાણે તેની આગળ ઉપર ચિકિત્સા કરવી જોઇએ.

 

તેના ખોરાકમાં કોઇ પરેજી આવતી હોય તો તે પ્રમાણે તેને ખોરાક આપવો જોઇએ.

 

અને જો જયપ્રકાશનારાયણ જેવા મોટાગજાના નેતા હોય તો તેમના સ્વાસ્થ્યની બાબતમાં વડાપ્રધાને ખુદ રોજબરોજની તેમની શારીરિક હાલત વિષે માહિતગાર રહે એવી શિષ્ટતા દાખવવી જોઇએ અને તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

 

પણ ઈન્દીરા ગાંધી અને તેમના ઉપાસકોએ આવું કંઈજ કર્યું નહીં. એટલે કે તેમને જેલમાં પૂર્યા પછી તેમની કોઇ દાક્તરી તપાસ ન થઈ, ન તો તેમને જે દવાદારુ અને ભોજનમાં પરેજી રાખવાની હતી તેનો કોઇ રીપોર્ટ મંગાવવામાં આવ્યો કે ન તો તે વિષે દરકાર કરવામાં આવી.

 

જયપ્રકાશ નારાયણ ને કીડની ની દવા ચાલતી હતી. અને તેમને ખોરાકમાં મીઠું આપવાનું ન હતું.

 

પણ આવી કોઇ ચકાસણી કે ધ્યાન રાખવામાં ન આવ્યું કારણ કે ઈન્દીરા ગાંધી અને તેના સાગરિતો અને સરકારી નોકરો એમ માનતા કે બધા જ અધિકારો રદ થયા છે.

 

જયપ્રકાશ નારાયણ ની હાલત ઉત્તરોત્ત્ર બગડતી જતી હતી.

 

સર્વોદય કાર્યકર શ્રી દેશપાંડે અમદાવાદની મુલાકાતે આવેલા. તેમને શાંતિસેનાના કાર્યાલયમાં મળવાનું થયું. તેમણે જયપ્રકાશ નારયણની તબિયત વિષે વર્ણન કર્યું અને દુઃખ વર્ણવ્યું. હું તો કોઇ પત્રકાર હતો નહીં. પણ મેં અમૂક સવાલો પૂચ્છ્યા જે તેમને ગમ્યા કે નગમ્યા તે ખબર નથી.

 

સવાલઃ જયપ્રકાશ નારાયણને જ્યારે કેદ કરવામાં આવ્યા ત્યારે તેમની દાક્તરી તપાસ થઈ હતી?

જવાબઃ ના. એવું લાગતું નથી.

સવાલઃ જયપ્રકાશ નારાયણની તબિયત ખરાબ થવાનું કારણ શું છે?

જવાબઃ તેમને મીઠું ખાવાની બંધી હતી અને તો પણ તેમને મીઠાવાળો ખોરાક આપવામાં આવતો હતો.

સવાલઃ જયપ્રકાશ નારાયણની તબિયત વિષે ઈન્દીરા ગાંધી તરફથી કોઇ વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઇ વ્યક્તિ તેમને નિયમિત રીતે તેમની તબિયતના સમાચારો મોકલે?

જવાબઃ ના. એવું લાગતું નથી.

સવાલઃ ઈન્દીરા ગાંધીએ કદી જયપ્રકાશ નારયણ ની તબિયતવિષે પૃચ્છા કરી છે?

જવાબઃ ના તેમણે કદી આવું પૂછાવ્યું નથી.

સવાલઃ શું સર્વોદય મંડળ તરફથી એવી કોઇ વ્યવસ્થા થઈ છે કે  ઇન્દીરા ગાંધીને જયપ્રકાશ નારાયણની તબિયતના અહેવાલો કોઇ રીતે મોકલવામાં આવે?

જવાબઃ ના ના એવી કોઇ વાતની મને ખબર નથી. પણ મને શું કામ આવું પૂછો છો?

તમે કોણ છો. …?” પણ મારા ખાદીના કપડા જોઇને વાત વાળી દીધી અને બહારના બીજા પ્રોગ્રામમાં નિકળી ગયા.

 

રાક્ષસોમાં કોઇ એવો રાક્ષસ પણ નિકળી આવે કે જે પોતાના કમનસીબે કે કરમની કઠણાઇએ ઈન્દીરાઇ કોંગ્રેસમાં આવી ગયો હોય. અથવા તો કોઇ મતિભ્રમ થયો હોય અને ઈન્દીરાઇ કોંગ્રેસમાં આવી ગયો હોય. તેને ખબર પડી કે જયપ્રકાશ નારાયણની તબિયત બગડવા ઉપર છે, તેથી તેણે કોઇ મોટાનેતાને ગંભીરતા પૂર્વક વાત કરી. પણ એ મોટા નેતાની ઈન્દીરાગાંધીને કહેવાની હિંમત ન હતી. એટલે તેમણે વિનોબા ભાવે ને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે તમે ઈન્દીરાગાંધીને વિનંતિ કરો કે જયપ્રકાનારાયણની તબીયત નાજુક હોવાથી તેમને કેદમાંથી છોડે. વિનોબા ભાવેએ ઈન્દીરા ગાંધીને કશો પત્ર તો ન લખ્યો પણ જે પત્ર તેમના ઉપર આવેલો તેના “તમે ઈન્દીરાગાંધીને વિનંતિ કરો કે જયપ્રકાનારાયણ ની તબીયત નાજુક હોવાથી તેમને કેદમાંથી છોડે” એ વાક્ય નીચે લીટી દોરી એ પત્ર ઈન્દીરા ગાંધીને મોકલી આપ્યો. ઇંદીરા ગાંધીએ આવો પત્ર વિનોબા ભાવે ને લખવા બદલ પહેલાં તો તે કોંગી હોદ્દેદારને પક્ષમાંથી કે હોદ્દા ઉપરથી ફારગતી આપી.

 

જય પ્રકાશ નારાયણની તબિયત અતિશય બગડી હતી અને તેઓ લગભગ બેભાન હતા. તેમની પાસે એક કાગળ પર સહી કરાવીને જાહેર કર્યું કે તેમને પેરોલ છોડવામાં આવ્યા છે. પછી જયપ્રકાશ નારાયણના અંગત ડૉક્ટરની નિગરાની હેઠળ તેમની સારવાર ચાલુ થઈ. આ અગાઉ એવી જાહેરાતો થતી હતી કે જો જયપ્રકાશ નારાયણ મરી જશે તો તેમને ભવ્ય વિદાય અપાશે અને તે માટે સરકારે બધી તૈયારી કરી છે. પણ ઈન્દીરા ગાંધીના અને ઈન્દીરાઈ કોંગ્રેસના કમ નશીબે જયપ્રકાશ નારાયણ બચી ગયા. પણ તેમની બંને કીડનીઓ બગડી ગઈ હતી. અને તેમને દર આઠવાડીયે એકવાર ડાયાલીસીસ પર રાખવા પડે એમ હતું. એ રીતે તેમની ચિકિત્સા ચાલુ થઈ. પછી તો તેમની તબીયતનું રોજ એક બુલેટીન આવતું. જેમાં તેઓએ સવારમાં નાસ્તામાં એક ઈન્ડુ લીધું એ વાત જરુર આવતી, જેથી મારા જેવા અનેક ગુજરાતીઓને આઘાત લાગે કે “અરે! શું જયપ્રકાશ નારાયણ ઈન્ડા પણ ખાય છે?”

 

એકાદ વર્ષ પછી જનતા કટોકટીથી કંટાળી ગઈ હતી. અને બધા સવાલો પૂછતા કે મોરારજી દેસાઈ કેમ આમરાંત ઉપવાસ ઉપર ઉતરતા નથી?

મોરારજી દેસાઇ

મોરારજી દેસાઇ વિષે અખબારોમાં તેમનું નામ લીધા વગર એવા અહેવાલો આવતા કે ” એક વયોવૃદ્ધ નેતા કે જે ફક્ત ફળાહાર જ કરે છે તેમને માટે રોજના ૨૦ કીલો ફળોનો ખર્ચ થાય છે.

 

મોરારજી દેસાઇઃ જવાનને શરમાવે તેવા વયોવૃદ્ધ

મોરારજી દેસાઇઃ જવાનને શરમાવે તેવા વયોવૃદ્ધ

મોરારજી દેસાઇઃ જવાનને શરમાવે તેવા વયોવૃદ્ધ ભડવીર

 

મોરારજી દેસાઇને ૧૨ ફુટ બાય ૧૨ ફુટ ની રુમમાં એક ખાટલો પાથરી રાખવામાં આવ્યા હતા. તેમને બારણાના દરવાજાની બહાર જવાની છૂટ ન હતી. રુમનો દરવાજો સાદી રીતે બંધ રાખવામાં આવતો. એક વખત તેમના રુમના દરવાજાને બહાર થી સ્ટોપર મારવામાં આવી અને તાળું મારવામાં આવ્યું એટલે મોરારજી દેસાઇએ ખોરાકપાણી બંધ કરી દીધા. એટલે પછી તૂર્ત જ તાળું અને સ્ટોપર ખોલી દેવામાં આવ્યા. મોરારજી દેસાઈને મોર્નીંગ અને ઈવનીંગ વૉક કરવાની ટેવ હતી. પણ તેમને રુમની બહાર નીકળવાની બંધી હતી તેથી તેઓ ખાટલાની ફરતા આંટામારતા અને એ પ્રમાણે તેઓ તેમની મોર્નીંગ વૉક અને ઈવનીંગ વૉક પૂરી કરતા. શરુઆતમાં તેમને છાપાં આપવામાં ન આવ્યા એટલે તેમણે માગણી કરી. પણ તેને માન્ય રાખવામાં ન આવી. એટલે તેમણે ઉપવાસ ઉપર ઉતરવાની ધમકી આપી હતી. એટલે તેમને છાપાં આપવાનું ચાલુ થયેલ.

 

જેલમાં ઘણા કેદીઓની હાલત બગડવા માંડેલી. અને કેટલાક “અમે રાજકીય પ્રવૃત્તિમાં હવે નહીં પડીએ એવું લેખિત આપીને છૂટી ગયેલ. પણ તેવા બહુ ઓછા હતા. અટલ બિહારી બાજપાઈને પણ કમર અને ઘૂંટણની તકલીફો ચાલુ થયેલ.  

 

વિનોબા ભાવે શતરંજ (ચેસ) રમવામાં હોંશીયાર છે.

“કટોકટી એટલે અનુશાસનપર્વ” એવું કહ્યું ખરું પણ તેનો વિચિત્ર અર્થ સરકારે તારવેલ. આ વિષે ગયા વર્ષનું મારું લખાણ વાંચવું.

 

ગૌ-રક્ષા એટલે માત્ર ગાય નહીં પણ સમગ્ર પશુ સૃષ્ટિ જેની ઉપર માનવજાત આધાર રાખે છે તેની રક્ષા પણ શરુઆત ગાયથી કરો

ગૌ-રક્ષા એટલે માત્ર ગાય નહીં પણ સમગ્ર પશુ સૃષ્ટિ જેની ઉપર માનવજાત આધાર રાખે છે તેની રક્ષા પણ શરુઆત ગાયથી કરો

વિનોબા ભાવે ગૌવધબંધી માટૅ સરકારને પત્ર લખ્યો કે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર શે. જોકે છાપાંઓમાં આવું કશું આવે નહીં પણ કોઇ કોંગી નેતાએ વિનોબાની ટીકા કરી. “અપન” વાલો બોલ્યો છે એ હિસાબે તે વાત છાપાંમાં (અંગ્રેજી છાપામાં) આવી.


ઈન્દીરા ગાંધીએ વિનોબા ભાવેને સરકાર તરફથી મૂદત આપી. એટલે વિનોબાને લાગું કે હજી આ બાઇનું સાવ તો ખસી ગયું નથી. એટલે આ કટોકટી લાંબી ચાલે એ વાતમાં માલ નથી.


વળી વિનોબા ભાવે આચાર્યોનું સંમેલન યોજ્યું અને તેમાં બધાને ગભરાયા વગર સૂચનો કરવાનું કહ્યું. ઠરાવ પાસ થયો:

“જો કટોકટી એ વાસ્તવમાં કટોકટી હોય તો તે દેશનો પ્રશ્ન છે અને દેશની સમસ્યા છે. એટલે તેને કોઇ એક પક્ષ કે કોઇ એક વ્યક્તિની સમસ્યા ન જ ગણાય.


“દેશ જો કટોકટીમાં હોય” તો તેની સમસ્યાનો ઉકેલ બધાએ સાથે મળીને શોધવો જોઇએ. જે તે ક્ષેત્રના નિષ્ણાતો એટલે કે આચાર્યો (આચાર્ય એટલે એવા નિષ્ણાતો કે જેની પાસે રાજકીય સત્તા નથી પણ નૈતિક સત્તા છે) ભેગા મળીને તેના ઉપાયો શોધવા પડશે અને શોધવા જોઇએ. સત્તાધારીઓ જે કરે તે શાસન અને આચાર્યો જે કરે તે અનુશાસન છે. એટલે જો કટોકટી હોય તો શાસકોએ સત્તા છોડીને આચાર્યોની સલાહ પ્રમાણે કામ કરવું જોઇએ.

જેમને પકડ્યા છે તેમને અચોક્કસ સમય સુધી કેદમાં ન રખાય. તેમને જેમ બને તેમ જલ્દી છોડી દેવા જોઇએ.”

“કટોકટી પણ અચોક્કસ સમય સુધી ન રખાય અને તેની મૂદત નક્કી કરવી જોઇએ.”

 

આ દરમ્યાન અખબારોમાં એવા અહેવાલો વહેતા થતા કે સરકાર બધા રાજકીય કેદીઓને એક સાથે છોડશે નહીં. તેમજ તેમને જ્યારે છોડવામાં આવે ત્યારે “હીરો તરીકે” તેમનું સ્વાગત ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. તે બધાને એ રીતે એક એક કરીને છેડવામાં આવશે.

 

સરમૂખત્યારી એ વાઘ ઉપરની સવારી છે. દેશની આાર્થિક પરિસ્થિતીને સુધારવામાં  કટોકટીની નિરર્થકતા અને નિસ્ફળતા દેખાવા માંડ્યા હતા. ઈન્દીરા ગાંધીના પ્રશંસકો ઇન્દીરા ગાંધીનો બચાવ કરવા એવી વાતો વહેતા મૂકતા કે કટોકટી મૂકવામાં ઈન્દીરા ગાંધીને જરાય રસ ન હતો. તેઓ તેનાથી જરા પણ ખુશ ન હતા. તેઓ હંમેશાં ચિન્તા ગ્રસ્ત રહેતા હતા. કેટલાક એવી અફવા ફેલાવતા કે ચંડાળ ચોકડી જ જવાબદાર હતી. અને તેમણે જ ઈન્દીરા ગાંધીને કટોકટી લાદવા માટે ફરજ પાડેલી.

જનતા છાપાંમાં એવા સમાચારો આવતા કે ઈન્દીરા ગાંધી ખૂબ ડરપોક છે અને ઘરની બહાર પણ રાત્રે નિકળતાં નથી. ઘરની બહાર ઝાડવું ખખડે તો પણ ઝબકીને જાગી જાય છે. અને ડરી જાય છે.

ચંડાળ ચોકડી અને ઈન્દીરા ગાંધી સહિત સૌએ આતંક ફેલાવેલો. સરકારી અધિકારીઓને બિભત્સ ગાળો આપવામાં આવતી હતી. અને પ્રધાનોને લાફા મારવામાં આવતા હતા. આ વાતોની પૂષ્ટિ કરતા અહેવાલો પણ આવેલા. કટોકટીનો ભાર વધતો જતો હતો.

 

કટોકટી દરમ્યાન ઈન્દીરા ગાંધીના અનુયાયીઓએ વર્ગ વિગ્રહ એટલે કે સવર્ણ અને અસવર્ણના ભેદ બહુ ઉત્પન્ન કરી દીધેલા. અસવર્ણોને કહેવામાં આવતું કે આ કટોકટી તો સવર્ણો ઉપર થોડા વર્ષોથી જ છે. પણ હે પછાત વર્ગના દલિત લોકો, તમને તો આ લોકોએ હજારો વર્ષથી કટોકટીથી પણ બદતર હાલતમાં રાખ્યા છે. હવે જુઓ આપણી ઈન્દીરા માઈ તેમને કેવા પાઠ ભણાવી રહી છે.

 

અને એટલે જ કટોકટી ઉઠી ગયા પછી જે લોકસભાની ચૂંટણી થઈ તેમાં ઉત્તરભારતમાં બધી જ બેઠકો ગુમાવનાર ઈન્દીરાઇ કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં આઠ બેઠકો ઉપર જીતી ગયેલ.

કટોકટી દરમ્યાન મોટો ઘાટો ગુજરાતને એ પડ્યો કે ગુજરાતે હિતેન્દ્ર દેસાઇએ પક્ષ પલટો કરી ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયા.

ઈન્દીરાગાંધી અને તેમની કહેવાતી ચંડાળ ચોકડી ખુદ પોતાની બેઠક પર ચૂંટણીમાં ગંજાવર મતોથી હારી ગયેલ.

 

એક બીજા સમાચાર પણ હતા કે ઈન્દીરાગાંધી ભારતીય લશ્કરના હેડને કહેલ કે તેઓ દેશનો કબજો લઈ લે. પણ તેમણે ના પાડી હતી અને કહ્યું કે લોકશાહીને આવવા દો. અમે રાજકારણમાં પડતા નથી.

 

ઈન્દીરા ગાંધીએ તેઓ જેવા હારી ગયાં એટલે કટોકટી પાછી ખેંચી લીધી. હવે સૈધાંતિક રીતે જો ઈન્દીરા ગાંધી માનતા હોય કે દેશ માટે કટોકટી જરુરી હતી તો તેમણે પોતે તો કટોકટીને પાછી ખેંચી લેવા જેવી હતી જ નહીં. નવી સરકાર ઉપર જ નિર્ણય છોડી દેવા જેવો હતો. કટોકટી લાદવી એ એક નીતિ વિષયક નિર્ણય હતો અને હારેલી સરકારે આવા નીતિવિષયક નિર્ણયો લેવા ન જોઇએ. નીતિ વિષયક નિર્ણયો નવી સરકાર જ લઈ શકે. પણ ઈન્દીરા ગંધી એવી કોઇ સૈધાંતિક બાબતોમાં માનતા ન હતા.

 

કટોકટી પછીની ચૂંટણીમાં ઈન્દીરાઇ કોંગ્રેસની હાર થઈ. જનતા મોરચાનો જ્વલંત વિજય થયો. મોરારજી દેસાઈ વડાપ્રધાન થયા. તેમણે કોંગ્રેસ (સંસ્થા) નો વિલય કર્યો. અને જનતા પાર્ટી બની.

 

આમ જનતાએ બનાવેલી પાર્ટીની લડતને સ્વતંત્રતા માટેની લડત નંબર – ૨. કહેવામાં આવી. ભારતને સરમુખત્યારીમાંથી ૧૮માસમાં જ મૂક્તિ મળી. જગતના બીજા દેશોને આવી સ્થિતીમાં આવ્યા પછી લોકશાહીની પુનઃસ્થાપના માટે વર્ષો વિતી ગયેલ. મોરારજી દેસાઇની સરકારે નીતિવિષયક અને લોકશાહીની રક્ષા વિષયક ઘણા સારા નિર્ણયો લીધા. અને દેશ પ્રગતિના પંથે પણ પડ્યો.

 

ઊત્તરભારત, ખાસ કરીને બિહાર અને યુપી નું રાજકારણ ગુજરાત કરતાં અલગ છે. ચરણ સિંહ જેઓ પોતાને ગાંધીવાદી ગણાવતા હતા તેમણે ઇન્દીરા ગાંધીના જે રડ્યા ખડ્યા સભ્યો હતા તેમનો, જનતા પાર્ટીના તેમના સમર્થકોનો અને યશવંત રાવ ચવાણની કોંગ્રેસનો સહારો લઈ સરકારને ૧૯૭૯ના અંતમાં તોડી. અને પછી અખબારી પ્રચાર કે જેનામાં પ્રમાણભાન ની પ્રજ્ઞાનો અભાવ અને સંદર્ભને સમજવાની પ્રજ્ઞાનો અભાવ હતો તેને કારણે ઇન્દીરા ગાંધીની સરકારનો ફરી થી ઉદય થયો.


જયપ્રકાશ નારયણે કહ્યું “પૂરા બાગ ઉજાડ દીયા”. બાજપાઇએ તેમને કહ્યું અમે તેને ફરી ખીલવી દઈશું.

કોંગ્રેસ (સંસ્થા)નો વિલય થઈ ગયો હોવાથી ચંદ્ર શેખર, વીપી સિંહ વિગેરે એ નવા પક્ષો રચ્યા. ગુજરાતના મોરારજીના સાથીદારો ઈન્દીરાઇ કોંગ્રેસમાં ભળી ગયા. જેમાં ઢેબરભાઇ, કૃષ્ણવદન જોષી મૂખ્ય હતા. સંશોધનનો વિષય છે કે તેમના જેવાને પક્ષ પલટો કરવાની શું જરુર પડી? મોરારજી દેસાઇની જેમ માનભેર નિવૃત્ત થઈ શક્યા હોત. પણ ઈન્દીરાગાંધીએ ફરીથી સત્તા ઉપર આવ્યા પછી દરેક સર્વોદય અને કોંગ્રેસ (સંસ્થા) ના જે કોઇ સેવકો લોકસેવા અર્થે જે કંઈ સંસ્થાઓ ચલાવતા હતા તે સૌ કોઇ ઉપર તપાસ રુપી દમનનો કોરડો વીંઝ્યો હતો.

 

ખરાબ રીતે હાર્યા પછી એક વંશપરંપરાગત રીતે ચાલતો પક્ષ આખા દેશ ઉપર કેવી રીતે હાવી જાય છે તેને માટે જુઓ વિશ્વબંધુ ગુપ્તાનો “ચૌથી દુનિયા” સાથેનો વાર્તાલાપ

તે માટે અહીં સીલેક્ટ, કોપી કરી બ્રાઉઝર ઉપર પેસ્ટ કરી ક્લીક કરો.

http://www.youtube.com/watch?v=LhU7MZgf2RA&feature=player_embedded

ગાંધીબાપુ જીવતા હતા ૧૯૭૭માં

ગાંધીબાપુ જીવતા હતા ૧૯૭૭માં

એક પાદરીએ કહ્યું મેં સ્વર્ગમાં જીસસ પાસે એક માણસને જોયો જે જીસસ ની સૌથી નજીક હતો… તે ક્રીશ્ચીયન ન હતો. તે હતો એમકે ગાંધી

કોંગ્રેસ ઉપર જ્યારે આફત ન હોય ત્યારે તે પૈસા બનાવે છે. પૈસા બનાવે એટલે તે મુશ્કેલીમાં આવે છે અને તેથી દેશ ની જનતા ઉપર કટોકટી લદાય છે.
જવાહરલાલ નહેરુએ કટોકટી લાદેલ.
પછી ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદેલી
અને હવે કેવીરીતે હૅટ્રીક થશે તે માટે આગળ વાંચતા રહો.
જે પ્રજા ભૂતકાળ ભૂલે છે તે ભૂતકાળનું પૂનરાવર્તન જુએ છે.

શિરીષ મો. દવે

 

Read Full Post »

%d bloggers like this: