Feeds:
Posts
Comments

Posts Tagged ‘એકમ’

જાહોજલાલીમાં પૂર્ણ વિરામ  કે અલ્પવિરામની શોધ કરો

જાહોજલાલીની વ્યાખ્યા શું?

જો કડક વ્યાખ્યા એટલે કે જેને આપણે નિરપેક્ષ વ્યાખ્યા કહીયે તેવી વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે જો એક કુટુંબની જરુરીયાત એક ગાયની હોય અને તેની પાસે બે ગાય હોય અને બીજા પાસે એક પણ ગાય ન હોય તો બે ગાયવાળો  માલેતુજાર કહેવાય.  એટલે પહેલા કુટુંબે બીજા કુટુંબને એક ગાય કોઈ એક નક્કી કરેલી પ્રણાલી પ્રમાણે બીજા કુટુંબને આપી દેવી જોઇએ.

હવે ધારો કે પહેલા કુટુંબે એક ગાય જે વધારાની ગણાઈ હતી તે બીજા કુટુંબને આપી દીધી.

પણ હવે એવું થયું કે પહેલા કુટુંબની પરિસ્થિતિ બદલાઈ, તેનું કુટુંબ વધ્યું કે તેના કુટુંબમાં કોઈ માંદુ પડ્યું કે જે એક ગાય હતી તે એક ગાયે દુધ આપવાનું બંધ કર્યું કે દુધ ઓછું આપવાનું શરુ કર્યું કે એ ગાય મરી ગઈ, તો હવે શું કરવું?

પણ હવે આ સમસ્યા આ રીતે ઉકેલી નહીં શકાય.

આપણે ફક્ત બે કુટુંબનું એકમ લીધું. આપણે એક ગામને એકમ લેવું જોઇએ. ગામમાં ઘણી ગાયો હોઈ શકે. બધાને એક એક ગાય કદાચ આપી પણ ન શકાય. ધારોકે આપી શકાય તેમ હોય તો ઉપર જણાવેલ સમસ્યા તો ઉભી થવાની જ. માટે ઉત્પાદના કે સુખસગવડના બીજા કામો ઉભા કરો. અને અમુક લોકોને એમાં રોકો. દા.ત. ખેતી.

કામની વહેંચણી અને વર્ગનું સર્જન

ખેતી માટે ઓજારો જોઈશે, એટલે અમુક લોકોને ઓજારો બનાવવાનું કામ સોંપો. એટલે ઓજારો બનાવનારા માણસો, ખેતી કરનારા માણસો અને ગાયનું દુધ ઉત્પન્ન કરનારા માણસો એવા ત્રણ વર્ગ પડશે. આ બધાની વહેંચણી કરવામાં ગણત્રીઓ કરવી પડશે. એટલે અમુક લોકોને ગણત્રી કરવાનું ગમતું હશે. અને તે કેવી રીતે કરવી તે શિખવવાનું પણ ગમતું હશે. આવું બધું વિસ્તરે એટલે એક શિક્ષક વર્ગ પણ ઉભો થશે. હવે ગણત્રી કરવામાં જરુરીયાતો અને નિયમો નક્કી કરવા પડે એટલે કેટલાક સમજુ અને વિવેક કરવા વાળા સર્વ સ્વિકૃત વિશ્વસનીય માણસો જોઇશે. એટલે શિક્ષકોમાં એક વિભાગ પડશે જેને ન્યાયનું કામ આપવામાં આવશે. પણ દેશમાં એક ગામ તો હોય નહીં. એટલે બીજા ગામવાળા તમારા ગામમાં હસ્તક્ષેપ કરે તો તેની સામે રક્ષણ માટે વળી પાછો એક વર્ગ બનાવવો પડશે. પણ આ તો રક્ષણની વાત થઈ. તેમાં તો વ્યુહ રચનાઓ કરવી પડે. જેમ ઝાઝા રસોયા રસોઈ બગાડે તેમ એક કરતા વધુ વ્યુહરચનામાંથી શ્રેષ્ઠ રચના કઈ એ નક્કી કરવું પડે. એટલે એક નેતા નક્કી કરવો પડે જે રક્ષણ કરવા અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય.

કાળ ક્રમે ઉત્પાદકો, કારીગરો, શિક્ષકો, ન્યાયધીશો કે અને રાજાઓ, સૈનિકો અને મજુરોના વર્ગો અસ્તિત્વમાં આવ્યા હશે. એક કરતાં વધુ ગામો હોય અને સલાહ સંપથી રહી શકવાના પ્રયત્નોના ભાગ રૂપે  રાજાઓ, મહારાજાઓ અને ચક્રવર્તી રાજાઓ બન્યા હશે. નિયમો જટીલ બનાવવા પડ્યા હશે. અને અન્યાયો પણ ચાલુ થયા હશે. અને સુખાકારી માટે જુદી જુદી પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી હશે અને વિકસી હશે.

સવાલ એ છે કે આ બધું શું કામ થાય છે?

માણસને જોઇએ છે શું?

માણસે શા માટે સમૂહમાં રહેવાનું નક્કી કર્યું?

સમૂહમાં રહેવાથી મનુષ્યની શક્તિમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થાય છે. એટલે સુરક્ષા પણ મળે છે. અને નિશ્ચિંતતા પણ મળે છે. ટૂંકમાં માણસની બુદ્ધિએ માણસને સામાજીક પ્રાણી તરીકે રહેવાનું શિખવ્યું.

સમુહમાં જીવવાથી માણસ શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકે છે જેથી તે વધુ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય તો મરી જાય, સમાજ તો જીવતો રહે છે. એટલે મનુષ્યનું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. સમાજ એક એકમ તરીકે સુધરતો સુધરતો સદાકાળ (?), જીવતો રહી શકે. આવા સાતત્યને લીધે પેઢી દર પેઢીના મનુષ્યો વ્યક્તિગત રીતે વધુ આનંદપૂર્વક જીવી શકે.

સમાજનો મુખ્ય ગુણ ધર્મ શો?

સંવાદ, કામની વહેંચણી, સહયોગ અને સહકાર આ સમાજના મુખ્ય ગુણધર્મ હોવા જોઇએ. સહયોગ અને સહકારમાં ફેર શો? સહયોગ એ પ્રણાલી બદ્ધ છે. જ્યારે સહકારમાં મનોભાવ સંકળાયેલો છે. મુખ્ય ગુણધર્મ તો સંવાદ માત્ર છે. સંવાદના કારણે કામની વહેંચણીની સ્વિકૃતિ, સહયોગ અને સહકારની ભાવનાઓ ઉત્પન્ન થઈ. ટૂંકામાં સંવાદ સિવાયના બાકીના બધા તો આનંદ પ્રાપ્તિની ખોજના પ્રયાસોની આડ પેદાશ છે. વધુને વધુ સંવાદ માટે ભાષાનો વિકાસ થયો.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. સમાજનું એકમ મનુષ્ય છે. જો મનુષ્યનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. અને જો સમાજ વિકસિત થતો હશે તો મનુષ્યને વધુ સરળ રીતે આનંદ મળતો થશે .

તો પછી કેન્દ્રમાં કોણ હોવું જોઇએ? સમાજ કે મનુષ્ય?

જ્યાં મનુષ્યને કેન્દ્રમાં રખાયો તેને મુડીવાદ કહેવામાં આવ્યો. જ્યાં સમાજને કેન્દ્રમાં રખાયો તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાયો.

જ્યારે મનુષ્ય પોતાના સુખને કે પોતાના કુટુંબના સુખને કેન્દ્રમાં રાખે અને બુદ્ધિનો તેમાં ઉપયોગ કરે ત્યાં દંભ ઉભો થાય છે. જ્યારે મુડીવાદમાં અને સમાજવાદમાં દંભનું મિશ્રણ થાય ત્યારે તે પોતાનું સૈધાન્તિક પોત ગુમાવે છે. એવું જ થયું છે.

મુડીવાદે અને સમાજવાદે (સામ્યવાદે) માણસોને અળગા, સંવાદહીન અને કંઈક અંશે સંવેદનહીન  કર્યા.

સામ્યવાદ સંવાદહીનતાને કારણે અપારદર્શક બન્યો અને લગભગ નષ્ટ થયો.

મૂડીવાદી સમાજ અસ્થિરતામાં ફસાયેલો રહે છે. એટલે કે મંદીના મોજાંઓ આવ્યા કરે અને માણસો, આર્થિક અને માનસિક યાતનાઓના ભોગ બનતા રહે. આ મંદીઓ અક્ષમ્ય છે. જે દેશપાસે, અતિવિદ્વાન એવા અર્થશાસ્ત્રીઓ હોય, હિસાબો ત્રણ ત્રણ મહિને ચકાસાતા હોય, ચાલુ નિયમોને અવારનવાર સમજણ પૂર્વક અને પરિણામી અસરોને અનુલક્ષીને મઠારવવામાં આવતા હોય, આવી જ્યાં વ્યવસ્થાઓ હોય, ત્યાં રાતોરાત મંદી આવી જય અને હજારો લાખો લોકો યાતનાઓમાં ડૂબી જાય, અને આવું થયા પછી પણ કોઈની જવાબદારી પણ નક્કી ન થઈ શકે અને કોઈને કશો દંડ પણ ન થઈ શકે, તે મૂડીવાદને કેવીરીતે યોગ્ય ગણાવી શકાય? આમાં વ્યાપક રીતે અપારદર્શિતા તો છે જ, અને દંભ પણ છે.

ક્ષતિ ક્યાં છે?

ખાટલે મોટી ખોડ એ છે કે સમાજને કેન્દ્રમાં રખાયો તો નથી જ. પણ ગણીગાંઠી વ્યક્તિઓએ તત્કાલિન સત્તા અને સુખાકારી માટે દંભ આચર્યો અને અપારદર્શિતા રાખી અને અથવા જનતાને ગુમરાહ કરી. ખેરખાંઓ એ જાહેર કર્યું કે અવારનવાર મંદીઓ તો આવ્યાજ કરશે. આ તો મુડીવાદનું લક્ષણ છે. ઈતિ સિદ્ધમ્‌ તથા પૂર્ણમ્‌.

નફાનું ધોરણ શું અને શ્રમનું મૂલ્ય શું?

નફાનું ધોરણ મનસ્વી. શ્રમનું મૂલ્ય પણ લગભગ મનસ્વી.

શા માટે આ બધું મનસ્વી રીતે છે?

ઉત્પાદનમાં કોઈ સીમા રાખી નથી અને જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. તેથી સ્પર્ધા થશે અને નફા ઉપર આપોઆપ અંકૂશ આવશે. શ્રમના મૂલ્ય નક્કી કરવામાં પણ આવું જ થશે. શ્રમજીવીઓ પોતાનું સંગઠન કરશે અને માલિક ઉપર દબાણ લાવી શ્રમનું મૂલ્ય વધારશે.

શ્રમ એક એવી વપરાશની વસ્તુ બનશે. તેનો કામચલાઉ રીતે અભાવ ઉત્પન્ન કરવામાં આવે તો માલિક તેના પ્રતિસ્પર્ધિઓ સામે ટકી ન શકે. આમ માલિક અને શ્રમજીવી (બુદ્ધિ જીવી સહિત) સૌ કોઈ વપરાશની વસ્તુ તરીકે પોતાનું મૂલ્ય નક્કી કરાવશે. માલિક પણ એક ખરીદનાર તરીકે તે વસ્તુના બજારી જત્થાના વેચનારની/વેચાનારની ગરજના  વ્યસ્ત પ્રમાણમાં અને પોતાની જરુરીયાતના સમપ્રમાણના આધારે તેનું મૂલ્ય નક્કી કરશે. આ પ્રક્રિયામાં કુદરતી અને માનવીય મૂલ્યોનો નાશ થશે. છતાં બધું કાયદેસર ગણાશે.

દા.ત.

સરકારી નોકરોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ જવાબદારીઓ દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી. આ સેવાઓની સામે તેમના કામના નક્કી કરાયેલા શ્રમના મૂલ્ય પ્રમાણે તેમને વેતન મળે છે. જ્યારે આ નોકરો સેવા બજાવતા હતા ત્યારે તેમને અન્ય બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ ન હતી. આ સરકારી નોકરોને વૃદ્ધાવસ્થા આવે અને શારીરિક રીતે (માનસિક રીતે અશક્ત થાય) તે માટે એક વય નક્કી કરવામાં આવી અને તે સમયે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું.

WHO IS DRIVING THE TRAIN

આ સરકારી નોકરોના કામ ઉપર નીગરાની રાખવા અને તેમને કામદ્વારા થતી ધ્યેય પ્રાપ્તિમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોઠવવામાં આવ્યા. આ પ્રતિનિધિઓ કહે અમને પણ વેતન જોઇએ. તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે મંત્રી મંડળ સિવાય કોઈપણ પ્રતિનિધિની કોઈ જવાબદારી ન હતી. તેટલું જ નહીં પણ તેમને પોતાના બીજા એક કે અનેક વ્યવસાય કરવાની છૂટ પણ હતી. તો પણ તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમની મૂદત પાંચ વર્ષ ની હતી. પાંચ વર્ષ પછી જો તેઓ ફરીથી ચૂંટાઈને ન આવે તો પણ તેમને પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ જો વિધાન સભા કે સંસદ, મૂદત પહેલાં બરખાસ્ત થાય તો પણ તેમને તેટલું જ પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ ખમતીધર હોવાં છતાં તેમને ભત્થાં, રહેણાંક, સુરક્ષા અને અત્યંત ઓછા ભાવે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સમાજ સેવા માટે કઈ પદ્ધતિ સારી એ વાત ઉપર ખૂરસીઓ અને માઈર્કોફોન અને પેપરો, પેપરવેટ ફેંકીને પોતે પોતાના સૈધાંતિક વિરોધમાં કેટલા પ્રબળ છે તે દર્શાવતા આ પ્રતિનિધિઓ વેતન, પેન્શન અને સગવડો માટે હાથ મિલાવતા થયા.

જો પોતાની સુખસગવડોને વધારવા માટે ભૌતિક રીતે લડનારા આ પ્રતિનિધિઓ જેમના હલન ચલન અને વ્યવહારો પારદર્શક બનાવવામાં આવ્યા છે તેઓ પણ જો સંપીને કામ કરતા હોય તો ઉત્પાદન અને વહેંચણીના માલિકો કેમ સંપી ન શકે? તેઓ પણ સંપી જ જાય છે. જો ક્ષેત્ર વિશાળ બને તો સંપી જવાની શક્યતાઓ ઘટે. જો સંવાદના ઉપકરણો વધે તો વળી સંપીને નફો રળવાની શક્યતાઓ વધે.

જો દરેક જગ્યાએ પારદર્શિતાને લાવવામાં આવે તો જનતાને ખબર પડે કે પોતે ક્યાં છેતરાય છે. પણ જેમ દરેક વ્યક્તિને પોતાની અમુક બાબતો ખાનગી રાખવાનો હક્ક હોય છે. તેમ સંસ્થાઓને પણ આવા હક્ક આપવામાં આવ્યા હોય છે.

ટૂંકમાં સમાજનું મુખ્ય લક્ષણ સંવાદ છે અને આનંદ તેનું ધ્યેય છે. પણ સમાજનું પોત એવું બને છે કે ત્યાં સંવાદની વ્યાપકતામાં ખામી ઉત્પન્ન થાય છે. સુખના પ્રમાણમાં દુઃખ વધુ ઉત્પન્ન થાય છે.

સંવાદ માટે હાનિકારક શું છે?

સુખ સગવડોના ભોગવટામાં અસાધારણ અસમાનતા, મનુષ્યમાં અસંતોષની લાગણી ઉત્પન્ન કરેછે. અસંતોષ દુઃખ દાયક હોય છે. આ અસમાનતા મનુષ્યને એકલો પાડી દે છે. તેને વિસંવાદ અને અસંવાદની સ્થિતિ ઉપર લાવી મુકે છે. આથી મનુષ્યમાં રહેલી સહકાર અને સહયોગની ભાવનાને અપાર ક્ષતિ પહોંચે છે. એટલે થાય છે એવું કે જેઓ સમાન સગવડો ભોગવે છે તેઓ સંવાદ અને સહયોગ કરી શકે છે પણ અસમાન જુથો વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ થાય તો સહયોગ તો થાય જ કેવી રીતે?

WHO WERE INSIDE CONFIDENTIAL

જો સમાજના પોતમાં સંવાદ, સહકાર, સહયોગ ક્ષતિયુક્ત હોય તો કામનું યોગ્ય મૂલ્ય રોગિષ્ટ થાય છે.

આવી પરિસ્થિતિમાં સમાજનું શું થશે?

અંતે તો વ્યક્તિની સુખાકારી સમાજની તંદુરસ્તી ઉપર જ અવલંબે છે. જો સમાજ જ તંદુરસ્ત ન હોય તો તે નષ્ટ જ થાય. જેમ વ્યક્તિનું થાય તેવું જ સમાજનું થાય. જો તમે વ્યક્તિના હક્ક માન્ય રાખો, સંસ્થાના હક્કો માન્ય રાખો તો સમાજના હક્કો પણ માન્ય રાખવા જ જોઇએ.

કુદરતે શું નક્કી કર્યું છે?

કુદરત પણ એક વ્યક્તિ છે. તે એક વૈશ્વિક સમાજ છે. આનું બંધારણ અલગ જ છે. આના ઘટકોમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, પાણી, પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશ ગંગા અને ખુદ બ્રહ્માણ્ડ અને અનંત કોટિ બ્રહ્માણ્ડોના સમૂહયુક્ત મહાબ્રહ્માણ્ડ ખુદ છે. આ અનંત કોટિ બ્રહ્માણ્ડો જેનું શરીર છે તે વિશ્વમૂર્તિ શિવ પાસે પારવિનાની શક્યતાઓ પડેલી છે. તેને એક રજકણના પણ અતિસુક્ષ્મ કદની પૃથ્વી ઉપરના થોડા હજાર વર્ષ જુના માનવ સમાજની ખાસ પડી ન પણ હોય. તેણે તો નિયમો બનાવીને માનવજાતને તેમના કર્મના ભરોસે છોડી દીધી. માનવજાતને બુદ્ધિ આપી કે જેથી તે પોતાની સામુહિક બુદ્ધિ દ્વારા પોતાની સમસ્યાઓ દૂર કરી  સુખપ્રાપ્તિ કરી શકે છે.

સમાજ તેના કર્મોને આધારે શેરબજારની જેમ વાંકો ચૂકો પડી આખડી આગળ વધે પણ ખરો અને નષ્ટ પણ થાય. જો જણનારીમાં જોર ન હોય તો ઈશ્વર બિચારો શું કરે?

જો આપણે સમસ્યાઓ જ વર્ણવીએ અને તેના જ રોદણાં જ રોઈએ તો એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય.                 

મહાત્મા ગાંધીએ સમન્વયનો રસ્તો બતાવ્યો. છે. સ્વમાં અને સંસ્થામાં અને સરકારમાં પારદર્શિતા લાવો. શ્રમનું મૂલ્ય નિશ્ચિત કરો. જે સગવડો બધા ન ભોગવી શકે તે ઉપર અંકુશ લાવો. તમે જે કંઈ પ્રપ્ત કર્યું તેના ઉપર સમાજનો પણ અધિકાર છે. માટે તમે તેના ટ્રસ્ટી બનો. આ ટ્રસ્ટીશીપને તમે તમારી ઓળખ માનો. તેજ તમારું ફળ છે. આ વાતે તમે સંતુષ્ટ બનો.

ત્યક્તેન ભૂંજીથાઃ

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “તેન ત્યક્તેન ભૂંજીથાઃ”  તેથી કરીને એટલે કે ત્યાગીને ભોગવો. ત્યાગ થકી જે આનંદ પ્રાપ્ત થાય તે આનંદને ભોગવો. ભોગવી તો જુઓ. જો તમે આવા આનંદને ભોગવશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે આવેલો આનંદ કેટલો બધો આનંદ દાયક હોય છે. રવિશંકર મહારાજે તો તે હદ સુધી કહ્યું કે તમે ઘસાઈને ઉજળા બનો. બીજાને ઉપયોગી થાઓ.

તો આ બધા માટે કેવી પ્રણાલી કઈ રીતે ગોઠવવી? (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જાહોજલાલી, વિરામ, પૂર્ણ વિરામ, સમસ્યા, કુટુંબ, એકમ, ગામ, દેશ, સમાજ, સામાજીક, ઉત્પાદન, વહેંચણી, સુખ સગવડ, ખેતી, ઓજારો, વર્ગ, શિક્ષક, ન્યાય, નેતા, રાજા, સૈનિકો, સહકાર, સહયોગ, સંવાદ, આનંદ, વિકાસ, કેન્દ્ર, મનુષ્ય, બુદ્ધિ, પોત, દંભ, મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, મંદી, પારદર્શિતા

Read Full Post »

આ પ્લેન્ક કોન્સ્ટન્ટ શું છે?

ઉર્જા = (પ્લેન્ક કોન્સ્ટન્ટ)(કંપનની આવૃત્તિ)

E = hv

આ (એચ) એક અચળ છે. અને ક્વાન્ટમ થીએરી અને ક્વાન્ટમ ગણિતશાસ્ત્રમાં મૂળભૂત ભાગ ભજવે છે.

ક્વાન્ટમ એટલે નાનામાં નાનું. નાનામાં નાનું એટલે શું? નાનામાં નાનું એટલે જેનાથી નાનું કશું ન હોઈ શકે તેવું, પણ શૂન્ય નહીં.

જો નાનામાં નાની ઉર્જાને એકમ ગણીએ તો તો ક્વોન્ટમ થીયેરી પ્રમાણે તેનાથી નાની ઉર્જા ન હોઈ શકે. આપણા શસ્ત્રમાં એક માન્યતા વારંવાર ઉચ્ચારવામાં આવી છે. તે એ છે કે “જે પિણ્ડે તે બ્રહ્માણ્ડે.

શું મહત્વનું છે? “કેવીરીતે થાય છે તે?” કે “શામાટે થાય છે તે?

ભૌતિક શાસ્ત્રીઓ અને ભારતીય તત્વશાસ્ત્રીઓ નો હેતુ શો હતો અને છે? મનુષ્ય રુપી સજીવ સમુહનું ધ્યેય શું છે? જીવ માત્રનું ધ્યેય શું છે? વિશ્વનું ધ્યેય શું છે?

મનુષ્ય એક જ એવું પ્રાણી છે જે બ્રહ્માણ્ડ વિષે વિચાર કરે છે અને તેને સમજવા માગે છે. ભૌતિક શાસ્ત્રીઓ બ્રહ્માણ્ડ કેવી રીતે વર્તે તે સમજવા પ્રયત્નો કરેછે. ભારતીય તત્વજ્ઞો બ્રહ્માણ્ડ શું કામ અથવા કયા કારણ થી આમ વર્તે છે એ વાત જાણવાનો પ્રયત્ન કરે છે.

વૈજ્ઞાનિકો સમજાવી શકે છે કે મહાવિસ્ફોટ પછી બ્રહ્માણ્ડ કેવી રીતે વિસ્તર્યું, કેવીરીતે આકાશ ગંગાઓ, નિહારિકાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો વિગેરે બન્યા. કેવી રીતે અમૂક ગ્રહો ઉપર જીવન પાંગર્યું હશે.

દાખલા તરીકે, મીથેન, એમોનીયા, જેવા ગેસ પૃથ્વિ ઉપર હશે અને તેમાં સ્પાર્ક કરવાથી (વીજળી પડવાથી) હાઈડ્રોકાર્બના જટીલ અણુઓ બન્યા હશે. સમય જતાં પ્રાથમિક કક્ષાના પ્રોટીન એમીનો એસીડના અણુઓ અને સેન્દ્રીય અણુઓ બન્યા હશે. અને એ રીતે સમય મળતાં પ્રાથમિક જીવન પાંગર્યું અને તેનું કુદરતી પસંદગી અને શક્યતાના સિદ્ધાંત પ્રમાણે ઉત્ક્રાંતિ થઈ.

ભારતીય તત્વ વેત્તાઓ અને હવે ભૌતિકશાસ્ત્રીઓ પણ આ વિષે વિચાર કરે છે કે આ બધું શા માટે થાય છે?

ભારતીય તત્વજ્ઞાનીઓ માને છે કે આ જે કંઈ થાય છે તે સુખ માટે થાય છે, આનંદ માટે થાય છે.

સુખ એટલે શું?

શરીરને સારું લાગે તે સુખ.  શરીરને ક્યારે સારું લાગે? જ્યારે શરીરને વિઘટનમાટે ની પરિસ્થિતિની અનુભૂતિનો ભય ન હોય ત્યારે. એટલે કે શરીરમાં કશી ત્રુટી

ન હોય. શરીર નું સુખ અને એક જાતનો આનંદ છે. જેમ શરીરની અનૂભૂતિ વિશાળમાત્રામાં થાય તેમ સુખની અનૂભૂતિ વધુ થાય. અને આ અનુભૂતિ ઇન્દ્રીયો થકી થાય છે. જ્ઞાન તંતુઓ તે અનુભૂતિઓને પહોંચતી કરે છે. જ્યારે લોકલ અનેસ્થેસીયા આપવામાં આવે ત્યારે શરીરના તે વિસ્તારની અનુભૂતિ કપાઈ જાય છે. જો ફક્ત મસ્તિષ્કને જ સક્રીય રાખવામાં આવે અને આખા શરીરના જુદા જુદા વિસ્તારોને લોકલ એનેસ્થેસીયા આપવામાં આવે તો આપણું શારીરિક સુખ કમી થઈ જાય છે અને આપણને આપણી જાત ક્ષીણ થયેલી લાગે છે.

આનંદ એટલે શું?

શરીરને સારુ લાગે એ શરીરનો આનંદ. અને મગજને સારું લાગે એ મગજનો આનંદ. મગજ એ શરીરનો એક ભાગ છે. અને અંતે તો મનને જ આનંદ થવાનો હોય છે. મન એ આપણી અનુભૂતિ છે જે મગજ અને શરીરના આનંદનો સમન્વય છે.

સરવાળે મનુષ્ય (સજીવો)ની વૃત્તિ આનંદ પ્રાપ્ત કરવાની હોય છે.

વિદ્યા અને અવિદ્યા.  સાચો અને શ્રેય આનંદ કયો?

જે બીજાને નુકશાન ન કરે તે શ્રેય આનંદ છે. એટલે સમાજ શોષણવિહીન હોવો જોઇએ.

બીજો આનંદ જ્ઞાનનો આનંદ હોય છે.

તર્ક વગર જ્ઞાન ન મળે. અને તર્ક વગર સમાજ વ્યવસ્થા શોષણવિહીન ન બની શકે.

તર્કનું પણ એક શાસ્ત્ર હોય છે.

એટલે જ્ઞાનની વૃદ્ધિ સમાજ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર બંનેમાં કરવી જોઇએ.

સમાજ શાસ્ત્ર એટલે કે શોષણ વિહીન સમાજ ના નિયમો માં મહાત્મા ગાંધીના સર્વોદય સમાજની વાતો શ્રેષ્ઠ છે.

મહાત્મા ગાંધીના સર્વોદય સમાજને સમજવામાં મૂર્ધન્ય મનુષ્યોમાંના મોટા ભાગના ગોથાં ખાય છે. સ્થાપિત હિતોનું પરિબળ, અહંકાર અને સામાજીક પ્રણાલીઓ પ્રત્યેનું જડ વલણ મનુષ્યને શોષણ હીન સમાજ બનાવવામાં આડખીલી રુપ બને છે. તે એક અલગ જ વિષય છે.

મનુષ્ય, એ જગતનું અંતીમ વિકસિત સર્જન છે. મનુષ્ય બે દિશાઓમાં વિકાસ કરે છે. મનુષ્ય સગવડ અને સુવાધાઓ વધારવામાં વિકાસ કરેછે. મનુષ્ય એક માત્ર એવો જીવ છે જે વિશ્વ કેવીરીતે વર્તે છે તે વિષે જ્ઞાન મેળવા મથેછે. તે દિશામાં જ્ઞાનને વિકાસવા માટે મથે છે. એટલે કે વિજ્ઞાનનો વિકાસ કરે છે. બંનેના વિકાસમાં ટેક્નોલોજીની જરુર પડે છે. ભારતીય તત્વવેત્તાઓ (શારીરિક) સુખ સગવડની ટેક્નોલોજીને અવિદ્યા કહે છે. અને વિજ્ઞાનની ટેક્નોલોજીને વિદ્યા છે.

સુખ સગવડની અવિદ્યા એ અનિત્ય છે. એટલે કે અધૃવં છે. કારણ કે કોઈ એક ટેક્નોલોજીના એક રુપ (વર્સન) હોય અને તે પછી તેની ઉપર તેની પછીનું રુપ આવે એટલે પહેલું રુપ ભંગારમાં જાય છે. જેમકે મોબાઈલ ટેલીફોનનું એક રુપ પછી નવી સુવિધાઓ વાળો મોબાઈલ ટેલીફોન આવે એટલે જુનો ટેલીફોન જે કરોડોની સંખ્યામાં હોય તો પણ તે ભંગારમાં જાય. પણ આજ ઉપકરણો જ્યારે વિજ્ઞાનમાં વપરાતા હોય ત્યારે તેની સંખ્યા કરોડોને બદલે હજારોમાં હોય અને તે વિદ્યાર્થીઓને વિકાસના એક પગથીયાની સમજણ માટે કામ લાગે. એટલે તે જુનો  ટેલીફોન નષ્ટ થતો નથી.

એટલે ભારતીય તત્વ વેત્તાઓ એમ કહે છે કે  જેઓ ધૃવ વિદ્યાને છોડીને અધૃવ એવી અવિદ્યાની પ્રત્યે આસક્તિ રાખે છે તેઓ એ ધૃવને સ્વિકાર્યું જ નથી તેથી તે તો તેમને માટે નષ્ટ થયેલું જ છે અને જે અધૃવ છે તે તો વહેલું મોડું નષ્ટ થવાનું જ છે માટે તેને નાશ પામેલું જ ગણો.

જો તમે ટેક્નોલોજીનો (વિદ્યાનો) ત્યાગ કરો તો વિજ્ઞાનનો વિકાસ ન થઈ શકે. કારણ કે જાતજાતના ઉપકરણો ટેક્નોલોજી દ્વારા જ મળે. ગણિત શાસ્ત્રની ગણત્રીઓ પણ ઉપકરણોથી થાય છે. અને સંશોધનો પણ ઉપકરણોથી થાય છે.

મહાત્મા ગાંધીજી કહે છે, ટેક્નોલોજીને માનવીય બનાવો. માણસ ટેક્નોલોજીનો ગુલામ ન થવો જોઇએ. ટેક્નોલોજી માણસને માણસથી વિમુખ ન કરે. ટેક્નોલોજી માણસોમાં ભેદભાવ ઉભા ન કરે. ટેક્નોલોજી માનવ સમાજમાં વિસંવાદ અને ઘર્ષણો ઉભા ન કરે. ટેક્નોલોજી માણસમાં એવી અસમાનતા ઉભી ન કરે કે  જેથી માણસ માણસ વચ્ચે અસંવાદ, ઈર્ષા, અસંતોષ અને અન્યાયની ભાવના ઉત્પન્ન થાય.

આપણા હાથની પાંચે આંગળી સાવ સરખી નથી. તેઓ વચ્ચે વિસંવાદ નથી. તેઓ ભેગા મળીને કામ કરી શકે છે અને અલગ અલગ પણ જુદા જુદા કામો કરે છે. મનુષ્ય સામાજીક પ્રાણી છે અને તેથી દરેક મનુષ્ય સમાજની એક આંગળી છે કે અંગ છે. સમાજશાસ્ત્રમાં થી જ્યારે અહંકાર, રાક્ષસી વૃત્તિ અને કહેવાતી “સ્વ”ની સ્વતંત્રતા ની ઉપર ભૌતિકશાસ્ત્રની પરિભાષા હામી થશે, ત્યારે સર્વોદયનીવાત સમજાશે અને અમલમાં મુકાશે.

કેટલાક સમાજશાસ્ત્રીઓ કહે છે કે જે સમાજ સ્થિર હોય છે અને પરિવર્તન કરતો નથી તે સમાજ નષ્ટ પામે છે. આ લોકોની તારવણી એ છે કે જો સમાજ એકધારી સુવિધાઓથી જીવે તો તે નષ્ટ પામે છે. આ તારવણી ખોટી છે. મૂળ સિદ્ધાંત સામે ધારોકે વાંધો ન લઈએ, તો પણ સમાજમાં રહેલું જ્ઞાન, વૈજ્ઞાનિક આવિષ્કારોને લીધે સતત વૃદ્ધિશીલ હોય છે. તેથી સમાજ ને સ્થિર કહી શકાશે નહીં. વળી ટેક્નોલોજીનો સમાજ માટેનો ઉપયોગ સાર્વત્રિક રખાશે જેથી અસમાનતા, શોષણ, અસંતોષ, અન્યાય, વિસંવાદ વિગેરે જેવા દુષણો ઉત્પન્ન ન થાય.

ઈશ્વર શું છે? ઈશ્વરનો હેતુ શો છે?

ઈશ્વર એ વિશ્વ છે. જે સજીવ છે. પણ આપણું વિશ્વ એ એક માત્ર વિશ્વ નથી. આપણું વિશ્વ પ્લેંકના અચળની કોઈ એક મુલ્ય વડે બનેલું છે. તેના આધારે મૂળભૂત કણો, પરમાણુઓ, અણુઓ, આકાશ ગંગાઓ, નિહારિકાઓ, સૂર્યો, પૃથ્વીઓ, વિગેરેની રચનાઓ આપણે જે જોઇએ છે તેવી થઈ છે. આપણા સૂર્યમંડળમાં આપણી પૃથ્વીના વિશિષ્ઠ સ્થાનને કારણે આવું સંકીર્ણ જીવન પાંગરી શક્યું છે. પણ આપણે જાણતા નથી કે સંકીર્ણ જીવન આવી જ સ્થિતિમાં થઈ શકે છે કે બીજી પણ કોઈ એક નિશ્ચિત સ્થિતિમાં પણ થાય?

પ્લેંકના આ અચળની કિંમત શૂન્યથી અનંત હોઈ શકે. તેને અનુરુપ બીજા અનેક વિશ્વો હોઈ શકે. આપણા જેવા પણ અનેક વિશ્વો હોઈ શકે. આ બધા વિશ્વોનો સમૂહ એટલે ઈશ્વર. ક્યાં ક ને ક્યાંક તે પોતાના સુવિકસિત વિશ્વો થકી સર્વજ્ઞ છે. તે સર્વ શક્તિમાન નથી. આપણા ભારતીય તત્વવેત્તાઓ પણ આજ વાત કહે છે. પ્રતિકાત્મક વાતો આવે છે કે કોઈ એક રાક્ષસ તપ-યોગ કરે અને ઈશ્વર પ્રસન્ન થાય. વરદાન માગવાનું કહે. અને રાક્ષસ કહે “હું કોઇ થી મરું નહીં”. ત્યારે ઈશ્વર એમ કહે કે “ના એ શક્ય નથી”. હવે જો ઈશ્વર સર્વ શક્તિમાન હોય તો આવું શું કામ કહે?

મનુષ્ય ને સર્વજ્ઞ થતાં કેટલી વાર લાગશે? મનુષ્ય સમાજ ની ઉત્પત્તિ જો ત્રણ લાખ વર્ષ પહેલાં થઈ એમ ગણીએ, અને જે અવશેષો મળ્યા છે તે ના આધારે વિકાસ ગણીએ અને વિકાસનો વેગ અને પ્રવેગ અને પ્રપ્રવેગ ગણીએ તો સર્વજ્ઞ થવામાં હજી બીજા ૨૦લાખ વર્ષ થશે. આ દરમ્યાન કોઈ ભારત પાકિસ્તાનમાં હતા, છે અને કદાચ થાય તેવા શાસકો ન આવે અને “સ્વ” ના વિકાસને બદલે સમાજનો વિકાસ માનવીયતાના સંદર્ભમાં કરશે તો જ આ આગાહી સાચી પડે. આ આગાહી “મીશીઓ કાકુ”એ કરી છે. આ સર્વજ્ઞતા પણ આપણા પ્લેન્કના અચળનું જે મૂલ્ય છે તે જ મૂલ્યવાળા વિશ્વો પૂરતી જ લાગુ પડશે. આ અચળના બીજા મૂલ્યો વાળા વિશ્વોને આપણે ક્યારેય પામી શકીશું નહીં. કદાચ ગણિતના સૂત્રો દ્વારા સમજી શકીએ. જે ઇશ્વર છે તે સર્વ વિશ્વોનો સમૂહ છે એટલે કે અતિબૃહદ બ્રહ્માણ્ડ છે, તેને તો ક્યારેય આ શરીરથી સમજી શકીશું નહીં કે પામી શકીશું નહીં. એટલે જ કદાચ પુષ્પદંતે શિવ મહિમ્ન સ્ત્રોત્રમાં કહ્યું છે કે જો જ્ઞાનની દેવી સરસ્વતી પણ જો સદાકાળ માટે તારા મહિમા વિષે લખ્યા કરે તો પણ તે તેને પાર ન પામી શકે (લિખતિ યદિ ગૃહિત્વા શારદા સર્વકાલં, તદપિ તવ ગુણાનાં ઈશ પારં ન યાતિ).  

સામાજીક વિકાસ કોને કહેવો?

મનુષ્યની અંદર રહેલું જ્ઞાન તેના શરીર સાથે નષ્ટ થાય છે. તે તેના વંશજોમાં ઉતરતું નથી. પણ સમાજ પણ એક એવો જીવ છે જે તેનામાં રહેલા જ્ઞાનને જીવતું રાખે છે. અને આરીતે સામાજના જ્ઞાનનો વિકાસ થાય છે. સંવેદન શીલતાની સમજ અને તેમાં થતી વૃદ્ધિ એ સમાજનો માનસિક વિકાસ સૂચવે છે.

મનુષ્ય સમાજનો વિકાસ પડતો આખડતો એટલે કે શેરબજારના શેરના ભાવોની જેમ વધે છે. કોઈ કંપની ગોટાળા કરે અને તેનું ઉઠમણું થઈ જાય તેમ કોઈ પૃથ્વીનો વિકસિત સમાજ વૈશ્વિક મૂલ્યોને સમજે નહીં તો તેનો વિનાશ પણ થાય. પણ ઈશ્વરને તેની કોઈ ચિંતા નથી. કારણ કે શક્યતાના સિદ્ધાંત પ્રમાણે બધા જ સુવિકસિત સમાજમાં રાક્ષસી તત્વો બધી જ પૃથ્વીઓ ઉપર હામી ન થઈ શકે.

જો ઈશ્વરને સુવિકસિત સમાજના ભલાની પડી નહોય એટલે કે આ ઈશ્વર નિર્ગુણ હોય, સુખ દુઃખથી રહિત હોય, તો બધા તેને દયાળુ અને કલ્યાણકારી કેમ કહે છે?

આ ઈશ્વરે ૧૧+૧૧+૪=૨૬ પરિમાણો આયામો સર્જ્યા, પરમ તત્વ સર્જ્યું, તેના ગુણ, બળ, પરિબળો વિગેરે નિપજાવ્યાં. પછી તેમના ભરોસે છોડી દીધા જેથી શક્યતાના સિદ્ધાંતે અને યોગ્યતાના આધારે વિકસિત સમાજ/જો બન્યા કે જેઓ પોતાનું ભલું બુરું સમજી શકે. તેઓ સુવિકસિત થઈ શકે. જેઓ વૈશ્વિક સંવેદનાને સમજે તો અતિવિકસિત થઈને પરમવિકસિત થઈ શકે. મનુષ્ય સમાજ કાળક્રમે જ્ઞાન દ્વારા વધુને વધુ આનંદ તરફ જઈ શકે. જો માણસ સ્વહિત વિષે જ વિચારે તો તે રાક્ષસી વૃત્તિ કહેવાય. રાક્ષસી વૃત્તિઅનો અભાવ એજ કલ્યાણ કારી છે. મનુષ્ય સમાજ માટે આજ વાત કલ્યાણ કારી છે તેમ દરેક મનુષ્યે સમજવું જોઇએ.

શું ઈશ્વર ભોળો છે?

ઈશ્વરે કર્મફળ સર્જ્યા છે. તે દરેકને વ્યક્તિગત કૃત્ય/કૃત્યો અને સામૂહિક કૃત્ય/કૃત્યો અસર/અસરોના પરિણામ તરીકે ભોગવા પડે છે. વ્યક્તિગત કૃત્યો માટે આનો સ્વિકાર સમાજ (સરકાર) દ્વારા પણ થયો છે. એટલે જ બંધારણ અને કાયદાઓ ઘડાયા, સજાઓ નક્કી થઈ અને વ્યવસ્થાઓ ગોઠવાઈ. અગ્નિ, અગ્નિનું કામ કરશે. વર્ષા, વરસવાનું કામ કરશે. રાક્ષસ જો અગ્નિ પર પોતાની ચા કરશે, તો તે ચા પણ બનશે. સમાજે જંગલ બનાવ્યું હશે તો ત્યાં વધુ વરસાદ પડશે, વચ્ચે ક્યાંક રાક્ષસનું ઘર હશે તો ત્યાં પણ વરસાદ પડશે. જે વિદ્યાનો નો અભ્યાસ કરશે તે વિદ્યાવાન થશે. ઈશ્વર ભેદ કરશે નહીં. ઈશ્વર કહે છે કે હું તો આવો છું. તમારે મને ભોળો ગણવો હોય તો ગણો. તમારે મને જેવો ગણવો હોય તેવો ગણો. તમારે મને પૂજવો હોય તો પૂજો. તમારે મને ન પૂજવો હોય તો ન પૂજો. મને કોઈ ફેર પડતો નથી. હું તમને પણ એ બાબત થકી કોઈ ફેર પાડીશ નહીં. તમારા કર્મોના ફળો  તો મારા નિયમોને આધિન રહેશે.

શિવ (રુદ્ર) એ સ્વયં મહેશ છે છતાં ભિક્ષાટન કરે છે. એવી કલ્પના શા માટે છે?

જુના જમાનામાં અગ્નિને દરેક ઘરમાં પ્રજ્વલિત રાખવામાં આવતો હતો. અગ્નિને તુષ્ટ કરવા ઘી કે કાષ્ટ આપવા પડે. એટલે એવી કવિકલ્પના થઈ કે ઈશ્વર ભિક્ષાટન કરે છે. યજ્ઞના અગ્નિને (રુદ્રને) શાંત કરવા પાણીનો અભિષેક કરવામાં આવે છે. શિવ લિંગ એ જ્યોતિર્‌ લિંગ છે. અને તેના ઉપર જળાભિષેક કરવો એવી પ્રણાલી સ્થાપિત થઈ. પણ ગૃહ્યાગ્નિને તો ઘી જ અપાય. જે અગ્નિનું આહવાન થયું છે તેને ખાદ્ય પ્રવાહીઓ અપાય. પણ અંતે તેની વિદાય વખતે પાણીથી શાંત કરવાનો હોય છે.

શિવે દક્ષપ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કર્યો તે શું છે?

વેદોના સમયમાં પ્રાકૃતિક શક્તિઓને આહુતિ આપવામાં આવતી. દરેક પ્રાકૃતિક શક્તિની પાછળ એક દેવ સમજવામાં આવતો, તે અદૃષ્ટ રહેતો. દૃષ્ટ અને અદૃષ્ટ વચ્ચેનો આ વિસંવાદ હતો. જેમકે કૃષ્ણે કહ્યું “ગોવર્ધન તો દેખાય છે, ઈન્દ્ર તો દેખાતો નથી. ઈન્દ્રને શા માટે પૂજવો? ગોવર્ધનને પૂજો.” દક્ષ પ્રજાપતિની વાત કૃષ્ણથી ઉંધી હતી. કે કદાચ અગ્નિ પૂજકો અને સૂર્ય પૂજકો વચ્ચેનો એક રાજાનો ભ્રમ હતો એવું લાગે છે.  

પૂર્વ જન્મ અને પુનર્જન્મ શું છે?

વેદોમાં પૂર્વ જન્મ અને પુનર્જન્મ વિષે કશું લખ્યું નથી. પણ ગીતામાં આ સ્વિકારાયું છે. પણ આત્મા તો નિર્વિકારી છે. દરેક પદાર્થ પ્રાણ તત્વનો બનેલો છે. કહેવાતા સજીવો કેવીરીતે ઉત્પન્ન થાય છે તે આપણે જોયું. શંકરાચાર્ય કહે છે, મૃતદેહ બળી જાય છે. પ્રાણ આકાશમાં જાય. વૃષ્ટિ થાય અને તે વૃષ્ટિ મારફતે વનસ્પતિમાં જાય અને અન્ન રુપે વિર્યમાં જાય અને પુનર્જન્મ થાય. પણ આ વાત માં શક્યતા તો સિદ્ધાંત લાગુ પડે છે. અને શક્યતા શૂન્ય બરાબર છે. કારણકે વરસાદના બિન્દુંમાં અગણિત અણુઓ છે અને તેમાં કોઈ એક અણુમાં મૃતમનુષ્યનું બ્રહ્મરંધ્રનું કણ હોય. આ કણ વનસ્પતિમાં જાય અને ન પણ જાય. ધારો કે તે વનસ્પતિમાં ગયું તો તે વનસ્પતિ ખાદ્ય હોય અને ન પણ હોય. હવે આ કણ વનસ્પતિના કોઈ પણ હિસ્સામાં જાય અને ન પણ જાય. ધારોકે તે કણ બીજમાં ગયું તો પછી તેને કોઈ પણ ખાય. માણસના ભાગે આવે કે ન પણ આવે. ધારોકે તે માણસના ભાગે આવ્યું તો તે વિર્યમાં જાય અને ન પણ જાય. ધારો કે તે વિર્યમાં ગયું તો તેવા તો દરેક ટીપામાં દશ લાખ શુક્રાણુઓ હોય છે. તેનો નંબર ન પણ લાગે. એટલે કે પુનર્જન્મની વાત શૂન્ય બરાબર જ ગણાય. પૂર્વ જન્મ વિષે પણ તેવું જ સમજવું. પૂર્વ જન્મ અને પુનર્જન્મ એક હકારાત્મક અભિગમ કે વીશફુલ વિચાર તરીકે રાખવામાં આવ્યો હશે. તર્કથી તે સિદ્ધ કરી શકાતો નથી.

ભૂત પ્રેત શું હોય છે?

ભૂત એટલે મૃતાત્મા જેવું કશું હોતું નથી. આત્મા અમર છે અને તે મૂળભૂત રીતે તો પ્રાથમિક રીતે એક સુપરસ્ટ્રીંગ છે. જે સમુહમાં એક પરમાણુ, અણુ, સંકીર્ણ અણુમાં હોય છે. શરીરનું વિઘટન થઈ ગયા પછી તે ઉપરોક્ત માંથી કયા સ્વરુપમાં હશે, તે કહી શકાય નહીં. તે કોઈ ચમત્કારો ન કરી શકે. શૂન્યમાં થી તે સર્જન ન કરી શકે, કે તે એનાથી ઉલ્ટું પણ ન કરી શકે.

પ્રેત એ વાસ્તવમાં જુના સમયમાં જંગલમાં વસતા માંસ ભક્ષી લોકો હશે. શિવની સાથે આ લોકોની કલ્પના કરવા પાછળ અધાર એ છે કે અગ્નિ એ શિવનું નામરુપ છે અને મૃતદેહ, અગ્નિને અર્પીને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

 સ્વપ્ન શું છે અને સ્વપ્ન કોઈ બનાવની આગાહી કરે છે?

સ્વપ્ન એ દિવસ દરમ્યાન કરેલા અનુભવો અને વિચારોનું જે સ્મૃતિમાં સચવાયું છે તે રી-કૉલ થાય છે. એટલે કે આ એક જાતના વિચાર જ છે. તેને ભવિષ્યની આગાહી સાથે કશો સંબંધ નથી.

માણસનું ભવિષ્ય ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. પણ આ પરિબળોની સંખ્યા અબજોની છે. તે પરિબળો અને તેની માત્રા આપણે જાણતા નથી તેથી ભવિષ્ય નિશ્ચિત છે છતાં તેની ભવિષ્યવાણી ન થઈ શકે.

જો કે સમય, અવકાશ અને વિશ્વ એ સૌ બહુ સંકીર્ણ અને જટીલ છે છે. ૧૧+૧૧+૪=૨૨ પરિમાણોવાળા વિશ્વ અને તેના કણો સમજી શકાય તેવા નથી. એક જ કણ એક જ સાથે એક જ સમયે અનેક સ્થળે હોઈ શકે છે. વિશ્વના દરેક બિન્દુઓ વિશ્વના કોઈ એક બિન્દુથી શૂન્ય અંતરે છે. સમય વહેતો નથી પણ તેના પડ છે. સમયમાં ઉંધી ગતિ કરી શકાય છે. પણ તેમાં ભાગ લઈ શકાતો નથી. આપણે અનેક જગ્યાએ જીવતા હોઇએ તેવું બની શકે. આપણી અને આપણા વિશ્વની પ્રતિકૃતિ હોઈ શકે.

એટલે શંકરાચાર્ય કહે છે કે જે અનુભવાય (પ્રત્યક્ષ) તે પ્રમાણ સત્ય છે. પણ અનુભવ તો સાધનો (ઉપકરણો અને અંગો) ઉપર આધાર રાખે છે.

માનવ સમાજે કયે રસ્તે જવું?

માણસે સમજવું જોઇએ કે તે સમાજની ઉન્નતિ માટે છે. સાથે સાથે બીજાને નુકશાન કર્યાવગર આનંદ મેળવવા માટે છે.

શિરીષ એમ દવે

Read Full Post »

%d bloggers like this: