Feeds:
Posts
Comments

Posts Tagged ‘ઓશો આસારામ’

ફતવાની પ્રણાલી સનાતન ધર્મમાં લાવો … !!! (૨)

હાજી … પણ સુનીતિ અને આદર્શને સમજવા માટે તુલસીદાસનું રામાયણ સમાજ માટે અમૂલ્ય છે. 

“અરે પણ … આમ ભક્તિ કરવામાં અલ્લા મોલાને ઉમેરતા જઈશું તો તેનો અંત ક્યારે આવશે?

“હા જી. એ વિચારવા જેવું ખરું.

એક આડ વાત કરી લઈએ.

આચાર્ય રજનીશનું, નવનામાંકરણ, તેમણે “ભગવાન રજનીશ” કરેલું?

કેમ એમ કરેલું?

કોઈ પત્રકારે કે કોઈ અદકપાંસળાએ રજનીશને પૂછ્યું કે તમે તમારા નામની આગળ “આચાર્ય” શબ્દ કેમ લગાડો છે, તમે શું કોઈ આચાર્યની ડીગ્રી (દેશી) લીધી છે?

રજનીશે ઉત્તર આપ્યો કે “ના … ના … હું ફલાણી ફલાણી કોલેજમાં પ્રોફેસર હતો ને એટલે?”

પ્રશ્ન કર્તા એ પૂછ્યું “પણ પ્રોફેસરને તો પ્રાધ્યાપક (હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ) કહેવાય. આચાર્ય તો પ્રીન્સીપાલને કહેવાય.

આમ આપણા ભાષણીયા અને પ્રાસાનુપ્રાસ ન હોય તો પણ સ્વરોના ઉમેરણ દ્વારા પ્રાસ લાવવાનુ જેમને ગોઠી ગયું છે તે રજનીશ ફસાઈ ગયા. અને ભગવાન થઈ ગયા. એટલે કે ભગવાન રજનીશ થઈ ગયા.

નવી પેઢીને ખબર ન પડે કે નવું શું અને જુનું શું?

ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન બુદ્ધ, ભગવાન શંકરાચાર્ય … આવા બધા ભગવાનોની જેમ એક છબી મળી. નીચે લખેલું કે ભગવાન રજનીશ. અને આ છબી નવી પેઢીના એક બાબલાએ પૂજામાં મુકી દીધી.

ભગવાન સ્વામીનારાયણ ની છબી પૂજાના પાલખામાં હોય છે. અરે કેટલાક તો સાંઈબાબા અને સત્ય સાંઈબાબાની પણ છબી પૂજામાં રાખે છે. તો બાબલાને થયું આ રજનીશ પણ કોઈ ભગવાન હશે.

લો બોલો. આવું કંઈ ચાલતું હશે?

કેટલાક ભગવાનો એવા હોય છે કે તેમના જીવનમાંથી ચમત્કારોને બાદ કરી નાખો તો “શૂન્ય” બાકી રહે. ઘનશ્યામ મહારાજ ઉર્ફે ભગવાન સ્વામીનારાયણ ની કથા ચમત્કારોથી ભરપુર છે. પણ આ ઘનશ્યામ મહારાજમાંથી, ચમાત્કારોને કાઢી નાખીએ તો શૂન્ય થઈ જતા નથી. તેમણે અગણિત સારા કામો કર્યાં છે. સૌથી શ્રેષ્ઠ તો તેમણે તેમના ભક્તોને વ્યસનમુક્ત કર્યા છે. પણ સાંઈબાબા કે તેમના અન્ય અવતારો વિષે આપણે જાણતા નથી કે ચમત્કારો બાદ કરતાં તેમના જીવનમાં “શૂન્ય” સિવાય શું બાકી રહે છે?

જેમ દરેક વ્યક્તિને અમુક ઉંમરે (ખાસ કરી ને ૩૦વર્ષ થી ૪૫ વર્ષ ની વચ્ચે) એવો આભાસ થાય છે કે તેને બ્રહ્મ જ્ઞાન લાધી ગયું છે. અને હવે તે પોતાની ચાંચ કોઈપણ વિષયમાં ડુબાડી શકે તેમ છે.

બાવાઓને (બાપુઓને પણ ગણવા હોય તો ગણી લેવા) આ વાત ખાસ લાગુ પડે છે. રજનીશ પણ આવા હતા. રજનીશે પોતાનું નામ ઓશો રાખી દીધું.

જ્યાં સુધી તમે વિજ્ઞાનની વાત ન કરો ત્યાં સુધી તમે મોડર્ન બાબા ન કહેવાઓ.

યોગગુરુ રજનીશને તેમના એક શિષ્યે પ્રશ્ન કર્યો કે “શ્રેષ્ઠ આસન” કયુ કહેવાય?

રજનીશે કહ્યું કે શ્રેષ્ઠ આસન “દુગ્ધ દોહનાસન”.

શિષ્યે પૂછ્યું ; “દુગ્ધ દોહનાસન શા માટે?”

રજનીશે કહ્યું; “તમે ગાયને દોહતી વખતે તમારા બે પગના અંગુઠા ઉપર હો છો. તેથી ધરતી ઉપર તમારો ભાર ઓછામાં ઓછો હોય છે.”

રજનીશ ભાઈને કે એના શિષ્યને કદાચ કુંભાર ની વાત ખબર નહીં હોય.

એક કુંભાર ભાઈ તેમના ગધેડા ઉપર બેઠેલા હતા. તેણે વાસણનું પોટલું પોતાના માથા ઉપર રાખ્યું. ગધેડાને ભાર ન લાગે ને એટલે.

bhUvibhaara nyunaM

સંત રજનીશમલ ને અનેક શિષ્યો હતા, જેમ ઓશો આસારામને અનેક શિષ્યો છે તેમ.

“તો હવે મોરારી બાપુનું શું કરવું? તેમણે જે અલ્લા મોલા ની ધૂન બોલાવી તેનું શું કરવું?

ઘણા લોકો કે જેઓને આ નથી ગમ્યું તેઓ કહે છે કે આમ તો મોરારી બાપુ પોતાને મોડર્ન કહેવાડે છે. મોરારી બાપુ વાસ્તુ શાસ્ત્રમાં માનતા નથી … જ્યોતિષમાં માનતા નથી … મરણોત્તર ક્રિયાઓમાં માનતા નથી … તેમણે તેમના પ્રાચીન સમયમાં લગ્નમાં લખલુટ ખર્ચો કર્યો હતો. ભલે તેઓ સાદા વસ્ત્રો પહેરતા હોય તેમની પાસે અઢળક સંપત્તિ છે. રામ કથા, ત્યાગ, લોકાપવાદ નો ભય … આ બધા ઉપદેશો એક દંભ છે. સાઉદીથી પણ તેમને પૈસા મળ્યા હશે/મળે છે/ મળે છે.

 —–

એક ડોંગરે મહારાજ હતા. તેઓ ભાગવત કથા કહેતા. તેઓશ્રી “મારો લાલો … મારો લાલો … એવા બાલકૃષ્ણની વાત કરતાં કરતાં ગળગળા થઈ જતા હતા. કદાચ રાધાના વિરહમાં રહેલા કૃષ્ણના દુઃખના દુઃખથી આંસુડા પણ પાડતા હશે.

કેટલાક રાધાકૃષ્ણના દૈવી પ્રેમની વાતો કરતાં કરતાં ભાવસૃષ્ટિમાં ખોવાઈ જાય છે.

આ બધા આપણને ધત્તીંગ લાગે કારણ કે કૃષ્ણ ભગવાન ઐતિહાસિક રીતે સાચા હતા તે વાત ખરી છે.  પણ રાધાનું પાત્ર એક કલ્પિત પાત્ર છે. બાલકૃષ્ણની વાતો પણ કલ્પિત છે. તેને સાચી માનીને ભાવોદ્રેક થઈ જવું દયાને પાત્ર કે રમૂજ જેવું લાગે છે. જો કે નાટકનું પાત્ર ભજવતા હોય તો અલગ વાત છે. એમાં અઢળક અશ્રુપાત્‌ કરી શકાય.

“પણ અલ્લા મોલાની ધૂનનું શું કરીશું?

“અલ્લા તો સાતમા આસમાનની પણ ઉપર છે. તે અલ્લાની સરખામણી આપણા ઈશ્વર સાથે કેમ કરી જ શકાય?

હા … એ વાત પણ ખરી.

પણ ઈશ્વર તો બધે જ છે. જે વ્યક્ત છે તે પણ ઈશ્વર છે. અને જે અવ્યક્ત છે તે પણ ઈશ્વર છે. સુક્ષ્માતિસુક્ષ્મ પણ ઈશ્વર છે અને ચૌદ કોટી બ્રહ્માણ્ડોનો સમુચ્ચય પણ ઈશ્વરમાં સમાયેલા છે.  સુર, અસુર, માનવ, પર્વત, નદી, સમુદ્ર, પ્રાણી વનસ્પતિ માત્ર ઈશ્વર છે. કર્મ ઈશ્વર છે. કાર્ય ઈશ્વર છે, કરનાર ઈશ્વર છે અને જોનાર પણ ઈશ્વર છે. તો હવે ભલેને અલ્લા પણ ઈશ્વરમાં આવતા.

આપણા હેલ્પેશભાઈએ ન તો ડોંગરે મહારાજની કથા સાંભાળી છે, ન તો તેમણે મોરારી બાપુની કથા સાંભળી છે. કે ન તો હકલાની કોઈ ફિલમ જોઈ છે.

જો કોઈને આ બધું ન ગમતું હોય તો તેઓશ્રી માનવજાતમાં પ્રકૃતિએ ભરેલી વિવિધતાનો આનંદ માણી લે. બીજું તો આપણે શું કહી શકીએ?

ભૂવો ધુણાવીએ? તેને પૂછીએ?

કશુંક જાણી જોઇને ખોટું થતું હોય તો પૂણ્ય પ્રકોપ આ બાપુ ઉપર કરી લેવો. પછી ભૂલી જવું. સજ્જનોનો કોપ પણ ક્ષણ ભંગુર હોય છે. અથવા તો…

कुपितोऽपि गुणायैव गुणवान् भवति ध्रुवम्।
स्वभावमधुरं क्षीरं क्वथितं हि रसोत्तरम्॥

સજ્જન ગુસ્સે (ગરમ) થાય તો પણ તે લાભપ્રદ હોય છે. જેમ ગળ્યું દૂધ ગરમ થવાથી દૂધપાક થાય અને વધુ સ્વાદિષ્ટ લાગે છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અકબર પાસે એક કુંભાર આવ્યો. તેણે કહ્યું મારી પાસે આ એક ચમત્કારિક ગધેડો છે. વરસાદ આવવાનો હોય તો તે આગલે દિવસે જ તેના કાન ઉંચા કરી દે છે.એટલે આપણને ખબર પડી જાય કે આવતી કાલે વરસાદ આવશે.

કુંભારે ઠીક ઠીક કિમત વસુલ કરી અકબરને એ ગધેડો વેચી દીધો.

અકબર અને બીરબલ ચોમાસાના દિવસોમાં ફરવા નિકળ્યા. કારણકે આગલે દિવસે આ ચમત્કારિક ગધેડાએ કાન ઉંચા કર્યા ન હતા. અકબર અને બીરબલ નગરની બહાર નિકળ્યાને વરસાદ તૂટી પડ્યો. અકબર અને બીરબલ પલળી ગયા.

બીજે દિવસે સૈનિકોને હૂકમ કર્યો કે પેલા કુંભારને પકડી લાવો. સૈનિકોએ કુંભારને હાજર કર્યો. અકબરે કહ્યું તારા ગધેડાએ પરમ દિવસે કાન ઉંચા કર્યા ન હતા. અને ગઈકાલે અમે બહાર નિકળ્યા અને વરસાદ પડ્યો.     

કુંભાર કહે ; “જહાંપનાહ, એ તો સાવ ગધેડો જ છે ને !”

 ————–

દુકાન ઉપર વાણીયાનો દિકરો બેઠેલો. એક બાપુ (દરબાર) આવ્યા. તેમણે વાણીયાના દિકરાને ડોલચુ આપ્યું અને બશેર તેલ માગ્યું. વાણીયાનો દિકરો ડોલચાનો ધડો કરવા લાગ્યો. ત્યાં વાણિયો આવ્યો. “અરે મૂર્ખ, ધડો કાઢી નાખ … કાઢી નાખ, બાપુનો કંઈ ધડો થતો હશે. સીધે સીધું તેલ આપી દે.

બાપુ ખુશ થયા. મનમાં મલક્યા. “જોયું વટ છે ને આપણો. આપણો ધડો ન હોય હો”. બાપુએ  મુછે તાવ દીધો.

     —————————

બાપુ … ગુરુ … કે ગધુભાઈના કુંભાર … કોઈએ ભળતી ટોપી પહેરવી નહીં

Read Full Post »

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ …. (૨)

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ ….  ()

આપણે આગળ જોયું કે બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને, સતત શિષ્યોની ભરતી માટે પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

વાખ્યા બરાબર છે અને આપણે માન્ય રાખીએ છીએ.

એટલે આમ તો આદિ બાવાજી પ્રોટોટાઈપ શિવજી એટલે કે રુદ્ર, અગ્નિ એટલે કે વિશ્વદેવ પોતે છે. પણ એમની મશ્કરી થાય. એટલે મધુચ્છંદા ઋષિ કે ભૃગુ ઋષિ કહીએ કે સપ્તર્ષિઓને બાવાજી કહીએ તો ચાલે. તે પછી દત્તાત્રેય થયા. બધાની પણ મશ્કરી થાય.

તો પછી શરુઆત ક્યાંથી કરીશું?

જે કાળને પાશ્ચાત્ય લોકો ભારતમાં ઐતિહાસિક કાળની શરુઆત માને છે તે મહાવીર સ્વામીથી શરુઆત થઈ શકે.

મહાવીર સ્વામી પહેલા ગુરુ થયા. પછી બુદ્ધ ગુરુ થયા. શંકરાચાર્ય થયા. મધ્ય યુગમાં માધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, જ્ઞાનેશ્વર જેવા વૈષ્ણવાચાર્ય અને સાયણાચાર્ય શૈવાચાર્ય ઉત્તરના અને દક્ષિણના અનુક્રમે વેદજ્ઞાતાઓ થયા.

આપણે અર્વાચીન યુગથી શરુઆત કરીએ. તો બાવાજીઓમાં, સહ્જાનંદ સ્વામી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, વિવેકાનંદ, શ્રી મોટા, સાંઈબાબા થયા જેઓ ઓગણીશમી સદીના પૂર્વાર્ધથી શરુ કરી વીસમી સદીના પૂર્વાર્ધ સુધીમાં થયા. બધા બાવાજીઓ આમ તો નિરુપદ્રવી હતા. બીજા બાવાઓ ઉપદ્રવ કરતા પણ બાવાજીઓ ઉપદ્રવ કરતા હતા. કેટલાક બાવાઓ અભણ હતા તો કેટલાક વેદોમાં પારંગત હતા.

પણ ખરા બાવાઓ તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયા એટલે કે ૧૯૫૧થી થયા અને ખાસ કરીને ઈન્દીરા યુગથી તો બાવાજીઓના દબદબાના યુગનો સુવર્ણકાળ શરુ થયો.

તમે કહેશો કે, શું પ્રાચીન ભારતમાં જે સતયુગ કે જે ઋષિયુગ કહેવાતો હતો તેમાં બાવાઓનો દબદબો હતો? અરે ભાઈ યુગને પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરી મળી નથી. એટલે તેને તો દંતકથા યુગ માની લેવાનો. સ્વતંત્રતા મળ્યા પછી જે બાવાઓ ઉદ્ભવ્યા તેમને વિષે આપણે કાયદેસર રીતે પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરીની જરુર રહી નથી.

ધીરેન્દ્ર બ્રહ્મચારી, મહેશ યોગી, દાદા લેખરાજ કૃપલાની (પ્રજા પિતા બ્રહ્માકુમારીઝ), આનંદમયી મા, આચાર્યભગવાનઓશોસંતરજનીશમલ, સત્ય સાઈબાબા, ઓશો આસારામ, આઠવલેજીનિર્મલબાબા, રાધેમા, શ્રી શ્રી શ્રી રવિશંકર, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, રામરહિમ અને બીજા અગણિતબાવાઓવિચરી રહ્યા હતા/છે. બધા બાવાઓમાં કેટલાક પાસે શિષ્યધન (શિષ્યોરુપી ધન અને શિષ્યો થકી ધન) ફાટ ફાટ થતું હતું અથવા અને ફાટ ફાટ  થાય છે.

બધા મોડર્ન બાવાઓ છે. તેમની પૂર્વેના બાવાઓને કદાચ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય કે પણ થયો હોય. પણ સહુ મોડર્ન બાવાઓને તો થયો છે. જો કે આમાંના કેટલાક બાવાઓ જેલના સળીયા ગણી રહ્યા છે કે જેલના સળીયા ગણવાની તૈયારીમાં છે કે ઈશ્વરે/કે સેતાને  તેમને વહેલા પોતાની પાસે બોલાવી લીધા એટલે જેલના સળીયા ગણવામાંથી બચી ગયા છે.

પણ તેથી શું?

શ્રી કૃષ્ણ જેવા યોગેશ્વરે પણ જન્મતાંની સાથે જેલના સળીયા ગણવા માંડેલા. તેમના પિતાશ્રી તેમને પોતાના મિત્ર નંદ પાસે મૂકી આવ્યા એટલે બાકીના સળીયા ગણવાનું બાકી રહી ગયેલ.

મોડર્ન બાવા એટલે શું?

મોડર્ન બાવાજી એટલે કે, એવા બાવાજી કે જેમને અંગ્રેજી પણ આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેમને અંગ્રેજી આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેઓ સરકારી અમલદારો (કારણ કોઈ પણ હોઈ શકે છે) હોય અથવા અને, ડૉક્ટરો વકીલો, રાજકારણીઓ હોય. હાજી આવી પરંપરા નહેરુવીયન ફરજંદ ઈન્દિરા ગાંધીએ ચાલુ કરેલી જેમના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારીજી હતા.

આ બધા બાવાજીઓ, યોગ, ધ્યાન કે સમાધી કે બ્રહ્મ સાધનામાં કાં તો સિદ્ધ છે કે પ્રયત્નશીલ છે. જીવનના રહસ્યોના જાણકાર છે. તેઓ સૌ તેમના શિષ્યોને કોઈપણ જાતની મદદ કરવા સક્ષમ છે.

બાવાજીઓએ શું શું ધ્યાનમાં રાખવાનું હોય છે? અહીં ધ્યાનનો અર્થ છે લક્ષ. એટલે કે ખ્યાલ રાખવાનો હોય છે કે “આપણું લક્ષ્ય જનતાને (ખાસ કરીને પૈસાપાત્ર જનતાને)  લક્ષ્યવેધ બનાવવાનું છે.

Untitled

તો આ માટે શું અનિવાર્ય છે.

એક તો કૃષ્ણ ભગવાન છે. આ ભગવાન ઑલ ઈન વન છે. બાલકૃષ્ણથી શરુ કરી, રોમેંટીક રાધારમણ થઈ, ઈવટીઝર થઈ, કંસને મારનાર યોદ્ધા થઈ, દ્વારિકેશ થઈ, ગીતાના યોગેશ્વર અને વિશ્વરુપ પરમ પરમેશ્વર છે. તમને જે પસંદ પડે તે રુપને તમે અપનાવી લો. અને પછી તમારા રુપમાં એવી ભેળસેળ કરી દો કે જેથી તમારું શિષ્યગણ (શિષ્યાઓ સહિત) તમારામાં ખોવાઈ જાય.

તમે સમજી લો કે આવું કરનારા તમે પહેલા નથી. પુરાણકાળથી ચાલી આવતી પરંપરા છે. કમસે કમ ઇશ્વીસન પૂર્વે ૮૦૦ થી  શરુ કરી ઇશુની પંદરમી/સોળમી સદીથી વત્તે ઓછે અંશે ચાલી આવતી પરંપરા છે. કૃષ્ણ ભગવાન એક આમ આદમી થી શરુ કરી પરમેશ્વર સુધીના સૌને પોતાનામાં આત્મસાત્‌ કરે છે. જ્ઞાનની વાત કરવી હોય તો તેમના ગીતાબેનની વાતો કરો, અને પ્રેમની વાત કરવી હોય તો રાધાબેનની વાતો કરો. તમારામાં વાકચાતુર્ય હોવું જોઇએ એટલે કે તમારા શ્રોતાઓને તમે હતઃપ્રભ કરી શકો.

બીજું કંઈ?

કૃષ્ણભગવાન પૂરતા નથી. વાણીયાઓમાં જૈન પણ હોય છે. એટલે ત્યાગ, કષ્ટ, સહિષ્ણુતા, પ્રેમ, અહિંસાની જ્યારે જ્યારે વાતો કરો ત્યારે અચૂક મહાવીર સ્વામીને યાદ કરો અને શ્રોતાગણને તેમની યાદ દેવડાવો. તેમની માતા              ને આવેલા         સ્વપ્નોના ગુઢાર્થોનું તમારી વાક્‌શક્તિ અનુસાર અર્થઘટન કરો અને તારતમ્યો કાઢો.

બીજું કંઈ?

જો તમારે આંતર્‌રાષ્ટ્રીય બાવા બનવું હોય તો બુદ્ધ ભગવાનને પણ ઉદ્‌ધૃત કરતા રહેવું જોઇએ.

કામભોગમાં રાચવું એ એક છેડો છે. દેહદમન કરવું તે બીજો છેડો છે. મધ્ય-માર્ગ યોગ્ય માર્ગ છે.

થોડા ઝેનના ચમત્કૃત વાક્યો બોલો.

વૃત્તિઓનું વિશ્લેષણ કરો, તેનું વિભાગીકરણ કરો.

વચ્ચે વચ્ચે ટૂચકાઓ મૂકો.

“ગુરુજી, આ વર્ષે મેં જીવનનો ભરપૂર આનંદ ઉઠાવ્યો

 “ભો … શિષ્ય તેં શું  શું કર્યું ?

“ગુરુજી મેં સમૂદ્રમાં ડૂબકીઓ મારી, જંગલમાં ફર્યો, રણમાં ફર્યો, પર્વત ઉપર કૂદકા માર્યા …,

“ભો ભો શિષ્ય … એ બધું ખરું પણ આ બધું કરતાં તે જીવનનો આનંદ ક્યારે ઉઠાવ્યો .. ?

   ————————————- શિષ્યભાઈ મૌન ———————————

એક સાધુની ઝૂંપડીમાં ચોર ઘુસ્યો. કશું મળ્યું નહીં. સાધુને થયું … આ તો ઠીક નહીં …. સાધુએ પોતાના કપડા ઉતારી ચોરને આપી દીધા. સાધુ નગ્ન થઈને બેઠા. રાત હતી. નગ્ન સાધુએ આકાશમાં જોયું. ચંદ્ર દેખાયો. સાધુને થયું કે “ … કાશ … હું તેને ચંદ્ર આપી શક્યો હોત!”

 ——————-(શ્રોતાઓ મૌન, ચંદ્ર મૌન, કથાકાર બાવાજી મલક્યા) ——————————–

  એક વ્યક્તિ સામાન્ય હતી. તે સામાન્ય વ્યક્તિ પ્રયત્ન પૂર્વક મહાનુભાવ થઈ ગઈ. તે ગુરુ પાસે ગઈ. ગુરુએ પૂછ્યું …. “તું શું કામ મારી પાસે આવી છે?” વ્યક્તિએ કહ્યું કે “ મારે હવે સામાન્ય વ્યક્તિ થઈ જવું છે …”

  —————————- (આપણે કહીશું … “ગુરુજી મૌન” ?) ——————————–

ગાંધીજી પાસે એક વ્યક્તિ ગઈ …. તેણે કહ્યું “હું આટલું આટલું ભણેલો છું …. મારે આશ્રમમાં રહેવું છે. … મને કંઈક કામ આપો…”

ગાંધીજી એ કહ્યું … “ પેલું ઝાડું લઈ લો અને પાછળના વાડાની સફાઈ કરી નાખો… “

   ————————————— (કોણ મૌન ?) ———————————————-

“ગુરુજી કંઈક શિખામણ આપો …”

“હે જીજ્ઞાસુ !! તેં ખીચડી ખાધી ?

“જી, ગુરુજી … મેં ખીચડી ખાધી …!!!”

“તો હે જાતક , તું તે પ્લેટને ધોઈ નાખ …”

  ——————————— (સાધક જાતકને બોધ પ્રાપ્તિ થઈ ગઈ) ——————–

બેકાબુ બનેલા ઘોડા ઉપર બેઠેલા અસવારને કોઈએ પૂછ્યું … “ભાઈ …. ક્યાં જાઓ છે …?”

ઘોડેસવારે કહ્યું “ …. મને નહીં … ઘોડાને પૂછો” ….

ટ્રેનમાં સંતા સરદારજી ને ટ્રેનમાં ઉપલી બર્થ મળી …  બંતા સરદારજીને નીચેની બર્થ મળી. સંતાજીએ બંતાજીને પૂછ્યું … “કહાં જા રહે હો સરદારજી …?”

સંતાજીએ કહ્યું … “મૈં તો અમૃતસર જા રહા હું… આપ … !”

બંતાજી એ કહ્યું …”મૈં તો દિલ્લી જા રહા હું … “

સંતાજી બોલ્યા .. “સાયન્સકી ક્યા કમાલ હૈ !!! ઉપરકી બર્થ અમૃતસર જા રહી હૈ … ઔર નીચેકી બર્થ દિલ્લી જા રહી હૈ …”

 ————— (ખીડકીકે પાસ બૈઠે મોનાજી બોલે … “એન્જીનકો પૂછના પડેગા”) ———

શિષ્ય ગુરુપાસે ગયો. કહ્યું … “ગુરુજી …, મારી બાર વર્ષની અથાક મહેનત પછી મને યોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે હવે હું પાણી પર ચાલી શકું છું … હવે હું પેલી નદીના પાણી ઉપર ચાલીને સામે પાર જઈ શકું છું. … મારી આ યોગસિદ્ધિનું મૂલ્ય શું? ”

ગુરુએ કહ્યું “ તારી યોગસિદ્ધિનું મૂલ્ય “બે આના”…. પેલા હોડીવાળાને બે આના આપીને નદી પાર કરી શકાય છે. …” 

  ————————————– (પ્રશ્નકર્તા મૌન) ————————————

 ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી.  એક વેશ્યા એક યુવકના ઘરસામે ઉપવાસ કરવા બેઠી. મને પરણ ને પરણ જ. નહીં તો હું અહીં ઉપવાસ કરીને પ્રાણ ત્યાગીશ.

સાચી અહિંસા તો પેલા પાદરીની હતી કે જેણે દૂર રહ્યે રહ્યે પોતાની સાધનાથી એક માણસનું હૃદય પરિવર્તન કર્યું ….

  ————————— (જંગલમેં મોર નાચા કિસીને ના દેખા) ————————-

પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ આસન કયું?

દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે. કારણ કે તેમાં ગાયને દોહતી વખતે આંચળ ઉપર હાથ હોય છે. પગના બે સાથળ વચ્ચે બોઘરણું હોય છે. અને બધો ભાર બે પગના બે અંગુઠા ઉપર હોય છે. ધરતીમાતા ઉપર બે અંગુઠા જ હોય છે. એટલે ધરતીમાતા ઉપર ઓછામાં ઓછો ભાર હોય છે. તેથી આ દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે.

 ———– (એક દયાળુ કઠિયારાએ લાકડાની ભારી પોતાના માથે રાખી અને પછી ગધેડા ઉપર બેઠો જેથી લાકડાની ભારીનું વજન ગધુભાઈને ન લાગે) ———————————————–

“ અરે વાહ શું સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ હતા …

“પણ તેં શું ચાર દિવસના ઉપવાસ કરીને રોટલો અને મરચાના સ્વાદને માણ્યો છે?

   ——————————————————————————————–

“ બૂલેટ ટ્રેનમાં શું મજા આવી … શું મજા આવી …

“પણ તેં શું ગોધરાથી લુણાવાડાની નેરોગેજ ટ્રેનમાં ચાલતી ગાડીએ ઉતરી જંગલમાં પડતા પહેલા વરસાદની સુગંધ માણી છે?

    —————————————————————————————— 

“એ.સી. ફર્સ્ટ ક્લાસમાં જે મુસાફરીની મજા છે તે ક્યાંય નથી … 

“શું તેં ભાવનગર મહુવાની નેરોગેજ ટ્રેનમાં એંજીનમાં ઉભા રહી મુસાફરીની મજા માણી છે?

    ——————————————————————————————–

ઉપરોક્ત ચૂટકલાઓમાં સોડા, રાસ્પબરી અને લેમન મિક્સ છે. જેને જે અર્થ ઘટન કરવું હોય તે કરે અને જે બોધ લેવો હોય તે લે.

જો તમારે બાવા થવું હોય તો આવું આવું બોલ્યા કરવું.

દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવો ભાસ થાય છે કે તેને હવે બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે. બુદ્ધ ભગવાનને પણ આવું જ થયું હતું. હવે શિષ્યોની જરુર છે. કે જેથી તે પોતાનું જ્ઞાન તેમની સાથે શેર કરી શકે. પણ કેટલીક વ્યક્તિઓમાં બ્રહ્મજ્ઞાન ફાટફાટ થતું હોય છે. વળી કેટલાકને “પીણા”ની ટેવ પડી ગઈ હોય છે. તેથી ગુરુપદ માટેની તીવ્ર-વૃત્તિ હોય છે. અમુક પીણા એવા હોય છે કે જે પીધા પછી અને પીવડાવ્યા પછી બંને ક્રીડાકર્તાઓને સંત-રજનીશમલના આસનમાં ( ‘ભોગાસન)માં બ્રહ્મનો સાક્ષાત્કાર થતો હોય તેવું લાગે છે. અમુક રાધાઓ સંત રજનીશમલ કે ઓશો-આસારામ પાછળ શું કામ ઘેલી થતી હતી તે ઉપર સંશોધન થવું જોઇએ તો ડ્રગ્ઝના ક્ષેત્રમાં બાવાઓના સંશોધન અને પ્રયોગો વિષે વધુ માહિતિ મળી શકે.

જો કે એક વાત સાચી છે કે જ્યારે મગજમાં લોહી અને ઓક્સીજનનું પ્રમાણ ઘટે ત્યારે “શૂન્યમનસ્કતા”નો ભાસ થાય છે. હિમાલયમાં ઉંચાઈ ઉપર આવો અનુભવ થતો હોય છે.

સંત રજનીશમલ કહે છે કે “વિવેકાનંદ મહાન હતા, … જ્ઞાની હતા … વિચારક હતા, …. ચિંતક હતા, … અભ્યાસી હતા, … મહેનતુ હતા, …. આકર્ષક હતા, ….  ઘણુ બધું હતા, … પણ … પણ … તેઓ સમાધિ અવસ્થામાં પહોંચી શક્યા ન હતા …  તેમણે પોતે જ આ વાત કબુલ કરી છે …. “

સંત રજનીશમલને પૂછવું પડશે … “બાવાજી તમે ‘યોયો’થી રમવાનો આનંદ લીધો છે? ગરીયો (ભમરડો) ફેરવવા કરતાં તે સહેલો છે”

   ——————————————————————-

 “અરે તમે રજનીશને છોડીને “ એક્સ એક્સ એક્સ”માં ક્યાં ગયા.

“મહાનુભાવ, તમે તો ભૂતમાં માનતા ન હતા અને પલિતમાં કેવીરીતે માનવા લાગ્ય?

   ———————————————————————–

“અરે ભાઈ, (અર્વાચીન) રામ રહીમ  કહો કે સંત કહો બધા  એક જ વહાણના મુસાફર છે.

મોરારજી દેસાઈએ કહેલ કે પોંડીચેરીના આશ્રમમાં પણ વ્યક્તિની પાત્રતા પ્રમાણે (આર્થિક દાન આપવાની ક્ષમતા પ્રમાણે) સુવિધા અને વ્યવહાર થાય છે.

રુપીયા તો રુપીયા છે. તે લાલ, કાળા કે શ્વેત હોતા નથી. ફક્ત તે પ્રાપ્ત કરવાના રસ્તા જ લાલ, કાળા અથવા શ્વેત હોય છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઓગણવીસ સ્ત્રીઓ સ્નાનાર્થે સરયુ નદીએ ગઈ, વીસ પાછી આવી અને ઓગણને વાઘ ખાઈ ગયો.

Read Full Post »

%d bloggers like this: