Posted in માનવીય સમસ્યાઓ, tagged અખિલેશ, અદ્ભૂત, અસામાન્ય, આંતરિક પરિબળો, આગ સાથે રમત, ઉઠમણું, ઓમર અબ્દુલ્લા, કટાર લેખકો, કપિલ સીબ્બલ, કાળી દાઢી, ખટવ્યા છે, ખ્યાતિના ભૂખ્યા, ગુ.સ., ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ, ચિદંબરમ, જૈસે થે વાદીઓ, જ્વલંત વિરાસત, ડાબા હાથનો ખેલ, ડી.બી.ભાઈ, તક, દીગ્વીજય, દુકાનો બાળો, દેશનું હિત, પાકિસ્તાન, પાટીદારો, પ્રતિશોધ, પ્રદર્શન, પ્રિયંકા, ફઝલ ભટ, ફારુખ અબ્દુલ્લા, બક્ખે બક્ખા, બનાવટી આરોપો, બસો બાળો, બાહ્ય પરિબળો, બુર્ઝવા, બ્રેસ્ટ ફીડીંગ, ભ્રમમાં રહેનારા, મનીશ તીવારી, મનુ સિંઘવી, મમતા, મહાનુભાવો, માનસિકતાનો પરિચય, માયા અને મુલ્લાયમ, માલામાલ, મીરવાઈઝ ઓમર ફારુખ, મૂર્ધન્યો, યાસીન મલીક, રણવીર સુરજેવાલ, રા.ગા., રેલ્વેના પાટા, વાડ્રા, વિનીપાત, શાહ કમીશન, સંપર્કો, સઈદ અલી ગીલાની, સફેદ દાઢી, સમાચાર માધ્યમો, સર્વોદયવાદીઓ, સામાન્ય, સોનિયા, સ્વ કેન્દ્રી, હેમાવન હૉલ on September 7, 2018|
Leave a Comment »
આગ સાથે કોણ રમી રહ્યું છે?

દેશ માટે કોણ ખતરનાક છે?
સમાચાર માધ્યમો ક્યાં જઈને અટકશે?
મૂર્ધન્યો અને કટાર લેખકોને પોતાનું પથભ્રષ્ટપણું ક્યારે દેખાશે?
કોણ જૈસે થે વાદી છે?
દેશને વિનીપાત તરફ લઈ જવા માટે દેશ બહારના પરિબળો અને તત્ત્વો વધુ જવાબદાર છે કે દેશની અંદરના તત્ત્વો?
શું દેશને નુકશાન કરનારા દેશની અંદરના તત્ત્વો દેશનું હિત સમજતા નથી?
ખાટલે મોટી ખોડ કઈ છે?
હાજી, આગ સાથે કોણ રમી રહ્યું છે?
જો તમે જનતાના કોઈ એક ભાગને કોઈ સમાન આધાર લઈને તેને કહો કે;
“તમે આ રીતે તમે તે રીતે બીજા થી જુદા છો … તમને પુરતી તક આપવામાં આવતી નથી … તમને અન્યાય થઈ રહ્યો છે… તમારા માટે કંઈક વિશેષ કરવું જરુરી છે.
“આમ તો તમે કંઈ જેવા તેવા નથી.
“તમારા કુળમાં અનેક મહાનુભાવો થઈ ગયા. તેઓ સહુ અસામાન્ય હતા.
“આમ તો તમારામાં ઘણા અસામાન્ય હશે. પણ તેમને તક આપવામાં આવતી નથી.
“અથવા કહો કે તેમને એટલે કે તમને જાણી જોઇને તકથી વંચિત રાખવામાં આવ્યા છે.
હાજી આ બધું એક યોજના પૂર્વક કહેવાઈ રહ્યું છે.
“તમને તક આપવામાં આવતી નથી એટલું જ નહીં તમને મદદ પણ કરવામાં આવતી નથી જ્યારે તમારા જેવી જ પરિસ્થિતિ વાળા અન્યોને મદદ કરવામાં આવે છે અને તમને અન્યાય કરવામાં આવે છે.
“ હવે તો તમારા ઉપર થતા અન્યાયોએ હવે હદ વટાવી દીધી છે.
તમે કહેશો કેઃ “હા. તમારી વાત તો ખરી છે પણ તમે જ કહો અમારે શું કરવું જોઇએ?
તેઓ કહેશે કે;
“અરે તમને ખબર નથી? તમે તો અદ્ભૂત છો. તમારી શક્તિનું તમને ભાન નથી. તમે એકવાર તમારી શક્તિનો પરચો સરકારને આપશો એટલે તે સામે થી તમને નમતી આવશે.
તમે કહેશો કે “એ વાત તો ખરી છે. પણ અમારે અમારી શક્તિ કેવી રીતે પ્રદર્શિત કરવી?”
તેઓ કહેશે કે;
”તમારી શક્તિ તમારી એકતામાં છે. તમે એકતાનું પ્રદર્શન કરો … તમે સરઘસો કાઢો … રેલીઓ કરો … તમે રેલ્વેના પાટા ઉખાડો … વાહન વ્યવહાર સ્થગિત કરો … બસો બાળો … પોલીસના અને બીજાઓના વાહનો બાળો … દુકાનો બાળો … એટલે સરકારને તમારી શક્તિનો પરચો થશે અને તમને નમતી આવશે. સમજ્યા? શું સમજ્યા? તમે હવે જાગો … તમે બહુ ઉંઘ્યા … તમે બહુ સહન કર્યું … હવે તો હદ થઈ ગઈ છે. પાણી તમારા માથે આવી ગયું છે… જો તમે હવે જાગશો નહીં તો તમે કદી જાગી શકશો નહીં … અને તમે નષ્ટ પામી જશો … તમારી જ્વલંત વિરાસત ઇતિહાસના પાના ઉપર જ રહી જશે … કદાચ એ પણ ભૂંસી નાખવામાં આવશે.”
તમે કહેશો કે; “પણ અમે જો આવું કરીયે તો તો સરકારી સંપત્તિને નુકશાન કર્યું કહેવાય. અમારા ઉપર કેસ ચાલે અને અમારે કદાચ જેલમાં પણ જવું પડે તેનું શું?”
તેઓ કહેશે કે; “ અરે એ બધું તમે અમારા ઉપર છોડી દો. અમે બહુ હોશિયાર છીએ. અમે કંઈ મફતમાં દેશ ઉપર સાડા છ દાયકા સુધી રાજ ન હોતું કર્યું? અમારી પાસે ખૂટાડ્યા ખૂટે નહીં એટલા પૈસા છે. આ તો અમારા ગ્રહો વાંકા કે કેટલુંક અમારી વિરુદ્ધ આવ્યું, બાકી કોઈની તાકાત છે કે અમને શાસનમાંથી હટાવી શકે? તમે લખી લો … હાર્યા પછી અમારી જીત થતી જ આવી છે. અમારી પાસે ફક્ત પૈસા જ છે એમ નથી, અમારી પાસે ઘણા સંપર્કો પણ છે. અમે ઘણાને ગેરકાયદેસર માર્ગે ખટવ્યા છે, અસામાજિક તત્ત્વો સાથે તો અમારે ઘરેલુ સંબંધ છે… આ બધું ક્યારે કામ આવશે!! તમારા જુથની કેટલીક વ્યક્તિઓને અમે નેતા બનવા તૈયાર કરી દીધી છે. તમારે તો ફક્ત તેમને સહકાર જ આપવાનો છે. બીજું બધું તમે અમારા ઉપર છોડી દો. અમને જે લોકો સહકાર આપશે તેમને અમે માલામાલ કરી દઈશું.”
હે વાચકો… તમે જાણો જ છો કે દરેક જુથમાં થોડા ઘણા તો સ્વકેન્દ્રી, સ્વાર્થી, ખ્યાતિ ભૂખ્યા માણસો હોય જ છે. સામાન્ય બુદ્ધિ ન હોવી અને અધીરાઈ હોવી એ સામાન્ય કક્ષાની વ્યક્તિમાં સહજ હોય છે.
તમે કહેશો કે, “કોઈ ઉદાહરણ આપશો?”
અમે કહીશું, “હૉવ…અ.., રસ્તા ઉપરના વાહનવ્યવહારને જ જોઈ લો ને … બધાને આગળ જવાની કેવી ઉતાવળ હોય છે?… બે મીટર આગળ જવા માટે લોકો તમને જમણી બાજુથી પણ ઓવરટેક કરશે … પછી ભલે ને જ્યાં જવું છે ત્યાં થોડીક જ મીનીટ વહેલું પહોંચાય… આવું તો બધું ઘણું છે … જે તમને સામાન્ય કક્ષાની વ્યક્તિની માનસિકતાનો પરિચય આપે છે. …”
સામાન્ય કક્ષામાં મોટા નામો પણ આવી શકે છે જેમાં મૂર્ધન્યો, સમાચાર પત્રના ખેરખાંઓ, કટારીયાઓ અને પોતાની કહેવાતી તટસ્થતા જાળવી રાખવાના ભ્રમ રહેનારાઓનો પણ સમાવેશ થતો હોય છે.
જન્મના આધાર પર જ્ઞાતિઓ
વાસ્તવિક રીતે જોઇએ તો સમાજમાં ફક્ત વ્યવસાયોના આધાર પર જ વિભાગીકરણ હોય છે. ભારતમાં જન્મના આધાર પર ક્યારે જ્ઞાતિઓ દૃઢ બની તે એક સંશોધનનો વિષય છે. વિકેન્દ્રિત ઉત્પાદન, વિકેન્દ્રિત વહેંચણી અને ગ્રામ્ય સમાજમાં વ્યવસાયને પેઢી દર પેઢીએ લાંબા ગાળા સુધી ટકાવી રાખવાથી કદાચ જ્ઞાતિ વ્યવસ્થા દૃઢ થઈ હશે. એ જે કંઈ હોય તે … પણ જન્મજાત જ્ઞાતિ વ્યવસ્થાને ન તો વેદોનું પ્રમાણ છે ન તો ગીતાનું પ્રમાણ છે. એટલે કે ટૂંકમાં જ્ઞાતિપ્રથા અપ્રાકૃતિક છે અને તેથી આવી જન્મજાત જ્ઞાતિપ્રથા ટકાઉ ન જ બની શકે. તેને વહેલું મોડું મરવાનું જ છે. અને તેની શરુઆત તો ક્યારનીય શરુ થઈ ગઈ છે.
આ જન્મ ઉપર આધારિત જાતિવાદને ટકાવી રાખવો એ નહેરુવીયન કોંગ્રેસ માટે જીવન મરણનો સવાલ છે. અને આ જાતિવાદને ટકાવી રાખવા માટે નહેરુવીયન કોંગ્રેસે આરક્ષણનું તૂત ઉભું કર્યું છે. અગણિત મહાનુભાવો આ વાત જાણે છે પણ તેઓ તેની વિરુદ્ધ બોલવા તૈયાર નથી કારણ કે તેમનું ધ્યેય કંઈક બીજું જ છે. બીજેપી અને નરેન્દ્ર મોદી તેમના દાના દુશ્મનો છે. અને તેઓ કોઈ પણ ભોગે તેને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે વિભાજન વાદીઓને સહકાર આપે છે અને ઉત્તેજિત પણ કરે છે.
નહેરુવીયન કોંગ્રેસે પોતાના પક્ષે, આ જ્ઞાતિ વાદનો, લાભ દશકાઓ સુધી લીધો અને ચૂંટણીમાં વિજયો પ્રાપ્ત કર્યા. તેથી વી.પી. સિંગ, અને કાંશીરામ જેવાઓની દાઢ સળકી. અને પછી તો આ ચેપ બધાને જ લાગ્યો. મીડીયા મૂર્ધન્યોને પણ આનો ચેપ લાગ્યો ત્યારે તો હદ થઈ ગઈ એમ જ કહેવાય.
તમે આજે જુઓ છો કે ડી.બી. ભાઈ (દિવ્યભાસ્કર) લો, કે ગુ.સ. (ગુજરાત સમાચાર) લો દેશના કેટલાક બીજેપી-ફોબીયા પીડિત બીજા સમાચાર પત્રો કે ટીવી ચેનલો લો, દરેકને કઈ જ્ઞાતિએ કેટલા લોકો એકઠા કર્યા અને કેટલી શક્તિ બતાવી અને તેથી બીજેપીને કેટલું નુકશાન થશે તેની ચર્ચા કર્યા કરશે.
આ મહાનુભાવો કહો તો મહાનુભાવો, વિશ્લેષકો કહો તો વિશ્લેષકો, કટારીયા કહો તો કટારીયાઓ, મૂર્ધન્યો કહો તો મૂર્ધન્યો, પીળું પત્રકારિત્ત્વ કહો તો પીળું પત્રકારિત્ત્વ, આ સહુ કોઈ નહેરુવીયન કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સહાયકોની જ બ્રીફ પકડીને દોડી રહ્યા છે.
નહેરુવીયન કોંગ્રેસનો એજન્ડા શું છે?
નહેરુવીયન કોંગ્રેસનો એજન્ડા કોઈપણ ભોગે સત્તા પ્રાપ્તિનો છે. જો એક વખત તેના હાથમાં સત્તા આવી જાય તો તેમને વળી પાછા બખ્ખે બખ્ખા થઈ જાય … તેમનો સુવર્ણ યુગ પાછો આવી જાય અને ખાસ તો નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના વહાલાઓ સામે જે કેસ ચાલે છે તે બધા કેસોનું ઉઠમણું કરી દેવાય.
તમે કહેશો, “અરે એમ કંઈ કોર્ટના કેસોને રફે દફે કરી શકાતા હશે?”
તેઓ કહેશે, “તમે અમને ઓળખતા નથી. પણ જેઓ અમારી વિરુદ્ધ જવા ગયા છે તેઓની અમે શી વલે કરી છે તે વાત તો તેઓ પરલોકમાં તેમની સાથે જ લઈ જાય છે. તમે પ્રણવ મુખર્જીને શું એમ બોલતાં સાંભળ્યા નથી, કે કટોકટીના કેટલાય રહસ્યો હું મરી જઈશ ત્યારે મારી સાથે જ લઈ જઈશ…” “અરે ભાઈ, શાહ કમીશન જેવા આખે આખા રીપોર્ટના શા હાલ થયા તે શું તમે જાણતા નથી …? તેને પુનર્જીવિત કરવાની કોઈ વાત કરી શકે છે ખરા…? અમે એન્ડરશનને અમારી સરકારી કારનો જ ઉપયોગ કરી દેશની બહાર મોકલી દીધો … કોઈ અમારું શું કરી શક્યું..? આવા તો અમારા અનેક પરાક્રમો છે… અને વળી પાછા અમે તો દાવો કરીએ છીએ કે અમારી કોંગ્રેસ તો દોઢસો વર્ષ ની છે અને અમે કેટકેટલા ભોગ આપ્યા છે… અને તમારા મૂર્ધન્યો અમારી આ વાત કબૂલ પણ રાખે છે…. શું સમજ્યા …? બધી ધરોહર ઉપર અમારો કબજો છે ભલે અમે મહાત્મા ગાંધીવાદીઓને ૧૯૭૫-૧૯૭૭ માં કેદમાં રાખ્યા… અને તો પણ આજે તેમાંના મોટા ભાગના અમારા જ ગીતો ગાય છે. … જેમના બાપાઓને અમે જેલમાં મોકલેલા તેમના સંતાનો પણ અમારા જ ગીતો ગાય છે…. અરે આ તો કંઈ નથી… અમે અમારા વિરોધીઓ ઉપર ખોટા કેસો પણ ઉભા કર્યા છે… તેમને જેલમાં મોકલ્યા છે… અને આવું તો અમે કરતા જ રહીશું… પૈસા અને સત્તા મળે તો અમે શું ન કરીએ …? લોકશાહી અમને નડતી નથી …. અમને તો સત્તાહીનતા જ નડે છે…. પણ તમે જુઓ છો કે અમે સત્તાવગર પણ કેવો કાળો કેર વર્તાવી શકીએ છે….?
“અમે ચારે બાજુથી બીજેપીને ઘેર્યું છે… મુસલમાનો તો ઠીક પણ હિન્દુઓ પણ તેમની સામે પડ્યા છે. ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ ગણાતા ક્ષત્રીયો પણ અમારે શરણે આવ્યા છે… અને મહાજ્ઞાની ગણાતા બ્રાહ્મણોને અમે ભ્રમિત કર્યા છે અને તેઓ પણ હવે તેમના બ્રહ્મ-તેજની શક્તિ, બીજેપીને બતાવવા અમારી શરણે આવ્યા છે. અમે આ પાટીદારોની જેમ આ ક્ષત્રીયોને અને બ્રાહ્મણોને લાંબી ધારે “બ્રેસ્ટ-ફીડીંગ” કરાવીશું…“
ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્ય મંત્રીશ્રી એ “હેમાવન હૉલ”માં કેટલાક કહેવાતા કે સ્વયં પ્રમાણિત, સર્વોદય વાદીઓએ “લોકશાહી બચાવ” કે એવા કોઈક ઓઠા હેઠળ સભા રાખેલ, તેમાં જણાવેલ કે “નાગાથી સૌ કોઈ ડરે… પણ આ નાગો પણ કોઈક થી તો ડરે જ”. આ જે “નાગા”ની વાત કરતા હતા તે આપણા નરેન્દ્ર ભાઈ મોદીને અનુલક્ષીને કરતા હતા.
હવે તમે જુઓ… “નરેન્દ્ર મોદી” જેમની નજરે “નાગો” છે તેનાથી લાખ ગણી, કે પળે પળે નાગાઈ કરનારી, નહેરુવીયન કોંગ્રેસ વિષે તો તેઓ વાત જ કરતા નથી કે કરશે નહીં.
કારણ શું હોઈ શકે?
“ન કરે નારાયણ, ને કદાચ નહેરુવીયન કોંગ્રેસ જો ગુજરાતમાં કે કેન્દ્રમાં ફરી સત્તા ઉપર આવે તો તો તેઓ આ ભૂત-પૂર્વ મુખ્ય મંત્રીના કપડા જ ઉતારી દે ને?
યાદ કરો … “કાળી દાઢી”એ આમ કહ્યું અને “સફેદ દાઢી”એ આમ કહ્યું એવી કોઈ ફોન ઉપરની વાતના આધારે તો, આ નહેરુવીયન કોંગ્રેસે, કેબીનેટની મીટીંગ બોલાવેલી અને નિર્ણય લીધો હતો કે એક સ્પેશીયલ કમીટી બનાવવામાં આવે અને “એક પૂખ્ત વયની યુવતી ઉપર જાસુસી કરવા’ બદલ “સફેદ દાઢી” એટલે નરેન્દ્ર મોદી અને “કાળી દાઢી” એટલે અમિત શાહ, એમ ગણી એક કેસ ચલાવી શકાય છે કે કેમ તેની તપાસ કરો.”
જો કે તે દિકરીના પિતાએ જ પોલીસ ખાતામાં ભલામણ કરેલી કે તેમની દિકરી ઉપર નજર રાખવામાં આવે. પણ દિકરી તો પુખ્ત વયની છે એટલે તે કન્યાનું જે થવાનું હોય તે થાય, પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર તો કામ ચાલવું જ જોઇએ. આવી છે નહેરુવીયન કોંગ્રેસની પ્રતિશોધયુક્ત માનસિકતા.
સામ્યવાદીઓની એક પ્રસ્થાપિત કરેલી પ્રણાલી પ્રમાણે તમારે જો સત્તા ઉપર આવવું હોય તો પ્રવર્તમાન સરકાર વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવું જોઇએ. આમ કરવા માટે બનાવટી આરોપો બનાવી તેનો ફેલાવો કરવો જોઇએ. સમાચાર માધ્યમો ઉપર કબજો રાખો અથવા તેઓને ખરીદી લો, કારણ કે સામાન્ય રીતે તેઓ ખરીદાવવા તૈયાર જ હોય છે. જનતાને વિભાજિત કરી આંદોલનો ચલાવો, હિંસા ફેલાવો, અરાજકતા ફેલાવો અને પરિણામે જનતા એમજ માનશે કે આ બધું પ્રવર્તમાન સરકારની નિસ્ફળતાને કારણે જ છે. લોકશાહીમાં તમે આવી રીતે વર્તી શકો છો.
નહેરુવીયન કોંગ્રેસે કોને કોને પડખે લીધા છે?

આવ ભાઈ હરખા આપણે સૌ હરખા (સરખા)
પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની આતંકવાદી સંસ્થાઓ તો તાલમેલ સાથે જ કામ કરે છે તે વાત તો હિન્દુસ્તાનનું બચ્ચું પણ જાણે છે. ત્યાંની સરકાર મજબુર છે. આવા સંજોગોમાં નહેરુવીયન કોંગ્રેસના મણીશંકર અય્યર પાકિસ્તાની ટીવી ચેનલની પેનલ ચર્ચામાં મોદીને હટાવવા માટે એમ કહે છે કે “મોદીને તો તમારે જ હટાવવો પડશે.” એટલે કે પાકિસ્તાનના ભારત વિરોધી તત્ત્વો એટલે કે આતંકવાદી સંગઠનો, અસામાજિક તત્ત્વો અને પાકિસ્તાની સેનાનું જે ગઠબંધન છે તેણે જ કંઇક કરવું પડશે. પાકિસ્તાન આવા કામ કેવી રીતે કરે છે તે આપણે ભારતવાસીઓ સારી રીતે જાણીએ છીએ. જેમ “પંચ તંત્ર”માં કહેવાયું છે કે “બધા શિયાળવાં ભેગા થયા અને વિચાર કરવા લાગ્યાં કે આ કર્પુર તિલક નામનો હાથી કોઈ પણ હિસાબે મરે તો આપણે ચાર માસના ભોજનની નિરાંત થાય” (સર્વે શૃગાલાઃ ચિન્તયામાસઃ, યદિ કેનાપિ ઉપાયેન અયં મ્રિયેત્ તર્હી માસચતુષ્ટયં ભોજનં ભવેત્), તેમ આ નહેરુવીયન કોંગ્રેસી અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષોરુપી શિયાળવાંઓ પણ વિચાર કરવા લાગ્યાં છે કે આ નરેન્દ્ર મોદી નામનો હાથી જો કોઈપણ હિસાબે મરે તો આપણને ચાર ટર્મ માટેનું સત્તારુપી ભોજન મળે.
અમેરિકામાં હેડલીએ શું કહ્યું? બિહારની એક દિકરી, માબાપથી છાનીમાની અજાણ્યા પરપ્રાંતીય યુવકો સાથે ભાગી ગયેલી. મા બાપે તેની ફરિયાદ પણ નહોતી નોંધાવેલી. અને આ ગેંગનો પ્લાન નરેન્દ્ર મોદીને મારી નાખવાનો હતો. જે નિસ્ફળ ગયેલો. એ વાતનો ઘટસ્ફોટ થયેલ. જોવાની વાત એ છે કે આ બાબતમાં નહેરુવીયન કોંગ્રેસીઓએ ગદ્દારીની ભૂમિકા ભજવેલ.
નક્ષલવાદીઓ અને માઓવાદીઓએ તેમના અંતરંગ પત્ર વ્યવહારમાં શું લખ્યું છે?
એ જ કે નહેરુવીયન કોંગ્રેસ પોતે, આ અરાજકતા વાદી જુથોને આર્થિક અને કાયદાકીય સહાય કરવા આતુર છે.
આ તો જુની વાત છે. નહેરુવીયન કોંગ્રેસનું તેના જેવા સાંસ્કૃતિક પક્ષો સાથે તો ગઠબંધન થશે ત્યારે થશે, પણ આ નહેરુવીયન કોંગ્રેસનું ભારતના અને પાકિસ્તાનના અસામાજિક તત્ત્વો સાથેનું ગઠબંધન હોવું એતો જુનીવાત છે. નહેરુવીયન કોંગ્રેસનું છેલ્લાં કેટલાક વર્ષથી માઓવાદીઓ અને નક્ષલવાદીઓ સાથે તો ગઠબંધન અને જોઈન્ટ વેન્ચર શરુ થઈ જ ગયું છે.
“કાળી દાઢી” અને “ધોળી દાઢી”, ની વાતોના આધારે નરેન્દ્ર મોદીને જેલમાં મુકવાની યોજનાઓ જો આ નહેરુવીયન કોંગ્રેસીઓ ઘડી શકતા હોય, તો હેડલીના નિવેદનના તારતમ્યના આધારે, “ઇસરત જહાંના એનકાઉન્ટર કેસ”માં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ ભજવેલી ભૂમિકા બદલ, અને આવી અગણિત દેશવિરોધી ભૂમિકાઓ ભજવવા બદલ તેમને જેલમાં ખોસી દેવા એતો નરેન્દ્ર મોદી માટે ડાબા હાથનો ખેલ છે.
ભલે પછી કોર્ટ પોતાની ભૂમિકા કોઈ પણ રીતે ભજવે, પણ એક વખત તો આ નહેરુવીયન કોંગી નેતાઓ જેવા કે સોનિયા, રા.ગા., પ્રિયંકા, વાડ્રા, ચિદંબરમ, દીગ્વીજય, રણવીર સુરજેવાલ, મનુ સિંઘવી, મનીશ તીવારી, કપિલ સીબ્બલ, ફારુખ અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મમતા, માયા અને મુલ્લાયમ, અખિલેશ, ફઝલ ભટ, સઈદ અલી ગીલાની, મીરવાઈઝ ઓમર ફારુખ, યાસીન મલીક બધાને દશકાઓ સુધી જેલની હવા ખવડાવી જ શકાય
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી એટલે જનતાએ નક્કી કરવાનું છે કે તમારે “જૈસે થે” વાદીઓ જોઇએ છે કે “વિકાસલક્ષી પરિવર્તન”વાદીઓ? જૈસે થે વાદીઓને બુર્ઝવા કહેવાય છે. પણ અહીં તો સામ્યવાદીઓ પોતે જ તેમની વ્યુહરચના ભાગરુપે બુર્ઝવા બનેલા છે અને કોંગીઓ તો પહેલેથી જ બુર્ઝવા છે. જ્ઞાતિવાદને ઉત્તેજન આપવું અને ભ્રષ્ટાચાર ચાલુ રાખવો એ “જૈસે થે”વાદીઓની ઓળખાણ છે.
દલિતો અને સવર્ણો વચ્ચેનો આ મીથ્યા વિવાદનું પરિણામ શું આવશે?
{ક્રમશઃ}
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અંગત સચિવ, અંગ્રેજો, ઈન્દીપેન્ડન્સ ઈન્ડિયા એક્ટ, કટાર લેખકો, કતલ, કોમનવેલ્થ, ખિલાફત આંદોલન, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૫, ગાંધી-ફોબિયા, ગુલામ, ગોડસે, ચર્ચા, જનરલ ડાયર, જલીયાંવાલા બાગ, ટ્રાન્સફર ઑફ ચાર્જ, ટ્રાન્સ્ફર ઑફ પાવર, ડીબી ભાઈ, દક્ષિણ આફ્રિકા, દસ્તાવેજ, દેશના ભાગલા, પૂર્વગ્રહ, પ્લેબીસાઈટ, બોઅર યુદ્ધ, બ્રીટીશ ક્રાઉન, ભગતસિંહ, મુસ્લિમ તુષ્ટિકરણ, મુસ્લિમ-વિરોધી ફોબિયા, મૂખ્ય સચિવ, મોપલા, રહસ્ય સચિવ, રાજીવ દિક્ષિત, લોકશાહી, વિતંડાવાદ, સંજયભાઈ, સત્તાનું હસ્તાંતરણ, સોસીયલ મીડીયા, સ્વતંત્ર, ૧૫મી ઑગષ્ટ ૧૯૪૭, ૧૯૫૦, ૧૯૫૨, ૯૯ વર્ષના પટ્ટે on August 20, 2017|
4 Comments »
“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” નો એક વિતંડાવાદ
જેઓ સોસીયલ મીડીયા ઉપર સક્રિય છે તેઓ જાણતા હશે કે ભારતે મેળવેલી સ્વતંત્રતા બાબતમાં ઘણા લોકો ગંભીર રીતે શંકા ધરાવે છે. શરુઆતમાં આપણે તેને અવગણીએ તે ઠીક હતું. પણ પછી જોવામાં આવ્યું કે જેઓ ઠીક ઠીક જાણકારી, બીજા વિષયોમાં પણ ધરાવતા હતા તેઓ પણ આ વિષયમાં ભાગ લેવા માંડ્યા. એટલે મારા જેવા કેટલાક લોકોએ ઉત્તર આપવાનું શરુ કર્યું. પણ એવું જોવામાં આવ્યું કે તેમને આપણો ઉત્તર સમજવામાં રસ ન હતો.
આ વિષયની ચર્ચામાં રસ લેનારાઓમાં મોટા ભાગના એવા હતા કે જેઓ પૂર્વગ્રહથી પીડિત હતા અને તેમની માન્યતા છોડવા તૈયાર જ ન હતા. અને આ માન્યતાના લીસ્ટમાં તેઓની માન્યતાઓ નીચે પ્રમાણે હતી.
ભારતના ભાગલાઓ માટે ગાંધીજી જવાબદાર હતા.
હિન્દુ-મુસ્લિમ હુલ્લડોમાં ગાંધીજી મુસ્લિમોના પક્ષમાં રહેતા હતા અને જ્યાં મુસ્લિમો વધુ પ્રમાણમાં મરાયા હતા ત્યાં તેઓ દોડી જતા હતા. મુસ્લિમ તૂષ્ટીકરણની નીતિના જન્મદાતા ગાંધીજી હતા, આનું મુખ્ય કારણ તેઓએ દક્ષિણ આફ્રિકામાં મુસ્લિમ વેપારીનો કેસ લડ્યા તે હતું.
ગાંધીએ બોઅર યુદ્ધમાં અંગ્રેજોનો પક્ષ લીધો હતો.
ગાંધીએ ખિલાફત આંદોલનમાં ધર્માંધ મુસ્લિમોનો પક્ષ લીધો હતો.
મોપલાઓએ હિન્દુઓની જે કત્લેઆમ કરી હતી તે કત્લેઆમને ગાંધીએ અનુમોદન આપ્યું હતું.
ગાંધીએ ભગતસિંહને બચાવવા કશું કર્યું ન હતું,
જલીયાવાલા બાગમાં અંગ્રેજોએ કરેલી કતલમાં ગાંધીએ જનરલ ડાયરનો પક્ષ લીધો હતો
પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ, પણ ભારતના ભાગલા પડતા અટકાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા ન હતા.
ગોડસે એક મહાન વ્યક્તિ હતો અને તે પરમ દેશભક્ત હતો. તેણે ગાંધીનો વધ કર્યો તે યોગ્ય જ હતું. તેણે કોર્ટમાં જે નિવેદન આપેલ તેને સરકારે જાહેર કર્યું નથી તે જ બતાવે છે કે સરકાર સત્યને છૂપાવવા માગે છે. ચલણી નોટો ઉપર ગાંધીને બદલે ગોડસેનું ચિત્ર હોવું જોઇએ. ખરો શહીદ તો ગોડસે જ હતો.
ગાંધી સાઉથ આફ્રિકામાં નિસ્ફળ નીવડ્યા હતા એટલે ભારત પરત થયા હતા.
ગાંધી અંગ્રેજ સરકારના એજન્ટ હતા,
ગાંધી એક ઐયાશી વ્યક્તિ હતા. ગાંધી દુરાચારી હતા. તેઓ ભીન્ન ભીન્ન સ્ત્રીઓને સહશયન માટે ફરજ પાડતા હતા.
ગાંધીએ હિન્દુ નિરાશ્રિતોને કહેલ કે તમારે તમારી મા-દિકરી-બહેનોને મુસ્લિમોને હવાલે કરી દેવી જોઇતી હતી. આ જ તમારો ધર્મ હતો.
આવી તો અનેક વાતો ગાંધી-ફોબીયાથી પીડિત લોકો લખતા. આપણે આ બધી જ વાતોનું તર્ક પૂર્વક ખંડન કરીએ તો પણ તેઓ સમજવા તૈયાર જ ન હ્તા. એટલું જ નહીં મોટા ભાગના તો વાંચતા જ નહીં અને અદ્ધર અદ્ધર રીતે આપણા તર્ક નકારી કાઢતા હતા. આ બધા જ ગાંધી-ફોબિયા પીડિત જ નહીં મુસ્લિમ-વિરોધી-ફોબિયાથી પણ પીડિત લોકો હતા.
આમાંના કેટલાકના વિષયો એ પણ હતા કે
ભારતને આઝાદી મળી જ નથી. હજુ પણ તે અંગ્રેજોનું ગુલામ છે. આ માટેની તેમની દલિલો નીચે પ્રમાણે છે.

INDIA FIRST
(૧) ૧૫મી ઑગષ્ટે જે થયું તે “સત્તાનું હસ્તાંતરણ (ટ્રાન્સ્ફર ઑફ પાવર) થયું છે.
(૨) આ દસ્તાવેજ કદી બહાર પાડવામાં આવ્યો નથી.
સત્તાના હસ્તાંતરણને સ્વતંત્રતા ન કહેવાય,
(૩) કોમનવેલ્થ રાષ્ટ્રોની પ્રમુખ કાયમ માટે બ્રીટનની રાણી (બ્રીટીશ ક્રાઉન) છે. ભારતે બ્રીટનની રાણીને ખંડણી આપવી પડે છે.
(૪) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયા એક્ટ ૧૯૩૫, આ જે પણ લાગુ છે.
(૫) આપણને જે સત્તા મળી છે તે ૯૯ વર્ષના પટ્ટે મળી છે.
૯૯ વર્ષ પછી આપણે ભારતની સત્તા બ્રીટનને પાછી સોંપી દેવી પડશે. એટલે આવા કરારને સ્વતંત્રતા કહેવાય જ નહીં.
(૬) બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી અપાય છે. બ્રીટનની રાણીને ભારતનો વિસા લેવાની જરુરત પડતી નથી.
(૭) નાગરિક કાયદાનો હવાલો આપી એવું તારણ કરવામાં આવે છે કે આપણે ભારતીય બંધારણને હિસાબે પણ ગુલામ જ છીએ.
(૮) આ બધામાં વળી એક રાજીવ દિક્ષિતનો વીડીયો સામેલ કરવામાં આવ્યો છે જેમાં રાજીવ દિક્ષિત “ટ્રાન્સ્ફર ઑફ પાવર”નું પોતાનું અર્થ ઘટન કરતા બતાવ્યા છે.
આ બધા ઉભી કરેલી માન્યતાઓનું આપણે તર્કશુદ્ધ રીતે ખંડન કરીએ તો પણ આ વિવાદો ચાલુ રાખવામાં આવે છે.
સોસીયલ મીડીયામાં આ વિવાદો ત્રણચાર વરસોથી ચાલે છે. આ વિવાદોની સ્થિતિ “ગાંધી-ફોબિયા પીડિત” જ છે. એટલે કે તમારા ઉત્તરો ઉપર, કોઈ ચર્ચા કરવા તૈયાર થતા નથી. આ બધું આપણે અટકાવી શકતા નથી. કારણ કે લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્યમાં બધાને પોતાના તર્કહીન વિચારો વ્યક્ત કરવાનો હક્ક છે. આપણા તર્કશુદ્ધ વિચારો માન્ય રાખવા કે ન રાખવા તે તેની મુનસફ્ફીની વાત છે.
આવી સ્થિતિ હોય ત્યારે આપણે અમુક હદ પછી તેવા લોકોની માન્યતાઓ ઉપર પ્રતિભાવ આપવાનું બંધ કરીએ તે સ્વાભાવિક છે.
ડીબી (દિવ્યભાસ્કર)માં પણ અમુક કટારીયા લેખકોને બાદ કરતાં બાકીના બધા કટારીયા લેખકો કદાચ સમાચારપત્રના એજન્ડા પ્રમાણે લખતા હોય તેમ તેઓની બહુમતિ હોવાને નાતે આપણે માની શકીએ.
પણ જે લેખકો પોતાની તર્કશુદ્ધતા જાળવી રાખે છે તેમને વિષે આપણે એવું કહી ન શકીએ કે તેઓ વર્તમાનપત્રના એજન્ડા પ્રમાણે લખતા હશે. આવા લેખકોમાં ડૉ. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, મધુરાય, નગીનભાઈ સંઘવી અને સંજયભાઈ વોરાનો સમાવેશ અચૂક કરી શકીએ. કાન્તિભાઈ ભટ્ટ પણ જો નરેન્દ્ર મોદીને ન સ્પર્શે ત્યાં સુધી માહિતિ-પૂર્ણ લખે છે. રોજ કટાર લખવી એ ઘણું અઘરું હોય છે. તો પણ ન છૂટકે આ બાબતની આપણે અવારનવાર ટીકા કરી છે. પણ જવા દો. દરેકને પોતાના વિચારો, પોતાનું મન અને પોતાના ગમા-અણગમા હોય છે.
સંજયભાઈ વોરા ડીબીમાં રોજ લખે છે. અને દરેક લેખ માહિતિપૂર્ણ હોય છે. અને તર્કશુદ્ધ પણ હોય છે. નાની નાની વાતો મિસ-ફાયર થાય તો તેને ક્ષમ્ય ગણવું જ જોઇએ. પણ સંજય ભાઈ વોરાએ જ્યારે “શું આપણે સાચેચાચ સ્વતંત્ર થયા છીએ તે વિષય ઉપર પ્રશ્નચિન્હ લગાવ્યું ત્યારે તેની ગંભીરતાને સમજવી પડે. તેમના મુદ્દાઓમાં કેટલાક બ્રીટીશ નાગરિકતા વાળા સનદી અધિકારીઓ સેવામાં ચાલુ રહ્યા, અને તે પણ ભારતીય રાજબંધારણ અમલમાં આવ્યું તે પછી પણ ચાલુ રહ્યા તે, અને તેને સમકક્ષ બીજા મુદ્દાઓ, નવા મુદ્દા તરીકે જાણવા મળ્યા.
“ટ્રાન્સ્ફર ઑફ પાવર” એગ્રીમેન્ટ
આ કરારનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર એ “સ્વતંત્રતા” નથી. એક ની જગ્યાએ બીજો આવ્યો. તેમાં સ્વતંત્રતા ક્યાં આવી?
ચૂંટણીના પરિણામો પછી એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સત્તા સંભાળે છે. જેમકે એક વ્યક્તિ વડાપ્રધાન છે. ચૂંટણી પછી નવો પક્ષ બહુમતિ મેળવે તો તેનો નેતા દેશનું વડાપ્રધાન પદ સંભાળે છે. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” તેના જેવું છે.
આપણે સમજવું જોઇએ કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર” અને “ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ” એ બંને ભીન્ન ભીન્ન છે. અ બંને સમાનાર્થી શબ્દો નથી. એક વ્યક્તિ કે જે વડા પ્રધાન છે તેની પાસેથી નવી વ્યક્તિ વડાપ્રધાન પદ લે, તેને ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ કહેવાય. આમાં કોઈ એગ્રીમેન્ટ થતું નથી. જે કંઈ થયું તે બંધારણ અનુસાર થાય છે. સરકારી અધિકારીઓની બદલી થાય ત્યારે તેઓ પોતાનો ચાર્જ બીજા અધિકારીને આપે છે. તેને એકે “ચાર્જ લીધો” અને બીજાએ “ચાર્જ આપ્યો” એમ કહેવાય છે ગણાય છે. પ્રધાનો પાસે દસ્તાવેજોનો ચાર્જ હોતો નથી. સચિવો અને મૂખ્ય સચિવ બધો ચાર્જ રાખે છે. દરેક ફાઈલની હેરફેર નોંધાતી હોય છે. અંગત સ્ટાફ ની ફાઈલ મંત્રીશ્રી પોતાની પાસે કે પોતાના અંગત સચિવ (રહ્સ્ય સચિવ) પાસે રાખે છે.
સત્તાની ફેરબદલીની રીતો
સત્તાની ફેરબદલી બે રીતે થાય છે. એક છે બળપૂર્વક થતી સત્તાની ફેરબદલી. અને બીજી છે પરસ્પર સમજુતીથી થતી સત્તાની ફેર બદલી. ૧૮૫૭માં થયેલા સ્વાતંત્ર્યતાના સંગ્રામમાં જો ભારતનો વિજય થયો હોત તો, “ટ્રાન્સ્ફર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી ન હોત. પૂર્વપાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં બંગ્લાદેશનું સર્જન થયું તેમાં “ટ્રાન્સ્ફ્રર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી નથી.
બળપૂર્વક થતા સત્તાના હસ્તાંસ્તરણમાં નવી સત્તાએ જુના કાયદાઓ માનવા સિવાય છૂટકો હોતો નથી, સિવાય કે પોતાના કાયદાઓ હયાત હોય. જુના વખતમાં ન્યાયધીશો કે રાજા કે રાજાદ્વારા સ્થપિત વ્યક્તિઓ, રાજકારભારના અને ફરિયાદોને લગતા નિર્ણયો લેતા. તેમને કોઈ નિયમો નડતા ન હતા. તે પોતાની મુનસફ્ફી પ્રમાણે કે શુદ્ધબુદ્ધિથી નિર્ણયો લેતા.
જ્યારે ભારતને ૧૫મી ઑગષ્ટે “સ્વતંત્રતા” મળી ત્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં ન હતું. ભારતમાં સર્વોચ્ચ સત્તા વાઈસરોય પાસે હતી. વાઈસરોય ઉપર બ્રીટનની પ્રણાલીઓ દ્વારા સ્થપાયેલ બંધારણ અને ઈન્ડીયન ગવર્નમેન્ટ એક્ટ નું બંધન રહેતું. ભારત સ્વતંત્ર થયું એટલે કામચલાઉ વ્યવસ્થા વડાપ્રધાન અને ગવર્નર જનરલની થઈ. બ્રીટનની પાર્લામેન્ટે પસાર કરેલા “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ના આધારે આ નક્કી થયું હતું. જ્યાં સુધી ભારતનું પોતાનું બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી, ભારતની સંસદ જે કંઈ પણ વહીવટી કાયદાઓ પસાર કરે તેને માટે બ્રીટનના ક્રાઉનની મંજુરી લેવી જરુરી હતી. એટલે કે ભારતની સંસદ એ બ્રીટનની સંસદને સમકક્ષ હતી. પાકિસ્તાનની પણ આ જ સ્થિતિ હતી.
સ્વાતંત્ર્ય મળ્યા પૂર્વે અખંડ ભારતમા ચૂંટણીઓ થઈ હતી. ચૂંટાએલી સરકારો/મંડળો બ્રીટીશ એજન્સીના પ્રત્યક્ષ વહીવટ હેઠળના પ્રદેશો ઉપર રાજ કરતી હતી. આને “સ્થાનિક સ્વરાજ્ય” કહેવાતું હતું. પણ આ બધા વાઈસરોયના તાબામાં એટલે કે બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતા. ૧૫ ઑગષ્ટે સ્વરાજ્ય મળ્યું એટલે ભારતને કેન્દ્રમાં “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” અને “ગવર્નમેન્ટ ઈન્ડિયા એક્ટ”ની મર્યાદા હેઠળ સત્તા મળી.
રાજાઓની સત્તાઓ તેમની પાસે રહી પણ તેમણે જનતાની ઈચ્છા અનુસાર “પાકિસ્તાન સાથે જોડાવું“, કે “ભારત સાથે જોડાવું” કે “સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવું” તે નક્કી કરવાનું હતું. “જનતાની ઈચ્છા” જાણવાની પ્રક્રિયાને “પ્લેબીસાઈટ” કહેવામાં આવી હતી. આ કામ કેન્દ્ર સરકારની નિગરાનીમાં કરવાનું હતું જેથી જનતાની સાચી ઈચ્છા જાણી શકાય. આ પ્રમાણે જે મોટા રાજ્યો હતા તેમના પ્રાંત અલગ હતા. પણ આ બધા જ અંતે તો “બ્રીટીશ ક્રાઉન”ના તાબામાં હતા. એટલે ૧૫ ઑગષ્ટ “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ની અંતર્ગત રહેલ “ઈન્ડીપેન્ડન્સ” શબ્દની રુએ, “ઈન્ડીપેન્ડન્સ ડે” ગણાયો. જેમાં બધા જ સત્તાધારી પદો ઉપર ભારતીયો આવ્યા.
એક વાત સમજવાની છે કે “ઈન્ડિયન સીવીલ સર્વીસ”ની પરીક્ષા બ્રીટીશ સરકાર લેતી હતી અને સીવીલ સર્વીસ પ્રોવાઈડર બ્રીટીશ સરકાર હતી. એટલે તેની સર્વીસની શરતો બ્રીટને નક્કી કરી હતી. જે કોઈ આઈસીએસ અધિકારીઓ ભારતમાં રહ્યા તેઓ આ સર્વીસ કન્ડીશન્સની જોગવાઈને આધારે સ્વેચ્છાએ રહ્યા. બ્રીટીશ અફસરો ભારતમાં નોકરીએ ચાલુ રહ્યા તે કારણસર ભારત ગુલામ હતુ એમ ન કહી શકાય.
એક વાત સ્વિકારવી પડે કે ભારત જ્યાં સુધી પોતાનું સ્વતંત્ર બંધારણ અમલમાં ન લાવ્યું ત્યાં સુધી ભારતે સાર્વભૌમત્વ મેળવ્યું ન હતું. ભારતની સંસદ, લોકોએ ચૂંટેલી હતી અને તેના થકી ભારતનું બંધરણ ૧૯૫૦માં અમલમાં આવ્યું. આ ભારતીય બંધારણમાં નિર્દેશિત પ્રક્રિયા પ્રમાણે ચૂંટણીઓ થઈ.
કોમનવેલ્થ રાષ્ટ્રઓનું જુથ
કોમન વેલ્થ રાષ્ટ્રોના જુથમાં, જે રાષ્ટ્રો અગાઉ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતાં તે બધા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. બ્રીટન પોતે પણ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતું. કોમનવેલ્થ રાષ્ટ્રોના જુથના બંધારણમાં જ આવી જોગવાઈ છે અને તે સહજ છે કે તેનું પ્રમુખ પદ બ્રીટીશ ક્રાઉન પાસે રહે. આ બાબતમાં કોઈ રાષ્ટ્રે નાનમ અનુભવવાની જરુર નથી. વળી તમે એક સંસ્થા ચલાવો તો બધા સભ્યોએ ફાળો તો આપવો જ પડે પછી ભલે તે જી-૮ હોય કે જી-૨૪ હોય કે સાર્ક રાષ્ટ્રોની સંસ્થા હોય. આ ફાળાને આપણે ખંડણી તરીકે ખપાવી ન શકીએ.
બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી.
જે બ્રીટને આપણને યુદ્ધ વિના શાંતિથી સ્વતંત્રતા આપી તેનું માન રાખવું એ આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. આપણે ઇતિહાસનો નાશ કરી શકતા નથી. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી આપવાથી આપણે ગુલામ થઈ જતા નથી. કોઈપણ દેશ કોઈ મહાનુભાવ વ્યક્તિનું સન્માન કરી શકે છે. તેને નાગરિકતા પણ આપી શકે છે. ખાન અબ્દુલ ગફારખાનને ભારતરત્નનો ખિતાબ અપાયેલો છે. તો શું પાકિસ્તાન આપણો ગુલામ દેશ છે?
કોઈ એક વ્યક્તિને ભારતીય નાગરિકતા આપવાની કે નકારવાની સત્તા
આ મુદ્દો સોસીયલ મીડીયા ઉપર બહુ ચગાવવામાં આવેલ. સ્વાતંત્ર્યતા પૂર્વે કેટલીક વ્યક્તિઓ જુદા જુદા સંજોગોમાં અનન્ય પરિસ્થિતિમાં ભારતની બહાર હતી. નિશ્ચિત મુદતમાં ભારતમાં આવવા માટે અસમર્થ હતી. તેના ઉપર નિર્ણય લેવા સક્ષમ અધિકારીઓ હ્તા. અનુચ્છેદ ૬ માં આને લગતી જોગવાઈઓ છે. વિવરણ પણ છે. આ અનુચ્છેદને ફક્ત અને ફક્ત સાંકળીને કેટલાક લોકો રામભરોસે એવું અર્થઘટન કરતા કે ભારત સ્વતંત્ર થયું જ નથી. તેઓ કશું વિવરણ કે દાખલાઓ આપવામાં માનતા નહીં પણ જ્યારે તેમને પૂછવામાં આવતું કે તમે ભારતીય બંધારણની કલમ તો બતાવો અને તેનું અર્થઘટન કરીને તમારી વાત તો સમજાવો !! પણ તેઓ આવું કશું કરવામાં માનતા ન હતા.
૯૯ વર્ષના પટ્ટે ભારતનો વહીવટ કરવાની કરવાની સ્વતંત્રતા
આવી જોગવાઈ કઈ જગ્યાએ છે અને બંધારણમાં આને કઈ જગ્યાએ માન્યતા આપવામાં આવી છે તે કહેવા કોઈ તૈયાર નથી. કોઈક આપણને (આખે આખો) “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ”નો હવાલો આપે છે. એટલે કે આપણા વિપક્ષીને સાચા ઠેરવવા માટે આપણે આખ્ખે આખ્ખો ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ વાંચીને એ શોધી કાઢવાનું કે ભારતને ૯૯ વર્ષના પટ્ટે સ્વતંત્રતા મળી છે. એટલે કે અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડી આપણે શોધવાની.
ગુલામ રાષ્ટ્ર, સ્વતંત્ર રાષ્ટ્ર અને લોકશાહી રાષ્ટ્ર
આ ત્રણેના ભેદ સમજવા જેવા છે.
ગુલામ રાષ્ટ્ર એટલે બીજા રાષ્ટ્રનો વ્યક્તિ/વ્યક્તિ સમૂહ કે અધિકૃતવ્યક્તિ/અધિકૃતવ્યક્તિ સમૂહ આપણા રાષ્ટ્ર ઉપર શાસન કરતો હોય તો આપણું રાષ્ટ્ર ગુલામ કહેવાય. બ્રીટીશ યુગમાં આપણે ગુલામ હતા.
મોગલયુગમાં જ્યારે મોગલ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ ગણ્યો ત્યારે આપણે ગુલામ દેશ મટી ગયા.
ઈસ્વીસન પૂર્વેથી ઇસ્લામયુગસુધી ભારત સ્વતંત્ર રાષ્ટ્ર હતું કારણ કે શાસકો ભારતીય હતા.
લોકશાહી એ એક સાપેક્ષ સુવ્યવસ્થા છે.
જ્યાં સત્ય ગમે તે સ્તરેથી આવતું હોય પણ જો તેને અસત્ય ઠેરવવું અશક્ય હોય અને તેનો આદર થતો હોય તો તેને લોકશાહી કહેવાય. પણ સત્ય વિવાદાસ્પદ હોય છે. શ્રેય પણ વિવાદાસ્પદ હોય છે. આ બંને સાપેક્ષ પણ હોય છે. આ માટે જે વ્યવસ્થામાં મૂક્ત ચર્ચા ઉપલબ્ધ હોય અને તે આદરણીય હોય તેને લોકશાહી વ્યવસ્થા કહેવાય. “રામરાજ્ય” ભલે એક રાજાશાહી વ્યવસ્થા હોય પણ ત્યાં સત્યનો આદર થતો હતો. એટલે તેને લોકશાહી કહી શકાય.
જો કે રાજાશાહી વ્યવસ્થામાં આશ્રિત લોકશાહી દીર્ઘજીવી હોતી નથી. કારણ કે તે વંશપરંપરાગત હોય છે. એક રાજા પછી તેનું સંતાન યોગ્યતા વગર જ શાસક બને છે. યોગ્યતા વગર બનેલી વ્યક્તિ લોકશાહીનું રક્ષણ કરી ન શકે. આ વિષે ભારતને વંશવાદી પક્ષોનો અને ખાસ કરીને નહેરુવંશી ઈન્દિરા ગાંધીનો ઠીક ઠીક અનુભવ છે.
ભારતની વાસ્તવિક પરિસ્થિતિ શું છે?
ભારત એક સાર્વભૌમત્વવાળું રાષ્ટ્ર છે. ભારતના રાજબંધારણમાં કોઈપણ એવી કલમ નથી કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે આ વ્યવસ્થા ૯૯ વર્ષ માટે જ છે.
ભારતના રાજબંધારણમાં અનેક ફેરફાર સંશોધન થયા છે પણ આપણે ક્યારેય આ સંશોધનોને માન્યતા અપાવવા માટે બ્રીટીશ ક્રાઉન પાસે મોકલ્યા નથી. કારણકે આ માટે ભારતના રાજબંધારણમાં ક્યાંય લખ્યું નથી કે બ્રીટીશક્રાઉનની અનુમતિ જરુરી છે.
ભારતના રાજબંધારણમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આપણે, કોઈપણ એક સંશોધન માટે બ્રીટીશ ક્રાઉનની અનુમતિ લેવી અનિવાર્ય છે.
ભારતના રાજબંધારણમાં આપણે માનવીય મૂળભૂત હક્કો અને કુદરતી હક્કોની ઉપરવટ જઈને આ હક્કોને હાની થાય તેવા ફેરફાર કરી શકતા નથી. કારણ કે ભારતીય રાજબંધારણ એક લોકશાહી વ્યવસ્થા માટે રચાયેલું છે અને તેમાં સત્ય અને ભારતીય જનતા સર્વોપરી છે. .
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »