Feeds:
Posts
Comments

Posts Tagged ‘કાશ્મિરી હિન્દુઓ’

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકો એટલે જેઓ પોતાને જ્ઞાનવાન, વિશ્લેષક અને તર્કશુદ્ધ અભિપ્રાયો ધરવાન નારા સમજે છે તેવા ચેનલ ઉપર ચર્ચા કરનારા નેતાઓ, કે વર્તમાનપત્રોમાં કટારીયાઓ અને મૂર્ધન્યો છે.

આપણે ફક્ત આજે એક કટારીયાભાઈ/ભાઈઓ ની જ વાત કરીશું. અને તે પણ ડીબી (દિવ્ય ભાસ્કર) માં લખતા એક કટારીયા ભાઈની તેમણે યુટ્યુબ ઉપર આપેલા કાશ્મિર સમસ્યા ઉપર તેમણે દાખવેલા અભિપ્રાય વિષે વાત કરીશું. આ પ્રવચન જો તમારે સાંભળવું હોય તો નગીનભાઈ સંઘવી સાથેનો સંવાદ યુટ્યુબના “સર્ચ” ઉપર  તમે “‘Samvaad – The Talk Show’ with Nagindas Sanghvi, A Renowned Political Analyst “ આમ ટાઈપ કરી મેળવી શકશો.

નગીનભાઈ સંઘવી એક માનનીય વ્યક્તિ છે. આવા માનનીય મૂર્ધન્યોની સંખ્યા ગુજરાતી જ નહીં પણ અંગ્રેજીમાં પણ ઓછી છે અને ભારતમાં જ નહીં પણ અમેરિકામાં પણ ઓછી છે.

આવા ગણ્યા ગાંઠ્યા કટારીયા લેખક જ્યારે કોઈ લાંબા ગાળાથી ચાલી આવતી સમસ્યા વિષે લખે ત્યારે સામાન્ય રીતે દાળમાં કોળું ન જાય. પણ, ક્યારેક  જાય  પણ ખરું. આ “દાળમાંનું કોળું” એક વ્યક્તિગત અભિપ્રાય છે.

હિન્દુ-મુસ્લિમ વ્યવહારો અને સંબંધો વિષે લખવું એટલે આમ તો બહુ નાજુક વિષય છે. કારણ કે આ બંનેને ધર્મને કારણે જુદા પાડવામાં આવ્યા છે. મુસ્લિમો પ્રમાણમાં વધુ સંવેદનશીલ છે. પણ હિન્દુઓ વધુ સંખ્યામાં હોવાથી સંવેદનશીલ હિન્દુઓની સંખ્યાને અવગણી ન શકાય.

 આપણે માંડીને વાત નહીં કરીએ. પણ ક્યાંથી ક્યાં સુધી?

અમુક કાશ્મિરી નેતાઓ ચંદ્રગુપ્ત મૌર્ય થી શરુઆત કરી એમ સાબિત કરવા માગે છે કે અમે ક્યારેય ભારતમાં હતા જ નહીં.

અમુક કાશ્મિરી હિન્દુઓ ભારતીય સંસ્કૃતિના મૂળમાં જાય છે અને કહે છે કે મોટાભાગના ભારતીય સંસ્કૃતિક સાહિત્યના સ્રોત કાશ્મિરના છે. જો કે તેમાંના કેટલાક હિન્દુ નેતાઓ અગાઉ સ્વતંત્ર કાશ્મિરની વાત કરતા હતા પણ તેઓ બેઘર થયા એટલે તેઓ ભાનમાં આવ્યા કે મુસ્લિમો કઈ રીતે તેમની સામે વર્તી શકે છે.

તટસ્થ રીતે વિચારો તો કાશ્મિર ક્યાં હોવું જોઇએ?

दानं भोगः  नाशः अस्य, तीस्रः गतिः भवन्ति वित्तस्य,

यो ददाति न भूंक्ते, तस्य तृतीया गतिः भवति

ધનની (અહીં કાશ્મિરની) ત્રણ ગતિઓ છે. કાં તો પાકિસ્તાનને દાનમાં આપી દો (અને તેને શૂન્ય થવા દો).

કાંતો કાશ્મિરને ભારતમાં રાખો તેનો વિકાસ કરીને યાત્ર સ્થળ તરીકે ભોગવો ,

કાંતો કશ્મિરને સ્વતંત્ર રાખો કે જેથી તે તિબેટની જેમ નાશ પામી જાય.

એવું કહેવાય છે કે શેખ અબ્દુલ્લા એક સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેઓશ્રી નહેરુના મિત્ર હતા. પણ જમ્મુ કાશ્મિરના રાજા સાથે તેમને ખાસ બનતું નહીં.

જેને આપણે “ભારત” અથવા “અખંડ ભારત” કહીએ છીએ તેનું રાજકીય અસ્તિત્ત્વ ૧૮૪૬માં આવ્યું કે જ્યારે જમ્મુના મહારાજા ગુલાબ સિંહે કાશ્મિરને સાઠલાખ રૌપ્ય મુદ્રામાં અંગ્રેજો પાસેથી લીધું, અંગ્રેજોને બે સુંદર કાશ્મિરી શાલ અને ત્રણ હાથ રુમાલ આપ્યા અને અંગ્રેજોની આણ માન્ય રાખી.

આથી વધુ જુની વાતને, દુનિયા માન્ય રાખશે નહીં અને હાસ્યાસ્પદ ગણાશે એ અલગ.

એમ તો આપણે આપણો દાવો પશ્ચિમમાં ઇરાન ઉપર અને અરબસ્તાન ઉપર, પૂર્વમાં વિએટનામ અને જાપાન સુધી અને દક્ષિણમાં જાવા સુમાત્રા સુધી કરી શકીએ. કારણ કે ક્યારેક હિન્દુ  રાજાઓ ત્યાં રાજ કરતા હતા. પણ તે દાવા માટે આપણી પાસે સગવડતા હોવી જોઇએ. જેમકે ચીનનું કહેવું હતું કે કોઈ એક કાળે તિબેટ ઉપર અમે રાજ કરતા હતા. અને નહેરુએ ચીનને તિબેટ ઉપર રાજ કરવાની સગવડ કરી આપેલ.

એ વાત જવા દો. એ વાતથી વિષયાંતર થઈ જશે.

અંગ્રેજોએ ગમે તેમ કરીને જીન્નાને પાકિસ્તાન કરી આપ્યું.

પણ દેશી રાજાઓ ના રાજ્યનું શું કરવું?

દેશી રાજાઓ માટે ત્રણ વિકલ્પ હતા. કાં તો પાકિસ્તાન સાથે જોડાય, કાંતો ભારત સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રહે. પણ આ પસંદગી મનમાની રીતે થઈ શકે તેમ ન હતું. તેમના રાજ્યની જનતાની સંમતિ જરુરી હતી.

જુનાગઢના નવાબ મનમાની કરવા ગયા તો એમના રાજ્યમાં વિદ્રોહ થયો. તેમને પાકિસ્તાન ભાગી જવું પડ્યું. હૈદરાબાદના નવાબ પણ મનમાની કરવા ગયા તો તેમના લશ્કરે શરણાગતિ સ્વિકારવી પડી. જમ્મુ કાશ્મિરના રાજાએ કશો નિર્ણય ન લીધો. તેમની ઈચ્છા સ્વતંત્ર રહેવાની હતી. શેખ અબ્દુલ્લાની ઈચ્છા પણ એવી જ હતી. ખાટલે મોટી ખોડ એ હતી કે એ બંને વચ્ચે બનતું ન હતું.

આવા સંજોગોમાં પાકિસ્તાનની દાઢ સળકી.

૧૫-૦૮-૧૯૪૭ તારીખથી બ્રીટીશ શાસનનો અંત આવતો હતો. જમ્મુ-કાશ્મિર રાજ્ય અવરજવર માટે  પાકિસ્તાન સાથે જોડાયેલું હતું. જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત પાકિસ્તાનની ફરજ હતી કે તે રોજ વપરાશની ચીજો જમ્મુ-કાશ્મિરને પૂરી પાડે. પણ પાકિસ્તાને નાકા બંધી કરી અને જીવન જરુરી વપરાશની ચીજો મોકલવાની બંધ કરી દીધી. તે ઉપરાંત પાકિસ્તાને સ્વાતંત્ર્યવીરોને નામે સૈનિકોને શસ્ત્ર સરંજામ સાથે જમ્મુ-કાશ્મિરનો કબ્જો લેવા મોકલી આપ્યા. એટલે કે પાકિસ્તાને સૈનિક આક્રમણ કર્યું.

હવે એક વસ્તુ સમજી લો કે પાકિસ્તાનની જમ્મુ-કાશ્મિર ઉપર દાવો કરવાની ત્રણ ગેરલાયકાત હતી.

(૧) ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત જ્યાં સુધી (૧૯૫૦) બધું થાળે ન પડે ત્યાં સુધી “સપ્લાય લાઈન ચાલુ રાખવી. પણ પાકિસ્તાને આ શરતનો ભંગ કર્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરની સપ્લાય લાઈન બંધ કરી દીધી,

(૨) દેશી રાજ્યને જનતાનો અભિપ્રાય નક્કી કરવાનો સમય આપવો. પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરમાં લોકમત થઈ જવાની રાહ ન જોઇ.

(૩) અનધિકૃત લશ્કરી કાર્યવાહી ન કરવી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર ઉપર લશ્કરી આક્રમણ કર્યું. પાકિસ્તાની લશ્કરે મુસ્લિમ ઇતિહાસમાં જેમ થતું આવ્યું છે તેમ કાશ્મિરમાં આક્રમણ કરી કત્લેઆમ અને બેસુમાર લૂંટફાટ કરી. અસંખ્ય સ્ત્રીઓ ઉપર (મુસ્લિમ સ્ત્રીઓ સહિત), બળાત્કારો કર્યા. જો પાકિસ્તાની લશ્કરે આવું કશું કર્યું ન હોત તો તેઓ શ્રીનગર સુધી કબજો કરી લીધો હોત.  પણ પાકિસ્તાની લશ્કરના સૈનિકો આવું બધું કરવાની લાલચ રોકી શક્યા નહીં. તેથી શ્રીનગર પહોંચવામાં મોડા પડ્યા.

બીજી એક વધુ વાત સમજી લો

શેખ અબ્દુલ્લા કાશ્મિરમાં લોકપ્રિય હતા. અને તેમને પાકિસ્તાન સાથેનું જોડાણ ધોળા ધરમેય મંજુર ન હતું. કારણ કે શેખ અબ્દુલ્લાને ધર્માભિમુખ મુસ્લિમ રાષ્ટ્ર સાથે જોડાણ પસંદ ન હતું. એટલે જમ્મુ-કાશ્મિરનું રાજ્ય પાકિસ્તાનને મળે એ શક્ય જ ન હતું.

ધારો કે પાકિસ્તાને આક્રમણ ન કર્યું હોત અને જો જમ્મુ-કાશ્મિરમાં જનમત લેવાયો હોત તો પણ જમ્મુ-કાશ્મિર રાજ્ય પાકિસ્તાનને મળે તે શક્ય જ ન હતું.

ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટનો પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર રાજ્ય અન્વયે ભંગ કર્યો છે એટલું જ નહીં પણ તેણે બલુચિસ્તાન ઉપર આક્રમણ કરીને પણ તે એક્ટની અંતર્ગત ભંગ કર્યો છે.

આ રીતે જોઇએ તો પાકિસ્તાન કાયદેસર રીતે પાકિસ્તાન, જમ્મુ-કાશ્મિર રાજ્ય ઉપર દાવો કરી જ ન શકે.

કારણ કે પાકિસ્તાન એક આક્રમણખોર રાષ્ટ્ર છે. તે ઉપરાંત પાકિસ્તાને યુનોના ઠરાવની શરતોનું પાલન કર્યું નથી. યુનોના ઠરાવની શરતો છે કે;

(૧) પાકિસ્તાને પોતાના કબજા હેઠળની કાશ્મિરની ધરતી ઉપરથી લશ્કર હઠાવી લેવું

(૨) પાકિસ્તાનનું લશ્કર હઠી ગયા પછી, ભારત ત્યાં મર્યાદિત સંખ્યામાં લશ્કર રાખી શકશે (કે જેથી ત્યાં  જનમત ગણના કરી શકાય.)

(૩) જ્યાં સુધી જનમત ગણના કાર્ય આ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન પોતાના કબજા હેઠળના કાશ્મિરમાં લશ્કરી કાર્યવાહી કરી શકશે નહીં.

પાકિસ્તાને યુનોના ઠરાવનો પણ ખુલ્લે આમ ભંગ કર્યો છે.

શું પાકિસ્તાનને કાશ્મિર ઉપર પ્રેમ છે ખરો?

ના જી. જરાપણ નહીં.

હવે તમે જુઓ.

jammu-and-kashmir

પાકિસ્તાને યુનોના ઠરાવનો અમલ ન કર્યો. તે વખતે “જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ” કે જેના નેતા શેખ અબ્દુલ્લા હતા તે એક માત્ર પક્ષ અસ્તિત્ત્વ ધરાવતો હતો. તેના ચૂંટાયેલા ૭૫ સભ્યોએ વિધાનસભાનું ઓગષ્ટ-સપ્ટેમ્બર ૧૯૫૧માં ગઠન કર્યું અને   લોકતંત્રમાં માન્ય પ્રણાલી દ્વારા તે વિધાન સભાએ ભારત સાથેનું જોડાણ સર્વાનુમતે માન્ય કર્યું. એટલે ભારત તરફથી તો જનમત ગણનાના કાર્યની સમાપ્તિ થઈ ગઈ. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાંની ૨૫ બેઠકો આજની તારીખ સુધી ખાલી છે. કારણ કે પાકિસ્તાન તેના સંસ્કાર પ્રમાણે લોકશાહીમાં માન્ય હોય તેવું કશું કરી શક્યું નથી.

જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ

કોઈ કહેશે કે જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ એટલે જનમત ગણના (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે કેમ ન કરી?

આનો જવાબ એ છે કે જે રીતે ભારતમાં પણ જનમત ગણના બીજા દેશી રાજ્યોમાં કરેલી, તે જ રીત જમ્મુ-કાશ્મિરમાં પણ અપનાવેલી.

બ્રીટીશ ઇન્ડીયામાં જે પ્રમાણે માન્ય પ્રદેશો હતા તે પ્રમાણે રાજ્યો રાખેલ. કચ્છ, સૌરાષ્ટ્ર, મૈસુર, વિગેરે વિષે પણ આમ જ હતું.

દેશી રાજ્યોમાં નાના મોટા ૭૦૦ ઉપર રાજ્યો હતા. દરેકમાં (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? કે  (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે જનમત ગણના થઈ ન શકે. વળી જનમતનું પ્રતિબિંબ તો વિધાનસભામાં પણ પડે જ છે. એટલે વિધાનસભાની મંજુરી પણ લોકશાહીને માન્ય જ કહેવાય.  

તો પછી આપણા કેટલાક અખબારી મૂર્ધન્યો અને કેટલાક સ્વયમેવ સિદ્ધ તર્કશાસ્ત્રીઓ કાશ્મિર ઉપરનો પાકિસ્તાનનો દાવો કેવી રીતે પુરસ્કૃત કરે છે?

હે ઇતિહાસકારો “તે વીરલાઓમાં” અમારું નામ પણ નોંધો

they-supported-mk-gandhi

જો આ સુજ્ઞ જનો સાચેસાચ મુંઝાયેલા હોય અને પોતાને તટસ્થ મનાવવાના કેફમાં હોય પણ તેમને ખબર ન હોય કે તેઓ કૅફમાં “હોંચી હોંચી” કરે છે. તો તેનું કારણ એ છે કે જમ્મુ-કશ્મિરમાં બહુમતિ મુસ્લિમો છે અને તેથી જ્યાં બહુ મતિ મુસ્લિમોની હોય તો તે પ્રદેશે પાકિસ્તાનમાં જવું જોઇએ.

આપણે જાણીએ છીએ અને એ વાતનો આપણને ગર્વ છે કે મહાત્મા ગાંધીની સાથે હિન્દ સ્વરાજ્યની લડતમાં કેટલાક તટસ્થ અંગ્રેજો અને યુરોપીયનો પણ સામેલ થયા હતા. રાજ તો અંગ્રેજોનું હતું તેમ છતાં પણ જનતંત્ર એવા બ્રીટનમાં રહેલા સત્યપ્રિય અંગ્રેજો આપણી લડતને સાથ આપતા હતા. જો આમ હોય તો પછી આપણામાં પણ કેટાલાક વીરલા નિકળવા જ જોઇએ કે જે જમ્મુ-કાશ્મિરના મુસ્લિમોની સ્વાતંત્ર્ય ની લડતમાં મુસ્લિમોને વૈચારિક સાથ આપે. એટલે આપણા કેટલાક સુજ્ઞ જનોએ વિચાર્યું કે તો પછી તે સત્ય પ્રિય વીરલાઓમાં આપણું નામ શા માટે નહીં?

samuel

આવા કંઈક ભાવ સાથે પણ કેટલાક મૂર્ધન્યો પોતાનો મત બાંધતા હોવા જોઇએ.

ખાટલે શી ખોડ છે?

ભારતની સ્વાતંત્ર્ય માટેની “હિંસક અને અહિંસક બંને લડત” અને કાશ્મિરના મુસ્લિમોની કહેવાતી “સ્વાતંત્ર્યની લડત”, આ બંનેમાં આભ જમીનનો ફેર છે.

ભારતની સ્વાતંત્ર્ય માટેની લડત એટલા માટે હતી કે ભારત અને બ્રીટનના કાયદા અલગ હતા.

બ્રીટનની પાર્લામેન્ટમાં ભારતનું તેની જનસંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ ન હતું.

ભારત બ્રીટનનું એક રાજ્ય ન હતું.

જે સ્વાયત્તતા બ્રીટનના નાગરિકો પાસે હતી તેવી સ્વાયત્તતા ભારતના નાગરિકોની પાસે ન હતી.

બ્રીટનની સરકાર, ભારત ઉપર દેખરેખ રાખવા એક ગવર્નર જનરલ (વાઈસરોય) અને અનેક ગવર્નરો મોકલતી.

આ બધા કારણસર ભારતની સ્વાતંત્ર્યની લડત વ્યાજબી હતી.

આ ઉપરાંત

ભારતની અહિંસક લડતના સૈનિકો વાટાઘાટો માટે તૈયાર રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો સરકારના સક્ષમ અધિકારીને પોતાની આગામી આંદોલનની પૂરી રુપરેખા આપતા હતા, અને તે પ્રમાણે આંદોલનો કરતા હતા,

ભારતની અહિંસક લડતના સૈનિકો, ખૂલ્લા મોઢે આંદોલન કરતા. ભારતની અહિંસક લડતના સૈનિકો કદી બુકાની બાંધી મોઢું સંતાડીને આંદોલન કરતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો છૂપાવતા નહી, ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો કબુલ કરતા. ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર છોડતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો કદી પણ જામીન ઉપર છૂટવા માટે અરજી કરતા નહીં,

ભારતની અહિંસક લડતના સૈનિકો જેલમાં હોય ત્યારે પણ સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર રહેતા,

ટૂંકમાં ભારતની અહિંસક લડતના સૈનિકોની લડત સંપૂર્ણ પારદર્શી અને નિયમ બદ્ધ હતી. તેઓ સ્વેચ્છાએ અને મફતમાં લડત ચલાવતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો અને નેતાઓ સાદગી થી રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકોને પૂરો ખ્યાલ હતો કે સ્વતંત્રતા મળ્યા પછી ભારતમાં રાજ્યવ્યવસ્થા કેવી હશે.

ભારતની અહિંસક લડત અને હિંસક લડત બંને ના સૈનિકો અને નેતાઓ ની દૃષ્ટિ સાફ હતી કે સ્વતંત્રભારત એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર હશે.

જો આપણે લોકશાહી દૃષ્ટિ એ જોઇએ તો કાશ્મિર તો સ્વતંત્ર જ છે.

 કાશ્મિરમાં કાશ્મિરની જનતા જ પોતાના પ્રતિનિધિ ચૂંટે છે.

કશ્મિરના પ્રધાનમંડળમાં કાશ્મિરીઓ જ હોય છે.

કાશ્મિરનું પ્રતિનિધિત્વ ભારતની પાર્લામેન્ટમાં તેની જનસંખ્યાના પ્રમાણમાં હોય છે.

ભારતના કેન્દ્રના પ્રધાનમંડળમાં કાશ્મિરી પ્રધાન હતા અને હજુ હોઈ શકે છે.

કાશ્મિરની લડતને વિષે એવું ન કહી શાકય કે તે સ્વતંત્રતા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કાયર છે કે જેથી તેમને પોતાના મોંઢાં છૂપાવવા પડે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો, પોલીસોને અને ભારતીય લશ્કરના સૈનિકોને નિશાન બનાવે છે જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કે નેતાઓ વાટાઘાટો માટે તૈયાર નથી.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાના ગુનાનો ઇન્કાર કરે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો ધારોકે પકડાઈ જાય તો જામીન ઉપર છૂટવા સદા તૈયાર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાનો ગુનો છૂપાવે છે. તેમનો ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે લોકશાહી એટલે શું અને તેમની લડત શા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે તેમને કઈ જાતની આઝાદી જોઇએ છે. તેમની હાલની આઝાદી તેમની માંગ વાળી આઝાદી થી કઈ રીતે અને કેટલી જુદી પડે છે તેની ચર્ચા પણ કરવા તેઓ તૈયાર નથી..

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં પૈસાને આધારે કામ કરે છે. તેના નેતાઓ બીજાના સંતાનોને જતિ કરવા નિકળ્યા છે અને પોતાના સંતાનોને ઉચ્ચ વિદ્યાલયો અને ઉચ્ચ વિશ્વવિદ્યાલયોમાં ભણાવે છે.

કાશ્મિરની લડત ચલાવતા નેતાઓ જાહોજલાલીથી જીવે છે અને ગરીબોને ધર્મને નામે ઉશ્કેરી આંદોલન ચલાવે છે. કાશ્મિરના કહેવાતા સ્વાતંત્ર્યની લડત ચલાવતા નેતાઓ કાશ્મિરને અમાનવતા વાદી રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મૂર્ધન્યો પ્રશ્ન કરશે કે;

જો મુસ્લિમ બાહુલ્યવાળા પાકિસ્તાનને આપણે ખુદા ભરોસે છોડી દઈ શકીએ છીએ તો મુસ્લિમ બાહુલ્યવાળા જમ્મુ-કાશ્મિરને પણ ખુદા ભરોસે શા માટે છોડી ન દેવો?

જમ્મુ-કાશ્મિર કંઈ એકલું રાજ્ય ન હતું કે જે ભારત સાથે લોકશાહી માર્ગે જોડાયું. બીજા ૭૦૦ રાજ્યો હતા કે જેના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભારત સાથે નું જોડાણ મંજુર રાખ્યું. જો પચાસના દશકામાં  જમ્મુ-કાશ્મિર રાજ્યનું ભારત સાથેનું જોડાણ બીજા રાજ્યોની જેમ જ થયું હોય તો કાશ્મિરમાં  ફરી જનમતની માગણી કેવી રીતે કરી શકાય?

વહાબી વિચાર ધારા

પાકિસ્તાનની વહાબી વિચાર ધારાવાળી સંસ્થાઓ કાશ્મિરીઓને પૈસા વેરી ઉશ્કેરે છે. આ વાત જેઓ ન જાણતા હોય તેમણે રાજકારણમાં પોતાની ચાંચ ખોસવી નહીં.

કાશ્મિરની અશાંતિ વહાબીઓને કારણે છે. વહાબીઓનું ધ્યેય અને કાર્યસૂચિ કટ્ટાર પંથી છે. જે ઇસ્લામિક દેશ શાંતિપ્રિય છે તેઓ વહાબીઓને માન્ય રાખતા નથી.

વહાબીઓની હાલની વાત રાજકીય સ્વાતંત્ર્યની છે અને સાથે સાથે શરિયત કાયદો લાગુ કરવાની પણ છે. વહાબીઓ ધાકધમકી, બળદ્વારા અને પૈસા દ્વારા પોતાની વિચારસરણી કાશ્મિરીઓ ઉપર ઠોકવા માગે છે.

જે પ્રદેશના નેતાઓ પૈસા ખાવામાં રચ્યા પચ્યા રહ્યા હોય ત્યાં બેકારી વધે. બેકાર માણસ પૈસા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય.

ફરુખ અને ઓમરે પૈસા ખાવા સિવાય કાશ્મિરમાં વિકાસ માટે કશું કર્યું નથી. એટલે કાશ્મિરની જનતા અને ખાસ કરીને યુવાનોમાં બેકારી વધી. પાકિસ્તાન તેનો કોઈપણ ભોગે લાભ લેવા માગે છે.

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી. જેમ હિન્દુ અને અઘોરી પર્યાયવાચી નથી. જો કે અઘોરી કરતાં વહાબી વધુ ભયજનક છે કારણ કે અઘોરી પોતાનો પંથ પોતાના પુરતો મર્યાદિત રાખે છે. પણ જો તેને રાજકીય સાથલેવા માટે ઉશ્કેરવામાં આવે અને જો તે ઉશ્કેરાય પણ ખરો તો આવા અનેક અઘોરીઓનું જુથ વહાબીઓ જેટલું ભયજનક બની શકે.

તમે યાદ કરો કે ખાન અબ્દુલ ગફારખાને શું કહ્યું હતું?

ખાન અબ્દુલ ગફારખાને, નહેરુવીયન કોંગ્રેસને કહ્યું હતું કે “તુમ લોગોંને હમે ભેડિયોંકે હવાલે કર દિયા.”

સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા

વહાબીઓ અત્યારે રાજકીય તાકાત મેળવવા લડે છે. રાજકારણમાં અનેક પ્રવાહો વહેતા હોય છે. જો આપણે એવું માનીએ કે વહાબીઓનો અવાજ એ કાશ્મિરીઓનો અવાજ છે તો તે રાજકીય અપરિપક્વતા ગણાશે.

નગીનભાઈ સંઘવીએ જે કહ્યું કે કાશ્મિરીઓ ભારતથી અલગ થવા માગે છે. આપણે આ પ્રદેશ છોડી દેવો જોઇએ.

જોકે આ પ્રકારનું બોધગ્રહણ,  તે તેમના એકલાનું બોધગ્રહણ નથી.

આ પહેલાં ૧૯૭૮-૭૯માં ભૂમિપુત્રના સંપાદક/તંત્રી શ્રી કાંતિભાઈ શાહ કે જેઓ કાશ્મિરમાં જઈ આવ્યા હતા તેમનું પણ આવું જ બોધ ગ્રહણ હતું. તે વખતે મેં તેમને ભૂમિપુત્રમાં સિક્કાની બીજી બાજુ બતાવતો એક લેખ મોકલી આપ્યો. (તે લેખ તેમણે છાપ્યો નહીં. વાંધો નહીં આપણે શોક ન કરવો).  ગાંધીજીના અનુયાયીઓ પૂર્વપક્ષને સાંભળે જ સાંભળે તે વાત તેમને મંજુર ન હોય.

આપણે એક વાત સમજવી જોઇએ કે રાજકારણ હમેશા પ્રવાહી હોય છે. અને વળી તેમાં આંતરિક અને બાહ્ય પ્રવાહો પણ હોય છે.

ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન

શ્રેષ્ઠ ઉદાહરણ ૧૯૭૩-૭૪નું ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન છે. આ આંદોલન મોટે ભાગે અહિંસક હતું. આ આંદોલનને બહારના જે લોકોએ જોયું, તે લોકોએ તેની સરખામણી ૧૯૪૨ના આંદોલન સાથે કરી હતી. રવિશંકર મહારાજ જેવા સ્વચ્છ અને ગાંધીવાદી નેતાએ પણ ચિમનભાઈ પટેલને કહ્યું કે તમે મુખ્ય પ્રધાનપદે થી રાજીનામું આપો. જયપ્રકાશ નારાયણ જેવા અનેક નેતાઓ નવનિર્માણના આંદોલનથી આકર્ષાયા હતા.

નવનિર્માણના આ આંદોલનને કારણ્ર ૧૯૭૪માં ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવું પડ્યું તે વખતે જેની શાસકીય રીત રસમ સામે આ નવનિર્માણ આંદોલન થયું હતું તે નહેરુવીયન કોંગ્રેસની શી સ્થિતિ હશે તેની તમે કલ્પના કરો.

જ્યારે ૧૯૭૫માં ગુજરાત વિધાન સભાની ચૂંટણી થઈ, ત્યારે એમ જ લાગતું હતું કે નહેરુવીયન કોંગ્રેસને એક પણ બેઠક મળશે નહીં. જનતા મોરચો જ બધી જ બેઠકો મેળવી જશે.

પણ થયું શું?

જનતા મોરચાએ બહુમતિ કરવા માટે ચિમનભાઈ પટેલના કિમલોપનો સહારો લેવો પડ્યો.

૧૯૮૦માં શું થયું?

આજ નહેરુવીયન કોંગ્રેસ પક્ષ વિધાન સભામાં પૂર્ણ બહુમતિ સાથે સત્તા ઉપર આવ્યો. નહેરુવીયન કોંગ્રેસની સત્તા ૧૯૯૫ સુધી ગુજરાત ઉપર કાયમ રહી.

આ બધાનું કારણ શું?

રાજકારણમાં આંતરપ્રવાહો વહેતા હોય છે. કાશ્મિરમાં અને તેની જનતામાં પણ આંતર પ્રવાહો છે અને તે ઝી-ન્યુજ઼ ટીવી ચેનલ બહાર લાવી રહ્યું છે.

પુનર્વિચારણા શક્ય નથી

tibet-and-jammu-kashmir

તમે કાશ્મિરનો ભારત સાથેના જોડાણનો પ્રશ્ન પુનર્વિચારણા માટે ઉખેળી શકો નહીં. આની અસર બીજા રાજ્યોની ઉપર પણ પડે.

તમે જાણો જ છો કે પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ખ્રીસ્તીઓ બહુમતિમાં હોવાથી તેઓ પોતાને યુરોપના ફરજંદ માને છે. તેમણે તેમની લિપિ જે અગાઉ દેવનાગરી જેવી અક્ષરલિપિ હતી તે તેમણે બદલી નાખી અને પોતાની ભાષાની લિપિ શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ) કરી નાખી છે.

તેમનામાં આવી ભાવના કોણ ઉત્પન્ન કરેછે?

ખ્રીસ્તી પાદરીઓ સેવાના ઓઠા હેઠળ, ધાર્મિક વિભાજનવાદ પણ ફેલાવે છે.  જેમ કાશ્મિરમાં પાકિસ્તાન પૈસા વેરે છે તેમ પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રીસ્તીઓ પૈસા વેરે છે. જો કાશ્મિરમાં “ભારતમાં થયેલ વિલય” ને પુનર્વિચારણા માટે મંજુર કરવામાં આવે તો બીજે બધે પણ આવી માગણી ઉઠે. ખ્રીસ્તીઓ પૂર્વોત્તર રાજયોમાં પૈસા  વેરવાની ઝડપ અને પ્રમાણ પણ વધારશે. પૂર્વોત્તર રાજ્યોની જનતા પણ કહેશે કે અમને ભારતીય રાજકીય રીતરસમ પસંદ નથી તેથી અમારે જુદો દેશ જોઇએ છે. આપણા કહેવાતા ભારતીય સુજ્ઞજનો તેમની માગણીને હવા આપશે જ. આપણું પત્રકારિત્વ પીળું છે તે ભારતમાં તો સૌકોઈ જાણે છે.

આ વાત પણ વિચારો.

ધારો કે રશિયા અલાસ્કાના લોકોને ઉશ્કેરે અને શસ્ત્રો પણ પૂરા પાડે અને તેમને પાકિસ્તાન જેમ કાશ્મિરમાં વહાબીઓને મદદ કરે છે તેમ અલાસ્કાવાસીઓ પાસે માગણી કરાવે કે અમને યુએસની રાજકીય રીતરસમ પસંદ નથી તો યુએસ શું કરશે? શું યુએસના સુજ્ઞ જનો, અલાસ્કાવાસીઓને સહકાર આપશે?

સ્પેનની સરકાર પણ, યુએસના ટેક્સાસ રાજ્યમાં આવું કરી શકે. ટેક્સાસમાં સ્પેનીશભાષા પણ ચલણમાં છે. સ્પેનના લોકો ટેક્સાસમાં રહેતા મેક્સીકન લોકોને ઉશ્કેરે. પૈસા આપી મેક્સીકોમાંથી આતંકીઓને પણ મોકલે. ટેક્સાસના આ લોકોનું જુથ આંદોલન ચલાવે કે અમને યુએસની રીતરસમ વાળું રાજ્ય પસંદ નથી. અમારે અમારો સ્વતંત્ર દેશ જોઇએ છીએ.

ફ્રાન્સના લોકો પણ કેનાડાના ક્યુબેક રાજ્યમાં જનતાને ઉશ્કેરે કે તેમને અંગ્રેજીના આધિપત્યવાળી સરકારની રીતરસમ પસંદ નથી. અમારે સ્વતંત્ર અને ફક્ત ફ્રેન્ચ ભાષી દેશ જોઇએ છીએ.

આપણે એક બીજી વાત પણ સમજવી જોઇએ કે ભારતમાં ફક્ત સીમાવર્તી રાજ્યોમાં જ આવો અલગતા વાદ વિકસે એટલું માત્ર નથી. ભારતમાં એવા ઘણા નાના મોટા વિસ્તારો છે કે જ્યાં ધાર્મિક લઘુમતિ કોમો બહુમતિમાં છે. તમે જુઓ પણ છો કે તેના નેતાઓ કેવું બેફામ બોલે છે. કેરાલામાં તો તે લઘુમતિ કોમે પોતાની બહુમતિને કારણે અલગ જિલ્લાની રચના પણ કરી છે.

આવી મનોદશા કોણે ઉત્પન્ન કરી?

નહેરુવીયન કોંગ્રેસે સત્તા માટે મતબેંકો ઉભી કરી છે. તેણે લઘુમતિ કોમોને વકરાવી છે. નહેરુવીયન કોંગ્રેસના આ સંસ્કાર, બીજા વંશીય અને સ્થાનિક પક્ષોમાં પણ આવ્યા છે.

એટલે ભૂલે ચૂકે પણ જો કાશ્મિર ને અલગ કરીયે તો ચીન તેની ઉપર કબજો જમાવી દે, આ વાત પણ શક્ય છે. જે ચીન તિબેટ જેવડા મોટા દેશ ઉપર કબજો જમાવી શકે તેને માટે કાશ્મિર તો ડાબા હાથનો ખેલ છે. આ માત્ર ભયસૂચક નથી. પણ ભારતમાં ઠેર ઠેર આવા આંદોલનો ફાટી નિકળે. આવે વખતે હિન્દુઓનો અમુક વર્ગ શાંતિથી બેસી રહી ન શકે. ગૃહ યુદ્ધની સંભાવના જરાપણ નકારી ન શકાય.

તો પછી કાશ્મિર સમસ્યાનો ઉપાય શો?

ધર્મથી મહાન શું છે? આવા પ્રશ્નનો ઉત્તર “ગરમ હવા” નામની ફિલમ માં મળે છે.

એક મુસ્લિમ ભાઈએ ભારતમાં સરકારી કામનું ટેન્ડર ભર્યું. તેમના ઘરમાં કોઈ માનતું ન હતું કે આ ટેન્ડર આ મુસ્લિમ ભાઈને મળશે. કારણ કે ટેન્ડર સમિતિના બધા સભ્યો હિન્દુ હતા. મુસ્લિમ ભાઈ ઘરે આવ્યા અને ઘરમાં આવીને કહ્યું કે ટેન્ડર મને મળ્યું છે. ઘરના લોકોએ મોઢું વકાસી પૂછ્યું “કેવી રીતે?

મુસ્લિમભાઈએ કહ્યું “ધર્મસે ભી એક ચીજ મહાન હૈ. …..  વહ મહાન ચીજ઼ હૈ …. રિશ્વત”

રિશ્વત એટલે લાંચ. લાંચ એટલે પૈસા. પૈસા પ્રાપ્ત કરવાના રસ્તા કાળા ધોળા હોઈ શકે. પણ પૈસો તો હમેશા ધોળો જ હોય છે. વિકાસ કરો. બેકારી દૂર કરો. જો કાશ્મિરી પ્રજા સુખ સમૃદ્ધ થશે તો કાશ્મિરમાં થી ૯૫ ટકા આતંકવાદ નાબુદ થશે. જે ૫ ટકા આતંકવાદ બચશે તેને બળપૂર્વક નાબુદ કરી શકાશે.

મુસ્લિમો પણ સારા સુખ-સમૃદ્ધ જીવન જીવવા માટે પાકિસ્તાન છોડી વિદેશ જતા રહે છે. તેઓ વિદેશનું નાગરિકત્વ પણ સ્વિકારે છે. આમ કરવામાં તેમને તેમનો ધર્મ આડે આવતો નથી.

મુસ્લિમો, ભારતમાં ઘુસણખોરી શા માટે કરે છે? કારણ કે તેમને જીવવું છે. તેમને લાગે છે કે ભારતમાં સારા જીવનની શક્યતા છે. બે કરોડ મુસ્લિમ ઘુસણખોરો કંઈ આતંક કરવા ભારતમાં પ્રવેશતા નથી.

એ વાત નકારી ન શકાય કે પાકિસ્તાન આવા કેટલાક ઘુસણખોરોનો અસામાજિક કામો માટે ઉપયોગ કરે છે.

જો સરકાર એટલે ખાસ કરીને રાજ્ય સરકારો કાયદો અને વ્યવસ્થા માટે “રુલ ઓફ લૉ” માટે કૃતનિશ્ચયી થશે, “ગુનો કર્યો એટલે જેલમાં જ ગયો” એવી વહીવટી અને ન્યાય વ્યવસ્થા થશે તો કાશ્મિર ની સમસ્યા આપોઆપ મરી જશે.

નરેન્દ્ર મોદી આ બધું જાણે છે.

%e0%a4%b8%e0%a5%87%e0%a4%95%e0%a5%8d%e0%a4%af%e0%a5%81%e0%a4%b2%e0%a4%b0-%e0%a4%87%e0%a4%a8%e0%a5%8d%e0%a4%a1%e0%a5%80%e0%a4%af%e0%a4%be

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સુજ્ઞ લોકો, કાશ્મિર સમસ્યા, ભ્રમણા, કટારીયા, નગીનભાઈ સંઘવી, મર્ધન્ય, હિન્દુ મુસ્લિમ સંબંધ, ચંદ્રગુપ્ત મૌર્ય, કાશ્મિરી હિન્દુઓ, સંસ્કૃત સાહિત્યનો સ્રોત, તટસ્થતા નો કેફ, શેખ અબ્દુલ્લા, નહેરુ, સ્વાતંત્ર્ય સૈનિક, અખંડ ભારત, ૧૮૪૬, ૧૯૪૭, ૧૯૫૧, અંગ્રેજો, પાકિસ્તાન, ગુલાબ સિંહ, હરિ સિંહ, દાવો, હિન્દુ રાજાઓ, તિબેટ, દેશી રાજ્ય, ફારુખ, ઓમર, જીવન જરુરી વપરાશની ચીજો, ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્ટ એક્ટ, શ્રીનગર, આક્રમણ, જનમત, યુનોનોઠરાવ, જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ, ભારત સાથેનું જોડાણ, વિધાનસભા, વીરલાઓ, બહુમતિ મુસ્લિમો, હિંસક અને અહિંસક બંને લડત, બ્રીટનની પાર્લામેન્ટ, મોઢું સંતાડીને આંદોલન, વાટાઘાટો કરવા તૈયાર, પારદર્શી અને નિયમ બદ્ધ, બની બેઠેલા નેતા, વહાબી વિચાર ધારા, વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી, સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા, ભૂમિપુત્ર, રાજકારણ હમેશા પ્રવાહી, નવનિર્માણનું આંદોલન, . રવિશંકર મહારાજ, ગાંધીવાદી નેતા, ચિમનભાઈ પટેલ, જયપ્રકાશ નારાયણ, પુનર્વિચારણા, દેવનાગરી જેવી અક્ષરલિપિ, શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ), ખ્રીસ્તી પાદરીઓ, પૂર્વોત્તર રાજ્યો, અલાસ્કાના લોકો, મેક્સીકન લોકો, કેનાડા,  ક્યુબેક રાજ્ય

  

 

 

 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

પ્રેસ્ટીટ્યુટ અને જ્ઞાતી વાદી રાક્ષસો અભણ સમાજમાં શું શું કરી શકે? ભાગ- ૨

હવે તમે કહેશો કે દાખલો તો આપો…

“આનંદી બેનને મોવડી મંડળે અલ્ટીમેટમ આપ્યું કે ૧૫ દિવસમાં પાટીદારોની સમસ્યા દૂર કરો, નહીં તો પદ છોડવા તૈયાર રહો” ન્યુઝ સોર્સ “આધારભૂત”.

કેમ ભાઈ! સમાચારના સોર્સનું નામ નહીં જણાવ્યું? સોર્સ નું નામ જણાવવાની હિંમત નથી? સમાચાર પત્રોએ તો હિંમતવાળા થવું જોઇએ.

કેમ ભાઈ! ખોટા પડવાનો ડર છે? જો આવો ડર છે તો સમાચાર છાપો છો જ શા માટે? આવા સમાચાર નહીં આપો તો શું ધરતીકંપ થવાનો છે?

“અરે ભાઈ, અમે ખોટા તો પડવાના જ છીએ. પણ અમારો એજન્ડા એ છે કે આ પાટીદારોના આંદોલનકારીઓને થોડી ચાનક તો ચડાવી જોઇએ ને! આ આંદોલન જ્યારે પૂરપાટ ચાલતું હતું ત્યારે મોવડી મંડળે આનંદીબેનને અલ્ટીમેટમ આપવું જોઇએ તેવું “આધારભૂત” સ્રોત વાળી વાત અમને યાદ ન આવી. હવે જ્યારે આંદોલન નબળું પડી ગયું હોય ત્યારે તેમને “પાનો” ચડાવવા અમારે આગળ તો આવવું જ પડે કે જેથી પાટીદાર નેતાઓને લાગે કે હમ ભી કુછ કમ નહીં હૈ. સાથે સાથે જનતાને એક સંદેશો જાય કે બીજેપીમાં ગડમથલ છે. અફવા તો અફવા. લાગ્યું તો તીર નહીં તો તુક્કો. જીભ સાબદી તો ઉત્તર ઝાઝા.

દાખલો બીજોઃ

“યશવંત સિંહાના નિવેદનથી હોબાળો. રાજીનામાની માંગ.”

યશવંત સિંહા અસહિષ્ણુતા વિષે કંઈક બોલ્યા. એટલે એની અસર વ્યાપક પડી છે તેવો સંદેશો આપવો જરુરી છે. એટલે “હોબાળો” શબ્દ તો હાથ લાગી ગયો. નહેરુવંશી ઇન્દિરાઈ કટોકટી ફેઈમ કોંગ્રેસ તો નૈતિક રીતે રાજીનામુ માગી ન શકે. જો કે નહેરુવંશી કોંગ્રેસને નીતિમત્તા સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી તેથી તે તો રાજીનામું માગે પણ ખરી. પણ ધારો કે નહેરુવીયન કોંગ્રેસના નેતાએ રાજીનામું માગ્યું હોય તો તેને છૂપાવવું જરુરી નથી. કારણ કે કોંગીજનો તો આંદોલનપ્રિય અને ખ્યાતિભૂખ્યા છે. તો પછી રાજીનામું માગ્યું કોણે? અને કોનું રાજીનામું માંગ્યુ? સમાચારના વિવરણમાં કશી માહિતિ મળતી નથી. જો કે ટીવી ચેનલોએ શબ્દસઃ વીડીયો ક્લીપ બતાવી શકી નથી. યશવંત સિંહાએ મોદી વિષે કહ્યાનું નકાર્યું છે. સમાચાર માધ્યમનો એજન્ડા “નો નેગેટીવ” ન્યુઝ, ન્યુઝ માટે લાગુ પડતો નથી.

દાખલો ત્રીજોઃ

હે વાચક ભાઈઓ, પાટીદારભાઈઓના એક વર્નાક્યુલર સમાચાર માધ્યમ જનિત નેતા જેલમાં સબડે છે. જો આ નેતા જેલની બહાર હોત તો તેને “અઘ્યા-પાદ્યાના” સમાચાર (વિષ્ટા ઉત્સર્જન અને તેજ માર્ગે થતા વાયુ-ઉત્સર્જનના સમાચાર) અમે આપતા રહેત. હવે તેઓ જે કંઈ કરે તે સમાચાર મને મળતા નથી તેથી અમે બેચેન છીએ. અમે તેમને અવારનવાર પત્રો લખતા રહેવાની ભલામણ કરી છે. અને તેથી તેઓશ્રી લખતા રહે છે. અમે તેમના લખેલા પત્રોને ભરપુર કવરેજ આપીએ છીએ. સાથે સાથે અફવાઓ પણ ફેલાવીએ છીએ. “પાટીદાર ભાઈઓને જેલમાંથી મૂક્ત કરો, અમે તમારી સાથે છીએ” (જો કે હે વાચક ભાઈઓ અમે એમ નહી લખીએ કે કાયદાને કાયદાનું કામ કરવા દો. જો પાટીદાર ભાઈઓ નિર્દોષ છે તો કાયદો તેમને અડી શકશે નહીં. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે.)  હા વાચકભાઈઓ, અમે એવું જરુર લખીશું કે ફલાણા પાટીદાર નેતાએ આનંદીબેનને અલ્ટીમેટમ આપ્યું છે કે ત્રણ માસમાં પાટીદારોની સમસ્યાનો નીવેડો લાવો નહિં તો પદ છોડો.

દાખલો ચોથોઃ

નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન થી ગદગદ છે.  (નરેન્દ્ર મોદીની “મનકી બાત” ને મજાકીયું હેડીંગ)

દાખલો પાંચમોઃ

દલિત પરિવારોને ફાળવાયેલી હજારો એકર જમીન કાગળ પર. સીએમને પત્ર. ભારત સરકાર પર આરોપ લગાવ્યો. ઉદ્યોગ ગૃહને ફાળવવાનું કવત્રું. દલિત, આદિવાસી, ઓબીસીના જમીન અધિકાર પર તરાપ, સરકારની મેલી મુરાદ બહાર આવી …..

હે વાચકો તમે એ સવાલ ન પૂછશો કે ૧૯૪૭ થી ૧૯૯૩ સુધીમાં  દલિત, આદિવાસી, ઓબીસીને ફાળાવાયેલી જમીન અત્યારે કોના કબજામાં છે.

દાખલો છઠ્ઠોઃ

ભાજપ પ્રદેશપ્રમુખ પદ કેટલે …

પાટીદારો સમાધાન કરે એટલે.

ભાજપ અને આંદોનલ કારીઓ વચ્ચે એવી ગાંઠ પડી છે કે જે કેમેય કરીને છૂટી રહી નથી.

દાખલો સાતમોઃ

થરુરના “હિન્દુ” ટ્વીટ પર અનુપમ ખેર ભડક્યા…. જીએલએફમાં હોબાળો થયો. રીયલ લાઈફ એન્ગ્રીમેન…

હે વાચકો અમે છેલ્લા ૨૫ પ્લસ વર્ષોથી આતંકિત પીડિત કશ્મિરી હિન્દુઓ વાત નહીં કરીએ. અમને એમાં રસ નથી. કારણ કે એમાં તો નહેરુવંશી કોંગ્રેસની અને તેના સાથી પક્ષોની સંડોવણી  જે અમારા એજંડાની બહારની વસ્તુ છે. અનુપમ ખેરની તે વિષે શું સ્થિતિ છે તે વિષે અમે કહીશું નહીં. અમે તો ફક્ત યેનકેન પ્રકારેણ બીજેપીને ઉપર કોમવાદ વિષે સાંકળી શકાય તેવી જ વાત કહીશું.

દાખલો આઠમોઃ

તંત્રી મહાશયને “હૈદ્રાબાદના ‘બત્રીસ લક્ષણાના બલીદાન એળે જવાનો ડર લાગે છે. આ બત્રીસ લક્ષણા ભાઈનું એક લક્ષણ યાકુબને આપેલી ફાંસીના વિરોધનું હતું.

પટેલ આગેવાનને મોટોભા બનાવવાનો તો તેમનો ધર્મ જ છે. “હાર્દિક પટેલ કોઈની જાગીર નથી. …” અહો … કેવી સુંદર શોધ અને કેવું પરમ સત્ય.અરે ભાઈ તૂં તારી રોજનિશી લખ અને કોણ કોણ તને મળ્યું અને શી વાત કરી તેની નોંધ રાખ. અપને મૂંહ મિયાં મીઠ્ઠું ક્યોં બનતા હૈ.

“પાટીદારોની બીકે સીએમએ ૧૭ કિલોમીટર દૂરથી બ્રીજ ખૂલ્લો મૂક્યો. વરાછાના સરથાણ આ બ્રિજનું રિમોટથી ઉદ્ઘાટન કર્યું” ડીબીની હેડલાઈન.

” બ્રીજ એક માસથી તૈયાર હતો. અને છતાં ન કર્યો, તો આથી રુડી તક ક્યારે મળશે. બાંધો શિર્ષક મારા વીરા. સાથે લખો …

“ભાજપમાં ભારે રોષ…. વાતાવરણમાં અશાંતિ ફેલાય નહીં તે માટે મુખ્ય મંત્રીએ આવું કર્યું….” સાથે લખો … “… કરોડોના ખર્ચે તૈયાર થયેલો બ્રીજ આ રીતે મહાનુભાવોને બોલાવ્યા વગર રિમોટથી ખૂલ્લો મૂક્યો. (મારા વાલીડા) પાટીદારો અટકચાળો કરે તો… બુધવારની રાતથી સરથાણા, વરાછા અને કપોદ્રા સુધી પોલીસ સ્ટાફને ખડે પગે તહેનાત કરાયો હતો ….” એવું પણ લખો.

વાચક ભાઈઓ આવી તો અમે અપાર વાનગીઓ આપને પીરસીશું.

હવે આપણે અમુક કટારીયા લેખકો મૂર્ધન્યોની માનસિકતાની વાતો કરીશું?

એક કટારીયા લેખકભાઈ

એક કટારીયા લેખકભાઈ પોતે પાટીદાર (!) હોવાથી હમેશા એક દિશાનું જ વિચારે છે. તેઓ શ્રી શું લખે છે?

“છાસ લેવા જવું છે પણ દોણી સંતાડવી છે ભાજપને”…

વાસ્તવમાં લેવા વાળા, એટલેકે માગવાવાળા તો પાટીદાર જ છે. એટલે દોણી તો એમના હાથમાં જ છે. પણ લખો મારા બાપા…. લખવામાં મોળું શા માટે લખવું? હેં ભૈ! હૉવઅ.

“પાટી દારોને મનાવવા પણ છે અને પોતે ઝૂકી નથી ગયા એમ દેખાડવું પણ છે” એવો સંદેશો આપો. કોઈનું નામ ન લઈએ તો બધું બભમ બભમ ચાલે. રાજા ભોજ, વીર વિક્રમ, ગંગુ તેલી બધી જ વાતો કરી શકાય. અરે રામરાજ્ય ની પણ વાત કરી શકાય.  રામ મંદિરને પણ આપણી વાતમાં ઘુસેડી શકાય.

“ભાજપને ગુરુજ્ઞાન લાધ્યું…સ્થાનિક સ્વરાજની ચૂંટાણીઓમાં નિષ્પ્રાણ સૂતેલી કોંગ્રેસને પાટીદારોએ જીતાડી દીધી. … ભાજપના બધા નેતાઓ એકસૂરે કહે છે પાટીદારો અનિવાર્ય છે… બિચારાની હાલ સાપે છછૂંદર ગળ્યા  જેવી થઈ છે. એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે… બીજેપી ની નીતિ બેધારી છે…  ભગત સિંહનો માર્ગ …. ગાંધી ચીંધ્યો માર્ગ … બે ચાર પોલીસવાળાને મારીને મરો … દરેક ગામે ગામ પાટીદારો કાર્યક્રમ આપી રહ્યા છે …. સરાકારી કાર્યક્રમોનો વિરોધ એટલું કોમન છે …. વડિલોનો ભાજપ પ્રત્યેનો ભક્તિભાવ આંધળો છે….” આવું અનેક તીકડમ આપણા આ કટારીયાભાઈ તેમની કટારમાં ચલાવ્યા કરે છે. પણ ખાટલે ખોડ એ છે કે બીજેપીને ગુરુજ્ઞાન લાધ્યું પણ આ કટારીયા ભાઈને એ ગુરુજ્ઞાન ન લાધ્યું કે “હિન્દુઓની નંબર-૨ પૈસાદાર કોમને અનામત શા માટે?”.

બીજા એક કટારીયા ભાઈ

બીજા એક કટારીયા ભાઈ એ “ભદ્રંભદ્ર” ને ઉજાગર કર્યા છે. આમ તો આપણ એ જાણીએ છીએ કે ભદ્રંભદ્ર તો રુઢીચૂસ્ત હતા અને યાવની શબ્દોની તેમને સુગ હતી. તેમનું મૂળનામ દોલતશંકર હતું. ભગવાન શિવ તેમને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે દોલત તો મ્લેચ્છ શબ્દ છે. મારી સાથે તે શોભે નહીં. દોલતશંકરે કહ્યું કે એમાં તેમનો નહીં પણ તેમની ફોઈનો વાંક છે. પણ ભગવાન શિવ દોલતશંકરના તર્કથીતૂષ્ટ ન થતાં ત્રીશુળ હાથમાં લીધું. એટલે દોલતશંકર સ્વપ્નસૃષ્ટિમાં થી આલોક માં આવ્યા અને તેમણે “ભદ્રંભદ્ર” નામાભિધાન કર્યું. આપણા આવા ભદ્રંભદ્રનો કોઠારી ભાઈએ પૂનર્જન્મ આપવાની કોશિસ કરી છે.

આપણો એજન્ડા કે આપણા અન્નદાતા (ડીબી માલિક)નો એજન્ડા આપણે એક સમાન રાખવાનો છે. એટલે આપણા ભદ્રંભદ્રભ્રાતાએ પટેલભ્રાતાઓના સહાયકભ્રાતાના સ્થાને વિદ્યમાન થવાનું છે.

મારું વાલીડું કામ તો જરા અઘરુ છે. કારણ કે ભદ્રંભદ્ર તો રુઢીવાદી હતા. અને રુઢીવાદ પ્રમાણે તો પટેલ એટલે પાટીદાર એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય, વાણીયા અને પછી જ પાટીદારોને મૂકી શકાય. અને રુઢી પ્રમાણે તો તેમને અનામત આપવી જ પડે. તો તેનો વિરોધ કેમ થાય?

પણ આપણા ભદ્રંભદ્ર તેમ કરશે. અત્યારે પટેલો ભલે ક્ષત્રીયભાઈઓ થી પણ આગળ અને વાણીયાઓને સમકક્ષ થઈ ગયા હોય અને પટેલો ભલે મોટેલો પોટેલો ધરાવતા હોય, આપણા ભદ્રંભદ્ર તેનો વિરોધ કરશે. તેમની માટેની અનામતની માગણીનો વિરોધ કરશે. એક વખત નક્કી કર્યું કે આપણો એજન્ડા પટેલોને માટેની અનામતનો વિરોધ કરવાનો છે એટલે વાત પૂરી. અષ્ટપંષ્ટં લખ્યા કરીશું. તર્કની વાતમાં કે મુદ્દાની વાતમાં તો આપણે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. એટલે બધું હાલ્યું જાશે.

ત્રીજા કટારીયા ભાઈ

આપણા ત્રીજા કટારીયા ભાઈ છે કાન્તિભાઈ ભટ્ટ. આમ તો તેઓ શ્રી સબબંદરકા વ્યાપારી છે. પ્રભાશંકર પટ્ટણીએ ભાવનગરના મહારાજાના એક ભૂલભર્યા “ડીલ”ને ભવનગર બંદરનો વહીવટ અંગ્રેજ સરકારના હાથમાં જતો “ભાવનગરના બંદર”નો અર્થ “ભાવનગરના મંકી” કરીને અટકાવેલો. આપણા કાંતિભાઈ પણ બધા જ બંદરના જ્ઞાતા છે. મોદીફોબીયાથી પીડિત છે. તેમને મોદી ઘોઘુરો બિલાડો લાગે છે. તેમણે તર્કને નેવે મૂક્યો છે. ૮૫+ પછી આ કદાચ તેમનો હક્ક બનતો હશે. જો કે વ્યક્તિએ ૧૦૦ વર્ષની ઉંમર પછી આવી સ્વતંત્રતા (સ્વચ્છંદતા) ભોગવવી જોઇએ. ૮૫+ કોઈ ઉમર છે?

ચોથા કટારીયા ભાઈ

ચોથા કટારીયા ભાઈ આપણા ગ્રામસ્વરાજવાળા પ્રકાશભાઈ છે. તેઓશ્રી મોદી ફોબીયા અને બીજેપી ફોબીયા બંનેથી પીડિત છે. કોઈ વ્યક્તિને મહત્વવાળો બનાવવો હોય તો તેની જન્મતારીખ, મરણતારીખ કે તેની ડીગ્રી કે સંસ્થાની આડશ લઈ તેને મહાન બનાવવાની કોશિસ કરવી એ સાંપ્રત કહેવાતા સર્વોદયવાદીઓનું લક્ષણ છે. અહો! રોહિત (હૈદરાબાદી ઘટનાવાળો) કેટલો મહાન હતો. દુશ્મનનો દુશ્મન એટલે આપણો મિત્ર એ ન્યાયે હવે સાંપ્રત કહેવાતા સર્વોદયવાદીઓ દેશદ્રોહીઓ અને કટોકટી-ફેમ નહેરુવંશી કોંગ્રેસીઓના ખોળે બેસવામાં કશો છોછ અનુભવતા નથી તે દેશની કમનસીબી છે. કારણ કે “પટેલોને અનામત” ના મુદ્દાની ચર્ચા ત્યાજ્ય છે પણ “આ દિવસોમાં કદાચ પહેલીવાર જ આપણે લેખકો (એવોર્ડ વાપસી લેખકોને જ લેખકો ગણવાના) એક અસરકારક પરિબળ તરીકે ઉભરી રહ્યા છીએ.”

પરંતુ અહો આશ્ચર્યમ્‌!! 

પાટીદારોના આંદોલનમાં જે પાયમાલી થઈ, તે વાત જવા દો, એટલે કે પાટીદાર ભાઈઓએ, જેતે ટ્રેનોના બસોના મુસાફરોને રખડાવ્યા, ચક્કા જામ કરી રસ્તાઓ બંધ કર્યા, બસો બાળી, પોલીસ સ્ટેશનો બાળ્યા, બસસ્ટેન્ડો બાળ્યા, રેલ્વેના પાટા ઉખેડ્યા તે બધું જવા દો. તેની સામેની સંવેદનશીલતા બતાવવાની તમારે જરુર નથી તેવું તમને લાગતું હશે. પણ  જે કાશ્મિરી હિન્દુ માનવીઓની જે હજારોની સંખ્યામાં કત્લેઆમ થઈ અને  જે લાખ્ખોની સંખ્યામાં તડીપાર થયા ત્યારે તમે ક્યાં હતા? તમારી સંવેદનાઓ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?

જે છૂપાવાય છે … તે સમાચાર છે.   

 (ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

આનંદીબેન, પાટીદાર, યશવંત સિંહા, નરેન્દ્ર મોદી, ગદગદ, ભાજપ પ્રદેશપ્રમુખ પદ, પાટીદારો સાથે સમાધાન, ભડક્યા, કોમવાદ, અનુપમ ખેર, કાશ્મિરી હિન્દુઓ, હૈદરાબાદના બત્રીશ લક્ષણા, બલીદાન, યાકુબ, મોટાભા, અપનેમૂંહ મિયાં મીઠ્ઠું, પાટીદારોનીબીકે, પાટીદારો અટકચાળો, ભદ્રંભદ્ર,

    

Read Full Post »

ગૌ હત્યા બંધી વિષે દંભીઓનું દે ધનાધન

નહેરુવીયન કોંગ્રેસના સાથીદાર એવા સમાજવાદી પક્ષનું જ્યાં શાસન છે તેવા ઉત્તર પ્રદેશ જેવા બિમારુ રાજમાં કોઈ એક ગામડામાં હિન્દુઓના એક ટોળાએ એક ગરીબ મુસ્લિમના ઘરમાં જઈ ગૌ-માંસ ને સંબંધિત આરોપસર આક્ર્મણ કરી, તે કુટૂંબના વડાની હત્યા કરી. તેનો દિકરો ઘાયલ થયો. જો કે સારવારથી તે બચી ગયો.
આ એક સમાજવાદી પક્ષ શાસિત યુપીના ગ્રામ્યવિસ્તારમાં પ્રવર્તતી કાયદાની પરિસ્થિતિની અને કંઈક અંશે માનસિકતાની સમસ્યા છે. આ ઘટનાને આના પરિપેક્ષ્યમાં મુલવવી જોઇએ. બિમારુ રાજ્ય એટલે શિક્ષણમાં પછાત, ભૌતિક વિકાસમાં પછાત, આર્થિક અવસ્થામાં પછાત, સગવડોમાં પછાત અને પરિણામે, આ બધા પછાતપણાથી માનસિકતાની કક્ષામાં પણ નિમ્નસ્તરે હોય તે સમજી શકાય તેવી વાત છે.

કાયદાએ કાયદાનું કામ કરવું જોઇએ. કાયદાની પાસે સૌ કોઈ સમાન છે. આ બંધારણીય જોગવાઈ છે, વ્યવસ્થા છે અને આદેશ છે. જો આની અવગણના કરીએ તો લોકશાહીનો અનાદર કર્યો કહેવાય અને બંધારણનો પણ અનાદર કર્યો કહેવાય. જો આપણે તાર્કિક ચર્ચામાં માનતા હોઇએ અને સમાજને એક ડગલું આગળ લઈ જવામાં માનતા હોઇએ તો આપણી ચર્ચામાં સંદર્ભ અને પ્રમાણતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ અને એ રીતે પ્રાસ્તુત્ય થવું જોઇએ.

મત મેળવવાના ઓજારોનું અને શસ્ત્રોનું નિર્માણ

શું ચર્ચા કે અને તારવણીઓ તાર્કિક રહે એવું થયું ખરું? નાજી. આ ઘટનાની મુલવણી કરવામાં, ફક્ત તારતમ્યો જ પ્રસારિત કરવામાં આવ્યા. તે પણ એવા પ્રસારિત કરવામાં આવ્યા કે તે “મત મેળવાના ઓજારો બની શકે અને બનાવવામાં આવ્યા પણ ખરા.
કાયદાને હાથમાં લેનારા ગૌ-પ્રેમી હિન્દુઓ હતા. જેના ઉપર કાયદાનું શાસન કરવાની ફરજ છે તેઓ પણ મોટે ભાગે હિન્દુ હતા ખરા પણ આ હિન્દુઓની પ્રાથમિકતા ગૌ-પ્રેમ ન હતી. તેઓના નામની ઓળખમાં સમાજવાદ શબ્દ આવતો હતો. અલબત્ત સમાજવાદ પણ તેમની પ્રાથમિકતા ન હતી. તેમની પ્રાથમિકતા આ ઘટના અને ચર્ચાની મુલવણીમાં શું હતી તે સમજવું થોડું લાંબુ છે. આ પક્ષના સાંસ્કૃતિક સાથીઓ અથવા તો તેઓ જેમના સાંસ્કૃતિક સાથીઓ છે એવા નહેરુવીયન કોંગ્રેસીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓના બિહારના અને દેશના સાંસ્કૃતિક સાથીઓ કેવી રીતે વર્ત્યા તે જોવું પડશે. શું આ એક બિહારની ચૂંટણી જીતવાનો પ્રપંચ હતો?

પક્ષ એટલે આમ તો એક વિચાર છે. એ વિચાર પ્રમાણે આચાર હોય તે જરુરી નથી. ઉંધો આચાર હોય તો પણ સામાન્ય કક્ષાના માણસોને જ નહીં પણ લાલચુ લોકોને પણ પોતાના તરફે કરી શકાય છે. પક્ષનુ કથિત ધ્યેય સમાજને વિકસિત કરવાનું હોય છે, આ ધ્યેય એ પક્ષની પ્રાથમિકતા હોતી નથી. આચારના એજન્ડામાં પણ હોતું નથી. પક્ષની પ્રાથમિકતા, સત્તા મેળવવી અને જો સત્તા પ્રાપ્ત થયેલી હોય તો તેને કેવી રીતે જાળવી રાખવી એ હોય છે. ટૂંકમાં પક્ષનું કે બનાવેલા પક્ષ-સમૂહનું ધ્યેય જનમત, સાપેક્ષરીતે પોતાની તરફમાં કેવીરીતે છે તે માન્ય રીતે સિદ્ધ કરી દેવું એ હોય છે. આ માટે ચૂંટણી પ્રક્રિયા હોય છે.

આ ચૂંટણીઓ જીતવા માટેના ઓજારો, પ્યાદાઓ અને શસ્ત્રો હોય છે. પણ આપ્ણે એ બધી ચર્ચા નહીં કરીએ. આપણે ફક્ત ગૌ અને ગૌહત્યા પૂરતી આપણી ચર્ચા મર્યાદિત રાખીશું.

પ્રલંબિત શાસનની નીપજ

દાદ્રી ગામની ઘટના એ નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ કરેલા તેમના શાસનની અને આચારોની નીપજ હતી. વળી તેમનું શાસન ત્યાં ચાલુ પણ હતું. એટલે દાદ્રી જેવી ઘટના પૂર્વ નિયોજિત હોય તે નકારી ન પણ શકાય. આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આવી શંકા એટલા માટે ઉત્પન્ન થાય છે કે તેના પછી પૂર્વનિયોજિત રીતે સુનિશ્ચિત લાગતા એવા મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના, સમાચાર માધ્યમોના સહકારથી જે પ્રતિભાવો પ્રસારિત થયા તેના ઉપરથી એવું ચોક્કસ જ લાગે કે આ બધું પૂર્વ નિયજિત હતું અને આ બધા તેમના પ્યાદાઓ હતા.

દંભની પરાકાષ્ટ

૧૯૮૧ થી જે ખૂન, ખરાબા અને આતંકો મોટા પાયા શરુ થયેલ અને ૧૯૯૦માં તે એટલી ચરમ સીમા પર પહોંચી ગયેલ કે ૧૯૯૦માં હજારોની સંખ્યામાં કાશ્મિરી હિન્દુઓની ખૂલ્લે આમ હત્યાઓ કરવામાં આવી, પાંચલાખ હિન્દુઓને તેમના ઘરમાંથી અને રાજ્યમાંથી હાંકી કાઢેલ. આમ કરવામાં નહેરુવીયન કોંગ્રેસ, તેમના કશ્મિરના સાંસ્કૃતિક સાથીઓ, ત્યાંના ધર્માંધ અસહિષ્ણુ નેતાઓ, તેવી જ જનતા અને કહેવાતા આતંકવાદીઓ સાથે હતા. કોઈ પ્રતાડિત મરણાસન્ન હિન્દુને દવાખાનામાં લઈ જવાયેલ નહીં. કોઈ આતંકીની સામે કેસ થયેલ નહીં. કોઈની ધરપકડ થયેલ નહીં. કોઈ તપાસ પંચ નિમાયેલ નહીં. કોઈ કાયદાના રખેવાળને સસ્પેન્ડ કરેલ નહીં. ત્યારે આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓના પેટનું પાણી પણ હાલેલ નહીં.

આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓ પોતાના સાંસ્કૃતિક સાથીના રાજમાં બનેલ એક છૂટપૂટ ઘટનાથી દ્રવી ઉઠ્યા અને વારાપ્રમાણે પોતાના, પોતાની જ સાંસ્કૃતિક સાથી સરકારે આપેલ ચંદ્રકો પાછા આપવા માંડ્યાં હતા. કારણ કે કેન્દ્રમાં દોઢેક વર્ષથી તેમની સરકાર ન હતી અને જે બીજેપીની સરકાર હતી તેને વાંકમાં લેવી હતી. કારણકે બિહારની ચૂંટણી જીતવા માટે મુસલમાનોને અલગ તારવવાના ઓજારની જરુર હતી. શિયાળવાં વિચારતા હતા કે જો વૃષભને ઘુસતો અટકાવી શકીશું તો હાથીને મારવો સહેલો પડશે. બિહારમાં બીજેપીને હરાવીશું તો કેન્દ્રમાં બીજેપીને હરાવવું સહેલું પડશે.

ગૌ એટલે શું?

જો આપણે ગૌ, અહિંસા, કાયદો અને તંદુરસ્ત સમાજની ચર્ચા કરવી હોય તો ગાંધીજીની વિચાર-વ્યાખ્યાની મદદ લેવી પડશે.

ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે ગૌ એટલે ગાય, વૃષભ, બળદ, ભેંસ, પાડા, ઘોડા, ગધેડાં, બકરાં, ઘેટાં, ઊંટ, વિગેરે બધાં જ વનસ્પત્યાહારી પ્રાણીઓ ગૌ સૃષ્ટિમાં આવી જાય. મનુષ્ય શારીરિક બંધારણીય રીતે વનસ્પત્યાહારી છે. આ સિદ્ધ કરી શકાય છે. પણ આપણે તેની ચર્ચા નહીં કરીએ. ગૌ-સૃષ્ટિ મનુષ્ય સમાજનું રોજીંદુ એક અભિન્ન અંગ છે. આ બંને એકબીજા ઉપર આધાર રાખે છે. ભારતીયો સાંસ્કૃતિક રીતે માને છે કે આ પ્રાણીઓની સુરક્ષા એ મનુષ્યની ફરજ છે. ગાંધીજી પણ આમ જ માનતા હતા. આ એક મૂંગી સૃષ્ટિ છે તે પોતાના મોઢેથી આપણી પાસે સુરક્ષા માગી શકતી નથી પણ આપણે તેનાથી ઉપકૃત છીએ તેથી જેમ એક માનવશિશુને આપણે સુરક્ષા આપીએ છીએ અને જેમ વૃદ્ધોને સુરક્ષા આપીએ છીએ તેમ આ સૃષ્ટિને પણ આપણે ઉપકારવશ થઈ, તેને સુરક્ષા આપવી જોઇએ. મનુષ્યના મગજમાં પ્રસ્ફુરિત કૃતજ્ઞતાની આ ભાવનાને ઈશ્વરની કૃપા સમજવી જોઇએ. આ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં આવું ઘણું છે.

ગાંધીજીએ ત્રણ વાત કરી હતી. દારુબંધી, ગૌહત્યા બંધી અને અહિંસક સમાજ.

અહિંસક સમાજ એ બહુ વ્યાપક સમજણનો વિષય છે. જેમને રસ હોય તેઓ આ જ બ્લોગસાઈટ ઉપર આવેલ “અદ્વૈતવાદની માયાજાળ અને નવ્ય સર્વોદયવાદની બ્લોગ શ્રેણીઓ ની મુલાકાત લે તે જરુરી છે.

ગાંધીજીની તીવ્રતા

દારુબંધી વિષે ગાંધીજી એટલા તીવ્ર હતા કે તેમણે કહેલ કે જો મને સિક્કો ઉછાળ જેટલા સમય પૂરતી સરમુખત્યારી મળે તો હું દારુબંધી કરી દઉં.

શું કામ તેમણે આવું કહેવું જોઇએ અને કરવાની ઈચ્છા પગટ કરવી જોઇએ? કોણે શું પીવું અને શું ન પીવું તે શું સરકાર નક્કી કરશે? એવી દલીલ કોઇએ તેમની સામે કેમ ન કરી?

દુનિયામાં અને ભારતમાં પણ પરાપૂર્વથી દારુ પિવાય છે. તો પછી ભારતે પણ કાયદેસર દારુ પીવો. જો કે આ દલીલને આગળ લંબાવી શકાય કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું પણ મનુષ્યના અંગત સ્વાતંત્ર્યની અંતર્ગત ગણવું જોઇએ.

પણ એવું નથી થતું. આ બધું મોંઘું હોય છે. દારુ સસ્તો હોય છે. દારુથી ગરીબ કુટૂંબો પાયમાલ થાય છે. ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું તો મોંઘુ હોવાથી, તે પૈસાપાત્રના ફરજંદોને જ પોષાય છે. પૈસાપાત્ર કુટૂંબોની પાયમાલી ન થવી જોઇએ. માટે દારુની સાથે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની સરખામણી નહીં કરવાની. એવી ચર્ચા જ ત્યાજ્ય ગણવાની. દારુથી ગરીબ કુટૂંબો ભલે પાયમાલ થાય. પૈસાપાત્રોની સુરક્ષા માટે વ્યાખ્યા, અર્થઘટનો અને વ્યવહારો ભીન્ન જ હોવા જોઇએ. અને જુઓ તેથી જ “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને કોઈ સરકાર, પક્ષ કે મૂર્ધન્યો અંગત સ્વાતંત્ર્ય સાથે જોડતા નથી. દવા તરીકે તો દારુ પણ વપરાય છે અને ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે પણ વપરાય છે. પણ ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની છૂટ્ટી માટે તમને કોઈ હાથ પણ નહીં મુકવા દે.

“જા બીલ્લી કુત્તેકો માર”

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રબંધોમાં દારુ બંધી, ગૌહત્યા બંધી અને ગાંધીજીના રસ્તે અહિંસક સમાજ છે. ભારતીય જનતંત્ર સમવાય તંત્ર છે. કેન્દ્રની ફરજો જુદી અને રાજ્યની ફરજો જુદી. પણ બંધારણ સમાન છે. બંધારણે દારુબંધી અને ગૌહત્યા બંધી માટે રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ કાયદો બનાવે.

ગાંધીજીની વૈચારિક ધરોહરનો દાવો કરનારી નહેરુવીયન કોંગ્રેસે સૌ પ્રથમ ગાંધીજીની વૈચારિક હત્યા કરી.

ભારતીય બંધારણના આદેશ પ્રમાણે દારુબંધીનો કડક કાયદો અને આચરણ કરવાનું બંધારણનું દિશા સૂચન હતું, તો નહેરુવીયન કોંગ્રેસે ઓગણીસો સાઠના દાયકાના પૂર્વાર્ધમાં મહારાષ્ટમાં આ બાબતમાં ઉંધી દિશા પકડી. દારુબંધીને લગતો કડક કાયદો કરવાનો હતો, તેને બદલે જે હતો તેમાં ફેરફાર કરી તેને હળવો કર્યો. નહેરુવીયન કોંગ્રેસનો દંભ તમે જુઓ કે તેની સરકાર, દારુબંધીને લગતો કાયદો વધુ ને વધુ હળવો કરતી ગઈ.

ગૌહત્યા બંધીમાં શું વાત છે?

મદનમોહન માલવિયા એ નહેરુને ગાય ની હત્યાની બંધી કરવા માટે તાત્કાલિક કશું કરવાની વાત કરી.

નહેરુએ કહ્યું કે મારે મન ગાય, ઘોડો, ગધેડો બધા સરખા છે.
માલવિયાએ કહ્યું. ઓકે હું ગાય થી શરુઆત કરવાની માગણી કરું છું. તમે ગધેડાથી શરુઆત કરજો.

ભારતીય બંધારણમાં ગૌહત્યા બંધ કરવાનો આદેશ છે. પ્રાણીઓ ઉપર ક્રુર આચારણ કરવા ઉપર પણ બંધી છે. ગૌહત્યા બંધી કેટલાક રાજ્યોમાં છે, કેટલાક રાજ્યોમાં આંશિક છે અને કેટલાક રાજ્યોમાં નથી.

સર્વોદય કાર્યકરો યાદ કરેઃ

ઓગણીસો સાઠના ઉત્તરાર્ધમાં અને ઓગણીસો સીત્તેરના દશકામાં ગૌહત્યા બંધીના અમલ માટે મુંબઈમાં દેવનારના કતલખાના સામે આંદોલન ચાલતું હતું. સર્વોદયવાદીઓ એમ તો નહીં જ કહે કે અમે તો આ આંદોલન “ગીનીસ વર્લ્ડ બુકમાં આંદોલનની લંબાઈનો” એક રેકૉર્ડ સ્થાપિત થાય તે માટે કરતા હતા. કટોકટીના કપરા કાળમાં વિનોબા ભાવેએ ગૌહત્યા બંધી માટે આમરણાંત ઉપવાસ ઉપર જવાની નોટીસ કોંગી સરકારને આપેલ. પણ ઇન્દિરા ગાંધીએ તેમને આશ્વાસન આપેલ કે તે જરુર ગૌહત્યા બંધી લાવશે. પછી સચોટ રીતે શું થયું તે ખબર નથી.

આ વાત જાણી લો કે તંદુરસ્ત અને દુધાળી ગાય બળદ વાછરડા ની હત્યા ઉપરની બંધી તો પહેલે થી જ હતી. પણ તે પછી વધુમાં આટલું તો નક્કી થયેલ જ કે (૧) કતલખાનાને વિકસાવાશે નહીં. (૨) નવા કતલખાનાની મંજુરી આપવામાં આવશે નહીં (૩) સરકાર કતલખાનાને પબ્લીક ફંડમાંથી કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રાહત આપશે નહીં.

કાયદો અને અમલ એ બંને જુદા છે.

જેમણે “કિસ્સા કુર્સિકા” જોયું હશે તેમને ખબર હશે કે વડાપ્રધાનને અર્ધી રાતે અધિગત થયું કે અનાજની તંગીનું મૂખ્ય કારણ ઉંદરો દ્વારા થતું આનાજનું ભક્ષણ છે. સરકાર ઉંદર મારવા માટે ઈનામની જાહેરાત કરે છે. “એક ઉંદર મારવા માટે” ૨૫૦ રૂપીયાનું ઇનામ હોય છે. ઈનામના પૈસા આપવાવાળો મરેલા ઉંદરને ક્યાંથી રાખી શકે? કારણ કે એનું ડીપાર્ટમેન્ટ તો જુદું છે. માટે બીજા ડીપાર્ટમેન્ટમાં ઉંદર જમા કરવવાના. પણ ઉંદર તો જગ્યા રોકે એટલે ફક્ત પૂંછડી જ જમા કરાવવાની. અને ઉંદર માર્યાનું સર્ટીફીકેટ લેવાનું. સર્ટીફીકેટ આપવા વાળો ૧૦૦ રુપીયાની લાંચ લે અને સર્ટીફીકેટ આપે. આ સર્ટીફીકેટ લઈને ઈનામ લેવા જવાનું એટલે તે ૨૫૦ રુપીયા ઇનામના આપે. તમારે ઉંદર મારવાની કે પૂંછડી આપવાની જરુર નથી. તમારે તો ઉંદરને માર્યાનું સર્ટીફીકેટ રજુ કરવાનું છે. ઈનામ તમને સર્ટીફીકેટ ઉપર મળે છે. સર્ટીફીકેટ ૧૦૦ રુપીયામાં મળે છે. ૧૦૦ રુપીયા આપો. સર્ટીફીકેટ લો અને ઈનામના ૨૫૦ રુપીયા લો. વાત પૂરી.

એક માણસ, સર્ટીફીકેટ આપવાવાળાને કહે છે કે “હું તમને ૩૦૦ રુપીયા આપું તો તમે મને ત્રણ ઉંદર માર્યાનું સર્ટીફીકેટ આપશો?”
સર્ટ્ફીકેટ આપવાવાળો કહે છે;” એક ચૂહા મારા હૈ ઉસ સર્ટીફીકેટકા ૧૦૦ રુપીયા હૈ તો, તીન ચૂહે મારે હૈ ઉસ સર્ટીફીકેટકા ૩૦૦ રુપીયા હોતા હૈ. સીધી બાત હૈ. ૩૦૦ રુપયા દો ઔર તીન ચૂહે મારે હૈ ઐસા સર્ટીફીકેટ લે જાઓ. હમ બેઈમાન થોડે હૈં?

આવું જ દેવનારમાં ગૌ હત્યા માટેના તંદુરસ્તીના સર્ટીફીકેટમાં થતું હતું. આ ઉપરાંત ગૌ હત્યા બંધી બાબતમાં, ઓછામાં ઓછાં જે ત્રણ ખાત્રીવચનો આપેલ તેનો જરાપણ અમલ ન થયો. નહેરુવીયન કોંગ્રેસ ખાત્રી આપે, કે વચન આપે કે પ્રતિજ્ઞાઓ લે તે બધું પાણી ઉપર લખેલા અક્ષરો જેવું છે.

યાદ કરો “સજ્જનેન લીલયા પ્રોક્તં શિલાલિખિતં અક્ષરં, દુર્જનેન શપથેન પ્રોક્તં જલે લિખિતં અક્ષરમ્.

સજ્જન માણસ જો રમત રમતમાં વચન આપી દે તો પણ તે શિલાલેખની જેમ અફર રહે છે એટલે કે તે તેનું પાલન કરે છે. દુર્જન તો પ્રતિજ્ઞા પૂર્વક વચન આપે તો પણ તેનું વચન પાણી ઉપર લખેલા અક્ષર જેવું હોય છે.

ગૌહત્યાની બંધી છે. પણ ગૌમાંસ ખાવાની છૂટ્ટી છે. એટલે કે ગૌમાંસ આયાત કરવાની છૂટ્ટી છે. એટલે કે દારુની બંધી છે પણ દારુની આયાત કરવાની છૂટ્ટી છે. હોઠપાસે આવેલો પ્યાલો હોઠથી દૂર જ કહેવાય. અરે તમે એક ઘૂંટાડો દારુ મોંઢામાં નાખ્યો તો પણ તે દારુ પીધો ન કહેવાય. કારણ કે તમે તેનો કોગળો કરી નાખો તે શક્યતા પણ નકારી ન શકાય. જ્યાં સુધી તમારા લોહીમાં દારુના ચિન્હો દેખા ન દે ત્યાં સુધી તમે દારુ પીધો ન કહેવાય. તો પછી આ વાત “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને પણ લાગુ પાડવી જોઇએ. “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે કોઈને ત્યાંથી પકડાય તો તે ગુનેગાર કહેવાય તેવો કાયદો ન હોવો જોઇએ.

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે?

હા જી. બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે એવું કોંગીનું વલણ રહ્યું છે.

બંધારણમાં પ્રાવધાન હતું કે અંગ્રેજીભાષા કેન્દ્રની વહીવટી ભાષા તરીકે ૧૦ વર્ષ સુધી ચાલુ રહેશે. પછી હિન્દીભાષા તેનું સ્થાન લેશે. આપણી નહેરુવીયન સરકાર દશવર્ષ સુધી હિન્દીભાષાના અમલના પ્રાવધાન પર કુંભકર્ણ કરતાં ૨૦ ગણા સમય વધુ નિદ્રાધિન રહી હતી. બંધારણનું પાલન થાય તે જોવાની રાષ્ટ્રપતિની ફરજ છે. તત્કાલિન ભારતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું આવતી પહેલી એપ્રીલથી અંગ્રેજીનો ઉપયોગ બંધ થશે. એટલે નહેરુજી સફાળા જાગ્યા અને એક અધ્યાદેશ જારી કર્યો. અને પછી એવું પ્રાવધાનનું વિધેયક લાવ્યા કે અનિશ્ચિત કાળ સુધી અંગ્રેજી ચાલુ રહેશે.

જો આવું જ કરવું હતું તો જ્યારે બંધારણ ઘડાયું ત્યારે જ તેમાં એવી જોગવાઈ કેમ ન કરી? અંગ્રેજીને દશવર્ષ ચાલુ રાખવા માટે એક જ વધારાનો મત મળ્યો હતો. કારણ કે તે વખતે ગંગા ચોક્ખી હતી. અને નહેરુના રાજના દશવર્ષમાં ગંગા અને જમનામાં ઘણા પાણી વહી ગયાં અને તે ગંગા જમના ઘણી ગંદી થઈ ગઈ હતી. બીજી નદીઓ પણ ગંદી થઈ હતી. નહેરુએ નવા વિધેયકમાં અંગ્રેજીને ચાલુ રાખવા માટે નવી મુદત ન બાંધી પણ અંગ્રેજીને અનિયત કાળ માટે ચાલુ રાખી. જેમ ઈશ્વરને કાળનું બંધન હોતું નથી તેમ

નહેરુવીયન કોંગ્રેસને પણ કાળનું બંધન હોતું નથી.

જયપ્રકાશ નારાયણને, જવાહરલાલ નહેરુ કેબીનેટમાં લેવા માગતા હતા. જયપ્રકાશ નારાયણ એક સીમાબદ્ધ કાર્યક્રમનું લીસ્ટ લઈને ગયા અને કહ્યું આ માન્ય રાખો. પણ નહેરુને કાળનું બંધન પસંદ ન હતું. પદ ભોગવો, ખાવ પીવો અને મોજ કરો. કોંગીનો આ મુદ્રાલેખ છે.

ગૌ હત્યાબંધીના બંધારણીય આદેશનું શું કરવું જોઇએ?

શું સૌને પોતે શું ખાવું તે નક્કી કરવાનો અધિકાર નથી?

આ અધિકાર જો ખાવાને લાગુ પડતો હોય તો પીવાને પણ લાગુ પડે છે. જો તમે તર્કમાં માનતા હો તો આ વાત પણ સમજવી જોઇએ.
પસંદગીના અધિકારની વાત “પીણાઓને લાગુ ન પાડવી પણ ફક્ત “ખાવા”ને જ લાગુ પાડવી જોઇએ એમાં કોઈ તર્ક છે ખરો? એટલે કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની બંધી કરવી પણ દારુ અને ગૌમાંસની બંધી ન કરવી.

બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી?

જો સરકારી વલણ અને આચરણ આવું જ હોય તો પછી બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી? જો તમે તમારી ફરેબી સંવેદના અને કરુણાના વ્યાપક પ્રદર્શન દ્વારા આંદોલન કરી શકતા હો તો બંધારણની જોગવાઈઓ રદ કરવા આંદોલન કેમ કરતા નથી? ગૌવધબંધી ની માન્યતાનું થડ, ભારતીય બંધારણ છે. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ માટે શ્રેષ્ઠ એ જ છે કે તેઓ તેમના ગૌવધ અને અહિંસક સમાજને લગતી બંધારણીય જોગવાઈઓ રદ કરવા બીજેપીની કેન્દ્ર સરકાર સામે આંદોલન કરે. આમેય ફરેબી કારણસર પણ આંદોલન કરવા તે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ગળથુથીમાં છે.

કોંગીઓને દંભ સદી ગયો છે.

શું કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ બંધારણીય જોગવાઈઓ રદ કરવા માટે આંદોલન કરશે?

નાજી.

આ લોકોને દંભ સદી ગયો છે અને તેમને તેમાં ફાવટ છે. એટલા માટે તો તેમણે જનતાને અભણ, ગરીબ રાખી છે. સરકારે તેમને ફેંકેલા ટૂકડાઓ ઉપર નભતી કરી દીધી છે.

૬૦ વર્ષના શાસન પછી પણ બંધારણીય જોગવાઈને રદ પણ કરી નથી, તેમજ બંધારણીય જોગવાઈની દિશામાં એક કદમ ભર્યું નથી.
હા એક વાત ચોક્કસ છે કે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓએ બંધારણે નિર્દેશેલી દીશાથી ઉંધી દિશામાં જરુર પ્રગતિ કરી છે.

જો આમ હોય તો પછી સાચી દિશાના કદમ માટે કેટલા વર્ષ જનતાએ રાહ જોવાની?

કોંગીએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ તેમના આચારો દ્વારા સિદ્ધ કર્યું છે કે “દંભ એટલે શું તે અમે જાણીએ છીએ, પણ તેમાંથી અમે નિવૃત નહીં થઈએ. નિષ્ઠા એટલે શું તે પણ અમે જાણીએ છીએ પણ અમે તેમાં પ્રવૃત્ત નહીં થઈએ.” આવા વલણને કારણે ઉદભવતા પરિણામોને સમજવા માટે મહાભારત વાંચો.

ખાવાની સ્વતંત્રતા, ધર્મ, તર્ક અને તંદુરસ્તી વચ્ચે કંઈ સંબંધ છે?

બધા દેવો

SHIVA04

ગાયની અંદર છે તેનો અર્થ શો?

(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ગૌ હત્યા, દંભ, કોંગી, નહેરુ, વચન, બંધારણીય પ્રાવધાન, બંધારણીય આદેશ, મત માટેના ઓજાર, પ્યાદા, બિમારુ, તાર્કિક ચર્ચા, હિન્દુ, અહિંસક સમાજ, પ્રલંબિત શાસન, નિપજ, પૂર્વનિયોજિત, કાશ્મિરી હિન્દુઓ, હત્યા, તપાસ પંચ, ગાંધીજી, દારુબંધી, ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન

Read Full Post »

We have to face it for the dignity of Bharat Mata

We have to face it for the dignity of Bharat Mata

શત્રુ નંબર એક અને શત્રુ નંબર ચાર ની મીલીભગત એટલે કાશ્મિરની સમસ્યા
  
અમદાવાદને એક બેનમૂન મેયર મળેલા. તેમનું નામ હતું કૃષ્ણવદનભાઈ જોષી.
  
તેમને સર્વોદયવાદી કહેવા કે કોંગ્રેસી તેની મને અવઢવ રહેતી. કોંગ્રેસી એટલે સંસ્થા કોંગ્રેસી. કારણકે તે વખતે અમુક વખત પછી બે કોંગ્રેસ થઈ ગયેલી. એક કોંગ્રેસ (ઈન્દીરા) અને બીજી કોંગ્રેસ (સંસ્થા).
  
મૂળ કોંગ્રેસ પક્ષની કારોબારીમાં ઈન્દીરા ગાંધીની બહુમતી ન હતી તેથી તેણે પોતાની અલગ કોંગ્રેસ કરેલી.
  
જો આજે મનમોહનસિંહને સોનીયા ગાંધીની ગેંગના કન્ટ્રોલમાં ન રહેવું હોય તો તેઓ પોતાનો અલગ પક્ષ સ્થાપે તો તેમના પક્ષને કોંગ્રેસ (શાસક) પક્ષ alias Congress (R) અથવા કોંગ્રેસ (રુલીંગ) તરીકે ઓળખી શકાય. અલબત્ત તેમને સત્તાલાલચુ કોંગી એમપી ઓનો બહુમતિ સપોર્ટ હોવો જોઇએ. વો દિન કહાં જબ મીયાંકે પાંવમે જુતી.
  
પણ આપણી વાત જુદી છે.
કૄષ્ણવદનભાઇને હું એક મહાત્મા ગાંધીવાદીના સ્વરુપમાં જોતો. તેમના વિચારોમાં ઘણું ઉંડાણ રહેતું. તેમણે કંઈક આવી વાતો કરેલી …
  
કૄષ્ણવદનભાઇની વાતો:
તમે જો તમારી જીંદગી દરમ્યાન એક વ્યક્તિને સુધારો તો આખી દુનિયા સુધરી જાય.

આ વાત બધા જણે છે. એટલે દરેક સુજ્ઞ વ્યક્તિ કોઈ વ્યક્તિને સુધારવા માટે એક વ્યક્તિની ગોતાગોત કરે છે. આને સુધારું કે પેલાને સુધારું?
પણ બીજાને સુધારવાની યોગ્યાતા કોનામાં છે?

માણસ એની સાવ જ નજીક રહેલી વ્યક્તિ કે જે પોતે જ છે તેને જોતો નથી અને તેને સુધારવાની કેટલી જરુર છે તે જોતો નથી. અને બીજે ફાંફાં મારે છે.
આપણે ચાર દુશ્મનો સાથે લડવાનું છે. અને તેઓ નીચે પ્રમાણે છે.
દુશ્મન નંબર ચાર:

આ દુશ્મન એવો છે કે તમે તે ક્યાં રહે છે તે જાણો છો. તમે તેને મારી નાખી શકો છો. તમારી સામે કોઈ કેસ પણ નહીં ચલાવે. કોઈ તમને કોઈ કશું કહેશે નહીં. તમારો બધા જય જયકાર કરશે અને આદર કરશે.
  
દુશ્મન નંબર ત્રણ:
આ એવો દુશ્મન છે જે ક્યાં છે તે તમે જાણો છો. તમે તેને મારી નાખી શકો છો. પણ તમારે તેને શોધવો પડે. શોધીને પણ તમે તેને સીધે સીધો મારી નાખી ન શકો. તમારે તેની ઉપર કેસ ચલાવવો પડે, તમારે તે દરમ્યાન તેને જીવવાની સગવડ આપવી જોઇએ. તમારે સાબિત કરવું પડે કે તે દુશ્મન છે. તમારે તેને પણ તક આપવી પડે કે તે સાબિત કરી શકે કે તે દુશ્મન છે કે નહીં.
  
દુશ્મન નંબર બે:
આ એવો દુશ્મન છે કે તેને તમારે શોધવો ન પડે. તમે તેને ઓળખો જ છો. તમારે સાબિત કરવાની પણ જરુર નથી કે તે દુશ્મન છે. તમે તેને વિષે ઘણું બધું જાણો છો. પણ તમે તેના ઉપર કેસ ચલાવી શકતા નથી. તેને કશું કરી શકતા નથી. તમારી ઈચ્છા છે પણ તમે લાચાર છો. મારવાની તો વાત જ કયાં રહી! તમે બહુબહુ તો તેને કહી શકો કે ભૈલા હવે બહુ થયું. કદાચ તમે તે પણ કહેવાની હિમત ન કરી શકો.
  
  
દુશ્મન નંબર એક
આ દુશ્મન પણ એવો છે કે તેને તમે સંપૂર્ણ રીતે જાણો છો. તે તમારી સાવ જ નજીક છે. સૌથી વધુ નજીક છે. તમારા ખાસ મિત્રો થી અને સૌ દુશ્મનોથી પણ વધુ તમારી નજીક છે. તમે તેને કંઈ જ કરી શકતા નથી. તમે તેને મારી શકતા નથી, કેસ પણ ચલાવી શકતા નથી અને તેને દંડી શકતા નથી.
  
તો કયો દુશ્મન અઘરો? અને કયો દુશ્મન સહેલો?

જો સહેલાથી અઘરાના ક્રમ માં ગોઠવીએ તો
દુશ્મન નંબર ચાર,
દુશ્મન નંબર ત્રણ,
દુશ્મન નંબર બે,
અને દુશ્મન નંબર એક
એમ ક્રમ બને.
હવે જુઓ આ દુશ્મનો કોણ કોણ છે.
દુશ્મન નંબર ચાર એ ક્રોસ બોર્ડર ઉપર રહેલો દુશ્મન છે, જેને તમે સીધે સીધો મારી શકો છે,

દુશ્મન નંબર ત્રણ એ દેશમાં રહેલા ચોર, લુંટારા,ખૂનીઓ, લાંચીયાઓ અને દાણચોરો છે જેને તમારે શોધવા પડે અને કેસ ચલાવવો પડે,
દુશ્મન નંબર બે માં અસામાજીક પ્રવૃત્તિ કરતા તમારા સગા અને મિત્રો છે, જેને તમારે શોધવાની જરુર નથી પણ તમે તેના ઉપર કેસ ચલાવી શકતા નથી. તમે તેને ફક્ત બંધ બારણે થોડી શિખામણ આપી શકો છો.
  
દુશ્મન નંબર એક જે તમે પોતે જ છો. જેને તમે કશું જ કરી શકતા નથી.
  
  
જો કે તમે દરેક ને ખતમ કરી શકો.
તમે સ્વાર્થને દૂર કરો તો દુશ્મન નંબર એક ખતમ થઈ જાય છે.
મિત્રો અને સગાઓ સુખ માટે છે.
  
મિત્રમ્‌ વિના કુતઃ સુખમ્‌? પણ તમે તમારી સુખની અપેક્ષાનો ત્યાગ કરો તો તમે દુશ્મન નંબર બે ને નિસ્ક્રીય કરી શકો છો. પછી તમને તમારા જેવા જ મિત્રો અને સગાઓનો સાથ મળશે.
  
ત્રીજા નંબરના દુશ્મનને ખતમ કરવા તમારામાં મેનેજરીયલ કુશળતાની જરુર છે.
  
ચોથા નંબરના દુશ્મનને ખતમ કે નિસ્ક્રીય કરવા તમારામાં આત્મવિશ્વાસ, તત્પરતા અને સ્વાવલંબન ની જરુર છે.
  
ચીન
ચીનને તમે દુશ્મન માનો કે ન માનો, તેને તમારી પડી નથી. કારણ કે તે સ્વાવલંબી અને સાક્ષર છે.
  
ભારતમાં બેકારી, નિરક્ષરતા અને ગરીબી છે. તેથી તે સ્વાવલંબી નથી.
  
શાસકોમાં ખાસ કરીને કોંગી અને તેના સાથીઓ જેઓએ દેશનું સુકાન ૫૬ + વર્ષો સુધી સંભાળ્યું અને હજી સંભાળે છે તેઓ વહાલા દવલામાં માને છે એટલે જ લોકોમાં ભેદ ફેલાવી સત્તાનું સુખ ભોગવવું તે તેની પ્રાથમિકતા રહી છે. ત્યાગ તો આવે જ ક્યાંથી? ત્યાગ કર્યા વગર તેને વાલીયા લુંટારામાંથી વાલ્મિકી ઋષિ તરીકે પોતાની જાતને ખપાવવી છે.
 
કાશ્મિર સમસ્યા:
કાશ્મિર સમસ્યામાં આ ચારે દુશ્મનોનો ફાળો છે.સ્વાર્થ, વહાલા દવલાની રાજનીતિ, મેનેજરીયલ સ્કીલનો અભાવ અને અનીતિ સૌનો સંગમ છે.
 
સ્વાતંત્ર્ય ના પ્રથમ દશકામાં એમ કહેવાતું કે કાશ્મિરની સમસ્યા છે ખરી પણ આ સમસ્યા પાકિસ્તાન ઑક્યુપાઈડ કાશ્મિર અંગેની છે. પાકિસ્તાને પોતાના ઑક્યુપાઈડ કાશ્મિરમાંથી પોતાના દળો હઠાવી લેવા જોઇએ અને ત્યાં મુક્ત ચૂંટાણી કરવી જોઇએ.
 
ભારતે મુક્ત ચૂંટણીઓ કરેલી અને તેને કોઇએ દશકાઓ સુધી ચેલેન્જ કરેલી નથી. એટલે ભારતના કાશ્મિરનો તો પ્રશ્ન જ નથી.
 
તમે કોઈ પણ પ્રશ્નને લંબાવો એટલે તે નવા પ્રશ્નોની સમસ્યાઓ ઉભી કરે અથવા લોકો તેનાથી ટેવાઈ જાય. પણ આમાં સામાજીક ચારિત્ર્ય નો જે હ્રાસ થાય છે તે અવનતી તરફ લઈ જાય છે.
કોઈ પણ પ્રદેશનો વિશિષ્ટ દરજ્જો એક વાત છે અને પરમ વિશિષ્ટ દરજ્જો એ બીજી વાત છે.
 
દેશ એક બગીચો
મહાત્મા ગાંધી એ રાજ્યોના વિશિષ્ઠ દરજ્જાની વાત કરેલી અને તેમાં ભાષાવાર પ્રાંત રચનાની વાત કરેલી. દેશ એક બગીચો છે. બગીચામાં જુદીજુદી જાતના રંગ બેરંગી ફુલો હોય. અને તેથી જ દેશ વધુ શોભે. રાજ્યો એ ફુલો છે. અને તેનો રંગ જળવાઈ રહેવો જોઇએ. તેથી ભાષાવાર પ્રાંત રચનાની અને સ્થાનિક વહીવટ માટે જે તે પ્રાંતીય ભાષાની વાત કરેલી.
 
રાજ્ય પણ એક બગીચો
રાજ્ય પણ એક બગીચો છે. તેમાં વચ્ચે વચ્ચે થોડાં બીજા રંગના ફૂલો હોય તો તે બગીચો વધુ સુંદર લાગે અને એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે સંવાદનો અભાવ ન સર્જાય અને દેશ પોતાની સાંસ્કૃતિક એકતાને જાળવી શકે.
 
તેથી ગાંધીજીએ નાગરિકોને ફાવે ત્યાં નોકરી કરવાની અને “ભૂમિપૂત્રો” ના અધિકારોની વાત કરેલી.
 
આ બહુ જરુરી છે જેથી એક રાજ્યની વિશેષતા અને માનવીય અધિકારનો સમન્વય કરી શકાય. એક પેઢી ૧૫ વર્ષની ગણાય અને તમે તે રાજ્યની ભાષા શિખી જાઓ તો તમે તેમનામાં ભળી શકો છો અને તેમના રંગે રંગાઇ જાઓ છો, અને તમે તે જ રાજ્યના થઈ જાઓ છો.
 
પણ જો તમે ત્યાં જઈને તમારું ગ્રુપ બનાવો અને સ્થાનિક પ્રજા ઉપર દબાણની કોશિષ કરો તો તમારો વિરોધ થશે અને પ્રાંતીય સંઘર્ષ પણ ઉભા થશે.
 
સામાન્યરીતે ગુજરાતીઓ, મરાઠીઓ સ્થાનિક ભાષા શીખી જાય છે. તેથી પરપ્રાન્તમાં તેમનો વિરોધ થતો નથી. જોકે નહેરુવીયન કોંગ્રેસે એક સમયે મુંબઈમાં ગુજરાતીઓ અને મરાઠીઓને ઝગડાવવાની કોશિષ કરેલી પણ સામાન્ય રીતે મરાઠીઓ અને ગુજરાતીઓ યુગોથી સલાહ સંપથી રહેતા આવ્યા છે.
 
સમાજ ખેડૂતો, ઉદ્યોગ પતિઓ, કર્મચારીઓ અને પ્રબંધકોનો બનેલો છે. જમીન-માલિકો અને ઉત્પાદકો રોજી અને વપરાશની વસ્તુઓ પૂરી પાડે છે. કર્મચારીઓ જ્યાં નોકરી મળે ત્યાં જાય છે. પ્રબંધકો વિષે પણ એવું જ છે.
 
માલિકોમાં જમીન માલિકો અને ખેડૂતો આવે છે. ખેડૂતો તો સ્થાનિક ભૂમિપૂત્રો હોય છે તેથી પ્રશ્નો ઉભા થતા નથી.
 
ઉદ્યોગ પોતાના રાજ્યમાં સ્થપાય તો રોજી મળશે તેથી કરીને ઉદ્યોગપતિઓનો પણ વિરોધ થતો નથી.
 
કર્મચારીઓ અને પ્રબંધકો સમગ્ર રાજ્યમાં વેરાએલા હોય છે અને તેમની સંખ્યા પણ ઘણી જ હોય છે.
 
 
જો સ્થાનિક લોકોને આમાં અવગણવામાં આવે તો વિગ્રહ થાય જ. તેથી જ સ્થાનિક લોકો પોતાને રોજગારીમાં ૮૦ ટકા પ્રાધાન્ય આપવાની વાત કરે છે. અને તે યોગ્ય પણ છે.
 
 

કાશ્મિરમાં પરમ વિશિષ્ઠ દરજ્જો અક્ષમ્ય છે
કોંગી નેતાગીરીએ કાશ્મિરમાં પરમ વિશિષ્ઠ દરજ્જો ઉભો કરી તેને દેશના પ્રવાહથી અલિપ્ત કર્યો તે અક્ષમ્ય છે.
બહારના પ્રાંતનો વ્યક્તિ ત્યાં સંપત્તિ ખરીદી ન શકે તો વિકાસ ક્યાંથી થાય? અને સાચા અર્થમાં તે રાજ્ય બગીચો કેવીરીતે બની શકે?
 
કાશ્મીરની કોંગી નેતાગીરી, પોતાના સ્વાર્થને અકબંધ રાખવા માગતી હતી.
 
નહેરુએ કાશ્મિરી બ્રાહ્મણોને વિદેશ ખાતામાં પૂષ્કળ નોકરીઓ અપાવી. તેઓ ભણેલા હોવાથી કાશ્મિરની સરકારી નોકરીઓમાં પણ તેમનું પ્રભૂત્વ હતું.
 
જુના મુસ્લિમ શાસકો, અભણ ગરીબ પ્રજાને મુસ્લિમ કરી શકેલા તેથી ભણેલાઓમાં બ્રાહ્મણો ઠીક ઠીક બાકી રહેલા. સરકારી નોકરીઓથી દી વળતો નથી. તેને માટે ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો માટે માળખાકીય સગવડો જોઇએ. ઘરાકી માટે વપરાશકારો અને મેનેજરો જોઇએ.
       
૧૯૭૧ના યુદ્ધમાં મેળવેલા વિજયના બધા જ લાભો સિમલા મંત્રણામાં ગુમાવ્યા પછી અને સ્વકીય રાજકીય લાભો મેળવવાની ઘેલછામાં સરહદી પ્રજાના પ્રશ્નો અવગણવામાં કોંગીનેતાઓનો જોટો જડે તેમ નથી.
 
 
કાશ્મિરને પરમ વિશિષ્ઠ દરજ્જો આપ્યા પછી ગુમાવ્યું કોણે?

પાકિસ્તાને તો કશું ગુમાવવાનું હતું જ નહીં. કાશ્મિરી નેતાઓએ તો ખીસ્સા ભર્યાં. જે ગુમાવવાનું હતું તે ભારતની પ્રજાને અને કાશ્મિરી હિન્દુઓને ભાગે તો આવ્યું. પણ કાશ્મિરની પ્રજા રાજકારણીઓને ચાળે ચડીને પાયમાલ થઈ.
 
જેઓ કોઇ પણ કાશ્મિરનું ચક્કર મારી આવશે તે આવી ને કહેશે કે કાશ્મિરની પરિસ્થિતી ભયંકર છે. તેઓ ભારતીય સુરક્ષાદળોને પણ બે ગોદા મારશે કે તે અમાનવીય બની રહ્યું છે.સુષ્ઠુ સુષ્ઠુ બોલવું અને માનવતાની વાતો કરવી સહેલી છે.
 
ભારતીય સુરક્ષા દળો સંતપુરુષ
 
એક બાજુથી ઘુસણખોરો આવતા હોય, પાકિસ્તાનની સરકારનો ખૂલ્લો હસ્તક્ષેપ હોય, આતંકવાદીઓ સક્રીય હોય, કાશ્મિરના ભાગલાવાદી પરિબળોએની લુલી બેફામ હોય, કાશ્મિરના રાજકીય નેતાઓ અને ભારતીય કોંગી નેતાઓ સૌને પોતાનો રોટલો શેકવો હોય ત્યારે તમે, જેઓ ત્યાં રાતદિવસ જોયા વગર મોતના ઓછાયા હેઠળ કામકરતા ભારતીય સુરક્ષા દળો સંતપુરુષની જેમ વર્તે એવી અપેક્ષા રાખી ન શકો. શિવાય કે તમે બેવકુફ હો.
 
 
રાજકારણીઓ અને તેઓનો ગોબ્બેલ્સ ટાઈપ પ્રચાર ભલભલા મૂર્ધન્યોને પણ ગેરમાર્ગે દોરી શકતો હોય તો પ્રજા તે કોણ ચીજ છે?
 
ઇન્દીરાગાંધીના પ્રચારતંત્રોએ દેશના જ નહીં પણ ગુજરાતના કંઈ કેટલા મૂર્ધન્યોને ચીત કરી દીધેલા. હવે જો તમે આ મૂર્ધન્યોને તેઓ ભ્રમમાંથી જાગ્રત થાય તે પહેલાં ખતમ કરી દો તો બાકી શું રહે?
 
કાશ્મિરમાં કોંગી ભાઇઓ ક્યાં છે? ત્યાં તો આતંકવાદીઓ, પાકિસ્તાનીઓ, ખીસ્સા ભરેલા સ્થાનિક રાજકારણીઓ છે. ત્યાં પ્રજાકીય લડત છે જ નહીં. પ્રજાકીય લડત કોઈ દિવસ સચોટ મુદ્દાવગરની હોય જ નહીં.
 
સરખાવો ગુજરાતનું નવનિર્માણ આંદોલન.
નવનિર્માણ આંદોલનનો મુદ્દો ભ્રષ્ટાચાર હટાવોનો હતો.
કોંગીએ ગુજરાત ધારાસભામાં  ૧૬૩માંથી ૧૪૦ બેઠકો મેળવેલી. આ પહેલાં કોંગીએ લોકસભામાં નિરપેક્ષ બહુમતી બેઠકો મેળવેલી. પડોશી રાજ્યોમાં પણ ઇન્દીરા ગાંધીની અંગત પસંદગીની વ્યક્તિઓ મુખ્ય પ્રધાન થઈ ને બેઠેલી, તો પણ નર્મદા યોજના ઘોંચમાં જ રહી.
 
કોંગી નયી રોશનીનો કોઈ ચમત્કાર ન કરી શકી. મોંઘવારીએ માઝા મૂકેલી. અને યુવાનોએ કરેલું આંદોલન વ્યાપક થયું. મૂર્ધન્યો અને મીડીયાએ સપોર્ટ કર્યો.

સંસ્થાકોંગ્રેસના સંનિષ્ઠ નેતાઓનો પણ સહકાર મળ્યો. કોંગીની કેન્દ્રસ્થ નેતાગીરીને લાગ્યું કે ચિમનભાઈને હટાવો, કારણ કે આમેય તે ઈન્દીરામાઇની પસંદગીના મુખ્યમંત્રી નથી.
લોકાઅંદોલનનો મિજાજ જોઇ, રવિશંકર મહારાજે ચિમનભાઇને કહ્યું તમે રાજીનામુ આપો. અને ચિમનભાઇએ રાજીનામુ આપ્યું. પણ આંદોલનનો અંત ન આવ્યો.

૧૦૦ થી ૧૫૦ યુવાનો ગોળીબારનો ભોગ બનેલા. એકપણ પોલીસની હત્યા થઈ નહતી. કેટલીક જગ્યાએ એ તો એવા પણ બેનરો હતા “પોલીસ જનતા ભાઇ ભાઇ”.
 
બહારથી  આવનારા કહેતા કે ગુજરાતનું આંદોલન ૧૯૪૨ની ચળવળ જેવું છે અને વ્યાપક છે.
ગુજરાતને થયેલા અન્યાય સામે તો કાશ્મિરને થયેલા અન્યાયો કંઈ જ નથી.
વિધાનસભાનું વિસર્જન થયું. કોંગીની પ્રતિષ્ઠા તળીયે હતી. પણ જે આંદોલન થયું હતું તે જોઇને લાગતું હતું કે કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં એક પણ સીટ મળશે નહીં. પણ ચૂટણી લડવી એ એક વ્યુહરચના અને રમત છે. કોંગ્રેસે વર્ગવિગ્રહ કરાવી ૭૫ સીટો મેળવી. એક સાચમસાચ લોકઆંદોલનને અંતે પણ માર્જીનલ સીટોથી કોંગી હારી.
 
જો તમે કાશ્મિરમાં પાકિસ્તાનની ઘુસણખોરી, પાકિસ્તાની શસ્ત્રોની આયાત, પાકિસ્તાની આર્થિક મદદ અને રાજકીય નેતાગીરીનો ખીસ્સા ભરવાનો ધંધો બંધ કરો અને તેમની પાછળ સીબીઆઈ બેસાડી દો, તો કાશ્મિરમાં આંદોલન ટકી જ ન શકે. સામાન્ય જનતાને રોજી રોટી જોઇએ છે. અને નેતાઓને તેમના ખીસ્સા ભરવા છે.
 
 
સૌથી મોટો પ્રશ્ન
સૌથી મોટો પ્રશ્ન તો તડીપાર થયેલા કાશ્મિરી હિન્દુઓનો છે. કાશ્મિરીઓનો તો પ્રશ્ન જ ક્યાં છે? તેઓ જે કાગારોળ કરે છે તે તો આ “બૈલ મુઝે માર” જેવો છે.
 
કાશ્મિરની સરકારને પદભ્રષ્ટ કરો. કાશ્મિરના નેતાઓને જેલ ભેગા કરો, કાશ્મિરના વિભાજનવાદી પાકિસ્તાની ભાષા બોલતા તત્વો જેઓ ખૂલ્લે આમ ભારતની વિરુદ્ધ ઝેર ઑકે છે તેને જેલમાં પૂરી દો. તે સૌની ઉપર કાયદાને કાયદાનું કામ કરવા દો.
 
રાષ્ટ્રપતિનું શાસન લાવો અને કાશ્મિરની બધી વિશિષ્ઠ  જોગવાઈઓ ૧૦ વર્ષ માટે સ્થગિત કરો અને તે દરમ્યાન તેમને અધિગત કરાવો કે પ્રગતિ એટલે શું, દેશ એટલે શું અને ધર્મ એટલે શું?
 
 
પણ કોંગીનો મોટો દુશ્મન તો કોંગી પોતે જ છે. તેને પોતાનો સ્વાર્થ જતો કરવો નથી.
 
વોટ પોલીટીક્સ એ વિનાશનું પોલીટીક્સ છે. અને જ્યારે તેને ભારતની જનતા જાકારો આપશે ત્યારે દેશમાં સોનાનો સુરજ ઉગશે.

Goddess of wisdom wants them to get lost

Goddess of wisdom wants them to get lost

Read Full Post »

%d bloggers like this: