Feeds:
Posts
Comments

Posts Tagged ‘કૃષ્ણ’

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ …. (૨)

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ ….  ()

આપણે આગળ જોયું કે બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને, સતત શિષ્યોની ભરતી માટે પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

વાખ્યા બરાબર છે અને આપણે માન્ય રાખીએ છીએ.

એટલે આમ તો આદિ બાવાજી પ્રોટોટાઈપ શિવજી એટલે કે રુદ્ર, અગ્નિ એટલે કે વિશ્વદેવ પોતે છે. પણ એમની મશ્કરી થાય. એટલે મધુચ્છંદા ઋષિ કે ભૃગુ ઋષિ કહીએ કે સપ્તર્ષિઓને બાવાજી કહીએ તો ચાલે. તે પછી દત્તાત્રેય થયા. બધાની પણ મશ્કરી થાય.

તો પછી શરુઆત ક્યાંથી કરીશું?

જે કાળને પાશ્ચાત્ય લોકો ભારતમાં ઐતિહાસિક કાળની શરુઆત માને છે તે મહાવીર સ્વામીથી શરુઆત થઈ શકે.

મહાવીર સ્વામી પહેલા ગુરુ થયા. પછી બુદ્ધ ગુરુ થયા. શંકરાચાર્ય થયા. મધ્ય યુગમાં માધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, જ્ઞાનેશ્વર જેવા વૈષ્ણવાચાર્ય અને સાયણાચાર્ય શૈવાચાર્ય ઉત્તરના અને દક્ષિણના અનુક્રમે વેદજ્ઞાતાઓ થયા.

આપણે અર્વાચીન યુગથી શરુઆત કરીએ. તો બાવાજીઓમાં, સહ્જાનંદ સ્વામી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, વિવેકાનંદ, શ્રી મોટા, સાંઈબાબા થયા જેઓ ઓગણીશમી સદીના પૂર્વાર્ધથી શરુ કરી વીસમી સદીના પૂર્વાર્ધ સુધીમાં થયા. બધા બાવાજીઓ આમ તો નિરુપદ્રવી હતા. બીજા બાવાઓ ઉપદ્રવ કરતા પણ બાવાજીઓ ઉપદ્રવ કરતા હતા. કેટલાક બાવાઓ અભણ હતા તો કેટલાક વેદોમાં પારંગત હતા.

પણ ખરા બાવાઓ તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયા એટલે કે ૧૯૫૧થી થયા અને ખાસ કરીને ઈન્દીરા યુગથી તો બાવાજીઓના દબદબાના યુગનો સુવર્ણકાળ શરુ થયો.

તમે કહેશો કે, શું પ્રાચીન ભારતમાં જે સતયુગ કે જે ઋષિયુગ કહેવાતો હતો તેમાં બાવાઓનો દબદબો હતો? અરે ભાઈ યુગને પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરી મળી નથી. એટલે તેને તો દંતકથા યુગ માની લેવાનો. સ્વતંત્રતા મળ્યા પછી જે બાવાઓ ઉદ્ભવ્યા તેમને વિષે આપણે કાયદેસર રીતે પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરીની જરુર રહી નથી.

ધીરેન્દ્ર બ્રહ્મચારી, મહેશ યોગી, દાદા લેખરાજ કૃપલાની (પ્રજા પિતા બ્રહ્માકુમારીઝ), આનંદમયી મા, આચાર્યભગવાનઓશોસંતરજનીશમલ, સત્ય સાઈબાબા, ઓશો આસારામ, આઠવલેજીનિર્મલબાબા, રાધેમા, શ્રી શ્રી શ્રી રવિશંકર, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, રામરહિમ અને બીજા અગણિતબાવાઓવિચરી રહ્યા હતા/છે. બધા બાવાઓમાં કેટલાક પાસે શિષ્યધન (શિષ્યોરુપી ધન અને શિષ્યો થકી ધન) ફાટ ફાટ થતું હતું અથવા અને ફાટ ફાટ  થાય છે.

બધા મોડર્ન બાવાઓ છે. તેમની પૂર્વેના બાવાઓને કદાચ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય કે પણ થયો હોય. પણ સહુ મોડર્ન બાવાઓને તો થયો છે. જો કે આમાંના કેટલાક બાવાઓ જેલના સળીયા ગણી રહ્યા છે કે જેલના સળીયા ગણવાની તૈયારીમાં છે કે ઈશ્વરે/કે સેતાને  તેમને વહેલા પોતાની પાસે બોલાવી લીધા એટલે જેલના સળીયા ગણવામાંથી બચી ગયા છે.

પણ તેથી શું?

શ્રી કૃષ્ણ જેવા યોગેશ્વરે પણ જન્મતાંની સાથે જેલના સળીયા ગણવા માંડેલા. તેમના પિતાશ્રી તેમને પોતાના મિત્ર નંદ પાસે મૂકી આવ્યા એટલે બાકીના સળીયા ગણવાનું બાકી રહી ગયેલ.

મોડર્ન બાવા એટલે શું?

મોડર્ન બાવાજી એટલે કે, એવા બાવાજી કે જેમને અંગ્રેજી પણ આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેમને અંગ્રેજી આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેઓ સરકારી અમલદારો (કારણ કોઈ પણ હોઈ શકે છે) હોય અથવા અને, ડૉક્ટરો વકીલો, રાજકારણીઓ હોય. હાજી આવી પરંપરા નહેરુવીયન ફરજંદ ઈન્દિરા ગાંધીએ ચાલુ કરેલી જેમના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારીજી હતા.

આ બધા બાવાજીઓ, યોગ, ધ્યાન કે સમાધી કે બ્રહ્મ સાધનામાં કાં તો સિદ્ધ છે કે પ્રયત્નશીલ છે. જીવનના રહસ્યોના જાણકાર છે. તેઓ સૌ તેમના શિષ્યોને કોઈપણ જાતની મદદ કરવા સક્ષમ છે.

બાવાજીઓએ શું શું ધ્યાનમાં રાખવાનું હોય છે? અહીં ધ્યાનનો અર્થ છે લક્ષ. એટલે કે ખ્યાલ રાખવાનો હોય છે કે “આપણું લક્ષ્ય જનતાને (ખાસ કરીને પૈસાપાત્ર જનતાને)  લક્ષ્યવેધ બનાવવાનું છે.

Untitled

તો આ માટે શું અનિવાર્ય છે.

એક તો કૃષ્ણ ભગવાન છે. આ ભગવાન ઑલ ઈન વન છે. બાલકૃષ્ણથી શરુ કરી, રોમેંટીક રાધારમણ થઈ, ઈવટીઝર થઈ, કંસને મારનાર યોદ્ધા થઈ, દ્વારિકેશ થઈ, ગીતાના યોગેશ્વર અને વિશ્વરુપ પરમ પરમેશ્વર છે. તમને જે પસંદ પડે તે રુપને તમે અપનાવી લો. અને પછી તમારા રુપમાં એવી ભેળસેળ કરી દો કે જેથી તમારું શિષ્યગણ (શિષ્યાઓ સહિત) તમારામાં ખોવાઈ જાય.

તમે સમજી લો કે આવું કરનારા તમે પહેલા નથી. પુરાણકાળથી ચાલી આવતી પરંપરા છે. કમસે કમ ઇશ્વીસન પૂર્વે ૮૦૦ થી  શરુ કરી ઇશુની પંદરમી/સોળમી સદીથી વત્તે ઓછે અંશે ચાલી આવતી પરંપરા છે. કૃષ્ણ ભગવાન એક આમ આદમી થી શરુ કરી પરમેશ્વર સુધીના સૌને પોતાનામાં આત્મસાત્‌ કરે છે. જ્ઞાનની વાત કરવી હોય તો તેમના ગીતાબેનની વાતો કરો, અને પ્રેમની વાત કરવી હોય તો રાધાબેનની વાતો કરો. તમારામાં વાકચાતુર્ય હોવું જોઇએ એટલે કે તમારા શ્રોતાઓને તમે હતઃપ્રભ કરી શકો.

બીજું કંઈ?

કૃષ્ણભગવાન પૂરતા નથી. વાણીયાઓમાં જૈન પણ હોય છે. એટલે ત્યાગ, કષ્ટ, સહિષ્ણુતા, પ્રેમ, અહિંસાની જ્યારે જ્યારે વાતો કરો ત્યારે અચૂક મહાવીર સ્વામીને યાદ કરો અને શ્રોતાગણને તેમની યાદ દેવડાવો. તેમની માતા              ને આવેલા         સ્વપ્નોના ગુઢાર્થોનું તમારી વાક્‌શક્તિ અનુસાર અર્થઘટન કરો અને તારતમ્યો કાઢો.

બીજું કંઈ?

જો તમારે આંતર્‌રાષ્ટ્રીય બાવા બનવું હોય તો બુદ્ધ ભગવાનને પણ ઉદ્‌ધૃત કરતા રહેવું જોઇએ.

કામભોગમાં રાચવું એ એક છેડો છે. દેહદમન કરવું તે બીજો છેડો છે. મધ્ય-માર્ગ યોગ્ય માર્ગ છે.

થોડા ઝેનના ચમત્કૃત વાક્યો બોલો.

વૃત્તિઓનું વિશ્લેષણ કરો, તેનું વિભાગીકરણ કરો.

વચ્ચે વચ્ચે ટૂચકાઓ મૂકો.

“ગુરુજી, આ વર્ષે મેં જીવનનો ભરપૂર આનંદ ઉઠાવ્યો

 “ભો … શિષ્ય તેં શું  શું કર્યું ?

“ગુરુજી મેં સમૂદ્રમાં ડૂબકીઓ મારી, જંગલમાં ફર્યો, રણમાં ફર્યો, પર્વત ઉપર કૂદકા માર્યા …,

“ભો ભો શિષ્ય … એ બધું ખરું પણ આ બધું કરતાં તે જીવનનો આનંદ ક્યારે ઉઠાવ્યો .. ?

   ————————————- શિષ્યભાઈ મૌન ———————————

એક સાધુની ઝૂંપડીમાં ચોર ઘુસ્યો. કશું મળ્યું નહીં. સાધુને થયું … આ તો ઠીક નહીં …. સાધુએ પોતાના કપડા ઉતારી ચોરને આપી દીધા. સાધુ નગ્ન થઈને બેઠા. રાત હતી. નગ્ન સાધુએ આકાશમાં જોયું. ચંદ્ર દેખાયો. સાધુને થયું કે “ … કાશ … હું તેને ચંદ્ર આપી શક્યો હોત!”

 ——————-(શ્રોતાઓ મૌન, ચંદ્ર મૌન, કથાકાર બાવાજી મલક્યા) ——————————–

  એક વ્યક્તિ સામાન્ય હતી. તે સામાન્ય વ્યક્તિ પ્રયત્ન પૂર્વક મહાનુભાવ થઈ ગઈ. તે ગુરુ પાસે ગઈ. ગુરુએ પૂછ્યું …. “તું શું કામ મારી પાસે આવી છે?” વ્યક્તિએ કહ્યું કે “ મારે હવે સામાન્ય વ્યક્તિ થઈ જવું છે …”

  —————————- (આપણે કહીશું … “ગુરુજી મૌન” ?) ——————————–

ગાંધીજી પાસે એક વ્યક્તિ ગઈ …. તેણે કહ્યું “હું આટલું આટલું ભણેલો છું …. મારે આશ્રમમાં રહેવું છે. … મને કંઈક કામ આપો…”

ગાંધીજી એ કહ્યું … “ પેલું ઝાડું લઈ લો અને પાછળના વાડાની સફાઈ કરી નાખો… “

   ————————————— (કોણ મૌન ?) ———————————————-

“ગુરુજી કંઈક શિખામણ આપો …”

“હે જીજ્ઞાસુ !! તેં ખીચડી ખાધી ?

“જી, ગુરુજી … મેં ખીચડી ખાધી …!!!”

“તો હે જાતક , તું તે પ્લેટને ધોઈ નાખ …”

  ——————————— (સાધક જાતકને બોધ પ્રાપ્તિ થઈ ગઈ) ——————–

બેકાબુ બનેલા ઘોડા ઉપર બેઠેલા અસવારને કોઈએ પૂછ્યું … “ભાઈ …. ક્યાં જાઓ છે …?”

ઘોડેસવારે કહ્યું “ …. મને નહીં … ઘોડાને પૂછો” ….

ટ્રેનમાં સંતા સરદારજી ને ટ્રેનમાં ઉપલી બર્થ મળી …  બંતા સરદારજીને નીચેની બર્થ મળી. સંતાજીએ બંતાજીને પૂછ્યું … “કહાં જા રહે હો સરદારજી …?”

સંતાજીએ કહ્યું … “મૈં તો અમૃતસર જા રહા હું… આપ … !”

બંતાજી એ કહ્યું …”મૈં તો દિલ્લી જા રહા હું … “

સંતાજી બોલ્યા .. “સાયન્સકી ક્યા કમાલ હૈ !!! ઉપરકી બર્થ અમૃતસર જા રહી હૈ … ઔર નીચેકી બર્થ દિલ્લી જા રહી હૈ …”

 ————— (ખીડકીકે પાસ બૈઠે મોનાજી બોલે … “એન્જીનકો પૂછના પડેગા”) ———

શિષ્ય ગુરુપાસે ગયો. કહ્યું … “ગુરુજી …, મારી બાર વર્ષની અથાક મહેનત પછી મને યોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે હવે હું પાણી પર ચાલી શકું છું … હવે હું પેલી નદીના પાણી ઉપર ચાલીને સામે પાર જઈ શકું છું. … મારી આ યોગસિદ્ધિનું મૂલ્ય શું? ”

ગુરુએ કહ્યું “ તારી યોગસિદ્ધિનું મૂલ્ય “બે આના”…. પેલા હોડીવાળાને બે આના આપીને નદી પાર કરી શકાય છે. …” 

  ————————————– (પ્રશ્નકર્તા મૌન) ————————————

 ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી.  એક વેશ્યા એક યુવકના ઘરસામે ઉપવાસ કરવા બેઠી. મને પરણ ને પરણ જ. નહીં તો હું અહીં ઉપવાસ કરીને પ્રાણ ત્યાગીશ.

સાચી અહિંસા તો પેલા પાદરીની હતી કે જેણે દૂર રહ્યે રહ્યે પોતાની સાધનાથી એક માણસનું હૃદય પરિવર્તન કર્યું ….

  ————————— (જંગલમેં મોર નાચા કિસીને ના દેખા) ————————-

પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ આસન કયું?

દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે. કારણ કે તેમાં ગાયને દોહતી વખતે આંચળ ઉપર હાથ હોય છે. પગના બે સાથળ વચ્ચે બોઘરણું હોય છે. અને બધો ભાર બે પગના બે અંગુઠા ઉપર હોય છે. ધરતીમાતા ઉપર બે અંગુઠા જ હોય છે. એટલે ધરતીમાતા ઉપર ઓછામાં ઓછો ભાર હોય છે. તેથી આ દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે.

 ———– (એક દયાળુ કઠિયારાએ લાકડાની ભારી પોતાના માથે રાખી અને પછી ગધેડા ઉપર બેઠો જેથી લાકડાની ભારીનું વજન ગધુભાઈને ન લાગે) ———————————————–

“ અરે વાહ શું સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ હતા …

“પણ તેં શું ચાર દિવસના ઉપવાસ કરીને રોટલો અને મરચાના સ્વાદને માણ્યો છે?

   ——————————————————————————————–

“ બૂલેટ ટ્રેનમાં શું મજા આવી … શું મજા આવી …

“પણ તેં શું ગોધરાથી લુણાવાડાની નેરોગેજ ટ્રેનમાં ચાલતી ગાડીએ ઉતરી જંગલમાં પડતા પહેલા વરસાદની સુગંધ માણી છે?

    —————————————————————————————— 

“એ.સી. ફર્સ્ટ ક્લાસમાં જે મુસાફરીની મજા છે તે ક્યાંય નથી … 

“શું તેં ભાવનગર મહુવાની નેરોગેજ ટ્રેનમાં એંજીનમાં ઉભા રહી મુસાફરીની મજા માણી છે?

    ——————————————————————————————–

ઉપરોક્ત ચૂટકલાઓમાં સોડા, રાસ્પબરી અને લેમન મિક્સ છે. જેને જે અર્થ ઘટન કરવું હોય તે કરે અને જે બોધ લેવો હોય તે લે.

જો તમારે બાવા થવું હોય તો આવું આવું બોલ્યા કરવું.

દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવો ભાસ થાય છે કે તેને હવે બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે. બુદ્ધ ભગવાનને પણ આવું જ થયું હતું. હવે શિષ્યોની જરુર છે. કે જેથી તે પોતાનું જ્ઞાન તેમની સાથે શેર કરી શકે. પણ કેટલીક વ્યક્તિઓમાં બ્રહ્મજ્ઞાન ફાટફાટ થતું હોય છે. વળી કેટલાકને “પીણા”ની ટેવ પડી ગઈ હોય છે. તેથી ગુરુપદ માટેની તીવ્ર-વૃત્તિ હોય છે. અમુક પીણા એવા હોય છે કે જે પીધા પછી અને પીવડાવ્યા પછી બંને ક્રીડાકર્તાઓને સંત-રજનીશમલના આસનમાં ( ‘ભોગાસન)માં બ્રહ્મનો સાક્ષાત્કાર થતો હોય તેવું લાગે છે. અમુક રાધાઓ સંત રજનીશમલ કે ઓશો-આસારામ પાછળ શું કામ ઘેલી થતી હતી તે ઉપર સંશોધન થવું જોઇએ તો ડ્રગ્ઝના ક્ષેત્રમાં બાવાઓના સંશોધન અને પ્રયોગો વિષે વધુ માહિતિ મળી શકે.

જો કે એક વાત સાચી છે કે જ્યારે મગજમાં લોહી અને ઓક્સીજનનું પ્રમાણ ઘટે ત્યારે “શૂન્યમનસ્કતા”નો ભાસ થાય છે. હિમાલયમાં ઉંચાઈ ઉપર આવો અનુભવ થતો હોય છે.

સંત રજનીશમલ કહે છે કે “વિવેકાનંદ મહાન હતા, … જ્ઞાની હતા … વિચારક હતા, …. ચિંતક હતા, … અભ્યાસી હતા, … મહેનતુ હતા, …. આકર્ષક હતા, ….  ઘણુ બધું હતા, … પણ … પણ … તેઓ સમાધિ અવસ્થામાં પહોંચી શક્યા ન હતા …  તેમણે પોતે જ આ વાત કબુલ કરી છે …. “

સંત રજનીશમલને પૂછવું પડશે … “બાવાજી તમે ‘યોયો’થી રમવાનો આનંદ લીધો છે? ગરીયો (ભમરડો) ફેરવવા કરતાં તે સહેલો છે”

   ——————————————————————-

 “અરે તમે રજનીશને છોડીને “ એક્સ એક્સ એક્સ”માં ક્યાં ગયા.

“મહાનુભાવ, તમે તો ભૂતમાં માનતા ન હતા અને પલિતમાં કેવીરીતે માનવા લાગ્ય?

   ———————————————————————–

“અરે ભાઈ, (અર્વાચીન) રામ રહીમ  કહો કે સંત કહો બધા  એક જ વહાણના મુસાફર છે.

મોરારજી દેસાઈએ કહેલ કે પોંડીચેરીના આશ્રમમાં પણ વ્યક્તિની પાત્રતા પ્રમાણે (આર્થિક દાન આપવાની ક્ષમતા પ્રમાણે) સુવિધા અને વ્યવહાર થાય છે.

રુપીયા તો રુપીયા છે. તે લાલ, કાળા કે શ્વેત હોતા નથી. ફક્ત તે પ્રાપ્ત કરવાના રસ્તા જ લાલ, કાળા અથવા શ્વેત હોય છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઓગણવીસ સ્ત્રીઓ સ્નાનાર્થે સરયુ નદીએ ગઈ, વીસ પાછી આવી અને ઓગણને વાઘ ખાઈ ગયો.

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ – ૧ (માંસાહાર અને શાકાહાર)

જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

અનેક ટૂચકાઓ છે

જેમકેઃ
જીવો જીવસ્ય ભક્ષણં
દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
દુધ પણ માંસાહાર છે
રામ પણ માંસાહારી હતા
કૃષ્ણ પણ માંસાહારી હતા,
બુદ્ધ પણ માંસાહારી હતા,
ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છે શું કીધું? કળલા કાય?

અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણું શરીર કેવા ખોરાક માટે બનેલું છે!

આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આ કારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે.

તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત એક સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો અને પાંદડા જ ખાતો હતો અને ક્યારેક મૂળ પણ ખાતો હતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. તેથી માણસે તેનું દૂધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

જેમ જેમ મનુષ્યનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે.

વેદકાળ અને માંસાહાર

ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ “હુલ્લડ કરવા ખરાબ છે” એ વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું.

સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને જો માંસ યજ્ઞમાં હોમાયેલું હોય તો તે માંસ ભોજ્ય છે. જ્યારે ઈશ્વરને શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર ન હતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ફક્ત મહર્ષિઓને જ હોય છે. પછી તે પૂરાણમાં આગળ એમ લખાયું કે આ રીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તે આળ તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (તેમના  મોટા થયા પછી) યુદ્ધ કરીને મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે. કોઈ ચમત્કારની વાત નથી.

ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા, તેની અનપાણીનીયન ભાષાના આધારે પણ સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણના જીવનની બધી જ વાતોને ઇતિહાસ કે ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચાર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતીએ માંસને માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે?

જો કોઇ એક સમાજમાં બધા જ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ, ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

You may start with donkey

જો માંસાહાર નહીં કરીએ તો પશુઓ વધી જશે

એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર ન કરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને તે પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ઘેટાં બકરાંના વાળ તમને ગરમ કાપડનો કાચો માલ પુરો પાડે છે.

પશુઓ ઇશ્વરે બનાવેલા ઉર્જા મશીન છે. ઉપરાંત પશુઓ વનસ્પતિ સૃષ્ટિ માટેનો ખોરાક છે. આ બધા પશુઓ, મનુષ્ય ઝાડ ઉપરથી જમીન ઉપર આવ્યો તે પહેલાંના લાખો વર્ષથી અસ્તિત્વમાં છે. એટલે મનુષ્યે એવું વિચારવાની જરુર નથી કે મનુષ્ય જો તેમને ખાશે નહીં તો તેમની વસ્તી અમાપ વધી જશે.

મનુષ્યને અહિંસાનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર શા માટે આવ્યો?

અને મનુષ્યો વચ્ચે વિરોધાભાસ શા માટે ઉત્પન્ન થયો?

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત તો અને મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત.

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત અને   મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત  તો તેની બુદ્ધિનો વિકાસ ન થઈ શકત. વૈચારિક વિભીન્નતાના પરિણામ સ્વરુપે મનુષ્યની બુદ્ધિનો વિકાસ થયો.  મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર આવ્યો. મનુષ્યને અહિંસાનો વિચાર આવ્યો. મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર આવ્યો.

પર્યાવરણનું શ્રેષ્ઠ સંતુલન ક્યારે થઈ શકે?

વૃક્ષો કાપીને ધરતીને સપાટ કરીને તેની ઉપર ખેતીના પાક માટે હળ ચલાવવું એ પર્યાવરણના સંતુલન ઉપર પ્રહાર નથી શું?

શું સંવેદનશીલ મનુષ્યે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ?

માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે? ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે?

વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. આને આપણે શું કહીશું?

શું આ બલીદાનો આપનારાઓને આપણે બેવકુફી કહીશું?

મનુષ્યની સંવેદનશીલતાની દીશા કૃતજ્ઞ થવા તરફની હોવી જોઇએ કે કૃતઘ્નતા તરફની હોવી જોઇએ?

ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા, બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધ દીશાની ગતિ છે. ખેતી વાસ્તવમાં વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

હવે તમે જુઓ આપણે ખેતી કરવી બંધ કરીને જમીન ઉપર ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણ કે ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું કે તેથી વધુ ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. વૃક્ષ પાણીનો સંચય કરે છે, વૃક્ષ પાણીને વહેતું અટકાવે છે. વૃક્ષ ઉષ્ણતામાન ઘટાડે છે, વૃક્ષ છાંયો આપે છે, વૃક્ષ આશરો આપે છે, વૃક્ષ ભેજ આપે છે, વૃક્ષ વાદળાં ખેચી લાવે છે, વૃક્ષ બહુમાળી ઉત્પાદન કરે છે એટલે કે વૃક્ષ અનેક ઉંચાઈઓ ઉપર ફળ આપે છે. વૃક્ષ લાકડું આપે છે. આ બધું લક્ષ્યમાં લઈએ તો વૃક્ષની કિમત એક કરોડ રુપીયા થાય.

જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ચાલુ રાખશે અને રહેવા માટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી મનુષ્યે ઈશ્વરે આપેલી બુદ્ધિનો સદુપયોગ કરી મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

સમજણપૂર્વકના શાકાહારી અને પ્રણાલીગત શાકાહારી

માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. કેટલાક માણસો સમજણ પૂર્વકના શાકાહારી હોય છે. તેવીજ રીતે કેટલાક માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે.

સમજણપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજણપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી.

જેઓ પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે તેઓ યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી.

તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

જે વ્યાસ વાયુપૂરાણ લખે છે તે વ્યાસ મહાભારત પણ લખે છે. વ્યાસ ભાગવત પૂરાણ લખે છે. આ વાત શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તે જ પ્રમાણે વાલ્મિકી વિષે પણ માનવું પડે. તુલસીદાસની તો વાત જ ન કરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી, તે જ રામને, તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

“અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન… કીધા મેં દેવ… તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ, રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો ન જ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિક કાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

શું આપણે નિર્ણય કરવા સક્ષમ નથી?

માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવ પાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.

માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.

કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.

દેવળ કે મસ્જિદમાં પણ કદી પશુઓ ભોજન માટે કત્લ કરાતા નથી કે ખવાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ ઃ

અહિંસક સમાજ, માંસાહાર, શાકાહાર, તર્ક, વિતંડવાદ, ટૂચકા, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઋષિ, મહર્ષિ, ઈશ્વર, બુદ્ધિ, મનુષ્ય, માણસ, કુદરતી, ઉત્કાંતિ, સુરક્ષા, દૂધ, માનસિક સ્તર, વેદકાળ, હિંસાયજ્ઞ, વેદજ્ઞતા, શંકરાચાર્ય, વાયુ પુરાણ, શિવ, ઈશ્વર, અધિકારી, સાયણાચાર્યે, સાતવળેકર, દયાનંદ સરસ્વતી, સહયોગ, સંવેદનશીલતા, લસણ, ડુંગળી, ગાજર, બીટ, નોન-વેજ, પર્યાવરણ, ઉર્જા મશીન, બ્રહ્માણ્ડ, સંતુલન, કૃતજ્ઞ, કૃતઘ્ન, પ્રણાલીગત

Read Full Post »

ક્યાં ખોવાયા હાડમાંસના બનેલા રામ? ભાગ-૧/૯

રામ કોણ હતા?

એક એવા રામ હતા જે રઘુવંશી દશરાજાના પુત્ર હતા. તેઓ હાડમાંસના બનેલા માત્ર અને માત્ર મનુષ્ય હતા. આમ તો તેઓ એક રાજકુંવર હતા અને એક કુશળ શાસક પણ અવશ્ય હતા. પણ થયું એવું કે એમની અસાધારણ, અદ્વિતીય મહાનતા અને આદર્શને કારણે એમને જનતાએ ભગવાન બનાવી દીધા.

જ્યારે કોઈને ભગવાન બનાવી દઈએ ત્યારે તે વ્યક્તિમાં રહેલી વાસ્તવિકતા, વિદ્વત્તા, નૈતિક દૃઢતા અને ઐતિહાસિકતા નષ્ટ પામે છે. કારણ કે રામની વાત કરવી એ એક ધર્મની વાત બની જાય છે. તેમના અસ્તિત્વને લગતી માન્યતા સહેલાઈથી સહેલાઈથી નકારી શકાય છે. પરધર્મીઓ જ નહીં પણ જેઓ પોતાને તટસ્થ માનવાની ઘેલછા રાખે છે તેઓ પણ આવી વ્યક્તિની ઐતિહાસિકતાને સહજ રીતે જ નકારે છે. જો તમે રામના ઐતિહાસિક અસ્તિત્વને ન નકારો તો તમે ઇતિહાસનું ભગવાકરણ કર્યું કહેવાય. તમને ધર્માંધ પણ કહી શકાય.

ગુજરાત અપરાધી હતું?

૨૦૦૨ માં ગુજરાતમાં હુલ્લડ થયું. આ હુલ્લડનો દોષ નરેન્દ્ર મોદી અને હિન્દુઓ ઉપર ઢોળી દેવાયો. એટલે કેરલના પાઠ્યપુસ્તકમાં ગુજરાતનું અસ્તિત્વ ભારતના નકશામાંથી દૂર કરવામાં આવ્યું. ગુજરાતનું અસ્તિત્વ રદ થયું. કારણકે ગુજરાત અપરાધી હતું.

તમે રામના અસ્તિત્વને નકારો છો? રામને ભગવાન માન્યા એટલે જ ને!  જો તમે રામને ભગવાન માનો તો આમાં રામનો શો અપરાધ છે?

તમે કહેશો આમાં રામ અપરાધી છે તેની વાત ક્યાં આવી? રામ અપરાધી હતા કે નહીં …  અથવા તેમની પ્રત્યે એક અન્યાયી વર્તન દાખવવામાં આવ્યું કે નહીં તે વિષે આગળ ચર્ચા કરીશું.

હાલ તો આપણે સામાન્ય હિન્દુઓ રામને ભગવાન કેમ માને છે અને બીજા તેમના અસ્તિત્વને કેમ નકારે છે તે જોઈશું.

ચમત્કાર અને ભગવાન અને અસ્તિત્વનો નકાર

જે હિન્દુઓ રામને ભગવાન માને છે તેઓ ચમત્કારમાં પણ માને છે. રામે અનેક ચમત્કારો કર્યા. આવા ચમત્કારો તો ભગવાન જ કરી શકે. મનુષ્ય તો ચમત્કાર ન જ કરી શકે. માટે રામ ભગવાન છે. જેઓ ચમત્કારમાં માનતા નથી તેઓ કહેશે કે આ ચમત્કારની વાતો બધી ગપગોળા છે. કારણ કે ચમત્કારો તો થઈ જ ન શકે. એટલે ચમત્કારોનું અસ્તિત્વ હોઈ જ ન શકે. એટલે આ ચમત્કારી વ્યક્તિ એક ગપગોળો છે. રામ કથાનું એક સાહિત્યિક અસ્તિત્વ છે. રામની કથામાં ફક્ત સાહિત્યિક દૃષ્ટિ રાખવી જોઇએ. અવતાર બવતાર જેવું કશું હોતું નથી.

જ્યારે વ્યક્તિ સાહિત્યિક બની જાય ત્યારે તે એક નહીં અનેક બની જાય. વાલ્મિકીના રામ, કાલીદાસના રામ, ભવભૂતિના રામ, તુલસીદાસના રામ …

Ram

આપણે રામને ભગવાન માની લીધા એટલે રામ ધર્મનો વિષય બની ગયા. રામ ધર્મનો વિષય બન્યા એટલે રામ શ્રદ્ધાનો વિષય બની ગયા. રામનું વર્ણન ભારતની ભાષાઓમાંથી ઉદભવ્યું એટલે એ ભારતના છે. ભારતમાં હિન્દુધર્મ પાળવામાં આવે છે એટલે રામ હિન્દુઓના ભગવાન છે. રામ હિન્દુઓના ભગવાન છે એટલે રામ એ હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા, ભગવાન, ચમત્કાર આ બધું કાલ્પનિક છે. કાલ્પનિક વાતોમાં વિશ્વાસ રાખવો અને એવું બધું સ્વિકારવું એ અંધશ્રદ્ધા છે. સમાજમાં અંધશ્રદ્ધાનું બહુમાન ન કરવું જોઇએ. અંધશ્રદ્ધાને આવકારવી ન જોઇએ. જેઓ પોતાને પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારાવાળા માને છે તેઓ કંઈક આવું વિચારે છે. જેઓ “રામજન્મ ભૂમિ ઉપર રામ મંદિર બનાવવાનો આગ્રહ રાખનારાઓનો વિરોધ કરે છે તેઓ પણ આવી માનસિકતા રાખે છે

પોતાને વિદ્વાન, જ્ઞાની અને બુદ્ધિશાળી માનતા માણસો પણ રામને કાલ્પનિક પુરુષ માને છે.

તેઓની માન્યતા પ્રમાણે આનું મુખ્ય કારણ એ છે કે પ્રાચીન અને મધ્યકાલિન ભારતીય પુસ્તકોમાં ચમત્કારની બહુ વાતો છે. આ બધી કપોળકલ્પિત અને અવાસ્તવિક છે. ભારતીય લોકોને ઇતિહાસ લખવાની ટેવ જ ન હતી. જેને જેમ ફાવ્યું અને મગજમાં આવ્યું તેમ લખ્યું છે. ભારતીયોના મનમાં ઇતિહાસ લખવો જોઇએ એવી કોઈ વાત જ ન હતી. એટલે વિદેશી યાત્રીઓએ અને બીનભારતીય ઇતિહાસ કારોએ જે લખ્યું તેને જ આધારભૂત ગણી શકાય. જેમ કે ગ્રીક આક્રમણકારીઓએ, તેમની સાથે આવેલા લોકોએ, અરબસ્તાન, મોંગોલીયાના મુસ્લિમ આક્રમકોએ, મુસાફરોએ, ચીનના મુસાફરોએ જે કંઈ ભારત વિષે, ભારતીય સમાજ વિષે લખ્યું તે જ પ્રમાણભૂત કહેવાય. આપણા લોકો તો રાઈ વગર રાઈનો પહાડ બનાવવામાંથી  અને ચમત્કારો લખવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા!

આમ જોવા જઈએ તો દરેક ધર્મના પુસ્તકોમાં ચમત્કારિક વાતોના વર્ણનો જોવા મળે છે. પણ એ બધા ધર્મોના બધા મહાપુરુષો ઐતિહાસિક છે. કારણકે આ બધામાંના મોટેભાગે છેલ્લા ૨૬૦૦ વર્ષ અંતર્ગત થયા. એ બધા લોકાના કંઇને કંઈ અવશેષો મળી આવે છે એવું મનવામાં આવે છે. એટલે એ બધામાં ચમત્કારી વાતો હોય તો પણ તે બધું ઐતિહાસિક છે અને તે વ્યક્તિઓ પણ ઐતિહાસિક છે.

રામના કોઈ ભૂસ્તરીય અવશેષો મળતા નથી.

જે કંઈ મળે છે તેને રામ સાથે જોડી દેવા એ અંધશ્રદ્ધા જ છે. આવી દૃઢ માનસિકતા આપણા વિદ્વાનોમાં અને મૂર્ધન્યોમાં પ્રવર્તે છે. આપણા ભારતીયો જ જો આવી માનસિકતા રાખતા હોય તો સહજ રીતે જ પરધર્મીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો રાખે જ.

શું ઐતિહાસિકતાનો આધાર ફક્ત પૂરાતત્વીય અવશેષો જ હોઈ શકે? ધારો કે ઉત્ખનન થયું  ન હોય તો શું માનવવાનું? ધારોકે ઉત્ખનન શક્ય જ ન હોય તો શું માનવાનું? જો મોહેં જો દેરોની જગ્યાઓએ ઉત્ખનન ન થયું હોત તો ભારતનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન ન ગણવામાં આવત.

રામજન્મભૂમિની જગ્યા ઉપર બાબરી મસ્જીદ બની ગયેલ. હવે ધારો કે એ જમીન રામજન્મભૂમિ તરીકે ઓળખાતી જ ન હોત તો તેને વિષે કોઈ આંદોલન પણ ન થાત. અને તે બાબરી મસ્જીદ તોડી પાડવામાં પણ ન આવી હોત. અને કોઈએ ન્યાયના દ્વાર પણ ન ખટખટાવ્યા હોત. અને ત્યાં કશું ખોદકામ પણ ન થાત.

જો ખોદકામ ન થાત તો તેની નીચે આવેલા શિવમંદિરના અવશેષો પણ ન મળત. આવા તો અનેક સ્થાનો છે કે જ્યાં વિવાદ ચાલે પણ છે અને વિવાદ નથી પણ ચાલતા. હવે ધારો કે મુસ્લિમો અને ખ્રીસ્તી શાસકોએ, જેમ બીજી જગ્યાએ પ્રાચીન સંસ્કૃતિના નિર્માણોને તોડીને અથવા અને તેના અવશેષો પર પોતાની સંસ્કૃતિને લગતા  નિર્માણો કરી દીધેલ અને ત્યાંની સંસ્કૃતિને કાયમ માટે નષ્ટ કરી દીધેલ અને જનતાને પૂર્ણ રીતે પોતાના ધર્મમાં વટલાવી દીધી એમ ભારતમાં પણ કરી શક્યા હોત તો અહીં પ્રાચીન કાળમાં મંદિર હતું તેની ખબર કેવી રીતે પડત?   પણ ભારતની બાબતમાં થયું એવું કે ભારતીય સંસ્કૃતિ તેની ઉત્કૃષ્ટતા અને સબળતાને કારણે ટકી ગઈ.

ઇતિહાસ કેવીરીતે જળવાઈ રહે છે?

લોક સાહિત્ય, લોકવાયકા, સ્થાપત્ય અને પરંપરાગત પ્રણાલીઓ પાછળ ચાલી આવતી દંતકથાઓ દ્વારા પણ ઇતિહાસ જળવાઈ રહે છે. આપણે અત્યારે તેનું વિશ્લેષણ અને તેની ચર્ચા નહીં કરીએ.

“રામ જન્મ ભૂમિ” નું સ્થળ એ એક પરાપૂર્વથી ચાલી આવતી માન્યતા અનુસારનું નામકરણ હતું. જેવા કામો વિદેશી ધર્મીઓએ બીજા દેશોમાં કર્યાં તેવા જ કામો તેઓએ ભારતમાં જરુર કર્યા. પણ ભારતમાં તેઓ સંપૂર્ણ સફળ ન થયા. તેથી ખંડિત સ્થળોના નામ લોકવાયકામાં પરંપરાગત રીતે ક્યાંક ક્યાંક ચાલુ રહ્યાં. પણ સાથે સાથે ખંડિત સ્થળ પર નવું નિર્માણ થયું તે નામ પણ ઉમેરાયું.   

બીજી એક વાત એ બની કે પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા ભારતનો જે નવ્ય ઇતિહાસ લખાયો, તેમાં ભારતીય સાહિત્ય, લોકવાયકાઓ, લોક કથાઓ જ નહીં પણ ભારતીય શાસ્ત્રોમાં રહેલા તાત્વિક ઉંડાણને પણ સ્પર્ષવામાં ન આવ્યાં.

 પરિણામ એ આવ્યું કે ભારતીય સાહિત્યમાં જે ઇતિહાસ, લોકભોગ્ય શૈલીમાં લખવામાં આવેલ તેને ઇતિહાસ તરીકેની માન્યતા જ ન આપી. આનુ પરિણામ એ આવ્યું કે ભારતના વિદ્વાનો ફક્ત પાશ્ચાત્ય વાતોને જ પ્રમાણભૂત માનવા લાગ્યા. આ માનસિકતાનું મૂળ “આર્યન ઈન્વેઝન થીયેરી”  એટલે કે “આર્યજાતિનું ભારત ઉપર આક્ર્મણ” વાળો સિદ્ધાંત છે.

એવું ધારવામાં આવ્યું કે આર્ય એક રખડુ જાતિ હતી જે મધ્ય એશિયા કે પૂર્વ યુરોપ કે એવી કોઈક જગ્યાએ રહેતી ભમતી હતી. તેઓએ મોટું સ્થાળાંતર કર્યું, તે ઇરાન ગઈ. ત્યાં આ જાતિનો એક ભાગ ગ્રીસ ગયો. એક ભાગ થોડા સમય પછી ભારત આવ્યો. અહીંના દ્રવિડો જે બહુ સુસંસ્કૃત અને સ્થાપત્યમાં પ્રવિણ હતા તેમને આ વિચરતી જાતિએ તહસ નહસ કરી નાખ્યા, તેમને ગુલામ બનાવ્યા, તેમના નગરોનો નાશ કર્યો. આ જાતિ પછી અહીં સ્થાઈ થઈ. આ બધી વાતો ભારતમાં દંત કથાઓના રુપમાં અને વેદોની ઋચાઓમાંની તારવણીઓથી સિદ્ધ થઈ શકે છે એવું પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તર્કહીન રીતે તુક્કાઓ દ્વારા સિદ્ધ કર્યું.

રામ દંતકથાનું પાત્ર છે. આ પાત્ર ઉત્તરમાંથી દક્ષિણમાં ગયું અને રાવણને હરાવ્યો. એટલે એવું તારવવામાં આવ્યું કે આર્યોએ દ્રવિડોને હરાવ્યા. આ વાતને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવ્યું. પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તેમના પ્રચ્છન્ન હેતુઓ સિદ્ધ કરવા ઘણા ગપગોળા ચલાવ્યા. આ બધી વાતો અન્યત્ર કરેલી છે. ભારતીય સંસ્કૃતિના અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રકાંડ પંડિત શ્રી રાજીવ મલહોત્રા અને બીજા અનેક વિદ્વાનોએ  “આર્યન ઈન્વેઝન થીયેરી” ને ધરાશાયી કરી છે અને તે વિષે પુસ્કળ સાહિત્ય ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે એટલે આની ચર્ચા નહીં કરીએ. આપણી વાત ફક્ત રામની ઐતિહાસિકતા પૂરતી સીમિત રાખીશું.

આપણે પ્રાચીન સાહિત્યની અવગણના નહીં કરી શકીએ. પુરાણો અને મહાકાવ્યોને કપોળ વાતો તરીકે ન જોવા જોઇએ. વાસ્તવમાં આ એક કથન પ્રણાલી હતી. જ્ઞાન પીરસવા અને યાદ રાખવાના અનેક માર્ગો હોય. રુપક, અન્યોક્તિ, વિશેષણ, ઉપમા, રમૂજ, શિખામણ, વર્ણન, પ્રાસ, અનુપ્રાસ, કવિતા, કથા, જોડકણા, કહેવત, દંતકથાઓ, અતિશયોક્તિ, અલંકાર, જેવી અનેક રીતો હોય છે. આમાં ઈશ્વર નિર્ગુણ નિરાકાર હોવા છતાં પણ, આ ઈશ્વર, ક્રોધિત કે ખુશી ખુશી થઈને મનુષ્ય કે અન્ય પ્રાણીના સ્વરુપમાં પાત્ર તરીકે આવી જાય છે.

ધારોકે શિખરણી છંદના સ્વરુપને યાદ રાખવું છે. તો શું કરશું? રસૈઃ રુદ્રૈઃ છિન્ના, યમનસભલાગઃ શિખરણી.

રસ કેટલા હોય છે?

છ રસ હોય છે.

રુદ્ર કેટલા છે?

૧૧ રુદ્ર હોય છે.

છ અક્ષર અને ૧૧ અક્ષર થી આ છંદ કપાયેલો છે. અને તેમાં યમનસભલગ થી બંધાયેલો છે. રસ અને રુદ્ર એ ભૂત સંખ્યા છે. આવી તો ભારતીય પદ્ધતિઓમાં અનેક વાતો છે.

આ રીતે શાસ્ત્રોના સિદ્ધાંતો યાદ રાખવા એવી પ્રણાલી આજે પણ ચાલે છે. જેમકે “ઓલ સીલ્વર ટી કપ્સ.”

“ઓલ” એટલે બધા. સીલ્વર એટલે સાઈન. ટી એટલે ટેન્જન્ટ, કપ્સ એટલે કોસાઈન.

બધા એટલે કોણ?

સાઈન, કોસાઈન અને ટેન્જન્ટ.

સાઈન એટલે શું? કાટખુણ ત્રીકોણમાં કોઈ એક ખૂણો તેની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર સાઈન કહેવાય છે.

કોસાઈન એટલે શું? કોઈ ખૂણાની પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનો ગુણોત્તર કોસાઈન કહેવાય છે.

ટેન્જન્ટ એટલે શું? સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર ટેન (ટેન્જન્ટ) કહેવાય છે.

પણ ગુણોત્તર ક્યારે ધન હોય અને ક્યારે ઋણ હોય? આ ધન અને ઋણને કેવી રીતે યાદ રાખવા?

જો ખૂણો ૦ થી ૯૦ની વચ્ચે હોય તો બધા જ ધન હોય છે.

જો ખૂણો  ૯૦+ થી ૧૮૦ની વચ્ચે હોય તો સાઈન ની કિમત ધન હોય.

જો ખૂણો ૧૮૦+ થી ૨૭૦ વચ્ચે હોય તો ટેનની કિમત ધન હોય.

જો ખૂણો ૨૭૦+થી ૩૬૦ ની વચ્ચે હોય તો કોસાઈન ની કિમત ધન હોય.

ત્રિકોણમિતિના કોઈ એક મૂલ્યને યાદ રાખવાની આ એક સહેલી રીત છે.

પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ આવી અનેક રીતો પ્રચલિત હતી. અનેક ચમત્કારિક વાતો આનો હિસ્સો છે પણ તેનો હેતુ ફક્ત વાતને, પ્રસંગને, વર્ણનને, કથનને રસમય બનાવવા માટે હોય છે જેથી તે યાદ રહે.

ઈશ્વર-રુદ્ર-શિવ, સૂર્ય-વિષ્ણુ-બ્રહ્મા અને અનેક દેવતાઓ (ઈન્દ્ર, વાયુ, વરુણ …) વિગેરે પાત્ર તરીકે આવે એવી ઘણી વાતો છે. પણ આ બધું ઐતિહાસિક વાતોને રસપ્રદ બનાવવા માટે હોય છે. આજે પણ આ પ્રણાલી એક યા બીજા સ્વરુપે ચાલે છે. ફિલમમાં તમે જોતા હશો કે કોઈ પાત્ર ઉપર આપત્તિ આવે તો પાર્શ્વભૂમિકામાં આકાશમાં કડાકા ભડાકા અને વિજળીઓ બતાવે. કોઈ પાત્રના મનમાં ખળભળાટ હોય તો તોફાની દરિયો બતાવે. ઐતિહાસિક વાર્તાના પુસ્તકોમાં કોઈ વાર્તાલાપમાં આવતા શબ્દ પ્રયોગો, સ્થળોના વર્ણનો, વસ્ત્રોના વર્ણનોના શબ્દ પ્રયોગો, જરુરી નથી કે તે, વાસ્તવમાં જે તે રુપમાં હોય તેજ સ્વરુપમાં વર્ણિત હોય.

દાખલા તરીકે મૈથિલી શરણગુપ્તે સામ્રાટ અશોક ઉપર કોઈ નાટક લખ્યું હોય. કલિંગના યુદ્ધ પછીનો અશોક અને તેની પત્ની તિષ્યરક્ષિતા વચ્ચેનો કોઈ સંવાદ હોય. જરુરી નથી કે આ સંવાદ અક્ષરસઃ સાચો જ અને વાસ્તવિક હોય. એ પણ જરુરી નથી કે આ સંવાદને કારણે જ અશોકનું હૃદય પરિવર્તન થયું હોય. સંભવ છે કે આવો સંવાદ થયો પણ ન હોય. આ બધું હોવા છતાં અશોકના હૃદય પરિવર્તનની સત્યતાને આપણે નકારી ન શકીએ. અશોકના પિતાનું નામ મોટાભાગના ગ્રંથોમાં બિંબિસાર લખ્યું છે. આ વાત આપણે નકારી ન શકીએ.   

મહાકાવ્યોની વાત બાજુપર રાખો. બધા પુરાણોમાં રામનો ઉલ્લેખ છે. રામના પિતા દશરથ હતા તેવો પણ બધા પુરાણોમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં. તેમના વંશના બધા રાજાઓનો નામ સાથે ઉલ્લેખ છે. આ બધો ઉલ્લેખ સમાન રીતે છે. એટલે કે નામોનો ક્ર્મ પણ સમાન છે. આ બધા પુરાણો એક સાથે લખાયા નથી. આ પુરાણો એક જ જગ્યાએ પણ લખાયા નથી. આ પુરાણો એક જ વ્યક્તિએ લખ્યા હોય તેવું પણ મનાય તેમ નથી. પુરાણ સતત લખાતા ગયાં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પુરાણો લખાતા ગયા. ઓછામાં ઓછું ઇસ્વીસન પૂર્વે ૧૦મી સદી થી ઇસ્વીસનની ૮ મી સદી કે બારમી સદી સુધી આ પુરાણો લખાતા રહ્યાં. વિશ્વના ઘણા ગ્રંથો આવી રીતે લખાતા રહ્યા છે.

સૌથી પ્રાચીન પુરાણ, વાયુ પુરાણ છે.

વાયુ પુરાણ સૌથી પ્રાચીન શા માટે ગણાય છે?

વાયુ પુરાણના આમ તો છ પાઠ મળે છે. જે સૌથી જુનો પાઠ છે તે અનપાણીનીયન સંસ્કૃતમાં લખાયેલો જોવા મળે છે. પાણીની સંસ્કૃત ભાષાના વૈયાકરણી હતા. પાણીની ઇસ્વીસન પૂર્વે આઠમી સદી થી ઇસ્વીસન પૂર્વે ચોથી સદીની વચ્ચે થઈ ગયા એમ પાશ્ચાત્ય ઇતિહાસકારો પણ માને છે. વાયુ પુરાણની શૈલી પણ પ્રાચીન લાગે છે.  આ પુરાણમાં પણ ઉત્તરોત્તર પ્રક્ષેપ થયા છે. પ્રકરણો પણ મોટા થતા ગયા છે.

વાયુ પુરાણના પ્રાચીન પાઠમાં બુદ્ધ ભગવાનનો ઉલેખ નથી. વિષ્ણુના દશ અવતારની વાત આવે છે ખરી, પણ રામનો વિષ્ણુના અવતાર તરીકે ઉલ્લેખ નથી. સૂર્યવંશના બધા રાજાઓની વંશાવળી છે.  રામનો એક બળવાન રાજા દશરથના પરાક્રમી પુત્ર તરીકે ઉલ્લેખ છે. તેમણે લંકાના રાજા રાવણને હરાવ્યો એવો ઉલ્લેખ છે. બસ આથી વિશેષ કશું નથી.

વાયુ પુરાણમાં એમ તો કૃષ્ણ ભગવાનનો પણ ઉલ્લેખ છે. કૃષ્ણને વિષ્ણુભગવાનના અવતાર પણ માનવામાં આવ્યા છે. કૃષ્ણ વિષે અર્ધું પ્રકરણ છે. વાયુ પુરાણના લેખકને કૃષ્ણ વિષે મુખ્ય વાત સ્યામંતક મણીની ચોરીનું જે આળ આવેલું તે કૃષ્ણ ભગવાને કેવીરીતે દૂર કર્યું તેની કથા લાગી છે. ટૂંકમાં લેખકને કૃષ્ણના જીવનની આ સ્યમંતક મણીની વાત જ ઉલ્લેખનીય લાગી છે. આ ઉપરાંત એમ પણ લખ્યું છે કે કંસ, વસુદેવના પુત્રોને મારી નાખતો હતો. વસુદેવના પુત્રોની નામાવલી પણ આપવામાં આવી છે. એવું લાગે છે કે તે તેમની સાથે યુદ્ધ કરીને મારી નાખતો હોય. વાયુ પુરાણમાં લખવામાં આવ્યું છે કે કંસની આવી આદતથી,  વસુદેવ, પોતાના પુત્ર કૃષ્ણને તેમના મિત્ર નંદને ઘરે મુકી આવે છે.

આમ આ આખા વર્ણનમાં ન તો જેલનો ઉલ્લેખ છે, ન તો કંસ વસુદેવના પુત્રોને જન્મની સાથે મારી નાખતો હતો તેવો ઉલ્લેખ છે, ન તો વસુદેવ મધ્યરાત્રીએ તાજા જન્મેલા કૃષ્ણને યમુનાના પૂરમાં થઈને લઈ જતા હોય તેવો ઉલ્લેખ છે, ન તો યમુના તેમને જગ્યા કરી દેતી હોય તેવો ઉલ્લેખ છે, ન તો નંદને ઘરે પુત્રી જન્મ્યાનો ઉલ્લેખ છે, ન તો કોઈ બચ્ચાંના આદાન પ્રદાન નો ઉલ્લેખ છે. ન તો રાધાઓ કે ગોપીઓનો ઉલ્લેખ છે, ન તો કોઈ બીજા ચમત્કારોનો ઉલ્લેખ છે. એક વાત ચોક્કસ લખી છે કે કૃષ્ણ ભગવાનને  વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે. સાથે સાથે તેમના મોટાભાઈ બળદેવ પણ વિષ્ણુભગવાનના અવતાર માનવામાં આવ્યા છે.

ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે અનેક શ્લોકોમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ને બદલે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એ રીતે ત્રણ દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણનો આરંભ જ મહેશ ઈશાન (રુદ્ર) ની સ્તૂતિ થી કરવામાં આવ્યો છે.  વેદોમાં અગ્નિનું નામ ઇશાન પણ છે. મહો દેવો (“મહઃ દેવઃ … સો મહો દેવો મર્ત્યાં આવિવેશ” ઋગ્વેદમાં નો અગ્નિનો એક શ્લોક). કહેવાનું તાત્પર્ય એ છે કે વાયુપુરાણમાં અગ્નિ, રુદ્ર, વિશ્વદેવ, મહાદેવ, મહેશ ની એકસુત્રતા સ્પષ્ટ જોવા મળે છે. તેથી જ ઇશ્વરની બાબતમાં ભારતીય શાસ્ત્રીઓએ કશા વિરોધાભાષો જોયા નથી.

“ … ક્ષોભયામાસ યોગેન પરેણ પરમેશ્વર …. રજો બ્રહ્મા, તમો અગ્નિ, સત્વો વિષ્ણુરજાયત    …. એત એવ ત્રયો લોકા, એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા, એત એવ ત્રયોગ્નયઃ”. પરમેશ્વર પોતાની માયારુપી પ્રકૃતિ રુપી અંડમાં પ્રવેશ કરી તેને ક્ષોભિત કરે છે અને રજસ તમસ અને સત્વગુણ રુપી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ જ ત્રણ લોક છે, આ જ ત્રણ ગુણો છે, આજ ત્રણ વેદ છે આજ ત્રણ અગ્નિઓ છે.

આ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને અગ્નિના ત્રણ રુપ માનવામાં આવ્યા છે. એમ કહ્યું છે કે પરમેશ્વરના (શિવના) ત્રણ અગ્નિઓ છે. શિવને ત્રીમૂર્ત્તિ પણ કહેવાય છે.

“એત એવ” જેવા અનેક શબ્દ પ્રયોગો વાયુપુરાણમાં મળી આવે છે. આ અનપાણીયન શબ્દ પ્રયોગ છે. પાણીનીયન શબ્દ પ્રયોગ “એષઃ એવ” છે.

તમે કહેશો આમાં રામના ઐતિહાસિકપણાની વાત ક્યાં આવી?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, દશરથ, રાવણ, કૃષ્ણ, સ્યમંતક મણી, ચોરીનું આળ, કંસ, વસુદેવ, આર્ય, દ્રવિડ, આર્ય, વિચરતી જાતિ, પ્રણાલી, શિવ, અગ્નિ, પરમેશ્વર, પ્રાચીન, ત્રિમૂર્તિ, ચમત્કાર, ઇતિહાસ, રસપ્રદ          

 

Read Full Post »

વિશ્વના આશ્ચર્યો કે ભારતના આશ્ચર્યો

આમ તો શંકર ભગવાન એટલે કે શિવ ઈશ્વરને શ્વેત વર્ણના ગણવામાં આવ્યા છે. બ્રહ્માને રક્તવર્ણના અને વિષ્ણુને શ્યામ વર્ણના ગણવામાં આવ્યા છે. આધુનિક ચિત્રકારો વિષ્ણુ અને તેમના અવતારો જેવા કે રામ અને કૃષ્ણને કાળા ચિતરે છે તે તો ઠીક છે પણ શિવને પણ કાળા (એટલે કે આછા ભૂરા રંગના) ચિતરે છે. શિવના શ્વેત રંગ વિષે હજાર ઉલ્લેખો મળશે. સિવાય કે એમનું મહાકાળ સ્વરુપ.

શિવ કે મહાદેવ કે રુદ્ર કે મહેશ્વર દુધ જેવા ધોળા, ચંદ્રના જેવા શ્વેત, વિદ્યુત જેવા શ્વેત …  જેવા અનેક શ્લોકો જોવા મળે છે. કાળા રંગ વિષે એક પણ ઉલ્લેખ નહીં મળતો નથી. એક આશ્ચર્ય છે. પણ વાત જવા દો. ઈશ્વર તો ત્રણેમાં એક છે. અને પરબ્રહ્મ પણ તે છે.

કપાસની એક જાત છે. જેનેટિકલી મોડીફાઈડ જાત. સંકર. સંકર ને શંકર ભગવાન સાથે કશી લેવા દેવા નથી. પણ એક બીજી જેનેટીકલી મોડીફાઈડ જાત એનું નામ આપ્યું વિષ્ણુ. આપણા કૃષિ વૈજ્ઞાનિકોને સંકર અને શંકર માં ભેદ દેખાતો નથી.

છે ને આશ્ચર્યની વાત?

આપણા અંગ્રેજોએ લખેલા ભારતના ઐતિહાસિક આશ્ચર્યોને તો અવગણવા પડશે. એની ચર્ચા નહીં કરીએ.

સંતો, ઓશાઓ,  … હિરાઓ.માં સાચા કેટલા?

મોટા નામ વામણા જન

આમ તો વિષય છેસંતો, ઓશાઓ, બાવાઓ, બાબાઓ, સ્વામીઓ, નેતાઓ અને હિરાઓ.માં સાચા કેટલા?

બહુ ચવાઈ ગયેલો વિષય છે. પણ માથે પડેલો વિષય છે. કારણકે તેમના ભક્તોને ચેન નથી.

કોઈ મહાન લેખકે તારવ્યું હશે, પણ અમારા સાંભળવામાં અમારા જુના મિત્ર પ્રકાશભાઈ શાહ દ્વારા એક બ્રહ્મ વાક્ય જે કંઈક આવું હતું, કે જન સામાન્યની વૃત્તિ બુદ્ધિને કષ્ટ આપવામાંથી મૂક્તિ મેળવવાની હોય છે અને કોઈકને ને કોઈકને તાબે થવાની હોય છે.

કથનની સત્યતા જોવી હોય તો તમે તેમના ભક્તોની સંખ્યા જોઇ લો.

તમે કહેશો ઓશા અને હિરાઓ એટલે શું?

ઓરડોનું બહુવચન ઓરડા અથવા ઓરડાઓ છે, “ટોપોનું બહુવચન ટોપા કે ટોપાઓ એમ છે, તેવીરીતે ઓશોનું બહુવચન ઓશા અથવા ઓશાઓ છે. ગુજરાતી વ્યકરણશાસ્ત્રીઓ આને વિષે કંઈ ફેરફાર સૂચવવો હોય તો સૂચવે.

હિરાઓ એટલે અંગ્રેજીમાં એચ આર હિરો શબ્દ છે તે શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે અને તેનું બહુવચન છે. આમ તોએચ આર નો અર્થ મુખ્યપાત્ર થાય છે. પણ આપણા કેટલાક ભાઈઓ (બહેનો સહિત), તેને ડાયમન્ડહીરો તરીકે પણ સમજે છે.

સંત એટલે કે જે સજ્જન હોય હોય અને નિર્લિપ્ત પણ હોય તેને કહેવાય છે.

ઓશો વિદેશી શબ્દ છે.

તેનો અર્થ જ્ઞાની થાય છે. જ્ઞાની એટલે બ્રહ્મજ્ઞાની થાય છે કે કેમ તે વિષે સંત રજનીશના ભક્તો ફોડ પાડશે? વાત જવા દો. ઓશોઉપપદ (ખિતાબ) રજનીશે, તેમણે જાતે પોતાને આપેલ. તમે કહેશો કે એવું તે કંઈ હોતું હશે?

સંત રજનીશ કંઈ નહેરુ થોડા છે કે પોતેને પોતે , પોતાને ભારતરત્ન આપે? પહેલાં સંત રજનીશે જે પુસ્તકો છપાવ્યાં તેમાં તેઓઆચાર્ય રજનીશએમ હતા. પછી જે પુસ્તકો છપાવ્યાં તેમાં તેઓભગવાન રજનીશએમ થયા. પછી જે પુસ્તકો સંત રજનીશે છપાવ્યાં તેમાંઓશો + રજનીશ નો ફોટોએટલે કે ફોટાવાળા ભાઈ ઓશો છે.

સંત રજનીશે નામનો ત્યાગ કર્યો. “નામમાં શું બળ્યું છે!!”. ગુણ મૂખ્ય છે. નામ નહીં.

ગુણાઃ સર્વત્ર પૂજ્યંતે લિંગં વયઃ

એટલે કે ગુણો પૂજાય છે. જાતિ કે વય નહીં.

સંત રજનીશે વિચાર્યું કે ખ્યાતિ માટે ભક્તમંડળ હોવું જરુરી છે. ભક્તોને આકર્ષવા માટે જ્ઞાની હોવું જરુરી છે. જ્ઞાની થવા માટે જ્ઞાન હોવું જરુરી છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કાંતો વાચન અથવા ચિંતન અથવા બંને જરુરી છે. જો વાચન આપણને પળોજણ લાગતી હોય તો ન્યૂનતમ વાચનથી ગાડું ગબડશે પણ શબ્દોની રમત તો શિખવી પડશે. જો પ્રાસાનુપ્રાસવાળા શબ્દ પ્રયોગો કરીશું, વિરોધાત્મક શબ્દ પ્રયોગો કરીશું, આંચકા લાગે તેવું બોલીશું તો શ્રોતાઓબોરનહીં થાય અને બગાશાં નહીં ખાય. ચીટકેલા રહેશે. માટે ચિંતન દિશામાં કરો.

સંત રજનીશમલની આચાર્ય થી ઓશો સુધીની સફર આમ તો રસમય છે. પણ વાત અત્યારે અપ્રસ્તૂત છે. આપણા ડીબીના એક કટાર લેખકે તેમની સફરને પ્રોફેસર થી આચાર્ય થી ભગવાનથી ઓશો સુધીની દર્શાવી છે. આમ તો સંત રજનીશમલ  ક્યારેય આચાર્ય હતા. આચાર્યના બે અર્થ થાય છે. જેઓ ગીતા અને વેદાંગ ઉપર ભાષ્ય લખે તેને આચાર્યની ઉપાધિ અપાય છે. કાશીની વિદ્યાપીઠ પણ આ ઉપાધિ આપે છે. શાળા, મહાશાળાના ઉપરીને એટલેકે પ્રીન્સીપાલને પણ આચાર્ય કહેવાય છે.

આચાર્યના અર્થ વિષે, આચાર્ય રજનીશનું વાચન એટલું હતું નહીં.

તેમને આચાર્યના અર્થ વિષે સમજણ પણ નહી હોય એવું લાગે છે.

“આચાર્ય” શબ્દ સારો લાગે છે. તેનો ઉપયોગ કરવો. સંત રજનીશમલે કદાચ એમ વિચાર્યું હશે, “ શબ્દ બહુ ભરાવદાર લાગે છે…. શંકરાચાર્ય…. ભાસ્કરાચાર્યસાયણાચાર્યદ્રોણાચાર્ય ….  અહો !! . કેવા સુંદર શોભે છે !!

રાખી લો ત્યારે ઉપાધિ. “હરિ તત્સત્‍”. પહેલાં લખોઆચાર્યપછી લખો રજનીશ. પુસ્તકનું નામ ગમે તે હોય પણ મોટા અક્ષરે લખોઆચાર્ય રજનીશ”.

કાળાંતરે કોઈ અળવીતરા પત્રકારે સંત રજનીશમલને પ્રશ્ન કર્યો, કે તમે તમારા નામની આગળઆચાર્યલખો છો તો આચાર્યનો અર્થ શો થાય છે? સંત રજનીશમલે બેધડક કહી દીધું કેહું ફલાણી ફલાણી કોલેજમાં પ્રોફેસર હતો. પ્રોફેસરનો અર્થ આચાર્ય થાય છે”. પત્રકારે સંત રજનીશમલની સમજણને ટપારી અને કહ્યું કે પ્રોફેસરનું આપણી ભાષામાં ભાષાંતર પ્રાધ્યાપક થાય. આચાર્ય એટલે તો પ્રીન્સીપાલ થાય. તમે ક્યાંય પ્રીન્સીપાલ હતા?

શબ્દોની રમત રમવામાં પોતાને અભેદ્ય અને અપરાજિત માનનારા સંત રજનીશમલને કદાચ મોં સંતામણ થઈ હશે. પણ તે પછી તેમણે પોતાની ઉપાધિમાં પરિવર્તન કર્યું.

દોલતશંકરને યાદ કરોbhadrambhadra

દોલતશંકરને જ્યારે ભગવાન શંકરે ટપાર્યા હતાહે બ્રાહ્મણ તેં કેવું નામ રાખ્યું છે! દોલત શબ્દ તો મ્લેચ્છ ભાષાનો છે અને અંતઃસર્ગ (સફીક્સ) શંકર ગિર્વાણગિર્છે. મ્લેચ્છ અને ગિર્વાણગિર્ને તેં સમકક્ષ મુકવાનો ઘોર અપરાધ કર્યો છે? તું દંડને પાત્ર છે…. જો કે પછી દોલત શંકરે આપણા ન્યાયાલયમાં કામ લાગે અને શોભે તેવો બચાવ કર્યો કેહે પ્રભો આમાં મારો રજમાત્ર પણ વાંક નથી. મારું નામ તો મારા ફોઈબાએ પાડ્યું છે…” પણ શંકર ભગવાને  દલીલ માન્ય રાખી હોય એવું દોલતશંકરને લાગ્યું કારણ કે તેમણે શંકર ભગવાનને ત્રીશૂળ હાથમાં લેતા જોયા અને તેઓને, ત્રીશૂળ ઉગામવાની તૈયારીમાં જોયા. દોલત શંકરના મોતિયા મરી ગયા.

દોલતશંકર સ્વપ્ન ભંગ થયા. નિદ્રાભંગ થયા પછી દોલતશંકરે પોતાના સાથી અંબારામને પોતાના નામનું પરિવર્તન કરવાની વાત કરી.

તે પછી દોલત શંકરે વિધિસર નવનામકરણ કર્યું અને પોતાનું નામભદ્રંભદ્રએમ રાખ્યું. આપણા સંત રજનીશમલે વિધિસરનવપદવીકરણવિધિસર કરેલ કે કેમ તે આપણે કોઈ જાણતા નથી. પણ પછી તેમના બધા પુસ્તકો ઉપર ભગવાન રજનીશ, ભગવાન રજનીશ, ભગવાન રજનીશ દેખાવા લાગ્યું. ભગવાન માંથી ઓશો શું કામ થયા તે કોઈ જાણતા નથી.

સંભવ છે કે તેમને ખબર પડી હોય કે કોઈ પણ સમયે અને જે તે સમયમાં મનુષ્ય દેહે વિચરતા ભગવાનોની સંખ્યા, પૃથ્વી ઉપર હમેશા એક હજારથી ઉપર હોય છે. એટલે સંત રજનીશમલને થયું હોય કે સ્વયં પ્રમાણિત અને સ્વયં આભૂષિત ઉપાધિભગવાન” ને બદલે, બીજું અભૂતપૂર્વ કે અસામાન્ય ,જેવું કંઈક ઉપપદ રાખીએ.

એશિયામાં તો જાપાન બહુ સમૃદ્ધ અને આધુનિક દેશ ગણાય છે. વળી ત્યાં બૌધ ધર્મ પળાય છે. બુદ્ધ આતર્રાષ્ટ્રીય છે. કૃષ્ણ અને મહાવીર આપણા વેપારીભાઈઓના દેવ છે. ત્રણેનું મિશ્રણ કરીને અવનવાર આપણે તેમના નામના ઉલ્લેખો કરતા રહ્યા છે. એટલે જાપાની ભાષા નુંઑશોઆપણને વધુ ફાવશે.      

જગત ખરેખર અનિર્વચનીય છે. એક રજનીશ ભક્તે મારી પાસે એકડઝન જેટલા પુસ્તકોની થપ્પી કરી. અને કહ્યું કે તમે વાંચો. તેમણે ઉમેર્યું. વાંચ્યા પછી મને એવો જુસ્સો આવી ગયો કે હું શું નું શું કરી નાખું?

મેં કહ્યું, હું વાંચું ખરો પણ તમે આમાંના કોઈપણ એક પુસ્તકનું કોઈ પણ એક પાનું ખોલો અને હું એક ફકરો વાંચી તેને તર્ક હીન સાબિત કરી દઉં તો? શરત મારવી છે? તેઓ તૈયાર થયા.

વિશ્વનું નહીં તો ભારતનું એક આશ્ચર્ય છે કે રજનીશ જેવા અજ્ઞાનીને પણ જ્ઞાની (ઓશો) કહેવાવાળા છે.

ઓશો આસારામઃ

આસારામ વિષે એવું જાણવા મળ્યું છે કે તેઓ તેમના પૂર્વસંસારી દેહે, આસુમલ હતા. કહેવાય છે કે નામ દેહે તેઓશ્રી દારુની હેરફેર કરતા એટલે નીચે દારુની હેરફેર અને ઉપર લક્ષ્મીની હેરફેરમાં જે તે અનુકુળ જગ્યાઓએ સંબંધો વિકસી ગયા. નવા નામરુપ દેહ અવતારમાં સંબંધો કદાચ નવા સંબંધો બાંધવામાં કામ લાગ્યા હશે. પણ લક્ષ્મીની હેરફેરમાંથી, કોઈની ગૃહલક્ષ્મી કે કોઈની થનાર ગૃહલક્ષ્મીઓ તેમની પાછળ રાધાઓ થઈને કેમ પડી અને તેમના પતિ અને પિતાઓ પણ ગોપ થઈને કેવીરીતે ગરબે ઘુમવા લાગ્યા તે આશ્ચર્યની વાત છે.

કલેક્ટરો અને મામલતદારોએ પણ ઓશો આસારામને બેધડક સરકારી ભૂમિ કેવીરીતે અધિગ્રહણ કરવા દીધી તે પણ આશ્ચર્યની વાત છે. શ્રેય તો ત્યારે ગણાશે કે એક વિશિષ્ઠ અન્વેષણ સમિતિ નિમાય અને જે કોઈ સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોય તેમને જેલમાં નાખી દેવાય. ઓશો આસારામને કંઈ નહીં તો પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ નો વિશિષ્ઠ પુરસ્કાર અપાય પછી તે પદ્મ ભલે કુવેચનું હોય.

ઓશો આસારામે એકવાર વાત વાતમાં એમ કહેલ કે નરેન્દ્ર મોદી તો મલ છે મલ. ધારે એમ કરી શકે છે. મલ (મલ્લ) છે. એટલે કે જોરદાર છે.

બધા સંતો ઓશાઓ પણ મલ્લ એટલે કે મલ છે. સંત રજનીશન પણ સમાજના મલ છે. અને ઓશો આસારામ પણ મલ છે.

પણ ભારતનું આશ્ચર્ય છે.

સાંઈબાબાઃ

sai baba

ચમત્કારોની વાત ક્યાં નથી? રામાયણમાં રામે અને સીતાએ પણ ચમત્કારો કર્યા. કૃષ્ણ ભગવાને પણ ચમત્કારો કર્યા હતા. આમ જોવા જઈએ તો ઈશ્વર માટે પણ ચમત્કાર કરવા શક્ય નથી. છતાં પણ હાડમાંસના બનેલા રામ, સીતા અને કૃષ્ણ સૌએ તેમના સાથીઓથી પણ ઘણા મોટા ચમત્કારો કરેલ. બધા ચમત્કારોને સદંતર અવગણો તો પણ રામ અને કૃષ્ણની મહાનતાને ક્ષતિ પહંચતી નથી અને તેમની મહાનતા અકબંધ રહે છે. કારણ કે તેઓ તેમના ચમત્કારોને કારણે મહાન ગણાયા નથી. તેઓ પહેલાં મહાન ગણાયા. ચમત્કારો તો પછી ઉમેરાયા.

પણ સાંઈબાબા વિષે તમે શું કહેશો? જો તમે ચમત્કારોની બાદબાકી કરી નાખો તો તેમનામાં શેષ શું રહેશે? કશું નહીં. કેવળ શૂન્ય. છતાં પણ લાખો માણસો તેમને ભગવાન માને છે. તેમનામાં શ્રદ્ધા રાખે છે. કોઈ તેમને પીર સમજે છે, કોઈ તેમને ઓલીયા સમજે છે, કોઈ તેમને દત્તાત્રેય તરીકે પૂજે છે. કોઈ તેમને શિવ તરીકે પણ પૂજે છે અને તેમના માથે ત્રીપૂણ્ડ દર્શાવે છે અને તેમની મૂર્તિ આગળ શિવના વાહન પોઠિયાને બેસાડે છે. “ સાંઈઅને સબકા માલિક એકએમ લખે છે. જેમ સંગીતમાં મિયાં અને મહાદેવ ભેગા થાય છે તેમ સાંઈબાબા પાસે પણ હિન્દુઓ અને મુસલમાનો ભેગા થાય છે. જો આને સિદ્ધિ ગણીએ તો બધું ક્ષમ્ય છે. શિવ આગળ સૌ સમાન છે.

સત્યસાંઈ બાબાઃ

સત્ય સાંઈબાબાના ચમત્કારો ને અવગણીએ તો, સત્ય સાંઈબાબા પાસે અબજો રુપીયાની મિલ્કત બાકી રહે છે. તે સંપત્તિ થકી કેટલાક વિદ્યાલયોના ધંધા ચાલે છે અને તેમના ભક્તો પોષાય છે. પણ સૌ ભક્તો શરુઆતમાં તો તેમના ચમત્કારોથી (હાથ ચાલાકીઓથી) અંજાયેલા. પછી ભક્તોને થયું હશે, “અહીં બધું ચાલે છે અને આપણને ફાયદો છે તો પછી વાંધો નહીં.” “માંહે પડેલા મહાસુખ માણે”.

પણ આશ્ચર્ય તો છે .

સહજાનંદસ્વામીઃ

sahajanandaswami

આમ તો ભગવાન ઓગણીશમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. તેમણે પણ અનેકાનેક ચમત્કારો કરેલ. તેમના પણ લાખો ભક્ત છે. સહજાનંદ સ્વામી પાસે એવું કશું ધન કે સંપત્તિ હતાં. સહજાનંદ સ્વામી ચમત્કારોથી આગળ આવેલા હતા. જેમ કૃષ્ણની ગીતા છે. તેમ સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી છે. કહેવાય છે કે વલ્લભભાઈ પટેલ, સમસ્યાના સમાધાન માટે શિક્ષાપત્રી વાંચી લેતા હતા.

કાળાંતરે સહ્જાનંદ સ્વામીના ચમત્કારો આગળ આવ્યા. બધું છતાં, તેમનું મુખ્ય કામ ગરીબ જનતાને વ્યસનમુક્ત કરવાનું હતું. એટલે કે દારુ, તમાકુ, બીડી, ભાંગ ….

જેઓ સ્વામીનારાયણ સંપ્રદાયના છે તેઓ બધા, વ્યસન મુક્ત છે. જો કે નોંધ કરો બધી જાતના વ્યસનોથી મુક્ત નહીં.  સહજાનંદસ્વામીનો એક આશિર્વાદ હતો કે એમના ભક્તોએ કદી ભીખ માગવી નહીં પડે. વાત આજે પણ સાચી છે. સહજાનંદ સ્વામીના ભક્તોએ ઘણા સારાં કામો કર્યા છે. શિલ્પકળા, સ્થાપત્યો, વિદ્યામંદિરો અને સંસ્કૃતનો ઉદ્ધાર મુખ્ય છે.

આમ તો દયાનંદ સરસ્વતીએ સૌ ધર્મગુરુઓની ઠેકડી ઉડાવેલી તેમાં સ્વામીનારાયણ ભગવાનનો પણ સમાવેશ થઈ જતો હતો. પણ આજે તમને અગ્નિવેશ જેવા ગાંડુંઘેલું બોલનારા આર્યસમાજમાં મળશે. પણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં એવા ધર્મગુરુઓ મળશે નહીં. પૈસાથી છકી જનારા કે કીર્તિથી છકી જનારા તમને અહીં નહીં મળે.

પણ એક આશ્ચર્ય છે. જય સ્વામીનારાયણ. મારા ફોઈબા જેવા પ્રેમાળ અને અજાતશત્રુ સ્ત્રીના જે આરાધ્ય દેવ હોય તેમનામાં પણ કંઈક સત્વ તો હશે .

જૈન ધર્મના સોએ સો ટકા ધર્મગુરુઓ વિદ્વાન હોય છે. તેમનામાં કેટલાક દિગંબર હોય છે. ત્યાગની આ કક્ષા સુધી પહોંચી જવું તેનાથી મોટું આશ્ચર્ય શું હોય?

હિરાભાઈઓઃ

હવે જ્યાં ભગવાનોની વાતો થતી હોય ત્યાં હિરાભાઈઓને લાવવા તે જરા અજુગતું લાગે છે. પણ આપણે ભારતમાં થતા ચમત્કારોની વાતો કરીએ છીએ ત્યારે બીજા ચમત્કારોની અવગણના કેવી રીતે થાય? સીલીકોન ઈન્ડીયા એક વેબસાઈટ છે. તેમાં એક વખત કેટલાક અતિ મહાન પુરુષોના સુવાક્યો લખ્યા. જેમકે બર્ટ્રાન્ડ રસેલ, સમરસેમ મોમ, મહાત્મા ગાંધી, ન્યુટન, લીઓ ટોલ્સટોયઅને છેલ્લે વળી હકલાનું પણ એક સુવાક્ય કથન લખ્યું. જો કે કોમેંટમાં સીલીકોન ઈન્ડીયા ની ઘણી મજાક ભરી ટીકા થઈ. કદાચ હકલાભાઈને આવા ગોદા મળે તે હેતુથી સીલીકોન વેલીએ મજાક માટે લખ્યું હશે. અહીં આપણે ફક્ત ચમત્કારના અનુસંધાનમાં લખીએ છીએ.

યુવાનોના અતૃપ્ત આત્માઓ પોતાની જાતીય અતૃપ્તિને તુષ્ટ કરી શકે તે કારણથી હર સમયે નાટક અને ફિલમના હિરાભાઈઓ પોતાની ફરજ બજાવે છે. તેમાં તેઓ તો ભૌતિક રીતે તૃપ્ત થાય છે પણ સાથે સાથે અતૃપ્ત શરીરનિવાસી આત્માઓ પણ યેનકેન પ્રકારેણ તાદાત્મ્ય સાધે છે. જેમ મનુષ્ય પોતાના સ્વપ્નમાં પોતાની અતૃપ્તિને તૃપ્ત કરતી પ્રવૃત્તિઓ કરે છે તેમ ઉપરોક્ત ક્રિયાને દિવાસ્વપ્ન ગણવું.

હિરાભાઈઓને ખ્યાતિ મળી. એટલે તેઓ પોતાને સાચેસાચ મહાન માનવા લાગ્યા. નાટકમાં કામ કરવું અઘરું છે. પણ ફિલમમાં તે અઘરું નથી. ફિલમમાં હિરાભાઈઓએ સંવાદો યાદ રાખવા પડતા નથી. બરાબર સંવાદ બોલાયો હોય તો અને અભિનય બરાબર થયો હોય તો દિગદર્શક અવારનવાર અભિનય કરાવડાવેપણ ફિલમમાં કંઈ તેની ભૂલો બતાવે. જે શ્રેષ્ઠ હોય તે બતાવે. પ્રેક્ષકો ખુશ થાય. એક ફિલમની પાછળ ઘણી વ્યક્તિઓનું પ્રદાન હોય છે. પણ દેખાય આપણને હિરા ભાઈ એકલા. એટલે અલ્પજ્ઞ કે અતૃપ્ત ને અહોભાવ જાગે.

અભિનયએક શાસ્ત્ર છે. તમે ગામડીયાની પાસે ગામડીયાનો અભિનય કરાવો તો તે બરાબર કરશે. બાળક, બાળક તરીકે નો અભિનય બરાબર કરશે. ગાંડો ગાંડાનો અભિનય બરાબર કરશે. પણ તમે કહેશો ત્યારે આ ત્રણેય બરાબર અભિનય નહીં કરે.

તમે અભિનય ક્ષેત્રે પડો તો તમારે જાત જાતના પાત્રના અભિનય કરવા પડે. જેમ રાજકારણમાં તમે તમારા માતા પિતા કે ગુરુના ખભે બેસીને આગળ આવી શકો. તેમ ફિલમ ક્ષેત્રમાં પણ એવું છે. અહીં ગુરુ તરીકે દાઉદભાઈ ઓળખાય છે. માતા પિતા પણ ચાલે પણ તેઓ કેટલા પૈસા ખર્ચી શકે? તેની સીમા હોય છે. અહીં તો દાઉદભાઈ વધુ ચાલે.

હવે જુઓ હકલાભાઈ ( નામ દાઉદભાઈએ પાડેલું છે), આગળ તો આવી ગયા. પણ અભિનયમાં શૂન્ય. એક જાતનો અભિનય. દિલીપ કુમારની જેમ . તમે દિલીપભાઈને મજુર બનાવો, ઘોડાગાડીના ચાલક બનાવો, દરવાન બનાવો, નેતા બનાવો કે જહાંગીર બનાવી દો. અભિનય તો એક જાતનો કરશે. હકલાભાઈ પણ એવા છે. ગામડીયા તરીકે કે અભણ પાત્રનો અભિનય કરવાનો હોય તો બરાબર મેચ થાય. પણ જો જાહેરમાં તેઓ એજ પહેરવેશમાં આવે તો ફજેતી થાય. અરે ફિલમમાં પણ તેમને ઉત્તરોત્તર પ્રગતિ કરતા બતાવવા પડે અને વેળાસર તેમને શુટબુટમાં લાવવા પડે. શુટબુટમાં આવે તો દર્શનીય બને. આવા અનેક હિરાભાઈઓ છે. હિરીબેનો પણ છે. પણ તેમની વાતો આપણે નહીં કરીએ. તેમને તો બ્યુટીફીકેશન માટે રાખ્યા હોય છે. હિરીબેનો આધારિત બહુ ઓછી ફિલમો બને છે.

હકલાભાઈને વિદેશમાં એક એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓએ કેટલાક કલાક રોક્યા કારણ કે તેમના કોઈ નજીકના સગા ટેરરીસ્ટ એક્ટીવીટી સાથે સંકળાયેલા છે તેવી અમેરિકાને શંકા હતી. તો પણ હિરાભાઈને ભાન થયું કે તેઓ મહાન પુરુષ નથી. અરે ભાઈ તમે તો અભિનયમાં પણ શૂન્ય છો. નહેરુવીયનો જેમ લાયકાત વગર બીજાના ખભે બેસીને ખ્યાતિ પામ્યા, તેમ તમે પણ અમુક કારણોસર આગળ આવ્યા છો.

જે હોય તે પણ એક આશ્ચર્ય તો છે .

ટીવી ચેનલના એંકરોઃ

દરેક એંકર પોતે આમંત્રિત વ્યક્તિગણના સંવાદનું સંચાલન કરતો હોવાથી પોતાને સર્વજ્ઞ માને છે. જો કે જે અણઘડતાથી તે સંચાલન કરતો હોય છે કે આપણને ખબર પડે કે ચર્ચાનો હેતુ શો છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ તાત્કાલિક થતીસુષ્મા સ્વરાજની લલિત મોદીને કરેલી વિસાભલામણ ની છે.” રજત શર્મા જેવા પણ જો પોતાના અભિપ્રાય વ્યક્ત કરવાની લાલચ રોકી શકતા હોય તો બીજા પરચુરણની તો વાત શું કરવી? શું યોગ્ય ચર્ચા ચલાવવા માટે બધાએ પ્રભુ ચાવલા પાસે પ્રશિક્ષણ લેવું પડશે? પ્રશિક્ષણ લીધા પછી પણ તેઓ સુધરશે તેની ખાતરી કોણ આપી શકશે?

સીધી સાદી વાત હતી. લલિત મોદીની પત્નીનું કેન્સરનું પોર્ટુગાલમાં ઓપરેશન હતું. લલિત મોદીની હાજરી જરુરી હતી. લલિત મોદી છે જેણે કેટલીક ખાનગી કંપનીઓ કે જેમની સ્થાપના જ એકબીજાસાથે ગોલમાલવાળા નાણા વ્યવહારો કરવા માટે થઈ હતી તેમાં સંડોવાયેલા હતા. ભારત સરકારને કરમાં જે નાણા જમા થવા જોઇએ તે થયા.

lalit and ors

લલિતભાઈ ને ભારતમાં નહેરુવીયન સરકાર સુરક્ષા આપતી હતી કારણકે તેના નેતાઓ અને મળતીયાઓ તેમાં ભાગીદાર હતા. સુનંદાબેન નામની એક સ્ત્રી નહેરુવીયન કોંગ્રેસ નેતાગણના મિત્રમંડળમાં સામેલ હતી. લલિતભાઈએ તેનો અને તેના વરનો ભંડો ફોડ્યો. એટલે નહેરુવીયન કોંગ્રેસ મિત્રમંડળ અને તેમના ક્રોસબોર્ડર સાથી દાઉદભાઈને પસંદ પડ્યું. નહેરુવીયન કોંગની સરકારે લલિતભાઈની સુરક્ષા પાછી ખેંચી લીધી, જેથી દાઉદભાઈનું લલિતભાઈની ગેમ કરવાનું કામ આસાન થઈ જાય. લલિતભાઈ જાન બચાવવા ઈંગ્લેન્ડ પહોંચી ગયા. નહેરુવીયન સરકારે લલિતભાઈનો પાસપોર્ટ રદ કર્યો. પણ ન્યાયાલયે નહેરુવીયન સરકારનો હુકમ અમાન્ય ઠેરવ્યો. જ્યાં સુધી સુરક્ષાનું વચન ભારત સરકાર આપે ત્યાં સુધી લલિતભાઈ ભારત પાછા કેવી રીતે આવે તેવું લલિતભાઈએ તેમના વકીલ મારફત જાહેર કર્યું. તે ઉપરાંત તેમને કે યુકેને એવી કોઈ નોટીસ મળી નથી. સુષ્મા બહેને વિદેશી સરકારને લલિત મોદીને પોર્ટુગાલનો વિસા માટે કાયદેસર શક્ય હોય તો તે આપવા ભલામણ કરી. તે સરકારે વિસા આપવો કાયદેસર શક્ય હતો એટલે આપ્યો.

ચર્ચા શું થઈ શકે અને તેના મુદ્દાઓ શું હોઈ શકે?

વિદેશી સરકારે વિસા કાયદેસર આપ્યો કે ભલામણથી આપ્યો?

નહેરુવીયન કોંગ્રેસે વર્ષમાં શું કર્યું?

નહેરુવીયન કોંગ્રેસે સુનંદા બેન અને વર સામે શું કર્યું?

નહેરુવીયન સરકારે દાઉદની ધમકીનું શું કર્યુ?

નહેરુવીયન કોંગ્રેસ શું દાઉદ સાથે જોઈન્ટ વેન્ચરમાં છે? જો હોય તો લલિતભાઈની સુરક્ષા કેમ પાછી ખેંચી લીધી?

સુરક્ષા પાછી ખેંચી લેવાના કારણો લલિતભાઈને કેમ જણાવ્યા? જાહેર કેમ કર્યા?

નહેરુવીયન કોંગ્રેસ તેની આવી વર્તણુક થી જાહેર જનતાને શો સંદેશો આપવા માગે છે?

નહેરુવીયન કોંગ્રેસ સત્તાસ્થાનેથી ફેંકાઈ ગઈ એટલે શું તે હવે કશી જ બાબતો માટે ઉત્તરદાયી રહેતી નથી? નહેરુવીયન કોંગ્રેસી નેતાઓએ ઉત્તરો આપવા જ જોઇએ.  ભૂતકાળની બેજવાબદારી ભર્યા આચારોની   બાબતમાં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કુલા ખંખેરી નાખે છે.  સમાચાર માધ્યમો તેને તેમ કરવા દે છે,  આ નિંદનીય જ નહીં પણ દંડનીય પણ છે.

ચર્ચામાં મુદ્દા સામેલ કરવા જોઇએ.

વાસ્તવમાં તો નહેરુવીયન કોંગ્રેસને, નીતિ, ગુણવત્તા, સંસ્કારિતા, નિયમ, બંધારણીય ફરજો, લોકશાહી, માનવ અધિકારો, ધર્મ નિરપેક્ષતા, પારદર્શિતા વિગેરે વિષયો ઉપર હાથ જ ન મુકવા દેવો જોઇએ. નહેરુવીયન કોંગ્રેસે તથા તેના સમાચાર માધ્યમ સહિતના સાથીઓએ આનું એટલા મોટા પ્રમાણમાં હનન કર્યું છે કે તેમને વેળાસર દંડવા જોઇએ. જો તમારે મોટા નામ હેઠળ વામણી વ્યક્તિઓને જ્વી હોય તો આ લોકોને જોઈ લેવા.

એક પ્રસંગ નથી. દરેક પ્રસંગોની ચર્ચા વખતે સમાચાર માધ્યમ ચર્ચાને અવળી દિશામાં દોરે છે. ચર્ચા કદી સુચારુરુપે ચાલતી નથી.

વું અણઘડપણું બીજા વિકસિત કે વિકાસશીલ દેશોમાં નથી. ફક્ત ભારતમાં છે.

શું આશ્ચર્ય નથી?

રાજકારણના નેતાઓની વાત નહીં કરીએ. હરિ અનંતો હરિ કથા અનંતા. હરિ તત્સત્

શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ શિવ, શ્વેત, સંકર-૪, વિષ્ણુ-૪, રામ, કૃષ્ણ, ચમત્કાર, આશ્ચર્ય, ઓશો, સંત, ભગવાન, ગુણ, રજનીશ, આસારામ, સ્વામીનારાયણ,  સાંઈ, સત્યસાંઈ, જ્ઞાન, વાચન, આચાર્ય, દોલતશંકર, ભદ્રંભદ્ર

Read Full Post »

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi–Part – 2.

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૨

સંત રજનીશમલ પ્રવિચાર યા પ્રવચન શૈલી નાટ્યરુપાંતરણમ્

ભક્ત એટલે આચાર્ય રજનીશ યા ભગવાન રજનીશ યા ઓશો રજનીશ યાઓશોયા સંત સંત રજનીશમલ યા આજ પ્રભુનો જીજ્ઞાસુ અનુયાયી.

ભક્તઃપ્રભો! પ્રેમ શું છે?”

પ્રભુ ઉવાચઃ જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ. તેમણે કરુણાનો સાક્ષાત્કાર કરેલોકરુણાનો સાક્ષાત્કાર બુદ્ધને કોણે કરાવ્યો. સુજાતાના હૃદયમાં કરુણા હતી. તેણે ખીર દ્વારા બોધિવૃક્ષની નીચે તપ કરતા પણ ક્ષુધા પીડિત એવા બુદ્ધને કરુણાનો સાક્ષાત્કાર કરાવ્યો. બુદ્ધમાં કરુણા તો હતી . પણ સુજાતાની ખીરથી તેમને કરુણાનો સાક્ષાત્કાર થયો. તેઓ કરુણામય બન્યા હતા. તેઓ કરુણામય થયા તેથી તેઓ સમગ્ર જગતને પ્રેમ કરતા થયા. જગતની દરેક એન્ટીટીઓ પ્રત્યે તેમને કરુણા હતી. પછી ભલે તે વાઘ, અજગર કે સર્પ પણ કેમ હોય? જ્યાં પ્રેમ હોય ત્યાં ભલા હિંસા ક્યાંથી હોય?

RAJNISH RADHA KRISHNA

પ્રેમ અને કરુણા

પ્રેમ હોય તો કરુણા હોય અને કરુણા હોય તો પ્રેમ હોય. કરુણા અને પ્રેમને તમે જુદા પાડી શકો. “કૃષ્ણ અને રાધાને સમજોત્યાં સુધી તમે પ્રેમને પણ સમજી શકો અને કરુણાને પણ સમજી શકો. કૃષ્ણ પ્રેમ છે અને રાધા કરુણા છે. કરુણા અને પ્રેમ નું યુગલ અદ્ભૂત છે. જ્યાં કરુણા  છે ત્યાં પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. તેથી જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે. રાધા અને કૃષ્ણ ને તમે ભિન્ન કરી શકો. જેમ સિક્કાને બે બાજુ હોય છે તેમ પ્રેમ અને કરુણા એક ઈશ્વરીય સિક્કાની બે બાજુ છે. જો તમે સિક્કાના બે ફાડીયા કરી નાખો તો શું થાય? સિક્કાનું કોઈ મૂલ્ય રહેતું નથી. મૂલ્ય વગરના સિક્કાના ફાડીયાથી કશું નીપજતું નથી. તે એક શૂન્ય છે. તે રીતે પ્રેમ અને કરુણા વગરનું જગત શૂન્ય છે. રાધા અને કૃષ્ણ વગરનું જગત પણ શૂન્ય છે. રાધા વગરના કૃષ્ણ અને કૃષ્ણ વગરની રાધા કલ્પી શકાયકારણ કે કૃષ્ણ રાધામય છે અને રાધા કૃષ્ણમય છે.

ભક્તઃ પ્રભો, બંસી શું છે? કૃષ્ણ ની બંસીના સૂર થી રાધા ઘેલી બને છેએટલે શું?

પ્રભુ ઉવાચઃ બંસીના સૂર ઈશ્વરનો આલાપ છે. ઈશ્વરનો આલાપ સૌને ઘેલા ઘેલા કરી દે છે. કૃષ્ણ મહાયોગી હતા. યોગીઓના ઈશ્વર હતા. “યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થ ધનુર્ધર … ”. જો તમે કૃષ્ણનો આલાપ સાંભળો તો તમારે કશું સાંભળવાનું બાકી રહેતું નથી અને જાણવાનું બાકી રહેતું નથી. રાધાએ કૃષ્ણનો આલાપ સાંભળ્યો અને પછી રાધાને બીજું કશું સાંભળવાનું કે જાણવાનું રહેતું નથી. રાધાએ કૃષ્ણ સાથે ઐક્ય સાધ્યું છે. રાધા અને કૃષ્ણ એકરુપ થઈ ગયાં છે. ક્યાંથી કૃષ્ણ શરુ થાય છે, ક્યાં કૃષ્ણ પુરા થાય છે અને ક્યાથી રાધા શરુ થઈ જાય છે તે ખબર પડતી નથી. રાધાને પણ ખબર પડતી નથી. કૃષ્ણને પણ ખબર પડતી નથી. બંસીના સૂરમાં બંને સમાધિ અવસ્થામાં આવી ગયા. બંસીના સૂરના સ્પંદનોનો પ્રભાવ છે. બંસીના સૂરો જે કૃષ્ણે રેલાવ્યા હતા તે અદ્ભૂત હતા. તેમાં અદ્ભૂત ઉર્જા હતી. ઉર્જા કદી નાશ પામતી નથી. શ્રી કૃષ્ણે જે વૃન્દાવનમાં, બંસીના સૂરો રેલાવ્યા તે સૂરો આજે પણ છે. કારણ કે સ્પંદનો નાશ પામતા નથી. સ્પંદનોની ઉર્જા નાશ પામી શકતી નથી. વિજ્ઞાન હજુ પૂરતું વિકસ્યું નથી કે જે અવિનાશી ક્ષીણ થયેલી ઉર્જાને એમ્પ્લીફાયરથી મોટી કરી શકે. જ્યારે વિજ્ઞાન એટલું વિકસિત થશે ત્યારે તે સ્પંદનોને શ્રાવ્ય બનાવી શકશે અને સૌ કોઈ વૃન્દાવનમાં જઈ કૃષ્ણની બંસીના આલ્હાદક સૂરોને સાંભળી શકશે.

ભક્તઃ પ્રભુ! ગોપીઓ …

પ્રભુ ઉવાચઃ કૃષ્ણ શું કહે છે? તમે મારાથી શું છૂપાવી શકશો? તમે કૃષ્ણથી કશું છૂપાવી શકતા નથી. કૃષ્ણ બધું જાણે છે. કૃષ્ણ પાસે તમારે માગવાનું હોય તો છૂપાવવાની શી જરુર છે? આવરણ એ એક બંધન પણ છે. છૂપાવવું એ એક છેતરપીંડી છે. કૃષ્ણ પાસે છેતરપીંડી? કૃષ્ણ પાસે તમે મુક્ત થઈને જાઓ. કૃષ્ણ સામે શરમ કે લજ્જાનું બંધન શા માટે? કૃષ્ણ પાસે તમારે અનાવરિત થઈને જ જવાનું છે.  ખુલ્લા દિલે કૃષ્ણ પાસે માગો.

ભક્તઃ પ્રભુ! રાસલીલા….

પ્રભુ ઉવાચઃ જુઓ તમે સમજીલો. કૃષ્ણ સર્વવ્યાપી, સર્વત્ર અને સર્વજ્ઞ છે. તમારામાં પણ કૃષ્ણ રહેલો છે. મારામાં પણ કૃષ્ણ રહેલો છે. રાધા વિષે પણ એવું જ છે. દરેક ગોપીમાં રાધા બેઠેલી છે. દરેક સ્ત્રીમાં પણ રાધા બેઠેલી છે. તમારે આ કૃષ્ણની સર્વવ્યાપકતાને ઓળખવાની છે. તમારે રાધાની સર્વવ્યાપકતાને ઓળખવાની છે. દરેક સ્ત્રીએ પુરુષમાં રહેલા કૃષ્ણને જોવાનો છે, દરેક સ્ત્રીએ પુરુષમાં રહેલા કૃષ્ણને ઓળખવાનો છે. દરેક પુરુષે સ્ત્રીમાં રહેલી રાધાની સર્વવ્યાપકતાને  જોવાની છે, દરેક પુરુષે સ્ત્રીમાં રહેલી રાધાને ઓળખવાની છે. જ્યારે આવું થશે ત્યારે આખું વિશ્વ તમને પ્રેમમય અને કરુણામય લાગશે. સર્વત્ર આનંદ અને માત્ર આનંદની જ અનુભૂતિ થશે.

RAJNISH GROUP PROGRAM

ભક્તઃ પ્રભુ, લગ્ન સંસ્થાનું શું થશે?

પ્રભુ ઉવાચઃ લગ્ન એ એક બંધન છે. દરેક બંધન એક પીડા છે. દરેક બંધન એક દબાણ છે. આ પીડા તો મનુષ્ય સમાજે જ ઉત્પન્ન કરી છે. આ બંધન તો મનુષ્ય સમાજે જ બાંધ્યું છે. પ્રકૃતિએ તો દરેક પ્રાણીઓને મુક્ત જ સર્જ્યા છે. પ્રકૃતિએ તો મનુષ્યને બંધનમાં બાંધ્યો જ ક્યાં છે? અહીં તો મનુષ્ય પોતે જ ગળામાં ગાળીયો નાખે છે અને પછી કહે છે કે મને ગુંગળામણ થાય છે… મને પીડા થાય છે. પશુપક્ષીઓ અને નાના ક્ષુદ્ર જીવો કરતાં પણ મનુષ્ય તો ઉણો ઉતર્યો છે. પોતે જ પોતાને બંધન બાંધ્યું અને પછી બુમાબુમ કરે છે “મને બચાવો …. મને બચાવો”. અરે ભાઈ તું બંધનમાંથી મુક્ત થા અને મુક્તિનો અનુભવ કર. પ્રકૃતિએ તો મનુષ્યનું મન એવું ઘડ્યું છે કે તેને બંધનમાં રહેવું ન ગમે. બંધન અપ્રાકૃતિક છે. મેં તમને કહ્યું કે આ એક દબાણ છે. તમે કોઈપણ બાબત વિષે મનને જેટલું દબાણમાં રાખશો તેટલું તેને તે બાબતનું વધું ખેંચાણ આકર્ષણ થશે. આ સ્થિતિ પ્રકૃતિએ જ સર્જી છે. માતા બાળકને કહેશે “બેટા બહાર ન જઈશ”, તો બાળકને બહાર જવાની ઈચ્છા થશે. સરકાર મનુષ્યને કહેશે દારુ ન પીવો જોઇએ. અને સરકાર તે માટે દારુબંધી નો કાયદો કરશે તો મનુષ્યને દારુનું વધુ આકર્ષણ થશે. અને મનુષ્ય છાનો છપનો પીશે. સમાજમાં બમણો દારુ પીવાશે. જો મનુષ્ય મન ઉપર કાબુ રાખવાનો પ્રયત્ન કરશે તો મન બેકાબુ બનશે અને અનેક માનસિક વિકૃતિઓ સર્જાશે. હું જોઈ શકું છું કે લગ્ન સંસ્થા તેના ભારથી જ તૂટી પડશે. લગ્ન સંસ્થા સાવ અકુદરતી છે. લગ્નસંસ્થા નિરર્થક છે.

ભક્તઃ પ્રભો વિજાતીય સંબંધો …

પ્રભુ ઉવાચઃ લગ્ન સંસ્થા જ નિરર્થક છે તેમાં જ બધું આવી જાય છે. તમે પુરુષની અને સ્ત્રીની જાતીય વૃત્તિઓની ઉપર કાબુ રાખવાનું જેટલું દબાણ લાવશો તેટલી આ વૃત્તિઓ વધુ બેકાબુ બનશો. આ દબાણ સમાજના મહાપુરુષોના બોધપાઠ દ્વારા ઉત્પન કરવામાં આવતું હોય કે સરકારના કાયદાના પશુબળ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. ધારોકે તમે કદાચ આ રીતે મનુષ્યના શરીરને કદાચ કાબુમાં રાખશો. પણ મનુષ્યના મનને કેવી રીતે કાબુમાં રાકશો? મનને તો સરકાર કશું કરી શકશે નહીં. તમે મનમાં કાયદાનો ભંગ કર્યો, તો શું સરકાર તમને તે બદલ દંડિત કરી શકશે? નહીં જ કરી શકે. તમારા મનની જે ઇચ્છા તમે બળજબરી કરીને દબાવી રાખી છે તે ક્યારેક તો સ્પ્રીંગની જેમ ઉછળીને આચારમાં આવવાની જ છે.

RAJNISH VERTICAL AWARENESS

ભક્તઃ પણ પ્રભો પરસ્ત્રી તો માત સમાન ગણવી જોઇએ એવું કહેવાય છે…

પ્રભુ ઉવાચઃ આ એક દંભ છે. પરસ્ત્રીને કોઈ માતા ગણી શકતું નથી. સ્ત્રી માત્ર  સ્ત્રી છે એમ દરેક પુરુષ માનતો હોય છે. પુરુષ પણ માત્ર પુરુષ છે એમ દરેક સ્ત્રી માનતી હોય છે. સ્ત્રી એવું ઈચ્છતી પણ હોય છે કે તેને સ્ત્રી માનવામાં આવે. કોઈ સ્ત્રી એવું કદી ન ઈચ્છે કે બીજા તેને સ્ત્રી ન માને. પુરુષ પણ કદી એવું જ ઈચ્છતો હોતો નથી તેને કોઈ પુરુષ ન માને. આ કુદરતી વ્યવસ્થા છે. હા સ્ત્રીને માતા બનાવી છે. પણ ઈશ્વર એવું ઈચ્છે કે સ્ત્રી પણ આનંદ કરે. પુરુષ પણ આનંદ કરે. આનંદ એ પ્રાકૃતિક વ્યવસ્થા છે અને ઈશ્વરનો આદેશ છે. ઈશ્વર સ્ત્રીને પોતાનો આદેશ માનવા બદલ પુત્ર અને પુત્રીની ભેટ આપે છે.          

કટઃ

હરિ અનંતો હરિ કથા અનંતા. વાર્તાલાપ અનંત કાળ સુધી ચલાવી શકાય. અને આગળ જતા એવું પણ નિષ્પન્ન કરાવી શકાય કે સંભોગ દ્વારા પણ સમાધિ તરફ જઈ શકાય. પરમાનંદની અનુભૂતિ સમાધિ છે.

સંત રજનીશ કોઈ રીસ્ક લેવા માગતા હતાતેઓ આકાશ ભરાઈ જાય તેટલા શિષ્યો ભેગા કરવા માગતા હતા. તેથી જેઓ સામાજીક નિયમોમાંથી મુક્તિ દ્વારા થતો વિજાતીય સંપર્કનો આનંદ લેવા માગતા હતા તેમને ટિકિટ દ્વારા સભ્ય બનાવતા. તેમનો આશ્રમ આચાર માટેની ભૌગોલિક સીમા હતી.

સંત રજનીશમલે જોયું કે દેશી માલેતુજારો તો મળે છે. પણ વિદેશી આગંતુકો પણ કંઈ કમ નથી. પરમાનંદની અનુભૂતિનો ભ્રમ તો (શરીરને) રસાયણો દ્વારા અને અથવા રસાયણપાન કરેલ સંભોગસ્થ (શરીરને) પણ કરી કરાવી શકાય છે. જ્યારે વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું હોય અને મગજને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં પહોંચતો હોય ત્યારે મગજ અન્યમનસ્ક થઈ જાય છે. તેવે વખતે આવો અનુભવ અસંભોગસ્થ અવસ્થામાં પણ કરી શકાય છે. તમે મનને  કેવા વિચારોમાં અને કેવી અવસ્થામાં રાખવા માગો છો તેની ઉપર આધાર છે. વિશ્વમાં પોતે ભળી ગયા છે તેવી અનુભૂતિ હિમાલયમાં અને ખાસ કરીને કૈલાસ માનસરોવરની યાત્રા દરમ્યાન થતી હોય છે.     

રસાયણ

સંત રજનીશમલે શરીરસ્થ રસાયણ અને સંભોગસ્થ શરીર વિષે વિચાર્યું. ધંધો કસ વાળો છે. ધંધાને વિકસાવી શકાય તેમ છે. ભૌતિક અફિણ, ગાંજા, ચરસ, કોકેન, અને એવા બીજા રસાયણોની જેમ ધર્મ ની સુષ્ઠુ સુષ્ઠુ વાતો પણ અફિણ છે. જરુર પડે તેનો પણ ઉપયોગ કરવો. જીસસ ને પણ ભેળવવા. કન્ફુસીયસને પણ ભેળવો. સામાન્ય બુદ્ધિ કંઈ બધી સામાન્ય વ્યક્તિઓમાં હોવી જરુરી નથી.

ઉપરોક્ત સૌ રસાયણ અફિણોનો ધંધો કસદાર લાગવાથી, સંત રજનીશમલે અમેરિકામાં ધામા નાખ્યા.

ફોટાઓ માટે જુઓ ઓશોરજનીશડૉટકૉમ

આમ તો અમેરિકન સરકાર ને ધર્મ બાબતમાં કશી આળી વૃત્તિ હોતી નથી. પણ રસાયણોના ધંધા અને તેની આદતો વિષે તે થોડી ઘણી જગૃત છે. એટલે તેને ખબર પડી કે સંત રજનીશમલના આશ્રમની બાબતમાં દાળમાં કંઈક કાળું છે. આમ તો અમેરિકન સરકાર પોતાને મુક્ત વ્યક્તિસ્વાતંત્ર્યવાળીમાં ખપાવે. પણ રસાયણ કે સ્વહિતની બાબતમાં પોતાને માટે જુદા માપદંડ રાખે. કથા કથિત ધાર્મિક ભેદભાવ બાબતામાં ભારતના બંધારણનું અપમાન કરી ભારતીય સરકારની મોદીની વિસા માટેની અરજીને તે નકારે છે, અને ઈરાકમાં યુદ્ધ વખતે ક્લસ્ટર બોંબ ઝીંકી, નિર્દોષ નાગરિકોને મારી નાખે છે, તો પણ અપમાનિત એવા ભારત દેશની સરકાર પણ ચૂં કે ચાં કરી શકતી નથી, તેવી અમેરિકી સરકારને માટે તો સંત રજનીશમલને તગેડી દેવા તે ડાબા હાથનો ખેલ હતો. તે તેણે પાર પાડ્યો.

અમેરિકામાં એલબીડબલ્યુમાં આઉટ થયા પછી સંત રજનીશમલે કચ્છના એકલવાયા વેરાન પ્રદેશમાં આશ્રમ વિષે વિચાર્યું (તે વખતે કચ્છ વેરાન ઉજ્જડ હતું. હવે તો તે પર્યટન સ્થળ છે. મોદીકાકાની જય હો). પણ ત્યાં ઉહાપોહ થયો. વળી ઘરાકીનો પણ સવાલ હતો. એટલે પૂના આવ્યા. અને થોડે દૂર આશ્રમ સ્થાપ્યો. મુંબઈ નજીક હતું. મુંબઈનો દરિયો પણ નજીક હતો. માલેતુજારો પણ નજીક હતા અને વિદેશીઓ પણ ટ્રીપ મારી શકે તેમ હતા.

હાજી ઓશો આશારામ અને સંત રજનીશમલ સમાન આઈટમ વાનગીઓના વેપારી હતા. ઓશો આશારામ અમર્યાદિત પુરુષોત્તમ હતા. સંત રજનીશમલ મર્યાદા પુરુષોત્તમ હતા.

ओशो राधे राधे

ઈતિ સંત પુરાણે દ્વિતીયોધ્યાયઃ સંપૂર્ણઃ

 (ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સંત, પ્રેમ, કરુણા, સિક્કા, ઐક્ય, કૃષ્ણ, રાધા, બુદ્ધ, સુજાતા, ખીર, રજનીશ, બંસી, સૂર, સ્પંદન, આલાપ, ઉર્જા, સંભોગ, સમાધિ, રસાયણ, માલેતુજાર, વિદેશી, અમેરિકા

Read Full Post »

સુજ્ઞ જનોએ બળાપો કરવો કે નહીં?

રામ અને કૃષ્ણ ભગવાનની વાત જાણે સમજ્યા. રામાયણના રામ ચરિત્ર (રામચરિત માનસ્‌ પુસ્તક નહીં) માંથી ચમત્કારો બાદ કરી નાખીએ તો પણ રામનું વ્યક્તિત્વ મુઠી ઉંચેરું રહે છે. કૃષ્ણ ભગવાન વિષે પણ એમ જ કહેવાય. સીતાજીનો તો ત્યાગ પણ હતો. રાણી તરીકેનું સુખ ભોગવવાનો હક્ક રાખ્યો તો સામાજીક પ્રણાલીઓને કારણે રામે કરેલો ત્યાગ પણ સહન કર્યો. પણ રાધાનું શું?

રાધા વિષે કોઈ કશું જાણતું નથી. મૂળ ભાગવત કદાચ મૌન છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ કે બીજે ક્યાંક મેં વાચેલું કે રાધા, કૃષ્ણની મામી હતી. શિશુ કૃષ્ણ ને જોઇ ને તેની કામવાસના જાગી ઉઠી. કૃષ્ણ ભગવાન, ભગવાન હોવાથી તે જાણી ગયા. અને તેમણે પુખ્ત સ્વરુપ ધારણ કર્યું. ૬૪ પ્રકારની કામલીલા કરીને રાધાને તૃપ્ત કરી.

આમ તો ઈશ્વરની વાત કરવી એટલે ઈશ્વર એક જ સત્‌ છે. બીજું બધું મીથ્યા છે. પણ આવા ઈશ્વરમાં કોને રસ પડે? આપણે જ્ઞાની છીએ એટલે લોકોને શું ગમશે અને શું નહીં ગમે તેનો પણ ખ્યાલ રાખવો પડે. અને એ આપણું કર્તવ્ય છે.

પણ એક બીજી વાત પણ છે. આપણે અતૃપ્ત પણ છીએ. આપણે જ્ઞાની છીએ અને કેટલા જ્ઞાની છીએ તે તો આપણને જ ખબર છે. આપણા શ્રોતાઓને આપણા અજ્ઞાનની ખબર ન પડવી જોઈએ અને આપણો આર્થિક કે ખ્યાતિ નો ધંધો ચાલવો જોઈએ.

અતૃપ્તની થોડી ઘણી તૃપ્તિ માટે ભગવાનની વાતોમાં થોડો રોમાન્સ પણ લાવીએ તો કદાચ સોનામાં સુગંધ ભળશે.

કદાચ રાધાનું પાત્ર આરીતે ઉમેરાયું હોય. વૈષ્ણવી પુરાણો અને ખાસ કરીને મોટા ભાગના પુરાણોમાં મોટા ભાગના ઉમેરણો ઉત્તર-પ્રાચીન થી પૂર્વ-મધ્યકાલીન સમય સુધી થતાં રહેલા.

કૃષ્ણ ભગવાન તેમના સમયમાં પણ લોક પ્રિય હતા. અને તેમને ભગવાન માનવાનું મોડામાં મોડું ઈ.પૂ. ૪૦૦ વર્ષ થી તો ચાલું હતું જ. રામને ભગવાન માનવાનું પછી ચાલું થયેલું.

હવે રોમાન્સ ની વાત કરીએ તો બાલકૃષ્ણની સાથે રાધાને જોડવી કદાચ મધ્યકાલિન લોકો માટે વધુ અનુકુળ હશે.

રાધાના અસ્તિત્વ સાથે તત્વજ્ઞાન પણ ભરડવામાં આવે છે. જો કૃષ્ણને ભગવાન માનો તો જ રાધાના નામનું અસ્તિત્વ રહે છે. અને રાધા-કૃષ્ણની રોમાન્ટીક વાતો લીલા તરીકે વર્ણવાય છે. જો કૃષ્ણ ને મહામાનવ માત્ર માનીએ તો રાધા સાથેના વર્ણનો કૃષ્ણના ગુણોને કલુશિત કરે છે. હવે એક વખત તમે કૃષ્ણને ભગવાન માની લો એટલે આ બધું માફ.

પણ આમાં કૃષ્ણભગવાન નો કંઈ વાંક નથી. તેમણે તો ધર્મની પૂનર્‌ સ્થાપના કરેલી. અને યાદવોને પૂરા દરીયા કાંઠા ઉપર રાજ કરતા કરેલા. તેથી પણી લોકોને વેપારમાં સુરક્ષા મળી હતી. પૂરા ભારતવર્ષમાં તેમનો જયજય કાર થયેલો. તેમના ભક્તોને આજની તારીખ સુધી ખબર નથી કે કૃષ્ણ ભગવાન ની મહાનતા, વિશ્વમાં અન્યત્ર કયા ગુણોથી સ્વિકાર્ય બનશે.

વિજાયતીય પ્રેમ તમને વિરહમાં કવિ બનાવે છે અને સાંનિધ્યમાં તમને શૃગાર-રસમાં ડૂબાડે છે. કામવાસનાની અતૃપ્તિ તમને તત્વજ્ઞાની બનાવે છે અને અસહ્ય અતૃપ્તિ તમને સોડાલેમન-મીક્સ બનાવે છે. સોડાનું અને લેમનનું પ્રમાણ કેટલું એ તમારા વાંચન ઉપર આધાર રાખે છે.

જો તમારામાં કલાતત્વ હોય તો તમે સારા કવિ થઇ શકો. આના શ્રેષ્ઠ ઉદાહરણો મારા જેવા અલ્પજ્ઞ માટે તુલસીદાસ અને પ્રેમાનંદ છે. તુલસીદાસને બાજુ પર રાખો. પ્રેમાનંદના રાધાકૃષ્ણના વર્ણનો વાંચો તો બ્લ્યુ ફિલ્મો યાદ ન આવે તો ફટ્‌ કહેજો.

બહુગામી કામવાસના સમાજની સુખાકારી અને તંદુરસ્તી માટે ખરાબ છે. પણ તે ઉપર મનુષ્યનો કેટલો કાબુ છે? આ વાત શરીર-રસાયણ-શાસ્ત્રીઓ માટે પણ ગહન સંશોધનનો વિષય છે. માણસ કદાચ ભૌતિક રીતે પોતાના ઉપર કાબુ રાખે પણ મન ઉપર કાબુ રાખવો મુશ્કેલ છે. મનની વાત જબાન ઉપર આવવાની કોશિશ કરતી હોય છે. સાહિત્યકારો ના સાહિત્ય વિષે પણ આવું જ સમજવું.

માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તેની ઉપવાસ કરવાની ક્ષમતા કે તરસ સહન કરવાની ક્ષમતા તેના શરીરના બંધારણ ઉપર આધાર રાખે છે. શ્રેષ્ઠ રસ્તો એજ છે કે તે પોતાની ક્ષમતા વધારવાની કોશિશ કરે. આ કોશિશ ચાલુ રાખવાની ક્રિયા એ જ તેનો વિજય છે એમ માને.

પણ બધા સાહિત્યકારો આ વાત સમજી શકે તે જરુરી નથી. તેથી પ્રેમાનંદ જેવા અનેક કામ-રસ સાથે ફાલતુ એવી તત્વજ્ઞાનની વાતો જોડી પોતાની અતૃપ્તિને છૂપાવે છે.

જ્યારે ક્યાંક અતિરેક દેખાય ત્યારે અતૃપ્તિ દેખા દે છે. અને ઘણા આશ્ચર્યો સામે આવે છે.

એક કાળે દિલીપ ખાન, રાજકપુર અને દેવાનંદની ત્રીપૂટીમાં ઉત્તર ભારતીય યુવાનો વિભાજીત હતા. દિલીપ ખાન એવા હતા કે દેખાવે સામાન્ય એટલે કોઈ છોકરી સામે થી તો તેમના પ્રેમમાં પડે નહીં. પણ ફીલમમાં સાવ ઉંધું થતું હતું. તેમની ફિલમમાં હીરીબેન સામેથી તેમના પ્રેમમાં પડતી. તેથી અમુક વર્ગના યુવાનો તેમાંથી તાદાત્મ્ય સાધતા.

રાજ કપુર ભાઇ એવા હતા કે લવ કરવા આતુર, અને હીરીબેન એમના પ્રેમમાં પણ પડતા પણ પછી કોઈ સારો કે બીજો મુરતીયો મળતાં રાજકપુરભાઈને વહેતો મુકતા, અને પછી બીજા સાથે લગન કરી નાખતા. જોકે તેમને રાજકપુરભાઈ સાથે સહાનુભૂતિ રહેતી. અને રાજકપુર ભાઈની દયા સૌ કોઈ ખાતા. કદાચ પ્રેમભગ્નતાથી પીડીત કે તેવી પીડાનો કાલ્પનિક ભય રાખતા યુવાનોનો વર્ગ આ રાજકપુરભાઈ સાથે હાઈપોથેટીકલી તાદાત્મ્ય સાધતો.

દેવજીભાઈ પોતે સુંદર (ક્યારેક તેમનું ફીલ્મી નામ પણ મદન રહેતું) તેથી તેમને કન્યાઓનો ડર રહેતો નહીં અને બિન્ધાસ્ત રીતે કન્યા-હીરીબેનની પાછળ ઈવ-ટીઝર બનતા. તેથી અમુક પ્રકારનો યુવાવર્ગ અને કન્યાવર્ગ તૃપ્તિ અનુભવતો.
જો કે આ બધું મીથ્યા હતું. કદી કશું કેટલું તૃપ્ત થાય છે કે કેમ તે સંશોધનનો વિષય છે.

અજાયબીઓ તો આજે પણ ક્યાં ઓછી છે. જે હીરાભાઇઓના(એક્ટરો તો કેમ કહેવાય?)ની એક્ટીંગની કોઈ નકલ કરે ત્યારે સૌને ખબર પડી જાય ફલાણા હીરાભાઈની નકલ છે પણ તમે ફીલમનું નામ ન દઈ શકો. તો તેનો અર્થ શું થયો? તેનો અર્થ એજ થયો કે હીરાભાઈની સ્ટીરીયો ટાઈપ એક્ટીંગ છે. જો તમે હીરાભાઇનું ફીલ્મી નામ ભૂલી જાઓ પણ હીરાભાઈ યાદ રહે તો તે હિરોને ઝીરો જ કહેવાય.

અને છતાં તમે જુઓ, શુક્રવાર તેમને માટે ફીક્સ કર્યો છે તો પણ તેમની વાતો ચાલુ દિવસોમાં ફોટા સહિત આવે છે. હીરીબેનો વિષે પણ તેવું જ છે. કારણ કે જેમનું કશું જ ગણનાપાત્ર રચનાત્મક કે હકારાત્મક અનુદાન નથી અને જેમના ઉપર કોર્ટના કેસો પણ ચાલુ છે તેમના હંગ્યા-પાદ્યાના પણ સમાચારો આવે છે. આ બધું આશ્ચર્ય નથી? શું આ બધું મીથ્યા નથી? ખચિત મીથ્યા જ છે તો પણ માણસો ઉશ્કેરાટ અનુભવતા ઉંચાનીચા થાય છે.

આ ક્રિકેટ જ જુઓ. ખેલાડીઓ મેદાનમાં (પેવેલીયનમાંથી બહાર) આવે તો એમ કહેવાયા કે (નાઉ ધ ફીલ્ડર્સ આર ઇન), જ્યારે એક બેટ્સમેનના ડાંડીયા ઉડી જાય અને તે પેવેલીયનની અંદર જાય તો કહેવાય કે (હિ ઈઝ આઉટ). “સ્કોરર” કશો સ્કોર કરતો નથી. અને રનર ના ખાતામાં કશા રન ઉમેરાતા નથી. એમ્પાયરને મેદાનની બહાર કોઈ ગણતું નથી. “એક્ષસ્ટ્રા” નૃત્ય કરતી નથી. આવી તો ઘણી અસંબદ્ધ વાતો છે.

જો બેટ્સમેનોને બેટ ભેટમાં આપી શકાય તો ફુટબોલના ખેલાડીઓને ફુટબોલ ભેટ આપી શકાતો હશે એમ માનીને ફુટબોલ માટે લડતા બંને ટીમોના ખેલાડીઓને જુનાગઢના નવાબે ભેટ તરીકે એક એક ફુટબોલ આપ્યા. “જાઓ હવે એક દડા માટે અંદર અંદર લડશો નહીં.” મેરાડોનાની ટીમ હારી તેના કરતાં મને મેરાડોના દુખી થયો તેનું વધારે દુઃખ છે. શું આ બધું મીથ્યા નથી?

એક સાવ જ સીધી સાદી વાત. અને છતાં છે સાવ અટપટી. ભારત દેશ પ્રાચીન દેશ. વિદ્વત્તાના પુસ્તકોથી ભરપૂર. ઔતિહાસિક ચમત્કારોથી ભરપૂર. તાજેતરનો જ ચમત્કાર જુઓ. જે દેશના કવિ જનો પણ જે બ્રીટીશ સરકારથી અભિભૂત હતા અને જે દેશની પ્રજા કાળની અકળ લીલા થકી અભણ અને ગરીબ બની ગયેલી, તે પ્રજાને મહાત્મા ગાંધીએ જગાડી અને એક સુસ્થાપિત વિદેશી સામ્રાજ્યની વિરુદ્ધ તે પ્રજાને અહિંસક લડત માટે તૈયાર કરી અને સાથે સાથે સમાજીક પ્રણાલીઓને લલકારી, તે મહાત્માગાંધીનો ચમત્કાર નાનો સુનો હતો?

અને જુઓ આજ પ્રજા અવારનવાર છેતરાયા બાદ પણ એક જ પક્ષની એક જ કૌટુંબિક વારસાને માનતી નિસ્ફળ, દંભી અને વ્યંઢ નેતાગીરીથી છેતરાયા કરે તે ઓછા બળાપાની વાત છે?

જ્હોન હેર્સી ના “એ બેલ ફોર એડાનો” માં એક વાત આવે છે કે “એડાના” ગામના લોકોની પ્રાથમિકતા દેવળનો ઘંટ હતી. ખોરાક અને રોજી તો આવતી કાલની વાત છે.

આનંદ મૂખ્ય વસ્તુ છે. આનંદ સત્‌ છે. બીજું બધું મીથ્યા છે. જગતમાં શું મીથ્યા નથી? જગત આખું તો મીથ્યા છે. બળાપો શેનો કરવો અને શેનો ન કરવો? બસ આનંદ કરો. દરેક ક્રિયાની પાછળનો હેતુ અંતે તો આનંદ પ્રાપ્ત કરવાનો છે.

બહુ ચળ ઉપડતી હોય તો “જનતા જ એવી છે.” તેના દુર્ગુણોની વ્યાપકતા વર્ણવી દો અને “મેં કેવું સરસ કીધું… ?” એમ માની મહાનતા અનુભવો.

સાધ્યં ઈતિ સિદ્ધમ્‌

ચમત્કૃતિઃ
પૂરા એકદા પૃષ્ટવાન પદ્મયોનીં,
ધરિત્રીતલે સારભૂતં કિમસ્તિ?
ચતુર્ભિર્મૂખૈ રીત્યંવોચ્દ્વિરંચૈઃ
સ્તમાખુ સ્તમાખુ સ્તમાખુ સ્તમાખુઃ

એક વખત બ્રહ્માજીને બધા દેવતાઓએ ભેગા થૈને પૂછ્યું કે અત્યારે ધરતી ઉપર સારરુપ શુમ છે? બ્રહ્માજીના ચાર મુખોથી બોલાયું “તમાકુ તમાકુ તમાકુ તમાકુ”

શિરીષ એમ. દવે

સંયમ, કામવાસના, તુલસીદાસ, પ્રેમાનંદ, મેરાડોના, ફુટબોલ, રાધા, કૃષ્ણ, ક્રિકેટ, ફુટબોલ

Read Full Post »

સુજ્ઞ જનોએ બળાપો કરવો કે નહીં?

રામ અને કૃષ્ણ ભગવાનની વાત જાણે સમજ્યા. રામાયણના રામ ચરિત્ર (રામચરિત માનસ્‌ પુસ્તક નહીં) માંથી ચમત્કારો બાદ કરી નાખીએ તો પણ રામનું વ્યક્તિત્વ મુઠી ઉંચેરું રહે છે. કૃષ્ણ ભગવાન વિષે પણ એમ જ કહેવાય. સીતાજીનો તો ત્યાગ પણ હતો. રાણી તરીકેનું સુખ ભોગવવાનો હક્ક રાખ્યો તો સામાજીક પ્રણાલીઓને કારણે રામે કરેલો ત્યાગ પણ સહન કર્યો. પણ રાધાનું શું?

રાધા વિષે કોઈ કશું જાણતું નથી. મૂળ ભાગવત કદાચ મૌન છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ કે બીજે ક્યાંક વાચેલું કે રાધા, કૃષ્ણની મામી હતી. શિશુ કૃષ્ણ ને જોઇ ને તેની કામવાસના જાગી ઉઠી. કૃષ્ણ ભગવાન, ભગવાન હોવાથી તે જાણી ગયા. અને તેમણે પુખ્ત સ્વરુપ ધારણ કર્યું. ૬૪ પ્રકારની કામલીલા કરીને રાધાને તૃપ્ત કરી.

આમ તો ઈશ્વરની વાત કરવી એટલે ઈશ્વર એક જ સત્‌ છે. બીજું બધું મીથ્યા છે. પણ આવા ઈશ્વરમાં કોને રસ પડે? આપણે જ્ઞાની છીએ એટલે લોકોને શું ગમશે અને શું નહીં ગમે તેનો પણ ખ્યાલ રાખવો પડે. અને એ આપણું કર્તવ્ય છે.

પણ એક બીજી વાત પણ છે. આપણે અતૃપ્ત પણ છીએ. આપણે જ્ઞાની છીએ અને કેટલા જ્ઞાની છીએ તે તો આપણને જ ખબર છે. આપણા શ્રોતાઓને આપણા અજ્ઞાનની ખબર ન પડવી જોઈએ અને આપણો આર્થિક કે ખ્યાતિ નો ધંધો ચાલવો જોઈએ.

અતૃપ્તની થોડી ઘણી તૃપ્તિ માટે ભગવાનની વાતોમાં થોડો રોમાન્સ પણ લાવીએ તો કદાચ સોનામાં સુગંધ ભળશે.

કદાચ રાધાનું પાત્ર આરીતે ઉમેરાયું હોય. વૈષ્ણવી પુરાણો અને ખાસ કરીને મોટા ભાગના પુરાણોમાં મોટા ભાગના ઉમેરણો ઉત્તર-પ્રાચીન થી પૂર્વ-મધ્યકાલીન સમય સુધી થતાં રહેલા.

કૃષ્ણ ભગવાન તેમના સમયમાં પણ લોક પ્રિય હતા. અને તેમને ભગવાન માનવાનું મોડામાં મોડું ઈ.પૂ. ૪૦૦ વર્ષ થી તો ચાલું હતું જ. રામને ભગવાન માનવાનું પછી ચાલું થયેલું.

હવે રોમાન્સ ની વાત કરીએ તો બાલકૃષ્ણની સાથે રાધાને જોડવી કદાચ મધ્યકાલિન લોકો માટે વધુ અનુકુળ હશે.

રાધાના અસ્તિત્વ સાથે તત્વજ્ઞાન પણ ભરડવામાં આવે છે. જો કૃષ્ણને ભગવાન માનો તો જ રાધાના નામનું અસ્તિત્વ રહે છે. અને રાધા-કૃષ્ણની રોમાન્ટીક વાતો લીલા તરીકે વર્ણવાય છે. જો કૃષ્ણ ને મહામાનવ માત્ર માનીએ તો રાધા સાથેના વર્ણનો કૃષ્ણના ગુણોને કલુશિત કરે છે. હવે એક વખત તમે કૃષ્ણને ભગવાન માની લો એટલે આ બધું માફ.

પણ આમાં કૃષ્ણભગવાન નો કંઈ વાંક નથી. તેમણે તો ધર્મની પૂનર્‌ સ્થાપના કરેલી. અને યાદવોને પૂરા દરીયા કાંઠા ઉપર રાજ કરતા કરેલા. તેથી પણી લોકોને વેપારમાં સુરક્ષા મળી હતી. પૂરા ભારતવર્ષમાં તેમનો જયજય કાર થયેલો. તેમના ભક્તોને આજની તારીખ સુધી ખબર નથી કે કૃષ્ણ ભગવાન ની મહાનતા, વિશ્વમાં અન્યત્ર કયા ગુણોથી સ્વિકાર્ય બનશે.

વિજાયતીય પ્રેમ તમને વિરહમાં કવિ બનાવે છે અને સાંનિધ્યમાં તમને શૃગાર-રસમાં ડૂબાડે છે. કામવાસનાની અતૃપ્તિ તમને તત્વજ્ઞાની બનાવે છે અને અસહ્ય અતૃપ્તિ તમને સોડાલેમન-મીક્સ બનાવે છે. સોડાનું અને લેમનનું પ્રમાણ કેટલું એ તમારા વાંચન ઉપર આધાર રાખે છે.

જો તમારામાં કલાતત્વ હોય તો તમે સારા કવિ થઇ શકો. આના શ્રેષ્ઠ ઉદાહરણો મારા જેવા અલ્પજ્ઞ માટે તુલસીદાસ અને પ્રેમાનંદ છે. તુલસીદાસને બાજુ પર રાખો. પ્રેમાનંદના રાધાકૃષ્ણના વર્ણનો વાંચો તો બ્લ્યુ ફિલ્મો યાદ ન આવે તો ફટ્‌ કહેજો.

બહુગામી કામવાસના સમાજની સુખાકારી અને તંદુરસ્તી માટે ખરાબ છે. પણ તે ઉપર મનુષ્યનો કેટલો કાબુ છે? આ વાત શરીર-રસાયણ-શાસ્ત્રીઓ માટે પણ ગહન સંશોધનનો વિષય છે. માણસ કદાચ ભૌતિક રીતે પોતાના ઉપર કાબુ રાખે પણ મન ઉપર કાબુ રાખવો મુશ્કેલ છે. મનની વાત જબાન ઉપર આવવાની કોશિશ કરતી હોય છે. સાહિત્યકારો ના સાહિત્ય વિષે પણ આવું જ સમજવું.

માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તેની ઉપવાસ કરવાની ક્ષમતા કે તરસ સહન કરવાની ક્ષમતા તેના શરીરના બંધારણ ઉપર આધાર રાખે છે. શ્રેષ્ઠ રસ્તો એજ છે કે તે પોતાની ક્ષમતા વધારવાની કોશિશ કરે. આ કોશિશ ચાલુ રાખવાની ક્રિયા એ જ તેનો વિજય છે એમ માને.

પણ બધા સાહિત્યકારો આ વાત સમજી શકે તે જરુરી નથી. તેથી પ્રેમાનંદ જેવા અનેક કામ-રસ સાથે ફાલતુ એવી તત્વજ્ઞાનની વાતો જોડી પોતાની અતૃપ્તિને છૂપાવે છે.

જ્યારે ક્યાંક અતિરેક દેખાય ત્યારે અતૃપ્તિ દેખા દે છે. અને ઘણા આશ્ચર્યો સામે આવે છે.

એક કાળે દિલીપ ખાન, રાજકપુર અને દેવાનંદની ત્રીપૂટીમાં ઉત્તર ભારતીય યુવાનો વિભાજીત હતા. દિલીપ ખાન એવા હતા કે દેખાવે સામાન્ય એટલે કોઈ છોકરી સામે થી તો તેમના પ્રેમમાં પડે નહીં. પણ ફીલમમાં સાવ ઉંધું થતું હતું. તેમની ફિલમમાં હીરીબેન સામેથી તેમના પ્રેમમાં પડતી. તેથી અમુક વર્ગના યુવાનો તેમાંથી તાદાત્મ્ય સાધતા.

રાજ કપુર ભાઇ એવા હતા કે લવ કરવા આતુર, અને હીરીબેન એમના પ્રેમમાં પણ પડતા પણ પછી કોઈ સારો કે બીજો મુરતીયો મળતાં રાજકપુરભાઈને વહેતો મુકતા, અને પછી બીજા સાથે લગન કરી નાખતા. જોકે તેમને રાજકપુરભાઈ સાથે સહાનુભૂતિ રહેતી. અને રાજકપુર ભાઈની દયા સૌ કોઈ ખાતા. કદાચ પ્રેમભગ્નતાથી પીડીત કે તેવી પીડાનો કાલ્પનિક ભય રાખતા યુવાનોનો વર્ગ આ રાજકપુરભાઈ સાથે હાઈપોથેટીકલી તાદાત્મ્ય સાધતો.

દેવજીભાઈ પોતે સુંદર (ક્યારેક તેમનું ફીલ્મી નામ પણ મદન રહેતું) તેથી તેમને કન્યાઓનો ડર રહેતો નહીં અને બિન્ધાસ્ત રીતે કન્યા-હીરીબેનની પાછળ ઈવ-ટીઝર બનતા. તેથી અમુક પ્રકારનો યુવાવર્ગ અને કન્યાવર્ગ તૃપ્તિ અનુભવતો.
જો કે આ બધું મીથ્યા હતું. કદી કશું કેટલું તૃપ્ત થાય છે કે કેમ તે સંશોધનનો વિષય છે.

અજાયબીઓ તો આજે પણ ક્યાં ઓછી છે. જે હીરાભાઇઓના(એક્ટરો તો કેમ કહેવાય?)ની એક્ટીંગની કોઈ નકલ કરે ત્યારે સૌને ખબર પડી જાય ફલાણા હીરાભાઈની નકલ છે પણ તમે ફીલમનું નામ ન દઈ શકો. તો તેનો અર્થ શું થયો? તેનો અર્થ એજ થયો કે હીરાભાઈની સ્ટીરીયો ટાઈપ એક્ટીંગ છે. જો તમે હીરાભાઇનું ફીલ્મી નામ ભૂલી જાઓ પણ હીરાભાઈ યાદ રહે તો તે હિરોને ઝીરો જ કહેવાય.

અને છતાં તમે જુઓ, શુક્રવાર તેમને માટે ફીક્સ કર્યો છે તો પણ તેમની વાતો ચાલુ દિવસોમાં ફોટા સહિત આવે છે. હીરીબેનો વિષે પણ તેવું જ છે. કારણ કે જેમનું કશું જ ગણનાપાત્ર રચનાત્મક કે હકારાત્મક અનુદાન નથી અને જેમના ઉપર કોર્ટના કેસો પણ ચાલુ છે તેમના હંગ્યા-પાદ્યાના પણ સમાચારો આવે છે. આ બધું આશ્ચર્ય નથી? શું આ બધું મીથ્યા નથી? ખચિત મીથ્યા જ છે તો પણ માણસો ઉશ્કેરાટ અનુભવતા ઉંચાનીચા થાય છે.

આ ક્રિકેટ જ જુઓ. ખેલાડીઓ મેદાનમાં (પેવેલીયનમાંથી બહાર) આવે તો એમ કહેવાયા કે (નાઉ ધ ફીલ્ડર્સ આર ઇન), જ્યારે એક બેટ્સમેનના ડાંડીયા ઉડી જાય અને તે પેવેલીયનની અંદર જાય તો કહેવાય કે (હિ ઈઝ આઉટ). “સ્કોરર” કશો સ્કોર કરતો નથી. અને રનર ના ખાતામાં કશા રન ઉમેરાતા નથી. એમ્પાયરને મેદાનની બહાર કોઈ ગણતું નથી. “એક્ષસ્ટ્રા” નૃત્ય કરતી નથી. આવી તો ઘણી અસંબદ્ધ વાતો છે.

જો બેટ્સમેનોને બેટ ભેટમાં આપી શકાય તો ફુટબોલના ખેલાડીઓને ફુટબોલ ભેટ આપી શકાતો હશે એમ માનીને ફુટબોલ માટે લડતા બંને ટીમોના ખેલાડીઓને જુનાગઢના નવાબે ભેટ તરીકે એક એક ફુટબોલ આપ્યા. “જાઓ હવે એક દડા માટે અંદર અંદર લડશો નહીં.” મેરાડોનાની ટીમ હારી તેના કરતાં મને મેરાડોના દુખી થયો તેનું વધારે દુઃખ છે. શું આ બધું મીથ્યા નથી?

એક સાવ જ સીધી સાદી વાત. અને છતાં છે સાવ અટપટી. ભારત દેશ પ્રાચીન દેશ. વિદ્વત્તાના પુસ્તકોથી ભરપૂર. ઔતિહાસિક ચમત્કારોથી ભરપૂર. તાજેતરનો જ ચમત્કાર જુઓ. જે દેશના કવિ જનો પણ જે બ્રીટીશ સરકારથી અભિભૂત હતા અને જે દેશની પ્રજા કાળની અકળ લીલા થકી અભણ અને ગરીબ બની ગયેલી, તે પ્રજાને મહાત્મા ગાંધીએ જગાડી અને એક સુસ્થાપિત વિદેશી સામ્રાજ્યની વિરુદ્ધ તે પ્રજાને અહિંસક લડત માટે તૈયાર કરી અને સાથે સાથે સમાજીક પ્રણાલીઓને લલકારી, તે મહાત્માગાંધીનો ચમત્કાર નાનો સુનો હતો?

અને જુઓ આજ પ્રજા અવારનવાર છેતરાયા બાદ પણ એક જ પક્ષની એક જ કૌટુંબિક વારસાને માનતી નિસ્ફળ, દંભી અને વ્યંઢ નેતાગીરીથી છેતરાયા કરે તે ઓછા બળાપાની વાત છે?

જ્હોન હેર્સી ના “એ બેલ ફોર એડાનો” માં એક વાત આવે છે કે “એડાના” ગામના લોકોની પ્રાથમિકતા દેવળનો ઘંટ હતી. ખોરાક અને રોજી તો આવતી કાલની વાત છે.

આનંદ મૂખ્ય વસ્તુ છે. આનંદ સત્‌ છે. બીજું બધું મીથ્યા છે. જગતમાં શું મીથ્યા નથી? જગત આખું તો મીથ્યા છે. બળાપો શેનો કરવો અને શેનો ન કરવો? બસ આનંદ કરો. દરેક ક્રિયાની પાછળનો હેતુ અંતે તો આનંદ પ્રાપ્ત કરવાનો છે.

બહુ ચળ ઉપડતી હોય તો “જનતા જ એવી છે.” તેના દુર્ગુણોની વ્યાપકતા વર્ણવી દો અને “મેં કેવું સરસ કીધું… ?” એમ માની મહાનતા અનુભવો.

સાધ્યં ઈતિ સિદ્ધમ્‌

ચમત્કૃતિઃ
પૂરા એકદા પૃષ્ટવાન પદ્મયોનીં,
ધરિત્રીતલે સારભૂતં કિમસ્તિ?
ચતુર્ભિર્મૂખૈ રીત્યંવોચ્દ્વિરંચૈઃ
સ્તમાખુ સ્તમાખુ સ્તમાખુ સ્તમાખુઃ 

એક વખત બ્રહ્માજીને બધા દેવતાઓએ ભેગા થઇને પૂછ્યું કે અત્યારે ધરતી ઉપર સારરુપ શું છે? બ્રહ્માજીના ચાર મુખોથી બોલાયું “તમાકુ તમાકુ તમાકુ તમાકુ”

Goddess of Knowledge

Read Full Post »

%d bloggers like this: