Feeds:
Posts
Comments

Posts Tagged ‘કોંગી’

“પાયામાં તું પુરાઈ જાજે … કળશના ચમકારા”

પાયામાં તું પુરાઈ જાજેકળશના ચમકારા

એક ભાઈ વાત લાવ્યા કે ભારતને સ્વતંત્રતા કોણે અપાવી? ચર્ચા ચાલતી હતી અને એક નવા ભાઈએ પ્રવેશ કર્યો. એમણે કહ્યું કે ભારતને સ્વતંત્રતા ઇન્દિરા ગાંધીએ અપાવી. અને તેમણે સાબિત કરી દીધું કે ઇન્દિરા ગાંધીએ(*) ભારતને સ્વતંત્રતા કેવી રીતે અપાવી. જો કે જમાનો હતો કે બધી કહેવાતી સફળતાઓ ઈન્દિરાને નામ કરવી.

જ્યારે કટોકટી ચાલતી હતી, ત્યારે ભારતની અધોગતિના કારણો ઉપર ચર્ચા ચાલતી હતી. ભારતની અધોગતિનું સૌથી મોટું કારણ શુ? એક ભાઈએ કહ્યુંઈશ્વરચંદ્ર વિદ્યાસાગર”.

ઉપરોક્ત બે મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા નહીં કરીએ. પણ જેને બે કારણો જાણવા હોય તેઓ મને અંગત રીતે લખે કારણ કે કારણો જરા સુરુચિનો ભંગ કરે એવા છે.

નર્મદા પરિયોજનાનો યશ કોને આપવો?

BHAIKAKA AND SARDAR PATEL

તેથી પણ વિશેષ, કે નર્મદા યોજનાનો યશ કોને આપવો? તમે અવશ્ય જોઇ શકો છો કે બીજેપી તરફી ગ્રુપ, યોજના પૂર્ણ કર્યાનો  યશ કોંગ્રેસને મળે એમ અભિપ્રાય આપશે. તેવી રીતે જે કેટલાક કટારીયા  મૂર્ધન્યોનો કોંગી (કોંગ્રેસ તો કહેવાય) તરફનો ભ્રમ ભાંગ્યો નથી, તેઓ યોજના પૂર્ણ કરવાનો યશ બીજેપી ને જેમ બને તેમ ઓછો મળે તે માટે માથાફોડ કરશે. તે માટે સરદાર પટેલના નામનો ભોગ આપવો પડે તો આપવો.

હાલની નવી જનરેશન માટે તો બધુંબકરીકી તીન ટાંગની વાત જેવું છે.

બકરીકી તીન ટાંગએટલે શું?

એક સ્ટેજ હતું. સ્ટેજ ઉપર થોડા અગ્રણીઓ બેઠેલા. બે વક્તાઓ હતા. અને પ્રેક્ષકો હતા. વિષય હતો કે બકરીને કેટલી ટાંગ (પગ) હોય. એક વક્તા હતા તેણે બકરી જોયેલી. તેમણે કહ્યું કે બકરીને ચાર ટાંગ હોય. બીજા વક્તાએ બકરી નામનું પ્રાણી  જોયેલું નહીં પણ તેમનો દાવો હતો કે તેમણે બકરીઓ જોયેલી છે. જે અગ્રણીઓ હતા તેમણે બકરી નામના પ્રાણીને જોયેલું નહીં. પણ અગ્રણીઓ બીજા વક્તાના વળના હતા. અગ્રણીઓએ બકરી નામના પ્રાણીને જોયું હોય તો પ્રેક્ષકોએ તો ક્યાં થી જોયેલું હોય?

ચર્ચાને અંતે સિદ્ધ થયેલું માનવામાં આવ્યું કે બકરી નામના પ્રાણીને ત્રણ ટાંગ હોય.

૧૯૪૨માં જેઓ યુવાન હતા તેઓ અત્યારે કાં તો પ્રભુના પ્યારા થઈ ગયા છે કે વાર્ધક્યમાં પહોંચી ગયા છે. તેમનો સ્મૃતિદોષ હોય તો પણ સુજ્ઞ જનથી સભ્યતાને ખાતર તે તરફ આંગળી ચીંધી શકાય. પણ હવે ક્યારેકન્યાયાર્થે નિજ બંધું કો ભી દંડ દેના યોગ્ય હૈ હિસાબે કોણ કેટલું સાચું છે તે સમજીએ.

શું વાર્ધાક્યે પહોંચેલા પણ માહિતિને અભાવે ખોટા તારણો પર આવતા નથી?

હાજી. વિદ્વાન અને બહુશ્રુત વ્યક્તિઓ પણ માહિતિના અભાવે ખોટા તરણો પર આવે છે.

જેમકે મોરારજી દેસાઈએ કહેલ કે પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે મહાત્મા ગાંધી ઉપવાસ ઉપર બેઠા હતા.

માન્યતા અનેક લોકોની છે.

જેઓ ને ગાંધીજીના નિયમોની અને પ્રણાલી ખબર છે તેઓમાંથી કેટલાકે બરાબર તપાસ કરી નથી. “પ્રણાલીશબ્દને બદલે ગાંધીજીનોસિદ્ધાંતકહેવો વધુ ઠીક કહેવાશે. પ્રણાલી સિદ્ધાંત ઉપર નિયમિત છે. જ્યારે પણ ગાંધીજી સત્યાગ્રહની ઘોષણા કરતા ત્યારે તેઓ તે પૂર્વે જેની સામે સત્યાગ્રહ કરવાનો હોય, તેને પહેલાં ચર્ચા માટે માગણી કરતો લેખિત સંદેશો મોકલતા. તેમની પત્રિકામાં પણ છાપતા. જો સત્યાગ્રહ સરકાર સામે હોય કે હોય તો પણ સરકારને તો અવશ્ય જાણ કરતા. જો ચર્ચાનો અસ્વિકાર થાય અથવા ચર્ચા અસફળ થાય અને ચર્ચા બંધ થાય અથવા સરકાર મુદત પણ માગે તો પછી સત્યાગ્રહની નોટીસ આપતા. નોટીસમાં બધું વિવરણ આપતા.

ઉપરોક્ત કિસ્સામાં ગાંધીજીએ જે નોટીસ આપેલી તેમાં ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા બાબતનો કોઈ મુદ્દો હતો નહીં. વાસ્તવમાં ગોડસે પોતાના બચાવમાં ન્યાયાલયમાં તત્કાલિન હાથવગો મુદ્દો ઉમેરેલો.

અગાઉ એટલે કે જ્યારે ગોડસે ગાંધીજીની હત્યા કરવામાં સફળ થયો તે પહેલાં, જ્યારે ૫૫ કરોડનો મુદ્દો અસ્તિત્વ ધરાવતો હતો, ત્યારે પણ ગોડસેએ, ગાંધીજીની હત્યા કરવાના બે નિસ્ફળ પ્રયત્ન કરી ચૂક્યો હતો. હવે જો મોરારજી દેસાઈ જેવા પણ ગેરસમજણ ધરાવવામાંથી મુક્ત રહી સકે તો આપણા સમાચાર પત્રોના મૂર્ધન્યો વળી કઈ વાડીના મૂળા?

નર્મદા યોજનાની વાત કરીએ.

MORARJI DESAI AND OTHERS STRUGGLED FOR NARMADA PROJECT

૧૯૫૦ થી ૧૯૬૯ સુધીનો સમય કોંગ્રેસની આંતરિક અંધાધુધીનો સમય હતો. સરદાર પટેલ ગુજરી ગયા પછી નહેરુનીલોકપ્રિયતાની કક્ષાનોકોઈ નેતા કોંગ્રેસમાં રહ્યો હતો. જો કે મૌલાના આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, ચક્રવર્તી રાજ ગોપાલાચારી જેવા નેતાઓ હતા ખરા પણ ખાસ કરીને સમાચાર માધ્યમોને લીધે અને નહેરુના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનની પ્રસિદ્ધિઓને લીધે લોકપ્રિયતામાં નહેરુનો આંક ઉંચો હતો. બધું હોવા છતાં પણ ૧૯૫૨માંની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને જે પ્રચંડ બહુમતિ મળી તે ગોલમાલથી ભરેલી હતી. કોંગ્રેસ સંગઠન નહેરુનું ખાસ તાબેદાર હતું. જોકે, કોંગ્રેસ સંગઠન (કેન્દ્રીય કારોબારી મંડળ)ના સદસ્યો પણ બધી વાતોમાં એકમત હતા. નહેરુએ આનો લાભ લીધેલો. નહેરુ બધી પોતાની ધોરાજી ચલાવ્યા કરતા અને જરુર પડ્યે  નહેરુ અવારનવાર રાજીનામાની ધમકી આપી પોતાનું મનધાર્યું કરાવી લેતા.

ગુજરાતની વાત કરીઓ મોરારજી દેસાઈ સૌથી મોટા અને કાબેલ નેતા હતા.

જેમ વલ્લભભાઈની બદબોઈ નહેરુના પીઠ્ઠુઓ કરતા, તેમ તે પછી પીઠ્ઠુઓ મોરારજી દેસાઈની તેમના પુત્રને ફાયદો કરાવ્યાની અધ્ધરતાલ વાતો કરી મોરારજી દેસાઈની બદબોઈ કર્યા કરતા.

જો કે ગુજરાતના કેટલાક વર્તમાન પત્રો ગાંધીવાદી હતા તે બધા મોરરજી દેસાઈની તરફમાં લખતા પણ વર્તમાન પત્રો નહેરુની વિરુદ્ધમાં લખવાનું ટાળતા.

૧૯૪૭માં કચ્છ અને સૌરાષ્ટ્ર અને મુંબઈ અલગ રાજ્ય હતા. મુંબઈની અંદર ગુજરાત,રાજસ્થાન નો કેટલોક ભાગ, મહારાષ્ટ્ર કોંકણ અને કર્ણાટક હતા. કચ્છ એક મોટું  દેશી રાજ્ય હતું એટલે તે અલગ હતું, જેવી રીતે હૈદરાબાદ, મ્હૈસુર અને જમ્મુકાશ્મિર અલગ રાજ્ય હતાં.

૧૯૫૭ની સામાન્ય ચૂટણીમાં  કોંગ્રેસનો મહારાષ્ટ્રમાં ધબડકો થયો. અને સત્તા ટકાવી રાખવા કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર ને જોડીને મોટું રાજ્ય બનાવ્યું.

નહેરુ જ્યાં સુધી પોતાની ખૂરસી ને આંચ આવે ત્યાં સુધી ઇન્દિરાની જેમ અનિર્ણાયકતાના કેદી હતા.

નર્મદા યોજનાની કલ્પના ૧૯૩૦માં થયેલી એમ ભાઈકાકાએ (ભાઈલાલ ભાઈ પટેલ , સરદાર વલ્લભભાઈ પટેલ શૈક્ષણિક નગરના સ્થાક) કહેલું.

આમ તો ભાકરા નાંગલ અને નર્મદા યોજનાની કલ્પના સ્મકાલિન હતી. પણ નહેરુને નર્મદા યોજનામાં રસ હતો. કારણ કે યોજના સરદાર પટેલે અને ભાઈકાકાની ટીમે બનાવી હતી.  

ગુજરાતની નર્મદા યોજના ઉપરાંત બારગી, તવા અને પુનાસા જેવી કુલ સાત યોજનાઓ પણ નર્મદા નદી ઉપર હતી.

૧૯૬૧માં નહેરુચાચાએ શીલા રોપણ કર્યું. ગુજરાત અલગ રાજ્ય થયું અને મધ્ય પ્રદેશ અલગ રાજ્ય થયું. એટલે રાજ્યોને ઝગડાવવામાં તો નહેરુની કોંગ્રેસ માહેર હતી. મધ્ય પ્રદેશ અને ગુજરાતના મુખ્ય પ્રધાનો વચ્ચે સમજુતી થઈ કે તબક્કા વાર નર્મદા ડેમની ઉંચાઈ ૪૨૫ ફુટ સુધી વધારવી. પણ પછી મધ્યપ્રદેશ સમજુતીમાંથી ફરી ગયું.

હજુ ગુજરાત કોંગ્રેસ, “ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસબની હતી. એટલે મોરારજી દેસાઈના પ્રેસરથી ખોસલા કમીટી બનાવાઈ અને તેણે એક વર્ષમાં તો પોતાનો રીપોર્ટ આપી દીધો. બંધની ઉંચાઈ તબકાવાર ૫૦૦ફુટની કરવી એમ નિષ્ણાતોનો અભિપ્રાય હતો.  

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં નર્મદા યોજના પણ કે મુદ્દો હતો. ૫૦૦ ફુટની ઉંચાઈ સુધી લઈ જઈ શકાય તેમ હતું. તે ખરું પણ મધ્યપ્રદેશ તે વાતને કન્ફર્મ કરતું હતુંભાઈ કાકા કહેતા હતા કે જેટલી યોજનાઓ નર્મદા નદી ઉપર કરવી હોય તેટલી યોજનાઓ મધ્યપ્રદેશ ભલે કરે. નર્મદામાં પુષ્કળ પાણી છે. એટલે નર્મદાની નવાગામ ડેમની ઉંચાઈ ઘટવી જોઇએ.

૧૯૬૭ની ચૂંટણીમાં કોંગ્રેસ હારતાં હારતાં બચી ગઈ હતી.

નર્મદા યોજનામાં ત્રણ રાજ્યો સંડોવાયેલા છે. ત્રીજું રાજ્ય હતું મહારાષ્ટ્ર. “ઉસકા ડીચ તો મેરા ભી ડીચકરીને મહારાષ્ટ્ર પણ કુદી પડ્યું હતું.

ત્રણ કિલોમીટરની લંબાઈમાં, નર્મદા નદી, ઉત્તરમાં મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્રને વિભાગે છે, અને ગુજરાતમાં દાખલ થાય છે.

યોજનાઓમાં રાજકારણ ઘુસે અને તેમાં પણ જ્યારે એક પક્ષ કોંગ્રેસ હોય, તો પછી જે થવાનું હોય તે થાય. આંતરિક ખટપટોમાં યોજનાઓનો પણ ભોગ લેવાય ત્યારે જનતાએ તે પક્ષને ઓળખી લેવો જોઇએ.

ગુજરાતના સદ્ભાગ્યે ગુજરાતમાં મોરારજી દેસાઈ વાળું ગ્રુપ  સંસ્થા કોંગ્રેસ સત્તા ઉપર હતું. એટલે તેણે ૧૯૬૯માં ટ્રીબ્યુનલની સ્થાપના કરાવી દીધી.

કોંગ્રેસ પક્ષ વિભાજિત થઈ ગયો. ઇન્દિરા ગાંધીનો જ્વલંત વિજય થયો.

ત્રણે રાજ્યોમાં ઇન્દિરાએ પોતાના મનપસંદ મુખ્ય મંત્રીઓ રાખ્યા હતા.

જો ઇન્દિરા ગાંધી ધારત તો ત્રણે રાજ્યોની સરકારો વચ્ચે સમજુતી કરાવી શકત અથવા તો ટ્રીબ્યુનલ પાસે જલ્દી ચૂકાદો લેવડાવી શકે તેમ હતું. પણ ઇન્દિરા નહેરુ ગાંધી જેનું નામ. પોતે સત્તા ઉપર હતી તે દરમ્યાન કોઈ ચૂકાદો આવવા દીધો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અને તેનો પક્ષ હાર્યા. જનતા પાર્ટી આવી અને ટ્રીબ્યુનલનો ચૂકાદો ૧૯૬૮માં આવ્યો.

ઇન્દિરા ગાંધીએ પર્યાવરણ મંત્રાલય ઉભું કરેલું. અને પછીતો એનજીઓ, પર્યાવરણના રક્ષકો, વિસ્થાપિતોની પુનર્વસવાટ અને તેના ખર્ચા અને અમલએવી અનેક બાબતોના પ્રશ્નો ચગાવવામાં આવ્યા. વિશ્વબેંકને થયું કે સંઘ કાશીએ પહોંચે તેમ નથી. એટલે તેણે લોનનો અમુક હિસ્સો પાછો ખેંચી લીધો. ગુજરાતમાં વળી પાછી ઇન્દિરા કોંગ્રેસ આવી ગઈ હતી. યોજનાનો અને તેના આનુસંગિક ખર્ચાઓ નો મોટો ભાગ ગુજરાતની કેડ ઉપર લાદ્યો. નર્મદા યોજના ખોડંગાતી ખોડંગાતી ચાલી.

જો નિર્ણાયક યોગદાનના ભાગીદારોની સૂચિ બનાવીએ તો તેમાં વલ્લભભાઈ પટેલ, ભાઈલાલ ભાઈ પટેલ, હિતેન્દ્ર દેસાઈ (સંસ્થા કોંગ્રેસના વળના), બાબુભાઈ જશભાઈ પટેલ, મોરારજી દેસાઈ,  જનતાદલ (જી) ના ચિમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી, બધાં નામો આવે.

માધવભાઈ સોલંકી, અમરસિંહ ચૌધરી, શંકર સિંહ વાઘેલા, દિલીપ પરીખ, સુરેશ મહેતા, શોભાના ગાંઠીયા હતા. કેટલાક તો પણ હતા

નહેરુવીયનોનો ગુજરાત પ્રત્યેનો દ્વેષ જાણી તો છે.

૧૯૫૦ના દશકામાં સૌરાષ્ટ્ર  રાજ્ય હતું ત્યારે સૌરાષ્ટ્રમાં જે પાકા રાજમાર્ગો થયા તે થયા. દ્વીભાષી રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કોઈ રસ્તા પાકા થયા હતા. બીજા રાજ્યો તો કોલંબોપ્લાન થી પણ આગળ નીકળી ગયેલ. જ્યારે ગુજરાતમાં કોલંબો પ્લાનથી પણ ઓછા રસ્તા થયેલ. ૫૦ના દશકામાં હમેશા વાત ઉઠતી કેગુજરાતને અન્યાયથાય છે. તે વખતે પણ કેટલાક હૈયા ફુટ્યા વર્તમાન પત્રો વાતને જૂઠી સાબિત કરવા મથામણ કરતા.

ગુજરાતમાં એક પણ કેન્દ્રીય જાહેર ઉપક્રમ સ્થપાયા હતા. ભાવનગરતારાપુર, મશીન ટુલ્સ નું કારખાનુંબધું ઇલ્લે ઇલ્લે રહ્યું હતું. મીઠાપુરના તાતાના ઉપક્રમને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાતમાં મોટેભાગે જે કંઈ થયું તે ગુજરાતીઓએ પોતાના બાહુબળ થકી કરેલ.

૨૦૦૪ થી ૨૦૧૪ ના કોંગી શાસન દરમ્યાન પણ સરદાર ડેમ ઉપર દરવાજા લગાવવાની મંજુરી મનમોહન સરકારે આપી હતી. જ્યારે વાત નરેન્દ્ર મોદીએ, કોંગ્રેસ વિરુદ્ધ  જાહેર કરી ત્યારે મનમોહને આપેલ ઉત્તર કેટલો હાસ્યાસ્પદ હતો, તે વાત કોંગીયોની માનસિકતા છતી કરે છે.

જો કોંગીઓના હૈયે ગુજરાત અને દેશનું હિત હોત તો તાતાની મીઠાપુરની બહુયામી યોજના અને કલ્પસર યોજના ક્યારનીય પુરી થઈ ગઈ હોત.

ક્યાં ૧૯૪૬ થી ૧૯૬૪ અને ક્યાં ૧૯૪૬થી ૨૦૧૬?

જે કોંગીએ ભાખરા નાંગલ અને નર્મદા યોજના એક સાથે પરિકલ્પિત કરેલી તેમાં ભાખરા નાંગલને કશી મુશ્કેલી આવવા દીધી, અને તે ૧૯૬૪માં પુરી થઈ ગઈ. અને નર્મદા યોજના ૧૯૬૬માં પૂરી થવાને બદલે ૨૦૧૬માં પણ પુરી થવા દીધી, તે કોંગીઓને નર્મદા યોજનામાં તેમનો સિંહફાળો હતો તેમ કહેતાં લાજ આવતી નથી.

૧૯૭૫માં મોરારજી દેસાઈએ સાચું કહેલું કે ઇન્દિરા ગાંધીએ નર્મદા યોજના બાબતે ગુજરાતના પેટમાં છરી ખોસી છે.

નરેન્દ્ર મોદી; અર્વાચીન યુગનો ભગીરથ

NARMADA AVATARANAM

નર્મદા યોજના પુરતી નથી. નર્મદાના નીર અને સૌરાષ્ટ્રની નદીઓને જોડવાની યોજના પણ જરુરી છે. આ છે નર્મદા અવતરણમ્‌. આ બધું પુર ઝડપે ચાલે છે. નર્મદામાં અખૂટ પાણી છે. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન થયા પછી સૌપ્રથમ કામ નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવાનું કર્યું એટલે જ્યારે ઠીક ઠીક વરસાદ પડે તો નર્મદા ડેમમાં વધુને વધુ પાણી ભરી શકાય.

શિરીષ મોહનલાલ દવે

https://www.treenetram.wordpress.com

Read Full Post »

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.

કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.

આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ  કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

CONGRESS WHO FOUGHT FOR FREEDOM

પક્ષ એટલે શું?

આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.

૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.

ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?

કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.

કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.

લડતમાં પારદર્શિતા રાખશે,

પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,

લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,

પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.

પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.

પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.

સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.

ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.

આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,

જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.

સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.

દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,

ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,

અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.

સર્વધર્મ સમભાવ રાખશે.

ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.    

હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.

૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.

ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.

હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?

હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.

જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.

ક્યાર થી આવું છે?

જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.

(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.

(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.

કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?

(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.

(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.

(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.

(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.

(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” …  જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે.  “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે  કે બોલો  “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો  બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

KONGI FOR FAMILY

(Thanks to Cartoonist)

(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.

(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?

“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.

(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?

(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.

(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,

(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,

(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,

(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.

(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.

અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

MOTILAL VOHRA

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.

હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.

 હરિ અનંતો હરિ લીલા અનંતા

 હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.

મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો  પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

 

Read Full Post »

અમદાવાદનું નામ બદલવું જોઈએ કે નહીં?

અમદાવાદનું નામ બદલવાની ચર્ચા ચાલે છે.

કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય છે. એટલે કે કોઈ પણ કારણ તો બતાવવું જ પડે.

અમદાવાદના નામ બદલવાનો વિરોધ પણ થતો હોય તો પછી નામ બદલવા પાછળનું ઔચિત્ય સિદ્ધ કરવું પડે.

નામ ક્યારે બદલી શકાય?

Untitled02

(૧) નામ અપભ્રંશવાળું હોય અને ક્લિષ્ટ હોય.

(૨) નામનો ઉચ્ચાર સ્થાનિક લોકો અમુકરીતે કરતા હોય પણ બહારના લોકો તેનો ઉચ્ચાર ભીન્ન રીતે કરતા હોય અને લખતા પણ ભીન્ન રીતે હોય.

(૩) જ્યાં સુધી ગામનું નામ બદલવાની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે ગામની સ્થાપના જે વ્યક્તિએ કરી હોય તે અને અથવા તે વ્યક્તિના નામને અમર રાખવા અને અથવા તે વ્યક્તિનું બહુમાન કરવા, તે વ્યક્તિના નામ ઉપરથી ગામનું નામ રાખવામાં આવ્યું હોય પણ પછી કાળાંતરે એમ લાગે કે એ વ્યક્તિનું આવું બહુમાન કરવું આવશ્યક નથી, માટે નામ બદલવામાં આવે.

(૪) ઉપર (૩)માં દર્શાવેલ વ્યક્તિ કરતાં “બીજી વ્યક્તિ કે જે તે સ્થળ ઉપર વસેલા ગામ માટે વધુ યોગ્ય છે,” તો તે આધારે નામ બદલવામાં આવે.

(૫) આપણા હાથમાં સત્તા છે અને (૩)માં નિર્દેશિત વ્યક્તિ આપણને પસંદ નથી માટે તે નામ બદલીને બીજું નામ રાખો.

(૬) ફલાણા લોકોએ નામ બદલ્યાં છે માટે આપણે પણ ગામનું નામ બદલો.

(૭) ફલાણો દેશ આપણો દુશ્મન છે અને તેણે આપણી સંસ્કૃતિના મહાનુભાવોના નામ ઉપરથી તેમના દેશમાં જે ગામોના નામો હતા તેને બદલ્યા છે એટલે તેની પ્રતિક્રિયા આપવા માટે આપણે પણ આપણા ગામના જે તે લાગુ પડતા નામો બદલો.

(૮) આપણે કશુંક કરી રહ્યા છીએ તે પ્રદર્શિત કરવા નામ બદલો.

આટલા કારણો ગામનું નામ બદલવા માટે હોઈ શકે. એક કરતાં વધુ કારણ પણ હોઈ શકે.

અમદાવાદ વિષે શું પરિસ્થિતિ છે?

અમદાવાદના નામ પરિવર્તન માટેની પાર્શ્વ ભૂમિકાઃ

૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. કેટલાક મુસ્લિમો અને તેમના નેતાઓએ કહ્યું કે અમે હિન્દુ બહુમતિવાળા દેશમાં સુખી થઈ શકીશું નહીં અને હિન્દુ બહુમતિ અમને અન્યાય કરશે એટલે અમારે જુદો દેશ જોઇએ છીએ. અંગ્રેજોએ કહ્યું અમે મુસ્લિમોના હિતનો ઈજારો લીધો છે એટલે અમારે તેમની સુખાકારી જોવી જોઇએ. એટલે અમે દેશના ભાગલા પાડીશું. જો તમે આ સ્વિકારશો નહીં તો અમે તમને સ્વતંત્ર નહીં કરીએ. આ દરમ્યાન મુસ્લિમો હિંસક બન્યા. ગાંધીજીએ કહ્યું કે “હું તો આ હિંસા અટકાવવા માટે સમર્થ નથી.” …. સૌએ દેશના ભગાલાના પ્રસ્તાવનો સ્વિકાર કર્યો.

 અંગ્રેજોએ મતદાન કરાવ્યું અને મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારો પાકિસ્તાન બન્યા. બાકી રહ્યું તે ભારત બન્યું. આ આખી પ્રક્રિયા દરમ્યાન હિન્દુ અને મુસ્લિમો એકબીજાના દુશ્મનો બની ગયા. આમાં અંગ્રેજોએ અને તેમણે રચિત ઇતિહાસે ઠીક ઠીક ભાગ ભજવ્યો.

મુસ્લિમો તો ભારતમાં ઠેર ઠેર પથારાયેલા હતા. પાકિસ્તાન ગયેલા મુસ્લિમો કરતાં ભારતમાં મુસ્લિમો વધુ હતા અને રહ્યા. અને કારણ કે કોંગ્રેસના નેતા નહેરુ અંગ્રેજ સંસ્કૃતિના ચાહક હતા તેમણે અંગ્રેજો દ્વારા સ્થપાયેલ શિક્ષણ પ્રણાલી ચાલુ રાખી અને તેને જ માન્યતા આપી. અને કેટલાક એવા પગલાં લીધાં કે જેથી ભારતમાં રહેલા મુસ્લિમોને લાગ્યું કે આપણે હિન્દુઓથી સાચે જ જુદા છીએ. અને પાકિસ્તાનને એમ લાગ્યું કે ભારત આપણું દુશ્મન નંબર એક છે.

 પાકિસ્તાને ભારત ઉપર અવાર નવાર જુદી જુદી રીતે અને કારણ/ણોસર ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ આક્રમણ કર્યાં. આ બધા આક્રમણોથી ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય વધતું ગયું. ભારતમાં કેટલાક મુસ્લિમ નેતાઓ એવા પાક્યા કે તેઓ ધર્મના આધારે વધુને વધુ માગણીઓ કરવા માંડ્યા. જે વિસ્તારોમાં હિન્દુઓ લઘુમતિમાં હતા તેમની ઉપર તેઓ અત્યાચાર પણ કરવા માંડ્યા અને તેમને બીજે ખદેડવા માંડ્યા. કોંગ્રેસે મુસ્લિમોને મતબેંક બનાવીને તેમના અત્યાચારો પ્રત્યે હમેશા  આંખ આડા કાન કર્યા. આવું બધું ૧૯૪૭ પહેલાંથી ચાલ્યું આવતું હતું પણ ૧૯૪૭ પછી તેમાં વેગ આવ્યો.

મુસ્લિમો જ્યાં બહુમતિમાં હતા ત્યાં તો તેઓએ આડેધડ, ગામ અને સ્થળોના હિન્દુ નામોને બદલે મુસ્લિમ નામો રાખી લીધા. એટલું જ નહીં પણ ભારતમાં પણ જ્યાં તેઓ બહુમતિમાં હતા ત્યાં પણ તેઓએ ઐતિહાસિક સ્થળોના પણ હિન્દુ નામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.  હિન્દુઓએ મુસ્લિમો ઉપર અત્યાચાર કર્યો હોય તેવા ઉલ્લેખો ઇતિહાસમાં નથી તો પણ મુસ્લિમોએ સ્થળોનું અને ગામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.

દરેક પ્રજાની સહનશીલતાની એક સીમા હોય છે. આ કારણથી અને નહેરુવીયન કોંગ્રેસી સરકારોએ મુસ્લિમતૂષ્ટીકરણનું રાજકારણ અપનાવ્યું હોવાથી હિન્દુઓમાં પ્રતિકાર વૃત્તિ જન્મી છે.

આવા સંજોગામાં સ્થળોનું અને ગામોનું નામ પરિવર્તન યોગ્ય ખરું?

અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો. ભારતની સંસ્કૃતિ એક પ્રાચીન અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ છે. એટલે તે પોતાનો ઇતિહાસ ન રાખે તે ગધેડાને તાવ આવવા જેવી વાત છે. પણ માનસિક રીતે ગુલામ બની જાય એવો એક વર્ગ તમે ઉત્પન્ન કરો અને તેના હાથમાં બધી સત્તા આપો ત્યારે તે તમે જે પઢાવો તે પઢે. અને જો તમે સમાચાર માધ્યમો તમારે હસ્તક રાખ્યા હોય અથવા આવા પઢાવેલા પોપટોને હસ્તક રાખ્યા હોય, અને જો કોઈ તમારા પઢાવ્યાથી વિરુદ્ધ બોલે તો તમે એને મજાક પાત્ર બનાવો અને તેને કૉડીનો કરી દો. આમ કરવાથી આવો વ્યક્તિ અવરોધાય તો ખરો જ.

આ ઉપરાંત એક બીજી વાત પણ છે.

અંગ્રેજોએ ઇતિહાસ લખ્યો તે ખરું. પણ તેમણે તે તદન ખોટો પણ લખ્યો નથી. અમુક વાતો મહત્ત્વની હતી અને અમુક વાતો મહત્ત્વ ન હતી. તેમણે ઇતિહાસ લખવામાં પ્રમાણ ભાન ન રાખ્યું. અને તેમણે તેમના લાંબા ગાળાના હેતુઓ બર આવે તે રીતે ઇતિહાસ લખ્યો.

ભારતની સંસ્કૃતિ દરેક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની હતી.

Untitled01

મુસ્લિમ રાજાઓ ભારત ઉપર આક્રમણ કરતા રહ્યા અને ક્યારેક હારતા પણ રહ્યા અને ક્યારેક જીતતા પણ રહ્યા. ૬૦૦ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી. આ દરમ્યાન તેમના ઉપર ભારતીય સંસ્કૃતિની ગાઢ અસર થઈ. મોગલ સામ્રાજ્ય એક એવું મુસ્લિમ સામ્રાજ્ય થયું કે જેણે એક ટૂંકા ગાળા પૂરતો,, પણ મોટા ભાગના ભારતના હિસ્સા ઉપર કબજો મેળવ્યો. અકબરે જોયું કે ભારત ઉપર રાજ કરવું હશે તો હિન્દુઓ સાથે તાલમેલ રાખીને જ આ કામ થઈ શકશે. શાહજહાં અને  ઔરંગઝેબ જરા જુદા નિકળ્યા અને તેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરવા માંડ્યા તો ઔરંગઝેબનું સામ્રાજ્ય તેના અંત સમયે ભંગાણને આરે આવી પડ્યું. મરાઠાઓએ કબજો લીધો. પણ તેમાંના કેટલાક લૂંટવામાં માનતા હતા અને તેથી બીજા કેટલાક ખંડિયા રાજાઓ અંગ્રેજોની મદદમાં આવ્યા. અને અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું. કાળાંતરે ભારતના ખંડિયા રાજાઓને અને ભારતની જનતાને અંગ્રેજોની વટાળ પ્રવૃત્તિઓથી એવું  લાગ્યું કે મોગલો સારા હતા. એટલે ૧૮૫૭માં અંગ્રેજ સરકાર સામે બળવો  થયો. એવું નક્કી થયું કે મોગલ સામ્રાટ બહાદુર શાહ જફર કે જેના રાજ્યની સીમા ફક્ત લાલ કિલ્લા પૂરતી હતી, તો પણ તેને સામ્રાટ પદે સ્થાપવો.

ટૂંકમાં તે સમયના જનમાનસ ઉપરથી એવું ફલિત થતું હતું કે સરવાળો કરીને જોઇએ તો, ટીપુ સુલતાન, મહમ્મદ તઘલખ, ઘોરી, શાહ જહાં, ઔરંગઝેબ ના અત્યાચારો ને લક્ષમાં લઈએ તો પણ મુસલમાનોમાં શેરશાહ સુરી, અહમદશાહ, મહમદ બેઘડો, હૈદર અલી, અકબર, જહાંગીર વિગેરેની સારપને લક્ષમાં લઈએ તો મુસ્લિમો એટલે કે મુગલો સારા હતા.

અંગ્રેજોએ આ માનસિકતા જાણી અને તેથી કરીને ૧૮૫૭ના ભારતીયોના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીત મેળવ્યા પછી, ભારતીયોમાં મુસ્લિમ અને બીન-મુસ્લિમ એવા ભાગલા પડાવવાની પ્રક્રિયા ચાલુ કરી. અને તેમાં તે સફળ રહ્યા.   

 જો અંગ્રેજો ૧૮૫૭માં હારી ગયા હોત તો ભારતમાં એક ભારતીય સમવાય તંત્ર હોત અને સમગ્ર મુસ્લિમ સમાજ, શક, પહલવ, હૂણ, પારસીઓની જેમ ભારતીયોમાં અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા હોત.

પણ અંગ્રેજોએ જે વિભાજનવાદી નીતિ પ્રયોજી હતી તેને કોંગ્રેસે ચાલુ રાખી. જેમકે નવી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગ, બાબર માર્ગ, હુમાયુ માર્ગ, જેવા નામો આપ્યા મુસ્લિમ તૂષ્ટિકરણ ચાલુ રાખ્યું.

હવે અમદાવાદના નામ પરિવર્તન વિષે વિચારીએ;

(૧) અમદાવાદ એ અહમદાબાદનું અપભ્રંશ છે પણ ક્લીષ્ટ નથી.

(૨) બીજા બધા અમદાવાદને ભલે બીજા શુદ્ધ કે અશુદ્ધ નામથી ઓળખતા હોય પણ સરકારે “અમદાવાદ” જે સ્થાનિક લોકો બોલે છે તેને જ માન્ય રાખ્યું છે. કોલકતા અને મુંબઈ વિષે પણ આમ જ છે.

(૩) અમદાવાદ કે જે પહેલાં કોટના વિસ્તાર પુરતું મર્યાદિત હતું તે અહમદશાહ બાદશાહના નામ ઉપરથી પડ્યું છે. હવે કેટલાક લોકોને લાગે છે કે અમદાવાદના અહમદશાહ બાદશાહને માન આપવું જરુરી નથી, તેથી મૂળ અમદાવાદ કે જે કોટની અંદર વસેલું હતું અને હવે ચારે દિશામાં ૨૫ ગણું વધી ગયું છે તેનું નામ બદલવું જોઇએ.

અહમદશાહ બાદશાહે વસાવેલા ગામનું નામ શા માટે બદલવું તે બાબતનો ફોડ કોઈએ પાડ્યો નથી. અહમદશાહ બાદશાહ ક્રૂર હતો કે નહીં અને જો તે ક્રૂર હતો તો તે કેટલો ક્રૂર હતો તેની વિગતો કોઈએ ખૂલ્લી કરી નથી.

(૪) આશાવલ નામના ભીલે આશાવલ વસાવેલું. રાજા કરણદેવે કર્ણાવતી / કર્ણપુર વસાવેલું. પણ સવાલ એ છે કે જે ગામ કોટની અંદર વસેલું હતું તે શું આશાવલ ભીલે કે રાજા કર્ણદેવે વસાવેલું હતું? “આશાવલ”ની સાથે સામ્ય ધરાવતું “અસારવા” સ્થળ મળે છે ખરું. પણ કર્ણપુર કે કર્ણાવતીની સાથે સામ્યતા ધરાવતું કોઈ સ્થળ હોય તો તેની કોઈએ માહિતિ આપી નથી.

(૫), (૬) “આપણા હાથમાં સત્તા છે માટે આ શહેરનું નામ બદલી નાખો”. ફાલાણાએ નામ બદલ્યું એટલે આપણે પણ આ શહેરનું નામ બદલી નાખો તેવા તર્ક માત્રને આધારે નામ બદલવું એ સંસ્કારી પ્રજાને શોભે નહીં.

(૭) આપણો દુશ્મન કે જે મુસ્લિમ દેશ છે, અને તે તેના હિન્દુ શહેરોના નામો બદલી નાખે છે, એટલે તેના વાદે ચડીને આપણે આપણા જે બાદશાહની ક્રૂરતાને જાણતા નથી પણ જેની સારી વાતો આપણા જાણવામાં છે, તેને અવગણીને “કારણ કે તે રાજા મુસલમાન હતો” તે કારણસર આપણે આ શહેરનું નામ બદલી નાખો. આ વાત બરાબર નથી. આવું જો આપણે કરવું જ હોય તો આપણે બધા મુસલમાનોને પાકિસ્તાનમાં મોકલી દેવા જોઇએ. કારણ કે આપણા પાડોશી મુસલમાન દેશે પણ ત્યાંના હિન્દુઓને બળજબરીથી ભારતમાં ધકેલી દીધા હતા અને પછી ગામોના નામો બદલ્યાં હતાં. જેમ પાકિસ્તાનમાં નામ બદલવાની બાબતમાં હિન્દુઓને નાહવા નીચોવવાનું રહ્યું નહીં, તેમ ભારતમાં પણ મુસલમાનોને નાહવા નીચોવવાનું ન રહે.

(૮) આપણે કંઈ ઈન્દિરા  નહેરુગાંધી કોંગ્રેસ પાર્ટી વાળા નથી કે કંઈક કરી રહ્યા છીએ એ બતાવવા બેંકોંનું રાષ્ટ્રીયકરણ કરીએ, રાજાઓના સાલીયાણા બંધ કરીએ, તેનાથી સો ગણા નાણાં આપણા ચૂંટાયેલા સભ્યોને આપીએ, અને તેમને પેન્શન રુપી સાલીયાણા અને ઘર પણ આપીએ, પારકા પૈસે ખેરાતો કરતા રહીએ અને પોતાની પીઠ થાબડતા રહીએ.

આપણને આવું શોભે નહીં.

Untitled

અરે ભાઈ, અમે એક વાર જીભ કચરી છે, કે અમદાવાદનું અમે નામ બદલીને કર્ણાવતી નામ રાખીશું  તો હવે અમારી આબરુનું શું? અમારા શબ્દોની કંઈ કિમત ખરી કે નહીં?

તો હવે આનો કંઈ રસ્તો ખરો?

આનો ઉપાય તો છે.

તમે નવું પાટનગર વસાવ્યું. તેનું નામ તમે ગાંધીનગર રાખ્યું. વળી તેમાં એક રસ્તાનું નામ ઇન્દિરા ગાંધી રોડ રાખ્યું છે. કોંગીઓ આથી ખુશ છે. કારણ કે તેઓ તો આને ઇન્દિરા ગાંધીનગર જ સમજે છે.

શિવસેના વાળાએ “છત્રપતિ શિવાજી ટર્મીનસ”નું નામ બદલીને “છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ” નામ રાખ્યું, તેમ તમે “ગાંધીનગર”નું નામ બદલીને “મહાત્મા ગાંધીનગર” નામ કરો. ભલે કોંગીઓના પેટમાં ઉકળતું તેલ રેડાય.

આમ કર્યા પછી તમે મહાત્મા ગાંધીનગર અને અમદાવાદને જોડીને એક મહાનગર કરી દો. સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે એક નવું સ્ટેશન બનાવો અને તેનું નામ “કર્ણાવતી મહાનગર” રાખો. જેમ લોકો મુંબઈમાં બોલચાલમાં તો શિવાજી ટર્મીનશ જ કહે છે તેમ કર્ણાવતી મહાનગરને પણ લોકો બોલવામાં કર્ણાવતી જ બોલશે. એટલે તમારું કામ થઈ ગયું.

તો પછી “આશાવલ”નું શું?

રેલવે લાઈનના પૂર્વ અમદાવાદના નારોલ જંક્શનને આશાવલ નગર નામ આપી દો. આ પૂર્વ અમદાવાદને “આશાવલ નગર” તરીકે ઓળખવું.  ઘી ના ઠામમાં ઘી પડી રહેશે. અને બધા બહુ મજામાં આવી જશે.

એક મહાનગર “કર્ણાવતી મહાનગર”

એક નગર વિસ્તાર આશાવલ નગર

એક  નગર વિસ્તાર અમદાવાદ

એક નગર વિસ્તાર મહાત્મા ગાંધી નગર

સાધ્યં ઈતિ સિદ્ધમ્‌

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ગૌ હત્યા બંધી વિષે દંભીઓનું દે ધનાધન

નહેરુવીયન કોંગ્રેસના સાથીદાર એવા સમાજવાદી પક્ષનું જ્યાં શાસન છે તેવા ઉત્તર પ્રદેશ જેવા બિમારુ રાજમાં કોઈ એક ગામડામાં હિન્દુઓના એક ટોળાએ એક ગરીબ મુસ્લિમના ઘરમાં જઈ ગૌ-માંસ ને સંબંધિત આરોપસર આક્ર્મણ કરી, તે કુટૂંબના વડાની હત્યા કરી. તેનો દિકરો ઘાયલ થયો. જો કે સારવારથી તે બચી ગયો.
આ એક સમાજવાદી પક્ષ શાસિત યુપીના ગ્રામ્યવિસ્તારમાં પ્રવર્તતી કાયદાની પરિસ્થિતિની અને કંઈક અંશે માનસિકતાની સમસ્યા છે. આ ઘટનાને આના પરિપેક્ષ્યમાં મુલવવી જોઇએ. બિમારુ રાજ્ય એટલે શિક્ષણમાં પછાત, ભૌતિક વિકાસમાં પછાત, આર્થિક અવસ્થામાં પછાત, સગવડોમાં પછાત અને પરિણામે, આ બધા પછાતપણાથી માનસિકતાની કક્ષામાં પણ નિમ્નસ્તરે હોય તે સમજી શકાય તેવી વાત છે.

કાયદાએ કાયદાનું કામ કરવું જોઇએ. કાયદાની પાસે સૌ કોઈ સમાન છે. આ બંધારણીય જોગવાઈ છે, વ્યવસ્થા છે અને આદેશ છે. જો આની અવગણના કરીએ તો લોકશાહીનો અનાદર કર્યો કહેવાય અને બંધારણનો પણ અનાદર કર્યો કહેવાય. જો આપણે તાર્કિક ચર્ચામાં માનતા હોઇએ અને સમાજને એક ડગલું આગળ લઈ જવામાં માનતા હોઇએ તો આપણી ચર્ચામાં સંદર્ભ અને પ્રમાણતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ અને એ રીતે પ્રાસ્તુત્ય થવું જોઇએ.

મત મેળવવાના ઓજારોનું અને શસ્ત્રોનું નિર્માણ

શું ચર્ચા કે અને તારવણીઓ તાર્કિક રહે એવું થયું ખરું? નાજી. આ ઘટનાની મુલવણી કરવામાં, ફક્ત તારતમ્યો જ પ્રસારિત કરવામાં આવ્યા. તે પણ એવા પ્રસારિત કરવામાં આવ્યા કે તે “મત મેળવાના ઓજારો બની શકે અને બનાવવામાં આવ્યા પણ ખરા.
કાયદાને હાથમાં લેનારા ગૌ-પ્રેમી હિન્દુઓ હતા. જેના ઉપર કાયદાનું શાસન કરવાની ફરજ છે તેઓ પણ મોટે ભાગે હિન્દુ હતા ખરા પણ આ હિન્દુઓની પ્રાથમિકતા ગૌ-પ્રેમ ન હતી. તેઓના નામની ઓળખમાં સમાજવાદ શબ્દ આવતો હતો. અલબત્ત સમાજવાદ પણ તેમની પ્રાથમિકતા ન હતી. તેમની પ્રાથમિકતા આ ઘટના અને ચર્ચાની મુલવણીમાં શું હતી તે સમજવું થોડું લાંબુ છે. આ પક્ષના સાંસ્કૃતિક સાથીઓ અથવા તો તેઓ જેમના સાંસ્કૃતિક સાથીઓ છે એવા નહેરુવીયન કોંગ્રેસીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓના બિહારના અને દેશના સાંસ્કૃતિક સાથીઓ કેવી રીતે વર્ત્યા તે જોવું પડશે. શું આ એક બિહારની ચૂંટણી જીતવાનો પ્રપંચ હતો?

પક્ષ એટલે આમ તો એક વિચાર છે. એ વિચાર પ્રમાણે આચાર હોય તે જરુરી નથી. ઉંધો આચાર હોય તો પણ સામાન્ય કક્ષાના માણસોને જ નહીં પણ લાલચુ લોકોને પણ પોતાના તરફે કરી શકાય છે. પક્ષનુ કથિત ધ્યેય સમાજને વિકસિત કરવાનું હોય છે, આ ધ્યેય એ પક્ષની પ્રાથમિકતા હોતી નથી. આચારના એજન્ડામાં પણ હોતું નથી. પક્ષની પ્રાથમિકતા, સત્તા મેળવવી અને જો સત્તા પ્રાપ્ત થયેલી હોય તો તેને કેવી રીતે જાળવી રાખવી એ હોય છે. ટૂંકમાં પક્ષનું કે બનાવેલા પક્ષ-સમૂહનું ધ્યેય જનમત, સાપેક્ષરીતે પોતાની તરફમાં કેવીરીતે છે તે માન્ય રીતે સિદ્ધ કરી દેવું એ હોય છે. આ માટે ચૂંટણી પ્રક્રિયા હોય છે.

આ ચૂંટણીઓ જીતવા માટેના ઓજારો, પ્યાદાઓ અને શસ્ત્રો હોય છે. પણ આપ્ણે એ બધી ચર્ચા નહીં કરીએ. આપણે ફક્ત ગૌ અને ગૌહત્યા પૂરતી આપણી ચર્ચા મર્યાદિત રાખીશું.

પ્રલંબિત શાસનની નીપજ

દાદ્રી ગામની ઘટના એ નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ કરેલા તેમના શાસનની અને આચારોની નીપજ હતી. વળી તેમનું શાસન ત્યાં ચાલુ પણ હતું. એટલે દાદ્રી જેવી ઘટના પૂર્વ નિયોજિત હોય તે નકારી ન પણ શકાય. આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આવી શંકા એટલા માટે ઉત્પન્ન થાય છે કે તેના પછી પૂર્વનિયોજિત રીતે સુનિશ્ચિત લાગતા એવા મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના, સમાચાર માધ્યમોના સહકારથી જે પ્રતિભાવો પ્રસારિત થયા તેના ઉપરથી એવું ચોક્કસ જ લાગે કે આ બધું પૂર્વ નિયજિત હતું અને આ બધા તેમના પ્યાદાઓ હતા.

દંભની પરાકાષ્ટ

૧૯૮૧ થી જે ખૂન, ખરાબા અને આતંકો મોટા પાયા શરુ થયેલ અને ૧૯૯૦માં તે એટલી ચરમ સીમા પર પહોંચી ગયેલ કે ૧૯૯૦માં હજારોની સંખ્યામાં કાશ્મિરી હિન્દુઓની ખૂલ્લે આમ હત્યાઓ કરવામાં આવી, પાંચલાખ હિન્દુઓને તેમના ઘરમાંથી અને રાજ્યમાંથી હાંકી કાઢેલ. આમ કરવામાં નહેરુવીયન કોંગ્રેસ, તેમના કશ્મિરના સાંસ્કૃતિક સાથીઓ, ત્યાંના ધર્માંધ અસહિષ્ણુ નેતાઓ, તેવી જ જનતા અને કહેવાતા આતંકવાદીઓ સાથે હતા. કોઈ પ્રતાડિત મરણાસન્ન હિન્દુને દવાખાનામાં લઈ જવાયેલ નહીં. કોઈ આતંકીની સામે કેસ થયેલ નહીં. કોઈની ધરપકડ થયેલ નહીં. કોઈ તપાસ પંચ નિમાયેલ નહીં. કોઈ કાયદાના રખેવાળને સસ્પેન્ડ કરેલ નહીં. ત્યારે આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓના પેટનું પાણી પણ હાલેલ નહીં.

આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓ પોતાના સાંસ્કૃતિક સાથીના રાજમાં બનેલ એક છૂટપૂટ ઘટનાથી દ્રવી ઉઠ્યા અને વારાપ્રમાણે પોતાના, પોતાની જ સાંસ્કૃતિક સાથી સરકારે આપેલ ચંદ્રકો પાછા આપવા માંડ્યાં હતા. કારણ કે કેન્દ્રમાં દોઢેક વર્ષથી તેમની સરકાર ન હતી અને જે બીજેપીની સરકાર હતી તેને વાંકમાં લેવી હતી. કારણકે બિહારની ચૂંટણી જીતવા માટે મુસલમાનોને અલગ તારવવાના ઓજારની જરુર હતી. શિયાળવાં વિચારતા હતા કે જો વૃષભને ઘુસતો અટકાવી શકીશું તો હાથીને મારવો સહેલો પડશે. બિહારમાં બીજેપીને હરાવીશું તો કેન્દ્રમાં બીજેપીને હરાવવું સહેલું પડશે.

ગૌ એટલે શું?

જો આપણે ગૌ, અહિંસા, કાયદો અને તંદુરસ્ત સમાજની ચર્ચા કરવી હોય તો ગાંધીજીની વિચાર-વ્યાખ્યાની મદદ લેવી પડશે.

ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે ગૌ એટલે ગાય, વૃષભ, બળદ, ભેંસ, પાડા, ઘોડા, ગધેડાં, બકરાં, ઘેટાં, ઊંટ, વિગેરે બધાં જ વનસ્પત્યાહારી પ્રાણીઓ ગૌ સૃષ્ટિમાં આવી જાય. મનુષ્ય શારીરિક બંધારણીય રીતે વનસ્પત્યાહારી છે. આ સિદ્ધ કરી શકાય છે. પણ આપણે તેની ચર્ચા નહીં કરીએ. ગૌ-સૃષ્ટિ મનુષ્ય સમાજનું રોજીંદુ એક અભિન્ન અંગ છે. આ બંને એકબીજા ઉપર આધાર રાખે છે. ભારતીયો સાંસ્કૃતિક રીતે માને છે કે આ પ્રાણીઓની સુરક્ષા એ મનુષ્યની ફરજ છે. ગાંધીજી પણ આમ જ માનતા હતા. આ એક મૂંગી સૃષ્ટિ છે તે પોતાના મોઢેથી આપણી પાસે સુરક્ષા માગી શકતી નથી પણ આપણે તેનાથી ઉપકૃત છીએ તેથી જેમ એક માનવશિશુને આપણે સુરક્ષા આપીએ છીએ અને જેમ વૃદ્ધોને સુરક્ષા આપીએ છીએ તેમ આ સૃષ્ટિને પણ આપણે ઉપકારવશ થઈ, તેને સુરક્ષા આપવી જોઇએ. મનુષ્યના મગજમાં પ્રસ્ફુરિત કૃતજ્ઞતાની આ ભાવનાને ઈશ્વરની કૃપા સમજવી જોઇએ. આ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં આવું ઘણું છે.

ગાંધીજીએ ત્રણ વાત કરી હતી. દારુબંધી, ગૌહત્યા બંધી અને અહિંસક સમાજ.

અહિંસક સમાજ એ બહુ વ્યાપક સમજણનો વિષય છે. જેમને રસ હોય તેઓ આ જ બ્લોગસાઈટ ઉપર આવેલ “અદ્વૈતવાદની માયાજાળ અને નવ્ય સર્વોદયવાદની બ્લોગ શ્રેણીઓ ની મુલાકાત લે તે જરુરી છે.

ગાંધીજીની તીવ્રતા

દારુબંધી વિષે ગાંધીજી એટલા તીવ્ર હતા કે તેમણે કહેલ કે જો મને સિક્કો ઉછાળ જેટલા સમય પૂરતી સરમુખત્યારી મળે તો હું દારુબંધી કરી દઉં.

શું કામ તેમણે આવું કહેવું જોઇએ અને કરવાની ઈચ્છા પગટ કરવી જોઇએ? કોણે શું પીવું અને શું ન પીવું તે શું સરકાર નક્કી કરશે? એવી દલીલ કોઇએ તેમની સામે કેમ ન કરી?

દુનિયામાં અને ભારતમાં પણ પરાપૂર્વથી દારુ પિવાય છે. તો પછી ભારતે પણ કાયદેસર દારુ પીવો. જો કે આ દલીલને આગળ લંબાવી શકાય કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું પણ મનુષ્યના અંગત સ્વાતંત્ર્યની અંતર્ગત ગણવું જોઇએ.

પણ એવું નથી થતું. આ બધું મોંઘું હોય છે. દારુ સસ્તો હોય છે. દારુથી ગરીબ કુટૂંબો પાયમાલ થાય છે. ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું તો મોંઘુ હોવાથી, તે પૈસાપાત્રના ફરજંદોને જ પોષાય છે. પૈસાપાત્ર કુટૂંબોની પાયમાલી ન થવી જોઇએ. માટે દારુની સાથે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની સરખામણી નહીં કરવાની. એવી ચર્ચા જ ત્યાજ્ય ગણવાની. દારુથી ગરીબ કુટૂંબો ભલે પાયમાલ થાય. પૈસાપાત્રોની સુરક્ષા માટે વ્યાખ્યા, અર્થઘટનો અને વ્યવહારો ભીન્ન જ હોવા જોઇએ. અને જુઓ તેથી જ “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને કોઈ સરકાર, પક્ષ કે મૂર્ધન્યો અંગત સ્વાતંત્ર્ય સાથે જોડતા નથી. દવા તરીકે તો દારુ પણ વપરાય છે અને ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે પણ વપરાય છે. પણ ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની છૂટ્ટી માટે તમને કોઈ હાથ પણ નહીં મુકવા દે.

“જા બીલ્લી કુત્તેકો માર”

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રબંધોમાં દારુ બંધી, ગૌહત્યા બંધી અને ગાંધીજીના રસ્તે અહિંસક સમાજ છે. ભારતીય જનતંત્ર સમવાય તંત્ર છે. કેન્દ્રની ફરજો જુદી અને રાજ્યની ફરજો જુદી. પણ બંધારણ સમાન છે. બંધારણે દારુબંધી અને ગૌહત્યા બંધી માટે રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ કાયદો બનાવે.

ગાંધીજીની વૈચારિક ધરોહરનો દાવો કરનારી નહેરુવીયન કોંગ્રેસે સૌ પ્રથમ ગાંધીજીની વૈચારિક હત્યા કરી.

ભારતીય બંધારણના આદેશ પ્રમાણે દારુબંધીનો કડક કાયદો અને આચરણ કરવાનું બંધારણનું દિશા સૂચન હતું, તો નહેરુવીયન કોંગ્રેસે ઓગણીસો સાઠના દાયકાના પૂર્વાર્ધમાં મહારાષ્ટમાં આ બાબતમાં ઉંધી દિશા પકડી. દારુબંધીને લગતો કડક કાયદો કરવાનો હતો, તેને બદલે જે હતો તેમાં ફેરફાર કરી તેને હળવો કર્યો. નહેરુવીયન કોંગ્રેસનો દંભ તમે જુઓ કે તેની સરકાર, દારુબંધીને લગતો કાયદો વધુ ને વધુ હળવો કરતી ગઈ.

ગૌહત્યા બંધીમાં શું વાત છે?

મદનમોહન માલવિયા એ નહેરુને ગાય ની હત્યાની બંધી કરવા માટે તાત્કાલિક કશું કરવાની વાત કરી.

નહેરુએ કહ્યું કે મારે મન ગાય, ઘોડો, ગધેડો બધા સરખા છે.
માલવિયાએ કહ્યું. ઓકે હું ગાય થી શરુઆત કરવાની માગણી કરું છું. તમે ગધેડાથી શરુઆત કરજો.

ભારતીય બંધારણમાં ગૌહત્યા બંધ કરવાનો આદેશ છે. પ્રાણીઓ ઉપર ક્રુર આચારણ કરવા ઉપર પણ બંધી છે. ગૌહત્યા બંધી કેટલાક રાજ્યોમાં છે, કેટલાક રાજ્યોમાં આંશિક છે અને કેટલાક રાજ્યોમાં નથી.

સર્વોદય કાર્યકરો યાદ કરેઃ

ઓગણીસો સાઠના ઉત્તરાર્ધમાં અને ઓગણીસો સીત્તેરના દશકામાં ગૌહત્યા બંધીના અમલ માટે મુંબઈમાં દેવનારના કતલખાના સામે આંદોલન ચાલતું હતું. સર્વોદયવાદીઓ એમ તો નહીં જ કહે કે અમે તો આ આંદોલન “ગીનીસ વર્લ્ડ બુકમાં આંદોલનની લંબાઈનો” એક રેકૉર્ડ સ્થાપિત થાય તે માટે કરતા હતા. કટોકટીના કપરા કાળમાં વિનોબા ભાવેએ ગૌહત્યા બંધી માટે આમરણાંત ઉપવાસ ઉપર જવાની નોટીસ કોંગી સરકારને આપેલ. પણ ઇન્દિરા ગાંધીએ તેમને આશ્વાસન આપેલ કે તે જરુર ગૌહત્યા બંધી લાવશે. પછી સચોટ રીતે શું થયું તે ખબર નથી.

આ વાત જાણી લો કે તંદુરસ્ત અને દુધાળી ગાય બળદ વાછરડા ની હત્યા ઉપરની બંધી તો પહેલે થી જ હતી. પણ તે પછી વધુમાં આટલું તો નક્કી થયેલ જ કે (૧) કતલખાનાને વિકસાવાશે નહીં. (૨) નવા કતલખાનાની મંજુરી આપવામાં આવશે નહીં (૩) સરકાર કતલખાનાને પબ્લીક ફંડમાંથી કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રાહત આપશે નહીં.

કાયદો અને અમલ એ બંને જુદા છે.

જેમણે “કિસ્સા કુર્સિકા” જોયું હશે તેમને ખબર હશે કે વડાપ્રધાનને અર્ધી રાતે અધિગત થયું કે અનાજની તંગીનું મૂખ્ય કારણ ઉંદરો દ્વારા થતું આનાજનું ભક્ષણ છે. સરકાર ઉંદર મારવા માટે ઈનામની જાહેરાત કરે છે. “એક ઉંદર મારવા માટે” ૨૫૦ રૂપીયાનું ઇનામ હોય છે. ઈનામના પૈસા આપવાવાળો મરેલા ઉંદરને ક્યાંથી રાખી શકે? કારણ કે એનું ડીપાર્ટમેન્ટ તો જુદું છે. માટે બીજા ડીપાર્ટમેન્ટમાં ઉંદર જમા કરવવાના. પણ ઉંદર તો જગ્યા રોકે એટલે ફક્ત પૂંછડી જ જમા કરાવવાની. અને ઉંદર માર્યાનું સર્ટીફીકેટ લેવાનું. સર્ટીફીકેટ આપવા વાળો ૧૦૦ રુપીયાની લાંચ લે અને સર્ટીફીકેટ આપે. આ સર્ટીફીકેટ લઈને ઈનામ લેવા જવાનું એટલે તે ૨૫૦ રુપીયા ઇનામના આપે. તમારે ઉંદર મારવાની કે પૂંછડી આપવાની જરુર નથી. તમારે તો ઉંદરને માર્યાનું સર્ટીફીકેટ રજુ કરવાનું છે. ઈનામ તમને સર્ટીફીકેટ ઉપર મળે છે. સર્ટીફીકેટ ૧૦૦ રુપીયામાં મળે છે. ૧૦૦ રુપીયા આપો. સર્ટીફીકેટ લો અને ઈનામના ૨૫૦ રુપીયા લો. વાત પૂરી.

એક માણસ, સર્ટીફીકેટ આપવાવાળાને કહે છે કે “હું તમને ૩૦૦ રુપીયા આપું તો તમે મને ત્રણ ઉંદર માર્યાનું સર્ટીફીકેટ આપશો?”
સર્ટ્ફીકેટ આપવાવાળો કહે છે;” એક ચૂહા મારા હૈ ઉસ સર્ટીફીકેટકા ૧૦૦ રુપીયા હૈ તો, તીન ચૂહે મારે હૈ ઉસ સર્ટીફીકેટકા ૩૦૦ રુપીયા હોતા હૈ. સીધી બાત હૈ. ૩૦૦ રુપયા દો ઔર તીન ચૂહે મારે હૈ ઐસા સર્ટીફીકેટ લે જાઓ. હમ બેઈમાન થોડે હૈં?

આવું જ દેવનારમાં ગૌ હત્યા માટેના તંદુરસ્તીના સર્ટીફીકેટમાં થતું હતું. આ ઉપરાંત ગૌ હત્યા બંધી બાબતમાં, ઓછામાં ઓછાં જે ત્રણ ખાત્રીવચનો આપેલ તેનો જરાપણ અમલ ન થયો. નહેરુવીયન કોંગ્રેસ ખાત્રી આપે, કે વચન આપે કે પ્રતિજ્ઞાઓ લે તે બધું પાણી ઉપર લખેલા અક્ષરો જેવું છે.

યાદ કરો “સજ્જનેન લીલયા પ્રોક્તં શિલાલિખિતં અક્ષરં, દુર્જનેન શપથેન પ્રોક્તં જલે લિખિતં અક્ષરમ્.

સજ્જન માણસ જો રમત રમતમાં વચન આપી દે તો પણ તે શિલાલેખની જેમ અફર રહે છે એટલે કે તે તેનું પાલન કરે છે. દુર્જન તો પ્રતિજ્ઞા પૂર્વક વચન આપે તો પણ તેનું વચન પાણી ઉપર લખેલા અક્ષર જેવું હોય છે.

ગૌહત્યાની બંધી છે. પણ ગૌમાંસ ખાવાની છૂટ્ટી છે. એટલે કે ગૌમાંસ આયાત કરવાની છૂટ્ટી છે. એટલે કે દારુની બંધી છે પણ દારુની આયાત કરવાની છૂટ્ટી છે. હોઠપાસે આવેલો પ્યાલો હોઠથી દૂર જ કહેવાય. અરે તમે એક ઘૂંટાડો દારુ મોંઢામાં નાખ્યો તો પણ તે દારુ પીધો ન કહેવાય. કારણ કે તમે તેનો કોગળો કરી નાખો તે શક્યતા પણ નકારી ન શકાય. જ્યાં સુધી તમારા લોહીમાં દારુના ચિન્હો દેખા ન દે ત્યાં સુધી તમે દારુ પીધો ન કહેવાય. તો પછી આ વાત “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને પણ લાગુ પાડવી જોઇએ. “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે કોઈને ત્યાંથી પકડાય તો તે ગુનેગાર કહેવાય તેવો કાયદો ન હોવો જોઇએ.

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે?

હા જી. બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે એવું કોંગીનું વલણ રહ્યું છે.

બંધારણમાં પ્રાવધાન હતું કે અંગ્રેજીભાષા કેન્દ્રની વહીવટી ભાષા તરીકે ૧૦ વર્ષ સુધી ચાલુ રહેશે. પછી હિન્દીભાષા તેનું સ્થાન લેશે. આપણી નહેરુવીયન સરકાર દશવર્ષ સુધી હિન્દીભાષાના અમલના પ્રાવધાન પર કુંભકર્ણ કરતાં ૨૦ ગણા સમય વધુ નિદ્રાધિન રહી હતી. બંધારણનું પાલન થાય તે જોવાની રાષ્ટ્રપતિની ફરજ છે. તત્કાલિન ભારતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું આવતી પહેલી એપ્રીલથી અંગ્રેજીનો ઉપયોગ બંધ થશે. એટલે નહેરુજી સફાળા જાગ્યા અને એક અધ્યાદેશ જારી કર્યો. અને પછી એવું પ્રાવધાનનું વિધેયક લાવ્યા કે અનિશ્ચિત કાળ સુધી અંગ્રેજી ચાલુ રહેશે.

જો આવું જ કરવું હતું તો જ્યારે બંધારણ ઘડાયું ત્યારે જ તેમાં એવી જોગવાઈ કેમ ન કરી? અંગ્રેજીને દશવર્ષ ચાલુ રાખવા માટે એક જ વધારાનો મત મળ્યો હતો. કારણ કે તે વખતે ગંગા ચોક્ખી હતી. અને નહેરુના રાજના દશવર્ષમાં ગંગા અને જમનામાં ઘણા પાણી વહી ગયાં અને તે ગંગા જમના ઘણી ગંદી થઈ ગઈ હતી. બીજી નદીઓ પણ ગંદી થઈ હતી. નહેરુએ નવા વિધેયકમાં અંગ્રેજીને ચાલુ રાખવા માટે નવી મુદત ન બાંધી પણ અંગ્રેજીને અનિયત કાળ માટે ચાલુ રાખી. જેમ ઈશ્વરને કાળનું બંધન હોતું નથી તેમ

નહેરુવીયન કોંગ્રેસને પણ કાળનું બંધન હોતું નથી.

જયપ્રકાશ નારાયણને, જવાહરલાલ નહેરુ કેબીનેટમાં લેવા માગતા હતા. જયપ્રકાશ નારાયણ એક સીમાબદ્ધ કાર્યક્રમનું લીસ્ટ લઈને ગયા અને કહ્યું આ માન્ય રાખો. પણ નહેરુને કાળનું બંધન પસંદ ન હતું. પદ ભોગવો, ખાવ પીવો અને મોજ કરો. કોંગીનો આ મુદ્રાલેખ છે.

ગૌ હત્યાબંધીના બંધારણીય આદેશનું શું કરવું જોઇએ?

શું સૌને પોતે શું ખાવું તે નક્કી કરવાનો અધિકાર નથી?

આ અધિકાર જો ખાવાને લાગુ પડતો હોય તો પીવાને પણ લાગુ પડે છે. જો તમે તર્કમાં માનતા હો તો આ વાત પણ સમજવી જોઇએ.
પસંદગીના અધિકારની વાત “પીણાઓને લાગુ ન પાડવી પણ ફક્ત “ખાવા”ને જ લાગુ પાડવી જોઇએ એમાં કોઈ તર્ક છે ખરો? એટલે કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની બંધી કરવી પણ દારુ અને ગૌમાંસની બંધી ન કરવી.

બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી?

જો સરકારી વલણ અને આચરણ આવું જ હોય તો પછી બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી? જો તમે તમારી ફરેબી સંવેદના અને કરુણાના વ્યાપક પ્રદર્શન દ્વારા આંદોલન કરી શકતા હો તો બંધારણની જોગવાઈઓ રદ કરવા આંદોલન કેમ કરતા નથી? ગૌવધબંધી ની માન્યતાનું થડ, ભારતીય બંધારણ છે. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ માટે શ્રેષ્ઠ એ જ છે કે તેઓ તેમના ગૌવધ અને અહિંસક સમાજને લગતી બંધારણીય જોગવાઈઓ રદ કરવા બીજેપીની કેન્દ્ર સરકાર સામે આંદોલન કરે. આમેય ફરેબી કારણસર પણ આંદોલન કરવા તે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ગળથુથીમાં છે.

કોંગીઓને દંભ સદી ગયો છે.

શું કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ બંધારણીય જોગવાઈઓ રદ કરવા માટે આંદોલન કરશે?

નાજી.

આ લોકોને દંભ સદી ગયો છે અને તેમને તેમાં ફાવટ છે. એટલા માટે તો તેમણે જનતાને અભણ, ગરીબ રાખી છે. સરકારે તેમને ફેંકેલા ટૂકડાઓ ઉપર નભતી કરી દીધી છે.

૬૦ વર્ષના શાસન પછી પણ બંધારણીય જોગવાઈને રદ પણ કરી નથી, તેમજ બંધારણીય જોગવાઈની દિશામાં એક કદમ ભર્યું નથી.
હા એક વાત ચોક્કસ છે કે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓએ બંધારણે નિર્દેશેલી દીશાથી ઉંધી દિશામાં જરુર પ્રગતિ કરી છે.

જો આમ હોય તો પછી સાચી દિશાના કદમ માટે કેટલા વર્ષ જનતાએ રાહ જોવાની?

કોંગીએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ તેમના આચારો દ્વારા સિદ્ધ કર્યું છે કે “દંભ એટલે શું તે અમે જાણીએ છીએ, પણ તેમાંથી અમે નિવૃત નહીં થઈએ. નિષ્ઠા એટલે શું તે પણ અમે જાણીએ છીએ પણ અમે તેમાં પ્રવૃત્ત નહીં થઈએ.” આવા વલણને કારણે ઉદભવતા પરિણામોને સમજવા માટે મહાભારત વાંચો.

ખાવાની સ્વતંત્રતા, ધર્મ, તર્ક અને તંદુરસ્તી વચ્ચે કંઈ સંબંધ છે?

બધા દેવો

SHIVA04

ગાયની અંદર છે તેનો અર્થ શો?

(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ગૌ હત્યા, દંભ, કોંગી, નહેરુ, વચન, બંધારણીય પ્રાવધાન, બંધારણીય આદેશ, મત માટેના ઓજાર, પ્યાદા, બિમારુ, તાર્કિક ચર્ચા, હિન્દુ, અહિંસક સમાજ, પ્રલંબિત શાસન, નિપજ, પૂર્વનિયોજિત, કાશ્મિરી હિન્દુઓ, હત્યા, તપાસ પંચ, ગાંધીજી, દારુબંધી, ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન

Read Full Post »

લાંબી ધારે દુગ્ધપાન

હાજી … નહેરુવીયન કોંગ્રેસ એટલે કે કોંગી, અનામતીયા

પાટીદારોને લાંબીધારે દુગ્ધપાન કરાવશે.

આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે.

breast feeding

હાજી આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે. કારણ કે મારે અગણિત પાટીદાર મિત્રો છે અને તેઓ અનામતમાં માનતા નથી. એટલે સામાન્યીકરણ કરી સમગ્ર પાટીદાર જાતિને અપમાનિત ન કરી શકાય.

જે પાટીદારો અનામત મેળવવા માટે બીજેપી ની સામે પડ્યા છે અને ચોર (નહેરુવીયન કોંગ્રેસ)ની વાદે ચણા ખાવાના અભરખા રાખે છે તેઓ બલુન છે. (“ચોરનીવાદે ચણાખાવા” એ એક કાઠીયાવાડી શબ્દપ્રયોગ છે).

બલુનમાં ભેજુ ન હોય. બલુનમાં હવા હોય. નહેરુવીયન કોંગીઓએ હવા ભરી એટલે આ બલુન ઉડ્યાં છે.

જો આ બલુનોમાં ભેજુ હોત તો નહેરુવીયન કોંગીને ચાળે ચડ્યાં ન હોત.

લાંબી ધારે દુગ્ધપાન એટલે શું?

જેઓ તળપદી ગુજરાતીથી અજ્ઞ નથી તેઓ “લાંબી ધારે દુગ્ધપાન” શબ્દ પ્રયોગનો અર્થ સુપેરે જાણે છે. જો કે “દુગ્ધપાન” શબ્દ “સુરુચિનો ભંગ” ન થાય એટલા માટે વાપર્યો છે.

કોંગી એટલે કોંગ્રેસ (આઈ) એટલે કે “ઈન્દિરા કોંગ્રેસ” માટે વપરાતો શબ્દ હતો અને હજી પણ તે માટે વપરાય છે. જો કે કોંગ્રેસના વંશવાદી લક્ષણ ૧૯૫૦ પછી નહેરુ દ્વારા પ્રદર્શિત થયા એટલે “નહેરુવીયન કોંગ્રેસ” શબ્દ વધુ યોગ્ય છે. પક્ષ એટલે પાર્ટી. પક્ષ પુલ્લિંગ છે. પાર્ટી સ્ત્રીલિંગ છે. એટલે દુગ્ધપાન સાથે કોંગી શબ્દનો વધુ મેળ ખાય છે.

બિચારા આ બલુનો ભૂલી ગયા કે કેશુભાઈને કોણે ગબડાવેલા? આ સંકરસિંહ વાઘેલાએ જ તો તેમને ગબડાવેલા. હવે જો શબ્દોની રમત રમવી હોય તો “વાઘેલા” ને બદલે “વા ઘેલા”, કે “વા” ને બદલે “અ” પણ વપરાય. કે “બા” (સોનિયાબા માં પણ બા શબ્દને ઉઠાવાય) પણ વપરાય. પણ જવા દો એવી શબ્દોના પ્રાસથી સત્ય સિદ્ધ થતું નથી. એટલે એ પ્રયોગો આપણા દેશના “રાહુ” કે “અ ધેલા” જેટલી કિમતવાળા લોકો માટે રાખીએ.

કેશુભાઈને કોણે ગબડાવ્યા?

આ સંકરશીંગ જ ઉતાવળ ને ઉતાવળમાં હાથ ધોયા વગર કેશુબાપાને ઉથલાવવામાં પડી ગયેલા. આ સંકરશીંગ જરા પૉરૉ ખાવા પણ ઉભા રહ્યા ન હતા. (ભાઈઓ અને બહેનો, ભૈયાજીભાઈઓ સિંહનો ઉચ્ચાર સીંગ કરે છે. અને આપણા કેટલાક ભાઈઓ “હ્રસ્વ દીર્ઘના ભેદમાં ન માનવું” એવી ચળવળ ચલાવે છે. “શ”, “ષ” અને “સ” ના ભેદમાં પણ ન માનવું, તે પણ, આમ તો તે જ વિચારધારામાં આવે છે. પણ આ વિષે આપણે ચર્ચા નહીં કરીએ. ક્યારેક આપણે તેમની મજાક પણ કરવી જોઇએ.) બિચારા બલુનો ભૂલી ગયા કે આ સંકરશીંગ વાઘેલાએ તેમને “હજુરીયા” કહેલ. આ સંકરશીંગભાઈએ ચિમનભાઈ પટેલ પાસે થી “ચેપ” લીધેલ.

આ “ચેપ” વળી શું છે?

ભાઈઓ અને બહેનો, રાજકારણમાં જેમ પેચ લડાવવાની પ્રણાલી કે ફેશન છે તેમ રાજકારણમાં “ચેપ” લેવાની ફેશન છે. ઘણી જાતના ચેપ હોય છે.

પહેલો ચેપ “પક્ષમાં જ જુથ”

પહેલો “ચેપ” એ હતો કે પક્ષની અંદર જ એક “વહાલું” જુથ બનાવવું જેથી જ્યારે જરુર પડે ત્યારે આપણા આ “વહાલા” જુથના સભ્યો સિવાયના સભ્યોને “દવલા” બનાવી શકાય અને આપણે નવો પક્ષ બનાવવો હોય તો લોકશાહીમાં સરળતા રહે છે. (સામ્યવાદમાં આ શક્ય નથી. ત્યાં તો કાં તો જીતો કાંતો ખતમ થાઓ.)
આ “ચેપ” વિષે જો રોયલ્ટી આપવાની થાય તો તેની રોયલ્ટી નહેરુને મળે. કોંગ્રેસમાં બે જુથો હતાં. જહાલ અને મવાળ. મવાળ જુથ આગળ ચાલ્યું. એ પછી આપણા સમાજવાદી જવાહરલાલ નહેરુએ એક “સમાજવાદી” ગ્રુપ બનાવ્યું. એના બે ભાગ પડ્યા અને એક ભાગ કોંગ્રેસથી જુદો થયો. આ ભાગ પ્રજાસમાજવાદી પક્ષ તરીકે જુદો પક્ષ બન્યો. વાત બહુ લાંબી છે. એટલે એની ચર્ચા નહીં કરીએ.

જવાહર લાલ પોતાને સમાજવાદી માનતા કારણ કે વીસમી સદીના પૂર્વાર્ધમાં સમાજવાદમાં માનવું એ પોતાને “તરવરીયા યુવાન”માં ખપાવવા માટેની એક માન્ય ફેશન હતી !!

જ્યારે સ્વતંત્રતા હાથવેંતમાં આવી ત્યારે પ્રણાલી પ્રમાણે કોંગ્રેસે તેની પ્રાંતોની સમિતિઓ પાસેથી વડાપ્રધાન પદ માટેની ભલામણો માગી. એક પણ પ્રાંતે નહેરુના નામની ભલામણ કરી ન હતી.
નહેરુ લોકપ્રિય હતા તેની ના ન પાડી શકાય. કોઈ એક વ્યક્તિ, પક્ષમાંના યુવાનોમાં લોકપ્રિય હોય અને જનતામાંના યુવાનોમાં લોકપ્રિય હોય એનો અર્થ એવો નથી કે પક્ષના સંગઠનમાં પણ તે વ્યક્તિ એક નંબરનો હોય.

પક્ષના સંગઠનમાં સામુહિક અને અનુભવી નેતાઓનું વર્ચસ્વ હોય છે. કારણ કે દેશ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. તેવીજ રીતે પક્ષ પણ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. યુવાનો ચંચળ મનોવૃત્તિના હોય છે અને તેમને જલ્દી ફસાવી અને ફોસલાવી શકાય છે. જેમકે “નવનિર્માણ” નું આંદોલન, યુવાનોએ ચલાવેલ. આ આંદોલન યુવાનોએ નહેરુવીયન કોંગ્રેસ સામે ચલાવેલ. તેમાંના તે વખતના કેટલાક, આગળ પડતા નેતાઓ, થોડા સમય પછી નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા હતા. અત્યારે પણ નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

નહેરુના સમાજવાદને કોંગ્રેસના મૂર્ધન્ય નેતાઓ સમજી શકતા ન હતા. પણ નહેરુની સમાજવાદની પપુડી વાગ્યા કરતી હતી. જવાહરલાલ નહેરુ ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ તેમને જણાવ્યું કે વડાપ્રધાનના પદ માટે, તેમના નામની ભલામણ એક પણ પ્રાંતીય સમિતિએ કરી નથી.

“તેજીને ટકોરો હોય” અને “શાણો માણસ સાનમાં સમજી જાય”. ગાંધીજીનું કહેવું એ હતું કે “હે જવાહર, તું હવે તારી ઉમેદવારી પાછી ખેંચી લે… કારણ કે દેશનો નેતા પ્રાંતીય સમિતિઓની સર્વસંમતિથી થાય એ યોગ્ય રહેશે”.

નહેરુ આ વાત સમજી ન શકે તેવા મૂઢ ન હતા. તેમણે વિચાર્યુ કે પક્ષની અંદરનું મારું સમાજવાદી જુથ તો મારી સાથે છે જ. પક્ષની બહારના અનેક બીજા જુથો મારા જુથમાં ભળી જશે અને મને સહકાર આપશે. જનતામાં પણ હું લોકપ્રિય તો છું જ. પક્ષની અસાધારણ સભા બોલાવવા જેટલા સભ્યો તો મારી પાસે છે જ. એટલે કોંગ્રેસના ભાગલા પાડી નવો પક્ષ સહેલાઈ થી બનાવી શકીશ. નહેરુ માટે ઉપરોક્ત વાત શક્ય હતી.

ગાંધીજીની વાત સાંભળી નહેરુ ખીન્ન તો થયા. નહેરું કશું બોલ્યા વગર ગાંધીજીનો ખંડ છોડીને જતા રહ્યા. ગાંધીજીને એ વાતની ગંધ આવી ગઈ કે નહેરુ કોઈ પરાક્ર્મ કરવા કૃતનિશ્ચયી છે. એટલે કે કોંગ્રેસના ભાગલા કરવા કૃતનિશ્ચયી છે.

સરદાર પટેલ, નહેરુથી એક મુઠ્ઠી ઉંચેરા માનવી હતા

કહેવાતા સમાજવાદી નહેરુના મુખ્ય હરિફ સરદાર પટેલ હતા. નહેરુના સાથીદારો સરદાર પટેલને “મૂડીવાદીઓના પીઠ્ઠુ”, “સ્થાપિત હિતોના પીઠ્ઠુ” “બુર્ઝવા” તરીકે ભાંડતા હતા. આ વાતથી દેશ અજાણ્યો ન હતો એટલે આ વાતની ગાંધીજીને ખબર ન હોય તે બનવા જોગ નથી. એટલે જ ગાંધીજીએ સરદાર પટેલને બોલાવ્યા. પોતાનો ભય બતાવ્યો કે હાલના સંજોગોમાં જો કોંગ્રેસ તૂટશે તો દેશના અનેક ટૂકડા થશે. નહેરુ પોતાને માટે કમસે કમ ઉત્તરાંચલિસ્તાન તો અલગ કરશે. ખાલિસ્તાન, દલિતીસ્તાન, દ્રવિડીસ્તાન અને કેટલાક સ્વતંત્ર રહેવા માગતા રાજાઓ, આ બધી માગણીઓને નહેરુ કે તૂટેલી કોંગ્રેસ નિવારી નહીં શકે. આ બધું નિવારવા માટે આર્ષદૃષ્ટા અને વહીવટી રીતે કુશળ સરદાર પટેલ જ યોગ્ય છે. સરદાર પટેલે ગાંધીજીને વિશ્વાસ આપ્યો કે તે કોંગ્રેસને તૂટવા દેશે નહીં. અને આપણે જોઇએ છીએ કે સરદાર પટેલે બાજી કેવી રીતે સંભાળી લીધી.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે સરદાર પટેલને “કોમ્યુનલ” કહીને હૈદરાબાદમાં ધૂતકારેલ કોણે? ખુદ જવાહર લાલ નહેરુએ.

જે નહેરુવીયન કોંગ્રેસના પાયામાં જ સરદાર પટેલનો અનાદર અને અપમાન હતા, તે જ નહેરુવીયન કોંગ્રેસ જ્યારે (લાંબી ધારે) “દુગ્ધપાન” કરાવવાની લાલચ આપે છે ત્યારે આ અનામતીયા પાટીદારો તેના ખોળામાં બેસવા તૈયાર થઈ ગયા તેને તમે હૈયા ફુટ્યા નહીં કહો તો શું કહેશો?

આ કોઈ હાઈપોથીસીસ નથી. આ વાતની આ રહી સાબિતી. દેશમાં બધું ઠરીને ઠામ થયું. કોંગ્રેસમાં નહેરુ એકચક્રી રાજા થયા અને જ્યારે ચીન સામે ભારતનો કરુણ પરાજય થયો, ત્યારે નહેરુએ “કામરાજ પ્લાન હેઠળ, સરદાર પટેલના વારસદાર મોરારજી દેસાઈને કેવી રીતે બદનામ કર્યા અને મંત્રીમંડળમાં થી હટાવ્યા તે આપણે જાણીએ છીએ. એટલું જ નહીં તેમણે પ્રજાસમાજવાદી પક્ષને પણ પોતાની જોડે કેવો ભેળવી દીધો તે પણ આપણે જાણીએ છીએ.

“આયારામ ગયારામ” ના જનક નહેરુ હતા.

આ ચેપ સૌપ્રથમ ચરણસીંગે યુપીમાં “સંયુક્ત વિધાયક દલ” સ્થાપીને યુપીમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારને ઉથલાવી. પછી તો આ ચેપ ઘણાને લાગ્યો. જેમકે બંસીલાલ, ભજનલાલ, સુખડીયા, ચિમનભાઈ, એનટી રામારાવ, તેના જમાઈ ચંદ્રબાબુ નાયડુ, જય લલિતા આદિ. આપણા સંકરશીંગે પણ તે ચેપને અપનાવ્યો.

બીજો ચેપઃ “ધરાર ખોટું બોલવું”

નહેરુએ તત્વજ્ઞાની શબ્દો વાપરી વિતંડાવાદ ઉત્પન્ન કરતા અને પોતાના જુઠાણાનો બચાવ કરતા. ગઈ સદીના પચાસના દશકામાં તેમણે ચીનની લશ્કરી ઘુસણ ખોરીનો બચાવ આ રીતે કરેલો, “ચીને કોઈ ઘુસણખોરી કરી નથી (મસ્જીદમાં ગર્યો તો જ કોણ?)…એ પ્રદેશ તો ઉજ્જડ છે. ત્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નથી… લાઈન ઓફ કન્ટ્રોલની કોઈ વ્યાખ્યા નથી, યુદ્ધથી કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી, યુનોદ્વારા કોઈ પ્રશ્નો ઉકેલાયા નથી…”

તત્વજ્ઞાની વિતંડાવાદ કરવો, ધરાર ખોટું બોલવું અને તારતમ્યોવાળા નિવેદનો કરવા એ વલણ ઈન્દિરા ગાંધીએ પૂરબહારમાં વિકસાવ્યું હતું. “આત્માનો અવાજ, કટોકટી અનુશાસન પર્વ છે, હમારા લક્ષ્ય સબસે નમ્ર વ્યવહાર, જેવા અનેક, સ્લોગનો વહેતા મુકેલા હતા.

નહેરુવીયન કોંગ્રેસનું બીજું ગુજરાતી ભક્ષ્ય “ચિમનભાઈ પટેલ”

ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસને મજબુત કરવામાં ચિમનભાઈ પટેલનો સિંહફાળો હતો. ૧૯૭૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસને ૧૬૨માંથી ૧૪૦ બેઠક અપાવનાર ચિમનભાઈ પટેલ હતા. તેથી ચિમનભાઈ પટેલ વિધાનસભાના નહેરુવીયન કોંગ્રેસમાં અસાધારણ બહુમતિ ધરાવતા હતા. પણ ચિમનભાઈ આજ્ઞાંકિત ન હતા. ઘનશ્યામભાઈ ઓઝાને હટાવીને ચિમનભાઈ પટેલ ધરાર મુખ્ય મંત્રી થયા.
પણ કોંગીને ખાટલે ખોડ હતી.

કોંગીનું મૂળ ભ્રષ્ટાચારમાં હતું. ભ્રષ્ટાચાર તો કોંગીની ગળથુથીમાં હતો. કોંગીની સામે નવનિર્માણનું આંદોલન થયું અને ચિમનભાઈને કોંગીએ પદભ્રષ્ટ કર્યા. ચિમનભાઈએ પુસ્તિકા લખી કે કોંગીના કુળદેવીએ કેવી રીતે ગુજરાતમાંથી પૈસા ઉઘરાવેલા. કોંગીએ ચિમનભાઈની પક્ષમાંથી હકાલપટ્ટી કરેલી. ચિમનભાઈએ કિસાન-મઝદુર-લોક-પક્ષ સ્થાપ્યો.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે ચિમનભાઈ પટેલની રેવડી દેણેદાણ કોણે કરેલી? ઇન્દિરા ગાંધીએ જ તો તેમને જેલમાં પૂરેલ અને ટોર્ચર કરેલ. એટલે ચિમનભાઈએ તેમના પક્ષ કિમલોપ નો લોપ કરી નહેરુવીયન કોંગ્રેસમાં પોતાની જાતને ભેળવી દીધેલી. અને આ નહેરુવીયન કોંગ્રેસે તેમને તરણું મોઢામાં લેવડાવેલ.

આ બલુનોમાં અક્કલ કે આબરુ કે સ્વમાન જેવું છે જ ક્યાં?

કુતરા અને ગધેડાને તમે મારો તો તેઓ તેની વેદના બીજી ક્ષણે ભૂલી જાય છે. તમે ભક્ષ્ય ધરો એટલે પંછડી પટપટાવતા તમારી પાસે આવી જાય છે. યાદ કરો સંસ્કૃતનો શ્લોકઃ “સારમેય ચ અશ્વસ્ય, રાસભસ્ય વિશેષતઃ, મુહૂર્તાત્‌ પરતો નાસ્તિ પ્રહાર જનિતા વ્યથા.

ધિક્કાર છે આવા બલુનીયા પાટીદારોને જેઓ “ભારત સર્વ પ્રથમ” ને બદલે પોતાની જાતને પ્રાથમિકતા આપે છે અને તે માટે મુસલમાન થવા પણ તૈયાર છે.

કોંગીનું ત્રીજું ભક્ષ્ય હતું કેશુભાઈ પટેલ.

કોંગીએ સંકરશીંગને (લાંબી ધારે) દુગ્ધપાન નો વાયદો કરેલ. સંકરશીંગ વાઘેલાએ પહેલાં તો પોતાનું પપુડું વગાડેલ કેશુભાઈને ગબડાવેલ. પછી અસ્તિત્વ ટકાવવા તેઓ કોંગીમાં ભળ્યા. કોંગીએ સંકરશીંગને કેટલું દુગ્ધપાન કરાવ્યું તે આપણે જાણતા નથી.
બીજેપીના પ્રભારી નરેન્દ્ર મોદીએ બીજેપીને જીતાડી કેશુભાઈને પૂનર્ સ્થાપિત કરેલ.
પણ જણનારીમાં જોર ન હોય તો સુયાણી બિચારી શું કરે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપી હારવા માંડી. હદ તો ત્યારે થઈ કે ૧૯૭૫માં ઈન્દિરાઈ કટોકટીમાં પણ અમદાવાદની મ્યુનીસીપાલીટીની ચૂંટણીમાં જનતાપાર્ટી જીતી હતી અને કોંગી હારી હતી, તે અમદાવાદની ચૂંટણી ૨૦૦૦માં કોંગી જીતી ગઈ અને બીજેપી હારી ગઈ.

કોંગીનું ચોથું ભક્ષ્ય છે આનંદીબેન પટેલઃ

કોંગી જ્યારે ક્યારેય પણ બહુમતિ ન આવે ત્યારે બીજા પક્ષોનો સાથ લે છે. કેરાલાની સામ્યવાદી સરકારને હરાવવા માટે કોંગીએ ઘોર કોમવાદી મુસ્લિમ લીગની સાથે ૧૯૫૮-૫૯માં જોડાણ કરેલ.
કોંગી માટે જો આવું શક્ય ન હોય તો તે “ચરણશીંગ” ની તલાશ કરે છે. ગુજરાતમાં તો ૧૯૭૬માં ચિમનભાઈ પટેલ હાથવગા હતા. લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપવાની જરુર ન હતી. કટોકટીમાં તો ડંડો જ પૂરતો હતો.

કોંગીએ ૧૯૭૯માં ચરણસીંગને લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપી. ચરણ સીંગે મોરારજી દેસાઈ ની સરકારને ગબડાવી. તે પછી તો ઇન્દિરાએ ભીંદરાનવાલે ને તેવીજ લાલચ આપીને પંજાબમાં મોટાભા બનાવેલ. પણ એમાં થોડી ચૂક થઈ ગઈ અને કોંગ-માઈએ જાન થી હાથ ધોયા.

લાંબી ધારે દુગ્ધપાનની લાલચના મૂળ ઉંડા છે. તે કંઈ ફક્ત સરકારો ઉથલાવવા માટે જ નથી. મત માટે પણ છે. કોંગી માઈએ તેનો ઉપયોગ અનામત માટે ઘણો જ કરેલ છે.

સૌ પ્રથમ તો અનામત ફક્ત અંત્યજો-અસ્પૃશ્યો માટે જ હતી. કારણ કે જેઓ સ્પર્શ માટે પણ લાયક ન હોય તે આર્થિક રીતે કેવી રીતે ઉંચે આવી શકે? એટલે તેમને માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. પણ પછી કોંગીએ જમને પેધો પાડ્યો.

જેને જેને એમ લાગતું હોય કે પોતે પછાત છે તેઓ સૌ કોઈ આવેદન આપે. એમ કરતાં કરતાં બ્રાહ્મણ ક્ષત્રીય અને વૈશ્ય સિવાય બધા અનામતમાં આવવા લાગ્યા. છેલ્લે છેલ્લે વિશ્વકર્માના સંતાનો(જેઓ વાસ્તવમાં બ્રાહ્મણ હતા પણ ભણતા નહીં અને બાપિકો ધંધો ચલાવતા)નો નંબર પણ લાગી ગયો. જેઓ ખેતી કરતા તેઓ વૈશ્ય હતા પણ વેપારને બદલે ઉત્પાદન કરતા તેઓ પાટીદાર કહેવાય. તેઓ ભણવા પણ લાગ્યા અને વેપાર પણ કરવા લાગ્યા.

કોંગીની દાઢ સળકી

કોંગીને રાજસ્થાનના અનુભવે જ્ઞાન લાધ્યું કે તોફાનો કરીને, બસો સળગાવીને, રેલ્વે વ્યવહાર ખોરવીને, બસસ્ટેન્ડોને સળગાવીને, રેલ્વેના પાટા ઉખેડીને અને જાહેરજીવન અસ્તવ્યસ્ત કરીને, સરકારોને ઉથલાવી શકાય છે તો પછી ચરણશીંગને શોધવાની પ્રક્રિયા ચાલુ રાખીને પણ, કોઈ કોમ્યુનીટીને (લાંબી ધારે) દુગ્ધપાનની લાલચ કેમ ન આપવી. એવું પણ બને કે આમ કરતાં કરતાં પણ કોઈ ચરણશીંગ હાથ લાગી પણ જાય.

જો કે હજુ સુધી ગુજરાતમાં કે કેન્દ્રમાં કોંગીને કોઈ ચરણશીંગ હાથ લાગ્યા નથી. એ વાત પછી ક્યારેક કરીશું.

કોંગી માટે એક બીજી પણ મુશ્કેલી છે કે કોંગી અત્યારે બારાજા* છે. દુગ્ધ કન્ટેઈનર એટ્રેક્ટીવ નથી. શરીર સંપત્તિમાં શરીરની અંદર(ચરબી=કાળું લાલ નાણું)ની સંપત્તિની કોઈ ખોટ નથી. શરીરની અંદરની સંપત્તિ કંઈ થોડી અપાય છે? આપણે કંઈ શિબિરાજાના વંશજ નથી.

દુગ્ધપાન એ દુગ્ધપાન છે. લાંબી ધારનું હોય કે ટૂંકી ધારનું (ટૂંકી ધારનું ઔરસ માટે હોય છે) હોય. પણ કોંગી માને છે કે દુગ્ધપાન ની લાલચ તો આપી જ શકાય. આપણું દુગ્ધ કંટેનર કેટલું એટ્રેક્ટીવ છે અને દુગ્ધથી ફાટ ફાટ થાય છે કે નહીં તેની બીજાને ક્યાં ખબર છે? દુગ્ધપાન ભવિષ્યમાં કેવીરીતે કરાવશું, કરાવશું કે નહીં તે પણ આપણી મુનસફ્ફીની વાત છે. જીભ સાબદી તો ઉત્તર ઝાઝા. અને “ધરાર ખોટું બોલવું”નો આપણને ક્યાં આભડછેટ છે? (અનામતના) લોભીયા હોય ત્યાં ધૂતારા પણ હોય.

શિરીષ મોહનલાલ દવે

*  શુષ્ક પ્રલંબિતસ્તના. વસુકી (મોનો પોઝ) જવાની તૈયારી !!

ઝવેરચંદ મેઘાણીની કોઈ વાર્તામાંથી અધિગત થયેલો શબ્દ છે.

ટેગ્ઝઃ લાંબી ધારે, દુગ્ધપાન, નહેરુવીયન, નહેરુ, કોંગ્રેસ, કોંગી, ઇન્દિરા, અનામતીયા, પાટીદાર, બલુન, સુરુચિ ભંગ, કેશુભાઈ, સંકર, શીંગ, ઘેલા, બા, રાહુ, ચેપ, ભક્ષ્ય, નવનિર્માણ, સમાજવાદ, ફેશન, જુથ, સંગઠન, ગાંધીજી, તેજીને ટકોરો, મુઠ્ઠી ઉંચેરા માનવી, સરદાર પટેલ, આનંદીબેન પટેલ, ચિમનભાઈ

Read Full Post »

નહેરુવીયન ગીતાની અસર

ગુજરાતને કેન્દ્ર સરકારનો હડહડતો અન્યાય અને કોંગીનું સ્પષ્ટી કરણ

આમ તો ગુજરાતની પ્રજા પોતાને થતા અન્યાયો વિષે માહિતગાર છે. સમાચાર માધ્યમોમાં ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા થતા અન્યાયો વિષે થતી જાહેરાતો આવે છે. નહેરુવીયન કોંગ્રેસ દ્વારા થતા સ્પષ્ટી કરણો પણા આવે છે. પ્રતિ આક્ષેપોની જાહેરાતો પણ થતી જોવામાં આવે છે.

ગુજરાતની પ્રજા, અન્યાય સ્વરુપી થપ્પડો ખાતી આવી છે. પણ નરેન્દ્ર મોદી હવે તેની જાહેરાત કરે છે. આ જાહેરાત રુપી થપ્પડો નહેરુવીયન કોંગ્રેસ અને ખાસકરીને ગુજ્જુ કોંગીઓને બરાબરની વાગી હોય તેવું લાગે છે.

અન્યાય રુપી થપ્પડો તો કોંગી જ મારતી આવી છે પણ તે અવળવાણીમાં એમ કહે છે કે થપ્પડ મારવી તેના સંસ્કારમાં નથી. ૧૯૭૫-૧૯૭૭ સુધીની કટોકટી આમ તો થપ્પડોથી પણ વધુ હિંસક હતી.

અન્યાય રુપી થપ્પડોના એપીસોડની મૂળવાત ઉપર આવીએ. જે પ્રકારનું અને જે અદાથી કોંગીનું સ્પષ્ટી કરણ જોવા મળે છે તે જોતાં, ગુજરાતને થયેલા કે દેશને થયેલા જે અન્યાયો કે વાયદાઓ હજી જાહેર પ્રચારમાં આવ્યા નથી તે જો જાહેર કરવામાં આવે તો નહેરુવીયન કોંગ્રેસ તેની સામે શું જવાબ આપશે તે સ્ટાઈલ આપણે જોઇએ.

અન્યાયો અને ઉત્તરોઃ

અન્યાય નંબર -૧.   

ભાવનગર તારાપુર રેલ્વે લાઈનઃ આ રેલ્વે લાઈનનું વચન ૧૯૫૨માં આપવામાં આવેલ. ૧૯૫૪ના અરસામાં એવા પણ સમાચાર આવેલ કે પાટાની સ્લીપરોના ટેન્ડરો પણ તૈયાર થઈ ગયેલ. આ પ્રોજેક્ટ આજની તારીખ સુધી વિલંબિત છે. આ રેલ્વે લાઈનથી મુંબઈ અને ભાવનગર વચ્ચેનું અંતર ૩૫૦ કીલોમીટર જેટલું ઘટી જાય. આ પ્રોજેક્ટ ૬૦ વર્ષથી અકારણ જ ઘોંચમાં પાડ્યો છે.

નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ આવો કોઈ હડહડતો અન્યાય થયો નથી. અને તેમાં કશું વજુદ નથી. ભાવનગર ને એક જ નહીં બબ્બે રેલ્વે સ્ટેશનો છે. અને બંને સ્ટેશને ગાડીઓ અને માલગાડીઓ આવે છે અને ઉભી પણ રહે છે. ગાડીઓ વિષેની માહિતીઓ “સમય સારણી”ના બોર્ડ ઉપર જણાવેલી જ છે. વળી ભાવનગરથી વાંઈન્દ્રા (બાંદરા), એક ગાડી રોજ જાય છે અને તેવી જ રીતે બાંદ્રા (વાંઈન્દ્રા) થી ભાવનગર પણ એક ગાડી રોજ જાય છે. આ ગાડી આણંદ અને નડીયાદ એમ બંને સ્ટેશને ઉભી રાખવાની વાત વિષે કોઈ માગણી થઈ નથી. આણંદથી કે નડીયાદથી તારાપુર જઈ શકાય છે. ટ્રેનમાં જવાની પણ સગવડ થઈ શકે છે.

અન્યાય નંબર – ૨.

ભાવનગરનો મશીન ટુલ્સ પ્રોજેક્ટઃ ૧૯૫૪ના અરસામાં દેશ માટે જાહેરક્ષેત્રના ચાર મશીન ટુલ્સના કારખાના મંજુર થયેલ. તેનું મુખ્ય કારખાનું ભાવનગરમાં નાખવાનું હતું. અને સબ્સીડીયરી ત્રણ કારખાના બીજે નાખવાના હતા. આ સબ્સીડીયરી કારખાના તો ૧૯૬૦-૬૮માં ચાલુ પણ થઈ ગયેલ. ભાવનગરના કારખાનાનું હજુ પણ ઠેકાણું નથી.

નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ મશીન ટુલ્સ એ માળખાકીય પ્રગતિ માટે નું એક અતિ મહત્વનું અંગ છે. જમીનના નવીનીકરણ અને રસ્તાઓના બંધકામ જ નહીં પણ કોઈપણ પ્રકારના બાંધકામમાં મશીન ટુલ્સ બહુ મહત્વના છે. રાજકોટમાં ૩૬૪૨૧ વીજળીની મોટરોના કારખાના છે અને વડોદરામાં ૪૨૧૨૨ ડીઝલ એન્જીનોના કારખાના છે. આ બંને મશીનો ખેતીના સીંચાઈના કામમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. ભારત અર્થ મુવર્સ અને ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ, મશીન જ નહીં ટ્રાન્સ્ફોર્મર્સ અને હજારો હોર્સ પાવરના મોટરો અને મશીઓ દેશમાટે બનાવે છે. આ બધાનો ગુજરાત ની નરેન્દ્ર મોદીની સરકારે કેટલો લાભ લીધો તેનો દસ વર્ષનો હિસાબ આપે.

અન્યાય નંબર – ૩.

પશ્ચિમ રેલ્વેનું વડું મથકઃ પશ્ચિમ ઝોનની ૯૦ ટકા રેલ્વે લાઈનો ગુજરાતમાં આવેલી છે. રેલ્વેનું રાષ્ટ્રીય કરણ થયું ત્યારથી, વડું મથક ગુજરાતમાં રાખવાની માગણી છે. પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયાં નથી.

નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ અમારી સરકાર આમ જનતા ના હિત માટે પ્રતિબદ્ધ છે. પશ્ચિમ ઝોનના વડા મથકને ગુજરાતમાં ખસેડવા માટે ની માગણી છે તે અમારા ધ્યાનમાં છે. જોકે ૯૦ ટકા લાઈનો ગુજરાતમાં છે તે વાત ભ્રામક છે. કારણ કે જે લાઈનો બંધ છે અને ઉખેડી નાખવામાં આવી છે તેને ગણત્રીમાં લેવાની કોઈ પ્રણાલી નથી કે એવી કોઈ જોગવાઈ કરી શકાય નહીં. જેમકે ભાવનગર – મહુવા જે ૧૦૦+ કીલોમીટર છે જે (પેસેન્જરોના અભાવે) ગીરાકીના અભાવે, પોષણક્ષમ ન હતી. આવી તો અનેક લાઈનો હતી જે બંધ થઈ છે. એટલે ગણત્રી બરાબર નથી. ભાવનગરને વિમાન મથક છે. અમદાવાદના વિમાન મથકનું આધુનીકરણ પુરું થવાની તૈયારીમાં છે. વળી આંતરરાષ્ટ્રીય વિમાન મથકનો પણ આમાં સમાવેશ થાય છે. મથકોની બાબતમાં ગુજરાતને કોઈ અન્યાય થયો નથી. નરેન્દ્ર મોદીએ છેલ્લા દશવર્ષમાં કેટલા બસ મથકો કર્યા તેનો હિસાબ આપે.

જનરલઃ આવા તો અનેક અન્યાયો વિષે જેમકે બોમ્બે હાઈ ઓએનજીસી, તાતા મીઠાપુર બહુયામી પ્રોજેક્ટ, કોસ્ટલ લાઇન, વિગેરે અનેકાનેક વિષે લખી શકાય અને તેના નહેરુવીયન સ્ટાઇલ જવાબો પણ કોંગી પાસે હોય છે.

શિરીષ મોહનલાલ દવે

તા.ક. કાર્ટુનીસ્ટભાઈનો આભાર

Read Full Post »

 બિલ્ડરાય નમઃ, ભૂમિતસ્કરાય નમઃ દબાણકર્ત્રે નમઃ

આ બ્લોગ ના અનુસંધાનમાં   https://treenetram.wordpress.com/2012/03/08/%E0%AA%98%E0%AA%A1%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/

and 

https://treenetram.wordpress.com/2010/10/16/%E0%AA%B8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%97%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87-%E0%AA%95/

    વાંચવો.

અમેરિકન નાગરિક સ્ત્રી નો કિસ્સો:

સરકારી કર્મચારીઓ કોણ કોણ છે? કો ઓપરેટીવ સોસાઈટીઓના રજીસ્ટ્રાર છે, સચીવો છે, કમિશ્નરો છે, મામલતદારો છે, કલેક્ટરો છે, પોલીસ અધિકારીઓ છે, પ્રધાનો છે, અને કંઈક અંશે ન્યાયધીશો પણ છે.

હમણાં એક કિસ્સો બહુ ચમક્યો છે. ખાસ કરીને દિવ્યભાસ્કરમાં, જે એક ભારતીય મૂળની અમેરિકન નાગરિક સ્ત્રીને પોલીસ અને બીજાઓ દ્વારા હેરાન પરેશાન કરી નાખી તેને લગતો છે.

આ સ્ત્રી, પોતાના સ્વર્ગસ્થ પિતાજીની જમીન વેચવા ભારત આવેલી. હવે આ બેનને કેવા હેરાન કરવામાં આવ્યા તેની આખી વાત તારીખ ૧૫મી જુલાઈ ૨૦૧૨ ના દિવ્યભાસ્કરમાં લખેલી છે. આમ તો આપણા દિવ્યભાસ્કર ભાઈ અને કોંગી ભાઇઓ કોઈ પણ વાતને રાજકીય રંગ આપવામાં પાવરધા છે. એટલે સૌ પ્રથમ સવાલ એ ઉભો થયો કે હજી આમાં આપણી નરેન્દ્રભાઈની સરકારને સંડોવવામાં આવી કેમ નથી? પણ બીજે દિવસે એટલે કે આજે તારીખ ૧૬-૦૭-૨૦૧૨ ના અંકમાં દિવ્યભાસ્કરભાઈએ આ ખોટ પૂરી કરી.

શું આપણા દિવ્યભાસ્કરભાઈએ મોટી મોથ મારી છે? શું તેઓ પ્રશંસાને પાત્ર બની ગયા છે?

મોટી મોથ તો ન મારી કહેવાય. “ગુજરાત સમાચાર” જે “દિવ્યભાસ્કર”નું પ્રતિસ્પર્ધી ગણાય, તે અંદર સંડોવાયું હોય તો દિવ્યભાસ્કર ભાઈ મૂંગા રહે તે અસંભવ જ હોય. આ વાત યોગ્ય પણ ગણાય છે.

નરેન્દ્રભાઈ મોદી જેવા ની પાછળ આદુખાઈને પ્રમાણ ભાન રાખ્યા વગર તેમને બદનામ કરનાર, ગુજરાત સમાચારભાઈ બદનામ થાય તે પણ યોગ્ય જ ગણાય છે. જો કે દિવ્યભાસ્કર ભાઈ પણ નરેન્દ્રભાઈ મોદીની બદબોઈ કરવામાં ગુજરાત સમાચારની સ્પર્ધા કરે છે. બંને દુશ્મનો આ વાતમાં એક છે તે કંઈ સંશોધનનો વિષય નથી. આખા દેશના અને ગુજરાતના લોકો તો ચોક્કસ જ જાણી ચૂક્યા છે કે ખોટ પૂરી કરવા કે આગળ વધવા અખબારી ભાઈઓ જાતજાતના અશુદ્ધ ધંધાઓ અપનાવે છે.

જો સરકારી નોકરો, કોઈની મુસીબતનો કે મર્યાદાનો કે લાચારીનો ગેરલાભ ઉઠાવી પૈસા કમાઈ શકતા હોય તો અખબારી ભાઈઓ પણ કંઈ પાછા પડે તેવા નથી. અખબારી ભાઈઓ છઠ્ઠી જાગીરના ધણી કહેવાય છે. એટલે “પેઈડ ન્યુઝ એટલે કે પૈસા આપો અને સમાચાર છપાવો અથવા છપાનારા સમાચારો અટકાવો.” એ તો એમનો કાયમી ધંધો છે. પણ આ સગવડ હાથ વગી હોય ત્યારે બીજા ધંધા પણ કરી શકાય છે. આમાંના કેટલાક ધંધામાં બિલ્ડર, જમીન દલાલ, મિલ્કત ભાડે આપવા માટેના દલાલ, ભાડે આપેલી મિલ્કતને લોચામાં નાખનારા દલાલ, મિલ્કત ખાલી કરાવાના કામના દલાલ, મિલ્કતને કે જમીનને લોચાવાળી કરનારના કામના દલાલ, લોચાવાળી મિલ્કતને ખરીદ-વેચના દલાલ. દબાણ અને ગેરકાયદેસર બાંધકામ પણ આવા કામનો એક હિસ્સો જ. તમે એક દુર્ગુણ હસ્તગત કરો અને તેને તાબે થાઓ એટલે પછી બીજા બધા દુર્ગુણો તમારો કબજો કરે જ.

અમેરિકન બેનનો એવો તે કયો ગુનો

એક વાત સમજમાં આવતી નથી કે અમેરિકન બેનને દિવસો સુધી કયા આરોપસર પકડી રાખેલ? દિવ્યભાસ્કરે પણ એ વાતનો ફોડ પાડ્યો નથી. ત્રણ ત્રણ અઠવાડીયાઓ સુધી, ધરપકડમાં રાખવા પડે અને એટલે એવી તે કેવી પૃચ્છાઓ કરવી પડી કે જેથી કરીને આટલો બધો સમય લાગ્યો?      એવો તે કેવો ગુનો એ બહેને કર્યો છે કે ત્રણ ત્રણ અઠવાડીયાઓ સુધીની હિરાસતની મંજુરી ન્યાયાલયે આપી! અમેરિકન બેન કે જે પોતાના સ્વર્ગસ્થ પિતાજીની જમીન વેચવા આવેલા તેઓ  એવી તો હેસીયત ધરાવી ન જ શકે કે જેને માટે તેમને ત્રણ ત્રણ અઠવાડીયા સુધી ધરપકડમાં રહેવું પડે!

આપણા પત્રકારભાઈઓ, બીજેપી અને નરેન્દ્રમોદીને લગતી અઘ્યાપાદ્યાની વાતો પણ જાણતા હોય છે કે ચગાવતા હોય છે. તેમને માટે અમેરિકન બેન ઉપર પોલીસે ક્યા આરોપો લગાવ્યા, કેવીરીતે લગાવ્યા અને કયા આધારે લગાવ્યા? આ આધારો ક્યાંથી અધિગત થયા તે સર્વ બાબતો પત્રકારભાઈ ઓ ન જાણતા હોય તે અશક્ય છે. છતાં પણ પત્રકારભાઈઓ મારફત આ સઘળી હકિકતો ઉપર સંપૂર્ણ ઢાંક પીછોડો કરવામાં આવે છે તે બાબત જ દર્શાવે છે કે આખી માયાજાળ અને પ્રપંચમાં પત્રકારભાઈઓ, પોલીસો, અખબારના માલિકો, જમીન માફીયાઓ, બિલ્ડરો, ન્યાયતંત્ર અને રાજકારણીઓની વચ્ચે  પૂર્વ સમજુતિ થયેલ છે અને તે પ્રમાણે સમાચારોને પ્રસિદ્ધ કરાય છે.

આમાં કોણ જેલમાં જશે અને કોણ નહીં જાય અને કેવીરીતે કડદાઓ થશે તે કોઈ કહી શકશે નહીં.  પણ જનતા જાણે છે કે જે નિર્દોષ છે તે આ સહિયારા ગુન્હાઈત આચારમાં સહન કરશે જ. જમીન માફિયા અને તેમના હિતેચ્છુઓનો વાળ વાંકો નહીં થાય.

યાદ કરો

બિલ્ડર ભાઈઓએ ગેરકાનુની બાંધકામ વ્યાપકરીતે કર્યા અને ઉઘાડે છોગ કર્યા. મ્યુનીસીપાલીટીના અધિકારીઓએ ખુલ્લેઆમ બેદરાકરી કરી અને તે બદલામાં ઘી કેળા ખાધાં. બિલ્ડરભાઈઓએ અનધિકૃત બાંધકામ વેચી દીધાં. દાખલા તરીકે ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ જે રહેવાસીઓ અને મુલાકાતીઓના પાર્કીંગ માટે છે તેમના હક્કો ડૂબ્યા અને કહોકે ડૂબાડવામાં આવ્યા. ખરીદનારાઓને છેતરવામાં આવ્યા. આ ઉપરાંત બિલ્ડરોએ ૫૦ ટકા બ્લેક ના પૈસા સૌની પાસેથી લીધા. બધું જ ઉઘાડે છોગ થયું. અને છતાં ઈન્કમટેક્સ કમીશ્નર, મ્યુનીસીપલ કમીશ્નર, રજીસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાઈટી, લેબર કમીશ્નર, લૉઑફીસર, પોલીસ કમીશ્નર, ટ્રાફીક ઓફીસર, માનવ અધિકારવાદીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો અને લોન આપનારી બેંકોના મેનેજરો સહિત બધા જ ખુલ્લી આંખે અજાણ્યા બન્યા. ટીવી ચેનલોમાં કોઈ માઈનો લાલ ન નિકળ્યો કે જે છૂપા કેમેરાથી બધાનો પર્દાફાશ કરે. સૌ કોઈ બિલ્ડર અને જમીન માફીયાઓને દંડિત કરવાને બદલે જેઓ છેતરાયા છે, જેઓ ના હક્ક ડૂબાડવામાં આવ્યા છે તેમને દંડ કરવા માટેના નિરાકરણની વાતો લઈને આવ્યા.

બિલ્ડરોનું સૌપ્રથમ તો લાયસન્સ રદ કરવું જોઇએ. તેમની મિલ્કત જપ્ત કરવી જોઇએ. તેમની ઉપર જ માત્ર  ઈમ્પેક્ટ ફી જ નહીં પણ જ્યાં સુધી સહન કરનારાઓના હક્ક પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી બિલ્ડરો પાસેથી ઈમ્પેક્ટ ટેક્સ વસુલ કરવો જોઇએ. ઉપર જણાવ્યા પ્રમાણેના બધા જ સરકારી હોદ્દેદારોને સસ્પેન્ડ કરવા જોઇએ. તેમના લાગતા વળગતા સ્ટાફને પણ સસ્પેન્ડ કરવો જોઇએ. જે ગુનાઓ જાણી જોઇએને કરવામાં આવ્યા હોય અને વ્યાપક રીતે થયા હોય તેવા ગુનાઓ સામે તો આંખ મીંચામણા કરી જ ન શકાય.

બિલ્ડરો અને જમીન માફીયાઓ હમેશા ભળેલા જ હોય છે. હવે તેમાં સમાચાર માધ્યમ વાળા પણ ભળ્યા. જોકે તેઓ ભળેલા જ હતા. આ તો હવે તેઓ છાપે  ચડ્યા. સમાચાર માધ્યમના માલિકો કે ખબરપત્રીઓ અને ગુન્ડાઓ વાસ્તવમાં એક જ કક્ષાના ડાકુઓ છે. જમીન, દબાણ, અને ભાડવાત વાળી મિલ્કત એ બાબતને લગતા કેસો ને ચલાવવાની પ્રણાલી, નહેરુવીયન કોંગ્રેસે એવી સર્જી છે અને એવી ચલાવી છે કે તેમની કિમત અનુસાર દેશમાં દાઉદો અને શેરીઓમાં ટપોરીઓ પેદા થાય.

કેટલાના ભોગ લીધા?

જમીન માફીયાઓએ કેટલાના ભોગ લીધા?

બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ કરી ટ્રાફીક સમસ્યાઓ ઉભી કરી કેટલાના ભોગ લીધા?

મ્યુનીસીપલ કમીશ્નરે ગેરકાયદેસર કામકાજો થવા દઈ કેટલાના ભોગ લીધા?

નહેરુએ રેન્ટએક્ટ અને ક્ષતિયુક્ત ન્યાય પ્રણાલી ચાલુ રાખી કેટલા ભોગ લીધા?

આપણા ગુજ્જુ અને આંદોલનપ્રિય એવા કોંગી ભાઇઓ, છાસવારે વિવાદાસ્પદ અને બનાવટી બાબતો ઉપર આંદોલનો કરશે, ગુજ્જુ અખબાર નવીશો, બીજેપીની ઓફીસ પાસે બે સ્કુટર ઓછા પર્ક થશે કે કદાચ ન પણ થાય તો પણ ખૂબ જ ઓછા સ્કુટર પાર્ક થાય છે તેમ છાપી બીજેપી હવે ગભરાઇ ગયું છે અને નિસ્ક્રીય થઈ ગયું છે તેવા સમાચારો આપશે. પણ બિલ્ડર અને જમીન માફીયા આ અખબારનવીશો પોતે હોય કે ન હોય તો પણ, બિલ્ડર કે જમીન માફીયાનો વાળ વાંકો થાય તેવું કશું લખશે નહીં.

ચમત્કતિઃ

અમારા ભાવનગરના શ્યામસુંદર ભાઈએ એક વાત કરેલી,

એક મુરતીયા ભાઈ કન્યા જોવા ગયા. ભાઈ જરા ભોળા હતા. કન્યાના પિતાએ પૂછ્યું; “કોઈ વ્યસન ખરું તમને?”

મુરતીયા ભાઈએ જવાબ આપ્યો; “આમ તો ખાસ કંઈ નહીં, પણ આ જરા એલચી ખાવાની ટેવ ખરી.”

“કેમ?”

“આ બીડી પીધી હોય એટલે મોઢું જરા વાસ ન મારે એટલે એલચી ખાવી પડે”

“એટલે તમે બીડી પણ પીવો છો?”

“ના રે. આમ તો મને એવી કશી ટેવ જ ન હતી. પણ આ દોસ્તારો સાથે તીન પત્તી રમતા રમતાં એક બે ફૂંક મારવાનો આગ્રહ કરે તો શું કરું?    આમ તો શરુઆતમાં મને ઉધરસ પણ આવી જતી. પણ સાહેબ, પછી તો ફસક્લાસ રીતે ગોળ ગોળ રીંગો વાળા ધુમાડા કાઢતો થઈ ગયો.”

“એટલે કે તમે તીન પત્તી પણ રમો છો?”

“ના રે. આમ તો મને પાના ટીપતાં પણ આવડતા ન હતા. એક બે ચીપ મારું એમાં તો પાના લસરી પડતા હતા. પણ જેલમાં ગયો એટલે ભાઈ બધો સાથે રહીને બરાબર શીખી ગયો.

“એટલે તમે જેલ પણ જઈ આવ્યા છો?”

“નારે આમ તો હું જેલમાં ન જાત. પણ જે વેશ્યા હતી ત્યાં પોલીસનો દરોડો પડ્યો.  એમા હું પકડાઈ ગયો.”

“એટલે તમે વેશ્યાવાડે પણ જાઓ છો?”

“ના રે. હું શું કામ વેશ્યા વાડે જાઉં, પણ આ તો ચોરી કરી હોય તો જે કમાણી થાય તેમાંથી વાપરવા  થોડા વાપરવા તો જોઇએ ને.”

“એટલે તમે ચોરી પણ કરો છો?”

“ના રે. હું શું કામ ચોરીઓ કરું. પણ આ જુગાર રમવામાં પૈસા હારી જઈએ એટલે દેવું થઈ જાય. તેને ભરપાઈ કરવા ચોરી કરવી પડે. બાકી આપણે તો ચોરીના પૈસા ગોમાંસ બરાબર છે.”

“એટલે ટૂંકમાં તમે જુગાર રમો છો, વેશ્યાવાડે જાઓ છો, અને પકડાઈને જેલમાં પણ જાઓ છો?”

“નારે હું શેનો જેલમાં જાઉં. જે હવાલદાર મને પકડવા આવેલો તેનો તો મેં ફેંટ મારીને પછાડી દીધેલો અને પછી ભાગેલો. પણ સામેથી ફોજદાર આવેલો અને એણે મને પાડી દીધો. આમ તો એને પણ હું પહોંચી વળત, પણ માળો ઈન્સ્પેક્ટર પણ સાથે હતો. એટલે એ બે જણ થયા. અને હું એકલો. એ લોકો બે ને બદલે એક જ હોત તો તો હું ફોજદારને તો અધમૂઆ કરી નાખતે … હા..”

“એટલે કે તમે મારામારી પણ કરો છો…. બધી વાતે પૂરા છો.”

“આ બધું એલચીની વાંહેવાંહે હાલ્યુ આવે છે…”

શિરીષ મોહનલાલ દવે

ટેગ્સઃ બિલ્ડર, જમીન માફીયા, અખબારો, પત્રકારો, કમિશ્નરો, અફસરો, બીજેપી, કોંગી, આંદોલન પ્રિય, ગુજ્જુ

 

Read Full Post »

 

KHADI AND COTTAGE INDUSTRIES : SOLUTION OF ALL PROBLEMS

KHADI AND COTTAGE INDUSTRIES : SOLUTION OF ALL PROBLEMS

“આંધળાઓ અને હાથી”  બહુ જુની રમુજી વાર્તા છે. અને પુનરાવર્તનની જરુર નથી.

સ્વામી સચ્ચીદાનંદ નો અંધશ્રદ્ધા ઉપરનો પૂણ્ય પ્રકોપ પ્રસંશનીય છે.

પણ તેમની વાતો કંઈક અંશે આંધળાઓના હાથીના આકાર ઉપરના ખ્યાલો સાથે સરખાવી શકાય.

ભારતનું પછાતપણું એક હાથી છે.અને સુજ્ઞલોકો આંધળા ન હોવા છતાં પણ જાણે અજાણે આંધળાની જેમ વર્તે છે.
  
મહાત્મા ગાંધી શિવાય ભાગ્યેજ કોઈ ભારતના પછાતપણાના હાર્દને   ને સમજી શક્યું છે.
નિરક્ષરતા, બેકારી અને ગરીબાઈ એ પછાતપણા માટે કારણભૂત છે.
નિરક્ષરતા નાબુદ થશે તો મનુષ્યમાં કામકરવાની ક્ષમતા આવશે.
ગાંધીજીએ તે માટે ગૃહ ઉદ્યોગો અને ખાસ કરીને કાંતણ, વણાટ અને ખાદીને સ્વિકારવાની વાત કરેલી અને તેમાટે તેમણે નેટવર્ક પણ આપેલું.
  
જ્યારે ગાંધીજી સામે બદલતા વિશ્વની અને ટેક્નોલોજીના સંદર્ભમાં ખાદી કેટલી સુસંગત છે … એવી  વાતો આવતી ત્યારે તેમનો જવાબ હતો કે “મારી સામે મારા દેશના ગરીબ માણસો છે. તમે તેમના હાથને શું કામ આપી શકશો? જો હજારને રોજી આપીને તમે એકલાખને બેકાર કરી શકતા હો તો તે ટેક્નોલોજીમાં માનવીયપણું કેટલું?”.
  
ટૂંકમાં ગાંધીજીની વાત એપ્રોપ્રીએટ ટેક્નોલોજીની હતી.
મોટે ભાગે ગાંધીજીને યોગ્ય રીતે સમજવામાં આવતા નથી. અને તેમને યંત્રના વિરોધી તરીકે ચિત્રિત કરવામાં આવે છે. અને આમાં ભલભલા મૂર્ધન્યો અને મહારથીઓ સામેલ છે. મારા ખ્યાલ પ્રમાણે આચાર્ય રજનીશ અને સ્વામી સચ્ચીદાનંદ પણ સામેલ છે.
મોરારજી દેસાઈની સરકારે ખાદીને પ્રાથમિકતા આપવાની વાત કરેલી. અને સરકારી ઓફીસોમાં અને ગણવેશોમાં ખાદીને સ્વિકારવાના પરિપત્રો મોકલવામાં આવ્યા હતા.
ખાદીના ઉત્પાદનમાં અને વિતરણમાં વૃદ્ધિ થઇ હતી. પણ તે યોગ્ય રીતે સ્વિકૃત થઇ નહતી.
ઘણી ઓફીસોએ “અમે વિજાણુ ઉપકરણો વાપરીએ છીએ એટલે ખાદીના રેસાઓ અમારા ઉપકરણોને નુકશાન કરી શકે છે એટલે અમે તે પૂરતો ખાદીનો ઉપયોગ નહીં કરીએ અને મીલનું કાપડ વાપરીશું.” એવી ‘નોટ’ સાથે મીલનું કાપડ પડદા અને ગાઉન, એપ્રન માટે વાપરતા. (જો કે એક અધિકારીએ કહ્યું  કે હું ખાદીના કપડાં જ પહેરું છું અને બીજા કપડાં પહેરતો નથી. અને ખાદીમાં પણ પૉલી વસ્ત્ર આવે છે. તેનો જ એપ્રન પહેરીશ. અને તેને મૌખિક મંજુરી આપવામાં આવેલી.)
ઈન્દીરા ગાંધીની કોંગ્રેસના માણસો તો ખાદીમાં માનતાજ નથી. આરએસએસ વાળને મેં એમ કહેતા સંભળ્યા છે કે “ખાદીમાં હવે ‘ભાવના’ જ ક્યાં રહી છે.” હવે તેમનો આ ‘ભાવના’ શબ્દનો અર્થ તેઓ શું કરે છે અને તે તેમને ખાદી પહેરતાં કેવી રીતે રોકી શકે છે તે સંશોધનનો વિષય છે.
“એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં તમારે લોકોને રેંટીયો લઈને કાંતાવવું છે અને હાથશાળથી ખાદીનું કાપડ બનાવવું છે? તમે યાર કયા યુગમાં જીવો છો?”
આવું અને આવી મતલબનું સાંભળવા બહુ મળે છે. અને સચ્ચીદાનંદજી પણ આવું જ કહેછે.
પણ હવે જુઓ; ‘જ્યારે એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં અખૂટ કુદરતી સંપત્તિ હોય છતાં ૭૦ ટકા માણસો ગરીબીની રેખામાં કેમ જીવે છે?’

ઉપરોક્ત પરિસ્થિતી એ એક હકિકત છે અને ગરીબીનો તાત્કાલિક ઉપાય ખાદી જ છે. ખાદી પહેરવાથી એસી ટ્રેનો, મર્સીડીસ ગાડીઓની ઝડપ, કે આકાશમાં ઉડતા વિમાનો અને રૉકેટો તૂટી પડવાના નથી. તો પછી માણસોને બેકાર રાખી ભૂખે શામાટે મારો છો?
  
તમે દેશમાટે થોડું ખરબચડું અને ઓછી ફેશનવાળું કાપડ પહેરશો તો કંઈ મોટો ત્યાગ તો નહીં જ કર્યો ગણાય પણ જે કંઈ નાની સાદાઈ અપનાવી હશે તે દેશની બેકારીને દૂર કરિ શકશે.
પણ દંભી સેક્યુલારીસ્ટો કરતા ખાદીના અજ્ઞાતપણે વિરોધ કરનારાઓની વાચાળતા વધુ છે.
જ્યારે મોરારજી દેસાઈની સરકારે ખાદીનો વિસ્તાર કર્યો ત્યારે મીડીયા દ્વારા એવા લેખો પ્રગટ થવા માંડેલા કે જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું થશે?  જોકે તેનો જવાબ હતો કે તે મીલના કાપડનો એક્ષ્પોર્ટ થશે અને હુંડીયામણ મળશે. તો સામે સવાલ થતો કે પણ આ હુંડીયામણના ભરાવાને તમે કરશો શું? હુંડીયામાણ કંઈ ખાવાની વસ્તુ છે?
વાસ્તવમાં ખાધેપીધે સુખી અને અર્ધદગ્ધ જ્ઞાતાઓ સમજે છે કે ગરીબી તો  ગરીબોને કોઠે પડી ગઇ છે. જેમ છે તેમ ચાલવા દો.
  
યાર! વસ્ત્રનું પણ મહત્વ છે. “પીતામ્બરં વિક્ષ્ય દદૌ સ્વ કન્યાં, ચર્માંબરં વિક્ષ્ય વિષઃ સમૂદ્રઃ” [સમુદ્રએ પીતાંબર જોઇને (વિષ્ણુને) પોતાની કન્યા આપી અને ચર્માંબરધારી (શિવ) ને વિષ આપ્યું.]
સાચેસાચ ગરીબોને ગરીબાઈ કેટલી ગોઠી ગઈ છે તે આપણે જાણતા નથી. તેઓ ગુન્હાહિત પ્રવૃત્તિમાં જલ્દી જોડાઈ શકે છે. અને રોજ હજારોની સંખ્યામાં ઉત્તરભારતમાંથી મનુષ્યો જીવતા રહેવામાટે ગુજરાતમાં અને મુંબઇમાં ઠલવાય છે અને સ્થાનિક કર્મીઓના વ્યવસાયમાં ભાગ પડાવે છે. અને શિવસેના અને એમએનએસ જેવા ને તો મતના રાજકારણમાં જ રસ હોવાથી, પરિસ્થીતિમાટે જવાબદાર કોંગીનેતાઓને ટીપવાને બદલે ઉત્તરભારતીયોને ટીપે છે. કોંગી જનોને કેમ ટીપાય? તેઓતો તેમના ભાઇઓ છે.
  
સિંહ અને કુતરામાં આ ફેર છે. સિંહને પત્થર મારો તો તે પત્થર મારનાર તરફ દોડશે. કુતરાને પત્થર મારશો તો તે પત્થર તરફ દોડશે.
બીજા મુર્ધન્યો, દેશમાં કોઈપણ જગ્યાએ જવાનો ભારતીય નાગરિકને હક્ક છે અને દેશપ્રેમની વાત કરનારાઓની  (શિવસેના અને એમએનએસ ની) સંકુચિતતા લાંછનને પાત્ર છે… વિગેરે વિગેરે… જેવી સુફીયાણી વાતો કરવામાંડે છે કારણકે તેમનો પોતાનો માખણસાથે નો રૉટલો સલામત છે.
મારા એક મિત્ર અને સહકર્મચારી શ્રી નલીનભાઇ સી. મોદી આ બધા લોકોને “ચોક્ખું ઘી” એ નામ થી ઓળખે છે.
  
આ બધા “ચોક્ખા ઘી” ને ભારતના ગરીબોની ગરીબાઈ, વ્યાપક અસંસ્કારિતા, કોંગી નેતાઓનું વોટનું રાજકારણ, કાયદાની અવગણના, સરકારી નોકરોની અનીતિના પૈસા કમાવાની વૃત્તિ વિગેરે વિગેરે સદી ગયું છે. તેથી તેઓ સમસ્યાઓનું સામાન્યી કરણ કરી આમ જનતા ઉપર દોષનો ટોપલો ઢોળી દેછે.
 
વાસ્તવમાં “ચોક્ખા ઘી” ને કશું મોળું ન ખપે. એક ગ્રામ પણ સુખ સાહ્યેબી ઓછી ન ખપે.
“ચોક્ખુ ઘી” ખાદી માટે તૈયાર નથી. “ચોક્ખું ઘી” મોટા પરિવર્તન માટે પણ તૈયાર નથી.
કોંગીને તો હેલમેટ માટે પણ વાંધો પડે છે.
લારી વાળાઓ લારીઓ ફેરવે, ગલ્લાવાળા ગલ્લા ચલાવે, ઝુંપડી વાળા ઝુંપડીમાં રહે, પાથરણાવાળા પાથરણા પાથરે, ઉકરડા ફેંદવાવાળી બાઈઓ કોથળા લઈને ભંગાર પ્લાસ્ટીક ભરે, અગરીયાઓ ખારાપાટમાં સડે, જંગલવાળા ભટકી ભટકીને જંગલની પેદાશો એકઠી કરીને સરકારી ઠેકેદારોના અને સરકારી નોકરોના ખીસ્સા ભરે અને જંગલની પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરે જેથી સુજ્ઞજનો ધરોહરની રક્ષાની વાતોના વડા કરી ગરીબોને ગરીબોની રક્ષા અને સંસ્કૃતિની અને પર્યાવરણની રક્ષા કર્યા નો ગર્વ લઈ શકે. વળી “ધા”, “તા” અને “તી” (“તી” એટલે અરુન્ધતી) દેવીઓને મીડીયામાં કવરેજ મળી શકે.
જો તમે આ ગરીબોને ભણાવશો અને ખાધે પીધે સુખી કરશો તો તેમની જંગલની સંસ્કૃતિનું  શું થશે? વનવાસીઓની, ફેરીયાઓની, મદારીઓની વિગેરે વિગેરે આપણી સંસ્કૃતિઓનું શું થશે? ભારતની ગ્રામ્ય સંસ્કૃતિનું શું થશે? માટે બધા ભલે અભણ અને ગરીબ રહે. પણ ઉપરોક્ત “ચોક્ખા ઘી”એ કદી આ ગરીબોને પૂછ્યું છે કે તેમને શું ગરીબ જ અને યાતનાભરી જીંદગી જ જીવવી છે?
 
પાથરણાવાળા, કચરો એકઠોકરવાવાળા, લારીવાળા, ગલ્લાવાળા વિગેરેનું ભવિષ્ય શું? તેમના સંતાનોના ભવિષ્યનું શું? તેમના વૃદ્ધત્વનું શું?
 
આ “ચોક્ખા ઘી” ને લાંબી, તત્વજ્ઞાનની વાતો કરવી ગમે છે, સામાન્યીકરણની વાતો કરવી ગમે છે, ગ્રામીણ સંસ્કૃતિના રક્ષણની વાતો કરવી ગમે છે. કારણકે તેમનો રૉટલો ચોક્ખા ઘી વાળો છે.
 
ખાદી કોઇને ગમતી નથી અને તેને સ્વિકારવી નથી. ગ્રામીણ સંસ્કૃતિને ટકાવવી છે. પોતાને પ્લેનમાં ઉડવું છે. પણ વનવાસીઓને, ગરીબોને અને ગ્રામીણ પ્રજાને સંસ્કૃતિના અને પર્યાવરણની ફોગટ વાતો કરી ગરીબ રાખવા છે.
 
પ્રજા જ્યારે ગાંધી માર્ગ ઉપર ચાલવા તૈયાર ન હોય તો નરેન્દ્ર મોદી ક્યાં સુધી રાહ જુએ?
 
તેથી કદાચ નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક વિકાસ અને ભણતર દ્વારા પ્રગતિ એ વાતને આગળ ધપાવી છે.
 
આ માર્ગ મહાત્મા ગાંધીના માર્ગ કરતાં લાંબો માર્ગ છે. પણ મહાત્મા ગાંધીનો માર્ગ જ્યારે કોંગી ને અને મૂર્ધન્યોને પસંદ જ ન હોય અને ૬૦ વર્ષને અંતે પણ તેઓ ”ગુ ગુ છી છી” કર્યા કરતા હોય  અને થોડાક હજાર ગરીબોને ૧૦૦ દિવસની મજુરીની રોજીની અબજોરુપીયાની જાહેરાતો આપી ને પોતાની પીઠ થાબડતા હોય અને ગર્વ લેતા હોય ત્યાં તમે મહાત્માગાંધીના માર્ગ ઉપર આ લોકો ચાલે તેની વધુ રાહ જોઈ ન શકો.
  
સારી નેતાગીરી કેટલી અસરકારક બની શકે છે તે માટે “સલ્તનત એ ઓમાન”ના સુલ્તાન કાબુસ અને ગુજરાતના નરેન્દ્ર મોદીની કામગીરી જોવી જોઇએ.
 
જ્યારે જીંદગીમાં મોડ ઉપર અનિશ્ચિતતા હોય ત્યારે અંધશ્રદ્ધા અને વહેમ ફુલે ફાલે.
 
પરીક્ષાના પરિણામ, વ્યવસાય, વ્યવસાયમાં બઢતી, પૈસાની આવક, તંદુરસ્તી, સાંસારિક સુખની સમજ એ બધું અનિશ્ચિત છે. તેને માટે વાસ્તવમાં તો મોટેભાગે દેશની ઉન્નતિની દીશા કારણભૂત છે.
તે નેતાગીરી ઉપરજ આધાર રાખે છે. પણ જો મૂર્ધન્યો માં (“ચોક્ખા ઘી” માં) સંદર્ભની સમજ અને પ્રમાણભાવનો અભાવ હોય તો સમાજ અધોગતિને જ પામે. અને તેઓ “હાથી” ને સમજવામાં ગોથાં જ ખાય.
 
શિરીષ દવે
 
મૂર્ધન્યો, ચોક્ખું ઘી, નરેન્દ્ર મોદી, નલીનભાઈ મોદી, કોંગી, ખાદી, મીલનું કાપડ, ગાંધી માર્ગ, બેકારી,
GANDHI BAPU SAYS HOW PROMPTLY YOU CAN HELP POOR

GANDHI BAPU SAYS HOW PROMPTLY YOU CAN HELP POOR

Read Full Post »

 

Raja Ram the ideal king

Rama the great in Flesh and Blood

 
અયોધ્યાને ખોદી નાખો તો અયોધ્યાની રામાયણનો રસ્તો જડશે
  
ગાંધીજીએ રામરાજ્ય ની વાત કરી પણ તે વાત નો બીજેપી લાભ ન લે તેની પાછળ કારણ હોઈ શકે.
  
કારણ કે બીજેપીમાં જે આર.એસ.એસ. વાદીઓ છે તેમાંના કેટલાક ગાંધીજીને વાંચ્યા વગર તેમને વાંકમાં લઈને પોતાનો રાષ્ટ્રપ્રેમ બતાવવાના ખ્યાલ માં હોય છે. નરેન્દ્ર મોદી આ વાત સારી  રીતે સમજે છે. એટલે તેઓ ગાંધીજીને પણ યોગ્યરીતે મહત્વ આપે છે. નરેન્દ્ર મોદીએ ગાંધીજીને કોંગી પાસે થી ખૂંચવી લીધા છે.
 
  
નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને ગાંધીજીની ફીકર નથી:
  
આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને એની ફીકર નથી. કારણકે સત્તા માટે હવે “ગાંધી” નામનું શસ્ત્ર તેમને માટે બુમરેન્ગ થાય એવું છે. ગાંધીજીના કોઈપણ સિધ્ધાંતનું ખૂન કરવામાં તે પ્રથમ ક્રમે આવે છે. તેમાં સાદગી, સત્યનો આદર (લોકશાહી), ગરીબને ખ્યાલમાં રાખીને દરેક પૈસો ખર્ચવો તે, ખાદી, દારુબંધી, ગામડાં અને શહેરોને એકબીજાને પૂરક બનાવવીને વિકાસ કરવો, વર્ગવિગ્રહ વિહીનતા, સર્વધર્મ સમભાવ ….. આવું બધું આવે. યેનકેન પ્રકારેણ સત્તા મેળવવી અને રાષ્ટ્ર ને નુકશાન થાય એ હદ પાર કરીને પણ પોતાની સત્તા જાળવી રાખવી એવા કોંગી નેતાઓને ગાંધીજીના સિદ્ધાંતો ક્યાંથી પસંદ પડે?
  
નરેન્દ્ર મોદી ગાંધીજીની વધુ નજીક છે. કોંગ્રેસ તો ક્યાંય નથી. પણ હવે એ વાત જવાદો.
 
  
રામ રાજ્યની વાત:

રામ તો એક રાજા હતા. અને ગાંધીજી તો લોકશાહીમાં માનતા હતા.
  
ગાંધીજીએ રામ રાજ્ય ની વાત શામાટે કરી?
  
  
ગાંધીજીના રામ અને ગાંધીજીનું રામરાજ્ય તેને ગાંધીવાદી વિચારોના પરિપેક્ષ્યમાં જોવા જોઈએ.

ગાંધીજીના રામ એ પરમબ્રહ્મ, પરમપિતા પરમાત્મા છે જે દરેકના શરીરમાં અંતરાત્મા સ્વરુપે રમી રહ્યા છે. સત્યનો અવાજ તમે અંતરાત્મા થકી જ સાંભળી શકો. પણ તમે બુદ્ધિ અને પ્રણાલી વચ્ચે સંઘર્ષ અને અથવા અનિર્ણાયકતા ઉત્પન્ન થાય ત્યારે જ  અંતરાત્માને પૂછી શકો. તમારો સ્વાર્થ પણ તેમાં ન હોવો જોઇએ.

રાજા રામ આ વાત બરાબર સમજી શક્યા હતા અને પચાવી પણ શક્યા હતા અને તેમણે આ વાત આત્મસાત પણ કરેલી.
  
  
અંતરાત્માનો અવાજ

વલ્લભભાઈની અને નહેરુની, વડાપ્રધાનપદ માટેની યોગ્યતા વત્તા તેમની એ પદ માટેની અનિવાર્યતા વત્તા તેમનું વિદેશ દોડાદોડી કરવા માટેનુ સ્વાસ્થ્ય, તેમની ઘરા આંગણાના પ્રશ્નો હલ કરવાની ક્ષમતા  આ બધું વિચાર્યા પછી ગાંધીજીને લાગેલ કે નવું બંધારણ અમલમાં ન આવે ત્યાં સુધી નહેરુ વડાપ્રધાન પદ લે અને વલ્લભભાઇ પટેલ ગૃહપ્રધાન થાય તે દેશના હિતમાં છે. ગાંધીજીની આ દિર્ઘ દ્રષ્ટિ હતી અને તે યોગ્ય હતું તે સિદ્ધ પણ થયેલ.

જો વલ્લભભાઈ પટેલનું સ્વાસ્થ્ય સુધરી ગયું હોત તો લોકશાહીમાં વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન થતાં કોઈ રોકી શકશે નહીં તે વાત ગાંધીજી સુપેરે જાણતા જ હોય તે વાત અલ્પજ્ઞ પણ સમજી શકે તેવી છે.
  
વળી મહાત્મા ગાંધી પોતે કોઈ હોદ્દો કે સત્તા ધરાવતા ન હતા તેથી તેમની વાત એક સલાહ હતી. તેને માનવીકે  ન માનવી તે કોંગ્રેસ પક્ષમાટે ફરજીયાત ન હતું.
  
કોંગ્રેસ પક્ષની કારોબારીના સભ્યોને એવું લાગ્યું કે બુદ્ધિ અને પ્રણાલી વચ્ચેનો આ વિસંવાદ છે અને ગાંધીજીનો નિર્ણય આપણે અંતરાત્માના અવાજ તરીકે સ્વિકારવો જોઇએ. પક્ષે તેમની વાત સ્વિકારી.
  
ગાંધીજીની રામ રાજ્યની વાત

મહાત્મા ગાંધીએ શા માટે  રાજા રામને જ પ્રેરણા મૂર્ત્તિ તરીકે પસંદ કર્યા? કારણ કે રામે પ્રણાલીનો આદર કર્યો.
  
પ્રણાલીના ભંગને વૈચારિક ક્રાંતિ કહી શકાય. પણ વૈચારિક ક્રાંતિ સત્તાધારી વ્યક્તિ/વ્યક્તિઓ તરફથી આવવી ન જોઇએ. વૈચારિક ક્રાંતિ આમજનતા તરફથી આવવી જોઇએ. પ્રણાલીગત રીતે જેને સત્ય માનવામાં આવે છે તેને અગર બુદ્ધિથી નકારી શકાતું ન હોય તો તેનો આદર થવો જોઇએ.
  
રાજા એ ફક્ત રાજા જ છે. તેના સગાઓ, એ તેના સગાઓ નથી પણ હોદ્દેદારો છે. અને સૌએ મર્યાદામાં રહેવાનું છે. તેથી રામ પણ તેમના રાજ-પદ ની મર્યાદામાં રહ્યા. જે પ્રણાલીગત તારવણીઓ રુપી સત્ય ભલે તે ધોબી તરફથી આવ્યું પણ તેનો બુદ્ધિ થકી અસ્વિકાર થઈ શકે તેમ નહતું તેથી તેને સ્વિકારમાં આવ્યું.
 
હવે તમે નહેરુવીયન લોકશાહી સાથે સરખાવો.

વલ્લભભાઇ પટેલ ૧૯૫૦માં ગુજરી ગયા. એટલે નહેરુએ તેમના મળતીયાઓ મારફત તેમના વિરોધીઓને રાજકીયરીતે ખતમ કરવા માટે વગોવવા માંડ્યા. જયપ્રકાશ નારાયણ અને રાજાજી તેમાં મૂખ્ય નિશાન હતા.
 
ચીનની હિમાલયન બ્લંડર પછી નહેરુએ, મોરારજી દેસાઈને હાથમાં લીધા અને કામરાજ પ્લાન હેઠળ દૂર કર્યા. વળી લોકશાહીની વિરુદ્ધ જઈ “ઇન્દીરાને મળો” એવું બધા મુલાકાતીઓને કહીને બધો કારભાર પોતાની પૂત્રી ઇન્દીરાને સોંપી દેવાનું ચાલુ કરેલું.
 
સીન્ડિકેટ બનાવીને ઇન્દીરાને,  મરણોત્તર પોતાનો  હોદ્દો સોંપવાની પૂરી સગવડ કરીને નહેરુ ગયા હતા. તેનું મૂખ્યકારણ કદાચ તેમની અ-દૂરદર્ષિતાને અને મૂખામી ભર્યા નિર્ણયોને કોંગ્રેસીઓ ન ચગાવે તે હોઈ શકે.
 
તેમને ખબર હતી કે તેમની પૂત્રીને કાવાદાવાઓ આવડતા હોવાથી તેને વિરોધીઓ જલ્દી દૂર કરી શકશે નહીં અને તે પણ મૃત્યુ પર્યંત રાજકરીને વિરોધીઓને ખતમ કરીને પોતાના સંતાનોને રાજગાદી આપી શકશે. અને આ ઈતિહાસ પ્રણાલી બની જશે. કોંગ્રેસમાં એવા વામણા લોકો જ ટકશે અને લોકશાહી એક ફારસ બની જશે.
  
અને તમે જુઓ એવું જ થયું છે.

૧૯૬૮માં ઈન્દીરાગાંધીનો અંતરનો અવાજ (આત્માનો અવાજ) શું હતો?

એજ કે પક્ષની કારોબારીએ નક્કી કરેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (સંજીવ રેડ્ડી) ને મત ન આપવો પણ પોતે પસંદ કરેલા ઉમેદવાર વી વી ગિરીને મત આપવો.

અલ્લાહાબાદ હાઇકોર્ટના ચૂકાદા અનુસાર ઈન્દીરાગાંધીની ગેરલાયકાત સિદ્ધ થઈ તો પણ તે વડાપ્રધાન પદે ચાલુ રહી.
 
કટોકટી લાગુ કરવામાં આવી.
 
આ બધું પ્રણાલીગત ન હતું. પણ પ્રણાલીગત હતું તેને તોડવામાં આવ્યું. પોતાના સ્વાર્થ માટે તોડવામાં આવ્યું. લોકશાહીમાં આવું દાખલ કરવું એ એક ક્રાંતિ જ કહેવાય. માટે જ ગાંધીજીએ કહેલું કે ક્રાંતિ સત્તાધારી તરફથી ન લાવી શકાય. સત્તાધારી તરફથી આવતી ક્રાંતિ અધોગતિ લાવે છે.
 
ભારતમાં “રામ-રાજ્ય” લાવવાનું છે જેમાં સત્તા પ્રજા પાસે રહેશે:
 
ક્રાંતિ પ્રજામાં ચળાઇને પ્રજા થકી આવશે. ભારતમાં રામનું (રામ એટલે “રાજા” એટલેકે “સત્તાધીશો” એ અર્થમાં) રાજ્ય લાવવાનું નથી. કારણકે સત્તાધીશો રાજારામ જેવા હોતા નથી.
 
ગાંધીજીની આ  વાતને સિદ્ધ કરતું નહેરુવીયનોનું વરવું રાજકારણ આપણે જોયું છે અને જોઇએ છીએ.
 
ગાંધીજીએ આદર્શ સત્તાધીશ રુપે ઐતિહાસિક રામને એટલે જ સ્થાપિત કર્યા હતા કે જેથી તેમના જીવન થકી લોકો સમજી શકે કે સત્તાધીશોનું કર્તવ્ય શું છે.
 
પણ દલા તરવાડીના ગુરુજેવા કોંગીજનો અને ટકી રહેવા માટે તેને ટેકો આપનારા બીજાઓ પણ આ વાત ન સમજી શકે.
 
કોંગ્રેસે તો હદ એ વાતની કરી અને તે પણ શપથ પૂર્વક કે “રામ બામ જેવું કશું હતું જ નહીં. બધું કપોળ કલ્પિત છે.”
 
કોંગી જનો માટે શપથપૂર્વક બોલાયેલું પાછું ખેંચવું કે શપથપૂર્વક બોલાયેલામાંથી ફરી જવું કે શપથપૂર્વક બોલાયેલું ભૂલી જવું એ કંઈ નવાઈની વાત નથી.
 
ચીને આપણો એક લાખ વીસ હજાર ચોરસ કીલોમીટર પ્રદેશ જીતી લીધો છે. અને આટલો પ્રદેશ હાર્યા પછી નહેરુવીયન કોંગ્રેસે પાર્લામેન્ટ સમક્ષ પ્રતિજ્ઞા લીધેલી કે અમે તે ગુમાવેલો પ્રદેશ પાછો જીતી લીધા વગર જંપીને બેસીશું નહીં.
 
હવે આ વાત ” … આજની ઘડી અને કાલનો દી…” જેવી થઈ ગયી છે.
 
એવું જ ઈન્દીરા ગાંધીની “ગરીબી હટાવો ની વાત વિષે”, “ઈન્દીરા ગાંધી આયી હૈ.. નયી રોશની લાયી હૈ” ની “નયી રોશની” અને “એકવીશમી સદીમાં જવા વિષે” સમજવાનું છે.
 
એ પછી પણ કોંગી જનોએ ઘણા લટકા કર્યાં છે. અયોધ્યાનું તો રામાયણ હશે પણ નહેરુવીયન કોંગીનું તો મહાભારત છે.
 
નહેરુવીયન કુટુંબી જનોની ઇલેક્ષન કમીશન સમક્ષ કરેલી ખોટી એફીડેવીટો (પ્રતિજ્ઞા પૂર્વક આપેલાં સ્વ વિષેના કથનો) વિષે તો સુબ્રહ્મનીયમ સ્વામીએ ઠીક ઠીક દસ્તાવેજી પૂરાવાઓ આપેલા છે.
 
કોંગીજનોને બાદ કરીએ તો પણ “તડ અને ફડ”માં માનનારા, તટસ્થતાની ઘેલછા ધરવાતા અને વાસ્તવમાં “ચ” ના ક્રમમાં આવતા ઘણા “સુ(?)જ્ઞ જનો ” પણ રામને ઐતિહાસિક વ્યક્તિ માનતા નથી. રામને તેઓ કપોળ કલ્પિત (માઈથ) માને છે.
 
પૂરાણોમાં, કથાવાર્તાઓ કે મહાકાવ્યોમાં આવતા મનુષ્યો કે સ્થળોના વર્ણનોને અધારે કે સંવાદોને આધારે ઐતિહાસિક સત્યો નીપજાવી શકાતા નથી. ઇતિહાસ પ્રસંગોથી બને છે. ઇતિહાસને લોકભોગ્ય બનાવવા માટે પુરાણોમાં ઇશ્વર અને ભગવાનોનો ચમત્કાર સહિતનો પ્રવેશ કરવામાં આવ્યો છે. અને તેથી આજે પણ પૂરાણો જનમાનસમાં જીવે છે અને તેથી ઇતિહાસ પણ જનમાનસમાં જીવે છે.
 
આ એક ભારતીય કળા છે. તેને બિરદાવવી જોઇએ. જેઓ ભારતીય પુરાણો અને મહાકાવ્યોમાં રહેલા ઐતિહાસિક તત્વને નથી તારવી શકતા તેઓના ભલા માટે પ્રાર્થના કરો. તમે ઉંઘતાને જગાડી શકો પણ જાગતાને જગાડી ન શકો.  
 
મહાત્મા ગાંધીના જીવન વિષે અનેક લોકોએ લખ્યું અને હજુ પણ ભવિષ્યમાં લખાશે. એવું પણ બને કે તેમાં ચમત્કારો પણ ઉમેરાય. તેમને વિષે વિરોધાભાષી પાઠ/પાઠો પણ મળે. ગાંધીના અનેક અનુયાયીઓ કહેતા કે ગાંધીજી કોંગ્રેસમાં આવ્યા એ પહેલાં અમે ગધેડા હતા.
 
કોઈકે કે ઈન્દીરા ગાંધીએ વાનરસેના સ્થાપેલી. અને ઇન્દીરા ગાંધી તેના નેતા હતા.
 
હવે જો દૂરના ભવિષ્યમાં અગર સંદર્ભોનું ઠેકાણું ન રહે તો એમ જ કહેવાશે કે ગાંધીજીએ પોતાની કારીગીરીથી કે ચમત્કારિક શક્તિથી ગધેડાંઓમાંથી માણસ બનાવેલા અને તેની ગર્દભ સેના અને વાનરસેના થકીના સંયુક્ત ઉપક્રમે એક વિરાટ સેના બનાવી અંગ્રેજી સેનાને હરાવીને ભગાડેલી.
 
કદાચ તે વખતે પણ એવા મનુષ્યોનો તુટો નહીં હોય કે તેઓ કહેશે ગાંધી બાંધી જેવું કશું હતું જ નહીં. આ બધું તો કપોળ કલ્પિત છે.
 
સાંઇબાબા અને તેમના ચમત્કારો, સત્યસાંઈબાબા જેના ભક્તો આજની તારીખમાં પણ તેમને ચમત્કારી પુરુષ માને છે, સહજાનંદ સ્વામીના ચમત્કારોને અને તેમને ભગવાન માનનારાઓનો તૂટો નથી. હવે જો તેમણે ચમત્કારો કર્યા હોય તેને સાચા ન માનીએ તો તેઓ શું ઐતિહાસિક મટી જશે?
 
રામના ચમત્કારો વિષે પણ આવું જ સમજવું જોઇએ. હનુમાન કે જેના માતા અંજની વાંદરા ન હતા, તેમના પિતા મરુત પણ વાંદરા ન હતા. મારુતી ને હનુમાન એટલા માટે કહ્યા કે તેમની હડપચીનો ભૌતિક આકસ્મિક રીતે વિકાર થયો હતો.
 
જેના માતા કે પિતા કોઇ પણ વાંદરા ન હોય તો હનુમાન વાંદરા કેમ હોય?
 
ચમત્કારમાં ન માનનારા છતાં ન સમજનારા  આ સાદી વાત કેમ સમજી શકતા નહીં હોય?
 
વાસ્તવમાં વાનર એક મનુષ્ય જાતી હતી અને તે દક્ષિણભારતમાં વસતી હતી. તે મલ્લ વિદ્યામાં પ્રગતિશિલ અને નિપૂણ હતી. વાલીની મલ્લવિદ્યા એવી હતી કે તે તેના દેકારા પડકારા અને દાવપેચથી હરિફને માનસિક રીતે હતપ્રભઃ કરી દેતો. તેણે રાવણને પણ બગલમાં દબાવી દીધેલો.
 
હવે આ બધું જે હોય તે પણ વાનરજાતીના માનવપણાને અને તેની ઐતિહાસિકતાને આપણે નકારી ન શકીએ. સંભવ છે કે રાવણ ક્રૂર ન હોય. અને ધારીએ છીએ એટલો જોરાવર પણ નહોય.  પણ તેના ઐતિહાસિકપણાને નકારી ન શકાય.
 
રામ ઉપર ઘણા લોકોએ લખ્યું. રામ વિષે ઘણા પાઠો મળે છે. ઉત્તરરામ ચરિત્ર, રઘુવંશ, સૌથી જૂના પૂરાણ “વાયુપૂરાણ” સહિત બધાજ પુરાણો અને મહાભારત માં રામની વાતો લખી છે. જે વાત અનેક જગ્યાએ લખેલી હોય અને જુદીજુદી વ્યક્તિઓએ જુદે જુદે સમયે લખેલી હોય તેની ઐતિહાસિકતા નકારી ન શકાય.
 
પૂજા કરવાની પ્રણાલી પણ તેની જ નીપજે, જે અસ્તિત્વ ધરાવતી હોય.
 
કુદરતી શક્તિઓ જે સર્જન, પાલન અને નાશ કરે છે તેના પ્રતિકો બનાવીને પૂજા થાય તેવી પ્રણાલી ભારતમાં પ્રાચીન કાળથી છે અને બીજે પણ આવી દૈવી શક્તિઓની પૂજા થતી હતી. મહામાનવોની પણ સૂર્યના અવતાર તરીકે કે તેના પૂત્ર તરીકે કે એ શિવાય ભગવાન તરીકે પણ તેની પૂજા દૂનિયાભરમાં થતી હતી અને આજની તારીખે પણ થાય છે.
 
કોઈએ સરસ્વતીચંદ્ર, જયા જયંત, નથુભાઇ, હંબોહંબો હાથીડો, ચીચુકાકા, ભાણીયો અને ભંભોટ, સિંદબાદ કે માનસેન સાહસી જેવા કપોળ કલ્પિત પરાક્રમીઓ ના મંદીરો બાંધી પૂજા કરી નથી. તેમની કોઈ જન્મતિથીઓ હોતી નથી કે કોઇ તેમના જન્મદિનની ઉજવણી પણ કરતા નથી.
આવા બીજા ઘણા બધા ભેદ કપોળ કલ્પિત અને ઐતિહાસિક વ્યક્તિઓ વચ્ચે હોય છે. પણ જેમને ઉંડુ વિચારવું નથી અને પોતાની તટસ્થતાના પ્રદર્શનની ઘેલછામાં રહી પ્રસિદ્ધિ  હાંસલ કરવી છે તેમને આપણે “ચ”ના ક્રમમાં જ મૂકી શકીએ.
 
રામ આ પ્રમાણે ઐતિહાસિક છે. અને રામની જીવન કથા પ્રમાણે તેમનો રાજકારભાર લોકશાહીને અનુરુપ હતો. આ પ્રમાણે રામ આદર્શ અને પૂજનીય બન્યા. વળી તે મહાભારતથી સાતસો વર્ષ પૂર્વે થઇ ગયા. મહાભારતને થયે (એક સંશોધન પ્રમાણે) ૫૬૫૫ વર્ષ થયા. તે ગમે તે હોય પણ બાબર રાજા કે બાબરી ફકીર કરતાં તો તેઓ ઘણા સીનીયર છે જ.
 
બાબરી મસ્જીદ ની ચારે બાજુ હિન્દુ સ્થાનો છે. અને તેની મધ્યમાં એક મસ્જીદ ત્યારે જ બનાવી શકાય કે ત્યાં કોઈ હિન્દુ સ્થાનક હોય. “પરધર્મના ધાર્મિકસ્થાનો તોડીને પોતાના ધર્મના સ્થાનો બનાવવા” આવી પ્રણાલી ખ્રીસ્તીઓમાં અને મુસ્લિમોમાં બેસુમાર હતી. મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં આવું બેસુમાર થયેલું આ વાત ત્યાનાં ખ્રીસ્તી લોકો પણ કરે છે. મુસ્લિમોમાં તો આવી પ્રણાલી આજે પણ છે. ભારતીય શાસકો વિષે આવું કદીય કોઇએ કહ્યું નથી. આનાથી ઉલ્ટીવાત મુસ્લીમ પર્યટકોએ ભારતીય શાસકો વિષે કરેલી છે. હિન્દુઓ ઈશુની પહેલી સદી સુધી દૂર પશ્ચિમ સુધી રાજ કરતા હતા.
 
એવા સમાચારો આવેલા કે બાબરી મસ્જીદનીચે ખોદકામ કરતાં અવશેષો મળેલા છે અને તે અવશેષો એક શિવ મંદિરના છે. હવે જ્યારે અવશેષો મળ્યા હોય તો તેનો અર્થ એમજ થાય છે કે ત્યાં કશુંક તો હતું જ. અને તે મુસ્લિમો આવ્યા પહેલાનું હતું.
 
હવે તમે જુઓ. રામની જે અયોધ્યાનું વર્ણન છે તે હાલના કોટમાં આવેલી અયોધ્યા જેવડી નાની તો હોઇ જ ન શકે. વાસ્તવમાં તે એક રાજાના ગઢ જેવું લાગે છે.
 
અયોધ્યાની આસપાસના વિસ્તારો ટીંબાઓથી ભરપૂર છે. હાલના અયોધ્યાના ગઢમાં પણ સ્થાનિક લોકોએ કબજો લઈ લીધો છે અને રામના અને તેમના પરિવારના પૂતળાઓ મૂકીને કે પોતાની કબજે કરેલી જગ્યાને અયોધ્યા વર્ણિત ગૃહનું નામ આપી યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવે છે.
 
પેટ બધા પાપ કરાવે છે. ધર્મ કરતા, લાંચ મહાન છે અને લાંચ કરતાં પેટ મહાન છે. એટલે પૂરાતત્વ અધિકારીઓ પરાપૂર્વથી બેદરકાર છે. અયોધ્યાના કોટ અને અને તેના ગોખલાઓનો કબજો ધંધાદારીઓએ લઈ લીધો છે. ખાણી પીણી, પૂજાપાઠ, પુસ્તકો અને છબીઓનો કે જેની પણ ઘરાકી મળી શકે તેનો ધંધો ચલાવે છે. ત્યાં પણ ઘણા ટીંબાઓ છે.
 
શ્રેષ્ઠ એ જ છે કે પુરાતત્વ ખાતાએ પૂરા અયોધ્યાનો (ફૈઝાબાદ સહિત) આસપાસના ૮ કિલોમીટર સહિતની જગ્યાનો કબજો લઈ લેવો જોઇએ. અને ત્યાં પુરાતન અવશેષો માટે ઉત્ખનનનું કામ ચાલુ કરી દેવું જોઇએ.
 
હાલના અયોધ્યાને વર્લ્ડ હેરીટેજ નું સ્થાન આપી ત્યાં પણ ટીંબાઓનું ખોદકામ કરવું જોઇએ. હાલના અયોધ્યામાં પણ અપાર અવશેષો પડેલા છે. પૂરાતત્વને કેન્દ્ર રાખીને જો અયોધ્યાનો વિકાસ કરવામાં આવે તો અયોધ્યા વિશ્વનું બેનમૂન અને શ્રેષ્ઠ ઐતિહાસિક પર્યટન સ્થળ બની શકે છે.        
 
ચમત્કૃતિઃ
“ચ”નો ક્રમ એટલે શું?
કોઈપણ એક પોઇન્ટ બિન્દુ લો. તમે ચારે બાજુ જઈ શકો. તમે એક દીશા પકડી. અને રેખા દોરી. રેખાના અંતિમબિન્દુએ તમારી પાસે આગળ વધવા માટે અનેક દિશાઓ છે. તમે ડાબી બાજુની દીશા પકડી. અને આરીતે જ તમે રેખા ખેંચતા ગયા અને એજ દીશા પકડતા ગયા તો તમે મૂળ બિન્દુ ઉપર આવી જશો અને એક વર્તુળ પુરું થશે. સંસ્કૃતમાં વર્તુળને ચક્ર કહેવામાં આવે છે. અને આવી વ્યક્તિને સંસ્કૃતમાં  ચક્રમ કહેવામાં આવે છે.
 
————————————–
પ્રવીણભાઇ ભટ્ટે લખેલા હિન્દી વર્સન ઉપરથી નેચેની જોક વૉંચો 
 
ચ્યમની રૉમૉયણ થૈ?
પુરુ રોમોયણ બૈરોંની વૉતોનું સ.
લખમણ પોતાનું બૈરું ઘેર શોડી આયો, અને ભૈ હંગાથે ગયો,
રોવણ તો સેને તી, બીઝાનું બૈરુ ઉઠાઇ આયો અને ફહૉણો,
હણુમોનને તો પોતૉનું બૈરુ અ’તુ જ નૈ, પણ બીઝાનું હોધવૉમોં લંકો બૉરી નૉખી,
 
રૉમે પોતોનું બૈરુ પૉસુ લોવવોમોં ને લૉવવૉમોં લડૈ કરી, અને બૈરુ પૉસુ લૈને પણ હુ ઉકૉર્યુ?
 
એં એક ધોબાએ પોતોનું બૈરુ બા’ર ગયું અહે તે એને પૉસુ ઘરમોં ન ઘૉલ્યુ તો રૉમે પોતોનું બૈરુ બા’ર કર્યુ,
 
તયેં સેલ્લે હું થયું? જેને મૉટે રૉમે લ’ડૈ કરી એ બૈરુ ધરતીમૉં પેહી ગયુ,
હવે ભૂડા તુ ઝ  વચાર, આ બધુ હુ કૉમનુ થયુ?
પેલા દહરથ્ને તૈણ બૈરોં ઉ’તા …. હૉવઅ .
 
શિરીષ દવે
————–
 
પ્રવીણભાઇની જોક
 
पुरी रामायन बीवीयोंकी कहानी है

लक्षमन अपनी घर पे छोडकर चला आया
रावन दूसरेकी उठाके फस गया
हनुमान की अपनी थी ही नहिं मगर दूसरेकी ढूंढने मैं लंका जला दी
राम को अपनी वापस लानेके लिये १० दिन तक वोर करनी पडी वापस लाके भी क्या मिला ?
एक धोबी ने अपनी बीवी को वापस घर मै नहीं लिया, तो राम ने अपनी को आउट कर दीया
और एन्ड में क्या हुआ ?
जिस बीवी के कारन इतनी बडी रामायन हूइ वो तो अंडरग्राउन्ड चली गइ !
अभी सोचो, आखा जमेला हुआ क्यों?
क्योंकी दशरथ को ३ बिवी थी !!

Mahatma Gandhi

Mahatma Gandhi the Great in Flesh and Blood

Read Full Post »

%d bloggers like this: