Posts Tagged ‘કોંગી’
“પાયામાં તું પુરાઈ જાજે … કળશના ચમકારા”
Posted in માનવીય સમસ્યાઓ, tagged અધ્ધરતાલ, અનિર્ણકતાની કેદી, ઇન્દિરા ગાંધી, ઈશ્વર ચંન્દ્ર વિદ્યાસાગર, ઉપવાસ, કચ્છ, કર્નાટક, કળશના ચમકારા, કેશુભાઈ, કોંગી, ખોસલા કમીશન, ગાંધીજીના નિયમો અને પ્રણાલી, ગાંધીવાદી, ગુજરાત, ગેરસમજણ, ચિમનભાઈ પટેલ, જમ્મુ-કાશ્મિર, નર્મદા ટ્રીબ્યુનલ, નર્મદા યોજના, નર્મદા યોજના અને ભાકરા નાંગલ, નવી જનરેશન, નહેરુ, નહેરુના પીઠ્ઠુઓ, પાયામાં તુ પુરાઈ જાજે, બકરીની તીન ટાંગ, બાબુભાઈ જશભાઈ પટેલ, ભાઈકાકા, ભાઈલાલભાઈ પટેલ, ભારતની અધોગતિના મૂળ, મહારાષ્ટ્ર, મુંબઈ રાજ્ય, મૂર્ધન્ય, મેરી બી ડીચ, મોરારજી દેસાઈ, મ્હૈસુર, રાજ્યોને ઝગડાવવા, લોકપ્રિયતા, વાર્ધાક્ય, સંસ્થા કોંગ્રેસ, સત્યાગ્રહ, સમાચાર પત્ર, સરદાર વલ્લભભાઇ પટેલ, સુરુચિ ભંગ, સૌરાષ્ટ્ર, સ્મૃતિદોષ, સ્વતંત્રતા, હિતેન્દ્ર દેસાઈ, હૈદરાબાદ, ૧૯૪૬, ૧૯૫૭, ૧૯૬૧, ૧૯૬૪, ૧૯૬૭, ૧૯૬૯, ૫૫ કરોડ on September 29, 2019| Leave a Comment »
ગૌ હત્યા બંધી વિષે દંભીઓનું દે ધનાધન – ૧
Posted in માનવીય સમસ્યાઓ, tagged અફીણ, અહિંસક સમાજ, કાશ્મિરી હિન્દુઓ, કોંગી, ગાંજો, ગાંધીજી, ગૌ હત્યા, ચરસ, તપાસ પંચ, તાર્કિક ચર્ચા, દંભ, દારુબંધી, નહેરુ, નિપજ, પૂર્વનિયોજિત, પ્યાદા, પ્રલંબિત શાસન, બંધારણીય આદેશ, બંધારણીય પ્રાવધાન, બિમારુ, મત માટેના ઓજાર, વચન, હત્યા, હિન્દુ, હેરોઈન on November 23, 2015| 5 Comments »
ગૌ હત્યા બંધી વિષે દંભીઓનું દે ધનાધન
નહેરુવીયન કોંગ્રેસના સાથીદાર એવા સમાજવાદી પક્ષનું જ્યાં શાસન છે તેવા ઉત્તર પ્રદેશ જેવા બિમારુ રાજમાં કોઈ એક ગામડામાં હિન્દુઓના એક ટોળાએ એક ગરીબ મુસ્લિમના ઘરમાં જઈ ગૌ-માંસ ને સંબંધિત આરોપસર આક્ર્મણ કરી, તે કુટૂંબના વડાની હત્યા કરી. તેનો દિકરો ઘાયલ થયો. જો કે સારવારથી તે બચી ગયો.
આ એક સમાજવાદી પક્ષ શાસિત યુપીના ગ્રામ્યવિસ્તારમાં પ્રવર્તતી કાયદાની પરિસ્થિતિની અને કંઈક અંશે માનસિકતાની સમસ્યા છે. આ ઘટનાને આના પરિપેક્ષ્યમાં મુલવવી જોઇએ. બિમારુ રાજ્ય એટલે શિક્ષણમાં પછાત, ભૌતિક વિકાસમાં પછાત, આર્થિક અવસ્થામાં પછાત, સગવડોમાં પછાત અને પરિણામે, આ બધા પછાતપણાથી માનસિકતાની કક્ષામાં પણ નિમ્નસ્તરે હોય તે સમજી શકાય તેવી વાત છે.
કાયદાએ કાયદાનું કામ કરવું જોઇએ. કાયદાની પાસે સૌ કોઈ સમાન છે. આ બંધારણીય જોગવાઈ છે, વ્યવસ્થા છે અને આદેશ છે. જો આની અવગણના કરીએ તો લોકશાહીનો અનાદર કર્યો કહેવાય અને બંધારણનો પણ અનાદર કર્યો કહેવાય. જો આપણે તાર્કિક ચર્ચામાં માનતા હોઇએ અને સમાજને એક ડગલું આગળ લઈ જવામાં માનતા હોઇએ તો આપણી ચર્ચામાં સંદર્ભ અને પ્રમાણતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ અને એ રીતે પ્રાસ્તુત્ય થવું જોઇએ.
મત મેળવવાના ઓજારોનું અને શસ્ત્રોનું નિર્માણ
શું ચર્ચા કે અને તારવણીઓ તાર્કિક રહે એવું થયું ખરું? નાજી. આ ઘટનાની મુલવણી કરવામાં, ફક્ત તારતમ્યો જ પ્રસારિત કરવામાં આવ્યા. તે પણ એવા પ્રસારિત કરવામાં આવ્યા કે તે “મત મેળવાના ઓજારો બની શકે અને બનાવવામાં આવ્યા પણ ખરા.
કાયદાને હાથમાં લેનારા ગૌ-પ્રેમી હિન્દુઓ હતા. જેના ઉપર કાયદાનું શાસન કરવાની ફરજ છે તેઓ પણ મોટે ભાગે હિન્દુ હતા ખરા પણ આ હિન્દુઓની પ્રાથમિકતા ગૌ-પ્રેમ ન હતી. તેઓના નામની ઓળખમાં સમાજવાદ શબ્દ આવતો હતો. અલબત્ત સમાજવાદ પણ તેમની પ્રાથમિકતા ન હતી. તેમની પ્રાથમિકતા આ ઘટના અને ચર્ચાની મુલવણીમાં શું હતી તે સમજવું થોડું લાંબુ છે. આ પક્ષના સાંસ્કૃતિક સાથીઓ અથવા તો તેઓ જેમના સાંસ્કૃતિક સાથીઓ છે એવા નહેરુવીયન કોંગ્રેસીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓના બિહારના અને દેશના સાંસ્કૃતિક સાથીઓ કેવી રીતે વર્ત્યા તે જોવું પડશે. શું આ એક બિહારની ચૂંટણી જીતવાનો પ્રપંચ હતો?
પક્ષ એટલે આમ તો એક વિચાર છે. એ વિચાર પ્રમાણે આચાર હોય તે જરુરી નથી. ઉંધો આચાર હોય તો પણ સામાન્ય કક્ષાના માણસોને જ નહીં પણ લાલચુ લોકોને પણ પોતાના તરફે કરી શકાય છે. પક્ષનુ કથિત ધ્યેય સમાજને વિકસિત કરવાનું હોય છે, આ ધ્યેય એ પક્ષની પ્રાથમિકતા હોતી નથી. આચારના એજન્ડામાં પણ હોતું નથી. પક્ષની પ્રાથમિકતા, સત્તા મેળવવી અને જો સત્તા પ્રાપ્ત થયેલી હોય તો તેને કેવી રીતે જાળવી રાખવી એ હોય છે. ટૂંકમાં પક્ષનું કે બનાવેલા પક્ષ-સમૂહનું ધ્યેય જનમત, સાપેક્ષરીતે પોતાની તરફમાં કેવીરીતે છે તે માન્ય રીતે સિદ્ધ કરી દેવું એ હોય છે. આ માટે ચૂંટણી પ્રક્રિયા હોય છે.
આ ચૂંટણીઓ જીતવા માટેના ઓજારો, પ્યાદાઓ અને શસ્ત્રો હોય છે. પણ આપ્ણે એ બધી ચર્ચા નહીં કરીએ. આપણે ફક્ત ગૌ અને ગૌહત્યા પૂરતી આપણી ચર્ચા મર્યાદિત રાખીશું.
પ્રલંબિત શાસનની નીપજ
દાદ્રી ગામની ઘટના એ નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ કરેલા તેમના શાસનની અને આચારોની નીપજ હતી. વળી તેમનું શાસન ત્યાં ચાલુ પણ હતું. એટલે દાદ્રી જેવી ઘટના પૂર્વ નિયોજિત હોય તે નકારી ન પણ શકાય. આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આવી શંકા એટલા માટે ઉત્પન્ન થાય છે કે તેના પછી પૂર્વનિયોજિત રીતે સુનિશ્ચિત લાગતા એવા મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના, સમાચાર માધ્યમોના સહકારથી જે પ્રતિભાવો પ્રસારિત થયા તેના ઉપરથી એવું ચોક્કસ જ લાગે કે આ બધું પૂર્વ નિયજિત હતું અને આ બધા તેમના પ્યાદાઓ હતા.
દંભની પરાકાષ્ટ
૧૯૮૧ થી જે ખૂન, ખરાબા અને આતંકો મોટા પાયા શરુ થયેલ અને ૧૯૯૦માં તે એટલી ચરમ સીમા પર પહોંચી ગયેલ કે ૧૯૯૦માં હજારોની સંખ્યામાં કાશ્મિરી હિન્દુઓની ખૂલ્લે આમ હત્યાઓ કરવામાં આવી, પાંચલાખ હિન્દુઓને તેમના ઘરમાંથી અને રાજ્યમાંથી હાંકી કાઢેલ. આમ કરવામાં નહેરુવીયન કોંગ્રેસ, તેમના કશ્મિરના સાંસ્કૃતિક સાથીઓ, ત્યાંના ધર્માંધ અસહિષ્ણુ નેતાઓ, તેવી જ જનતા અને કહેવાતા આતંકવાદીઓ સાથે હતા. કોઈ પ્રતાડિત મરણાસન્ન હિન્દુને દવાખાનામાં લઈ જવાયેલ નહીં. કોઈ આતંકીની સામે કેસ થયેલ નહીં. કોઈની ધરપકડ થયેલ નહીં. કોઈ તપાસ પંચ નિમાયેલ નહીં. કોઈ કાયદાના રખેવાળને સસ્પેન્ડ કરેલ નહીં. ત્યારે આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓના પેટનું પાણી પણ હાલેલ નહીં.
આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓ પોતાના સાંસ્કૃતિક સાથીના રાજમાં બનેલ એક છૂટપૂટ ઘટનાથી દ્રવી ઉઠ્યા અને વારાપ્રમાણે પોતાના, પોતાની જ સાંસ્કૃતિક સાથી સરકારે આપેલ ચંદ્રકો પાછા આપવા માંડ્યાં હતા. કારણ કે કેન્દ્રમાં દોઢેક વર્ષથી તેમની સરકાર ન હતી અને જે બીજેપીની સરકાર હતી તેને વાંકમાં લેવી હતી. કારણકે બિહારની ચૂંટણી જીતવા માટે મુસલમાનોને અલગ તારવવાના ઓજારની જરુર હતી. શિયાળવાં વિચારતા હતા કે જો વૃષભને ઘુસતો અટકાવી શકીશું તો હાથીને મારવો સહેલો પડશે. બિહારમાં બીજેપીને હરાવીશું તો કેન્દ્રમાં બીજેપીને હરાવવું સહેલું પડશે.
ગૌ એટલે શું?
જો આપણે ગૌ, અહિંસા, કાયદો અને તંદુરસ્ત સમાજની ચર્ચા કરવી હોય તો ગાંધીજીની વિચાર-વ્યાખ્યાની મદદ લેવી પડશે.
ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે ગૌ એટલે ગાય, વૃષભ, બળદ, ભેંસ, પાડા, ઘોડા, ગધેડાં, બકરાં, ઘેટાં, ઊંટ, વિગેરે બધાં જ વનસ્પત્યાહારી પ્રાણીઓ ગૌ સૃષ્ટિમાં આવી જાય. મનુષ્ય શારીરિક બંધારણીય રીતે વનસ્પત્યાહારી છે. આ સિદ્ધ કરી શકાય છે. પણ આપણે તેની ચર્ચા નહીં કરીએ. ગૌ-સૃષ્ટિ મનુષ્ય સમાજનું રોજીંદુ એક અભિન્ન અંગ છે. આ બંને એકબીજા ઉપર આધાર રાખે છે. ભારતીયો સાંસ્કૃતિક રીતે માને છે કે આ પ્રાણીઓની સુરક્ષા એ મનુષ્યની ફરજ છે. ગાંધીજી પણ આમ જ માનતા હતા. આ એક મૂંગી સૃષ્ટિ છે તે પોતાના મોઢેથી આપણી પાસે સુરક્ષા માગી શકતી નથી પણ આપણે તેનાથી ઉપકૃત છીએ તેથી જેમ એક માનવશિશુને આપણે સુરક્ષા આપીએ છીએ અને જેમ વૃદ્ધોને સુરક્ષા આપીએ છીએ તેમ આ સૃષ્ટિને પણ આપણે ઉપકારવશ થઈ, તેને સુરક્ષા આપવી જોઇએ. મનુષ્યના મગજમાં પ્રસ્ફુરિત કૃતજ્ઞતાની આ ભાવનાને ઈશ્વરની કૃપા સમજવી જોઇએ. આ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં આવું ઘણું છે.
ગાંધીજીએ ત્રણ વાત કરી હતી. દારુબંધી, ગૌહત્યા બંધી અને અહિંસક સમાજ.
અહિંસક સમાજ એ બહુ વ્યાપક સમજણનો વિષય છે. જેમને રસ હોય તેઓ આ જ બ્લોગસાઈટ ઉપર આવેલ “અદ્વૈતવાદની માયાજાળ અને નવ્ય સર્વોદયવાદની બ્લોગ શ્રેણીઓ ની મુલાકાત લે તે જરુરી છે.
ગાંધીજીની તીવ્રતા
દારુબંધી વિષે ગાંધીજી એટલા તીવ્ર હતા કે તેમણે કહેલ કે જો મને સિક્કો ઉછાળ જેટલા સમય પૂરતી સરમુખત્યારી મળે તો હું દારુબંધી કરી દઉં.
શું કામ તેમણે આવું કહેવું જોઇએ અને કરવાની ઈચ્છા પગટ કરવી જોઇએ? કોણે શું પીવું અને શું ન પીવું તે શું સરકાર નક્કી કરશે? એવી દલીલ કોઇએ તેમની સામે કેમ ન કરી?
દુનિયામાં અને ભારતમાં પણ પરાપૂર્વથી દારુ પિવાય છે. તો પછી ભારતે પણ કાયદેસર દારુ પીવો. જો કે આ દલીલને આગળ લંબાવી શકાય કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું પણ મનુષ્યના અંગત સ્વાતંત્ર્યની અંતર્ગત ગણવું જોઇએ.
પણ એવું નથી થતું. આ બધું મોંઘું હોય છે. દારુ સસ્તો હોય છે. દારુથી ગરીબ કુટૂંબો પાયમાલ થાય છે. ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું તો મોંઘુ હોવાથી, તે પૈસાપાત્રના ફરજંદોને જ પોષાય છે. પૈસાપાત્ર કુટૂંબોની પાયમાલી ન થવી જોઇએ. માટે દારુની સાથે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની સરખામણી નહીં કરવાની. એવી ચર્ચા જ ત્યાજ્ય ગણવાની. દારુથી ગરીબ કુટૂંબો ભલે પાયમાલ થાય. પૈસાપાત્રોની સુરક્ષા માટે વ્યાખ્યા, અર્થઘટનો અને વ્યવહારો ભીન્ન જ હોવા જોઇએ. અને જુઓ તેથી જ “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને કોઈ સરકાર, પક્ષ કે મૂર્ધન્યો અંગત સ્વાતંત્ર્ય સાથે જોડતા નથી. દવા તરીકે તો દારુ પણ વપરાય છે અને ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે પણ વપરાય છે. પણ ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની છૂટ્ટી માટે તમને કોઈ હાથ પણ નહીં મુકવા દે.
“જા બીલ્લી કુત્તેકો માર”
ભારતીય બંધારણના આદેશાત્મક પ્રબંધોમાં દારુ બંધી, ગૌહત્યા બંધી અને ગાંધીજીના રસ્તે અહિંસક સમાજ છે. ભારતીય જનતંત્ર સમવાય તંત્ર છે. કેન્દ્રની ફરજો જુદી અને રાજ્યની ફરજો જુદી. પણ બંધારણ સમાન છે. બંધારણે દારુબંધી અને ગૌહત્યા બંધી માટે રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ કાયદો બનાવે.
ગાંધીજીની વૈચારિક ધરોહરનો દાવો કરનારી નહેરુવીયન કોંગ્રેસે સૌ પ્રથમ ગાંધીજીની વૈચારિક હત્યા કરી.
ભારતીય બંધારણના આદેશ પ્રમાણે દારુબંધીનો કડક કાયદો અને આચરણ કરવાનું બંધારણનું દિશા સૂચન હતું, તો નહેરુવીયન કોંગ્રેસે ઓગણીસો સાઠના દાયકાના પૂર્વાર્ધમાં મહારાષ્ટમાં આ બાબતમાં ઉંધી દિશા પકડી. દારુબંધીને લગતો કડક કાયદો કરવાનો હતો, તેને બદલે જે હતો તેમાં ફેરફાર કરી તેને હળવો કર્યો. નહેરુવીયન કોંગ્રેસનો દંભ તમે જુઓ કે તેની સરકાર, દારુબંધીને લગતો કાયદો વધુ ને વધુ હળવો કરતી ગઈ.
ગૌહત્યા બંધીમાં શું વાત છે?
મદનમોહન માલવિયા એ નહેરુને ગાય ની હત્યાની બંધી કરવા માટે તાત્કાલિક કશું કરવાની વાત કરી.
નહેરુએ કહ્યું કે મારે મન ગાય, ઘોડો, ગધેડો બધા સરખા છે.
માલવિયાએ કહ્યું. ઓકે હું ગાય થી શરુઆત કરવાની માગણી કરું છું. તમે ગધેડાથી શરુઆત કરજો.
ભારતીય બંધારણમાં ગૌહત્યા બંધ કરવાનો આદેશ છે. પ્રાણીઓ ઉપર ક્રુર આચારણ કરવા ઉપર પણ બંધી છે. ગૌહત્યા બંધી કેટલાક રાજ્યોમાં છે, કેટલાક રાજ્યોમાં આંશિક છે અને કેટલાક રાજ્યોમાં નથી.
સર્વોદય કાર્યકરો યાદ કરેઃ
ઓગણીસો સાઠના ઉત્તરાર્ધમાં અને ઓગણીસો સીત્તેરના દશકામાં ગૌહત્યા બંધીના અમલ માટે મુંબઈમાં દેવનારના કતલખાના સામે આંદોલન ચાલતું હતું. સર્વોદયવાદીઓ એમ તો નહીં જ કહે કે અમે તો આ આંદોલન “ગીનીસ વર્લ્ડ બુકમાં આંદોલનની લંબાઈનો” એક રેકૉર્ડ સ્થાપિત થાય તે માટે કરતા હતા. કટોકટીના કપરા કાળમાં વિનોબા ભાવેએ ગૌહત્યા બંધી માટે આમરણાંત ઉપવાસ ઉપર જવાની નોટીસ કોંગી સરકારને આપેલ. પણ ઇન્દિરા ગાંધીએ તેમને આશ્વાસન આપેલ કે તે જરુર ગૌહત્યા બંધી લાવશે. પછી સચોટ રીતે શું થયું તે ખબર નથી.
આ વાત જાણી લો કે તંદુરસ્ત અને દુધાળી ગાય બળદ વાછરડા ની હત્યા ઉપરની બંધી તો પહેલે થી જ હતી. પણ તે પછી વધુમાં આટલું તો નક્કી થયેલ જ કે (૧) કતલખાનાને વિકસાવાશે નહીં. (૨) નવા કતલખાનાની મંજુરી આપવામાં આવશે નહીં (૩) સરકાર કતલખાનાને પબ્લીક ફંડમાંથી કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રાહત આપશે નહીં.
કાયદો અને અમલ એ બંને જુદા છે.
જેમણે “કિસ્સા કુર્સિકા” જોયું હશે તેમને ખબર હશે કે વડાપ્રધાનને અર્ધી રાતે અધિગત થયું કે અનાજની તંગીનું મૂખ્ય કારણ ઉંદરો દ્વારા થતું આનાજનું ભક્ષણ છે. સરકાર ઉંદર મારવા માટે ઈનામની જાહેરાત કરે છે. “એક ઉંદર મારવા માટે” ૨૫૦ રૂપીયાનું ઇનામ હોય છે. ઈનામના પૈસા આપવાવાળો મરેલા ઉંદરને ક્યાંથી રાખી શકે? કારણ કે એનું ડીપાર્ટમેન્ટ તો જુદું છે. માટે બીજા ડીપાર્ટમેન્ટમાં ઉંદર જમા કરવવાના. પણ ઉંદર તો જગ્યા રોકે એટલે ફક્ત પૂંછડી જ જમા કરાવવાની. અને ઉંદર માર્યાનું સર્ટીફીકેટ લેવાનું. સર્ટીફીકેટ આપવા વાળો ૧૦૦ રુપીયાની લાંચ લે અને સર્ટીફીકેટ આપે. આ સર્ટીફીકેટ લઈને ઈનામ લેવા જવાનું એટલે તે ૨૫૦ રુપીયા ઇનામના આપે. તમારે ઉંદર મારવાની કે પૂંછડી આપવાની જરુર નથી. તમારે તો ઉંદરને માર્યાનું સર્ટીફીકેટ રજુ કરવાનું છે. ઈનામ તમને સર્ટીફીકેટ ઉપર મળે છે. સર્ટીફીકેટ ૧૦૦ રુપીયામાં મળે છે. ૧૦૦ રુપીયા આપો. સર્ટીફીકેટ લો અને ઈનામના ૨૫૦ રુપીયા લો. વાત પૂરી.
એક માણસ, સર્ટીફીકેટ આપવાવાળાને કહે છે કે “હું તમને ૩૦૦ રુપીયા આપું તો તમે મને ત્રણ ઉંદર માર્યાનું સર્ટીફીકેટ આપશો?”
સર્ટ્ફીકેટ આપવાવાળો કહે છે;” એક ચૂહા મારા હૈ ઉસ સર્ટીફીકેટકા ૧૦૦ રુપીયા હૈ તો, તીન ચૂહે મારે હૈ ઉસ સર્ટીફીકેટકા ૩૦૦ રુપીયા હોતા હૈ. સીધી બાત હૈ. ૩૦૦ રુપયા દો ઔર તીન ચૂહે મારે હૈ ઐસા સર્ટીફીકેટ લે જાઓ. હમ બેઈમાન થોડે હૈં?”
આવું જ દેવનારમાં ગૌ હત્યા માટેના તંદુરસ્તીના સર્ટીફીકેટમાં થતું હતું. આ ઉપરાંત ગૌ હત્યા બંધી બાબતમાં, ઓછામાં ઓછાં જે ત્રણ ખાત્રીવચનો આપેલ તેનો જરાપણ અમલ ન થયો. નહેરુવીયન કોંગ્રેસ ખાત્રી આપે, કે વચન આપે કે પ્રતિજ્ઞાઓ લે તે બધું પાણી ઉપર લખેલા અક્ષરો જેવું છે.
યાદ કરો “સજ્જનેન લીલયા પ્રોક્તં શિલાલિખિતં અક્ષરં, દુર્જનેન શપથેન પ્રોક્તં જલે લિખિતં અક્ષરમ્.
સજ્જન માણસ જો રમત રમતમાં વચન આપી દે તો પણ તે શિલાલેખની જેમ અફર રહે છે એટલે કે તે તેનું પાલન કરે છે. દુર્જન તો પ્રતિજ્ઞા પૂર્વક વચન આપે તો પણ તેનું વચન પાણી ઉપર લખેલા અક્ષર જેવું હોય છે.
ગૌહત્યાની બંધી છે. પણ ગૌમાંસ ખાવાની છૂટ્ટી છે. એટલે કે ગૌમાંસ આયાત કરવાની છૂટ્ટી છે. એટલે કે દારુની બંધી છે પણ દારુની આયાત કરવાની છૂટ્ટી છે. હોઠપાસે આવેલો પ્યાલો હોઠથી દૂર જ કહેવાય. અરે તમે એક ઘૂંટાડો દારુ મોંઢામાં નાખ્યો તો પણ તે દારુ પીધો ન કહેવાય. કારણ કે તમે તેનો કોગળો કરી નાખો તે શક્યતા પણ નકારી ન શકાય. જ્યાં સુધી તમારા લોહીમાં દારુના ચિન્હો દેખા ન દે ત્યાં સુધી તમે દારુ પીધો ન કહેવાય. તો પછી આ વાત “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને પણ લાગુ પાડવી જોઇએ. “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે કોઈને ત્યાંથી પકડાય તો તે ગુનેગાર કહેવાય તેવો કાયદો ન હોવો જોઇએ.
ભારતીય બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે?
હા જી. બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે એવું કોંગીનું વલણ રહ્યું છે.
બંધારણમાં પ્રાવધાન હતું કે અંગ્રેજીભાષા કેન્દ્રની વહીવટી ભાષા તરીકે ૧૦ વર્ષ સુધી ચાલુ રહેશે. પછી હિન્દીભાષા તેનું સ્થાન લેશે. આપણી નહેરુવીયન સરકાર દશવર્ષ સુધી હિન્દીભાષાના અમલના પ્રાવધાન પર કુંભકર્ણ કરતાં ૨૦ ગણા સમય વધુ નિદ્રાધિન રહી હતી. બંધારણનું પાલન થાય તે જોવાની રાષ્ટ્રપતિની ફરજ છે. તત્કાલિન ભારતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું આવતી પહેલી એપ્રીલથી અંગ્રેજીનો ઉપયોગ બંધ થશે. એટલે નહેરુજી સફાળા જાગ્યા અને એક અધ્યાદેશ જારી કર્યો. અને પછી એવું પ્રાવધાનનું વિધેયક લાવ્યા કે અનિશ્ચિત કાળ સુધી અંગ્રેજી ચાલુ રહેશે.
જો આવું જ કરવું હતું તો જ્યારે બંધારણ ઘડાયું ત્યારે જ તેમાં એવી જોગવાઈ કેમ ન કરી? અંગ્રેજીને દશવર્ષ ચાલુ રાખવા માટે એક જ વધારાનો મત મળ્યો હતો. કારણ કે તે વખતે ગંગા ચોક્ખી હતી. અને નહેરુના રાજના દશવર્ષમાં ગંગા અને જમનામાં ઘણા પાણી વહી ગયાં અને તે ગંગા જમના ઘણી ગંદી થઈ ગઈ હતી. બીજી નદીઓ પણ ગંદી થઈ હતી. નહેરુએ નવા વિધેયકમાં અંગ્રેજીને ચાલુ રાખવા માટે નવી મુદત ન બાંધી પણ અંગ્રેજીને અનિયત કાળ માટે ચાલુ રાખી. જેમ ઈશ્વરને કાળનું બંધન હોતું નથી તેમ
નહેરુવીયન કોંગ્રેસને પણ કાળનું બંધન હોતું નથી.
જયપ્રકાશ નારાયણને, જવાહરલાલ નહેરુ કેબીનેટમાં લેવા માગતા હતા. જયપ્રકાશ નારાયણ એક સીમાબદ્ધ કાર્યક્રમનું લીસ્ટ લઈને ગયા અને કહ્યું આ માન્ય રાખો. પણ નહેરુને કાળનું બંધન પસંદ ન હતું. પદ ભોગવો, ખાવ પીવો અને મોજ કરો. કોંગીનો આ મુદ્રાલેખ છે.
ગૌ હત્યાબંધીના બંધારણીય આદેશનું શું કરવું જોઇએ?
શું સૌને પોતે શું ખાવું તે નક્કી કરવાનો અધિકાર નથી?
આ અધિકાર જો ખાવાને લાગુ પડતો હોય તો પીવાને પણ લાગુ પડે છે. જો તમે તર્કમાં માનતા હો તો આ વાત પણ સમજવી જોઇએ.
પસંદગીના અધિકારની વાત “પીણાઓને લાગુ ન પાડવી પણ ફક્ત “ખાવા”ને જ લાગુ પાડવી જોઇએ એમાં કોઈ તર્ક છે ખરો? એટલે કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની બંધી કરવી પણ દારુ અને ગૌમાંસની બંધી ન કરવી.
બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી?
જો સરકારી વલણ અને આચરણ આવું જ હોય તો પછી બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી? જો તમે તમારી ફરેબી સંવેદના અને કરુણાના વ્યાપક પ્રદર્શન દ્વારા આંદોલન કરી શકતા હો તો બંધારણની જોગવાઈઓ રદ કરવા આંદોલન કેમ કરતા નથી? ગૌવધબંધી ની માન્યતાનું થડ, ભારતીય બંધારણ છે. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ માટે શ્રેષ્ઠ એ જ છે કે તેઓ તેમના ગૌવધ અને અહિંસક સમાજને લગતી બંધારણીય જોગવાઈઓ રદ કરવા બીજેપીની કેન્દ્ર સરકાર સામે આંદોલન કરે. આમેય ફરેબી કારણસર પણ આંદોલન કરવા તે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ગળથુથીમાં છે.
કોંગીઓને દંભ સદી ગયો છે.
શું કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ બંધારણીય જોગવાઈઓ રદ કરવા માટે આંદોલન કરશે?
નાજી.
આ લોકોને દંભ સદી ગયો છે અને તેમને તેમાં ફાવટ છે. એટલા માટે તો તેમણે જનતાને અભણ, ગરીબ રાખી છે. સરકારે તેમને ફેંકેલા ટૂકડાઓ ઉપર નભતી કરી દીધી છે.
૬૦ વર્ષના શાસન પછી પણ બંધારણીય જોગવાઈને રદ પણ કરી નથી, તેમજ બંધારણીય જોગવાઈની દિશામાં એક કદમ ભર્યું નથી.
હા એક વાત ચોક્કસ છે કે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓએ બંધારણે નિર્દેશેલી દીશાથી ઉંધી દિશામાં જરુર પ્રગતિ કરી છે.
જો આમ હોય તો પછી સાચી દિશાના કદમ માટે કેટલા વર્ષ જનતાએ રાહ જોવાની?
કોંગીએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ તેમના આચારો દ્વારા સિદ્ધ કર્યું છે કે “દંભ એટલે શું તે અમે જાણીએ છીએ, પણ તેમાંથી અમે નિવૃત નહીં થઈએ. નિષ્ઠા એટલે શું તે પણ અમે જાણીએ છીએ પણ અમે તેમાં પ્રવૃત્ત નહીં થઈએ.” આવા વલણને કારણે ઉદભવતા પરિણામોને સમજવા માટે મહાભારત વાંચો.
ખાવાની સ્વતંત્રતા, ધર્મ, તર્ક અને તંદુરસ્તી વચ્ચે કંઈ સંબંધ છે?
બધા દેવો
ગાયની અંદર છે તેનો અર્થ શો?
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ગૌ હત્યા, દંભ, કોંગી, નહેરુ, વચન, બંધારણીય પ્રાવધાન, બંધારણીય આદેશ, મત માટેના ઓજાર, પ્યાદા, બિમારુ, તાર્કિક ચર્ચા, હિન્દુ, અહિંસક સમાજ, પ્રલંબિત શાસન, નિપજ, પૂર્વનિયોજિત, કાશ્મિરી હિન્દુઓ, હત્યા, તપાસ પંચ, ગાંધીજી, દારુબંધી, ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન
લાંબી ધારે દુગ્ધપાન
Posted in માનવીય સમસ્યાઓ, tagged અનામતીયા, આનંદીબેન પટેલ, ઇન્દિરા, કેશુભાઈ, કોંગી, કોંગ્રેસ, ગાંધીજી, ઘેલા, ચિમનભાઈ, ચેપ, જુથ, તેજીને ટકોરો, દુગ્ધપાન, નવનિર્માણ, નહેરુ, નહેરુવીયન, પાટીદાર, ફેશન, બલુન, બા, ભક્ષ્ય, મુઠ્ઠી ઉંચેરા માનવી, રાહુ, લાંબી ધારે, શીંગ, સંકર, સંગઠન, સમાજવાદ, સરદાર પટેલ, સુરુચિ ભંગ on November 20, 2015| Leave a Comment »
લાંબી ધારે દુગ્ધપાન
હાજી … નહેરુવીયન કોંગ્રેસ એટલે કે કોંગી, અનામતીયા
પાટીદારોને લાંબીધારે દુગ્ધપાન કરાવશે.
આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે.
હાજી આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે. કારણ કે મારે અગણિત પાટીદાર મિત્રો છે અને તેઓ અનામતમાં માનતા નથી. એટલે સામાન્યીકરણ કરી સમગ્ર પાટીદાર જાતિને અપમાનિત ન કરી શકાય.
જે પાટીદારો અનામત મેળવવા માટે બીજેપી ની સામે પડ્યા છે અને ચોર (નહેરુવીયન કોંગ્રેસ)ની વાદે ચણા ખાવાના અભરખા રાખે છે તેઓ બલુન છે. (“ચોરનીવાદે ચણાખાવા” એ એક કાઠીયાવાડી શબ્દપ્રયોગ છે).
બલુનમાં ભેજુ ન હોય. બલુનમાં હવા હોય. નહેરુવીયન કોંગીઓએ હવા ભરી એટલે આ બલુન ઉડ્યાં છે.
જો આ બલુનોમાં ભેજુ હોત તો નહેરુવીયન કોંગીને ચાળે ચડ્યાં ન હોત.
લાંબી ધારે દુગ્ધપાન એટલે શું?
જેઓ તળપદી ગુજરાતીથી અજ્ઞ નથી તેઓ “લાંબી ધારે દુગ્ધપાન” શબ્દ પ્રયોગનો અર્થ સુપેરે જાણે છે. જો કે “દુગ્ધપાન” શબ્દ “સુરુચિનો ભંગ” ન થાય એટલા માટે વાપર્યો છે.
કોંગી એટલે કોંગ્રેસ (આઈ) એટલે કે “ઈન્દિરા કોંગ્રેસ” માટે વપરાતો શબ્દ હતો અને હજી પણ તે માટે વપરાય છે. જો કે કોંગ્રેસના વંશવાદી લક્ષણ ૧૯૫૦ પછી નહેરુ દ્વારા પ્રદર્શિત થયા એટલે “નહેરુવીયન કોંગ્રેસ” શબ્દ વધુ યોગ્ય છે. પક્ષ એટલે પાર્ટી. પક્ષ પુલ્લિંગ છે. પાર્ટી સ્ત્રીલિંગ છે. એટલે દુગ્ધપાન સાથે કોંગી શબ્દનો વધુ મેળ ખાય છે.
બિચારા આ બલુનો ભૂલી ગયા કે કેશુભાઈને કોણે ગબડાવેલા? આ સંકરસિંહ વાઘેલાએ જ તો તેમને ગબડાવેલા. હવે જો શબ્દોની રમત રમવી હોય તો “વાઘેલા” ને બદલે “વા ઘેલા”, કે “વા” ને બદલે “અ” પણ વપરાય. કે “બા” (સોનિયાબા માં પણ બા શબ્દને ઉઠાવાય) પણ વપરાય. પણ જવા દો એવી શબ્દોના પ્રાસથી સત્ય સિદ્ધ થતું નથી. એટલે એ પ્રયોગો આપણા દેશના “રાહુ” કે “અ ધેલા” જેટલી કિમતવાળા લોકો માટે રાખીએ.
કેશુભાઈને કોણે ગબડાવ્યા?
આ સંકરશીંગ જ ઉતાવળ ને ઉતાવળમાં હાથ ધોયા વગર કેશુબાપાને ઉથલાવવામાં પડી ગયેલા. આ સંકરશીંગ જરા પૉરૉ ખાવા પણ ઉભા રહ્યા ન હતા. (ભાઈઓ અને બહેનો, ભૈયાજીભાઈઓ સિંહનો ઉચ્ચાર સીંગ કરે છે. અને આપણા કેટલાક ભાઈઓ “હ્રસ્વ દીર્ઘના ભેદમાં ન માનવું” એવી ચળવળ ચલાવે છે. “શ”, “ષ” અને “સ” ના ભેદમાં પણ ન માનવું, તે પણ, આમ તો તે જ વિચારધારામાં આવે છે. પણ આ વિષે આપણે ચર્ચા નહીં કરીએ. ક્યારેક આપણે તેમની મજાક પણ કરવી જોઇએ.) બિચારા બલુનો ભૂલી ગયા કે આ સંકરશીંગ વાઘેલાએ તેમને “હજુરીયા” કહેલ. આ સંકરશીંગભાઈએ ચિમનભાઈ પટેલ પાસે થી “ચેપ” લીધેલ.
આ “ચેપ” વળી શું છે?
ભાઈઓ અને બહેનો, રાજકારણમાં જેમ પેચ લડાવવાની પ્રણાલી કે ફેશન છે તેમ રાજકારણમાં “ચેપ” લેવાની ફેશન છે. ઘણી જાતના ચેપ હોય છે.
પહેલો ચેપ “પક્ષમાં જ જુથ”
પહેલો “ચેપ” એ હતો કે પક્ષની અંદર જ એક “વહાલું” જુથ બનાવવું જેથી જ્યારે જરુર પડે ત્યારે આપણા આ “વહાલા” જુથના સભ્યો સિવાયના સભ્યોને “દવલા” બનાવી શકાય અને આપણે નવો પક્ષ બનાવવો હોય તો લોકશાહીમાં સરળતા રહે છે. (સામ્યવાદમાં આ શક્ય નથી. ત્યાં તો કાં તો જીતો કાંતો ખતમ થાઓ.)
આ “ચેપ” વિષે જો રોયલ્ટી આપવાની થાય તો તેની રોયલ્ટી નહેરુને મળે. કોંગ્રેસમાં બે જુથો હતાં. જહાલ અને મવાળ. મવાળ જુથ આગળ ચાલ્યું. એ પછી આપણા સમાજવાદી જવાહરલાલ નહેરુએ એક “સમાજવાદી” ગ્રુપ બનાવ્યું. એના બે ભાગ પડ્યા અને એક ભાગ કોંગ્રેસથી જુદો થયો. આ ભાગ પ્રજાસમાજવાદી પક્ષ તરીકે જુદો પક્ષ બન્યો. વાત બહુ લાંબી છે. એટલે એની ચર્ચા નહીં કરીએ.
જવાહર લાલ પોતાને સમાજવાદી માનતા કારણ કે વીસમી સદીના પૂર્વાર્ધમાં સમાજવાદમાં માનવું એ પોતાને “તરવરીયા યુવાન”માં ખપાવવા માટેની એક માન્ય ફેશન હતી !!
જ્યારે સ્વતંત્રતા હાથવેંતમાં આવી ત્યારે પ્રણાલી પ્રમાણે કોંગ્રેસે તેની પ્રાંતોની સમિતિઓ પાસેથી વડાપ્રધાન પદ માટેની ભલામણો માગી. એક પણ પ્રાંતે નહેરુના નામની ભલામણ કરી ન હતી.
નહેરુ લોકપ્રિય હતા તેની ના ન પાડી શકાય. કોઈ એક વ્યક્તિ, પક્ષમાંના યુવાનોમાં લોકપ્રિય હોય અને જનતામાંના યુવાનોમાં લોકપ્રિય હોય એનો અર્થ એવો નથી કે પક્ષના સંગઠનમાં પણ તે વ્યક્તિ એક નંબરનો હોય.
પક્ષના સંગઠનમાં સામુહિક અને અનુભવી નેતાઓનું વર્ચસ્વ હોય છે. કારણ કે દેશ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. તેવીજ રીતે પક્ષ પણ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. યુવાનો ચંચળ મનોવૃત્તિના હોય છે અને તેમને જલ્દી ફસાવી અને ફોસલાવી શકાય છે. જેમકે “નવનિર્માણ” નું આંદોલન, યુવાનોએ ચલાવેલ. આ આંદોલન યુવાનોએ નહેરુવીયન કોંગ્રેસ સામે ચલાવેલ. તેમાંના તે વખતના કેટલાક, આગળ પડતા નેતાઓ, થોડા સમય પછી નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા હતા. અત્યારે પણ નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.
નહેરુના સમાજવાદને કોંગ્રેસના મૂર્ધન્ય નેતાઓ સમજી શકતા ન હતા. પણ નહેરુની સમાજવાદની પપુડી વાગ્યા કરતી હતી. જવાહરલાલ નહેરુ ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ તેમને જણાવ્યું કે વડાપ્રધાનના પદ માટે, તેમના નામની ભલામણ એક પણ પ્રાંતીય સમિતિએ કરી નથી.
“તેજીને ટકોરો હોય” અને “શાણો માણસ સાનમાં સમજી જાય”. ગાંધીજીનું કહેવું એ હતું કે “હે જવાહર, તું હવે તારી ઉમેદવારી પાછી ખેંચી લે… કારણ કે દેશનો નેતા પ્રાંતીય સમિતિઓની સર્વસંમતિથી થાય એ યોગ્ય રહેશે”.
નહેરુ આ વાત સમજી ન શકે તેવા મૂઢ ન હતા. તેમણે વિચાર્યુ કે પક્ષની અંદરનું મારું સમાજવાદી જુથ તો મારી સાથે છે જ. પક્ષની બહારના અનેક બીજા જુથો મારા જુથમાં ભળી જશે અને મને સહકાર આપશે. જનતામાં પણ હું લોકપ્રિય તો છું જ. પક્ષની અસાધારણ સભા બોલાવવા જેટલા સભ્યો તો મારી પાસે છે જ. એટલે કોંગ્રેસના ભાગલા પાડી નવો પક્ષ સહેલાઈ થી બનાવી શકીશ. નહેરુ માટે ઉપરોક્ત વાત શક્ય હતી.
ગાંધીજીની વાત સાંભળી નહેરુ ખીન્ન તો થયા. નહેરું કશું બોલ્યા વગર ગાંધીજીનો ખંડ છોડીને જતા રહ્યા. ગાંધીજીને એ વાતની ગંધ આવી ગઈ કે નહેરુ કોઈ પરાક્ર્મ કરવા કૃતનિશ્ચયી છે. એટલે કે કોંગ્રેસના ભાગલા કરવા કૃતનિશ્ચયી છે.
સરદાર પટેલ, નહેરુથી એક મુઠ્ઠી ઉંચેરા માનવી હતા
કહેવાતા સમાજવાદી નહેરુના મુખ્ય હરિફ સરદાર પટેલ હતા. નહેરુના સાથીદારો સરદાર પટેલને “મૂડીવાદીઓના પીઠ્ઠુ”, “સ્થાપિત હિતોના પીઠ્ઠુ” “બુર્ઝવા” તરીકે ભાંડતા હતા. આ વાતથી દેશ અજાણ્યો ન હતો એટલે આ વાતની ગાંધીજીને ખબર ન હોય તે બનવા જોગ નથી. એટલે જ ગાંધીજીએ સરદાર પટેલને બોલાવ્યા. પોતાનો ભય બતાવ્યો કે હાલના સંજોગોમાં જો કોંગ્રેસ તૂટશે તો દેશના અનેક ટૂકડા થશે. નહેરુ પોતાને માટે કમસે કમ ઉત્તરાંચલિસ્તાન તો અલગ કરશે. ખાલિસ્તાન, દલિતીસ્તાન, દ્રવિડીસ્તાન અને કેટલાક સ્વતંત્ર રહેવા માગતા રાજાઓ, આ બધી માગણીઓને નહેરુ કે તૂટેલી કોંગ્રેસ નિવારી નહીં શકે. આ બધું નિવારવા માટે આર્ષદૃષ્ટા અને વહીવટી રીતે કુશળ સરદાર પટેલ જ યોગ્ય છે. સરદાર પટેલે ગાંધીજીને વિશ્વાસ આપ્યો કે તે કોંગ્રેસને તૂટવા દેશે નહીં. અને આપણે જોઇએ છીએ કે સરદાર પટેલે બાજી કેવી રીતે સંભાળી લીધી.
આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે સરદાર પટેલને “કોમ્યુનલ” કહીને હૈદરાબાદમાં ધૂતકારેલ કોણે? ખુદ જવાહર લાલ નહેરુએ.
જે નહેરુવીયન કોંગ્રેસના પાયામાં જ સરદાર પટેલનો અનાદર અને અપમાન હતા, તે જ નહેરુવીયન કોંગ્રેસ જ્યારે (લાંબી ધારે) “દુગ્ધપાન” કરાવવાની લાલચ આપે છે ત્યારે આ અનામતીયા પાટીદારો તેના ખોળામાં બેસવા તૈયાર થઈ ગયા તેને તમે હૈયા ફુટ્યા નહીં કહો તો શું કહેશો?
આ કોઈ હાઈપોથીસીસ નથી. આ વાતની આ રહી સાબિતી. દેશમાં બધું ઠરીને ઠામ થયું. કોંગ્રેસમાં નહેરુ એકચક્રી રાજા થયા અને જ્યારે ચીન સામે ભારતનો કરુણ પરાજય થયો, ત્યારે નહેરુએ “કામરાજ પ્લાન હેઠળ, સરદાર પટેલના વારસદાર મોરારજી દેસાઈને કેવી રીતે બદનામ કર્યા અને મંત્રીમંડળમાં થી હટાવ્યા તે આપણે જાણીએ છીએ. એટલું જ નહીં તેમણે પ્રજાસમાજવાદી પક્ષને પણ પોતાની જોડે કેવો ભેળવી દીધો તે પણ આપણે જાણીએ છીએ.
“આયારામ ગયારામ” ના જનક નહેરુ હતા.
આ ચેપ સૌપ્રથમ ચરણસીંગે યુપીમાં “સંયુક્ત વિધાયક દલ” સ્થાપીને યુપીમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારને ઉથલાવી. પછી તો આ ચેપ ઘણાને લાગ્યો. જેમકે બંસીલાલ, ભજનલાલ, સુખડીયા, ચિમનભાઈ, એનટી રામારાવ, તેના જમાઈ ચંદ્રબાબુ નાયડુ, જય લલિતા આદિ. આપણા સંકરશીંગે પણ તે ચેપને અપનાવ્યો.
બીજો ચેપઃ “ધરાર ખોટું બોલવું”
નહેરુએ તત્વજ્ઞાની શબ્દો વાપરી વિતંડાવાદ ઉત્પન્ન કરતા અને પોતાના જુઠાણાનો બચાવ કરતા. ગઈ સદીના પચાસના દશકામાં તેમણે ચીનની લશ્કરી ઘુસણ ખોરીનો બચાવ આ રીતે કરેલો, “ચીને કોઈ ઘુસણખોરી કરી નથી (મસ્જીદમાં ગર્યો તો જ કોણ?)…એ પ્રદેશ તો ઉજ્જડ છે. ત્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નથી… લાઈન ઓફ કન્ટ્રોલની કોઈ વ્યાખ્યા નથી, યુદ્ધથી કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી, યુનોદ્વારા કોઈ પ્રશ્નો ઉકેલાયા નથી…”
તત્વજ્ઞાની વિતંડાવાદ કરવો, ધરાર ખોટું બોલવું અને તારતમ્યોવાળા નિવેદનો કરવા એ વલણ ઈન્દિરા ગાંધીએ પૂરબહારમાં વિકસાવ્યું હતું. “આત્માનો અવાજ, કટોકટી અનુશાસન પર્વ છે, હમારા લક્ષ્ય સબસે નમ્ર વ્યવહાર, જેવા અનેક, સ્લોગનો વહેતા મુકેલા હતા.
નહેરુવીયન કોંગ્રેસનું બીજું ગુજરાતી ભક્ષ્ય “ચિમનભાઈ પટેલ”
ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસને મજબુત કરવામાં ચિમનભાઈ પટેલનો સિંહફાળો હતો. ૧૯૭૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસને ૧૬૨માંથી ૧૪૦ બેઠક અપાવનાર ચિમનભાઈ પટેલ હતા. તેથી ચિમનભાઈ પટેલ વિધાનસભાના નહેરુવીયન કોંગ્રેસમાં અસાધારણ બહુમતિ ધરાવતા હતા. પણ ચિમનભાઈ આજ્ઞાંકિત ન હતા. ઘનશ્યામભાઈ ઓઝાને હટાવીને ચિમનભાઈ પટેલ ધરાર મુખ્ય મંત્રી થયા.
પણ કોંગીને ખાટલે ખોડ હતી.
કોંગીનું મૂળ ભ્રષ્ટાચારમાં હતું. ભ્રષ્ટાચાર તો કોંગીની ગળથુથીમાં હતો. કોંગીની સામે નવનિર્માણનું આંદોલન થયું અને ચિમનભાઈને કોંગીએ પદભ્રષ્ટ કર્યા. ચિમનભાઈએ પુસ્તિકા લખી કે કોંગીના કુળદેવીએ કેવી રીતે ગુજરાતમાંથી પૈસા ઉઘરાવેલા. કોંગીએ ચિમનભાઈની પક્ષમાંથી હકાલપટ્ટી કરેલી. ચિમનભાઈએ કિસાન-મઝદુર-લોક-પક્ષ સ્થાપ્યો.
આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે ચિમનભાઈ પટેલની રેવડી દેણેદાણ કોણે કરેલી? ઇન્દિરા ગાંધીએ જ તો તેમને જેલમાં પૂરેલ અને ટોર્ચર કરેલ. એટલે ચિમનભાઈએ તેમના પક્ષ કિમલોપ નો લોપ કરી નહેરુવીયન કોંગ્રેસમાં પોતાની જાતને ભેળવી દીધેલી. અને આ નહેરુવીયન કોંગ્રેસે તેમને તરણું મોઢામાં લેવડાવેલ.
આ બલુનોમાં અક્કલ કે આબરુ કે સ્વમાન જેવું છે જ ક્યાં?
કુતરા અને ગધેડાને તમે મારો તો તેઓ તેની વેદના બીજી ક્ષણે ભૂલી જાય છે. તમે ભક્ષ્ય ધરો એટલે પંછડી પટપટાવતા તમારી પાસે આવી જાય છે. યાદ કરો સંસ્કૃતનો શ્લોકઃ “સારમેય ચ અશ્વસ્ય, રાસભસ્ય વિશેષતઃ, મુહૂર્તાત્ પરતો નાસ્તિ પ્રહાર જનિતા વ્યથા.
ધિક્કાર છે આવા બલુનીયા પાટીદારોને જેઓ “ભારત સર્વ પ્રથમ” ને બદલે પોતાની જાતને પ્રાથમિકતા આપે છે અને તે માટે મુસલમાન થવા પણ તૈયાર છે.
કોંગીનું ત્રીજું ભક્ષ્ય હતું કેશુભાઈ પટેલ.
કોંગીએ સંકરશીંગને (લાંબી ધારે) દુગ્ધપાન નો વાયદો કરેલ. સંકરશીંગ વાઘેલાએ પહેલાં તો પોતાનું પપુડું વગાડેલ કેશુભાઈને ગબડાવેલ. પછી અસ્તિત્વ ટકાવવા તેઓ કોંગીમાં ભળ્યા. કોંગીએ સંકરશીંગને કેટલું દુગ્ધપાન કરાવ્યું તે આપણે જાણતા નથી.
બીજેપીના પ્રભારી નરેન્દ્ર મોદીએ બીજેપીને જીતાડી કેશુભાઈને પૂનર્ સ્થાપિત કરેલ.
પણ જણનારીમાં જોર ન હોય તો સુયાણી બિચારી શું કરે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપી હારવા માંડી. હદ તો ત્યારે થઈ કે ૧૯૭૫માં ઈન્દિરાઈ કટોકટીમાં પણ અમદાવાદની મ્યુનીસીપાલીટીની ચૂંટણીમાં જનતાપાર્ટી જીતી હતી અને કોંગી હારી હતી, તે અમદાવાદની ચૂંટણી ૨૦૦૦માં કોંગી જીતી ગઈ અને બીજેપી હારી ગઈ.
કોંગીનું ચોથું ભક્ષ્ય છે આનંદીબેન પટેલઃ
કોંગી જ્યારે ક્યારેય પણ બહુમતિ ન આવે ત્યારે બીજા પક્ષોનો સાથ લે છે. કેરાલાની સામ્યવાદી સરકારને હરાવવા માટે કોંગીએ ઘોર કોમવાદી મુસ્લિમ લીગની સાથે ૧૯૫૮-૫૯માં જોડાણ કરેલ.
કોંગી માટે જો આવું શક્ય ન હોય તો તે “ચરણશીંગ” ની તલાશ કરે છે. ગુજરાતમાં તો ૧૯૭૬માં ચિમનભાઈ પટેલ હાથવગા હતા. લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપવાની જરુર ન હતી. કટોકટીમાં તો ડંડો જ પૂરતો હતો.
કોંગીએ ૧૯૭૯માં ચરણસીંગને લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપી. ચરણ સીંગે મોરારજી દેસાઈ ની સરકારને ગબડાવી. તે પછી તો ઇન્દિરાએ ભીંદરાનવાલે ને તેવીજ લાલચ આપીને પંજાબમાં મોટાભા બનાવેલ. પણ એમાં થોડી ચૂક થઈ ગઈ અને કોંગ-માઈએ જાન થી હાથ ધોયા.
લાંબી ધારે દુગ્ધપાનની લાલચના મૂળ ઉંડા છે. તે કંઈ ફક્ત સરકારો ઉથલાવવા માટે જ નથી. મત માટે પણ છે. કોંગી માઈએ તેનો ઉપયોગ અનામત માટે ઘણો જ કરેલ છે.
સૌ પ્રથમ તો અનામત ફક્ત અંત્યજો-અસ્પૃશ્યો માટે જ હતી. કારણ કે જેઓ સ્પર્શ માટે પણ લાયક ન હોય તે આર્થિક રીતે કેવી રીતે ઉંચે આવી શકે? એટલે તેમને માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. પણ પછી કોંગીએ જમને પેધો પાડ્યો.
જેને જેને એમ લાગતું હોય કે પોતે પછાત છે તેઓ સૌ કોઈ આવેદન આપે. એમ કરતાં કરતાં બ્રાહ્મણ ક્ષત્રીય અને વૈશ્ય સિવાય બધા અનામતમાં આવવા લાગ્યા. છેલ્લે છેલ્લે વિશ્વકર્માના સંતાનો(જેઓ વાસ્તવમાં બ્રાહ્મણ હતા પણ ભણતા નહીં અને બાપિકો ધંધો ચલાવતા)નો નંબર પણ લાગી ગયો. જેઓ ખેતી કરતા તેઓ વૈશ્ય હતા પણ વેપારને બદલે ઉત્પાદન કરતા તેઓ પાટીદાર કહેવાય. તેઓ ભણવા પણ લાગ્યા અને વેપાર પણ કરવા લાગ્યા.
કોંગીની દાઢ સળકી
કોંગીને રાજસ્થાનના અનુભવે જ્ઞાન લાધ્યું કે તોફાનો કરીને, બસો સળગાવીને, રેલ્વે વ્યવહાર ખોરવીને, બસસ્ટેન્ડોને સળગાવીને, રેલ્વેના પાટા ઉખેડીને અને જાહેરજીવન અસ્તવ્યસ્ત કરીને, સરકારોને ઉથલાવી શકાય છે તો પછી ચરણશીંગને શોધવાની પ્રક્રિયા ચાલુ રાખીને પણ, કોઈ કોમ્યુનીટીને (લાંબી ધારે) દુગ્ધપાનની લાલચ કેમ ન આપવી. એવું પણ બને કે આમ કરતાં કરતાં પણ કોઈ ચરણશીંગ હાથ લાગી પણ જાય.
જો કે હજુ સુધી ગુજરાતમાં કે કેન્દ્રમાં કોંગીને કોઈ ચરણશીંગ હાથ લાગ્યા નથી. એ વાત પછી ક્યારેક કરીશું.
કોંગી માટે એક બીજી પણ મુશ્કેલી છે કે કોંગી અત્યારે બારાજા* છે. દુગ્ધ કન્ટેઈનર એટ્રેક્ટીવ નથી. શરીર સંપત્તિમાં શરીરની અંદર(ચરબી=કાળું લાલ નાણું)ની સંપત્તિની કોઈ ખોટ નથી. શરીરની અંદરની સંપત્તિ કંઈ થોડી અપાય છે? આપણે કંઈ શિબિરાજાના વંશજ નથી.
દુગ્ધપાન એ દુગ્ધપાન છે. લાંબી ધારનું હોય કે ટૂંકી ધારનું (ટૂંકી ધારનું ઔરસ માટે હોય છે) હોય. પણ કોંગી માને છે કે દુગ્ધપાન ની લાલચ તો આપી જ શકાય. આપણું દુગ્ધ કંટેનર કેટલું એટ્રેક્ટીવ છે અને દુગ્ધથી ફાટ ફાટ થાય છે કે નહીં તેની બીજાને ક્યાં ખબર છે? દુગ્ધપાન ભવિષ્યમાં કેવીરીતે કરાવશું, કરાવશું કે નહીં તે પણ આપણી મુનસફ્ફીની વાત છે. જીભ સાબદી તો ઉત્તર ઝાઝા. અને “ધરાર ખોટું બોલવું”નો આપણને ક્યાં આભડછેટ છે? (અનામતના) લોભીયા હોય ત્યાં ધૂતારા પણ હોય.
શિરીષ મોહનલાલ દવે
* શુષ્ક પ્રલંબિતસ્તના. વસુકી (મોનો પોઝ) જવાની તૈયારી !!
ઝવેરચંદ મેઘાણીની કોઈ વાર્તામાંથી અધિગત થયેલો શબ્દ છે.
ટેગ્ઝઃ લાંબી ધારે, દુગ્ધપાન, નહેરુવીયન, નહેરુ, કોંગ્રેસ, કોંગી, ઇન્દિરા, અનામતીયા, પાટીદાર, બલુન, સુરુચિ ભંગ, કેશુભાઈ, સંકર, શીંગ, ઘેલા, બા, રાહુ, ચેપ, ભક્ષ્ય, નવનિર્માણ, સમાજવાદ, ફેશન, જુથ, સંગઠન, ગાંધીજી, તેજીને ટકોરો, મુઠ્ઠી ઉંચેરા માનવી, સરદાર પટેલ, આનંદીબેન પટેલ, ચિમનભાઈ
ગુજરાતને કેન્દ્ર સરકારનો હડહડતો અન્યાય અને કોંગીનું સ્પષ્ટી કરણ
Posted in માનવીય સમસ્યાઓ, tagged અન્યાય, કેન્દ્ર, કોંગી, ગુજરાત, જવાબ, ઝોનલ, તારાપુર, થપ્પડ, નહેરુવીયન, પશ્ચિમ રેલ્વે, ભાવનગર, મથક, સરકાર, સ્ટાઈલ on September 14, 2012| 2 Comments »
નહેરુવીયન ગીતાની અસર
ગુજરાતને કેન્દ્ર સરકારનો હડહડતો અન્યાય અને કોંગીનું સ્પષ્ટી કરણ
આમ તો ગુજરાતની પ્રજા પોતાને થતા અન્યાયો વિષે માહિતગાર છે. સમાચાર માધ્યમોમાં ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા થતા અન્યાયો વિષે થતી જાહેરાતો આવે છે. નહેરુવીયન કોંગ્રેસ દ્વારા થતા સ્પષ્ટી કરણો પણા આવે છે. પ્રતિ આક્ષેપોની જાહેરાતો પણ થતી જોવામાં આવે છે.
ગુજરાતની પ્રજા, અન્યાય સ્વરુપી થપ્પડો ખાતી આવી છે. પણ નરેન્દ્ર મોદી હવે તેની જાહેરાત કરે છે. આ જાહેરાત રુપી થપ્પડો નહેરુવીયન કોંગ્રેસ અને ખાસકરીને ગુજ્જુ કોંગીઓને બરાબરની વાગી હોય તેવું લાગે છે.
અન્યાય રુપી થપ્પડો તો કોંગી જ મારતી આવી છે પણ તે અવળવાણીમાં એમ કહે છે કે થપ્પડ મારવી તેના સંસ્કારમાં નથી. ૧૯૭૫-૧૯૭૭ સુધીની કટોકટી આમ તો થપ્પડોથી પણ વધુ હિંસક હતી.
અન્યાય રુપી થપ્પડોના એપીસોડની મૂળવાત ઉપર આવીએ. જે પ્રકારનું અને જે અદાથી કોંગીનું સ્પષ્ટી કરણ જોવા મળે છે તે જોતાં, ગુજરાતને થયેલા કે દેશને થયેલા જે અન્યાયો કે વાયદાઓ હજી જાહેર પ્રચારમાં આવ્યા નથી તે જો જાહેર કરવામાં આવે તો નહેરુવીયન કોંગ્રેસ તેની સામે શું જવાબ આપશે તે સ્ટાઈલ આપણે જોઇએ.
અન્યાયો અને ઉત્તરોઃ
અન્યાય નંબર -૧.
ભાવનગર તારાપુર રેલ્વે લાઈનઃ આ રેલ્વે લાઈનનું વચન ૧૯૫૨માં આપવામાં આવેલ. ૧૯૫૪ના અરસામાં એવા પણ સમાચાર આવેલ કે પાટાની સ્લીપરોના ટેન્ડરો પણ તૈયાર થઈ ગયેલ. આ પ્રોજેક્ટ આજની તારીખ સુધી વિલંબિત છે. આ રેલ્વે લાઈનથી મુંબઈ અને ભાવનગર વચ્ચેનું અંતર ૩૫૦ કીલોમીટર જેટલું ઘટી જાય. આ પ્રોજેક્ટ ૬૦ વર્ષથી અકારણ જ ઘોંચમાં પાડ્યો છે.
નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ આવો કોઈ હડહડતો અન્યાય થયો નથી. અને તેમાં કશું વજુદ નથી. ભાવનગર ને એક જ નહીં બબ્બે રેલ્વે સ્ટેશનો છે. અને બંને સ્ટેશને ગાડીઓ અને માલગાડીઓ આવે છે અને ઉભી પણ રહે છે. ગાડીઓ વિષેની માહિતીઓ “સમય સારણી”ના બોર્ડ ઉપર જણાવેલી જ છે. વળી ભાવનગરથી વાંઈન્દ્રા (બાંદરા), એક ગાડી રોજ જાય છે અને તેવી જ રીતે બાંદ્રા (વાંઈન્દ્રા) થી ભાવનગર પણ એક ગાડી રોજ જાય છે. આ ગાડી આણંદ અને નડીયાદ એમ બંને સ્ટેશને ઉભી રાખવાની વાત વિષે કોઈ માગણી થઈ નથી. આણંદથી કે નડીયાદથી તારાપુર જઈ શકાય છે. ટ્રેનમાં જવાની પણ સગવડ થઈ શકે છે.
અન્યાય નંબર – ૨.
ભાવનગરનો મશીન ટુલ્સ પ્રોજેક્ટઃ ૧૯૫૪ના અરસામાં દેશ માટે જાહેરક્ષેત્રના ચાર મશીન ટુલ્સના કારખાના મંજુર થયેલ. તેનું મુખ્ય કારખાનું ભાવનગરમાં નાખવાનું હતું. અને સબ્સીડીયરી ત્રણ કારખાના બીજે નાખવાના હતા. આ સબ્સીડીયરી કારખાના તો ૧૯૬૦-૬૮માં ચાલુ પણ થઈ ગયેલ. ભાવનગરના કારખાનાનું હજુ પણ ઠેકાણું નથી.
નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ મશીન ટુલ્સ એ માળખાકીય પ્રગતિ માટે નું એક અતિ મહત્વનું અંગ છે. જમીનના નવીનીકરણ અને રસ્તાઓના બંધકામ જ નહીં પણ કોઈપણ પ્રકારના બાંધકામમાં મશીન ટુલ્સ બહુ મહત્વના છે. રાજકોટમાં ૩૬૪૨૧ વીજળીની મોટરોના કારખાના છે અને વડોદરામાં ૪૨૧૨૨ ડીઝલ એન્જીનોના કારખાના છે. આ બંને મશીનો ખેતીના સીંચાઈના કામમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. ભારત અર્થ મુવર્સ અને ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ, મશીન જ નહીં ટ્રાન્સ્ફોર્મર્સ અને હજારો હોર્સ પાવરના મોટરો અને મશીઓ દેશમાટે બનાવે છે. આ બધાનો ગુજરાત ની નરેન્દ્ર મોદીની સરકારે કેટલો લાભ લીધો તેનો દસ વર્ષનો હિસાબ આપે.
અન્યાય નંબર – ૩.
પશ્ચિમ રેલ્વેનું વડું મથકઃ પશ્ચિમ ઝોનની ૯૦ ટકા રેલ્વે લાઈનો ગુજરાતમાં આવેલી છે. રેલ્વેનું રાષ્ટ્રીય કરણ થયું ત્યારથી, વડું મથક ગુજરાતમાં રાખવાની માગણી છે. પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયાં નથી.
નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ અમારી સરકાર આમ જનતા ના હિત માટે પ્રતિબદ્ધ છે. પશ્ચિમ ઝોનના વડા મથકને ગુજરાતમાં ખસેડવા માટે ની માગણી છે તે અમારા ધ્યાનમાં છે. જોકે ૯૦ ટકા લાઈનો ગુજરાતમાં છે તે વાત ભ્રામક છે. કારણ કે જે લાઈનો બંધ છે અને ઉખેડી નાખવામાં આવી છે તેને ગણત્રીમાં લેવાની કોઈ પ્રણાલી નથી કે એવી કોઈ જોગવાઈ કરી શકાય નહીં. જેમકે ભાવનગર – મહુવા જે ૧૦૦+ કીલોમીટર છે જે (પેસેન્જરોના અભાવે) ગીરાકીના અભાવે, પોષણક્ષમ ન હતી. આવી તો અનેક લાઈનો હતી જે બંધ થઈ છે. એટલે ગણત્રી બરાબર નથી. ભાવનગરને વિમાન મથક છે. અમદાવાદના વિમાન મથકનું આધુનીકરણ પુરું થવાની તૈયારીમાં છે. વળી આંતરરાષ્ટ્રીય વિમાન મથકનો પણ આમાં સમાવેશ થાય છે. મથકોની બાબતમાં ગુજરાતને કોઈ અન્યાય થયો નથી. નરેન્દ્ર મોદીએ છેલ્લા દશવર્ષમાં કેટલા બસ મથકો કર્યા તેનો હિસાબ આપે.
જનરલઃ આવા તો અનેક અન્યાયો વિષે જેમકે બોમ્બે હાઈ ઓએનજીસી, તાતા મીઠાપુર બહુયામી પ્રોજેક્ટ, કોસ્ટલ લાઇન, વિગેરે અનેકાનેક વિષે લખી શકાય અને તેના નહેરુવીયન સ્ટાઇલ જવાબો પણ કોંગી પાસે હોય છે.
શિરીષ મોહનલાલ દવે
તા.ક. કાર્ટુનીસ્ટભાઈનો આભાર
बिल्डराय नमः, भूमितस्कराय नमः
Posted in માનવીય સમસ્યાઓ, tagged અખબારો, અફસરો, આંદોલન પ્રિય, કમિશ્નરો, કોંગી, ગુજ્જુ, જમીન માફીયા, પત્રકારો, બિલ્ડર, બીજેપી on July 16, 2012| 1 Comment »
બિલ્ડરાય નમઃ, ભૂમિતસ્કરાય નમઃ દબાણકર્ત્રે નમઃ
and
વાંચવો.
અમેરિકન નાગરિક સ્ત્રી નો કિસ્સો:
સરકારી કર્મચારીઓ કોણ કોણ છે? કો ઓપરેટીવ સોસાઈટીઓના રજીસ્ટ્રાર છે, સચીવો છે, કમિશ્નરો છે, મામલતદારો છે, કલેક્ટરો છે, પોલીસ અધિકારીઓ છે, પ્રધાનો છે, અને કંઈક અંશે ન્યાયધીશો પણ છે.
હમણાં એક કિસ્સો બહુ ચમક્યો છે. ખાસ કરીને દિવ્યભાસ્કરમાં, જે એક ભારતીય મૂળની અમેરિકન નાગરિક સ્ત્રીને પોલીસ અને બીજાઓ દ્વારા હેરાન પરેશાન કરી નાખી તેને લગતો છે.
આ સ્ત્રી, પોતાના સ્વર્ગસ્થ પિતાજીની જમીન વેચવા ભારત આવેલી. હવે આ બેનને કેવા હેરાન કરવામાં આવ્યા તેની આખી વાત તારીખ ૧૫મી જુલાઈ ૨૦૧૨ ના દિવ્યભાસ્કરમાં લખેલી છે. આમ તો આપણા દિવ્યભાસ્કર ભાઈ અને કોંગી ભાઇઓ કોઈ પણ વાતને રાજકીય રંગ આપવામાં પાવરધા છે. એટલે સૌ પ્રથમ સવાલ એ ઉભો થયો કે હજી આમાં આપણી નરેન્દ્રભાઈની સરકારને સંડોવવામાં આવી કેમ નથી? પણ બીજે દિવસે એટલે કે આજે તારીખ ૧૬-૦૭-૨૦૧૨ ના અંકમાં દિવ્યભાસ્કરભાઈએ આ ખોટ પૂરી કરી.
શું આપણા દિવ્યભાસ્કરભાઈએ મોટી મોથ મારી છે? શું તેઓ પ્રશંસાને પાત્ર બની ગયા છે?
મોટી મોથ તો ન મારી કહેવાય. “ગુજરાત સમાચાર” જે “દિવ્યભાસ્કર”નું પ્રતિસ્પર્ધી ગણાય, તે અંદર સંડોવાયું હોય તો દિવ્યભાસ્કર ભાઈ મૂંગા રહે તે અસંભવ જ હોય. આ વાત યોગ્ય પણ ગણાય છે.
નરેન્દ્રભાઈ મોદી જેવા ની પાછળ આદુખાઈને પ્રમાણ ભાન રાખ્યા વગર તેમને બદનામ કરનાર, ગુજરાત સમાચારભાઈ બદનામ થાય તે પણ યોગ્ય જ ગણાય છે. જો કે દિવ્યભાસ્કર ભાઈ પણ નરેન્દ્રભાઈ મોદીની બદબોઈ કરવામાં ગુજરાત સમાચારની સ્પર્ધા કરે છે. બંને દુશ્મનો આ વાતમાં એક છે તે કંઈ સંશોધનનો વિષય નથી. આખા દેશના અને ગુજરાતના લોકો તો ચોક્કસ જ જાણી ચૂક્યા છે કે ખોટ પૂરી કરવા કે આગળ વધવા અખબારી ભાઈઓ જાતજાતના અશુદ્ધ ધંધાઓ અપનાવે છે.
જો સરકારી નોકરો, કોઈની મુસીબતનો કે મર્યાદાનો કે લાચારીનો ગેરલાભ ઉઠાવી પૈસા કમાઈ શકતા હોય તો અખબારી ભાઈઓ પણ કંઈ પાછા પડે તેવા નથી. અખબારી ભાઈઓ છઠ્ઠી જાગીરના ધણી કહેવાય છે. એટલે “પેઈડ ન્યુઝ એટલે કે પૈસા આપો અને સમાચાર છપાવો અથવા છપાનારા સમાચારો અટકાવો.” એ તો એમનો કાયમી ધંધો છે. પણ આ સગવડ હાથ વગી હોય ત્યારે બીજા ધંધા પણ કરી શકાય છે. આમાંના કેટલાક ધંધામાં બિલ્ડર, જમીન દલાલ, મિલ્કત ભાડે આપવા માટેના દલાલ, ભાડે આપેલી મિલ્કતને લોચામાં નાખનારા દલાલ, મિલ્કત ખાલી કરાવાના કામના દલાલ, મિલ્કતને કે જમીનને લોચાવાળી કરનારના કામના દલાલ, લોચાવાળી મિલ્કતને ખરીદ-વેચના દલાલ. દબાણ અને ગેરકાયદેસર બાંધકામ પણ આવા કામનો એક હિસ્સો જ. તમે એક દુર્ગુણ હસ્તગત કરો અને તેને તાબે થાઓ એટલે પછી બીજા બધા દુર્ગુણો તમારો કબજો કરે જ.
અમેરિકન બેનનો એવો તે કયો ગુનો
એક વાત સમજમાં આવતી નથી કે અમેરિકન બેનને દિવસો સુધી કયા આરોપસર પકડી રાખેલ? દિવ્યભાસ્કરે પણ એ વાતનો ફોડ પાડ્યો નથી. ત્રણ ત્રણ અઠવાડીયાઓ સુધી, ધરપકડમાં રાખવા પડે અને એટલે એવી તે કેવી પૃચ્છાઓ કરવી પડી કે જેથી કરીને આટલો બધો સમય લાગ્યો? એવો તે કેવો ગુનો એ બહેને કર્યો છે કે ત્રણ ત્રણ અઠવાડીયાઓ સુધીની હિરાસતની મંજુરી ન્યાયાલયે આપી! અમેરિકન બેન કે જે પોતાના સ્વર્ગસ્થ પિતાજીની જમીન વેચવા આવેલા તેઓ એવી તો હેસીયત ધરાવી ન જ શકે કે જેને માટે તેમને ત્રણ ત્રણ અઠવાડીયા સુધી ધરપકડમાં રહેવું પડે!
આપણા પત્રકારભાઈઓ, બીજેપી અને નરેન્દ્રમોદીને લગતી અઘ્યાપાદ્યાની વાતો પણ જાણતા હોય છે કે ચગાવતા હોય છે. તેમને માટે અમેરિકન બેન ઉપર પોલીસે ક્યા આરોપો લગાવ્યા, કેવીરીતે લગાવ્યા અને કયા આધારે લગાવ્યા? આ આધારો ક્યાંથી અધિગત થયા તે સર્વ બાબતો પત્રકારભાઈ ઓ ન જાણતા હોય તે અશક્ય છે. છતાં પણ પત્રકારભાઈઓ મારફત આ સઘળી હકિકતો ઉપર સંપૂર્ણ ઢાંક પીછોડો કરવામાં આવે છે તે બાબત જ દર્શાવે છે કે આખી માયાજાળ અને પ્રપંચમાં પત્રકારભાઈઓ, પોલીસો, અખબારના માલિકો, જમીન માફીયાઓ, બિલ્ડરો, ન્યાયતંત્ર અને રાજકારણીઓની વચ્ચે પૂર્વ સમજુતિ થયેલ છે અને તે પ્રમાણે સમાચારોને પ્રસિદ્ધ કરાય છે.
આમાં કોણ જેલમાં જશે અને કોણ નહીં જાય અને કેવીરીતે કડદાઓ થશે તે કોઈ કહી શકશે નહીં. પણ જનતા જાણે છે કે જે નિર્દોષ છે તે આ સહિયારા ગુન્હાઈત આચારમાં સહન કરશે જ. જમીન માફિયા અને તેમના હિતેચ્છુઓનો વાળ વાંકો નહીં થાય.
યાદ કરો
બિલ્ડર ભાઈઓએ ગેરકાનુની બાંધકામ વ્યાપકરીતે કર્યા અને ઉઘાડે છોગ કર્યા. મ્યુનીસીપાલીટીના અધિકારીઓએ ખુલ્લેઆમ બેદરાકરી કરી અને તે બદલામાં ઘી કેળા ખાધાં. બિલ્ડરભાઈઓએ અનધિકૃત બાંધકામ વેચી દીધાં. દાખલા તરીકે ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ જે રહેવાસીઓ અને મુલાકાતીઓના પાર્કીંગ માટે છે તેમના હક્કો ડૂબ્યા અને કહોકે ડૂબાડવામાં આવ્યા. ખરીદનારાઓને છેતરવામાં આવ્યા. આ ઉપરાંત બિલ્ડરોએ ૫૦ ટકા બ્લેક ના પૈસા સૌની પાસેથી લીધા. બધું જ ઉઘાડે છોગ થયું. અને છતાં ઈન્કમટેક્સ કમીશ્નર, મ્યુનીસીપલ કમીશ્નર, રજીસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાઈટી, લેબર કમીશ્નર, લૉઑફીસર, પોલીસ કમીશ્નર, ટ્રાફીક ઓફીસર, માનવ અધિકારવાદીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો અને લોન આપનારી બેંકોના મેનેજરો સહિત બધા જ ખુલ્લી આંખે અજાણ્યા બન્યા. ટીવી ચેનલોમાં કોઈ માઈનો લાલ ન નિકળ્યો કે જે છૂપા કેમેરાથી બધાનો પર્દાફાશ કરે. સૌ કોઈ બિલ્ડર અને જમીન માફીયાઓને દંડિત કરવાને બદલે જેઓ છેતરાયા છે, જેઓ ના હક્ક ડૂબાડવામાં આવ્યા છે તેમને દંડ કરવા માટેના નિરાકરણની વાતો લઈને આવ્યા.
બિલ્ડરોનું સૌપ્રથમ તો લાયસન્સ રદ કરવું જોઇએ. તેમની મિલ્કત જપ્ત કરવી જોઇએ. તેમની ઉપર જ માત્ર ઈમ્પેક્ટ ફી જ નહીં પણ જ્યાં સુધી સહન કરનારાઓના હક્ક પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી બિલ્ડરો પાસેથી ઈમ્પેક્ટ ટેક્સ વસુલ કરવો જોઇએ. ઉપર જણાવ્યા પ્રમાણેના બધા જ સરકારી હોદ્દેદારોને સસ્પેન્ડ કરવા જોઇએ. તેમના લાગતા વળગતા સ્ટાફને પણ સસ્પેન્ડ કરવો જોઇએ. જે ગુનાઓ જાણી જોઇએને કરવામાં આવ્યા હોય અને વ્યાપક રીતે થયા હોય તેવા ગુનાઓ સામે તો આંખ મીંચામણા કરી જ ન શકાય.
બિલ્ડરો અને જમીન માફીયાઓ હમેશા ભળેલા જ હોય છે. હવે તેમાં સમાચાર માધ્યમ વાળા પણ ભળ્યા. જોકે તેઓ ભળેલા જ હતા. આ તો હવે તેઓ છાપે ચડ્યા. સમાચાર માધ્યમના માલિકો કે ખબરપત્રીઓ અને ગુન્ડાઓ વાસ્તવમાં એક જ કક્ષાના ડાકુઓ છે. જમીન, દબાણ, અને ભાડવાત વાળી મિલ્કત એ બાબતને લગતા કેસો ને ચલાવવાની પ્રણાલી, નહેરુવીયન કોંગ્રેસે એવી સર્જી છે અને એવી ચલાવી છે કે તેમની કિમત અનુસાર દેશમાં દાઉદો અને શેરીઓમાં ટપોરીઓ પેદા થાય.
કેટલાના ભોગ લીધા?
જમીન માફીયાઓએ કેટલાના ભોગ લીધા?
બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ કરી ટ્રાફીક સમસ્યાઓ ઉભી કરી કેટલાના ભોગ લીધા?
મ્યુનીસીપલ કમીશ્નરે ગેરકાયદેસર કામકાજો થવા દઈ કેટલાના ભોગ લીધા?
નહેરુએ રેન્ટએક્ટ અને ક્ષતિયુક્ત ન્યાય પ્રણાલી ચાલુ રાખી કેટલા ભોગ લીધા?
આપણા ગુજ્જુ અને આંદોલનપ્રિય એવા કોંગી ભાઇઓ, છાસવારે વિવાદાસ્પદ અને બનાવટી બાબતો ઉપર આંદોલનો કરશે, ગુજ્જુ અખબાર નવીશો, બીજેપીની ઓફીસ પાસે બે સ્કુટર ઓછા પર્ક થશે કે કદાચ ન પણ થાય તો પણ ખૂબ જ ઓછા સ્કુટર પાર્ક થાય છે તેમ છાપી બીજેપી હવે ગભરાઇ ગયું છે અને નિસ્ક્રીય થઈ ગયું છે તેવા સમાચારો આપશે. પણ બિલ્ડર અને જમીન માફીયા આ અખબારનવીશો પોતે હોય કે ન હોય તો પણ, બિલ્ડર કે જમીન માફીયાનો વાળ વાંકો થાય તેવું કશું લખશે નહીં.
ચમત્કતિઃ
અમારા ભાવનગરના શ્યામસુંદર ભાઈએ એક વાત કરેલી,
એક મુરતીયા ભાઈ કન્યા જોવા ગયા. ભાઈ જરા ભોળા હતા. કન્યાના પિતાએ પૂછ્યું; “કોઈ વ્યસન ખરું તમને?”
મુરતીયા ભાઈએ જવાબ આપ્યો; “આમ તો ખાસ કંઈ નહીં, પણ આ જરા એલચી ખાવાની ટેવ ખરી.”
“કેમ?”
“આ બીડી પીધી હોય એટલે મોઢું જરા વાસ ન મારે એટલે એલચી ખાવી પડે”
“એટલે તમે બીડી પણ પીવો છો?”
“ના રે. આમ તો મને એવી કશી ટેવ જ ન હતી. પણ આ દોસ્તારો સાથે તીન પત્તી રમતા રમતાં એક બે ફૂંક મારવાનો આગ્રહ કરે તો શું કરું? આમ તો શરુઆતમાં મને ઉધરસ પણ આવી જતી. પણ સાહેબ, પછી તો ફસક્લાસ રીતે ગોળ ગોળ રીંગો વાળા ધુમાડા કાઢતો થઈ ગયો.”
“એટલે કે તમે તીન પત્તી પણ રમો છો?”
“ના રે. આમ તો મને પાના ટીપતાં પણ આવડતા ન હતા. એક બે ચીપ મારું એમાં તો પાના લસરી પડતા હતા. પણ જેલમાં ગયો એટલે ભાઈ બધો સાથે રહીને બરાબર શીખી ગયો.
“એટલે તમે જેલ પણ જઈ આવ્યા છો?”
“નારે આમ તો હું જેલમાં ન જાત. પણ જે વેશ્યા હતી ત્યાં પોલીસનો દરોડો પડ્યો. એમા હું પકડાઈ ગયો.”
“એટલે તમે વેશ્યાવાડે પણ જાઓ છો?”
“ના રે. હું શું કામ વેશ્યા વાડે જાઉં, પણ આ તો ચોરી કરી હોય તો જે કમાણી થાય તેમાંથી વાપરવા થોડા વાપરવા તો જોઇએ ને.”
“એટલે તમે ચોરી પણ કરો છો?”
“ના રે. હું શું કામ ચોરીઓ કરું. પણ આ જુગાર રમવામાં પૈસા હારી જઈએ એટલે દેવું થઈ જાય. તેને ભરપાઈ કરવા ચોરી કરવી પડે. બાકી આપણે તો ચોરીના પૈસા ગોમાંસ બરાબર છે.”
“એટલે ટૂંકમાં તમે જુગાર રમો છો, વેશ્યાવાડે જાઓ છો, અને પકડાઈને જેલમાં પણ જાઓ છો?”
“નારે હું શેનો જેલમાં જાઉં. જે હવાલદાર મને પકડવા આવેલો તેનો તો મેં ફેંટ મારીને પછાડી દીધેલો અને પછી ભાગેલો. પણ સામેથી ફોજદાર આવેલો અને એણે મને પાડી દીધો. આમ તો એને પણ હું પહોંચી વળત, પણ માળો ઈન્સ્પેક્ટર પણ સાથે હતો. એટલે એ બે જણ થયા. અને હું એકલો. એ લોકો બે ને બદલે એક જ હોત તો તો હું ફોજદારને તો અધમૂઆ કરી નાખતે … હા..”
“એટલે કે તમે મારામારી પણ કરો છો…. બધી વાતે પૂરા છો.”
“આ બધું એલચીની વાંહેવાંહે હાલ્યુ આવે છે…”
શિરીષ મોહનલાલ દવે
ટેગ્સઃ બિલ્ડર, જમીન માફીયા, અખબારો, પત્રકારો, કમિશ્નરો, અફસરો, બીજેપી, કોંગી, આંદોલન પ્રિય, ગુજ્જુ
“ચોક્ખું ઘી” અને “હાથી”
Posted in માનવીય સમસ્યાઓ, tagged કોંગી, ખાદી, ગાંધી માર્ગ, ચોક્ખું ઘી, નરેન્દ્ર મોદી, નલીનભાઈ મોદી, બેકારી, મીલનું કાપડ, મૂર્ધન્યો on October 22, 2010| 7 Comments »
સ્વામી સચ્ચીદાનંદ નો અંધશ્રદ્ધા ઉપરનો પૂણ્ય પ્રકોપ પ્રસંશનીય છે.
ભારતનું પછાતપણું એક હાથી છે.અને સુજ્ઞલોકો આંધળા ન હોવા છતાં પણ જાણે અજાણે આંધળાની જેમ વર્તે છે.
પણ હવે જુઓ; ‘જ્યારે એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં અખૂટ કુદરતી સંપત્તિ હોય છતાં ૭૦ ટકા માણસો ગરીબીની રેખામાં કેમ જીવે છે?’
ઉપરોક્ત પરિસ્થિતી એ એક હકિકત છે અને ગરીબીનો તાત્કાલિક ઉપાય ખાદી જ છે. ખાદી પહેરવાથી એસી ટ્રેનો, મર્સીડીસ ગાડીઓની ઝડપ, કે આકાશમાં ઉડતા વિમાનો અને રૉકેટો તૂટી પડવાના નથી. તો પછી માણસોને બેકાર રાખી ભૂખે શામાટે મારો છો?
જ્યારે મોરારજી દેસાઈની સરકારે ખાદીનો વિસ્તાર કર્યો ત્યારે મીડીયા દ્વારા એવા લેખો પ્રગટ થવા માંડેલા કે જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું થશે? જોકે તેનો જવાબ હતો કે તે મીલના કાપડનો એક્ષ્પોર્ટ થશે અને હુંડીયામણ મળશે. તો સામે સવાલ થતો કે પણ આ હુંડીયામણના ભરાવાને તમે કરશો શું? હુંડીયામાણ કંઈ ખાવાની વસ્તુ છે?
“ચોક્ખુ ઘી” ખાદી માટે તૈયાર નથી. “ચોક્ખું ઘી” મોટા પરિવર્તન માટે પણ તૈયાર નથી.
કોંગીને તો હેલમેટ માટે પણ વાંધો પડે છે.
સારી નેતાગીરી કેટલી અસરકારક બની શકે છે તે માટે “સલ્તનત એ ઓમાન”ના સુલ્તાન કાબુસ અને ગુજરાતના નરેન્દ્ર મોદીની કામગીરી જોવી જોઇએ.
અયોધ્યાને ખોદી નાખો
Posted in માનવીય સમસ્યાઓ, tagged ઈતિહાસ, કોંગી, દેશ વિનીપાત, પૂરાતત્વ, રામ, રામરાજ્ય, શાસકનો દંભ on September 15, 2010| 7 Comments »
રામ તો એક રાજા હતા. અને ગાંધીજી તો લોકશાહીમાં માનતા હતા.
વલ્લભભાઈની અને નહેરુની, વડાપ્રધાનપદ માટેની યોગ્યતા વત્તા તેમની એ પદ માટેની અનિવાર્યતા વત્તા તેમનું વિદેશ દોડાદોડી કરવા માટેનુ સ્વાસ્થ્ય, તેમની ઘરા આંગણાના પ્રશ્નો હલ કરવાની ક્ષમતા આ બધું વિચાર્યા પછી ગાંધીજીને લાગેલ કે નવું બંધારણ અમલમાં ન આવે ત્યાં સુધી નહેરુ વડાપ્રધાન પદ લે અને વલ્લભભાઇ પટેલ ગૃહપ્રધાન થાય તે દેશના હિતમાં છે. ગાંધીજીની આ દિર્ઘ દ્રષ્ટિ હતી અને તે યોગ્ય હતું તે સિદ્ધ પણ થયેલ.
મહાત્મા ગાંધીએ શા માટે રાજા રામને જ પ્રેરણા મૂર્ત્તિ તરીકે પસંદ કર્યા? કારણ કે રામે પ્રણાલીનો આદર કર્યો.
વલ્લભભાઇ પટેલ ૧૯૫૦માં ગુજરી ગયા. એટલે નહેરુએ તેમના મળતીયાઓ મારફત તેમના વિરોધીઓને રાજકીયરીતે ખતમ કરવા માટે વગોવવા માંડ્યા. જયપ્રકાશ નારાયણ અને રાજાજી તેમાં મૂખ્ય નિશાન હતા.
૧૯૬૮માં ઈન્દીરાગાંધીનો અંતરનો અવાજ (આત્માનો અવાજ) શું હતો?