Feeds:
Posts
Comments

Posts Tagged ‘કોમવાદ’

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૩

જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

media says go ahead INC we are with you

કેટલાક સુજ્ઞ જનોના જુઠાણાની સૂચિ આપણે જોઇએઃ

(૧) ગાંધીજીને મુસ્લિમો પ્રત્યે પક્ષપાત હતો અને તેઓ મુસ્લિમોને પડખે રહેતા હતા, (જીન્ના અને તેના પક્ષના લોકો આનાથી ઉંધું જ માનતા હતા પણ આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે)

(૨) ગાંધીજીએ દેશના ભાગલા પડાવ્યા, ગાંધીજી દેશના ભાગલાને અટકાવી શક્યા હોત. (આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આમ માનવું વધુ પસંદ કરે છે. જો કે તેઓ ભૂલી જાય છે કે મોટા ભાગના નેતાઓ ભાગલા પસંદ કરતા હતા)

(૩) ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા માટે ગાંધીજી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા, (જો કે આ વાત તો ગોડસેએ પોતાના બચાવમાં ઉપજાવી કાઢેલી. ગાંધીજીએ ઉપવાસ ઉપર ઉતરતાં પહેલાં, સરકારને આપેલી નોટીસમાં આવું કશું લખ્યું નથી. તો પણ આરએસએસના અને ગાંધી-ફોબિયા પીડિત લોકો માને છે)

(૪) ગાંધીજીએ નહેરુને બધા નેતાઓની ઉપરવટ જઈ (યાવત ચંદ્ર દિવાકરૌ માટે, કે, નહેરુ જીવે ત્યાં સુધી, અથવા તો જે પહેલું બને ત્યાં સુધીના સમય માટે) વડાપ્રધાન બનાવેલા. (પોતાની નિસ્ફળતા છૂપાવવા કેટલાક, આરએસએસના ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે. ૧૯૫૨ની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવતાં  તેમને કોણે  રોકેલા? જો કે એ સમજવી જોઇએ કે ભારત એ એક લોકશાહી વાળો દેશ છે. લોકશાહીમાં તો વડાપ્રધાન જ નહીં, સરકારો પણ આવે છે અને જાય છે)

(૫) હાલની કોંગ્રેસ સાચી કોંગ્રેસ છે, અને તેની પાસે બધી ધરોહર છે. આ એક ન્યાયાલયે ઠરાવેલું કાયદેસરનું જૂઠ છે. કદાચ નહેરુ કોંગ્રેસ પ્રમુખ હતા એટલે આ માન્યતા મૂર્ધન્યોને ગ્રાહ્ય બનતી હશે.

(૬) ઇન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લીધી અને પછી ચૂંટણી જાહેર કરી હતી. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે.)

(૭) રાજિવ ગાંધી અને સામ પિત્રોડા દેશમાં ટેલીફોનની ક્રાંતિ લાવ્યા હતા. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે)

આવી તો અનેક વાતો અનેક ક્ષેત્રોમાં પ્રવર્તે છે. અને રાજકારણમાં તો અનેક જુઠાણા ચાલ્યા જ કરે છે.

આ જૂઠાણાંની વિરુદ્ધ માં સાહિત્ય હોવા છતા કેટલાક લોકો કાં તો પોતાની અજ્ઞાનતાથી અથવા તો પોતાની આત્મતૂષ્ટિ માટે વધુ વાંચતા નથી

તો હવે મૂળ વાત ઉપર આવીએ કે શું લેખકો આ વાત સમજતા નથી કે પ્રમાણભાનને અવગણી ને જો આપણે બંને બાજુ ઢોલકી વગાડીશું તો દેશને બહુ મોટું નુકશાન થશે?

વિપક્ષ એટલે કે નહેરુવીયન કોંગ્રેસ, કે જે હવે તેના કોમવાદી, જાતિવાદી, પ્રદેશવાદી,  સામ્યવાદી, નક્ષલવાદી, માઓવાદી, આતંકવાદી, સીમાપારના આતંકવાદી તત્ત્વો, અસામાજિક તત્ત્વો સાથેના ગઠબંધનથી ખૂલ્લો પડ્યો છે, તેની તરફમાં ઢોલકી વગાડીશું તો દેશની ભાવી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.

સબળ વિરોધ પક્ષ હોવો જરુરી છે

કેટલાક લોકો કહે છે કે લોકશાહીમાં સબળ વિપક્ષ હોવો જરુરી છે.

તમે જુઓ. જે વિપક્ષ નહેરુ અને ઈન્દિરા ગાંધીના સમયમાં હતો તે કેટલો બધો વિદ્વાન, અભ્યાસી, નીતિમાન અને ત્યાગી હતો. હાલના એક પણ વિપક્ષમાં એક પણ સદ્‌ગુણ દેખાય છે?

જ્યારે ડૉ. લોહિયાને પચાસના દશકામાં સવાલ પૂછવામાં આવે લો કે મુંબઈ, મહારાષ્ટ્રમાં જવું જોઇએ કે નહીં. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અમે એવી ક્ષુલ્લક વાતોમાં પડતા નથી. જ્યારે હાલનો વિપક્ષ તો કોમવાદનો અને જાતિવાદનો ખુલ્લે આમ પ્રચાર કરે છે.

તમે જુઓ. શિવસેનાએ કોંગીની પ્રતિભા પાટીલની એટલા માટે તરફદારી કરી હતી કે તે મરાઠી હતી. તેવી જ રીતે કોંગીના પ્રણવ મુખરજીની મમતાએ એટલા માટે તરફદારી કરી હતી કે તે બંગાળી છે. આમ તો પ્રણવ મુખર્જી પોતે ઇન્દિરાના કટોકટી ના સહયોગી હતા. 

“નરેન્દ્ર મોદી જે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે તે યોગ્ય નથી” મૂર્ધન્યો આમ કહે છે.

વળી તેઓ તેના સમર્થનમાં જણાવે છે કે;

“કોંગ્રેસ તો ભાંગ્યુ ભાંગ્યુ તો પણ ભરુચ છે. તે ૧૩૩ વર્ષ જુનો પક્ષ છે.

“આ પક્ષે અનેક ભોગ અને બલિદાન આપ્યા છે.

“આ પક્ષે સામાજીક આંદોલનો કર્યા છે,

“આ પક્ષે સ્વતંત્રતા માટે આગેવાની લીધી હતી અને જનતાને લોકશાહી માટે સુશિક્ષિત કરી છે

“આ પક્ષે સ્વતંત્રતા અપાવી છે,,

“આ પક્ષે લોકશાહીને હજી સુધી જીવતી રાખી છે,

“માટે આ પક્ષ મરવો ન જોઇએ.

શું આ બધી વાતો સાચી છે?

હાલની કોંગ્રેસને જીવતી રાખવાનો આ પ્રશ્ન ત્યારે જ અસ્તિત્ત્વ ધરાવે જ્યારે તમે હાલની નહેરુવીયન કોંગ્રેસને, “મૂળ કોંગ્રેસ” માનો. જે કોંગ્રેસે સ્વાતંત્ર્ય ની લડત ચલાવેલી અને પોતાનો સિંહફાળો આપેલ તે કોંગ્રેસ આ જ છે.

હા એક વાત ચોક્કસ કે કોંગ્રેસ નામનો એક પક્ષ હતો. તેણે સામાજિક અને રાજકીય આંદોલનો કર્યા હતા. તેણે ભારતને એક રાખવા માટે અને ભારતને સ્વતંત્રતા અપાવવા માટે સિંહફાળો આપ્યો હતો. તેના અનેક નેતાઓએ ત્યાગ અને બલિદાન આપ્યા હતા.

we have lot of leaders

પણ હાલની કોંગ્રેસ પાસે શું છે?

હાલની કોંગ્રેસ પાસે એક “શબ્દ” માત્ર છે… “કોંગ્રેસ”.

ફક્ત “કોંગ્રેસ” શબ્દ હોવાથી તેને મૂળ કોંગ્રેસ કહી શકાય ખરી?

મહાત્મા ગાંધીની કોંગ્રેસની એક ઓળખ “સાદગી” હતી.

જો આ ગુણ જોઇએ તો તે તૄણમૂલ કોંગ્રેસ પાસે છે. તો શું તેને “મૂળ કોંગ્રેસ” કહી શકાશે?

કોંગ્રેસો તો ઘણી જન્મી અને મરી.

બાબુ જગજીવન રામે એક કોંગ્રેસ બનાવેલી તેનું નામ હતું, કોંગ્રેસ રીયલ.

યશવંત રાવ ચવાણે કોંગ્રેસ (યુ) બનાવેલી,

શરદ પવારે કોંગ્રેસ (રાષ્ટ્રવાદી) બનાવેલી છે,

એ.કે એન્ટોનીએ કોંગ્રેસ (એ) બનાવેલી,

રાજગોપાલાચારીએ કોંગ્રેસ (ડેમોક્રેટીક) બનાવેલી,

કે એમ જોર્જ એ કોંગ્રેસ (કેરાલા) બનાવેલી છે,

હરેકૃષ્ણ મહેતાબે કોંગ્રેસ (ઉત્કલ જનતા), બનાવેલી,

અજય મુખર્જીએ કોંગ્રેસ (બંગાળ) બનાવેલી,

બીજુ પટનાયકે કોંગ્રેસ (ઉત્કલ) બનાવેલી,

દેવરાજ ઉર્સ એ કોંગ્રેસ (ઉર્સ) બનાવેલી,

કેટલીક કોંગ્રેસના સ્થાપકો તો નહેરુથી પણ વરિષ્ઠ હતા. તેમણે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણું યોગદાન આપેલું હતું.

આવી તો અગણિત કોંગ્રેસો ભારતમાં બની છે. જેમ ઘણા ભગવાનો થઈ ગયા અને ઘણા ભગવાનો હાલ પણ વિદ્યમાન છે.

કોંગ્રેસનું બનવું અને બગડવું એક શાશ્વત ચાલતી પ્રક્રિયા છે. જેમ ભગવાન રજનીશ અને પછી ઓશો રજનીશ. સૌ પ્રથમ વળી તેઓશ્રી હતા આચાર્ય રજનીશ. ન તો તેમણે કોઈભાષ્ય લખેલું, કે ન તો તેઓશ્રી કોઈ શાળા/મહાશાળાના પ્રિન્સીપાલ હતા. તો પણ દે ધના ધન તેમણે આચાર્ય પૂર્વગ લગાડી દીધેલો.  

“પક્ષ” વાસ્તવમાં છે શું?

પક્ષ તો સિદ્ધાંત છે અને તેને અમલમાં મુકવાની પક્ષની રીતિ છે. સિદ્ધાંત અને રીતિ પક્ષની ઓળખ હોય છે.

“મૂળ કોંગ્રેસ”નો સિદ્ધાંત હતો અહિંસક માર્ગે દેશને વિદેશી શાસનથી મૂક્ત કરવો.

ગાંધીજીએ તેમાં ઉમેર્યો કર્યો કે અહિંસક ઉપરાંત તેમાં આમ જનતાને પણ દાખલ કરવી, અને જનજાગૃતિ દ્વારા લડત ચલાવવી.

જનજાગૃતિ એટલે શિક્ષિત સમાજ. શિક્ષિત સમાજ એટલે સમસ્યાઓને સમજી શકે તેવો સમાજ. સામાજિક સમસ્યાઓમાં રાજકીય સમસ્યાઓ નીહિત છે. એટલે ગાંધીજીએ  જનતાને સામાજિક સમસ્યાઓ પ્રત્યે પણ જાગૃત કરી.

લોકશાહી અને અહિંસા જોડાયેલા છે. વ્યસનમૂક્તિ અને અહિંસા પણ જોડાયેલા છે. બેરોજગારી અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદન અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદનની ક્રિયા,  રોજગારી અને બેરોજગારી સાથે જોડાયેલી છે. ગાંધીજીએ આ વિષે ઘણું લખ્યું છે.

ગાંધીજીએ વ્યસનમૂક્તિ અને ગૌવધબંધી ઉપર સૌથી વધુ ભાર મુકેલો. સંપૂર્ણ વ્યસનમૂક્તિ અને સંપૂર્ણ ગૌવધ બંધી  તરફ જવાનું તેમનું સૂચન હતું. આ વિષે તેમનું વલણ એટલું તીવ્ર હતું,  કે તેઓ જો સરમૂખત્યાર બને તો આ કામ સૌ પ્રથમ કરે.

ગાંધીજીની અહિંસા અને ગૌવધ પ્રત્યેની તીવ્ર માન્યતાને લીધે, અહિંસક સમાજની રચના તરફ જવાનો ભારતના બંધારણમાં આદેશ છે. આદેશાત્મક સિંદ્ધાંતથી વિરુદ્ધ જવાનું તો કોંગ્રેસ વિચારી જ ન શકે. જો કોંગ્રેસ આથી વિરુદ્ધ વર્તન કરે તો તે કોંગ્રેસ કહેવાય જ નહીં.

દારુબંધી લાગુ કરવા પ્રત્યે અસરકાર પગલાં લેવાં તેમજ, ગૌવધબંધી તરફ અર્થપૂર્ણ પગલાં લેવાં એ કોંગ્રેસની ઓળખ હતી. આ ઉપરાંત, ખાદીનો વિસ્તાર કરવો અને નિરક્ષરતા નિવારણ પણ   કોંગ્રેસના અંગ હતા.

હવે તમે જુઓ;

કોંગ્રેસ જ, દારુબંધીને હળવી કરવામાં સર્વ  પ્રથમ નંબર પર હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસી  મુખ્ય મંત્રીએ સાઠના દશકામાં સૌ પ્રથમ દારુબંધી હળવી કરી હતી. કોંગ્રેસીઓ કમસે કમ ૧૯૬૮થી જ્યાં દારુબંધી નથી ત્યાં જાહેરમાં દારુપાર્ટી કરતા થઈ ગયા છે.

નહેરુ એવી ચિકન પસંદ કરતા હતા, એટલે કે ખાતા હતા કે જે મરઘી ફક્ત બદામ ખાઈને ઉછેરાઈ હોય અને પાણીને બદલે દારુ (બ્રાન્ડી) પીતી હોય. આ પછી તે  જે ઈન્ડા આપે અને તેમાંથી જે બચ્ચાંની ચિકન બને તે સ્વાદમાં તેમને બેનમૂન લાગતી હતી.

કોંગ્રેસે ગૌવધ બંધી તરફ કોઈ જાતના શિક્ષણાત્મક પગલાં લીધાં નથી. દુનિયાનો સૌથી લાંબો સત્યાગ્રહ, સર્વોદય કાર્યકરોએ મુંબઈના દેવનારના કતલ ખાના સામે કરેલો. તે ગીનીસ બુકમાં વિશ્વમાં લાંબામાં લાંબા ચાલેલા સત્યાગ્રહ તરીકે નોંધાયેલો છે. તેમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારે  જે સમજુતીઓ થઈ હતી તેનો તેમણે જ સરેઆમ ભંગ કરેલો છે. સર્વોદય કાર્યકરો જ આ વાત કરે છે.

ખાદી કરડે છે?

કોંગ્રેસના સભ્યો ખાદી પહેરવામાં જ માનતા નથી, તો પછી કાંતવાની તો વાત જ ક્યાં રહી? ૧૯૬૯ પછી ઇન્દિરા ગાંધી દ્વારા  કોંગ્રેસનું જે વિભાજન થયું તેમાં કોંગ્રેસ (આઈ) માટે કશા જ બંધન રહ્યા નથી.

ટૂંકમાં, સૈદ્ધાંતિક રીતે આજ ની નહેરુવીયન કોંગ્રેસ પાસે મૂળ કોંગ્રેસના એકપણ સિદ્ધાંત કે ગુણધર્મ છે જ નહીં. તો તેને મૂળ કોંગ્રેસની ધરોહર કેવી રીતે માની શકાય?

હવે જો પક્ષો, સિદ્ધાંત થકી ન ઓળખાતા હોય તો તે “પક્ષ” જ ન  કહેવાય. તેને “ધણ” કે “ટોળું” કહેવાય. જો ન્યાયાલય આમ ન માનતું હોય તો તે ન્યાયાલય જ ન કહેવાય.

ચાલો હવે જોઇએ ન્યાયાલયે શું કર્યું?

૧૯૬૯માં ન્યાયાલયમાં કેસ દાખલ થયેલ. ન્યાયાલયે તેની ઉપર ૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિના આધારે ન્યાય આપ્યો અને કહ્યું કે સાચી કોંગ્રેસ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ છે. પણ પક્ષની સંપત્તિ ઉપર કશો ન્યાય ન આપ્યો. જેનો તેનો કબજો હતો તેની પાસે રહી.

૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ શું હતી? એ જ કે ઇન્દિરા ગાંધીને લોકસભામાં બહુમતિ મળી હતી. અને લોકશાહીમાં જનતા સર્વોપરી છે એટલે જનતાએ આપેલી બહુમતિને જનતાનો ન્યાય સમજવો.

સર્વોચ્ચ ન્યાયાલયનું આવું અર્થઘટન હાસ્યાસ્પદ છે એટલું જ નહીં પણ તે ઘણા વિરોધાભાષો ઉત્પન્ન કરે છે.

(૧) શું જનતા પાસે એવો મુદ્દો લઈ જવામાં આવેલો કે તે નક્કી કરે કે મૂળ કોંગ્રેસ કઈ છે? જો જનતા પાસે આવો મુદ્દો હોય જ નહીં તો પછી તે જનતાનો ન્યાય ગણાય? ચૂટણીમાં તો બીજા પક્ષો પણ હતા. તેમને તો આવા કોઈ મુદ્દા સાથે સંબંધ ન હતો.

(૨) ૧૯૬૯માં કેસ દાખલ થયો હોય તો તે વખતની પક્ષની આંતરિક પરિસ્થિતિ જોવાને બદલે ૧૯૭૧માં ઉત્પન્ન થયેલી સ્થિતિને આધાર માનવી તે ઉચિત છે?

(૩) ધારો કે ૧૯૭૧ પછીની આવતી ચૂંટણીઓમાં જનતાના ચૂકાદાઓ બદલાતા રહે, તો આવા ન્યાય, જે આધારે આપ્યા તે પણ, તે જ આધારે બદલાવા જોઇએ જ. તો આવા ન્યાય ઉચિત ગણાય?

(૪) જ્યારે ન્યાયાલય અસ્તિત્વમાં હોય ત્યારે વર્ષો પછી, ન્યાયાલયની બહાર ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને આધારે, ન્યાય આપી શકાય? જેમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી તેમજ જેમની સામે આવો મુદ્દો ધરવામાં આવ્યો નથી તેવા કિસ્સાઓમાં, તેવા સંજોગોમાં તેમણે જે બહુમતિથી ચૂકાદો આપ્યો હોય, તેને તે મુદ્દા ઉપરનો ચૂકાદો માની શકાય?

(૫) વળી એક જગ્યાની બહુમતિને બીજી જગ્યાએ કેવી રીતે લાગુ કરી શકાય?

(૬) બહુમતિથી ન્યાય કરવો ઉચિત છે?

(૭) બહુમતિથી સચ્ચાઈ સિદ્ધ થઈ શકે?

(૮) જો હા, તો પછી ન્યાયાલયની જરુર છે ખરી?

(૯) ન્યાય આપવામાં પક્ષના બંધારણની જોગવાઈઓને લક્ષમાં લેવામાં આવી છે?

આ બધા જ પ્રશ્નોના ઉત્તરો નકારમાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો ભારતમાં વિચરતા બાવાઓ જેવો છે.

શું સર્ચોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો નિર્મલ બાબા છે?

નિર્મલબાબા પાસે વ્યક્તિઓ પોતાની સમાસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તે સમજવા જાય છે. નિર્મલબાબા જ્યારે તેમને એમ કહે કે પાડા ઉપર બેસીને રોજ સો ગ્રામ ગાંઠીયા ખાઓ તો સમસ્યા હલ થઈ જશે.

શું નિર્મલ બાબા અને સર્વોચ્ચ ન્યાયલયના ન્યાયધીશો પણ આવ ભાઈ હરખા, આપણે સૌ સરખા. એવું છે?

આજ બ્લોગ સાઈટ ઉપર લખાયેલા “https://wordpressDOTcom/post/treenetramDOTwordpressDOTcom/218

“ખૂની કોણ? આયારામ ગયારામ કહે છે કે અમે દશરથ પૂત્ર રામ છીએ.” લેખને, મુદ્દા (૯)ની વિશેષ જાણકારી માટે વાંચવો.

ગાંધીજીના ત્રણ વાંદરા અને નહેરુવીયન કોંગ્રેસના ત્રણ વાંદરા

બંનેઉના

ગાંધીજીના ત્રણ વાંદરા એમ કહેતા હતા કે; ”કોઈનું બુરું ન જુઓ, કોઈનું બુરું ન સાંભળો, કોઈનું બુરું ન બોલો.”

ગાંધીજી આ વાત કોને અનુલક્ષીને કહેતા હશે તે સંશોધનનો વિષય છે. ધારો કે આને વૈશ્વિક સત્ય માનીએ તો, અને ગાંધીજીને હાલની નહેરુવીયન કોંગ્રેસની ધરોહર માનીએ તો, આ જ કોંગ્રેસના નંબર વન, ગાંધીજીના વાંદરાનો આ ગુણધર્મ રાખે છે ખરા? નાજી.

નહેરુવીયન કોંગ્રેસના નેતા નંબર વન તો બીજેપીના દરેક પગલામાં બુરુ જુએ છે, બુરુ સાંભળે છે અને બુરું બોલે છે. શું વાંદરાઓનો આ મૂળભૂત ગુણધર્મ છે એટલે?

 શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

WE SUPPORT “BREAK INDIA”

Paint02

બુર્ઝવાઓ બધા સમાચાર માધ્યમોમાં ફાટ ફાટ થાય છે.

સામ્યવાદીઓનો સૌથી મોટો દુશ્મન “બુર્ઝવા” લોકો છે. એમ તેઓ કહે છે.

તમે કહેશો કે તો તો પછી સામ્યવાદી લોકો સખત રીતે પરિવર્તનશીલ હોવા જોઇએ.

નાજી. એવું નથી. “બુર્ઝવા”ઓ  વિષેનો સામ્યવાદીઓનો આ ખ્યાલ કોઈ વૈશ્વિક સત્ય નથી. સામ્યવાદીઓ માટે “બુર્ઝવા” શબ્દ એક એવું વિશેષણ છે જે વિશેષણનો તેઓ, જેઓ તેમની સામે પ્રતિકાર કરે તેમને માટે કરે છે. ખાસ કરીને સામ્યવાદીઓ “પોતે માની લીધેલા સ્વસ્થ સમાજ”ની સ્થાપના માટે જે કામ કરી રહ્યા છે અથવા તો કરવાના છે તેનો વિરોધ કરનારાઓ માટે બુર્ઝવા શબ્દ વાપરે છે.

નરેન્દ્ર મોદીની બાબતમાં તેમનો દાવ ઉંધો પડે છે.

કારણ કે મોદી તો મહાત્મા ગાંધીની જેમ સામાજિક પરિવર્તન લાવવા માગે છે અને દેશનો સર્વાંગી વિકાસ પણ કરવા માગે છે. એટલે વૈચારિક રીતે તો સામ્યવાદીઓના દાવ ઉંધા જ પડે અને પડવા જ જોઇએ.

નરેન્દ્ર મોદી તો પોતે જ સામાજિક પરિવર્તનનો પુરસ્કર્તા છે. અને અહીં તો સામ્યવાદીઓ પોતે જ  સામાજિક પરિવર્તનનો વિરોધ કરનારા છે. સામ્યવાદીઓએ જે બુર્ઝવા શબ્દ તેમના વિરોધીઓ માટે પ્રયોજેલો તે બુર્ઝવા શબ્દ તો તેમને જ લાગુ પડે છે.

“વિભાજન વાદ”નું શસ્ત્ર બ્રહ્માસ્ત્ર ન બને તો બુમરેંગ બને છે.

નરેન્દ્ર મોદીની સામે નહેરુવીયન કોંગ્રેસીઓએ જાતિવાદ અને કોમવાદનું શસ્ત્ર ઉગામ્યું છે તેને આ સામ્યવાદીઓ પૂરો સહકાર આપે છે. એટલે કે આ સામ્યવાદીઓએ બુર્ઝવા વિશેષણને, વિશેષણને બદલે શસ્ત્ર બનાવી દીધું છે. નહેરુવીયન કોંગ્રેસની પાસે તો પહેલેથી જ એટલે કે જ્યારથી કોંગ્રેસનું કોંગ્રેસ (સંસ્થા) અને કોંગ્રેસ (આઈ)માં ૧૯૬૯માં વિભાજન થયું ત્યારથી આ નહેરુવીયન કોંગ્રેસને [કોંગ્રેસ (આઈ)]ને અસામાજિક તત્ત્વોનો છોછ રહ્યો નથી. નહેરુની ફરજ્જંદ ઈન્દિરા ગાંધીએ બધા જ અસામાજિક તત્ત્વોને ખૂલ્લું આમંત્રણ આપેલું. અને આ તત્ત્વોએ બળ જબરી પૂર્વક કોંગ્રેસ (સંસ્થા)ના કબજામાં રહેલી મિલ્કતનો કબજો લીધેલો. જ્યાં કોંગ્રેસ (સંસ્થા) મજબુત સ્થિતિમાં હતી તેવા ગુજરાતમાં કોંગ્રેસ (આઈ) ફાવી ન હતી.

સામ્યવાદીઓ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી

સામ્યવાદીઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે તેઓ કોઈ સંવિધાનમાં કે કાયદાઓના પાલનમાં માનતા નથી. તેઓ જે તે પરિસ્થિતિને અનુરુપ વર્તે છે. એટલે કે જો કાયદો તરફમાં લાગે, અથવા તો તેનું અર્થઘટન, જાહેર જનતા કે અભણ જનતા માટે વિવાદાસ્પદ કરી શકાય તેમ હોય તો, તેઓ તે કાયદા અને તે ન્યાયાલયને માનીને તેનો સહારો લે છે. જો આમ ન હોય તો “સત્તાધારી પક્ષની અસહિષ્ણુતા, પૂર્વગ્રહ, કોમવાદીપણું, ભ્રષ્ટતા, સરમુખત્યારી વિગેરે” જે કંઈ વિશેષણો હાથવગાં હોય  તે, લાગુ પડતાં હોય કે લાગુ પડતા ન હોય તો પણ વાપર્યાં કરવા એવી તેમની કાર્યશૈલી છે. આ બધું તેઓ કંઈ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી. નહેરુવીયન કોંગ્રેસને આ બધું સામ્યવાદીઓ પાસેથી શિખવા મળ્યું તેમ નથી. આ બધું તેમને તેમની વંશવાદી પક્ષીય વારસાગત શૈલીમાંથી મળ્યું છે.

હિટલરને તો એક જ ગોબેલ્સ હતો. સામ્યવાદી વૃક્ષ ઉપર તો ડાળે ડાળે ગોબેલ્સ હોય છે.

હાલ તો ભારતમાં સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ એક ફેજ઼ અને એક ફ્રીક્વન્સી પર કામ કરે છે. તેઓ સૌ, “બુર્ઝવા” એટલે કે “જૈસે થે વાદી”ઓની ભૂમિકા ભજવે છે. “જૈસે થે વાદી થવું” એ ગુણધર્મને તેમણે આપદ્‍ધર્મ તરીકે સ્વિકાર્યો છે. જો કે તેઓ આ વાત કબૂલ કરશે નહીં.

જ્યારે સામ્યવાદીઓ સત્તામાં ન હોય ત્યારે આ સામ્યવાદીઓ અરાજકતા ફેલાવવામાં માને છે. અને   લોકશાહીમાં તેઓ સમાચાર માધ્યમો દ્વારા અરાજકતા અસ્તિત્વ ધરાવે છે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં માને છે.

શું સમાચાર માધ્યમો  આવી અરાજકતા ફેલાવવાની ઈચ્છા રાખવાવાળાઓને સહયોગ કરશે?

શું સમાચાર માધ્યમોના માલિકો, કટાર લેખકો, વિવેચકો, વિશ્લેષકો ખરીદી શકાય તેવી જણસો છે?

સમાચાર પત્રોના ઘટકો શું છે?

રાજકીય સમાચાર અને દેશમાં બનતી ઘટનાઓના સમાચાર

(૧) સમાચારની પસંદગી અને પસંદ કરેલા સમાચારને કેટલી પ્રાથમિકતા આપવી તે,

(૨) સમાચાર ને કેવીરીતે પ્રગટ કરવા એટલે કે તેના શબ્દોની કેવી રચના કરવી, એટલે કે શું છૂપાવવું અને શું પ્રગટ કરવું છે. જે પ્રગટ કરવું છે તેને લાગણીશીલ (ઈમોશનલ) કેવીરીતે બનાવવું.

(૩) સમાચાર તો બે જાતના હોય છે. એક જે એવા સમાચાર છે કે જે રાજકીય સમાચાર છે. અને બીજા છે તે એવા સમાચાર છે જે સમાજમાં બનતી  અસામાન્ય ઘટનાઓ છે.

આ સામાન્ય ઘટનાઓ ને કેટલી  પ્રગટ કરવી, કેટલી પ્રગટ ન કરવી, કે તદ્દન જ ન પ્રગટ કરવી તે અલગ વેપાર છે.

જો આવી ઘટનાઓમાં કોઈ પક્ષના નેતાની કે કોઈ પક્ષના નેતાના સગાની સંડોવણી હોય કે સંડોવણી વિવાદાસ્પદ રીતે ઉભી કરી શકાય તેમ હોય તો આ સમાચારને રાજકીય  સમાચાર બનાવી શકાય છે. અને તેનો વેપાર પણ વળી પાછો અલગ હોય છે.

શું આવું બધું વાસ્તવમાં હોય છે ખરું?

કેટલીક વાતોની અપ્રત્યક્ષ સાબિતીઓ હોય છે. સમાચારને સીધે સીધા પ્રસિદ્ધ કરવાને બદલે માધ્યમોના માલિકો તે સમાચારોને, પોતાના એજન્ડાને અનુરુપ માન્યતાની રીતે પ્રગટ કરે છે. આવું અવારનવાર થાય એટલે આપણને તેના માલિકના મનોરહસ્યોની જાણ થઈ જાય છે.

“કોઈ એક” કૌભાંડમાં સંબંધિત વિદેશી પાર્ટીએ ૪૦ કરોડ રુપીયા આપ્યા. કારણ? સમાચાર માધ્યમો આ સોદાને બહુ પ્રાધાન્ય ન આપે તે માટે.

આ સમાચાર આપણને જાણવા મળેલા. કોઈ એક સોદો, સમાચાર મધ્યમોંમાં ચગે નહીં તે માટે પૈસા આપવા પડે, એ કંઈ, સમાચાર માધ્યમો માટે નીતિમત્તાનું પ્રમાણ પત્ર નથી.

લાંચની હદ ક્યાં સુધી?

ડૉ.ત્રીવેદી જેઓ કેનેડાથી ભારતમાં સેવા કરવા માટે ખાસ આવેલા અને વહીવટી રીતે ઑટોનોમસ હોસ્પિટલ બનાવવા માગતા હતા. તેઓએ જ્યારે એક મશીન માટે ટેન્ડર મંગાવ્યું અને નેગોશીએશનમાં એક પાર્ટીને ખાનગીમાં પૂછ્યું કે “જુઓ અમે કોઈ કમીશન લેવાના નથી…” તો સામેની પાર્ટીએ પૂછ્યું કે પણ અમારે સરકારમાં તો પૈસા ખવડાવવા જ પડશેને”. ડૉ. ત્રીવેદીએ કહ્યું કે “તમારે સરકારમાં પણ પૈસા ખવડાવવા નહીં પડે. તો તમે તમારો આ મશીન નો ભાવ કેટલો ઘટાડશો?.” આ પછી તે પાર્ટીએ ત્રણ કરોડનો ભાવ, એક કરોડ રુપીયા કરી દીધો. આ તો ઓગણીશોને એંશીના દશકાના પૂર્વાર્ધની વાત છે જ્યારે ઇન્દિરાઈ નહેરુવીયન કોંગ્રેસનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. અને પછી તો ગઠબંધનની સરકાર હોય તો પણ લૂંટમાં કશો વાંધો આવતો નહીં. અને આપણે જોયું જ છે કે કૉમનવેલ્થ  ગેમમાં કેવા પૈસા ખવાયા. આવી વાતો ખાનગી તો રહે જ નહીં.

પણ ખાનગી એટલે શું? તમે છાપે ન ચડો એટલે ખાનગી.

નેવુના દશકાના અંતમાંથી શરુ કરી હવે સોશ્યલ મીડીયા એટલું વિકસિત થયું છે કે સમાચાર પત્રોએ તેની સાથે સ્પર્ધા કરવી પડે છે. ૧૯૮૯-૯૦માં કાશ્મિરી હિન્દુઓની કતલેઆમને, હજારો  હિન્દુ સ્ત્રીઓની આબરુની લૂંટને અને લાખો હિન્દુઓની હિજરતને, અખબારો અને ટીવી ચેનલો છૂપાવી શક્યા હતા, અથવા તો કહી શકાય કે ન ચગાવી શક્યા ન હતા.

આવું હવે થઈ ન શકે. આજે તો જે વાત, જે તે વિસ્તારના પાંચ દશ માણસો જાણે છે તે વાત તેમાંનો એક ફૂટે તો તે અઠવાડીયામાં આખા દેશને  જાણતો કરી દે.

ઘટનાઓ, પછી ભલે તે ઘટનાઓ ફરેબી કે બનાવટી કેમ ન હોય, તેનો પ્રસાર એક મોટું પરિબળ છે. સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત સૌથી પહેલાં જાણી ચૂક્યા છે.  જ્યારે નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેઓએ અનેક બ્લોગપોસ્ટને સ્થગિત કરેલી. સૂકા સાથે લીલું પણ બળે છે તેની દરકાર કરી ન હતી. સુલેખા ડૉટ કૉમ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.

પણ આપણી મૂળ વાત છે કે શું આપણા બધા જ કટાર લેખકો, મૂર્ધન્યો, વિશ્લેષકો અને એંકરો વેચાણની જણસો છે?

જેમ ૧૦૦ કે ૧૦૦૦ સરકારી અધિકારીઓમાં એકાદો તો માઈનો પૂત નિકળે, કે જે કોઈની દરકાર ન કરે. જેમ કે સુરતના મ્યુનીસીપલ કમીશ્નર એસ આર રાવ, કે ઝોનલ ઓફીસર ખેરનાર, કે ઈલેક્સન કમીશ્નર ટીઆર શેષન. આ શક્યતાનો સિદ્ધાંત બધી જ જગ્યાએ લાગુ પડે છે. લેખકો પણ એવા નિકળે કે જેઓ કોઈની દરકાર ન કરે. પણ આવા લેખકો જે કંઈ લખે તેનાથી તાત્કાલિક  ખાસ ફેર ન પડે. જેમ કે રાજીવ મલહોત્રા, નિસ્સાર હસન, તારેક ફતહ, સલમાન રશદી, તસ્લિમા નસરીન, … વિગેરેના વિચારો આનાથી તદ્‍ન વિરુદ્ધ વિચાર સરણી વાળાઓના સાગરમાં ડૂબી જાય છે.

લેખકોને નડે છે શું?

અમુક માન્યતાઓ તેમને નડે છે.

(૧) ટકી રહેવુંઃ બીજા અર્થમાં જીવતો નર ભદ્રા પામે. જો આપણી આ કોલમ રુપી જાગીર ટકી રહેશે તો આપણે ભદ્રા પામીશું. કટોકટીના સમયમાં ઘણા લેખકોએ આદેશ વગરની, સરકારી શરણાગતી, સ્વિકારી લીધેલી. જો કોલમરુપી જાગીરની દરકાર નહીં કરીએ તો તે બીજો લઈ જશે. માટે આપણી કોલમ બચાવો.

(૨) કિર્તીની ઘેલછા એટલે કે “હુ તો બધાથી જુદો છું”

(૩) હું તટસ્થ છું. હું તો બધાનું જ સારું અને નરસું બધું જ જોઉં છું. આનો બીજો અર્થ એમ થાય કે “ડબલ ઢોલકી”. સારું અને નરસું આમ તો, આ બધું સાપેક્ષ છે. આપણે એ ભૂલી જવું. એટલે કે આપણે પ્રમાણ ભાન રાખ્યા વગર  બંને બાજુ ઢોલકી વગાડવી. મોટા ભાગના લેખકો “ઉંધા ચંબુના (છાલીયાના) શક્યતાના નિયમ પ્રમાણે) કેન્દ્રીય બિન્દુની ડાબી કે જમણી બાજુ પર ગોઠવાઈ જાય છે.

(૪) અમે તો ભાઈ ફોબીયાવાળા. જો કે અમે કબુલ નહીં કરીએ પણ અમે જે કહીએ તે સાચું જ છે.

(૫) વાસ્તવિકતાની નજીકઃ આવા લેખકો પણ છે જ. કે જેઓ વાસ્તવિકતાને સમજે છે. ક્યારેક તેઓ આ વાત પ્રદર્શિત કરે છે પણ તે વાચકોની અપેક્ષાને સંતોષી શકતા નથી. આનો સચોટ  દાખલો  વિનોબા ભાવે હતા. કટોકટી હતી ત્યારે  ઘણા સુજ્ઞ લોકો માનતા હતા કે વિનોબા ભાવે કેમ મૌન છે. કારણકે વિનોબા ભાવેને કેટલાક લોકો ગાંધીજીનો વૈચારિક અવતાર માનતા હતા. તેમણે કહેલું કે કટોકટી એ અનુશાસન પર્વ છે. આનો અર્થ વિનોબા ભાવેના હિસાબે કંઈક હતો અને સરકારે તેનો અર્થ કંઈક જુદો એવો પોતાને સગવડ રુપ કરેલો, જે તદ્દ્‌ન ઉંધો હતો. સરકારનો તો તે વખતે તદ્દન જૂઠું બોલવું એ જ ધર્મ હતો. અને જનતા આ વાત પણ જાણતી હતી. પણ જેમ જૂઠી વાત સતત કહેવામાં આવે તો અંતે તેને બધા સાચી માની લે છે. તેમ વિનોબા ભાવે વિષે પણ માનવામાં આવ્યું. વિનોબા ભાવે એ બોલાવેલા “આચાર્ય સંમેલનમાં”, તેમણે સ્પષ્ટીકરણ પણ કર્યું. પણ કટોકટીમાં તો આવું બધું છાપામાં આવે નહીં. તેથી સુજ્ઞ લોકોએ પોતાની માન્યતા કાયમ રાખી. વિનોબા ભાવે કહ્યું, કે ભાઈ, હું તો મારી રીતે પ્રતિભાવ આપું. તમે તમારા શબ્દો મારા મોઢામાં, મારા શબ્દો તરીકે મુકાવો એ કેમ ચાલે!!  

પણ જ્યારે જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

પ્રેસ્ટીટ્યુટ અને જ્ઞાતી વાદી રાક્ષસો અભણ સમાજમાં શું શું કરી શકે? ભાગ- ૨

હવે તમે કહેશો કે દાખલો તો આપો…

“આનંદી બેનને મોવડી મંડળે અલ્ટીમેટમ આપ્યું કે ૧૫ દિવસમાં પાટીદારોની સમસ્યા દૂર કરો, નહીં તો પદ છોડવા તૈયાર રહો” ન્યુઝ સોર્સ “આધારભૂત”.

કેમ ભાઈ! સમાચારના સોર્સનું નામ નહીં જણાવ્યું? સોર્સ નું નામ જણાવવાની હિંમત નથી? સમાચાર પત્રોએ તો હિંમતવાળા થવું જોઇએ.

કેમ ભાઈ! ખોટા પડવાનો ડર છે? જો આવો ડર છે તો સમાચાર છાપો છો જ શા માટે? આવા સમાચાર નહીં આપો તો શું ધરતીકંપ થવાનો છે?

“અરે ભાઈ, અમે ખોટા તો પડવાના જ છીએ. પણ અમારો એજન્ડા એ છે કે આ પાટીદારોના આંદોલનકારીઓને થોડી ચાનક તો ચડાવી જોઇએ ને! આ આંદોલન જ્યારે પૂરપાટ ચાલતું હતું ત્યારે મોવડી મંડળે આનંદીબેનને અલ્ટીમેટમ આપવું જોઇએ તેવું “આધારભૂત” સ્રોત વાળી વાત અમને યાદ ન આવી. હવે જ્યારે આંદોલન નબળું પડી ગયું હોય ત્યારે તેમને “પાનો” ચડાવવા અમારે આગળ તો આવવું જ પડે કે જેથી પાટીદાર નેતાઓને લાગે કે હમ ભી કુછ કમ નહીં હૈ. સાથે સાથે જનતાને એક સંદેશો જાય કે બીજેપીમાં ગડમથલ છે. અફવા તો અફવા. લાગ્યું તો તીર નહીં તો તુક્કો. જીભ સાબદી તો ઉત્તર ઝાઝા.

દાખલો બીજોઃ

“યશવંત સિંહાના નિવેદનથી હોબાળો. રાજીનામાની માંગ.”

યશવંત સિંહા અસહિષ્ણુતા વિષે કંઈક બોલ્યા. એટલે એની અસર વ્યાપક પડી છે તેવો સંદેશો આપવો જરુરી છે. એટલે “હોબાળો” શબ્દ તો હાથ લાગી ગયો. નહેરુવંશી ઇન્દિરાઈ કટોકટી ફેઈમ કોંગ્રેસ તો નૈતિક રીતે રાજીનામુ માગી ન શકે. જો કે નહેરુવંશી કોંગ્રેસને નીતિમત્તા સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી તેથી તે તો રાજીનામું માગે પણ ખરી. પણ ધારો કે નહેરુવીયન કોંગ્રેસના નેતાએ રાજીનામું માગ્યું હોય તો તેને છૂપાવવું જરુરી નથી. કારણ કે કોંગીજનો તો આંદોલનપ્રિય અને ખ્યાતિભૂખ્યા છે. તો પછી રાજીનામું માગ્યું કોણે? અને કોનું રાજીનામું માંગ્યુ? સમાચારના વિવરણમાં કશી માહિતિ મળતી નથી. જો કે ટીવી ચેનલોએ શબ્દસઃ વીડીયો ક્લીપ બતાવી શકી નથી. યશવંત સિંહાએ મોદી વિષે કહ્યાનું નકાર્યું છે. સમાચાર માધ્યમનો એજન્ડા “નો નેગેટીવ” ન્યુઝ, ન્યુઝ માટે લાગુ પડતો નથી.

દાખલો ત્રીજોઃ

હે વાચક ભાઈઓ, પાટીદારભાઈઓના એક વર્નાક્યુલર સમાચાર માધ્યમ જનિત નેતા જેલમાં સબડે છે. જો આ નેતા જેલની બહાર હોત તો તેને “અઘ્યા-પાદ્યાના” સમાચાર (વિષ્ટા ઉત્સર્જન અને તેજ માર્ગે થતા વાયુ-ઉત્સર્જનના સમાચાર) અમે આપતા રહેત. હવે તેઓ જે કંઈ કરે તે સમાચાર મને મળતા નથી તેથી અમે બેચેન છીએ. અમે તેમને અવારનવાર પત્રો લખતા રહેવાની ભલામણ કરી છે. અને તેથી તેઓશ્રી લખતા રહે છે. અમે તેમના લખેલા પત્રોને ભરપુર કવરેજ આપીએ છીએ. સાથે સાથે અફવાઓ પણ ફેલાવીએ છીએ. “પાટીદાર ભાઈઓને જેલમાંથી મૂક્ત કરો, અમે તમારી સાથે છીએ” (જો કે હે વાચક ભાઈઓ અમે એમ નહી લખીએ કે કાયદાને કાયદાનું કામ કરવા દો. જો પાટીદાર ભાઈઓ નિર્દોષ છે તો કાયદો તેમને અડી શકશે નહીં. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે.)  હા વાચકભાઈઓ, અમે એવું જરુર લખીશું કે ફલાણા પાટીદાર નેતાએ આનંદીબેનને અલ્ટીમેટમ આપ્યું છે કે ત્રણ માસમાં પાટીદારોની સમસ્યાનો નીવેડો લાવો નહિં તો પદ છોડો.

દાખલો ચોથોઃ

નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન થી ગદગદ છે.  (નરેન્દ્ર મોદીની “મનકી બાત” ને મજાકીયું હેડીંગ)

દાખલો પાંચમોઃ

દલિત પરિવારોને ફાળવાયેલી હજારો એકર જમીન કાગળ પર. સીએમને પત્ર. ભારત સરકાર પર આરોપ લગાવ્યો. ઉદ્યોગ ગૃહને ફાળવવાનું કવત્રું. દલિત, આદિવાસી, ઓબીસીના જમીન અધિકાર પર તરાપ, સરકારની મેલી મુરાદ બહાર આવી …..

હે વાચકો તમે એ સવાલ ન પૂછશો કે ૧૯૪૭ થી ૧૯૯૩ સુધીમાં  દલિત, આદિવાસી, ઓબીસીને ફાળાવાયેલી જમીન અત્યારે કોના કબજામાં છે.

દાખલો છઠ્ઠોઃ

ભાજપ પ્રદેશપ્રમુખ પદ કેટલે …

પાટીદારો સમાધાન કરે એટલે.

ભાજપ અને આંદોનલ કારીઓ વચ્ચે એવી ગાંઠ પડી છે કે જે કેમેય કરીને છૂટી રહી નથી.

દાખલો સાતમોઃ

થરુરના “હિન્દુ” ટ્વીટ પર અનુપમ ખેર ભડક્યા…. જીએલએફમાં હોબાળો થયો. રીયલ લાઈફ એન્ગ્રીમેન…

હે વાચકો અમે છેલ્લા ૨૫ પ્લસ વર્ષોથી આતંકિત પીડિત કશ્મિરી હિન્દુઓ વાત નહીં કરીએ. અમને એમાં રસ નથી. કારણ કે એમાં તો નહેરુવંશી કોંગ્રેસની અને તેના સાથી પક્ષોની સંડોવણી  જે અમારા એજંડાની બહારની વસ્તુ છે. અનુપમ ખેરની તે વિષે શું સ્થિતિ છે તે વિષે અમે કહીશું નહીં. અમે તો ફક્ત યેનકેન પ્રકારેણ બીજેપીને ઉપર કોમવાદ વિષે સાંકળી શકાય તેવી જ વાત કહીશું.

દાખલો આઠમોઃ

તંત્રી મહાશયને “હૈદ્રાબાદના ‘બત્રીસ લક્ષણાના બલીદાન એળે જવાનો ડર લાગે છે. આ બત્રીસ લક્ષણા ભાઈનું એક લક્ષણ યાકુબને આપેલી ફાંસીના વિરોધનું હતું.

પટેલ આગેવાનને મોટોભા બનાવવાનો તો તેમનો ધર્મ જ છે. “હાર્દિક પટેલ કોઈની જાગીર નથી. …” અહો … કેવી સુંદર શોધ અને કેવું પરમ સત્ય.અરે ભાઈ તૂં તારી રોજનિશી લખ અને કોણ કોણ તને મળ્યું અને શી વાત કરી તેની નોંધ રાખ. અપને મૂંહ મિયાં મીઠ્ઠું ક્યોં બનતા હૈ.

“પાટીદારોની બીકે સીએમએ ૧૭ કિલોમીટર દૂરથી બ્રીજ ખૂલ્લો મૂક્યો. વરાછાના સરથાણ આ બ્રિજનું રિમોટથી ઉદ્ઘાટન કર્યું” ડીબીની હેડલાઈન.

” બ્રીજ એક માસથી તૈયાર હતો. અને છતાં ન કર્યો, તો આથી રુડી તક ક્યારે મળશે. બાંધો શિર્ષક મારા વીરા. સાથે લખો …

“ભાજપમાં ભારે રોષ…. વાતાવરણમાં અશાંતિ ફેલાય નહીં તે માટે મુખ્ય મંત્રીએ આવું કર્યું….” સાથે લખો … “… કરોડોના ખર્ચે તૈયાર થયેલો બ્રીજ આ રીતે મહાનુભાવોને બોલાવ્યા વગર રિમોટથી ખૂલ્લો મૂક્યો. (મારા વાલીડા) પાટીદારો અટકચાળો કરે તો… બુધવારની રાતથી સરથાણા, વરાછા અને કપોદ્રા સુધી પોલીસ સ્ટાફને ખડે પગે તહેનાત કરાયો હતો ….” એવું પણ લખો.

વાચક ભાઈઓ આવી તો અમે અપાર વાનગીઓ આપને પીરસીશું.

હવે આપણે અમુક કટારીયા લેખકો મૂર્ધન્યોની માનસિકતાની વાતો કરીશું?

એક કટારીયા લેખકભાઈ

એક કટારીયા લેખકભાઈ પોતે પાટીદાર (!) હોવાથી હમેશા એક દિશાનું જ વિચારે છે. તેઓ શ્રી શું લખે છે?

“છાસ લેવા જવું છે પણ દોણી સંતાડવી છે ભાજપને”…

વાસ્તવમાં લેવા વાળા, એટલેકે માગવાવાળા તો પાટીદાર જ છે. એટલે દોણી તો એમના હાથમાં જ છે. પણ લખો મારા બાપા…. લખવામાં મોળું શા માટે લખવું? હેં ભૈ! હૉવઅ.

“પાટી દારોને મનાવવા પણ છે અને પોતે ઝૂકી નથી ગયા એમ દેખાડવું પણ છે” એવો સંદેશો આપો. કોઈનું નામ ન લઈએ તો બધું બભમ બભમ ચાલે. રાજા ભોજ, વીર વિક્રમ, ગંગુ તેલી બધી જ વાતો કરી શકાય. અરે રામરાજ્ય ની પણ વાત કરી શકાય.  રામ મંદિરને પણ આપણી વાતમાં ઘુસેડી શકાય.

“ભાજપને ગુરુજ્ઞાન લાધ્યું…સ્થાનિક સ્વરાજની ચૂંટાણીઓમાં નિષ્પ્રાણ સૂતેલી કોંગ્રેસને પાટીદારોએ જીતાડી દીધી. … ભાજપના બધા નેતાઓ એકસૂરે કહે છે પાટીદારો અનિવાર્ય છે… બિચારાની હાલ સાપે છછૂંદર ગળ્યા  જેવી થઈ છે. એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે… બીજેપી ની નીતિ બેધારી છે…  ભગત સિંહનો માર્ગ …. ગાંધી ચીંધ્યો માર્ગ … બે ચાર પોલીસવાળાને મારીને મરો … દરેક ગામે ગામ પાટીદારો કાર્યક્રમ આપી રહ્યા છે …. સરાકારી કાર્યક્રમોનો વિરોધ એટલું કોમન છે …. વડિલોનો ભાજપ પ્રત્યેનો ભક્તિભાવ આંધળો છે….” આવું અનેક તીકડમ આપણા આ કટારીયાભાઈ તેમની કટારમાં ચલાવ્યા કરે છે. પણ ખાટલે ખોડ એ છે કે બીજેપીને ગુરુજ્ઞાન લાધ્યું પણ આ કટારીયા ભાઈને એ ગુરુજ્ઞાન ન લાધ્યું કે “હિન્દુઓની નંબર-૨ પૈસાદાર કોમને અનામત શા માટે?”.

બીજા એક કટારીયા ભાઈ

બીજા એક કટારીયા ભાઈ એ “ભદ્રંભદ્ર” ને ઉજાગર કર્યા છે. આમ તો આપણ એ જાણીએ છીએ કે ભદ્રંભદ્ર તો રુઢીચૂસ્ત હતા અને યાવની શબ્દોની તેમને સુગ હતી. તેમનું મૂળનામ દોલતશંકર હતું. ભગવાન શિવ તેમને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે દોલત તો મ્લેચ્છ શબ્દ છે. મારી સાથે તે શોભે નહીં. દોલતશંકરે કહ્યું કે એમાં તેમનો નહીં પણ તેમની ફોઈનો વાંક છે. પણ ભગવાન શિવ દોલતશંકરના તર્કથીતૂષ્ટ ન થતાં ત્રીશુળ હાથમાં લીધું. એટલે દોલતશંકર સ્વપ્નસૃષ્ટિમાં થી આલોક માં આવ્યા અને તેમણે “ભદ્રંભદ્ર” નામાભિધાન કર્યું. આપણા આવા ભદ્રંભદ્રનો કોઠારી ભાઈએ પૂનર્જન્મ આપવાની કોશિસ કરી છે.

આપણો એજન્ડા કે આપણા અન્નદાતા (ડીબી માલિક)નો એજન્ડા આપણે એક સમાન રાખવાનો છે. એટલે આપણા ભદ્રંભદ્રભ્રાતાએ પટેલભ્રાતાઓના સહાયકભ્રાતાના સ્થાને વિદ્યમાન થવાનું છે.

મારું વાલીડું કામ તો જરા અઘરુ છે. કારણ કે ભદ્રંભદ્ર તો રુઢીવાદી હતા. અને રુઢીવાદ પ્રમાણે તો પટેલ એટલે પાટીદાર એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય, વાણીયા અને પછી જ પાટીદારોને મૂકી શકાય. અને રુઢી પ્રમાણે તો તેમને અનામત આપવી જ પડે. તો તેનો વિરોધ કેમ થાય?

પણ આપણા ભદ્રંભદ્ર તેમ કરશે. અત્યારે પટેલો ભલે ક્ષત્રીયભાઈઓ થી પણ આગળ અને વાણીયાઓને સમકક્ષ થઈ ગયા હોય અને પટેલો ભલે મોટેલો પોટેલો ધરાવતા હોય, આપણા ભદ્રંભદ્ર તેનો વિરોધ કરશે. તેમની માટેની અનામતની માગણીનો વિરોધ કરશે. એક વખત નક્કી કર્યું કે આપણો એજન્ડા પટેલોને માટેની અનામતનો વિરોધ કરવાનો છે એટલે વાત પૂરી. અષ્ટપંષ્ટં લખ્યા કરીશું. તર્કની વાતમાં કે મુદ્દાની વાતમાં તો આપણે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. એટલે બધું હાલ્યું જાશે.

ત્રીજા કટારીયા ભાઈ

આપણા ત્રીજા કટારીયા ભાઈ છે કાન્તિભાઈ ભટ્ટ. આમ તો તેઓ શ્રી સબબંદરકા વ્યાપારી છે. પ્રભાશંકર પટ્ટણીએ ભાવનગરના મહારાજાના એક ભૂલભર્યા “ડીલ”ને ભવનગર બંદરનો વહીવટ અંગ્રેજ સરકારના હાથમાં જતો “ભાવનગરના બંદર”નો અર્થ “ભાવનગરના મંકી” કરીને અટકાવેલો. આપણા કાંતિભાઈ પણ બધા જ બંદરના જ્ઞાતા છે. મોદીફોબીયાથી પીડિત છે. તેમને મોદી ઘોઘુરો બિલાડો લાગે છે. તેમણે તર્કને નેવે મૂક્યો છે. ૮૫+ પછી આ કદાચ તેમનો હક્ક બનતો હશે. જો કે વ્યક્તિએ ૧૦૦ વર્ષની ઉંમર પછી આવી સ્વતંત્રતા (સ્વચ્છંદતા) ભોગવવી જોઇએ. ૮૫+ કોઈ ઉમર છે?

ચોથા કટારીયા ભાઈ

ચોથા કટારીયા ભાઈ આપણા ગ્રામસ્વરાજવાળા પ્રકાશભાઈ છે. તેઓશ્રી મોદી ફોબીયા અને બીજેપી ફોબીયા બંનેથી પીડિત છે. કોઈ વ્યક્તિને મહત્વવાળો બનાવવો હોય તો તેની જન્મતારીખ, મરણતારીખ કે તેની ડીગ્રી કે સંસ્થાની આડશ લઈ તેને મહાન બનાવવાની કોશિસ કરવી એ સાંપ્રત કહેવાતા સર્વોદયવાદીઓનું લક્ષણ છે. અહો! રોહિત (હૈદરાબાદી ઘટનાવાળો) કેટલો મહાન હતો. દુશ્મનનો દુશ્મન એટલે આપણો મિત્ર એ ન્યાયે હવે સાંપ્રત કહેવાતા સર્વોદયવાદીઓ દેશદ્રોહીઓ અને કટોકટી-ફેમ નહેરુવંશી કોંગ્રેસીઓના ખોળે બેસવામાં કશો છોછ અનુભવતા નથી તે દેશની કમનસીબી છે. કારણ કે “પટેલોને અનામત” ના મુદ્દાની ચર્ચા ત્યાજ્ય છે પણ “આ દિવસોમાં કદાચ પહેલીવાર જ આપણે લેખકો (એવોર્ડ વાપસી લેખકોને જ લેખકો ગણવાના) એક અસરકારક પરિબળ તરીકે ઉભરી રહ્યા છીએ.”

પરંતુ અહો આશ્ચર્યમ્‌!! 

પાટીદારોના આંદોલનમાં જે પાયમાલી થઈ, તે વાત જવા દો, એટલે કે પાટીદાર ભાઈઓએ, જેતે ટ્રેનોના બસોના મુસાફરોને રખડાવ્યા, ચક્કા જામ કરી રસ્તાઓ બંધ કર્યા, બસો બાળી, પોલીસ સ્ટેશનો બાળ્યા, બસસ્ટેન્ડો બાળ્યા, રેલ્વેના પાટા ઉખેડ્યા તે બધું જવા દો. તેની સામેની સંવેદનશીલતા બતાવવાની તમારે જરુર નથી તેવું તમને લાગતું હશે. પણ  જે કાશ્મિરી હિન્દુ માનવીઓની જે હજારોની સંખ્યામાં કત્લેઆમ થઈ અને  જે લાખ્ખોની સંખ્યામાં તડીપાર થયા ત્યારે તમે ક્યાં હતા? તમારી સંવેદનાઓ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?

જે છૂપાવાય છે … તે સમાચાર છે.   

 (ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

આનંદીબેન, પાટીદાર, યશવંત સિંહા, નરેન્દ્ર મોદી, ગદગદ, ભાજપ પ્રદેશપ્રમુખ પદ, પાટીદારો સાથે સમાધાન, ભડક્યા, કોમવાદ, અનુપમ ખેર, કાશ્મિરી હિન્દુઓ, હૈદરાબાદના બત્રીશ લક્ષણા, બલીદાન, યાકુબ, મોટાભા, અપનેમૂંહ મિયાં મીઠ્ઠું, પાટીદારોનીબીકે, પાટીદારો અટકચાળો, ભદ્રંભદ્ર,

    

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસના જુઠાણા ભાગ – ૧

જુઠાણાઓ ઉપર કરો આક્રમણ
આક્રમણ એજ કલ્યાણ

હાજી કોંગ્રેસના જુઠાણાઓ ઉપર કરો શાબ્દિક અને પ્રદર્શનીય આક્ર્મણ

પહેલાં સમજી લો કોંગ્રેસ એટલે કોણ?

કોંગ્રેસ એટલે ફક્ત નહેરુવીયન કોંગ્રેસ એકલી જ નહી.

કોંગ્રેસ એટલે જે પક્ષો, જે સંસ્થાઓ, જે સમાચાર માધ્યમો અને જે વ્યક્તિઓ દેશના હિતને નુકશાન થાય તે રીતે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિવેદનો આપે છે તેમને કોંગ્રેસીઓ ગણો.

દાખલા તરીકેઃ

(૧) નહેરુવીયન કોંગ્રેસ (૨) જે પક્ષોએ નહેરુવીયન કોંગ્રેસને ભૂતકાળમાં એટલે કે સરદાર પટેલે નહેરુને શિખામણો આપી અને નહેરુએ ન માનવાની શરુઆત કરી ત્યારથી, વૈચારિક રીતે કે ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી નહેરુની, તેના ફરજંદોની અને તેના પક્ષની સાથે જોડાણો કર્યા તે સઘળા પક્ષો. (૩) સમાચાર માધ્યમો એટલે કે ટીવી ચેનલોના અને સમાચાર પત્રો ના માલિકો, તંત્રીઓ, સંપાદકો, એંકરો, કોલમીસ્ટો (કટારીયાઓ) જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર મુદ્દાઓને ચગાવ્યા કરે છે (૪) મહાનુભાવો (સેલીબ્રીટીઓ), હોદ્દેદારો, સાહિત્યકારો, જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુદ્દાઓને ચગાવ્યા કરે છે. આ સૌને કોંગ્રેસી ગણો

આ સમજવા માટે તાજેતરમાં ચગાવેલા અને ચગાવાઈ રહેલા મુદાઓ જુઓ.

“બાહ્ય અને બિહારી”

(૧) બિહારમાં ચૂંટણી વખતે બીજેપીના નેતાઓના પ્રચારની અસરને નાબુદ કરવાના પ્રયાસ રુપે બીજેપીના જે નેતાઓ બિહારના ન હતા તેમને પ્રચાર કરતા રોકવા માટે નીતીશકુમારે તેમને “બાહરી” તરીકે ઓળખાવ્યા હતા. આ એક ઘૃણાસ્પદ, દેશ માટે વિભાજનવાદી અને નિંદનીય પ્રચાર હતો.
દેશના એક રાજ્યનો નાગરિક બીજા પ્રાંતમાં જાય તો તેનો વિરોધ કરવો અને તેવો પ્રચાર કરવો તે, દેશની એકતા માટે ઘાતક છે.

દેશની એકતા ઉપર આઘાત પહોચાડનારનું બહુમાન કરવું કે તેની ટીકા ન કરવી તે કૃત્ય પણ દેશ દ્રોહની કક્ષામાં જ આવે. સમાચાર માધ્યમો પણ આ જ કક્ષામાં આવ્યા છે.

જો એક રાજ્યના નાગરિકના વાણી સ્વાતંત્ર્ય હક્કને બીજા રાજ્યમાં નકારવામાં આવે કે તે માટે જનતાને ઉશ્કેરવામાં અને એવો પ્રચાર કરવામાં આવે તો તેમાંથી ઘણું અભિપ્રેત થાય છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યના હિતનો વિરોધી છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં કોઈ અધિકાર ધરાવતો નથી.

એક રાજ્યના નાગરિકનું જો બીજા રાજ્યમાં બોલવાનું પણ જો આવકાર્ય ન હોય એવો પ્રચાર કરવામાં આવે તો તેનો અર્થ એમજ થાય કે તે બીજા રાજ્યનો હિતૈષી નથી.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં જો બોલવાનો અધિકાર ગુમાવે તો તે આપોઆપ તે બીજા રાજ્યમાં નોકરી અને વ્યવસાયનો અધિકાર પણ ગુમાવે છે. સંદેશો આને બોધ તો આજ જાય છે.

આ જાતનો પ્રચાર, ભારતીય બંધારણને બદલાવવાનું સૂચન કર્યા વગર, કરવો તે બંધારણનું અપમાન છે. એટલું જ નહીં પણ આને અરાજકતા ફેલાવવાનો દુરાચાર જ કહેવાય.

અરાજકતા ફેલાવવી એ દેશદ્રોહ જ કહેવાય. જ્યારે કોઈ એક નેતા અને સત્તાના હોદ્દેદાર દ્વારા જો આવો અરાજકતાને ઉશ્કેરવાનો આચાર પ્રચાર કરવામાં આવે તો તેને પદચ્યૂત કરી તેની નાગરિકતા રદ કરવી જોઇએ.

એક નાગરિકને, બીજા રાજ્યમાં “બાહરી” રાજ્યનો જો ગણવામાં આવે તો તે બીજા રાજ્યમાં મિલ્કત ધરાવવાનો અધિકાર પણ ગુમાવે જ છે. એટલે કાંતો તેણે ભાડે રહેવું પડે કે તેણે હોટેલમાં રહેવું પડે. જો બોલવાનો અધિકાર પણ ન હોય તો તેને નોકરી કરવાનો અધિકાર તો હોય જ નહીં તેથી ક્વાર્ટર્સ ફાળવવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી.

એક રાજ્યના નાગરિકને બીજા રાજ્યમા ગુનો કરવાનો અધિકાર તો હોઈ જ ન શકે. તેથી તે બીજા રાજ્યમાં જઈ જાહેર કે ખાનગી મિલ્કત એટલે ફુટપાથ, રસ્તા, જાહેર જમીન વિગેરે ઉપર લારી, ગલ્લા, કે પાથરણા પાથરી દબાણ પણ ન કરી શકે. તેટલું જ નહીં તે એવી માગણી કે હક્ક પણ ન જ કરી શકે. કારણે કે તેનું બોલવું આવકાર્ય જ નથી

હવે નીતીશકુમાર જેવા નેતાઓએ મુંબઈ મહારાષ્ટ્રમાંથી ઉચાળા ભરવા જોઇએ. નીતીશ કુમારે નૈતિકરીતે બિહારની બહાર નોકરી ધંધા અને દબાણ કરતા બધા જ બિહારીઓને બિહારમાં પાછા બોલાવી લેવા જોઇએ. નીતીશકુમાર પોતે સત્તાનો હોદ્દો ધરાવે છે. તેથી કાંતો બિહારની બહાર “બાહરી ગણાતા” બિહારીઓને બિહારમાં જ રાખવા જોઇએ અથવા તો નીતીશકુમારે પોતે દેશ છોડીને જતા રહેવું જોઇએ. જો તેઓ આમ ન કરે તો તેમની ઉપર કામ ચલાવી તેમને કાળાપાણીની સજા કરવી જોઇએ.

આતંકવાદને પ્રોત્સાહન આપવાના ગુનાઇત કૃત્ય પછીનું દેશદ્રોહનું કૃત્ય, નાગરિકોમાં “બાહ્ય અને બિહારી”ના આધાર પર ત્યાજ્ય ગણવા, તે જ છે.

તમે વિચારો, જો બધા જ રાજ્યના લોકો નીતીશકુમારના આ વિઘાતકવાદી મન્તવ્યને આચરે તો દેશની શી દશા થાય? દેશ આખો જીલ્લા અને તાલુકા સુધી વિભાજિત થઈ જાય. કારણ કે એક વખત જો રાજ્ય કક્ષાએ વિભાજનવાદી મનોવૃત્તિને પ્રોત્સાહન મળે તો તે વૃત્તિને જીલ્લાસ્તરે અને તેને તે પછી તાલુકા કક્ષાએ પહોંચતા વાર ન લાગે. જો આવી રીતે ભારતીય નાગરિકોને વિભાજિત કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે તો ધર્માંધતામાં રાચતા પક્ષો અને જુથો બળવત્તર બને અંતે ધર્માંધતા અને પોતાના ધર્મને પ્રસારવાની મનોવૃત્તિ વાળા જુથો આતંકતા વાદ તરફ વળે

(૨) મુસ્લિમ લીગ એક હળાહળ અને હાડોહાડ કોમવાદી સંસ્થા છે. કોઈ પણ બીન મુસ્લિમ વ્યક્તિ મુસ્લિમ લીગનો સદસ્ય બની શકતો નથી. મુસ્લિમ લીગનો એજન્ડા એ જ છે જે સ્વતંત્રતા પૂર્વે હતો. મુસ્લિમ લીગ ભારતીય બંધારણ પ્રમાણે પણ એક કોમવાદી સંસ્થા છે. આ મુસ્લિમ લીગ નહેરુવીયન કોંગ્રેસનો સહભાગી સહયોગી પક્ષ છે. આ બધું હોવા છતાં પણ નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પોતાને ધર્મનિરપેક્ષ માને છે એટલું જ નહીં પણ તેઓ બીજેપીને કોમવાદી પક્ષ માને છે. જ્યારે જ્યારે જરુર પડે અને લાગ આવે ત્યારે તેઓ કોમવાદ અને બીજેપીને એકબીજા સાથે સાંકળી બીજેપીની ભર્ત્સના કરે છે. આમ જુઓ તો બીજેપીના દ્વાર બધા જ ધર્મીઓ માટે ખૂલ્લા છે.

બીજેપીના દ્વાર બધા માટે ખૂલ્લા હોવા છતાં પણ,

બીજેપીમાં અહિન્દુઓ હોવા છતાં પણ,

તેમજ અહિન્દુઓ બીજેપી સરકારમાં હોદ્દાઓ ભોગવતા હોવા છતાં પણ,

અહિન્દુઓને જે વિશેષ લાભો મળતા ચાલુ રહ્યા હોવા છતાં પણ,

બીજેપીને જે મોટા ઉપાડે કોમવાદી પક્ષ કહેવાનું વરણાગીયાપણું કેટલાક દંભી ધર્મનિરપેક્ષીયોએ રાખ્યું છે તે “વદતઃ વ્યાઘાત” જેવું છે.

બીજેપીને કોમવાદી કહેવાનો આધાર આ વરણાગીયા દંભીઓ માટે કયો છે?
આરએસએસ અને વીએચપીવાળા બીજેપીનો પ્રચાર કરે છે એ કારણસર બીજેપીને કોમવાદી કહી શકાય? ના જી. એવું તો ન જ તારવી શકાય. કારણ કે જો આ રીતે તારવણીઓ કરીએ તો નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તો આતંકવાદી અને અસામાજિક તત્વો જ કહેવાય.

યાદ કરો:
૨૦૦૧ના અરસામાં નરેન્દ્ર મોદીએ એક જગ્યાએ ભાષણમાં કહેલ કે ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે. કારણકે બીજેપી કોમી દંગાઓને પ્રોત્સાહન આપતો નથી.

આ સમાચાર જાહેર થયા પછી સાબરમતી એક્સપ્રેસનો હિન્દુઓથી ભરેલો ડબ્બો ૨૦૦૨માં ફેબ્રુઆરીમાં ગોધરામાં મુસ્લિમો દ્વારા પૂર્વ આયોજન પૂર્વક સળગાવી દેવામાં આવ્યો અને ૫૯ મુસાફરોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ બનાવની વિષે નહેરુવીયન કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ “ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે” એવું કહીને મુસ્લિમોને દંગા કરવા ઉશ્કેર્યા હતા.

હવે સમજી લો કે આ પ્રમાણેનું મુસ્લિમોનું માનસ ઘડવા માટે કોણ જવાબદાર ગણાય? ખચિત રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસકો જ ગણાય. અને તેથી જ્યારે નહેરુવીયન કોંગ્રેસના નેતા આવી રીતે મુસ્લિમો દ્વારા પ્રાયોજિત હિન્દુ સંહારનો બચાવ કરે ત્યારે તો તેમની બેજવાબદારી સિદ્ધ થઈ જાય છે. એટલું જ નહીં નહેરુવીયન કોંગ્રેસના નેતાગણ ખુદ નરાતર કોમવાદી છે તે પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના એક વખતના મંત્રી શશી થરુર શું બોલેલા ખબર છે?

હાજી આ શશી થરુર પાકિસ્તાની ચેનલના વાર્તા-ચર્ચા આલાપમાં જે બોલેલા તે ચોંકાવનારું છે. કાશ્મિરના હિન્દુઓની જે કત્લેઆમ થયેલી અને કાશ્મિરના હિન્દુઓની તેમના ઘરમાંથી હકાલ પટ્ટી કરવામાં આવેલી તે વિષે આ શશી થરુરે કહેલ કે “આ પ્રક્રિયા આરએસએસના પ્લાન પ્રમાણે થયેલી.”

હાલમાં જ નહેરુવીયન કોંગ્રેસના એક પૂર્વ મંત્રીએ પાકિસ્તાની એક ચેનલના ચર્ચા-વાર્તાલાપમાં પાકિસ્તાનીઓને કહેલ કે “પાકિસ્તાન અને ભારત વચ્ચે ના સંબંધો સુધારવા હોય તો તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે”.

આ નહેરુવીયન કોંગ્રેસની માનસિકતા કેવી છે? પાકિસ્તાનની સરકારની પાસે આ નહેરુવીયન કોંગ્રેસના સરકારી મંત્રી, નરેન્દ્ર મોદીની સરકારને હટાવવા પાકિસ્તાનની મદદ માગે છે.

પાકિસ્તાનની આઇએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર એ બંને પાકિસ્તાનની સરકારનો હિસ્સો છે. આઈએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ભારતમાં ત્રાસવાદ દ્વારા ખૂના મરકી કરે છે.

નહેરુવીયન કોંગ્રેસ આ હકિકતથી અજાણ નથી અને નથી જ. હવે જ્યારે આ કોંગ્રેસ પાકિસ્તાનને એમ કહે કે “નરેન્દ્ર મોદીને તમે હટાવો” તો તેનો અર્થ એમ જ થાય કે તમે ભારતમાં આતંકવાદ એ હદે ફેલાવો કે ભારતની જનતા ત્રાહીમામ ત્રાહીમામ થઈ જાય અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વાતાવરણ તૈયાર થાય જેથી નરેન્દ્ર મોદીની સરકારનું પતન થાય.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની આ માનસિકતા છે. આને તમે કોમવાદી નહીં કહો તો શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના કોમવાદી માનસનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભારતમાં મુસ્લિમ કોમવાદ અને પ્રત્યેક પ્રકારના આતંકવાદના મૂળ નહેરુવીયન કોંગ્રેસમાં છે. આ વિષે મોટાં પુસ્તકો લખી શકાય તેમ છે અને લખાયાં પણ છે.

૧૦૬૨માં જ્યારે ભારત ઉપર ચીને આક્રમણ કરેલ ત્યારે પશ્ચિમ બંગાળના સામ્યવાદીઓએ ચીનની સેનાને “મૂક્તિ-સેના” તરીકે ઓળખાવી હતી. તેના સ્વાગત માટે તેઓ બેનરો સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ સામ્યવાદીઓની સાથે રાજકીય ગઠબંધન નહેરુવીયન કોંગ્રેસે અનેક વાર કર્યું છે. શું આપણા દેશ ઉપર આક્રમણ કરનારી દુશ્મનની સેનાને આવકારવી એ દેશદ્રોહી કામ નથી? દુશ્મનની સેનાને આવકારનાર પક્ષની સાથે ગઠબંધન કરવું એ પણ દેશદ્રોહી કામ જ છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ એ હદ સુધી અને એટલા બધા પ્રમાણમાં સામાજિક અને બંધારણીય રીતે ભ્રષ્ટ છે કે તમે જ્યાં હાથ નાખો ત્યાં તમને તેમની ભ્રષ્ટતા નજરે પડશે. આ કારણથી તેમના ઉપર આક્રમણ કરવું સાવ જ સરળ છે.

(3) વ્યર્થ વિવાદોના જનક એટલે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ બિહારની ચૂંટણીને લક્ષમાં રાખીને અનામત અને અસહિષ્ણુતાનો મીથ્યા વિવાદ ચગાવેલો.

બિહારની ચૂંટણીમાં આ ઠગ ગઠબંધાનને સફળતા મળી છે.

06 COME ON - IT CANNOT GO WRONG EVERY TIME

અનામતના મુદ્દાને ગુજરાતના પટેલો માટે ચગાવીને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમને આંશિક સફળતા મળી છે. તેથી તેઓ તેને હજુ ચગાવી રહ્યા છે. હવે તેઓ રામ મંદિરનો વિવાદ પણ ચગાવવા માટે સજ્જ થયા છે.

આ બધા જ મુદ્દાઓ ઉપર આ ઠગ મંડળ ઉપર વૈચારિક આક્રમણ કરી શકાય તેમ છે.

બીજેપી નેતાઓએ અને દેશના હિતેચ્છુઓએ આને એક ચેલેન્જ તરીકે અને દેશ પ્રત્યેની ફરજ તરીકે સમજીને પ્રત્યાઘાતો આપવા બેહદ જરુરી છે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ ઉપર પ્રહાર કરવા માટેના શસ્ત્રો માટે તમારે એતતકાલિન સમયના બનાવોને જ મદદમાં લેવા જરુરી નથી. કારણ કે નહેરુવીયન કોંગ્રેસનો જન્મ નહેરુએ વડાપ્રધાન થવા માટે મમત રાખી ત્યારથી થયો છે. તમે નહેરુવીયનોના કુકર્મોનો આધાર તે સમયથી લઈ શકો.

શિરીષ મોહનલાલ દવે.
ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, જુઠાણા, આક્ર્મણ, કટારીયા, સમાચાર માધ્યમ, કોલમીસ્ટ, સંદર્ભ, મુદ્દા, પ્રત્યક્ષ, પરોક્ષ, બિહાર, ચૂંટણી, નાગરિક, અધિકાર, ઘૃણાસ્પદ, દેશદ્રોહ, વિભાજનવાદી, વિઘાતક, પ્રાંત, રાજ્ય, સ્વાતંત્ર્ય, નોકરી, વ્યવસાય, અરાજકતા, આતંક, હિન્દુ સંહાર, બાહરી, નીતીશકુમાર, મુસ્લિમ લીગ, કોમવાદ, દંગા, નરેન્દ્ર મોદી, મૂક્તિસેના, સ્વાગત, બીજેપી

Read Full Post »

%d bloggers like this: