Feeds:
Posts
Comments

Posts Tagged ‘કોષ’

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 4

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૪

આહાર નિદ્રા, ભય અને મૈથુન શું ઘટાડ્યા ઘટી શકે છે?

આગળ જોઇએ

આંશિક શરીરને નિદ્રા

સજીવના કોષો જો હમેશા કાર્યરત રહે તો અમુક હદ પછી તે નબળા પડી જાય. તેથી તેની સક્ષમતા ઘટે. આ માટે પ્રકૃતિએ તેમને માટે નિદ્રાની જોગવાઈ કરી. પણ આ નિદ્રાની જોગવાઈ બધી જાતના કોષ માટે નથી. દરેક કોષ બેઝીક ટાઈમના પલ્સના આધારે કામ કરે છે. કેટલાક કોષો અને અંગો તેના અંતરાલમાં આરામ લઈ લે છે. જેમકે હૃદયના ધડકારા. ફેફસાંની શ્વાસોચ્છવાસની ક્રિયા. લોહીનું ભ્રમણ અને હવાનું ભ્રમણ દબાણના આધારે થાય છે. આ બધી વાતો લાંબી છે. ટૂંકમાં નિદ્રા અંગોને  આરામ આપે છે. આહાર, શરીરમાં વપરાતા ઘસારાને કારણે તત્વોમાં થતી ખોટને પૂરે છે.

 “આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે” આમાં વાસ્તવિકતા કેટલી?

આહારઃ

શરીરના કોષોની સક્રીયતા ટકાવી રાખવા માટે અને નવા કોષોની જરુર હોય તો તે ઉત્પન્ન કરવા માટે આહાર જરુરી હોય છે. જો આહારનું પ્રમાણ વધુ હોય અને પોષક તત્વો લોહીમાં પૂરતા પ્રમાણમાં હોય તો વધારાનો આહાર મળ-મૂત્ર સ્વરુપે બહારનીકળી જાય છે. ચરબીનો સંચય થાય છે. ચરબીના દહનથી કોષનું તાપમાન જળવાઈ રહે છે. આ કારણથી આહારને ઘણી હદસુધી ઘટાડી શકાય છે. લોહી દ્વારા કોષોને ચરબી સહિતના પોષક તત્વો મળતા રહે છે. પોષક તત્વો લોહીમાં ઘટે એટલે ભૂખ તરસ લાગે છે. આ એક વ્યવસ્થા છે. ભૂખ લગાડનારી વ્યવસ્થામાં રહેલું તંત્ર અમુક હદના ઉપવાસ પછી નિસ્ક્રીય થઈ જાય છે. પણ પાણી ઘટે તો શરીરને તરસ લાગવાથી અને પાણીના અભાવે કામ કરતું બંધ થઈ જાય છે. આમ આહાર અમુક હદ સુધી જ ઘટાડી શકાય છે. શરીર પોતે ટકી શકવાની હદ સુધી ટેવાઈ જાય છે.

નિદ્રાઃ

નિદ્રા પણ અમુક હદ સુધી ઘટાડી શકાય. નિદ્રા એટલે આમ તો મગજના એક હિસ્સાને મળતો આરામ છે જે સ્મૃતિને આરામ આપવાનો છે. આમાં ગંધ, સ્વાદ, સ્પર્ષ અને વિચારની ક્રિયા બંધ થાય છે.

ભયઃ

ભય એ એક વિઘટનની ક્રિયા વિષેનું પૂર્વાનુમાન છે. જેના પ્રમાણનો આધાર ડીએનએની સંચરના ઉપર છે. મનુષ્યમાં “વિચાર” અને “સમજણ” એ બંને ની ઘનિષ્ઠતા પણ ભાગ ભજવે છે. ભય જેટલા પ્રમાણમાં ઓછો થાય એટલા પ્રમાણમાં, વીરતામાં વૃદ્ધિ થાય છે.

મૈથુનઃ

કુદરતે આપેલી આ એક વૃત્તિ છે. જેનો હેતુ તદ્રુપ જીવોને ઉત્પન્ન કરી જીવસમૂહને ટકાવી રાખવાનો છે. આ વૃત્તિની ઘનિષ્ઠતાનો આધાર પણ ડીએનએ-આરએનએના બંધારણ ઉપર આધાર રાખે છે.

શરીરમાં કોષોને ખૂટતા તત્વો, શરીરમાં કોષોને ટેવથી પડેલા તત્વો, શરીરમાં કોષોને જોઈતા તત્વો, શરીરમાં કોષોને પરવડતા તત્વો, જેમાં બધું જ આવી જાય તેને આપણે રસાયણો કહીશું. આ રસાયણો મનુષ્યના અને સૌકોઈ સજીવના આચાર વિચાર આઘાત પ્રત્યાઘાત  ઉપર અસર કરે છે. માણસ પોતાના વિચારોની ઘનિષ્ઠતાના આધારે પોતાના અમુક રસાયણોમાં ફેરફાર કરી શકે છે. અને આ રસાયણો મનુષ્યના આચારોને નિયંત્રિત કરેછે.

જો માણસ જાતીય વિચારોની ઘનિષ્ઠતામાં જ રચ્યો પચ્યો રહે તો તેનામાં તેવા રસાયણો ઉત્પન્ન થાય છે અને તેથી તેની વૃત્તિઓ પણ તે સ્વરુપની ઉત્પન્ન થાય છે. વૃત્તિઓ તેને તેવા આચારોની દીશામાં પ્રેરે છે.

જાતીય વિચારો અને આચારો ઉપર સંયમ કેટલી હદે જરુરી?

માત્ર જાતીય વિચારો જ, શરીરમાં રહેલા રસાયણ ઉપર અવલંબે છે એટલું જ નહીં પણ વિચારો માત્ર રસાયણ ઉપર આધાર રાખે છે. અમુક વિચારોને રોકનારા વિચારો પણ પ્રતિ-રસાયણો ઉપર આધાર રાખે છે. જેમ બહારના આક્ર્મક માઈક્રોઓર્ગેનીક્ઝમ (જેમકે વાઈરસ) સામે લડનારા સફેદ કણો શરીરમાં હાજર હોય છે તેવું જ રસાયણ, પ્રતિ-રસાયણનું હોય છે. અમુક અમુક જાતના ડ્ર્ગ્ઝ લેવાથી માણસને અમુક જાતના વિચારો આવે છે. માણસમાં અમુક જાતના પ્રતિભાવો આપવાની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માણસ વિચારોમાં સાતત્ય જાળવી શકતો નથી… દીશા શૂન્ય થઈ જાય છે, નાની નાની વાતોમાં ગુસ્સે થાય છે, રડવા લાગે છે… હસવા લાગે છે …. હળવો થઈ ગયો હોય … ઉડતો હોય …. તેવી અનુભૂતિઓ થવા લાગે છે. આ બધું રસાયણો ઉપર આધારિત હોય છે.

જાતીય વૃત્તિ પણ રસાયણ ઉપર આધાર રાખે છે. આ રસાયણો તેને વારસામાંના ડીએનએ-આરએનએ દ્વારા મળે છે. અને તેના પ્રમાણની વધઘટ ખોરાક અને વિચારોની ઘનિષ્ઠતા ઉપર અવલંબે છે. વિચારોના આધારે રસાયણો અને પ્રતિ રસાયણો કાર્યશીલ થઈ વૃત્તિઓને આચાર તરફ જવા પ્રેરે છે.

લગ્નની વ્યવસ્થા શા માટે ઉત્પન્ન થઈ?

જો કોઈપણ નર કોઈપણ માદા સાથે પશુઓની જેમ શારીરિક સંબંધો બાંધે તો પાશવી શક્તિ સમાજ ઉપર હામી થાય છે. કારણ કે મનુષ્ય જાતિ વિચારશીલ છે અને તે વ્યુહ રચનાઓ કરી શકે છે ઠગાઈઓ કરી શકે છે તેથી કાળાંતરે મનુષ્ય જાતિ જ નષ્ટ પામી જઈ શકે છે. પણ મનુષ્યજાતિનો સમૂહ પણ એક સજીવ છે અને તે પોતે પણ ટકી રહેવાની પ્રાકૃતિક વૃત્તિ ધરાવે છે. આ વૃત્તિની રુએ, જાતીય વૃત્તિના આચારને બેફામ થતો રોકે છે. આ માટે તે વૃત્તિને રોકવા માટે જરુરી, જે પ્રતિ-રસાયણો છે, તેને બનાવવા, પોતાના સમૂહમાં નીતિ નિયમો ઘડે છે. આ નીતિ નિયમો દ્વારા મનુષ્યસમુહે વર્તન બાબતમાં મર્યાદાઓ બાંધી છે. જાતીય સંબંધ બાંધવા માટે સગાંઓને બાધ્ય ગણ્યા. નજીકના સગાંઓને તો સાવ જ બાધ્ય ગણ્યા. ઉમરના મોટા તફાવતને બાધ્ય ગણ્યો. લગ્નપ્રથાને ઉજવણીનો પ્રસંગ ગણ્યો જેથી કોણ કોની સાથે છે તે જાહેર થાય. હક્કો અને ફરજો આપ્યા. આ બધાનો હેતુ જાતીય જીવનમાં અરાજકતા ન થાય તે માટેનો હતો.

બે વિજાતીય વ્યક્તિઓ એકબીજા સાથે પરિણિત છે. આ વ્યક્તિઓ વચ્ચે રસાયણોનો તાલમેલ ન હોય તો શું થાય? આવા લગ્નો કેવી રીતે ટકાવી શકાય? પ્રેમના રસાયણનો તાલમેલ હોય, ફરજ અને હક્કને સમજવાના  રસાયણનો તાલમેલ હોય, પસંદગી નાપસંદગીના રસાયણનો તાલમેલ હોય પણ શારીરિક સંબંધની વૃત્તિના રસાયણ વચ્ચે તાલમેલ ન હોય તો શું કરવું? આના ઉપાય તરીકે વેશ્યા વ્યવસાય ઉત્પન્ન કરવામાં આવ્યો. જો કશામાં તાલમેલ ન હોય તો છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવી.

જો સ્ત્રી બહુગામી હોય તો તે વેશ્યા વ્યવસાય કરી શકે અથવા પતિથી ખાનગીમાં બીજા સાથે સંબંધ રાખે. આ વાતની નરને ખબર પડે કે ખબર ન પણ પડે. જો આ આડસંબંધની ખબર પડે અને જો પુરુષ નપુંસક હોય તો આંખ આડા કાન કરે અને જો તેમ ન હોય તો ક્યારેક છૂટા છેડા પણ આપી શકે.

જો પુરુષ બહુગામી હોવાની ટેવવાળો હોય કે છૂટક હોય તો સ્ત્રી કંકાસ કરે અથવા સમસમીને બેસી રહે. પણ જવલ્લે જ એવું વિચારે કે તે અને તેના પતિની જાતીય વૃત્તિ બાબતની કેમેસ્ટ્રી મેચ થતી નથી અને તેને પોતાને સમજણ દ્વારા અને અથવા હોર્મોન થેરેપી દ્વારા મેચ થવાની જરુર છે. વાત બહુ નાની છે. પણ આ નાની વાત, સમાજમાં અસામાજીકતા અને અરાજકતા સર્જે છે.

ભ્રમર વૃત્તિ

પુરુષની ભ્રમર વૃત્તિ એ કુદરતની દેન છે. તેથી જ તત્વ વેત્તાઓએ સંયમની વાત ઉપર જોર આપ્યું છે.

શું જાતીય વૃત્તિ ઉપરનો સંયમ અને અકુદરતી રીતે થતું વિર્ય સ્ખલન નુકશાન કારક છે?

શું બ્રહ્મચર્યનો ગવાતો મહિમા એક ફરેબ છે?

જાતીય વૃત્તિ ના વિષય ઉપરના પંડિતો એવું કહેતા જોવા મળે છે કે અકુદરતી રીતે કરવામાં આવતું વીર્યસ્ખલન કુદરતી વલણ છે અને તેનાથી કશું નુકશાન નથી. સંત રજનીશમલ પણ એમજ કહે છે કે જાતીયવૃત્તિ ઉપરનો સંયમ જાતીયવૃત્તિને વધુ તીવ્રતા આપે છે. માટે લગ્ન સંસ્થા એક નિરર્થક સંસ્થા છે. લગ્ન સંસ્થાનું મૃત્યુ નિશ્ચિત છે અને તે થવાનું જ છે. સમાધિ એક આનંદ છે અને સંભોગ પણ આનંદ છે માટે સંભોગ દ્વારા સમાધિ પ્રાપ્ત કરવી.

જો કે આ એક તર્કહીન તારણ છે.

ભગવાન કૃષ્ણ ગીતામાં શું કહે છે?

અર્જુને કૃષ્ણભગવાન ને પ્રશ્ન કરેલ કે જો સંયમી થવાની ઈચ્છા હોય પણ ન થઈ શકાતું હોય તો શું કરવું?

કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે “અભ્યાસ કરવો”. અભ્યાસ એટલે કે તે કામ અવારનવાર અને સતત કર્યા કરવું. જ્યારે બાળક ચાલવાનું શિખતું હોય ત્યારે તે અવારનવાર પડી જાય છે. છતાં તે પ્રયત્ન ચાલુ રાખે છે. પોતાના પ્રયત્નો તે ચાલુ રાખે છે. પ્રયત્ન કરતાં કરતાં તે ચાલવાનું શિખી જાય છે. પછી તેને માટે ચાલવાનું એક સ્વાભાવિક ક્રિયા થઈ જાય છે. સંયમ વિષે પણ આમ જ છે. જોકે સંત રજનીશમલના શિષ્યો કહેશે કે આ તર્ક ખોટો છે. શરીરના હલન ચલનને કાબુમાં રાખવું અને શરીરને ટેવ પાડવી એ વાતને મનની ગતિવિધિઓ સાથે સરખાવી ન શકાય.

કૃષ્ણ ભગવાન આવો ભેદ પાડતા નથી. મૂળવાત સમજણની છે. નાનું બાળક અજ્ઞાતરીતે સમજે છે કે મારે ચાલ્યાવગર છૂટકો નથી. બધા મજાના બે પગે ચાલે છે. માટે ચાલવું તે અશક્ય નથી.  આનો અર્થ એ થયો કે સામાજીક વાતાવરણ, માણસની વૃત્તિ ઉપર અસર કરે છે. જો સામાજીક નિયમો અને અંકુશો નબળા હોય તો માણસનું મન પણ નબળું પડે, કારણકે સમજણ વિકસતી નથી.

સમાજનો ભય માણસના મનને અંકુશમાં રાખે છે. જો એક વખત બુદ્ધિપૂર્વકની સમજણ ઘર કરી જાય એટલે કે જે સમજાયું તે આત્મસાત પણ થઈ જાય તો મન પણ પૂર્ણપણે અંકુશમાં આવી જાય છે.

આમ કૃષ્ણભગવાન એમ કહે છે કે;

તમારી મનની ઈચ્છાને બાજુ પર રાખો. તેનાથી અલિપ્ત બનો. તટસ્થ બનીને માત્ર બુદ્ધિથી જ વિચારો. કારણ કે જો તમે આમ નહીં કરો તો તમે ઈચ્છાપૂર્વકની કામનાની દિશામાં જ એકાંગી રીતે વિચારતા થશો. કામનાથી અલિપ્ત નહીં થાઓ તો તમે અસ્વસ્થ થશો. (પોતાના ઉપર ક્રોધ કરશો એટલે કે આત્મવિશ્વાસ ગુમાવશો. આ સ્થિતિ તમને નિરાશા તરફ દોરી જશે). નિરાશા જનક સ્થિતિમાં તમારે જે દલિલો યાદ કરવાની છે તે તમે તમારી સ્મૃતિમાંથી બહાર કાઢી શકશો નહીં. એટલે તમે તર્કનો ઉપયોગ નહીં કરી શકો. તમે તર્ક નહીં કરો એટલે તમે મનુષ્ય તરીકે ખતમ થશો.

આનો અર્થ એ થયો કે જો તમે કોઈપણ નિર્ણયમાં તટસ્થભાવ ન રાખો, અને મનની સાથે લિપ્ત રહીને જ બુદ્ધિને નિર્ણય કરવાનું કહો તો, બુદ્ધિ બારે દિશામાંથી મેળવેલી સ્મૃતિઓનો ઉપયોગ કરશે નહીં, અને તમે જે નિર્ણય કરશો તે વાસ્તવમાં મનનો જ નિર્ણય હશે. મનને તો તમે અલિપ્ત કર્યું જ નથી, એટલે જે નિર્ણય થયો તે બુદ્ધિનો નિર્ણય તો છે જ નહીં. મન પ્રમાણેનું આચરણ કરવામાં તમે મનુષ્યત્વ ગુમાવો છો.

વાસ્તવમાં મન તો તમારું નોકર છે, પણ તમે ગર્વથી કહો છો કે હું તો મનનો મોજી છું. હું તો મારા મનના (નોકરના) કહેવા પ્રમાણે જ વર્તીશ. હું કંઈ કોઈનો ગુલામ નથી.

વાસ્તવમાં તમે તો તમારા નોકરના ગુલામ છો.

બધાજ બનાવો નિશ્ચિત છે

આધુનિક ભૌતિક શાસ્ત્રીઓ કહે છે કે બ્રહ્માંડમાં બધું જ નિશ્ચિત છે. મનુષ્ય શું વિચારશે તે નિશ્ચિત છે. મનુષ્ય કેવી રીતે વર્તશે તે પણ નિશ્ચિત છે. જો કોઈ એક વ્યક્તિના રસાયણ જ એવા હોય કે લાખ વિચારો બુદ્ધિ પૂર્વક કરે અને પ્રતિ-રસાયણો ઉત્પન્ન કરે પણ આ પ્રતિરસાય્ણો જાતીય વૃત્તિનું દમન ન કરી શકે તો શું કરવું? જો દરેક મનુષ્યનો સ્વભાવ બ્રહ્માંડની નિશ્ચિતતાને આધિન હોય તો મનુષ્ય વાંકમાં આવ્યો જ ન ગણાય. હવે જો મનુષ્ય વાંકમાં જ આવ્યો ન હોય તો તેને સજા પણ કેવી રીતે થઈ શકે?

ઈશ્વર કહે છે કે તમે સમજી લો અને માની લો હું મનુષ્યની વ્યક્તિગત સુરક્ષા માટે નથી. હું ફક્ત વ્યક્તિગત મનુષ્યને જ સજીવ માનું છું તેમ નથી. હું તો સમાજને પણ સજીવ માનું છું. એટલે મનુષ્ય વ્યક્તિગતરુપે અને સમાજ સામુહિક રીતે, એ બંનેના પ્રમાણસરના મિશ્રણથી જે કંઈ નિર્ણયો અને આચરણો થશે તે, જે તે સમાજનું ભાવી નક્કી કરશે. જો એક મનુષ્ય વ્યક્તિગત રીતે પ્રતિ-રસાયણ ઉત્પન્ન નહીં કરે તો સમાજ તેને દંડ આપીને તે વ્યક્તિની અંદર રહેલા વિઘાતક રસાયણને નબળું પાડી દેશે અને સમાજમાં કુલ પ્રતિ-રસાયણનું પ્રમાણ વધશે. આ પ્રમાણે આ પ્રતિરસાયણ મનુષ્ય સમાજને જાતીય સંબંધોમાં સ્વચ્છંદતા લાવતાં રોકશે.

GANDHI AND MANUBEN GANDHI

મહાત્મા ગાંધી શું કહે છે? તેમણે શું કર્યું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, કોષ, સમુહ, ઘટાડ્યાં ઘટે, વધાર્યાં વધે, જાતિય, વિચાર, સમજણ, સંયમ, અભ્યાસ, બુદ્ધિ, તર્ક, અલિપ્ત, સ્મૃતિ, વૃત્તિ, ભ્રમર, આચાર, નીતિ, નિયમ, લગ્ન, મનુષ્યત્વ, રસાયણ, પ્રતિ-રસાયણ, નિશ્ચિત, બ્રહ્મચર્ય, કુદરતી, વીર્યસ્ખલન,

Read Full Post »

ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સરકાર,મેડીકલ કાઉન્સીલ, હૉસ્પીટલો, દવાઓ અને ડૉક્ટરો 

રોગો અને તેના ઉપચારો ને લગતો આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં શું હોય છે તેનાથી ભાગ્યેજ કોઈ અજાણ્યું હશે.

કોઈવ્યક્તિ માંદો પડે એટલે શું થાય?

તે ડોક્ટર પાસે જાય,

ડૉક્ટર દવાઓ લખી આપે, કેટલીક વાર દવા એવી હોય કે તે ડૉક્ટરની નજીકના મેડિકલ સ્ટોરમાં જ મળે. ડૉક્ટરને અમુક ટકા કમીશન મળે.

દરદી સાજો થયો તો વાત પૂરી. ન થયો તો ડૉક્ટર દવા બદલે અથવા અમુક ટેસ્ટ કરાવે. ક્યા ટેસ્ટ જરુરી છે કે નહીં તે વાત જવા દો. કેટલીક વાર ડોક્ટર લેબોરેટરીની પણ ભલામણ કરે.

દરદી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે. ડોક્ટરનું કમીશન ચડે.

ડૉક્ટર ટેસ્ટ રીપોર્ટ જુએ. અને રોગને પારખે અને દવાઓનો નવો કોર્સ લખી આપે. દરદી હવે આ રોગની દવાઓનો કોર્સ કરે. જે કદાચ એક સપ્તાહ થી ત્રણ માસ સુધી ચાલે.

જો દરદી સાજો થઈ ગયો તો દરદીએ ડોક્ટર અને ઈશ્વરનો ઉપકાર ગણવાનો.

જો તમે ઉચ્ચ વર્ગના કે ઉચ્ચ મધ્યમ વર્ગના હો કે અતિ માલેતુજાર હો તો આ ચિકિત્સા પ્રણાલી બહુ નડશે નહીં. કારણકે તમે ખમતીધર છો અને મેડીક્લેમ પણ હશે. જો ડોક્ટર જાણીતો હશે તો તમને થોડા વધુ ખર્ચા કરવાશે પણ તમને સાજા કરી દેશે. પણ જો તમે અજાણ્યા ડોક્ટર પાસે જશો તો જોખમ મોટું તો હોઈ શકે છે. તમે સારી ભલામણ લઈને જાવ તો જરા જોખમ ઓછું. પણ તમે ઈશ્વર પર ભરોસો રાખશો.

આ બધી વાતો જનરલ ફીઝીસીયનના સ્ટેજ સુધીની થઈ. જો રોગ મોટો છે અને બહુ વખત સુધી ગણકાર્યો નહીં અને પછી સ્પે્શીયાલીસ્ટ પાસે ગયા એટલે તમારે છ માસથી શરુ કરી પાંચ વર્ષ સુધીનો દવાના ટેસ્ટ રીપોર્ટો સાથેનો કોર્સ તો તમારે લમણે લખાઈ ગયો એ સમજી લેવાનું. એમાં પણ જો તમારે રુગ્ણાલય (હોસ્પીટલ)માં જવાનું થયું તો પચાસ હજાર થી શરુ કરી પાંચ લાખ જ નહીં પણ આકાશ એ સીમા છે.

સરકારી હોસ્પીટલોમાં સ્થિતિ એટલી હદે લૂંટી લેવાની નથી. પણ ડોક્ટર, નર્સ અને મહેતરાણીઓ પોતું કરવાવાળીઓ સ્ટોર કીપરો એ બધાની સેવા લેવા માટે તમારે આંટા ફેરા કરવાના. જોકે આ સ્થિતિ કેટલેક અંશે ખાનગી એવા મહા-ઋગ્ણાલયોમાં પણ હોય છે.

ડોક્ટરોમાં અને રુગ્ણાલયોમાં વાસ્તવમાં કેવા કરાર હોય છે તે આપણને ખબર નથી. પણ ડોક્ટરને તેની ભલામણથી દાખલ થયેલા કે દર્દીએ પસંદ કરેલા કે રુણાલયે સૂચવેલા ડોક્ટરની વીઝીટના પૈસા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ભોગવા પડે છે. આનું સારું પાસુ એ છે કે દર્દીને જે તે ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ મળી શકે છે. જો ઓપરેશનની સંડોવણી હોય તો સર્જનને હોસ્પીટલ તરફથી સામાન્યરીતે નિશ્ચિત કરેલી રકમ મળે છે. અને ઘણી વખત એક કરતાં વધુ ઓપરેશનો પણ કરવામાં આવે છે.

જો દર્દીને ગંભીર બિમારી હોય તો ડોક્ટરોની અને હોસ્પીટલની દાઢ સળકે છે. દર્દીને રીતસર ચીરી જ નાખવામાં આવે છે. જ્યારે દર્દી મૃત્યુની નજીક જ હોય દર્દીના સગાં પણ જાણતા હોય કે દર્દ બહુ ગંભીર છે અને સાજા થવા વિષે કશું કહી શકાય તેમ નથી અને જો તમે હોસ્પીટલ માટે અજાણ્યા હો અથવા તો હોસ્પીટલ તમારે માટે અજાણી હોય તો તમને હોસ્પીટલ ચૂસી લેશે. જે દર્દી તમારી સાથે વાતો કરતો કરતો હોસ્પિટલમાં દાખલ થયેલો તે સ્ટ્રેચરમાં હોસ્પિટલમાંથી બહાર નિકળશે.

ધારોકે તમારા દર્દીને ઓપરેશન કરવવું પડશે તેવું નક્કી થયું

તમારો દર્દી હોસ્પીટલમાં દાખલ થાય તે પહેલાં કેટલાક ટેસ્ટ તમારે ફરીથી કરાવવા પડશે. તેમાંના કેટલાક કે બધા જ ટેસ્ટ તમે અગાઉ કરાવ્યા હશે તો પણ તમારે તે ફરીથી કરાવવા પડશે અને હવે તે બધા તમારે હોસ્પીટલ વાળા કહે તે લેબોરેટરીમાં કરાવવા પડશે. કારણ કે હોસ્પીટલ ને બીજી લેબોરેટરીઓ ઉપર વિશ્વાસ નથી હોતો. અમુક ટેસ્ટ હોસ્પીટલ જાતે પોતાની લેબોરેટરીમાં કરશે. ભલુ હશે તો હોસ્પીટલ વાળા તમને ઓપરેશના એક દિવસ અગાઉ તમારા દર્દીને હોસ્પીટલમાં દાખલ કરી દેવાનું કહેશે. તો વળી કેટલીક હોસ્પીટલો તમને તમારા દર્દીને તાત્કાલિક જ દાખલ કરી દેવાનું કહેશે.

હોસ્પીટલ વાળા તમને ક્યારે ક્યારે કેટલા પૈસા જમા કરાવો એ અને બીજું બધું, શું શું કહેશે તે બધી વાત જવા દો.

હોસ્પીટલવાળા તમારી પાસે રુમ ચાર્જ લેશે, દવાનો ચાર્જ લેશે, ડ્રેસીંગનો ચાર્જ લેશે, ડોક્ટરનો ચાર્જ લેશે, ઓપરેશન હૉલનો ચાર્જ લેશે, ઓપરેશનનો ચાર્જ લેશે, ઓપરેશના શસ્ત્ર-અસ્ત્રોનો ચાર્જ લેશે, એનેસ્થેસીયાનો ચાર્જ લેશે, ઓપરેશન પછી દર્દીને આઈ.સી.યુ.માં રાખશે એટલે તેનો પણ ચાર્જ લેશે. દર્દીને તેના રુમમાંથી ઓપરેશન માટે બહાર કાઢ્યા પછી અને ઓપરેશ બાદ વાયા આઈ.સી.યુ. ફરીથી દર્દીની રુમમાં લાવ્યા સુધીનો (જો જીવતો રહ્યો હોય તો) રુમનો ચાર્જ લેશે. જો દર્દી ઉપરનું ઓપરેશન સફળ થયું હોય તો તેને થોડા દિવસ વધુ (કેટલીક વાર બીજો નવો બકરો ન આવે ત્યાં સુધી) રુમમાં રાખવામાં આવશે. અને તેનો પણ અગાઉના જેટલો જ ચાર્જ લેશે.

હવે જો ડોક્ટર દયાળુ હશે તો તમને સાચી વાત કહેશે. જોખમની સમજણ આપશે. અને બધું તમારા ઉપર છોડશે. જો આમ ન હોય તો દર્દીને હોસ્પીટલામાં ક્યાં સુધી રાખશે તે ભલભલા જ્યોતિષશાસ્ત્રીઓ પણ કહી શકશે નહીં. એવું પણ જાણવા મળ્યું છે કે વેન્ટીલેટર નામનું ઉપકરણ હોસ્પીટલોને ઠીક ઠીક કમાણી કરાવે છે.

મેડીકલ કાઉન્સીલ

મેડીકલ કાઉન્સીલનો આમ તો ધારે તો ઈલેક્સન કમીશ્નર જેવો રોલ કરી શકે છે. શેષન જેવો કોઈ ધૂની ઈલેક્સન કમીશ્નર પાકી શકે છે પણ તેના જેવો ક્રાંતિકારી મેડીકલ કાઉન્સીલનો ચેરમેન પાકી શકતો નથી. દવાઓ યોગ્યરીતે બનાવાય છે કે નહીં, યોગ્યરીતે પ્રદર્શિત કરાય છે કે નહીં, યોગ્ય ભાવે વેચાય છે કે નહીં વિગેરે ઉપર તેણે નજર રાખવાની હોય છે. હવે જો સરકાર જ જો જાણી જોઇને આંખ આડાકાન કરતી હોય તો મેડીકલ કાઉન્સીલ શું કામ લૂંટમાં સામેલ ન થાય? આ બાબતમાં બાબુભાઈનો એક કેસ આર્ટીકલ વાંચી લેવો. URL https://treenetram.wordpress.com/2011/11/19/babubhai-thakkar-submits-application-to-prosecute-man-mohan-singh/

મેડીકલ કાઉન્સીલમાંના એક હોદ્દેદાર થવા જે કરોડ રુપીયાનો લાંચનો કિસ્સો વર્તમાનપત્રોમાં આવેલ એજ બતાવે છે કે મેડીકલકાઉન્સીલમાં કેટલા ઘી કેળાં છે.

ટૂંકમાં આજના સમયમાં માંદા પડવું એ એક મોટો ગુનો છે.

આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને  રોકવાનો ઉપાય શું?

આમાં મુખ્ય કઈ કઈ બાબતો છે જેને લક્ષમાં લેવી જોઇએ.

રોગ લાગુ પડવાના કારણો કયા કયા છે?

૧ વાઈરસ થી થતા રોગોઃ આમાં શરીરની અંદર કાયમ રહેતા વાઈરસને આપણી પ્રતિકારત્મક શક્તિ નુકશાનકારક રીતે વધુ સક્રીય થતા રોકી રાખે છે. બીજા વાયરસ બહારના વાતાવરણમાંથી આપણા શરીરમાં પ્રવેશે છે. જોકે તે કેટલા શક્તિશાળી છે તે આપણે સમજી શકતા નથી. જો આપણે માંદા પડીયે તો સમજી લેવું કે તે વાયરસ સામે આપણી પ્રતિકારાત્મક શક્તિ હારી ગઈ. એટલે આપણે તેનો ઉપચાર કરવો પડશે.

૨ જંતુ જન્ય રોગોઃ જોકે આનાથી થતા આક્રમણની સામે પણ આપણી પ્રતિકારત્મક શક્તિ રક્ષણ આપે છે. પણ આમાં પણ હાર અને જીત હોય છે. આ રોગ પણ આમ તો વાયરસ જેવો ગણાય. પણ આ ગંદકીને લીધે અને અશુદ્ધિને લીધે થાય છે.

૩ ખરાબ આદતોથી થતા રોગોઃ ખરાબ આદતો જેવી કે દારુ, રોગીષ્ઠ નોનવેજ, તમાકુ, ઘરની અશુદ્ધિ, અતિ-આહાર, અકુદરતી આહાર વિગેરેથી પણ માંદા પડાય છે.

૪ વારસાગત રોગોઃ આ રોગો આમ તો નંબર ૧ સાથે સરખાવી શકાય. પણ કુદરતી આહાર દ્વારા તેને નબળા પાડી શકાય એવી એક માન્યતા છે.

૫ ખોટા ઈલાજોથી થતા રોગોઃ આપણા એક માનનીય કાંતિભાઈ ભટ્ટે આ બાબતમાં દિવ્યભાસ્કરમાં એક સારો લેખ લખ્યો છે. તેઓ અભિનંદનને પાત્ર છે. આ લેખ બધાએ જરુર વાંચવો. જેમાંનું એક તારણ છે કે ૯૫ ટકા દવાઓ ખોટી દવાઓ છે. એટલે ટૂંકામાં સમજી જાઓ કે મેડીકલ ક્ષેત્રે કેટલી જાહોજલાલી છે.

આ સિવાય રોગ થવાના બીજાં કારણો કયા છે?

ખોરાકની જગ્યાની અસ્વચ્છતા અને હવાની અસ્વચ્છતાઃ

તમે જાહેર શૌચાલયો જોયા જ હશે. દુર્ગંધથી તમારું માથૂં ફાટી જશે.આજગ્યાની હવાના જંતુઓ હવા દ્વારા દૂરદૂર જવાના જ. અસ્વચ્છતા માટે સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થા જવાબદાર છે. બંનેના આરોગ્યખાતાંઓ ફક્ત મોટી રેસ્ટોરાંઓ ઉપર પૈસા આપવાથી કે ઉપરી અધિકારીના કહેવાથી રેડ પાડે છે. મેં વિશ્વસ્ત સ્રોતો તરફથી સાંભળ્યું છે કે રુપીયા પાંચ હજાર આપો અને મ્યુનીસીપાલીટી વાળા પાસે રેડ પડાવો. જોકે આ ભાવ પાંચ વર્ષ પહેલાંનો હતો અને અમદાવાદનો હતો. રેડ પડ્યા પછી તમારે જોવાનું નહીં કે પછી સ્થાનિકસ્વરાજ વાળા શું કરશે.

ગામના રસ્તાઓ ઉપર, ફૂટપાથો ઉપર, પાર્કીંગની જગ્યાઓ ઉપર લારી, મારુતીવાન રાખીને થતા, ખુરશી ટેબલ સાથે કે ખૂરશી ટેબલ વગર વેચાતા અને ત્યાંજ ટેસથી ખવાતા ફાસ્ટફુડ કે જેઓ આવા ધંધા દ્વારા લખપતિઓ થયા તે તો આરોગ્ય ખાતાઓને દેખાતા જ નથી. જાણીતા ખુમચા વાળા પણ લખપતિ થયા છે. અને અજાણ્યા ખુમચાવાળા પણ લખપતિ થવાની લ્હાયમાં છે. આરોગ્યખાતાવાળા તો કરોડપતિ થઈ ગયા છે અને હવે તેમને ડબલ ફીગરના કરોડમાં આવવું છે. જ્યારે હેપીટાઈટીસ કે કમળો ફાટી નિકળશે ત્યારે આ સરકારી બારદાનો આ રોગોના કારખાનાઓને કામચલાઉ બંધ કરાવશે અને મોટા હોર્ડીંગો બનાવી લોકોને આરોગ્ય જાળવવાના ઉપદેશો આપશે અને સુકા રસ્તાઓ ઉપર પણ ડીડીટીનો (રામજાણે આ પાવડર કેટલો શુદ્ધ હશે) પાવડર છાંટશે.

ઉપાય

ઉપાય એજ છે કે જે કોઈ કોમર્સીઅલ કોંપ્લેક્ષ હોય તેમાં આવા લોકો માટે જગ્યા અનામત રાખવી જોઇએ. અહીં પણ સ્વચ્છતાના નિયમો ઘડી, સીસીકેમેરા ગોઠવવા જોઇએ. રસ્તા, ફુટપાથ અને અન-અધિકૃત જગ્યાઓ ઉપર કોઈ ખાણી પીણી વેચવાની છૂટ જ ન હોવી જોઇએ. મોદીકાકાની સરકાર રસ્તાઓ ઉપર સીસીકેમેરાને ગોઠવવાની યોજના બનાવી રહી છે. પણ આ યોજના સરકારી બારદાની અધિકારીઓ કેવીરીતે અમલમાં મુકશે તે જોવાનું છે. ખોરાકમાં વપરાતું રૉ-મટીરીયલ પેક્ડ અને સ્ટન્ડર્ડ કંપનીનું જ હોવું જોઇએ.

જેનેટિક બિયારણ અને પાકોઃ

સર્વોદયવાદીઓએ આ અકુદરતી ખાતરોના ઉપયોગ, જંતુનાશક દવાઓના  ઉપયોગ અને હાઈબ્રીડ બીયારણોના ઉપયોગ વિષે ઘણું લખ્યું છે. લોકોને કેન્સર, થાઈરોઈડ જેવા રોગ  થવામાં આ વસ્તુઓ ભાગ ભજવે છે તે નકારી ન શકાય.

જમીન અને જગ્યાઃ

જનતાને રોગગ્રસ્ત કરવામાં સરકારી અધિકારીઓ જવાબદાર છે. લોકો પોતાના ઘર તો મોટે ભાગે સ્વચ્છ રાખે છે પણ તેજ લોકો સામાન્ય વપરાશની જગ્યાઓ એટલે કે લીફ્ટ, પેસેજની જગ્યા, ગલીઓ, રસ્તાઓ, ફૂટપાથો ઉપર થૂકે છે, પાન-તમાકુની પીચકારીઓ કરે છે, પાણી રેડે છે, કચરો નાખે છે અને ખાદ્ય પદાર્થો પણ નાખે છે. આનું કારણ એજ છે કે તેમને કોઈ દંડતું નથી. સીસી કેમેરા ગોઠવી તેમને દંડો અને આ દંડ માટે તેમને ઉધારની પાવતી (ટીકીટ) પકડાવી દો. જો ત્રણ માસમાં ન ભરે તો તે વર્ષના  તેમના હાઉસ ટેક્ષમાં દંડ અને બાંધી મૂદતમાં ન ભરવા બદલની પેનલ્ટી તરીકે ઉમેરી દો. હાઉસીંગ સોસાઈટીઓને પણ તેમના ક્ષેત્રમાં ચોક્ખાઈનો અમલ કરવાનું આ રીતે જ કહી દો.

સ્વચ્છ પાણીઃ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બંધારણીય ફરજ છે કે પીવાનું પાણી સ્વચ્છ હોય. ચૂટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે કે તેઓ નિયમિત રીતે પોતાના વિસ્તારને મળતું પાણી શુદ્ધ છે તેની લેબોરેટરી દ્વારા આરોગ્ય ખાતાએ ટેસ્ટ કર્યું છે કે નહીં તેની ચકાસણી કરે. અને જો ક્યારેય પણ એવું સાબિત થાય કે ફલાણા દિવસે પાણીનો ટેસ્ટ રીપોર્ટ બરાબર ન હતો, તો કન્ઝ્યુમર કોર્ટ સ્થાનિક સ્વરાજ સંસ્થાનો દંડ કરે. જરુરી નથી કે કોઈ માણસ માંદો પડે અને તે સિદ્ધ કરે કે તે અશુદ્ધ પાણીથી જ માંદો પડ્યો છે. પણ ધારો કે જો એવું સાબિત થાય તો સ્થાનિક સ્વરાજની સંસ્થા નુકશાની પણ ભોગવે.

શાકભાજીનું વેચાણ

શાકભાજી વેચવા વાળા રોડ ઉપર લારીમાં શાક વેચતા હોય છે. આ બંધ થવું જોઇએ. કારણ કે અગાઉ આપણે જોઇએ ગયા તેમ રોડ ઉપર વેચવું એજ ગુનો છે (આ ગુનો આમ તો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ છે). એક દાખલો રસપ્રદ છેઃ

અમદાવાદમાં અંકુર થી રન્નાપાર્ક ના રસ્તા ઉપર શાસ્ત્રીનગર પાસે રસ્તા ઉપર સાંજે શાકભાજીની વાળાની લારીઓને કાયદેસર કે ગેરકાયદેસર રીતે ધંધો કરવાની છૂટ આપેલી છે. હવે જો આવી મર્યાદિત સમય પુરતી છૂટ આપવામાં આવી હોય તો તેને માટે રોડ ઉપરની જગ્યા જ શા માટે રાખી? શાસ્ત્રીનગરમાં જ ત્રણ મેદાનો છે. એટલું જ નહીં પણ શાસ્ત્રીનગરની સામે જ સરકારી પડતર જમીન પડી છે. ત્યાં શું કામ શાકભાજીની લારીઓ વાળા માટે ગોઠવણ ન થઈ શકે? શહેર સુધરાઈવાળા તેને કામ ચાલાઉ ધોરણે ભાડે લઈ શકે અને શાકભાજીની લારીઓ વાળા પાસેથી ભાડું વસુલ કરી શકે. ખાલી જમીનના માલિકને પણ કમાણી થાય, શહેર સુધરાઈને પણ કમાણી થાય અને લારીવાળા પણ રળી શકે. હાજી પણ ગુન્ડા અને સરકારી સેવકોના હપ્તા બંધ થઈ જાય.

આથી પણ વિચિત્ર વાત નવી મુંબઈના સીડાકોની ટાઉનશીપ (બેલાપુર)ની છે. અહીં સેક્ટર ૯-૧૦માં સીડકોએ શાકમાર્કેટ કરી છે. પણ શાકમાર્કેટમાં ઢોર રખાય છે. અને શાકભાજીની લારીવાળા બહાર રોડ ઉપર શાકભાજી વેચે છે. આવું કેવી રીતે છે? કારણ કે દુકાનોના કૉલાઓનું ભાડું જે કંઈ હોય તેના કરતાં હપ્તાની રકમ ઓછી હોય રાખવામાં આવી હોય છે. વળી આપણા દેશમાં ઢોરોના માલિકોને ઢોર રખડતા મુકી દેવાની અલિખિત છૂટ છે. તેથી ગોપાલો આનો લાભ શા માટે ન લે?

આવું જ આપણા ગાંધીનગરના કેટલાક ચીપ શોપીંગ સેન્ટરોમાં જોયેલું છે. જેમાં ચીપ શોપીંગ સેન્ટરોની દુકાનો ખાલી રહે અને બહાર લારી ગલ્લા વાળા ધંધો કરે.

અમદાવાદ ના નવા હાઈકોર્ટ સંકુલમાં પણ કંઈક આવું જ હતું. કેન્ટિન ખાલી હતી અને તેના વચ્ચેના ચોગાનમાં રીસેસમાં ખૂમચાવાળા ખાણી પીણીનો ધંધો કરતા હતા. કદાચ આ કામ ચલાઉ હશે. પણ તે ક્ષમ્ય નથી.

સરકાર શું કરી શકે?

મેડીકલ તો મફત જ હોવું જોઇએ. મેડિકલટ્રીટમેન્ટના વીમાવાળી વાત એક એજન્સી વધારવાની વાત છે. એટલે કે જમવામાં એક સંસ્થાનો ઉમેરો. મેડીક્લેમની જોગવાઈએ હોસ્પીટલોના બીલ આસમાને પહોંચાડી દીધા છે અને ખાયકી વધારી દીધી છે.

દરેક વ્યક્તિનો મેડીકલ ઈતિહાસ ફરજીયાત હોવો જોઇએ. અને જેમ ઈન્કમ ટેક્સ વાળા પાન-કાર્ડ દ્વારા અને ઈન્કમટેક્સ રીટર્ન દ્વારા જનતાના અને કંપનીઓના નફા ઉપર નજર રાખે છે તેમ દર્દીને થયેલી ચિકિત્સાની બધી જ વિગત ઉપચારો, દવાઓ, ચિકિત્સકો, રૂપીયા આના પાઈ અને વિડીયો ક્લીપ સહિત  કેન્દ્રસ્થ રહેવી જોઇએ. જે કોઈ ચિકિત્સક જે કંઈ ચિકિત્સા કરે જે કંઈ ચાર્જ કરે તે બધું જ તેણે અપલોડ કરવું જોઇએ. આને માટે એક સોફ્ટવેર અને પ્રણાલી બનાવી શકાય. મેડીકલ કાઉન્સીલ આનું અમુક ટકામાં અવલોકન કરે. અને અથવા જો દર્દીને કે તેના સંડોવાયેલા સગાંને ચિકિત્સાની યોગ્યતા, ગુણવત્તા અને ચાર્જ વિષે ચેક કરવા જેવું લાગે તો મેડીકલ કાઉન્સીલનો અભિપ્રાય માગી શકે. મેડીકલ કાઉન્સીલ તેનો ચાર્જ લઈ અભિપ્રાય આપે અને જો તેમાં ક્ષતિ લાગે તો તે ચિકિત્સાલય અને ચિક્તિત્સકને દંડી શકે.     

આપણે પોતે શું કરી શકીએ?

રોગ ન આવે તેવી જીવન શૈલી રાખો. આ તો શિખામણ થઈ. આ કેવી રીતે પળાય?

હવાઃ ડમરો વાવો. તુલસી વાવો. અને કડવા લીમડાનો ધુમાડો થોડો કરો.

પાણીઃ પાણી થી જ મોટા ભાગના રોગ થાય છે. જાડા કપડાથી ગાળેલા પાણીમાં ફટકડી ફેરવો. જંતુ થકી થતા રોગો સામે રક્ષણ મળશે. પાણીને ઉકાળો અને ઠરવા દો. કેટલાક ક્ષાર અદ્રાવ્ય થશે અને નીચે બેસી જશે. ક્ષાર હશે તો પથરી સામે રક્ષણ મળશે નહીં. તે માટે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો પણ છે. લીંબુના ટીપાં, મધના ટીપાં અને કકોણું પાણી ના મિશ્રણમાં તજનો પાવડર એક નાની ચમચી નાખો અને તેનું નીત્ય સેવન કરો.

પાણી દિવસ દરમ્યાન ચાર લીટર તો પીવું જ જોઇએ. સવારે ઉઠીને તૂર્ત જ ચાર કપ પાણી પીવો. અર્ધા કલાક પછી ચા કે ગરમ દૂધ પીવો. કલાક પછી બીજા ત્રણી ચાર કપ પાણી પીવો. સવારે ચાલવા જાવ કે કસરત કરો. દર બે કલાકે બે કપ પાણી પીવો.

કુદરતી આહારઃ જુના જમાનામાં કોઈ બહારનું જમતા નહીં. સૌ કોઈ ભાથું લઈને જતા. આજે પણ ઘણા લોકો ટીફીન-ડબ્બો લઈને જાય છે. ઘરે જ રાંધેલું જમો. જો તમે એકલા હો કે બેકલા રાધવાનું શીખી લો. ખીચડી, ભાખરી અને શાક એ સહેલી વાનગીઓ છે અને પૌષ્ટિક પણ છે. જો આ વાનગીઓ ન ભાવતી હોય તો ભૂખ્યા રહો. જ્યારે ખૂબ ભૂખ લાગે અને જ્યારે એવું લાગે કે હવે તો જમ્યા વગર રહેવાશે જ ત્યારે આ ખીચડી, ભાખરી અને શાક ખાવ. ભૂખ્યા થાવ અને ખાવ. બધી ટેવ પડશે.

શ્રેષ્ઠ શાકઃ કોઈપણ શાક લો. તેના કટકા કરો. છાલ કાઢવી હોય તો કાઢો અને ન કાઢવી હોય તો ન કાઢો. તેને સોલર કુકરમાં પાણીમાં બાફો. પછી તેમાં થોડું મીઠું નાખો અથવા ન નાખો. એક વાનગી તરીકે સવારે કામે જતી વખતે ખાવ અથવા લંચમાં ખાવ. ટેવ પડશે તો તેના વગર ચાલશે નહીં.

ફળાહારઃ જો ડાયબીટીસ ન હોય તો બધાં જ ફળો ખાઈ શકાય. સવારે બ્રેકફાસ્ટમાં ૫૦ થી ૧૦૦ ગ્રામ ફળ ખાવ. મનુષ્યનો ખોરાક વાસ્તવમાં અનાજ છે જ નહીં. માંસાહાર ની તો વાત જ ન કરશો. કારણ કે મનુષ્યનું શરીર જેમકે નખ, દાંત અને હોજરીની રચના માંસાહારી પ્રાણીઓથી અલગ છે. આમ તો અનાજ પણ મનુષ્ય માટે નથી. અનાજ ઢોર માટે છે. મનુષ્ય બહુ બહુ તો પોંક ખાઈ શકે. રસાદાર ફળો અને મેવા સીંગદાણા, બદામ, આલુ, અખરોટ, તલ, વિગેરે જેવા પોચાં ઉત્પાદનો મનુષ્ય માટે યોગ્ય છે. મનુષ્યને દાઢો આપી હોવાથી તે ખૂબ ચાવીને આ બધું કાચું જ પચાવી શકે છે. અનાજ અને ફળ વચ્ચે ભેદ પાડવાનો હેતુ જ એ છે કે અનાજ અકુદરતી આહાર છે. પણ અગ્નિનો ઉપયોગ મનુષ્યને આવડ્યો એટલે તે અનાજને પાચ્ય બનાવી શક્યો છે. આ જ વાત માંસને લાગુ પડે છે. પણ આ બંને વગર મનુષ્ય ચલાવી શકે. અને કામ કરતાં કરતાં સો વર્ષ જીવી શકે. (કુર્વન્નેવ હિ કર્માણી જીજીવિષેત્‌ શતંસમા – ઈશાવાસ્ય ઉપનિષ‌ત્‌).

શાક ભાજી અને ફળાહાર દ્વારા રોગમુક્તિના ઘણા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે.

કાન્તિભાઈ શાહ દ્વારા લિખિત કુદરતી ઉપચારનું પુસ્તક પણ ઉપલબ્ધ છે.

ઉપવાસ અકસીર ઈલાજ છે.

ધારો કે માંદા પડ્યા. તો બે થી ચાર નકોરડા ઉપવાસ કરી નાખો. કુદરતી ઉપચાર કરો. ગાંધીજીએ પાણી અને માટીના ઉપચારો સૂચવ્યા છે. કાન્તિભાઈ શાહે કુદરતી ઉપચારો સૂચવ્યા છે. આયુર્વેદે જડીબુટ્ટીના ઔષધો સુચવ્યા છે.

જો થોડા સમયમાં રોગ ન મટે તો પછી એલોપથીના ડોક્ટરકાકા તો છે જ.

મનુષ્યનું આયુષ્ય લગભગ નિશ્ચિત છે. આ આયુષ્ય તમારા માતાપિતાના આયુષ્યથી પાંચ થી પંદર વર્ષ આઘું પાછું થઈ શકે છે. જો ખરાબ આદતો હોય તો આયુષ્ય ઘટે.

એક વાત સમજવાની છે કે આપણું શરીર શું છે? તે સમજીને તેની કાળજી લો.

બાહ્ય અંગોઃ બાહ્ય અંગો જેમકે ચામડી, આંખ, કાન, નાક અને દાંત. તેની સ્વચ્છતાની કાળજી લો.

પાચન તંત્રઃ કુદરતી આહાર, ઉપવાસ અને પાણી દ્વારા તેને સ્વચ્છ રાખો

લોહી અને કીડનીઃ સ્વચ્છ, પૂરતું પાણી અને લીલી હળદર લોહીને સ્વચ્છ રાખે છે.

માંસપેશીઓ અને નસોઃ વ્યાયામ અને શ્રમ નસોને તંદુરસ્ત રાખે છે.

ફેફસાં અને લોહીની નળીઓઃ કફ અને કોલેસ્ટ્રલ ન થાય તેવો આહાર લેવો. પ્રાણાયમ કરવાથી ફેફસાં ચોક્ખાં રહે છે.

ન્યુરોન અને જ્ઞાન તંતુઓઃ મગજને સક્રીય રાખવાથી એટલે કે જ્ઞાન પ્રાપ્તિથી તેઓ પણ તંદુરસ્ત રહે છે.

સમગ્ર શરીર કોષોનું બનેલું છે. આ બધા કોષ તેમને મળતા પ્રાણવાયુને કારણે જીવિત રહે છે. લોહી, દરેક કોષને પ્રાણ વાયુ પહોંચાડે છે. પ્રાણાયમ એ શ્વાસ-ઉચ્છવાસની કસરત છે. જો તમે લાંબો ઉચ્છવાસ કરો તો તમે લાંબો શ્વાસ પણ લઈ શકશો. લાંબા શ્વાસોચ્છવાસ દરેક કોષને વધુ ઓક્સીજન પહોંચાડે છે. તેથી કોષ સક્રીય રહે છે. આ કારણથી શરીરની દરેક ક્રીયાઓની કાર્ય શક્તિ વધે છે. એટલે જ પાતંજલીએ સૌ પ્રથમ શ્લોક એમ આપ્યો છે કે “યોગઃ કર્મષુ કૌશલમ્‌”. આપણું સમગ્ર શરીર કોષોનું બનેલું હોય છે. બધા જ કાર્યો જાતજાતના કોષોના સમૂહો કરતા હોય છે. એટલે યોગ કરવાથી સૌ કોષો પોતાનું કામ સારી રીતે કરી શકે છે અને તેથી કાર્યમાં કુશળતા આવે છે.

યોગ વિષે બીજી અફવાઓમાં પડવું નહીં. યોગ કરવાથી ચમત્કારો થઈ શકે છે તે બધા ગપગોળા છે. જીવન આનંદ માટે છે. એટલે બીજાને કાયદેસર નુકશાન કર્યા વગર આનંદ થી જીવો.

વિચારો, મન અને બુદ્ધિઃ આપણને જે ગમે તે મન અને એ ગમાડવામાં આપણે જે નિર્ણય લઈએ અને સ્વિકારીએ તે સ્મૃતિ અને મગજ. આ સૌ કોષોનું બનેલું છે. વારંવાર (અભ્યાસ દ્વારા) કરવા થી તેને કેળવી શકાય. આમ તો આપણું શરીર કોષોનું બનેલું છે અને કોષો રસાયણના બનેલા છે. આ રસાયણોમાં થતા ફેરફારો આપણા વિચારો અને ખોરાક ઉપર આધાર રાખે છે અને રસાયણો પણ આપણા મન અને વિચારો ઉપર અસર કરેછે. આ અરસ પરસનો સંબધ છે.

તમે કહેશો કે આમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ક્યાં આવ્યો?

બીજા ક્રાઈમોમાં આપણો હિસ્સો કે જવાબદારી ચાર ટકા થી વધુ હોતી નથી. જોકે ઘણા નિરાશાવાદીઓ તેમાં પણ જનતાનો વાંક જુએ છે. પણ એ બધા ગુનાઓ તો સરકાર પોતાની ફરજ બજાવીને આપણને સુધારી શકે પણ આપણી તંદુરસ્તી માટે આપણે કમસે કમ ૨૫ ટકા થી ૭૫ ટકા તેથી વધુ ગુનેગાર છીએ. એટલે કે આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં આપણે આપણી બેવકુફીથી સામેલ છીએ. જેમકે લોટરી ની ટીકીટ ખરીદવી કે ન ખરીદવી તે માટે આપણે ૧૦૦ ટકા જવાબદાર છીએ. તેમ આપણે આપણી તંદુરસ્તી માટે તો કમસે કમ ૨૫ટકા જવાબદાર છીએ.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ મેડીકલ કાઉન્સીલ, આરોગ્ય, ખાણીપીણી, લારી, ગલ્લા, ખૂમચા, શાકભાજી, હપ્તા, સરકારી, ગંદકી, હવા, પાણી, ખોરાક, શ્વાસોચ્છવાસ, યોગ, કુશળતા, કોષ, શોપીંગ, સંકુલ, વિચાર, મન, બુદ્ધિ, જવાબદાર       

Read Full Post »

અહંકાર, કોન્સીયસનેસ, સજીવ અને નિર્જીવ એટલે શું?

 જો વૈજ્ઞાનિકો અને હિન્દુઓ અનુક્રમે યુનીફાઇડ ફીલ્ડ થીએરીમાં અને અદ્વૈત વાદમાં માનતા હોય તો સજીવ અને નિર્જીવ જેવા ભેદ ન હોઈ શકે.

વૈજ્ઞાનિકો કદાચ ચાલાકીપૂર્વક કોન્સીયસ શબ્દ વાપરે છે. જેના અનુરુપ શબ્દ “હું-ત્વ, અહંકાર કે સ્વની અનુભૂતિ એવા થઈ શકે.   

શંકરાચાર્યના અદ્વૈત પ્રમાણે વિશ્વ પ્રાણ તત્વનું બનેલું છે. 

 સજીવ વાસ્તવમાં શું છે?

આપણને ભણાવવામાં આવ્યું કે સજીવ કોષોનો બનેલો છેસજીવ શ્વાસ-ઉચ્છવાસ કરે છે. હલન ચલન કરે છે. ખોરાક લેછે. ઉત્સર્જન કરે છે. જન્મે છે, જીજીવિષા રાખે છે, પ્રજનન કરે છે, અને મૃત્યુ પામે છે. તેના શરીરનું વિઘટન થાય છે. અને બીજામાં લોપ થાય છે. આ થઈ વિજ્ઞાનની વાત.

શંકરાચાર્ય અને હિન્દુધર્મ શું કહે છે? બધું સજીવ છે. બધું પ્રાણ તત્વનું બનેલું છે.

શંકરાચાર્ય કહે છે કે જે ફેરફારને પામે છે તેને ઉત્પત્તિ અને અંતહોય છે. વિશ્વમાં વિશ્વ સહિત એક પણ એવી વસ્તુ નથી કે જેમાં ફેરફાર ન થતો હોય. સમય અને અવકાશમાં પણ ફેરફાર થાય છે, માટે તેને પણ આદિ અને અંત હોય છે. પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, આકાશગંગા, નિહારિકાઓ સૌ કોઈ ફેરફારને પામે છે. માટે તેનો આદિ અને અંત છે. જો વિશ્વનો આદિ અને અંત હોય તો આપણા વિશ્વની બીગબેંગની (મહા વિસ્ફોટ) થીએરીને અને વિસ્તરતા વિશ્વની (એકોહમ્‌ બહુ સ્યામ) થીએરીને સમર્થન મળે છે.આ વિષે પછી ચર્ચા કરીશું.

આપણે સજીવ-નિર્જીવ ઉપર આવીએ.

આપણે એક જીવ તરીકે આપણા શરીરની અંદર છીએ તેમ આપણે માનીએ છીએ.

જોકે વાસ્તવમાં તો આપણે આપણા શરીરની બહાર જીવીએ છીએ. આપણા શરીરની અંદર આપણે આંધળા છીએ. આપણા શરીરની અંદર શું છે અને જે કંઇ છે તે બધું કેવી રીતે ચાલે છે તે વિષે આપણે કશું જાણતા નથી. આપણે આપણા શરીરમાં હરીફરી શકતા નથી. આપણે “હું-તત્વની અનુભૂતિ કરી શકીએ છીએ પણ તે હું તત્વ શરીરમાં ક્યાં છે, કેવડું છે, કેવું છે તે વિષે કશું જ જાણતા નથી.

આપણે જોઈએ છીએ, સ્પર્શીએ છીએ, સાંભળીએ છીએ, શ્વાસ લઈએ છીએ, સુંઘીએ છીએ એ બધું બહારના વિશ્વનું જ કરીએ છીએ. આપણે જે કઈ વિચારીએ છીએ તે પણ ઉપરોક્ત ક્રિયાઓ દ્વારા આપણા મગજમાં જે સંગ્રહાયેલું છે તેને યાદ કરીને તેને સરખાવીએ છીએ, નિર્ણયો કરીએ છીએ અને વળી પાછા આપણા નિર્ણયોને સંગ્રહીએ છીએ અને આવું જુદીજુદી રીતે કર્યા કરીએ છીએ,  તેને “વિચાર”એમ કહીએ છીએ. આપણા શરીરમાં લાખોજાતના કોષો છે. તેના અલગ અલગ કાર્યો હોય છે. અબજો જાતના સંવાદો અને આજ્ઞાઓ થાય છે. આ બધું ગણત્રી પૂર્વક, ખાસ હેતુ પૂર્વક, સમયસર, ચોક્કસાઈપૂર્વક, પ્રતિકારક રીતે, પૂર્વ નિયોજન પૂર્વક અને પ્રમાણસર થાય છે.  આ બધા કોષો એક ખાસ ઉષ્ણતામાનની સીમા વચ્ચે જ જીવી શકે છે. અને તે ઉષ્ણતામાન જાળવવાનું કામ પણ તેઓ ભેગા મળીને નિશ્ચિત રીતે જ કરે છે.  કયા કોષો શું છે શેના બનેલા છે, ક્યારે ઉત્પન્ન થાય છે ક્યારે બદલાય છે, ક્યારે કામ કરે છે અને કેવીરીતે કામ કરે છે, આપણે કશું જાણતા નથી. છતાંપણ આ બધું થાય છે. તો આ બધું કોણ કરે છે

 

સજીવને બીજા લોકો શું સમજ્યા?

સજીવોને બીજા ધર્મોએ અલગ રીતે સમજ્યા છે. તેઓ એવું સમજ્યા કે ઈશ્વરે, માણસને બધી છૂટ આપી છે. તે એકે મનુષ્ય, પ્રાણી પક્ષી અને જળચરોને ખાઈ શકેછે. આત્મા ફક્ત મનુષ્ય જાતિમાં જ છે. પ્રાણી, પક્ષી, જળચરો વિગેરેમાં આત્મા નથી.

અદ્વૈત આમ ન માને તે સ્વાભાવિક છે.

આપણને ભણાવવામાં આવ્યું કે સજીવ કોષોનો બનેલો છેસજીવ શ્વાસ-ઉચ્છવાસ કરે છે. હલન ચલન કરે છે. ખોરાક લેછે. ઉત્સર્જન કરે છે. જન્મે છે, જીજીવિષા રાખે છે, સ્વની અનુભૂતિ કરે છે, સુવે છે, જાગે છે, પ્રજનન કરે છે, અને મૃત્યુ પામે છે. તેના શરીરનું વિઘટન થાય છે. અને બીજામાં લોપ થાય છે. આ થઈ આધુનિક વિજ્ઞાનની વાત.

અમીબા એક કોષી જીવ છે. તે સ્વનું વિઘટન કરે છે. (એકોહમ બહુ સ્યામ). તેને બધી બાજુ હાથ છે, મોઢું છે અને પગ છે. સર્વત્રો બાહવઃ સર્વતઃ મુખાઃ સર્વતઃ પાદાઃ  તેવું જ બેક્ટેરીયાનું છે, પણ તે સૂત્ર જેવું છે.

તે પછી આવ્યા દ્વી લિંગી. (અર્ધનારીશ્વર)

તે પછી આવી મૈથુની સૃષ્ટિ. શંકર અને પાર્વતી ( અથવા શિવ અને શક્તિ)  

હવે સજીવની ઉપરોક્ત વ્યાખ્યામાં તમે એવી રીતે મર્યાદામાં આંકી છે કે જેથી એટલી મર્યાદામાં આવતી પ્રજાતિઓનો જ સજીવ તરીકે સમાવેશ કરી શકો છો. જો તમે ઉપરોક્ત મર્યાદામાં ઉમેરો કે તેને આંખ અને કાન હોય છે, તો ઘણા સજીવો આમાંથી રદ થઈ જાય. જો તમે જેઓવ્યુહ રચના કરી શકે છે” તેને પણ ઉમેરો તો માણસ સિવાયના બધા જ, સજીવ સૃષ્ટિમાંથી રદ થઈ જાય.

તો સજીવની વાસ્તવિક વ્યાખ્યા કઈ?

એકત્વ (યુનીક્‌નેસ)ને જાળવવું એટલે સજીવઃ

એકત્વનું અસ્તિત્વ (યુનીક્‌નેસ) અને તે માટે ની ઉર્જારુપી વૃત્તિ (બાઈન્ડીંગ એનર્જી) થકી આ એકત્વ એ સજીવની વ્યાખ્યા હોઈ શકે.

મનુષ્ય ને એક આકાર છે. તેને એક એકત્વ છે. એટલેકે તેની અનુભૂતિ એવી છે કે તે એક છે. એટલે કે તેના શરીરમાં તે એક જ છે. તે, બે નથી. બધા સજીવોમાં આ સ્થિતિ હોય છે.

શા માટે?

કારણ કે બધા સજીવોના કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને તે બાઈન્ડીંગ ઉર્જાથી જોડાયેલા હોય છે. તેમજ તે બધાની વચ્ચે વ્યવહારો થતા હોય છે. સેન્દ્રીય પ્રવાહી, તેમાં રહેલા કણો અને હવા થકી આ વ્યવહારો થાય છે. તેથી જે એકત્વ, વાસ્તવમાં એક નથી પણ અનુભૂતિ એકત્વની થાય છે. આ કોષ સમૂહનું સામુહિક ધ્યેય એ હોય છે કે આ  એકત્વને ટકાવી રાખવું અને જો ઘાતક સમસ્યા ઉભી થાય તો તેની સામે ઝઝુમવું. દરેક કહેવાતા સજીવોમાં આ વૃત્તિ વત્તા ઓછા પ્રમાણમાં હોય છે.

 

સજીવોમાં અસ્તિત્વની અનુભૂતિનો ગુણ શું અનિવાર્ય છે?

હા જી અને નાજી.

અસ્તિત્વની અનુભૂતિ સ્વપ્નહીન નિદ્રામાં થતી નથી. છતાં પણ જીવનું અસ્તિત્વ તો હોય છે જ. તેનો અર્થ એજ થયો કે સજીવો માટે અસ્તિત્વની અનુભૂતિ એ અનિવાર્ય ગુણ નથી. એવું પણ બની શકે કે સ્વપ્ન વિહીન નિદ્રામાં આપણી સ્મૃતિમાં કશું રેકોર્ડ (સંગ્રહ) થયું નથી તેથી આપણે જાગીએ ત્યારે આપણી સ્મૃતિનું સ્ટેટસ જેમનું તેમ જ હોય છે. આપણા અહં-તત્વની અનુભૂતિ સ્મૃતિમાં હોતી નથી. સ્મૃતિનું સ્ટેટસ આપણી ઈન્દ્રીયોએ જે માહિતિ મોકલી હોય અને જે સંગ્રહાયેલી હોય, તેમજ જે વિચારો કરેલા હોય અને સંગ્રહાયેલા હોય તેને આધારે બદલાતું રહે છે. જ્યારે આ ક્રીયા શૂન્ય હોય ત્યારે સ્ટેટસ જેમનું તેમ રહે છે અને સમય પણ આપણને શૂન્ય લાગે છે.

અસ્તિત્વની અનુભૂતિની ગેરહાજરીમાં પણ જો જીવ, અસ્તિત્વ ધરાવી શકતો હોય તો તેનો અર્થ તે થયો કે જેઓ પોતાનું અસ્તિત્વ અનુભવતા નથી, પણ પોતાનું એકત્વ અકબંધ રાખે છે તેઓ પણ સજીવ તો કહી જ શકાય.પણ અસ્તિત્વની અનુભૂતિ હોવી જોઈએ જ. કારણ કે કોઈપણ પદાર્થ ઉપર બાહ્ય ક્ષેત્રનું બળ લાગે ત્યારે તેના સ્ટેટસમાં ફેર થાય જ છે, અને તે ફેર તેના પૂર્વ ના સ્ટેટસ ઉપર આધારિત હોય છે.  પદાર્થના કોઈપણ તત્કાલિન સ્ટેટસમાં પૂર્વકાલિન સ્ટેટસ નિહિત હોય છે. આ સ્મૃતિ જ છે પણ તે બાબતમાં પદાર્થની અનૂભૂતિ કેવી છે તે આપણે જાણી શકીએ નહીં.  

સજીવની ગણત્રીમાં કોને લેવા?

સજીવની ગણત્રીમાં સુપર સ્ટ્રીંગ, બોસોન, ક્વાર્ક્સ, ગ્લુઓન, પરમાણુ, અણુ, તેના સંયોજનો, કોષ વિગેરે બધાને લઈ શકાય છે. સુપરસ્ટ્રીંગને બાદ કરતાં દરેકને પોતાની લાઈફ હોય છે. સુપરસ્ટ્રીંગ એ મૂળભૂત તત્વ, મૂળભૂત કંપન અને મૂળભૂત ઉર્જા છે. સુપરસ્ટ્રીંગને બાદ કરતાં કેટલાકને સેકંડના અબજોમાં અબજોમાં ભાગ જેટલી આવરદા હોય છે. તો કેટલાકની લાઈફ પરાર્ધો વર્ષની હોઈ શકે. આ બીજું કથન બ્રહ્માન્ડ અને તેમાં રહેલા કણો જેવા કે અણુ પરમાણુ, આકાશ ગંગાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો જ્યાં સુધી બીજામાં સમાઈ ન જાય કે વિઘટન ન થઈ જાય તેટલા સમયના અંતરાલ પૂરતું લાગુ પડે છે.

આ સૌ કોઈ પોતાનું એકત્વ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાના ક્ષેત્રદ્વારા બીજાને આકર્ષવાનો પણ પ્રયત્ન કરે છે.

પૃથ્વીઃ તેને ઉર્જા આવૃત્તિ અને કંપન છે. જેમકે તે પોતાની ધરી આસપાસ, તેના બધા અંગોને લઈને ફરે છે. તેને પાણીની સાયકલ છે. તેને વાયુની સાયકલ છે. તેને ચૂંબકીય સાયકલ છે. તેને ગુરુત્વાકર્ષણક્ષેત્ર છે. તે પોતાનું ઉષ્ણતામાન જાળવી રાખે તે માટેની વ્યવસ્થા છે. તેની ઉપર રહેલા કહેવાતા (ઓળખાતા) સજીવોનું સંતુલન જળવાઈ રહે તેવી વ્યવસ્થા છે. આ જ પ્રમાણે આ વ્યવસ્થાની વાત, વત્તા ઓછા પ્રમાણમાં દરેક આકાશીય પદાર્થ અને તેના સમૂહને લાગુ પડે છે. ચંદ્ર અને પૃથ્વી, સૂર્ય, સૂર્ય-ચંદ્ર-પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશગંગા આ બધાને લાગુ પડે છે.

આ સૌ સજીવોની અનુભૂતિ કેવી છે તે આપણે કહી શકીએ નહીં. આપણી અનુભૂતિ આપણા અંગોને આધારે છે. આપણે બે આંખો વડે દુનિયાને ડાબા-જમણા એવા ૧૬૦ ડીગ્રીના અને ઉપર નીચે એવા ૯૦ ડીગ્રી વાળા શંકુ થકી જોઇએ છીએ. તેથી વધુ જોવા માટે આપણે કીકીઓને ફેરવવી પડે છે.

કેટલાક સજીવોને તેમની આંખો એક લાઈનને બદલે ચહેરાની વિરુદ્ધ દીશામાં હોય છે. જેમકે કેટલાક પક્ષીઓ. તેમને દૃષ્ટિના બે શંકુ હોય છે અને દરેકનું ચિત્ર નેત્રપટલ ઉપર જુદું જુદું હોય છે. કેટલાક સજીવોને બે કરતાં વધુ આંખો હોય છે. કેટલાક પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ આપણા કરતાં લાખગણી વધુ હોય અને વૈવિધ્યવાળી હોય છે. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ પૃથ્વીના ચૂંબકીય ક્ષેત્રને અનુભવી શકે છે. જ્યારે તેઓ ગતિમાં હોય ત્યારે તેમણે ચૂંબકીય રેખાઓ સાથે કેટલો ખૂણો (એંગલ) બનાવ્યો અને કેટલું અંતર કાપ્યું તે તેમની સ્મૃતિમાં રાખી શકે છે અને પોતાના મૂળ સ્થાને પાછા આવી જાય છે. સજીવો વિષે ઘણું જ અવનવું છે. આવા પ્રાણીઓને થતી અનૂભૂતિ, મનુષ્ય પોતાના અંગો વડે કે ઉપકરણો વડે પણ કરી શકતો નથી.

શરીરના ઐક્યના (યુનીક્‍નેસની કન્ટીન્યુઈટી) સાતત્ય માટે, કોષની સક્રીયતા જરુરી છે અને તે માટે તેના ઉષ્ણતામાનને સુનિશ્ચિત ડીગ્રીએ રાખવું જરુરી છે. શરીરમાં લોહી હોય છે તેનો મુખ્ય ઘટક પાણી હોય છે. પાણી હમેશા બાષ્પીભવન શીલ હોય છે. એટલે તેમાં કેટલીક ઉર્જા વપરાઈ જાય છે. આ ઉર્જાની ઘટ અને પોષક દ્ર્વ્યોની ઘટ ને પૂરી કરવા ખોરાક જરુરી હોય છે.

શું એકત્વ હોવું તે સજીવ કહેડાવવા માટે જરુરી છે? આપણે જોઇએ છીએ કે કેટલાક સજીવોનો સમુહ એક સજીવના ગુણો ધરાવતો હોય છે. જેમકે આપણે આકાશમાં ૫૦થી ૧૦૦ કીલોમીટરની ઝડપે કે તેથી વધુ ઝડપે ઉડતા અને તે પણ ક્રમબદ્ધ સમુહ અને અમુક  આકારમાં  ઉડતા પક્ષીઓને જોઇએ છીએ. તેઓ અચાનક પોતાની ત્રીપરિમાણિક દીશા ક્ષણ માત્રમાં બદલી નાખે છે. આવું કરવામાં તેઓ એક બીજા સાથે ભટકાઈ જતા નથી. આ પક્ષીઓએ કોઈ સૈનિક જેવું પ્રશિક્ષણ લીધું હોતું નથી. આ પક્ષી સમૂહ જાણે કે એક જીવ હોય તે રીતે વર્તે છે. આમ કેવી રીતે વર્તે છે?

આવું કેટલાક જળચર જીવ સમૂહમા પણ હોય છે. એટલું જ નહીં પણ આવા સજીવોની પેઢીઓ પણ એક જીવ પ્રમાણે વર્તે છે.

પેઢીઓ એક જીવ તરીકે વર્તે છે તેનો અર્થ શું?

આપણે એક દાખલો લઈએ. કોઈ એક વ્યક્તિએ કોઈ એક જ્ઞાન પ્રાપ્ત કર્યું. દાખલા તરીકે ગીતા વાંચી. તો તેના સંતાનમાં ગીતાનું જ્ઞાન આપોઆપ આવી જતું નથી. કોઈ એક વ્યકતિ અમદાવાદ થી મુંબઈ ગયો તો તેના સંતાનના મગજમાં તે રસ્તો બેસી જતો નથી. મતલબ કે અનુભવ એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરતો નથી. અનુભવ તો સજીવે જાતે જ તો લેવો પડે છે કે સંવાદ દ્વારા આરોપવો પડે છે. આ સંવાદ “હા” કે “ના” જેવો સરળ હોતો નથી. આ સંવાદ જટીલ હોય છે. અને તે માટે એક વિકસિત ભાષા જરુરી બને છે. પણ ઉપરોક્ત જાતના સજીવોમાં આવો કશો અનુભવ કે સંવાદ હોતો નથી. તો તેનો અર્થ એવો થયો કે અનેક પેઢીઓનો સમુહ એક સજીવ છે.

કેટલાક જળચર અને આકાશગામી પક્ષીઓ, ઈંડા મુકવા હજારો માઈલ દૂર નિશ્ચિત સ્થળે જાય છે. એ સ્થળો તેમણે કદી જોયા હોતા નથી. એટલું જ નહીં કેટલાક સજીવો જન્મીને પોતાના માતપિતાને મળવા ચોક્કસ દીશામાં ગતિ કરે છે જે તેમણે કદી જોઇ હોતી નથી.

એમ કહી શકાય કે શરીર જુદાં હોવા છતાં પ્રજાતિ માત્ર એક જીવ તરીકે વર્તે છે. મતલબ કે સમાન ઉદ્દેશ, સમાન ધ્યેય થી સજીવ બંધાયેલો હોય છે એટલું જ નહીં અનેક પેઢીઓનો સમુહ એક સજીવ છે.

મનુષ્ય વિષે શું છે?

મનુષ્ય એક વિચારશીલ જીવ છે. વિચાર એ એક આવૃત્તિ (કંપન) છે. સમાન આવૃત્તિ વાળા એટલે કે સમાન વિચાર અને વૃત્તિઓવળા મનુષ્યો આકર્ષાય છે અને એક સમુહ બનાવે છે. અને તે સમુહને જ્યાં સુધી તે વિચારની ઉપયોગિતા હોય છે ત્યાં સુધી તે સમુહ એક સજીવ તરીકે વર્તે છે. જ્યારે તે નિરર્થક બને ત્યારે તે વિલય પામે છે.  જ્ઞાતિ પ્રથા, ધર્મ, રોજગાર, ભાષા, ભૌગોલિક સીમા વિગેરેનો લગાવ એક સજીવના એકત્વ જેવો ગણી શકાય. સમાજશાસ્ત્રીઓ તેને સમાજ એવું નામ આપે છે. વાસ્તવમાં સજીવ એક સેટ છે. જગત  અનેક સેટોનું બનેલું છે. બ્રમ્હાણ્ડ એક યુનીવર્સલ સેટ છે.    

એક પદાર્થ બીજા પદાર્થનું ભક્ષણ શા માટે કરે છે? એક પદાર્થ પોતાના એકત્વનું સાતત્ય જાળવવા માટે બીજા પદાર્થનું ભક્ષણ કરે છે. પણ જેમને સજીવોની જેવાં મગજો નથી તેઓની આ પ્રક્રિયા અલગ છે. સજીવઓમાં દાખલા તરીકે વાઘ, હરણને ખાવા માટે તેની પાછળ દોડે છે. એટલે કે સંઘટનના આનંદ અને ભૂખ્યો રહીશ તો વિઘટન થશે એ વાત વાઘમાટે આનુવંશિક છે અને તેના મગજમાં વૃત્તિમાં નિહિત છે, તેથી તે હરણ તરફ આકર્ષાય છે. તેવીજ રીતે હરણને પોતાના વિઘટનનો ભય, વાઘથી અપાકર્ષાય છે. આકર્ષણ, અપાકર્ષણ ઉપર હાવી થાય છે કે અપાકર્ષણ, આકર્ષણ પર હાવી થાય છે? પૃથ્વીને તો વાઘની પણ જરુર છે અને હરણની પણ જરુર છે. હરણ છે તો વાઘ સચવાય છે. વાઘ છે તો જંગલ સચવાય છે. અને જંગલ છે તો વરસાદ વરસે છે અને વરસાદ વરસે છે તો હરણને ઘાસચારો મળે છે. એટલે પૃથ્વીએ શું કર્યું? વાઘને ૧૫ સેકંડ માટે હરણ કરતાં વધુ ઝડપે દોડવાની શક્તિ આપી. અને હરણને લાંબા સમય સુધી ૭૫ થી ૧૦૦ કીલો મીટરની ઝડપે દોડવાની શક્તિ આપી. એટલે જો વાઘભાઈ શરુઆતની સેકંડોમાં હરણને પકડી પાડે તો તેમને ભોજન મળે. અને હરણને વિઘટન મળે. પણ જો વાઘભાઈ નિસ્ફળ જાય તો હરણને જીવન ચાલુ રહે અને વાઘભાઈએ સાનુકુળ તક શોધવી પડે.

પણ વાઘભાઈ, હરણને આખે આખું ખાઈ જતા નથી. તે ફક્ત તેના આંતરડાં જ ખાય છે. બીજા પ્રાણીઓ ક્રમે ક્રમે આવીને કે ક્યારેક બીજાનો વાંધો લીધા વગર હરણના અન્ય ભાગો ખાય છે.

 એક વાઘ બીજા વાઘને ખાતો નથી. પણ પોતાના ક્ષેત્રમાંથી હટાવે છે. કે જેથી તે જંગલના બીજા ભાગમાં પોતાનું ક્ષેત્ર બનાવી તેનું રક્ષણ કરે.

નિર્ગુણ (?) સજીવોઃ

અણુઓને કંપન હોય છે. તે જ તેમનું જીવન છે. તેમાના ઘટકો ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તેઓ પોતાની ફરજ બજાવતા બજાવતા અણુને અકબંધ રાખે છે. અણુઓના અસ્તિત્વ માટે ઉષ્ણતામાનની મર્યાદા બહુ મોટી છે. માણસની જેમ ૯૬ડીગ્રી ફેરનહીટથી ૯૯ ડીગ્રી ફેરનહીટ સુધી જેવડી ટૂંકી નથી. વળી તે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરુપે રહીને પોતાની મર્યાદા લાંબી રાખી શકે છે. તેઓ ને ખોરાકની જરુર પડતી નથી. પણ તેઓ તક મળે તો વધુ સ્થાઈ સ્થિતિ તરફ જરુર જાય છે.          

પરમાણુ અને અણુના ઘટકો નિશ્ચિત રીતે એકઠા થઈને એક ઘટક બનાવે છે. તેને તોડવા માટે અસાધારણ ઉર્જા વાપરવી પડે છે. પણ તેના ઘન અને ઋણ મુલકોની અદલા બદલી જો પસંદગી અગ્રતાક્રમને અનુરુપ હોય તો આસાનીથી થઈ શકે છે. એટલે કે ઓછા સ્થાઈ સ્વરુપથી વધુ સ્થાઈ સ્વરુપ તરફ.

જેમકે હાડ્રોક્લોરિક એસીડમાં ધન મુલક હાઈડ્રોજન છે (H.Cl = H is + i.e. positive, Cl is – negative) અને ઋણ મુલક ક્લોરીન છે. સોડીયમ હાઈડ્રોક્સાઈડમાં ધન મુલક સોડીયમ છે અને ઋણ મુલક એક પરમાણુ  ઓક્સીજન અને એક પરમાણુ હાઈડ્રોજનનું જોડાણ છે (NaOH where Na is + and OH is – negative). આ બંને પદાર્થોને ભેગા કરીએ એટલે સોડીયમ ક્લોરાઈડ અને હાઈડ્રોજન ઓક્સાઈડ એટલેકે પાણી બને છે (NaCl and H.H.O i.e. H2O). પણ સોડીયમ ક્લોરાઈડ અને પાણીને ભેગા કરવાથી હાઈડ્રોક્લોરિક એસીડ અને સોડીયમ હાઈડ્રોક્સાઈડ બનતા નથી.

        

આ બધાનું કારણ વિજાણુઓ (ઈલેક્ટ્રોન) જે પરમાણુની નાભી (નુક્લીઅસ) ની આસપાસ જે કક્ષા અને જે સંખ્યામાં ફરતા હોય છે તેને વિષે બાંધેલી ધારણાઓ વડે સમજાવાય છે.

આ બધું શા માટે સુનિશ્ચિત છે? એ વાત પ્લેન્ક નામના વૈજ્ઞાનિકે જે અચળ અંક (કોન્સ્ટંટ) શોધેલો તેના ક્વૉન્ટમ યંત્રશાસ્ત્ર વડે સમજી શકાય છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: