Posted in માનવીય સમસ્યાઓ, Uncategorized, tagged અનિયંત્રિતતા, અમને પૈસા ખાવા દો, અમારો વટ, ઇ-મેલ, કચરાના ઢગલા, કચરાના ઢગલા ઉઠાવવા વાળા, કચરો વાળવાળી હીરોઈન, કટકી, ખાડાઓ, ગટરો, ગાડી, ઘી કેળાં, ઘોડો, જનજાગૃતિના સંવાદ, જૈસા હી થા વૈસા હી રખ્ખો, ઝીબ્રા ક્રોસીંગ, ટેન્ડરના સ્પેસીફીકેશન ડીફેક્ટીવ, ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ, દંડ, દુકાન, પાકી, પાર્કીંગ લાઈન, પેનલ્ટી, માનવ સાંકળો, માલેતુજાર, મિલીભગત, મુંબઈ ભારે વરસાદ, મેમો, મેરેથોન, મ્યુનીસીપલ કમીશ્નર, રસ્તાની વ્યાખ્યા, વાહન જપ્ત, શહેર સુધરાઈ, સંકુલ, સરકાર, સરકાર માઈબાપ, સરકારી અધિકારી, સરકારી આદત, સરકારી નોકર, સીસીટીવી કેમેરા, સોએ સોને દંડિત કરો, સ્ટોપ લાઈન, સ્થાનિક સરકાર, સ્પીડ લીમીટ, હરિ હરિ, હાઈકૉર્ટ on September 21, 2019|
Leave a Comment »
કોણ તોડશે આ મિલીભગત?
ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?
સરકારી કાર્યાલયોમાં મોટે ભાગે ગાડી આગળ હોય અને પાછળ ઘોડો હોય છે. આનો અર્થ ફક્ત એટલો જ છે કે જે કામ પહેલાં કરવાનું હોય તે પહેલાં નહીં કરવાનું પણ જે કામ પહેલાં ન કરવાનું હોય તે કામ પહેલાં કરવાનું. અને જે કામ પહેલાં કરવાનું હોય તે થોડું ઘણું કરવાનું અને પછી હરિ હરિ. એટલે કે નહીં કરવાનું.
તમને આશ્ચર્ય લાગશે કે ૧૯૮૩ના ચોમાસામાં મુંબઈમાં ભારે વરસાદ પડેલો. હાઈ કોર્ટે દખલ કરેલી કે છ માસમાં ખાડાઓ પૂરી તો. આ કામ વીસ વર્ષ સુધી ચાલેલ. જેટલા રસ્તા સીમેંટ કાંકરેટના કર્યા તે ખાડા વગરના થયા. પણ આપણા કમીશ્નરો એવા ડાહ્યા કે ડાબી બાજુની ફુટપાથ ના એન્ડથી જમણી બાજુની ફુટપાથના એન્ડ સુધી ને રસ્તો ન ગણ્યો. એટલે મુંબઈને ખાડા વગરનું કરવાની તેમની દાનત જ નહતી.
આમેય મુંબઈમાં વરસાદ તો ઘણો જ પડે છે. એટલે જો ક્યારેક દિવસમાં ઘણા કલાક જોરદાર સતત વરસાદ પડે તો રસ્તાઓ બંધ થઈ જાય અને રેલ્વે ટ્રેનો પણ બંધ થઈ જાય.
રસ્તાઓ શું કામ બંધ થઈ જાય?
રસ્તાઓ એટલા માટે બંધ થઈ જાય (એટલે કે ગોઠણ જેટલા પાણી ભરાઈ જાય) કારણ કે ગટરો બરાબર સાફ ન હોય એટલે પાણીને જવાની જગ્યા ન હોય.
ગટરો શા માટે બંધ થઈ જાય?
કારણ કે ગટરોમાં કચરો હોય.
ગટરોમાં કચરો શા માટે હોય?
કારણ કે રસ્તો સાફ કરવાવાળા અને કચરો ઉપાડવાવાળા ભીન્ન ભીન્ન હોય. રસ્તો સાફ કરવાવાળા/વાળી કચરાની ઢગલીઓ કરે અને કચરો ઊઠાવવા વાળા યોગ્ય સમયે (ફાવે ત્યારે) હાથ લારી લઈને આવે અને કચરો ઉઠાવે.
રસ્તો સાફ કરવાવાળી તો હિરોઈનો જેવી સ્ટાઈલીસ્ટ (અદાઓવાળી) હોય. એ તેમની અદાઓથી રસ્તો સાફ કરે. ગટરની નજીકમાં નો કચરો તો જો ઢાંકણું ખુલ્લું હોય અને અથવા ગટર ખુલ્લી હોય તો ગટરમાં જ નાખે. જેટલી ઢગલીઓ ઓછી બને એટલું સારુંને? આપણા ભાઈઓને એટલી ઓછી ઢગલીઓ ઉપાડવી પડે. આપણા મ્યુનીસીપલ કમીશ્નરો આવી કર્મચારીઓની દગડાઈને કારણે, કચરો ભરેલી ગટરો સાફ કરવા માટે, વધારાના કરોડો રુપીયાની જોગવાઈ કરે છે. અને પોતાની પીઠ થાબડે છે. આ વધારાનો ખર્ચો તેમની સપ્લીમેન્ટરી ખાયકી થઈ. કોન્ટ્રાક્ટર વળી પાછો આમાંથી પણ પૈસા બનાવે. આ ગટરોની સફાઈ પણ્ ઢગલી–સીસ્ટમ થી જ થાય છે. ઢગલીઓ કરવાનો સમય અને ઢગલીઓ ઉઠાવવા વચ્ચે નો સમય, કલાકો થી દિવસો સુધીનો હોઈ શકે.
પણ આમાં ઘોડો અને ગાડી ક્યાંથી આવ્યા?
ઉપરોક્ત અફલાતુન પ્રણાલી એ ફક્ત મુંબઈની જ વાત નથી. પ્રત્યેક મહાનગર, નગર, ગામ અને ગામડાં, બધાની જ આવી રીતરસમો છે.
રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહે એટલે નગરપાલિકાના લાગતા વળગતા કર્મચારી (અધિકારીઓ સહિત)ને ઘી કેળાં થઈ જાય છે. રસ્તો ગમે ત્યારે બનાવ્યો હોય પણ તેમાં નબળો બન્યો હોય તો પણ સબળામાં ખપાવી શકાય.
ટેન્ડર ના સ્પેસીફીકેશન જ એટલા નબળાં અને ક્ષતિપૂર્ણ હોય કે ખાડાઓને અવકાશ રહે જ. રી–સરફેસીંગનું ટેન્ડર પણ રસ્તાની સમગ્ર પહોળાઈને અનુલક્ષીને ન આવરે. કારણ કે આવું કરે તો કટકી ક્યાંથી મળે? ફુટપાથોને રસ્તાનો હિસ્સો ન ગણવો તે પણ કટકી માટે આવશ્યક છે. રસ્તાની કિનારીઓ ફુટપાથ સુધી અડાડવાની જરુર નથી. ફુટપાથ રસ્તાનો ભાગ ન હોવાથી તેને સમતલ કે પાકી કરવાની જરુર નથી. આવી અણઘડતા તો તમને જ્યાં પગ મુકો ત્યાં જોવા મળશે.
એવા અગણિત સ્પોટ હશે કે જ્યાં તમને ખબર ન પડે કે તમારે બીજા વાહન સવારોની અરાજકતા થી તમારા વાહન ને બચાવવું કે રસ્તાના ખાડાઓથી તમારા વાહનને બચાવવું!
વાહનવ્યવહારને સરકાર નિયંત્રિત કરે તે આવકાર્ય છે. વાહન ચાલકની અનિયંત્રિતતા બદલ તેનો દંડ કરે તે પણ આવકાર્ય છે. આ દંડ પ્રમાણ અતિ ભારે હોય તે પણ આવકાર્ય છે.
વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરે અને તમે એટલે કે સરકાર માઈબાપ તેનો દંડ વસુલ કરો એ પહેલાં તમે પોતે વાહનવ્યવહારના તમારે પોતાને પાળવાની જોગવાઈઓનો તો અમલ કરો. તમે કદાચ કહેશો કે અમે કરીએ જ છીએ પણ શું થાય સાલો વરસાદ બધું બગાડી નાખે છે. જો કે અમે હવે કૃતનિશ્ચયી છીએ અને અમે અઠવાડીયામાં બધું ઠીક કરી દઈશું.
તમારી આદતો જનતા સુપેરે જાણે છે.
જનતાને ખબર છે કે સરકાર ૫% કામ જ કરશે. બાકીના ૯૫ટકા કામો તો વર્ષો સુધી અધિકારીઓને દેખાશે પણ નહીં. છાપામાં સમાચાર છપાવશે અમે આટલા હજાર ખાડા પૂર્યા. અમે જનજારુતિ માટે આટલા બોર્ડ લગાડ્યા …. આટલી માનવ સાંકળો કરી અને કરાવડાવી … આટલી મેરેથોન દોડ કરી…. આટલા જનજાગૃતિના સંવાદો ગોઠવ્યા …. આટલી સોસાઈટીઓમાં જઈને લોકોને સમજાવ્યા … હે જનતા, અમે તમારે માટે શું શું નથી કરતા …. !!!
હા ભાઈ કમીશ્નર, તમે બધું કરશો , સિવાય કે તમને જે માટે પગાર મળે તે કામ.
મ્યુનીસીપાલીટીનું બીજું નામ છે “શહેર સુધરાઈ”. ગામને સાફ સુથરું રાખવામાં સફાઈ, સુધરાઈ, દબાણ હટાવ, ગેરકાયદેસર બાંધકામ ન થાય, લોકોની તંદુરસ્તી …. એ બધું આવી જાય.
ભાઈ કમીશ્નર (કમીશ્નર એટલે આખી નગરપાલિકા નો સ્ટાફ), તમારે બીજું કશું કરવાની જરુર નથી. તમે ફક્ત તમને જે માટે ના પગાર મળે છે તે કામ તેના નિયમો અનુસાર કરો તો તે પૂરતું છે.
સરકારી ટ્રાફિક કંટ્રોલની સીસ્ટમ કેવી છે?
શું તમે જે ૧૦૦ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોને ભંગ કર્યો છે તે સોએ સોને દંડિત કરી શકો છો? વાહન ચાલક ગમે ત્યાં હોય, તેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો એટલે પકડાયો જ, એવી સીસ્ટમ તમે ઉત્પન્ન કરી છે? ના જી.
૧૦૦ ટકા અસરકારક સીસ્ટમ ઉભી કરવી અશક્ય છે?
ના જી, અશક્ય તો કશું નથી.
તમે દર અર્ધા કિલોમીટરે અને દરેક ચાર રસ્તે સીસીટીવી કેમેરા મુકી શકો છો? મુક્યા છે? ના જી.
જે વાહન ચલાવવાના નિયમ ભંગ કરે તે પકડાય અને પકડાય જ તેવી સીસ્ટમ બનાવી શકો છો? હાજી. પણ અમે જાણી જોઈને આવું કરતા નથી. કારણ કે અમારે સરકારી નોકરોને પૈસા ખાવા છે.
અમદાવાદમાં અમુક જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. વાહન ચાલકે સીગ્નલનો ભંગ કર્યો કે તરત જ સીસ્ટમ દ્બારા આપોઆપ ઉત્પન્ન થયેલો મેમો, વાહન ચાલક્ને ઈ–મેલ દ્વારા મોકલાઈ જાય. આ દંડ ભરવાની જવાબદારી વાહન ચાલકની છે. જો તેણે ૧૫ દિવસમાં વિરોધ પણ ન કર્યો અને પૈસા પણ ન ભર્યા તો બીજો પેનલ્ટીનો મેમો ઉત્પન્ન થશે.. અને આ થવો જોઇએ. જો આટલેથી પણ વાહન ચાલક ન સમજે તો એવી સીસ્ટમ ગોઠવી શકાય કે વાહન ચાલક જ્યારે તે વાહન લઈને રોડ ઉપર નિકળે તો ટ્રાફિક પોલીસના કન્ટ્રોલ રુમમાં એલાર્મ વાગે અને કન્ટ્રોલ રુમના ઓપરેટરને વાહનનું લોકેશન અને નંબરની જાણ કરે.
“અમને પૈસા ખાવા દો”
પણ આવું ન થયું. કારણ કે જે કંઈ પણ અધકચરી અને મર્આયાદિત ઑટોમેટિક સીસ્ટમ હતી તેને પણ સરકારી અધિકારીઓ નિસ્ફળ બનાવવા માગતા હતા. કારણ કે તેમની ડાબા હાથની કમાઈને ઘાટો પડતો હતો. અમુક વાહન ચાલકોએ પૈસા ભર્યા અને બાકીના વાહન ચાલકોએ પૈસા ન ભર્યા. ન ભર્યાનો આંકડો લાખો રુપીયામાં પહોંચી ગયો.
સરકારી અધિકારીઓએ કહ્યું કે “વાહન ચાલકો પૈસા નથી ભરતા તો અમે શું કરીએ?” અધિકારીઓના અધિકારીઓને અને મંત્રીઓને આ વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ.
“જૈસા થા વૈસા હી રખ્ખો (જૈસે થે વાદી હોના હમારી પ્રકૃતિ હૈ)”
પહેલાંની જેમ જ, ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર જ દંડ વસુલ કરે એવું ઠેરવ્યું. સાલા વાહન ચાલકો ઈ–મેલ દ્વારા મોકલેલ મેમો ની કદર જ નથી કરતા. અમે શું કરીએ? અમે તે કંઈ મરીએ?
ધારો કે,
ધારો કે કોઈ એક ટ્રાફિક પોલીસે એક વાહન ચાલક કે જેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો તેનો મેમો ફાડ્યો. અને તે વાહન ચાલકે તે પૈસા આપવાની ના પાડી. તો તે ટ્રાફિક પોલીસ શું કરશે? તે ટ્રાફિક પોલીસ તે વાહન ચાલકનું વાહન જપ્ત કરશે. અને કહેશે કે તમે પહેલા પૈસા ભરો પછી જ તમને તમારું જપ્ત કરેલું વાહન પરત મળશે.
ઈ–મેમોના કેસમાં પણ આવું થઈ જ શકે.
સરકારી માણસ (ટ્રાફિક પોલીસ) કહેશે કે આવા તો લાખો મેમો ફાટ્યા છે. અમે ક્યાં લાખો ઘરો માં જઈએ. અમારી પાસે એટલો સ્ટાફ જ ક્યાં છે!!!
અરે ભાઈ, ઇ–મેમોની લાખોની સંખ્યા તો તમારી લાંબા સમયની નિસ્ક્રીયતાને કારણે થઈ. તમે જો બે પાંચના વાહન ચાલકોને ઘરે જઈને વાહનો જપ્ત કર્યા હોત તો બાકીના અચૂક દંડની રકમ ભરી જાત. પણ ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓને આવું કશું કરવું જ નથી. એટલે જ તો અરાજકતા વધતીને વધતી જાય છે.
“અમારો વટ પડવો જોઇએ ને !!” સરકાર ઉવાચ.
ટ્રાફિક પોલીસ ગુન્હાસ્થળે જ પૈસા વસુલ કરે તો તેનો વટ પડે. ટ્રાફિક પોલીસને દંડ કરવાની તો ઠીક, પણ દંડ ન કરવાની પણ સત્તા મળી જાય છે.
ઘમંડી કે માલેતુજાર વાહન ચાલકોનો પણ વટ પડે. “મને તું ઓળખતો નથી? હું કોણ છું ખબર છે? મને કાયદો અડતો નથી. તને આ ખબર નથી?”
ટ્રાફિક પોલિસના સાહેબોને પણ નિરાંત. તેઓ ટ્રાફિક પોલીસ ને કહેશે કે તારે આટલા કેસો લાવવાના, આટલા લખવાના અને આટલા અમને રોકડા આપવાના. આ તારો ટાર્જેટ. જલસા કર બેટા. તારું પણ ભલું અને મારું પણ ભલું અને આપણા સાહેબોનું પણ ભલું.
સ્થાનિક સરકારની ટ્રાફિકના નિયંત્રણ માટે શું ફરજ છે.
સૌ પ્રથમ તો માર્ગને લગતી વ્યાખ્યાઓ બદલોઃ
(૧) રસ્તો એટલે ફુટપાથ સહિતનો રસ્તો. નાનામાં નાની ફુટપાથ પણ પહોળાઈમાં દોઢ મીટરથી નાની હોવી ન જોઇએ. આટલી જગ્યા વ્હીલચેર માટે જરુરી છે. ભલે કમીશ્નરના ભેજાની બહારની વસ્તુ હોય.
(૨) મકાન એટલે રહેણાક કે દુકાન, કે સંકુલ કે જેની રોડ સાઈડ તરફ નિયમ અનુસાર પાંચ મીટર ખુલ્લી, પાકી અને ક્લીયર જગા હોય.
(૩) મકાનના નામ, દુકાનના નામ, સંકુલના નામના સાઈન બોર્ડ ની સાઈઝ અને સ્થાન સુનિશ્ચિત કરો. સંકુલ ના નિયમો બનાવો. દરેક સંકુલમાં અને ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં વોશરુમના નિયમો અને સાઈન બોર્ડ બનાવો. મકાનની બહાર પાર્કીંગના બોર્ડ બનાવો જેથી પાર્કીંગ શોધવું ન પડે.
(૪) દુકાનો કરવાના નિયમો કડક કરો. દુકાન જેટલા ચોરસ ફુટ ની હોય તેના પ્રતિ સો ચોરસફુટના હિસાબે પાંચ વાહન પાર્કીંગની જગ્યા હોય તો જ તેને દુકાન કરવાની પરમીશન આપો. પાર્કીંગની જગ્યા હોવી તે દુકાનદાર માટે આવશ્યક ગણાવવું જોઇએ. વાસ્તવમાં તો કોમર્સીઅલ કોંપ્લેક્સને જ મંજુરી આપવી જોઇએ. છૂટક દુકાનોને મંજુરી ન આપવી જોઇએ. મકાનના અમુક માળ પાર્કીંગ માટે હોવા જ જોઇએ. પાર્કીંગની દીશા બતાવતા સાઈન બોર્ડ હોવા જોઇએ અને સરળતાથી ધ્યાનમાં આવે એમ રાખવા જોઇએ. રસ્તા ઉપર એક પણ વાહન કે લારી ગલ્લો કે પાથરણાવાળો ન હોવો જોઇએ. રસ્તાની વ્યાખ્યામાં ફુટપાથ પણ આવી જાય.
પાર્કીંગની જગ્યા પાકી, અને પાકી માર્કીંગ લાઈનો વાળી હોવી જોઇએ. રસ્તા ઉપર પાર્કીંગના દિશાસૂચક બોર્ડ હોવા જોઇએ.
(૬) સ્પીડ લીમીટના સાઈન બોર્ડ ઓછામાં ઓછા એક કિલોમીટરે અને દરેક વળાંકે હોવા જોઇએ, પછી એ રોડ, હાઈવે હોય કે શહેરી રોડ હોય કે ગલીનો રોડ હોય.
(૭) રોડ ઉપર ઝીબ્રા ક્રોસીંગ, સ્ટોપ લાઈન અને લેન માર્કીંગ પાકા હોવા જોઇએ.
(૮) રોડ ડીવાઈડર એક લેન જેટલાં પહોળાં હોય અને તેના ઉપર ઓછામાં ઓછાં ચાર ફુટ ઉંચા ફુલના છોડ હોવા જોઇએ. જ્યાં રોડ ડીવાઈડરની જગ્યા એક લેન જેટલી પહોળાઈ રાખવી શક્ય ન હોય ત્યાં ચાર ફૂટ ઉંચી દિવાલ હોવી જોઇએ.
(૯) આવનારા રોડ અને જગ્યાના નામોના ડીસ્પ્લે બોર્ડ સમાન રીતે અને સુનિશ્ચિત સમાન કદના હોવા જોઇએ. તેના સ્ટાન્ડર્ડ નક્કી કરવા જોઇએ.
(૧૦) રસ્તા ઉપર વળાંક, રોડ બાઈફર્કેશન, રોડ સીમા, યલો લાઈન, ઓવરટેક બંધી–છૂટ્ટી … જેવા સાઈન બોર્ડ અને માર્કીંગ અચૂક રાખવા જોઇએ
ટ્રાફિક નિયમોના ભંગ
(૧) બે પૈડા વાળા વાહન ચાલકે અને સાથે બેઠેલાએ હેલમેટ ન પહેરવી, અને ચાર પૈડા કે તેથી વધુ પૈડા વાળા વાહન ચાલકે અને પાસે બેઠેલાએ સીટબેલ્ટ ન બાંધવો.
(૨) મોબાઈલ કાને લગાડવો.
(૩) માન્ય કરતાં વધુ સવારી બેસાડવી,
(૪) અવારનવાર લેન બદલવી,
(૫) સ્પીડ લીમીટનો ભંગ કરવો, અને અથવા વાહન ઉપર સ્ટંટ કરવા
(૬) ખાસ પ્રયોજન વગર, લેનની મધ્યમાં વાહન ન ચલાવવુ.
(૭) લેનમાં બીજા વાહનને તેની ડાબી બાજુથી ઓવરટેક કરવું
(૮) આગળના વાહન સાથે કે જમણી બાજુના વાહન સાથે ભટકાઈ જવું,
(૯) ખોટી લેનમાં આવી જવું. અને ટ્રાફિકને અડચણ રુપ થવું. દા.ત. ડાબી બાજુની છેલ્લી લેન ડાબી બાજુના રસ્તે જવા માટે હોય છે. બાઈક અને ગાડીવાળાને સીધા જવું હોય તો પણ આ જગ્યા રોકી લે છે અને રસ્તો બ્લોક કરી દે છે.
(૧૦) સીગ્નલનો ભંગ કરવો,
(૧૧) ટ્રાફિક સીગ્નલ પાસે, સ્ટોપ માર્કીંગ લાઈનથી આગળ નિકળી જવું
(૧૨) ખોટા અવાજવાળા હોર્ન રાખવાં. કેટલાક લોકો બાઈકમાં કારના અવાજવાળા હોર્ન રાખે છે.
(૧૩) આગળના વાહન ચાલકની મજબુરી જાણ્યા વગર હોર્ન વગાડ્યા કરવું.
(૧૪) જ્યાં ટ્રાફિક સીગ્નલ ન હોય ત્યાં ઝીબ્રાક્રોસીંગ આગળ વાહન રોક્યા વગર અને આજુબાજુ જોયા વગર વાહનને આગળ લઈ જવું,
(૧૫)આગળની બેઠકવાળાઓએ સીટ બેલ્ટ ન બાંધવો.
(૧૬) એમ્બ્યુલન્સને કે એવા વાહનોને જગા ન આપવી
(૧૭) ગાડીને પાર્કીંગ પ્લેસની સેન્ટર લાઈન પર પાર્ક ન કરવી
(૧૮) સીગ્નલ ન આપવું
(૧૯) રાત્રે શહેરની અંદર વાહન ચાલકે ફુલ–લાઈટ અને લોંગ લાઈટ રાખવી,
(૨૦) ફેન્સી નંબર પ્લેટ રાખવી,
(૨૧) સ્ટાન્ડર્ડ નંબર પ્લેટને, ઢાંકવી અને અથવા ડેમેજ્ડ કંડીશનમાં રાખવી,
(૨૨) પોતાનું વાહન ગંદુ રાખવું અને પીયુસી ચેક ન કરાવવું.
(૨૩) વાહનમાં ફર્સ્ટ એઈડના સાધનો ન રાખવા,
(૨૪) સ્પેર વ્હીલ ન રાખવું.
(૨૫) ગાડીને ગોબાવાળી અથવા ભાંગી તૂટી રાખવી
હમણાં હમણાં આરટીઓમાં ભીડ શું કામ થાય છે?
અરે ભાઈ કહેવાની જરુર જ નથી. લાઈસન્સ વગર, વીમા વગર અને પીયુસી વગર ઘણું બધું ચાલતું હતું. જાહેર માર્ગની જમીન ઉપર ઠાઠથી રેસ્ટોરાંઓનો ખાણી પીણીનો ચાલતા ધંધાઓ પણ કમીશ્નરને ન દેખાતો હોય તો બીજું તો એમને શું દેખાય?
જો સરકારી નોકરો જવાબદાર બનશે તો જ તેઓ જનતાને સુસંસ્કૃત કરી શકશે. જનતાનો મોટો વર્ગ માને છે કે કાયદાનો ભંગ કરનારાઓને તમે જેલ ની સજા કરો તો પણ ચાલશે.
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અંગારા, અગ્નિ, અનુભવ, અમદાવાદ, અસંસ્કારિતા, આઈ.એ.એસ. અધિકારીઓ, આઈ.પી.એસ. અધિકારીઓ, ઉત્તમ, ઉત્તમોત્તમ, કચરા ડ્રમ, કચરાગાડી, કચરો, કમિશ્નર, કર્મચારી, કાગડો. વાંદરા, કોંન્ટ્રાક્ટર, ખખડધજ મકાનો, ગલી, ગાડી, ચણોઠીઓ, જોવાલાયક સ્થળો, ડબા, ડ્રાઈવર, તાપવા, દબાણ, ધંધોપાણી, પંચતંત્ર, પાંજરું, પાર્કીંગ, પોળો, ફોજદારી ગુનો, બંગલા, ભીડ, મધ્યયુગ, માર્ગ, મીલીભગત, મૂર્ખ, મોકળાશ, મ્યુનીસીસીપાલીટી, સામાન્ય, સાયકલ-રીક્ષા-સ્ટેન્ડ, સાયકલ-સ્ટેન્ડ, સુઘડ, સ્વચ્છ, હાઉસીંગ સોસાઈટી, હાથલારી, હેરીટેજ, ૪૦૦ મીટર on August 31, 2017|
2 Comments »
અમદાવાદને બેનમુન હેરીટેજ સીટી બનાવવું છે?
કોઈપણ શહેરને પ્રવાસન સ્થળ બનાવવું હોય તો તેને સર્વપ્રથમ સ્વચ્છ, સુઘડ, અને મોકળાશવાળું બનાવવું જોઇએ.
માણસ ચાર પ્રકારના હોય છે.
મૂર્ખ, સામાન્ય, ઉત્તમ અને ઉત્તમોત્તમ.
મૂર્ખ માણસોને તમે સલાહ ન આપી શકો. એ બાબતમાં પંચતંત્રમાં કાગડા ને વાંદરાઓની વાત એક વાર્તા છે.
ચણોઠીઓનો રંગ લાલ હોય છે. અંગારાનો રંગ પણ લાલ હોય છે.
શિયાળાનો સમય હતો. એટલે વાંદરાઓનો એક સમૂહ ચણોઠીઓના એક ઢગલા ઉપર તે ઢગલાને અગ્નિ સમજીને તાપતો હતો. તેઓ થર થર ધ્રુજતા હતા. એક કાગડાને આ વાંદરાઓની દયા આવી. તેણે વાંદરાઓને કહ્યં કે “ફલાણી જગ્યાએ તમે જાઓ ત્યાં માણસો તાપણું કરી તાપતા હતા તેઓ હમણાં જ તેને છોડીને કામ ઉપર ગયા છે. તાપણું હજી ઝગે છે. તમે અહીં જે તાપો છો તે તાપણું નથી. તે તો ચણોઠીનો ઢગલે છે. તમે પેલા તાપણે જાઓ. કાગડાએ બે ત્રણ વાર કહ્યું પણ વાંદારોએ માન્યું નહીં. કાગડાએ થોડો વધુ આગ્રહ કર્યો એટલે વાંદારોએ તે કાગડાને પકડીને તેને મારી નાખ્યો. પંચતંત્રની આ વાર્તામાં પછી સાર આપ્યો કે મૂર્ખ માણસને બહુ સલાહ ન આપવી. મૂર્ખ માણસ પોતાના અનુભવમાંથી પણ શિખતો નથી.
મધ્યમ કક્ષાનો માણસ પ્રવાહ પ્રમાણે કામ કરે. તે પોતાના અનુભવમાંથી શિખે છે.
ઉત્તમ માણસ બીજાના અનુભવમાંથી શિખે છે.
અને ઉત્તમોત્તમ માણસ બીજાના અનુભવમાંથી તો શિખે જ છે પણ તે કલ્પનાશીલ હોવાના કારણે કોઈ પણ અનુભવ વગર આવનારી મુસીબતોને ટાળી શકે છે.
તો શું તમે એવું કહેવા માગો છે કે આપણા આઈ.એ.એસ. અધિકારીઓ મૂર્ખ છે? આપણા આઈ.પી.એસ. અધિકારીઓ મૂર્ખ છે?
આ સંશોધનનો વિષય છે.
પણ એક વાત ચોક્કસ કે કાં તો તેઓ મૂર્ખ છે અથવા તો ઠગ છે.
અમદાવાદનો દાખલો લઈએ.
અમદાવાદને સ્વચ્છ અને સુઘડ(વ્યવસ્થિત) બનાવી શકાય તેમ છે?
પણ કમિશ્નરમાં એ આવડત છે?

દાખલો જોઇએ છે?
બહુમાળી ટાવરના બે બ્લોકવાળી અમારી હાઉસીંગ સોસાઈટી છે. કુલ ૮૦ એપાર્ટમેન્ટ છે. આ ૮૦ કુટુંબોનો કચરો મ્યુનીસીપાલીટીએ એકઠો કરવાનો છે.
કમીશ્નરે શું કર્યું?
૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા તૈયાર કરાવ્યા. અલબત્ત આના ટેન્ડર કર્યા જ હશે. આવા ડબ્બા શા માટે? કારણ કે રસ્તા સાફ કરવાવાળા તેને ઉપાડી શકે. તેમજ કચરા ગાડીવાળા કોંટ્રાક્ટરના માણસો આ ડબ્બા ઉપાડી શકે એટલે કે ઉપાડીને કચરો કચરા ગાડીમાં ઠાલવી શકે. એક ડબ્બામાં તો માય નહીં એટલે દરેક સોસાઈટી દીઠ છ થી નવ ડબ્બા કરવાવ્યા.
રોજગારનું જેમ વધુ ક્લાસીફીકેશન તેમ રોજગારી વધુ.
રસ્તા ઉપરથી કચરો વાળવો અને તેની ઢગલીઓ કરવી
ઢગલીનોનો કચરો ઉઠાવવો અને તેને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખવાના પાંજરા સુધી લઈ જવો. પાંજરા શા માટે તે પછી જોઇશું.
કચરો વાળવાવાળી/વાળો અને કચરો ભેગો કરવાવાળી/વાળો જુદા રાખો. મ્યુનીસીપલ કમીશ્નર માને છે કે સફાઈ જલ્દી થઈ જવી જોઇએ. એટલે કચરો વાળવાવાળા/વાળી એ ફક્ત કચરો વાળવાનું કામ જ કરવાનું. વાળેલા કચરાની ઢગલીઓ કરવાની. કચારાની ઢગલીઓ ઉઠાવવાનું કામ બીજા ભાઈ/બેન કરશે. આ ભાઈ/બેન ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા ઉઠાવી ઉઠાવીને ક્યાં ફરે ! એટલે તેમને એક હાથલારી આપો જેથી એમાં તેઓશ્રી ચારેક ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખી પાંજરા સુધી લઈ જઈ શકે.
સોસાઈટીવાળાને એક કચરા ડ્રમ પણ આપો. એ ડ્રમ થોડું મોટું આપો. કારણ કે ૪૦+૪૦ કુટુંબોનો ભેગો કરેલો કચરો સોસાઈટીના સફાઈવાળા સોસાઈટીના આ ડ્રમમાં નાખે તે પછી સોસાઈટીના સફાઈવાળા/વાળી તેને ઉપાડી/ખસેડીને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખવા માટેના પાંજરા સુધી લઈ જઈ શકે. આ ડ્રમ કમસે કમ બે જણા ઉપાડી શકાય તેવા તો હોવા જ જોઇએ, ડ્રમ સોસાઈટીની અંદર મૂકવાના. જો વધુ કચરો હોય તો સોસાઈટીના સફાઈવાળા બે આંટા વધુ ખાય. અને જે કંઈ કચરો ભેગો થાય તે સોસાઈટીની બહાર રાખેલા ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બામાં નાખે. સોસાઈટીના ડ્રમનું ધ્યાન સોસાઈટીના ચોકીદાર રાખે.
પણ સોસાઈટીની બહાર રાખેલા ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા તૈયાર કરાવ્યા છે તેનું ધ્યાન કોણ રાખે? આ ડબ્બા ઉપાડી શકાય તેવા હોવાથી ચોરાઈ પણ જાય.
એટલે કમિશ્નર સાહેબે શું કર્યું?
સોસાઈટીના દરવાજા પાસે એક લોખંડના જાડા સળીયાની જાળીવાળુ અને પાંજરું કરાવ્યું. પાંજરામાં આ ડબ્બાઓ રાખવાના. પાંજરાને ખૂલ્લું તો રખાય નહીં. તેથી દરવાજા પણ રાખવા પડે. જો દરવાજાને તાળું ન મારીએ તો કોઈ દરવાજો ખોલીને ડબ્બા ચોરી જાય. એટલે દરવાજાને તાળું પણ મારવું પડે. હવે તાળું હોય તો ચાવી પણ જોઇએ. ચાવીઓ તો ખોવાઈ પણ જઈ શકે. પણ એ વાત જવા દો.
જો કચરા ગાડીની ડીઝાઈન જ જો કચરા ગાડી માટેની હોય તો મોટી કચરા પેટીઓ રાખી શકાય. પણ કમીશ્નર સહેબનો એજન્ડા અલગ છે.
આ વાત ઉપર તો કદાચ એક પુસ્તક લખી શકાય. મ્યુનીસીપાલીટીનું પ્રાથમિક કામ શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવાનું છે.
હવે જો કમિશ્નર સાહેબ/સાહેબાન (જે લાગુ પડે તે), એમ પણ વિચારે કે આ સફાઈ કામને થોડું કસ વાળું બનાવવું જોઇએ. રસ્તો સાફ કરવો તે તો આપણા કર્મચારીઓ કરશે. તેઓ રસ્તા ઉપરનો કચરો વાળશે. આ કચરાની ઢગલીઓ કરશે. બીજો કર્મચારી તે ઢગલીઓને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બામાં ભરી હાથ લારી દ્વારા લોખંડના પાંજરા સુધી લઈ જશે. હવે જો આ કચરાને ગાર્બેજ ટ્રકમાં નાખવાનું કામ પણ જો આપણા કર્મચારીઓ દ્વારા કરાવીશું તો આપણે ગાર્બેજ ટ્રક, તેના ક્લીનર, ડ્રાઈવર, કચરો ભરવાના મજુરો, ટ્ર્ક બગડે તો મ્યુનીસીપાલીટીનું અલગ ગેરેજ બનાવવું પડશે એટલે કે એક નવું નેટવર્ક જ તૈયાર કરવું પડશે. આ નવું નેટવર્ક કરવામાં વાંધો નથી પણ તેમાંથી કર્મચારીઓના જે પ્રોબ્લેમો જેવા કે શિસ્તપાલનના, હિસાબ મેન્ટેઇન કરવાના, રજાના, સીનીયોરીટીના, પ્રમોશનના …. વિગેરે, ઉભા થશે, તેના નિવારણમાં આપણે ભેજું ચલાવવું પડશે. આપણે તો આરામની નોકરી કરવી છે. ગાડી, બંગલા, ડ્રાઈવર, નોકર, વિગેરે સગવડો મળે તેમાં આપણને વાંધો નથી પણ મગજને તસ્દી આપવી પડે તેવું ન હોવું જોઇએ.
માટે હવે એવું કરીએ કે કચરો ઉઠાવવાનું કામનો કોંન્ટ્રાક્ટ આપી દઈએ. એટલે ટેન્ડરમાં પણ આપણને લાભ થાય, કંઈક ફરીયાદ આવે તો ઓળઘોળ કરીને જવાબદારી કોન્ટ્રાક્ટર ઉપર ઢોળી શકાય. કોન્ટ્રાક્ટર ઉપર કામ ચલાવવું એમાં તો બેય હાથમાં લાડુ છે મારા ભાઈ. તેને હગેવગે કરવામાં પણ લાભ થાય.
તો કરો કોન્ટ્રાક્ટ. ટેન્ડર પાડો બહાર.

પણ પહેલાં ઉભા રહો. ટેન્ડર સ્પર્ધાત્મક હોવું જોઇએ. જેમ વધુ માણસો ટેન્ડર ભરે તેમ સ્પર્ધા વધુ. માટે ટેન્ડરરની યોગ્યતાને બહુ મહત્વ ન આપો. કચરાવાહકનું સ્પેસીફીકેશન (વિગતવાર વર્ણન) થોડું ઢીલું રાખો. વાહનના સ્ટોરેજ કેપેસીટીની ક્ષમતા કદમાં લખો. ભાવ માટે કચરા ઉઠવવાના વિસ્તારથી ડમ્પીંગ સ્ટેશન સુધી ના સંખ્યાને એકમ ઠેરવો કે વજનને એકમ ઠેરવો. કંઈપણ કરો પણ કોન્ટ્રાક્ટર આપણી સાથે કંઈક ધંધોપાણી કરી શકે તેવું રાખો. અરે ભાઈ કોન્ટ્રાક્ટર પણ ધંધો કરવા બેઠો છે. અને વળી આપણે પણ ધંધોપાણી કરવાના છે. ભલે બિચારો કોન્ટ્રાક્ટર તેનું ભારવાહક ઓવરલોડ કરે.
ટૂંકમાં જે કમિશ્નર સાહેબ શહેરને સુઘડ અને સ્વચ્છ રાખવા માગે છે તેઓ કાંતો ભેજું ચલાવવામાં માનતા નથી કે ભેજું ચલાવી શકતા નથી. સરવાળે જો શહેર ગંદુ જ રહેતું હોય કમિશ્નર સાહેબનું નેટવર્ક જ ક્ષતિપૂર્ણ છે અથવા તો ભ્રષ્ટ છે.

શું આવી કચરા ગાડીઓ સ્પેસીફાય ન કરી શકાય?
જ્યારે અરાજકતા વ્યાપક હોય તો કમિશ્નર સાહેબ જ દોષિત ઠરે.
રસ્તા, ફુટપાથ અને જાહેર વપરાશની જગ્યાઓ કેવા દબાણવાળી છે તે આપણે જોયું જ છે. અમદાવાદ જેવા મહાનગરમાં પણ તમને ૫૦૦મીટરની લંબાઈનો રોડ, ફુટપાથ કે જાહેર વપરાશનો પટ્ટો અક્ષત નહીં મળે. આના કારણો અને ઉપાયો આપણે સ્માર્ટ સીટીના બ્લોગ પોસ્ટમાં જોઈ લીધા છે. એટલે તેની ચર્ચા નહીં કરીએ.
શહેરમાં મોકળાશ કેવી રીતે ઉત્પન્ન કરવી?
મોકળાશ એટલે વપરાશ માટેની ઉપયોગી જગ્યાનો વધારો. જો કે તમે દબાણ હઠાવો એટલે જે મોકળાશ શક્ય છે તેની ૭૦ ટકા મોકળાશ તો તમને મળી જ જાય.
મોકળાશનો વિરુદ્ધ શબ્દ છે ભીડ.
ભીડ શાથી થાય છે અને ભીડ કોણ કરે છે?
ભીડ મ્યુનીસીપલ કમીશ્નરનું નગર રચનાનું અણઘડ પ્લાનીંગ, કમિશ્નરની વહીવટી અક્ષમતા તથા સરકારી અધિકારીઓની મીલીભગતથી થાય છે. એસ જી રોડ આનો શ્રેષ્ઠ દાખલો છે. જો તમે કોઈ રોડ ઉપર પાર્કીંગને માન્યતા આપી જ હોય, પછી ભલે તે “પેઈડ પાર્કીંગ” હોય કે “ફ્રી પાર્કીંગ” હોય, પાર્કીંગ હમેશા માર્કીંગવાળું હોવું જોઇએ એટલું જ નહીં તે સમતલ અને પાકું હોવું જોઇએ. જે કમિશ્નર રસ્તાઓ અને ફૂટપાથ સમતલ અને અખંડિત આપી શકતા ન હોય તે કમિશ્નર શું પાર્કીંગની જગ્યા સ્વચ્છ, સમતલ, પાકી અને માર્કીંગવાળી આપી શકશે? ભીડ, વાહનોના આડેધડ અને ઈરેગ્યુલર પાર્કીંગથી પણ થાય છે.
રસ્તા ઉપર ચાલતા વાહનો અને માણસોની વધુ પડતી સંખ્યાથી પણ ભીડ થાય છે. વાહનોની ભીડ કંઈક અંશે વાહન ચલાવવામાં પ્રદર્શિત થતી અસંસ્કારિતા, અરાજકતા અને રસ્તાઓના અણઘડ આયોજનને કારણે હોય છે. આના ઉપાયો આપણે આજ બ્લોગસાઈટ ઉપર ચર્ચ્યા છે.
આપણી પાસે ચાર અમદાવાદ છે. મણીનગર વિસ્તાર, રાખીયાલ વિસ્તાર, એલીસબ્રીજ વિસ્તાર (પશ્ચિમ વિસ્તાર) અને કોટ વિસ્તાર. પહેલા ત્રણ વિસ્તારો ઝડપથી અરાજકતા અને ન સુધારી શકાય તેવા મુંબઈ તરફ જઈ રહ્યા છે.
કોટની અંદરનો વિસ્તાર એટલે કે “જુનું અમદાવાદ” સુધારી શકાય તેમ છે. જો કે કોઈપણ શહેરને સુધારવું હોય તો અરાજક્તાને તો દૂર કરવી જ રહી.
(૧) કોટની અંદરના વિસ્તારની ભીડને કેવી રીતે દૂર કરી શકાય?
કોટની અંદર મધ્યયુગના ઘણા જોવાલાયક સ્થળો છે. આ બધા જ સ્થળોને દબાણોએ ઢાંકી દીધા છે.
(૧.૧) કોટની અંદરના વિસ્તારને દબાણ મુક્ત કરવો પડશે. જો મ્યુનીસીપાલીટીના અધિકારીઓ, ટ્રાફિક પોલિસોના અને ન્યાયાલયના ન્યાયધીશો જો આની અવગણના કરશે તો તેમને તમારે ભ્રષ્ટતાનું લેબલ લગાવી દેવું જ પડશે. કારણ કે જે જગ્યા ઉપર તમારો એકાધિકાર નથી તેના ઉપર દબાણ કરવું તે ફોજદારી ગુનો છે અને આ વાત જો આ મહાનુભાવો સમજી ન શકે તો તેમને ભ્રષ્ટ જ કહેવાય અને તેમનું સ્થાન જેલમાં જ હોય.
અમદાવાદની પોળોની રચના ને અને તેમાંના કેટલાક મકાનોને પણ જોવા લાયક સ્થળોમાં આવરી લઈ શકાય.
કોટના વિસ્તારની બહાર પણ એક દોઢ કિલોમીટરના અંતરમાં કેટલાક જોવા લાયક સ્થળો છે.
(૧.૨) કોટની અંદરના વિસ્તારમાં વાહનોમાટે બંધી કરવી પડશે. વાહનો એટલે સ્કુટરો, હાથલારીઓ, રીક્ષાઓ, કારો, બસો, ટેમ્પાઓ, ટ્રકો, પશુથી ચાલતા વાહનો …. વિગેરે જે કંઈ દેખાય છે કે નથી દેખાતા … તે બધાં બંધ કરવાં પડશે. જુના પેરીસ શહેરમાં વાહનોની બંધી છે.
(૧.૩) જુના ખખડધજ મકાનો તોડી પાડવા પડશે. જુના ભાડવાતો કારણે આવા મકાનો રીપેર કરી શકાતા નથી. આ પરિસ્થિતિ બદલવી પડશે. આવા મકાનોનો કબજો સરકારે હસ્તગત કરવો પડશે અને ત્યાં નિમ્ન લિખિત આયોજન પ્રમાણે ઉપયોગ કરવો પડશે.
(૧.૪) જે મકાનોનો કબજો લીધો તેને તોડી પાડી, તેમાંના અમુકનો ઉપયોગ “સાયકલ-રીક્ષા” સ્ટેન્ડ અને “સાયકલ” સ્ટેન્ડ બનાવવા માટે કરવો પડશે.
(૧.૫) જે જગ્યાએ દુકાનો છે તે જો કોઈપણ મોન્યુમેન્ટની નજીકમાં એટલે કે (રેડીયલ ડીસ્ટંટ) ૫૦૦મીટરની અંદર હશે તો તેને તોડી પાડવામાં આવશે.
(૧.૬) જે દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નહીં હોય તેને ખાલી કરવામાં આવશે.
(૨) કોટ વિસ્તારની અંદર વાહન વ્યવહારની વ્યવસ્થા શી હશે?
(૨.૧) દરેક પોળમાં જાહેર જનતા માટે સાયકલ સ્ટેન્ડ હશે. સાયકલનો ઉપયોગ પોળની બહાર જવા માટે કરવામાં આવશે. કોટ વિસ્તારની અંદર, માંદી અને અશક્ત વ્યક્તિઓ સાયકલ રીક્ષા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. સામાનની હેરફેર ફક્ત રાત્રીના સમય ૧૨ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી જ કરવા દેવામાં આવશે. આ હેરફેર હાથલારી દ્વારા જ કરવા દેવામાં આવશે.
(૨.૨) રસ્તાના દરેક વળાંક ઉપર, બ્રાંચ રોડ અને ક્રોસ રોડ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
(૨.૩) ફક્ત એમ્બ્યુલન્સ અને પોલીસવાન જ રસ્તા ઉપર ફરી શકશે.
(૩) ભૂગર્ભ ટ્રેનઃ
(૩.૧) કોટની અંદરના વિસ્તાર માટે ભૂગર્ભ રેલ્વે બનાવવામાં આવશે. આ ટ્રેન તે (૧+૧)X૮ એટલે કે ૧૬ સીટેડ હશે. કોટ વિસ્તારની અંદર હાલ જે બધા મેઈન રોડ છે તેની નીચે જ ૨૫ નીચે જ ડબલ ટ્રેક વાળી ભૂગર્ભ રેલ્વે બનાવવામાં આવશે. આ ટ્રેન બે થી ચાર ડબા વાળી હશે. “રશ અવર્સ”માં ચાર ડાબાવાળી ટ્રેન ચાલશે. જેમ રશ ઓછો થતો જશે તેમ ડબાની સંખ્યા ઘટતી જશે. ભૂગર્ભ ટ્રેન ૨૪ કલાક દોડશે. ટ્રેનની ફ્રીક્વન્સી “રશ અવર્સ”માં દર ત્રણ મીનીટ કે તેથી ઓછી રહેશે. “સ્લૅક અવર્સ”માં ૩૦મીનીટની ફ્રીક્વન્સી રહેશે. ટ્રેનમાં એક જ હેન્ડ બેગેજ જ લઈ જવા દેવામાં આવશે. હેન્ડ બેગેજનું કદ અને વજન નિશ્ચિત કરવામાં આવશે.
(૩.૨) અનુક્રમે આવતા બે સ્ટેશનો વચ્ચે સામાન્ય રીતે ૪૦૦ મીટરથી વધુ ન હોય તે અંતરે સ્ટેશન રાખવામાં આવશે. આ માટે મેઈન રોડ ઉપર જ્યાંથી પોળ કે ગલી ચાલુ થાય છે તેની નજીક હશે.
(૩.૩) ટ્રેનની ઝડપ ૧૨ થી ૨૦ કીલોમીટરની હશે. કોટની રાંગે રાંગે હાલ રોડ છે આ રોડની નીચે પણ એક ભૂગર્ભ સર્ક્યુલર ટ્રેન હશે. કોટની અંદર ચાલતી ટ્રેન અને આ સર્ક્યુલર ટ્રેનનું એક નેટવર્ક બનશે. કોટની બહાર એક રીંગરોડ છે. ત્યાં ૪૦૦ થી વધુ નહીં એવા અંતરે સ્ટેશનો રાખવામાં આવશે.
(૩.૪) રીંગ રોડ ઉપરના આ સ્ટેશનો ઉપર ક્લોક રુમ હશે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર હશે જ્યાં ઑડ સાઈઝનો પેસેન્જરનો સામાન રાત્રી દરમ્યાન લાવીને રાખી શકાશે એટલે જેમને બહારગામ જવું હોય તેમને અસુવિધા ન થાય.
(૩.૫) સ્ટેશનની અંદર પ્રવેશ સ્કેનીંગ થયા પછી અને ટીકીટ દ્વારા થશે.
રોડ સફાઈના કામ ૧૯૪૦ના દશકામાં રાત્રે થતા હતા. એ પ્રમાણે જ સફાઈ કામ થશે.
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »