Feeds:
Posts
Comments

Posts Tagged ‘જૈસે થે વાદી’

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

દેશદ્રોહ આશંકા યોગઃ

આપણા નરેન્દ્ર  મોદી સાહેબ પદ્માસનવાળી ધ્યાનસ્થ થયા. પદ્માસન એ સેલ્ફ સપોર્ટેડ બેલેન્સ્ડ આસન છે.

નરેન્દ્ર મોદી સમાધિ અવસ્થામાં  કૈલાશ ગયા કે દેવાધિદેવ મહાદેવે નરેન્દ્ર મોદીને દર્શન આપ્યા કે સમાધિ અવસ્થામાં નિદ્રાધીન થઈ નરેન્દ્ર ભાઈએ સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કર્યો, તેની ચર્ચા આપણે નહીં કરીએ.

Dakshina Murtti

નરેન્દ્રભાઈ મોદીને લાગ્યું કે તેમની સમક્ષ મહેશ્વર પ્રગટ થયા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે દામોદરપુત્ર, તું આટલો ચિંતાગ્રસ્ત શા માટે છે?

નરેન્દ્ર ઉવાચઃ “ભક્તસ્તેહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ (હુ તમારો ભક્ત છું અને આપને શરણે આવેલા એવા મને બોધ આપો)

મહેશ્વરઃ ઉવાચ ; “હે હિરાનંદન,  શી વાત છે?

 નરેન્દ્ર ઉવાચ ;  “હે પ્રભુ, ભારતવર્ષમાં અત્યારે કેટલાક પરિબળો અશાંતિ સ્થાપવા કૃતસંકલ્પ થયા છે અને સમાચાર માધ્યમો એટલે કે કેટલાક  વર્તમાન પત્રો અને કેટલીક  ટીવી ચેનલો સમાચારોને પોતાના એજન્ડાને અનુરુપ શબ્દોની ગોઠવણી કરીને એવા રુપે રજુ કરે છે કે ઘટનાઓનું મૂળ સ્વરુપ નષ્ટ થાય અને વિકૃત સ્વરુપ સામે આવે છે. આનો લાભ લઈને દેશના વિભાજન વાદી પરિબળો વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે પરિશ્રમી, તારે તો તારો રાજધર્મ બજાવવાનો છે.

નરેન્દ્ર ઉવાચ ; “હે પ્રભુ, હું મારા રાજ ધર્મને જાણું છું. હું  હમેશા મારો રાજધર્મ બાજાવતો આવ્યો છું. ૨૦૦૧ થી જ્યારથી મારા પક્ષ દ્વારા મને શાસનની ધૂરા સોંપવામાં આવી ત્યારથી શરુ કરી રાજ ધર્મ જ બજાવતો આવ્યો છું. હે પરમેશ્વર તમે તો જાણો જ છો કે ૨૦૦૨ના હુલ્લડોથી મને અમુક પ્રકારના તત્ત્વો બદનામ કરતા જ આવ્યા છે. હું એ પણ જાણું છું કે તેમની તો આદત છે. પણ જ્યારથી, ૨૦૧૯ની ચૂંટણી હું અને મારો પક્ષ જીત્યા છે ત્યારથી આ હુલ્લડવાદી તત્ત્વો મરણીયા થયા  છે. અફવાઓ તો તેઓ પહેલાં પણ ફેલાવતાં હતાં. પણ એ અફવાઓ ખોટી હતી અથવા વિવાદાસ્પદ હતી તેથી મને ખાસ વાંધો ન હતો.

મહેશ્વરઃ ઉવાચ ; “ હે સમાજશાસ્ત્રી, તો શું તું એમ કહેવા માગે છે કે હાલમાં પ્રવર્તમાન અફવાઓમાં સત્ય છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “ના પ્રભુ ના… હવે મારા વિરોધીઓ રસ્તા ઉપર આવી ગયા છે અને ધરણાઓ કરવા માંડ્યા છે. એટલું જ નહીં તેઓ મુસ્લિમ સ્ત્રીઓ દ્વારા ધરણા અને પ્રદર્શનો કરવવા માંડ્યા છે. એટલે મારી દશા શિખંડીએ ભિષ્મ પિતામહની કરી હતી તેવી થઈ છે. મુસ્લિમ સ્ત્રીઓ ઉપરાંત બાળકો પણ છે. બાળકોની પાસે “મોદીને ગોળી મારો” એવા સૂત્રો પણ બોલાવે છે. …

મહેશ્વરઃ ઉવાચ; ” હે અષ્ટકૂટ, મને લાગતું નથી કે તું આવી વાતોથી ગભરાઈ જાય !! અને તારા ધ્યેય થી વિચલિત થાય !!

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અંતર્‌યામી, હું તો આપની સલાહ લેવા આવ્યોં છું કે હું સાચા માર્ગે છું કે મારે કશોક ફેરફાર કરવાની જરુર છે?

મહેશ્વરઃ ઉવાચ ; “હે મહાધૈર્યવાન, તું જાણે જ છે કે શાહીન બાગ પ્રદર્શનનો હેતુ શો હતો? આવા પ્રદર્શનો તો તું પણ કરાવી શકે છે, અને તે પણ વધુ સારી રીતે. પણ હે પ્રજાપ્રિય, તું તો જાણે જ છે કે આ પ્રદર્શન એક પ્રયોગ હતો અને આ પ્રયોગમાં જો તું કંઈપણ સકારાત્મક પગલુ  ભરે, તો તેઓ હુલ્લડ કરાવે. હુલ્લડ કરાવવામાં તો તારા વિરોધીઓ નિપૂણ છે. જો તેઓ ૨૦૦૮ના આતંકવાદી હુમલાને પણ તારે નામ કરવાનું કાવતરું રચી શકતા હોય તો તેઓ શું ન કરી શકે?  

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વમૂર્ત્તિ, આપ તો જાણો જ છો કે મારા વિરોધીઓ શું શું કરી શકે છે !! કારણ કે તેમને માટે આ બધું મહદ્‌ અંશે સરળ છે. કારણ કે તે સૌ “જૈસે થે વાદી છે … લૂટો અને લૂટવા દો, ગરીબોને ખેરાતના વચનો આપો, તેમને અશક્ત તથા સરકાર ઉપર અવલંબિત જ રાખો … મારા વિરોધીઓ એવું ઈચ્છે છે કે “કાળું નાણું ઉત્પન્ન થવા દો, તેના થકી આપણે વિદેશોમાં રોકાણ કરી શકીશું, વિદેશોમાં સંપત્તિ ખરીદી શકીશું, વિદેશોમાં ટાપુઓ ખરીદી શકીશું અને તેના ઉપર અફલાતૂન બંગલાઓ બાંધી શકીશું …” હે સર્વજ્ઞ, આ બધાં કારણોથી જ મોદી તેમને નડે છે. મારા વિરોધીઓ મારા ઉપર ભૂરાયા થયા છે. મેં વિદેશો સાથે આપણા દેશના સંબંધો સુધાર્યા …, આપણા  દેશની આબરુને ટોચ ઉપર લઈ ગયો … આવું બધું તેમને નડે છે. એટલે જ ટ્રમ્પ આવવાના સમયે તેમણે શાહીન બાગનો પ્રપંચ પ્રાયોજિત કર્યો. તોફાનો કરાવ્યા, જનતાની સંપત્તિને બાળી, અને આ બધું આર.એસ.એસ.વાળાએ કરાવ્યું એવો વિદેશોમાં પ્રચાર કર્યો. મને તો દૃઢ વિશ્વાસ છે કે આ બધું એક મહાપ્રપંચનો ભાગ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સહસ્રબુદ્ધે, તું સઘળું તો જાણે જ છે. તો પછી મારી પાસે કેમ આવ્યો છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વવ્યાપી, મારે ફક્ત આપની પાસેથી લીલી ઝંડી જોઇએ. અને જો આપના તરફથી કોઈ સૂચન હોય તો તે જોઇએ. ક્યારેક મને એવું લાગે છે કે જો બધું નિશ્ચિત જ છે તો મને જે કંઈ સુઝે તે મારે કરવું જોઇએ. જે થવાનું છે તે તો થવાનું જ છે, તો પછી મારે “શું થશે?” એવી ચિંતા કે વિચાર પણ શા માટે કરવો જોઇએ? હે વિશ્વ નિયંતા, તમે વિશ્વના નિયમો બનાવ્યા, મનુષ્યને પ્રજ્ઞા આપી, તો પછી તમે મતિભ્રષ્ટ મૂર્ધન્યો અને મતિ ભ્રષ્ટ વિશ્લેષકો કેમ ઉત્પન્ન કર્યા?

મહેશ્વરઃ ઉવાચ ; હે મેઘાવી, માનવ સમાજની બૌધિક અને કર્મકૌશલ્યની  ઉન્નતિ માટે સમાજ વિરોધી તત્ત્વો હોવા જરુરી પણ છે. કારણ કે શાણો મનુષ્ય આવા લોકોના વિચારોનો અને વર્તણુંકનો અભ્યાસ કરે છે અને તેમ કરતાં કરતાં પોતાની બુદ્ધિનો અને કૌશલ્યનો વિકાસ કરે છે. જો વિરોધી તત્ત્વો જ ન હોય તો મનુષ્યની વિચાર શક્તિ વિકસે જ કેવી રીતે? સમાજ આગળ જ કેવીરીતે વધી શકે? ચર્ચા દ્વારા સામેના માણસના વિચાર અને વિચાર પદ્ધતિ જાણે છે, વિચારનું આદાનપ્રદાન થાય, વિરોધીઓના વિચારોની ચકાસણી થાય છે અને તેથી મનુષ્યના મગજનો  વિકાસ થાય છે.   કર્મ કરવામાં પણ તેને વધુસારું કઈ રીતે કરી શકાય તે વિષે વિચારવાથી અને એક જ કર્મને અવારનવાર કરવાથી (અભ્યાસથી) કર્મ કરવામાં કૌશલ્ય અને ઝડપ આવે છે.  

 નરેન્દ્રઃ ઉવાચ ; “હે ઈશ્વર, તમે તો સર્વ શક્તિમાન છો … તમારી ઈચ્છાવગર પાંદડું પળ હલી શકતું નથી. તો તમે સર્વજ્ઞતા અને પરિપૂર્ણતા મનુષ્યમાં પહેલેથી જ કેમ મુકી દેતા નથી?

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રચેતસ્‍, હું અનિર્વચનીય છું. વિશ્વની સરખામણીમાં એક કણ જેટલો નાનો છે, તે કણના કણથી પણ નાની આ પૃથ્વિ છે. તમે જે વિશ્વમાં રહો છો તે જેવું છે, તેવું કેમ છે, તે મૂળભૂત તત્ત્વ અને ઉર્જાના ઐક્યત્વને જોડતા પ્લેંક અચળ ની સંખ્યા ઉપર આધારિત છે. જે  ૬.૬૨૬૦૭૦૦૪ x [૧/(૧૦ x … ૩૪ વખત)]જુલ સેકન્ડ છે. એ જરુરી નથી કે પ્લેંકના અચળ અંક હમેશા આ જ હોઈ શકે. એવાં હજારો કરોડો વિશ્વ હોઈ શકે જેમાં પ્લેન્કનો અચળાંક શૂન્ય થી અનંત સુધીનો હોઈ શકે. હું આ બધા વિશ્વોનો સમુચ્ચય છું. તમે અત્યાર સુધી ત્રણ પરિમાણને જાણતા હતા. તમે જેમ જેમ વિચારતા ગયા, પ્રયોગો કરતા ગયા તેમ તેમ તમને જાણવા મળતું ગયું કે પરિમાણો તો ૧૧+૧૧+૪=૨૬ (૪=લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય) છે. …

નરેન્દ્રઃ ઉવાચ ; “હે પ્રભુ, હું આ બધું સમજતો નથી. અને મારે સમજવું પણ નથી. અત્યારે તો મારા વિરોધીઓ મને બંધારણનો ઘાતક, લોક શાહીનો દુશ્મન, કોમવાદી, કટ્ટર હિન્દુત્વ વાદી … અને  અહિંસાને નેવે મુકનારો … એવું બધું કહે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિસ્પૃહી, તું એક વાત સમજ. જેમ મનુષ્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તે સમજતો ગયો કે “બળીયાના બે ભાગ” ઉપર કશુંક તો નિયમન લાવવું જ પડશે. એટલે તે નિયમો બનાવતો ગયો. આ નિયમો બનાવવા પાછળની વૃત્તિનું પ્રેરક બળ, ઓછામાં ઓછી હિંસા એટલે કે અહિંસા છે. આ નિયમો બનાવનારને કેટલાક પેગમ્બર કહેતા, કેટલાક ઈશ્વરનો પુત્ર કહેતા, તો કેટલાક ઈશ્વરનો અવતાર કહેતા. ભારતમાં આવું ન હતું. જેમને ઈશ્વરનો અવતાર કહેતા તે એક વિશેષણ જ હતું. ભારતમાં તો નિયમો ઋષિઓએ બનાવ્યા. તેઓ જ્ઞાની, દાર્શનિક,  મનનશીલ અને ચિંતનશીલ હતા. તેઓ ધ્યાની હતા. તેમણે આને “શાસ્ત્ર” નામ આપ્યું. તેમણે દરેક ક્ષેત્રમાં શાસ્ત્રો રચ્યાં. ભારતમાં શાસ્ત્રો પ્રમાણે શાસન અને જન-વ્યવહાર થતો હતો. આમાં ફેરફાર કરવાનો હક્ક ફક્ત તજજ્ઞનોને જ હતો. તેટલું જ નહીં તેના ઉપર ચર્ચા કરવાનો હક્ક સૌ કોઈનો હતો. પણ ચર્ચા વિવેકશીલ હોવી જોઇએ. ચર્ચા વિતંડાવાદી અને હિંસક ન હોવી જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; “પણ હે વિશ્વેશ્વર, ભારતમાં તો ચર્ચા ને તો બાજુપર મુકો પણ જે પ્રદર્શનો થાય છે તે હિંસાને જન્મ આપે છે અને તેને ફેલાવે પણ છે. તેનું શું?

મહેશ્વરઃ ઉવાચ ; હે કૃતનિશ્ચયી, તેં જે વાત કરી, તે નિયમ અને તેના પાલન કરાવવાની સમસ્યા છે. જો જનતાને અનુભૂતિ થશે કે નિયમનો ભંગ કર્યો એટલે સજા થવાની શક્યતા સો ટકા છે. મોટો ચમરબંધી પણ આપણને બચાવી શકશે નહીં. તો દરેક વ્યક્તિ નિયમબદ્ધ બનશે જ.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે કલ્યાણકારી, હું તો પ્રયત્ન કરું જ છું. પણ ખબર નથી પડતી કે ન્યાયાલય ને કેમ અમુક બનાવોની ગંભીરતાની ખબર પડતી નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે આર્ષદર્શી, આમાં મારે તને કશું કહેવાની જરુર નથી. પણ તું જે સીસ્ટમ બદલવાની વાત કરે છે તે બરાબર છે. પણ તે સીસ્ટમ બદલવાની વાતમાં કોઈ સામાન્ય માણસને પણ લે, કારણ કે સામાન્ય માણસની મુશ્કેલીઓ તારા અધિકારીઓ સમજવા માગતા નથી. સરકારી પોર્ટલ માં શું ખામી છે અને ખાસ કરીને સરકારને પોતાની વાત પહોંચાડવામાં શું ખામી છે અને તેથી શી  મુશ્કેલી છે તે સામાન્ય સુજ્ઞ માણસ જ કહી શકશે.  સરકારી નોકરો  હમેશા પોતાની સગવડતા જોતા હોય છે. આ ઉપરાંત તારા વિરોધીઓ ઉપરના  જે કંઈ કેસ ચાલે છે તેને ઝડપથી ચલાવવાની સીસ્ટમ ગોઠવ. તારા વિરોધીઓ અત્યારે નવરા છે એટલે તેઓ ન્યાયાલયમાં ફાલતુ અરજીઓ કર્યા કરે છે. ન્યાયધીશોને પણ તારે દુધે ધોયેલા માનવા નહીં.

નરેન્દ્રઃ ઉવાચઃ હે કરુણામય, હું તો આ મારા વિરોધીઓની ગેંગો થી ત્રસ્ત છું. એક તરફ તેઓ હિંસા ફેલાવે છે અને બીજી તરફ મને નાઝી વાદી કહે છે. વિદેશોમાં પણ મને તેમના નેટવર્ક દ્વારા બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ;  “હે પરદુઃખભંજક, તું આવી બધી સમસ્યાઓ તારા અનુયાયીઓને સોંપી દે અને એક તંત્ર પણ બનાવ. જનતામાં તારા પ્રશંસકો છે  તેઓ તો હોંશે હોંશે તને મદદ કરવા આતુર છે. અને તેઓ તારા નિર્ણયોની યોગ્યતાનો પ્રચાર પણ કરે છે. તું સોસીયલ મીડીયા ઉપર સક્રિય રહે. પલાયનવાદી વૃત્તિનો જો તારામાં જન્મ થયો હોય તો તેનો ત્યાગ કર. જનતામાં તું જ સૌથી વધુ વિશ્વસનીય છે. અને તારા ઉપર જ દેશપ્રેમીઓ આશાની ઉમ્મીદ લઈને બેઠા છે. એટલે તેમની સાથેના સંવાદને તું બંધ ન કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “ હે હરિહર, હું ખંતથી, સ્વાર્થહીન રીતે, અથાક મહેનતથી અને નીતિમત્તાથી કામ કરું છું. આથી પણ જો સારી રીતે કામ થઈ શકતું હોય તો હું તે માટે તૈયાર છું. તો પણ મારા વિરોધીઓ મને તો એલફેલ બોલે તેમાં મને બહુ વાંધો નથી પણ મારા વિરોધ કરતાં કરતાં તેઓ દેશના હિતનો ખ્યાલ રાખતા કેમ નથી? શું કર્મનો સિદ્ધાંત ખોટો છે? જ્યારે દેશને તોડનારી તાકાતો દેશ વિરુદ્ધ અદ્ધર અદ્ધર જ ઉચ્ચારણો કરે છે, ત્યારે મારા પ્રશંસકો દેખીતી રીતે તેમને ગદ્દાર કહેવાના જ. તો આ લોકો એમ કહે છે કે હવે તો સરકારની વિરુદ્ધ બોલનારાઓને પણ દેશના ગદ્દારો કહેવાની પ્રણાલી મોદીએ પાડી છે. અને આવી વાતો દેશના કેટલાક પ્રતિષ્ઠિત કહેવાતા મૂર્ધન્યો પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિષ્કામકર્મી, તું જાણે છે કે કર્મનું ફળ સર્વત્ર અને સર્વદા, વ્યક્તિગત કર્મફળ હોતું નથી. સમાજ, જેમાં કુદરત પણ આવી જાય, તેની પરિસ્થિતિ, સમાજજન્ય કર્મ અને વ્યક્તિગત કર્મના પરિણામી કર્મફળ મળે છે. જેમ કે તું ચા બનાવવા ઇચ્છે  તો, ચા, તો જ થાય, જો તપેલીવાળાએ તપેલી બનાવી હોય, પ્રાયમસવાળાએ પ્રાયમસ બનાવ્યો હોય, અને બીજા અનેક આનુસંગિક કર્મો, પદાર્થો હોય કે થયાં હોય તો જ તું  ચા બનાવી શકે. અને જો તું ચા કરી શકતો હોય તો રાક્ષસ પણ ચા કરી શકે. “આ રાક્ષસ છે એટલે હું નહીં સળગું, અથવા રાક્ષસને જ સળગાવી દઈશ” એમ અગ્નિ કહી ન શકે. આવા કારણો થકી કેટલાક મને ભોલેનાથ કહે છે. પણ હે દેશસુરક્ષાના ક્રાંતિવીર,  જો તું  સુરક્ષાને ધ્યાનમાં નહી લે તો તું ભલે શ્રેયના માર્ગે છે તેમ માનતો હોય તો પણ તારા દેશનો નાશ કે પરાજય થઈ શકે છે.

ત્રીનેત્રક્ષેત્રે કળીયુગ ગીતા દ્વિતીય અધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૩

જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

media says go ahead INC we are with you

કેટલાક સુજ્ઞ જનોના જુઠાણાની સૂચિ આપણે જોઇએઃ

(૧) ગાંધીજીને મુસ્લિમો પ્રત્યે પક્ષપાત હતો અને તેઓ મુસ્લિમોને પડખે રહેતા હતા, (જીન્ના અને તેના પક્ષના લોકો આનાથી ઉંધું જ માનતા હતા પણ આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે)

(૨) ગાંધીજીએ દેશના ભાગલા પડાવ્યા, ગાંધીજી દેશના ભાગલાને અટકાવી શક્યા હોત. (આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આમ માનવું વધુ પસંદ કરે છે. જો કે તેઓ ભૂલી જાય છે કે મોટા ભાગના નેતાઓ ભાગલા પસંદ કરતા હતા)

(૩) ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા માટે ગાંધીજી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા, (જો કે આ વાત તો ગોડસેએ પોતાના બચાવમાં ઉપજાવી કાઢેલી. ગાંધીજીએ ઉપવાસ ઉપર ઉતરતાં પહેલાં, સરકારને આપેલી નોટીસમાં આવું કશું લખ્યું નથી. તો પણ આરએસએસના અને ગાંધી-ફોબિયા પીડિત લોકો માને છે)

(૪) ગાંધીજીએ નહેરુને બધા નેતાઓની ઉપરવટ જઈ (યાવત ચંદ્ર દિવાકરૌ માટે, કે, નહેરુ જીવે ત્યાં સુધી, અથવા તો જે પહેલું બને ત્યાં સુધીના સમય માટે) વડાપ્રધાન બનાવેલા. (પોતાની નિસ્ફળતા છૂપાવવા કેટલાક, આરએસએસના ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે. ૧૯૫૨ની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવતાં  તેમને કોણે  રોકેલા? જો કે એ સમજવી જોઇએ કે ભારત એ એક લોકશાહી વાળો દેશ છે. લોકશાહીમાં તો વડાપ્રધાન જ નહીં, સરકારો પણ આવે છે અને જાય છે)

(૫) હાલની કોંગ્રેસ સાચી કોંગ્રેસ છે, અને તેની પાસે બધી ધરોહર છે. આ એક ન્યાયાલયે ઠરાવેલું કાયદેસરનું જૂઠ છે. કદાચ નહેરુ કોંગ્રેસ પ્રમુખ હતા એટલે આ માન્યતા મૂર્ધન્યોને ગ્રાહ્ય બનતી હશે.

(૬) ઇન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લીધી અને પછી ચૂંટણી જાહેર કરી હતી. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે.)

(૭) રાજિવ ગાંધી અને સામ પિત્રોડા દેશમાં ટેલીફોનની ક્રાંતિ લાવ્યા હતા. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે)

આવી તો અનેક વાતો અનેક ક્ષેત્રોમાં પ્રવર્તે છે. અને રાજકારણમાં તો અનેક જુઠાણા ચાલ્યા જ કરે છે.

આ જૂઠાણાંની વિરુદ્ધ માં સાહિત્ય હોવા છતા કેટલાક લોકો કાં તો પોતાની અજ્ઞાનતાથી અથવા તો પોતાની આત્મતૂષ્ટિ માટે વધુ વાંચતા નથી

તો હવે મૂળ વાત ઉપર આવીએ કે શું લેખકો આ વાત સમજતા નથી કે પ્રમાણભાનને અવગણી ને જો આપણે બંને બાજુ ઢોલકી વગાડીશું તો દેશને બહુ મોટું નુકશાન થશે?

વિપક્ષ એટલે કે નહેરુવીયન કોંગ્રેસ, કે જે હવે તેના કોમવાદી, જાતિવાદી, પ્રદેશવાદી,  સામ્યવાદી, નક્ષલવાદી, માઓવાદી, આતંકવાદી, સીમાપારના આતંકવાદી તત્ત્વો, અસામાજિક તત્ત્વો સાથેના ગઠબંધનથી ખૂલ્લો પડ્યો છે, તેની તરફમાં ઢોલકી વગાડીશું તો દેશની ભાવી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.

સબળ વિરોધ પક્ષ હોવો જરુરી છે

કેટલાક લોકો કહે છે કે લોકશાહીમાં સબળ વિપક્ષ હોવો જરુરી છે.

તમે જુઓ. જે વિપક્ષ નહેરુ અને ઈન્દિરા ગાંધીના સમયમાં હતો તે કેટલો બધો વિદ્વાન, અભ્યાસી, નીતિમાન અને ત્યાગી હતો. હાલના એક પણ વિપક્ષમાં એક પણ સદ્‌ગુણ દેખાય છે?

જ્યારે ડૉ. લોહિયાને પચાસના દશકામાં સવાલ પૂછવામાં આવે લો કે મુંબઈ, મહારાષ્ટ્રમાં જવું જોઇએ કે નહીં. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અમે એવી ક્ષુલ્લક વાતોમાં પડતા નથી. જ્યારે હાલનો વિપક્ષ તો કોમવાદનો અને જાતિવાદનો ખુલ્લે આમ પ્રચાર કરે છે.

તમે જુઓ. શિવસેનાએ કોંગીની પ્રતિભા પાટીલની એટલા માટે તરફદારી કરી હતી કે તે મરાઠી હતી. તેવી જ રીતે કોંગીના પ્રણવ મુખરજીની મમતાએ એટલા માટે તરફદારી કરી હતી કે તે બંગાળી છે. આમ તો પ્રણવ મુખર્જી પોતે ઇન્દિરાના કટોકટી ના સહયોગી હતા. 

“નરેન્દ્ર મોદી જે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે તે યોગ્ય નથી” મૂર્ધન્યો આમ કહે છે.

વળી તેઓ તેના સમર્થનમાં જણાવે છે કે;

“કોંગ્રેસ તો ભાંગ્યુ ભાંગ્યુ તો પણ ભરુચ છે. તે ૧૩૩ વર્ષ જુનો પક્ષ છે.

“આ પક્ષે અનેક ભોગ અને બલિદાન આપ્યા છે.

“આ પક્ષે સામાજીક આંદોલનો કર્યા છે,

“આ પક્ષે સ્વતંત્રતા માટે આગેવાની લીધી હતી અને જનતાને લોકશાહી માટે સુશિક્ષિત કરી છે

“આ પક્ષે સ્વતંત્રતા અપાવી છે,,

“આ પક્ષે લોકશાહીને હજી સુધી જીવતી રાખી છે,

“માટે આ પક્ષ મરવો ન જોઇએ.

શું આ બધી વાતો સાચી છે?

હાલની કોંગ્રેસને જીવતી રાખવાનો આ પ્રશ્ન ત્યારે જ અસ્તિત્ત્વ ધરાવે જ્યારે તમે હાલની નહેરુવીયન કોંગ્રેસને, “મૂળ કોંગ્રેસ” માનો. જે કોંગ્રેસે સ્વાતંત્ર્ય ની લડત ચલાવેલી અને પોતાનો સિંહફાળો આપેલ તે કોંગ્રેસ આ જ છે.

હા એક વાત ચોક્કસ કે કોંગ્રેસ નામનો એક પક્ષ હતો. તેણે સામાજિક અને રાજકીય આંદોલનો કર્યા હતા. તેણે ભારતને એક રાખવા માટે અને ભારતને સ્વતંત્રતા અપાવવા માટે સિંહફાળો આપ્યો હતો. તેના અનેક નેતાઓએ ત્યાગ અને બલિદાન આપ્યા હતા.

we have lot of leaders

પણ હાલની કોંગ્રેસ પાસે શું છે?

હાલની કોંગ્રેસ પાસે એક “શબ્દ” માત્ર છે… “કોંગ્રેસ”.

ફક્ત “કોંગ્રેસ” શબ્દ હોવાથી તેને મૂળ કોંગ્રેસ કહી શકાય ખરી?

મહાત્મા ગાંધીની કોંગ્રેસની એક ઓળખ “સાદગી” હતી.

જો આ ગુણ જોઇએ તો તે તૄણમૂલ કોંગ્રેસ પાસે છે. તો શું તેને “મૂળ કોંગ્રેસ” કહી શકાશે?

કોંગ્રેસો તો ઘણી જન્મી અને મરી.

બાબુ જગજીવન રામે એક કોંગ્રેસ બનાવેલી તેનું નામ હતું, કોંગ્રેસ રીયલ.

યશવંત રાવ ચવાણે કોંગ્રેસ (યુ) બનાવેલી,

શરદ પવારે કોંગ્રેસ (રાષ્ટ્રવાદી) બનાવેલી છે,

એ.કે એન્ટોનીએ કોંગ્રેસ (એ) બનાવેલી,

રાજગોપાલાચારીએ કોંગ્રેસ (ડેમોક્રેટીક) બનાવેલી,

કે એમ જોર્જ એ કોંગ્રેસ (કેરાલા) બનાવેલી છે,

હરેકૃષ્ણ મહેતાબે કોંગ્રેસ (ઉત્કલ જનતા), બનાવેલી,

અજય મુખર્જીએ કોંગ્રેસ (બંગાળ) બનાવેલી,

બીજુ પટનાયકે કોંગ્રેસ (ઉત્કલ) બનાવેલી,

દેવરાજ ઉર્સ એ કોંગ્રેસ (ઉર્સ) બનાવેલી,

કેટલીક કોંગ્રેસના સ્થાપકો તો નહેરુથી પણ વરિષ્ઠ હતા. તેમણે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણું યોગદાન આપેલું હતું.

આવી તો અગણિત કોંગ્રેસો ભારતમાં બની છે. જેમ ઘણા ભગવાનો થઈ ગયા અને ઘણા ભગવાનો હાલ પણ વિદ્યમાન છે.

કોંગ્રેસનું બનવું અને બગડવું એક શાશ્વત ચાલતી પ્રક્રિયા છે. જેમ ભગવાન રજનીશ અને પછી ઓશો રજનીશ. સૌ પ્રથમ વળી તેઓશ્રી હતા આચાર્ય રજનીશ. ન તો તેમણે કોઈભાષ્ય લખેલું, કે ન તો તેઓશ્રી કોઈ શાળા/મહાશાળાના પ્રિન્સીપાલ હતા. તો પણ દે ધના ધન તેમણે આચાર્ય પૂર્વગ લગાડી દીધેલો.  

“પક્ષ” વાસ્તવમાં છે શું?

પક્ષ તો સિદ્ધાંત છે અને તેને અમલમાં મુકવાની પક્ષની રીતિ છે. સિદ્ધાંત અને રીતિ પક્ષની ઓળખ હોય છે.

“મૂળ કોંગ્રેસ”નો સિદ્ધાંત હતો અહિંસક માર્ગે દેશને વિદેશી શાસનથી મૂક્ત કરવો.

ગાંધીજીએ તેમાં ઉમેર્યો કર્યો કે અહિંસક ઉપરાંત તેમાં આમ જનતાને પણ દાખલ કરવી, અને જનજાગૃતિ દ્વારા લડત ચલાવવી.

જનજાગૃતિ એટલે શિક્ષિત સમાજ. શિક્ષિત સમાજ એટલે સમસ્યાઓને સમજી શકે તેવો સમાજ. સામાજિક સમસ્યાઓમાં રાજકીય સમસ્યાઓ નીહિત છે. એટલે ગાંધીજીએ  જનતાને સામાજિક સમસ્યાઓ પ્રત્યે પણ જાગૃત કરી.

લોકશાહી અને અહિંસા જોડાયેલા છે. વ્યસનમૂક્તિ અને અહિંસા પણ જોડાયેલા છે. બેરોજગારી અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદન અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદનની ક્રિયા,  રોજગારી અને બેરોજગારી સાથે જોડાયેલી છે. ગાંધીજીએ આ વિષે ઘણું લખ્યું છે.

ગાંધીજીએ વ્યસનમૂક્તિ અને ગૌવધબંધી ઉપર સૌથી વધુ ભાર મુકેલો. સંપૂર્ણ વ્યસનમૂક્તિ અને સંપૂર્ણ ગૌવધ બંધી  તરફ જવાનું તેમનું સૂચન હતું. આ વિષે તેમનું વલણ એટલું તીવ્ર હતું,  કે તેઓ જો સરમૂખત્યાર બને તો આ કામ સૌ પ્રથમ કરે.

ગાંધીજીની અહિંસા અને ગૌવધ પ્રત્યેની તીવ્ર માન્યતાને લીધે, અહિંસક સમાજની રચના તરફ જવાનો ભારતના બંધારણમાં આદેશ છે. આદેશાત્મક સિંદ્ધાંતથી વિરુદ્ધ જવાનું તો કોંગ્રેસ વિચારી જ ન શકે. જો કોંગ્રેસ આથી વિરુદ્ધ વર્તન કરે તો તે કોંગ્રેસ કહેવાય જ નહીં.

દારુબંધી લાગુ કરવા પ્રત્યે અસરકાર પગલાં લેવાં તેમજ, ગૌવધબંધી તરફ અર્થપૂર્ણ પગલાં લેવાં એ કોંગ્રેસની ઓળખ હતી. આ ઉપરાંત, ખાદીનો વિસ્તાર કરવો અને નિરક્ષરતા નિવારણ પણ   કોંગ્રેસના અંગ હતા.

હવે તમે જુઓ;

કોંગ્રેસ જ, દારુબંધીને હળવી કરવામાં સર્વ  પ્રથમ નંબર પર હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસી  મુખ્ય મંત્રીએ સાઠના દશકામાં સૌ પ્રથમ દારુબંધી હળવી કરી હતી. કોંગ્રેસીઓ કમસે કમ ૧૯૬૮થી જ્યાં દારુબંધી નથી ત્યાં જાહેરમાં દારુપાર્ટી કરતા થઈ ગયા છે.

નહેરુ એવી ચિકન પસંદ કરતા હતા, એટલે કે ખાતા હતા કે જે મરઘી ફક્ત બદામ ખાઈને ઉછેરાઈ હોય અને પાણીને બદલે દારુ (બ્રાન્ડી) પીતી હોય. આ પછી તે  જે ઈન્ડા આપે અને તેમાંથી જે બચ્ચાંની ચિકન બને તે સ્વાદમાં તેમને બેનમૂન લાગતી હતી.

કોંગ્રેસે ગૌવધ બંધી તરફ કોઈ જાતના શિક્ષણાત્મક પગલાં લીધાં નથી. દુનિયાનો સૌથી લાંબો સત્યાગ્રહ, સર્વોદય કાર્યકરોએ મુંબઈના દેવનારના કતલ ખાના સામે કરેલો. તે ગીનીસ બુકમાં વિશ્વમાં લાંબામાં લાંબા ચાલેલા સત્યાગ્રહ તરીકે નોંધાયેલો છે. તેમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારે  જે સમજુતીઓ થઈ હતી તેનો તેમણે જ સરેઆમ ભંગ કરેલો છે. સર્વોદય કાર્યકરો જ આ વાત કરે છે.

ખાદી કરડે છે?

કોંગ્રેસના સભ્યો ખાદી પહેરવામાં જ માનતા નથી, તો પછી કાંતવાની તો વાત જ ક્યાં રહી? ૧૯૬૯ પછી ઇન્દિરા ગાંધી દ્વારા  કોંગ્રેસનું જે વિભાજન થયું તેમાં કોંગ્રેસ (આઈ) માટે કશા જ બંધન રહ્યા નથી.

ટૂંકમાં, સૈદ્ધાંતિક રીતે આજ ની નહેરુવીયન કોંગ્રેસ પાસે મૂળ કોંગ્રેસના એકપણ સિદ્ધાંત કે ગુણધર્મ છે જ નહીં. તો તેને મૂળ કોંગ્રેસની ધરોહર કેવી રીતે માની શકાય?

હવે જો પક્ષો, સિદ્ધાંત થકી ન ઓળખાતા હોય તો તે “પક્ષ” જ ન  કહેવાય. તેને “ધણ” કે “ટોળું” કહેવાય. જો ન્યાયાલય આમ ન માનતું હોય તો તે ન્યાયાલય જ ન કહેવાય.

ચાલો હવે જોઇએ ન્યાયાલયે શું કર્યું?

૧૯૬૯માં ન્યાયાલયમાં કેસ દાખલ થયેલ. ન્યાયાલયે તેની ઉપર ૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિના આધારે ન્યાય આપ્યો અને કહ્યું કે સાચી કોંગ્રેસ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ છે. પણ પક્ષની સંપત્તિ ઉપર કશો ન્યાય ન આપ્યો. જેનો તેનો કબજો હતો તેની પાસે રહી.

૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ શું હતી? એ જ કે ઇન્દિરા ગાંધીને લોકસભામાં બહુમતિ મળી હતી. અને લોકશાહીમાં જનતા સર્વોપરી છે એટલે જનતાએ આપેલી બહુમતિને જનતાનો ન્યાય સમજવો.

સર્વોચ્ચ ન્યાયાલયનું આવું અર્થઘટન હાસ્યાસ્પદ છે એટલું જ નહીં પણ તે ઘણા વિરોધાભાષો ઉત્પન્ન કરે છે.

(૧) શું જનતા પાસે એવો મુદ્દો લઈ જવામાં આવેલો કે તે નક્કી કરે કે મૂળ કોંગ્રેસ કઈ છે? જો જનતા પાસે આવો મુદ્દો હોય જ નહીં તો પછી તે જનતાનો ન્યાય ગણાય? ચૂટણીમાં તો બીજા પક્ષો પણ હતા. તેમને તો આવા કોઈ મુદ્દા સાથે સંબંધ ન હતો.

(૨) ૧૯૬૯માં કેસ દાખલ થયો હોય તો તે વખતની પક્ષની આંતરિક પરિસ્થિતિ જોવાને બદલે ૧૯૭૧માં ઉત્પન્ન થયેલી સ્થિતિને આધાર માનવી તે ઉચિત છે?

(૩) ધારો કે ૧૯૭૧ પછીની આવતી ચૂંટણીઓમાં જનતાના ચૂકાદાઓ બદલાતા રહે, તો આવા ન્યાય, જે આધારે આપ્યા તે પણ, તે જ આધારે બદલાવા જોઇએ જ. તો આવા ન્યાય ઉચિત ગણાય?

(૪) જ્યારે ન્યાયાલય અસ્તિત્વમાં હોય ત્યારે વર્ષો પછી, ન્યાયાલયની બહાર ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને આધારે, ન્યાય આપી શકાય? જેમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી તેમજ જેમની સામે આવો મુદ્દો ધરવામાં આવ્યો નથી તેવા કિસ્સાઓમાં, તેવા સંજોગોમાં તેમણે જે બહુમતિથી ચૂકાદો આપ્યો હોય, તેને તે મુદ્દા ઉપરનો ચૂકાદો માની શકાય?

(૫) વળી એક જગ્યાની બહુમતિને બીજી જગ્યાએ કેવી રીતે લાગુ કરી શકાય?

(૬) બહુમતિથી ન્યાય કરવો ઉચિત છે?

(૭) બહુમતિથી સચ્ચાઈ સિદ્ધ થઈ શકે?

(૮) જો હા, તો પછી ન્યાયાલયની જરુર છે ખરી?

(૯) ન્યાય આપવામાં પક્ષના બંધારણની જોગવાઈઓને લક્ષમાં લેવામાં આવી છે?

આ બધા જ પ્રશ્નોના ઉત્તરો નકારમાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો ભારતમાં વિચરતા બાવાઓ જેવો છે.

શું સર્ચોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો નિર્મલ બાબા છે?

નિર્મલબાબા પાસે વ્યક્તિઓ પોતાની સમાસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તે સમજવા જાય છે. નિર્મલબાબા જ્યારે તેમને એમ કહે કે પાડા ઉપર બેસીને રોજ સો ગ્રામ ગાંઠીયા ખાઓ તો સમસ્યા હલ થઈ જશે.

શું નિર્મલ બાબા અને સર્વોચ્ચ ન્યાયલયના ન્યાયધીશો પણ આવ ભાઈ હરખા, આપણે સૌ સરખા. એવું છે?

આજ બ્લોગ સાઈટ ઉપર લખાયેલા “https://wordpressDOTcom/post/treenetramDOTwordpressDOTcom/218

“ખૂની કોણ? આયારામ ગયારામ કહે છે કે અમે દશરથ પૂત્ર રામ છીએ.” લેખને, મુદ્દા (૯)ની વિશેષ જાણકારી માટે વાંચવો.

ગાંધીજીના ત્રણ વાંદરા અને નહેરુવીયન કોંગ્રેસના ત્રણ વાંદરા

બંનેઉના

ગાંધીજીના ત્રણ વાંદરા એમ કહેતા હતા કે; ”કોઈનું બુરું ન જુઓ, કોઈનું બુરું ન સાંભળો, કોઈનું બુરું ન બોલો.”

ગાંધીજી આ વાત કોને અનુલક્ષીને કહેતા હશે તે સંશોધનનો વિષય છે. ધારો કે આને વૈશ્વિક સત્ય માનીએ તો, અને ગાંધીજીને હાલની નહેરુવીયન કોંગ્રેસની ધરોહર માનીએ તો, આ જ કોંગ્રેસના નંબર વન, ગાંધીજીના વાંદરાનો આ ગુણધર્મ રાખે છે ખરા? નાજી.

નહેરુવીયન કોંગ્રેસના નેતા નંબર વન તો બીજેપીના દરેક પગલામાં બુરુ જુએ છે, બુરુ સાંભળે છે અને બુરું બોલે છે. શું વાંદરાઓનો આ મૂળભૂત ગુણધર્મ છે એટલે?

 શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

WE SUPPORT “BREAK INDIA”

Paint02

બુર્ઝવાઓ બધા સમાચાર માધ્યમોમાં ફાટ ફાટ થાય છે.

સામ્યવાદીઓનો સૌથી મોટો દુશ્મન “બુર્ઝવા” લોકો છે. એમ તેઓ કહે છે.

તમે કહેશો કે તો તો પછી સામ્યવાદી લોકો સખત રીતે પરિવર્તનશીલ હોવા જોઇએ.

નાજી. એવું નથી. “બુર્ઝવા”ઓ  વિષેનો સામ્યવાદીઓનો આ ખ્યાલ કોઈ વૈશ્વિક સત્ય નથી. સામ્યવાદીઓ માટે “બુર્ઝવા” શબ્દ એક એવું વિશેષણ છે જે વિશેષણનો તેઓ, જેઓ તેમની સામે પ્રતિકાર કરે તેમને માટે કરે છે. ખાસ કરીને સામ્યવાદીઓ “પોતે માની લીધેલા સ્વસ્થ સમાજ”ની સ્થાપના માટે જે કામ કરી રહ્યા છે અથવા તો કરવાના છે તેનો વિરોધ કરનારાઓ માટે બુર્ઝવા શબ્દ વાપરે છે.

નરેન્દ્ર મોદીની બાબતમાં તેમનો દાવ ઉંધો પડે છે.

કારણ કે મોદી તો મહાત્મા ગાંધીની જેમ સામાજિક પરિવર્તન લાવવા માગે છે અને દેશનો સર્વાંગી વિકાસ પણ કરવા માગે છે. એટલે વૈચારિક રીતે તો સામ્યવાદીઓના દાવ ઉંધા જ પડે અને પડવા જ જોઇએ.

નરેન્દ્ર મોદી તો પોતે જ સામાજિક પરિવર્તનનો પુરસ્કર્તા છે. અને અહીં તો સામ્યવાદીઓ પોતે જ  સામાજિક પરિવર્તનનો વિરોધ કરનારા છે. સામ્યવાદીઓએ જે બુર્ઝવા શબ્દ તેમના વિરોધીઓ માટે પ્રયોજેલો તે બુર્ઝવા શબ્દ તો તેમને જ લાગુ પડે છે.

“વિભાજન વાદ”નું શસ્ત્ર બ્રહ્માસ્ત્ર ન બને તો બુમરેંગ બને છે.

નરેન્દ્ર મોદીની સામે નહેરુવીયન કોંગ્રેસીઓએ જાતિવાદ અને કોમવાદનું શસ્ત્ર ઉગામ્યું છે તેને આ સામ્યવાદીઓ પૂરો સહકાર આપે છે. એટલે કે આ સામ્યવાદીઓએ બુર્ઝવા વિશેષણને, વિશેષણને બદલે શસ્ત્ર બનાવી દીધું છે. નહેરુવીયન કોંગ્રેસની પાસે તો પહેલેથી જ એટલે કે જ્યારથી કોંગ્રેસનું કોંગ્રેસ (સંસ્થા) અને કોંગ્રેસ (આઈ)માં ૧૯૬૯માં વિભાજન થયું ત્યારથી આ નહેરુવીયન કોંગ્રેસને [કોંગ્રેસ (આઈ)]ને અસામાજિક તત્ત્વોનો છોછ રહ્યો નથી. નહેરુની ફરજ્જંદ ઈન્દિરા ગાંધીએ બધા જ અસામાજિક તત્ત્વોને ખૂલ્લું આમંત્રણ આપેલું. અને આ તત્ત્વોએ બળ જબરી પૂર્વક કોંગ્રેસ (સંસ્થા)ના કબજામાં રહેલી મિલ્કતનો કબજો લીધેલો. જ્યાં કોંગ્રેસ (સંસ્થા) મજબુત સ્થિતિમાં હતી તેવા ગુજરાતમાં કોંગ્રેસ (આઈ) ફાવી ન હતી.

સામ્યવાદીઓ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી

સામ્યવાદીઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે તેઓ કોઈ સંવિધાનમાં કે કાયદાઓના પાલનમાં માનતા નથી. તેઓ જે તે પરિસ્થિતિને અનુરુપ વર્તે છે. એટલે કે જો કાયદો તરફમાં લાગે, અથવા તો તેનું અર્થઘટન, જાહેર જનતા કે અભણ જનતા માટે વિવાદાસ્પદ કરી શકાય તેમ હોય તો, તેઓ તે કાયદા અને તે ન્યાયાલયને માનીને તેનો સહારો લે છે. જો આમ ન હોય તો “સત્તાધારી પક્ષની અસહિષ્ણુતા, પૂર્વગ્રહ, કોમવાદીપણું, ભ્રષ્ટતા, સરમુખત્યારી વિગેરે” જે કંઈ વિશેષણો હાથવગાં હોય  તે, લાગુ પડતાં હોય કે લાગુ પડતા ન હોય તો પણ વાપર્યાં કરવા એવી તેમની કાર્યશૈલી છે. આ બધું તેઓ કંઈ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી. નહેરુવીયન કોંગ્રેસને આ બધું સામ્યવાદીઓ પાસેથી શિખવા મળ્યું તેમ નથી. આ બધું તેમને તેમની વંશવાદી પક્ષીય વારસાગત શૈલીમાંથી મળ્યું છે.

હિટલરને તો એક જ ગોબેલ્સ હતો. સામ્યવાદી વૃક્ષ ઉપર તો ડાળે ડાળે ગોબેલ્સ હોય છે.

હાલ તો ભારતમાં સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ એક ફેજ઼ અને એક ફ્રીક્વન્સી પર કામ કરે છે. તેઓ સૌ, “બુર્ઝવા” એટલે કે “જૈસે થે વાદી”ઓની ભૂમિકા ભજવે છે. “જૈસે થે વાદી થવું” એ ગુણધર્મને તેમણે આપદ્‍ધર્મ તરીકે સ્વિકાર્યો છે. જો કે તેઓ આ વાત કબૂલ કરશે નહીં.

જ્યારે સામ્યવાદીઓ સત્તામાં ન હોય ત્યારે આ સામ્યવાદીઓ અરાજકતા ફેલાવવામાં માને છે. અને   લોકશાહીમાં તેઓ સમાચાર માધ્યમો દ્વારા અરાજકતા અસ્તિત્વ ધરાવે છે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં માને છે.

શું સમાચાર માધ્યમો  આવી અરાજકતા ફેલાવવાની ઈચ્છા રાખવાવાળાઓને સહયોગ કરશે?

શું સમાચાર માધ્યમોના માલિકો, કટાર લેખકો, વિવેચકો, વિશ્લેષકો ખરીદી શકાય તેવી જણસો છે?

સમાચાર પત્રોના ઘટકો શું છે?

રાજકીય સમાચાર અને દેશમાં બનતી ઘટનાઓના સમાચાર

(૧) સમાચારની પસંદગી અને પસંદ કરેલા સમાચારને કેટલી પ્રાથમિકતા આપવી તે,

(૨) સમાચાર ને કેવીરીતે પ્રગટ કરવા એટલે કે તેના શબ્દોની કેવી રચના કરવી, એટલે કે શું છૂપાવવું અને શું પ્રગટ કરવું છે. જે પ્રગટ કરવું છે તેને લાગણીશીલ (ઈમોશનલ) કેવીરીતે બનાવવું.

(૩) સમાચાર તો બે જાતના હોય છે. એક જે એવા સમાચાર છે કે જે રાજકીય સમાચાર છે. અને બીજા છે તે એવા સમાચાર છે જે સમાજમાં બનતી  અસામાન્ય ઘટનાઓ છે.

આ સામાન્ય ઘટનાઓ ને કેટલી  પ્રગટ કરવી, કેટલી પ્રગટ ન કરવી, કે તદ્દન જ ન પ્રગટ કરવી તે અલગ વેપાર છે.

જો આવી ઘટનાઓમાં કોઈ પક્ષના નેતાની કે કોઈ પક્ષના નેતાના સગાની સંડોવણી હોય કે સંડોવણી વિવાદાસ્પદ રીતે ઉભી કરી શકાય તેમ હોય તો આ સમાચારને રાજકીય  સમાચાર બનાવી શકાય છે. અને તેનો વેપાર પણ વળી પાછો અલગ હોય છે.

શું આવું બધું વાસ્તવમાં હોય છે ખરું?

કેટલીક વાતોની અપ્રત્યક્ષ સાબિતીઓ હોય છે. સમાચારને સીધે સીધા પ્રસિદ્ધ કરવાને બદલે માધ્યમોના માલિકો તે સમાચારોને, પોતાના એજન્ડાને અનુરુપ માન્યતાની રીતે પ્રગટ કરે છે. આવું અવારનવાર થાય એટલે આપણને તેના માલિકના મનોરહસ્યોની જાણ થઈ જાય છે.

“કોઈ એક” કૌભાંડમાં સંબંધિત વિદેશી પાર્ટીએ ૪૦ કરોડ રુપીયા આપ્યા. કારણ? સમાચાર માધ્યમો આ સોદાને બહુ પ્રાધાન્ય ન આપે તે માટે.

આ સમાચાર આપણને જાણવા મળેલા. કોઈ એક સોદો, સમાચાર મધ્યમોંમાં ચગે નહીં તે માટે પૈસા આપવા પડે, એ કંઈ, સમાચાર માધ્યમો માટે નીતિમત્તાનું પ્રમાણ પત્ર નથી.

લાંચની હદ ક્યાં સુધી?

ડૉ.ત્રીવેદી જેઓ કેનેડાથી ભારતમાં સેવા કરવા માટે ખાસ આવેલા અને વહીવટી રીતે ઑટોનોમસ હોસ્પિટલ બનાવવા માગતા હતા. તેઓએ જ્યારે એક મશીન માટે ટેન્ડર મંગાવ્યું અને નેગોશીએશનમાં એક પાર્ટીને ખાનગીમાં પૂછ્યું કે “જુઓ અમે કોઈ કમીશન લેવાના નથી…” તો સામેની પાર્ટીએ પૂછ્યું કે પણ અમારે સરકારમાં તો પૈસા ખવડાવવા જ પડશેને”. ડૉ. ત્રીવેદીએ કહ્યું કે “તમારે સરકારમાં પણ પૈસા ખવડાવવા નહીં પડે. તો તમે તમારો આ મશીન નો ભાવ કેટલો ઘટાડશો?.” આ પછી તે પાર્ટીએ ત્રણ કરોડનો ભાવ, એક કરોડ રુપીયા કરી દીધો. આ તો ઓગણીશોને એંશીના દશકાના પૂર્વાર્ધની વાત છે જ્યારે ઇન્દિરાઈ નહેરુવીયન કોંગ્રેસનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. અને પછી તો ગઠબંધનની સરકાર હોય તો પણ લૂંટમાં કશો વાંધો આવતો નહીં. અને આપણે જોયું જ છે કે કૉમનવેલ્થ  ગેમમાં કેવા પૈસા ખવાયા. આવી વાતો ખાનગી તો રહે જ નહીં.

પણ ખાનગી એટલે શું? તમે છાપે ન ચડો એટલે ખાનગી.

નેવુના દશકાના અંતમાંથી શરુ કરી હવે સોશ્યલ મીડીયા એટલું વિકસિત થયું છે કે સમાચાર પત્રોએ તેની સાથે સ્પર્ધા કરવી પડે છે. ૧૯૮૯-૯૦માં કાશ્મિરી હિન્દુઓની કતલેઆમને, હજારો  હિન્દુ સ્ત્રીઓની આબરુની લૂંટને અને લાખો હિન્દુઓની હિજરતને, અખબારો અને ટીવી ચેનલો છૂપાવી શક્યા હતા, અથવા તો કહી શકાય કે ન ચગાવી શક્યા ન હતા.

આવું હવે થઈ ન શકે. આજે તો જે વાત, જે તે વિસ્તારના પાંચ દશ માણસો જાણે છે તે વાત તેમાંનો એક ફૂટે તો તે અઠવાડીયામાં આખા દેશને  જાણતો કરી દે.

ઘટનાઓ, પછી ભલે તે ઘટનાઓ ફરેબી કે બનાવટી કેમ ન હોય, તેનો પ્રસાર એક મોટું પરિબળ છે. સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત સૌથી પહેલાં જાણી ચૂક્યા છે.  જ્યારે નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેઓએ અનેક બ્લોગપોસ્ટને સ્થગિત કરેલી. સૂકા સાથે લીલું પણ બળે છે તેની દરકાર કરી ન હતી. સુલેખા ડૉટ કૉમ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.

પણ આપણી મૂળ વાત છે કે શું આપણા બધા જ કટાર લેખકો, મૂર્ધન્યો, વિશ્લેષકો અને એંકરો વેચાણની જણસો છે?

જેમ ૧૦૦ કે ૧૦૦૦ સરકારી અધિકારીઓમાં એકાદો તો માઈનો પૂત નિકળે, કે જે કોઈની દરકાર ન કરે. જેમ કે સુરતના મ્યુનીસીપલ કમીશ્નર એસ આર રાવ, કે ઝોનલ ઓફીસર ખેરનાર, કે ઈલેક્સન કમીશ્નર ટીઆર શેષન. આ શક્યતાનો સિદ્ધાંત બધી જ જગ્યાએ લાગુ પડે છે. લેખકો પણ એવા નિકળે કે જેઓ કોઈની દરકાર ન કરે. પણ આવા લેખકો જે કંઈ લખે તેનાથી તાત્કાલિક  ખાસ ફેર ન પડે. જેમ કે રાજીવ મલહોત્રા, નિસ્સાર હસન, તારેક ફતહ, સલમાન રશદી, તસ્લિમા નસરીન, … વિગેરેના વિચારો આનાથી તદ્‍ન વિરુદ્ધ વિચાર સરણી વાળાઓના સાગરમાં ડૂબી જાય છે.

લેખકોને નડે છે શું?

અમુક માન્યતાઓ તેમને નડે છે.

(૧) ટકી રહેવુંઃ બીજા અર્થમાં જીવતો નર ભદ્રા પામે. જો આપણી આ કોલમ રુપી જાગીર ટકી રહેશે તો આપણે ભદ્રા પામીશું. કટોકટીના સમયમાં ઘણા લેખકોએ આદેશ વગરની, સરકારી શરણાગતી, સ્વિકારી લીધેલી. જો કોલમરુપી જાગીરની દરકાર નહીં કરીએ તો તે બીજો લઈ જશે. માટે આપણી કોલમ બચાવો.

(૨) કિર્તીની ઘેલછા એટલે કે “હુ તો બધાથી જુદો છું”

(૩) હું તટસ્થ છું. હું તો બધાનું જ સારું અને નરસું બધું જ જોઉં છું. આનો બીજો અર્થ એમ થાય કે “ડબલ ઢોલકી”. સારું અને નરસું આમ તો, આ બધું સાપેક્ષ છે. આપણે એ ભૂલી જવું. એટલે કે આપણે પ્રમાણ ભાન રાખ્યા વગર  બંને બાજુ ઢોલકી વગાડવી. મોટા ભાગના લેખકો “ઉંધા ચંબુના (છાલીયાના) શક્યતાના નિયમ પ્રમાણે) કેન્દ્રીય બિન્દુની ડાબી કે જમણી બાજુ પર ગોઠવાઈ જાય છે.

(૪) અમે તો ભાઈ ફોબીયાવાળા. જો કે અમે કબુલ નહીં કરીએ પણ અમે જે કહીએ તે સાચું જ છે.

(૫) વાસ્તવિકતાની નજીકઃ આવા લેખકો પણ છે જ. કે જેઓ વાસ્તવિકતાને સમજે છે. ક્યારેક તેઓ આ વાત પ્રદર્શિત કરે છે પણ તે વાચકોની અપેક્ષાને સંતોષી શકતા નથી. આનો સચોટ  દાખલો  વિનોબા ભાવે હતા. કટોકટી હતી ત્યારે  ઘણા સુજ્ઞ લોકો માનતા હતા કે વિનોબા ભાવે કેમ મૌન છે. કારણકે વિનોબા ભાવેને કેટલાક લોકો ગાંધીજીનો વૈચારિક અવતાર માનતા હતા. તેમણે કહેલું કે કટોકટી એ અનુશાસન પર્વ છે. આનો અર્થ વિનોબા ભાવેના હિસાબે કંઈક હતો અને સરકારે તેનો અર્થ કંઈક જુદો એવો પોતાને સગવડ રુપ કરેલો, જે તદ્દ્‌ન ઉંધો હતો. સરકારનો તો તે વખતે તદ્દન જૂઠું બોલવું એ જ ધર્મ હતો. અને જનતા આ વાત પણ જાણતી હતી. પણ જેમ જૂઠી વાત સતત કહેવામાં આવે તો અંતે તેને બધા સાચી માની લે છે. તેમ વિનોબા ભાવે વિષે પણ માનવામાં આવ્યું. વિનોબા ભાવે એ બોલાવેલા “આચાર્ય સંમેલનમાં”, તેમણે સ્પષ્ટીકરણ પણ કર્યું. પણ કટોકટીમાં તો આવું બધું છાપામાં આવે નહીં. તેથી સુજ્ઞ લોકોએ પોતાની માન્યતા કાયમ રાખી. વિનોબા ભાવે કહ્યું, કે ભાઈ, હું તો મારી રીતે પ્રતિભાવ આપું. તમે તમારા શબ્દો મારા મોઢામાં, મારા શબ્દો તરીકે મુકાવો એ કેમ ચાલે!!  

પણ જ્યારે જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: