Feeds:
Posts
Comments

Posts Tagged ‘જ્ઞાનેશ્વર’

કળીયુગી શિવગીતા તૃતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા તૃતીયોધ્યાયઃ

સુરક્ષા યોગ 

નરેન્દ્રઃ ઉવાચ ; હે મહાનલ, આપે મને એમ કહ્યું કે દેશ ની સુરક્ષા સર્વપ્રથમ હોવી જોઇએ. પણ હે જ્ઞાનેશ્વર, શ્રેય અને સત્યમાં કોની પસંદગી કરવી જોઈએ?

મહેશ્વરઃ ઉવાચ ; હે વિકાસપુરુષ, શ્રેય એ એક વ્યક્તિગત અભિપ્રાયનો પ્રશ્ન છે. કોઈક, એક અભિપ્રાયને શ્રેય માને છે તો કોઈક, અન્ય અભિપ્રાયને શ્રેય માને છે. શ્રેય શું છે તે તો ભવિષ્યનો સમય જ કહી શકે. પણ જે આર્ષદૃષ્ટા છે, તે શ્રેયને ઓળખી શકે છે. શ્રેય એટલે આમ તો સામાન્ય જનતાનું હિત એટલે કે સાંપ્રત કાળે જ્યારે દેશ, દશકાઓથી આતંકવાદીઓના આક્ર્મણથી પીડિત  હોય ત્યારે  દેશનું હિત એ જ શ્રેય છે.

નરેન્દ્રઃ ઉવાચ ; હે વૈશ્વાનર, હું અને મારો પક્ષ, જે કંઈ પગલાં લે છે તે ભારતીય સંવિધાન અને જનતંત્રને અનુરુપ જ પગલાં હોય છે. પણ મારા વિરોધીઓ તેને વિષે ઉંધો જ પ્રચાર કરે છે. વળી તેઓ કોઈ ચર્ચામાં માનતા જ નથી. મેં વર્ષો પહેલાં કહેલું કે જમ્મુ-કાશ્મિર રાજ્યને અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ થી શું ફાયદો થયો તેની ચર્ચા થવી જોઇએ. તો મારા વિરોધીઓ ફાયદાની તો ચર્ચા જ કરતા ન હતા. તેઓ તો એમ કહેતા હતા કે જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે જમ્મુ-કાશ્મિર રાજ્ય ભારતમાંથી ગયું.   જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે અમે અમારા રાજ્યને પાકિસ્તાન સાથે ભેળવી દઈશું. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે અહી લોહીની નદીઓ વહેશે. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે જે પરિસ્થિતિ સર્જાશે તેમાં, ભારતના સૈનિક ના શબને રાષ્ટ્ર ધ્વજ ઓઢાડવા વાળું કોઈ નહીં મળે. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે એ લોકશાહીની હત્યા ગણાશે.

“હે પંચાનન, આને શું ચર્ચા કહેવાય? જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે સ્ત્રીઓને પુરુષ સમકક્ષ અધિકાર ન હતો. શું આને લોકશાહી કહેવાય?

જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે ૧૯૪૪થી સ્થાયી થયેલા હિન્દુઓના દલિત કુટુંબોને વિધાન સભામાં મતાધિકાર ન હતો. શું આને લોકશાહી કહેવાય?

જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે આ દલિત હિન્દુઓ ને શિક્ષણ લેવાના હક્ક ન હતા. શું આને શું લોકશાહી કહેવાય?

 જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે તેમને બીજા રાજ્યમાં શિક્ષણ માટે જવું પડતું હતું. આને શું લોકશાહી કહેવાય?

જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે ઉપરોક્ત દલિત હિન્દુ, સફાઈકામ સિવાયની કોઈ નોકરી જ કરી શકતો ન હતો. આને શું લોકશાહી કહેવાય?

વળી હે પરમેશ્વર, મારા વિરોધીઓ એમ કહેતા હતા કે જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થવાના કારણે રાજ્યમાં લોહીની નદીઓ વહેશે. એટલે કે મારા વિરોધીઓની માન્યતા પ્રમાણે, આવી જનતંત્રની ઘાતક વ્યવસ્થાને કારણે, એટલે કે જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે રાજ્યમાં શાંતિ છે. જો આવું જ હોય તો આતંકવાદીઓના હુમાલાઓ શા માટે થતા હતા? નિર્વાસિત હિન્દુઓનો પુનર્વાસ કેમ થતો ન હતો? હિન્દુઓનો નરસંહાર શા માટે થયેલો? હિન્દુ સ્ત્રીઓ ઉપર સામુહિક બળાત્કાર શા માટે થયા હતા? મારા વિરોધીઓએ આ બધા અત્યાચારીઓ ઉપર ન્યાયિક પગલાં કેમ ન લીધાં? શું તેમની કોઈ ફરજ જ ન હતી?  શું મારા વિરોધીઓ સત્તા સ્થાને હોવા છતાં, આ રીતે સતત મૌન, નિસ્ક્રિય અને અસંવેદનશીલ રહ્યા તે શું અક્ષમ્ય અપરાધ નથી? મારે હિસાબે તો તેઓ આજીવન કારાવાસને લાયક જ છે.

મેં જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ કરીને જમ્મુ-કાશ્મિરમાં લોકશાહી સ્થાપી, તો મારા વિરોધીઓ મેં જમ્મુ-કાશ્મિરમાં લોકશાહીનું હનન કર્યું એમ કહે છે. કહેતા બી દિવાના ઔર સૂનતા ભી દિવાના!

મહેશ્વરઃ ઉવાચ ; “હે ધુરંધર, તું સત્ય અને શ્રેયના માર્ગે જ જઈ રહ્યો છે. ભારતની જનતા તારી સાથે છે પછી તારે શા માટે ચિંતા કરવી? ધારો કે તારા વિરોધીઓ, જનતામાં રહેલા, વાચાળ પણ અર્ધદગ્ધ, બુદ્ધિશાળી પણ દંભી, ચાલાક પણ સ્વકેન્દ્રી, વિદ્વાન પણ પોતાની તટસ્થતા દર્શાવવાના ધૂની મહાનુભાવોને લપટાવી શકે છે તો પરિસ્થિતિ ગંભીર અને સ્ફોટક છે. જો તેમના મનસુબા સિદ્ધ થવા દઈશ તો તારે સમજવું કે ભારતનું ભવિષ્ય પણ અંધકારમય છે.

હે સમદર્શી, તારો ધર્મ તું જાણે છે. ગીતામાં મેં શ્રી કૃષ્ણના મોઢે કહેડાવ્યું જ છે, કે તારે તારું કર્મ કરવાનું જ છે. અકર્મણ્યતા તરફ જવાનું નથી. “ભારતદેશ” જેમને માટે પ્રથમ છે, તેઓ ફક્ત તારી ઉપર જ આશાભરી દૃષ્ટિથી જોઇ રહ્યા છે. તે તારે સતત યાદ રાખવાનું છે.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિધાતા, હું જાણું છું કે જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. મેં હજી ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાની આશા મુકી નથી અને મુકીશ પણ નહીં. પણ ભારતના મતિભ્રષ્ટ મૂર્ધન્યો લોકશાહીને નામે, પાકિસ્તાન અને બંગ્લાદેશથી આવેલા ઘુસણખોરોને નાગરિકતા આપવાની વાતો કરે છે. હું ભારતસ્થ પાકિસ્તાની-બંગ્લાદેશની લઘુમતિ એવા નિરાશ્રિતોને  નાગરિકતા આપવાની વાત કરું છું તો મારા વિરોધીઓ, મેં ધાર્મિક ભેદભાવ રાખ્યો એવું તારણ કાઢે છે, અને પાછા ગાંધીજીનું નામ લઈ મારો વિરોધ કરે છે. વળી તેઓ ગાંધીજીના ફોટાઓ સાથે દેશહિતમાં લેવાયેલા નિર્ણયો વિરુદ્ધ પ્રદર્શન કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રજ્ઞાવાન, તારાથી વિશેષ ગાંધીજીને કોઈ સમજ્યું નથી. કારણ કે તારા વિરોધીઓ ફક્ત ગાંધીનું નામ જ લે છે, પણ ગાંધીના તારણો ટાંકતા નથી. આ બાબત જ તેઓ કેટલા કપટી છે તે દર્શાવે છે.

પુનર્જન્મ

નરેન્દ્રઃ ઉવાચ ; હે આદિગુરુ, મારા પ્રચ્છન્ન અને અપ્રચ્છન્ન  વિરોધીઓને તો હું સારી રીતે ઓળખું છું. પણ જેઓ પોતે તટસ્થ છે એવું પ્રદર્શિત કરતા રહેવાની ઘેલછામાં તટસ્થતાની  ડબલ ઢોલકી વગાડે છે. તેથી હું ચિંતિત છું. હે ઈશ્વર, તમે તો જાણો જ છો કે હું જ નવ્યગાંધી (મહાત્મા ગાંધીનો પુનર્‌ જન્મ) છું. પણ મારાથી તો એવું ન જ કહેવાય ને. જો કહું તો મને વગોવવાનો એક નવો મુદ્દો તેઓને મળી જાય.

મહેશ્વરઃ ઉવાચ ; હે વિવેકશીલ, તારા વિરોધીઓ મુખ્યત્વે એરીસ્ટોક્રેટ અને પૈસા થકી વિદેશોમાં કે દેશની ખ્યાતનામ વિશ્વવિદ્યાલયોમાં ભણેલા છે. તું એક તો ગુજ્જુ છે અને વળી ગામડાની નિશાળ અને ગામડાની કોલેજમાં ભણેલ છે. તેઓ તને મગન-માધ્યમ (માતૃભાષા ગુજરાતી) માં ભણેલ, સાવ દેશી માને છે. તું ઇસ્ત્રીટાઈટ કપડાં પહેરે છે તેનો તેઓ અવળો અર્થ કરે છે. જો કે તું તે વસ્ત્રો હરાજી કરી વેચીને મહિલાઓના ઉત્થાન માટે ખર્ચે છે, તારા આ સત્કર્મની તેઓ નોંધ પણ લેતા નથી  અને ઉપરથી તારા ખર્ચાની વગોવણી કરે છે. હે નવ્ય ગાંધી, તું તો ગાંધીજીની જેમ સાદાઈથી રહેવા તૈયાર છે પણ ધારો કે તું તેમ કરે તો તારી પોતડીના હરાજીમાં કેટલા પૈસા આવે? તારા હાલના વસ્ત્રોના તો લાખો રુપીયા આવે છે. કદાચ તારી પોતડીના તો પાંચશો રુપીયા પણ ન આવે. તું વિદેશી સફર રાત્રે કરે છે અને સરકારના લાખ્ખો રુપીયા બચાવે છે, તે ઉપરાંત તારી બધી જ વિદેશ યાત્રાઓ સફળ અને અત્યંત લાભપ્રદ હોય છે, પણ તારા વિરોધીઓ તો તેમના કુસંસ્કાર પ્રમાણે તને વગોવ્યા જ કરશે તે તું જાણી લે. તટસ્થતાની ઘેલછાવાળા તથા કથિત મહાનુભાવો પણ, સામાન્ય જનતાને મુંઝવણમાં મુક્યા કરશે. હે અક્લાંત (જેને કદી થાક ન લાગે તેવો), અને ઉદ્યમી પુરુષ, તું કશી જ ચિંતા કર્યા વગર તારું નિર્ધારિત કર્મ કર્યે જા. શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આ જ રાજમાર્ગ છે.

નરેન્દ્રઃ ઉવાચ ; હે વિશ્વરહસ્યજ્ઞ, ભારતના પાડોશી દેશો જેઓ સ્વતંત્રતા પૂર્વે બ્રીટીશ હિંદનો ભાગ હતા, તે મુસ્લિમ દેશોમાં રહેતા હિન્દુઓની વસ્તી ૧૯૫૦ પછી પણ્ સતત ઘટતી રહી છે. આ કારણ થી નહેરુ અને લિયાકત અલી વચ્ચે ૧૯૫૪માં કરાર થયેલ. પણ પાકિસ્તાનના મુસ્લિમો અને પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે કશા જ પગલાં લેતી નથી, તે ઉપરાંત હિન્દુઓની સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરે છે અને હિન્દુઓની હત્યા પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; હે સમદૃષ્ટિ, તેં જે હિન્દુઓને નાગરિકત્ત્વ આપવાની જોગવાઈ કરી છે તે યોગ્ય જ છે. તેઓ પોતાનો જીવ બચાવવા અને અથવા ધર્મ બચાવવા ભારતમાં આશ્રય લેવા આવે છે. તેમને નાગરિકતાના હક્ક આપવા તે ભારત સરકારનું કર્તવ્ય છે. તારા વિરોધીઓ જે કામો ન કરી શક્યા, તે કામો તેં કર્યા, તારા વિરોધીઓ જે સમસ્યાઓ  ન ઉકેલી શક્યા, તે સમસ્યાઓ તેં ઉકેલી. આ વાત જ તારા વિરોધીઓને કઠે છે.

નરેન્દ્રઃ ઉવાચ ; પણ હે ભોલેનાથ, મારા વિરોધીઓ અનુચ્છેદ ૧૪નો આધાર આપી મને કહે છે કે મેં ભારતીય સંવિધાનનું અપમાન કર્યું છે. હવે એ પ્રભુ, હું પાકિસ્તાનની લઘુમતિઓને તો પીડિત હોવાને કારણે, અને પાકિસ્તાનની સરકારો દ્વારા, નહેરુ-લિયાકત અલી કરારની અવગણના કરી હોવાના કારણે, ભારતની નાગરિકતા આપું પણ મુસ્લિમ ઘુસણખોરોને કેવીરીતે સામૂહિક રીતે નાગરિકતા આપું? જો પાકિસ્તાનના મુસ્લિમો પણ પાકિસ્તાનની સરકાર સરકારથી પીડિત હોય તો તે ત્યાંનો કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. પાકિસ્તાનનો મુસ્લિમ નાગરિક કંઈ નહેરુ-લિયાકત અલી કરારનો હિસ્સો નથી. નહેરુએ આ કરારના પાલનનો આગ્રહ ન રાખ્યો એ કંઈ મારી સરકારનો અપરાધ નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે વિશ્વ માનવ, તારે તારા આવા વિરોધીઓને ઉત્તર આપવાની જરુર જ નથી, પાકિસ્તાન તેના બંધારણીય આધાર થકી એક મુસ્લિમ દેશ છે. તેના મુસ્લિમો ભારતમાં ઘુસણખોરી કરી અહીં આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે. આના અનેક ઉદાહરણો છે. આમ છતાં પણ જો કોઈ સજ્જન મુસ્લિમને, ભારતનું નાગરિકત્ત્વ જોઈતું હોય તો તેને માટે કંઈ ભારત સરકારે ભારતીય નાગરિકતા મેળવવા માટેના દ્વાર બંધ કર્યા નથી. ભારત સરકાર, ભારતની સુરક્ષા માટે વિદેશીઓનું અને ખાસ કરીને મુસ્લિમોનું વર્ગીકરણ કરી જ શકે. વર્ગીકરણ કરવું તે ભારતીય બંધારણની જોગવાઈઓને અનુરુપ છે. ભારત સરકારે દેશની સુરક્ષા માટે આવા વર્ગીકરણ કરવા જ જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; પણ દીનેશ્વર પ્રભુ, મારા વિરોધીઓ તો મુસ્લિમ મહિલાઓના પ્રદર્શન દ્વારા પાકિસ્તાનના મુસ્લિમોને, ભારતમાં તેમને નાગરિક હક્ક માટેની લડાઈ લડે છે. વળી મુસ્લિમ નેતાઓ જ નહીં પણ કોંગીઓની ટોળકીઓ પણ તેમનું સમર્થન કરી રહી છે. મુસ્લિમો તો ખુલ્લં ખુલ્લા એમ કહે છે કે અમે સૌ પ્રથમ મુસ્લિમ છીએ અને જો પાકિસ્તાન આક્રમણ કરશે તો અમે તેમની તાકત બનીશું. હે પંચાનન, તમે જાણો છો, કે મુસ્લિમોએ ભારતમાં જ જ્યારે હજારો હિન્દુઓની હત્યા કરી હોય, કેટલાય દશહાજારો હિન્દુ મહિલાઓ ઉપર બળાત્કાર કર્યા હોય, લાખો હિન્દુઓને ઘર વિહોણા કર્યા હોય અને કેટલાય દૂર સુદૂર સુધી હજારો બોમ્બ બ્લાસ્ટ કર્યા હોય, ત્યારે મારી સરકારે ચેતવું તો જોઇએ જ ને? હે ત્રિગુણેશ્વર, દેશને બેવફા નિવડનારાઓને માથે કંઈ શીંગડા નથી ઉગતા કે મારી સરકાર તેમને ઓળખી કાઢે.  

મહેશ્વરઃ ઉવાચ ; જો મુસલમાન ભારતને વફાદાર નહીં રહે તો ભારત સરકાર તેમને મોતને ઘાટ ઉતારશે (“દિલ્લીમાં ગાંધી”, પાના નંબર ૫૪).  આ વાત ભારતના મુસ્લિમોએ સમજવી   જોઈએ. ગાંધીજીએ આ વાત તા. ૨૫-૦૯-૧૯૪૭ના રોજ કહેલી જ છે. તે તું જાણે છે.

નરેન્દ્રઃ ઉવાચ ; “જી પ્રભુ, ગાંધીજીએ તો એમ પણ કહેલું કે જો મુસલમાન પાછળથી છૂપી રીતે છરો ભોંકતો રહેશે … પોતાનું જંગલીપણુ દાખવશે  … દગાબાજ રહેશે અને પવિત્ર નહીં રહે તો ઇસ્લામ પોતે જ દુનિયામાંથી ખતમ થઈ જશે. (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૫૩, તા. ૨૫-૦૯-૧૯૪૭).

મહેશ્વરઃ ઉવાચ ; “પ્રિય વત્સ નરેન્દ્ર, તારી વાત સાચી છે. શાણા મુસ્લિમોએ હવે સમજી જવું જોઇએ કે કરોડો મુસલમાન ભારતમાં છે.  તેઓ બધા કંઈ અરબસ્તાનથી નથી આવ્યા (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૬૫ તા. ૩૦-૦૯-૧૯૪૭).  જો તેઓ જો ચેતશે નહીં તો તેમનો સર્વનાશ નિશ્ચિત છે. હિન્દુઓએ સમજવું જોઇએ કે ન્યાય માટેની આ લડાઈમાં તેઓ નાસીપાસ ન થાય.

નરેન્દ્રઃ ઉવાચ ;  હે ઈશ્વર, ગાંધીબાપુએ એ તો ૭-૧૦-૧૯૪૭ની પ્રાર્થના સભામાં કહેલું જ કે પાકિસ્તાનમાં વસતા હિન્દુઓની સલામતી નથી તે વાતને હિન્દુસ્તાનમાં વસતા મુસલમાનોની સલામતી નથી તે વાત સાથે જોડીને બે ખોટી સરખામણી ન કરી શકાય. ગાંધીજીએ ૮-૧૦-૧૯૪૭ ના રોજ સુહરાવર્દી અને મુજીબુર રહેમાનને હિન્દુઓની અસલામતી અને અન્યાયની  બાબતમાં ટોક્યા હતા. અને વિનાશકાળે વિપરિત બુદ્ધિનો શબ્દ પ્રયોગ કર્યો હતો. સુહરાવર્દીને ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી પછીનો માર્ગ પતન છે. તમે કહો છો કે જીન્ના, નહેરુના વખાણ કરે છે. પણ તે દંભ છે. તે જાહેરમાં કેમ વખાણ કરતા નથી? તમે સિંધની હાલત જુઓ. અને પછી કહો કે જીન્ના જે એમ કહે છે કે સિંધમાંથી હિન્દુઓએ જવાની જરુર નથી. આ બાલીશ વાતો છે. ગુજરાન વાલામાં ૫૦૦૦ હિન્દુઓનો રક્તપાત થયો પણ લિયાકત આલી કે જીન્ના સહેબ કેમ કશું બોલતા નથી? આને શું તમારું પીસ મીશન કહેવાય? બંને સરકારોએ સહકારથી યોગ્ય કરારો કરી તેનો અમલ કરવો જોઈએ. જો આમ નહીં થાય તો યુદ્ધ સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. (હું ભલે યુદ્ધની વિરુદ્ધ હોઉં) પણ મીલીટરી અને હથીયારથી સજ્જ સૈન્ય રાખનારી સરકાર, બીજી કોઈ રીતે ચાલી શકે નહીં (“દિલ્લીમાં ગાંધી” તા. ૯-૧૦-૧૯૪૭). આવું આવું તો ઘણું જ ગાંધીજીએ તેમના છેલ્લા ત્રણ મહિનાની રોજનીશીમાં પથભ્રષ્ટ અને મતિભ્રષ્ટ મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ જનતા વિષે જણાવ્યુ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સુજ્ઞ ગાંધીપ્રેમી, તું જે કહે છે તે સત્ય છે અને તારા તારતમ્યો પણ યોગ્ય અને દેશના હિતમાં જ છે. પાકિસ્તાનના પ્રધાનો સુદ્ધાં ગાંધીજીને દગાબાજ કહેતા હતા. પણ ગાંધીજી ગુસ્સે થયા ન હતા. ગાંધીજીએ કબુલ કર્યું હતું કે કોંગ્રેસ નીચે ને નીચે ઊતરતી જાય છે. કોંગ્રેસ હક્કોની વાતો કરે છે. તે પોતાની ફરજ ભૂલી ગઈ છે. મેં મારો જન્મારો કોંગ્રેસને તેની ફરજ શિખવાડવામાં વિતાડ્યો. (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૧૦૬-૧૦૭ તા. ૧૪-૧૦-૧૯૪૭) તો હે ભારતીય સંસ્કૃતિ-પ્રેમી તું ગુસ્સો કર્યા વગર તારું સુનિશ્ચિત કર્મ કર્યા કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અવલોકિતેશ્વર, મેં  ગાધીજી અને ગાંધીજીના સિદ્ધાંતો વિષે ઘણું જ વાંચ્યુ છે. આ માટે મેં “વાંચે ગુજરાત” નામનું દર વર્ષે અભિયાન પણ ચલાવેલું. હું ગાંધીજીના માર્ગે ચાલવા પ્રયત્નો તો કરું જ છું. અને કોંગીના કરતાં તો મોટો  જ ગાંધીવાદી છું અને તેમના સિદ્ધાંતોનું પાલન કરું છું. આ બધાનું તો તમે અવલોકન કર્યું જ હશે. મારા પ્રયત્નો કેટલાકને અધુરા લાગતા હશે પણ હે કલ્યાણકારી, તે માટૅ જનમાનસ અને જન શક્તિ પણ તૈયાર હોવી જોઇએ. મારી પાસે સત્તા હોવાથી જો હું સંપૂર્ણ રીતે ગાંધીજીના બધા જ સિદ્ધાંતોનો અમલ કરું તો મારા વિરોધીઓ વિતંડાવાદ દ્વારા અરાજકતા ફેલાવી દે.

હે પ્રભુ, જ્યારે ન્યાયાલય પણ પોતાની પ્રાથમિકતા ન સમજી શકતું હોય, જ્યાં ન્યાયાલયે આદેશ આપવાનો હોય ત્યાં તે જાણે પોતે વિપક્ષી રાજકારણી હોય તેમ સુનવણી લંબાવવા દે, અને અથવા મુદતો પાડે છે, તેમજ મીથ્યા નિવેદનો કરે છે. હે પ્રભુ, જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે મારે ચારે બાજુનો વિચાર કરી કદમ ઉઠાવવા પડે. શાહીન બાગની ઘટના તો તમે જાણો જ છો.

પરમેશ્વરઃ ઉવાચ ; હે કૂટનીતિજ્ઞ, તું સમજદાર છે. હું જાણું છું કે જો તું ગાંધીજીના સિદ્ધાંતોને ખાતર બાંધછોડ કર્યા વગર જો શાસન કરે તો તારા વિરોધીઓ તને અને તારા પક્ષને ઘડીના છઠ્ઠા ભાગમાં સત્તાથી વિમુખ કરી નાખે. જનતાના મોટા ભાગને ગાંધીજીના સિદ્ધાંતોમાં ગતાગમ પડતી નથી અને તેમને એ વાતની ચિંતા પણ નથી. આવા સંજોગોમાં તારે બંધારણીય રીતે પણ ચાણક્ય નીતિ દ્વારા જ શાસન કરવું જોઇએ. જો તારી પાસે સત્તા હશે તો તું શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર કરી શકી. તારે તારી સત્તા, વિપક્ષ એવા “[વરુઓને હવાલે (ભેડીયોંકે હવાલે)]” ન કરવી જોઇએ.

ઇતિ શ્રી ત્રીનેત્રચર્ચાક્ષેત્રે શ્રી કળીયુગી શિવગીતાયાઃ તૃતીયોધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ કે સંપૂર્ણમ્‌ ખબર નથી. કદાચ મોદી સાહેબ ફરીથી કોઈવાર યોગ નિદ્રામાં બેસે પણ ખરા)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ વિષે કોંગી ગેંગ ની માગણી છેઃ

“નિમ્ન લિખિત સુવિધાઓ મફતમાં આપો. અહીંની દરેક મહિલા તથા શિશુને ;

એક ડઝન સેનીટરી પેડ, નાક લુછવા છ નેપકીન અથવા રોજના બે ટીસ્યુપેપર બોક્સ,   ત્રણ પડવાળા બે માસ્ક, બે સેનીટરી લીક્વીડની બોટલ, એક લીટરવાળી ૧૦ મીનરલ વોટરની બોટલો, બે એક્ટીવેટેડ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ આઈ.એસ.ડી. ફેસીલીટી સાથે

કોમન સગવડઃ

જમ્યા પછી હાથ ધોવાના એક ડઝન ટબ અને ૨૦૦૦૦ લીટરની પાણી ભરેલી બે ટાંકીઓ, એક ડઝન પાણીપુરીની લારીઓ, એક ડઝન રગડા પેટીસની લારીઓ, એક ડઝન ભેળપુરીની લારીઓ, એક ડઝન લીલી આમલીની લારીઓ, એક ડઝન ખમણ ઢોકળાંની લારીઓ

ચોવીસ કલાક ની સેવા માટે માટે દરેક સીફ્ટમાં, એક ડઝન પરિચારિકાઓ, અડધો ડઝન એમ.બી.બી.એસ. લેડી ડોક્ટરો, એક એમ.ડી. લેડી ડોક્ટર, બે ડઝન મે’તરાણીઓ અને બે અમ્બ્યુલન્સ. પ્રદર્શનકારીનું રોજ બે વાર મેડીકલ ચેક અપ અને મફત ચિકીત્સા.

પ્રદર્શનના અંત પછી બાળક સહિત દરેકને ₹ ૫૦૦૦૦/- નું બેઝીક પેન્શન વત્તા મોંઘવારી અને જીંદગી પર્યંત ફ્રી મેડીકલ ટ્રીટમેન્ટ.

કારણ કે પ્રદર્શનકારી બાલ-મહિલાઓને પણ માનવીય અને બંધારણીય અધિકારો હોય છે.

Read Full Post »

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ …. (૨)

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ ….  ()

આપણે આગળ જોયું કે બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને, સતત શિષ્યોની ભરતી માટે પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

વાખ્યા બરાબર છે અને આપણે માન્ય રાખીએ છીએ.

એટલે આમ તો આદિ બાવાજી પ્રોટોટાઈપ શિવજી એટલે કે રુદ્ર, અગ્નિ એટલે કે વિશ્વદેવ પોતે છે. પણ એમની મશ્કરી થાય. એટલે મધુચ્છંદા ઋષિ કે ભૃગુ ઋષિ કહીએ કે સપ્તર્ષિઓને બાવાજી કહીએ તો ચાલે. તે પછી દત્તાત્રેય થયા. બધાની પણ મશ્કરી થાય.

તો પછી શરુઆત ક્યાંથી કરીશું?

જે કાળને પાશ્ચાત્ય લોકો ભારતમાં ઐતિહાસિક કાળની શરુઆત માને છે તે મહાવીર સ્વામીથી શરુઆત થઈ શકે.

મહાવીર સ્વામી પહેલા ગુરુ થયા. પછી બુદ્ધ ગુરુ થયા. શંકરાચાર્ય થયા. મધ્ય યુગમાં માધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, જ્ઞાનેશ્વર જેવા વૈષ્ણવાચાર્ય અને સાયણાચાર્ય શૈવાચાર્ય ઉત્તરના અને દક્ષિણના અનુક્રમે વેદજ્ઞાતાઓ થયા.

આપણે અર્વાચીન યુગથી શરુઆત કરીએ. તો બાવાજીઓમાં, સહ્જાનંદ સ્વામી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, વિવેકાનંદ, શ્રી મોટા, સાંઈબાબા થયા જેઓ ઓગણીશમી સદીના પૂર્વાર્ધથી શરુ કરી વીસમી સદીના પૂર્વાર્ધ સુધીમાં થયા. બધા બાવાજીઓ આમ તો નિરુપદ્રવી હતા. બીજા બાવાઓ ઉપદ્રવ કરતા પણ બાવાજીઓ ઉપદ્રવ કરતા હતા. કેટલાક બાવાઓ અભણ હતા તો કેટલાક વેદોમાં પારંગત હતા.

પણ ખરા બાવાઓ તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયા એટલે કે ૧૯૫૧થી થયા અને ખાસ કરીને ઈન્દીરા યુગથી તો બાવાજીઓના દબદબાના યુગનો સુવર્ણકાળ શરુ થયો.

તમે કહેશો કે, શું પ્રાચીન ભારતમાં જે સતયુગ કે જે ઋષિયુગ કહેવાતો હતો તેમાં બાવાઓનો દબદબો હતો? અરે ભાઈ યુગને પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરી મળી નથી. એટલે તેને તો દંતકથા યુગ માની લેવાનો. સ્વતંત્રતા મળ્યા પછી જે બાવાઓ ઉદ્ભવ્યા તેમને વિષે આપણે કાયદેસર રીતે પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરીની જરુર રહી નથી.

ધીરેન્દ્ર બ્રહ્મચારી, મહેશ યોગી, દાદા લેખરાજ કૃપલાની (પ્રજા પિતા બ્રહ્માકુમારીઝ), આનંદમયી મા, આચાર્યભગવાનઓશોસંતરજનીશમલ, સત્ય સાઈબાબા, ઓશો આસારામ, આઠવલેજીનિર્મલબાબા, રાધેમા, શ્રી શ્રી શ્રી રવિશંકર, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, રામરહિમ અને બીજા અગણિતબાવાઓવિચરી રહ્યા હતા/છે. બધા બાવાઓમાં કેટલાક પાસે શિષ્યધન (શિષ્યોરુપી ધન અને શિષ્યો થકી ધન) ફાટ ફાટ થતું હતું અથવા અને ફાટ ફાટ  થાય છે.

બધા મોડર્ન બાવાઓ છે. તેમની પૂર્વેના બાવાઓને કદાચ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય કે પણ થયો હોય. પણ સહુ મોડર્ન બાવાઓને તો થયો છે. જો કે આમાંના કેટલાક બાવાઓ જેલના સળીયા ગણી રહ્યા છે કે જેલના સળીયા ગણવાની તૈયારીમાં છે કે ઈશ્વરે/કે સેતાને  તેમને વહેલા પોતાની પાસે બોલાવી લીધા એટલે જેલના સળીયા ગણવામાંથી બચી ગયા છે.

પણ તેથી શું?

શ્રી કૃષ્ણ જેવા યોગેશ્વરે પણ જન્મતાંની સાથે જેલના સળીયા ગણવા માંડેલા. તેમના પિતાશ્રી તેમને પોતાના મિત્ર નંદ પાસે મૂકી આવ્યા એટલે બાકીના સળીયા ગણવાનું બાકી રહી ગયેલ.

મોડર્ન બાવા એટલે શું?

મોડર્ન બાવાજી એટલે કે, એવા બાવાજી કે જેમને અંગ્રેજી પણ આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેમને અંગ્રેજી આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેઓ સરકારી અમલદારો (કારણ કોઈ પણ હોઈ શકે છે) હોય અથવા અને, ડૉક્ટરો વકીલો, રાજકારણીઓ હોય. હાજી આવી પરંપરા નહેરુવીયન ફરજંદ ઈન્દિરા ગાંધીએ ચાલુ કરેલી જેમના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારીજી હતા.

આ બધા બાવાજીઓ, યોગ, ધ્યાન કે સમાધી કે બ્રહ્મ સાધનામાં કાં તો સિદ્ધ છે કે પ્રયત્નશીલ છે. જીવનના રહસ્યોના જાણકાર છે. તેઓ સૌ તેમના શિષ્યોને કોઈપણ જાતની મદદ કરવા સક્ષમ છે.

બાવાજીઓએ શું શું ધ્યાનમાં રાખવાનું હોય છે? અહીં ધ્યાનનો અર્થ છે લક્ષ. એટલે કે ખ્યાલ રાખવાનો હોય છે કે “આપણું લક્ષ્ય જનતાને (ખાસ કરીને પૈસાપાત્ર જનતાને)  લક્ષ્યવેધ બનાવવાનું છે.

Untitled

તો આ માટે શું અનિવાર્ય છે.

એક તો કૃષ્ણ ભગવાન છે. આ ભગવાન ઑલ ઈન વન છે. બાલકૃષ્ણથી શરુ કરી, રોમેંટીક રાધારમણ થઈ, ઈવટીઝર થઈ, કંસને મારનાર યોદ્ધા થઈ, દ્વારિકેશ થઈ, ગીતાના યોગેશ્વર અને વિશ્વરુપ પરમ પરમેશ્વર છે. તમને જે પસંદ પડે તે રુપને તમે અપનાવી લો. અને પછી તમારા રુપમાં એવી ભેળસેળ કરી દો કે જેથી તમારું શિષ્યગણ (શિષ્યાઓ સહિત) તમારામાં ખોવાઈ જાય.

તમે સમજી લો કે આવું કરનારા તમે પહેલા નથી. પુરાણકાળથી ચાલી આવતી પરંપરા છે. કમસે કમ ઇશ્વીસન પૂર્વે ૮૦૦ થી  શરુ કરી ઇશુની પંદરમી/સોળમી સદીથી વત્તે ઓછે અંશે ચાલી આવતી પરંપરા છે. કૃષ્ણ ભગવાન એક આમ આદમી થી શરુ કરી પરમેશ્વર સુધીના સૌને પોતાનામાં આત્મસાત્‌ કરે છે. જ્ઞાનની વાત કરવી હોય તો તેમના ગીતાબેનની વાતો કરો, અને પ્રેમની વાત કરવી હોય તો રાધાબેનની વાતો કરો. તમારામાં વાકચાતુર્ય હોવું જોઇએ એટલે કે તમારા શ્રોતાઓને તમે હતઃપ્રભ કરી શકો.

બીજું કંઈ?

કૃષ્ણભગવાન પૂરતા નથી. વાણીયાઓમાં જૈન પણ હોય છે. એટલે ત્યાગ, કષ્ટ, સહિષ્ણુતા, પ્રેમ, અહિંસાની જ્યારે જ્યારે વાતો કરો ત્યારે અચૂક મહાવીર સ્વામીને યાદ કરો અને શ્રોતાગણને તેમની યાદ દેવડાવો. તેમની માતા              ને આવેલા         સ્વપ્નોના ગુઢાર્થોનું તમારી વાક્‌શક્તિ અનુસાર અર્થઘટન કરો અને તારતમ્યો કાઢો.

બીજું કંઈ?

જો તમારે આંતર્‌રાષ્ટ્રીય બાવા બનવું હોય તો બુદ્ધ ભગવાનને પણ ઉદ્‌ધૃત કરતા રહેવું જોઇએ.

કામભોગમાં રાચવું એ એક છેડો છે. દેહદમન કરવું તે બીજો છેડો છે. મધ્ય-માર્ગ યોગ્ય માર્ગ છે.

થોડા ઝેનના ચમત્કૃત વાક્યો બોલો.

વૃત્તિઓનું વિશ્લેષણ કરો, તેનું વિભાગીકરણ કરો.

વચ્ચે વચ્ચે ટૂચકાઓ મૂકો.

“ગુરુજી, આ વર્ષે મેં જીવનનો ભરપૂર આનંદ ઉઠાવ્યો

 “ભો … શિષ્ય તેં શું  શું કર્યું ?

“ગુરુજી મેં સમૂદ્રમાં ડૂબકીઓ મારી, જંગલમાં ફર્યો, રણમાં ફર્યો, પર્વત ઉપર કૂદકા માર્યા …,

“ભો ભો શિષ્ય … એ બધું ખરું પણ આ બધું કરતાં તે જીવનનો આનંદ ક્યારે ઉઠાવ્યો .. ?

   ————————————- શિષ્યભાઈ મૌન ———————————

એક સાધુની ઝૂંપડીમાં ચોર ઘુસ્યો. કશું મળ્યું નહીં. સાધુને થયું … આ તો ઠીક નહીં …. સાધુએ પોતાના કપડા ઉતારી ચોરને આપી દીધા. સાધુ નગ્ન થઈને બેઠા. રાત હતી. નગ્ન સાધુએ આકાશમાં જોયું. ચંદ્ર દેખાયો. સાધુને થયું કે “ … કાશ … હું તેને ચંદ્ર આપી શક્યો હોત!”

 ——————-(શ્રોતાઓ મૌન, ચંદ્ર મૌન, કથાકાર બાવાજી મલક્યા) ——————————–

  એક વ્યક્તિ સામાન્ય હતી. તે સામાન્ય વ્યક્તિ પ્રયત્ન પૂર્વક મહાનુભાવ થઈ ગઈ. તે ગુરુ પાસે ગઈ. ગુરુએ પૂછ્યું …. “તું શું કામ મારી પાસે આવી છે?” વ્યક્તિએ કહ્યું કે “ મારે હવે સામાન્ય વ્યક્તિ થઈ જવું છે …”

  —————————- (આપણે કહીશું … “ગુરુજી મૌન” ?) ——————————–

ગાંધીજી પાસે એક વ્યક્તિ ગઈ …. તેણે કહ્યું “હું આટલું આટલું ભણેલો છું …. મારે આશ્રમમાં રહેવું છે. … મને કંઈક કામ આપો…”

ગાંધીજી એ કહ્યું … “ પેલું ઝાડું લઈ લો અને પાછળના વાડાની સફાઈ કરી નાખો… “

   ————————————— (કોણ મૌન ?) ———————————————-

“ગુરુજી કંઈક શિખામણ આપો …”

“હે જીજ્ઞાસુ !! તેં ખીચડી ખાધી ?

“જી, ગુરુજી … મેં ખીચડી ખાધી …!!!”

“તો હે જાતક , તું તે પ્લેટને ધોઈ નાખ …”

  ——————————— (સાધક જાતકને બોધ પ્રાપ્તિ થઈ ગઈ) ——————–

બેકાબુ બનેલા ઘોડા ઉપર બેઠેલા અસવારને કોઈએ પૂછ્યું … “ભાઈ …. ક્યાં જાઓ છે …?”

ઘોડેસવારે કહ્યું “ …. મને નહીં … ઘોડાને પૂછો” ….

ટ્રેનમાં સંતા સરદારજી ને ટ્રેનમાં ઉપલી બર્થ મળી …  બંતા સરદારજીને નીચેની બર્થ મળી. સંતાજીએ બંતાજીને પૂછ્યું … “કહાં જા રહે હો સરદારજી …?”

સંતાજીએ કહ્યું … “મૈં તો અમૃતસર જા રહા હું… આપ … !”

બંતાજી એ કહ્યું …”મૈં તો દિલ્લી જા રહા હું … “

સંતાજી બોલ્યા .. “સાયન્સકી ક્યા કમાલ હૈ !!! ઉપરકી બર્થ અમૃતસર જા રહી હૈ … ઔર નીચેકી બર્થ દિલ્લી જા રહી હૈ …”

 ————— (ખીડકીકે પાસ બૈઠે મોનાજી બોલે … “એન્જીનકો પૂછના પડેગા”) ———

શિષ્ય ગુરુપાસે ગયો. કહ્યું … “ગુરુજી …, મારી બાર વર્ષની અથાક મહેનત પછી મને યોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે હવે હું પાણી પર ચાલી શકું છું … હવે હું પેલી નદીના પાણી ઉપર ચાલીને સામે પાર જઈ શકું છું. … મારી આ યોગસિદ્ધિનું મૂલ્ય શું? ”

ગુરુએ કહ્યું “ તારી યોગસિદ્ધિનું મૂલ્ય “બે આના”…. પેલા હોડીવાળાને બે આના આપીને નદી પાર કરી શકાય છે. …” 

  ————————————– (પ્રશ્નકર્તા મૌન) ————————————

 ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી.  એક વેશ્યા એક યુવકના ઘરસામે ઉપવાસ કરવા બેઠી. મને પરણ ને પરણ જ. નહીં તો હું અહીં ઉપવાસ કરીને પ્રાણ ત્યાગીશ.

સાચી અહિંસા તો પેલા પાદરીની હતી કે જેણે દૂર રહ્યે રહ્યે પોતાની સાધનાથી એક માણસનું હૃદય પરિવર્તન કર્યું ….

  ————————— (જંગલમેં મોર નાચા કિસીને ના દેખા) ————————-

પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ આસન કયું?

દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે. કારણ કે તેમાં ગાયને દોહતી વખતે આંચળ ઉપર હાથ હોય છે. પગના બે સાથળ વચ્ચે બોઘરણું હોય છે. અને બધો ભાર બે પગના બે અંગુઠા ઉપર હોય છે. ધરતીમાતા ઉપર બે અંગુઠા જ હોય છે. એટલે ધરતીમાતા ઉપર ઓછામાં ઓછો ભાર હોય છે. તેથી આ દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે.

 ———– (એક દયાળુ કઠિયારાએ લાકડાની ભારી પોતાના માથે રાખી અને પછી ગધેડા ઉપર બેઠો જેથી લાકડાની ભારીનું વજન ગધુભાઈને ન લાગે) ———————————————–

“ અરે વાહ શું સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ હતા …

“પણ તેં શું ચાર દિવસના ઉપવાસ કરીને રોટલો અને મરચાના સ્વાદને માણ્યો છે?

   ——————————————————————————————–

“ બૂલેટ ટ્રેનમાં શું મજા આવી … શું મજા આવી …

“પણ તેં શું ગોધરાથી લુણાવાડાની નેરોગેજ ટ્રેનમાં ચાલતી ગાડીએ ઉતરી જંગલમાં પડતા પહેલા વરસાદની સુગંધ માણી છે?

    —————————————————————————————— 

“એ.સી. ફર્સ્ટ ક્લાસમાં જે મુસાફરીની મજા છે તે ક્યાંય નથી … 

“શું તેં ભાવનગર મહુવાની નેરોગેજ ટ્રેનમાં એંજીનમાં ઉભા રહી મુસાફરીની મજા માણી છે?

    ——————————————————————————————–

ઉપરોક્ત ચૂટકલાઓમાં સોડા, રાસ્પબરી અને લેમન મિક્સ છે. જેને જે અર્થ ઘટન કરવું હોય તે કરે અને જે બોધ લેવો હોય તે લે.

જો તમારે બાવા થવું હોય તો આવું આવું બોલ્યા કરવું.

દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવો ભાસ થાય છે કે તેને હવે બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે. બુદ્ધ ભગવાનને પણ આવું જ થયું હતું. હવે શિષ્યોની જરુર છે. કે જેથી તે પોતાનું જ્ઞાન તેમની સાથે શેર કરી શકે. પણ કેટલીક વ્યક્તિઓમાં બ્રહ્મજ્ઞાન ફાટફાટ થતું હોય છે. વળી કેટલાકને “પીણા”ની ટેવ પડી ગઈ હોય છે. તેથી ગુરુપદ માટેની તીવ્ર-વૃત્તિ હોય છે. અમુક પીણા એવા હોય છે કે જે પીધા પછી અને પીવડાવ્યા પછી બંને ક્રીડાકર્તાઓને સંત-રજનીશમલના આસનમાં ( ‘ભોગાસન)માં બ્રહ્મનો સાક્ષાત્કાર થતો હોય તેવું લાગે છે. અમુક રાધાઓ સંત રજનીશમલ કે ઓશો-આસારામ પાછળ શું કામ ઘેલી થતી હતી તે ઉપર સંશોધન થવું જોઇએ તો ડ્રગ્ઝના ક્ષેત્રમાં બાવાઓના સંશોધન અને પ્રયોગો વિષે વધુ માહિતિ મળી શકે.

જો કે એક વાત સાચી છે કે જ્યારે મગજમાં લોહી અને ઓક્સીજનનું પ્રમાણ ઘટે ત્યારે “શૂન્યમનસ્કતા”નો ભાસ થાય છે. હિમાલયમાં ઉંચાઈ ઉપર આવો અનુભવ થતો હોય છે.

સંત રજનીશમલ કહે છે કે “વિવેકાનંદ મહાન હતા, … જ્ઞાની હતા … વિચારક હતા, …. ચિંતક હતા, … અભ્યાસી હતા, … મહેનતુ હતા, …. આકર્ષક હતા, ….  ઘણુ બધું હતા, … પણ … પણ … તેઓ સમાધિ અવસ્થામાં પહોંચી શક્યા ન હતા …  તેમણે પોતે જ આ વાત કબુલ કરી છે …. “

સંત રજનીશમલને પૂછવું પડશે … “બાવાજી તમે ‘યોયો’થી રમવાનો આનંદ લીધો છે? ગરીયો (ભમરડો) ફેરવવા કરતાં તે સહેલો છે”

   ——————————————————————-

 “અરે તમે રજનીશને છોડીને “ એક્સ એક્સ એક્સ”માં ક્યાં ગયા.

“મહાનુભાવ, તમે તો ભૂતમાં માનતા ન હતા અને પલિતમાં કેવીરીતે માનવા લાગ્ય?

   ———————————————————————–

“અરે ભાઈ, (અર્વાચીન) રામ રહીમ  કહો કે સંત કહો બધા  એક જ વહાણના મુસાફર છે.

મોરારજી દેસાઈએ કહેલ કે પોંડીચેરીના આશ્રમમાં પણ વ્યક્તિની પાત્રતા પ્રમાણે (આર્થિક દાન આપવાની ક્ષમતા પ્રમાણે) સુવિધા અને વ્યવહાર થાય છે.

રુપીયા તો રુપીયા છે. તે લાલ, કાળા કે શ્વેત હોતા નથી. ફક્ત તે પ્રાપ્ત કરવાના રસ્તા જ લાલ, કાળા અથવા શ્વેત હોય છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઓગણવીસ સ્ત્રીઓ સ્નાનાર્થે સરયુ નદીએ ગઈ, વીસ પાછી આવી અને ઓગણને વાઘ ખાઈ ગયો.

Read Full Post »

%d bloggers like this: