સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – 3. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?
જમીન વિષેની માનસિકતા બદલો.
ગોચરની જમીનની વાત ભૂલી જાઓ. ગોચરમાટે જમીન આરક્ષિત રાખવાના જમાના ગયા. ગોચરમાં ગાય ભેંસ બકરાં ઘેટાં ચરાવી, દૂધ મફત કોણ આપે છે?
પહેલાં એક વાત સમજી લો કે જમીનનું કોઈ મુલ્ય નથી. જમીન અમૂલ્ય છે.
જમીનને બચાવવા પાછળ થતા ખર્ચા અને જમીનને નવસાધ્ય કરવા પાછળ થતા ખર્ચને નફાતોટાના માપદંડથી માપી ન શકાય.
જમીન એટલે શું?
જમીન એટલે ધરતી. તે ફળદ્રુપ જમીન હોઈ શકે, તે ખરાબાની હોઈ શકે. તે પડતર જમીન હોઈ શકે, તે પહાડી જમીન હોઈ શકે. તે કોતરોની જમીન હોઈ શકે, તે રણની જમીન હોઈ શકે, તે ટાપુની જમીન હોઈ શકે, તે ખારાપાટની જમીન હોઈ શકે, તે ડૂબની જમીન હોઈ શકે,
જમીન એ ધરતી છે અને તે આપણી માતા છે અને તેથી તે સૌની છે તેથી તે દેશની છે. તેનો વહીવટ સરકાર કરશે.
જમીન એ ધરતી છે. તેથી તેનો ઉપયોગ અને ઉપયોગની ફેરબદલી કે ઉપયોગકર્તાની ફેરબદલી સરકાર નક્કી કરશે.
જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો ઉગાડવા માટે થઈ શકશે.
જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો વાવવા માટે છે તેમાં કેટલી છૂટ આપવામાં આવશે?
જમીનના કોઈ એક નાના (૧૦ ટકા) હિસ્સાનો ઉપયોગ કુવા માટે, બોર માટે, તલાવડી માટે, પવન ચાક્કી માટે, સોલર પેનલ અને ફાર્મ હાઉસ, ગોડાઉન, ગમાણ અને કે મશીનરી માટે સરકારની મંજુરી થી થઈ શકશે.
આ પ્રમાણે ૯૦ ટકા જમીનનો ઉપયોગ વૃક્ષો માટે જ કરવો પડશે.
બે વૃક્ષો વચ્ચેનું અંતર વૃક્ષના પ્રકારને આધારે સરકાર દ્વારા જે તે સ્થળને અનુરુપ નક્કી કરવામાં આવશે. તેની સ્થાનિક માર્ગદર્શિકા સરકાર બનાવશે.
કોઈ કુટુંબને એક હેક્ટરથી ૧૦૦૦૦ ચોરસ મીટરથી વધુ ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરવાનો હક્ક મળશે નહીં. અન્ય પ્રકારની જમીન માટેનો વિસ્તાર સરકાર નક્કી કરશે.
જમીન નવસાધ્ય કરવી
જે જમીન ફળદ્રુપ નથી તેને નવસાધ્ય કરવા માટે સરાકાર છૂટછાટ આપશે. અને તે જમીન ૫ વર્ષમાં નવસાધ્ય કરવી પડશે. ૫ વર્ષ પછી સરકાર તે વપરાશકારને ૨૦ વર્ષ સુધી તે જમીનને વપરાશનો હક્ક આપશે. જો વપરાશકારને એક હેક્ટર થી વધુ જમીન ન જોઇતી હોય તો વધારાની તે જમીન સરકારને પરત કરશે. સરકાર તે જમીનનો ઉપયોગનો હક્ક બીજાને આપશે અને સરકાર જે ભાવે તે જમીનના ઉપયોગનો હક્ક બીજાને આપશે તેની કિમતના ૮૦ ટકા મૂળ વપરાશકારને ચૂકવામાં આવશે. ૨૦ટકા સરકાર પોતાની પાસે રાખશે.
પાણી સરકારે મફત આપવું પડશે.
જમીનનો ઉપયોગનો હક્ક સરકાર આપશે. અને તેના ઉપયોગનું હસ્તાંતરણ ઉપયોગ કરનાર દ્વારા થઈ શકશે નહીં.
જે કૂટુંબને ઉપયોગનો હક્ક મળશે, તે કુટુંબના કર્તાને, જો તે જમીનના ઉપયોગનો હક્ક વારસામાં પોતાના નજીકના સગા એવા વારસદારને આપવો હોય તો તે આપી શકશે.
જો આ વારસદાર સગીર હશે તો તે વહીવટ કર્તા તે રાખી શકશે. પણ આ વારસદાર પુખ્ત થતાં તે જ તેનો વહીવટ કરશે.
જમીનનો ઉપયોગ કર્તા, મજુરનો ઉપયોગ કરી શકશે પણ તેને લઘુતમ પગાર ધોરણ એટલે કે આજની પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે એક કલાકના ૬૦ રુપીયા લેખે આપવા પડશે.
ખેતી ક્યાં થશે? શાક ભાજી ક્યાં વવાશે? ઘાસચારો ક્યાં ઉગાડાશે?
ખાસ પ્રકારના મકાનો બનાવવામાં આવશે જેમાં બહુમાળી ધાબાઓ હશે.
આવા ધાબાઓ ઉપર માટી પાથરીને ખેતી માટે જમીન બનાવવી પડશે.
આ જમીન શાકભાજી, અન્ન અને ઘાસ માટે તૈયાર કરવામાં આવશે. આવી જમીનના ટૂકડાઓના ઉપયોગના હક્કો સરકાર સામાન્ય જનતાને આપશે.
રેલ્વે અને રસ્તાઓની બંને બાજુએ નિયમ અનુસાર ખુલ્લી જગ્યા છોડી દેવામાં આવે છે, તે જમીનમાં પણ ઘાસ ચારો, શાકભાજી અને અનાજ ઉગાડવામાં આવશે.
આવી જમીનના ટૂકડાઓના ઉપયોગના હક્કો સરકાર નિવૃત્ત સુરક્ષાકર્મીઓ જેવા કે પોલીસ, સૈન્યના જવાનોને આપશે. આ જમીન વ્યંઢળોને પણ આપવામાં આવશે.
આ હક્કોનું હસ્તાંતરણ થઈ શકશે નહીં.આ જમીનને પણ વૃક્ષોવાળી જમીનના નિયમો લાગુ પડશે.
ઈંટ સીમેન્ટ ચૂનાના કાયમી મકાનના બાંધકામ થઈ શકશે નહીં.
રસ્તાના કિનારાઓ ઉપર નાના કદના ફળાઉ વૃક્ષો વાવી શકાશે.
રહેવા માટેનું મકાન સંપૂર્ણ રીતે (ફેબ્રીકેટેડ અને તેના ભાગો છૂટા પાડી સ્થળાંતર કરી ફરીથી જોડી શકાય તેવું હશે.

ગૌશાળા
ગૌ એટલે ઘાસચારા ઉપર નભતી અને મનુષ્ય પાસે સુરક્ષા પામતી સંપૂર્ણ પશુ સૃષ્ટિ સમજવી. આ પશુસૃષ્ટિમાં, ગાય, ભેંસ, સાંઢ, પાડા, ઘોડા, ઘેટાં, બકરાં, ગધેડા વિગેરે પશુઓનો સમાવેશ થાય છે. આ સૌ પશુઓના સામૂહિક નિવાસ સ્થાનને ગૌશાળા કહેવામાં આવશે.
ગૌશાળા વિનામૂલ્યે ખાતર આપશે.
ગૌશાળા ગોબરગેસના પૈસા લેશે.
પુંગવોનો ઉપયોગ તેલ ઘાણી, સાદા મશીનો, પંપો, અને ઉર્જા માટે થશે. ટૂંકા અંતરના વાહન વ્યવહાર માટે પણ થશે.
અનાજની તંગી પડશે તેનો ઉકેલ શો?
જમવાની આદતો કાળક્રમે બદલવી પડશે. શાકભાજી, ફળો ને દૂધની વાનગીઓ વધુ ખાવી પડશે.
વૃક્ષોના ઝુંડમાં વચ્ચેની જગ્યાઓમાં ઘાસ વાવી શકાય છે. ઘાસના વાવેતરમાં તકનિકી ક્રાંતિ લાવવી પડશે.
દૂધનું ઉત્પાદન વધારવું પડશે.
પશુઓની હત્યા ઉપર સંપૂર્ણ બંધી લાવવાથી દેશી ખાતરનું ઉત્પાદન વધશે.
રસાયણિક ખાતર બનાવવા માટે જે કારખાનાઓ બંધાય છે, આ કારખાનાઓ જે પ્રદૂષણ હવામાં અને જમીન ઉપર ફેલાવે છે, અને તેના ઉપર જે વહીવટી અને વાહન વ્યવહારનો ખર્ચ થાય છે તેનો નફાનુકશાનનો હિસાબ કરવામાં આવે તો દેશી ખાતર જ ફાયદાકારક છે.
મનુષ્યનું ધ્યેય ટૂંકા સમયમાં ઉત્પાદનના વિક્રમો સર્જવા માટે નથી. પણ સુયોગ્ય અને બંધબેસતી તકનિકી (ટેક્નોલોજી) વાપરવી તે છે.
આની અસર શું પડશે?
જ્યાં મકાનો અને રસ્તાઓ નહીં હોય ત્યાં વૃક્ષો જ હશે. તેથી ધરતી સજીવ બનશે.
પર્યાવરણમાં અભૂત પૂર્વ સુધારો થશે.
હવા નિરોગી બનશે.
રોગચાળો ઘટશે,
જમીનની જળસંચયની શક્તિ વધશે.
પૂરની શક્યતાઓ ઘટશે.
જળસ્તર ઉંચું આવશે,
વરસાદ વધશે અને નિયમિત થશે.
અનાવૃષ્ટિ ની શક્યતા નહીંવત રહેશે અથવા નાબુદ થશે.
નવા બંધો બાંધવા નહીં પડે. તેથી નહેરોના ખર્ચમાં ઘટાડો થશે.
નદીઓમાં બારેમાસ પાણી રહેશે.
દરેક નદીના કિનારાનો વિકાસ કરવાથી અને તેના કિનારાઓની સમાંતર માર્ગ બનાવવાથી અને શક્ય હોય ત્યાં જળમાર્ગ બનાવવાથી માળખાકીય સગવડો વધશે.
કુદરતી આફતોની સામેની સુરક્ષા વધુ સરળ બનશે.
વૃક્ષો નાના બંધ, ઠંડક આપનારા અને હવા હુદ્ધ કરનારા યંત્રો છે.
એક વૃક્ષ જે ઉષ્ણતામાનમાં ઘટાડો કરે છે,
હવામાં ભેજ આપે છે,
ભૂગર્ભમાં જળ સંચય કરે છે,
લાકડું આપે છે,
બહુમાળી ઉત્પાદન (ફળોનું આરોગ્યપ્રદ ઉત્પાદન) આપે છે,
એક વૃક્ષ તેની ૧૫ વર્ષની કિમત ગણો તો તે ૧૯૮૦ની પ્રાઈસ ઈન્ડેક્ષ પ્રમાણે ૪૦ લાખ રુપીયાનું કામ કરે છે.
જો માનવવસ્તિના એકમોને સ્વાવલંબી બને તે રીતે આયોજન કરવામાં આવે તો ખાદ્યપદાર્થો અને તેને સંલગ્ન વસ્તુઓની હેરફેર માટે થતા વાહનવ્યવહારના ખર્ચની જે બચત થાય છે તે તો જુદી જ છે અને વધારાનો લાભ છે.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વૃક્ષ, જમીન, ધરતી, ફળ, શાકભાજી, જંગલ, ઉપયોગ, હક્ક, આયોજન, ખેતી, પર્યાવરણ, હવા, ભૂગર્ભ, જળસંચય, સુયોગ્ય, તકનિકી