Feeds:
Posts
Comments

Posts Tagged ‘તળાવ’

પપ્પુભાઈની રામાયણ

 વિકાસ ગાંડો થયો છે. એ પતંગીયું કેવું ઉડ્યું તે આપણે જાણીએ છીએ. બીજેપી વિરોધીઓ અને તેથી કરીને સાથે સાથે આવા લોકો મોદી વિરોધી પણ હોય છે. જ્યારે તેમનો ટકલો કામ ન કરે ત્યારે પતંગીયા ઉડાડે અને બીજું કંઈક લખતા હોય તો પણ વચ્ચે વચ્ચે મોદી-બીજેપીને ગોદા પણ મારી લે.

મૂર્ખ અને ડાહ્યો

“ફેંકુ” પતંગીયુ બહુ જીવી શક્યું નહીં. પણ બીજેપી સમર્થકોએ ઉડાડેલું “પપ્પુ” હજી ઉડે છે. તે એટલી હદ સુધી કે ચૂંટણી આયુક્તે તેને બાન કરવું પડ્યું. આમ તો પપ્પુ એ કંઈ ખરાબ શબ્દ નથી. સિંધી મારવાડીઓમાં “પપન”, પરમાનન્દ, પુરુષોત્તમ વિગેરે નામ વાળાને “પપ્પુ” એવા ટૂંકા નામથી બોલાવે છે, જેમ સરોજ, સરયુ, સરસ્વતીને “સરુ” એવા ટૂંકા નામથી બોલાવવામાં આવે છે. પણ જેનું નામ પપન, પુરુષોત્તમ, પરમાનન્દ ન હોય ત્યારે અને તે પણ ગુજરાતમાં પપ્પુ શબ્દ રાહુલ ગાંધી માટે પ્રયોજાયા પછી તે શબ્દનો  અર્થ બદલાઈ ગયો છે. પપ્પુ શબ્દને ઢબ્બુનો અને બુદ્ધુનો સમાનાર્થી શબ્દ ગણવાનું ચાલુ થયું. કદાચ સુબ્રહ્મનીયમ સ્વામીએ બુદ્ધુ શબ્દને રાહુલ ગાંધી માટે પ્રયોજેલો તે પછી આવું થયું છે. પણ બુદ્ધુ શબ્દ સુચારુતા અન્વયે અપ્રમાણિત હોવાથી, રાહુલ ગાંધી માટે કદાચ પપ્પુ શબ્દ વપરાશમાં આવ્યો હોય. પપ્પુ, ઢબ્બુ અને બુદ્ધુ આમ તો ગુજરાતમાં સમાનાર્થી ગણવામાં આવે છે. આ “પપ્પુ” શબ્દને જ્યા સુધી સુચારુતા માટે અપ્રમાણિત ઘોષિત કરવામાં ન આવે ત્યાં સુધી આ પપ્પુ શબ્દ ગુજરાતની બહાર પણ એટલો જ અસુચારુ થઈ ગયો. ચૂંટણી આયુક્તે “પપ્પુ” શબ્દનો અર્થ જે ગુજરાતીમાં છે તે અર્થને માન્ય રાખ્યો અને તેને અપ્રમાણિત ઘોષિત કર્યો.

ટુથપેસ્ટ છે તો ટુથપાવડર શા માટે?

જુના વખતમાં રેડિયો ઉપર કોલગેટ ટુથપાવડરની એક જાહેરાત આવતી હતી. જો કોલગેટની ટુથપેસ્ટ આવે છે તો પછી ટુથપાવડર શા માટે? જવાબ એ હતો કે “જેમને ટુથપાવડર પસંદ છે ખાસ તેમને માટૅ…”

પપ્પુ શબ્દ વિષે પણ આમ જ સમજવું જોઈએ. પણ હવે આ શબ્દ બાન થઈ ગયો છે.

પપ્પુ શબ્દ વધુ શા માટે ચાલ્યો?

કેટલાક શબ્દો એવા હોય છે કે તેમાં આવતા પ્રાસાનુપ્રાસને લીધે સમાનાર્થી ગણી લેવામાં આવે છે. જો કે ક્યારે તેઓ વિરુદ્ધ અર્થવાળા કે વિશિષ્ઠ અર્થવાળા પણ હોય છે.  જેમકે નીતિ અને નિયત. નીતિ જાહેર કરેલી પણ તે નીતિને લાગુ કરવાની નિયત નહેરુવીયન કોંગ્રેસમાં ન હતી. આવું કહેતા આપણે નરેન્દ્ર મોદીને સાંભળીએ છીએ.  પણ આપણે વિરોધાભાષી અર્થવાળા પ્રાસાનુપ્રાસ શબ્દોની વાતો નહીં કરીએ. પપ્પુ, ઢબ્બુ, બુદ્ધુ આ શબ્દો ગુજરાતીમાં સમાનાર્થી બની ગયા છે.

શું ભારતમાં એક જ પપ્પુ છે?

ના ભાઈ ના. અનેકાનેક પપ્પુઓ છે.

અનેકાનેક પપ્પુઓ કેવીરીતે છે?

પણ પપ્પુની વ્યાખ્યા શી?

જે પપ્પુભાઈઓ અસંબદ્ધ ઉપમાઓ આપે (સરખામણીઓ કરે) કે હાસ્યાસ્પદ સરખામણી કરે તો તેવી સરખામણી કરવા વાળાઓને પપ્પુ કહી શકાય. અથવા તો હાસ્ય (રમૂજ) ઉત્પન્ન કરવા માટે તમે સરખામણી કરો પણ તેનો કોઈ આધાર ન હોય તો પણ સરખામણી કરવાવાળાની બુદ્ધિને પપ્પુભાઈની બુદ્ધિની સમકક્ષ ગણી શકાય. કારણ કે સામેવાળો તેને બુમરેંગ બનાવી શકે.

મૌતકા સોદાગર, ફેંકુ, સફ્રોન આતંકવાદ, વિકાસ ગાંડો થયો, સુવ્યવસ્થિત લૂંટ (ઓર્ગેનાઈઝ્ડ લૂટ) વિગેરેની જો તાર્કિક ચર્ચા કરીએ તો તે “અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી બિલાડી”ને શોધવા જેવું થાય.

વિવાદાસ્પદ બાબતો વિષે તમે, તમને પસંદ ધારણાઓને આધારે નિષ્કર્ષો તારવી ન શકો. તમે તમારે માટે અલગ અને તમારા વિરોધીઓ માટે અલગ માપદંડ રાખી ન શકો. જો તમે આવું કરો તો કાંતો તમે કાવત્રાખોર છો એટલે તમારો હેતુ જન જાગૃતિનો કે શૈક્ષણિક નથી પણ સ્વહિત નો છે. સ્વહિત એટલે કમસે કમ આત્મ ખ્યાતિનો કે ગુંચવાડો ઉભો કરવાનો હોઈ શકે. જો કે તેના પરિણામ સ્વરુપ તમે અવિશ્વસનીય બનો છો. અને તેથી કરીને તમે એવી સ્થિતિ પર પણ પહોંચી જાઓ કે “હું મરું પણ તને રાંડ કરું” અથવા તો “ભલે મારું નાક કપાય પણ તને તો અપશુકન કરાવું જ.”

અંતે તો ઉપરોક્ત વલણવાળા બધા પપ્પ્પુ ભાઈઓ જ ગણાય પછી ભલે તે તમે હો કે પપ્પુભાઈ પોતે હોય, કે પપ્પુભાઈના મળતીયા હોય કે બીજેપી-મોદીને યેનકેન પ્રકારેણ પછાડવાના હેતુવાળા કટારીયા લેખકો હોય બધા પપ્પુભાઈ જ કહેવાય.

તમને ક્યારે દુઃખ થાય?

જે વ્યક્તિ વિષે તમારો સારો અભિપ્રાય હોય તે જ્યારે આવા પપ્પુભાઈની નજીક પહોંચે તો તમને દુઃખ થાય.

આ “પપ્પુભાઈની નજીક” એટલે શું?

એક પાદરી એ કહ્યુઃ “હું સ્વર્ગમાં ગયો. ત્યાં મેં જીસસ જોયા. જીસસની આસપાસ ઘણા માણસો બેઠા હતા. પણ એક માણસ જીસસની ખૂબક નજીક હતો. મેં તેને ધારીને જોયો. અરે આ માણસ તો નોન-ખ્રીસ્તી હતો. અને તે તો જીસસની સાવ જ નજીક હતો. હા જી. આ માણસ નોન-ક્રીશ્ચીયન હતો અને તે જીસસની ખૂબ જ નજીક બેઠો હતો. જીસસ અને તે “નજીકનો માણસ” એ બંને લળી લળીને વાતો કરતા હતા. તે માણસ કોણ હતો? તે માણસ ગાંધી હતો. મહાત્મા ગાંધી. માણસની મહાનતાને ધર્મ સાથે લેવા દેવા નથી. માણસની મહાનતાને માનસિકતાની સાથે સંબંધ છે.

જો કોઈ જીસસની નજીક હોઈ શકે તો કોઈ પપ્પુભાઈની નજીક પણ હોઈ શકે.

નીતિ, નિયત અને નિષ્ઠાઃ

નરેન્દ્ર મોદી આવા શબ્દ પ્રયોગ કરે છે. દાખલાઓ છે; આતંકવાદ સામેની લડત, બનાવટી ચલણી નાણું, કાળાનાણાં અને બેનામી સંપત્તિ ઉપર અંકૂશ, કરચોરી ઉપર અંકૂશ, કરવેરાનું સરળીકરણ વિગેરે જેવા અનેક દાખલાઓ આપી શકાય. નહેરુવીયન કોંગ્રેસ પણ કહેતી હતી કે અમારી આ નીતિ છે. પણ તેની નિયત ન હતી. તો જનતાને ચોક્કસ નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા ઉપર શંકા જાય જ.

આતંકવાદસામેની લડતઃ

 હમાણાં આવેલ સમાચાર પ્રમાણે ભારતીય સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવેલ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસના શાસન કાળમાં એક સમયે સર્જીકલ સ્ટ્રાઈક માટે સજ્જ હતા પણ તે સમયના વડા પ્રધાન મનમોહન સિંહે તેમને રોક્યા હતા. નહેરુવીયન કોંગ્રેસના આવા વલણના નિયત અને નિષ્ઠા ઉપરાંતના અનેક સૂચિતાર્થો નિકળી શકે છે.

બનાવટી નોટો સરકારી બેંકોં દ્વારા સંચાલિત એટીએમ મશીનમાંથી પણ નિકળતી હતી. આ બાબત બનાવટી નોટોની વ્યપકતા દર્શાવે છે. રીઝર્વબેંકે કેટલી નોટો છાપી અને દેશમાં કેટલી નોટો ફરે છે તે રીઝર્વબેંકના ગવર્નરને ખબર હોય જ. બનાવટી નોટો કંઈ ભૂતિયા નોટો નથી કે તે અદૃશ્ય રહીને ફરતી હોય. બનાવટી નોટો ક્યાંથી આવે છે તે બાબતથી ભારતનું જાસુસી તંત્ર અજાણ હોય તેવું ન બની શકે.

“બનાવટી નોટોનું અસ્તિત્વ” અને “વિમુદ્રીકરણ” શબ્દ પ્રયોગો, નહેરુવીયન કોંગ્રેસ માટે અજાણ્યા ન હતા. પણ નહેરુવીયન કોંગ્રેસમાં નિયતની અને નિષ્ઠાની ખોટ હતી.

બજારમાં ફરતી નોટોને હિસાબ કિતાબમાં લાવવા માટે વિમુદ્રીકરણ જરુરી હતું. આ કામ નરેન્દ્ર મોદીની સરકારે કરી બતાવ્યું. કારણ કે તેમની નીતિ વિષે તેમની નિયત હતી અને તેમની નિષ્ઠા પણ હતી. તેમને ભારતની જનતામાં પણ નિષ્ઠા હતી કે જનતા તેમને સાથ આપશે જ. અને તેમજ થયું.

સરકારી કાર્યવાહી ચાલુ થઈઃ

ભારતમાં કેટલાક ધંધા ૬૦ ટકા થી લઈને ૯૫ ટકા બીલ વગર જ થતા હતા. આ વાત ઓછામાં ઓછી ૬૦ વર્ષ જુની છે. બીલ વગરના ધંધા થાય એટલે સરકારને કર (ટેક્ષ) તો ન જ મળે. સ્થાવર મિલ્કતના હસ્તાંતરણમાં કાળું નાણું ૪૦ ટકાથી ૬૦ ટકા હોય છે. કાળા નાણાંની આ હેરફેર એક સામાન્ય વાત છે. આ નાણાંની હેરફેર સરકારી ચોપડે નોંધાતી નથી. એટલે તે દ્વારા થતી આવક પણ ન જ નોંધાય. નોટબંધી દ્વારા સરકારને ખબર તો પડી જ કે ક્યાં અને કેટલું આવું નાણું કોઈ એક ક્ષણે કોની પાસે કેટલું હતું. એટલે લાખો માણસો ચોપડે નોંધાયા. એટલે સરકારી કાર્યવાહી ચાલુ થઈ.

આ નોટબંધીને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત અર્થશાસ્ત્રી એવા આપણા ભૂતપૂર્વ  વડાપ્રધાને “આયોજન પૂર્વકની લૂંટ” તરીકે ઓળખાવી. આવી વ્યક્તિ અવિશ્વસનીય બને તો શું બને? કાં તો આવી વ્યક્તિ પોતાની જાતને ધૂર્ત સિદ્ધ કરે છે કાંતો પોતાને પપ્પુ સિદ્ધ કરે છે. આપણા પપ્પુ ભાઈ ગુડ્ઝ સર્વીસ ટેક્ષને ગબ્બર સિંહ ટેક્ષ તરીકે ઓળખાવે છે. કારણ કે તેમાં જી.એસ.ટી.નો પ્રાસ છે. પ્રાસ મળતો હોય તો અર્થ પણ સમાનાર્થી જ ગણી લેવાનો. સાધ્યં ઈતિ સિદ્ધં . આપો આપ સિદ્ધ થઈ જાય છે એટલે સિદ્ધ કરવાની ભાંજગડ નહીં. એવો તર્ક અમુક સુજ્ઞ જનોમાં પ્રવર્તે છે.

આ રીતના સાધ્યં ઈતિ સિદ્ધમાં માનવાવાળા બીજા સુજ્ઞ લોકો કોણ છે?

રજ્જુ અને સર્પ

અદ્વૈતની માન્યતાનું પ્રતિપાદન કરનારા શંકરાચાર્યે એક “રજ્જુ સર્પ” નો દાખલો આપતા હતા.

“રજ્જુ અને સર્પ” એ વળી શું છે?

જો કોઈ એક જગ્યાએ દૂર એક દોરડું પડ્યું હોય તો કોઈ દોરડાને સાપ માની લે અને તેનાથી ભય પામે. પણ જ્યારે એને ખબર પડે કે આ તો દોરડું છે ત્યારે તેનો તે ભય દૂર થઈ જાય. એટલે કે ફક્ત બાહ્ય અને તેપણ દૂરના દેખાવ ઉપરથી ધારણા બાંધી લેવી તે અતાર્કિક અને અજ્ઞાન છે. જ્યારે આ અજ્ઞાન દૂર થાય ત્યારે હકિકતનું ભાન થાય છે અને ભય દૂર થાય છે.

આ તો શંકરાચાર્યના વખતની ચર્ચા છે. તે વખતે પણ હાલના કટારીયા મૂર્ધન્યોની જેમ વિતંડાવાદીઓ હતા. તેમાંના એકે એવી દલીલ કરી કે જો દોરડા ઉપરથી સર્પની કલ્પના થઈ કે જે સર્પ અસ્તિત્વ ધરાવતો ન હતો. પણ ક્યાંક બીજે તો સર્પ અસ્તિત્વ ધરાવતો હતો જ. એટલે દોરડું અને સર્પ બંને અસ્તિત્વ તો ધરાવે જ છે. તેથી જો “બે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય” તો અદ્વૈત-વાદનો ધ્વંસ થાય છે. શંકરાચાર્યે કહ્યું કે ઉપરોક્ત સરખામણીમાં ઉપમાને સરખાવી છે. ઉપમા જે છે તે અજ્ઞાનની છે. ભયનું કારણ અજ્ઞાન છે. અભયનું કારણ જ્ઞાન છે.

પણ જો કોઈ લોકો દોરડાને, સર્પ જ સમજાવવામાં માનતા હોય તો?

જો કે એવા વિદ્વાનો શંકરાચાર્યના યુગમાં હતા કે નહીં તે આપણે સચોટ રીતે જાણતા નથી. કારણ કે જેમણે જેમણે શંકરાચાર્યે ચર્ચા કરી તેમણે પોતાનો પરાજય સ્વિકારી લીધેલ. પણ હાલના જમાનામાં વિદ્વાનોમાં આવી માનસિકતા નથી. હાલના વિદ્વાનો તો કદાચ પોતે તો સમજતા પણ હોય, પણ તેઓ એવું ઈચ્છતા નથી કે જનતા આ સમજે. તેઓ એવું ઈચ્છતા નથી કે જનતા સમજે કે વિમુદ્રીકરણ અને જી.એસ.ટી. રુપી દોરડાને દોરડું માને અને સમજે કે આ દોરડાથી પાણીની સગવડ થશે અને ચોરોને બાંધી શકાશે. આજના વિદ્વાનો તો જનતાને એમ જ સમજાવવા માગે છે કે આ વિમુદ્રીકરણ અને જી.એસ.ટી. તો કાળોતરો વિષધર નાગ છે અને તે સમાજને ભરખી જશે.

એક કટારીયા લેખકની માનસિકતા જુઓ

વિમુદ્રી કરણ વિષે એક કટારીયા વિદ્વાનની નિમ્નલિખિત સમજણ વાંચો કે તેઓશ્રી જનતાને કેવો સંદેશ આપે છે.

એક તળાવ હતું. તેમાં મોટી સંખ્યામાં માછલીઓ રહેતી હતી. આ તળાવમાં મગરમચ્છ પણ હતા. મગરમચ્છને મારવાના હતા. એટલે તળાવનું પાણી કાઢી નાખ્યું. તો હવે શું થયું? પાણીના અભાવે માછલીઓ મરી ગઈ. મગરમચ્છો તો બીજે ચાલ્યા ગયા.

આને જો તાર્કિક ભાષામાં લખીએ તો એમ લખાય કે એક તળાવમાં રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-ના ચલણરૂપી પાણીમાં ગરીબો રૂપી માછલીઓ અને કાળાનાણાંધારી મગરમચ્છો રહેતા હતા.

હેતુ પાણીને શુદ્ધ કરવાનો અને મગરમચ્છોને પકડવાનો હતો. પાણીને શુદ્ધ કરવા માટે દુષિત પાણીને કાઢી નાખ્યું. એટલે ગરીબો મરી ગયા. અને મગરમચ્છોએ પોતાનો રસ્તો કરી લીધો.

પાણી=૫૦૦ અને ૧૦૦૦ ચલણી નોટો.

માછલીઓ=ગરીબ માણસો

મગરમચ્છો=કાળાનાણાંવાળાઓ

નહેરુવીયન કોંગ્રેસીઓની સરકારે આપેલા આંકડા પ્રમાણે ભારતના ૯૫% માણસોની માસિક આવક રૂ.૫૦૦૦થી ઓછી છે. અને શૂન્ય પછીના આવતા દશાંશ બિન્દુ પછી એક થી વધુ શૂન્ય લખીને (૦.૦૦… ટકા )આંકડો પાડીએ તેટલા લોકો આવકવેરાના ફોર્મ ભરે છે. આવકવેરો તો તેથી પણ ઓછા લોકો ભરે છે. એટલે વાસ્તવમાં જે લોકો નોટો બદલાવવા ઉભા હતા તેઓમાંના મોટાભાગના તો કોઈકની સેવા કરતા હતા.

ગળાડૂબ કાદવમાં રહેલા પાડાઓ

એટલે આમ જુઓ તો તળાવના ચારે તરફના કિનારાઓ ના કાદવમાં જે પાડાઓ હતા તે કાદવને કાઢી નાખ્યો એટલે કે જે પાડાઓ બધા કાદવમાં પડ્યા પાથર્યા ગળાડૂબ રહેતા હતા અને મસ્તી કરતા હતા તે બધા દેખાતા થઈ ગયા. કાદવ કરતાં પાતળું પાણી (રૂ.૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ચલણી નોટો) હતું તેમાં રહેલી માછલીઓને તો કશો વાંધો ન આવ્યો.  

હવે તમે જુઓ. પાણી એટલે  ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો નથી. પાણીમાં રૂ. ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ ની નોટો પણ આવે. ગરીબ માણસોની પાસે તો આવી જ નોટો હોય. તેમની પાસે કદીય ૨૫૦૦૦ રૂપીયા અને તેપણ ૫૦૦ની કે ૧૦૦૦ની ચલણી નોટોમાં અને તે પણ મહિનાની આખર તારીખના દિવસોમાં હોય જ નહીં. અમારા જેવા ગ્રુપ-એમાં આવતા કેન્દ્રીય કર્મચારી નિવૃત્ત થયા ત્યાં સુધી રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટોમાં પગાર મેળવવા ભાગ્યશાળી થયા નથી. તેમજ નિવૃત્ત થયા પછી પણ દશ પંદર વર્ષ સુધી (૨૦૧૨સુધી) નોકરી કરી તો પણ રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટોમાં પગાર મેળવવા ભાગ્યશાળી થયા નથી. હવે જો હાલના ગરીબો મહિનાના આખરના દિવસોમાં પણ ૨૫૦૦૦થી વધુ મૂલ્યની  રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટો રાખી શકતા હોય તો નહેરુવીયન કોંગ્રેસના નેતાગણે અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ નરેન્દ્ર મોદીને સલામ ભરવી જોઇએ કે જે નરેન્દ્ર મોદીએ ભારતના ગરીબોની હાલત આટલી બધી સારી અને તેપણ ફક્ત ત્રણ વર્ષમાં જ કરી દીધી.

કટારીયા વિદ્વાનો કે જેઓ તળાવ, માછલાં અને મગરમચ્છના ઉદાહરણ કે તેને સમકક્ષ ઉદાહરણો આપતા હોય તેઓ કાંતો ઠગ છે કે કાં તો તેઓ પપ્પુભાઈ છે. આ બે માંથી એક વાત તો તેમણે કબુલ કરવી જ પડશે.

નહેરુને જનોઈ આપ્યું

મૂંગા રહ્યા હોત તો પણ ચાલત. પણ પપ્પ્પ્પુ ભાઈઓ થોડા મૂંગા રહી શકે?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એક ભાઈ વિદેશથી આવેલા. તેમની સાથે તેમના મિત્ર પણ હતા. મિત્રભાઈએ કહ્યું “હું તારી સાથે નહીં આવું. કારણ કે તું ગપ્પાં બહુ મારે છે. એટલે વિદેશથી આવેલ ભાઈએ કહ્યું, કે જ્યારે તને એવું લાગે કે હું ગપ્પું મારું છું ત્યારે તારે મને ચેતવવા “છીસ…” એમ સિસકારો કરવો એટલે હું મારું મારું ગપ્પું સુધારી દઈશ.

વિદેશથી આવેલા આ ભાઈ અને તેમના મિત્ર, એક મંડળીમાં બેઠા હતા. વિદેશથી આવેલા ભાઈ બોલ્યા કે “અમારે ત્યાં તો સો સો માઈલ લાંબા સાપ હોય છે.”

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યાઃ” પણ આવા લાંબા સાપ તો અમે જોયેલા નથી. પણ અમારા વિસ્તારમાં તો એકાદ માઈલ લાંબા જ સાપ હોય”.

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યાઃ જો કે આવા સાપ પણ આમ તો દૂર દૂર. પણ અમારા પોતાના વિસ્તારમાં તો એકાદ ફર્લાંગ જેટલા લાંબા જ સાપ થતા હતા.

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યા “છીસ.. ને બીસ…, હવે તો હું એક તસુ પણ ઓછું નહીં કરું”

આપાણા પપ્પુભાઈ બોલ્યાઃ “નરેન્દ્ર મોદીએ ૪૫૦૦૦ કરોડ એકર ભૂમિ ઉદ્યોગપતિને દાનમાં આપી દીધી.” આ “જીભ લપસી ગઈ” એમ નથી. તેઓશ્રી બે સભામાં આવું બોલ્યા હતા. હવે આપણા પપ્પુભાઈને “છીસ … કારો” કરવા વાળા તો હોવા જોઇએ કે નહીં? પણ નથી. કારણ કે બધા પપ્પુભાઈઓ જ છે.

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૨. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

INDIA OF OUR DREAM

જ્યારે સ્વપ્નના ગામ વિષે વિચારીએ ત્યારે એ પણ જાણી લેવું જોઇએ કે ગામ માટે કોણે કેવા સ્વપ્નો જોયા છે! અને તેના બદલાતા સમાજ સાથે કદમ મિલાવી શકે અને એટલે કે સ્થાયીપણા માટેની તેની ક્ષમતા કેટલી હતી!
આ લેખને વાંચતા પહેલાં
“સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ – ૧” ના શિર્ષક વાળો લેખ વાંચવો.

ગાંધીજીના સમયે શું પરિસ્થિતિ હતી?

ગાંધીજી હિન્દુસ્તાનના સાત લાખ ગામડાઓની વાત કરતા હતા. તે અખંડ હિન્દુસ્તાન હતું. હવે કદાચ પાંચ લાખ ગામડાં હશે. એ જે હોય તે. આપણે તેની સમસ્યાઓ અને નિવારણની શક્યતાઓ ગાંધીવાદની રીતે વિચારીશું.

(૧) ગાંધીજીનું સ્વપ્ન એ હતું કે ગામડાં સ્વાવલંબી હોય,
(૨) રહેવાને માટે સૌને સુંદર અને સગવડવાળું ઘર હોવું જોઇએ.
(૩) સૌને સુખી અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટેની જરુરીયાતો સરળતાથી ઉપલબ્ધ હોવી જોઇએ. આ માટે પ્રાથમિક શિક્ષણ, સક્ષમ અને ફરજીયાત હોવું જોઇએ. સહયોગ અને મદદ કરવાની વૃત્તિ, સામાજીક વર્તનમાં સંસ્કારિતા અને નાગરિક ફરજો (સીવીક સેન્સ) એ પ્રાથમિક શિક્ષણનું અભિન્ન અંગ હોવું જોઇએ.
(૪) સમાજમાં શોષણ ન હોય, એટલે કે માલિક, મજુરનું શોષણ ન કરે.
મશીન મનુષ્યનું ગુલામ હોવું જોઇએ. મનુષ્ય મશીનનો ગુલામ ન હોવો જોઇએ.
(૫) ગામડાંમાં થતું ઉત્પાદન અને શહેરમાં થતું ઉત્પાદન એકબીજાને પૂરક હોય,
(૬) જ્ઞાનના દરવાજા સૌને માટે ખુલ્લા હોવા જોઇએ.
(૭) સરકારી દખલ ન્યૂનતમ હોવી જોઇએ. અને સરકારી વ્યવહારમાં પારદર્શિતા હોવી જોઇએ.
(૮) સમાજના વર્ગો વચ્ચે અને વ્યક્તિઓ વચ્ચે સંવાદ હોવો જોઇએ મનુષ્ય મનુષ્ય વચ્ચે સંવાદ હોવો જોઇએ.
(૯) બહ્માન્ડ ના વર્તનની અને નિયમોની સમજણને વિજ્ઞાન સમજવું અને તેના ઉપકરણોને યંત્ર સમજવા. આ યંત્રનો ઉપયોગ લાંબાગાળાના સુખ માટે કરીએ તેને ત્યાજ્ય ન ગણવું. પણ ધ્યાન એ રાખવું કે તેમાં સામાજીક અને પ્રાકૃતિક લય જળવાઈ રહે.
(૧૦) મનુષ્ય જીવનનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું છે. આનંદ, નિરોગી શરીરથી મળે છે. આનંદ, જ્ઞાન અને “સ્વ”ની ઓળખ(આઈડેન્ટીફીકેશન અને વિશેષતાને મળતી સામાજીક માન્યતા) અને બીજાને મદદરુપ થવાને ને કારણે મળે છે. સ્વના આનંદ માટે સ્પર્ધા કે બીજાને પરાજય આપવો જરુરી હોતો નથી. કળા અને જ્ઞાનના વિકાસ દ્વારા પણ “સ્વ”ની ઓળખ મળે છે.

જ્યાં સુધી ઉપરોક્ત બાબતો સમજવામાં ન આવે અને તેનો સ્વપ્નના ગામાની સંરચના કે પૂનર્રચનામાં સમાવેશ ન કરવામાં આવે ત્યાં સુધી તે આદર્શ, સુખી અને સુઘડ ગામ બની ન શકે.

ગામડાનું સ્વવલંબનઃ

આ એક બહુ છેતરામણો શબ્દ છે. અને આ બાબત ઉપર ઘણું રાજકારણ ખેલાય છે અને અનીતિઓ આચરાય છે.

ગામડું એટલે શું?

(૧) ગામડું એટલે સૌ નજીક નજીક રહેતા હોય,

(૨) ગામડામાં સૌ એકબીજાને ઓળખતા હોય એટલે કે સંવાદ કરવાનીઅવસ્થામાં હોય,

(૩) સૌ કામ કરતા હોય, અને કૌટૂંબિક ભાવનાથી જીવતા હોય,

(૪) મોટાભાગની વસ્તુઓ ગામડામાં જ ઉપલબ્ધ હોય એટલે મનુષ્ય અને માલના પરિવહનનો ખર્ચ લઘુતમ હોય.

(૫) સૌને હવા ઉજાસ વાળું અને સગવડવાળું ઘર હોય,

(૬) રમવાને અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવા માટે મોકળાશ હોય,

(૭) કુદરતી સૌંદર્ય એટલે કે ઝાડપાન સહજ હોય,

જો આ બધી બાબતોની સમગ્રતાને ધ્યાનમાં રાખીએ તો ગામડું, કસ્બો, મધ્યમ કક્ષાનું ગામ કે શહેરના વિસ્તારો જેવા કે પોળ, શેરી, સોસાઈટી, લત્તો, એ બધાને જ આપણે “ગામડું” એવી વ્યાખ્યામાં લઈ શકીએ અને તે પ્રમાણે તેની સંરચના/પૂનર્ રચના કરી શકીયે.

આમાં કયા એકમો અને પરિબળો અને નિયમો ભાગ લે છે તે પહેલાં સમજી લેવું જોઇએ. અને તે વિષેના આપણા ખ્યાલો સુધારવા જોઇએ.

આપણે શહેરોને તોડી શકવાના નથી. પણ હયાત શહેરોમાં સુધારા કરી શકીશું.

જમીન, મકાન, ઉત્પાદકો, કાચોમાલ, ઉત્પાદન, ઉત્પાદનની પ્રક્રિયાઓ, સુખસગવડના સાધનો, માલિકીના હક્કો અને મનુષ્યના વલણો વિષે ચર્ચા કરવી જોઇએ અને તેમાં ફેરફાર કરવા જોઇએ.

જમીન અને જમીનના ભોગવટાના હક્કોઃ

વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીના કહેવા પ્રમાણે પણ જમીનની માલિકી કોઈ વ્યક્તિની ન હોઈ શકે. જમીન એ ધરતી છે. ધરતી એ સૌ સજીવોની સામુહિક માતા છે. તે સૌની છે. અને સૌ સૌનો જુદી જુદી રીતે ભોગવટાનો હક્ક છે. પણ મનુષ્ય સમાજ આ ભોગવટાનું નિયંત્રણ કરશે.

મહાત્મા ગાંધીનો સમય એ એવો સમય હતો કે જ્યારે અખંડ ભારત બહુ વિશાળ દેશ હતો. વસ્તિ વધારાની સમસ્યા ન હતી. ગામડાઓ મહદ અંશે સ્વાવલંબી હતા જો કે તેની ભાંગવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ હતી. પણ તે રોકી શકાય એમ છે તેમ માનવામાં આવતું હતું.

ગામડાંને સ્વાવલંબી કરવા માટેની કાર્યવાહી થઈ શકે તેવી ઈચ્છા શક્તિ ન હતી. મૂડીવાદ અને અતિ-મૂડીવાદ (સામ્યવાદ) ની વિચાર સરણીઓ અને તેની ચાહના પ્રત્યેની વૃત્તિઓ પ્રબળ અને વિકાસશીલ બનતી જતી હોવાથી, સ્વતંત્ર ભારતના રાજકર્તાઓ કોઈ દૂરદર્શિતા અપનાવી શક્યા નહીં. આ ઉપરાંત સર્ચોચ્ચ શાસક દ્વારા પોતાના સ્વકેન્દ્રી (જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી), વંશ કેન્દ્રી (સત્તાનું કેન્દ્ર નહેરુવંશી માટે જ આરક્ષિત) સત્તાલાલસાને કારણે નીતિમત્તાને જાણી જોઈને અવગણવામાં આવી. કાયદાના રાજનું પતન થયું અને સમાજ નો મોટોભાગ નીતિહીન બન્યો.

જે રીતે શહેરોનો વિકાસ કરવામાં આવ્યો તેમાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહીં ને જે કંઈ આયોજન થયું તેનો અધિકારીઓની (ન્યાયાલય અને જનપ્રતિનિધિઓ સહિતની) અનીતિમત્તાએ અમલ ન કર્યો એટલે જમીનના વહીવટમાં અરાજકતા આવી. જમીન અને તેના ઉપયોગે દેશને દિશાહીન કર્યો.
વસ્તિવધારો અંકુશમાં રાખી શકાયો નથી. અને અથવા માનવ શક્તિનો તેના સુયોગ્ય શ્રોત તરીકે ઉપયોગમાં લેવામાં ન આવ્યો તેથી પણ જમીન અને તેના ઉપયોગમાં પાયમાલી આવી.

આવી પરિસ્થિતિનો સુયોગ્ય સામનો કઈ રીતે થઈ શકે?

જમીનની માલિકી દેશની ગણવી પડશે.

આનો અર્થ એ થયો કે જમીનની માલિકી રાજયની રહેશે. કેન્દ સરકાર તેના ઉપયોગના નિયમો બનાવશે. સ્થાનિક કક્ષાએ તેનો અમલ થશે. અને કેન્દ્ર સુધીના સત્તાધીશો તેની ઉપર નજર રાખશે.

સૌ પ્રથમ સમજી લો કે જમીન અને વનસ્પતિ અમૂલ્ય છે. વનસ્પતિમાં વૃદ્ધિ કરી શકાય છે. પણ જમીન વિષે શું છે?

જમીન વધી શકે છે?

હાજી જમીન વધી શકે છે.

જમીન કેવી રીતે વધી શકે?

ખરાબાની જમીનને નવસાધ્ય કરોઃ ખરાબાની જમીન એ એક કાચો માલ છે. તેને એક માનવશક્તિના ઉપયોગનો અવસર સમજો.

જે જમીન છે, તેનો વ્યય ન કરો.

(૧) ઝોંપડ પટ્ટી એ જમીનનો વ્યય છે,

(૨) એકમાળી કે ચાર-પાંચમાળી મકાનો એ પણ જમીનનો વ્યય છે.

(૩) ફળદ્રુપ જમીન ઉપરની ખેતી એ પણ જમીનનો વ્યય છે કારણ કે અનાજના ઉત્પાદન માટે આપણે બે ઈંચથી છ ઈંચના ઉંડાણ સુધીની જમીનનો જ ઉપયોગ કરીએ છીએ. અનાજનું ઉત્પાદન એક માળી ઉત્પાદન છે. વૃક્ષ ઉપર થતું ઉત્પાદન બહુમાળી ઉત્પાદન છે. બહુ માળી ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને જમવાની આદતો બદલો.

(૪) ખારાશવાળી જમીનને નવસાધ્ય કરીને યોગ્ય માવજત દ્વારાઅનાજનું ઉત્પાદન કરી શકાય. ઉત્પાદન મકાનની અગાશીમાં, ગેલેરીઓમાં કે ખાસરીતે ખેતી માટે જ બનાવેલા બહુમાળી મકાનોમાં કે તેના હિસ્સાઓમાં અનાજનું ઉત્પાદન કરી શકાય છે.

(૫) ગોચરની માટે જમીન અલગ ફાળવવી એ પણ જમીનનો વ્યય છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું એ જમીનનો વ્યય છે. ઘાસનું ઉત્પાદન પણ ઉપરોક્ત અનાજના ઉત્પાદનની જેમ કરી શકાય.

(૬) વાહનો ના પાર્કીગ માટે જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વાહનોના પાર્કીંગં માટે ભોંય તળીયા અને અન્ય માળ ઉપર આયોજન સાથે જગ્યા ફાળવી શકાય.

(૭) વિમાનતળ ની જગ્યા એ જમીનનો વ્યય છેઃ આજના ઝડપી જમાનામાં કે તે સિવાય પણ આપણે વિમાનોને નષ્ટ કરી શકીશું નહીં. વિમાન ના ઉતરાણ માટે રનવે જોઇએ. જ્યાં સુધી નવી શોધ ન થાય ત્યાં સુધી આપણા વિમાની મથકો અસ્તિત્વમાં રહેશે અને તે ઉપરાંત નવા વિમાન મથકો પણ બનાવવા પડશે. વિમાનના રનવે માટે લાંબી જમીનની સખત પટ્ટી ઓ જોઇએ. વિમાનની મહત્તમ પહોળાઈ જેટલી તો જોઇએ જ. બાકીની જગ્યામાં તમે ઘાસ અને અનાજ ઉગાડી શકો. જો કે પક્ષીઓનો ઉપદ્રવ થાય. પણ પક્ષીઓને અને તીડોને ભગાડવા માટે અમૂક કંપનો વાળો અશ્રાવ્ય અવાજ આ સમસ્યાને ઉકેલી શકે છે.

(૮) શું તળાવ અને નદીઓ જમીનનો વ્યય છે?

નાજી. તળાવ અને નદીઓ જમીનનો વ્યય નથી. પણ નહેરોને તમે ભૂગર્ભ કરી ને કે તેના ઉપર સોલર પેનલો રાખીને બનાવી શકો.

(૯) શું રસ્તાઓ જમીનનો વ્યય છે?

હા અને ના.

જો આયોજન વગર રસ્તાઓ બનાવ્યા હોય તો તે ખર્ચાળ અને મુશ્કેલીઓ ઉભા કરનારા બને છે.
રસ્તાઓ માટે વપરાતી જમીનનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો?

(૧) રસ્તાઓ પણ ભૂગર્ભ અને બહુમાળી બનાવી શકાય છે.

(૨) જળમાર્ગો બનાવી શકાય, જેથી જળ વધુ જમીનમાં ઉતરે અને સંચય થાય.

(૩) ઉત્પાદનને અને ખાસ કરીને અન્ન, શાકભાજી અને ફળફળાદિના ઉત્પાદનને વધુને વધુ પ્રમાણમાં સ્થાનિક બનાવીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૪) વાહનોની ગતિને અવરોધતા ઓછામાં ઓછી કરીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૫) રસ્તાઓ બનાવવા માટે આસપાસનીની બંને બાજુએથી માટી લઈ રસ્તાની જમીનને ઉંચી કરવી પડે છે. રસ્તાઓ અને રેલ્વે માર્ગને સમાંતર રાખી તેની બંને બાજુએ નહેરોને બનાવી શકાય. તે ઉપરાંત ફ્ળોના વૃક્ષોની હરોળો રાખી ફળ અને ઘાસનું ઉત્પાદન કરી શકાય.

(૬) રસ્તાઓની બંનેબાજુ ટ્રાન્સમીશન ટાવરો અને તેની ઉપર પવન ચક્કીઓ રાખીને પ્રાકૃતિક ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.

(૭) ટ્રાન્સમીશન ટાવરો ના ફ્રેમવર્ક ઉપર સોલરપેનલો ગોઠવી વિદ્યુત ઉર્જા બનાવી શકાય.

(૮) સંભવ છે કે વખત જતાં રસ્તા ઉપરના આ ઉર્જાશ્રોતો વાહનો માટે ઉર્જા આપનારા બની રહે.

(૯) હાલનો જમાનો ઈન્ટરનેટનો જમાનો છે. તેથી ઘણા જ કર્મચારીઓને તમે તેઓ ઘરે બેઠા બેઠા કામ કરે તેવી વ્યવસ્થા ઉત્પન કરી શકાય તેમ છે. આમ કરવાથી વાહન વ્યવહારનો રસ્તા ઉપરનો બોજો ઘટશે.

(૧૦) રસ્તાઓ અને ઝડપ ઘણા ઉપયોગી છે અને જ્ઞાન, સંવાદ, આદાનપ્રદાન, પ્રવાસન ઉદ્યોગને બહુ ઉપયોગી છે. તે ઉપરાંત વિપત્તિના સમયે તે બહુ ઉપકારક બને છે.

જમીનને નવસાધ્ય કેવી રીતે કરી શકાય?

 Saline land to be converted to furtile land

ખરાબાની જમીન જો તે સામાન્ય ક્ષારવાળી હોય તો તેને સેન્દ્રીય અને જૈવિક ખાતરોથી ફળદ્રુપ બનાવી શકાય છે. ખરાબાની જમીન પણ આવા પ્રકારમાં આવે છે. તેને ફળદ્રુપ કરવા માટેના હજાર રસ્તાઓ છે.

દરીયાઈ ક્ષારવાળી રણની જમીનઃ આ જમીનને ફળદ્રુપ કરી શકાય છે અને તકનિકી દ્વારા મીઠું (નમક), શુદ્ધ પાણી, ખેત તલાવડી, ખેતી, ઘાસ, ઉર્જા આપે તેવા પાક, વૃક્ષ, અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાય છે. કાળક્રમે તેનું જંગલમાં રુપાંતર કરી શકાય છે.

તળાવ અને નદીના કિનારાઓને વિકસાવી ત્યાં ઉત્પાદન, પ્રવાસન અને રહેણાકના ક્ષેત્રો સુયોગ્ય આયોજન દ્વારા બનાવી શકાય છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, જમીન, ભૂમિ, ભોગવટા, હક્ક, માલિકી, સોલર સેલ, પવન ચક્કી, વસ્તિ, ગામડાં, સ્વાવલંબી, ઉત્પાદન, રસ્તા, ભારણ, આનંદ, સુખ સગવડ, પ્રાથમિક, શિક્ષણ, સહયોગ, શોષણ, જ્ઞાન, સરકાર, સંરચના, નાગરિક, નદી, તળાવ, વિકાસ

Read Full Post »

%d bloggers like this: