Feeds:
Posts
Comments

Posts Tagged ‘દંભી’

“દંભી પક્ષના નેતાઓને હરાવો” રાષ્ટ્રવાદીઓના નવા વર્ષના સંકલ્પો

“દંભી પક્ષના નેતાઓને હરાવો” રાષ્ટ્રવાદીઓના નવા વર્ષના સંકલ્પો

 (૧) પહેલાં એ સમજી લો કે ઈન્દિરા નહેરૂવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.) ના પ્રવર્તમાન એક પણ નેતાઓએ, તેમના બાપાઓએ, દાદાઓએ કે પરદાદાઓએ સ્વાતંત્ર્યની લડાઈમાં કશું ખાસ જ યોગદાન આપેલું નથી. જે પણ કોઈ ગણ્યા ગાંઠ્યા નેતાઓએ થોડો ઘણો ભાગ ભજવેલ તેઓએ તેનું વ્યાજ સાથે જ નહીં પણ યોગદાન કરતાં હજાર ગણું કે લાખ ગણું વટાવી લીધું છે.

Paint02

એવા જૂજ લોકો બચ્યા છે કે જેમણે સ્વાતંત્ર્યની લડત જોઇ હોય કે તેને વિષે સાચી માહિતિ હોય. હાલની જે કંઈ સમસ્યાઓ છે તેમાંની કેટલીક અંગ્રેજી શાસકોએ ઉત્પન્ન કરી છે અને બાકીની નહેરુ અને તેના ફરજંદોએ ઉત્પન્ન કરી છે અને બધી જ સમસ્યાઓને વિકસાવી છે.

(૧.૦૧) હિન્દુ મુસ્લિમ સમસ્યાઃ

અંગ્રેજોએ ઉભી કરી હતી. નહેરુએ તેને જીવતી રાખી હતી. ઈન્દિરા ગાંધીએ તેને વિકસાવી હતી અને તેના ફરજંદોએ તેને બહેકાવી છે. અને આ બધું તેઓ ધર્મનિરપેક્ષતા, ભગવા કરણ, હિન્દુ આતંકવાદ, હિન્દુ પાકિસ્તાન, અસહિષ્ણુતા અને અસામાજીક તત્વોના ટોળાદ્વારા થતી હિંસાને હિન્દુઓ ઉપર ઢોળીને, હિન્દુઓમાં આવી હિંસા વ્યાપક છે તેવો પ્રચાર કરે છે. વાસ્તવમાં આ વહીવટી સમસ્યા છે જે સામાન્ય રીતે ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) શાસિત રાજ્યોમાં બનેલી છે.

ભારતમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા પચાસના દશકામાં મૃતપ્રાય અવસ્થામાં હતી. પણ પાકિસ્તાનના સરમુખત્યારી શાસકોએ લંબાવેલા દોસ્તીના હાથને નહેરુએ તરછોડીને પાકિસ્તનની અંદર હિન્દુઓ માટે સમસ્યાઓ ઉભી કરેલ અને પાકિસ્તાનમાંથી ફરી એક વખત હિન્દુઓની હિજરત ચાલુ થયેલ. તે પછી ઇન્દિરા ગાંધીએ ભારતમાં ૧૯૬૯માં અમદાવાદમાં ૧૯૬૯માં હિન્દુ-મુસ્લિમ હુલ્લડ કરાવીને ભારતમાં હિન્દુ મુસ્લિમ અલગ છે તેવી ભાવના ઉભી કરેલ.

ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન જે બે કરોડ બાંગ્લાદેશી હિન્દી ભાષી બિહારી મુસ્લિમ ઘુસણખોરોને ઘુસવા દેવામાં આવ્યા છે. હવે તેઓને નાગરિકતા આપવા માટે, આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ અને તેણે ઉત્પન્ન કરેલા પક્ષો ચળવળ ચલાવે છે. તે ઉપરાંત રોહિંગ્યા ઘુસણખોરો જેમાં મુસ્લિમ આતંકવાદીઓ પણ સામેલ છે તેમને માનવતાવાદના નામે આશરો આપવો તેવી પણ ચળવળ ચલાવે છે. આજ મુસ્લિમોએ રોહિંગ્યાઓને કાશ્મિરમાં વસાવ્યા. કારણ ફક્ત એટલું કે તેઓ પણ મુસ્લિમ છે.

અને તમે જુઓ પોતાના જ દેશમાં પોતાના જ રાજ્યમાં (કાશ્મિરમાં) અને પોતાના જ ઘરમાંથી  હિન્દુઓને, મુસ્લિમ આતંકવાદીઓ, સ્થાનિક મુસ્લિમો, નેતાઓ, સ્થાનિક અને કેન્દ્રસ્થ સરકારના સહયોગ દ્વારા ભગાડ્યા અને નિર્વાસિત બનાવ્યા. તેમને પુનર્સ્થાપિત કરવામાં અખાડા કરવા એ આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષનું એવું લક્ષણ છે. દુનિયાના ઇતિહાસમાં આનો જોટો નથી. એટલું જ નહીં પણ ૩૦૦૦+ કાશ્મિરી હિન્દુઓની કતલ અને હજારોની સંખ્યામાં હિન્દુ સ્ત્રીઓની ઉપર મુસ્લિમો દ્વારા દુષ્કર્મો કરવા દેવા તે પણ તમને ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ અને તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષના શાસન સિવાય, ક્યાંય દુનિયામાં જોવા મળશે નહીં. અને તમે જુઓ, મુસ્લિમો દ્વારા થયેલા આવા અત્યાચારો થયા છતાં ન ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) પક્ષ અને તેના સહયોગી પક્ષો જેવા કે નેશનલ કોન્ફરન્સની સરકાર દ્વારા એક પણ નેતાની ઉપર કે વ્યક્તિ ઉપર આરોપનામું થયું નથી, એક પણ ધરપકડ થઈ નથી, એક પણ નેતાને જવાબદાર ઠેરવ્યો નથી અને એક પણ તપાસપંચ રચાયું નથી.

ઉચ્ચન્યાયાલયની બેહુદી દલીલઃ

સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે બીજેપીએ આ બાબતમાં ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરી તો ઉચ્ચ ન્યાયાલયે એમ કહીને ફરિયાદ કાઢી નાખી કે “બહુ મોડું થયું છે અને પૂરાવાઓ મળશે નહીં”. જો કે ૧૯૮૪ના ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે આચરેલા કત્લેઆમને વિષે તપાસ પંચ ની વાત જુદી છે કારણ કે શિખ નેતાઓ તો “હૈયા ફૂટ્યા” છે અને તેમને ખરીદી શકાય છે.

વાસ્તવમાં જોઇએ તો આ એક ગેરબંધારણીય વાત છે કે ઉચ્ચન્યાયાલય પોતાની ધારણાના આધારે, ફરિયાદને અવગણે છે. વાસ્તવમાં ઉચ્ચ ન્યાયાલયે જ આદેશ આપવો જોઇએ કે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના, નેશનલ કોંસ્ફરન્સના જવાબદાર નેતાઓને સીધા જેલમાં જ પૂરો અને આ બંને પક્ષોની માન્યતા રદ કરો.

આવું ન કરવા બદલ ન્યાયાધીશને પાણીચૂ આપવું જોઇએ.

તમે જુઓ, બીજેપીના અમિત શાહને એક સિદ્ધ અતંકવાદી અને સિદ્ધ ગુંડાના ખૂન કેસમાં સંડોવ્યા હતા. ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ, આ સિદ્ધ આતંકવાદી અને સિદ્ધ ગુંડાના માનવતાવાદની વાતો કરે છે અને તપાસપંચ નિમાવી ન્યાયાલયમાં કેસ ચલાવે છે. ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના આ સંસ્કાર છે.

અને આવા વલણની ઉપર તાલીઓ પાડનારા મૂર્ધન્યો, કટારીયાઓ (વર્તમાન પત્રોમાં કોલમો લખનારા) અને ટીવી એન્કરો પણ છે.

તમે જુઓ છો કે મુસ્લિમો દ્વારા આતંકિત હિન્દુઓના માનવ હક્ક ની વાત કરવાથી તમને આ લોકો કોમવાદીમાં ખપાવે છે. કારણ કે હિન્દુઓ તો બહુમતિમાં છે ભલે તેઓ અમુક રાજ્યમાં અને અમુક વિસ્તારોમાં અને અમુક ગામોમાં લઘુમતિમાં હોય અને તેમના ઉપર અત્યાચારો થતા હોય અને તેમને ભગાડી મુકવામાં આવતા હોય.

આવું વલણ રાખનારા નેતાઓ જ મુસ્લિમોના કોમવાદને ઉશ્કેરે છે. આની નેતાગીરી ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસે લીધી છે.

દુઃખની વાત એ છે કે પ્રગતિશીલ મુસ્લિમ વ્યક્તિઓ નિસ્ક્રિય રહે છે.

જેઓનો દંભ અને કાર્યસૂચિ આટલી હદ સુધી વિકસિત હોય તેમની ઉપર જનતાએ વિશ્વાસ કરવો જ ન જોઇએ. રાષ્ટ્રવાદીઓનું કર્તવ્ય છે કે તેઓ આ પડકારને ઝીલી લે અને આવી વ્યક્તિઓને ઉઘાડી પાડે.

(૧.૦૨) આરક્ષણવાદ જન્મને આધારેઃ

જો કે મહાત્મા ગાંધીએ કોઈપણ જાતના આરક્ષણની મનાઈ કરેલ અને તેને માટે તેઓ ઉપવાસ ઉપર પણ ઉતરેલ. નહેરુએ જોયું કે જો આમ્બેડકરના અછૂતોમાટેના આરક્ષણને સ્વિકારી લઈશું તો ભવિષ્યમાં આનો લાભ મળી શકે તેમ છે. જો કે આમ્બેડકરે આ આરક્ષણ ફક્ત દશવર્ષ માટે જ માગેલું હતું અને તે પ્રમાણે બંધારણમાં જોગવાઈ કરેલ હતી. કારણ કે જનતંત્રમાં જે પક્ષની સરકાર દશ વર્ષ રાજ કરે તેણે આવી જાતીય અસમાનતાઓ દશ વર્ષમાં તો દૂર કરી દેવી જ જોઇએ. અને જો તે દૂર નકરી શકે તેની માન્યતા રદ કરવી જોઇએ. એમ પણ કહી શકાય કે તેવા પક્ષનો અસ્તિત્વમાં રહેવાનો મૌલિક અને નૈતિક હક્ક બનતો નથી.

હવે તમે જુઓ, આવા આરક્ષણના હક્કને નહેરુએ અને તેના ફરજંદોએ એવો ફટવ્યો કે ક્ષત્રીયો કે જેઓએ દેશ ઉપર હજારો વર્ષ શાસન કર્યું, અને પાટીદારો, કે જેઓ, વેપાર ધંધામાં ઝંપલાવી વાણિયાઓના પ્રતિસ્પર્ધી બન્યા છે, તેઓમાંના કેટલાક, જાતિને નામે પણ આરક્ષણ માગતા થયા છે અને આંદોલન કરતા થયા છે. અને તે પણ ક્યારે કે જ્યારે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓએ ૬૫વર્ષ દેશ ઉપર શાસન કર્યું. અને પછી તેઓ હાર્યા. એટલે આવા હારેલા પક્ષના નેતાઓએ જાતિગત ભેદભાવના આંદોલનોને પેટ્રોલ અને હવા આપવા માંડ્યા, તે એટલી હદ સુધી કે તેઓ રાષ્ટ્રની સંપત્તિને બાળવા માંડ્યા. કારણકે તેઓ ઇચ્છતા નથી કે દેશમાં સામાજિક પરિવર્તન આવે. એચ. પાટીદાર, મેવાણી, ઠાકોર …. આ બધા દેડકાઓ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષની પેદાશ છે.

(૧.૦૩) જાતિવાદ (જ્ઞાતિવાદ);

જેમ મુસ્લિમો વધુને વધુ રેડીકલ થતા જાય છે તેમ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓ જ્યારથી ચૂંટણીઓ થઈ ત્યારથી જાતિના આધારે ઉમેદવારો પસંદ કરતા થયા છે અને તેઓ તેને ઉત્તેજન પણ આપે છે. સમાચાર માધ્યમના મૂર્ધન્યો પણ જાતિવાદના ભયસ્થાનો સમજાવવાને બદલે અને ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના વલણને વખોડવાને બદલે જાતિવાદના આંકડાઓનું વિશ્લેષણ કરીને જે તે ઉમેદવારના વિજય ની આગાહીઓ કરે છે. વાસ્તવમાં સમાચાર માધ્યમોએ તો જનહિત અને દેશહિતને ખાતર આવા વિશ્લેષણોથી દૂર રહેવું જોઇએ. આવા વિશ્લેષણો પ્રકાશમાં આવવાથી જાતિવાદને પ્રોત્સાહન મળે છે અને જો વિજયના પરિણામો તે પ્રમાણે આવ્યા હોય તો જાતિવાદ રાજકીય હેતુ માટેનું એક મોટું પરિબળ બન્યું છે.

(૧.૦૪) પ્રદેશવાદઃ

ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે ભારત ઉપર ૬૫ વર્ષ રાજ કર્યું હોવા છતાં મોટાભાગના રાજ્યો બિમારુ રાજ્ય રહી ગયા છે. આમાં પશ્ચિમના રાજ્યોને બાદ કરતાં બધાં જ રાજ્યો આવે છે. નહેરુવીયન કોંગ્રેસે પોતાની રાજકીય ચાલને અનુરુપ બિમારુ રાજ્યને “વિશિષ્ઠ દરજ્જો” આપવાની જોગવાઈ કરી છે. આને માટે મનગઢંત અને રબરના માપદંડો બનાવ્યા છે. અને જે રાજ્યને વ્હાલું કરવું હોય તેને આ વંશવાદી કોંગ્રેસ, વિશિષ્ઠ દરજ્જો આપવાની વાતો કરે છે. જો આ વંશવાદી કોંગ્રેસ પક્ષ તે રાજ્યમાં હારી જાય તો “રામ તારી માયા” કરીને વાત વિસ્મૃતિમાં નાખી દે. જો તે રાજ્યમાં તે જીતી જાય તો કહે કે કાર્યવાહી ચાલુ કરી છે.

વાસ્તવમાં તો જે રાજ્ય પોતાને બુમારુ રાજ્ય ગણાવવા માગતું હોય તેણે લાજવું જોઇએ કે જેણે એવા પક્ષને ચૂંટ્યો કે તેણે ૬૫ વર્ષો સુધી રાજ કર્યું તો પણ તે રાજ્ય બિમાર જ રહ્યું. આવા રાજ્યના નેતાઓ લાજવાને બદલે ગાજે છે. જનતાને સ્વકેન્દ્રી અને અભણ રાખી છે. તેથી તે આવા મુદ્દાઓ ઉપર વિભાજિત થાય છે.

આવા વિભાજનથી સાવધાન રહેવાનો સંકલ્પ કરો.

(૧.૦૫) ભાષાવાદઃ

મૂળ કોંગ્રેસ કે જેણે ભારતની સ્વાતંત્ર્યની લડતમાં પોતાનું મહત્તમ યોગદાન આપેલ તેની નીતિ એવી હતી કે આમ જનતા અને સરકાર વચ્ચે સુચારુ સંવાદ થાય એટલે ભાષાવાર રાજ્ય રચના કરવી. પણ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે એટલે કે નહેરુએ રાજ્યોની રચના એવી રીતે કરી કે ભાષા-ભાષીઓ વચ્ચે વિખવાદ થાય. સિવસેના (આ પક્ષ માટે શિવ સેના શબ્દ વાપરવો એ શિવાજીનું અપમાન છે), એમ.એન.એસ., ડીએમકે, ટીએમસી, જેવા પક્ષો આવા બેહુદા ભાષાવાદની નીપજ છે.

મુંબઈ રાજ્યનું વિભાજન થયું ત્યારે એ શરત નક્કી થઈ હતી કે મહારાષ્ટ્રમાં મુંબઈનું પચરંગી પણું જાળવી રખાશે. પણ આજે “મરાઠી મુંબઈ”ના બોર્ડ ઠેર ઠેર જોવા મળે છે. પહેલાં મુંબઈના રેલ્વેના સ્ટેશનો ના બોર્ડ ત્રણ લિપિમાં લખેલા જોવા મળતા હતા. દેવનાગરી (હિન્દી-મરાઠી), ગુજરાતી અને અંગ્રેજી. પણ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે તે બોર્ડોને દેવનાગરીમાં બે વાર લખે છે. અને એકવાર અંગ્રેજી લિપિમાં લખે છે.

Paint01

ફૉન્ટ જુદા જુદા વાપરીને હિન્દી અને મરાઠીને અલગ દર્શાવે છે. હવે જો સ્થાનિક ભાષાના લોકો વાંદ્રે કહેતા હોય તો બાંદરા કે BANDARA લખવાનો અર્થ નથી. કારણ કે કાયદો એમ છે કે સ્થાનિક ભાષામાં જે રીતે બોલાતું હોય તે જ રીતે લખવું. જેમકે અમદાવાદ, વડોદરા, ભરુચ હવે અમદાવાદ, એહમેડાબાડ, અહમદાબાદ એવા ઉચ્ચારોમાં લખાતું નથી. તેવીજ રીતે વડોદરા, બડૌદા, બરોડા, તેમજ ભરુચ ભડોચ અને બ્રોચ પણ લખાતા નથી. વળી રેલ્વે વાળાને એમ પણ છે કે મરાઠી લોકો માને છે કે મરાઠી લિપિ અલગ છે. પણ વાસ્તવમાં એવું નથી ફક્ત થોડા મૂળાક્ષરો વધુ છે જેમકે બે જાતના “ચ”.  “ળ” અને વ કે વ્હ તેમાં કશું નવું નથી. અને કોઈ મરાઠી લોકોને પણ ખબર નથી કે મરાઠી લિપિ અને દેવનાગરી લિપિમાં શો ફેર છે.

આ, જે પણ હોય તે, પણ અહીં મુંબઈના પચરંગીપણાને જાળવી રાખવાના શપથનો ભંગ થાય છે. આ શઠ શપથ લેનારાઓએ જાણી જોઇને આ ભંગ થવા કર્યો છે. ગુજરાતીઓ શાંતિ પ્રિય છે અને તેઓ જ્યાં જાય ત્યાં જે તે ભાષા શિખી જાય છે અને ત્યાંના સ્થાનિક લોકોને પ્રાધાન્ય આપે છે તેથી શાંતિ જળવાય છે. સુશિક્ષિત મરાઠી લોકો પણ સરસ્વતીના પુત્રો છે. પણ મરાઠાઓએ સમજવું જોઇએ કે જો આવું બીજા રાજ્યોમાં થયું હોય તો બ્લડ શેડ થઈ જાય.

(૧.૦૬) ફોબીયા વાદ; ગાંધી ફોબીયા, મુસ્લિમ ફોબીયા

તમને એમ થશે કે આ વળી શું છે? આમાં વળી હિન્દુઓ કેવી રીતે વિભાજિત થાય?

હાજી. આમાં પણ હિન્દુઓ વિભાજિત થાય.

કેટલાક હિન્દુઓ એવા હોય છે કે “હું મરું પણ તને રાંડ કરું.

આવા હિન્દુઓ એવું દૃઢ રીતે માનતા હોય છે કે મહાત્મા ગાંધી હિન્દુ દ્વેષી અને મુસ્લિમોને આળપંપાળ કરતા હતા. જો કે આ એક જૂઠ છે. પણ જેમણે ગાંધીજીને વાંચ્યા નથી અને વાંચવામાં માનતા નથી તેઓ ગાંધીજી વિષે આવું માને છે અને માને રાખશે. પણ તેથી કરીને બીજા કેટલાક લોકો, બીજેપીને અવિશ્વસનીય માનશે, તેની આ ફોબિયાગ્રસ્ત લોકોને ખબર નથી કે અક્કલ પહોંચતી નથી. જેઓ બીજેપીને અવિશ્વસનીય માનશે, તેઓ મતદાન થી દૂર રહેશે.

કેટલાકને એવું લાગે છે કે “બીજેપીને વખાણવામાં આપણું અસ્તિત્વ જોખમાય એવું છે. એટલે આપણે તો ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસને જ સહાય કરવી પડશે પછી ભલે વંશવાદી કોંગ્રેસે  અવારનવાર ગાંધી વિચારોનું ખૂન કર્યું હોય. ગાંધી તો આખરે એક શરીર ધારી હતા અને વિચાર પણ શરીરમાંથી ઉદ્‌ભવે છે તેથી વિચાર માત્ર, શરીરનો એક ભાગ જ છે ને! આર.એસ.એસ. વાળાએ ગાંધીજીના શરીરનું ખૂન કર્યું છે તે વાત ભલે ઉક્ત વંશવાદી કોંગ્રેસે આધારહીન રીતે ફેલાવી હોય, પણ તેને જનતાની સ્વિકૃતિ મળી છે એવું જ્યારે રાહુલ ગાંધી જેવા પણ સ્વિકારે છે તો આપણે વળી કઈ વાડીના મૂળા? માટે જ્યાં સુધી વર્તમાન પત્રોમાં વર્તમાન પત્રોના માલિકોના એજન્ડા પ્રમાણે આપણું અસ્તિત્વ ચાલુ રાખવાની જોગવાઈ છે તો આપણે બીજેપીની કુથલી, ચાલુ જ રાખો ને… બીજું કારણ એ છે કે …

“હવે આપણે ગઢ્ઢા (વૃદ્ધ) થયા છીએ તો આપણે જીવવામાં હવે કેટલા દિવસ બાકી રહ્યા? શા માટે આપણે ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસની ફેવર ન કરવી? ભલે એમની આરાધ્ય દેવીએ આપણને વિના વાંકે અનિયત કાળ માટે જેલમાં પૂર્યા હોય. ભલે આપણા ગુરુઓને એટલે કે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ જેવાને પણ છોડ્યા ન હોય. પણ પોલીટીક્સમાં તો એવું ચાલ્યા કરે જ છે ને. “ક્ષમા વિરસ્ય ભૂષણમ્‌”. તો હવે આપણે પણ આપણી વીરતા સિદ્ધ કરવા માટે ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસને સહાય કરો. આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના દુર્ગુણો ભલે હિમાલય જેવડા હોય, તે વિષે આપણે મૌન રહેવું અને બીજેપીનો ફોબીયા ચાલુ રાખવો. બોલવા લખવામાં રા.ગા.ને આપણે ગુરુ માનવા. ઇતિ.

આવા ફોબિયા ગ્રસ્તની ચૂંગાલમાં પડવું નહીં એવો સંકલ્પ કરો.

(૧.૦૭) અંગ્રેજોએ ચાલુ કરેલા ગતકડાંવાદને પ્રોત્સાહનઃ

તમને એમ થશે કે આ વળી શું?

અંગ્રેજ સરકારે ભારતનો ઈતિહાસ લખ્યો. અંગ્રેજી ભાષાને વહીવટી ભાષા રાખી જેથી મોટી પોસ્ટ ઉપર અંગ્રેજોને ગોઠવી શકાય. અને અંગ્રેજોની શ્રેષ્ઠતાને સ્વિકારનારાઓની એક ભારતીય ફોજ તૈયાર કરી શકાય. આ ઈતિહાસે ભારતને ઉત્તર, દક્ષિણ, અને પૂર્વમાં વિભાજિત કર્યું. જેની અસર એ થઈ કે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ના લોકો પોતાને ભિન્ન માનતા થઈ ગયા. અને સૌ વિદ્વાનો, જે કોઈ, આનાથી ઉંધી વાત કરે તો તેને, કટ્ટર હિન્દુ માનતા થઈ ગયા.

બીજેપીને કટ્ટર હિન્દુઓનો પક્ષ માનવાનું અને મનાવવાનું કામ આ રીતે સરળ બન્યું. ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે આ સિદ્ધાંત અપનાવી લીધો અને બીજા ક્ષેત્રોમાં પણ લાગુ કર્યો.

એ કેવી રીતે?

(૧.૦૮) ગતકડાં વાદના બીજા ક્ષેત્રો

કેટલાક માણસો પોતાની માન્યતાઓના ગુલામ છે. માન્યતાઓના ગુલામ એટલે શું?

કેટલાક લોકો ધર્મને રાજકારણથી પર માને છે.

કેટલાક લોકો શ્રદ્ધાને વિજ્ઞાનથી ભીન્ન માને છે.

કેટલાક લોકો આવું નથી માનતા.

કેટલાક લોકો અદ્વૈત વાદમાં માને છે.

કેટલાક લોકો અદ્વૈતવાદમાં માનતા નથી.

કેટલાક લોકો “સર્વહક્ક સમાન” માં માને છે. કેટલાક લોકો “સ્ત્રી અને પુરુષો”ના હક્કની સમાનતામાં માનતા નથી. તો કેટલાક લોકો વળી તેના ઉપર નિયમનમાં માને છે.

મી ટુ, સબરીમાલા, બુરખા, દાઢી, ટોપી, અમુક દિવસે માંસ બંધી, ફટાકડા, ફુલઝર, લાઉડ સ્પીકર, સજાતીય સંબંધ, દુષ્કર્મ, જનોઈ ધારી બ્રાહ્મણ, મંદિર પ્રવેશ, મહિલાઓનો મસ્જિદ પ્રવેશ …. આ બધું ચગાવો. અમુક નેતાઓ પોતાનો અભિપ્રાય આપવાની લાલચ રોકી શકશે નહીં. તેમાંથી કોઈક અભિપ્રાય આપવામાં ગોથું ખાશે.

બસ. જેવું કોઈ નેતાએ ગોથું ખાધું કે તમે આ તક ઝડપી લો. અને તેને તે નેતા જે પક્ષનો હોય તે પક્ષ સાથે જોડી દો. ભલભલા વિદ્વાનો તૂટી પડશે. આ ને ખૂબ ચગાવો. આદુ ખાઈને આવા મુદ્દાઓને ચગાવો. સમાચાર પત્રોમાં અને ટીવી ચેનલોમાં પ્રમાણભાન રાખ્યા વગર, સાચા ખોટાની ચકાસણી કર્યા વગર, જાહેરાતોની જેમ છાપ્યા કરો. કેટલાક તો માઈના લાલ નિકળશે જે બીજેપીને અથવા રાજકારણ માત્રને નિરર્થક માનશે અને મતદાનથી દૂર રહેશે.

મતદાનથી દૂર રહેવું એ પણ વંશવાદી કોંગ્રેસને/તેના સાંસ્કૃતિક સાથી પક્ષોને મત આપ્યા બરાબર છે.

સર્વોચ્ચ અદાલતોના ન્યાયધીશોએ વિશ્વસનીયતા ગુમાવી છે. પક્ષ સર્વોચ્ચ કે પક્ષના સદસ્યો સર્વોચ્ચ એ નક્કી કરવામાં તેઓએ ગોથાં ખાધા છે. સર્વોચ્ચ અદાલતના માપદંડ સમાન નથી. હિન્દુઓ અને મુસ્લિમો માટે તે ભીન્ન ભીન્ન માપદંડ રાખે છે. મસ્જીદોમાં સ્ત્રીઓને નમાજ઼ પઢવાની અનુમતિ નથી. હિન્દુઓના એકમાત્ર એવા સબરીમાલાના મંદિરમાં ૫૦ વર્ષની અંદરની સ્ત્રીઓનો પ્રવેશ નિસિદ્ધ છે. અદાલત માટે એક છૂટો છવાયો મુદ્દો, મહત્વનો કેસ બને છે કારણ કે તે હિન્દુઓને લગતો છે. જ્યારે મુસ્લિમ સ્ત્રીઓનો મસ્જિદ પ્રવેશ નિષેધ સર્વ વ્યાપક છે. પણ સર્વોચ્ચ ન્યાયધીશો તે વાતથી પોતે અજ્ઞાત છે તેવું બતાવે છે. એટલે સર્વોચ્ચ અદાલત સર્વજ્ઞ અને વિશ્વસનીય નથી તેવું આપણે સહજ રીતે જ માની શકીએ. 

તો હવે આનો ઉપાય શો?

સંકલ્પ કરો કે આવા ગતકડાંઓથી ભરમાઈ જવું નહીં. અને તેનાથી દૂર રહેવું.

(૨) સ્વકેન્દ્રી અપેક્ષાઓ

અસંતોષી નર દરેક પક્ષમાં હોય છે. જેની સ્વકેન્દ્રી અપેક્ષાઓ ન સંતોષાઈ હોય તે પોતાનું મહત્વ અને યોગ્યતા પ્રદર્શિત કરવા જો તે બીજેપીનો હશે તો તે બીજેપીના કાર્યોની ટીકા કરશે. જેમકે યશવન્ત સિંહા, જશવંત સિંહ, સુબ્રહ્મનીયન સ્વામી, રામ જેઠમલાની … વંશવાદી કોંગ્રેસીઓમાં તો બીજેપી વિરોધીઓ તો હોય જ તે આપણે જાણીએ છીએ.

કાળું નાણું તો ઘણા પાસે હોય. કોઈક પાસે થોડું હોય તો કોઈ પાસે વધુ પણ હોય. જેમની પાસે વધુ કાળું નાણું હોય તેમને વિમુદ્રીકરણથી અપાર નુકશાન થયું હોય. પણ ચોરની મા કોઠીમાં મોઢું નાખીને રુવે. એટલે પોતાને થયેલા નુકશાનની વાત તે ન કરે. પણ બહાર તો તે (પોતાનો દિકરો નિર્દોષ છે) અને સરકાર નિર્દોષોને કેવી સતાવે છે તેવો પ્રચાર કરે. મમતા, માયા, સોનિયા, લાલુ, મુલ્લાયમ, જેઠમલાણી …. વિમુદ્રીકરણનો રાતાપીળા થઈને શા માટે વિરોધ કરે છે તે આપણે સમજવું જોઇએ. જેમને થોડું ઘણું એટલે કે સહ્ય નુકશાન થયું હોય તે પણ વિરોધ તો કરે જ. યશવંત સિંહા, જશવંત સિંઘ, સુબ્રહ્મનીયન સ્વામી, મનમોહન …. નો વિરોધ આપણે સમજી શકીએ છીએ.

જો આ ન સમજાતું હોય તો આમાંના કોઈએ દેશમાં ફરતા કાળાનાણાંને સરકારી રેકર્ડ ઉપર કેવી રીતે લાવવું તેનો ઉપાય સૂચવ્યો નથી. જે નાણું દેશમાં અને વિદેશમાં સ્થાવર સંપત્તિમાં રોકાયેલું છે, તે માટે નરેન્દ્ર મોદી જુદા જુદા દેશોમાં પ્રવાસો કરી રહ્યા છે અને કરારો કરી રહ્યા છે તે આપણે જાણીએ છીએ. અને આ પ્રવાસોનો વિરોધ કોણ કરી રહ્યું છે તેની ઉપર તમે ધ્યાન રાખો.

(૩) ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ

આઈ.એન.સી.એ ૧૯૪૮થી જે મૂર્ખતાઓ કરી, જે કૌભાન્ડોની હારમાળાઓ કરી, અને જે જૂઠાણાઓ ફેલાવ્યા તે આપણે જાણીએ છીએ. તેમના સહયોગીઓ કોણ છે તે પણ આપણે જાણીએ છીએ. કોના ઉપર કેસ ચાલે છે અને કોણ કોણ જમાનત ઉપર છે તે પણ આપણે જાણીએ છીએ. આવા લોકો ભેગા થઈ જાય તો શુદ્ધ થઈ જાય એવી વાત મગજ માં ઉતરે તેવી નથી. કારણ કે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરી વાળું યુ.પી.એ.ના દશ વર્ષના સંગઠને તેમના શાસન દરમ્યાન કેટલાં બધાં ખૂલ્લે આમ કૌભાણ્ડો કર્યા તે આપણે જાણીએ છીએ.

પંચતંત્રની એક વાર્તામાં આવે છે ચાર મૂર્ખ પંડિતો જતા હતા. રસ્તામાં નદી આવી. તેમને સમસ્યા થઈ કે હવે નદી પાર કેવી રીતે કરવી? એક મૂર્ખ પંડિતે કહ્યું

“આ ગમિષ્યતિ યત્પત્રં તત્‌ તારિષ્યતિ અસ્માન”

એટલે કે જે પાંદડું તરતું તરતું આવી રહ્યું છે તે આપણને તારશે. એમ કહીને તે પંડિત, તે પાંદડા ઉપર કૂદી પડ્યો.

આવી માન્યતાઓ આપણા કેટલાક મૂર્ધન્યો, પ્રછન્ન અને પ્રત્યક્ષ રીતે ધરાવે છે.

આવી માન્યતાઓથી આપણે દૂર રહેવું.

(૪)  લોકશાહીની સુરક્ષાઃ

કેટલાક વિદ્વાનો માને કે લોકશાહીની સુરક્ષા માટે સબળ વિરોધ પક્ષ અનિવાર્ય છે. કેટલાકને આ દલીલ શીરાની જેમ ઉતરી જાય છે. હાલના તબક્કે ઉપરોક્ત માન્યતાને મઠારવા જેવી છે કે સબળ વિરોધ પક્ષ નહીં પણ સબળ વિરોધની જરુર છે. આજના સબળ સોસીયલ મીડીયાના જમાનામાં દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય સરકારને પહોંચતો કરી શકે છે. અને વિરોધનું કામ તર્ક સંગત હોવું જોઇએ. હાલ તો એવી સ્થિતિ છે કે વિરોધ પક્ષમાં બેઠેલી વંશવાદી કોંગ્રેસ એમ કહે છે કે વિરોધ પક્ષમાં છીએ એટલે વાણી વિલાસ દ્વારા વિરોધ વ્યક્ત કરવાની પ્રવૃત્તિ જ અમે તો કરીશું અને તમે થાય તે કરી લો, અમે સંસદ ચાલવા જ નહીં દઈએ.

વિરોધ કરવામાં સારા નરસાની સમજ ન ધરાવતો અને ભાષા ઉપર બળાત્કાર કરનાર વિરોધ પક્ષ ચૂંટાવાને પણ લાયક નથી. જ્યાં સુધી પચાસના દશકામાં હતો તેવો નીતિમાન નેતાઓનો પક્ષ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી હાલના વિપક્ષ ઉપર ભરોસો કરવો અને તેને ચૂંટવો તે લોકશાહી ઉપર બળાત્કાર ગણાશે અને ખોટી પ્રણાલીઓ પડશે.

વિરોધ પક્ષ આપોઆપ જ પેદા થશે. આપણે રાહ જોવાનો સંકલ્પ કરીએ.

(૫) નરેન્દ્ર મોદીનો તેના જેવો વિકલ્પ નથી.

જો સદંતર ભ્રષ્ટ એવા ઇન્દિરા-નહેરુવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.)ને ૩૫+ વર્ષ નિરપેક્ષ બહુમતિ શાસનના આપ્યા હતા અને ૩૦ વર્ષ બહુમતિ શાસનના આપ્યા હતા તો અણિશુદ્ધ એવા નરેન્દ્ર મોદીને/બીજેપીને ૨૦ વર્ષ તો આપીએ જ તેવો સંકલ્પ કરો.    

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

કાકસ્ય ગાત્રં યદિ કાંચનસ્ય, માણિક્ય-રત્નં યદિ ચંચુદેશે,

એકૈક-પક્ષં ગ્રથિતં મણીનાં, તથાપિ કાકો નહિ રાજહંસઃ

કાગડાનું શરીર સોનાનું હોય, તેની ચાંચમાં માણેક અને રત્ન હોય,

તેની એક એક પાંખમાં મણી જડેલા હોય, તો પણ કાગડો, કાગડો જ રહે છે. કાગડો રાજહંસ બની જતો નથી. ભ્રષ્ટ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) પક્ષ સુધરી જશે તે માનવું ભૂલ ભરેલું છે.

Read Full Post »

ફક્ત ભારતવર્ષ જ નહીં પણ જમ્બુ દ્વીપ સંઘની વાત કરો.

CHANAKYA 01

દેશને વિભાજીત કરનારા અર્થઘટનો અને વેદપ્રતાપ

જેઓને અફવાઓ ફેલાવવી છે, રાજકારણ રમવું છે, લાઈમ લાઈટમાં રહેવું છે અથવા અને જે સમાચાર માધ્યમો કે જેમને વ્યુઅરશીપ વધારવી (કે વાચકવર્ગ વધારવો) છે તેઓને જીવતા રહેવા અનર્થકારી અર્થઘટનો કર્યા સિવાય છૂટકો નથી.

આપણા આ કે તે ગુજરાતી સમાચાર પત્ર પણ તેમાંથી બકાત રહે એવું માનવું જરુરી નથી. કારણ કે કોઈ વાત અને કોઈ મુલાકાત ત્યારે જ ચગે જો તેને આંચકા આપે તેવા શબ્દોમાં ગોઠવવામાં આવે.

જો તમે વેદપ્રતાપનો આખો સંવાદ આંભળો તો તમને દેશ હિત વિરુદ્ધનો કોઈ સંદેશ મળશે નહીં તેમજ કોઈ વિભાજનવાદી સંદેશ પણ મળશે નહીં.

ધારો કે કોઈ એમ કહે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ વૈમનશ્ય હતું નહીં. પણ અંગ્રેજોએ તેમની વચ્ચે વૈમનશ્યને ઉત્પન્ન કર્યું. અંગ્રેજોએ કેવી રીતે આમ કર્યું તે આપણે સૌ હિન્દુઓ અને મુસ્લિમો સુપેરે જાણે છે અને સમજે છે. તેથી તેની ચર્ચાની જરુર નથી. એ કોઈ સાંસ્કૃતિક વિડંબણા ન હતી. પણ સત્તાની સાઠમારી હતી. દેશનું કમભાગ્ય હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ વહેલા મૃત્યુ પામ્યા. જો આ ન બન્યું હોત તો દેશ ફરીથી અખંડ થઈ ગયો હોત.

મોગલ યુગ પણ એક સુવર્ણ યુગ હતો
મોગલ યુગ એ કોઈ ગુલામી ન હતી. મુસ્લિમો હિન્દુઓ સાથે હળી મળી ગયા હતા. મુસ્લિમો ભારતને પોતાનો જ દેશ સમજતા હતા. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનશ્ય ન હતું એમ કહેનારા એક હજાર ઉદાહરણો આપી શકે છે અને છેલ્લે એક એવું ઉદાહરણ આપે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુઓ અને મુસ્લિમો એકજૂટ થઈ અંગ્રેજો સામે લડ્યા હતા. ઔરંગઝેબના અંતિમ વર્ષોથી મુગલ સામ્રાજ્યનું પતન શરુ થઈ ગયું હતું. મોગલવંશનો છેલ્લો બાદશાહ, બહાદુરશાહ જફર એક નામમાત્રનો બાદશાહ હતો. આ બાદશાહની સત્તા લાલકિલાની દિવાલો સુધીની હતી. આમ હોવા છતાં પણ સર્વે રાજાઓ કે જેમાં હિન્દુ રાજાઓ અને મુસલમાન રાજાઓ બંને સંમિલિત હતા, તે સૌએ સર્વાનુમતે નક્કી કરેલ કે મુગલવંશના સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવી અને સૌ રાજાએ બહાદુરશાહ જફરની આણમાં રહેવું. આ વાત દર્શાવે છે કે મુગલ સામ્રાજ્ય જે મુસલમાનોનું હતું અને મુગલયુગ ભારતના અનેક સુવર્ણયુગોમાંનો એક સુવર્ણયુગ હતો, અને હિન્દુઓ ઉપર અનેક અન્યાયો અને અત્યાચારો નોંધાયા હોવા છતાં પણ જ્યારે સારાખોટાનો સરવાળો કરીએ ત્યારે સુરાજ્યનું પલ્લું નીચે જતું હતું અને તેના પરિણામ સ્વરુપ ઓગણીસમી સદીની શરુઆતથી તેના મધ્યભાગ સુધી સૌ લોકોએ એક મતે મુગલવંશની પુનઃસ્થાપનાનો નિર્ણય લીધેલો. આમાં ફક્ત મુસ્લિમ રાજાઓ જ નહીં પણ મરાઠા અને રજપૂત રાજાઓ પણ સામેલ હતા. આથી એક નિશ્ચિત તારતમ્ય નિકળે છે કે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કશું વૈમનશ્ય હતું નહીં. હવે જો કોઈ આવી વાત કરે તો આજના સમાચાર માધ્યમો એવો વિવાદ ઉભો કરે કે ફલાણા ફલાણા (બીજેપીના) નેતા ભારતમાં મુગલ સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવા માગે છે. જે મુસલમાનોના અનેક આતંકી જુથો છે તેમના પ્રતિ તેઓશ્રી હળવું વલણ લેવા માગે છે. જે સમુદાયના આતંકીઓએ હજારો નિર્દોષોની હત્યા કરી છે અને લાખોના જીવન પાયમાલ કર્યા છે તેમને દેશનીધૂરા સોંપવા માગે છે. ભારતમાં તેઓ શરિયત અને મુલ્લાઓનું રાજ લાવવા માગે છે. બુરખાઓથી સ્ત્રીઓની સ્વતંત્રતા રોકવા માગે છે. આ ગદ્દારીનું કામ છે. તેમને ગિરફ્તાર કરી તેમની ઉપર દેશદ્રોહનો આરોપ ચલાવવો જોઇએ. આપણા નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના સાંસ્કૃતિક મળતીયા પક્ષના નેતાઓ પણ આવી જ વાત કરશે.

વેદ પ્રતાપ અને દંભી નેતાઓની માનસિકતા સમજો
દંભી નેતાઓની માનસિકતા કેવી છે?

જો કોઈ એક નેતાએ જો નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ વિષયક કાર્યવાહીની પ્રશંસા કરી હોય તો તે મુસ્લિમોને ભારતીય સામાન્યપ્રવાહમાં મેળવવાની વાત જ ન કરી શકે. તે મુસ્લિમો વિષે વાત કરવાની સઘળી લાયકાતો ગુમાવે છે. આવી વૈચારિક ધારાવાળા દંભી બીનસાંપ્રદાયિકોએ મુસ્લિમોના નેતાઓની ધર્મને નામે માનસિક તુષ્ટીકરણ કરીને ધર્માંધ નેતાઓને માનવધર્મથી વિમુખ કર્યા છે. આ બાબતમાં તેઓ પુનર્વિચાર કરવા જરાપણ તૈયાર નથી. સમાચાર માધ્યમો તો સમાચારોને વિકૃતરીતે રજુ કરી તેનો વ્યાપાર કરે છે.

દંભી બીનસાંપ્રદાયિકોની આવી વિકૃત માનસિકતા કેવી રીતે ઉત્પન્ન થઈ?

જો આના મૂળ શોધવા જઈએ તો જેમ દરેક રાજકીય અને સામાજીક વિકૃતિના મૂળ નહેરુ અને નહેરુવંશ તરફ દોરી જાય છે તેમ ઉપરોક્ત વૈચારિક વિકૃતિના મૂળ પણ નહેરુ અને નહેરુવંશ જ છે.

સમાજવાદને નામે ઉત્પાદન ઉપર નિયંત્રણ,

લાયસન્સ અને પરમીટનું રાજ રાખવું,

અછતગ્રસ્ત પરિસ્થિતિ જ રાખવી,

બને ત્યાં સુધી બધું સરકાર હસ્તક રાખવું,

બેકારી રાખવી શિક્ષણનો વિસ્તાર ન થવા દેવો, જેથી સામાન્ય જનતા પોતાની સમસ્યાઓમાં જ ગુંચવાયેલી રહે,

સમસ્યાઓ વિષે અગર જવાબ દેવાનું આવે તો ઓળઘોળ કરીને બધો દોષ “વસ્તી વધારા” ઉપર ઢોળી વિરોધાભાષી વાતો કરવી,

નહેરુ પોતે બદામ અને બ્રાન્ડી ઉપર જીવનારી મરઘીના ચિકનના શોખિન હતા, રોજના ૨૫૦૦૦ હજારનો તેમનો ખર્ચ હતો. ૧૯૫૫માં સોનું ૮૦ રુપીયે દશ ગ્રામ હતું. આજે ૨૭૦૦૦ રુપીયે દશગ્રામ છે. એટલે આજના હિસાબે તે ખર્ચ, રોજનો ૮૪ કરોડ ૪૦ લાખ રુપીયા થયો. આ નહેરુ, આખા દેશને સમાજવાદના પાઠ ભણાવતા હતા. સરદાર પટેલે પોતાના સરકારી ક્વાર્ટરમાં કોઈ રસોયો પણ રાખ્યો ન હતો અને રસોઈનું કામ મણીબેન કરતા હતા. સરદાર પટેલ રોટલો અને રીંગણાનું શાક ખાતા હતા. આ સરદાર પટેલને નહેરુના ચેલકાઓ મૂડીવાદના પીઠ્ઠુ કહેતા હતા.

મહાત્મા ગાંધીનો રોજનો ખર્ચ બે પૈસા હતો અને નહેરુને મન તે ડોસો દંભી અને નાટકીયો હતો. (આ બાબતનો સંદર્ભ આ વેબસાઈટ ઉપર અન્યત્ર આપેલો છે.)

ઈન્દીરા ગાંધીના વિરોધાભાસોનો તૂટો નથી.

આ સૌ દંભી બીનસાંપ્રદાયિકતાવાદીઓનો હેતુ ફક્ત એ જ હતો અને છે કે તેમના સિવાય અન્ય કોઈનો મુસ્લિમો સાથે સૂમેળ માટે સંવાદ કરવાનો અધિકાર નથી. બીજાઓ જો આવું કંઈપણ કરશે તો તેમને દેશદ્રોહી ગણવામાં આવશે. આમેય આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ બીજેપી અને નરેન્દ્ર મોદીને સમાજને તોડનારા અને દંગા ફસાદ કરનારા કહે જ છે. ઈન્દીરાઈ નીતિ એ રહી છે કે કોઈ આપણને કાણા કહે તે પહેલાં આપણે તેમને કાણા કહેવાનું શરુ કરી દેવું.

વેદપ્રતાપ એક એવા પત્રકાર અને રાજકીય વ્યક્તિ છે જેમનો સંબંધ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ સાથે બીજેપીના અને તેના નેતાઓ કરતાં અનેક ગણો વધારે નિકટનો રહ્યો છે. તેઓ ઈન્દીરા ગાંધી અને નરસિંહરાવની ઘણા નજીક હતા. આ વાતને નહેરુવીયન કોંગ્રેસીઓ નકારી શકતા નથી. પણ હાલના સમયમાં તેઓ તેને છૂપાવવામાં માને છે.

વેદપ્રતાપની સામે આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ કેમ પડ્યા છે?

કારણ ફક્ત એ જ છે કે આ ભાઈશ્રીએ નરેન્દ્ર મોદીની નીતિના વખાણ કરેલ. દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ની માનસિકતા એવી છે કે જો તમે નરેન્દ્ર મોદીના વખાણ કરો તો તમારા બધા જ સંચિત પૂણ્યો નષ્ટ થઈ જાય છે અને તેટલા જ જત્થામાં પાપનું પોટલું તમારા માથે આવી જાય છે.

દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ આ બાબતમાં તર્કને ગાંઠતા નથી. વારંવારનું ગાલીપ્રદાન એ જ એમનો તર્ક છે. એટલે વેદપ્રતાપે ઈન્દીરાથી શરુ કરી મનમોહન સુધીના જે પૂણ્ય કર્મો સંચિત કરેલા એ બધા પૂણ્ય કર્મો આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ભૂલી જઈ શકે છે.

અડવાણી જો જીન્નાની મજાર ઉપર માથું ટેકવે તો અડવાણીને “લઘુમતિનું તૂષ્ટિકરણ” સાથે જોડી દેવામાં આવે છે અને હિન્દુધર્માંધ લોકો અડવાણીની ઉપર છાણા થાપે છે તો પછી આ વેદપ્રતાપ વળી કઈ વાડીનો મૂળો.

વેદપ્રતાપની વાત શું છે?

એક કોંગી નેતા સાથે એક મંડળી પાકિસ્તાન ગઈ. તેમાં વેદ પ્રતાપજી પણ હતા. વેદપ્રતાપજી, કોંગી નેતાની મંજૂરીથી ત્યાં વધુ રોકાયા. તેમણે, એક આતંકવાદી જુથના નેતા સાથે મુલાકાત કરી અને સંવાદ કર્યો.

આમ તો રવિશંકર મહારાજ, જયપ્રકાશ નારાયણ જેવા ઘણા મહાનુભાવો થઈ ગયા જેમણે ડાકુઓની મુલાકાત લીધેલી અને સંવાદ કરેલા. પણ એ બધું આ દંભી લોકો જાણી જોઇને ભૂલી જાય છે.

આ દંભી બીનસાંપ્રદાયિકોનું કહેવું છે કે આ વેદપ્રતાપ કંઈ એવા કોઈ સંત નથી. વેદપ્રતાપ એવી લાયકાત પર ધરાવતા નથી કે એમણે એવું માનવું પણ ન જોઇએ કે તેમનામાં તેવા ગુણો છે કે તેઓ આ આતંકવાદીનેતાનું હૃદય પરિવર્તન કરી શકે.
એટલું જ નહીં વેદપ્રતાપ પોતે પણ કહે છે કે તેઓ આતંકવાદી નેતાને તેનું હૃદય પરિવર્તન કરવા માટે મળવા ગયા ન હતા.

હવે જો આમ જ હોય તો તેઓ શા માટે આ આતંકવાદીનેતાને મળવા ગયા હતા?
શું તેમને નરેન્દ્ર મોદીએ મોકલ્યા હતા?
તેઓ શું ભારત સરકારના દૂત હતા?
શું તેમને એવા અધિકાર હતા કે તેઓ આતંકવાદી નેતા સાથે વાટાઘાટો કરી કરી શકે?
એક એવી વ્યક્તિ કે જેની ઉપર ઈનામ રાખવામાં અવ્યું છે, તેની સાથેની આ મુલાકાત ખાનગી કેમ રાખી?
શું તેઓ એક પત્રકાર તરીકે ગયા હતા?
જો આમ હોય તો તેમણે તેનો અહેવાલ કેમ લખ્યો નથી અને આ અહેવાલ જો લખ્યો હોય તો કોને આપ્યો અને કયા સમાચાર પત્ર કે ટીવી ચેનલને આપ્યો.

આપણી એક ખ્યાતનામ ટીવી ચેનલના એક વરિષ્ઠ અને ખ્યાતનામ એંકરભાઈએ આવા અને આથી પણ બેહુદા સવાલો વેદપ્રતાપને પૂછ્યા. આ એંકરભાઈ (અર્ણવભાઈ), પોતાને બહુ હોંશિયાર માને છે તેઓશ્રી ખબરપત્રી અને પત્રકાર વચ્ચેનો ભેદ પણ સમજતા ન હતા. આ બાબતે તેઓ સકંજામાં આવી ગયેલ પણ વેદપ્રતાપના ટિકાકાર આમંતત્રિતોની બહુમતિમાં તેમનું પત્રકારિત્વનું પાયાનું અજ્ઞાન છૂપાવી દેવામાં આવ્યું.

ટીવી ચેનલ ઉપર ચર્ચા માટે આમંત્રિત દંભી બીનસાંપ્રદાયિકો જેમાં નહેરુવીયન કોંગ્રેસીઓ અચૂક હોય જ તેમણે પણ વેદપ્રતાપ ઉપર પસ્તાળ પાડવાની કોશિસ કરી.
આમાંના કોઈએ પણ વેદ પ્રતાપે વાસ્તવમાં અક્ષરસહ આતંકવાદી સાથે શું વાત કરી અને કયા સંદર્ભમાં વાત કરી, તેની જણકારીમાં રસ લીધો ન હતો. કદાચ તેમને એ અવગણવું જ વધુ પસંદ હતું.

ભારતીય જનતા પક્ષના નેતાઓ જેઓ ચર્ચા માટે આવેલ તેમને તો કશી માહિતિ પણ હોય તેવું લાગ્યું નહીં. તેથી તેઓ બચાવ પક્ષમાં આવી ગયા. શિવસેનાવાળા આમેય ચક્રમ છે અને તેઓ વધુ એકવાર ચક્રમ સાબિત થયા. અને આજની તારિખ સુધી ચક્ર્મ સાબિત થતા રહ્યા છે. મુદ્દાની સમજને બદલે મુદ્દાવગરની અને તર્ક વગરની ટીકા કરવામાં અને તારવણીઓ પ્રદર્શિત કરવામાં આપણા સમાચાર માધ્યમો અને દંભી બીનસાંપ્રદાયિકોને વધુ રસ હોય છે.

નહેરુએ એક બિનજોડાણ વાળા દેશોનું સંગઠન બનાવેલ. વળી તેમણે ચીન આથે પંચશીલનો કરાર પણ કરેલ.

તેવી જ રીતે ઈન્દીરા ગાંધીએ સાર્ક (સાઉથ એશિયા એસોસીએશન ઓફ રીજીઓનલ કો ઓપરેશ) સ્થાપેલું. આજ ઈન્દીરા ગાંધીએ રશિયા સાથે આંતરિક અને બાહ્ય સમસ્યાઓ માટે સલાહ સહકાર અને મસલતો માટે પણ એક કરાર કરેલ.

જેમ ચીન સાથેના કરારનો ફજેતો થયેલ તેમ રશીયા સાથેના કરારથી ભારત અને રશિયા વચ્ચે શી પરદર્શિતા થઈ તે ભગવાનને પણ ખબર નથી.

આ બધા નહેરુવીયન કરારો અને સંગઠનો આમ તો વર્તમાન પત્રોમાં વાહવાહ કરાવવા માટે હોય છે. વાસ્તવમાં શોભાના ગાંઠીયા જેવા પણ ન હોતા નથી. ફાયદો તો એ હોય છે કે નેતાઓ, પત્રકારો અને સરકારી અફસરો જનતાના પૈસે વિદેશની લટારો મારી શકે છે.

હવે નરેન્દ્ર મોદી આવ્યા છે.

નરેન્દ્ર મોદી કંઈક આવતી કાલનું કે પરમ દિવસનું જ નહીં પણ તેના પછીના દિવસોનું પણ વિચારે છે. આથી કેટલાક નરેન્દ્ર મોદીના પ્રશંસક બન્યા હોય અને તેમને કંઈક વધુ પાનો ચડી ગયો હોય તો તે વાતને નકારી ન શકાય.

વેદપ્રકાશજી આમાંના એક હોઈ શકે?

હાજી. તેઓશ્રી આમાંના એક હોઈ શકે, તે વાત નકારી ન શકાય. જોકે વેદપ્રકાશે જે કર્યું તેમાં કશું ખોટું નથી. જો તમારે તમારા દુશ્મનનું કે દોસ્તનું મન કે તેની વાત સમજવી હોય તો એક સમાન કંપન (ફ્રીક્વન્સી = વિચાર) પર આવવું પડે. સામેની વ્યક્તિના અસંતોષ કે અન્યાય કે સમસ્યા ને સમજવાની કોશિસ કરવી હોય તો તેની સાથે સહાનુભૂતિ રાખવી પડે કે તેવો ડોળ તો કરવો જ પડે. વેદપ્રકાશે થોડે ઘણે અંશે આ કામ તો કર્યું જ છે.

ધારો કે મુસ્લિમ નેતાઓ અને તેમાં પણ જેઓ ધર્માંધ છે અને આતંકી વિચારધારા રાખે છે તેઓ એમ કહે કે અમે વાસ્તવમાં તો સર્વધર્મ સમભાવમાં જ માનીએ છીએ, તો આવા અને બીજા મુસ્લિમો સહિતની મુસ્લિમ જનતા અને શાસકો સાથે ભારતને પાયાનો ભેદ શો છે?

જો મુસ્લિમો, તેઓ જે ભૂમિના અન્નજળ થી મોટા થયા છે તે ભૂમિને પોતાની માતૃભૂમિ માનતા હોય અને બીજાઓને તેમની ધાર્મિક, સામાજીક અને આર્થિક સહકાર આપવામાં સંમતિ દર્શાવતા હોય તો ભારતને તેમની સાથે બીજો કયો અને કેવો ભેદ હોઈ શકે?

સાર્કના બધાજ દેશોની સમસ્યાઓ સમાન છે.

આ સમસ્યાઓમાં, મૂખ્ય સમસ્યા ધર્મને નામે કરવામાં આવતા અત્યાચારો અને દુરાચારોની છે.

ભારત અને પાકિસ્તાન આઆ બે દેશો વચ્ચે આ સમસ્યા હોવાનું કારણ, અવિશ્વાસ છે. આ અવિશ્વાસનું કારણ એકબીજા સાથે થયેલા પ્રત્યક્ષ યુદ્ધો અને તે પછી સીમાપારના દેશોના મૂક સહકારથી ચાલુ થયેલા અપ્રત્યક્ષ યુદ્ધો છે. અપ્રત્યક્ષ યુદ્ધો સુરક્ષાની વહીવટીક્ષમતાથી અને ત્વરિત ન્યાય પ્રણાલીથી નાથી શકાય છે. પણ જનતામાં રહેલા અસંતોષના પાયામાં તો આર્થિક પરિસ્થિતિ જ હોય છે. શાસકો તેનો લાભ મતબેંકોનું રાજકારણ રમી તેને ફુલેફલાવે છે.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાણવાલેને સંત ઘોષિત કરી રાજકીય લાભ લીધેલો અને દેશને સ્વદેશી ખાલીસ્તાની આતંકવાદની ગર્તામાં ધકેલી દીધેલ. આ સ્વદેશી આતંકવાદે સીમાપારના સહકારથી સીમાપારના આતંકવાદને આપણા દેશમાં ભૌગોલિક રીતે જાળ બીછાવવામાં મદદ કરેલ. ભારતને આજે પણ આ આતંકવાદનો ભય રાખવો પડે છે.

૧૯૯૦માં કત્લેઆમનો ભોગ બનેલા ભારતીય ૫ લાખ કાશ્મિરી હિન્દુઓ, આજે પણ તેમના ઘરમાં જઈ શકતા નથી અને કાશ્મિરની બહાર તંબુઓમાં યાતનાભરી જીંદગી જીવી રહ્યા છે. આ જ કાશ્મિરના રાજકર્તાઓ સુરક્ષા સૈનિકો ઓછા કરવા માટે ભારત સરકાર ઉપર દબાણ કરી રહ્યા છે. આવા પડોશી અને દેશી મુસ્લિમનેતાઓ ઉપર ભારત કેવી રીતે વિશ્વાસ રાખી શકે?

હિન્દુ રાજાઓ

ઈશુની પહેલી સદી સુધી, હિન્દુ રાજાઓ પશ્ચિમમાં ઈરાન અને પૂર્વમાં કંબોડીયા વીયેટનામ સુધી, દક્ષિણમાં ઈન્ડોનેશિયા સુધી અને ઉત્તરમાં તિબેટ સુધી રાજ કરતા હતા. ભારતને ચીન અને ઈજીપ્ત સાથે વ્યાપારી સંબંધો હતા. આ દક્ષિણ એશિયા, પુરાણોમાં જંબુદ્વિપ તરીકે ઓળખાયો છે. ઈશુની ચોથી સદી સુધી અરબસ્તાનમાં હિન્દુ રાજાઓ રાજ કરતા હતા. ભારતવર્ષ એક દેશ તરીકે હજારો વર્ષથી ઓળખાય છે. આ ભારતવર્ષ એ બી સી ત્રીકોણ માં સમાયેલો છે જેમાં (એ) અફઘાનીસ્થાન કાશ્મિર તિબેટ, (બી) બ્રહ્મદેશ અને સીલોન (શ્રીલંકા) ને જોડતી રેખાઓથી બનેલો છે.

સુરક્ષા વ્યવસ્થા

જો અમેરિકા પોતાની સઘન સુરક્ષા વ્યવસ્થા બનાવીને આતંકી આક્રમણને ખાળી શકવામાં સફળ થઈ શકતું હોય તો નરેન્દ્ર મોદીની સરકાર પણ દેશને આતંકી હુમલાઓથી સુરક્ષિત કરી શકે છે. આ દક્ષતા તેણે ગુજરાતમાં સિદ્ધ કરી બતાવી છે. આ પછી, દેશ સામે જે પ્રશ્ન રહે છે તે ભણતર, બેકારી અને સુવ્યવસ્થાનો જ રહે છે. આ પ્રશ્નો તો તમારી દક્ષતા અને નિયત ઉપર જ અવલંબે છે. પ્રાકૃતિક અને માનવીય સંપદાથી ભરપૂર ભારત દેશમાં આ પ્રશ્ન હોઈ જ ન શકે.

બે દેશો વચ્ચેની રેખા એ એક અપ્રાકૃતિક રેખા છે. સાંસ્કૃતિક રીતે બે દેશોને કોઈ રેખા વિભાજીત કરે તેવું કશું રહ્યું નથી. જે થોડી ઘણી વાતો થાય છે તે જનતાની સમાસ્યાઓને સુલઝાવવાની નિસ્ફળતાને છૂપાવવા માટે થાય છે. જે પ્રણાલીઓ છે તે ભૌગોલિક સ્થિતિને કારણે અને વિરાસતમાં મળી હોવાને કારણે જીંદગી સાથે વણાઈ ગયેલી હોય છે. તે કદી માણસને જુદા કરતી નથી પણ આનંદમાં સહભાગી બનાવે છે. પતંગોત્સવ, નવરાત્રી, હોળી, નવુંવર્ષ, જેવા અનેક તહેવારો સહુ સાથે મળીને ઉજવે છે.

જો દરેકને પોતપોતાની રીતે ઈશ્વરની ઉપાસના કરવાની છૂટ્ટી કબૂલ રાખવામાં આવી હોય તો વિખવાદની કોઈ શક્યતા રહેતી નથી.

ધારો કે નરેન્દ્ર મોદીએ ભારતમાં બધા ક્ષેત્રોમાં વિકાસ કર્યો તો શું સમસ્યાઓમાં પૂર્ણ વિરામ આવી જશે?

નાજી.

તમે સુખી હો અને તમારો પડોશી દેશ દુખી હોય તે અમાનવીય અને અપ્રાકૃતિક છે. જો કોઈ દેશ આ વાત ને સ્વિકારશે નહીં તો તેના ઉપર આપત્તિ જરુર આવવાની છે. આ આપત્તિ ક્યારે આવશે, એ ફક્ત સમયનો જ સવાલ છે. પ્રકૃતિ બંનેને પાયમાલ કરશે.

જંબુ દ્વિપ

સમગ્ર જંબુદ્વિપ હજારો વર્ષ સુધી હળી મળીને રહ્યો છે. રાજાઓના રાજ્યની સીમા રેખાઓ આઘીપાછી થાય છે. દશરથને કૈકેયની પૂત્રી સાથે પરણવામાં વાંધો આવ્યો ન હતો. અશોકને સંઘમિત્રાને શ્રીલંકા મોકલવામાં વાંધો આવ્યો ન હતો. જનતાને તમે થોડો સમય એક બીજાથી અળગી કરી શકો પણ કાયમ માટે આ શક્ય નથી.
જ્ઞાન અને વિદ્યામાં થયેલા વિકાસને કારણે પૃથ્વિ નાની થતી જાય છે અને ટૂંક સમયમાં તે એક ગામડું થઈ જશે ત્યારે શાસકો પોતાની જનતાને બીજા દેશની જનતાથી અળગા રાખી શકશે નહીં.

પડોશી દેશોની જનતા વચ્ચે વિચાર અને આચારના સુમેળનો પ્રારંભ અત્યારથી જ થવો જોઇએ.

આમાં આતંર્ રાષ્ટ્રીય કક્ષાએ જંબુદ્વિપના દેશો પોતાનો સંઘ બનાવે તે પાશેરામાં પહેલી પૂણી છે.

આ બાબતનો દસ્તાવેજ ઘણી વિગતો માગી લે છે અને દરેક ભાષીઓના હિતોની સુરક્ષા માટે અને સમગ્ર દેશ અને સંઘની સુરક્ષા માટે ઘણી જોગવાઈઓ કરવી પડે. આ એક જટીલ કામ છે પણ તે અશક્ય નથી. જટીલ અને અઘરું હોવાના તેને છોડી દેવામાં આવશે તો પૃથ્વિ સુરક્ષિત રહેશે નહીં.

સરકારી વહીવટને અસરકારક બનાવવા માટે અને સુગમ કરવા માટે ભાષાવાર પ્રાંત રચના પૂરતી નથી. પણ રાજ્યોને થોડી વધુ સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપવી પડશે.

આ સ્વાયત્તતા, સ્વચ્છંદતા અને મનમાનીમાં પરિવર્તિત ન થાય (જેમ કાશ્મિરમાં સરકાર, હિન્દુઓના હિતની સુરક્ષા કરતી નથી, અને હિન્દુઓની સુરક્ષા તરફ સતત દુર્લક્ષ્ય સેવતી આવી છે) તે સામે સબળ કેન્દ્ર સરકાર પણ જોઇશે. નહેરુવીયન કોંગ્રેસની અને તેમના મળતીયા પક્ષોની સરકારોએ જનતામાં વિખવાદને પ્રોત્સાહન આપીને જનતાને તોડવાનું કામ કર્યું છે અને પ્રદેશો વચ્ચે ભેદભાવ રાખીને કામ કર્યું છે. ગુજરાત અને કેન્દ્રના થોડા અપવાદિત સરકારોના સમયને (૧૯૭૭-૮૯ અને ૧૯૯૯-૨૦૦૪) બાદ કરતા, ગુજરાત પ્રત્યે અન્યાય કરવામાં આવ્યો છે. આવી સ્વકેન્દ્રી અને સ્વપક્ષકેન્દ્રી કેન્દ્ર સરકારો દેશને પાયમાલ કરે છે આનો દેશને અનુભવ થઈ ચૂક્યો છે.

વેદપ્રતાપે જે સંઘ અને રાજ્યોની સ્વતંત્રતાની વાત કરી છે તે આ પરિપ્રેક્ષ્યમાં કરી છે. સમાચારોનો વેપાર કરનારા સમાચાર માધ્યમોને અને સ્વકેન્દ્રી શાસકોને આ વાત પસંદ ન પડે તે જનતાએ સમજી જવું જોઇએ.

ભારતવર્ષની બહુમતિ અત્યાર સુધી સહન કરતી જ આવી છે.

અફઘાનિસ્તાન ઉપર આતંકવાદી અને કટ્ટર પંથીઓનું મજબુત પરિબળ, હળી મળીને રહેવા તૈયાર થાય તેવી શક્યતા કેટલી?

પાકિસ્તાનમાંથી હિન્દુઓને ૧૯૪૭-૪૮માં બહુમોટી સંખ્યામાં ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?

૧૯૫૦ પછીના સમયમાં બ્રહ્મદેશમાંથી ભારતીયોએ ખએડી મુકવામાં આવ્યા તેનું શું?

સિલોનમાં ભારતીય અને સિંહાલી લોકો વચ્ચે વૈમનસ્ય છે અને તેણે ભારતના એક વડાપ્રધાનનો ભોગ લીધો છે, તેનું શું?

ખુદ ભારતની અંદરના કાશ્મિરમાં થી હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવેલી અને બધા જ ૫ થી ૭ લાખ હિન્દુઓને ત્યાંના મુસ્લિમ શાસકો દ્વારા ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?

પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વિદેશી મુસ્લિમો ભારતની જમીન ખરીદી રહ્યા છે અને નહેરુવીયન કોંગ્રેસી શાસકો તે ઘુસણખોરોને આર્થિક મદદ અને ભારતીય નાગરિકતા આપી રહ્યા છે તેનું શું?

ભારતના અનેક રાજ્યોમાં મુસ્લિમ બહુમતિવાળા પ્રદેશો છે જ્યાં તેઓ હિનુઓ ઉપર ભેદભાવની નીતિ અપનાવી રહ્યા છે, તેનું શું?

કેરાલામાં એક પ્રદેશમાં મુસ્લિમોની બહુમતિ હોવાને કારણે અને તેમના દબાણને કારણે તેને અલગ જીલ્લો આપવામાં આવેલ છે. આવી માગણીઓ ઠેર ઠેરથી ઉભરી રહી છે. તેનું શું?

જો ભારતના મુસ્લિમો જ અલગતા વાદી હોય તો આવા સંજોગોમાં જંબુદ્વિપના સંગઠનની વાત કેવી રીતે કરી શકાય?

આ બધું નહેરુ અને નહેરુવીયન કોંગ્રેસની મુસ્લિમ-તુષ્ટિ કરણની નીતિઓને કારણે થઈ રહ્યું છે.

કાયદાઓ તો ઘડાયા, પણ કાયદાનું રાજ ક્યાં છે? કાયદાનું રાજ લાવો

સૌ પ્રથમ ભારતને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથીઓથી મુક્ત કરવું પડશે.
આ કામ અઘરું નથી. નહેરુવીયન કોંગ્રેસે દેશને કાયદાના શાસનથી વિમુખ કરીને પાયમાલ કરેલો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મળતીયા નેતાઓ ભ્રષ્ટ છે અને તેઓ એક ય બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે, કાયદાના શાસન દ્વારા તેમની ઉપર કામ ચલાવો. તેઓની ધરપકડ કરી કોઈપણ સમયે તેમને જેલ ભેગા કરી શકાય તેમ છે.

કાશ્મિરની સ્થાનિક સરકારને પદચ્યુત કરો અને બધાજ નેતાઓને જેલ ભેગા કરો. કરણ કે તેઓએ હિન્દુઓ પ્રતિ માનવીય વર્તન કર્યું નથી.

શાહ કમિશનના અહેવાલને પુનર્જીવિત કરો અને નહેરુવીયન કોંગ્રેસીઓને વીણી વીણીને જેલ ભેગા કરો. જો ઈન્દીરા ગાંધી, વિરોધીસુરને ડામવા માટે “મીસા” અને “કટોકટી” લાવી શકે છે તો હાલની કેન્દ્ર સરકાર પણ દેશની જનતાને વિભાજીત કરનારા ગદ્દારોને સજા કરવા કાયદાઓને કડક બનાવી શકે છે. આ દેશ દ્રોહીઓ કોઈ પણ જાતની દયા માયાને પાત્ર નથી.

આ બધું કરવા માટે દેશની જનતાની સમસ્યાઓ ઉકેલવી પડશે. જનતાની સમસ્યાઓ મુખ્યત્વે કાયદાના રાજ ઉપર આધારિત છે. તેમને રોજગાર, શિક્ષણ, સારા આવાસ મળશે અને ગુનેગારો જેલભેગા થશે તો ૯૯ ટકા જનતા નરેન્દ્ર મોદીને સહકાર આપશે.

જો ભારતની શાસન વ્યવસ્થા સુધરશે તો પડોશી દેશો ઉપર પણ તેની અસર પડશે. વિઘાતક તત્વો આપોઆપ ઉગતા બંધ થઈ જશે.

આ બધા માટે નરેન્દ્ર મોદીએ ચાણક્ય નીતિ અપનાવવી પડશે.

દયા માયાની નીતિ ચાલશે નહીં.

ગેરકાયદેસર બાંધકામો, જનતાની જમીન ઉપરના દબાણો, સીમાપારથી અને સીમાની અંદર ચાલતા જમીન માફિયાના અને દાઉદના અસામાજીક નેટવર્કને નાબુદ કરવામાં નહીં આવે ત્યાંસુધી જનતાને સરકાર ઉપર વિશ્વાસ બેસશે નહીં.
મોદી સરકારે પોતાની પ્રાથમિકતાઓ સમજવી પડશે.

જો અત્યાર સુધીની ટેલીવીઝનની સીરીયલોમાંથી કોઈ શ્રેણીને શ્રેષ્ઠ ટીવી શ્રેણી કહેવી હોય તો તે “ચાણક્ય”ની શ્રેણીને શ્રેષ્ઠ કહી શકાય. આ શ્રેણીમાં દરેક રાજકીય સમસ્યાઓના સમાધાન અભિપ્રેત છે. આ શ્રેણી કોંગી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી હતી. પણ યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ છે. આ શ્રેણી જરુર જુઓ.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વેદપ્રતાપ, મુસ્લિમ, હિન્દુ, લઘુમતિ, સાર્ક, સંઘ, નહેરુવીયન, વંશ, કાશ્મિર, પૂર્વોત્તર, ભારત, જમ્બુદ્વિપ, ઈન્દીરા, નહેરુ, મોગલ, ૧૮૫૭, બહાદુરશાહ જફર, મરાઠા, રાજપૂત, સુવર્ણયુગ, ઈરાન, અરબસ્તાન, બિનસાંપ્રદાયિકતા, દંભી, આતંકવાદી

Read Full Post »

બાર વરસે બાવો બોલ્યો “… દુકાળ પડશે …”

લોકો નાખુશ થયા. પણ બાવાના ભક્તો ખુંશ થયા. “અરે વાહ .. ગુરુજી બોલ્યા. કેવું સરસ અર્થપૂર્ણ બોલ્યા … કેવા સરસ આર્ષદ્રષ્ટા છે … ધન્યભાગ્ય અને ધન્ય ઘડી…”

આવું જ કંઈ આપણા મનમોહનસિંહ વિષે થયું. આપણા એક બહુ વાચકગણ ધરવાતા દૈનિકના ના તંત્રીશ્રી એ શ્રી મનમોહનસિંહના તાજેતરના ઉચ્ચારણો ઉપર કંઈક આવીજ અભિભાવુક અભિવ્યક્તિ પ્રદર્શિત કરી. તેથી દુઃખ થયું અને આશ્ચર્ય પણ થયું.

સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર:

મનમોહન સિંહજી બોલ્યા કંઇક એવી મતલબનું બોલ્યા કે સર્વોચ્ચ અદાલતે આમાન્યામાં રહેવું જોઇએ. અને પોતાની મર્યાદામાં રહેવું જોઇએ. સરકારી વહીવટી પ્રણાલીમાં સૂચનો કે આજ્ઞાઓ ન આપવી જોઇએ. સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર કાયદા જેમાં વહીવટી કાયદાઓ પણ આવી જાય તેનું અર્થઘટન કરવાનું છે. અને બંધારણ જેમાં કાયદાઓ પણ આવી જાય તેનું પાલનથાય છે કે નહીં તે વિષે નક્કી કરવાનું અને તેને લગતા સુધારાઓ જરુરી છે કે નહીં અને જરુરી હોય તો તેનો વ્યાપ કેવો હોવો જોઇએ તે ઉપર સૂચન કરવાનું હોય છે. કોમોડીટી બજાર એકબાજુ દસ ટકાથી વધુ ભાવ વધારો થતો હોય, ખેડૂતોને ઓછામાં ઓછી ચૂકવણી કરી અનાજ ખરીદ્યું હોય, પછી વળી કોમોડીટી બજાર સ્થાપીને સટ્ટો કરવાની છૂટ આપી હોય અને મોંઘવારીએ માઝા મૂકી હોય, તે વખતે સરકારી અનાજ સરકારી ગોદામોમાં સડી જાય ત્યાંસુધી વહેંચવામાં ન આવે તે વખતે કોઈને કોઈ માડીજાયો નીકળે જે જાહેર લોક હિતની અરજી કરીને સર્વોચ્ચ અદાલતમાં ધા નાખે.

નાગાથી વધુ નીંભર કોણ?

કોંગી સરકાર નીંભર છે. એટલે આવું કર્યાવગર છૂટકો નથી. આવે વખતે કોઈની પણ આંતરડી કકળી ન ઉઠે તો જ આશ્ચર્ય કહેવાય. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સડેલું અનાજ ગરીબોને મફત આપી દો (જેથી તેઓ તેમાંના સારા દાણા વીણીને ભૂખભાંગી શકે). કોંગી તેના ૫૬+ વર્ષના શાસનના અંતે એવી સૂઝ કેળવી શકી નથી કે અનાજનો સંગ્રહ કેવીરીતે કરવો! એટલું જ નહી પણ એવી પ્રણાલી ગોઠવી શકી નથી કે જરુર પણ જોઇ શકી નથી કે ગોદામો કેટલા જોઇશે! ગોદામો બાંધવા એ રચનાત્મક કામ કહેવાય. વળી તે રોજગારી પણ પૂરી પાડે. અને બેકારી પણ ઓછી થાય. પણ કોંગીની વ્યૂહરચના તો ગરીબોને ગરીબ રાખવાની અને તેમને ત્રસ્ત રાખીને રોટલા ફેંકવાની એ રીતે ગરીબોની સેવા કરીને વૉટ મેળવવાની છે.

સર્વોચ્ચ અદાલત તો આવું કંઈ સમજે નહીં. એ તો લખેલું વાંચે. અને વાંચેલું લખે.

ભૂત પ્રેત અસ્તિત્વ ધરાવતા નથી પણ બાવાઓ અસ્તિત્વ ધરાવે છે. બાવા શબ્દ આમતો સાંસારિક અને દૂન્યવી વ્યાપારોથી અલિપ્ત એવી વ્યક્તિઓ જે આપદધર્મ, શરીર અને જીવ જોડાયેલા રહે તેટલા જ વહેવારો નિભાવે છે. તેથી તેઓએ નીંભરતા પૂર્વક વર્તવું પડે છે. ભારતમાં બાવાઓની અનેક જાત છે.

જેમ ભૂત-પ્રેતના પ્રકારો છે તેમ બાવાઓના પણ પ્રકારો છે. તેમાં નાગા બાવાઓ પણ આવી જાય. રાજકારણીઓમાં પણ બાવાઓ હોય છે. કોંગીમાં અને તેના સહાયકોમાં નાગા બાવાઓનો તૂટો નથી. નીંભર હોવું એ બાવાઓની અને ખાસ કરીને નાગા બાવાઓની ખાસીયત છે. કોંગીજનોની પણ આ ખાસીયત છે.

મૌન રહેવું એ પણ બાવાઓની ખાસીયત છે.

અનાજ સડે તેનો તેમને છોછ નથી. મૌન રહેવું એ પણ બાવાઓની ખાસીયત છે.

કોંગીજનો પણ પોતાના કૌભાન્ડો અંગે મૌન રહે છે. ઈન્દીરા ગાંધીને સરકારી રાહે ભેટ મળેલ મીંક કોટને ઠાંગી લેવાથી શરુ કરી, સ્ટેટ બેંકના ૬૦ લાખની ઉચાપત, સિમલા કરાર, કટોકટીના કરતૂતો, સંત ભીન્દરાણવાલેની બેંક ઉપરની ધાડો, યુનીયન કાર્બાઈડના કોન્ટ્રાક્ટ ની ખાયકી, એન્ડરસનની ભાવભરી વિદાય, બોફોર્સ, ક્વૉટ્રોચી અને દાઉદને વિદેશ સરકાવી દેવાની, (દાઉદને પાકિસ્તાન અને દૂબાઈ થી વહીવટ કરવા દેવાની જોગવાઈ એ બધું તો લટકામાં) એ વિષે કોંગી નેતાઓ મૌન જ ધરશે.

હવે તમે કહેશો કે નાગાબાવાઓ તો સર્વસ્વ ને ત્યાગી દેનારા હોય છે. તેઓએ તો તેમના વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો હોય છે. અને આ કોંગી જનો તો બધું ઘરભેગું કરતા હોય છે. આપણે, આ કોંગીબંધુઓને નાગા બાવા સાથે કેવીરીતે સરખામણી કરી શકીએ?

આ સરખામણી નીંભરતાની છે. અને દુરાચારો થકી થતી નાલેશી પ્રત્યેની અલિપ્તતાની છે. લોકો ભૂખે મરે, અનાજ સડે, ૪૦ ટકા લોકો જે ગરીબીની રેખાથી નીચે જીવતા હોય તેમનો સરકારી યોજનામાં ૧૦૦ દિવસની મજુરીમાં છડે ચોક મજુર કાયદાનો ભંગ સરકાર પોતે જ કરે અને બેશરમ રીતે તેના ગુણગાન ની અબજો રુપીયાની જાહેરાતો આપી પોતાની પીઠ થાબડે, કોમનવેલ્થ રમતની પૂર્વતૈયારીના કામોમાં અબજોરુપીયાનો ભ્રષ્ટાચાર કરે તેને નીંભરતા નહીં તો બીજું શું કહેવાય? આમાંની કોઈક નીંભરતા છાપરે ચડીને પોકારે ત્યારે આપાણા બાવાજી લાજવાને બદલે ગાજે છે.

મિલ્કતના માલિક

ભારતના કેટલાક બાવાજીઓ બેસુમાર મિલ્કતના માલિક હોય છે. અને કેટલાક બાવાઓ સંસારી અને બધી વાતે પૂરા હોય. કોંગી બાવાઓ પણ તેમને બધી રીતે આંટ મારે તેવા હોય છે. આપણા પોલીટીકલ બાવાઓમાં બાવાગીરીમાં સૌથી જોરદાર, દાઉદનો ધંધાદારી ભાગીદાર, તેના લંગોટીયા મિત્રને સમકક્ષ અને કોમોડીટી માર્કેટનો જનક અને રાજા, બીજા કોંગી બાવાઓને બંધ બારણે નચાવે છે. બાવીને પણ નચાવે છે. સ્ટેચ્યુટરી મોટા બાવાને સૂપ્રીમ કોર્ટ વિરુદ્ધ બોલવાની ફરજ પાડનાર પણ આજ બાવો છે એમ ઘણા બધા માને છે.

કોંગી પક્ષમાં જે સ્ટેચ્યુટરી મોટી બાવી છે તે પણ આ બાવાથી ડરે છે. બાવાઓ ઓછું બોલે છે. કોંગી જનો પણ ઓછું બોલે છે. બાવાઓ કદાચ પરમ સત્ય વિષે વધું વિચારે છે તેથી ઓછું બોલતા હોય છે. કોંગી બાવાઓ કેમ ભેગું કરવું એની ફિરાકમાં હોય છે તેથી તેમને બોલવાનો ટાઇમ નથી.

કેટલાક નવરા બાવાઓ રામાયણનો પાઠ કરતા હોય છે. કોંગીમાં પણ જે નવરા છે તે મોદીની રામાયણ કરતા હોય છે.

સમસ્યાઓમાંથી રસ્તો કાઢવાનું કામ શાસક પક્ષનું છે:

જો તમારી પાસે સત્તા હોય અને પ્રજાનો વિશ્વાસ હોય તો તમે અદભૂત પ્રગતિના કામો દશ વર્ષમાં કરી શકો. પ્રજાએ કોંગને ૪૦ વર્ષ પૂર્ણ બહુમત (એબ્સોલ્યુટ મેજોરીટી) અને ૧૫+ વર્ષ બહુમતિ આપી. પ્રગતિ એ દેખી શકાય એવી વસ્તુ છે.

સંસ્કૃતમાં કહેવાય છે કે “ન હિ કસ્તુરી કામોદ શપથેન વિભાવ્યતે.” એટલે કે કસ્તુરીની પરખ તેની સુગંધ છે. તેની સત્યતા સિદ્ધ કરવા માટે શપથ પૂર્વક કહેવાની જરુર પડતી નથી. નરેન્દ્ર મોદીના સમયમાં થયેલી પ્રગતિ જે જોઇ શકાય છે. તેને નકારવી તે કોંગ માટે પણ શક્ય નથી.

 કોંગી કેન્દ્રમાં પોતાની સત્તા હોવાથી એવી હવા અને ભ્રમ પણ ફેલાવે છે કે “અમે પ્રગતિના બીજ વાવેલા. નરેન્દ્ર મોદી તેનો પાક લણે છે.” “પૈસા અને યોજનાઓ કેન્દ્રના પૈસે થાય છે.અને નરેન્દ્ર મોદી લાભ લે છે.” કેન્દ્ર તો નોટો છાપે છે કોંગી ની વાતો ભ્રામક છે. કેન્દ્ર બહુ બહુ તો નોટો છાપે છે.

કેન્દ્ર ને પૈસા તો રાજ્ય તરફથી જ મળે છે. જે રાજ્યો સારી પ્રગતિ કરે છે તે કરદ્વારા કેન્દ્ર અને પોતાના રાજ્યને વધુ પૈસા આપે છે. શું નરેન્દ્ર મોદી નોટો પણ છાપે એમ કોંગી માને છે?

જ્યાંસુધી કોંગ્રેસ “અનડીવાઈડેડ (અવિભાજીત) હતી અને ગુજરાત ઉપર મોરારજી દેસાઈનું પ્રભૂત્વ હતું ત્યાં સુધી ગુજરાત અને અમદાવાદ ૧૯૬૦ થી ૧૯૬૮ સુધી ઘણા પ્રગતિશીલ હતા.

મનુભાઈ શાહ વડે સ્થપાયેલી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન બેનમૂન કામ કરતી હતી. ગુજરાત રાજ્ય, અ-ગુજરાતીઓ માટે પણ એક રોજગાર આપવાનું કેન્દ્ર હતું. અમદાવાદ તેની પ્રગતિને કારણે મદ્રાસને ટચ કરવાની તૈયારીમાં હતું.

૧૯૬૯ થી રાજકીય સમીકરણો બદલાયા:

૧૯૬૯ થી રાજકીય સમીકરણો બદલાયા, અને રાજકીય ચારીત્ર્યનું ઈન્દીરા ગાંધીએ પતન નોંતર્યું. “જો જીતા વહ સિકંદર” એવી માન્યતા સ્થાપિત થઇ. એમાં મીડીયા અને મૂર્ધન્યોએ પણ હિસ્સો આપ્યો. તેની અસર સામાન્ય માણસના ચરિત્ર ઉપર પણ થઇ. તે સમયે સદભાગ્યે મહાત્મા ગાંધીવાદીઓ ગુજરાતમાં જીવતા હતા તેથી ગુજરાતમાં નવનિર્માણનું “ભ્રષ્ટાચાર હટાવો”નું જોરદાર આંદોલન થઇ શકેલું. ઈન્દીરા કોંગ્રેસને ફટકો પડેલો.

ટૂંકાગાળાના સ્વકીય લાભવાળી રાજકીય ઈલ્ટીગીલ્ટીઓ રમીને ગુજરાતમાં કોંગીએ વર્ગ વિભાજન કરેલું. દેશના બીજા ભાગોમાં તો નહેરુની અમી દ્રષ્ટિ થકી તેના મળતીયા દ્વારા વર્ગ વિભાજન હતું જ. તેના દુઃખદ ફળો આજે પણ દેશ ભોગવી રહ્યો છે. નહેરુવીયન કોંગ્રેસે જે કોઈ બીજ વાવ્યાં છે અને તે વાવીને પાક લણ્યા છે તે ફક્ત છે વર્ગ વિગ્રહના.

શાણા મુસ્લિમો સમજે છે:

૨૦૦૨ થી વધુ ભયંકર હુલ્લડો અને તે પણ લાંબા ગાળાના હુલ્લડો કોંગી શાસનમાં થયેલાં છે. શાણા મુસ્લિમો આ વાત સમજે છે. ગુજરાતમાંના ઘણા મુસ્લિમો નરેન્દ્ર મોદીને મત આપે છે. નરેન્દ્ર મોદીને કટ્ટરવાદીઓમાં ખપાવવાનું કામ અને એવી હવા ફેલાવવાનું કામ કોંગીનેતાઓ અને તેમના દંભી સેક્યુલારીસ્ટ મીડીયા મૂર્ધન્યોનું છે. તેમના માટે તો અસ્તિત્વનો સવાલ છે.

દુઃખદ વાત એ છે કે તેમાં તટસ્થતાના પ્રદર્શનમાં રાચવાની પ્રાથમિકતા ધરાવતા બીજા મૂર્ધન્યો પણ તેમાં સામેલ છે. તેમનો હિસ્સો પણ કંઈ નગણ્ય નથી.

તમે જોઈ શકશો કે જ્યારે કોંગી ખૂબ વાંકમાં આવે ત્યારે કોંગીની વ્યુહરચના ના ભાગરુપે આ મીડીયા મૂર્ધન્યો બધા દોષનું સામાન્યીકરણ કરે છે. દોષ રાજકારણીઓ માત્રનો અને સીસ્ટમ નો છે તેવા વિવાદો ઉભો કરે છે. અને તેમાં આપણા સાદા મૂર્ધન્યો તટસ્થતાની ઘેલછાના પ્રવાહમાં તણાઈ જાય છે. અને તેથી પાંચ વર્ષ રાજ કરનાર બીજેપી, ભ્રષ્ટતામાં ૫૬+ વર્ષ રાજ કરનાર અને હજી રાજ કરતા કોંગીને સમકક્ષ ગણાઈ જાય છે. આ મૂર્ધન્યોમાં પ્રમાણભાન ની પ્રજ્ઞા નથી. અને તે દેશનું કમનસીબ છે.

મૂર્તિપૂજા કે વ્યક્તિપૂજા એ દોષ નથી. દોષ કેટલાક મૂર્ધન્યોમાં રહેલી તટસ્થતાની વધુ પડતી ઘેલછા અને પીળા પત્રકારિત્વનો છે. દેશના મોટાભાગની ભાગની પ્રજાને અભણ અને ગરીબ રાખવાની કોંગ્રેસની નીતિ કારણભૂત છે.

સામાન્યરીતે કોઈ એમ માને કે શું આવી નીતિ કદી હોતી હશે વળી. પણ આમ જ છે. યુ.પી, બિહાર, એમ.પી, ઓરીસ્સા ના નેતાઓના વ્યવહાર અને માનસની ઉપર દ્રષ્ટિ કરશો તો તમને સમજાશે. યુગોસ્લાવીયા એ એક પાયમાલ થયેલો દેશ હતો.

માર્શલ ટીટો ૧૯૫૪ ના અરસામાં મુંબઈ આવેલા. અને મુંબઈથી પ્રભાવિત થયા હતા. માર્શલ ટીટો ના મૃત્યુ પછી તો તેની પાયમાલીની સીમા ન હતી. પણ આજે !!

 દા. ત. તેના એક શહેર “જુબ્લજાના”ને જુઓ. અને મુંબઈને સરખાવો. જુજુબ્લજાના મુંબઈ કરતાં અનેક ગણું આકર્ષક અને વ્યવસ્થિત છે. હિરોશીમા તો પડીને પાધર થયેલું. આજે હિરોશીમા ને જુઓ તો તમે છક થઈ જાઓ. મુંબઈનો તેની આગળ કોઈ ક્લાસ નથી.

ચીન ૧૯૪૯ થી ૧૯૬૦ સુધી ભારતથી પાછળ હતું. તેના પ્રશ્નો વિકરાળ હતા. પણા આજે તે આપણા કરતાં ૧૦૦ ગણું આગળ છે.

વસ્તિની ઘનિષ્ટતા કે લોકશાહી વિકાસમાં આડે આવતા નથી.

સ્વીસબેંકમાં યુએસના નાણા કરતાં ભારતીય કાળું નાણું દસગણું છે. કોંગીની સ્વીસબેંકમાંના નાણા પાછા લાવવા બાબતની નિસ્ક્રીયતા જ ઘણું બધું કહી જાય છે.

કામનો તૂટો નથી કામનો તૂટો કોઈ દિવસ હોતો નથી.

તૂટો પડે તો કદાચ સીમિત જમીનને લીધે અનાજનો પડે. પણ ભારતમાં અનાજ તો કરોડો ટનને હિસાબે સડી રહ્યું છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજીની સીમાઓ અનંત છે. સુજ્ઞ માણસોની ભારતમાં કમી નથી. દશ વર્ષ પહેલાં મોદીને કોણ જાણતું હતું? હજી આવા ઘણા મોદીઓ ભારતમાં પડેલા છે. બહુરત્ના વસુંધરા.

ચમત્કૃતિઃ ગુજરાતીમાં કહેવત છેઃ “બાર વર્ષે બાવો બોલ્યો …. ” અને “બાવો નાચ્યો એટલે બાવી નાચી”.

કોંગની બાવી વિષે શું છે? ભાઈ, મૂખ્ય બાવાને તેનો એક પશ્ચિમ કાંઠાનો મરાઠી નાગો બાવો નચાવે જ છે. પણ બંધ બારણે તો તે આખા કોંગી પક્ષ ને નચાવે છે.

અગાઉ વર્ષો પહેલાં આ બાવો બોલેલો આ દેશ ઉપર મુસ્લિમોનો વધારે હક્ક છે. બાવીબેનને તો બોલતાં જ આવડતું નથી. “બોલે તો બે ખાય” દા.ત. મૌતકા સોદાગર.

curtsyYou may die but we cannot distribute

Read Full Post »

%d bloggers like this: