Feeds:
Posts
Comments

Posts Tagged ‘દિવ્યભાસ્કર’

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

અમારે ભાવનગરમાં પચાસના દાયકામાં અમદાવાદના છાપાંઓ સાંજે આવતા. રાજકોટના છાપાં બપોરે આવતા. અને ભાવનગરમાંથી કોઈ દૈનિક છાપાં પ્રકાશિત થતા જ હતા નહીં. પગદંડી અને ભાવનગર સમાચાર જેવાં મેગેઝીનો બહાર પડતાં પણ તેનો ફેલાવો બહુ નહીં. મુંબઈના છાપાં સૌથી પહેલાં આવતાં પણ મોટે ભાગે વેપારી વર્ગ સિવાય મુંબઈ સમાચાર ખાસ વંચાતું નહીં. તે વખતે છાપાંઓ ઉપર છાપાંના કાગળનો ક્વોટા સરકાર હસ્તક રહેતો. તેથી છાપાવાળાં સરકારની વિરુદ્ધ આદુ ખાઈને પડી શકે તેવો જમાનો ન હતો. “શબ્દવ્યુહ રચના” અને “ફિલમ” ની જાહેરાતો ઉપર પણ સરકારે ક્વૉટાના હિસાબે નિયંત્રણ મુકેલું. તે વખતે મહાગુજરાતની ચળવળ ચાલતી. તેમાં સરકારી કોંગ્રેસ પ્રતિનું વલણ રહેતું. કમસે કમ ચૂંટણી વખતે તો “કોંગ્રેસ આપણો જાણીતો પક્ષ છે તેમની પાસે આપણે આપણા મનની વાત અને ફરિયાદ કરવાની સગવડ છે …” આવી મતલબના તંત્રી લેખો આવતા. એટલે સરવાળે જે કંઈ થોડા સમાચારો કોંગ્રેસની વિરુદ્ધ આવતા તેની ઉપર સરવાળે પાણી ફરી વળતું. જનસત્તાએ કોંગ્રેસ વિરુદ્ધ કાઠું કાઢેલ પણ તેને ચૂંટણી પછી કોંગ્રેસ સાથે સંધી કરી લેવી પડેલી.

ઈન્દિરા ગાંધીનો  નહેરુવીયન હોવાની લાયકાતના આધાર હેઠળ રાજ્યાભિષેક થયા પછી છાપાંઓમાં વિભાજન થવાના શ્રીગણેશની શરુઆત થયેલ. ઇન્દિરા ગાંધીના અને તેમના ભક્તોના જૂઠાણાઓએ  અને લાંચ રુશ્વતોએ માઝા મૂકતાં પ્રજામત આગળ છાપાંઓને ઝૂકવું પડેલ.

ઇન્દિરાએ જોયું કે વર્તમાન પત્રોની વિશ્વસનીયતા ઘણી છે એટલે ૧૯૭૫માં તેણીએ વર્તમાન પત્રોને પોતાની રીત પ્રમાણે “કટોકટી” દરમ્યાન સીધાં કરેલ.

૧૯૭૭માં જનતાપાર્ટીની સરકાર આવી એટલે શરુઆતમાં છાપાંઓ સ્પ્રીંગની જેમ ઉછળેલ પણ ચરણસીંગે જનતા પાર્ટી સામે બળવો કર્યો અને ઇન્દિરાની મદદ લીધી.

છાપાંઓને લાગ્યું કે;

“ઇન્દિરાઈ કોંગ્રેસ સિવાય આપણો ઉદ્ધાર નથી. ઈન્દિરા પોતે જ ભ્રષ્ટ છે માટે નફા માટે વાચકવર્ગ ઉપર આધાર રાખવાની ખાસ જરુર નથી. ઇન્દિરાઈ કોંગ્રેસે હાલસુધી (૧૯૮૦ સુધી) ગરીબાઈ અને નિરક્ષરતા કાયમ રાખી હોવાથી, આપણે હવે ઇમોશનલ શિર્ષરેખાઓ (સમાચારની હેડ લાઈનો) અને લખાણો યુક્ત શબ્દોની ગોઠવણી દ્વારા વાચક વર્ગ વધારી શકીશું. સરકારી જાહેરાતો પણ મળશે. “ફલાણો કાયદો પ્રજાને અર્પણ… ફલાણો પ્રોજેક્ટ પ્રજાણે અર્પણ… “ આ બધું ચાલુ કરનાર તો ઇન્દિરા માઈ જ છે ને… ઇન્દિરા કોંગ્રેસનું કલ્ચર આપણે જાણીએ છીએ એટલે તેની સામે આદુખાઈને પડવાની જરુર નથી. એટલે ૧૯૭૯માં “જનતા પાર્ટીનો વાગેલો મૃત્યુ ઘંટ”, “કામ કરતી (ઈન્દિરાની) સરકાર”, “ગરીબોની કસ્તૂરી (ડુંગળી)ના ભાવ આસમાને”, “સૌભાગ્યકાંક્ષિણી થવા થનગનતી કન્યાઓ સોનાના આસમાની ભાવોથી ચિતાંતુર”, “કન્યાના માંબાપમાટે મંગળસૂત્ર એક સમસ્યા”,

આ દરમ્યાન રંગા-બીલ્લાની જોડીએ યુવાન ભાઈબેનનું અપહરણ કર્યું અને બળાત્કાર કર્યો. એટલે સમાચાર પત્રોને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. જોકે આવા બનાવો તો કોંગીના શાસનમાં ઉત્તરભારતમાં તો રોજ બનતા અને તેની નોંધ પણ લેવાતી ન હતી. પણ ભાઈ આપણે તો ઇન્દિરામાઈની સેવા કરવાની છે અને તમે ઇન્દિરામાઈનો સ્વભાવ તો જાણો છો જ ને કે. કટોકટીમાં કેટલાક શૂરવીરતા બતાવવા ગયેલાઓને ઇન્દિરા માઈએ કેવા મરણાસન્ન કરેલા. બાજપેયીના મણકાને શું થયું હયું હતું?  જો જય પ્રકાશ નારાયણને પણ ન છોડ્યા તો આપણે તે વળી કઈ વાડીના મૂળા? બહુ સિદ્ધની પૂંછડી થવાની જરુર નથી. એટલે તો આપણે કશ્મિરના હિન્દુઓની ઉપર થયેલા ખુલ્લેઆમ અત્યાચારો, હિજરત અને નર સંહારને છૂપાવવો પડેલો.

આમાં વળી નરસિંહરાવ વડાપ્રધાન થયા. તેમણે બધા નિયંત્રણો દૂર કર્યા. એટલે આપણી માટે જાહેરાતોનું મેદાન મોકળું થયું. પણ આપણે નહેરુવીયન કોંગ્રેસની અડફેટમાં ન આવવું, અને ખાસ કરીને નહેરુવંશના ફરજંદોની અડફેટમાં ન આવવું હોં!!”

અમારે ૧૯૫૨થી ગુજરાત સમાચાર આવતું હતું. પણ ૧૯૮૧માં ગુજરાત છોડ્યું. મુંબઈમાં મુંબઈ સમાચાર આવતું હતું. મુંબઈસમાચારના સંચાલકો મહાત્માગાંધીવાદી અને વળી મુંબઈ સમાચાર ફક્ત સમાચાર આપવામાં માને. જોકે ઇન્દિરાઈ અસર ખરી. પણ ન મામા કરતાં કહેણાં મામા શું ખોટા. આ પ્રમાણે મુંબઈ સમાચાર રહ્યું. ૧૯૯૬માં દેશાટન કરીને ગુજરાત આવ્યા. ૨૦૦૧માં મોદી આવ્યા. અને અમે ગુ.સ. ના (ગુજરાત સમાચારના) વલણોથી ત્રસ્ત થયા અને ગુ.સ. બંધ કર્યું.

ડી.બી. ચાલુ કર્યું. ડી.બી. ભાઈ (દિવ્ય ભાસ્કર-ભાઈ) નવા સવા હતા.

૨૦૦૧માં મોદીએ મુખ્ય મંત્રી થતાંની સાથે જ  બઘેડાટી બોલાવી. “વાંચે ગુજરાત”, “ચલો નિશાળ” જેવા અનેક કાર્યક્રમો થયા. વળી ઈન્ટરનેટનો જમાનો શરુ થયો. કેશુભાઈના જમાનામાં બધા પત્રકારોને અમદાવાદથી ગાંધીનગર રોજ ફ્રીમાં લઈ જવામાં આવતા, અને ચીકન બિર્યાની અને વ્હિસ્કી પણ ફ્રી. મોદીકાકાએ આ બધું બંધ કર્યું.

છાપાવાળાંઓની તો ઘાણી થઈ.

 

“આ તો ભારે થઈ. જે સગવડ મળતી હોય અને તે પણ મફત, એટલે અમને લગરિક અકારુ તો લાગે જ. પણ મુસલમાનો મદદે આવ્યા. તેમણે સાબરમતી એક્સપ્રેસનો કોચ ગોધરામાં બાળ્યો. ૫૯ હિન્દુઓને જીવતા બાળ્યા અને તેથી પ્રત્યાઘાત રુપે હિન્દુ-મુસ્લિમ રમખાણો થયાં એટલે આપણને તો હિન્દુઓની અસહિષ્ણુતાને ઉછાળવાનો જબ્બરજસ્ત મોકો મળી ગયો. ભલે હિન્દુઓ પણ મર્યા, અને મહિનાઓ સુધી હિન્દુઓ, સ્ટેબીંગના (મુસ્લિમો દ્વારા ચપ્પુઓ ખોસવાના બનાવોના ભોગ બન્યા) પણ અમે તો  ભરપેટ હિન્દુઓને ગાલી પ્રદાન કર્યું. સોનિયા માઈએ અને તેમના સાથીઓએ પણ ગાલીપ્રદાનો કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં.

“મારા વાલીડા મોદીએ તો ભારે કરી.

સો દેડકાં અને એક સિંહ

“આ મોદીએ તો એવા દાવ ખેલ્યા કે આપણા સોનિયામાઈને અને તેમના ભક્ત મંડળને પણ લેવાના દેવા પડ્યા. આપણું શસ્ત્ર આપણને જ વાગ્યું.

“આ મોદી કાકો આટલેથી અટક્યો નહીં. પણ એણે ગુજરાતનો પાયાનો વિકાસ પણ કર્યો. પરપ્રાંતીઓ વધુને વધુ આવવામાંડ્યા. મોદી કાકાએ તેમને આવકાર્યા. તેમને નવાજ્યા. એટલે મોદીકાકાએ તો લાગલગાટ ૧૩+ વર્ષ એકચક્રી રાજ કર્યું. અને કારણ કે, પરપ્રાંતીઓને આવકારેલા એટલે તેઓ પણ મોદીકાકાના પ્રચ્છન્ન  પ્રચારકો બન્યા. એટલે આપણા નરેન્દ્ર ભાઈ મોદી તો વડાપ્રધાન થઈ ગયા. .. બોલો..

“બોલો હવે શું કરીશું? આ મોદીને પાડવો કેમ કરીને? એણે તો આપણી દુકાન બંધ કરી દીધી છે. હરાયા ઢોર થઈ જઈએ તે પહેલાં આપણે કંઈક કરવું પડશે. આપણી માઈના સહયોગીઓ ઉપર બધું જ છોડી દેવું બરાબર નથી.

સમાચાર પત્રો થયા ઘાંઘાં

“ચાલો મળીએ મેનેજમેન્ટના ખેરખાંઓને.

ચાલો “મને બધું આવડે (એમ.બી.એ. ને મળીએ) હવાઓના કહેવા પ્રમાણે આવા લોકોએ બીલ ક્લીન્ટનને જીતાડ્યા છે, ઓબામાને જીતાડ્યા છે … અરે એટલું જ નહીં આ મોદીને પણ સી.એમ. તરીકે અને પીએમ તરીકે જીતાડ્યો છે.

“ભો ભો અભિયંતઃ ગુરો, શિષ્યઃ તેઽહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ

( હે મેનેજમેન્ટ ગુરુ, હું તારો શિષ્ય છું. તારે શરણે આવેલા એવા મને બોધ આપ)

“આવો આવો. મારું તો કામ જ આ છે. પણ પૈસા થશે. ઉધાર બુધાર નહીં ચાલે.

“અરે સાહેબ તમે પૈસાની ચિંતા ન કરો. અમારે તો અમારું છાપું ચલાવવું છે. તમે કંઇક ટૂચકો બતાવો કે અમે બે પાંદડે થયા છીએ તે ચાલુ રહી શકીએ.

“ઓકે. તમે બે પાંદડે થયા કેવી રીતે?

“સાહેબ, અમારા દરેક સમાચાર જે છાપવાના હોય કે ન છાપવાના હોય તે અમારી શ્યામા લક્ષ્મી છે. બાકી તો સાહેબ, આ ફિલમી હસ્તિઓની સાચી ખોટી વાતો તેમના કહેવા પ્રમાણે છાપી એમાંથી થોડી ઘણી શ્યામા લક્ષ્મી પેદા કરતા હોઈએ છીએ. આ લોકોના અને બીજા કેટલાકના વિજ્ઞાપનો દ્વારા અમને શ્વેત લક્ષ્મી મળે છે.

“ તો પછી મુશ્કેલી શું છે?

“સાહેબ, અમારે તો લીલા લહેર હતી. અમારામાંના કેટલાકે તો બીલ્ડર નો ધંધો શરુ ક્લરેલો. પણ હવે જવા દો એ વાત. જો એ વાત કરીશું તો છાણે વીંછીં ચડશે…. અમારી તો પથારી ફરી ગઈ છે.

“કેમ શું થયું?

“સાહેબ, આ સોશીયલ મીડીયાએ અમારી ઘાણી કરી નાખી છે. એ લોકો સમાચારો જનતાને વહેલા પહોંચાડી દે છે. એટલું જ નહીં તેઓ જ ચર્ચાઓ કર્યા કરે છે… એટલે અમારો મોદી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવાનો હેતુ બરાબર પાર પડતો નથી.

“અચ્છા તો વાત એમ છે કે તમારે સોશીયલ મીડીયાને નબળું પાડવું છે. પણ તમે સમજી લો કે એ માટે તમારે કોંગીની અને તેના સાથીઓની મદદ લેવી પડશે.

“કોંગીઓ અને તેના સાથીઓ તો મદદ કરવા તૈયાર જ છે.

“તો તેમને કહો કે સોશીયલ મીડીયાનો મોરચો એ લોકો તેમની રીતે સંભાળી લે.

“હા, પણ અમે શું કરીએ?

“તમે શબ્દોની રમતો તો રમો જ છો ને? જેમકે ત્રણ જવાનો કશ્મિરની સરહદે ફૂંકાયા, નાગરિક યુવકો ઘવાયા. અંદર ક્યાંક લખો કે તેઓ પત્થરો ફેંકતા હતા…. સૂત્રો પોકારવાથી દેશ દ્રોહ થતો નથી…. મોદીની હાર , રાહુલને હાર … અમિત શાહ પક્ષ પ્રમુખપદેથી હટી શકે છે,… મોદી ઈફેક્ટ ધરાશાઈ, …. મોદીને બદલે કોણ ચર્ચા શરુ …. વિગેરે વિગેરે વિષયો ઉભા કરી તેની ઉપર ચર્ચા ફેલાવી શકાય છે. આવું બધું તો તમને કહેવું પડે એવું નથી… આવું તો તમે કરો જ છો.

“હાજી …  પણ આ પુરતું નથી. એવું અમને અને અમારા અન્નદાતા એવા માઈભક્તોને લાગે છે.

“તમે જુઓ અને સમજો… સોશીયલ મીડીયાનો એક વર્ગ છે. તે આમ તો બહોળો લાગે છે પણ તે મર્યાદિત છે. મોટાભાગના વયસ્ક અને વાર્ધક્યે પહોંચેલાઓને આ બધા ગેજેટોના સંચાલનની  તકનીકીઓ શિખવાની ઇચ્છાઓ નથી. એટલે આવા લોકો હજી તમારા ચીલાચાલુ સમાચાર માધ્યમ એવા વર્તમાન પત્રો ઉપર જ આધાર રાખે છે.  વળી આ મોદીકાકાએ ભણેલાઓમાં વૃદ્ધિ કરીને સાક્ષરતા ૮૦% પહોંચાડેલ છે તેમાંના યુવાનોની મગજની પાટીઓ કોરી છે. એટલે તમારા માઈમંડળને કહો કે આ લોકોનું ધ્યાન રાખે. અને તમે વાર્ધક્યમાં (ગલઢા લોકોનો, વૃદ્ધ લોકોનો) વિસામો લેનારાઓનો કબજો લો … એટલે કે તે બધા વાચકોની ઉપર,  અને તે ઉમરના કટારીયાઓ ઉપર કબજો લો… અને વયસ્ક કટારીયાઓને સાધો …

“હા… પણ એ કેવી રીતે … ?

 “ જુઓ… તમારી પાસે અમુક કટાર લેખકો તો હશે જ. તેમાંના કેટલાક ઓગણીશો સીત્તેરના દાયકામાં પ્રસિદ્ધિમાં આવ્યા હશે તેઓ હવે વયસ્ક થઈ ગયા હશે… કેટલાક તેથી પણ જુના હશે…. જે વાર્ધકયમાં વિસામો લેતા હશે…!!

“ હા… તો…?

“તો … શું? આ બધાને લપટાવો… તેમાંના ઘણા બધા લપટાઈ જવા આતુર જ હશે. કેટલાક એવોર્ડ પરત કરનારા પણ તમને મદદ કરવા આતુર હશે. ધર્મ કરતાં રિશ્વત મોટી છે એટલે કે પૈસા મોટા છે. અને પૈસા કરતાં કીર્તિ મોટી છે. કીર્તિ માટે તટસ્થતાનું મહોરું જરુરી છે. એટલે કે તમે “માલી પા…  પેલી પા … વિકાસના ફુગ્ગામાં કાણું પડ્યું… ઑણ … હમણેં , “  વળી જે યુવાનોને કોંગીએ જાતિવાદના નામે ઉશ્કેરવા માટે ઉત્પન્ન કર્યા તેમને વિષે ‘સત્તા પ્રતિષ્ઠાન સામે પડકારના પ્રતિક’ તરીકે ખપાવનારા તમને તમારે ભાણે ખપશે. વળી “ગાંધી પોતે જ ‘પૂર્ણ ગાંધીવાદી’ ન હતા એમ કહીને પોતાના સુક્ષ્મ અવલોકનને ઉજાગર કર્યા વગર જ આ લોકો અગડમ બગડમ લખશે અને પોતાને તટસ્થ ગણશે. ટૂંકમાં તેઓ કોરી પાટી વાળાઓને, “થાઉં થાઉં થતા કટારીયાઓને અને નબળી પડેલી યાદ શક્તિ વાળા ગલઢાઓને અસંમજસ માં મુકી દેશે. “પોલીટીશ્યનો બધા સરખા” એવા વૈશ્વિક કથનને તે સૌ પ્રમાણભાનને અવગણી “નોટા” નું બટન દબાવ’વા તત્પર થશે કે મત આપવા જ નહીં જાય.

“પણ સાહેબ, આ બીજેપી વાળા તો અમને ગદ્દારમાં ખપાવે છે તેનું શું?

“જુઓ … મેં તમને પહેલાં પણ કહ્યું જ છે કે તમે સીત્તેરના દશકામાં આગળ આવ્યા હતા તેવા વયસ્ક લેખકોને, મૂર્ધન્યોને, સેલીબ્રીટીઓને પકડો. તેમાંના ઘણાં ખૂરશી થી વંચિત રહ્યા હશે. તેમને પકડો. જેમકે જશવંત સિંઘ, યશવંત સિંહા, અરુણ શૌરી, પ્રીતીશ નાંદી, જેવા અનેક છે. જેમકે બીજેપી-ગાય = કોંગ્રેસ. જેવું બોલવાવાળા તમને મળી રહેશે. ફિલમી મહાનુભાવો તો બોલવા માટે આતુર છે. જો તમે પ્રીતીશ નંદી જેવાને પકડશો તો તમને ફિલમી જગતામાં નવી ઓળખાણો થશે. આવા ખ્યાતનામ માહાનુભાવો જે કંઈ “હંગ્યું પાદ્યું” બોલે તેને હાલના કોરી પાટી વાળા બ્રહ્મવાક્ય જ માને છે.

“પણ સાહેબ, આ બધા મહાનુભાવો અમારા માટે લખવા માટેનો સમય ન કાઢી શકે તો.

“અરે ભાઈ…  તેઓ ક્યાંક તો લખતા જ હોય છે. તેનું ભાષાંતર કરી છાપી નાખો તમારા છાપાંમાં. તમારા છાપાંની પણ કીર્તિ વધશે કે “જોયું હવે તો આ મહાનુભાવો પણ મોદી રાજની વિરુદ્ધ થઈ ગયા છે. કંઈક તો ખોટું હશે જ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે   

ચમત્કૃતિઃ

મિયાંઃ “અરે ભટ્ટજી મૈંને વો ઝાડકે નીચે સેંકડો સાંપ દિખે…

ભટ્ટજીઃ “ અરે મિયાં ! હમારે યહાં કોઈ સાંપ હૈ હી નહીં …

મિયાં; “સચ માનો, કમસે કમ પચાસ સાંપ તો થે હી…

ભટ્ટજીઃ “વહાં સાંપ હો હી નહીં સકતા. ક્યોં કિ વહાં ટ્રાફિક ઇતના હૈ કિ સાંપ આનેકા નામ હી નહીં લે સકતા;

મિયાંઃ “દશ સાંપ તો થે હી થે …

ભટ્ટજી; “ચલો દેખકે આતે હૈ…

મિયાં; “ સાંપ જૈસા કુછ તો થા હી …

 ———————–

તમે કહેશો; “આ વાત તો મૂળ વાત જેવી નથી. તભા ભટ્ટ અને મિયાં ફુસકી ની વાતોમાં આવું કશું આવતું નથી.

અમેઃ અરે ભાઈ, સંત રજનીશમલ પણ તેનાલી રામની આવી જ વાતો કરે જ છે ને …

તમે કહેશો; “પણ આ પ્રીતીશ નંદીનું શું છે?   

Read Full Post »

ફોબીયા પીડિત મીડીયા મૂર્ધન્યો સજ્જ છે મોદીને હરાવવા

ફોબીયા પીડિત મીડીયા મૂર્ધન્યો સજ્જ છે મોદીને હરાવવા

રાજકારણમાં એવું મનાય છે કે જો કોઈપણ પક્ષને હરાવવો હોય તો બીજા પક્ષોએ ભેગા થવું જોઇએ.

બધા જુદીજુદી જગ્યાએ જુએ છે અને નિશાન અલગ અલગ છે

કારણ કે સૌથી મોટો દુશ્મન સમાન છે. આમ તો દરેક પક્ષ એકબીજાના નાના મોટા દુશ્મન તો હોય છે પણ જે સૌથી મોટો દુશ્મન છે તે તો એવો જોરાવર છે કે તે તો આપણને ખતમ કરી શકે એવો છે અને જો હવે તે ફરી વખત જીતી ગયો તો આપણું તો અસ્તિત્ત્વ જ મટી જશે.

શા માટે અસ્તિત્વ મટી જવાનો ડર તેમને સતાવે છે?

આનું કારણ તો તેઓ પોતે પણ જાણે છે. તેઓ ભ્રષ્ટાચારથી ખરડાયેલા છે અને તે ઉપરાંત તેમના અનેક સમાજ વિરોધી કાર્યો તેમને ફસાવી શકે છે.

અરે ભાઈ રાજકારણમાં તો બધા ખરડાયેલા જ હોય છે. અને આવો રીપોર્ટ તો સૌથી વધુ ભ્રષ્ટ એવા કોંગ્રેસ પક્ષે નીમેલી સમિતિએ જ ઓગણીસો નેવુંના દશકામાં આપેલો છે. તો પછી ગભરાવવું શા માટે?

ભાઈ, આ તો એવો પ્રધાન મંત્રી આવ્યો છે જે ફસાવ્યો ફસાય એવો નથી. અને તેના મંત્રીમંડળમાં પણ એવા કોઈ સદસ્ય નથી કે જેમને ફસાવી શકાય. બનાવટી ઘટનાઓ અને વિવાદાસ્પદ ઘટનાઓ ઉભી કરી તો પણ તેમાંનું કોઈ ફસાયું નથી.

હા એક વસ્તુ જરુર છે કે આપણે મોદી અને તેના પક્ષની જ્યાં જ્યાં સરકારો છે ત્યાં તેની વિરુદ્ધ વાતાવરણ નિર્માણ કરી શકીએ. આવા કામ વિવાદો ઉભા કરીને કરવા. દેશમાં અને રાજ્યોમાં બનતી ઘટનાઓનો લાભ લેવો. હવે આપણો દેશ તો અતિવિશાળ છે એટલે ઘટનાઓ તો તૂટો નથી. આમેય બાળકો ઉપર થતા દુષ્કર્મો તો એવી ઘટના છે કે (નામ આપવાની જરુર નથી એટલે) આપણે બનાવટી પણ ઉભી કરી શકીએ. એટલે એક વખત જ્યારે સરકાર વિરુદ્ધ વાતાવરણ બનશે એટલે આપો આપ આપણી દાળ ગળશે.

હા. પણ આ માટે તો ઘણા મૂર્ધન્યોની જરુર પડશે.

અરે ભાઈ મોટા ભાગના તો વેચાવા તૈયાર જ છે. કેટલાક પોતે તો તટસ્થ હોવા જ જોઇએ એવું માને જ છે. કોઈ તેમને “તમે તટસ્થ નથી” એવો ટોણો મારી જાય તે તેમને ન ચાલે. તેઓ ઈચ્છે છે કે આવો કોઈ આભાસ પણ ઉભો ન થવો જોઇએ. આવી માનસિકતા વાળા “ડબલ ઢોલકીયા” હોય છે. હવે આવા મૂર્ધન્યો ભલે પ્રમાણમાં ઓછા હોય છે. તેઓ તો આપો આપ પ્રસંગોપાત તેઓ આપણી તરફમાં પણ ઢોલકી બજાવતા હોય, પણ આપણે તેમને તેવા વધુને વધુ મોકા આપતા રહીશું.  જેઓ વાસ્તવિકરીતે તટસ્થ છે તેમની દરકાર આપણે કરવાની જરુર નથી કારણ કે તેવા મૂર્ધન્યોનો ઘણા જ અલ્પ છે. અને જેઓ બીજેપી તરફી છે તેમને તો આપણે સ્પર્શવાના પણ નથી. આવાઓને આપણે અનેક વિશેષણો થી નવાજી શકીશું.

હા. એકવાત ખરી કે જેઓ વિવેક બુદ્ધિવગરના છે તો પણ વિખ્યાત બની ગયા છે તેઓ આપણી મહાન સંપત્તિ છે. તેમને તો આપણે સાચવી લેવા જ પડશે. તેમને આપણે વધુને વધુ ખ્યાતિ આપવી પડશે.

આ વાત ખ્યાતિ ધરાવતા સમાચાર પત્રોને પણ લાગુ પડે છે.

આવા બહુ વાચક વર્ગ ધરાવતા સમાચાર પત્રોને આપણે ખાસ સાચવી લેવા પડશે. ઈલેક્ટ્રોનિક મીડીયા આવી ગયું છે પણ પ્રીન્ટ મીડીયાનો પણ દબદબો એટલો બધો ઘટી ગયો નથી કે તેને આપણે અવગણી શકીએ. જોકે તેઓ ડબલ ઢોલકી વગાડશે (એમ કહીને કે “અરે ભાઈ અમે પણ તટસ્થ છીએ તેવું લાગવું તો જોઇએ ને!!” ) પણ તેઓ આપણી તરફની ઢોલકી વધુ વગાડશે. શું સમજ્યા?

સૌથી વધું કાળું નાણું ક્યા જમા થાય છે અને વપરાય છે?

સ્થાવર મિલ્કતના કારોબારમાં.

“દરેક સમાચાર પેઈડ સમાચાર છે.” આ એક બ્રહ્મ સૂત્ર છે. સિવાય કે માલિક, મહાત્મા ગાંધીવાદી હોય. પણ મહાત્મા ગાંધીવાદીઓનો હવે જમાનો નથી. મહાત્મા ગાંધીનું નામ લઈ લઈને જીભનો કૂચો કરનારી નહેરુવીયન કોંગ્રેસે પણ તેમના વિચારોને અડવાનું ક્યારનુંય છોડી દીધું છે. દરેક સમાચાર પેઈડ સમાચાર હોય છે. અને આ નાણાં કાયમ કાળાં હોય છે. એટલે તો ઘણા સમાચાર પત્રોએ “બીલ્ડર”ના ધંધામાં ઝંપલાવેલ. પણ સાલી આ મોદી સરકાર, મોટી નોટો બદલી નાખે છે. તેથી આપણી ઘાણી થાય છે.

ચલો જે થઈ ગયું એ થઈ ગયું. કાળાં નાણાં ધીમે ધીમે વાપરવાં. આમાં કોઈ તકલીફ નથી. અને ઇશ્વર પણ આમાં તકલીફ ઉભી કરી શકે તેમ નથી. માટે ઝીકે રાખો બાપલા.

તો હવે સજ્જ થઈ જાઓ.

કેવી રીતે સજ્જ થઈશું?

રાઈનો પર્વત બનાવીને અને પર્વતની રાઈ બનાવીને.

એવા પ્રસંગો શોધો અને એવા મૂર્ધન્યો શોધો કે જે બીજેપી વિરુદ્ધ અને અથવા રાહુલ ગાંધીની તરફમાં લખી શકે.

બીજેપીની વિરુદ્ધ તો લખીશું એમાં તો આપણને ફાવટ છે. આપણે બીજેપી વિરુદ્ધ બનાવટી ઘટનાઓ ઉભી કરીશું. અથવા તો દેશ માટે નાની પણ પ્રદેશમાટે કંઈક અંશે ઠીક ઠીક, એવીને ઘટનાને આલ્પ્સને જો હિમાલયની ઉપર મૂકીએ તો જે પર્વત બને એવડી મોટી બનાવીને એવી ખૂબીલીટીથી પ્રકાશિત કરીશું કે બોમ્બે બ્લાસ્ટ પણ ફીકા પડે.

તો હવે ડીબીભાઈએ (દિવ્ય ભાસ્કર સમાચાર પત્રે) શું કર્યું તે જોઇએ.

લોકરક્ષક દળ ની ભરતી માટેની પરીક્ષા

ગુજરાત રાજ્યમાં લોક રક્ષક દળમાં નોકરીઓ હતી. એટલે કે લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા હતી. તેની પરીક્ષાનો દિવસ નક્કી કર્યો. તેના પરીક્ષા કેન્દ્રો નક્કી થયા. બધા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા બેસવાના હતા. પણ પરીક્ષા પ્રશ્નપત્રકો વહેંચાય તે પહેલાં ખબર પડી કે પ્રશ્નપત્ર તો ફૂટી ગયું છે.

એટલે સરકારે પરીક્ષા રદ કરી એટલે કે મુલતવી રાખી.

હવે ડીબીભાઈને થયું કે આ ઘટનાને મોટામાં મોટું સ્વરુપ કેવી રીતે અપાય? આ ઘટનાને ઈમોશનલ પણ બનાવવી પડશે. એટલે પરીક્ષાર્થીઓ પાસે થી જુદી જુદી વાર્તાઓ પણ બનાવવી પડશે અને તેને પણ ઇમોશનલ બનાવવી પડશે. કોઈ પરીક્ષાર્થીની માતા માંદી હતી અને તે કેવી રીતે મુશ્કેલીથી આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી રાતોની રાતોના ઉજાગરા કરીને આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી, ઉધાર પૈસા લઈને ટીકીટ કઢાવીને આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી વાહન ઉપર લટકીને માંડ માંડ આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી ખેતી છોડીને આવ્યો હતો … આવી તો અનેક વાર્તાઓનું અન્વેષણ કરવાની જવાબદારી ડીબી ભાઈને માથે આવી હતી. અને તેમણે તે હોંશે હોંશે નિભાવવાની હતી.

પણ ડીબીભાઈ માટે આ શું પૂરતું હતું?

ના ભાઈ ના…

ડીબી ભાઈને થયું કે આમાં તો બીજી ઘણી વાર્તાઓનું અન્વેષણ કરવાની શક્યતાઓ છે અને ન હોય તો પણ આપણે તે શક્ય કરવું પડશે. કમસે કમ પરીક્ષાર્થીઓને અને તેમના સગાંવહાલાંઓને તો એવું લાગવું જ જોઇએ કે તેમની આ ઘટના બહુ મોટી હતી અને તેને વાચા આપવા માટે પરદુઃખભંજનો કે શૂરવીરો, કે નિડરો ગુર્જર ધરા ઉપર વિદ્યમાન છે.

તો ડીબીભાઈનો ટાર્જેટ શો હતો?

ભાઈ ભાઈ… આપણે આ ઘટનાને એક તકમાં તબદિલ કરવો પડશે. જેમ મોદી સાહેબ પોતાના શાસન ઉપર આવેલી આપત્તિને અવસરમાં ફેરવવામાં માહેર બનતા હતા તેમ આપણે, બીજાની ઉપર આવેલી આપત્તિને આપણા માટે અવસરમાં પલટાવવી પડશે.  અને તેમાં મુખ્ય મંત્રીને એટલે કે ગુજરાતની બીજેપી સરકારને સંડોવવી જ પડશે.

ભાઈઓ આવી ઘટનાઓ કંઈ નવી નથી. ભારતમાં તેના રાજ્યોમાં આવું તો બનતું જ આવ્યુ છે. આમાં નવું શું છે કે આપણે તેને હદ બહાર ખેંચી લઈ જઈ શકીએ?

ડી.બી. ભાઈ બોલ્યા “અરે એ બધું તમે અમારા ઉપર છોડી દો. કોઈ પણ ઘટનાને કેવી રીતે ઘડવી, મરોડવી (ટ્વીસ્ટ કરવી) અને પ્રદર્શિત કરવી તેમાં તો અમારે ફાવટ કેળવવી જ જોઇએ. અને તે પણ જ્યારે બીજેપી શાસિત રાજ્ય હોય ત્યારે તો ખાસમ ખાસ.

તો તમે શું કરશો?

ડીબીભાઈ ઉવાચ “અમે ત્રણ ત્રણ દિવસ સુધી કે તેથી વધુ, બે બે પાના ભરીને ભોજન બનાવીશું. તમે જોઇ લેજો અમારું ભોજન. અમે બીજેપી વિરુદ્ધ જબ્બરજસ્ત વાતાવરણ બનાવી દઈશું. બીજેપી વિરુદ્ધ વાતાવરણ બનાવવું એ તો અમારો મુદ્રા લેખ છે. ભલે લખાણમાં મુદ્રાદોષ આવી જાય છે!! અરે ભાઈ વાચકો તો મુદ્રાદોષ ચલાવી જ લે છે ને! ગુ.સ.ભાઈએ “ફલાણા વિદેશી ડીપ્લોમેટનું હવાઈ મથકે સ્વાગત થયં” એવું મુદ્રાલેખન કરવાને બદલે “ફલાણા વિદેશી ડીપ્લોમેટનું હવાઈ મથકે અવસાન થયું” એવું મુદ્રાલેખન કરી દીધું તો વાચકોએ શું તેમને ફાંસીએ ચડાવી દીધેલા?

તો પછી … ખાલી ચિંતા શું કરવી? “અવસાન” શબ્દ વધુ આકર્ષક લાગ્યો હશે એટલે વાપરી નાખ્યો. એ કંઈ મુદ્રાદોષ થોડો હતો?

શબ્દોના અર્થ તો રા.ગા. ભાઈ પણ સમજતા નથી. અરે ભાઈ, ઇન્દિરાબેનને પણ ક્યાં વિભાજન શબ્દના અર્થની ખબર હતી? આ તો જ્યારે ઓગણીસો પચાસના દાયકામાં સંસદમાં અવારનાવર વપરાવવા લાગ્યો, એટલે બેનને થયું કે આ “વિભાજન … વિભાજન…” શું બોલ્યા કરે છે!!! “વિભાજન” એટલે વળી શું છે? એટલે એમને પૂછવું પડ્યું કે આ વિભાજન એટલે શું? કેટલાક લોકો આ વાત થી ધન્ય ધન્ય થઈ ગયા કે આપણા વડાપ્રધાન નેહરુ કેટલા સરસ પાશ્ચિમાત્ય છે કે એમના પુત્રી ઇન્દિરા બેન પણ અસલ એમના જેવાં જ છે.

ઇન્દિરાબેન અને વિભાજન યાદ આવ્યાં એટલે રા.ગા.ભાઈ પણ યાદ આવ્યા.

હાસ્તો … શબ્દો કેવી રમૂજ ફેલાવે છે અને શબ્દોના અર્થો પણ કેવી રમૂજ ફેલાવે છે.

અંગ્રેજીમાં જો જીભ થોથવાય તો ઘાણી થાય. એક તો આપણી યોગ્યતા ખતમ થાય. લાલુ પ્રસાદ ની જેમ જ સ્તો. તેમણે એક વખત સંસદમાં અંગ્રેજી બોલીને બધાને ખૂબ હસાવેલા. અને કેટલાકે આને આપણી સંસદની કક્ષાની ટીકા કરી કે સંસદમાં પણ સદસ્ય થવાની યોગ્યતાની પરીક્ષા લેવાવી જોઇએ.

પણ જો તમે ભારતીય ભાષા બોલતાં થોથવાઓ તો તમારામાં સંસદસદસ્ય થવાની યોગ્યતા આપોઆપ આવી જાય છે. દાખલો લેવા દૂર જવું પડે તેમ નથી. રા.ગા. સાહેબ હાજરા હજુર છે. ચાર વાર તેમણે વિશ્વેશ્વરૈયા બોલવાનો પ્રયત્ન કર્યો. પણ નિસ્ફળ ગયા એટલે તેમને થયું જવા દો. લોકો તો સમજી જ ગયા છે કે હું કોનું નામ બોલવા માગું છું. તો હવે સમજેલા વધુ શું સમજાવવું! હું તો નહેરુવંશી છું એટલે હું તો સંસદ સદસ્ય જ નહીં પણ વડોપ્રધાન થવાની પણ યોગ્યતા ધરાવું છું.

હમણાં વળી પાછી રા.ગા.ભાઈની ઘાણી થઈ.

રા.ગા. ભાઈએ કહ્યું “અશોક ગેહલોતજીને કુંભકરણ લીફ્ટ યોજનાકા પૈસા દિયા…” રા.ગા. ભાઈને તો ખબર જ ન હતી કે તેમણે વાંચીને વાંચીને પણ બોલવામાં કંઈ ભૂલ કરી છે. એટલે તેઓશ્રી તો જાણે કંઈજ થયું ન હોય, અને બધું નોર્મલ જ છે એમ જ માનીને આગળ બોલવા જ જતા હતા. તેવે સમયે કોઈ માઈનો લાલ સ્ટેજ ઉપર હતો, તેણે તેમને અટકાવ્યા. અને કુંભકરણ નહીં પણ કુંભારાણા એમ સુધરાવ્યું.

તમને કોઈ ઉંઘમાંથી જગાડીને પણ પૂછે, તો પણ તમે, સિદ્ધરાજ જયસિંહને બદલે સિદ્ધરાજ જયચંદ ન બોલો. પણ રા.ગા. ભાઈ કે જેઓ દત્તાત્રેય ગોત્રના છે તેમને માટે બધું શક્ય છે. તેમને ક્યારેય એ ટ્યુબલાઈટ ન થાય કે કુંભકર્ણ એ એક અણગમતું પાત્ર છે અને કુંભારાણા એક મનગમતું પાત્ર છે. એમને લાગ્યું કે કુંભકર્ણ હોઈ શકે કારણ કે કુંભકર્ણ, એ શાબ્દિક રીતે વધુ સુસંસ્કૃત લાગે છે.

આપણા શેખર ગુપ્તાજી તો રા.ગા.ભાઈ પર ફીદા છે.

શે.ગુ. (શેખર ગુપ્તા) ભાઈના કહેવા પ્રમાણે રા.ગા. ભાઈ, હમણાં હમણા જે કંઈ કરી રહ્યા છે તે તેમની એક જબ્બરજસ્ત ચતુર ચાલ છે. એટલે કે તેઓશ્રી એટલે કે રા.ગા. ભાઈ એક ચક્રવ્યુહ બનાવી રહ્યા છે. રા.ગા. ભાઈ ધર્મપ્રેમી હિન્દુ હોવા ઉપરાંત ઉચ્ચવર્ણના બ્રાહ્મણ છે. અને આ શોધદ્વારા રા.ગા.ભાઈએ બીજેપી ભાઈઓને ચક્કર ખવડાવી ચત્તાપાટ પાડી દીધા છે. સંઘવાળાએ પૂછ્યું કે તમે બ્રાહ્મણ છો તો તમારું ગોત્ર કયું છે. રા.ગા. ભાઈએ તો જનોઈધારી બ્રાહ્મણ ઉપરાંત તેમનું ગોત્ર પણ જણાવ્યું. દત્તાત્રેય ગોત્ર.

શે.ગુ. ભાઈ, તેમના રા.ગા.ભાઈના આ કથનને રા.ગા.ભાઈનો માસ્ટર સ્ટ્રોક ગણાવે છે.

આમ તો શે.ગુ.જી ના કહેવા પ્રમાણે રા.ગા.ભાઈએ તો ડાબેરીઓ, (તથા કથિત) ધર્મનિરપેક્ષ અને લિબરલ (ગેંગ) ને છક્કડ ખવડાવી દીધી છે. એટલે કે રા.ગા. ભાઈ એ બધા કરતાં વધુ ચાલાક નિકળ્યા છે. રા.ગા.જીએ શું કરવું જોઇતું હતું તેમાં કોકને ટાંક્યા છે અને ઇન્દિરા ઉપર વાતવાતમાં ફૂલ પણ ચડાવી દીધું.

હવે જો બીજેપીવાળાઓ રા.ગા.ના મંદિર મંદિર પર્યટન ને પાખંડ કહેતા હોય તો શે.ગુ.જી તેનું સામાન્યીકરણ કરીને તેને મોળું બનાવી દે છે. આ કોંગી-ભક્તોની આદત છે.

સીત્તેરના દશકાના પૂર્વાર્ધમાં, ઇન્દિરા ગાંધીની આપખૂદી વિષે અને ભ્રષ્ટાચાર વિષે આરોપો લાગતા ત્યારે પણ તેના ભક્તો કંઈક આથી પણ વિશેષ વાત કહેતા હતા, કે આવું તો તમે પહેલેથી જ કહો છો. આમાં નવું શું છે? એટલે કે કોંગીઓના અને તેમના ભક્તોના કહેવા પ્રમાણે તમે હેલમેટ ન પહેરી હોય અને કોઈએ અવાર નવાર ધ્યાન દોર્યું હોય. પણ તમને હેલમેટ ન પહેરવાનો, પરવાનો મળી ગયો. હર હમેશ હેલમેટ ન પહેરવાથી ગુનો બનતો નથી. કારણ કે અમે હેલમેટ નથી પહેરતા એ તો તમે કહી જ દીધું છે એમાં નવું શું છે?

આપણી વાત હતી રા.ગા. ભાઈના ગોત્રની.

રા.ગા.ભાઈએ પોતાનું ગોત્ર શોધી કાઢ્યું છે. તેમનું ગોત્ર “દત્તાત્રેય” છે. હવે ન તો શે.ગુ.ભાઈને ખબર છે કે ન તો રા.ગા. ભાઈને ખબર છે કે ગોત્ર એટલે શું? તેઓ એમ સમજતા લાગે છે કે આપણા કોઈ મહાન પૂર્વજ એ આપણું ગોત્ર.

ગુરુ પરંપરા અને ગોત્ર એ ભીન્ન છે તે શે.ગુ.ભાઈને જ, ખબર ન હોય.  આ વાત તેઓશ્રી કદાચ પોતે જ ન સમજી શકતા હોય તે આપણે સહજ રીતે માની શકીએ. કારણ કે ક્ષત્રીયોમાં વંશ અને કુળ હોય છે અને બ્રાહ્મણોમાં ગોત્ર અને પ્રવર હોય છે. મહાત્માઓમાં ગુરુપરંપરા હોય છે. વાણિયાઓમાં શું હોય છે તે ખબર નથી. હા વીસા, સોળા, દશા, સ્થાનકવાસી, શ્વેતાંબર … એવું હોય છે ખરું. પણ વૈષ્ણવોમાં શું હોય છે તે ખબર નથી. એ જે હોય તે. આપણે વિષયાંતર નહીં કરીએ. મૂળ વાત પર આવીએ.

જો તમે બ્રાહ્મણ હો તો તમારી પાસે આટલી માહિતિ હોવી જોઇએ.

ગોત્રઃ આદિ ઋષિઓ દશ હતા જેમકે ભૃગુ, ગૌતમ, ભારદ્વાજ … 

પ્રવરઃ જે તે ગોત્રમાં જન્મેલા જે તે મહર્ષિઓથી શરુ થતી વંશાવળી

વેદઃ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ

શાખાઃ જે ઋષિઓએ ગુરુકુલો સ્થાપ્યાં હતા અને તેમની અમુક પ્રણાલીઓ હતી. જેમકે માધ્યંદની, કૌથમી, આશ્વલાયની, સાંખ્યાયની,… તેમના શિષ્યો અને તેમના વંશજો તે શાખાના નામથી ઓળખાયા. આને આપણે સંગીતમાં આવતા “ઘરાના” સાથે સરખાવી શકીએ.

કુળદેવીઃ દરેક વ્યક્તિને પોતાનાં કુળની દેવી હોય છે. જેમકે ભવાની, આશાપુરી, ચામુંડા, ક્ષેમપ્રદા, ઉમાદેવી,…

શિવઃ દરેક હિન્દુને પોતાના વિશેષ શિવ હોય છે. જેમકે નીલકંઠ, વૈજનાથ, સોમેશ્વર, શંકર, વટેશ્વર, વૃષભધ્વજ…

ગણેશઃ દરેક હિન્દુને પોતાના ગણેશ હોય છે. વિનાયક, લંબોદર, મહોદર, વિઘ્નવિનાયક, એકદંત …

ભૈરવઃ દરેક હિન્દુને પોતાના ભૈરવ હોય છે. કાળ, અસિતાંગ, રૂરૂ, ભિષણ …

દરેક બ્રાહ્મણને પોતે જે ગામમાં હોય તેના પોતાના પૂર્વજોની માહિતિ તેણે રાખવી પડે છે. ઓછામાં ઓછી બાર પેઢી તો યાદ રાખવી જ પડે છે.

દા.ત.

શિરીષ, મોહનલાલ, મહાશંકર, હરિશંકર,લીંબાશંકર, લેપજી, ત્ર્યંબકેશ્વર, વૈજનાથ, ભવાનીદત્ત, રુદેરામ, દવેશ્વર, ગોવર્ધન,

 ગોત્ર = ભાર્ગવ,

પ્રવર = ભાર્ગવ

વેદ = ઋગ્વેદ

શાખા = સાંખ્યાયની

કુળદેવી = આશાપુરી

શિવ = નીલકંઠ

ગણપતિ = ઢુંઢીરાજ

ભૈરવ = અસીતાંગ

રા.ગા. ભાઈ, જો તે ખરા બ્રાહ્મણ હોય તો પોતાની આવી વિગત તેમણે આપવી જોઇએ. જેઓ વિખ્યાત છે તેમણે તો ખાસ.

શે.ગુ. ભાઈ માને છે કે રા.ગા. ભાઈ પ્રશંસાને લાયક છે.

રા.ગા. ભાઈએ પોતાના હિન્દુત્ત્વને જે રીતે ઉજાગર કર્યું છે, તે તેમનો, બીજેપીને ફસાવવાનો ચક્રવ્યુહ છે. તેઓ એમ પણ માને છે કે આ રસપ્રદ છે પણ રા.ગા.ભાઈથી તેમના લેફ્ટીસ્ટ કે જેમને તેઓ ઉદારમતવાદી કહે છે તેઓ નારાજ છે.

આપણી મૂળ વાત હતી ડીબીભાઈની.

વાત એ હતી કે લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આ ઘટનાને કેવીરીતે ઇમોશનલ રીતે પ્રસિદ્ધિ આપીને બીજેપીની સરકારને સંડોવવી. ડી.બી. ભાઈ કૃતનિશ્ચયી હતા કે આ અમૂલ્ય લાહવો અને તક છે.

“લોભ રક્ષક” …. “ઠેર ઠેર હજારો પરીક્ષાર્થીઓનો ઉપદ્રવ”, “ચક્કાજામ”,  “મારપીટ”, “વિકાસ નિઃસહાય”, “દરેક પરીક્ષાર્થીને રૂપીયા ૭૦૦ નો ખર્ચ”, “સરકાર ફેઈલ”, “સરકાર ફુલ્લી ફેઈલ”, “૯ લાખ પરીક્ષાર્થીઓ સાથે દગો”, “નવલાખ પરીક્ષાર્થીઓના નિસાસા”, “દિલ્લીના ઠગોએ નવલાખ ગુજરાતીઓને લૂંટી લીધા”, “રૂપાણી રાજીનામું આપે”, “સીએમના બંગલાની બાજુના બંગલાના એમએલએના ભાડે આપેલા મકાનમાં થી પેપર લીક”, ”સરકારની આબરુ લીક”,  …”

બાપલા જે શબ્દો હાથવગા હોય તે મોટી મસ્સ શિર્ષ રેખાઓ બનાવવામાં વાપરી નાખો. અક્ષરો મોટામાં મોટા રાખો એટલે માહિતિ ગુપાવવી હશે કે ઓછી હશે તો વાંધો નહીં આવે. ત્રણ દિવસ સુધી કે જ્યાં સુધી ટોપીક ગરમ રહે ત્યાં સુધી દીધે રાખો.

બીજા સમાચાર ને કોણ પૂછે છે?

“દુબઈથી બ્રીટનનો નાગરિક ક્રીસ્ટીન મીશેલ, ભારતને અર્પણ કરવામાં આપ્યો. અને હવે ઓગસ્ટાવેસ્ટલેન્ડ ની કટકી જે ખાધાનો કોંગી ઉપર આરોપ છે તેની તપાસ ઝડપી બનશે … વિગેરે સમાચાર તમને ડીબીભાઈના છાપામાં ગોત્યા નહીં જડે. કદાચ ક્યાંક અંદરના પાને ખૂણામાં હોય તો કહેવાય નહીં.

ભાઈ. આમાં તો એવું છે ને કે મોદી જે વિદેશોમાં દોડા દોડ કરે છે અને તે માટે આપણે તેને વગોવીએ છીએ, તો હવે જો મોદીની દોડા દોડ, ફળદાઈ બને તો આપણી ટીકાઓની કિંમત શું?

વાડ્રા કે રા.ગા.-સોનિયાની ઇન્કમની ફેરતપાસણીને ન્યાયાલયની મંજુરી, વિષે પણ એવું જ સમજવું.

એક વાર મોદી સાહેબે કહેલું કે સરકારી વર્ગ ત્રીજા માટેની ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં નહીં આવે. તો પછી આ લોક રક્ષકની પરીક્ષા આવી ક્યાંથી?

આ બાબતનો કોઈ પ્રશ્ન નથી તો ચર્ચા તો હોય જ ક્યાંથી?

પરીક્ષા માત્ર લાગવગ ચલાવવા માટે હોય છે. પેપર તપાસનાર પાસે ઢગલો ભલામણ આવતી હોય છે. જી.આર.ઈ. જેવી નેશનલ કોંપીટીશન જેવી પરીક્ષાના પેપર આપણા ભારતીયો ફોડી શકતા હોયસ તો લોક રક્ષક જેવી રાજ્ય પૂરતી મર્યાદિત પરીક્ષાનું પેપર ફૂટે તેની નવાઈ નથી. બીજ રાજ્યોમાં પણ ઢગલા બંધ પેપરો ફૂટે છે. પણ તેની ઉપર કાગારોળ થતી નથી. અને પરીક્ષા રદ પણ થતી નથી કે તપાસ પણ થતી નથી. એટલે “પેપર ફૂટ્યું” એ સમાચાર જ બનતા નથી. પછી પેપર રદ થવાની તો વાત જ ક્યાં થી ઉદભવે? અરે દશમા બારમાની પરીક્ષા વખતે ચાર માળના મકાનની બારીઓ ઉપર ઉભા રહીને પરીક્ષાર્થીઓના હિતેચ્છુઓ કોપી કરાવે અને નીચે પોલીસ ઉભી હોય તો પણ તે કંઈ કરે નહીં અને તેના ધ્યાન ઉપર આ વાત લાવવામાં આવે તો તે એમ કહે કે “મારું કામ તો તોફાન ન થાય એ જ જોવાનું છે”.

દશમા બારમાની પરીક્ષા શું ઓછા મહત્વ ની છે? ડીબીભાઈ મૌન રહેશે!! કાગારોળ તો નહીં જ કરે. કારણ કે ભારતમાં ફક્ત ગુજરાતનો જ સમાવેશ થાય છે.

ચોરી કરવી એ ગુનો નથી. ચોરી કરીને પકડાઈ જવું એ પણ ગુનો નથી. પણ ચોરી કરી હોય અને ન્યાયાલય સજા કરે તો જ ગુનો બને છે.

પેપર ફૂટે એ વાત કોઈ નવી નથી. ફૂટવાની ક્રિયા ખાનગીમાં થાય. પણ ગુજરાત સરકાર કોઈપણ રીતે “પેપર ફૂટવાની કોઈ એક કડીને પકડે” અને તેની તપાસ કરાવે, એ જ ગુજરાત સરકારની નિસ્ફળતા છે. આવું આપણા ડીબી ભાઈ માને છે અને વાચકોએ પણ આમ જ માનવું જોઇએ.

સાલું … આ તો નવલાખ પરીક્ષાર્થીઓનો સવાલ છે. કોઈ પરીક્ષાર્થી જીલ્લા હેડક્વાર્ટરમાં રહેતા ન હતા. બધા જીલ્લા મથકની જ બહાર રહેતા હતા. ટેક્ષી કરીને આવ્યા હશે. એટલે તો દરેક પરીક્ષાર્થીને ૭૦૦ રુપીયાનો ખર્ચો થયો. આપણાથી મૂંગા કેમ રહેવાય?

પરીક્ષાનું પેપર ફૂટ્યું. તેમાં સડયંત્ર હતું. તે સડયંત્ર ગુજરાતની બહાર હતું. પણ ગુજરાતે પકડ્યું એટલે સરકાર એનો લાભ ખાટી જવી ન જોઇએ એ આપણો મુદ્રલેખ છે.

ડીબીભાઈ જાહેર કર્યું કે હવે અમે પરીક્ષા લઈશું અને સરકાર અને તેના ખાતાઓ સહિતના બધા સંડાવાયેલાઓને માર્ક્સ આપીશું.

તપાસ સમિતિ તો તપાસ કરી રહી છે. હજી તો તપાસની શરુઆત છે. એટલે કે હજી તો પેપરની ઉત્તરવાહીઓ લખાઈ રહી છે અને ડીબીભાઈએ તો માર્ક્સ આપવાનું ચાલુ કરી દીધું છે. પેપર સો માર્કસનું છે. સંડોવણી દશની કરવી પડશે. દરેક વિભાગને દશમાં થી માર્ક આપો. ભલે સરકારી તપાસ ચાલુ હોય, પેપરની ઉત્તરવાહીઓ લખવાની હજુ તો શરુઆત છે. કોણ કેટલું સંડોવાયેલું છે તેની તો આપણને ખબર પણ નથી. પણ બાપલા આપણે જે પેપરની આન્સરબુક હજી લખાઈ નથી તેના માર્ક્સ આપવાનું ચાલુ કરી દો. હા ભાઈ આ તો ડીબીભાઈએ પ્રયોજેલી પરીક્ષા છે. એ તો એવીજ હોય ને? કોને પાસ કરવા અને કોને પાસ ન કરવા એ તો આપણે સુનિશ્ચિત રીતે પૂર્વ નિશ્ચિત કરી દીધું છે. એટલે પરીક્ષાના આન્સર પેપર લખાયા છે કે નહીં તે મહત્વનું છે જ ક્યાં?

બધી સંસ્થાઓને પરીક્ષા લેવાનો શોખ હોય છે અને તેમાં પણ સરકારી સંસ્થઓને તો ખાસ. ચોથા વર્ગની ભરતી માટે પણ રેલ્વે ખાતું પરીક્ષા લે છે. ગુજરાતની ભરતીઓની જાહેર ખબર ગુજરાતના છાપાં આવે કે ન આવે પણ બિહાર અને યુપીમાંના છાપાંઓમાં તો અચૂક આવે. અને ગુજરતના રેલ્વે ડીવીઝનના શહેરોના સ્ટેશનો ઉત્તરભાઈઓથી ઓવરફ્લો થાય.

શું કામ? ભાઈ પરીક્ષા લેનારા તો એ જ હોય છે ને.

પેપર ફૂટે અને પરીક્ષા રદ થાય, તેમાં અનીતિ કે ગુનો કે પરીક્ષામાં કોપીઓ થાય અને પેપર તપાસવામાં લાગવગ થાય તેમાં વધુ અનીતિ કે ગુનો?

અરે ભાઈ ગુજરાતને વગોવવું, અને તે પણ જ્યારે, ગુજરાતમાં બીજેપી સરકાર હોય ત્યારે તો, ખાસ જ અમારો મહામાનવોનો ધર્મ બની જાય છે કે ગુજરાતને વગોવો.

મધ્યપ્રદેશનું મતદાન થયા પછી જો સેન્સેક્સ હજાર અંક ઉછળે તો અમે તેને બીજેપીની જીતની શક્યતા સાથે સાંકળીશું નહીં. પણ રાજસ્થાન અને તેલંગણાના પ્રચાર પડઘમ શાંત થાય અને સેન્સેક્સ ૫૦૦ અંક ડાઉન જાય, ભલેને પછી મતદાન જ બાકી હોય અમે તે “૫૦૦ ડાઉન”ને બીજેપીની હારનો સૂચકાંક ગણાવીશું.

વેપાર વૃદ્ધિ એ પ્રગતિની નિશાની ખરી કે નહી? તો પછી ૨૦૦૪માં જ્યારે કોંગી આવી ત્યારે શેર માર્કેટ ધ્વસ્ત થઈને સેન્સેક્સે એનએસસીનો સૂચકાંક કેમ લઈ લીધેલો? અને એનએસસીનો સૂચકાંક ત્રણ ડીજીટામાં કેમ આવી ગયેલો?

ભારતની સામાન્ય જનતા બધું જ જાણે છે. હજાર ડીબીભાઈઓ, કે હરિભાઈઓ, ભગતભાઈઓ કે શે.ગુ.ભાઈઓ કે પ્રકાશભાઈઓ ભેગા થાય અને લખવામાં ગમે તેટલી બીજેપીની કે નરેન્દ્ર મોદીની બુરાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરે, જનતા તો સત્ય અને અસત્યનો વિવેક પારખી જ લે છે. હવે નહેરુ કે ઈન્દિરાનો જમાનો નથી કે તમે સત્યને ઢાંકી શકો. હવે તો સોસીયલ મીડીયા પણ પટમાં આવી ગયું છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

કકળાટ, વૃત્તિ કે એજન્ડા

ઘસાયેલો વિષય છે. ખબર નથી આપણા કાંતિભાઈ કટારીયા (ભટ્ટ)ભાઈએ જ્યારે ડીમોનીટાઈઝેશન કર્યું ત્યારે કંઈ લખેલું કે નહીં !!

આમ તો આપણા આ કટારીયાભાઈ “સબબંદરકા વ્યાપારી” છે એટલે લખ્યું તો કદાચ હોય પણ ખરું. પણ અમે તે વખતે ઇન્ડિયામાં ન હતા એટલે આપણા ડીબીભાઈના (દિવ્યભાસ્કરના) નિયમિત સંપર્કમાં રહેતા ન હતા. યુ-ટ્યુબ ઉપર ભારતની ઝી-ન્યુઝ, દૂરદર્શન, ટાઈમ્સ નાઉ (?) સુદર્શન ચેનલ છૂટક છૂટક જોતા હતા.

કકળાટ

જ્યારે આપણે કંઈ પણ લખીએ ત્યારે અમુક શબ્દોની આપણી વ્યાખ્યા લખી દેવી જોઇએ. કકળાટ એટલે જે વસ્તુ તમને તકલીફ આપતી હોય અને જો તમે પત્રકાર હો (કટારીયા) હો તો જો તમને એવું લાગતું હોય કે જાહેર જનતાને અસાધરણ તકલીફ પડે છે તો આ તકલીફને સતત વાચા (પુનરાવર્તનની છૂટ છે) આપ્યા કરવી તેને કકળાટ કહેવાય છે.

વૃત્તિઃ

તમારું જે વલણ હોય છે તે. આ વલણ તમારા અવલોકન, શ્રવણ અને વિચારો ઉપર આધારિત હોય અને તેના પરિણામે તે તમને કાર્યવાહી કરવા પ્રેરે છે તેને વલણ કહેવાય છે.

એજન્ડાઃ

તમારા અન્નદાતા (અહીં આપણે ડીબીભાઈને કટારીયા ભાઈઓના અન્નદાતા કહીશું) કે જેઓની વૃત્તિ તદ્દન પોતાની બુદ્ધિ (તર્ક) ઉપર અધારિત ન હોય પણ પરોક્ષ કે પ્રત્યક્ષ “લડ્ડુ” આપવાની શક્યતા કોની પાસેથી વધુ છે તેના ઉપર ઘડયેલી હોય છે. તેઓ તે પ્રમાણે વર્તતા હોય છે. તેમના વલણને આપણે એજન્ડા કહીશું. કારણ કે સમાચાર માધ્યમનું કામ આમ તો જનતાને કેવળ માહિતિ આપવાનું છે પણ સાથે સાથે માહિતિ છૂપાવવાનું પણ હોય છે. કારણ કે આપણી વૃત્તિ આપણા અન્નદાતાની વૃત્તિ ઉપર આધારિત છે.

જો કે બધા કટારીયા ભાઈઓ કુતર્કમાં માનતા હોય તે જરુરી નથી. કારણ કે સમાચાર માધ્યમોએ પોતે તટસ્થ છે તેવો પણ દેખાવ કરવો જરુરી છે જેથી ભારતના વિશાળ અજ્ઞજનોને અને અલ્પજ્ઞ જનોને  આપણા એજન્ડા પ્રમાણે દોરી શકાય.

આપણા કટારીયા ભાઈએ કદાચ જ્યારે ડીમોનીટાઈઝેશન (વિમુદ્રીકરણ) થયું તે સમયના ગાળામાં તે વિષે અભિપ્રાય ન આપવાનું વલણ લીધું હશે. અને તે યોગ્ય પણ ગણી શકાય કારણ કે, તે સમય, સમગ્ર રીતે વિમુદ્રીકરણને મુલવવા માટે અપરિપક્વ સમય હતો. અને હવે કદાચ વિમુદ્રીકરણને મુલવવાનો સમય પાકી ગયો છે એમ તેઓશ્રી માનતા હોય.

વિમુદ્રીકરણ ના સરકારે ગણાવેલા ફાયદાઓ

10 long term goals of demonetization

કાળાનાણાની ઉપર ઋણાત્મક અસરઃ

જો કે આપણો એજન્ડા કંઈક જુદો હોય તો આપણે આ “ઋણાત્મક” શબ્દનો અર્થ નાબૂદી એવો પ્રચાર કરી શકીએ.

કાળાં નાણાં કોની પાસે છે?

નહેરુવીયન કોંગ્રેસના આંકડાઓ પ્રમાણે ભારતના ૯૫ ટકા માણસોની આવક માસિક આવક રૂ. ૫૦૦૦/- થી ઓછી છે. એટલે એમની પાસે રૂ.૫૦૦/- અને રૂ. ૧૦૦૦/- ની નોટો કેટલી હોય તે કોઈ સંશોધનનો વિષય નથી. કારણ કે ઈન્કમ ટેક્ષ ભરનારાઓની સંખ્યા અર્ધો ટકો પણ નથી. વળી જ્યાં મોંઘવારીની બુમો પડતી હોય તેમાં લોકો પાસે આખરી તારીખે કે અઠવાડીયા પછી કેટલી નોટો બચે તે વિષે સુજ્ઞ જનોએ વિચારવું જોઇએ.

આપણો એજન્ડા અલગ છે તો?

જો આપણો એજન્ડા અલગ હોય અને આપણી વાતને સામાન્ય જનતા માટે અસરકાર રીતે રજુ કરવી હોય તો વિમુદ્રીકરણની અસરોની ચર્ચાને આપણે ભાવનાત્મક બનાવવી અનિવાર્ય છે. આમેય જો ક્ષુલ્લક વાતોને પણ જો આપણે ભાવનાત્મક શબ્દોનો ઉપયોગ કરી રજુ કરતા હોઈએ તો વિમુદ્રીકરણ જેવી ઘટનાની અસરોને તો ભાવનાત્મક શબ્દોમાં રજુ કરવી આપણો ધર્મ બને છે.

ભારતની વાસ્તવિકતા શું છે?

ભારતમાં ૧૫૦૦૦ માણસ દીઠ એક બેંક બ્રાન્ચ આવે. ઘણાને એક કરતાં વધુ બેંક માં પોતાના ખાતાં હોય તેને આપણે અહીં અવગણીએ છીએ. હવે જો એક ટકો માણસ ઈન્કમ ટેક્ષ ભરતો હોય તો તેની પાસે રૂ.૫૦૦/-ની અને રૂ.૧૦૦૦/- નોટો હોય તેમ માની લઈએ તો ૧૫૦ માણસની એવરેજ એક બેંક દીઠ આવે. આપણે આમાં ૧૦૦ ટકાની ક્ષતિ ગણીએ તો પણ ૩૦૦ માણસની એક બેંક દીઠ એવરેજ આવે. હવે જો આઠમી નવેમ્બરથી ડી-મોનીટાઇઝેશન લાગુ કરવામાં આવ્યું હોય એટલે જેઓ પાસે કાળા નાણાં નથી તેમનો ૩૩ ટકા પગાર તો વપરાઈ જ ગયો હોય. આ વાત પણ આપણે અવગણીએ છીએ. આ ઉપરાંત એટીએમ, ક્રેડીટ કાર્ડ ડેબીટ કાર્ડ વિગેરેનો  ઈન્કમ ટેક્ષ ભરનારાઓની દ્વારા થતા ઉપયોગકારોની સંખ્યા પણ આપણે અવગણીએ છીએ. એટલે કોઈ પણ બેંક દીઠ ૩૦૦ માણસની સંખ્યાથી વધે નહીં.

નોટો બદલવા માટે ૫૦ દિવસો આપેલા. એટલે રોજના એવરેજ વધુમાં વધુ ૧૦ માણસ થાય. એટલે લાઈનમાં એવરેજ ૧૦ માણસ થાય. આમાં આપણે વેપારીઓની સંખ્યા ઉમેરીએ.

જો બેંકો ૧૫૦૦૦ વ્યક્તિએ એક હોય તો વેપારીઓની સંખ્યા તેનાથી સોગણી ગણીએ. એટલે કે ૧૫૦ વ્યક્તિએ એક વેપારી એવરેજ થાય. પણ એક ટકા પાસે રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો હોવાને કારણે, એક દુકાન દીઠ એક બેંકમાં એક દિવસની એવરેજે ૧.૫ વ્યક્તિ લાઈનમાં વધે. હવે જો વેપારી દશ દિવસે એક વાર બેંકમાં પૈસા જમા કરાવતો હોય તો એક બેંક દીઠ રોજની લાઈનમાં ૧૫ વ્યક્તિ વધે. એટલે કે ૨૫ માણસની લાઈન બેંકમાં થાય તે પણ ક્યારે કે બધા જ માણસો ૧૦ વાગે બેંકમાં આવી જાય તો.

પણ આપણને બેંક દીઠ ૨૫થી વધુ વ્યક્તિઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી. તેનો અર્થ એમ થયો કે મોટા ભાગના લોકો, બીજા માટે લાઈનમાં ઉભારહ્યા હતા એટલે કે બીજાની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-  નોટો બદલાવવા ઉભા હતા.

જેઓ પોતાના કાળાંનાણાંની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો બદલાવી પડે તેમાં કોણ કોણ આવી શકે.

બીલ્ડરો, જેમણે પોતાની સ્થાવર મિલ્કત કાળાં નાણાંમાં આંશિક રીતે વેચી હોય તેવી વ્યક્તિઓ, અમુક વેપારીઓ, અમુક હોટલના માલિકો, સરકારી અધિકારીઓ, ડોક્ટરો, ખાનગી ચિકિત્સાલયો, કંપનીના અધિકારીઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને મોટાપાયે ટ્યુશન ચલાવનારી સંસ્થાઓ, અને રાજકીય પક્ષોના હોદ્દેદારો અને ચૂંટાએલા જનપ્રતિનિધિઓ.

નોટો બદલવા માટે જે લાંબી લાઈનો લાગેલી તેમાં ઉપરોક્ત પ્રકારની વ્યક્તિઓના માણસો લાઈનમાં ઉભા હતા.

એમ કહી શકાય કે ટકાવારી પ્રમાણે દોઢ થી બે ટકા ઓછી નોટો આવી. એટલે કે રીઝર્વ બેંકે ચલણમાં જેટલી રૂ.૫૦૦/-ની અને રૂ. ૧૦૦૦/-ની જે ચલણી નોટો બજારમાં મૂકી હતી તેની મોટાભાગની નોટો બેંક પાસે પાછી આવી ગઈ. એટલે આપણા કટારીયાભાઈ નું માનવુ/મનાવવું છે કે કાળું નાણું નજીવું જ ચલણમાંથી બહાર થઈ ગયું. માટે આ તો ખોદ્યો પહાડ અને કાઢ્યો ઉંદર એમ જ થયું.

જો કે એક વાત આપણા સમાચાર માધ્યમોના સુજ્ઞ જનો ભૂલી જાય છે.

કઈ વાત આપણા સુજ્ઞજનો ભૂલી જાય છે?

ધારો કે ૪૮ લાખ કરોડની નોટો સરકારે છાપી હતી. અને ૪૮ લાખ કરોડથી ઓછી નોટો આવે તો તો એમ કહી શકાય કે કમસે કમ જેટલી કિમતની નોટો ઓછી પાછી આવી તેટલું કાળું નાણું નષ્ટ થયું.  પણ ધારોકે ૪૮ લાખ કરોડની રૂ. ૫૦૦/- ની ચલણી નોટોને બદલે ૫૦ લાખ કરોડની કિમતની રૂ. ૫૦૦/- નોટો પાછી આવી હોત તો?

જો આવું થયું હોત તો?

કેટલાક વિદ્વાનો કૂદીકૂદીને કહેત કે આ તો બનાવટી નોટો સરકારે બદલી દીધી.

આ તો થઈ કાળાંનાણાં બદલાવવા માટેની લાઈનો વિષે. પણ બનાવટી નોટોનું શું? શું બનાવટી નોટો બદલાવવામાં આવી નથી?

બનાવટી નોટોની કથા (કથા એટલે હકિકત)

૨૦૦૪માં નવી આવેલી નહેરુવીયન કોંગ્રેસે રૂ.૫૦૦/- ની ચલણી નોટો છાપવાનું ગ્લોબલ ટેન્ડર ફ્લોટ કરેલ. ટેન્ડર એ કંપનીનું માન્ય રાખવામાં આવેલ જે કંપની બીજા કેટલાક દેશોમાં બ્લેક લીસ્ટ થયેલી કારણ કે તેના સંબંધો આતંકવાદી સંસ્થાઓ સાથે હતા. વળી આ ચલણી નોટોની ખરાઈ કરવાના મશીનોનો કોન્ટ્રાક્ટ પણ એ જ કંપનીને આપવામાં આવેલો.

એટલે આ તો એવું થયું કે ઈન્દિરા ગાંધીને સંજયગાંધીની મારુતિ ગાડીનું કૌભાન્ડ તપાસવાનું કામ પોતાને હસ્તક લીધું. પછી ઇન્દિરા ગાંધી કહે કે “સંજય તો નિર્દોષ છે. જો સંજય ગાંધીનો દોષ હોત તો મેં એને સજા કરી હોત!! મેં તેને કશી સજા કરી નથી તેથી જ સિદ્ધ થાય છે કે સંજય ગાંધી નિર્દોષ.” વળી તેણી ઉમેરત કે “શું હું જુઠું બોલું છું? એક મહાન દેશના વડાપ્રધાન ઉપર આક્ષેપો કરતાં તમને શરમ નથી આવતી?”

એટલે કે કોઈ આપણને બેશર્મ કહે તે પહેલાં જ આપણે તેને બેશરમ કહી દેવો. આ ઈન્દિરાઈ કોંગ્રેસની પ્રણાલી છે.

બનાવટી નોટોની વ્યાપકતા

રૂ. ૫૦૦/-ની બનાવટી નોટોની  વ્યાપકતા એટલી બધી હતી કે રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમમાંથી પણ બનાવટી નોટો નિકળેલી. ઉપરોક્ત નોટોના ખરાઈ કરનારા મશીનો નોટોની “૧૬” જાતની ખરાઈ ચેક કરતા. જ્યારે વાસ્તવમાં ૧૮ થી ઉપર ખરાઈ ચેક કરવાની ક્ષમતા મશીનમાં હોવી જોઇએ. આ બાબત અમેરિકાની એક કંપનીને જ્યારે ખરાઈ ચેક કરવા આપી ત્યારે બહાર આવેલી.

આપણે સુપેરે જાણીએ છીએ કે નહેરુવીયન કોંગ્રેસ સરકારે ઓગણીશો નેવુંમાં નિમેલી એક કમીટીના રીપોર્ટ પ્રમાણે પોલીસ, રાજકીય પક્ષના નેતાઓ, અને અસામાજીક તત્વો વચ્ચે સાંઠગાંઠ છે. આપણે જાણીએ છીએ કે એન્ડરસન અને કવૉટ્રોચી કેવી રીતે સરળતા પૂર્વક ભાગી ગયા હતા.

સુજ્ઞજનો જ નહીં પણ સામાન્ય કક્ષાનો વ્યક્તિ પણ આવી ઘટનાઓ સમજે છે. એટલે સરકારી બેંકોના એટીએમમાંથી બનાવટી નોટો નિકળે તેમાં બનાવટી નોટો ઘુસાડ્યાની બાબતમાં કયા પક્ષની સંડોવણી હોઈ શકે તેનું આનુમાન કરી શકાય છે. અલબત્ત નહેરુવીયન કોંગ્રેસ આવી જવાબદારીમાંથી છટકી ન જ શકે. તેણે કેટલા પૈસા બનાવ્યા તે સંશોધનનો વિષય છે.

ટૂંકમાં બનાવટી નોટો પણ બેંકોએ બદલી આપી હશે જ તેમાં શક ન કરવાનું કોઈ કારણ નથી. પણ જે બનાવટી નોટો કાળાંનાણાંવાળા બદલાવી ન શક્યા તેને નફો ગણવો જોઇએ. આતંકવાદીઓ ખાસ કરીને કાશ્મિરના આતંકવાદને પોષકનારા દેશી વિદેશી તત્વો અને નક્ષલવાદી માર્ક્સવાદીઓને સહાય કરનારા તત્વો ને બહુ મોટો ફટકો પડ્યો છે.  

બે લાખ બોગસ કંપનીઓઃ

એન.જી.ઓ. ઉપર તવાઈ આવી એ ઉપરાંત આશરે બે લાખ કંપનીઓ બનાવટી માલુમ પડી છે અને તેમનું રજીસ્ટ્રેશન રદ થયું. હવે આ બધાની તપાસ ચાલુ છે. એ ઉપરાંત આટલા જ કે તેથી વધુ લેવડ દેવડ કરનારા શંકામાં આવ્યા છે અને તેમની ઉપર તપાસ ચાલુછે. હવાલા કાંડોની તપાસ પણ ચાલુ છે.

બોગસ કંપનીઓ વિષે સરકારને પહેલાં કેમ ખબર ન પડી?

(જો કે આ મુદ્દો કટારીયા ભાઈએ ઉઠાવ્યો નથી.)

બેનામી પાસપોર્ટ, બેનામી પાનકાર્ડ  અને બેનામી વ્યક્તિને નામે સ્થાવર મિલ્કત હોવી એ આપણા દેશમાં એક સામાન્ય વાત છે. નહેરુવીયન કોંગ્રેસે સ્થાપેલી સીસ્ટમ અને અધિકારીઓના સંસ્કાર જ એવા છે કે “ગાંધી-વૈદ્યનું” સહીયારું અને “ચોર-કોટવાલ”નું સહિયારું એવો ઘાટ છે. જો આ બાબત માટે તપાસ કરવાનું કામ પહેલાં કરવામાં આવ્યું હોત તો તે કામ સરકારી ગધેડાઓને ઉપર હાથીનો બોજ ઉપાડવાનું કહ્યા બરાબર હતો. જ્યારે ૯૫ ટકા તંત્ર બગડેલું હોય ત્યારે તેની ખરાઈ કરવી કરવી પણ મુશ્કેલ બને છે. પણ હવે જે કિસ્સાઓ સામે આવ્યા તે બેંકો દ્વારા ગળાઈને આવ્યા છે. એટલે હવે તપાસ સરળ રહેશે.

તો હવે જેઓ નોટો બદલાવવાની લાઈનોમાં મરી ગયા તેમનું શું?

તેમજ

નરેન્દ્ર મોદીએ કહેલ કે “અમે કાળું નાણું લાવીશું અને દરેકના ખિસ્સામાં પંદર લાખ મૂકીશું તેનું શું?

જો કે નરેન્દ્રભાઈએ આ શબ્દો વાપર્યા નથી. પણ તેમણે એક ધારણા પ્રમાણે કાળાંનણાંના જત્થાનો અંદાજ આપેલો કે એક વ્યક્તિને ભાગે ૧૫ લાખ રૂપીયા આવે. પણ આ બધાં નાણાં ચલણી નોટોમાં છે તે તો વિપક્ષીનેતાઓનું ખાસ કરીને રાહુલ ગાંધીનું અર્થઘટન છે.

જો ઉપરોક્ત કથનને મહત્વ ન આપીએ તો આપણે જોયું કે કાળાંનાંણાંવાળાઓએ ૫% કે જે કંઈ હોય તે, કમીશનને આધારે પોતાના માણસોને નોટો જમા કરાવવા/બદલાવવા મોકલેલ. આ માણસોએ પોતાના ખાતાં ન હોય તો ખોલાવીને તેમાં જમા કરેલ ને પછી તેમના અન્નદાતાઓને પરત કરેલ.

આ બધા આમ તો વફાદાર હતા એટલે તેમણે નાણાં પરત કર્યાં. પણ એક વખતતો તેમના ખિસ્સામાં બે/ત્રણ લાખતો આવી ગયા જ કહેવાય. હવે તેઓ જો આવા આવી ગયેલા પૈસાને પરત કરે તો “બિચારા મોદીકાકા શું કરે?”   

આપણા કટારીયા ભાઈએ, કેટલા માણસો લાઈનમાં લાગવાને કારણે મરી ગયા તેના કોઈ આંકડા આપ્યા નથી. આપણી પાસે બોગસ આંકડા પણ નથી. તેમજ કેજ્રીવાલે કે કોઈ કોંગી નેતાએ કે પોતાને લોકાભિમુખ માનનારા બીજા કોઈપણ નેતાએ કૉર્ટમાં પીઆઈએલ (જનહિતની અરજી) ફાઈલ કરી નથી. એક વૃદ્ધભાઈ મરી ગયેલ પણ તેમના જ સુપુત્રે કહેલ કે તેમનું મૃત્યુ લાઈનમાં ઉભા રહેવાને કારણે થયું ન હતું.   

તમે તટસ્થ ક્યારે કહેવાઓ?

તમે જો ગટરના કીડા હો તો ફક્ત ગટરની જ વાત કરો. જો તમે તટસ્થ હો તો, અને જો તમે સુજ્ઞ હો તો તમારે “બનાવટી ચલણી” નોટોની વાત પણ કરવી જોઇએ. જે બોગસ કંપનીઓ પકડાઈ હોય તેની પણ વાત કરવી જોઇએ. હવાલા મારફત આતંકવાદીઓના સબંધીઓ ઉપર તવાઈ આવી છે તેની વાત પણ કરવી જોઇએ. આ બધા કંઈ તમારી માટે અજાણી વાતો નથી. જો તમે આ બધી વાતોને છૂપાવો એટલું જ નહીં પણ ઉપરોક્ત દુષણોનું નિર્મૂલન કરવાના ઉપાયો પણ ન સૂચવો તો તમારામાં અને નેશનલ કોન્ફરન્સ અને માંદી ધર્મ નિરપેક્ષવાદી નેતાઓમાં ફેર શો? આ નેતાઓ કે જેઓ એક પત્થરબાજને સુરક્ષાદળોએ જીપ ઉપર બાંધ્યો તે ઘટના ઉપર કૂદી કૂદીને બોલે, પણ હજારોની સંખ્યામાં કતલ થયેલા કાશ્મિરી હિન્દુઓ અને લાખોની સંખ્યામાં બેઘર કરવામાં આવેલા કાશ્મિરી હિન્દુઓ વિષે મૌન ધારણ કરે. એટલું જ નહીં પણ દશકાઓ સુધી રાજ કર્યા પછી પણ તેમને એવી નિરાધાર સ્થિતિમાં જ રાખે અને નિસ્ક્રીય રહે. જો તમે આવા હો તો તમારા માટે દુનિયાની બધી જ ગાળો યોગ્ય છે.

આ કટારીયા ભાઈએ કરેલો “ગરીબની હાય” શબ્દ પ્રયોગ ભ્રામક અને હાસ્યાસ્પદ છે.

જો અમારા જેવા ખાધે પીધે સુખી એવા નિવૃત્ત ઉંમર લાયક ની વાત કરીએ કે અમારા જેવાના કમાતા ધમાતા સંતાન અને સન્માર્ગે જ ચાલનારાની વાત કરીએ તો મને કદી પગારમાં ૫૦૦ની નોટ મળી નથી. પેન્શન ખાતામાં જમા થાય છે. જ્યારે નોટબંધી થઈ ત્યારે અમે ઈન્ડિયામાં ન હતા. ઉંમરને કારણે જે કંઈ રોકડા રાખેલા તે પંદરેક નોટો અમે બેંકમાં ડીસેમ્બરના પહેલા અઠવાડીયામાં જમા કરાવેલી. યુબીઆઈમાં કશી જ ભીડ ન હતી. અમે તો એક ટકામાં આવીએ. અમારા કોઈ સગાંઓને પણ તકલીફ પડી ન હતી. તેમાં ઘણા લોકો ધંધાદારી પણ છે.

તમને તકલીફ પડી? તો તમે ખેડૂતોનું નામ લો, જાટનું નામ લો, પાટીદારોનું નામ લો, ગરીબોનું નામ લો, રોજે રોજનું ખાનારાઓનું નામ લો ….  આવા બધાનું નામ લેવાની ફેશન છે. ફક્ત તમે તમારું નામ ન લો.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

આત્મવત્‌ સર્વભૂતેષુ યઃ પશ્યતિ સઃ પંડિતઃ

(જે બધાને પોતાના જેવા જુએ છે તે પંડિત છે)

Read Full Post »

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૨

આતંકવાદીઓ ધર્માંધ મુસ્લિમના વર્ગીકરણ હેઠળ આવે. જો કે આતંકવાદીઓ માટે તો ધર્માંધ શબ્દ પણ નાનો પડે. પણ ધર્મને જ્યારથી રાજ્યે મહત્ત્વ આપવું શરુ કર્યું અને ચૂટણીઓની રમતોમાં ધર્મ અને જાતિના સમીકરણો નહેરુવીયન કોંગ્રેસે વિકસાવ્યા ત્યારથી ભારતમાં ધર્મ અને જાતિ (જ્ઞાતિ)નો ફોબીયા ઉત્પન્ન થયો. હિન્દુઓમાં પણ પૂર્ણ કે અર્ધ મુસ્લિમ-ફોબીયા અને અર્ધ-ખ્રીસ્તી ફોબીયા હોય છે. ફલાણો માણસ મુસ્લિમ કે ખ્રીસ્તી છે તેથી તે સારો હોય તો પણ ગમે તે પ્રકારે તે ખરાબ જ છે. આમાં એ.પી.જે. કલામને પણ ન છોડાય, ફિરોઝ ગાંધીને પણ ન છોડાય અને મધર ટેરેસાને પણ ન છોડાય. તેવી જ રીતે આંબેડકરને પણ ન છોડાય.

ટેલ સ્પેડ એ સ્પેડ (ચીપિયો પછાડીને કહો … સાચી વાત કહો)

આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી.

જો તમારે મુસલમાનની સુજ્ઞતા જાણવી હોય તો તમે એ વિચાર વહેતો મુકો કે આતંકવાદીઓને ધર્મ હોતો નથી. માટે આતંકવાદીના શબને ન તો તેમના સંબંધીઓને હવાલે કરવું, ન તો આતંકવાદીના શબને દાટીને ઉત્તરક્રિયા કરવી. આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું અથવા મધ દરિયે વહેતું કરી દેવું.

આ વાત જે મુસલમાન કબુલ રાખે તેને સાચો મુસલમાન માનવો. દેખીતી રીતે જ આ તર્ક બધાએ માન્ય રાખવો જોઇએ. પણ આપણા મૂર્ધન્યો આ વિચાર વહેતો મુકી શકવાની હિમત ધરાવે છે ખરા?

બીજેપીના તરફદારો કે મોદી-યોગી ભક્તો તો આ વાત કબુલ રાખશે. પણ આપણે તેમને અવગણીશું.

જ્યારે પણ “આતંકવાદીઓ હુમલો કરે અને માનવ હત્યાઓ કરે ત્યારે તેમને આતંકવાદી તરીકે જ ઓળખવા જોઇએ. તેમને મુસલમાન તરીકે ઓળખવા જ ન જોઇએ” આ રીતની વાત તો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ કૂદકા મારી મારીને કહેશે. પણ આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું કે મધદરિયે વહાવી દેવું એ વાત નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેના સાંસ્કૃતિક સાથીઓ કબુલ રાખે તે વાત અશક્યમાં પણ અશક્ય છે.

ઉપરોક્ત ચાર પ્રકારના મુસ્લિમોમાંથી એક અને બે પ્રકારના મુસ્લિમો વિતંડાવાદ કરશે જ  કરશે. તેઓ આંદોલન પણ કરશે. તેઓ કહેશે “આતંકવાદીઓ મુસ્લિમ નથી પણ તેઓ કોઈના બેટા તો છે જ ને! તો તેમના શબ તેમના સગાંઓને આપી દેવા જોઇએ. આતંકવાદીઓના સગાઓ ઉપર શબનો નિકાલ કેવી રીતે કરવો તે નિર્ણય છોડી દો”. જો કે આ એક અને બે પ્રકારના લોકો તો  ઘણા જ આગળ વધી વર્ગ વિગ્રહ કરવા સુધી પહોંચી જશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ તો આવી ચર્ચાના કરણે કોઈ વિગ્રહ ફાટી નિકળે તેની રાહ જોઇને જ બેઠા છે. તેમને મદદ કરવા તલપાપડ છે.

ત્રીજા પ્રકારના મુસ્લિમો મૌન રહેવું પસંદ કરશે. અને ચોથા પ્રકારના મુસ્લિમો આતંકવાદીઓના શબના નિકાલની આપણી વાતને આવકારશે.

હિન્દુ-ફોબીયા

મુસ્લિમોની ઠીક ઠીક સંખ્યા હિન્દુ-ફોબિયાથી પીડિત હોય છે. આનું મુખ્ય કારણ સંવાદનો અભાવ હોય છે. વળી હિન્દુઓ પોતાના વિસ્તારમાં મુસ્લિમોને ઘર ભાડે આપતા નથી.કારણ કે મુસ્લિમોમાં કોણ આતંકવાદી સાથે હોઈ શકે અને કોણ  ન હોઈ શકે તે તેઓ જાણી શકે તેમ હોતા નથી. વળી મુસ્લિમ વિસ્તારની નજીક રહેતા હિન્દુઓનો અનુભવ મુસ્લિમો વિષે સારો હોતો નથી. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ કેવી રીતે સ્થાપી શકાય તે મહ્ત્ત્વનો પ્રશ્ન છે.

બાવા-યોગી-ફોબિયાઃ

બાવાઓની વિરુદ્ધ અધ્ધર અધ્ધર બોલવું તે એક ફેશન છે. વાસ્તવમાં બધા બાવાઓને એક લાકડીએ હાંકી ન શકાય. ઓશો આસારામ, સંત રજનીશમલ, રાધે મા, જેવા બાવાઓ એક વહાણના પ્રવાસીઓ છે. ધીરેન્દ્ર બ્રહ્મચારી, ચંદ્રાસ્વામી, મહેશ યોગી, બાબા રમદેવ, સદ્‍ગુરુ, શ્રી શ્રી રવિશંકર આ બધા એક પ્રકારમાં અવતા નથી. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામી નો એજંડા મહેશ યોગી, બાબા રામદેવ, સદ્‌ગુરુ, શ્રીશ્રી રવિશંકરથી ભીન્ન હતો. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામીની  ઈન્દિરા ગાંધીની સાથેની નિકટતા ઉડીને આંખમાં ખૂંચે તેવી હતી. મહેશ યોગી, યોગના પુરસ્કરતા હતા પણ તેમનું કાર્યક્ષેત્ર પોતાની સંસ્થાઓ પુરતું સીમિત હતું. બાબા રામદેવ, સદ્‍ગુરુ અને શ્રી શ્રી રવિશંકર, યોગના પ્રચારની સાથે સાથે ઉત્પાદન અને વેપાર પણ કરે છે.

આપણા “તડ અને ફડ” વાળા એક મૂર્ધન્યભાઈને કદાચ આંશિક ફોબિયા હશે. જો કે મને આ “તડ અને ફડ” વાળા મૂર્ધન્ય વિષે આમ તો ઘણું માન છે. પણ ક્યારેક તો વિચાર વિભીન્નતા રહેવાની જ. બાબા રામ દેવે બીજેપી સરકારને સૂચન કર્યું કે વૈદિક અભ્યાસના પ્રચારમાં સરકાર સામેલ થાય. સરકારે તે વાત હાલ પુરતી નકારી કાઢી છે. આ સૂચન એક બાવાજી તરફથી આવ્યું હોવાથી ઘણાને ન પસંદ પડે તે સમજી શકાય છે. પણ દરેક સૂચનને તેના સંદર્ભમાં અને તેના ગુણદોષના આધારે જોવું જોઇએ. આપણા મૂર્ધન્ય ભાઈને આ સૂચન નહીં ગમ્યું હોવાથી તેમણે “માંડીને વાત કરી” (કે જેથી પોતાના આવનારા અભિપ્રાયની પૂર્વભૂમિકા સર્જાય). તેમણે “ઈન્દિરાઈ સમર્થનવાળા ચન્દ્રા સ્વામી અને ધીરેન્દ્ર બ્રહ્મચારીના કરતૂતોનો અને ઈન્દિરા ઉપર તેમના વર્ચસ્વનો ઉલ્લેખ કર્યો. આ વર્ચસ્વને બાબા રામદેવના બીજેપીના સમર્થન સાથે સાંકળ્યો. બાબાને વેપાર સાથે સાંકળ્યા અને બાબાના વેપાર વિસ્તારને નરેન્દ્ર મોદીના સમર્થન સાથે સાંકળ્યો.”

વાસ્તવમાં ઇન્દિરાને લીધે ઇન્દિરા ગાંધીના બાવાઓને જે મહત્ત્વ મળ્યું તે મહત્ત્વને બાબા રામદેવના મહત્ત્વ સાથે સરખાવી ન શકાય.

આ મૂર્ધન્ય શ્રીએ વર્ણવ્યુ …. “… બાબા રામદેવ તકનો લાભ લેતા રહ્યા જેમ કે પહેલાં અન્ના હજારે સાથે રહ્યા અને ખ્યાતિ મેળવી લીધી. નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન બાબા રામદેવે પોતાનું આંદોલન પણ કર્યું અને પછી સ્ત્રીનો વેશ પહેરી મધ્યરાત્રીએ ભાગી ગયા. કોંગ્રેસના પરાજય પછી  નરેન્દ્ર મોદીના સહકારથી તેમણે પોતાનો વેપાર વિકસાવ્યો. …”

નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે બાબા રામદેવને અને તેમના સાથીને ખોટી રીતે હેરાન કરવામાં આવેલા. મધ્યરાત્રીએ પાડવામાં આવેલો પોલીસનો દરોડો વીન્ડીક્ટિવ હતો. રામદેવ અને તેમના સાથીને, નહેરુવીયન કોંગ્રેસનું શાસન લાખ પ્રયત્ન કરવા છતાં કોઈ સજા કરી શક્યું ન હતું. એ વાત જ સિદ્ધ કરે છે કે નહેરુવીયન કોંગ્રેસનું શાસન કેટલું વેરવૃત્તિવાળું હતું. જોકે નહેરુવીયન કોંગ્રેસના નામે આવા અગણિત કાળા કર્મો ઇતિહાસને ચોપડે નોંધાયેલા છે. બાબા રામદેવ સ્ત્રીનો વેશ પહેરી ભાગી ગયા હોય તો તે વાત ઉલ્લેખવાને લાયક છે કે કેમ તે ચર્ચાનો વિષય છે. પણ આ વાત ઉપર તેમની બુરાઈ કર્યા કરવી તે બરાબર નથી.

ભૌતિક હિંમત અને નૈતિક હિમતનો ભેદ સમજો

હિમત (કરેજ) બે જાતની હોય છે.  ભૌતિક હિંમત (ફીઝીકલ કરેજ), અને નૈતિક હિમત (મોરલ કરેજ). ભૌતિક હિંમતના અભાવને,  અણધારી આફતમાં શારીરિક પીડાના ડરથી નાહિમત થઈ જવાની ક્રિયા સાથે સાંકળી શકાય. નૈતિક હિમત આવનારી આફતની જાણ હોય અને તેનો મુકાબલો કરવા માટે મન અને શરીરને તૈયાર કરવું તે છે.

ગાંધીજીના જીવનમાં પણ દક્ષિણ આફ્રિકામાં એક વખત એવો બનાવ બનેલો કે જેના કારણે તેમને પાછલા દરવાજેથી ભાગી જવું પડેલું. પણ જ્યારે ફરીથી એવો બનાવ બન્યો ત્યારે તેઓ સામે ચાલીને એ હિંસક માણસ પાસે ગયેલા. જો રામદેવના જીવનમાં ન કરે ને નારાયણ, ફરીથી આફત આવે અને તેઓ ફરીથી સ્ત્રીનોવેશ પહેરી ભાગી જાય તો તેમની બુરાઈ કરી શકાય. બાબા રામદેવની ઉપર આજે પણ નહેરુવીયન કોંગ્રેસની ચાર આંખ છે. તેઓશ્રીની સામે ખોટા આક્ષેપોવાળી તપાસ પણ થઈ છે. બાબા રામદેવ મલ્ટીનેશનલ કંપનીઓ માટે પડકાર રુપ તો બન્યા જ છે.

બધા બાવાઓ વેપાર કરતા હોય છે.  

બાવાઓ બધા વેપાર તો કરતા જ હોય છે. મૂળવાત તો એ છે કે તેઓ જનતાને તેમના વેપારમાં છેતરે છે કે કેમ?  જ્યારે   નહેરુવીયન કોંગ્રેસ બાબા રામદેવને કટ્ટર શત્રુ માનતી હોય ત્યારે બાબા રામદેવે સાવધ તો રહેવું જ પડે. બીજેપીની સરકારમાં ઉપરથી ખોટા દબાણ આવતા નથી. એટલે બાબા રામદેવ જેઓ પેક્ડ ઉત્પાદન વેચતા હોય તેમાં ગોલમાલ ન જ કરી શકે.

બધા જ બાવાઓ દવાઓનો વેપાર કરતા હોય છે, પછી ભલે તે અમદાવાદના ગીતા મંદિરના કે જગન્નાથ મંદિરના મહંત હોય, ઇશ્કોનના સાધુ હોય કે ઓશો આસારામ હોય,  શ્રીશ્રી રવિશંકર હોય કે સ્વામી ચિન્મયાનન્દ હોય. પૈસાની જરુર બધાને જ પડે છે. માત્ર અને માત્ર  દાન ઉપર કોઈ સંસ્થા ચાલી ન શકે. હરિજન આશ્રમ પણ પુસ્તકો અને ફોટાઓ વેચે છે. બાબા રામદેવે પોતાના વ્યાપક પણાને લીધે ધંધાનો વિકાસ કર્યો તે સ્વદેશી હિત માટે છે એમ માનવું જોઇએ. તેને બુરાઈના લક્ષણ તરીકે ન જોવી જોઇએ. બાબા રામદેવ, કારણ કે તેઓ વેપાર કરે છે એટલે કંઈક ગોટા તો કરતા હોવા જ જોઇએ એવી ધારણા હેઠળ તેમને ગુનેગાર  ઠેરવી ન શકાય. તેમજ ઉટાંગપટાંગ વાતો કરીને એવો મેસેજ પણ ન આપી શકાય તે વેપારી છે ખરાબ હોવા જ જોઇએ.

વૈદિક અભ્યાસની વાત અને તેમાં સરકાર ભાગ લે તે મુદ્દો અલબત્‌ વિશાળ ચર્ચા માગી લે તેવો છે. આ ચર્ચા અનેક મુદ્દાઓ આવરી લે તેવી છે. માત્ર બાબા રામદેવની ઈચ્છાને આ ચર્ચા સાથે જોડવી તે અયોગ્ય છે. સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ જર્મનીમાં અને અમેરિકામાં (હાર્વર્ડ)માં ભારત કરતાં ઉચ્ચ કક્ષાનો હોય છે તે વાત અંગ્રેજી અને આપણી અંગ્રેજીયતની નીપજ છે. આને વિષે ઘણું સાહિત્ય “ઓન લાઈન” ઉપલબ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ચાહકોએ તેને અચૂક જાણવું જોઇએ. જેમને સુતાં સુતાં  વાંચવાની ટેવ હોય અને અંગ્રેજીયતના ચાહક હોય કે ન હોય તેમણે પણ રાજિવ મલહોત્રાએ લખેલી  “બેટલ ફોર સંસ્કૃત” અચૂક વાંચવી જોઇએ કે જેથી તેમનામાં રહેલા અનેક ભ્રમનું નિરસન થાય. 

શિરીષ મોહનલાલ દવે

તા.ક. અમારા ડીબી ભાઈ (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી) એ તેમના બીજેપી-ફોબિયાનું પ્રદર્શન કર્યું

હમણાં ક્યાંક અમિત શાહે “વાતવાતમાં કહ્યું કે ગાંધીજી ચતુર વાણીયા હતા”. વાચકોને આ વાક્યથી વિશેષ કશું અમિત શાહના ઉચ્ચારણ અંતર્ગત વાંચવા કે સાંભળવા મળ્યું નથી. ફોબિયા પીડિત વ્યક્તિઓની આ ખુબીલીટી છે કે તેઓ ઉચ્ચારણને ગુપાવી દે છે, અને તે ઉચ્ચારણ ઉચરનાર વ્યક્તિની બદબોઈ કરવા મંડી પડે છે. “શું ગાંધીજીને ચતુર વાણીયા” કહેવા એ ગુનો બને છે? શું ગાંધીજીને ચતુર વાણીયા કહેવાથી ગાંધીજીની નિંદા થાય છે? શું ગાંધીજીને આ “ચતુર વાણિયા” શબ્દ થી નફરત હતી? શું ગાંધીજીને “વાણિયા” શબ્દથી નફરત હતી? શું વાણિયાઓ માણસ નથી? ગાંધીજીએ તો પોતે જ વાતવાતમાં અનેક વખત પોતાને વાણિયા તરીકે ઓળખાવ્યા છે. ડીબીભાઈ ભલે પોતાને સુજ્ઞ માનતા હોય પણ તેમની અજ્ઞતાને નકારી ન શકાય. નહેરુવીયન કોંગ્રેસીઓ તો અજ્ઞ છે તેથી તેઓ તો લવારી કરે તે સમજી શકાય છે.

વળી ડીબીભાઈ અમિત શાહની બુરાઈ કરીને અટક્યા નથી. તેમણે તો પોતાના ફોબીયાનું પ્રદર્શન કરવા નરેન્દ્ર મોદી અને બીજેપીને પણ બુરાઈ કરવા લપેટમાં લઈ લીધા છે. જ્યારે ભારતમાંના સમાચાર માધ્યમોના ખેરખાંઓ આવું “આળાપણું“ દર્શાવતા હોય ત્યારે ભારતને મૂર્ધન્યોના ફોબિયાથી થતા નુકશાનથી કોણ બચાવશે?    

ટેગ્ઝઃ મૂર્ધન્યો, અર્ધ ફોબિયા, પૂર્ણ ફોબિયા, સાંપ્રત સમસ્યા, કટારીયા, પ્રાથમિકતા, સોસીયલ મીડીયા, સેક્યુલર, હિન્દુરાષ્ટ્ર, વૈદિક શિક્ષણ પ્રણાલી, ઇસ્લામિક ફોબિયા, હિન્દુ ફોબિયા, પૂર્વ પક્ષ, ગૉન-કેસ, મુસલમાનો, મેરા ભારત મહાન, ગર્વસે કહો હમ હિન્દુ હૈ, નહેરુ, ઇન્દિરા ગાંધી, આપખુદી, ભારતીય સંસ્કૃતિના ચાહક, અંગ્રેજીયતના ચાહક, રાજિવ મલહોત્રા, બેટલ ફોર સંસ્કૃત, ભ્રમ, ડીબીભાઈ, દિવ્યભાસ્કર, ગાંધીજી ચતુર વાણિયા

Read Full Post »

%d bloggers like this: