Feeds:
Posts
Comments

Posts Tagged ‘દિશા’

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત કોણે રાખી?

ભારતરત્ન

શું આ સળગતી સમસ્યા છે?

“ના જી. આ સળગતી સમસ્યા નથી. અરે સમસ્યા પણ નથી.

“હા પણ કોંગીઓ માટે, જો નહેરુને, આ માટે નહેરુના યોગદાનને, માન્યતા ન આપીએ તો કોંગીઓનો, એકમાત્ર હકારાત્મક મુદ્દો, (ભલે તો વિવાદાસ્પદ હોય) નષ્ટ પામી જાય.

પણ આપણને શો ફેર પડે?

“હા ભાઈ, અમને ફેર પડે કારણ કે અમે કોંગીને મૂળ કોંગ્રેસ માનીએ છીએ. મૂળ કોંગ્રેસ એટલે કે જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાની જાતને હોમી દીધી હતી. જવાહર લાલ નહેરુએ પણ કોંગ્રેસની અંદર રહીને પોતાની જાતને હોમી દીધી હતી. ઇન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ, પ્રિયંકા … નહેરુ સાથે પ્રાણીશાસ્ત્ર પ્રમાણે સંબંધિત છે, તેથી કોંગ્રેસ પણ મૂળ કોંગ્રેસ છે. સાધ્યં ઇતિ સિદ્ધમ્‌.

“પણ મૂળ કોંગ્રેસમાં તો બીજા લોકો પણ હતા. અને આ બીજા લોકોએ પણ પોતાની જાતને સ્વાતંત્ર્યની ચળવળમાં હોમી દીધી હતી, તેનું શું? જેમ કે લોહિયા, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજ ગોપાલાચારી, વિનોબા ભાવે … આવા અસંખ્ય મહાનુભાવો છે.

“ અરે ભાઈ …, તેઓ કોંગ્રેસમાંથી નિકળી ગયેલા. તેઓ એ તો પોતાની કોંગ્રેસ સ્થાપેલી… જેમકે કોંગ્રેસ રીયલ, કોંગ્રેસ સંસ્થા … એટલે તેમને નહીં ગણવાના … પછી ભલે તેમણે નહેરુના દાવપેચને કારણે કે વંશવાદને કારણે કે સિદ્ધાંતોને કારણે કોંગ્રેસ છોડી હોય. તેમનું લોકશાહી માટેનું યોગદાન શૂન્ય ગણવાનું અને લોકશાહીને જીવતી રાખવાનું શ્રેય, નહેરુને જ આપવાનું. કારણ કે સત્તા તો તેમની પાસે હતી ને? જે સત્તાના શિર્ષ સ્થાન ઉપર હોય, તેને જ બધા શ્રેય આપવાના અને જે દુષણો/ક્ષતિઓ હોય તે જે તે ખાતાના મંત્રીઓને આપાવાના. હા ભાઈ હા, જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. ખબર નથી તમને? ઇતિ.

 “ભારતમાં લોકશાહી ક્યા કારણોસર સ્થપાઈ અને કયા કારણોસર ચાલુ રહી? શા માટે આપણા પડોશી દેશોમાં લોકશાહી ચાલુ ન રહી શકી? આપણા પાડોશી દેશોમાં ચાલુ ન રહી શકી, અને આપણા દેશમાં ચાલુ રહી, તે માટે આપણે કોને તો શ્રેય આપવું જોઇએ? નહેરુને શા માટે આ શ્રેય ન આપવું?

જો દેશના મૂર્ધન્યો અમુક બારીઓ ખુલ્લી ન રાખે તો ભલે તેઓ કોઈ પણ ઉંમરે પહોંચે તો પણ તેમની માન્યતા ન બદલી શકે.

પૂર્વગ્રહ વાસ્તવમાં છે શું?

ધારો કે આપણને એક કોટડીમાં રાખ્યા છે, કે આપણે જાતે તેમાં ગયા છીએ, અને તેમાં રહીએ છીએ… આપણે અંદર ગયા છીએ એટલે એક બારણું તો હોવું જ જોઇએ… એટલે ત્યાંથી તો પવન અને પ્રકાશ આવે … પવન એટલે બહારનું વાતાવરણ. અને પ્રકાશ એટલે અજવાળું.

આ “કોટાડી”ને તમે એક વૈચારિક કોટડી સમજી લો … આ કોટડીને ગોળાકાર કોટડી સમજી લો.

બારીઓ વિષે શું છે?

બધી બારીઓ વિષે તમે જાણતા નથી, અથવા

ક્યાં ક્યાં બારીઓ છે તે તમે જાણો છો પણ અમુક જ બારીઓ તમારે ખોલવી છે. અથવા,

બીજી બારીઓ તમારે બંધ રાખવી છે.

બારીઓમાંથી માહિતિઓ આવે છે.

દરેક ખૂલ્લી રાખલી બારીમાં તમે ડોકીયું કરી શકો છો અને જે તે બારીમાંથી તમને બહારની ભીન્ન ભીન્ન પરિસ્થિતિનો ક્યાસ તમને મળે છએ અથાવા તો તમે તે ક્યાસ મેળવવા સક્ષમ છો.

હા જી. લોકશાહી ચાલુ રહી તે તો આપણી માનસિક વિકાસની પારાશીશી છે. તો હવે તેનું શ્રેય કોને આપીશું? આ શ્રેય જો તમારે ઓળઘોર કરીને જ કોઈને આપવું હોય તો તમે ગમે તેને આપી શકો છો. રાજિવ ગાંધીને “ભારતરત્ન”નો ખિતાબ આપેલો જ છે ને!

કોંગ્રેસ અને કોંગી એ બેની વચ્ચેનો જે વૈચારિક અને કાર્યશૈલી વચ્ચેનો ભેદ છે તે જેઓ સમજ્યા નથી, કે સમજવા માગતા નથી કે સમજવા માટે તૈયાર નથી તેઓ કોઈપણ રીતે કે રીત વગર આ ચાલુ રહેલી લોકશાહીનો યશ નહેરુને આપવા માગે છે.

આ એક ફરેબી વાત છે.

દેશ, રાષ્ટ્ર, લોકશાહી, જનતંત્ર અને ગુલામી … આ બધી વ્યવસ્થા ભીન્ન ભીન્ન છે.

“દેશ” એ એક રાજકીય વિસ્તાર છે. રાષ્ટ્ર એ એક સાંસ્કૃતિક વિસ્તાર છે.

ભારત દેશ, બ્રીટીશ સામ્રાજ્યમાં હોવા છતાં પણ બ્રીટીશ હિન્દના તાબાના પ્રદેશોમાં ચૂંટણી થતી હતી. તેના જનપ્રતિનિધિઓ હતા. જ્યાં દેશી રાજ્યો હતા ત્યાં દેશી રાજાઓનું રાજ હતું. જોકે અંતિમ નિર્ણય બ્રીટીશ સામ્રાટનો ગણાતો. પણ કાયદાનું રાજ્ય હતું.

તે વખતે મૂર્ધન્યોની માનસિકતા કેવી હતી?

“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન” (કવિ દલપત રામ)

પણ આમાં કવિ દલપતરામનો વાંક ન હતો. તેમણે પેશ્વાના રાજને પણ જોએલું. તેમના સમયની અરાજકતા તેમણે અનુભવેલી કે સાંભળેલી. અને તે પછી કાયદાના રાજવાળું બ્રીટીશ શાસન તેમણે અનુભવેલું. ભારત દેશ ગુલામ હોવા છતાં પણ પેશ્વાના રાજ કરતાં વધુ સ્વતંત્ર હતો કારણ કે કાયદાનું રાજ હતું. અન્યાય ઓછો હતો.

વળી ભારત “વસુધૈવ કુટૂંબકમ્‌” ની ભાવના વાળો હતો એટલે પીંઢારા અને પેશ્વાના સુબેદારો ના શાસન કરતાં અંગ્રેજોને સારા ગણતો હતો. સામાન્ય રીતે અંગ્રેજો સારા હતા અને તેઓ કાયદાને માન આપતા હતા. ખામી ફક્ત એ હતી કે કાયદો બદલવાનો હક્ક ભારતીયોને ન હતો અને કાયદો ત્યારે જ બદલાતો જ્યારે બ્રીટીશ ક્રાઉન નો સીક્કો વાગતો. બ્રીટીશ ક્રાઉનનો સીક્કો ત્યારે જ વાગતઓ જ્યારે બ્રીટીશ સંસદ જે તે ઠરાવને મંજૂરી આપતી.

આ એક સુક્ષ્મ ભેદ હતો.

આવા બ્રીટીશ રાજ્ય સામે ભારતની નેતાગીરીને વિદ્રોહ માટે તૈયાર કરવી એ ઘણું અઘરું કામ હતું.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિસ્ફળ જવાના કારણો વિષે, ઘણા નેતાઓએ મનોમંથન અને આત્મ મંથન કર્યું હતું અને કરતા રહ્યા હતા. આ નેતાઓમાં બે પ્રકારના નેતાઓ હતા. એક દેશપ્રેમી અને બીજા રાષ્ટ્રપ્રેમી.

દેશપ્રેમી લોકોમાંના મોટા ભાગના બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સામાન્ય રીતે સંસ્કૃતભાષાના પંડિતો હતા. રાજા રામમોહન રોય, બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. દયાનંદ સરસ્વતી સંસ્કૃત ભાષાનું ઉત્પાદન હતા.

ભારત રાષ્ટ્રની નેતાગીરી, શાસ્ત્રો ઉપર અને તેમના ગૌરવ ઉપર પ્રચ્છન્ન રીતે આધારિત હતી. ભારતદેશની નેતાગીરી બ્રીટીશ રાજના શિક્ષણ અને કાયદાઓ ઉપર આધારિત હતી. કેટલાક દેશપ્રેમીઓનો ભ્રમ વિવેકાનંદના આવ્યા પછી ભાંગવા માંડ્યો હતો. બાલ ગંગાધર ટીળકનો ભ્રમ તૂટ્યો. રૉલેટ એક્ટ આવ્યા પછી અને જલીયાવાલા બાગની ઘટના પછી ગાંધીજીનો પણ ભ્રમ તૂટી ગયો. આ બંને નેતાઓ ભારતદેશના નેતાઓ હતા. (ભારત રાષ્ટ્રના નહીં). ૧૯૧૬માં ગાંધીજી ભારતમાં આવ્યા અને કાલાંતરે ચંપારણનો સત્યાગ્રહ કર્યો, આ અંતરાલમાં ગાંધીજી “ભારતરાષ્ટ્ર”ના નેતા બની ગયા. ગાંધીજીને ખ્યાલ આવી ગયો કે ભારતદેશ કરતાં ભારતરાષ્ટ્ર વધુ સુસંસ્કૃત છે અને ઉચ્ચ છે. ભારતની સમાજવ્યવસ્થા અંગ્રેજ સરકારની સમાજ વ્યવસ્થા કરતાં વધુ ઉચ્ચ અને વધુ શ્રેય છે. ભારતની જનતા માટે ભારતરાષ્ટ્રની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતની જનતા માટે વધુ ગ્રાહ્ય છે. ગાંધીજીને એ વાતની અનુભૂતિ થઈ કે ભારતમાં વ્યાપ્ત સનાતન ધર્મ વ્યવસ્થાને કારણે જ ભારતમાં સનાતન ધર્મ, સેંકડો આક્રમણો છતાં ટકી રહ્યો. ઈટાલી, ગ્રીસ, ઈજીપ્ત, અને મેક્સીકોની સંસ્કૃતિઓ પણ સુવિકસિત સંસ્કૃતિઓ હતી, પણ તે સંસ્કૃતિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા દશકાઓમાં વિદેશી આક્રમણોથી પરાજિત થઈ ગઈ હતી અને તેના ધર્મો, સો ટકા નષ્ટ પામી ગયા. બીજી બાજુ ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જુની હોવા છતાં, અને  સૈકાઓ લાંબા વિદેશી આક્રમણોથી પરાજિત થવાં છતાં, પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ જાળવી રાખી શકી છે. શું આને તમે નહેરુનું યોગદાન ગણશો?

ભારત દેશ કદાચ શહેરોમાં થોડો ઘણો જીવતો હશે. પણ ભારતરાષ્ટ્ર, ગ્રામ્ય ભારતમાં જીવે છે. અંગ્રેજો આવ્યા ત્યારે ભારતરાષ્ટ્ર શહેરોમાં પણ જીવતું હતું. તે વખતે શહેરોમાં (તાલુકાઓ સહિત) ભારતીય પાઠશાળાઓ હતી. બંગાળમાં જ બ્રીટન કરતાં વધુ પાઠશાળાઓ હતી.

અંગ્રેજોના બે ધ્યેય હતા.

(૧) ભારતને ગરીબ બનાવી દેવો. (૨) જેઓ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાને સ્વિકારે તેને જ નોકરી આપવી.

આ માટે અંગ્રેજોએ કેવા પગલાઓ લીધાં તે આપણે જાણીએ છીએ. એટલે તેને વિષે ચર્ચા નહીં કરીએ.

ગાંધીજી અંગ્રેજોની અમલમાં મુકેલી વ્યવસ્થાને સમજી ગયેલા.

ગાંધીજીએ “સ્વદેશી નો પ્રચાર અને વિદેશી માલનો બહિષ્કાર” ની ચળવળ ચલાવી. જો કે ભલભલા ખેરખાં એવા નેતાઓએ, આ બાબતમાં ગાંધીજીની ટીકા કરેલ. કેટલાકે તો સવિનય કાનૂનભંગની લડતનો પણ વિરોધ કરેલ. આ બધાના નામ આપી શકાય તેમ છે. પણ આપણું ધ્યેય કોઈની ટીકા કરવાનું નથી. તેથી આની ચર્ચા નહીં કરીએ.

ભારત રાષ્ટ્રનો સમાજ એક ખૂલ્લો સમાજ છે.

અંગ્રેજોના શાસનકાળમાં તે થોડોક બંધિયાર થઈ ગયેલ. તેનું કારણ ગરીબી હતી. લાચારી હતી. સાયણાચાર્યે મુસ્લિમ યુગમાં, સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ બ્રીટીશ યુગમાં વેદોની અંદર રહેલા જ્ઞાનને ઉજાગર કર્યું. વિવેકાનન્દ પણ આ જ્ઞાન સામાન્ય કક્ષાની જનતા પાસે લઈ ગયા અને ભારત રાષ્ટ્રનો મહિમા સમજાવ્યો.

ગાંધીજી પણ સમજી ગયા હતા કે વેદોમાં રહેલું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યા વગર સ્વતંત્રતા મળશે નહીં.

ન્યુટન – આઈન્સ્ટાઈન અને પાદરી.મુલ્લાં.સંત – ગાંધીજી

પદાર્થની ગતિમાં ફેરફાર પદાર્થ ઉપર લાગતા બળના પ્રમાણ અને બળની દિશામાં હોય છે. આ ન્યુટનનો નિયમ હતો.

આઇન્સ્ટાઈન નો નિયમ હતો કે પદાર્થની આસપાસ ફીલ્ડ (ક્ષેત્ર) હોય છે. ફિલ્ડને દિશા અને શક્તિ હોય છે. એટલે પદાર્થની ગતિનો ફેરફાર ફીલ્ડ ની શક્તિ અને ફિલ્ડની દિશાને કારણે હોય છે.

આપણે બધા ભૌતિક વિશ્વમાં જ રહીએ છીએ. આપણો વિચાર એ એક ફીલ્ડ છે. આચાર એ ગતિ છે. પાદરી.મુલ્લા.સંતો વ્યક્તિને પકડે છે અને વ્યક્તિના વિચારમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. (જો કે બધા સંતોને આ વાત લાગુ પડતી નથી).

ગાંધીજી વિચારને ફિલ્ડ સમજ્યા અને તેને બળવત્તર કરવા અને અનુભૂતિ કરાવવા તેને અનુરુપ સામુહિક કાર્યક્રમો આપ્યા. એટલે સામુહિક ફિલ્ડની એક શક્તિ ઉત્પન્ન થઈ. દરેક વ્યક્તિને લાગ્યું કે તે સ્વાતંત્ર્યની ચળવળનો એક સૈનિક છે. આમ વ્યક્તિ એક વ્યક્તિ ન રહેતાં એક સમૂહ બની ગયો. આમ સામુહિકરીતે સ્વદેશી પ્રચાર અને સામુહિક રીતે વિદેશી માલનો બહિષ્કાર એ સરકારની સામે એક મોટું શસ્ત્ર બની ગયું.

પ્રાર્થના સભા, પ્રભાતફેરી, સ્વદેશીનો સામુહિક રીતે પ્રચાર, વિદેશી માલના બહિષ્કારના સામુહિક કાર્યક્રમો … આ બધાનો ફાયદો એ થયો કે આમ જનતામાં સંવાદ વધ્યો અને વૈચારિક જાગૃતિ માટેના માધ્યમો ટાંચા હોવા છતાં પણ વૈચારિક જાગૃતિ ઝડપથી આવી અને ઝડપથી પ્રસરી.

કાર્લ માર્ક્સે જો કશું સત્ય કહ્યું હોય તો તે એજ કે સમાજમાં માલનું ઉત્પાદન કેવીરીતે  થાય છે અને માલનું વિતરણ કેવીરીતે થાય છે, આ વ્યવસ્થાઓ  સમાજનું ચારિત્ર્ય ઘડે છે.

ગાંધીજીએ આ નિયમનો પૂરો લાભ લીધો.

રાજસત્તાનું વિકેન્દ્રીકરણ અને જનપ્રતિનિધિત્વની વ્યવસ્થા એ એક રીતે એકબીજાના પર્યાય છે.

લોકશાહીને કોણે જીવતી રાખી?

ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે. ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે તે ઉજાગર કરવાનું કરવાનું કામ ગાંધીજી કરતા હતા. જો કે આપણા દેશપ્રેમી બધા નેતાઓ અને કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓ આ વાત સમજી શકતા ન હતા. કારણ કે દેશપ્રેમીઓ માનસિક રીતે અંગ્રેજોના અથવા તો પાશ્ચાત્ય સભ્યતાના વૈચારિક ગુલામ હતા, જ્યારે કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓમાં માનસિક વિકાસનો અભાવ હતો, એટલે કે તેઓ પોતાની વિચાર શક્તિના અભાવમાં ગાંધીજીના વિરોધી હતા.

લોકશાહીની વ્યાખ્યા શી?

પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું લોકો થકી લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પણ લોકો એટલે શું?

આનો સીધો અર્થ બહુમતિ જ થાય.

આ બહુમતિને બદલવાના ઘણા શસ્ત્રો ઉપલબ્ધ હોય છે. બહુમતિના માનસિક સ્તર પર બહુમતિની કાર્યશૈલી અવલંબે છે.

પુરુષોત્તમ માવળંકરે એવી વ્યાખ્યા કરેલી

“જ્યાં સત્યનો આદર થાય તે લોકશાહી”

પણ સત્ય સમજવા માટે જનતાનું માનસ સક્ષમ હોવું જોઇએ.       

એટલે કે જો જનતા સાક્ષર હોય તો લોકશાહી યોગ્ય છે.

પણ સાક્ષર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ “સાક્ષર”ની વ્યાખ્યા “જે સમસ્યાને જાણે છે અને સમસ્યાને સમજે છે” તે સાક્ષર. એટલે કે જાગૃત નાગરિક.

તો પછી નાગરિકને જાગૃત કોણ કરે?

આ માટે ભારતમાં ઋષિમુનીઓ હતા અને તેમણે શાસ્ત્રો લખેલા. આ શાસ્ત્રોને સમજવાવાળા આચાર્યો હતા. આચાર્યો ઉત્પન્ન કરવા માટે વિદ્યાપીઠો હતી. આ આચાર્યો નિડર હતા.

નિડર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ નિડરની વ્યાખ્યા કરેલ

“ સત્ય (શ્રેય)ની સ્થાપના માટે જે કોઈથી ડરે નહી, અને જેનાથી કોઈ ડરે નહીં તે”.

કૌટીલ્ય, શંકરાચાર્ય, સાયણાચાર્ય, સાતવળેકર, દયાનંદ સરસ્વતી જેવા અનેક આચાર્યો ભારતમાં હતા અને છે. હાલમાં પણ એવા આચાર્યો છે જેઓ વિદ્વાન અને વિચારક છે અને નિષ્કામ રીતે કર્મ કરે છે. તેઓ કોઈ હોદ્દો ભોગવવામાં માનતા ન હતા. ધન અને સંપત્તિના તેઓ દાસ ન હતા.

૧૯૩૩ પછી ગાંધીજીએ ઋષિત્ત્વ ગુણ આત્મસાત કર્યો. તેમણે ધન સંપત્તિનો ત્યાગ તો ઘણા સમય પહેલાં કર્યો હતો. તેમણે પદનો પણ ત્યાગ કર્યો. જેથી તેમના અભિપ્રાય ઉપર મૂક્ત ચર્ચા થઈ શકે.

પણ જો સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ ઋષિ કે આચાર્ય ન હોય અને પોતે ક્રાંતિકારી (એટલે કે સમાજ ઉપર પોતાના મનગઢંત વૈચારિક ફેરફારનું આરોપણ કરનારો ) થઈ જાય તો તે સમાજ માટે ભયજનક બની શકે છે. જેમકે નહેરુ અને ઇન્દિરા ગાંધી કે જેમણે તેમના આચારો દ્વારા દેશના જનમાનસને, નૈતિક રીતે પાયમાલ કર્યું.

નરેન્દ્ર મોદીની માનસિકતા શું છે?

નરેન્દ્ર મોદી હોદ્દો ધરાવે છે … ક્રાંતિકારી વિચારો ધરાવે છે … અને કેટલાક લોકો તેનાથી ડરે પણ છે …

સમાજ જે સ્તર ઉપર છે તેને કારણે નરેન્દ્ર મોદીને સુરક્ષા આપવી આવશ્યક છે.

નરેન્દ્ર મોદી સગાંવ્હાલાં અને મિત્રોને ફાયદો કરી દેવાની વૃત્તિ અને આચાર રાખતો નથી.

તમે સંસ્કૃત શ્લોકને યાદ કરો …

પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાઙ્ગ મુખઃ

ગંગા બૃતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ

 ગંગા કહે છે કે પરસ્ત્રી, બીજાનું ધન અને બીજાએ કરેલું અપમાન એ બધાથી વિરક્ત વ્યક્તિ ક્યારે આવીને મને પવિત્ર કરશે?

બીજાની સ્ત્રી પરત્વે વિરક્તિ રાખવી એ પ્રથમ પાદ છે.

તેનાથી અઘરું કામ બીજાના ધનથી વિરક્ત રહેવું એ દ્વિતીય પાદ છે.

બીજાએ કરેલા અપમાનથી (સ્વાર્થહીન) વિરક્તિ રાખવી તે તૃતીય પાદ છે.

નરેન્દ્ર મોદીએ આ ત્રણેય ગુણો કેળવ્યા છે.

નરેન્દ્ર મોદી તો પરસ્પરની સંમતિથી પોતાની પત્નીથી પણ દૂર રહ્યો છે.   

નરેન્દ્ર મોદીને તેના હોદ્દાની રુએ જે ભેટ સોગાદો મળે છે અને તેના જે વસ્ત્રો છે, તેની તે હરાજી કરી, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે દાનમાં આપી દે છે. બીજાના ધન ઉપર પોતાના માટે  કુદૃષ્ટિ કરવાની તો વાત જ નથી.

અમેરિકાએ તેને વીસા ન આપ્યા. આ વિસા માટેની અરજી આમ તો સરકારી વિસા માટેની અરજી હતી અને ગવર્નમેંટ ઓફ ઈન્ડિયાએ અનુરોધ સાથે મોકલેલી. અને તેનો અનાદર કરવો એ ભારતનું અપમાન હતું. આનાથી પણ વિશેષ ભારતના અપમાનો ૧૯૬૯-૭૧ના અમેરિકાના તત્કાલિન પ્રમુખ નિક્સને કરેલ. પણ તત્કાલિન ભારતીય સરકારે અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખેલ નહીં. આ બધાં એક લોકશાહી વ્યવસ્થાવાળી સરકારે કરેલાં આચારો હતા.

નરેન્દ્ર મોદી ભારતના હિતમાં આ બધાં અપમાનો ગળી જાય છે.

જો કે કેટલાક લોકો અફવા ફેલાવે છે કે મોદી નિક્સનને મળ્યો હતો. કેટલાક આવી વાતોમાં કેવી રીતે આવી જાય છે તે સ્મજાતું નથી.

રીચાર્ડ નિક્સન ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી યુએસનો પ્રેસીડેન્ટ હતો. આ નિક્સન ૧૯૧૩માં જન્મ્યો હતો અને ૧૯૯૪માં મરી ગયો હતો. જો મોદી મળ્યો હોય તો તેને ક્યારે મળ્યો તેની ચોખવટ મોદી વિરોધીઓ કરતા નથી. આમ તો સુભાષબાબુ પણ હીટલરને મળ્યા હતા. ગાંધીજી પણ ભારતના ઘોર વિરોધી ચર્ચીલને મળવા માગતા હતા. પણ ચર્ચીલે મળવાની ના પાડી હતી. ગાંધીજી અને સુભાષબાબુ આ બંનેના હેતુ ભારતદેશને નુકશાન કરવાના ન હતા.

નરેન્દ્ર મોદીનો હેતુ પણ ભારતને નુકશાન કરવાનો ન હોઈ શકે. નરેન્દ્ર મોદી તેમને ૧૯૭૫ પછી મળ્યા હોય તો પણ. ૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી એવા કોઈ મહત્ત્વના વ્યક્તિ ન હતા કે યુએસ પ્રમુખ તેમને મળે. સંશોધનનો વિષય છે.

મોદી વિરોધીઓનું કહેવું છે કે બંગ્લાદેશની ચળવળમાં પાકિસ્તાની સેનાએ બંગ્લાદેશમાં ૪૦ લાખ લોકોને મારી નાખેલા અને તેમાં ૩૦ લાખ બંગ્લાભાષી હિન્દુઓ હતા અને ૧૦ લાખ બંગ્લાભાષી મુસલમાનો હતા. નિક્સને આ કતલના સમાચારો દુનિયાથી દબાવેલા.

ભારતમાં જ્યારે લાખોની સંખ્યામાં બંગ્લાદેશી નિર્વાસિતો ઘુસી આવ્યા હોય અને આપણી પ્રધાન મંત્રી કે એના મંત્રીમંડળને કે એની ઈન્ટેલીજન્સ એજન્સીને ખબર ન હોય એટલી હદ સુધી અમેરિકાના નિક્સનની પહોંચ હોય કે તે આવા લાખ્ખોની કતલના સમાચારોને દાયકાઓ નહીં તો વર્ષો સુધી દબાવી રાખી શકે એ વાત માન્યામાં આવી શકે તેવી નથી.

બંગ્લાદેશમાં મુજીબુર રહેમાનનુ શાસન આવ્યા પછી પણ આ નરસંહારની કોઈ તપાસ થઈ શકી નહીં. મુજીબુરને મારીને લશ્કરી શાસન આવી ગયું. ઈન્ટર્નેશનલ ક્રાઇમ ટ્રીબ્યુનલ એક્ટ ૧૯૭૩ બનાવ્યો હતો. પણ ૧૯૭૫માં વિવાદોની વચ્ચે રદ થયો. ૨૦૦૮માં અવામી લીગ સત્તા ઉપર ૨/૩ બહુમતિથી આવી. તેણે તપાસ શરુ કરી અને લગભગ દોઢ હજાર વ્યક્તિઓ ઓળખાઈ અને તેમની ઉપર કાર્યવાહી શરુ થઈ.

અમેરિકામાં કત્લેઆમ થઈ હોય અને તેનું શાસન તેને છૂપાવી શકે તે કદાચ માની લેવાય કારણ કે ૧૯૮૯-૯૦માં હિન્દુઓની કશ્મિરમાં થયેલી કત્લેઆમ અને આતંકને ભારતનીકોંગી અને તેના સમાચાર માધ્યમ સહિતના સાંસ્કૃતિક સાથીઓએ ઠીક ઠીક છૂપાવી હતી.

હવે જો આપણે ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી નેશનલ સીક્યોરીટી એડ્વાઇઝર હોવાને નાતે હેન્રી કીસીંન્જરને વાંકમાં લેવો હોય તો પણ નીક્સન તેના વાંકમાંથી છટકી શકે નહીં. વળી હેન્રી કીસીન્જર ૧૯૭૩માં યુએસનો સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યો. એના નામની “નોબેલ પ્રાઈસ ફોર પીસ” ભલામણ પણ થઈ. તો વાંક તો આખા યુએસનો જ કહેવાય. એટલું જ નહીં આને ઇન્દિરાની વિદેશનીતિની ભયંકર નિસ્ફળતા કહેવાય. ઇન્દિરા, નહેરુ કરતાં તો વધુ મૂર્ખ હતી જ તેને માટે આજ દાખલો પુરતો છે.

 પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞાની આખી દુનિયામાં ખોટ હોય છે. જો મહાપુરુષોમાં આ સ્થિતિ દૃષ્ટિગોચર થાય તો તેને માટે કાંતો કહેવાતા મહાપુરુષોના “અમુક બારીઓ બંધ રાખવાના” પૂર્વગ્રહ જવાબદાર હોય છે અથવા તો તેના રાજકીય કારણો હોય છે. પાશ્ચાત્ય દેશો અને આપણો દેશ એમાં અપવાદ નથી. બીજાઓની વાત જવા દો. 

સૌથી અઘરી વાત પોતાનું અંગત અપમાન દેશ-હિત ખાતર ગળી જવું તે છે, કે જેની ગંગા રાહ જુએ છે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

https://www.treenetram.wordpress.com

 

Read Full Post »

કહેવાતું ગાંધીવાદી મુખ પત્ર કયે માર્ગે?

આધ્યાત્મ, લોક નીતિ, લોક વિજ્ઞાન, લોક આંદોલન, પર્યાવરણ જાગૃતિ, માનવ અધિકાર, વૈશ્વિક પ્રવાહોનું આકલન અને અહિંસક સમાજના સર્જનની દિશાઓ ખોજતું પાક્ષિક એટલે ભૂમિપુત્ર. બધાંનું સંક્ષિપ્ત એટલે ભૂદાનમૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર એટલે ભૂમિપુત્ર.

SELF CERFIED GANDHIAN

બધી પરિભાષાભૂમિપુત્રેતેના પ્રથમ પાના ઉપર લખી છે.

ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા શી?

વિશ્વ કેવીરીતે વર્તે છે, વિશ્વમાં પ્રવર્તનમાન પરિબળો ક્યા છે અને તે પરિબળોના નિયમો શું છે બધું સમજવા માટેના પ્રયત્નો સેંકડો કે હજારો વર્ષોથી સુજ્ઞજનો કરતા આવ્યા છે. આલ્બર્ટ આઈનસ્ટાઈનને સ્ફુરેલુ કે વિશ્વ ઘણા બધા સંકિર્ણ પદાર્થોનું અને ઘણા બધા બળ (કે ક્ષેત્રોનું) બનેલું હોઈ શકે. આઈન્સ્ટાઈ એક એવા સમીકરણની ખોજમાં રહેલ કે જે દ્વારા બધા બળોને (ક્ષેત્રોને) સાંકળી શકાય. માન્યતાનેયુનીફાઈડ થીએરી ઓફ ફીલ્ડનામ આપેલ. માટેનું સમીકરણ તો રામાનુજમે ઓગણીસમી સદીના અંતની આસપાસ શોધી કાઢેલ પણ કોઈના ખ્યાલમાં આવેલ. વીસમી સદીના અંતમાં સ્ટીફન હોકીંગના ખ્યાલમાં વાત આવી. જો કે વાત બહુ લાંબી છે. આપણે તેની ચર્ચા નહીં કરીએ.

આપણને વિશ્વને સમજવામાં સરળતા રહે એટલે આપણે વિશ્વને સમજવાના ક્ષેત્રોનુ વિભાગીકરણ કર્યું. ભૌતિકશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. પૃથ્વી ઉપરના સજીવો એટલે કે માણસો, બીજા પ્રાણીઓ, વનસ્પતિઓ અને પૃથ્વી સાથેના તેમના સંબંધોને સુખમય બનાવવા માટેનું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. આમાં વળી પેટાવિભાગો પડ્યા જે વિભાગોની રેખાઓ ક્યાંથી શરુથાય છે અને ક્યાં પૂરી થાય છે તે કોઈને ખબર નથી.

ગાંધીજીએ આને સમજવા માટે એક સ્વસ્થ સમાજ કેવીરીતે સ્થાપવો કે જેથી સૌ કોઈ સુખી રહી શકે. જેમ ભૌતિક શાસ્ત્રમાં સાપેક્ષવાદ છે. તેમ સમાજશાસ્ત્રમાં અહિંસક સમાજ છે. જો ટૂંકમાં સમજવું હોય તો સર્વોદયનો ખ્યાલ અહિંસક સમાજની રચના માટેનો છે.

જેમ ભૌતિકશાસ્ત્રમાં પરિબળોના એકમો સાપેક્ષ હોય છે અને તેની દીશા હોય છે. તેમ સમાજશાસ્ત્રમાં અહિંસા પણ સાપેક્ષ છે. અને તમારા કદમ કઈ દીશામાં છે તે સમજવું જરુરી હોય છે. શાસ્ત્ર સમજવા માટે તર્કશાસ્ત્ર સમજવું જરુરી છે.

ગાંધી ટાઈમસર જન્મ્યા. નહીંતર તેમની રેવડી દાણાદાર થાત. અત્યારે તો પ્રમાણપત્રધારીઓને દંડવત પ્રણામ કરવાનો જમાનો છે જો કે તમે નહેરુવીયન હો તો તમને પણ પેરી પન્ના.

ગાંધીજી અર્થશાસ્ત્રી હતા. એટલે કે માન્ય વિશ્વ વિદ્યાલયોના પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત અર્થશાસ્ત્રી હતા. પણ તેઓશ્રી સમાજશાસ્ત્રી અવશ્ય હતા. જોકે અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્રનું અભીન્ન અંગ છે. બધાં શાસ્ત્રો તર્ક ઉપર અવલંબે છે.

શું તર્ક પણ સાપેક્ષ છે?

નાજી અને હાજી.

તર્ક પરિસ્થિતિને આધિન છે. જે તર્ક પરિસ્થિતિને લક્ષમાં લેતો હોય તે પ્રમાણમાં શુદ્ધ હોય તો પણ અશુદ્ધ કહેવાય. કારણ કે તેને અમલમાં મૂકીએ તો ધાર્યું પરિણામ મળે. તર્ક બે જાતના હોઈ શકે શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ અને અશુદ્ધ સાપેક્ષ છે. સાપેક્ષના પરિબળને સમજી શકવાથી વિતંડાવાદી ચર્ચાઓ, યુદ્ધો અને પીડાઓ થાય છે.

જો ગાંધીજીના વલણોની ચર્ચા કરવી હોય એમ કહેવાય કે તે અહિંસક સમાજની રચનાની દિશામાં હતા.

જ્ઞાતિ પ્રથાઃ

ગાંધીજી જ્ઞાતિ પ્રથામાં માનતા હતા. પણ ફલાણી જ્ઞાતિ ઉચ્ચ છે અને ફલાણી જ્ઞાતિ નીચી છે, એમ માનતા હતા. કારણ કે જ્ઞાતિ કામધંધાનું વર્ગીકરણ છે. અને બધાં કામ સમાજ માટે જરુરી છે.

ગાંધીજીને વાંધો હતો અસ્પૃશ્યતા પ્રત્યે. તેમણે માનવ માનવ વચ્ચેના ભેદભાવને અનુભવ્યા હતા. અને તેમને તે વખતની પરિસ્થિતિ જોતાં લાગ્યું કે સમાજના સુજ્ઞ વર્ગને માટે અસ્પૃશ્યતા નિવારણ”ની વાત ગ્રાહ્ય છે. પણ જુદી જુદી જ્ઞાતિના માણસોએ એકબીજાની સાથે રોટી બેટીનો વ્યવહાર કરવો જોઇએ કે નહીં તે વાત ગાંધીજી ચીપીયો ઠોકીને કહેવા માટે તૈયાર હતા. કારણ કે મોટાભાગના સુજ્ઞજનો તે વખતે તૈયાર હતા તેથી ગાંધીજીએ કહેલ કે તો અંગત વાત છે. કોણે ક્યાં ખાવું અને ક્યાં લગ્નસંબંધ બાંધવા તે વિષે દબાણ લાવી શકાય. જો કે તેમની વાત વ્યાપકતાના સંદર્ભમાં સૈદ્ધાંતિક રીતે અશુદ્ધ હતી. પણ તેઓ આવી વાતોને સમસ્યા બનાવવા માગતા હતા.

ગૃહ ઉદ્યોગઃ

ગાંધીજી યંત્રોની વિરુદ્ધ હતા તેવું મોટાભાગના સુજ્ઞજનો માને છે. પણ જો અહિંસક સમાજની વાત કરીએ તો એવા યંત્રોનો વિરોધ કરી શકાય કે જે યંત્રો બીજાને બેકાર કરી શકતા હોય. માટે તેમણે ખાદીનો પ્રચાર કરેલ. અને વિદેશી કાપડનો બહિષ્કાર કરવાનું કહેલ. જો કે તે વખતના કેટલાક જાણીતા સુજ્ઞ જનો વિદેશી કાપડના બહિષ્કારને યોગ્ય કદમ માનતા હતા.

અહિંસક સમાજની રચના માટે તેમણે જોયું કે અંગ્રેજ સરકારના કાયદા એવા હતા કે સમાજમાં શોષણ અને કે પીડા ઉત્પન્ન થાય. એટલે ગાંધીજીએ સવિનય કાનૂનભંગની વાત કરેલ. માટે તેમણે પ્રક્રિયા નક્કી કરેલ કે નોટીસ આપો, સમય આપો, ચર્ચા માટે ખૂલ્લા રહો અને સજામાટે તૈયાર રહો. ગાંધીજીની સવિનય કાનૂનભંગની ચળવળને અયોગ્ય માનનારા ઘણા સુજ્ઞ જનો હતા.

ખાદી તાત્કાલિક રોજીનું સાધન છે. યંત્રોનો વિરોધ તેની પાર્શ્વ ભૂમિમાં નથી જ નથી. આમ તો દરેક ગૃહ ઉદ્યોગ રોજીનું સાધન છે. પણ જનતામાં ગૃહ ઉદ્યોગના ઉત્પાદનની ઉપયોગીતાની માનસિકતા કેળવાય તો તેને માટે જવાબદાર કોણ? ત્રણ વર્ષ જુની સરકાર કે પાંસઠ વર્ષ જે સરકારે રાજ કર્યું તે.

નરેન્દ્ર મોદીએ જ ગૃહૌદ્યોગને વધુ મહત્વ આપ્યું છે.

ગૃહઉદ્યોગને જો કોઈએ સૌથી વધુ મહત્વ આપ્યું હોય, સ્વરોજગારીને સૌથી જો કોઇએ વધુ મહત્વ આપ્યું હોય, રોજગારીની કુશળતાના શિક્ષણને જો કોઇએ સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તો તેનું શ્રેય નરેન્દ્ર મોદીની સરકારોને જાય છે. પણ ગાંધીવાદીઓ તેની નોંધલેવામાં માનતા નથી. જો જોવા જાઓ તો નહેરુવીયન કોંગ્રેસ દેશની સમસ્યાને સમજી શકી નથી અને સમજવા માગતી હતી. નહેરુવીયન કોંગ્રેસના ૧૯૪૭ પછીના ઉછેરને કારણે નહેરુવીયન કોંગ્રેસ પોતે એક સમસ્યા બની છે. નહેરુવીયન કોંગ્રેસ પોતે જો દિશાહીન, વ્યક્તિ કેન્દ્રી અને આત્મકેન્દ્રી હોય તો જનતા એવી બને.

સુજ્ઞ લોકો જ્યારે અયોગ્ય બને ત્યારે 

નહેરુવીયન કોંગ્રેસની સમસ્યા આપણે સમજી શકીએ છીએ. પણ જેઓ સમાજમાં જાગૃતિ લાવવા માગે છે તેવા સુજ્ઞ લોકો જ્યારે દિશા સૂચન કરવાની યોગ્યતા ગુમાવી બેસે ત્યારે દુઃખ થાય છે.

આમ આદમીપક્ષ, અન્ના હજારેના આંદોલનમાંથી ઉત્પન્ન થયો હતો. અન્ના હજારે ગાંધીવાદી હતા. જો કે ગાંધીવાદ સાપેક્ષશબ્દ છે. આમ આદમી પક્ષનું સૂકાન એવા નેતાઓના હાથમાં આવ્યું જેઓ નણાયા હતા. જો નણાયેલા લોકો પણ સત્તા આવતાં ભ્રષ્ટ થઈ જાય તો સામાન્ય કક્ષાના નણાયા નેતાઓ તો મોટે ભાગે ભ્રષ્ટ થાય .

અમદાવાદના એક સમયના મેયર કૃષ્ણવદન જોષીએ મનુષ્યના ચાર કક્ષાના દુશ્મનોની વાત કરેલ.

ચોથી કક્ષાનો દુશ્મન તમારો દુશ્મન દેશ છે. તેના ઉપર તમે કોઈપણ કારણ વગર હલ્લો કરીને પરાજિત કરી શકો છો, જેવી જેની તાકાત.

ત્રીજી કક્ષાનો દુશ્મનઃ કક્ષાના દુશ્મન તમારા કેટલાક દેશવાસીઓ છે. તેમના ગુનાની તપાસ તમારે કરવી પડે. કોર્ટમાં કેસ ચલાવવો પડે છે. તેમનો ગુનો તમારે સાબિત કરવો પડે છે. તેને બચાવની તક આપવી પડે છે. તમે લગાવેલા આરોપો સાચા છે કે ખોટા તેનો નિર્ણય તમે નહીં પણ ન્યાયાલય કરશે.

બીજી કક્ષાનો દુશ્મનઃ  કક્ષાના દુશ્મન તમારા સગાં કે મિત્રો છે. તેમને તમે કશું કરી શકતા નથી. તેમને તમે બહુ બહુ તો ખાનગીમાં ધમકી, લાલચ કે પ્રેમ દ્વારા સમજાવી શકો છો. તે માને તો ઠીક છે નહીં તો રામ ભરોસે.

પ્રથમ કક્ષાનો દુશ્મનઃ એવો દુશ્મન છે કે તમે તેની ઉપર કેસ કરી સકતા નથી, તમે તેને દંડિત કરી શકતા નથી, તે બધી બારીઓ બંધ રાખે છે. તેથી તમે તેને સમજાવી શકતા નથી. કારણ કે તે તમે પોતે છો.

જેઓ પોતાને સુજ્ઞ અને ગાંધીવાદી માને છે તેમણે પ્રથમ કક્ષાના દુશ્મનને સમજવો પડશે. તેઓ જો “પૂર્વ પક્ષની દિશાની સમજવાની બારીઓ બંધ રાખશે તો તેઓ અવિશ્વસનીય બનશે. જો કે મને લાગે છે કે તેમના કરતાં મોદીગાંધીજીનીવધુ નજીક છે.

ભૂમિપુત્રની દિશા

સામયિક ભૂમિપુત્રકઈ દિશામાં જઈ રહ્યું છે? શું તે દંભી થઈ રહ્યું છે? શું તે અનાભ્યાસી થઈ રહ્યું છે એટલે કે તે વિરોધી વિચારને સમજવા માગતું નથી? “પૂર્વપક્ષને સમજવો ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. પણ આપણે જોઇએ છીએ કે તેપૂર્વપક્ષના વિચારોને વાચકો સમક્ષ મૂકવા માગતું નથી. તે એકાંગી થઈ ગયું છે.

મોદી-વિરોધી હોવું અને મોદીના નિર્ણયોને સામાન્ય કક્ષાના સમાચાર પત્રોની જેમ મનમાની રીતે અમાન્ય ઠેરવવા અને નહેરુવીયન કોંગ્રેસીઓની જેમ નિશ્ચિત વર્ગનું/વર્ગોનું તુષ્ટિકરણ કરવું એવી માનસિકતા ભૂમિપુત્રે કેળવી લીધી છે.

() કાળું નાણુઃ કોઈ એક વખત નરેન્દ્ર મોદીએ કાળાંનાણાં (સ્થાવર જંગમ મિલ્કત)ના જત્થા વિષે કહેલ કે તે જત્થો એટલો છે કે જો તેને વહેંચવામાં આવે તો દરેકના ખિસ્સામાં ૧૫ લાખ (?) રૂપીયા આવે. નરેન્દ્ર મોદીની તે વખતે પ્રવર્તમાન ચીલાચાલુ ધારણા હતી. આનો અર્થ એવો કરવામાં આવે છે કે તેઓ (નરેન્દ્ર મોદી) જો સત્તા ઉપર આવશે તો દરેક ભારતવાસીના ખિસ્સામાં ૧૫ લાખ રૂપીયા આપી દેશે. નહેરુવીયન કોંગ્રેસવાળા તેનો આવો અર્થ કરે તો તે સમજી શકાય તેમ છે, કારણ કે નહેરુવીયન કોંગ્રેસને મીથ્યા પ્રાલાપો કરવાની ટેવ ગળથુથીમાંથી મળી છે. પણ ભૂમિપુત્ર આવું કહે તો તે તેની વિશ્વસનીયતા ગુમાવે છે.

આપણે જોયું છે કે જેઓ નોટો બદલાવવા લાઈનમાં ઉભા હતા તેમના ખિસ્સામાં/ખાતામાં પૈસા તો જમા થયા હતા અને તે પણ ૨૫૦૦૦ થી માંડીને કમસે કમ ૨૫૦૦૦૦/-. નરેન્દ્ર મોદીએ ગરીબ માણસોને તક તો આપી હતી. પણ ભારતનો ગરીબ માણસ વિશ્વાસઘાતી નથી. જે માલિકે તેને ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બદલવા આપી હતી તે તેણે પરત કર્યા. કદાચ થોડું કમીશન લીધું હશે. વાત આપણે આની પહેલાંના લેખમાં જોયેલી છે.

() નોટ બંધીનું કદમઃ તેને ભૂમિપુત્રમાં કેવી રીતે ઓળખાવાયેલું છે? ક્રૂર છે, પ્રપંચ વાળું છે, અને હિંસાવાળું છે. વીસલાખ લોકો બેકાર બની ગયા, રીઝર્વબેંક પાસે પૂરતી નોટો હતી, ચોવીસે કલાક વિમાનો ઉડાડ્યા, સરકારના અલગ અલગ ખાતાંઓએ ભીન્ન ભીન્ન આંકડાઓ ગગડાવ્યા, પૂર્વ તૈયારી વગરનું કદમ, રઘવાટીયું પગલું, અધકચરું પગલું, અબાલ વૃદ્ધોના પ્રાણ હર્યા, સો એક માણસો મરી ગયા, ટુજી, કોમનવેલ્થ, કોલગેટને સ્થાને નવા નામો બહાર આવ્યાં (જો કે લેખકશ્રીએ નવું કોઈ નામ જાહેર કર્યું નથી), પક્ષ પલટાને ઉત્તેજન મળ્યું, લોકોએ જીવનના સુખચૈન ગુમાવ્યાં, ગરીબી અને બેકારી વધી, ગાંધીજીના અગિયાર મહાવ્રતનું હનન થયું,(લેખકશ્રી,  ગાંધીજીને વચ્ચે શા માટે લાવે છે તે સમજી શકાતું નથી.) 

લેખકશ્રી આગળ જતાં લખે છે કે નોટ બંધીના પગલા પાછળનો નરેન્દ્ર મોદી સરકારનો હેતુ અને વચન (“વચન” એ ભૂમિ-પુત્ર”ના લેખકનું ઉમેરણ છે)  એ હતું કે નોટબંધીથી કાળાંનાણાનો ખાત્મો થશે, ભ્રષ્ટાચારનો ખાત્મો થશે, આતંકવાદનો ખાત્મો થશે, નક્ષલવાદનો ખાત્મો થશે, ટેરર ફંડીંગનો ખાત્મો થશે, ઉત્પાદનમાં વૃદ્ધિ થશે, નોકરીઓમાં વૃદ્ધિ થશે. પણ આમાનું કશું થયું નહીં.

જો કે ઉપરોક્ત વાતો લેખકશ્રીએ ઈમોશનલ ભાષામાં લખી છે. આપણે તેનેસીધા સમાચારલેખે અવતરિત કરી છે.

MINE OF JAYA

આમ થાઓઅને તેમ થયું …”

બાયબલમાં આવે છે કે ઈશ્વરે કહ્યું પ્રકાશ થાઓ. એટલે પ્રકાશ થયો. ઈશ્વરે કહ્યું પાણી થાઓ એટલે પાણી થયું. ઈશ્વરે કહ્યું જમીન થાઓ એટલે જમીન થઈ. ઈશ્વરને ફક્ત કહેવાની જરુર પડે છે. અને ઈશ્વર કહે તે પ્રમાણે બધું થઈ જાય છે. એમ આપણા ભૂમિપૂત્રના લેખકશ્રી જે કંઈ કહે તેને સત્ય માની લેવાનું.

આમ તો સમાચાર માધ્યમોવહાં ઝાડીમેં સૌ સાંપ થે હી થેએવું કહેવામાં પારંગત છે. અત્યારે ટેક્નોલોજીના જમાનામાં તોપીપલી લાઈવજેવી ઘટનાઓ બનતી રહે છે.

આવા જમાનામાં પણ બે ઘટનાઓ પ્રકાશમાં આવેલી

લાઈનમાં ઉભેલી એક વ્યક્તિ વૃદ્ધ હતી, અને તે હાર્ટ એટેકથી મરી ગયેલી. તે વ્યક્તિના સંતાનોના કહેવા પ્રમાણે તેમને પહેલેથી હાર્ટ પ્રોબ્લેમ હતો.

બીજી ઘટનામાં, લાઈનમાં ઉભેલા એક વૃદ્ધ રડવા માંડ્યા. તેનું કારણ તે વૃદ્ધભાઈએ પોતે આપેલ કે, એક બહેનનો પગ તેમના પગ ઉપર પડેલ એટલે તે દુઃખના માર્યા રડી પડેલ.

કેટલી વીશુએ સો થાય?

આ પ્રમાણે આપણા “ભૂમિ-પુત્ર”ના આ લેખકશ્રી આમ તો રા.ગા.થી બહુ દૂર કહેવાય. કારણ કે રા.ગા. તો એમ પણ કહી શકે કે દરેક લાઈનમાં એક કરોડ માણસો મરી ગયા. યાદ કરો કે એક ઉદ્યોગપતિને નરેન્દ્ર મોદીએ ૪૫૦૦૦ કરોડ એકર જમીન દાનમાં આપી છે. કેટલી વીશુએ સો થાય તે આપણા રા.ગા.ભાઈને ખબર નથી.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમસ્યાનું કારણ કોઈ એક માત્ર હોય. દરેક સમસ્યાના અનેક કારણો હોય. તેથી કોઈ પણ એક કદમ કોઈ પણ એક સમસ્યાને સંપૂર્ણ ખતમ કરી શકે. આવો કોઈ દાવો પણ કરે. પણ જેમનું ધ્યેય નિંદા કરી અસંતોષનું વાતાવરણ પેદા કરવાનું છે તેઓ બેફામ અર્થઘટનો કરી શકે છે. લોકશાહીમાં રોકી શકાય તેવા અધિકારો છે.

કાશ્મિરની સમસ્યામાં પણ ચાંચ ખોસો

લેખકશ્રીએ એમ પણ કહ્યું કે બીજેપીને લાગ્યું કે કાશ્મિરની ચૂંટણી જીતવી હોય તો ૩૭૦ની કલમ ખતમ કરવી પડશે. એટલે એનો સંકલ્પ રજુ થયો”.

વળી તેઓશ્રી આગળ જતાં કલમ ૩૭૦ને કાશ્મિરીઓ માટેનો અતિસંવેદન શીલ મુદ્દો ગણાવે છે. એટલે કે કાશ્મિરની જનતા, કલમ ૩૭૦ને દૂર કરવાની વિરુદ્ધ છે. હવે જો બીજેપી કલમ ૩૭૦ને દૂર કરવાનો સંકલ્પ કરે તો તે ચૂંટણી હારવા માટેનું કદમ બની જાય. વિરોધાભાસ લેખકશ્રી કેમ સમજી શકે તે વાચકને તો સમજાય.

ધારો કે કાશ્મિરને એક રાજ્ય ગણતાં એક વિસ્તાર ગણીએ અને જમ્મુકાશ્મિરના રાજ્યમાં જમ્મુમાં રહેલા હિન્દુઓના મત લેવા આમ કહ્યું એમ માનીએ, તો જમ્મુમાં મુસ્લિમો પણ રહે છે. જે કાયદાઓ કાશ્મિરમાં લાગુ પડે છે તે કાયદાઓ જમ્મુમાં પણ લાગુ પડે છે. મુદ્દાથી  જમ્મુમાંના મુસ્લિમોના મત ગુમાવવાનો વારો આવે . બીજેપીને પોષાય નહીં. અને આમેય જમ્મુના હિન્દુઓના મત તો બીજેપીના ગણાય છે. જો કે એક વાત નોંધવા જેવી છે કે લેખકશ્રીએ મુસ્લિમશબ્દ નહીં પણ કાશ્મિરી શબ્દ વાપર્યો છે. અને તેથી સમગ્ર કાશ્મિર જનતા કલમ ૩૭૦ પરત્વે સંવેદનશીલ છે એવો અર્થ થાય. અને જ્યારે આમ કહીએ ત્યારે કાશ્મિરનો અર્થ જમ્મુકાશ્મિર રાજ્ય થાય છે. એટલે કે સંવેદનશીલતાની વ્યાપકતા વધે છે. અને જ્યારે વાત રીતની હોય ત્યારે બીજેપીનો કલમ ૩૭૦ પરત્વેનો અભિગમઆવ પથરા પગ ઉપર એવો થાય. પણ આપણા લેખકશ્રીની તારવણીવદતો વ્યાઘાતજેવી છે. નરેન્દ્ર મોદીએ એમ કહ્યું હતું કે કલમ ૩૭૦થી રાજ્યને શો લાભ થયો તેની ચર્ચા થવી જોઇએ.

જો કે ભૂમિપુત્રમાં માત્ર એક લેખ આવો પૂર્વગ્રહ યુક્ત વલણ ધરાવે છે તેમ નથી. મોટાભાગના લેખો હાલની સરકારના નિંદારસમાં ગળાડૂબ હોય તેવું લાગે છે.

નહેરુવંશના ૬૫ વર્ષના શાસનના શાસનમાં તો જાણે લીલા લહેર હતી. પણ છેલ્લા ત્રણ વર્ષમાં , મોંઘવારી વધી, બેકારી વધી, કાળુંનાણું વધ્યું, કાળી સંપત્તિ વધી, ગરીબો વધુ ગરીબ થયા, ખેડૂતો વધુ ગરીબ થયા, ઉદ્યોગોને લહાણી થઈ, ખેડૂતોની જમીન છીનવાઈ, ગોચરની જમીન ગઈ, ખેડૂતોને વળતર મળ્યું, ખેડૂતો પાયમાલ થયા, ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા, ચૂંટણીઓમાં ગોલમાલ થઈ, લઘુમતિ ઉપર અત્યાચારો થયા, દલિતો ઉપર અત્યાચારો થયા, પત્રકારોની હત્યાઓ થઈ, પાકિસ્તાન સાથેના સંબંધો બગડ્યા, આતંકવાદ મજબુત થયો, ધાર્મિક અસહિષ્ણુતા વધી, વૈચારિક અસહિષ્ણ્યુતા વધી, હિંસા વધી  …. વિગેરે વિગેરે પ્રકારના પ્રાલાપો બહુ સામાન્ય થઈ ગયા છે.

એક વિઘાતક વલણ છે. આવું વલણ એક ઋણાત્મક વાતાવરણ કરે છે જે સામાન્ય કક્ષાના માણસને મુંઝવણમાં મૂકે છે. જો સુજ્ઞ લોકો વિકલ્પ આપી શકતા હો તો તેઓ મૌન રહે તે શોભનીય છે.

ગાંધીજી કોઈને અસ્પૃશ્ય માનતા હતા. પણ ગાંધીવાદીઓ આરએસએસને અસ્પૃશ્ય માને છે. અને આરએસએસ વાદીઓ ગાંધીવાદને અસ્પૃશ્ય માને છે. સામસામો છેદ ઉડી જાય છે.

પણ મને લાગે છે કે સામાન્ય આરએસએસવાદીઓ ગાંધીજીને અસ્પૃશ્યમાનતા નથી. જો તમે વ્યક્તિગત રીતે તેમને સમજાવો તો તેઓ સમજી જાય છે. તે વાત ખરી છે કે તેમના કેટલાક નેતાઓ સમજવા માગતા નથી. પણ સામાન્ય કાર્યકરની ગાંધીજી તરફની બારી તમારે ખોલવાની હોય છે.

તેની સામે કેટલાક ગાંધીવાદી સુજ્ઞ જનોવિષે આવું નથી. તેમણે તો નરેન્દ્ર મોદીબીજેપીની દીશામાં ચણતર કરી દીધું છે. તેથી તે દિશાની બારી ખોલવાની શક્યતા રાખી નથી. તેઓ પૂર્વગ્રહોને કારણે બીજેપીની તરફમાં બોલવા માગતા  નથી.

દૂર દૂર ક્ષિતિજમાં પણ બીજેપીનો વિકલ્પ નથી

એક વાત સ્પષ્ટ છે કે બીજેપીનો વિકલ્પ દૂરદૂર ક્ષિતિજમાં પણ દેખાતો નથી. જે યુવાધન પાસે તમે ક્રાંતિની આશા રાખો છો તે યુવાધન નકલખોરીથી દાઢી વધારીને ફરે છે, લગ્નના પ્રસંગ વખતે હજારો લાખો રૂપીયા ખર્ચી પિતાજીની મૂડીનું પાણી કરે છે, જ્ઞાતિવાદી અનામત આંદોલન કરે છે, અને તે પણ વલ્લભભાઈ પટેલને નામે કરે છે, દહેજ લે છે, ભ્રષ્ટાચાર કરે છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મીડીયા સહિતના સાંસ્કૃતિક સાથીઓ તેને ઉત્તેજન આપે છે અને ફૂંકી ફૂંકીને જાતિવાદની બુઝાતી આગને ઝગાવે છે. આવા યુવાધન પાસેથી તમે કેવી રીતે ક્રાંતિની આશા રાખી શકો? નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓની સાથે સાથે અમુક કહેવાતા ગાંધીવાદીઓ પણ આગ સાથે રમી રહ્યા છે. આપણને ખબર નથી કે તેમને ખબર છે કે નહીં

પણ આશાનું કિરણ નરેન્દ્ર મોદીની સરકાર છે અને તેમના આદિત્યનાથ યોગી, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર પરિકર,  દેવેન્દ્ર ફડનવીશ, જેવા મુખ્ય મંત્રીઓ છે. મોદી પોતે પોતાના સગાંઓને પોતાની પાસે ઢૂંકવા દેતા નથી. પોતે અઢાર અઢાર કલાક કામ કરે છે. તે અણીશુદ્ધ છે. જો તમે તેમને નહીં ઓળખો તો ઇતિહાસમાં  જેઓગાંધી વધના પુરસ્કર્તા છે તેમની યાદીમાં તમારું નામ આવી જશે.

૧૯૮૯-૯૦માં કાશ્મિરમાંથી પાંચ લાખ હિન્દુઓને ત્યાંના સ્થાનિક મુસ્લિમોના સહયોગ દ્વારા બેઘર કરવાં આવેલા જે આજ પર્યંત વિસ્થાપિત અવસ્થામાં  છે. ત્રણલાખ હિન્દુઓની કતલ કરવામાં આવેલી. તે પછી પણ આ પ્રક્રિયા ચાલુ રહેલી. આવા દરેક વિસ્થાપિત વ્યક્તિની પાછળ એક કથા હોય છે. પાંચ લાખ લોકોની પાછળ પાંચ લાખ લોકોની કથા હોય છે. પણ અહીં ભૂમિ-પુત્રમાં શું છે?

પહેલાં હરિશ્ચંદ્રની ટૂંકી વાર્તા, ભૂમિ-પુત્રના છેલ્લા પાને આવતી હતી. હવે આશા-વિરેન્દ્રની ટૂંકી વાર્તા આવે છે. આઘાતજનક વાત એ છે કે આશા-વિરેન્દ્રએ એક આતંકવાદ(કહેવાતા હિન્દુ આતંકવાદ) એટલે કે મક્કા મસ્જીદ બોંબ પ્લાસ્ટ થકી  પીડિત મુસ્લિમ કુટૂંબની કથા લખી છે.

જો તમે માનવતા વાદી હો તો તમારે કમસે કમ પાંચ લાખ કથાને તો વાચા આપવી જોઇએ.  જો દર પખવાયે એક કથાને વાચા આપો તો પણ તે માટે તમે વીસ હજાર વર્ષ સુધી લખી શકો. પણ ના. તમે આ નહીં લખો. કારણ કે તો તો તમે અસહિષ્ણુમાં ખપી જાઓ. આ કારણથી જ કાશ્મિરી હિન્દુઓની વ્યથા ને વાચા આપવાનું આ ગાંધી વાદીઓને સુઝતું નથી. કદાચ તેઓ કહેશે કે અમે કશ્મિર જઈશું (જમ્મુ નહીં જઈએ) અને લઘુમતિની (જે કશ્મિરમાં પ્રચંડ બહુ મતિમાં છે) તેમની વ્યથા જાણીશું અને તેને વાચા આપીશું.

ગાંધીજી બધી બારીઓ ખૂલ્લી રાખતા હતા

આ ગાંધીવાદીઓએ સમજવું જોઇએ કે ગાંધીજી તો બધી જ બારીઓ ખુલ્લી રાખતા હતા. ગાંધીજીએ તો એમ પણ કહેલ કે જો પાકિસ્તાનની સરકાર હિન્દુઓનું રક્ષણ ન કરી શકે તો હિન્દુસ્તાને તેના ઉપર આક્ર્મણ કરવું જોઇએ.

નિંદારસનું પાન કરાવવાથી તો કોઈ વિકલ્પ આવે છે તો કોઈ ક્રાંતિ આવે છે.

ચૂંટણી આવે છે એટલે હવે મોદીબીજેપી વિરોધીઓ વધુ ચગશે. વધુ સમાચાર પત્રો અને વધુ ચેનલો રામ, હિન્દુ, પાટીદાર, સોમનાથ, બાબર, મસ્જીદ, મુસલમાન, જાતિઓ વિગેરેના મુદ્દાઓને બીજેપીમોદી વિરુદ્ધની શિર્ષ રેખાઓ આપશે. તેઓ ભૂલી જશે કે રામ એક ઐતિહાસિક વ્યક્તિ હતા અને તેમનો પણ હક્ક બને છે. પણ આ લોકો તો રામને ધર્મ સાથે સાંકળશે. જાણે કે હિન્દુ સિવાયના ભારતીયોને રામ સાથે લેવા દેવા જ નથી. પણ જો જરુર પડશે તો તેઓ પોતાને વિષે એમ પણ કહેશે કે અમે પણ રામ ભક્ત છીએ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ વધુ રામ રામ રામ કરે છે. પણ વાસ્તવમાં તેઓ રામને “રામ રામ” કરે છે. પણ જ્યારે જરુર પડે ત્યારે તેઓ ખાનગીમાં પોતે કહે છે કે નહેરુએ બાબરી મસ્જીદના દરવાજા ખોલી રામની મૂર્તિ મૂકવાની રજા આપી, રાજીવ ગાંધીએ મૂર્તિઓની પૂજાની રજા આપી, નરસિંહરાવે બાબરી મસ્જીદ તોડાવા દીધી. બધી વાતો નહેરુવીયન કોંગ્રેસની બનાવટી વાતો છે. પહેલી બે વાતમાં તો ન્યાયાલયના હૂકમ હતા. અને છેલ્લી વાતમાં નરસિંહ રાવ અને સીતરામ કેસરીને કયો નહેરુવીયન કોંગ્રેસી માથું ટેકવે છે? નહેરુવીયન કોંગ્રેસીઓએ તો સીતારામ કેસરીને ઉંચકીને બહાર નાખ્યા હતા.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઘોડેસવારી કદાચ આવડતી હોય તો થોડી મહેનત પડે. પણ તેથી કરીને ગધેડા ઉપર સવારી કરાય. (સાચા ગધુભાઈઓ માફ કરે)

જો કે ગુજરાતે ૧૯૭૦થી ૧૯૭૫ અને ૧૯૮૦થી ૧૯૯૫ નહેરુવીયન કોંગ્રેસનું ઈન્દિરામાઈ અને તેના ભક્તોનું શાસન જોયું છે. તે અછત અને અરાજકતા પણ કેવી કે તમને દૂધ મળે (દૂધના કાર્ડ આવતા હતા. દૂધ લેવા દૂધકેન્દ્રના સ્થળ પર જવું પડે. જરાપણ મોડા જાઓ તો તમારું દૂધ ગાયબ થઈ જાય. તમને જવાબ મળે કે હવે દૂધ નથી), ગોળ મળે, કોલસા મળે, રેશનમાં અનાજ મળે, ખાંડ મળે (ખાંડનું રેશન કાર્ડ આવતું હતું), સીમેન્ટ મળે, લોખંડના સળીયા ન મળે, કેરોસીન મળે, મકાન માટે લોન લેવામાં નાકે દમ આવી જાય, સ્કુટર માટે પ્રતિક્ષા યાદી હોય (મેં ૧૯૬૬માં સ્કુટર બુક કરાવેલ, ૧૯૭૪માં રીબુક કરાવેલ, મને ક્યારેય કશો જવાબ મળ્યો નથી. ૧૯૯૮માં મેં લ્યુના લીધેલ. ભલુ થજો નરસિંહ રાવનું કે મને લ્યુના તો મળ્યું), તમે પ્રતિક્ષા યાદીમાં ક્યાં છો તે જાણી શકતા  હતા, ટેલીફોન કનેક્સનમાં તમારો નંબર પાંચથી દશ વર્ષે લાગે, રસ્તાઓ કાચા, ટ્રેનમાં અને બસમાં ઘુસવાની પણ જગ્યા મળે. (ટ્રેનમાં લીમીટેડ આરક્ષણ. રેલ્વેના દાદાઓ જગ્યા રોકીને વેચે) ગેસના બાટલાના નવા કનેક્સનની તો વાત જવા દો, પણ તમારી એક ગામથી બીજે ગામ બદલી થઈ હોય તો તમારું કનેક્સન ગયું સમજો.

જય ઇન્દિરા માઈ. નહેરુવીયન સંતાન ઘોડીયામાં હોય ત્યારથી તેના વખાણ ચાલુ થઈ જાય. વાહ રા.ગા.ભાઈ કેવા તરવરીયા છે…. 

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: