Feeds:
Posts
Comments

Posts Tagged ‘દુઃખ’

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૩

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ

જો કે ૯૯.૯૯૯૯૯૯ટકા લોકો એવું માને છે કે આત્મા અસ્તિત્વ ધરાવે છે અને તે શરીરથી ભીન્ન છે.

ગાંધીજી જેવા પ્રખર તર્કવાદી મનુષ્ય પણ આત્માને શરીરથી ભીન્ન માનતા હતા.

તેનું મુખ્ય કારણ આપણું મગજ છે જે આપણને આપણા ઐક્યની અને અસ્તિત્વની અનુભૂતિ કરાવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે આપણે શરીરથી ભીન્ન છે તેની સાબિતી આપણે સ્વયં છીએ.

શંકરાચાર્ય સમજાવે છે

શંકરાચાર્ય કંઈક આવું સમજાવે છે કે શરીરને બાળીએ એટલે પ્રાણતત્વ આકાશમાં જાય. વર્ષાઋતુમાં વાદળાંના પાણીસાથે તે જમીન ઉપર આવે અને તે અન્નના બીજમાં જાય. અન્નને મનુષ્ય ખાય એટલે તે વિર્યમાં જાય અને મનુષ્યનો પુનર્જન્મ થાય. પણ એવું લાગે છે કે શંકરાચાર્યની થીયેરી તેમની ઈચ્છાદ્વારા મંડિત વિચારધારા હતી. આપણા વિષયનો હેતુ પુનર્જન્મ ને લગતો નથી. શંકરાચાર્યની વાત શક્યતાના સિદ્ધાંતની સાથે બંધ બેસતી નથી. આની ચર્ચા આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

સજીવ એટલે શું, નિર્જીવ એટલે શું, સજીવનો ગુણધર્મ શું, સુખ એટલે શું, દુઃખ એટલે શું, આનંદ એટલે શું, સ્મૃતિ એટલે શું, અનુભૂતિ એટલે શુ, આત્મા એટલે શું, કર્મ એટલે શું, કર્મફળ એટલે શું, વિશ્વ એટલે શું, વિશ્વ કેવીરીતે વર્તે છે …  વિગેરે બાબતોની વ્યાખ્યા અને સમજણ આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

બધામાં આપણે તર્કથી સ્વિકાર્યું છે કે આત્મા અને શરીર જુદા હોઈ શકે.

પૂનર્જન્મ સ્વિકારીએ એટલે પૂર્વજન્મ સ્વિકારવો પડે. સ્વિકારીએ એટલે સ્મૃતિ અને શરીર જુદા છે એમ સ્વિકારવું પડે. કારણ કે જેઓએ પુનર્જન્મ ધારણ કર્યો હોય છે તેમાંના કેટલાક પોતાના પૂર્વ જન્મની વાતો યાદ કરીને પોતાના પૂર્વજન્મની ખાત્રી કરાવે છે. ઘટનાને પ્રત્યક્ષ પ્રમાણ કહી શકાય. પણ જો હકિકત હોય તો આયુર્વેદ ચિકિત્સા પ્રમાણે અમુક જડી બુટ્ટીઓ સ્મૃતિને અને મગજ શક્તિને વિકસાવે છે. એટલે આયુર્વેદ પ્રમાણે તો સ્મૃતિ અને મગજ, શરીર સાથે જોડાયેલા છે. શરીર ભસ્મ થઈ જાય છે, એટલે મગજ ભસ્મ થઈ જાય અને સ્મૃતિ તો મગજનો ભાગ છે એટલે સ્મૃતિ પણ નષ્ટ પામે. એટલે ધારો કે પુનર્જન્મ હોય તો પણ તેને કોઈ યાદ કરી શકે નહીં. કારણ કે આત્મા જો શરીરથી જુદો હોય તો પણ, સ્મૃતિ આત્માનો હિસ્સો નથી. એટલે જો પુનર્જન્મને સ્વિકારીએ તો, આયુર્વેદનો નહીં પણ એલોપથીનો પણ ઈન્કાર કરવો પડે. કારણ કે એલોપથીમાં પણ આવી દવાઓ છે.

હવે આપણે અન્વેષક ભાઈએ ન કરેલી દલીલો પણ કરીશું. ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય.

એક એવી દલીલ કરવામાં આવે છે કેઃ

દરેક કણને એક પ્રતિ-કણ હોય છે. તેમ શરીરને એક પ્રતિ-શરીર હોય છે.

શરીર સંખ્ય એવા, એક મૂળભૂત કણોનું બનેલું છે. દરેક મૂળભૂત કણને તેનું પ્રતિકણ એટલે કે એન્ટીકણ હોય છે. એટલે કે મેટરની સાથે એન્ટી મેટર પણ હોય છે. એટલે કે દરેક શરીરની સાથે એક એન્ટી-શરીર હોય છે. આપણા મગજ અને સ્મૃતિની સાથે એન્ટી-મેટરના બનેલા મગજ અને સ્મૃતિ હોય છે. આપણું શરીર ભસ્મ થાય છે પણ એન્ટીમેટરના બનેલા મગજ અને સ્મૃતિ અકબંધ રહે છે. અને તે આત્મા સાથે રહે છે. એટલે આત્મા એવા શરીર સાથે જોડાય છે કે જેને યોગ્ય પ્રકારનું મગજ હોય.

એ વાત સાચી કે દરેક મૂળભૂત તત્વ સાથે એક પ્રતિતત્વ હોય છે. જેમ કે ઈલેક્ટ્રોન સાથે પોઝીટ્રોન, ક્વાર્ક સાથે એન્ટીક્વાર્ક હોય છે. ફોટોનનું (પ્રકાશનો કણ) પ્રતિકણ ફોટોન પોતે છે.

કણ અને પ્રતિ-કણ અથવા મેટર અને એન્ટી-મેટર

એક ફોટોનનું કંપન  એક્સએક્સીસમાં હોય તો તેના પ્રતિકણનું કંપન તેને લંબ એવી વ્હાયએક્સીસમાં હોય. એટલે જો કોઈ બાહ્ય ચૂમ્બકત્વથી તે ફોટોનનું કંપન બદલીને  વ્હાય એક્સીસમાં કરી દઈએ તો તત્ક્ષણે તેના પ્રતિકણ ફોટોનનું કંપન વ્હાય એક્સીસમાંથી એક્સ એક્સીસમાં આપમેળે આવી જાય છે પછી ભલે તે કોઈ પણ જગ્યાએ હોય. આ એક અવલોકન છે અને તેથી તેને નકારી ન શકાય.

બ્ર્હમાણ્ડમાં તત્ક્ષણ છે

“જે ઘરના સૌનું થાય તે વહુનું થાય”

જો પ્રકાશ નો પ્રતિ-કણ પોતાના કંપનની દિશા આપો આપ બદલતું હોય તો શરીર ભસ્મ થાય તેમ એન્ટી-શરીર પણ આપોઆપ ભસ્મ થાય.

જો આવું ન થતું હોય તો જ્યારે આપણને લોકલ એનેસ્થેશીયા આપવામાં આવે છે ત્યારે જ્યાં વાઢકાપ કરવામાં આવે છે તે જ્ઞાન તંતૂઓનો મગજ  સાથેનો સંપર્ક તોડી નાખે છે. એટલે કે જે હિસ્સામાં વાઢકાપ થતી હોય ત્યાં રહેલા શરીરના કોષોને જે દુઃખ થાય તે આપણા મગજ સુધી પહોંચતું નથી.

હવે જો શરીર અને પ્રતિ-શરીર એટલે કે મગજ અને પ્રતિ-મગજ એકબીજાના સ્ટેન્ડ-બાય (હૉટ સ્ટેન્ડ-બાય)  હોય છે એટલે જેવી એનેસ્થેશીયાની અસરનો સમય પૂરો થાય કે તરત જ આપણને નવેસરથી બધી પીડાનો અનુભવ થવો જોઇએ. કારણ કે પ્રતિ-મગજ તેની બધી જ માહિતી (દુઃખાવા સહિતની) આપણા મગજને  અપડેટ કરવા થવા માટે આપે. અને જો આવું ન હોય તો જે શરીરનું થાય તે મગજનું થાય.

હવે આપણે મૂળ વાત ઉપર આવીએ.

અન્વેષક ભાઈના ભૂત સાથેના વાર્તાલાપમાં એ ભાઈએ પોતાનું મગજ ચલાવ્યું લાગે છે.

અન્વેષક ભાઈએ ન કરેલી દલીલ પણ આપણે કરીશું ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય. જેમ કે અદૃશ્ય થવું.

એક એવું જળચર શોધાયું છે કે જે અદૃશ્ય થાય છે. જો કે વાત એમ છે કે તે જળચર પારદર્શક બની જાય છે.

આ વાત સાચી પણ છે. પારદર્શક થવું એ અલગ ઘટના છે અને અદૃષ્ય થવું તે અલગ ઘટના છે. જેમણે ઈનવિઝીબલ મેન જોયું હશે તેમને ખબર હશે કે અદૃષ્ય માણસમાંથી કોઈ પસાર થઈ શકતું નથી. જ્યારે ભૂતભાઈની વાત એવી છે કે તેઓશ્રી ત્યાં હોતા નથી અથવા તો, જો તેઓશ્રી, હોય તો તેમનામાંથી પસાર થઈ શકાય છે.

ભૂતભાઈ પોતાનો આકાર બદલે છે તો તેને સિદ્ધ કરવા તેમના શરીરને વાદળના ગોટા જેવું બનાવી દો. એટલે કે આત્માને શક્તિનો વાદળ જેવો પૂંજ બનાવી દો. વાદળ જેમ પોતાના આકારો બદલે છે તેમ આ આત્મારૂપી વાદળ, પૂંજની જેમ સ્વેચ્છાએ પોતાનો આકાર બદલશે. વળી આમાં અદૃશ્યપણું જોડાશે કારણ કે વાદળમાંથી આપણે પસાર થઈ શકીએ છીએ.

ભૂતભાઈના ખોરાક વિષે કે ભૂતભાઈ દ્વારા લેવાતા મનુષ્યના ભોગ વિષે આપણે ચર્ચા નહીં કરીએ.

ભૂતભાઈ શૂન્યમાંથી સર્જન કરે છે અને સર્જનને શૂન્ય કરી દઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે ઉર્જા અને પદાર્થ એ બંનેની એક સમીકરણથી તુલના કરી શકાય છે. જે સમીકરણ આમ છે. ઉર્જા = પદાર્થનું દળ ગુણ્યા પ્રકાશની ગતિના વેગનો બે વખત તેની સાથે ગુણાકાર એટલે કે બે વખત ત્રણલાખ થી ગુણો.

પણ ઉર્જા શક્તિને ગણવી કેવી રીતે?

ઉર્જા=(એક અચળ અંક જેને પ્લેંકનો અચળ અંક કહેવાય છે) ગુણ્યા કંપનની આવૃત્તિ.

ભૂતભાઈ શું બગીચામાંથી ફૂલો ચૂટે છે?

અન્વેષક ભાઈએ વિચાર્યું હશે કે મૂળવાત વાનગી બનાવવાની છે. એટલે કે તેનું સર્જન કરવાનું છે એ વાનગી એક પદાર્થ છે. પદાર્થ આમ તો ઉર્જાનો બનેલો છે. અને ઉર્જા તો બધે જ હોય છે. એટલે ભૂતભાઈ પોતાની આસપાસ રહેલી ઉર્જાને એકઠી કરીને તેનો પદાર્થ બનાવે છે. એકવાર પદાર્થ બની જાય એટલે “વાનગી ક્યા ચીજ઼ હૈ?”. એટલે કે પદાર્થમાંથી વાનગી બનવવી કંઈ અઘરી વાત નથી.

તો હવે પદાર્થ બનાવવા માટે આસપાસ રહેલી ઉર્જાને પકડો. કારણ કે ઉર્જામાંથી પદાર્થ બનાવી શકાય છે. અન્વેષક કદાચ સમજતા હશે કે ઉર્જામાંથી પદાર્થ લેવો એટલે બગીચામાંથી ફૂલો ચૂંટવા જેટલું સહેલું છે. ફૂલો ચૂંટાઈ જાય પછી હાર બનાવવો જેમ સરળ છે તેમ પદાર્થમાંથી વાનગી બનાવવી પણ સરળ છે.

કેટલી મેટર (દળ) બરાબર કેટલી ઉર્જા?

હવે જાણી લો કે હિરોશીમા ઉપર જે બોંબ ઝીંકાયો હતો તેમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ હતી તેમાં કેટલા પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું?

જે પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું તે પદાર્થનું દળ ૦.૭૦૦ ગ્રામ હતું. એટલે કે લગભગ પોણો ગ્રામ.

પોણો ગ્રામ દળ જ્યારે એક મોટા શહેરને નષ્ટ કરી શકે તો એ પણ સમજી શકાય કે એક શહેરને નષ્ટ કરવા માટેની જે ઉર્જા હોય તે કેટલા દળવાળો પદાર્થ બનાવી શકે!!

એક ૫૦૦ ગ્રામ વજનની વાનગીયુક્ત થાળી જેટલું દળ (મેટર) બનાવવા માટે કદાચ પુરા વાયુમંડળ સહિતના ગુજરાતને થીજવી નાખે તેટલી ગરમી શોષવી પડે કે તેથી પણ અનેક ગણી વધારે.

વિજ્ઞાન (સાયન્સ) અને વિદ્યા (ટેક્નોલોજી)માં નિરંતર નવી નવી શોધખોળો થતી હોય છે. હવે જો ભૂતભાઈ પરકાયા પ્રવેશ કરી શકતા હોય, અને પરકાયાના મગજ નો કબજો લઈ શકતા હોય, જાદુગરને મદદ કરી શકતા હોય અને વળી ભૂવાના મંત્ર તંત્ર થકી ભૂવાને વશ થતા હોય અને આ બધી હકીકત હોય તો આમાં પણ શોધખોળો થવી જોઇએ. તેનું પણ એક સાયન્સ હોવું જોઇએ. કોઈ સાયન્સ પ્રેમી ભૂવાભાઈએ આવું કામ કરવું જોઇએ. ડૉ. કુવુરનું ઈનામ કોઈ ભૂવાભાઈએ સત્યની પ્રતિષ્ઠા માટે આગળ આવવા જેવું હતું. પણ કોઈ માયના લાલ ભૂવાભાઈ કે જાદુગર, આ ઇનામ લેવા પધાર્યા ન હતા.

મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે

જો કે કેટલાક બનાવટી મંડળીવાળા લોકો મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે ભૂતભાઈની વાતો વાળા નિર્જન સ્થળે કે ખંડેરોમાં વિદ્યુત-ચૂમ્બકીય ઉપકરણો સાથે નિકળી પડે છે અને ખંડેરમાં જઈ અર્ધ રાત્રીએ ભૂતભાઈને નમ્રતા પૂર્વક વિનંતી કરતા નજરે પડતા હોય છે “હે ભૂતભાઈ … અમે તમને પરેશાન કરવા નથી આવ્યા. અમે ફક્ત તમારા અસ્તિત્વને સિદ્ધ કરવા આવ્યા છીએ… માટે હે ભૂતભાઈ તમે નારાજ ન થશો. તમે જો હો તો, આ મીટરના કાંટાને  આંચકો આપશો.” અને ભૂતભાઈ એ વિદ્યુત-ચૂંબકીય મીટરના કાંટાને હલાવી નાખે છે.

આ ભાઈઓ એમ સમજતા હોય છે કે ભૂતાત્માભાઈ, પારદર્શી વાદળ જેવી ઉર્જા છે. તેને બધી ભાષાઓ સમજાય છે. તેને કાન, આંખ, મગજ અને સ્પર્શ કરવાનું અંગ પણ છે એટલે તે મીટરમાં ઘુસી તેના કાંટાને ધક્કો મારી હલાવે છે.

બાવાઓ અને આવી મંડળીઓને કઈ બૌધિક કક્ષામાં ગણવી?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

મારા એક ખાસમખાસ મિત્ર અરવિન્દભાઈ કે. રાવળે એક જોક કરેલીઃ

એક ભૂતબેન બીજી ભૂતબેનને કહેતા સંભળાયા, “અલી, ફલાણી જગ્યાએ ન જઈશ…. ત્યાં તો માણસ થાય છે …”

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

તમે નિર્ણય કરો કે;

સંવેદશીલતામાં વૃદ્ધિ અને માનવીય વિકાસ એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

અહિંસા અને સંવેદનશીલતા એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

યાદ રાખો, આપણે ધાર્મિક માન્યતાઓ પ્રેત્યેની સંવેદનશીલતાની વાત કરતા નથી.

અહિંસા વિષે ચોખવટ જરુરી છે. એક ડર થકી ઉત્પન્ન થતી અહિંસા અને બીજી છે સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા. ગાંધીબાપુની અહિંસા સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા હતી. અને તેને બૌદ્ધિક આધાર હતો.

હવે જેમ જેમ માનવ સમાજ માનસિક વિકાસના માર્ગે આગળ ધપતો ગયો તેમ તેમ તેની સંવેદનશીલતાનું વર્તુળ વધુ મોટું અને મોટું થતું ગયું.

પહેલાંના જમાનામાં રાજાઓ હતા. અને તેઓ કહે તે કાયદો ગણાતો. પણ પછી તેના ઉપર નિયમનો આવતા ગયા. પહેલા રાજસુય યજ્ઞો સારા ગણાતા. હવે ન ગણાય. હવે યુદ્ધો પણ સારા ગણાતા નથી. જો કે યુદ્ધો નિવારી શકાયા નથી. પણ યુદ્ધ નિવારવાના સામુહિક રાજકીય પ્રયત્નો થાય છે. ટૂંકમાં યુદ્ધ નિવારણ એ એક હિંસા નિવારણ તરફનું જ કદમ કહેવાય.

આપણે દંડને તદ્દન અનિવાર્ય માનીએ છીએ અને અનિવાર્ય માનીએ પણ છીએ. દંડ કરવો એ એક હિંસા છે. કારણ કે દંડનો હેતુ માનવના મનને સુધારવાનો છે. જો કોઈ એક માનવીના મનને સુધારવાના ઉપચારો હાથવગા ન હોય અને સરકાર માટે અતિ ખર્ચાળ હોય અને અથવા જનમત પણ પ્રબળ રીતે દંડને સ્વિકાર્ય માનતો હોય તો સરકાર દેહાંત દંડ પણ આપી શકે છે..

માનવ સમાજ વધુ ને વધુ અહિંસા અને સંવેદનશીલતા તરફ ગતિ કરતો થયો છે.

હવે જો સંવેદનશીલતાની વાત કરીએ તો સંવેદનશીલતા શા કારણે આવે છે? સંવેદનશીલતા લાગણીઓની નિકટતાને કારણે હોય છે. આપણા શરીરને કશું વાગે તો આપણને દુઃખ થાય.

સંવેદનશીલતા પ્રાણીઓમાં પણ હોય છે. જે પ્રાણીઓ આપણે પાળેલા હોય છે તેઓને જ્યારે આપણા દુઃખની ખબર પડે ત્યારે આપણા દુઃખે દુઃખી થતા હોય છે. પણ તેમનામાં મનુષ્ય જેવી બુદ્ધિ હોતી નથી તેથી તેમની સંવેદનશીલતાનું વર્તુળ મોટું થતું નથી.

જેની સાથે આપણે નિકટતા હોય તેને પણ કશું વાગે તો પણ આપણને દુઃખ થાય છે. આપણને જેની સાથે દુશ્મનાવટ ન હોય તેને પણ જો કશું વાગે તો આપણને થોડી ઘણી દુઃખની લાગણી થઈ શકે.

જો આપણો વ્યવહાર ઉચ્ચ કક્ષાનો હોય, અને કોઈને પણ વાગ્યાનું આપણા ખ્યાલમાં આવે તો પણ આપણને દુઃખ લાગે. શારીરિક દુઃખની વિષે જેવું છે તેવું જ માનસિક દુઃખ વિષે છે.

આ સંવેદનશીલતાનું વર્તુળ માનવના માનસિક વિકાસની સાથે મોટું ને મોટું થતું જાય છે. બૌદ્ધિક વિકાસ, ભૌતિક વિકાસ અને માનસિક વિકાસનો વેગ એક સરખો હોતો નથી. કારણ કે વિકાસ તો સામાજીક જરુરીયાતો ઉપર પણ અવલંબે છે. એટલે ગાંધીજીએ કહેલું કે જે લોકોએ વેદ અને ઉપનિષદ લખેલા તેઓ યાંત્રિક વિકાસ માટે સક્ષમ ન હતા તેમ માનવું જરુરી નથી. પણ તેઓ પર્યાવરણ અને માનવસમાજની તંદુરસ્તી બન્નેને એક્બીજાના પરિપેક્ષ્યમાં સમજી શકેલા.

સંવેદનશીલતાનું વર્તુળ કેટલું મોટું થઈ શકશે?

માણસના આહારની ટેવો આમ તો તમે જેવી પ્રેક્ટીસ પાડો તેવી પડે. “ભૂખ ન જુવે ભાખરી…” ગાંધીજી વિલાયત ગયા એટલે તેમને લાગ્યું કે આહારની ટેવો આપણે બદલી શકીએ છીએ.

ગાયને પણ રાંધેલુ માંસ ખાતી કરી શકાય છે. અને સિંહને પણ રોટલા ખાતો કરી શકાય છે. આલસેશ્યન કુતરો પણ રોટલા અને દૂધ ઉપર જીવી જાય છે. બિલાડી પણ અન્નાહાર કરે છે. કુતરા, બિલાડા, સિંહ, વાઘ વિગેરે એક જ કક્ષાના પ્રાણીઓ છે તમારે તેમને કેળવવા પડે.

હવે આપણા શરીર માટે શું જરુરી છે એ વાત આપણું શરીર પોતે જ કહે છે. આપણા માટે શાકાહાર જ યોગ્ય છે. માણસે અગ્નિની શોધ કરી તેથી અને શાકાહારના અભાવમાં તે માંસાહાર કરતો થયો. પણ જેમ જેમ તેની સંવેદનશીલતા વધતી ગયી તેમ તેમ તે અમૂક પ્રાણીઓને ત્યાજ્ય ગણતો ગયો. ભારતમાં ગાય ગણાઈ. ધીમે ધીમે જ્ઞાનીજનોએ સંપૂર્ણ શાકાહારની વાત કરી. શાકાહારમાં પણ અન્ન, ફળ, મૂળ અને પર્ણ ના ભેદ પડ્યા. મૂળમાં રનર-ટાઈપ મૂળ સ્વિકારાયા, કારણે કે તેમાં વનસ્પતીનો સંપૂર્ણ હ્રાસ થતો નથી. પણ પર્ણ ને રાત્રે ન તોડવા તેવું સ્વિકારાયું. ફળમાં રસાદાર ફળો સ્વિકારાયા. અને બીજ ને ફાલવા દેવું. અન્નને અગિયારસ, અને દેવ-સેવાના મુખ્ય તહેવારોમાં ન ખાવા તેની પાછળ પણ સંવેદન શીલતાનું ગણિત જ કામ કરે છે. જેમ મંગળવારે કે શનિવારે માંસાહારી લોકો પણ ભારતમાં માંસાહારને ત્યાજ્ય ગણે છે.

વાસ્તવમાં ક્યાંક તો અહિંસાની અને સંવેદનશીલતાની એક સીમા આવે જ છે. આપણે ગાય સાથે આત્મીયતા છે એટલે ગાય ખાતા નથી. યુરોપીયનોને કુતરા સાથે આત્મીયતા હોય છે તેથી તેઓ કુતરાને ખાતા નથી. કોણ કોની પ્રત્યે સંવેદનશીલ છે તે મહત્વનું હોય છે અને આખરે તે જ ભાગ ભજવે છે.

કૃતજ્ઞતા એ એક સંવેદનાનો હિસ્સો છે. ગોસૃષ્ટિના માનવજાત ઉપર ઉપકાર છે, વનસ્પતિ સૃષ્ટિના પણ માનવજાત ઉપર ઉપકાર છે, અને તેથી આપણે તેમની પણ પૂજા કરીએ છીએ અને તેમનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ છીએ.અસ્ત્ર શસ્ત્રોની પણ આપણે પૂજા કરીએ છીએ. આ બધું આપણી સંવેદનશીલતાનું દ્યોતક છે. અને આની અંદર ઈશાવાસ્ય વૃત્તિ સાંસ્કૃતિક રીતે નિહિત છે. આપણા માનવા પ્રમાણે શસ્ત્રોમાં જીવ જ નથી. નદી, પર્વત, વૃક્ષો, સમૂદ્ર હવા પાણી વિગેરે અનેક પદાર્થો આપણી પાસે કદી કોઈ માગણી કરતા નથી. પણ આપણી સંસ્કૃતિમાં નિહિત ઈશાવસ્ય વૃત્તિને પરિણામે આપણી પ્રણાલીઓ સ્થપાઈ છે અને આપણે, કારણકે આપણે તેમના આધારે જીવીએ છીએ આપણે તેમના પર આપણી કૃતજ્ઞતા દર્શાવીએ છીએ.   .

હવે કરીએ કાયદાની વાત

કાયદો શું કહે છે?

युपीमें रहेना है तो कायदेसे रहेना होगा

પણ એ પહેલાં એ સમજી લઈએ કે ટીવી ચેનલોમાં ચર્ચા કેવી રીતે થાય છે.

પણ એ વાત કરીએ એ પહેલાં ઉત્તર પ્રદેશમાં શું થઈ રહ્યું છે તે જાણીએ.

ચૂંટણી થઈ અને ભારતીય જનતા પક્ષ પ્રચંડ બહુમતિ સાથે ચૂંટાઈ આવ્યો. ચૂંટણી વિશ્લેષકો, અક્ષરશાસ્ત્રીઓ, જ્યોતીષ શાસ્ત્રીઓ બધા જ ખોટા પડ્યા. આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી પદે આરુઢ થયા. જૈસે થે વાદીઓ અને ફરેબી ધર્મનિરપેક્ષતાવાદીઓના પેટમાં તેલ રેડાયું છે.  આદિત્યનાથ યોગી મોટી સંસ્થા ચલાવે છે. જેઓ સંસ્થા ચલાવતા હોય અને ૧૫ વર્ષથી લોક સભાના સભ્ય પણ હોય તેમને વહીવટ અને જનતંત્ર વિષે ગતાગમ હોય જ. એટલે તેમણે વહીવટી સપાટો બોલાવ્યો.

ગેરકાયદેસર કતલખાનાને તાળાં લાગ્યાં

Save Daughter Save Son

(with the curtsy of Cartoonist)

અત્યાર સુધીની સરકારો ખાસ કરીને સ.પા., બ.સ.પા. અને નહેરુવીયન કોંગ્રેસ સરકારો એવી હતી કે જે “જૈસે થે વાદ”, “હોતી હૈ ચલતી હૈ”, “યાર, અબ તો પૈસે બનાલો … ઇસસે અચ્છા મૌકા ફિર મિલે યા ન મિલે”, “અબે યાર, કાયદા હમે ક્યા કરેગા?”, “અબ મેરે ચાચા ડીએસપી હૈ… તુમ્હારી અબ ખૈર નહીં …”, “તુમ્હે ક્યા ચાહિયે વો બોલો ન … હમ તુમ્હે દિલા દેંગે …”, “અબ તો ઐશ હી ઐશ હૈ” બાબતોમાં ગળાડૂબ હતી. સમાચાર માધ્યમોના પણ આ જ સંસ્કારો હતા. મોટા ભાગના સમાચાર માધ્યમોના સંસ્કાર હજી પણ આવા જ છે.

ગેરકાયદેસર કતલખાના ચાલવા જોઇએ એવું કહેવાની ટીવી સંચાલકોની અને દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓની હિમત નથી. તેથી તેઓ ચર્ચા આડે માર્ગે લઈ જાય છે. આ સરકાર મુસ્લિમ વિરોધી અને કોમવાદી છે એવો પ્રચાર ચાલ્યા કરે છે. એક મુસ્લિમ ભાઈએ તો ચર્ચા દરમ્યાન કહ્યું પણ ખરું કે “અમે કતલખાનાના લાયસન્સના રીન્યુઅલ માટે જે અરજી આપેલી છે તેની ઉપર જુની સરકારે કેમ પેન્ડીંગ રાખી, તેની સાથે અમારે લેવા દેવા નથી પણ નવી સરકારે તેના ઉપર કેમ કાર્યવાહી કરી નથી તેનો તે જવાબ આપે.”

હવે તમે જાણી લો કે નવી સરકારને આવે હજી સાત દિવસ પણ થયા ન હતા તો પણ તેને વાંકમાં લેવાની યોગી-વિરોધીઓની વૃત્તિ બની ગઈ હતી. ચર્ચાના એંકરને તમે યોગીના પગલાના વિરોધીઓની ઉલટ તપાસ કરતા જોશો નહીં. કારણ કે તે સૌનો એજન્ડા “કાયદાના શાસનને” બહુમાન આપવાનો નથી, પણ યોગી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવા છે.

૨૦૧૦માં કતલખાના માટે નીતિ નિયમો નક્કી કરેલ છે

આ નીતિ નિયમો માટેનો પરિપત્ર કતલખાનાઓની અને જનતાની જાણકારી માટે આદિત્યનાથ યોગીની સરકારે પ્રસિદ્ધ કર્યો. તો સમાચાર માધ્યમોએ તેને એવી રીતે પ્રસિદ્ધિ આપી કે આ નીતિ નિયમો યોગી સરકારે જ ઘડ્યા છે. અને સમાચાર માધ્યમોએ એવી રીતે પ્રસિદ્ધિ આપવા માંડી કે આઆ નવા નિયમો એવા છે કે કોઈ પણ કતલખાનુ ચાલી શકશે નહીં. જો તમે આ નિયમ વાંચશો તો તેમાં કશું એવું નથી કે જેને અમલમાં મુકી ન શકાય. દુનિયાના બીજા બધા જ દેશોમાં આવા કે આનાથી વધુ કડક નીતિ નિયમો અમલમાં છે. પણ સમાચાર માધ્યમોના એવા સંસ્કાર નથી કે તેઓ આ નિયમો ઉપર ચર્ચા કરી શકે.

ટીવી એંકરો અને યોગી વિરોધીઓ “કાયદાના શાસનના” મુદ્દાને તો સ્પર્ષતા જ નથી. “ગેકાયદેસર ચાલતા કતલખાના” માંથી “ગેરકાયદેસર” શબ્દને ઉડાડી દેવામાં આવે છે અને સમગ્ર ચર્ચામાં આદિત્યનાથ યોગી કોમવાદી છે અને મુસ્લિમોને બેકાર કરવાનું આ કાવતરું છે, મુસ્લિમો ભૂખે મરશે, આ મુસ્લિમ વિરોધી છે કદમ છે એવી જ વાતો ચલાવે છે.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ અને ટીવીના એંકરભાઈ, વળી ચોર કોટવાળને દંડૅ એવી વાત કરે છે. બીજેપીવાળાને પુરું બોલવા જ ન દે. બીજેપી બંધારણના આદેશાત્મક જોગવાઈની વાત પૂરી કરે કે ન કરે ત્યાં તો તેમને એમ કહીને ઉતારી પાડે કે “ભારતીય બંધારણમાં તો ગૌ-વંશ માત્રની હત્યાની બંધી કરવાની જોગવાઈ છે. તમે માત્ર ગાય બળદની હત્યા બંધીને જ શા માટે પકડી રાખી છે? તમે બંધારણની હત્યા કરી છે.  તમને ભારતીય બંધારણ પ્રત્યે આદર જ નથી.”

સમજી લો ચર્ચા તો ફક્ત ગેરકાયદેસર ચાલતા કતલખાના ઉપર સરકારની તવાઈની છે. ચાલુ કાયદાનો અમલ નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. અને બ.સ.પા. કરતા ન હતા. આ બધા પક્ષો આમ તો પોતાને ધર્મનિરપેક્ષ માને છે અને મનાવે છે. તો પણ પૈસા લઈને લાયસન્સો આપતા હતા, પૈસા લઈને લાયસન્સો રીન્યુ કરતા હતા. કતલખાનાવાળાઓ લાયસન્સ લીધા વગર પણ કતલ ખાના ચલાવતા હતા. તવાઈ તો આ બધા પક્ષો પર લાવવી જોઇએ અને એંકરે તે લોકોને ચર્ચા દરમ્યાન સકંજામાં લેવા જોઇએ. પણ સકંજામાં બીજેપીવાળા ભાઈને લેવામાં આવે છે. કારણ કે બીજેપી કાયદાનો અમલ કરે છે અને આ વાત જ નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. , બ.સ.પા. ને કઠે છે.

રોડ-રોમીયાઓ ઉપર યોગી સરકારની લાલ આંખ પણ અભિષેક મનુ સિંઘવીની નહેરુવીયન કોંગ્રેસ, “લડકે હૈ ગલતી હો જાતી હૈ” કહેવાવાળા મુલાયમ ની સ.પા. ને પસંદ ન પડે તે સમજી શકાય તેમ છે પણ બ.સ.પા. ને શા માટે પસંદ ન પડે તે સમજી શકાતું નથી, એ સંશોધનનો વિષય છે. કદાચ એવું હોય કે “બાવો નાચ્યો એટલે બાવી નાચી”, “બીજેપીને ભાંડવાની વહેતી ગંગામાં હાથ ધોઈલો બાપલા” પણ આ બધી વાત આપણે નહીં કરીએ કારણ કે તે અહીં અપ્રસ્તૂત છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સંવેદનશીલતા, માનવીય વિકાસ, અહિંસા, યુદ્ધ, દંડ, માનસિક, દેહાંતદંડ, દુઃખ, માનસિક વિકાસ, યાંત્રિક વિકાસ, ઉત્તર પ્રદેશ, આદિત્યનાથ યોગી, મુખ્ય મંત્રી પદ, જૈસે થે વાદીઓ, ધર્મનિરપેક્ષ, ગેરકાયદેસર કતલખાના, મુસ્લિમ, ભારતીય બંધારણ, લાયસન્સ, કાયદાનો અમલ, નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. , બ.સ.પા.

Read Full Post »

%d bloggers like this: