Feeds:
Posts
Comments

Posts Tagged ‘નહેરુવીયન’

વાલ્મિકીમાં થી વાલિયો લૂંટારો બને ખરો?

આપણે વાલિયા લૂંટારાની વાત તો સાંભળી છે. તો થોડી તેની વાત સમજી લઈએ.

એક હતો લૂંટારો. તેનું નામ વાલિયો લૂંટારો.

પાપી પેટ માટે તે જંગલમાં જતા આવતા માણસોને લૂંટતો. ખૂન કરતો હતો કે કેમ તેની ખબર નથી.

 

એક વખત નારદ મૂની આવ્યા અને તેને પૂચ્છ્યું કે બધું પાપ તું શા માટે કરે છે?

વાલિયાભાઈએ કહ્યું કે હું બધું પાપી પેટો (પેટનું બહુવચન) માટે કરું છું.

નારદે કહ્યુંપેટોએટલે શું?”

વાલિયાએ કહ્યું એક તો મારુ પેટ, મારી પત્નીનું પેટ, મારી માતાનું પેટ, મારા પિતાનું પેટ, મારા પુત્રનું પેટ અને આવનારા સંતાનોનું પેટ. બધા પેટોના માટે હું લૂંટ કરું છું.

નારદે પૂછ્યું કે પણ આ બધું તો પાપ છે અને તારે તેના ફળ ભોગવા પડશે. તારા માતા પિતા, પત્ની કે સંતાનો, તારા આ પાપનું ફળ શૅર કરી શકીશે નહીં.

લૂંટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે

વાલિયાએ કહ્યું “એવું તે કંઈ હોય ખરું? લૂટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે”

નારદે કહ્યું “હે વાલિયા, આવી કાયદાની જોગવાઈ હાલ તો નથી. તારો જન્મ અતિશય વહેલો છે. કળીયુગમાં આવો કાયદો તારા જ્ઞાતિબંધુ જ્યારે ભારતનું સંવિધાન લખશે ત્યારે કરવાના છે. હાલ તો કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. ખાતરી ન થતી હોય તો એક્સ્પર્ટ ઓપીનીયન તરીકે તારા માતા પિતાને પૂછી જો.

વાલિયા ભાઈએ માતાપિતાને પૂછ્યું. તેમણે કહ્યું “જે કરે તે ભોગવે. અમે કેવીરીતે તારું પાપ શેર કરી શકીએ?” વાલિયા ભાઈને થયું કે “આમની તો હવે ઉંમર થઈ. લેટેસ્ટ માહિતિ પત્ની પાસે હશે. વાલિયા ભાઈએ પત્નીને પૂછ્યું. તેણે પણ તેવો જ જવાબ દીધો. વાલિયા ભાઈને થયું કે “આ તો રાંધવામાંથી અને ખાવામાંથી જ ઉંચી આવતી નથી. માટે હવે મને પુત્રને જ પૂછવા દે”. આ વાલિયા ભાઈએ પુત્રને પૂછ્યું. પુત્રે પણ એવો જ જવાબ આપો.

વાલિયાભાઈએ વિચાર્યું કે “આતો ભારે કરી … બધાને લૂંટનો માલ ખાવો છે અને પાપ શૅર કરવું નથી. કાયદો જ અન્યાય કર્તા છે. આવો કાયદો ઑટોમેટિક જ રદ થવો જોઇએ.

વાલિયાભાઈ બહુ વહેલા જન્મેલા હોવાથી તેમના સમયમાં લૂંટનો માલ ખાવામાં ગુનો બનતો ન હતો. તેમણે નારદજીને પૂછ્યું કે “હે નારદજી, મારે હવે શું કરવું જોઇએ?”.

નારદે કહ્યું “ તું હવે તારા આ ધંધાને રામ રામ કર. અને ખૂબ ચિંતન કર. કવિ બની જા. તું બહુશ્રુત થઈ જઈશ. તારી ઈચ્છાઓ પુરી થશે. આ ભવમાં નહીં તો બીજા કોઈ ભવમાં”

“પણ હે નારદજી જેઓ મારા ઉપર જેઓ આધાર રાખે છે તેમનું શું થશે? તેમના રોટલા કેવીરીતે નિકળશે?”

“હે વાલિયા, તું તારો વિચાર કર. હું કરું  … હું કરુ … એવા વિચારો છોડી દે…. તું કશું જ કરતો નથી. બધું ઈશ્વર જ કરે છે. રોટલો પણ એ જ છે, ખાનાર પણ એ જ છે અને ખાવાની ક્રિયા પણ એ જ છે.”

વાલિયાભાઈને નારદ મુનિના ઉપદેશમાં કંઈ ગતાગમ ન પડી. ધંધો કેવી રીતે કરવો, ચિંતન એટલે શું, બહુશ્રુત એટલે શું એ બધું સમજ્યા નહીં. પણ વાલિયા ભાઈને “રામ રામ” કર એ યાદ રહી ગયું. એટલે વાલિયાભાઈ રામ રામ બોલવા લાગ્યા.

ૐ શાંતિ, રાધે રાધે, જે શ્રી કૃષ્ણ

હવે તમે કોઈ પણ જપ કરો એટલે વિચારવું તો પડે . જો વિચાર ન કરો તો ઉંઘ આવી જાય. એટલે વાલિયાભાઈએ વિચારવું શરુ કર્યું. વિચારવા માટે કંઈ ભણેલા હોવું જરુરી મનાતું નથી. જેમકે મોહમ્મદ સાહેબ પણ ભણેલા હતા. તો પણ તેમણે કુરાન આપ્યું જેને દૈવી અવતરણ માનવામાં આવે છે.

એક વખત વિચારવાની ટેવ પડી પછી છૂટતી નથી. એક એવી માન્યતા છે કે તમે યોગ કરો તો તમારી બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય. બુદ્ધિ સહિતની બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય અને બધી રીતે શુદ્ધિ થાય. આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ રામ નામે એક રાજા થયો અને વાલ્મિકી નામે એક ઋષિ થયા. આ વાલ્મિકી ઋષિએ રામની જીવન કથા લખી.

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી મારી, પૂણ્યશાળી બને છે.”

હવે વાત પૂરી. ઋષિપદની માન્યતા મળવાનું કારણ તેમનું ચિંતન અને રામાયણની રચના હતી.

વાલિયામાંથી વાલ્મિકી ઋષિમાં પરિવર્તન થવું એવા બનાવો તો અવાર નવાર થયા કરે છે. જો કે ક્યારેક વિવાદો પણ ચાલે છે. જેમ કે કહેવાય છે કે આસુમલ પહેલાં દારુની હેરફેર કરતા હતા. તેમણે તપ કર્યું કે નહીં તે આપણે જાણતા નથી. પણ તેઓશ્રી સંત આશારામ બાપુ તરીકે પ્રખ્યાત થયા. તેમને મારા જેવા ઓશો આસારામ કહે છે. જો કે વાત જુદી છે કે તેઓશ્રી અત્યારે રોજમરોજ જેલના સળીયા ગણે છે. વાત જવા દો.

વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા તે તો આપણે જાણ્યું.

તેનાથી ઉંધું બને ખરુ?

આનાથી ઉંધું એટલે શું?

વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો બને ખરો?

હાજી. આવું બને ખરું અને બને પણ છે.

જે વ્યક્તિ, કસોટીમાંથી પસાર થયા વગર, મોટા પદને પ્રાપ્ત કરે છે ત્યારે તેને લાગતા વળગતા સુજ્ઞ લોકો  વાલ્મિકી ઋષિ તરીકે ઓળખાવતા હોય,  તેવી વ્યક્તિ વાલિયો લૂંટારો બની જાય છે. આવા વાલિયા લૂંટારા અનેક વાલિયા લૂંટારા જેવા માનસિક સંતાનોને જન્મ આપે છે.

હાજી. જે ૨૫/૨૬ જુન છે.

નહેરુવીયન કોંગ્રેસીઓએ આજના દિવસની ઉજવણી કરવી જોઇએ. એટલું નહીં પણ જેમણે કટોકટીને આવકારી હતી તે સૌએ આજે કટોકટીના જન્મદિવસની ઉજવણી કરવી જોઇએ. જેઓ પોતાને નિડર માનતા હતા તેઓએ પણ જો કટોકટીને આવકારી હોય તેવા સૌ લોકોએ જેમકે સામ્યવાદીઓ, હરિવંશરાય બચ્ચન, શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે, શિવસૈનિકો, સમાચાર માધ્યમોના તંત્રીઓ અને સમાચાર માધ્યમોના માલિકો સૌએ આજે ઉજવણી કરવી જોઇએ. જો કે સામ્યવાદીઓ તો લોકશાહીમાં માનતા નથી એટલે તેમણે તો આજના દિવસને વિજય દિવસ મનાવવો જોઇએ.

તમે કહેશો કે આમાં વાલ્મિકી કોણ અને વાલિયો લૂંટારો કોણ?

હા જી મુદ્દાની વાત તો છે.

મહાત્મા ગાંધીની કોંગ્રેસ એટલે વાલ્મિકી ઋષિ, નહેરુવીયન કોંગ્રેસ એટલે વાલિયો લૂંટારો

ઓગણીસમી સદીમાં કોંગ્રેસ નામની એક ક્લબ હતી. આમ જનતા સાથે તેનો કેટલો સંબંધ હતો તે આપણે જાણતા નથી. આમ જનતા અને બ્રીટીશ સરકાર વચ્ચે એક સેતુનું કામ કરે અને ગેરસમજુતીઓ સંવાદ દ્વારા દૂર કરે તે ક્લબનું ધ્યેય હતું.

૧૯૧૬માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. તેમણે કોંગ્રેસને આમ જનતા માટે ખૂલ્લી મૂકી. કોંગ્રેસ સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી વિકસાવ્યું. તેઓશ્રી સત્ય, અહિંસા, પ્રેમ, માનવીય હક્કો અને સમાનતાના ગુણોને અંતિમ કક્ષાના વિચારશીલ મનુષ્યો સુધી લઈ ગયા. ગાંધીજીએ માનવીય હક્ક માટે કેવીરીતે લડવું, અન્યાયકારી કાયદાઓ સામે કેવીરીતે લડવું તેના નિયમો અને પ્રક્રિયાઓ નક્કી કરી. આમ ખરા અર્થમાં કોંગ્રેસ સંસ્થાવાલ્મિકીઋષિ બની હતી.

જો કે સંસ્થા અને વ્યક્તિમાં ફેર તો હોય છે . કારણ કે સંસ્થાનું હૃદય અને મગજ તેની કારોબારી હોય છે. સૌ સભ્યોનું આચારણ સંસ્થાના સંવિધાનમાંના પ્રાવધાનો અનુસાર હોવું જોઇએ. પણ વ્યક્તિનું હૃદય અને મગજ તો તેનું પોતાનું હોય છે તેથી માનસિક રીતે તે કેવો છે તે જ્યાં સુધી તે મનના નિર્ણયોને અમલમાં મૂકે ત્યાં સુધી તેને જાણી શકાય.

ટૂંકમાં, કોંગ્રેસ એક એવી સંસ્થા હતી કે જેને તમે ઋષિ સાથે સરખાવી શકો. કેટલાક વિવાદાસ્પદ બનાવોને અને વ્યક્તિઓને બાદ કરતાં કોંગ્રેસની આવી સ્થિતિ ઓછામાં ઓછી ૧૯૪૪ સુધી તો ચાલુ રહી હતી.

આવી કોંગ્રેસ સંસ્થા, વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો ક્યારે થઈ?

કોઈ પણ વ્યક્તિનું હૃદય પરિવર્તન રાતોરાત થઈ જતું નથી. માન્યતાઓની નિરર્થકતા કદાચ રાતોરાત સમજાઈ જાય. પણ તે નિરર્થકતાને અને સત્યને આત્મસાત્થવા માટે વર્ષો વીતી જાયવાલિયા લૂંટારાને લૂંટના ધંધાની નિરર્થકતા તો રાતોરાત થઈ ગઈ હશે પણ સત્ય અને શ્રેય ને આત્મસાત કરવામાં વાલિયાભાઈને ઘણું ચિંતન કરવું પડ્યું હતું. કહેવાય છે કે વાલિયા ભાઈ સુધબુધ ખોઈ બેઠેલા. તેમના ઉપર ઉધાઈનો રાફડો જામી ગયો હતો. જે હોય તે, પણ વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બનવામાં દશકાઓ વીતી ગયા હતા.

તો શું કોંગ્રેસ સંસ્થાને વાલ્મિકી ઋષિમાં થી વાલિયો લૂંટારો થવામાં વર્ષો વીતી ગયા હતા?

નાજી અને હાજી.

સંસ્થાના બગડવામાં અને વ્યક્તિના બગડવામાં ફેર હોય છે. જનતંત્રમાં ખાસ ફેર પડે છે.

વ્યક્તિ તો જ્યાં સુધી કસોટીમાંથી પસાર થયો હોય ત્યાં સુધી ભરેલા નાળીયેર જેવો હોય છે. પણ જે વ્યક્તિ સમાજસેવામાં સક્રિય રહી હોય, સંસ્થાના નિયમોનું પાલન કરતી રહી હોય, મોવડી મંડળના આદેશોને આધિન રહી હોય તો તે વ્યક્તિ સામાન્ય રીતે બગડતી નથી. બહુ બહુ તો તે પોતાનો પ્રભાવ વધારવા પક્ષની અંદર એક જુથ રચે છે. જ્યારે જુથ મજબુત થઈ જાય ત્યારે તે વ્યક્તિની આદતો બગડી શકે છે. સમય જતાં વ્યક્તિમાં જો રોગિષ્ઠ માનસિકતા વાળું ડી.એન.એ. હોય તો તે સંસ્થાને બગાડવાની વ્યુહ રચનાઓ કરે છે. વાલ્મિકી ઋષિ જેવા વ્યક્તિત્વ વાળી સંસ્થા, વાલિયા લૂંટારા  પેદા કરનારી સંસ્થા બની જાય છે.

વાલ્મિકી જેવી ઋષિસંસ્થામાંથી વાલિયા લૂંટારા પેદા કરનારી સંસ્થા બનવાના પગથીયા કેટલા છે?

પહેલું પગથીયુઃ પોતાનું એક જુથ બનાવો  તેને એક વૈચારિક નામ આપો. નહેરુએ કોંગ્રેસની અંદર એક જુથ બનાવ્યું અને તેને નામ આપ્યુંસમાજવાદી જુથ”.

બીજું પગથીયુઃ જ્યાં સુધી બળવત્તર બનો ત્યાં સુધી સંઘર્ષમાં ઉતરો. નહેરુએ, ગાંધીજીની વૈચારિક રીતે સંપુર્ણ શરણાગતી સ્વિકારેલી. તેઓશ્રી ગાંધીજીથી પોતાના વિચારો અલગ અથવા અસ્પષ્ટ હોવા છતાં પણ ગાંધીજી સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. તેમ તેઓશ્રીએ પક્ષના પ્રમુખની ચૂંટણીમાં સુભાષબાબુની સામે ઉમેદવારી નોંધાવવાનો સંઘર્ષ પણ ટાળ્યો હતો.

ત્રીજું પગથીયુઃ આવી પડેલી તકને ઓળખો અને ત્રાગુ કરવાથી ધાર્યું કામ થતું હોય તો તે તકનો લાભ લો. એટલે કેગ્રહણ ટણે સાપ કાઢવો”. જેમકે કોઈ પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નહેરુના નામની ભલામણ, વડા પ્રધાનના પદ માટે કરી ન હતી. ગાંધીજીએ જ્યારે હકીકત પર જવાહરલાલનું ધ્યાન દોર્યું ત્યારે અને તેમ છતાં પણ નહેરુએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી નહીં અને ખીન્ન મુખમુદ્રા બનાવીને ગાંધીજીના ખંડમાંથી વિદાય લીધી. નહેરુનો આ અકથિત સંદેશ ગાંધીજી સમજી ગયા. તેમને લાગ્યું કે, જોકે સંસ્થાની કારોબારીમાં નહેરુનું વર્ચસ્વ નથી, પણ નહેરુ કોંગ્રેસને તોડવા કટીબદ્ધ થઈ શકે એમ છે. જ્યારે દેશના વિભાજનની વાતો ચાલતી હોય તેવે સમયે કોંગ્રેસનું વિભાજન દેશ માટે અનેક આફતો નોતરી શકે છે. એટલે ગાંધીજીએ સરદાર પટેલ પાસેથી વચન લઈ લીધું કે તેઓ કોંગ્રેસને તૂટતી બચાવવા પોતાની ઉમેદવારીનો ભોગ આપશે. આમ નહેરુએ ત્રાગુ કર્યાવગર ત્રાગાનો સંદેશ આપી પોતાનું ધાર્યું કર્યું.

ચોથું પગથીયુઃ દેશના વાજીંત્રો (સમાચાર માધ્યમો) ઉપર પરોક્ષ કે પ્રત્યક્ષ નિયમન રાખો. તે માટે લાયસન્સ, પરમિટ, ક્વોટા જેવા શસ્ત્રોનો ઉપયોગ કરો. પ્રતિસ્પર્ધીઓની મજાક ઉડાવો અને તેમને બદનામ કરો. એક સમાચાર પત્ર, રાજાજીને ગોરીલાના શરીર તરીકે બતાવતું હતું. જયપ્રકાશ નારાયણની મજાક ઉડાવાતી હતી. મોરારજી દેસાઈએ અર્થતંત્રને શિર્ષાસન કરાવ્યું છે તેવો પ્રચાર થતો હતો. કામરાજ પ્લાન હેઠળ ફક્ત મોરારજી દેસાઈને દૂર કરેલ. સમાચાર માધ્યમોએ નહેરુની ચાલાકી ઉપર તાલીયો પાડેલી.

પાંચમું પગથીયુઃ જનતંત્રમાં અવાર નવાર ચૂંટણીઓ થતી રહે છે, તમે સર્વિચ્ચ હોદ્દા ઉપર છો. તે તમારે વંશ પરંપરાગત રીતે જાળવી રાખવો પડશે, એટલે સંસ્થાની કારોબારીમાં તમારું વર્ચસ્વ રહે તે માટે ચાર આંખો રાખો. એટલા માટે જરુરી છે કે તમે સત્તા માટે બધું કરી શકો છો એટલે કેટલીક ભૂલો તમે જાણી જોઇને કરેલી તે બધું બહાર આવશે તો બધું બહાર આવતું અટકાવવા માટે તમારી જેમ તમારા ફરજંદે પણ જીવન સર્વોચ્ચ પદ ઉપર આવવું અનિવાર્ય છે. નહેરુએ માટે સીન્ડીકેટ બનાવી હતી.

નહેરુ, પચાસના દાયકામાં પ્રચ્છન્ન રીતે રાજકીય રીતે વાલિયો બની ચૂક્યા હતા. જો કે તેમના સાથીઓ હજી વાલિયો બનેલા નહીં. એટલે નહેરુના ક્ષેત્રમાં આવતા પોર્ટફોલીયો (મંત્રીના ખાતાં) અને તેમના ખાસમ ખાસ મંત્રી મેનન સિવાયના બધા મંત્રીઓએ સારું કામ કરેલ. ચીન કરતાં ભારતનો વિકાસ સારો હતો એમ તત્કાલિન આયોજન પંચના પ્રમુખ અશોક મહેતાનું કહેવું હતું.

અનેક ભૂલો છતાં નહેરુ હેમ ખેમ રીતે આજીવન વડાપ્રધાન પદ ઉપર રહી શક્યા હતા. એક કારણ પણ હતું કે તેમનું સ્વાતંત્ર્ય ની ચળવળમાં ઠીક ઠીક યોગદાન હતું. યોગદાનને લીધે તેઓશ્રી પ્રત્યક્ષ રીતે સરમુખત્યાર થવા માટે તેના કોલસા ચાવવાનું પસંદ કરી શકે તેમ હતા.

ઉપરોક્ત પગથીયાં શું વાલિયો લૂંટારો થવા માટે પૂરતાં છે?

ના જી. જનતંત્રમાં પ્રત્યક્ષ રીતેવાલિયોબનવામાં થોડું ખૂટે છે.

છઠ્ઠું પગથીયુઃ પૈસાનો વહીવટ તમે તમારા હસ્તક લઈ લો.

સાતમું પગથીયુઃ માણસ માત્ર ભ્રષ્ટ થવાને પાત્ર છે. સત્યને સમજો. તમારા સાથીઓને પૈસા લૂંટવા દો. તેમની લૂંટની નોંધ રાખો. તેઓ તમારા જુથમાં રહે તે માટે તેમની ભ્રષ્ટતાનો ઉપયોગ કરો. પક્ષના સામાન્ય સ્તરના માણસો પણ ભ્રષ્ટ થઈ શકે તે માટે મોટી બેંકોનું રાષ્ટ્રીય કરણ કરો અને તમારા પક્ષના નાના હોદ્દેદારોની ભલામણથી ગરીબને લોન મળી શકે તેમ કરો. તમારા પક્ષના નાના હોદ્દેદારોમાંના મોટાભાગના પોતાનું  કમીશન રાખશે . તેઓ તમારા થઈને રહેશે અને તેથી તમારું વર્ચસ્વ નીચલા સ્તર સુધી પહોંચી જશે.

આઠમું પગથીયુઃ કોઈ પણ તથા કથિત સારા કામનું શ્રેય તમે અને માત્ર તમે લો. જે કંઈ ખરાબ બને તે માટે બીજા કોઈને બલિનો બકરો બનાવો. વિરોધીઓ તમને જે ખરાબ વિશેષણથી તમારી ટીકા કરવાના હોય તે વિશેષણ, વિરોધીઓ તમારા માટે ઉપયોગ કરે તે પહેલાં તમે તેનો ઉપયોગ વિરોધીઓ માટે કરી દો. “કોઈ તમને કાણો કહે તે પહેલાં તમે તેને કાણો કહી દો”.

નવમું પગથીયુઃ જો સાચા મહાત્મા ગાંધીવાદી લોકો કે સતવાદીઓ હજી જીવતા રહી ગયા હોય અને તેઓ ગરબડ કરતા હોય તો કટોકટી લાદો. દેશ ઉપર કટોકટી લાદો. માનવીય હક્કોનું હનન કરો. અફવાઓ ફેલાવો. અને સમાચાર માધ્યમો ઉપર સંપૂર્ણ અંકૂશ લાદો. જે સામે થાય તેને અને જે પણ કોઈ શંકાસ્પદ લાગતું હોય તેને જેલમાં પૂરો. યાદ રાખો જનતાને આપણે માટે અભણ રાખી છે એટલે અફવાઓ સારું કામ કરશે. જેઓ ભ્રષ્ટ છે તેઓ કાકા કહીને તમનેમદદ કરશે.

 

દશમું પગથીયુઃ દેશ હિતની ચિંતા કર્યા વગર, જેટલી બને તેટલી મિલ્કત વસાવી લો. ખરે સમયે તમને બચાવશે. જરુર પડે કાળા ચોર અને દેશદ્રોહીઓનો પણ સહારો લો. ધારો કે કરે નારાયણઅને તમે , ચૂંટણીમાં હારી જાઓ, ત્યારે પણ જૈસે થેવાદીઓ, વિતંડાવાદ કરવામાં તમારા ભ્રષ્ટ સમાચાર માધ્યમોના ખેરખાંઓ તમને મદદ કરવા આતૂર રહેવાના છે તે સમજી લો. તેઓ અફવાઓ ઓછી પડશે તો કપોળ કલ્પિત પ્રસંગોનું આલેખન કરી મજાક દ્વારા તમારા વિરોધીઓની બદનામી કરતા લેખો લખશે. તેમને માટે ફક્ત શસ્ત્ર બચ્યું હોય છે.

ચેતન ભગત

દા.. ચેતન ભગત કે જેમની ઓળખ આપવા માટે ડીબીભાઈને (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રીને) ચેતન ભગતના નામ નીચે લખવું પડે છે કે અંગ્રેજીના યુવા નવલકથાકાર”. ડીબીભાઈએ ઓળખ આપવી એટલા માટે જરુરી હશે કે ભાઈ કંઈ જેવા તેવા નથી. અંગ્રેજી ભાષામાં લખતા નવલકથાકાર પણ છે.

મને લાગે છે કે ડીબીભાઈએ એવી જોગવાઈ કરી છે કે જો તમારે કોઈપણ લખાણ ઉપર કોમેંટ કરવી હોય તો તમારે અનિવાર્ય રીતે સોસીયલ મીડીયામાં શૅર કરવી પડે.

તથ્ય વગરના લેખોને અને અફવાઓને શૅર કરવા દેશના હિતમાં નથી.     

ચાલો બધું જે હોય તે. ટૂંકમાં વાલ્મિકી ઋષિમાંથી વાલિયા લૂંટારા બની શકે છે.

એટલે કોઈએ વાલિયા લૂંટારા જેવી સંસ્થા મરે તેનો વસવસો કરવો નહીં. “નહેરુવીયન કોંગ્રેસભગતબનવું જરુરી નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ વાલ્મિકી, ઋષિ, વાલિયો, લૂંટારો, નહેરુ, નહેરુવીયન, કોંગ્રેસ, પાપી પેટ, નારદ મૂની, પાપ, શૅર, ફરજંદ, લૂંટનો માલ, સંવિધાન, રામ રામ, વાલિયાભાઈ, ડીબીભાઈ, ચેતન ભગત, કોંગ્રેસ ભગત, રામની જીવન કથા, કટોકટી, ૨૫ જુન, ઉજવણી, વિજય દિવસ, જન્મદિવસ, શિવ સૈનિક, બાલ થાકરે, સામ્યવાદીઓ, મહાત્મા ગાંધી, ગાંધીજી, સંસ્થા, સમાજવાદી જુથ, સરદાર પટેલ, ત્રાગુ, સર્વોચ્ચ હોદ્દો, કામરાજ પ્લાન, અશોક મહેતા

Read Full Post »

કૂતરાઓ કેમ ભસે છે?

આપણે કૂતરાઓનું અપમાન કરવા માગતા નથી. કૂતરાઓ વફાદાર હોય છે. કૂતરાઓ ત્યાગી હોય છે. કૂતરાઓ થેંકફુલ હોય છે. કૂતરાઓ થેંકલેસ હોતા નથી, એટલે કે કૃતઘ્ન હોતા નથી. કૃતઘ્ન એટલે કે કોઇએ તેમના ઉપર ઉપકાર કર્યો હોય તો તે તેને ભૂલી જાય અને સ્વાર્થ માટે તેના ઉપર અપકાર કરે.

નહેરુવીયન કોંગ્રેસને અને તેમના સંસ્કારને આધારે મળતીયાઓને ઘણા લોકો કૂતરાની પ્રજાતિ સાથે સરખાવે છે. ત્યારે આપણે સમજવુ આ સરખામણી કૂતરાના બધા ગુણો માટે લાગુ પડતી નથી. પણ દુર્ગોણો માટે જ લાગુ પડે છે. ઉપમા અને ઉપમેય ફક્ત ઉપમાના તથા કથિત સંદર્ભમાં રહેલા ભાવ પુરતાં જ લાગુ પડે છે.

આર કે ધવન અને ઇન્દિરા ગાંધીનો કૂતરો

આર કે ધવન ઇન્દિરા ગાંધીના રહસ્યમંત્રી હતા. તેઓશ્રીને ઇન્દિરા ગાંધીના નિવાસ સ્થાને  ક્યારેક જવાનું પણ થતું. એટલે ઇન્દિરા ગાંધીનો પાળેલો કુતરો તેમને ભસતો નહીં. આર કે ધવનને કૂતરા ખાસ ગમતા નહીં. એટલે એમણે ઇન્દિરા ગાંધીના કૂતરાને ક્યારેય પંપાળેલો નહીં. એટલે ઇન્દિરા ગાંધીનો કુતરો, આર કે ધવનની પાસે પંપાળવાની અપેક્ષા રાખતો ન હતો અને તેમનો હેવાયો થાય તે પણ સંભવ ન હતું.

એક વખત આર. કે. ધવન, ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને ગયા. તે વખતે ઇન્દિરા ગાંધીના ઘરે ગૃહયુદ્ધ ચાલતું હતું. કોની વચ્ચે આ ગૃહયુદ્ધ ચાલતું હશે તેઓ તમે સમજી જ ગયા હશો. હાજી. મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચે વાગ્‌યુદ્ધ ચાલતું હતું. આર કે ધવન શરુઆતમાં તો આ ઈન્દિરા અને મેનકા વચ્ચે સામ સામે ફેંકાતા વાગ્‍બાણોને શ્રવણ કરતા રહ્યા. તે વખતે ઇન્દિરા ગાંધીનો કુતરો પણ હાજર હતો. આ કુતરો આ વાગ્‌યુદ્ધની ભાષા ન સમજનારો શ્રોતા હતો. ઇન્દિરા ગાંધી બોલે એટલે આ કુતરો ઇન્દિરા ગાંધી સામે પોતાનું ડોકું ફેરવે અને મેનકા ગાંધી બોલે એટલે તે મેનકા ગાંધી તરફ જુએ. આમ તે પોતાના ડોકાને ફેરવ્યા કરે. ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી તો ઘરના સદસ્ય હતા. અને બંને કૂતરા માટે તો આપ્તજન જ હતા. એટલે કુતરો કોઈનો પક્ષ લઈ શકે તેમ ન હતો. તે નિરુપાય થઈને પોતાનું ડોકું જે દિશામાંથી અવાજ આવે તે દિશામાં ફેરવ્યા કરતો. હવે થયું એવું કે મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચેના વાગ્‌યુદ્ધમાં આર. કે. ધવન કંઇક બોલ્યા. કૂતરાને થયું આ માણસ શેનો વચ્ચે બોલે છે એમ વિચારીને કૂતરાએ “હાઉ” કરીને આર કે ધવનને કુલે બચકું ભરી લીધું.

ઇન્દિરા ગાંધીના ઘરમાં કેટલા પાળેલા કૂતરા હતા તે આપણે જાણતા નથી. પણ ઘરની બહાર નહેરુવંશીઓએ અનેક પ્રાણીઓ પાળ્યા છે તે વાત સૌ કોઈ જાણે છે. પણ આપણે કૂતરાઓની જ વાત કરીશું અને તે પણ ભસતા કૂતરાઓની વાત જ કરીશું. હવે આ કૂતરાઓ કરડી શકે તેમ નથી કારણ કે તેમની પાસે કેન્દ્રમાં સત્તા નથી પણ તેઓ ભસી તો શકે જ છે. એટલે તેઓ પ્રસંગોત્પાત્‌ ભસવાનું ચૂકતા નથી.

તમે પૂછશો પણ આ ભસનારા કોણ છે અને ક્યાં છે? 

તમે જાણતા હશો કે એલન ઓક્ટેવીયન હ્યુમ દ્વારા સ્થાપાયેલી કોંગ્રેસ આમ તો મહાનુભાવો માટે વાતોના તાડાકા મારવાની અને બ્રીટીશ સરકાર સાથે ભારતીય પ્રજાની વચ્ચે સંવાદના સેતુ તરીકે કામ કરવાના હેતુ સાથે સ્થપાયેલી ક્લબ જેવી સંસ્થા હતી. સુચારુ રીતે સંવાદ થાય તે માટે મહાત્મા ગાંધીએ કોંગ્રેસના દ્વાર આમજનતા માટે ખોલી નાખ્યા ને તેનું સંગઠન દેશવ્યાપી કર્યું.

આ કોંગ્રેસમાં ઘોડા, ગધેડા, ગાય, આખલા, ભેંસ, કૂતરા, સિંહ, વાઘ, વરુ, શિયાળ, ઉંદર એમ બધા જ હતા.

કાળક્રમે મહાત્મા ગાંધીએ જોયું કે બ્રીટીશ રાજકર્તાઓ દંભી છે અને ઠગ પણ છે. તેમણે દેશને માનસિક રીતે અને ભૌતિક રીતે પાયમાલ કરી દીધો છે. તેમણે વૈવિધ્યતાવાળા દેશને, વૈવિધ્યતાને  આધાર બનાવી જનતાને અનેક જુથોમાં વિભાજિત કરીને એકબીજા સામે બાખડતો કરી દીધો છે. એટલે તેમણે સંપૂર્ણ સ્વાતંત્ર્યની લડત ચલાવી.

ચર્ચા દ્વારા ગળાયેલો શુદ્ધ નિર્ણય

જો કોઈ પ્રજાને જાગૃત કરવી હોય અને તેનું ગૌરવ પાછું અપાવવું  હોય તો માનસિક સુધારાઓ લાવવા પડે. માનસિક જાગૃતિ લાવવી પડે. વૈચારિક અને ભૌતિક સ્વાવલંબન લાવવું પડે. પ્રજ્ઞાવાન બનાવવી પડે. સારા ખોટા વચ્ચેનો  ભેદ સમજાવવો હોય તો તે સમજાવવા માટે જનતા ઉપર દબાણ ન લાવી શકાય. ટૂંકમાં સુધારાઓ લાવવા માટે જે વ્યક્તિઓ પોતાને સુધારાવાદી માનતી હોય તેમણે પરોક્ષ અને પ્રત્યક્ષ હોદ્દાઓ સ્વિકારવા ન જોઇએ.

જો તમે કોઈને સલાહ આપવા માગતા હો તો તે સલાહનો અમલ તમારાથી કરવો જોઇએ. એટલે ગાંધીજીએ પોતે ૧૯૩૩થી પોતાના બધા જ હોદ્દાઓનો ત્યાગ કર્યો. તે એટલે સુધી કે તેઓશ્રી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર થયા. જોકે તેમણે કોંગ્રેસને સલાહ આપવાનું અને ચર્ચા કરવાનું, એક સામાન્ય નાગરિકની રુએ ચાલુ રાખ્યું જેથી તેમની સલાહ ઉપર દબાણ વગરની વ્યાપક ચર્ચા થાય અને જે નિર્ણય નીપજે તે વ્યાપક ચર્ચાની ગળણી દ્વારા ગળાયેલો શુદ્ધ હોય.

ગાંધીજીએ, સરકારની સાથે જનતા માટે પરસ્પર ચર્ચાના,  સરકારની સામે અહિંસક આંદોલનના, સત્યાગ્રહના અને સવિનય કાનૂન ભંગના નિયમો બનાવેલા જેથી સરકારનો અને જનતાનો પણ વૈચારિક વિકાસ થાય.

કાળક્રમે જનતાના આંદોલન દ્વારા ભારતને સ્વતંત્રતા મળી. પણ આ સ્વતંત્રતાના અંતિમ આંદોલન દરમ્યાન ગાંધીજીને અનુભૂતિ થઈ કે કોંગ્રેસના હોદ્દેદારોમાં અનેક જાતના પ્રાણીઓ છે અને સૌનો એજન્ડા ભીન્ન ભીન્ન છે. જો સમાજમાં પ્રગતિશીલ સુધારા લાવવા હોય તો સુજ્ઞ નેતાઓ મનમાની કરે એવા છે અને પોતાના હોદ્દાઓનો દુરુપયોગ કરે એવા છે. “વૈચારિક રીતે ધનિક હોય”, તેવા  નેતાઓ જ સાધન શુદ્ધિ દ્વારા સામાજીક પરિવર્તન લાવી શકશે. શું આ બધી અદ્ધર અદ્ધર વાતો છે? ના જી. આ બધી અદ્ધર અદ્ધર વાતો નથી.

૧૯૪૭માં કોંગ્રેસનું અસ્તિત્વ ફક્ત વિભાજીત ભારતમાં જ હતું એમ ન હતું પાકિસ્તાન હસ્તક પ્રદેશમાં પણ કોંગ્રેસનું અસ્તિત્ત્વ હતું. ગાંધીજીએ  હિંસાની વ્યાપકતાના આધારે જોયું કે ભાગલા અનિવાર્ય છે મુસ્લિમ લીગ પાસે તો આશા રખાય એમ નથી પણ કોંગ્રેસી નેતાઓ જો પાકિસ્તાની પ્રદેશોમાં કોંગ્રેસને જીવતી રાખશે તો ભવિષ્યમાં જનતાને ભારતના ભાગલાની નિરર્થકતા સમજાવી શકાશે. એટલે જ્યારે પાકિસ્તાનમાંથી કોંગ્રેસી નેતાઓ ભાગીને ભારતમાં આવી ગયા. ગાંધીજીએ તેમને અતિ કડક શબ્દોમાં ઠપકો આપ્યો. આ શબ્દોનો તત્કાલિન કોંગ્રેસ વિરોધી વ્યક્તિઓએ અને નેતાઓએ જાણે કે આ શબ્દો પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતઓને કહ્યા હતા તેવો પ્રચાર કર્યો અને આજે પણ અમુક લોકો મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત છે.  મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત લોકો “ગૉન કેસ” છે. તેની ચર્ચા અહીં આવશ્યક નથી.

હોદ્દા પ્રાપ્ત કરવા માટે ભલામણનું દબાણ

ગાંઘીજીએ જોયું કે સ્વતંત્ર ભારતની કોંગ્રેસી સરકારમાં સામેલ થવા માટે ઘણા નેતાઓ ગાંધીજી પાસે સરકાર ઉપર દબાણ લાવવાની ભલામણ કરતા હતા.

આ બધું જોઈ અનુભવી ગાંધીજીએ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે “જનતા તમને વીણી વીણીને મારશે”.

સ્વતંત્રતા મેળવ્યા પછી કોંગ્રેસે ભલે પોતાનું નામ ન બદલ્યું પણ આ ટોળાનું નામ આપણે નહેરુવીયન કોંગ્રેસ આપીશું. કારણ કે નહેરુએ સ્વતંત્રતા મેળવ્યા પછી તેનું ધ્યેય, સિદ્ધાંત અને આચાર બદલી નાખ્યા છે. પક્ષ તેના ધર્મથી ઓળખાય અને ધર્મ તેના આચારથી ઓળખાય છે.

નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો જનતાને ઉઠાં ભણાવે છે.

 કોંગ્રેસમાં અને કોંગ્રેસ બહાર રહેલા કોંગ્રેસના સંસ્કારના સમર્થકો જનતાને કેવીરીતે ઉઠાં ભણાવે છે તેની આપણે ચર્ચા કરીશું.

આપણા એક કટારીયા ભાઈએ “અમિત શાહે કોંગ્રેસને વિખેરી નાખવાની વાત ગાંધીજીએ કરી હતી” તે ઉપર પ્રશ્ન ચિન્હ લગાવ્યું છે. હાજી. તેઓશ્રી એ ગાંધીજીના ઉચ્ચારણોનો સંદર્ભ વગર ઉપયોગ કરી મગજની કસરત કરી છે. [રેફરન્સ “ડી.બી.”ભાઈનું (દિવ્યભાસ્કરભાઈ) અંક તારીખ ૧૪ જુન ૨૦૧૭, કટારીયા ભાઈ ડૉ. હરિ દેસાઈ].

ગાંધીજી એમ માનતા હતા કે કોંગ્રેસનું કામ સામાજિક પરિવર્તનનું છે અને તે પણ મુક્ત સંવાદ દ્વારા. એટલે કે નેતાઓએ જનતા વચ્ચે જઈને સામાજીક સુધારાની વાતો કરવી જોઇએ. સત્તાના હોદ્દેદારો મુક્ત સમાજીક પરિવર્તન ન કરી શકે. આપદ્‌ધર્મ તરીકે ભલે કોંગ્રેસે સ્વાતંત્ર્યનું આંદોલન કર્યું. પણ હવે કોંગ્રેસના નેતાઓએ સામાજીક પરિવર્તનમાં લાગી જવું જોઇએ. એટલે કે કોંગ્રેસને હવે વિખેરી નાખો.

“સર્વ સેવા સંઘ”ને તમે કોઈ પણ નામ આપો. કોંગ્રેસે હવે સેવા સંઘ તરીકે કામ કરવું જોઇએ. રાજકીય પક્ષ તરીકે હવે કોંગ્રેસે હવે કામ કરવાની જરુર નથી. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જો ગાંધીજીએ કોંગ્રેસને જીવતી રાખવાની વાત કરી હોય તો તે આ અર્થમાં કરી હતી.

ગાંધીજીના છેલ્લા ત્રણ મહિનાની રોજેરોજના અક્ષરસઃ બોલાયેલા શબ્દોની રોજનિશી ઉપલબ્ધ છે. તેમાં કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે જીવતી રાખવાની કોઈ વાત નથી.

બીજેપી ઉપર તૂટી પડો.

બીજેપીના પક્ષ પ્રમુખ શ્રી અમિત શાહે વાત કરી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.”

હવે આપણે આ કટારીયાભાઈના શબ્દ પ્રયોગો જોઇએ.

“કોંગ્રેસી ગોત્ર સામે ભાજપી આક્રોશ” આ લેખનું શિર્ષક કે શિર્ષ રેખા છે.

આ શિર્ષ રેખા કોણ નક્કી કરે છે? કટારીયા ભાઈ કે બીજું કોઈક તે આપણે જાણતા નથી. પણ એવું લાગે છે કોઈએ કહેવું જોઇએ કે “સહી શબ્દોંકા પ્રયોગ કરેં”. “આક્રોશ કરનારા” આમ તો હતાશ કે લાચાર માણસો હોય છે. અહીં બીજેપી માટે આ શબ્દ બંધબેસતો નથી. વાસ્તવમાં બીજેપીએ કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) ક્ષીણ કરી છે અને કોંગ્રેસ વધુને વધુ ક્ષીણ થતી જાય છે. એટલે નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો આક્રમક થયા છે. તેથી તેમના ઉચ્ચારણોમાં શબ્દ અને અર્થનો મેળ પડતો નથી. ચાલો આ વાત જવા દો.

બીજેપીના પ્રમુખે શબ્દ પ્રયોગ કર્યો કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” જો કે જ્યારે આપણા કટારીયા ભાઈ, હરિભાઈ દેસાઈનો લેખ પ્રગટ થયો ન હતો ત્યારે ઘણા લોકોને (મારા સહિત) સમાચાર માધ્યમો દ્વારા ખબર જ પડી ન હતી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” એવા શબ્દ પ્રયોગમાં સમાચાર માધ્યમોને વાંધો પડ્યો છે.

અમિતભાઈ શાહે શું એવું તે શું કહી નાખ્યું કે જાણે ધરતીકંપ થયો. ગાંધીજી ચતુર હતા તેમાં તો વાંધો ન જ પડે. ગાંધીજી ચતુર વાણિયા હતા એવું કહેવામાં પણ વાંધો તો ન જ પડવો જોઇએ કારણ કે ગાંધીજી પોતે જ પોતાને, ઘણીવાર વાણિયા તરીકે ઓળખાવતા હતા જેમ નરેન્દ્ર મોદી પોતાને ક્યારેક ક્યારેક ગુજરાતી તરીકે ઓળખાણ આપે છે. જો પાટીદારો સરદાર પટેલને કે જેમણે ભારતની એકતા માટે જીવન ખર્ચી નાખ્યું તે સરદાર પટેલને સરદાર પાટીદાર તરીકે ઓળખાવવા માગતા હોય તેમાં સમાચાર માધ્યમો વાંધો પાડતા નથી તો ગાંધીજી ચતુર હોય અથવા વાણિયા હોય અથવા બંને હોય તેમાં શા માટે વાંધો પાડવો જોઇએ?

અમિત શાહે ગાંધીજી માટે ઉપરોક્ત ઉચારણ કર્યું તેનો બીજો હિસ્સો છૂપાવીને સમાચાર માધ્યમોએ, ઘણી કાગારોળ મચાવી દીધી હતી. સમાચાર માધ્યમોએ અમિત શાહને માટે મન ફાવે તે રીતે બુરાઈ કરી.

કેટલાક ટીવી ચેનલ વાળા તો અમિત શાહના ઉચ્ચારણને અધ્યાહાર રાખીને જ બદબોઈ કરતા હતા. “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.” ગઈ કાલે જ આ આખું ઉચ્ચારણ મારા જેવાને જાણવા મળ્યું. ચાલો જાવા દઈએ એ વાત. આપણા કટારીયાભાઈએ શું લખ્યું છે?

તમારે જે કંઈ કહેવું છે તે સત્ય છે તેમ સિદ્ધ કરવાના ઘણા રસ્તાઓ છે.

એક તો છે કાન્તિભાઈ ભટ્ટનો રસ્તો.

જો તમારે એમ કહેવું છે કે દા.ત. નરેન્દ્ર મોદીમાં “ફલાણો ગુણ નથી …” તો તમે એમ કરો કે કેટલીક એવી વ્યક્તિઓના નામ સાથે વર્ણન કરો કે જેમની પાસે તમારા માનવા પ્રમાણે તે ગુણ હોય. આ વર્ણનને અંતે તમે આપોઆપ એવા નિષ્કર્ષ ઉપર આવી જાઓ અને કહો કે નરેન્દ્ર મોદીમાં આવા ગુણો ક્યાં છે? આવા પ્રકારના તર્કની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. જો કે કાન્તિભાઈ પ્રત્યે મને માન છે પણ જ્યારે જે વાતમાં તેમનો બીજેપી-ફોબિયા પ્રકટ થાય છે ત્યારે ન્યાય ખાતર કડવું બોલવું પડે છે.

બીજો રસ્તો

વ્યક્તિ કે વ્યક્તિ સમુહની ટીકા કરવાની બીજી રીત એ છે કે તમે વ્યક્તિનું કે સમુહનું નામ લીધા વગર બદબોઈયુક્ત ઘણું બધું લખી નાખો. જેમકે;

“આ વામણાઓનો યુગ છે… તેની અનુભૂતિ છાસવારે થઈ રહી છે. નિતનવી ઘોષણાઓ … , પ્રજાને આંજવી … , ધર્મના અફિણના ઘૂંટડા પીવડાવવા … , ખુલ્લે આમ ગાંધીજીની ઠેકડી ઉડાડવી … , પ્રજાને ગેર માર્ગે દોરવા અધ્યાયો ચલાવવા …. “ તમારે તો ફક્ત બદબોઈ જ કરવાની છે અને તે પણ વ્યક્તિનું કે વ્યક્તિ સમુહનું નામ લીધા વગર બદબોઈ કરવાની છે એટલે તમે બેફામ રીતે જે શબ્દ પ્રયોગ હાથ વગો થયો તેનો ઉપયોગ કરી નાખો.

તે પછી વ્યક્તિની તમે બદબોઈ કરવાનું ધ્યેય રાખો છો તેનું એકાદ અર્ધુપર્ધું વાક્ય ઉદ્‍ધૃત કરી દો. અને પછી વ્યક્તિને તેની સાથે જોડી દો. વિરોધાભાસ દેખાડવા માટે કોંગ્રેસના સ્વાતંત્ર્ય પહેલાંની પ્રોફાઈલને વર્ણવી દો. એટલે કે હાલના બીજેપીના નેતાનું હાલનું ઉચ્ચારણ અને કોંગ્રેસીઓની (૭૦ વર્ષ પહેલાંની પ્રોફાઈલ) ને સાંકળો. સાધ્યમ્‌ ઇતિ સિદ્ધમ્‌.

જનતા તો બેવકુફ છે તે તમારી આ રમત સમજી શકતી નથી કે કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસને સ્નાનસૂતકનો પણ સંબંધ પણ નથી. ૨૫મી જુને (નહેરુવીયન કોંગ્રેસ દ્વારા લોકશાહીના ખૂનના  વાર્ષિક દિવસે) આપણે આ ભેદને વધુ એકવાર સમજીશું.

આપણે અમિત શાહની બદબોઈ કરવી છે. આટલી વાત થી અમિતભાઈના ઉચ્ચારણ . “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી. કોંગ્રેસને વિચારધારા જ ન હતી.” ને વગોવીને અમિત શાહને વગોવીશું તો તે પુરતું નથી.

તો શું કરીશું?

અમિતભાઈની આસપાસના લોકોને પકડો. કોંગ્રેસને વિચારધારા જ ન હતી તેની ઉપર શૈક્ષણિક ચર્ચા કરવા જઈશું તો જનતાને ઉઠાં ભણાવવાની આપણી દાળ ગળશે નહીં. તેથી તેને તો સ્પર્ષ જ ન કરવો.

આર.એસ.એસને પકડો. તેના કેટલાક નેતાઓના સંવાદોને પકડો. અગડંબગડં લખો અને રાષ્ટ્રકારણ અને રાજકારણ એવા શબ્દ પ્રયોગો કરો. મહાત્મા ગાંધીએ આર એસ એસ માટે વાપરેલા શબ્દોને ફક્ત ઉદ્‌ધ્રુત જ કરો. તેની શૈક્ષણિક ચર્ચા ન કરો. કારણ કે તે અઘરું પડશે અને નાહકના “લેનેકા દેના પડ જાયેગા ..”.

જો કે આ બધું વ્યર્થ છે. કોંગ્રેસના જે નેતાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું તે બધા ક્યારનાય ઈશ્વરને પ્યારા થઈ ગયા છે. જેઓ જીવ્યા તેમાંના મોટાભાગનાઓએ ડબલ વસુલી લીધું. તેમના ફરજંદો ખાસ કરીને નહેરુવીયન ફરજંદોએ બીજા તેમના જેવા હજારો ફરજંદો ઉભાકરી ઉઘાડે છોગ લૂંટ જ કરી છે.

જે આર.એસ.એસ. ના લોકોએ કહેવાતી હિંસા આચરી તેઓ પણ ઉપર પહોંચી ગયા. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે ફક્ત હિન્દુઓ સંત થઈને રહે તે વાત ત્યારે પણ શક્ય ન હતી અને આજે પણ ૬૦વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસનના નિષ્કર્ષને અંતે પણ શક્ય બની નથી. નિંદા કરવી જ હોય તો બંને કત્લેઆમની પ્રમાણ પ્રમાણે નિંદા કરવી જોઇએ. એક તરફી નિંદા વ્યંઢ જ હોય છે.

વિચારધારાની બાબતમાં આપણા કટારીયા ભાઈ, કોંગ્રેસના સ્થાપક સભ્યોથી શરુ કરી ૧૯૪૭ સુધીનાના નામોની યાદી આપે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે “શું આ લોકોને વિચારધારા ન હતી?”

અરે ભાઈ તમને એકવાર તો કહ્યું કે ૧૯૪૭ પહેલાંની કોંગ્રેસમાં ઘોડા, ગધેડાં, ગાયો …. શિયાળ, વરુ … બધા જ પ્રાણીઓ હતા તે વાત મહાત્મા ગાંધીએ પોતાના શબ્દોમાં કહી જ હતી. પણ ૧૯૪૭ પછીનો અને ખાસ કરીને નહેરુ સર્વેસર્વા થયા પછીનો નહેરુનો, નહેરુવીયનોનો અને નહેરુવીયન કોંગ્રેસનો વર્કચાર્ટ જુઓ. આ વર્કચાર્ટની આગાહી મહાત્મા ગાંધી કરી શકતા હતા. એટલે જ તેમણે કહેલ કે “હે કોંગ્રેસીઓ …. તમને ભવિષ્યમાં જનતા વીણી વીણીને મારશે …”

કટારીયા ભાઈ પોતાને તટસ્થ માને છે એટલે તેમણે થોડા “ગોદા” (નહેરુવીયન) કોંગ્રેસને પણ મારી દીધા છે. “યાર … તટસ્થતા ભી કોઈ ચીજ઼ હૈ”

કોણ રાજકારણી અને કોણ રાષ્ટ્રકારણી?

સૌથી સહેલો જવાબ એ છે કે જે રાજકારણમાં છે પણ હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખતો નથી પણ હોદ્દાને ફરજના ભાગરુપે સ્વિકારે છે તે રાષ્ટ્રવાદી. રાજા જનક, રાજા રામ …

જે હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખે છે અને હોદ્દો ભોગવે છે તે રાજકારણી. રાવણ, દુર્યોધન,

વર્તમાનના દાખલા જોઇએ છે?

મોરારજી દેસાઈ રાષ્ટ્રવાદી.

ઈન્દિરા ગાંધી રાજકારણી.

જો કે જ્યાં સુધી બુરાઈઓની વાત છે તો નહેરુવીયન કોંગ્રેસે તો “બાણોચ્છિષ્ઠં જગત સર્વં” જેવું કર્યું છે એટલે કે દુરાચારોના પ્રમાણની બાબતમાં નહેરુવીયન કોંગ્રેસને કોઈ પહોંચી ન શકે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

રામ મંદિર અને મર્ધન્યોનો વિતંડાવાદ કે તટસ્થાની ધૂન

ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી બન્યા એટલે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને એક નહીં અનેક મુદ્દા મળી ગયા પણ સાથે સાથે દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓ જેવા કટારીયા મૂર્ધન્યોને પણ ખોરાક મળી ગયો. તટસ્થની ધૂન જેમના ઉપર સવાર છે તેમણે પોતાનું મોઢું મચકોડ્યું.

ram temple and adityanath

રાજકારણ અને ઇતિહાસ કે ધર્મ

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની માનસિકતાને સમજી શકાય છે. તેમની માન્યતા પ્રમાણે તો હિન્દુ નેતાઓના સારા કામને વખાણવું કે હિન્દુઓ સંકળાયેલા હોય તેવા તથ્યને પણ સ્વિકારવા એ ધર્મનિરપેક્ષતાનું ખૂન છે.

લઘુમતિઓની તર્કહીન તરફદારી કરવી તેને ધર્મનિરપેક્ષતા જ માનવામાં આવે છે. “હિન્દુઓ કરતાં મુસ્લિમોનો ભારત પર વધુ હક્ક છે કારણ કે મુસ્લિમો મરીને ભારતની ભૂમિમાં દટાઈને ભળી જાય છે” આવી મતલબનું જેમને નિપુણ અર્થશાસ્ત્રી તરીકે ખપાવવામાં આવે છે, એવા આપણા માજી પ્રધાનમંત્રી મનમોહન સિંઘે વડાપ્રધાન પદ ઉપર રહીને કહેલું. પણ આમાં કશું નવું નથી. “આ તો ધર્મનિરપેક્ષતાની આપણી વ્યાખ્યાને અનુરુપ છે. આ નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે”.

ઓગણીશોપચાસના દશકામાં નહેરુએ કહેલું કે “જો મહારાષ્ટ્રને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ”. અત્રે એક યાદ રાખવા જેવી વાત એ  છે કે ગુજરાતીઓએ કદી મુંબઈની માગણી કરી જ ન હતી. કોંગ્રેસની  કેન્દ્રીય કરોબારીનો જ નિર્ણય હતો કે મુંબઈને એક કેન્દ્રીય રાજ્ય ગણવું.  આ વાતની વિગતવાર ચર્ચા અસ્થાને છે પણ નહેરુવીયન કોંગ્રેસના આવા સંસ્કાર રહ્યા છે કે ખાસ કરીને હિન્દુઓમાં ભાષા, જ્ઞાતિ અને વિસ્તાર (રીજીઅન)ના આધારે ભાગલા પડાવવા.

આ જ બ્લોગ સાઈટ ઉપર એક બ્લોગ શ્રેણી છે જેનું નામ છે “ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?” તેમાં રામ, ઇતિહાસ, જનતંત્ર અને રામના મંદિર વિષે વિસ્તૃત ચર્ચા કરી છે. જેમને તથ્યો જાણવામાં રસ હોય તેઓ અચૂક વાંચે.

કહેવાતી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિર બાંધવું એ હિન્દુઓની ઈચ્છા અને માગણી છે. અને સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો માન્ય  રાખવો એ મૌલવીઓની અને મુસ્લિમ નેતાઓની માન્યતા છે.

સ્વાભાવિક રીતે જ ઇતિહાસના ખોળાં ખંખોળા થાય.

ઐતિહાસિક રીતે આખી ભારતભૂમિ હિન્દુઓની હતી

ઉચ્ચ ન્યાયાલયે કહેવાતી રામજન્મ ભૂમિ ઉપર સ્થિત, તોડેલી મસ્જીદની જગ્યાએ ખોદકામ કરાવ્યું.

તૂટેલી મસ્જીદની નીચેથી બે સ્તરો નિકળ્યાં (કે કદાચ વધુ પણ નિકળ્યાં હોય) અને તે હિન્દુ દેવતાઓના (શિવના) મંદિર હતાં. એટલે ઐતિહાસિક રીતે તો આ ભૂમિ હિન્દુઓની હતી. પણ એમ તો આખા ભારતવર્ષની ભૂમિ હિન્દુઓની હતી. એટલે કોનો હક્ક એ સંશોધનનો, કાયદાનો અને કાયદાના અર્થઘટનનો વિષય બને છે.

૧૯૪૯-૫૦ના અરસામાં ઉપરોક્ત મસ્જીદ જે બાબરી મસ્જીદ તરીકે ઓળખાય છે તેના તાળાં તોડાયાં તો તેમાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્ત્તિઓ સ્થાપિત હતી. એટલે હિન્દુઓને ત્યાં પૂજા અર્ચનાની છૂટ આપવામાં આવી. પણ હિન્દુઓને તો ત્યાં રામનું મોટું મંદિર બાંધવું હતું, કારણ કે અયોધ્યા એ રામની જન્મભૂમિ ખરી પણ રામનું એક પણ મંદિર નથી. અને નજીકના ભૂતકાળના ઐતિહાસિક દસ્તાવેજોના આધારે અને હાલ પણ, તે જગ્યાને “રામજન્મ ભૂમિ” માનવામાં આવે છે.

વાત એમ છે કે;

એક જગ્યા છે.

તેના ઉપર કબજો હિન્દુઓનો છે.

પણ આ જગ્યા ઉપર મસ્જીદ છે.

આ મસ્જીદની અંદર રામની મૂર્ત્તિ છે.

આની બાજુની ભૂમિ ઉપર મુસ્લિમોનો કબજો છે.

હિન્દુઓએ પોતાના કબજાની ભૂમિ ઉપરની મસ્જીદને તોડી,

મુસ્લિમોએ આનો વાંધો લીધો, મસ્જીદ તો અમારી સંસ્કૃતિ છે. ભલે કબજો તમારો હોય અને ભલે તેમાં નમાજ પઢવાનું અમારા ધર્મની વિરુદ્ધ હોય (વિવાદાસ્પદ  ભૂમિ ઉપર મસ્જીદ બાંધી ન શકાય અને બાંધી હોય તો ત્યાં નમાજ પઢી ન શકાય). પણ જો તમે તે મસ્જીદને તોડો તો અમારી લાગણી ઘવાય.

આ ઘવાયેલી લાગણીના પ્રત્યાઘાત રુપે સેંકડો મસ્જીદો પાકિસ્તાનમાં, કાશ્મિરમાં અને બંગલાદેશમાં તોડવામાં આવી. પણ આને સરવાળા બાદબાકીમાં લેવાની નહીં. રામનું મંદિર પણ બાંધવા દેવાનું નહીં. મસ્જીદ એ જ જગ્યાએ ફરીથી બાંધો અને અમને કબજો આપો. તેની બાજુની ભૂમિ ઉપર અમારો કબજો કાયમ રાખો.

“મેરી ચૂપ, લેકિન તુમ ચૂપ ક્યોં”

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સંસ્કૃતિક સાથીઓ હમેશા એ વાત કહેતા આવ્યા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બીજેપીને રામ મંદિર યાદ આવે છે. એ સિવાયના સમયમાં બીજેપી રામમંદિરના મુદ્દાને અભરાઈ ઉપર મુકી દે છે. બીજેપી તો ધર્મને હથિયાર બનાવે છે. અને જુઓ, ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી બીજેપી સત્તામાં હતી તો પણ તેણે રામમંદિરનો મુદ્દો ઉકેલ્યો નહીં. વાસ્તવમાં બીજેપી રામમંદિરના મુદ્દાને ઉકેલવામાં માનતી જ નથી. બીજેપી રામ મંદિરના મુદ્દાને વણ ઉકલ્યો જ રાખવા માગે છે જેથી તે જ મુદ્દા ઉપર તે હિન્દુઓના મત મેળવી શકે.

જો કે નહેરુવીયન કોંગ્રેસ  અંદર ખાને એવો પ્રચાર પણ કરે છે કે જુઓ “રામ મંદિર”ની બાબતમાં કંઈપણ પ્રગતિ થઈ હોય તો તે કોંગ્રેસના શાસન દરમ્યાન જ થઈ છે. એટલે કે અમે કોંગ્રેસે જ  હિન્દુઓનું હિત જાળવ્યુ છે. ૧૯૪૯-૫૦માં નહેરુ પ્રધાનમંત્રી હતા અને બાબરી મસ્જીદના તાળા ખૂલ્યાં હતા. ૧૯૯૩માં બાબરી મસ્જીદ તૂટી ત્યારે પણ અમારા નરસિંહ રાવ જ પ્રધાન મંત્રી હતા. એટલે અમારો મેસેજ તો સ્પષ્ટ છે ફક્ત તમારે અમારા બે કથનોની વચ્ચે ન બોલાયેલું સાંભળવાનું છે.

આમ તો નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે કે “જમવામાં જગલો (નહેરુવીયન કોંગ્રેસ) અને કૂટાવામાં ભગલો (વિરોધીઓ)”. “દેશના બધાં જ સારા સારા કામની ક્રેડિટ યેન કેન પ્રકારેણ, ઇન્દિરાને જ, આપવી એવી કોંગીજનોમાં રહેલી માનસિકતાની મજાકના રુપે  એક જોક પ્રચલિત થયેલી કે “ઇન્દિરા ગાંધીએ જ દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું”. પણ આ જોક થોડી બિભત્સ છે એટલે અહીં અસ્થાને છે.

શું નહેરુવીયન કોંગ્રેસ તેના કુલા ખંખેરી શકે?

જનતાની સમસ્યાઓ ઉકેલવી શાસકનું કામ છે. કોઈ એક સમસ્યાને કારણે જનતા વિભાજિત થઈ જાય અને બંને વચ્ચે વૈમનસ્ય વધતું જાય  તો, શાસકનું કર્તવ્ય છે કે તે સમસ્યાનો ઉકેલ લાવે. સમસ્યા ન્યાયાલયને આધિન હોય તો તેનો અર્થ એવો તો થતો જ નથી તે સમસ્યા ન્યાયાલયની બહાર ન ઉકેલી શકાય.

નહેરુવીયન કોંગ્રેસ પોતાને ધર્મ નિરપેક્ષ અને પોતાને પ્રચ્છન્ન રીતે લઘુમતિઓના ખાવિંદ માને છે.  તો તેનો અર્થ એમ થયો કે મુસ્લિમો સાથે તે વાણીવ્યવહાર અને  ગોષ્ટિ  કરી શકવાને સક્ષમ છે. વળી તે પોતાને હિન્દુઓની દુશ્મન તો માનતી નથી. જો નહેરુવીયન કોંગ્રેસ પોતાને દેશપ્રેમી અને ભારતની હિતૈષી માનતી હોય તો તેણે ભારતીય જનતાના બે જુથોને ભેગા લાવવાના પ્રયત્નો કરવા જોઇએ. પણ નહેરુવીયન કોંગ્રેસે આવા કોઈ પ્રયત્નો કર્યા નથી. તેણે તો આ બે જુથો વચ્ચેની ખીણ કેમ પહોળી અને ઉંડી થાય તેના જ પ્રયત્નો કર્યા છે. આ બાબતમાં એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટીકરણને લગતાં જ પગલાં લીધાં છે.  જો એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમો ઉપર ઘણા ઉપકાર  કર્યા છે. આ ઉપકારો જણાવવાની જનુરુર નથી.

તો શું નહેરુવીયન કોંગ્રેસ મુસ્લિમોને કૃતઘ્ન માને છે?

નહેરુવીયન કોંગ્રેસે દેશ ઉપર દશકાઓ સુધી એક ચક્રી શાસન કર્યું. તેનું કર્તવ્ય હતું કે તે મુસ્લિમોને કૃતઘ્ન ન માને (એટલે કે તેમને થેંકલેસ ન માને), અને પોતાની ગુડવીલનો (સદભાવનાનો) ઉપયોગ દેશના હિત માટે કરે. પણ નહેરુવીયન કોંગ્રેસે તો પોતાના કુલા જ ખંખેરી નાખ્યા. જાણે કે દેશનું હિત જળવાય તેમાં પોતાની તો કોઈ જવાબદારી જ નથી.

દેશને લૂટી લેનાર પક્ષ પોતાની જવાબદારી ન સમજે તે સમજી શકાય છે. પણ દેશના મૂર્ધન્યોએ આ વાત નહેરુવીયન કોંગ્રેસના ધ્યાન ઉપર લાવવાની જવાબદારી અદા કરવી જોઇએ. પણ તમે જુઓ છો કે દેશના મૂર્ધન્યો અને કટારીયાઓ આ રામમંદિરના  મુદ્દા ઉપર નહેરુવીયન કોંગ્રેસના ખોળે બેસી જાય છે.

વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસની રામમંદિરના મુદ્દાના ઉકેલના વિષયમાં જવાબદારી ઘણી મોટી છે.

બીજેપી પક્ષને તો આ નહેરુવીયન કોંગ્રેસીઓએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ પોતાના વાજીંત્રો દ્વારા ઠીક ઠીક અળગો કરી દીધો છે. એટલે બીજેપીના નેતાઓ મુસ્લિમો સાથે સમાધાન ન કરી શકે તે સમજી શકાય તેમ છે. તેથી બીજેપીના નેતાઓ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની રાહ જુએ તે સ્વાભાવિક છે. પણ ઇન્દિરાઈ કલ્ચર એવું છે કે “કોઈ આપણને કાણો કહે તે પહેલાં આપણે તેને કાણો કહી દેવો”.

હવે નહેરુવીયન કોંગ્રેસ ઉપર સંકટ આવ્યું છે

આમ તેના બીજા સાથીઓ ઉપર પણ સંકટ આવ્યું છે. પણ નહેરુવીયન કોંગ્રેસે છ દશકા દેશ ઉપર શાસન કર્યું છે તેથી તેના ઉપર સંકટનો ભાર વધુ છે.

આદિત્યનાથ યોગી સ્થાનિક મુસ્લિમોમાં પણ પ્રિય છે અને એક શાસક તરીકે ધાર્મિક ભેદભાવ રાખે છે તેવું કશું કશું કર્યું નથી કે કરવાના પણ નથી. તેથી તેમના કર્મોદ્વારા તે કોમવાદી છે તે સિધ્ધ થવાની શક્યતા નથી.

નહેરુવીયન કોંગ્રેસ, તેના ફરેબી ધર્મનિરપેક્ષતાવાળા અને કેટલાક તટસ્થતાની ધૂનમાં ગ્રસ્ત કે અજાણતા પથભ્રષ્ટ થયેલા કટારીયા લોકો વાણીવિલાસ કર્યા કરશે. પણ આ લોકોને ડર છે કે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં રામમંદિરનો મુદ્દો ઉકલી જશે તો પોતાનું તો નામું નંખાઈ જશે. ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તો “ખટીયા ખડી હો જાયેગી”.

મૂર્ધન્યો કઈ વાતમાં થાપ ખાઈ જાય છે?

રામ એ ઐતિહાસિક છે કે ધાર્મિક?

“રામ” એ એક હિન્દુધર્મ (રીલીજીનીયન) સાથે સંકળાયેલું પાત્ર છે. તે ઐતિહાસિક પાત્ર  નથી.

નહેરુવીયન કોંગ્રેસની સરકારે આ વાત ન્યાયાલય સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક કરેલી. નહેરુવીયન કોંગ્રેસની પ્રતિજ્ઞાઓ, ભારતના ઐતિહાસિક દસ્તાવેજોના આધારને લક્ષ્યમાં લેતાં ફરેબી હોઈ શકે છે. પણ ન્યાયાલય તેના બધાં જ પ્રતિજ્ઞાપૂર્વક કહેલા કથનોને જુઠા ન માની શકે. જો કે એ સંશોધનનો વિષય છે કે એ જ કોંગ્રેસ પક્ષ પોતે શપથ પૂર્વક કહેલા કથનને શપથપૂર્વક ઉલ્ટાવી, શપથ પૂર્વક તેનાથી ઉંધું જ કથન કરી શકે છે અને ન્યાયાલય તેને કેમ  દંડિત કરતું નથી?

નહેરુવીયન કોંગ્રેસને અને તેના સાંસ્કૃતિક પક્ષોને બાદ કરો તો પણ રામને “ફક્ત અને ફક્ત ધાર્મિક પાત્ર” માનનારા મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો છે જ પણ અગણિત હિન્દુઓ પણ છે. કારણ કે હિન્દુઓ તે જ ઇતિહાસ ભણે છે જે ઇતિહાસ પાશ્ચાત્ય ઇતિહાસકારોએ લખેલો છે. આ ઇતિહાસને ભારતના શિક્ષણશાસ્ત્રીઓએ સ્વિકારી લીધો છે. ભારતમાં તે જ ઇતિહાસ ભણાવવામાં આવે છે. રામાયણની અનેક રચનાઓ છે. તેમાં ચમત્કારો આવે છે. ચમત્કાર શક્ય નથી તેથી રામ ઐતિહાસિક પાત્ર નથી. આજ ભણેશરીઓ જીસસ અને મોહમ્મદ સાહેબને ઐતિહાસિક પાત્ર માને છે જો કે ચમત્કારો તો બાયબલ અને કુરાન બંનેમાં આવે છે.

ભારત એક એવો દેશ છે કે જે વિદેશીઓએ લખેલા ઇતિહાસને જ ઇતિહાસ માને છે. તે પણ ખાસ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસને વધુ લાગુ પડે છે. કારણ કે તે ગૌરવશાળી છે. ભારત ગૌરવ શાળી હોઈ જ ન શકે. ગૌરવશાળી ફક્ત વિકસિત પશ્ચિમના લોકો જ હોઈ શકે. મુસ્લિમોએ ભારતને સુસંસ્કૃત કર્યો અને અંગ્રેજોએ ભારતને એકજુટ કર્યો. બાકી ભારતના લોકો તો અંદર અંદર લડવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા? ભારતના સુજ્ઞ જનોએ રાજીવ મલહોત્રા અને તેમના જેવા ઘણા લોકોએ લખેલા પુસ્તકોને કશો સંકોચ રાખ્યા વગર વાંચવા જોઇએ. આ વિદ્વાનોએ પાશ્ચાત્ય માનસિકતા વિષે અને તેમના એજન્ડા વિષે ઘણું મહેનતથી લખ્યું છે. 

“તડ અને ફડ”માં માનવાવાળા મૂર્ધન્યશ્રીએ પણ રામમંદિર વિષે લખવામાં ઘણી ભેળસેળ કરી નાખી છે. “અગણિત મંદિરો અને તેમાં એક વધુ મંદિર”, “બીજાઓ બાંધતા હોય તો આપણે શા માટે બાંધવા નહીં?”, “ભલે ખાવાને ધાન ન હોય, પીવાને પાણી ન હોય, રહેવાને મકાન ન હોય પણ રામનું મંદિર તો હોવું જ જોઇએ…” “મંદિર તોડાયાનો જે ઉલ્લેખ છે તે ઐતિહાસિક રીતે સ્વિકાર્ય નથી. મંદિર તોડાયાના ૫૦ વર્ષ પછી જે “ઓશો તુલસીદાસ” થઈ ગયા તેમણે આવા મંદિર તોડાયાનો ઉલ્લેખ કર્યો નથી. જે વ્યક્તિએ રામની વિષે દળદાર ગ્રંથ લખ્યો હોય તેવા “મહિષ્ઠ રામભક્ત ઓશો-તુલસીદાસ”, રામના મંદિરને તોડાવવાના વિષય ઉપર ન લખવા વિષે ઝાલ્યા રહે ખરા?….  વિગેરે વિગેરે”  કારણ કે આપણે કેટલા તટસ્થ છીએ અને તેથી કેટલા વિશ્વસનીય છીએ તે સિદ્ધ કરવા આપણે બધાને ગોદા મારવા જ પડે.

બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા. કટારીયા હુએ હૈ તો સબોંકો ગોદા તો મારના હી પડેગા. મોદીકો ભી ગોદા મારો, બીજેપીકે નેતાઓંકો ભી ગોદા મારો, સુબ્રહ્મનીયમ સ્વામીકો ભી ગોદા મારલો, અબ જો યુપીમેં એક યોગી આયા હૈ ઉસકો ભી ગોદા માર લો. સાધુ સંતોંકો ભી ઉનકે કરતૂતોંકો જનરલાઈઝ કર કે ઉનકો ભી ગોદા મારલો,  સેક્યુલર મોગાંબો ખુશ હોગા… ” …  “ઐસા કરને સે ક્યા હોતા હૈ … … !!! ઐસા હોતા હૈ ન… કિ, હાડમાંસકા ભી એક રામ થા વહ બાત દબ જાતી હૈ … ઔર હમ તો જો સેક્યુલર ઠહેરે …, હાડમાંસકે રામકી તો બાત હી નહીં કર સકતે …  સમજ઼ા કિ નહીં?”

હવે જો આપણા મૂર્ધન્યો “હાડમાંસવાળા રામ”ની વાત કરે તો તો “મહાત્માજીના મંદિરની વાત તો જવા દો…  એ તો સત્તાવગરના હતા … ” પણ “નહેરુવંશના મંદિરોનું શું થાય … પોતે ને પોતે, પોતાના માટે, પોતે પરિશિલ્પિત કરેલા ચંદ્રકને, પોતે કરેલી/કરાવેલી ભલામણ દ્વારા પોતાને અપાયેલા ચંદ્રકોનું શું થાય”? “ હે ભારતીય જનો, ચંદ્રકની પરિકલ્પના કરનાર પણ હું છું …  ચંદ્રક બનાવનાર પણ હું છું … ચંદ્રક પણ હું છું … ચંદ્રકની ભલામણ કરનાર પણ હું છું …  ચંદ્રક મેળવનાર પણ હું છું …”

મોરારજીદેસાઈની સરકારે બધા ચંદ્રકો રદ કરેલા પણ ઇન્દિરાઈ સરકારે તેને પુનર્‌ જીવિત અને પુનર્સ્થા‌પિત કર્યા.

આ બધા વિષે નવેસરથી વિચારવું પડે. સોસીયલ મીડીયા ઉપર આ બધા મંદિરોને તોડવાની વાતો ચાલે જ છે.

મુસ્લિમોએ તો જુના પ્રાણપ્રતિષ્ઠિત  મંદિરો તોડ્યાં પણ હિન્દુઓએ તો આવા સેંકડો નહીં પણ હજારો મંદિરો ગલીએ ગલીએ જ નહીં પણ હાઈવે ઉપર દર કિલોમીટરે સ્થપાયેલા પ્રોટોટાઈપ અવસ્થામાં રહેલા મંદિરો તોડવા પડશે. યાદ રાખો આમાંના મોટાભાગના મંદિરો પ્રોટો ટાઈપ અવસ્થામાં છે. કેટલાક મંદિરો અત્યારે વિશાળતાને પામી ભક્તોથી ફાટ ફાટ થાય છે. (અમદાવાદ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ પાસે એક મંદિર છે. થલતેજ ચાર રસ્તા દૂરદર્શન ટાવર પાસે પણ એક મંદિર છે. સન એન્ડ સ્ટેપ પાસે એક મંદિર છે. શાસ્ત્રીનગરમાં એક મંદિર છે.)

પણ આ બાધી વાતોને ટાંકીને આપણે શું રામની ઐતિહાસિકતાને અને તે કારણસર તેમના મંદિરની આવશ્યકતાને નકારી શકીશું?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને લાગે છે કે જો આદિત્યનાથ રામમંદિરનો મુદ્દો ઉકેલી નાખશે તો આપણું શું થશે? વાસ્તવમાં આપણે આપણી સત્તા થકી રામ મંદિરનો મુદ્દો જીવતો રાખતા હતા. હવે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં આ મુદ્દો ઉકેલાઈ જાય તો તેની ક્રેડીટ આદિત્યનાથ, નરેન્દ્ર મોદી અને બીજેપીને મળે. આ ક્રેડીટ તેમને ન મળે તે માટે આપણે શું કરવું જોઇએ? કંઈક તો વ્યુહરચના અપનાવવી પડશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વિતંડાવાદ, તટસ્થતાની ધૂન, મૂર્ધન્ય, રામ મંદિર, નહેરુવીયન, કોંગ્રેસી સંસ્કાર,  ધર્મનિરપેક્ષતાવદી, કટારીયા, રાજકારણ, ઇતિહાસ, રામજન્મ ભૂમિ, બાબરી મસ્જીદ, નમાજ, મુસ્લિમો કૃતઘ્ન, ગોદા મારો, ક્રેડીટ, આદિત્યનાથ યોગી, નરેન્દ્ર મોદી, બીજેપી

Read Full Post »

લાંબી ધારે દુગ્ધપાન

હાજી … નહેરુવીયન કોંગ્રેસ એટલે કે કોંગી, અનામતીયા

પાટીદારોને લાંબીધારે દુગ્ધપાન કરાવશે.

આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે.

breast feeding

હાજી આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે. કારણ કે મારે અગણિત પાટીદાર મિત્રો છે અને તેઓ અનામતમાં માનતા નથી. એટલે સામાન્યીકરણ કરી સમગ્ર પાટીદાર જાતિને અપમાનિત ન કરી શકાય.

જે પાટીદારો અનામત મેળવવા માટે બીજેપી ની સામે પડ્યા છે અને ચોર (નહેરુવીયન કોંગ્રેસ)ની વાદે ચણા ખાવાના અભરખા રાખે છે તેઓ બલુન છે. (“ચોરનીવાદે ચણાખાવા” એ એક કાઠીયાવાડી શબ્દપ્રયોગ છે).

બલુનમાં ભેજુ ન હોય. બલુનમાં હવા હોય. નહેરુવીયન કોંગીઓએ હવા ભરી એટલે આ બલુન ઉડ્યાં છે.

જો આ બલુનોમાં ભેજુ હોત તો નહેરુવીયન કોંગીને ચાળે ચડ્યાં ન હોત.

લાંબી ધારે દુગ્ધપાન એટલે શું?

જેઓ તળપદી ગુજરાતીથી અજ્ઞ નથી તેઓ “લાંબી ધારે દુગ્ધપાન” શબ્દ પ્રયોગનો અર્થ સુપેરે જાણે છે. જો કે “દુગ્ધપાન” શબ્દ “સુરુચિનો ભંગ” ન થાય એટલા માટે વાપર્યો છે.

કોંગી એટલે કોંગ્રેસ (આઈ) એટલે કે “ઈન્દિરા કોંગ્રેસ” માટે વપરાતો શબ્દ હતો અને હજી પણ તે માટે વપરાય છે. જો કે કોંગ્રેસના વંશવાદી લક્ષણ ૧૯૫૦ પછી નહેરુ દ્વારા પ્રદર્શિત થયા એટલે “નહેરુવીયન કોંગ્રેસ” શબ્દ વધુ યોગ્ય છે. પક્ષ એટલે પાર્ટી. પક્ષ પુલ્લિંગ છે. પાર્ટી સ્ત્રીલિંગ છે. એટલે દુગ્ધપાન સાથે કોંગી શબ્દનો વધુ મેળ ખાય છે.

બિચારા આ બલુનો ભૂલી ગયા કે કેશુભાઈને કોણે ગબડાવેલા? આ સંકરસિંહ વાઘેલાએ જ તો તેમને ગબડાવેલા. હવે જો શબ્દોની રમત રમવી હોય તો “વાઘેલા” ને બદલે “વા ઘેલા”, કે “વા” ને બદલે “અ” પણ વપરાય. કે “બા” (સોનિયાબા માં પણ બા શબ્દને ઉઠાવાય) પણ વપરાય. પણ જવા દો એવી શબ્દોના પ્રાસથી સત્ય સિદ્ધ થતું નથી. એટલે એ પ્રયોગો આપણા દેશના “રાહુ” કે “અ ધેલા” જેટલી કિમતવાળા લોકો માટે રાખીએ.

કેશુભાઈને કોણે ગબડાવ્યા?

આ સંકરશીંગ જ ઉતાવળ ને ઉતાવળમાં હાથ ધોયા વગર કેશુબાપાને ઉથલાવવામાં પડી ગયેલા. આ સંકરશીંગ જરા પૉરૉ ખાવા પણ ઉભા રહ્યા ન હતા. (ભાઈઓ અને બહેનો, ભૈયાજીભાઈઓ સિંહનો ઉચ્ચાર સીંગ કરે છે. અને આપણા કેટલાક ભાઈઓ “હ્રસ્વ દીર્ઘના ભેદમાં ન માનવું” એવી ચળવળ ચલાવે છે. “શ”, “ષ” અને “સ” ના ભેદમાં પણ ન માનવું, તે પણ, આમ તો તે જ વિચારધારામાં આવે છે. પણ આ વિષે આપણે ચર્ચા નહીં કરીએ. ક્યારેક આપણે તેમની મજાક પણ કરવી જોઇએ.) બિચારા બલુનો ભૂલી ગયા કે આ સંકરશીંગ વાઘેલાએ તેમને “હજુરીયા” કહેલ. આ સંકરશીંગભાઈએ ચિમનભાઈ પટેલ પાસે થી “ચેપ” લીધેલ.

આ “ચેપ” વળી શું છે?

ભાઈઓ અને બહેનો, રાજકારણમાં જેમ પેચ લડાવવાની પ્રણાલી કે ફેશન છે તેમ રાજકારણમાં “ચેપ” લેવાની ફેશન છે. ઘણી જાતના ચેપ હોય છે.

પહેલો ચેપ “પક્ષમાં જ જુથ”

પહેલો “ચેપ” એ હતો કે પક્ષની અંદર જ એક “વહાલું” જુથ બનાવવું જેથી જ્યારે જરુર પડે ત્યારે આપણા આ “વહાલા” જુથના સભ્યો સિવાયના સભ્યોને “દવલા” બનાવી શકાય અને આપણે નવો પક્ષ બનાવવો હોય તો લોકશાહીમાં સરળતા રહે છે. (સામ્યવાદમાં આ શક્ય નથી. ત્યાં તો કાં તો જીતો કાંતો ખતમ થાઓ.)
આ “ચેપ” વિષે જો રોયલ્ટી આપવાની થાય તો તેની રોયલ્ટી નહેરુને મળે. કોંગ્રેસમાં બે જુથો હતાં. જહાલ અને મવાળ. મવાળ જુથ આગળ ચાલ્યું. એ પછી આપણા સમાજવાદી જવાહરલાલ નહેરુએ એક “સમાજવાદી” ગ્રુપ બનાવ્યું. એના બે ભાગ પડ્યા અને એક ભાગ કોંગ્રેસથી જુદો થયો. આ ભાગ પ્રજાસમાજવાદી પક્ષ તરીકે જુદો પક્ષ બન્યો. વાત બહુ લાંબી છે. એટલે એની ચર્ચા નહીં કરીએ.

જવાહર લાલ પોતાને સમાજવાદી માનતા કારણ કે વીસમી સદીના પૂર્વાર્ધમાં સમાજવાદમાં માનવું એ પોતાને “તરવરીયા યુવાન”માં ખપાવવા માટેની એક માન્ય ફેશન હતી !!

જ્યારે સ્વતંત્રતા હાથવેંતમાં આવી ત્યારે પ્રણાલી પ્રમાણે કોંગ્રેસે તેની પ્રાંતોની સમિતિઓ પાસેથી વડાપ્રધાન પદ માટેની ભલામણો માગી. એક પણ પ્રાંતે નહેરુના નામની ભલામણ કરી ન હતી.
નહેરુ લોકપ્રિય હતા તેની ના ન પાડી શકાય. કોઈ એક વ્યક્તિ, પક્ષમાંના યુવાનોમાં લોકપ્રિય હોય અને જનતામાંના યુવાનોમાં લોકપ્રિય હોય એનો અર્થ એવો નથી કે પક્ષના સંગઠનમાં પણ તે વ્યક્તિ એક નંબરનો હોય.

પક્ષના સંગઠનમાં સામુહિક અને અનુભવી નેતાઓનું વર્ચસ્વ હોય છે. કારણ કે દેશ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. તેવીજ રીતે પક્ષ પણ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. યુવાનો ચંચળ મનોવૃત્તિના હોય છે અને તેમને જલ્દી ફસાવી અને ફોસલાવી શકાય છે. જેમકે “નવનિર્માણ” નું આંદોલન, યુવાનોએ ચલાવેલ. આ આંદોલન યુવાનોએ નહેરુવીયન કોંગ્રેસ સામે ચલાવેલ. તેમાંના તે વખતના કેટલાક, આગળ પડતા નેતાઓ, થોડા સમય પછી નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા હતા. અત્યારે પણ નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

નહેરુના સમાજવાદને કોંગ્રેસના મૂર્ધન્ય નેતાઓ સમજી શકતા ન હતા. પણ નહેરુની સમાજવાદની પપુડી વાગ્યા કરતી હતી. જવાહરલાલ નહેરુ ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ તેમને જણાવ્યું કે વડાપ્રધાનના પદ માટે, તેમના નામની ભલામણ એક પણ પ્રાંતીય સમિતિએ કરી નથી.

“તેજીને ટકોરો હોય” અને “શાણો માણસ સાનમાં સમજી જાય”. ગાંધીજીનું કહેવું એ હતું કે “હે જવાહર, તું હવે તારી ઉમેદવારી પાછી ખેંચી લે… કારણ કે દેશનો નેતા પ્રાંતીય સમિતિઓની સર્વસંમતિથી થાય એ યોગ્ય રહેશે”.

નહેરુ આ વાત સમજી ન શકે તેવા મૂઢ ન હતા. તેમણે વિચાર્યુ કે પક્ષની અંદરનું મારું સમાજવાદી જુથ તો મારી સાથે છે જ. પક્ષની બહારના અનેક બીજા જુથો મારા જુથમાં ભળી જશે અને મને સહકાર આપશે. જનતામાં પણ હું લોકપ્રિય તો છું જ. પક્ષની અસાધારણ સભા બોલાવવા જેટલા સભ્યો તો મારી પાસે છે જ. એટલે કોંગ્રેસના ભાગલા પાડી નવો પક્ષ સહેલાઈ થી બનાવી શકીશ. નહેરુ માટે ઉપરોક્ત વાત શક્ય હતી.

ગાંધીજીની વાત સાંભળી નહેરુ ખીન્ન તો થયા. નહેરું કશું બોલ્યા વગર ગાંધીજીનો ખંડ છોડીને જતા રહ્યા. ગાંધીજીને એ વાતની ગંધ આવી ગઈ કે નહેરુ કોઈ પરાક્ર્મ કરવા કૃતનિશ્ચયી છે. એટલે કે કોંગ્રેસના ભાગલા કરવા કૃતનિશ્ચયી છે.

સરદાર પટેલ, નહેરુથી એક મુઠ્ઠી ઉંચેરા માનવી હતા

કહેવાતા સમાજવાદી નહેરુના મુખ્ય હરિફ સરદાર પટેલ હતા. નહેરુના સાથીદારો સરદાર પટેલને “મૂડીવાદીઓના પીઠ્ઠુ”, “સ્થાપિત હિતોના પીઠ્ઠુ” “બુર્ઝવા” તરીકે ભાંડતા હતા. આ વાતથી દેશ અજાણ્યો ન હતો એટલે આ વાતની ગાંધીજીને ખબર ન હોય તે બનવા જોગ નથી. એટલે જ ગાંધીજીએ સરદાર પટેલને બોલાવ્યા. પોતાનો ભય બતાવ્યો કે હાલના સંજોગોમાં જો કોંગ્રેસ તૂટશે તો દેશના અનેક ટૂકડા થશે. નહેરુ પોતાને માટે કમસે કમ ઉત્તરાંચલિસ્તાન તો અલગ કરશે. ખાલિસ્તાન, દલિતીસ્તાન, દ્રવિડીસ્તાન અને કેટલાક સ્વતંત્ર રહેવા માગતા રાજાઓ, આ બધી માગણીઓને નહેરુ કે તૂટેલી કોંગ્રેસ નિવારી નહીં શકે. આ બધું નિવારવા માટે આર્ષદૃષ્ટા અને વહીવટી રીતે કુશળ સરદાર પટેલ જ યોગ્ય છે. સરદાર પટેલે ગાંધીજીને વિશ્વાસ આપ્યો કે તે કોંગ્રેસને તૂટવા દેશે નહીં. અને આપણે જોઇએ છીએ કે સરદાર પટેલે બાજી કેવી રીતે સંભાળી લીધી.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે સરદાર પટેલને “કોમ્યુનલ” કહીને હૈદરાબાદમાં ધૂતકારેલ કોણે? ખુદ જવાહર લાલ નહેરુએ.

જે નહેરુવીયન કોંગ્રેસના પાયામાં જ સરદાર પટેલનો અનાદર અને અપમાન હતા, તે જ નહેરુવીયન કોંગ્રેસ જ્યારે (લાંબી ધારે) “દુગ્ધપાન” કરાવવાની લાલચ આપે છે ત્યારે આ અનામતીયા પાટીદારો તેના ખોળામાં બેસવા તૈયાર થઈ ગયા તેને તમે હૈયા ફુટ્યા નહીં કહો તો શું કહેશો?

આ કોઈ હાઈપોથીસીસ નથી. આ વાતની આ રહી સાબિતી. દેશમાં બધું ઠરીને ઠામ થયું. કોંગ્રેસમાં નહેરુ એકચક્રી રાજા થયા અને જ્યારે ચીન સામે ભારતનો કરુણ પરાજય થયો, ત્યારે નહેરુએ “કામરાજ પ્લાન હેઠળ, સરદાર પટેલના વારસદાર મોરારજી દેસાઈને કેવી રીતે બદનામ કર્યા અને મંત્રીમંડળમાં થી હટાવ્યા તે આપણે જાણીએ છીએ. એટલું જ નહીં તેમણે પ્રજાસમાજવાદી પક્ષને પણ પોતાની જોડે કેવો ભેળવી દીધો તે પણ આપણે જાણીએ છીએ.

“આયારામ ગયારામ” ના જનક નહેરુ હતા.

આ ચેપ સૌપ્રથમ ચરણસીંગે યુપીમાં “સંયુક્ત વિધાયક દલ” સ્થાપીને યુપીમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારને ઉથલાવી. પછી તો આ ચેપ ઘણાને લાગ્યો. જેમકે બંસીલાલ, ભજનલાલ, સુખડીયા, ચિમનભાઈ, એનટી રામારાવ, તેના જમાઈ ચંદ્રબાબુ નાયડુ, જય લલિતા આદિ. આપણા સંકરશીંગે પણ તે ચેપને અપનાવ્યો.

બીજો ચેપઃ “ધરાર ખોટું બોલવું”

નહેરુએ તત્વજ્ઞાની શબ્દો વાપરી વિતંડાવાદ ઉત્પન્ન કરતા અને પોતાના જુઠાણાનો બચાવ કરતા. ગઈ સદીના પચાસના દશકામાં તેમણે ચીનની લશ્કરી ઘુસણ ખોરીનો બચાવ આ રીતે કરેલો, “ચીને કોઈ ઘુસણખોરી કરી નથી (મસ્જીદમાં ગર્યો તો જ કોણ?)…એ પ્રદેશ તો ઉજ્જડ છે. ત્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નથી… લાઈન ઓફ કન્ટ્રોલની કોઈ વ્યાખ્યા નથી, યુદ્ધથી કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી, યુનોદ્વારા કોઈ પ્રશ્નો ઉકેલાયા નથી…”

તત્વજ્ઞાની વિતંડાવાદ કરવો, ધરાર ખોટું બોલવું અને તારતમ્યોવાળા નિવેદનો કરવા એ વલણ ઈન્દિરા ગાંધીએ પૂરબહારમાં વિકસાવ્યું હતું. “આત્માનો અવાજ, કટોકટી અનુશાસન પર્વ છે, હમારા લક્ષ્ય સબસે નમ્ર વ્યવહાર, જેવા અનેક, સ્લોગનો વહેતા મુકેલા હતા.

નહેરુવીયન કોંગ્રેસનું બીજું ગુજરાતી ભક્ષ્ય “ચિમનભાઈ પટેલ”

ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસને મજબુત કરવામાં ચિમનભાઈ પટેલનો સિંહફાળો હતો. ૧૯૭૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસને ૧૬૨માંથી ૧૪૦ બેઠક અપાવનાર ચિમનભાઈ પટેલ હતા. તેથી ચિમનભાઈ પટેલ વિધાનસભાના નહેરુવીયન કોંગ્રેસમાં અસાધારણ બહુમતિ ધરાવતા હતા. પણ ચિમનભાઈ આજ્ઞાંકિત ન હતા. ઘનશ્યામભાઈ ઓઝાને હટાવીને ચિમનભાઈ પટેલ ધરાર મુખ્ય મંત્રી થયા.
પણ કોંગીને ખાટલે ખોડ હતી.

કોંગીનું મૂળ ભ્રષ્ટાચારમાં હતું. ભ્રષ્ટાચાર તો કોંગીની ગળથુથીમાં હતો. કોંગીની સામે નવનિર્માણનું આંદોલન થયું અને ચિમનભાઈને કોંગીએ પદભ્રષ્ટ કર્યા. ચિમનભાઈએ પુસ્તિકા લખી કે કોંગીના કુળદેવીએ કેવી રીતે ગુજરાતમાંથી પૈસા ઉઘરાવેલા. કોંગીએ ચિમનભાઈની પક્ષમાંથી હકાલપટ્ટી કરેલી. ચિમનભાઈએ કિસાન-મઝદુર-લોક-પક્ષ સ્થાપ્યો.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે ચિમનભાઈ પટેલની રેવડી દેણેદાણ કોણે કરેલી? ઇન્દિરા ગાંધીએ જ તો તેમને જેલમાં પૂરેલ અને ટોર્ચર કરેલ. એટલે ચિમનભાઈએ તેમના પક્ષ કિમલોપ નો લોપ કરી નહેરુવીયન કોંગ્રેસમાં પોતાની જાતને ભેળવી દીધેલી. અને આ નહેરુવીયન કોંગ્રેસે તેમને તરણું મોઢામાં લેવડાવેલ.

આ બલુનોમાં અક્કલ કે આબરુ કે સ્વમાન જેવું છે જ ક્યાં?

કુતરા અને ગધેડાને તમે મારો તો તેઓ તેની વેદના બીજી ક્ષણે ભૂલી જાય છે. તમે ભક્ષ્ય ધરો એટલે પંછડી પટપટાવતા તમારી પાસે આવી જાય છે. યાદ કરો સંસ્કૃતનો શ્લોકઃ “સારમેય ચ અશ્વસ્ય, રાસભસ્ય વિશેષતઃ, મુહૂર્તાત્‌ પરતો નાસ્તિ પ્રહાર જનિતા વ્યથા.

ધિક્કાર છે આવા બલુનીયા પાટીદારોને જેઓ “ભારત સર્વ પ્રથમ” ને બદલે પોતાની જાતને પ્રાથમિકતા આપે છે અને તે માટે મુસલમાન થવા પણ તૈયાર છે.

કોંગીનું ત્રીજું ભક્ષ્ય હતું કેશુભાઈ પટેલ.

કોંગીએ સંકરશીંગને (લાંબી ધારે) દુગ્ધપાન નો વાયદો કરેલ. સંકરશીંગ વાઘેલાએ પહેલાં તો પોતાનું પપુડું વગાડેલ કેશુભાઈને ગબડાવેલ. પછી અસ્તિત્વ ટકાવવા તેઓ કોંગીમાં ભળ્યા. કોંગીએ સંકરશીંગને કેટલું દુગ્ધપાન કરાવ્યું તે આપણે જાણતા નથી.
બીજેપીના પ્રભારી નરેન્દ્ર મોદીએ બીજેપીને જીતાડી કેશુભાઈને પૂનર્ સ્થાપિત કરેલ.
પણ જણનારીમાં જોર ન હોય તો સુયાણી બિચારી શું કરે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપી હારવા માંડી. હદ તો ત્યારે થઈ કે ૧૯૭૫માં ઈન્દિરાઈ કટોકટીમાં પણ અમદાવાદની મ્યુનીસીપાલીટીની ચૂંટણીમાં જનતાપાર્ટી જીતી હતી અને કોંગી હારી હતી, તે અમદાવાદની ચૂંટણી ૨૦૦૦માં કોંગી જીતી ગઈ અને બીજેપી હારી ગઈ.

કોંગીનું ચોથું ભક્ષ્ય છે આનંદીબેન પટેલઃ

કોંગી જ્યારે ક્યારેય પણ બહુમતિ ન આવે ત્યારે બીજા પક્ષોનો સાથ લે છે. કેરાલાની સામ્યવાદી સરકારને હરાવવા માટે કોંગીએ ઘોર કોમવાદી મુસ્લિમ લીગની સાથે ૧૯૫૮-૫૯માં જોડાણ કરેલ.
કોંગી માટે જો આવું શક્ય ન હોય તો તે “ચરણશીંગ” ની તલાશ કરે છે. ગુજરાતમાં તો ૧૯૭૬માં ચિમનભાઈ પટેલ હાથવગા હતા. લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપવાની જરુર ન હતી. કટોકટીમાં તો ડંડો જ પૂરતો હતો.

કોંગીએ ૧૯૭૯માં ચરણસીંગને લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપી. ચરણ સીંગે મોરારજી દેસાઈ ની સરકારને ગબડાવી. તે પછી તો ઇન્દિરાએ ભીંદરાનવાલે ને તેવીજ લાલચ આપીને પંજાબમાં મોટાભા બનાવેલ. પણ એમાં થોડી ચૂક થઈ ગઈ અને કોંગ-માઈએ જાન થી હાથ ધોયા.

લાંબી ધારે દુગ્ધપાનની લાલચના મૂળ ઉંડા છે. તે કંઈ ફક્ત સરકારો ઉથલાવવા માટે જ નથી. મત માટે પણ છે. કોંગી માઈએ તેનો ઉપયોગ અનામત માટે ઘણો જ કરેલ છે.

સૌ પ્રથમ તો અનામત ફક્ત અંત્યજો-અસ્પૃશ્યો માટે જ હતી. કારણ કે જેઓ સ્પર્શ માટે પણ લાયક ન હોય તે આર્થિક રીતે કેવી રીતે ઉંચે આવી શકે? એટલે તેમને માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. પણ પછી કોંગીએ જમને પેધો પાડ્યો.

જેને જેને એમ લાગતું હોય કે પોતે પછાત છે તેઓ સૌ કોઈ આવેદન આપે. એમ કરતાં કરતાં બ્રાહ્મણ ક્ષત્રીય અને વૈશ્ય સિવાય બધા અનામતમાં આવવા લાગ્યા. છેલ્લે છેલ્લે વિશ્વકર્માના સંતાનો(જેઓ વાસ્તવમાં બ્રાહ્મણ હતા પણ ભણતા નહીં અને બાપિકો ધંધો ચલાવતા)નો નંબર પણ લાગી ગયો. જેઓ ખેતી કરતા તેઓ વૈશ્ય હતા પણ વેપારને બદલે ઉત્પાદન કરતા તેઓ પાટીદાર કહેવાય. તેઓ ભણવા પણ લાગ્યા અને વેપાર પણ કરવા લાગ્યા.

કોંગીની દાઢ સળકી

કોંગીને રાજસ્થાનના અનુભવે જ્ઞાન લાધ્યું કે તોફાનો કરીને, બસો સળગાવીને, રેલ્વે વ્યવહાર ખોરવીને, બસસ્ટેન્ડોને સળગાવીને, રેલ્વેના પાટા ઉખેડીને અને જાહેરજીવન અસ્તવ્યસ્ત કરીને, સરકારોને ઉથલાવી શકાય છે તો પછી ચરણશીંગને શોધવાની પ્રક્રિયા ચાલુ રાખીને પણ, કોઈ કોમ્યુનીટીને (લાંબી ધારે) દુગ્ધપાનની લાલચ કેમ ન આપવી. એવું પણ બને કે આમ કરતાં કરતાં પણ કોઈ ચરણશીંગ હાથ લાગી પણ જાય.

જો કે હજુ સુધી ગુજરાતમાં કે કેન્દ્રમાં કોંગીને કોઈ ચરણશીંગ હાથ લાગ્યા નથી. એ વાત પછી ક્યારેક કરીશું.

કોંગી માટે એક બીજી પણ મુશ્કેલી છે કે કોંગી અત્યારે બારાજા* છે. દુગ્ધ કન્ટેઈનર એટ્રેક્ટીવ નથી. શરીર સંપત્તિમાં શરીરની અંદર(ચરબી=કાળું લાલ નાણું)ની સંપત્તિની કોઈ ખોટ નથી. શરીરની અંદરની સંપત્તિ કંઈ થોડી અપાય છે? આપણે કંઈ શિબિરાજાના વંશજ નથી.

દુગ્ધપાન એ દુગ્ધપાન છે. લાંબી ધારનું હોય કે ટૂંકી ધારનું (ટૂંકી ધારનું ઔરસ માટે હોય છે) હોય. પણ કોંગી માને છે કે દુગ્ધપાન ની લાલચ તો આપી જ શકાય. આપણું દુગ્ધ કંટેનર કેટલું એટ્રેક્ટીવ છે અને દુગ્ધથી ફાટ ફાટ થાય છે કે નહીં તેની બીજાને ક્યાં ખબર છે? દુગ્ધપાન ભવિષ્યમાં કેવીરીતે કરાવશું, કરાવશું કે નહીં તે પણ આપણી મુનસફ્ફીની વાત છે. જીભ સાબદી તો ઉત્તર ઝાઝા. અને “ધરાર ખોટું બોલવું”નો આપણને ક્યાં આભડછેટ છે? (અનામતના) લોભીયા હોય ત્યાં ધૂતારા પણ હોય.

શિરીષ મોહનલાલ દવે

*  શુષ્ક પ્રલંબિતસ્તના. વસુકી (મોનો પોઝ) જવાની તૈયારી !!

ઝવેરચંદ મેઘાણીની કોઈ વાર્તામાંથી અધિગત થયેલો શબ્દ છે.

ટેગ્ઝઃ લાંબી ધારે, દુગ્ધપાન, નહેરુવીયન, નહેરુ, કોંગ્રેસ, કોંગી, ઇન્દિરા, અનામતીયા, પાટીદાર, બલુન, સુરુચિ ભંગ, કેશુભાઈ, સંકર, શીંગ, ઘેલા, બા, રાહુ, ચેપ, ભક્ષ્ય, નવનિર્માણ, સમાજવાદ, ફેશન, જુથ, સંગઠન, ગાંધીજી, તેજીને ટકોરો, મુઠ્ઠી ઉંચેરા માનવી, સરદાર પટેલ, આનંદીબેન પટેલ, ચિમનભાઈ

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૯

રામને કોણ સમજી શક્યું?

એક માત્ર મહાત્મા ગાંધી હતા જેઓ રામને અને લોકતંત્રને સમજી શક્યા હતા. તેઓ રામ અને લોકતંત્ર એ બંનેને સાંકળી શક્યા હતા.

પ્રણાલીઓને બદલવી છે?

આદર્શ પ્રણાલી શું હોઈ શકે અને તે કેવી હોવી જોઇએ તે પહેલાં નક્કી કરો.

જો તમને લાગતું હોય કે તમે આદર્શ પ્રણાલી સમજી શક્યા છો તો તે પ્રણાલીને બુદ્ધિદ્વારા આત્મસાત્કરો. માનસિકતા પણ એવી બનાવો. પછી તે દિશામાં વિચારો અને આચારમાં પણ તેને મૂકો. આવું કર્યા પછી પ્રચાર કરી શકાય.

એક વાત ખાસ યાદ રાખવાની હોય છે કે પ્રચાર કરતી વખતે, તમારી પાસે સત્તા હોવી જોઇએ.

સત્તા શું કામ હોવી જોઇએ?

સત્તા એટલા માટે હોવી જોઇએ, કારણ કે તમે જે પ્રણાલીનો પ્રચાર કરવા માગો છો અને વિચાર વિમર્ષ કરાવવા માગો છો તેમાં દબાણ વર્જ્ય છે. સત્તા, શક્તિ, લાલચ, સ્વાર્થ બધાં દબાણ છે. દબાણ થી સત્ય દબાઈ શકે છે. દબાણ એક આવરણ છે. આવરણ સત્યને ઢાંકી દે છે. (હિરણ્મયેન પાત્રેણ, સત્યસ્યાપિહિતં મુખં).

ગાંધીજીને જ્યારે લાગ્યું કે હવે તેમણે સામાજીક ક્રાંતિ (સમાજસુધાર)માં પડવું જોઇએ, તો તેમણે કોંગ્રેસના હોદ્દાઓ ઉપરથી નહીં પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ ઉપરથી પણ રાજીનામું આપ્યું. તેનું કારણ હતું કે તેઓ કોઈ પણ સુધારા ઉપર પોતાનો જે અભિપ્રાય આપે તે બીજાઓ માટે દબાણ મૂક્ત હોય. તેથી જે પણ કોઈને ચર્ચા કરવી હોય કે શંકા પ્રદર્શિત કરવી હોય તે સામેની વ્યક્તિ મૂક્ત રીતે કરી શકે.

કોઈ કહેશે કે ઉપવાસ અને સવિનય કાનૂનભંગ, પ્રદર્શન, ધરણા વિગેરે પણ દબાણ કહેવાય ને? બધું દબાણ થી, તો બીજું શું છે?

આંદોલન બે પ્રકારના હોય છે. એક વહીવટી નિસ્ફળતા સામે હોય છે. બીજું અન્યાયકારી કાયદા સામે હોય છે. જનતા અને કેટલાક પક્ષોના નેતાઓ ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથી પક્ષના નેતાઓ આંદોલનનું હાર્દ સમજતા નથી.

આંદોલન ફક્ત જનતા કરી શકે. રાજકીય પક્ષો આંદોલનો કરી શકે. રાજકીય પક્ષો લોકજાગૃતિના કામ કામ કરી શકે. જનતા પણ એવા આંદોલન કરી શકે કે જ્યાં તે સંપૂર્ણ પારદર્શિતા રાખી શકે તેમજ સંવાદ માટે હરપળ તૈયાર હોય. આંદોલન હમેશા દેશના વ્યાપક હિતમાં હોય. આંદોલન કદીપણ જાતિગત કે વ્યક્તિગત હોઈ શકે. વ્યક્તિગત હિતની રક્ષા માટે કાનૂનો હોય છે. કોઈ કાનૂન એવો હોઈ શકે કે જે અન્યાયકારી હોય. અન્યાયકારી કાયદા, ન્યાયાલય દ્વારા રદ કરી શકાય છે. નવો કાયદો કરવો હોય તો તેનો પૂર્વલેખ (ડ્રાફ્ટ) પ્રજાએ તૈયાર કરવો જોઇએ, તેની વ્યાપક ચર્ચા થવી જોઇએ. તે પછી વિદ્વાનો બધા સુધારાને આવરી લેતો અંતિમ પૂર્વલેખ લિપિબદ્ધ કરે અને પોતે ચૂંટેલા પ્રતિનિધિ મારફત સંસદમાં રજુ કરે. અને સંસદ તેને પસાર કરે.

મહાત્મા ગાંધીએ રામને કેમ આદર્શ માન્યા?

રામરાજ્યની કેમ વાત કરી?

 આમ તો ગાંધીજી કહેતા હતા કે મારો રામ કંઈ દશરથનો પુત્ર કે રાવણને મારનાર નથી. મારો રામ તો પરમબ્રહ્મ સ્વરુપ દરેકના દિલમાં વસતો રામ છે. એટલે કે ઈશ્વર છે.

આમ જુઓ તો રામ તો રાજા છે. અને મહાત્મા ગાંધી એક બાજુ રામરાજ્યની વાત કરેછે અને બીજી બાજુ તેઓ રામ દશરથનો પુત્ર નથી એમ કહે છે. તો રામ રાજ્ય કોનું?

ભારત, પ્રાચીન યુગમાં જગતગુરુ હતું. ભારતમાં ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણ મફત હતું. સૌ કોઈએ ગુરુ પાસે આશ્રમમાં ભણવા જવું પડતું. સામાન્ય રીતે સૌ કોઈ બાપિકો વ્યવસાય સંભાળતા. ગુરુઓને શસ્ત્ર વિદ્યા આવડતી તેમનું કામ વિદ્યા અને જ્ઞાનનો પ્રસાર કરવાનું રહેતું. તેઓ રાજાને સલાહ આપવાનું કામ પણ કરતા. જે શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા અને વેદમંત્રના  લખનારાના વંશજો હતા કે આચાર્યો હતા તેઓ પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ધરાવતા હતા. રાજા ઉપર દબાવ લાવવાનું કામ ઋષિની સલાહ અનુસાર જનતાનું રહેતું હતું.

વાયુ પુરાણમાં એક કથા છે.

બ્રાહ્મણોએ માંસભક્ષણ કરવું જોઇએ કે નહીં?

ઋષિગણ ભગવાન મનુ પાસે ગયું. ભગવાન મનુએ કહ્યું કે બ્રાહ્મણો યજ્ઞમાં આહુતિ માટે આપેલું માંસ, યજ્ઞના પ્રસાદ તરીકે એટલે કે હુતદ્રવ્ય હોવાથી ખાઈ શકે. ત્યારથી કેટલાક બ્રાહ્મણો હુતદ્રવ્ય રૂપે માંસ ખાવા માંડ્યા.

પછી જ્યારે ઈશ્વરને (શિવને) ખબર પડી ત્યારે તે ઋષિઓને વઢ્યા. અને તેમને કહ્યું કે તમે મનુ પાસે ગયા જ કેમ? મનુ આવી સલાહ આપવાનો અધિકારી નથી. પ્રણાલીઓ વિષે સલાહ આપનાર ફક્ત વેદ પારંગત મહર્ષિઓ અને આચાર્યોનો સમૂહ અધિકારી છે. તમે અનાધિકારી વ્યક્તિની સલાહ કેમ લીધી? હવે મનુ અને બ્રાહ્મણો પાપ ભોગવતા રહેશે. આમ અમુક બ્રાહ્મણો માંસાહારી રહ્યા અને અમુક બ્રાહ્મણો નિરામિષ રહ્યા.

આચાર્યનો અર્થ છે (વિચાર સહિતના) આચાર ઉપર સલાહ આપી શકે તે. એટલે કે આચાર ઉપર જે અધિકૃત રીતે અર્થઘટન કરી શકે અને આચારની પ્રણાલી ઉપર શાસન કરે તે. પણ શાસનનેશાસનશબ્દથી ઓળખવામાં આવતું નથી.

આચાર્યોનું શાસન અનુશાસન છે.

જનતાએ અને શાસકોએ શું કરવું જોઇએ તે આચાર્યો કહેશે. શાસકનું કામ વહીવટ કરવાનું છે. એટલે કે જેના હાથમાં વહીવટી સત્તા છે તે જે જનતા ઉપર કરે તેને શાસન કહેવાય.

આચાર્યો જે કરે તેને અનુશાસન કહેવાય.

આચાર્ય વિનોબા ભાવે એ ઇન્દિરાએ કટોકટી લાદી ત્યારે એવો પ્રતિભાવ આપેલ કે કટોકટી એ અનુશાસન પર્વ છે. પણ આનું ખોટું અર્થઘટન ઇન્દિરાએ ફેલાવેલું. વિનોબા ભાવેએ સ્પષ્ટીકરણ કરેલ. પણ એ સ્પષ્ટીકરણ ઉપર સેન્સરની કાતર ફરીવળી હતી.

હવે યાદ કરો. નહેરુવીયન કોંગ્રેસને જે કંઈપણ બંધારણીય સુધારા કર્યા અને તેના અમલમાં જે પ્રણાલીઓ સ્થાપી તેનો મુખ્ય હેતુ આત્મકેન્દ્રી એટલે કે સ્વકેન્દ્રી તો ખરો પણ સાથે સાથે પોતાનો પક્ષ સત્તાસ્થાને રહે પણ હતો. વાસ્તવમાં નિયમ બનાવવાના મુસદ્દા, જનતાની સમસ્યાઓના ઉકેલોને લગતી પ્રણાલીઓના સંશોધનો, ઋષિઓ એટલે કે જ્ઞાની લોકો તરફથી આવવા જોઇએ. જેમકે લોકપાલ વિધેયકનોપૂર્વ લેખ” (ડ્રાફ્ટ), અન્ના હજારેની ટીમ તરફથી આવે તેમાં કશું ખોટું હતું. નહેરુવીયન કોંગ્રેસે તે સ્વિકારવા જેવો હતો. તેને બદલે નહેરુવીયન કોંગ્રેસે કહ્યું અમારી ઉપર દબાણ કરનારા તમે કોણ છો? તમારી હેસીયત શું છે? હવે જે નહેરુવીયન કોંગ્રેસ, ગાંધીજીના નામ ઉપર ત્રણ દાયકા (૧૯૪૭ થી ૧૯૭૫) તરી ગઈ તેણે હેસીયતનો મુદ્દો ઉઠાવ્યો. રામને નામે પથરા તર્યા. ગાંધીજીને નામે ગઠીયા તર્યા.

“૧૯૪૭થી ૧૯૭૫ સુધીના સમય સુધી નહેરુવીયન કોંગ્રેસ ગાંધીજીના નામે તરી ગઈ” એમાં૧૯૭૫એટલા માટે સીમા ચિન્હ છે કે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદીને ગાંધીવાદીઓને પણ વગર વાંકે જેલભેગા કર્યા એટલે મહાત્મા ગાંધીવાદીઓનો ભ્રમ પણ સદંતર ભાંગી ગયો.

પ્રથમ નામ મહાત્મા ગાંધીનું

અગણિત ગાંધીવાદીઓનો નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ૧૯૫૨થી ભાંગી ગયેલો. નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ભાંગી જવામાં મહાત્મા ગાંધીનું નામ પ્રથમ લેવું જોઇએ. જે કોંગ્રેસીઓ સિંધ પંજાબથી ભાગીને ભારતમાં આવ્યા તેમને મહાત્મા ગાંધીએ કહેલ કે તમે ત્યાં મરી કેમ ગયા? જો કોંગ્રેસીઓ ત્યાં નિષ્ઠા પૂર્વક રહ્યા હોત તો આજે પાકિસ્તાનની જનતા પાસે મહાત્માગાંધીયન (વાસ્તવિક રીતે ધર્મનિરપેક્ષ) પાકકોંગ્રેસ જોવા મળત. યાદ કરો ઘણા મુસ્લિમ નેતાઓ ભારતના ભાગલા પછી પણ ભારતમાં રહ્યા. તેથી અત્યારે આપણને ભારતમાં કોમવાદી ઈન્ડીયન મુસ્લિમ લીગ જોવા મળે છે. પણ પાકિસ્તાનમાં કોઈ કોંગ્રેસ જોવા મળતી નથી.

મહાત્મા ગાંધીએ જોયું કે કોંગ્રેસને લોકજાગૃતિમાં રસ નથી. કોંગ્રેસને ફક્ત સત્તામાં રસ છે. મહાત્મા ગાંધીએ કહેલું કે સમય એવો આવશે કે જનતા કોંગ્રેસીઓને શોધી શોધીને મારશે. તેમણે કોંગ્રેસને વિખેરી નાખવાનું કહેલ.  અને તે માટે તેમણે રાષ્ટ્રીય સેવાસંઘનું બંધારણ પણ લખેલ.

જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ

ગુજરાતનું ૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલન, “ભ્રષ્ટાચાર દૂર કરો” માટે હતું. જનતાએ નહેરુવીયન કોંગ્રેસ શાસિત વિધાનસભાનું વિસર્જન કરવાનું કહેલ. બધા જ સભ્યોએ રાજીનામું આપેલ પણ મોટાભાગના નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજીનામું ન આપેલ. જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ. અંતે વિધાનસભાનું વિસર્જન કરવું પડેલ. નહેરુવીયન કોંગ્રેસે “અમે ગરીબી હટાવીશું” એ વચન આપી સત્તા ઉપર આવેલ. પણ ઇન્દિરા ગાંધી બધાજ ક્ષેત્રોમાં નિસ્ફળ નીવડેલ. ભ્રષ્ટાચારના આક્ષેપો તેની ખુદની ઉપર પણ હતા.

નહેરુવીયન કોંગ્રેસ એક શાસક પક્ષ હતો. તે જનતાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તેણે પોતાની ૨૦૦૯ની ચૂંટણી જનલોકપાલ બીલનો મુસદ્દો જનતા પાસે રજુ કરીને ચૂંટણી લડી હતી. એટલું નહીં પણ તે પક્ષ પોતે સંપૂર્ણ બહુમતિ વાળો પક્ષ ન હતો. તે અન્ય પક્ષો સાથે ચૂંટણી પરિણામો પછીના જોડાણો કરી સત્તા ઉપર આવ્યો હતો. તેની પાસે સત્તા હોય તો પણ તે સત્તા, નિયમો બનાવવા માટેની સત્તા ન હતી.

ભારતીય બંધારણ પ્રમાણે પણ તેની પાસે નિયમો બનાવવાની સત્તા ન હતી.

આનો અર્થ પણા થયો કે શાસક પક્ષને બંધારણમાં ફેરફાર કરવાની પણ સત્તા નથી.

જે લોકો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં નિપૂણ છે તેઓ હેતુપૂર્ણ મુસદ્દો બનાવે અને ન્યાયશાસ્ત્રના વિદ્વાનો તે મુસદ્દાને વિધેયકનું સ્વરુપ આપે. પછી તેને જનતા સામે મુકે. અને જનતા તેના ઉપર પોતાના પ્રતિભાવો અને સૂચનો આપે. તે પછી તેને આખરી સ્વરુપ આપવામાં આવે.

જનપ્રતિનિધિઓની પાસે કઈ સત્તા છે?

જનપ્રતિનિધિઓ પાસે સત્તા છે કે તે વહીવટકારો (પબ્લિક સર્વન્ટ), નિયમોને અને નીતિઓને અમલમાં મુકે. જનપ્રતિનિધિઓ તેની ઉપર નિરક્ષણ કરે અને જો તેઓ તેમાં ચૂક કરે તો તેમને દંડિત કરે.

બાબતની વિસ્તૃત ચર્ચાબધી સમસ્યાનું સમાધાન એટલે નવ્ય ગાંધીવાદ લેખમાળામાં કરવામાં આવી છે.

રામ રાજ્યની ઉંડાઈ સમજવી મૂર્ધન્યો, સમાચાર માધ્યમના પંડિતો, મોટાભાગના કટારીયા લેખકો અને પાશ્ચાત્ય રાજ્યશાસ્ત્રના પંડિતોના મગજની ક્ષમતાની બહાર છે. ભારતના રાજકીય પક્ષો અને તેમાં પણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ તો તે સમજી શકે.

હજારો વર્ષ જુના ભારતીય જનતંત્રમાનસ જેને મહાત્મા ગાંધીએ પુનર્‍ જાગૃત કે નવજાગૃત કરેલઇન્દિરા ગાંધીએ તેને ૧૯૬૮થી ક્ષતિ પહોંચાડવી શરુ કરેલ અને ૧૯૭૫માં જનતંત્રીય માનસિકતાને સંપૂર્ણ ધરાશાઈ કરેલ. એજ ઇન્દિરા ગાંધી જેને આજે પણ નહેરુવીયન કોંગ્રેસીઓ એક આદરણીય અને પૂજનીય નેતા માને છે. આવી માનસિકતાવાળો પક્ષ રામરાજ્યની ઊંડાઈ કેવી રીતે સમજી શકે?

નહેરુવીયન શાસકોએ ને તેમણે સર્જેલી માનસિકતાએ, રામને ફક્ત ધાર્મિક વ્યક્તિ બનાવીને ભારતીય જનતાંત્રિક પરંપરાને ચીંથરેહાલ કરી દીધી છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે ઉચ્ચ ન્યાયાલયમાં શપથ પૂર્વક કહ્યું કે રામ કોઈ ઐતિહાસિક વ્યક્તિ હતા નહીં.

રામની મહાનતા, ભારતીયો સમજ્યા અને તે મહાનતા અદ્વિતીય હોવાને કારણે તે રામને તેમણે ભગવાન બનાવી દીધા.

ભગવાન એટલે શું?

ભગઃ એટલે તેજ. આકાશમાં  સૌથી વધુ તેજસ્વી પદાર્થ હોય તો તે સૂર્ય છે. સૂર્ય, પૃથ્વીને ધારણ કરે છે. સૂર્ય માત્ર અગ્નિનો ગોળો નથી. ભારતીયો સાંસ્કૃતિક રીતે અને તાત્વિક રીતે કુદરતી શક્તિઓને ફક્ત સજીવ નહીં, પણ સજીવ ઉપરાંત તેમને દેવ પણ માને છે. સૂર્ય પણ એક મહાન દેવ છે. સૂર્યને લીધે પૃથ્વી ઉપર પ્રણાલીગત વ્યાખ્યા પ્રમાણે કહેવાતી સજીવ સૃષ્ટિ થઈ અને ટકી રહી છે. સૂર્યની પાછળ રહેલો દેવ, વિષ્ણુ છે. એવી માન્યતા છે કે જેમ સૂર્ય પૃથ્વીનું રક્ષણ કરે છે તેમ આજ વિષ્ણુ, અવારનવાર યુગપુરુષ રુપે જન્મી પૃથ્વીના સજીવસમાજનું રક્ષણ કરે છે.

માન્યતા, કંઈ ભારત એકલામાં ચાલી છે એવું નથી. મેક્સીકોથી શરુ કરી ઈજીપ્ત અને જાપાન સુધી માન્યતા પ્રવર્તે છે કે રાજા (કે અમુક રાજાઓ) સૂર્યના અવતાર છે.         

રામ મંદિર થવું જોઇએ કે નહીં?

કોનું પૂજન થાય છે?

જેનું અસ્તિત્વ હોય તેનું પૂજન થાય છે. પ્રાકૃતિક શક્તિઓનું અસ્તિત્વ છે તેથી તેનું પૂજન થાય છે. કેટલાક દેહધારીઓએ અભૂત પૂર્વ કાર્યો કરેલા, એવું જે સમાજને લાગ્યું, તે સમાજે તેમનું પૂજન શરુ કર્યું. તેમના મંદિરો બનાવવામાં આવ્યાં. આવી પ્રણાલી ફક્ત ભારતમાં છે તેવું નથી. આવી પ્રણાલી પૂરા વિશ્વમાં છે. અત્યારે મરેલા નહીં પણ જીવતા મનુષ્ય દેહધારી ભગવાનોની સંખ્યા ચાર આંકડામાં અસ્તિત્વ ધરાવે છે.

પણ વિશ્વમાં એવી પ્રણાલી ક્યાંય નથી કે જેનું ફક્ત સાહિત્યિક અસ્તિત્વ હોય, તેનું પણ પૂજન થાય અને તેના પણ મંદિરો બને.

કોઈ પણ એક મહામાનવને લો. તેમની  બાબતમાં એકથી વધુ લેખકો, તેમની જીવન કથા કે પ્રસંગોની કથાઓ લખશે. પોતાની રીતે મૂલવશે. મહાત્મા ગાંધી વિષે હજારો મૂર્ધન્યોએ લખ્યું છે અને લખ્યા કરશે. પોતાની રીતે તેમના જીવનને અને તેમના જીવનના અનેક પ્રસંગોને મૂલવશે. ગાંધીજી જ્યાં જ્યા ફર્યા ત્યાં ત્યાં તેમના સ્મૃતિઓ અને સ્મારકો પણ નિર્માણ પામશે. જ્યાં ગાંધીજી જન્મ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. જ્યાં રહ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. બધા મહાપુરુષો વિષે આવું કંઈક વત્તે ઓછે અંશે થાય છે અને થતું રહેશે.

સરસ્વતીચંદ્ર, જયા જયંત, ડૉન કિહોટે, ભદ્રંભદ્ર, મહેન્દ્રકુમારી, રા તાઈ, ટારઝન, સ્પાઈડરમેન, સુપરમેન, હેરી પોટર, કેપ્ટન મારવેલ વિગેરેને શું કોઈ પૂજશે? કે તેમના ધાર્મિક અને ક્રિયાસ્થળો પર સ્મારકો બનાવશે. હા એક વાત જરુર છે કે લોકો કંઈક વિચાર ગ્રહણ કરશે. ભદ્રંભદ્રએ માધવ બાગમાં ધર્મસભામાં ભાષણ આપેલ. ત્યાં શું તેમનું સ્મારક થશે? ભદ્રંભદ્રની જન્મ જયંતિ આપણે મનાવીશું? હા પણ વિવેકાનંદના સ્મૃતિ ચિન્હો આપણને ઠેર ઠેર મળશે.

માની લો કે ચાણક્યને આપણે ભગવાન માન્યા.

“ચાણક્ય”ના નામનો આપણે એક ધર્મ બનાવ્યોતે ધર્મને ફેલાવ્યો. કાળક્રમે કોઈ પણ રીતે તેનું જન્મ સ્થળ ધ્વસ્ત થઈ ગયું. નહેરુવીયનોએ પણ નહેરુના નામનો એક ધર્મ બનાવ્યો. અને જ્યાં જ્યાં ચાણક્યના સ્મૃતિ ચિન્હો હતા ત્યાં ત્યાં તેમણે ચર્ચ બનાવી દીધાં, અને જાહેર કરી દીધું કે ચાણક્ય જેવું કોઈ થયું નથી અને એવું કોઈ હોઈ શકે નહીં. એમ કંઈ એક બ્રાહ્મણ પોતાના અપમાનનો બદલો લેવા માટે, ૧૨ લાખના સૈન્યબળવાળા રાજાના સામ્રાજ્યને ઉથલાવી શકે? કદી નહીં. “કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના”. ચાણક્ય”ના ધર્મ વાળા તો ગાંડા છે. તેઓ એક કપોળકલ્પિત  વ્યક્તિની પૂજા કરે છે. આ એમનું એક ગાંડપણ છે. ચાણક્ય તો દંતકથાનું પાત્ર માત્ર છે.

જે એલ નહેરુનું મહત્વ વધારે છે કે ચાણક્યનું?

ચાણક્ય તો જે એલ નહેરુથી ૨૩૦૦+ વર્ષ સીનીયર છે. તેથી ચાણક્યનો અધિકાર પહેલો છે. હા પણ વાત ત્યારે બને જો આપણે ચાણક્યને ઐતિહાસિક વ્યક્તિ માનીએ તો.

હિન્દુ પ્રણાલી પ્રમાણે મૃતદેહ અગ્નિદેવને સમર્પિત કરવામાં આવે છે. મનુષ્યનો અંતિમ યજ્ઞ છે. ઈશ્વરે આપણને દેહ આપ્યો, આપણે તે દેહ, ઈશ્વરને સમર્પિત કર્યો. ઇશ્વરનું મુખ અગ્નિ છે. તેથી ઈશ્વરને આપણે અગ્નિ મારફત દેહ આપી દીધો. દેહવિસર્જનનો યજ્ઞ સ્મશાનમાં થાય છે. એટલે હિન્દુઓમાં કબર હોતી નથી.

મહામાનવોની યાદમાં જન્મભૂમિ અને કર્મભૂમિ (ભુમિઓ) હોય છે. એટકે ત્યાં સ્મૃતિચિન્હો બનાવવામાં આવે છે. કર્મભૂમિ અનેક હોય છે. જન્મભૂમિ અનેક હોતી નથી. જો વિદેશીઓ આવે અને તે ધર્મસ્થળને તોડીને નવું પોતાનું ધર્મસ્થળ બનાવી દે તો, અને સો ટકા ધર્મ પરિવર્તન થઈ જાય તો, આખી વાત ભૂલાઈ જાય છે. પણ જો વિદેશીઓ ૧૦૦ ટકા ધર્મ પરિવર્તનમાં નિસ્ફળ રહે તો લોકવાયામાં તે જન્મ સ્થળ જીવિત રહે છે.

ભારતમાં એવું થયું કે વિદેશી આક્રમણો થયાં ખરાં અને વિદેશીઓએ બળપ્રયોગ પણ કર્યો. પણ ભારતીય હિન્દુધર્મ અતિ પ્રાચીન, સુગ્રથિત, તર્ક અને સંવાદ આધારિત હોવાથી વિદેશીઓ મોટે ભાગે  અભણ અને ગરીબોનું ધર્મપરિવર્તન કરી શક્યા. અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકા જેવું ભારતમાં થયું. ત્યાં અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકામાં તો સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રમાં વિકસિત સંસ્કૃતિ ફક્ત ઇતિહાસના પાનાઓ ઉપર રહી ગઈ.

અહીં ભારતમાં પણ ખ્રીસ્તીધર્મ ગુરુઓએ અને શાસકોએ ભરપૂર પ્રયત્નો કરેલ. પણ તેઓ એવું કરી શકે તે પહેલાં તો તેઓએ ઉચાળા ભરવાનો સમય આવી ગયો. કેટલાક વિદેશીઓ, બે વાત ભારતના હિન્દુઓ પાસેથી શિખીને ગયા. એક એ કે ધર્મ શ્રદ્ધાનો વિષય નથી પણ સંવાદ અને સહિષ્ણુતાનો વિષય છે. બીજી વાત શિખીને ગયા કે ભારતમાં તો ચક્રવર્તી રાજા અશોક પણ પોતાનો ધર્મ (બૌદ્ધ ધર્મ) ૧૦૦ ટકા સ્થાપવામાં નિસ્ફળ ગયેલ તો “અમે (ખ્રિસ્તીઓ) તે વળી કોણ?”

હા. તમે વિદ્વાનો સાથે ચર્ચા કરો અને શંકરાચાર્યની જેમ જીતો તો જુદી વાત છે. પણ તમારી તો પ્રણાલી હતી.

જનતંત્રમાં રામ મંદિર કેવી રીતે બની શકે?

હિન્દુઓ અને મુસ્લિમોના ધર્મગુરુઓ જો પરસ્પર સહમતી બનાવે તો રામ મંદિર બનવું શક્ય છે.

મુસ્લિમો પણ મનુષ્ય છે. માનવતા, કોઈ એક ધર્મનો ઈજારો નથી. મુસ્લિમ રાજાઓ પણ ધર્મથી ઉપર જઈને ન્યાય કરતા હતા. એટલે મુસ્લિમો પાસેથી સદભાવનાની અપેક્ષા રાખવી અસ્થાને નથી.

પણ નહેરુવીયન કોંગ્રેસ જેવા અનેક દંભી અને વંશવાદી પક્ષો છે જેઓનું કામ લોકોને વિભાજીત કરવાનું છે. જેઓ સરદાર પટેલના જ્ઞાતિ બંધુઓને જેઓ પૈસાપાત્ર જ્ઞાતિઓમાં બીજે નંબરે છે તેમને પણ બહેકાવીને અતિનિમ્ન કક્ષાએ લઈ જઈને તેમને માટે અનામતનું ભૂત ધૂણાવી શકે છે તેમને માટે તો મુસ્લિમોને મમત ઉપર ચડાવવા ડાબા હાથનો ખેલ છે.

વર્તમાન પત્રોના કટારીયા માંધાતા પણ અનામતના ગુણદોષની ચર્ચા કરવાને બદલે બીજેપી કેવો તકલીફમાં આવી ગયો અને પાટીદારો કેવું કેટલું વ્યાપક આંદોલન કરી રહ્યા છે તેમાં રચ્યા પચ્યા રહે છે. આવા સમાજમાં ફક્ત ન્યાયાલયનો ચૂકાદો રામમંદિરનો પ્રશ્ન ઉકેલી શકે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, વચન, પ્રતિજ્ઞા, નહેરુવીયન, નહેરુ, ઇન્દિરા, મહાત્મા ગાંધી, રામરાજ્ય, રાજારામ, અર્થઘટન, નિયમ, પરિવર્તન, પ્રણાલી, શાસક, અધિકાર, ઈશ્વર, મનુ, અધિકારી, જનતંત્ર, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી, નિરીક્ષણ, સત્તા, ઋષિ,

      

 

  

 

 

Read Full Post »

આંદોલનપ્રિયોના આંદોલનોની નિરર્થકતા

Untitled01

જ્યારે ગાંધીજીએ આંદોલન, હડતાલ, બંધ, સવિનય કાનૂનભંગ અને અસહકારના શસ્ત્રોને ઉપયોગમાં લીધા હશે ત્યારે તેમને ખબર તો હતી જ કે આ શસ્ત્રોનો દૂરુપયોગ થશે. એટલે જ ગાંધીજીએ તેના નિયમો નક્કી કરેલા.

આંદોલન એટલે શું?

આંદોલન એટલે વિરોધ.

પણ સ્વસ્થ સમાજનો વિરોધ પણ સ્વસ્થ હોવો જોઇએ.

પણ સ્વસ્થ એટલે શું?

સ્વસ્થ એટલે પ્રગતિશીલ અને અહિંસક,

પ્રગતિશીલ એટલે શું? પ્રગતિશીલ એટલે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંવેદનશીલતામાં વૃદ્ધિ,

અહિંસક આંદોલન એટલે શું? અન્યને વાચા અને કર્મણાથી નુકશાન ન કરવું અને તેને પ્રગતિશીલતાના કર્મમાં જોડવો.

આંદોલનનો હેતુ વ્યાપક હિત માટે હોવો જોઇએ એટલે કે તેમાં સ્વાર્થ હોવો ન જોઇએ.

ધારો કે એક સમુદાયને બીજા સમુદાયથી નુકશાન થાય છે તો?

જો આમ હોય તો એમ વિચારવું પડે કે શું આમાં કાયદાનો ભંગ થાય છે કે નહીં? ધારો કે કાયદો જ એવો છે કે એક સમુદાયને જે ફાયદો થાય છે તેનું કારણ બીજા સમુદાયને થતું નુકશાન છે. જો આમ હોય તો કાયદો બદલવો જોઇએ. પણ આ તારતમ્ય સિદ્ધ કરવું જોઇએ.

દલિતોના ઉદ્ધાર માટે તેમના અલગ મતદાર મંડળ બનાવવાની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ આવેલ. મહાત્મા  ગાંધીએ તેનો વિરોધ કરેલ અને ઉપવાસ ઉપર પણ ઉતરેલ. કારણ કે આવો પ્રસ્તાવ સમાજને વિભાજિત કરે છે અને સમુદાયોની વચ્ચે ઘર્ષણ પેદા કરે છે.

છેલ્લા માણસને લક્ષમાં રાખો

ગાંધીજીએ કહેલ કે શાસન જે કંઈ નિર્ણય લે એનાથી સૌથી છેડેના માણસને કેટલો ફાયદો થશે તે પહેલાં વિચારે. નહેરુએ કરેલી અનામતની જોગવાઈનો પણ ગાંધીજીએ વિરોધ કર્યો હોત જો તે જીવતા હોત તો.

કોઈ એક વિસ્તાર લો. જો દલિતોનો સમુદાય વધુ ગરીબ હશે તો ગરીબોના જત્થામાં દલિતોની સંખ્યા વધુ હશે. બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્યની જ્ઞાતિવાળા ની સંખ્યા ઓછી હશે. એટલે જે યોજના ગરીબો માટે કરશો તેમાં દલિત સમુદાયના સભ્યોને વધુ લાભ મળશે.

કુશળતા અકુશળતા અને ગરીબી

પણ સમસ્યા એ ઉભી થાય છે કે જે તે વ્યવસાય માટે યોગ્યતાના લઘુતમ ધોરણો નક્કી કર્યા છે તે યોગ્યતા વાળા દલિતો તો મળશે જ નહીં. કારણ કે તેઓ તો અભણ છે અથવા ઓછું ભણેલા છે.

એટલે સર્વ પ્રથમ તો દલિતોને અક્ષરજ્ઞાન વાળા ઉપરાંત વ્યવસાયને યોગ્ય બનાવવા પડે. એટલે જ્યાં સુધી દલિતો યોગ્ય રીતે શિક્ષિત ન થાય ત્યાં સુધી તેમની આર્થિક સ્થિતિ સુધરે નહીં અને જ્યાં સુધી આર્થિક સ્થિતિ ન સુધરે ત્યાં સુધી તેઓ સુશિક્ષિત ન થાય.

આ વાતનું નિરાકરણ એ જ કે શિક્ષણ બધી રીતે મફત કરી દો એટલે કે શિક્ષણના ઉપકરણો (પુસ્તકો, નોટો, પેનસીલ વિગેરે)  પણ શિક્ષણ સંસ્થા જ આપે. સૌને શિક્ષણ સુલભ થાય તે માટે વધુ શિક્ષણ સંસ્થાઓ ખોલો.

શિક્ષણ અને ઉદ્યોગ

શિક્ષણ મફત કરો તો પણ સમસ્યા ઉકેલાતી નથી. શિક્ષકોને આડેધડ નીમી શકતા નથી. તેમને વેતન પણ આપવું પડે છે. આનો ઉપાય શિક્ષણને ઉદ્યોગ સાથે જોડવો જ જોઇએ પછી તે યંત્ર ઉદ્યોગ હોય કે ગૃહ ઉદ્યોગ હોય. જો આવું ન કરીએ અને સીધી નોટો છાપીયે તો લોકશાહીમાં મોંઘવારી વધે.

શાસને એવું કર્યું કે શિક્ષણ સંસ્થા સાથે ઉદ્યોગોને જોડ્યા નહીં તેથી શિક્ષણ સંસ્થાઓમાં પૂરતી વૃદ્ધિ થઈ નહીં, એટલે દલિતો માટે અનામત દાખલ કરી. અને પૈસાદારોના સંતાનો માટે દાનધર્મ આપવાની જોગવાઈ રાખી. સરકારી નોકરોના વેતન સ્વાતંત્ર્યના ચાર દશકા સુધી માંડ માંડ પુરું થાય તેવા હતા. એટલે સરકારે થીગડાં મારવા ચાલુ કર્યાં. સરકાર આમાં થીગડાં મારે એ પહેલાં તો સરકારી નોકરો ભ્રષ્ટ થઈ ગયા. ઓછું કામ કરો, લાંચ રુશ્વત લો, અને સરકારી પૈસાને પણ લૂંટો. જો આ શક્ય ન હોય તો બીજા ધંધા પણ કરો. વધુલાભ મેળવવા માટે આંદોલનો કરો.

આંદોલન કરતાં પહેલાં તેની વ્યાપક જનચર્ચા કરવી જોઇએ.

શાસકની મુલાકાત માગવી જોઇએ

શાસક સાથે પણ ચર્ચા કરવી જોઇએ. શાસક સાથે થયેલી ચર્ચાને જાહેર કરવી જોઇએ,

ચર્ચા માટે હમેશા બારણાના ખુલ્લા રાખવા જોઇએ,

જો શાસકના બચાવના કારણો તર્કને અનુરૂપ ન હોય તો તે કેવીરીતે તર્કને અનુરૂપ નથી તેની જાહેર ચર્ચા થવી જોઇએ.

જો આંદોલન તર્કબદ્ધ રીતે અનિવાર્ય હોય એવું જનતાનું વલણ લાગે તો શાસકને એક આવેદન આપવું જોઇએ કે શાસક્ની આ વાત તર્કયુક્ત અને તેથી અમારા માટે આંદોલન અનિવાર્ય બન્યું છે તેથી અમે તમને ૧૫ દિવસનો સમય આપીએ છીએ. જો કે તે દરમ્યાન પણ અમે ચર્ચા માટે તૈયાર છીએ.

આંદોલન કર્તા/ઓને શાસક પ્રત્યે નિષ્ઠા હોવી જોઇએ.

આંદોલન કર્તાએ/કર્તાઓએ કડકમાં કડક સજા ભોગવા તૈયાર રહેવું જોઇએ. આ સજાનો તેને/તેઓને બળાપો હોવો ન જોઇએ અને બળાપો ન કરવો જોઇએ.

આંદોલન કરવા જરુરી છે?

અનામતના આંદોલનો, સંસદમાં ચાલતું આંદોલન અને વહીવટી અક્ષમતાને કારણે થતા આંદોલનો ની ભીતરમાં જઈશું તો જણાશે કે આ બધા આંદોલનો પ્રજા હિતને બદલે સ્વાર્થ અને અથવા રાજકીય લાભના થઈ ગયા છે.

એક તો એ કે બધાં આંદોલનો અહિંસક હોવા જોઇએ.

અનામતનું આંદોલન એટલા માટે છે કે અમુક સમુદાયો પોતાને શોષિત સમુદાય માને છે અને તેથી તેઓ દલિત-સમકક્ષ છે પણ તેઓ સામાજીક રીતે પછાત વર્ગના નથી ને પ્રવર્તમાન કાયદા હેઠળ તેમને અનામતનો લાભ મળતો નથી. તેઓ કાયદામાં ફેરફાર માગે છે.

કાયદાની સામે આમ તો સૌ સમાન છે. પણ અમુક વર્ગ ઈતિહાસની પાર્શ્વ ભૂમિકામાં સામાજીક રીતે દલિત, આર્થિક રીતે પ્રવર્તમાન કાયદા હેઠળ શોષિત અને ગરીબ છે અથવા તે વિષે વિવાદ છે. આ જ્ઞાતિ પરપ્રાંતમાં જાટ અને ગુજરાતમાં પટેલ એટલે પાટીદાર. આમ તો ખેડૂત પણ ખેડૂત એ કોઈ જ્ઞાતિ નથી. ખેડૂત એક વ્યવસાયી છે. પણ મોટેભાગે ખેડૂતોમાં મૂખ્ય જ્ઞાતિ સમુદાય પાટીદારોનો હોય છે એટલે આ પાટીદારો ને અનામતનો લાભ લેવો છે.

રાહત અને અનામત

ખેડૂતને જરુર પડે રાહત આપવી એ એક વાત છે. અને તેને અનામતનો લાભ આપવો એ બીજી વાત છે. અનામતનો લાભ એટલે નોકરીઓમાં તેમને માટે અમુક ટકા અનામત રાખવાની. શાળા મહાશાળાઓમાં  અમુક બેઠકો જે ગરીબો માટે અનામત રાખવામાં આવે છે તેમાં તેમનો પણ હિસ્સો રાખવાનો.

ઉચ્ચ ન્યાયાલયના બે આદેશ છે કે તમે ૪૯ ટકાથી વધુ અનામત રાખી ન શકો. અને કોઈ પણ અનામત અનિશ્ચિત કાળ માટે ન રાખી શકો. એટલે અનામતમાં તમે તમારા સમુદાયનો ઉમેરો કરો એટલે બીજા ચાલુ અનામતીઓમાં હિસ્સો પડાવો એવું થાય.

બંધારણ જ્ઞાતિ પ્રથામાં માનતું નથી. પણ સમાજમાં પરંપરાગત રીતે અમુક જ્ઞાતિઓને પછાત ગણવામાં આવે છે. અને તેવી માનસિકતા પણ ચાલુ છે. તેથી જ્યાં સુધી આ માનસિકતા ચાલુ રહે ત્યાં સુધી તેમને માટે અનામત રાખવી એવી માન્યતા છે. આવા સમુદાયો અપરંપાર છે એટલે સરાકર મા બાપે એક એવી જોગવાઈ રાખી કે જે સમુદાય પોતાને દલિત શોષિત પછાત માનતો હોય તેણે રજુઆત કરવી.

સરકાર સમક્ષ રજુઆત કરવી એ પૂરતું નથી. માગણી ન્યાયિક પણ હોવી જોઇએ. ન્યાયિક હોવા માટે પ્રમાણો હોવા જોઇએ. એટલે સમુદાયો લોકશાહીના ઓઠા હેઠળ આંદોલન કરે છે. આંદોલનના નિયમો પળાતા નથી.

શાસન જો સક્ષમ હોય તો સ્વતંત્રતાના ૬૦ વર્ષે કોઈ અભણ, બેકાર અને ગરીબ હોય જ નહીં. શાસન જો અક્ષમ હોય તો તે મોટા ભાગે બધા ક્ષેત્રોમાં અક્ષમ હોય કારણ કે શાસન એ એક વ્યક્તિ નથી પણ એક જુદી જાતનો સમુદાય છે. આ સમુદાય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ અક્ષમ હોય છે. એટલે રસ્તા રોકો, રેલ રોકો, ગામ બંધ કરો જેવા આંદોલનો થયા કરે છે અને જનતાને બાનમાં લેવામાં આવે છે. આ હિંસા છે. એક સમુદાય પોતાનો સ્વાર્થ સાધવા માટે હિંસા ઉપર ઉતરી આવે છે.

સમુદાય અને જ્ઞાતિ જુદા જુદા છે. સમુદાય વ્યવસાય ને આધારે હોય અને ન પણ હોય. જ્ઞાતિ જન્મને આધારે છે. પણ એક સમુદાયમાં એક જ્ઞાતિ મોટી બહુમતીમાં હોય એટલે સમુદાયની લડત, જ્ઞાતિની લડત થઈ જાય છે. તે જ્ઞાતિની લડત તરીકે જ લડાય છે અને જ્ઞાતિનું જ હિત જોવાય છે. રજુઆત પણ જ્ઞાતિ માટે જ થાય છે.

તાર્કિક રીતે અને દેશના સમગ્રના લાંબાગાળના હિતમાં જોઇએ તો વ્યાવસાયિક, સામુદાયિક અને  જ્ઞાતિ આધારિત આંદોલન નૈતિક રીતે અયોગ્ય છે. તેને ગેરબંધારણીય પણ ઠેરવી શકાય.

જો કોઈ વ્યક્તિ કે સમુદાયને કાયદાના અમલથી અન્યાય થયો હોય તો ન્યાયના દરવાજા ખુલ્લા છે. કારણ કે અન્યાયકારી કાયદો ન્યાયાલય રદ કરી શકે છે.

જો કાયદાના અભાવથી અન્યાય થતો હોય તો પણ ન્યાયાલય પાસે જઈ શકાય અને ન્યાયાલય સરકારને આદેશ આપી શકે તે કાયદામાં સંશોધન કરે.

જો ન્યાયાલય આદેશ આપે તો પણ સરકાર ન્યાયાલયના આદેશનો અમલ ન કરે તો પછી જનતાએ તેને ચૂંટણી વખતે જવાબ આપવો જોઇએ. જેમકે ન્યાયાલયે નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીવાળી સરકારને આદેશ આપેલો કે “કાળાનાણાં” અને તેમાં સંડોવાયેલા ગુનેગારો ને શોધવા માટે સરકાર એક ખાસ તપાસ સમિતિ બનાવે. પણ  નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીવાળી સરકારે ન્યાયાલયની વાતને ગણકારી નહીં. વિરોધી નેતાઓ જનતા સમક્ષ ગયા અને ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીનો ઘોર પરાજય થયો.

આ તો સમગ્ર દેશના હિતનો મુદ્દો હતો. પણ એક સમુદાયને જો અન્યાય થતો હોય તો તેણે શું કરવું? જનતામાં તો કોઈપણ એક સમુદાય, જ્ઞાતિ કે વ્યવસાયી લઘુમતિમાં જ હોય છે. એટલે સમગ્ર જનસમાજ તો તેને સમર્થન ન જ આપે. આ સમુદાય આંદોલન ન કરે તો શું કરે?

સમજી લો, સમુદાયને બંધારણ ઓળખતું નથી. જ્ઞાતિઓને બંધારણ કાયમ માટે ઓળખવા માગતું નથી. વ્યવસાયીઓના રક્ષણ માટે મજુર કાયદાઓ છે. એટલે સ્વતંત્ર અને જનતાંત્રિક દેશમાં આંદોલનને સ્થાન નથી. જો વહીવટ બરાબર ન થતો હોય તો માહિતિ અધિકાર છે અને ન્યાયાલયો છે. જો સમુદાયની માગણીઓમાં નિરપેક્ષ સત્ય હોય તો ચૂંટણી વખતે જનતા સમક્ષ જાઓ અમે સમગ્ર જનતાને સમજાવો. જો આંદોલનો દ્વારા રાજકીય લાભો મેળવવા હોય તો સજા માટે તૈયાર રહો.

નિસ્ફળતા છૂપાવવા અનામત અને અનામત એક વ્યૂહરચના

અનામતની જરુર ત્યારે જ પડે કે જ્યારે શિક્ષણ વાંચ્છુંઓની સખામણીમાં જેટલી શિક્ષણ સંસ્થાઓ હોવી જોઇએ તે કરતાં ઓછી પડતી હોય અને બેકારોની સંખ્યામાં નોકરીઓ ઓછી હોય.

પણ ભારતમાં નહેરુવીયન કોંગ્રેસે પોતાની વહીવટી, વૈચારિક અક્ષમતા અને સત્તાલાલસાને કારણે એવી સ્થિતિ ઉત્પન્ન કરી કે

એક બાજુ શિક્ષિત બેકારોની ફોજ અને બીજી બાજુ અશિક્ષિત બેકારોની ફોજ,

એક બાજુ ભૂખ મરો અને બીજી બાજુ અનાજનો સડો,

એક બાજુ નદીઓના પૂર અને બીજી બાજુ પાણી વિહીન નદીઓ અને તળાવો,

એક બાજુ લાંબો સમુદ્ર કિનારો અને બીજી બાજુ બંદરોની તંગી,

એક બાજુ દુધાળા જાનવરોનો ભૂખમરો અને તેમની કતલ અને બીજી બાજુ ઉજ્જડ જમીન,

એક બાજુ  વણવપરાયા કુદરતી ઉર્જા સ્રોતો બીજી બાજુ ઉર્જાની તંગી.

એક બાજુ વણવપરાયા ખનિજો અને બીજી બાજુ ધાતુની આયાતો,

એક બાજુ વેરાન રણભૂમિ અને વૃક્ષ હીન પહાડો અને ટેકરાઓ, બીજી બાજુ અનાજ અને ખાદ્યપદાર્થોની તંગી.

એક બાજુ  ઝોંપડ પટ્ટીઓ અને પડું પડું થતા મકાનો અને બીજી બાજુ ખાલી અને ન વેચાતા મકાનો,

એક બાજુ ફુટપાથ ઉપર, રસ્તાની જમીનો ઉપર, પાથરણાવાળા અને લારીગલ્લાવાળા, કબાડીઓ, ભોંયરાની પાર્કીંગની જગ્યા ઉપર દુકાનો, રહેણાંકના મકાનોમાં દુકાનો અને બીજી બાજુ મોલના સંકુલમાં વેચાયા વગરની દુકાનો,

એક બાજુ ટ્રાફિક જામ અને બીજી બાજુ રસ્તા ઉપર પેઈડ પાર્કીંગ,

આવી અવ્યવસ્થા ભર્યા વારસાને તમે કેવીરીતે સુધારશો?

જ્યાં સમસ્યા છે ત્યાં જ સમાધાન પણ છે. દૂધ પણ છે અને મેળવણ પણ છે. પણ દહીં કરવું નથી અને ઘીની અછતની બૂમો પાડવી છે. દેશને નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીએ આવી કક્ષાએ લાવી મૂક્યો છે.

બેકારી દૂર કરવાનો ત્વરિત ઉપાય ગૃહ ઉદ્યોગ છે. પણ લોકમાનસ તે માટે તૈયાર નથી. કોઈને ખરબચડી લાગતી ખાદી પહેરી શરીરને ઘસાવા દેવું નથી. માટીના વાસણ વાપરવા નથી. કાયદાને માન આપવું નથી અને બીજાની દરકાર કરવી નથી. તો ક્યાં સુધી રાહ જોઈશું? ૬૦ વર્ષ તો આમ જ ગયાં.

Untitled

નરેન્દ્ર મોદીમાં આર્ષદૃષ્ટિ છે. તેનામાં કુશળતા છે અને સમસ્યાઓની સમજણ છે. તે સમાજના દરેક કક્ષાના સ્તર ઉપરની જીંદગી જીવી ચૂક્યો છે. તેથી તેને ખબર છે કે દરેક સ્તરના માણસની માનસિકતા કેવી છે.

જો માળખાકીય સગવડો ઉભી કરશો તો ઉદ્યોગો આવશે. અને આ બંને નોકરીઓ ઉભી કરશે. પણ તે માટે તેને અનુરુપ કુશળતા વાળી વ્યક્તિઓ જોઇશે.

નરેન્દ્ર મોદીએ કુશળતા વિકસાવતી સંસ્થાઓ સ્થાપી.

નદીઓના જોડાણની, રેલમાર્ગ, જમીન માર્ગ અને જળમાર્ગ યોજનાઓ બનાવી. વાહનવ્યવહાર ઝડપી બને તેની પણ યોજનાઓ બનાવી.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદને ભોગવતો નથી. તેને તેની પ્રાથમિકતાઓની ખબર છે. તેણે વિદેશ પ્રવાસો કરી ભારત સરકારની વિશ્વસનીયતા વધારી, જેથી તેઓ ઉદ્યોગો સ્થાપે.

આજે જ્ઞાતિવાદના બંધનો કાળના પ્રવાહમાં નબળાં પડ્યા છે પણ નહેરુવીયન કોંગ્રેસે જ્ઞાતિવાદી રાજકારણ ને વકરાવ્યું છે. જે નહેરુવીયન કોંગ્રેસ કેન્દ્રમાં ૬૦ વર્ષ સત્તા પર હતી તેણે અનામતનું તૂત ઉભું કર્યું. જો આ તૂત ન હોત તો દલિતો દલિત રહ્યા જ ન હોત. નહેરુવીયન કોંગ્રેસે જ્ઞાતિવાદી રાજકારણ રમી જ્ઞાતિવાદને ઉશ્કેર્યો. ધર્મ અને પ્રાંતવાદને ઉશ્કેર્યો છે. તેથી સત્તાના લોભી બીજા પક્ષો અને વ્યક્તિઓ પણ એવી માનસિકતામાં આવી ગયા છે.

આ સૌની ભર્ત્સના કરો.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ આંદોલન, જ્ઞાતિ, વ્યવસાય, સમુદાય, સામાજિક વિભાજન, દલિત, શોષિત, બેકાર, શિક્ષિત, અશિક્ષિત, કુશળ, અકુશળ, નહેરુવીયન, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, સામાજિક સ્તર, માનસિકતા

Read Full Post »

વ્યાપમ કઈ હિમશિલાની ટોચ?

વ્યાપમછાપાં અને ટીવી ચેનલો માટેનો ગરમા ગરમ ટોપિક છે.

નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નર પણ એક આરોપી છે. ૨૦૧૪ ના મે માસ માં ભાજપ સત્તા સ્થાને આવ્યું ત્યારે ઘણા રાજ્યોમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરો હતા. કેટલાકનો કાર્યકાળ પુરો થયો અને કેટલાકે ભલામણથી રાજીનામું આપ્યું. પણ આપણા મધ્યપ્રદેશના ગવર્નરે રાજીનામું આપ્યું. મધ્યપ્રદેશના મુખ્ય મંત્રીએ પણ વિચાર્યું હશે કેજવા દો નેરાજીનામાનો વિવાદ ક્યાં ઉભો કરવો !!”

વ્યાપમ

વ્યાપમની રોપણી નહેરુવીયન કોંગ્રેસે કરી હતી.

વ્યાપમ કૌભાંડ બહાર આવ્યું. એમાં ઘણાના નામ સંડોવણીમાં આવ્યાં. ૨૫૦૦ જેટલા નામ આવ્યાં. અને એમાંના કેટલાક શક્યતાના સિદ્ધાંતને હિસાબે મરવા લાગ્યા કેટલાક આત્મઘાત કરીને મરવા લાગ્યા અને કેટલાક હત્યા થી મરવા લાગ્યા. આવા મૃત્યુઓમાં ગવર્નર સાહેબનો પુત્ર પણ સામેલ છે. કોણ કયા કારણથી મર્યું તેના ઉપર અપાર સંવાદ, વિવાદ અને વિખવાદ પણ છે.

નહેરુવીયન કોંગ્રેસીઓને તો ગોળનું ગાડું મળી ગયું છે. શિક્ષણ મંત્રી શું કામ, મુખ્ય મંત્રી પણ રાજીનામું આપે. અરે મુદ્દા ઉપર તો નરેન્દ્ર મોદી પાસે પણ રાજીનામું માગી શકાય. નહેરુવીયન કોંગ્રેસ તો આમેય પ્રદર્શન પ્રિય છે. તેને તો દોડવું હતું અને ઢાળ મળ્યો.

ટીવી ચેનલનો ખોરાક

ટીવી ચેનલોને હવે વિષય શોધવા માટે મહેનત કરવાની જરુર રહી નહીં. “મનોરંજનની સીરીયલોમાં કોઈ પાત્ર એક વાક્ય બોલે એટલે એક પછી એક દરેક પાત્રોનાડાચાઉપર બબ્બે ત્રણ ત્રણ વાર કેમેરો ફરે છે. આમ કરવાથી ઓછા સંવાદો થી વધુ એપીસોડ બને છે. દર્શકોને વધુ લહેજ્જત આવે છે કે કેમ તે તો ખબર નથી પણ પાત્રોને અને તે પણ શૃંગારપ્રિય સ્ત્રી પાત્રોને અને પ્રેક્ષિકાઓને વધુ લહેજત આવે છે.

તાજ સીગરેટની જાહેરાતમાં એક વાક્ય આવતું હતું. “ધીમી બળે છે અને વધુ લહેજ્જત આપે છે.” તેમ સીરીયલો ધીમે ચાલે છે અને પાત્રોને લેખકોને, દિગદર્શકોને, કેમેરામેનને, ચેનલવાળાને વધુ લહેજ્જત આવે છે. ઓછા માલે વધુ વેપાર. પણ બધી વાતો જવા દો. આપણી વાતવ્યાપમની છે.

બહુ આયામી બહુ પરિમાણી મસાલો

ટીવી ચેનલો વાળાને બહુ વખતે એક એવું કૌભાંડ મળ્યું કે જેને ઘણા પરિમાણો છે. આમ તો કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા અનેક બહુઆયામી કૌભાંડો  હતા. પણ યાર એમાં એવું હતું ને કે બધાંમાં આપણી નહેરુવીયન કોંગ્રેસનીબટનીચે રેલો આવતો હતો. રેલો ઠેઠ આપણી વિદેશી અને તે પણ મહાન દેશ ઈટાલી સુપુત્રી અને આપણા મીસ્ટર કલીન રાજીવ ગાંધીની વહુની નીચે રેલો આવતો હતો. હવે જો આપણે પ્રગતિશીલ વિચારધારામાં માનતા હોઈએ અને સુસંસ્કૃત હોઈએ તો કોઈ પાશ્ચાત્ય મૂળની વ્યક્તિની બુરાઈ તો કરી શકીએ. એટલે આપણે કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં બહુ ચાર્મફુલ બની શકીએ. હા છૂટકે જે કરવું પડે તે તો કરવું પડે. પણ એમાં બહુ મજા નહીં. વળી જે કોંગ્રેસ જ્યારે સત્તા ઉપર હતી ત્યારે કોને કયો મંત્રી કરવો તેને લગતી ભલામણો અપણે ટીવીવાળા કરી શકતા હતા અને કોંગ્રેસ આપણને દાદ પણ આપતી હતી એટલે કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં આપણાથી નગુણા થવાય. કમસે કમ નહેરુવીયન વંશની તો આમન્યા રાખવી જોઇએ.

પણ હવે જ્યારે વ્યાપમ જેવું બહુ આયામી બહુ પરિમાણી કૌભાંડ અને તે પણ, બીજેપી શાસિત મધ્યપ્રદેશમાં કે જ્યાં છેલ્લા ૧૦ વર્ષથી સાતત્યપૂર્ણ બીજેપીના શિવરાજ સિંહ ચૌહાણનું શાસન છે એવા રાજ્યમાં ખૂલે છે. આમાં તો આપણા માટે આકાશ સીમા છે. ભલે કૌભાંડમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરની સંડોવણી હોય અને કદાચ તેના મૂળીયામાં આપણા નહેરુવીયન કોંગ્રેસના અમુક નેતા સુધી પહોંચતા હોય તો પણ વાંધો નથી. આપણે એટલા કુશળ તો છીએ કે બધું લોપ્રોફાઈલમાં રાખી શકીએ.

અડવાણી જેમને પ્યાદુ બનાવવા માગતા હતા તે

એજ શિવરાજ સિંહ છે જેમને વડાપ્રધાન તરીકે પ્રસ્તૂત કરવા માટે એલ કે અડાવણીએ દાણો ચાંપેલો. પણ શિવરાજ સિંહ જાણતા હતા કે લોકપ્રિયતામાં નરેન્દ્ર મોદીની સમકક્ષ તેઓ નથી. આરએસએસે મોદી માટે દબાણ કર્યું હશે તેના મૂળમાં જનતામાં રહેલી નરેન્દ્ર મોદીની લોક પ્રિયતા હતી. વાતને અડવાણી કદાચ પોતાની ઉંમરને કારણે કે અન્ય કોઈ કારણે સમજી શકતા હોય તે અલગ વાત છે પણ શિવરાજ પાટિલ તો સમજી શક્યા હતા. જો શિવરાજ પાટિલ વડા પ્રધાન થયા હોત અને કદાચ બીજેપી પૂર્ણ બહુમત તો નહીં પણ એનડીએ તરીકે સંયુક્ત રીતે બહમતિમાં આવ્યું હોત અને કૌભાંડ બહાર આવ્યું હોત તો ટીવી ચેનલો અને બીજેપી વિરોધીઓએ ભેગા થઈને બીજેપી સરકારને પદભ્રષ્ટ કરી નાખી હોત.

હવે અત્યારે સમાચાર માધ્યમો વાતને લઈને અડવાણીને લપેટમાં લેવાના મુડમાં હોય. કારણકે તેમનાં ફક્ત ચાર લક્ષ્ય હોઈ શકે.

પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી

બીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી  

ત્રીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી.

ચોથું લક્ષ્ય બીજેપી

પાંચમું લક્ષ્ય હિન્દુઓ.

તમે કહેશોઅરે શું !! નરેન્દ્ર મોદી ત્રણ વાર અને તે પણ પહેલા, બીજા અને ત્રીજા લક્ષ્ય તરીકે?

અહો !! ચાલો એને જુદી રીતે લખીએ.

પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી

બીજું લક્ષ્ય બીજેપી સરકાર, જેના નેતા નરેન્દ્ર મોદી વિષે નકારાત્મક વલણ  એટલે કે ગમે તેમ કરીને કોઈ પણ શંકાસ્પદ બનાવને મોદી સાથે સાંકળી દેવો.

ત્રીજું લક્ષ્ય નહેરુવીયન કોંગ્રેસની હૈયાવરાળને સકારાત્મક રીતે રજુ કરવી. જેમકે રાહુલ ગાંધી (કે બીજું કોઈ પણ જે હાથવગું હોય તે)… તેને સકારાત્મક રીતે આવી રીતે રજુ કરવાના. “ઘોડો જો ઘોડો …. ઘોડાની ડોક જોઘોડાની કેશવાળી જો, ઘોડો કેવો દોડે છેઘોડો કેવો હણ હણે છેઘોડો જો ઘોડો જો… “ રાહુલ ગાંધી આવા છે. આવું કહેવાથી, કાન્તિભાઈ ભટ્ટ (સબ બંદરના વેપારી એવા કટાર લેખક) ના લોજીક પ્રમાણે નરેન્દ્ર મોદી ઘોડો નથી પણ શિયાળ છે. નરેન્દ્રમાં કશું વખાણવા લાયક નથી. તેમને દોડતાં પણ નથી આવડતું અને હણહણતાં પણ નથી આવડતું.

તમે કહેશોઅરે ભાઈ આમાં તમે કાન્તિભાઈ ભટ્ટને શેના ગોદા મારો છો? કાન્તિભાઈ ભટ્ટે, વ્યાપમમાં એમ દલીલ કરી કે જો પૈસા વેરીને વડાપ્રધાન થઈ શકાતું હોય તો પૈસા વેરીને (વ્યાપમ મારફત), ડોક્ટર કે અફસર કેમ થવાય?”  બોલોઆમાંથી તમને શો સંદેશો મળે છે?

લક્ષ્ય ભેદવાની વ્યૂહરચના !!

એક વખત જો ત્રણ લક્ષ્ય સિદ્ધ થઈ જાય તો બાકીના લક્ષ્યો સિદ્ધ કરવા સરળ છે. ૧૯૬૯માં એમ થયેલું. ૧૯૬૭માં વિપક્ષ ને મજબુત થયો જોયો એટલે સમાચાર માધ્યમોએ ચગાવ્યું. ઇન્દિરા ગાંધીએ મોરારજીને કેવા બટેકા, રીંગણાની જેમ હાંકી કાઢ્યા, બેંકોનું કેવું જોરદાર રાષ્ટ્રીયકરણ થયું, રાજાઓના પ્રીવી પર્સ કેવા ખતમ કર્યા. આવી ઘણી બીન ઉપજાઉ વાતો એટલી બધી ચગાવીકે વિરોધપક્ષ અને જનતા પણ હતઃપ્રભ થઈ ગઈ. ૧૯૬૯-૭૦માં ઇન્દિરા કોંગ્રેસને જ્વલંત વિજય મળ્યો. એમાં વળી ૧૯૭૧માં પોતાના ગૃહયુદ્ધોથી ત્રસ્ત એવા બેવકુફ પાકિસ્તાનને હરાવ્યું એટલે વિપક્ષ રાજ્યોમાંથી પણ નેસ્ત નાબુદ થઈ ગયો.

પણ પારકાના જોરે તમે સુશાસન ચલાવી શકો. ભલે તમે ઘુસણખોર મુસ્લિમો મારફત વોટબેંક બનાવો, દલિતોને ઉશ્કેરો, જાતિવાદને ઉશ્કેરો, પણ તેથી બેકારી દૂર થાય કે ઉત્પાદન પણ વધે. હા લઘુમતિઓની સંખ્યા વધે. તમે જુઓ ઉત્તરપૂર્વી રાજ્યો, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત પશ્ચિમી રાજસ્થાન કાંતો તેઓ જાતિવાદથી ત્રસ્ત છે અથવા તો ધર્મવાદથી ત્રસ્ત છે. વાત સ્વયંબળને બદલે, બીજાના ખભા અને બીજાની બુદ્ધિ (કેજીબી)થી વડાપ્રધાન  થયેલી ઇન્દિરા ગાંધી સમજી શકે. એટલે તેનો ૧૯૭૭માં કારમો પરાજય થયો. પણ પરાજયથી તે એટલું શીખી ગઈ કે ચૂંટણીઓ કેવી રીતે જીતાય છે.

ગરીબોની કસ્તૂરી અને મંગળસૂત્ર

એટલે ૧૯૭૭માં જનતા પક્ષની સરકાર વખતે આ સરકારે તો ગરીબોની કસ્તૂરી એવી ડૂંગળીનો ભાવ વધારી દીધો … બહેનોના મંગળસુત્રો મોંઘા કરી દીધા, લૉ અને ઓર્ડર ખાડે ગયા છે …  રંગાબીલ્લાઓ પેદા થયા છે. બાળકો સુરક્ષિત નથી. રંગા બીલ્લાએ કરેલા દુસ્કર્મનો કેસ સમાચાર પત્રોએ બહુ ચગાવ્યો.  સોનાનો ભાવ દાણ ચોરી ની સાથે પણ સંબંધ ધરાવે છે. મૂળ તો દાણ ચોરીને ઇન્દિરાએ બહુ ફાલવા દીધી હતી. જનતા પાર્ટીએ દાણચોરી ઘટાડી દીધી. દાણચોરી ઘટી ગયી હતી તેથી સોનાના ભાવ વધ્યા હતા. એમાં વળી ચરણ સીંગ જેવાને વડા પ્રધાનપદની લાલચ આપીને ફોડ્યા એટલે ૧૯૮૦માં જનતાપાર્ટી હારી ગઈ. આમ ઇન્દિરા ગાંધી એટલું શીખી ગઈ કે સમાચાર માધ્યમોને અને લઘુમતિઓને યેનકેન પ્રકારેણ હાથમાં રાખવા. તેમને હાથમાં રાખવા હોય તો સમાચાર માધ્યમોની માલિકી કરી લેવી. અત્યારે સમાચાર માધ્યમો લઘુમતિના હાથમાં છે. અને તેઓ કદી બીજેપીના થાય નહીં. કારણ કે નહેરુના જમાનાથી કે જ્યારે જનસંઘની કશી રાજકીય સત્તા હતી કે ન તો કશો જનાધાર હતો, તે વખતે પણ નહેરુ જનસંઘને ભાંડતા રહેતા હતા. તેમનો હેતુ પોતે બહુ પ્રગતિશીલ માનસવાળા છે તે પ્રદર્શિત કરવાનો હતો. આવી માનસિકતા ઘણા હિન્દુ મૂર્ધન્યોમાં પણ છે. એટલે હિન્દુઓને તો સહેલાઈ થી ભેદી શકાય છે. પણ આપણી વાત વ્યાપમ ની છે.

વ્યાપમની વ્યાપકતા કેટલી?

જો ૨૫૦૦ ઉપરાંત વ્યક્તિઓની ધરપકડ થઈ હોય તો સમજી શકાય એમ છે કે તે મધ્યપ્રદેશમાં ઠીક ઠીક પ્રમાણમાં વ્યાપક હોઈ શકે.

સરકારી નોકરીઓ માટે પરીક્ષા લેવી વાત અનીતિની છે.

કૌભાંડનો પાયો પરીક્ષાઓ છે.

જનતા માટે સરકાર એ એક વ્યક્તિ છે. પછી તે ભલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય.

ધારો કે તમે વ્યક્તિ ને કંઈક વાત કરી. તે વ્યક્તિ તેમાં સંમત થાય. પણ પછી તે ફરી જાય. અને તે કહે કે તમે જે વાત વાત કરી હતી તે તો તમે મારા ડાબા કાનને કહી હતી. મારા જમણા કાનને નહીં. તમે કહેલી વાત વિષે નિર્ણય તો જમણા કાન દ્વારા સાંભળવામાં આવી હોય તો જ થઈ શકે છે.

તમે મહેનત કરી એક સુંદર ચિત્ર બનાવ્યું. સામેની વ્યક્તિને ગમ્યું. તેણે લીધું પણ પૈસા ન આપ્યા. તમે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે એતો મેં ડાબી આંખે જ જોયું હતું. જમણી આંખે જોયું નહતું. પૈસા કેવા ને વાત કેવી.

યુનીવર્સીટીઓ ને માન્ય કોણે ગણી?

સરકારે.

સરકારે આ યુનીવર્સીટીઓને કયા અધારે માન્ય કરી?

સરકારે યુનીવર્સીટી માટે ધારાધોરણો ના માપદંડ બનાવેલા. આ માપદંડોના આધારે સરકારે યુનીવર્સીટીઓને માન્ય કરી.

શું યુનિવર્સીટીઓ દ્વારા અપાતું શિક્ષણ સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત નથી?

શું આ યુનીવર્સીટીઓ દ્વારા લેવાતી પરીક્ષાઓ સરકારને માન્ય નથી?

જો યુનીવર્સીટીઓ સરકાર માન્ય હોય અને તેના દ્વારા યોગ્ય અભ્યાસક્રમો ચાલતા હોય તો પછી બીજી પરીક્ષાઓ લેવાની જરુર શી રીતે હોઈ શકે. તો સરકાર પોતે પોતાને અમાન્ય કરે છે એવું  ફલિત થાય છે. કાં તો સરકાર દંભી છે કાં તો સરકાર ઠગ છે.

પરીક્ષાઓની ઠગાઈ કોણે ચાલુ કરી?

આમ તો અંગ્રેજોએ આઈ સી એસ ની પરીક્ષા ચાલુ કરેલી. કારણ કે તેમને એવા અફસરો જોઇતા હતા કે જેઓ અંગ્રેજીથી અભિભૂત હોય અને દેશી લોકો સાથે સંવાદ કરી શકે. ખાસ પ્રકારની ટોળકી ઉભી કરવા માટે આઈસીએસ પરીક્ષા રાખેલી. પણ ગાંધીજીએ જે લડત ચલાવી અને અંગ્રેજસરકારના દંભનો પર્દાફાસ કર્યો તેનાથી ઘણા સ્કુલી અને કોલેજી ભણેલા ઉપરાંત આઈસીએસ અધિકારીઓનો ભ્રમ પણ ભાંગ્યો. જો કે નહેરુ જેવાઓનો અંગ્રેજીયત તરફનો ભ્રમ ભાંગ્યો હતો. સરદાર પટેલને લાગેલ કે વહીવટમાં આઈસીએસ જેવા પણ સંસ્કારે ભારતીય (પોતાના જેવા ) અધિકારીઓ ભારતમાં પકવી શકીશું. પણ નહેરુના દંભની પ્રાકૃતિક અસર ભારતીય નેતાઓની ઉપર વ્યાપક રીતે પડશે તે વાતનો તેમને ખ્યાલ નહીં.

વાસ્તવમાં યોગ્ય રહેશે કે સરકાર આવી ફાલતુ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ આવા અભ્યાસક્રમો ચલાવે. અને પછી વિદ્યાર્થીના ક્ર્માંક પ્રમાણે તેને નોકરીમાં રાખે.

અમારા એક સાહેબ ૧૯૭૩માં એક વાત કહેતા હતા કે ભારત એક એવો દેશ છે કે જો તમે ઢીલું મુકો તો કૌભાંડ જન્મે અને અક્કડ રહો તો ફરીયાદ થાય. પાણીમાં રહેતી માછલી બહુ પાણી પી જાય છે. માછલી પાણી પી ગઈમાછલી પાણી પી ગઈએવી બુમો શરુ થઈ જાય.

આપણી શાળાઓ, કોલેજો અને યુનીવર્સીટીઓ કેવી છે?

સ્વતંત્રતા પછી જો સૌથી વધુ દુર્લક્ષ્ય સેવાયું હોયા તો તે શિક્ષણ છે. સરકારે પુરતી શાળાઓ ખોલી નહીં. પીટીસી અને બીટી (હવે બીએડ) ની શાળાઓ પણ નહીંવત. કોઈપણ સરકારી શાળામાં પ્રવેશ મુશ્કેલ હતો. જે ખાનગી શાળાઓ હતી તેમાં જે ગાંધીવાદી પ્રવાહવાળા હતા તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમની શાળાઓ સારી ચાલી. જેમકે ભાવનગર ની ઘરશાળા, સનાતન, રાજકોટની સૌરાષ્ટ્ર (બહાદુરભાઈ ધોળકીયા) હાઈસ્કુલ, ચૌધરી હાઈ સ્કુલ. પણ પછી બધી શાળાઓએ શિક્ષણને ઉદ્યોગ કરી દીધો.

શાળાઓ મેદાન વગરની થઈ ગઈ, કેટલીક શાળાઓ ભાડાના મકાનમાં બીજે માળ કે ભોંયરામાં ચાલતા ઉદ્યોગો જેવી થઈ ગઈ. અમદાવાદમાં તો કોલેજો પણ ભોંયરામાં ચાલે છે. ચિમનભાઈની એક કોલેજ ભર બજારે દુકાનોની ઉપરના બીજા માળે ચાલે છે. યુપી બિહારમાં યુનીવર્સીટીઓ ભાડેના મકાનના બીજે માળ ચાલે.

દશમું ધોરણ અને બારમું ધોરણ. પરસન્ટેજ અને પરસન્ટાઈલ ના તૂત નિકળ્યા. વળી પાછા કોમન એન્ટરન્સ ટેસ્ટ નિકળ્યા.

આ બધું શું કામ છે. ઘણાને પરસન્ટેજ અને પર્સન્ટાઈલના ભેદની ખબર નથી. પરસન્ટાઈલ એટલે બધા ધોરણોમાં થયેલ સમગ્ર રીતનું મૂલ્યાંકન. આ પણ એક વ્યાપમ છે. જો મૂલ્યાંકન અલગ અલગ સંસ્થાઓ કે વ્યક્તિઓ કરતી હોય અને સર્વથા ભીન્ન ભીન્ન હોય, પરીક્ષાર્થી માટે પૂનઃ મૂલ્યાંકનનો વિકલ્પ ન હોય તો આ પદ્ધતિ અન્યાયકારી છે. આ એક લાંબી ચર્ચાની વાત છે.

મૂળ વાત એ જ છે કે જેમ કાર્ય ની પસંદગી એ વ્યક્તિની સ્વતંત્રતા અને હક્ક છે. તેમ જેને તમે એક ધોરણમાં પાસ કર્યો અને તે વાત તેણે કબુલ રાખી તો તેનો ક્રમ તેણે પ્રાપ્ત કરેલા ગ્રેડ ઉપર જ નિશ્ચિત કરી શકાય. જો તે વિદ્યાર્થી પાસ થયો હોય પણ તેને તેનો ગ્રેડ કબુલ ન હોય તો તે ફરીથી પરીક્ષા આપી શકે.

એક માત્ર પરીક્ષાના ગ્રેડના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન અને યોગ્યતા નક્કી ન કરી શકાય. વાસ્તવમાં તેનું રોજબરોજનું મૂલ્યાંકન થવું જોઇએ.

પણ શિક્ષકો, આચાર્યો અને સચિવો અને મંત્રીઓ કહેશે કે એક વર્ગમાં ૪૦ વિદ્યાર્થીઓ હોય એટલે દરેકનું રોજ બરોજનું મૂલ્યાંકન ન કરી શકાય. પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ કોણે સ્થાપી?  તમે તો સ્થાપી છે. કારણ કે શાળાને ઉદ્યોગવાળી બનાવવાને બદલે શિક્ષણને તમે ઉદ્યોગ બનાવ્યો છે. ઓછા શિક્ષકો અને ભૂતિયા શિક્ષકો રાખી તમારે નફો કરવો છે. ઉદ્યોગશાળા ને બદલે શાળાઉદ્યોગ ચાલુ થયો.

વ્યાપના સ્વરુપો

Vyam is everywhere

બિહારમાં એક પરીક્ષા ના સ્થળે ચોથામાળની બારીના છજા સુધી માણસો ચડી પરીક્ષાર્થીઓને નકલ કરાવતા હતા. પોલીસ કહે અમારું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. પરીક્ષામાં થતી ચોરી અટકાવવાનું કામ સંચાલકોનું છે. એટલે કે પરીક્ષામાં ચોરી કરવી એ કાયદાની વિરુદ્ધ નથી. ટીવી ચેલનવાળા પહોંચી શકતા હોય અને આખો દેશ જોતો હોય પણ સરકારનું શિક્ષણ ખાતું અજાણ હોય તે આપણા દેશને ગોઠી ગયું છે. આ એકલ દોકલ દાખલો નથી. આ વ્યાપમથી પણ વ્યાપક છે.

પંજાબના સર્વીસ કમીશનના ચેરમેનના ઘરે દરોડો પડ્યો તો એક કરોડની ચલણી નોટો મળી. શું પંજાબમાં વ્યાપમમાં નથી? ઠેર ઠેર વ્યાપમ છે. જ્યાં જ્યાં પ્રવેશ પરીક્ષાઓ છે ત્યાં ત્યાં વ્યાપમ છે. પ્રવેશ પરીક્ષા નું ધ્યેય જ વ્યાપમ પ્રવેશી શકે તે માટેનું છે.

આપણે એવું ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી બધી પ્રવેશ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ બધી જાતના અભ્યાસક્રમો રાખે. તબક્કે તબક્કે એપ્ટીટ્યુડ ટેસ્ટ પણ લેવાતા રહે. પરીક્ષાર્થીને એપ્ટીટ્યુડ બદલવો હોય તો ગીતા વાંચે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વ્યાપમ, વ્યાપક, આઈસીએસ, પ્રવેશ પરીક્ષા, અધિકારીઓ, નહેરુ, નહેરુવીયન, સરકાર, યુનીવર્સીટી, શાળા, શિક્ષક, આચાર્ય, વિદ્યાર્થી, પરીક્ષાર્થી, ગ્રેડ, મૂલ્યાંકન, ક્રમાંક,  કૌભાંડ, ખાનગી, બહાદુરભાઈ ધોળકીયા, રાજકોટ, ઘરશાળા, ભાવનગર, સૌરાષ્ટ્ર હાઈ સ્કુલ, સરકારી શાળા, પીટીસી, બીએડ, બીટી, ઉદ્યોગશાળા, શાળાઉદ્યોગ

Read Full Post »

નેપાળો કે હરડે ચૂર્ણ કે પૃથક ચૂર્ણ માંથી શું પસંદ છે?

અકળ મોદી

વળી પાછો આપણા કાન્તિભાઈ ભટ્ટે, પોતાને વિદ્વત્તાપૂર્ણ લાગે તેવો એક વિશ્લેષણાત્મક લેખ લખ્યો. આમ તો પોતે વિદ્વાન છે તેવું પ્રદર્શિત કરવું હોય તો પોતે “વેલ રેડ” “અતિવાચનવિદ્‍” છે, તેવું તો પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે બતાવવું જ પડે. વળી કાન્તિભાઈની માન્યતા પ્રમાણે ભારતીય જનોની માન્યતા એ છે કે આપણે ભારતના પ્રાચિન કે અર્વાચિન વિદ્વાનો કરતાં વિદેશી નામોવાળા કહેવાતા વિદ્વાનોને ક્યાંય વધુ વિશ્વસનીય માનતા હોઈએ છીએ. તેથી કાન્તિભાઈના લખાણોમાં તમને આવા વિદેશી નામો યુક્ત કથનો ઉદ્ધૃત થયેલા વધુ જોવા મળશે. આમ તો જેઓ વિદેશમાં સ્થાયી થયા હોય તેવા આપણા ભારતીય મૂળના માણસો વિદેશી વિદ્વાનોની અને સમાચાર માધ્યમના વિશ્લેષકોની તારતમ્ય વાતોને બ્રહ્મવાક્ય સમજતા નથી અને આકર્ષાતા પણ નથી. પણ આ માનસિકતા હજુ ભારતમાં વિકસી નથી. આ બાબતમાં ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના વિશેષજ્ઞ શ્રી રાજીવ મલહોત્રાએ ભારતીય સાંપ્રત મહાનુભાવોની ખાસી રમૂજી વાતો કરી છે.

પણ આપણે એ વાત જવા દઈએ.

વાક્‍ પ્રહારો

મૂળવાત છે કે આપણા આ કટારીયા ભાઈ નરેન્દ્ર ભાઈ મોદીની ઉપર લેખીની દ્વારા પ્રહારો કેમ કરે છે? અને તે પણ કોઈ આધાર વગર.

જે વાતોને આધાર ન હોય અને ફક્ત તારવણીઓ જ હોય તેને ચર્ચા કે વિશ્લેષણ તો ન જ કહેવાય. તેને આપણે સુષ્ઠુ ભાષામાં મનોભાવ કે માનસિકતા કહી શકીએ. ગુજરાત માં એક “શનિ” નામના કાર્ટૂનીષ્ટ હતા તેઓ જોકે આમ તો વિશ્વકક્ષાની પ્રજ્ઞા ધરાવતા હતા, પણ કોંગ્રેસવાળાને આ વાસ્તવિક રીતે “તડ અને ફડ” કહેનારા શનિભાઈ સામે વાંધો પડી ગયેલ. મોરારજી ભાઈને ખાસ વાંધો પડતો નહીં પ્ણ જ્યારે ઈન્દીરાઈ કોંગ્રેસે ગુજરાતમાં દેખા દીધી અને કેન્દ્રમાં તેનું પ્રભૂત્વ ઘણું વધ્યું ત્યારે દેખીતી રીતે જ ઈન્દીરાઈ કોંગ્રેસીઓ શનિ ભાઈને કનડવામાં ઝાલ્યા રહે ખરા? આ વાત પણ બહુ લાંબી છે. અને અહીં અસ્થાને છે.

આ શનિભાઈ તથ્ય હીન અને વેતાવગરની ટીકાઓને “મળોત્સર્જ”ની ક્રિયા કહેતા. નેપાળો લીધો હોય તો આ ક્રિયા “એક ‘ઘા’એ પતી જાય. પણ નેપાળો રોજ ન લેવાય. ચૂર્ણ રોજ લઈ શકાય. હરડે પણ ચગળી શકાય. નેપાળો એ એક મોટો પ્રહાર કરે છે. ચૂર્ણ શનૈઃ શનૈઃ ધક્કો મારી “મળ”ને તેના નિકાસદ્વાર પાસે પહોંચાડે છે. હરડે આંતરડાને હલનચલન માટે ઉત્તેજીત કરે કે જેથી “મળ” ભાઈ તેમના નિકાસદ્વાર પાસે પહોંચે.

આપણા કટારીયા ભાઈએ શું લીધું છે તે આપણે જાણતા નથી. પણ આપણા ભાઈશ્રીને નેપાળો વધુ પસંદ લાગે છે.

આપણા કટારીયાભાઇઓ, કાંતિભાઈ અને પ્રકાશભાઈ એ બે માં ફેર શો છે?

જો તમારે કોઈની બુરાઈ કરવી હોય તો બે રીતે કરી શકો છો. બીજા કોઈપણ વિષય ઉપર વિશ્લેષણ કરતા હો, પણ વાતવાતમાં હરતા ફરતાં નરેન્દ્ર ભાઈ મોદીને ગોદા મારતા રહો. એટલે કે છૂટક છૂટક. પ્રકાશભાઈ કંઈક આવું કરે છે. બોક્સીંગ બીજા કોઈની સાથે કરતા હોય, પણ એકાદો ગોદો જેને લક્ષ્યમાન્યું નથી તેને (નરેન્દ્ર મોદીને) પણ ઉંધા હાથે મારી લે છે..

કાન્તિભાઈ એક જ સમયે ગોદાઓની એક બંદરેથી (સબ બંદરકા વ્યાપારી હોવાથી) ફડાફડી બોલાવી દે છે. ગોદાઓ નરેન્દ્ર મોદીને જેટલા પહોંચ્યા એટલા ખરા. ન પહોંચે તો કંઈ નહીં. આપણી નિકાસ રેકર્ડ ઉપર તો આવી જ જશે તેથી કોઈક વાર કામ લાગશે. બુમરેંગ થશે તેની તેમને ખબર નથી.

પેટના દુઃખાવાનો ઈલાજ

કાયમ ચૂર્ણ, નિત્યચૂર્ણ કોમર્સીયલ બન્યા પછી પૃથક ચૂર્ણ નામનું એક નવું ચૂર્ણ શોધાશે. જે સરકારી નોકરોને ખાસ કામ લાગશે. સરકારી નોકરોને અવારનવાર બ્રેક લેવાની ટેવ હોય છે. અને તેને માટે બહાનાની જરુર હોય છે. કારણ કે આ પૃથક ચૂર્ણ લેવાથી લેનારને પૃથક પૃથક “મળોત્સર્જન” કરવા જવું પડશે. આપણા ઋષિમૂનિઓએ “મળોત્સર્જનાસન” નામનું કે કાઠિયાવાડી સુજ્ઞ ભાષામાં “હંગાસન” નામનું એક આસન શોધ્યું હતું. ઘણા પ્રયોગેને અંતે આ આસન શોધ્યું હતું. પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરનીચે હવે તે વિસરાતું જાય છે. પણ આ પૃથક પૃથક ચૂર્ણ વૈદકીય રીતે પ્રચલિત બને તે પહેલાં રાજકીય વિશ્લેષકોમાં આ પૃથક ચૂર્ણ આપણા પ્રકાશભાઈ કટારીયાએ અમલમાં મુકી દિધું છે.

આપણે જાણીએ છીએ કે નેપાળો રોજ ન લેવાય. પણ જ્યારે ઠીક ઠીક સમય પસાર થઈ ગયો હોય, સમયે સમયે નરેન્દ્ર મોદીને (ભીમને) મળતા લસપસતા (પ્રશંસાના) લાડુઓથી કાન્તિભાઈના (શકુનીની જેમ) જેમ આંતરડા ફાટ ફાટ થતા હોય અને બહુ મળસંચય થઈ ગયો હોય ત્યારે નેપાળો લેવો જરુરી બને છે. એટલે તેઓશ્રી વખતો વખત એક સળંગ લેખ નરેન્દ્ર મોદી માટે ફાળવતા હોય છે. જ્યારે પ્રકાશ ભાઈ તેમના દરેક લેખમાં છૂટક છૂટક ગોદા મારી લેતા હોય છે.

જો કે શુદ્ધ કાઠીયાવાડી ભાષામાં માટીરીયલ વગરની વાતોને “લાળી” કહેવાય છે.

આપણા કટારીયા કાંતિભાઈએ શબ્દ પકડ્યો “એનીગ્મા”. એનીગ્મા એટલે અનિશ્ચિત. એનીગ્મેટીક એટલે એવી વ્યક્તિ જેની વિષે તમે “તે શું કરશે” તે ભાખી ન શકો. આવો પણ અર્થ થાય. આમ તો ભવિષ્ય શાસ્ત્ર જેવું કશું વૈજ્ઞાનિક રીતે છે જ નહીં. પણ બેજાન દારુવાલાએ નરેન્દ્ર મોદી વિષે ચારેક વર્ષ પહેલાં ભવિષ્ય ભાખેલ કે તે “આ નરેન્દ્ર મોદી, બધાના છોડા ઉતારી નાખશે”. મીડીયા, મૂર્ધન્યો અને તેમના જ પક્ષના અમુક ઉચ્ચ કક્ષાના નેતાઓના સહિયારા આક્રમણ છતાં પણ ગુજરાતની ચૂંટણી નરેન્દ્રભાઈ જીતતા આવ્યા છે, એટલે જ્યોતિષ શાસ્ત્રીઓ માટે નરેન્દ્ર મોદીની જીતની આગાહી કરવી એ ખોટનો ધંધો તો રહેતો જ નથી. પણ દેશની ચાર ટકા માનવ વસ્તિ ધરાવતા અને હમેશા અંગ્રેજી મીડીયાથી હડધૂત થતા એવા ગુજરાતના નેતા ગમે તેટલા મૂલ્યનિષ્ઠ અને આવડતવાળા હોય તો પણ ગુજરાતી નેતાને ગણતા નથી. કારણ કે ગુજરાત પાસે લોક સભાની માંડ ૨૫ બેઠકો છે. આ બધા ઉપરાંત આપણા નરેન્દ્ર મોદી અંગ્રેજીભાષાના જ્ઞાનમાં નબળા હોય, તેને અન્યપ્રાંતના નેતાઓ કેવીરીતે સાંખી શકે? વળી ભારતની પ્રજાને ન્યાતજાત, પ્રદેશવાદ, ભાષાવાદ અને વળી ધરમ થી વિભાજીત કરવામાં નહેરુવીયન કોંગ્રેસે જરાપણ બાકી રાખ્યું નથી. એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાય તે વાત નરેન્દ્ર મોદીના દુશ્મનો તો શું સહાનુભૂતિ ધરાવનારા રાજકીય વિશ્લેષકો વિચારી શકતા ન હતા. નરેન્દ્ર મોદીની માનસિકતા એવી છે કે તે ગીતાના નિયમો પ્રમાણે વર્તે છે. એટલે કે તેઓ જે પણ કામ કરે છે તે અલિપ્ત ભાવે કરે છે. આમ હોવા છતાં એક વખત આપણા આ કટારીયા કાંતિભાઈએ “સાક્ષીભાવ”નો નરેન્દ્ર ભાઈ પાસે અભાવ છે તેમ કહેતો એક લેખ ઠોકી દીધેલો. નરેન્દ્ર મોદીએ તો સાક્ષીભાવને સમાવતું એક પુસ્તક પણ લખ્યું છે. પણ આપણા કટારીયા ભાઈને એવું વાંચવું ફાવે નહીં. આપણા ભાઈ તો જે વ્યક્તિને તેઓ મહાન ગણે છે તેમના પુસ્તકો જ વાંચે છે અને તે પણ વાચકો સમક્ષ ઑકવા (ઉલટી કરવા) માટે. જે વ્યક્તિ, નરેન્દ્ર ભાઈના સાક્ષીભાવથી અજાણ હોય અને જે વ્યક્તિ આ વાત સમજી નથી શકતી, તે નરેન્દ્ર મોદીની એ વાત પણ ન સમજી શકે કે “આપત્તિને અવસરમાં કેવી રીતે પલટાવવી”.

જે વ્યક્તિ “આપત્તિ”ને “અવસર” સમજતો હોય તેને સમજવા માટે ભેજું જોઇએ ભેજું.

જો ભારતીય મૂર્ધન્યોમાં ભેજું હોત તો નહેરુની ભૂલો કે જેની શરુઆત જે ૧૯૪૭ થી શરુ થઈ ગઈ હતી અને હિમાલય જેવડી ભૂલોની શરુઆત ૧૯૫૧થી શરુ થઈ ગઈ હતી તેને તેઓ ૧૯૫૭માં જ સમજી શક્યા હોત.

ફલાણો વ્યક્તિ ક્યારે શું કરશે તે તમે ક્યારે નિશ્ચિત ન કરી શકો?

તે વ્યક્તિ તમારા કરતાં જ્ઞાની હોય,

તે વ્યક્તિ તમારા કરતાં વધુ અનુભવી હોય,

તે વ્યક્તિ આવડતવાળી હોય,

તે વ્યક્તિ મુશ્કેલીને સમજી શકતી હોય,

તે વ્યક્તિ મૂલ્યની દરકાર ન કરનારી ધૂની વ્યક્તિ હોય,

તે વ્યક્તિ સત્તાવાળી અને અહંકારી સ્ત્રી હોય,

તે વ્યક્તિ ગાંડી હોય.

પાકિસ્તાની લોકો સમગ્ર ભારતના લોકોને બનીયા-બ્રામણ કહે છે.

ગુજ્જુઓ વિષે સુજ્ઞ ઘાટી જનો, છેલ્લી બાબત કહેતા હોય છે.

મરાઠી લોકો મુંબઈમાં મોટે ભાગે, ગુજરાતી વાણિયાના સંપર્કમાં આવતા હોય છે. વાણિયાઓ વેપારી વૃત્તિના હોય છે. વાણિયાઓનું ધ્યેય લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું એમ બન્ને હોય છે. વાણિયાઓ પોતાનો વ્યુહ રચતા પહેલાં સામી પાર્ટીને, સામેની પાર્ટી પોતાને ઓળખે તે કરતાં વધુ ઓળખી લે છે. પછી તબક્કાવાર આક્ર્મણ કરે છે. આક્ર્મણ એવું ગુઢ હોય છે કે સામે વાળી વ્યક્તિ માટે, વાણિયાની ક્રિયાનું કે પ્રતિક્રિયાનું વિશ્લેષણ કરવું અશક્ય હોય છે.

ગાંધીજીની જ વાત કરો. ગાંધીજી અંગ્રેજોને અંગ્રેજો કરતાં વધુ સારી રીતે ઓળખતા હતા. જીન્ના પણ વાણિયા હતા. એટલે ગાંધીજીને ગાંઠતા ન હતા. પણ ગાંધીજીએ નહેરુનો જીન્ના સામે શસ્ત્ર તરીકે ઉપયોગ કરી, જીન્નાની શક્તિઓને મર્યાદિત કરી હતી. ગાંધીજી સિદ્ધાંતવાદી હતા તે વાત વાણિયાવૃત્તિની વિરુદ્ધમાં જતું હતું. વળી ગાંધીજીને એમ હતું કે કોંગ્રેસના નેતાઓ અખંડભારતના મુદ્દાઓ ઉપર અડગ રહેશે. પણ તેમ ન થયું. જીન્ના અને બ્રીટીશ સરકારનો સંયુક્ત ખૂનામરકીનો ઉપક્રમ, ગાંધીજીને હરાવી ગયો. જોકે ગાંધીજી વધુ જીવી ગયા હોત તો ગાંધી વાણિયાનો અચૂક વિજય થાત.

કોણ ચોક્ખું?

ટૂંકમાં તમે ઈચ્છો તો ગાંડાને એનીગ્મેટિક કહી, નરેન્દ્ર મોદીની સામે તેનો ઉપયોગ કરી, “મેં કેવું સરસ કહ્યું?” એવું માની પોતાની પીઠ થાબડી શકો. આપણા કટારીયાભાઈએ અનિગ્મા અને એનીગ્મેટિક વિષે પોતાના જ્ઞાનને પીરસતાં તો પીરસી દીધું અને કોઈ વિદેશી સામાયિકમાંના નરેન્દ્ર મોદીને લગતા લેખમાં મોદીને “એનેગ્મેટિક” ઉદ્ધૃત કરતાં તો કરી દીધા, પણ કાન્તિભાઈને થયું કે આ તો આપણે જે કહેવું ન હતું તે કહેવાઈ ગયું (કે નરેન્દ્ર મોદી ન પારખી શકાય તેવો છે). આપણે તો તેને ઉતારી પાડવાનો હતો. કંઈ વાધો નહીં. આપણે કહીશું કે જુઓ અમારું વાચન કેટલું બધું છે! અમારું જ્ઞાન કેટલું બધું છે! હવે આવા અમે અમારો મત સ્પષ્ટ કરી દઈએ છીએ કે, આવા મહાન અમે, “નરેન્દ્ર મોદીને હરગીઝ એનિગ્મેટિક માનતા નથી. આ નરેન્દ્ર દામોદરદાસ મુળચંદ મોદી, ચોક્ખે ચોક્ખા આર એસએસની જન્મોત્રીવાળા હિન્દુ નેતા છે.”

જોકે ભાષાવિદો “આ નરેન્દ્ર દામોદરદાસ મુળચંદ મોદી, ચોક્ખે ચોક્ખા આરએસએસની જન્મોત્રીવાળા હિન્દુ નેતા છે.” ના અનેક અર્થો કરી શકે. સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે જેને વિશેષણ લગાડ્યું હોય તેની વિભક્તિઓ, તેના વિશેષણને લાગે છે. એટલે “ચોક્ખે ચોક્ખા” એ વિશેષણ છે અને પ્રથમા એક વચન છે. નરેન્દ્ર મોદી પણ પ્રથમા એક વચન છે. એટલે નરેન્દ્ર મોદી ચોક્ખા જ નહીં ચોક્ખે ચોક્ખા એટલે કે ચોક્ખાઓમાં ચોક્ખા છે. આમ ન હોય તો “ચોક્ખે ચોક્ખા” શબ્દ હિન્દુ નેતા સાથે જાય. એટલે કે “ચોક્ખે ચોક્ખા” હિન્દુ નેતા છે. ચાલો એ જે હોય તે.

આરએસએસવાદ

આપણા દેશની સેક્યુલર જમાતે હિન્દુવાદી શબ્દને આરએસએસવાદનો સમાનાર્થી શબ્દ ઠેરવી દીધો છે. તમે ભારતમાંના કોઈ પણ ઐતિહાસિક બનાવને બ્રીટીશ સરકારે ભણાવેલા ઈતિહાસથી અલગ દૃષ્ટિએથી જુઓ એટલે તમે તેનું ભગવાકરણ કરી દીધું એમ કહેવાય. આરએસએસને એક ધજા છે જે આમ તો હિન્દુ મંદિરો ઉપર ફરકતી ધજા જેવી છે. પણ આ ભગવા રંગને સેક્યુલર જમાત એક કટ્ટરવાદી હિન્દુત્વ તરીકે ખપાવે છે.

આર એસ એસ વાળા કોણ છે?

આર એસએસવાળા કંઈ પરગ્રહના પ્રાણી નથી. આરએસએસવાળા સામાન્ય મધ્યમવર્ગના માણસો છે. દરેક વર્ગમાંથી આવે છે. તેમના અમુક નેતાને ગાંધીજીની તટસ્થતા ગમતી ન હતી. આમાંથી જેઓએ ગાંધીજીને વાંચ્યા, તેઓ ગાંધીજીને સમજ્યા. જેઓએ ગાંધીજીને ન વાંચ્યા અને જેમને પૂર્વગ્રહ રાખવો હતો તેઓએ પૂર્વગ્રહ રાખ્યો. જેઓએ ઈતિહાસ કે જે અંગ્રેજોએ મુસ્લિમો વિષે ભણાવ્યો હતો તેને સ્વિકાર્યો તેઓ પણ મુસ્લિમો વિષે પૂર્વગ્રહ રાખતા થઈ ગયા. હિન્દુવાદી કટ્ટરતાને આરએસએસ સાથે કશું લાગતું વળગતું નથી. હિન્દુઓની આક્ર્મકતા એક પ્રતિક્રિયા છે. હિન્દુઓની પ્રતિક્રિયા એ કટ્ટરતા નથી.

પણ આપણા કટારીયા શ્રી કાન્તિભાઈ, નરેન્દ્ર મોદીને કટ્ટર આરએસએસવાદી બંદો કહે છે. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીજીને વાંચ્યા છે અને ગાંધીજીને સમજ્યા પણ છે. તેથી તેઓએ ગાંધીજીને વાંચવાની ભલામણ પણ કરી છે.

જો નરેન્દ્ર મોદી, જનતાને ગાંધીજીને વાંચવાની સલાહ આપે એ વાત નહેરુવીયન કોંગ્રેસીઓને ન ગમે તે વાત સમજી શકાય છે. ગાંધીજીને નામે નહેરુએ ત્રણ ચૂંટણીઓ જીતી. પણ પછી તેમના અ-ગાંધીવાદી કરતૂતો બહાર પડ્યા એટલે જનતાએ જાકારો આપવો શરુ કર્યો. સરદાર પટેલનું શસ્ત્ર તો તેમનું હતું જ નહીં કારણકે કોમવાદનું શસ્ત્ર તેમને વધુ પસંદ હતું.

નરેન્દ્ર મોદીએ “સરદાર પટેલ” નામનું શસ્ત્ર પોતાના કાર્યોદ્વારા કબજે કર્યું એટલે તેમના વિરોધીઓના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે. હવે નરેન્દ્ર મોદી “ગાંધીજી” નામનું શસ્ત્ર પણ હસ્તગત કરી રહ્યા છે. કારણ કે નરેન્દ્ર મોદીને ખબર છે કે ગાંધીનું અર્થશાસ્ત્ર સાવ નકામું તો નથી જ. એટલે સ્વાવલંબન તો લાવવું જ પડશે. ખાદીમેળા, ગ્રામોદ્યોગ મેળા, સખીમંડળ, કૃષિમેળા મારફત, નરેન્દ્ર મોદી, ગ્રામ્ય અને ગરીબ જનતાના કામ કરી રહ્યા છે. આ કામ ભારતની જુની ગ્રામ્ય પ્રણાલી ને અનુરુપ છે. આ વાતની પ્રશંસા કરવી જોઇએ. ધારો કે આમાં પણ આપણે રાજકરણ જોઇએ તો?

સહી શબ્દોંકા પ્રયોગ કરેં

મોદીના કામો, મોદી-ફોબીયા વાળા સુજ્ઞ કટારીયાઓને પસંદ પડતા નથી. હવે તેમની દલીલ જુઓ. તેમને હિસાબે ભારતમાં (નહેરુવીયન) કોંગ્રેસ ખાડે ગઈ એટલે નરેન્દ્ર મોદી પાટે બેઠા છે.

“પાટે બેઠા છે” એ જો કે આ સંદર્ભમાં લાગુ પડતું નથી. “પાટે બેઠા છે” એ શબ્દ પ્રયોગ, જે ઠરીને ઠામ ન બેસતો હોય અને જો તે કોઈ લાલચના કારણે ન છૂટકે પાટ ઉપર બેઠો હોય, તો તેવા સંજોગોમાં “પાટે બેઠો” વપરાય છે. કોઈએ કાંતિભાઈને કહેવું જોઇએ કે “સહી શબ્દોંકા પ્રયોગ કરેં.”

કટારીયા ભાઈશ્રી કહે છે કે ભારતમાં (નહેરુવીયન) કોંગ્રેસ ખાડે ગઈ એટલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા. અરે ભાઈ! તો શું ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસ ખાડે ગઈ હતી? નહેરુવીયન કોંગ્રેસ ક્યારે અને ક્યાં ખાડે ગઈ ન હતી? આ તો ચૂંટણી પરિણામ પછીના બધા ડહાપણના ઉદ્‌ગારો છે. ૨૦૦૯માં શું કોંગ્રેસ ઓછી ખાડે ગયેલી હતી? પણ આપણા અડવાણીજીમાં નરેન્દ્ર મોદી જેવો તરવરાટ ક્યાં હતો!. ૨૦૦૮માં મોદીનો જાદુ ગુજરાતમાં હતો. એજ મોદીની ત્સુનામી ૨૦૧૪માં ભારતભરમાં ફરી વળી.

નરેન્દ્ર મોદી, અગર તેમની કાર્યશૈલીમાં અને કાર્યવાહીમાં સરદાર અને ગાંધીજીને સંડોવવાનું રાજકારણ રમે તો તે ક્ષમ્ય છે અને આવકાર્ય પણ છે. નહેરુવીયન કોંગ્રેસી નેતાઓની કર્યશૈલી અને કાર્યવાહીમાં ગાંધીવાદ માત્ર અને માત્ર એક નામમાત્ર હતું.

આપણા ભાઈશ્રી કટારીયાનો તર્ક તો જુઓ.

દરેક સંત સૌ પ્રથમ પાપી હોય છે. દાખલા તરીકે વાલ્મિકી. માટે જનતાને એક સંદેશો આપો કે જનતા નરેન્દ્ર મોદીને સંત ન માને. અને બાકીના હે સંતો તમારું કર્યું કાર્યું ધૂળ બરાબર છે.

આમ તો નરેન્દ્ર મોદીને કેટલાક ધર્મ ગુરુઓ ભેટતા હોય તેવા ફોટાઓ સમાચાર પત્રોમાં ૨૦૦૮ની ચૂંટણી વખતે પ્રગટ થયેલા. અને આપણા નહેરુવીયન કોંગ્રેસવાદીઓએ અને મોદીવિરોધી સમાચાર પત્રોએ, તેને પોતાની ચૂનાવી જાહેરાતોમાં છપાવીને કટ્ટર હિન્દુવાદીઓને સંદેશો આપેલ કે જુઓ તમારો નેતા મોદી, કેવો શેતાન છે. હવે આપણા આ કટારીયાભાઈ, નરેન્દ્ર મોદીના મુસ્લિમ ધર્મગુરુઓને ભેટતા તાજેતરના ફોટાઓ જોઇ એમ કહે છે કે નરેન્દ્ર મોદી કટ્ટર આરએસએસવાદી હોવા છતાં તેઓ વડાપ્રાધન થયા એટલે બદલાઈ ગયા છે તેવો દેખાવ કરે છે. માટે આ માણસ એનેગ્મેટિક લાગે છે પણ એ વાસ્તવમાં મીંઢો છે. વાહ ભાઈ વાહ . તમે તો તમારા અજ્ઞાનને પણ તમારું તર્ક માટેનું શસ્ત્ર સમજો છો.

આપણા કટારીયાભાઈ,  એનિગ્મેટિકનું ડીંડવાણું આગળ ચલાવે છે, નરેન્દ્ર મોદીને આ ડીંડવાણું કેવી રીતે લાગુ પડે છે તે બતાવવાની તસ્દી તેમણે લીધી નથી. તેથી ત્યાં તમે નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને ગોઠવી દો તો ચાલે.

જોકે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ ઘેલા છે અને નહેરુવંશીઓને વ્હાલા થવા માટે તેઓ બેફામ બોલે છે. નહેરુવીયન કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખોબ્રાગડેના કેસમાં વિદેશમંત્રી એવી પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી અમેરિકાની સરકાર પાસે માફી નહીં મંગાવું ત્યાં સુધી દિલ્લીમાં પગ મુકીશ નહીં.

યાદ કરો ગાંધીજીના શબ્દો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી મારા હરિજન આશ્રમમાં પગ નહીં મુકું. “પગ નહીં મુકું” એમ કહેવાથી સજ્જન થવાતું નથી. ધ્યેય હાંસલ કરવું પડે છે. ગાંધીજી સજ્જન હતા એટલે તેમણે તેમની પ્રતિજ્ઞાનું પાલન કરેલુ. આપણા કટારીયાભાઈ તો નહેરુ અને તેમના વારસદારોએ લીધેલી પ્રતિજ્ઞાઓ યાદ કરતા જ નથી. શઠની પ્રતિજ્ઞા પાણી ઉપર લખાયેલા અક્ષરો જેવી છે.

કાન્તિભાઈ કટારીયા એવું માને છે કે કોઈએ કયાંક કશું કોઈને વિષે સારું કહ્યું, જેમકે મોદી અકળ છે, તો મોદી તેવા નથી એમ કહી દો એટલે પત્યું. કોઈએ મોદીને કશું સારું કહ્યું તો કહી દો કે તે વ્યક્તિ તો બે બદામની હતી.

કરણ થાપરને મોટો ભા જાહેર કરો. અને પછી કહો કે કરણ થાપરના સવાલો તીક્ષ્ણ હતા. અને મોદીભાઈએ તેના સવાલોનો જવાબ ન આપવાની ઘૃષ્ટતા કરેલી. માટે મોદી પાપી છે.

કરણ થાપર અને પ્રભુ ચાવલા એ બેમાં સુજ્ઞ પત્રકાર કોણ? આ સવાલનો જવાબ અલ્પજ્ઞ વ્યક્તિ પણ આંખો બંધ કરીને કહી શકશે કે પ્રભુચાવલાની તોલે કરણ થાપર તો શું કોઈ પણ ન આવી શકે. કારણ કે પ્રભુ ચાવલામાં પ્રશ્નની સંચરચના કરવા માટેની અદભૂત આવડત છે. પ્રભુ ચાવલા પોતે ધારેલા પ્રશ્નો, સામેની વ્યક્તિને અપમાન જનક ન લાગે તે રીતે પૂછી શકે છે. કરણ થાપરમાં એટલી આવડત નથી અને નથી જ. કરણ થાપર તો સાવ અણઘડ જ લાગે છે. હવે જો પ્રભુચાવલા નરેન્દ્ર મોદીનો ઈન્ટર્વ્યુ લઈ શકે અને કરણ થાપર ન લઈ શકે તો, ખાટલે ખોડ, કરણ થાપરમાં જ છે. આપણા કટારીયા ભાઈ આ બાબતનો ફોડ ન જ પાડે.

આપણા કટારીયાભાઈનો ગર્ભિત અને અસંપ્રજ્ઞાતમનમાં પડેલો હેતુ તો “એનેગ્મા” વિષે તેમણે જે કંઈ પેટમાં નાખેલું તે બહાર કાઢવાનું હતું જેથી અજ્ઞજનોના ના જ્ઞાનમાં એનેગ્મા વિષે વૃદ્ધિ થાય.

મહાત્મા ગાંધીને ભાંડનારા પણ હતા

જ્યારે મહાત્મા ગાંધી જીવતા હતા ત્યારે તેમને “મહાત્મા”ને બદલે “મહાતમા” એટલે “તામસી મનોવૃત્તિવાળા” એમ કહેવાવાળા પણ હતા. તેઓના સંતાનો અત્યારે પસ્તાતા હશે!

મહાત્મા ગાંધીની “સ્વદેશી” અને “સવિનય કાનૂન ભંગ” ની વાત ઘણાબધા મહાન નેતાઓને પસંદ ન હતી. પણ ૧૯૪૨-૪૩ સુધીમાં તેમાંના મોટા ભાગનાને એ બંને વાતો સાચી લાગી ગયેલી. તેઓ સૌ સુજ્ઞ અને સંસ્કારી અને ધિરજવાળા હતા, તેઓએ કદી મહાત્મા ગાંધી ઉપર ઉલટીઓ કરી ન હતી.

જોકે ગાંધીજીએ કહેલ કે દુઝણી ગાય પાટુ મારે તો પણ ખમી લેવું જોઇએ.

નરેન્દ્ર મોદીમાં આ ગુણ છે.

ચમત્કૃતિઃ

સંસ્કૃતમાં એક શ્લોક છેઃ

જેઓ બીજાના હિત માટે પોતાનો સ્વાર્થ તજીને કામ કરે છે તે લોકો સજ્જનો છે,

જેઓ બીજાને નુકશાન ન થાય તે રીતે પોતાનું કામ કરે છે તે લોકો મધ્યમ લોકો છે,

જેઓ બીજાનું અહિત કરી પોતાનો સ્વાર્થ સાધે છે તે લોકો રાક્ષસ લોકો છે,

પણ જેઓ નિરર્થક જ બીજાને નુકશાન કરે છે તે લોકો કોણ છે તે અમે જાણતા નથી.

શિરીષ મોહનલાલ દવે

૨૬ નવેમ્બર ૨૦૧૪ ના દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થયેલ કાન્તિભાઈ ભટ્ટના લેખના પ્રતિભાવ રુપે.

ટેગ્ઝઃ એનીગ્મા, અકળ, મહાત્મા, મહાતમા, ઉલટી, નહેરુવીયન, ઘેલા, મીંઢા, ગાંડા, અસંપ્રજ્ઞાત, ડીંડવાણું, પ્રકાશભાઈ, કટારીયા, કાન્તિભાઈ, કટ્ટર, આર એસ એસ, સ્વદેશી, સવિનય કાનૂનભંગ, પ્રભુ ચાવલા, કરણ  

Read Full Post »

ફક્ત ભારતવર્ષ જ નહીં પણ જમ્બુ દ્વીપ સંઘની વાત કરો.

CHANAKYA 01

દેશને વિભાજીત કરનારા અર્થઘટનો અને વેદપ્રતાપ

જેઓને અફવાઓ ફેલાવવી છે, રાજકારણ રમવું છે, લાઈમ લાઈટમાં રહેવું છે અથવા અને જે સમાચાર માધ્યમો કે જેમને વ્યુઅરશીપ વધારવી (કે વાચકવર્ગ વધારવો) છે તેઓને જીવતા રહેવા અનર્થકારી અર્થઘટનો કર્યા સિવાય છૂટકો નથી.

આપણા આ કે તે ગુજરાતી સમાચાર પત્ર પણ તેમાંથી બકાત રહે એવું માનવું જરુરી નથી. કારણ કે કોઈ વાત અને કોઈ મુલાકાત ત્યારે જ ચગે જો તેને આંચકા આપે તેવા શબ્દોમાં ગોઠવવામાં આવે.

જો તમે વેદપ્રતાપનો આખો સંવાદ આંભળો તો તમને દેશ હિત વિરુદ્ધનો કોઈ સંદેશ મળશે નહીં તેમજ કોઈ વિભાજનવાદી સંદેશ પણ મળશે નહીં.

ધારો કે કોઈ એમ કહે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ વૈમનશ્ય હતું નહીં. પણ અંગ્રેજોએ તેમની વચ્ચે વૈમનશ્યને ઉત્પન્ન કર્યું. અંગ્રેજોએ કેવી રીતે આમ કર્યું તે આપણે સૌ હિન્દુઓ અને મુસ્લિમો સુપેરે જાણે છે અને સમજે છે. તેથી તેની ચર્ચાની જરુર નથી. એ કોઈ સાંસ્કૃતિક વિડંબણા ન હતી. પણ સત્તાની સાઠમારી હતી. દેશનું કમભાગ્ય હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ વહેલા મૃત્યુ પામ્યા. જો આ ન બન્યું હોત તો દેશ ફરીથી અખંડ થઈ ગયો હોત.

મોગલ યુગ પણ એક સુવર્ણ યુગ હતો
મોગલ યુગ એ કોઈ ગુલામી ન હતી. મુસ્લિમો હિન્દુઓ સાથે હળી મળી ગયા હતા. મુસ્લિમો ભારતને પોતાનો જ દેશ સમજતા હતા. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનશ્ય ન હતું એમ કહેનારા એક હજાર ઉદાહરણો આપી શકે છે અને છેલ્લે એક એવું ઉદાહરણ આપે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુઓ અને મુસ્લિમો એકજૂટ થઈ અંગ્રેજો સામે લડ્યા હતા. ઔરંગઝેબના અંતિમ વર્ષોથી મુગલ સામ્રાજ્યનું પતન શરુ થઈ ગયું હતું. મોગલવંશનો છેલ્લો બાદશાહ, બહાદુરશાહ જફર એક નામમાત્રનો બાદશાહ હતો. આ બાદશાહની સત્તા લાલકિલાની દિવાલો સુધીની હતી. આમ હોવા છતાં પણ સર્વે રાજાઓ કે જેમાં હિન્દુ રાજાઓ અને મુસલમાન રાજાઓ બંને સંમિલિત હતા, તે સૌએ સર્વાનુમતે નક્કી કરેલ કે મુગલવંશના સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવી અને સૌ રાજાએ બહાદુરશાહ જફરની આણમાં રહેવું. આ વાત દર્શાવે છે કે મુગલ સામ્રાજ્ય જે મુસલમાનોનું હતું અને મુગલયુગ ભારતના અનેક સુવર્ણયુગોમાંનો એક સુવર્ણયુગ હતો, અને હિન્દુઓ ઉપર અનેક અન્યાયો અને અત્યાચારો નોંધાયા હોવા છતાં પણ જ્યારે સારાખોટાનો સરવાળો કરીએ ત્યારે સુરાજ્યનું પલ્લું નીચે જતું હતું અને તેના પરિણામ સ્વરુપ ઓગણીસમી સદીની શરુઆતથી તેના મધ્યભાગ સુધી સૌ લોકોએ એક મતે મુગલવંશની પુનઃસ્થાપનાનો નિર્ણય લીધેલો. આમાં ફક્ત મુસ્લિમ રાજાઓ જ નહીં પણ મરાઠા અને રજપૂત રાજાઓ પણ સામેલ હતા. આથી એક નિશ્ચિત તારતમ્ય નિકળે છે કે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કશું વૈમનશ્ય હતું નહીં. હવે જો કોઈ આવી વાત કરે તો આજના સમાચાર માધ્યમો એવો વિવાદ ઉભો કરે કે ફલાણા ફલાણા (બીજેપીના) નેતા ભારતમાં મુગલ સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવા માગે છે. જે મુસલમાનોના અનેક આતંકી જુથો છે તેમના પ્રતિ તેઓશ્રી હળવું વલણ લેવા માગે છે. જે સમુદાયના આતંકીઓએ હજારો નિર્દોષોની હત્યા કરી છે અને લાખોના જીવન પાયમાલ કર્યા છે તેમને દેશનીધૂરા સોંપવા માગે છે. ભારતમાં તેઓ શરિયત અને મુલ્લાઓનું રાજ લાવવા માગે છે. બુરખાઓથી સ્ત્રીઓની સ્વતંત્રતા રોકવા માગે છે. આ ગદ્દારીનું કામ છે. તેમને ગિરફ્તાર કરી તેમની ઉપર દેશદ્રોહનો આરોપ ચલાવવો જોઇએ. આપણા નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના સાંસ્કૃતિક મળતીયા પક્ષના નેતાઓ પણ આવી જ વાત કરશે.

વેદ પ્રતાપ અને દંભી નેતાઓની માનસિકતા સમજો
દંભી નેતાઓની માનસિકતા કેવી છે?

જો કોઈ એક નેતાએ જો નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ વિષયક કાર્યવાહીની પ્રશંસા કરી હોય તો તે મુસ્લિમોને ભારતીય સામાન્યપ્રવાહમાં મેળવવાની વાત જ ન કરી શકે. તે મુસ્લિમો વિષે વાત કરવાની સઘળી લાયકાતો ગુમાવે છે. આવી વૈચારિક ધારાવાળા દંભી બીનસાંપ્રદાયિકોએ મુસ્લિમોના નેતાઓની ધર્મને નામે માનસિક તુષ્ટીકરણ કરીને ધર્માંધ નેતાઓને માનવધર્મથી વિમુખ કર્યા છે. આ બાબતમાં તેઓ પુનર્વિચાર કરવા જરાપણ તૈયાર નથી. સમાચાર માધ્યમો તો સમાચારોને વિકૃતરીતે રજુ કરી તેનો વ્યાપાર કરે છે.

દંભી બીનસાંપ્રદાયિકોની આવી વિકૃત માનસિકતા કેવી રીતે ઉત્પન્ન થઈ?

જો આના મૂળ શોધવા જઈએ તો જેમ દરેક રાજકીય અને સામાજીક વિકૃતિના મૂળ નહેરુ અને નહેરુવંશ તરફ દોરી જાય છે તેમ ઉપરોક્ત વૈચારિક વિકૃતિના મૂળ પણ નહેરુ અને નહેરુવંશ જ છે.

સમાજવાદને નામે ઉત્પાદન ઉપર નિયંત્રણ,

લાયસન્સ અને પરમીટનું રાજ રાખવું,

અછતગ્રસ્ત પરિસ્થિતિ જ રાખવી,

બને ત્યાં સુધી બધું સરકાર હસ્તક રાખવું,

બેકારી રાખવી શિક્ષણનો વિસ્તાર ન થવા દેવો, જેથી સામાન્ય જનતા પોતાની સમસ્યાઓમાં જ ગુંચવાયેલી રહે,

સમસ્યાઓ વિષે અગર જવાબ દેવાનું આવે તો ઓળઘોળ કરીને બધો દોષ “વસ્તી વધારા” ઉપર ઢોળી વિરોધાભાષી વાતો કરવી,

નહેરુ પોતે બદામ અને બ્રાન્ડી ઉપર જીવનારી મરઘીના ચિકનના શોખિન હતા, રોજના ૨૫૦૦૦ હજારનો તેમનો ખર્ચ હતો. ૧૯૫૫માં સોનું ૮૦ રુપીયે દશ ગ્રામ હતું. આજે ૨૭૦૦૦ રુપીયે દશગ્રામ છે. એટલે આજના હિસાબે તે ખર્ચ, રોજનો ૮૪ કરોડ ૪૦ લાખ રુપીયા થયો. આ નહેરુ, આખા દેશને સમાજવાદના પાઠ ભણાવતા હતા. સરદાર પટેલે પોતાના સરકારી ક્વાર્ટરમાં કોઈ રસોયો પણ રાખ્યો ન હતો અને રસોઈનું કામ મણીબેન કરતા હતા. સરદાર પટેલ રોટલો અને રીંગણાનું શાક ખાતા હતા. આ સરદાર પટેલને નહેરુના ચેલકાઓ મૂડીવાદના પીઠ્ઠુ કહેતા હતા.

મહાત્મા ગાંધીનો રોજનો ખર્ચ બે પૈસા હતો અને નહેરુને મન તે ડોસો દંભી અને નાટકીયો હતો. (આ બાબતનો સંદર્ભ આ વેબસાઈટ ઉપર અન્યત્ર આપેલો છે.)

ઈન્દીરા ગાંધીના વિરોધાભાસોનો તૂટો નથી.

આ સૌ દંભી બીનસાંપ્રદાયિકતાવાદીઓનો હેતુ ફક્ત એ જ હતો અને છે કે તેમના સિવાય અન્ય કોઈનો મુસ્લિમો સાથે સૂમેળ માટે સંવાદ કરવાનો અધિકાર નથી. બીજાઓ જો આવું કંઈપણ કરશે તો તેમને દેશદ્રોહી ગણવામાં આવશે. આમેય આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ બીજેપી અને નરેન્દ્ર મોદીને સમાજને તોડનારા અને દંગા ફસાદ કરનારા કહે જ છે. ઈન્દીરાઈ નીતિ એ રહી છે કે કોઈ આપણને કાણા કહે તે પહેલાં આપણે તેમને કાણા કહેવાનું શરુ કરી દેવું.

વેદપ્રતાપ એક એવા પત્રકાર અને રાજકીય વ્યક્તિ છે જેમનો સંબંધ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ સાથે બીજેપીના અને તેના નેતાઓ કરતાં અનેક ગણો વધારે નિકટનો રહ્યો છે. તેઓ ઈન્દીરા ગાંધી અને નરસિંહરાવની ઘણા નજીક હતા. આ વાતને નહેરુવીયન કોંગ્રેસીઓ નકારી શકતા નથી. પણ હાલના સમયમાં તેઓ તેને છૂપાવવામાં માને છે.

વેદપ્રતાપની સામે આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ કેમ પડ્યા છે?

કારણ ફક્ત એ જ છે કે આ ભાઈશ્રીએ નરેન્દ્ર મોદીની નીતિના વખાણ કરેલ. દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ની માનસિકતા એવી છે કે જો તમે નરેન્દ્ર મોદીના વખાણ કરો તો તમારા બધા જ સંચિત પૂણ્યો નષ્ટ થઈ જાય છે અને તેટલા જ જત્થામાં પાપનું પોટલું તમારા માથે આવી જાય છે.

દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ આ બાબતમાં તર્કને ગાંઠતા નથી. વારંવારનું ગાલીપ્રદાન એ જ એમનો તર્ક છે. એટલે વેદપ્રતાપે ઈન્દીરાથી શરુ કરી મનમોહન સુધીના જે પૂણ્ય કર્મો સંચિત કરેલા એ બધા પૂણ્ય કર્મો આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ભૂલી જઈ શકે છે.

અડવાણી જો જીન્નાની મજાર ઉપર માથું ટેકવે તો અડવાણીને “લઘુમતિનું તૂષ્ટિકરણ” સાથે જોડી દેવામાં આવે છે અને હિન્દુધર્માંધ લોકો અડવાણીની ઉપર છાણા થાપે છે તો પછી આ વેદપ્રતાપ વળી કઈ વાડીનો મૂળો.

વેદપ્રતાપની વાત શું છે?

એક કોંગી નેતા સાથે એક મંડળી પાકિસ્તાન ગઈ. તેમાં વેદ પ્રતાપજી પણ હતા. વેદપ્રતાપજી, કોંગી નેતાની મંજૂરીથી ત્યાં વધુ રોકાયા. તેમણે, એક આતંકવાદી જુથના નેતા સાથે મુલાકાત કરી અને સંવાદ કર્યો.

આમ તો રવિશંકર મહારાજ, જયપ્રકાશ નારાયણ જેવા ઘણા મહાનુભાવો થઈ ગયા જેમણે ડાકુઓની મુલાકાત લીધેલી અને સંવાદ કરેલા. પણ એ બધું આ દંભી લોકો જાણી જોઇને ભૂલી જાય છે.

આ દંભી બીનસાંપ્રદાયિકોનું કહેવું છે કે આ વેદપ્રતાપ કંઈ એવા કોઈ સંત નથી. વેદપ્રતાપ એવી લાયકાત પર ધરાવતા નથી કે એમણે એવું માનવું પણ ન જોઇએ કે તેમનામાં તેવા ગુણો છે કે તેઓ આ આતંકવાદીનેતાનું હૃદય પરિવર્તન કરી શકે.
એટલું જ નહીં વેદપ્રતાપ પોતે પણ કહે છે કે તેઓ આતંકવાદી નેતાને તેનું હૃદય પરિવર્તન કરવા માટે મળવા ગયા ન હતા.

હવે જો આમ જ હોય તો તેઓ શા માટે આ આતંકવાદીનેતાને મળવા ગયા હતા?
શું તેમને નરેન્દ્ર મોદીએ મોકલ્યા હતા?
તેઓ શું ભારત સરકારના દૂત હતા?
શું તેમને એવા અધિકાર હતા કે તેઓ આતંકવાદી નેતા સાથે વાટાઘાટો કરી કરી શકે?
એક એવી વ્યક્તિ કે જેની ઉપર ઈનામ રાખવામાં અવ્યું છે, તેની સાથેની આ મુલાકાત ખાનગી કેમ રાખી?
શું તેઓ એક પત્રકાર તરીકે ગયા હતા?
જો આમ હોય તો તેમણે તેનો અહેવાલ કેમ લખ્યો નથી અને આ અહેવાલ જો લખ્યો હોય તો કોને આપ્યો અને કયા સમાચાર પત્ર કે ટીવી ચેનલને આપ્યો.

આપણી એક ખ્યાતનામ ટીવી ચેનલના એક વરિષ્ઠ અને ખ્યાતનામ એંકરભાઈએ આવા અને આથી પણ બેહુદા સવાલો વેદપ્રતાપને પૂછ્યા. આ એંકરભાઈ (અર્ણવભાઈ), પોતાને બહુ હોંશિયાર માને છે તેઓશ્રી ખબરપત્રી અને પત્રકાર વચ્ચેનો ભેદ પણ સમજતા ન હતા. આ બાબતે તેઓ સકંજામાં આવી ગયેલ પણ વેદપ્રતાપના ટિકાકાર આમંતત્રિતોની બહુમતિમાં તેમનું પત્રકારિત્વનું પાયાનું અજ્ઞાન છૂપાવી દેવામાં આવ્યું.

ટીવી ચેનલ ઉપર ચર્ચા માટે આમંત્રિત દંભી બીનસાંપ્રદાયિકો જેમાં નહેરુવીયન કોંગ્રેસીઓ અચૂક હોય જ તેમણે પણ વેદપ્રતાપ ઉપર પસ્તાળ પાડવાની કોશિસ કરી.
આમાંના કોઈએ પણ વેદ પ્રતાપે વાસ્તવમાં અક્ષરસહ આતંકવાદી સાથે શું વાત કરી અને કયા સંદર્ભમાં વાત કરી, તેની જણકારીમાં રસ લીધો ન હતો. કદાચ તેમને એ અવગણવું જ વધુ પસંદ હતું.

ભારતીય જનતા પક્ષના નેતાઓ જેઓ ચર્ચા માટે આવેલ તેમને તો કશી માહિતિ પણ હોય તેવું લાગ્યું નહીં. તેથી તેઓ બચાવ પક્ષમાં આવી ગયા. શિવસેનાવાળા આમેય ચક્રમ છે અને તેઓ વધુ એકવાર ચક્રમ સાબિત થયા. અને આજની તારિખ સુધી ચક્ર્મ સાબિત થતા રહ્યા છે. મુદ્દાની સમજને બદલે મુદ્દાવગરની અને તર્ક વગરની ટીકા કરવામાં અને તારવણીઓ પ્રદર્શિત કરવામાં આપણા સમાચાર માધ્યમો અને દંભી બીનસાંપ્રદાયિકોને વધુ રસ હોય છે.

નહેરુએ એક બિનજોડાણ વાળા દેશોનું સંગઠન બનાવેલ. વળી તેમણે ચીન આથે પંચશીલનો કરાર પણ કરેલ.

તેવી જ રીતે ઈન્દીરા ગાંધીએ સાર્ક (સાઉથ એશિયા એસોસીએશન ઓફ રીજીઓનલ કો ઓપરેશ) સ્થાપેલું. આજ ઈન્દીરા ગાંધીએ રશિયા સાથે આંતરિક અને બાહ્ય સમસ્યાઓ માટે સલાહ સહકાર અને મસલતો માટે પણ એક કરાર કરેલ.

જેમ ચીન સાથેના કરારનો ફજેતો થયેલ તેમ રશીયા સાથેના કરારથી ભારત અને રશિયા વચ્ચે શી પરદર્શિતા થઈ તે ભગવાનને પણ ખબર નથી.

આ બધા નહેરુવીયન કરારો અને સંગઠનો આમ તો વર્તમાન પત્રોમાં વાહવાહ કરાવવા માટે હોય છે. વાસ્તવમાં શોભાના ગાંઠીયા જેવા પણ ન હોતા નથી. ફાયદો તો એ હોય છે કે નેતાઓ, પત્રકારો અને સરકારી અફસરો જનતાના પૈસે વિદેશની લટારો મારી શકે છે.

હવે નરેન્દ્ર મોદી આવ્યા છે.

નરેન્દ્ર મોદી કંઈક આવતી કાલનું કે પરમ દિવસનું જ નહીં પણ તેના પછીના દિવસોનું પણ વિચારે છે. આથી કેટલાક નરેન્દ્ર મોદીના પ્રશંસક બન્યા હોય અને તેમને કંઈક વધુ પાનો ચડી ગયો હોય તો તે વાતને નકારી ન શકાય.

વેદપ્રકાશજી આમાંના એક હોઈ શકે?

હાજી. તેઓશ્રી આમાંના એક હોઈ શકે, તે વાત નકારી ન શકાય. જોકે વેદપ્રકાશે જે કર્યું તેમાં કશું ખોટું નથી. જો તમારે તમારા દુશ્મનનું કે દોસ્તનું મન કે તેની વાત સમજવી હોય તો એક સમાન કંપન (ફ્રીક્વન્સી = વિચાર) પર આવવું પડે. સામેની વ્યક્તિના અસંતોષ કે અન્યાય કે સમસ્યા ને સમજવાની કોશિસ કરવી હોય તો તેની સાથે સહાનુભૂતિ રાખવી પડે કે તેવો ડોળ તો કરવો જ પડે. વેદપ્રકાશે થોડે ઘણે અંશે આ કામ તો કર્યું જ છે.

ધારો કે મુસ્લિમ નેતાઓ અને તેમાં પણ જેઓ ધર્માંધ છે અને આતંકી વિચારધારા રાખે છે તેઓ એમ કહે કે અમે વાસ્તવમાં તો સર્વધર્મ સમભાવમાં જ માનીએ છીએ, તો આવા અને બીજા મુસ્લિમો સહિતની મુસ્લિમ જનતા અને શાસકો સાથે ભારતને પાયાનો ભેદ શો છે?

જો મુસ્લિમો, તેઓ જે ભૂમિના અન્નજળ થી મોટા થયા છે તે ભૂમિને પોતાની માતૃભૂમિ માનતા હોય અને બીજાઓને તેમની ધાર્મિક, સામાજીક અને આર્થિક સહકાર આપવામાં સંમતિ દર્શાવતા હોય તો ભારતને તેમની સાથે બીજો કયો અને કેવો ભેદ હોઈ શકે?

સાર્કના બધાજ દેશોની સમસ્યાઓ સમાન છે.

આ સમસ્યાઓમાં, મૂખ્ય સમસ્યા ધર્મને નામે કરવામાં આવતા અત્યાચારો અને દુરાચારોની છે.

ભારત અને પાકિસ્તાન આઆ બે દેશો વચ્ચે આ સમસ્યા હોવાનું કારણ, અવિશ્વાસ છે. આ અવિશ્વાસનું કારણ એકબીજા સાથે થયેલા પ્રત્યક્ષ યુદ્ધો અને તે પછી સીમાપારના દેશોના મૂક સહકારથી ચાલુ થયેલા અપ્રત્યક્ષ યુદ્ધો છે. અપ્રત્યક્ષ યુદ્ધો સુરક્ષાની વહીવટીક્ષમતાથી અને ત્વરિત ન્યાય પ્રણાલીથી નાથી શકાય છે. પણ જનતામાં રહેલા અસંતોષના પાયામાં તો આર્થિક પરિસ્થિતિ જ હોય છે. શાસકો તેનો લાભ મતબેંકોનું રાજકારણ રમી તેને ફુલેફલાવે છે.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાણવાલેને સંત ઘોષિત કરી રાજકીય લાભ લીધેલો અને દેશને સ્વદેશી ખાલીસ્તાની આતંકવાદની ગર્તામાં ધકેલી દીધેલ. આ સ્વદેશી આતંકવાદે સીમાપારના સહકારથી સીમાપારના આતંકવાદને આપણા દેશમાં ભૌગોલિક રીતે જાળ બીછાવવામાં મદદ કરેલ. ભારતને આજે પણ આ આતંકવાદનો ભય રાખવો પડે છે.

૧૯૯૦માં કત્લેઆમનો ભોગ બનેલા ભારતીય ૫ લાખ કાશ્મિરી હિન્દુઓ, આજે પણ તેમના ઘરમાં જઈ શકતા નથી અને કાશ્મિરની બહાર તંબુઓમાં યાતનાભરી જીંદગી જીવી રહ્યા છે. આ જ કાશ્મિરના રાજકર્તાઓ સુરક્ષા સૈનિકો ઓછા કરવા માટે ભારત સરકાર ઉપર દબાણ કરી રહ્યા છે. આવા પડોશી અને દેશી મુસ્લિમનેતાઓ ઉપર ભારત કેવી રીતે વિશ્વાસ રાખી શકે?

હિન્દુ રાજાઓ

ઈશુની પહેલી સદી સુધી, હિન્દુ રાજાઓ પશ્ચિમમાં ઈરાન અને પૂર્વમાં કંબોડીયા વીયેટનામ સુધી, દક્ષિણમાં ઈન્ડોનેશિયા સુધી અને ઉત્તરમાં તિબેટ સુધી રાજ કરતા હતા. ભારતને ચીન અને ઈજીપ્ત સાથે વ્યાપારી સંબંધો હતા. આ દક્ષિણ એશિયા, પુરાણોમાં જંબુદ્વિપ તરીકે ઓળખાયો છે. ઈશુની ચોથી સદી સુધી અરબસ્તાનમાં હિન્દુ રાજાઓ રાજ કરતા હતા. ભારતવર્ષ એક દેશ તરીકે હજારો વર્ષથી ઓળખાય છે. આ ભારતવર્ષ એ બી સી ત્રીકોણ માં સમાયેલો છે જેમાં (એ) અફઘાનીસ્થાન કાશ્મિર તિબેટ, (બી) બ્રહ્મદેશ અને સીલોન (શ્રીલંકા) ને જોડતી રેખાઓથી બનેલો છે.

સુરક્ષા વ્યવસ્થા

જો અમેરિકા પોતાની સઘન સુરક્ષા વ્યવસ્થા બનાવીને આતંકી આક્રમણને ખાળી શકવામાં સફળ થઈ શકતું હોય તો નરેન્દ્ર મોદીની સરકાર પણ દેશને આતંકી હુમલાઓથી સુરક્ષિત કરી શકે છે. આ દક્ષતા તેણે ગુજરાતમાં સિદ્ધ કરી બતાવી છે. આ પછી, દેશ સામે જે પ્રશ્ન રહે છે તે ભણતર, બેકારી અને સુવ્યવસ્થાનો જ રહે છે. આ પ્રશ્નો તો તમારી દક્ષતા અને નિયત ઉપર જ અવલંબે છે. પ્રાકૃતિક અને માનવીય સંપદાથી ભરપૂર ભારત દેશમાં આ પ્રશ્ન હોઈ જ ન શકે.

બે દેશો વચ્ચેની રેખા એ એક અપ્રાકૃતિક રેખા છે. સાંસ્કૃતિક રીતે બે દેશોને કોઈ રેખા વિભાજીત કરે તેવું કશું રહ્યું નથી. જે થોડી ઘણી વાતો થાય છે તે જનતાની સમાસ્યાઓને સુલઝાવવાની નિસ્ફળતાને છૂપાવવા માટે થાય છે. જે પ્રણાલીઓ છે તે ભૌગોલિક સ્થિતિને કારણે અને વિરાસતમાં મળી હોવાને કારણે જીંદગી સાથે વણાઈ ગયેલી હોય છે. તે કદી માણસને જુદા કરતી નથી પણ આનંદમાં સહભાગી બનાવે છે. પતંગોત્સવ, નવરાત્રી, હોળી, નવુંવર્ષ, જેવા અનેક તહેવારો સહુ સાથે મળીને ઉજવે છે.

જો દરેકને પોતપોતાની રીતે ઈશ્વરની ઉપાસના કરવાની છૂટ્ટી કબૂલ રાખવામાં આવી હોય તો વિખવાદની કોઈ શક્યતા રહેતી નથી.

ધારો કે નરેન્દ્ર મોદીએ ભારતમાં બધા ક્ષેત્રોમાં વિકાસ કર્યો તો શું સમસ્યાઓમાં પૂર્ણ વિરામ આવી જશે?

નાજી.

તમે સુખી હો અને તમારો પડોશી દેશ દુખી હોય તે અમાનવીય અને અપ્રાકૃતિક છે. જો કોઈ દેશ આ વાત ને સ્વિકારશે નહીં તો તેના ઉપર આપત્તિ જરુર આવવાની છે. આ આપત્તિ ક્યારે આવશે, એ ફક્ત સમયનો જ સવાલ છે. પ્રકૃતિ બંનેને પાયમાલ કરશે.

જંબુ દ્વિપ

સમગ્ર જંબુદ્વિપ હજારો વર્ષ સુધી હળી મળીને રહ્યો છે. રાજાઓના રાજ્યની સીમા રેખાઓ આઘીપાછી થાય છે. દશરથને કૈકેયની પૂત્રી સાથે પરણવામાં વાંધો આવ્યો ન હતો. અશોકને સંઘમિત્રાને શ્રીલંકા મોકલવામાં વાંધો આવ્યો ન હતો. જનતાને તમે થોડો સમય એક બીજાથી અળગી કરી શકો પણ કાયમ માટે આ શક્ય નથી.
જ્ઞાન અને વિદ્યામાં થયેલા વિકાસને કારણે પૃથ્વિ નાની થતી જાય છે અને ટૂંક સમયમાં તે એક ગામડું થઈ જશે ત્યારે શાસકો પોતાની જનતાને બીજા દેશની જનતાથી અળગા રાખી શકશે નહીં.

પડોશી દેશોની જનતા વચ્ચે વિચાર અને આચારના સુમેળનો પ્રારંભ અત્યારથી જ થવો જોઇએ.

આમાં આતંર્ રાષ્ટ્રીય કક્ષાએ જંબુદ્વિપના દેશો પોતાનો સંઘ બનાવે તે પાશેરામાં પહેલી પૂણી છે.

આ બાબતનો દસ્તાવેજ ઘણી વિગતો માગી લે છે અને દરેક ભાષીઓના હિતોની સુરક્ષા માટે અને સમગ્ર દેશ અને સંઘની સુરક્ષા માટે ઘણી જોગવાઈઓ કરવી પડે. આ એક જટીલ કામ છે પણ તે અશક્ય નથી. જટીલ અને અઘરું હોવાના તેને છોડી દેવામાં આવશે તો પૃથ્વિ સુરક્ષિત રહેશે નહીં.

સરકારી વહીવટને અસરકારક બનાવવા માટે અને સુગમ કરવા માટે ભાષાવાર પ્રાંત રચના પૂરતી નથી. પણ રાજ્યોને થોડી વધુ સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપવી પડશે.

આ સ્વાયત્તતા, સ્વચ્છંદતા અને મનમાનીમાં પરિવર્તિત ન થાય (જેમ કાશ્મિરમાં સરકાર, હિન્દુઓના હિતની સુરક્ષા કરતી નથી, અને હિન્દુઓની સુરક્ષા તરફ સતત દુર્લક્ષ્ય સેવતી આવી છે) તે સામે સબળ કેન્દ્ર સરકાર પણ જોઇશે. નહેરુવીયન કોંગ્રેસની અને તેમના મળતીયા પક્ષોની સરકારોએ જનતામાં વિખવાદને પ્રોત્સાહન આપીને જનતાને તોડવાનું કામ કર્યું છે અને પ્રદેશો વચ્ચે ભેદભાવ રાખીને કામ કર્યું છે. ગુજરાત અને કેન્દ્રના થોડા અપવાદિત સરકારોના સમયને (૧૯૭૭-૮૯ અને ૧૯૯૯-૨૦૦૪) બાદ કરતા, ગુજરાત પ્રત્યે અન્યાય કરવામાં આવ્યો છે. આવી સ્વકેન્દ્રી અને સ્વપક્ષકેન્દ્રી કેન્દ્ર સરકારો દેશને પાયમાલ કરે છે આનો દેશને અનુભવ થઈ ચૂક્યો છે.

વેદપ્રતાપે જે સંઘ અને રાજ્યોની સ્વતંત્રતાની વાત કરી છે તે આ પરિપ્રેક્ષ્યમાં કરી છે. સમાચારોનો વેપાર કરનારા સમાચાર માધ્યમોને અને સ્વકેન્દ્રી શાસકોને આ વાત પસંદ ન પડે તે જનતાએ સમજી જવું જોઇએ.

ભારતવર્ષની બહુમતિ અત્યાર સુધી સહન કરતી જ આવી છે.

અફઘાનિસ્તાન ઉપર આતંકવાદી અને કટ્ટર પંથીઓનું મજબુત પરિબળ, હળી મળીને રહેવા તૈયાર થાય તેવી શક્યતા કેટલી?

પાકિસ્તાનમાંથી હિન્દુઓને ૧૯૪૭-૪૮માં બહુમોટી સંખ્યામાં ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?

૧૯૫૦ પછીના સમયમાં બ્રહ્મદેશમાંથી ભારતીયોએ ખએડી મુકવામાં આવ્યા તેનું શું?

સિલોનમાં ભારતીય અને સિંહાલી લોકો વચ્ચે વૈમનસ્ય છે અને તેણે ભારતના એક વડાપ્રધાનનો ભોગ લીધો છે, તેનું શું?

ખુદ ભારતની અંદરના કાશ્મિરમાં થી હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવેલી અને બધા જ ૫ થી ૭ લાખ હિન્દુઓને ત્યાંના મુસ્લિમ શાસકો દ્વારા ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?

પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વિદેશી મુસ્લિમો ભારતની જમીન ખરીદી રહ્યા છે અને નહેરુવીયન કોંગ્રેસી શાસકો તે ઘુસણખોરોને આર્થિક મદદ અને ભારતીય નાગરિકતા આપી રહ્યા છે તેનું શું?

ભારતના અનેક રાજ્યોમાં મુસ્લિમ બહુમતિવાળા પ્રદેશો છે જ્યાં તેઓ હિનુઓ ઉપર ભેદભાવની નીતિ અપનાવી રહ્યા છે, તેનું શું?

કેરાલામાં એક પ્રદેશમાં મુસ્લિમોની બહુમતિ હોવાને કારણે અને તેમના દબાણને કારણે તેને અલગ જીલ્લો આપવામાં આવેલ છે. આવી માગણીઓ ઠેર ઠેરથી ઉભરી રહી છે. તેનું શું?

જો ભારતના મુસ્લિમો જ અલગતા વાદી હોય તો આવા સંજોગોમાં જંબુદ્વિપના સંગઠનની વાત કેવી રીતે કરી શકાય?

આ બધું નહેરુ અને નહેરુવીયન કોંગ્રેસની મુસ્લિમ-તુષ્ટિ કરણની નીતિઓને કારણે થઈ રહ્યું છે.

કાયદાઓ તો ઘડાયા, પણ કાયદાનું રાજ ક્યાં છે? કાયદાનું રાજ લાવો

સૌ પ્રથમ ભારતને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથીઓથી મુક્ત કરવું પડશે.
આ કામ અઘરું નથી. નહેરુવીયન કોંગ્રેસે દેશને કાયદાના શાસનથી વિમુખ કરીને પાયમાલ કરેલો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મળતીયા નેતાઓ ભ્રષ્ટ છે અને તેઓ એક ય બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે, કાયદાના શાસન દ્વારા તેમની ઉપર કામ ચલાવો. તેઓની ધરપકડ કરી કોઈપણ સમયે તેમને જેલ ભેગા કરી શકાય તેમ છે.

કાશ્મિરની સ્થાનિક સરકારને પદચ્યુત કરો અને બધાજ નેતાઓને જેલ ભેગા કરો. કરણ કે તેઓએ હિન્દુઓ પ્રતિ માનવીય વર્તન કર્યું નથી.

શાહ કમિશનના અહેવાલને પુનર્જીવિત કરો અને નહેરુવીયન કોંગ્રેસીઓને વીણી વીણીને જેલ ભેગા કરો. જો ઈન્દીરા ગાંધી, વિરોધીસુરને ડામવા માટે “મીસા” અને “કટોકટી” લાવી શકે છે તો હાલની કેન્દ્ર સરકાર પણ દેશની જનતાને વિભાજીત કરનારા ગદ્દારોને સજા કરવા કાયદાઓને કડક બનાવી શકે છે. આ દેશ દ્રોહીઓ કોઈ પણ જાતની દયા માયાને પાત્ર નથી.

આ બધું કરવા માટે દેશની જનતાની સમસ્યાઓ ઉકેલવી પડશે. જનતાની સમસ્યાઓ મુખ્યત્વે કાયદાના રાજ ઉપર આધારિત છે. તેમને રોજગાર, શિક્ષણ, સારા આવાસ મળશે અને ગુનેગારો જેલભેગા થશે તો ૯૯ ટકા જનતા નરેન્દ્ર મોદીને સહકાર આપશે.

જો ભારતની શાસન વ્યવસ્થા સુધરશે તો પડોશી દેશો ઉપર પણ તેની અસર પડશે. વિઘાતક તત્વો આપોઆપ ઉગતા બંધ થઈ જશે.

આ બધા માટે નરેન્દ્ર મોદીએ ચાણક્ય નીતિ અપનાવવી પડશે.

દયા માયાની નીતિ ચાલશે નહીં.

ગેરકાયદેસર બાંધકામો, જનતાની જમીન ઉપરના દબાણો, સીમાપારથી અને સીમાની અંદર ચાલતા જમીન માફિયાના અને દાઉદના અસામાજીક નેટવર્કને નાબુદ કરવામાં નહીં આવે ત્યાંસુધી જનતાને સરકાર ઉપર વિશ્વાસ બેસશે નહીં.
મોદી સરકારે પોતાની પ્રાથમિકતાઓ સમજવી પડશે.

જો અત્યાર સુધીની ટેલીવીઝનની સીરીયલોમાંથી કોઈ શ્રેણીને શ્રેષ્ઠ ટીવી શ્રેણી કહેવી હોય તો તે “ચાણક્ય”ની શ્રેણીને શ્રેષ્ઠ કહી શકાય. આ શ્રેણીમાં દરેક રાજકીય સમસ્યાઓના સમાધાન અભિપ્રેત છે. આ શ્રેણી કોંગી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી હતી. પણ યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ છે. આ શ્રેણી જરુર જુઓ.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વેદપ્રતાપ, મુસ્લિમ, હિન્દુ, લઘુમતિ, સાર્ક, સંઘ, નહેરુવીયન, વંશ, કાશ્મિર, પૂર્વોત્તર, ભારત, જમ્બુદ્વિપ, ઈન્દીરા, નહેરુ, મોગલ, ૧૮૫૭, બહાદુરશાહ જફર, મરાઠા, રાજપૂત, સુવર્ણયુગ, ઈરાન, અરબસ્તાન, બિનસાંપ્રદાયિકતા, દંભી, આતંકવાદી

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસનુંકલ્ચર અને કટોકટીનો કાળોકેર-૧

જ્યારેતમેનહેરુવીયનકોંગ્રેસનાપ્રત્યક્ષ કે પ્રચ્છન્ન ચાહકની પાસે કટોકટીની  વાત કરો એટલે તે તૂર્તજ શું કહેશે?

તમે હિન્દુસ્તાનીઓ ભૂતકાળમાં જ જીવ્યા કરો છો.

અથવાતો

એમકહેશે કે આપણા દેશવાસીઓ ક્યાં સુધી ભૂતકાળને યાદ કર્યા કરશે. ભૂતકાળ ભૂલી જાઓ. હવે આગળનું વિચારો. હવે તમારે શું કરવું છે?

ભૂતકાળ ક્યારે ભૂલી જવાય?

બીજીક્ષણઆવેએટલેપહેલીક્ષણભૂતકાળહોયછે. પણઆપણેકદીપહેલીક્ષણભૂલીજતાનથી. શુંકામ?

કારણકે બીજી ક્ષણ ઉપર પહેલી ક્ષણનો પ્રભાવ હોય છેપહેલી ક્ષણ બીજી ક્ષણમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. ગઈકાલનો પ્રભાવ આજ ઉપર હોય છે. અને આજની અંદર ગઈકાલ સમાએલી હોય છે.

તમે ગઈકાલે જે જમ્યાએ ભોજનનો અમુક ભાગજે તમારા શરીર માટે જરુરી ન હતોતે તમારા શરીરે મળદ્વારા આજે સવારે કાઢી નાખ્યો. જે જરુરી હતું તે શરીરે રાખી લીધું અને તમારું જીવન આગળ ચાલ્યું. જો તમે જે જરુરી ન હતું તે શરીરમાંથી બહાર ન કાઢી શકોતો તમારે તેનો ઉપચાર કરવો પડે. અને ન કરો તો તમારું શરીર રોગનું ઘર બની જાય.

કટોકટી લાદવાની માનસિકતા અને વૃત્તિ

ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી? શું કટોકટી લાદવાની વૃત્તિ (આપખુદ બનવાની વૃત્તિકોંગ્રેસનો સ્વભાવ હતો, કે તે ઈન્દીરા ગાંધીના જીનમાં આ વૃત્તિ હતી કે આ વૃત્તિ તેની પોતાની ઊપજ હતી?

સત્તા ભોગવવી સામાન્ય રીતે સૌને ગમે.

જો તમે પૈસે ટકે સુખી હો તો તમને સત્તા ભોગવવી વધુ ગમે.

જો તમે સત્તાધારીના ફરજંદ હો તો તમે સત્તા વગર રહી ન શકો. હોદ્દા અને જવાબદારી વગરની સત્તા ભોગવવાથી પણ તમે તમારી જાતને દૂર રાખી ન શકો.

મોતીલાલ નહેરુ પૈસે ટકે ઠીક ઠીક સુખી હતા. અંગ્રેજ સરકારે સફેદ કોલરવાળાઓનું એક જુથ બનાવ્યું હતું જે ભારતની જનતા અને અંગ્રેજ સરકાર વચ્ચે ઈન્ટરફેસનું કામ કરે. આથી કરીને ભારતની અંગ્રેજ સરકારને અગર ભારતીય જનતાને સમજવા માટે એક મધ્યસ્થી સંસ્થા મળે. આપણા મોતીલાલ નહેરુ આ સફેદ કોલરવાળાની જમાતના એક અગ્રણી સદસ્ય હતા.

વિચારશીલ જનતાને અને ખાસ કરીને ભણેલા ગણેલાઓને અને તે સમયના વળી અંગ્રેજી ભણેલાઓને ચીલાચાલુ  જીંદગી માફક ન આવે તેથી આ કોંગ્રેસી સદસ્યો કંઈકને કંઈક મુદ્દાઓ ઉઠાવીને પોતાના ફલતુ સમયનો ઉપયોગ કર્યા કરતા હતા. તે વખતના અંગ્રેજી અને સ્થાનિક ભાષાના વર્તમાન પત્રોમાં આ ઓકો ચમક્યા કરતા, અને ખુશ થતા. જેઓ વકીલો હતા તેઓ વધુ ખુશ થતા.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોથી જુદો ચીલો ચાતર્યો.

હિન્દુસ્તાનીઓ ગધેડાઓની જેમ એક જ રંગવાળા હોતા નથી. તેઓ ઘોડા અને ગાયની જેમ, કાળા, રાતા, ભૂખરા, સફેદ એમ અનેક રંગવાળા હોય છે. અંગ્રેજો, દક્ષિણ આફ્રિકામાં કાળા કે સ્યામલ એવા ભારતીયોને મજુરી માટે લઈ ગયા. સાથે બીજા લોકો પણ ગયા. વેપારીઓ પણ હતા અને થોડા વધુ ગયા. દક્ષિણ આફિકામાં અંગ્રેજો, કાયદેસર રીતે આ ભારતીયોને કાળા આફ્રિકનોની જેમ અપમાનિત કરતા હતા. ગાંધીજીને આત્મસાત થયું કે ભારતીય મનુષ્યોનું અપમાન થાય છે. તેમણે લડત ચલાવી અને દક્ષિણ આફ્રિકા સ્થિત ભારતીયોના સાથથી ઘણે અંશે સફળ થયા અને ખ્યાતિ પણ પામ્યા. પોતાની આ પાર્શ્વભૂમિકા સાથે ગાંધીજી ભારત આવ્યા અને કોંગ્રેસમાં દાખલ થયા. તેમને અનુભવ હતો કે જો ભણેલા, અભણ, કાળા ધોળા, ગરીબ, તવંગર વિગેરેનો ભેદ રાખ્યા વગર, તેમનો સાથ લઈ સરકાર સામે લડત ચલાવીએ તો સફળ થવાય છે. ગાંધીજીએ કોંગ્રેસના દરવાજા બધા માટે ખોલી નાખ્યા.

ગાંધીજીને ચંપારણના સત્યાગ્રહમાં સફળતા મળી. કમસેકમ સ્થાનિક સ્વરાજ્યનું સ્વપ્ન તો જન્મી જ ચૂક્યું હતું. ગાંધીજીના “સાદું જીવન અને ઉચ્ચ વિચારો”એ ભારતના જનમાનસ ઉપર બેસુમાર અસર કરી.

મોતીલાલે નવરાધૂપ જવાહરને ગાંધીજી સાથે ભેળવ્યા કે જેથી કરીને જવાહરને કોઈ સારો હોદ્દો મળે. જલીયાનવાલા બાગમાં અંગ્રેજ સરકારે જે કતલ ચલાવેલી તે પણ યુવાન જવાહર માટે કોંગ્રેસમાં દાખલ થવાનું કારણ હતું. જનતાનો આક્રોષ મોટો હતો. ૧૯૨૧માં અંગ્રેજ સરકારે કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ ઉપર “બાન” મુક્યો હતો. અને નહેરુ ને જેલવાસ થયેલ. આ જેલવાસમાં તેમણે કાર્લમાર્ક્સને વાંચેલ. જનતાના સહારે સત્તા કેમ મેળવાય તે તેઓ સમજેલ.

અંગ્રેજસરકારનું રાજ “કાયદાનું રાજ” હતું. સરકારી નોકરોને “રોકડી” કરવાની તક હતી નહીં. “લાંચ રુશ્વત” ન હતી પણ દાણાપાણી મફત મળી જતા. પણ જો “દાણા પાણી” વેચીને રોકડી કરવા જાઓ તો બદનામ થાઓ. ખાદ્ય વસ્તુઓ તમે કેટલી ખાઈ શકો?

જવાહરલાલ સરકારી નોકરી કરી શકે તેમ હતા નહીં કારણકે તે ઈન્ડીયન સીવીલ સર્વીસમાં નાપાસ થયેલ. બી.એસસી થયેલ. પણ તે વખતે બીએ ની બોલબાલા હતી. પિતાશ્રી પાસે પૈસા હતા. જન આંદોલનથી ખ્યાતિ મળતી હતી. ખ્યાતિથી સત્તા મળવાના ચાન્સ હતા. તે વખતે જીવન સાદું હતું. અનાજ પાણી મળે તે પૂરતું હતું. નહેરુ દિલના ઉદાર હતા. અને તેમણે પોતાના ઘરને મધ્યમ કક્ષાસુધીના આંદોલન કારીઓ માટે ધર્મશાળા બનાવેલ. તેઓ થોડા વરણાગીયા પણ હતા તેથી  તેઓ યુવાનોમાં લોકપ્રિય હતા. સુભાષબાબુ પણ યુવાનોમાં લોકપ્રિય હતા. સુભાષબાબુ દંભી ન હતા. પણ કોંગ્રેસના સિદ્ધાંતો સાથે સુભાષ બાબુની તીવ્રતાનો મેળ બેસતો ન હતો. જીન્નાને ગાંધીજીના સત્યાગ્રહ અને અસહકારમાં બીજા ઘણા લોકોની જેમ વિશ્વાસ ન હતો. તેથી તેઓ કોમવાદ ઉપર ગયા. અ બાબતને ઈન્દીરા ગાંધીના  જાતિવાદ, ગરીબી-અમીરીભેદ-વાદ અને કટોકટી સાથે સરખાવી શકાય.

ટૂંકમાં ઈન્દીરા ગાંધીની સત્તા લાલસા તેના કૌટૂંબિક જીનમાં હતી. ઈન્દીરા ગાંધીએ ૧૯૫૮માં પણ કેરાલાની સામ્યવાદી સરકારને પદભ્રષ્ટ કરવા અબંધારણીય માર્ગ અપનાવેલ. અને જે મુસ્લિમ લીગને તેના પિતાશ્રી  દુશ્મન નંબર વન માનતા હતા, તે મુસ્લિમ લીગ સાથે, પિતાજીની હયાતીમાં જ તેમની સંમતિ સાથે, ગઠબંધન કરી સીપીઆઈ ને મધ્યવર્તી ચૂંટણીમાં પરાસ્ત કરેલ. જોકે સીપીઆઈની મતની ટકાવારી વધી હતી.

શું ઈન્દીરા ગાંધી કાબેલ હતી?

નાજી. ઈન્દીરા ગાંધી, કાયદાકીય આંટીઘુંટીની સમજણ, કાયદાકીય વહીવટ અને  હાજર જવાબીમાં તે કાબેલ ન હતી. પણ રાજકીય કાવાદાવા અને રાજકીય આંટીઘુંટીમાં કાબેલ હતી. કહેવાય છે કે રશીયાની સામ્યવાદી સરકાર તેમની સલાહકાર હતી. રાજકારણમાં પૈસાની બોલબાલા હોય છે. સત્તા હોય, તમારી પાસે પૈસા હોય અને સંપર્ક હોય તો તમે મોટાભાગના નેતાઓને વશમાં રાખી શકો. અને રાજકારણ સાપેક્ષીય બહુમતિ ચાલે છે.

ઈન્દીરા ગાંધી, કાવાદાવા ગળથુથી માંથી શિખેલ. પક્ષના પૈસાનો વહીવટ તેણે પોતાને હસ્તક લઈ લીધેલ. ઈન્દીરા ગાંધીનું લક્ષ્ય સત્તા અને માત્ર સત્તા હતું. સાધન અશુદ્ધિનો છોછ ન હતો. તેના પિતાશ્રીને સાધન અશુદ્ધિનો છોછ રાખવો પડેલો. કારણ કે સત્તા મેળવા અને તેને ટકાવવા સાધનની અશુદ્ધિ રાખવી એટલે બીન લોકશાહી અને સરમુખત્યારી વલણ કહેવાય. જવાહરલાલ નહેરુએ સ્વરાજ્યના આંદોલન દરમ્યાન લોકશાહીની તરફેણમાં જીભ કચરેલી એટલે જવાહર લાલથી, જે મોઢે હિરા ચગળ્યા હોય તે મોઢે કોલસા કેવી રીતે ચવાય?

પણ ઈન્દીરા ગાંધીને માટે આવું કશું ન હતું. નાગાને નાહવું શું અને નીચોવવું શું?

સીન્ડીકેટને પરાજય આપ્યા પછી તે બેફામ બની. અને રાષ્ટ્રીયકૃત બેંકના પૈસાની લૂંટમ લૂંટ ચાલી. બેંકના કર્મચારીઓ પણ બેફામ બન્યા. તે વખતના સમયમાં રોજના એક કરોડ રુપીયાના ડીડી બોગસ બનતા હતા.

આર્થિક અરાજકતામાં પાકિસ્તાનમાં પણ પ્રશ્નો ઉભા થયા. પૂર્વપાકિસ્તાનનમાંથી એક કરોડ બીન બંગાળી ભાષી મુસ્લિમોએ મોટા પાયે હિજરત કરી.

પાકિસ્તાન અને અમેરિકા ભારતને સમજવામાં

હમેશાં ગોથા ખાય છે.

પાકિસ્તાન સમજ્યું કે ભારતમાં અરાજકતા છે. જનમત ઈન્દીરા સરકારની વિરુદ્ધમાં છે. ઈન્દીરા ગાંધી,  બિહારી (બીન-બંગાળી ભાષી)ઘુસણખોરીની બાબતમાં અનિર્ણાયકતાની કેદી છે. આપણા ઘુસણખોરોની બાબતમાં અમેરિકા આપણી મદદમાં છે. ભારતનું લશ્કર ઈન્દીરા ગાંધી ઉપર પાકિસ્તાન ઉપર આક્રમણ કરવા માટે દબાણ કરી રહ્યું છે. આવા સંજોગોમાં ભારતની હવાઈ પટ્ટીઓ ઉપર આક્રમણ કરી તેના હવાઈ દળની શક્તિને તોડી નાખીશું તો તેની માનસિક અસર બહુ મોટી પડશે. મુજીબુર રહેમાન જે બંગ્લાદેશ માટેની ચળવળ ચલાવતા હતા તેમને પણ રાજકીય રીતે ખતમ કરી શકાશે. આમ વિચારીને પાકિસ્તાને મુજીબુર રહેમાનને વાટોઘાટોમાં વ્યસ્ત રાખ્યા અને ભારતની લશ્કરી હવાઈ પટ્ટીઓને ખતમ કરવા આક્ર્મણ કર્યું.

વડાપ્રધાન મૂર્ખ હોય કે ન હોય. લશ્કર મૂર્ખ હોતું નથી. ભારતીય લશ્કરે તો પૂરી તૈયારી રાખેલ જ. અને લશ્કરી હવાઈ પટ્ટીઓને રંગથી અદૃષ્ય કરી દીધેલ. હવે ઈન્દીરા ગાંધીપાસે, યુદ્ધ સિવાયનો વિકલ્પ ન હતો.

શું આ વિજય ગૌરવ શાળી હતો?

હા અને ના.

“હા” એટલા માટે કે ભારતીય જનતા અને ભારતીય લશ્કર યુદ્ધમાટે થનગનતું હતું. ફક્ત ઈન્દીરા ગાંધીની અનિર્ણાયકતાએ તેને રોકી રાખ્યું હતું અને આ અનિર્ણાયકતાના ફલસ્વરુપ એક કરોડ બંગ્લાદેશી ઘુસણખોરોએ બંગાળ અને પૂર્વોત્તરરાજ્યોમાં સામજીક જીવન અસ્તવ્યસ્ત કરી નાખેલ. પૂર્વોત્તર રાજ્યોમાં અલગતા વાદના બીજ રોપાઈ ગયેલ. જોકે તેની કૂંપળો હજી ફૂટેલ નહીં.

“ના” એટલા માટે કે પાકિસ્તાન માટે કપરાં ચડાણ હતાં. પાકિસ્તાને ધારેલ કે હવાઈ આક્ર્મણ થી ભારતની હવાઈ ક્ષમતા નષ્ટ થશે. પણ તેવું થયું નહીં. ભારતે હવાઈ રસ્તો સીલ કર્યો.

પાકિસ્તાનને બંગ્લાદેશમાં શસ્ત્ર સરંજામ પહોંચાડવા માટે દક્ષિણનો શ્રીલંકાનો આંટો મારવો પડતો હતો. પૂર્વપાકિસ્તાનની બંગાળીભાષી જનતાનો ભારતીય લશ્કરને સપોર્ટ હતો. આજ જનતા પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરને ધૂત્કારતી હતી. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેનો ઝગડો બંગાળી ભાષાને અને બંગાળીઓની અવમાનનાને લગતો લગતો હતો. પૂર્વપાકિસ્તાનની વસ્તી પશ્ચિમ પાકિસ્તાન કરતાં વધુ હતી અને મુજીબુર રહેમાનનો પક્ષ બહુમતિથી ચૂંટાઈ આવેલ છતાં પણ પશ્ચિમ પાકિસ્તાનના પ્રભૂત્વ વાળા લશ્કરી શાસકો મુજીબુર રહેમાનને શાસનનીધૂરા સોંપવામાં અખાડા કરતા હતા. બંગાળીભાષીઓને તેમનો હક્ક જનસંખ્યાના પ્રમાણમાં મળતો ન હતો. બંગાળી મુસ્લિમોના માનવ હક્કોનું હનન થતું હતું. પાકિસ્તાનનું લશ્કર અનેક મોરચે લડતું હતું.

અમેરિકાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. ભારતને અન્યાય થાય  તે બાબતમાં અમેરિકાને કશો વાંધો ન હતો. પૂર્વપાકિસ્તાન આઝાદ થઈ બંગ્લાદેશ બને એમાં અમેરિકાને વાંધો ન હતો. પણ બંગ્લાદેશ બનવામાં ભારત જશ ખાટી જાય તે અમેરિકાને મંજુર ન હતું. આ જશ અમેરિકા પોતે લેવા માગતું હતું. પણ તે દરમ્યાન પાકિસ્તાને ભારત ઉપર આક્ર્મણકરી દીધું. હવે અમેરિકા માટે એજ જોવાનું હતું કે ભારત પશ્ચિમ પાકિસ્તાન ઉપર કબજો ન કરી લે. એટલે અમેરિકાએ તેનો સમૂદ્રી બેડો ભારત તરફ રવાના કર્યો. અમેરિકાને પશ્ચિમ પાકિસ્તાન ગુમાવવું પરવડે તેમ ન હતું.

આમ પ્રતિકુળ સંજોગોમાં, યુદ્ધને રવાડે ચડેલા પાકિસ્તાનના સૈન્યને ભારતે ભરપૂર રીતે હરાવ્યું.

સમજી લો. ભારતનું સૈન્ય કદી હાર્યું નથી.

જો જવાહરલાલે, સરદાર પટેલની ચીનની મનોવિષયક ચેતવણીને લક્ષમાં લીધી હોત અને હિમાલયની સરહદને રેઢી ન મુકી હોત તો ભારતે ૧૯૬૨માં ચીનને પણ હરાવ્યું હોત. આજ થી ૨૩૫૦ વર્ષ પહેલાં વિશ્વવિજેતા સિકંદરને પણ ભારતના એક નાના, પણ શૂરવીર રાજા પર્વતરાજે,  નાની યાદ કરાવી દીધેલ. તેના અનુગામી સેલ્યુકસને ચંદ્રગુપ્ત મૌર્યે ખરાબ રીતે હરાવેલ. વિક્રમાદિત્યે શક અને હુણ વિજેતાઓને હરાવ્યા હતા. વિક્રમાદિત્યનું સામ્રાજ્ય અરબસ્તાન અને ઈરાન સુધી હતું. હર્ષવર્ધન હતો ત્યાં સુધી ભારતનું લશ્કર અજેય હતું.   મુસ્લિમ આક્રમકોને ભારત ઉપર પ્રભૂત્વ જમાવતાં ૬૦૦ વર્ષ લાગેલ. તે દરમ્યાન તેઓ ભારતીય થઈ ગયેલ. હા. દરેક દેશને કાળો યુગ આવે છે. તેમ ભારતને પણ ૧૮૦૦ થી ૧૯૪૭ સુધીનો વિદેશી શાસકોવાળો કાળો યુગ આવ્યો. અને ૧૯૪૭ થી ૨૦૧૪ સુધીનો દેશી શાસકોવાળો કાળો યુગ આવ્યો. ચોક્કસ વચ્ચેના ૧૯૭૭-૧૯૮૦ અને ૧૯૯૯-૨૦૦૪માં સારા દિવસોની ક્ષણો આવેલ જે દરમ્યાન ભારતે લોકશાહીને લગતા પ્રાવધાનો મજબુત કરેલ અને એક સારી માળખાકીય પ્રગતિના શ્રી ગણેશ કરેલ.

જ્યાંસુધી પાકિસ્તાન અને ભારતના ૧૯૭૨ના યુદ્ધની વાત છે, ત્યાં સુધી એક વાત સમજી લો ભારતને સંપૂર્ણ રીતે અનુકુળ પરિસ્થિતિવાળું (અને પાકિસ્તાન માટે પ્રતિકુળ પરિસ્થિતિવાળું)  યુદ્ધ ભારતે જીત્યા સિવાય છૂટકો ન હતો.

ચીન સામે ભારત અત્યંત ખરાબરીતે હાર્યું તો બધો અપયશ વીકે મેનનની ઉપર ઢોળવામાં આવ્યો. જવાહરે ફેસ સેવીંગ ફોર્મ્યૂલા તરીકે સંરક્ષણ મંત્રાલયના બે ભાગ કરી નાખ્યા. અને કામરાજ પ્લાનનું ધત્તિંગ રજુ કરી જનતાનું ધ્યાન બીજે દોર્યું. સમાચાર માધ્યમો પણ કાંતો બેવકુફ હતા કે નહેરુની ઠગવિદ્યાના ભાગરુપ હતા.

આ જીતનો બધો યશ ઈન્દીરા ગાંધીએ લીધો.

જે યશના તમે હકદાર નથી તે યશ તમે લો તો તમે સમજી લો તમારું પતન નિશ્ચિત છે. ૧૯૭૧થી ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વાગતા હતા. સંરક્ષણ મંત્રી જગજીવનરામ હતા. તેમણે સરકારની નીતિ જાહેર કરેલ કે જો આ વખતે યુદ્ધ થશે તો પાકિસ્તાનને એવો પાઠ ભણાવવામાં આવશે કે ભારતસામે આંખ ઉંચી ન કરી શકે. એક પેકેજ ડીલ થશે.

સિમલા કરાર

જે મુલક ભારત જીતશે તે પાકિસ્તાનને પાછો આપવામાં આવશે નહીં.

એક કરોડ મુસ્લિમ ઘુસણખોરો ને પરત લેવા પડશે

પાકિસ્તાનથી ભારત આવેલા નિર્વાસિતોની પાકિસ્તાનમાં રહેલી સંપત્તિનું વળતર આપવું પડશે,

પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓની સુરક્ષાની ખાત્રી આપવી પડશે

ભારત યુદ્ધનો ખર્ચ વસુલ કરશે

ભારત દંડની રકમ વસુલ કરશે

ભારત તેને થયેલી નુકશાની વસુલ કરશે

પાકિસ્તાને પાકિસ્તાનમાં કેદ થયેલ બધા જ કેદીઓને મુક્ત કરવા પડશે

કાશ્મિરનો કાયમી ઉકેલ આવવો પડશે. (જેના કબજામાં જે હિસ્સો છે તે તેનો ગણાશે)

આ પેકેજ માટે જો પાકિસ્તાન કબુલ થશે તો જ ભારત વાટાઘાટો માટે તૈયાર થશે અને ભારત તેણે કબજે કરેલા ૯૦૦૦૦ પાકિસ્તાની યુદ્ધકેદીઓ મુક્ત કરશે.

પણ પછી શું થયું? ઈન્દીરા ગાંધીએ શું કર્યું?

કશું જ વસુલ થયું નહીં.

ભારતે બધા જ પાકિસ્તાની યુદ્ધ કેદીઓને મુક્ત કર્યા.

પાકિસ્તાને પશ્ચિમ પાકિસ્તાનમાં કબજે કરેલા કોઈ કેદીઓને મુક્ત ન કર્યા. આજની તારીખમાં પણ પાકિસ્તાન પાસે ૧૯૭૧ના ૪૦૦ ભારતીય યુદ્ધ કેદીઓ જેલમાં છે.

પાકિસ્તાનના કબજા હેઠળનો કાશ્મિરનો જે હિસ્સો છે તેનો અમુક ભાગ આપણા લશ્કરે કબજે કરેલ. તે પણ ઈન્દીરા ગાંધીએ પરત કરી દીધો.

ઈન્દીરા ગાંધીએ, પાકિસ્તાનના ઝુલ્ફીકાર ભૂટ્ટોને અને તેમની પૂત્રી બેનઝીર ભૂટ્ટો જે “ટીન એજ” માં હતી તેમને માલમલીદા ખવડાવ્યા પીવડાવ્યા, બેનઝીરને શોપીંગ કરાવ્યું અને પરત મોકલ્યા.

એક સ્ટેજ એવું આવ્યું કે ઈન્દીરાને કહેવું પડ્યું કે કમસે કમ કાશ્મિરની સમસ્યા નો હલ નિકળે તો સારું.

તો ઝુલ્ફીકાર ભૂટ્ટોએ કહ્યું. મેડમ તમારે મને પાકિસ્તાનમાં જીવતો રાખવો છે કે નહીં? ધારો કે હું તમારી સાથે આવી સમજુતી કરું અને પાકિસ્તાનમાં મારું ખૂન થઈ જાય તો આ સમજુતીનો શો અર્થ રહેશે?

હવે નહેરુવીયન ફરજંદની બેવકુફી તો જુઓ, કે ઈન્દીરા ગાંધીને આ વાત ગળામાં શીરાની જેમ ઉતરી ગઈ. અંતે એટલું જ નક્કી થયું કે ભારત અને પાકિસ્તાને કોઈની મધ્યસ્થી વગર વાટાઘાટો દ્વારા જ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહેવું. વાત પુરી.

બાંગ્લાદેશી ઘુસણખોરોનો પ્રશ્ન તો ભારતની પાકિસ્તાન સાથેની સમસ્યા હતી નહીં. કારણકે તે સમસ્યા તો હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની થઈ ગઈ હતી. મુજીબુર રહેમાન કહે હજી મને તાજો માજો તો થવા દો.

પશ્ચિમ પાકિસ્તાને ગુમાવેલું બધું જ મેળવ્યું. પૂર્વપાકિસ્તાને બંગ્લાદેશ મેળવ્યો. ભૂટ્ટો અને મુજીબુર રહેમાન પોતપોતાના દેશમાં કમોતે મર્યા. ભારતે જીતમાંથી જે મેળવ્યું હતું તે બધું જ ગુમાવ્યું. નવી સમસ્યાઓ મેળવી. સીમાપારનો આતંકવાદ અને વધુ ઘુસણ ઘોરી. હિન્દુઓની હિજરત તે નફામાં.

આટલી નિસ્ફળતાઓ અને સમસ્યાઓ નોંતરનાર ઈન્દીરા ગાંધી સામે જન આંદોલન ફાટી ન નિકળે તો જ આશ્ચર્ય ગણાય

Read Full Post »

Older Posts »

%d bloggers like this: