Feeds:
Posts
Comments

Posts Tagged ‘નાગરિક’

નહેરુવીયન કોંગ્રેસના જુઠાણા ભાગ – ૧

જુઠાણાઓ ઉપર કરો આક્રમણ
આક્રમણ એજ કલ્યાણ

હાજી કોંગ્રેસના જુઠાણાઓ ઉપર કરો શાબ્દિક અને પ્રદર્શનીય આક્ર્મણ

પહેલાં સમજી લો કોંગ્રેસ એટલે કોણ?

કોંગ્રેસ એટલે ફક્ત નહેરુવીયન કોંગ્રેસ એકલી જ નહી.

કોંગ્રેસ એટલે જે પક્ષો, જે સંસ્થાઓ, જે સમાચાર માધ્યમો અને જે વ્યક્તિઓ દેશના હિતને નુકશાન થાય તે રીતે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિવેદનો આપે છે તેમને કોંગ્રેસીઓ ગણો.

દાખલા તરીકેઃ

(૧) નહેરુવીયન કોંગ્રેસ (૨) જે પક્ષોએ નહેરુવીયન કોંગ્રેસને ભૂતકાળમાં એટલે કે સરદાર પટેલે નહેરુને શિખામણો આપી અને નહેરુએ ન માનવાની શરુઆત કરી ત્યારથી, વૈચારિક રીતે કે ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી નહેરુની, તેના ફરજંદોની અને તેના પક્ષની સાથે જોડાણો કર્યા તે સઘળા પક્ષો. (૩) સમાચાર માધ્યમો એટલે કે ટીવી ચેનલોના અને સમાચાર પત્રો ના માલિકો, તંત્રીઓ, સંપાદકો, એંકરો, કોલમીસ્ટો (કટારીયાઓ) જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર મુદ્દાઓને ચગાવ્યા કરે છે (૪) મહાનુભાવો (સેલીબ્રીટીઓ), હોદ્દેદારો, સાહિત્યકારો, જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુદ્દાઓને ચગાવ્યા કરે છે. આ સૌને કોંગ્રેસી ગણો

આ સમજવા માટે તાજેતરમાં ચગાવેલા અને ચગાવાઈ રહેલા મુદાઓ જુઓ.

“બાહ્ય અને બિહારી”

(૧) બિહારમાં ચૂંટણી વખતે બીજેપીના નેતાઓના પ્રચારની અસરને નાબુદ કરવાના પ્રયાસ રુપે બીજેપીના જે નેતાઓ બિહારના ન હતા તેમને પ્રચાર કરતા રોકવા માટે નીતીશકુમારે તેમને “બાહરી” તરીકે ઓળખાવ્યા હતા. આ એક ઘૃણાસ્પદ, દેશ માટે વિભાજનવાદી અને નિંદનીય પ્રચાર હતો.
દેશના એક રાજ્યનો નાગરિક બીજા પ્રાંતમાં જાય તો તેનો વિરોધ કરવો અને તેવો પ્રચાર કરવો તે, દેશની એકતા માટે ઘાતક છે.

દેશની એકતા ઉપર આઘાત પહોચાડનારનું બહુમાન કરવું કે તેની ટીકા ન કરવી તે કૃત્ય પણ દેશ દ્રોહની કક્ષામાં જ આવે. સમાચાર માધ્યમો પણ આ જ કક્ષામાં આવ્યા છે.

જો એક રાજ્યના નાગરિકના વાણી સ્વાતંત્ર્ય હક્કને બીજા રાજ્યમાં નકારવામાં આવે કે તે માટે જનતાને ઉશ્કેરવામાં અને એવો પ્રચાર કરવામાં આવે તો તેમાંથી ઘણું અભિપ્રેત થાય છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યના હિતનો વિરોધી છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં કોઈ અધિકાર ધરાવતો નથી.

એક રાજ્યના નાગરિકનું જો બીજા રાજ્યમાં બોલવાનું પણ જો આવકાર્ય ન હોય એવો પ્રચાર કરવામાં આવે તો તેનો અર્થ એમજ થાય કે તે બીજા રાજ્યનો હિતૈષી નથી.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં જો બોલવાનો અધિકાર ગુમાવે તો તે આપોઆપ તે બીજા રાજ્યમાં નોકરી અને વ્યવસાયનો અધિકાર પણ ગુમાવે છે. સંદેશો આને બોધ તો આજ જાય છે.

આ જાતનો પ્રચાર, ભારતીય બંધારણને બદલાવવાનું સૂચન કર્યા વગર, કરવો તે બંધારણનું અપમાન છે. એટલું જ નહીં પણ આને અરાજકતા ફેલાવવાનો દુરાચાર જ કહેવાય.

અરાજકતા ફેલાવવી એ દેશદ્રોહ જ કહેવાય. જ્યારે કોઈ એક નેતા અને સત્તાના હોદ્દેદાર દ્વારા જો આવો અરાજકતાને ઉશ્કેરવાનો આચાર પ્રચાર કરવામાં આવે તો તેને પદચ્યૂત કરી તેની નાગરિકતા રદ કરવી જોઇએ.

એક નાગરિકને, બીજા રાજ્યમાં “બાહરી” રાજ્યનો જો ગણવામાં આવે તો તે બીજા રાજ્યમાં મિલ્કત ધરાવવાનો અધિકાર પણ ગુમાવે જ છે. એટલે કાંતો તેણે ભાડે રહેવું પડે કે તેણે હોટેલમાં રહેવું પડે. જો બોલવાનો અધિકાર પણ ન હોય તો તેને નોકરી કરવાનો અધિકાર તો હોય જ નહીં તેથી ક્વાર્ટર્સ ફાળવવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી.

એક રાજ્યના નાગરિકને બીજા રાજ્યમા ગુનો કરવાનો અધિકાર તો હોઈ જ ન શકે. તેથી તે બીજા રાજ્યમાં જઈ જાહેર કે ખાનગી મિલ્કત એટલે ફુટપાથ, રસ્તા, જાહેર જમીન વિગેરે ઉપર લારી, ગલ્લા, કે પાથરણા પાથરી દબાણ પણ ન કરી શકે. તેટલું જ નહીં તે એવી માગણી કે હક્ક પણ ન જ કરી શકે. કારણે કે તેનું બોલવું આવકાર્ય જ નથી

હવે નીતીશકુમાર જેવા નેતાઓએ મુંબઈ મહારાષ્ટ્રમાંથી ઉચાળા ભરવા જોઇએ. નીતીશ કુમારે નૈતિકરીતે બિહારની બહાર નોકરી ધંધા અને દબાણ કરતા બધા જ બિહારીઓને બિહારમાં પાછા બોલાવી લેવા જોઇએ. નીતીશકુમાર પોતે સત્તાનો હોદ્દો ધરાવે છે. તેથી કાંતો બિહારની બહાર “બાહરી ગણાતા” બિહારીઓને બિહારમાં જ રાખવા જોઇએ અથવા તો નીતીશકુમારે પોતે દેશ છોડીને જતા રહેવું જોઇએ. જો તેઓ આમ ન કરે તો તેમની ઉપર કામ ચલાવી તેમને કાળાપાણીની સજા કરવી જોઇએ.

આતંકવાદને પ્રોત્સાહન આપવાના ગુનાઇત કૃત્ય પછીનું દેશદ્રોહનું કૃત્ય, નાગરિકોમાં “બાહ્ય અને બિહારી”ના આધાર પર ત્યાજ્ય ગણવા, તે જ છે.

તમે વિચારો, જો બધા જ રાજ્યના લોકો નીતીશકુમારના આ વિઘાતકવાદી મન્તવ્યને આચરે તો દેશની શી દશા થાય? દેશ આખો જીલ્લા અને તાલુકા સુધી વિભાજિત થઈ જાય. કારણ કે એક વખત જો રાજ્ય કક્ષાએ વિભાજનવાદી મનોવૃત્તિને પ્રોત્સાહન મળે તો તે વૃત્તિને જીલ્લાસ્તરે અને તેને તે પછી તાલુકા કક્ષાએ પહોંચતા વાર ન લાગે. જો આવી રીતે ભારતીય નાગરિકોને વિભાજિત કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે તો ધર્માંધતામાં રાચતા પક્ષો અને જુથો બળવત્તર બને અંતે ધર્માંધતા અને પોતાના ધર્મને પ્રસારવાની મનોવૃત્તિ વાળા જુથો આતંકતા વાદ તરફ વળે

(૨) મુસ્લિમ લીગ એક હળાહળ અને હાડોહાડ કોમવાદી સંસ્થા છે. કોઈ પણ બીન મુસ્લિમ વ્યક્તિ મુસ્લિમ લીગનો સદસ્ય બની શકતો નથી. મુસ્લિમ લીગનો એજન્ડા એ જ છે જે સ્વતંત્રતા પૂર્વે હતો. મુસ્લિમ લીગ ભારતીય બંધારણ પ્રમાણે પણ એક કોમવાદી સંસ્થા છે. આ મુસ્લિમ લીગ નહેરુવીયન કોંગ્રેસનો સહભાગી સહયોગી પક્ષ છે. આ બધું હોવા છતાં પણ નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પોતાને ધર્મનિરપેક્ષ માને છે એટલું જ નહીં પણ તેઓ બીજેપીને કોમવાદી પક્ષ માને છે. જ્યારે જ્યારે જરુર પડે અને લાગ આવે ત્યારે તેઓ કોમવાદ અને બીજેપીને એકબીજા સાથે સાંકળી બીજેપીની ભર્ત્સના કરે છે. આમ જુઓ તો બીજેપીના દ્વાર બધા જ ધર્મીઓ માટે ખૂલ્લા છે.

બીજેપીના દ્વાર બધા માટે ખૂલ્લા હોવા છતાં પણ,

બીજેપીમાં અહિન્દુઓ હોવા છતાં પણ,

તેમજ અહિન્દુઓ બીજેપી સરકારમાં હોદ્દાઓ ભોગવતા હોવા છતાં પણ,

અહિન્દુઓને જે વિશેષ લાભો મળતા ચાલુ રહ્યા હોવા છતાં પણ,

બીજેપીને જે મોટા ઉપાડે કોમવાદી પક્ષ કહેવાનું વરણાગીયાપણું કેટલાક દંભી ધર્મનિરપેક્ષીયોએ રાખ્યું છે તે “વદતઃ વ્યાઘાત” જેવું છે.

બીજેપીને કોમવાદી કહેવાનો આધાર આ વરણાગીયા દંભીઓ માટે કયો છે?
આરએસએસ અને વીએચપીવાળા બીજેપીનો પ્રચાર કરે છે એ કારણસર બીજેપીને કોમવાદી કહી શકાય? ના જી. એવું તો ન જ તારવી શકાય. કારણ કે જો આ રીતે તારવણીઓ કરીએ તો નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તો આતંકવાદી અને અસામાજિક તત્વો જ કહેવાય.

યાદ કરો:
૨૦૦૧ના અરસામાં નરેન્દ્ર મોદીએ એક જગ્યાએ ભાષણમાં કહેલ કે ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે. કારણકે બીજેપી કોમી દંગાઓને પ્રોત્સાહન આપતો નથી.

આ સમાચાર જાહેર થયા પછી સાબરમતી એક્સપ્રેસનો હિન્દુઓથી ભરેલો ડબ્બો ૨૦૦૨માં ફેબ્રુઆરીમાં ગોધરામાં મુસ્લિમો દ્વારા પૂર્વ આયોજન પૂર્વક સળગાવી દેવામાં આવ્યો અને ૫૯ મુસાફરોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ બનાવની વિષે નહેરુવીયન કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ “ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે” એવું કહીને મુસ્લિમોને દંગા કરવા ઉશ્કેર્યા હતા.

હવે સમજી લો કે આ પ્રમાણેનું મુસ્લિમોનું માનસ ઘડવા માટે કોણ જવાબદાર ગણાય? ખચિત રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસકો જ ગણાય. અને તેથી જ્યારે નહેરુવીયન કોંગ્રેસના નેતા આવી રીતે મુસ્લિમો દ્વારા પ્રાયોજિત હિન્દુ સંહારનો બચાવ કરે ત્યારે તો તેમની બેજવાબદારી સિદ્ધ થઈ જાય છે. એટલું જ નહીં નહેરુવીયન કોંગ્રેસના નેતાગણ ખુદ નરાતર કોમવાદી છે તે પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના એક વખતના મંત્રી શશી થરુર શું બોલેલા ખબર છે?

હાજી આ શશી થરુર પાકિસ્તાની ચેનલના વાર્તા-ચર્ચા આલાપમાં જે બોલેલા તે ચોંકાવનારું છે. કાશ્મિરના હિન્દુઓની જે કત્લેઆમ થયેલી અને કાશ્મિરના હિન્દુઓની તેમના ઘરમાંથી હકાલ પટ્ટી કરવામાં આવેલી તે વિષે આ શશી થરુરે કહેલ કે “આ પ્રક્રિયા આરએસએસના પ્લાન પ્રમાણે થયેલી.”

હાલમાં જ નહેરુવીયન કોંગ્રેસના એક પૂર્વ મંત્રીએ પાકિસ્તાની એક ચેનલના ચર્ચા-વાર્તાલાપમાં પાકિસ્તાનીઓને કહેલ કે “પાકિસ્તાન અને ભારત વચ્ચે ના સંબંધો સુધારવા હોય તો તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે”.

આ નહેરુવીયન કોંગ્રેસની માનસિકતા કેવી છે? પાકિસ્તાનની સરકારની પાસે આ નહેરુવીયન કોંગ્રેસના સરકારી મંત્રી, નરેન્દ્ર મોદીની સરકારને હટાવવા પાકિસ્તાનની મદદ માગે છે.

પાકિસ્તાનની આઇએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર એ બંને પાકિસ્તાનની સરકારનો હિસ્સો છે. આઈએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ભારતમાં ત્રાસવાદ દ્વારા ખૂના મરકી કરે છે.

નહેરુવીયન કોંગ્રેસ આ હકિકતથી અજાણ નથી અને નથી જ. હવે જ્યારે આ કોંગ્રેસ પાકિસ્તાનને એમ કહે કે “નરેન્દ્ર મોદીને તમે હટાવો” તો તેનો અર્થ એમ જ થાય કે તમે ભારતમાં આતંકવાદ એ હદે ફેલાવો કે ભારતની જનતા ત્રાહીમામ ત્રાહીમામ થઈ જાય અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વાતાવરણ તૈયાર થાય જેથી નરેન્દ્ર મોદીની સરકારનું પતન થાય.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની આ માનસિકતા છે. આને તમે કોમવાદી નહીં કહો તો શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના કોમવાદી માનસનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભારતમાં મુસ્લિમ કોમવાદ અને પ્રત્યેક પ્રકારના આતંકવાદના મૂળ નહેરુવીયન કોંગ્રેસમાં છે. આ વિષે મોટાં પુસ્તકો લખી શકાય તેમ છે અને લખાયાં પણ છે.

૧૦૬૨માં જ્યારે ભારત ઉપર ચીને આક્રમણ કરેલ ત્યારે પશ્ચિમ બંગાળના સામ્યવાદીઓએ ચીનની સેનાને “મૂક્તિ-સેના” તરીકે ઓળખાવી હતી. તેના સ્વાગત માટે તેઓ બેનરો સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ સામ્યવાદીઓની સાથે રાજકીય ગઠબંધન નહેરુવીયન કોંગ્રેસે અનેક વાર કર્યું છે. શું આપણા દેશ ઉપર આક્રમણ કરનારી દુશ્મનની સેનાને આવકારવી એ દેશદ્રોહી કામ નથી? દુશ્મનની સેનાને આવકારનાર પક્ષની સાથે ગઠબંધન કરવું એ પણ દેશદ્રોહી કામ જ છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ એ હદ સુધી અને એટલા બધા પ્રમાણમાં સામાજિક અને બંધારણીય રીતે ભ્રષ્ટ છે કે તમે જ્યાં હાથ નાખો ત્યાં તમને તેમની ભ્રષ્ટતા નજરે પડશે. આ કારણથી તેમના ઉપર આક્રમણ કરવું સાવ જ સરળ છે.

(3) વ્યર્થ વિવાદોના જનક એટલે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ બિહારની ચૂંટણીને લક્ષમાં રાખીને અનામત અને અસહિષ્ણુતાનો મીથ્યા વિવાદ ચગાવેલો.

બિહારની ચૂંટણીમાં આ ઠગ ગઠબંધાનને સફળતા મળી છે.

06 COME ON - IT CANNOT GO WRONG EVERY TIME

અનામતના મુદ્દાને ગુજરાતના પટેલો માટે ચગાવીને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમને આંશિક સફળતા મળી છે. તેથી તેઓ તેને હજુ ચગાવી રહ્યા છે. હવે તેઓ રામ મંદિરનો વિવાદ પણ ચગાવવા માટે સજ્જ થયા છે.

આ બધા જ મુદ્દાઓ ઉપર આ ઠગ મંડળ ઉપર વૈચારિક આક્રમણ કરી શકાય તેમ છે.

બીજેપી નેતાઓએ અને દેશના હિતેચ્છુઓએ આને એક ચેલેન્જ તરીકે અને દેશ પ્રત્યેની ફરજ તરીકે સમજીને પ્રત્યાઘાતો આપવા બેહદ જરુરી છે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ ઉપર પ્રહાર કરવા માટેના શસ્ત્રો માટે તમારે એતતકાલિન સમયના બનાવોને જ મદદમાં લેવા જરુરી નથી. કારણ કે નહેરુવીયન કોંગ્રેસનો જન્મ નહેરુએ વડાપ્રધાન થવા માટે મમત રાખી ત્યારથી થયો છે. તમે નહેરુવીયનોના કુકર્મોનો આધાર તે સમયથી લઈ શકો.

શિરીષ મોહનલાલ દવે.
ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, જુઠાણા, આક્ર્મણ, કટારીયા, સમાચાર માધ્યમ, કોલમીસ્ટ, સંદર્ભ, મુદ્દા, પ્રત્યક્ષ, પરોક્ષ, બિહાર, ચૂંટણી, નાગરિક, અધિકાર, ઘૃણાસ્પદ, દેશદ્રોહ, વિભાજનવાદી, વિઘાતક, પ્રાંત, રાજ્ય, સ્વાતંત્ર્ય, નોકરી, વ્યવસાય, અરાજકતા, આતંક, હિન્દુ સંહાર, બાહરી, નીતીશકુમાર, મુસ્લિમ લીગ, કોમવાદ, દંગા, નરેન્દ્ર મોદી, મૂક્તિસેના, સ્વાગત, બીજેપી

Read Full Post »

નવ્યસર્વોદયવાદ એટલે સમસ્યાઓનું સમાધાન  – ૮ નરેન્દ્ર મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

હાલની કેળવણી અને નવ્યસર્વોદયવાદમાં સૂચિત કરેલી કેળવણીમાં ફેર શો છે?

ભારવાળું ભણતર

ગયા લેખમાં આપણે શિક્ષણના સ્તરો જોયા.

માતા પિતા ગુરુ

આપણા શિક્ષણના સ્તરો બાળક જન્મે કે તરત જ ચાલુ થાય છે.

દોઢ વર્ષનું થાય ત્યાં સુધી તે માતા પિતાની પાસે જ રહે છે. માતા પિતા તેના ગુરુ છે. માતા પિતા બંનેને બાળમાનસની કેળવણી આપવામાં આવી છે. દરેક સ્ત્રીને તેની પ્રાથમિક કક્ષાના શિક્ષણ દરમ્યાન બાળ ઉછેરની ઘનિષ્ઠ કેળવણીનું એટલે કે બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી તેને કેવી રીતે કેળવવું તેનું શિક્ષણ આપવામાં આવ્યું છે. જો સ્ત્રી વધુ ઉચ્ચકક્ષાની એટલે કે જો વધુ આવક વાળી નોકરી કરતી હોય તો તે આયા રાખી શકે. એટલે કે જે બાળા હજુ ભાણતી હોય પણ તેના માતા પિતાને મદદરુપ થવા નોકરી કરવા ઈચ્છતી હોય તો તે આયાની નોકરી સ્વિકારી શકે.

ભારવાળા ભણતરને ભારવિહીન ભણતર કરો.

હાલનું ભણતર બાળકના માનસિક વલણ સાથે જોડાયેલું નથી. પરીક્ષામાં મેળવેલા ગુણાંકના આધારે પ્રવેશ આપવામાં આવે છે. આ ગુણાંક તમારી યાદ શક્તિ અને મહેનતના કલાકોના સમન્વય ઉપર આધાર રાખે છે. શિક્ષણનું ખાનગીકરણ હોવાથી શાળા ચલાવતી સંસ્થાઓએ શિક્ષણને પૈસા કમાવાનો એક ધંધો બનાવી દીધો છે. ભણતર ભારવાળું થઈ ગયું છે. બાળકને મુક્ત રીતે વિચારવાનો સમય હોતો નથી. વળી શિક્ષણનું માધ્યમ માતૃભાષા ન હોવાથી, તેના વિષયો પરત્વેના વિચારો સ્પષ્ટ હોતા નથી. ઇતરવાચન અને ઈતર વિચારોનો વિદ્યાર્થીની પાસે સમય નથી.

શાળાઓ અને ટ્યુશનક્લાસો બબ્બે પાળીઓમાં ચાલે છે. વાસ્તવમાં વિદ્યાર્થીને સમયનું બંધન નડવું ન જોઇએ. ભણતર ક્રમે ક્રમે સ્વયંસંચાલિત હોવું જોઇએ. પુસ્તકો બધાં શાળામાં જ હોવા જોઇએ. વિદ્યાર્થી મુક્ત હાથે શાળામાં આવવો જોઇએ. શાળા છોડ્યા પછી તેના ઉપર અભ્યાસનો કોઈ ભાર ન હોવો જોઇએ. વિદ્યાર્થીને જો મુક્ત રીતે વિચાર કરતો કરવામાં આવ્યો હશે તો તે ફક્ત અભ્યાસશીલ નહીં પણ સંશોધનશીલ પણ બનશે.

ખેલ કુદ, વ્યાયામ, કળા, ગૃહ ઉદ્યોગ અને કારીગીરી (સ્કીલ)ની અનિવાર્ય પ્રાધાન્યઃ

દેશી રમતો, ઓલંપિક્સ માન્ય રમતો, યોગ સહિતના વ્યાયામ અને કળાઓની પસંદગી વિદ્યાર્થી માટે અનિવાર્ય બનાવવી જોઇએ. આ બધું શરીર અને મનની કસરતો છે.

પ્રાથમિક શિક્ષણ આઠ વર્ષનું છે અને તે દરેક વ્યક્તિમાટે અનિવાર્ય છે.

કારીગીરીનું ભણતર (સ્કીલ ડેવેલપમેન્ટ)

પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવે તે જરુરી છે. તેથી ઓછામાં ઓછો એક ગૃહઉદ્યોગ અને એક કારીગીરી તો વિદ્યાર્થીને આવડવા જ જોઇએ. નરેન્દ્ર મોદીએ ૫૦૦ ઉપરના સ્કીલ ડેવેલપમેન્ટના વિષયો શોધાવડાવ્યા છે. જેઓને જેમાં રુચિ છે તેમાં તે નૈપૂણ્ય મેળવશે. તાલુકા કક્ષાએ દરેક કારીગીરીનું ભણતર ઉપલબ્ધ હશે. અઠવાડીયાનો એક સળંગ દિવસ એક કારીગીરી માટે ફાળવવામાં આવશે. જે કારીગીરીનો વિષય ગ્રામ્યક્ષેત્રે ઉપલબ્ધ નહીં હોય તે કારીગીરી શિખવા વિદ્યાર્થી તાલુકા કક્ષાએ ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સરકાર બસની વ્યવસ્થા કરશે. સરકાર તેમને રોજી અપાવશે.

આકાશ દર્શનઃ

નવ્ય સર્વોદયવાદી શિક્ષણમાં આપણે ખગોળ શાસ્ત્ર (આકાશ દર્શન) ઉમેર્યું છે. વિશ્વની વિશાળતા અને મનુષ્યની અલ્પતા સમજવા અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે આ બહુ જરુરી છે. તેવીજ રીતે વિદ્યાર્થીમાં પોતાની માનવ સમાજ પ્રત્યેની ફરજ સમજવા અને વૈશ્વિક ભાવના ઉત્પન્ન કરવા માટે સંસ્કૃતના નીતિશાસ્ત્રના શ્લોકો કંઠસ્થ કરાવવાનો સમાવેશ કરાવ્યો છે. ચિત્રવાર્તાઓ બાલવાર્તાઓનો સમાવેશ કરાવ્યો છે જેથી વિદ્યાર્થીની વિચાર શક્તિ ખીલે. વિદ્યાર્થી સકુ્ચિત મનનો ન થાય અને ધર્માંધ પણ ન થાય તે જરુરી છે.

ઈતિહાસ અને સંસ્કૃતિઃ

પૂર્વ પ્રાથમિક કક્ષાઓમાં ભારતના પ્રાચીન અને મધ્યયુગી ઈતિહાસને વાર્તાઓના સ્વરુપમાં, ચિત્રકથાઓના સ્વરુપમાં અને ચલચિત્રોના સ્વરુપમાં ભણાવાવામાં આવશે. આર્યોનું આગમન અને અનાર્યો સાથેના તેના યુદ્ધો જેવી બનાવટી વાતોને ખોટી ઠેરવવામાં કરવામાં આવશે. ઉત્તર પ્રાથમિક કક્ષાએ વેદિક કાળની સંસ્કૃતિ, ઉપનિષત્ અને દર્શનકાળ ની સંસ્કૃતિ, પૌરાણિક કાળ અને સરસ્વતી નદીની સંસ્કૃતિ, અને આ બધાની એકસૂત્રતા જે સહેલાઈથી સમજાવી શકાય છે તેને સમજાવવામાં આવશે.

આર્યોના આક્રમણ અને અનાર્ય ઉપરના વિજયને લગતી વાતોમાં જે વિરોધાભાસો છે તે સમજાવવામાં આવશે. પ્રાચીન ભારતની સંસ્કૃતિમાં રહેલી પ્રતિકાત્મક શૈલીને સમજાવવામાં આવશે. સંસ્કૃતના શ્લોકોમાં રહેલા ગુઢ અર્થોને સમજાવવામાં આવશે. પણ આ બધું ફક્ત જાણકારી તરીકે આપવામાં આવશે જેથી વિદ્યાર્થીને ભારતીય સંસ્કૃતિ વિષે ગૌરવ થાય.

ભાષાઓઃ

ઉત્તર પ્રાથમિક શાળામાં માતૃભાષા ઉપરાંત એક વધુ દેશી ભાષાનો ઉમેરો થાય છે. જે ફક્ત બોલવા પૂરતી અને વાંચવા પૂરતી શિખવવામાં આવશે.

શિક્ષણ પદ્ધતિઃ

ઉત્તર પ્રાથમિક શાળાથી ભણતર નાના નાના જુથો બનાવીને આપવામાં આવશે. એક અર્ધગોળાકાર ટેબલની આસપાસ વિદ્યાર્થીઓ કોઈ એક વિષયના અભ્યાસ માટે બેસશે. એક જ વિષયના અનેક જુથો હશે. કોઈ એક વિષયની ભણવાની શરુઆત કેવી રીતે કરવી અને આગળ કેવી રીતે વધાવું તેનું માર્ગદર્શન જે તે વિષયનો નિષ્ણાત શિક્ષક કરશે. ત્યાર બાદ નિષ્ણાત શિક્ષક આ જુથો કેવી રીતે અભ્યાસ કરે છે અને કેવી રીતે પ્રગતિ કરે છે તેનું ધ્યાન રાખશે. સલાહ સૂચન કરશે. શિક્ષક વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને વિદ્યાર્થીઓના જુથ બનાવશે. એક જુથ, છ વિદ્યાર્થીઓથી વધુ મોટું નહીં હોય. દરેક વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર આપવામાં આવશે. જે કંઈ લખવાનું હશે તે સ્લેટ પેનથી લખવાનું થશે. કાગળ નો વપરાશ કરવા દેવામાં આવશે નહીં. એવા આઈ પેડ વિકસવાની તૈયારીમાં છે જેમાં તમે સ્ક્રીન ઉપર ડમી પેનથી લખી શકો છો. લખવાની ટેવ પાડવી એટલા માટે જરુરી છે કે તમારા અક્ષરો સુધરે. તમે ટેવોના ગુલામ ન થઈ જાઓ.  

સભ્યતા અને સ્વસ્થતા

ઘણા વિદ્યાર્થીઓ શરમાળ અને ડરપોક હોય છે. તેઓ શિક્ષકોને સાચી વાત કહી શકતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ તોફાની, પરપીડનવૃત્તિવાળા અને અસભ્ય હોય છે. આ પરિસ્થિતિ શિક્ષણની કચાશ અને શિક્ષકસાથેની સંવાદહીનતા કે સંવાદની ઉણપને કારણે હોય છે. વિદ્યાર્થીમાં સહયોગથી કામ કરવાની અને ભણવાની પદ્ધતિ જન્મે અને વિકસે એ શિક્ષકનું કર્તવ્ય છે. સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો એક બીજાને માનથી બોલાવે અને શિક્ષક પણ વિદ્યાર્થીઓને માનથી બોલાવે તો સભ્યવર્તન વિકસશે. તેવીજ રીતે ભૂલ કેવી રીતે સ્વિકારવી, ભૂલ થઈ જાય તો માફી કેવી રીતે માગવી. લેખિત કે મૌખિક ફરિયાદ કેવી રીતે કરવી, વિગેરે નાગરિક સભ્યતા માટે શિક્ષકે વિદ્યાર્થીઓ ઉપર ભાર મુકવો પડશે. ટ્રાફિકના નિયમો અને તેના પાલનની અનિવાર્યતા આત્મસાત કરાવવી પડશે. ફરજો બજાવવી, સભતા દાખવવી, સુખડતાનું અને સુવ્યવસ્થાનું પાલન કરવું, નીતિમત્તા રાખવી એ બધું દેશસેવા, દેશપ્રેમ અને દેશના ગૌરવમાં આવે છે તે બધું આત્મસાત કરાવવું પડશે.

પૂર્વ અને ઉત્તર (ઉચ્ચ) માધ્યમિક શાળાઓઃ

આ શિક્ષણ અનિવાર્ય નથી. પણ જેમને આગળ ભણવું છે તેઓ ભણી શકશે. અહીં જે ભાષાઓ ભણાવવામાં આવશે તે વાંચવા, સમજવા ઉપરાંત લખતાં અને સામાન્ય વાતચીત કરતાં પણ આવડે એટલી ભણાવવામાં આવશે.

શિક્ષા પદ્ધતિ પણ ઉત્તર પ્રાથમિક શિક્ષણ જેવી રહેશે. એટલે કે વિદ્યાર્થીઓ નાના જુથમાં ભણશે. જે તે વિષયનો નિષ્ણાત શિક્ષક તેમને માર્ગ દર્શન આપશે.

માધ્યમિક શિક્ષણમાં ક્રમશઃ વિષયો, વધુ ઘનિષ્ટતાથી ભણાવવામાં આવશે.

દરેક વિષયના અનેક સ્તર (પાઠ ચેપ્ટર) હશે. એક સ્તરનો અભ્યાસ કર્યા પછી તેની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા એક સ્વતંત્ર સંસ્થા લેશે. આ કોમ્પ્યુટરાઈઝ્ડ હશે. તેમાં ઉત્તીર્ણ થવું પડશે. પણ આ પહેલાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની પ્રાથમિક પરીક્ષા લેશે.

માધ્યમિક શિક્ષણનો હેતુ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તૈયાર કરવાનો છે.

માધ્યમિક શિક્ષણ ૪+૨ = ૬ વર્ષનું છે.

પહેલા વર્ષે બધાજ વિષયોની રુપરેખા અને તેના કાર્યક્ષેત્ર વિષે સમજ આપવામાં આવશે. બીજા વર્ષથી પોતાને ગમતા વિષયોની પસંદગી કરવાની રહેશે.

પણ કળા અને ખેલકુદમાં પહેલા વર્ષથી જ એક કળા અને એક ખેલકુદની પસંદગી કરવાની રહેશે.

૧     ત્રણે અનિવાર્ય

૧.૧    માતૃભાષા,

૧.૨    સંસ્કૃત ભાષા

૧.૩    બીજી એક દેશી ભાષા

૨     કોઈપણ બે

૨.૧    ગણિત અને ભૌતિક શાસ્ત્ર

૨.૨    ગણિત અને રસાયણ શાસ્ત્ર

૨.૩    ગણિત અને કારીગીરી

૨.૪    શરીર શાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર

૨.૫    ખગોળ શાસ્ત્ર

૩ કોઈપણ બે

૩.૧    સમાજશાસ્ત્ર અને ઈતિહાસ,

૩.૨    ભૂગોળ અને પ્રવાસન

૩.૩    નાગરિક શાસ્ત્ર

૩.૪    સુરક્ષા અને વ્યવસ્થાશાસ્ત્ર

૩.૫    શિક્ષણ શાસ્ત્ર

૩.૬    તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર      

૪     કોઈપણ એક

કળાઃ સુગમ સંગીત, શાસ્ત્રીય સંગિત, ગ્રામ્ય નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, નાટ્ય લેખન, અભિનય, દિગ્દર્શન, ચિત્રકામ, સુશોભન, વક્તૃત્વ કળા,  

૫     કોઈપણ એક

ખેલકુદઃ વ્યાયામ, યોગ, દેશી રમતો, વિદેશી રમતો, તરણ, દોડ, પર્વતારોહણ, અન્વેષણ, વિગેરે

દરેક શાળામાં જે તે વિષયની પ્રયોગશાળાઓ હશે.

પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મળશે. પણ તેને ક્યારે પુરું કરવું તે વિદ્યાર્થી ઉપર આધાર રાખશે. જેમ જેમ એક સ્તરીય પરીક્ષા (ચેપ્ટર)માં ઉત્તિર્ણ થવાતું જશે તેમ તે પછીના ચેપ્ટરોના અભ્યાસમાં પ્રવેશ મળતો જશે.

જે તે વિષયના નિષ્ણાત પોતાના વિષયની ઑન-લાઈન શાળા ચલાવી શકશે. પણ પ્રયોગશાળા માટે તેમણે સ્કુલ સાથે ગોઠવણ કરવી પડશે. ઉદ્યોગોને પણ આવી શાળા ચલાવવી હશે તો ચલાવી શકશે. પણ બધી શાળાઓના વર્ગ ખંડો અને પ્રયોગશાળાના સ્થાન જે તે વિસ્તારના વિદ્યાર્થીઓને અનુકુળ પડે તેમ એક જ સંકુલમાં રાખવામાં આવશે. પરીક્ષા એક સ્વતંત્ર વ્યવસ્થા હોવાથી, પરીક્ષા માટેની ગોઠવણ સરકાર કરશે.

માધ્યમિક શાળાના અભ્યાસક્રમો, તેને લગતા પુસ્તકો, શિક્ષકો, શાળાઓના સ્થાનની વિગતો, વિગેરે બધું જ ઑન-લાઈન ઉપલબ્ધ કરવામાં આવશે.

વિશ્વવિદ્યાલય કક્ષાનું શિક્ષણ જે તે વિશ્વ વિદ્યાલયો નક્કી કરશે. પણ સરકાર પોતાના નક્કીકરેલા ન્યૂનતમ ધારાધોરણ તેમજ જે તે વિશ્વવિદ્યાલયોએ સરકાર સાથે સમજુતી પૂર્વક નક્કી કરેલા વધારાના ધારાધોરણોનું બરાબર પાલન થાય છે કે નહીં તેનું ધ્યાન રાખશે. સંશોધન ક્ષેત્રે વિશ્વવિદ્યાલયો ઉદ્યોગો સાથે સમજુતી કરશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ પૂર્વ પ્રાથમિક, ઉત્તર પ્રાથમિક, પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક, ભાષા, સંસ્કૃત, માતૃભાષા, સહયોગ, નાગરિક, સભ્યતા, નીતિમત્તા, દેશપ્રેમ, દેશસેવા, ઈતિહાસ, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, કળા, વ્યાયામ, ખેલકુદ

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૨. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

INDIA OF OUR DREAM

જ્યારે સ્વપ્નના ગામ વિષે વિચારીએ ત્યારે એ પણ જાણી લેવું જોઇએ કે ગામ માટે કોણે કેવા સ્વપ્નો જોયા છે! અને તેના બદલાતા સમાજ સાથે કદમ મિલાવી શકે અને એટલે કે સ્થાયીપણા માટેની તેની ક્ષમતા કેટલી હતી!
આ લેખને વાંચતા પહેલાં
“સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ – ૧” ના શિર્ષક વાળો લેખ વાંચવો.

ગાંધીજીના સમયે શું પરિસ્થિતિ હતી?

ગાંધીજી હિન્દુસ્તાનના સાત લાખ ગામડાઓની વાત કરતા હતા. તે અખંડ હિન્દુસ્તાન હતું. હવે કદાચ પાંચ લાખ ગામડાં હશે. એ જે હોય તે. આપણે તેની સમસ્યાઓ અને નિવારણની શક્યતાઓ ગાંધીવાદની રીતે વિચારીશું.

(૧) ગાંધીજીનું સ્વપ્ન એ હતું કે ગામડાં સ્વાવલંબી હોય,
(૨) રહેવાને માટે સૌને સુંદર અને સગવડવાળું ઘર હોવું જોઇએ.
(૩) સૌને સુખી અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટેની જરુરીયાતો સરળતાથી ઉપલબ્ધ હોવી જોઇએ. આ માટે પ્રાથમિક શિક્ષણ, સક્ષમ અને ફરજીયાત હોવું જોઇએ. સહયોગ અને મદદ કરવાની વૃત્તિ, સામાજીક વર્તનમાં સંસ્કારિતા અને નાગરિક ફરજો (સીવીક સેન્સ) એ પ્રાથમિક શિક્ષણનું અભિન્ન અંગ હોવું જોઇએ.
(૪) સમાજમાં શોષણ ન હોય, એટલે કે માલિક, મજુરનું શોષણ ન કરે.
મશીન મનુષ્યનું ગુલામ હોવું જોઇએ. મનુષ્ય મશીનનો ગુલામ ન હોવો જોઇએ.
(૫) ગામડાંમાં થતું ઉત્પાદન અને શહેરમાં થતું ઉત્પાદન એકબીજાને પૂરક હોય,
(૬) જ્ઞાનના દરવાજા સૌને માટે ખુલ્લા હોવા જોઇએ.
(૭) સરકારી દખલ ન્યૂનતમ હોવી જોઇએ. અને સરકારી વ્યવહારમાં પારદર્શિતા હોવી જોઇએ.
(૮) સમાજના વર્ગો વચ્ચે અને વ્યક્તિઓ વચ્ચે સંવાદ હોવો જોઇએ મનુષ્ય મનુષ્ય વચ્ચે સંવાદ હોવો જોઇએ.
(૯) બહ્માન્ડ ના વર્તનની અને નિયમોની સમજણને વિજ્ઞાન સમજવું અને તેના ઉપકરણોને યંત્ર સમજવા. આ યંત્રનો ઉપયોગ લાંબાગાળાના સુખ માટે કરીએ તેને ત્યાજ્ય ન ગણવું. પણ ધ્યાન એ રાખવું કે તેમાં સામાજીક અને પ્રાકૃતિક લય જળવાઈ રહે.
(૧૦) મનુષ્ય જીવનનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું છે. આનંદ, નિરોગી શરીરથી મળે છે. આનંદ, જ્ઞાન અને “સ્વ”ની ઓળખ(આઈડેન્ટીફીકેશન અને વિશેષતાને મળતી સામાજીક માન્યતા) અને બીજાને મદદરુપ થવાને ને કારણે મળે છે. સ્વના આનંદ માટે સ્પર્ધા કે બીજાને પરાજય આપવો જરુરી હોતો નથી. કળા અને જ્ઞાનના વિકાસ દ્વારા પણ “સ્વ”ની ઓળખ મળે છે.

જ્યાં સુધી ઉપરોક્ત બાબતો સમજવામાં ન આવે અને તેનો સ્વપ્નના ગામાની સંરચના કે પૂનર્રચનામાં સમાવેશ ન કરવામાં આવે ત્યાં સુધી તે આદર્શ, સુખી અને સુઘડ ગામ બની ન શકે.

ગામડાનું સ્વવલંબનઃ

આ એક બહુ છેતરામણો શબ્દ છે. અને આ બાબત ઉપર ઘણું રાજકારણ ખેલાય છે અને અનીતિઓ આચરાય છે.

ગામડું એટલે શું?

(૧) ગામડું એટલે સૌ નજીક નજીક રહેતા હોય,

(૨) ગામડામાં સૌ એકબીજાને ઓળખતા હોય એટલે કે સંવાદ કરવાનીઅવસ્થામાં હોય,

(૩) સૌ કામ કરતા હોય, અને કૌટૂંબિક ભાવનાથી જીવતા હોય,

(૪) મોટાભાગની વસ્તુઓ ગામડામાં જ ઉપલબ્ધ હોય એટલે મનુષ્ય અને માલના પરિવહનનો ખર્ચ લઘુતમ હોય.

(૫) સૌને હવા ઉજાસ વાળું અને સગવડવાળું ઘર હોય,

(૬) રમવાને અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવા માટે મોકળાશ હોય,

(૭) કુદરતી સૌંદર્ય એટલે કે ઝાડપાન સહજ હોય,

જો આ બધી બાબતોની સમગ્રતાને ધ્યાનમાં રાખીએ તો ગામડું, કસ્બો, મધ્યમ કક્ષાનું ગામ કે શહેરના વિસ્તારો જેવા કે પોળ, શેરી, સોસાઈટી, લત્તો, એ બધાને જ આપણે “ગામડું” એવી વ્યાખ્યામાં લઈ શકીએ અને તે પ્રમાણે તેની સંરચના/પૂનર્ રચના કરી શકીયે.

આમાં કયા એકમો અને પરિબળો અને નિયમો ભાગ લે છે તે પહેલાં સમજી લેવું જોઇએ. અને તે વિષેના આપણા ખ્યાલો સુધારવા જોઇએ.

આપણે શહેરોને તોડી શકવાના નથી. પણ હયાત શહેરોમાં સુધારા કરી શકીશું.

જમીન, મકાન, ઉત્પાદકો, કાચોમાલ, ઉત્પાદન, ઉત્પાદનની પ્રક્રિયાઓ, સુખસગવડના સાધનો, માલિકીના હક્કો અને મનુષ્યના વલણો વિષે ચર્ચા કરવી જોઇએ અને તેમાં ફેરફાર કરવા જોઇએ.

જમીન અને જમીનના ભોગવટાના હક્કોઃ

વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીના કહેવા પ્રમાણે પણ જમીનની માલિકી કોઈ વ્યક્તિની ન હોઈ શકે. જમીન એ ધરતી છે. ધરતી એ સૌ સજીવોની સામુહિક માતા છે. તે સૌની છે. અને સૌ સૌનો જુદી જુદી રીતે ભોગવટાનો હક્ક છે. પણ મનુષ્ય સમાજ આ ભોગવટાનું નિયંત્રણ કરશે.

મહાત્મા ગાંધીનો સમય એ એવો સમય હતો કે જ્યારે અખંડ ભારત બહુ વિશાળ દેશ હતો. વસ્તિ વધારાની સમસ્યા ન હતી. ગામડાઓ મહદ અંશે સ્વાવલંબી હતા જો કે તેની ભાંગવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ હતી. પણ તે રોકી શકાય એમ છે તેમ માનવામાં આવતું હતું.

ગામડાંને સ્વાવલંબી કરવા માટેની કાર્યવાહી થઈ શકે તેવી ઈચ્છા શક્તિ ન હતી. મૂડીવાદ અને અતિ-મૂડીવાદ (સામ્યવાદ) ની વિચાર સરણીઓ અને તેની ચાહના પ્રત્યેની વૃત્તિઓ પ્રબળ અને વિકાસશીલ બનતી જતી હોવાથી, સ્વતંત્ર ભારતના રાજકર્તાઓ કોઈ દૂરદર્શિતા અપનાવી શક્યા નહીં. આ ઉપરાંત સર્ચોચ્ચ શાસક દ્વારા પોતાના સ્વકેન્દ્રી (જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી), વંશ કેન્દ્રી (સત્તાનું કેન્દ્ર નહેરુવંશી માટે જ આરક્ષિત) સત્તાલાલસાને કારણે નીતિમત્તાને જાણી જોઈને અવગણવામાં આવી. કાયદાના રાજનું પતન થયું અને સમાજ નો મોટોભાગ નીતિહીન બન્યો.

જે રીતે શહેરોનો વિકાસ કરવામાં આવ્યો તેમાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહીં ને જે કંઈ આયોજન થયું તેનો અધિકારીઓની (ન્યાયાલય અને જનપ્રતિનિધિઓ સહિતની) અનીતિમત્તાએ અમલ ન કર્યો એટલે જમીનના વહીવટમાં અરાજકતા આવી. જમીન અને તેના ઉપયોગે દેશને દિશાહીન કર્યો.
વસ્તિવધારો અંકુશમાં રાખી શકાયો નથી. અને અથવા માનવ શક્તિનો તેના સુયોગ્ય શ્રોત તરીકે ઉપયોગમાં લેવામાં ન આવ્યો તેથી પણ જમીન અને તેના ઉપયોગમાં પાયમાલી આવી.

આવી પરિસ્થિતિનો સુયોગ્ય સામનો કઈ રીતે થઈ શકે?

જમીનની માલિકી દેશની ગણવી પડશે.

આનો અર્થ એ થયો કે જમીનની માલિકી રાજયની રહેશે. કેન્દ સરકાર તેના ઉપયોગના નિયમો બનાવશે. સ્થાનિક કક્ષાએ તેનો અમલ થશે. અને કેન્દ્ર સુધીના સત્તાધીશો તેની ઉપર નજર રાખશે.

સૌ પ્રથમ સમજી લો કે જમીન અને વનસ્પતિ અમૂલ્ય છે. વનસ્પતિમાં વૃદ્ધિ કરી શકાય છે. પણ જમીન વિષે શું છે?

જમીન વધી શકે છે?

હાજી જમીન વધી શકે છે.

જમીન કેવી રીતે વધી શકે?

ખરાબાની જમીનને નવસાધ્ય કરોઃ ખરાબાની જમીન એ એક કાચો માલ છે. તેને એક માનવશક્તિના ઉપયોગનો અવસર સમજો.

જે જમીન છે, તેનો વ્યય ન કરો.

(૧) ઝોંપડ પટ્ટી એ જમીનનો વ્યય છે,

(૨) એકમાળી કે ચાર-પાંચમાળી મકાનો એ પણ જમીનનો વ્યય છે.

(૩) ફળદ્રુપ જમીન ઉપરની ખેતી એ પણ જમીનનો વ્યય છે કારણ કે અનાજના ઉત્પાદન માટે આપણે બે ઈંચથી છ ઈંચના ઉંડાણ સુધીની જમીનનો જ ઉપયોગ કરીએ છીએ. અનાજનું ઉત્પાદન એક માળી ઉત્પાદન છે. વૃક્ષ ઉપર થતું ઉત્પાદન બહુમાળી ઉત્પાદન છે. બહુ માળી ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને જમવાની આદતો બદલો.

(૪) ખારાશવાળી જમીનને નવસાધ્ય કરીને યોગ્ય માવજત દ્વારાઅનાજનું ઉત્પાદન કરી શકાય. ઉત્પાદન મકાનની અગાશીમાં, ગેલેરીઓમાં કે ખાસરીતે ખેતી માટે જ બનાવેલા બહુમાળી મકાનોમાં કે તેના હિસ્સાઓમાં અનાજનું ઉત્પાદન કરી શકાય છે.

(૫) ગોચરની માટે જમીન અલગ ફાળવવી એ પણ જમીનનો વ્યય છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું એ જમીનનો વ્યય છે. ઘાસનું ઉત્પાદન પણ ઉપરોક્ત અનાજના ઉત્પાદનની જેમ કરી શકાય.

(૬) વાહનો ના પાર્કીગ માટે જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વાહનોના પાર્કીંગં માટે ભોંય તળીયા અને અન્ય માળ ઉપર આયોજન સાથે જગ્યા ફાળવી શકાય.

(૭) વિમાનતળ ની જગ્યા એ જમીનનો વ્યય છેઃ આજના ઝડપી જમાનામાં કે તે સિવાય પણ આપણે વિમાનોને નષ્ટ કરી શકીશું નહીં. વિમાન ના ઉતરાણ માટે રનવે જોઇએ. જ્યાં સુધી નવી શોધ ન થાય ત્યાં સુધી આપણા વિમાની મથકો અસ્તિત્વમાં રહેશે અને તે ઉપરાંત નવા વિમાન મથકો પણ બનાવવા પડશે. વિમાનના રનવે માટે લાંબી જમીનની સખત પટ્ટી ઓ જોઇએ. વિમાનની મહત્તમ પહોળાઈ જેટલી તો જોઇએ જ. બાકીની જગ્યામાં તમે ઘાસ અને અનાજ ઉગાડી શકો. જો કે પક્ષીઓનો ઉપદ્રવ થાય. પણ પક્ષીઓને અને તીડોને ભગાડવા માટે અમૂક કંપનો વાળો અશ્રાવ્ય અવાજ આ સમસ્યાને ઉકેલી શકે છે.

(૮) શું તળાવ અને નદીઓ જમીનનો વ્યય છે?

નાજી. તળાવ અને નદીઓ જમીનનો વ્યય નથી. પણ નહેરોને તમે ભૂગર્ભ કરી ને કે તેના ઉપર સોલર પેનલો રાખીને બનાવી શકો.

(૯) શું રસ્તાઓ જમીનનો વ્યય છે?

હા અને ના.

જો આયોજન વગર રસ્તાઓ બનાવ્યા હોય તો તે ખર્ચાળ અને મુશ્કેલીઓ ઉભા કરનારા બને છે.
રસ્તાઓ માટે વપરાતી જમીનનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો?

(૧) રસ્તાઓ પણ ભૂગર્ભ અને બહુમાળી બનાવી શકાય છે.

(૨) જળમાર્ગો બનાવી શકાય, જેથી જળ વધુ જમીનમાં ઉતરે અને સંચય થાય.

(૩) ઉત્પાદનને અને ખાસ કરીને અન્ન, શાકભાજી અને ફળફળાદિના ઉત્પાદનને વધુને વધુ પ્રમાણમાં સ્થાનિક બનાવીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૪) વાહનોની ગતિને અવરોધતા ઓછામાં ઓછી કરીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૫) રસ્તાઓ બનાવવા માટે આસપાસનીની બંને બાજુએથી માટી લઈ રસ્તાની જમીનને ઉંચી કરવી પડે છે. રસ્તાઓ અને રેલ્વે માર્ગને સમાંતર રાખી તેની બંને બાજુએ નહેરોને બનાવી શકાય. તે ઉપરાંત ફ્ળોના વૃક્ષોની હરોળો રાખી ફળ અને ઘાસનું ઉત્પાદન કરી શકાય.

(૬) રસ્તાઓની બંનેબાજુ ટ્રાન્સમીશન ટાવરો અને તેની ઉપર પવન ચક્કીઓ રાખીને પ્રાકૃતિક ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.

(૭) ટ્રાન્સમીશન ટાવરો ના ફ્રેમવર્ક ઉપર સોલરપેનલો ગોઠવી વિદ્યુત ઉર્જા બનાવી શકાય.

(૮) સંભવ છે કે વખત જતાં રસ્તા ઉપરના આ ઉર્જાશ્રોતો વાહનો માટે ઉર્જા આપનારા બની રહે.

(૯) હાલનો જમાનો ઈન્ટરનેટનો જમાનો છે. તેથી ઘણા જ કર્મચારીઓને તમે તેઓ ઘરે બેઠા બેઠા કામ કરે તેવી વ્યવસ્થા ઉત્પન કરી શકાય તેમ છે. આમ કરવાથી વાહન વ્યવહારનો રસ્તા ઉપરનો બોજો ઘટશે.

(૧૦) રસ્તાઓ અને ઝડપ ઘણા ઉપયોગી છે અને જ્ઞાન, સંવાદ, આદાનપ્રદાન, પ્રવાસન ઉદ્યોગને બહુ ઉપયોગી છે. તે ઉપરાંત વિપત્તિના સમયે તે બહુ ઉપકારક બને છે.

જમીનને નવસાધ્ય કેવી રીતે કરી શકાય?

 Saline land to be converted to furtile land

ખરાબાની જમીન જો તે સામાન્ય ક્ષારવાળી હોય તો તેને સેન્દ્રીય અને જૈવિક ખાતરોથી ફળદ્રુપ બનાવી શકાય છે. ખરાબાની જમીન પણ આવા પ્રકારમાં આવે છે. તેને ફળદ્રુપ કરવા માટેના હજાર રસ્તાઓ છે.

દરીયાઈ ક્ષારવાળી રણની જમીનઃ આ જમીનને ફળદ્રુપ કરી શકાય છે અને તકનિકી દ્વારા મીઠું (નમક), શુદ્ધ પાણી, ખેત તલાવડી, ખેતી, ઘાસ, ઉર્જા આપે તેવા પાક, વૃક્ષ, અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાય છે. કાળક્રમે તેનું જંગલમાં રુપાંતર કરી શકાય છે.

તળાવ અને નદીના કિનારાઓને વિકસાવી ત્યાં ઉત્પાદન, પ્રવાસન અને રહેણાકના ક્ષેત્રો સુયોગ્ય આયોજન દ્વારા બનાવી શકાય છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, જમીન, ભૂમિ, ભોગવટા, હક્ક, માલિકી, સોલર સેલ, પવન ચક્કી, વસ્તિ, ગામડાં, સ્વાવલંબી, ઉત્પાદન, રસ્તા, ભારણ, આનંદ, સુખ સગવડ, પ્રાથમિક, શિક્ષણ, સહયોગ, શોષણ, જ્ઞાન, સરકાર, સંરચના, નાગરિક, નદી, તળાવ, વિકાસ

Read Full Post »

%d bloggers like this: