Feeds:
Posts
Comments

Posts Tagged ‘પરમેશ્વર’

કળીયુગી શિવગીતા તૃતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા તૃતીયોધ્યાયઃ

સુરક્ષા યોગ 

નરેન્દ્રઃ ઉવાચ ; હે મહાનલ, આપે મને એમ કહ્યું કે દેશ ની સુરક્ષા સર્વપ્રથમ હોવી જોઇએ. પણ હે જ્ઞાનેશ્વર, શ્રેય અને સત્યમાં કોની પસંદગી કરવી જોઈએ?

મહેશ્વરઃ ઉવાચ ; હે વિકાસપુરુષ, શ્રેય એ એક વ્યક્તિગત અભિપ્રાયનો પ્રશ્ન છે. કોઈક, એક અભિપ્રાયને શ્રેય માને છે તો કોઈક, અન્ય અભિપ્રાયને શ્રેય માને છે. શ્રેય શું છે તે તો ભવિષ્યનો સમય જ કહી શકે. પણ જે આર્ષદૃષ્ટા છે, તે શ્રેયને ઓળખી શકે છે. શ્રેય એટલે આમ તો સામાન્ય જનતાનું હિત એટલે કે સાંપ્રત કાળે જ્યારે દેશ, દશકાઓથી આતંકવાદીઓના આક્ર્મણથી પીડિત  હોય ત્યારે  દેશનું હિત એ જ શ્રેય છે.

નરેન્દ્રઃ ઉવાચ ; હે વૈશ્વાનર, હું અને મારો પક્ષ, જે કંઈ પગલાં લે છે તે ભારતીય સંવિધાન અને જનતંત્રને અનુરુપ જ પગલાં હોય છે. પણ મારા વિરોધીઓ તેને વિષે ઉંધો જ પ્રચાર કરે છે. વળી તેઓ કોઈ ચર્ચામાં માનતા જ નથી. મેં વર્ષો પહેલાં કહેલું કે જમ્મુ-કાશ્મિર રાજ્યને અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ થી શું ફાયદો થયો તેની ચર્ચા થવી જોઇએ. તો મારા વિરોધીઓ ફાયદાની તો ચર્ચા જ કરતા ન હતા. તેઓ તો એમ કહેતા હતા કે જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે જમ્મુ-કાશ્મિર રાજ્ય ભારતમાંથી ગયું.   જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે અમે અમારા રાજ્યને પાકિસ્તાન સાથે ભેળવી દઈશું. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે અહી લોહીની નદીઓ વહેશે. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે જે પરિસ્થિતિ સર્જાશે તેમાં, ભારતના સૈનિક ના શબને રાષ્ટ્ર ધ્વજ ઓઢાડવા વાળું કોઈ નહીં મળે. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે એ લોકશાહીની હત્યા ગણાશે.

“હે પંચાનન, આને શું ચર્ચા કહેવાય? જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે સ્ત્રીઓને પુરુષ સમકક્ષ અધિકાર ન હતો. શું આને લોકશાહી કહેવાય?

જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે ૧૯૪૪થી સ્થાયી થયેલા હિન્દુઓના દલિત કુટુંબોને વિધાન સભામાં મતાધિકાર ન હતો. શું આને લોકશાહી કહેવાય?

જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે આ દલિત હિન્દુઓ ને શિક્ષણ લેવાના હક્ક ન હતા. શું આને શું લોકશાહી કહેવાય?

 જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે તેમને બીજા રાજ્યમાં શિક્ષણ માટે જવું પડતું હતું. આને શું લોકશાહી કહેવાય?

જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે ઉપરોક્ત દલિત હિન્દુ, સફાઈકામ સિવાયની કોઈ નોકરી જ કરી શકતો ન હતો. આને શું લોકશાહી કહેવાય?

વળી હે પરમેશ્વર, મારા વિરોધીઓ એમ કહેતા હતા કે જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થવાના કારણે રાજ્યમાં લોહીની નદીઓ વહેશે. એટલે કે મારા વિરોધીઓની માન્યતા પ્રમાણે, આવી જનતંત્રની ઘાતક વ્યવસ્થાને કારણે, એટલે કે જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે રાજ્યમાં શાંતિ છે. જો આવું જ હોય તો આતંકવાદીઓના હુમાલાઓ શા માટે થતા હતા? નિર્વાસિત હિન્દુઓનો પુનર્વાસ કેમ થતો ન હતો? હિન્દુઓનો નરસંહાર શા માટે થયેલો? હિન્દુ સ્ત્રીઓ ઉપર સામુહિક બળાત્કાર શા માટે થયા હતા? મારા વિરોધીઓએ આ બધા અત્યાચારીઓ ઉપર ન્યાયિક પગલાં કેમ ન લીધાં? શું તેમની કોઈ ફરજ જ ન હતી?  શું મારા વિરોધીઓ સત્તા સ્થાને હોવા છતાં, આ રીતે સતત મૌન, નિસ્ક્રિય અને અસંવેદનશીલ રહ્યા તે શું અક્ષમ્ય અપરાધ નથી? મારે હિસાબે તો તેઓ આજીવન કારાવાસને લાયક જ છે.

મેં જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ કરીને જમ્મુ-કાશ્મિરમાં લોકશાહી સ્થાપી, તો મારા વિરોધીઓ મેં જમ્મુ-કાશ્મિરમાં લોકશાહીનું હનન કર્યું એમ કહે છે. કહેતા બી દિવાના ઔર સૂનતા ભી દિવાના!

મહેશ્વરઃ ઉવાચ ; “હે ધુરંધર, તું સત્ય અને શ્રેયના માર્ગે જ જઈ રહ્યો છે. ભારતની જનતા તારી સાથે છે પછી તારે શા માટે ચિંતા કરવી? ધારો કે તારા વિરોધીઓ, જનતામાં રહેલા, વાચાળ પણ અર્ધદગ્ધ, બુદ્ધિશાળી પણ દંભી, ચાલાક પણ સ્વકેન્દ્રી, વિદ્વાન પણ પોતાની તટસ્થતા દર્શાવવાના ધૂની મહાનુભાવોને લપટાવી શકે છે તો પરિસ્થિતિ ગંભીર અને સ્ફોટક છે. જો તેમના મનસુબા સિદ્ધ થવા દઈશ તો તારે સમજવું કે ભારતનું ભવિષ્ય પણ અંધકારમય છે.

હે સમદર્શી, તારો ધર્મ તું જાણે છે. ગીતામાં મેં શ્રી કૃષ્ણના મોઢે કહેડાવ્યું જ છે, કે તારે તારું કર્મ કરવાનું જ છે. અકર્મણ્યતા તરફ જવાનું નથી. “ભારતદેશ” જેમને માટે પ્રથમ છે, તેઓ ફક્ત તારી ઉપર જ આશાભરી દૃષ્ટિથી જોઇ રહ્યા છે. તે તારે સતત યાદ રાખવાનું છે.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિધાતા, હું જાણું છું કે જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. મેં હજી ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાની આશા મુકી નથી અને મુકીશ પણ નહીં. પણ ભારતના મતિભ્રષ્ટ મૂર્ધન્યો લોકશાહીને નામે, પાકિસ્તાન અને બંગ્લાદેશથી આવેલા ઘુસણખોરોને નાગરિકતા આપવાની વાતો કરે છે. હું ભારતસ્થ પાકિસ્તાની-બંગ્લાદેશની લઘુમતિ એવા નિરાશ્રિતોને  નાગરિકતા આપવાની વાત કરું છું તો મારા વિરોધીઓ, મેં ધાર્મિક ભેદભાવ રાખ્યો એવું તારણ કાઢે છે, અને પાછા ગાંધીજીનું નામ લઈ મારો વિરોધ કરે છે. વળી તેઓ ગાંધીજીના ફોટાઓ સાથે દેશહિતમાં લેવાયેલા નિર્ણયો વિરુદ્ધ પ્રદર્શન કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રજ્ઞાવાન, તારાથી વિશેષ ગાંધીજીને કોઈ સમજ્યું નથી. કારણ કે તારા વિરોધીઓ ફક્ત ગાંધીનું નામ જ લે છે, પણ ગાંધીના તારણો ટાંકતા નથી. આ બાબત જ તેઓ કેટલા કપટી છે તે દર્શાવે છે.

પુનર્જન્મ

નરેન્દ્રઃ ઉવાચ ; હે આદિગુરુ, મારા પ્રચ્છન્ન અને અપ્રચ્છન્ન  વિરોધીઓને તો હું સારી રીતે ઓળખું છું. પણ જેઓ પોતે તટસ્થ છે એવું પ્રદર્શિત કરતા રહેવાની ઘેલછામાં તટસ્થતાની  ડબલ ઢોલકી વગાડે છે. તેથી હું ચિંતિત છું. હે ઈશ્વર, તમે તો જાણો જ છો કે હું જ નવ્યગાંધી (મહાત્મા ગાંધીનો પુનર્‌ જન્મ) છું. પણ મારાથી તો એવું ન જ કહેવાય ને. જો કહું તો મને વગોવવાનો એક નવો મુદ્દો તેઓને મળી જાય.

મહેશ્વરઃ ઉવાચ ; હે વિવેકશીલ, તારા વિરોધીઓ મુખ્યત્વે એરીસ્ટોક્રેટ અને પૈસા થકી વિદેશોમાં કે દેશની ખ્યાતનામ વિશ્વવિદ્યાલયોમાં ભણેલા છે. તું એક તો ગુજ્જુ છે અને વળી ગામડાની નિશાળ અને ગામડાની કોલેજમાં ભણેલ છે. તેઓ તને મગન-માધ્યમ (માતૃભાષા ગુજરાતી) માં ભણેલ, સાવ દેશી માને છે. તું ઇસ્ત્રીટાઈટ કપડાં પહેરે છે તેનો તેઓ અવળો અર્થ કરે છે. જો કે તું તે વસ્ત્રો હરાજી કરી વેચીને મહિલાઓના ઉત્થાન માટે ખર્ચે છે, તારા આ સત્કર્મની તેઓ નોંધ પણ લેતા નથી  અને ઉપરથી તારા ખર્ચાની વગોવણી કરે છે. હે નવ્ય ગાંધી, તું તો ગાંધીજીની જેમ સાદાઈથી રહેવા તૈયાર છે પણ ધારો કે તું તેમ કરે તો તારી પોતડીના હરાજીમાં કેટલા પૈસા આવે? તારા હાલના વસ્ત્રોના તો લાખો રુપીયા આવે છે. કદાચ તારી પોતડીના તો પાંચશો રુપીયા પણ ન આવે. તું વિદેશી સફર રાત્રે કરે છે અને સરકારના લાખ્ખો રુપીયા બચાવે છે, તે ઉપરાંત તારી બધી જ વિદેશ યાત્રાઓ સફળ અને અત્યંત લાભપ્રદ હોય છે, પણ તારા વિરોધીઓ તો તેમના કુસંસ્કાર પ્રમાણે તને વગોવ્યા જ કરશે તે તું જાણી લે. તટસ્થતાની ઘેલછાવાળા તથા કથિત મહાનુભાવો પણ, સામાન્ય જનતાને મુંઝવણમાં મુક્યા કરશે. હે અક્લાંત (જેને કદી થાક ન લાગે તેવો), અને ઉદ્યમી પુરુષ, તું કશી જ ચિંતા કર્યા વગર તારું નિર્ધારિત કર્મ કર્યે જા. શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આ જ રાજમાર્ગ છે.

નરેન્દ્રઃ ઉવાચ ; હે વિશ્વરહસ્યજ્ઞ, ભારતના પાડોશી દેશો જેઓ સ્વતંત્રતા પૂર્વે બ્રીટીશ હિંદનો ભાગ હતા, તે મુસ્લિમ દેશોમાં રહેતા હિન્દુઓની વસ્તી ૧૯૫૦ પછી પણ્ સતત ઘટતી રહી છે. આ કારણ થી નહેરુ અને લિયાકત અલી વચ્ચે ૧૯૫૪માં કરાર થયેલ. પણ પાકિસ્તાનના મુસ્લિમો અને પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે કશા જ પગલાં લેતી નથી, તે ઉપરાંત હિન્દુઓની સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરે છે અને હિન્દુઓની હત્યા પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; હે સમદૃષ્ટિ, તેં જે હિન્દુઓને નાગરિકત્ત્વ આપવાની જોગવાઈ કરી છે તે યોગ્ય જ છે. તેઓ પોતાનો જીવ બચાવવા અને અથવા ધર્મ બચાવવા ભારતમાં આશ્રય લેવા આવે છે. તેમને નાગરિકતાના હક્ક આપવા તે ભારત સરકારનું કર્તવ્ય છે. તારા વિરોધીઓ જે કામો ન કરી શક્યા, તે કામો તેં કર્યા, તારા વિરોધીઓ જે સમસ્યાઓ  ન ઉકેલી શક્યા, તે સમસ્યાઓ તેં ઉકેલી. આ વાત જ તારા વિરોધીઓને કઠે છે.

નરેન્દ્રઃ ઉવાચ ; પણ હે ભોલેનાથ, મારા વિરોધીઓ અનુચ્છેદ ૧૪નો આધાર આપી મને કહે છે કે મેં ભારતીય સંવિધાનનું અપમાન કર્યું છે. હવે એ પ્રભુ, હું પાકિસ્તાનની લઘુમતિઓને તો પીડિત હોવાને કારણે, અને પાકિસ્તાનની સરકારો દ્વારા, નહેરુ-લિયાકત અલી કરારની અવગણના કરી હોવાના કારણે, ભારતની નાગરિકતા આપું પણ મુસ્લિમ ઘુસણખોરોને કેવીરીતે સામૂહિક રીતે નાગરિકતા આપું? જો પાકિસ્તાનના મુસ્લિમો પણ પાકિસ્તાનની સરકાર સરકારથી પીડિત હોય તો તે ત્યાંનો કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. પાકિસ્તાનનો મુસ્લિમ નાગરિક કંઈ નહેરુ-લિયાકત અલી કરારનો હિસ્સો નથી. નહેરુએ આ કરારના પાલનનો આગ્રહ ન રાખ્યો એ કંઈ મારી સરકારનો અપરાધ નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે વિશ્વ માનવ, તારે તારા આવા વિરોધીઓને ઉત્તર આપવાની જરુર જ નથી, પાકિસ્તાન તેના બંધારણીય આધાર થકી એક મુસ્લિમ દેશ છે. તેના મુસ્લિમો ભારતમાં ઘુસણખોરી કરી અહીં આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે. આના અનેક ઉદાહરણો છે. આમ છતાં પણ જો કોઈ સજ્જન મુસ્લિમને, ભારતનું નાગરિકત્ત્વ જોઈતું હોય તો તેને માટે કંઈ ભારત સરકારે ભારતીય નાગરિકતા મેળવવા માટેના દ્વાર બંધ કર્યા નથી. ભારત સરકાર, ભારતની સુરક્ષા માટે વિદેશીઓનું અને ખાસ કરીને મુસ્લિમોનું વર્ગીકરણ કરી જ શકે. વર્ગીકરણ કરવું તે ભારતીય બંધારણની જોગવાઈઓને અનુરુપ છે. ભારત સરકારે દેશની સુરક્ષા માટે આવા વર્ગીકરણ કરવા જ જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; પણ દીનેશ્વર પ્રભુ, મારા વિરોધીઓ તો મુસ્લિમ મહિલાઓના પ્રદર્શન દ્વારા પાકિસ્તાનના મુસ્લિમોને, ભારતમાં તેમને નાગરિક હક્ક માટેની લડાઈ લડે છે. વળી મુસ્લિમ નેતાઓ જ નહીં પણ કોંગીઓની ટોળકીઓ પણ તેમનું સમર્થન કરી રહી છે. મુસ્લિમો તો ખુલ્લં ખુલ્લા એમ કહે છે કે અમે સૌ પ્રથમ મુસ્લિમ છીએ અને જો પાકિસ્તાન આક્રમણ કરશે તો અમે તેમની તાકત બનીશું. હે પંચાનન, તમે જાણો છો, કે મુસ્લિમોએ ભારતમાં જ જ્યારે હજારો હિન્દુઓની હત્યા કરી હોય, કેટલાય દશહાજારો હિન્દુ મહિલાઓ ઉપર બળાત્કાર કર્યા હોય, લાખો હિન્દુઓને ઘર વિહોણા કર્યા હોય અને કેટલાય દૂર સુદૂર સુધી હજારો બોમ્બ બ્લાસ્ટ કર્યા હોય, ત્યારે મારી સરકારે ચેતવું તો જોઇએ જ ને? હે ત્રિગુણેશ્વર, દેશને બેવફા નિવડનારાઓને માથે કંઈ શીંગડા નથી ઉગતા કે મારી સરકાર તેમને ઓળખી કાઢે.  

મહેશ્વરઃ ઉવાચ ; જો મુસલમાન ભારતને વફાદાર નહીં રહે તો ભારત સરકાર તેમને મોતને ઘાટ ઉતારશે (“દિલ્લીમાં ગાંધી”, પાના નંબર ૫૪).  આ વાત ભારતના મુસ્લિમોએ સમજવી   જોઈએ. ગાંધીજીએ આ વાત તા. ૨૫-૦૯-૧૯૪૭ના રોજ કહેલી જ છે. તે તું જાણે છે.

નરેન્દ્રઃ ઉવાચ ; “જી પ્રભુ, ગાંધીજીએ તો એમ પણ કહેલું કે જો મુસલમાન પાછળથી છૂપી રીતે છરો ભોંકતો રહેશે … પોતાનું જંગલીપણુ દાખવશે  … દગાબાજ રહેશે અને પવિત્ર નહીં રહે તો ઇસ્લામ પોતે જ દુનિયામાંથી ખતમ થઈ જશે. (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૫૩, તા. ૨૫-૦૯-૧૯૪૭).

મહેશ્વરઃ ઉવાચ ; “પ્રિય વત્સ નરેન્દ્ર, તારી વાત સાચી છે. શાણા મુસ્લિમોએ હવે સમજી જવું જોઇએ કે કરોડો મુસલમાન ભારતમાં છે.  તેઓ બધા કંઈ અરબસ્તાનથી નથી આવ્યા (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૬૫ તા. ૩૦-૦૯-૧૯૪૭).  જો તેઓ જો ચેતશે નહીં તો તેમનો સર્વનાશ નિશ્ચિત છે. હિન્દુઓએ સમજવું જોઇએ કે ન્યાય માટેની આ લડાઈમાં તેઓ નાસીપાસ ન થાય.

નરેન્દ્રઃ ઉવાચ ;  હે ઈશ્વર, ગાંધીબાપુએ એ તો ૭-૧૦-૧૯૪૭ની પ્રાર્થના સભામાં કહેલું જ કે પાકિસ્તાનમાં વસતા હિન્દુઓની સલામતી નથી તે વાતને હિન્દુસ્તાનમાં વસતા મુસલમાનોની સલામતી નથી તે વાત સાથે જોડીને બે ખોટી સરખામણી ન કરી શકાય. ગાંધીજીએ ૮-૧૦-૧૯૪૭ ના રોજ સુહરાવર્દી અને મુજીબુર રહેમાનને હિન્દુઓની અસલામતી અને અન્યાયની  બાબતમાં ટોક્યા હતા. અને વિનાશકાળે વિપરિત બુદ્ધિનો શબ્દ પ્રયોગ કર્યો હતો. સુહરાવર્દીને ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી પછીનો માર્ગ પતન છે. તમે કહો છો કે જીન્ના, નહેરુના વખાણ કરે છે. પણ તે દંભ છે. તે જાહેરમાં કેમ વખાણ કરતા નથી? તમે સિંધની હાલત જુઓ. અને પછી કહો કે જીન્ના જે એમ કહે છે કે સિંધમાંથી હિન્દુઓએ જવાની જરુર નથી. આ બાલીશ વાતો છે. ગુજરાન વાલામાં ૫૦૦૦ હિન્દુઓનો રક્તપાત થયો પણ લિયાકત આલી કે જીન્ના સહેબ કેમ કશું બોલતા નથી? આને શું તમારું પીસ મીશન કહેવાય? બંને સરકારોએ સહકારથી યોગ્ય કરારો કરી તેનો અમલ કરવો જોઈએ. જો આમ નહીં થાય તો યુદ્ધ સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. (હું ભલે યુદ્ધની વિરુદ્ધ હોઉં) પણ મીલીટરી અને હથીયારથી સજ્જ સૈન્ય રાખનારી સરકાર, બીજી કોઈ રીતે ચાલી શકે નહીં (“દિલ્લીમાં ગાંધી” તા. ૯-૧૦-૧૯૪૭). આવું આવું તો ઘણું જ ગાંધીજીએ તેમના છેલ્લા ત્રણ મહિનાની રોજનીશીમાં પથભ્રષ્ટ અને મતિભ્રષ્ટ મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ જનતા વિષે જણાવ્યુ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સુજ્ઞ ગાંધીપ્રેમી, તું જે કહે છે તે સત્ય છે અને તારા તારતમ્યો પણ યોગ્ય અને દેશના હિતમાં જ છે. પાકિસ્તાનના પ્રધાનો સુદ્ધાં ગાંધીજીને દગાબાજ કહેતા હતા. પણ ગાંધીજી ગુસ્સે થયા ન હતા. ગાંધીજીએ કબુલ કર્યું હતું કે કોંગ્રેસ નીચે ને નીચે ઊતરતી જાય છે. કોંગ્રેસ હક્કોની વાતો કરે છે. તે પોતાની ફરજ ભૂલી ગઈ છે. મેં મારો જન્મારો કોંગ્રેસને તેની ફરજ શિખવાડવામાં વિતાડ્યો. (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૧૦૬-૧૦૭ તા. ૧૪-૧૦-૧૯૪૭) તો હે ભારતીય સંસ્કૃતિ-પ્રેમી તું ગુસ્સો કર્યા વગર તારું સુનિશ્ચિત કર્મ કર્યા કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અવલોકિતેશ્વર, મેં  ગાધીજી અને ગાંધીજીના સિદ્ધાંતો વિષે ઘણું જ વાંચ્યુ છે. આ માટે મેં “વાંચે ગુજરાત” નામનું દર વર્ષે અભિયાન પણ ચલાવેલું. હું ગાંધીજીના માર્ગે ચાલવા પ્રયત્નો તો કરું જ છું. અને કોંગીના કરતાં તો મોટો  જ ગાંધીવાદી છું અને તેમના સિદ્ધાંતોનું પાલન કરું છું. આ બધાનું તો તમે અવલોકન કર્યું જ હશે. મારા પ્રયત્નો કેટલાકને અધુરા લાગતા હશે પણ હે કલ્યાણકારી, તે માટૅ જનમાનસ અને જન શક્તિ પણ તૈયાર હોવી જોઇએ. મારી પાસે સત્તા હોવાથી જો હું સંપૂર્ણ રીતે ગાંધીજીના બધા જ સિદ્ધાંતોનો અમલ કરું તો મારા વિરોધીઓ વિતંડાવાદ દ્વારા અરાજકતા ફેલાવી દે.

હે પ્રભુ, જ્યારે ન્યાયાલય પણ પોતાની પ્રાથમિકતા ન સમજી શકતું હોય, જ્યાં ન્યાયાલયે આદેશ આપવાનો હોય ત્યાં તે જાણે પોતે વિપક્ષી રાજકારણી હોય તેમ સુનવણી લંબાવવા દે, અને અથવા મુદતો પાડે છે, તેમજ મીથ્યા નિવેદનો કરે છે. હે પ્રભુ, જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે મારે ચારે બાજુનો વિચાર કરી કદમ ઉઠાવવા પડે. શાહીન બાગની ઘટના તો તમે જાણો જ છો.

પરમેશ્વરઃ ઉવાચ ; હે કૂટનીતિજ્ઞ, તું સમજદાર છે. હું જાણું છું કે જો તું ગાંધીજીના સિદ્ધાંતોને ખાતર બાંધછોડ કર્યા વગર જો શાસન કરે તો તારા વિરોધીઓ તને અને તારા પક્ષને ઘડીના છઠ્ઠા ભાગમાં સત્તાથી વિમુખ કરી નાખે. જનતાના મોટા ભાગને ગાંધીજીના સિદ્ધાંતોમાં ગતાગમ પડતી નથી અને તેમને એ વાતની ચિંતા પણ નથી. આવા સંજોગોમાં તારે બંધારણીય રીતે પણ ચાણક્ય નીતિ દ્વારા જ શાસન કરવું જોઇએ. જો તારી પાસે સત્તા હશે તો તું શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર કરી શકી. તારે તારી સત્તા, વિપક્ષ એવા “[વરુઓને હવાલે (ભેડીયોંકે હવાલે)]” ન કરવી જોઇએ.

ઇતિ શ્રી ત્રીનેત્રચર્ચાક્ષેત્રે શ્રી કળીયુગી શિવગીતાયાઃ તૃતીયોધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ કે સંપૂર્ણમ્‌ ખબર નથી. કદાચ મોદી સાહેબ ફરીથી કોઈવાર યોગ નિદ્રામાં બેસે પણ ખરા)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ વિષે કોંગી ગેંગ ની માગણી છેઃ

“નિમ્ન લિખિત સુવિધાઓ મફતમાં આપો. અહીંની દરેક મહિલા તથા શિશુને ;

એક ડઝન સેનીટરી પેડ, નાક લુછવા છ નેપકીન અથવા રોજના બે ટીસ્યુપેપર બોક્સ,   ત્રણ પડવાળા બે માસ્ક, બે સેનીટરી લીક્વીડની બોટલ, એક લીટરવાળી ૧૦ મીનરલ વોટરની બોટલો, બે એક્ટીવેટેડ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ આઈ.એસ.ડી. ફેસીલીટી સાથે

કોમન સગવડઃ

જમ્યા પછી હાથ ધોવાના એક ડઝન ટબ અને ૨૦૦૦૦ લીટરની પાણી ભરેલી બે ટાંકીઓ, એક ડઝન પાણીપુરીની લારીઓ, એક ડઝન રગડા પેટીસની લારીઓ, એક ડઝન ભેળપુરીની લારીઓ, એક ડઝન લીલી આમલીની લારીઓ, એક ડઝન ખમણ ઢોકળાંની લારીઓ

ચોવીસ કલાક ની સેવા માટે માટે દરેક સીફ્ટમાં, એક ડઝન પરિચારિકાઓ, અડધો ડઝન એમ.બી.બી.એસ. લેડી ડોક્ટરો, એક એમ.ડી. લેડી ડોક્ટર, બે ડઝન મે’તરાણીઓ અને બે અમ્બ્યુલન્સ. પ્રદર્શનકારીનું રોજ બે વાર મેડીકલ ચેક અપ અને મફત ચિકીત્સા.

પ્રદર્શનના અંત પછી બાળક સહિત દરેકને ₹ ૫૦૦૦૦/- નું બેઝીક પેન્શન વત્તા મોંઘવારી અને જીંદગી પર્યંત ફ્રી મેડીકલ ટ્રીટમેન્ટ.

કારણ કે પ્રદર્શનકારી બાલ-મહિલાઓને પણ માનવીય અને બંધારણીય અધિકારો હોય છે.

Read Full Post »

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

દેશદ્રોહ આશંકા યોગઃ

આપણા નરેન્દ્ર  મોદી સાહેબ પદ્માસનવાળી ધ્યાનસ્થ થયા. પદ્માસન એ સેલ્ફ સપોર્ટેડ બેલેન્સ્ડ આસન છે.

નરેન્દ્ર મોદી સમાધિ અવસ્થામાં  કૈલાશ ગયા કે દેવાધિદેવ મહાદેવે નરેન્દ્ર મોદીને દર્શન આપ્યા કે સમાધિ અવસ્થામાં નિદ્રાધીન થઈ નરેન્દ્ર ભાઈએ સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કર્યો, તેની ચર્ચા આપણે નહીં કરીએ.

Dakshina Murtti

નરેન્દ્રભાઈ મોદીને લાગ્યું કે તેમની સમક્ષ મહેશ્વર પ્રગટ થયા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે દામોદરપુત્ર, તું આટલો ચિંતાગ્રસ્ત શા માટે છે?

નરેન્દ્ર ઉવાચઃ “ભક્તસ્તેહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ (હુ તમારો ભક્ત છું અને આપને શરણે આવેલા એવા મને બોધ આપો)

મહેશ્વરઃ ઉવાચ ; “હે હિરાનંદન,  શી વાત છે?

 નરેન્દ્ર ઉવાચ ;  “હે પ્રભુ, ભારતવર્ષમાં અત્યારે કેટલાક પરિબળો અશાંતિ સ્થાપવા કૃતસંકલ્પ થયા છે અને સમાચાર માધ્યમો એટલે કે કેટલાક  વર્તમાન પત્રો અને કેટલીક  ટીવી ચેનલો સમાચારોને પોતાના એજન્ડાને અનુરુપ શબ્દોની ગોઠવણી કરીને એવા રુપે રજુ કરે છે કે ઘટનાઓનું મૂળ સ્વરુપ નષ્ટ થાય અને વિકૃત સ્વરુપ સામે આવે છે. આનો લાભ લઈને દેશના વિભાજન વાદી પરિબળો વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે પરિશ્રમી, તારે તો તારો રાજધર્મ બજાવવાનો છે.

નરેન્દ્ર ઉવાચ ; “હે પ્રભુ, હું મારા રાજ ધર્મને જાણું છું. હું  હમેશા મારો રાજધર્મ બાજાવતો આવ્યો છું. ૨૦૦૧ થી જ્યારથી મારા પક્ષ દ્વારા મને શાસનની ધૂરા સોંપવામાં આવી ત્યારથી શરુ કરી રાજ ધર્મ જ બજાવતો આવ્યો છું. હે પરમેશ્વર તમે તો જાણો જ છો કે ૨૦૦૨ના હુલ્લડોથી મને અમુક પ્રકારના તત્ત્વો બદનામ કરતા જ આવ્યા છે. હું એ પણ જાણું છું કે તેમની તો આદત છે. પણ જ્યારથી, ૨૦૧૯ની ચૂંટણી હું અને મારો પક્ષ જીત્યા છે ત્યારથી આ હુલ્લડવાદી તત્ત્વો મરણીયા થયા  છે. અફવાઓ તો તેઓ પહેલાં પણ ફેલાવતાં હતાં. પણ એ અફવાઓ ખોટી હતી અથવા વિવાદાસ્પદ હતી તેથી મને ખાસ વાંધો ન હતો.

મહેશ્વરઃ ઉવાચ ; “ હે સમાજશાસ્ત્રી, તો શું તું એમ કહેવા માગે છે કે હાલમાં પ્રવર્તમાન અફવાઓમાં સત્ય છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “ના પ્રભુ ના… હવે મારા વિરોધીઓ રસ્તા ઉપર આવી ગયા છે અને ધરણાઓ કરવા માંડ્યા છે. એટલું જ નહીં તેઓ મુસ્લિમ સ્ત્રીઓ દ્વારા ધરણા અને પ્રદર્શનો કરવવા માંડ્યા છે. એટલે મારી દશા શિખંડીએ ભિષ્મ પિતામહની કરી હતી તેવી થઈ છે. મુસ્લિમ સ્ત્રીઓ ઉપરાંત બાળકો પણ છે. બાળકોની પાસે “મોદીને ગોળી મારો” એવા સૂત્રો પણ બોલાવે છે. …

મહેશ્વરઃ ઉવાચ; ” હે અષ્ટકૂટ, મને લાગતું નથી કે તું આવી વાતોથી ગભરાઈ જાય !! અને તારા ધ્યેય થી વિચલિત થાય !!

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અંતર્‌યામી, હું તો આપની સલાહ લેવા આવ્યોં છું કે હું સાચા માર્ગે છું કે મારે કશોક ફેરફાર કરવાની જરુર છે?

મહેશ્વરઃ ઉવાચ ; “હે મહાધૈર્યવાન, તું જાણે જ છે કે શાહીન બાગ પ્રદર્શનનો હેતુ શો હતો? આવા પ્રદર્શનો તો તું પણ કરાવી શકે છે, અને તે પણ વધુ સારી રીતે. પણ હે પ્રજાપ્રિય, તું તો જાણે જ છે કે આ પ્રદર્શન એક પ્રયોગ હતો અને આ પ્રયોગમાં જો તું કંઈપણ સકારાત્મક પગલુ  ભરે, તો તેઓ હુલ્લડ કરાવે. હુલ્લડ કરાવવામાં તો તારા વિરોધીઓ નિપૂણ છે. જો તેઓ ૨૦૦૮ના આતંકવાદી હુમલાને પણ તારે નામ કરવાનું કાવતરું રચી શકતા હોય તો તેઓ શું ન કરી શકે?  

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વમૂર્ત્તિ, આપ તો જાણો જ છો કે મારા વિરોધીઓ શું શું કરી શકે છે !! કારણ કે તેમને માટે આ બધું મહદ્‌ અંશે સરળ છે. કારણ કે તે સૌ “જૈસે થે વાદી છે … લૂટો અને લૂટવા દો, ગરીબોને ખેરાતના વચનો આપો, તેમને અશક્ત તથા સરકાર ઉપર અવલંબિત જ રાખો … મારા વિરોધીઓ એવું ઈચ્છે છે કે “કાળું નાણું ઉત્પન્ન થવા દો, તેના થકી આપણે વિદેશોમાં રોકાણ કરી શકીશું, વિદેશોમાં સંપત્તિ ખરીદી શકીશું, વિદેશોમાં ટાપુઓ ખરીદી શકીશું અને તેના ઉપર અફલાતૂન બંગલાઓ બાંધી શકીશું …” હે સર્વજ્ઞ, આ બધાં કારણોથી જ મોદી તેમને નડે છે. મારા વિરોધીઓ મારા ઉપર ભૂરાયા થયા છે. મેં વિદેશો સાથે આપણા દેશના સંબંધો સુધાર્યા …, આપણા  દેશની આબરુને ટોચ ઉપર લઈ ગયો … આવું બધું તેમને નડે છે. એટલે જ ટ્રમ્પ આવવાના સમયે તેમણે શાહીન બાગનો પ્રપંચ પ્રાયોજિત કર્યો. તોફાનો કરાવ્યા, જનતાની સંપત્તિને બાળી, અને આ બધું આર.એસ.એસ.વાળાએ કરાવ્યું એવો વિદેશોમાં પ્રચાર કર્યો. મને તો દૃઢ વિશ્વાસ છે કે આ બધું એક મહાપ્રપંચનો ભાગ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સહસ્રબુદ્ધે, તું સઘળું તો જાણે જ છે. તો પછી મારી પાસે કેમ આવ્યો છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વવ્યાપી, મારે ફક્ત આપની પાસેથી લીલી ઝંડી જોઇએ. અને જો આપના તરફથી કોઈ સૂચન હોય તો તે જોઇએ. ક્યારેક મને એવું લાગે છે કે જો બધું નિશ્ચિત જ છે તો મને જે કંઈ સુઝે તે મારે કરવું જોઇએ. જે થવાનું છે તે તો થવાનું જ છે, તો પછી મારે “શું થશે?” એવી ચિંતા કે વિચાર પણ શા માટે કરવો જોઇએ? હે વિશ્વ નિયંતા, તમે વિશ્વના નિયમો બનાવ્યા, મનુષ્યને પ્રજ્ઞા આપી, તો પછી તમે મતિભ્રષ્ટ મૂર્ધન્યો અને મતિ ભ્રષ્ટ વિશ્લેષકો કેમ ઉત્પન્ન કર્યા?

મહેશ્વરઃ ઉવાચ ; હે મેઘાવી, માનવ સમાજની બૌધિક અને કર્મકૌશલ્યની  ઉન્નતિ માટે સમાજ વિરોધી તત્ત્વો હોવા જરુરી પણ છે. કારણ કે શાણો મનુષ્ય આવા લોકોના વિચારોનો અને વર્તણુંકનો અભ્યાસ કરે છે અને તેમ કરતાં કરતાં પોતાની બુદ્ધિનો અને કૌશલ્યનો વિકાસ કરે છે. જો વિરોધી તત્ત્વો જ ન હોય તો મનુષ્યની વિચાર શક્તિ વિકસે જ કેવી રીતે? સમાજ આગળ જ કેવીરીતે વધી શકે? ચર્ચા દ્વારા સામેના માણસના વિચાર અને વિચાર પદ્ધતિ જાણે છે, વિચારનું આદાનપ્રદાન થાય, વિરોધીઓના વિચારોની ચકાસણી થાય છે અને તેથી મનુષ્યના મગજનો  વિકાસ થાય છે.   કર્મ કરવામાં પણ તેને વધુસારું કઈ રીતે કરી શકાય તે વિષે વિચારવાથી અને એક જ કર્મને અવારનવાર કરવાથી (અભ્યાસથી) કર્મ કરવામાં કૌશલ્ય અને ઝડપ આવે છે.  

 નરેન્દ્રઃ ઉવાચ ; “હે ઈશ્વર, તમે તો સર્વ શક્તિમાન છો … તમારી ઈચ્છાવગર પાંદડું પળ હલી શકતું નથી. તો તમે સર્વજ્ઞતા અને પરિપૂર્ણતા મનુષ્યમાં પહેલેથી જ કેમ મુકી દેતા નથી?

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રચેતસ્‍, હું અનિર્વચનીય છું. વિશ્વની સરખામણીમાં એક કણ જેટલો નાનો છે, તે કણના કણથી પણ નાની આ પૃથ્વિ છે. તમે જે વિશ્વમાં રહો છો તે જેવું છે, તેવું કેમ છે, તે મૂળભૂત તત્ત્વ અને ઉર્જાના ઐક્યત્વને જોડતા પ્લેંક અચળ ની સંખ્યા ઉપર આધારિત છે. જે  ૬.૬૨૬૦૭૦૦૪ x [૧/(૧૦ x … ૩૪ વખત)]જુલ સેકન્ડ છે. એ જરુરી નથી કે પ્લેંકના અચળ અંક હમેશા આ જ હોઈ શકે. એવાં હજારો કરોડો વિશ્વ હોઈ શકે જેમાં પ્લેન્કનો અચળાંક શૂન્ય થી અનંત સુધીનો હોઈ શકે. હું આ બધા વિશ્વોનો સમુચ્ચય છું. તમે અત્યાર સુધી ત્રણ પરિમાણને જાણતા હતા. તમે જેમ જેમ વિચારતા ગયા, પ્રયોગો કરતા ગયા તેમ તેમ તમને જાણવા મળતું ગયું કે પરિમાણો તો ૧૧+૧૧+૪=૨૬ (૪=લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય) છે. …

નરેન્દ્રઃ ઉવાચ ; “હે પ્રભુ, હું આ બધું સમજતો નથી. અને મારે સમજવું પણ નથી. અત્યારે તો મારા વિરોધીઓ મને બંધારણનો ઘાતક, લોક શાહીનો દુશ્મન, કોમવાદી, કટ્ટર હિન્દુત્વ વાદી … અને  અહિંસાને નેવે મુકનારો … એવું બધું કહે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિસ્પૃહી, તું એક વાત સમજ. જેમ મનુષ્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તે સમજતો ગયો કે “બળીયાના બે ભાગ” ઉપર કશુંક તો નિયમન લાવવું જ પડશે. એટલે તે નિયમો બનાવતો ગયો. આ નિયમો બનાવવા પાછળની વૃત્તિનું પ્રેરક બળ, ઓછામાં ઓછી હિંસા એટલે કે અહિંસા છે. આ નિયમો બનાવનારને કેટલાક પેગમ્બર કહેતા, કેટલાક ઈશ્વરનો પુત્ર કહેતા, તો કેટલાક ઈશ્વરનો અવતાર કહેતા. ભારતમાં આવું ન હતું. જેમને ઈશ્વરનો અવતાર કહેતા તે એક વિશેષણ જ હતું. ભારતમાં તો નિયમો ઋષિઓએ બનાવ્યા. તેઓ જ્ઞાની, દાર્શનિક,  મનનશીલ અને ચિંતનશીલ હતા. તેઓ ધ્યાની હતા. તેમણે આને “શાસ્ત્ર” નામ આપ્યું. તેમણે દરેક ક્ષેત્રમાં શાસ્ત્રો રચ્યાં. ભારતમાં શાસ્ત્રો પ્રમાણે શાસન અને જન-વ્યવહાર થતો હતો. આમાં ફેરફાર કરવાનો હક્ક ફક્ત તજજ્ઞનોને જ હતો. તેટલું જ નહીં તેના ઉપર ચર્ચા કરવાનો હક્ક સૌ કોઈનો હતો. પણ ચર્ચા વિવેકશીલ હોવી જોઇએ. ચર્ચા વિતંડાવાદી અને હિંસક ન હોવી જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; “પણ હે વિશ્વેશ્વર, ભારતમાં તો ચર્ચા ને તો બાજુપર મુકો પણ જે પ્રદર્શનો થાય છે તે હિંસાને જન્મ આપે છે અને તેને ફેલાવે પણ છે. તેનું શું?

મહેશ્વરઃ ઉવાચ ; હે કૃતનિશ્ચયી, તેં જે વાત કરી, તે નિયમ અને તેના પાલન કરાવવાની સમસ્યા છે. જો જનતાને અનુભૂતિ થશે કે નિયમનો ભંગ કર્યો એટલે સજા થવાની શક્યતા સો ટકા છે. મોટો ચમરબંધી પણ આપણને બચાવી શકશે નહીં. તો દરેક વ્યક્તિ નિયમબદ્ધ બનશે જ.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે કલ્યાણકારી, હું તો પ્રયત્ન કરું જ છું. પણ ખબર નથી પડતી કે ન્યાયાલય ને કેમ અમુક બનાવોની ગંભીરતાની ખબર પડતી નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે આર્ષદર્શી, આમાં મારે તને કશું કહેવાની જરુર નથી. પણ તું જે સીસ્ટમ બદલવાની વાત કરે છે તે બરાબર છે. પણ તે સીસ્ટમ બદલવાની વાતમાં કોઈ સામાન્ય માણસને પણ લે, કારણ કે સામાન્ય માણસની મુશ્કેલીઓ તારા અધિકારીઓ સમજવા માગતા નથી. સરકારી પોર્ટલ માં શું ખામી છે અને ખાસ કરીને સરકારને પોતાની વાત પહોંચાડવામાં શું ખામી છે અને તેથી શી  મુશ્કેલી છે તે સામાન્ય સુજ્ઞ માણસ જ કહી શકશે.  સરકારી નોકરો  હમેશા પોતાની સગવડતા જોતા હોય છે. આ ઉપરાંત તારા વિરોધીઓ ઉપરના  જે કંઈ કેસ ચાલે છે તેને ઝડપથી ચલાવવાની સીસ્ટમ ગોઠવ. તારા વિરોધીઓ અત્યારે નવરા છે એટલે તેઓ ન્યાયાલયમાં ફાલતુ અરજીઓ કર્યા કરે છે. ન્યાયધીશોને પણ તારે દુધે ધોયેલા માનવા નહીં.

નરેન્દ્રઃ ઉવાચઃ હે કરુણામય, હું તો આ મારા વિરોધીઓની ગેંગો થી ત્રસ્ત છું. એક તરફ તેઓ હિંસા ફેલાવે છે અને બીજી તરફ મને નાઝી વાદી કહે છે. વિદેશોમાં પણ મને તેમના નેટવર્ક દ્વારા બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ;  “હે પરદુઃખભંજક, તું આવી બધી સમસ્યાઓ તારા અનુયાયીઓને સોંપી દે અને એક તંત્ર પણ બનાવ. જનતામાં તારા પ્રશંસકો છે  તેઓ તો હોંશે હોંશે તને મદદ કરવા આતુર છે. અને તેઓ તારા નિર્ણયોની યોગ્યતાનો પ્રચાર પણ કરે છે. તું સોસીયલ મીડીયા ઉપર સક્રિય રહે. પલાયનવાદી વૃત્તિનો જો તારામાં જન્મ થયો હોય તો તેનો ત્યાગ કર. જનતામાં તું જ સૌથી વધુ વિશ્વસનીય છે. અને તારા ઉપર જ દેશપ્રેમીઓ આશાની ઉમ્મીદ લઈને બેઠા છે. એટલે તેમની સાથેના સંવાદને તું બંધ ન કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “ હે હરિહર, હું ખંતથી, સ્વાર્થહીન રીતે, અથાક મહેનતથી અને નીતિમત્તાથી કામ કરું છું. આથી પણ જો સારી રીતે કામ થઈ શકતું હોય તો હું તે માટે તૈયાર છું. તો પણ મારા વિરોધીઓ મને તો એલફેલ બોલે તેમાં મને બહુ વાંધો નથી પણ મારા વિરોધ કરતાં કરતાં તેઓ દેશના હિતનો ખ્યાલ રાખતા કેમ નથી? શું કર્મનો સિદ્ધાંત ખોટો છે? જ્યારે દેશને તોડનારી તાકાતો દેશ વિરુદ્ધ અદ્ધર અદ્ધર જ ઉચ્ચારણો કરે છે, ત્યારે મારા પ્રશંસકો દેખીતી રીતે તેમને ગદ્દાર કહેવાના જ. તો આ લોકો એમ કહે છે કે હવે તો સરકારની વિરુદ્ધ બોલનારાઓને પણ દેશના ગદ્દારો કહેવાની પ્રણાલી મોદીએ પાડી છે. અને આવી વાતો દેશના કેટલાક પ્રતિષ્ઠિત કહેવાતા મૂર્ધન્યો પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિષ્કામકર્મી, તું જાણે છે કે કર્મનું ફળ સર્વત્ર અને સર્વદા, વ્યક્તિગત કર્મફળ હોતું નથી. સમાજ, જેમાં કુદરત પણ આવી જાય, તેની પરિસ્થિતિ, સમાજજન્ય કર્મ અને વ્યક્તિગત કર્મના પરિણામી કર્મફળ મળે છે. જેમ કે તું ચા બનાવવા ઇચ્છે  તો, ચા, તો જ થાય, જો તપેલીવાળાએ તપેલી બનાવી હોય, પ્રાયમસવાળાએ પ્રાયમસ બનાવ્યો હોય, અને બીજા અનેક આનુસંગિક કર્મો, પદાર્થો હોય કે થયાં હોય તો જ તું  ચા બનાવી શકે. અને જો તું ચા કરી શકતો હોય તો રાક્ષસ પણ ચા કરી શકે. “આ રાક્ષસ છે એટલે હું નહીં સળગું, અથવા રાક્ષસને જ સળગાવી દઈશ” એમ અગ્નિ કહી ન શકે. આવા કારણો થકી કેટલાક મને ભોલેનાથ કહે છે. પણ હે દેશસુરક્ષાના ક્રાંતિવીર,  જો તું  સુરક્ષાને ધ્યાનમાં નહી લે તો તું ભલે શ્રેયના માર્ગે છે તેમ માનતો હોય તો પણ તારા દેશનો નાશ કે પરાજય થઈ શકે છે.

ત્રીનેત્રક્ષેત્રે કળીયુગ ગીતા દ્વિતીય અધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ક્યાં ખોવાયા હાડમાંસના બનેલા રામ? ભાગ-૧/૯

રામ કોણ હતા?

એક એવા રામ હતા જે રઘુવંશી દશરાજાના પુત્ર હતા. તેઓ હાડમાંસના બનેલા માત્ર અને માત્ર મનુષ્ય હતા. આમ તો તેઓ એક રાજકુંવર હતા અને એક કુશળ શાસક પણ અવશ્ય હતા. પણ થયું એવું કે એમની અસાધારણ, અદ્વિતીય મહાનતા અને આદર્શને કારણે એમને જનતાએ ભગવાન બનાવી દીધા.

જ્યારે કોઈને ભગવાન બનાવી દઈએ ત્યારે તે વ્યક્તિમાં રહેલી વાસ્તવિકતા, વિદ્વત્તા, નૈતિક દૃઢતા અને ઐતિહાસિકતા નષ્ટ પામે છે. કારણ કે રામની વાત કરવી એ એક ધર્મની વાત બની જાય છે. તેમના અસ્તિત્વને લગતી માન્યતા સહેલાઈથી સહેલાઈથી નકારી શકાય છે. પરધર્મીઓ જ નહીં પણ જેઓ પોતાને તટસ્થ માનવાની ઘેલછા રાખે છે તેઓ પણ આવી વ્યક્તિની ઐતિહાસિકતાને સહજ રીતે જ નકારે છે. જો તમે રામના ઐતિહાસિક અસ્તિત્વને ન નકારો તો તમે ઇતિહાસનું ભગવાકરણ કર્યું કહેવાય. તમને ધર્માંધ પણ કહી શકાય.

ગુજરાત અપરાધી હતું?

૨૦૦૨ માં ગુજરાતમાં હુલ્લડ થયું. આ હુલ્લડનો દોષ નરેન્દ્ર મોદી અને હિન્દુઓ ઉપર ઢોળી દેવાયો. એટલે કેરલના પાઠ્યપુસ્તકમાં ગુજરાતનું અસ્તિત્વ ભારતના નકશામાંથી દૂર કરવામાં આવ્યું. ગુજરાતનું અસ્તિત્વ રદ થયું. કારણકે ગુજરાત અપરાધી હતું.

તમે રામના અસ્તિત્વને નકારો છો? રામને ભગવાન માન્યા એટલે જ ને!  જો તમે રામને ભગવાન માનો તો આમાં રામનો શો અપરાધ છે?

તમે કહેશો આમાં રામ અપરાધી છે તેની વાત ક્યાં આવી? રામ અપરાધી હતા કે નહીં …  અથવા તેમની પ્રત્યે એક અન્યાયી વર્તન દાખવવામાં આવ્યું કે નહીં તે વિષે આગળ ચર્ચા કરીશું.

હાલ તો આપણે સામાન્ય હિન્દુઓ રામને ભગવાન કેમ માને છે અને બીજા તેમના અસ્તિત્વને કેમ નકારે છે તે જોઈશું.

ચમત્કાર અને ભગવાન અને અસ્તિત્વનો નકાર

જે હિન્દુઓ રામને ભગવાન માને છે તેઓ ચમત્કારમાં પણ માને છે. રામે અનેક ચમત્કારો કર્યા. આવા ચમત્કારો તો ભગવાન જ કરી શકે. મનુષ્ય તો ચમત્કાર ન જ કરી શકે. માટે રામ ભગવાન છે. જેઓ ચમત્કારમાં માનતા નથી તેઓ કહેશે કે આ ચમત્કારની વાતો બધી ગપગોળા છે. કારણ કે ચમત્કારો તો થઈ જ ન શકે. એટલે ચમત્કારોનું અસ્તિત્વ હોઈ જ ન શકે. એટલે આ ચમત્કારી વ્યક્તિ એક ગપગોળો છે. રામ કથાનું એક સાહિત્યિક અસ્તિત્વ છે. રામની કથામાં ફક્ત સાહિત્યિક દૃષ્ટિ રાખવી જોઇએ. અવતાર બવતાર જેવું કશું હોતું નથી.

જ્યારે વ્યક્તિ સાહિત્યિક બની જાય ત્યારે તે એક નહીં અનેક બની જાય. વાલ્મિકીના રામ, કાલીદાસના રામ, ભવભૂતિના રામ, તુલસીદાસના રામ …

Ram

આપણે રામને ભગવાન માની લીધા એટલે રામ ધર્મનો વિષય બની ગયા. રામ ધર્મનો વિષય બન્યા એટલે રામ શ્રદ્ધાનો વિષય બની ગયા. રામનું વર્ણન ભારતની ભાષાઓમાંથી ઉદભવ્યું એટલે એ ભારતના છે. ભારતમાં હિન્દુધર્મ પાળવામાં આવે છે એટલે રામ હિન્દુઓના ભગવાન છે. રામ હિન્દુઓના ભગવાન છે એટલે રામ એ હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા, ભગવાન, ચમત્કાર આ બધું કાલ્પનિક છે. કાલ્પનિક વાતોમાં વિશ્વાસ રાખવો અને એવું બધું સ્વિકારવું એ અંધશ્રદ્ધા છે. સમાજમાં અંધશ્રદ્ધાનું બહુમાન ન કરવું જોઇએ. અંધશ્રદ્ધાને આવકારવી ન જોઇએ. જેઓ પોતાને પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારાવાળા માને છે તેઓ કંઈક આવું વિચારે છે. જેઓ “રામજન્મ ભૂમિ ઉપર રામ મંદિર બનાવવાનો આગ્રહ રાખનારાઓનો વિરોધ કરે છે તેઓ પણ આવી માનસિકતા રાખે છે

પોતાને વિદ્વાન, જ્ઞાની અને બુદ્ધિશાળી માનતા માણસો પણ રામને કાલ્પનિક પુરુષ માને છે.

તેઓની માન્યતા પ્રમાણે આનું મુખ્ય કારણ એ છે કે પ્રાચીન અને મધ્યકાલિન ભારતીય પુસ્તકોમાં ચમત્કારની બહુ વાતો છે. આ બધી કપોળકલ્પિત અને અવાસ્તવિક છે. ભારતીય લોકોને ઇતિહાસ લખવાની ટેવ જ ન હતી. જેને જેમ ફાવ્યું અને મગજમાં આવ્યું તેમ લખ્યું છે. ભારતીયોના મનમાં ઇતિહાસ લખવો જોઇએ એવી કોઈ વાત જ ન હતી. એટલે વિદેશી યાત્રીઓએ અને બીનભારતીય ઇતિહાસ કારોએ જે લખ્યું તેને જ આધારભૂત ગણી શકાય. જેમ કે ગ્રીક આક્રમણકારીઓએ, તેમની સાથે આવેલા લોકોએ, અરબસ્તાન, મોંગોલીયાના મુસ્લિમ આક્રમકોએ, મુસાફરોએ, ચીનના મુસાફરોએ જે કંઈ ભારત વિષે, ભારતીય સમાજ વિષે લખ્યું તે જ પ્રમાણભૂત કહેવાય. આપણા લોકો તો રાઈ વગર રાઈનો પહાડ બનાવવામાંથી  અને ચમત્કારો લખવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા!

આમ જોવા જઈએ તો દરેક ધર્મના પુસ્તકોમાં ચમત્કારિક વાતોના વર્ણનો જોવા મળે છે. પણ એ બધા ધર્મોના બધા મહાપુરુષો ઐતિહાસિક છે. કારણકે આ બધામાંના મોટેભાગે છેલ્લા ૨૬૦૦ વર્ષ અંતર્ગત થયા. એ બધા લોકાના કંઇને કંઈ અવશેષો મળી આવે છે એવું મનવામાં આવે છે. એટલે એ બધામાં ચમત્કારી વાતો હોય તો પણ તે બધું ઐતિહાસિક છે અને તે વ્યક્તિઓ પણ ઐતિહાસિક છે.

રામના કોઈ ભૂસ્તરીય અવશેષો મળતા નથી.

જે કંઈ મળે છે તેને રામ સાથે જોડી દેવા એ અંધશ્રદ્ધા જ છે. આવી દૃઢ માનસિકતા આપણા વિદ્વાનોમાં અને મૂર્ધન્યોમાં પ્રવર્તે છે. આપણા ભારતીયો જ જો આવી માનસિકતા રાખતા હોય તો સહજ રીતે જ પરધર્મીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો રાખે જ.

શું ઐતિહાસિકતાનો આધાર ફક્ત પૂરાતત્વીય અવશેષો જ હોઈ શકે? ધારો કે ઉત્ખનન થયું  ન હોય તો શું માનવવાનું? ધારોકે ઉત્ખનન શક્ય જ ન હોય તો શું માનવાનું? જો મોહેં જો દેરોની જગ્યાઓએ ઉત્ખનન ન થયું હોત તો ભારતનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન ન ગણવામાં આવત.

રામજન્મભૂમિની જગ્યા ઉપર બાબરી મસ્જીદ બની ગયેલ. હવે ધારો કે એ જમીન રામજન્મભૂમિ તરીકે ઓળખાતી જ ન હોત તો તેને વિષે કોઈ આંદોલન પણ ન થાત. અને તે બાબરી મસ્જીદ તોડી પાડવામાં પણ ન આવી હોત. અને કોઈએ ન્યાયના દ્વાર પણ ન ખટખટાવ્યા હોત. અને ત્યાં કશું ખોદકામ પણ ન થાત.

જો ખોદકામ ન થાત તો તેની નીચે આવેલા શિવમંદિરના અવશેષો પણ ન મળત. આવા તો અનેક સ્થાનો છે કે જ્યાં વિવાદ ચાલે પણ છે અને વિવાદ નથી પણ ચાલતા. હવે ધારો કે મુસ્લિમો અને ખ્રીસ્તી શાસકોએ, જેમ બીજી જગ્યાએ પ્રાચીન સંસ્કૃતિના નિર્માણોને તોડીને અથવા અને તેના અવશેષો પર પોતાની સંસ્કૃતિને લગતા  નિર્માણો કરી દીધેલ અને ત્યાંની સંસ્કૃતિને કાયમ માટે નષ્ટ કરી દીધેલ અને જનતાને પૂર્ણ રીતે પોતાના ધર્મમાં વટલાવી દીધી એમ ભારતમાં પણ કરી શક્યા હોત તો અહીં પ્રાચીન કાળમાં મંદિર હતું તેની ખબર કેવી રીતે પડત?   પણ ભારતની બાબતમાં થયું એવું કે ભારતીય સંસ્કૃતિ તેની ઉત્કૃષ્ટતા અને સબળતાને કારણે ટકી ગઈ.

ઇતિહાસ કેવીરીતે જળવાઈ રહે છે?

લોક સાહિત્ય, લોકવાયકા, સ્થાપત્ય અને પરંપરાગત પ્રણાલીઓ પાછળ ચાલી આવતી દંતકથાઓ દ્વારા પણ ઇતિહાસ જળવાઈ રહે છે. આપણે અત્યારે તેનું વિશ્લેષણ અને તેની ચર્ચા નહીં કરીએ.

“રામ જન્મ ભૂમિ” નું સ્થળ એ એક પરાપૂર્વથી ચાલી આવતી માન્યતા અનુસારનું નામકરણ હતું. જેવા કામો વિદેશી ધર્મીઓએ બીજા દેશોમાં કર્યાં તેવા જ કામો તેઓએ ભારતમાં જરુર કર્યા. પણ ભારતમાં તેઓ સંપૂર્ણ સફળ ન થયા. તેથી ખંડિત સ્થળોના નામ લોકવાયકામાં પરંપરાગત રીતે ક્યાંક ક્યાંક ચાલુ રહ્યાં. પણ સાથે સાથે ખંડિત સ્થળ પર નવું નિર્માણ થયું તે નામ પણ ઉમેરાયું.   

બીજી એક વાત એ બની કે પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા ભારતનો જે નવ્ય ઇતિહાસ લખાયો, તેમાં ભારતીય સાહિત્ય, લોકવાયકાઓ, લોક કથાઓ જ નહીં પણ ભારતીય શાસ્ત્રોમાં રહેલા તાત્વિક ઉંડાણને પણ સ્પર્ષવામાં ન આવ્યાં.

 પરિણામ એ આવ્યું કે ભારતીય સાહિત્યમાં જે ઇતિહાસ, લોકભોગ્ય શૈલીમાં લખવામાં આવેલ તેને ઇતિહાસ તરીકેની માન્યતા જ ન આપી. આનુ પરિણામ એ આવ્યું કે ભારતના વિદ્વાનો ફક્ત પાશ્ચાત્ય વાતોને જ પ્રમાણભૂત માનવા લાગ્યા. આ માનસિકતાનું મૂળ “આર્યન ઈન્વેઝન થીયેરી”  એટલે કે “આર્યજાતિનું ભારત ઉપર આક્ર્મણ” વાળો સિદ્ધાંત છે.

એવું ધારવામાં આવ્યું કે આર્ય એક રખડુ જાતિ હતી જે મધ્ય એશિયા કે પૂર્વ યુરોપ કે એવી કોઈક જગ્યાએ રહેતી ભમતી હતી. તેઓએ મોટું સ્થાળાંતર કર્યું, તે ઇરાન ગઈ. ત્યાં આ જાતિનો એક ભાગ ગ્રીસ ગયો. એક ભાગ થોડા સમય પછી ભારત આવ્યો. અહીંના દ્રવિડો જે બહુ સુસંસ્કૃત અને સ્થાપત્યમાં પ્રવિણ હતા તેમને આ વિચરતી જાતિએ તહસ નહસ કરી નાખ્યા, તેમને ગુલામ બનાવ્યા, તેમના નગરોનો નાશ કર્યો. આ જાતિ પછી અહીં સ્થાઈ થઈ. આ બધી વાતો ભારતમાં દંત કથાઓના રુપમાં અને વેદોની ઋચાઓમાંની તારવણીઓથી સિદ્ધ થઈ શકે છે એવું પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તર્કહીન રીતે તુક્કાઓ દ્વારા સિદ્ધ કર્યું.

રામ દંતકથાનું પાત્ર છે. આ પાત્ર ઉત્તરમાંથી દક્ષિણમાં ગયું અને રાવણને હરાવ્યો. એટલે એવું તારવવામાં આવ્યું કે આર્યોએ દ્રવિડોને હરાવ્યા. આ વાતને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવ્યું. પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તેમના પ્રચ્છન્ન હેતુઓ સિદ્ધ કરવા ઘણા ગપગોળા ચલાવ્યા. આ બધી વાતો અન્યત્ર કરેલી છે. ભારતીય સંસ્કૃતિના અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રકાંડ પંડિત શ્રી રાજીવ મલહોત્રા અને બીજા અનેક વિદ્વાનોએ  “આર્યન ઈન્વેઝન થીયેરી” ને ધરાશાયી કરી છે અને તે વિષે પુસ્કળ સાહિત્ય ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે એટલે આની ચર્ચા નહીં કરીએ. આપણી વાત ફક્ત રામની ઐતિહાસિકતા પૂરતી સીમિત રાખીશું.

આપણે પ્રાચીન સાહિત્યની અવગણના નહીં કરી શકીએ. પુરાણો અને મહાકાવ્યોને કપોળ વાતો તરીકે ન જોવા જોઇએ. વાસ્તવમાં આ એક કથન પ્રણાલી હતી. જ્ઞાન પીરસવા અને યાદ રાખવાના અનેક માર્ગો હોય. રુપક, અન્યોક્તિ, વિશેષણ, ઉપમા, રમૂજ, શિખામણ, વર્ણન, પ્રાસ, અનુપ્રાસ, કવિતા, કથા, જોડકણા, કહેવત, દંતકથાઓ, અતિશયોક્તિ, અલંકાર, જેવી અનેક રીતો હોય છે. આમાં ઈશ્વર નિર્ગુણ નિરાકાર હોવા છતાં પણ, આ ઈશ્વર, ક્રોધિત કે ખુશી ખુશી થઈને મનુષ્ય કે અન્ય પ્રાણીના સ્વરુપમાં પાત્ર તરીકે આવી જાય છે.

ધારોકે શિખરણી છંદના સ્વરુપને યાદ રાખવું છે. તો શું કરશું? રસૈઃ રુદ્રૈઃ છિન્ના, યમનસભલાગઃ શિખરણી.

રસ કેટલા હોય છે?

છ રસ હોય છે.

રુદ્ર કેટલા છે?

૧૧ રુદ્ર હોય છે.

છ અક્ષર અને ૧૧ અક્ષર થી આ છંદ કપાયેલો છે. અને તેમાં યમનસભલગ થી બંધાયેલો છે. રસ અને રુદ્ર એ ભૂત સંખ્યા છે. આવી તો ભારતીય પદ્ધતિઓમાં અનેક વાતો છે.

આ રીતે શાસ્ત્રોના સિદ્ધાંતો યાદ રાખવા એવી પ્રણાલી આજે પણ ચાલે છે. જેમકે “ઓલ સીલ્વર ટી કપ્સ.”

“ઓલ” એટલે બધા. સીલ્વર એટલે સાઈન. ટી એટલે ટેન્જન્ટ, કપ્સ એટલે કોસાઈન.

બધા એટલે કોણ?

સાઈન, કોસાઈન અને ટેન્જન્ટ.

સાઈન એટલે શું? કાટખુણ ત્રીકોણમાં કોઈ એક ખૂણો તેની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર સાઈન કહેવાય છે.

કોસાઈન એટલે શું? કોઈ ખૂણાની પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનો ગુણોત્તર કોસાઈન કહેવાય છે.

ટેન્જન્ટ એટલે શું? સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર ટેન (ટેન્જન્ટ) કહેવાય છે.

પણ ગુણોત્તર ક્યારે ધન હોય અને ક્યારે ઋણ હોય? આ ધન અને ઋણને કેવી રીતે યાદ રાખવા?

જો ખૂણો ૦ થી ૯૦ની વચ્ચે હોય તો બધા જ ધન હોય છે.

જો ખૂણો  ૯૦+ થી ૧૮૦ની વચ્ચે હોય તો સાઈન ની કિમત ધન હોય.

જો ખૂણો ૧૮૦+ થી ૨૭૦ વચ્ચે હોય તો ટેનની કિમત ધન હોય.

જો ખૂણો ૨૭૦+થી ૩૬૦ ની વચ્ચે હોય તો કોસાઈન ની કિમત ધન હોય.

ત્રિકોણમિતિના કોઈ એક મૂલ્યને યાદ રાખવાની આ એક સહેલી રીત છે.

પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ આવી અનેક રીતો પ્રચલિત હતી. અનેક ચમત્કારિક વાતો આનો હિસ્સો છે પણ તેનો હેતુ ફક્ત વાતને, પ્રસંગને, વર્ણનને, કથનને રસમય બનાવવા માટે હોય છે જેથી તે યાદ રહે.

ઈશ્વર-રુદ્ર-શિવ, સૂર્ય-વિષ્ણુ-બ્રહ્મા અને અનેક દેવતાઓ (ઈન્દ્ર, વાયુ, વરુણ …) વિગેરે પાત્ર તરીકે આવે એવી ઘણી વાતો છે. પણ આ બધું ઐતિહાસિક વાતોને રસપ્રદ બનાવવા માટે હોય છે. આજે પણ આ પ્રણાલી એક યા બીજા સ્વરુપે ચાલે છે. ફિલમમાં તમે જોતા હશો કે કોઈ પાત્ર ઉપર આપત્તિ આવે તો પાર્શ્વભૂમિકામાં આકાશમાં કડાકા ભડાકા અને વિજળીઓ બતાવે. કોઈ પાત્રના મનમાં ખળભળાટ હોય તો તોફાની દરિયો બતાવે. ઐતિહાસિક વાર્તાના પુસ્તકોમાં કોઈ વાર્તાલાપમાં આવતા શબ્દ પ્રયોગો, સ્થળોના વર્ણનો, વસ્ત્રોના વર્ણનોના શબ્દ પ્રયોગો, જરુરી નથી કે તે, વાસ્તવમાં જે તે રુપમાં હોય તેજ સ્વરુપમાં વર્ણિત હોય.

દાખલા તરીકે મૈથિલી શરણગુપ્તે સામ્રાટ અશોક ઉપર કોઈ નાટક લખ્યું હોય. કલિંગના યુદ્ધ પછીનો અશોક અને તેની પત્ની તિષ્યરક્ષિતા વચ્ચેનો કોઈ સંવાદ હોય. જરુરી નથી કે આ સંવાદ અક્ષરસઃ સાચો જ અને વાસ્તવિક હોય. એ પણ જરુરી નથી કે આ સંવાદને કારણે જ અશોકનું હૃદય પરિવર્તન થયું હોય. સંભવ છે કે આવો સંવાદ થયો પણ ન હોય. આ બધું હોવા છતાં અશોકના હૃદય પરિવર્તનની સત્યતાને આપણે નકારી ન શકીએ. અશોકના પિતાનું નામ મોટાભાગના ગ્રંથોમાં બિંબિસાર લખ્યું છે. આ વાત આપણે નકારી ન શકીએ.   

મહાકાવ્યોની વાત બાજુપર રાખો. બધા પુરાણોમાં રામનો ઉલ્લેખ છે. રામના પિતા દશરથ હતા તેવો પણ બધા પુરાણોમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં. તેમના વંશના બધા રાજાઓનો નામ સાથે ઉલ્લેખ છે. આ બધો ઉલ્લેખ સમાન રીતે છે. એટલે કે નામોનો ક્ર્મ પણ સમાન છે. આ બધા પુરાણો એક સાથે લખાયા નથી. આ પુરાણો એક જ જગ્યાએ પણ લખાયા નથી. આ પુરાણો એક જ વ્યક્તિએ લખ્યા હોય તેવું પણ મનાય તેમ નથી. પુરાણ સતત લખાતા ગયાં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પુરાણો લખાતા ગયા. ઓછામાં ઓછું ઇસ્વીસન પૂર્વે ૧૦મી સદી થી ઇસ્વીસનની ૮ મી સદી કે બારમી સદી સુધી આ પુરાણો લખાતા રહ્યાં. વિશ્વના ઘણા ગ્રંથો આવી રીતે લખાતા રહ્યા છે.

સૌથી પ્રાચીન પુરાણ, વાયુ પુરાણ છે.

વાયુ પુરાણ સૌથી પ્રાચીન શા માટે ગણાય છે?

વાયુ પુરાણના આમ તો છ પાઠ મળે છે. જે સૌથી જુનો પાઠ છે તે અનપાણીનીયન સંસ્કૃતમાં લખાયેલો જોવા મળે છે. પાણીની સંસ્કૃત ભાષાના વૈયાકરણી હતા. પાણીની ઇસ્વીસન પૂર્વે આઠમી સદી થી ઇસ્વીસન પૂર્વે ચોથી સદીની વચ્ચે થઈ ગયા એમ પાશ્ચાત્ય ઇતિહાસકારો પણ માને છે. વાયુ પુરાણની શૈલી પણ પ્રાચીન લાગે છે.  આ પુરાણમાં પણ ઉત્તરોત્તર પ્રક્ષેપ થયા છે. પ્રકરણો પણ મોટા થતા ગયા છે.

વાયુ પુરાણના પ્રાચીન પાઠમાં બુદ્ધ ભગવાનનો ઉલેખ નથી. વિષ્ણુના દશ અવતારની વાત આવે છે ખરી, પણ રામનો વિષ્ણુના અવતાર તરીકે ઉલ્લેખ નથી. સૂર્યવંશના બધા રાજાઓની વંશાવળી છે.  રામનો એક બળવાન રાજા દશરથના પરાક્રમી પુત્ર તરીકે ઉલ્લેખ છે. તેમણે લંકાના રાજા રાવણને હરાવ્યો એવો ઉલ્લેખ છે. બસ આથી વિશેષ કશું નથી.

વાયુ પુરાણમાં એમ તો કૃષ્ણ ભગવાનનો પણ ઉલ્લેખ છે. કૃષ્ણને વિષ્ણુભગવાનના અવતાર પણ માનવામાં આવ્યા છે. કૃષ્ણ વિષે અર્ધું પ્રકરણ છે. વાયુ પુરાણના લેખકને કૃષ્ણ વિષે મુખ્ય વાત સ્યામંતક મણીની ચોરીનું જે આળ આવેલું તે કૃષ્ણ ભગવાને કેવીરીતે દૂર કર્યું તેની કથા લાગી છે. ટૂંકમાં લેખકને કૃષ્ણના જીવનની આ સ્યમંતક મણીની વાત જ ઉલ્લેખનીય લાગી છે. આ ઉપરાંત એમ પણ લખ્યું છે કે કંસ, વસુદેવના પુત્રોને મારી નાખતો હતો. વસુદેવના પુત્રોની નામાવલી પણ આપવામાં આવી છે. એવું લાગે છે કે તે તેમની સાથે યુદ્ધ કરીને મારી નાખતો હોય. વાયુ પુરાણમાં લખવામાં આવ્યું છે કે કંસની આવી આદતથી,  વસુદેવ, પોતાના પુત્ર કૃષ્ણને તેમના મિત્ર નંદને ઘરે મુકી આવે છે.

આમ આ આખા વર્ણનમાં ન તો જેલનો ઉલ્લેખ છે, ન તો કંસ વસુદેવના પુત્રોને જન્મની સાથે મારી નાખતો હતો તેવો ઉલ્લેખ છે, ન તો વસુદેવ મધ્યરાત્રીએ તાજા જન્મેલા કૃષ્ણને યમુનાના પૂરમાં થઈને લઈ જતા હોય તેવો ઉલ્લેખ છે, ન તો યમુના તેમને જગ્યા કરી દેતી હોય તેવો ઉલ્લેખ છે, ન તો નંદને ઘરે પુત્રી જન્મ્યાનો ઉલ્લેખ છે, ન તો કોઈ બચ્ચાંના આદાન પ્રદાન નો ઉલ્લેખ છે. ન તો રાધાઓ કે ગોપીઓનો ઉલ્લેખ છે, ન તો કોઈ બીજા ચમત્કારોનો ઉલ્લેખ છે. એક વાત ચોક્કસ લખી છે કે કૃષ્ણ ભગવાનને  વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે. સાથે સાથે તેમના મોટાભાઈ બળદેવ પણ વિષ્ણુભગવાનના અવતાર માનવામાં આવ્યા છે.

ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે અનેક શ્લોકોમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ને બદલે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એ રીતે ત્રણ દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણનો આરંભ જ મહેશ ઈશાન (રુદ્ર) ની સ્તૂતિ થી કરવામાં આવ્યો છે.  વેદોમાં અગ્નિનું નામ ઇશાન પણ છે. મહો દેવો (“મહઃ દેવઃ … સો મહો દેવો મર્ત્યાં આવિવેશ” ઋગ્વેદમાં નો અગ્નિનો એક શ્લોક). કહેવાનું તાત્પર્ય એ છે કે વાયુપુરાણમાં અગ્નિ, રુદ્ર, વિશ્વદેવ, મહાદેવ, મહેશ ની એકસુત્રતા સ્પષ્ટ જોવા મળે છે. તેથી જ ઇશ્વરની બાબતમાં ભારતીય શાસ્ત્રીઓએ કશા વિરોધાભાષો જોયા નથી.

“ … ક્ષોભયામાસ યોગેન પરેણ પરમેશ્વર …. રજો બ્રહ્મા, તમો અગ્નિ, સત્વો વિષ્ણુરજાયત    …. એત એવ ત્રયો લોકા, એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા, એત એવ ત્રયોગ્નયઃ”. પરમેશ્વર પોતાની માયારુપી પ્રકૃતિ રુપી અંડમાં પ્રવેશ કરી તેને ક્ષોભિત કરે છે અને રજસ તમસ અને સત્વગુણ રુપી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ જ ત્રણ લોક છે, આ જ ત્રણ ગુણો છે, આજ ત્રણ વેદ છે આજ ત્રણ અગ્નિઓ છે.

આ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને અગ્નિના ત્રણ રુપ માનવામાં આવ્યા છે. એમ કહ્યું છે કે પરમેશ્વરના (શિવના) ત્રણ અગ્નિઓ છે. શિવને ત્રીમૂર્ત્તિ પણ કહેવાય છે.

“એત એવ” જેવા અનેક શબ્દ પ્રયોગો વાયુપુરાણમાં મળી આવે છે. આ અનપાણીયન શબ્દ પ્રયોગ છે. પાણીનીયન શબ્દ પ્રયોગ “એષઃ એવ” છે.

તમે કહેશો આમાં રામના ઐતિહાસિકપણાની વાત ક્યાં આવી?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, દશરથ, રાવણ, કૃષ્ણ, સ્યમંતક મણી, ચોરીનું આળ, કંસ, વસુદેવ, આર્ય, દ્રવિડ, આર્ય, વિચરતી જાતિ, પ્રણાલી, શિવ, અગ્નિ, પરમેશ્વર, પ્રાચીન, ત્રિમૂર્તિ, ચમત્કાર, ઇતિહાસ, રસપ્રદ          

 

Read Full Post »

%d bloggers like this: