Feeds:
Posts
Comments

Posts Tagged ‘પુરુષ’

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 3

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – 3

માદાઓને પટાવવી કે કમજોરીનો લાભ લેવો

ઓશો આશારામ અને સંત રજનીશમલ વિષે આપણે જોયું.

ઓશો આશારામ રસાયણ અને અથવા હિપ્નોટીઝમના ઉપયોગ દ્વારા માદાઓને પોતાના માટે પટાવી શકતા હતા.

સંત રજનીશમલ એવા હતા કે તેમના તર્કને ભૌતિક શાસ્ત્રીઓ માન્ય ન રાખે પણ જેઓ જાતીય રીતે અસંતુષ્ટ હોય તેવા પોતાના (અક્કલ વગરના) તર્કદ્વારા પોતાની વાત રજુ કરતા અને તેમનો અનુયાયી વર્ગ ઉપરોક્ત રીતે સંવેદના અને આર્થિક ક્ષમતાના માપ દંડ દ્વારા ગળાયેલો હોવાથી આ વર્ગને સંત રજનીશમલનો તર્ક શીરાની જેમ ગળે ઉતરી જતો હતો.

SOCIAL REFORMERS

સાહેબ તરુણ તેજપાલની વાત

ઓફીસમાં સ્ત્રી ન હોય તો એ ઓફિસ સ્ત્રીપાત્ર વગરના નાટક જેવી ગણાય. ઓફિસ એટલે દુકાનો પણ આવી જાય. મનુષ્યમાં રહેલી આવડતને વધારવા અને તેના મગજને સક્રીય બનાવવા તેમજ ઘરાકી વધારવા પુરુષો સાથે સ્ત્રીઓને પણ રાખવામાં આવે છે. આની પાછળ માનસ શાસ્ત્રીય કારણો હોય છે. અને તે ક્ષમ્ય પણ છે.

સ્ત્રી અને પુરુષ એક સાથે કામ કરે એટલે જાતીય આકર્ષણથી નીપજતા બનાવો બને તે કુદરતી છે. બે માંથી એક કે બંને પરણેલા હોય તેથી કોઈ ખાસ ફેર પડતો નથી. જો બંને કુંવારા હોય તો થોડો ઘણો ફેર પડે ખરો. આ બધું કોઈ પણ રીતે હોય પણ જો બે વિજાતીય વ્યક્તિ વચ્ચે કશું અંગત અંગત હોય તો તે છાનું રહેતું નથી. અને ન હોય તો પણ જો બે વિજાયતીય વ્યક્તિઓનો સંપર્ક સામાન્ય કરતાં થોડો વધુ પ્રમાણમાં હોય તો મોટે ભાગે અફવાઓ તો ઉડે જ છે.

સદા જુવાન નરભાઈઓ

ખાસ કરીને નરભાઈઓ સદા જુવાન હોય છે. એટલે કેટલાક અને ખાસ કરીને સાહેબ કે શેઠ સમાજમાં લાગુ પડતા ઉમરના તફાવતને ધ્યાનમાં લીધા વગર માદાઓને ફસાવવાના પેંતરાઓ કરતા હોય છે. આમાં આર્થિક મદદ, ભેટસોગાદ, બૉડી, બૉડી લેંગ્વેજ, બઢતીની પ્રત્યક્ષ કે પરોક્ષ લાલચ વિગેરેનો તેઓ ઉપયોગ કરે છે. કોઈએક માદાને કેટલી ફસાવી શકાય એમ છે તે પ્રમાણે તેને ફસાવવામાં આવે છે. નરસાહેબ જો પરિણિત હોય અને તેઓ એક કે એક કરતાં વધુ માદાઓને ફસાવવાની કોશિસ કરતા હોય કે ફસાવતા હોય તો અફવાઓ જોર પકડે છે. કાર્યાલયમાં જો કોઈ જોરદાર નર કે માદા અસહિષ્ણુ હોય તો સાહેબભાઈ ફસાય છે પણ ખરા.

મોટે ભાગે તો અફવાઓ વધુ હોય છે અને વાસ્તવિકતા ઓછી હોય છે. પણ દરેક જગ્યાએ વાસ્તવિકતા શૂન્ય હોતી નથી.

જેમ સહકાર્યકર સાહેબ હોદ્દાની રુએ કે આર્થિક રીતે કે આવડતમાં મોટા તેટલું ઈચ્છુક સાહેબને માદાને ફસાવવાનો ઓછો શ્રમ કરવો પડે છે. જો માદા ફસાય અને જો  તે ફસામણી જાહેર થાય તો માદાની ટીકા વધુ થાય એટલે મોટા ભાગે માદાઓ કોઈ ફસામણી જાહેર કરતી નથી. આવા સંજોગોમાં સાહેબ અફવાઓ દ્વારા બદનામ જરુર થાય છે. પણ નરભાઈને આ બદનામી કે ટીકા ખાસ નડતી નથી. માદાઓ આવા સાહેબનરથી ચેતીને ચાલે છે.

તેજપાલ સાહેબો તરુણ ન હોય તો પણ તેમની કામેચ્છાને તેઓ પોતાની પત્ની સિવાયની માદાઓ દ્વારા સંતોષવા આતુર હોય છે. આ બાબત (માદાઓ પણ નરની હિંમત એવો શબ્દ પ્રયોગ કરેછે) સાહેબમાં રહેલી હિંમત, પ્રબળતા અને માદાની પ્રતિકારહીનતાના પ્રમાણ અને માનસિકતા ઉપર આધાર રાખે છે.

માદાબહેનો સહયોગીભાઈ કે સાહેબભાઈ સાથે જાતીય સંબંધ બાબતે અમુક શારીરિક સીમા રાખે છે.  આ સીમા કેટલી છે તે નરભાઈ તત્કાલિન કે સ્મૃતિમાં પડેલા અનુભવથી સમજતો હોય છે. વળી આ સહયોગી ભાઈ કે સાહેબભાઈ પશુ તો હોતા નથી, પણ બુદ્ધિશાળી હોય છે અને મુશ્કેલીઓની આગાહીઓ કરવા માટે સક્ષમ હોય છે છતાં પણ તેઓ ભાવિ પરિણામોથી ડર્યાવગર જાતીય વલણોમાં સ્ખલન કેમ અનુભવે છે?

સહયોગી ભાઈઓ કે સાહેબભાઈઓ સામે પક્ષે રહેલી માદાની પ્રતિકાર કરી શકવાની ક્ષમતાને કેમ સમજી શકતા નથી?

કુદરત શું કહે છે? અથવા તો કુદરતી વ્યવસ્થા શું છે?

ભારતીય સંસ્કૃતિ શું કહે છે

આહાર, નિદ્રા, ભય અને મૈથુન સહજ છે. વૈજ્ઞાનિકો આને “આવેગ” એમ કહે છે. માણસની કેટલીક ક્રિયાઓનો આધાર આવેગો હોય છે જે કુદરતી હોય છે. આપણા શાસ્ત્રો કહે છે કે  આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે.

આ વૃત્તિઓ મનુષ્યમાં શા માટે સહજ હોય છે?

અદ્વૈતની માયાજાળમાં આપણે જોયું કે દરેક વસ્તુ સજીવ છે. સુપરસ્ટ્રીંગ મૂળભૂત સજીવ છે. આ સજીવ ભૌતિક ક્રિયા દ્વારા એક બીજા સાથે જોડાઈને બીજા કણો બનાવે છે. આ કણોમાં ક્વાર્ક, ગોડ કણ, ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ન્યુટ્રીનો, ફોટોન, પરમાણુ, અણુ, સંયોજનો, વિગેરે આવે છે. તેઓ સૌ ભૌતિક સાનુકુળતાઓ પ્રમાણે બને છે અને આંતરિક બળોથી ટકે છે. આ પ્રમાણે શક્યતાઓ ઉભી થઈ ત્યારે વધુ સંકીર્ણ કણો ઉત્પન્ન થયા જેઓને આપણે સજીવ કહ્યા કારણકે તેઓ પોતાના જેવા બીજા કણો ઉત્પન્ન કરતા હતા. આપણે કણો માટેની વ્યાખ્યાની એક સીમા બાંધી અને જેઓ વંશવૃદ્ધિ કરે છે તેને જ સજીવ ગણ્યા.

સજીવોનો સમૂહ

સજીવોનો સમૂહ પણ એક જાતનો સજીવ છે. મનુષ્ય સજીવ છે તેમ મનુષ્યનો સમૂહ પણ સજીવ છે. સજીવમાં જીવવાની (ટકી રહેવાની) ઈચ્છા હોય છે. આ માટે જે કંઈ કરવાનું હોય તે તેની ઈંદ્રીયો દ્વારા કરે છે કે નીતિ-નિયમ દ્વારા કરાવે છે. વ્યક્તિગત રીતે આ કાર્યશક્તિ સજીવના ડીએનએ-આરએનએ ના બંધારણ ઉપર આધાર રાખે છે.

એક જ જાતના સજીવોનો સમૂહ પણ સજીવ હોવાથી તેનામાં પણ જીજીવિષા હોય છે. અને તેને પરિણામે કુદરતી વ્યવસ્થા પ્રમાણે અમુક પ્રકારના સજીવો વિભક્ત થઈને વંશવૃદ્ધિ કરે છે. તો અમુક પ્રકારના સજીવો મૈથુની ક્રિયા દ્વારા વંશવૃદ્ધિ કરે છે. સમાજ પણ ટકી રહેવા માટે પોતાના વર્તનમાં ભૌગોલિક કે વૈચારિક પરિમાણોને આધારે બદલાવ લાવે છે અથવા વિભક્ત થાય છે અને ટકવાની કોશિસ કરે છે.

જાતીય વૃત્તિનું આરોપણ

સજીવને વિભક્ત થવું હોય તો તેણે ભૌતિકરીતે વૃદ્ધિ પણ કરવી જોઇએ. એટલે તેણે ખોરાક પણ લેવો પડે. ખોરાકમાં હવા અને પાણી પણ આવી જાય. ખોરાકમાંથી યોગ્ય તત્વોને શોષવા પડે અને આ જુદા જુદા તત્વોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા પડે. આ માટે પ્રાકૃતિક વ્યવસ્થા હોય છે. આ પ્રાકૃતિક વ્યવસ્થા પણ ડીએનએ-ઓ દ્વારા ગોઠવાય છે. આ વ્યવસ્થા માદાના શરીરમાં થાય છે. અને તેમાં કુદરતી વ્યવસ્થા પ્રમાણે નરનો શુક્રકણ પણ ભાગ ભજવે છે. એ પછી માદામાંથી તે નવો જીવ નિકળી આવે છે. આમ જીવસમુહ એક જીવ તરીકે ટકી રહે છે. આ મૈથુની સૃષ્ટિ કહેવાય છે. આ મૈથુની સૃષ્ટિના જીવોમાં ઈશ્વરે જાતીય વૃત્તિ મુકી છે.

જીવને ટકાવી રાખવા માટે આહાર છે. જીવ અનેક અંગોનો અને અંગો જાત જાતના કોષોનો બનેલા  છે. સૌ પોતપોતાનું કામ અગમ્ય રીતે હળી મળીને કરે છે. મનુષ્યનું એક અંગ મગજ છે જેમાં એક વિશિષ્ઠ કાર્ય એટલે કે બૌદ્ધિક કાર્ય થાય છે. આ ક્રિયામાં બ્રહ્મરંધ્ર છે જે કેવીરીતે શરીરનું સંચાલન કરે છે તે સંશોધનનો વિષય છે. બ્રહ્મરંધ્રમાં બેઝીક ટાઈમ હોય છે જે સીગ્નલો મોકલે છે. બીજા અનેક વિભાગો છે. આ વિભાગો અનેક પ્રકારના કોષોના બનેલા છે જેમાં ન્યુરોન પણ આવી જાય. બુદ્ધિ સ્મૃતિના કોષોથી જોડાયેલી હોય છે. સ્મૃતિ અંગોદ્વારા મળેલી માહિતિઓનો સંગ્રહ કરે છે અને જ્યારે મગજ માગે ત્યારે તેને આપે. બુદ્ધિ,  સ્મૃતિસમૂહોનું સંકલન કરી સરખામણી કરી નિર્ણયો કરે છે. આ ક્રિયાને બૌદ્ધિક ક્રિયા ગણાય. જોકે આ ક્રિયા બધા સજીવોમાં વત્તા ઓછા પ્રમાણમાં હોય છે. મનુષ્યમાં વિશેષ હોય છે. તેથી મનુષ્ય બુદ્ધિદ્વારા વિચારશીલ બને છે અને ભાવી યોજનાઓ ઘડે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નર, માદા, પટાવવી, ઓશો, સંત, હિપ્નોટીઝમ, તર્ક, ભૌતિકશાસ્ત્ર, જાતીય, આકર્ષણ, સ્ત્રી, પુરુષ, અફવા, સદા જુવાન, નરભાઈ, સાહેબ, મદદ, લાલચ, કાર્યાલય, હોદ્દો, તેજપાલ, હિંમત, પ્રતિકાર, કુદરતી વ્યવસ્થા, ભારતીય, સંસ્કૃતિ, આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, સમૂહ, કણ

 

Read Full Post »

This is about Rape on Female by Saints and Controversy on Mahatma Gandhi  

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ

માદાઃ

માદા એટલે નારી જાતિ. પણ આપણે ખાસા કરીને સ્ત્રીઓને માદા તરીકે ગણીને વર્તતા સંતો વિષે વિશ્લેષણ કરીશું.

શિયળઃ

શિયળ એટલે સ્ત્રીની માદા હોવાને નાતે કુદરતે આપેલી શારીરિક, બાહ્ય, આંતરિક, માનસિક અને વ્યવહારિક સંપત્તિ. સંપત્તિનો અમુક વ્યક્તિઓ સિવાય કોઈ બીજો ઉપયોગ કરી શકે. અને જો સ્ત્રીની માનસિક ઈચ્છા વિરુદ્ધ અને ખાસ કરીને તે સ્ત્રીના પતિ સિવાય જો કોઈ ઉપયોગ કરે તો તે સ્ત્રીનો શિયળ ભંગ થયો ગણાય. અને તે વ્યક્તિ અને બીજી વ્યક્તિઓએ જેણે વ્યક્તિને મદદ કરી હોય તે કાનૂની રીતે ગુનેગાર ગણાય. આમ આ બનાવને સ્ત્રીનું શિયળ લૂંટ્યું ગણાય અને લૂંટમાં મદદ કરી ગણાય.

સંતઃ

સંત એટલે મહાનુભાવ. જે પોતાને જ્ઞાની માને છે અને સમાજને સુધારવાની પોતે કોશિસ કરે છે એવું પોતાનું ધ્યેય છે તેમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે માને છે તે સંત કહેવાય. આપણે ફક્ત પુરુષો પુરતી ચર્ચા કરીશું. સંત પુરુષોમાં પ્રણાલીગત રીતે ઓળખાતા સંતો અને બીજા સમાજ સુધારકો આવે છે. સંતો પરિણિત અને અપરિણિત હોય છે. જેઓ અપરિણિત છે તે બ્રહ્મચારી ગણાય છે. અને જેઓ પરિણિત છે પણ ફક્ત પોતાની પત્ની સાથે શારીરિક સુખ ભોગવે છે તેમને પણ સંત કહેવાની પ્રણાલી છે.

બ્રહ્મચારીઃ

જે વ્યક્તિ કોઈપણ વિજાતીય વ્યક્તિ સાથે મનથી, વાણીથી અને કર્મ થી શારીરિક સંબધ રાખતી નથી અને જે પરમ તત્વને પામવા જ્ઞાનની ઉપાસના કરે છે તે બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મચારીને પણ સંત કહેવું હોય તો કહી શકાય.

સમાજ સુધારકોઃ

સમાજ સુધારકો એટલે જેઓ સમાજને સમાજની અંદર પ્રવર્તતા તેમને સમજાયેલા દુષણોને દૂર રવાનો પ્રયત્ન કરનારા, સમાજને  ઉચ્ચ કક્ષાએ લઈ જનારા અને સમાજમાં શાંતિ, સુખ અને જ્ઞાન પ્રવર્તે તે માટે કર્મ કરનારા, ખ્યાતિ પામેલા ઉપરોક્ત સંત અને વ્યક્તિઓ  હોય છે.

આપણે આપણી ચર્ચા ત્રણ ચાર સંતો પુરતી મર્યાદિત રાખીશું.

SOCIAL REFORMERS

સંતો છે; ઓશો આશારામ, સંત રજનીશ, સમાજ સુધારક તરુણ તેજપાલ અને મહાત્મા ગાંધી.

શિયળની લૂંટઃ

આમ તો કશું ભૌતિક રીતે કશું લૂંટાતું નથી. પણ એક વ્યક્તિને સુખ થાય છે અને બીજી વ્યક્તિને પહેલી વ્યક્તિના આચારથી દુઃખ થાય છે. લૂંટ, ચોરી અને છેતરપીંડી ભૌતિક વસ્તુઓ બાબતની હોય છે. પણ અહીં તે માનસિક અને સામાજીક હોય છે.

સ્ત્રી સાથેનું જાતીય સુખ કઈ રીતે પામી શકાય છે?

સમાજની સ્વિકૃતિના નિયમો પ્રમાણે સ્ત્રી સાથેનું જાતીય સુખ મેળવાય છે.

સ્ત્રી સાથે બળ દ્વારા પણ જાતીય સુખ ભોગવી શકાય છે. બળમાં બૌધિક બળ પણ આવે છે.

સ્ત્રી પ્રતિકાર કરી શકે તેવા  સંજોગોમાં સ્ત્રી સાથે જાતીય સુખ ભોગવી શકાય છે.

સ્ત્રી ને કામ ચલાઉ રીતે પ્રતિકાર હીન કરીને બૌધિક બળથી સ્ત્રીને મોહિત કરીને સ્ત્રી સાથે જાતીય સુખ માણી શકાય છે. જોકે કામચલાઉ સમયકેટલો હોઈ શકે સાપેક્ષ છે. તે શૂન્ય થી જીવન પર્યંત સુધીનો હોઈ શકે.

સ્ત્રીને પ્રતિકાર હીન કઈ રીતે કરાય છે?

કેટલીક સ્ત્રીઓના મનને સમજીને તેને પ્રતિકાર હીન કરી શકાય છે.

 

કેટલીક સ્ત્રીઓને ભેટ સોગાદો આપીને કે લાલચો આપીને કે અમુક વચનો આપીને પ્રતિકારહીન કરી શકાય છે.

એવા સંજોગો ઉત્પન્ન કરીને કે આવી પડવાથી કેટલીક સ્ત્રીઓને પ્રતિકારહીન કરી શકાય છે.

વિશ્લેષણ શું કરી શકાય?

ઓશો આશારામઃ

ઓશો આશારામ એવા સંજોગો ઉભા કરતા હશે કે સ્ત્રી પ્રતિકાર કરી શકે. સ્ત્રીની ધાર્મિક અંધતાનો લાભ, લાલચ, ભેટ સોગાદ વિગેરેનો ઉપયોગ કરીઠગ વિદ્યા અપનાવતા હશે. તેઓ રસાયણોનો પણ ઉપયોગ પણ કરતા હશે. વાત કારી શકાય. જરુર પડે બળજબરી પણ કરતા હશે. પણ ઓશો આશારામ પાસે મહાનુભાવ હોવાનું વ્યક્તિબળ હોવાથી પીડિતા પ્રતિકાર કરતી નહીં હોય અથવા પ્રતિકાર કરવામાં નિસ્ફળ જતી હશે.

ઓશો આશારામ વિષે એમ કહેવાય છે કે તેઓ તેમના પૂર્વાશ્રમમાં ગાંધીજીના ગુજરાતમાં દારુ પહોંચતો કરવાનું કામ કરતા હતા. જેમ દારુની લત અને પરસ્ત્રી સંગની લત નજીકના સંબંધો ગણાવાય છે, તેમ કદાચ ઓશો આશારામની બાબતમાં બન્યું હોય. એવું ન પણ હોય.

ઉત્તરભારતના બાવા-ક્ષેત્રમાં એક માન્યતા પ્રચલિત છે કે ગુજરાત એ બાવાઓ માટે સ્વર્ગ છે. આ માન્યતાના આધારે ઓશો આશારામે મંદિરના વ્યવસાયમાં ઝંપલાવ્યું હશે. થોડી ઇંટો ગોઠવવીને દેરીનો આભાસ કેવી રીતે ઉત્પન્ન કરવો અને પછી સાચે સાચ દેરી બનાવી દઈને તેને વિકસાવતા વિકસાવતા મંદિર કેવીરીતે કરી દેવું તે બાવાઓ, પોલીસભાઈઓ અને જનપ્રતિનિધિઓ જાણે છે. જો ગામ શહેરની બહાર આ ક્રિયા કરી હોય તો જમીનનો વધુ અને વધુ કબજો કેવી રીતે જમાવતા જવું અને અન્ય સુવિધાઓ કેવી રીતે ઉભી કરવી તે પણ આજ લોકો જાણે છે અને તેમાં રેવન્યુ ખાતાના ભક્તો પણ સામેલ થાય કે ભાગબટાઈ કરી લે છે. પૂર્વાશ્રમના મિત્રો નું મિલન સ્થળ કે ગુફતેગુ-સ્થળ પણ આજ હોય છે. ધીમે ધીમે નવા સભ્યો દાખલ થાય છે. ઉત્તર ભારતના થોડા નવા સવા લોકો પણ આવે જ્ઞાનની વાતો પણ થાય અને આપણા મૂળ બાવાજીના જ્ઞાનમાં વૃદ્ધિ પણ થાય. ધંધો વિકાસ પામે અને નવા ધંધાઓનો પણ સમાવેશ થાય. કેટલાક શાખાઓ ખુલે અને સામ્રાજ્ય થાય. સંપત્તિ, ધન અને ભક્તો આવે એટલે સ્ત્રી ભક્તો આવે. સ્ત્રી ભક્તો આવે એટલે મદદ વાંચ્છું સ્ત્રીઓ પણ આવે. સ્ત્રી એક વાર બાવાજીને શરણે આવે એટલે બાવાજીની દાઢ ન સળકે તો જ નવાઈ કહેવાય. દવાઓ અને રસાયણો આવે. એટલે ભલભલીઓ વશ થઈ જાય. કારણ કે દારુ કરતાં પણ રસાયણો વધુ જોરદાર હોય છે.  

સંત રજનીશમલઃ

સંત રજનીશમલ ની વાત થોડી અલગ છે. તેમની કાર્ય શૈલી થોડી અલગ છે. જૈન સાધુમહારાજ કંઈક ભણેલા હોય છે. તેઓ મર્યાદા બાંધીને કાર્ય આગળ ધપાવે છે અને તેમાં પણ મર્યાદા નક્કી કરે છે.

સંત રજનીશમલને થયું કે આ ચીલાચાલુ રીતે મહારાજ સાહેબ થઈને રહીશું તો મનુષ્ય દેહ કોઈ ખાસ આનંદ આપી શકશે નહીં. વળી આપણે આપણું કાર્યક્ષેત્ર જૈન ધર્મીઓ અને અપાસરા પુરતું મર્યાદિત રાખીશું તો આપણે પણ તેના નિયમો અને કર્તવ્યોના ગુલામ થઈને રહેવં પડશે. માટે જો મુક્ત બનવું હશે તો કંઈક બોલવું પડશે. (બોલવાથી મુક્તિ મળે છે). વળી એક જ પંથના શિષ્યો થકી દી વળશે નહીં. માલેતુજારો તો જૈન ઉપરાંત વૈષ્ણવ વણિકોમાં પણ હોય છે. એટલે મહાવીર સ્વામીને છોડ્યા વગર કૃષ્ણ ભગવાનને પણ પકડો.

સંત રજનીશમલને ખબર હતી કે એમ કંઈ વૈષ્ણવો આવશે નહીં. પહેલાં થોડી ખ્યાતિ મેળવો. પછી અહિંસા, પ્રેમ, આનંદ, તત્વ જ્ઞાન અને યોગની વાતો કરો.

છાપાંવાળાઓનું કેવું હોય છે? કુતરું માણસને કરડે તો તે “સમાચાર” ન કહેવાય. પણ જો માણસ કુતરાને કરડે તો સમાચાર કહેવાય. કારણ કે માણસ કુતરાને કરડે તે અસામાન્ય બનાવ કહેવાય. અસામાન્ય બનાવ “સમાચાર” માટે પ્રસિદ્ધિને લાયક બને છે.

ઓગણીસસો પચાસના દાયકાનો ઉત્તરાર્ધ

ઓગણીસસોપચાસના દાયકાના અંતિમ વર્ષોમાં આપણા સંત રજનીશમલ ગુજરાતના પટમાં આવેલ. અને તેમણે મહાત્મા ગાંધી ઉપર સૈધાંતિક વૈચારિક આક્રમણ કરેલ.   આમ સંત રજનીશમલે પહેલાં મહાત્મા ગાંધીની અહિંસામાં રહેલા હિંસક તત્વ ઉપર હુમલો કર્યો. ક્યારેક ગાંધીજીની હિંસાને અપૂર્ણ અહિંસામાં ખપાવી. તો ક્યારેક તેને કાયરતામાં ખપાવી. તમને થશે કે તો તો સંત રજનીશમલે ગાંધીજી વિષે ઘણું વાંચ્યું હશે. ના … જી. ના … જી. જો શબ્દોની રમત આવડતી હોય અને શ્રોતાગણ કે મુદ્રકગણ (છાપાંવાળા), અલ્પજ્ઞ હોય તો આ રમત અમુક ખાસ લોકોને ઠીક ઠીક ખ્યાતિ અપાવી શકે. આમ તો પોતે જબલપુરના હોવા છતાં આ સંત રજનીશમલે જબલપુઅરના ગાંધી ચોકના ગાંધીજીના બાવલા નીચે લખેલ ગાંધીજીના વાક્યો પણ વાંચેલ નહીં. પણ ગુજરાતના છાપાંવાળાને આવી બધી ખબર ક્યાંથી હોય? વળી એ જમાનો એવો હતો કે સાધુ મા’તમાઓ તો સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે. એવા જમાનામાં જો સંત રજનીશમલ જેવા મા’તમા જો મા’તમા ગાંધી વિષે કંઈ અજુગતું તો બોલે તો છાપાંવાળા કંઈ થોડા ઝાલ્યા રહે?

આમ સંત રજનીશમલે જરુરી ખ્યાતિ મેળવી લીધી. પછી વાણીવિલાસમાં કૃષ્ણ ભગવાનને રંગે ચંગે ભેળવ્યા. પોતે યુનીવર્સલ છે તે બતાવવા બુદ્ધ ભગવાનને ભેળવ્યા. અને માખીઓ બણબણે તેવી આકર્ષક વાનગીઓ તૈયાર કરી. કૃષ્ણ ભગવાન એક સર્વ સ્વિકૃત પાત્ર છે. જેમ “નાટ્યં ભિન્નરુચેઃ જનસ્ય એકં સમારાધનમ્‌” (નાટક ભિન્ન ભિન્ન રુચિના લોકોને પ્રસન્ન કરવાનું એક સાધન છે), તેમ કૃષ્ણભગવાન વિષે પણ તેવું જ છે. ભિન્ન ભિન્ન પુરુષો અને સ્ત્રીઓ બંનેને કૃષ્ણભગવાનની ભિન્ન ભિન્ન વાતો થી પ્રસન્ન કરી શકાય છે. આમ તો શિવ અને પાર્વતિ પણ છે. પણ તેઓ તો પ્રતિકાત્મક છે. જ્યારે કૃષ્ણ અને રાધા તો હાડમાંસના હતા. (જોકે રાધા વિષે વિવાદ છે). પણ વિવાદો તો ક્યાં નથી?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શિયળ, લૂંટ, સ્ત્રી, માદા, પુરુષ, જાતીય, આનંદ, બળજબરી, અનિચ્છા, પ્રતિકાર, બાવા, સંત, મહાનુભાવો, ઓશો, આશારામ, સંત રજનીશ, તેજપાલ, ઠગ, જૈન, મહારાજ, વૈષ્ણવ, વાણિયા, માલેતુજાર, બ્રહ્મચર્ય, આનંદ

Read Full Post »

%d bloggers like this: