Feeds:
Posts
Comments

Posts Tagged ‘પ્રણાલી’

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે પણ ….  ()

એક વહાણના મુસાફરો એક શબ્દ પ્રયોગ છે. આપણે એવું માનીએ છીએ કે એક વહાણના મુસાફરોનું ધ્યેય એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું હોય છે. સ્થળને તમે હેતુ કહી શકો.

બાવાઓ બધા ધર્મોમાં હોય છે અને એક એકથી ચડે એવા હોય છે.

પણ બાવાઓ કહેવા કોને?

priests 01

બાવાની વ્યાખ્યા શું?

() જે વ્યક્તિ બીજાના ફાયદા માટે (એટલે કે સમાજના કે સમાજના અમુક વર્ગના હિત માટે) કાર્યરત હોય છે તેને શું આપણે બાવો કહીશું?

ના જી.

વાખ્યા નહીં ચાલે.

() તો પછી જે વ્યક્તિ સમાજના હિત માટે કાર્યરત રહે અને તે માટે અપરિણિત રહે તેને શું આપણે બાવો કહીશું.

ના જી. વ્યાખ્યા તો દુનિયામાં પ્રવર્તમાન પ્રણાલીને અનુરુપ નથી.

જેમકે કેટલાક વર્ગ (સંપ્રદાયો) માં ગાદીઓ હોય છે. અને તેના ઉપર બેસનારાને ગાદીપતિ કહેવાય છે. તેઓશ્રી ગાદીના પતિ હોવા ઉપરાંત એક સ્ત્રીના પણ પતિ હોય છે. તેમને ઔરસ સંતાનો પણ હોય છે. ગાદી વંશ પરંપરાગત હોય છે. બધાઓને પણ બાવાઓ કહેવા પડે કારણ કે સામાન્ય રીતે આપણે ગુરુ અને બાવાને સમાનાર્થી શબ્દો માનીએ છીએ, અને તેમનું કામ પણ   મુખ્યત્વે લોકોને બોધપાઠ આપવાનું હોય છે.

() તો પછી જે  બોધપાઠ આપે છે તેમને બાવો કહીશું?

ના જી. બોધ પાઠનો એક સમાનાર્થી શબ્દ છે શિખામણ. જો કે સુક્ષ્મ ભેદ છે. શિખામણ તો સૌને કોઈને આપવી ગમે. એટલે કંઈ આપણે બધાને બાવા બનાવી શકીએ.

() શિખામણ એવી વસ્તુ છે કે જે સૌને આપવી ગમે પણ લેવી ગમે. તો પછી આપણે બાવા માટે એવી વ્યાખ્યા કરીએ કે જે વ્યક્તિ સૌને શિખામણ આપે પણ કોઈની શિખામણ લે નહીં એવી વ્યક્તિને બાવો કહી શકાય?

જો કે વ્યાખ્યા બરાબર છે કે નહીં તે સંશોધનનો વિષય છે. કારણ કે અહીં આપણને શિખામણ અને બોધપાઠ વચ્ચેનો ભેદ દેખાય છે.

આમાં શિખામણની વ્યાખ્યા કરવી પડશે. શિખામણ સામાન્ય રીતે કોઈ એક નિશ્ચિત વ્યક્તિને આપવાની હોય છે. અને તે સામાન્ય રીતે પ્રસંગને અનુલક્ષીને કેમ વર્તવું કે કેમ વર્તવું બાબતનું દીશા સૂચન હોય છે. એટલે કે ન્યુટનના નિયમ પ્રમાણેફોર્સ ટુ પોઈન્ટ” (બિન્દુગામી બળહોય છે. જ્યારે બોધપાઠ સમગ્ર શ્રોતાઓ માટે હોય છે અને બોધપાઠ આઈન્સ્ટાઈન ની ફીલ્ડ થીએરી (એક ક્ષેત્ર જે તેની અંદર રહેલા પદાર્થના દરેક બિન્દુ ઉપર બળ ઉત્પન્ન કરે છે. જેમ કે સમાજને સુધારવો હોય તો એક એક વ્યક્તિને પકડીને તમારી વાત મનાવો. તો તે ન્યુટનનો સિદ્ધાંત થયો. શાસકને પકડી એક એવું વાતાવરણ તૈયાર કરો કે તે વાતાવરણના ક્ષેત્રમાં આવતી બધી વ્યક્તિઓ તમારી વાત માનવા માંડે. આઈનસ્ટાઈનનો સિદ્ધાંત થયો. જો કેફોર્સ ટુ પોઈન્ટઅનેફોર્સ ડ્યુ ટુ ફીલ્ડ તદ્દન આવી વાત નથી. પણ હાલ્યું જાશે.

સમાજમાં સુધારા લાવવા છે તો એક એક વ્યક્તિને પકડતા જાઓ અને વ્યક્તિઓ વધી જશે એટલે એક વાતાવરણ પણ તૈયાર થશે અને તે પણ કામ કરવા માંડશે.

ગાંધીજીએ વિચાર આપ્યો અને તે વિચારની સાથે (ગુલામી સામે) એક પ્રતિકારાત્મક આંદોલન આપ્યું અને તેમાં લોકોને વિચારની અનુભૂતિ સાથે સામેલ કર્યા. પ્રમાણે ગાંધીજી સમાજ શાસ્ત્રના ક્ષેત્રમાં આઈન સ્ટાઈનને સમકક્ષ હતા.

હા પણ …  બાવાઓ કોણ?

જો ઉપરોક્ત રીતે બાવાઓને પરિભાષિત કરીશું, તો તો આખું જગત બાવાઓથી બનેલું જણાશે.

અત્ર તત્ર સર્વત્ર બાવાઓ અને બાવાઓ છે. દરેક વ્યક્તિમાં એક નાનો કે મોટો બાવો પડેલો હોય છે. એટલે રીતે જો બધાને બાવાઓ બનાવીશું તો પ્રણાલીગત બાવાઓ વિષે આપણે જે લખવું છે તે મોળું પડી જશે. જેમ કે શાસકપક્ષના નેતાઓ કહે છે કે “ ‘સ્વચ્છતા અભિયાન’ માં તો જનતાએ સહકાર આપવો પડશે.”

શાસક નેતાઓ આમ કહીને, જે સરકારી નોકરોને શહેરને સ્વચ્છ રાખવા માટે પગાર આપવામાં આવે છે, તેમનો ગુનો મોળો પાડી દે છે. કારણ કે મ્યુનીસીપલ કમીશ્નર સહિતના ગુનેગારોને સજા કરવા તેઓ અશક્ત અને દાનતહીન છે અને તેઓ પોતાના આ દંભને છૂપાવવા માગે છે.

() જે વ્યક્તિએ સમાજને માટે પરમાર્થનું કામ હાથમાં લીધું છે તે બાવો.

પણ પરમાર્થ એટલે શું?

જેમ કે બાબા રામદેવ. તેઓશ્રી યોગનો પ્રચાર પ્રસાર કરે છે. તે સમાજના હિતમાં છે અને તેથી દેશના હિતમાં પણ છે. વળી તેઓશ્રી આયુર્વેદિક દવાઓ  પણ બનાવે છે અને વેચે છે. તેમનું ક્ષેત્ર વધારતા પણ જાય છે. કારણ કે તેઓ સમજે છે અને તે સાચું પણ છે.

દવા એટલે શું? દરેક વનસ્પતિ કોઈકની કોઈક રોગ હઠાવવા માટેની કે તંદુરસ્તી માટેની દવા છે. એટલે કે વનસ્પતિમાંથી બનાવેલ ખાદ્ય વાનગી સ્વયં માત્ર દવા છે. વળી બધા સાદા અને માન્યતાપ્રાપ્ત બાવાઓ પણ થોડી ઘણી દવાઓ તો વેચતા હોય છે.

હવે જો આમ હોય તો પોલીટીશ્યનો પણ બાવા ગણાય. સાદા બાવાઓ તો પારકાના સંતાનોને બાવા (જતિ) બનાવતા હોય છે જ્યારે પોલીટીશ્યનો તો પોતાના સંતાનોને (બાવાજતિ) પોતાનો વારસો આપતા હોય છે. એટલે પોલીટીશ્યનો તો મોટા બાવા કહેવાય. અને ખાસ કરીને જે હાલ સત્તાથી વિમુખ થયા છે તેમનું કામ તો ફક્ત અને ફક્ત પરમાર્થ માટેના બોધપાઠ આપવાનું છે. રાહુલ બાબા નરેન્દ્ર મોદીને સલાહ આપ્યા કરવાની ફરજ બજાવ્યા જ કરે છે. તેઓશ્રી મોદીના “કાઉન્ટર પાર્ટ” છે.

એક બાવાજી હતા. તેમણે એક દુકાને જઈને તે દુકાનના માલિકને કહ્યું

ચ્ચા, મૈં ભૂખા હૂઁ, કુછ ખાનાવાના મિલેગા ક્યા?”

શેઠને દયા આવી. શેઠ તે બાવાજીને પોતાને ઘરે લઈ ગયા. તેમને જમાડ્યા. પછી બે હાથ જોડી પૂછ્યુંબાવાજી !! કોઈ ઉપદેશ ….!!”

બાવાજી બોલ્યાઉપદેશબુપદેશ દેના હમારા કોઈ કામ નહીંહમારા કામ હૈ સિર્ફ ખાના પીના ઔર ઘુમના

મૌન રહેતા પોલીટીશ્યનો વિષે પણ આવું કહી શકાય.

પણ ઉપરોક્ત બાવાઓને તો આપણે સ્વેચ્છાએ ખવડાવીએ પીવડાવીએ છીએ. અને પોલિટીશ્યન બાવાઓ તો પેધા પડેલા અને માથા ભારે બાવાઓ છે તેઓ તો, પરાણે આપણી પાસેથી ટેક્ષના પૈસા ચરકાવે છે.

પરિભાષાની મુસીબત તો ઉભી છે. એટલે કે પ્રણાલીગત બાવાની વ્યાખ્યા શી હોઈ શકે, કે જેથી આપણે તેમને અલગ તારવી શકીએ અને તે પણ કાયદેસર રીતે.?

() વિનોબા ભાવે કહે છે કે જે બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરે છે અને કરાવે છે તે (સાચો બાવો). જો કે કૌંસમાં જે શબ્દ છે તે આપણે જોડ્યો છે.

પણ બ્રહ્મ વિદ્યા એટલે શું?

આપણે ગીતા દ્વારા જાણ્યું છે કે જ્ઞાન છે, વિજ્ઞાન છે, વિદ્યા છે, અવિદ્યા છે, કર્મ છે, અકર્મ છે, વિકર્મ છે, યોગ છે ધ્યાન છે … પણ બ્રહ્મ વિદ્યા એટલે શું?

વિનોબા ભાવેના માનવા પ્રમાણે, જે જ્ઞાનના જે વિભાગ દ્વારા, જડ વસ્તુનો (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે વિજ્ઞાન છે. જ્ઞાનના જે વિભાગ દ્વારા ચૈતન્યના (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે બ્રહ્મ વિદ્યા છે.

જો કે આપણે વિભાગીકરણ વિષે ચર્ચા નહીં કરીએ. કારણ કે આપણે બ્લોગને શુષ્ક બનાવવા માગતા નથી.

વિનોબા ભાવેના સદભાગ્યે, વિનોબા  ભાવે કબુલ રાખે છે કે જડ અને ચેતન એવા કોઈ ભેદ નથી. આખું બ્રહ્માણ્ડ ચેતનમય છે. પણ જેઓ આત્મા, પરમાત્મા વિષે અભ્યાસ કરે છે તેઓને બ્રહ્મવિદ્યાધર માનવા.

મોદીકાકા હિન્દુ ધર્મની ચાવી રુપ વિધાન અવારનવાર બોલે છે કેએકમ્હિ સત્‌ , વિપ્રા બહુધા વદન્તિ.” એટલે કે સત્ય એક છે પણ જ્ઞાનીઓ તેને જુદી જુદી (ગ્રાહ્ય થાય તે માટે) રીતે દર્શાવે છે. તમે તેને અગ્નિ કહો કે યમ કહો કે માતરિશ્વા કહો.

તો શું આપણે બાવાઓની વ્યાખ્યા રીતે કરી શું કે જેઓ બ્રહ્મવિદ્યાને જાણે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યા જાણતા હોવાનો દાવો રે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરે છે અને જેઓએ, કંઈક અંશે  જે કંઈ જાણ્યું, તે જ્ઞાન, પોતાના શિષ્યોને શિખડાવે છે તેને આપણે બાવા કહીશું?

અરે ભાઈ આવી માથાકૂટ કરવાની શી જરુર છે? જે દાઢી રાખે એ બાવો … 

અરે ભાઈ, હાલ તો દાઢીની ફેશન એક મહામારીની જેમ, ભાઈઓમાં ફેલાઈ ગઈ છે. આટલા બધાને કેવીરીતે બાવા બનાવાય? 

બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને અને સતત શિષ્યોની ભરતી માટ પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

યસ. વાખ્યા બરાબર છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

વહાણના મુસાફરો, ધ્યેય નિશ્ચિત, બાવાઓ, ધર્મ, સામાજિક હિત, પ્રણાલી, સંપ્રદાય, ગાદીપતિ, વંશ પરંપરાગત, બોધપાઠ, ન્યુટન, આઈનસ્ટાઈન, ફોર્સ ટુ પોઈન્ટ, આઈનસ્ટાઈનનો સિદ્ધાંત, ફોર્સ ડ્યુ ટુ ફીલ્ડ, ગાંધીજી, આંદોલન, બ્રહ્મવિદ્યા, વિનોબા ભાવે, જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા, અવિદ્યા, મોદીકાકા

Read Full Post »

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૧

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૧

આપણે જોઇએ છીએ કે અમુક લોકો ખાસ કરીને કેટલાક સુજ્ઞ હિન્દુ લોકો પ્રણાલીગત સામાજીક વિધિઓની ભરપૂર ટીકા કરે છે. કેટલાક વહેમ અને કેટલાક શાસ્ત્રોની પણ ટીકા કરે છે. હિન્દુ ધર્મમાં આ બધું શક્ય છે. કારણ કે હિન્દુ સમાજમાં આ બધું કરવાની છૂટ છે. અબ્રાહમિક ધર્મોમાં આવી છૂટ્ટી નથી. જો તેઓ આવી છૂટ્ટી રાખે તો અમુક ખ્રિસ્તી પાદરીઓના માનવા પ્રમાણે તેમના શબ્દોમાં તેમનો ધર્મ હિન્દુ થઈ જાય. કારણ કે જો તમે બધી બારીઓ ખૂલ્લી રાખો તો જે આપણે સવા હજાર કે બે હજાર વર્ષ થી જેનું જનત કર્યું છે તે તો ઉડી જ જાય.

ગઈ સદીના પૂર્વાર્ધના દશકાઓમાં હિન્દુ ધર્મમાં જે પ્રણાલીઓ પ્રચલિત હતી તેનું કોઈ તેનું હાલ નામોનિશાન રહ્યું નથી. અપવાદ રુપ છે જ્ઞાતિ પ્રથા. જ્ઞાતિ પ્રથા જે વાસ્તવમાં કામનું વિભાજન હતું તેમાં મધ્ય યુગમાં જે જડતા દાખલ થઈ ગયેલી તેનો આમ તો જો કે શરુઆતથી વિરોધ નોંધાયેલો છે. આપણું બંધારણ પણ તેને તે સ્વરુપમાં માન્યતા આપતું નથી. આ જ્ઞાતિપ્રથા હજી સંપૂર્ણ પણે નષ્ટ થઈ નથી. આપણા નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓનો જ્ઞાતિપ્રથા ચાલુ રાખવામાં રસ છે અને તેમનો તેમાં સિંહ ફાળો પણ છે. અબ્રાહમિક ધર્મના કેટલાક નેતાઓ અને નહેરુવીયન કોંગ્રેસના અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષના નેતાઓ આપણી જ્ઞાતિ પ્રથા સંપૂર્ણ નષ્ટ થઈ ન હોવાથી તેનો ભરપૂર આનંદ માણે છે.

સંસ્કૃતમાં એક શ્લોક છે

“ખલઃ સર્ષપમાત્રાણિ પરચ્છિદ્રાણિ પશ્યતિ,

આત્મનઃ બિલ્વમાત્રાણિ, પશ્યન્નપિ ન પશ્યતિ

એટલે કે જે દુર્જન હોય છે તે બીજાના સરસવના દાણા જેવડા દુર્ગુણોને જુએ છે અને ટીકા કરે છે પણ પોતાના બીલા જેવડા મોટા દુર્ગુણોને જોવા છતાં પણ જોતો નથી. એટલે કે આ વાત જો અબ્રાહામિક ધર્મીઓને અથવા હિન્દુ ધર્મના સુધારાવાદીઓને લાગુ પાડીએ તો તેઓ પોતાના વિચારોમાં રહેલા બીલા જેવડા દુર્ગુણો જોતા નથી પણ હિન્દુ ધર્મના રાઈના દાણા જેવડા દુર્ગુણોને જુએ છે.

તમે કહેશો કે અબ્રાહમિક ધર્મીઓની વાતને તો જાણે સમજ્યા પણ આપણે હિન્દુ ધર્મના ટીકાકારોને આ વાત કેવી રીતે લાગુ પાડી શકીએ? તમે વળી એમ પણ કહેશો કે “શું હિન્દુ ધર્મમાં જ્ઞાતિ પ્રથાનું દુષણ પહાડ જેવું નથી?

which-part-of-god-can-be-inferior

હરિનો પીન્ડ અખા કોણ શુદ્ર?

તમારી વાત સાચી છે. જ્ઞાતિ પ્રથાનું દુષણ ગઈ સદીના પ્રારંભના દશકાઓમાં પહાડ જેવડું મોટું હતું. પણ હવે જો વાસ્તવમાં જોઇએ તો અત્યારે તે નાના ટેકરા જેવું જ રહ્યું છે. અને આ ટેકરાને બીલોરી કાચ દ્વારા જોવામાં આવી રહ્યું છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષો તેના આ નામભેદને નષ્ટ થતું અટકાવી રહ્યા છે. આ બધું છતાં પણ પણ તેના નાશને કોઈ રોકી શકવાનું નથી.

તમે કહેશો કે આપણા ધર્મની આપણે ટીકા કરીએ અને દુષણો દૂર કરીએ તો ખોટું શું છે? હા જી આ વાત ખરી છે. પણ આપણી ટીકા સાચી દીશા તરફની હોવી જોઇએ અને તેમાં પ્રમાણ ભાનની પ્રજ્ઞાનો અને પ્રાથમિકતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ.

કોઈ દાખલો આપશો?

(૧) મંદિરો આડે ધડ વધી રહ્યા છે. એટલું જ નહીં ગેરકાયદેસર મંદિરોનો રાફડો ફાટ્યો છે. મંદિર એક ધંધો બની ગયો છે.

હા જી આ વાત સાચી છે. પણ કેરાલા, તામિલનાડુ અને કાશ્મિરમાં આ વાત મસ્જીદોને અને ચર્ચોને પણ લાગુ પડે છે. જો કે આ આડેધડ થતા મંદિરોનો બચાવ નથી. હિન્દુ મંદિરોને તોડવા જોઇએ સાથે સાથે ચર્ચો અને મસ્જીદોને પણ તોડવા જોઇએ. આ બધું કોઈ પણ ભોગે થવું જોઇએ. જો હિન્દુ મંદિરો તૂટી શકશે તો મસ્જીદો અને ચર્ચો પણ તૂટી શકશે. જે પણ કોઈ મંદિર ૧૯૪૭ પછી “વિધિ પૂર્વકની પ્રતિષ્ઠા” વગર થયું હોય તેને તોડવું જ જોઇએ.  તેમજ જે મંદિર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોય તેને પણ તોડવું જોઇએ. ગેરકાયદેસરનો અર્થ છે કે “માલિકીના હક્ક વગર” થયેલું મંદિર.

(૨) ધાર્મિક વિધિઓ પાછળ થતો બેસુમાર ખર્ચ

દા.ત. લગ્નમાં વર કન્યા વિગેરેનો શણગાર, જમણવાર, સંગિત નૃત્યના જલસા, ફટાકડાઓ ફોડવા અને તે પણ રસ્તા વચ્ચે, વરઘોડો, લાઉડસ્પીકરો ઉપર ધ્વનિ પ્રદૂષણ ફેલાવવું આ બધા ખર્ચાઓ બેસુમાર છે.

yajna

સમજી લો આ બધા ખર્ચાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. આ બધો અમુક લોકો પાસે રહેલા પૈસાનો અતિરેક અને અથવા કાળાંનાણાંનો ભરાવો બોલે છે. આયકર વિભાગે આની તપાસ કરવી જોઇએ. અને તેમની પાસેથી દંડ વસુલ કરી શકાય જો તેમના આવકના શ્રોત કરતાં વધુ ખર્ચ કર્યો હોય તો. તેમજ સરકાર આવા લગ્નના ખર્ચાઓ પર ટેક્ષ નાખી શકે. એટલે કે લગ્નના ખર્ચાને આવકમાં ગણી તેના ઉપર ટેક્ષની ગણત્રી કરવી જોઇએ.

ધ્વનિ પ્રદુષણ માટે દંડાત્મક જોગવાઈઓ છે.

(૩) મંદિરો ઉપર સોના ચાંદી નો ચઢાવ મઢાવ, અન્નકૂટ, રથ યાત્રાઓ, દ્વવ્યના આવા અનેક બગાડ થાય છે. આનો શો જવાબ છે?

ધારો કે કોઈ તમારી પાસે આવે અને વિનંતિ કરે કે તમે તેને પૈસા આપો,

ધારો કે બીજો કોઈ તમારી પાસે આવીને દંડવિધાન દ્વારા પૈસા માગે,

ધારો કે આ બંને તમારી પાસેથી લીધેલા પૈસાનો એક સમાન રીતે જ બગાડ કરે,

એટલું જ નહીં પણ જે બીજાએ તમારી પાસેથી દંડવિધાન દ્વારા ફરજીયાત રીતે, અને બહુ વ્યાપક રીતે પૈસા ઉઘરાવ્યા છે અને વધુ પૈસા ઉઘરાવ્યા છે અને વધુ બગાડ કર્યો છે,

તો તમે તમારી પ્રમાણભાનની પ્રજ્ઞાનો ઉપયોગ કરીને કયા બગાડને દૂર કરવાની પ્રાથમિકતા આપશો?

તમે ચોક્કસ કહેશો કે પ્રાથમિકતા તો જે પૈસા ફરજીયાત રીતે ઉઘરાવ્યા છે તેને જ આપી શકાય. અને લડત પણ તેની સામે જ હોય. કારણ કે જેણે વિનંતિ કરીને પૈસા ઉઘરાવ્યા છે અને અથવા અમે સ્વેચ્છાએ આપ્યા છે તે તો ગુનો બની જ ન શકે. તમારી મુનસફ્ફીની વાત છે કે તમે પૈસા આપો કે ન આપો. પણ દંડવિધાન દ્વારા જેણે પૈસા ઉઘરાવ્યા છે તેને તો જેલમાં જ પુરવો જોઇએ.

તો હવે તમે જુઓ;

તમે અનેક જાતના કરવેરાઓ ભરો છો. તે બધા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફરજીયાત રીતે ઉઘરાવાય છે. આ પૈસાનો એક પ્રમાણ પાત્ર હિસ્સો રાષ્ટ્ર પ્રમુખની, મંત્રીઓની, જનપ્રતિનિધિઓની સુવિધાઓ, સગવડો, રાહતો, રખરખાવ, ભત્થા પાછળ ખર્ચાય છે. આ ઉપરાંત રાજકીય પક્ષો ટેક્ષમાં રાહતો મેળવે છે. આ રાહતો પણ તમારી ઉપરના પરોક્ષ કરવેરા બરાબર જ છે. જનપ્રતિનિધિઓ તો કશી ફરજો પણ બજાવતા નથી. કેટલાક પક્ષના જેમકે નહેરુવીયન કોંગ્રેસના જનપ્રતિનિધિઓ સભાઓમાં કામ ન થાય તે પ્રમાણે કૃતનિશ્ચયી હોય તેમ જ વર્તે છે. આ લોકો ઉપર તો તમે ડીસીપ્લીનરી એક્શન પણ લઈ શકતા નથી. તે છતાં તેમને ભરપૂર વેતન જ નહીં નિવૃત્તિ વેતન પણ આપવામાં આવે છે. આનો તમે હિસાબ માંડ્યો છે? આનો વિરોધ કરવા તમે આદુ ખાઈને પાછળ પડ્યા છો ખરા?

તમે કહેશો કે આ તો રાજકારણ છે. રાજકારણની તો વાત જ અલગ છે. રાજકારણ એ અમારો વિષય નથી. અમે તો સમાજસુધારકો છીએ. એટલે સમાજની કુટેવોમાંજ ઘોંચપરોણા કરીશું. રાજકારણ તો ગંદુ છે. અમે તેમાં પડવા માગતા નથી.

house-of-president

તો હવે તમને કહેવામાં આવે છે કે તમારે તો રંગમંચ (સ્ટેજ) ઉપર જ નૃત્ય કરવું છે. કારણ કે અહીં પ્રેક્ષકો હાજરાહજુર છે. તમે સુરક્ષિત છો. આ બધું જવા દો. તમારામાં પ્રાથમિકતાની પ્રજ્ઞાનો અભાવ છે. તમે દરવાજા મોકળા રાખવામાં માનો છો અને ખાળે ડૂચા મારવાની વાતો કરો છો. તમે એક વાત સમજી લો કે રાજ્ય શાસ્ત્ર પણ સમાજશાસ્ત્રમાં જ આવી જાય. જે ભેદ પાડવામાં આવ્યા છે તે તો જ્ઞાન પ્રાપ્તિની સુવિધા માટે પાડવામાં આવ્યા છે.

તમે કહેશો … અરે ભાઈ તમે આ શું માંડી છે? સુધારણાના અને પ્રગતિના અનેક ક્ષેત્રો છે. ધારો કે રાજકીય ક્ષેત્રમાં વધારે બગાડ છે અને સામાજીક ક્ષેત્રમાં ઓછો બગાડ છે. પણ રાજકીય ક્ષેત્રના વધુ બગાડના ઓઠા હેઠળ, સામાજીક ક્ષેત્રના બગાડનો બચાવ તો ન જ થઈ શકાયને?

હા જી તમારી વાત ખરી છે. પણ જો તમે રાજકીય પક્ષોના અનાચારને પ્રાથમિકતા ન આપો અને જ્યાં પૈસા સ્વેચ્છાએ અપાયા છે અને ખર્ચાયા છે તેની જ તમે “હોલીઅર ધેન ધાઉ” થઈને ટીકા કર્યા કરો તો તમારે સમજવું કે તમે આ અધિકાર ગુમાવી દીધો છે. અલબત્ત નૈતિક અધિકાર જ ગુમાવ્યો છે. બાકી આમ તો લોકશાહીમાં સૌને બીજાના કાયદેસરના અધિકારને નુકશાન કર્યા વગર બેફામ બોલવાનો અધિકાર છો.

તો ચલાવો તમારી વાત આગળ

rudrabhisheka

(૪) શિવલિંગ ઉપર દૂધ, દહીં,ઘી, મધ દ્વારા થતો અભિષેક, બારમા તેરમાની ક્રિયાઓ અને તેમાં થતા જમણવારો, ભાગવત સપ્તાહ, રામાયણ, સત્યનારાયણ અને એવી જ ઘીસીપીટી કથાઓના પારાયણો, ખોટા ખોટા યજ્ઞો અને આહુતિઓ દ્વારા થતા ધાન્યનો થતો વ્યય, જ્યોતિષ શાસ્ત્રીની ભવિષ્યવાણીઓ અને વાસ્તુશાસ્ત્રના ધત્તીંગો, વહેમોનું પાલન, તેના અવનવા નુસખાઓ જેમ કે માછલીઓ રાખવી, મની પ્લાંટ રાખવા, કાચબાઓ, શંખલાઓ, છીપલાંઓ રાખવા … આસ્તિકતાએ તો દેશનું નક્ખોદ વાળ્યું છે. આ બધું ક્યારે બંધ થશે?

તો હવે સમજી લો, આસ્તિકતા, નાસ્તિકતા, સમાજીક રીતરસમો, શાસ્ત્રો, આ બધું શું છે? જિંદગી શું છે? જીંદગી શા માટે છે? ઈશ્વર, આત્મા, કુદરતી શક્તિઓ અને તેના નિયમો, વિશ્વ કે બ્ર્હ્માણ્ડનો અભ્યાસ શા માટે?

આસ્તિક એટલે શું? નાસ્તિક એટલે શું?

આ બધાની વિષે વિસ્તૃત ચર્ચા “અદ્વૈતની માયાજાળ”માં કરવામાં આવી છે. જેને તેમાં રસ હોય તે આજ બ્લોગ સાઈટમાં તે વાંચે.

અહીં થોડું તેનું પુનરાવર્તન કરવું પડશે.

“અસ્તિ ઇતિ કથયતિ સઃ આસ્તિકઃ, (જે “છે” એમ કહે છે તે આસ્તિક)

ન અસ્તિ ઇતિ કથયતિ સઃ નાસ્તિકઃ (જે “નથી” એમ કહે છે તે નાસ્તિક)

પણ કોણ છે અને કોણ નથી? ઈશ્વર કે આત્મા કે બંને? ત્રીજું કોઈ છે?

હા ત્રીજું અસ્તિત્વ છે તે અસ્તિત્વ બ્રહ્માણ્ડનું છે. આ બ્ર્હ્માણ્ડ તો આપણને દેખાય જ છે. એટલે તેના અસ્તિત્વનો સવાલ જ નથી. પણ જો આત્મા જ ન હોય તો? જો ચંદ્રને જોનારો જ કોઈ ન હોય તો ચન્દ્રના અસ્તિત્વનો અર્થ શો? અથવા તો તેનું અસ્તિત્વ કોણ નક્કી કરશે? જો સુર અને સ્વર જ ન હોય તો સંગીતનું અસ્તિત્વ હોય ખરું?

આત્મા છે ખરો? આત્મા આપણને દેખાતો નથી. પણ આપણે છીએ, અને આત્માના અસ્તિત્વની હકિકતને આપણે અનુભવી શકીએ છીએ. તેથી તે છે એમ માની લઈએ. તો પછી બચ્યા કોણ?

બાકી બચ્યા તે ઈશ્વર.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

નાસ્તિક, આસ્તિક, ધૂન, ઘમંડ, સામાજીક વિધિઓ, પ્રણાલી, વહેમ, હિન્દુધર્મ, અબ્રહમિક ધર્મો, ખ્રિસ્તી, મુસ્લિમ, નહેરુવીયન કોંગ્રેસ, સાંસ્કૃતિક સાથી પક્ષ, જ્ઞાતિ પ્રથા, દુર્જન, સરસવના દાણા, બિલા જેવડા, પ્રાથમિકતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા, મંદિર, તામિલનાડુ, કાશ્મિર, મસ્જિદ, પ્રતિષ્ઠા, લગ્ન, જમણવાર, ધ્વનિ પ્રદુષણ, રાષ્ટ્ર પ્રમુખ, મંત્રી, જનપ્રતિનિધિ, ડીસીપ્લીનરી એક્શન, નિવૃત્તિ વેતન, સમાજસુધારક, રાજકારણ, રાજ્ય શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, હોલીઅર ધેન ધાઉ, યજ્ઞો, આહુતિઓ, જ્યોતિષ, માછલી, મની પ્લાંટ, કાચબા, શંખલા, છીપલાં, બ્ર્હ્માણ્ડનો અભ્યાસ

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૯

રામને કોણ સમજી શક્યું?

એક માત્ર મહાત્મા ગાંધી હતા જેઓ રામને અને લોકતંત્રને સમજી શક્યા હતા. તેઓ રામ અને લોકતંત્ર એ બંનેને સાંકળી શક્યા હતા.

પ્રણાલીઓને બદલવી છે?

આદર્શ પ્રણાલી શું હોઈ શકે અને તે કેવી હોવી જોઇએ તે પહેલાં નક્કી કરો.

જો તમને લાગતું હોય કે તમે આદર્શ પ્રણાલી સમજી શક્યા છો તો તે પ્રણાલીને બુદ્ધિદ્વારા આત્મસાત્કરો. માનસિકતા પણ એવી બનાવો. પછી તે દિશામાં વિચારો અને આચારમાં પણ તેને મૂકો. આવું કર્યા પછી પ્રચાર કરી શકાય.

એક વાત ખાસ યાદ રાખવાની હોય છે કે પ્રચાર કરતી વખતે, તમારી પાસે સત્તા હોવી જોઇએ.

સત્તા શું કામ હોવી જોઇએ?

સત્તા એટલા માટે હોવી જોઇએ, કારણ કે તમે જે પ્રણાલીનો પ્રચાર કરવા માગો છો અને વિચાર વિમર્ષ કરાવવા માગો છો તેમાં દબાણ વર્જ્ય છે. સત્તા, શક્તિ, લાલચ, સ્વાર્થ બધાં દબાણ છે. દબાણ થી સત્ય દબાઈ શકે છે. દબાણ એક આવરણ છે. આવરણ સત્યને ઢાંકી દે છે. (હિરણ્મયેન પાત્રેણ, સત્યસ્યાપિહિતં મુખં).

ગાંધીજીને જ્યારે લાગ્યું કે હવે તેમણે સામાજીક ક્રાંતિ (સમાજસુધાર)માં પડવું જોઇએ, તો તેમણે કોંગ્રેસના હોદ્દાઓ ઉપરથી નહીં પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ ઉપરથી પણ રાજીનામું આપ્યું. તેનું કારણ હતું કે તેઓ કોઈ પણ સુધારા ઉપર પોતાનો જે અભિપ્રાય આપે તે બીજાઓ માટે દબાણ મૂક્ત હોય. તેથી જે પણ કોઈને ચર્ચા કરવી હોય કે શંકા પ્રદર્શિત કરવી હોય તે સામેની વ્યક્તિ મૂક્ત રીતે કરી શકે.

કોઈ કહેશે કે ઉપવાસ અને સવિનય કાનૂનભંગ, પ્રદર્શન, ધરણા વિગેરે પણ દબાણ કહેવાય ને? બધું દબાણ થી, તો બીજું શું છે?

આંદોલન બે પ્રકારના હોય છે. એક વહીવટી નિસ્ફળતા સામે હોય છે. બીજું અન્યાયકારી કાયદા સામે હોય છે. જનતા અને કેટલાક પક્ષોના નેતાઓ ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથી પક્ષના નેતાઓ આંદોલનનું હાર્દ સમજતા નથી.

આંદોલન ફક્ત જનતા કરી શકે. રાજકીય પક્ષો આંદોલનો કરી શકે. રાજકીય પક્ષો લોકજાગૃતિના કામ કામ કરી શકે. જનતા પણ એવા આંદોલન કરી શકે કે જ્યાં તે સંપૂર્ણ પારદર્શિતા રાખી શકે તેમજ સંવાદ માટે હરપળ તૈયાર હોય. આંદોલન હમેશા દેશના વ્યાપક હિતમાં હોય. આંદોલન કદીપણ જાતિગત કે વ્યક્તિગત હોઈ શકે. વ્યક્તિગત હિતની રક્ષા માટે કાનૂનો હોય છે. કોઈ કાનૂન એવો હોઈ શકે કે જે અન્યાયકારી હોય. અન્યાયકારી કાયદા, ન્યાયાલય દ્વારા રદ કરી શકાય છે. નવો કાયદો કરવો હોય તો તેનો પૂર્વલેખ (ડ્રાફ્ટ) પ્રજાએ તૈયાર કરવો જોઇએ, તેની વ્યાપક ચર્ચા થવી જોઇએ. તે પછી વિદ્વાનો બધા સુધારાને આવરી લેતો અંતિમ પૂર્વલેખ લિપિબદ્ધ કરે અને પોતે ચૂંટેલા પ્રતિનિધિ મારફત સંસદમાં રજુ કરે. અને સંસદ તેને પસાર કરે.

મહાત્મા ગાંધીએ રામને કેમ આદર્શ માન્યા?

રામરાજ્યની કેમ વાત કરી?

 આમ તો ગાંધીજી કહેતા હતા કે મારો રામ કંઈ દશરથનો પુત્ર કે રાવણને મારનાર નથી. મારો રામ તો પરમબ્રહ્મ સ્વરુપ દરેકના દિલમાં વસતો રામ છે. એટલે કે ઈશ્વર છે.

આમ જુઓ તો રામ તો રાજા છે. અને મહાત્મા ગાંધી એક બાજુ રામરાજ્યની વાત કરેછે અને બીજી બાજુ તેઓ રામ દશરથનો પુત્ર નથી એમ કહે છે. તો રામ રાજ્ય કોનું?

ભારત, પ્રાચીન યુગમાં જગતગુરુ હતું. ભારતમાં ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણ મફત હતું. સૌ કોઈએ ગુરુ પાસે આશ્રમમાં ભણવા જવું પડતું. સામાન્ય રીતે સૌ કોઈ બાપિકો વ્યવસાય સંભાળતા. ગુરુઓને શસ્ત્ર વિદ્યા આવડતી તેમનું કામ વિદ્યા અને જ્ઞાનનો પ્રસાર કરવાનું રહેતું. તેઓ રાજાને સલાહ આપવાનું કામ પણ કરતા. જે શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા અને વેદમંત્રના  લખનારાના વંશજો હતા કે આચાર્યો હતા તેઓ પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ધરાવતા હતા. રાજા ઉપર દબાવ લાવવાનું કામ ઋષિની સલાહ અનુસાર જનતાનું રહેતું હતું.

વાયુ પુરાણમાં એક કથા છે.

બ્રાહ્મણોએ માંસભક્ષણ કરવું જોઇએ કે નહીં?

ઋષિગણ ભગવાન મનુ પાસે ગયું. ભગવાન મનુએ કહ્યું કે બ્રાહ્મણો યજ્ઞમાં આહુતિ માટે આપેલું માંસ, યજ્ઞના પ્રસાદ તરીકે એટલે કે હુતદ્રવ્ય હોવાથી ખાઈ શકે. ત્યારથી કેટલાક બ્રાહ્મણો હુતદ્રવ્ય રૂપે માંસ ખાવા માંડ્યા.

પછી જ્યારે ઈશ્વરને (શિવને) ખબર પડી ત્યારે તે ઋષિઓને વઢ્યા. અને તેમને કહ્યું કે તમે મનુ પાસે ગયા જ કેમ? મનુ આવી સલાહ આપવાનો અધિકારી નથી. પ્રણાલીઓ વિષે સલાહ આપનાર ફક્ત વેદ પારંગત મહર્ષિઓ અને આચાર્યોનો સમૂહ અધિકારી છે. તમે અનાધિકારી વ્યક્તિની સલાહ કેમ લીધી? હવે મનુ અને બ્રાહ્મણો પાપ ભોગવતા રહેશે. આમ અમુક બ્રાહ્મણો માંસાહારી રહ્યા અને અમુક બ્રાહ્મણો નિરામિષ રહ્યા.

આચાર્યનો અર્થ છે (વિચાર સહિતના) આચાર ઉપર સલાહ આપી શકે તે. એટલે કે આચાર ઉપર જે અધિકૃત રીતે અર્થઘટન કરી શકે અને આચારની પ્રણાલી ઉપર શાસન કરે તે. પણ શાસનનેશાસનશબ્દથી ઓળખવામાં આવતું નથી.

આચાર્યોનું શાસન અનુશાસન છે.

જનતાએ અને શાસકોએ શું કરવું જોઇએ તે આચાર્યો કહેશે. શાસકનું કામ વહીવટ કરવાનું છે. એટલે કે જેના હાથમાં વહીવટી સત્તા છે તે જે જનતા ઉપર કરે તેને શાસન કહેવાય.

આચાર્યો જે કરે તેને અનુશાસન કહેવાય.

આચાર્ય વિનોબા ભાવે એ ઇન્દિરાએ કટોકટી લાદી ત્યારે એવો પ્રતિભાવ આપેલ કે કટોકટી એ અનુશાસન પર્વ છે. પણ આનું ખોટું અર્થઘટન ઇન્દિરાએ ફેલાવેલું. વિનોબા ભાવેએ સ્પષ્ટીકરણ કરેલ. પણ એ સ્પષ્ટીકરણ ઉપર સેન્સરની કાતર ફરીવળી હતી.

હવે યાદ કરો. નહેરુવીયન કોંગ્રેસને જે કંઈપણ બંધારણીય સુધારા કર્યા અને તેના અમલમાં જે પ્રણાલીઓ સ્થાપી તેનો મુખ્ય હેતુ આત્મકેન્દ્રી એટલે કે સ્વકેન્દ્રી તો ખરો પણ સાથે સાથે પોતાનો પક્ષ સત્તાસ્થાને રહે પણ હતો. વાસ્તવમાં નિયમ બનાવવાના મુસદ્દા, જનતાની સમસ્યાઓના ઉકેલોને લગતી પ્રણાલીઓના સંશોધનો, ઋષિઓ એટલે કે જ્ઞાની લોકો તરફથી આવવા જોઇએ. જેમકે લોકપાલ વિધેયકનોપૂર્વ લેખ” (ડ્રાફ્ટ), અન્ના હજારેની ટીમ તરફથી આવે તેમાં કશું ખોટું હતું. નહેરુવીયન કોંગ્રેસે તે સ્વિકારવા જેવો હતો. તેને બદલે નહેરુવીયન કોંગ્રેસે કહ્યું અમારી ઉપર દબાણ કરનારા તમે કોણ છો? તમારી હેસીયત શું છે? હવે જે નહેરુવીયન કોંગ્રેસ, ગાંધીજીના નામ ઉપર ત્રણ દાયકા (૧૯૪૭ થી ૧૯૭૫) તરી ગઈ તેણે હેસીયતનો મુદ્દો ઉઠાવ્યો. રામને નામે પથરા તર્યા. ગાંધીજીને નામે ગઠીયા તર્યા.

“૧૯૪૭થી ૧૯૭૫ સુધીના સમય સુધી નહેરુવીયન કોંગ્રેસ ગાંધીજીના નામે તરી ગઈ” એમાં૧૯૭૫એટલા માટે સીમા ચિન્હ છે કે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદીને ગાંધીવાદીઓને પણ વગર વાંકે જેલભેગા કર્યા એટલે મહાત્મા ગાંધીવાદીઓનો ભ્રમ પણ સદંતર ભાંગી ગયો.

પ્રથમ નામ મહાત્મા ગાંધીનું

અગણિત ગાંધીવાદીઓનો નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ૧૯૫૨થી ભાંગી ગયેલો. નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ભાંગી જવામાં મહાત્મા ગાંધીનું નામ પ્રથમ લેવું જોઇએ. જે કોંગ્રેસીઓ સિંધ પંજાબથી ભાગીને ભારતમાં આવ્યા તેમને મહાત્મા ગાંધીએ કહેલ કે તમે ત્યાં મરી કેમ ગયા? જો કોંગ્રેસીઓ ત્યાં નિષ્ઠા પૂર્વક રહ્યા હોત તો આજે પાકિસ્તાનની જનતા પાસે મહાત્માગાંધીયન (વાસ્તવિક રીતે ધર્મનિરપેક્ષ) પાકકોંગ્રેસ જોવા મળત. યાદ કરો ઘણા મુસ્લિમ નેતાઓ ભારતના ભાગલા પછી પણ ભારતમાં રહ્યા. તેથી અત્યારે આપણને ભારતમાં કોમવાદી ઈન્ડીયન મુસ્લિમ લીગ જોવા મળે છે. પણ પાકિસ્તાનમાં કોઈ કોંગ્રેસ જોવા મળતી નથી.

મહાત્મા ગાંધીએ જોયું કે કોંગ્રેસને લોકજાગૃતિમાં રસ નથી. કોંગ્રેસને ફક્ત સત્તામાં રસ છે. મહાત્મા ગાંધીએ કહેલું કે સમય એવો આવશે કે જનતા કોંગ્રેસીઓને શોધી શોધીને મારશે. તેમણે કોંગ્રેસને વિખેરી નાખવાનું કહેલ.  અને તે માટે તેમણે રાષ્ટ્રીય સેવાસંઘનું બંધારણ પણ લખેલ.

જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ

ગુજરાતનું ૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલન, “ભ્રષ્ટાચાર દૂર કરો” માટે હતું. જનતાએ નહેરુવીયન કોંગ્રેસ શાસિત વિધાનસભાનું વિસર્જન કરવાનું કહેલ. બધા જ સભ્યોએ રાજીનામું આપેલ પણ મોટાભાગના નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજીનામું ન આપેલ. જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ. અંતે વિધાનસભાનું વિસર્જન કરવું પડેલ. નહેરુવીયન કોંગ્રેસે “અમે ગરીબી હટાવીશું” એ વચન આપી સત્તા ઉપર આવેલ. પણ ઇન્દિરા ગાંધી બધાજ ક્ષેત્રોમાં નિસ્ફળ નીવડેલ. ભ્રષ્ટાચારના આક્ષેપો તેની ખુદની ઉપર પણ હતા.

નહેરુવીયન કોંગ્રેસ એક શાસક પક્ષ હતો. તે જનતાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તેણે પોતાની ૨૦૦૯ની ચૂંટણી જનલોકપાલ બીલનો મુસદ્દો જનતા પાસે રજુ કરીને ચૂંટણી લડી હતી. એટલું નહીં પણ તે પક્ષ પોતે સંપૂર્ણ બહુમતિ વાળો પક્ષ ન હતો. તે અન્ય પક્ષો સાથે ચૂંટણી પરિણામો પછીના જોડાણો કરી સત્તા ઉપર આવ્યો હતો. તેની પાસે સત્તા હોય તો પણ તે સત્તા, નિયમો બનાવવા માટેની સત્તા ન હતી.

ભારતીય બંધારણ પ્રમાણે પણ તેની પાસે નિયમો બનાવવાની સત્તા ન હતી.

આનો અર્થ પણા થયો કે શાસક પક્ષને બંધારણમાં ફેરફાર કરવાની પણ સત્તા નથી.

જે લોકો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં નિપૂણ છે તેઓ હેતુપૂર્ણ મુસદ્દો બનાવે અને ન્યાયશાસ્ત્રના વિદ્વાનો તે મુસદ્દાને વિધેયકનું સ્વરુપ આપે. પછી તેને જનતા સામે મુકે. અને જનતા તેના ઉપર પોતાના પ્રતિભાવો અને સૂચનો આપે. તે પછી તેને આખરી સ્વરુપ આપવામાં આવે.

જનપ્રતિનિધિઓની પાસે કઈ સત્તા છે?

જનપ્રતિનિધિઓ પાસે સત્તા છે કે તે વહીવટકારો (પબ્લિક સર્વન્ટ), નિયમોને અને નીતિઓને અમલમાં મુકે. જનપ્રતિનિધિઓ તેની ઉપર નિરક્ષણ કરે અને જો તેઓ તેમાં ચૂક કરે તો તેમને દંડિત કરે.

બાબતની વિસ્તૃત ચર્ચાબધી સમસ્યાનું સમાધાન એટલે નવ્ય ગાંધીવાદ લેખમાળામાં કરવામાં આવી છે.

રામ રાજ્યની ઉંડાઈ સમજવી મૂર્ધન્યો, સમાચાર માધ્યમના પંડિતો, મોટાભાગના કટારીયા લેખકો અને પાશ્ચાત્ય રાજ્યશાસ્ત્રના પંડિતોના મગજની ક્ષમતાની બહાર છે. ભારતના રાજકીય પક્ષો અને તેમાં પણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ તો તે સમજી શકે.

હજારો વર્ષ જુના ભારતીય જનતંત્રમાનસ જેને મહાત્મા ગાંધીએ પુનર્‍ જાગૃત કે નવજાગૃત કરેલઇન્દિરા ગાંધીએ તેને ૧૯૬૮થી ક્ષતિ પહોંચાડવી શરુ કરેલ અને ૧૯૭૫માં જનતંત્રીય માનસિકતાને સંપૂર્ણ ધરાશાઈ કરેલ. એજ ઇન્દિરા ગાંધી જેને આજે પણ નહેરુવીયન કોંગ્રેસીઓ એક આદરણીય અને પૂજનીય નેતા માને છે. આવી માનસિકતાવાળો પક્ષ રામરાજ્યની ઊંડાઈ કેવી રીતે સમજી શકે?

નહેરુવીયન શાસકોએ ને તેમણે સર્જેલી માનસિકતાએ, રામને ફક્ત ધાર્મિક વ્યક્તિ બનાવીને ભારતીય જનતાંત્રિક પરંપરાને ચીંથરેહાલ કરી દીધી છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે ઉચ્ચ ન્યાયાલયમાં શપથ પૂર્વક કહ્યું કે રામ કોઈ ઐતિહાસિક વ્યક્તિ હતા નહીં.

રામની મહાનતા, ભારતીયો સમજ્યા અને તે મહાનતા અદ્વિતીય હોવાને કારણે તે રામને તેમણે ભગવાન બનાવી દીધા.

ભગવાન એટલે શું?

ભગઃ એટલે તેજ. આકાશમાં  સૌથી વધુ તેજસ્વી પદાર્થ હોય તો તે સૂર્ય છે. સૂર્ય, પૃથ્વીને ધારણ કરે છે. સૂર્ય માત્ર અગ્નિનો ગોળો નથી. ભારતીયો સાંસ્કૃતિક રીતે અને તાત્વિક રીતે કુદરતી શક્તિઓને ફક્ત સજીવ નહીં, પણ સજીવ ઉપરાંત તેમને દેવ પણ માને છે. સૂર્ય પણ એક મહાન દેવ છે. સૂર્યને લીધે પૃથ્વી ઉપર પ્રણાલીગત વ્યાખ્યા પ્રમાણે કહેવાતી સજીવ સૃષ્ટિ થઈ અને ટકી રહી છે. સૂર્યની પાછળ રહેલો દેવ, વિષ્ણુ છે. એવી માન્યતા છે કે જેમ સૂર્ય પૃથ્વીનું રક્ષણ કરે છે તેમ આજ વિષ્ણુ, અવારનવાર યુગપુરુષ રુપે જન્મી પૃથ્વીના સજીવસમાજનું રક્ષણ કરે છે.

માન્યતા, કંઈ ભારત એકલામાં ચાલી છે એવું નથી. મેક્સીકોથી શરુ કરી ઈજીપ્ત અને જાપાન સુધી માન્યતા પ્રવર્તે છે કે રાજા (કે અમુક રાજાઓ) સૂર્યના અવતાર છે.         

રામ મંદિર થવું જોઇએ કે નહીં?

કોનું પૂજન થાય છે?

જેનું અસ્તિત્વ હોય તેનું પૂજન થાય છે. પ્રાકૃતિક શક્તિઓનું અસ્તિત્વ છે તેથી તેનું પૂજન થાય છે. કેટલાક દેહધારીઓએ અભૂત પૂર્વ કાર્યો કરેલા, એવું જે સમાજને લાગ્યું, તે સમાજે તેમનું પૂજન શરુ કર્યું. તેમના મંદિરો બનાવવામાં આવ્યાં. આવી પ્રણાલી ફક્ત ભારતમાં છે તેવું નથી. આવી પ્રણાલી પૂરા વિશ્વમાં છે. અત્યારે મરેલા નહીં પણ જીવતા મનુષ્ય દેહધારી ભગવાનોની સંખ્યા ચાર આંકડામાં અસ્તિત્વ ધરાવે છે.

પણ વિશ્વમાં એવી પ્રણાલી ક્યાંય નથી કે જેનું ફક્ત સાહિત્યિક અસ્તિત્વ હોય, તેનું પણ પૂજન થાય અને તેના પણ મંદિરો બને.

કોઈ પણ એક મહામાનવને લો. તેમની  બાબતમાં એકથી વધુ લેખકો, તેમની જીવન કથા કે પ્રસંગોની કથાઓ લખશે. પોતાની રીતે મૂલવશે. મહાત્મા ગાંધી વિષે હજારો મૂર્ધન્યોએ લખ્યું છે અને લખ્યા કરશે. પોતાની રીતે તેમના જીવનને અને તેમના જીવનના અનેક પ્રસંગોને મૂલવશે. ગાંધીજી જ્યાં જ્યા ફર્યા ત્યાં ત્યાં તેમના સ્મૃતિઓ અને સ્મારકો પણ નિર્માણ પામશે. જ્યાં ગાંધીજી જન્મ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. જ્યાં રહ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. બધા મહાપુરુષો વિષે આવું કંઈક વત્તે ઓછે અંશે થાય છે અને થતું રહેશે.

સરસ્વતીચંદ્ર, જયા જયંત, ડૉન કિહોટે, ભદ્રંભદ્ર, મહેન્દ્રકુમારી, રા તાઈ, ટારઝન, સ્પાઈડરમેન, સુપરમેન, હેરી પોટર, કેપ્ટન મારવેલ વિગેરેને શું કોઈ પૂજશે? કે તેમના ધાર્મિક અને ક્રિયાસ્થળો પર સ્મારકો બનાવશે. હા એક વાત જરુર છે કે લોકો કંઈક વિચાર ગ્રહણ કરશે. ભદ્રંભદ્રએ માધવ બાગમાં ધર્મસભામાં ભાષણ આપેલ. ત્યાં શું તેમનું સ્મારક થશે? ભદ્રંભદ્રની જન્મ જયંતિ આપણે મનાવીશું? હા પણ વિવેકાનંદના સ્મૃતિ ચિન્હો આપણને ઠેર ઠેર મળશે.

માની લો કે ચાણક્યને આપણે ભગવાન માન્યા.

“ચાણક્ય”ના નામનો આપણે એક ધર્મ બનાવ્યોતે ધર્મને ફેલાવ્યો. કાળક્રમે કોઈ પણ રીતે તેનું જન્મ સ્થળ ધ્વસ્ત થઈ ગયું. નહેરુવીયનોએ પણ નહેરુના નામનો એક ધર્મ બનાવ્યો. અને જ્યાં જ્યાં ચાણક્યના સ્મૃતિ ચિન્હો હતા ત્યાં ત્યાં તેમણે ચર્ચ બનાવી દીધાં, અને જાહેર કરી દીધું કે ચાણક્ય જેવું કોઈ થયું નથી અને એવું કોઈ હોઈ શકે નહીં. એમ કંઈ એક બ્રાહ્મણ પોતાના અપમાનનો બદલો લેવા માટે, ૧૨ લાખના સૈન્યબળવાળા રાજાના સામ્રાજ્યને ઉથલાવી શકે? કદી નહીં. “કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના”. ચાણક્ય”ના ધર્મ વાળા તો ગાંડા છે. તેઓ એક કપોળકલ્પિત  વ્યક્તિની પૂજા કરે છે. આ એમનું એક ગાંડપણ છે. ચાણક્ય તો દંતકથાનું પાત્ર માત્ર છે.

જે એલ નહેરુનું મહત્વ વધારે છે કે ચાણક્યનું?

ચાણક્ય તો જે એલ નહેરુથી ૨૩૦૦+ વર્ષ સીનીયર છે. તેથી ચાણક્યનો અધિકાર પહેલો છે. હા પણ વાત ત્યારે બને જો આપણે ચાણક્યને ઐતિહાસિક વ્યક્તિ માનીએ તો.

હિન્દુ પ્રણાલી પ્રમાણે મૃતદેહ અગ્નિદેવને સમર્પિત કરવામાં આવે છે. મનુષ્યનો અંતિમ યજ્ઞ છે. ઈશ્વરે આપણને દેહ આપ્યો, આપણે તે દેહ, ઈશ્વરને સમર્પિત કર્યો. ઇશ્વરનું મુખ અગ્નિ છે. તેથી ઈશ્વરને આપણે અગ્નિ મારફત દેહ આપી દીધો. દેહવિસર્જનનો યજ્ઞ સ્મશાનમાં થાય છે. એટલે હિન્દુઓમાં કબર હોતી નથી.

મહામાનવોની યાદમાં જન્મભૂમિ અને કર્મભૂમિ (ભુમિઓ) હોય છે. એટકે ત્યાં સ્મૃતિચિન્હો બનાવવામાં આવે છે. કર્મભૂમિ અનેક હોય છે. જન્મભૂમિ અનેક હોતી નથી. જો વિદેશીઓ આવે અને તે ધર્મસ્થળને તોડીને નવું પોતાનું ધર્મસ્થળ બનાવી દે તો, અને સો ટકા ધર્મ પરિવર્તન થઈ જાય તો, આખી વાત ભૂલાઈ જાય છે. પણ જો વિદેશીઓ ૧૦૦ ટકા ધર્મ પરિવર્તનમાં નિસ્ફળ રહે તો લોકવાયામાં તે જન્મ સ્થળ જીવિત રહે છે.

ભારતમાં એવું થયું કે વિદેશી આક્રમણો થયાં ખરાં અને વિદેશીઓએ બળપ્રયોગ પણ કર્યો. પણ ભારતીય હિન્દુધર્મ અતિ પ્રાચીન, સુગ્રથિત, તર્ક અને સંવાદ આધારિત હોવાથી વિદેશીઓ મોટે ભાગે  અભણ અને ગરીબોનું ધર્મપરિવર્તન કરી શક્યા. અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકા જેવું ભારતમાં થયું. ત્યાં અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકામાં તો સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રમાં વિકસિત સંસ્કૃતિ ફક્ત ઇતિહાસના પાનાઓ ઉપર રહી ગઈ.

અહીં ભારતમાં પણ ખ્રીસ્તીધર્મ ગુરુઓએ અને શાસકોએ ભરપૂર પ્રયત્નો કરેલ. પણ તેઓ એવું કરી શકે તે પહેલાં તો તેઓએ ઉચાળા ભરવાનો સમય આવી ગયો. કેટલાક વિદેશીઓ, બે વાત ભારતના હિન્દુઓ પાસેથી શિખીને ગયા. એક એ કે ધર્મ શ્રદ્ધાનો વિષય નથી પણ સંવાદ અને સહિષ્ણુતાનો વિષય છે. બીજી વાત શિખીને ગયા કે ભારતમાં તો ચક્રવર્તી રાજા અશોક પણ પોતાનો ધર્મ (બૌદ્ધ ધર્મ) ૧૦૦ ટકા સ્થાપવામાં નિસ્ફળ ગયેલ તો “અમે (ખ્રિસ્તીઓ) તે વળી કોણ?”

હા. તમે વિદ્વાનો સાથે ચર્ચા કરો અને શંકરાચાર્યની જેમ જીતો તો જુદી વાત છે. પણ તમારી તો પ્રણાલી હતી.

જનતંત્રમાં રામ મંદિર કેવી રીતે બની શકે?

હિન્દુઓ અને મુસ્લિમોના ધર્મગુરુઓ જો પરસ્પર સહમતી બનાવે તો રામ મંદિર બનવું શક્ય છે.

મુસ્લિમો પણ મનુષ્ય છે. માનવતા, કોઈ એક ધર્મનો ઈજારો નથી. મુસ્લિમ રાજાઓ પણ ધર્મથી ઉપર જઈને ન્યાય કરતા હતા. એટલે મુસ્લિમો પાસેથી સદભાવનાની અપેક્ષા રાખવી અસ્થાને નથી.

પણ નહેરુવીયન કોંગ્રેસ જેવા અનેક દંભી અને વંશવાદી પક્ષો છે જેઓનું કામ લોકોને વિભાજીત કરવાનું છે. જેઓ સરદાર પટેલના જ્ઞાતિ બંધુઓને જેઓ પૈસાપાત્ર જ્ઞાતિઓમાં બીજે નંબરે છે તેમને પણ બહેકાવીને અતિનિમ્ન કક્ષાએ લઈ જઈને તેમને માટે અનામતનું ભૂત ધૂણાવી શકે છે તેમને માટે તો મુસ્લિમોને મમત ઉપર ચડાવવા ડાબા હાથનો ખેલ છે.

વર્તમાન પત્રોના કટારીયા માંધાતા પણ અનામતના ગુણદોષની ચર્ચા કરવાને બદલે બીજેપી કેવો તકલીફમાં આવી ગયો અને પાટીદારો કેવું કેટલું વ્યાપક આંદોલન કરી રહ્યા છે તેમાં રચ્યા પચ્યા રહે છે. આવા સમાજમાં ફક્ત ન્યાયાલયનો ચૂકાદો રામમંદિરનો પ્રશ્ન ઉકેલી શકે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, વચન, પ્રતિજ્ઞા, નહેરુવીયન, નહેરુ, ઇન્દિરા, મહાત્મા ગાંધી, રામરાજ્ય, રાજારામ, અર્થઘટન, નિયમ, પરિવર્તન, પ્રણાલી, શાસક, અધિકાર, ઈશ્વર, મનુ, અધિકારી, જનતંત્ર, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી, નિરીક્ષણ, સત્તા, ઋષિ,

      

 

  

 

 

Read Full Post »

Where has he been lost who walked on this earth in flesh and blood.

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ /

એક વાત આપણે ફરીથી યાદ રાખી લેવી જોઇએ કે વ્યક્તિ અને સમાજ પ્રણાલીઓને આધારે ચાલે છે. સમાજમાં વ્યક્તિઓનો વ્યવહાર પણ પ્રણાલીઓના આધારે ચાલે છે.

નિયમોનું પાલન પ્રણાલીઓની અંતર્ગત આવે છે. ભીન્ન ભીન્ન જુથોની વ્યક્તિઓ વચ્ચેનો વ્યવહાર અને જુથો વચ્ચેનો વ્યવહાર પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છેનિયમો, કર્મકાંડ, પૂજા, અર્ચના પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છે.

માનવ સમાજ પ્રણાલીઓના આધાર ઉપર ચાલે છે. પ્રણાલીઓના પાલન કરતાં કરતાં માનવ સમાજ ઉંચો આવે છે.

સમાજ ઉંચો આવે છે એટલે શું?

સમાજની સુખાકારી આને જ્ઞાનમાં વધારો થાય તો તેને સમાજ ઉંચો આવ્યો એમ કહેવાય. સમાજના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એટલે સમાજને ખબર પડે કે સમાજમાં ચાલતી પ્રણાલીઓમાં કેવા ફેરફારની જરુર છે. જો નવી પ્રણાલીઓ લાવવી હોય તો કેવી સુવ્યવસ્થિત રીતે લાવવી પડશે.

શાસકનું કર્તવ્ય છે કે તે સ્થાપિત પ્રણાલીઓનું જનતા પાસે પાલન કરાવે અને ખુદ પણ પાલન કરે.

કેટલીક પ્રણાલીઓ કોઈ સમાજમાં વિકલ્પ વાળી હોય છે.

જેમકે પુરુષે એક સ્ત્રી સાથે લગ્ન કરવું કે એક થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવું કે કરવું કે જો એકથી વધુ સ્ત્રી સાથે લગ્ન કરવું એમ હોય તો વધુમાં વધુ કેટલી સ્ત્રીઓ સાથે લગ્ન કરવું. જીવન પર્યંત એક સ્ત્રી સાથે પરિણિત જીવન વિતાવવું કે તે સ્ત્રી હોય તો કે બીજા કોઈ કારણસર કે અમુક સંજોગોમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું.

આવા અને બીજા અનેક વિકલ્પ વાળા બીજાં બંધનો પણ હોય છે. આવા બધા વિકલ્પોમાં જે આદર્શ વિકલ્પ માનવામાં આવતો હોય તો તે વૈકલ્પિક પ્રણાલીનું સૌ પાલન કરે તે ઇચ્છનીય છે.

આવા આદર્શ વિકલ્પનું પાલન કરવું આદર્શ શાસક માટે આવશ્યક છે. આદર્શ શાસકે નિષ્ઠાપૂર્વક આદર્શ પ્રણાલીઓનું પાલન કરવું આવશ્યક છે .

શાસક એટલે શું?

રાજા કે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ કે જેના ઉપર પ્રણાલીઓનું પાલન કરવવાની જવાબદારી છે અને તેણે/તેમણે તે સ્વિકારેલી છે તેને/તેમને શાસક કહી શકાય.

કામ સેવા ભાવે કરવા માટે સ્વિકારવામાં આવ્યું હોય

કે કોઈ નિશ્ચિત/અનિશ્ચિત, પ્રત્યક્ષ કે પરોક્ષ સગવડોના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે માન અકરામ ના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે કોઈપણ પ્રણાલી અંતર્ગત જો સ્વિકારવામાં આવ્યું હોય,

તો તે સ્વિકારવા માત્રથી તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ શાસક તરીકે મનાશે.

રામે શું કર્યું?

રામે એક આદર્શ રાજાનું પાત્ર નિભાવ્યું.

રામે ફક્ત એક સ્ત્રી સાથે એટલે કે સીતા સાથે લગ્ન કર્યું. અને એક પત્નીવ્રત નિભાવ્યું.

વનવાસ દરમ્યાન તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું.

રાવણને હરાવ્યા પછી સીતાની પવિત્રતાની પરીક્ષા કરી.

આમ તો સીતા પવિત્ર હતી કારણ કે અશોકવાટિકા અંતર્ગતના નિવાસ દરમ્યાન તે ગર્ભવતી થઈ હતી. જો રાવણે કે બીજા કોઈએ સીતા સાથે શારીરિક સંબંધ રાખ્યો હોત તો સીતા જરુર ગર્ભવતી થઈ હોત.

રામે જનતાની કે કોઈ એક વ્યક્તિની કે વ્યક્તિઓની શંકાને કારણે, તે શંકા ઉપરથી બોધ લીધો અને સીતાનો ત્યાગ કર્યો. સીતાને ત્યાગતી વખતે સીતા ગર્ભવતી હતી. રામે સીતાને વાલ્મિકીના આશ્રમમાં રાખવાની ગોઠવણ કરી. આમ રામે સીતાની અને તેને થનાર સંતાનની સુરક્ષાની પણ વ્યવસ્થા કરી.      

રામે સીતાના ત્યાગ કર્યા પછી કોઈ બીજા લગ્ન કર્યા નહીં. એટલું નહીં પણ જ્યારે યજ્ઞના ક્રિયાકાંડમાં પત્નીની જરુર પડી તો પણ રામે બીજા લગ્ન કર્યાં નહીં. આવે સમયે શાસ્ત્રો દ્વારા માન્ય વિકલ્પ તરીકે, સીતાના પ્રતિકને સ્થાપી ધાર્મિક પ્રણાલી સંપન્ન કરી.

બધી વાતોથી સિદ્ધ થાય છે કે રામ ફક્ત સીતાને પ્રેમ કરતા હતા અને સીતાને પત્ની માનતા હતા. સીતા સિવાય તેમને કોઈને પણ તેઓ પોતાની પત્નીનું સ્થાન આપવા માગતા હતા.

રામે તો કોઈ ઢંઢેરો પીટ્યો કે પોતે કેવા ત્યાગી છે, પોતે કેવા આદર્શ છે કે તેમણે પોતાની પત્નીને દુઃખની ખીણમાં નાખીને પણ રાજધર્મ નિભાવ્યો.

રામે તો એવો કોઈ ઢંઢેરો પીટાવ્યો કે પોતે પોતાના કૌટૂંબિક જીવન ઉપર પણ, રાજધર્મને ખાતર કેવો અન્યાય કર્યો,

રામે તો પોતાના ફાયદા માટે એવો પ્રચાર કરાવડાવ્યો કે પ્રણાલીમાં બદલાવની જરુર છે,

રામે રાજા હોવા છતાં પણ અને મહેલમાં રહેતા હોવા છતાં પણ કોઈ શારીરિક સગવડો ભોગવી પણ સીતાની જેમ વનવાસીના જેવી જીંદગી જીવી. અને છતાં પણ રાજધર્મ શ્રેષ્ઠ રીતે નિભાવ્યો.

શું રામે બધું સત્તામાં ચાલુ રહેવા માટે કર્યું હતું?

ના જી. રામને તો સત્તાનો મોહ હતો તો તેમને સુવિધાઓનો મોહ હતો. જો રામે ઈચ્છ્યું હોત તો તેમણે ૧૪ વર્ષનો વનવાસ સ્વિકાર્યો હોત. તેમના હિતેચ્છુઓ દ્વારા આંદોલન કરાવી શક્યા હોત. અને કૈકેયીને બદનામ કરાવી શક્યા હોત.

આવું કરત તો પણ પિતાની આજ્ઞાને, તે આજ્ઞાને થોડી સ્થગિત કરાવડાવીને ભરત આવે ત્યાં સુધીનો સમય પસાર કરાવી શક્યા હોત. ભરત દ્વારા જનાઅંદોલન કરાવી શક્યા હોત.

આવું કર્યા વગર પણ, જ્યારે ભરત મોસાળથી અયોધ્યા પાછો આવ્યો અને ભરત તેમને શોધીને મળવા આવ્યો ત્યારે ભરતે પોતાના રાજાપણાના હોદ્દાની રુએ રામને અયોધ્યાની રાજગાદી સ્વિકારવાનું કહેલ. ત્યારે રામ ખુશી ખુશી તે વખતે અયોધ્યાની રાજગાદી સ્વિકારી શક્યા હોત. આમ કરવાથી પ્રણાલીનો ભંગ થાત અને ઘીના ઠામમાં ઘી ઢોળાયેલું રહેત. પણ આમ કરવાથી વરિષ્ઠ રાજા દશરથની આજ્ઞાનો આત્મા હણાઈ જાત. રાજાની આજ્ઞાનું પાલન થયું ગણાત પણ તેમાં તો રાજાની આજ્ઞાના પાલનની નિષ્ઠા હોત તો તેનો આત્મા હોત. આવી સમજણ ભારતમાં દશ હજાર વર્ષ પહેલાં પ્રવર્તતી હતી અને માન પામતી હતી.

પણ એજ ભારતમાં નહેરુવીયનોએ શું કર્યું?

નહેરુએ ભારતની સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે તે અને તેમનો પક્ષ, ચીનની સાથેના ભારતના યુદ્ધમાં ભારતે ગુમાવેલી ભારતીય ભૂમિને પાછી મેળવ્યા સિવાય આરામથી બેસશે નહીં. નહેરુતો પછી પોતાની જીંદગી જીવી ગયા. અને દેહરાદુનમાં આરામ ફરમાવતા ફરમાવતા એક સવારે ગુજરી ગયા. પણ તેમની પ્રાથમિકતા કદીય પોતે લીધેલી પ્રતિજ્ઞાના પાલનની રહી નહીં. તેમની પ્રાથમિકતા તેમની ઉતરાધિકારિણી તેમની પુત્રી કેવી રીતે બને તે રહી. આવી કોઈ પ્રણાલી આપણી લોકશાહીમાં નથી કે શાસકવ્યક્તિનું સંતાન તે શાસકનું અનુગામી બની તે પદભાર સંભાળે. પણ નહેરુએ પોતાના વડપણના પરિબળની રુએ પોતાની ગેંગદ્વારા નવી પ્રણાલી સ્થાપવાની ભરપૂર કોશિસ કરી.

નહેરુના સંતાન ઇન્દિરા ગાંધીએ વારસાગત પદભાર સંભાળવાનો લાભ લેવાનો અને ભોગવવાનો લાભ લીધો, પોતાની વારસામાં મળેલી પ્રતિજ્ઞાને સ્પર્શ પણ કર્યોતેણે નવી સમસ્યાઓ અને પ્રણાલીઓ પોતાના લાભ માટે બનાવી. જેમકે રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં પોતાના પક્ષના એક ઉમેદવારનું આવેદન પત્ર ભર્યું પણ તે તેમને પસંદ હોવાથી, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની જાહેરાત કરી. આવી જાહેરાત કરવાની પ્રણાલી હતી. છતાં પણ પોતાના સંસાધનો દ્વારા ભરપૂર પ્રચાર કર્યો. પણ એજ ઈન્દીરા ગાંધીએ પછીના સત્રના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની પોતે પ્રસ્તૂત કરેલી પ્રણાલીને નકારી કાઢી.

ઇન્દિરા ગાંધીએ જાહેરમાં વચન આપેલ કે તે જે બંગ્લાદેશી બિહારી મુસ્લિમો (બીન બાંગાભાષી) એક કરોડની સંખ્યામાં ભારતમાં ઘુસી ગયા છે તેમને પાછા મોકલી દેશે. પણ વચન પોતે તે પછી ૧૪ વર્ષ રાજ કર્યું તો પણ તે વચનનું પાલન કર્યું નહીં. અને નવી આતંકવાદી સમસ્યાઓ ઉભી કરી તે જુદી. ભારતપાકિસ્તાનના યુદ્ધના નગારા ૧૯૬૯થી વાગતાં હતાં. અને ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીના સંરક્ષણ મંત્રી જગજીવનરામે ઇન્દિરાની સરકાર તરફથી જાહેર કરેલ કે વખતે ૧૯૬૬ની પાકિસ્તાન સાથેની સંધિમાં થયેલી ભૂલનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં. એટલે કે જે કંઈ પાકિસ્તાનની ભૂમિના હિસાઓ જીતીશું તેને પાછા આપીશું નહીં. પણ સિમલા કરાર હેઠળ જીતેલી ભૂમિ નહીં પણ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મિરનો જે ભૂભાગ ભારતીય લશ્કરે જીતેલો તે પણ પાછો આપી દીધેલ. વાત તો ભરતીય બંધારણ થી સ્થપાયેલ સિદ્ધાંતોથી વિપરિત વાત હતી. પેકેજ ડીલ દ્વારા પાકિસ્તાનને સીધું કરવાની વાત તો યાદ કરવામાં આવી. આવા વચનભંગોની તો પરંપરા સ્થપાઈ.

જ્યારે શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલીઓ  સ્થાપવાની અને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે ત્યારે દેશની આબરુ કેવી રસાતાળ થાય અને શાસક/શાસક જુથની નીતિમત્તા કેટલી હદે પતનને પામે છે તે જોઇએ.

 ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાનું વચન આપેલઆવા ખોટા વચન ઉપરાંત તેઓશ્રીએ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરી જીત્યાં હતાં. એટલે તેમના પ્રતિસ્પર્ધીએ તેમની સામે ઉચ્ચન્યાયાલયમાં કેસ કર્યો. ન્યાયાલયે નોંધ્યું કે ઇન્દિરા ગાંધી ન્યાયાલયની સામે જે કંઈ પ્રતિજ્ઞા પૂર્વક બોલ્યાં તેમાં ૧૬ ઉચ્ચારણો જૂઠાં હતાં. તેમની ચૂંટણી રદ થઈ. અને ઇન્દિરાને વર્ષ માટે ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં. બધું ભારતીય બંધારણમાં સ્થપાયેલા નીતિનિયમો અને પ્રણાલીઓને આધારે થયું હતું. હવે જો શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલિઓ સ્થાપવાની અને પ્રણાલીમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે તો શું થઈ શકે તે જોઇએ.

ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા લાલસા પોષવા શું શું કર્યું?

માનવ અધિકારો, બંધારણીય અધિકારો અને કુદરતી અધિકારો પણ સ્થગિત કર્યા. શા માટે?

પોતાની સામે ઉભા થયેલાખતરાનેદેશની સામે ઉભા થયેલા ખતરાતરીકે ખપાવ્યો. રાતો રાત પોતાના મહાકાય ચિત્રો વાળા પોષ્ટરો છપાયા અને દિવાલો ઉપર ચીપકાવ્યા. તેની ઉપર લખાણ હતું જ્યારેદેશને વિભાજીત કરવા વાળા તત્વોદેશની ઉપર ત્રાટક્યા ત્યારે તે ચટ્ટાનની જેમ ઉભી રહી અને બધા પ્રહારો ઝીલી દેશને બચાવ્યો.” ઇન્દિરાએ બધા વિરોધીઓને જેલભેગા કર્યા. સમાચાર પત્રો લાંબા લહ થઈને ઇન્દિરાના પગમાં આળોટ્યા. ન્યાયાલયના ચૂકાદાઓ પણ જો શાસનની વિરુદ્ધ હોય તો દબાવવામાં આવ્યા. આવું બધું તો ઘણું થયું. જ્યારે તમે શાસકને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપો એટલે દેશ પતન પામે. તમે આને જનતંત્ર કહી શકો.

પ્રણાલીઓ બદલવાની આદર્શ પ્રક્રિયા શું હોવી જોઈએ?

પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા પ્રજા પાસે હોવી જોઇએ. પ્રજા તેના ઉપર ચર્ચા કરે અને પ્રજા તેનો મુસદ્દો ઘડે. વિદ્વાનો જેઓ શાસક દ્વારા લાભાન્વિત નથી તેઓ તેને સુઘટિત શબ્દોમાં પ્રસ્તૂત કરે અને રાજાને કહે કે હવે તમે પ્રણાલીનું પાલન કરાવો અને કરો.

અહી રમાયણમાં શું થાય છે.

રામ તો સીતાને પાછી લાવવા માટે કશું કરતા નથી. રાજા પોતાના અંગત લાભ માટે કશું કરે તેવી પ્રણાલી રાજા તરફથી સૂચિત થાય તેવી પ્રણાલી હતી નહીં. રાજા પોતે તો નવી પ્રણાલી સૂચવી શકે નહીં. રામે પોતાની નિંદા કરનારાઓને જેલમાં પણ મોકલ્યા.

તો રામે શું કર્યું?

સીતા વાલ્મિકીના આશ્રમમાં હતી. વાલ્મિકીએ સીતાની બધી વાત સાંભળી. વાલ્મિકીને થયું કે બીજી બધી વાત તો ઠીક છે મારા ભાઈ, પણ સીતાને અન્યાય થયો છે. એટલે વાલ્મિકીએ એક મહાકાવ્ય લખ્યું. અને રામ કથાનો લવ અને કુશદ્વારા જનતામાં પ્રચાર કરાવડાવ્યો. જનતાને વસ્તુસ્થિતિનો ખ્યાલ આવવા માંડ્યો. જનતાએ રામ ઉપર દબાણ કર્યું.

પણ જે અધાર પર એટલે કે જે તર્ક ઉપર પ્રણાલીનો આધાર હતો, તે તર્કને કેવી રીતે નકારી શકાય? નવી કઈ પ્રણાલી સ્થાપાય કે સીતાની પવિત્રતા સિદ્ધ થાય. જે આધાર પર રામ શુદ્ધ હતા તે આધાર પર શું સિતા શુદ્ધ હતી? વાલ્મિકી અને તેમનો પૂરો આશ્રમ સીતાના ચાલચલન ઉપરથી સ્પષ્ટ હતો કે સીતા શુદ્ધ હતી. એટલે એવી પ્રક્રિયા સ્થપાય કે વાલ્મિકી અને વશિષ્ઠ બંને પ્રમાણ પત્ર આપે કે સીતા શુદ્ધ છે. આપણે જોઇએ શકીએ છીએ કે પૂરી પ્રક્રિયામાં રામનું કોઈ દબાણ આવતું નથી. રામનો કોઈ આગ્રહ પણ નથી. રામનો આદર્શ અભૂતપૂર્વ અને અનુપમ છે.

સીતા રામની પત્ની હતી. રામે શું પત્ની સાથે અન્યાય કર્યો કહેવાય?

રામે સીતાનો ત્યાગ કર્યો તો શું વાત સીતા ઉપર અન્યાય થયો કહેવાય?

સીતા તો રામની પત્ની હતી. સીતાના પત્ની તરીકેના અધિકારો હણાયા તેનું શું?

વાત માટે કોણ દોષિત છે?

રામ પોતે તો છે, એનું શું?

રામે પતિધર્મ કેમ બજાવ્યો? રામે સીતાના લગ્ન સમયે શું સીતાનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી? અગ્નિ સામે લીધેલી પ્રતિજ્ઞાનું શું?

રામે રાજગાદી છોડી દેવી જોઈતી હતી. રામે રાજગાદીનો સ્વિકાર કર્યો અને પોતાના પતિધર્મનું પાલન કર્યું તેનું શું?

રામનો રાજધર્મ અને રામનો પતિધર્મ

રામની પ્રાથમિકતા રાજ ધર્મનું પાલન કરવાની હતી. રામ પોતે જન્મ્યા તેની સાથે તે દશરથ રાજાના જ્યેષ્ઠ પૂત્ર હોવાના કારણે રાજધર્મ તેમને માટે પ્રાથમિકતા બની ગયો હતો. એક પ્રણાલીગત પ્રાથમિકતા હતી.

સીતા રામની પત્ની નહીં પણ પ્રણાલી પ્રમાણે રામની રાણી પણ હતી. સીતાને રાણી હોવાથી રાજની સુવિધાઓનો અને માન અકરામનો ઉપભોગ કરવાનો  અધિકાર મળતો હતો. જ્યારે આવું હોય ત્યારે રાણીનો ધર્મ બને છે કે રાજાની આપત્તિની પણ તે સહભાગી બને. રાજાની રાણી જ્યારે પ્રતિકુળ પ્રણાલીઓના પાલન કરવાની વાત આવે ત્યારે તે પલાયન વૃત્તિ રાખી શકે. જો રાજાને પ્રણાલીના પાલન કરવામાં રાણીનો ત્યાગ કરવો પડે તો રાણીએ તે માન્ય રાખવું પડે.

રામાયણની કથા, હાડમાંસના બનેલા માનવીય સમાજની એક મહા કથા છે. સીતા પણ હાડમાંસની બનેલી હતી. સીતાએ પોતાના હાડમાંસના બનેલા શરીરથી વિચાર્યું કે શુદ્ધતા ની વાત તો બહુ લાંબી ચાલી. જો આવું ચાલ્યા કરશે તો મારે કોણ જાણે કેટલીય વાર મારી શુદ્ધતા સિદ્ધ કરતા રહેવું પડશે.

સીતા ખીણમાં પડી આત્મહત્યા કરી લે છે.

જનક રાજાને સીતા કોઈ ખેતરની ધરતી ઉપરથી મળેલી. તે સીતા ધરતીની પૂત્રી હતી અને તે ધરતીમાં સમાઈ ગઈ. લેખકે તેને રસાત્મક બનાવવા માટે લખ્યું કે ધરતી ફાટી અને ધરતીમાતા સિંહાસન લઈને આવ્યાં ને તે પોતાની પૂત્રી સીતાને સિંહાસન ઉપર બેસાડી માન સાથે લઈ ગયાં. રામે ધૂમધડાકા કર્યા વગર પોતાની મહાનતા બતાવી, સીતાએ પણ તેજ રીતે ચૂં ચાં કર્યા વગર પોતાની મહાનતા બતાવી.

શું રામ માટે અંતિમ અગ્નિ પરીક્ષા હતી?

ના જી. રામે તો હજી અનેક પડાવ પસાર કરવાના હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝ્ સીતા, રામ, શાસક, રાજા, રાણી, વચન, પ્રણાલી, પરિવર્તન, ઇન્દિરા, નહેરુ, કટોકટી, અધિકાર, યોગ્યતા, અયોગ્ય, સત્તા, લાલસા, પતન, રાજ ધર્મ, પ્રાથમિકતા 

   

 

 

     

    

 

 

    

 

 

 

 

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૬ / ૯

રાજા રામ

રામને માટે આપણે રાજા રામ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આનું કારણ પણ છે અને એક સંદેશ પણ છે. રામ એક ચક્રવર્તી રાજા હતા. તો પણ આપણે એમને “ચક્રવર્તી રાજા રામ” કે “ચક્રવર્તી રામ” કે સામ્રાટ રામ” એમ કહેતા નથી. રાજ્યને જે ચલાવે તે રાજા કહેવાય. રાજાઓમાં ચક્રવર્તી રાજાઓ પણ આવી જાય છે. રામે જે રીતે રાજ કર્યું અને તેમણે પ્રણાલીઓ કે જે તે વખતે આદર્શ મનાતી હતી અને તે પછી પણ આદર્શ મનાતી હતી તે પ્રણાલીઓ ચલાવી અને તેમને માન આપ્યું. આ કારણથી રામ એક આદર્શ રાજા ગણાયા છે અને તે પૂજનીય પણ બન્યા છે.

આદર્શ રાજાની વ્યાખ્યા શું?

જે રાજા પ્રસ્થાપિત પ્રણાલીયોનું પાલન કરાવે અને પોતે પણ તે આદર્શ ગણાતી પ્રણાલીઓનું પાલન કરે તે આદર્શ રાજા કહેવાય. પાલન પણ એવી રીતે કરે કે કોઈ પણ તે વિષે જરાપણ શંકા ઉઠાવી ન શકે તેવું આચરણ કરે તો તે રાજા આદર્શ કહેવાય.    

પ્રણાલી એટલે શું?

સમાજમાં વ્યક્તિઓના વ્યવહારની કોઈ હેતુ કે ધ્યેય માટેની રીત કે પ્રક્રિયાને પ્રણાલી કહેવાય. પ્રવર્તમાન નીતિ નિયમોનુ પાલન પણ પ્રણાલીઓની અંતર્ગત આવી જાય છે. જુદા જુદા જુથોની  વ્યક્તિઓનો કારભાર પણ પ્રણાલીઓથી બંધાએલો હોય છે. કર્મકાંડ, પૂજા અર્ચના પણ પ્રણાલીની અંતર્ગત આવી જાય છે.

રાજાએ પણ પરાપૂર્વથી આદર્શ મનાતી પ્રણાલીઓનું નિષ્ઠા પૂર્વક પાલન કરવું પડે. રાજા પોતે નવી પ્રણાલી ન સ્થાપી શકે. તેમ જ રાજા પોતે કોઈ પ્રણાલીમાં ફેરફાર ન કરી શકે. રાજા પોતે કોઈ પ્રણાલીને સ્થગિત કરી ન શકે કે રદ ન કરી શકે. કારણ કે રાજાને આવો અધિકાર નથી.

રામે રાવણને હરાવ્યો અને લંકાની રાજગાદી રાવણના ભાઈ વિભીષણને આપી દીધી. વિભીષણે રામને રાવણના રહસ્યો કહેલાં અને અવાર નવાર મદદ કરી રહ્યો હતો.. રામે વિભીષણને લંકાની રાજગાદી આપવાનું વચન આપેલ. રામ એક ક્ષત્રિયને શોભે તે રીતે કૃતજ્ઞ રહેલ. રાજાનો આ ધર્મ છે. રામે લંકાને જીતતાં પહેલાં વિભીષણનો લંકાધિપતિ તરીકે રાજ્યાભિષેક પણ કરી દીધેલ. આને તમે રામની પારદર્શિતા અને મુત્સદ્દીગીરી કહી શકો. કારણ કે આ રીતે બંને વચન બદ્ધ થઈ ગયેલ.

રામે રાવણને હરાવ્યો. સીતા મુક્ત થઈ ગઈ. રામે પોતાની પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી લીધી. પણ સીતા તો અપહરણ થયા પછી રાવણના અધિકારમાં હતી. એ વાત સાચી હોઈ શકે કે રાવણે સીતાને પોતાના મહેલમાં રાખી ન હતી. તે માટેના સાક્ષી હનુમાન હતા. પણ હનુમાન તો રામના દૂત અને સલાહકાર હતા. હનુમાન તો રામથી પ્રભાવિત અને અભિભૂત હતા. એમનું કહેવાનું કેવી રીતે માની લેવાય? રાજા કે કોઈ પણ પુરુષ, જો કોઈ એક સ્ત્રી પરાયા પુરુષના ઘરે ગઈ હોય અને રહી હોય, તેને પવિત્ર માની ન શકે.  પરપુરુષને ઘરે રહેલી સ્ત્રીને પવિત્ર કેવી રીતે માની લેવાય?

તો હવે શું કરવું જોઇએ?

સીતાએ પોતાની પવિત્રતા સિદ્ધ કરવી જોઇએ.

આ પવિત્રતા સિદ્ધ કરવા માટે કઈ પ્રણાલી હતી?

અગ્નિ પરીક્ષા.

અગ્નિ પરીક્ષા એટલે શું?

ચિતા-પ્રવેશ અથવા અંગારાઓ ઉપર ચાલવું.

કોઈ વ્યક્તિ ચિતા પ્રવેશ કરે અને બળ્યા વગર રહે તો તે ચમત્કાર જ કહેવાય. ચમત્કારો થઈ શકે નહીં. પણ આજે કેટલાય લોકો અંગારા ઉપર ચાલીને એક છેડે થી બીજે છેડે ચાલ્યા જવાના ટૂંકા અંતરના ખેલ ખેલે છે.

અગ્નિ પરીક્ષા એક વિશેષ અર્થમાં પણ સમજી શકાય. માનસિક પરીક્ષા. જેમકે કોઈ કેમીકલ (નાર્કોટિક ટેસ્ટ) દાખલ કરવું અથવા તેમ કર્યા વગર કોઈ માન્ય માનસશાસ્ત્રી કોઈ વ્યક્તિની પ્રશ્નોત્તરી કરે કે ઉલટ તપાસ કરે અને આ પરીક્ષા ખૂબ ત્રાસજનક હોય. એને પણ અગ્નિ પરીક્ષા નામ આપી શકાય.

યક્ષ પ્રશ્ન

આપણે યક્ષ પ્રશ્નની વાત લઈએ. યક્ષ પ્રશ્ન એટલે શું? આ એક એવો પ્રશ્ન છે કે જેનો ઉત્તર શોધવો જ પડે. જો તેનો ઉત્તર ન શોધી શકો તો મૃત્યુ નિશ્ચિત છે. આવી સમસ્યાને કે પ્રશ્નને યક્ષ પ્રશ્ન કહેવાય છે.

“સન ૨૦૦૧ માં ભૂકંપ પીડિત ગુજરાતને પુનઃસ્થાપિત કરી, પ્રગતિને પંથે લઈ જવું” અને “૨૦૦૨ ના ગુજરાતમાં થયેલ કોમી હુલ્લડોને કારણે સમાચાર માધ્યમો દ્વારા ખંડિત  ગુજરાતની અસ્મિતાને પુનઃસ્થાપિત કરવાનો પ્રશ્ન” નરેન્દ્ર મોદી માટે “યક્ષ પ્રશ્ન” હતો. ૨૦૦૨ ની ચંટણી જીતવી એ અગ્નિ પરીક્ષા હતી.

સીતાએ તત્કાલિન પ્રચલિત અગ્નિપરીક્ષા પાસ કરી. રામે સીતાનો સ્વિકાર કર્યો.

રામ, સીતા અને લક્ષ્મણ અને હનુમાન સૌ કોઈ અયોધ્યા આવ્યા.

ભરત પણ પ્રસ્થાપિત પ્રણાલીઓને માનનાર હતો.

રામ પિતાની આજ્ઞા પ્રમાણે ૧૪ વર્ષ વનમાં ગયેલ. પણ ભરત પાછો આવ્યો ત્યારે તેને બધી વાતની ખબર પડી એટલે તે રામને મળવા લશ્કર સાથે ગયો. રામને અયોધ્યાનું રાજ સ્વિકારવા વિનંતિ કરી પણ રામે કહ્યું કે પિતાની આજ્ઞાથી આ વિરુદ્ધ વાત છે. તેથી તે રાજ સ્વિકારી ન શકે. એટલે ભરતે રામને કહ્યું કે હવે દશરથ રાજા જીવિત  નથી. હું હવે રાજા તરીકે તમને કહું છું કે તમે અયોધ્યાની રાજગાદી સ્વિકારો. ત્યારે રામે કહ્યું કે પિતાની આજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ થાય તો પિતાના વચનની કંઈ કિમત ન રહે. એટલે ભરતે રામની પાદુકા લઈ તેને સિંહાસન પર રાખી, રામને બદલે રાજકાજ સંભાળ્યું. જો કે આ બધી વાતોમાં શું શબ્દ વ્યવહાર થયો હશે તે આપણે કહી ન શકીએ. રામ, લંકાથી અયોધ્યા પાછ્યા આવ્યા અને ભરતે રામને રાજગાદી પાછી આપી દીધી એટલે ઉપરોક્ત પ્રમાણે થયું હોય તેવો અણસાર આવે છે.

રામ બહુ સારી રીતે રાજકાજ કરવા માંડ્યા.

હવે દરેક રાજાનું કામ છે કે તે પ્રજાની સુખાકારી ઉપરાંત પ્રજા શું વિચારે છે અને અભિપ્રાય રાખે છે તેનાથી પણ માહિતગાર રહે. રામની બાબતમાં એક વિવાદ એ ચાલતો હતો કે પરપુરુષને ત્યાં રહી આવેલી સીતાને  રામ કેવી રીતે અપનાવી શકે!!

પરપુરુષને ઘરે રહી આવેલી સ્ત્રીને પવિત્ર માની શકાય?

રામના વખતની વાત છોડો. આજે કાયદેસર શું પરિસ્થિતિ છે?

જો કોઈ સ્ત્રી અને એક પરપુરુષ એક ઘરમાં એક સાથે રાત દિવસ એકલા રહેતા હોય તો તે સ્ત્રીને પવિત્ર માની લેવામાં આવે છે? (પવિત્રતાની બાબતમાં પુરુષ અને સ્ત્રી બંનેને સમજી લો).

જો કોઈ એક સ્ત્રી અને પુરુષ, એક સાથે એક ઘરમાં સાથે રહેતા હોય, તો તેમની વચ્ચે શારીરિક સંબંધ નથી બંધાયો એવું આજે પણ કોર્ટ માનતી નથી. એ સ્ત્રીનો પતિ તે સ્વિકારે કે ન સ્વિકારે, તે જુદી વાત છે. પણ જો તે સ્ત્રીનો પતિ, તેને ન સ્વિકારવા માટે એવું સાબિત કરી દે કે પોતાની ઈચ્છા વિરુદ્ધ તે સ્ત્રી, અને તે પરપુરુષ, બંને એક સાથે રાત દિવસ સાથે રહ્યાં છે તો ન્યાયાલય તે બંને વચ્ચે શારીરિક સંબંધ થયાની વાત સ્વિકારી લે છે. અને સ્ત્રીને વ્યભિચારી માની લે.

કારણ કે એક પુરુષ એક સ્ત્રીને ઇબાદત (પૂજા) માટે રાખતો નથી. આમ તે સ્ત્રીનો પતિ તે સ્ત્રીથી છૂટા છેડા લઈ શકે છે. તેવી જ રીતે એક સ્ત્રીને પણ એવા પતિથી છૂટા છેડા મળી શકે જો તેણે પરસ્ત્રી સાથે એક ઘરમાં એકલો રહ્યો હોય.

જો આજે પણ ન્યાયાલયનું આવું વલણ હોય તો દશ હજાર વર્ષ પહેલાં તો આવું વલણ અસ્તિત્વ ધરાવતું હોય તો તે આશ્ચર્યની વાત ન ગણાય.

આપણે ક્યાં ભૂલ કરીએ છીએ?

ફિલમમાં હિરાભાઈ અને હિરીબેન (હિરોઈન) વચ્ચે કે હિરીબેનના પિતાશ્રી વચ્ચે ઘણી ગેર સમજુતીઓ થતી હોય. પ્રેક્ષકો વાસ્તવિકતાથી માહિતગાર હોય એટલે તે હિરાભાઈ કે હિરીબેનની દયા ખાત હોય કે “જોને આને બિચારાને (કે બિચારીને કેવું કેવું ખોટા કારણથી) દુઃખી થવું પડે છે. પણ કથા વસ્તુ પ્રમાણે પાત્રોને દુઃખી થવું પડે.

રામાયણની બાબતમાં પણ એવું છે. રામાયણના શ્રોતાઓને ખબર છે અને તેઓ સ્વિકારી લે છે કે સીતા પવિત્ર છે. અને આવું સ્વિકારીને આગળ ચર્ચા કરે છે.

 શ્રોતાઓ સ્વિકારી લે છે કે સીતાને તો રાવણે જુદી જગ્યાએ રાખેલી. જેમ કે “અશોક વાટિકા”. સીતાને કંઈ રાવણે પોતાના મહેલના પોતાના ખંડમાં રાખી ન હતી.

શ્રોતાઓ એ યાદ કરતા નથી કે રાજાઓ દરેક રાણીને એક અલગ મહેલ (આવાસ) આપતા હતા. એવા આવાસની આસપાસ બગીચો પણ હોય. તેનું નામ અશોકવાટિકા પણ હોઈ શકે. રાજા ત્યાં રાત્રી રોકાણ પણ કરી શકતો હોય અને કરતો પણ હોય.

આપણે સ્વિકારી લઈએ છીએ કે સીતા પાસે પોતાની દૈવીશક્તિ હતી તેથી રાવણ સીતાને સ્પર્શી શકતો ન હતો. આ તો ચમત્કાર કહેવાય. આવા ચમત્કાર અસ્વિકાર્ય છે. જે રાવણ સીતાને ઉપાડીને અપહરણ કરી શકતો હોય તે બધું જ કરી શકે.

રામે લંકામાં સીતાની અગ્નિપરીક્ષા કરેલી અને તે અગ્નિપરીક્ષામાં સીતા ઉત્તિર્ણ થઈ હતી. તેથી તેનો સ્વિકાર અયોધ્યાના લોકોએ કરવો જોઇએ. પણ આ પરીક્ષા એવા લોકોની હાજરીમાં થઈ હતી જેઓ રામથી ઉપકૃત હતા અને રામથી પ્રભાવિત હતા. આમાં કોઈ થર્ડ પાર્ટી (તટસ્થ વ્યક્તિ) ન હતી તેથી આવી પરીક્ષા અયોગ્ય, અસ્વિકાર્ય ગણી શકાય. આવી પરીક્ષાથી સીતાની પવિત્રતા સિદ્ધ થતી નથી. અને આ વાત અયોધ્યામાં ઉછાળવામાં આવી.

સત્યનો આદર

“ જે તંત્રમાં સત્યનો આદર થાય આને તેને સ્વિકારવામાં આવે ભલે ને પછી તે સત્ય ગમે તે સ્તરની વ્યક્તિ તરફથી આવ્યું હોય. આવા તંત્રને જનતંત્ર કહેવાય”.

સત્ય તર્કથી સિદ્ધ થાય છે. જે તર્કની વાતને નકારી ન શકાય તે વાત જનતા તરફથી કે એક વ્યક્તિ તરફથી આવી હોય અને તે વાતનો જો શાસન આદર કરે તો તે શાસનને જનતંત્ર (લોકશાહી) કહેવાય.

રામ જનતંત્રમાં માનતા હતા. રામે અને તેમનું તંત્ર જે તર્કને નકારી ન શક્યું. તે તર્કનો આદર કર્યો. આદર કર્યો એટલે કે તેને અનુરુપ પગલાં લીધાં. આદર્શ રાજા તરીકે પ્રણાલીઓ સ્વિકારવી અનિવાર્ય હતી. પ્રણાલીઓને રામ ક્ષતિગ્રસ્ત કરવા માગતા ન હતા.

હવે તમે કહેશો કે રામ તો રાજા હતા. એક યુગપુરુષ હતા. એક પૂર્ણપુરુષ હતા. શું રામ પોતાનું મગજ ચલાવી શકતા ન હતા?

રામ ચોક્કસ રીતે પોતાનું મગજ ચલાવી શકતા હતા. રામે પોતાનું મગજ ચલાવ્યું પણ ખરું

રામે કેવી રીતે પોતાનું મગજ ચલાવ્યું? રામે કોઈ ભૂલ કરી ખરી? કે રામે કોઈ ભૂલ કરી નથી?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રાજારામ, સીતા, રામ, પરશુરામ, સ્ત્રી, પવિત્ર, અપવિત્ર, અગ્નિ, પરીક્ષા, યક્ષ પ્રશ્ન, થર્ડ પાર્ટી, સત્ય, પ્રણાલી, આદર, તર્ક, જનતંત્ર, લોકશાહી

Read Full Post »

where is he lost who walked on this earth in flesh and blood? Part-3 / 9

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?  ભાગ – ૩/૯

દશરથ રાજાઃ

વૈવસ્વતઃ મનુ એ સૂર્યવંશનો પ્રથમ રાજા હતો. તેના પછી ૬૩મા ક્રમે રાજા દશરથ (દશરથ-૨) આવે છે. રામચંદ્ર, આ દશરથ રાજાના પ્રથમ પુત્ર હતા. ઉપરોક્ત મનુરાજા ૧૪ મન્વન્તરોમાંથી ૭મા મન્વ ન્તર નો પહેલો રાજા ગણાય છે. આ મન્વન્તરની કાળગણનાની વાતને માનો કે ન માનો તેથી કોઈ ફેર પડતો નથી. પુરાણોમાં ઇતિહાસ છે અને તેમાં દશરથ નું નામ છે અને તેનો સૌથી મોટો પુત્ર રામ છે. કોઈ રાજા બે નામથી પણ ઓળખાતો હોય છે. રામના પિતા દશરથ, દશરથ-૨ હતા.

અયોધ્યાને નકારવું જરુરી નથી.

દશરથે કૈકેયી સાથે લગ્ન કર્યું. કૈકેયી કેકેય પ્રદેશની હતી. કેકેય પ્રદેશ અયોધ્યાની પશ્ચિમે લાંબા અંતરે આવેલો પ્રદેશ છે. કુરુક્ષેત્રને પસાર કર્યા પછી પણ ઘણી નદીઓને પસાર કર્યા પછી તે આવે છે. એ જમાનામાં તેજ ગતિથી દોડતા ઘોડાઓ હતા તો પણ અયોધ્યાથી ત્યાં પહોંચતાં સાત દિવસ થતા હતા. કેકેય પછી ગાંધાર આવતું હતું. એટલે આ અંતરને નકારવું જરુરી નથી.

દશરથ રાજાને પોતાની બે રાણીઓથી કોઈ પુત્ર થયેલ નહીં. એટલે દશરથે કેકેયની રાજકન્યા પસંદ કરી. આપણે એવું માની શકીએ કે ભારતીય સંસ્કૃતિ તે વખતે પણ ગાંધાર સુધી ફેલાયેલી હતી. આમ તો ઇશુની પહેલી સદી સુધી ભારતીય રાજાઓ ઈરાન સુધી રાજ કરતા હતા એવું અમને “કમળા શંકર સુંદરલાલ” ના પાઠ્યપુસ્તક દ્વારા ભણાવવામાં અવેલ..

કૈકેયીની સાથે લગ્ન કર્યા પછી પણ દશરથ રાજાને સંતાન થયેલ નહીં. દશરથ રજા પુત્રેષ્ટી યજ્ઞ કરે છે.

પુત્રેષ્ટી યજ્ઞ શું હતો?

વાસ્તવમાં આ એક ઉપચાર જ હોવો જોઇએ. આયુર્વેદમાં દૂધ, ખાંડ અને ચોખાના નિત્યસેવનને પુત્રપ્રાપ્તિનો એક ઉપચાર માનવામાં આવે છે. યજ્ઞ એટલે જોડવું. એનો એવો અર્થ પણ થાય છે. વિશેષ અર્થ એ પણ થાય કે કુશળતા પૂર્વક અને ઓતપ્રોત થઈને જોડવું. આ યજ્ઞને ઉપચારની પ્રક્રિયા તરીકે સમજી શકાય.

બધી રાણીઓ ગર્ભવતી થઈ. સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન એમ બે પુત્રો થયા. લગ્ન પછી થોડા લાંબા સમયે જોડકા પુત્રો જન્મવાની શક્યતા થોડી ઘણી વધે છે. એટલે તેનું કારણ શોધવાની જરુર નથી. પણ લેખકે એવું જોડી દીધું કે કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી ખીર આપી. આનું કશું મહત્વ નથી. કૌશલ્યાએ રામને જન્મ આપ્યો. કૈકેયીએ ભરતને જન્મ આપ્યો.

ભાઈઓની જોડી જુદી રીતે થઈ.

સામાન્ય રીતે જોડકા ભાઈઓ વચ્ચે ગાઢ મૈત્રી થાય કારણકે તેઓ સાથે સાથે જ ઉછરે છે. પણ રામાયણમાં રામ – લક્ષ્મણની જોડી થઈ અને ભરત-શત્રુઘ્નની જોડી થઈ.

“રામ – લક્ષ્મણની જોડી અને ભરત-શત્રુઘ્નની જોડી” આવું શા માટે થયું?

શક્યતા છે જ કે પ્રારંભથી જ આ વાત નિશ્ચિત ન હતી કે દશરથનો અનુગામી રાજા કોણ થશે.

એટલે કે “રામને રાજગાદી સોંપવી કે ભરતને રાજગાદી સોંપવી?”

આ બાબતમાં ત્રણે રાણીઓમાં અનિશ્ચિતતા હતી. ઓછામાં ઓછું સુમિત્રાના મનમાં તો હતું જ કે રામને રાજગાદી મળે પણ ખરી અને ન પણ મળે. ભરતને પણ રાજગાદી મળવાની શક્યતા હતી. આ કારણ થી સુમિત્રાએ એક પુત્રને રામ સાથે લાગુ કરી દીધો અને બીજા પુત્રને ભરત સાથે લાગુ કરી દીધો.

આમ કરવાથી જો રામને રાજગાદી મળે તો લક્ષ્મણ નું ભવિષ્ય નિશ્ચિંત થાય અને જો ભરતને રાજગાદી મળે તો શત્રુઘ્નનું ભવિષ્ય નિશ્ચિંત થાય. ભરત અને શત્રુઘ્ન તો જોડીયા ભાઈ જ હતા તેથી બંને એકબીજાનું ધ્યાન રાખી શકે. આમ સુમિત્રા પોતે પણ સુરક્ષિત થઈ જાય.

ભરતને રાજગાદી મળવાની શક્યતા કેવી રીતે હતી?

જ્યારે દશરથ રાજા કેકેય નરેશ પાસે તેની પુત્રીનો હાથ માગવા ગયા ત્યારે દશરથ રાજાને પ્રશ્ન પૂછાયો હશે એવી શક્યતા હતી જ. ક્યાંક આ ઉલ્લેખ પણ છે. આ વાતની શક્યતાને નકારી ન શકાય.

કેકેય નરેશને ખબર હતી કે દશરથ ને બીજી રાણીઓથી સંતાન નથી. અને તેથી દશરથ રાજા સાથે પોતાની પુત્રી પરણાવીએ તો તેના પુત્રને જ રાજગાદી મળશે. પણ તેને એ પ્રશ્ન પણ થયો કે પટ્ટરાણી તો કૌશલ્યા હતી. અને જો પાછળથી કૌશલ્યાને પણ પુત્ર થાય તો પોતાની પુત્રીનો પુત્ર, રાજગાદીનો હક્ક ગુમાવે. આવું થાય તો, તે, કેકેય નરેશને મંજુર ન હતું. તેથી તેણે દશરથ રાજા પાસેથી વચન લીધું કે મારી પુત્રીના પુત્રને જ રાજ ગાદી મળવી જોઇએ. દશરથ અને કેકેય બંને માન્યું હશે કે જો કૌશલ્યાએ હજુ સુધી પુત્રને જન્મ આપ્યો નથી તો હવે પછી તો નહી આપે. અને ધારો કે કૌશલ્યા પુત્રને જન્મ આપશે તો તે કૈકેયીના પુત્ર કરતાં તો નાનો જ હશે.

મોટો પુત્ર હોય તેને રાજગાદી મળે તેવી પ્રણાલી હતી.

કૈકેયી શુરવીર અને મેધાવી હતી. દશરથ રાજાને કૈકેયી પ્રિય પણ હતી. પણ પટ્ટરાણી કૌશલ્યા હતી. તે સમયની પ્રણાલી પ્રમાણે પટ્ટરાણી પદ એકવાર આપ્યું એટલે આપ્યું. એનો ફેરબદલો ન કરી શકાય.

ચારેય પુત્રોએ વિશ્વામિત્ર ઋષિ પાસે અસ્ર શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી. વિશ્વામિત્ર કેવી રીતે આવ્યા અને વિશ્વામિત્રે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળ સાથે શું સંવાદ કર્યો તેનું વર્ણન કરવું અહીં જરુરી નથી. કારણકે આ બધો સંવાદ અને વર્ણન છે . આ બધું લેખકની ધારણા, કલ્પના ઉપર આધાર રાખે છે. જે પ્રસંગો બનાતા હોય તેના ક્રમના આધારે ઇતિહાસનું અનુમાન લગાવી શકાય છે.

શિવ ધનુષ ઉપર શરસંધાન કરવું

દક્ષ રાજાએ એક યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞનો ધ્વંશ ઈશ્વર શિવે કર્યો હતો. પણ આવું બને નહીં. ઈશ્વર પોતે આવું ન કરી શકે. પણ વીરભદ્ર અને ભદ્રકાળીને શિવે ઉત્પન્ન કર્યા હતા અને આ બંને એ યજ્ઞનો નાશ કર્યો હતો.

વીરભદ્ર કોણ હતો?

એ કોઈ રાજા હશે. જેને દક્ષ સાથે તાત્વિક વાંધો પડ્યો હશે. જેમ કૃષ્ણને ઈંદ્રની પૂજા વિષે વાંધો પડ્યો હતો તેમ. પણ આની શાસ્ત્રીય ચર્ચા આપણે નહીં કરીએ.

આ વીરભદ્રનું ધનુષ્ય કાળક્રમે કોઈ પણ રીતે જનક રાજા પાસે આવ્યું. આ અદભૂત ધનુષ્ય કે વિશિષ્ઠ ધનુષ્ય હતું. તેને કદાચ કળથી જ પકડાતું હશે અને શરસંધાન પણ કરવાની રીત પણ વિશિષ્ઠ જ હશે. આ કામ મહાનબાણાવળીઓમાં થી પણ જુજ બાણાવળીઓ જ કરી શકતા હશે. રામે શ્રેષ્ઠ બાણાવળી બનવાનું શિક્ષણ લીધું હતું અને બન્યા પણ હતા. તેથી જ તેઓ ગુરુને પ્રિય બન્યા હતા.

એક આડવાત કરવી પડશે. આ વાત “યાજ્ઞવલ્ક રામાયણ”માં લખી છે. આ શ્રીરામ, કોઈ એક વખતે બહુ ઉદાસીન થઈ ગયેલ. કારણકે તેમણે જાણ્યું કે મનુષ્યનું ભાવી નિશ્ચિત છે. ગ્રહો ઉપર વ્યક્તિના ભવિષ્યનો આધાર છે. ગ્રહોની ગતિ નિશ્ચિત છે. આમ મનુષ્ય પોતે ગમે તેટલા પ્રયત્નો કરે પણ તે જે નક્કી છે તેને બદલી શકતો નથી. તો આવા જીવનનો અર્થ શો? જે થવાનું છે તે તો થવાનું જ છે. મારા બધા કામો નિરર્થક છે. આમ શ્રી રામ મૌન અને ઉદાસ રહેવા લાગ્યા અને દુબળા થવા લાગ્યા. દશરથ રાજાને ચિંતા થવા માંડી. તેમણે વિશ્વામિત્રને પોતાની ચિંતા જણાવી. વિશ્વામિત્રે તપાસ કરી કે રામને કોઈ પણ જાતનું વ્યસન ન હતું. તેઓ દુરાચારી પણ ન હતા. તેમનું કોઈએ અપમાન પણ કર્યું ન હતું. તેઓ સૌને પ્રિય પણ હતા. એટલે વિશ્વામિત્રે તેમને વિશ્વાસમાં લઈને વાતચીત કરી. રામે પોતાનો મનોભાવ જણાવ્યો. એટલે વિશ્વામિત્રે તેમને જણાવ્યુમ કે પુરુષાર્થ આગળ અને દૃઢ નિર્ણય આગળ ગ્રહો બધા નકામા છે. જેમ ખેલાડી પોતાના ડંડા વડે દડાને મનોવાંછિત દિશામાં ફંગોળે છે તેમ પુરુષાર્થી અને દૃઢ નિશ્ચયી મનુષ્ય પોતાના ભવિષ્યને ધારે તેવું કરી શકે છે. તેના ડંડાથી ગ્રહો પણ ડરે છે. આમ કહી વિશ્વામિત્ર અમુક ઉદાહરણો આપે છે. આ ઉદાહરણોની વાત આપણે નહીં કરીએ. પણ વિશ્વામિત્રની વાતોથી રામ નોર્મલ થાય છે. આ વિશ્વામિત્ર રામના અને તેમના ભાઈઓના ગુરુ બને છે.

શિવધનુષ્યની વાત ઉપર આવીએ.

આ શિવ ધનુષ્ય થી બાળ-સીતા રમવા લાગી. સામાન્ય રીતે બાલિકાઓ ઢીંગલીઓ થી રમે. પણ સીતા ધનુષ્યથી રમવા લાગી તેથી જનકને લાગ્યું કે આ સીતા અસામાન્ય છે. તેથી હું, આ વિશિષ્ઠ ધનુષ્યને પણછ બાંધીને જે વ્યક્તિ શ્રેષ્ઠ રીતે શરસંધાન કરશે તેની જોડે સીતાને પરણાવીશ.

આ શિવ ધનુષ્ય, વિશિષ્ઠ ઉપરાંત વજનદાર પણ હશે. તેને કળથી ઉપાડવું પડતું હશે.તેની ઉપર શરસંધાન કરવાની બાબતમાં શું વાત હતી?

જુદા જુદા રાજાઓ સ્વયંવરમાં આવેલ એવી કોઈ વાત નથી. પણ રાજાઓ સમૂહમાં કે છૂટક છૂટક આવેલ. અને સૌ નિસ્ફળ ગયેલા અને પછી ભેગા થઈ તેમણે જનક રાજાની ઉપર આક્ર્મણ કરેલ. જનક રાજાએ તેમને કોઈપણ રીતે હરાવેલ.

રાવણ આ ધનુષ્ય ઉઠાવી ન શકેલ એ વાતમાં તથ્ય નથી. રાવણ ઉંમરમાં મોટો હતો. રાવણને સમજાવવામાં અવેલ કે સીતા તો તેની પુત્રી સમાન છે. તેથી તેણે સ્પર્ધામાં ભાગ ન લેવો એવી વિનંતિ કરાયેલી અને રાવણે તે વાત માન્ય રાખેલ.

જો આ વાત ઉપર શક હોય તો નીચેની વાત વાંચો.

૧૯૫૫માં બૃહદ ગુજરાત સંસ્કૃત વિદ્યાપીઠ દ્વારા સંસ્કૃત પરીક્ષા “મધ્યમા” ના અભ્યાસક્રમમાં એક પાઠ હતો. “કૌશલ્યા હરણમ્‌”. આ પાઠમાં રાવણ ફક્ત કૌશલ્યાને જ નહીં પણ સાથે સાથે દશરથ ને પણ ઉપાડી જાય છે. રાવણને કૌશલ્યા સાથે પરણવું હોય છે પણ તે મોડો પહોંચે છે કે કૌશલ્યા દશરથને પસંદ કરેછે. જે હોય તે. કૌશલ્યા અને દશરથના લગ્ન થઈ ગયા પછી તે પહોંચે છે તેથી રાવણ બંનેનું અપહરણ કરી જાય છે અને લંકા લઈ આવે છે. પણ લંકામાં ઋષિઓ કે તેનું મંત્રીમંડળ રાવણને સમજાવે છે કે કૌશલ્યા તો હવે પરિણિત સ્ત્રી છે. પરિણિત્ર સ્ત્રી સાથે લગ્ન કરવું તારા માટે વર્જિત છે. રાવણ માની જાય છે. તે પછી રાવણ એક લાકડાની મોટી છબડીમાં બંનેને નાખી તેમને સમુદ્રમાં છૂટા મુકી દે છે. જો રાવણ કૌશલ્યાને છોડી શકતો હોય તો આ રાવણ સીતાને પણ છૉડી શકે છે.

ભારતની ગેરહાજરીમાં રામનો યુવરાજ પદ સમારોહ.

“યુવરાજ પદ સમારોહ” એવી કોઈ પ્રણાલી ઇતિહાસમાં બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

શું દશરથ રાજા મુત્સદ્દી હતો?

આપણે થોડા વર્ષ પહેલાં લોકસભાની ચૂંટણી પહેલાં જોયેલ કે ચૂંટણી માટે બીજેપીએ એક સમિતિનું ગઠન કર્યું અને તેની પ્રચાર સમિતિના અધ્યક્ષ સ્થાને નરેન્દ્ર મોદીને નીમ્યા. આ વાતનો ખૂબ પ્રચાર પણ કરવામાં આવ્યો. કારણકે આમાં એક અકથિત એવો સંદેશ હતો કે નરેન્દ્ર મોદી બીજેપીના લોકસભાના નેતા થશે અને વડાપ્રધાનપદના ઉમેદવાર થશે. જેથી અગર કોઈનો નરેન્દ્ર મોદીના પ્રધાનપદના ઉમેદવાર તરીકે વિરોધ હોય તો અત્યારથી જ જાહેરમાં આવી શકે. જેમને વિરોધ કરવો હતો તેમણે કર્યો. જેમને રીસાઈ જવું હતું તેઓ રીસાયા. કોની કેટલી શક્તિ હતી તે મપાઈ ગયું. જનતાના પ્રતિભાવ દ્વારા જનતાનો અભિપ્રાય મપાઈ ગયો. જેઓ વિરોધી હતા તેઓને પણ જનશક્તિનો પરિચય થઈ ગયો.

દશરથ રાજાએ રામની યુવરાજ પદની જાહેરાત અને સમારોહનો સાનુકુળ સમય નિશ્ચિત કર્યો. જ્યારે ભરત પોતાના મોસાળ ગયો ત્યારનો સમય દશરથ રાજાએ પસંદ કર્યો. દશરથની ધારણા હતી કે કદાચ ભરત વિરોધ પ્રગટ કરશે. જનતા તો વિરોધ નહીં જ કરે. તેથી કૈકેયી ને નબળી પાડવા ભરતની ગેરહાજરીનો સમય અનુકુળ હતો. ભરત જયારે પાછો આવશે ત્યારે તેને પણ ખબર પડશે કે રામના યુવરાજપદના નિર્ણયમાં જનતાની સંમતિ હતી તેથી ભરત પણ વિરોધ કરી નહીં શકે.

કોઈ એક સમયે દશરથ રજાએ કૈકેયીને બે વર માગવા કહેલ. આમાં બે પ્રકારના પાઠ છે. જ્યારે દશરથ રાજા સુરોને મદદ કરવા સુરોના પક્ષે રહી અસુરો સામે લડવા ગયેલ ત્યારે યુદ્ધ સમયે કૈકેયી દશરથ રાજાની સારથી બનેલ. અસુરો જ્યારે દશરથ ઉપર ધસી આવ્યા ત્યારે કૈકેયી દશરથ રાજાને બચાવવા રથને યુક્તિ અને કુશળતા પૂર્વક ભગાવીને દૂર દૂર લઈ ગઈ. બીજી વાતનો પાઠ એવો છે કે રથના પૈડાની ધરીમાંથી ઠેસી નિકળી ગઈ અને કૈકેયીએ પોતાની આંગળી ત્યાં ખોસી દીધી જેથી રથનું પૈડું નિકળી ન જાય. કૈકેયીની આંગળી ઇજાગ્રસ્ત થઈ ગઈ અથવા તો કપાઈ ગઈ. દશરથ રાજા કૈકેયીની ચતુરાઈ અને કુશળતાથી ખુશ થયા અને બે વર માગવા કહ્યું. કૈકેયીએ તે પછી ક્યારેક માગશે તેમ કહ્યું.

કેકેય એક સીમાવર્તી પ્રદેશ હતો. સીમાવર્તી પ્રદેશ હમેશા વિદેશી આક્રમણનું પ્રથમ ભક્ષ્ય બને છે. શક્ય છે કે કૈકેયી વિરાંગના હોય એટલા માટે જ કૈકેયીના પિતાએ કૈકેયીના પુત્રને જ રાજગાદી મળે એવી શરત દશરથ આગળ મંજુર કરાવી હોય. રાજાએ વચન પાળવું જોઇએ એ પણ પ્રણાલી હતી અને રાજગાદી જ્યેષ્ઠ પુત્રને મળે એ પણ પ્રણાલી હતી. જનતાને જે મંજુર હોય તેને રાજગાદી મળે તેવી પણ પ્રણાલી હતી તેવો પણ રામાયણમાં ઉલ્લેખ છે.

આનો ઉપાય?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ રામ, દશરથ, કૈકેયી, સીતા, જનક, ધનુષ, વીરભદ્ર, ભદ્રકાળી, દક્ષ, યજ્ઞ, શિવ, લંકા, રાવણ, કુબેર, રામાયણ, ઇતિહાસ, તથ્ય, પ્રણાલી

Read Full Post »

ક્યાં ખોવાયા હાડમાંસના બનેલા રામ? ભાગ-૧/૯

રામ કોણ હતા?

એક એવા રામ હતા જે રઘુવંશી દશરાજાના પુત્ર હતા. તેઓ હાડમાંસના બનેલા માત્ર અને માત્ર મનુષ્ય હતા. આમ તો તેઓ એક રાજકુંવર હતા અને એક કુશળ શાસક પણ અવશ્ય હતા. પણ થયું એવું કે એમની અસાધારણ, અદ્વિતીય મહાનતા અને આદર્શને કારણે એમને જનતાએ ભગવાન બનાવી દીધા.

જ્યારે કોઈને ભગવાન બનાવી દઈએ ત્યારે તે વ્યક્તિમાં રહેલી વાસ્તવિકતા, વિદ્વત્તા, નૈતિક દૃઢતા અને ઐતિહાસિકતા નષ્ટ પામે છે. કારણ કે રામની વાત કરવી એ એક ધર્મની વાત બની જાય છે. તેમના અસ્તિત્વને લગતી માન્યતા સહેલાઈથી સહેલાઈથી નકારી શકાય છે. પરધર્મીઓ જ નહીં પણ જેઓ પોતાને તટસ્થ માનવાની ઘેલછા રાખે છે તેઓ પણ આવી વ્યક્તિની ઐતિહાસિકતાને સહજ રીતે જ નકારે છે. જો તમે રામના ઐતિહાસિક અસ્તિત્વને ન નકારો તો તમે ઇતિહાસનું ભગવાકરણ કર્યું કહેવાય. તમને ધર્માંધ પણ કહી શકાય.

ગુજરાત અપરાધી હતું?

૨૦૦૨ માં ગુજરાતમાં હુલ્લડ થયું. આ હુલ્લડનો દોષ નરેન્દ્ર મોદી અને હિન્દુઓ ઉપર ઢોળી દેવાયો. એટલે કેરલના પાઠ્યપુસ્તકમાં ગુજરાતનું અસ્તિત્વ ભારતના નકશામાંથી દૂર કરવામાં આવ્યું. ગુજરાતનું અસ્તિત્વ રદ થયું. કારણકે ગુજરાત અપરાધી હતું.

તમે રામના અસ્તિત્વને નકારો છો? રામને ભગવાન માન્યા એટલે જ ને!  જો તમે રામને ભગવાન માનો તો આમાં રામનો શો અપરાધ છે?

તમે કહેશો આમાં રામ અપરાધી છે તેની વાત ક્યાં આવી? રામ અપરાધી હતા કે નહીં …  અથવા તેમની પ્રત્યે એક અન્યાયી વર્તન દાખવવામાં આવ્યું કે નહીં તે વિષે આગળ ચર્ચા કરીશું.

હાલ તો આપણે સામાન્ય હિન્દુઓ રામને ભગવાન કેમ માને છે અને બીજા તેમના અસ્તિત્વને કેમ નકારે છે તે જોઈશું.

ચમત્કાર અને ભગવાન અને અસ્તિત્વનો નકાર

જે હિન્દુઓ રામને ભગવાન માને છે તેઓ ચમત્કારમાં પણ માને છે. રામે અનેક ચમત્કારો કર્યા. આવા ચમત્કારો તો ભગવાન જ કરી શકે. મનુષ્ય તો ચમત્કાર ન જ કરી શકે. માટે રામ ભગવાન છે. જેઓ ચમત્કારમાં માનતા નથી તેઓ કહેશે કે આ ચમત્કારની વાતો બધી ગપગોળા છે. કારણ કે ચમત્કારો તો થઈ જ ન શકે. એટલે ચમત્કારોનું અસ્તિત્વ હોઈ જ ન શકે. એટલે આ ચમત્કારી વ્યક્તિ એક ગપગોળો છે. રામ કથાનું એક સાહિત્યિક અસ્તિત્વ છે. રામની કથામાં ફક્ત સાહિત્યિક દૃષ્ટિ રાખવી જોઇએ. અવતાર બવતાર જેવું કશું હોતું નથી.

જ્યારે વ્યક્તિ સાહિત્યિક બની જાય ત્યારે તે એક નહીં અનેક બની જાય. વાલ્મિકીના રામ, કાલીદાસના રામ, ભવભૂતિના રામ, તુલસીદાસના રામ …

Ram

આપણે રામને ભગવાન માની લીધા એટલે રામ ધર્મનો વિષય બની ગયા. રામ ધર્મનો વિષય બન્યા એટલે રામ શ્રદ્ધાનો વિષય બની ગયા. રામનું વર્ણન ભારતની ભાષાઓમાંથી ઉદભવ્યું એટલે એ ભારતના છે. ભારતમાં હિન્દુધર્મ પાળવામાં આવે છે એટલે રામ હિન્દુઓના ભગવાન છે. રામ હિન્દુઓના ભગવાન છે એટલે રામ એ હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા, ભગવાન, ચમત્કાર આ બધું કાલ્પનિક છે. કાલ્પનિક વાતોમાં વિશ્વાસ રાખવો અને એવું બધું સ્વિકારવું એ અંધશ્રદ્ધા છે. સમાજમાં અંધશ્રદ્ધાનું બહુમાન ન કરવું જોઇએ. અંધશ્રદ્ધાને આવકારવી ન જોઇએ. જેઓ પોતાને પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારાવાળા માને છે તેઓ કંઈક આવું વિચારે છે. જેઓ “રામજન્મ ભૂમિ ઉપર રામ મંદિર બનાવવાનો આગ્રહ રાખનારાઓનો વિરોધ કરે છે તેઓ પણ આવી માનસિકતા રાખે છે

પોતાને વિદ્વાન, જ્ઞાની અને બુદ્ધિશાળી માનતા માણસો પણ રામને કાલ્પનિક પુરુષ માને છે.

તેઓની માન્યતા પ્રમાણે આનું મુખ્ય કારણ એ છે કે પ્રાચીન અને મધ્યકાલિન ભારતીય પુસ્તકોમાં ચમત્કારની બહુ વાતો છે. આ બધી કપોળકલ્પિત અને અવાસ્તવિક છે. ભારતીય લોકોને ઇતિહાસ લખવાની ટેવ જ ન હતી. જેને જેમ ફાવ્યું અને મગજમાં આવ્યું તેમ લખ્યું છે. ભારતીયોના મનમાં ઇતિહાસ લખવો જોઇએ એવી કોઈ વાત જ ન હતી. એટલે વિદેશી યાત્રીઓએ અને બીનભારતીય ઇતિહાસ કારોએ જે લખ્યું તેને જ આધારભૂત ગણી શકાય. જેમ કે ગ્રીક આક્રમણકારીઓએ, તેમની સાથે આવેલા લોકોએ, અરબસ્તાન, મોંગોલીયાના મુસ્લિમ આક્રમકોએ, મુસાફરોએ, ચીનના મુસાફરોએ જે કંઈ ભારત વિષે, ભારતીય સમાજ વિષે લખ્યું તે જ પ્રમાણભૂત કહેવાય. આપણા લોકો તો રાઈ વગર રાઈનો પહાડ બનાવવામાંથી  અને ચમત્કારો લખવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા!

આમ જોવા જઈએ તો દરેક ધર્મના પુસ્તકોમાં ચમત્કારિક વાતોના વર્ણનો જોવા મળે છે. પણ એ બધા ધર્મોના બધા મહાપુરુષો ઐતિહાસિક છે. કારણકે આ બધામાંના મોટેભાગે છેલ્લા ૨૬૦૦ વર્ષ અંતર્ગત થયા. એ બધા લોકાના કંઇને કંઈ અવશેષો મળી આવે છે એવું મનવામાં આવે છે. એટલે એ બધામાં ચમત્કારી વાતો હોય તો પણ તે બધું ઐતિહાસિક છે અને તે વ્યક્તિઓ પણ ઐતિહાસિક છે.

રામના કોઈ ભૂસ્તરીય અવશેષો મળતા નથી.

જે કંઈ મળે છે તેને રામ સાથે જોડી દેવા એ અંધશ્રદ્ધા જ છે. આવી દૃઢ માનસિકતા આપણા વિદ્વાનોમાં અને મૂર્ધન્યોમાં પ્રવર્તે છે. આપણા ભારતીયો જ જો આવી માનસિકતા રાખતા હોય તો સહજ રીતે જ પરધર્મીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો રાખે જ.

શું ઐતિહાસિકતાનો આધાર ફક્ત પૂરાતત્વીય અવશેષો જ હોઈ શકે? ધારો કે ઉત્ખનન થયું  ન હોય તો શું માનવવાનું? ધારોકે ઉત્ખનન શક્ય જ ન હોય તો શું માનવાનું? જો મોહેં જો દેરોની જગ્યાઓએ ઉત્ખનન ન થયું હોત તો ભારતનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન ન ગણવામાં આવત.

રામજન્મભૂમિની જગ્યા ઉપર બાબરી મસ્જીદ બની ગયેલ. હવે ધારો કે એ જમીન રામજન્મભૂમિ તરીકે ઓળખાતી જ ન હોત તો તેને વિષે કોઈ આંદોલન પણ ન થાત. અને તે બાબરી મસ્જીદ તોડી પાડવામાં પણ ન આવી હોત. અને કોઈએ ન્યાયના દ્વાર પણ ન ખટખટાવ્યા હોત. અને ત્યાં કશું ખોદકામ પણ ન થાત.

જો ખોદકામ ન થાત તો તેની નીચે આવેલા શિવમંદિરના અવશેષો પણ ન મળત. આવા તો અનેક સ્થાનો છે કે જ્યાં વિવાદ ચાલે પણ છે અને વિવાદ નથી પણ ચાલતા. હવે ધારો કે મુસ્લિમો અને ખ્રીસ્તી શાસકોએ, જેમ બીજી જગ્યાએ પ્રાચીન સંસ્કૃતિના નિર્માણોને તોડીને અથવા અને તેના અવશેષો પર પોતાની સંસ્કૃતિને લગતા  નિર્માણો કરી દીધેલ અને ત્યાંની સંસ્કૃતિને કાયમ માટે નષ્ટ કરી દીધેલ અને જનતાને પૂર્ણ રીતે પોતાના ધર્મમાં વટલાવી દીધી એમ ભારતમાં પણ કરી શક્યા હોત તો અહીં પ્રાચીન કાળમાં મંદિર હતું તેની ખબર કેવી રીતે પડત?   પણ ભારતની બાબતમાં થયું એવું કે ભારતીય સંસ્કૃતિ તેની ઉત્કૃષ્ટતા અને સબળતાને કારણે ટકી ગઈ.

ઇતિહાસ કેવીરીતે જળવાઈ રહે છે?

લોક સાહિત્ય, લોકવાયકા, સ્થાપત્ય અને પરંપરાગત પ્રણાલીઓ પાછળ ચાલી આવતી દંતકથાઓ દ્વારા પણ ઇતિહાસ જળવાઈ રહે છે. આપણે અત્યારે તેનું વિશ્લેષણ અને તેની ચર્ચા નહીં કરીએ.

“રામ જન્મ ભૂમિ” નું સ્થળ એ એક પરાપૂર્વથી ચાલી આવતી માન્યતા અનુસારનું નામકરણ હતું. જેવા કામો વિદેશી ધર્મીઓએ બીજા દેશોમાં કર્યાં તેવા જ કામો તેઓએ ભારતમાં જરુર કર્યા. પણ ભારતમાં તેઓ સંપૂર્ણ સફળ ન થયા. તેથી ખંડિત સ્થળોના નામ લોકવાયકામાં પરંપરાગત રીતે ક્યાંક ક્યાંક ચાલુ રહ્યાં. પણ સાથે સાથે ખંડિત સ્થળ પર નવું નિર્માણ થયું તે નામ પણ ઉમેરાયું.   

બીજી એક વાત એ બની કે પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા ભારતનો જે નવ્ય ઇતિહાસ લખાયો, તેમાં ભારતીય સાહિત્ય, લોકવાયકાઓ, લોક કથાઓ જ નહીં પણ ભારતીય શાસ્ત્રોમાં રહેલા તાત્વિક ઉંડાણને પણ સ્પર્ષવામાં ન આવ્યાં.

 પરિણામ એ આવ્યું કે ભારતીય સાહિત્યમાં જે ઇતિહાસ, લોકભોગ્ય શૈલીમાં લખવામાં આવેલ તેને ઇતિહાસ તરીકેની માન્યતા જ ન આપી. આનુ પરિણામ એ આવ્યું કે ભારતના વિદ્વાનો ફક્ત પાશ્ચાત્ય વાતોને જ પ્રમાણભૂત માનવા લાગ્યા. આ માનસિકતાનું મૂળ “આર્યન ઈન્વેઝન થીયેરી”  એટલે કે “આર્યજાતિનું ભારત ઉપર આક્ર્મણ” વાળો સિદ્ધાંત છે.

એવું ધારવામાં આવ્યું કે આર્ય એક રખડુ જાતિ હતી જે મધ્ય એશિયા કે પૂર્વ યુરોપ કે એવી કોઈક જગ્યાએ રહેતી ભમતી હતી. તેઓએ મોટું સ્થાળાંતર કર્યું, તે ઇરાન ગઈ. ત્યાં આ જાતિનો એક ભાગ ગ્રીસ ગયો. એક ભાગ થોડા સમય પછી ભારત આવ્યો. અહીંના દ્રવિડો જે બહુ સુસંસ્કૃત અને સ્થાપત્યમાં પ્રવિણ હતા તેમને આ વિચરતી જાતિએ તહસ નહસ કરી નાખ્યા, તેમને ગુલામ બનાવ્યા, તેમના નગરોનો નાશ કર્યો. આ જાતિ પછી અહીં સ્થાઈ થઈ. આ બધી વાતો ભારતમાં દંત કથાઓના રુપમાં અને વેદોની ઋચાઓમાંની તારવણીઓથી સિદ્ધ થઈ શકે છે એવું પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તર્કહીન રીતે તુક્કાઓ દ્વારા સિદ્ધ કર્યું.

રામ દંતકથાનું પાત્ર છે. આ પાત્ર ઉત્તરમાંથી દક્ષિણમાં ગયું અને રાવણને હરાવ્યો. એટલે એવું તારવવામાં આવ્યું કે આર્યોએ દ્રવિડોને હરાવ્યા. આ વાતને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવ્યું. પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તેમના પ્રચ્છન્ન હેતુઓ સિદ્ધ કરવા ઘણા ગપગોળા ચલાવ્યા. આ બધી વાતો અન્યત્ર કરેલી છે. ભારતીય સંસ્કૃતિના અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રકાંડ પંડિત શ્રી રાજીવ મલહોત્રા અને બીજા અનેક વિદ્વાનોએ  “આર્યન ઈન્વેઝન થીયેરી” ને ધરાશાયી કરી છે અને તે વિષે પુસ્કળ સાહિત્ય ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે એટલે આની ચર્ચા નહીં કરીએ. આપણી વાત ફક્ત રામની ઐતિહાસિકતા પૂરતી સીમિત રાખીશું.

આપણે પ્રાચીન સાહિત્યની અવગણના નહીં કરી શકીએ. પુરાણો અને મહાકાવ્યોને કપોળ વાતો તરીકે ન જોવા જોઇએ. વાસ્તવમાં આ એક કથન પ્રણાલી હતી. જ્ઞાન પીરસવા અને યાદ રાખવાના અનેક માર્ગો હોય. રુપક, અન્યોક્તિ, વિશેષણ, ઉપમા, રમૂજ, શિખામણ, વર્ણન, પ્રાસ, અનુપ્રાસ, કવિતા, કથા, જોડકણા, કહેવત, દંતકથાઓ, અતિશયોક્તિ, અલંકાર, જેવી અનેક રીતો હોય છે. આમાં ઈશ્વર નિર્ગુણ નિરાકાર હોવા છતાં પણ, આ ઈશ્વર, ક્રોધિત કે ખુશી ખુશી થઈને મનુષ્ય કે અન્ય પ્રાણીના સ્વરુપમાં પાત્ર તરીકે આવી જાય છે.

ધારોકે શિખરણી છંદના સ્વરુપને યાદ રાખવું છે. તો શું કરશું? રસૈઃ રુદ્રૈઃ છિન્ના, યમનસભલાગઃ શિખરણી.

રસ કેટલા હોય છે?

છ રસ હોય છે.

રુદ્ર કેટલા છે?

૧૧ રુદ્ર હોય છે.

છ અક્ષર અને ૧૧ અક્ષર થી આ છંદ કપાયેલો છે. અને તેમાં યમનસભલગ થી બંધાયેલો છે. રસ અને રુદ્ર એ ભૂત સંખ્યા છે. આવી તો ભારતીય પદ્ધતિઓમાં અનેક વાતો છે.

આ રીતે શાસ્ત્રોના સિદ્ધાંતો યાદ રાખવા એવી પ્રણાલી આજે પણ ચાલે છે. જેમકે “ઓલ સીલ્વર ટી કપ્સ.”

“ઓલ” એટલે બધા. સીલ્વર એટલે સાઈન. ટી એટલે ટેન્જન્ટ, કપ્સ એટલે કોસાઈન.

બધા એટલે કોણ?

સાઈન, કોસાઈન અને ટેન્જન્ટ.

સાઈન એટલે શું? કાટખુણ ત્રીકોણમાં કોઈ એક ખૂણો તેની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર સાઈન કહેવાય છે.

કોસાઈન એટલે શું? કોઈ ખૂણાની પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનો ગુણોત્તર કોસાઈન કહેવાય છે.

ટેન્જન્ટ એટલે શું? સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર ટેન (ટેન્જન્ટ) કહેવાય છે.

પણ ગુણોત્તર ક્યારે ધન હોય અને ક્યારે ઋણ હોય? આ ધન અને ઋણને કેવી રીતે યાદ રાખવા?

જો ખૂણો ૦ થી ૯૦ની વચ્ચે હોય તો બધા જ ધન હોય છે.

જો ખૂણો  ૯૦+ થી ૧૮૦ની વચ્ચે હોય તો સાઈન ની કિમત ધન હોય.

જો ખૂણો ૧૮૦+ થી ૨૭૦ વચ્ચે હોય તો ટેનની કિમત ધન હોય.

જો ખૂણો ૨૭૦+થી ૩૬૦ ની વચ્ચે હોય તો કોસાઈન ની કિમત ધન હોય.

ત્રિકોણમિતિના કોઈ એક મૂલ્યને યાદ રાખવાની આ એક સહેલી રીત છે.

પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ આવી અનેક રીતો પ્રચલિત હતી. અનેક ચમત્કારિક વાતો આનો હિસ્સો છે પણ તેનો હેતુ ફક્ત વાતને, પ્રસંગને, વર્ણનને, કથનને રસમય બનાવવા માટે હોય છે જેથી તે યાદ રહે.

ઈશ્વર-રુદ્ર-શિવ, સૂર્ય-વિષ્ણુ-બ્રહ્મા અને અનેક દેવતાઓ (ઈન્દ્ર, વાયુ, વરુણ …) વિગેરે પાત્ર તરીકે આવે એવી ઘણી વાતો છે. પણ આ બધું ઐતિહાસિક વાતોને રસપ્રદ બનાવવા માટે હોય છે. આજે પણ આ પ્રણાલી એક યા બીજા સ્વરુપે ચાલે છે. ફિલમમાં તમે જોતા હશો કે કોઈ પાત્ર ઉપર આપત્તિ આવે તો પાર્શ્વભૂમિકામાં આકાશમાં કડાકા ભડાકા અને વિજળીઓ બતાવે. કોઈ પાત્રના મનમાં ખળભળાટ હોય તો તોફાની દરિયો બતાવે. ઐતિહાસિક વાર્તાના પુસ્તકોમાં કોઈ વાર્તાલાપમાં આવતા શબ્દ પ્રયોગો, સ્થળોના વર્ણનો, વસ્ત્રોના વર્ણનોના શબ્દ પ્રયોગો, જરુરી નથી કે તે, વાસ્તવમાં જે તે રુપમાં હોય તેજ સ્વરુપમાં વર્ણિત હોય.

દાખલા તરીકે મૈથિલી શરણગુપ્તે સામ્રાટ અશોક ઉપર કોઈ નાટક લખ્યું હોય. કલિંગના યુદ્ધ પછીનો અશોક અને તેની પત્ની તિષ્યરક્ષિતા વચ્ચેનો કોઈ સંવાદ હોય. જરુરી નથી કે આ સંવાદ અક્ષરસઃ સાચો જ અને વાસ્તવિક હોય. એ પણ જરુરી નથી કે આ સંવાદને કારણે જ અશોકનું હૃદય પરિવર્તન થયું હોય. સંભવ છે કે આવો સંવાદ થયો પણ ન હોય. આ બધું હોવા છતાં અશોકના હૃદય પરિવર્તનની સત્યતાને આપણે નકારી ન શકીએ. અશોકના પિતાનું નામ મોટાભાગના ગ્રંથોમાં બિંબિસાર લખ્યું છે. આ વાત આપણે નકારી ન શકીએ.   

મહાકાવ્યોની વાત બાજુપર રાખો. બધા પુરાણોમાં રામનો ઉલ્લેખ છે. રામના પિતા દશરથ હતા તેવો પણ બધા પુરાણોમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં. તેમના વંશના બધા રાજાઓનો નામ સાથે ઉલ્લેખ છે. આ બધો ઉલ્લેખ સમાન રીતે છે. એટલે કે નામોનો ક્ર્મ પણ સમાન છે. આ બધા પુરાણો એક સાથે લખાયા નથી. આ પુરાણો એક જ જગ્યાએ પણ લખાયા નથી. આ પુરાણો એક જ વ્યક્તિએ લખ્યા હોય તેવું પણ મનાય તેમ નથી. પુરાણ સતત લખાતા ગયાં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પુરાણો લખાતા ગયા. ઓછામાં ઓછું ઇસ્વીસન પૂર્વે ૧૦મી સદી થી ઇસ્વીસનની ૮ મી સદી કે બારમી સદી સુધી આ પુરાણો લખાતા રહ્યાં. વિશ્વના ઘણા ગ્રંથો આવી રીતે લખાતા રહ્યા છે.

સૌથી પ્રાચીન પુરાણ, વાયુ પુરાણ છે.

વાયુ પુરાણ સૌથી પ્રાચીન શા માટે ગણાય છે?

વાયુ પુરાણના આમ તો છ પાઠ મળે છે. જે સૌથી જુનો પાઠ છે તે અનપાણીનીયન સંસ્કૃતમાં લખાયેલો જોવા મળે છે. પાણીની સંસ્કૃત ભાષાના વૈયાકરણી હતા. પાણીની ઇસ્વીસન પૂર્વે આઠમી સદી થી ઇસ્વીસન પૂર્વે ચોથી સદીની વચ્ચે થઈ ગયા એમ પાશ્ચાત્ય ઇતિહાસકારો પણ માને છે. વાયુ પુરાણની શૈલી પણ પ્રાચીન લાગે છે.  આ પુરાણમાં પણ ઉત્તરોત્તર પ્રક્ષેપ થયા છે. પ્રકરણો પણ મોટા થતા ગયા છે.

વાયુ પુરાણના પ્રાચીન પાઠમાં બુદ્ધ ભગવાનનો ઉલેખ નથી. વિષ્ણુના દશ અવતારની વાત આવે છે ખરી, પણ રામનો વિષ્ણુના અવતાર તરીકે ઉલ્લેખ નથી. સૂર્યવંશના બધા રાજાઓની વંશાવળી છે.  રામનો એક બળવાન રાજા દશરથના પરાક્રમી પુત્ર તરીકે ઉલ્લેખ છે. તેમણે લંકાના રાજા રાવણને હરાવ્યો એવો ઉલ્લેખ છે. બસ આથી વિશેષ કશું નથી.

વાયુ પુરાણમાં એમ તો કૃષ્ણ ભગવાનનો પણ ઉલ્લેખ છે. કૃષ્ણને વિષ્ણુભગવાનના અવતાર પણ માનવામાં આવ્યા છે. કૃષ્ણ વિષે અર્ધું પ્રકરણ છે. વાયુ પુરાણના લેખકને કૃષ્ણ વિષે મુખ્ય વાત સ્યામંતક મણીની ચોરીનું જે આળ આવેલું તે કૃષ્ણ ભગવાને કેવીરીતે દૂર કર્યું તેની કથા લાગી છે. ટૂંકમાં લેખકને કૃષ્ણના જીવનની આ સ્યમંતક મણીની વાત જ ઉલ્લેખનીય લાગી છે. આ ઉપરાંત એમ પણ લખ્યું છે કે કંસ, વસુદેવના પુત્રોને મારી નાખતો હતો. વસુદેવના પુત્રોની નામાવલી પણ આપવામાં આવી છે. એવું લાગે છે કે તે તેમની સાથે યુદ્ધ કરીને મારી નાખતો હોય. વાયુ પુરાણમાં લખવામાં આવ્યું છે કે કંસની આવી આદતથી,  વસુદેવ, પોતાના પુત્ર કૃષ્ણને તેમના મિત્ર નંદને ઘરે મુકી આવે છે.

આમ આ આખા વર્ણનમાં ન તો જેલનો ઉલ્લેખ છે, ન તો કંસ વસુદેવના પુત્રોને જન્મની સાથે મારી નાખતો હતો તેવો ઉલ્લેખ છે, ન તો વસુદેવ મધ્યરાત્રીએ તાજા જન્મેલા કૃષ્ણને યમુનાના પૂરમાં થઈને લઈ જતા હોય તેવો ઉલ્લેખ છે, ન તો યમુના તેમને જગ્યા કરી દેતી હોય તેવો ઉલ્લેખ છે, ન તો નંદને ઘરે પુત્રી જન્મ્યાનો ઉલ્લેખ છે, ન તો કોઈ બચ્ચાંના આદાન પ્રદાન નો ઉલ્લેખ છે. ન તો રાધાઓ કે ગોપીઓનો ઉલ્લેખ છે, ન તો કોઈ બીજા ચમત્કારોનો ઉલ્લેખ છે. એક વાત ચોક્કસ લખી છે કે કૃષ્ણ ભગવાનને  વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે. સાથે સાથે તેમના મોટાભાઈ બળદેવ પણ વિષ્ણુભગવાનના અવતાર માનવામાં આવ્યા છે.

ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે અનેક શ્લોકોમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ને બદલે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એ રીતે ત્રણ દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણનો આરંભ જ મહેશ ઈશાન (રુદ્ર) ની સ્તૂતિ થી કરવામાં આવ્યો છે.  વેદોમાં અગ્નિનું નામ ઇશાન પણ છે. મહો દેવો (“મહઃ દેવઃ … સો મહો દેવો મર્ત્યાં આવિવેશ” ઋગ્વેદમાં નો અગ્નિનો એક શ્લોક). કહેવાનું તાત્પર્ય એ છે કે વાયુપુરાણમાં અગ્નિ, રુદ્ર, વિશ્વદેવ, મહાદેવ, મહેશ ની એકસુત્રતા સ્પષ્ટ જોવા મળે છે. તેથી જ ઇશ્વરની બાબતમાં ભારતીય શાસ્ત્રીઓએ કશા વિરોધાભાષો જોયા નથી.

“ … ક્ષોભયામાસ યોગેન પરેણ પરમેશ્વર …. રજો બ્રહ્મા, તમો અગ્નિ, સત્વો વિષ્ણુરજાયત    …. એત એવ ત્રયો લોકા, એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા, એત એવ ત્રયોગ્નયઃ”. પરમેશ્વર પોતાની માયારુપી પ્રકૃતિ રુપી અંડમાં પ્રવેશ કરી તેને ક્ષોભિત કરે છે અને રજસ તમસ અને સત્વગુણ રુપી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ જ ત્રણ લોક છે, આ જ ત્રણ ગુણો છે, આજ ત્રણ વેદ છે આજ ત્રણ અગ્નિઓ છે.

આ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને અગ્નિના ત્રણ રુપ માનવામાં આવ્યા છે. એમ કહ્યું છે કે પરમેશ્વરના (શિવના) ત્રણ અગ્નિઓ છે. શિવને ત્રીમૂર્ત્તિ પણ કહેવાય છે.

“એત એવ” જેવા અનેક શબ્દ પ્રયોગો વાયુપુરાણમાં મળી આવે છે. આ અનપાણીયન શબ્દ પ્રયોગ છે. પાણીનીયન શબ્દ પ્રયોગ “એષઃ એવ” છે.

તમે કહેશો આમાં રામના ઐતિહાસિકપણાની વાત ક્યાં આવી?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, દશરથ, રાવણ, કૃષ્ણ, સ્યમંતક મણી, ચોરીનું આળ, કંસ, વસુદેવ, આર્ય, દ્રવિડ, આર્ય, વિચરતી જાતિ, પ્રણાલી, શિવ, અગ્નિ, પરમેશ્વર, પ્રાચીન, ત્રિમૂર્તિ, ચમત્કાર, ઇતિહાસ, રસપ્રદ          

 

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧

વાદ વિષે વાત કરવી એટલે એક શુષ્ક વિષય વિષે વાત કરવી એવું લાગે છે. અને એટલે સામાન્ય માણસ અને મોટેભાગે જેને આપણે મૂર્ધન્ય એટલે કે જ્ઞાની કે સુજ્ઞ કહીએ છીએ તેમને પણ થોડે કે ઘણે અંશે આ વાત લાગુ પડે છે. પણ આપણે એની વિગતો માં નહીં જઈએ. કારણ કે આ લેખમાળાનું તે ક્ષેત્ર રાખ્યું નથી.

વાદ એ શું છે?

વૈજ્ઞાનિક સાહિત્યનું એક વલણ છે કે જ્યારે તમે કોઈ એક શબ્દ વાપરો તેનો અર્થ તમે શું કરો છો તેની વાચકને જાણ કરી દેવી જોઇએ. જેથી વાચક, તે અર્થને ધ્યાનમાં રાખી લેખકના વિચારોને સમજે.

શબ્દના અર્થને ક્યારેક વ્યાખ્યા કહેવામાં આવે છે. વ્યાખ્યા એટલે આમ તો ટૂંકામાં ટૂંકામાં ટૂંકું વર્ણન. એટલે આપણે ફક્ત વાદનું વર્ણન જ કરીશું. અને તે પણ સામાજીક સમસ્યાના પરિપેક્ષ્યમાં જ વર્ણન કરીશું

વાદ ત્રણ જાતના છે. મૂડીવાદ, સામ્યવાદ અને સર્વોદયવાદ. આ ત્રણેયનું ધ્યેય સમગ્ર સમાજને તંદુરસ્ત અને સુખી  કરવાનું છે. દરેક વાદ ની અંતર્ગત જે પ્રણાલીઓને પ્રબોધવામાં આવી છે. તે પ્રણાલીઓ ની સમજણ એટલે જે તે વાદ એમ સમજવું.

વાદ એ એક સંક્રાંત વ્યવસ્થા છે.

સંક્રાંત અને વ્યવસ્થા એટલે શું?

સંસ્ક્રાંત એટલે વચ્ચેનો ગાળો.

કોની વચ્ચેનો ગાળો?

પરિસ્થિતિ અને ધ્યેય ને જોડતી  વ્યવસ્થા એટલે સંક્રાંત. જેને આપણે ઈન્ટરફેસ કહી શકીએ.

આ ઈન્ટરફેસ કે સંસ્ક્રાંત વાસ્તવમાં શું છે?

ધારોકે બે વ્યક્તિ છે. પાસે પાસે છે. બંનેને વિચારનો વ્યવહાર કરવો છે તો વિચારનો વ્યવહાર એ તેમનું ધ્યેય થયું. અને તેમની ભૌતિક ઉપસ્થિતિ એ તેમની પરિસ્થિતિ થઈ. અને સમાન ભાષા એ એક સંક્રાંત પ્રણાલી કે ઇન્ટરફેસ સીસ્ટમ થઈ. જોકે ભૌતિક માધ્યમ એટલે કે હવા પણ તેની અંતર્ગત આવી જાય છે હવા ઈશ્વર દત્ત છે.

હવે ધારો કે બે વ્યક્તિ એક બીજાથી ઘણી દૂર છે. તો હવાનું માધ્યમ કામ લાગતું નથી. એટલે ટેલીફોન ની વ્યવસ્થા કરવામાં આવી.

ટેલીફોન શું કરે છે?

એક વ્યક્તિ બોલે એટલે હવામાં સ્પંદન થાય. આ સ્પંદનોને આપણે બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાના છે. માણસે બોલવું તો પડશે. તે હવામાં બોલશે. હવામાં સ્પંદનો થશે. હવે આ સ્પંદનોને દૂર સુધી પહોંચાડવા શું કરવું જોઇએ?

આ એક બીજું ધ્યેય કે ઉપધ્યેય થયું.

આપણા જ્ઞાનનો આપણે ઉપયોગ કર્યો. એક ચૂંબક લીધું અને તેની આગળ એક સ્પંદિત થઈ શકે તેવી પાતળી લોખંડની પતરી લીધી. એ સ્પંદિત થઈ. ચૂંબક અને આ લોખંડની પતરીની વચ્ચેના અંતરમાં વધઘટ થઈ. આ બે વચ્ચે વિદ્યુત ભાર મુક્યો. તાર દ્વારા જોડીને મુક્યો. એટલે આ તારમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં સ્પંદનો રુપાંતરિત થયા. ધાતુના તારને બીજી વ્યક્તિ સુધી લંબાવી દીધા કારણ કે વિદ્યુત તરંગો ધાતુના તારમાં આગળ ગતિ કરી શકશે. બીજી વ્યક્તિ પાસે વિદ્યુત પ્રવાહના સ્પંદનો પહોંચી ગયા. પણ બીજી વ્યક્તિ આ વિદ્યુત પ્રવાહના સ્પંદનોને સમજી ન શકે. તેટલે એક વ્યક્તિ આગળ જે પ્રક્રિયા કરવામાં આવી તેથી ઉંધી ક્રિયા કરવાની જરુર પડી. આ તારને એક ચૂંબક સાથે વિંટાળ્યા અને તેની સામે લોખંડની પતરી રાખી. આમ વિદ્યુત પ્રવાહના સ્પંદનો લોખંડની પતરીમાં રુપાંતરિત થયા અને તે પતરીએ હવામાં સ્પંદનો ઉત્પન્ન થયાં આમ બીજી વ્યક્તિ પાસે સ્પંદનો પહોંચી ગયા અને તે બધું સાંભળવા લાગ્યો. આ ટેલીફોન વ્યવસ્થાને આપણે આપણા ધ્યેયને પામવા માટેનું ઈંન્ટરફેસ કહી શકે. આ ઇન્ટરફેસ નું કામ પરિસ્થિતિ અને ધ્યેયને જોડવાનું છે.

વિચારો મગજમાં ઉત્પન્ન થાય છે. વિચારોને વ્યક્ત કરવા માટે આપણું મોઢું કે જેમાં જીભ, હોઠ, દાંત છે. આપણા વિચારો મોઢાદ્વારા વ્યક્ત કરીએ છીએ. આ મોઢું એ આપણા વિચારો અને હવા વચ્ચેનો ઈન્ટરફેસ છે. આ હવાના સ્પંદનોને મોઢું સમજી શકતું નથી. તેને માટે કાન છે. જે હવાના સ્પંદનોને મગજમાં મોકલે છે. અને સમાન ભાષા તેને ઉકેલે છે. આ ઈશ્વરીય ઇન્ટરફેસ છે.

દરેક વ્યવસ્થાઓમાં અનેક ઉપપ્રણાલીઓ હોય છે. ટેલીફોન પ્રણાલીમાં પણ અનેક પ્રણાલીઓ વિકસી છે. મોઢાથી મગજ અને મગજ થી કાન સુધી પણ ઈશ્વરે અનેક પ્રણાલીઓ મુકી છે.

ઈશ્વરની પ્રણાલીમાં ક્ષતિ આવે તેને આપણે રોગ તરીકે ઓળખીએ છીએ. તેને માટે ઉપચાર કરીએ છીએ. આ ઉપચાર એક ઈન્ટરફેસ છે.

મનુષ્યનું ધ્યેય શારીરિક તંદુરસ્તીનું છે. અને જ્યારે ક્ષતિ આવે ત્યારે ઉપચાર કરીએ, આ ઉપચારની પ્રક્રિયાને આપણે “પથી” કે “શાસ્ત્ર” કહીએ છીએ.

જે પ્રક્રિયા કે પ્રણાલી, આપણને ધ્યેય સુધી પહોંચાડે તે પ્રક્રિયાને આપણે વાદ કે શાસ્ત્ર કહી શકીએ. ટૂંકમાં વાદ એક ઈન્ટરફેસ છે. અને તેની વિગતો એ એક પ્રણાલી છે. ઇન્ટરફેસ એ એક એવી પ્રણાલી છે જે ધ્યેય અને વ્યક્તિ બંનેને સમજે છે.

એક સવાલ ઉભો થશે.

આપણે આ સાધન કે વ્યવસ્થા કે શાસ્ત્રને સંક્રાંત વ્યવસ્થા કેમ કહીએ છીએ?

એવી તે શી જરુર પડી કે આપણે તેને સંક્રાંત કે ઈન્ટરફેસ કહેવી પડે? શું આમાં કોઈ ભાષા ક્ષતિ છે?

હોઈ શકે છે. વિદ્વાનો તેની ઉપર વિચાર કરી શકે છે. કારણ કે શબ્દનો અર્થ એ વર્ણન છે. અને આપણે વર્ણન તો કર્યું જ છે. એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જ્યારે જઈએ ત્યારે વચ્ચેના સમયને સંક્રાંતસમય કહેવામાં આવે છે. અને સંસ્ક્રાંત સમય એ એક એવો સમય છે જે તમને એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં લઈ જાય છે. આ સંક્રાત સમયને આપણે રસ્તો, શાસ્ત્ર, પ્રણાલી કે સાધન કહીએ તો શું ખોટું છે? રસ્તો એ એક અંતર છે. અંતર અને સમય જુદા નથી. અંતરને શરીર માપે છે. સમયને મગજ માપે છે. શરીર અને મગજ એક જ છે.

તો હવે કહો કે નવ્ય ગાંધીવાદને કેવી રીતે સમજીશું?

આ વસ્તુ સમજતાં પહેલાં આપણે બહુ જ ટૂંકામાં ત્રણે વાદને સમજી લેવા જોઇએ.

ત્રણેનું ધ્યેય શું છે?

ત્રણેયનું ધ્યેય તંદુરસ્ત અને સુખી સમાજ તરફ જવાનું છે.

તંદુરસ્ત એટલે શું અને સુખી એટલે શું?

શરીરને ક્યારે તંદુરસ્ત કહેવાય?

જો શરીરમાં કશી ક્ષતિ ન હોય અને તેના અંગ ઉપાંગો બરાબર કામ કરતા રહે તો તેને તંદુરસ્ત કહેવાય. જેમ શરીર તંદુરસ્ત તેમ તેનું ટકાઉપણું વધારે. એટલે કે આયુષ્ય વધારે.

INTERFACIAL HYPOTHESIS

સુખી એટલે શું?

સુખ એટલે આનંદ. આનંદ શારીરિક પણ હોય અને બૌદ્ધિક પણ હોય. અંતે તો મન જ આનંદિત થાય છે. બુદ્ધિ પણ શરીરનું અંગ છે. બુદ્ધિનું કામ જ્ઞાન મેળવવાનું છે. એટલે જેમ જ્ઞાન વધારે તેમ આનંદ વધારે.

જે પરિસ્થિતિ ઉભી કરવાથી વધુ આનંદ અને લાંબા સમયનો આનંદ મળે તે પરિસ્થિતિએ પહોંચવા માટે જે સામાજિક વ્યવસ્થા શાસ્ત્ર કામ લાગે તેને વાદ કહેવાય.

મૂડીવાદ શું કહે છે?

માનવ સમાજ માનવોનો બનેલો છે. પણ બધા માનવોના વલણો એક સમાન ન હોવાથી, દરેક માનવ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્યની પસંદગી કરે. કાર્યની પસંદગીની સ્વતંત્રતા દરેક માનવને હોવી જોઇએ. કાર્ય દ્વારા તેને બદલો મળે છે. જે વધુ ઉપયોગી કાર્ય (જેની માંગ વધુ હોય તેને વધુ ઉપયોગી ગણવું) કરશે તેને વધુ બદલો મળશે. આ બદલાનો સંચય કરવાની પણ તેને સ્વતંત્રતા રહેશે.

એક માનવ બીજા માનવને નુકશાન ન કરી શકે તે માટે માનવોનો સમૂહ નીતિ નિયમો બનાવી તેને નિયંત્રિત કરશે.. જનપ્રતિનિધિઓ, માનવની ક્ષમતા વધે તે માટેની વ્યવસ્થા પ્રણાલીઓ સ્થાપશે અને તેનું  નિયંત્રણ કરશે. જનપ્રતિનિધિની દ્વારા થતી વહીવટી વ્યવસ્થા પારદર્શક રહેશે.

સામ્યવાદ શું કહે છે?

માનવ એ સામાજીક પ્રાણી છે. અને તે સમાજને આધિન છે. તેથી સમાજને કેન્દ્રમાં રખાશે. આ વિચાર ધારાને માન્ય રાખનારાઓનું જનપ્રતિનિધિત્વ બનશે. તે વ્યવસ્થા ગોઠવશે. આ વ્યવસ્થા, ઉપયોગી વસ્તુનું ઉત્પાદન અને વહેંચણી કરશે. તે માટેની પ્રણાલીઓ અને વ્યવસ્થા ગોઠવાશે. કામની વહેંચણી કરાશે, ઉત્પાદન અને વિતરણ ઉપર નિયંત્રણ રાખાશે. વહીવટી વ્યવસ્થા જનહિતમાં, સ્થાપિત હિતોને ડામવા માટે હોવાથી, આ વહીવટી વ્યવસ્થાઓને પારદર્શક રાખવામાં આવશે નહીં

સર્વોદયવાદ શું કહે છે?

માનવ એ સમાજનો એક અંશ છે. સમાજમાં ફક્ત મનુષ્ય જ નહીં પરંતુ એક બીજાના આધાર ઉપર નભતી સમગ્ર ઈશ્વરીય સૃષ્ટિના દરેક સજીવ નિર્જીવ પદાર્થો ઈશ્વરીય વ્યવસ્થાનો અંશ છે. આ ઈશ્વરીય વ્યવસ્થા એ સમાજ છે. આ એક વૈશ્વિક સમાજ છે. આ સમાજનું સંતુલન જળવાઈ રહે અને મનુષ્ય સૌની સાથે સામુહિક આનંદ ભોગવી શકે તેવી જ વ્યવસ્થા ગોઠવાવી જોઇએ.

અત્યાર સુધીની દરેક વ્યવસ્થાઓએ સૃષ્ટિમાં અને માનવસમાજમાં પણ માનસિક અને ભૌતિક અસમાનતા સર્જી છે. તેથી વ્યવસ્થા અહિંસક અને શોષણહીન હોવી જોઇએ. ઉત્પાદન અને વહેંચણીના એકમોનો વહીવટ જેટલો વિકેન્દ્રિત રખાશે તેટલો અનુત્પાદક ખર્ચ ઘટશે.

ગામડાઓને મોટા અંશે સ્વાવલંબી બનાવવા પડશે. તેથી માનવ અને માલનો સ્થળાંતર કરવા માટેનો અનુત્પાદક ખર્ચ ઘટશે. વ્યવસ્થા એવી ગોઠવવી પડશે કે શહેરો અને ગામડાં એક બીજાના પૂરક બને. અસમાનતા એટલી હદે નહીં વધવા દેવામાં આવે કે જેથી એક માનવનો બીજા માનવ વચ્ચે કે અને એક  માનવનો સંસ્થા સાથે કે અને સંસ્થાનો માનવ  સાથે અસંવાદ કે વિસંવાદ ઉત્પન્ન થાય.

માનવના ઉત્કર્ષની શરુઆત છેવાડેના માણસના હિતને પ્રાથમિકતા ઉપર રાખી કરવામાં આવશે.

મનુષ્ય શું છે? ઉત્કર્ષ શું છે? સમાજ શું છે? ધ્યેય શું છે? સુખ શું છે? આનંદ શું છે? આ બધું જો વિસ્તારથી સમજવું હોય તો આજ બ્લોગ સાઈટ ઉપર ગાંધીવાદ અને અદ્વૈતવાદ ઉપરના લેખો સમય મળે તો વાંચવા.

હાલની પ્રવર્તમાન સ્થિતિને તંદુરસ્ત અને સુખી સમાજ તરફ કેવી રીતે લઈ જવો તે નવ્ય ગાંધીવાદ બતાવશે.

હાલ કેટલાક મૂર્ધન્યો “નવ્ય મૂડીવાદ” વિષે વિચારી રહ્યા છે. આપણા સામ્યવાદી ભાઈઓ “નવ્ય સામ્યવાદ” અમલમાં મુકી રહ્યા છે એમ કહી રહ્યા છે. તો આપણે નવ્ય ગાંધીવાદ વિષે વિચારીશું.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જ્ઞાન, સુખ, આનંદ, સમાજ, વાદ, ઉત્કર્ષ, તંદુરસ્ત, મૂડીવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ, પ્રણાલી, સાંપ્રત, ઈન્ટરફેસ, સમય, અંતર, વ્યાખ્યા, વર્ણન, ઉત્પાદન, વહેંચણી,  ઈશ્વરીય, વ્યવસ્થા

Read Full Post »

શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે?

હાજી ઘણા મૂર્ધન્યો અને દંભી માનવ અધિકાર વાદીઓ આવું જ કરવા માગે છે જેથી તેમને ખરીદી શકાય અને પોતાની સંસ્થાનો કારભાર ચાલુ રાખી શકાય.

આમ તો માંદગી અને ગરીબી કોઈને ન ગમે. પણ ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેમને પોતાની માંદગીની વાતો કરીને અપાર આનંદ મળતો હોય છે. ઘણા પૈસાપાત્ર લોકોનો આ એક શોખ હોય છે કે તેઓ પોતાની માંદગી અને દવાઓની વાતો સંભળાવ્યા કરે. પણ આ બધી માંદગીની વાતોમાં માંદગી ની વાત મૂખ્ય નથી હોતી. તેમાં થતા ખર્ચા પ્રત્યે પોતે કેવા સદ્ધર છે તે બતાવવું મુખ્ય હોય છે. જ્યારે માંદગી અતિગંભીર હોય ત્યારે તેજ વ્યક્તિમાં માંદગીની ચર્ચા કરવાના હોંશ રહેતા નથી.

આવું જ ગરીબીનું છે. ખાધે પીધે બહુ તકલીફ ન હોય તેવા સરખે સરખા લોકો પણ મોંઘવારીની વાતો કરતા હોય છે. પણ જ્યારે પૈસાની અત્યંત તકલીફ હોય ત્યારે તેમને હર્ષપૂર્વક પૈસાની તંગીની વાતો કરવાના હોંશ હોતા નથી.

અંગ્રેજોના સમયમાં ગુજરાતમાં અને દેશમાં ગરીબી હતી તે સમજી શકાય છે.કારણ કે તેઓ આપણો કાચો માલ દેશમાંથી નિકાલ કરતા હતા અને બનાવેલો માલ દેશમાં લાવીને વેચતા હતા. દેશનો પૈસો બહાર ઢસડાઈ જતો હતો. એ વાત ઉપર ભાર દઈને મહાત્મા ગાંધીએ સ્વદેશીની ચળવળ ચલાવેલ. વિદેશી માલનો બહિસ્કાર કરવાની પણ ઝૂંબેશ ચલાવેલ. વિદેશી માલના બહિષ્કારની ચળવળ તે વખતના ઘણા મૂર્ધન્યોના અને મહાન નેતાઓના સમજમાં ન આવેલ. તેઓના નામ આપવા જરુરી નથી. પણ તેમને અંતે તો એ વાતનો ખ્યાલ આવેલ કે મહાત્મા ગાંધીમાં આજનું, કે કાલનું જ નહીં પણ આવનારા ભવિષ્યના અનેક દિવસોનું દેશનું હિત વિચારવાની દૃષ્ટિ હતી.

ગાંધીજીનું અર્થશાસ્ત્ર એક સાંકળ જેવું છે. તે સાંકળને તમારે સ્વિકારવી હોય તો તેને તમારે આખે આખી સ્વિકારવી જોઇએ. જો તમે આમ કરો તો જ તમને તેના ઉત્કૃષ્ટ ફળ મળે. જો તમે તેની અમુક કડીઓને ન સ્વિકારો તો તે સાંકળ તૂટી જાય અને તમને ઉપયોગી ન જ થાય. તમને ખરાબ પરિણામો મળે અને અંધાધુંધી પણ મળે.

ભૂતકાળની વાત કરવાનો કશો અર્થ નથી. પણ ભૂતકાળની ભૂલોને યાદ ન રાખીએ અને તેને દૂર ન કરીએ તો તેનું પુનરાવર્તન થાય. જો આર્ષ દૃષ્ટિ હોય તો નવી ભૂલો ન થાય.

કુદરતી અધિકાર શું છે?

જીવવાનો અધિકારઃ મારો, તમારો અને સૌનો. સૌનો એટલે વધુ વિશાળતાથી અને પરિપક્વ સંવેદનાથી વિચારીએ તો પશુ, પક્ષીઓ, જીવ, જંતુઓ  અને વનસ્પતીઓ પણ આવી જાય. જોકે પ્રાથમિકતા મનુષ્યના જીવવાના અધિકારની આવે છે. બને ત્યાં સુધી મનુષ્ય સમાજને આપત્તિ ન આવે ત્યાં સુધી બીજા સૌ પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે. તેથી મનુષ્ય જાતિએ સજીવોના જીવવાના અધિકારને રક્ષવો જોઇએ.

આનંદનો અધિકારઃ મારો તમારો અને સૌનો. પણ મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં આનંદ માટે ખોરાક છે અને ક્યાં ક્યાંક ખોરાક અને પ્રેમ છે. વસુધૈવ કુટુંબકમ્‌.

અયં નિજઃ (અયં) પરઃ વેત્તિ, ગણના લઘુચેતષામ્‌

ઉદારચરિતાનાં, તુ વસુધૈવ કુટુંબકમ્‌

(આ મારો છે, આ પારકો છે, આવું જે વિચારે છે તે સંકુચિત મન વાળો છે. જેનું મન વિશાળ છે તેને માટે તો આખી ધરતી ઉપરના સૌ કોઈ કુટુંબીજન છે.)

સુરક્ષા અને જ્ઞાનઃ

મનુષ્ય એક એવું પ્રાણી છે જે વિશ્વ અને તેમાં બનતા બનાવો વિષે વિચારે છે. અને તેને સમજવાની કોશિસ કરે છે.

એટલે મનુષ્યને માટે બીજી બે વસ્તુઓ છે જે તેને આનંદ આપે છે.

(૧)સગવડ અને સુરક્ષિતતા, (૨) જ્ઞાન.

સગવડ અને સુરક્ષિતતા માં અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આવી જાય. અને જ્ઞાનમાં શિક્ષણ અને સંશોધન આવી જાય.

સગવડ અને સુરક્ષિતતા માટે માનવ સમાજે કાળક્રમે ઠેરવ્યું કે રાજ્ય આનું ધ્યાન રાખશે જેથી સમાજમાં સુલેહ શાંતિ જળવાઈ રહેશે. અને જ્ઞાન (શિક્ષણ) પણ જો સમાજ આપશે તો તેની વૃદ્ધિમાં વેગ આવશે. કારણ કે ફક્ત વિચારો કરવાથી વિશ્વને સમજવાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને તેમાં વૃદ્ધિ થઈ શકતી નથી. તેને માટે બીજા જ્ઞાનીઓની મદદ લેવી પડે છે. ઉપકરણોની પણ જરુર પડે છે.

જ્ઞાન માટેના ઉપકરણોનો પણ વિકાસ

જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના ઉપકરણો આપણી સુખ સગવડો અને સુવિધાઓ વધારવા માટે પણ વાપરી શકીએ છીએ. થયું એવું કે આ ઉપકરણોનો મોટાભાગનો ઉપયોગ સુખસગવડો અને સુવિધાઓ વધારવા માટે થયો.

એવી જાતની સમાજ રચના મંજુર રાખી કે જેમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને રહ્યો અને કાયદાઓ પણ એવા થયા કે જે મનુષ્યેતર પ્રાણી સૃષ્ટિમાં અલિખિત રુપે ચાલે છે કે જે પ્રાણી સક્ષમ હશે તે જ ટકી શકશે એટલે કે સક્ષમ પ્રાણીની પ્રજાતિ જ જીવન રુપી આનંદ મેળવી શકશે.

મનુષ્ય સૃષ્ટિમાં પણ એવું થયું કે જે સક્ષમ હશે તે જ સુખસગવડ ભોગવી શકશે. કાયદાઓ પણ ક્ષતિયુક્ત એવા થયા કે સિદ્ધાંત એવો થયો કે મનુષ્યની સ્વતંત્રતાને હાની થશે નહીં, સિવાય કે તેની સ્વતંત્રતા ભોગવવાની પદ્ધતિથી બીજાના અધિકારને નુકશાન થતું હોય.

ક્ષતિયુક્ત અર્થઘટનો અને પ્રણાલીઓ

તમે જુઓ સેંકડો ઉદ્યોગો પર્યાવરણના સંતુલનને, જમીનને, જળને  અને હવાને નુકશાન પહોંચાડી આસપાસના લોકોના આરોગ્યને નુકશાન પહોંચાડી રહ્યા છે. તમારે ઉદ્યોગ કરવો હોય તો હજાર જાતની મંજુરીઓ લેવી પડે છે. અને આ મંજુરીઓ પણ હંગામી હોય છે. જે તમારે બે પાંચ વર્ષે ફરીથી મંજુર કરાવવી પડે છે. આવું હોવાં છતાં જમીન, પાણી અને હવા દુષિત કર્યા કરવામાં આવે છે.

દુષિત હવા, પાણી ઉપર જીવનારાઓના આરોગ્ય ઉપર જોખમાય છે. તેમના જીવવાના હક્કને હાની પહોંચે છે. પણ આરોગ્ય ખાતું ઉદ્યોગપતિની ધરપકડ કરીને જેલમાં પૂરીને સજા નક્કી કરાવવાને બદલે તેને નોટીસ આપે છે અને કાર્યવાહી પ્રલંબિત કરે છે. જ્યાં સુધી કોઈ મોટો કાંડ ન થાય ત્યાં સુધી કશું અસરકારક થતું નથી. આમાં આરોગ્ય ખાતાના સરકારી નોકરો, પોલીસ, લેબર કમીશ્નર, ન્યાયાલય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીલીભગત હોય છે.

ઉદ્યોગપતિ શામાટે માનવીય આચાર સંહિતાનો ભંગ કરે છે?

ઉદ્યોગપતિ સમજે છે કે સક્ષમ બનવું એટલે વધુ પૈસા કમાવા અને વધુ પૈસા વાપરવા. પૈસા હશે તો કાયદાના અર્થઘટનોમાં ગુંચવાડો ઉભો કરી શકાશે. પૈસા હશે તો સરકારી નોકરો પાસે કાયદાકીય પ્રણાલીઓમાં છીંડા ઘુસાવી, દંડમાંથી છટકી શકાશે. પૈસા હશે તો પ્રતિસ્પર્ધીઓની સામે ટકી શકાશે. એટલે જો પૈસા કમાવા હોય તો વધુ ને વધુ નફો કરો. વધુ નફો કરવાના અનેક અમાનવીય રસ્તાઓ છે.

પૈસાનું મહત્વ અને સમસ્યાની સ્થિતિ “જૈસે થે” જેવી

સુખસગવડ અને સુવિધાઓ અને પૈસા કેટલા વધારવા જોઇએ તેની કોઈ કાયદાકીય સીમા નથી. કારણ કે આવી સીમા વ્યક્તિની સ્વતંત્રતાને હાની પહોંચાડે છે. કાયદાનો જે ભંગ થાય છે તેને અટકાવવા તો પ્રજાએ જ જાગૃત થવું પડશે. કાયદો કાયદાનું કામ કરે તે પ્રજાએ જોવું પડશે. સરકારી નોકરો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કામ નહીં કરે કારણ કે તેઓ પણ પ્રજામાંથી જ આવે છે. એટલે ઓળાઘોળ કરી સમગ્ર પ્રજા ઉપર દોષનો ટોપલો નાખી પ્રસાર માધ્યમના વિશ્લેષકો, મૂર્ધન્યો, વિવેચકો, રાજનીતિજ્ઞો પોતાની જાત પ્રત્યે ધન્યતા અનુભવે છે. એટલે મૂળવાત જ્યાં હતી ત્યાંની ત્યાં જ રહે છે.

જો સત્તાધારીઓ પાસે માનવીય અભિગમ હોય તો કોઈપણ પ્રણાલી કામ કરશે. પણ જો સત્તાધારીઓ પાસે માનવીય અભિગમ નહીં હોય તો કોઈ પણ પ્રણાલી કામ કરી શકશે નહીં. આનો જીવતો જાગતો દાખલો માહિતિ અધિકારને લગતો છે. કાયદો તો ભૂલભૂલમાં થઈ ગયો. પણ હવે તેને કેવી રીતે તદન નહોર વગરનો કરવો અને તે પણ રાજકીય પક્ષો માટે, એ આપણે જોઈ રહ્યા છીએ.

પણ આનો ઉપાય શું?

શ્રમનું મૂલ્ય અને ઉત્પાદનનું મૂલ્ય

આનો ઉપાય છે. બે ઉપક્રમ છે.

એક તો ઓછીને ઓછી દોષયુક્ત સરકાર લાવ્યા કરવી. અને શ્રમનું મહત્તમ અને લઘુતમ મૂલ્ય નક્કી કરવું.

નહેરુવીયન કોંગ્રેસ સરકારે ૫૬+ વર્ષના શાસન પછી પણ શ્રમનું લઘુતમ અને મહત્તમ મૂલ્ય કે કોઈપણ મૂલ્ય નક્કી કર્યું નથી. જો માનવીય શ્રમનું જ મૂલ્ય નક્કી થતું ન હોય તો બીજા ઉત્પાદનના મૂલ્યોની તો વાત જ શી થાય?

કોલસાના ક્ષેત્રો અપાયા અને શરતો નક્કી થઈ પણ તે ક્ષેત્રો એવી વ્યક્તિઓને અપાયા જેની કોઈ યોગ્યતા ન હતી. અને આ ક્ષેત્રો એ વ્યક્તિઓ દ્વારા બારોબાર વેચાઈ ગયા. કોલસો નિકળ્યો નહીં અને ૪૦૦ વર્ષ ચાલે એટલો કોલસો હોવા છતાં પણ કોલસાની આયાત કરવાની પરવાનગીઓ આપવામાં આવી. ૨-જી સ્પેક્ટ્રમ જે માટે વધુ તકનિકી જાણકારીની યોગ્યતા ખાસ જરુરી હતી પણ એવી પૂર્વ શરત રાખવામાં ન આવી અને ટોમ-હેરી-ડીકને વહેંચી દેવામાં આવી અને તેમણે બારોબાર ત્રીજાને વેચી દીધી.

 શું કાયદામાં આવી જોગવાઈ છે કે તમે મનફાવે તેમ ગમે તેને કોન્ટ્રાક્ટ આપી શકો? નાજી આવું કશું નથી. આમ તો મૂડીવાદી પ્રક્રિયામાં જો ટેન્ડર બહાર પાડો ત્યારે તેને ભરનારાની યોગ્યતા નક્કી કરવી પડે છે. તેનો અનુભવ લક્ષમાં લેવો પડે. તેની પાસેથી બાનાની રકમ લેવી પડે. અને આ બધું કર્યા પછી પણ આવેલા ભાવ જો બજારભાવ સાથે સરખામણી કરવા યોગ્ય ન હોય તો એને સ્વિકારી શકાતા નથી. વળી જો આવા જ કામ માટે એક વરસ પહેલાં ભાવ મગાવ્યા હોય અને તે ભાવનું ટેન્ડર અમલમાં હોય તો પણ સરકારી અધિકારી તે ભાવને મંજુર ન કરી શકે કારણ કે બજારભાવ જો ઓછા કે વધુ થઈ ગયા હોય તો જનતાનું હિત જળવાય તે પ્રમાણે ભાવ મંજુર કરવા જોઇએ. આ તો બહુ સામાન્ય સિદ્ધાંત છે. જો કોઈ સરકારી અધિકારી આ નિયમને અવગણો તો તે ગુનેગાર જ ગણાય. પણ આપણા મનમોહન સિંહ કે જેઓ દરેક ખાતા માટે ઉત્તરદેય અને જવાબદાર છે તેમણે સામાન્ય નિયમની પણ અવગણના કરી.

અધિકારીને પોતાના હોદ્દા અનુસાર કામ અને વસ્તુઓના સંપાદન-વહીવટ કરવા માટે આર્થિક સત્તા હોય છે પણ આ સત્ત્તા મનફાવે તેમ ઉપયોગ કરવાની હોતી નથી. આ સત્તા શુદ્ધ બુદ્ધિ અને વિવેકશીલતાના આધારે વાપરવાની હોય છે.

આખરે બધી સત્તા પ્રધાન અને વડાપ્રધાન સહિતના પ્રધાનમંડળ પાસે હોય છે. આ સત્તા થકીના નિર્ણયો પણ શુદ્ધ બુદ્ધિ અને વિવેકશીલતાના  આધારે કરવાના હોય છે. વડાપ્રધાન પાસે એવી સત્તા નથી કે તે તેના કોઈ પ્રધાનને મુનસફ્ફી પ્રમાણે નિર્ણયો કરવાની સત્તા આપી શકે. જો વડાપ્રધાન આવી સત્તા આપે તો ગેરબંધારણીય ગણાય. વડાપ્રધાન તેની બંધારણીય જવાબદારીમાંથી છટકી ન શકે. વળી જો તેના પ્રધાને શુદ્ધબુદ્ધિ અને વિવેકશીલતા વાપર્યા વગર નિર્ણય કર્યો હોય તો તેવા કિસ્સામાં વડાપ્રધાન પણ તે પ્રધાન જેટલો જ ગુનેગાર ગણી શકાય. જે કાર્યવાહી અને સજા પ્રધાનને થાય તેજ કાર્યવાહી અને સજા વડાપ્રધાનને થાય. આમાં કોઈ શક નથી. ૨-જીમાં અને કોલસા કૌભાંડમાં દિવા જેવી સ્પષ્ટ ગેરરીતિ થઈ તો પણ વડાપ્રધાનને આંચ ન આવી તે જ બાબત સિદ્ધ કરે છે કે અર્થઘટનમાં બેઈમાની આચરવામાં આવી. એટલે કે પ્રણાલી પોતે ક્ષતિહીન હોવા છતાં પણ પ્રણાલીને લાગુ કરવાની બાબતમાં રહેલી આચાર હીનતાને સમાચાર માધ્યમોએ અને સૌ કોઈએ વિવાદાસ્પદ બનાવી દીધી.

કામમાં રહેલા શારીરિક શ્રમના વપરાશ, જ્ઞાનરુપી શ્રમના વપરાશનું મૂલ્ય કેવી રીતે નક્કી કરશો?

પહેલાં તો આપણે એ નક્કી કરવું પડે કે માણસને સુખ સગવડ, આનંદ અને સુરક્ષા સહિત જીવવા માટે ઓછામાં ઓછા કેટલા પૈસા જોઇએ. આના આધારે મનુષ્યના આઠ કલાકના કામના શ્રમનું લઘુતમ મૂલ્ય નક્કી કરવું જોઇએ.

માણસને શું શું જોઇએઃ

રહેવાને ઘર જોઇએ. કેવડું ઘર જોઇએ? એક બેઠક રુપ, એક બેડરુમ, એક વાચન અને બાળકો માટેનો રુમ. એક મહેમાન માટેનો બેડ રુમ, રસોડું બાથરુમ અને સંડાસ. જો તમે સ્ટન્ડર્ડાઈઝ બાંધકામ કરો તો ૧૫’બાય૧૫’ ના ચાર રુમમાં બધો સમાવેશ થઈ જાય. એટલે કે ૧૦૦ ચોરસ મીટરનું મકાન (ફ્લેટ એટલે કે એપાર્ટમેન્ટ) જોઇએ. જો કોઈની પાસે આનાથી નાનું હોય તો તેના હાલના ઘરનો કબજો લઈ તેને સરકારે આવડું એપાર્ટમેન્ટ આપવું જોઇએ.

જો તમે ફેબ્રીકેટેડ ટાવર (બહુમાળી મકાન) બનાવો તો ઉપરોક્ત રહેઠાણ ઓછામાં ઓછું ૧૦ લાખ રુપીયામાં પડે. આમાં દિવાલો અને પેસેજ આવી જાય. સરકાર ફક્ત બહારની દિવાલો સાથે ૧૫’x૧૫’ ના ચાર ગાળાઓ જ આપશે.

એક કુટુંબમાં કોણ કોણ હોઈ શકે. પતિ પત્ની, બે બાળકો, અને માતા પિતા. પતિ-પત્ની બંને કમાતા હશે. અને માતા પિતાને પેન્શન આવતું હશે.

એક વ્યક્તિની આવક કેટલી હોવી જોઇએ? એક વ્યક્તિની માસિક આવક ઓછામાં ઓછી રૂ.૧૦,૦૦૦/- હોવી જોઇએ. એટલે એક કુટુંબની આવક રૂ.૩૦૦૦૦/- થઈ.

જોકે ઘણાને આ આવક વધારે પડતી લાગશે. પણ સુખપૂર્વક અને આનંદથી જીવવા માટે આ કંઈ વધારે ન જ કહેવાય. વળી આમાં પણ કામ પર જવા માટેના વાહનવ્યવહાર, માંદગીનો ખર્ચ અને ભણતરનો ખર્ચ સરકાર કે કામ આપનાર માલિક જ ભોગવશે.

પણ આટલા પૈસા લાવીશું ક્યાંથી?

ભારતમાં કુદરતી શ્રોતોની કમી નથી. માળખા કીય કામ તો ન બરાબર છે. આપણી પાસે વૃક્ષ વગરના પર્વતો છે. અફાટ સમુદ્ર છે. બાંધેલા કિનારા વગરની (રીવર ફ્રન્ટ વગરની) નદીઓ છે, કે જેમાંની ઘણી છીછરી છે, ઝોંપડ પટ્ટીઓ છે, પડું પડું થતા જુના મકાનો છે. સુકા, છીછરા બાંધ્યા વગરની કિનારી વાળા તળાવો છે, ન ખતમ થાય તેવી સૂર્ય અને પવન ઉર્જા છે, અફાટ રણ છે. રેલ્વે અને રસ્તાની બંને બાજુએ જોવા મળતા, વપરાયા વગરના જમીનના ટૂકડાઓ છે. વિકસાવ્યા વગરના અને વિકસાવી શકાય તેવા અગણિત પર્યટન સ્થળો છે. પોતાના પૂરથી લોકોને તબાહ કરતી નદીઓ અને સાથે સાથે મોટેભાગે કાયમ સૂકી રહેતી નદીઓ છે. પાણીની તંગી છે, જનતા ટ્રેનોમાં દબાઈને લટકીને મુસાફરીઓ કરેછે, ભણેલા બેકાર છે અને કામવગરના અભણ પણ છે. અનેક સમસ્યાઓ છે. પણ વાસ્તવમાં જોઇએ તો સમસ્યા એ પણ એક શ્રોત(કાચોમાલ)  અને કામ છે. વિજ્ઞાન ના વિકાસ માટે અસીમિત કામ છે. જ્યાં નજર દોડાવો ત્યાં કામ અને કામ છે.  એટલે જો કોઈ એમ કહે કે કામ નથી તો તે સૌથી મોટું જુઠાણું છે અથવા તો તે જૈસે થે ની સ્થિતિ ચાલુ રાખવામાં માને છે એટલે કે ભાગ લેતો કે ન લેતો જાણે અજાણે ઠગ છે.

તમે કહેશો કે કામ માટે પૈસા જોઇએ. પૈસા ક્યાં છે? પણ અર્થ શાસ્ત્રીઓ કહે છે કે કામની સામે તમે કરન્સી છાપી શકો છો. અને જેમ કરન્સીની પ્રવાહિતા વધે તેમ ઓછી કરન્સી જોઇએ. એક માણસની પાસે રહેલા ૧૦૦ રૂપીયા, જો ફરતા રહે તો કમસે કમ ૫૦૦૦ રૂપીયાનું કામ કરી શકે. વળી તમે જુઓ, વિદેશી બેંકોમાં ભારતીયોના ચારસો લાખ કરોડ રૂપીયા પડ્યા છે. આ બધા રૂપીયા આવ્યા ક્યાંથી?

શ્રમનું મહત્તમ મૂલ્ય કેટલું રાખવું જોઇએ?

આમ તો મારા સર્વોદયી મિત્ર બંસીભાઈ પટેલ ના કહેવા પ્રમાણે થોડી અસમાનતા તો રહેવાની જ. પણ આ અસમાનતા સંવાદહીન  બને તેટલી ન જ હોવી જોઇએ. એટલે કે હાથની આંગળીઓની જેમ અલગ અલગ તથા હળીમળીને પણ કામ કરી શકે તેટલી અસામનતામાં ખાસ વાંધો નથી. વ્યક્તિઓ સંવાદહીન કેવી રીતે બને છે. એકલતા (આઈસોલેશન) માણસને સંવેદનહીન પણ કરે છે. પહેલાંના સમયમાં જીવનની મોટાભાગની જરુરીયાતો માટે ગામ સ્વાવલંબી હતા એટલે ભાવો વધતા ન હતા. હવે માણસ આઈસોલેટેડ બન્યો હોવાથી સંવેદનહીન બન્યો છે. વસ્તુનું મૂલ્ય, લેનારની ગરજ અને વેચનારની ગરજના પરિણામી સ્વરુપ ઉપર આધાર રાખતું થયું છે. આનું એક શાસ્ત્ર તૈયાર થયું છે. વેચાણ વૃદ્ધિ પ્રબંધન શાસ્ત્ર. અને તેની સામે ઉપભોગતા હિત પ્રબંધન શાસ્ત્ર. અને આ બે બિલાડીઓને ન્યાય આપનાર સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલ વાનર ન્યાય પ્રબંધન પ્રણાલી છે.

શ્રમનું મૂલ્ય અને ઉત્પાદનનું? મૂલ્ય કોની ગરજ વધારે છે?

ટૂંકમાં જો તમે મહત્તમ શ્રમ મૂલ્ય નક્કી કરો તો ગેરમાર્ગે જતી કરન્સીની સ્થગિતતાને કે ગેરમાર્ગે જતી કરન્સીની પ્રવાહિતાને નાથી શકો છો અને તેને યોગ્ય દીશામાં વાળી શકો છો.

એટલે કે સમસ્યાની મૂળ વાત એ છે કે શ્રમનું મહત્તમ મૂલ્ય શું હોવું જોઇએ?

આ નક્કી કરવા માટે કેટલાક પરિબળોને લક્ષ્યમાં લેવા પડે.

કોણ લૂંટ કરે છે? અને કોને અમાપ પૈસા જોઇએ છે?

ઉત્પાદન કરનારા માલિઓને વધુને વધુ નફો જોઇએ છે કે જેથી તેઓ ધંધાનો વિકાસ કરી શકે અને સુખ સગવડો પણ ભોગવી શકે અને તેમના સંતાનો પણ આમ જ કરી શકે. તેઓ સંતાનોને તેની આવતી પેઢીઓને પણ નિશ્ચિંતતા બક્ષી શકે એટલું કમાવા માગે છે.

માણસે કેટલો નફો કરવો જોઇએ?

જો તમે ધંધો કરતા હો તો, આયકર વિભાગવાળા તમારી આવક ઉપર ૮ ટકા નફો તો ગણી જ લે છે. તમે કહેશો કે જો પૈસા ઉપર વરસે ૧૦ ટકા વ્યાજ મળતું હોય તો ૮ ટકા વાળો ધંધો કરશે જ કોણ?

પણ વાસ્તવમાં જો તમારી પાસે રૂ. ૧૦૦ હોય અને તમે તેને ઉત્પાદનમાં પ્રવાહિત કરો તો તમને ૮ ટકા મળે છે. એટલે તમારી ધંધાકીય સીમાની અંદર ભલે તે પ્રવાહિતા સમગ્ર દેશના પૈસાની પ્રવાહિતા જેવી એટલે કે ૫૦ ગણી ન હોય. પણ તે ૪ ગણી તો હોય જ. એટલે કે રૂ.૧૦૦૦ ના ટર્નઓવર ઉપર ઉત્પાદકને ૮૦ રૂપીયા મળે.

કરન્સીની પ્રવાહિતતા ચાર ગણી કઈ રીતે?

આપણે કેટલા માનવ દિન વપરાય છે તે જોઇએ

૧      માનવ અને કાચામાલ નું પ્લાનીંગ અને હેરફેર       ૫

૨      કામનું પ્લાનીંગ અને કામની વહેંચણી                ૧

૩      કામ ચાલુ   ૧૨x૭                                  ૮૪

૪      કામની ચકાસણી                                       ૭

૫      કામનું બીલ અને તેની ચૂકવણી માટે રજુઆત        ૧

( ૬ દિવસ બીલની ચૂકવણીની રાહ જુઓ)

કુલ દિવસ મજુર દિવસ                                    ૯૬ દિવસ

આમાં ૧૨ દિવસ મુકાર્દમના છે, જેમાં ૫ દિવસ મજુરની ગોઠવણના છે. ૬ દિવસ કામની દેખરેખના છે. ૧ દિવસ રજાનો છે. બાર મજુરો એક અઠવાડીયા માટે અને એક દિવસ રજાનો એટલે ૧૨ મજુરો સાત દિવસ માટે એમ ચુકવણી માટે ૮૪ દિવસ થયા.

મેનેજરના બે દિવસ છે. અને ૧૨ માનવ ના અઠવાડીયાના લેબર ૮૪ દિવસ છે.

આ વધુમાં વધુ સમય છે. ૧૨+૨ =૧૪ દિવસ અનુત્પાદક અને વહીવટી કામમાં ગયા. જે બીજા કામોમાં વપરાઈ શકે છે. તો પણ ૧૪ એટલે કે ૧૭ ટકા માણસો નિરીક્ષણ અને નિપૂણતામાં રોક્યા. જે બુદ્ધિનો ઉપયોગ કરે છે તે ઓછામાં ઓછા ૧૨ કલાક કામ કરે છે. જે મેનેજર છે તે બુદ્ધિનો ઉપયોગ સુવાના સમયને બાદ કરતાં બધા સમય માટે કરે છે. છતાં આપણે સમજો કે તે ૧૫ કલાક કામ કરે છે.

એટલે જો લેબરને ૧૦ હજાર મળે તો નિરીક્ષકને ૨૦ હજાર સુધી આપી શકાય. મેનેજરને ૪૦ હજાર આપી શકાય. જનરલ મેનેજરને ૬૦ હજાર આપી શકાય. અને પ્રમુખ મેનેજરને ૮૦ હજાર સુધી આપી શકાય. જેમણે પૈસા અને સાહસ રોક્યાં છે તેમને એક લાખ રૂપીયા આપી શકાય અને તેની ઉપર નફો પૈસા રોકાણકર્તાઓમાં વહેંચી શકાય. 

ધારો કે સ્ટેજ હજી એક વધુ છે તો ૧૭ ટકાના ૧૭ ટકા એટલે કે ૧ ટકો જનરલ મેનેજરનો ઉમેરાય. એટલે કે ૧૮ ટકા માનવ શક્તિ થાય. એટલે કે ૨૦ ટકા સમય વહીવટી કામમાં ગયો. આ ગાળો સમયનું પ્રબંધન યોગ્ય રીતે કરીને ઘટાડી શકાય છે. જો કામ મોટું હોય તો પણ આ પ્રમાણ ઘટે. એટલે કે જેમ સંસ્થા મોટી તેમ વહીવટ ખર્ચ ઘટે અને પગાર સારો આપી શકાય.

જોકે સરકારના ધારાધોરણ અલગ છે. સરકાર જો પોતે કોઈ એક કામ કોન્ટ્રાક્ટ ઉપર લે અને બીજાને તે જ કામ સબકોન્ટ્રાક્ટ આપે તો તે વ્યક્તિગત કેસમાં સરકાર, ૪૦ ટકા ચૂકવણું પોતાની પાસે રાખે અને અને સબકોન્ટ્રાક્ટરને ૬૦ ટકા આપે. પણ જો તે કોઈ સંસ્થાને આ કામ આપે તો તેને ૮૦ ટકા આપે. અને ૨૦ ટકા ચૂકવણું પોતાની પાસે રાખે.

કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી કમાણી કરી શકે? કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ કેટલા મોટા ઘરમાં રહી શકે?

જો કમાણીમાં નીચેની સીમા હોય તો ઉપરની સીમા પણ હોવી જોઇએ.

માણસની શ્રમ મૂલ્ય ઉપર આધારિત કમાણી માસિક એક લાખ કરતાં વધુ ન હોવી જોઇએ. જો કે આ એક લાખમાં ઘરનું ભાડું, કામ અર્થે કરાતો વાહનવ્યવહાર, દૂરસંચાર, વીજળી, પાણી, કુકીંગ ગેસ, ફર્નીચર અને રસોઈના ઉપકરણોનો સમાવેશ ન થવો જોઇએ. એટલે કે નોકરીની શરતોમાં આ સગવડ મફતમાં મળતી હોય તો તેને આવકમાં ન ગણવી જોઇએ. તેવીજ રીતે જેને આ સગવડો મફતમાં ન મળતી હોય તેની આવકમાં તેને કર ઉપર આવકના ૨૦ટકાની કર રાહત મળવી જોઇએ. પણ કરમાળખાની વાતો પછી કરીશું

એક માણસ મોટામાં મોટું કેવડું ઘર રાખી શકે અને વાપરી શકે?

એક માણસને બે એન્ટ્રી રુમ, એક બેઠક ખંડ, એક પ્રતિક્ષા ખંડ, એક ચર્ચા ખંડ, એક વાચન ખંડ, એક પુસ્તક ખંડ, એક લેખન ખંડ, એક શયન ખંડ, તેના બે બાળકો માટે એક એક ખંડ, ત્રણ મહેમાન ખંડ, તેના માતા પિતા માટે બે ખંડ, બે કિચન ખંડ, બે ભોજન ખંડ, બે પ્રસાધન ખંડ, એક વ્યાયામ ખંડ, એક ઉપાસના ખંડ, એક સફાઈ ખંડ – વોશરુમ (ત્રણ વોશીંગ મશીનો અને ત્રણ ડીશ વોશર મશીનો), એક એસી રુમ, ત્રણ ગેરેજ, ત્રણ ગેલેરી. આમ ૨૪ રુમ થયા. ત્રણ ગેરેજ અને ત્રણ ગેલેરી એ ત્રણ દીશા ખુલ્લી હોય એવા એપાર્ટમેન્ટની આ વાત છે. પાંચ માળથી કોઈ ઓછામાળ વાળું મકાન બાંધવાની છૂટ્ટી ન હોવી જોઇએ. અને પાર્કીંગ ની સગવડ ફ્રન્ટ યાર્ડ કે બેક યાર્ડમાં ન હોવી જોઇએ. પાર્કીંગ મકાનની અંદર જ હોવું જોઇએ.ગેસ્ટકાર પાર્કીંગ પણ મકાનની અંદર જ હોવું જોઇએ.

આ મહત્તમ વ્યક્તિગત મકાનની વાત થઈ.

કોઈ કંપની તેના કામદારને મોટામાં મોટું કેવડું મકાન ભાડે આપી શકે?

એક પ્રવેશ ખંડ, એક પ્રતિક્ષા ખંડ, એક બેઠક ખંડ, એક ચર્ચા ખંડ, એક શયન ખંડ, એક સંતાન શયન ખંડ, એક મહેમાન ખંડ, એક કીચન, એક સફાઈ ખંડ, એક પ્રસાધન ખંડ, એક ગેલેરી, બે કાર પાર્કીંગ. એટલે કે ૧૦ ખંડ ગેલેરી અને કાર પાર્કીંગ થયા. બધા ખંડ ફુલ્લી ફર્નીશ્ડ રહેશે. નવા આગંતુકને કિચન નવું ફર્નીશ્ડ મળશે. પણ બીજા બધા રુમ માં ફક્ત કવરો જ બદલાવીને અપાશે. કંપની કે સરકાર બે કાર આપશે અને બે શોફર આપશે.

ખંડનું કદ કેટલું  રહેશે?

કોઈ પણ ખંડ ૧૫’ બાય ૧૫’ થી મોટો એટલે કે ૨૫ ચોરસ મીટર થી મોટો નહીં હોય. ૧૫’x૧૫’ ના ગાળાઓ જ આપાશે. તેને તમે એક વખત માટે મરજી પ્રમાણે વિભાગો પાડો. આમાં ફેરફાર કરાવવો હશે તો તેનો ખર્ચ કંપની કે સરકાર આપશે નહીં.

આથી મોટું રહેઠાણ કોઈને પણ ન તો સરકાર કે ન તો કંપની ભાડે આપી શકશે. એટલે કે કોઈને સ્વતંત્ર બંગલો મળશે નહીં. સંકુલમાં જ એપાર્ટમેન્ટ આપી શકાશે. આ સંકુલો બધી રીતે સુરક્ષિત હશે. આ પ્રમાણે, મોટા સરકારી અફસરો, પ્રધાનો, પ્રમુખો, ગવર્નરો, વિગેરે સૌ કોઈ આથી મોટા મકાનોમાં રહી શકશે નહીં. 

હવે બીજી વાત ને જોઇએ.

એક નિપૂણ કારીગર છે.

તે ૩૩.૩૩ ટકા માલની કિમત ઉપર મજુરી લે છે. તે રૂપીયા ૧૦૦૦૦/- ના કાચામાલ ઉપર ૩૩૩૩ રૂપીયા મજુરી લે છે.

એટલે કે બની ગયેલી આઈટેમની કિમત ૧૩૩૩૩ ઉપર મજુરીની કિમત ૩૩૩૩/- થઈ.

આ કામ તેણે ત્રણ દિવસમાં કર્યું. આમાં તેને એક મદદનીશ રાખવો પડ્યો. નિપૂણ કારીગરનો રોજ રૂ. ૧૧૧૧ થયો.

તેણે તેના મદદનીશને ૧/૩ ભાગ આપ્યો. એટલે કે મદદનીશનો રોજ ૩૭૦.૩૩ થયો. ૨૫ દિવસની તેની આવક ૨૫ ગુણ્યા ૩૭૦.૩૩ થઈ. એટલે કે રૂ. ૯૨૫૮.૩૩ થઈ. આને ૧૦ હજાર કરવા માટે ૭૪૨ ઉમેરવા પડે.

રૂ. ૧૩૩૩૩ માં ૭૪૨ ઉમેરો એટલે કે ૧૪૦૭૫ પાકા માલની કિમત થઈ. આમ પાકામાલની કિમતમાં લઘુતમ વેતન લાગુ પાડવા માટે માલની કિમતમાં સાડા પાંચ ટકાનો વધારો કરવો પડે. આ એક ટેબલ કે શેટી બનાવવાની વાત છે. જે હાલના બજાર ભાવ પ્રમાણે છે.

નિપૂણ કારીગરને શું મળે છે?  નિપૂણ કારીગરને રૂ. ૨૨૨૨/- ત્રણ દિવસના મળે છે. પણ તેનો એક દિવસ ગણત્રી કરવામાં, પ્લાનીંગ કરવામાં, મજુર નક્કી કરવામાં, લાકડું લાવવામાં ગયો. એટલે કે તેના ચાર દિવસ ગયા. તેને જે ૨૨૨૨ મળ્યા તેને ૪થી ભાગવા પડશે. એટલે કે તેને રૂ. ૫૫૫.૫ નો રોજ મળ્યો. એટલે કે માસિક ૧૩૮૮૮ મળ્યા કહેવાય. આ નિપૂણ કારીગર સમયનો પ્રબંધ યોગ્ય રીતે કરીને રૂ. ૧૫૦૦૦ કમાઈ શકે. જો તે ત્રણ કારીગર રાખે તો એક દિવસમાં કામ પૂરું થાય. તે દરેક કારીગરને ૩૭૦ લેખે ૧૧૧૧ રૂપીયા આપે. તો તેને પોતાને ૨૨૨૨ મળે. અને તેનો એક દિવસ માલસામાનની ગણત્રી અને હેરફેરમાં ગયેલ. એટલે તેને રોજના ૧૧૧૧ મળ્યા કહેવાય. એટલે કે ૨૫ દિવસના એને ૨૭૭૭૫ રૂપીયા મળ્યા. એટલે કે મહિનાના ૨૭૭૭૫ રૂપીયા મળ્યા.

પણ આ દરેક માટે હમેશમાટે શક્ય નથી. કારણ કે એવા પણ દિવસો આવે કે મજુર કારીગરને કામ ન પણ મળે. જો સરકાર એક નિરીક્ષક અને કામની વહેંચણીની એજન્સી તરીકે વ્યવસ્થા ગોઠવે તો છૂટક કામોમાં મજુરોને અને નિપૂણ મજુરોને કારીગરોને ફાયદો થાય. સરકાર ગુણવત્તાના ધોરણો નક્કી કરે તો ઘરેલુ કામોમાં કારીગરોને આજના બજાર પ્રમાણે પણ ફાયદો થાય. કારણકે મજુરોના પડતર દિવસો ઘટે.

આળસુ અને હળવા કામ જ પસંદ કરવાવાળા માણસોનું શું કરવું?

પાથરણા વાળા, લારી વાળા, સાવરણાવાળા, કોથળાવાળા, પૉલીશવાળા, અર્ધ ભિક્ષુકો અને પૂર્ણ ભિક્ષુકો જેવા લોકોને કેવી રીતે ઉંચા લાવવા?

ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આ લોકો મહેનત કરવા માગતા નથી. જેઓ સાવરણાવાળા/ળી કે કોથળાવાળા/ળી છે તેમને પાવડા-ત્રીકમ ઉઠાવવા ગમતા નથી. જેઓ વેચાણ વાળા પાથરણાવાળા અને લારીવાળા છે તેમને પણ પોતાનું મહેનત વગરનું કામ બહુ ગમે છે. તેમને કોઈ આકાંક્ષા નથી, સિવાય કે વગર મહેનતે જે કંઈ પાંચ દશ પચીસ રુપીયા મળે તે તેમને પુરતું લાગે છે.

આમાંના જેઓ પરપ્રાંતના હોય છે તેઓ પાર્ટટાઇમ આ ધંધો કરે છે. અથવા તો કોઈ દુકાનદાર કે ફેક્ટરીનો માલ વેચે છે. જેઓના માબાપ અભણ છે તેમના અભણ સંતાનો પણ આ કામ કરીને માબાપને મદદરૂપ થાય છે. આ લોકો દ્વારા મોટા ભાગે ફેક્ટરીઓનો રીજેક્ટેડ કે ચોરેલો માલ વેચાય છે. તેઓ ફેક્ટરીઓના કે વેપારીઓના અર્ધકામગાર હોય છે. તેમને આ મહેનત વગરની નોકરી પસંદ હોય છે. અમુક રોંજીન્દી આઈટેમો દુકાનવાળાઓ, ફેક્ટરીવાળાઓ કે કબાડીઓ પાસેથી રોકડે કે ઉધાર લેવી, અને પછી તેને ફેલાવીને બેસી જવું અને આરામથી ઘરાકની રાહ જોવી અને તેના માલિકે કહેલા ભાવે કે થોડા વધારે ભાવે વેચવી. આવી નોકરી કોને ન ગમે? પોલીસવાળાને રોડનો કે એરિયાનો ગુન્ડો સંભાળી લે અને ગુન્ડાને માલિક સંભાળી લે, અને છાપાંવાળાને ગરીબીના બેલી માનવહિત રક્ષકો સંભાળી લે. અને કહે કે “… ભાઈ … આ લોકો ચોરી તો નથી કરતાને … પછી શું છે? સરકાર એમને નોકરી તો આપતી નથી તેથી નાનો નાનો ધંધો કરીને પેટનો ખાડો પૂરે છે…  તેઓ લૂંટફાટ નથી કરતા માટે તેમનો આભાર માનો….” 

આ લોકોને કેવીરીતે થાળે પાડી શકાય?

આ લોકોને જો ભણાવવામાં આવે તો તેઓ દેખા દેખીમાં ચોક્કસ સન્માર્ગે વળે.

જ્યાં પણ નવા વ્યાપારી સંકુલો બને તેમાં ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર અલગ રીતે તેમના લારી ગલ્લા અને પાથરણા માટે સંક્રાન્તિ સમયપૂરતી જગ્યા ફાળવવી જોઇએ. તેમજ તેમને ભણાવવાની અને સુઈ જવા પુરતી જગ્યા આપવી જોઇએ. (જુઓ લારી ગલ્લા વિષેનો લેખ …… )

જેઓ પરપ્રાંતમાંથી હરાયા ઢોરની જેમ આવે છે તેમની ઉપર લઘુતમ વેતન નો નિયમ લાગુ પડશે નહીં. તેઓ ઘર વગર (ખરીદીને કે ભાડે લીધા વગર) બેકાર તરીકે પરપ્રાંતમાં પ્રવેશી શકશે નહીં. તેઓ તેમના ઘરવાળા મિત્રની પાસે મહેમાન તરીકે જ આવી શકશે. જો કે એવો કોઈ કાયદો નથી કે તમે પરપ્રાંતના લોકોને રોકી શકો. પણ તમે તેમને અને કોઈને પણ ગેરકાયદેસર કબજો કરતા રોકી શકો છો. તમે તેમને રોજના રૂ. ૫ કે રૂ. ૧૦ લઈ સુવાની સગવડ આપી શકો.

જો તેઓ આ પૈસા પણ ન ભરી શકે તો તમે તેને ભિક્ષુક ગૃહમાં મોકલી શકો છો. અહીં તેમની પાસે મજુરીનું કામ કરાવાશે અને જમવાની અને સુવાની સગવડ મળશે. ભણવાની સગવડ મળશે નહીં. લઘુતમ વેતનની સગવડ પણ મળશે નહીં. કારણકે તે તેમના માતૃપ્રાંતના રાજ્યની જવાબદારી છે. જો તેઓ ગુજરાતી ભાષા ભણીને ૧૦મી શ્રેણી પાસ કરશે તો તેમને ગુજરાતના લઘુતમ રોજીના અને બીજા બધા જ હક્કો મળશે.

ઘરકામ કરનારા કામગારોનું શું કરવું?

ઘરકામ કરનારાઓ અને ચોકીદારો મોટેભાગે અભણ હોય છે.  આ લોકો કાંતો ડુંગરપુરીયા, કે અભણ રબારણ, વાઘરી, ભરવાડણ, ઠાકરણ, કોળી કે એવા સમકક્ષ હોય છે. તેમને આવી હળવી નોકરી જ કરવી હોય છે. ડુંગર પુરીયાઓ હોળીમાં અને વરસાદની ઋતુમાં  રાજસ્થાન કે પંચમહાલમાં પોતાના ખેતરમાં કામ કરવા પહોંચી જાયછે. હવે જોકે તેઓ ઓછા થઈ ગયા છે કારણ કે તેઓ નોકરીએ લાગી ગયા છે. પણ સ્થાનિક ઘરકામ કરનારા/રીઓ ને સારી સ્થિતિમાં લાવવાનો કોઈ ખાસ ઉપાય હોય તો તે એ છે કે તેમના સંતાનોને કોઈપણ રીતે શિક્ષણ આપો. ગામડામાં અને શહેરમાં રહેતા ગરીબો વહેમ અને લેવડ દેવડના ખોટા રીત રીવાજોમાં બહુ માને છે. તેઓ દેવું પણ કરે છે અને દારુ પણ પીવે છે. લોનના પૈસા પોતાના વ્યવસાયમાં વાપરવાને બદલે બીજા સામાજીક કામોમાં વાપરી નાખે છે. પછી દેવું ન ભરી શકતાં આત્મહત્યા કરે છે.

મધ્યમ વર્ગના અને ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ માટે ઘરકામ કરનાર એક વ્યાપક અનિવાર્યતા બની ગયેલી છે. આ ઘરકામ કરવા વાળા સ્થાનિકોને વધુમાં વધુ ૫ થી ૬ હજાર મળે છે. તેઓ છકડામાં બેસીને આવે છે. એટલે ૫૦૦ રૂપીયા તો તેમના આમાં જ જતા. તેઓ તેમના સંતાનોને પણ આમાં જોતરે છે. આ લોકોને ગૃહ ઉદ્યોગશાળામાં દાખલ કરી દેવા જોઇએ જ્યાં તેઓ ભણી પણ શકે અને કમાઈ પણ શકે. ચાની લારીવાળાઓને ત્યાં પણ નાના બાબલાઓ કામ કરતા હોય છે. તેમને પણ ગૃહ ઉદ્યોગ શાળા દાખલ કરી દેવા જોઇએ. ગૃહ ઉદ્યોગની બનાવટ વાપરવી, સરકારી ઓફિસો અને કોર્પોરેશનની ઓફિસોમાં ફરજીયાત કરી દેવી જોઇએ.

જો આવું કરીશું તો ગૃહિણીઓ અને ચાની લારીવાળા કે ગલ્લાવળા શું કરશે?

લારીવાળા, ગલાવાળા, ખુમચાવાળા, પાથરણાવાળા એ દબાણ છે. અને તેમને જાહેર સ્થળો ઉપરથી દૂર કરી, સંકુલોમાં ખસેડી દેવા જોઇએ. તેઓને ભણાવીને નિકાલ કરી દેવો જોઇએ.

ગૃહિણીઓના પ્રશ્નો આળસના છે. તેમણે સફાઈના મશીનો વસાવી લેવા જોઇએ. રહેવાની આદતો બદલવી જોઇએ. ધૂળ કેમ ઓછી થાય.? શહેરની કે ગામડાની ધૂળ ૯૯ ટકા ઓછી કરી શકાય.છે અને ઉષ્ણતામાન ૧૦ ડીગ્રી ઓછું કરી શકાય. આ એક અલગ વિષય છે.   

સરકારી ઓફિસોમાં, સરકારી દવાખાનાઓમાં અને સંકુલોમાં જે સફાઈવાળા રાખવામાં આવે છે તેઓ કામ કરવામાં દગડા હોય છે. સંડાસ તીવ્ર વાસ મારતાં હોય. સાહેબો પોતાની કેબિનમાં અલગ સંડાસ રાખતા હોવાથી તેઓ આ ગંદકી પ્રત્યે બેધ્યાન રહે છે. તેથી કાંતો તેમના અલગ સંડાસ દૂર કરવા જોઇએ અથવા તેમનો ગંદકી બદલ દંડ થવો જોઇએ. ઘણી જગ્યાએ સરકાર કોઈ એજન્સીને સફાઈનો કોન્ટ્રાક્ટ આપે છે. તે કામદારોને પાર્ટ ટાઈમ રાખે છે અને પગાર ઓછો આપે છે. જે એજન્સીઓ લઘુતમ વેતન ન આપતી હોય કે સફાઈ બરાબર ન થતી હોય તો તેને અસરકારક પેનલ્ટી લાગુ પાડવી જોઇએ. અને ત્રીજી વખત ગેરરીતી થાય તો તેનું લાયસન્સ રદ થવું જોઇએ. એજન્સીઓ પોલીસ વેરીફીકેશન થયેલા કામદારોને જ રજીસ્ટર્ડ કરશે.

શિક્ષણ પદ્ધતિમાં ફેરફારઃ

કામનો તૂટો નથી. ઉદ્યોગોને શિક્ષણની જવાબદારી સોંપો. તેઓ તેમના કર્મચારીઓના બાળકોને અને આસપાસના વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપે અને તેમને તેમની ફેક્ટરીને કામ લાગે તેવું કામ પણ શિખવે. ફેક્ટરી ઉદ્યોગોવાળા સ્થાનિકોને રોજગારમાં પ્રાથમિકતા આપે. તેઓનો શૈક્ષણિક ઉદ્ધાર પણ તેઓ જ કરે.

પ્રાથમિક શિક્ષણ ફરજીયાત છે. તેની સાથે ગૃહ ઉદ્યોગ શિખડાવવા જોઇએ. ખાદી પહેરવી ફરજીયાત કરી દે તો શાળાઓ કંઈક અંશે આત્મનિર્ભર બને. ગરીબ વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાઓ ખોલવી જોઇએ. તેથી ગરીબના સંતાનો સહેલાઈથી ભણવા આવી શકે. બાબલાંઓને અંગ્રેજી પણ ઘનિષ્ઠતા પૂર્વક શિખડાવવું જોઇએ. જેથી તેઓ પૈસાદારોના બાળકો પાસે નાનમ ન અનુભવે. પ્રાથમિક શિક્ષણ માં જ સફાઈ, સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સૌજન્યતા, નિયમિતતા, નીતિમત્તા, બચત અને શ્રમના મહિમાના પાઠ ભણાવવા જોઇએ. શ્રેષ્ઠ શિક્ષકો પ્રાથમિકશાળામાં જ હોવા જોઇએ. પ્રાથમિક શિક્ષણ દરમ્યાન તેમના અવારનવાર મનોવૃત્તિની ચકાસણી જુદી જુદી સંસ્થાઓ દ્વારા થતી રહેવી જોઇએ. જેથી તેઓ આગળ જતાં યોગ્ય વિષયની લાઈન પકડી શકે.

ગરીબી ચાલુ ન રાખવી હોય તો

ખેતી ઉપરનું ભારણ ઓછું કરવું જ પડશે. વનવાસીઓએ પણ ભણીગણીને નવા કામો શોધવા પડશે. જો આવું કરવામાં ન આવે તો ગરીબી હઠે નહીં. આપણી ગ્રામ્ય સંસ્કૃતિ, વનસંસ્કૃતિ, ગોપાલ, ગોચર, ગોધૂલી, પનિહારી, વિગેરેની કવિતાઓનો આનંદ લેવો સારો લાગે છે. પણ મૂર્ધન્યોનો આ આનંદ તો ગરીબોને ગરીબ રાખવાનું જ કાવતરું કહો તો કાવતરું, રાજકારણીય ખંધાઈ કહો તો ખંધાઈ અને ટૂંકી દૃષ્ટિ કહો તો ટૂંકી દૃષ્ટિ જ છે. જો ખેડૂ જગતનો તાત એવી વાતો કર્યા કરીશું તો આર્થિક અસમાનતાના પરિણામો થી દેશમાં અનેક સમસ્યાઓ ઉમેરાશે. એટલું જ નહીં અરાજકતા અને ખૂનામરકી ફેલાઈ જશે.

આ બધું રોકવા, મોટા મોટા બહુમાળી સંકુલો જ બનાવવા પડશે, ગ્રામ્યવિસ્તારોને સંકુલોમાં ફેરવી જમીન ખેતી કે ફસલ માટે ઉપલબ્ધ કરવી પડશે, પડું પડું થતા શહેર અને ગામના મકાનોને તોડીને સંકુલો બનાવવા પડશે, મકાનના બાંધકામમાં વપરાયેલી જમીન ઉપર જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ ટેક્ષ લગાવવો પડશે. બહુમાળી મકાનો કરવાથી ટેક્ષ ઓછો થશે. સ્વતંત્ર બંગલાઓ અને ફાર્મ હાઉસો ઉપર અપાર ટેક્ષ નાખવો પડશે. જો આમ કરીશું તો જ જમીન ફાજલ પડશે. કોઈ પણ જમીનને બીનઉપયોગી ત્રણ માસથી વધુ રાખી શકાશે નહીં. તેના ઉપર ઉત્પાદન કરવું પડશે. પડતર જમીન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કબજો લેવો પડશે, આ જમીનનો ઉપયોગ શાકભાજી વાવવા કરવો પડશે.

ખેડૂતોએ ભેગા થઈ અનાજને પેક કરવા માટેના સહિયારા મશીનો વસાવવા પડશે અને શહેરમાં વેચવા માટેની સહીયારી દુકાનો ખોલવી પડશે. સ્વાવલંબી વિસ્તારો આંકવા પડશે, શાક ભાજીને ગેલેરીમાં અને અગાશીમાં ઉગાડવા પડશે. મલ્ટીલેયર ખેતી કરવી પડશે. જમવાની આદતો બદલવી પડશે. શાકભાજી અને ફળોનો વપરાશ વધે તેવી આદતો કેળવવી પડશે. કારણ કે આ મલ્ટીલેયર ઉત્પાદન છે. કારણ કે તે વૃક્ષ છે અથવા ઓછી ઉંચાઈના છોડ છે. જે ઓછી ઉંચાઈના છોડ છે તેને મોટા ઝાડ નીચે કે ગેલેરીમાં ઉગાડી શકાય છે. તેને મલ્ટીલેયર બનાવીને પણ ઉત્પાદન કરી શકાય છે. માંસાહાર બંધ કરવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ વનસ્પત્યાહારી પ્રાણીઓને જ ખાય છે અને તેમને ઉછેરવા તેમના ખોરાક માટે મનુષ્ય કરતાં છ ગણી જમીન વપરાય છે.

આ બધું કરવા ઉપરાંત સુવિધાઓના ઉપકરણોના નાવિન્ય ઉપર અંકૂશ મુકવા પડશે. એટલે કે જે ઝડપે ટેક્નોલોજીનો વિકાસ થાય છે તે જુના મોડલોને રદબાતલ કરે છે. જુના મોડલો ભંગારમાં જાય છે. આ એક વ્યય છે. વિજ્ઞાન ના વિકાસ માટેના ઉપકરણો અને માનવની સુવિધા, સગવડ અને શોખ માટે ઉપકરણોમાટેના ફંડમાં ક્યાંક ભેદ કરવો પડશે. પ્રધાન્ય વિજ્ઞાન, માળખાકીય સગવડો અને આનંદ (પ્રવાસન અને કળા) ને આપવું પડશે.

આપણે સમજવું પડશે કે માણસ અંતે તો આનંદ માટે છે. આ આનંદ, જ્ઞાન, સુરક્ષા અને સુખસગવડ, સંવાદ, કલા પ્રદર્શન, રમતગમત અને પ્રવાસ દ્વારા મળે છે. સ્પર્ધા અને અસંવેદનશીલતાથી નહીં.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શ્રમ, ઉત્પાદન, મૂલ્ય, મહત્તમ, લઘુતમ, એપાર્ટમેન્ટ, વધુમાં વધુ, સગવડ, સુખ, આનંદ, સ્પર્ધા, પડતર, જમીન, બહુમાળી, સંકુલ, મલ્ટીલેયર, ફળ, શાકભાઈ, માળખાકીય, કામ, ઉપકરણો, વિજ્ઞાન, પ્રણાલી, ક્ષતિયુક્ત, માનવીય

 

Read Full Post »

Older Posts »

%d bloggers like this: