Feeds:
Posts
Comments

Posts Tagged ‘પ્રદેશવાદ’

“દંભી પક્ષના નેતાઓને હરાવો” રાષ્ટ્રવાદીઓના નવા વર્ષના સંકલ્પો

“દંભી પક્ષના નેતાઓને હરાવો” રાષ્ટ્રવાદીઓના નવા વર્ષના સંકલ્પો

 (૧) પહેલાં એ સમજી લો કે ઈન્દિરા નહેરૂવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.) ના પ્રવર્તમાન એક પણ નેતાઓએ, તેમના બાપાઓએ, દાદાઓએ કે પરદાદાઓએ સ્વાતંત્ર્યની લડાઈમાં કશું ખાસ જ યોગદાન આપેલું નથી. જે પણ કોઈ ગણ્યા ગાંઠ્યા નેતાઓએ થોડો ઘણો ભાગ ભજવેલ તેઓએ તેનું વ્યાજ સાથે જ નહીં પણ યોગદાન કરતાં હજાર ગણું કે લાખ ગણું વટાવી લીધું છે.

Paint02

એવા જૂજ લોકો બચ્યા છે કે જેમણે સ્વાતંત્ર્યની લડત જોઇ હોય કે તેને વિષે સાચી માહિતિ હોય. હાલની જે કંઈ સમસ્યાઓ છે તેમાંની કેટલીક અંગ્રેજી શાસકોએ ઉત્પન્ન કરી છે અને બાકીની નહેરુ અને તેના ફરજંદોએ ઉત્પન્ન કરી છે અને બધી જ સમસ્યાઓને વિકસાવી છે.

(૧.૦૧) હિન્દુ મુસ્લિમ સમસ્યાઃ

અંગ્રેજોએ ઉભી કરી હતી. નહેરુએ તેને જીવતી રાખી હતી. ઈન્દિરા ગાંધીએ તેને વિકસાવી હતી અને તેના ફરજંદોએ તેને બહેકાવી છે. અને આ બધું તેઓ ધર્મનિરપેક્ષતા, ભગવા કરણ, હિન્દુ આતંકવાદ, હિન્દુ પાકિસ્તાન, અસહિષ્ણુતા અને અસામાજીક તત્વોના ટોળાદ્વારા થતી હિંસાને હિન્દુઓ ઉપર ઢોળીને, હિન્દુઓમાં આવી હિંસા વ્યાપક છે તેવો પ્રચાર કરે છે. વાસ્તવમાં આ વહીવટી સમસ્યા છે જે સામાન્ય રીતે ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) શાસિત રાજ્યોમાં બનેલી છે.

ભારતમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા પચાસના દશકામાં મૃતપ્રાય અવસ્થામાં હતી. પણ પાકિસ્તાનના સરમુખત્યારી શાસકોએ લંબાવેલા દોસ્તીના હાથને નહેરુએ તરછોડીને પાકિસ્તનની અંદર હિન્દુઓ માટે સમસ્યાઓ ઉભી કરેલ અને પાકિસ્તાનમાંથી ફરી એક વખત હિન્દુઓની હિજરત ચાલુ થયેલ. તે પછી ઇન્દિરા ગાંધીએ ભારતમાં ૧૯૬૯માં અમદાવાદમાં ૧૯૬૯માં હિન્દુ-મુસ્લિમ હુલ્લડ કરાવીને ભારતમાં હિન્દુ મુસ્લિમ અલગ છે તેવી ભાવના ઉભી કરેલ.

ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન જે બે કરોડ બાંગ્લાદેશી હિન્દી ભાષી બિહારી મુસ્લિમ ઘુસણખોરોને ઘુસવા દેવામાં આવ્યા છે. હવે તેઓને નાગરિકતા આપવા માટે, આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ અને તેણે ઉત્પન્ન કરેલા પક્ષો ચળવળ ચલાવે છે. તે ઉપરાંત રોહિંગ્યા ઘુસણખોરો જેમાં મુસ્લિમ આતંકવાદીઓ પણ સામેલ છે તેમને માનવતાવાદના નામે આશરો આપવો તેવી પણ ચળવળ ચલાવે છે. આજ મુસ્લિમોએ રોહિંગ્યાઓને કાશ્મિરમાં વસાવ્યા. કારણ ફક્ત એટલું કે તેઓ પણ મુસ્લિમ છે.

અને તમે જુઓ પોતાના જ દેશમાં પોતાના જ રાજ્યમાં (કાશ્મિરમાં) અને પોતાના જ ઘરમાંથી  હિન્દુઓને, મુસ્લિમ આતંકવાદીઓ, સ્થાનિક મુસ્લિમો, નેતાઓ, સ્થાનિક અને કેન્દ્રસ્થ સરકારના સહયોગ દ્વારા ભગાડ્યા અને નિર્વાસિત બનાવ્યા. તેમને પુનર્સ્થાપિત કરવામાં અખાડા કરવા એ આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષનું એવું લક્ષણ છે. દુનિયાના ઇતિહાસમાં આનો જોટો નથી. એટલું જ નહીં પણ ૩૦૦૦+ કાશ્મિરી હિન્દુઓની કતલ અને હજારોની સંખ્યામાં હિન્દુ સ્ત્રીઓની ઉપર મુસ્લિમો દ્વારા દુષ્કર્મો કરવા દેવા તે પણ તમને ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ અને તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષના શાસન સિવાય, ક્યાંય દુનિયામાં જોવા મળશે નહીં. અને તમે જુઓ, મુસ્લિમો દ્વારા થયેલા આવા અત્યાચારો થયા છતાં ન ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) પક્ષ અને તેના સહયોગી પક્ષો જેવા કે નેશનલ કોન્ફરન્સની સરકાર દ્વારા એક પણ નેતાની ઉપર કે વ્યક્તિ ઉપર આરોપનામું થયું નથી, એક પણ ધરપકડ થઈ નથી, એક પણ નેતાને જવાબદાર ઠેરવ્યો નથી અને એક પણ તપાસપંચ રચાયું નથી.

ઉચ્ચન્યાયાલયની બેહુદી દલીલઃ

સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે બીજેપીએ આ બાબતમાં ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરી તો ઉચ્ચ ન્યાયાલયે એમ કહીને ફરિયાદ કાઢી નાખી કે “બહુ મોડું થયું છે અને પૂરાવાઓ મળશે નહીં”. જો કે ૧૯૮૪ના ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે આચરેલા કત્લેઆમને વિષે તપાસ પંચ ની વાત જુદી છે કારણ કે શિખ નેતાઓ તો “હૈયા ફૂટ્યા” છે અને તેમને ખરીદી શકાય છે.

વાસ્તવમાં જોઇએ તો આ એક ગેરબંધારણીય વાત છે કે ઉચ્ચન્યાયાલય પોતાની ધારણાના આધારે, ફરિયાદને અવગણે છે. વાસ્તવમાં ઉચ્ચ ન્યાયાલયે જ આદેશ આપવો જોઇએ કે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના, નેશનલ કોંસ્ફરન્સના જવાબદાર નેતાઓને સીધા જેલમાં જ પૂરો અને આ બંને પક્ષોની માન્યતા રદ કરો.

આવું ન કરવા બદલ ન્યાયાધીશને પાણીચૂ આપવું જોઇએ.

તમે જુઓ, બીજેપીના અમિત શાહને એક સિદ્ધ અતંકવાદી અને સિદ્ધ ગુંડાના ખૂન કેસમાં સંડોવ્યા હતા. ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ, આ સિદ્ધ આતંકવાદી અને સિદ્ધ ગુંડાના માનવતાવાદની વાતો કરે છે અને તપાસપંચ નિમાવી ન્યાયાલયમાં કેસ ચલાવે છે. ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના આ સંસ્કાર છે.

અને આવા વલણની ઉપર તાલીઓ પાડનારા મૂર્ધન્યો, કટારીયાઓ (વર્તમાન પત્રોમાં કોલમો લખનારા) અને ટીવી એન્કરો પણ છે.

તમે જુઓ છો કે મુસ્લિમો દ્વારા આતંકિત હિન્દુઓના માનવ હક્ક ની વાત કરવાથી તમને આ લોકો કોમવાદીમાં ખપાવે છે. કારણ કે હિન્દુઓ તો બહુમતિમાં છે ભલે તેઓ અમુક રાજ્યમાં અને અમુક વિસ્તારોમાં અને અમુક ગામોમાં લઘુમતિમાં હોય અને તેમના ઉપર અત્યાચારો થતા હોય અને તેમને ભગાડી મુકવામાં આવતા હોય.

આવું વલણ રાખનારા નેતાઓ જ મુસ્લિમોના કોમવાદને ઉશ્કેરે છે. આની નેતાગીરી ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસે લીધી છે.

દુઃખની વાત એ છે કે પ્રગતિશીલ મુસ્લિમ વ્યક્તિઓ નિસ્ક્રિય રહે છે.

જેઓનો દંભ અને કાર્યસૂચિ આટલી હદ સુધી વિકસિત હોય તેમની ઉપર જનતાએ વિશ્વાસ કરવો જ ન જોઇએ. રાષ્ટ્રવાદીઓનું કર્તવ્ય છે કે તેઓ આ પડકારને ઝીલી લે અને આવી વ્યક્તિઓને ઉઘાડી પાડે.

(૧.૦૨) આરક્ષણવાદ જન્મને આધારેઃ

જો કે મહાત્મા ગાંધીએ કોઈપણ જાતના આરક્ષણની મનાઈ કરેલ અને તેને માટે તેઓ ઉપવાસ ઉપર પણ ઉતરેલ. નહેરુએ જોયું કે જો આમ્બેડકરના અછૂતોમાટેના આરક્ષણને સ્વિકારી લઈશું તો ભવિષ્યમાં આનો લાભ મળી શકે તેમ છે. જો કે આમ્બેડકરે આ આરક્ષણ ફક્ત દશવર્ષ માટે જ માગેલું હતું અને તે પ્રમાણે બંધારણમાં જોગવાઈ કરેલ હતી. કારણ કે જનતંત્રમાં જે પક્ષની સરકાર દશ વર્ષ રાજ કરે તેણે આવી જાતીય અસમાનતાઓ દશ વર્ષમાં તો દૂર કરી દેવી જ જોઇએ. અને જો તે દૂર નકરી શકે તેની માન્યતા રદ કરવી જોઇએ. એમ પણ કહી શકાય કે તેવા પક્ષનો અસ્તિત્વમાં રહેવાનો મૌલિક અને નૈતિક હક્ક બનતો નથી.

હવે તમે જુઓ, આવા આરક્ષણના હક્કને નહેરુએ અને તેના ફરજંદોએ એવો ફટવ્યો કે ક્ષત્રીયો કે જેઓએ દેશ ઉપર હજારો વર્ષ શાસન કર્યું, અને પાટીદારો, કે જેઓ, વેપાર ધંધામાં ઝંપલાવી વાણિયાઓના પ્રતિસ્પર્ધી બન્યા છે, તેઓમાંના કેટલાક, જાતિને નામે પણ આરક્ષણ માગતા થયા છે અને આંદોલન કરતા થયા છે. અને તે પણ ક્યારે કે જ્યારે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓએ ૬૫વર્ષ દેશ ઉપર શાસન કર્યું. અને પછી તેઓ હાર્યા. એટલે આવા હારેલા પક્ષના નેતાઓએ જાતિગત ભેદભાવના આંદોલનોને પેટ્રોલ અને હવા આપવા માંડ્યા, તે એટલી હદ સુધી કે તેઓ રાષ્ટ્રની સંપત્તિને બાળવા માંડ્યા. કારણકે તેઓ ઇચ્છતા નથી કે દેશમાં સામાજિક પરિવર્તન આવે. એચ. પાટીદાર, મેવાણી, ઠાકોર …. આ બધા દેડકાઓ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષની પેદાશ છે.

(૧.૦૩) જાતિવાદ (જ્ઞાતિવાદ);

જેમ મુસ્લિમો વધુને વધુ રેડીકલ થતા જાય છે તેમ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓ જ્યારથી ચૂંટણીઓ થઈ ત્યારથી જાતિના આધારે ઉમેદવારો પસંદ કરતા થયા છે અને તેઓ તેને ઉત્તેજન પણ આપે છે. સમાચાર માધ્યમના મૂર્ધન્યો પણ જાતિવાદના ભયસ્થાનો સમજાવવાને બદલે અને ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના વલણને વખોડવાને બદલે જાતિવાદના આંકડાઓનું વિશ્લેષણ કરીને જે તે ઉમેદવારના વિજય ની આગાહીઓ કરે છે. વાસ્તવમાં સમાચાર માધ્યમોએ તો જનહિત અને દેશહિતને ખાતર આવા વિશ્લેષણોથી દૂર રહેવું જોઇએ. આવા વિશ્લેષણો પ્રકાશમાં આવવાથી જાતિવાદને પ્રોત્સાહન મળે છે અને જો વિજયના પરિણામો તે પ્રમાણે આવ્યા હોય તો જાતિવાદ રાજકીય હેતુ માટેનું એક મોટું પરિબળ બન્યું છે.

(૧.૦૪) પ્રદેશવાદઃ

ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે ભારત ઉપર ૬૫ વર્ષ રાજ કર્યું હોવા છતાં મોટાભાગના રાજ્યો બિમારુ રાજ્ય રહી ગયા છે. આમાં પશ્ચિમના રાજ્યોને બાદ કરતાં બધાં જ રાજ્યો આવે છે. નહેરુવીયન કોંગ્રેસે પોતાની રાજકીય ચાલને અનુરુપ બિમારુ રાજ્યને “વિશિષ્ઠ દરજ્જો” આપવાની જોગવાઈ કરી છે. આને માટે મનગઢંત અને રબરના માપદંડો બનાવ્યા છે. અને જે રાજ્યને વ્હાલું કરવું હોય તેને આ વંશવાદી કોંગ્રેસ, વિશિષ્ઠ દરજ્જો આપવાની વાતો કરે છે. જો આ વંશવાદી કોંગ્રેસ પક્ષ તે રાજ્યમાં હારી જાય તો “રામ તારી માયા” કરીને વાત વિસ્મૃતિમાં નાખી દે. જો તે રાજ્યમાં તે જીતી જાય તો કહે કે કાર્યવાહી ચાલુ કરી છે.

વાસ્તવમાં તો જે રાજ્ય પોતાને બુમારુ રાજ્ય ગણાવવા માગતું હોય તેણે લાજવું જોઇએ કે જેણે એવા પક્ષને ચૂંટ્યો કે તેણે ૬૫ વર્ષો સુધી રાજ કર્યું તો પણ તે રાજ્ય બિમાર જ રહ્યું. આવા રાજ્યના નેતાઓ લાજવાને બદલે ગાજે છે. જનતાને સ્વકેન્દ્રી અને અભણ રાખી છે. તેથી તે આવા મુદ્દાઓ ઉપર વિભાજિત થાય છે.

આવા વિભાજનથી સાવધાન રહેવાનો સંકલ્પ કરો.

(૧.૦૫) ભાષાવાદઃ

મૂળ કોંગ્રેસ કે જેણે ભારતની સ્વાતંત્ર્યની લડતમાં પોતાનું મહત્તમ યોગદાન આપેલ તેની નીતિ એવી હતી કે આમ જનતા અને સરકાર વચ્ચે સુચારુ સંવાદ થાય એટલે ભાષાવાર રાજ્ય રચના કરવી. પણ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે એટલે કે નહેરુએ રાજ્યોની રચના એવી રીતે કરી કે ભાષા-ભાષીઓ વચ્ચે વિખવાદ થાય. સિવસેના (આ પક્ષ માટે શિવ સેના શબ્દ વાપરવો એ શિવાજીનું અપમાન છે), એમ.એન.એસ., ડીએમકે, ટીએમસી, જેવા પક્ષો આવા બેહુદા ભાષાવાદની નીપજ છે.

મુંબઈ રાજ્યનું વિભાજન થયું ત્યારે એ શરત નક્કી થઈ હતી કે મહારાષ્ટ્રમાં મુંબઈનું પચરંગી પણું જાળવી રખાશે. પણ આજે “મરાઠી મુંબઈ”ના બોર્ડ ઠેર ઠેર જોવા મળે છે. પહેલાં મુંબઈના રેલ્વેના સ્ટેશનો ના બોર્ડ ત્રણ લિપિમાં લખેલા જોવા મળતા હતા. દેવનાગરી (હિન્દી-મરાઠી), ગુજરાતી અને અંગ્રેજી. પણ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે તે બોર્ડોને દેવનાગરીમાં બે વાર લખે છે. અને એકવાર અંગ્રેજી લિપિમાં લખે છે.

Paint01

ફૉન્ટ જુદા જુદા વાપરીને હિન્દી અને મરાઠીને અલગ દર્શાવે છે. હવે જો સ્થાનિક ભાષાના લોકો વાંદ્રે કહેતા હોય તો બાંદરા કે BANDARA લખવાનો અર્થ નથી. કારણ કે કાયદો એમ છે કે સ્થાનિક ભાષામાં જે રીતે બોલાતું હોય તે જ રીતે લખવું. જેમકે અમદાવાદ, વડોદરા, ભરુચ હવે અમદાવાદ, એહમેડાબાડ, અહમદાબાદ એવા ઉચ્ચારોમાં લખાતું નથી. તેવીજ રીતે વડોદરા, બડૌદા, બરોડા, તેમજ ભરુચ ભડોચ અને બ્રોચ પણ લખાતા નથી. વળી રેલ્વે વાળાને એમ પણ છે કે મરાઠી લોકો માને છે કે મરાઠી લિપિ અલગ છે. પણ વાસ્તવમાં એવું નથી ફક્ત થોડા મૂળાક્ષરો વધુ છે જેમકે બે જાતના “ચ”.  “ળ” અને વ કે વ્હ તેમાં કશું નવું નથી. અને કોઈ મરાઠી લોકોને પણ ખબર નથી કે મરાઠી લિપિ અને દેવનાગરી લિપિમાં શો ફેર છે.

આ, જે પણ હોય તે, પણ અહીં મુંબઈના પચરંગીપણાને જાળવી રાખવાના શપથનો ભંગ થાય છે. આ શઠ શપથ લેનારાઓએ જાણી જોઇને આ ભંગ થવા કર્યો છે. ગુજરાતીઓ શાંતિ પ્રિય છે અને તેઓ જ્યાં જાય ત્યાં જે તે ભાષા શિખી જાય છે અને ત્યાંના સ્થાનિક લોકોને પ્રાધાન્ય આપે છે તેથી શાંતિ જળવાય છે. સુશિક્ષિત મરાઠી લોકો પણ સરસ્વતીના પુત્રો છે. પણ મરાઠાઓએ સમજવું જોઇએ કે જો આવું બીજા રાજ્યોમાં થયું હોય તો બ્લડ શેડ થઈ જાય.

(૧.૦૬) ફોબીયા વાદ; ગાંધી ફોબીયા, મુસ્લિમ ફોબીયા

તમને એમ થશે કે આ વળી શું છે? આમાં વળી હિન્દુઓ કેવી રીતે વિભાજિત થાય?

હાજી. આમાં પણ હિન્દુઓ વિભાજિત થાય.

કેટલાક હિન્દુઓ એવા હોય છે કે “હું મરું પણ તને રાંડ કરું.

આવા હિન્દુઓ એવું દૃઢ રીતે માનતા હોય છે કે મહાત્મા ગાંધી હિન્દુ દ્વેષી અને મુસ્લિમોને આળપંપાળ કરતા હતા. જો કે આ એક જૂઠ છે. પણ જેમણે ગાંધીજીને વાંચ્યા નથી અને વાંચવામાં માનતા નથી તેઓ ગાંધીજી વિષે આવું માને છે અને માને રાખશે. પણ તેથી કરીને બીજા કેટલાક લોકો, બીજેપીને અવિશ્વસનીય માનશે, તેની આ ફોબિયાગ્રસ્ત લોકોને ખબર નથી કે અક્કલ પહોંચતી નથી. જેઓ બીજેપીને અવિશ્વસનીય માનશે, તેઓ મતદાન થી દૂર રહેશે.

કેટલાકને એવું લાગે છે કે “બીજેપીને વખાણવામાં આપણું અસ્તિત્વ જોખમાય એવું છે. એટલે આપણે તો ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસને જ સહાય કરવી પડશે પછી ભલે વંશવાદી કોંગ્રેસે  અવારનવાર ગાંધી વિચારોનું ખૂન કર્યું હોય. ગાંધી તો આખરે એક શરીર ધારી હતા અને વિચાર પણ શરીરમાંથી ઉદ્‌ભવે છે તેથી વિચાર માત્ર, શરીરનો એક ભાગ જ છે ને! આર.એસ.એસ. વાળાએ ગાંધીજીના શરીરનું ખૂન કર્યું છે તે વાત ભલે ઉક્ત વંશવાદી કોંગ્રેસે આધારહીન રીતે ફેલાવી હોય, પણ તેને જનતાની સ્વિકૃતિ મળી છે એવું જ્યારે રાહુલ ગાંધી જેવા પણ સ્વિકારે છે તો આપણે વળી કઈ વાડીના મૂળા? માટે જ્યાં સુધી વર્તમાન પત્રોમાં વર્તમાન પત્રોના માલિકોના એજન્ડા પ્રમાણે આપણું અસ્તિત્વ ચાલુ રાખવાની જોગવાઈ છે તો આપણે બીજેપીની કુથલી, ચાલુ જ રાખો ને… બીજું કારણ એ છે કે …

“હવે આપણે ગઢ્ઢા (વૃદ્ધ) થયા છીએ તો આપણે જીવવામાં હવે કેટલા દિવસ બાકી રહ્યા? શા માટે આપણે ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસની ફેવર ન કરવી? ભલે એમની આરાધ્ય દેવીએ આપણને વિના વાંકે અનિયત કાળ માટે જેલમાં પૂર્યા હોય. ભલે આપણા ગુરુઓને એટલે કે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ જેવાને પણ છોડ્યા ન હોય. પણ પોલીટીક્સમાં તો એવું ચાલ્યા કરે જ છે ને. “ક્ષમા વિરસ્ય ભૂષણમ્‌”. તો હવે આપણે પણ આપણી વીરતા સિદ્ધ કરવા માટે ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસને સહાય કરો. આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના દુર્ગુણો ભલે હિમાલય જેવડા હોય, તે વિષે આપણે મૌન રહેવું અને બીજેપીનો ફોબીયા ચાલુ રાખવો. બોલવા લખવામાં રા.ગા.ને આપણે ગુરુ માનવા. ઇતિ.

આવા ફોબિયા ગ્રસ્તની ચૂંગાલમાં પડવું નહીં એવો સંકલ્પ કરો.

(૧.૦૭) અંગ્રેજોએ ચાલુ કરેલા ગતકડાંવાદને પ્રોત્સાહનઃ

તમને એમ થશે કે આ વળી શું?

અંગ્રેજ સરકારે ભારતનો ઈતિહાસ લખ્યો. અંગ્રેજી ભાષાને વહીવટી ભાષા રાખી જેથી મોટી પોસ્ટ ઉપર અંગ્રેજોને ગોઠવી શકાય. અને અંગ્રેજોની શ્રેષ્ઠતાને સ્વિકારનારાઓની એક ભારતીય ફોજ તૈયાર કરી શકાય. આ ઈતિહાસે ભારતને ઉત્તર, દક્ષિણ, અને પૂર્વમાં વિભાજિત કર્યું. જેની અસર એ થઈ કે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ના લોકો પોતાને ભિન્ન માનતા થઈ ગયા. અને સૌ વિદ્વાનો, જે કોઈ, આનાથી ઉંધી વાત કરે તો તેને, કટ્ટર હિન્દુ માનતા થઈ ગયા.

બીજેપીને કટ્ટર હિન્દુઓનો પક્ષ માનવાનું અને મનાવવાનું કામ આ રીતે સરળ બન્યું. ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે આ સિદ્ધાંત અપનાવી લીધો અને બીજા ક્ષેત્રોમાં પણ લાગુ કર્યો.

એ કેવી રીતે?

(૧.૦૮) ગતકડાં વાદના બીજા ક્ષેત્રો

કેટલાક માણસો પોતાની માન્યતાઓના ગુલામ છે. માન્યતાઓના ગુલામ એટલે શું?

કેટલાક લોકો ધર્મને રાજકારણથી પર માને છે.

કેટલાક લોકો શ્રદ્ધાને વિજ્ઞાનથી ભીન્ન માને છે.

કેટલાક લોકો આવું નથી માનતા.

કેટલાક લોકો અદ્વૈત વાદમાં માને છે.

કેટલાક લોકો અદ્વૈતવાદમાં માનતા નથી.

કેટલાક લોકો “સર્વહક્ક સમાન” માં માને છે. કેટલાક લોકો “સ્ત્રી અને પુરુષો”ના હક્કની સમાનતામાં માનતા નથી. તો કેટલાક લોકો વળી તેના ઉપર નિયમનમાં માને છે.

મી ટુ, સબરીમાલા, બુરખા, દાઢી, ટોપી, અમુક દિવસે માંસ બંધી, ફટાકડા, ફુલઝર, લાઉડ સ્પીકર, સજાતીય સંબંધ, દુષ્કર્મ, જનોઈ ધારી બ્રાહ્મણ, મંદિર પ્રવેશ, મહિલાઓનો મસ્જિદ પ્રવેશ …. આ બધું ચગાવો. અમુક નેતાઓ પોતાનો અભિપ્રાય આપવાની લાલચ રોકી શકશે નહીં. તેમાંથી કોઈક અભિપ્રાય આપવામાં ગોથું ખાશે.

બસ. જેવું કોઈ નેતાએ ગોથું ખાધું કે તમે આ તક ઝડપી લો. અને તેને તે નેતા જે પક્ષનો હોય તે પક્ષ સાથે જોડી દો. ભલભલા વિદ્વાનો તૂટી પડશે. આ ને ખૂબ ચગાવો. આદુ ખાઈને આવા મુદ્દાઓને ચગાવો. સમાચાર પત્રોમાં અને ટીવી ચેનલોમાં પ્રમાણભાન રાખ્યા વગર, સાચા ખોટાની ચકાસણી કર્યા વગર, જાહેરાતોની જેમ છાપ્યા કરો. કેટલાક તો માઈના લાલ નિકળશે જે બીજેપીને અથવા રાજકારણ માત્રને નિરર્થક માનશે અને મતદાનથી દૂર રહેશે.

મતદાનથી દૂર રહેવું એ પણ વંશવાદી કોંગ્રેસને/તેના સાંસ્કૃતિક સાથી પક્ષોને મત આપ્યા બરાબર છે.

સર્વોચ્ચ અદાલતોના ન્યાયધીશોએ વિશ્વસનીયતા ગુમાવી છે. પક્ષ સર્વોચ્ચ કે પક્ષના સદસ્યો સર્વોચ્ચ એ નક્કી કરવામાં તેઓએ ગોથાં ખાધા છે. સર્વોચ્ચ અદાલતના માપદંડ સમાન નથી. હિન્દુઓ અને મુસ્લિમો માટે તે ભીન્ન ભીન્ન માપદંડ રાખે છે. મસ્જીદોમાં સ્ત્રીઓને નમાજ઼ પઢવાની અનુમતિ નથી. હિન્દુઓના એકમાત્ર એવા સબરીમાલાના મંદિરમાં ૫૦ વર્ષની અંદરની સ્ત્રીઓનો પ્રવેશ નિસિદ્ધ છે. અદાલત માટે એક છૂટો છવાયો મુદ્દો, મહત્વનો કેસ બને છે કારણ કે તે હિન્દુઓને લગતો છે. જ્યારે મુસ્લિમ સ્ત્રીઓનો મસ્જિદ પ્રવેશ નિષેધ સર્વ વ્યાપક છે. પણ સર્વોચ્ચ ન્યાયધીશો તે વાતથી પોતે અજ્ઞાત છે તેવું બતાવે છે. એટલે સર્વોચ્ચ અદાલત સર્વજ્ઞ અને વિશ્વસનીય નથી તેવું આપણે સહજ રીતે જ માની શકીએ. 

તો હવે આનો ઉપાય શો?

સંકલ્પ કરો કે આવા ગતકડાંઓથી ભરમાઈ જવું નહીં. અને તેનાથી દૂર રહેવું.

(૨) સ્વકેન્દ્રી અપેક્ષાઓ

અસંતોષી નર દરેક પક્ષમાં હોય છે. જેની સ્વકેન્દ્રી અપેક્ષાઓ ન સંતોષાઈ હોય તે પોતાનું મહત્વ અને યોગ્યતા પ્રદર્શિત કરવા જો તે બીજેપીનો હશે તો તે બીજેપીના કાર્યોની ટીકા કરશે. જેમકે યશવન્ત સિંહા, જશવંત સિંહ, સુબ્રહ્મનીયન સ્વામી, રામ જેઠમલાની … વંશવાદી કોંગ્રેસીઓમાં તો બીજેપી વિરોધીઓ તો હોય જ તે આપણે જાણીએ છીએ.

કાળું નાણું તો ઘણા પાસે હોય. કોઈક પાસે થોડું હોય તો કોઈ પાસે વધુ પણ હોય. જેમની પાસે વધુ કાળું નાણું હોય તેમને વિમુદ્રીકરણથી અપાર નુકશાન થયું હોય. પણ ચોરની મા કોઠીમાં મોઢું નાખીને રુવે. એટલે પોતાને થયેલા નુકશાનની વાત તે ન કરે. પણ બહાર તો તે (પોતાનો દિકરો નિર્દોષ છે) અને સરકાર નિર્દોષોને કેવી સતાવે છે તેવો પ્રચાર કરે. મમતા, માયા, સોનિયા, લાલુ, મુલ્લાયમ, જેઠમલાણી …. વિમુદ્રીકરણનો રાતાપીળા થઈને શા માટે વિરોધ કરે છે તે આપણે સમજવું જોઇએ. જેમને થોડું ઘણું એટલે કે સહ્ય નુકશાન થયું હોય તે પણ વિરોધ તો કરે જ. યશવંત સિંહા, જશવંત સિંઘ, સુબ્રહ્મનીયન સ્વામી, મનમોહન …. નો વિરોધ આપણે સમજી શકીએ છીએ.

જો આ ન સમજાતું હોય તો આમાંના કોઈએ દેશમાં ફરતા કાળાનાણાંને સરકારી રેકર્ડ ઉપર કેવી રીતે લાવવું તેનો ઉપાય સૂચવ્યો નથી. જે નાણું દેશમાં અને વિદેશમાં સ્થાવર સંપત્તિમાં રોકાયેલું છે, તે માટે નરેન્દ્ર મોદી જુદા જુદા દેશોમાં પ્રવાસો કરી રહ્યા છે અને કરારો કરી રહ્યા છે તે આપણે જાણીએ છીએ. અને આ પ્રવાસોનો વિરોધ કોણ કરી રહ્યું છે તેની ઉપર તમે ધ્યાન રાખો.

(૩) ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ

આઈ.એન.સી.એ ૧૯૪૮થી જે મૂર્ખતાઓ કરી, જે કૌભાન્ડોની હારમાળાઓ કરી, અને જે જૂઠાણાઓ ફેલાવ્યા તે આપણે જાણીએ છીએ. તેમના સહયોગીઓ કોણ છે તે પણ આપણે જાણીએ છીએ. કોના ઉપર કેસ ચાલે છે અને કોણ કોણ જમાનત ઉપર છે તે પણ આપણે જાણીએ છીએ. આવા લોકો ભેગા થઈ જાય તો શુદ્ધ થઈ જાય એવી વાત મગજ માં ઉતરે તેવી નથી. કારણ કે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરી વાળું યુ.પી.એ.ના દશ વર્ષના સંગઠને તેમના શાસન દરમ્યાન કેટલાં બધાં ખૂલ્લે આમ કૌભાણ્ડો કર્યા તે આપણે જાણીએ છીએ.

પંચતંત્રની એક વાર્તામાં આવે છે ચાર મૂર્ખ પંડિતો જતા હતા. રસ્તામાં નદી આવી. તેમને સમસ્યા થઈ કે હવે નદી પાર કેવી રીતે કરવી? એક મૂર્ખ પંડિતે કહ્યું

“આ ગમિષ્યતિ યત્પત્રં તત્‌ તારિષ્યતિ અસ્માન”

એટલે કે જે પાંદડું તરતું તરતું આવી રહ્યું છે તે આપણને તારશે. એમ કહીને તે પંડિત, તે પાંદડા ઉપર કૂદી પડ્યો.

આવી માન્યતાઓ આપણા કેટલાક મૂર્ધન્યો, પ્રછન્ન અને પ્રત્યક્ષ રીતે ધરાવે છે.

આવી માન્યતાઓથી આપણે દૂર રહેવું.

(૪)  લોકશાહીની સુરક્ષાઃ

કેટલાક વિદ્વાનો માને કે લોકશાહીની સુરક્ષા માટે સબળ વિરોધ પક્ષ અનિવાર્ય છે. કેટલાકને આ દલીલ શીરાની જેમ ઉતરી જાય છે. હાલના તબક્કે ઉપરોક્ત માન્યતાને મઠારવા જેવી છે કે સબળ વિરોધ પક્ષ નહીં પણ સબળ વિરોધની જરુર છે. આજના સબળ સોસીયલ મીડીયાના જમાનામાં દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય સરકારને પહોંચતો કરી શકે છે. અને વિરોધનું કામ તર્ક સંગત હોવું જોઇએ. હાલ તો એવી સ્થિતિ છે કે વિરોધ પક્ષમાં બેઠેલી વંશવાદી કોંગ્રેસ એમ કહે છે કે વિરોધ પક્ષમાં છીએ એટલે વાણી વિલાસ દ્વારા વિરોધ વ્યક્ત કરવાની પ્રવૃત્તિ જ અમે તો કરીશું અને તમે થાય તે કરી લો, અમે સંસદ ચાલવા જ નહીં દઈએ.

વિરોધ કરવામાં સારા નરસાની સમજ ન ધરાવતો અને ભાષા ઉપર બળાત્કાર કરનાર વિરોધ પક્ષ ચૂંટાવાને પણ લાયક નથી. જ્યાં સુધી પચાસના દશકામાં હતો તેવો નીતિમાન નેતાઓનો પક્ષ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી હાલના વિપક્ષ ઉપર ભરોસો કરવો અને તેને ચૂંટવો તે લોકશાહી ઉપર બળાત્કાર ગણાશે અને ખોટી પ્રણાલીઓ પડશે.

વિરોધ પક્ષ આપોઆપ જ પેદા થશે. આપણે રાહ જોવાનો સંકલ્પ કરીએ.

(૫) નરેન્દ્ર મોદીનો તેના જેવો વિકલ્પ નથી.

જો સદંતર ભ્રષ્ટ એવા ઇન્દિરા-નહેરુવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.)ને ૩૫+ વર્ષ નિરપેક્ષ બહુમતિ શાસનના આપ્યા હતા અને ૩૦ વર્ષ બહુમતિ શાસનના આપ્યા હતા તો અણિશુદ્ધ એવા નરેન્દ્ર મોદીને/બીજેપીને ૨૦ વર્ષ તો આપીએ જ તેવો સંકલ્પ કરો.    

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

કાકસ્ય ગાત્રં યદિ કાંચનસ્ય, માણિક્ય-રત્નં યદિ ચંચુદેશે,

એકૈક-પક્ષં ગ્રથિતં મણીનાં, તથાપિ કાકો નહિ રાજહંસઃ

કાગડાનું શરીર સોનાનું હોય, તેની ચાંચમાં માણેક અને રત્ન હોય,

તેની એક એક પાંખમાં મણી જડેલા હોય, તો પણ કાગડો, કાગડો જ રહે છે. કાગડો રાજહંસ બની જતો નથી. ભ્રષ્ટ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) પક્ષ સુધરી જશે તે માનવું ભૂલ ભરેલું છે.

Read Full Post »

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૩

જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

media says go ahead INC we are with you

કેટલાક સુજ્ઞ જનોના જુઠાણાની સૂચિ આપણે જોઇએઃ

(૧) ગાંધીજીને મુસ્લિમો પ્રત્યે પક્ષપાત હતો અને તેઓ મુસ્લિમોને પડખે રહેતા હતા, (જીન્ના અને તેના પક્ષના લોકો આનાથી ઉંધું જ માનતા હતા પણ આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે)

(૨) ગાંધીજીએ દેશના ભાગલા પડાવ્યા, ગાંધીજી દેશના ભાગલાને અટકાવી શક્યા હોત. (આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આમ માનવું વધુ પસંદ કરે છે. જો કે તેઓ ભૂલી જાય છે કે મોટા ભાગના નેતાઓ ભાગલા પસંદ કરતા હતા)

(૩) ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા માટે ગાંધીજી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા, (જો કે આ વાત તો ગોડસેએ પોતાના બચાવમાં ઉપજાવી કાઢેલી. ગાંધીજીએ ઉપવાસ ઉપર ઉતરતાં પહેલાં, સરકારને આપેલી નોટીસમાં આવું કશું લખ્યું નથી. તો પણ આરએસએસના અને ગાંધી-ફોબિયા પીડિત લોકો માને છે)

(૪) ગાંધીજીએ નહેરુને બધા નેતાઓની ઉપરવટ જઈ (યાવત ચંદ્ર દિવાકરૌ માટે, કે, નહેરુ જીવે ત્યાં સુધી, અથવા તો જે પહેલું બને ત્યાં સુધીના સમય માટે) વડાપ્રધાન બનાવેલા. (પોતાની નિસ્ફળતા છૂપાવવા કેટલાક, આરએસએસના ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે. ૧૯૫૨ની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવતાં  તેમને કોણે  રોકેલા? જો કે એ સમજવી જોઇએ કે ભારત એ એક લોકશાહી વાળો દેશ છે. લોકશાહીમાં તો વડાપ્રધાન જ નહીં, સરકારો પણ આવે છે અને જાય છે)

(૫) હાલની કોંગ્રેસ સાચી કોંગ્રેસ છે, અને તેની પાસે બધી ધરોહર છે. આ એક ન્યાયાલયે ઠરાવેલું કાયદેસરનું જૂઠ છે. કદાચ નહેરુ કોંગ્રેસ પ્રમુખ હતા એટલે આ માન્યતા મૂર્ધન્યોને ગ્રાહ્ય બનતી હશે.

(૬) ઇન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લીધી અને પછી ચૂંટણી જાહેર કરી હતી. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે.)

(૭) રાજિવ ગાંધી અને સામ પિત્રોડા દેશમાં ટેલીફોનની ક્રાંતિ લાવ્યા હતા. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે)

આવી તો અનેક વાતો અનેક ક્ષેત્રોમાં પ્રવર્તે છે. અને રાજકારણમાં તો અનેક જુઠાણા ચાલ્યા જ કરે છે.

આ જૂઠાણાંની વિરુદ્ધ માં સાહિત્ય હોવા છતા કેટલાક લોકો કાં તો પોતાની અજ્ઞાનતાથી અથવા તો પોતાની આત્મતૂષ્ટિ માટે વધુ વાંચતા નથી

તો હવે મૂળ વાત ઉપર આવીએ કે શું લેખકો આ વાત સમજતા નથી કે પ્રમાણભાનને અવગણી ને જો આપણે બંને બાજુ ઢોલકી વગાડીશું તો દેશને બહુ મોટું નુકશાન થશે?

વિપક્ષ એટલે કે નહેરુવીયન કોંગ્રેસ, કે જે હવે તેના કોમવાદી, જાતિવાદી, પ્રદેશવાદી,  સામ્યવાદી, નક્ષલવાદી, માઓવાદી, આતંકવાદી, સીમાપારના આતંકવાદી તત્ત્વો, અસામાજિક તત્ત્વો સાથેના ગઠબંધનથી ખૂલ્લો પડ્યો છે, તેની તરફમાં ઢોલકી વગાડીશું તો દેશની ભાવી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.

સબળ વિરોધ પક્ષ હોવો જરુરી છે

કેટલાક લોકો કહે છે કે લોકશાહીમાં સબળ વિપક્ષ હોવો જરુરી છે.

તમે જુઓ. જે વિપક્ષ નહેરુ અને ઈન્દિરા ગાંધીના સમયમાં હતો તે કેટલો બધો વિદ્વાન, અભ્યાસી, નીતિમાન અને ત્યાગી હતો. હાલના એક પણ વિપક્ષમાં એક પણ સદ્‌ગુણ દેખાય છે?

જ્યારે ડૉ. લોહિયાને પચાસના દશકામાં સવાલ પૂછવામાં આવે લો કે મુંબઈ, મહારાષ્ટ્રમાં જવું જોઇએ કે નહીં. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અમે એવી ક્ષુલ્લક વાતોમાં પડતા નથી. જ્યારે હાલનો વિપક્ષ તો કોમવાદનો અને જાતિવાદનો ખુલ્લે આમ પ્રચાર કરે છે.

તમે જુઓ. શિવસેનાએ કોંગીની પ્રતિભા પાટીલની એટલા માટે તરફદારી કરી હતી કે તે મરાઠી હતી. તેવી જ રીતે કોંગીના પ્રણવ મુખરજીની મમતાએ એટલા માટે તરફદારી કરી હતી કે તે બંગાળી છે. આમ તો પ્રણવ મુખર્જી પોતે ઇન્દિરાના કટોકટી ના સહયોગી હતા. 

“નરેન્દ્ર મોદી જે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે તે યોગ્ય નથી” મૂર્ધન્યો આમ કહે છે.

વળી તેઓ તેના સમર્થનમાં જણાવે છે કે;

“કોંગ્રેસ તો ભાંગ્યુ ભાંગ્યુ તો પણ ભરુચ છે. તે ૧૩૩ વર્ષ જુનો પક્ષ છે.

“આ પક્ષે અનેક ભોગ અને બલિદાન આપ્યા છે.

“આ પક્ષે સામાજીક આંદોલનો કર્યા છે,

“આ પક્ષે સ્વતંત્રતા માટે આગેવાની લીધી હતી અને જનતાને લોકશાહી માટે સુશિક્ષિત કરી છે

“આ પક્ષે સ્વતંત્રતા અપાવી છે,,

“આ પક્ષે લોકશાહીને હજી સુધી જીવતી રાખી છે,

“માટે આ પક્ષ મરવો ન જોઇએ.

શું આ બધી વાતો સાચી છે?

હાલની કોંગ્રેસને જીવતી રાખવાનો આ પ્રશ્ન ત્યારે જ અસ્તિત્ત્વ ધરાવે જ્યારે તમે હાલની નહેરુવીયન કોંગ્રેસને, “મૂળ કોંગ્રેસ” માનો. જે કોંગ્રેસે સ્વાતંત્ર્ય ની લડત ચલાવેલી અને પોતાનો સિંહફાળો આપેલ તે કોંગ્રેસ આ જ છે.

હા એક વાત ચોક્કસ કે કોંગ્રેસ નામનો એક પક્ષ હતો. તેણે સામાજિક અને રાજકીય આંદોલનો કર્યા હતા. તેણે ભારતને એક રાખવા માટે અને ભારતને સ્વતંત્રતા અપાવવા માટે સિંહફાળો આપ્યો હતો. તેના અનેક નેતાઓએ ત્યાગ અને બલિદાન આપ્યા હતા.

we have lot of leaders

પણ હાલની કોંગ્રેસ પાસે શું છે?

હાલની કોંગ્રેસ પાસે એક “શબ્દ” માત્ર છે… “કોંગ્રેસ”.

ફક્ત “કોંગ્રેસ” શબ્દ હોવાથી તેને મૂળ કોંગ્રેસ કહી શકાય ખરી?

મહાત્મા ગાંધીની કોંગ્રેસની એક ઓળખ “સાદગી” હતી.

જો આ ગુણ જોઇએ તો તે તૄણમૂલ કોંગ્રેસ પાસે છે. તો શું તેને “મૂળ કોંગ્રેસ” કહી શકાશે?

કોંગ્રેસો તો ઘણી જન્મી અને મરી.

બાબુ જગજીવન રામે એક કોંગ્રેસ બનાવેલી તેનું નામ હતું, કોંગ્રેસ રીયલ.

યશવંત રાવ ચવાણે કોંગ્રેસ (યુ) બનાવેલી,

શરદ પવારે કોંગ્રેસ (રાષ્ટ્રવાદી) બનાવેલી છે,

એ.કે એન્ટોનીએ કોંગ્રેસ (એ) બનાવેલી,

રાજગોપાલાચારીએ કોંગ્રેસ (ડેમોક્રેટીક) બનાવેલી,

કે એમ જોર્જ એ કોંગ્રેસ (કેરાલા) બનાવેલી છે,

હરેકૃષ્ણ મહેતાબે કોંગ્રેસ (ઉત્કલ જનતા), બનાવેલી,

અજય મુખર્જીએ કોંગ્રેસ (બંગાળ) બનાવેલી,

બીજુ પટનાયકે કોંગ્રેસ (ઉત્કલ) બનાવેલી,

દેવરાજ ઉર્સ એ કોંગ્રેસ (ઉર્સ) બનાવેલી,

કેટલીક કોંગ્રેસના સ્થાપકો તો નહેરુથી પણ વરિષ્ઠ હતા. તેમણે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણું યોગદાન આપેલું હતું.

આવી તો અગણિત કોંગ્રેસો ભારતમાં બની છે. જેમ ઘણા ભગવાનો થઈ ગયા અને ઘણા ભગવાનો હાલ પણ વિદ્યમાન છે.

કોંગ્રેસનું બનવું અને બગડવું એક શાશ્વત ચાલતી પ્રક્રિયા છે. જેમ ભગવાન રજનીશ અને પછી ઓશો રજનીશ. સૌ પ્રથમ વળી તેઓશ્રી હતા આચાર્ય રજનીશ. ન તો તેમણે કોઈભાષ્ય લખેલું, કે ન તો તેઓશ્રી કોઈ શાળા/મહાશાળાના પ્રિન્સીપાલ હતા. તો પણ દે ધના ધન તેમણે આચાર્ય પૂર્વગ લગાડી દીધેલો.  

“પક્ષ” વાસ્તવમાં છે શું?

પક્ષ તો સિદ્ધાંત છે અને તેને અમલમાં મુકવાની પક્ષની રીતિ છે. સિદ્ધાંત અને રીતિ પક્ષની ઓળખ હોય છે.

“મૂળ કોંગ્રેસ”નો સિદ્ધાંત હતો અહિંસક માર્ગે દેશને વિદેશી શાસનથી મૂક્ત કરવો.

ગાંધીજીએ તેમાં ઉમેર્યો કર્યો કે અહિંસક ઉપરાંત તેમાં આમ જનતાને પણ દાખલ કરવી, અને જનજાગૃતિ દ્વારા લડત ચલાવવી.

જનજાગૃતિ એટલે શિક્ષિત સમાજ. શિક્ષિત સમાજ એટલે સમસ્યાઓને સમજી શકે તેવો સમાજ. સામાજિક સમસ્યાઓમાં રાજકીય સમસ્યાઓ નીહિત છે. એટલે ગાંધીજીએ  જનતાને સામાજિક સમસ્યાઓ પ્રત્યે પણ જાગૃત કરી.

લોકશાહી અને અહિંસા જોડાયેલા છે. વ્યસનમૂક્તિ અને અહિંસા પણ જોડાયેલા છે. બેરોજગારી અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદન અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદનની ક્રિયા,  રોજગારી અને બેરોજગારી સાથે જોડાયેલી છે. ગાંધીજીએ આ વિષે ઘણું લખ્યું છે.

ગાંધીજીએ વ્યસનમૂક્તિ અને ગૌવધબંધી ઉપર સૌથી વધુ ભાર મુકેલો. સંપૂર્ણ વ્યસનમૂક્તિ અને સંપૂર્ણ ગૌવધ બંધી  તરફ જવાનું તેમનું સૂચન હતું. આ વિષે તેમનું વલણ એટલું તીવ્ર હતું,  કે તેઓ જો સરમૂખત્યાર બને તો આ કામ સૌ પ્રથમ કરે.

ગાંધીજીની અહિંસા અને ગૌવધ પ્રત્યેની તીવ્ર માન્યતાને લીધે, અહિંસક સમાજની રચના તરફ જવાનો ભારતના બંધારણમાં આદેશ છે. આદેશાત્મક સિંદ્ધાંતથી વિરુદ્ધ જવાનું તો કોંગ્રેસ વિચારી જ ન શકે. જો કોંગ્રેસ આથી વિરુદ્ધ વર્તન કરે તો તે કોંગ્રેસ કહેવાય જ નહીં.

દારુબંધી લાગુ કરવા પ્રત્યે અસરકાર પગલાં લેવાં તેમજ, ગૌવધબંધી તરફ અર્થપૂર્ણ પગલાં લેવાં એ કોંગ્રેસની ઓળખ હતી. આ ઉપરાંત, ખાદીનો વિસ્તાર કરવો અને નિરક્ષરતા નિવારણ પણ   કોંગ્રેસના અંગ હતા.

હવે તમે જુઓ;

કોંગ્રેસ જ, દારુબંધીને હળવી કરવામાં સર્વ  પ્રથમ નંબર પર હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસી  મુખ્ય મંત્રીએ સાઠના દશકામાં સૌ પ્રથમ દારુબંધી હળવી કરી હતી. કોંગ્રેસીઓ કમસે કમ ૧૯૬૮થી જ્યાં દારુબંધી નથી ત્યાં જાહેરમાં દારુપાર્ટી કરતા થઈ ગયા છે.

નહેરુ એવી ચિકન પસંદ કરતા હતા, એટલે કે ખાતા હતા કે જે મરઘી ફક્ત બદામ ખાઈને ઉછેરાઈ હોય અને પાણીને બદલે દારુ (બ્રાન્ડી) પીતી હોય. આ પછી તે  જે ઈન્ડા આપે અને તેમાંથી જે બચ્ચાંની ચિકન બને તે સ્વાદમાં તેમને બેનમૂન લાગતી હતી.

કોંગ્રેસે ગૌવધ બંધી તરફ કોઈ જાતના શિક્ષણાત્મક પગલાં લીધાં નથી. દુનિયાનો સૌથી લાંબો સત્યાગ્રહ, સર્વોદય કાર્યકરોએ મુંબઈના દેવનારના કતલ ખાના સામે કરેલો. તે ગીનીસ બુકમાં વિશ્વમાં લાંબામાં લાંબા ચાલેલા સત્યાગ્રહ તરીકે નોંધાયેલો છે. તેમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારે  જે સમજુતીઓ થઈ હતી તેનો તેમણે જ સરેઆમ ભંગ કરેલો છે. સર્વોદય કાર્યકરો જ આ વાત કરે છે.

ખાદી કરડે છે?

કોંગ્રેસના સભ્યો ખાદી પહેરવામાં જ માનતા નથી, તો પછી કાંતવાની તો વાત જ ક્યાં રહી? ૧૯૬૯ પછી ઇન્દિરા ગાંધી દ્વારા  કોંગ્રેસનું જે વિભાજન થયું તેમાં કોંગ્રેસ (આઈ) માટે કશા જ બંધન રહ્યા નથી.

ટૂંકમાં, સૈદ્ધાંતિક રીતે આજ ની નહેરુવીયન કોંગ્રેસ પાસે મૂળ કોંગ્રેસના એકપણ સિદ્ધાંત કે ગુણધર્મ છે જ નહીં. તો તેને મૂળ કોંગ્રેસની ધરોહર કેવી રીતે માની શકાય?

હવે જો પક્ષો, સિદ્ધાંત થકી ન ઓળખાતા હોય તો તે “પક્ષ” જ ન  કહેવાય. તેને “ધણ” કે “ટોળું” કહેવાય. જો ન્યાયાલય આમ ન માનતું હોય તો તે ન્યાયાલય જ ન કહેવાય.

ચાલો હવે જોઇએ ન્યાયાલયે શું કર્યું?

૧૯૬૯માં ન્યાયાલયમાં કેસ દાખલ થયેલ. ન્યાયાલયે તેની ઉપર ૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિના આધારે ન્યાય આપ્યો અને કહ્યું કે સાચી કોંગ્રેસ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ છે. પણ પક્ષની સંપત્તિ ઉપર કશો ન્યાય ન આપ્યો. જેનો તેનો કબજો હતો તેની પાસે રહી.

૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ શું હતી? એ જ કે ઇન્દિરા ગાંધીને લોકસભામાં બહુમતિ મળી હતી. અને લોકશાહીમાં જનતા સર્વોપરી છે એટલે જનતાએ આપેલી બહુમતિને જનતાનો ન્યાય સમજવો.

સર્વોચ્ચ ન્યાયાલયનું આવું અર્થઘટન હાસ્યાસ્પદ છે એટલું જ નહીં પણ તે ઘણા વિરોધાભાષો ઉત્પન્ન કરે છે.

(૧) શું જનતા પાસે એવો મુદ્દો લઈ જવામાં આવેલો કે તે નક્કી કરે કે મૂળ કોંગ્રેસ કઈ છે? જો જનતા પાસે આવો મુદ્દો હોય જ નહીં તો પછી તે જનતાનો ન્યાય ગણાય? ચૂટણીમાં તો બીજા પક્ષો પણ હતા. તેમને તો આવા કોઈ મુદ્દા સાથે સંબંધ ન હતો.

(૨) ૧૯૬૯માં કેસ દાખલ થયો હોય તો તે વખતની પક્ષની આંતરિક પરિસ્થિતિ જોવાને બદલે ૧૯૭૧માં ઉત્પન્ન થયેલી સ્થિતિને આધાર માનવી તે ઉચિત છે?

(૩) ધારો કે ૧૯૭૧ પછીની આવતી ચૂંટણીઓમાં જનતાના ચૂકાદાઓ બદલાતા રહે, તો આવા ન્યાય, જે આધારે આપ્યા તે પણ, તે જ આધારે બદલાવા જોઇએ જ. તો આવા ન્યાય ઉચિત ગણાય?

(૪) જ્યારે ન્યાયાલય અસ્તિત્વમાં હોય ત્યારે વર્ષો પછી, ન્યાયાલયની બહાર ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને આધારે, ન્યાય આપી શકાય? જેમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી તેમજ જેમની સામે આવો મુદ્દો ધરવામાં આવ્યો નથી તેવા કિસ્સાઓમાં, તેવા સંજોગોમાં તેમણે જે બહુમતિથી ચૂકાદો આપ્યો હોય, તેને તે મુદ્દા ઉપરનો ચૂકાદો માની શકાય?

(૫) વળી એક જગ્યાની બહુમતિને બીજી જગ્યાએ કેવી રીતે લાગુ કરી શકાય?

(૬) બહુમતિથી ન્યાય કરવો ઉચિત છે?

(૭) બહુમતિથી સચ્ચાઈ સિદ્ધ થઈ શકે?

(૮) જો હા, તો પછી ન્યાયાલયની જરુર છે ખરી?

(૯) ન્યાય આપવામાં પક્ષના બંધારણની જોગવાઈઓને લક્ષમાં લેવામાં આવી છે?

આ બધા જ પ્રશ્નોના ઉત્તરો નકારમાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો ભારતમાં વિચરતા બાવાઓ જેવો છે.

શું સર્ચોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો નિર્મલ બાબા છે?

નિર્મલબાબા પાસે વ્યક્તિઓ પોતાની સમાસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તે સમજવા જાય છે. નિર્મલબાબા જ્યારે તેમને એમ કહે કે પાડા ઉપર બેસીને રોજ સો ગ્રામ ગાંઠીયા ખાઓ તો સમસ્યા હલ થઈ જશે.

શું નિર્મલ બાબા અને સર્વોચ્ચ ન્યાયલયના ન્યાયધીશો પણ આવ ભાઈ હરખા, આપણે સૌ સરખા. એવું છે?

આજ બ્લોગ સાઈટ ઉપર લખાયેલા “https://wordpressDOTcom/post/treenetramDOTwordpressDOTcom/218

“ખૂની કોણ? આયારામ ગયારામ કહે છે કે અમે દશરથ પૂત્ર રામ છીએ.” લેખને, મુદ્દા (૯)ની વિશેષ જાણકારી માટે વાંચવો.

ગાંધીજીના ત્રણ વાંદરા અને નહેરુવીયન કોંગ્રેસના ત્રણ વાંદરા

બંનેઉના

ગાંધીજીના ત્રણ વાંદરા એમ કહેતા હતા કે; ”કોઈનું બુરું ન જુઓ, કોઈનું બુરું ન સાંભળો, કોઈનું બુરું ન બોલો.”

ગાંધીજી આ વાત કોને અનુલક્ષીને કહેતા હશે તે સંશોધનનો વિષય છે. ધારો કે આને વૈશ્વિક સત્ય માનીએ તો, અને ગાંધીજીને હાલની નહેરુવીયન કોંગ્રેસની ધરોહર માનીએ તો, આ જ કોંગ્રેસના નંબર વન, ગાંધીજીના વાંદરાનો આ ગુણધર્મ રાખે છે ખરા? નાજી.

નહેરુવીયન કોંગ્રેસના નેતા નંબર વન તો બીજેપીના દરેક પગલામાં બુરુ જુએ છે, બુરુ સાંભળે છે અને બુરું બોલે છે. શું વાંદરાઓનો આ મૂળભૂત ગુણધર્મ છે એટલે?

 શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

WE SUPPORT “BREAK INDIA”

Paint02

બુર્ઝવાઓ બધા સમાચાર માધ્યમોમાં ફાટ ફાટ થાય છે.

સામ્યવાદીઓનો સૌથી મોટો દુશ્મન “બુર્ઝવા” લોકો છે. એમ તેઓ કહે છે.

તમે કહેશો કે તો તો પછી સામ્યવાદી લોકો સખત રીતે પરિવર્તનશીલ હોવા જોઇએ.

નાજી. એવું નથી. “બુર્ઝવા”ઓ  વિષેનો સામ્યવાદીઓનો આ ખ્યાલ કોઈ વૈશ્વિક સત્ય નથી. સામ્યવાદીઓ માટે “બુર્ઝવા” શબ્દ એક એવું વિશેષણ છે જે વિશેષણનો તેઓ, જેઓ તેમની સામે પ્રતિકાર કરે તેમને માટે કરે છે. ખાસ કરીને સામ્યવાદીઓ “પોતે માની લીધેલા સ્વસ્થ સમાજ”ની સ્થાપના માટે જે કામ કરી રહ્યા છે અથવા તો કરવાના છે તેનો વિરોધ કરનારાઓ માટે બુર્ઝવા શબ્દ વાપરે છે.

નરેન્દ્ર મોદીની બાબતમાં તેમનો દાવ ઉંધો પડે છે.

કારણ કે મોદી તો મહાત્મા ગાંધીની જેમ સામાજિક પરિવર્તન લાવવા માગે છે અને દેશનો સર્વાંગી વિકાસ પણ કરવા માગે છે. એટલે વૈચારિક રીતે તો સામ્યવાદીઓના દાવ ઉંધા જ પડે અને પડવા જ જોઇએ.

નરેન્દ્ર મોદી તો પોતે જ સામાજિક પરિવર્તનનો પુરસ્કર્તા છે. અને અહીં તો સામ્યવાદીઓ પોતે જ  સામાજિક પરિવર્તનનો વિરોધ કરનારા છે. સામ્યવાદીઓએ જે બુર્ઝવા શબ્દ તેમના વિરોધીઓ માટે પ્રયોજેલો તે બુર્ઝવા શબ્દ તો તેમને જ લાગુ પડે છે.

“વિભાજન વાદ”નું શસ્ત્ર બ્રહ્માસ્ત્ર ન બને તો બુમરેંગ બને છે.

નરેન્દ્ર મોદીની સામે નહેરુવીયન કોંગ્રેસીઓએ જાતિવાદ અને કોમવાદનું શસ્ત્ર ઉગામ્યું છે તેને આ સામ્યવાદીઓ પૂરો સહકાર આપે છે. એટલે કે આ સામ્યવાદીઓએ બુર્ઝવા વિશેષણને, વિશેષણને બદલે શસ્ત્ર બનાવી દીધું છે. નહેરુવીયન કોંગ્રેસની પાસે તો પહેલેથી જ એટલે કે જ્યારથી કોંગ્રેસનું કોંગ્રેસ (સંસ્થા) અને કોંગ્રેસ (આઈ)માં ૧૯૬૯માં વિભાજન થયું ત્યારથી આ નહેરુવીયન કોંગ્રેસને [કોંગ્રેસ (આઈ)]ને અસામાજિક તત્ત્વોનો છોછ રહ્યો નથી. નહેરુની ફરજ્જંદ ઈન્દિરા ગાંધીએ બધા જ અસામાજિક તત્ત્વોને ખૂલ્લું આમંત્રણ આપેલું. અને આ તત્ત્વોએ બળ જબરી પૂર્વક કોંગ્રેસ (સંસ્થા)ના કબજામાં રહેલી મિલ્કતનો કબજો લીધેલો. જ્યાં કોંગ્રેસ (સંસ્થા) મજબુત સ્થિતિમાં હતી તેવા ગુજરાતમાં કોંગ્રેસ (આઈ) ફાવી ન હતી.

સામ્યવાદીઓ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી

સામ્યવાદીઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે તેઓ કોઈ સંવિધાનમાં કે કાયદાઓના પાલનમાં માનતા નથી. તેઓ જે તે પરિસ્થિતિને અનુરુપ વર્તે છે. એટલે કે જો કાયદો તરફમાં લાગે, અથવા તો તેનું અર્થઘટન, જાહેર જનતા કે અભણ જનતા માટે વિવાદાસ્પદ કરી શકાય તેમ હોય તો, તેઓ તે કાયદા અને તે ન્યાયાલયને માનીને તેનો સહારો લે છે. જો આમ ન હોય તો “સત્તાધારી પક્ષની અસહિષ્ણુતા, પૂર્વગ્રહ, કોમવાદીપણું, ભ્રષ્ટતા, સરમુખત્યારી વિગેરે” જે કંઈ વિશેષણો હાથવગાં હોય  તે, લાગુ પડતાં હોય કે લાગુ પડતા ન હોય તો પણ વાપર્યાં કરવા એવી તેમની કાર્યશૈલી છે. આ બધું તેઓ કંઈ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી. નહેરુવીયન કોંગ્રેસને આ બધું સામ્યવાદીઓ પાસેથી શિખવા મળ્યું તેમ નથી. આ બધું તેમને તેમની વંશવાદી પક્ષીય વારસાગત શૈલીમાંથી મળ્યું છે.

હિટલરને તો એક જ ગોબેલ્સ હતો. સામ્યવાદી વૃક્ષ ઉપર તો ડાળે ડાળે ગોબેલ્સ હોય છે.

હાલ તો ભારતમાં સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ એક ફેજ઼ અને એક ફ્રીક્વન્સી પર કામ કરે છે. તેઓ સૌ, “બુર્ઝવા” એટલે કે “જૈસે થે વાદી”ઓની ભૂમિકા ભજવે છે. “જૈસે થે વાદી થવું” એ ગુણધર્મને તેમણે આપદ્‍ધર્મ તરીકે સ્વિકાર્યો છે. જો કે તેઓ આ વાત કબૂલ કરશે નહીં.

જ્યારે સામ્યવાદીઓ સત્તામાં ન હોય ત્યારે આ સામ્યવાદીઓ અરાજકતા ફેલાવવામાં માને છે. અને   લોકશાહીમાં તેઓ સમાચાર માધ્યમો દ્વારા અરાજકતા અસ્તિત્વ ધરાવે છે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં માને છે.

શું સમાચાર માધ્યમો  આવી અરાજકતા ફેલાવવાની ઈચ્છા રાખવાવાળાઓને સહયોગ કરશે?

શું સમાચાર માધ્યમોના માલિકો, કટાર લેખકો, વિવેચકો, વિશ્લેષકો ખરીદી શકાય તેવી જણસો છે?

સમાચાર પત્રોના ઘટકો શું છે?

રાજકીય સમાચાર અને દેશમાં બનતી ઘટનાઓના સમાચાર

(૧) સમાચારની પસંદગી અને પસંદ કરેલા સમાચારને કેટલી પ્રાથમિકતા આપવી તે,

(૨) સમાચાર ને કેવીરીતે પ્રગટ કરવા એટલે કે તેના શબ્દોની કેવી રચના કરવી, એટલે કે શું છૂપાવવું અને શું પ્રગટ કરવું છે. જે પ્રગટ કરવું છે તેને લાગણીશીલ (ઈમોશનલ) કેવીરીતે બનાવવું.

(૩) સમાચાર તો બે જાતના હોય છે. એક જે એવા સમાચાર છે કે જે રાજકીય સમાચાર છે. અને બીજા છે તે એવા સમાચાર છે જે સમાજમાં બનતી  અસામાન્ય ઘટનાઓ છે.

આ સામાન્ય ઘટનાઓ ને કેટલી  પ્રગટ કરવી, કેટલી પ્રગટ ન કરવી, કે તદ્દન જ ન પ્રગટ કરવી તે અલગ વેપાર છે.

જો આવી ઘટનાઓમાં કોઈ પક્ષના નેતાની કે કોઈ પક્ષના નેતાના સગાની સંડોવણી હોય કે સંડોવણી વિવાદાસ્પદ રીતે ઉભી કરી શકાય તેમ હોય તો આ સમાચારને રાજકીય  સમાચાર બનાવી શકાય છે. અને તેનો વેપાર પણ વળી પાછો અલગ હોય છે.

શું આવું બધું વાસ્તવમાં હોય છે ખરું?

કેટલીક વાતોની અપ્રત્યક્ષ સાબિતીઓ હોય છે. સમાચારને સીધે સીધા પ્રસિદ્ધ કરવાને બદલે માધ્યમોના માલિકો તે સમાચારોને, પોતાના એજન્ડાને અનુરુપ માન્યતાની રીતે પ્રગટ કરે છે. આવું અવારનવાર થાય એટલે આપણને તેના માલિકના મનોરહસ્યોની જાણ થઈ જાય છે.

“કોઈ એક” કૌભાંડમાં સંબંધિત વિદેશી પાર્ટીએ ૪૦ કરોડ રુપીયા આપ્યા. કારણ? સમાચાર માધ્યમો આ સોદાને બહુ પ્રાધાન્ય ન આપે તે માટે.

આ સમાચાર આપણને જાણવા મળેલા. કોઈ એક સોદો, સમાચાર મધ્યમોંમાં ચગે નહીં તે માટે પૈસા આપવા પડે, એ કંઈ, સમાચાર માધ્યમો માટે નીતિમત્તાનું પ્રમાણ પત્ર નથી.

લાંચની હદ ક્યાં સુધી?

ડૉ.ત્રીવેદી જેઓ કેનેડાથી ભારતમાં સેવા કરવા માટે ખાસ આવેલા અને વહીવટી રીતે ઑટોનોમસ હોસ્પિટલ બનાવવા માગતા હતા. તેઓએ જ્યારે એક મશીન માટે ટેન્ડર મંગાવ્યું અને નેગોશીએશનમાં એક પાર્ટીને ખાનગીમાં પૂછ્યું કે “જુઓ અમે કોઈ કમીશન લેવાના નથી…” તો સામેની પાર્ટીએ પૂછ્યું કે પણ અમારે સરકારમાં તો પૈસા ખવડાવવા જ પડશેને”. ડૉ. ત્રીવેદીએ કહ્યું કે “તમારે સરકારમાં પણ પૈસા ખવડાવવા નહીં પડે. તો તમે તમારો આ મશીન નો ભાવ કેટલો ઘટાડશો?.” આ પછી તે પાર્ટીએ ત્રણ કરોડનો ભાવ, એક કરોડ રુપીયા કરી દીધો. આ તો ઓગણીશોને એંશીના દશકાના પૂર્વાર્ધની વાત છે જ્યારે ઇન્દિરાઈ નહેરુવીયન કોંગ્રેસનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. અને પછી તો ગઠબંધનની સરકાર હોય તો પણ લૂંટમાં કશો વાંધો આવતો નહીં. અને આપણે જોયું જ છે કે કૉમનવેલ્થ  ગેમમાં કેવા પૈસા ખવાયા. આવી વાતો ખાનગી તો રહે જ નહીં.

પણ ખાનગી એટલે શું? તમે છાપે ન ચડો એટલે ખાનગી.

નેવુના દશકાના અંતમાંથી શરુ કરી હવે સોશ્યલ મીડીયા એટલું વિકસિત થયું છે કે સમાચાર પત્રોએ તેની સાથે સ્પર્ધા કરવી પડે છે. ૧૯૮૯-૯૦માં કાશ્મિરી હિન્દુઓની કતલેઆમને, હજારો  હિન્દુ સ્ત્રીઓની આબરુની લૂંટને અને લાખો હિન્દુઓની હિજરતને, અખબારો અને ટીવી ચેનલો છૂપાવી શક્યા હતા, અથવા તો કહી શકાય કે ન ચગાવી શક્યા ન હતા.

આવું હવે થઈ ન શકે. આજે તો જે વાત, જે તે વિસ્તારના પાંચ દશ માણસો જાણે છે તે વાત તેમાંનો એક ફૂટે તો તે અઠવાડીયામાં આખા દેશને  જાણતો કરી દે.

ઘટનાઓ, પછી ભલે તે ઘટનાઓ ફરેબી કે બનાવટી કેમ ન હોય, તેનો પ્રસાર એક મોટું પરિબળ છે. સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત સૌથી પહેલાં જાણી ચૂક્યા છે.  જ્યારે નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેઓએ અનેક બ્લોગપોસ્ટને સ્થગિત કરેલી. સૂકા સાથે લીલું પણ બળે છે તેની દરકાર કરી ન હતી. સુલેખા ડૉટ કૉમ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.

પણ આપણી મૂળ વાત છે કે શું આપણા બધા જ કટાર લેખકો, મૂર્ધન્યો, વિશ્લેષકો અને એંકરો વેચાણની જણસો છે?

જેમ ૧૦૦ કે ૧૦૦૦ સરકારી અધિકારીઓમાં એકાદો તો માઈનો પૂત નિકળે, કે જે કોઈની દરકાર ન કરે. જેમ કે સુરતના મ્યુનીસીપલ કમીશ્નર એસ આર રાવ, કે ઝોનલ ઓફીસર ખેરનાર, કે ઈલેક્સન કમીશ્નર ટીઆર શેષન. આ શક્યતાનો સિદ્ધાંત બધી જ જગ્યાએ લાગુ પડે છે. લેખકો પણ એવા નિકળે કે જેઓ કોઈની દરકાર ન કરે. પણ આવા લેખકો જે કંઈ લખે તેનાથી તાત્કાલિક  ખાસ ફેર ન પડે. જેમ કે રાજીવ મલહોત્રા, નિસ્સાર હસન, તારેક ફતહ, સલમાન રશદી, તસ્લિમા નસરીન, … વિગેરેના વિચારો આનાથી તદ્‍ન વિરુદ્ધ વિચાર સરણી વાળાઓના સાગરમાં ડૂબી જાય છે.

લેખકોને નડે છે શું?

અમુક માન્યતાઓ તેમને નડે છે.

(૧) ટકી રહેવુંઃ બીજા અર્થમાં જીવતો નર ભદ્રા પામે. જો આપણી આ કોલમ રુપી જાગીર ટકી રહેશે તો આપણે ભદ્રા પામીશું. કટોકટીના સમયમાં ઘણા લેખકોએ આદેશ વગરની, સરકારી શરણાગતી, સ્વિકારી લીધેલી. જો કોલમરુપી જાગીરની દરકાર નહીં કરીએ તો તે બીજો લઈ જશે. માટે આપણી કોલમ બચાવો.

(૨) કિર્તીની ઘેલછા એટલે કે “હુ તો બધાથી જુદો છું”

(૩) હું તટસ્થ છું. હું તો બધાનું જ સારું અને નરસું બધું જ જોઉં છું. આનો બીજો અર્થ એમ થાય કે “ડબલ ઢોલકી”. સારું અને નરસું આમ તો, આ બધું સાપેક્ષ છે. આપણે એ ભૂલી જવું. એટલે કે આપણે પ્રમાણ ભાન રાખ્યા વગર  બંને બાજુ ઢોલકી વગાડવી. મોટા ભાગના લેખકો “ઉંધા ચંબુના (છાલીયાના) શક્યતાના નિયમ પ્રમાણે) કેન્દ્રીય બિન્દુની ડાબી કે જમણી બાજુ પર ગોઠવાઈ જાય છે.

(૪) અમે તો ભાઈ ફોબીયાવાળા. જો કે અમે કબુલ નહીં કરીએ પણ અમે જે કહીએ તે સાચું જ છે.

(૫) વાસ્તવિકતાની નજીકઃ આવા લેખકો પણ છે જ. કે જેઓ વાસ્તવિકતાને સમજે છે. ક્યારેક તેઓ આ વાત પ્રદર્શિત કરે છે પણ તે વાચકોની અપેક્ષાને સંતોષી શકતા નથી. આનો સચોટ  દાખલો  વિનોબા ભાવે હતા. કટોકટી હતી ત્યારે  ઘણા સુજ્ઞ લોકો માનતા હતા કે વિનોબા ભાવે કેમ મૌન છે. કારણકે વિનોબા ભાવેને કેટલાક લોકો ગાંધીજીનો વૈચારિક અવતાર માનતા હતા. તેમણે કહેલું કે કટોકટી એ અનુશાસન પર્વ છે. આનો અર્થ વિનોબા ભાવેના હિસાબે કંઈક હતો અને સરકારે તેનો અર્થ કંઈક જુદો એવો પોતાને સગવડ રુપ કરેલો, જે તદ્દ્‌ન ઉંધો હતો. સરકારનો તો તે વખતે તદ્દન જૂઠું બોલવું એ જ ધર્મ હતો. અને જનતા આ વાત પણ જાણતી હતી. પણ જેમ જૂઠી વાત સતત કહેવામાં આવે તો અંતે તેને બધા સાચી માની લે છે. તેમ વિનોબા ભાવે વિષે પણ માનવામાં આવ્યું. વિનોબા ભાવે એ બોલાવેલા “આચાર્ય સંમેલનમાં”, તેમણે સ્પષ્ટીકરણ પણ કર્યું. પણ કટોકટીમાં તો આવું બધું છાપામાં આવે નહીં. તેથી સુજ્ઞ લોકોએ પોતાની માન્યતા કાયમ રાખી. વિનોબા ભાવે કહ્યું, કે ભાઈ, હું તો મારી રીતે પ્રતિભાવ આપું. તમે તમારા શબ્દો મારા મોઢામાં, મારા શબ્દો તરીકે મુકાવો એ કેમ ચાલે!!  

પણ જ્યારે જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: