Feeds:
Posts
Comments

Posts Tagged ‘પ્રાથમિકતા’

મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૨

આતંકવાદીઓ ધર્માંધ મુસ્લિમના વર્ગીકરણ હેઠળ આવે. જો કે આતંકવાદીઓ માટે તો ધર્માંધ શબ્દ પણ નાનો પડે. પણ ધર્મને જ્યારથી રાજ્યે મહત્ત્વ આપવું શરુ કર્યું અને ચૂટણીઓની રમતોમાં ધર્મ અને જાતિના સમીકરણો નહેરુવીયન કોંગ્રેસે વિકસાવ્યા ત્યારથી ભારતમાં ધર્મ અને જાતિ (જ્ઞાતિ)નો ફોબીયા ઉત્પન્ન થયો. હિન્દુઓમાં પણ પૂર્ણ કે અર્ધ મુસ્લિમ-ફોબીયા અને અર્ધ-ખ્રીસ્તી ફોબીયા હોય છે. ફલાણો માણસ મુસ્લિમ કે ખ્રીસ્તી છે તેથી તે સારો હોય તો પણ ગમે તે પ્રકારે તે ખરાબ જ છે. આમાં એ.પી.જે. કલામને પણ ન છોડાય, ફિરોઝ ગાંધીને પણ ન છોડાય અને મધર ટેરેસાને પણ ન છોડાય. તેવી જ રીતે આંબેડકરને પણ ન છોડાય.

ટેલ સ્પેડ એ સ્પેડ (ચીપિયો પછાડીને કહો … સાચી વાત કહો)

આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી.

જો તમારે મુસલમાનની સુજ્ઞતા જાણવી હોય તો તમે એ વિચાર વહેતો મુકો કે આતંકવાદીઓને ધર્મ હોતો નથી. માટે આતંકવાદીના શબને ન તો તેમના સંબંધીઓને હવાલે કરવું, ન તો આતંકવાદીના શબને દાટીને ઉત્તરક્રિયા કરવી. આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું અથવા મધ દરિયે વહેતું કરી દેવું.

આ વાત જે મુસલમાન કબુલ રાખે તેને સાચો મુસલમાન માનવો. દેખીતી રીતે જ આ તર્ક બધાએ માન્ય રાખવો જોઇએ. પણ આપણા મૂર્ધન્યો આ વિચાર વહેતો મુકી શકવાની હિમત ધરાવે છે ખરા?

બીજેપીના તરફદારો કે મોદી-યોગી ભક્તો તો આ વાત કબુલ રાખશે. પણ આપણે તેમને અવગણીશું.

જ્યારે પણ “આતંકવાદીઓ હુમલો કરે અને માનવ હત્યાઓ કરે ત્યારે તેમને આતંકવાદી તરીકે જ ઓળખવા જોઇએ. તેમને મુસલમાન તરીકે ઓળખવા જ ન જોઇએ” આ રીતની વાત તો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ કૂદકા મારી મારીને કહેશે. પણ આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું કે મધદરિયે વહાવી દેવું એ વાત નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેના સાંસ્કૃતિક સાથીઓ કબુલ રાખે તે વાત અશક્યમાં પણ અશક્ય છે.

ઉપરોક્ત ચાર પ્રકારના મુસ્લિમોમાંથી એક અને બે પ્રકારના મુસ્લિમો વિતંડાવાદ કરશે જ  કરશે. તેઓ આંદોલન પણ કરશે. તેઓ કહેશે “આતંકવાદીઓ મુસ્લિમ નથી પણ તેઓ કોઈના બેટા તો છે જ ને! તો તેમના શબ તેમના સગાંઓને આપી દેવા જોઇએ. આતંકવાદીઓના સગાઓ ઉપર શબનો નિકાલ કેવી રીતે કરવો તે નિર્ણય છોડી દો”. જો કે આ એક અને બે પ્રકારના લોકો તો  ઘણા જ આગળ વધી વર્ગ વિગ્રહ કરવા સુધી પહોંચી જશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ તો આવી ચર્ચાના કરણે કોઈ વિગ્રહ ફાટી નિકળે તેની રાહ જોઇને જ બેઠા છે. તેમને મદદ કરવા તલપાપડ છે.

ત્રીજા પ્રકારના મુસ્લિમો મૌન રહેવું પસંદ કરશે. અને ચોથા પ્રકારના મુસ્લિમો આતંકવાદીઓના શબના નિકાલની આપણી વાતને આવકારશે.

હિન્દુ-ફોબીયા

મુસ્લિમોની ઠીક ઠીક સંખ્યા હિન્દુ-ફોબિયાથી પીડિત હોય છે. આનું મુખ્ય કારણ સંવાદનો અભાવ હોય છે. વળી હિન્દુઓ પોતાના વિસ્તારમાં મુસ્લિમોને ઘર ભાડે આપતા નથી.કારણ કે મુસ્લિમોમાં કોણ આતંકવાદી સાથે હોઈ શકે અને કોણ  ન હોઈ શકે તે તેઓ જાણી શકે તેમ હોતા નથી. વળી મુસ્લિમ વિસ્તારની નજીક રહેતા હિન્દુઓનો અનુભવ મુસ્લિમો વિષે સારો હોતો નથી. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ કેવી રીતે સ્થાપી શકાય તે મહ્ત્ત્વનો પ્રશ્ન છે.

બાવા-યોગી-ફોબિયાઃ

બાવાઓની વિરુદ્ધ અધ્ધર અધ્ધર બોલવું તે એક ફેશન છે. વાસ્તવમાં બધા બાવાઓને એક લાકડીએ હાંકી ન શકાય. ઓશો આસારામ, સંત રજનીશમલ, રાધે મા, જેવા બાવાઓ એક વહાણના પ્રવાસીઓ છે. ધીરેન્દ્ર બ્રહ્મચારી, ચંદ્રાસ્વામી, મહેશ યોગી, બાબા રમદેવ, સદ્‍ગુરુ, શ્રી શ્રી રવિશંકર આ બધા એક પ્રકારમાં અવતા નથી. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામી નો એજંડા મહેશ યોગી, બાબા રામદેવ, સદ્‌ગુરુ, શ્રીશ્રી રવિશંકરથી ભીન્ન હતો. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામીની  ઈન્દિરા ગાંધીની સાથેની નિકટતા ઉડીને આંખમાં ખૂંચે તેવી હતી. મહેશ યોગી, યોગના પુરસ્કરતા હતા પણ તેમનું કાર્યક્ષેત્ર પોતાની સંસ્થાઓ પુરતું સીમિત હતું. બાબા રામદેવ, સદ્‍ગુરુ અને શ્રી શ્રી રવિશંકર, યોગના પ્રચારની સાથે સાથે ઉત્પાદન અને વેપાર પણ કરે છે.

આપણા “તડ અને ફડ” વાળા એક મૂર્ધન્યભાઈને કદાચ આંશિક ફોબિયા હશે. જો કે મને આ “તડ અને ફડ” વાળા મૂર્ધન્ય વિષે આમ તો ઘણું માન છે. પણ ક્યારેક તો વિચાર વિભીન્નતા રહેવાની જ. બાબા રામ દેવે બીજેપી સરકારને સૂચન કર્યું કે વૈદિક અભ્યાસના પ્રચારમાં સરકાર સામેલ થાય. સરકારે તે વાત હાલ પુરતી નકારી કાઢી છે. આ સૂચન એક બાવાજી તરફથી આવ્યું હોવાથી ઘણાને ન પસંદ પડે તે સમજી શકાય છે. પણ દરેક સૂચનને તેના સંદર્ભમાં અને તેના ગુણદોષના આધારે જોવું જોઇએ. આપણા મૂર્ધન્ય ભાઈને આ સૂચન નહીં ગમ્યું હોવાથી તેમણે “માંડીને વાત કરી” (કે જેથી પોતાના આવનારા અભિપ્રાયની પૂર્વભૂમિકા સર્જાય). તેમણે “ઈન્દિરાઈ સમર્થનવાળા ચન્દ્રા સ્વામી અને ધીરેન્દ્ર બ્રહ્મચારીના કરતૂતોનો અને ઈન્દિરા ઉપર તેમના વર્ચસ્વનો ઉલ્લેખ કર્યો. આ વર્ચસ્વને બાબા રામદેવના બીજેપીના સમર્થન સાથે સાંકળ્યો. બાબાને વેપાર સાથે સાંકળ્યા અને બાબાના વેપાર વિસ્તારને નરેન્દ્ર મોદીના સમર્થન સાથે સાંકળ્યો.”

વાસ્તવમાં ઇન્દિરાને લીધે ઇન્દિરા ગાંધીના બાવાઓને જે મહત્ત્વ મળ્યું તે મહત્ત્વને બાબા રામદેવના મહત્ત્વ સાથે સરખાવી ન શકાય.

આ મૂર્ધન્ય શ્રીએ વર્ણવ્યુ …. “… બાબા રામદેવ તકનો લાભ લેતા રહ્યા જેમ કે પહેલાં અન્ના હજારે સાથે રહ્યા અને ખ્યાતિ મેળવી લીધી. નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન બાબા રામદેવે પોતાનું આંદોલન પણ કર્યું અને પછી સ્ત્રીનો વેશ પહેરી મધ્યરાત્રીએ ભાગી ગયા. કોંગ્રેસના પરાજય પછી  નરેન્દ્ર મોદીના સહકારથી તેમણે પોતાનો વેપાર વિકસાવ્યો. …”

નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે બાબા રામદેવને અને તેમના સાથીને ખોટી રીતે હેરાન કરવામાં આવેલા. મધ્યરાત્રીએ પાડવામાં આવેલો પોલીસનો દરોડો વીન્ડીક્ટિવ હતો. રામદેવ અને તેમના સાથીને, નહેરુવીયન કોંગ્રેસનું શાસન લાખ પ્રયત્ન કરવા છતાં કોઈ સજા કરી શક્યું ન હતું. એ વાત જ સિદ્ધ કરે છે કે નહેરુવીયન કોંગ્રેસનું શાસન કેટલું વેરવૃત્તિવાળું હતું. જોકે નહેરુવીયન કોંગ્રેસના નામે આવા અગણિત કાળા કર્મો ઇતિહાસને ચોપડે નોંધાયેલા છે. બાબા રામદેવ સ્ત્રીનો વેશ પહેરી ભાગી ગયા હોય તો તે વાત ઉલ્લેખવાને લાયક છે કે કેમ તે ચર્ચાનો વિષય છે. પણ આ વાત ઉપર તેમની બુરાઈ કર્યા કરવી તે બરાબર નથી.

ભૌતિક હિંમત અને નૈતિક હિમતનો ભેદ સમજો

હિમત (કરેજ) બે જાતની હોય છે.  ભૌતિક હિંમત (ફીઝીકલ કરેજ), અને નૈતિક હિમત (મોરલ કરેજ). ભૌતિક હિંમતના અભાવને,  અણધારી આફતમાં શારીરિક પીડાના ડરથી નાહિમત થઈ જવાની ક્રિયા સાથે સાંકળી શકાય. નૈતિક હિમત આવનારી આફતની જાણ હોય અને તેનો મુકાબલો કરવા માટે મન અને શરીરને તૈયાર કરવું તે છે.

ગાંધીજીના જીવનમાં પણ દક્ષિણ આફ્રિકામાં એક વખત એવો બનાવ બનેલો કે જેના કારણે તેમને પાછલા દરવાજેથી ભાગી જવું પડેલું. પણ જ્યારે ફરીથી એવો બનાવ બન્યો ત્યારે તેઓ સામે ચાલીને એ હિંસક માણસ પાસે ગયેલા. જો રામદેવના જીવનમાં ન કરે ને નારાયણ, ફરીથી આફત આવે અને તેઓ ફરીથી સ્ત્રીનોવેશ પહેરી ભાગી જાય તો તેમની બુરાઈ કરી શકાય. બાબા રામદેવની ઉપર આજે પણ નહેરુવીયન કોંગ્રેસની ચાર આંખ છે. તેઓશ્રીની સામે ખોટા આક્ષેપોવાળી તપાસ પણ થઈ છે. બાબા રામદેવ મલ્ટીનેશનલ કંપનીઓ માટે પડકાર રુપ તો બન્યા જ છે.

બધા બાવાઓ વેપાર કરતા હોય છે.  

બાવાઓ બધા વેપાર તો કરતા જ હોય છે. મૂળવાત તો એ છે કે તેઓ જનતાને તેમના વેપારમાં છેતરે છે કે કેમ?  જ્યારે   નહેરુવીયન કોંગ્રેસ બાબા રામદેવને કટ્ટર શત્રુ માનતી હોય ત્યારે બાબા રામદેવે સાવધ તો રહેવું જ પડે. બીજેપીની સરકારમાં ઉપરથી ખોટા દબાણ આવતા નથી. એટલે બાબા રામદેવ જેઓ પેક્ડ ઉત્પાદન વેચતા હોય તેમાં ગોલમાલ ન જ કરી શકે.

બધા જ બાવાઓ દવાઓનો વેપાર કરતા હોય છે, પછી ભલે તે અમદાવાદના ગીતા મંદિરના કે જગન્નાથ મંદિરના મહંત હોય, ઇશ્કોનના સાધુ હોય કે ઓશો આસારામ હોય,  શ્રીશ્રી રવિશંકર હોય કે સ્વામી ચિન્મયાનન્દ હોય. પૈસાની જરુર બધાને જ પડે છે. માત્ર અને માત્ર  દાન ઉપર કોઈ સંસ્થા ચાલી ન શકે. હરિજન આશ્રમ પણ પુસ્તકો અને ફોટાઓ વેચે છે. બાબા રામદેવે પોતાના વ્યાપક પણાને લીધે ધંધાનો વિકાસ કર્યો તે સ્વદેશી હિત માટે છે એમ માનવું જોઇએ. તેને બુરાઈના લક્ષણ તરીકે ન જોવી જોઇએ. બાબા રામદેવ, કારણ કે તેઓ વેપાર કરે છે એટલે કંઈક ગોટા તો કરતા હોવા જ જોઇએ એવી ધારણા હેઠળ તેમને ગુનેગાર  ઠેરવી ન શકાય. તેમજ ઉટાંગપટાંગ વાતો કરીને એવો મેસેજ પણ ન આપી શકાય તે વેપારી છે ખરાબ હોવા જ જોઇએ.

વૈદિક અભ્યાસની વાત અને તેમાં સરકાર ભાગ લે તે મુદ્દો અલબત્‌ વિશાળ ચર્ચા માગી લે તેવો છે. આ ચર્ચા અનેક મુદ્દાઓ આવરી લે તેવી છે. માત્ર બાબા રામદેવની ઈચ્છાને આ ચર્ચા સાથે જોડવી તે અયોગ્ય છે. સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ જર્મનીમાં અને અમેરિકામાં (હાર્વર્ડ)માં ભારત કરતાં ઉચ્ચ કક્ષાનો હોય છે તે વાત અંગ્રેજી અને આપણી અંગ્રેજીયતની નીપજ છે. આને વિષે ઘણું સાહિત્ય “ઓન લાઈન” ઉપલબ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ચાહકોએ તેને અચૂક જાણવું જોઇએ. જેમને સુતાં સુતાં  વાંચવાની ટેવ હોય અને અંગ્રેજીયતના ચાહક હોય કે ન હોય તેમણે પણ રાજિવ મલહોત્રાએ લખેલી  “બેટલ ફોર સંસ્કૃત” અચૂક વાંચવી જોઇએ કે જેથી તેમનામાં રહેલા અનેક ભ્રમનું નિરસન થાય. 

શિરીષ મોહનલાલ દવે

તા.ક. અમારા ડીબી ભાઈ (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી) એ તેમના બીજેપી-ફોબિયાનું પ્રદર્શન કર્યું

હમણાં ક્યાંક અમિત શાહે “વાતવાતમાં કહ્યું કે ગાંધીજી ચતુર વાણીયા હતા”. વાચકોને આ વાક્યથી વિશેષ કશું અમિત શાહના ઉચ્ચારણ અંતર્ગત વાંચવા કે સાંભળવા મળ્યું નથી. ફોબિયા પીડિત વ્યક્તિઓની આ ખુબીલીટી છે કે તેઓ ઉચ્ચારણને ગુપાવી દે છે, અને તે ઉચ્ચારણ ઉચરનાર વ્યક્તિની બદબોઈ કરવા મંડી પડે છે. “શું ગાંધીજીને ચતુર વાણીયા” કહેવા એ ગુનો બને છે? શું ગાંધીજીને ચતુર વાણીયા કહેવાથી ગાંધીજીની નિંદા થાય છે? શું ગાંધીજીને આ “ચતુર વાણિયા” શબ્દ થી નફરત હતી? શું ગાંધીજીને “વાણિયા” શબ્દથી નફરત હતી? શું વાણિયાઓ માણસ નથી? ગાંધીજીએ તો પોતે જ વાતવાતમાં અનેક વખત પોતાને વાણિયા તરીકે ઓળખાવ્યા છે. ડીબીભાઈ ભલે પોતાને સુજ્ઞ માનતા હોય પણ તેમની અજ્ઞતાને નકારી ન શકાય. નહેરુવીયન કોંગ્રેસીઓ તો અજ્ઞ છે તેથી તેઓ તો લવારી કરે તે સમજી શકાય છે.

વળી ડીબીભાઈ અમિત શાહની બુરાઈ કરીને અટક્યા નથી. તેમણે તો પોતાના ફોબીયાનું પ્રદર્શન કરવા નરેન્દ્ર મોદી અને બીજેપીને પણ બુરાઈ કરવા લપેટમાં લઈ લીધા છે. જ્યારે ભારતમાંના સમાચાર માધ્યમોના ખેરખાંઓ આવું “આળાપણું“ દર્શાવતા હોય ત્યારે ભારતને મૂર્ધન્યોના ફોબિયાથી થતા નુકશાનથી કોણ બચાવશે?    

ટેગ્ઝઃ મૂર્ધન્યો, અર્ધ ફોબિયા, પૂર્ણ ફોબિયા, સાંપ્રત સમસ્યા, કટારીયા, પ્રાથમિકતા, સોસીયલ મીડીયા, સેક્યુલર, હિન્દુરાષ્ટ્ર, વૈદિક શિક્ષણ પ્રણાલી, ઇસ્લામિક ફોબિયા, હિન્દુ ફોબિયા, પૂર્વ પક્ષ, ગૉન-કેસ, મુસલમાનો, મેરા ભારત મહાન, ગર્વસે કહો હમ હિન્દુ હૈ, નહેરુ, ઇન્દિરા ગાંધી, આપખુદી, ભારતીય સંસ્કૃતિના ચાહક, અંગ્રેજીયતના ચાહક, રાજિવ મલહોત્રા, બેટલ ફોર સંસ્કૃત, ભ્રમ, ડીબીભાઈ, દિવ્યભાસ્કર, ગાંધીજી ચતુર વાણિયા

Read Full Post »

મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૧

મૂર્ધન્યો એટલે ભારતની સાંપ્રત સમસ્યાઓ અને બનાવો વિષે લખતા લેખકો જેમાં વર્તમાન પત્રોમાં લખતા કટારીયાઓનો પણ સમાવેશ થાય છે.

ભારતની સમસ્યાઓ કઈ છે? આ જો ગણવા બેસીએ તો પાર ન આવે. સોસીયલ મીડીયામાં સૌ પોતાની મુનસફ્ફી પ્રમાણે સમાસ્યાઓને પ્રાથમિકતા આપે છે. આવી પ્રાથમિકતાઓ ઘણાને હાસ્યાસ્પદ પણ લાગે. કેટલાક લોકો (સોસીયલ મીડીયાવાળા), બધી જ સમસ્યાનું મૂળ ભારતના વિભાજનને માને છે. અને વિભાજનને માટે ગાંધીજીને મનમાની રીતે જવાબદાર માને છે. કેટલાક લોકો બધી સમસ્યાનું મૂળ, ભારત સેક્યુલર રાષ્ટ્ર છે તેને માને છે. તેમનું પ્રાધાન્ય ભારતને શિઘ્રાતિશિઘ્ર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાનું છે. કેટલાક ભારતમાં વૈદિક શિક્ષા પ્રણાલી ન હોવાથી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે તેથી શિઘ્રાત્તિશિઘ્ર વૈદિક શિક્ષણ પ્રણાલી લાગુ કરવાની વાતો કરે છે. આ બધી વાતો કરનારા કાંતો સંપૂર્ણ રીતે ધાર્મિક (ખાસ કરીને ઇસ્લામિક) ફોબીયાથી પૂર્ણ રીતે પીડિત છે અથવા તો આંશિક રીતે આ ફોબીયાથી પીડિત છે. આવા લોકો પૂર્વપક્ષને સાંભળવામાં માનતા નથી અને પૂર્વપક્ષમાં રહેલા સાહિત્યને પણ વાંચવા માગતા નથી. તમે જો વિસ્તારથી લખો અને સમજાવો તો પણ તેઓ સમજવા માગતા નથી. એક મુદ્દા ઉપરથી, પહેલાને અધુરો રાખી, બીજા મુદ્દા ઉપર કૂદકા મારે છે. આવા લોકોનો કોઈ ઉપાય નથી. ટૂંકમાં આ ફોબીયાનો કોઈ ઉપાય નથી. તેઓ “ગૉન-કેસ” છે. એટલે કે તેમની ઉંત્કાંતિ કુદરતી રીતે થવા દો.

આવા જ પ્રકારના ફોબીયાથી પીડાતા મુસલમાનો વધુ વ્યાપક રીતે છે. જે મુસલમાનો આવા ફોબીયાથી પીડિત નથી તેઓ મહદ્‌ અંશે નિસ્ક્રીય છે. આવા જ નિસ્ક્રીય રહેલા મુસલમાનોમાંના કેટલાક જ્યારે ઈસ્લામ ધર્મની વાત આવે ત્યારે એકદમ સક્રીય થઈ જાય છે.

 પહેલાં આપણે હિન્દુઓની વાત કરીશું.

મેરા ભારત મહાન

“મેરા ભારત મહાન” અને “ગર્વસે કહો હમ હિન્દુ હૈ” આ સૂત્રો આપણે અનેક જગ્યાએ વાંચીએ છીએ. આ સૂત્રો કેટલા ઉપયોગી છે? “મેરા ભારત મહાન”માં વાસ્તવિક રીતે જો જોઇએ તો સૂત્ર રચના કંઈક આવી હોવી જોઇએ. “મેરા ભારત મહાન થા”. અત્યારે તો આપણો દેશ “અણઘડ દેશો”માંનો એક દેશ છે. તેનું મુખ્ય કારણ ભ્રષ્ટ થી અતિભ્રષ્ટ નહેરુવીયનો અને તેના પક્ષના નેતાઓ છે. જો કે અંગ્રેજીયતને દોષ આપશે. પણ જો સુજ્ઞ જનોએ તેમની ફરજ બતાવી હોત ઈતિહાસના શિક્ષણમાં રહેલા વિરોધાભાષો દૂર કરવાના ફેરફાર કરી શકાયા હોત. આવું દોષારોપણ વ્યર્થ હૈ. આ તો એવી વાત થઈ કે આતંકવાદ માટે મુસલમાનો નહીં પણ અમેરિકા અને રશિયા જવાબદાર હૈ. શું મુસલમાનોનો ઉપલો માળ ખાલી છે?

૬૦ વર્ષના શાસનની નીપજ રુપે ભ્રષ્ટ નહેરુવીયન કોંગ્રેસને પાનો ચડ્યો હતો કે આપણા જેવી માનસિકતા રાખનારા અનેકાનેક પક્ષો છે. તેઓ આપણને “કાકા કહીને સપોર્ટ કરશે” માટે લૂટો અને લૂંટવા દો. આપણે શો ફેર પડે છે.

(સરખાવોઃ ફ્રેન્ચ દારુડીયાએ પોતાના દારુના વખાણ કરતાં કહ્યું કે “અમારો દારુ પીવો તો ચાર પૅગમાં કીક આવી જાય. તમારા વૉડકામાં ક્યારે કીક આવે?”  રશિયને કહ્યું “અમે તો પણ, વધારે પીએ ને “)

ભારતના સદ્‌ભાગ્યે ઈશ્વરે ભારતદેશ સામે જોયું અને ૧૯૭૭ પછી વધુ એક તક આપી. ભારતમાં ઇશ્વરે ૧૯૭૭ની ભૂલને સુધારી અને એક પક્ષને ચોક્ખી બહુમતિ આપી. નહેરુવીયન કોંગ્રેસને પરાજય આપ્યો. સ્વાભાવિક રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન નહેરુવીયન કોંગ્રેસે પોતાના જેવા સંસ્કારવાળા અનેક સંતાનો ઉત્પન્ન કરી દીધા હતા. આ વાતને કોઈપણ મૂર્ધન્ય નકારી શકે નહીં. સ્વતંત્રતા મળ્યા પછી, અને નહેરુ સર્વેસર્વા થયા પછી, ખાસ કરીને સરદાર પટેલ ગુજરી ગયા પછી નહેરુ અને નહેરુવીયનોમાં ભ્રષ્ટાચાર (સત્તાલાલસાકીય, આપખુદી અને આર્થિક) હામી રહ્યા છે. નહેરુમાં આ આપખુદીનો દોષ પ્રચ્છન્ન રુપે રહ્યો હતો પણ સત્તાલાલસા ઉડીને આંખે વળગે તેવી હતી. આ સત્તાલાલસા સ્વાતંત્ર્ય પહેલાં અપ્રચ્છન્ન રીતે પ્રચ્છન્ન રુપે હતી. અન્ય નહેરુવીયનો વિષે આપણે ૨૫મી જુને વાત કરીશું.

“મેરા ભારત મહાન” માટે ભારતના હિતૈષીઓએ, નેતાઓએ, ભારતના મૂર્ધન્યોએ અને ભારતના નિપૂણોએ ઘણી મહેનત કરવાની છે.

“ગર્વસે કહો હમ હિન્દુ હૈ”

આમ તો ભારતમાં રહેનારા બધા જ હિન્દુ ગણી શકાય છે. પણ જો હિન્દુનો અર્થ હિન્દુ ધર્મ કરીએ અને ધર્મનો અર્થ પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલી પરિભાષા પ્રમાણે કરીએ એટલે કે “ધર્મ એટલે રીલીજીયન” એવો અર્થ કરીએ તો આ સૂત્ર યોગ્ય નથી. કારણ કે આ અર્થ ભારતીય સંસ્કૃતિને અનુરુપ નથી. સર્વોચ્ચ ન્યાયાલયના અર્થઘટન પ્રમાણે “ હિન્દુધર્મ એ ધર્મ નથી પણ તે સ્ટાઈલ ઓફ લીવીંગ”. પણ આ અર્થઘટન અનુકુળ નથી. સર્વોચ્ચ અદાલતને થયું હશે કે આપણી મુંઝવણને દૂર કરવા આપણે કંઈક જુદું કહીએ. દરેક ધર્મવાળા પોતાના ધર્મને પરિપૂર્ણ માનતા હોય છે એટલે તેનો અર્થ પણ એજ થયો કહેવાય કે તેમનો ધર્મ પણ એક “સ્ટાઈલ ઓફ લીવીંગ” જ છે.

ભારતીય સંસ્કૃતિની પરિભાષા પ્રમાણે “ધર્મ” એટલે  જે કામ તમે સ્વેચ્છાએ સ્વિકાર્યું છે અને જેમાં તમારો અભ્યાસ અને વલણ છે. તે કામ તમારે સમાજની માટે સેવા ભાવે કરવું તે તમારો ધર્મ છે. તમે તમારો આ ધર્મ બદલી શકો ખરા, પણ અચાનક તમે તે બદલી ન શકો. જેમ કે, કોઈ ડૉક્ટર ઓપરેશન કરતાં કરતાં અચાનક કહે કે મારે તો ખેતી કરવી છે. આ ઓપરેશન હું પડતું મુકીશ. મારું  હૃદય પરિવર્તન થયું છે વિગેરે વિગેરે. ડોક્ટરનો ધર્મ છે કે તે ઑપરેશન પુરું કરે અને પછી ધર્મ પરિવર્તન કરે.

પાશ્ચાત્ય પ્રણાલી પ્રમાણે ઇશ્વરને કેવીરીતે પૂજવો અને સામાજીક સંબંધો કેવીરીતે નિભાવવા તેને પણ ધર્મ સાથે સાંકળવામાં આવે છે. ખ્રીસ્તીઓ અને ખાસ કરીને મુસલમાનોમાં આવી માન્યતા પ્રવર્તે છે. પણ બધા મુસલમાનોના સમાજોમાં એક સૂત્રતા નથી તેમજ સર્વવ્યાપકતા પણ નથી. ભારતમાં આનો વિવાદ સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચ્યો છે. આ બાબતમાં હિન્દુઓએ મૌન રાખવું, કોઈની માન્યતામાં દખલ ન દેવી, સિવાયકે કેટલાક તેમના ધર્મની રુઢીનો બચાવ કરતાં કરતાં હિન્દુઓને પણ તેઓ ગોદા મારવા માંડે.

તો હવે ગર્વસે કહો હમ હિન્દુ હૈ નો અર્થ શો કરવો? જો હિન્દુઓની પ્રણાલીઓ શ્રેષ્ઠ હશે તો “ન હિ “કસ્તુરી કામોદઃ શપથેન વિભાવ્યતે.” કસ્તુરી, શપથ પૂર્વક કહેવાથી ઓળખાતી નથી. એટલે કે “આ મારી પાસે જે છે તે કસ્તુરી છે. અને હું શપથ પૂર્વક કહું છું કે આ કસ્તુરી છે તેથી તમે તેને કસ્તુરી  માનો.” કસ્તુરી તો તેની સુગંધથી જ ઓળખી શકાય છે.

આપણને આપણા હિન્દુત્વ ઉપર ગર્વ હોય તો આપણું વર્તન જ એવું હોવું જોઇએ કે બીજાને એની અનુભૂતિ થાય. બીજા આપણી મૈત્રી કે પાડોશીના દાવે આપણા થકી ગર્વ અનુભવે તેવો જો આપણો આચાર હોય તો તે સુષ્ઠુ કહેવાય.

ધર્મને કેવીરીતે ઓળખવો?

એક ધર્મ એ છે જે તે ધર્મના માન્ય પુસ્તકમાં લખાયેલો હોય છે. બીજો ધર્મ એ હોય છે જે તે ધર્મના માણસો દ્વારા પળાતો હોય છે. જો કોઈ ધર્મંના માણસોનો આચાર જ એવો હોય કે જેનાથી વિધર્મીઓના અને અથવા તેમના જ ધર્મના અમુક વર્ગના માનવીય હક્કોને નુકશાન પહોંતુ હોય  તો આવા ધર્મને કઈ કક્ષાએ મુકવો? સંભવ છે કે તે ધર્મના ગ્રંથોમાં વિધર્મીઓને નુકશાન પહોંચાડવાનું ન લખ્યું હોય પણ આવું નુકશાન વ્યાપકપણે આચરાતું હોય તો શું કરવું જોઇએ? વાસ્તવમાં ધર્મનું મુલ્યાંકન તો તે ધર્મીઓના આચાર અનુસાર જ કરવું જોઇએ. કારણ કે જે અનુભવથી સિદ્ધ થાય છે તેને જ સત્ય માનવું જોઇએ.

હિન્દુઓ વિષે શું કહીશું?

હિન્દુઓમાં ઈશ્વરની પૂજા અનેક રીતે થાય છે. એક પ્રકારે પૂજા કરનારાઓ બીજા પ્રકારની પૂજા કરનારાઓ સાથે પૂજાના પ્રકારની બાબતમાં સહમત થતા નથી, પણ કોઈના હક્ક ડૂબતા ન હોવાથી તેનો વિરોધ કરવાનું માનતા નથી. આ વાત તેમણે સ્વભાવગત રીતે સ્વિકારી લીધી છે. સામાન્ય ખ્રીસ્તી સમુદાય પણ કંઈક અંશે આવું જ વલણ દાખવે છે. પણ ખ્રીસ્તી પાદરીઓ દુનિયા આખીને ખ્રીસ્તી બનાવવાનો ખ્રીસ્તી પાદરીઓને ધાર્મિક આદેશ મળ્યો છે તેવું તેઓ માને છે અને તેવો આચાર કરે છે. જે તે વિસ્તારમાં બહુમતિને ખ્રીસ્તી બનાવી દીધા પછી જે બચી ગયા હોય તેમને આ પાદરીઓ પીડા આપતા હોય છે.

મુસ્લિમો વિષે શું કહીશું?

મુસ્લિમોમાં ભાગ્યે જ કોઈ સુજ્ઞ મુસ્લિમ કબુલ કરશે કે ઇસ્લામ ધર્મ આતંકવાદને સમર્થન કરે છે. પણ સુજ્ઞ મુસ્લિમ કોને કહેવો તે મુશ્કેલ છે.

આતંકવાદીઓને તો આપણે મુસ્લિમ ગણીશું જ નહીં. બાકીનાને આપણે મુસ્લિમો ગણીશું.

આ કહેવાતા સુજ્ઞ મુસ્લિમોમાં પણ ચાર જાતના સુજ્ઞ મુસ્લિમો હોય છે.

(૧) એક પ્રકારના મુસ્લિમો જેઓ આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. અને તેઓ જરુર પડે મગજ ને કસરત આપીને પણ મુસ્લિમોના આતંકવાદનો વિતંડાવાદ દ્વારા બચાવ કરે છે.  આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઓમર અને ફારુખ છે.

(૨) બીજી મોટી બહુમતિ એવી છે કે જે ફક્ત મૌન રહેવામાં માને છે. અને જ્યારે અજુગતો બનાવ બને ત્યારે “અમે તેનું સમર્થન કરતા નથી” … “આ બાબત ઇસ્લામિક નથી. તેઓ સાચા મુસલમાન નથી …” એવો બચાવ એકાદ વાર કરીને વળી પાછા મહા મૌન ધારણ કરે છે. પણ આ જ મહામૌનીઓ જો બીજા ધર્મના માણસો દ્વારા પ્રમાણમાં કશું નાનું અમથું અજુગતું થાય અથવા તો તેમના ધર્મનો કોઈ સુજ્ઞજણ સુધારણાની વાત કરે તો તેમની જીવ્હા ખળભળી ઉઠે છે. તમે જોયું હશે કે “તારેક ફતહકા ફતવા”ની ચર્ચામાં મુસ્લિમ જનતામાંથી જે પ્રતિભાવો આવતા હતા તે પ્રતિભાવો અતિ બહુસંખ્યક રીતે તારેક ફતહની માન્યતાથી વિરોધી હતા અને તર્કહીન હતા.

(૩) ત્રીજા પ્રકારના એવા મુસ્લિમો છે જેઓ સુધારાવાદી છે પણ તેમને ધર્માંધ મુસ્લિમોનો ડર લાગે છે. તારેક ફતહે પોતાને સુજ્ઞ માનતા મુસ્લિમોને આમંત્ર્યા હતા. મુસ્લિમ બહેનોને પણ આમંત્રી હતી. તેમાં આપણે વૈચારિક ભીન્નતા જોઇ હતી. તેથી મુસ્લિમોનો ન અવગણી શકાય તેવો હિસ્સો સુધારાવાદી છે.

(૪) ચોથા પ્રકારના મુસ્લિમો નિડર છે અને વાચાળ પણ છે. જેમાં તસ્લિમા નસરીન, સલમાન રશદી, તારિક ફતહ, નિસ્સાર હસન જેવા આંગળીને વેઢે ગણી શકાય તેવા પાકિસ્તાનના એક સમયના નાગરિક હતા અને કેટલાક છે તેવા લોકો આવે છે. એટલે પાકિસ્તાનના બધા જ મુસ્લિમો પછાત છે તેમ ન માની શકાય. ભારતમાં પણ એમ. જે. અકબર, સઈદ શાહનવાઝ હુસૈન, અબ્બાસ નક્વી, નજમા હેબતુલ્લા જેવા અનેક લીડર છે. પાકિસ્તાન અને બંગ્લાદેશ સિવાયના દેશોમાં તો અગણિત સુજ્ઞ મુસ્લિમ લોકો છે જેઓ વાચાળ પણ છે અને સુધારાવાદી પણ છે. ફક્ત ભારતના અને પાકિસ્તાનના મોટા ભાગના મુસ્લિમોને ભારતના વારસાને ગૌરવશાળી માનતા નથી. ઇજીપ્ત, ઇરાન, ઇન્ડોનેશિયા જેવા અનેક દેશના મુસ્લિમો એ વાત જાણતા હોય છે કે તેમના પૂર્વજો મુસ્લિમ ન હતા તો પણ તેઓને તેમના ઐતિહાસિક વારસા ઉપર ગર્વ હોય છે. આનું કારણ શું હોઈ શકે? આને તમે શું કહેશો? પૂર્ણ અથવા અર્ધ હિન્દુ-ફોબીયા.

શિરીષ મોહનલાલ દવે

મૂર્ધન્યો, અર્ધ ફોબિયા, પૂર્ણ ફોબિયા, સાંપ્રત સમસ્યા, કટારીયા, પ્રાથમિકતા, સોસીયલ મીડીયા, સેક્યુલર, હિન્દુરાષ્ટ્ર, વૈદિક શિક્ષણ પ્રણાલી, ઇસ્લામિક ફોબિયા, હિન્દુ ફોબિયા, પૂર્વ પક્ષ, ગૉન-કેસ, મુસલમાનો, મેરા ભારત મહાન, ગર્વસે કહો હમ હિન્દુ હૈ

Read Full Post »

Where has he been lost who walked on this earth in flesh and blood.

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ /

એક વાત આપણે ફરીથી યાદ રાખી લેવી જોઇએ કે વ્યક્તિ અને સમાજ પ્રણાલીઓને આધારે ચાલે છે. સમાજમાં વ્યક્તિઓનો વ્યવહાર પણ પ્રણાલીઓના આધારે ચાલે છે.

નિયમોનું પાલન પ્રણાલીઓની અંતર્ગત આવે છે. ભીન્ન ભીન્ન જુથોની વ્યક્તિઓ વચ્ચેનો વ્યવહાર અને જુથો વચ્ચેનો વ્યવહાર પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છેનિયમો, કર્મકાંડ, પૂજા, અર્ચના પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છે.

માનવ સમાજ પ્રણાલીઓના આધાર ઉપર ચાલે છે. પ્રણાલીઓના પાલન કરતાં કરતાં માનવ સમાજ ઉંચો આવે છે.

સમાજ ઉંચો આવે છે એટલે શું?

સમાજની સુખાકારી આને જ્ઞાનમાં વધારો થાય તો તેને સમાજ ઉંચો આવ્યો એમ કહેવાય. સમાજના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એટલે સમાજને ખબર પડે કે સમાજમાં ચાલતી પ્રણાલીઓમાં કેવા ફેરફારની જરુર છે. જો નવી પ્રણાલીઓ લાવવી હોય તો કેવી સુવ્યવસ્થિત રીતે લાવવી પડશે.

શાસકનું કર્તવ્ય છે કે તે સ્થાપિત પ્રણાલીઓનું જનતા પાસે પાલન કરાવે અને ખુદ પણ પાલન કરે.

કેટલીક પ્રણાલીઓ કોઈ સમાજમાં વિકલ્પ વાળી હોય છે.

જેમકે પુરુષે એક સ્ત્રી સાથે લગ્ન કરવું કે એક થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવું કે કરવું કે જો એકથી વધુ સ્ત્રી સાથે લગ્ન કરવું એમ હોય તો વધુમાં વધુ કેટલી સ્ત્રીઓ સાથે લગ્ન કરવું. જીવન પર્યંત એક સ્ત્રી સાથે પરિણિત જીવન વિતાવવું કે તે સ્ત્રી હોય તો કે બીજા કોઈ કારણસર કે અમુક સંજોગોમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું.

આવા અને બીજા અનેક વિકલ્પ વાળા બીજાં બંધનો પણ હોય છે. આવા બધા વિકલ્પોમાં જે આદર્શ વિકલ્પ માનવામાં આવતો હોય તો તે વૈકલ્પિક પ્રણાલીનું સૌ પાલન કરે તે ઇચ્છનીય છે.

આવા આદર્શ વિકલ્પનું પાલન કરવું આદર્શ શાસક માટે આવશ્યક છે. આદર્શ શાસકે નિષ્ઠાપૂર્વક આદર્શ પ્રણાલીઓનું પાલન કરવું આવશ્યક છે .

શાસક એટલે શું?

રાજા કે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ કે જેના ઉપર પ્રણાલીઓનું પાલન કરવવાની જવાબદારી છે અને તેણે/તેમણે તે સ્વિકારેલી છે તેને/તેમને શાસક કહી શકાય.

કામ સેવા ભાવે કરવા માટે સ્વિકારવામાં આવ્યું હોય

કે કોઈ નિશ્ચિત/અનિશ્ચિત, પ્રત્યક્ષ કે પરોક્ષ સગવડોના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે માન અકરામ ના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે કોઈપણ પ્રણાલી અંતર્ગત જો સ્વિકારવામાં આવ્યું હોય,

તો તે સ્વિકારવા માત્રથી તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ શાસક તરીકે મનાશે.

રામે શું કર્યું?

રામે એક આદર્શ રાજાનું પાત્ર નિભાવ્યું.

રામે ફક્ત એક સ્ત્રી સાથે એટલે કે સીતા સાથે લગ્ન કર્યું. અને એક પત્નીવ્રત નિભાવ્યું.

વનવાસ દરમ્યાન તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું.

રાવણને હરાવ્યા પછી સીતાની પવિત્રતાની પરીક્ષા કરી.

આમ તો સીતા પવિત્ર હતી કારણ કે અશોકવાટિકા અંતર્ગતના નિવાસ દરમ્યાન તે ગર્ભવતી થઈ હતી. જો રાવણે કે બીજા કોઈએ સીતા સાથે શારીરિક સંબંધ રાખ્યો હોત તો સીતા જરુર ગર્ભવતી થઈ હોત.

રામે જનતાની કે કોઈ એક વ્યક્તિની કે વ્યક્તિઓની શંકાને કારણે, તે શંકા ઉપરથી બોધ લીધો અને સીતાનો ત્યાગ કર્યો. સીતાને ત્યાગતી વખતે સીતા ગર્ભવતી હતી. રામે સીતાને વાલ્મિકીના આશ્રમમાં રાખવાની ગોઠવણ કરી. આમ રામે સીતાની અને તેને થનાર સંતાનની સુરક્ષાની પણ વ્યવસ્થા કરી.      

રામે સીતાના ત્યાગ કર્યા પછી કોઈ બીજા લગ્ન કર્યા નહીં. એટલું નહીં પણ જ્યારે યજ્ઞના ક્રિયાકાંડમાં પત્નીની જરુર પડી તો પણ રામે બીજા લગ્ન કર્યાં નહીં. આવે સમયે શાસ્ત્રો દ્વારા માન્ય વિકલ્પ તરીકે, સીતાના પ્રતિકને સ્થાપી ધાર્મિક પ્રણાલી સંપન્ન કરી.

બધી વાતોથી સિદ્ધ થાય છે કે રામ ફક્ત સીતાને પ્રેમ કરતા હતા અને સીતાને પત્ની માનતા હતા. સીતા સિવાય તેમને કોઈને પણ તેઓ પોતાની પત્નીનું સ્થાન આપવા માગતા હતા.

રામે તો કોઈ ઢંઢેરો પીટ્યો કે પોતે કેવા ત્યાગી છે, પોતે કેવા આદર્શ છે કે તેમણે પોતાની પત્નીને દુઃખની ખીણમાં નાખીને પણ રાજધર્મ નિભાવ્યો.

રામે તો એવો કોઈ ઢંઢેરો પીટાવ્યો કે પોતે પોતાના કૌટૂંબિક જીવન ઉપર પણ, રાજધર્મને ખાતર કેવો અન્યાય કર્યો,

રામે તો પોતાના ફાયદા માટે એવો પ્રચાર કરાવડાવ્યો કે પ્રણાલીમાં બદલાવની જરુર છે,

રામે રાજા હોવા છતાં પણ અને મહેલમાં રહેતા હોવા છતાં પણ કોઈ શારીરિક સગવડો ભોગવી પણ સીતાની જેમ વનવાસીના જેવી જીંદગી જીવી. અને છતાં પણ રાજધર્મ શ્રેષ્ઠ રીતે નિભાવ્યો.

શું રામે બધું સત્તામાં ચાલુ રહેવા માટે કર્યું હતું?

ના જી. રામને તો સત્તાનો મોહ હતો તો તેમને સુવિધાઓનો મોહ હતો. જો રામે ઈચ્છ્યું હોત તો તેમણે ૧૪ વર્ષનો વનવાસ સ્વિકાર્યો હોત. તેમના હિતેચ્છુઓ દ્વારા આંદોલન કરાવી શક્યા હોત. અને કૈકેયીને બદનામ કરાવી શક્યા હોત.

આવું કરત તો પણ પિતાની આજ્ઞાને, તે આજ્ઞાને થોડી સ્થગિત કરાવડાવીને ભરત આવે ત્યાં સુધીનો સમય પસાર કરાવી શક્યા હોત. ભરત દ્વારા જનાઅંદોલન કરાવી શક્યા હોત.

આવું કર્યા વગર પણ, જ્યારે ભરત મોસાળથી અયોધ્યા પાછો આવ્યો અને ભરત તેમને શોધીને મળવા આવ્યો ત્યારે ભરતે પોતાના રાજાપણાના હોદ્દાની રુએ રામને અયોધ્યાની રાજગાદી સ્વિકારવાનું કહેલ. ત્યારે રામ ખુશી ખુશી તે વખતે અયોધ્યાની રાજગાદી સ્વિકારી શક્યા હોત. આમ કરવાથી પ્રણાલીનો ભંગ થાત અને ઘીના ઠામમાં ઘી ઢોળાયેલું રહેત. પણ આમ કરવાથી વરિષ્ઠ રાજા દશરથની આજ્ઞાનો આત્મા હણાઈ જાત. રાજાની આજ્ઞાનું પાલન થયું ગણાત પણ તેમાં તો રાજાની આજ્ઞાના પાલનની નિષ્ઠા હોત તો તેનો આત્મા હોત. આવી સમજણ ભારતમાં દશ હજાર વર્ષ પહેલાં પ્રવર્તતી હતી અને માન પામતી હતી.

પણ એજ ભારતમાં નહેરુવીયનોએ શું કર્યું?

નહેરુએ ભારતની સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે તે અને તેમનો પક્ષ, ચીનની સાથેના ભારતના યુદ્ધમાં ભારતે ગુમાવેલી ભારતીય ભૂમિને પાછી મેળવ્યા સિવાય આરામથી બેસશે નહીં. નહેરુતો પછી પોતાની જીંદગી જીવી ગયા. અને દેહરાદુનમાં આરામ ફરમાવતા ફરમાવતા એક સવારે ગુજરી ગયા. પણ તેમની પ્રાથમિકતા કદીય પોતે લીધેલી પ્રતિજ્ઞાના પાલનની રહી નહીં. તેમની પ્રાથમિકતા તેમની ઉતરાધિકારિણી તેમની પુત્રી કેવી રીતે બને તે રહી. આવી કોઈ પ્રણાલી આપણી લોકશાહીમાં નથી કે શાસકવ્યક્તિનું સંતાન તે શાસકનું અનુગામી બની તે પદભાર સંભાળે. પણ નહેરુએ પોતાના વડપણના પરિબળની રુએ પોતાની ગેંગદ્વારા નવી પ્રણાલી સ્થાપવાની ભરપૂર કોશિસ કરી.

નહેરુના સંતાન ઇન્દિરા ગાંધીએ વારસાગત પદભાર સંભાળવાનો લાભ લેવાનો અને ભોગવવાનો લાભ લીધો, પોતાની વારસામાં મળેલી પ્રતિજ્ઞાને સ્પર્શ પણ કર્યોતેણે નવી સમસ્યાઓ અને પ્રણાલીઓ પોતાના લાભ માટે બનાવી. જેમકે રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં પોતાના પક્ષના એક ઉમેદવારનું આવેદન પત્ર ભર્યું પણ તે તેમને પસંદ હોવાથી, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની જાહેરાત કરી. આવી જાહેરાત કરવાની પ્રણાલી હતી. છતાં પણ પોતાના સંસાધનો દ્વારા ભરપૂર પ્રચાર કર્યો. પણ એજ ઈન્દીરા ગાંધીએ પછીના સત્રના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની પોતે પ્રસ્તૂત કરેલી પ્રણાલીને નકારી કાઢી.

ઇન્દિરા ગાંધીએ જાહેરમાં વચન આપેલ કે તે જે બંગ્લાદેશી બિહારી મુસ્લિમો (બીન બાંગાભાષી) એક કરોડની સંખ્યામાં ભારતમાં ઘુસી ગયા છે તેમને પાછા મોકલી દેશે. પણ વચન પોતે તે પછી ૧૪ વર્ષ રાજ કર્યું તો પણ તે વચનનું પાલન કર્યું નહીં. અને નવી આતંકવાદી સમસ્યાઓ ઉભી કરી તે જુદી. ભારતપાકિસ્તાનના યુદ્ધના નગારા ૧૯૬૯થી વાગતાં હતાં. અને ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીના સંરક્ષણ મંત્રી જગજીવનરામે ઇન્દિરાની સરકાર તરફથી જાહેર કરેલ કે વખતે ૧૯૬૬ની પાકિસ્તાન સાથેની સંધિમાં થયેલી ભૂલનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં. એટલે કે જે કંઈ પાકિસ્તાનની ભૂમિના હિસાઓ જીતીશું તેને પાછા આપીશું નહીં. પણ સિમલા કરાર હેઠળ જીતેલી ભૂમિ નહીં પણ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મિરનો જે ભૂભાગ ભારતીય લશ્કરે જીતેલો તે પણ પાછો આપી દીધેલ. વાત તો ભરતીય બંધારણ થી સ્થપાયેલ સિદ્ધાંતોથી વિપરિત વાત હતી. પેકેજ ડીલ દ્વારા પાકિસ્તાનને સીધું કરવાની વાત તો યાદ કરવામાં આવી. આવા વચનભંગોની તો પરંપરા સ્થપાઈ.

જ્યારે શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલીઓ  સ્થાપવાની અને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે ત્યારે દેશની આબરુ કેવી રસાતાળ થાય અને શાસક/શાસક જુથની નીતિમત્તા કેટલી હદે પતનને પામે છે તે જોઇએ.

 ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાનું વચન આપેલઆવા ખોટા વચન ઉપરાંત તેઓશ્રીએ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરી જીત્યાં હતાં. એટલે તેમના પ્રતિસ્પર્ધીએ તેમની સામે ઉચ્ચન્યાયાલયમાં કેસ કર્યો. ન્યાયાલયે નોંધ્યું કે ઇન્દિરા ગાંધી ન્યાયાલયની સામે જે કંઈ પ્રતિજ્ઞા પૂર્વક બોલ્યાં તેમાં ૧૬ ઉચ્ચારણો જૂઠાં હતાં. તેમની ચૂંટણી રદ થઈ. અને ઇન્દિરાને વર્ષ માટે ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં. બધું ભારતીય બંધારણમાં સ્થપાયેલા નીતિનિયમો અને પ્રણાલીઓને આધારે થયું હતું. હવે જો શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલિઓ સ્થાપવાની અને પ્રણાલીમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે તો શું થઈ શકે તે જોઇએ.

ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા લાલસા પોષવા શું શું કર્યું?

માનવ અધિકારો, બંધારણીય અધિકારો અને કુદરતી અધિકારો પણ સ્થગિત કર્યા. શા માટે?

પોતાની સામે ઉભા થયેલાખતરાનેદેશની સામે ઉભા થયેલા ખતરાતરીકે ખપાવ્યો. રાતો રાત પોતાના મહાકાય ચિત્રો વાળા પોષ્ટરો છપાયા અને દિવાલો ઉપર ચીપકાવ્યા. તેની ઉપર લખાણ હતું જ્યારેદેશને વિભાજીત કરવા વાળા તત્વોદેશની ઉપર ત્રાટક્યા ત્યારે તે ચટ્ટાનની જેમ ઉભી રહી અને બધા પ્રહારો ઝીલી દેશને બચાવ્યો.” ઇન્દિરાએ બધા વિરોધીઓને જેલભેગા કર્યા. સમાચાર પત્રો લાંબા લહ થઈને ઇન્દિરાના પગમાં આળોટ્યા. ન્યાયાલયના ચૂકાદાઓ પણ જો શાસનની વિરુદ્ધ હોય તો દબાવવામાં આવ્યા. આવું બધું તો ઘણું થયું. જ્યારે તમે શાસકને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપો એટલે દેશ પતન પામે. તમે આને જનતંત્ર કહી શકો.

પ્રણાલીઓ બદલવાની આદર્શ પ્રક્રિયા શું હોવી જોઈએ?

પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા પ્રજા પાસે હોવી જોઇએ. પ્રજા તેના ઉપર ચર્ચા કરે અને પ્રજા તેનો મુસદ્દો ઘડે. વિદ્વાનો જેઓ શાસક દ્વારા લાભાન્વિત નથી તેઓ તેને સુઘટિત શબ્દોમાં પ્રસ્તૂત કરે અને રાજાને કહે કે હવે તમે પ્રણાલીનું પાલન કરાવો અને કરો.

અહી રમાયણમાં શું થાય છે.

રામ તો સીતાને પાછી લાવવા માટે કશું કરતા નથી. રાજા પોતાના અંગત લાભ માટે કશું કરે તેવી પ્રણાલી રાજા તરફથી સૂચિત થાય તેવી પ્રણાલી હતી નહીં. રાજા પોતે તો નવી પ્રણાલી સૂચવી શકે નહીં. રામે પોતાની નિંદા કરનારાઓને જેલમાં પણ મોકલ્યા.

તો રામે શું કર્યું?

સીતા વાલ્મિકીના આશ્રમમાં હતી. વાલ્મિકીએ સીતાની બધી વાત સાંભળી. વાલ્મિકીને થયું કે બીજી બધી વાત તો ઠીક છે મારા ભાઈ, પણ સીતાને અન્યાય થયો છે. એટલે વાલ્મિકીએ એક મહાકાવ્ય લખ્યું. અને રામ કથાનો લવ અને કુશદ્વારા જનતામાં પ્રચાર કરાવડાવ્યો. જનતાને વસ્તુસ્થિતિનો ખ્યાલ આવવા માંડ્યો. જનતાએ રામ ઉપર દબાણ કર્યું.

પણ જે અધાર પર એટલે કે જે તર્ક ઉપર પ્રણાલીનો આધાર હતો, તે તર્કને કેવી રીતે નકારી શકાય? નવી કઈ પ્રણાલી સ્થાપાય કે સીતાની પવિત્રતા સિદ્ધ થાય. જે આધાર પર રામ શુદ્ધ હતા તે આધાર પર શું સિતા શુદ્ધ હતી? વાલ્મિકી અને તેમનો પૂરો આશ્રમ સીતાના ચાલચલન ઉપરથી સ્પષ્ટ હતો કે સીતા શુદ્ધ હતી. એટલે એવી પ્રક્રિયા સ્થપાય કે વાલ્મિકી અને વશિષ્ઠ બંને પ્રમાણ પત્ર આપે કે સીતા શુદ્ધ છે. આપણે જોઇએ શકીએ છીએ કે પૂરી પ્રક્રિયામાં રામનું કોઈ દબાણ આવતું નથી. રામનો કોઈ આગ્રહ પણ નથી. રામનો આદર્શ અભૂતપૂર્વ અને અનુપમ છે.

સીતા રામની પત્ની હતી. રામે શું પત્ની સાથે અન્યાય કર્યો કહેવાય?

રામે સીતાનો ત્યાગ કર્યો તો શું વાત સીતા ઉપર અન્યાય થયો કહેવાય?

સીતા તો રામની પત્ની હતી. સીતાના પત્ની તરીકેના અધિકારો હણાયા તેનું શું?

વાત માટે કોણ દોષિત છે?

રામ પોતે તો છે, એનું શું?

રામે પતિધર્મ કેમ બજાવ્યો? રામે સીતાના લગ્ન સમયે શું સીતાનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી? અગ્નિ સામે લીધેલી પ્રતિજ્ઞાનું શું?

રામે રાજગાદી છોડી દેવી જોઈતી હતી. રામે રાજગાદીનો સ્વિકાર કર્યો અને પોતાના પતિધર્મનું પાલન કર્યું તેનું શું?

રામનો રાજધર્મ અને રામનો પતિધર્મ

રામની પ્રાથમિકતા રાજ ધર્મનું પાલન કરવાની હતી. રામ પોતે જન્મ્યા તેની સાથે તે દશરથ રાજાના જ્યેષ્ઠ પૂત્ર હોવાના કારણે રાજધર્મ તેમને માટે પ્રાથમિકતા બની ગયો હતો. એક પ્રણાલીગત પ્રાથમિકતા હતી.

સીતા રામની પત્ની નહીં પણ પ્રણાલી પ્રમાણે રામની રાણી પણ હતી. સીતાને રાણી હોવાથી રાજની સુવિધાઓનો અને માન અકરામનો ઉપભોગ કરવાનો  અધિકાર મળતો હતો. જ્યારે આવું હોય ત્યારે રાણીનો ધર્મ બને છે કે રાજાની આપત્તિની પણ તે સહભાગી બને. રાજાની રાણી જ્યારે પ્રતિકુળ પ્રણાલીઓના પાલન કરવાની વાત આવે ત્યારે તે પલાયન વૃત્તિ રાખી શકે. જો રાજાને પ્રણાલીના પાલન કરવામાં રાણીનો ત્યાગ કરવો પડે તો રાણીએ તે માન્ય રાખવું પડે.

રામાયણની કથા, હાડમાંસના બનેલા માનવીય સમાજની એક મહા કથા છે. સીતા પણ હાડમાંસની બનેલી હતી. સીતાએ પોતાના હાડમાંસના બનેલા શરીરથી વિચાર્યું કે શુદ્ધતા ની વાત તો બહુ લાંબી ચાલી. જો આવું ચાલ્યા કરશે તો મારે કોણ જાણે કેટલીય વાર મારી શુદ્ધતા સિદ્ધ કરતા રહેવું પડશે.

સીતા ખીણમાં પડી આત્મહત્યા કરી લે છે.

જનક રાજાને સીતા કોઈ ખેતરની ધરતી ઉપરથી મળેલી. તે સીતા ધરતીની પૂત્રી હતી અને તે ધરતીમાં સમાઈ ગઈ. લેખકે તેને રસાત્મક બનાવવા માટે લખ્યું કે ધરતી ફાટી અને ધરતીમાતા સિંહાસન લઈને આવ્યાં ને તે પોતાની પૂત્રી સીતાને સિંહાસન ઉપર બેસાડી માન સાથે લઈ ગયાં. રામે ધૂમધડાકા કર્યા વગર પોતાની મહાનતા બતાવી, સીતાએ પણ તેજ રીતે ચૂં ચાં કર્યા વગર પોતાની મહાનતા બતાવી.

શું રામ માટે અંતિમ અગ્નિ પરીક્ષા હતી?

ના જી. રામે તો હજી અનેક પડાવ પસાર કરવાના હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝ્ સીતા, રામ, શાસક, રાજા, રાણી, વચન, પ્રણાલી, પરિવર્તન, ઇન્દિરા, નહેરુ, કટોકટી, અધિકાર, યોગ્યતા, અયોગ્ય, સત્તા, લાલસા, પતન, રાજ ધર્મ, પ્રાથમિકતા 

   

 

 

     

    

 

 

    

 

 

 

 

Read Full Post »

ત્રીનેત્ર એ સનાતન ધર્મીઓ માટે જાણીતો શબ્દ છે. વિશ્વદેવ જેને ઋગવેદમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને ત્રણ નેત્રો છે. સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ.

“જે પીણ્ડે છે તે બ્રહ્માણ્ડે છે”. એટલે કે જો એ રીતે સરખામણી કરીએ તો
આપણે ચન્દ્રના અજવાળામાં જોઇ શકીએ છીએ. હવે “જોવું” એ શબ્દનો અર્થ જાણવું કરીએ તો ચન્દ્રના અજવાળામાં આપણે જે કંઈ જોઇએ તે સ્પષ્ટ ન હોઇ શકે. અને આપણા મનને આપણે મદદમાં લેવું પડે. અથવા અજાણતાં પણ આપણે તેમ કરીએ છીએ. તેથી ચંદ્ર એ મન છે. “ચન્દ્રોમા મનસિ જાતઃ” એમ પણ કહ્યું છે. તેનો અર્થ એ પણ થઇ શકે કે ચંદ્ર આપણા મન ઉપર અસર કરે છે.

સૂર્યના અજવાળામાં આપણને બધું સ્પષ્ટ દેખાય છે. મતલબ કે જોઇ સમજી શકીએ. પણ આપણી વાત તૃતીય નેત્ર વિષેની છે. જ્યારે સૂર્ય પણ આકાશમાં ન હોય અને ચંદ્ર પણ આકાશમાં ન હોય ત્યારે આપણે અગ્નિથી કામ ચલાવીએ છીએ. વળી અગ્નિ આપણું અન્ન રાંધે છે અને આ પક્વ અન્ન આપણને આનંદથી જીવાડે છે.

અગ્નિ સર્વને બાળીને અદ્રશ્ય કરે છે. તે બધું ક્યાં જાયછે? તે બધું વિશ્વમાં દ્રવિત થાય છે. “મૂખાત્ અગ્નિ અજાયતઃ” અગ્નિ એ વિશ્વદેવનું મુખ છે. અને જે કંઈ મુખમાં જાય છે તેથી કુદરતી શક્તિઓનું પોષણ થાય છે. વળી અગ્નિ એ પુરોહિત છે. એટલે કે તે સર્વ શક્તિઓનો પ્રમુખ છે. “અગ્નિમીળે પુરોહિતં.”

અગ્નિ એ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો. તેથી તેને “બ્રાહ્મણ” કહેવાય છે. અને તેથી વૈદિક ધર્મને “બ્રાહ્મણ ધર્મ” કહેવાય છે. અગ્નિને ઘરમાં “દીપ”ના સ્વરુપમાં  રાખવામાં આવે છે. તેથી તે “ગાર્હપત્ય” છે.  આ ત્રીજું નેત્ર અગ્નિ એ શું નથી? અગ્નિ એ જ્ઞાન છે. જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. પણ જ્ઞાન એટલે શું? પંચેન્દ્રીયો થકી કે કંઇ જોવામાં આવે અને મગજમાં સંગ્રહવામાં આવે અને તે ઉપર મનન ચિંતન કરી સમજવામાં આવે તેને જ્ઞાન કહેવાય.

જ્ઞાન શું કરે છે? જ્ઞાન એ મનુષ્યમાં પ્રજ્ઞા ઉત્પન્ન કરે છે. આ પ્રજ્ઞા એટલે સાચા નિર્ણય કરવાની ક્ષમતા. સંબદ્ધતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા. આ ત્રણે પ્રજ્ઞાઓ સમાજનો સામાજીક અને વૈજ્ઞાનિક વિકાસ કરે છે.

ટૂંકમાં સામાજીક ઉન્નતિ માટેની ચર્ચાઓ,  સંબદ્ધતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા ની પરિસીમામાં થવી જરુરી છે.

આ તૃતીયનેત્ર એ જ્ઞાન સ્વરુપ છે. અને સર્વ સમસ્યાઓનો સંવાદ આવકાર્ય બનાવેછે.

Read Full Post »

%d bloggers like this: